<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
    xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
    xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
    xmlns:admin="http://webns.net/mvcb/"
    xmlns:rdf="http://www.w3.org/1999/02/22-rdf-syntax-ns#"
    xmlns:atom="http://www.w3.org/2005/Atom"
    xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
    xmlns:media="http://search.yahoo.com/mrss/">
    <channel>
        <atom:link href="https://khabarantar.com/rss/category/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF" rel="self" type="application/rss+xml" />
        <title>KhabarAntar.com &amp; : વિચાર સાહિત્ય</title>
        <link>https://khabarantar.com/rss/category/વિચાર-સાહિત્ય</link>
        <description>KhabarAntar.com &amp; : વિચાર સાહિત્ય</description>
        <dc:language>gu</dc:language>
                <dc:rights>Copyright 2024 Khabar Antar&amp; All Rights Reserved.</dc:rights>
                        <item>
                    <title>ભારતની વધતી વસ્તી વચ્ચે ઘટતો Fertility Rates શું સૂચવે છે?</title>
                    <link>https://khabarantar.com/declining-fertility-rate-in-india-is-a-sign-of-social-change</link>
                    <guid>https://khabarantar.com/declining-fertility-rate-in-india-is-a-sign-of-social-change</guid>
                    <description>
                        <![CDATA[ રાજકારણીઓને પ્રજનન દર (fertility rates)ના ઘટાડાનો સરળ અને તુરંત ઉકેલ વસ્તી વધારામાં લાગ્યો છે. પરંતુ આ બાબતને મહિલાઓની દ્રષ્ટિ શું છે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Fertility Rates in India: આંધ્રપ્રદેશ (Andhra Pradesh) ના મુખ્યમંત્રી ચંદ્દ્રાબાબુ નાયડુ (Chandra babu Naidu) એ તેમની સરકાર બે થી વધુ બાળકો હોય તેને ખાસ પ્રોત્સાહન આપશે તેમ જણાવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બે થી વધુ બાળકો ધરાવતા વ્યક્તિઓને ઉમેદવારી કરતાં અટકાવતો કાયદો આંધ્ર સરકાર સુધારશે તેવી પણ જાહેરાત કરી છે. ‘અમે બે અમારા બે’ ના શોર અને વસ્તી નિયંત્રણના આકરા પગલાં પર જોર વચ્ચે વધુ બાળકોની અપીલનું કારણ ઘટતો પ્રજનન દર (fertility rates) છે. દેશના ૨.૧ ટકા પ્રજનન દર (fertility rates)ની સરખામણીએ દક્ષિણના રાજ્યોનો પ્રજનન દર ૧.૬ ટકા હોવાથી વસ્તી વૃધ્ધિની અપીલો થઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંધ્રના સી.એમ.ની અપીલના વળતા દિવસે જ તમિલનાડુ (Tamilnadu) ના મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિને  (M K Stalin) સમૂહ લગ્નના સમારંભમાં કહ્યું કે પહેલાં નવદંપતીને સોળ પ્રકારની સંપત્તિના આશીર્વાદ અપાતા હતા હવે સોળ સંતાનોના આશીર્વાદ આપવા જોઈએ. નવા પરણેલા જોડાં નાના કુટુંબોનો ખ્યાલ છોડે તેવી વિનંતી તેમણે કરી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતે (Mohan Bhagwat) તો વળી આધુનિક વસ્તી વિજ્ઞાનનો હવાલો આપીને જણાવ્યું છે કે જ્યારે કોઈ સમાજનો પ્રજનન દર (fertility rates)  ૨.૧ થી નીચે જાય છે ત્યારે તે  આપોઆપ નષ્ટ થઈ જાય છે. આજે ભારત તે સ્થિતિએ છે.  એટલે તેમણે લોકોને સમાજને જીવતો રાખવા ઓછામાં ઓછા ત્રણ બચ્ચાં પેદા કરવા અપીલ કરી છે. યાદ રહે મોહન ભાગવત અપરિણીત છે અને તેમને કોઈ સંતાન નથી. આંધ્રપ્રદેશના સી.એમ.ને એક અને તમિલનાડુના સી.એમ.ને બે જ સંતાનો છે. પરંતુ તેઓ પોતાનાં વોટર્સ ઘટી ન જાય તે માટે પ્રજનન દર (fertility rates) ના ઘટાડાનો સરળ ઉકેલ વસ્તી વૃદ્ધિમાં જુએ છે અને લોકોને વધુ બાળકો પેદા કરવા જણાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૨૪ના મધ્યમાં તો ભારત ચીનને આંબીને દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો હતો અને હવે ફરી પ્રજનન દર(fertility rates) ના ઘટાડાને અટકાવવા વસ્તી વધારાની અપીલો થઈ રહી છે. એક દંપતી દ્વારા જન્મેલા બાળકોની સરેરાશ સંખ્યા કે એક મહિલાએ તેના જીવનકાળમાં જન્મ આપેલ સંતાનોની સરેરાશ સંખ્યા એટલે ટોટલ ફર્ટિલિટી રેટ (TFR) કે પ્રજનન દર ગણાય છે. મહિલા તેની ઉમરના ૧૫ થી ૪૯ વર્ષના ગાળામાં ગર્ભધારણની ક્ષમતા ધરાવે છે. ૧૫ થી ૧૯ વર્ષમાં આ ક્ષમતા વિશેષ હોય છે. ભારતીય મહિલાઓની ગર્ભધારણ  ક્ષમતા પ્રજનન દર (fertility rates) કે જન્મ દર ઘટી રહ્યો છે અને તે ૨.૧ કે ૨ એ પહોંચ્યો  છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 18.6667px;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Exclusive:-Has-urbanization-weakened-the-caste-system"><span style="font-size: 14pt;">Exclusive: શું શહેરીકરણથી જ્ઞાતિ વ્યવસ્થા નબળી પડી છે?</span></a></span></span></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_679b132446192.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માનવ ઈતિહાસના સૌથી મૂળભૂત સામાજિક પરિવર્તન પૈકીનું એક પ્રજનન દર (fertility rates) માં ઘટાડો છે. નિયંત્રિત પ્રજનન દર માટે જાણીતા બાંગ્લાદેશને બેના પ્રજનન દરે પહોંચતા સત્તર વરસ લાગ્યા હતાં પરંતુ ભારતે  ચૌદ વરસમાં આ સિધ્ધિ મેળવી છે. તેના કારણો જાણીને આ પરિવર્તનને આવકારવાની જરૂર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષણ અને મહિલા શિક્ષણમાં થયેલા વધારાને કારણે વસ્તી વૃધ્ધિની વિપરિત અસરો વિશે જાગ્રતિ વધી છે. વસ્તી વધારા પર નિયંત્રણનું જ પરિણામ પ્રજનન દર(fertility rates) નો ઘટાડો છે. જોકે તે નસબંદી કે વધુ બાળકો ધરાવનારને દંડિત કરવાથી નહીં પણ ચોક્કસ આર્થિક-સામાજિક કારણોથી થયો છે. દેશના સૌથી શિક્ષિત રાજ્ય કેરળે (Kerala) શિક્ષણના ઉંચા દર દ્વારા આ પ્રજનન દર હાંસલ કર્યો છે. મહિલા જાગ્રતિકરણ કે સ્ત્રી સશક્તિકરણ, શ્રમ શક્તિમાં વધેલી મહિલા ભાગીદારી, કુટુંબના નિર્ણયોમાં મહિલાનો અવાજ, ગર્ભ નિરોધક્ના ઉપયોગને મળેલી સામાજિક સ્વીકૃતિ, લગ્ન વયમાં વધારો, એક્લ અપરિણિત મહિલાઓનું વધતું પ્રમાણ, સમાજનું આધુનિકીકરણ, સંકોચાતા પરિવારો, આરોગ્ય સેવાઓમાં સુધારો, બાળ મૃત્યુનું ઘટતું પ્રમાણ,મહિલા અધિકારોનો અમલ, બાળકોના ઉછેર અને શિક્ષણ આરોગ્યના ખર્ચમાં વધારો, નવા મૂલ્યોનો જન્મ  અને શહેરીકરણ જેવા કારણોથી પ્રજનન દરમાં ઘટાડો થયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 18.6667px;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/The-government-spends-Rs.-51,000,-while-the-citizen-pays-only-Rs.-1815-spend"><span style="font-size: 14pt;">સરકાર એક સાંસદના આરોગ્ય પાછળ વર્ષે રૂ. 51,000 ખર્ચે છે, જ્યારે નાગરિક પાછળ ફક્ત રૂ. 1815 ખર્ચે છે!</span></a></span></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટોટલ ફર્ટિલિટી રેટ (Total fertility rates) ના ઘટાડાની સકારાત્મક અને નકારાત્મક અસરો જોવા મળે છે. પ્રજનન દરમાં ઘટાડાથી વસ્તી વૃધ્ધિનો દર ઘટ્યો છે. ૧૯૬૩માં વૈશ્વિક વસ્તી વૃધ્ધિ દર ૨.૩ ટકા હતો જે આજે   લગભગ ૧ ટકા છે. ભારતનો પ્રજનન દર અને વસ્તી વૃધ્ધિ દર સમાન એટલે ૨ છે. અધિક મૃત્યુ દરથી નિયંત્રિત થતી વસ્તી વૃધ્ધિ હવે ઓછા પ્રજનન દરથી નિયંત્રિત થશે. હાલમાં ભારતમાં યુવા વસ્તીનું પ્રમાણ વધુ છે. પરંતું પ્રજનન દરમાં ઘટાડાને કારણે યુવા વસ્તીમાં ઘટાડો થશે અને વૃધ્ધ વસ્તીમાં વધારો થશે. વલ્ડ પ્રોસ્પેકટ રિપોર્ટ પ્રમાણે હાલમાં ભારતમાં પાંત્રીસ વરસથી નાની વયની યુવા આબાદી ૬૫ ટકા છે. ટીએફઆરમાં ઘટાડો થતાં ત્રીસ વરસ પછી પાંસઠ વરસની વૃધ્ધ વસ્તી ૬૫ ટકા હશે. પ્રજનન દરના ઘટાડાનું આ સૌથી મોટું નકારાત્મક પાસું ગણાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક એવો હાઉ ઉભો કરવામાં આવી રહ્યો છે કે પ્રજનન દર(fertility rates)માં ઘટાડાથી વસ્તીમાં તુરત ઘટાડો થઈ જશે. પરંતુ આગામી કેટલાક દાયકા સુધી તો વસ્તી વધવાની જ છે. તે પછી તેમાં ઘટાડો થવો શરૂ થશે. હાલમાં યુવાઓની જનસંખ્યા વધારે હોવાથી કામ કરતા લોકોમાં વધારો થયો છે તેને કારણે આર્થિક વિકાસ ઝડપી બન્યો છે. ઘરડા લોકો અને બાળકોની વસ્તી વધવાની અસર થઈ શકે છે કેમકે આ વર્ગ અન્ય પર નિર્ભર છે. એટલે બુઝુર્ગ અને વૃધ્ધ વસ્તીની દેખભાળ મોટી ચેલેન્જ બની શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (National Family Health Survey) અનુસાર  ભારતમાં મહિલાઓની ગર્ભધારણ ક્ષમતા રાષ્ટ્રીય લેવલે ૨  છે પરંતુ ગુજરાતમાં તેનાથી થોડી ઓછી એટલે કે ૧.૯ છે. તેનું કારણ મોડા લગ્ન, શહેરીકરણ અને ગર્ભનિરોધકનો ઉપયોગ તો છે જ પરંતુ ગુજરાતમાં ૬૫ ટકા મહિલાઓ કુપોષિત છે. એટલે પ્રજનન દર(fertility rates) નો ઘટાડો કુપોષણનું પરિણામ હોય તો તે દૂર કરવાની દિશાના પ્રયત્નો વધારવા પડે.બાળમૃત્યુ દરમાં ઘટાડો, સરેરાશ આયુષ્યમાં વધારો અને ઓછા વજન અને ઉંચાઈ ધરાવતા બાળકોની  સર્વાધિક સંખ્યામાં ઘટાડાના સંદર્ભે યોગ્ય પગલાં પણ પ્રજનન દરના ઘટાડાની વિપરિત અસરો ઓછી કરી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકારણીઓને પ્રજનન દર (fertility rates)ના ઘટાડાનો સરળ અને તુરત ઉકેલ વસ્તી વધારામાં લાગ્યો છે. પરંતુ આ બાબતને મહિલાઓની દ્રષ્ટિએ જોવાની જરૂર છે. ઓગણીસમી સદીમાં સરેરાશ છ બાળકોના પ્રજનન દરને અડધો કે ત્રણ કરતાં યુ.કે.ને ૯૫ વરસ અને અમેરિકાને ૮૨ વરસ થયા હતા. પરંતુ વીસમી સદીમાં બાંગ્લાદેશે ૨૦, સાઉથ કોરિયાએ ૧૮, ચીને ૧૧, ઈરાને ૧૦ વરસમાં આ સિધ્ધિ હાંસલ કરી હતી. ધીમા પણ મક્કમ સામાજિક પરિવર્તનને ફટાફટ વધુ બાળકો જણવા માંડો એમ કહીને વેડફી ના નાંખીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો અન્ય પર નિર્ભર વૃધ્ધોની વધુ વસ્તી સમસ્યા લાગતી હોય તો વૃધ્ધો લાંબો સમય કામ કરી શકે તેવા તંદુરસ્ત રહે તેવું કરવાની જરૂર છે. વૃધ્ધ વસ્તીને સમસ્યારૂપ માનવાને બદલે તેને સ્વસ્થ રાખી વધુ સમય કામ કરતા કરવાની જરૂર છે. વસ્તી વૃધ્ધિ કે વસ્તી નિયંત્રણને બદલે તંદુરસ્ત અને ખુશહાલ આબાદી દેશને આબાદ બનાવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>ચંદુ મહેરિયા </strong></span><span style="font-size: 12pt;"><em><strong>(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)</strong></em></span></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 18.6667px;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/if-taj-mahal-is-history-where-is-the-history-of-its-sculptors">તાજમહેલને ઈતિહાસ ગણીએ તો તેના શિલ્પીઓનો ઈતિહાસ ક્યાં છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 30 Jan 2025 11:22:34 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1910</Articleid>
                    <excerpt>રાજકારણીઓને પ્રજનન દર (fertility rates)ના ઘટાડાનો સરળ અને તુરંત ઉકેલ વસ્તી વધારામાં લાગ્યો છે. પરંતુ આ બાબતને મહિલાઓની દ્રષ્ટિ શું છે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679b132f8828f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679b132f54cb0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679b132f54cb0.jpg" length="56423" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Declining fertility rate in India</media:keywords>
                </item>
                        <item>
                    <title>દયા અરજી અને ક્ષમાદાન : ભારતમાં અને અમેરિકામાં</title>
                    <link>https://khabarantar.com/mercy-petitions-and-pardons-in-india-and-america</link>
                    <guid>https://khabarantar.com/mercy-petitions-and-pardons-in-india-and-america</guid>
                    <description>
                        <![CDATA[ વિશ્વના લગભગ બધા જ દેશોમાં વધતા ઓછા અંશે માફી, ક્ષમા અને દયાનો રાજસી કે શાહી અધિકાર છે. એક રીતે લોકતંત્રને મળેલા આ અધિકારમાં નિરંકુશ રાજાશાહીની ગંધ આવે છે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્રીસેક વરસ પહેલાં ૩૧મી ઓગસ્ટ ૧૯૯૫ના રોજ પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી બિયંતસિંઘની  સચિવાલય પરિસરમાં બોમ્બ વિસ્ફોટ કરીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના દોષિતોને જુલાઈ ૨૦૦૭માં સજા થઈ હતી. મુખ્ય આરોપી બલવંત સિંઘ રાજોઆનાને મૃત્યુદંડની સજા થઈ હતી. પરંતુ તે સજા ૨૦૧૨માં અટકાવવામાં આવી હતી. લગભગ ત્રીસ વરસથી જેલમાં બંધ રાજોઆનાએ તેની ફાંસીની સજા રદ કરવા કે તેને આજીવન કારાવાસમાં ફેરવવા રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરી છે. તેમની દયા અરજી સોળ મહિનાથી રાષ્ટ્રપતિ સમક્ષ પેન્ડિંગ છે. એટલે તેમણે દયા અરજીના નિર્ણયમાં થઈ રહેલા વિલંબને અનુલક્ષીને સર્વોચ્ચ અદાલત સમક્ષ મુક્તિની કે સજા ઘટાડવાની માંગ કરી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હમણાં જસ્ટિસ બી.આર.ગવઈની પીઠે રાષ્ટ્રપતિના સચિવને રાજોઆનાની દયા અરજી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવાના આદેશ સાથે રાષ્ટ્રપતિને બે અઠવાડિયામાં આ દયા અરજી અંગે નિર્ણય લેવા આગ્રહ કર્યો છે. જો સમય મર્યાદામાં દયા અરજીનો નિવેડો નહીં આવે તો અદાલત અરજદારની પિટિશન પર વિચાર કરશે તેમ પણ જણાવવામાં આવ્યું છે. ભૂતકાળમાં દિલ્હી બોમ્બ બ્લાસ્ટના આરોપી દેવેંદર પાલ સિંઘ ભુલ્લરની મર્સી પિટિશન પર નિર્ણય લેવામાં આઠ વરસ અને બળાત્કારના આરોપી મહેન્દ્ર નાથ દાસની દયા અરજીના નિકાલમાં બાર વરસનો વિલંબ થયો હોઈ સુપ્રીમકોર્ટે તેમની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં તબદિલ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં દયા અરજીની જોગવાઈ અને હાલની સ્થિતિ સંદર્ભે અમેરિકાની આ જ પ્રકારની ક્ષમાદાનની જોગવાઈ અને સ્થિતિ અંગેનો તાજેતરનો ઘટના ક્રમ સરખાવવા જેવો છે. અમેરિકાના વિદાય લેતા પ્રમુખ જો બાઈડેને તેમના કાર્યકાળના છેલ્લા મહિનામાં તેમના પુત્ર સહિત 1500 લોકોની સજા માફ કરી છે. પ્રેસિડન્ટ બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેન પર કરચોરીનો અને બંદૂક ખરીદી વખતે તેઓ નશીલા પીણાનાં આદિ હોવાનું છુપાવીને જૂઠ બોલવાનો આરોપ હતો. આ બંને ગુના સબબ રાષ્ટ્રપતિના સુપુત્ર દોષિત ઠર્યા હતા. પરંતુ બાઈડેને તેમને રાષ્ટ્રપતિને મળેલી વિશેષ સત્તા હેઠળ  ક્ષમાદાન આપ્યું છે. પુત્રને માફ કરવાના મુદ્દે થયેલા વિવાદ અંગે બાઈડેનનું કહેવું હતું કે તેમના પુત્ર પરના આરોપો રાજનીતિથી  પ્રેરિત હતા. વળી પુત્ર સામેના આરોપ અંગે તેમનું માનવું છે કે જ્યાં સુધી સ્થિતિ ગંભીર ના હોય ત્યાં સુધી લોકોને કેવળ એટલા આધારે જ ગુંડાગર્દીના આરોપીના બનાવી દેવાય કે તેમણે બંદૂક ખરીદીનું ફોર્મ કેવી રીતે ભર્યું છે. કરચોરી સંદર્ભે પણ તેમણે કહ્યું કે જો કોઈ કરદાતા ગંભીર વ્યસનોને લીધે વેરાની વિલંબે ચુકવણી કરે અને પછી વ્યાજ અને દંડ સાથે તે ભરી દે તો તેને ગુનેગાર માનવાને બદલે સમાધાન તરફ આગળ વધવું જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/97.8-percent-of-woman-have-to-give-up-paid-work-for-the-family"><span style="font-size: 14pt;">97.8 ટકા મહિલાઓને પરિવાર માટે સવેતન કામ છોડવું પડે છે</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાઈડેનના પુત્રને માફ કરવાના પગલાનો વિરોધ કર્યો છે. પરંતુ ટ્રમ્પ સહિતના અમેરિકાના લગભગ સઘળા રાષ્ટ્રપતિઓ ક્ષમાદાનનો અંગત સગાં કે વફાદારો માટે ઉપયોગ કરી ચૂક્યા છે. એટલે અમેરિકા માટે આવું કૃત્ય જરાય અસામાન્ય નથી. છેક ૧૭૯૫માં જ્યોર્જ વોશિંગ્ટને વ્હિસ્કી વિદ્રોહ તરીકે જાણીતા સંઘના વેરા વિરુધ્ધના હિંસક વિદ્રોહ કરનારાઓને માફ કર્યા હતા. અબ્રાહમ લિંકને વિભાજિત અમેરિકાને એક કરવાના પ્રયાસો તરીકે ગૃહયુધ્ધના દોષિતોને માફ કર્યા હતા. જિરાલ્ડ ફોર્ડે વોટરગેટ કૌભાંડના દોષી રિચર્ડ નિકસનને માફ કર્યા તે નિર્ણય ભારે વિવાદાસ્પદ બન્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ તે પછી આવા નિર્ણયો અટકવાને બદલે વધ્યા છે. ૧૯૯૨માં જ્યોર્જ ડબલ્યુ બુશે પૂર્વ સંરક્ષણ સચિવ અને બીજા પાંચને ક્ષમાદાન આપી બચાવ્યા હતા. ૨૦૦૧માં બિલ ક્લિન્ટને સાવકા ભાઈને અને આર્થિક અપરાધના ભાગેડૂને માફ કર્યા હતા. સુપુત્રને ગુનાની સજામાંથી મુક્ત કરનાર બાઈડેનની ટીકા કરનારા ટ્રમ્પ પણ કંઈ દૂધે ધોયેલા નથી. પહેલા કાર્યકાળમાં તેમણે પોતાના વેવાઈ (પુત્રીના સસરા), રાજકીય સહયોગીઓ અને દાનકર્તાઓને માફી બક્ષી હતી.એટલે અમેરિકામાં રાષ્ટ્રપતિઓના આ પગલાંને સાવ સામાન્ય ગણવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય બંધારણના અનુચ્છેદ ૭૨ હેઠળ રાષ્ટ્રપતિને અને ૧૬૧ હેઠળ રાજ્યપાલને દયા અરજીને ધ્યાનમાં રાખીને સજા ઘટાડવાની, માફ કરવાની કે રાહત આપવાની સત્તા છે. મહાભિયોગ સિવાયના સંઘ અને રાજ્ય સરકારના કાયદા હેઠળના દોષિતો કે સૈન્ય અદાલતના દોષિતોને રાષ્ટ્રપતિ માફ કરી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બંધારણના અનુચ્છેદ ૨ કલમ ૨(૧) હેઠળ માત્ર સંઘ સરકારના ગુનેગારોને ક્ષમા આપી શકે છે. મહાભિયોગ કે રાજ્યના દોષિતોને તે માફ કરી શકતા નથી. અમેરિકાની અદાલતો રાષ્ટ્રપતિના ક્ષમાદાનના નિર્ણયની ન્યાયિક સમીક્ષા કરી શકતી નથી. જ્યારે ભારતમાં સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિના દયા અરજી પરના નિર્ણયની નહીં પણ અતાર્કિક, પૂર્વગ્રહપ્રેરિત કે ભેદભાવ ભરેલી જણાતી નિર્ણય પ્રક્રિયાની ન્યાયિક સમીક્ષા કરી શકે છે. ભારતના રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ પ્રમાણે દયા અરજી પર નિર્ણય કરે છે. જ્યારે અમેરિકી પ્રમુખ પોતાના વિવેકાધીન નિર્ણય કરે છે. ભારતના રાષ્ટ્રપતિને મળેલી સત્તા એક રીતે સીમિત છે. જ્યારે અમેરિકી પ્રમુખની સત્તા અસીમિત અને અમાપ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના  આંકડા પ્રમાણે ભારતમાં ૨૦૦૧થી ૨૦૨૨માં ૨૮૮૧ દોષિતોને ફાંસીની સજા થઈ છે. પરંતુ ૧૯૫૦થી અત્યાર સુધી રાષ્ટ્રપતિ સમક્ષ ૪૪૦ જ દયા અરજીઓ આવી છે.  વળી તેનો રાજકીય દુરુપયોગ ભાગ્યે જ થયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમેરિકી બંધારણ નિર્માતાઓએ એક જ વ્યક્તિ એટલે પ્રેસિડન્ટને આ પ્રકારનો વિશેષાધિકાર એટલે આપ્યો છે કે આવશ્યકતા ઉભી થયેથી તંત્રની લાલફીતાશાહીમાં આ બાબત ઉલઝાઈ ન જાય અને ત્વરિત તથા નિર્ણાયક કાર્યવાહી થઈ શકે. ભારતમાં રાષ્ટ્રપતિ કેન્દ્રીય પ્રધાન મંડળની સલાહને અનુસરીને જ નિર્ણય લેતા હોઈ ઘણો વિલંબ થાય છે. જોકે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩માં અરજદારને સાઠ દિવસની મર્યાદામાં અને એક જ કેસના દોષિતોને એક સાથે  દયા અરજી કરવાની અને કેન્દ્ર સરકારને રાજ્ય સરકારના અહેવાલ પછી સાઠ દિવસમાં જ  દયા અરજી રાષ્ટ્રપતિ કાર્યાલયને મોકલવાની જોગવાઈથી કદાચ વિલંબ ઘટશે. હા, રાષ્ટ્રપતિને નિર્ણય લેવા માટે કોઈ સમયમર્યાદા ઠરાવી શકાતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામ્યવાદી ચીન સહિતના વિશ્વના લગભગ બધા જ દેશોમાં વધતા ઓછા અંશે માફી, ક્ષમા અને દયાનો રાજસી કે શાહી અધિકાર છે. એક રીતે લોકતંત્રને મળેલા આ અધિકારમાં  નિરંકુશ રાજાશાહી બૂ આવે છે. ન્યાયના ક્ષેત્રે તે દખલ પણ કહી શકાય.તો તે કાનૂનની કે ન્યાયની કઠોરતાને ઓછી કરવાનું ઉપકરણ પણ થઈ શકે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય તો તે ન્યાયિક ત્રુટિઓ સુધારવા માટેનો  પારદર્શી અને વિવેકપૂર્ણ અધિકાર બની શકે છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>ચંદુ મહેરિયા<em><span style="font-size: 12pt;">(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)</span></em></strong></span>    </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/who-should-have-the-right-to-decide-on-euthanasia-in-india-gujarati">ઈચ્છામૃત્યુના નિર્ણયનો અધિકાર કોને હોવો જોઈએ?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 17 Jan 2025 09:28:28 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 17 Jan 2025 09:31:05 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1844</Articleid>
                    <excerpt>વિશ્વના લગભગ બધા જ દેશોમાં વધતા ઓછા અંશે માફી, ક્ષમા અને દયાનો રાજસી કે શાહી અધિકાર છે. એક રીતે લોકતંત્રને મળેલા આ અધિકારમાં નિરંકુશ રાજાશાહીની ગંધ આવે છે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6789d4e9ed287.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6789d4e9be275.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6789d4e9be275.jpg" length="43198" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>mercy petitions, india, america</media:keywords>
                </item>
                        <item>
                    <title>જૂનાગઢના કવિ નિલેશ કાથડનો કાવ્યસંગ્રહ &amp;apos;પોસ્ટમોર્ટમ&amp;apos; પ્રકાશિત થયો</title>
                    <link>https://khabarantar.com/junagadh-poet-nilesh-kathads-poetry-collection-postmortem-published</link>
                    <guid>https://khabarantar.com/junagadh-poet-nilesh-kathads-poetry-collection-postmortem-published</guid>
                    <description>
                        <![CDATA[ &#039;પીડાની ટપાલ&#039;, &#039;ઊનાના ઉના ઉના નિસાસા&#039; અને બહુચર્ચિત આત્મકથા &#039;વલોરી&#039; બાદ જૂનાગઢના જાણીતા બહુજન કવિ નિલેશ કાથડ હવે કાવ્યસંગ્રહ &#039;પોસ્ટમોર્ટમ&#039; લઈને આવ્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિવૃત્ત બેંક મેનેજર અને બહુજન કવિ, લેખક, વિચારક અને સંશોધક એવા નિલેશ કાથડ હવે નવો કાવ્યસંગ્રહ લઈને આપણી વચ્ચે આવ્યાં છે. અગાઉ તેઓ ભારે રઝળપાટ કરીને લખેલા સંશોધક પુસ્તક સૌરાષ્ટ્ર કચ્છની બૌદ્ધ ગુફાઓને લઈને ચર્ચામાં આવ્યા હતા. એ પછી તેમના આત્મકથા વલોરી જે હપ્તાવાર પ્રકાશિત થઈ છે, તેની પણ દલિત સાહિત્યમાં આગવી ઓળખ છે. હવે તેઓ પોસ્ટમોર્ટમ કવિતાસંગ્રહ સાથે વધુ એક વખત હાજર થયા છે ત્યારે આ કાવ્યસંગ્રહમાં શું નવું હશે તેની વાત કરીએ. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ ચંદુ મહેરિયા નિલેશ કાથડના કાવ્યસંગ્રહ પોસ્ટમોર્ટમ વિશે જે લખે છે તેના પરથી તેમની કલમનો વધુ સારી રીતે પરિચય થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Ahmedabad-poet-Umesh-Solanki-selected-for-YAPANCHITRA-National-Poetry-Award-2024">અમદાવાદના કવિ ઉમેશ સોલંકીની YAPANCHITRA રાષ્ટ્રીય કવિતા ઍવોર્ડ 2024 માટે પસંદગી</a></span></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા લખે છે, ‘પીડાની ટપાલ’ લખતા ‘અગ્નિકણ' સમા ધાકડ દલિત કવિ નિલેશ કાથડના પરિચયનું ‘પોસ્ટમોર્ટમ’ કરું છું ત્યારે આશરે સાડા ત્રણ ચાર દાયકા પૂર્વે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના નાનકડા દડવા ગામના નવયુવાન નિલેશ કાથડનો ઉમળકા અને વેદનાથી લખાયેલો પ્રથમ પત્ર સાંભરે છે. દલિત કવિતાનું આંદોલન હજુ તો શહેરોમાં ભાંખોડિયા ભરતું હતું ત્યારે દૂર સોરઠથી તેને મળેલો આ સાદ આનંદિત કરનારો હતો. સર્જક અને વ્યક્તિ નિલેશ કાથડ સાથેનો આટલો દીર્ઘ સંબંધ આજે પણ ટક્યો છે તેનું શ્રેય માત્ર અને માત્ર નિલેશભાઈને જાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિલેશ કાથડની ધાકડ કહેતાં આગવો મિજાજ વ્યક્ત કરતી દલિત કવિતાઓનો તો હું વાચક, ભાવક અને ચાહક ખરો પણ તેમની કર્મશીલતા અને સંગઠન શક્તિ પ્રત્યે મને ભાર આદર. દલિત કવિ કર્મશીલ હોય તેથી રુડું બીજું શું? નિલેશ કાથડ બહુ આયામી છે. તેમન મૌલિક દલિત કવિતાના સંગ્રહો તો છે જ તેમણે દલિત કવિતાના સંપાદનો પણ કર્યા છે. કર્મશીલ કવિ કવિતાના સંપાદનોથી અટકયા નથી. ·ઊનાના ઉના ઉના નિસાસા' નામક તેમનું સંપાદન ઉના કાંડની સર્જનાત્મક અને અન્ય દસ્તાવેજી સામગ્રીનું સંપાદન છે. કવિતા અને કર્મશીલતા ઉપરાંતનું તેમનું એક જુદું પાસું આ વરસોમાં ઉઘડ્યું અને પોંખાયું તે છે સંશોધનનું. ‘સૌરાષ્ટ્ર કચ્છની બૌધ્ધ ગુફાઓ' નામે તેમનું સંશોધનાત્મક પુસ્તક ગુજરાતમાં બૌધ્ધ ધર્મના પગરણ કર્યો ક્યાં મંડાયેલા હતા તેની આંખે જોઈ જહેમતભરી માહિતી આલેખે છે. આ સંશોધન અન્ય ભાષાઓમાં અનૂદિતના થયું હોત તો જ આશ્ચર્ય.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Junagadh-poet-Hemalta-Sonara-got-her-PHD-by-researching-the-poems-of-6-Dalit-poets">જૂનાગઢના કવયિત્રી હેમલતા સોનારા 6 દલિત કવિઓની કવિતાઓ પર સંશોધન કરીને PHD થયા</a></span></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કથિત મુખ્યધારાના ગુજરાતી સાહિત્યમાં આત્મકથાઓ ઓછી લખાઈ છે એટલે ગુજરાતી દલિત સાહિત્યમાં પણ તે અલ્પ પ્રમાણમાં છે. પરંતુ અગાઉ ‘દલિત ચેતના’ માં હપ્તાવાર પ્રગટ થયેલી અને ખાસ્સું ધ્યાન ખેંચનારી નિલેશની પ્રકાશ્ય આત્મકથા ‘વલોરી” દલિત આત્મકથાઓમાં ન માત્ર નોંધપાત્ર ઉમેરણ હશે નોખી-અનોખી પણ હશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ ‘બામસેફ' ના સંગઠક નિલેશ કાથડ આજે ‘ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન’ ના સક્રિય અને સમર્પિત ઉપપ્રમુખ છે. પૂર્વે ‘નિસબત’ વાર્ષિકીનું તેમણે અન્ય સાથે સંપાદન કરેલ છે. આજે ‘નિસબત’ ઈ-સામયિકમાં તેમની સંપાદકીય મહેનત અને લગન જણાઈ આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત કવિતા વ્યાપક અર્થના દલિત રાજકારણનો ભાગ છે તે પુરવાર કરતી કવિતાઓ ‘પોસ્ટમોર્ટમ‘ કાવ્ય સંગ્રહમાં જોવા મળે છે. તેના સવિશેષ આનંદ સાથે નિલેશ કાથડની સર્જકતા અને પ્રતિબધ્ધતાને સલામ.</span><br><strong><span style="font-size: 12pt;">(પ્રાપ્તિસ્થાનઃ શરૂઆત બુકસ્ટોર, 107, સ્ટાર પ્લેટિનમ, આંબેડકર ભવન પાસે, મધુરમ, જૂનાગઢ - 362015. સંપર્ક : 8141191312)</span></strong></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Poems-of-Parasottam-Jadav,-Sahil-Parmar,-Atmaram-Dodiya-appeared-in-the-Dalit-Chetna-programme">‘દલિત ચેતના’ કાર્યક્રમમાં પરસોત્તમ જાદવ, સાહિલ પરમાર, આત્મારામ ડોડીયાની કવિતાઓ છવાઈ</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 06 Jan 2025 12:56:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1813</Articleid>
                    <excerpt>&#039;પીડાની ટપાલ&#039;, &#039;ઊનાના ઉના ઉના નિસાસા&#039; અને બહુચર્ચિત આત્મકથા &#039;વલોરી&#039; બાદ જૂનાગઢના જાણીતા બહુજન કવિ નિલેશ કાથડ હવે કાવ્યસંગ્રહ &#039;પોસ્ટમોર્ટમ&#039; લઈને આવ્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677b857eb29d1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677b857e7a159.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677b857e7a159.jpg" length="81610" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>junagadh, poet nilesh kathad, poetry collection, postmortem, published</media:keywords>
                </item>
                        <item>
                    <title>વસ્તી ગણતરીની મથામણ, માયાજાળ અને મતભેદ</title>
                    <link>https://khabarantar.com/census-of-india-illusions-and-disagreements</link>
                    <guid>https://khabarantar.com/census-of-india-illusions-and-disagreements</guid>
                    <description>
                        <![CDATA[ census of india: વસ્તીગણતરીમાં વિલંબના કારણો અને સમાવવાના મુદ્દા અંગે હાલની જનગણના અત્યારથી જ રાજકારણનો ભાગ અને ભોગ બની છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span><br><span style="font-size: 14pt;">census of india illusions and disagreements : સંયુક્ત રાષ્ટ્રસંઘની  વિશ્વના તમામ દેશોને  દર દસ વરસે વસ્તીગણતરી કરી તેનો અહેવાલ પ્રગટ કરવાની  ભલામણ છે. તે પ્રમાણે વર્તમાન દાયકે ૧૪૩ દેશોએ વસ્તીગણતરીનું કાર્ય પૂર્ણ કરી દીધું છે. જે ૪૪ દેશોએ હજુ આ કામ હાથ ધર્યું નથી તેમાં ભારતનો સમાવેશ થાય છે.  યુક્રેન, સીરિયા, મ્યાંમાર, યમન, અફઘાનિસ્તાન અને શ્રીલંકા જેવા યુધ્ધગ્રસ્ત, રાજકીય ઉથલપાથલ, આંતરિક સંઘર્ષ અને આર્થિક સંકટ સહેતા દેશોમાં  વસ્તીગણતરી આરંભાઈ નથી. તેમાં ભારતનું પણ નામ છે! આપણે ૨૦૨૧માં વસ્તીગણતરી કરવાની હતી. પરંતુ કોવિડ મહામારીને કારણે હજુ તેની શરૂઆત થઈ શકી નથી. અગાઉ બ્રિટિશ ભારતમાં બીજા વિશ્વ યુધ્ધ દરમિયાન કે આઝાદ ભારતમાં ચીન-પાકિસ્તાન સાથેના યુધ્ધો વખતે પણ જે પ્રક્રિયા અટકી નહોતી તેને મહામારીએ અટકાવી છે. હવે ૨૦૨૫માં તે શરૂ થશે અને ૨૦૨૭ સુધીમાં પૂર્ણ  થશે તેવી આશા બંધાઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એવું નથી કે આપણે વસ્તીગણતરી માટે પૂર્વ તૈયારીઓ કરી નહોતી. ૨૦૧૯માં રૂ. ૯૦૦૦ કરોડનો ખર્ચ અને ૩.૫ મિલિયન અધિકારી/કર્મચારીઓનો ઉપયોગ થવાના અંદાજ સાથે કાર્ય શરૂ થવાની ગણતરી હતી. પરંતુ કોરોનાને કારણે સ્થગિત રાખવું પડ્યું છે. વસ્તીગણતરીની પ્રક્રિયા આરંભાય તે પહેલાં ગામ, નગર, તાલુકા, પ્રાંત, જિલ્લાના વહીવટી સીમાડા નક્કી થઈ જવા જોઈએ. જેથી ચોક્કસ માહિતી મળી શકે. આ બધામાં ફેરફારની સમયસીમા નક્કી કરવી તે વસ્તીગણતરીની પ્રક્રિયાની શરૂઆત પહેલાનું મહત્વનું વહીવટી પગલું છે. અત્યાર સુધીમાં આ સમય સીમા અગિયાર વખત લંબાવવામાં આવી છે. હવેની સમય મર્યાદા ડિસેમ્બર-૨૦૨૪ છે. એટલે ૨૦૨૫ના ફેબ્રુઆરીમાં વસ્તીગણતરી શરૂ કરવામાં આવે તેવી શક્યતા જણાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/4.53-crore-cases-pending-in-the-courts-does-it-make-sense-to-change-the-nature-of-justice">4.53 કરોડ કેસો કોર્ટોમાં પડતર હોય ત્યાં ન્યાયની દેવીમાં બદલાવનો અર્થ ખરો?</a></span></span></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં વસ્તીગણતરીનો દીર્ઘ અને સમૃધ્ધ ઈતિહાસ છે. મોગલ બાદશાહ અકબરના શાસનના વહીવટી અહેવાલ આઈ-ને- અકબરીમાં રાજ્યની વસ્તીની મહત્વની માહિતી સામેલ હતી. માહિતી કે આંકડાપ્રેમી બ્રિટિશરોએ ઈ.સ.૧૮૦૦માં બ્રિટનમાં વસ્તીગણતરી શરૂ કરી હતી. પણ આશ્રિત દેશોમાં એ વખતે વસ્તી ગણતરી કરી નહોતી. અંગ્રેજ શાસન કાળના ભારતમાં પહેલાં અલ્હાબાદ, બનારસ અને ઢાકાની વસ્તીગણતરી થઈ હતી. સમગ્ર ભારતની પૂર્ણ વસ્તીગણતરી લોર્ડ રિપનના વાઈસરોય કાળમાં ૧૮૮૧માં થઈ હતી. ત્યારથી ભારતમાં દર દાયકે વસ્તીગણતરી થતી રહી છે. બ્રિટિશ ભારત અને આઝાદ ભારતમાં સાત-સાત વખત એમ કુલ ચૌદ વસ્તીગણતરી થઈ છે. ૨૦૨૧માં સળંગ પંદરમી અને સ્વતંત્ર ભારતની આઠમી વસ્તીગણતરી હવે થવાની છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોઈ દેશ કે તેના ચોક્કસ ભાગની વ્યક્તિઓની વસ્તી સંબંધી, સામાજિક-આર્થિક માહિતી અને વિગતો એકઠી કરવી, તેનું સંકલન કરવું, મૂલ્યાંકન અને વિષ્લેષણ કરવું અને તે પ્રકાશિત કરવાની સમગ્ર પ્રક્રિયા એટલે વસ્તીગણતરી. વસ્તીગણતરીમાં માહિતીનો ખજાનો હોય છે. દેશના લોકોની માહિતીનો તે સૌથી મોટો ભંડાર છે. ગામ, કસબા, વોર્ડ, વસ્તીથી લઈને સમગ્ર દેશની જાતભાતની માહિતી તેમાંથી મળી રહે છે. તેના આધારે નીતિઓ ઘડાય છે, કલ્યાણ યોજનાઓના લાભ પહોંચાડાય છે અને સંશોધનો થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધારણ અન્વયે વસ્તીગણતરી સંઘ યાદીનો વિષય છે. એટલે કેન્દ્રના ગૃહ મંત્રાલય હેઠળ વસ્તી ગણતરીનું કામ હાથ ધરાય છે. તેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સમર્થન અને સહયોગની આવશ્યકતા છે. વસ્તીગણતરીનું ગંજાવર કામ રાજ્યોની મદદ વિના પાર પાડવું શક્ય નથી. રાજ્યોમાં વસ્તી ગણતરીના નિયામકોના ક્ષેત્રિય કાર્યાલયો હોય છે. જે તે જિલ્લાના કલેકટર જિલ્લા વસ્તીગણતરી અધિકારી હોય છે. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આશરે અઢાર મહિના વસ્તીગણતરીનું કાર્ય ચાલે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/4.53-crore-cases-pending-in-the-courts-does-it-make-sense-to-change-the-nature-of-justice">4.53 કરોડ કેસો કોર્ટોમાં પડતર હોય ત્યાં ન્યાયની દેવીમાં બદલાવનો અર્થ ખરો?</a></span></span></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૨૫ની વસ્તી ગણતરી અનેક રીતે વિશિષ્ટ હશે. દેશમાં પહેલી વાર ડિજિટલ વસ્તીગણતરી થવાની છે. એટલે આ વખતે કોઈ કર્મચારી કશા કાગળિયા કે ચોપડા લઈને નહીં ટેબલેટ કે સ્માર્ટ ફોન લઈને વસ્તી ગણતરી કરવા આવશે. ઘરેઘરે ફરીને તે પોર્ટલમાં  માહિતી એકત્ર કરશે. કોઈ પણ દેશવાસી જાતે પોતાની માહિતી એપમાં આપી શકશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલની વસ્તી ગણતરીની મથામણ માયાજાળ પણ છે અને તેના અંગે ઘણાં મતભેદો પણ છે. વસ્તીગણતરીમાં થયેલા વિલંબ માટે મહામારી એક માત્ર કારણ નથી. ઘણા પડકારોનો સામનો આ વખતની વસ્તી ગણતરી સામે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માહિતી મુજબ સ્ત્રી-પુરુષ ઉપરાંત ટ્રાન્સજેન્ડરની માહિતી પ્રથમ વખત લેવામાં આવશે. સપ્ટેમ્બર ૨૦૨૩માં સંસદે વિધાનગૃહોમાં મહિલા અનામતનું બિલ પસાર કર્યું છે. પરંતુ તેનો અમલ વસ્તીગણતરી પછી જ થઈ શકે તેમ છે. એટલે મહિલાઓ તેમના રાજકીય પ્રતિનિધિત્વ માટે જલદીથી વસ્તી ગણતરી થાય તેમ ઈચ્છે છે. લોકસભા અને રાજ્યોના વિધાનગૃહોની હાલની બેઠકોમાં પણ આ વસ્તીગણતરી પછી સુધારો થવાનો છે. વસ્તીગણતરી પછી જ લોકસભા અને વિધાનસભાની બેઠકોનું સીમાંકન હાથ ધરાશે. એટલે બેઠકોમાં વધારો અને મહિલા અનામત માટે વસ્તીગણતરી વિના વિલંબે થવી જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/who-should-have-the-right-to-decide-on-euthanasia-in-india-gujarati">ઈચ્છામૃત્યુના નિર્ણયનો અધિકાર કોને હોવો જોઈએ?</a></span></span></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ અને બીજા વિપક્ષો લાંબા સમયથી જ્ઞાતિવાર વસ્તીગણતરીની માંગ કરી રહ્યા છે. સત્તાપક્ષ તેનો સીધો વિરોધ કરી શકતો નથી. બિહારે જાતિ જનગણના કરીને તેનો અહેવાલ પણ જાહેર કર્યો હતો. બિહાર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઓડિશાની રાજ્ય વિધાનસભાઓએ જાતિ જનગણનાની તરફેણમાં પ્રસ્તાવો પસાર કર્યા છે. પરંતુ સરકાર માટે નિર્ણય લેવો કઠિન છે. </span><br><span style="font-size: 14pt;">હાલની વસ્તીગણતરીમાં અનુસૂચિત જાતિ, જનજાતિની ગણના થાય છે. તેના આધારે તેમની અનામતની ટકાવારી નક્કી થાય છે. પરંતુ અન્ય પછાતવર્ગોની ગણતરી થતી નથી. આ માટે ૧૯૪૮ના વસ્તીગણતરી અધિનિયમનમાં સુધારો કરવો પડે તેમ છે. એક તરફ વિપક્ષોનું દબાણ અને બીજી તરફ સરકારની અસમંજસ સ્થિતિમાં વસ્તી ગણતરીનું કામ થવાનું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ, જનજાતિની અનામતમાં પેટા વર્ગીકરણ દાખલ કર્યું છે. જો તેનો અમલ કરવો હોય તો તે જ્ઞાતિઓમાં રહેલી પેટા જ્ઞાતિઓની ગણતરી કરવી પડે અને જાતિ જનગણના માટે તમામ ભારતીય નાગરિકોની જ્ઞાતિ જાણવી પડે. યાદ રહે ભારતમાં અગાઉ જાતિ જનગણના થતી હતી. છેલ્લે ૧૯૩૧ની વસ્તીગણતરીમાં જાતિ જનગણના થઈ હતી. તે પછી ૨૦૧૧માં સામાજિક, આર્થિક અને જ્ઞાતિ ગણના થઈ હતી. પરંતુ તેનો અહેવાલ જાહેર થયો નથી.એટલે હાલમાં તો ૧૯૩૧ના આંકડાઓને આધાર માનવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/what-human-rights-do-prisoners-receive-in-prison">જેલમાં કેદીઓને કયા માનવ અધિકારો મળે છે?</a></span></span></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્ર સરકારે સીએએ અને એનઆરસીને લગતા કાયદા ઘડ્યા છે. એટલે આ વખતની વસ્તીગણતરીમાં NRIC  અને NPR  લાગુ પાડવાનો પણ સવાલછે. નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર અપડેટ કરવું અને ભારતના નાગરિકો ન હોય તેમને જુદા તારવવાનું  કામ આ વસ્તી ગણતરીમાં થવાની શક્યતા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો વસ્તીગણતરીનો અહેવાલ ૨૦૨૭ સુધીમાં પ્રગટ થવાનો હોય તો તે પછીની વસ્તીગણતરી માત્ર ત્રણ જ વરસ પછી ૨૦૩૧માં કદાચ હાથ ધરવાને બદલે વસ્તીગણતરીનું ચક્ર બદલાય અને તે ૨૦૩૫માં હાથ ધરવામાં આવે અને તે પછી તે પ્રમાણે જ વસ્તી ગણતરી થાય તેમ બનવા જોગ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતની વસ્તીગણતરીનો દોઢસો વરસોનો ગૌરવશાળી ઈતિહાસ છે. તેમાં પહેલીવાર વિક્ષેપ ઉભો થયો છે. આ વિલંબે ઘણી પ્રતિકૂળ અસરો જન્માવી છે. એટલે હવે વધુ સમય ન લેતાં ૨૦૨૫માં વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાન્ય રીતે વસ્તીગણતરીના આંકડા જાહેર થાય તે પછી તેના પર રાજકારણ ખેલાય છે. આ વેળાની વસ્તીગણતરી તેમાં પણ અપવાદ છે.  વસ્તીગણતરીમાં વિલંબના કારણો અને સમાવવાના મુદ્દા અંગે હાલની જનગણના અત્યારથી જ રાજકારણનો ભાગ અને ભોગ બની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><em><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)</span></strong></span></em></p>
<p style="text-align: justify;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/97.8-percent-of-woman-have-to-give-up-paid-work-for-the-family">97.8 ટકા મહિલાઓને પરિવાર માટે સવેતન કામ છોડવું પડે છે</a></span></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 27 Dec 2024 10:31:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1768</Articleid>
                    <excerpt>census of india: વસ્તીગણતરીમાં વિલંબના કારણો અને સમાવવાના મુદ્દા અંગે હાલની જનગણના અત્યારથી જ રાજકારણનો ભાગ અને ભોગ બની છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676e3481c9732.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676e348199c59.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676e348199c59.jpg" length="75270" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>census of india, census of india 2025, First census of India, History of census of india, Next Census in India</media:keywords>
                </item>
                        <item>
                    <title>વાદળી રંગ કેવી રીતે દલિત આંદોલન&amp;દલિત રાજનીતિનું પ્રતિક બન્યો?</title>
                    <link>https://khabarantar.com/how-blue-colour-became-a-symbol-of-dalit-movement-and-dalit-politics</link>
                    <guid>https://khabarantar.com/how-blue-colour-became-a-symbol-of-dalit-movement-and-dalit-politics</guid>
                    <description>
                        <![CDATA[ શિડ્યૂઅલ કાસ્ટ ફેડરેશનથી લઈને BSP અને આઝાદ સમાજ પાર્ટી સુધીના દલિત રાજકીય પક્ષો અને આંદોલનકારીઓએ શા માટે વાદળી રંગ અપનાવ્યો તેની કહાની રસપ્રદ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમિત શાહે (Amit Shah) ડો.આંબેડકર (Dr. Ambedkar) અંગે આપેલા વિવાદિત નિવેદનને લઈને સંસદથી લઈને દેશભરમાં મામલો ગરમાયેલો છે ત્યારે ફરી એકવાર ડો.આંબેડકર અને તેમની સાથે જોડાયેલી તમામ બાબતો નવેસરથી ચર્ચામાં આવી રહી છે. આવો જ એક ચર્ચાનો વિષય ડો.આંબેડકર સાથે જોડાયેલો વાદળી રંગ (blue colour) છે. ગઈકાલે તમામ વિપક્ષો ડો.આંબેડકરનું અપમાન કરવા બદલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સામે વિરોધ કરવા વાદળી રંગના ડ્રેસમાં સંસદ પહોંચ્યા ત્યારે વાદળી રંગ ફરીથી ચર્ચામાં આવી ગયો. તેમના ડ્રેસના રંગમાં આ ફેરફાર દલિત ઓળખ (Dalit identity), દલિત રાજકારણ (Dalit politics) અને દલિત આંદોલન (Dalit movement) ના સમર્થનમાં કરવામાં આવ્યો હતો. આ બધાં વચ્ચે એક સવાલ ફરી ઉઠ્યો છે કે, વાદળી રંગ ક્યારે અને કેવી રીતે દલિત રાજનીતિ અને દલિત આંદોલનની ઓળખ બની ગયો?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ઘણી માન્યતાઓ, સિદ્ધાંતો અને વાતો છે પરંતુ તેની શરૂઆત બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરના સમયથી જોડાયેલી છે. નિવૃત્ત IPS અધિકારી અને દલિત સામાજિક કાર્યકર એસઆર દારાપુરીને ટાંકીને ઈન્ડિયા ટુડેએ પોતાના એક અહેવાલમાં જણાવ્યું છે કે, 1942માં ડૉ.આંબેડકર દ્વારા બનાવવામાં આવેલ શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (Scheduled Caste Federation of India) નો ધ્વજ વાદળી હતો જેની વચ્ચે સફેદ અશોક ચક્ર બનેલું હતું. બાદમાં 1956 માં, જ્યારે આ પાર્ટીનું વિસર્જન કરવામાં આવ્યું અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (Republican Party of India) ની સ્થાપના કરવામાં આવી, ત્યારે તેનો ધ્વજ પણ વાદળી રાખવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આગળ જતા જ્યારે રામદાસ અઠાવલેએ રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયાથી અલગ થઈને રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે)ની રચના કરી, ત્યારે તેમણે એ જ ધ્વજ (વાદળી ધ્વજ પર સફેદ અશોક ચક્ર) રાખ્યો. અત્યારે પણ આઠવલેની પાર્ટીનો ઝંડો એ જ છે જે ડૉ.આંબેડકરે રાખ્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દારાપુરીની દલીલ એવી છે કે ડૉ. આંબેડકર ખુલ્લા વિચારોવાળા વ્યક્તિત્વ હતા અને સમાનતા, બંધુત્વના સમર્થક હતા. તેથી આકાશની જેમ સ્વચ્છ અને વિશાળતાને દર્શાવવા માટે બાબા સાહેબે તેમના ધ્વજનો રંગ વાદળી રાખ્યો હતો, જે તેમના વિશાળ દ્રષ્ટિકોણનું પ્રતિબિંબ હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી દલીલ એ છે કે વાદળી રંગ આકાશનો રંગ છે, જે સમાનતાનું પ્રતીક છે. વાદળી આકાશ હેઠળ દરેક વ્યક્તિ સમાન હોવાથી આ રંગનો ઉપયોગ સમાનતાના પ્રતીક તરીકે પણ થવા લાગ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, દલિત ચળવળની ઓળખ વાદળી રંગ કેવી રીતે બન્યો તે અંગે કોઈ સ્થાપિત તથ્ય નથી, પરંતુ દલિત ચિંતક અને લેખક કાંચા ઈલૈયા કહે છે કે વાદળી રંગ દલિત ઓળખનો પ્રતિક બનવા પાછળ ભાઈચારો, સમાનતા અને સંઘર્ષનો જ તર્ક હશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2016 માં, જ્યારે દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની હત્યાના વિરોધમાં દેશવ્યાપી વિરોધ થયો હતો, ત્યારે મોટી સંખ્યામાં દલિત સમુદાયના લોકોએ વાદળી ઝંડા અને વાદળી પોસ્ટરો-બેનરો સાથે વિરોધ કર્યો હતો. 2018માં પણ જ્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણયે અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર અધિનિયમ 1989 (એટ્રોસિટી એક્ટ) ને નબળો પાડ્યો, ત્યારે દલિતોએ દેશવ્યાપી વિરોધ અને બંધનું આહ્વાન કર્યું હતું. એ દરમિયાન પણ આંદોલનકારીઓના હાથમાં વાદળી રંગના ઝંડા, બેનરો અને પોસ્ટરો જોવા મળ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સિવાય 40 વર્ષ પહેલા જ્યારે માન્યવર કાંશીરામ સાહેબે 1984માં બહુજન સમાજ પાર્ટી(BSP)ની સ્થાપના કરી ત્યારે તેમના ઝંડાનો રંગ પણ વાદળી હતો. આજે પણ બસપાના ઝંડાનો રંગ વાદળી છે, તેના પર સફેદ હાથી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં જ યુપીના નગીનાથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયેલા ચંદ્રશેખર આઝાદની આગેવાની હેઠળની આઝાદ સમાજ પાર્ટીનો ધ્વજ પણ વાદળી રંગનો છે, જેની મધ્યમાં સફેદ પટ્ટી છે. ચંદ્રશેખર પણ હંમેશા તેના ગળામાં વાદળી રંગનો ગમછો પહેરે છે. તેમની ભીમ આર્મી જ્યારે પણ આંદોલન કરે છે ત્યારે તેના કાર્યકરોના હાથમાં પણ વાદળી ઝંડો અને પોસ્ટરો-બેનરો હોય છે. આમ ડો.આંબેડકરે જે વાદળી રંગનો ઝંડો ઉપાડ્યો હતો તે આજે માન્યવરથી લઈને ચંદ્રશેખર આઝાદ સુધી દલિત આંદોલન અને દલિત રાજનીતિનો પ્રતિક બની ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/dalit-politics-from-here-to-the-desert-from-here-to-the-river"> દલિત રાજનીતિઃ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 20 Dec 2024 10:50:33 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 20 Dec 2024 10:51:24 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1729</Articleid>
                    <excerpt>શિડ્યૂઅલ કાસ્ટ ફેડરેશનથી લઈને BSP અને આઝાદ સમાજ પાર્ટી સુધીના દલિત રાજકીય પક્ષો અને આંદોલનકારીઓએ શા માટે વાદળી રંગ અપનાવ્યો તેની કહાની રસપ્રદ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6764fe0fb23b4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6764fe0f7f705.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6764fe0f7f705.jpg" length="96003" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Amit shah, dalit movement, dalit politics, blue colour, Dalit identity, Amit shah</media:keywords>
                </item>
                        <item>
                    <title>જ્યારે ડૉ.આંબેડકરને હરાવવા નહેરૂએ તેમના PA ને જ ચૂંટણીમાં ઉતાર્યો?</title>
                    <link>https://khabarantar.com/dr-abedkar-in-the-elections-to-defeat-when-nehru-fielded-his-pa-kajrolkar</link>
                    <guid>https://khabarantar.com/dr-abedkar-in-the-elections-to-defeat-when-nehru-fielded-his-pa-kajrolkar</guid>
                    <description>
                        <![CDATA[ ડો.આંબેડકરે શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશનમાંથી ઉમેદવારી કરી હતી. પણ કોંગ્રેસે તેમના PA ને જ તેમની સામે ઉભો રાખ્યો અને નહેરૂએ તેના માટે પ્રચાર કર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ભાષણ દરમિયાન ભીમરાવ આંબેડકરને લઈને કરવામાં આવેલા નિવેદનને લઈને હોબાળો થઈ રહ્યો છે. કોંગ્રેસ, સપા, આમ આદમી પાર્ટી અને ઉદ્ધવ ઠાકરની શિવસેના સહિત ઘણી પાર્ટીઓ તેમના પર આંબેડકરના અપમાનનો આરોપ લગાવી રહી છે. અમિત શાહે પોતે તેમના પર લાગેલા આરોપોનો સામનો કર્યો અને મીડિયા સાથે વાત કરતી વખતે તેમના પર તથ્યોને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ હંમેશા આંબેડકરની વિરુદ્ધ હતી અને અનામતની પણ વિરુદ્ધ હતી. પરંતુ તે મારા ભાષણના એક ભાગને ખોટી રીતે રજૂ કરી રહી છે. દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને આંબેડકરના વિરોધની 4 ઘટનાઓ ગણાવી હતી. હકીકતે કોંગ્રેસ અને ડૉ.આંબેડકર વચ્ચેના સંબંધો ઉતાર-ચઢાવથી ભરેલા હતા. આંબેડકરના જીવનના અંતિમ દિવસોમાં કોંગ્રેસ તેમની વિરુદ્ધ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુ કોડ બિલ સહિત અનેક મુદ્દાઓ પર કોંગ્રેસ અને નેહરુ સાથે વધતા મતભેદો બાદ તેમણે 27 સપ્ટેમ્બર 1951ના રોજ કાયદા મંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ દેશના પહેલા કાયદા મંત્રી હતા. એ પછી, આંબેડકરે 1952 ની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં મુંબઈ ઉત્તર મધ્ય બેઠક પરથી તેમની પોતાની પાર્ટી, શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશનના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. બંધારણના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનાર અને કામદારો અને પછાત વર્ગોના પ્રશ્નો ઉઠાવનાર નેતાની છબી ધરાવતા ભીમરાવ આંબેડકરને આ ચૂંટણીમાં કારમી હાર મળી હતી. આજે પણ તેમની એ હારને યાદ કરવામાં આવે છે અને તેના માટે કોંગ્રેસને જવાબદાર ગણવામાં આવે છે. એ પણ હકીકત છે કે તત્કાલિન પીએમ પંડિત જવાહરલાલ નેહરુએ પોતે અહીં આંબેડકર વિરુદ્ધ પ્રચાર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ હતા કાજરોલકર, જેમણે ડૉ.આંબેડકર સામે ચૂંટણી લડી હતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રસપ્રદ હકીકત એ છે કે આંબેડકરને જેમની સામે હારનો સામનો કરવો પડ્યો હતો, તે નારાયણ સાદોબા કાજરોલકર એક સમયે તેમના અંગત સહાયક હતા. કોંગ્રેસ દ્વારા તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા અને નહેરુએ પોતે કાજરોલકર માટે પ્રચાર કર્યો હતો. આંબેડકરને આ ચૂંટણીમાં 15,000 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભીમરાવ આંબેડકર આ હારથી ખૂબ જ દુઃખી થયા હતા અને ચૂંટણી પર સવાલો પણ ઉઠાવ્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પહેલી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસે 489 લોકસભા સીટોમાંથી 364 સીટો જીતી હતી. આ સિવાય કોંગ્રેસે દેશભરની 3280 વિધાનસભા બેઠકોમાંથી 2247 બેઠકો જીતી હતી. પીટીઆઈના અહેવાલ મુજબ, ડૉ.આંબેડકરે હાર વિશે કહ્યું હતું કે, 'શા માટે બોમ્બેના લોકોનું આટલું મજબૂત સમર્થન ચૂંટણી પરિણામોમાં પ્રતિબિંબિત નથી થયું? આ તપાસનો વિષય છે, જેના પર ચૂંટણી પંચે વિચાર કરવો જોઈએ.'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાબાસાહેબ ફરીથી ચૂંટણી લડ્યાં, છતાં હાર્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પહેલી હાર પછી ડૉ.આંબેડકર ફરી એકવાર 1954માં ભંડારા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ સામાન્ય ચૂંટણી નહીં પણ પેટાચૂંટણી હતી. અહીં પણ તેમને કોંગ્રેસના ઉમેદવાર સામે 8500 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં ડૉ.આંબેડકરે નેહરુના નેતૃત્વની આકરી ટીકા કરી હતી અને ખાસ કરીને તેમની વિદેશ નીતિને નિશાન બનાવી હતી. આ બંને ચૂંટણીમાં આંબેડકરની હાર માટે કોંગ્રેસને જવાબદાર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે કાજરોલકર, જેઓ એક સમયે ડૉ.આંબેડકરના અંગત મદદનીશ હતા, તેમને જ બાબાસાહેબ સામે મેદાનમાં ઉતારવાની વ્યૂહરચના નેહરુની હતી. ભંડારા બેઠક પરની હારને લઈને પણ આવા જ આક્ષેપો કરવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/the-slogan-of-abki-bar-charso-par-and-dr-ambedkars-warning">'અબકી બાર ચારસો પાર' નો નારો અને ડૉ.આંબેડકરની ચેતવણી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 19 Dec 2024 16:52:16 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1726</Articleid>
                    <excerpt>ડો.આંબેડકરે શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશનમાંથી ઉમેદવારી કરી હતી. પણ કોંગ્રેસે તેમના PA ને જ તેમની સામે ઉભો રાખ્યો અને નહેરૂએ તેના માટે પ્રચાર કર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6764017bebafc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6764017bbc959.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6764017bbc959.jpg" length="61556" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dr abedkar, nehru, kajrolkar, congress</media:keywords>
                </item>
                        <item>
                    <title>સાવરકરના ઘોર વિરોધી ડો.આંબેડકર અમિત શાહને ક્યાંથી ગમે?</title>
                    <link>https://khabarantar.com/amit-shah-does-not-like-dr-ambedkar-because-he-is-a-staunch-opponent-of-savarkar</link>
                    <guid>https://khabarantar.com/amit-shah-does-not-like-dr-ambedkar-because-he-is-a-staunch-opponent-of-savarkar</guid>
                    <description>
                        <![CDATA[ અમિત શાહ જે કહી રહ્યા છે તે માત્ર એક ઘટના નથી પરંતુ આરએસએસ, જનસંઘ અને ભાજપની અસલી વિચારધારા અને માનસિકતા છે, જે ડૉ. આંબેડકરની વિરુદ્ધ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમિત શાહે પરમ દિવસે સંસદમાં ડૉ.આંબેડકરનું અપમાન કરી તેમના નામની મજાક ઉડાવી હતી. આ કંઈ અચાનક નથી બન્યું, આ લેખમાં મૂકેલો ફોટો જુઓ, અમિત શાહની ડાબી બાજુ સાવરકર છે અને જમણી બાજુ ચાણક્ય. બંને મનુસ્મૃતિ અને મનુવાદના પ્રતિક છે. સંઘની લેબોરેટરીમાંથી નીકળેલા અમિત શાહ સાવરકરના રસ્તે ચાલવા માંગે છે અને ડૉ.આંબેડકરે સાવરકરની આકરી ટીકા અને નિંદા કરી છે. એટલે મામલો સ્પષ્ટ છે, જે ડો.આંબેડકર સાવરકરને પસંદ નહોતા કરતા તેમને અમિત શાહ કેવી રીતે પસંદ કરે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. આંબેડકર સાવરકરના હિંદુત્વના વિચારના કટ્ટર વિરોધી હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે સાવરકર અને ઝીણા એક જ સિક્કાની બે બાજુ છે. સાવરકર હિંદુ રાષ્ટ્રની માંગ કરીને પોતાની રીતે બીજું પાકિસ્તાન બનાવવાનો માર્ગ ખોલી રહ્યા છે. સાવરકરે જાણી જોઈને ભારતીયતાની એક એવી વ્યાખ્યા બનાવી છે જેનાથી મુસ્લિમો અને ખ્રિસ્તીઓ તેમાંથી બાકાત થઈ જાય. ડો.આંબેડકરે સ્પષ્ટ કહ્યું હતું કે જો દેશમાં હિંદુ રાજ લાગુ થશે તો દેશ માટે મોટો ખતરો હશે. તેથી, અમિત શાહ જે કહી રહ્યા છે તે માત્ર એક ઘટના નથી પરંતુ આરએસએસ, જનસંઘ અને ભાજપની અસલી વિચારધારા અને માનસિકતા છે, જે ડૉ. આંબેડકરની વિરુદ્ધ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/when-gandhiji-arrived-to-meet-savarkar-he-was-frying-shrimp"><span style="font-size: 14pt;">ગાંધીજી સાવરકરને મળવા પહોંચ્યાં ત્યારે તેઓ ઝીંગા તળી રહ્યા હતા..</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મુદ્દો ડૉ. ભીમરાવ આંબેડકરના પુસ્તક 'પાકિસ્તાન અથવા ભારતના ભાગલા'માં પણ લખવામાં આવ્યો છે. ડૉ. આંબેડકરે મોહમ્મદ અલી ઝીણા અને સાવરકરના દ્વિ-રાષ્ટ્રના સિદ્ધાંતની ટીકા કરી હતી. ડૉ. આંબેડકર લખે છે, "એ વાત સાંભળવામાં ભલે વિચિત્ર લાગે, પરંતુ એક રાષ્ટ્ર વિરુદ્ધ બે રાષ્ટ્રના પ્રશ્ન પર શ્રી સાવરકર અને શ્રી જિન્નાહના મંતવ્યો વિરોધાભાસી હોવાને બદલે એકબીજા સાથે સંપૂર્ણપણે સુસંગત છે. બંને એ વાતને સ્વીકારે છે અને ન માત્ર સ્વીકારે છે પરંતુ એ વાત પર ભાર મૂકે છે કે ભારતમાં બે રાષ્ટ્રો છે, એક મુસ્લિમ રાષ્ટ્ર અને એક હિંદુ રાષ્ટ્ર છે.(પેજ નં.154-55)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. આંબેડકર આગળ લખે છે, "જો ખરેખર હિંદુ રાજ બની જાય છે તો તે નિઃશંકપણે આ દેશ માટે મોટો ખતરો બની જશે. હિંદુઓ ગમે તે કહે, પણ હિંદુત્વ સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ માટે ખતરો છે." (પાનું-161)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંબેડકરે ભારતના ભાગલા માટે સાવરકરને શા માટે દોષિત માનતા હતા?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1945 થી 1947 સુધીની ઘટનાઓનો ઉલ્લેખ ભારતના ભાગલા સંદર્ભે વારંવાર કરવામાં આવે છે. તેમાં ગાંધી, નેહરુ અને ઝીણાની ભૂમિકાની ચર્ચા કરવામાં આવી છે. પરંતુ ડૉ. આંબેડકરે 1940માં લખેલા તેમના પુસ્તક "પાકિસ્તાન ઓર ધ પાર્ટીશન ઓફ ઈન્ડિયા" માં પ્રસ્થાપિત કર્યું હતું કે પાકિસ્તાન બનશે જ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ વાત ખાસ નોંધવી જોઈએ કે, ભારતના વાસ્તવિક વિભાજનના 7 વર્ષ પહેલા અને ભારત છોડો આંદોલન શરૂ થવાના 2 વર્ષ પહેલા ડૉ. આંબેડકર હકીકતોનું વિશ્લેષણ કરીને પાકિસ્તાનને ભવિષ્યની વાસ્તવિકતા માની રહ્યા હતા. આ સિવાય તેમને બીજો કોઈ વિકલ્પ દેખાતો નહોતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પુસ્તકમાં ડૉ. આંબેડકરે મહાત્મા ગાંધીને એક એવા વ્યક્તિ તરીકે ગણાવ્યા જેમણે પોતાનું સમગ્ર જીવન હિંદુ-મુસ્લિમ એકતા માટે સમર્પિત કર્યું હતું. પરંતુ આટલું બધું કર્યા પછી પણ તેઓ હિન્દુ-મુસ્લિમ એકતા હાંસલ કરી શક્યા નથી જે અખંડ ભારત માટે જરૂરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ.આંબેડકરે કહ્યું કે સાવરકરના હિંદુ રાષ્ટ્રના સિદ્ધાંતમાં જ એક પાકિસ્તાનન છુપાયેલું હોવાની વાત સ્થાપિત છે. જ્યારે સાવરકર હિંદુઓને એક અલગ દેશ માની રહ્યા છે, તો સ્વાભાવિક રીતે જ તેઓ મુસ્લિમોને બીજો દેશ માની રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો. આંબેડકરે કહ્યું હતું કે, આ રીતે એકબીજાના વિરોધી ધ્રુવો પર હોવા છતાં સાવરકર અને જિન્નાહના વિચારો બિલકુલ એક જેવા હતા. તેમણે કહ્યું કે સાવરકરે જાણી જોઈને હિંદુત્વની એવી વ્યાખ્યા બનાવી છે જે મુસ્લિમોને ભારતીયતામાંથી બાકાત રાખે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અખંડ ભારતના સપના માટે સૌથી મહત્વની વાત એ હતી કે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે પ્રેમ હોવો જોઈએ. પરંતુ ઝીણા અને સાવરકર પોતપોતાના ધર્મનું રાષ્ટ્ર બનાવવાની વાત કરતા હતા. એમાં પરસ્પર પ્રેમને કોઈ અવકાશ નહોતો. હિન્દુ-મુસ્લિમ એકતા વિના અખંડ ભારતની કલ્પના કરવી એ સફેદ જૂઠ હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે પણ જેઓ અખંડ ભારતની કલ્પના કરે છે, પરંતુ 'હિંદુ-મુસ્લિમ-શીખ-ઈસાઈ, આપસ મેં સબ ભાઈ-ભાઈ'ને સ્વીકારતા નથી, તેઓ હકીકતમાં ભારતને અખંડ નહીં પરંતુ ખંડિત કરવા માગે છે. ભારત-પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા ત્યારે જ એક થઈ શકે જ્યારે ત્યાં રહેતા નાગરિકોમાં પ્રેમ હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ અખંડ ભારતનો રાગ આલાપનારા પ્રેમને બદલે નફરતની ખેતી કરે છે. એટલા માટે તેઓ એકતાના નામ પર ભાગલાને પ્રોત્સાહન આપે છે. આ જ લોકો આજે દેશના ભાગલા માટે ગાંધીજીને જવાબદાર માને છે. જ્યારે હકીકત એ છે કે આમની જ કોમવાદી નીતિઓને કારણે ભારતનું વિભાજન થયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/savarkar-an-attempt-to-distort-the-truth-to-strengthen-hindutva-politics">સાવરકરઃ હિંદુત્વવાદી રાજનીતિને મજબૂત કરવા સત્યને વિકૃત કરતો પ્રયત્ન</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 19 Dec 2024 13:44:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1725</Articleid>
                    <excerpt>અમિત શાહ જે કહી રહ્યા છે તે માત્ર એક ઘટના નથી પરંતુ આરએસએસ, જનસંઘ અને ભાજપની અસલી વિચારધારા અને માનસિકતા છે, જે ડૉ. આંબેડકરની વિરુદ્ધ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6763d58e8a795.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6763d58e4831b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6763d58e4831b.jpg" length="62097" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dr ambedkar, Amit shah, savarkar</media:keywords>
                </item>
                        <item>
                    <title>4.53 કરોડ કેસો કોર્ટોમાં પડતર હોય ત્યાં ન્યાયની દેવીમાં બદલાવનો અર્થ ખરો?</title>
                    <link>https://khabarantar.com/4.53-crore-cases-pending-in-the-courts-does-it-make-sense-to-change-the-nature-of-justice</link>
                    <guid>https://khabarantar.com/4.53-crore-cases-pending-in-the-courts-does-it-make-sense-to-change-the-nature-of-justice</guid>
                    <description>
                        <![CDATA[ દેશમાં ૪.૫૩ કરોડ પડતર કેસો ન્યાયની રાહ જુએ છે, એમાં ૩.૪૫ કરોડ કેસો ક્રિમિનલ  છે. જો ન્યાયની આ સ્થિતિ હોય તો ન્યાયની દેવીમાં બદલાવનો કશો અર્થ ખરો? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શું કહીશું એને? ન્યાયની દેવીની પ્રતિમાનું ભારતીયકરણ? નિવૃત વડા ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડે સીજેઆઈ તરીકેના તેમના કાર્યકાળના અંતિમ દિવસોમાં ન્યાયની દેવીની મૂર્તિમાં ધરમૂળથી ફેરફાર કરી દીધા. તેથી ભારતના ન્યાયતંત્રમાં તેમણે કરેલા સુધારામાં એક નોંધપાત્ર ઉમેરણ થયું. સુપ્રીમ કોર્ટ પરિસરમાં અને દેશ-વિદેશમાં ન્યાયની દેવીની પ્રતિમા  સામાન્યત: પાશ્ચાત્ય પરિધાનમાં,  એક હાથમાં ત્રાજવું, બીજા હાથમાં તલવાર અને આંખે કાળી પટ્ટી ધારણ કરેલી જોવા મળે છે. પરંતુ સુપ્રીમ કોર્ટની જજીઝ લાઈબ્રેરીમાં મુકવામાં આવેલી શિલ્પી વિનોદ ગોસ્વામીએ તૈયાર કરેલી,  સાડા છ ફૂટની, સવા સો કિલો ગ્રામ વજનની અને ફાઈબર ગ્લાસની બનેલી ન્યાયની દેવીની મૂર્તિ ઘણી અલગ છે. આ લેડી જસ્ટિસની આંખે કાળી પટ્ટી નથી, હાથમાં ત્રાજવું છે પરંતુ બંને પલ્લાં સમાન છે. એક હાથમાં તલવારને બદલે ભારતનું બંધારણ  છે. વળી આ દેવીએ રોમન દેવીઓ જેવું ટ્યુનિક કે ગાઉન નહીં પણ ભારતીય મહિલાઓનો સર્વસામાન્ય પોશાક સાડી પરિધાન કરેલી છે. જાણે કે વિદેશી લેડી જસ્ટિસનું પૂર્ણ સ્વદેશીકરણ થયું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતને ન્યાયવ્યવસ્થા અને  ન્યાયની દેવીની પ્રતિમા અંગ્રેજોની દેન છે. ભારતીય પરંપરામાં ન્યાયની દેવી જેવો કોઈ ખ્યાલ જ કદાચ નથી. ઝઘડાઓની પતાવટ માટે પંચ પરમેશ્વરનો વિચાર, આ જન્મના કર્મો આગલા જન્મમાં ભોગવવાની માન્યતા કે પછી રાજાઓ દ્વારા તોળાતો ન્યાય જ ભારતની ન્યાય પરંપરા હતી. તેમાં જહાંગીરના ઘંટ અને મીનળ દેવીના ન્યાયને સંભારાય છે. ન્યાયની દેવી સૌ પ્રથમ રોમન સભ્યતામાં જોવા મળે છે. તેને જસ્ટિટિયા કે જસ્ટિસિયા કહેવામાં આવે છે. દુનિયાના મોટાભાગના દેશોમા આજે જોવા મળતાં ન્યાયની દેવીના પૂતળાંઓનું મૂળ રોમમાં રહેલું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/the-reality-of-internal-democracy-in-political-parties">રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહીની અસલિયત</a></span></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ન્યાયની દેવીની પ્રતિમા પ્રતીકાત્મક છે. યુરોપિય શૈલીના લેડી જસ્ટિસના સ્ટેચ્યુમાં ભલે દેવી અડવાણા પગે છે પરંતુ તે દેખાવમાં રુઆબદાર અને આક્રમક છે. તેના હાથમાં રહેલું ત્રાજવું સમાન ન્યાયનું પ્રતીક છે. ત્રાજવાના એક તરફ નમેલાં પલ્લાનો મતલબ જેની પાસે વધુ આધાર, પુરાવા, સાક્ષી તેની તરફ ન્યાય નમશે તેવો છે. બીજા હાથમાં તલવાર અર્થાત કોઈ પક્ષપાત વગર  નિષ્પક્ષ ન્યાય છે. દેવીની આંખે પટ્ટી એટલા માટે કે તે ન્યાય પ્રતિ આંધળા નથી પણ તે ગરીબ કે તવંગર, ફરિયાદી કે આરોપી, સૌને તેના જ્ઞાતિ, વર્ણ, ધર્મ કે લિંગના  ભેદ સિવાય સમાન અને યોગ્ય ન્યાય આપશે તેવો કરવાનો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સર્વોચ્ચ અદાલતના પુસ્તકાલયમાં ખુલ્લી મુકવામાં આવેલી લેડી જસ્ટિસની પ્રતિમામાં કેટલાક આમુલ પરિવર્તનો જોવા મળે છે. આ પ્રતિમાની દેવીનો ચહેરો આક્રમક કે રુઆબદારને બદલે સૌમ્ય છે. તેણે ગાઉન ને બદલે સાડી પહેરી છે. પ્રતિમાનો રંગ સફેદ છે. માથે મુગટ છે. આંખો ખુલ્લી છે. બંને પલ્લાં સમાન હોય તેવું ત્રાજવું હાથમાં છે. બીજા હાથમાં તલવારને બદલે સંવિધાન છે. આ ફેરફાર વિચારપૂર્વક કરવામાં આવ્યા છે. આંખો ખુલ્લી એટલે છે કે ન્યાય અને કાયદો આંધળા નથી. તે જે ન્યાય કરશે તે ભારતના બંધારણ અને તેની રુએ ઘડાયેલા કાયદાઓના આધારે કરશે. એટલે હાથમા બંધારણ રાખ્યું છે. અંગ્રેજોની ગુલામીના પ્રતીકો આઝાદ મુલ્કને ન શોભે તેથી અંગ્રેજ વારસાની પ્રતિમાના પ્રતીકો ફગાવીને તેનું ભારતીયકરણ કર્યું છે. એટલે દેવી પ્રતિમાએ સાડી પહેરી છે. ન્યાયની દેવીના પૂતળાનું નવસંસ્કરણ નવા પ્રતીકો અને નવા સંકેતો દર્શાવે છે. તેમાં ભારતીયતા અને ભારતીય ન્યાય વ્યવસ્થાના વિચારો દર્શાવવાનો પ્રયત્ન થયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ ચંદ્રચૂડના આ પગલાંને સકારાત્મક પરિવર્તન ગણી તેને ભારે આવકાર મળ્યો છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને એ કારણે વાંધો લીધો છે કે વિરોધ કર્યો છે કે તેઓ ન્યાય વ્યવસ્થામાં સમાનરૂપે હિસ્સેદાર હોવા છતાં પ્રતિમા પરિવર્તન બાબતે તેમની સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો નથી અને ચીફ જસ્ટિસે એકતરફી નિર્ણય કર્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/lateral-entry-is-not-panacea-for-administrative-problems">વહીવટમાં જે સમસ્યાઓ છે તેનો રામબાણ ઈલાજ લેટરલ એન્ટ્રી નથી</a></span></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચોતરફના સ્વાગત અને અલ્પ વિરોધ વચ્ચે આ પ્રકારે પ્રતિમામાં અને પ્રતીકોમાં કે તેના અર્થઘટનોમાં ફેરફારથી ભારતની ન્યાય વ્યવસ્થાની વાસ્તવિકતામાં કોઈ પરિવર્તન આવ્યું છે કે આવશે ખરું તેવો સવાલ લાજમી છે. ન્યાયની દેવીને નારી રૂપે દર્શાવાતી હોય તો ભારતની ન્યાય વ્યવસ્થામાં મહિલાઓનું સ્થાન શું છે અને આટલા વરસોથી ન્યાયની દેવી નારીઓ તરફ કેમ વધુ ઝૂકતાં નથી તે પ્રશ્ન છે. ૧૯૮૯માં ફાતિમા બીબી દેશની સુપ્રીમ કોર્ટના પહેલાં  મહિલા જજ બન્યાં હતા. પરંતુ હજુ અર્ધી આબાદી તેના વસ્તીના ધોરણે પ્રતિનિધિત્વથી વંચિત જ છે. ૨૦૨૭માં જસ્ટિસ બી.વી. નાગરત્ના કદાચ પહેલા સીજેઆઈ બનશે ખરાં પણ અત્યાર સુધીમાં માડ ચાર ટકા જ મહિલાઓ સુપ્રીમ કોર્ટના  જજ બની શક્યાં છે. હાઈકોર્ટોના ૭૮૮ જજિસમાં ૧૦૭ કહેતાં ૧૩ ટકા જ મહિલા જજ છે. તો ન્યાયની દેવી નારીઓને ક્યારે ફળશે? આખા દેશમાં ૨૦ ટકા જ મહિલા વકીલો છે.  ગુજરાતમાં ૭૯,૭૯૨ પુરુષોની સામે ૨૭,૫૯૬ જ મહિલા વકીલો હોય અને ન્યાય ક્ષેત્રે પુરુષોનું આધિપત્ય હોય તો મહિલા પ્રતિનિધિત્વ ક્યારે એક સમાન થશે? તેનો કોઈ જવાબ નવીન ન્યાય પ્રતિમાથી મળતો નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંધળા કે દેખતાં ન્યાયની દેવી સર્વજનને સરળ, સુલભ, સસ્તો અને સમયસર ન્યાય મળે તેવું ક્યારે કરશે? સંસદના વર્તમાન શીતકાલીન સત્રમાં રાજ્યસભા પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યું કે ઓકટોબર ૨૦૨૪ની સ્થિતિએ સુપ્રીમ કોર્ટમાં ૨, હાઈકોર્ટસમાં ૩૬૦ અને ટ્રાયલ કોર્ટસમાં ૫,૦૦૦ કરતાં વધુ ન્યાયાધીશોની જગ્યાઓ ખાલી છે. વિલંબિત ન્યાય તો એ હદનો છે કે ૧૫ નવેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ દેશમાં ૪.૫૩ કરોડ પડતર કેસો ન્યાયની ગુહાર લગાવીને અદાલતના આંગણે રાહ જોતાં બેઠાં છે.  પડતર કેસોમાં ૩.૪૫ કરોડ કેસો ક્રિમિનલ  છે. જો ન્યાયની આ સ્થિતિ હોય તો ન્યાયની દેવીમાં બદલાવનો કશો અર્થ ખરો?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ન્યાય દેવીનું પ્રતિમા પરિવર્તન ત્યારે જ સાર્થક કહેવાય જ્યારે ન્યાય ત્વરિત અને સુલભ હોય. માત્ર પ્રતીકો બદલવાથી વાસ્તવિકતા બદલાતી નથી. ન્યાયની દેવીની મૂર્તિ કે તસ્વીરમાં પરિવર્તન ન્યાયમાં પર્યાપ્ત અને વાસ્તવિક પરિવર્તન લાવનારું હોવું જોઈએ. સરકારો ન્યાયતંત્રને જરૂરી વ્યવસ્થા સંપડાવે, ન્યાયાધીશોની જગ્યાઓ વેળાસર ભરાતી રહે, વકીલો તારીખ પે તારીખથી બચવા તેમના કેસનો પૂરો અભ્યાસ કરીને આવે અને તેનો સમયસર નિકાલ થાય તેની કાળજી રાખે તો પણ જૂના કે નવા ન્યાયની દેવીનું અદાલતમાં હોવું પ્રમાણ ગણાશે. આપણી અદાલતો ન્યાયની અદાલતો નથી પરંતુ પુરાવાની અદાલતો છે. જ્યારે તે પુરાવાની અદાલતો મટી ન્યાયની અદાલતો બનશે ત્યારે જ ન્યાયની દેવીનું અને બદલાયેલા પ્રતીકોનું હોવું સાર્થક ગણાશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><em><strong><span style="font-size: 12pt;">(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)</span></strong></em></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/between-expensive-protective-equipment-and-cleaning-machines-what-is-your-priority">મોંઘા સંરક્ષણ સાધનો અને સફાઈના મશીન વચ્ચે તમારી પ્રાથમિકતા શું છે?</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 19 Dec 2024 10:05:20 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1722</Articleid>
                    <excerpt>દેશમાં ૪.૫૩ કરોડ પડતર કેસો ન્યાયની રાહ જુએ છે, એમાં ૩.૪૫ કરોડ કેસો ક્રિમિનલ  છે. જો ન્યાયની આ સ્થિતિ હોય તો ન્યાયની દેવીમાં બદલાવનો કશો અર્થ ખરો?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67639fa63c4b9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67639fa60d781.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67639fa60d781.jpg" length="42429" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Goddess of Justice, Supreme Court of India, 4.53 crore cases pending, What does it mean</media:keywords>
                </item>
                        <item>
                    <title>RSS શા માટે રાષ્ટ્રધ્વજનો વિરોધ કરે છે?</title>
                    <link>https://khabarantar.com/why-is-rss-opposing-the-india-national-flag</link>
                    <guid>https://khabarantar.com/why-is-rss-opposing-the-india-national-flag</guid>
                    <description>
                        <![CDATA[ દેશના બંધારણને 75 વર્ષ પૂર્ણ થવા પર ફરી એકવાર RSS એ રાષ્ટ્રધ્વજનો વિરોધ કર્યો હતો તેની ચર્ચા થઈ રહી છે ત્યારે જાણો કેમ સંઘે રાષ્ટ્રધ્વનો વિરોધ કર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Why does RSS oppose the national flag?: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર વર્ષોથી તેના હેડક્વાટર પર દેશનો રાષ્ટ્રધ્વજ નહીં ફરકાવવાને લઈને અનેક પ્રકારના આરોપો લાગતા રહે છે. હાલ બંધારણના 75 વર્ષ નિમિત્તે સંસદમાં ડો.આંબેડકર રચિત બંધારણ અને તેની સાથે રાષ્ટ્રધ્વજ સહિતના મુદ્દાઓ પર ચર્ચા છેડાઈ છે ત્યારે સંઘે શા માટે વર્ષો સુધી રાષ્ટ્રધ્વજ ન ફરકાવ્યો તેની વાત કરીએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડિસેમ્બર 1929માં કોંગ્રેસે તેના લાહોર અધિવેશનમાં લોકોને દર વર્ષે 26 જાન્યુઆરીએ સ્વતંત્રતા દિવસની ઉજવણી ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપીને કરવાનું આહ્વાન કર્યું હતું (તે એ સમયે રાષ્ટ્રીય ચળવળનો ધ્વજ હતો. જેની વચ્ચે ચરખો હતો.). જ્યારે 26 જાન્યુઆરી 1930 નો દિવસ નજીક આવી રહ્યો હતો ત્યારે આરએસએસના સરસંઘચાલક અને સ્થાપક કે.બી. હેડગેવારે 21 જાન્યુઆરી, 1930ના રોજ એક પરિપત્ર બહાર પાડીને આરએસએસની તમામ શાખાઓને રાષ્ટ્રધ્વજ તરીકે ભગવા ધ્વજની પૂજા કરવા જણાવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય સર્વસંમતિનું ઉલ્લંઘન કરીને એ પરિપત્રમાં આરએસએસે તમામ શાખાઓના પ્રભારીઓને તેમના સ્વયંસેવકોની એક બેઠક તેમના સંબંધિત યુનિયન સ્થળોએ (જ્યાં શાખાઓ આવેલી છે) રવિવાર, 26 જાન્યુઆરી, 1930 ના રોજ સાંજે 6 વાગ્યે યોજવા જણાવ્યું હતું અને 'રાષ્ટ્રીય ધ્વજને એટલે કે ભગવા ધ્વજને સલામ કરો.' અહીં ધ્યાન રાખવા જેવી વાત એ છે કે, આ પરિપત્રને પછી કદી પરત લેવામાં નથી આવ્યો. <em>(હેડગેવાર: પત્ર-રૂપ ભક્તિ દર્શન (હેડગેવારના પત્રોનો હિન્દી અનુવાદ), અર્ચના પ્રકાશન, ઇન્દોર, 1981, પૃષ્ઠ 18.)</em></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમાજવાદી નેતા અને સ્વાતંત્ર્ય સેનાની એનજી ગોરે 1938માં આવી જ એક ઘટનાના સાક્ષી બન્યા હતા જ્યારે હિંદુત્વવાદી કાર્યકરોએ ત્રિરંગો ફાડી નાખ્યો અને પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાનીઓ પર શારીરિક હુમલો કર્યો હતો. ગોરના કહેવા પ્રમાણે: 'મે દિવસના જુલુસ પર કોણે હુમલો કર્યો? સેનાપતિ બાપટ અને (ગજાનન) કાનિટકર જેવા લોકો પર કોણે હુમલો કર્યો? રાષ્ટ્રધ્વજ કોણે ફાડી નાખ્યો? હિન્દુ મહાસભા અને હેડગેવારના છોકરાઓએ આ બધું કર્યું. તેમને મુસ્લિમોને જાહેર દુશ્મન નંબર 1 તરીકે નફરત કરવાનું શીખવવામાં આવ્યું છે. દેશના ઝંડાને નફરત કરવાનું શીખવવામાં આવ્યું છે. તેમની પાસે પોતાનો ધ્વજ છે, 'ભગવો', જે મરાઠા વર્ચસ્વનું પ્રતીક છે." <em>(કોંગ્રેસ સમાજવાદી, 14 મે 1938)</em></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/the-dalits-of-the-country-have-clearly-recognized-the-manuvadi-face-of-the-bjp-rss"><span style="font-size: 14pt;"> ભાજપ-RSS ના 'મનુવાદી' ચહેરાને દેશના દલિતો સ્પષ્ટ રીતે ઓળખી ગયા છે</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીડી સાવરકરે પણ ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. તેના બહિષ્કારની માગણી કરતાં તેમણે 22 સપ્ટેમ્બર, 1941ના રોજ એક નિવેદનમાં જાહેર કર્યું - 'જ્યાં સુધી ધ્વજનો પ્રશ્ન છે, હિન્દુઓ પાસે 'કુંડલિની કૃપાણંકિત' મહાસભાના ધ્વજ સિવાય હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતો અન્ય કોઈ ધ્વજ હોવો જોઈએ નહીં, જેમાં 'ઓમ અને સ્વસ્તિક' અંકિત છે, જે હિન્દુ જાતિ અને નીતિના સૌથી પ્રાચીન પ્રતીકો છે, જે યુગોથી પ્રચલિત છે અને સમગ્ર ભારતમાં આદરણીય છે. તેથી કોઈ પણ સ્થળ કે કાર્ય, જ્યાં આ અખંડ હિંદુ ધ્વજનું સન્માન કરવામાં આવતું નથી તેનો હિંદુ સંગઠનો (હિંદુ મહાસભાના સભ્યો) દ્વારા કોઈપણ ભોગે બહિષ્કાર કરવો જોઈએ. ખાસ કરીને, ચરખા-ધ્વજ ખાદી ભંડારનું પ્રતિનિધિત્વ કરી શકે છે, પરંતુ ચરખો ક્યારેય હિંદુઓ જેવા ગૌરવશાળી અને પ્રાચીન રાષ્ટ્રની ભાવનાનું પ્રતીક અને પ્રતિનિધિત્વ કરી શકતો નથી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><em><span style="font-size: 14pt;">(ભીડે, એ.એસ. (સંપાદક), વિનાયક દામોદર સાવરકર કા તૂફાની પ્રચાર: ડિસેમ્બર 1937 થી ઓક્ટોબર 1941 સુધીના તેમના પ્રચાર પ્રવાસો પરના ઇન્ટરવ્યુની રાષ્ટ્રપતિની ડાયરીમાંથી અંશો, NA, Bombay pp. 469, 473.)</span></em><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોળવલકરે 1940માં RSS ના હેડક્વાટર રેશમ બાગ ખાતે 1350 ટોચના RSS કાર્યકર્તાઓ સમક્ષ એક ભાષણમાં કહ્યું હતું - 'એક ધ્વજ, એક નેતા અને એક વિચારધારાથી પ્રેરિત RSS આ મહાન ભૂમિના દરેક ખૂણામાં હિન્દુત્વની જ્યોત પ્રગટાવી રહ્યું છે.' (એમ. એસ. ગોલવલકર, શ્રી ગુરુજી સમગ્ર દર્શન <em>(હિન્દીમાં ગોલવલકરની એકત્રિત કૃતિઓ ભાગ 1, ભારતીય વિચાર સાધના, નાગપુર, પૃષ્ઠ 11.)</em></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એમએસ ગોલવલકરે 14 જુલાઈ, 1946 ના રોજ નાગપુરમાં આરએસએસના મુખ્યાલયમાં ગુરુપૂર્ણિમાની બેઠકને સંબોધિત કરતાં કહ્યું હતું - 'એ ભગવો ધ્વજ જ હતો, જે સમગ્ર ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતો હતો. તે ભગવાનનો અવતાર હતો. અમે દ્રઢપણે માનીએ છીએ કે અંતે આખો દેશ આ ભગવા ધ્વજ સમક્ષ નમશે.’ <em>(ગોલવલકર, M.S., શ્રી ગુરુજી સમગ્ર દર્શન, ભાગ 1, ભારતીય વિચાર સાધના, નાગપુર, n.d., પૃષ્ઠ 98.)</em></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/rss-chief-mohan-bhagwat-was-given-prime-minister-like-security"><span style="font-size: 14pt;">RSS ના વડા મોહન ભાગવતને વડાપ્રધાન જેવી સુરક્ષા અપાઈ</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ જ્યારે તિરંગો ફરકાવવા માટે લાલ કિલ્લાની પ્રાચીર તૈયાર કરવામાં આવી રહી હતી. તે સમયે ભારતના દરેક ભાગમાં સામાન્ય લોકો ત્રિરંગા સાથે કૂચ કરી રહ્યા હતા અને પોતાના ઘરોની છત પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા હતા. ત્યારબાદ RSSના અંગ્રેજી મુખપત્ર ઓર્ગેનાઇઝરે 14 ઓગસ્ટ, 1947ના અંકમાં લખ્યું હતું - 'ભાગ્યના મારથી સત્તામાં આવેલા લોકો ભલે ને આપણા હાથમાં ત્રિરંગો પકડાવી દે પરંતુ હિંદુઓ ક્યારેય તેનું સન્માન નહીં કરે અને તેને અપનાવશે નહીં. ત્રણ શબ્દો પોતે જ એક અનિષ્ટ છે અને ત્રણ રંગ ધરાવતો ધ્વજ ચોક્કસપણે ખૂબ જ ખરાબ મનોવૈજ્ઞાનિક અસર પેદા કરશે અને દેશ માટે નુકસાનકારક છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓર્ગેનાઈઝરે આ પહેલા પણ એક સંપાદકીય ('રાષ્ટ્રધ્વજ', 17 જુલાઈ, 1947) લખ્યો હતો, જ્યારે ભારતની બંધારણ સભાની સમિતિએ રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગાની તરફેણમાં નિર્ણય લીધો હતો - 'અમે એ વાત સાથે બિલકુલ સહમત નથી કે ધ્વજ ભારતના તમામ પક્ષો અને સમુદાયોને સ્વીકાર્ય હોવો જોઈએ. આ તદ્દન બકવાસ છે. ધ્વજ રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે અને ભારતમાં એક જ રાષ્ટ્ર છે, હિન્દુ રાષ્ટ્ર. આપણે બધાં સમાજોની ઈચ્છાઓ અને અપેક્ષાઓને સંતોષવાના ઉદ્દેશ્યથી ધ્વજની પસંદગી ન કરી શકીએ. આપણે દરજીને આપણા માટે શર્ટ કે કોટ બનાવવાનો ઓર્ડર આપીએ છીએ તે રીતે ધ્વજ પસંદગી ન કરી શકીએ.’</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદી પછી પણ આરએસએસે ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ‘બંચ ઓફ થોટ્સ’માં ‘ડ્રિફ્ટિંગ એન્ડ ડ્રિફ્ટિંગ’ શીર્ષકવાળા નિબંધમાં ગોલવલકરે લખ્યું છે – ‘આપણા નેતાઓએ આપણા દેશ માટે નવો ધ્વજ સ્થાપિત કર્યો છે. તેઓએ આવું કેમ કર્યું? તે માત્ર પ્રલોભન અને અનુકરણની બાબત છે. આપણો દેશ એક પ્રાચીન અને મહાન રાષ્ટ્ર છે, જેનો ભવ્ય ભૂતકાળ છે. તો શું આપણો પોતાનો કોઈ ધ્વજ નહોતો? શું આ હજારો વર્ષોમાં આપણી પાસે કોઈ રાષ્ટ્રીય પ્રતીક નહોતું? બિલકુલ હતું. તો પછી આપણા મનમાં આ સંપૂર્ણ શૂન્યતા શા માટે છે?' <em>(ગોલવલકર, એમ.એસ., બંચ ઓફ થોટ્સ, સાહિત્ય સિંધુ પ્રકાશન, બેંગ્લોર, 1966, પૃષ્ઠ 237-38.)</em></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ત્રિરંગાને</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/how-did-the-slogan-of-jai-bheem-outweigh-jai-shri-ram">'જય શ્રીરામ' સામે 'જય ભીમ'નો નારો કેવી રીતે ભારે પડ્યો?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><em></em></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 18 Dec 2024 13:19:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1717</Articleid>
                    <excerpt>દેશના બંધારણને 75 વર્ષ પૂર્ણ થવા પર ફરી એકવાર RSS એ રાષ્ટ્રધ્વજનો વિરોધ કર્યો હતો તેની ચર્ચા થઈ રહી છે ત્યારે જાણો કેમ સંઘે રાષ્ટ્રધ્વનો વિરોધ કર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67627b653829d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67627b650662b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67627b650662b.jpg" length="60132" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>RSS, opposing, india national flag, Savarkar, K.B. Hedgewar, M.S. Golwalkar</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભારતના બંધારણ પર RSS અને તેના સ્થાપકો શું માનતા હતા?</title>
                    <link>https://khabarantar.com/what-does-rss-believe-about-the-constitution-of-india-written-by-dr-ambedkar</link>
                    <guid>https://khabarantar.com/what-does-rss-believe-about-the-constitution-of-india-written-by-dr-ambedkar</guid>
                    <description>
                        <![CDATA[ ડો.આંબેડકર લિખિત બંધારણને 75 વર્ષ પૂર્ણ થવા પર સંસદમાં ચાલી રહેલી ચર્ચામાં RSS નું વારંવાર ઉછળી રહ્યું છે ત્યારે સંઘ અને તેના સ્થાપકો બંધારણ વિશે શું માનતા હતા તે સમજીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">RSS Opposed Indian Constitution: બંધારણના 75 વર્ષ પૂરા થવા પર સંસદમાં ચાલી રહેલી ચર્ચામાં આરએસએસ અને તેના નેતાઓનું નામ અનેકવાર ઉછળ્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ડૉ.આંબેડકર લિખિત ભારતના બંધારણને લઈને RSS નું વલણ શું રહ્યું છે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">26 નવેમ્બર, 1949 ના રોજ, બંધારણ સભાએ બંધારણ સ્વીકાર્યું. એ પછી 26 જાન્યુઆરી, 1950થી આખા દેશમાં તેને લાગુ કરવામાં આવશે અને ત્યાર બાદ આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉજવણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કરવામાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">RSS એ આ ઐતિહાસિક સિદ્ધિ પર શોક વ્યક્ત કર્યો હતો. 30 નવેમ્બર, 1949 ના રોજ, બંધારણ સભા દ્વારા બંધારણ પસાર થયાના ત્રણ દિવસ પછી, RSS ના અંગ્રેજી મુખપત્ર 'ઓર્ગેનાઇઝર'એ લખ્યું - "આપણા બંધારણમાં, પ્રાચીન ભારતમાં અનન્ય બંધારણીય વિકાસનો કોઈ ઉલ્લેખ નથી. મનુના કાયદા સ્પાર્ટાના લાઈકર્ગસ અથવા ફારસના સોલનના ઘણા સમય પહેલા લખાયા હતા. આજે પણ મનુસ્મૃતિમાં વર્ણવેલા તેમના કાયદા સમગ્ર વિશ્વમાં વખણાય છે અને સ્વયંસ્ફુરિત આજ્ઞાપાલન અને અનુરૂપતાને પ્રોત્સાહિત કરે છે. પરંતુ આપણા બંધારણીય પંડિતો માટે આનો કોઈ અર્થ નથી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">14 ઓગસ્ટ, 1947ના રોજ, સ્વતંત્રતાની પૂર્વસંધ્યાએ, RSSના મુખપત્ર ઓર્ગેનાઇઝરના સંપાદકીયમાં 'વ્હીદર' શીર્ષકથી લખ્યું હતું - "આપણે હવે પોતાને રાષ્ટ્રવાદની ખોટી ધારણાઓથી પ્રભાવિત થવા દેવી જોઈએ નહીં. માનસિક ભ્રમ તથા વર્તમાન અને ભવિષ્યની ઘણી મુશ્કેલીઓ એ સરળ તથ્યની તાત્કાલિક માન્યતાથી દૂર થઈ શકે છે કે હિંદુસ્તાનમાં માત્ર હિંદુ જ રાષ્ટ્રનું નિર્માણ કરે છે અને રાષ્ટ્રીય સંરચનાને એ સુરક્ષિત અને મજબૂર પાયા પર બાંધવું જોઈએ. રાષ્ટ્રનું નિર્માણ પોતાના પર - હિન્દુઓના, હિન્દુ પરંપરાઓ, સંસ્કૃતિ, વિચારો અને આકાંક્ષાઓ પર થવું જોઈએ."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/when-gandhiji-arrived-to-meet-savarkar-he-was-frying-shrimp">ગાંધીજી સાવરકરને મળવા પહોંચ્યાં ત્યારે તેઓ ઝીંગા તળી રહ્યા હતા..</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિનાયક દામોદર સાવરકર પણ દેશના બંધારણમાં મનુના કાયદા લાગુ કરવા માંગતા હતા. તેઓ લખે છે - 'મનુસ્મૃતિ એ શાસ્ત્ર છે જે વેદ પછી આપણા હિન્દુ રાષ્ટ્ર દ્વારા સૌથી વધુ પૂજનીય છે અને જે પ્રાચીન કાળથી આપણી સંસ્કૃતિ, રિવાજો, વિચારો અને વર્તનનો આધાર બની ગયું છે. સદીઓથી આ પુસ્તકે આપણા રાષ્ટ્રની આધ્યાત્મિક અને દૈવી યાત્રાને સંહિતાબદ્ધ કરી છે. આજે પણ કરોડો હિંદુઓ તેમના જીવન અને વર્તનમાં જે નિયમોનું પાલન કરે છે તે મનુસ્મૃતિ પર આધારિત છે. આજે મનુસ્મૃતિ હિંદુ કાયદો છે. આ મૂળભૂત છે. (વી. ડી. સાવરકર, ‘મનુસ્મૃતિમાં મહિલાઓ’)</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુત્વ દક્ષિણપંથી અને કોંગ્રેસની અંદર રૂઢિવાદી વર્ગોએ, ભગવા વસ્ત્રોવાળા સ્વામીઓ અને સાધુઓ સાથે મળીને હિંદુ કોડ બિલના અમલનો વિરોધ કર્યો હતો. તેઓ વિરોધમાં દેશભરમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ લોકોએ દિલ્હીમાં ડો.બી.આર.આંબેડકરના નિવાસસ્થાને હુમલો કર્યો હતો. આંબેડકરના નિવાસસ્થાન પર હુમલાની તરફેણમાં તેમની દલીલ હતી - 'આ બિલ 'હિંદુ ધર્મ અને સંસ્કૃતિ પર હુમલો છે'. (ઈકોનોમિક વીકલી, 24 ડિસેમ્બર, 1949 અને સાવરકર સમગ્ર (હિન્દીમાં સાવરકરના લેખોનો સંગ્રહ), પ્રભાત, દિલ્હી, ભાગ 4, પૃષ્ઠ 415.)</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બિલ પર ઈતિહાસકાર રામચંદ્ર ગુહાના પુસ્તકમાંથી એક અંશ જોઈએ - 'ધ એન્ટિ-હિન્દુ કોડ બિલ કમિટીએ સમગ્ર ભારતમાં સેંકડો બેઠકો યોજી, જ્યાં વિવિધ સ્વામીઓએ સૂચિત કાયદાની નિંદા કરી હતી. આ ચળવળમાં ભાગ લેનારાઓએ પોતાને ધાર્મિક યોદ્ધાઓ (ધર્મવીર) તરીકે રજૂ કર્યા, જેઓ એક ધાર્મિક યુદ્ધ (ધર્મયુદ્ધ) લડી રહ્યા હતા. આરએસએસે આ આંદોલન પાછળ પોતાની પૂરી તાકાત લગાવી દીધી. 11 ડિસેમ્બર, 1949ના રોજ, RSSએ દિલ્હીના રામલીલા મેદાનમાં એક જાહેર સભા યોજી, જ્યાં એક પછી એક વક્તાઓએ બિલની નિંદા કરી. એકે તેને ‘હિંદુ સમાજ પર પરમાણુ બોમ્બ’ ગણાવ્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજા દિવસે આરએસએસના કાર્યકરોના એક ગ્રુપે વિધાનસભા ભવન પર કૂચ કરી અને 'હિંદુ કોડ બિલ મુર્દાબાદ' ના નારા લગાવ્યા. વિરોધીઓએ વડાપ્રધાન અને ડૉ. આંબેડકરના પૂતળા બાળ્યા અને પછી શેખ અબ્દુલ્લાની કારમાં તોડફોડ કરી. (રામચંદ્ર ગુહા, ‘ભાગવત્સ આંબેડકર’, ઈન્ડિયન એક્સપ્રેસ, ડિસેમ્બર 10, 2015)</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીએ કહ્યું હતું- 'હિન્દુ કોડ બિલ હિંદુ સંસ્કૃતિના ભવ્ય માળખાને તોડી પાડશે'.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-dalits-of-the-country-have-clearly-recognized-the-manuvadi-face-of-the-bjp-rss">ભાજપ-RSS ના 'મનુવાદી' ચહેરાને દેશના દલિતો સ્પષ્ટ રીતે ઓળખી ગયા છે</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'બંચ ઓફ થોટ્સ'માં ગોલવલકરે આવી નીતિઓની સ્પષ્ટ શબ્દોમાં ટીકા કરી હતી - 'આપણે જાતિ, સંપ્રદાય વગેરેના આધારે જૂથો બનાવવા અને સેવાઓ, નાણાકીય સહાય, શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને અન્ય તમામ બાબતોમાં વિશેષ અધિકારો અને વિશેષાધિકારોની માંગણી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવો જોઈએ. લઘુમતીઓ અને સમુદાયો વિશે વાત કરવાનું અને વિચારવાનું સંપૂર્ણપણે બંધ કરવું જોઈએ."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ જ પુસ્તકમાં બીજી જગ્યાએ તેઓ લખે છે - 'ડૉ. આંબેડકરે 1960માં પ્રજાસત્તાક બન્યાના દિવસથી માત્ર 10 વર્ષ માટે ‘અનુસૂચિત જાતિઓ’ માટે વિશેષ વિશેષાધિકારોની કલ્પના કરી હતી, પરંતુ તે ચાલુ છે. તેને વધારવામાં આવી રહ્યું છે. એક અલગ જૂથ તરીકે બન્યા રહેવામાં તેમના નિહિત સ્વાર્થ ચાલુ છે. આનાથી બાકીના સમાજ સાથેના તેમના એકીકરણને નુકસાન થશે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદી પછી, એમ.એસ. ગોલવલકરે લખ્યું- 'આપણું બંધારણ પણ પશ્ચિમી દેશોના વિવિધ બંધારણોના વિવિધ અનુચ્છેદનું એક બોજારૂપ અને વિચિત્ર સંયોજન છે. એમાં એવું કશું જ નથી જેને આપણું પોતાનું કહી શકાય. શું તેના માર્ગદર્શક સિદ્ધાંતોમાં એ વાતનો એક પણ સંદર્ભ છે કે આપણું રાષ્ટ્રીય મિશન શું છે અને જીવમાં આપણો મુખ્ય ઉદ્દેશઅય શું છે?' (એમ. એસ. ગોલવલકર, બંચ ઑફ થોટ્સ, સાહિત્ય સિંધુ, બેંગ્લોર, 1966, પૃષ્ઠ 238)</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકશાહી-ધર્મનિરપેક્ષ ભારતીય બંધારણને બદલે આરએસએસ હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લે છે. આ તેની દરરોજની પ્રાર્થનામાં સામેલ છે. પ્રાર્થના નીચે મુજબ છે - 'પ્રિય માતૃભૂમિ, હું તમને હંમેશા નમન કરું છું/હે હિંદુઓની ભૂમિ, તમે મને સુખ-સુવિધાઓથી ઉછેર્યો છે/હે પવિત્ર ભૂમિ, ભલાઈની મહાન નિર્માતા, મારું આ શરીર તમને સમર્પિત થાય/ હું વારંવાર તમને નમન કરું છું / હે સર્વશક્તિમાન ભગવાન, અમે, હિન્દુ રાષ્ટ્રના અભિન્ન અંગ, તમને નમન કરીએ છીએ / અમે તમારા હેતુ માટે કમર કસી લીધી છે /તેની સિદ્ધિ માટે અમને તમારા આશીર્વાદ આપો.' (આરએસએસ, શાખા દર્શિકા, જ્ઞાન ગંગા, જયપુર, 1997, પૃષ્ઠ-1)</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/rss-says-there-is-no-untouchable-in-hindu-scriptures-then-what-is-there-in-manusmriti">RSS કહે છે હિંદુ ધર્મગ્રંથોમાં કોઈ 'અછૂત' નથી, તો પછી 'મનુસ્મૃતિ' માં શું છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય એકતા પરિષદ (1961)ની પ્રથમ પરિષદમાં ગોલવલકરે કહ્યું – 'આજની ​​સંઘીય સરકાર ન માત્ર અલગતાની ભાવનાઓને જન્મ આપે છે પરંતુ તેનું પાલનપોષણ પણ કરે છે. એક રીતે તે એક રાષ્ટ્રની હકીકતને ઓળખવાનો ઇનકાર કરે છે. તેનો નાશ કરે છે. તેને સંપૂર્ણપણે ઉખાડી ફેંકવું પડશે. બંધારણને શુદ્ધ કરવું પડશે અને એકાત્મક શાસનની વ્યવસ્થા સ્થાપિત કરવી પડશે.' (SGSD, Vol. 1, p. 11, 'RSS-Marketing Fascism as Indian Nationalism, p. 146; અથવા શ્રી ગુરુજી સમગ્ર, p. 128, વોલ્યુમ 3)</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1960ના દાયકાના મધ્યમાં ગોલવલકરે મરાઠી દૈનિક નવકાલને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં ફરી એકવાર મનુસ્મૃતિના વખાણ કર્યા હતા અને બંધારણમાં ખામીઓ હોવાની વાત કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોલવલકરનું એક પુસ્તક છે ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ’. 1946 માં પ્રકાશિત તેની ચોથી આવૃત્તિ અનુસાર - "ભારતના તમામ બિન-હિંદુઓએ હિન્દુ સંસ્કૃતિ અને ભાષા અપનાવવી પડશે, હિંદુ ધર્મનું સન્માન કરવું પડશે અને હિંદુ જાતિ કે સંસ્કૃતિના મહિમા સિવાય અન્ય કોઈ વિચારોને ધ્યાનમાં રાખવાના નથી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ જ પુસ્તકના પેજ 42 પર તેઓ લખે છે - "જર્મનીએ જાતિ અને સંસ્કૃતિની શુદ્ધતા જાળવવા સેમિટિક યહૂદી જાતિનો નાશ કરીને સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું. તેમાંથી જાતીય </span><span style="font-size: 14pt;">ગૌરવના ચરમરૂપની ઝલક મળે છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/is-the-game-going-on-to-make-reservation-based-on-economic-rather-than-social-basis">અનામતને સામાજિકને બદલે આર્થિક આધાર પર કરવાનો ખેલ ચાલી રહ્યો છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોલવલકરનું બીજું પુસ્તક છે ‘બંચ ઓફ થોટ્સ’. આ પુસ્તકમાં તેઓ જાતિ વ્યવસ્થાના સમર્થનમાં લખે છે - 'આપણા સમાજની વિશેષતા જાતિ વ્યવસ્થા હતી. આજે તેને જાતિ પ્રથા કહીને તેની મજાક ઉડાવવામાં આવે છે. સમાજની કલ્પના સર્વશક્તિમાન ભગવાનની ચતુરંગ અભિવ્યક્તિના સ્વરૂપ તરીકે કરવામાં આવી હતી. દરેક વ્યક્તિએ પોતપોતાની યોગ્યતા અનુસાર અને પોતાની રીતે તેની પૂજા કરવી જોઈએ. બ્રાહ્મણને એટલા માટે મહાન માનવામાં આવતો હતો કેમ કે તે જ્ઞાનનું દાન કરતો હતો. ક્ષત્રિયને પણ એટલા જ મહાન માનવામાં આવતા હતા કારણ કે તે દુશ્મનોનો સંહાર કરતો હતો. વૈશ્ય પણ ઓછા મહત્વના નહોતા, કારણ કે તેણે કૃષિ અને વાણિજ્ય દ્વારા સમાજની જરૂરિયાતો પૂરી કરી હતી અને શૂદ્ર પણ હતા જેમણે તેમની કલા કૌશલ્ય દ્વારા સમાજની સેવા કરી હતી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાઓ માટે લાવવામાં આવેલા હિંદુ કોડ બિલના વિરોધમાં ગોલવલકરે લખ્યું - જો મહિલાઓને સમાન અધિકાર મળશે, તો તે પુરુષો માટે 'મોટી મનોવૈજ્ઞાનિક કટોકટી' ઊભી કરશે જે 'માનસિક બીમારી અને ડિપ્રેશન'નું કારણ બનશે. (પૌલા બચેટા, જેન્ડર ઇન ધ હિન્દુ નેશનઃ આરએસએસ વુમન એઝ આઇડિયાલોગ્સ, પૃષ્ઠ 124)</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરએસએસના ત્રીજા સરસંઘચાલક રજ્જુ ભૈયા ઉર્ફે રાજેન્દ્ર સિંહે ઈન્ડિયન એક્સપ્રેસ (14 જાન્યુઆરી, 1993)માં લખ્યું - 'વર્તમાન સંઘર્ષને આંશિક રીતે આપણી સિસ્ટમની અયોગ્યતા માટે જવાબદાર ઠેરવી શકાય છે, જે મૂળ ભારત, તેની પરંપરા, મૂલ્યો અને નૈતિક જરૂરિયાતોને પ્રતિસાદ આપવામાં અસમર્થ છે. આ દેશની કેટલીક વિશેષતાઓ બંધારણમાં પ્રતિબિંબિત થવી જોઈએ. ‘ઈન્ડિયા એ ભારત’ ને બદલે આપણે 'ભારત એટલે હિન્દુસ્તાન' કહેવું જોઈએ. સત્તાવાર દસ્તાવેજો સર્વગ્રાહી સંસ્કૃતિનો સંદર્ભ આપે છે, પરંતુ આપણી સંસ્કૃતિ ચોક્કસપણે સર્વગ્રાહી નથી. સંસ્કૃતિ એ કપડાં પહેરવા કે ભાષા બોલવી નથી. ખૂબ જ મૂળભૂત અર્થમાં, આ દેશમાં એક અનન્ય સાંસ્કૃતિક એકતા છે. કોઈપણ દેશ, જો તેને ટકી રહેવું હોય, તો આ બાબતને ખંડિત કરી શકાય નહીં. આ બધું દર્શાવે છે કે બંધારણમાં ફેરફારની જરૂર છે. ભવિષ્યમાં, આ દેશની લોકાચાર અને પ્રતિભાને અનુરૂપ બંધારણ અપનાવવું જોઈએ."</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-does-rss-have-any-answer-to-these-questions-of-ambedkar">ડૉ. આંબેડકરના આ સવાલોનો RSS પાસે કોઈ જવાબ છે?</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 18 Dec 2024 11:36:31 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 18 Dec 2024 11:37:47 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1716</Articleid>
                    <excerpt>ડો.આંબેડકર લિખિત બંધારણને 75 વર્ષ પૂર્ણ થવા પર સંસદમાં ચાલી રહેલી ચર્ચામાં RSS નું વારંવાર ઉછળી રહ્યું છે ત્યારે સંઘ અને તેના સ્થાપકો બંધારણ વિશે શું માનતા હતા તે સમજીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676264ff7971f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676264ff46b53.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676264ff46b53.jpg" length="125003" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>rss opposed indian constitution, RSS, Dr. Ambedkar, Savarkar, M. S. Golwalkar, Bunch of Thoughts</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઓશો રજનીશ પર દલિત&amp;બહુજન સમાજ પુનર્વિચાર કરે</title>
                    <link>https://khabarantar.com/osho-rajneesh-dalit-bahujan-community-should-reconsider</link>
                    <guid>https://khabarantar.com/osho-rajneesh-dalit-bahujan-community-should-reconsider</guid>
                    <description>
                        <![CDATA[ રજનીશે બુદ્ધની અત્યાધિક પ્રશંસા અને ગાંધીજીની અત્યંત નિંદા કરી છે, એટલે દલિત-બહુજન સમાજ ઓશોની વ્યાખ્યાઓની જાળમાં આસાનાથી ફસાતો જઈ રહ્યો છે. પણ હવે સમય પાકી ગયો છે કે... ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><em><span style="font-size: 14pt;">“હું માત્ર ધનિકોનો ગુરુ છું, ગરીબ માણસ આધ્યાત્મિક ન હોઈ શકે”</span></em></p>
<p style="text-align: justify;"><br><em><span style="font-size: 14pt;">“ગૌતમ બુદ્ધ આધ્યાત્મનો હિમાલય છે અને ભવિષ્યનો ધર્મ બુદ્ધનો ધર્મ હશે”</span></em></p>
<p style="text-align: justify;"><br><em><span style="font-size: 14pt;">“ગૌતમ બુદ્ધ મારા શરીરમાં પ્રવેશ્યા, તેમના કારણે મારા માથામાં દુખાવો થઈ ગયો, મેં તેમને કહ્યું કે હવે તમે આઉટ ડેટેડ થઈ ગયા છો, મારા શરીરમાંથી નીકળી જાવ”</span></em></p>
<p style="text-align: justify;"><br><em><span style="font-size: 14pt;">“ગાંધી મહાત્મા નહોતા, તેઓ એક ચાલાક વાણિયા(વેપારી) હતા”</span></em></p>
<p style="text-align: justify;"><br><em><span style="font-size: 14pt;">“આંબેડકરે પણ ગાંધી વિરુદ્ધ ઉપવાસ બેસી જવું જોઈતું હતું. આંબેડકર મોટા માણસ હતા, ગાંધી તેમની સામે લાંબો સમય ટકી શક્યા ન હોત.”</span></em></p>
<p style="text-align: justify;"><br><em><span style="font-size: 14pt;">“હિંદુઓનો કર્મ અને પુનર્જન્મનો સિદ્ધાંત જાતિ વ્યવસ્થાને જાળવી રાખવાનું શસ્ત્ર છે”</span></em></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આ બધાં વાક્યો આચાર્ય રજનીશ એટલે કે ઓશોના છે. 11મી ડિસેમ્બરે તેમની જન્મતિથિ ગઈ. જે લોકોએ તેમને વાંચ્યા છે અને સાંભળ્યા છે તેઓ ઓશો વિશે તટસ્થ રહી શકતા નથી, તેઓએ કાં તો તેમનો વિરોધ કરવો પડશે અથવા તેમને સમર્થન આપવું પડશે. ઓશોએ પોતે આ વાત કહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઓશો - પોતાના સમયના સ્વ-ઘોષિત વિદ્રોહી</span></strong></span><br><span style="font-size: 14pt;">ભારતમાં 1980-2000 ની વચ્ચે સમજણ પ્રાપ્ત કરનાર દરેક વ્યક્તિએ આચાર્ય રજનીશ ઉર્ફે ઓશો વિશે ચોક્કસપણે વાંચ્યું અને સાંભળ્યું હશે. આઝાદી પહેલા 1920-1950ના દાયકાઓમાં એવું કોઈ નહોતું જેણે ગાંધીજીને વાંચ્યા કે જાણ્યા ન હોય. આ સમયગાળામાં સામાજિક-રાજકીય પરિવર્તનની વાત કરનારાઓએ કાર્લ માર્ક્સને પણ જાણ્યા અને વાંચ્યા હશે. ઓશોના ભક્તો દાવો કરે છે કે તેઓ બુદ્ધ, મહાવીર, કૃષ્ણ, મુહમ્મદ, ઈસુ વગેરેની કક્ષાના રહસ્યવાદી અને ગુરુ હતા. તેમનો દાવો છે કે ઓશોએ ભારતના ધાર્મિક અને આધ્યાત્મિક વિમર્શને બદલી નાખ્યું છે. ઓશોના વિરોધીઓ તેમને સેક્સ ગુરુ, અરાજકતાવાદી અને તકવાદી પણ કહે છે. તેમના પર 'સંભોગ સે સમાધિ' જેવા વિવાદાસ્પદ ટાઈટલ અને આક્રમક મીડિયા યુક્તિઓનો ઉપયોગ કરવાનો આરોપ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/devadasi-pratha-trading-the-bodies-of-shudra-daughters-in-the-name-of-god">દેવદાસી પ્રથાઃ ભગવાનના નામે શૂદ્ર દીકરીઓના શરીરનો સોદો</a></span></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Netflix પર તેમના વિશે 'વાઇલ્ડ-વાઇલ્ડ કન્ટ્રી' નામની વેબ સિરીઝ આવી હતી. જેમાં ઓશો અને તેમના આશ્રમનું સત્ય શું છે તે બતાવવામાં આવ્યું હતું. ઓશોના ભક્તો કહે છે કે અમેરિકામાં સાચો 'કોમ્યુન' રચાઈ રહ્યો હતો, એટલે જ અમેરિકાની રોનાલ્ડ રીગન સરકારે ઓશોને ઝેર આપીને મારી નાખ્યા. અમેરિકી સરકારે કહ્યું કે ઓશોના આશ્રમની નજીકના શહેરમાં જૈવિક આતંકવાદના પ્રયોગો ચાલી રહ્યા છે. ઓશો આશ્રમ પર આક્ષેપો થયા હતા કે ત્યાં પોતાના જ સન્યાસીઓની હત્યાના ષડયંત્ર ચાલી રહ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એક ઓશોની અંદર અનેક માણસ</span></strong></span><br><span style="font-size: 14pt;">શું ઓશો રજનીશ વિશે કોઈ તાર્કિક વાત થઈ શકે છે? શું આપણે ઓશોનું કોઈ મૂલ્યાંકન તેમના પોતાના કાર્યોના આધારે કરી શકીએ? આજકાલ ભારત પર ફાઈવ સ્ટાર બાબાઓ, ગુરુઓ અને ઉપદેશકોનો પ્રકોપ છવાયેલો છે. દરેક શહેરમાં કોઈને કોઈ બાબા અજીબોગરીબ વાર્તાઓ કહી લોકોને છેતરી રહ્યાં છે. તેમની વાતોમાં ન તો કોઈ તર્ક હોય છે, ન શૈવ, વૈષ્ણવ, યૌગિક, તાંત્રિક શાસ્ત્રોનું સત્ય હોય છે. તેઓ માત્ર ફૂલગુલાબી ભાષણો આપીને જનતાને મૂંઝવણમાં રાખે છે. આ સિવાય આ તમામ કથાકાર બાબા વગેરે અબજો-ખર્વોની સંપત્તિના માલિક હોય છે. તેમના પોતાના જીવનમાં કોઈ શુદ્ધતા કે નૈતિકતા નથી હોતી. તેઓ અપરિગ્રહ, અચૌર્ય, બ્રહ્મચર્ય, સાદગી, ત્યાગ વગેરેની બાબતો શીખવે છે. પરંતુ તેઓ પોતે ફાઈવ સ્ટાર લાઈફ જીવે છે. દુઃખની વાત એ છે કે ભારતના ગરીબ અને અભણ લોકો આ બધું જોઈ સમજી શકતા નથી અને તેમની જાળમાં ફસાયેલા રહે છે. આવા અનેક બાબાઓ અને કથાકારો આજકાલ જેલમાં છે. એજ કારણોસર આજે આપણે ઓશો રજનીશ પર પુનર્વિચાર કરવો જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓશો રજનીશે પોતાના જીવનમાં ઘણી વખત નામ બદલ્યું હતું. નામ બદલતાની સાથે જ તેમની કામ કરવાની રીત, તેમની ભાષા શૈલી, તેમનું સ્ટેન્ડ અને જીવનશૈલી પણ બદલાઈ જતી હતી. ઉદાહરણ તરીકે, 1965-70 ની વચ્ચે તેઓ ધાર્મિક પાખંડો અને ધર્મગુરૂઓ સામે ડાબેરી ક્રાંતિકારીની ભાષા બોલતા હતા. પછી તેમણે પોતાનું નામ આચાર્ય રજનીશ અને શ્રી રજનીશ રાખ્યું. પછી 1970 ના દાયકાની શરૂઆતમાં, તેઓ પોતે જ નવ-સન્યાસ ચળવળ શરૂ કરીને ભગવાન રજનીશ બન્યા. પછી 1980 થી 1985 સુધી તેઓ ભગવાન અને ભગવાન શ્રી રજનીશ બનતા રહ્યાં હતા. પછી 1988-89 ની વચ્ચે તેઓ ઓશો રજનીશ અને અંતે માત્ર ઓશો બની જાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">એકથી વધુ વખત નામ બદલવા પાછળનું કારણ</span></strong><br><span style="font-size: 14pt;">આ રીતે નામ બદલવા પાછળ નક્કર કારણ હતું. આ વાત તેણે પોતે પણ ઘણી વખત કહી છે. ઉદાહરણ તરીકે, 1965-68 ની વચ્ચે ઘણાં વિદ્રોહી અને ડાબેરીઓ તેમની સાથે જોડાયા, આ લોકોથી છૂટકારો મેળવવા માટે તેમણે ધર્મ, રહસ્યવાદ, સાધના, મોક્ષ અને ગાંધીની પ્રશંસા કરવાનું શરૂ કર્યું, એટલે ડાબેરીઓ ભાગી ગયા. પછી 1968-72 વચ્ચે ગાંધીવાદીઓ તેમની સાથે જોડાવા લાગ્યા, પછી તેમણે ગાંધી વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું અને ગાંધીવાદીઓ ભાગી ગયા. એ જ રીતે તેઓ અનુક્રમે હિંદુ ધર્મ, જૈન ધર્મ, યોગ, તંત્ર, સૂફી, કબાલા, ખ્રિસ્તી ધર્મ, સામ્યવાદ, સમાજવાદ વગેરે જેવા નવા વિષયો પર બોલીને જુના લોકોથી છૂટકારો મેળવતા રહ્યા અને નવા લોકોને આકર્ષતા રહ્યા. આ તેમના પોતાના શબ્દો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/shailaja-paik-first-dalit-woman-from-slum-to-genius-grant">shailaja paik : ઝૂંપડપટ્ટીથી જિનિયસ ગ્રાન્ટ સુધી પહોંચનાર પ્રથમ દલિત મહિલા</a></span></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓશો અન્ય રીતે પણ નવા લોકોને આકર્ષતા હતા અને ઘણા પૈસા પણ એકઠા કરતા હતા. ઉદાહરણ તરીકે, એંશીના દાયકાના અંત ભાગમાં તેમણે કેટલાક લોકોના બુદ્ધત્વની જાહેરાત કરી, પછી તે લોકોએ ઓશોને ભારે દાન આપ્યું. ઓશોના ખૂબ જ નજીકના શિષ્યા શીલા કહે છે કે જ્યારે પણ તેમને અમેરિકામાં પૈસાની જરૂર પડતી ત્યારે તેઓ તેમના કેટલાક શ્રીમંત સન્યાસીઓમાંથી અમુકને 'ઈનલાઈટેંડ' જાહેર કરી દેતા હતા. તેઓ આશ્રમની બહારના લોકોનો જ નહીં પણ અંદરના લોકોનો પણ એ જ રીતે ઉપયોગ કરતા હતા. ઓશોએ તેમના સમયના સૌથી પ્રતિભાશાળી લોકોને આકર્ષવા માટે ફાઇવ-સ્ટાર ગુરુની છબી બનાવી હતી. તેથી જ તેઓ 99 રોલ્સ રોયસ કારનો કાફલો, ફાઈવ સ્ટાર આશ્રમ, પ્રાઈવેટ જેટ, પોતાનું એરપોર્ટ વગેરે ઈચ્છતા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શા માટે ઓશો રજનીશ પર પુનર્વિચાર કરવો?</span></strong></span><br><span style="font-size: 14pt;">આજ આપણે રજનીશ પર પુનર્વિચાર કરવાની શું જરૂર છે? આના ત્રણ મોટા કારણો છે. પ્રથમ, આજે ભારતમાં ધર્મ અને ધાર્મિકતા સહિત સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના નામે એક મોટી ઠગાઈ ચાલી રહી છે, જેમાં ભારતના ગરીબ ખેડૂતો, મજૂરો અને ગ્રામીણ વર્ગો સાથે છેતરપિંડી થઈ રહી છે. બીજું કારણ, આજે સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને ભારતના ગરીબ લોકોમાં ગૌતમ બુદ્ધને લઈને જે નવી તૃષ્ણા પેદા થઈ છે, તે તરસને 'ઈશ્વર-આત્મા-પુનર્જન્મ'ની ઝેરી ત્રિમૂર્તિ દ્વારા નષ્ટ કરવાના પ્રયાસો તેજ થયા છે. અને તેની શરૂઆત થિયોસોફિકલ સોસાયટી દ્વારા કરવામાં આવી હતી અને સ્વયં ઓશો રજનીશે પોતે આ કાર્યને આગળ વધાર્યું હતું. રજનીશે જે રીતે બુદ્ધની વ્યાખ્યા કરી છે તેમાં બુદ્ધના મોંએથી સાશ્વત આત્મા અને પુ્નર્જન્મ સહિત ઈશ્વરની પણ પ્રશંસા કરવામાં આવી છે. ત્રીજું કારણઃ ઓશો રજનીશે બુદ્ધની અત્યાધિક પ્રશંસા અને ગાંધીજીની અતિશયોક્તિપૂર્વક નિંદા કરી હોવાથી દલિત-બહુજન સમાજ ઓશોની વ્યાખ્યાની જાળમાં સરળતાથી ફસાઈ રહ્યો છે. આ કારણથી સમગ્ર ભારતમાં એક ખાસ પ્રકારનું ધાર્મિક ધ્રુવીકરણ અને કોમવાદનું ઝેર ફેલાઈ રહ્યું છે. મારા મતે, આ ત્રણ પરિબળો ભારતના ગરીબ લોકોની પ્રગતિની સંભાવનાઓ સહિત ભારતની લોકશાહી માટે મોટા જોખમો લઈને આવે છે. તેથી જ ઓશોના પ્રમાણિક મૂલ્યાંકનની જરૂર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઓશો રજનીશની પોતાની સમજ અને શૈલી</span></strong></span><br><span style="font-size: 14pt;">ઓશોએ નાનપણથી જ વાર્તા કહેવાની અને લોકોના મનોવિજ્ઞાનનો ઉપયોગ કરવાની ટેકનિક શીખી લીધી હતી. તેમની આત્મકથા ‘ગ્લિમ્પ્સ ઑફ ગોલ્ડન ચાઇલ્ડહુડ’માં તેઓ જણાવે છે કે તેઓ લોકોના વર્તનનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને તેમને કેવી રીતે ફોસલાવવા, નારાજ કરવા, ખુશ કરવા વગેરે શીખી લીધું હતું. તેઓ આના દ્વારા ઘણાં ફાયદા પણ ઉઠાવતા હતા અને ઘણાં લોકોની મદદ પણ કરતા હતા. તેઓ લોકો સાથે ખૂબ જ છટાદાર અને મનમોહક ભાષામાં વાત કરવાનું શરૂઆતમાં જ શીખી ગયા હતા. તેઓ ખૂબ જ સારા વાચક હતા અને ઘણા પુસ્તકો ખૂબ જ ઝડપથી અને સ્પષ્ટ રીતે વાંચીને તેનો પોતાની વાર્તા કહેવાની શૈલીમાં ઉપયોગ કરતા હતા. તેથી જ તેમની આસપાસના લોકો પર તેમનો બૌદ્ધિક પ્રભાવ હતો. યુવાવસ્થામાં તેમણે તેમની આ કળાનો ખૂબ ફાયદો ઉઠાવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/when-gandhiji-arrived-to-meet-savarkar-he-was-frying-shrimp">ગાંધીજી સાવરકરને મળવા પહોંચ્યાં ત્યારે તેઓ ઝીંગા તળી રહ્યા હતા..</a></span></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેઓ પોતે કહે છે કે એકવાર તેમણે ડૉ. માનવેન્દ્રનાથ રોય સાથે વાત કરી હતી. ડો. રોય 1925માં ભારતમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના સ્થાપકોમાંના એક હતા. જોકે, રોય ભારતમાં વધુ સફળતા મેળવી શક્યા ન હતા. પછી ડૉ.રૉયની નિષ્ફળતા જોઈને તેમણે કહ્યું કે ભારતમાં કંઈ કરવું હોય તો એક પવિત્ર માણસ, ગુરુ કે બાબાની છબી બનાવવી પડે છે. તેમણે ગાંધીજીનું ઉદાહરણ આપતા કહ્યું કે ગાંધીજી ફકીર અને સન્યાસીની જેમ કામ કરતા રહ્યા, તેથી જ તેઓ સફળ થયા. ડો. રોયે તેમની વાત સાંભળી કે નહીં તે ખ્યાલ નથી, પરંતુ ઓશોએ પોતે વીસ વર્ષ સુધી આ ટેકનિકનો ઉપયોગ કર્યો. શરૂઆતમાં તેણે ખૂબ જ સાદો પોશાક પહેર્યો - સફેદ ચાદર અને ધોતી. એક પરંપરાગત સાધુનું જીવન જીવ્યા. પછી જેમ જેમ લોકો જોડાયા અને પૈસા આવવા લાગ્યા તેમ તેમ તેમણે પણ નવી ટેકનિકનો ઉપયોગ કર્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થોડા સમય પછી તેઓ ખૂબ જ વૈભવી અને મોંઘા વસ્ત્રો પહેરવાનું શરૂ કરે છે. તેઓ આ બધું વિદેશી લોકોને આકર્ષવા માટે કરે છે. તે સમયે બે વિશ્વ યુદ્ધો પછી થિયોસોફિકલ સોસાયટીએ ગૌતમ બુદ્ધના પુનર્જન્મનો માહોલ બનાવી દીધો હતો. શીતયુદ્ધના યુગમાં અમેરિકા અને યુરોપમાં હિપ્પી ચળવળ ચાલી રહી હતી. હિપ્પી યુવાનો અમીરી અને સુખ સાહ્યબીથી કંટાળીને એશિયાના ધર્મોનો સ્વાદ ચાખવા માંગતા હતા. તેમની પાસે ઘણા પૈસા હતા. આ લોકોને આકર્ષવા માટે ઓશોએ બૌદ્ધ ધર્મમાંથી ધ્યાન અને સમાધિ, વિલિયમ રીકની હ્યુમન પોટેન્શિયલ મૂવમેન્ટમાંથી કોન્શિયસ કૈથાર્સિસ, સાઈકોથેરાપી, ફ્રાયડીયન મનોવિજ્ઞાન વગેરે લઈને તેમાં રશિયન ગુરૂ ગુર્જિયેફની ગુર્જિયેફ મુવમેન્ટ અને ભારતના વજ્રયાન બૌદ્ધ તંત્રને મેળવીને એક નવો ફોર્મ્યુલા તૈયાર કર્યો. આ પ્રયોગો ખૂબ સફળ રહ્યા. તેની સફળતા તેમને સમગ્ર વિશ્વમાં પહોંચાડી દીધાં. પછી જ્યારે તેઓ ખૂબ જ સફળ અને શક્તિશાળી બની ગયા, ત્યારે તેમના જ આશ્રમમાં શિષ્યો વચ્ચે સમસ્યાઓ ઉભી થવા લાગી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નૈતિકતા અને તંદુરસ્ત ઉદાહરણનો અભાવ</span></strong></span><br><span style="font-size: 14pt;">ઓશોની વાતો ગમે તેટલી સફળ રહી હોય, તેમના શિષ્યો અને આશ્રમના સંચાલકો જાણતા હતા કે આ બધી વ્યૂહાત્મક ટેકનિકો છે. તે પોતાનું નામ, શૈલી, ભાષા, પહેરવેશ વગેરે ખૂબ સમજી વિચારીને બદલતા હતા. તેઓ 'સંભોગ સે સમાધિ' જેવા ટાઇટલ દ્વારા યુરોપની સેક્સથી ઉબાઈ ચૂકેલી યુવા પેઢી સાથે ભારતના સેક્સ ભૂખ્યા લોકોને એક સાથે પકડી લેતા હતા. તેમની આક્રમક મીડિયા વ્યૂહરચના ધીમે ધીમે તેમના પર ભારે પડવા લાગી. જેમ જેમ તેઓ બીમાર અને નબળા પડતા ગયા તેમ તેમ તેમના શિષ્યો વચ્ચે મોટા ઝઘડા અને વિવાદ થવા લાગ્યા. આશ્રમની પ્રોપર્ટી અને કોપીરાઈટને લઈને હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/gandhiji-representative-personality-of-kind-hearted-golden-mentality-towards-dalits">ગાંધીજીઃદલિતો પ્રત્યે 'કૃપાળુ-માયાળુ' સવર્ણ માનસિકતાનું પ્રતિનિધિ વ્યક્તિત્વ</a></span></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમે બુદ્ધ, મહાવીર અને ઈસુના જીવનને જુઓ. તેઓ હંમેશા તેમના જીવનમાં સર્વોચ્ચ નૈતિક આચરણ કરીને બતાવે છે. તેઓ ક્યારેય તેમના શબ્દો અથવા વર્તનથી કોઈને લલચાવવાનો કે લૂંટવાનો પ્રયાસ કરતા નથી. બુદ્ધે તો રાજમહેલને પણ લાત મારી. બુદ્ધ અને મહાવીર સાધુ જીવન જીવતા અને સામાન્ય રોગોથી સામાન્ય માણસની જેમ મૃત્યુ પામ્યા. ઈસુ ખ્રિસ્તે તેમના શિષ્યોને સંકટ સમયે એકલા છોડ્યા ન હતા. તેમને ભાગવા માટે કહેવામાં આવ્યું હતું, પણ તેઓ ભાગ્યા નહોતા અને ધરપકડ વહોરીને વધસ્તંભે ચડી ગયા હતા. એ જ રીતે કબીર, નાનક, ગુરુ અર્જુનદેવ અને રૈદાસનું જીવન છે, તેમણે સર્વોચ્ચ નૈતિક આચરણ દર્શાવ્યું. આ કારણોસર બુદ્ધ, મહાવીર, જીસસ, કબીર અને નાનક પછી, કરુણાવાન અને નૈતિક શિષ્યોની ફૌજ ઊભી થઈ. એ જ લોકોએ તેમની ચળવળને આગળ વધારી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઓશોનું આંદોલન આજે ક્યાં છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">આ બધાંની સામે આજે ઓશોનું આંદોલન લગભગ સમાપ્ત થઈ ગયું છે. ઓશોના પોતાના વર્તનમાં નૈતિકતા અને શુચિતાની સાથે સહજ માનવીય કરુણાનો અભાવ હતો. તેથી જ તેમના શિષ્યોમાં નૈતિકતા તો છોડો, સામાન્ય સામાજિક શિષ્ટાચાર પણ વિકસિત થઈ શક્યો નહીં. તેઓ ભારતના ગરીબ ખેડૂતો, મજૂરો અને ગ્રામજનોને મૂર્ખ, અધાર્મિક, કુંઠિત વગેરે કહેતા રહ્યા અને તેમની સાથે ક્યારેય જોડાઈ ન શક્યા. તેમણે ભારતના ગરીબોની સામાજિક-આર્થિક અને રાજકીય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત અને સામાજિક નૈતિકતાને ઉપર ઉઠાવવાનો કોઈ પ્રયાસ નહોતો કર્યો. આ કારણોસર ઓશો અને ઓશોના શિષ્યોમાં ન કોઈ મોટી નૈતિકતા જન્મી કે ન મોટી કોઈ પ્રતિભા જન્મી. જ્યારે ગુરુનું જ આચરણ વિચિત્ર હતું તો શિષ્યોમાં સારી પ્રેરણા ક્યાંથી આવે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><em><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>(ડૉ. સંજય જોઠેનો આ લેખ હિન્દીમાં પ્રકાશિત થયો હતો, જેનો આ ગુજરાતી અનુવાદ છે.)</strong></span></em></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/rss-says-there-is-no-untouchable-in-hindu-scriptures-then-what-is-there-in-manusmriti">RSS કહે છે હિંદુ ધર્મગ્રંથોમાં કોઈ 'અછૂત' નથી, તો પછી 'મનુસ્મૃતિ' માં શું છે?</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 13 Dec 2024 09:01:00 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 13 Dec 2024 09:43:16 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1694</Articleid>
                    <excerpt>રજનીશે બુદ્ધની અત્યાધિક પ્રશંસા અને ગાંધીજીની અત્યંત નિંદા કરી છે, એટલે દલિત-બહુજન સમાજ ઓશોની વ્યાખ્યાઓની જાળમાં આસાનાથી ફસાતો જઈ રહ્યો છે. પણ હવે સમય પાકી ગયો છે કે...</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675b3e0b8d590.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675b3e0b5103f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675b3e0b5103f.jpg" length="107703" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>osho rajneesh, dalit bahujan community, reconsider</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઈચ્છામૃત્યુના નિર્ણયનો અધિકાર કોને હોવો જોઈએ?</title>
                    <link>https://khabarantar.com/who-should-have-the-right-to-decide-on-euthanasia-in-india-gujarati</link>
                    <guid>https://khabarantar.com/who-should-have-the-right-to-decide-on-euthanasia-in-india-gujarati</guid>
                    <description>
                        <![CDATA[ ઈન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૯માં આત્મહત્યાનો પ્રયાસ દંડનીય અપરાધ હતો પરંતુ નવી ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩માં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span><br><span style="font-size: 14pt;">ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે એકાદ મહિના પહેલાં ઈચ્છામૃત્યુ અંગે માર્ગદર્શિકાનો મુસદ્દો જાહેર કર્યો હતો અને લોકોના સૂચનો માંગ્યા હતા. એટલે ઈચ્છામૃત્યુના કાનૂની, નૈતિક, તબીબી અને ભાવનાત્મક પાસાંની ફરી એકવાર ચર્ચા ઉઠી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગ્રીક વાક્યાંશ યૂ થાનાટોસ પરથી યુથેનેશિયા (ઈચ્છામૃત્યુ) શબ્દ ઉતરી આવ્યાનું કહેવાય છે. જેમાં યૂ નો અર્થ સારું અને થાનાટોસનો અર્થ મૃત્યુ થાય છે. ઈચ્છામૃત્યુ એટલે આસાન, સરળ કે પોતાની મરજીથી મોત. સત્તરમી સદીમાં ફ્રાન્સિસ બેકને આ શબ્દનો પ્રથમ વખત ઉપયોગ કર્યો હતો. ભારતસહિત આખી દુનિયામાં ઈચ્છામૃત્યુની અવારનવાર માંગ ઉઠે છે અને ચર્ચા થાય છે. વિશ્વના બહુ થોડા દેશોએ ઈચ્છામૃત્યુની શરતી કે બિનશરતી, પૂર્ણ કે અંશત: મંજૂરી આપી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુંબઈની એક હોસ્પિટલમાં વિનયભંગનો ભોગ બનેલાં નર્સ અરુણા શાનબાગ બેતાળીસ વરસો સુધી બેહોશીની અવસ્થામાં જીવતાં (?) હતાં. તેમનાં ઈચ્છામૃત્યુની માંગ દેશની સર્વોચ્ચ અદાલત સુધી કરવામાં આવી હતી. સંતાનવિહોણા વૃધ્ધ, અશક્ત અને બીમાર દંપતીઓ પણ આવી માંગ કરતા હોય છે. એક બુઝુર્ગ દંપતીએ અગિયાર વરસથી ગંભીર રીતે અચેત અને પથારીવશ પુત્રના ઈચ્છામૃત્યુની માંગણી કરી હતી. નળી વાટે ખોરાક અપાતો રહે અને દિવસો કાઢે તેવા દર્દીઓ પણ ઈચ્છામૃત્યુ ચાહે છે. ઉત્તરપ્રદેશની ટ્રાયલ કોર્ટના મહિલા જજ વર્કપ્લેસ પર યૌન શોષણથી એ હદે ત્રસ્ત હતાં કે તેમણે સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસને પત્ર લખી  ઈચ્છામૃત્યુની  યાચના કરી હતી. અન્યાય અત્યાચારોનો ભોગ બનેલા દલિત-આદિવાસી ઘણીવાર સરકાર સમક્ષ ન્યાય આપો કે મોત આપોની માંગ કરે છે.  મારું શરીર અને મારી મરજી કે મારી ઈચ્છા મહત્વની કે સરકારનો કાયદો?  એવા તર્ક પણ  ઈચ્છામૃત્યુની ચાહત રાખનાર આપતા હોય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/gujarati-translation-of-an-article-written-by-rahul-gandhi">કોઈ મસીહા કે અવતારની જરૂર જ નથી, તમે જ પરિવર્તનના વાહકો છો</a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં ઈચ્છામૃત્યુની અનુમતિ આપતો કોઈ કાયદો નથી.સર્વોચ્ચ અદાલતે  ૨૦૧૮માં કેટલીક શરતો સાથે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની મંજૂરી આપી હતી. ૨૦૨૩માં તેમાં સુધારો કરી પ્રક્રિયાને વધુ સરળ બનાવી હતી. બંધારણના અનુચ્છેદ ૨૧નો હવાલો આપીને અદાલતે કહ્યું હતું કે  જીવનના અધિકારમાં ગરિમાપૂર્ણ મોતનો અધિકાર પણ સામેલ છે. એટલે તેણે ઈચ્છામૃત્યુની માંગ સ્વીકારીને તે અંગેના દિશાનિર્દેશો આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે સરકારને આ અંગેનો કાયદો ઘડવા વિનંતી કરી હતી. કેન્દ્રે કાયદા પંચને કાયદાની વ્યવહાર્યતા પર વિચાર કરવા સૂચવ્યું હતું. તેના અનુસંધાને લો કમિશને અસાધ્ય રીતે બીમાર માટે તબીબી ઉપચાર (દર્દી અને ડોકટરોનું સંરક્ષણ) વિધેયક, ૨૦૦૬ તૈયાર કર્યું હતું. પરંતુ હજુ તે ચર્ચામાં આવ્યું નથી. એટલે જ્યાં સુધી સંસદ આ અંગેનો કાયદો ના ઘડે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય જ કાયદો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સક્રિય ઈચ્છામૃત્યુની ભારતમાં અનુમતિ નથી. તબીબી વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિ કે અન્ય જાણીબૂઝીને સભાન રીતે દર્દીને ઘાતક ઈન્જેકશન આપે કે જેનાથી તેનું મરણ થાય તે સક્રિય ઈચ્છામૃત્યુનો પ્રકાર છે. જ્યારે સુપ્રીમ કોર્ટે  નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની જ મંજૂરી આપી છે. જેમાં ડોકટરને અને પરિવારને ખાતરી હોય કે દર્દીના રોગનો હવે કોઈ ઈલાજ નથી અને જીવન રક્ષક પ્રણાલીથી માત્ર દર્દીની પીડા વધી રહી છે કે જિંદગીના થોડા કલાકો કે દિવસો વધી રહ્યા છે પરંતુ તેમના જીવવાના જરાય ચાન્સ નથી. એટલે દર્દીની લાઈફ સપોર્ટ સિસ્ટમ હઠાવી લેવી કે વધુ તબીબી સારવાર બંધ કરવી તે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ છે. સુપ્રીમ કોર્ટે મંજૂરી આપતાં ચુકાદામાં કહ્યું હતું તેમ ડોકટર કોઈને સક્રિય બની મારી નાંખતા નથી પરંતુ તેને બચાવવાના પ્રયાસો અટકાવી દે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિષ્ક્રિય ઈચ્છામૃત્યુનો નિર્ણય મેડિકલ , પેથિકલ અને લીગલ બાબતોને ધ્યાનમાં રાખીને લેવાનો હોય છે. આ નિર્ણયને કારણે દર્દીને અસહ્ય દર્દ અને પીડાથી મુક્તિ મળી શકે છે. પરિવારના સભ્યોનો માનસિક તણાવ પણ તેનાથી ઘટે છે. આર્થિક બાબતોનો પણ ખ્યાલ રાખીને આ નિર્ણય કરવામાં આવે છે.એટલે દર્દીને દવા અને સારવારનો કોઈ જ ફાયદો ના થવાનો હોય તો બિનજરૂરી આર્થિક અને ભાવનાત્મક બોજો વધારવાની જરૂર નથી.  જે તબીબી ઉપચારો જીવનને થોડું લંબાવે પણ મોતને ટાળી ન શકે તો મોત શું ખોટું?  એવી તરફદારોની દલીલ છે. સંસાધનો કે રિસોર્સિસની દ્રષ્ટિએ પણ આ બાબતનો વિચાર કરવો ઘટે. મર્યાદિત હેલ્થ રિસોર્સ ધરાવતા દેશમાં તેના સર્વશ્રેષ્ઠ ઉપયોગનો મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. જો કોઈ દર્દીના બચવાની કોઈ ઉમ્મીદ જ ન હોય તો તેની પાછળ સંસાધનો રોકી રાખવાને બદલે જેના બચવાની તક રહેલ છે તે દર્દી માટે આ સંસાધનો વપરાય તે વધુ યોગ્ય ગણાશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/fearful-mankind-longs-for-freedom-from-war-and-weapons-hear-anyone">ભયભીત માનવજાત યુદ્ધ-હથિયારોથી મુક્તિ ઝંખે છે, કોઈને સંભળાય છે?</a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માનવ જીવન અમૂલ્ય છે અને આયુષ્યની દોરી આમ ટૂંકાવી ના દેવી જોઈએ તેવા નૈતિક અને ધાર્મિક તર્ક ઈચ્છામૃત્યુના વિરોધમાં આપવામાં આવે છે. વળી આવા નિર્ણયનો દુરપયોગ થવાની પણ શક્યતાઓ જણાવાય છે.ખાસ કરીને સંતાનો જેમને બોજારૂપ ગણતા હોય તેવા ઘરડા માતા-પિતાના કિસ્સામાં કે મિલકતના ઝઘડાના કિસ્સામાં આવું બની શકે છે. તબીબો તેમના મેડિકલ પ્રોફેશનના એથિક્સનો મુદ્દો આગળ ધરે છે.ડોકટરી વ્યવસાય લોકોની જિંદગી બચાવવાનો છે. આખરી ક્ષણ સુધી તે દર્દીને બચાવવા મથે છે અને શક્ય તે તમામ ઉપચારો અજમાવે છે. જેનો વ્યવસાય જ જિંદગી બચાવવાનો કે લંબાવવાનો છે તે જીવન ટૂંકાવે કે જિંદગીના અંત માટે હા ભણે તે યોગ્ય નથી તેમ તબીબોને લાગે છે. પ્રોફેશનલ એથિક્સની દ્રષ્ટિએ વિચારતાં તેમની વાતમાં દમ છે. પરંતુ નાઈલાજ બીમારીના કિસ્સામાં આ નિર્ણય તેમણે કરવાનો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સના ડ્રાફટમાં ઈચ્છામૃત્યુનો નિર્ણય લેવાની જવાબદારી ડોકટરોના શિરે મુકવામાં આવી છે. તેનાથી તબીબી આલમમાં અસંતોષ અને વિરોધ ઉભો થયો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને  લાઈફ સપોર્ટ સિસ્ટમ હઠાવી લેવાના નિર્ણયની જવાબદારી ડોકટરોને આપી છે તેને અયોગ્ય ગણાવી છે. જોકે સરકારના મુસદ્દામાં દર્દીને બ્રેનસ્ટેમ ડેડ જાહેર કરાયો હોય, ડોકટરને પૂર્ણ તબીબી તપાસ પછી ખાતરી થાય કે વધુ ઈલાજનો કોઈ લાભ નથી, દર્દીના સગાવહાલા જીવન રક્ષક પ્રણાલી હઠાવવા કે સારવાર બંધ કરવા સંમત હોય અને લાઈફ સપોર્ટ સિસ્ટમ હઠાવવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ મુજબની હોય તો જ ડોકટરો નિષ્ક્રિય ઈચ્છામૃત્યુનો નિર્ણય કરે તેમ સ્પષ્ટ કર્યું છે. વળી સરકારના ડ્રાફ્ટમાં પ્રાઈમરી અને સમીક્ષા માટે સેકન્ડરી મેડિકલ બોર્ડની રચના કરીને નિર્ણય કરવા અને તમામ બાબતોમાં દર્દીના કુટુંબીજનોની સંમતિ  આખરી ગણવા જણાવ્યું છે. સરકાર લોકોના સૂચનો સામેલ કરેલી માર્ગદર્શિકા જાહેર કરે તેની પ્રતીક્ષા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકાર પાસે માર્ગદર્શિકાની નહીં કાયદાની અપેક્ષા છે. ઈન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૯માં આત્મહત્યાનો પ્રયાસ દંડનીય અપરાધ હતો પરંતુ નવી ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩માં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ઈચ્છામૃત્યુના કાયદાની દિશામાં આ બાબત નોંધપાત્ર છે. આધુનિક વિશ્વમાં  ઈચ્છામૃત્યુનો વિચાર પ્રાસંગિકતા પ્રાપ્ત  કરી રહ્યો હોય ત્યારે ભારત પણ તર્ક્સંગત અને માનવીય દ્રષ્ટિકોણ અપનાવે તે ઈચ્છનીય છે.</span><br><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><em><strong>(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)</strong></em></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/97.8-percent-of-woman-have-to-give-up-paid-work-for-the-family">97.8 ટકા મહિલાઓને પરિવાર માટે સવેતન કામ છોડવું પડે છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 12 Dec 2024 08:59:14 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1688</Articleid>
                    <excerpt>ઈન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૯માં આત્મહત્યાનો પ્રયાસ દંડનીય અપરાધ હતો પરંતુ નવી ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩માં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675a5688234c1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675a5687ddbbb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675a5687ddbbb.jpg" length="61726" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>euthanasia in india, right to decide, Passive euthanasia, Active euthanasia, Euthanasia legal, Euthanasia debate</media:keywords>
                </item>
                        <item>
                    <title>જેલમાં કેદીઓને કયા માનવ અધિકારો મળે છે?</title>
                    <link>https://khabarantar.com/what-human-rights-do-prisoners-receive-in-prison</link>
                    <guid>https://khabarantar.com/what-human-rights-do-prisoners-receive-in-prison</guid>
                    <description>
                        <![CDATA[ માણસ જન્મે છે ત્યારથી તેને અમુક કુદરતી અધિકારો પ્રાપ્ત થાય છે અને તે જેલમાં ગયા પછી પણ બદલાતા નથી. ચાલો જાણીએ જેલમાં માણસને કેવા અધિકારો મળી શકે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે જન્મ લે છે તેને જન્મ લેવાનાં કારણોસર જીવવાનો અધિકાર આપોઆપ પ્રાપ્ત થાય છે. માનવ સમાજના દરેક માનવ સભ્યના મૂળભૂત અધિકારો કોઈએ બક્ષેલી બક્ષિસ કે સવલત નથી પરંતુ આવા અધિકાર જન્મસિદ્વ છે. અને તેથી કોઈ વ્યકિત, સમાજ, સંગઠન કે સત્તાધીશને આ અધિકારો અટકાવવાની સત્તા નથી. કોઈ વ્યક્તિ ગુનો કરે છે ત્યારે તે માનવ તરીકે મટી જતો નથી. તેથી ગુનેગારોને કેદમાં રાખવામાં આવેલ છે. કોઈપણ વ્યક્તિ જેલવાસ દરમિયાન નિયમોની જોગવાઈ મુજબ નિયંત્રણ હેઠળ જીવન જીવતો હોવાના કારણસર મજબૂર હોઈ તેના માનવ અધિકારની જાળવણી પ્રત્યે વિશેષ કાળજી લેવાની આવશ્યકતા રહે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક સમય હતો જ્યારે કેદીઓને તુચ્છ ગણવામાં આવતા હતા અને તિરસ્કારની નજરે જોવામાં આવતા હતા. પરંતુ છેલ્લા કેટલાય સમયથી આંતરરાષ્ટ્રીય ફલક પર સુધારણાનો સૂરજ ઊગી રહેલ છે. સુધારણા ત્યારે જ શક્ય બને જ્યારે માનવ અધિકારની જાળવણી કરવામાં આવે એ દ્રષ્ટિએ જેલ સંચાલન, સુધારણા પ્રવૃત્તિઓ માનવ અધિકારની જાળવણીના તાણાવાણા વણાયેલા છે. એ માનવ અધિકારો જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કેદીઓ માટે સૂચવવામાં આવ્યા છે. તેનો આપણા બંધારણીય મૂળભૂત અધિકારોમાં સમાવેશ થયેલો જ છે. પ્રસંગોપાત્ત સર્વોચ્ચ અદાલત દ્વારા પણ આ બાબત પ્રસ્થાપિત થયેલી છે. ચાલો જાણીએ કેદીઓના મૂળભૂત માનવ અધિકાર શું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માનવીય ગરિમાની જાળવણીઃ</span></strong></span><br><span style="font-size: 14pt;">-કેદીની જેલમા દાખલ થવાથી મુક્તિ ગાળામાં કેદીની માવજત અને માનવીય ધોરણે ગરિમાની સાચવણી કરવી.</span><br><span style="font-size: 14pt;">-કેદીને માનસિક કે શારીરિક પીડા પહોંચે તેવો ક્રૂરતાભર્યો અને અપમાનજનક વ્યવહાર કરવો નહી.</span><br><span style="font-size: 14pt;">-કેદીઓ ઉપર સ્વબચાવ અને સલામતીનાં કારણો સિવાય બળનો ઉપયોગ કરી શકાશે નહીં.</span><br><span style="font-size: 14pt;">-જેલમાં દાખલ થતી વખતે કેદીને જેલના નીતિનિયમો તેમના હક્ક અને મળવાપાત્ર સવલત વગેરેથી વાકેફ કરવા.</span><br><span style="font-size: 14pt;">-રહેણાંક, આરોગ્ય, કપડાં અને બિસ્તર, ખોરાક અને કસરતની વ્યવસ્થા ધોરણસરની મળવી જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જેલમાં કેદીઓ સ્વાસ્થ્ય સબંધી અધિકારો</span></strong></span><br><span style="font-size: 14pt;">-આરોગ્યની જાળવણી કેદીના ખર્ચ વગરની નિષ્‍ણાત તબીબ દ્વારા હોવી જોઈએ.</span><br><span style="font-size: 14pt;">-તબીબી મહેકમ તાલીમબદ્વ હોવું જોઈએ.</span><br><span style="font-size: 14pt;">-જેલના તબીબી અધિકારી કેદીના જેલમાં દાખલ થવાથી મુક્તિ સુધી આરોગ્ય અંગે જવાબદાર રહેશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જેલ એ કેદીઓની સુરક્ષાની જગ્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">-કેદીઓનું જોખમના ધોરણે વર્ગીકરણ કરી, શક્ય હોય ત્યાં સુધી ઓછામાં ઓછી સલામતી વ્યવસ્થા હેઠળ રાખવો.</span><br><span style="font-size: 14pt;">-અંકુશ માટેનાં સાધનોનો ઉપયોગ કેદીને સજા આપવા કરી શકાશે નહીં.</span><br><span style="font-size: 14pt;">-કેદી પર શારીરિક કાર્યકારી અને સઘન સલામતી વ્યવસ્થા સંતુલિત હોવી જોઈએ.</span><br><span style="font-size: 14pt;">-જેલમાં સલામત વાતાવરણ હોવું જોઈએ.</span><br><span style="font-size: 14pt;">-જેલમાં પ્રેરણા, પ્રોત્સાહન અને શિસ્તમય વાતાવરણ હોવું જોઈએ.</span><br><span style="font-size: 14pt;">-જેલમાં શિસ્તપાલન કુદરતી ન્યાયના સિદ્વાંત અનુસાર હોવું જોઈએ.</span><br><span style="font-size: 14pt;"> </span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જેલમાં જીવનનો સદ્ઉપયોગ</span></strong></span><br><span style="font-size: 14pt;">જેલ જીવનનો મુખ્ય હેતુ કેદીનું સમાજમાં પુનઃસ્થાપન હોવો જોઈએ, કેદીઓની નીચે જણાવેલી જરૂરિયાતો પરિપૂણ થાય તે મુજબના કાર્યક્રમો હોવા જોઈએ.</span><br><span style="font-size: 14pt;">-કામ કરવાની ટેવ અને આવડત</span><br><span style="font-size: 14pt;">-શિક્ષણ અને તાલીમ.</span><br><span style="font-size: 14pt;">-શારીરિક શિક્ષણ અને તાલીમ.</span><br><span style="font-size: 14pt;">-ટૂંકાગાળા અને કાયમી મુક્તિ માટેની પૂર્વતૈયારી.</span><br><span style="font-size: 14pt;">-ધાર્મિક માન્યતાઓ ધરાવવાની અને પ્રાર્થના, સ્તુતિ કરવાની સ્વતંત્રતા.</span><br><span style="font-size: 14pt;">-જેલના કર્મચારી-અધિકારીઓએ દ્રષ્ટાંતરૂપ ફરજ અદા કરવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કેદીઓનો બહારની દુનિયા સાથે સંપર્ક </span></strong></span><br><span style="font-size: 14pt;">-જેલ સમાજનો એક ભાગ છે. કેદીઓ તેમનાં સગાં-સંબંધી-મિત્રો, કાયદાકીય સલાહકાર વગેરે સાથે પત્ર અને મુલાકાત દ્વારા સંપર્ક સાધી શકે છે.</span><br><span style="font-size: 14pt;">-કેદીઓ પુસ્તકો, વર્તમાનપત્રો વગેરે મેળવી શકશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જેલમાં કેદીઓની ફરિયાદ</span></strong></span><br><span style="font-size: 14pt;">-કેદીઓ પોતાની મુશ્કેલી રજૂ કરી શકે તે માટે યોગ્ય સ્થળ પર ફરિયાદ પેટી મૂકવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;">-એક ફરિયાદ પેટી નામદાર સેશન્સ કોર્ટના જજશ્રીની કચેરી તરફથી રાખવામાં આવી છે. જે કોર્ટ સ્ટાફ મારફત ખોલવામાં આવે છે. અને નામદાર સેશન્સ જજશ્રી દ્વારા નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;">-દરેક જેલ ઉપર એક ફરિયાદ પેટી મૂકવામાં આવી છે. જેમાં આવી ફરિયાદોનો નિકાલ જેલોના ઇન્સ્પેક્ટર જનરલશ્રીની કચેરી મારફત કરવામાં આવે છે. આ પેટીઓની ચાવી જેલોના ઇન્સ્પેક્ટર જનરલશ્રીની કચેરીના અધિકારી પાસે રહે છે. તેઓ દ્વારા પેટીમાંથી ફરિયાદોનો વહીવટી અધિકારી મારફત જેલોના ઇન્સ્પેક્ટર જનરલશ્રીના પરામર્શમાં રહી યોગ્ય નિકાલ કરવામાં આવે છે. જેલ વિજિટર્સ બોર્ડના સરકારી તેમ જ બિનસરકારી સભ્યો દર ત્રણ મહિને જેલની મુલાકાત લઈ કેદીઓની ફરિયાદ સાંભળી તેનો નિકાલ કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ખાસ પ્રકારના કેદીઓ સ્ત્રી કેદી</span></strong></span><br><span style="font-size: 14pt;">-પુરુષ આધિપત્યવાળા સમાજમાં સ્ત્રી કેદીઓ લઘુમતીમાં છે તેથી તેમની અવગણના ન થાય તેની કાળજી રાખવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;">-સ્ત્રી કેદીઓને પુરુષથી અલાયદા સ્ત્રી " Enclosure" માં રાખવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;">-સગર્ભા સ્ત્રી કેદીઓ તથા સ્તનપાન કરાવતી સ્ત્રી કેદીઓને વિશેષ આહાર, દૂધ, ટોનિક વગેરે</span><br><span style="font-size: 14pt;">આપવામાં આવે છે. તથા ગાયનેકોલોજિસ્ટની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;">-સ્ત્રી કેદી સાથે રહેલાં બાળકોને પણ વિશેષ આહાર, દૂધ, રમકડાં વગેરેની સગવડો પૂરી પાડવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;">-અમદાવાદ-વડોદરા-રાજકોટ જેલો ખાતે અલગ મહિલા જેલ બનાવવામાં આવી રહી છે. જેનું સંચાલન મહિલા સ્ટાફ દ્વારા કરવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">બધા કેદીઓ સાથે સમાન વ્યવહાર</span></strong><br><span style="font-size: 14pt;">બધા જ પ્રકારના માનવો જન્મે સ્વતંત્ર છે અને સમાન હક્કો ધરાવે છે.</span><br><span style="font-size: 14pt;">-દરેક કેદીને વિચારસરણી અને ધર્મની સ્વતંત્રતા છે. દરેક કેદીને ધાર્મિક વિચારસરણીની સ્વતંત્રતા છે.</span><br><span style="font-size: 14pt;">-જેલમાં જાતીય-પ્રાદેશિક ભેદભાવ ન હોવા જોઈએ.</span><br><span style="font-size: 14pt;">મૃત્યુદંડની સજાવાળા કેદીઃ</span><br><span style="font-size: 14pt;">-મૃત્યુદંડની શિક્ષાનો અમલ શક્ય તેટલી ઓછી તકલીફયુક્ત પદ્વતિથી કરવો જોઈએ.</span><br><span style="font-size: 14pt;">-મૃત્યુદંડની શિક્ષાના કેદી અને તેના કુટુંબની જરૂરિયાતો પ્રત્યે જેલના કર્મચારી, અધિકારીઓએ સંવેદનશીલતા દાખવવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સજા સિવાયના કેદીઓ</span></strong></span><br><span style="font-size: 14pt;">-ગુનેગારોનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ હોવાનું માનવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;">-જામીન પર છૂટવા તેમ જ જેલમાં અટકમાં રાખવાની કોર્ટ દ્વારા વિચારણા કરવાની કાર્યવાહી ત્વરાથી થવી જોઈએ.</span><br><span style="font-size: 14pt;">-પોતાનો બચવા કરવા કાયદાકીય સલાહકાર સાથે ગુપ્ત મુલાકાત કરી શકે.</span><br><span style="font-size: 14pt;">-યોગ્ય સમયમાં કેસ ચલાવવો જોઈએ અથવા મુક્તિ મળવી જોઈએ.</span><br><span style="font-size: 14pt;">-સજાવાળા કેદીઓથી અલગ રાખવા જોઈએ.</span><br><span style="font-size: 14pt;">-ખોરાક, કપડાં, બિસ્તરા, વાસણો અને વાંચનસામગી વગેરે પોતાના સ્રોતથી મેળવી શકે છે.</span><br><span style="font-size: 14pt;">જેલમાં સંચાલન અને સ્ટાફઃ</span><br><span style="font-size: 14pt;">-જેલનું સંચાલન લશ્કરી અને પોલીસ દળથી તદન અલગ રીતે સિવિલિયન સંસ્થા તરીકે હોવું જોઈએ.</span><br><span style="font-size: 14pt;">- કેદી, કેદીના સગાંસંબંધીઓ અને જેલ સ્ટાફ વચ્ચે વિશ્વાસનો સેતુ અકબંધ રહે તે જેલ તંત્રની સફળતા માટેની ચાવી છે.</span><br><span style="font-size: 14pt;">-જેલમાં જેલનો સ્ટાફ યોગ્ય રીતે તાલીમબદ્વ, સંસ્કારી અને માનવીય અભિગમવાળો હોય તે અતિઆવશ્યક છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">કાંતિલાલ પરમાર (લેખક સામાજિક કાર્યકર છે અને નવસર્જન ટ્રસ્ટ સાથે જોડાયેલા છે.)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/can-the-constitution-of-India-be-changed-by-the-force-of-majority">શું બહુમતીના જોરે ભારતના બંધારણને બદલી શકાય ખરું?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 11 Dec 2024 12:05:22 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1683</Articleid>
                    <excerpt>માણસ જન્મે છે ત્યારથી તેને અમુક કુદરતી અધિકારો પ્રાપ્ત થાય છે અને તે જેલમાં ગયા પછી પણ બદલાતા નથી. ચાલો જાણીએ જેલમાં માણસને કેવા અધિકારો મળી શકે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6759319ce5a26.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6759319cb56f8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6759319cb56f8.jpg" length="56271" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Human rights of prisoners, Human Rights Commission, Human Rights</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;માન્યવર&amp;apos; બનવું સહેલું છે, &amp;apos;બહેનજી&amp;apos; બનવું અઘરું છે</title>
                    <link>https://khabarantar.com/it-is-easy-to-be-a-kanshi-ram-but-it-is-difficult-to-be-a-mayawati-gujarati</link>
                    <guid>https://khabarantar.com/it-is-easy-to-be-a-kanshi-ram-but-it-is-difficult-to-be-a-mayawati-gujarati</guid>
                    <description>
                        <![CDATA[ સમાજમાં કામ કરતા ઘણાં સાથીદારો &#039;બહેનજી&#039; જેવા બનવા માંગે છે, પરંતુ &#039;માન્યવર&#039; જેવા બનવાની કોશિશ બહુ ઓછા લોકો કરે છે. આંદોલન સામે આ સૌથી મોટો પડકાર છે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય રાજનીતિમાં ગળાકાપ સ્પર્ધા, જીવલેણ સંઘર્ષ, કાવતરાં અને ચાલાકીનો દબદબો છે. અહીં અસંખ્ય હરીફો અને દુશ્મનો છે - આપણાં, અજાણ્યા, અંદરથી અને બહારથી પણ. આવી સ્થિતિમાં આજે બહેનજી કે તેમના જેવા કોઈ નેતાના વિકલ્પ તરીકે ઉભરી આવવું કોઈપણ માટે અત્યંત મુશ્કેલ લાગે છે. આ સ્થાને પહોંચવા માટે વ્યક્તિએ આખું જીવન સંઘર્ષમાં પસાર કરવું પડે છે, અને તો જ કેટલીક શક્યતાઓ પેદા થઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1977 થી તેમના સંઘર્ષ અને યોગ્ય સમયે સચોટ નિર્ણય લેવાની તેમની અદ્વિતીય ક્ષમતાના બળ પર બહેનજી (માયાવતી) એ તમામ વિરોધીઓ અને અવરોધોને પાર કર્યા અને આજે બહુજન રાજકારણમાં ટોચ પર પહોંચી ગયા છે. તેમના હરીફો પણ તેમના સંઘર્ષના વખાણ કરે છે. તેમના નેતૃત્વની વિશેષતા એ છે કે તેમણે તેમના અંગત અને રાજકીય જીવનમાં સતત પડકારોનો સામનો કર્યો અને તેને હરાવ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માન્યવર કાંશીરામ બનવું કેમ સરળ છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેનાથી વિપરીત, માન્યવર કાંશીરામ બનવું પ્રમાણમાં સરળ છે. અહીં કોઈ સીધો હરીફ નથી - ન બહારથી, ન અંદરથી. તેમજ કોઈ જીવલેણ સંઘર્ષ પણ કરવો પડતો નથી. મિશનનું મેદાન ખાલી છે, જ્યાં માત્ર દ્રઢ નિશ્ચય, ત્યાગ, બલિદાન, સમર્પણ અને અસરકારક કાર્ય યોજનાની મદદથી તમે એ મુકામ સુધી પહોંચી શકો છો જ્યાં માન્યવર સાહેબ કાંશીરામ પહોંચ્યા હતા. તેમનું વ્યક્તિત્વ એવું છે કે જે કોઈપણ એકવાર તેમના વિચારો સાથે જોડાય છે, તે હંમેશને માટે તેમના મિશનનો હિસ્સો બની જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'માન્યવર' બનવા માટે બીજા કોઈ સાથે સ્પર્ધા કરવાની જરૂર નથી. તે સંપૂર્ણપણે પોતાના પર જીત મેળવવાનો મામલો છે. જ્યારે 'બહેનજી' બનવા માટે વ્યક્તિએ ન માત્ર પોતાની જાતને મજબૂત બનાવવી પડે છે, પરંતુ હજારો-લાખો પ્રતિસ્પર્ધીઓને પણ પછાડવા પડે છે. આ તાકાત અને વ્યૂહરચનાનો ખેલ છે, જેમાં વિરોધીને નબળો પાડીને જ જીત મેળવી શકાય છે. રાજકારણનું આ એક મોટું સત્ય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજકારણ અને મિશનની વાસ્તવિકતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં રાજકારણ હવે સામ, દામ, દંડ, ભેદ અને છળકપટનું પર્યાય બની ગયું છે. આમાં દરેક પગલે ષડયંત્ર અને ચાલાકીથી આગળ વધવું પડે છે. પરંતુ મિશનનો માર્ગ આનાથી અલગ છે. મિશનમાં કોઈને હરાવીને આગળ વધવાની ફરજ નથી. તે એક સ્પર્ધા-મુક્ત પ્રક્રિયા છે, જ્યાં સ્વ-વિકાસ અને સામાજિક પરિવર્તન માટે કામ કરવાનું હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'માન્યવર' કાંશીરામ સાહેબ મિશનનું પ્રતીક છે, જ્યારે 'બહેનજી' સંગઠનની સંરચનાનું પ્રતિનિધિત્વ કરે છે. બંને એકબીજાના પૂરક છે. 'માન્યવર' વિના 'બહેનજી' બની શકવું લગભગ અશક્ય છે, કારણ કે માન્યવરે એ મિશનનો પાયો નાખ્યો છે, જેના વિના સંગઠનાત્મક રાજકારણનું માળખું ઊભું રહી શકે નહીં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પાઠ અને પડકાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિડંબના એ છે કે સમાજમાં કામ કરતા ઘણા સાથીદારો 'બહેનજી' જેવા બનવા માંગે છે, જ્યારે 'માન્યવર' જેવા બનવાની કોશિશ બહુ ઓછા લોકો કરે છે. આંદોલન સામે આ સૌથી મોટો પડકાર છે. માન્યવર જેવા બન્યા વિના બહેનજી બનવું અશક્ય છે. એ ત્યાં સુધી કે બહેનજી પોતે પણ કોઈને રાજકારણના શિખર સુધી ન પહોંચાડી શકે, કારણ કે તેઓ પોતે સાહેબ નથી.</span><br><span style="font-size: 14pt;">તેથી, એ જરૂરી છે કે આપણે સૌથી પહેલા 'માન્યવર' બનવાના માર્ગને સમજીએ, કારણ કે ત્યાંથી જ નેતૃત્વની સાચી શરૂઆત થાય છે. મિશન અને રાજનીતિના આ સત્યને જેટલું જલ્દી સ્વીકારવામાં આવશે તેટલું બહુજન આંદોલન માટે સારું રહેશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>ડૉ. રાજકુમાર</strong></span> <span style="font-size: 12pt;"><em><strong>(લેખક દિલ્હી યુનિવર્સિટીની દયાળસિંહ કૉલેજમાં ભણાવે છે.)</strong></em></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/babasaheb-is-theoretical-manyavar-is-practical"> બાબાસાહેબ થિયરી છે તો માન્યવર પ્રેક્ટિકલ છે</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 08 Dec 2024 11:48:34 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 08 Dec 2024 11:50:37 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1669</Articleid>
                    <excerpt>સમાજમાં કામ કરતા ઘણાં સાથીદારો &#039;બહેનજી&#039; જેવા બનવા માંગે છે, પરંતુ &#039;માન્યવર&#039; જેવા બનવાની કોશિશ બહુ ઓછા લોકો કરે છે. આંદોલન સામે આ સૌથી મોટો પડકાર છે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6755323276a42.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6755323244a9f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6755323244a9f.jpg" length="82497" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>manyavar kanshiram, mayawati, BSP</media:keywords>
                </item>
                        <item>
                    <title>97.8 ટકા મહિલાઓને પરિવાર માટે સવેતન કામ છોડવું પડે છે</title>
                    <link>https://khabarantar.com/97.8-percent-of-woman-have-to-give-up-paid-work-for-the-family</link>
                    <guid>https://khabarantar.com/97.8-percent-of-woman-have-to-give-up-paid-work-for-the-family</guid>
                    <description>
                        <![CDATA[ ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનનો રિપોર્ટ ભારતમાં મહિલાઓની શ્રમબળમાં ભાગીદારી કેમ ઘટી રહી છે તેનો વિસ્તૃત ચિતાર આપે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિશ્વ બેન્કના અહેવાલ પ્રમાણે ભારતના પુરુષોની શ્રમબળમાં ભાગીદારી ૧૯૯૦માં ૮૪ ટકા અને ૨૦૧૯માં ૭૬ ટકા હતી. જોકે મહિલાઓની ભાગીદારી ૧૯૯૦માં ૩૦ ટકા, ૨૦૦૫માં ૩૨ ટકા અને ૨૦૧૯માં ૨૧ ટકા જ હતી. દેશમાં મહિલાઓની વસ્તી આશરે ૪૮.૫ ટકા છે. પરંતુ ૧૫ વરસથી ઉપરની ૨૫ ટકા મહિલાઓને જ સવેતન કામ મળે છે અને તેમાં સતત ઘટાડો થતો રહે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શ્રમબળમાં મહિલાઓની ભાગીદારીની વૈશ્વિક ટકાવારી  પચાસ છે જ્યારે ભારતમાં તેનાથી અડધી જ છે. ભારતમાં આજે મહિલાઓની વર્કફોર્સમાં જે ૨૧ થી ૨૫ ટકા ભાગીદારી છે તે અમેરિકામાં સો વરસો પહેલાં ૧૯૨૦માં હતી. અર્થાત સદી પૂર્વેના અમેરિકાની સ્થિતિએ ભારત છે. આજના ભારતની મહિલાઓની શ્રમશક્તિમાં ભાગીદારીનો દર વિયેટનામથી અડધો જ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતાં પણ ભારતની મહિલાઓ વર્કફોર્સમાં ઓછી છે. આ સઘળી વિગતો દર્શાવે છે કે મહિલાઓની શ્રમબળ ભાગીદારીમાં આપણે કેટલા પાછળ છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આશરે ૧૨ ટકા ભારતીય મહિલાઓને લગ્નના કારણે નોકરી, કામ કે રોજી છોડવી પડતી હોવાનું તાજેતરના વલ્ડ બેન્કના સાઉથ એશિયા મેરેજ અપડેટમાં જણાવ્યું છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ ‘ધ ઈમ્પેક્ટ ઓફ કેર રિસ્પોન્સિબિલિટીઝ ઓફ વિમેન્સ લેબર પાર્ટીસિપેટન્સ’  પ્રમાણે ભારતની ૫૩ ટકા મહિલાઓ લગ્ન પછી પતિ, બાળકો અને વડીલોની સારસંભાળની જવાબદારીને કારણે  શ્રમબળની બહાર ધકેલાય છે. કેરિયર અને કુટુંબમાંથી એકની પસંદગી કરવાની થાય છે ત્યારે ૯૭.૮ ટકા મહિલાઓને પરિવારની જવાબદારી નિભાવવા તે જે સવેતન કામ કરે છે તેને છોડવું પડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લગ્ન અને બાળકોની દેખભાળ ઉપરાંતનાં ઘણાં પરિબળો મહિલાઓને શ્રમબળની બહાર રહેવાની ફરજ પાડે છે. આપણી પિતૃસત્તાત્મક સામાજિક-સાંસ્કૃતિક બાંધણીમાં જ મહિલાઓનું સ્થાન ઘરમાં માનવામાં આવે છે.સામંતી, સંકીર્ણ અને લિંગભેદી સમાજમાં મહિલાઓ વગર પૈસે ઘરનું  કામ કરે અને પુરુષો બહાર કમાવા જાય તેવી માન્યતા અને પરંપરા છે. બહારના કામો માટે પુરુષોને અને ઘરના કામો માટે મહિલાઓને સીમિત રાખી છે. ઘરની મહિલા કમાવા બહાર જતી હોય તો તેનું કારણ ઘરની આર્થિક હાલત નબળી હોવી કે સ્ત્રીનું ચારિત્ર્ય સારું નહીં હોવાની વ્યાપક માન્યતા ઘર કરી ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શ્રમબળમાં મહિલાઓની ઓછી ભાગીદારીનું એક મહત્વનું પરિબળ અસલામત કાર્યસ્થળો છે. મોડીરાત સુધી કે પાળી પધ્ધતિમાં કામ કરવા માટેના સાનુકૂળ વાતાવરણનો અભાવ અને કાર્યસ્થળે થતી અનેક પ્રકારની સતામણી પણ મહિલાને કામથી દૂર રાખે છે. કામના સ્થળો દૂર આવેલા હોય તો જાહેર પરિવહનનો અભાવ કે તે અસુરક્ષિત હોવાનું પરિબળ મહિલાઓને વર્કફોર્સની બહાર કરે  છે. એક સર્વે મુજબ અર્ધી આબાદીની અડધી મહિલાઓને એકલા ઘરની બહાર આવવા-જવાની છૂટ નથી.પચાસ ટકા મહિલાઓ ઘરનું કરિયાણું લેવા પણ એકલી જઈ શકતી નથી.  સગવડયુક્ત માળખાકીય સવલતો અને કાર્યસ્થળે જવા-આવવાના પરિવહનનો અભાવ મહિલાઓ માટે મોટો પડકાર છે. જે તેમને સવેતનિક કામોથી વંચિત રાખે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કૃષિકામોમાં યંત્રોના વધેલા વપરાશે પણ મહિલાઓને ખેતમજૂરીથી વંચિત કરી છે. જો મહિલા કમાતી હશે તો તે આર્થિક રીતે પગભર હશે એટલે ઘરમાં તેનું ધાર્યું થશે કે તે કોઈને ગાંઠશે નહીં તેવો ખોટો ડર ઉભો કરવામાં આવ્યો છે. એટલે ઘણાં શહેરી-શિક્ષિત કુટુંબો પતિ-પત્ની બંને કમાતાં હશે તો જીવન ધોરણ ઊંચું હશે તેને બદલે મહિલાને ઘરમાં રાખવાને પ્રાથમિકતા આપે છે. ૧૯૪૭માં આઝાદીની સાથે જ પુરુષોના જેટલો મતનો અધિકાર મહિલાઓને મળ્યો છે અને તેનો બરાબર અમલ થાય છે. મહિલાઓ પુરુષો કરતાં વધુ મતદાન કરે છે એવું પણ બને છે. પરંતુ દેશના શ્રમબળમાં પુરુષોના જેટલી જ મહિલાઓની ભાગીદારી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સશક્ત અને સુરક્ષિત શ્રમશક્તિ શ્રમબળમાં મહિલાઓની બરાબરીની ભાગીદારીથી જ ઊભી થઈ શકે છે.એટલે સરકારે અને સમાજે શ્રમબળમાં મહિલાઓની ભાગીદારી વધારવાના પ્રયાસો કરવા પડશે. બાળઉછેર અને વડીલોની સારસંભાળ મહિલાઓની ચિંતાનો વિષય છે કે તે જ વધુ સારી રીતે નભાવી શકે છે તે માનસિકતામાં બદલાવ આવવો જોઈએ. હાલમાં માંડ એક ટકો પુરુષો જ બાળકોની દેખભાળ માટે સવેતન કામ છોડે છે તે યોગ્ય નથી. વળી સ્ત્રી-પુરુષ બંને કામ કરે અને છતાં બાળકો અને વૃધ્ધોની દેખભાળ થઈ શકે તેવી સવલતો ઉભી થવી જોઈએ. સુલભ અને સલામત ઘોડિયાઘર, બાલવાડી, સારસંભાળ કેન્દ્રો અને વૃધ્ધાશ્રમો હોવાં જોઈએ. જે દેશો તેમના જીડીપીનો ૧ ટકો અર્લી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન (ઈસીસીઈ)માં  ખર્ચે છે તે દેશોની ઓછી મહિલાઓ કામ છોડે છે.ભારતે પણ આ દિશામાં વિચારવું પડશે. જો આપણે બાળકો, બીમાર અને વૃધ્ધોની દેખભાળની વ્યવસ્થા વિકસિત કરી શકીશું તો શ્રમબળમાં મહિલાઓ વધશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાર્યસ્થળે પહોંચવાનો પડકાર મહિલાઓને કામથી વંચિત કરે છે તેના નિવારણ માટે મહિલાઓને વાહન ચલાવવા-ખરીદવા પ્રોત્સાહિત કરવાની જરૂર છે. વિમેન્સ ફ્રેન્ડલી વાહનોનું ઉત્પાદન, વાહન ખરીદવા સસ્તા વ્યાજ દરની સરળ લોન વ્યવસ્થા, કેટલાક કરવેરામાં રાહત, સરળતાથી ડ્રાઈવિંગ લાઈસન્સની ઉપલબ્ધિ  જેવાં પગલાં લઈ શકાય.સલામત રહેઠાણો અને સુરક્ષિત કાર્યસ્થળોને પ્રાથમિકતા આપવી જોઈએ. પિતૃસત્તાની બેડીઓથી મહિલાઓ મુક્ત રહે તે માટે છોકરા-છોકરી વચ્ચેનો ભેદ અને પૂર્વગ્રહ બાળપણથી જ પેદા ના થાય તેનું ધ્યાન રાખવું. ઘરના અને બહારના કામોના કાર્યવિભાજનમાં રહેલો લિંગભેદ દૂર કરવો જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેટલાક અર્થશાસ્ત્રીઓ કાર્યબળમાં મહિલાઓના અલ્પ પ્રમાણને સ્વીકારતા નથી. તેઓ ઓછા પ્રમાણ માટે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની શ્રમની વ્યાખ્યાને જવાબદાર માને છે. આઈ. એલ. ઓ ની શ્રમની પરિભાષામાં વેતન અને આર્થિક લાભ મળતા હોય તે કામોનો જ સમાવેશ થાય છે. ભારતની મહિલાઓ જીવતર આખું  રસોઈ, ઘરકામ, પશુઓની દેખભાળ કે ખેતીનાં કામો વગર પૈસે કર્યા કરે છે. આ કામોના બદલામાં તેમને કોઈ આર્થિક ચુકવણું થતું નથી કે આવા કામોની કદી કોઈએ આર્થિક ગણતરી કરી  નથી. એટલે ભારતની મહિલાઓના આવા વૈતરાં વાજબી રીતે શ્રમબળની બહારના ગણાય છે. પરંતુ તેથી વર્કફોર્સમાં તેમનું પ્રમાણ વધુ છે તેવું પ્રતિપાદિત કરી શકાય નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના અગ્રણી ગીતા ગોપીનાથનું માનવું છે કે મહિલાઓની શ્રમશક્તિમાં ભાગીદારી વધાર્યા સિવાય ભારતની આર્થિક આકાંક્ષા પૂર્ણ થઈ શકે તેમ નથી. વિશ્વની ત્રીજી આર્થિક વ્યવસ્થા બનવા માટે વર્કફોર્સમાં મહિલા ભાગીદારીનો હાલનો દર બમણો હોવો જોઈએ.મહિલાઓના કામ અંગેના જે પુરુષ કેન્દ્રી સામાજિક-પારિવારિક-સાંસ્કૃતિક વિચારો છે તે બદલવા પડશે. વળી મહિલાઓ સવેતનિક કામ માટે તૈયાર છે તો નવી રોજગારીની તકો સર્જવાની જરૂર રહેશે. દેશની પ્રગતિનો આધાર મહિલાઓની પ્રગતિમાં રહેલો છે તે બાબત નીતિનિર્માતાઓ એ બરાબર સમજી લેવી પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">maheriyachandu@gmail.com<em><span style="font-size: 12pt;"><strong>(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)</strong></span></em></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/if-taj-mahal-is-history-where-is-the-history-of-its-sculptors">તાજમહેલને ઈતિહાસ ગણીએ તો તેના શિલ્પીઓનો ઈતિહાસ ક્યાં છે?</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 04 Dec 2024 14:17:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1648</Articleid>
                    <excerpt>ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનનો રિપોર્ટ ભારતમાં મહિલાઓની શ્રમબળમાં ભાગીદારી કેમ ઘટી રહી છે તેનો વિસ્તૃત ચિતાર આપે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6750169abbf41.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6750169a88b08.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6750169a88b08.jpg" length="94211" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>International Labor Organization report, Women in the workforce</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહીની અસલિયત</title>
                    <link>https://khabarantar.com/the-reality-of-internal-democracy-in-political-parties</link>
                    <guid>https://khabarantar.com/the-reality-of-internal-democracy-in-political-parties</guid>
                    <description>
                        <![CDATA[ ભારતમાં રાજકીય પક્ષો ચૂંટણી ટાણે લોકશાહીની દુહાઈ દેતા હોય છે. પરંતુ તેમના ખુદના પક્ષમાં આંતરિક લોકશાહીની વાસ્તવિકતા શું છે? વાંચો વરિષ્ઠ પત્રકાર-રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયાનો આ લેખ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>ચંદુ મહેરિયા</strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જુલાઈ, ૨૦૨૨માં આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીને વાય. એસ. આર. કોંગ્રેસ (યુવજન શ્રમિક રાયથ કોંગ્રેસ)ના આજીવન પ્રમુખ ઘોષિત કરવામાં આવ્યા હતા. આ બાબત લોકશાહીને હાનિકારક છે એમ કહીને ઈલેકશન કમિશને નારાજગી વ્યક્ત કરી હતી. અગાઉ બાળાસાહેબ ઠાકરેની શિવસેના અને માયાવતીની બહુજન સમાજ પાર્ટીને પણ ચૂંટણી પંચે પક્ષના સંગઠનની વરસોથી કોઈ ચૂંટણીઓ ના યોજવા બદલ ટપારી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યોના મુખ્ય મંત્રીઓની પસંદગી ચૂંટાયેલા ધારાસભ્યોના મતદાનથી કરવાને બદલે પક્ષનું મોવડી મંડળ(ખરેખર તો વડાપ્રધાન કે સર્વોચ્ચ નેતા)  કરે તે આંતરિક લોકશાહીના અભાવનું અને લોકતંત્ર વિરોધી પગલું  છે. તાજેતરમાં જમ્મુ કશ્મીર વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો જાહેર થતાં હતાં અને તેમાં નેશનલ કોન્ફરન્સને બહુમતી મળવાની શક્યતા જોતાં જ ફારુક અબ્દુલ્લાએ ઓમર અબ્દુલા મુખ્ય મંત્રી બનશે તેમ જાહેર કરી દીધું હતું. હિમાચલપ્રદેશમાં કોંગ્રેસના સુખ્ખુની સી.એમ તરીકે પસંદગી પ્રિયંકા ગાંધીની હોવાનું કહેવાય છે. તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રી તરીકે નવા જ નેતાઓની પસંદગી વડાપ્રધાન અને ગૃહપ્રધાને કરી હોવાનું સ્પષ્ટ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશના બે મોટા રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ મુખ્યમંત્રીની પસંદગી આંતરિક લોકતંત્રથી થયાનો દેખાડો જરૂર કરે છે. કેન્દ્રિય નિરીક્ષકો રાજ્યમાં જાય છે, ચૂંટાયેલા ધારાસભ્યોનો અભિપ્રાય જાણે છે પરંતુ ધારાસભ્યોની બેઠકમાં પક્ષના હાઈ કમાન્ડને નેતા નક્કી કરવા સત્તા આપતો એક લીટીનો ઠરાવ કરવામાં આવે છે. તેથી લોકશાહીના નામે થતી રમત જણાઈ આવે છે. પ્રાદેશિક પક્ષોમાં તો નામની ય આંતરિક લોકશાહી જોવા મળતી નથી અને રાષ્ટ્રીય પક્ષો લોકતંત્રના નામે દેખાડો કરે છે. ભારતના ડાબેરી પક્ષોને બાદ કરતાં ભાગ્યે જ કોઈ રાજકીય પક્ષમાં આંતરિક લોકતંત્ર જોવા મળે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/is-our-caste-society-changing-stable-or-regressing">આપણો જ્ઞાતિસમાજ બદલાઈ રહ્યો છે, સ્થિર છે કે પાછા પગલાં ભરી રહ્યો છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહીનો મતલબ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી, પક્ષમાં અને સરકારમાં નેતૃત્વની પસંદગી, સરકાર અને સંગઠન સંબંધી નિર્ણય કરવાની પ્રક્રિયા, નીતિ નિર્માણ અને પક્ષના નેતૃત્વનું સભ્યો પ્રત્યેનું ઉત્તરદાયિત્વ સુનિશ્ચિત કરવામાં પક્ષના તમામ કે પ્રતિનિધિરૂપ સભ્યોની સક્રિય સામેલગીરી હોવી તે છે. પરંતુ આ પ્રકારનું કોઈ આંતરિક લોકતંત્ર ભારતના રાજકીય પક્ષોમાં જોવા મળતું નથી.વળી આવું લોકતંત્ર ન હોય તો કોઈ પગલાં લઈ શકાતા નથી. કેમ કે તે માટેની કોઈ કાયદાકીય જોગવાઈ જ નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતનું ચૂંટણી પંચ રાજકીય પક્ષોની નોંધણી કરે છે અને તેને માન્યતા આપે છે. રાજકીય પક્ષો ઈલેકશન કમિશન સમક્ષ રજિસ્ટ્રેશન માટે અરજી કરે ત્યારે તેમાં જણાવવું પડે છે કે પક્ષ દર પાંચ વરસે તેના હોદ્દેદારોની સ્વતંત્ર, પારદર્શી અને નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવશે. પક્ષના એક તૃતીયાંશથી વધુ હોદ્દા પર વગર ચૂંટણીએ વરણી કરાશે નહીં. પરંતુ હકીકતમાં આ બાંહેધરીનો ભાગ્યે જ અમલ થાય છે. પંચ રાજકીય પક્ષોને દર પાંચ વરસે સંગઠનની ચૂંટણી કરાવવા અને નેતૃત્વ પરિવર્તન કરવા યાદ કરાવતું રહે છે. પરંતુ પંચની આ વિનંતી પક્ષોને કાનૂની રીતે બાધ્યકારી નથી હોતી અને નૈતિકતા અને રાજકીય પક્ષોને તો કોઈ સંબંધ હોતો નથી. એટલે અમલના નામે મીંડુ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિશ્વના કેટલાક લોકશાહી દેશોના રાજકીય પક્ષોમાં પ્રવર્તતી આંતરિક લોકશાહીની સ્થિતિ જાણવા જેવી છે. યુનાઈટેડ કિંગડમ (યુ.કે.)માં રાજકીય પક્ષોના સભ્યોની ભાગીદારી પક્ષના તમામ સ્તરે હોય છે. યુ.કેની રૂઢિવાદી પાર્ટી( કન્જર્વેટિવ પાર્ટી) એ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે પ્રાથમિક ચૂંટણી શરૂ કરી છે. તે પ્રમાણે ઉમેદવારોની સૂચિ અંતિમ નિર્ણય માટે સ્થાનિક એકમોને મોકલવામાં આવે છે. અમેરિકામાં રાજકીય પ્રતિનિધિત્વના બધા જ સ્તરે ઉમેદવારોને હરીફાઈની તક મળે છે. જર્મનીના બંધારણમાં જ રાજકીય પક્ષોના કામકાજને નિયંત્રિત કરવાની જોગવાઈ છે. તેને અનુસરીને કાયદો પણ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/gandhiji-representative-personality-of-kind-hearted-golden-mentality-towards-dalits">ગાંધીજીઃદલિતો પ્રત્યે 'કૃપાળુ-માયાળુ' સવર્ણ માનસિકતાનું પ્રતિનિધિ વ્યક્તિત્વ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહેવાય છે કે લોકતંત્ર ભારતની સંસ્કૃતિ છે. ભારતીયોના સંસ્કારોમાં લોકશાહી અંતર્નિર્હિત છે. લોકશાહી તો ભારતનો વારસો છે. જો તેને સત્ય ઠેરવવું હોય તો દેશના સમગ્ર લોકતાંત્રિક તાણાવાણા માટે પોલિટિકલ પાર્ટીઓમાં આંતરિક લોકતંત્ર હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોકતાંત્રિક  સંસ્કૃતિના પોષણ અને લોકતાંત્રિક મૂલ્યોના જતન  માટે પાર્ટીઓની ભીતર લોકશાહી આવશ્યક જ નહીં અનિર્વાય છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી આંતરિક લોકશાહીથી પારદર્શી પ્રક્રિયા દ્વારા કરવાના અભાવે  અસંતોષ વધે છે અને પક્ષપલટા થાય છે. નેતૃત્વ પ્રત્યેની વફાદારી અને જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગીનો માપદંડ રાજકીય પક્ષોમાં નવા નેતૃત્વને ઉભરવા દેતું નથી. વળી પક્ષને બદલે નેતા પ્રત્યેની વફાદારીથી પણ પક્ષ નબળો પડે છે. પૂર્વે સંસ્થા કોંગ્રેસ કે નજીકના ભૂતકાળમાં તૃણમૂલ કોંગ્રેસ, એન. સી. પી અને વાય. એસ. આર. કોંગ્રેસની રચના પાર્ટીની ભીતર સંવાદના અભાવે અને નેતાઓની મહત્વાકાંક્ષાઓને કારણે જ સર્જાઈ હતી. ભીતરી લોકતંત્રના અભાવે જ પક્ષોમાં જૂથવાદ વકરે છે. આજીવન અધ્યક્ષ કે આજીવન  અધ્યક્ષના જેવું વરસોથી પક્ષનું નેતૃત્વ કોઈ એક જ વ્યક્તિના હાથમાં હોય તે વાસ્તવિકતા રાજકીય પક્ષોની અંદર નેતૃત્વમાં પરિવર્તન અને નિષ્પક્ષ પ્રતિનિધિત્વના બુનિયાદી ખ્યાલનો છેદ ઉડાડે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસે આંતરિક લોકતંત્રના પ્રદર્શન માટે પક્ષ પ્રમુખની ચૂંટણી કરી હતી અને મલ્લિકાર્જુન ખડગે સામે શશિ થરૂરે ઉમેદવારી કરી હતી. પરંતુ પાર્ટીના અન્ય હોદ્દેદારોની ચૂંટણી થઈ હતી ખરી? પાર્ટીઓ ઉપપ્રમુખ, મહામંત્રી અને ખજાનચીના પદો તો કેટલાક લોકો માટે કાયમ અનામત રાખે છે. વ્યક્તિગત નેતાના કરિશ્મા પરથી તેની નેતૃત્વ માટે પસંદગી લોકતંત્ર માટે ઘાતક પણ બની શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/lateral-entry-is-not-panacea-for-administrative-problems">વહીવટમાં જે સમસ્યાઓ છે તેનો રામબાણ ઈલાજ લેટરલ એન્ટ્રી નથી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં ભારતીય જનતા પક્ષે મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીને જ નહીં સમગ્ર પ્રધાન મંડળને રૂખસદ આપી હતી. વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભૂપેન્દ્ર પટેલને સી.એમ પદે નિયુક્ત કર્યા હતા. શું આ નિર્ણય પક્ષના ધારાસભ્યોનો હતો કે પક્ષના શીર્ષ નેતૃત્વનો? આંતરિક લોકશાહીના અભાવે  આવા મોટા નિર્ણયો ધારાસભ્યોની નારાજગી વહોરીને લેવામાં આવે છે. દિલ્હી નિમ્યા દંડનાયકોની પરંપરા હજુ ય યથાવત છે અને તેને પડકાર અપવાદરૂપ બીના છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૯૭૩માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પછી વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સી.એમ તરીકે પસંદ કાંતિલાલ ઘીયા હતા. પરંતુ ઈન્દિરાઈના દિલ્હી નિમ્યા દંડનાયકને ચીમનભાઈ પટેલે પડકારતા પક્ષને ધારાસભ્યોના ગુપ્ત મતદાનથી પસંદગી કરવાની ફરજ પડી હતી. તેમાં ઈન્દિરાજીના ઉમેદવારને હરાવી ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે પસંદ થયા હતા. પરંતુ આ પ્રકારના અપવાદો કેટલા ?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈલેકશન કમિશનને જો રાજકીય પક્ષોના રજિસ્ટ્રેશન અને માન્યતાની સત્તા હોય તો આંતરિક લોકશાહીના મુદ્દે તેને માન્યતા રદ કરવાની સત્તા મળવી જોઈએ. આ માટે કાયદામાં સુધારો કે નવો કાયદો ઘડાવો જોઈએ. રાજકીય પક્ષો આ પ્રકારના કાયદા કે ચૂંટણી સુધારા માટે સ્વાભાવિક રીતે જ રાજી નથી. એટલે ભારતના મતદારોએ જ રાજકીય પક્ષોમાં રહેલા આંતરિક લોકતંત્રના આધારે રાજકીય પક્ષની સત્તા માટે પસંદગી કરવી જોઈએ. લોકોનું દબાણ કદાચ રાજકીય પક્ષોને આ દિશામાં વિચારવા મજબૂર કરશે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a><span style="color: rgb(224, 62, 45);"> </span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><em><strong>(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)</strong></em></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/being-the-tenth-topper-of-prachi-nigam-in-the-beauty-filled-society">સુંદરતા ઘેલા સમાજમાં પ્રાચી નિગમનું દસમી ટોપર થવું...</a></strong></span><br><span style="font-size: 14pt;">  </span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 29 Nov 2024 13:53:25 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1621</Articleid>
                    <excerpt>ભારતમાં રાજકીય પક્ષો ચૂંટણી ટાણે લોકશાહીની દુહાઈ દેતા હોય છે. પરંતુ તેમના ખુદના પક્ષમાં આંતરિક લોકશાહીની વાસ્તવિકતા શું છે? વાંચો વરિષ્ઠ પત્રકાર-રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયાનો આ લેખ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67497774dfe45.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67497774a943f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67497774a943f.jpg" length="114520" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Political Parties, Internal Democracy, Reality, BJP, Congress, Shiv Sena, NCP, Left Parties, BSP</media:keywords>
                </item>
                        <item>
                    <title>બંધારણ સભામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અંતિમ ભાષણ</title>
                    <link>https://khabarantar.com/dr-babasaheb-ambedkars-last-speech-in-the-constituent-assembly</link>
                    <guid>https://khabarantar.com/dr-babasaheb-ambedkars-last-speech-in-the-constituent-assembly</guid>
                    <description>
                        <![CDATA[ દીર્ઘદ્રષ્ટા ડો.આંબેડકરે બંધારણ સભામાં પોતાના અંતિમ ભાષણમાં આપેલી ચેતવણીઓ સાચી સાબિત થઈ રહી છે. વાંચો મહાનાયક આંબેડકરના ભાષણના એ અંશો જે આજે પણ એટલા જ પ્રસ્તુત છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિદાયત પરમાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચોતરફથી ડો.આંબેડકરે લખેલા બંધારણ પર હુમલા વચ્ચે આજે બંધારણ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ડો.આંબેડકરે બંધારણ સભામાં પોતાના અંતિમ ભાષણમાં કહેલા શબ્દો ફરીથી ગાંઠે બાંધવા પડશે. વાંચો મહાનાયક ડો.આંબેડકરે બંધારણ સભામાં પોતાના ઐતિહાસિક અંતિમ ભાષણમાં શું કહ્યું હતું તે જાણીએ.</span><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધારણ સભાના અધયક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે 26 નવેમ્બર, 1949ના દિને કરેલા અંતિમ સંબોધન બાદ ભારતીય બંધારણના ઘડતરનું કાર્ય સંપન્ન થયું. તેના એક દિવસ અગાઉ 25 નવેમ્બર, 1949 ના દિવસે ડૉ. આંબેડકરે બંધારણ સભામાં કરેલ છેલ્લું સંબોધન યાદગાર છે. આપણે ત્યાં ગાંધીજી, નહેરૂએ કરેલા ભાષણોને મીડિયામાં જેટલી પ્રસિદ્ધી મળતી રહે છે, તેની સરખામણીએ ડો.આંબેડકરે બંધારણ સભામાં કરેલું અંતિમ ભાષણ અનેક રીતે મહત્વનું, તાર્કિક અને ઐતિહાસિક હોવા છતાં મનુમીડિયા તેને અવગણે છે. ત્યારે ડો.આંબેડકરે તે દિવસે શું કહેલું તે સમજીએ. બાબાસાહેબે કહેલુંઃ</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">“મારા અભિપ્રાય મુજબ, બંધારણ ભલે ગમે તેટલું સારું હોય, તો પણ તેના અમલની જવાબદારી જેના પર છે, તે જો ઈમાનદાર ન હોય, તો બંધારણ ખરાબ પુરવાર થઈ શકે છે. તે જ રીતે બંધારણ ગમે તેટલું ખરાબ હોય, તો પણ તેના અમલની જવાબદારી જેમના પર છે, તેઓ જો ઈમાનદાર હોય, તો બંધારણ સારું પુરવાર થશે જ. બંધારણનો અમલ પૂર્ણત: બંધારણના સ્વરૂપ પર આધારિત નથી. બંધારણીય સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર જેવા રાજ્યના વિભાગો અસ્તિત્વમાં આવે છે. રાજ્યના આ વિભાગોનું કાર્ય લોકો અને લોકો દ્વારા તેમની અપેક્ષાઓ અને રાજનીતિ માટે સાધનના રૂપમાં રચાયેલ રાજકીય પક્ષ, તેના પર આધારિત છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/had-it-not-been-for-dr-ambedkar-the-struggle-of-phule-couple-would-have-been-buried-in-history">ડૉ. આંબેડકર ન હોત તો ફૂલે દંપતિનો સંઘર્ષ પણ ઈતિહાસમાં દટાઈ ગયો હોત</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"માત્ર બાહ્ય સ્વરૂપમાં નહિ, પરંતુ વાસ્તવમાં લોકતંત્ર અસ્તિત્વમાં આવે તેવી આપણી ઇચ્છા હોય તો આપણે શું કરવું જોઈએ? મારા મત મુજબ સૌ પ્રથમ આવશ્યક બાબત એ છે કે આપણે સામાજિક અને આર્થિક ઉદ્દેશોની પૂર્તિ માટે આપણે વૈધાનિક માર્ગનો જ આશ્રય લેવો જોઈએ. એટલે કે ક્રાંતિનો લોહિયાળ રસ્તો આપણે એક તરફ ત્યજી દેવો જોઈએ. એટલે કે કાનૂન ભંગ, અસહકાર અને સત્યાગ્રહ જેવા માર્ગોથી આપણે દૂર રહેવું જોઈએ. જ્યારે આર્થિક અને સામાજિક ઉદ્દેશોની પૂર્તિ માટે વૈધાનિક માર્ગ જેવો કોઈ અન્ય માર્ગ બાકી રહેતો ન હતો, ત્યારે આપણે ત્યાં અવૈધાનિક માર્ગનું મોટા પ્રમાણમાં સમર્થન કરવામાં આવતું હતું, પરંતુ જ્યારે વૈધાનિક માર્ગો ઉપલબ્ધ છે, ત્યારે અવૈધાનિક માર્ગનું સમર્થન કરી શકાય નહીં. આ અવૈધાનિક માર્ગ બીજું કંઈ નહિ પરંતુ અરાજકતાનું વ્યાકરણ છે. અને જેટલી જલ્દીથી આપણે તેમને દૂર કરીએ, તેટલું જ આપણા હિતમાં છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"બીજી મહત્ત્વની બાબત એ છે કે લોકતંત્રમાં આસ્થા ધરાવનાર લોકોએ જહોન સ્ટુઅર્ટ મિલે ઉચ્ચારેલી ચેતવણી યાદ રાખવી જોઈએ, “લોકોએ પોતાનું સ્વાતંત્ર્ય બીજી કોઈ વ્યક્તિ ગમે તેટલી મહાન હોય તો પણ, તેમના ચરણોમાં સમર્પિત કરી દેવું જોઈએ નહિ. સાથે તેના પર એટલો વિશ્વાસ પણ મૂકી દેવો ન જોઈએ કે જેનાથી આપણને મળેલા અધિકારોનો નાશ થાય.' પોતાનું જીવન સંપૂર્ણપણે દેશ સેવામાં અર્પણ કરનાર મહાપુરુષો તરફ કૃતજ્ઞતા પ્રગટ કરવાનું અનુચિત નથી, પરંતુ કૃતજ્ઞતા પ્રગટ કરવાની પણ એક મર્યાદા હોવી જોઈએ."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"આયરીશ દેશભક્ત ડેનિયલ ઓકોનેલે યોગ્ય જ કહ્યું છે - “કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વાભિમાનનું બલિદાન આપીને કૃતજ્ઞતા પ્રગટ કરી શકતી નથી, કોઈ પણ મહિલા પોતાના શીલનું બલિદાન આપીને કૃતજ્ઞતા પ્રગટ કરી શકતી નથી. અન્ય દેશોની સરખામણીમાં ભારતે આ ચેતવણી તરફ ધ્યાન આપવાનું વિશેષ જરૂરી છે. કારણ કે ભારતની ભક્તિ અથવા ભક્તિ માર્ગ અથવા વ્યક્તિ પૂજા જેટલા પ્રમાણમાં ભારતની રાજનીતિમાં દેખાય છે, તેટલા પ્રમાણમાં અન્ય કોઈ દેશની રાજનીતિમાં જોવા મળતી નથી. ધર્મની ભક્તિ આત્માની મુક્તિ માટેનો માર્ગ હોઈ શકે છે, પરંતુ રાજનીતિમાં ભક્તિ અથવા વ્યક્તિ પૂજા અધ:પતન અને તાનાશાહી તરફ દોરી જનારો નિશ્ચિત માર્ગ છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-ambedkars-11-visits-to-gujarat-and-lectures-delivered-in-gujarati">ડૉ. આંબેડકરની ગુજરાતની 11 મુલાકાતો અને ગુજરાતીમાં આપેલું પ્રવચન</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"ત્રીજી વાત આપણે એ યાદ રાખવાની છે કે માત્ર રાજકીય લોકતંત્ર પર આપણે મન મનાવી લેવાનું નથી. આપણા રાજકીય લોકતંત્રનું આપણે એક સામાજિક લોકતંત્રમાં પરિવર્તન કરવું જ જોઈએ. રાજકીય લોકતંત્રના મૂળમાં સામાજિક લોકતંત્રનો આધાર ન હોય તો તે વધુ વખત ટકી શકે નહીં."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"સામાજિક લોકતંત્ર શું છે? તે એક જીવન માર્ગ છે, જે સ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુતાને જીવન તત્ત્વના રૂપમાં માન્યતા આપે છે. સ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુતા, આ ત્રણેયનો અલગ અલગ વિચાર કરી શકાય નહીં. સમાનતાથી સ્વાતંત્ર્ય અલગ નથી. સમાનતા વિના સ્વાતંત્ર્ય સંભવ નથી. બંધુત્વ વગર સ્વાતંત્ર્ય અને સમાનતા સ્વાભાવિક રીતે અસ્તિત્વમાં હોતી નથી. ભારતના સમાજમાં બે બાબતોની પૂર્ણ ગેરહાજરી છે. તેમાંની એક સમાનતા છે. સામાજિક ક્ષેત્રમાં આપણો સમાજ અનેક વિષમતાઓથી ભરપૂર છે. એટલે કે કેટલાક લોકો ઊંચા સ્તરે છે તો બાકીના લોકો નિકૃષ્ઠ અવસ્થામાં છે. આર્થિક ક્ષેત્રમાં આપણા સમાજમાં કેટલાક લોકો પાસે વિપુલ સંપત્તિ છે. તો અનેક લોકો ધૃણાસ્પદ ગરીબીમાં જીવન ગુજારી રહ્યા છે. 26 જાન્યુઆરી, 1950 ના દિવસે આપણે એક વિસંગતીપૂર્ણ જીવનમાં પ્રવેશ કરવાના છીએ, રાજકીય રીતે આપણે સમાનતા સિદ્ધ કરીશું, પરંતુ સામાજિક અને આર્થિક જીવનમાં વિષમતા રહેશે. રાજકીય રીતે દરેક વ્યક્તિ એકમત અને દરેક મતનું સમાન મૂલ્ય, આ સિદ્ધાંતને આપણે માન્યતા આપીશું. જ્યારે સામાજિક અને આર્થિક જીવનમાં આ માન્યતાનો આપણે ઇન્કાર કરીશું. આવા પરસ્પર વિરોધી જીવનમાં આપણે કેટલો સમય રહીશું. જો આપણે વધારે સમય તેને ઇન્કાર કરતા રહીશું, તો આપણું રાજકીય લોકતંત્ર પણ કપટી થયા વગર રહેશે નહિ. આ વિસંગત આપણે તત્કાળ દૂર કરવી જોઈએ. અન્યથા જેમણે આ વિષમતાના પરિણામો ભોગવ્યા છે, તેઓ આ બંધારણ સભા દ્વારા ખૂબ જ પરિશ્રમપૂર્વક નિર્માણ કરાયેલ રાજકીય લોકતંત્ર ઉખાડીને ફેંકી દેશે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/mother-ramabai-to-dr-ambedkars-touching-historical-letter">માતા રમાબાઈને ડૉ. આંબેડકરનો હૃદયસ્પર્શી ઐતિહાસિક પત્ર</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"આપણી ક્ષતિની બીજી વાત એટલે કે બંધુત્વના તત્ત્વને માન્યતા આપવાની છે. બંધુત્વ શું છે ? જો ભારતીય લોકો એક બને, તો તમામ ભારતીયોમાં સમાન ભાવના પેદા થાય તે બંધુત્વ છે. આ તત્ત્વ સામાજિક જીવનને એકતા આપે છે. બંધુત્વ પ્રાપ્ત કરવાનું ઘણું કઠિન છે. આ કેટલું મુશ્કેલ છે, તે અમેરિકાની બાબતમાં જેમ્સ બ્રાઈસે વર્ણવેલી કથાથી ખ્યાલ આવશે. બ્રાઈસના શબ્દોમાં - </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">‘કેટલાક વર્ષો અગાઉ અમેરિકન પ્રોટેસ્ટ એટ એપિસ્કોપલ ચર્ચના ત્રિવાર્ષિક અધિવેશનમાં સમૂહ પ્રાર્થનામાં ફેરફાર કરવાનો પ્રસંગ ઉપસ્થિત થયો હતો. એમ વિચારાયું કે પ્રાર્થના નાના વાક્યોની બનાવીને તેમાં તમામ લોકો માટે ઉપયોગી પ્રાર્થનાનો સમાવેશ કરવામાં આવે. ન્યુ ઇંગ્લેન્ડના પ્રમુખ ધર્મોપદેશક કે શબ્દોનું સૂચન કર્યું, “હે પ્રભુ, અમારા રાષ્ટ્રને આશીર્વાદ આપો.' તે દિવસે આ શબ્દો સ્વીકારાય. તેના પર બીજા દિવસે ફરી વિચાર કરવામાં આવ્યો. બીજા દિવસે તેમાં “રાષ્ટ્ર” શબ્દ દૂર કરીને નવા શબ્દો એમ ઉમેરવામાં આવ્યા, “હે પ્રભુ, સંયુક્ત રાજ્યોને આશીર્વાદ આપો.' આ શબ્દોનો સ્વીકાર કરવામાં આવ્યો."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/while-sitting-under-the-banyan-tree-dr-ambedkar-choudhar-burst-into-tears">જ્યારે વડના ઝાડ નીચે બેસીને ડૉ. આંબેડકર ચોધાર આંસુએ રડેલાં...</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તે સમયે અમેરિકાના લોકોમાં એકતાની ભાવના એટલી ઓછી હતી કે તેમને એમ લાગતું ન હતું કે આપણે એક રાષ્ટ્ર છીએ. જો અમેરિકાના લોકોમાં પોતે એક રાષ્ટ્ર હોવાની ભાવના પેદા ન થતી હોય તો, ભારતીય લોકોમાં આ પ્રકારની ભાવના હોવાનું સંભવિત નથી. મારા મતે આપણે એક રાષ્ટ્ર હોવાની વાત પર વિશ્વાસ રાખવો એટલે કે જે અસ્તિત્વમાં નથી તેના અસ્તિત્વનો સ્વીકાર કરવા જેવું છે. હજારો જાતિઓમાં વિભાજિત લોકોનું રાષ્ટ્ર કેવી રીતે બની શકે ? સામાજિક અને માનસિક દૃષ્ટિથી આપણે આજે એક રાષ્ટ્ર નથી. તેનું ભાન આપણને જેટલું જલદી થાય, તેટલું આપણા હિતમાં છે. તેના પછી જ એક રાષ્ટ્ર હોવાની જરૂરિયાત પર આપણે ગંભીરતાથી વિચાર કરી શકીશું. આ ધ્યેય સુધી પહોંચવાનું ઘણું મુશ્કેલ છે. અમેરિકામાં જાતિ સમસ્યા નથી. ભારતમાં જાતિઓ છે. જાતિઓ રાષ્ટ્ર વિરોધી છે. પ્રથમ બાબત એ છે કે જાતિઓથી સમાજમાં વિભાજન થાય છે. કારણ કે જાતિ-જાતિમાં તિરસ્કાર અને ઘૃણાની ભાવના પેદા થાય છે. વાસ્તવમાં આપણે એક રાષ્ટ્ર બનવું હોવાની, આપણે આ બધી હરકતો ખતમ કરવી જોઈએ.રાષ્ટ્રનિર્માણ બાદ જ બંધુત્વ વાસ્તવમાં જોઈ શકાશે. બંધુત્વ વિના સમાનતા અને સ્વાતંત્ર્ય ઉપરના સ્તરનો બાહ્ય દેખાવ હશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/80-years-ago-Dr.-What-did-Ambedkar-say-about-Indian-media-and-what-is-its-condition-today">80 વર્ષ અગાઉ ડૉ. આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું અને આજે શું હાલત છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એમાં કોઈ શંકા નથી કે સ્વાતંત્ર્ય આનંદની બાબત છે, પરંતુ તેનાથી આપણે ભૂલવું જોઈએ નહિ કે સ્વાતંત્ર્યથી આપણી પણ મોટી જવાબદારીઓ ઊભી થાય છે. સ્વાતંત્ર્યના કારણથી આપણે ખરાબ બાબતોનું અંગ્રેજો પર દોષારોપણ કરી શકીશું નહી. સ્વાતંત્ર્ય બાદ ખરાબ ઘટનાઓ માટે આપણો આપણા સિવાય અન્ય કોઈને દોષિત ઠરાવી શકીશું નહિ. કંઈક અનુચિત બનવાની શંકા છે. સમય ઘણો ઝડપથી બદલાઈ રહ્યો છે. આપણા લોકો પણ નવા વિચારો અનુસરી રહ્યા છે. લોકો હવે ‘લોકોનું રાજ્ય' થી તંગ આવી ગયા છે. તેમને હવે’ લોકો માટે રાજ્ય' જોઈએ છે. રાજ્ય લોકોથી ચૂંટાયેલ છે કે કેમ તેની લોકોને ચિંતા નથી. બંધારણમાં આપણે “લોકોનું, લોકો માટે ચૂંટાયેલ રાજ્ય તંત્ર” તત્ત્વનું પાલન કર્યું છે અને આપણે તેની સુરક્ષા કરવાની છે. આપણે રસ્તામાં આવનારી મુશ્કેલીઓ ઓળખવી પડશે અને આપણે’ લોકો માટે બનેલી સરકાર' ને મહત્ત્વ આપવાની દિશા તરફ આગળ વધવું જોઈએ. તે માટે પહેલ કરવામાં આપણે નબળા પુરવાર થવા જોઈએ નહિ.દેશની સેવા કરવાનો આ એક માત્ર માર્ગ છે. બીજો કોઈ સારો માર્ગ હોવાની મને ખબર નથી.'</span><br><em><span style="font-size: 12pt;"><strong>(સૌજન્યઃ ચાલો જાણીએ આપણું ભવિષ્ય ભારતીય બંધારણ પુસ્તક (લેખક - અશ્વિનકુમાર ન. કારીઆ)</strong></span></em></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-those-11-days-dr-ambedkar-saw-the-true-character-of-a-civilized-city">એ 11 દિવસમાં ડૉ. આંબેડકરે 'સંસ્કારી નગરી'નું અસલી ચરિત્ર જોયું...</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 26 Nov 2024 09:58:25 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 26 Nov 2024 10:11:41 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1604</Articleid>
                    <excerpt>દીર્ઘદ્રષ્ટા ડો.આંબેડકરે બંધારણ સભામાં પોતાના અંતિમ ભાષણમાં આપેલી ચેતવણીઓ સાચી સાબિત થઈ રહી છે. વાંચો મહાનાયક આંબેડકરના ભાષણના એ અંશો જે આજે પણ એટલા જ પ્રસ્તુત છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67454b693b384.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67454b69038ad.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67454b69038ad.jpg" length="82157" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dr babasaheb ambedkar, last speech, constituent assembly, Constitution Day, Dr. Ambedkar</media:keywords>
                </item>
                        <item>
                    <title>મેયર વલ્લભભાઈએ દલિત ચાલીઓમાં 1000 નાવણિયા બનાવડાવ્યા હતા</title>
                    <link>https://khabarantar.com/mayor-vallabhbhai-had-1000-navanias-built-in-dalit-chawls</link>
                    <guid>https://khabarantar.com/mayor-vallabhbhai-had-1000-navanias-built-in-dalit-chawls</guid>
                    <description>
                        <![CDATA[ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિનું આ વર્ષ છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે તેમણે કરેલી કેટલીક ઉત્કૃષ્ટ કામગીરી વિશે જાણીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરદાર પટેલ (જન્મ ૩૧.૧૦.૧૮૭૫, અવસાન ૧૫.૧૨.૧૯૫૦) ના જન્મના દોઢસોમા વરસનો આરંભ થયો છે. સરદારના અમદાવાદ શહેર સુધરાઈના પ્રમુખ તરીકેનું આ શતાબ્દી વરસ પણ છે. સ્વરાજની લડતના ઘણા મોટા નેતાઓના જાહેરજીવનનો આરંભ શહેરોની સુધરાઈઓના સભ્ય તરીકે થયો હતો. શહેરોની સુધરાઈઓનું તંત્ર દેશની આઝાદીનો પાયો માનવામાં આવતું હતું. એટલે જવાહરલાલ નહેરુ અલ્હાબાદ, રાજેન્દ્ર પ્રસાદ પટણા, ચિતરંજન દાસ કલકત્તા, વિઠ્ઠલભાઈ પટેલ મુંબઈ અને વલ્લભભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય અને પછી પ્રમુખ તરીકે જાહેરજીવન આરંભ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વલ્લભભાઈ હજુ સરદાર બન્યા નહોતા ત્યારે પાંચમી જાન્યુઆરી ૧૯૧૭ના રોજ તેઓ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાંથી પેટા ચૂંટણી દ્વારા અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય બન્યા હતા. પંદરમી જુલાઈ ૧૯૨૯ના રોજ તેમણે શહેર સુધરાઈનું સભ્યપદ છોડ્યું હતું. ખાસ્સો સવા દાયકો અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય, સેનેટરી, મેનેજિંગ અને સ્ટેન્ડિગ કમિટીના અધ્યક્ષ અને મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે અમદાવાદના વિકાસમાં તેમનું અનન્ય યોગદાન હતું. અમદાવાદ શહેર સુધરાઈ સાથેનો વલ્લભભાઈ પટેલનો નાતો એ કક્ષાનો હતો કે ગાંધીજીએ અમદાવાદ મ્યુનિસિપાલિટીને “વલ્લભભાઈનું માનીતું સ્થાન”  ગણાવ્યું હતું. વલ્લભભાઈ પટેલના સ્વપ્નસમી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલની મુલાકાતપોથીમાં પણ ગાંધીજીએ લખ્યું હતું કે, ‘ સરદાર વલ્લભભાઈનો જય હો. આ ઈસ્પિતાલ જોઈને હું રાજી થયો છું.’</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેરિસ્ટર વલ્લભભાઈ પટેલે ૧૯૧૩માં અમદાવાદમાં વકીલાત શરૂ કરી હતી એ સમયે તેમનું વલણ જાહેરજીવનથી અળગા રહેવાનું હતું. જોકે જાહેર બાબતોથી તે બેખબર રહેતા નહોતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયેલી પાંખ પર કમિશનર નિમવાની અંગ્રેજ સરકારની પધ્ધતિના તે વિરોધી હતા. પૂર્ણપણે જડ અમલદારશાહી માનસ ધરાવતા કમિશનર જહોન.એ. શિલીડીને સીધા કરવાના ઉદ્દેશથી ગુજરાત કલબના મિત્રોના આગ્રહવશ વલ્લભભાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય બન્યા. ૧૯૧૭ ની પાંચમી જાન્યુઆરી કે મે ની ચૌદમીના દિવસે તેમના રાજકારણમાં પ્રવેશથી જ અમદાવાદની શહેર સુધરાઈ રાષ્ટ્રીય ફલક પર મુકાઈ હતી અને સ્વરાજની લડતમાં પણ તે અવ્વલ બની હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરદારના સભ્યપદના ત્રણેક મહિનામાં જ શિલીડી કમિશનરના પદેથી ગયા હતા. સરદાર ચૂંટાઈને તુરત જ  સેનેટરી સમિતિના અધ્યક્ષ બન્યા હતા. કર્મને વરેલા વલ્લભભાઈના કામની કસોટી કરવાની હોય તેમ શહેરમાં પ્લેગ ફાટી નિકળ્યો. બીજા આગેવાનોની જેમ પ્લેગથી બચવા સરદારે શહેર ના છોડ્યું પણ તેમના કામમાં મંડ્યા રહ્યા હતા. તેઓ અમદાવાદની શેરીઓમાં જતા, ગટરો સાફ કરાવતા અને જંતુનાશક દવાઓ છંટાવતા. “કચરો સાફ કરવાનું કામ રાજકારણની ગંદકી સાફ કરવા કરતાં  ઘણું જુદું છે” એમ માનનાર વલ્લભભાઈ એ દિવસોમાં કહેતા કે સફાઈ સમિતિના પ્રમુખ તરીકે પ્લેગ સામે નાગરિકોના બચાવના પ્રયાસો કરવા તે મારી ફરજ છે. તે છોડીને ભાગવું એ તો જનતાનો દ્રોહ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૯૨૪ની અમદાવાદ શહેર સુધરાઈની ચૂંટણી સરદારના નેતૃત્વમાં લડાઈ અને જંગી બહુમતીથી જીતાઈ હતી. સરદાર અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા. નવમી ફેબ્રુઆરી ૧૯૨૪થી તેરમી એપ્રિલ ૧૯૨૮ સુધીના એમના પ્રમુખપદના ગાળામાં  આરોગ્ય, શિક્ષણ, સફાઈ, ગટર અને રસ્તાના કામોને પ્રાધાન્ય આપ્યું હતું. એમનો ઉદ્દેશ શહેરની સુખાકારી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદનો કેમ્પ વિસ્તાર મ્યુનિસિપાલિટીની હદમાં નહોતો છતાં તેને પાણી મ્યુનિસિપાલિટી પૂરું પાડતી હતી. તે પણ અમદાવાદના નાગરિકો કરતાં વધારે અને ઓછા દરે. મુખ્યત્વે સરકારી અફસરોની વસ્તીના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આ પ્રમાણે સગવડો આપવી તે સરદારને અમદાવાદના નાગરિકો સાથે અન્યાય લાગ્યો હતો. એટલે મ્યુનિસિપાલિટીના સભ્ય બન્યા કે તુરત સરદારે આ બાબતે વિરોધ નોંધાવ્યો અને શહેરીઓને ન્યાય કરતો નિર્ણય લેવડાવ્યો હતો. દલિત મિલ કામદારોની ચાલીઓની અગવડોથી તેઓ વાકેફ હતા. દલિત મહિલાઓને ખુલ્લામાં નહાવું પડતું હતું. તેના નિવારણ માટે મેયર વલ્લભભાઈએ ચાલીઓમાં હજારેક નાવણિયા બનાવડાવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અસહકાર આંદોલન વખતે શહેરની મ્યુનિસિપલ શાળાઓને મળતી સરકારી ગ્રાન્ટ લેવાની બંધ કરી શહેરની શાળાઓને અંગ્રેજ સરકારની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. સ્વરાજ આંદોલનમાં સામેલગીરીના કારણે ત્રણેક વખત મ્યુનિસિપાલિટીને અંગ્રેજ સરકારે સસ્પેન્ડ કરી હતી. બ્રિટિશ ગુલામીકાળમાં મ્યુનિસિપાલિટીની સામાન્ય સભાઓ માટે બંધાયેલા હોલનું નામ “ગાંધી હોલ” રાખવું, મ્યુનિસિપાલિટી વતી ગાંધીજીનું જાહેર નાગરિક અભિવાદન કરવું અને કોંગ્રેસની કારોબારી ગાંધી હોલમાં યોજવી તે નાનીસૂની વાત નહોતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/there-is-an-election-expenditure-limit-for-candidates-not-for-political-parties"><span style="font-size: 14pt;">ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા છે, રાજકીય પક્ષો માટે નથી!</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોકે મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે સરદારનું કામ આસાન નહોતું. તેમણે બાકી કરવેરા મેળવવા ઝુંબેશ કરી એટલે કોંગ્રેસનો એક વર્ગ તેમનો વિરોધી બન્યો હતો. જોકે સરદાર તેની તમા રાખ્યા  સિવાય કામ કરતા રહ્યા. ૧૯૨૭ના જુલાઈ મહિનાની આખરના છ દિવસમાં અમદાવાદમાં ૫૧ ઈંચ વરસાદ પડ્યો હતો. અતિવૃષ્ટિની આ આફતને સરદાર કુનેહથી ઉકેલી શક્યા. પ્રમુખ તરીકે તેઓ જાતે ફરીને નાળાં સાફ કરાવવામાં અને પાણીના નિકાલની વ્યવસ્થામાં લાગ્યા હતા. અમદાવાદ શહેર ભવિષ્યમાં વિકસે તેને ધ્યાનમાં લઈને તેમણે રિલીફ રોડ ભારે વિરોધ છતાં બંધાવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દાદાસાહેબ માવળંકર અને ચંદુલાલ ભગુભાઈ દલાલ લિખિત દસ્તાવેજી પુસ્તક ‘ રાષ્ટ્રીય ચળવળમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીનો ફાળો’ માં સરદારના પ્રમુખ તરીકેના કાર્ય સંદર્ભે લખ્યું છે કે, “વલ્લભભાઈએ પ્રમુખ તરીકે રાષ્ટ્રીય પક્ષની કાર્યપધ્ધતિની નવી જ ભાત પાડી અને લોકો ઉપર એની બહુ સરસ છાપ પડી. જાહેર જીવન એ જ એમનો વ્યવસાય બન્યો. એ વખતે જાહેર જીવન મુખ્યત્વે મ્યુનિસિપલ જીવન જ હતું. એમણે પોતાનો આખો સમય મ્યુનિસિપલ કામકાજને આપ્યો” (પૃષ્ઠ- ૧૬૨)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શહેર સુધરાઈના કામકાજમાં સરદાર કેવા અનોખા હતા એના બે નમૂના: મ્યુનિસિપાલિટીનું સઘળું કામ એ સમયે અંગ્રેજીમાં ચાલતું હતું. જનરલ બોર્ડના ઠરાવો પણ અંગ્રેજીમાં લખાતા હતા.  જ્યારે બોર્ડની બેઠકમાં વહીવટ ગુજરાતીમાં ચલાવવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે સરકાર નિયુક્ત અંગ્રેજીભાષી સભ્યોએ તેની તરફેણ કરી હતી. પણ સરદારે વિરોધ કર્યો હતો! ૧૯૨૬માં નવા મ્યુનિસિપલ એક્ટ પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી થઈ. ચેરમેન તરીકે વલ્લભભાઈનું નામ મુકવામાં આવ્યું. સામે વિપક્ષ તરફથી દોલતરામનું નામ આવ્યું. જ્યારે બેઉને એક સરખા મત મળ્યા ત્યારે સભાના પ્રમુખ તરીકે સરદારે તેમનો કાસ્ટિંગ વોટ પોતાને આપવા કે તટસ્થ રહેવાને બદલે દોલતરામને આપ્યો હતો!. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૯૨૭માં પ્રમુખની ચૂંટણીમાં દોલતરામના નામની દરખાસ્ત આવી. સુધારા દરખાસ્તમાં વલ્લભભાઈનું નામ સૂચવાયું. મતદાનમાં સરદાર પટેલના નામની દરખાસ્તને ૪૮ અને દોલતરામના નામની દરખાસ્તને ૭ મત મળ્યા હતા. વલ્લભભાઈ આ મતદાનમાં તટસ્થ રહ્યા હતા જ્યારે દોલતરામે પોતે પોતાનો મત આપ્યો હતો.  ૧૯૨૮માં બારડોલીની લડતના સુકાની સરદારને મ્યુનિસિપાલિટીના માનપત્રની દરખાસ્તનો એ સમયના મ્યુનિસિપાલિટીના પ્રમુખ દોલતરામે વિરોધ કર્યો હતો. મતદાનમાં દોલતરામ સહિતના ૪ સભ્યો વિરોધમાં હતા જ્યારે ૪૩ તરફેણમાં હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અંગ્રેજ કમિશનર શિલીડીને સીધો કરવા સરદાર પટેલ મ્યુનિસિપાલિટીમાં પ્રવેશ્યા હતા. પરંતુ મ્યુનિસિપાલિટીના દેશી ચીફ ઓફિસર ઈશ્વરલાલ રણછોડલાલ ભગતની કાર્યપધ્ધતિથી કંટાળી સરદારને પહેલા પ્રમુખ પદ અને પછી સભ્યપદ છોડવું પડ્યું હતું. તે કેટલી મોટી કરુણા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૯૩૫માં અમદાવાદ મ્યુનિસિપાલિટીની શતાબ્દી પ્રસંગે એક સંદેશમાં ગાંધીજીએ તેમની કલ્પનાના અમદાવાદ વિશે કહ્યું હતું કે, “એ મ્યુનિસિપાલિટીના પાયખાનાં વાચનાલય જેવાં સાફ થશે, એની પોળો સ્વચ્છતાનો નમૂનો થશે, એનાં બધાં બાળકો પાઠશાળામાં જતાં હશે, ત્યાં રોગોનું પ્રમાણ ઓછું હશે, ત્યાં મજૂરો અને માલિકો વચ્ચે ઊંચનીચના ભેદ નહીં હોય, ત્યાં મજૂરોનાં મકાનોમાં મ્યુનિસિપાલિટીના પ્રમુખ સૂઈ શકતા હશે - એવી કોઈ દિવસ થશે, અને એ જોવા હું પામીશ, એવું સ્વપ્ન સેવ્યા કરું છું. એ સિધ્ધ કરવું તો શહેરીઓના હાથમાં છે. એને સારુ, આપણામાં સરદારની સેવાવૃતિ અને ત્યાગ વૃતિ જોઈએ”  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરદારના સાર્ધ શતાબ્દી, મેયર તરીકેના શતાબ્દી અને આઝાદીના અમૃત વરસોમાં કર્ણાવતી, આશાપલ્લી, અહમદાબાદ અને અમદાવાદ રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, કાંકરિયા કાર્નિવલ અને એવી જાતભાતની ઝાકમઝાળ અને રોશનીના દેખાડાથી સોહે છે. પરંતુ શહેરના સત્તાવાળાઓ અને શહેરીઓમાં સરદારની સેવા અને ત્યાગવૃતિના અભાવે ગાંધીની કલ્પનાનું અમદાવાદ સ્વપ્નવત છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a>   </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/being-the-tenth-topper-of-prachi-nigam-in-the-beauty-filled-society">સુંદરતા ઘેલા સમાજમાં પ્રાચી નિગમનું દસમી ટોપર થવું...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 20 Nov 2024 17:15:38 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1578</Articleid>
                    <excerpt>લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિનું આ વર્ષ છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે તેમણે કરેલી કેટલીક ઉત્કૃષ્ટ કામગીરી વિશે જાણીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673dcb22abac1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673dcb2278733.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673dcb2278733.jpg" length="96920" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Sardar Vallabhbhai Patel, Iron Man, 150th Birth Anniversary</media:keywords>
                </item>
                        <item>
                    <title>કોઈ મસીહા કે અવતારની જરૂર જ નથી, તમે જ પરિવર્તનના વાહકો છો</title>
                    <link>https://khabarantar.com/gujarati-translation-of-an-article-written-by-rahul-gandhi</link>
                    <guid>https://khabarantar.com/gujarati-translation-of-an-article-written-by-rahul-gandhi</guid>
                    <description>
                        <![CDATA[ લોકસભામાં વિપક્ષના નેતા રહેલા રાહુલ ગાંધીએ ઈન્ડિયન એક્સપ્રેસમાં હાલમાં એક લેખ લખ્યો હતો. પ્રો. હેમંતકુમાર શાહ અહીં તેનો વિસ્તૃત અનુવાદ રજૂ કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">લેખક : રાહુલ ગાંધી (લોકસભામાં વિપક્ષી નેતા)</span></strong></span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">અનુવાદક : પ્રો. હેમંતકુમાર શાહ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના મોં પર તાળું મારી દીધું હતું. તેણે તેની ધંધાકીય કુશળતા દ્વારા નહિ પણ ગળે ટૂંપો દઈને ભારતને ચૂપ કરી દીધું હતું. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ત્યારના મહારાજાઓ અને નવાબો સાથે ભાગીદારી કરીને, તેમને બક્ષિસો આપીને અને ધમકીઓ આપીને ભારતને શાંત કરી નાખ્યું હતું અને તેઓ તેને ચરણે બેસી ગયા હતા. તેણે આપણી બેંકો, અમલદારો અને માહિતીનાં માળખાં પર અંકુશ જમાવ્યો હતો. આપણે આપણી સ્વતંત્રતા કંઈ બીજા દેશ પાસે ગુમાવી નહોતી, પણ એક ઇજારાશાહી કંપનીના દ્વારે ગુમાવી હતી કે જે દમનકારી સાધનો અપનાવતી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇસ્ટ ઇન્ડિયા કંપની વ્યાપારની શરતો પર નિયંત્રણ ધરાવતી હતી અને હરીફાઈને બજારમાંથી નાબૂદ કરી નાખી હતી. કોણ કોને શું વેચે તે એ જ નક્કી કરતી હતી. તેણે આપણા કાપડ ઉદ્યોગને અને આપણી ઉત્પાદન વ્યવસ્થાને સાફ કરી નાખ્યાં. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કોઈ નવી વસ્તુ શોધી કાઢી હોય કે પછી નવા બજારનો વિકાસ કર્યો હોય એવું મારી જાણમાં નથી. પરંતુ હું એ જાણું છું કે તેણે એક પ્રદેશમાં અફીણની ખેતીમાં પોતાનો ઈજારો ઊભો કર્યો અને બીજા પ્રદેશમાં એના બંધાણીઓનું આંતરિક બજાર ઊભું કર્યું. તેમ છતાં, કંપની ભારતને લૂંટતી રહી ત્યારે તેણે બ્રિટનના એક નમૂનારૂપ કોર્પોરેટ નાગરિક તરીકેનું વર્તન કર્યું. તેના વિદેશી શેરધારકોને એ બહુ ગમ્યું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૂળ ઇસ્ટ ઇન્ડિયા કંપની તો આશરે દોઢસો વર્ષ અગાઉ ભારતમાંથી સમેટાઈ ગઈ, પણ તેણે જે ભારે ડર ઊભો કરેલો તે પાછો આવેલો દેખાય છે. તેને સ્થાને ઇજારદાર મહાકાય કંપનીઓનો એક નવો ફાલ પેદા થયો છે. તેમણે વિપુલ પ્રમાણમાં સંપત્તિ એક્ઠી કરી છે, કે જ્યારે આખું ભારત બીજા સૌ માટે અસમાનતા અને અન્યાયથી પીડાતું થયું છે. આપણી સંસ્થાઓ હવે આપણા લોકોની રહી નથી, એ ઇજારદાર કંપનીઓનું ઓશીકું બની ગઈ છે. લાખો નાના ધંધાઓનું નિકંદન નીકળી ગયું છે અને ભારતમાં તેના યુવાનો માટે રોજગાર ઊભા થઈ શકતા નથી. ભારત માતા તેનાં બધાં સંતાનોની માતા છે. ભારત માતામાં સંસાધનો અને સત્તાના ઈજારા ઊભા થયા છે અને પસંદીદા થોડાક લોકો માટે અનેક લોકોને એ સંસાધનો અને સત્તા આપવાનો ઇનકાર કરવામાં આવે છે અને તેથી ભારત માતા ઇજાગ્રસ્ત થઈ છે એમ કહેવાય. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મને ખબર છે કે ભારતના ધંધા ક્ષેત્રના અંતરમાં થનગનાટ ધરાવતા સેંકડો  હોંશિયાર નેતાઓ આ ઇજારદાર મહાકાય કંપનીઓથી ડરી ગયા છે. શું તમે એમાંના એક છો? ફોન પર વાત કરતાં પણ ડરો છો? શું તમને એવો ડર છે કે તમે કોઈક ધંધામાં પ્રવેશો તો આ ઇજારદાર મહાકાય કંપનીઓ રાજ્ય સાથેની મિલીભગતથી તમને કચડી નાખશે? ઇન્કમ ટેક્સ, સીબીઆઈ અને ઇડીના દરોડાથી તમે ડરી ગયા છો અને તેથી તમે તમારો ધંધો એ જ મહાકાય કંપનીઓને વેચી રહ્યા છો?  શું તમારે જ્યારે મૂડીની તાતી જરૂર છે ત્યારે જ તમને તેનાથી વંચિત રહી જવાનો ડર છે? તમારી પર હુમલો કરવા માટે જ રમતમાં અધવચ્ચે જ એના નિયમો બદલી નાખવામાં આવે તેનો ડર તમને સતાવે છે? </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમે જાણો છો કે આ ઉમરાવશાહી જૂથોને જો ઉદ્યોગધંધા તરીકે ઓળખવામાં આવે તો તે ગેરમાર્ગે દોરનારી બાબત છે. તમે જ્યારે એમની સાથે હરીફાઈ કરો છો ત્યારે, તમે ખરેખર તો કોઈ કંપની સાથે હરીફાઈ નથી કરતા, પણ તમે ભારતના રાજતંત્ર સામે લડી રહ્યા છો. તેમની સ્પર્ધા કરવાની તાકાત એ તેમની વસ્તુઓ, ગ્રાહકો કે વિચારો નથી; પણ એ તો ભારત પર શાસન કરતી સંસ્થાઓ અને નિયમનકારી વ્યવસ્થાઓ ઉપર અંકુશ રાખવાની તેમની ક્ષમતામાં, અને તમારા પર નિગરાની રાખવામાં છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમને ન ગમે તો પણ, આ મહાકાય ઇજારદાર કંપનીઓ નક્કી કરે છે કે ભારતના લોકો શું વાંચે અને જુએ, તેઓ ભારતના લોકો શું વિચારે અને બોલે તેના પર પ્રભાવ પાડે છે. આજે બજારનાં પરિબળો તમારી સફળતા નક્કી નથી કરતાં, સત્તા સાથેના તમારા સંબંધો તમારી સફળતા કે નિષ્ફળતા નક્કી કરે છે. તમારા હૃદયમાં ડર પેસી ગયો છે, પણ આશાનું કિરણ પણ દેખાય છે. </span><br><span style="font-size: 14pt;">મેચ ફિક્સિંગ કરનારાં ઇજારદાર ઉદ્યોગગૃહોની સામે ભારતમાં મોટી સંખ્યામાં નિયમ મુજબ રમત રમનારી કંપનીઓ પણ છે જ. એ સૂક્ષ્મ, નાનકડાં સાહસો પણ છે અને મોટી કંપનીઓ પણ છે. પણ તમે બધાં ચૂપ થઈ ગયાં છો. દમનકારી વ્યવસ્થાને તમે સહન કરી રહ્યા છો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પિયુષ બંસલને જુઓ. તેઓ પ્રથમ પેઢીના સાહસિક છે અને કોઈ રાજકીય સંપર્કો નથી ધરાવતા. તેમણે ૨૨ વર્ષની વયે ધંધો શરૂ કર્યો. તેમણે જ પછી ૨૦૧૦માં લેન્સકાર્ટ કંપનીની સ્થાપના કરી. આંખોના ચશ્માના ક્ષેત્રને તેમણે નવો જ આકાર આપી દીધો. આજે આ કંપની આખા દેશમાં હજારો લોકોને રોજગારી આપે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફકીરચંદ કોહલીની વાત કરો. તેમણે એક મેનેજર તરીકે ૧૯૭૦ના દાયકામાં ટાટા કન્સલ્ટન્સી ઊભી કરી. એ ભય સામે મહત્ત્વાકાંક્ષાનો વિજય હતો. તેનામાં આઇબીએમ અને એસેંચર જેવી કંપનીઓ સામે ઝીંક ઝીલવાની હિંમત હતી. ટીસીએસ અને ઈન્ફોટેક ક્ષેત્રની ભારતની કંપનીઓએ દુનિયાના ઈન્ફોટેક સેવા ક્ષેત્રને એક નાનકડી દુકાનમાંથી ઉદ્યોગ બનાવી દીધો. હું પિયુષ બંસલ કે સ્વ. ફકીરચંદ કોહલીને વ્યક્તિગત રીતે જાણતો પણ નથી. એ શક્ય છે કે તેમની રાજકીય પસંદગીઓ મારાથી અલગ હોય. પણ તેથી શું? </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એમ લાગે છે કે ટાયનોર, ઇન્મોબી, માન્યવર, ઝોમેટો, ફ્રેક્ટલ એનાલિટિક્સ, એરાકુ કોફી, ટ્રેન્ડન્સ, એમાગી, આઇડી ફ્રેશ ફૂડ, ફોનપે, મોગ્લિક્સ, સુલા વાઇન્યર્ડ્સ, જસ્ટ પે, ઝેરોધા, વેરિતાસ, ઓક્સિઝો, એવેન્ડસ આવી જ નવી નવી કંપનીઓ છે. અને એલ એન્ડ ટી, હલ્દીરામ, અરવિંદ આઇ હોસ્પિટલ, ઇન્ડિગો, એશિયન પેઇન્ટ્સ, એચડીએફસી જૂથ, બજાજ ઓટો અને બજાજ ફાયનાન્સ, સિપ્લા, મહિન્દ્ર ઓટો, ટાઇટન વગેરે જૂની કંપનીઓ છે. એમાંની મોટા ભાગના સાથે મારે વ્યક્તિગત સંબંધ નથી. આ બધાં જ દેશી કંપનીઓનાં થોડાંક ઉદાહરણો છે કે જેમણે નવીનતમ પ્રયોગો કર્યા અને રમતના નિયમોનું પાલન કરવાનું પસંદ કર્યું. મને ખબર છે કે મેં હજુ સેંકડો કંપનીઓનાં નામ નથી દીધાં. તેઓ કદાચ આનાથી પણ સારા દાખલા હોય. પણ મને લાગે છે તમે મારો મુદ્દો સમજી જશો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મારું રાજકારણ હંમેશાં નબળા અને અવાજવિહીન લોકોનું રક્ષણ કરવાનું રહ્યું છે. હું ગાંધીજીના શબ્દોમાંથી પ્રેરણા લઉં છું. કતારમાં ઊભેલા મૂંગા થઈ ગયેલા છેલ્લા માણસનું રક્ષણ કરવાની પ્રેરણા મને તેઓ આપે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પ્રતિબદ્ધતાને લીધે જ મેં મનરેગા, અન્નનો અધિકાર અને જમીન સંપાદન ધારાના સુધારાને ટેકો આપેલો. હું નિયમગિરિ ખાતે આદિવાસીઓ સાથે તેમના સંઘર્ષમાં ઊભો રહેલો. મેં આપણા ખેડૂતોને તેમની ત્રણ કાળા કાયદા સામેની લડતમાં ટેકો આપેલો. મેં મણિપુરના લોકોનું દર્દ સાંભળ્યું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ મને લાગ્યું કે હું ગાંધીજીના કહેવાનો સંપૂર્ણ અર્થ પકડી શક્યો નહિ. કતાર શબ્દ તેમાં અનેક અર્થો સાથે છે. વાસ્તવમાં, સમાજમાં અનેક કતારો છે. એક કતારમાં તમે પણ ઊભા છો, કે જે ઉદ્યોગધંધાની કતાર છે. તમારું શોષણ થઈ રહ્યું છે, તમે લાભવાંચિત બની રહ્યા છો. અને તેથી મારું રાજકારણ તમને જે આપવાનો ઇનકાર કરવામાં આવે છે તે અપાવવાનો છે: કામ કરવાની સ્વતંત્રતા અને ન્યાયીપણું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકારને બીજા બધાને ભોગે એક જ કંપનીને ટેકો આપવા દઈ શકાય નહિ; અને ધંધાકીય વ્યવસ્થામાં બેનામી સમીકરણોને તો નહિ જ. સરકારી સંસ્થાઓ કંઈ ઉદ્યોગ ધંધાઓને ડરાવવા અને તેમના પર હુમલા કરવા માટે નથી. એ જ રીતે, તમે મોટી ઇજારદાર કંપનીઓને ભય પમાડો એમ પણ નહિ, હું એમાં માનતો નથી. એ કંઈ દુષ્ટો નથી, પરંતુ તેઓ તો આપણા સામાજિક અને રાજકીય પર્યાવરણની જ પેદાશ છે. તેમને ધંધો કરવાનો અવકાશ મળે, એમ તમને પણ અવકાશ મળે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દેશ આપણા બધાનો છે. આપણી બેંકોએ મોટી રાજકીય સંપર્કો ધરાવતી ૧૦૦ કંપનીઓને જ લોન આપવાના ચક્કરમાંથી બહાર આવવું જોઈએ કે જેઓ પછી એનપીએ ઊભી કરે છે. બેંકોએ લોનમાં નફો થાય તે રીતે આપવી જોઈએ અને બજારની રમત નિયમાનુસાર રમતા ધંધાઓને બેંકોએ ટેકો આપવો જોઈએ. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અંતે એટલું કહું કે, આપણે રાજકીય વર્તનને ઘડવામાં સામાજિક દબાણ અને પ્રતિકારની તાકાતને ઓછી આંકવી જોઈએ નહિ. કોઈ મસીહા કે અવતારની જરૂર જ નથી. તમે જ પરિવર્તનના વાહકો છો, તમે જ સૌને માટે સંપત્તિ અને રોજગારનું સર્જન કરશો. મારું માનવું છે કે પ્રગતિશીલ ભારતીય ઉદ્યોગધંધા માટેના નૂતન સમયનું આગમન થઈ ચૂક્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>સ્રોત: ઇન્ડિયન એક્સપ્રેસ, તા.૫-૧૧-૨૦૨૪</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/By-putting-a-gun-to-the-right-of-the-economy,-political-power-suppresses-it">અર્થતંત્રને લમણે બંદૂક મૂકીને રાજકીય સત્તા તેને નચાવે છે</a> </span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 10 Nov 2024 11:08:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1521</Articleid>
                    <excerpt>લોકસભામાં વિપક્ષના નેતા રહેલા રાહુલ ગાંધીએ ઈન્ડિયન એક્સપ્રેસમાં હાલમાં એક લેખ લખ્યો હતો. પ્રો. હેમંતકુમાર શાહ અહીં તેનો વિસ્તૃત અનુવાદ રજૂ કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673046adbe294.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673046ad908ff.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673046ad908ff.jpg" length="59594" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Rahul Gandhi, article, indian express</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહારાષ્ટ્રમાં આંબેડકરવાદી પક્ષોમાં મતભેદને કારણે દલિત મતદારો મૂંઝવણમાં</title>
                    <link>https://khabarantar.com/dalit-voters-confused-due-to-differences-among-ambedkarite-parties-in-maharashtra</link>
                    <guid>https://khabarantar.com/dalit-voters-confused-due-to-differences-among-ambedkarite-parties-in-maharashtra</guid>
                    <description>
                        <![CDATA[ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી તેની ચરમસીમા તરફ જઈ રહી છે પણ આંબેડકરવાદી પક્ષોના જૂથવાદને કારણે મહાનાયક ડો. આંબેડકરની જન્મભૂમિ-કર્મભૂમિનો દલિત મતદાર મૂંઝાયેલો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ભાજપ, એકનાથ શિંદેની શિવસેના, અજીત પવારની એનસીપી સામે કોંગ્રેસ, શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પોતપોતાના સોગઠાં ગોઠવી દીધાં છે. આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ક્યારનો શરૂ થઈ ચૂક્યો છે. રાજકીય પક્ષોએ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે અને ટિકિટ ન મળતા નારાજ નેતાઓ બળવો કરીને અપક્ષ તરીકે મત તોડવાના કામે લાગી ગયા છે. ચોતરફ ચૂંટણીનો માહોલ જામ્યો છે, પણ આંબેડકરવાદી પક્ષો શાંત છે, જેના કારણે મહાનાયક ડો. આંબેડકરની જન્મભૂમિનો દલિત મતદાર ભારે મૂંઝવણમાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સવર્ણ પક્ષોના નેતાઓએ પક્ષ પ્રત્યેની નિષ્ઠા છોડી દીધી છે અને ધારાસભ્યની ટિકિટ માટે અહીંતહીં ઝાંવા મારવા લાગ્યા છે. તેમને અન્ય કોઈ મોટી પાર્ટીમાંથી ટિકિટ ન મળતા તેઓ વંચિત બહુજન અઘાડી અને બહુજન સમાજ પાર્ટી તરફ વળ્યા છે. આ નેતાઓને બસપા અને વંચિત બહુજન અઘાડી જેવા પક્ષોના પરંપરાગત મતો અને પોતાના પ્રભાવવાળા મતવિસ્તારના મતોના દમ પર ચૂંટણી જીતવાની આશા છે. બીજી તરફ આ બંને પક્ષોએ પણ એમ માનીને આવા નેતાઓને ટિકિટ આપી છે કે આમ કરવાથી તેમની પાર્ટીનો વોટશેર વધશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં BSP અને વંચિત બહુજન આઘાડીએ અનુક્રમે 288 અને 208 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. અન્ય આંબેડકરવાદી પક્ષો પણ ગઠબંધનમાં ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આ કોઈ નવી વાત નથી. સફળતાની પરવા કર્યા વિના દરેક ચૂંટણીમાં આવું થાય છે. આંબેડકરવાદી પક્ષોના જૂથવાદનો અંત આવે તેની સામાન્ય દલિત મતદારો ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યાં છે. પરંતુ તેમણે એ સમજવું જોઈએ કે વાસ્તવમાં આવું થવાનું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રમાં બે મોટા ગઠબંધન છે અને ત્રીજા મહત્વના પક્ષ તરીકે વંચિત બહુજન અઘાડીનું નામ લઈ શકાય છે. મહાવિકાસ આઘાડીમાં મુખ્યત્વે કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને NCP (શરદ પવાર જૂથ)નો સમાવેશ થાય છે. મહાગઠબંધનમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને NCP (અજિત પવાર જૂથ)નો હિસ્સો છે. તાજેતરમાં યોજાયેલી લોકસભા 2024ની ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો, મહાવિકાસ અઘાડી મહારાષ્ટ્રમાં પોતાના દમ પર સરકાર બનાવવાની સ્થિતિમાં હોવાનું જણાય છે. પરંતુ પહેલા છત્તીસગઢ અને રાજસ્થાન અને તાજેતરમાં હરિયાણાના પરિણામો દર્શાવે છે કે સ્થિતિ પલટાઈ શકે છે. આવી સ્થિતિમાં, મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામો પણ ચોંકાવનારા હોઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/why-dr-ambedkar-did-not-fought-bhagat-singhs-case-despite-being-a-lawyer"><span style="font-size: 14pt;"> વકીલ હોવા છતાં ડૉ.આંબેડકર ભગતસિંહનો કેસ કેમ નહોતા લડ્યા?</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવા સમયે આંબેડકરવાદી પક્ષોની સ્થિતિ શું હશે? બહુજન મતદારોની ભૂમિકા આ ​​પક્ષોની સાથે જવાની હશે કે તેની વિરુદ્ધ મત આપવાની? એ સમજવું પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એવું લાગે છે કે મહારાષ્ટ્રના દલિત મતદારો અને બૌદ્ધિકો આંબેડકરવાદી નેતાઓના રાજકારણ અને ભૂમિકાઓથી કંટાળી ગયા છે. આંબેડકરવાદી રાજકારણીઓ બહુજન સમુદાયના હિત અને વિકાસ વિશે વિચારતા નથી. તેઓ માત્ર તેમના હિતોનું રક્ષણ કરવાનું પસંદ કરે છે. આથી મહારાષ્ટ્રમાં આંબેડકરવાદી બુદ્ધિજીવીઓએ કહેવાતા નેતાઓની સામે મોરચો સંભાળી લીધો છે અને જનતાને સ્પષ્ટ અપીલ કરી રહ્યાં છે કે તેમણે કઈ પાર્ટીને મત આપવો જોઈએ. આ પરિવર્તન શા માટે થઈ રહ્યું છે? ખરેખર તો આંબેડકરવાદી નેતાઓએ આ અંગે વિચારવાની જરૂર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાસ્તવમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં આંબેડકરવાદી પક્ષોની સ્થિતિ ઘણી જટિલ હોય છે. મહારાષ્ટ્રના ઘણા વિધાનસભા વિસ્તારોમાં ફૂલે-આંબેડકરવાદી મતદારોની નોંધપાત્ર સંખ્યા છે અને તેમનો મત કોઈને પણ જીતવા કે હરાવવા માટે નિર્ણાયક છે. પરંતુ આ મતોનો ઉપયોગ તેમના વિકાસ માટે થતો નથી તે દુઃખદ છે. સમાજના સાંસ્કૃતિક, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે માત્ર રાજકીય પ્રતિનિધિત્વ જરૂર છે કે સંકલિત મતબેંકની, તેના પર રાજકીય નેતાઓ અને બૌદ્ધિકો ચર્ચા કરવા તૈયાર નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ જોવા જઈએ તો આવા મુદ્દાઓથી બચવું આંબેડકરવાદી પક્ષો માટે આત્મહત્યા સમાન છે, કારણ કે આજના બદલાતા ભારતમાં રાજદ્વારી નિર્ણયોથી જ પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરી શકાય છે. આનો અર્થ દલિત રાજકીય પક્ષોને વિખેરી નાખવાનો નથી, પરંતુ તેને કૂટનીતિક રાજકીય સમજૂતી માટે વધુ સક્ષમ બનાવવાનો છે. એક પક્ષ-એક સંગઠન તેની ફોર્મ્યુલા હોઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં આંબેડકરવાદી પક્ષોનું કોઈ ગઠબંધન બને તેવી કોઈ શક્યતા નથી. તેનું કારણ દલિતોમાં રહેલી વિસંવાદિતા છે. મહારાષ્ટ્રમાં આંબેડકરવાદી પક્ષો ઘણા જૂથોમાં વહેંચાયેલા છે અને તેઓ માત્ર વિવિધ પેટા જૂથોને પોતાના તરફ ખેંચીને પ્રતીકાત્મક મતો મેળવવા માંગે છે. એકેય પક્ષ જીતની ફોર્મ્યુલાને જોયા વિના માત્ર પોતાનું અસ્તિત્વ દેખાડવા પૂરતો જ મર્યાદિત જણાય છે. દરેક ચૂંટણીમાં આ જ બાબતનું પુનરાવર્તન થવાના કારણે દલિત મતદારો પણ અન્યત્ર વિખેરવા લાગ્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/why-dr-ambedkar-did-not-fought-bhagat-singhs-case-despite-being-a-lawyer"><span style="font-size: 14pt;"> </span></a></span></strong></span> <strong><a href="https://khabarantar.com/in-those-11-days-dr-ambedkar-saw-the-true-character-of-a-civilized-city">એ 11 દિવસમાં ડૉ. આંબેડકરે 'સંસ્કારી નગરી'નું અસલી ચરિત્ર જોયું...</a></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ અને ભાજપ આ વિખરાયેલા મતદારોને આકર્ષવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ આ માટે બંધારણની રક્ષા અને જાતિ ગણતરી જેવા મુદ્દાઓને પ્રચારમાં લાવી છે, જ્યારે ભાજપ અનામતમાં પેટા વર્ગીકરણનો મુદ્દો લાવીને કેટલીક દલિત જાતિઓની સહાનુભૂતિ મેળવવા માંગે છે. તેથી આ બંને પક્ષો તરફ દલિત મતદારોનો ઝુકાવ હોઈ શકે છે. મહિલાઓને આકર્ષવા માટે ભાજપે લાડલી બહિના યોજના શરૂ કરી છે, જેના દ્વારા સીધા તેમના બેંક ખાતામાં પૈસા મોકલવામાં આવી રહ્યા છે. આમ રીતે ભાજપ મુખ્યત્વે વંચિત દલિત મહિલાઓને નિશાન બનાવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાસ્તવમાં બહુજનવાદી વિચારની ઓળખ વંચિત લોકો સુધી પહોંચાડવી જરૂરી હતી. સામાજિક અને આર્થિક અધિકારો સાથે શિક્ષણનું મહત્વ સમજાવીને તેમને જાગૃત કરવાની જરૂર હતી. આ કામ માત્ર દલિતોની સરકાર જ કરી શકે છે અને લોકોને પાર્ટીનો ભાર જાતે ઉઠાવવા માટે પ્રેરિત કરવાની જરૂર હતી. બસપાના સંસ્થાપક માન્યવર કાંશીરામે આ કર્યું હતું. પરંતુ માયાવતી માન્યવરની વ્યૂહરચના જાળવી શક્યા નહીં. મહારાષ્ટ્રમાં પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી કેટલીક બેઠકો પર મજબૂત છે, પરંતુ છેલ્લી વિધાનસભા અને લોકસભાના પરિણામોને જોતા તે જીતવાની સ્થિતિમાં જણાતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ બાબાસાહેબના બીજા પૌત્ર આનંદ આંબેડકર અને પ્રપૌત્ર રાજરત્ન આંબેડકરે મતવિસ્તાર 40 અને 20 મતવિસ્તારોમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. બીજી તરફ સુરેશ માને, સંજય કોકરે અને પ્રકાશ શેડગેએ એક સ્વતંત્ર રાજકીય ગઠબંધન બનાવ્યું છે. BAMCEF દ્વારા રચાયેલ પીપલ્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (D) અને બહુજન મુક્તિ મોરચા પણ મેદાનમાં છે. રામદાસ આઠવલે, જોગેન્દ્ર કવાડે અને સુલેખા કુંભારે છેલ્લા કેટલાક દાયકાઓથી ભાજપ સાથે છે, જ્યારે બૌદ્ધિકોનો ઝુકાવ કોંગ્રેસ તરફ છે. આવા બહુઆયામી રાજકારણમાં દલિત મતદારો કોને મત આપે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે મહારાષ્ટ્રમાં આંબેડકરવાદી રાજકારણ ખૂબ જ ગતિશીલ દેખાઈ રહ્યું હોવા છતાં તેમાં વિભાજનનો એક મોટો પડકાર છે. તેમ છતાં વંચિતોની સંખ્યાને જોતાં સંયુક્ત અભિગમ, નક્કર સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો સાથે એક મજબૂત રાજકીય વિકલ્પ ઊભો કરી શકાયો હોત, પરંતુ સ્વાર્થી તત્વોએ એ તક ગુમાવી દીધી. મહારાષ્ટ્રમાં સામાજિક વસ્તીના આંકડાઓ પર નજર નાખીએ તો ડો. આંબેડકરના નામ પર આટલા બધી પાર્ટીઓનું બનવું તકવાદ નામના નવા રોગનું લક્ષણ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/while-sitting-under-the-banyan-tree-dr-ambedkar-choudhar-burst-into-tears">જ્યારે વડના ઝાડ નીચે બેસીને ડૉ. આંબેડકર ચોધાર આંસુએ રડેલાં...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 08 Nov 2024 11:28:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1511</Articleid>
                    <excerpt>મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી તેની ચરમસીમા તરફ જઈ રહી છે પણ આંબેડકરવાદી પક્ષોના જૂથવાદને કારણે મહાનાયક ડો. આંબેડકરની જન્મભૂમિ-કર્મભૂમિનો દલિત મતદાર મૂંઝાયેલો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672da7aee3545.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672da7aeb575c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672da7aeb575c.jpg" length="67930" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Maharashtra Assembly Elections, Ambedkarite Parties, Dalit Voters</media:keywords>
                </item>
                        <item>
                    <title>દેવદાસી પ્રથાઃ ભગવાનના નામે શૂદ્ર દીકરીઓના શરીરનો સોદો</title>
                    <link>https://khabarantar.com/devadasi-pratha-trading-the-bodies-of-shudra-daughters-in-the-name-of-god</link>
                    <guid>https://khabarantar.com/devadasi-pratha-trading-the-bodies-of-shudra-daughters-in-the-name-of-god</guid>
                    <description>
                        <![CDATA[ મનુવાદી કુપ્રથાની આડમાં કેવી રીતે નિર્દોષ સગીર દલિત-આદિવાસી દીકરીઓનું ભયાનક જાતીય શોષણ કરવામાં આવતું હતું તેની આ વાત છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રથાના નામે કેવી રીતે દલિત-આદિવાસી સમાજની કુંવારી નિર્દોષ દીકરીઓનું જાતીય શોષણ કરાતું હતું તેની આ વાત છે. ભારતમાં આ પ્રથા હજારો વર્ષ જૂની હોવા છતાં સમય સાથે તેનું મૂળ સ્વરૂપ બદલાયું છે. દેવદાસીનો સ્પષ્ટ અર્થ છે દેવતાના સેવક બનવું એટલે કે તમારું આખું જીવન દેવતાના ચરણોમાં સમર્પિત કરવું. જો કે કાયદાકીય રીતે તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં, હજુ પણ તેના અધકચરા સમાચારો ક્યાંક સાંભળવા મળી જાય છે. ચાલો જાણીએ શું છે દેવદાસી પ્રથા.</span><br><span style="font-size: 14pt;">શું છે દેવદાસી પ્રથા?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેવદાસી પ્રથાની ગણના કુરિવાજોમાં થાય છે. આ પરંપરા હેઠળ નાની છોકરીઓને દેવી/દેવતાઓને પ્રસન્ન કરવા માટે સેવક તરીકે મંદિરોમાં સમર્પિત કરવાની હોય છે. માતા-પિતા તેમની પુત્રીના લગ્ન દેવતા કે મંદિર સાથે કરી દેતા હતા. પહેલાના જમાનામાં, કોઈપણ ઈચ્છા પૂરી થયા પછી પરિવારો દ્વારા આવું કરવામાં આવતું હતું. દેવતા સાથેના લગ્નને કારણે તે દીકરી દેવદાસી કહેવાતી હતી. આ પ્રથા હેઠળ દલિત અને આદિવાસી મહિલાઓને ભગવાને સોંપી દઈને આસ્થાના નામે તેમનું શોષણ કરવામાં આવતું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દેવદાસી બનવા માટે કોઈ વય મર્યાદા નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેવદાસીઓ માટે કોઈ નિશ્ચિત વય મર્યાદા નથી. પાંચ વર્ષની છોકરી પણ દેવદાસી બની શકે છે અને દસ વર્ષની છોકરી પણ. દેવદાસી બનેલી મોટાભાગની છોકરીઓ દલિત પરિવારો અથવા આદિવાસી પરિવારોની હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">છઠ્ઠી સદીમાં શરૂઆત થઈ હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈતિહાસકારોના મતે દેવદાસી પ્રથા સંભવતઃ છઠ્ઠી સદીમાં શરૂ થઈ હતી. હવે ભલે આ પ્રથા પર કાયદેસર રીતે પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય, તેમ છતાં દક્ષિણ ભારતમાં ઘણા મંદિરોમાં તે આજે પણ જોવા મળે છે. પદ્મપુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે કુંવારી કન્યાઓને મંદિરોમાં દાન તરીકે આપવી જોઈએ. શરૂઆતમાં દેવદાસીઓનું સ્થાન ખૂબ જ મજબૂત હતું અને તેઓ સમાજમાં માન-સન્માન ધરાવતી હતી. તે સમય દરમિયાન દેવદાસીઓ બે પ્રકારની હતી. એક, જે નાચ-ગાન કરતી હતી અને બીજી, જે મંદિરની સારસંભાળ કરતી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મનોકામના પૂર્ણ થતા બાળકીઓને દેવદાસી બનાવી દેવાતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પહેલાના સમયમાં, રોગો અને યોગ્ય કાળજીના અભાવને કારણે જન્મ સમયે ખૂબ ઓછા બાળકો બચી શકતા હતા. આવી સ્થિતિમાં લોકો મંદિરોમાં જઈને માનતા માંગતા હતા કે જો તેમના બાળકો જીવિત હશે તો તેઓ તેમાંથી એકને દેવદાસી બનાવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દેવતાને મળાવવાના બહાને સંબંધ બનાવાતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૌપ્રથમ કુંવારી છોકરીના લગ્ન મંદિરના દેવતા સાથે કરવામાં આવતા હતા. એ પછી તેમને દેવતાની સેવા કરવા માટે મંદિરમાં રાખવામાં આવતી હતી. દરેક મંદિરમાં દેવદાસી માટે એક પૂજારીની નિમણૂક કરવામાં આવતી હતી. દેવતાને મળાવવાના બહાને આ લંપટ પૂજારીઓ દેવદાસીઓ સાથે સેક્સ સંબંધ બાંધતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કેવી રીતે દેવદાસી બનાવવામાં આવતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેવદાસી બનાવવા માટેની પદ્ધતિ પણ વિચિત્ર રહેતી. યુવતીને મંદિરે લઈ જવામાં આવતી હતી. સૌપ્રથમ કાળો ધાબળો પાથરવામાં આવે છે અને પછી છોકરીને તેના પર બેસાડવામાં આવે છે. છોકરી માટે સફેદ સાડી લવાય છે. તેને લીલા રંગની બંગડીઓ અને ચાંદીની બંગડીઓ પહેરવામાં આવે છે. ત્યારબાદ 5 દેવદાસીઓને બોલાવીને હુદો હુદો હુદો શ્લોકનો પાઠ કરવામાં આવે છે. તેના કપાળ પર સિંદૂર લગાવવામાં આવે છે અને તેના હાથમાં પહેરામણી આપવામાં આવે છે. એટલું જ નહીં, ગળામાં મણિમાળા પહેરાવવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દેવદાસી પ્રથા પર અનેક પુસ્તકો લખાયા છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત અને વિદેશના ઈતિહાસકારોએ દેવદાસીઓ વિશે ઘણા પુસ્તકો લખ્યા છે. એન.કે. બાસુનું પુસ્તક 'હિસ્ટ્રી ઓફ પોસ્ટિટ્યૂશન ઈન ઈન્ડિયા', એફએ માર્ગલિનનું પુસ્તક 'વાઇવ્સ ઑફ ધ કિંગ ગોડ, રિચ્યુઅલ્સ ઑફ દેવદાસી', મોતીચંદ્રાનું 'સ્ટડીઝ ઇન ધ કલ્ટ ઑફ મધર ગોડેસ ઇન એન્શિયન્ટ ઇન્ડિયા', બી.ડી. સાત્સોકરનું 'દેવદાસી પ્રણાલીનો ઇતિહાસ' વગેરેમાં આ પ્રથા વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું છે. જેમ્સ જે ફ્રેઝરના પુસ્તક 'ધ ગોલ્ડન બો'માં પણ આ પ્રથા વિશે વિગતવાર લખવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જ્યારે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નોટિસ મોકલી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દક્ષિણ ભારતના રાજ્યોમાં દેવદાસી પ્રથાની આડમાં દલિત-આદિવાસી મહિલાઓના યૌન શોષણ અને તેમની આજીવિકામાં તેમને પડતી મુશ્કેલીઓ અંગે મીડિયા રિપોર્ટ્સ અને લોકોની પ્રતિક્રિયાઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે વર્ષ 2022માં રાજ્યો અને મંત્રાલયોને નોટિસ મોકલી હતી. સદીઓ જૂની આ પ્રથાને કર્ણાટક સરકારે 1982માં અને આંધ્ર પ્રદેશ સરકારે 1988માં ગેરકાયદે જાહેર કરી હતી. એ પછી પણ કર્ણાટકના 15 જિલ્લામાં તે સતત ચાલતી રહી હતી. જેનું પરિણામ એ છે કે આજે પણ દલિત યુવતીઓને દેવદાસી બનાવવામાં આવી રહી છે. દેવદાસી બન્યા બાદ પૂજારીઓ તેમની સાથે શારીરિક સંબંધ બાંધે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગર્ભવતી થાય તો તરછોડી દેવાય છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીંથી તેમના જીવનની બરબાદીની વાર્તા શરૂ થાય છે. દેવદાસી બન્યા પછી છોકરીઓ કહેવાતી ઉચ્ચ જાતિના પૂજારીઓની કામવાસનાનો સતત શિકાર બને છે અને ગર્ભવતી થયા પછી તેઓ નિરાધાર બની જાય છે. જેના કારણે તેમની સ્થિતિ દયનીય બની જાય છે. દેવદાસીઓથી જન્મેલા બાળકોને પિતાનું નામ આપવામાં આવતું નથી, બાળકની સંભાળ લેવાની જવાબદારી ફક્ત દેવદાસીઓની જ રહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આંકડાઓ શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંકડાઓની વાત કરીએ તો, નેશનલ હ્યુમન રાઈટ્સના 2013ના રિપોર્ટ અનુસાર દેશમાં 4.5 લાખ દેવદાસીઓ છે. જ્યારે રઘુનાથ રાવની અધ્યક્ષતામાં બનેલા કમિશનના રિપોર્ટ અનુસાર એકલા તેલંગાણા અને આંધ્રપ્રદેશ રાજ્યોમાં જ 80 હજાર દેવદાસીઓ છે. કર્ણાટકમાં દેવદાસીઓની સંખ્યા લગભગ 46 હજાર હોવાનું કહેવાય છે. જો કે, તેમની સંખ્યા આ આંકડાઓ કરતા ઘણી વધારે હોઈ શકે છે, કારણ કે ઘણાં પરિવારોની દીકરીઓને ખૂબ નાની ઉંમરે દેવદાસી બનાવી દેવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેવદાસી પ્રથાને રોકવાની પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે. જેમાં સુપ્રિમ કોર્ટે કર્ણાટક સરકારને છોકરીઓને દેવદાસી બનાવવા પર પ્રતિબંધ લગાવવા સૂચના આપી હતી. 2007માં દેવદાસીઓના બાળકોની વધતી જતી દયનીય સ્થિતિ પર સુપ્રીમ કોર્ટને પત્ર મળ્યો હતો. જેમાં નિરાધાર દેવદાસીઓના બાળકોની દુર્દશા વર્ણવવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો કે દેવદાસીઓના બાળકોના કલ્યાણ માટે શું કરવામાં આવ્યું છે. બીજી બાજુ, 2004ના માનવ અધિકાર અહેવાલ મુજબ, દેશમાં કુલ 45.9% દેવદાસીઓ વેશ્યાવૃત્તિમાં જતી રહી હતી. બાકીની ખેતી અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/do-you-know-why-vaishnavas-are-protesting-against-the-movie-maharaj">તમને ખબર છે વૈષ્ણવો શું કામ ‘મહારાજ’ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 27 Oct 2024 18:50:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1469</Articleid>
                    <excerpt>મનુવાદી કુપ્રથાની આડમાં કેવી રીતે નિર્દોષ સગીર દલિત-આદિવાસી દીકરીઓનું ભયાનક જાતીય શોષણ કરવામાં આવતું હતું તેની આ વાત છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671e2d3f093ae.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671e2d3ec8355.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671e2d3ec8355.jpg" length="107061" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Manuvadi, Devadasi practice, Shudra daughters</media:keywords>
                </item>
                        <item>
                    <title>shailaja paik : ઝૂંપડપટ્ટીથી જિનિયસ ગ્રાન્ટ સુધી પહોંચનાર પ્રથમ દલિત મહિલા</title>
                    <link>https://khabarantar.com/shailaja-paik-first-dalit-woman-from-slum-to-genius-grant</link>
                    <guid>https://khabarantar.com/shailaja-paik-first-dalit-woman-from-slum-to-genius-grant</guid>
                    <description>
                        <![CDATA[ મેકઆર્થર ફાઉન્ડેશનની પોણા સાત કરોડની જિનિયસ ગ્રાન્ટ મેળવનાર shailaja paik નો સંઘર્ષ એ દરેક દલિત માટે પ્રેરણાદાયી છે, જે કંઈક કરવા ધારે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span><br><span style="font-size: 14pt;">Shailaja Paik : First Dalit woman from slum to genius grant : “મૈકઆર્થર ફાઉન્ડેશને (McArthur Foundation) મારી ઘણાં વરસોની મહેનત અને મારા કામની અસરને માન્યતા આપી છે. જ્ઞાનના વિભિન્ન ક્ષેત્રોમાં દલિત અધ્યયનોએ જે યોગદાન આપ્યું છે અને જેમાં દલિત મહિલા વિદ્વાનના રૂપમાં મારી મહેનત પણ સામેલ છે;  તેને મળેલું આ સન્માન છે.”  ૨૦૨૪ની મૈક આર્થર ફાઉન્ડેશનની આઠ લાખ અમેરિકી ડોલર કે પોણા સાત કરોડ રૂપિયાની ‘જીનિયસ ગ્રાન્ટ’ (Genius Grant) થી નવજાયાં ત્યારનો;  ઈન્ડો અમેરિકન દલિત મહિલા ઈતિહાસકાર શૈલજા પાઈક (Shailaja Paik) નો આ તત્કાલ પ્રતિભાવ હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રના એક નાના ગામના દલિત પરિવારમાં જન્મેલાં, યરવડાની ઝૂંપડપટ્ટીમાં ઉછરેલાં અને આજે અમેરિકાના ઓહિયો સ્ટેટની સિનસિનાટી યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને સંશોધક ડો. શૈલજા પાઈકની સફર ભારે  દિલચસ્પ અને પ્રેરણાદાયી છે. ૧૯૮૧માં સ્થપાયેલ મૈક આર્થર ફાઉન્ડેશનની આ ‘જીનિયસ ગ્રાન્ટ’  અમેરિકાના ફળદ્રુપ ભેજાંઓને મળે છે તેમની પંગતમાં  પોતાનો પાટલો મંડાવનાર શૈલજા પાઈક પહેલાં દલિત મહિલા છે. ઘરઆંગણે ભારતમાં દલિતોની યોગ્યતા અને ગુણવત્તા સામે સવાલો ઉઠે છે ત્યારે શૈલજા દલિત વિદ્વતા, અધ્યયનશીલતા, ગુણવત્તા અને યોગ્યતાનો નક્કર પુરાવો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/konkana-sen-sharma-said-in-bollywood-who-will-sit-where-what-will-eat-is-determined-by-caste#google_vignette">બોલીવૂડમાં કોણ ક્યાં બેસશે, શું ખાશે તે જાતિ મુજબ નક્કી થાય છે...</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પચાસ વરસના શૈલજા મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના મૂળ વતની છે. પાહેગાંવમાં એમનો જન્મ. ૧૯૯૦માં તેમના કુટુંબે પુણેમાં સ્થળાંતર કર્યું હતુ. યરવડાની સિધ્ધાર્થનગર ઝૂંપડપટી એ તેમનું નવું સરનામું બન્યું. દિવસે મજૂરી કરતા પિતા દેવરામ નાઈટ સ્કૂલમાં ભણીને કૃષિ સ્નાતક થયા હતા. ગામના એ પહેલા ગ્રેજ્યુએટ. શૈલજા સહિતની ચારેય દીકરીઓને ભણાવવાની તેમને ભારે હોંશ. એટલે ઝૂંપડામાં રહીને પણ તેમણે દીકરીઓને ઈંગ્લીશ મીડિયમમાં ભણાવી. માતા સરિતાએ તેમને જિંદગીની કઠોર વાસ્તવિકતાઓ અને અભાવોથી અળગી કરી અભ્યાસરત રાખી. શૈલજાએ સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટીમાંથી ૧૯૯૪માં આર્ટસમાં ગ્રેજ્યુએશન અને ૧૯૯૬માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૦૫માં એમોરી ફેલોશિપ હેઠળ શૈલજા  ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા ગયાં અને નવાં જીવનનાં દ્વાર ખૂલ્યાં. ૨૦૦૭માં અમેરિકાની વારવિક યુનિવર્સિટીમાંથી તેમણે પીએચ ડી કર્યું. ઘણા તેજસ્વી દલિત યુવાઓની જેમ શૈલજા પણ આઈએએસ અધિકારી બનવા માંગતા હતા. તે માટે યુપીએસસીની એકઝામ પણ આપી હતી. પરંતુ પિતાના અવસાનથી કુટુંબની જવાબદારી માથે આવતાં તેમણે અધ્યાપનનો વ્યવસાય સ્વીકારવો પડ્યો. જે આજે તેમને સિધ્ધિઓના ઉચ્ચ શિખરે લઈ ગયો છે. ૨૦૧૦માં શૈલજા સિનસિનાટી યુનિવર્સિટીમાં અધ્યાપક બન્યા તે પહેલાં તેમણે યેલ અને બીજી યુનિવર્સિટીઓમાં પણ ભણાવ્યું અને પચીસેક વરસોથી લેખન-સંશોધન કરી રહ્યાં છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શૈલજાને મૈકઆર્થર ફેલોશિપ આપવાનું કારણ, દલિત મહિલાઓના બહુઆયામી અનુભવો પર તેમના ફોક્સથી તેઓ જ્ઞાતિ અને ભેદભાવોનું કાયમીરૂપ અને આભડછેટ ચાલુ રાખવા પાછળની શક્તિઓને સ્પષ્ટ કરે છે તે છે, તેમ ફાઉન્ડેશને જણાવી ઉમેર્યું છે કે શૈલજાએ જ્ઞાતિ , લિંગ અને કામુકતાના આંતરસંબંધો પર ગહન અભ્યાસ કર્યો છે. તેમનું સંશોધન દલિત મહિલાઓના જીવિત અનુભવોમાં અભૂતપૂર્વ અંતદ્રષ્ટિ પ્રદાન કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/is-it-necessary-to-improve-the-people-at-home-before-improving-the-world">દુનિયાને સુધારતા પહેલા ઘરના લોકોને સુધારવા જરૂરી છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શૈલજાએ જીવનના શરૂઆતના બે દાયકા મહારાષ્ટ્રના યરવડાની ઝૂંપડપટ્ટીમાં પસાર કર્યા છે. તેના જાત અનુભવોએ પણ તેમને આ અભ્યાસ માટે પ્રેરિત કર્યા છે. જાહેર જાજરૂ અને પાણીનો અભાવ તેમનો રોજનો અનુભવ હતો. દાદી સાથે કથિત ઉચ્ચ વર્ણના લોકને ત્યાં જવાનું થયું, ત્યારે ભોંય પર બેસવાનું કે સ્કૂલમાં પટાવાળો દલિત વિધ્યાર્થીઓની કશીક નોંધણી માટે આવ્યો ત્યારે વર્ગમાં બધાની વચ્ચે ઉભા થવાનું અપમાન પણ તેમણે વેઠ્યું છે. કચરો, ગંદકી અને તેમાં રખડતા ભૂંડ તેમના રોજિંદો જીવનનો હિસ્સો હતાં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">“દલિત વુમન્સ એજ્યુકેશન ઈન મોડર્ન ઈન્ડિયા : ડબલ ડિસ્ક્રિમિનેશન”  નામક શૈલજાનું પ્રથમ સંશોધન પુસ્તક ૨૦૧૪માં પ્રગટ થયું હતું. દલિતથી અદકી દલિત એવી દલિત મહિલાઓને શિક્ષણ માટે લિંગ (મહિલા હોવાના) અને જ્ઞાતિ (દલિત હોવાના) ના બેવડા ભેદભાવોનો સામનો કરવો પડે છે તેની વાત આ પુસ્તકમાં છે. ઔપચારિક શિક્ષણ સુધીની દલિત મહિલાઓની પહોંચ, તેની પ્રક્રિયા અને અસરો તેમના સંશોધનનો વિષય છે. શિક્ષણે દલિત મહિલાઓના જીવનમાં કેવા ફેરફારો આણ્યા છે કે તે જાદુની લાકડી બન્યું છે તે પણ દર્શાવ્યું છે. શિક્ષણ થકી જ દલિત મહિલાઓના જીવનમાં નોંધપાત્ર સામાજિક-આર્થિક પરિવર્તન આવ્યું છે. શિક્ષણે તેમને કાચા –ઝૂંપડાના વસવાટની બહાર કાઢ્યા, રોજગારની નવી તકો આપી અને ભવિષ્ય ઉજળું બનાવ્યું છે તે મહિલાઓના અનુભવો પરથી તારવ્યું છે. મહાત્મા ફુલે અને બાબાસાહેબ ડો.આંબેડકરની કલ્પનાનું શિક્ષણ અને ભારતમાં દલિતોને મળતા વાસ્તવિક શિક્ષણના સ્વરૂપ વચ્ચેના વિરોધાભાસને પણ શૈલજાએ તપાસ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/fearful-mankind-longs-for-freedom-from-war-and-weapons-hear-anyone">શાંતિનું નોબેલ પ્રાઈઝ આપનાર સ્વીડન પણ યુદ્ધના હથિયારો વેચે તે કેટલું આઘાતજનક?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પિતૃસત્તાત્મક સમાજમાં કોઈ દલિત મહિલા ઈતિહાસકાર કાસ્ટ, જેન્ડર અને સેક્સુઆલિટી પર કામ કરે અને તેની વૈશ્વિક લેવલે નોંધ લેવાય તે સિધ્ધિ અસાધારણ છે. ૨૦૨૧માં પ્રગટ શૈલજા પાઈકના બીજા સંશોધનગ્રંથ “ ઘ વલ્ગારિટી ઓફ કાસ્ટ: દલિત્સ, સેક્સુઆલિટી એન્ડ હ્યુમેનિટી ઈન મોડર્ન ઈન્ડિયા” માં લિંગ અને કામુકતા સાથે જોડાઈને જ્ઞાતિ કઈ રીતે મહિલા, ખાસ તો દલિત મહિલા સાથે અત્યાચાર કરે છે તેનો અભ્યાસ કર્યો છે. આ માટે તેમણે મહારાષ્ટ્રના દલિત મહિલા તમાશા કલાકારોને કેન્દ્રમાં રાખ્યા છે. તમાશા એ મહારાષ્ટ્રના દલિતોની એક પારંપરિક કલા છે.  જેમાં ગીત અને નૃત્યનો સમાવેશ થાય છે.  તમાશાના દલિત મહિલા કલાકારો જ્ઞાતિહિંસા અને યૌનહિંસા બંનેનો ભોગ બને છે. કથિત ઉચ્ચ વર્ણના લોકો માટે તમાશાના મહિલા કલાકારો જાહેર વેચાણની વસ્તુ જેવા હોય છે. તેઓ તેમને સ્વચ્છંદી અને ઉપભોગની ચીજ માને છે. ૨૦૦૩થી શૈલજા તમાશા કલાકારો વિષે અધ્યયન કરે છે. જ્ઞાતિ વર્ચસ કામુકતામાં કેવી રીતે કામ કરે છે તેનું સૂક્ષ્મ અધ્યયન તેમણે કર્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/i-also-like-garba-a-lot-but">ગરબા તો મને પણ બહુ ગમતા પણ...</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાતેક કરોડની આ ફેલોશિપ દલિત મહિલા ઈતિહાસકાર તરીકેના શૈલજાના અત્યાર લગીના કામનો પુરસ્કાર છે. ફેલોશિપ હેઠળ તેમણે કોઈ નવું કામ કરવાનું હોતું નથી.મૈકઆર્થર ફેલોશિપથી જ્ઞાતિવિરોધી, રંગભેદવિરોધી અને પિતૃસત્તાવિરોધી કાર્યોને વધુ મજબૂતી મળશે. ફેલોશિપ દ્વારા ભારતીય અમેરિકી દલિત મહિલા રૂપે શૈલજા અમેરિકાના પ્રતિભાશાળી, સર્જનાત્મક લોકોના ગ્રુપનો ભાગ બન્યા છે. શૈલજા તેમના આગામી અધ્યયનોમાં સમાજશાસ્ત્ર, ધાર્મિક અધ્યયન, ભૂગોળ, મહિલાઓ અને લિંગ આધારિત અધ્યયન જેવા વિષયો પર ચોવીસ આંતરરાષ્ટ્રીય વિદ્વાનોના સહયોગમાં કામ કરવાના છે. દલિતો સંબંધી ઐતિહાસિક દસ્તાવેજોનું મરાઠીમાંથી અંગ્રેજીમાં અનુવાદનું કામ પણ તેમના અધ્યયનનો હિસ્સો છે. આધુનિક ભારતમાં જ્ઞાતિ વર્ચસ અને માનક કામુકતા તેમના ત્રીજા સંશોધન ગ્રંથનો વિષય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શૈલજાને મળેલું મોટી ધનરાશિ સાથેનું સન્માન દલિતો, ખાસ કરીને દલિત મહિલાઓના વિચારો, કાર્યો, ઈતિહાસ અને માનવ અધિકારો માટેની લડાઈના વિશાળ યોગદાનનો ઉત્સવ છે. અન્ય મૈકઆર્થર ફેલો સાથે મળીને સામાજિક ન્યાયના વિષય પર કામ કરવાનો તે અવસર પણ બનશે. ભારતમાં દલિતો પ્રત્યે આચરાતા જ્ઞાતિગત ભેદભાવોનું વૈશ્વિકીકરણ કરવાના પ્રયાસોને આ ફેલોશિપ બળ પૂરું પાડશે તેવી પણ આશા જન્મે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/our-very-own-mahisasur">ગૌરી લંકેશનો લેખ - આપણો પોતાનો મહિષાસુર</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 27 Oct 2024 12:09:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1468</Articleid>
                    <excerpt>મેકઆર્થર ફાઉન્ડેશનની પોણા સાત કરોડની જિનિયસ ગ્રાન્ટ મેળવનાર shailaja paik નો સંઘર્ષ એ દરેક દલિત માટે પ્રેરણાદાયી છે, જે કંઈક કરવા ધારે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671ddfc578613.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671ddfc549076.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671ddfc549076.jpg" length="74727" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>shailaja paik, Genius Grant</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભયભીત માનવજાત યુદ્ધ&amp;હથિયારોથી મુક્તિ ઝંખે છે, કોઈને સંભળાય છે?</title>
                    <link>https://khabarantar.com/fearful-mankind-longs-for-freedom-from-war-and-weapons-hear-anyone</link>
                    <guid>https://khabarantar.com/fearful-mankind-longs-for-freedom-from-war-and-weapons-hear-anyone</guid>
                    <description>
                        <![CDATA[ યુદ્ધને બદલે સંવાદ જરૂરી છે એમ માનતું ભારત યુદ્ધ હથિયારોની નિકાસ કરશે, શાંતિનું નોબેલ આપનાર સ્વીડન પણ યુદ્ધ હથિયારો વેચે છે તે કેટલું આઘાત અને આશ્ચર્યજનક છે?  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આપણી આરત તો અહિંસક, યુદ્ધરહિત સમાજની કે ‘યુદ્ધ નહીં બુદ્ધ સહી’ ના વિશ્વની છે. પરંતુ દુનિયા તો  જમીનના ટુકડા કે વર્ચસ્વ માટે યુદ્ધરત અને યુદ્ધગ્રસ્ત  છે. સમ્રાટ અશોકને કલિંગના યુદ્ધમાં થયેલી હિંસા પછી કલિંગબોધ લાધ્યો હતો અને તેઓ હથિયારો હેઠા મૂકી બુદ્ધની કરુણા, અહિંસા તથા શાંતિના માર્ગે વળ્યા હતા. પરંતુ આજની લોકશાહી સરકારોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઈ કલિંગબોધ થતો નથી. એટલે વિશ્વમાં યુદ્ધો ખેલાતા રહે છે. જીનેવા એકેડેમીના અહેવાલ પ્રમાણે આજે દુનિયામાં છવ્વીસ મોટા યુદ્ધો અને સશસ્ત્ર સંઘર્ષો ચાલી રહ્યા છે. તેમાં  સૌથી વધુ બાર મધ્ય પૂર્વમાં, છ યુરોપમાં, પાંચ એશિયામાં અને ત્રણ દક્ષિણ અમેરિકામાં ચાલે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રશિયા-યુક્રેન યુધ્ધ ત્રણ વરસથી તો ઈઝરાયેલ –હમાસ યુધ્ધ એક વરસથી અવિરામ ચાલે છે. તેમાં નવા દેશો ઉમેરાતા રહે છે. ઈરાન, પેલેસ્ટાઈન, લેબેનોન, સિરીયા અને બીજા દેશો ઉપરાંત જગત જમાદાર અમેરિકા પણ આ બધામાં ખૂબ જ સક્રિય છે. યુદ્ધોને કારણે હજારો લોકોના મોત થયા છે. લાખો વિસ્થાપિત થયા છે અને અબજો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે પરંતુ યુદ્ધનો કાયમી અંત તો ઠીક, કામચલાઉ  યુદ્ધ વિરામ પણ ક્ષિતિજે ક્યાંય જોવા મળતો નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/between-expensive-protective-equipment-and-cleaning-machines-what-is-your-priority">મોંઘા સંરક્ષણ સાધનો અને સફાઈના મશીનો વચ્ચે તમારી પ્રાથમિકતા શું છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુદ્ધની અનેક વિપરીત અસરો છે. દુનિયાના ઘણા દેશોનો સૈન્ય ખર્ચ વધતો જાય છે. ચીન અને પાકિસ્તાન જેવા વસમા પાડોશીથી ઘેરાયેલા ભારતનું સંરક્ષણ બજેટ સતત વધતું રહ્યું છે. એકવીસમી સદીના આરંભના વરસે, ૨૦૦૧માં, ભારતનું સંરક્ષણ બજેટ ૧૪.૬ અબજ ડોલરનું હતું. દાયકા પછી ૨૦૧૧માં તેમાં સાડા ત્રણ ગણી વૃધ્ધિ થઈ અને તે  ૪૯.૬૩ અબજ ડોલર થયું હતું. તેના બીજા દસ વરસ પછી ૨૦૨૦માં ૭૨.૯૪ અબજ ડોલર હતું. ભારતનું સૈન્ય બજેટ પાકિસ્તાનથી તેર ગણું વધારે છે. શિક્ષણ, આરોગ્ય અને લોકકલ્યાણના અન્ય કામોમાં ખર્ચવા યોગ્ય નાણા સરહદો સલામત રાખવા વાપરવા પડે છે. આ કડવી વાસ્તવિકતા બંને દેશોએ સ્વીકારવી પડશે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડિફેન્સ થિંક ટેન્ક સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસના રિપોર્ટ મુજબ લશ્કરી ખર્ચની બાબતમાં આપણો દેશ વિશ્વમાં ત્રીજું અર્થાત અમેરિકા અને ચીન  પછીનું સ્થાન ધરાવે છે. ગાંધીની અહિંસા અને નહેરુના પંચશીલ તથા વિશ્વશાંતિને  વરેલા ભારત માટે આ સ્થાન લગીરે હરખાવા જેવું નથી. ૨૦૨૧માં અમેરિકાનો આર્મી પાછળનો ખર્ચ ૮૦૧ અબજ ડોલર, ચીનનો ૨૯૩ અબજ ડોલર, ભારતનો ૭૬.૬ અબજ ડોલર , યૂ.કે નો ૬૮.૪ અબજ ડોલર, રશિયાનો ૬૫.૯ અબજ ડોલર અને જર્મનીનો ૫૬ અબજ ડોલર હતો. રશિયા કરતાં ભારતનો લશ્કરી ખર્ચ વધારે છે તો આ ખર્ચમાં પ્રથમ ક્રમે રહેલા અમેરિકા અને અન્ય ક્રમના દેશો વચ્ચેનું અંતર અનેક ગણું વધારે છે.</span><br><span style="font-size: 14pt;">અમેરિકા અને અન્ય શસ્ત્ર ઉત્પાદક દેશોનું હિત વિશ્વ યુધ્ધરત રહે અને તેમના હથિયારોનું બજાર ગરમ રહે તેમાં રહેલું છે. એટલે હાલના યુદ્ધોને અટકાવવાના કોઈ ગંભીર પ્રયાસો થતા નથી. વિશ્વનું શસ્ત્ર બજાર જે ગઈકાલ સુધી ૧૮૩ લાખ કરોડનું હતું તે તાજેતરના યુદ્ધોથી વધીને હવે ૨૫૦ લાખ કરોડનું થવાની સંભાવના છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/if-taj-mahal-is-history-where-is-the-history-of-its-sculptors">તાજમહેલને ઈતિહાસ ગણીએ તો તેના શિલ્પીઓનો ઈતિહાસ ક્યાં છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શસ્ત્ર બજારમાં અમેરિકા પ્રથમ ક્રમે છે. તે પછીના ક્રમે ફ્રાન્સ, રશિયા, ચીન, જર્મની, ઈટલી, યુ.કે અને સ્પેન છે. હવે તેમાં સ્વીડન, તુર્કી, દક્ષિણ કોરિયા અને ભારતનો પણ પ્રવેશ થયો છે. ભારતનું લક્ષ્ય શસ્ત્રોની આયાત લગભગ ઘટાડીને યુદ્ધ હથિયારોમાં સ્વાવલંબી થવાની અને વધારાના હથિયારોની નિકાસ કરવાની છે. યુદ્ધ કોઈને પાલવે નહીં, આ યુદ્ધનો સમય નથી , યુદ્ધને બદલે સંવાદ જરૂરી છે એમ માનતું ભારત યુદ્ધ હથિયારોની નિકાસ કરશે કે શાંતિનું નોબેલ આપનાર સ્વીડન પણ યુદ્ધ હથિયારો વેચે છે તે કેટલું આઘાત અને આશ્ચર્યજનક છે નહીં? </span><br><span style="font-size: 14pt;">હાલમાં જે દેશોમાં યુદ્ધો ચાલે છે તેમની યુદ્ધ હથિયારોમાં એ કે ૪૭ ( એસોલ્ટ કલાશ્વિન કોવ) રાઈફલ અને ફાઈટર ડ્રોનની સવિશેષ માંગણી હોય છે. એટલે ડ્રોનનું હાલનું બજાર,  તેની માંગણીમાં વૃધ્ધિને જોતાં,  રૂ. પાંચ લાખ કરોડનું છે તે વધીને રૂ.પચીસ લાખ કરોડનું થવાનું છે. આધુનિક યુદ્ધો લડાકુ વિમાનો અને મિસાઈલોથી લડાય છે તેથી તેની પણ માંગ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુદ્ધો કેટલાં મોંઘા હોય છે તેનો ખ્યાલ કેટલાક યુધ્ધ હથિયારોની કિંમત પરથી આવે છે. ઈઝરાયેલે આટલી મિસાઈલો છોડી અને ઈરાનની આટલી વિફળ કરી તેવું વાંચી- સાંભળીને મિસાઈલ માનવ જીવ લેવા ઉપરાંત કિંમતમાં કેટલામાં પડે છે તેનો ખ્યાલ આવતો નથી. અમેરિકાની ટોમહોક મિસાઈલ પંદર લાખ ડોલરની તો પૈટ્રિયટ મિસાઈલ ૪૦ લાખ ડોલરની હોય છે. એફ-૧૫ અને એફ-૩૫ લડાકુ વિમાનમાં ઉડાન દરમિયાન દર કલાકે અનુક્રમે ૩૦ અને ૪૨ હજાર ડોલરનું ઈંધણ વપરાય છે. લડાકુ વિમાનોમાં રાખવામાં આવતી જીપીએસ આધારિત બોમ્બ કીટની કિંમત ૨૫ હજાર ડોલર છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/there-is-an-election-expenditure-limit-for-candidates-not-for-political-parties">ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદાઓ છે, તો રાજકીય પક્ષો માટે કેમ નહીં?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હથિયાર ઉત્પાદક દેશો અને કંપનીઓ યુદ્ધો અટકવા દેતા તો નથી જ પણ તેનો હાઉ પણ ફેલાવે છે. તાઈવાનને ચીનનો ખતરો છે એમ ઠસાવીને અમેરિકાએ તાઈવાનને આ વરસોમાં જ ૧૭ લાખ કરોડના હથિયારો પધરાવ્યા છે. હવેના યુદ્ધો જેમ વધુ નિર્મમ છે અને અંધાધૂધ બોમ્બમારો કરવામાં આવે છે તેમ તેમાં બે સૈનિકો સામસામે લડતા હોય તેવું બહુ ઓછું બને છે. એટલે મિસાઈલો તેમાંય ડ્રોન મિસાઈલો અને મશીનોનું આ યુદ્ધ છે. જે દેશોના યુધ્ધ હથિયારો વધુ આધુનિક અને ટેકનોલોજીની દ્રષ્ટિએ આગળ હોય તે જીતે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલના નાણાકીય વરસ (૨૦૨૪-૨૫) ના આરંભ પહેલાં ફેબ્રુઆરી-૨૦૨૪માં ભારત સરકારે સશસ્ત્ર દળોની ક્ષમતામાં વૃધ્ધિ માટે ૮૫ હજાર કરોડના શસ્ત્ર સરંજામની ખરીદીને મંજૂરી આપી હતી. આ ખરીદીમાં એવા હથિયારો લેવાના છે જે અત્યાધુનિક ડિફેન્સ ટેકનોલોજીથી બનેલા હોય અને યુદ્ધ ક્ષેત્રમાં નજર સામે ના હોય તેવા લક્ષ્ય પર નિશાન સાધી શકે. આ બધી બાબતો યુદ્ધની વિભીષિકાને ઓર વળ ચડાવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/The-Unrecognized-Suffering-of-the-Dalit-Muslim-and-the-Direction-of-Solution">દલિત મુસલમાનની અજાણી વ્યથા અને ઉકેલની દિશા</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુક્રેનનો દૈનિક યુદ્ધ ખર્ચ ૧૩.૬ કરોડ ડોલરનો છે. આ એ યુક્રેન છે જે ૧૯૨૨ થી ૧૯૯૧ સુધી સોવિયેત સંઘનો ભાગ હતું. અમેરિકાએ તેને ૧૧૩ અબજ ડોલર અને યુરોપિય દેશોએ ૯૧ અબજ ડોલરની સૈન્ય અને અન્ય નાણાકીય સહાય કરી છે. અફઘાનિસ્તાન અને ઈરાક્ના યુદ્ધોમાં અમેરિકાએ ૮૦ ખરબ ડોલર વાપર્યા હતા. બીજી તરફ ગાઝામાં દર દસે સાત લોકો વિશ્વની મદદ પર જીવે છે. જેની રોજની આવક ૨.૧૫ ડોલર કરતાંય ઓછી છે તેવા વિશ્વમાં ૭૦ કરોડ લોકો (વિશ્વની વસ્તીના આશરે દસ ટકા)  બેહદ ગરીબીમાં જીવે છે. ત્યારે યુદ્ધો કોના લાભમાં હોઈ શકે?  </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બે વિશ્વ યુદ્ધોની અકથ્ય પીડા આજે પણ વેઠી રહેલું વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધના ઓથાર હેઠળ જીવી રહ્યું છે. પરમાણુ હથિયારોના ઉપયોગની આશંકાએ તે હર પળ ડરેલું છે. હથિયારોની હોડ અને તકનિકીકરણની દોડે માનવજાતને એવા અંધારા ખૂણે ધકેલી દીધી છે જ્યાંથી પાછા ફરવું અશકયવત લાગે છે. ભયભીત  માનવજાત યુદ્ધ અને હથિયારોની વિભીષિકાથી મુક્તિ ઝંખે છે. આ આરત કોઈને સંભળાય છે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Exclusive:-Has-urbanization-weakened-the-caste-system">શું શહેરીકરણથી જ્ઞાતિ વ્યવસ્થા નબળી પડી છે?</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 24 Oct 2024 10:31:44 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1450</Articleid>
                    <excerpt>યુદ્ધને બદલે સંવાદ જરૂરી છે એમ માનતું ભારત યુદ્ધ હથિયારોની નિકાસ કરશે, શાંતિનું નોબેલ આપનાર સ્વીડન પણ યુદ્ધ હથિયારો વેચે છે તે કેટલું આઘાત અને આશ્ચર્યજનક છે? </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6719d49d3e5ac.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6719d49d04798.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6719d49d04798.jpg" length="89706" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Top Ten Arms Supplier Countries, War in the world, Israel Hamas War, Russia Ukraine war</media:keywords>
                </item>
                        <item>
                    <title>દુનિયાને સુધારતાં પહેલાં ઘરના લોકોને સુધારવા જરૂરી છે?</title>
                    <link>https://khabarantar.com/is-it-necessary-to-improve-the-people-at-home-before-improving-the-world</link>
                    <guid>https://khabarantar.com/is-it-necessary-to-improve-the-people-at-home-before-improving-the-world</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>કૌશિક શરૂઆત</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આપણે ઘણીવાર જાહેર મિટિંગમાં કે સોશિયલ મીડિયામાં વાંચતા, સાંભળતા હોઈએ છીએ કે, "તું પહેલા તારા ઘરના લોકોને સુધાર પછી દુનિયા સુધારવા નીકળજે." આ કેટલું તાર્કિક છે?</span><br><span style="font-size: 14pt;">આ બાબતે કેટલીક તાર્કિક દલીલો કરવી છે. સૌને વિનંતી છે કે આને પર્સનલી ના લેવી અને હું જે મુદ્દા રજૂ કરું છું તેના પર ધ્યાન આપજો, તેની જ વાત કરજો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧) ગૌતમ બુદ્ધના પિતરાઈ ભાઈ દેવદત્ત (દેવદહ) તેમના આજીવન વિરોધી રહ્યાં અને કદી બૌદ્ધ ના બન્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨)  ડૉ. બાબાસાહેબ આંબેડકરે "રાજગૃહ" મકાન બનાવ્યું તો પત્નીના આગ્રહથી તેમણે વાસ્તુ કરાવવું પડેલું. જ્યારે બાબાસાહેબ કર્મકાંડના વિરોધી હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૩) ડૉ. આંબેડકરે હિંદુ ધર્મથી ત્રાસી જઈ ધર્માંતરણની જાહેરાત કરી હતી, પણ રમાબાઈની મૃત્યુની ઘડીએ, લાંબી માંદગીમાં પંઢરપુરની યાત્રા કરવાની ઇચ્છા હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૪) જોતિરાવ ફૂલે નાસ્તિક હતા, ગુલામગીરી લખી, કર્મકાંડી બ્રાહ્મણોથી ચીડતા પણ તેમના પિતાજી ધાર્મિક હતા અને બ્રાહ્મણોનું માનતા હતા. બીજા લોકોના કહેવાથી તેમના પિતાજીએ જોતિરાવને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. જો કે પાછળથી અપનાવી લીધા હતા પણ જોતિરાવ ફૂલેના વિચારો સાથે તેમના પિતાજી સહમત હતા અથવા પુત્રના કામમાં જોડાયા હતા, તેવો ક્યાંય કરતા ક્યાંય ઉલ્લેખ નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૫) ઈ. વી. રામાસામી પેરિયારના માતાપિતા ખૂબ ધાર્મિક હતા અને તેમણે ક્યારેય સામાજિક ન્યાયની લડતમાં પેરિયારને સાથ આપ્યો હતો, તેવું ક્યાંય નોંધાયેલ નથી.</span><br><span style="font-size: 14pt;">હવે તમે લોકો નક્કી કરો કે, બુદ્ધ, બાબાસાહેબ, ફૂલે અને પેરિયાર તેમના ઘરનાને સુધાર્યા વગર સમાજ સુધારવા નીકળી ગયા હતા, તે સારું કર્યું હતું કે ખોટું કર્યું હતું? જો આ લોકો પહેલા ઘરનાને સુધારું પછી સમાજ સુધારવા જાઉં, તેવું વિચાર્યું હોત તો શું તેઓ (તેમના વિચારો) આજે આપણા સુધી પહોંચી શક્યા હોત? પહેલા હું મારા ઘરનાને સામાજિક ન્યાય સમજાવું પછી હું બીજાને સામાજિક ન્યાય સમજાવીશ, જો આવું કર્યું હોત તો શું આપણને આજે તેમનો જેટલો લાભ મળ્યો છે તેટલો લાભ મળી શકત?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિચારધારાની લડાઈ તે વિચારોની લડાઈ છે. તેમાં આપણા પરિવારનું દરેક સભ્ય આપણા જેટલું જ સમજે કે આપણા જેટલું જ યોગદાન આપે તે શક્ય નથી. અને ત્યાં સુધી કે જે તે વિચારધારાના અનુયાયીઓ પણ એકસરખી પ્રગતિ કરે ને એકસરખી સમજ ધરાવે તે પણ શક્ય નથી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમે તમારા જીવનમાં તમારા વિચારો પ્રમાણે ચાલતા જાવ, વિચાર બીજ વેરતા જાવ, જેમનું મનોજગત તમારા વિચારબીજને અનુરૂપ હશે તેમના દિમાગમાં તે ઉતરશે અને ઉગશે. જેને તમારા વિચારોની જરૂર નથી લાગતી તે શું લેવા તમારા વિચારો અપનાવે ? </span><br><span style="font-size: 14pt;">મારી સૌને નમ્ર વિનંતી સાથે સલાહ છે કે,</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧) વિચારધારાના નામે પરિવારમાં કલેશ ના કરશો. પરિવાર માનસિક શાંતિ, હૂંફ, પ્રેમ, વિગેરે માટે હોય છે. આને પ્રાથમિકતા આપો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨) ઘરના સભ્યો સાથે વાતચીત કરો, ચર્ચા કરો પણ ના સમજે તો તે તમારા બાપ, મા, ભાઈ, બહેન, દીકરો, દીકરી મટી નથી જતા. પોતાના સમજાવવામાં ભૂલ છે તેમ જુઓ, અને ઘણીવાર તો જે તે વ્યક્તિને તમારા વિચારો સાથે કોઈ લેવાદેવા ના હોય તો શું લેવા સમજે? વિચારોનું સિંચન કરવામાં જબરજસ્તી, ઉતાવળ ના કરશો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૩) "ઘર કી મુર્ગી દાલ બરાબર" આ કહેવત અહીં પણ લાગુ પડે છે. બહાર ગમે તેટલા મોટા સામાજિક, રાજકીય કાર્યકર્તા, નેતા હોવ પણ ઘરમાં તો તમે કોઈકના પતિ, બાપ, દીકરા, દીકરી છો. એટલે સમાજમાં તમારા શબ્દોની જેટલી અસર પડે તેટલી ઘરમાં ના પડે તે સ્વાભાવિક છે. એટલે પહેલા ઘરનાને સમજાવો તેવો આગ્રહ ખોટો છે. કલેકટર, મામલતદાર, મુખ્યમંત્રી વગેરે બધું ઘરની બહાર હોય, ઘરમાં તો પતિ તરીકે તેમણે જ તેમની પત્નીને સોરી કહેવું પડે. ત્યાં કોઈ પદ, કોઈ સત્તા, ના ચાલે. તેવું જ વિચારધારાનું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૪) વિચારધારા ફેલાવવાનું કામ સમય માંગી લેતું કામ છે અને ભારત જેવા દેશમાં તો દાયકાઓ અને ઘણી બાબતોમાં તો સદીઓ જોઈએ. એટલે ખૂબ ધીરજ  સાથે સતત આગળ વધતા રહો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૫) ઘર એ વિચારધારાનું કેન્દ્ર નથી પણ તમારું મન (દિમાગ) વિચારધારાનું કેન્દ્ર છે. તમે તમારા ઘરને ઘર જ રહેવા દેજો.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">(લેખક બહુજન સમાજના પુસ્તકો માટે વિખ્યાત શરૂઆત પબ્લિકેશનના ફાઉન્ડર છે. લેખમાં રજૂ થયેલા વિચારો વ્યક્તિગત છે.)</span></strong></span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચો : <a href="https://khabarantar.com/Hindu-scriptures-written-by-Brahmins-are-a-mountain-of-immorality---Kaushik-beginning">બ્રાહ્મણોએ લખેલા હિંદુ ધર્મગ્રંથો અનૈતિકતાનો પહાડ છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 21 Oct 2024 22:19:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1439</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671686103c57d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671686100c937.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671686100c937.jpg" length="75882" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ગાંધીજી સાવરકરને મળવા પહોંચ્યાં ત્યારે તેઓ ઝીંગા તળી રહ્યા હતા..</title>
                    <link>https://khabarantar.com/when-gandhiji-arrived-to-meet-savarkar-he-was-frying-shrimp</link>
                    <guid>https://khabarantar.com/when-gandhiji-arrived-to-meet-savarkar-he-was-frying-shrimp</guid>
                    <description>
                        <![CDATA[ ગાયને રાજમાતા જાહેર કરવાનો મુદ્દો ફરી ઉછળ્યો છે ત્યારે હિંદુત્વના પિતૃપુરૂષ સાવરકર, વાજપેયી અને હિંદુ ધર્મગ્રંથો ગાય-ગૌમાંસ વિશે શું માને છે તે પણ જાણી લો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <ul>
<li style="text-align: justify;"><span style="font-size: 12pt;">સાવરકર ન માત્ર ગૌમાંસ ખાતા હતા પરંતુ તેનો જાહેરમાં પ્રચાર પણ કરતા હતા</span></li>
<li style="text-align: justify;"><span style="font-size: 12pt;">સાવરકર બ્રાહ્મણ હોવા છતાં ગૌમાંસ ખાતા હતા અને માંસાહારી હતા</span></li>
<li style="text-align: justify;"><span style="font-size: 12pt;">સાવરકર એ પણ કહેતા હતા કે ગાયની પૂજા ન કરવી જોઈએ</span><br><span style="font-size: 12pt;"></span></li>
<li style="text-align: justify;"><span style="font-size: 12pt;">ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં સાવરકરને મળવા ગયા ત્યારે તેઓ રાત્રિભોજન માટે ઝીંગા તળી  રહ્યા હતા. તેમણે ગાંધીજીને પણ ઝીંગા ખાવા વિનંતી કરી હતી.</span></li>
<li style="text-align: justify;"><span style="font-size: 12pt;">વૈદિક કાળમાં ગાયના બલિદાનનું વર્ણન કરતી ઘણી લેખિત સામગ્રી ઉપલબ્ધ છે. </span></li>
<li style="text-align: justify;"><span style="font-size: 12pt;">સ્વામી વિવેકાનંદે તેમના લખાણોમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ કર્યો છે કે પવિત્ર ધાર્મિક વિધિઓ દરમિયાન ગાયનું બલિદાન અપાતું ગૌમાંસનું સેવન પણ કરવામાં આવતું હતું.</span></li>
<li style="text-align: justify;"><span style="font-size: 12pt;">અટલ બિહારી વાજપેયીને અમેરિકામાં ગૌમાંસ ખાતા જોઈને અમેરિકને પ્રશ્ન કર્યો તો તેમણે હસીને કહ્યું કે આ ભારતીય ગાયનું માંસ નથી એટલે તેને ખાવામાં શું વાંધો છે?</span></li>
</ul>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય રાજનીતિમાં ગાય એક મહત્વનો ભાવનાત્મક મુદ્દો બની ગઈ છે. ગાયને પવિત્ર પ્રાણી માનવામાં આવે છે. ઘણા હિંદુઓ માટે ગાય માતાનો દરજ્જો ધરાવે છે અને હિંદુ રાષ્ટ્રવાદી રાજનીતિએ સમાજના ધ્રુવીકરણ માટે આ માન્યતાનો ભરપૂર ઉપયોગ કર્યો છે. હિંદુત્વ ચિંતકોએ 'હિન્દુત્વ' શબ્દને માત્ર હિંદુત્વ જ નહીં પરંતુ 'સંકલિત હિંદુત્વ'નું પ્રતિનિધિત્વ કરતો શબ્દ ગણાવ્યો છે અને RSSએ તેના આધારે પોતાની રાજનીતિ અને હિંદુ રાષ્ટ્રનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. તે લગભગ છેલ્લા 100 વર્ષથી આ ધ્યેય હાંસલ કરવા માટે સતત પ્રયત્નશીલ છે. છેલ્લા ત્રણ દાયકામાં RSSની રાજનીતિના મૂળ મજબૂત થયા છે કારણ કે તે જે ભાવનાત્મક મુદ્દા ઉઠાવે છે તે દેશના રાજકીય લેન્ડસ્કેપ પર પ્રભુત્વ ધરાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/savarkar-ate-beef-despite-being-a-brahmin-minister-of-karnataka"><span style="font-size: 14pt;"> સાવરકર બ્રાહ્મણ હોવા છતાં ગૌમાંસ ખાતા હતા: કર્ણાટકના મંત્રી</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાયનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં છે. મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળના શાસક ગઠબંધને ગાય (પરંતુ માત્ર દેશી ગાય)ને રાજ્યમાતા-ગૌમાતા જાહેર કરી છે. એમાં જરાય શંકા નથી કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવું કરવામાં આવ્યું છે. સામાન્ય ધારણા એવી છે કે આ ચૂંટણીઓમાં ભાજપ મજબૂત સ્થિતિમાં નથી. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેનું પ્રદર્શન સારું રહ્યું ન હતું અને ત્યારથી તે સતત આવા ધ્રુવીકરણ કરતા મુદ્દાઓનો આશરો લેવાનો પ્રયાસ કરી રહી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં પણ બે દિવસ પહેલા શંકરાચાર્ય દ્વારા યોજાયેલી ગાયને રાજમાતા જાહેર કરવાની યાત્રામાં કોંગ્રેસના નેતાઓ પણ મોટા ઉપાડે પહોંચી ગયા હતા અને તેમણે ગુજરાત વિધાનસભામાં આ મામલે બિલ લાવવાની વાત કરી હતી. કોંગ્રેસના ગેનીબેન ઠાકોરથી લઈને વિપક્ષના નેતા અમિત ચાવડાએ ખૂલ્લા મંચ પરથી ગાયને રાજ્યમાતા જાહેર કરવાની વાતને ટેકો આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રમાં ગાયનો મુદ્દો ઉછળ્યો એ સમયગાળામાં કર્ણાટકના એક મંત્રીએ નિવેદન આપ્યું હતું કે, હિંદુ રાષ્ટ્રવાદી વિચારધારા (Hindu Nationalist Ideology) ના પિતૃપુરૂષ વિનાયક દામોદર સાવરકર (Vinayak Damodar Savarkar) ગૌહત્યા (Homicide) ના વિરોધી નહોતા અને તેઓ ગાયને પવિત્ર નહીં પણ ખૂબ જ ઉપયોગી પ્રાણી માનતા હતા. ગાંધી જયંતિ નિમિત્તે બેંગલુરુમાં આયોજિત એક કાર્યક્રમમાં મંત્રી દિનેશ ગુંડુ રાવે (Dinesh Gundu Rao)  દાવો કર્યો હતો કે સાવરકર ન માત્ર માંસાહારી પરંતુ તેઓ ગૌમાંસ (Beef) પણ ખાતા હતા અને તેનો જાહેરમાં પ્રચાર પણ કરતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસના મંત્રીએ કહ્યું કે "બ્રાહ્મણ હોવા છતાં સાવરકર પરંપરાગત આહાર નિયંત્રણોનું પાલન નહોતા કરતા અને તેમનો દૃષ્ટિકોણ આધુનિક હતો. દિનેશ ગુંડુ રાવે કહ્યું, “સાવરકર બ્રાહ્મણ હતા, પરંતુ તેઓ ગૌમાંસ ખાતા હતા અને માંસાહારી (non-vegetarian) હતા. તેઓ ગૌહત્યાના વિરોધમાં નહોતા, પરંતુ આ બાબતે તેમનો દૃષ્ટિકોણ તદ્દન આધુનિક હતો."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ જાણીતી હકીકત છે કે સાવરકર માંસાહારી હતા. ગાંધીજીએ તેમના કાર્યો માટે સમર્થન મેળવવા માટે દક્ષિણ આફ્રિકાની તેમની મુલાકાતો દરમિયાન સાવરકરે મળવા ગયા હતા. સાવરકર તેમનું રાત્રિભોજન તૈયાર કરી રહ્યા હતા અને ઝીંગા તળી રહ્યા હતા. તેમણે ગાંધીજી (Gandhiji) ને પણ ઝીંગા ખાવા માટે કહ્યું, પણ ગાંધીજીએ તે ખાવાનો ઈનકાર કરી દીધો કારણ કે તેઓ શાકાહારી હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાવરકર (Savarkar) એ પણ કહેતા હતા કે ગાયની પૂજા ન કરવી જોઈએ. લેખક વૈભવ પુરંદરે કહે છે, "સાવરકરનો મત એવો હતો કે ગાય માત્ર બળદની માતા છે. જો કે તેમનના ગૌમાંસ સેવનનું કોઈ દ્રષ્ટાંત નથી મળતું, પરંતુ તેઓ તેની વિરુદ્ધ નહોતા". “સાવરકરઃ ધ ટ્રુ સ્ટોરી ઑફ ધ ફાધર ઑફ હિંદુત્વ” પુસ્તકના લેખક પુરંદરેએ બેંગ્લોર લિટરેચર ફેસ્ટિવલમાં જણાવ્યું હતું કે "સાવરકર ગૌરક્ષાના મુદ્દે સાવરકર મૂંઝવણમાં હતા કારણ કે તેઓ માનતા હતા કે જો હિંદુઓની લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે જાણીજોઈને ગાયોની હત્યા કરવામાં આવશે તો તેનાથી સમસ્યા પેદા થશે. પરંતુ તેમનું માનવું હતું કે, જો તમે આવું માત્ર એટલા માટે કરો છો કે તમને ગૌમાંસ પસંદ છે, તો તેમાં કોઈ વાંધો નથી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યાં સુધી ગાયની પવિત્રતાનો સંબંધ છે, તો વૈદિક કાળમાં ગાયના બલિદાનનું વર્ણન કરતી ઘણી લેખિત સામગ્રી ઉપલબ્ધ છે. સ્વામી વિવેકાનંદે તેમના લખાણોમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ કર્યો છે કે પવિત્ર ધાર્મિક વિધિઓ દરમિયાન ગાયનું બલિદાન આપવામાં આવતું હતું અને ગૌમાંસનું સેવન પણ કરવામાં આવતું હતું.  ધ કમ્પલિટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ પુસ્તકમાં અમેરિકાના કેલિફોર્નિયાની શેક્સપિયર ક્લબમાં તેમણે આપેલા ભાષણમાં પણ આ વાત સ્પષ્ટ થાય છે. પુસ્તકમાં લખાયું છે કેઃ </span><br><span style="font-size: 14pt;">“તમને નવાઈ લાગશે જો હું તમને કહું કે પ્રાચીનકાળમાં થનારા સમારંભોમાં ગૌમાંસ ન ખાનારને સારો હિંદુ માનવામાં નહોતો આવતો. ઘણા પ્રસંગોએ બળદનું બલિદાન આપવું અને તેનું માંસ ખાવું ફરજિયાત હતું.” (શેક્સપિયર ક્લબ, પાસાડેના, કેલિફોર્નિયા, યુએસએ ખાતે વિવેકાનંદનું ભાષણ. ધ કમ્પલિટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ, ગ્રંથ 3, કલકત્તા: અદ્વિતા આશ્રમ, 1997, પૃષ્ઠ 536).</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/children-were-seen-in-savarkars-t-shirts-during-the-bjps-tricolor-yatra"><span style="font-size: 14pt;">ભાજપની તિરંગા યાત્રામાં બાળકો સાવરકરના ટિશર્ટમાં જોવા મળ્યાં</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખાસ નોંધવા જેવી બાબત એ છે કે, સ્વયં સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત રામકૃષ્ણ આશ્રમ દ્વારા કરવામાં આવેલા સંશોધન કાર્યોમાં પણ આ વાતની પુષ્ટિ થાય છે. તેમાંથી એક કહે છે -</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">“વૈદિક સમયગાળા દરમિયાન બ્રાહ્મણો સહિત આર્યો માછલી, માંસ અને ગૌમાંસનું સેવન કરતા હતા. ખાસ મહેમાનને માન આપવા માટે તેમના ભોજનમાં ગૌમાંસ પીરસવામાં આવતું હતું. વૈદિક કાળના આર્યો ગૌમાંસ ખાતા હોવા છતાં દૂધ આપતી ગાયોની કતલ કરવામાં આવતી નહોતી. ગાયનો એક પર્યાયવાચી શબ્દ હતો અગ્નયા. જેનો અર્થ થાય છે 'જેની કતલ નથી કરી શકાતી'. પરંતુ તે મહેમાન 'ગોગણા' કહેવામાં આવતા હતા જેના માટે ગાયની હત્યા કરવામાં આવતી હતી. પરંતુ માત્ર બળદ, વાછરડા અને વસુકેલી ગાયોની જ કતલ કરવામાં આવતી હતી.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(સી કુન્હન રાજા, સતીશ કુમાર ચેટર્જી અને અન્ય સંપાદકો દ્વારા " વૈદિક કલ્ચર-ભારતનો સાંસ્કૃતિક વારસો, ભાગ 1 (કલકત્તા: રામકૃષ્ણ મિશન, 1993) પૃષ્ઠ 217 માં ટાંક્યાં મુજબ)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંબેડકર દ્વારા કરવામાં આવેલા અભ્યાસો દ્વારા પણ આ વાતની પુષ્ટિ થાય છે. પ્રાચીન ભારતના ઈતિહાસકાર પ્રોફેસર ડી.એન. ઝા, તેમના વિદ્વતાપૂર્ણ અભ્યાસમાં, "મીથ ઓફ હોલી કાઉ" માં જણાવે છે કે "અથો અન્નમ વિયા ગઉ (ગાય ભોજન છે) જેવા શ્લોકો વેદોમાં મોજૂદ છે. બૌદ્ધ ધર્મ અને બ્રાહ્મણવાદ વચ્ચેના સંઘર્ષને કારણે ગાયને બાદમાં ગાયને માતા અને પવિત્રનો દરજ્જો આપવામાં આવ્યો. આ બ્રાહ્મણવાદના પુનરુત્થાન અને બૌદ્ધ ધર્મ પરના હુમલાનો એક ભાગ હતો. તે સમયે ભારતમાં બૌદ્ધ ધર્મનો નાશ કરવામાં આવી રહ્યો હતો.</span><br><span style="font-size: 14pt;">બાદમાં, સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન જ્યારે હિંદુ અને મુસ્લિમ કોમવાદી રાજકારણે વેગ પકડ્યો ત્યારે ગાય અને ભૂંડનો ઉપયોગ બંનેએ પોતપોતાની સ્થિતિ મજબૂત કરવા માટે કર્યો. મસ્જિદમાં ડુક્કરનું માંસ અથવા મંદિરમાં ગૌમાંસ ફેંકવા જેવા કૃત્યો કોમી હિંસા ભડકાવવા માટે થવા લાગ્યા, જેનાથી આ વિભાજનકારી પ્રવૃત્તિઓએ જોર પકડ્યું. પાછળથી એવા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા જ્યારે હિંસા ભડકાવવા માટે જાણીજોઈને મંદિરોમાં ગૌમાંસ ફેંકવામાં આવ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૌહત્યા પર પ્રતિબંધ જેવા મુદ્દાઓ વેગ પકડી રહ્યા છે અને અખલાકથી લઈને જુનૈદ અને રકબર ખાન સુધીના લોકોની આ મુદ્દે હત્યા કરી દેવામાં આવતા મુસ્લિમ સમાજમાં ભય વધી રહ્યો છે. આ પ્રવૃત્તિઓને કારણે લઘુમતી સમુદાયને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. માનવતાવાદી હર્ષમંદરે "કારવાં-એ-મોહબ્બત" નામની એક સંસ્થાની રચના કરી છે જે લિંચિંગ પીડિતોના પરિવારોના જખમો પર મલમ લગાડવાનું કામ કરે છે. આવા મામલામાં માત્ર મુસ્લિમો જ નિશાને છે.</span><br><span style="font-size: 14pt;">મહારાષ્ટ્ર સરકારે ખૂબ જ ચતુરાઈથી માત્ર દેશી ગાયોને જ રાજમાતાનો દરજ્જો આપ્યો છે અન્ય જાતની ગાયોને નહીં. ભારતમાંથી ગૌમાંસની નિકાસ દર વર્ષે વધી રહી છે. રસપ્રદ વાત એ છે કે, અટલ બિહારી વાજપેયી પર કેન્દ્રિત વિજય ત્રિવેદીના પુસ્તક "હાર નહીં માનુંગા"માં ઉલ્લેખ છે કે વાજપેયી અમેરિકામાં બીફનું સેવન કરતા હતા (પૃષ્ઠ 236) અને જ્યારે તે જ ટેબલ પર બેઠેલા એક વ્યક્તિએ તેમને આ અંગે પ્રશ્ન પૂછ્યો તો વાજપેયીએ હસીને કહ્યું કે આ ભારતીય ગાયનું માંસ નથી એટલે તેને ખાવામાં શું વાંધો છે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/savarkar-an-attempt-to-distort-the-truth-to-strengthen-hindutva-politics">સાવરકરઃ હિંદુત્વવાદી રાજનીતિને મજબૂત કરવા સત્યને વિકૃત કરતો પ્રયત્ન</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 18 Oct 2024 12:03:53 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1416</Articleid>
                    <excerpt>ગાયને રાજમાતા જાહેર કરવાનો મુદ્દો ફરી ઉછળ્યો છે ત્યારે હિંદુત્વના પિતૃપુરૂષ સાવરકર, વાજપેયી અને હિંદુ ધર્મગ્રંથો ગાય-ગૌમાંસ વિશે શું માને છે તે પણ જાણી લો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6711fef57a4ce.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6711fef548aab.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6711fef548aab.jpg" length="68891" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Vinayak Damodar Savarkar, Beef, Gandhiji</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;quot;મારી માતાનું એક જ લક્ષ્ય હતું, મને ભણાવવાનું...&amp;quot;</title>
                    <link>https://khabarantar.com/heartbreaking-story-of-g-n-saibaba-my-mother-had-only-one-goal-to-teach-me</link>
                    <guid>https://khabarantar.com/heartbreaking-story-of-g-n-saibaba-my-mother-had-only-one-goal-to-teach-me</guid>
                    <description>
                        <![CDATA[ દિલ્હી યુનિ.ના 56 વર્ષના દલિત પ્રોફેસર G. N. Saibaba  હવે આપણી વચ્ચે નથી રહ્યાં, તેમનો સંઘર્ષ કઠણ કાળજાના માણસને પણ રડાવી દે તેવો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">“હું 90% દિવ્યાંગ છું. મારી માતા મને તેડીને સ્કૂલે મૂકવા આવતી અને લઈ જતી. એનું એક જ લક્ષ્ય હતું મને ભણાવવાનું. હું જેલમાં હતો ત્યારે મારી માતા બીમાર હતા, તેના અંતિમ દર્શન માટે મને પેરોલ ન મળી, માતાના મૃત્યુ વેળાએ પેરોલ ન મળી, મૃત્યુ બાદની વિધિ વખતે મને પેરોલ ન મળી!” આ દર્દ હતું દિલ્હી યુનિવર્સિટીના 56 વર્ષના અંગ્રેજીના પૂર્વ પ્રોફેસર જી. એન. સાઈબાબા (G. N. Saibaba) નું.</span><br><span style="font-size: 14pt;">આ દર્દ, જેલની હાડમારી, માનસિક આઘાતના કારણે ભાંગી પડેલ સાંઈબાબા, NIMS હૈદરાબાદમાં સારવાર લઈ રહ્યા હતા; દરમિયાન 12 ઓક્ટોબર 2024ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોઈ બુદ્ધિજીવી; ગરીબ, વંચિત, દલિત, આદિવાસીની તરફેણ કરે તેને ‘માઓવાદી’, ‘વામપંથી’ ‘અર્બન નક્સલ’નું લેબલ મારી દેવામાં આવે છે. મૂળ કારણ તો સરકારની ગરીબો વિરોધી અને કોર્પોરેટ મિત્રો તરફી નીતિઓનો કોઈ વિરોધ ન કરે; તે સબક શિખવાડવાનો હોય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાઈબાબા ઉપર આરોપ હતો કે ‘પ્રતિબંધિત માઓવાદી પાર્ટી સાથે તેમને સંબંધ છે અને તેઓ તેમને મદદ કરે છે’ 9 મે 2014ના રોજ, મહારાષ્ટ્ર પોલીસે તેમને એરેસ્ટ કર્યા હતા. ચોંકાવનારી બાબત એ હતી કે પોલીસે ન તો સાઈબાબાની પૂછપરછ કરી કે ન રીમાન્ડ મેળવ્યા. તેમને કોર્ટ સમક્ષ રજૂ કરી જેલમાં મોકલી દીધા. 2017માં ગઢચિરૌલીની સેશન્સ કોર્ટે સાઈબાબા અને બીજાને UAPA તથા IPC હેઠળ આજીવન કેદની સજા કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/what-is-lankesh-chakravartys-palli-parirvartan-abhiyan">લંકેશ ચક્રવર્તીનું 'પલ્લી પરિવર્તન અભિયાન' શું છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બોમ્બે હાઈકોર્ટે 14 ઓક્ટોબર 2022ના રોજ સાઈબાબાને નિર્દોષ ઠરાવી જેલમુક્ત કરવા આદેશ કરેલ; તે આદેશને સુપ્રિમ કોર્ટના જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ બેલા ત્રિવેદીની બેંચે બીજે દિવસે સ્થગિત કરી દીધો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાઈબાબા 90% દિવ્યાંગ હતા, વ્હીલચેર પર જ હરીફરી શકતા હતા. તે નીચે બેસી શકતા ન હતા. સાઈબાબાના વકીલ આકાશ સરોદે કહ્યું હતું કે ‘સાઈબાબા લાંબા સમયથી વિનંતિ કર્યા કરે છે કે પોતાને સાંકડા અંડા સેલમાંથી બહાર કાઢવામાં આવે; જેથી વેસ્ટર્ન ટોઈલેટ મળે; થોડી રાહત મળે. વ્હીલચેર ટોઈલેટ સુધી જતી નથી. ન્હાવાની જગ્યા નથી. તેઓ પોતે પગ પર ઊભાં રહી શકતા નથી. બાથરૂમ જવા, ન્હાવા, બેડમાં શિફ્ટ થવા બે માણસોની જરૂર પડે. પરંતુ તેમની વિનંતિ ગ્રાહ્ય રાખવામાં આવતી નથી”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે ‘બોમ્બે હાઈકોર્ટે મેરિટ પર નહીં, ટેકનિકલ ગ્રાઉન્ડ પર છોડેલ છે. સાંઈબાબા સામે કેસ ચલાવવાની મંજૂરી લીધી ન હતી; પરંતુ આ કેસમાં મંજૂરી લેવાની જરુર ન હતી!’ અરે જજ સાહેબ, શું સાંઈબાબાએ કોઈની હત્યા કરી હતી? જેમણે ફેક એન્કાઉન્ટર કરી અનેક હત્યાઓ કરેલ તે પોલીસ અધિકારીઓ ‘કેસ ચલાવવાની સરકારની મંજૂરી લીધી નથી’ એ ટેકનિકલ ગ્રાઉન્ડ પર જેલમુક્ત થયા ન હતા?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાંઈબાબાની પત્નીએ કહ્યું હતું કે ‘કેસમાં 23 સાક્ષી હતા, તેમાં 22 પોલીસવાળા છે. એકને બળજબરીથી સાક્ષી બનાવેલ હતો. ઘરમાંથી જે સામાન સીઝ કરેલ તે સીલ કર્યા વિના લઈ જવામાં આવેલ!’ </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ન્યાયતંત્રનો કદરૂપો ચહેરો જુઓઃ બે મર્ડર અને બળાત્કાર, એમ ત્રણ કેસમાં સજા ભોગવતા બાબા રામ રહીમ 40 દિવસ પેરોલ પર છૂટે છે અને સાઈબાબાને બોમ્બે હાઈકોર્ટે જેલમુક્ત કરવા આદેશ કર્યાના દિવસે જ સરકારે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરીને સાઈ બાબાને જેલમુક્ત થતાં રોકી દીધા! આપણે કેવો સમાજ નિર્માણ કર્યો છે તેનું આ ઉદાહરણ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/lateral-entry-is-not-panacea-for-administrative-problems">વહીવટમાં જે સમસ્યાઓ છે, તેનો રામબાણ ઈલાજ 'લેટરલ એન્ટ્રી' નથી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">5 માર્ચ 2024ના રોજ, બોમ્બે હાઈકોર્ટે સાઈબાબાને નિર્દોષ ઠરાવતા કહ્યું કે “ઈન્ટરનેટથી કોમ્યુનિસ્ટ, નક્સલ સાહિત્ય ડાઉનલોડ કરવું કે કોઈ વિચારધારાનું સમર્થન કરવું તે UAPA હેઠળ ગુનો બનતો નથી.” આ ચુકાદા સામે મહારાષ્ટ્ર સરકારે ફરી સુપ્રીમકોર્ટમાં અપીલ કરી હતી, જે પેન્ડિંગ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાંઈબાબાનો વાંક એટલો જ કે તેમણે ઓપરેશન ગ્રીન હન્ટ, ખનન સામે અવાજ ઊઠાવ્યો, ગરીબ આદિવાસીઓના હક્ક માટે લડ્યા. બદલો શું મળ્યો? 10 વર્ષ જેલમાં રહેવું પડ્યું. એપ્રિલ 2021માં દિલ્હી યુનિવર્સિટીએ તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા. સરકારને એક દિવ્યાંગ પ્રોફેસર પણ  ખતરનાક લાગે છે!</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાંઈબાબાનો વાંક એ હતો કે ભયંકર ગરીબી હોવા છતાં, દિવ્યાંગ હોવા છતાં તેઓ ભણ્યા, અંગ્રેજીના પ્રોફેસર બન્યા. તેઓ બુદ્ધિજીવી હતા એ જ તેમનો મોટો ગુનો! એટલે તેઓ માતાને છેલ્લી વખત મળી ન શક્યા. આ દેશમાં, બળાત્કારી, હત્યારાને માંગે ત્યારે પેરોલ મળે, દેશના અભણ શાસકોના મતે બુદ્ધિજીવી, આંદોલનજીવી તો બળાત્કારી, હત્યારા કરતા વધુ ખતરનાક છે?</span><br><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">- રમેશ સવાણી</span></strong><br><em><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>(લેખક પૂર્વ આઈપીએસ અધિકારી અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.)</strong></span></em></p>
<p style="text-align: justify;"><strong><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/why-are-temples-overflowing-with-people-here-is-the-reasoned-answer">શા માટે ધર્મસ્થળો માણસોથી ઉભરાય છે? આ રહ્યો તાર્કિક જવાબ</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 14 Oct 2024 14:15:29 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 14 Oct 2024 14:00:57 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1385</Articleid>
                    <excerpt>દિલ્હી યુનિ.ના 56 વર્ષના દલિત પ્રોફેસર G. N. Saibaba  હવે આપણી વચ્ચે નથી રહ્યાં, તેમનો સંઘર્ષ કઠણ કાળજાના માણસને પણ રડાવી દે તેવો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670cd2e6acacf.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670cd2e674615.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670cd2e674615.jpg" length="81651" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>G. N. Saibaba, Heartbreaking story of G. N. Saibaba, G. N. Saibaba case</media:keywords>
                </item>
                        <item>
                    <title>આપણો પોતાનો મહિસાસુર</title>
                    <link>https://khabarantar.com/our-very-own-mahisasur</link>
                    <guid>https://khabarantar.com/our-very-own-mahisasur</guid>
                    <description>
                        <![CDATA[ પત્રકાર ગૌરી લંકેશે અસુરરાજ મહિષાસુર પર અંગ્રેજીમાં લખેલો સંશોધન લેખ Our very own Mahisasur અનેક ભાષાઓમાં પ્રકાશિત થયો હતો. વાંચો ગૌરી લંકેશ મહિષાસુર વિશે શું લખે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">આર. કે. પરમાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Our very own Mahisasur : વિખ્યાત પત્રકાર અને સામાજિક કાર્યકર એવા ગૌરી લંકેશની ૫ સપ્ટેમ્બર, ૨૦૧૭ ના રોજ હત્યા થઈ હતી. ગૌરી લંકેશ એક સ્પષ્ટ અને સત્ય વક્તા હતા. તેઓ જમણેરી હિન્દુત્વવાદી વિચારધારાના પ્રખર આલોચક, મહિલાઓના હક અધિકારોના સંરક્ષક અને જાતિ ભેદભાવોના કટ્ટર વિરોધી હતા. ગૌરી લંકેશે "આપણો પોતાનો મહિષાસુર" શીર્ષક હેઠળ એક અહેવાલ મૂળ અંગ્રેજી ભાષામાં લખ્યો હતો, જે અહેવાલ વેબ પોર્ટલ બેંગલોર મીરરમાં ૨૯ ફેબ્રુઆરી, ૨૦૧૬ ના રોજ પ્રકાશિત થયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અહેવાલમાં તેમણે મહિષાસુર અને બીજા અસુર રાજાઓની હત્યા અને તેમાં ષડયંત્રો ઉપર પ્રકાશ પાડ્યો હતો. આ અહેવાલ વાંચ્યા બાદ આપ સમજી શકશો કે શા માટે હિન્દુત્વવાદીઓએ ગૌરી લંકેશની નિર્દયતાથી હત્યા કરી નાખી. આ લેખનો હિન્દીમાં અનુવાદ સિદ્ધાર્થજીએ કર્યો હતો જે ફોરવર્ડ પ્રેસમાં પ્રકાશિત થયો હતો. આ અહેવાલનો ગુજરાતી અનુવાદ અહીં રજૂ કરીએ છીએ. આવો જાણીએ કોણ છે અસુર? કોણ છે મહિષાસુર? કોણ છે દુર્ગા અને કોણ છે ચામુંડા?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિષાસુર એવા વ્યક્તિત્વનું નામ છે, જે સહજતાથી લોકોને પોતાની તરફ ખેંચી જાય છે. તેમના જ નામ પરથી 'મૈસુર' નામ પડ્યું છે. જોકે હિન્દુ દંતકથાઓ તેમને દૈત્ય એટલે કે રાક્ષસના રૂપમાં રજૂ કરે છે, ચામુંડા દ્વારા તેમની હત્યાને યોગ્ય ઠેરવે છે, પરંતુ લોકગાથાઓ તેનાથી બિલકુલ અલગ વાર્તાઓ કહે છે. ત્યાં સુધી કે ડૉ. બી. આર. આંબેડકર અને મહામના જોતિબા ફૂલે જેવા ક્રાંતિકારી વિચારક પણ મહિષાસુરને એક મહાન અને ઉદાર દ્રવિડિયન રાજાના રૂપમાં જુએ છે. જેણે લૂંટારા - હત્યારા આર્યો એટલે કે સુરોથી પોતાના લોકોની રક્ષા કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇતિહાસકાર વિજય મહેશ કહે છે કે, 'માહી' શબ્દનો અર્થ એક એવો માણસ થાય છે જે દુનિયામાં શાંતિ સ્થાપિત કરે છે. મોટાભાગના મૂળનિવાસી રાજાઓની જેમ મહિષાસુર ન માત્ર વિદ્વાન અને શક્તિશાળી રાજા હતા, પરંતુ તેમની પાસે ૧૭૭ બુદ્ધિમાન સલાહકારો પણ હતા. તેમનું રાજ્ય પ્રાકૃતિક સંશોધનોથી ભરપૂર હતું. તેમના રાજ્યમાં હોમ-હવન કે યજ્ઞ જેવા વિધ્વંસક કર્મકાંડો માટે કોઈ જગ્યા નહતી. કોઈપણ માણસ પોતાના ભોજન, આનંદ કે ધાર્મિક કર્મકાંડ માટે મનમાની કરી અસંખ્ય જાનવરોને મારી શકતો નહતો. સૌથી મોટી વાત તો એ હતી કે મહિષાસુરના રાજ્યમાં કોઈને પણ કામકાજ કર્યા વિના જીવન જીવવાની મંજૂરી નહોતી. તેમના રાજ્યમાં કોઈ મનમરજીથી ઝાડ કાપી શકતું નહતું. ઝાડને કપાતા રોકવા માટે તેમણે ઘણાં બધાં માણસોને નિયુક્ત કરી રાખ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિજય મહેશ દાવો કરે છે કે, મહિષાસુરના રાજ્યના લોકો ધાતુને આકાર આપવાની કામગીરીમાં નિષ્ણાંત હતા. આ જ પ્રકારનું મંતવ્ય એક બીજા ઇતિહાસકાર એમ. એલ. શેદંજ રજૂ કરે છે. તેઓ જણાવે છે કે, "ઇતિહાસકાર વિન્સેન્ટ એ. સ્મિથ પોતાના ઇતિહાસગ્રંથમાં કહે છે કે ભારતમાં તામ્રયુગ અને પ્રગ ઐતિહાસિક યુગમાં હથિયારોનો પ્રયોગ થતો હતો. મહિષાસુરના સમયમાં સમગ્ર દેશમાંથી લોકો તેમના રાજ્યમાં હથિયારો ખરીદવાં માટે આવતા હતા. આ હથિયારો ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાવાળી ધાતુઓમાંથી બનેલા હતા. લોકકથાઓ અનુસાર મહિષાસુર વિભિન્ન વનસ્પતિઓ અને વૃક્ષોના ઔષધીય ગુણોનો જાણકાર હતાં અને તેઓ વ્યક્તિગત રીતે તેનો ઉપયોગ પોતાના રાજ્યના લોકોના સ્વાસ્થ્ય માટે કરતા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તો પછી શા માટે અને કેવી રીતે આટલા શ્રેષ્ઠ અને મહાન રાજાને ખલનાયક બનાવવામાં આવ્યો? આ સંદર્ભમાં સબર્લ્ટન સંસ્કૃતિના લેખક અને શોધકર્તા યોગેશ માસ્ટર કહે છે કે, "આ બાબતને સમજવા માટે તમારે સુરો અને અસુરોની સંસ્કૃતિઓ વચ્ચેના સંઘર્ષને સમજવો પડશે". દરેક માણસ જાણે છે કે અસુરોના મહિષા રાજ્યમાં ખૂબ જ મોટી સંખ્યામાં પાડાઓ હતા. આર્યોની ચામુંડાનો સંબંધ તેની સંસ્કૃતિ સાથે હતો. જેમનું મૂળ ધન ગાયો હતી. જ્યારે આ બે સંસ્કૃતિઓ વચ્ચે સંઘર્ષ થયો, ત્યારે મહિષાસુરની હાર થઈ અને તેમના લોકોને આ વિસ્તારમાંથી ભગાડી દેવામાં આવ્યા. કર્ણાટકમાં માત્ર મહિષાસુરનું જ શાસન નહોતું પરંતુ બીજા અનેક અસુર શાસકો પણ હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેની વ્યાખ્યા કરતા વિજય કહે છે કે, "વર્ષ ૧૯૨૬ માં મૈસુર વિશ્વવિદ્યાલયે ઇન્ડિયન ઇકોનોમિક કોન્ફરન્સ માટે એક પુસ્તિકા પ્રકાશિત કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે કર્ણાટક રાજ્યમાં અસુર રાજાઓના ઘણા બધા ગઢ હતા. ઉદાહરણ તરીકે ગુહાસુર પોતાની રાજધાની હરિહર પર રાજ કરતા હતા. હિડિંબાસુર ચિત્રદુર્ગ અને તેની આસપાસના વિસ્તારો પર શાસન કરતા હતા. બકાસુર રામાનગરના રાજા હતા. એ વાત તો તમને બધાને ખબર જ છે કે મહિષાસુર મૈસુરના રાજા હતા. આ બધા પુરાવાઓ જણાવે છે કે આર્યોના આગમન પહેલા આ બધા વિસ્તારો પર મૂળનિવાસી અસુરોનુ રાજ હતું. આર્યોએ તેમના રાજ્યો પર કબજો કરી લીધો હતો."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડોકટર બાબાસાહેબ આંબેડકરે પણ બ્રાહ્મણવાદી દંતકથાઓના એ ચિત્રણનું મજબૂતીથી ખંડન કર્યું છે કે અસુરો દૈત્ય હતા. ડૉ. બી. આર. આંબેડકર પોતાના એક નિબંધમાં આ વાત પર જોર આપે છે કે, "મહાભારત અને રામાયણમાં અસુરોને આ રીતે ચીતરવા સંપૂર્ણ ખોટું છે કે તેઓ માનવ સમાજના સભ્ય ન હતા. ડોકટર બી. આર. આંબેડકર બ્રાહ્મણોની એ વાતની પણ મજાક ઉડાવે છે કે બ્રાહ્મણોએ પોતાના દેવતાઓને દયા આવે તેવા ડરપોકોના સમૂહ તરીકે રજૂ કર્યા છે.</span><br><span style="font-size: 14pt;">ડો. આંબેડકર કહે છે કે, હિન્દુઓની બધી દંતકથાઓ એ દર્શાવે છે કે અસુરોની હત્યા વિષ્ણુ કે શિવ દ્વારા નહીં પરંતુ દેવીઓએ કરી છે. દુર્ગા (કર્ણાટકના સંદર્ભમાં ચામુંડા) એ મહિષાસુરની હત્યા કરી, તો કાળીએ નરકાસુરને માર્યો, જ્યારે શુંબ અને નિશુંબ અસુર ભાઈઓની હત્યા દુર્ગાના હાથે થઈ. બાણાસુરને કન્યાકુમારીએ માર્યો. એક બીજા અસુર રક્તબીજની હત્યા દૈવીશક્તિએ કરી. ડો. બી.આર. આંબેડકર તિરસ્કાર સાથે કહે છે કે, "એવું લાગે છે કે ઈશ્વર લોકો અસુરોના હાથોથી પોતાની રક્ષા પોતે કરી શકે એમ નહતા, એટલે તેમણે પોતાને બચાવવા માટે પોતાની પત્નીઓને મોકલી દીધી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આખરે શું કારણ હતું કે સુરો એટલે કે દેવતાઓએ હંમેશા પોતાની મહિલાઓને જ અસુર રાજાઓની હત્યા કરવા માટે મોકલી. તેના કારણોની વ્યાખ્યા કરતા વિજય મહેશ જણાવે છે કે "દેવતાઓ એ સારી રીતે જાણતા હતા કે અસુર રાજાઓ ક્યારેય પણ મહીલાઓ સામે પોતાનું હથિયાર નહિ ઉઠાવે. આમાંથી મોટાભાગની મહિલાઓએ અસુર રાજાઓની હત્યા ચાલાકીથી કરી છે. પોતાની શરમને છુપાવવા માટે દેવતાઓની આ હત્યારી પત્નીઓના દસ હાથ અને અદભુત હથિયારોની વાર્તાઓ ઘડવામાં આવી. નાટક-નૌટંકી માટે સારી, પરંતુ અશક્ય લાગતી આ વાર્તાઓથી દૂર જઈને આપણે એ હકીકતને જોઈ શકીએ છીએ કે કેવી રીતે બ્રાહ્મણવાદી વર્ગે મૂળનિવાસી લોકોના ઇતિહાસને તોડીમરોડી નાખ્યો છે. ઇતિહાસને આ રીતે તોડવાનો તેમનો ઉદ્દેશ્ય પોતાનાં સ્વાર્થને પૂરા કરવાનો હતો."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિજય મહેશ આગળ કહે છે, "માત્ર બંગાળ કે ઝારખંડમાં જ નહિ, પરંતુ મૈસુરની આજુબાજુમાં પણ કેટલાક એવા સમાજો રહે છે, જે ચામુંડાને તેમના મહાન અને ઉદાર રાજાની હત્યા માટે દોષી માને છે. તેમનામાંથી કેટલાક દશેરાના દિવસે મહિષાસુરની આત્મા માટે પ્રાર્થના કરે છે. જેવું કે ચામુંડેશ્વરી મંદિરના મુખ્ય પૂજારી શ્રીનિવાસને મને જણાવ્યું કે તમિલનાડુમાંથી કેટલાક લોકો વર્ષમાં બે વાર આવે છે અને મહિષાસુરની મૂર્તિની પૂજા કરે છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લાં બે વર્ષથી અસુરો સમગ્ર દેશમાં આક્રોશનો મુદ્દો બની ગયા છે. પશ્ચિમ બંગાળના આદીવાસી લોકો અસુર સંસ્કૃતિ પર વિચાર વિમર્શ કરવા માટે વિશાળ બેઠકો કરી રહ્યા છે, તો દેશના અલગ અલગ વિશ્વ વિદ્યાલયના કેમ્પસમાં અસુર વિષયવસ્તુની આજુબાજુ તહેવારો આયોજિત કરવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે ઉસ્માનીયા યુનિવર્સિટી અને કાકાટિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ નરકાસુર દિવસ મનાવ્યો હતો. જો કે જેએનયુના વિધાર્થીઓના મહિષાસુર ઉત્સવને તત્કાલીન માનવ સંસાધન મંત્રીએ એટલી દેશવ્યાપી લોકપ્રિયતા અપાવી દીધી હતી કે હું તેના વિસ્તારમાં નથી જઈ રહી. મહિષાસુર અને બીજા અસુરો પ્રત્યે લોકોના વધતા જતા આકર્ષણની શું વ્યાખ્યા કરી શકાય?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શું માત્ર એટલું કહીને પીછો છોડાવી લેવાય કે દંતકથાઓ ઇતિહાસ નથી હોતી, લોકગાથાઓ આપણાં ભૂતકાળનો દસ્તાવેજ હોય શકે નહીં? વિજય મહેશ તેની સટિક વ્યાખ્યા કરતા કહે છે "મનુવાદીઓએ બહુજનોના સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસને પોતાના હિસાબથી તોડી તેને બદલી નાખ્યો છે. આપણે આ ઇતિહાસ પર પડેલી ધૂળને ખંખેરવી પડશે, પૌરાણિક જૂઠોનો પર્દાફાશ કરવો પડશે અને પોતાના લોકો તથા પોતાના બાળકોને હકીકત જણાવવી પડશે. આ જ એકમાત્ર રસ્તો છે જેના પર ચાલીને આપણે આપણાં સાચા ઇતિહાસના દાવેદાર બની શકીશું. મહિષાસુર અને બીજા અન્ય અસુરો પ્રત્યે લોકોનું વધી રહેલું આકર્ષણ એ સાબિત કરે છે કે હકીકતમાં આ જ કામ થઈ રહ્યું છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><em><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 12pt;">(મૂળ લેખ ગૌરી લંકેશે બેંગ્લુરુ મિરરમાં અંગ્રેજીમાં લખ્યો હતો, તેનો હિન્દી અનુવાદ ફોરવર્ડ પ્રેસે કર્યો હતો, ગુજરાતી અનુવાદ આર.કે. પરમાર દ્વારા કરવામાં આવ્યો છે.)</span></strong></span></em></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 12pt;">આર.કે. પરમારની બહુજન યુટ્યુબ ચેનલ <a href="https://www.youtube.com/@rkstudioz41290">આર.કે. સ્ટુડિયોઝ </a>પર આ લેખનો વીડિયો જોવા માટે <a href="https://www.youtube.com/watch?v=N7k0DWu27ms&amp;ab_channel=RKStudioz">અહીં ક્લિક કરો.</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalits-and-ganeshotsava-from-here-i-can-float-from-here-i-can-sink">દલિતો અને ગણેશોત્સવ : અહીંથી હું ભવ તરી શકું, અહીંથી ડૂબી શકું...</a> </span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 07 Oct 2024 12:17:06 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 07 Oct 2024 12:18:15 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1356</Articleid>
                    <excerpt>પત્રકાર ગૌરી લંકેશે અસુરરાજ મહિષાસુર પર અંગ્રેજીમાં લખેલો સંશોધન લેખ Our very own Mahisasur અનેક ભાષાઓમાં પ્રકાશિત થયો હતો. વાંચો ગૌરી લંકેશ મહિષાસુર વિશે શું લખે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670383d802c58.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670383d7b79eb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670383d7b79eb.jpg" length="102620" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Our very own Mahisasur, Gauri Lankesh</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગરબા તો મને પણ બહુ ગમતા પણ...</title>
                    <link>https://khabarantar.com/i-also-like-garba-a-lot-but</link>
                    <guid>https://khabarantar.com/i-also-like-garba-a-lot-but</guid>
                    <description>
                        <![CDATA[ નવરાત્રીમાં ગરબા ગાવાની લાલચ રોકી ન શકતા બહુજનોને આ લેખ એ લાલચમાંથી કેમ બહાર નીકળવું તેનો રસ્તો ચીંધે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કૌશિક શરૂઆત</span></strong></span><br><span style="font-size: 14pt;">લગ્નમાં, નવરાત્રીમાં હું પણ ખૂબ ગરબા ગાતો. નોરતાના છેલ્લા દિવસોમાં તો સવાર પડે અને ગરબા બંધ થાય ત્યાં સુધી ગાતો. હું પણ બાકી દલિતો જેવો જ હિંદુ સંસ્કૃતિના રંગે રંગાયેલો દલિત હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ ઉનાકાંડ બાદ મને સમજ પડી કે હિંદુ અલગ છે અને દલિત અલગ છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના બે પુસ્તકો ૧. શુદ્રો કોણ? અને ૨. અસ્પૃશ્યઓ કોણ? વાંચ્યા. અને સમજ પડી કે હિંદુ એ કોઈ ધર્મ નથી પણ અધર્મ છે. હિંદુ કોઈ સંસ્કૃતિ નથી પણ વિકૃતિ છે. હિંદુ કોઈ સમાજ વ્યવસ્થા નથી પણ જાણી જોઈને ઉભી કરેલી અવ્યવસ્થા છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમે ગમે તેટલું મથો આખરે તો તમે આ સમાજ વ્યવસ્થામાં જ ગોળ ગોળ ગરબા રમો છો, બહાર નથી નીકળી શકતા. ભલભલા સમાજ સુધારકો પણ હિંદુ સમાજ વ્યવસ્થા, હિંદુ ધર્મની જટિલતા સમજવામાં થાપ ખાઈ જાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તે વખતે નવરાત્રી હતી. મેં બે પુસ્તકો વાંચેલા. વર્ષો સુધી મેં ગરબા ગાયેલા એટલે મન તો ઢીંચાક ઢીંચાક થતું હતું પણ મગજ કહેતું કે આ તહેવારો એ આપણી હારની ઉજવણી છે. ઘડીકમાં ગરબા રમવાનું મન થાય અને ઘડીકમાં થાય કે આપણું સદીઓ સુધી શોષણ કરનાર ધર્મના તહેવાર કેવી રીતે ઉજવાય. આવું હું વિચાર કરતો રહેતો અને સોસાયટીમાં ગરબા ચાલતા રહેતા. ગરબા ગાવા કે ના ગાવા, બન્ને વિચારોમાં ગરબા ના ગાવા, એ વિચાર થોડોક સ્ટ્રોંગ હતો એટલે તે નવરાત્રીમાં હું દાદરા ઉતરી સોસાયટીના ચોકમાં ના જઈ શક્યો. મનમાં એનો અફસોસ પણ રહેતો, કે યાર ગરબા ગાવા છે પણ કેવી રીતે જાઉં? મારી જાત સાથે હું આવી વાત કરતો.</span><br><span style="font-size: 14pt;">આજે મનોરંજનના નામે ગરબા ગાવાવાળાની મનોસ્થિતિ હું સમજુ છું. તેમના મનમાં ગરબા ગાવા કે નહીં તેને લઈને દંદ્વ ચાલે છે. "મનોરંજન માટે ગરબા" એ વિચારે તેમના નષ્ટ ના થયેલા હિંદુ સંસ્કારો જીવતા કર્યા અને મનોરંજનના લાલચે ગરબા ગાઈ આવ્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાકી બધા દલિતોથી હું આજે અલગ પડ્યો એનું કારણ પણ આ જ. મને વિચારવા પૂરતો સમય મળ્યો અને ગરબા ગાવા કે ના ગાવા તે નિર્ણય લેવા માટે મને સબળ કારણો મળ્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ નવરાત્રી પછીની કોઈ નવરાત્રીમાં મને ગરબા ગાવાની ઈચ્છા નથી થઈ. તે દિવસ પછી મને હિંદુ ધર્મ ક્યારેય મારો પોતાનો નથી લાગ્યો. કોઈ ગમે તેટલી સમાનતા કે સમરસતાની વાતો કરે, મને સાથે બેસી જમાડે કે મારા ઘરે આવીને જમે, હિંદુ ધર્મ મારા માટે દલિતોનું સદીઓથી શોષણ કરતો ધર્મ જ રહ્યો છે. હિંદુ એ મારો ધર્મ નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાથે સાથે એક બાબત એ પણ ધ્યાનમાં આવી કે, "હિંદુ ધર્મમાં સુધારાની કોઈ શકયતા નથી. અહીં જે બગાડ છે, તેને જ આ લોકો ધર્મ કહે છે." હિંદુ ધર્મનો પાયો વેદો છે, વર્ણાશ્રમ છે, જાતિ વ્યવસ્થા છે. સ્ત્રી-પુરુષ ભેદભાવ છે. હિંદુ ધર્મમાં નિયમો માણસો માટે નથી પણ જાતિ અને લિંગ માટે છે. અને બ્રાહ્મણ જાતિ બધી જાતિઓમાં સર્વશ્રેષ્ઠ છે. એટલી બધી સર્વશ્રેષ્ઠ કે બ્રાહ્મણ ગમે તેવો ગુનો કરે તેને મૃત્યુદંડ આપી શકાય નહીં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે, કોઈ સુધારાવાદી એમ કહે કે આ બધું કાઢી નાખો. તો વેદો, પુરાણો, સ્મૃતિઓમાં બાકી કશું રહેતું નથી. એટલે મારી આ દ્રઢ માન્યતા છે કે, હિંદુ ધર્મમાં સુધારો શક્ય નથી. આ નષ્ટ જ કરવું પડે અને નવા ધર્મની સ્થાપના કરવી પડે અથવા બીજો કોઈ ધર્મ અપનાવવો પડે કે જેમાં નિયમો ફક્ત અને ફક્ત ધર્મને માનતા લોકો માટે હોય. ના કે જાતિ અથવા લિંગ આધારિત નિયમો હોય.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">હિંદુ તહેવારોનો ત્યાગ કેવી રીતે કરવો?</span></strong><br><span style="font-size: 14pt;"></span></p>
<ul style="text-align: justify;">
<li style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુ ધર્મ ગ્રંથો વાંચો. તમને પોતાને હિંદુ ધર્મથી ઘિન્ન આવશે. તમારે કશું છોડવું નહિ પડે, આપોઆપ છૂટી જશે.</span><br><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;"></span></li>
<li style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબાસાહેબ, ફૂલે, પેરિયાર વાંચો. તમારી ગુલામીના કારણો અને મુક્તિના માર્ગોની ખબર પડશે.</span><br><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;"></span></li>
<li style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતનો ઇતિહાસ વાંચો. ઇતિહાસમાં બુદ્ધ, ગુરુનાનક, કબીર, રોહિદાસ, મહાવીર વાંચો.</span><span style="font-size: 14pt;"></span></li>
</ul>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p>
<ul style="text-align: justify;">
<li style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યાં ખોદો ત્યાં બુદ્ધ કેમ નીકળે છે? એ શોધો.</span><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;"></span></li>
<li style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોમનાથ મંદિર નીચે ત્રણ માળનું બૌદ્ધ વિહાર કેવી રીતે આવ્યું? કોણે બૌદ્ધ વિહાર પર મંદિર ચણ્યું? તે વિચારો.</span><br><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;"></span></li>
</ul>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અને હા, વાંચવા, વિચારવા, સમજવા પોતાને સમય આપો.</span><br><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">હું જે કંઈ લખું છું, સમજુ છું, તે એક દિવસમાં નથી થયું. વર્ષો લાગ્યા છે. તમે પણ સમય લો. આપણે જેમ રોજ ખાઈએ છીએ, ઉંઘીએ છીએ, તેમ રોજ થોડું થોડું વાંચવાનું, જાણવાનું રાખો. સતત જ્ઞાન પ્રાપ્ત કરતા રહો. તમારી જિજ્ઞાસા ક્યારેય મરવા ના દો. સતત પ્રશ્નો પૂછો અને જવાબો શોધતા રહો.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પરિવારજનોને કેવી રીતે સમજાવવા?</span></strong></span><br><span style="font-size: 14pt;">તમને બધું એક જ દિવસમાં આવડી ગયું? એક જ દિવસમાં સો ટકા આંબેડકરવાદી બની ગયા? નહિ ને? બસ તો પછી, ઘરનાં પાસેથી પણ તમારા જેવું જ આચરણ કરવાની અપેક્ષા નહીં રાખવાની. વાત કરવાની, સમજાવવાના, થોડા થોડા તેમને વિચારો આપવાના. એકસાથે બધું કોઈનાથીય ગ્રહણ ના થાય. ગૌતમને પણ વર્ષો સુધી ભટકવું પડ્યું હતું ત્યારે એ બુદ્ધ બન્યા. બાબાસાહેબ પણ વર્ષો સુધી અભ્યાસ કરીને ડૉ. બન્યા હતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મતલબ, ધીમે ધીમે પણ મક્કમ ગતિએ આગળ વધો. એક વિચાર, બીજો વિચાર, એમ ધીમે ધીમે બધા વિચારો બદલવા પ્રયત્ન કરો. કોઈ સ્પેશિયલ કેડર કેમ્પ નથી કરવાનો આમાં. આને જિંદગીમાં વણી લેવાનું છે. હવે દિવાળી આવે છે. તો તમે એકલા પણ ફટકડાનો ત્યાગ કરી શકો તોય ઘણું. બાળકોને સમજ આપો. તેઓ મોટા લોકો કરતા જલ્દી સમજશે. બાળકોને બહુજન મહાપુરુષોનો નાનપણમાં પરિચય કરાવો. તો એ મોટા થતા સુધીમાં આપણા કરતા વધુ સારા વિચારોવાળા બનશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિચારધારા એ વાતોનો વિષય નથી, આચરણમાં લાવવાનો વિષય છે. આપણે પોતે આચરણમાં લાવીને બીજાને જે શીખવી શકીએ તેટલું ફક્ત વાતોથી નથી શીખવી શકતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેમના માટે ગરબા મનોરંજન છે અને આ આર્ટિકલથી લાગણી દુભાઈ છે અને મારા વિરુદ્ધ અફવાઓ ફેલાવવાનું ચાલુ કર્યું છે, તેમને કહેવા માગું છું કે, "તમે ગરબા ગાવ. બસ, સમાજના દીકરા, દીકરી બની આંબેડકર, ફૂલે, પેરિયારના નામે સમાજને ભટકાવવાનું, પોતાનો અહમ પોષવાનું બંધ કરો. સમાજને બધી સમજ પડે છે."</span><br><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">(લેખક બહુજન સાહિત્યના અભ્યાસુ અને બહુજન પુસ્તકો માટે વિખ્યાત <a href="https://sharuaatbookstore.com/">શરૂઆત પબ્લિકેશન</a>ના ફાઉન્ડર છે.)</span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 07 Oct 2024 10:06:23 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1354</Articleid>
                    <excerpt>નવરાત્રીમાં ગરબા ગાવાની લાલચ રોકી ન શકતા બહુજનોને આ લેખ એ લાલચમાંથી કેમ બહાર નીકળવું તેનો રસ્તો ચીંધે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6703631694742.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6703631655e91.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6703631655e91.jpg" length="102427" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Navratri, Garba, Hinduism, Bahujan society</media:keywords>
                </item>
                        <item>
                    <title>શું કોંગ્રેસ કુમારી શૈલજાને મુખ્યમંત્રી બનાવશે ખરાં?</title>
                    <link>https://khabarantar.com/will-congress-make-kumari-shailja-chief-minister</link>
                    <guid>https://khabarantar.com/will-congress-make-kumari-shailja-chief-minister</guid>
                    <description>
                        <![CDATA[ શું કોંગ્રેસ કુમારી શૈલજાને મુખ્યમંત્રી બનાવશે ખરાં? - આ સવાલ આજે સમગ્ર હરિયાણાના દલિતોના મનમાં ઉઠી રહ્યો છે. શા માટે આ સવાલ થઈ રહ્યો છે, તે સમજો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Will Congress make Kumari Shailja Chief Minister?: હરિયાણા વિધાનસભાની ચૂંટણી (Haryana Assembly Election 2024) માં હાલ જે વાતાવરણ છે, તેના પરથી રાજકીય વિશ્લેષકો સ્પષ્ટ આકલન કરી રહ્યાં છે કે, કોંગ્રેસ આવી રહી છે. જો કે, અન્ય સવર્ણવાદી પક્ષોની જેમ કોંગ્રેસ પર પણ સતત દલિત વોટબેંક (Dalit voters) નો ઉપયોગ કરી સત્તાથી તેમને દૂર રાખવાનો આરોપ લાગતો રહે છે. હરિયાણામાં પણ એ આરોપ લાગી રહ્યો છે. કુમારી શૈલજા (Kumari Shailja) દલિત સમાજમાંની કદાવર નેતા છે, અનુભવી છે, મુખ્યમંત્રી પદની સૌથી મજબૂત દાવેદાર છે. તેમ છતાં કોંગ્રેસ જાટ ભૂપેન્દરસિંહ હુડ્ડા (Bhupender Singh Hooda) અને તેમના પુત્ર દિપેન્દરસિંહ હુડ્ડા (Dipender Singh Hooda) ને જ આગળ કરી રહી છે. જેના કારણે દલિત મતદારોમાં કોંગ્રેસની વફાદારી પર સવાલ ઉઠી રહ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હમણાં રાહુલ ગાંધી (Rahul Gandhi) એ અસંધ વિધાનસભા (Asandh Assembly) ક્ષેત્રમાં તેમની પ્રથમ રેલી સાથે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. અસંધમાં કોંગ્રેસના ઉમેદવાર શમશેર સિંહ ગોગીના સમર્થનમાં આયોજિત આ રેલીમાં કોંગ્રેસના બે અગ્રણી નેતાઓ કુમારી શૈલજા (Kumari Shailja) અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા (Bhupender Singh Hooda) પણ મંચ પર સાથે જોવા મળ્યા હતા. આ પ્લેટફોર્મ શેર કરવું પણ મહત્વનું હતું કારણ કે ટિકિટની વહેંચણી બાદ પાર્ટીમાં નારાજગી વધી હતી. બંને નેતાઓ વચ્ચે સ્ટેજ પર કોઈ સીધો સંવાદ થયો ન હતો, પરંતુ તેમણે પોતાના ભાષણમાં એકબીજાના નામ લીધા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત મતો માટે કુમારી શૈલજાનો ઉપયોગ</span></strong></span><br><span style="font-size: 14pt;">હરિયાણાની અસંધ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ નેતૃત્વ દ્વારા રમાઈ રહેલી દલિત વોટ બેંકની રાજનીતિ પર ઘણી ટીકાઓ થઈ રહી છે, ખાસ કરીને રાહુલ ગાંધી અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના સંદર્ભમાં. અસંધમાં બસપા(BSP) છેલ્લી ચૂંટણી માત્ર 1700 મતોથી હારી હતી, જે દર્શાવે છે કે અહીં દલિત મતોનું ખૂબ મહત્વ છે. બસપાની આ સફળતા બાદ કોંગ્રેસની રણનીતિ સ્પષ્ટપણે આ વોટ બેંકને કબજે કરવાની છે, જેના માટે કુમારી શૈલજાને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પરંતુ આ નિર્ણયની ટીકા કરવામાં આવી રહી છે કે શૈલજાને માત્ર પ્રતીકાત્મક "ડમી" તરીકે રજૂ કરવામાં આવી છે જેથી કોંગ્રેસને દલિત મતો મળી રહે. વાસ્તવિકતા એવી છે કે, ચૂંટણી જીતી ગયા બાદ કુમારી શૈલજાને હાંશિયામાં ધકેલીને ફરીથી પ્રભુત્વ ધરાવતી સવર્ણ જાતિમાંથી મુખ્યમંત્રી બનાવાશે. દલિતો આ ચાલ સારી રીતે સમજી ગયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બસપાના દલિત મતો તોડવાનું કાવતરું</span></strong></span><br><span style="font-size: 14pt;">રાહુલ ગાંધી અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની જોડી પર આરોપ છે કે તેઓ આ વિસ્તારના વાસ્તવિક મુદ્દાઓ અને વાસ્તવિકતાને સમજવામાં નિષ્ફળ ગયા છે. કુમારી શૈલજાને અસંધમાં પ્રચાર માટે લાવવાનો હેતુ બસપાના દલિત મતોમાં ભાગલા પાડવાનો અને પોતાનું રાજકીય અંકગણિત ઠીક કરવાનો છે. તેના માટે કોંગ્રેસના આંતરિક જૂથો વચ્ચે વધતી જતી તિરાડને પણ અવગણવામાં આવી છે. ટિકિટની વહેંચણી બાદ પાર્ટીની અંદર વધી રહેલી નારાજગી અને મંચ પર હુડ્ડા અને શૈલજા વચ્ચે વાતચીતનો અભાવ દર્શાવે છે કે કોંગ્રેસમાં સંકલનનો અભાવ છે અને આ આંતરિક સંઘર્ષ પાર્ટીના ચૂંટણી પ્રદર્શન પર નકારાત્મક અસર કરી શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">કુમારી શૈલજાને પ્યાદું બનાવી દલિતો મતો મેળવવાની ગણતરી</span></strong><br><span style="font-size: 14pt;">રાહુલ ગાંધી પર એવો પણ આરોપ છે કે તેઓ નેતૃત્વના નામે માત્ર પારિવારિક અને પ્રતીકાત્મક રાજનીતિ કરે છે અને પાર્ટીની આંતરિક સમસ્યાઓને ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે. હુડ્ડા સાથે મળીને તેમણે કુમારી શૈલજા જેવા મજબૂત દલિત નેતાને માત્ર ચૂંટણીના ગણિતનું પ્યાદુ બનાવી દીધાં છે, જે સ્પષ્ટપણે કોંગ્રેસમાં નેતૃત્વની એકતાના અભાવને દર્શાવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">દલિત સમાજ પ્રત્યે કોંગ્રેસની નિષ્ઠા પર સવાલો</span></strong><br><span style="font-size: 14pt;">ચૂંટણીમાં દલિતો પ્રત્યે કોંગ્રેસની પ્રામાણિકતા પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. ખાસ કરીને એસસી, એસટી અનામતના પેટવર્ગીકરણ અને ક્રિમીલેયરના સુપ્રીમ કોર્ટના ચૂકાદા વખતે રાહુલ ગાંધીએ રાખેલું ભેદી મૌન દલિતો ભૂલ્યાં નથી. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી અને હુડ્ડા વાસ્તવિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે જાતિના સમીકરણોના આધારે રાજનીતિ કરી રહ્યા છે. કોંગ્રેસ કુમારી શૈલજાનો ઉપયોગ દલિત સમાજા મતો સાથે ચૂંટણી જીતવા માટે ઉપયોગ કરી રહી છે પણ અસલી પાવર આપવાની વાત આવે ત્યારે તે હુડ્ડા જેવા કટ્ટર જાતિવાદી વ્યક્તિ તરફ જ નાળિયેર ફેંકે છે. આનાથી કોંગ્રેસની દલિત સમાજ પ્રત્યેની ઇમાનદારી પર સવાલો ઉભા થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકંદરે, રાહુલ ગાંધી અને ભૂપિન્દર સિંહ હુડ્ડા પર અસંધ જેવા મહત્વના મતવિસ્તારમાં માત્ર પ્રતીકાત્મક રાજકારણ અને આંતરિક સંઘર્ષ દ્વારા પક્ષની છબી નબળી કરવાનો આરોપ છે. નેતૃત્વનો અભાવ, પક્ષમાં અસંમતિ અને વાસ્તવિક મુદ્દાઓથી વિચલિત થવાથી કોંગ્રેસની ચૂંટણીની સંભાવનાઓ પર નકારાત્મક અસર પડી શકે છે અને તેનો સીધો ફાયદો વિરોધ પક્ષોને થઈ શકે છે. જો કે, જે રીતે પીએમ મોદી અને અમિત શાહ સહિત ભાજપના નેતાઓએ અત્યારથી હરિયાણામાં સક્રિયતા ઘટાડી દીધી છે તેના પરથી એટલું તો સ્પષ્ટ છે કે, હરિયાણામાં કોંગ્રેસ આવી રહી છે, પરંતુ દલિતો માટે ફરી એકવાર પંજાબની જેમ એ જ સવાલ આવીને ઉભો રહ્યો છે કે, શું કોંગ્રેસ 22 ટકા દલિતોના મતો લીધાં પછી મજબૂત દલિત નેતા કુમારી શૈલજાને મુખ્યમંત્રી બનાવશે ખરા?</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/give-7-percent-reservation-to-upper-obcs-20-percent-to-backward-obcs-ganiben-thakor">ઉચ્ચ ઓબીસીને 7 ટકા, પછાત ઓબીસીને 20 ટકા અનામત આપોઃ ગેનીબેનનું વિવાદી નિવેદન</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 04 Oct 2024 15:12:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1334</Articleid>
                    <excerpt>શું કોંગ્રેસ કુમારી શૈલજાને મુખ્યમંત્રી બનાવશે ખરાં? - આ સવાલ આજે સમગ્ર હરિયાણાના દલિતોના મનમાં ઉઠી રહ્યો છે. શા માટે આ સવાલ થઈ રહ્યો છે, તે સમજો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66ffb86315ba7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66ffb862d2887.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66ffb862d2887.jpg" length="103294" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>will congress make kumari shailja chief minister</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગાંધીજીઃદલિતો પ્રત્યે &amp;apos;કૃપાળુ&amp;માયાળુ&amp;apos; સવર્ણ માનસિકતાનું પ્રતિનિધિ વ્યક્તિત્વ</title>
                    <link>https://khabarantar.com/gandhiji-representative-personality-of-kind-hearted-golden-mentality-towards-dalits</link>
                    <guid>https://khabarantar.com/gandhiji-representative-personality-of-kind-hearted-golden-mentality-towards-dalits</guid>
                    <description>
                        <![CDATA[ ગાંધીજીની દલિતો પ્રત્યેની માનસિકતાનું સચોટ વર્ણન કરતો લેખ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતો પ્રત્યેની માનસિકતાના સંદર્ભમાં અત્યાર સુધીમાં ત્રણ પ્રકારના દ્વિજ-સવર્ણો થયા છે. આ લોકો પહેલા માનતા હતા અને હજુ પણ માને છે કે, વર્ણ-જાતિ વ્યવસ્થામાં દલિતો માટે જે સૌથી નીચલા સ્તરનું સ્થાન નિર્ધારિત કરવામાં આવ્યું છે તેઓ એને જ લાયક છે અને તેમણે સવર્ણોના તાબા હેઠળ રહેવું જોઈએ. તેમણે દરેક સ્તરે સવર્ણો સાથે સમાનતાના અધિકારની માંગ ન કરવી જોઈએ અને સમાનતાના અધિકાર માટે સંઘર્ષ પણ ન કરવો જોઈએ. એટલું જ નહીં, વ્યવહારમાં તેનો અમલ કરવાનો પ્રયાસ પણ કરવો જોઈએ નહીં. આ માનસિકતાનું પ્રતિનિધિ ઉદાહરણ બાલ ગંગાધર તિલક હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજો પ્રકાર એવા દ્વિજ-સવર્ણોનો રહ્યો છે અને આજે પણ છે, જેઓ માને છે કે સવર્ણોએ દલિતો પ્રત્યે ઉદારતાપૂર્વક વર્તવું જોઈએ. તેમના પ્રત્યે દયાળુ રહેવું જોઈએ. તેમને મનુષ્ય માનવા જોઈએ. આવા લોકો એક ડગલું આગળ વધીને અસ્પૃશ્યતાનો વિરોધ કરે છે, તેમાંના કેટલાક તો અસ્પૃશ્યતા પણ પાળતા નથી. આવા લોકો ઘણી વખત દલિતો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા અને તેમની વેદના-અપમાન પ્રત્યે સંવેદનશીલ હોય છે. તેમના દુઃખ દૂર કરવા માટે અમુક દાન કરે છે, કેટલાક ઉકેલો પણ વિચારે છે અને તેમના કેટલાક અધિકારોનું પણ સમર્થન કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેટલાક, તેમના દુઃખથી પ્રભાવિત થઈને, કવિતાઓ, વાર્તાઓ અને લેખો પણ લખે છે. દલિતોના મંદિર પ્રવેશ અને શિક્ષણના અધિકારને પણ સમર્થન આપે છે. પરંતુ તેઓ હંમેશા દલિતો પ્રત્યે કૃપાળુ અને દયાળુ માનસિકતા ધરાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે તેઓ દલિતો સાથે બેસીને ભોજન કરે છે, ત્યારે તેમને લાગે છે કે તેઓ તેમની પર 'કૃપા' કરી રહ્યા છે. આવા સવર્ણો જ્યારે દલિતો વચ્ચે જાય છે અને તેમની સાથે તેમના ખાટલા પર બેસે છે, ત્યારે પણ તેમને લાગે છે કે તેઓ તેમના પર ઉપકાર કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેનાથી પણ આગળ વધીને, જો તેઓ દલિતોના માનવાધિકાર વિશે લખે છે, તો લાગે છે કે તેઓ 'કૃપા' કરી રહ્યાં છે. એ ત્યાં સુધી કે તેઓ દલિતોના હિતો માટે સંઘર્ષ પણ કરે છે તો પણ મોટાભાગના કિસ્સાઓમાં તેઓ 'કૃપા'ની માનસિકતામાં જ હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેની સાથે તેઓ દલિતો પાસેથી એવી પણ અપેક્ષા રાખે છે કે તેઓ તેમની આ કૃપા બદલ તેમનો આભાર માને અને આ કૃપાના બદલામાં તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમાંના કેટલાક સવર્ણો એમ વિચારે છે કે, વર્ણ-જાતિ વ્યવસ્થા તો બરાબર છે, તેમાં કશું ખોટું નથી, પરંતુ તમામ વર્ણ અને જાતિના લોકોએ એકબીજા સાથે હળીમળીને રહેવું જોઈએ અને સમરસતા જાળવી રાખવી જોઈએ. કેટલાક વર્ણ-જાતિ પ્રથા અથવા જાતિ વ્યવસ્થાને ખરાબ માને છે અને તેનો વિરોધ પણ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કૃપાળુ અને દયાળુ માનસિકતા ધરાવતા આ બીજા પ્રકારના સવર્ણો હંમેશા દલિતોના ઉદ્ધારકની માનસિકતામાં જીવે છે. પરંતુ તેઓ એ સ્વીકારી નથી શકતા કે દલિતો તેમની કૃપા અને દયાને ફગાવીને કહે કે, દરેક સ્તરે સમાનતા, દરેક બાબતમાં એકસરખી સ્વતંત્રતા અને દરેક સ્તરે ભાઈચારો અમારો હક છે, અમારો અધિકાર છે. અમને તમારી કૃપા અને દયાની જરૂર નથી. અને અમારો આ અધિકાર અને સત્તા તમારી કૃપા-દયા પર આધારિત નથી. તમે વળી અમારા પર કૃપા અને દયા દાખવનાર કોણ? અમારા પર કૃપા અને દયા કરવાનો અધિકાર તમને કોણે આપ્યો? આ અધિકાર તમે ક્યાંથી અને કેવી રીતે મેળવ્યો?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/synonymous-with-social-struggle-professor-babu-katira"><span style="font-size: 14pt;">સામાજિક સંઘર્ષનો પર્યાય પ્રોફેસર બાબુ કાતિરા</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધીજી આ બીજા પ્રકારના સવર્ણોનું પ્રતિનિધિ વ્યક્તિત્વ હતા. ડો. આંબેડકર સાથેના તેમના સંઘર્ષનો મુખ્ય મુદ્દો એ હતો કે, આંબેડકર કહેતા હતા કે અમે અમારી જાતે સંઘર્ષ કરીને સમાનતા અને સ્વતંત્રતાનો અધિકાર પ્રાપ્ત કરી શકીએ છીએ. અમે અત્યાર સુધી જે કંઈ હાંસલ કર્યું છે તે સંઘર્ષ દ્વારા પ્રાપ્ત કર્યું છે અને ભવિષ્યમાં પણ સંઘર્ષ દ્વારા જ પ્રાપ્ત કરીશું. અમે (દલિતો) અમારા અધિકારોને ઉચ્ચ જાતિની કૃપા-દયા કે હૃદય પરિવર્તન પર છોડવા માંગતા નથી. અમારો સંઘર્ષ સવર્ણોની કૃપા અને દયાની સ્થિતિમાંથી સંપૂર્ણપણે મુક્ત થવાનો છે. અમે નથી ઈચ્છતા કે દલિતો એવી સ્થિતિમાં હોય જ્યાં કોઈ તેમના પ્રત્યે દયાભાવ કે કૃપા બતાવે. પછી ભલે તે ગાંધીજી કેમ નથી? અમે તમારી કૃપા-દયા પર નિર્ભર નથી અને બનવા પણ નથી માંગતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી બાજુ, ગાંધીજી દલિતોના અધિકારો અને હકનો સવર્ણોના હૃદય પરિવર્તન પર છોડવા માંગતા હતા. દ્વિજ-સવર્ણના રૂપમાં તેઓ પોતાને હૃદય પરિવર્તિત સવર્ણનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ માનતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમને આશા હતી કે એક દિવસ તમામ સવર્ણો તેમની જેમ દલિતો પ્રત્યે કૃપાળુ અને દયાળુ બની જશે. તેમનું માનવું હતું કે એક દિવસ તમામ સવર્ણો મારા જેવા બની જશે, દલિતોની સમસ્યાઓનો કાયમી ઉકેલ આમાં જ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધીજી મજૂરો, મહિલાઓના હક-અધિકારોને પણ જમીનદારો, મૂડીવાદીઓ અને પુરુષોની દયા પર છોડી દેવાના પક્ષમાં હતા. ગાંધીજી એવી આશા રાખતા હતા કે એક દિવસ જમીનદારો એટલા દયાળુ બની જશે અને તેમનું એવું હૃદય પરિવર્તન થઈ જશે કે તેઓ જે ખેતરોના માલિક છે, તે જમીનના માલિકને બદલે પોતાને તેના ટ્રસ્ટી સમજવા લાગશે. આ રીતે ખેડૂતોને જમીનદારો પાસેથી તેમના હક્કો મળી જશે અને તેના માટે ખેડૂતોએ તેમની સામે લડવાની જરૂર નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ જ રીતે, ગાંધીજી વિચારતા હતા કે એક દિવસ મૂડીવાદીઓ એટલા દયાળુ બની જશે કે તેઓ પોતાને મૂડીના માલિક સમજવાને બદલે પોતાને તેના ટ્રસ્ટી માનવા લાગશે અને મજૂરોને તેમના હકો અને અધિકારો મળી જશે. તેના માટે મજૂરોએ મૂડીવાદીઓ સામે સંઘર્ષ કરવાની જરૂર નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ જ કારણ હતું કે જ્યારે પણ ખેડૂતોએ જમીનદારો સામે સંઘર્ષ કર્યો ત્યારે ગાંધીજીએ તેનો વિરોધ કર્યો. એ જ રીતે જ્યારે મજૂરોએ મૂડીવાદીઓ સામે સંઘર્ષ શરૂ કર્યો ત્યારે ગાંધીજીએ તેનો વિરોધ કર્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્ત્રીઓના કિસ્સામાં ગાંધીજીએ વિચાર્યું કે પુરુષો સ્ત્રીઓ પ્રત્યે એટલા દયાળુ બનશે કે સ્ત્રીઓને તેમના અધિકારો અને હક માટે પુરુષો સામે લડવાની જરૂર રહેશે નહીં. તેમના માટે દશરથના પુત્ર રામ અને સીતા વચ્ચેનો પતિ-પત્નીનો સંબંધ તેનું મૂર્ત સ્વરૂપ હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. આંબેડકર આજીવન ગાંધીજીની આ દયાળુ-કૃપાળુ માનસિકતાને પડકારતા રહ્યાં અને કહેતા રહ્યા કે અમને દયા-કૃપા નહીં પણ સમાનતા જોઈએ છે. એ પરિસ્થિતિનો અંત જોઈએ છે જેમાં કોઈપણ સવર્ણ વ્યક્તિ દલિતો પ્રત્યે દયાનો વિચાર પણ ન કરી શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હા, ત્રીજા પ્રકારના કેટલાક દ્વિજ-સવર્ણો થયા છે, જેઓ દ્રઢપણે માનતા હતા કે દલિતોએ ઉચ્ચ જાતિઓની દયા અને ઉદારતા પર નિર્ભર ન રહેવું જોઈએ અને એવો સમાજ બનાવવો જોઈએ કે જેમાં કોઈ વ્યક્તિ કોઈના પ્રત્યે દયા બતાવવાનું વિચારી પણ ન શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવા દ્વિજ-સવર્ણો બે પ્રવાહોમાંથી સામે આવ્યા છે. એક તેઓ, જેણે હિંદુ ધર્મ અને બ્રાહ્મણવાદનો ત્યાગ કર્યો અને શ્રમણ-બહુજન પરંપરા સાથે સંપૂર્ણ રીતે પોતાનો સંબંધ સ્થાપિત કર્યો. તેમાંથી ઘણાંએ ખુલ્લેઆમ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજા ડાબેરી પક્ષોના કાર્યકર્તા રહ્યા છે અને છે, જેઓ જમીની સ્તરે દલિતો, મજૂરો અને આદિવાસીઓ સાથે મળીને સંઘર્ષ કરે છે અને પોતાની જાતને દયાળુ-કૃપાળુ માનસિકતામાંથી સંપૂર્ણપણે મુક્ત કરે છે અથવા મુક્ત કરવાનો સખત પ્રયાસ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતો, મજૂરો અને આદિવાસીઓ પ્રત્યે દયા અને કરુણાથી મુક્ત દ્વિજ-સવર્ણોની સંખ્યા ઘણી ઓછી છે. મોટાભાગના દ્વિજ-સવર્ણ લોકો પ્રથમ માનસિકતાના છે. તેઓ વર્ણ-જાતિ વ્યવસ્થામાં સંપૂર્ણ વિશ્વાસ રાખે છે, તેને વ્યાજબી માને છે અને દલિતોના સેકન્ડ ક્લાસ સિટિઝનના દરજ્જાને ન્યાયી માને છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધી બીજા પ્રકારના સવર્ણોના પ્રતિનિધિ હતા. જેઓ દલિતો પ્રત્યે દયા-કૃપા રાખતા હતા. તેઓ દયાળુ-કૃપાળુ સવર્ણોનું પ્રતિનિધિ વ્યક્તિત્વ હતા. એવામાં ડૉ. આંબેડકર કે કોઈપણ સાચો આંબેડકરવાદી આ દ્વિજ-સવર્ણ માનસિકતાને દલિતો માટે ધૃણાસ્પદ બાબત માને તેમાં જરાય આશ્ચર્ય ન લાગવું જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/racism-land-lust-forced-phoolan-to-become-a-bandit-queen"><strong>જાતિવાદ, જમીન અને હવસે ફૂલનને 'બેન્ડિટ ક્વિન' બનવા મજબૂર કરી</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 03 Oct 2024 13:35:40 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1325</Articleid>
                    <excerpt>ગાંધીજીની દલિતો પ્રત્યેની માનસિકતાનું સચોટ વર્ણન કરતો લેખ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66fe425a977f9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fe425a53e93.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fe425a53e93.jpg" length="62694" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gandhiji, Mohandas Karamchand Gandhi, Father Of Nation, Mahatma Gandhi</media:keywords>
                </item>
                        <item>
                    <title>આપણો જ્ઞાતિસમાજ બદલાઈ રહ્યો છે, સ્થિર છે કે પાછા પગલાં ભરી રહ્યો છે?</title>
                    <link>https://khabarantar.com/is-our-caste-society-changing-stable-or-regressing</link>
                    <guid>https://khabarantar.com/is-our-caste-society-changing-stable-or-regressing</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતના ભિન્ન ભિન્ન જ્ઞાતિ સમાજોમાં હાલમાં સમાજ સુધારણાની જે હલચલ જોવા મળે છે તે શેનો સંકેત છે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાર્થ ગુજરાતી જોડણીકોશ (૧૯૨૯)માં ‘સંસારસુધારો’ શબ્દનો અર્થ સામાજિક અને કૌટુંબિક બાબતોમાં સુધારો’ અને ‘સુધારક’ એટલે ‘સુધારનારું, સુધારો કરનારું, રિફોર્મર’  એમ જણાવ્યો છે. ભગવદગોમંડળ (૧૯૪૪-૧૯૫૫)માં ‘સમાજસુધારા’ નો અર્થ ‘જનસમુદાયના કલ્યાણ માટે સમાજ વ્યવસ્થામાં ફેરફાર કરવો તે’ અને  ‘સમાજસુધારક’ નો અર્થ ‘સમાજમાં સુધારો કરનાર’ દર્શાવ્યો છે. ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત પી.જી. દેશપાંડેની અંગ્રેજી ડિક્ષનેરી (૧૯૭૦)માં Reformation શબ્દનો અર્થ ‘ રાજકીય, ધાર્મિક કે સામાજિક બાબતોમાં દૂરગામી સુધારો’  છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આપણા દેશ અને રાજ્યમાં સમાજિક સુધારણાની ચળવળનો દીર્ઘ ઈતિહાસ છે. આઝાદીના આંદોલન સમયે કોંગ્રેસના અધિવેશનોના મંડપમાં જ,  અધિવેશન પછી સમાજ સુધારણા પરિષદો મળતી હતી. ગાંધી, નહેરુ, સરદાર અને બીજા અગ્રણી નેતાઓ તેમાં ભાગ લેતા હતા. એટલે રાજકીય-સામાજિક કાર્યો સાથે ચાલતા હતા. તત્કાલીન સમાજની જરૂરિયાત પ્રમાણે ત્યારે સમાજ સુધારણામાં બાળલગ્ન પર પ્રતિબંધ, કન્યા કેળવણી, સતીપ્રથાની નાબૂદી, વિધવાવિવાહ જેવી બાબતોને પ્રાધાન્ય મળતું હતું. પછી તેમાં સમાનતા અને આભડછેટ નિવારણ જેવા મુદ્દા પણ ઉમેરાયા હતા. સ્વતંત્રતાની પ્રાપ્તિ બાદ રાજકીય પક્ષોએ સમાજ સુધારણા ક્ષેત્રેથી હાથ ખેસવી લીધો. હવે તેનું સ્થાન વિવિધ જ્ઞાતિ સમાજોએ લીધું છે. જ્ઞાતિ એ ભારતની કડવી વાસ્તવિકતા છે. લગભગ બધા જ સામાજિક પ્રસંગો જ્ઞાતિ પંચો અને જ્ઞાતિ બંધારણોથી ઉકેલાય છે. દિનરાત સંવિધાન,  સંવિધાન લવ્યા કરતા દલિતો પણ સારાનરસા પ્રસંગોએ ભારતના બંધારણને બદલે  ‘ સમાજની પત્રી’ ને જ સંભારે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં પણ સમાજિકસુધારણાના ઘણાં ક્ષેત્રો પહેલા હતા તે જ રહ્યા છે અને ઘણા બધાં નવા ઉમેરાયા છે. સતી પ્રથાના અવશેષો ક્યારેક જોવા મળે છે ખરા. પણ વિધવા વિવાહ, બાળલગ્ન, કન્યા કેળવણી જેવા ક્ષેત્રે ઠીક ઠીક પ્રગતિ થઈ છે. નવા જમાનામાં નવા સવાલો પણ ઉભા થયા છે. જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, ગોળ, પરગણામાં વહેંચાયેલા વર્તમાન ભારતીય સમાજના જ્ઞાતિ સમાજો અને તેના સંગઠનોના શિરે જ સમાજ સુધારણાનું કામ આવ્યું છે. ઘણા જ્ઞાતિ સમાજો સામાજિક કુધારા, કુપ્રથા કે દેખાદેખીમાં થતા ખર્ચામાં બદલાવ કરે છે અને સમાજસુધારાની નવી દિશા ખોલી આપે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાળકનો જન્મ, સગાઈ, લગ્ન, સિમંત, બાબરી, જનોઈ, વાસ્તુથી લઈને મરણ સુધીના પારિવારિક અને સામાજિક પ્રસંગો માટે જ્ઞાતિપંચો, મંડળો અને સંગઠનોએ નિયમો બનાવ્યા છે. તેમાં સમયાનુસાર ફેરફારો થતા રહે છે. મુખ્યત્વે સુરેન્દ્રનગર, કડી, ચુંવાળ અને ચરોતરમાં વસતા તપોધન બ્રહ્મ સમાજે સંતાનોના લગ્નોમાં થતા લાખોના ખર્ચા બંધ કરી સમૂહલગ્ન કરવા અને બચેલા નાણા યુવક-યુવતીના નામે ફિક્સ ડિપોઝીટમાં રોકવાની અનોખી પહેલ કરી છે. જ્ઞાતિના સંગઠનના પ્રયાસોથી આ સમાજની કન્યાઓનો લિટરસી રેટ ૯૨ ટકા છે.</span><br><span style="font-size: 14pt;">બેતાળીસ લેઉવા પાટીદાર સમાજના પાંસઠ વરસ પૂર્વેના ૧૯૫૮ના બંધારણમાં સુધારા કરવામાં આવ્યા છે. લગ્ન પ્રસંગે જાનને એક જ રાત રોકવી, મામેરામાં અમર્યાદિત રકમો અને દાગીના ન આપવા ઉપરાંત જાનમાં બેન્ડ વાજા, કન્યાઓના વરઘોડા અને ફટાણા, મરણ પાછળના ખોટા ખર્ચા અને છાજિયા બંધ કરવામાં આવ્યા છે. મહિલાઓએ પી-વિડિંગ ફોટોશૂટ, ડીજે, બેબી શાવર, હલ્દી રસમ બંધ કરવાનો નિશ્ચય કર્યો છે. યુવા મંડળે પાટીદાર સમાજના સમૂહલગ્નમાં પ્રી-વેડિંગ કરાવનાર યુગલોને બાકાત રાખ્યા છે. કડવા પાટીદાર સમાજ અને ઓલ ઈન્ડિયા અગ્રવાલ સમાજે પણ  પ્રી-વેડિંગના નવા ચાલ પર પ્રતિબંધ મૂક્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/now-free-from-rtos-push-for-license-exam-can-be-taken-at-home"><strong>હવે લાઇસન્સ માટે RTO ના ધક્કામાંથી મુક્તિ, ઘરે બેઠા પરીક્ષા આપી શકાશે</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કથિત મધ્યમ સમાજો પણ સામાજિક સુધારાનો સાદ સંભળાવે છે. બનાસકાંઠા અને દસ્ક્રોઈ ઠાકોર સમાજના આગેવાનોએ પણ ડીજે પર પ્રતિબંધ  સહિતના ખર્ચાળ રિવાજો બંધ કરવા નિશ્ચય કર્યો છે. સગાઈમાં ૧૧ અને લગ્નમા ૫૧ લોકોએ જવું તથા લગ્નમાં દીકરીઓને જીવનજરૂરી વસ્તુઓ મર્યાદિત પ્રમાણમાં આપવા સંકલ્પ કર્યો છે. લગભગ તમામ જ્ઞાતિ સમાજોએ શિક્ષણ, રોજગાર અને વ્યસન મુક્તિના સઘન પ્રયાસો હાથ ધર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પછાત, નિમ્ન અને જ્ઞાતિવ્યવસ્થાના તળિયે રહેલા મનાતા સમાજો પણ સામાજિક સુધારણા માટે જાગ્રત છે. નર્મદા જિલ્લાના નાંદોદ અને તિલકવાડા તાલુકો  તથા વડોદરા જિલ્લામાં વસતા આદિવાસી મેવાસી સમાજે એપ્રિલ મે મહિનામાં વિધ્યાર્થીઓની પરીક્ષાઓના ગાળામાં જ લગ્નસરા હોય છે. એટલે પરીક્ષાર્થીઓને અભ્યાસમાં ખલેલ ન પહોંચે તે માટે ડીજે ન લાવવાનો ઠરાવ કર્યો છે. નર્મદા જિલ્લાના તડવી સમાજે બાળકોના શિક્ષણ પર અસર ના થાય તે માટે એપ્રિલ થી મે મહિનામાં લગ્નો કરવા પર જ બંધી ફરમાવી છે. દાહોદના આદિવાસી સમાજે પત્ની હયાત હોવા છતાં બીજા લગ્ન કરનારને રૂ. ૧.૧૧ લાખ, દારુ પી ઝઘડનારને રૂ. ૧૧ હજાર અને લગ્નમાં ડીજે વગાડનારને ૫૧ હજારનો દંડ નક્કી કર્યો છે. રબારી સમાજે દીકરીઓના શિક્ષણ માટે  શિક્ષણ રથ  ફેરવ્યો હતો. ઘરના સારા-માઠા પ્રસંગે શિક્ષણ માટે રૂ. ૫૦૦નું દાન ફરજિયાત કર્યું છે. સુરત, નવસારી, બીલીમોરા મેઘવાળ સમાજે સામાજિક પ્રસંગો સાદગીથી કરવા અને શિક્ષણ ફંડ વધારવા નક્કી કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમાજ સુધારણાના જે નવા ક્ષેત્રો ઉઘડ્યા છે તેમાં લેઉવા  પાટીદાર સમાજની  દીકરીઓનો સર્વાઈકલ કેન્સરના પરીક્ષણનો કેમ્પ યોજાયો હતો. જેમાં ૬૩૧ દીકરીઓને કે જે કેન્સર સંક્રમિત હોવાનું જણાયું છે તેમની સારવાર શરૂ કરી છે. રબારી સમાજના શિક્ષણ ભવનમાં સ્પર્ધાત્મક પરીક્ષાની સઘન તાલીમ અપાતાં  આશરે બસો ઉમેદવારો પાસ થયા અને વિવિધ સરકારી નોકરીઓ મેળવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રગતિશીલ અને ઉદારવાદી સમાજ સુધાર સાથે જ્ઞાતિ સમાજો સંકુચિત કે જમાનાને પાછળ ધકેલનારા નિર્ણયો પણ કરે છે. જેમાં આંતરજ્ઞાતિય લગ્નો પર પ્રતિબંધ, દીકરીઓને મોબાઈલ વાપરવા પર બંધી, ગામડામાંથી શહેરોમાં અભ્યાસ માટે અપડાઉન કરતી દીકરીઓને જાહેર પરિવહનનો ઉપયોગ ન કરવા દેવો, છૂટાછેડા માંગતા દીકરીના મા-બાપને દંડ જેવી બાબતો આપણે કઈ સદીમાં જીવીએ છીએ અને સ્ત્રી-પુરુષ સમાનતા કેટલી દૂર છે તેની પ્રતિતી કરાવે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે દેશમાં દરરોજ ૪,૩૨૦ બાળલગ્નો થાય છે. ઉત્તર ગુજરાતમાં ૩૨ ટકા કન્યાઓના લગ્નો ૧૮ વરસ પહેલા અને એકલા મહેસાણા જિલ્લામાં ૩૨.૩૦ ટકા બાળલગ્નો થાય છે.  છેલ્લા પાંચ  વરસોમાં દલિત- બિનદલિત  વચ્ચે આંતરજ્ઞાતિય લગ્નો દેશમાં ૮૭૦૮૨ અને ગુજરાતમાં ૩૮૩૯ જ થયા છે. છોકરીઓને તરછોડી દેવાનું કે અનાથ આશ્રમમાં છોડી દેવાનું પ્રમાણ છોકરા કરતાં વધારે છે. આ સંજોગોમાં સમાજસુધારણાના ક્ષેત્રે કેટલું બધું કરવાનું બાકી છે તે સમજાવું જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધીજી અને ડો.આંબેડકર બંને એ વાતે સંમત છે કે સમાજસુધારણાનું કામ અતિ કઠિન છે. ડો.આંબેડકરે કહ્યું છે કે, “ભારતમાં સમાજસુધારણાનું કામ મોક્ષ પ્રાપ્તિ જેટલું જ કઠિન છે. આ કામમાં મિત્રો ઓછા અને દુશ્મનો ઝાઝા હોય છે.”  ગાંધીજીનો મત હતો કે,” રાજ્ય પ્રકરણી ચળવળ કરતાં સંસારસુધારાની ચળવળ ઘણી વધારે મુશ્કેલ છે. સંસાર સુધારાના કામમાં રસ ઓછો છે, બાહ્ય પરિણામ નજીવું જેવું લાગે છે, અને તેમાં માનાપમાનાદિને બહુ ઓછું સ્થાન છે, તેથી આ કામ કરનારે જૂજ પરિણામથી સંતુષ્ટ રહેવું પડશે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના ભિન્ન ભિન્ન જ્ઞાતિ સમાજોમાં હાલમાં સમાજ સુધારણાની જે હલચલ જોવા મળે છે તે શેનો સંકેત છે? આપણો જ્ઞાતિસમાજ પલટાઈ રહ્યો છે? બદલાઈ રહ્યો છે? સ્થિર છે કે પાછા પગલાં ભરી રહ્યો છે? </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સાહિત્યના અભ્યાસુ છે.)</strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/Jails-in-India:-Imprisonment,-Penitentiary,-Reformatory"><strong>ભારતની જેલો: કારાવાસ, કેદખાનું, સુધારગૃહ</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 03 Oct 2024 10:39:21 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 03 Oct 2024 10:40:11 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1324</Articleid>
                    <excerpt>ગુજરાતના ભિન્ન ભિન્ન જ્ઞાતિ સમાજોમાં હાલમાં સમાજ સુધારણાની જે હલચલ જોવા મળે છે તે શેનો સંકેત છે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66fe261885b30.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fe261852e42.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fe261852e42.jpg" length="121455" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Social reform, Caste society</media:keywords>
                </item>
                        <item>
                    <title>લંકેશ ચક્રવર્તીનું &amp;apos;પલ્લી પરિવર્તન અભિયાન&amp;apos; શું છે?</title>
                    <link>https://khabarantar.com/what-is-lankesh-chakravartys-palli-parirvartan-abhiyan</link>
                    <guid>https://khabarantar.com/what-is-lankesh-chakravartys-palli-parirvartan-abhiyan</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદના રેશનાલિસ્ટ લંકેશ ચક્રવર્તી ઘણાં વર્ષોથી પલ્લી પરિવર્તન અભિયાન ચલાવી રહ્યાં છે. શા માટે તે જરૂરી છે તે જાણીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Global Hunger Index 2023માં 125 દેશોમાં ભારતનું સ્થાન 111મું છે. Human Development Index 2022માં 193 દેશોમાં ભારતનું સ્થાન 134મું છે. World Happiness Report 2024 મુજબ 143 દેશોમાં ભારત 126મા સ્થાને છે. નીતિ આયોગના આંકડા મુજબ, ગુજરાતમાં દર 100 બાળકોમાંથી 38 બાળકો કુપોષણથી પીડિત છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ મુજબ ગુજરાતમાં 1.5 લાખ બાળકો અલ્પ વિકસિત છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં બાળકોના કુપોષણની સ્થિતિ વધી રહી છે. આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ અનુસંધાન મુજબ ગુજરાતમાં 15-49 વયની 1.26 કરોડ મહિલાઓ એનીમિયાથી પીડિત છે. નીતિ આયોગના 2023-24 મુજબ ગુજરાત ભૂખ સૂચકાંકમાં 25માં સ્થાને છે. કુપોષણની સ્થિતિ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિના આહારમાં પર્યાપ્ત માત્રામાં પોષક તત્વ ન હોય. કુપોષણના કારણે બાળકો અને મહિલાઓમાં અનેક પ્રકારની બીમારીઓ થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">10 ઓક્ટોબર 2024ના રોજ ગાંધીનગરથી 15 કિલોમીટર દૂર આવેલા રૂપાલ ગામે નવરાત્રીમાં નોમની રાત્રે, દર વર્ષની માફક વરદાયીની માતાની પલ્લીમાં આશરે 25 કરોડની કિંમતનું શુદ્ધ ધી રસ્તા ઉપર ઢોળી નાખવામાં આવશે; શું આ આઘાતજનક નથી? શા માટે આ ઘી ઢોળાય છે? માત્ર અંધશ્રદ્ધાના કારણે. વર્ષોથી ગામના નિર્ધારીત 27 ચોકમાં એકઠું થયેલું કરોડો રૂપિયાનું શુદ્ધ ઘી પલ્લી ઉપર ઢોળીને, ધુળીયા રસ્તાઓ શુદ્ધ ઘીથી રેલમછેલ કરાય છે. દર વર્ષે આ જાહેર બગાડ થાય છે. લાખો માણસોના પગ તળે કચડાઈને ધૂળમાં મળેલું, કાદવવાળુ ઘી પરંપરાના નામે ગામના વાલ્મિકી સમાજના લોકો સફાઈના નામે લઈ જાય છે. અનેક પ્રકારની મથામણો બાદ તેમાંથી થોડું ઘણું ખાવાલાયક ઘી મેળવી તે જીવન નિર્વાહના ભાગરૂપે ગરીબાઈને કારણે ના-છુટકે જાત ઉપયોગમાં લે છે. આઝાદીના 75 વર્ષ પૂરા થયા પણ આપણે અંધશ્રદ્ધાઓને કારણે ખાધ ચીજોનો માનવ વપરાશની જગ્યાએ બિનજરૂરી મોટા પાયે થતો બગાડ અટકાવી શક્યા નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી અંધશ્રદ્ધા પણ ખતરનાક છે. આ પલ્લીમાં, અંધશ્રદ્ધા રૂપે બાધા આખડીવાળા કુમળા બાળકોને ધાર્મિક વિધિના નામે લાખોની માનવ ભીડમાં પલ્લીની ભડભડતી જ્યોત સાથે સ્પર્શ કરાવવાનું ક્રૂરતાભર્યું કૃત્ય થાય છે. જેમાં બાળક રડતું કકળતું, હિજરાતું એક જગ્યાએથી બીજી જગ્યાએ અનેક અજાણ હાથોમાં ગભરાતું, ફંગોળાતું રહે છે. રૂપાલ ગામમાં વરદાયીની માતા ટ્રસ્ટના અધ્યક્ષ મામલતદાર છે. છતાંય આ બગાડ અટકી શક્યો નથી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શુદ્ધ ઘીના બગાડ બાબતે રેશનાલિસ્ટ લંકેશ ચક્રવર્તીએ ગુજરાત હાઇકોર્ટમાં પીટિશન કરતા (રિટ પિટિશન નંબર - 7576 / 1998) હાઈકોર્ટે લોકજાગૃતિ પર ભાર મૂક્યો હતો. એટલા માટે લંકેશ ચક્રવર્તી અને તેમની ટીમ આ બાબતે જાગૃતિ અભિયાન ચલાવે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">થોડાંક પ્રશ્નોઃ</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[1] બંધારણના આર્ટિકલ- કલમ 51(A)(H) મુજબ વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની અને અંધશ્રદ્ધાના નામે ખાદ્ય પદાર્થોનો બગાડ અટકાવવાની દરેક નાગરિકની અને સરકારમાં બેઠેલ અધિકારી/ મંત્રીઓની ફરજ નથી?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[2] રૂપાલ ગામે ચઢાવવા માટે આવેલા શુદ્ધ ઘીમાંથી તેને હાઇજેનિક રીતે મંદિરમાં સાચવી રાખવામાં આવે અને ટોકન જેટલું ચમચી ભરીને ઘી ચઢાવી બાકીનું શુદ્ધ ઘી ફરી વપરાશમાં લેવાય તેવું આયોજન ન થઈ શકે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[3] દાન પેટે આવેલા શુદ્ધ ઘીની યોગ્ય વ્યવસ્થા કરી, લાડુ શીરો કે સુખડી બનાવી પ્રસાદરૂપે આપી ન શકાય?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[4] વિકલ્પ તરીકે આ શુદ્ધ ઘીને વ્યાજબી ભાવે વેચાણ કરી, તે આવકમાંથી ગામના વિકાસ લક્ષી કામો; પાકા રસ્તાઓ, સુંદર બાગ-બગીચા, લાયબ્રેરી, આંગણવાડી, પ્રાથમિક શાળા, સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ, હોસ્પિટલ, અનાથ આશ્રમ, ગૃહ ઉદ્યોગ, બાળ અને મહિલા કલ્યાણ કેન્દ્રો વગેરે વ્યવસ્થા ઊભી ન કરી શકાય? </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[5] ગામમાં ઢોળાયેલું અખાદ્ય થઈ ગયેલા ઘી ભેગું કરવાની સફાઈ કામદાર સમુદાય માટે ધિક્કારજનક પરંપરા સરકારે અટકાવવી ન જોઈએ? </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[6] સગીર બાળકો ઉપર પલ્લીની ભડભડતી જ્યોત સાથે સ્પર્શ કરાવવાની ધાર્મિક વિધિ પણ બાળ કલ્યાણની વિરુદ્ધ નથી?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[7] ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે પૂજાવિધિ માટે ઘી વપરાય તેમાં હાઈકોર્ટ માથું ન મારી શકે, બરાબર. પરંતુ બગાડને પૂજાવિધિ કહી શકાય? વળી તે ઘી એકત્ર કરતા ગરીબોની લાચારીનો, અપમાનજનક સ્થિતિનો વિચાર કરવાનો કે નહીં? શું માનવ ગૌરવને હાનિ પહોંચે તેવી કોઈ પ્રવૃતિ પ્રત્યે હાઈકોર્ટ મોં ફેરવી લે તે ઉચિત છે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[8] અનેક પડકારો વચ્ચે, લંકેશ ચક્રવર્તી અને તેમની ટીમ આ અંધશ્રદ્ધા સામે અભિયાન ચલાવે છે, શું ગુજરાતના જાગૃત MLA/MP, સ્વતંત્ર મીડિયા પ્લેટફોર્મ, એક્ટિવિસ્ટો, યુવાનો, મહિલાઓ ‘પલ્લી પરિવર્તન અભિયાન’ માટે અવાજ બુલંદ કરશે? આ અંધશ્રદ્ધા, ગાંડપણને આપણે પડકારીશું?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>રમેશ સવાણી</strong></span> </span><span style="font-size: 12pt;"><strong>(લેખક પૂર્વ આઈપીએમ અધિકારી અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.)</strong></span></p>
<p><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/what-will-the-devotees-do-after-eating-laddus-made-from-cow-pig-fiash-fat"><span style="font-size: 14pt;">ગાય-ડુક્કર-માછલીની ચરબીમાંથી બનેલા લાડુ ખાધા પછી ભક્તો શું કરશે?</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 29 Sep 2024 09:35:38 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 29 Sep 2024 09:37:54 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1295</Articleid>
                    <excerpt>અમદાવાદના રેશનાલિસ્ટ લંકેશ ચક્રવર્તી ઘણાં વર્ષોથી પલ્લી પરિવર્તન અભિયાન ચલાવી રહ્યાં છે. શા માટે તે જરૂરી છે તે જાણીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f8d11b14001.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f8d11ad370f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f8d11ad370f.jpg" length="97900" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>The Palli Change Campaign, The palli Rupal, Navratri</media:keywords>
                </item>
                        <item>
                    <title>હરિયાણાના દલિત, ઓબીસી મતદારો કોની તરફ છે?</title>
                    <link>https://khabarantar.com/who-are-the-dalit-obc-voters-of-haryana-towards</link>
                    <guid>https://khabarantar.com/who-are-the-dalit-obc-voters-of-haryana-towards</guid>
                    <description>
                        <![CDATA[ હરિયાણામાં 22 ટકા દલિત અને 40 ટકા ઓબીસી સમાજની વસ્તી છે. તેમના મતો જેની તરફ જાય તેની સરકાર બને તેવો ટ્રેન્ડ રહ્યો છે. ત્યારે  આ વખતે તેઓ કોની તરફ છે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">haryana assembly election 2024: ભારતીય જનતા પાર્ટી (BJP) હરિયાણામાં સતત ત્રીજી વખત સત્તામાં આવવાનો દાવો કરી રહી છે. તેની આશાઓ એ હકીકત પર ટકેલી છે કે આ વખતે પણ તે રાજ્યની તમામ પછાત જાતિઓને કથિત જાટ વર્ચસ્વની સામે એક કરવામાં સફળ થશે. પાર્ટીની ટિકિટ વહેંચણીમાં આ રણનીતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. જો કે, આ વખતે જમીન પર આ રણનીતિની સફળતા અંગે ઘણા લોકો શંકા વ્યક્ત કરી રહ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણામાં સંખ્યા અને પ્રભુત્વની દ્રષ્ટિએ જાટ સૌથી અગ્રણી જાતિ સમૂહ છે. જોકે જાતિ ગણતરીના અભાવે ચોક્કસ સંખ્યાનો અંદાજ કાઢવો મુશ્કેલ છે, તેમ છતાં દાવો કરવામાં આવે છે કે હરિયાણામાં જાટ મતદારોની સંખ્યા 20 થી 27 ટકાની વચ્ચે છે. રાજ્યની કુલ 90 વિધાનસભા બેઠકોમાંથી 40 બેઠકોના પરિણામો પર જાટ મતદારો સીધી અસર કરે છે. આ સિવાય જાટ સમાજ બીજી દસથી બાર બેઠકોના પરિણામોને પણ તે પ્રભાવિત કરી શકે છે. જાટોના વર્ચસ્વનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ 1966માં જ્યારથી પંજાબથી અલગ થઈને હરિયાણા નવું રાજ્ય બન્યું છે, ત્યારથી લઈને આ 58 વર્ષોમાંથી 33 વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રી જાટ સમાજમાંથી રહ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/cm-belongs-to-our-caste-we-will-give-water-when-we-want">મુખ્યમંત્રી અમારી જાતિનો છે, અમારી ઈચ્છા થશે ત્યારે પાણી આપીશું...</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ કારણ છે કે રાજ્યની રાજનીતિને જાટ વિ. અન્ય વચ્ચે વહેંચવી ખૂબ જ સરળ છે. ભાજપ છેલ્લા દસ વર્ષથી આવું કરી રહ્યું છે અને તેનો ફાયદો પણ પાર્ટીને મળ્યો છે. 2014 માં ભાજપનું ચૂંટણી અભિયાન રાજ્યમાં જાટોના વર્ચસ્વ, તેમના અતિરેક અને અન્ય જાતિ સમૂહોની ઉપેક્ષાની આસપાસ ફરતું હતું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકોએ ભાજપ પર વિશ્વાસ કર્યો અને રાજ્યમાં પહેલીવાર તે પોતાના દમ પર સરકાર બનાવવામાં સફળ રહી. ભાજપ અગાઉ 1987માં ઓમપ્રકાશ ચૌટાલાની આગેવાની હેઠળની જનતા દળ સરકાર અને 1996માં બંસી લાલની આગેવાની હેઠળની હરિયાણા વિકાસ પાર્ટીની સરકારનો ભાગ હતી. વર્ષ 2014માં ભાજપ માટે સાનુકૂળ પરિસ્થિતિ એ રીતે પણ સર્જાઈ હતી કારણ કે દેશભરમાં કોંગ્રેસ વિરુદ્ધ માહોલ હતો. અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને હરિયાણામાં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સામેના લોકોની નારાજગીના આધારે ભાજપે પોતાના દમ પર 47 બેઠકો જીતી અને સરકાર બનાવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ, હરિયાણાની કુલ વસ્તીના લગભગ 40 ટકા OBC જાતિઓ છે. રાજ્યમાં દલિતોની સંખ્યા 23 ટકાથી થોડી વધારે છે. આ ઉપરાંત લગભગ 7 ટકા મુસ્લિમો પણ છે, જેમની વસ્તી મેવાત વિસ્તારમાં ચારથી પાંચ બેઠકો પર નિર્ણાયક છે. રાજ્યમાં 2014 અને 2019માં યોજાયેલી ચૂંટણીઓ વચ્ચે ભારે સમાનતા છે. બંને વખત ભાજપે જાટો વિરુદ્ધ અન્ય જાતિઓને એક કરીને ચૂંટણી લડી હતી. જેમાં સૈની, યાદવ (રાવ), ગુર્જર જેવી મોટી ઓબીસી જાતિઓ ઉપરાંત દલિતોમાંથી વાલ્મિકી અને કોળી જાતિના મતદારોએ ભાજપની તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે મુસ્લિમ અને જાટવ મતદારોએ કોંગ્રેસની તરફેણમાં મતદાન કર્યું હતું. પરંતુ જાટ કોંગ્રેસ સિવાય ઈન્ડિયન નેશનલ લોકદળ, જનનાયક જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વહેંચાઈ ગયા. પંજાબી, વાણિયા, બ્રાહ્મણો અને રાજપૂતો પહેલેથી જ ભાજપની તરફેણમાં હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/what-is-the-strategy-of-rss-after-the-results-of-lok-sabha-elections-2024">લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે આરએસએસની રણનીતિ શું છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ નોંધવું રહ્યું કે, ભાજપ વર્ષોથી 'દલિતો-પછાતોમાં ભાગલા પાડો અને રાજ કરો'ની એક રસપ્રદ રાજકીય રમત સફળતાપૂર્વક રમી રહી છે. જે રાજ્યમાં ચૂંટણી હોય, ત્યાં ઓબીસી કે દલિત જાતિઓમાં સૌથી વધુ સંખ્યા કે રાજકીય પ્રભુત્વ ધરાવતા જાતિ સમૂહને ત્યાંની તમામ સમસ્યાઓ માટે જવાબદાર ગણાવીને વિલન બનાવી દો. રાજ્ય પ્રમાણે વિલન બદલાતો રહે છે, પરંતુ વ્યૂહરચના એક જ રહે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રસપ્રદ વાત એ છે કે આ ખેલમાં એક રાજ્યનો વિરોધી બીજા રાજ્યમાં પાર્ટીનો સમર્થક મતદાર બની જાય છે. જમીની લેવલ પર આવું કરવું અશક્ય લાગે છે, પરંતુ ભાજપે વારંવાર આ અશક્ય લાગતી વ્યૂહરચનાને સફળ કરી બતાવી છે. હરિયાણા ઉપરાંત બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઉદાહરણ પરથી આ ખેલને સારી રીતે સમજી શકાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉદાહરણ તરીકે, હરિયાણામાં જે જાટ મતદારો સામે ધ્રુવીકરણના સહારે ભાજપ સત્તા મેળવે છે, એ જ જાટ મતદારો પશ્ચિમ ઉત્તર પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાનમાં ભાજપનો મુખ્ય જનાધારા છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં જે યાદવો વિરુદ્ધ ધ્રુવીકરણ ભાજપની રાજનીતિનો આધાર છે, એ જ યાદવો હરિયાણા, દિલ્હી અને મધ્ય પ્રદેશમાં ભાજપની કોર વોટબેંક ગણાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/rss-mouthpiece-panchjanya-termed-caste-system-as-necessary">RSS ના મુખપત્ર પાંચજન્યમાં જાતિપ્રથાના જરૂરી ગણાવવામાં આવી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ આ વખતે હરિયાણામાં સ્થિતિ બદલાઈ હોય તેવું લાગી રહ્યું છે. તેનાં ઘણા કારણો છે. જેમાં વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને કથળતી કૃષિ વ્યવસ્થા મુખ્ય છે. આ કારણોસર તમામ ખેડૂત જાતિઓ આ વખતે ભાજપથી નારાજ જોવા મળી રહી છે. અગ્નિવીર યોજના, કુશ્તી ખેલાડીઓનું અપમાન અને ખેડૂત આંદોલન દરમિયાન થયેલા અત્યાચારોને લઈને આ વખતે માત્ર જાટ જ નહીં, યાદવ, ગુર્જર, સૈની અને અન્ય તમામ ખેડૂત જાતિઓમાં પણ તેની અસર જોવા મળી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યાદવ, ગુર્જર અને દલિતોની નારાજગીનું એક બીજું મોટું કારણ છે. આ જાતિઓ સાથે મળીને હરિયાણામાં માત્ર એક મોટી રાજકીય તાકાત જ નથી બની જતી, પરંતુ ભાજપની જીતનો આધાર પણ બને છે. હરિયાણામાં 2014 અને 2019માં ભાજપની સફળતા ઓબીસી અને દલિત મતદારોના ધ્રુવીકરણને કારણે હતી, પરંતુ બંને વખત પાર્ટીએ પંજાબી ખત્રી જાતિના મનોહર લાલ ખટ્ટરને મુખ્યમંત્રી બનાવ્યા હતા. જેના કારણે પક્ષના ઘણા નેતાઓ, જેઓ મુખ્યમંત્રી બનવાની મહત્વાકાંક્ષા ધરાવતા હતા તેમને નુકસાન થયું હતું. જો કે આ વખતે ચૂંટણીના લગભગ સાત મહિના પહેલા ભાજપે મુખ્યમંત્રી બદલવાનો નિર્ણય કર્યો અને નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. આની પાછળ પાર્ટીનો વિચાર ફરી એકવાર OBC જાતિઓને પોતાની તરફેણમાં લાવવાનો હતો. પરંતુ આનાથી પક્ષમાં નિરાશા અને આંતરકલહમાં વધારો થયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/over-19-thousand-sc-st-obc-students-left-central-educational-institutions-in-last-5-years-central-govt">છેલ્લાં 5 વર્ષમાં 19000 જેટલાં દલિત, આદિવાસી, ઓબીસી વિદ્યાર્થીઓએ કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓ છોડી દીધી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નાયબ સિંહ સૈની મુખ્યમંત્રી બન્યા બાદ રાવ ઈન્દ્રજીત સિંહ, કૃષ્ણપાલ ગુર્જર અને અનિલ વિજ જેવા નેતાઓ અસંતુષ્ટ છે. રાજ્યના અનુક્રમે યાદવ, ગુર્જર અને બ્રાહ્મણ મતદારોમાં તેની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે. આધારભૂત સૂત્રો કહે છે કે, આ વખતે બ્રાહ્મણ મતદારોનો ઝુકાવ કોંગ્રેસ તરફ છે તેવું લાગે છે. ગુર્જરોમાં અસંતોષ છે, પરંતુ હજુ પણ મોટી સંખ્યામાં તે ભાજપ સાથે રહેશે, કારણ કે તેઓ રાજ્યમાં ફરી એકવાર જાટોનું વર્ચસ્વ જોઈ રહ્યા છે. બહુમતી મતદારો માને છે કે ભાજપ પાસે ન તો રાજ્યમાં કોઈ મુદ્દો બચ્યો છે અને ન તો વાતાવરણ તેના પક્ષમાં છે. તેમ છતાં જો લોકો ભાજપને મત આપતા હોય તો તેના બે કારણો છે. એક તો હુડ્ડા પરિવારને લઈને લોકોમાં અવિશ્વાસ અને બીજું જાટોનું પ્રભુત્વ તેમને ડરાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/rss-will-now-focus-on-dalit-obc-youth-studying-in-colleges">આરએસએસ હવે કોલેજમાં ભણતા દલિત, ઓબીસી યુવાનો પર ફોકસ કરશે</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 28 Sep 2024 09:15:39 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 28 Sep 2024 00:42:48 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1289</Articleid>
                    <excerpt>હરિયાણામાં 22 ટકા દલિત અને 40 ટકા ઓબીસી સમાજની વસ્તી છે. તેમના મતો જેની તરફ જાય તેની સરકાર બને તેવો ટ્રેન્ડ રહ્યો છે. ત્યારે  આ વખતે તેઓ કોની તરફ છે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f6fbce10dc9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f6fbcdd227e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f6fbcdd227e.jpg" length="88955" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>haryana vidhan sabha election 2024, Haryana Assembly Election 2024, Dalit Voters, OBC Voters, BJP, Congress</media:keywords>
                </item>
                        <item>
                    <title>હરિયાણાની &amp;apos;36 બિરાદરી&amp;apos; શું છે, જેની વાત દરેક પક્ષ&amp;નેતા કરે છે?</title>
                    <link>https://khabarantar.com/what-is-haryanas-36-biradari-that-every-party-leader-talks-about</link>
                    <guid>https://khabarantar.com/what-is-haryanas-36-biradari-that-every-party-leader-talks-about</guid>
                    <description>
                        <![CDATA[ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓ છે અને દરેક નેતા અને પક્ષના મોંઢે આ 36 બિરાદરી શબ્દ સતત સંભળાય છે ત્યારે જાણો શું છે &#039;36 બિરાદરી&#039;. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">haryana 36 biradari: હરિયાણામાં ચૂંટણી પ્રચાર જોર પકડી રહ્યો છે. તમામ રાજકીય પક્ષોના નેતાઓ એક જ વાક્યનું વારંવાર પુનરાવર્તન કરતા રહે છે કે તેઓ રાજ્યના તમામ "36 બિરાદરી"ના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. તે વિપક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હુડ્ડા હોય, તેઓ એ વાત પર ભાર મૂકે છે કે કોંગ્રેસ "36 બિરાદરીની પાર્ટી" છે અને તેને બધાનું સમર્થન છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામે ભાજપ પણ આવા જ દાવા કરે છે. તાજેતરમાં, ભાજપના રાષ્ટ્રીય સચિવ અને પાર્ટી મેનિફેસ્ટો કમિટીના વડા ઓમ પ્રકાશ ધનખડે કહ્યું હતું કે, "જો પાર્ટી ચૂંટણીમાં ફરી સત્તામાં આવે છે તો અમે '36 બિરાદરી'માંથી દરેકના હિતોનું ધ્યાન રાખવા માટે કલ્યાણ બોર્ડનું વચન આપ્યું છે." એ અલગ વાત છે કે એ જ ભાજપ જ્યારે મુસ્લિમ બહુમતીવાળા મેવાતમાં પ્રચાર કરે છે ત્યારે ત્યાં '36 બિરાદરી'ની વાત નથી કરતી. કારણ કે આ 36 બિરાદરીમાં હરિયાણાના મુસ્લિમો અને દલિતો પણ આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બિરાદરીનો અર્થ શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">એક મીડિયા રિપોર્ટ મુજબ, કુરુક્ષેત્ર યુનિવર્સિટીના પ્રોફેસર એસ. કે. ચહલ કહે છે કે, "આ શબ્દ બરાદર પરથી આવ્યો છે, જે એક કુળ અથવા સમાન વંશવાળી જનજાતિના ભાઈચારા માટેનો એક ફારસી શબ્દ છે. અંગ્રેજી શબ્દ Brother આના પરથી આવ્યો છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇતિહાસ વિભાગના અધ્યક્ષ અને સામાજિક વિજ્ઞાન ફેકલ્ટીના ડીન પ્રોફેસર ચહલ કહે છે, “બિરાદરી શબ્દને કૌમ (રાષ્ટ્ર) અથવા જાટ (જાતિ) તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે છેલ્લા બે શબ્દોનો અર્થ અલગ-અલગ છે, ઉત્તર ભારતમાં ત્રણેય શબ્દો જાતિના પર્યાયરૂપે વપરાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/rss-says-there-is-no-untouchable-in-hindu-scriptures-then-what-is-there-in-manusmriti">આરએસએસ કહે છે હિંદુ ધર્મમાં કોઈ 'અછૂત' નથી, તો પછી 'મનુસ્મૃતિ'માં શું છે?</a></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીમાં ઈતિહાસ ભણાવતા પ્રોફેસર એમ. રાજીવલોચન કહે છે કે 'બિરાદરી' વિસ્તૃત પરિવારની જેમ છે. હરિયાણા મહાભારતનો પ્રદેશ છે. એવી કલ્પના કરવામાં આવે છે કે મહાભારતના સમયથી 'બિરાદરી' જેવી રચના અસ્તિત્વમાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, છ વખતના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભૂતપૂર્વ નાણાપ્રધાન સંપત સિંહ કહે છે કે "36 બિરાદરી" માત્ર એક રૂઢિપ્રયોગ છે અને વાસ્તવમાં 36 થી વધુ જાતિઓ છે. </span><br><span style="font-size: 14pt;">સંપતે કહ્યું, “2016 માં, મેં તમામ જાતિઓમાં ભાઈચારો મજબૂત કરવા હિસારમાં મારા ઘરે એક કાર્યક્રમ રાખ્યો હતો અને તેમાં લગભગ 85 જાતિના સભ્યોએ હાજરી આપી હતી. સિંહ કહે છે, '36 બિરાદરી'નો ભાઈચારો હરિયાણામાં ખૂબ જ સામાન્ય શબ્દ છે જેનો ઉપયોગ સમાજમાં સદભાવને પ્રોત્સાહન આપવા માટે થાય છે, જેમાં તમામ સમાજના લોકો સામેલ છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">36 બિરાદરી શબ્દપ્રયોગમાં કેવી રીતે આવ્યો?</span></strong></span><br><span style="font-size: 14pt;">પ્રોફેસર ચહલના જણાવ્યા અનુસાર, અજમેર-મેરવાડ ગેઝેટિયર (1951)માં 36 નહીં પરંતુ 37 જાતિના અસ્તિત્વનો ઉલ્લેખ છે. તેઓ જણાવે છે કે "પ્રારંભિક મધ્યયુગીન ફારસી લખાણો અને પ્રવાસવર્ણનો ઉત્તર ભારતમાં 36 બિરાદરીઓ (કુળો અથવા સામ્રાજ્યો) ના અસ્તિત્વનો ઉલ્લેખ કરે છે. તેવી જ રીતે, રાજપુતાનાના પ્રખ્યાત ઇતિહાસકાર, બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારી લેફ્ટનન્ટ કર્નલ જેમ્સ ટોડ, 36 રાજવંશો અથવા સામ્રાજ્યોનો ઉલ્લેખ કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રોફેસર ચહલ કહે છે કે હરિયાણામાં બીજો એક શબ્દ જેના અંતમાં એક નંબર જોડાયેલ છે તે છે "ખાપ 84". જે 84 ગામોની ખાપ પંચાયતનો ઉલ્લેખ કરે છે, પરંતુ તમામ ખાપ 84 ગામોને નથી જોડતી.” તેમના મતે, "36 બિરાદરી" એ મુખ્ય સમાજોને સંદર્ભિત કરવા માટે વપરાતો શબ્દ છે તેનો અર્થ એ નથી કે ખરેખર 36 સમુદાયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">36 બિરાદારીઓનું સામાજિક મહત્વ</span></strong></span><br><span style="font-size: 14pt;">ચૂંટણીની મોસમ દરમિયાન, જ્યારે પણ ઉમેદવાર ગામમાં પહોંચે છે, ત્યારે "36 બિરાદારીઓ" વતી અગ્રણી ગ્રામજનો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવે છે. આ કેટેગરીની જાતિઓ અને સમાજોમાં બ્રાહ્મણો, વૈશ્ય, જાટ, ગુર્જર, રાજપૂત, પંજાબી (હિંદુ), સોની, સૈની, આહીર, રોર, કુંભાર અને મુસ્લિમોનો સમાવેશ થાય છે. લગભગ અડધી અનુસૂચિત જાતિઓ (SC)નો પણ તેમાં સમાવેશ થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રોફેસર ચહલના જણાવ્યા અનુસાર, '36 બિરાદરી'ની વિભાવનાનો પંજાબ (ભારત અને પાકિસ્તાન બંને), હરિયાણા અને રાજસ્થાનની સંસ્કૃતિઓમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. તેમણે કહ્યું- "સામાજિક રીતે, બિરાદરી વૈવાહિક સંબંધો બનાવવા, આંતર જ્ઞાતિય વિવાદોનું સમાધાન કરવા અને અન્ય સામાજિક સમસ્યાઓના ઉકેલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે તેના લોકોને સામાજિક સુરક્ષા, ઓળખ અને ગૌરવની ભાવના પણ પ્રદાન કરે છે. તેથી, લોકોમાં તેમની બિરાદરી સાથે જોડાણ અને પોતિકાપણાંની ઊંડી ભાવના હોય છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-madhya-pradesh-government-allocated-crores-of-rupees-for-sc-st-entitlements-for-cows">મધ્યપ્રદેશ સરકારે એસસી-એસટીના હકના કરોડો રૂપિયા ગાયો માટે ફાળવી દીધાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 26 Sep 2024 12:23:05 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1278</Articleid>
                    <excerpt>હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓ છે અને દરેક નેતા અને પક્ષના મોંઢે આ 36 બિરાદરી શબ્દ સતત સંભળાય છે ત્યારે જાણો શું છે &#039;36 બિરાદરી&#039;.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f5028fe732e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f5028faf90a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f5028faf90a.jpg" length="91180" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Haryana Assembly Election 2024, 36 biradari, Khap Panchayat</media:keywords>
                </item>
                        <item>
                    <title>વહીવટમાં જે સમસ્યાઓ છે તેનો રામબાણ ઈલાજ લેટરલ એન્ટ્રી નથી</title>
                    <link>https://khabarantar.com/lateral-entry-is-not-panacea-for-administrative-problems</link>
                    <guid>https://khabarantar.com/lateral-entry-is-not-panacea-for-administrative-problems</guid>
                    <description>
                        <![CDATA[ લેટરલ એન્ટ્રીના અંધ સમર્થકો તેની તરફેણમાં જે તર્કો રજૂ કરે છે તેની સામે આ લેખ એક મજબૂત જવાબ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત સરકારના 24 મંત્રાલયોમાં સંયુક્ત સચિવ, નિયામક અને નાયબ સચિવની 45 ખાલી જગ્યાઓ લેટરલ એન્ટ્રીથી ભરવા યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ૬૦ પાનાંની જાહેરાત ક્રમાંક ૫૪/૨૦૨૪, તા.૧૭મી ઓગસ્ટના રોજ પ્રગટ થઈ હતી. લેટરલ એન્ટ્રી એટલે સરકારી સેવામાં મોટા હોદ્દાઓ પર કોઈપણ પ્રકારની પરીક્ષા વિના બહારના નિષ્ણાતો કે વિશેષજ્ઞોની સીધી ભરતી. આ પ્રકારની ભરતીમાં અનામત નીતિ લાગુ પડતી નથી. છેક નહેરુના જમાનાથી આ પ્રકારે નિમણૂકો થતી આવી છે. પરંતુ વર્તમાન સરકારે તેને સંસ્થાગત રૂપ આપ્યું છે. અગાઉની સરકારોમાં રાજકીય રીતે થતી એકલદોકલ નિમણૂકો હવે મોટાપાયે અને UPSC દ્વારા થાય છે. એટલે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ જ નહીં સરકારના સહયોગી પક્ષોએ પણ અનામતના મુદ્દે તેનો વિરોધ કરતાં સરકારે પારોઠનું પગલું ભરી આ ભરતી પ્રક્રિયાની જાહેરખબર રદ કરાવી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્ર સરકારના પ્રવક્તા મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર વાર્તામાં કહ્યા પ્રમાણે ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાજિક ન્યાય પ્રતિ પ્રતિબધ્ધ છે’,  તેથી સરકારે યુપીએસસીનું વિજ્ઞાપન રદ કરવા જણાવ્યું છે. સરકારના કોઈ સચિવે નહીં પણ મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર પર્સોનલ, પબ્લિક ગ્રિવેંન્સિસ એન્ડ પેન્શન્સે સંઘ લોક સેવા આયોગને લખેલા પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે “સમાજના નબળા વર્ગોને સરકારી સેવાઓમાં તેમનું સાચું પ્રતિનિધિત્વ મળી શકે તે માટે”  વિજ્ઞાપન રદ કરો.  સરકારે આમ કરીને લેટરલ એન્ટ્રી અનામતને ખતમ કરશે કે તે અનામત છીનવી લેવાનો પ્રયાસ છે તેનો જવાબ આપ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેક ૧૯૫૪માં ઈન્ટરનેશનલ મોનિટરીંગ ફંડમાંથી આઈ જી પટેલને નાયબ આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારથી લેટરલ એન્ટ્રી અસ્તિત્વમાં છે. વિરપ્પા મોઈલીના અધ્યક્ષપદ હેઠળના બીજા વહીવટી સુધારણા પંચે સિવિલ સેવાઓના વહીવટમાં સુધારાની જરૂર જોઈ, બહારથી નિષ્ણાતોની સીધી ભરતી કરવા ભલામણ કરી હતી. છઠ્ઠા પગાર પંચે હાલની વહીવટી પ્રણાલીમાં સુધારા માટે ઉંચા કે વરિષ્ઠ પદો પર લેટરલ એન્ટ્રીથી ભરતી સિવાય અધિક પરિણામોન્મુખી વલણ અપનાવવા સૂચવ્યું હતું. નીતિ આયોગ સાથે સંકળાયેલા સચિવોના સમૂહે લોકશક્તિની ઉપલબ્ધતામાં વૃધ્ધિ અને નવી પ્રતિભાના ઉપયોગ માટે મધ્યમ અને વરિષ્ઠ સ્તર પર લોકોને સામેલ કરવા જણાવ્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/talking-about-something-different-and-weird-court-case"><span style="font-size: 14pt;">વાત કંઈક અલગ અને વિચિત્ર કોર્ટ કેસની...</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્તમાન સરકારે ૨૦૧૭માં લેટરલ એન્ટ્રી અંગે વિચારણા કરી ૨૦૧૮થી તેનો અમલ કર્યો છે. તાજેતરની ૪૫ જગ્યાઓની જાહેરાત પૂર્વે ત્રણ વખત હાલની સરકારના કાર્યકાળમાં લેટરલ એન્ટ્રીથી નિમણૂકો થઈ છે. સંસદના વર્ષાસત્રમાં આપેલ માહિતી મુજબ છેલ્લા પાંચ વરસોમાં ૬૩ નિષ્ણાતોની ઉચ્ચ પદો પર  લેટરલ એન્ટ્રીથી નિયુક્તિઓ થઈ છે. ભારત ઉપરાંત અમેરિકા, યૂ.કે., ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને બેલ્જિયમમાં આ પ્રકારે ભરતી થાય છે. અમેરિકામાં તો વળી કાયમી સિવિલ સર્વન્ટ અને મિડ કેરિયર પ્રોફેશનલ્સનું ચલણ  છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લેટરલ એન્ટ્રીના સમર્થકો તેના અત્યાર સુધીના સારા અનુભવોની દુહાઈ દઈ  ઉમદા ઉદ્દેશો જણાવે છે. દેશની વહીવટી પ્રણાલીને વધુ અસરકારક બનાવવા તે જરૂરી છે. નવા અને બહેતર વિચારોનો લાભ મેળવવાનો પણ તેનો હેતુ છે. વિશેષ જ્ઞાન અને કૌશલ ધરાવતા લોકોને વહીવટમાં સામેલ કરવાથી વહીવટ સુધરે છે. વહીવટની બહારના લોકોના જ્ઞાન અને અનુભવનો લાભ મળે છે. સમર્થકોની એક દલીલ એ પણ છે કે અર્થવ્યવસ્થાનો આકાર અને જટિલતામાં વૃધ્ધિ સાથે અસરકારક નીતિગત હસ્તક્ષેપ માટે વિભિન્ન ક્ષેત્રોની જાણકારી આવશ્યક છે. વર્તમાન આઈ એ એસ કદાચ તે માટે સજ્જ નથી. તેથી વિશેષ પ્રતિભાની આવશ્યકતા છે. બદલાયેલી પરિસ્થિતિ અને જરૂરિયાતોમાં તકનિકી નિષ્ણાતોની જરૂર ઉભી થઈ છે. નવા અને તાજા વિચારો વહીવટને વધુ જીવંત અને ઉપયોગી બનાવશે. ઉદ્યોગ નિષ્ણાતો અને બિનસરકારી સંસ્થાઓને લેટરલ એન્ટ્રીથી વહીવટી પ્રક્રિયામાં સીધા સામેલ થવાની તક મળે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનામત નીતિને લેટરલ એન્ટ્રીથી વિશેષ અસર થાય છે. તેથી તેનો વ્યાપક વિરોધ થયો છે. અનામત વર્ગના અધિકારીઓની આ જગ્યાઓ પર પ્રમોશનની તક ઘટે છે. તો નવી નિમણૂકમાં આટલી જગ્યાઓ ઓછી થાય છે. ૧૫મી ડિસેમ્બર ૨૦૨૨ના લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલ માહિતી પ્રમાણે ભારત સરકારમાં જોઈન્ટ સેક્રેટરી અને સમકક્ષ જે ૩૨૨ જગ્યાઓ ભરાયેલી છે તેમાં સામાન્ય વર્ગના ૨૫૪, ઓબીસી ૩૯, એસ સી ૧૬ અને એસ ટી ૧૩ અધિકારી છે. અર્થાત આ જગ્યાઓમાં અનામત વર્ગનું હાલનું પ્રતિનિધિત્વ પણ ઓછું છે. જો જગ્યાઓ ઘટશે તો તેથી પણ ઓછું થશે. યુપીએસસીની પરીક્ષામાં આ જગ્યાઓ માટે અનુસૂચિત જાતિ/જનજાતિની વય મર્યાદા ૩૭ વરસ છે અને તકની કોઈ મર્યાદા નથી. જ્યારે ઓબીસી વર્ગના ઉમેદવારો માટે નવ તક અને ૩૫ વરસની વય મર્યાદા ઠરાવેલ છે. પરંતુ લેટરલ એન્ટ્રીથી આ જગ્યાઓની ભરતીની જાહેરખબરમાં આવશ્યક ઉંમર ૪૦ થી ૫૫ વરસ છે. જે તમામ અનામત વર્ગના ઉમેદવારો કરતાં વધુ છે. તેથી અનામતના મુદ્દે લેટરલ એન્ટ્રીનો વિરોધ વાજબી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્લાનિંગ કમિશનના પૂર્વ સદસ્ય અરૂણ માયરા લેટરલ એન્ટ્રીમાં બજારના પરિબળના યોગદાનની ચર્ચા કરે છે. તેમના મત મુજબ, “એકવીસમી  સદીના વહીવટી તંત્ર સામે બજાર, સમાજ અને સરકારના સ્તરે પડકાર છે. બજાર સમર્થક આર્થિક સુધારાની અમેરિકી વિચારધારાના બીજ ભારતની રાજનીતિમાં વાવવા અર્થશાસ્ત્રીઓને લેટરલ એન્ટ્રીથી દેશના નાણા અને આર્થિક સંસ્થાનોમાં ઉચ્ચ પદે બેસાડવામાં આવ્યા હતા. હાલની સરકારે મુખ્ય આર્થિક સલાહકાર, નીતિ આયોગના ઉપાધ્યક્ષ, રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર અને નાણા પંચના ઉપાધ્યક્ષની નિમણૂક લેટરલ એન્ટ્રીથી કરી છે. બહારથી આવી સીધી ભરતીથી આ ઉચ્ચ પદો પર વિરાજમાન મહાનુભાવો દેશની આર્થિક નીતિઓ ઘડે છે, આર્થિક નીતિની દિશા નક્કી કરે છે.” </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">“હાલની વહીવટી પ્રણાલીમાં સમસ્યા શું છે જે લેટરલ એન્ટ્રીથી ઉકેલાઈ જશે?”  તેવા સવાલ સાથે યુ.પી.ના નિવૃત મુખ્ય સચિવ આલોક રંજન સ્પષ્ટ કરે છે કે “ પ્રશ્ન જ્ઞાન કે અનુભવના અભાવનો નથી. સમસ્યા નોકરશાહી સંરચના અને સરકારી કાર્યપ્રણાલીનો છે. જે સર્વશ્રેષ્ઠ સિવિલ સેવક નોકરીના આરંભે ગતિશીલ અને ઉત્સાહી હોય છે તે સમય જતાં સીએજી, સીવીસી, સીબીઆઈ અને કોર્ટના ડરે નરમ પડી જાય છે. અને કોઈપણ નિર્ણય લેતાં પહેલાં પોતાની નોકરીની સલામતી વિચારે છે. લેટરલ એન્ટ્રીથી નિમાયેલા અધિકારીઓ આ સ્થિતિથી બચીને નિર્ણયો કઈ રીતે લેશે?”  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરૂણ માયરા પણ કહે છે કે, “ આજે સામાજિક, આર્થિક, પર્યાવરણીય સમસ્યાઓ જટિલ બની છે. લેટરલ એન્ટ્રીથી નિમાયેલ કોઈ પર્યાવરણવિદ પર્યાવરણની સમસ્યા ઉકેલી નાખે પણ શાયદ સામાજિક-આર્થિક નુકસાન પહોંચાડે. તેનો હલ શું હશે? “</span><br><span style="font-size: 14pt;">એટલે વહીવટને અનુભવ, જ્ઞાન અને નિષ્ણાતપણાની ચોક્કસ જ જરૂર છે, પરંતુ તે લેટરલ એન્ટ્રીથી ઉકેલાશે તેમ માનવાની જરૂર નથી. હાલના વહીવટમાં જે સમસ્યાઓ છે તેનો રામબાણ ઈલાજ લેટરલ એન્ટ્રી નથી. વર્તમાન આઈએએસ આઈપીએસ અધિકારીઓને જરૂરી તાલીમ આપીને પણ આ ખોટ પૂરી શકાય છે. લેટરલ એન્ટ્રીથી જ ભરવાપાત્ર જગ્યાઓ અનામતના અમલ સાથે, શૈક્ષણિક લાયકાત અને અન્ય આવશ્યકતાઓ જણાવી, વગર પરીક્ષાએ સીધી ભરતીથી ભરવાને બદલે, નિષ્પક્ષ અને પારદર્શી રીતે યુપીએસસી દ્વારા લેખિત પરીક્ષાથી ભરી શકાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(53, 152, 219);">maheriyachandu@gmail.com</span><br><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/is-lateral-entry-a-trick-to-wipe-out-reserves"> શું Lateral Entry અનામતને ભૂંસી નાખવાની યુક્તિ છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 25 Sep 2024 11:52:04 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 25 Sep 2024 11:53:02 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1269</Articleid>
                    <excerpt>લેટરલ એન્ટ્રીના અંધ સમર્થકો તેની તરફેણમાં જે તર્કો રજૂ કરે છે તેની સામે આ લેખ એક મજબૂત જવાબ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f3ab841b11f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f3ab83d8d55.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f3ab83d8d55.jpg" length="98801" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Lateral Entry, Reservation, Dalit, Adivasi</media:keywords>
                </item>
                        <item>
                    <title>એ 11 દિવસમાં ડૉ. આંબેડકરે &amp;apos;સંસ્કારી નગરી&amp;apos;નું અસલી ચરિત્ર જોયું...</title>
                    <link>https://khabarantar.com/in-those-11-days-dr-ambedkar-saw-the-true-character-of-a-civilized-city</link>
                    <guid>https://khabarantar.com/in-those-11-days-dr-ambedkar-saw-the-true-character-of-a-civilized-city</guid>
                    <description>
                        <![CDATA[ વડોદરાને ગુજરાતીઓ ગર્વથી &#039;સંસ્કારી નગરી&#039; કહે છે, પણ આ કથિત સંસ્કારી નગરીનું અસલી ચરિત્ર ડો. આંબેડકરે ત્યાં નોકરીમાં ગાળેલા 11 દિવસમાં પ્રગટ થાય છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>વિરાગ સુતરિયા</strong></span><br></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબાસાહેબનું ગ્રેજ્યુએશન પૂર્ણ  થયા બાદ પિતાજી  રામજીરાવની ઇચ્છા હતી કે, ભીમરાવ મુંબઇમાં જ ક્યાંક નોકરી મેળવી લે. પરંતુ અભ્યાસ માટે સ્કૉલરશીપ આપનાર મહારાજા સયાજીરાવનું ઋણ ચૂકવવા માટે ભીમરાવ વડોદરા રાજ્યની નોકરી કરવા ઇચ્છતા હતા. દેશી રાજ્યોમાં અસ્પૃશ્યતાની સ્થિતિ અને ત્યાંનું વાતાવરણ રામજીરાવ વધુ સમજતા હતા. એટલે જ તે ઇચ્છતા કે, ભીમરાવ અંગ્રેજ સરકારની નોકરી કરે. આ મુદ્દે પિતા-પુત્ર વચ્ચે મતભેદ થયા. તેમ છતાં 23 જાન્યુઆરી, 1913ના રોજ મહારાજાનું ઋણ ફેડવાના ઇરાદે ભીમરાવ વડોદરા આવ્યા. વડોદરામાં રહેવા-જમવાની કંઇ કહેતાં કંઇ જ સગવડ નહોતી. તેઓ અસ્પૃશ્યોની વસ્તીમાં બે-ત્રણ દિવસ રહ્યા. આર્યસમાજી આગેવાન અને અંત્યજ શાળાઓના ઇન્સ્પેક્ટર શ્રી આત્મારામ સાથે પરિચય થયો. શ્રી આત્મારામે રહેવા માટે બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી એમની ઑફીસનો ઉપયોગ કરવાની છૂટ આપી. પરંતુ જમવાની વ્યવસ્થા અલગ કરવાની હતી. તે વ્યવસ્થા વડોદરાના એક મહાર સદ ગૃહસ્થને ત્યાં થઇ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડોદરા રાજ્યના સચિવાલયમાં ભીમરાવને રોજ અલગ અલગ કામ સોંપાતાં. કોઇ ચોક્કસ કામ ભીમરાવને સોંપવામાં આવ્યું નહોતું. જે કામ સોંપાતું તે ફટાફટ પૂરું કરીને તેઓ એકાદું પુસ્તક વાંચવા બેસી જતા. તેઓ દિવસ દરમિયાન સતત એમની સાથેના કર્મચારીઓ અધિકારીઓના વર્તન-વ્યવહારનું સૂક્ષ્મ નિરીક્ષણ કરતા હતા. ત્યાંના કર્મચારીઓ ભીમરાવની ઇર્ષ્યા કરતા હતા. એક તો ભીમરાવનું નિરાળું અને પ્રભાવી વ્યક્તિત્વ અને પાછા અસ્પૃશ્ય એટલે ઇર્ષા વધી જતી. દરમિયાન કોઇએ ઉચ્ચ અધિકારીને ભીમરાવ કશું કામ કરતા નથી એવી ફરિયાદ કરી. ભીમરાવે અધિકારીને પોતાને સોંપાયેલું એકપણ બાકી હોય તો એ બતાવવા કહ્યું સાથે કહ્યું કે, "ફાજલ સમયમાં હું પુસ્તક વાંચન કરું છું. પણ, તમને ફરિયાદ કયા ચોક્કસ લોકો એ કરી હશે એ હું ધારી શકું છું." ભીમરાવે ઉચ્ચ અધિકારીને કહ્યું કે, "મને અહીં કોઇ ઓળખતું નથી. આટલા દિવસથી મારી રહેવાની કે જમવાની સગવડ પણ થઇ નથી. ઉલટામાં કચેરીમાં સોંપાતાં નિરર્થક કામો પણ હું સારી રીતે પૂરાં કરી દઉં છું. ફાજલ સમયમાં નકામી ગપ્પાંગોષ્ઠી કરવાને બદલે હું વાંચવા બેસુ છું." ભીમરાવના જવાબથી ઉચ્ચ અધિકારી તો મૌન થઇ ગયા પણ એમને </span><span style="font-size: 14pt;">ફરિયાદ કરનારા પણ ચૂપ થઇ ગયા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થોડા દિવસ પછી ભીમરાવને તાર મળ્યો કે, પિતાજીની તબિયત ખરાબ છે. તાર વાંચીને ભીમરાવને આઘાત લાગ્યો. એ વડોદરા આવ્યા ત્યારે બાપ-બેટા વચ્ચે મતભેદ થયો હતો. પછી થયેલા પત્રવ્યવહારમાં એમણે વડોદરામાં પડતી તકલીફો જાણાવી નહોતી. ભીમરાવ તરત જ મુંબઇ જવા રવાના થયા. વચ્ચે આવતા સુરત સ્ટેશને તેઓ પરિવાર માટે ત્યાંની પ્રખ્યાત બરફી લેવા ઉતર્યા એવામાં ટ્રેન છૂટી ગઇ. બીજી ટ્રેન માટે ખાસ્સી રાહ જોવી પડી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Why-did-Dr-Ambedkar-become-a-journalist-and-editor">ડૉ આંબેડકરે પત્રકાર અને તંત્રી કેમ બનવું પડ્યું?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજા દિવસે મુંબઇ પહોંચ્યા ત્યારે ઘરના બધા સભ્યો પિતાજીને વીંટળાઇ વળ્યા હતા. ભીમરાવને ફાળ પડી. ભીમરાવ પિતાજીની પથારી પાસે બેઠા. પિતાજીએ આંખો ખોલી, ભીમરાવને સ્નેહભરી નજરે જોયા, શરીર પર વાત્સલ્યભર્યો હાથ ફેરવ્યો. જાણે, ભીમરાવની જ રાહ જોતા હોય એમ થોડીવારમાં જ એમનો પ્રાણ ઉડી ગયો. બીજી ફેબ્રુઆરીના દિવસે રામજીરાવનું અવસાન થયું. રજાઓ પૂરી થતી હોવાથી ભીમરાવે રજાઓ લંબાવવા વડોદરા તાર કરી દીધો. ભીમરાવના પિતાજી જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે મહારાજા સયાજીરાવ મુંબઇ હતા. એમણે તાર કરીને શોકસંદેશો પણ પાઠવ્યો હતો. મહારાજાએ અગાઉ પોતે કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા માગતા હોવાનું પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું. ભીમરાવ મહારાજાને મળવા માટે અને વડોદરા નિવાસ દરમિયાન એમને પડેલી તકલીફો અંગેનું આવેદનપત્ર આપવા માટે મલબારહિલ ખાતેના મહેલ પર ગયા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાજા એમની સાથે વાતો કરે છે. પ્રશ્નો પૂછે છે. ભીમરાવની અંગ્રેજી પરની પકડ અને જવાબોથી ખુશ પણ થાય છે. પરંતુ, ભીમરાવના આવેદનપત્ર વિશે એકપણ શબ્દ ઉચ્ચારતા નથી. ઉલટાનું ભીમરાવને બીજા દિવસે ફરીથી મળવા આવવાનું કહે છે. બીજા દિવસે ભીમરાવ મહારાજાને મળે છે ત્યારે મહારાજા ભીમરાવને કયા વિષયોનો અભ્યાસ કરવામાં રસ છે? અને એ અભ્યાસ કરીને શું કરીશ? એવા પ્રશ્નો પૂછે છે. ભીમરાવ જવાબમાં કહે છે, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને પબ્લીક ફાઇનાન્સનો અભ્યાસ કરીને વંચિતો, અસ્પૃશ્યોની અવદશા કેવી રીતે મટાડી શકાય અને એમના ઉદ્ધાર, એમની સુધારણા માટે મારી શક્તિ વાપરીશ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાજા કહે છે, "તું અમારા રાજ્યની નોકરી કરીશ? જો નોકરી કરીશ તો સમાજસેવા અને નોકરી એકસાથે બે કામ કેવી રીતે કરીશ? ભીમરાવ પ્રત્યુત્તર આપે છે, "જો તમે મને સગવડ આપશો તો હું બંને કામ એકસાથે કરીશ. કામને ન્યાય આપવાની ક્ષમતા મારામાં છે." મહારાજા કહે છે કે, "હું તને અમેરિકા વધુ અભ્યાસ માટે મોકલવા ઇચ્છું છું જો તારી ઇચ્છા હોય તો શિષ્યવૃત્તિની માગણી સહિતની અરજી કરી દે અને એક નકલ મને પણ આપજે." આ સાંભળી ભીમરાવના આનંદનો તો પાર ન રહ્યો. એમને તો જાણે દોડવું હતું ને ઢાળ મળ્યો. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અભ્યાસ માટે અમેરિકા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘેર આવી તેઓ તરત જ અરજી કરી દે છે. અરજી કર્યા પછી પત્નીને જાણ કરે છે. એમની અરજી મંજૂર થાય છે. અરજી મંજૂર થતાં જ ફરીથી મહારાજાને મળીને આભાર માને છે. માસિક સાડા અગિયાર પાઉન્ડની શિષ્યવૃત્તિ 15 જૂન 1913 થી 14 જૂન 1916 સુધીના ત્રણ વર્ષના સમયગાળા માટે મંજૂર કરવામાં આવી હતી. ભીમરાવના કુટુંબમાં દસ બાર માણસો હતાં. બે ટંક ભોજનથી વધુ કંઇ થઇ શકે એવી આર્થિક સ્થિતિ નહોતી. એ અમેરિકા જાય પછી કુટુંબના ભરણ - પોષણની પણ ચિંતા હતી. અમેરિકા જવા માટે અત્યંત જરૂરી ચીજવસ્તુઓ પણ ખરીદવાની હતી. એમને ત્રણ મહિનાની એડવાન્સ શિષ્યવૃત્તિ પેટે રૂ. 1963 મળ્યા હતા. એમણે જરૂરી ચીજવસ્તુઓ ખરીદી બચેલા પૈસા પત્નીને ઘરખર્ચ માટે આપ્યા. કરકસરથી જીવવાનું કહ્યું. સાથે એ પણ કહ્યું કે, અમેરિકામાં કરકસરથી જીવી જે બચશે એ ભારત મોકલતા રહેશે. ઘરમાં મોટાભાઇ આનંદરાવ જ કમાનાર હતા. ભીમરાવે આખા ઘરની જવાબદારી આનંદરાવને સોંપી, હંમેશની જેમ આનંદરાવે એ જવાબદારી સહર્ષ પૂરી કરવાની ખાતરી આપી. ભીમરાવના મનનો બોજ હળવો થઇ ગયો. અમેરિકા જઇ અભ્યાસમાં પૂર્ણપણે ડૂબી જવાના ધ્યેય સાથે ભીમરાવ અમેરિકા જવાના રવાના થયા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Sankalp-Bhumi-Vadodara-to-Secretariat-Gandhinagar-will-be-organized-a-free-Bharat-Yatra">સંકલ્પ ભૂમિ વડોદરાથી સચિવાલય ગાંધીનગર સુધી આભડછેટ મુક્ત ભારત યાત્રા યોજાશે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમેરિકામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 21 ઑગસ્ટ 1917ના દિવસે ભીમરાવ પાછા મુંબઇ આવ્યા. એક અસ્પૃશ્યે આટલો ઉચ્ચ અભ્યાસ કરીને, આટલી મોટી પદવીઓ મેળવીને, વિદેશ અભ્યાસ કરીને દેશમાં પગ મૂક્યો હતો. એટલે અસ્પૃશ્ય સમુદાયનો આનંદ તો માતો નહોતો. પરંતુ, રમાબાઇને અનેરો આનંદ હતો. પતિ પાછા તો આવ્યા જ હતા. પરંતુ, હવે દુઃખના દિવસો પૂરા થશે, આનંદથી જીવી શકાશે, પરિવાર જોડે રહેશે એ વિશે વિચારતી રમાબાઇની ખુશીનો પાર નહોતો. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફરીથી વડોદરા: અપમાન, સંકલ્પ અને સંઘર્ષ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભીમરાવને વડોદરા રાજ્ય સાથેના કરાર મુજબ રાજ્યની નોકરી કરવાની હતી. એટલે એમણે વડોદરા પત્ર લખ્યો, જેમાં ક્યારે હાજર થવાનું છે? સરકાર એમને કઇ જગ્યાએ મૂકવા માગે છે? એ અંગેની પૃચ્છા હતી. વધુમાં એમણે 1913માં કરેલી વડોદરા રાજ્યની નોકરી દરમિયાન રહેવા-જમવાની જે મુશ્કેલી પડી હતી તેનો પણ ઉલ્લેખ કર્યો અને રહેવા માટેની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવે એવી પણ વિનંતી કરી. રાજ્યના વહીવટી અધિકારી તરફથી મળેલા પત્રમાં તાકીદે વડોદરા પહોંચી જવા માટે જણાવવામાં આવ્યું પરંતુ, રહેવા-જમવાની બાબતનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. ભીમરાવ આ મૌન પાછળનો અર્થ સમજી ગયા. પણ, તેમણે વડોદરા પહોંચી જોઈ લેવાશે એમ વિચારી વડોદરા જવાનો નિર્ણય લીધો. પૈસાની કમી હતી. મોટાભાઇ આનંદરાવના પગારમાંથી ઘર ચાલતું હતું. જે જહાજ ડૂબવાથી ભીમરાવનાં બધાં પુસ્તકો ડૂબી ગયાં હતાં એના વીમાના વળતરના મળેલા પૈસામાંથી વડોદરા જવાનો ખર્ચ કાઢી. વધેલા પૈસા ઘર ખર્ચ માટે આપીને ભીમરાવ વડોદરા જવા માટે નીકળ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સપ્ટેમ્બર માસના બીજા અઠવાડિયામાં ભીમરાવ વડોદરા પહોંચ્યા. એક અછૂત પરદેશ ભણીને રાજ્યમાં મોટા અધિકારી તરીકે નોકરી કરવા આવવાનો છે, એવી વાત તો ભીમરાવ આવે એ પહેલાં વડોદરા પહોંચી ગઇ હતી. મહારાજાએ ભીમરાવ આવે એટલે સ્ટેશને પહોંચીને એમને સ્ટેશન પર મળી, બધી વ્યવસ્થા કરવાની સૂચના પણ આપી હતી. પરંતુ આ તો ‘અછૂત’. કોઇ  અધિકારી કે કર્મચારી ભીમરાવને સ્ટેશન પર લેવા ગયું નહીં. ભીમરાવ પોતાની રીતે એકલા સ્ટેશન પર ઉતરીને રહેવાની જગ્યા શોધવા લાગ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લંડનમાં ત્રણ વર્ષ રહ્યા હતા એટલે ત્યાંના સમાનતાના વાતાવરણની માનસ પર અસર હતી. પણ, જ્યારે રહેવા માટે રૂમ રાખવાની વાત આવી એટલે તેમને તરત જ પોતે ‘અછૂત’ હોવાથી અહીં કેટલી તકલીફ પડશે એ વાસ્તવિકતા આંખ સામે દેખાવા લાગી. રહેવાની બીજી કોઇ સગવડ તો હતી નહીં. એટલે એમણે એક પારસી ધર્મશાળામાં મહામુસીબતે ‘પારસી નામ’ રાખીને રૂમ ભાડે લીધી. એ રૂમ રહેવા માટે કોઇ રીતે યોગ્ય નહોતી. કાળકોટડી જેવી એ રૂમમાં ભીમરાવ માંડ રાત કાઢતા હતા. વડોદરા મહારાજા તેમને નાણાખાતું આપવા માગતા હતા. એટલે એમને એકાઉન્ટન્ટ જનરલની ઑફીસમાં પ્રોબેશન પર મૂક્યા હતા. વળી, બીજાં ખાતાંના કામથી પણ માહિતગાર થાય એટલે થોડો થોડો સમય અન્ય ખાતાંમાં પણ કામ કરવાનું રહેતું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/No-one-can-erase-these-works-of-Babasaheb-they-will-be-remembered-even-after-centuries">બાબાસાહેબના આ કાર્યોને કોઈ ભૂંસી શકશે નહીં, સદીઓ પછી પણ રહેશે યાદ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભીમરાવ ઉચ્ચ શિક્ષિત અધિકારી છે, એના કરતાં એ અછૂત છે એ જ વાત સાથી અધિકારીઓ અને હાથ નીચેના અધિકારીઓ, કર્મચારીઓ યાદ રાખતા હતા. પટાવાળો અભડાય નહીં એટલે ફાઇલો, કાગળો ટેબલ પર છૂટ્ટા નાખતો, એમના પટાવાળા ભૂલથી પણ સ્પર્શ થઇ જાય તો અભડાઇ જવાય એટલા માટે સંકોચાઇને ઊભા રહેતા. એમનો હુકમ જાણે સાંભળ્યો જ ન હોય એમ વર્તન કરતા હતા. ભીમરાવ સાંભળે એમ જાતિવાચક શબ્દો બોલી અપમાન કરતા હતા. કચેરી સમય બાદ અધિકારીઓ ના મનોરંજન - મેળાવડા માટેની ક્લબમાં હોદ્દાની રૂએ પ્રવેશ તો મળી ગયો પણ, ક્લબમાં કોઇ અધિકારી તેમની સાથે વાત પણ કરતા નહોતા. થોડા દિવસ પછી ભીમરાવ માટે ખૂણામાં  અલગ ટેબલ ખુરશી પણ મૂકી દેવામાં આવ્યું. ભીમરાવને સાંકેતિક રીતે બહિષ્કારની જાણ કરી દેવામાં આવી. વળી, અપમાનભરી સૂચના મુસ્લિમ નોકર દ્વારા પણ પહોંચતી કરવામાં આવી. જે અધિકારીઓ મુસ્લિમો,પારસીઓ, ખ્રિસ્તીઓ જેવા અન્ય ધર્મીઓ સાથે સમાનતાભર્યો વ્યવહાર કરતા હતા. એ જ લોકો હિન્દુ ગણાતા (???) ભીમરાવ સાથે સ્પર્શ તો દૂરની વાત છે બોલવા માટે પણ તૈયાર નહોતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભીમરાવને આ બાબતની ખૂબ પીડા થઇ. રહેવા-જમવાની વ્યવસ્થાનો અભાવ અને અધિકારીઓ, કર્મચારીઓનો અસહકાર, અપમાન, અવહેલના વગેરે બાબતોની રજૂઆત એમણે મહારાજા સમક્ષ કરી, પણ મહારાજા એનો નક્કર ઉપાય ના કરી શક્યા. ભીમરાવે હવે, નિત્યક્રમ બદલ્યો તેઓ ઑફીસનું કામકાજ પતાવી લાઇબ્રેરીમાં બેસી વાંચવા લાગ્યા. એટલે સાથે કામ કરનારાઓએ એની ફરિયાદ દીવાન સર મનુભાઇ મહેતા આગળ કરી. દીવાને ભીમરાવને મળવા બોલાવ્યા. ભીમરાવે આખી વીતકકથા દીવાનને જણાવી. દીવાને આશ્વાસન આપ્યું પણ, એનો અમલ ક્યારેય ના થયો. કંટાળીને ભીમરાવ મહારાજાને ફરીથી મળ્યા, અધૂરા અભ્યાસની વાત કરી. જો શિષ્યવૃત્તિ મળે તો અભ્યાસ પૂર્ણ કરી શકાય એમ પણ જણાવ્યું. પણ, મહારાજાએ એનો અસ્વીકાર કર્યો. ભીમરાવે અલગ મકાન મળે તો કુટુંબ સાથે રહી શકાય એ માટે મહારાજાને વિનંતી કરી, મહારાજા તરફથી આશ્વાસન પણ ના મળ્યું એટલે તેઓ વધુ નિરાશ થયા. ઑફીસમાં એમનો બહિષ્કાર તો ચાલુ જ હતો. એટલે તેઓ ફાજલ સમયનો ઉપયોગ અધ્યયનમાં કરતા હતા, નોંધો તૈયાર કરતા હતા. જેનો એમને ઘણીવાર લાભ મળ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભીમરાવ પારસી વીશીમાં રહેતા હતા, ત્યાં એક દિવસ પારસીઓ અને ગુંડાઓનું મોટું ટોળું હુમલો કરવા આવ્યું. કારણ એ જ કે એક અસ્પૃશ્ય વીશીમાં રહે તો વીશી અભડાઇ જાય. ટોળાએ પૂછ્યું ‘તુ કોણ છે?’ ભીમરાવે જવાબ આપ્યો ‘હિંદુ’. ટોળામાંથી જવાબ આવ્યો કે, અમને ખબર છે કે તુ કોણ છે. ભીમરાવને તરત થયું કે, ‘અછૂતો’ ને હિંદુ ગણે છે જ કોણ? એ અન્યધર્મીઓ પણ જાણે છે, છતાં પોતે હિંદુ તરીકે ઓળખ આપીને તેઓ હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાયા છે. એ અહેસાસ થતાં એમને થયેલી વેદના, લાગેલો આઘાત તો કલ્પનાતીત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભીમરાવે ટોળાને કહ્યું કે, હું આઠ કલાકમાં વીશી છોડીને જતો રહીશ. ભીમરાવનો જવાબ અને રજવાડાનો અધિકારી હોવાના લીધે ટોળું વીખરાઇ ગયું પણ, ભીમરાવના શરીર પર નહીં પણ કાળજે કારમો ઘા થયો હતો. આ આઠ કલાકમાં ભીમરાવ વડોદરામાં ઘર માટે ગલીએ ગલીએ ફર્યા પણ ઘર ના મળતાં મુંબઇ પાછા જવાનો નિર્ણય કર્યો. છેવટે થાકી હારીને તેઓ અત્યારે જ્યાં રેલવે સ્ટેશન છે ત્યાં બેઠા. તેમણે વિચાર્યું કે જે હિંદુઓ માટે અસ્પૃશ્ય છે, તે પારસીઓ માટે પણ અસ્પૃશ્ય છે, મુસ્લિમ કે અન્ય માટે પણ અસ્પૃશ્ય જ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક વધુ વિગત અહીં સાંભરે છે, એકવાર ભીમરાવ ઔરંગાબાદ અને બીજાં કેટલાંક ઐતિહાસિક સ્થળોએ મિત્રો સાથે ફરવા ગયા હતા. રસ્તામાં દોલતાબાદનો કિલ્લો જોવા રોકાયા. હૈદ્રાબાદ રાજ્યનો ભાગ એવા દોલતાબાદનો કિલ્લો જોવા માટે ભીમરાવ અને સાથીદારો જ્યારે જાય છે ત્યારે થાકના લીધે તેઓ કિલ્લાની બહાર તળાવના પાણીથી હાથ મોં ધુએ છે. ત્યારે આ લોકો અસ્પૃશ્ય હોવાનું જાણી ગયેલો મુસ્લિમ ચોકીદાર ‘અછૂતોએ તળાવ અભડાવ્યું’ એમ બૂમો પાડીને હો-હા મચાવી દે છે. હો-હા સાંભળીને બધાંનું ધ્યાન દોરાય છે. વળી, કેટલાક તો દરેકે પોતાના ધર્મનું પાલન કરવું જોઇએ એવી સલાહ પણ આપે છે. અહીં, ધર્મ એટલે અસ્પૃશ્યોએ જાહેર જગ્યાઓએ આભડછેટનું પાલન કરવાનું અભિપ્રેત છે. છેવટે સુપ્રિટેન્ડેન્ટના જોડે મામલો પહોંચતાં, ભીમરાવનું નામ સાંભળી કિલ્લો જોવાની પરવાનગી મળે છે. પણ જોડે એક ચોકીદાર સતત રહે છે,કે  જેથી, કિલ્લામાં અન્ય વસ્તુઓ અભડાય નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડોદરાના અનુભવોએ તેમને ચોધાર આંસુએ રડાવી દીધા હતા. મુંબઇ પહોંચી તેમણે વડોદરાનાં વીતકો વિશે કૃષ્ણાજી કેલુસ્કરને વાત કરી. કૃષ્ણાજીએ મહારાજાને પત્ર લખી બધી જાણ કરી. આ સમય દરમિયાન કૃષ્ણાજીના મિત્ર અને વડોદરામાં પ્રોફેસર એવા એસ.એલ. જોશી કૃષ્ણાજીને મળવા આવ્યા. એમણે વાત જાણી ભીમરાવ નિઃસંકોચ પોતાને ત્યાં રહી શકશે એમ જણાવી ભીમરાવને પોતાને ત્યાં મોકલવા જણાવ્યું. બીજો કોઇ હોય તો આટલા અનુભવો પરથી ફરી વડોદરા જવાનો નિર્ણય ના લે, પણ, મહારાજાનું ઋણ ઉતારવાના એકમાત્ર ઉદ્દેશ્યથી ભીમરાવે ફરીથી વડોદરા જવાનો નિર્ણય કર્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેઓ જેવા વડોદરા સ્ટેશને ઉતર્યા ત્યારે ભીમરાવના સ્વાગતમાં આવેલા, પ્રોફેસર જોશીના નોકરે એક ચીઠ્ઠી ભીમરાવને આપી જેમાં લખ્યું હતું, “ આપ મારી સાથે રહો એ અંગે મને તો વાંધો છે જ નહીં. હું તો નાતજાતમાં કે આભડછેટમાં માનતો જ નથી. પણ મારી પત્ની રૂઢિચુસ્ત છે એની નામરજીને કારણે હું આપને મારી સાથે રાખી શકું એમ નથી, તો મને ક્ષમા કરશો.” ચીઠ્ઠી વાંચી ભીમરાવના પગ નીચેથી જમીન સરકી ગઇ. એમણે સ્ટેશન પરથી જ પાછા ફરવાનો નિર્ણય કર્યો. જીવનનાં બાકીનાં વર્ષોમાં ક્યારેય ભીમરાવ વડોદરા પાછા આવ્યા નહીં. વડોદરાની ઘટનાઓએ ભીમરાવના દિલોદિમાગ પર કારમો આઘાત પહોંચાડ્યો હતો. કહેવાતી 'સંસ્કારી નગરી'નું અસલી ચરિત્ર ડો. આંબેડકરે અહીં ગાળેલા 11 દિવસમાં સ્પષ્ટ રીતે છતું થયું હતું. એ અનુભવો પછી એમણે આજીવન અસ્પૃશ્યોના હકો અને અસ્પૃશ્યતા નિવારણ માટે લડવાનું નક્કી કરી દીધું. 1917માં વડોદરાથી પાછા ફર્યા બાદ તેઓ મુંબઇમાં જ વસી ગયા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/Statue-Of-Equality:-In-America,-Dr.-Babasaheb-Ambedkars-Tallest-Statue-Unveiled,-Ceremony-Resounds-With-Jai-Bhima-Naad"><strong>Statue Of Equality: અમેરિકામાં થયું ડો. બાબાસાહેબ આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ, સમારોહ જય ભીમના નાદથી ગૂંજી ઉઠ્યો</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 23 Sep 2024 11:27:11 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 23 Sep 2024 12:04:41 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1256</Articleid>
                    <excerpt>વડોદરાને ગુજરાતીઓ ગર્વથી &#039;સંસ્કારી નગરી&#039; કહે છે, પણ આ કથિત સંસ્કારી નગરીનું અસલી ચરિત્ર ડો. આંબેડકરે ત્યાં નોકરીમાં ગાળેલા 11 દિવસમાં પ્રગટ થાય છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f0fc333c97a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f0fc330b8d9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f0fc330b8d9.jpg" length="88899" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>jaybhim, Dr.Ambedkar, Babasaheb, Baroda, civilized city, Untouchable</media:keywords>
                </item>
                        <item>
                    <title>જ્યારે વડના ઝાડ નીચે બેસીને ડૉ. આંબેડકર ચોધાર આંસુએ રડેલાં...</title>
                    <link>https://khabarantar.com/while-sitting-under-the-banyan-tree-dr-ambedkar-choudhar-burst-into-tears</link>
                    <guid>https://khabarantar.com/while-sitting-under-the-banyan-tree-dr-ambedkar-choudhar-burst-into-tears</guid>
                    <description>
                        <![CDATA[ સંકલ્પ દિવસ નિમિત્તે મહાનાયક ડો. આંબેડકરના જીવનના એ દિવસોને ફરી યાદ કરીએ, જ્યારે જાતિવાદીઓથી ત્રસ્ત થઈ તેમણે વડોદરા છોડવું પડ્યું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Bhim Sankalp Divas Special: બહુજન ઈતિહાસમાં આજનો દિવસ દુઃખ-સુખની મિશ્ર લાગણી ધરાવે છે. દુઃખ એ વાતનું કે મહામાનવ ડો. બાબાસાહેબ આંબેડકરને જાતિવાદીઓએ વડોદરામાં ક્યાંય રહેવા ઘર નહોતું મળવા દીધું એટલે તેઓ અત્યંત દુઃખી થઈ જીવનમાં પહેલીવાર મન મૂકીને ચોધાર આંસુએ રડ્યાં હતા. સુખ એ વાતનું કે, રડ્યાં પછી સ્વસ્થ થઈને તેમણે એજ વડના ઝાડ નીચે બેસીને આ દેશના કરોડો બહુજનો માટે આજીવન સંઘર્ષ કરવાનો સંકલ્પ કર્યો હતો. ચાલો મહાનાયક મહાનાયક ડો. આંબેડકર સાથે એ દિવસે શું શું બન્યું હતું તેની વાત કરીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દર વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ 'સંકલ્પ દિન' નિમિતે વડોદરા ખાતે આવેલા વિખ્યાત કમાટી બાગમાં લાખો લોકો 'સંકલ્પ ભૂમિ'ની મુલાકાતે આવે છે અને ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા લેવામાં આવેલ સંકલ્પને યાદ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">107 વર્ષ પહેલા વડોદરામા ક્યાંય રહેઠાણ ન મળતા ડો. આંબેડકર તા. 23/09/1917 ના રોજ વડોદરા છોડતી વખતે મુંબઈ જતી ટ્રેન ચાર કલાક મોડી હોવાથી વડોદરા ખાતે આવેલા કમાટી બાગમાં એક વડના ઝાડ નીચે બેસી બહુજન સમાજના ઉદ્ધારનો સંકલ્પ કરેલો. જેની યાદમાં આજે પણ 'સંકલ્પ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. આજે આ જગ્યા 'સંકલ્પ ભૂમિ'તરીકે વિખ્યાત બની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાજા સયાજીરાવ ગાયકવાડ, વડોદરા સ્ટેટ દ્વારા ઉચ્ચ અભ્યાસ માટે આપવામાં આવેલ સ્કોલરશીપની શરતના ભાગરૂપે ડૉ. આંબેડકર તેમના મોટાભાઈ સાથે વડોદરાના મહારાજા સમક્ષ નોકરી માટે હાજર થયા હતા. અમેરિકાથી અર્થશાસ્ત્રની ડિગ્રી લઈને આવેલા ડો. આંબેડકરને મહારાજાએ નાણા સચિવ તરીકે નિમણૂકનો વિચાર કર્યો તે પહેલા તેમની સૈનિક સચિવની જગ્યાએ મહીને રૂપિયા 125ના પગારે નિમણૂક કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબાસાહેબ વડોદરા પહોંચ્યા, નોકરી મળી પણ રહેવા માટેની વ્યવસ્થા તેમણે જાતે કરવાની હતી. સમસ્યા એ હતી કે જાતિવાદીઓ તેમને ક્યાંય મકાન ભાડે આપવા તૈયાર નહોતા. અમુક ઓળખીતા મિત્રોનો સહકાર માંગી રહેવા માટેની વ્યવસ્થા કરવા મદદ માંગી પણ જુદાજુદા બહાના બતાવી તેમણે પણ હાથ અધ્ધર કરી દીધા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Two-satyagrahas-from-ancient-history-which-are-not-remembered-despite-fighting-for-human-rights"> </a></span></strong> <a href="https://khabarantar.com/mother-ramabai-to-dr-ambedkars-touching-historical-letter"><strong>માતા રમાબાઈને ડૉ. આંબેડકરનો હૃદયસ્પર્શી ઐતિહાસિક પત્ર</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો. આંબેડકર ઈંગ્લેન્ડ અને અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરીને આવેલા ઉચ્ચ અધિકારી હતાં, પરંતુ ભારતમાં તો તેઓ એક 'અસ્પૃશ્ય' માત્ર હતાં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે કોઈ મકાન મળ્યું તો તેમણે એડલજી સોરાબજી એવું બનાવટી નામ રાખી વડોદરાની જહાંગીરજીની પારસી વિશીમાં કામચલાઉ આશરો લીધો હતો. આ વિશીની વિગતો લખતા  બાબાસાહેબ નોંધે છે, "વડોદરા સ્ટેશને ઉતરતા અમારી સમક્ષ એક મોટો પ્રશ્ન ઉતારાનો ઊભો થયો. અમે વિચાર્યું કે પારસી લોકોના ધર્મમાં કોઈ આભડછેટ નથી. કોઈક પારસી લોજમાં જઈએ તો ઠીક. પારસી લોજનું સરનામું મેળવી અમે ત્યાં પહોંચ્યા. અમારા આવતાની સાથે બે માળવાળી લોજના માલિકે અમને ઉપર બોલાવ્યા અને એક રૂમ આપ્યો. સામાન મૂકી કપડા ઉતારીને હું ઉભો હતો ત્યાં પારસી માલિક આવ્યા અને મારા શરીર ઉપર સદરો અને કંદોરો ન જોતા તેમને લાગ્યું કે હું પારસી નથી. તેમને કડક અવાજે કહ્યું, "તું કોણ છે? લોજ પારસી લોકો માટે, પારસી માલિક દ્વારા ચલાવવામાં આવે છે." મારી મૂંઝવણનો પાર નહોતો. હવે ક્યાં જઈશું? હિંમત કરીને કહ્યું, "મારે થોડા દિવસે જ રહેવું છે, બીજે વ્યવસ્થા થતાં હું અહીંથી નીકળી જઈશ. હું જમવાની વ્યવસ્થા બીજે કરીશ. માત્ર મને રહેવાની વ્યવસ્થા આપો." પારસી માલિકે હાથમાંનું રજીસ્ટર બતાવતા કહ્યું કે આ રજીસ્ટરમાં નોંધણી નું શું?  મેં કહ્યું કે મારે બનાવટી પારસી નામ રાખવામાં રજીસ્ટર નોંધવામાં વાંધો નથી. તમને તો ફાયદો થશે પૈસા મળશે." </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વળી પાંચ વર્ષના વિદેશ વસવાટથી મારો વાન સહેજ ગોરો થયો હતો, પારસીમાં ખપાઈ જવાય તેવું પૂરતું હતું, જોખમ પણ ન હતું. માલિકે વિચાર્યું કે બે પૈસા કમાવા માટે આ વાત ઠીક છે. તેણે મારી વ્યવહારુ વાત સ્વીકારી.  રોજના દોઢ રૂપિયાના ભાડે પારસી નામ સાથે અમે પારસી વિશીમાં રહેવા માંડ્યા. મને આફત ટળ્યાથી ઘણી જ ખુશી થઈ. એક પલંગ વાળી પ્રથમ માળ ઉપરની ઓરડીમાં મને ભારે મુશ્કેલી પડતી હતી. બાજુમાં તેનો ભંગાર સામાન પડ્યો હતો. વંદા મચ્છરનો પાર ન હતો."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી બાજુ બાબા સાહેબ આંબેડકરના આગમન પૂર્વે જ વડોદરાના સમગ્ર સચિવાલયમાં સમાચાર ફેલાયા હતા કે મહારાજાએ એક અસ્પૃશ્યની સચિવ પદે નિમણૂક કરી છે;  હવે વડોદરા ખાતે આવેલ આપણું આખું સચિવાલય અભડાઈ જશે. આમ તેમના આગમન પૂર્વે જ પૂર્વગ્રહ-ધિક્કારનું વાતાવરણ પેદા થઈ ચૂક્યું હતું. એક અછૂતના હાથ નીચે કે સાથે આપણે કામ કરવું પડશે? અછૂત અધિકારી આંબેડકરની આજ્ઞા તે વળી ખમાતી હશે? અછૂત આપણને હુકમ કરે? છી ..છી...છી.. આવા હતા તેમના વિચારો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેવા ડોક્ટર આંબેડકર આવ્યા તેવી જ ત્યાં  કાનાફુસી શરૂ થઈ ગઈ. અમેરિકા, ઇંગ્લેન્ડ રિટર્ન ઓફિસર સામાન્ય ચપરાશી માટે પણ તુચ્છ - અસ્પૃશ્ય હતો.  વિદ્યુત પ્રવાહ માટે લાકડું અવાહક છે, પરંતુ અસ્પૃશ્યતાનો પ્રવાહ બધાને માટે સુવાહક હતો, એટલે સામાન્ય પટાવાળો પણ ફાઇલો ડૉ.આંબેડકરના ટેબલ ઉપર દૂરથી ફેંકતો હતો, રખેને ટેબલને અટકી જવાય અને અસ્પૃશ્યતાનો વિધુત પ્રવાહ તેમને ભડકાવી મારે તો! ડૉ. આંબેડકરને અપમાન લાગે તેવી રીતે છેટે ઉભા રહીને વાત કરે. જેવા તેઓ ઓફિસમાં આવે તેવી જ જાજમ ઉઠાવી લે. રખેને જાજમ અભડાઈ જાય! ડૉ. આંબેડકર જે માર્ગેથી પસાર થાય ત્યાં બાજુમાં ઊભેલા સવર્ણ કર્મચારીઓ ચમકીને ખસી જાય, ડૉ. આંબેડકર પર આંગળી ચીંધી વ્યંગમાં અપમાનજનક સંવાદો બોલે. ડૉ. આંબેડકરને અપમાનો ગાળ્યા સિવાય છૂટકો પણ ન હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Two-satyagrahas-from-ancient-history-which-are-not-remembered-despite-fighting-for-human-rights"> </a></span></strong> <a href="https://khabarantar.com/had-it-not-been-for-dr-ambedkar-the-struggle-of-phule-couple-would-have-been-buried-in-history"><strong>ડૉ. આંબેડકર ન હોત તો ફૂલે દંપતિનો સંઘર્ષ પણ ઈતિહાસમાં દટાઈ ગયો હોત</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડોદરા ખાતે સચિવાલય(કોઠી)માં ઉચ્ચ અધિકારીઓની એક કલબ હતી જેના ડોક્ટર આંબેડકર સભાસદ બન્યા હતા,  છતાં પણ તેમની જોડે કોઈ બેસવા કે બોલવા તૈયાર ન હતા. સવર્ણ નોકર નાસ્તો આપવા તૈયાર નહોતો. એક ખૂણામાં એકલા બેસતા આંબેડકર ભારે અકળામણ અનુભવતા હતા. અપમાનિત થયેલ આંબેડકર તે દિવસે સીધા વીસીમાં આવ્યા અને એક અરજી કરી મહારાજને સઘળી હકીકત લેખિતમાં દર્શાવી. મહારાજે કહ્યું કે ધીરજ રાખો, ધીરે ધીરે બધી જ વ્યવસ્થા થઈ જશે,  પણ મહારાજા તે વ્યવસ્થા કરી શક્યા નહીં. એક રાજ્યનો સમર્થ રાજવી એક લાયક અસ્પૃશ્ય અધિકારીને નાનકડું મકાન મેળવી આપવામાં લાચાર હતા તે અનુભવથી ડોક્ટર આંબેડકરને અપાર દુખ થયું. તે રાત્રે તેઓ ઊંઘી શક્યા નહીં તેમની મતિ મૂંઝાઈ ગઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ.બાબાસાહેબ તેમના આત્મવૃતાંતમાં લખે છે, "પારસી વીશીમાં આજે મારો 11 મો દિવસ હતો. મેં નીચે બધાના આગમનનો ઘોંઘાટ સાંભળ્યો. એ પછી ઊંચા તગડા, હાથમાં લાઠી લઈ ગુસ્સે ભરાયેલા દસ-બાર પારસી મારા રૂમ પાસે પહોંચી ગયા અને મને પૂછ્યું 'તું કોણ છે? તારી બધી ચાલાકી જાણી ગયા છીએ, તારી આ હિંમત કે પારસીનું બનાવટી નામ ધારણ કરે? તેં પારસી લોકોની હોટેલ અભડાવી દીધી." બધાં મને મનફાવે તેમ બોલતા હતા. હું અસહાય અને નિરંતર રહી સાંભળતો હતો. મારો જીવ જોખમમાં હતો. ત્યાં બીજાએ કહ્યું, "બોલ, તારા લબાચા લઈ ક્યારે નીકળીશ? મેં સ્વસ્થતા કેળવીને વિનમ્ર ભાવે કહ્યું, "વડોદરાના દિવાન સાહેબ સાથે મારી વાતચીત થઈ છે, એકાદ અઠવાડિયામાં મકાન મળી જશે." તો મેં તેમને એક અઠવાડિયું  રહેવા દેવાની વિનંતી કરી, પણ તેઓ માન્યા નહીં અને તાડુકીને એક પારસીએ કહ્યું, "આજે સાંજે આ હોટલમાં તારો પગ હોવો જોઈએ નહીં, નહીં તો તારા ટાંટિયા ભાંગી નાખીશું અને લબાચા ફેંકી દઈશું."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ હૃદયદ્રાવક કરુણ પ્રસંગનું વર્ણન કરતા જાહેર સભામાં આંસુ સાથે ડોક્ટર બાબા સાહેબે જે કહેલું એની નોંધ જોઈએ: "પારસી લોકોના ગયા પછી હું વિચારમાં પડ્યો કે આ મુસીબતમાંથી માર્ગ કેવી રીતે કાઢવો. આખો દિવસ હું મકાન માટે ભટક્યો. મને ક્યાંય મકાન ન મળ્યું. કેટલાક મિત્રોએ જુદા જુદા બહાના કાઢીને મને રવાના કરી દીધો. મારા માટે ઉપર આભ અને નીચે ધરતી હતા. મારી મતિ મૂંઝાઈ ગઈ હતી. મને કંઈ સૂઝતું નહોતું કે મારે હવે શું કરવું? એક વૃક્ષની નીચે બેસી હું ચોધાર આંસુએ રડી પડ્યો. રડતે હૃદયે મેં મુંબઈની વાટ પકડી, તે સિવાય મારી પાસે કોઈ વિકલ્પ ન હતો."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડોદરા ખાતે નોકરીના સમયગાળાના આભડછેટ અને જાતિભેદના વરવા અનુભવે ડો. આંબેડકરનું સમગ્ર જીવનધ્યેય બદલી નાખ્યું હતું. તા.૨૩/૦૯/૧૯૧૭ના રોજ જેને આપણે આજે સંકલ્પ દિવસ કહીએ છીએ, તે દિવસે તેમને વડોદરાના કમાટીબાગના એક વૃક્ષ નીચે બેસીને ચિંતનથી ભગવાન બુદ્ધની જેમ સમાજસેવાની સંબોધિ પ્રાપ્ત થઈ, બોધિજ્ઞાન થયું. વૃક્ષ નીચે 'અધિકારી આંબેડકરે' વિદાય લીધી અને 'સંઘર્ષવીર' આંબેડકરનો જન્મ થયો. તેમણે સમાજ સેવાનો સંકલ્પ કરી પ્રતિજ્ઞા લીધી, "જે સમાજમાં હું જન્મ્યો છું તે સમાજ ઉપર થતાં અમાનવીય,  અન્યાયી, ધૃણાજનક અને ગુલામીયુક્ત અત્યાચારો દૂર કરીને જ જંપીશ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડોદરા રાજ્યમાં 11 દિવસની નોકરી દરમિયાન થયેલ આકરા જાતિગત અપમાનોએ ડો. બાબા સાહેબ આંબેડકરની જિંદગી બદલી નાખી જેમાં આગળ જતાં 'અધિકારી આંબેડકર' કરોડો લોકોના મસીહા બન્યા. ગુજરાતના વડોદરા ખાતે આવેલ કમાટી બાગમાં એક ઝાડ નીચે જ્યાં ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને તારીખ 23/9 /1917માં સમાજસેવાની સંબોધિ પ્રાપ્ત થઈ હતી. અહીં જ વૈચારિક સામાજિક ક્રાંતિના મંડાણ થયા હતા, વિદ્રોહના વિચારો સાથે વડોદરાથી બાબાસાહેબે વસમી વિદાય લીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">કાંતિલાલ પરમાર, સામાજિક કાર્યકર</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Two-satyagrahas-from-ancient-history-which-are-not-remembered-despite-fighting-for-human-rights"> અર્વાચીન ઈતિહાસના બે સત્યાગ્રહો, જે માનવાધિકાર માટે લડાયા હોવા છતાં યાદ કરાતા નથી</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 23 Sep 2024 09:12:05 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 23 Sep 2024 09:12:55 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1255</Articleid>
                    <excerpt>સંકલ્પ દિવસ નિમિત્તે મહાનાયક ડો. આંબેડકરના જીવનના એ દિવસોને ફરી યાદ કરીએ, જ્યારે જાતિવાદીઓથી ત્રસ્ત થઈ તેમણે વડોદરા છોડવું પડ્યું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f0e2a325fcb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f0e2a2e1ed6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f0e2a2e1ed6.jpg" length="94951" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Mahanayak Dr. Ambedkar, Dr. Ambedkar, Resolution Day</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગાય&amp;ડુક્કર&amp;માછલીની ચરબીમાંથી બનેલા લાડુ ખાધા પછી ભક્તો શું કરશે?</title>
                    <link>https://khabarantar.com/what-will-the-devotees-do-after-eating-laddus-made-from-cow-pig-fiash-fat</link>
                    <guid>https://khabarantar.com/what-will-the-devotees-do-after-eating-laddus-made-from-cow-pig-fiash-fat</guid>
                    <description>
                        <![CDATA[ છાશવારે ગૌમાંસ આરોગવાને લઈને દલિતો, મુસ્લિમો પર હુમલા કરતા હિંદુઓ તિરુપતિ મંદિરના પ્રસાદમાં ગાય-ડુક્કર-માછલીની ચરબી ખાઈને શું બોલશે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુઓી આસ્થાના પ્રતિક તિરુપતિ બાલાજી મંદિરના લાડુના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી, માછલીનું તેલ, બીફના તત્વો મળી આવ્યા હોવાની વાતને લઈને દેશભરમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે હવે ભાજપને આંધ્રપ્રદેશની પૂર્વ જગન મોહન રેડ્ડીની સરકાર સામે કોર્ટમાં કેસ દાખલ કરવાનું નક્કી કર્યું છે. પણ આપણો સવાલ એ છે કે, મનફાવે ત્યારે ગૌમાંસ, ગૌહત્યા અને નોનવેજના નામે દલિતો, લઘુમતીઓ પર હુમલા કરતા તત્વો આ મામલે શું કહેશે કે કરશે? ગૌમાંસ ખાવાથી અમારી આસ્થાને ઠેસ પહોંચે છે એમ કહીને અત્યાર સુધીમાં દેશમાં અનેક હત્યાઓ થઈ ચૂકી છે. એવામાં દેશના સૌથી પૈસાદાર મંદિરે જ પ્રસાદમાં કરોડો હિંદુઓને ગૌમાંસ, ડુક્કરની ચરબી અને માછલીના તેલમાંથી બનેલા લાડુ ખવડાવી દીધાં છે. ત્યારે તમારી આસ્થાને કેમ કોઈ ઠેસ પહોંચતી નથી?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બેવડી નીતિ સાબિત કરે છે કે તમારી આસ્થા અને તેની પહોંચતી ઠેસ પણ પરિસ્થિતિ મુજબ બદલાતી રહે છે. મામલો દલિતો સાથે સંકળાયેલો હોય ત્યારે તમારી આસ્થા તરત ભડકી ઉઠે છે અને તમે મારામારી કરવા પર ઉતરી આવો છો. પરંતુ જ્યારે એ જ આસ્થાની સોય તમારા તરફ તકાય છે ત્યારે તમે મૌન ધારણ કરીને બેસી જાવ છો. મરેલી ગાયનું ચામડું ચીરતા ઉનાના દલિતોને તમે જાહેરમાં માર મારતા અચકાતા નથી. પણ હિંદુત્વવાદી સરકારે જે સવર્ણ હિંદુઓને ગાયની કાયદેસરની કતલ કરી તેનું માંસ વિદેશોમાં એક્સપોર્ટ કરવા માટે કંપની ઓલીને વેચવાના લાયસન્સ આપ્યા છે તેના વિશે તેમને કશું કહેવાનું નથી થતું. આવી બેવડી નીતિ તમારી આસ્થાના ઢોંગને પણ ખૂલ્લો પાડી દે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપના નેતા અને તિરુપતિ મંદિર બોર્ડના પૂર્વ સભ્ય ભાનુપ્રકાશ રેડ્ડીએ કહ્યું છે કે, વર્ષ 2019 થી 2024 સુધીમાં જગનમોહન રેડ્ડીની સરકારમાં પ્રસાદના લાડુ બનાવવા માટે જે ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ગાયનું શુદ્ધ ઘી નહોતું પરંતુ પશુઓની ચરબીમાંથી બનેલું ભેળસેળિયું ઘી હતું. બાલાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓ અહીંથી લાડુનો પ્રસાદ ચોક્કસ લે છે. દરરોજ મંદિરમાં લાડુ પ્રસાદ બનાવવા 14 ટન ઘીનો ઉપયોગ થતો હતો. હવે તેમાં ગાય, ડુક્કરની ચરબી તથા માછલીના તેલની ભેળસેળ મળી આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/radical-casteism-the-temple-itself-was-demolished-to-prevent-dalits-from-entering-the-temple">કટ્ટર જાતિવાદઃ દલિતો મંદિરમાં ન પ્રવેશે માટે મંદિર જ તોડી નાખ્યું</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ(TTD) ના પ્રવક્તા વેંકટ રમણે કહ્યું છે કે આ ઘીના નમૂના ગુજરાત સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની લેબોરેટરી NDDB CALF માં ટેસ્ટ કરાયા હતા. અને તેના રિપોર્ટમાં સ્પષ્ટપણે સામે આવ્યું છે કે, પ્રસાદમાં વપરાતા આ ઘીમાં પશુઓની ચરબી, ડુક્કરની ચરબી અને માછલીના તેલ મોજૂદ છે. નમૂનો 9 જુલાઈ 2024ના રોજ લેવાયો હતો અને એનડીડીબીની લેબોરેટરીએ 16 જુલાઈએ પોતાનો રિપોર્ટ આપી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે ભાજપના ધારાસભ્ય ભાનુપ્રકાશ રેડ્ડીએ પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની તિરુપતિ મંદિરના ચેરમેન ભુમના કરુણાકર રેડ્ડી, વાઈવી સુબ્બા રેડ્ડી અને તે વખતના કાર્યકારી અધિકારી ધર્મા રેડ્ડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ યાદ રાખવું જોઈએ કે, એનડીડીબીની લેબોરેટરીએ બાલાજી મંદિરના પ્રસાદમાં વપરાતા ઘીમાં ગૌમાંસ અને ડુક્કરની ચરબી, માછલીનું તેલ અને પામ ઓઈલ હોવાનું પરીક્ષણ કર્યું છે. વાસ્તવમાં બળદ અને ગાય જેવા પ્રાણીઓના ચોક્કસ અંગોમાં ભારે ચરબી હોય છે. ચરબીયુક્ત માંશપેશીઓને દૂર કરીને તેને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે અને તેમાંથી જે પદાર્થ છુટો પડે છે તેનો ઉપયોગ પછી સાબુ, મીણબત્તી બનાવવામાં થાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં દલિતો તેને 'વહ' તરીકે ઓળખે છે. જૂના જમાનામાં ગામડાઓમાં દલિતો આ વહનો ઉપયોગ શીરો જેવી વાનગી બનાવવામાં કરતા હતા. આજે પણ વડીલોને આ બધું યાદ હશે. દલિતોની તો મજબૂરી હતી કે તેમણે ગરીબીના કારણે ખાવું પડતું હતું. પણ પૈસાદાર તિરુપતિ બાલાજી મંદિરના પૈસાદાર ભક્તોને કોઈ મજબૂરી નહોતી. છતાં ભ્રષ્ટ તંત્રે તેમને પણ એ બધું ખવડાવી દીધું જેનો તેઓ વિરોધ કરીને દલિતો પર અત્યાચાર કરતા હતા. હવે તેઓ ખુદ ગૌમાંસ, ડુક્કરની ચરબી અને માછલીનું તેલ પેટમાં પધરાવી ગયા પછી પોતાની જાતને કેવી રીતે પવિત્ર ગણશે તે સવાલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/prasad-of-tirupati-balaji-temple-is-made-from-animal-fat-chandrababu"><strong>તિરૂપતિ બાલાજી મંદિરનો પ્રસાદ પશુઓની ચરબીમાંથી બને છે: ચંદ્રબાબુ</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 20 Sep 2024 12:28:20 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1241</Articleid>
                    <excerpt>છાશવારે ગૌમાંસ આરોગવાને લઈને દલિતો, મુસ્લિમો પર હુમલા કરતા હિંદુઓ તિરુપતિ મંદિરના પ્રસાદમાં ગાય-ડુક્કર-માછલીની ચરબી ખાઈને શું બોલશે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66ed1c0ed2b85.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ed1c0e9b6b6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ed1c0e9b6b6.jpg" length="139516" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Prasad of Tirupati Balaji Temple, Tirupati Balaji Temple</media:keywords>
                </item>
                        <item>
                    <title>છ કરોડ મનુષ્યો અસ્પૃશ્ય હોય એ દેશને આઝાદીનો અધિકાર ખરો?</title>
                    <link>https://khabarantar.com/does-a-country-with-six-crore-untouchables-have-the-right-to-freedom</link>
                    <guid>https://khabarantar.com/does-a-country-with-six-crore-untouchables-have-the-right-to-freedom</guid>
                    <description>
                        <![CDATA[ કાકોરી ટ્રેન લૂંટ કાંડના શહીદ રામપ્રસાદ બિસ્મિલે અસ્પૃશ્યતા, હિંદુ-મુસ્લિમ એકતા વિશે જે સવાલો ઉઠાવેલા તે આજે 100 વર્ષ પછી પણ જેમના તેમ ઉભા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span><br><span style="font-size: 14pt;">kakori train robbery Centenary year: સો વરસ પૂર્વે ૧૯૨૫માં બ્રિટિશ શાસન દરમિયાન ટ્રેનમાંથી ૪૬૭૯ રૂપિયા,  ૧ આનો અને ૬ પાઈની લૂંટ કરવામાં આવી હતી. સરકારી ખજાનાની લૂંટના આરોપસર ૪૦ લોકોની ધરપકડો થઈ હતી. તેમાંથી ચારને ફાંસીની, બે ને કાળાપાણીની અને બીજા ચૌદને ચારથી ચૌદ વરસ સુધીની જેલની સજા થઈ હતી. આશરે પાંચેક હજાર રૂપિયાની લૂંટ બદલ ગોરી હકુમતે આઠ લાખ રૂપિયા જેટલો અધધ ખર્ચ કર્યો હતો. કેમ કે તેના માટે આ કોઈ સામાન્ય લૂંટ નહોતી. આ કૃત્ય ભારતના ક્રાંતિવીરોનું હતું. સરકારને તેમાં સમ્રાટ સામે સશસ્ત્ર યુધ્ધનો પડકાર લાગ્યો હતો. તેથી તેણે ચારને ફાંસી જેવી આકરી સજા કરી હતી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં કાકોરી કાંડ(Kakori kand) તરીકે જાણીતી ઘટનાનું આ શતાબ્દી વરસ છે. એટલે તેના સ્મરણ સાથે મૂલ્યાંકન અને પુનર્મૂલ્યાંકનનો પણ અવસર છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાબરમતીના સંતે 'બિના ખડગ બિના ઢાલ' આઝાદી અપાવી છે તે સાચું પણ આઝાદી આંદોલનમાં ક્રાંતિકારીઓનું ય યોગદાન અને ભૂમિકા રહેલાં છે. અહિંસક સત્યાગ્રહી અને સશસ્ત્ર ક્રાંતિકારી બંને આઝાદી માટે લડ્યા હતા. ગાંધીની અહિંસાના  માર્ગે દેશને આઝાદી નહીં મળે અને હિંસાથી જ તે શક્ય છે તેવું માનનારા ઘણાં ક્રાંતિવીરો ફાંસીના માંચડે ચડી ગયા હતા. ૧૯૨૫ની કાકોરી ટ્રેન લૂંટ કાંડના અગ્રણી રામપ્રસાદ ‘બિસ્મિલ’(Ramprasad Bismil) ( ૧૧ જૂન, ૧૮૯૭ -  ૧૯ ડિસેમ્બર, ૧૯૨૭) સ્વાતંત્ર્ય ચળવળની ક્રાંતિકારી ધારાનું પ્રમુખ નામ છે. તેઓ કવિ, લેખક, અનુવાદક પણ હતા. ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં જન્મેલ રામપ્રસાદ ‘બિસ્મિલ’ (અર્થાત આત્મિકરૂપે આહત) ના તખલ્લુસથી કવિતાઓ લખતા હતા. પછી તો ઉપનામ જ તેમની ઓળખ બની ગયું હતું. આરંભિક શિક્ષણ ઉર્દૂમાં લીધા પછી તે હિંદી –અંગ્રેજી ભણ્યા. જોકે ભણવામાં બહુ પાછળ હતા. ખોટી સોબતે ચોરી અને વ્યસનો પણ વળગ્યા હતા. પરંતુ આર્ય સમાજના રંગે રંગાયા પછી જીવનની દિશા બદલાઈ. સ્વામી સોમદેવને ગુરુ પદે સ્થાપ્યા. તેમણે જ બિસ્મિલને ઉપનિવેશવાદ વિરોધી સંઘર્ષ તરફ વાળ્યા અને તેમનામાં સરફરોશીની તમન્ના જગવી હતી. ભણતર તો બહુ વહેલું છૂટી ગયું પણ આઝાદી અને તે ય હિંસાના માર્ગ તરફનું ખેંચાણ કાયમ રહ્યું હતું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાકોરી ટ્રેન લૂંટ કાંડ રામપ્રસાદ બિસ્મિલ(Ramprasad Bismil)ના નેતૃત્વમાં પાર પડ્યો હતો. ક્રાંતિકારીઓના સંગઠન  હિંદુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના તેઓ સ્થાપક સભ્ય હતા. કાકોરી કાંડના આરોપી તરીકે લખનૌ અને ગોરખપુરની જેલમાં  બિસ્મિલે આત્મકથા લખી હતી. ’ નિજ જીવન કી એક છટા’  નામે આત્મકથનની હસ્તપ્રત ચોરીછૂપી જેલની બહાર આવી હતી. તેમાં બિસ્મિલના જન્મથી ફાંસીના ત્રણ દિવસ પૂર્વે સુધીના જીવનનું બયાન છે. સો પૃષ્ઠ, ચાર ખંડ અને ૨૯ પ્રકરણોની આ આત્મકથા તેમની શહાદતના બીજા વરસે જ, ૧૯૨૮માં,  કાનપુરથી ગણેશ શંકર વિદ્યાર્થીએ પ્રગટ કરી હતી.  આત્મકથામાં કાકોરી કાંડ અને તે પછીની ઘટનાઓ તથા તે સંબંધી તેમનું ચિંતન અને ચિંતાઓ સ્પષ્ટપણે આલેખાયા છે. બહુ ઓછું ભણેલો, માંડ ત્રીસ વરસની આવરદા ભોગવી શકેલો એક યુવા ક્રાંતિવીર કઈ હદે વૈચારિક પ્રતિબધ્ધતા અને પાકટતા ધરાવી શકે તેનો ખ્યાલ આ આત્મકથા આપે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Exclusive:-Has-urbanization-weakened-the-caste-system"> </a></strong></span> </span><a href="https://khabarantar.com/Playgrounds-of-sportsmanship-or-burdens-of-discrimination"><strong>ખેલદિલીનાં રમત મેદાનો કે ભેદભાવનાં ભારખાનાં?</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૈનપુરી ષડયંત્રમાં પણ રામપ્રસાદ આરોપી હતા. એટલે તેઓ ફરાર થઈ ગયા હતા. ભૂગર્ભવાસ દરમિયાન તેમણે પુસ્તક લેખન અને પ્રકાશનના વિચારો કર્યા. આજે નવાઈ લાગે તેવી વાત એ છે કે બિસ્મિલે પુસ્તકો લખી- વેચી તેમાંથી જે નાણાં ઉપજ્યા તેના શસ્ત્રો ખરીદ્યા હતા! અગિયારેક વરસના જાહેરજીવન દરમિયાન તેમણે અગિયાર મૌલિક કે અનૂદિત પુસ્તકો લખીને પ્રકાશિત કર્યા હતા. આ બધા પુસ્તકો કાં તો પ્રતિબંધિત ઠરાવાયા હતા કે જપ્ત થયા હતા. પરંતુ તે લખવા, છાપવા, વેચવા પાછળનો તેમનો હેતુ લોકજાગ્રતિનો તો હતો જ, સશસ્ત્ર ચળવળ માટે નાણાં ઉભા કરવાનો ખાસ હતો. ૧૯૧૬માં  અઢારેક વરસના બિસ્મિલ કોંગ્રેસના લખનૌ અધિવેશનમાં ગયા હતા. તે પછીના લગભગ તમામ અધિવેશનોમાં તે હાજર રહેતા હતા. જોકે કોંગ્રેસના જહાલ નેતાઓ તરફ તેમનું સ્વાભાવિક આકર્ષણ હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66ea4e9d819f1.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ક્રાંતિકારીઓની ધરપકડો, જેલવાસ અને ફાંસી છતાં નવજવાનો હિંસાના રસ્તે આઝાદી મેળવવા આવતા રહેતા હતા. પરંતુ આ કામ માટે જરૂરી નાણાની સતત ખેંચ રહેતી હતી. બે અમીરોને ત્યાં ચોરી કે લૂંટ કરી પણ ખાસ કશું મળ્યું નહીં. એટલે ટ્રેનમાં લઈ જવાતા સરકારી ખજાનાની લૂંટ કરવાનું નક્કી કર્યું. નવમી ઓગસ્ટ ૧૯૨૫ના દિવસે બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં(Ashfaq Ullah Khan),  રાજેન્દ્ર લાહિડી(Rajendra Lahidi), ચંદ્ર શેખર આઝાદ(Chandrasekhar Azad) અને બીજા છ મળી  કુલ દસ લોકોએ કાકોરી કાંડને અંજામ આપ્યો હતો. લખનૌ નજીકના કાકોરી રેલવે સ્ટેશને(Kakori Railway Station) સહરાનપુર લખનૌ પેસેન્જર ટ્રેનનું ચેન પુલિંગ કરી તેને રોકી, આજની એ કે ૪૭ જેવી જર્મન બનાવટની ચાર માઉજર પિસ્તોલથી ગાર્ડના ડબ્બામાંથી સરકારી ખજાનાની પેટી લૂંટીને ક્રાંતિકારીઓ ભાગ્યા હતા. આ ઘટનાએ દેશભરમાં ઉહાપોહ મચાવ્યો હતો. ક્રાંતિકારીઓની આ હિંમતથી અંગ્રેજ સરકાર પણ હચમચી ગઈ હતી. એટલે તેણે ફાંસી જેવું આકરું પગલું લીધું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બિસ્મિલ અશફાક ઉલ્લા ખાં વિશે શું લખે છે?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આત્મકથામાં બિસ્મિલે અશફાક માટે એક પ્રકરણ ફાળવ્યું છે. સરકારે અશફાકને ફાંસીની સજા કરી એના દુ:ખ સાથે તેમને પોતાનો જમણો હાથ ગણાવ્યા તે દોસ્તીનું ગૌરવ કર્યું છે. અંતિમ પ્રકરણમાં બિસ્મિલે લખ્યું છે કે તેઓ પ્રાણ ત્યાગતાં એ વાતે નિરાશ નથી કે તેમનું બલિદાન વ્યર્થ ગયું છે.  પરંતુ સવાલ પણ કર્યો છે કે અશફાક ઉલ્લા કટ્ટર મુસલમાન થઈને પાકા આર્યસમાજી રામપ્રસાદના ક્રાંતિકારી દળનો આધારસ્તંભ બની શકે છે તો નવા ભારતમાં સ્વતંત્રતાના નામે હિંદુ-મુસલમાન પોતાના નાનાનાના લાભનો વિચાર છોડીને કેમ એક ના થઈ શકે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુ-મુસ્લિમ એકતા જ અમારી યાદગાર અને અંતિમ ઈચ્છા છે તેમ સ્પષ્ટ લખનાર બિસ્મિલને કાકોરીની શતાબ્દી ટાણે આપણે કઈ હિંદુ-મુસ્લિમ એકતા અર્પણ કરીશું? હથિયારધારી બિસ્મિલ અને તેમના ક્રાંતિકારી વિચારો એ રીતે પણ મહત્વના છે કે અંતિમ સમયે તેમને કોંગ્રેસ અને અહિંસાનું મહત્વ સમજાયું છે અને તે બેબાક વ્યક્ત પણ કર્યું છે. ક્રાંતિકારીઓને જનસમર્થન ઓછું મળ્યાના બળાપા સાથે તેમણે ભારતના નવયુવાનોને નમ્ર નિવેદન કર્યું હતું કે જ્યાં સુધી ભારતવાસીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે નહીં જ્યાં સુધી તેમને કર્તવ્ય-અકર્તવ્યનું જ્ઞાન ના હોય ત્યાં સુધી તે અજાણતા પણ કોઈ ક્રાંતિકારી ષડયંત્રોમાં ભાગ ના લે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અસ્પૃશ્તા વિશેના બિસ્મિલના વિચારોને છુપાવી રખાય છે</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિસ્મિલે બલિદાનના ત્રણ દિવસ પૂર્વે એવી હાર્દિક અપીલ દેશવાસીઓને કરી હતી કે હિંદુ-મુસલમાન સહિત બધા એક થઈને કોંગ્રેસને જ પોતાની પ્રતિનિધિ સંસ્થા માને. કોંગ્રેસ જે નક્કી કરે તેને બધા જ લોકો દિલથી સ્વીકારે અને અમલ કરે. જો આમ કરીશું તો સ્વરાજ ઢુકડું છે. પરંતુ જે સ્વરાજ મળે તેમાં (એ વખતની વસ્તી પ્રમાણેના)  છ કરોડ અછૂતોને શિક્ષણ અને સામાજિક અધિકારોમાં સમાનતા મળે તેમ પણ તે ઈચ્છે છે. જે દેશમાં છ કરોડ મનુષ્યોને અસ્પૃશ્ય ગણવામાં આવતા હોય એ દેશના લોકોને સ્વાધીન થવાનો અધિકાર ખરો? તેવો આકરો સવાલ પણ તે પૂછે છે. બિસ્મિલના બોલ યાદ કરી તેનો અમલ કરી શકીએ તે જ બિસ્મિલ, અશફાક અને કાકોરીના શહીદોનું શતાબ્દીએ સાચું સ્મરણ અને તર્પણ હશે.</span><br><span style="font-size: 14pt;"> </span><span style="font-size: 14pt; color: rgb(185, 106, 217);">maheriyachandu@gmail.com</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સાહિત્યના તલસ્પર્શી અભ્યાસુ છે.)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/Exclusive:-Has-urbanization-weakened-the-caste-system"><span style="font-size: 12pt;"> </span>Exclusive: શું શહેરીકરણથી જ્ઞાતિ વ્યવસ્થા નબળી પડી છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 18 Sep 2024 09:31:48 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 18 Sep 2024 09:34:49 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1227</Articleid>
                    <excerpt>કાકોરી ટ્રેન લૂંટ કાંડના શહીદ રામપ્રસાદ બિસ્મિલે અસ્પૃશ્યતા, હિંદુ-મુસ્લિમ એકતા વિશે જે સવાલો ઉઠાવેલા તે આજે 100 વર્ષ પછી પણ જેમના તેમ ઉભા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66ea4e9e4df06.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ea4e9e19bac.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ea4e9e19bac.jpg" length="84608" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>kakori train robbery Centenary year, Kakori train robbery, Untouchability</media:keywords>
                </item>
                        <item>
                    <title>આ કારણોસર પેરિયાર રામાયણને &amp;apos;એક રાજકીય ગ્રંથ&amp;apos; માનતા હતા</title>
                    <link>https://khabarantar.com/for-this-reason-periyar-considered-the-ramayana-to-be-a-political-text</link>
                    <guid>https://khabarantar.com/for-this-reason-periyar-considered-the-ramayana-to-be-a-political-text</guid>
                    <description>
                        <![CDATA[ પેરિયાર &#039;રામાયણ&#039;ને શા માટે &#039;એક રાજકીય ગ્રંથ&#039; માનતા હતા તે સમજીએ. સાથે જ &#039;સચ્ચી રામાયણ&#039; પુસ્તક પર થયેલા કોર્ટ કેસ વિશે પણ જાણીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈ.વી. રામાસામી નાયકર 'પેરિયાર'(EV Ramasamy Naykar Periyar) ઉર્ફે પેરિયારનો આજે જન્મદિવસ(Birthday) છે. મહાનાયક પેરિયારની વાત નીકળે એટલે તરત રામાયણ વિશેના તેમના વિચારો અને તેમના પુસ્તક સચ્ચી રામાયણ(Sacchi Ramayana)ની વાત નીકળે જ. પેરિયાર રામાયણ(Ramayana)ને એક રાજકીય ગ્રંથ(political treatise) માનતા હતા. આ પુસ્તકનો હિન્દીમાં અનુવાદ(Hindi translation) થયો અને તેને રોકવા માટે યુપીની મનુવાદી સરકારે કોર્ટમાં કેસ કર્યો હતો. આ બંને મામલા વિશે વિસ્તારથી અહીં સમજીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">17 સપ્ટેમ્બર, 1879ના રોજ જન્મેલા પેરિયાર મહાન ચિંતકો અને વિચારકોમાંના એક છે. તેઓ એક તર્કવાદી હતા અને કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધા, જડતા, અતાર્કિક બાબતોને સ્વીકારતા નહોતા. વર્ચસ્વ, અન્યાય, અસમાનતા, ગુલામી, અજ્ઞાનતાના દરેક સ્વરૂપને તેઓ પડકારતા હતા. તેમની વિશિષ્ટ તર્કશક્તિ, દ્રષ્ટિકોણ અને અભિવ્યક્તિની શૈલીને કારણે જૂન 1970માં યુનેસ્કોએ તેમને આધુનિક યુગના મસીહા, દક્ષિણ-પૂર્વ એશિયાના સુકરાત, સમાજ સુધારવાદી આંદોલનના પિતા અને અજ્ઞાનતા, અંધવિશ્વાસ, રૂઢિવાદ અને નિરર્થક રીતિ-રિવાજોના કટ્ટર દુશ્મન ગણાવ્યા હતા. તેમને વાલ્તેયરની કક્ષાના ફિલોસોફર, વિચારક, લેખક અને ફિલસૂફ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. તેમનું પુસ્તક સાચી રામાયણ એક ચર્ચિત કૃતિ રહી છે અને બ્રાહ્મણવાદીઓએ તેને તોડી પાડવા માટે શક્ય તમામ પ્રયત્નો પણ કરી જોયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રામાયણને રાજકીય ગ્રંથ કેમ માનતા હતા?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પેરિયાર 'રામાયણ'ને ધાર્મિક પુસ્તક નહોતા માનતા. તેમનું કહેવું હતું કે, તે એક રાજકીય પુસ્તક છે, જે બ્રાહ્મણો દ્વારા દક્ષિણી અનાર્યો પર ઉત્તરી આર્યોના વિજય અને પ્રભુત્વને યોગ્ય ઠેરવવા માટે લખવામાં આવ્યું હતું. તે બિન-બ્રાહ્મણો પર બ્રાહ્મણોનું અને સ્ત્રીઓ પર પુરુષોના વર્ચસ્વનું સાધન પણ છે. રામાયણના મૂળ તત્વને ઉજાગર કરવા માટે પેરિયારે 'વાલ્મીકિ રામાયણ'ના બ્રાહ્મણો દ્વારા કરાયેલા અનુવાદો સહિત અન્ય રામાયણો જેવી કે, 'કમ્બ રામાયણ', 'તુલસીદાસ' રામાયણ' (રામચરિત માનસ), 'બૌદ્ધ રામાયણ', 'જૈન રામાયણ' વગેરેના અનુવાદો અને તેને સંબંધિત ગ્રંથોનો બારીકાઈથી અભ્યાસ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લલઈ સિંહ યાદવ કોણ હતા?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સાથે, તેમણે રામાયણ વિશે વિદ્વાનો અને ઇતિહાસકારોની ટિપ્પણીઓનો પણ ઊંડો અભ્યાસ કર્યો. લગભગ ચાલીસ વર્ષ સુધી અભ્યાસ કર્યા પછી, તેમણે તમિલ ભાષામાં લખાયેલા પુસ્તક 'રામાયણ પદિરંગલ'માં(Ramayana Padirangal) તેનો સાર રજૂ કર્યો. આ પુસ્તક 1944માં તમિલ ભાષામાં પ્રકાશિત થયું હતું. પેરિયારના મેગેઝિન 'કુદી અરાસુ' (રિપબ્લિક)ના 16 ડિસેમ્બર 1944ના અંકમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનો અંગ્રેજી અનુવાદ દ્રવિડ કઝગમ પબ્લિકેશન્સ દ્વારા 1959માં 'ધ રામાયણઃ અ ટ્રુ રીડિંગ' નામથી પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેનો હિન્દીમાં 1968માં 'સચ્ચી રામાયણ'(The Ramayana: A True Reading) નામથી અનુવાદ થયો હતો. હિન્દી અનુવાદના પ્રકાશક લલઈ સિંહ યાદવ(Lalai Singh Yadav) હતા અને અનુવાદક રામ આધાર(Ram Aadhar) હતા. લલાઈ સિંહ યાદવ ઉત્તર પ્રદેશ-બિહારના પ્રખ્યાત માનવતાવાદી સંગઠન 'અર્જક સંઘ' સાથે સંકળાયેલા લોકપ્રિય સામાજિક-રાજકીય કાર્યકર હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સચ્ચી રામાયણનો વિવાદ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">9 ડિસેમ્બર, 1969ના રોજ તત્કાલીન ઉત્તર પ્રદેશ સરકારે 'સચ્ચી રામાયણ' પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સાથે, પુસ્તકની તમામ નકલો જપ્ત કરવામાં આવી હતી. ઉત્તર ભારતના પેરિયાર તરીકે જાણીતા પ્રકાશક લલઈ સિંહ યાદવે જપ્તીના આદેશને અલ્હાબાદ હાઈકોર્ટ(Allahabad High Court)માં પડકાર્યો હતો. તેઓ હાઈકોર્ટમાં કેસ જીતી ગયા. હાઈકોર્ટના નિર્ણય સામે સરકારે સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં અપીલ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Savitribai-Phule-Original-Beti-Bachao-Icon">સાવિત્રીબાઈ ફૂલેઃ ઓરિજિનલ બેટી બચાવો આઈકોન</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટમાં આ ઐતિહાસિક કેસની સુનાવણી ત્રણ જજોની ખંડપીઠ દ્વારા કરવામાં આવી હતી. બેન્ચના અધ્યક્ષ જસ્ટિસ વી.આર. ક્રિષ્ના ઐયર; અને અન્ય બે જસ્ટિસ પી.એન. ભગવતી અને સૈયદ મુર્તઝા ફઝલ અલી હતા. 16 સપ્ટેમ્બર 1976ના રોજ સુપ્રીમ કોર્ટે આ બાબતે સર્વસંમતિથી ચુકાદો આપતાં રાજ્ય સરકારની અપીલને ફગાવી દીધી હતી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સચ્ચી રામાયણની પ્રસ્તાવનામાં પેરિયાર લખે છે....</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સચ્ચી રામાયણની પ્રસ્તાવનામાં પેરિયાર લખે છે, "રામાયણ કોઈ ઐતિહાસિક તથ્ય પર આધારિત નથી. આ એક કલ્પના છે. રામાયણ અનુસાર, રામ ન તો તમિલ હતા અને ન તો તમિલનાડુના રહેવાસી હતા. તેઓ ઉત્તર ભારતીય હતા. રાવણ લંકા એટલે કે દક્ષિણ એટલે કે તમિલનાડુનો રાજા હતો; જેની રામ દ્વારા હત્યા કરવામાં આવી હતી. રામમાં તમિલ સભ્યતા (કુરલ સંસ્કૃતિ)નો છાંટો પણ નથી. તેમની પત્ની સીતા પણ ઉત્તર ભારતીય ચરિત્રની અને તમિલ વિશેષતાઓથી વંચિત છે. તે ઉત્તર ભારતની હતી. રામાયણમાં તમિલનાડુના સ્ત્રી-પુરુષોને વાનર અને રાક્ષસ કહીને તેમની મજાક ઉડાવવામાં આવી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"રામાયણમાં વર્ણવેલ યુદ્ધમાં કોઈ ઉત્તરનો રહેવાસી (બ્રાહ્મણ) કે આર્ય (દેવ) માર્યો ગયો નહોતો. એક આર્ય પુત્રના બિમારીને કારણે મરી જવાની કિંમત રામાયણમાં એક શૂદ્રે પોતાનો જીવ આપીને ચૂકવવી પડે છે. તે બધા લોકો, જેઓ આ યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા, તે તમિલ હતા, જેમને રાક્ષસ કહેવાયા."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"રાવણે રામની પત્ની સીતાનું હરણ કર્યું. કારણ કે, રામે તેની બહેન 'સુર્પણખા'નું અંગભંગ કરીને તેનો ચહેરો વિકૃત કરી નાખ્યો હતો. રાવણના આ કાર્યથી લંકા કેમ બાળવામાં આવી? લંકાના લોકો શા માટે માર્યા ગયા? રામાયણની વાર્તાનો હેતુ તમિલોને અપમાનિત કરવાનો છે. તમિલનાડુમાં આ વાર્તા પ્રત્યે આદર દર્શાવવો એ તમિલ સમાજ અને દેશના સ્વાભિમાન માટે ખતરનાક અને ખતરનાક છે. રામ કે સીતાના ચરિત્રમાં એવું કંઈ નથી જેને દૈવી કહી શકાય."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"જેવી રીતે કહેવાતી આઝાદી (1947) મળ્યા પછી ગોરા લોકોની મૂર્તિઓ હટાવી દેવામાં આવી અને તેમના નામો પર રાખવામાં આવેલા સ્થાનોના નામોને ભૂંસી નાખવામાં આવ્યા અને તેમની જગ્યાએ ભારતીય નામો રાખી દેવામાં આવ્યા, તેવી જ રીતે આર્ય દેવતાઓ અને તેમની મહત્તા બતાવતી એ દરેક બાબતોને ભૂંસી નાખવી જોઈએ, જે તમિલો પ્રત્યેના આદર અને સન્માનની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. દરેક તમિલ, જેની નસોમાં શુદ્ધ દ્રવિડિયન લોહી વહે છે; તેણે તેને પોતાની ફરજ સમજીને આવું કરવાની પ્રતિજ્ઞા લેવાની છે."</span><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/What-did-E.-V.-Ramasamy-Periyar-believe-about-Hindu-Gods-and-scriptures">E. V. Ramasamy Periyar હિંદુ દેવી-દેવતાઓ અને ધર્મગ્રંથો વિશે શું માનતા હતા?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 17 Sep 2024 10:34:35 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1221</Articleid>
                    <excerpt>પેરિયાર &#039;રામાયણ&#039;ને શા માટે &#039;એક રાજકીય ગ્રંથ&#039; માનતા હતા તે સમજીએ. સાથે જ &#039;સચ્ચી રામાયણ&#039; પુસ્તક પર થયેલા કોર્ટ કેસ વિશે પણ જાણીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e90c8ef4012.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e90c8ebfd61.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e90c8ebfd61.jpg" length="74715" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>E. V. Ramasamy Periyar, scriptures, Ramayana is a political treatise, Lalai Singh Yadav</media:keywords>
                </item>
                        <item>
                    <title>Periyarનું &amp;apos;સાચી રામાયણ&amp;apos; &amp; બ્રાહ્મણવાદ સામેનું સૌથી ઘાતક હથિયાર</title>
                    <link>https://khabarantar.com/periyars-sachi-ramayana-the-deadliest-weapon-against-brahminism</link>
                    <guid>https://khabarantar.com/periyars-sachi-ramayana-the-deadliest-weapon-against-brahminism</guid>
                    <description>
                        <![CDATA[ આજે બહુજન મહાનાયક ઈ.વી. રામાસામી Periyarનો જન્મદિવસ છે. ત્યારે તેમના સૌથી ચર્ચિત પુસ્તક Sachchi Ramayan વિશે જાણો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Periyar Birthday Special: આજે બહુજન મહાનાયક ઈ.વી. રામાસામી પેરિયારનો જન્મદિવસ છે. દુનિયાભરમાં જેમ દિનપ્રતિદિન નાસ્તિકોની સંખ્યા વધતી જાય છે, તેમ ભારતમાં પણ પેરિયારની વિચારધારાને અનુસરતા લોકોની સંખ્યામાં ઉછાળો નોંધાયો છે. તેની પાછળનું કારણ તેમના તાર્કિક વિચારો છે. ખાસ કરીને બ્રાહ્મણવાદ વિશે તેમણે જે કંઈપણ કહ્યું-લખ્યું છે તે આજે પણ સૌ કોઈને ચોંકાવી જાય છે. તેમના પુસ્તક સચ્ચી રામાયણનો ભારતની મોટાભાગની ભાષાઓમાં અનુવાદ થયો છે. આજે જ્યારે મહાનાયક પેરિયારનો જન્મદિવસ છે ત્યારે આ પુસ્તક કેવી રીતે બ્રાહ્મણવાદ સામે સૌથી ઘાતક હથિયાર છે તેની વાત કરીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પેરિયાર એક બેબાક વ્યક્તિત્વ, જેમણે દક્ષિણ ભારતમાં ખૂબ જ આક્રમક રીતે મૂળનિવાસી એટલે કે દ્રવિડ આંદોલનને પ્રસ્થાપિત કર્યું હતું. પોતાની અનોખી નેતૃત્વ ક્ષમતા અને આક્રમક અમલીકરણના લીધે પેરિયારે દક્ષિણ ભારતમાં હિંદુત્વની વિચારધારાને ભોંય ભેગી કરી દીધી હતી. આજે ભારતમાં હિન્દુત્વનો સૂર્ય તપતો હોવા છતાં પણ પેરિયારના તમિલનાડુની ધરતી ઉપર હિન્દુત્વનો સૂર્યોદય પણ થઈ શક્યો નથી તે તેમની અસર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેટલી આક્રમક પેરિયારની રાજનીતિ રહી છે એટલું જ આક્રમક તેમનું લખાણ રહ્યું છે. તમારે તેમના શબ્દોને વાંચવા, સમજવા અને અમલમાં મૂકવા માટે ફકત સમજણની જ નહિ પણ મજબૂત મનોબળની પણ જરૂર પડશે. પેરિયાર જ્યારે ભાષણો આપતા ત્યારે તેમના ભાષણોને અસહનીય દર્શાવી ઠેર ઠેર વિરોધ કરવામાં આવતો એટલે વિચારી લો કે તેમના શબ્દો કેટલા કઠોર હશે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિન્દુઓએ રામના નામે જે ગંદી રાજનીતિને હાલ અમલમાં મૂકી છે તેનો તોડ ડૉ.બાબાસાહેબ આંબેડકર અને પેરિયાર જ છે. તમારે હિન્દુત્વ સામે લડવા માટે બહુજન મૂવમેન્ટનાં ત્રણ પુસ્તકોનો ખાસ અભ્યાસ કરવો જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૧) જોતિબા ફૂલેનું ‘ગુલામગીરી’</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૨) ડૉ.બાબાસાહેબ આંબેડકરનું ‘જાતિનો વિનાશ’</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૩) પેરિયાર રામાસામીનું ‘સાચી રામાયણ’</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ત્રણ પુસ્તકો હિંદુ ધર્મની જાતિ વ્યવસ્થા, તેના કારણો, તેને દૂર કરવાના ઉપાયો અને તે ટકાવી રાખનારા પરિબળો વિશે સંપૂર્ણ માહિતી આપે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પેરિયારની ‘સાચી રામાયણ’ હિંદુત્વનો અક્સીર ઈલાજ છે. આજે જ્યારે દેશમાં 'જય શ્રીરામ'નો નારો ના બોલો તો જીવ લઈ લેવામાં આવે છે, રામના નામે રાજકારણ ચલાવવામાં આવે છે, રામના નામે સત્તા મેળવવામાં આવે છે ત્યારે આ રામ અને તેની મૂળ વાર્તા હકીકતમાં શું છે તે જાણવા માટે તમારે ‘સાચી રામાયણ’ વાંચવી પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામ, રાવણ, સીતા, હનુમાન, દશરથ આ બધા પાત્રો હકીકતમાં હતા કે નહિ અને તેમનું મૂળ વાર્તામાં કઈ રીતે નિરૂપણ કરવામાં આવ્યું હતું તે જાણવા માટે તમારે ‘સાચી રામાયણ’ વાંચવી રહી. રામ અને રાવણની વાર્તા મૂળ શું છે? આ વાર્તાને બ્રાહ્મણો દ્વારા કેવી રીતે મહત્વ આપવામાં આવ્યું અને કેવી રીતે લોકોના જનમાનસમાં તેને એક ધર્મગ્રંથ અને ઇતિહાસ તરીકે સ્થાપિત કરવામાં આવી, શું હકીકતમાં રાવણે સીતાનું અપહરણ કર્યું હતું કે પછી સીતા સ્વયં રાવણ પાછળ ચાલીને લંકા ગયા હતા? શું તમે જાણો છો કે રાવણની પ્રતિભા અને જાહોજલાલીથી ખુદ સીતા અને હનુમાન પણ અંજાઈ ગયા હતા? રાવણની લંકા સળગાવવા, રાવણની હત્યા કરવા, બધા રાક્ષસોને મારવા માટેનું સાચું કારણ શું હતું? યજ્ઞ, આર્યો, રાક્ષસો, દ્રવિડો, સુર, અસુર વગેરે શબ્દોનો સાચો અર્થ શું થાય છે? રામને જંગલમાં મોકલવાનો સાચો હેતુ વનવાસ હતો કે રાક્ષસોનો વધ કરવાનો હતો? </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે રામના પાયા ઉપર બ્રાહ્મણવાદે આજે હિંદુત્વનું સામ્રાજ્ય ઉભુ કર્યું છે એ રામ અને તેમના અનુયાયીઓનું ઝીણવટભર્યું અને સચોટ નિરૂપણ પેરિયાર રામાસામીએ ‘સાચી રામાયણ’ માં કર્યું છે. ૪૦ વર્ષોના સખત અધ્યયન અને અવલોકન બાદ આ પુસ્તક લખવામાં આવ્યું છે. માટે જ બહુજન મૂવમેન્ટ માટે આ સૌથી મહત્વપૂર્ણ પુસ્તકોમાનું એક પુસ્તક છે. બ્રાહ્મણવાદ સામે લડવા માંગતા દરેક વ્યક્તિએ આ પુસ્તકનું અધ્યયન જરૂર કરવું જોઈએ. પેરિયાર દ્વારા આ પુસ્તકમાં રામાયણની મૂળ વાર્તા, તેમાં સમયાંતરે થયેલા સુધારાઓ, તેના પાત્રોની વાસ્તવિકતાઓ અને બ્રાહ્મણો અને હિંદુઓ દ્વારા તેને આપવામાં આવેલા ષડયંત્રકારી મહત્વને ખૂબ જ વિશ્લેષણત્મક રીતે રજૂ કરવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આર.કે.પરમાર</strong></span><span style="font-size: 12pt;"><em><strong>(લેખક બહુજન સમાજના વિખ્યાત ડિજિટલ પ્લેટફોર્મ R K Studioz ના ફાઉન્ડર છે.)</strong></em></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/lateral-entry-is-a-conspiracy-to-enforce-manusmriti-laws-in-the-country"><span style="font-size: 14pt;">lateral entry એટલે દેશમાં મનુસ્મૃતિના કાયદા લાગુ કરવાનું ષડયંત્ર?</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 17 Sep 2024 08:40:38 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 17 Sep 2024 08:41:34 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1220</Articleid>
                    <excerpt>આજે બહુજન મહાનાયક ઈ.વી. રામાસામી Periyarનો જન્મદિવસ છે. ત્યારે તેમના સૌથી ચર્ચિત પુસ્તક Sachchi Ramayan વિશે જાણો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e8f0ad85697.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e8f0ad56172.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e8f0ad56172.jpg" length="96719" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Periyar Birthday Special, EV Ramasamy Periyar, Sacchi Ramayana, Birthday Special</media:keywords>
                </item>
                        <item>
                    <title>ચીનમાં પ્રિન્ટીંગ મશીન શોધાયા બાદ છપાયેલું પ્રથમ પુસ્તક ‘ધમ્મપદ’ હતું?</title>
                    <link>https://khabarantar.com/dhammapada-was-the-first-book-printed-after-the-invention-of-printing-machine-in-china</link>
                    <guid>https://khabarantar.com/dhammapada-was-the-first-book-printed-after-the-invention-of-printing-machine-in-china</guid>
                    <description>
                        <![CDATA[ બૌદ્ધ ધર્મ અને તેના અનુયાયીઓમાં ધમ્મપદનું ખૂબ જ મહત્વ છે. રાજકોટના ડો. ભાવીન પરમાર અહીં તેના વિશે વિસ્તારથી વાત કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધમ્મપદ કોઈ કાલ્પનિક પુસ્તક નથી. તે દુનિયાનું સૌથી જૂનું, લેખિત અને પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળી આવેલું પુસ્તક છે. ઈ.સ.1892માં મધ્ય એશિયાના અફઘાનિસ્તાનના ખેતાન વિસ્તારમાંથી એક સ્તૂપના ખોદકામ દરમિયાન ભોજપત્ર પર ગાંધાર શૈલીમાં લિખિત ધમ્મપદની હસ્તપ્રતો મળી આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હ્યુ-એન-ત્સાંગ અને ફાહિયાન જેવા ચીની યાત્રીઓ ભારતમાંથી પ્રવાસ દરમિયાન બૌદ્ધ સાહિત્યના ઘણાં ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયા હતાં, તેમાં ધમ્મપદ પણ હતું. જેનો પુરાવો ચીનના તુર્ફાનમાંથી મળે છે. સંસ્કૃતમાં લિખિત ધમ્મપદની હસ્તપ્રત છે. ચીનમાં જ્યારે સૌપ્રથમ વખત પ્રિન્ટીંગ મશિનની શોધ થઈ હતી, ત્યારે સૌપ્રથમ વખત પ્રિન્ટ થયેલું એટલે કે છપાયેલું પુસ્તક "ધમ્મપદ" હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધમ્મપદ કોઈ એક જ દિવસમાં કે એક જ સાથે કહેવાયેલ ઉપદેશોનો સંગ્રહ નથી, તે તથાગત બુદ્ધના 45 વર્ષો સુધીના ધમ્મ-પ્રચાર દરમિયાન સંકલિત કરાયેલા પદો કે ઉપદેશોનો સંગ્રહ છે. તેના દરેક પદ કે ઉપદેશ પાછળ કોઈ ઘટના કે બુદ્ધને પુછેલા પ્રશ્નોના જવાબમાં તેમણે આપેલી શીખ કે સારની ગાથા છે. તેમાં આવી 423 ગાથાઓ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-actress-who-rivaled-aishwarya-sushmita-has-embraced-buddhism"><span style="font-size: 14pt;">ઐશ્વર્યા-સુસ્મિતા ને ટક્કર આપનારી અભિનેત્રીએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો</span></a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધમ્મપદને બૌદ્ધ ધમ્મની આચારસંહિતા(code of conduct)પણ કહેવામાં આવે છે, એટલે કે ધમ્મ મુજબ જીવવા માટેનો રસ્તો. જ્યારે કોઈને ભિખ્ખુ બનાવવામાં આવે છે, ત્યારે તેમને ધમ્મપદના ઉપદેશો અને ગાથાઓ શીખવવામમાં આવે છે. તેમના માટે ધમ્મપદ કંઠસ્થ કરવું ફરજીયાત હોય છે. જ્યાં સુધી તેઓ ધમ્મપદ કંઠસ્થ નથી કરતાં, ત્યાં સુધી તેમની ઉપસંમ્પદા નથી થતી એટલે કે તેમને ભિખ્ખુ બનાવવામાં નથી આવતાં. ધમ્મપદ ભગવદગીતા કરતા પણ પ્રાચીન હોવાના ઐતિહાસિક પુરાવાઓ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધમ્મપદમાં 26 વગ્ગ એટલે કે વર્ગો કે ભાગ છે. પાલિ ભાષાના શબ્દ"વગ્ગ"માંથી જ સંસ્કૃત ભાષાનો શબ્દ "વર્ગ" બન્યો હશે. તેમાં મનોવિજ્ઞાન, ફિલોસોફી, ન્યાયશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નિતિશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર વગેરે વિષયોની ઉંડી સમજ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધમ્મપદ વિશ્વના દરેક ખુણામાં વંચાય છે. મૂળ પાલિ ભાષાના ધમ્મપદનો અનુવાદ દુનિયાની લગભગ બધી જ ભાષાઓમાં થયો છે. ઈ.સ. 1878માં સેમ્યૂઅલ બીલે તેનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. જ્યારે 1908માં બર્માના ભદંત ચંદ્રમણિ મહાથેરોએ હિંદીમાં તેનો અનુવાદ કરેલો. ત્યારબાદ રાહુલ સાંસ્કૃતયાયન અને વિનોબા ભાવે વગેરે જેવા મહાનુભાવોએ પણ તેનો હિંદીમાં અનુવાદ કરેલ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/and-then-chamundas-bhuva-converted-to-buddhism"><span style="font-size: 14pt;">...અને પછી ચામુંડાના ભૂવાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો!</span></a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અફસોસની વાત એ છે કે જે વૈજ્ઞાનિક ગ્રંથને સમગ્ર વિશ્વે સ્વીકાર્યું છે, જે ગ્રંથ આખી દુનિયાને મનોવૈજ્ઞાનિક રીતે જીવન જીવવાનો રસ્તો બતાવે છે; એ જ ગ્રંથનો સમ્યક તથાગત બુદ્ધનો જન્મ થયો એ દેશમાં જ એટલો પ્રચાર-પ્રસાર નથી થયો. તેની પાછળ મનુવાદી વિચારધારાના સાશકો અને સંગઠનો જવાબદાર છે. એવામાં આ મહાન ગ્રંથના ઉપદેશોને જન-જન સુધી પહોંચાડવાની જવાબદારી બહુજન અને ફુલે-શાહુ, આંબેડકરી વિચારધારાના વાહકોની બને છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમ્રાટ અશોકે ધમ્મપદનું માત્ર શરૂઆતી વર્ગ "અપ્રમાદ વગ્ગ" જ વાંચ્યું હતું, છતાં પણ જીવ-હિંસા નાબૂદી, અહિંસા, કરૂણા અને મૈત્રીના સેંકડો ક્રાંતિકારી કાર્યો કર્યાં હતાં. જીવન દુખોથી ભરેલું છે. આજની આધુનિક જીવનશૈલી અને ભાગ-દોડવાળી અત્યંત માનસિક તણાવવાળી જિંદગીમાં માણસ નિરાશા, હતાશા અને મુશ્કેલીઓ અનુભવે તે સામાન્ય છે. મોડર્ન જીવનની આ મુશ્કેલીઓ દૂર કરવામાં ધમ્મપદ ખૂબ ઉપયોગી પુસ્તક છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેથી જ દરેક જાતિ, ધર્મ કે દેશના મનુષ્યોના જીવનને ઉન્નત અને સુખમય બનાવવા માટે અને સમગ્ર વિશ્વમાં શાંતિ, મૈત્રી અને કરૂણા ફેલાવવા માટે ધમ્મપદ જરૂરથી વાંચવું-વસાવવું જોઈએ અને તેના ઉપદેશોને લોકોને સુધી પહોંચાડવા જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>ડૉ. ભાવિન પરમાર</strong> </span><span style="font-size: 12pt;"><strong><em>(લેખક વ્યવસાયે ડોક્ટર અને બૌદ્ધ ધર્મના અભ્યાસુ છે.)</em></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/3000-people-from-500-dalit-families-will-convert-to-buddhism-in-bangalore">બેંગ્લુરૂમાં 500 દલિત પરિવારના 3000 લોકો બૌદ્ધ ધર્મ અપનાવશે</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 13 Sep 2024 19:11:49 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 13 Sep 2024 19:12:55 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1202</Articleid>
                    <excerpt>બૌદ્ધ ધર્મ અને તેના અનુયાયીઓમાં ધમ્મપદનું ખૂબ જ મહત્વ છે. રાજકોટના ડો. ભાવીન પરમાર અહીં તેના વિશે વિસ્તારથી વાત કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e43fd8384d4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e43fd807ceb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e43fd807ceb.jpg" length="165753" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dhammapada, Buddhism</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપ&amp;RSS ના &amp;apos;મનુવાદી&amp;apos; ચહેરાને દેશના દલિતો સ્પષ્ટ રીતે ઓળખી ગયા છે</title>
                    <link>https://khabarantar.com/the-dalits-of-the-country-have-clearly-recognized-the-manuvadi-face-of-the-bjp-rss</link>
                    <guid>https://khabarantar.com/the-dalits-of-the-country-have-clearly-recognized-the-manuvadi-face-of-the-bjp-rss</guid>
                    <description>
                        <![CDATA[ જનસંઘ કાળથી લઈને વર્તમાન ભાજપ સાશનના 10 વર્ષમાં આ દેશના દલિતોએ ભાજપ-સંઘના મનુવાદી ચહેરાને સ્પષ્ટ રીતે ઓળખી લીધો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">Manuvadi face of the BJP-RSS: </span></strong></span><span style="font-size: 14pt;">હાલમાં જ કર્ણાટક ભાજપના સાત વખત સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રમેશ જીગાજીનાગી(Ramesh Jigajinagi)એ પોતાની જ પાર્ટી ભાજપ(BJP)પર દલિત વિરોધી(Anti-Dalit Party) હોવાનો આરોપ લગાવ્યો છે. નરેન્દ્ર મોદી(Narendra Modi) ત્રીજી વખત વડાપ્રધાન(PM) બન્યા બાદ છેલ્લા દસ વર્ષથી જે અવાજો બંધ થઈ ગયા હતા તે હવે ગૂંજવા લાગ્યા છે. તેનું એક કારણ દેખીતી રીતે ગઠબંધન સરકાર છે. ભાજપ 240 સીટોમાં સમેટાઈ જવા છતાં નરેન્દ્ર મોદી સરકાર બનાવવામાં સફળ થયા. પરંતુ તેમની કેબિનેટમાં દલિતોને કોઈ મહત્વનું પદ આપવામાં આવ્યું નહોતું. ગઈ ટર્મમાં રાજ્યકક્ષાના મંત્રી રહેલા રમેશ જીગાજીનાગીને આ વખતે કેબિનેટ મંત્રી(Cabinet Minister) બનાવવામાં આવે તેવી ધારણા હતી. તેમણે તેમના સમર્થકો દ્વારા હાલમાં જ એવો આરોપ લગાવ્યો છે કે ભાજપ દલિત વિરોધી પાર્ટી છે. ભાજપમાં ઉચ્ચ જાતિઓનું જ વર્ચસ્વ છે. કેબિનેટમાં પણ માત્ર ઉચ્ચ જાતિના લોકોને જ સ્થાન આપવામાં આવ્યું છે. આમ જોવા જઈએ તો આ કોઈ નવી વાત નથી, પરંતુ ભાજપના જ એક વરિષ્ઠ દલિત સાંસદે કરેલા આક્ષેપોનો પોતાનો અર્થ ચોક્કસ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતોનું અપમાન અને તેમના પર અત્યાચાર સદીઓથી ચાલ્યા આવે છે તે આઝાદી પછી પણ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યાં. બંધારણ અને કાયદાના અધિકારોએ તેમને સુરક્ષા પ્રદાન કરી છે. તેમ છતાં, સમાજમાં જડ ઘાલી ગયેલા બ્રાહ્મણવાદી સામંતશાહીના અભિમાન અને અત્યાચાર સામે ભૂમિહીન, નબળા, અશિક્ષિત દલિતોનો પનો ટૂંકો પડે છે. આધુનિક શિક્ષણ પ્રણાલી અને અનામત અધિકારોના કારણે દલિતોમાં સામાજિક જાગૃતિ આવી છે. રાજકીય સભાનતા દ્વારા દલિતોએ તેમનો એજન્ડા અને તેમના પ્રતિનિધિત્વના અધિકારને સમજવાનું શરૂ કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ</span> <a href="https://khabarantar.com/rss-says-there-is-no-untouchable-in-hindu-scriptures-then-what-is-there-in-manusmriti">RSS કહે છે હિંદુ ધર્મગ્રંથોમાં કોઈ 'અછૂત' નથી, તો પછી 'મનુસ્મૃતિ' માં શું છે?</a></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ બ્રાહ્મણવાદી(Brahmanism) તાકાતો આ પરિવર્તનને નષ્ટ કરવા માટે સક્રિય છે. ભારતની સર્વસમાવેશકતા અને સામાજિક ન્યાયની રાજનીતિની સામે હિંદુત્વ(Hindutva politics)નું રાજકારણ આઝાદી પછી જ શરૂ થયું. આરએસએસ(RSS) આ રાજકારણનું સંચાલક અને બૌદ્ધિક કેન્દ્ર છે. આરએસએસે સૌપ્રથમ 1951માં શ્યામા પ્રસાદ મુખર્જી(Shyama Prasad Mukherjee)ના નેતૃત્વમાં ભારતીય જનસંઘ(Jan Sangh)ની રચના કરી હતી. જનસંઘ દ્વારા આરએસએસને જનતા પાર્ટીની સરકાર (1978-1980) દરમિયાન પ્રથમ વખત સત્તા સુધી પહોંચવાની તક મળી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">જનતા પાર્ટીની સરકારના વિઘટન બાદ જનસંઘ અલગ થઈ ગયો. 1980માં RSSએ જનસંઘની જગ્યાએ ભાજપ(BJP)ની રચના કરી. એ પછી તેણે દલિતોને ભાજપ સાથે જોડવા માટે 1983માં સામાજિક સમરસતા મંચની રચના કરી. આ મંચ દલિતોના હિંદુત્વીકરણની પ્રયોગશાળા બની ગયું. રામમંદિર આંદોલન(Ram Mandir Movement)માં દલિતોની ભાગીદારીએ RSS અને ભાજપની સત્તામાં આવવાની આશાઓને પાંખો આપી. એક દલિત કામેશ્વર ચૌપાલ(Kameshwar Choupal)ના હાથે પ્રતિકાત્મક મંદિરની પહેલી ઈંટ મૂકાવવામાં આવી. દલિતોના ભૂતકાળ અને સ્મૃતિઓને ભૂંસી નાખવા માટે અનેક કુચક્રો રચવામાં આવ્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ </span><a href="https://khabarantar.com/now-to-indulge-the-dalits-the-vishwa-hindu-parishad-will-go-and-eat-at-their-homes">હવે દલિતોને રીઝવવા વિશ્વ હિંદુ પરિષદ તેમના ઘરે જઈને ભોજન કરશે</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતોના મસીહા અને બંધારણના નિર્માતા ડૉ. બાબા સાહેબ આંબેડકર(Dr. Ambedkar)નું 6 ડિસેમ્બર 1956(6th December 1956)ના રોજ અવસાન થયું હતું. દલિત સમાજ માટે આ પ્રેરણાનો દિવસ છે. આ દિવસની સ્મૃતિઓને ભૂંસી નાખવાની એક સમજી વિચારેલી વ્યૂહરચનાના ભાગરૂપે 1992માં બાબરી મસ્જિદ(Babri Masjid demolition)ને તોડી પાડવામાં આવી હતી. આરએસએસ, ભાજપ, હિન્દુ મહાસભા અને અન્ય હિન્દુત્વવાદી સંગઠનો 6 ડિસેમ્બરને શૌર્ય દિવસ તરીકે ઉજવે છે. દલિતોની ચેતનાને તોડી પાડીને સત્તા મેળવવા દલિતોનો ઉપયોગ કરવાની ભાજપ-આરએસએસની રણનીતિ છે. સામાજિક ન્યાયને સામાજિક સમરસતામાં ફેરવવામાં આવ્યો. તેનો ઉદ્દેશ્ય જાતિ વ્યવસ્થા અને અસમાનતા જાળવી રાખીને મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સામે હિંદુ એકતા સ્થાપિત કરવાનો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. બાબાસાહેબ આંબેડકરે 25 ડિસેમ્બર 1927ના રોજ મનુસ્મૃતિનું દહન(Manusmriti Dahan Day) કર્યું હતું. બાબા સાહેબ સ્પષ્ટપણે માનતા હતા કે જ્ઞાતિપ્રથા અને દલિતો પરના અત્યાચારને ધાર્મિક ગ્રંથો દ્વારા દૈવી માન્યતા આપવામાં આવી છે. તેથી ધર્મશાસ્ત્રોને વિસ્ફોટકોથી ઉડાવી દેવા જોઈએ. ભાજપ-આરએસએસનું હિંદુત્વ વાસ્તવમાં નવો બ્રાહ્મણવાદ(Brahmanism) છે. હિન્દુત્વનો ઉદ્દેશ્ય ધર્મ, શાસ્ત્રો, મંદિરો અને ભગવાનની પ્રતીકાત્મક રાજનીતિ દ્વારા સમાજમાં વર્ણ-જાતિ પ્રથાને ફરીથી લાદીને ઉચ્ચ જ્ઞાતિની સર્વોપરિતા સ્થાપિત કરવાનો છે. તેથી, મનુસ્મૃતિ દહન દિવસની યાદોને ભૂંસી નાખવા માટે અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ (25 ડિસેમ્બર) મોટા પાયે ઉજવવામાં આવી અને તેને સુશાસન દિવસ(Good Governance Day) તરીકે ઓળખવામાં આવ્યો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ</span><a href="https://khabarantar.com/rss-mouthpiece-panchjanya-termed-caste-system-as-necessary"><span style="font-size: 12pt;"> </span>RSSના મુખપત્ર ‘પાંચજન્ય’માં જાતિ પ્રથાને 'જરૂરી' ગણાવવામાં આવી</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ મહારાષ્ટ્ર સરકાર દ્વારા શાળાના શિક્ષણમાં મનુસ્મૃતિના શ્લોકો સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, હવે દિલ્હી યુનિવર્સિટીની લૉ ફેકલ્ટી અભ્યાસક્રમમાં મનુસ્મૃતિનો સમાવેશ કરવાના પ્રયાસો કરી રહી છે. બાબાસાહેબે મનુસ્મૃતિ(Manusmriti)નું દહન કર્યું હતું કારણ કે તે દલિતો, પછાત લોકો (શુદ્રો) અને મહિલાઓને નીચલા દરજ્જાના નાગરિક માને છે.</span><br><span style="font-size: 14pt;">મનુસ્મૃતિ અનુસાર દલિતો, શુદ્રો અને મહિલાઓને શિક્ષણ અને સંપત્તિ પ્રાપ્ત કરવાનો અધિકાર નથી. મનુસ્મૃતિ આ સમુદાયોને ગુલામ બનાવે છે અને બ્રાહ્મણોને તેમનું શોષણ કરવાનો અધિકાર આપે છે. વાસ્તવમાં મનુસ્મૃતિ ભારતના બંધારણ(Constitution of India) અને માનવતા વિરુદ્ધ છે. પરંતુ હિન્દુત્વવાદીઓ માટે આ એક પ્રાતઃસ્મરણીય ગ્રંથ છે. RSSએ ક્યારેય મનુસ્મૃતિ, મનુવાદ અને મનુસ્મૃતિકાર પ્રત્યેનો પ્રેમ છુપાવ્યો નથી. 26 નંબર 1949ના રોજ બંધારણ પસાર થયાના ત્રણ દિવસ પછી 30 નવેમ્બર 1949ના રોજ, આરએસએસના મુખપત્ર 'ઓર્ગેનાઈઝરે' એમ કહીને ભારતીય બંધારણની ટીકા કરી કે તેમાં 'મનુની સંહિતા' નથી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામમંદિર આંદોલનનું એક કેન્દ્ર જયપુર પણ રહ્યું છે. એ દરમિયાન રાજસ્થાન હાઈકોર્ટના પ્રાંગણમાં મનુની પ્રતિમા(Manu Pratima Rajasthan High Court) સ્થાપિત કરવામાં આવી હતી. રાજસ્થાન હાઈકોર્ટ ઓફિસર્સ એસોસિએશનના તત્કાલીન પ્રમુખ પદમ કુમાર જૈનની વિનંતી પર જસ્ટિસ એમએમ કાસલીવાલાએ બ્યુટિફિકેશનના નામે મનુની પ્રતિમા સ્થાપિત કરવાની મંજૂરી આપી હતી. માત્ર 23 દિવસમાં જ 28 જૂન 1989ના રોજ જયપુર હાઈકોર્ટના પ્રાંગણમાં મનુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. તેનો વિરોધ તે જ દિવસથી શરૂ થયો હતો. તેના દબાણ હેઠળ 28 જુલાઈ 1989ના રોજ હાઈકોર્ટની વહીવટી બેઠકમાં મનુની પ્રતિમાને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ વિશ્વ હિંદુ પરિષદે આ નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. આજે પણ આ પ્રતિમા બંધારણ અને ન્યાયતંત્રની મજાક ઉડાવતી ઉભી છે. આડકતરી રીતે આરએસએસ અને ભાજપ આની પાછળ ઉભા છે. દેખીતી રીતે, જેઓ મનુમાં માને છે તેઓ ક્યારેય દલિત શુભચિંતક ન હોઈ શકે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ </span><a href="https://khabarantar.com/did-the-change-in-the-constitution-of-the-rss-turn-the-tide-of-the-election">RSSની બંધારણ બદલવાની વાતે ચૂંટણીનું પાસું પલટી નાખ્યું?</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66e2b1116361f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અટલ-અડવાણીની ભાજપ સમજી ગઈ હતી કે દલિતોના સમર્થન વિના સત્તા હાંસલ કરી શકાશે નહીં. તેથી જ વર્ષ 2000માં તેલંગાણાના આરએસએસ સાથે જોડાયેલા દલિત નેતા બાંગારુ લક્ષ્મણ(Bangaroo Laxman)ને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પરંતુ ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યા બાદ એક વર્ષમાં જ તેમને હટાવી દેવામાં આવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપ દલિત વિરોધી હોવાનો બીજો પુરાવો એ છે કે આજ સુધી ભાજપે નીતિ નિર્ધારક અને નિર્ણાયક પદ પર એકેય મજબૂત દલિત નેતાને સ્થાન આપ્યું નથી. એકંદરે, ભાજપ 15 વર્ષથી વધુ </span><span style="font-size: 14pt;">સમયથી કેન્દ્રમાં સત્તામાં છે. એક ડઝનથી વધુ રાજ્યોમાં ભાજપની સરકારો રહી છે. પરંતુ આજ સુધી એક પણ દલિતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકારમાં પણ કોઈ મજબૂત દલિત ચહેરો નથી. કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલ મોદીનો પડછાયો બનીને દલિતોને લલચાવવાનું એક મહોરું છે. એ જ રીતે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો પણ વોટ બેંકની રાજનીતિ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ ન તો કોઈ એજન્ડા આગળ આવ્યો કે ન તો દલિતોના હિતમાં કોઈ નીતિ બનાવવામાં આવી. તેનાથી ઉલટું, નરેન્દ્ર મોદીના છેલ્લા 10 વર્ષના શાસન દરમિયાન હિન્દુત્વવાદી લોકો દ્વારા દલિતો પર શારીરિક હુમલા વધી ગયા છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ</span> <a href="https://khabarantar.com/dr-ambedkars-11-visits-to-gujarat-and-lectures-delivered-in-gujarati">ડૉ. આંબેડકરની ગુજરાતની 11 મુલાકાતો અને ગુજરાતીમાં આપેલું પ્રવચન</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૂછો કાપવાથી માંડીને પેશાબ પીવડાવવો, બળાત્કાર અને હત્યા સુધીની ઘૃણાસ્પદ અને અમાનવીય ઘટનાઓ સતત ચાલુ છે. દલિતો ન્યાય માટે ભટકી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ સફાઈ કામદારોના પગ ધોઈને તેમની કામગીરીનો મહિમા કર્યો હતો. પરંતુ તેમના બાળકોનું શિક્ષણ, સરકારી નોકરી અને અનામત લગભગ અર્થહીન બનાવી દેવામાં આવી છે. એટલું જ નહીં, મોદીના સંસદીય ક્ષેત્ર બનારસમાં એક સફાઈ કામદારનું ગટરમાં ડૂબીને મૃત્યુ થાય છે, પરંતુ તેના પરિવારને કોઈ ન્યાય મળતો નથી. હાથરસમાં ગુડિયા વાલ્મિકી પર બળાત્કાર થયો પછી તે મૃત્યુ પામે છે, પરંતુ તેના પરિવારજનો હજુ પણ ન્યાયની શોધમાં આમતેમ ભટકી રહ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે પણ મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં હજારો ગામડાઓમાં દલિતો મંદિરોમાં પ્રવેશી શકતા નથી. ભાજપના શાસનમાં બ્રાહ્મણવાદની તાકાત એવી છે કે રાષ્ટ્રપતિ હતા ત્યારે રામનાથ કોવિંદને પુરી અને પુષ્કરના મંદિરોમાં પ્રવેશવા દેવામાં આવ્યા નહોતા, છતાં પૂજારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. ગુજરાતના ઉનામાં સ્વ-ઘોષિત ગૌરક્ષકોએ મૃત ગાયનું ચામડી ચીરવા બદલ ચાર દલિત ભાઈઓને જાહેરમાં બાંધી તેમનું સરઘર કાઢી માર માર્યો અને તેમનો વીડિયો જાહેર કર્યો હતો. આ કેસના તમામ 43 આરોપીઓ હાલ જામીન પર બહાર છે. પરંતુ નરેન્દ્ર મોદી માત્ર એટલું જ કહે છે કે 'મુજે ગોલી માર દો લેકિન મેરે દલિત ભાઈઓ કો મત મારો' આ દંભ કહેવાય. 2024ની લોકસભા ચૂંટણીમાં દલિતોએ ખુલ્લેઆમ ભાજપનો વિરોધ કર્યો અને જેઓ બંધારણ બદલવા માગતા હતા તેમને જડબાતોડ જવાબ આપ્યો. હવે ભાજપના સાંસદ ભાજપને દલિત વિરોધી ગણાવે છે એટલે કે દલિતોમાં ભાજપનો મનુવાદી ચહેરો સંપૂર્ણ રીતે ખુલ્લો પડી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ </span><a href="https://khabarantar.com/shashi-tharoors-book-ambedkar-a-life-a-feeling-of-reading-something-special">શશી થરૂરનું પુસ્તક ‘Ambedkar: A Life’ - કંઈક વિશેષ વાંચ્યાની અનુભૂતિ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 12 Sep 2024 14:46:44 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1197</Articleid>
                    <excerpt>જનસંઘ કાળથી લઈને વર્તમાન ભાજપ સાશનના 10 વર્ષમાં આ દેશના દલિતોએ ભાજપ-સંઘના મનુવાદી ચહેરાને સ્પષ્ટ રીતે ઓળખી લીધો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e2b0edb1a84.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e2b0ed7d2d6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e2b0ed7d2d6.jpg" length="82099" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>RSS, Mohan Bhagwat, BJp, jansangh</media:keywords>
                </item>
                        <item>
                    <title>મોંઘા સંરક્ષણ સાધનો અને સફાઈના મશીન વચ્ચે તમારી પ્રાથમિકતા શું છે?</title>
                    <link>https://khabarantar.com/between-expensive-protective-equipment-and-cleaning-machines-what-is-your-priority</link>
                    <guid>https://khabarantar.com/between-expensive-protective-equipment-and-cleaning-machines-what-is-your-priority</guid>
                    <description>
                        <![CDATA[ કૃષિ પ્રધાન દેશમાં સંરક્ષણનું બજેટ કૃષિ બજેટ કરતા વધુ છે, ત્યાં સફાઈ કામદારો માટે યંત્રો વિશે કોણ વિચારે છે? - વાંચો વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયાનો લેખ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>ચંદુ મહેરિયા</strong></span><br></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાળપણમાં વાંચેલી કવિતાની આ પંક્તિઓ હમણાના દિવસોમાં ઘણીવાર ગણગણું છું: </span><br><span style="font-size: 14pt;">સોનાવરણી સીમ બની</span><br><span style="font-size: 14pt;">મેહુલિયે કીધી મહેર રે</span><br><span style="font-size: 14pt;">ભાઈ! મોસમ આવી મહેનતની.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વરસાદી મોસમને કારણે તો તે યાદ આવે જ છે પરંતુ  ખેડૂતો માટે વરસાદ મહેનતની મોસમ છે, એટલે પણ યાદ આવે છે. જગતતાત ‘ લિયો પછેડી દાતરડાં’ ને ‘ રંગે સંગે કામ’  કરે છે અને ધાન પકવે છે. જોકે હવે ખેતી માત્ર માનવીના શરીરશ્રમ આધારિત નથી રહી. ખેતીમાં માનવ અને પશુઓના શ્રમના વિકલ્પે મશીનોનો ઉપયોગ થઈ રહ્યો છે. કૃષિ યાંત્રિકીકરણ વીસમી સદીની મહાન લબ્ધિ મનાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એગ્રિકલ્ચર, એનિમલ હસબંડરી એન્ડ ફૂડ પ્રોસેસિંગ વિભાગ સંબંધી પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટીએ જુલાઈ ૨૦૨૩માં ‘દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણમાં સંશોધન અને વિકાસ’  અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો. આ રિપોર્ટ પ્રમાણે ઓગસ્ટ ૨૦૨૨માં દેશની અડધા કરતાં ઓછી કૃષિનું જ યાંત્રિકીકરણ થયું છે. અન્ય વિકાસશીલ દેશો બ્રાઝિલ ૭૫ અને ચીન ૬૦ ટકાની તુલનામાં, ભારતમાં હજુ કૃષિ યાંત્રિકીકરણ ૪૭ ટકા જેટલું નિમ્ન સ્તરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચોમાસા પૂર્વે કે અન્ય વખતે ખેતરો ખેડવા હળ અને બળદને બદલે હવે ટ્રેકટરનો વધુ ઉપયોગ થાય છે. ભારતમાં વાવણી-રોપણી માટે ખેતરો ખેડવા ૭૦ ટકા ટ્રેકટર વપરાય છે. રોપણી અને વાવણીના કામમાં યંત્રોનો ઉપયોગ ૪૦ ટકા, નિંદામણમાં ૩૨ ટકા અને કાપણી-લણણીમાં ૩૪ ટકા  એમ સરવાળે ૪૭ ટકા ખેતીનું મશીનીકરણ થયેલું છે. સમગ્ર દેશમાં કૃષિ યાંત્રિકીકરણ અસમાન છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/hey-there-are-untouchables-in-japan-too">હેં! જાપાનમાં પણ અસ્પૃશ્યો છે!</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દક્ષિણી રાજ્યો,  પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં લગભગ બધા જ કામો યંત્રોથી થાય છે. પરંતુ પૂર્વોત્તર રાજ્યોમાં કૃષિ યાંત્રિકીકરણ નહિવત છે. જેમ રાજ્યવાર તેમ પાક પ્રમાણે પણ કૃષિમાં મશીનોના ઉપયોગમાં ભિન્નતા છે. ઘઉંના પાક માટે ૬૯ ટકા અને ડાંગર માટે ૫૩ ટકા મશીનો વપરાય છે. જ્યારે બીજા કૃષિ પાકોમાં પચાસ ટકા કરતાં ઓછું યાંત્રિકીકરણ છે. ખાદ્ય પાકોની સરખામણીએ રોકડિયા પાકોની ખેતીમાં મશીનોનો વપરાશ વધુ થાય છે. આ ભિન્નતા માટે ખેડૂતોની સામાજિક-આર્થિક સ્થિતિ, સિંચાઈની સુવિધા, વીજળીની ઉપલબ્ધતા, ભૌગોલિક સ્થિતિ  જેવા કારણો જવાબદાર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત જેવા વધુ વસ્તી અને સંસાધનોની અસમાન વહેંચણી ધરાવતા દેશમાં ઝાઝા હાથ કામ માંગતા હોય ત્યારે તેમને બેરોજગાર બનાવી યંત્રોનો ઉપયોગ સવાલો પેદા કરે તે સહજ છે. પરંતુ કૃષિ યાંત્રિકીકરણના લાભ અને ખાધ્યાન્નની જરૂરિયાતને પહોંચી વળવાની દ્રષ્ટિએ તે અપનાવવું આવશ્યક છે. ખેતીના કામો મહેનત, ચીવટ અને આવડત માંગી લે છે. એ વધુ સારી રીતે માનવી જ કરી શકે છે પરંતુ મશીનના ઉપયોગથી માનવ અને પશુશ્રમ બચે છે, જે  ઈતર કામોમાં વાપરી શકાય છે. એકલા ટ્રેકટરના ઉપયોગે પણ કેટલો મોટો ફાયદો કરી આપ્યો છે. ટ્રેકટરના ઉપયોગથી જમીન વધુ સારી રીતે ખેડી શકાય છે. વધુ જમીન ખેતી યોગ્ય બનાવી શકાઈ છે. બીજ, જંતુનાશક દવાઓ અને ખાતરની બચત થાય છે. એટલે ખર્ચ ઘટે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમય અને પાણીની બચત થાય છે. ઉત્પાદન વધે છે. નિંદામણ ઘટે છે. ખેત કામદારોની અછતનો વિકલ્પ મળે છે. વધુ શ્રમના કામો યંત્રોથી કરવા સરળ બન્યા છે. કૃષિ યાંત્રિકીકરણનો સૌથી મોટો લાભ એ છે કે તે ભારતના ગામડાઓની સામાજિક સંરચનામાં પરિવર્તન આણી શકવાની સંભાવના ધરાવે છે. ખેડૂતો માટે ખેતી માત્ર બે ટંકના રોટલા જોગ ના રહેતાં તેમની આર્થિક સ્થિતિ અને જીવનની ગુણવત્તા સુધારે છે. પારંપરિક ખેતીને વ્યાવસાયિક બનાવી શકાય છે. શ્રમ, સમય અને નાણાંની બચત થાય છે તો ઉત્પાદનમાં વૃધ્ધિથી આવક વધે છે તે મશીનીકરણનો મોટો ફાયદો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યાંત્રિકીકરણ મોટા ખેતરો માટે જ લાભપ્રદ છે. ભારતમાં ૮૬ ટકા કિસાનો બે હેકટરથી ઓછી જમીન ધરાવે છે ત્યારે નાના અને સીમાંત ખેડૂતો માટે જો નાના આકારના યંત્રો ન હોય તો તે બિનઉપયોગી અને નાંણાકીય બોજ વધારનાર છે. ખેત ઓજારો માનવહાથથી વપરાય છે.પરંતુ મશીનો ચલાવવા વીજળી કે ઈંધણની જરૂર પડે છે. તેના કારણે ડીઝલ અને વીજળીનો વપરાશ વધે છે. બીજી તરફ  પર્યાવરણમાં બગાડ અને પ્રદૂષણ જેવા પ્રશ્નો ઉદભવે છે. ટ્રેકટરનો ઉપયોગ માટી પરનો ભાર ઘણો વધારે છે. બેરોજગારી વધે છે અને કૃષિ શ્રમિકોની અછતના અલ્પ ગાળામાં વધુ વેતન માટેની તેમની સોદાશક્તિ તથા ગરજ ઘટે છે. મોટા ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણ  પ્રતિષ્ઠાનું પ્રતીક બની ગયું છે. જ્યારે નાના ખેડૂતો જાતમજૂરી પર નભે છે. એટલે યંત્રોનો ઉપયોગ સામાજિક-આર્થિક અસમાનતા વધારે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/what-was-heard-in-the-drawing-room-of-savarna-the-judge-wrote-in-the-judgment">સવર્ણોના ડ્રોઈંગ રૂમમાં જે સંભળાતું હતું, જજે તે ચૂકાદામાં લખ્યું છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે પણ દેશની 80 ટકા કૃષિ જમીન પર ખાધ્ય પાકોની વાવણી-રોપણી માનવશ્રમ દ્વારા જ થાય છે ત્યારે દેશનું કૃષિ યાંત્રિકીકરણ પણ આંશિક જ છે. સરકાર આગામી પચીસેક વરસોમાં પોણા ભાગની કૃષિને યંત્રો હેઠળ આવરી લેવા માંગે છે. પરંતુ તે ઈચ્છનીય નથી. માનવશ્રમ આટલો શેષ હોય ત્યારે ખેતીને મશીનોના હવાલે કરી દેવી તેમાં કોઈ ડહાપણ નથી. કામ વગરના કરોડો હાથને યંત્રોએ કામ કરતા અટકાવ્યા છે. યંત્રોને લીધે બેકારી અને ગરીબી વધવાની છે. વળી કૃષિ કામોમાં માનવીય સ્પર્શ અને સંલગ્નતા ઘટે તે યોગ્ય નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કૃષિનું માત્ર મશીનીકરણ જ નહીં રોબોટીકરણ કરવાની અને આર્ટિફિશિયલ  ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવાની વાતો પણ થઈ રહી છે. ભાવિમાં આ યંત્રો ડેટા સમૃધ્ધ સંવેદન અને નિરીક્ષણ પ્રણાલી બની જશે તેમ પણ કહેવાઈ રહ્યું છે.  હળ, દાતરડુ, કોદાળી જેવા ખેત ઓજારોનું સ્થાન હવે ટ્રેકટર, કંબાઈન હાર્વેસ્ટર, ટિલર જેવા યંત્રો-સાધનો અને ખેતીને આનુષાંગિક કામોમાં સિંચાઈ માટે પાવરલિફ્ટ, ટ્યુબ વેલ, વોટર પંપ, ઈલેકટ્રિક મોટર, ખેત પેદાશોને બજાર સુધી લઈ જવા માટે ટ્રક, પશુપાલન અને ડેરીના સાધનો, વોશિંગ મશીન, વેક્યુમ ક્લિનર, રેડિયો,  ઈસ્ત્રી, થ્રેસર મશીન, ફૂડ પ્રોસેસિંગ મશીનો લેશે. પરંતુ તળ વાસ્તવિકતા  કંઈક જુદી છે તેનો અંદાજ નથી. કૃષિમાં આવનારા તળિયાઝાટક પરિવર્તનો વિશે જાણીને એક સામાન્ય,  નાનો અને ઘર નભે એટલી જમીન ધરાવતો ગામડિયો ખેડૂત તેની ધરતીમાતા પર કોર્પોરેટ્સનો ડોળો પડતો જોઈ પહેલાં અચંભિત અને પછી દુ:ખી તથા આક્રોશિત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધીજી પણ યંત્રોના વિરોધી નહોતા. પરંતુ માનવ હાથને બેકાર કરી યંત્રોના ભરોસે જીવવું યોગ્ય નથી. ખાધ્યાન્નની વૈશ્વિક માંગ પૂર્ણ કરવા કૃષિ ઉત્પાદકતામાં વૃધ્ધિ પડકારજનક  જરૂર છે પણ તેનો એકમાત્ર ઉકેલ કૃષિનું સંપૂર્ણ યાંત્રિકીકરણ ના હોઈ શકે. યંત્ર અને માનવ બેઉ સાથે રહીને કરી શકે તેવા કૃષિ કામોની દિશામાં વિચારવું ઘટે. કૃષિ યાંત્રિકીકરણની મહિલાઓ પર પડનારી અસરો તો જુદા લેખનો વિષય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાથથી થતી સફાઈના કામો  (ગટર, ખાળકૂવા અને માનવ કે પશુ મળની સફાઈ અને બીજાં અનેક કામો)  કથિત નિમ્ન જ્ઞાતિમાં જન્મેલ માનવીના માથે થોપાયેલા છે. હાથથી થતી સફાઈમાં સો ટકા મશીનીકરણ શક્ય છે. પરંતુ રાજકીય ઈચ્છાશક્તિ અને સામાજિક જાગ્રતિના અભાવે તેમ કરવામાં આવતું નથી. કૃષિ પ્રધાન દેશનું કૃષિ બજેટ સંરક્ષણ બજેટ કરતાં ઓછું હોય ત્યાં સફાઈ કામદારો માટે યંત્રો વિશે વળી કોણ વિચારે. મોંઘાદાટ દેશી-વિદેશી સંરક્ષણ સાધનો અને હાથથી થતી સફાઈના મશીનો કે કૃષિ યંત્રોમાંથી નાગરિક તરીકે આપણી પસંદગીની પ્રાથમિકતા શું હશે તે કહેવાની જરૂર ખરી?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(53, 152, 219);">maheriyachandu@gmail.com</span><br><em><span style="font-size: 12pt;"><strong>(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)</strong></span></em></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:</span> </span><a href="https://khabarantar.com/Shakra-is-called-Gadag-in-Marathi,-so-Gadge,-who-kept-it-forever,-was-called-Baba">શકોરાને મરાઠીમાં ગાડગં કહે છે એટલે તેને કાયમ સાથે રાખનાર ગાડગે બાબા કહેવાયા</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 12 Sep 2024 11:20:01 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 12 Sep 2024 11:22:08 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1196</Articleid>
                    <excerpt>કૃષિ પ્રધાન દેશમાં સંરક્ષણનું બજેટ કૃષિ બજેટ કરતા વધુ છે, ત્યાં સફાઈ કામદારો માટે યંત્રો વિશે કોણ વિચારે છે? - વાંચો વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયાનો લેખ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e280f53e6e0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e280f4f2284.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e280f4f2284.jpg" length="64981" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Minister of Agriculture Desh India, Defense budget, Agriculture Budget, Cleaners</media:keywords>
                </item>
                        <item>
                    <title>એટ્રોસિટીના કેસમાં ભયંકર પૂર્વગ્રહ ધરાવતા જજ રસિક માંડાણીને ઓળખો</title>
                    <link>https://khabarantar.com/know-judge-rasik-mandani-who-has-a-terrible-prejudice-in-an-atrocity-case</link>
                    <guid>https://khabarantar.com/know-judge-rasik-mandani-who-has-a-terrible-prejudice-in-an-atrocity-case</guid>
                    <description>
                        <![CDATA[ જામનગરના એડિશનલ જજ રસિક માંડાણી પોતાના તરંગી નિર્ણયો માટે કુખ્યાત છે. હવે તેમણે એટ્રોસિટીના એક કેસમાં વિવાદાસ્પદ નિર્ણય કરતા હોબાળો મચ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જામનગરના એડિશનલ જજ રસિક માંડાણી પોતાના તરંગી નિર્ણયો માટે કુખ્યાત છે. હવે તેમણે એટ્રોસિટીના એક કેસમાં વિવાદાસ્પદ નિર્ણય કરતા હોબાળો મચ્યો છે. તરંગી ચૂકાદાઓ આપવા માટે જાણીતા આ જજ કોણ છે તે જાણવું જરૂરી બની જાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જામનગરમાં એડિશનલ સેશન્સ જજ રસિકકુમાર માંડાણી છે. તેમની સામે જામનગર બાર એસોસિએશને 11 સપ્ટેમ્બર 2024ના રોજ વિરોધ નોંધાવ્યો છે. એટલું નહીં પણ આ જજની બદલી કરવા હાઈકોર્ટને વિનંતિ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જજ માંડાણીનો શામાટે વિરોધ થયો? 6 સપ્ટેમ્બર 2024ના રોજ જજ માંડાણીએ બાર એસોસિએશનના પ્રમુખને નોટિસ આપેલ કે “એટ્રોસિટી કેસ નં. 3/2023ના આંક-14ની અરજી હેઠળ 13 સપ્ટેમ્બર 2024ના કલાક 11.00 કલાકે કોઈ વકીલ જો કોઈ રજૂઆત કરવા માંગતા હોય તો ઓપન સુનાવણીમાં ઉપસ્થિત રહેવું.” </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંક-14 હેઠળ જજ માંડાણીએ 31 ઓગસ્ટ 2024ના રોજ હુકમ કરેલ કે “આરોપીઓના એડવોકેટે તેમને ડિસ્ચાર્જ કરવા માટે Exh.-14થી અરજી કરી છે. તે મુજબ ગુનો એટ્રોસિટી એક્ટ હેઠળ બનતો નથી. બાકીનો ગુનો 7 વર્ષ સુધીની સજાને પાત્ર છે. પીડિત/ફરિયાદીએ સરકાર તરફથી મળેલ આર્થિક સહાય સરકારને પરત ચૂકવવી જરૂરી છે. તેથી, આ કોર્ટને લાગે છે કે આ મુદ્દા પર કોઈપણ વકીલ તરફથી ખૂલ્લી રજૂઆત કરવી હોય તો તક આપવી જોઈએ. ઉપરાંત, સમાજ અને કલ્યાણ વિભાગ, જામનગરના સંબંધિત સક્ષમ અધિકારીને પણ આ મુદ્દા પર કોર્ટને મદદ કરવા માટે આગામી તારીખે આ કોર્ટમાં હાજર રહેવું. આ બાબતે જામનગર બાર એસોસિએશનને નોટિસ મોકલવી. કોઈ એડવોકેટ કાનૂની મુદ્દા પર રજૂઆત કરવા માંગે તો તે હાજર રહી શકે/રજૂઆત કરી શકે છે.“</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/is-the-state-government-tacitly-agreeing-to-weaken-the-atrocities-act">રાજ્ય સરકાર એટ્રોસિટી એક્ટને નબળો પાડવા છુપી સહમતી આપી રહી છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જામગર બાર એસોસિએશને હાઈકોર્ટને લખ્યું કે “13 સપ્ટેમ્બર 2024 ના રોજ જામનગર વકીલ મંડળના સભ્યોને SC/ST એક્ટ બાબતે કોર્ટમાં જાહેર ચર્ચા કરવા માટે હાજર રહેવું તેવો કાયદા વિરુદ્ધનો અને પોતાની સત્તા બહારનો હુકમ કર્યો હતો. સુપ્રીમકોર્ટ કે હાઇકોર્ટના કોઈપણ જજમેન્ટ, straitjacket formula તરીકે દરેક કેસમાં એપ્લિકેબલ થાય નહીં, છતાં સુપ્રીમકોર્ટના Shajan Skaria v/s  State of Karnatakaના કેસમાં, એટ્રોસિટી એક્ટની કલમ-3(1) (r)ના સંદર્ભમાં આપેલ ચુકાદાનો આધાર લઈ, તેનું ખોટું અર્થઘટન કરી જજ માંડાણીએ ઓપન કોર્ટમાં SC/ST એક્ટના કેસો બાબતે જાહેર ચર્ચા રાખેલ હોય તે વ્યાજબી નથી અને કાયદા વિરુદ્ધ છે. વળી તેમણે SC/ST એક્ટના કેસોમાં ફરિયાદી/પીડિતને મળતી સહાય પરત લેવાની ચર્ચાને સામેલ કરેલ છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66e266b95d25b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જજ માંડાણીએ 7 વરસની સજાપાત્ર એટ્રોસિટી એક્ટના કેસોના આરોપીઓને  કોર્ટમાં રજૂ કરવા નહીં તેવી મૌખિક સૂચનાઓ પોલીસ અધિકારીઓને આપેલ હતી. આ બાબતે જામનગર વકીલ મંડળે હાઈકોક્ટને ફરિયાદ કરી હતી, ત્યાર બાદ જજ માંડાણી; 7 વરસ સુધીના SC/ST એક્ટના કેસોના આરોપીઓને, ફરિયાદી કે સરકારી વકીલને સાંભળ્યા વિના જ, આરોપીની જામીન અરજી રજિસ્ટરે લીધા વિના, નંબર પાડ્યા વિના, આરોપીને તાત્કાલિક જામીન પર છોડી મૂકે છે. સુપ્રિમકોર્ટના Criminal Appeal No. 1278/2021 કેસમાં એટ્રોસિટી એક્ટ હેઠળના કેસમાં જામીન અરજી વખતે ફરિયાદીને સાંભળવા જ જોઈએ તેવો હુકમ થયેલ છે, તેનું ઉલ્લંઘન જાણીજોઈને કરી રહ્યા છે. જજ માંડાણીને SC/ST એક્ટ હેઠળના કેસોની સૂગ/નારાજગી હોય તે રીતે વિવાદાસ્પદ હુકમો કરે છે.”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Why-do-the-accused-get-away-with-such-a-strong-atrocity-law">એટ્રોસિટીનો આટલો મજબૂત કાયદો હોવા છતાં આરોપીઓ કેમ છૂટી જાય છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જજ રસિકકુમાર માંડાણી કોણ છે? બનાસકાંઠાના ડીસા ખાતે અગાઉ એડિશનલ સેશન્સ જજ હતા ત્યારે 26 માર્ચ 2024ના રોજ PI વિજયસિંહ મેઘસિંહ ચૌધરી સામે પગલાં ભરવા 101 પેજનો વિવાદાસ્પદ હુકમ કરેલ. જે હુકમ ગુજરાત હાઈકોર્ટે 5 એપ્રિલ 2024ના રોજ, રદ કરી જજ માંડાણીની બરાબર રીમાન્ડ લીધી હતી : “Whims and Caprices of Judge have no place in judicial decision-ન્યાયિક નિર્ણયમાં ન્યાયાધીશની ધૂનને/તરંગોને કોઈ સ્થાન નથી. પ્રથમ દૃષ્ટિએ, એવું જણાય છે કે વિદ્વાન સેશન્સ જજે તેના અધિકારક્ષેત્રને ઓળંગી જઈને PI ચૌધરી સામે તપાસ કરવાનો આદેશ આપ્યો છે!”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થોડાં સવાલ : [1] શું સેશન્સ જજને; એટ્રોસિટી એક્ટ હેઠળ સરકાર જે સહાય ચૂકવે તે પરત લેવાનો હુકમ કરવાની સત્તા એટ્રોસિટી એક્ટ મુજબ છે? [2] એક આરોપીને જામીન મુકત કરવો કે ન કરવો તેનો નિર્ણય જજે કરવાનો છે, તે માટે બાર એસોસિએશનના વકીલોને નિમંત્રણ આપવાની જરુર ખરી? એટ્રોસિટી એક્ટના એક કેસમાં આરોપીને ડિસ્ચાર્જ કરવાની અરજીમાં આખા શહેરના બધા વકીલોને અને સમાજ કલ્યાણ ખાતાના અધિકારીને જાહેર નોટિસ કાઢી જાહેર આમંત્રણ આપવાની જરુર ખરી? એક અરજીના નિર્ણય માટે આખા ગામને દલીલ કરવા આમંત્રણ આપવાનો કોઈ અર્થ ખરો? [3] 7 વરસની સજાપાત્ર એટ્રોસિટી એક્ટના કેસોના આરોપીઓને  કોર્ટમાં રજૂ કરવા નહીં તેવી મૌખિક સૂચનાઓ પોલીસ અધિકારીઓને જજ આપી શકે? શું આ બેજવાબદારીવાળી માનસિકતા નથી? [4] સુપ્રિમકોર્ટ/હાઈકોર્ટના ચૂકાદાનો straitjacket formula તરીકે જ ઉપયોગ કરવાનો હોય તો કોર્ટમાં જજની જગ્યાએ કોમ્પ્યુટર ગોઠવી દઈએ તો ન ચાલે? દરેક કેસની હકીકતો અલગ હોય છે, જજે જ્ઞાન/શાણપણનો ઉપયોગ કરવાનો હોય છે. જે જજ વેઠ કાઢે કે SC/ST સમુદાય પ્રત્યે પૂર્વગ્રહ રાખે તેને જજની ખુરશીમાં બેસવાનો અધિકાર ખરો? [5] જામનગર બાર એસોસિએશને જજ માંડાણીની માત્ર બદલી કરવા વિનંતિ કરી છે અને તેમના પત્રમાં જણાવેલ ગંભીર હકીકતો ધ્યાને લેતાં જજ માંડાણીની બદલી કરવાને બદલે તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરી ખાતાકીય શિક્ષાત્મક પગલાં ભરવા માંગણી કરવાની જરુર હતી. [6] ‘ન્યાયિક નિર્ણયમાં ન્યાયાધીશની ધૂનને/તરંગોને કોઈ સ્થાન નથી’ આ શબ્દોનું પાલન શું ગુજરાત હાઈકોર્ટ તાબાના જજો પાસે કરાવી શકશે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>રમેશ સવાણી </strong></span><span style="font-size: 12pt;"><em><strong>(લેખક નિવૃત્ત આઈપીએસ અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.)</strong></em></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><strong><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/now-the-accused-in-the-case-of-atrocity-will-go-home-after-tea-watering-the-police">હવે એટ્રોસિટીના કેસમાં આરોપીઓ પોલીસના ચા-પાણી કરીને ઘરે જતા રહેશે?</a></span></span></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 12 Sep 2024 09:29:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1195</Articleid>
                    <excerpt>જામનગરના એડિશનલ જજ રસિક માંડાણી પોતાના તરંગી નિર્ણયો માટે કુખ્યાત છે. હવે તેમણે એટ્રોસિટીના એક કેસમાં વિવાદાસ્પદ નિર્ણય કરતા હોબાળો મચ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e260c9165d2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e260c8d585b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e260c8d585b.jpg" length="106639" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Rasik Mandani, Additional Judge Jamnagar, Bar Association Jamnagar, Dalit Atrocities, Gujarat High Court</media:keywords>
                </item>
                        <item>
                    <title>RSS કહે છે હિંદુ ધર્મગ્રંથોમાં કોઈ &amp;apos;અછૂત&amp;apos; નથી, તો પછી &amp;apos;મનુસ્મૃતિ&amp;apos; માં શું છે?</title>
                    <link>https://khabarantar.com/rss-says-there-is-no-untouchable-in-hindu-scriptures-then-what-is-there-in-manusmriti</link>
                    <guid>https://khabarantar.com/rss-says-there-is-no-untouchable-in-hindu-scriptures-then-what-is-there-in-manusmriti</guid>
                    <description>
                        <![CDATA[ RSS ના નેતા ભૈયાજી જોષી કહે છે કે, હિંદુ ધર્મગ્રંથોમાં ક્યાંય પણ શૂદ્રો અછૂત હોવાનો ઉલ્લેખ નથી, પણ એ જ RSS જેને આદર્શ માને છે તે &#039;મનુસ્મૃતિ&#039; આ દાવાઓની પોલ ખોલી નાખે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">RSS and Casteism: આ વર્ષે એપ્રિલ-મેમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં જાતિની વસ્તી ગણતરી મહત્વનો મુદ્દો હતો. વિપક્ષોએ જાતિની વસ્તી ગણતરીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, પણ ભાજપે તેનો વિરોધ કર્યો હતો. જાતિ ગણતરી અંગે વિરોધ પક્ષોના વિચારો એકદમ સ્પષ્ટ જણાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ વાત સૌ જાણે છે કે, જાતિના મુદ્દાએ હિંદુત્વની રાજનીતિ(Hindutva Politics)ને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જ્યોતિરાવ ફૂલે(Jyotirao Phule) અને ભીમરાવ આંબેડકર(Dr. Ambedkar) જેવા મહાનુભાવોને ખ્યાલ હતો કે ઉચ્ચ જાતિઓ નીચલી જાતિઓનું શોષણ કરે છે. આ મુદ્દા પરથી દલિત(SC), આદિવાસી(ST), ઓબીસી(OBC) સમાજનું ધ્યાન ભટકાવવા માટે કથિત ઉચ્ચ જાતિના સંગઠનોએ ભારતના ભૂતકાળનું ગૌરવ ગાવાનું શરૂ કર્યું. હિન્દુ રાષ્ટ્ર(Hindu Rashtra)ની કલ્પના અને મનુ સ્મૃતિ(Manusmriti)ના નિયમો આધારિત રાજ્યની સ્થાપના આ તાકાતોના એજન્ડાના મૂળમાં હતી. છેલ્લાં કેટલાક દાયકાઓથી RSS એ નેરેટિવને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે કે, તમામ જાતિઓ એકસમાન છે. સંઘ સાથે જોડાયેલા લેખકોએ વિવિધ જ્ઞાતિઓ પર ઘણાં પુસ્તકો લખ્યા, જેમાં કહેવામાં આવ્યું કે ભૂતકાળમાં તમામ જાતિઓનો દરજ્જો સમાન હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">RSS ના નેતાઓ દાવો કરે છે કે અસ્પૃશ્ય જાતિઓ વિદેશી આક્રમણકારોના અત્યાચારોને કારણે અસ્તિત્વમાં આવી હતી અને તે પહેલા હિન્દુ ધર્મમાં તેમનું કોઈ સ્થાન ન હતું. સંઘના ઓછામાં ઓછા ત્રણ નેતાઓએ દલિતો, આદિવાસીઓ અને અન્ય ઘણાં સમૂહોના જન્મ માટે મધ્યકાલીન 'મુસ્લિમ આક્રમણ'ને ​​જવાબદાર ઠેરવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/now-to-indulge-the-dalits-the-vishwa-hindu-parishad-will-go-and-eat-at-their-homes"><span style="font-size: 12pt;"> </span>હવે દલિતોને રીઝવવા વિશ્વ હિંદુ પરિષદ તેમના ઘરે જઈને ભોજન કરશે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંઘના ટોચના નેતા ભૈય્યાજી જોશી(Bhaiyyaji Joshi)ના મતે, હિન્દુ ધર્મગ્રંથોમાં ક્યાંય પણ શુદ્રોને 'અસ્પૃશ્ય' ગણાવ્યા નથી. મધ્યકાલીન સમયગાળામાં 'ઈસ્લામિક અત્યાચારો'ને કારણે અસ્પૃશ્ય દલિતોનો એક નવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો. ભૈય્યાજી જોશીએ લખ્યું છે: "હિંદુઓના સ્વાભિમાનને તોડવા માટે આરબ વિદેશી આક્રમણકારો, મુસ્લિમ રાજાઓ અને ગૌમાંસ ખાનારાઓએ ચંદ્રવંશી ક્ષત્રિયોને ગાયોની કતલ કરવા, તેમની ચામડી કાપવા અને તેમના હાડપિંજરને કોઈ નિર્જન જગ્યાએ ફેંકી દેવા જેવા જઘન્ય કૃત્યો કરવા મજબૂર કર્યા. આ રીતે વિદેશી આક્રમણકારોએ 'ચર્મ-કર્મ' કરવા માટે એક નવી જાતિ બનાવી અને આ કામ સ્વાભિમાની હિંદુ કેદીઓને સજા તરીકે આપવામાં આવ્યું હતું."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બધાં દુષ્પ્રચારનો હેતુ જાતિને એક એવી સકારાત્મક સંસ્થા તરીકે દર્શાવવાનો છે જે હિન્દુ રાષ્ટ્રનું રક્ષણ કરતી આવી છે. જાતિની વસ્તી ગણતરીની માંગ જોર પકડવાની પૃષ્ઠભૂમિમાં RSS ના મુખપત્ર 'પાંચજન્ય' (Panchajanya)એ તેના 5 ઓગસ્ટ (2024) ના અંકમાં હિતેશ સરકાર(Hitesh Sarkar) દ્વારા " ए नेताजीः कौन जात हो" શીર્ષકથી એક લેખ પ્રકાશિત કર્યો હતો. લેખમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, "વિદેશી આક્રમણકારો જાતિની દિવાલો તોડી શક્યા નથી અને તેથી જ તેઓ હિન્દુઓનું ધર્માંતરણ કરાવી શક્યા નથી. જાતિ એ હિંદુ સમાજનો 'મુખ્ય આધાર' છે અને તેના કારણે વિદેશી હુમલાઓ પછી પણ દેશ સુરક્ષિત અને મજબૂત રહ્યો."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ લેખમાં બોમ્બેના ભૂતપૂર્વ બિશપ લુઈસ જ્યોર્જ મિલ્ને(Louis George Milne)ના પુસ્તક "મિશન ટુ હિંદુઝ: અ કોન્ટ્રીબ્યુશન ટુ ધ સ્ટડી ઓફ મિશનરી મેથડ"(Mission to Hindus: A Contribution to the Study of Missionary Method) માંથી એક વાક્ય ટાંકવામાં આવ્યું છે, જે કંઈક આવું છે: "...તો પછી તે (જ્ઞાતિ) સામાજિક માળખાનો આવશ્યક ભાગ છે. પરંતુ તેમ છતાં, વ્યવહારિક દૃષ્ટિકોણથી તે લાખો લોકો માટે ધર્મ છે. તે વ્યક્તિના સ્વભાવ અને ધર્મ વચ્ચે કડીનું કામ કરે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/now-to-indulge-the-dalits-the-vishwa-hindu-parishad-will-go-and-eat-at-their-homes"> </a></strong></span> </span><a href="https://khabarantar.com/dalits-and-ganeshotsava-from-here-i-can-float-from-here-i-can-sink"><strong>દલિતો અને ગણેશોત્સવઃ અહીંથી હું ભવ તરી શકું, અહીંથી ડૂબી શકું..</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લેખકના મતે, તે સમયે મિશનરીઓને જે વાત પરેશાન કરતી હતી તે જ બાબત આજે વિપક્ષોને પરેશાન કરી રહી છે, ખાસ કરીને કોંગ્રેસને, જે ઈસ્ટ ઈન્ડિયા કંપની અને લોર્ડ એ.ઓ. હ્યુમની અનુગામી છે. લેખક એમ પણ કહે છે કે આક્રમણકારો જાતિના કિલ્લાને તોડી શક્યા ન હોવાથી તેમણે (મુસ્લિમો) સન્માનનિય જાતિઓના લોકોને હાથથી મેલું સાફ કરવાના કામે લગાડ્યા, એ પહેલા હાથથી મેલું સાફ કરવાની પ્રથાનું ક્યાંય વર્ણન મળતું નથી. લેખમાં કહેવાયું છે કે મિશનરીઓ સમાજના પછાતપણા માટે જાતિ વ્યવસ્થાને જવાબદાર માને છે અને વિપક્ષ પણ જાતિને કાંટાની જેમ જુએ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ લેખ જૂઠાણાંનું પોટલું છે. પહેલી વાત એ છે કે છેક ઈ.સ.ની બીજી સદીમાં લખાયેલી 'મનુસ્મૃતિ'(Manusmriti)માં જાતિ પ્રથાની વ્યાખ્યા અને એની જબરજસ્ત તરફેણ કરવામાં આવી છે. મનુસ્મૃતિ દેશમાં વિદેશી આક્રમણકારોના આગમનના સેંકડો વર્ષ પહેલા લખવામાં આવ્યું હતું. અન્ય ઘણા હિંદુ ગ્રંથો પણ કહે છે કે નીચલી જાતિના લોકોએ ઉચ્ચ જાતિઓથી દૂર રહેવું જોઈએ. આ વિચારસરણી જ આભડછેટ અને હાથથી મેલું સાફ કરવાની પ્રથાની જનની છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/the-law-of-manusmriti-which-sowed-the-seeds-of-inequality-in-indian-society">મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં </a><a href="https://khabarantar.com/now-to-indulge-the-dalits-the-vishwa-hindu-parishad-will-go-and-eat-at-their-homes"> </a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પવિત્રતા અને પ્રદૂષણ સંબંધિત તમામ નિયમો, આચરણ અને પુનર્જન્મનો સિદ્ધાંત પણ આ વિચાર પર આધારિત છે. 'નારદ સંહિતા' અને 'વાજસનેયી સંહિતા' પણ આ જ કહે છે. નારદ સંહિતામાં માનવ મળમૂત્રને સાફ કરવું એ અસ્પૃશ્યો માટે નિર્ધારિત ફરજોમાંનું એક છે. વજસનેયી સંહિતા કહે છે કે ચાંડાલ એ ગુલામો છે જે મનુષ્યોની ગંદકી સાફ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો. આંબેડકર(Dr. Ambedkar) માનતા હતા કે જાતિપ્રથા(caste system) બ્રાહ્મણવાદે(Brahmanism) સમાજ પર લાદી છે. આરએસએસના મુખપત્રમાં પ્રકાશિત થયેલા લેખમાં જાતિ પ્રથાની પ્રશંસા કરવામાં આવી છે, જ્યારે ક્રાંતિકારી દલિત વિચારકો અને કાર્યકરો તેને હિન્દુ સમાજની સૌથી મોટી દુષ્ટતા માને છે. એટલે જ ડો.આંબેડકરે જાતિના વિનાશ(Annihilation of caste)ની વાત કરી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય બંધારણના મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરનારા આંબેડકર અને હિંદુ રાષ્ટ્રવાદની હિમાયત કરનાર RSS વચ્ચેનો તફાવત ભૂલી શકાય તેમ નથી. આંબેડકરે 'મનુ સ્મૃતિ' બાળી હતી જ્યારે RSS આ ગ્રંથને આદર્શ માની તેમાં દર્શાવેલ જાતિ અસમાનતાના મૂલ્યોનું સમર્થન કરે છે. આંબેડકરે ભારતનું બંધારણ ઘડ્યું હતું અને RSS એ આ બંધારણનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો અને આજે પણ સતત તેના નેતાઓ ખૂલ્લેઆમ તેને બદલી નાખવાની વાતો કરે છે. એટલે ભૈયાજી જોષી ગમે તેટલી સારી વાતો કરે પણ જ્યાં મનુસ્મૃતિ છે ત્યાં સુધી હિંદુ ધર્મગ્રંથોની પોલ આ જ રીતે ખૂલતી રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/RSS-and-Ambedkar-are-polar-opposites-yet-why-Sangh-praises-Baba-Saheb">RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 08 Sep 2024 12:13:37 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1180</Articleid>
                    <excerpt>RSS ના નેતા ભૈયાજી જોષી કહે છે કે, હિંદુ ધર્મગ્રંથોમાં ક્યાંય પણ શૂદ્રો અછૂત હોવાનો ઉલ્લેખ નથી, પણ એ જ RSS જેને આદર્શ માને છે તે &#039;મનુસ્મૃતિ&#039; આ દાવાઓની પોલ ખોલી નાખે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66dd45dc3bbad.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66dd45dc02ba9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66dd45dc02ba9.jpg" length="80599" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>RSS, Manusmurti, RSS and Casteism, Hindutva Politics, Hindu Rashtra, Louis George Milne</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિતો અને ગણેશોત્સવઃ અહીંથી હું ભવ તરી શકું, અહીંથી ડૂબી શકું..</title>
                    <link>https://khabarantar.com/dalits-and-ganeshotsava-from-here-i-can-float-from-here-i-can-sink</link>
                    <guid>https://khabarantar.com/dalits-and-ganeshotsava-from-here-i-can-float-from-here-i-can-sink</guid>
                    <description>
                        <![CDATA[ હરિયાણાની એક દીકરી ભણવા માટે મહારાષ્ટ્રમાં આવે છે. અહીં તેને &#039;આંબેડકરવાદ&#039; અને &#039;હિંદુત્વવાદ&#039;ની સરખામણી કરવાની તક મળે છે. વાંચો છેલ્લે તે શું તારણ પર પહોંચે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હું હરિયાણાની છું. હું છેલ્લા બે વર્ષથી આંબેડકરની ભૂમિ મુંબઈમાં રહું છું. મારા માટે આંબેડકરવાદીઓના સંપર્કમાં આવવાનો આ શ્રેષ્ઠ સમય છે. હું સમજી ગઈ છું કે 'આંબેડકરવાદ' શબ્દના અનેક રંગો અને સ્તરો છે. આંબેડકરવાદ એ એક નોંધપાત્ર અને ગતિશીલ દર્શન છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કૉલેજમાં મારો એક સહાધ્યાયી આંબેડકરવાદનો મોટો પ્રચારક છે; જ્યારે પણ તેને તક મળે છે ત્યારે તે 'જય ભીમ'ના નારા લગાવે છે. એક દિવસ જ્યારે હું હોસ્ટેલમાં પાછી આવી રહી હતી, ત્યારે મેં કંઈક એવું જોયું જેણે મને આંચકો આપ્યો અને મને ઊંડે સુધી વિચારવા મજબુર કરી. મારા ક્લાસના એ જ આંબેડકરવાદીઓ ગણેશ ઉત્સવ નિમિત્તે સિદ્ધિવિનાયક ગણેશની પૂજા કરવા લાઈનમાં ઊભા હતા. હું થોડો સમય રાહ જોતી રહી અને આખરે મારા મિત્ર સાથે વાત કરવા ગઈ. તેણે મને કહ્યું, તેં મને મંદિરમાં જોયો છે તે બીજા કોઈને ન કહેતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેણે કહ્યું કે તેનો પરિવાર તેને આવું કરવા દબાણ કરે છે અને અન્ય ઘણાં બૌદ્ધ અને અનુસૂચિત જાતિના લોકો પણ અહીં દર્શન માટે આવે છે. આ મુલાકાતે મને ખૂબ જ પરેશાન કરી અને મારા મનમાં ઘણાં પ્રશ્નો ઉભા થવા લાગ્યા. મેં ગણેશ ચતુર્થી અને બીજા ઘણા હિંદુ તહેવારો વિશે વાંચવાનું શરૂ કર્યું. હું ઘણાં આંબેડકરવાદીઓને મળી છું જેઓ આંબેડકરના વારસાને અનુસરવાનો દાવો કરે છે, પરંતુ તેઓ હજુ પણ હોળી અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો ઉજવે છે. તેઓ આવનારી પેઢીને કેવો સંદેશ આપી રહ્યા છે તેની તેમને કોઈ પરવા નથી. જ્યારે પણ હું કોઈ આંબેડકરવાદીને મંદિરમાં પૂજા કરતા જોઉં છું, ત્યારે મારી આંખો સામે બાબાસાહેબ, પેરિયાર અને ગાડગે મહારાજના ચહેરા તરવરવા લાગે છે. હું વિચારું છું કે તેઓ આવું શા માટે કરે છે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ લેખ એ સમજાવવાનો પ્રયત્ન છે કે, હું કેમ માનું છું કે, આપણે દલિત-બહુજનોએ હિંદુ તહેવારોમાં ભાગ ન લેવો જોઈએ? તેના બદલે આપણે બાબાસાહેબ, જોતિબા ફુલે, સાવિત્રીબાઈ ફુલે, બુદ્ધ, ગાડગે મહારાજ, અન્નાભાઉ સાઠે, પેરિયાર, આયોથી થસ્સર અને અન્ય દ્વારા બહુજન મહાનુભાવો દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવું જોઈએ. જો તમે આ મહાન નેતાઓ અને ચિંતકો દ્વારા લખેલા લેખો વાંચશો, તો તમે જોશો કે તેમણે ક્યારેય હિંદુ તહેવારોની ઉજવણીને પ્રોત્સાહન આપ્યું નથી. હકીકતમાં, તે સમય અને શક્તિનો વ્યય કરતી તમામ પ્રકારના આયોજનોની વિરુદ્ધ હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/should-holi-be-celebrated-by-dalits-tribals-obcs">શું હોળીનો તહેવાર દલિત, આદિવાસી, ઓબીસીએ ઉજવવો જોઈએ?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1956 માં નાગપુરમાં બાબા સાહેબના નેતૃત્વમાં બૌદ્ધ ધર્મમાં પરિવર્તન એ આંબેડકરવાદીઓ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. આ એક મહાન પ્રતીકાત્મક અર્થની ક્ષણ હતી, જ્યારે અસ્પૃશ્ય જાતિઓએ 'નવો જન્મ' લીધો હતો. બૌદ્ધ ધર્મમાં પરિવર્તન પાછળના તર્ક પરના તેમના ભાષણમાં બાબા સાહેબે કહ્યું, "બૌદ્ધ ધર્મને સમજ્યા વિના મારી પાસે ન આવો. તમારે 'શા માટે બૌદ્ધ ધર્મ?' એ પ્રશ્ન પૂછવો જોઈએ; તમારે તેને સારી રીતે સમજવું જોઈએ." </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ જ ભાષણમાં બાબા સાહેબે તેમના અનુયાયીઓને 22 વ્રત લેવા કહ્યું. ત્રીજી પ્રતિજ્ઞા કહે છે: 'હું ગૌરી, ગણપતિ અને અન્ય હિંદુ દેવી-દેવતાઓમાં શ્રદ્ધા રાખીશ નહીં કે તેમની પૂજા કરીશ નહીં. બાબા સાહેબે આપેલી આ પ્રતિજ્ઞાઓ પાછળનો હેતુ એ સમજવાનો છે કે 'આપણાં' લોકો હજુ પણ હિંદુ ધર્મના પ્રભાવ હેઠળ છે. આ તહેવારો લોકોને 'બ્રાહ્મણવાદી આધિપત્ય' હેઠળ આંખો બંધ કરીને જીવવા સિવાય બીજું કંઈ આપતા નથી. આ પ્રતિજ્ઞાઓ આપણને સમજાવે છે કે આપણે હિંદુ ધર્મનો ભાગ નથી; આપણી પોતાની ઓળખ અને સંસ્કૃતિ છે. પરંતુ દુઃખની વાત એ છે કે આંબેડકરવાદી અને બૌદ્ધ ઉપદેશોના વાસ્તવિક સારનો પ્રચાર કરવામાં આપણે નિષ્ફળ રહ્યા છીએ. હું અંગત રીતે કોઈને દોષ આપતી નથી. મારો ઈરાદો મારી જાતને સુધારવાની તાત્કાલિક જરૂરિયાત જણાવવાનો છે. મને તાજેતરમાં મારા ફોન પર એક મેસેજ મળ્યો જેમાં લખ્યું હતું: 'દેવી, ગૌરી, ગણપતિચ્યા રોગાચી કે સાથ અલી આહે. બાબાસાબાંચી લસ ટોચૂન ધ્યા. (જેનો અર્થ થાય છેઃ દેવી, ગૌરી, ગણપતિની મહામારી ફેલાઈ ગઈ છે, બાબા સાહેબની રસી મૂકાવીને ઈલાજ કરાવો.)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગણેશ ઉત્સવની જાહેર ઉજવણી પૂણેના ચિતપાવન બ્રાહ્મણ બાલ ગંગાધર તિલક દ્વારા કરવામાં આવી હતી. તેમણે શિવાજી અને ગણેશ ઉત્સવ દ્વારા તેમના મનુવાદી વિચારોનો પ્રચાર કરવા માટે કામ કર્યું હતું. જો આપણે તેને વિગતવાર જોઈએ તો ખ્યાલ આવે છે કે, ગણેશ ઉત્સવનો ઉપયોગ મહાત્મા ફુલે દ્વારા શરૂ કરવામાં આવેલા "સત્યશોધક જલસા"ને કાઉન્ટર કરવા માટે કરવામાં આવ્યો હતો. આ એ સમય હતો જ્યારે મહાત્મા ફુલેના વિચારો દાવાનળની જેમ ફેલાઈ રહ્યા હતા. તેઓ લોકોને 'ભટ, બ્રાહ્મણ, કલામ, કસાઈ'ના વર્ચસ્વ વિશે જાગૃત કરી રહ્યા હતા અને લોકોને બ્રાહ્મણવાદી વર્ચસ્વ સામે એક કરી રહ્યા હતા. મહાત્મા ફુલે તર્ક અને સામાન્ય જ્ઞાનના કટ્ટર સમર્થક હતા. તેમણે ગણેશની પૂજાની નિંદા કરી અને આ મરાઠી કવિતામાં બહુજન સમુદાયને અપીલ કરી:</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">पशुपरिसोन्दपोर्मानावाचे !! सोंगगनोबाक की ग्रंथियाँ !!</span><br><span style="font-size: 14pt;">बाईसोन्दरावारिथेवुनियाबुड !! फुकिटोशेम्बुड्सोंडे से !!</span><br><span style="font-size: 14pt;">अंतेजसीदुर, भटालाडुडेटो !! नाकानेसोलिटोकांडेगनु !! </span><br><span style="font-size: 14pt;">रौंद कर मिट्टी बना दी!! केलदाबु - धेर्यभाद्रपदी !!</span><br><span style="font-size: 14pt;">गनोबाचीपूजाभाविकादवित्तो !! हरम का हिसाब - पित्ती !!</span><br><span style="font-size: 14pt;">जयमंगलमूर्ति जयमंगलमूर्ति !! तालियों के साथ गतिनित्य !!</span><br><span style="font-size: 14pt;">पर्व की नवेद्रवेभोंदति!! वातिखिरपतिधूर्तभट !!</span><br><span style="font-size: 14pt;">जातिमारवादी गरीबनदिति!! देवलबंधटिकीर्ति के लिए !!</span><br><span style="font-size: 14pt;">देवाजी की नवज्गलापिडिटी !! जाति निर्धारण अस्वीकार करें!!</span><br><span style="font-size: 14pt;">खरेदेवभक्तदेहकष्टवीति !! पोषण के घर का!!</span><br><span style="font-size: 14pt;">अजनासिजनानपंगल्यान्नदं !! यह स्मृति निर्माता है!!</span><br><span style="font-size: 14pt;">भोलावरकारिता दिलिहूल !! स्मरण ही फल है!!</span><br><span style="font-size: 14pt;">क्षत्रियरामचधुरतबनेदास!! गांठि शिवाजी!!</span><br><span style="font-size: 14pt;">व्यर्थ कर्वीतुलादनेदिभता!!</span><br><span style="font-size: 14pt;">स्वजाति के लिए बोधिले पाखंड !! धर्मखंडखरेजोति !!…</span><br><span style="font-size: 14pt;">(स्रोत : फुलेसंग्रवद्मय पृष्ठ क्रमांक 471. -महाराष्ट्र शासन प्रति.)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાત્મા ફુલે તમામ પ્રકારની સામાજિક અસમાનતાના વિરોધી હતા. તેમણે તમામ જાતિના લોકો માટે શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો; તેમનું માનવું હતું કે કહેવાતી નીચલી જાતિના લોકોના અંધશ્રદ્ધા અને પછાતપણાને દૂર કરવામાં શિક્ષણ મદદરૂપ થઈ શકે છે. તેમણે 1873માં 'સત્યશોધક સમાજ'ની સ્થાપના કરી અને અનેક પુસ્તકો લખ્યા - જેમાં સૌથી મહત્વપૂર્ણ ગુલામગીરી (ગુલામગીરી) છે. તેમણે વર્ચસ્વ ધરાવતી જાતિઓ દ્વારા રજૂ કરાયેલા વર્ણનનો સામનો કરવા માટે બહુજનોને સાથે લાવવાનો પ્રયાસ કર્યો. જેથી વર્ચસ્વ ધરાવતી જાતિઓ દ્વારા રજૂ કરવામાં આવતા આખ્યાનોનો સામનો કરી શકાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/despite-writing-so-rationally-you-guys-burned-Holi-didnt-you-feel-ashamed">આટલું રેશનલ લખ્યું છતાં તમે લોકોએ હોળી સળગાવી, શરમ ન આવી?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટિળકે ફૂલેનો સીધો મુકાબલો નહોતો કર્યો, પરંતુ તેમણે હિંદુ વસ્તીના બે નબળી કડીઓઃ રાષ્ટ્રવાદ અને ધર્મ પર ધીમે ધીમે રમીને ફૂલેના જાતિવિરોધી આંદોલનને નુકસાન પહોંચાડ્યું હતું. ટિળકે જ્યારે ફુલેનું જાતિવિરોધી સામાજિક આંદોલન તેની ચરમસીમાએ પહોંચી રહ્યું હતું ત્યારે જ ભારતના લોકોને રાષ્ટ્રવાદી અને ધાર્મિક આધારે એક કર્યા હતા. તેમણે ભારતીય હિંદુ વસ્તીને બ્રિટિશ સામ્રાજ્ય સામે એક થવાની અપીલ કરી અને જાણીજોઈને સમાજના આંતરિક મતભેદોને અવગણ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગણેશ વિસર્જન (મૂર્તિનું પાણીમાં વિસર્જન) પ્રથાની ઉત્પત્તિ વિશે એક રસપ્રદ વાર્તા છે. ટિળકે ગણેશ મૂર્તિ રાખવા માટે ખુલ્લા જાહેર પંડાલો બનાવવાની પ્રથા શરૂ કરી અને તમામ જાતિના લોકો તેમાં પ્રવેશવા લાગ્યા. કહેવાય છે કે આવા જ એક પંડાલમાં એક દલિત વ્યક્તિ મૂર્તિને સ્પર્શ કરવા આગળ આવતા બ્રાહ્મણોમાં ભારે હોબાળો મચાવ્યો હતો. તેમણે હિંદુ સામાજિક માપદંડોની પવિત્રતા અને તેના ઉલ્લંઘન માટે તિલક પર દોષારોપણ કરવાનું શરૂ કર્યું. એવું કહેવાય છે કે તહેવારના અંતે મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવાની બીજી વિધિ રજૂ કરીને તિલકે ખૂબ જ ચતુરાઈથી આ ઘર્ષણને સંભાળી લીધું. કહેવાય છે કે આ રીતે વિસર્જનની વિધિ વિકસિત થઈ, જેથી નીચલી જાતિના સ્પર્શથી અપવિત્ર થયેલી મૂર્તિને શુદ્ધ કરી શકાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબાસાહેબ આંબેડકરે તેમના નિબંધમાં ગણેશની ઉત્પત્તિની પૌરાણિક કથા પર ટિપ્પણી કરતા લોકોને હિંદુ તહેવારોની ઉજવણી કરવાનું બંધ કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે, "હિંદુ દેવતાઓની ઉત્પત્તિની વાર્તાઓ ખૂબ જ વિચિત્ર છે. એક દિવસ શંકર ક્યાંય બીજે ચાલ્યા ગયા હતા ત્યારે પાર્વતી સ્નાન કરી રહી હતી. બીજાની નજરથી બચવા તેણે પોતાના શરીરના મેલમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી. પાછો આમનો તર્ક છે કે દેવતાઓએ શુદ્ધ હોવું જોઈએ. અને આવા અશુદ્ધ અને વિચિત્ર ગણેશને કોઈ કેવી રીતે અનુસરી શકે? </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/what-is-the-strength-of-religion">ધર્મની તાકાત શું છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબાસાહેબે એ પણ કહ્યું કે, “તમને મૂર્ખ બનાવવા માટે દેવતાઓ વિશેની વાર્તાઓ ઘડવામાં આવે છે, અને તમે બધા આવી ખોટી વાર્તાઓમાં ફસાઈ ગયા છો. જો તમે પંઢરી, અલંદી, જેજુરી કે અન્ય કોઈ દેવતાની પૂજા કરવાનું ચાલુ રાખશો તો મારે તમારો બહિષ્કાર કરવાનો આદેશ આપવો પડશે. તે સિવાય દેવતાઓ પ્રત્યેની તમારી દિવાનગી સમાપ્ત થશે નહીં, અને તમારી પ્રગતિ પણ નહીં થાય." આજના તર્કસંગત અને વિજ્ઞાનના યુગમાં આપણે બાબાસાહેબના આ વિચારોને અપનાવવા જોઈએ. (લેખન અને ભાષણ, ભાગ 18, પૃષ્ઠ નં. 364).</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પેરિયાર તમિલનાડુના મહાન સમાજ સુધારક છે. તેમણે સ્વાભિમાન ચળવળ અને દ્રવિડ કઝગમની શરૂઆત કરી. તેમને દ્રવિડ ચળવળના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે મહિલાઓ અને દલિતો માટે સ્વાભિમાન અને સમાન અધિકારોની હિમાયત કરી હતી. તે બ્રાહ્મણવાદી તાકાતો સામે ઉભા રહ્યા હતા. યુવાનીમાં જ તેઓ સમજી ગયા હતા કે કેટલાક લોકો નિર્દોષ દલિત યુવાનોને છેતરવા માટે ધર્મનો ઉપયોગ કરે છે. 1953માં, તેમણે જાહેરમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ તોડીને મૂર્તિપૂજાનો વિરોધ કર્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાડગે મહારાજ મહારાષ્ટ્રના અન્ય એક સમાજ સુધારક હતા જે લોકોને ધાર્મિક વિધિઓની ચુંગાલમાંથી મુક્ત કરવા આંબેડકર અને પેરિયારની સાથે ઉભા હતા. તેમણે શારીરિક અને માનસિક સ્વચ્છતાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેઓ દૃઢપણે માનતા હતા કે તહેવારો 'અત્યાચારનું મીઠું આવરણ' છે અને જાતિની સર્વોપરિતાને કાયમ રાખે છે. ગાડગે મહારાજ થોડા સરળ પ્રશ્નો પૂછીને ગણેશ પૌરાણિક કથાની અતાર્કિકતાને છતી કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">जब माला से, क्या कोई पैदा हुआ है?</span><br><span style="font-size: 14pt;">एक मूर्ति बनानी चाहिए, क्या कोई इतनी खाद रखता है? </span><br><span style="font-size: 14pt;">(क्या कभी कोई मैल से जन्म लेता है? क्या किसी के शरीर पर इतनी मैल होती है कि उसकी मूर्ति बनाई जा सके?)</span><br><span style="font-size: 14pt;">भाकड़ ने ऐसी कहानी लिखी, भगवान के नाम पर तुमने लूटा?</span><br><span style="font-size: 14pt;">धीरे-धीरे सब कुछ हो गया, क्या आप अन्य बुद्धिमत्ता को समझते हैं?</span><br><span style="font-size: 14pt;">(क्या ये बकवास कहानियाँ फैलाकर उन्होंने आपको लूटा? क्या बेतुकी कहानियों को सच में बदलकर अब आपको यकीन हो गया है?) </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મારા કેટલાક મિત્રો દલીલ કરે છે કે ગણેશ ઉત્સવ લોકો માટે રોજગારીનું સર્જન કરે છે. તેઓ એવી પણ દલીલ કરે છે કે તહેવારો તમામ હિંદુઓમાં એકતાને પ્રોત્સાહન આપે છે. પરંતુ, હું તેમને પૂછું છું કે શું આ તહેવારોથી જાતિ અને સામાજિક ભેદભાવ દૂર થાય છે? નરી આંખે જોઈ શકાય છે કે વિવિધ જાતિના પોતાના ગણેશ પંડાલો છે, જે એકબીજાથી અલગ છે. બ્રાહ્મણો પાસે તેમના પોતાના ગણેશ છે અને તેને અન્ય નીચલી જાતિઓ દ્વારા સ્થાપિત ગણેશ કરતાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/Is-political-power-based-on-pluralist-ideology-the-only-alternative-to-Aryan-politics"><strong>શું આર્યન પૉલીટિક્સ સામે બહુજનવાદી વિચારધારા આધારિત રાજકીય સત્તા જ વિકલ્પ છે?</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નોંધવા જેવું બીજું પાસું એ છે કે ઉચ્ચ જાતિઓ નીચલી જાતિઓ દ્વારા મનાવવામાં આવતા ઉત્સવને કેવી રીતે જુએ છે. તેઓ મુંબઈમાં આંબેડકર જયંતિની ઉજવણીની ટીકા કરતા કહે છે કે દલિતોમાં નાગરિક ભાવના નથી અને તેઓ શહેરને ગંદુ કરે છે. પરંતુ હોળી અને ગણપતિ વિસર્જન દરમિયાન તેઓ પર્યાવરણને થતા નુકસાનની નોંધ લેતા નથી. હરિયાણામાં ગણેશ ઉત્સવ આટલા મોટા પાયે ઉજવવામાં આવતો નથી. પરંતુ મને ડર છે કે ટેલિવિઝન પર સાંસ્કૃતિક પ્રચારને કારણે તે ટૂંક સમયમાં ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ફેલાઈ જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગણેશ ઉત્સવ અને હોળી જેવા હિંદુ તહેવારો ઉજવવાનું દલિત નેતાઓનું તાજેતરનું વલણ ચિંતાજનક છે. અન્ય ઘણા સુશિક્ષિત ડોકટરો, વકીલો, એન્જીનીયરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે અન્ય જાતિઓ સાથે પ્રતીકાત્મક રીતે ભળી જવા અને તેમની સંપત્તિનું પ્રદર્શન કરવા માટે એક દિવસ માટે તેમના ઘરોમાં ગણેશ સ્થાપિત કરવાનું શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓ પણ તેમના નેતાઓ અને રાજકારણીઓથી પ્રભાવિત થઈ રહ્યા છે તે નવાઈની વાત નથી. મને લાગે છે કે આ એક ચિંતાજનક ચલણ છે; આ ક્રાંતિ માટે પ્રતિકૂળ હશે. આપણે યાદ રાખવાની જરૂર છે કે બાબા સાહેબે શું કહ્યું હતું, "માણસ નશ્વર છે. વિચારો પણ નશ્વર છે. એક વિચારને પ્રચાર-પ્રસારની એટલી જ જરૂર છે જેટલી છોડને પાણીની જરૂર હોય છે. નહિંતર બંને સુકાઈ જશે અને મરી જશે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(કવિતા ચૌહાણ હરિયાણાની છે અને તેણે LLB કર્યું છે. તે હાલમાં TISS, મુંબઈ ખાતે એમફિલનો અભ્યાસ કરી રહી છે. તેણીએ મેન્યુઅલ સ્કેવેન્જિંગ પર સંશોધન કર્યું છે અને હવે તે મફત કાનૂની સહાય અને ભારતમાં તેની સામાજિક-આર્થિક અસરો વિષય પર કામ કરી રહી છે.)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(શીર્ષક પંક્તિ- કવિ કિસન સોસા)</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/jagannathjis-rath-yatra-is-the-triratna-yatra-of-buddhism">જગન્નાથજીની રથયાત્રા બૌદ્ધ ધર્મની ત્રિરત્ન યાત્રા છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 06 Sep 2024 17:22:18 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 07 Sep 2024 14:02:05 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1172</Articleid>
                    <excerpt>હરિયાણાની એક દીકરી ભણવા માટે મહારાષ્ટ્રમાં આવે છે. અહીં તેને &#039;આંબેડકરવાદ&#039; અને &#039;હિંદુત્વવાદ&#039;ની સરખામણી કરવાની તક મળે છે. વાંચો છેલ્લે તે શું તારણ પર પહોંચે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66daec0b92c46.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66daec0b5c9fa.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66daec0b5c9fa.jpg" length="89246" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>આંબેડકરવાદ, હિંદુત્વવાદ, Ambedkarism, Hinduism</media:keywords>
                </item>
                        <item>
                    <title>જિલ્લા કોર્ટોમાં 3 કરોડ, હાઈકોર્ટોમાં 57 લાખ, સુપ્રીમમાં 66000 કેસ પેન્ડિંગ</title>
                    <link>https://khabarantar.com/3-crores-in-district-courts-57-lakhs-in-high-court-66000-cases-pending-in-supreme-court</link>
                    <guid>https://khabarantar.com/3-crores-in-district-courts-57-lakhs-in-high-court-66000-cases-pending-in-supreme-court</guid>
                    <description>
                        <![CDATA[ ભારતમાં ન્યાયતંત્ર પર પેન્ડિંગ કેસોનો કેટલો મોટો ગંજ ખડકાયેલો છે તે આ લેખના હેડીંગ પરથી સમજી શકાશે. સિનિયર પત્રકાર ચંદુ મહેરિયા અહીં તેના ઉકેલની વાત કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પંચ પરમેશ્વરની ભૂમિ ભારતની ન્યાય વ્યવસ્થામાં લોક અદાલત જેવી કોઈ વ્યવસ્થા ના હોય તો જ નવાઈ. સર્વોચ્ચ અદાલતની સ્થાપનાના આ અમૃત વરસમાં તાજેતરમાં વિશેષ લોક અદાલત સપ્તાહ ઉજવાયું હતું. લોક અદાલતોને વૈધાનિક દરજ્જો ભલે સુપ્રીમ કોર્ટની રચનાના ઘણાં વરસો પછી મળ્યો. પરંતુ તે એક યા બીજા સ્વરૂપે દેશમાં વિધ્યમાન હતી જ. એટલે તેના આરંભના સગડ મેળવવા અઘરા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધારણના આમુખમાં પ્રત્યેક નાગરિકને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયનું વચન છે. અનુચ્છેદ ૧૪ અને ૨૨(૧)માં રાજ્ય માટે કાયદા સમક્ષ સૌ સરખા હોવાની ખાતરી આપવામાં આવી છે. છતાં સૌને ન્યાય સુલભ નથી. ભારતમાં ન્યાય અતિ મોંઘો, થકવી નાખે એટલો વિલંબિત અને નિરાશ કરે એટલો ધીમો છે. આ સ્થિતિમાં ગરીબો માટે અદાલતોમાંથી ન્યાય મેળવવો દુષ્કર છે. ૧૯૭૬માં બેતાળીસમા બંધારણ સુધારા હેઠળ અનુચ્છેદ ૩૯(એ) ઉમેરવામાં આવ્યો છે. ઈકવલ જસ્ટિસ  એન્ડ ફ્રી લીગલ એઈડની જોગવાઈ ધરાવતા આ અનુચ્છેદના અમલ માટે ૧૯૮૫માં લીગલ સર્વિસીઝ ઓથોરિટી એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. તે અન્વયે ૧૯૯૫માં નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરીટી( NALSA) ની રચના કરવામાં આવી હતી. આ બંધારણીય અને કાયદાકીય જોગવાઈઓ થકી લોક અદાલતને વૈધાનિક અને કાનૂની દરજ્જો મળ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિ:શુલ્ક કાનૂની સેવા અને લોક અદાલત દ્વારા ન્યાયની પહોંચ ગરીબો સુધી લઈ જવાનો ઉદ્દેશ છે.ન્યાયની તલાશમાં આમ આદમી, સમાજનો નિર્ધન અને નિમ્ન વર્ગ કે જે સાધન અને ક્ષમતા ધરાવતો નથી તેને લોક અદાલતના માધ્યમથી ન્યાયનો અહેસાસ કરાવવામાં આવે છે. લોક અદાલત વૈકલ્પિક વિવાદ નિવારણ તંત્ર છે. ન્યાયાલયની બહાર વિવાદોને સુલેહ, સમજૂતીથી ઉકેલવાનો તેનો પ્રયત્ન છે. એટલે જ તે લોકોની અદાલત કહેવાય છે. બંને પક્ષો વચ્ચે વાતચીત અને સંમતિથી નિષ્પક્ષ અને સરળ ન્યાય મેળવી શકાય છે એવી ગાંધીજીની વિચારધારા એ લોક અદાલતનો પાયો છે. જે વિવાદ બંને પક્ષો વચ્ચેની આપસી સમજૂતીથી ઉકેલાય છે તેમાં કટુતા, શત્રુતા અને તણાવ હોતા નથી. પરસ્પરનો ભાઈચારો, સૌહાર્દ અને સદભાવના ટકે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટ્રાયલ કોર્ટસ,  હાઈકોર્ટસ અને સુપ્રીમ કોર્ટમાં પડતર કેસોનો ગંજ ખડકાયેલો છે. રાષ્ટ્રીય ન્યાયિક ડેટા ગ્રિડ પ્રમાણે દેશની જિલ્લા અને અન્ય અદાલતોમાં આશરે ૩ કરોડ, હાઈકોર્ટસમાં ૫૭ લાખ અને સુપ્રીમ કોર્ટમાં ૬૬,૦૦૦ કેસો પડતર છે. હાલની ગતિએ તેનો નિવેડો આવતાં સવા ત્રણસો વરસ લાગી શકે છે. એટલે  અદાલતી ન્યાયમાં થતો વિલંબ નિવારવો અને ન્યાયની પહોંચ સૌ સુધી હોય તે માટેના પગલાં કાયદા પંચ અને બીજી કમિટીઓએ શોધ્યા હતા. તેમણે સૂચવેલા સુધારાત્મક ઉપાયને અનુસરીને સર્વિસ ટ્રિબ્યૂનલ, મોટર વાહન ટ્રિબ્યૂનલ, રેલવે ટ્રિબ્યૂનલ અને ગ્રાહક અદાલતો જેવા વૈકલ્પિક મંચો દ્વારા ન્યાય તોળવામાં આવી રહ્યો છે. પરંતુ આ પગલાં પૂરતાં નહોતા એટલે લોક અદાલતોની રચના થઈ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/being-the-tenth-topper-of-prachi-nigam-in-the-beauty-filled-society">સુંદરતા ઘેલા સમાજમાં પ્રાચી નિગમનું દસમી ટોપર થવું...</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોક અદાલતોને તમામ પ્રકારના કેસોના નિવારણની સત્તા નથી. વળી તેને સજાની તો બિલકુલ સત્તા નથી. વૈકલ્પિક વિવાદ નિવારણ તંત્ર તરીકે તે સેટલમેન્ટથી જ કેસનો નિવેડો લાવે છે.  હા, તેને સિવિલ કોર્ટ જેટલી સત્તા મળેલી છે. લોક અદાલત સમક્ષ અદાલતોમાં પડતર કેસો અને નવા કેસો એમ બંને પ્રકારના કેસો આવે છે. નાના સિવિલ વિવાદો, સર્વિસ મેટર, મકાન માલિક-ભાડૂઆત વચ્ચેના વિવાદો, ખેતીની જમીન, પાક, ઘરની જગ્યા, વૈવાહિક પ્રશ્નો, અધિગ્રુહિત જમીનનું વળતર, મોટર વાહન દુર્ઘટના જેવા કેસો લોક અદાલતમાં વિચારવામાં આવે છે. જો બંને પક્ષો સંમત ના હોય તો ગુણ દોષના આધારે નિર્ણય આપવાની જરાય સત્તા લોક અદાલતને નથી. લોક અદાલતમાં બધા પક્ષો વચ્ચે સુલેહ સમજૂતીથી જે નિર્ણય લેવાય તે તમામને બાધ્યકારી હોય છે અને આ  નિર્ણયને કોઈ કોર્ટમાં પડકારી શકાતો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટમાં વિવાદનો નિર્ણય આવતા વરસો લાગે છે પરંતુ લોક અદાલતમાં ત્વરિત ફેંસલો આવી જાય છે. અદાલતોમા સાક્ષી-પુરાવા અને દલીલો માટે ફરિયાદી અને આરોપી બંને મોંઘીદાટ ફી આપીને રોકેલા વકીલો પર આધારિત હોય છે. જ્યારે લોક અદાલતનો ન્યાય જેમ શીઘ્ર છે તેમ સસ્તો કે નિ:શુલ્ક છે. અહીં કોઈ પણ પ્રકારની કોર્ટ ફી ભરવાની હોતી નથી. કોર્ટના પ્રથમ ચરણ પૂર્વેના જે કેસો લોક અદાલતમાં આવે છે તેની ભરેલી કોર્ટ ફી પરત મળે છે. વકીલોનો કોઈ ખર્ચો થતો નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોક અદાલતો રાષ્ટ્રીયથી સ્થાનિક સુધીની હોય છે. કાયમી કે સ્થાયી લોક અદાલત પણ છે. મોબાઈલ અને કેદીઓના પ્રશ્નો માટેની અલાયદી લોક અદાલત પણ જોવા મળે છે. સ્ટેટ લીગલ સર્વિસીઝ ઓથોરિટી દૈનિક, પાક્ષિક અને માસિક ધોરણે  લોક અદાલતો યોજે છે. જેમ અદાલતોમાં પડતર કેસોના આંકડાથી આપણે ઘડીભર દંગ રહી જઈએ છીએ તેમ લોક અદાલતો દ્વારા કેસોના નિકાલના આંકડાઓથી પણ થાય છે. ટેકનોલોજીના ઉપયોગથી ૨૦૨૧માં ચાર રાષ્ટ્રીય ઈ-લોક અદાલતોમાં ૧૨.૮ લાખ કેસોનો નિકાલ થયો હતો. ૨૦૧૬ થી ૨૦૨૦માં રાષ્ટ્રીય લોક અદાલતોએ ૨ કરોડ ૯૦ લાખ કેસોનો નિકાલ કર્યો હતો. એક જ દિવસે રાષ્ટ્રીય લોક અદાલતોએ ૧૧ લાખ કેસોનો નિકાલ કર્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Modi-government,-corporate-and-individual-tax-payers:-eat,-eat,-mix">મોદી સરકાર, કોર્પોરેટ અને વ્યક્તિગત કરદાતાઃ જમવામાં જગલો, કૂટવામાં ભગલો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અદાલતોથી લોકો તંગ આવી ગયા છે એટલે લોક અદાલતો સફળ થઈ રહી છે કે લોક અદાલતોએ નિકાલ કરેલા કેસો ખૂબ સામાન્ય પ્રકારના, આપસી વાતચીતથી ઉકેલાય તેવા હતા એટલે સફળ છે? પડતર કેસોનો બોજ લોક અદાલતથી ઘટે છે તેમ કહી શકાય?  લોક અદાલતની વિશેષતા, સફળતા અને લાભ જેમ અનેક છે તેમ તેની મર્યાદાઓ પણ છે. લોક અદાલત ન્યાયની બેવડી પ્રણાલી તો નથી ઉભી કરી રહીને? તેવો સવાલ થાય છે. અમીરો માટે અદાલતો અને ગરીબો માટે લોક અદાલતો તેવી સ્થિતિનું નિર્માણ તો નથી થઈ રહ્યું ને? લોક અદાલતો સમક્ષ આવતા મોટા ભાગના કેસોમાં વાદી અમીર સંસ્થાઓ છે અને પ્રતિવાદી સામાન્ય લોકો છે. એટલે લોક અદાલતોની સુલેહ, સંધિ, સમજૂતી ગરીબોના માથે તો નથી થોપાતીને? ગરીબો પાસે સમજૂતી સ્વીકારવા સિવાયનો કોઈ વિકલ્પ જ ન હોય એટલે કેસનો નિવેડો આવે છે, એટલે ન્યાય થયેલો લાગે પણ વાસ્તવમાં તો અન્યાય છે એવું જો બનતું હોય તો તે લોક અદાલતની નિષ્ફળતા છે. લોક અદાલતનો પ્રાણ સમજૂતી હોય તે બરાબર પણ તેનાથી ન્યાયને હાણ ના પહોંચવી જોઈએ. શીઘ્ર ન્યાયને લીધે ન્યાયની ગુણવત્તાને અસર તો નથી થતી ને?  તે બાબતા પણ વિચારણીય છે. લોક અદાલતો ગરીબોનું સશક્તિકરણ કરે છે કે  ન્યાયને બદલે સમજૂતી માટે મજબૂર કરે છે તે સવાલ પણ લોક અદાલતની મસમોટી મર્યાદા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૯૫૩માં સુપ્રીમ કોર્ટના એડવોકેટ શિવદયાલ ચૌરસિયા ( જન્મ ૧૯૦૩, અવસાન ૧૯૯૫) એ સેન્ટ્રલ લીગલ એઈડ સોસાયટીની  સ્થાપના કરી હતી. સુપ્રીમ કોર્ટના ઘણા જજિસનો તેમને સહયોગ મળ્યો હતો. સાંસદ તરીકેના  તેમના  પ્રયત્નોથી જ લોક અદાલતને વૈધાનિક દરજ્જો મળ્યો હતો. એટલે તેમને લોક અદાલતના જનક ગણવામાં આવે છે. જસ્ટિસ પી.એન.ભગવતી જેમ જાહેર હિતની અરજીના તેમ લોક અદાલતોના પણ પુરસ્કર્તા ગણાય છે. ૧૯૮૨માં ગુજરાતમાં ઉના(જિ.જુનાગઢ) ખાતે પહેલી લોક અદાલત યોજાઈ હતી. લાંબી દડમજલ પાર કરી ચુકેલી લોક અદાલતો સમક્ષ આજે ન્યાયની ગુણવત્તા, કાર્યકુશળતા અને પર્ફોરમન્સના સવાલો ઉઠી રહ્યા છે. સમતામૂલક ન્યાયમાં તે કેટલી વૃધ્ધિ કરી શકી છે તે જ માપદંડે તેની સફળતા માપી શકાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">maheriyachandu@gmail.com </span><br><span style="font-size: 12pt; color: rgb(22, 145, 121);"><em><strong>(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)</strong></em></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Jails-in-India:-Imprisonment,-Penitentiary,-Reformatory">ભારતની જેલો: કારાવાસ, કેદખાનું, સુધારગૃહ</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 05 Sep 2024 11:48:44 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1167</Articleid>
                    <excerpt>ભારતમાં ન્યાયતંત્ર પર પેન્ડિંગ કેસોનો કેટલો મોટો ગંજ ખડકાયેલો છે તે આ લેખના હેડીંગ પરથી સમજી શકાશે. સિનિયર પત્રકાર ચંદુ મહેરિયા અહીં તેના ઉકેલની વાત કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d94c956871d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d94c952e1e9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d94c952e1e9.jpg" length="54825" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Judiciary in India, Pending case, supreme court</media:keywords>
                </item>
                        <item>
                    <title>એક &amp;apos;થીસિસ ચોર&amp;apos; ના જન્મદિવસે Teachr&amp;apos;s Day કેવી રીતે મનાવી શકાય?</title>
                    <link>https://khabarantar.com/how-to-celebrate-teachers-day-on-the-birthday-of-a-thesis-thief</link>
                    <guid>https://khabarantar.com/how-to-celebrate-teachers-day-on-the-birthday-of-a-thesis-thief</guid>
                    <description>
                        <![CDATA[ Dr. Sarvapalli Radhakrishnan એક જાતિવાદી, ધર્માંધ, થીસિસ ચોર હતા અને તેમને તે જ સ્વરૂપે યાદ કરવા જોઈએ. તેમના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવો એ શિક્ષકોનું અપમાન છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નરેશ મકવાણા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Teacher's Day Special: આજે દેશના બીજા રાષ્ટ્રપતિ અને કથિત દર્શનશાસ્ત્રી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન(Dr. Sarvapalli Radhakrishnan)નો જન્મદિવસ(Birthday) છે. દર વર્ષે તેમના જન્મદિવસને શિક્ષક દિવસ(teacher's day) તરીકે મનાવવામાં આવે છે. પણ શું તમે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની હકીકત જાણો છો? શું તમને ખબર છે તેમણે તેમના જ એક વિદ્યાર્થીની થીસિસ ચોરીને પોતાના નામે પ્રકાશિત કરાવી દીધી હતી? ચાલો વિસ્તારથી તેના વિશે જાણીએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન સાથે જોડાયેલો આ એક એવો વિવાદ છે જે દર વર્ષે આ દેશના દલિત-બહુજન સમાજને તેમની યાદમાં મનાવાતા શિક્ષક દિવસ પર પ્રહાર કરવાનો મોકો આપે છે. આ વિવાદ તેમનાં બીજાં પુસ્તક ‘ભારતીય દર્શન-Indian philosophy’નાં બીજા ભાગ સાથે જોડાયેલો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પુસ્તક તેમણે જદુનાથ સિન્હા(Jadunath Sinha) નામનાં પોતાનાં જ એક વિદ્યાર્થીની થીસિસની ચોરી કરીને પોતાનાં નામે પ્રસિદ્ધ કર્યું હતું.  જદુનાથનાં પુસ્તક અને ડો. રાધાકૃષ્ણનનાં પુસ્તકનાં વિષય અને સામગ્રીમાં જરાય ફરક નથી. આજે અહીં તેનાં વિશે લખવાનું કારણ એટલું જ કે હજુ ગયા મહિને 24મી ઓક્ટોબરે જદુનાથ સિન્હાનો જન્મદિવસ ગયો ત્યારે ફરી એક વખત પશ્ચિમ બંગાળમાં લોકોએ આ મુદ્દો ઉઠાવીને ચર્ચા છેડી હતી. આ વર્ષે આ વિવાદ સામે આવ્યાને નેવું કરતા વધુ વર્ષ થઈ ગયા છે છતાં દર વર્ષે ડો. રાધાકૃષ્ણનનાં જન્મદિને તે ફરીફરીને સપાટી પર આવ્યા કરે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/rss-mouthpiece-panchjanya-termed-caste-system-as-necessary">RSS ના મુખપત્ર ''પાંચજન્ય'માં 'જાતિપ્રથા'ને 'જરુરી' ગણાવવામાં આવી</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1920ના દાયકામાં કોલકાતામાંથી પ્રસિદ્ધ થતા માસિક ‘મોર્ડન રિવ્યૂ’ મેગેઝિન(Modern Review Magazine)માં આ વિવાદ ત્યારે સામે આવ્યો હતો જ્યારે કલકત્તા યુનિ.(University of Calcutta)માં ભણતાં જદુનાથ સિન્હા નામનાં એક વિદ્યાર્થીએ જાન્યુઆરી 1929નાં રોજ એક લેખ લખીને પોતાના પ્રોફેસર ડો. રાધાકૃષ્ણન પર પોતાની થીસિસની ચોરીનો સનસનીખેજ આરોપ લગાવેલો. તેણે લખ્યું હતું કે ડો. રાધાકૃષ્ણનનાં પુસ્તક ‘ભારત દર્શન-2’માં તેની થીસિસનો ઉપયોગ કરાયો છે. એ પછી પોતાના દાવાનાં સમર્થનમાં તેણે મેગેઝિનનાં ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ એમ સળંગ ત્રણ અંકમાં વિવિધ તારણો રજૂ કરતા મામલો વધુ બિચક્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાજુ રાધાકૃષ્ણને જદુનાથનાં દાવાઓ પર એ જ મેગેઝિનમાં જવાબી પત્ર લખતાં કહ્યું હતું કે અકસ્માતે તેમનાં પુસ્તક અને જદુનાથની થીસિસનો વિષય એક જ હોવાથી બંનેની વિષય સામગ્રી મળતી આવે છે. અકળાયેલાં જદુનાથે ઓગસ્ટ 1929માં રાધાકૃષ્ણન પર કેસ કરી દીધો હતો. જવાબમાં રાધાકૃષ્ણને જદુનાથ અને પત્રિકાનાં સંપાદક રામનાથ ચટ્ટોપાધ્યાય(Ramnath Chattopadhyay) વિરુદ્ધ કેસ દાખલ કરી દીધો. અંતે કલકત્તા યુનિ.માં કુલપતિ રહેલા શ્યામાપ્રસાદ મુખર્જી(Shyamaprasad Mukherjee)એ કોર્ટ બહાર બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવેલું.</span><br><span style="font-size: 14pt;">જદુનાથ સિન્હાનો જન્મ 24 ઓક્ટોબર 1892નાં રોજ પશ્ચિમ બંગાળનાં કુરુમગ્રામમાં થયો હતો. દર્શનશાસ્ત્ર(philosophy)માં બીએ અને એમએની ડિગ્રી મેળનાર તેઓ પ્રતિષ્ઠિત દર્શનશાસ્ત્રી અને લેખક પણ હતાં. કલકત્તા યુનિ.માંથી સ્નાતકનો અભ્યાસ કરતી વખતે તેમને ફિલિપ સેમ્યુઅલ સ્મિથ અને ક્લિંટ મેમોરિયલ સન્માન પણ મળ્યાં હતાં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/there-is-no-histrorical-evidence-that-there-was-a-ram-minister-of-tamil-nadu-govt">રામ હતા એવો કોઈ ઐતિહાસિક પુરાવો નથીઃ તમિલનાડુ સરકારના મંત્રીની સ્પષ્ટ વાત</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1922માં તેમણે ‘ઈન્ડિયન સાયકોલોજી ઓફ પરસેપ્શન’ નામની પોતાની થીસિસ પીએચડી માટે જમા કરવા હતી જેને શિષ્યવૃત્તિ આપવામાં આવેલી. તેમણે પોતાની બાકીની થીસિસ 1925 સુધીમાં જમા કરાવી હતી. જે પ્રોફેસરોએ તેમની થીસિસ જોઈ હતી તેમાં ડો. રાધાકૃષ્ણન સિવાય અન્ય બે પ્રોફેસરો બી.એન. સીલ અને કૃષ્ણચંદ્ર ભટ્ટાચાર્ય પણ સામેલ હતા. આ થીસિસ માટે જદુનાથને યુનિ.એ માઉન્ટ મેડલથી સન્માનિત કર્યા હતા. પરંતુ થીસિસ પાસ થવામાં બે વર્ષ નીકળી ગયા હતાં અને તેની પહેલાં પ્રોફેસર રાધાકૃષ્ણનું પુસ્તક 'ભારતીય દર્શન' પ્રકાશિત થઈ ગયું હતું.</span><br><span style="font-size: 14pt;">સમગ્ર મામલે ઓલ ઈન્ડિયા રેડિયો(All India Radio)નાં ન્યૂઝ સંપાદક અને સિનિયર પત્રકાર મહેન્દ્ર યાદવે(Mahendra Yadav) થોડા વર્ષ પહેલા 5મી સપ્ટેમ્બરે દાવો કર્યો હતો કે ડો. રાધાકૃષ્ણને જદુનાથની થીસિસને જાણી જોઈને પાસ કરવામાં મોડું કરીને તેને પોતાના નામે ઓક્સફોર્ડ યુનિ.માં છપાવી દીધી હતી. તેમના આખું પુસ્તક છપાઈને પ્રકાશિત થઈ ગયું એ પછી જ જદુનાથની થીસિસ પાસ કરવામાં આવી હતી. જેને લઈને જદુનાથે 'મોર્ડન રિવ્યૂ'નાં સંપાદકને પત્ર લખ્યો હતો જે જાન્યુઆરી 1929માં તેમાં પ્રકાશિત થયેલો. આગળ જતાં બંને વ્યક્તિઓએ એકબીજાં પર કેસ ઠોકેલો. રાધાકૃષ્ણન જાણીતી વ્યક્તિ હોઈ મામલો હાઈ પ્રોફાઈલ બની ગયો હતો. જેને ઉકેલવા જનસંઘ(Jan Sangh)નાં સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજી આગળ આવેલાં. પત્રકાર મહેન્દ્ર યાદવનાં મતે તેમણે જદુનાથને કોર્ટ બહાર સમાધાન કરવા માટે એ જમાનામાં રૂ. 10 હજાર આપવાનું નક્કી કર્યું હતું. ગરીબ જદુનાથ માટે આ બહુ મોટી રકમ હોઈ નાછુટકે તેણે સમાધાન કરવું પડેલું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-chapter-on-caste-and-caste-was-dropped-from-the-ncert-book">NCERT ના પુસ્તકમાંથી જાતિ અને વર્ણવ્યવસ્થાનું પ્રકરણ ઉડાડી દેવાયું</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેન્દ્ર યાદવ સમગ્ર મામલે બીજા પણ કેટલાક તારણો કાઢે છે જે જદુનાથ સિન્હાની તરફેણમાં જાય છે. તેમનાં મતે ડો. રાધાકૃષ્ણનનું અંગ્રેજી, સંસ્કૃત બંને ખૂબ જ નબળાં હતાં. એવામાં તેમનાં દર્શનશાસ્ત્રનાં વિદ્વાન હોવાની વાત શંકા ઉપજાવે તેવી છે. તેઓ ક્યારેક પત્રિકાઓમાં છપાવવા માટે લેખો મોકલતા તેને તંત્રીઓ નબળી ભાષાનાં કારણે તુચ્છ માનીને છાપવાનું ટાળતાં હતાં. </span><br><span style="font-size: 14pt;">જ્યારે કેસની વાત આવી તો 'મોર્ડન રિવ્યૂ'ને ડો. રાધાકૃષ્ણને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે પોતાની આ ખામીઓનો ઉલ્લેખ કરેલો. તેમનો એ પત્ર સાબિત કરે છે કે થીસિસની ચોરીનો કેસ કોર્ટમાં ગયો હતો. આ વિવાદનાં પાંચ વર્ષ પછી 1934માં જદુનાથને કલકત્તા યુનિવર્સિટીએ સન્માનિત કર્યાં હતા. તેમનાં બે પુસ્તકો ‘ઈન્ડિયન સાયકોલોજી: પરસેપ્શન’ અને ‘ઈન્ડિયન રિએલિઝમ’ બાદમાં લંડનમાં પ્રકાશિત થયા હતા. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન 40થી વધુ પુસ્તકો લખેલાં. આ સિવાય જુદા જુદા પ્રકાશકો દ્વારા તેમનાં લેખો મોટી સંખ્યામાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. મે 1933માં આખરે કેસનો નિવેડો આવેલો. પરંતુ સમાધાનની શરતોનો ખુલાસો નહોતો કરવામાં આવ્યો અને વિવાદ દરમિયાન લગાવવામાં આવેલા આરોપો પરત ખેંચી લેવાયા હતા. પણ ત્યાં સુધીમાં સત્ય ઉઘાડું પડી ગયું હતું અને વાસ્તવિકતા બધાં જાણી ચૂક્યાં હતાં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/college-degree-wont-do-anything-open-a-puncture-shop-bjp-mla">કૉલેજની ડિગ્રીથી કશું નહીં થાય, પંચરની દુકાન ખોલોઃ ભાજપના નેતાની વિદ્યાર્થીઓને સલાહ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે તમે જ વિચારો, જે માણસ પોતાના જ એક વિદ્યાર્થીની થીસિસ ચોરીને પોતાને વિદ્વાન સાબિત કરવા મથતો હોય, તેના નામે શિક્ષક દિવસ ઉજવવો કેટલો યોગ્ય છે? હકીકતે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન એક જાતિવાદી, ધર્માંધ, થીસિસ ચોર હતા અને તેમને તે જ સ્વરૂપે યાદ કરવા જોઈએ. તેમના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવો એ શિક્ષકોનું અપમાન છે.</span><br><span style="font-size: 14pt;">જો શિક્ષક દિવસ ઉજવવો જ હોય તો બહુજન મહાનાયક મહાત્મા જ્યોતિબા ફૂલે અને દેશની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેના નામે ઉજવાવો જોઈએ. કેમ કે, તેઓ ખરા અર્થમાં શિક્ષક દિવસને લાયક વ્યક્તિત્વો છે. ડૉ. રાધાકૃષ્ણનની લાયકાત એટલી જ હતી કે તેઓ બ્રાહ્મણ જાતિના હતા, એટલે તેમણે કહ્યું કે મારો દિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવજો, અને સવર્ણોનું વર્ચસ્વ ધરાવતા આ દેશે તે સ્વીકારી લીધું. પણ હવે આ પ્રકારના ગતકડાં બહુ લાંબો સમય નહીં ચાલે. કેમ કે, આ દેશના દલિત-બહુજનોને આ બધું સમજાવા માંડ્યું છે. એનું જ કારણ છે કે, હવે દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ વધુને વધુ લોકો રાધાકૃષ્ણનની થીસિસ ચોરીની ચર્ચા કરીને આ દિવસની ઉજવણીનો વિરોધ કરી રહ્યાં છે. સાથે જ ક્રાંતિસૂર્ય જ્યોતિબા ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલેના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવાની હિમાયત કરતા થયા છે. જો એવું થશે તો તે બહુજનોની બહુ મોટી જીત હશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><em>(લેખક વરિષ્ઠ પત્રકાર અને વિખ્યાત 'અભિયાન' મેગેઝિનના પૂર્વ તંત્રી છે.)</em></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-day-the-children-of-upper-castes-get-married-to-dalits-stop-reservation">જે દિવસે સવર્ણોના સંતાનોના લગ્ન દલિત સમાજમાં થાય, તે દિવસે અનામત બંધ કરી દેજો</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 05 Sep 2024 09:41:48 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 07 Sep 2024 14:02:29 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1165</Articleid>
                    <excerpt>Dr. Sarvapalli Radhakrishnan એક જાતિવાદી, ધર્માંધ, થીસિસ ચોર હતા અને તેમને તે જ સ્વરૂપે યાદ કરવા જોઈએ. તેમના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવો એ શિક્ષકોનું અપમાન છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d8a4af1a4b4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d8a4aedeb81.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d8a4aedeb81.jpg" length="51450" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>teacher&#039;s day, Dr. Sarvapalli Radhakrishnan, Thesis Thief Dr. Radhakrishnan, Jadunath Sinha</media:keywords>
                </item>
                        <item>
                    <title>તાજમહેલને ઈતિહાસ ગણીએ તો તેના શિલ્પીઓનો ઈતિહાસ ક્યાં છે?</title>
                    <link>https://khabarantar.com/if-taj-mahal-is-history-where-is-the-history-of-its-sculptors</link>
                    <guid>https://khabarantar.com/if-taj-mahal-is-history-where-is-the-history-of-its-sculptors</guid>
                    <description>
                        <![CDATA[ ભારત સહિત અનેક દેશોમાં ઈતિહાસના પાઠ્યપુસ્તકોમાં રાજકારણીઓ મનઘડંત ફેરફારો કરી રહ્યાં છે, ત્યારે વરિષ્ઠ પત્રકાર ચંદુ મહેરિયા અહીં કેટલાક પાયાના સવાલો ઉઠાવે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈતિહાસ આમ તો લિબરલ આર્ટ્સનો વિષય છે પરંતુ કોઈપણ દેશકાળના રાજનેતાઓની અડફેટે તે ચડતો રહે છે અને પોલિટિકલ બની જાય છે. આપણા દેશના રાજનેતાઓ ઈતિહાસને તોડી મરોડીને ભણાવાય તેના ખેલ કરવામાં પહેલાં કે અપવારૂપ નથી. દુનિયાના ઘણાં દેશોમાં ઈતિહાસના પાઠ્યપુસ્તકો અને પાઠ્યક્રમમાં રાજકર્તાઓની મરજી મુજબના ફેરફારો કરવામાં આવે છે. શાળાકીય શિક્ષણમાં ઈતિહાસ એક મહત્વનો વિષય છે પરંતુ બાળકો-કિશોરોને ભણાવાતા ઈતિહાસમાંથી રાજનેતાઓની રાજકીય વિચારધારા, સમજ કે ઈચ્છા મુજબ વિલોપન થતા રહે છે. ઈતિહાસમાં ભૂતકાળની ઘટનાઓનું સાધાર આલેખન થતું હોય છે. જોકે કોઈનેય પોતાનો કલંકિત ભૂતકાળ મિન્સ ઈતિહાસ ગમતો નથી. સાચો-ખોટો ગૌરવાન્વિત ઈતિહાસ જ ગમે છે અને તે જ બીજાઓને કહેવો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિશ્વયુધ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશિમા નગર પર અણુબોમ્બ ફેંકી વિનાશ વેર્યો હતો. જેની અસર હજુ ગઈ નથી. પણ અમેરિકાના ઈતિહાસમાંથી આ બાબતની હંમેશા બાદબાકી કરવામાં આવે છે. બ્રિટિશ સામ્રાજ્યનો ઈતિહાસ આક્રમક, વિસ્તારવાદી અને રંગભેદનો છે. જેણે વિશ્વના ઘણાં દેશોમાં અન્યાય, અત્યાચાર, યુધ્ધ અપરાધ અને હિંસા આચરી હતી. બ્રિટિશ બાળકોને બ્રિટિશ સામાજ્યનો આ ઈતિહાસ ભણાવાતો નથી. બ્રિટનના પાઠ્યપુસ્તકોમાં ગાંધીજીનું આલેખન હંમેશા પડકારજનક અને કસોટી કરનારું રહ્યું છે. પાકિસ્તાનના શાળાકીય અભ્યાસક્રમના ઈતિહાસના પુસ્તકોમાં પાકિસ્તાનના ઈતિહાસનો આરંભ આઠમી સદીથી જ થાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શાસકો પાકિસ્તાનનો ઈતિહાસ આઠમી સદીમાં મોહંમદ બિન કાસિમે સિંધ પર આક્રમણ કર્યું, તે જીત્યું અને તેનો શાસક બન્યો તેનાથી કરવામાં ગૌરવ સમજે છે. પાકિસ્તાનના વિદ્યાર્થીઓને જે ઈતિહાસ ભણાવાય છે તેમાં હિંદુ રાજાઓ અને હિંદુઓને એ હદે ખરાબ દર્શાવ્યા છે કે નાનપણથી જ બાળકોના મનમાં નફરતના બીજ રોપાય છે. રાજકારણીઓને આધાર-પુરાવા વિનાના પણ લોકો વાહવાહી કરે અને તેનું ખરું-ખોટું ગૌરવ લેતા ફરે તેવો જ ઈતિહાસ ભણાવવો છે. આમ કરવા પાછળ તેમની રાજકીય ગણતરીઓ હોય છે. બાળ કે કિશોર વયે વિદ્યાર્થીઓ જો આ પ્રકારનો ઈતિહાસ ભણે તો મોટપણે નાગરિક કે મતદાતા તરીકે રાજકર્તાઓની રાજકીય વિચારધારાને અનુરૂપ વર્તે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/manu-pratima-a-symbol-of-injustice-at-the-courthouse">મનુ પ્રતિમા - ન્યાયાલયના આંગણે અન્યાયનું પ્રતીક સાંખી લેવાય?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં પણ ૨૦૧૪થી એનસીઈઆરટી(NCERT)ના ઈતિહાસના પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તકોમાં થતી બાદબાકી અને ઉમેરણ રાજકીય હોવાનો વિવાદ થતો રહ્યો છે. એ વિવાદમાં કેટલું તથ્ય છે તેની ચર્ચા ઘડીભર બાજુએ રાખીને ભણતરનો ભાર ઓછો કરવાના બહાને આપણે વિદ્યાર્થીઓને કઈ કઈ ઐતિહાસિક બાબતોથી અજાણ રાખવા માંગીએ છીએ તે જાણીએ તો આંચકો લાગે છે. લીલા ભેગુ સૂકું બળતું હશે કે ચોક્કસ ગણતરીસર હશે પણ ગયા વરસે એનસીઈઆરટીએ વિદ્યાર્થીઓ પરનો બોજો ઘટાડવા ઈતિહાસના પાઠ્યપુસ્તકમાંથી ઔદ્યોગિક ક્રાંતિ ભણાવવી રદ કરી હતી. છેલ્લી પચાસીના મહત્વના જનઆંદોલનોમાં દલિત પેન્થર(Dalit Panthar), ચિપકો આંદોલન(Chipko Movement), માહિતી અધિકાર આંદોલન(RTI) અને નર્મદા બચાવ આંદોલન(Narmada Andolan)ને પણ પાઠવટો મળ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈતિહાસ વિજેતાઓનો, વિજેતાઓ દ્વારા અને વિજેતાઓની નજરે લખાતો હોવાની છાપ છે. પરંતુ એમ કરવા જતાં તેમના પરાજયો પર સાવ જ ઢાંકપિછોડો કરવાનો? ઈતિહાસનો એક અર્થ હિંદીમાં  સાહિત્ય સંદર્ભે છે. તેનો અર્થ એ નહીં કે કવિતાઓ અને કિવદંતિઓ પરથી ઈતિહાસ લખવો. આ પ્રકારનું ઈતિહાસ લેખન મિથકોનું જાણે કે ઈતિહાસમાં રૂપાંતર કરે છે. આપણે આપણા પૂર્વજો અતીતમાં શું હતા તેનો ઈતિહાસ જાણવા, સમજવા, લખાવવાના બદલે આપણો ઈતિહાસ શું હોવો જોઈએ તે દ્રષ્ટિથી ઈતિહાસને જોઈએ છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્વતંત્રતા પછી ભારતમાં ઈતિહાસને તર્કસંગત, સાધાર અને વૈજ્ઞાનિક બનાવવાના ગંભીર પ્રયાસો થયા છે. જાણીતા ઈતિહાસકારો પાસેથી શાળા શિક્ષણના પુસ્તકો લખાવવામાં આવ્યા છે. પરંતુ હવે તેમાં રાજકીય વિચારધારાને અનુલક્ષીને ફેરફારો થઈ રહ્યા છે. ઘણાં ઈતિહાસકારો આ છેડછાડ અંગે અસંમત અને નારાજ છે પણ રાજનેતાઓ સામે લાચાર છે. એટલે વિદ્યાર્થીઓ પર બોજ ઘટાડવાના કારણ હેઠળ ઈતિહાસમાંથી અમુક પસંદગીની બાબતો રદ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Playgrounds-of-sportsmanship-or-burdens-of-discrimination">ખેલદિલીનાં રમત મેદાનો કે ભેદભાવનાં ભારખાનાં?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજા-મહારાજાઓ, તેમના જયપરાજય અને સાલવારી એટલે ઈતિહાસ એવી વ્યાપક અને ઘણી સાચી છાપ છે. ઈતિહાસમાં સબાલ્ટન હિસ્ટ્રીના પ્રવેશ પછી લોકોનો પ્રવેશ થયો છે. હવે રાજાઓ, નવાબો, અમીરો, રાણીઓ, યુધ્ધો, રાજદરબારો અને સાહ્યબીનો નહીં પણ જનસામાન્યના સુખ-દુખ ઈતિહાસનો ભાગ બન્યા છે કે જે વાસ્તવિક ઈતિહાસ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈતિહાસને જોવાના, આલેખવાના અને મૂલવવાના કાટલાં પણ અગત્યના છે. જેવી દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ તેવો ઈતિહાસ. કાળનું મનહૂસ અને ભવ્ય ચિત્રપટ એ જો ઈતિહાસ છે તો માનવતા, કોમીસોહાર્દ, લોકો વચ્ચેનો આપસી ભાઈચારો ઈતિહાસનો ભાગ બનવો જોઈએ. રાજાની સાથે રૈયતનો ઈતિહાસ જો ન લખાય તો તે અપૂર્ણ ઈતિહાસ ગણાવો જોઈએ. આપણે શાહજહાં-મુમતાઝના પ્રેમના પ્રતીક એવા તાજમહેલને ઈતિહાસ ગણીએ તો આ સંગેમરમરનો જાદુ સર્જનારા અનેક કારીગરો અને શિલ્પીઓનો ઈતિહાસ ક્યાં?  તેવો સવાલ ઉઠવો જોઈએ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઐતિહાસિક પાત્રો અને ઘટનાઓનો ઈતિહાસ તેમાં રહેલા વિરોધાભાસો સાથે આલેખાવો જોઈએ. નમૂના દાખલ ઈંગ્લેન્ડને ફાસીવાદથી બચાવનાર ચર્ચિલે ભારતમાં બ્રિટિશ રાજવટ હેઠળના બંગાળના લોકોને દુકાળમાં મરવા દીધા હતા કે મારી નાંખ્યા હતા. સ્વતંત્રતાના રક્ષકનો દાવો કરનાર અમેરિકા મધ્યપૂર્વના દેશોના શાસકોની તાનાશાહીનું સમર્થક છે અને આ એવા શાસકો છે જે ધાર્મિક કટ્ટર છે, ઉદારવાદનો તેમનામાં છાંટો પણ નથી અને મહિલા અધિકારોના વિરોધી છે. ગાંધીજી(Gandhiji) ધાર્મિક સહિષ્ણુતા અને સમાનતાના સમર્થક હતા તેનો કોઈ ઈન્કાર કરી શકે નહીં પણ તેમના દલિત અધિકારો માટે લડનારા ડો. આંબેડકર(Dr. Ambedkar) સાથેના મતભેદો અને  વિવાદો કે તેમના ખિલાફતને સમર્થનના વિરોધાભાસ વિના ગાંધીજીનું ઈતિહાસમાં આલેખન પૂર્ણ હોઈ શકે નહીં. ઈતિહાસના પુસ્તકોમાં વર્ણવ્યવસ્થા કે જ્ઞાતિ પ્રથાના આલેખનમાં જ્ઞાતિગત ક્રૂરતા અને સંસાધનો પર કોઈ એક જ જ્ઞાતિના આધિપત્ય અંગેના કુતર્ક ભણાવવામાં આવે છે. જ્ઞાતિવ્યવસ્થાનો પક્ષપાતપૂર્ણ ઈતિહાસ વિધ્યાર્થીઓને જ્ઞાતિગત ભેદભાવોથી મુક્ત રાખે તે રીતે લખાતો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈતિહાસનું જીવનમાં ખૂબ મહત્વ છે. ભૂતકાળની ઘટનાઓમાંથી સબક મેળવીને વર્તમાન અને ભવિષ્યને ઘડવાનું છે. શાળા કોલેજોના અભ્યાસક્રમ હેઠળ ભણાવવામાં આવતો ઈતિહાસ એકાંગી ન હોવો જોઈએ. પાઠ્યપુસ્તકો તો સરકારનો સત્તાવાર સરકારી દસ્તાવેજ છે. તે ભેદભાવથી મુક્ત અને સરકારની સત્તા-શક્તિથી પર હોય તેવો ઈતિહાસ જો નહીં ભણાવાય તો વિધ્યાર્થીઓના મનમસ્તિષ્ક પર ભૂતકાળની ખોટી છાપ છોડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">maheriyachandu@gmail.com</span><br><span style="font-size: 12pt;"><em><strong>(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)</strong></em></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Exclusive:-Has-urbanization-weakened-the-caste-system">Exclusive: શું શહેરીકરણથી જ્ઞાતિ વ્યવસ્થા નબળી પડી છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 30 Aug 2024 11:52:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1132</Articleid>
                    <excerpt>ભારત સહિત અનેક દેશોમાં ઈતિહાસના પાઠ્યપુસ્તકોમાં રાજકારણીઓ મનઘડંત ફેરફારો કરી રહ્યાં છે, ત્યારે વરિષ્ઠ પત્રકાર ચંદુ મહેરિયા અહીં કેટલાક પાયાના સવાલો ઉઠાવે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66d1649da454c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66d1649d7610d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66d1649d7610d.jpg" length="79316" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>History textbooks, The Taj Mahal, Taj mahal</media:keywords>
                </item>
                        <item>
                    <title>lateral entry એટલે દેશમાં મનુસ્મૃતિના કાયદા લાગુ કરવાનું ષડયંત્ર?</title>
                    <link>https://khabarantar.com/lateral-entry-is-a-conspiracy-to-enforce-manusmriti-laws-in-the-country</link>
                    <guid>https://khabarantar.com/lateral-entry-is-a-conspiracy-to-enforce-manusmriti-laws-in-the-country</guid>
                    <description>
                        <![CDATA[ કેન્દ્ર સરકારે Lateral Entry નો નિર્ણય હાલ પુરતો ભલે પાછો ખેંચી લીધો હોય, પણ તેની પાછળનો તેનો લાંબા ગાળાનો ઈરાદો શું છે તે સમજવ જેવું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નરેન્દ્ર મોદી સરકારે તેના ત્રીજા કાર્યકાળમાં લેટરલ એન્ટ્રી દ્વારા ફરી એકવાર 24 મંત્રાલયોમાં 45 જગ્યાઓ ભરવા માટેની જાહેરાત બહાર પાડી હતી, પણ ચોતરફી દબાણને કારણે પરત ખેંચવી પડી. આ ડેપ્યુટી સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ડાયરેક્ટર જેવા ઉચ્ચ હોદ્દા પરની નિમણૂંકમાં કોઈ અનામત આપવામાં આવતી નથી. અહીં એ યાદ રાખવું જોઈએ કે આ હોદ્દો ધરાવતા અધિકારીઓ જ દેશની પોલિસી નક્કી કરતા હોય છે. બહુજન સમાજની રાજનીતિ કરતા પક્ષો બીએસપી, એસપી, એલજેપી, હમ, આરજેડી વગેરેએ લેટરલ એન્ટ્રીનો જોરદાર વિરોધ કર્યો હતો. એ પછી કોંગ્રેસે પણ તેમાં જોડાવું પડ્યું હતું. રાહુલ ગાંધીએ લેટરલ એન્ટ્રી દ્વારા આ નિમણૂંકોની જાહેરાત પર કહ્યું હતું કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC) દ્વારા પસંદ કરાયેલા લોકોની જગ્યાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) અને કોર્પોરેટ હાઉસમાંથી ઉચ્ચ હોદ્દા પર નિમણૂક કરવાનું આ ષડયંત્ર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એમાં કોઈ શંકા નથી કે, લેટરલ એન્ટ્રી(Lateral Entry) દ્વારા ઉચ્ચ હોદ્દા પર ભરતી સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. સવાલ એ છે કે, આમાં અનામત શા માટે લાગુ નથી પડતી? શું સરકાર એવું માને છે કે દલિતો, આદિવાસીઓ અને ઓબીસી સમાજના લોકો દેશ માટે નીતિઓ બનાવવા માટે સક્ષમ નથી? 2018માં જ્યારે લેટરલ એન્ટ્રીની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે દલીલ એવી હતી કે નિષ્ણાતોની પોલિસી મેકીંગની જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. નિષ્ણાતોના નામે ટેકનોક્રેટ્સ અને કોર્પોરેટ ગૃહોના સંચાલકોની નિમણૂંક કરવામાં આવી હતી. હવે લેટરલ એન્ટ્રી દ્વારા કરાયેલી એ નિમણૂકો પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પહેલો પ્રશ્ન એ છે કે મૂડીવાદી ગૃહોના ટેક્નોક્રેટ્સ અને સંચાલકો ખેડૂતો, મજૂરો, દલિતો અને આદિવાસીઓ માટે શું નીતિઓ બનાવશે? તે સમજવા માટે કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી. શું ઉચ્ચ વર્ગમાંથી આવતા આ કહેવાતા નિષ્ણાતો નબળા અને વંચિત સમાજના હિતમાં નીતિઓ બનાવશે? છેલ્લા છ વર્ષમાં આ નિષ્ણાતોએ ગરીબોના ઉત્થાન માટે કઈ ફાયદાકારક નીતિઓ બનાવી છે? </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/the-law-of-manusmriti-which-sowed-the-seeds-of-inequality-in-indian-society"><span style="font-size: 12pt;"> </span>મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં </a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે પછીની ભરતી કરતા પહેલા, શું સરકારે એ ન જણાવવું જોઈએ કે કહેવાતા ગુણવાન ઉચ્ચ જ્ઞાતિના નિષ્ણાતોએ દેશના લોકો, ખાસ કરીને ગરીબો અને વંચિતોના ઉત્થાનમાં શું યોગદાન આપ્યું છે? એ પણ પૂછવું જોઈએ કે છેલ્લા આઠ વર્ષમાં દેશની અંદર અસમાનતાની ખાઈ આટલી બધી કેવી રીતે વધી ગઈ? 81 કરોડ લોકોને 5 કિલો રાશન કેમ આપવામાં આવે છે? મતલબ કે દેશની સૌથી મોટી વસ્તી કમાવાની અને ખાવાની સ્થિતિમાં નથી. શા માટે આજે ઘણા લોકો પોતાનું પેટ ભરવા માટે સરકારી યોજનાઓ પર નિર્ભર છે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શું નિષ્ણાતો ગરીબો માટે આ નીતિઓ બનાવે છે? આનો સીધો મતલબ એ છે કે આ ટેકનોક્રેટ્સ દ્વારા દેશમાં મનુસ્મૃતિનો કાયદો અમલમાં આવી રહ્યો છે. દેશના ગરીબ પછાત લોકો (શુદ્રો) અને દલિતો પાસે ન તો કોઈ મિલકત હોવી જોઈએ કે ન કોઈ સન્માનજનક કામ. તેમને માનસિક ગુલામ બનાવવા માટે આખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમના સ્વાભિમાનને ઠેસ પહોંચી રહી છે. તેમના બાળકોનું શિક્ષણ અને સરકારી નોકરીની તકો છીનવાઈ રહી છે. તેમના સપના બરબાદ થઈ રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે સવાલ એ થાય છે કે આ નિષ્ણાતોની નીતિઓનો ફાયદો કોને મળી રહ્યો છે? લેટરલ એન્ટ્રી દ્વારા સેબી(SEBI)ના ચેરપર્સન(Chairman) બનેલા માધવી પુરી બુચ(Madhvi puri buch) આનું ઉત્તમ ઉદાહરણ છે. યાદ રાખો, SEBI ના અધ્યક્ષ માધવી બુચ પ્રથમ નોન-આઈએએસ અધિકારી(Non IAS Officer) છે જેમને આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. માધવી બુચ અને અદાણી(Adani) વચ્ચેની મિલીભગતનો પર્દાફાશ થયો છે. હિંડનબર્ગ(Hindenburg)ના રિપોર્ટમાં આરોપ છે કે માધવી બુચ અને તેમના પતિ ધવલ બુચે અદાણીની કંપનીઓમાં રોકાણ કરીને નફો રળ્યો છે. જ્યારે અદાણીના શેર કૌભાંડના આરોપની તપાસ માધવી પુરી બુચને સોંપવામાં આવી હતી. એવામાં શું માધવી બૂચ અદાણી પરના આરોપોની નિષ્પક્ષ તપાસ કરી શકે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લેટરલ એન્ટ્રી એ બંધારણ પર સીધો હુમલો છે. તેના દ્વારા સરકાર RSS ના લોકોને વિવિધ સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા પર નિયુક્ત કરવા માંગે છે. આ વખતે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અબકી બાર 400 પારનો નારો આપીને બંધારણ બદલવાની જાહેરાત કરી હતી. ભાજપના નેતાઓ ખૂલ્લેઆમ કહેતા હતા કે 400 પ્લસ સીટો બંધારણ બદલવા અને હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે જોઈએ છે. પણ દેશના દલિતો, આદિવાસીઓ અને પછાત લોકોએ ડો. બાબાસાહેબ આંબેડકરના બંધારણમાં ફેરફાર કરીને મનુસ્મૃતિના આધારે હિન્દુ રાષ્ટ્રનું બંધારણ અમલમાં મૂકવાના ભાજપ(BJP) અને વડાપ્રધાન(PM)ના ઈરાદાને સાકાર થવા દીધો નહોતો. મૂડીવાદીઓ અને સરકારી તંત્રની તમામ સત્તાનો દુરઉપયોગ કરવા છતાં ભાજપ 240 સીટોમાં સમેટાઈ ગયો અને આજે નરેન્દ્ર મોદી નીતિશકુમાર અને ચંદ્રાબાબુની કાંખઘોડીના સહારે સરકાર ચલાવી રહ્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/manu-pratima-a-symbol-of-injustice-at-the-courthouse"><strong>મનુ પ્રતિમા - ન્યાયાલયના આંગણે અન્યાયનું પ્રતીક સાંખી લેવાય?</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એનડીએ(NDA)ના બે સાથી પક્ષો એલજેપી(LJP) અને હમના અધ્યક્ષો અનુક્રમે ચિરાગ પાસવાન અને જીતન રામ માંઝીએ લેટરલ એન્ટ્રી પર નારાજગી વ્યક્ત કરી હતી. ચિરાગ પાસવાને લેટરલ એન્ટ્રીનો ખૂલ્લેઆમ વિરોધ કર્યો હતો. તો ઈન્ડિયા ગઠબંધન(India Allaince)ના તમામ નેતાઓએ પણ આકરી ટીકા કરી હતી. માયાવતી, અખિલેશ યાદવે લેટરલ એન્ટ્રી સામે આંદોલનની તૈયારીઓ કરી લીધી હતી. આમ ચોતરફી ભીંસ વધતા સરકારે હાલ પુરતી લેટરલ એન્ટ્રી પાછી ખેંચી લીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">RSS એક મનુવાદી સંગઠન છે. બંધારણ બદલવું એ તેનો વર્ષો જૂનો એજન્ડા છે. સંઘ હંમેશાથી અનામતની વિરુદ્ધ રહ્યું છે અને દેશના દલિતો અને પછાત વર્ગોને જૂની જાતિ વ્યવસ્થામાં ધકેલી દેવા માંગે છે. સંઘનો પ્રારંભિક ધ્યેય આ સમુદાયો પર સામાજિક અને આર્થિક વર્ચસ્વ સ્થાપિત કરવાનો છે. આરએસએસ માને છે કે દેશને કબજે કરવા માટે માત્ર 4 ટકા મજબૂત લોકોની જરૂર છે. તેના દ્વારા તે સમગ્ર દેશને નિયંત્રણમાં રાખી શકે છે. તેથી જ આરએસએસે ધીરે ધીરે પોતાના લોકોને દેશના સરકારી તંત્રમાં ફીટ કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જનતા પાર્ટીની સરકારથી લઈને અટલ બિહારી વાજપેયીની સરકારો સુધી આરએસએસના લોકો વિવિધ સંસ્થાઓમાં પહોંચ્યા હતા. 2014માં નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદ દેશની તમામ સંસ્થાઓને આરએસએસના લોકોએ પોતાના કબજામાં લઈ લીધી હતી. આજે ન્યાયતંત્રથી લઈને સેનાના નિવૃત્ત અધિકારીઓ સુધીના અનેક લોકોએ ખુલ્લેઆમ જાહેર કર્યું છે કે તેઓ આરએસએસ સાથે જોડાયેલા છે અને તેમને તેના પર ગર્વ છે. એ ન ભૂલવું જોઈએ કે આરએસએસ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ છે. ગેરબંધારણીય પ્રવૃત્તિઓને કારણે તેના પર ત્રણ વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આજે તે સંસ્થાના લોકો દેશની દરેક સંસ્થા પર નિયંત્રણ ધરાવે છે. હવે પોલીસી મેકીંગ બ્યૂરોક્રેસીમાં પણ લેટરલ એન્ટ્રી દ્વારા પોતાના માણસોને બેસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાસ્તવમાં, વહીવટી અધિકારીઓમાં હજુ પણ એવા લોકો છે જેમની પસંદગી 80-90ના દાયકામાં કરવામાં આવી હતી. તેમની વિચારધારા અલગ હોઈ શકે છે. તેઓ આરએસએસના પ્યાદા ન હોઈ શકે. પ્રમોશન દ્વારા તેઓ જોઈન્ટ સેક્રેટરી જેવા હોદ્દા પર પહોંચશે અને પોલિસી મેકિંગનું કામ કરશે. એટલે જ લેટરલ એન્ટ્રી દ્વારા તેમનો રસ્તો રોકવો અને નીતિ નિર્ધારણમાં સંઘના લોકોને સ્થાપિત કરવા એ લેટરલ એન્ટ્રીનો મૂળ હેતુ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ વિપક્ષના આક્રમક વલણ અને એનડીએના સાથીદારોના વિરોધ બાદ હવે લેટરલ એન્ટ્રીનો રસ્તો આસાન નથી. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે જો નરેન્દ્ર મોદી ચારસો બેઠકો જીત્યા હોત તો દેશની નીતિઓ અને નિમણૂકોની શું દશા થઈ હોત? દેખીતી રીતે, 'બંધારણ જોખમમાં છે' એવી વિપક્ષોની આશંકા જરાય પાયાવિહોણી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/privatization-of-ias-is-guaranteed-to-deplete-the-reservation"> IAS નું ખાનગીકરણ અનામત ખતમ કરવાની ગેરંટી છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 23 Aug 2024 14:35:17 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 23 Aug 2024 14:38:30 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1117</Articleid>
                    <excerpt>કેન્દ્ર સરકારે Lateral Entry નો નિર્ણય હાલ પુરતો ભલે પાછો ખેંચી લીધો હોય, પણ તેની પાછળનો તેનો લાંબા ગાળાનો ઈરાદો શું છે તે સમજવ જેવું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c8504ec6461.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c8504e98690.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c8504e98690.jpg" length="102006" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Lateral Entry, Manusmurti, Rss</media:keywords>
                </item>
                        <item>
                    <title>પા. રંજિથની ફિલ્મ Thangalaan ને ગુજરાતમાં કેમ રિલીઝ થવા દેવાતી નથી?</title>
                    <link>https://khabarantar.com/why-pa-ranjiths-film-thangalaan-not-being-released-in-gujarat</link>
                    <guid>https://khabarantar.com/why-pa-ranjiths-film-thangalaan-not-being-released-in-gujarat</guid>
                    <description>
                        <![CDATA[ આંબેડકરવાદી ફિલ્મ ડિરેક્ટર પા. રંજિથની બહુચર્ચિત ફિલ્મ Thangalaan હાલ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે, પણ ગુજરાત-ઉત્તર ભારતમાં તેને રજૂ થવા દેવાઈ નથી. શા માટે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આર. કે. પરમાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પેરિયાર(Periyar)ની ધરતી તમિલનાડુ(Tamilnadu)ના આંબેડકરવાદી ફિલ્મ નિર્દેશક(Film Director) પા રંજીથ(Pa. Ranjith)ની નવી ફિલ્મ થંગાલાન(Thangalaan)ને મનુવાદીઓએ ગુજરાત સહિત ઉત્તર ભારતમાં રિલીઝ થવા દીધી નથી. મદ્રાસ(Madras), કબાલી(Kabali), કાલા(Kaala) અને સરપટ્ટા પરંબરાઈ(Sarpatta Parambarai) જેવી સુપરહિટ ફિલ્મો બનાવનાર પા રંજીથ સુપરસ્ટાર ચિયાન વિક્રમ(Chiyaan Vikram) સાથે એક અલગ જ વિષયની ફિલ્મ લઈને હાજર થયા છે જે ફિલ્મે બે જ દિવસમાં ૫૩ કરોડની કમાણી કરી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એવું તે શું છે આ ફિલ્મમાં કે મનુવાદીઓએ આ ફિલ્મ રિલીઝ નહિ થવા દેવા અને થિયેટરો નહિ ફાળવવા દેવા એડીચોટીનું જોર લગાવી દીધું છે. આવો સમજીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ ૨૦૨૧માં જાહેર કરવામાં આવેલી થંગાલાન ફિલ્મની વાર્તા કોલાર ગોલ્ડ ફિલ્ડ (KGF) ની સોનાની ખાણો ખોદનારા દલિતોના સાચા અને મૂળ ઇતિહાસને રજૂ કરે છે. ફિલ્મની વાર્તા વિશે પૂછતા પા રંજીથ જણાવે છે કે, "જ્યારે કોઈ એમ પૂછે કે તાજમહેલ કોણે બંધાવ્યો, તો આપણે કોને યાદ કરીએ છીએ? આપણે શાહજહાંને યાદ કરીએ છીએ. પરંતુ હકીકતમાં તાજમહેલ તો ગરીબ અને મજૂર લોકો દ્વારા બનાવવામાં આવ્યો હતો. બસ આ જ વાત KGF ના ઇતિહાસને પણ લાગુ પડે છે. એવું કહેવામાં આવે છે કે અંતિમ ચોલ શાસક અને ટીપુ સુલતાન દ્વારા KGF માંથી સોનું કાઢવામાં આવ્યું હતું. પરંતુ ઇસ્ટ ઇન્ડીયા(East India) કંપનીએ તેને હસ્તગત કરી લીધું, ત્યારે લેફ. જોહન વોરન(John Warren)ને સર્વે કરવાનું કામ સોંપ્યું. વોરેનને કેટલાક ખનીજો મળ્યાં અને તેણે રિપોર્ટ જમાં કરાવ્યો. ઘણાં વર્ષો બાદ એક સૈનિક એવા માઈકલ ફિઝગેરાલ્ડે(michael fitzgerald) ઘણાં બધાં માણસો સાથે ખોદકામ કરાવ્યું પણ નિરાશા જ હાથ લાગી. પરંતુ આ દરમ્યાન તેણે મોટાભાગનું ખોદકામ કરાવી લીધું. ત્યારબાદ ટેલર એન્ડ સન્સ કંપની(Teylor and Sons)એ KGF ની સ્થાપના કરી, જ્યાં ૧૦,૫૦૦ ફૂટથી પણ વધુ ખોદકામ કરવામાં આવ્યું. પરંતુ મુખ્ય સવાલ એ જ કે આ ખાણો કોણે ખોદી? શા માટે આ ખાણો ખોદનારા લોકો KGF ની વાર્તામાં નથી? આ ખાણ ખોદનારા લોકોની વાર્તા એ જ થંગાલાન."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોલાર ગોલ્ડ માઈન્સ પુસ્તકના વિવરણ પ્રમાણે થેરું અને ડેડું નામના દલિત કબીલાના ૧૨ લોકો અંગ્રેજ અધિકારી વોરેનને સાથ આપવા તૈયાર થયા, જેમાં ત્રણ લોકોને રોજનો ચાંદીનો એક સિક્કો મજૂરી પેટે આપવાનું નક્કી થયું હતું. જ્હોન વોરેને જાહેરાત કરી હતી કે જે કોઈ વ્યક્તિ સોનાની ખાણની જગ્યા બતાવશે તેને પુરસ્કાર આપવામાં આવશે. ત્યારે વોરીંગમ નામના એક માણસે ખાણકામ માટેની એ પ્રાચીન જગ્યા બતાવી અને ત્યાંની જમીનમાંથી વિપુલ પ્રમાણમાં સોનું મળી આવ્યું. થંગાલાનની વાર્તા એ આ જ દલિત કબીલાના લોકોની કહાની છે, જેમણે એ અંગ્રેજ અધિકારીને સોનાની ખાણો ખોદવામાં મદદ કરી હતી. આ ઐતિહાસિક વાર્તાને લેખિકા થામિઝ પ્રભા(tamizh prabha) અને નિર્દેશક પા રંજીથે એટલી કલાત્મક રીતે રજૂ કરી છે કે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા તેના દ્રશ્યોએ ચારેબાજુ ચર્ચા જગાવી દીધી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Do-you-still-consider-yourself-a-man-Have-you-become-a-eater">શું તમે હજુ પણ ખુદને માણસ માનો છો? કે ભક્ષક બની ગયા છો?</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66c8266f43cd4.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફિલ્મમાં બ્રાહ્મણો દ્વારા એક ક્ષત્રિય રાજાના હાથે બુદ્ધની પ્રતિમા ખંડિત કરતા દ્રશ્યો છે જે મનુવાદીઓ દ્વારા ભારતમાં કરવામ આવેલા બૌદ્ધ ધમ્મ એમના પતનને રજૂ કરે છે. ફિલ્મમાં આરથી નામની મહિલા જંગલોનું રક્ષણ કરવા માટે સાપો દ્વારા હુમલો કરે છે જે નાગવંશ(Naghvansh)ની રજૂઆતને દર્શાવે છે. ફિલ્મમાં દલિત મહીલાઓ આખા શરીરે માત્ર એક કપડું વીંટાળી પહેરતી હોય છે. તેમને ચિયાન વિક્રમ જીવનમાં પહેલીવાર બ્લાઉઝ પહેરવા માટે આપે છે તે દ્રશ્ય દલિત મહિલાઓએ પોતાના સ્તન ઢાંકવા કરેલા ઇતિહાસને દર્શાવે છે. આમ દલિતોના સાહસ અને સંઘર્ષભર્યા ઇતિહાસને પા રંજીથે કલાત્મક રીતે સિનેમાના પડદે રજૂ કર્યો છે. દલિતોનો સાહસ અને સંઘર્ષથી ભરેલો મૂળ ઇતિહાસ લોકો સમક્ષ રજૂ થાય એ મનુવાદી લોકોને પસંદ નથી. આથી જ તેઓ યેનકેન પ્રકારે આ ફિલ્મને લોકો સુધી નહિ પહોંચવા દેવા પ્રયાસો કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થંગાલાનની વાર્તા લખનાર થામિઝ પ્રભાએ KGFની હકીકતથી વાકેફ થવા તેની રૂબરૂ મુલાકાત લીધી હતી. પ્રભાએ ત્યાં કામ કરી ચૂકેલા લોકોની ઓરડીઓ, ખાણો અને વાતાવરણ આ બધાનું જાતે નિરીક્ષણ કર્યું હતું. પ્રભાને જ્યારે પૂછવામાં આવ્યું કે KGF ના ઇતિહાસના આટલા વિસ્તૃત જ્ઞાનને શું કાલ્પનિક રીતે રજૂ કરી શકાય, ત્યારે તે જવાબ આપે છે કે, "હું ઇતિહાસ ઉપર કોઈ દસ્તાવેજ કે લેખ લખતી નથી. ઇતિહાસનું અર્થઘટન કરવાનો મને અધિકાર છે. ઉદાહરણ તરીકે, એક ગામ છે જ્યાં તેઓ તમારા અને મારા માટે અલગ અલગ કપમાં ચા પીરસવાના રિવાજને અનુસરે છે, પરંતુ મારી વાર્તામાં હું ચા લઈશ અને તેના મોઢા ઉપર ફેંકીશ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/do-you-know-why-vaishnavas-are-protesting-against-the-movie-maharaj">તમને ખબર છે વૈષ્ણવો શું કામ ‘મહારાજ’ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પા રંજીથ જાતિના વિનાશમાં માને છે, તેથી તેઓ માને છે કે ફિલ્મોમાં ઇતિહાસને કાળજીપૂર્વક ફરીથી લખવો જોઈએ. પા રંજીથ ઇતિહાસનું મહત્વ દર્શાવતા કહે છે કે, "સાહિત્ય આપણને આ સ્વતંત્રતા આપે છે. સાહિત્યની વાસ્તવિકતા રજૂ કરવા માટે હું ઇતિહાસ વાંચું છું. ડૉ. બાબાસાહેબ આંબેડકરે(Dr. Ambedkar) કહ્યું હતું કે સામાજિક સત્યોથી આપણાં ઇતિહાસમાં ખાલી રહેલી જગ્યાઓ ભરો."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફિલ્મમાં સંગીત જી. વી. પ્રકાશ કુમારે(G.V. Prakash Kumar) આપ્યું છે. ખેતરમાં પાકની લણણી કરતા કરતા ગવાતા ગીતો આપણાં દેશની દલિત-આદિવાસી સમાજની મૂળ સંસ્કૃતિને સુંદર રીતે રજૂ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પા રંજીથ દલિતોને માધ્યમ આપવા માટે ઇતિહાસની કાલ્પનિક રચના કરે છે. તે ભૂખડા, ગરીબ, લાચાર અને ખોરાક પાણી વિના KGF માં જનારા દલિતોને બદલે હકીકત દર્શાવવા માંગે છે કે તે દલિતો ગૌરવપૂર્ણ જીવન જીવતા હતા અને તે માટે તેમણે સંઘર્ષ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પા રંજીથની ફિલ્મો લાચાર, પીડિત અને ગરીબ દલિત પાત્રોની બોલીવુડ અને બીજી પ્રાદેશિક ભાષાની ફિલ્મોની મનુવાદી માનસિકતાને તોડી સાચા અને વાસ્તવિક દલિત પાત્રોને રજૂ કરે છે. તેમની ફિલ્મોને દર્શકોએ પણ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે. આથી જ પા રંજીથની આ દલિતોનો મહત્વપૂર્ણ ઇતિહાસ દર્શાવતી ફિલ્મને ઉત્તર ભારતમાં રિલીઝ નથી થવા દેવામાં આવી અથવા તો થિયેટરો નથી આપવામાં આવ્યા. જોકે ફિલ્મના હીરો ચિયાન વિક્રમે હમણાં સોશિયલ મીડિયા ઉપર માહિતી આપતા જણાવ્યું હતું કે ૩૦ ઓગસ્ટના રોજ આ ફિલ્મ બાકીની જગ્યાએ રિલીઝ થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પા રંજીથના કેમેરા વડે રજૂ કરાયેલા દલિતોના આ મહત્વપૂર્ણ ઇતિહાસને જોવા માટે ગુજરાતના દલિતો સહિત બહુજન સમાજના તમામ લોકો આતુર છે. તો હવે તેના માટે આપણે ૩૦ ઓગસ્ટ સુધી રાહ જોવી રહી. આપ પણ આપના સહકુટુંબ સાથે આ ફિલ્મને જરૂર માણજો. ફિલ્મ જોયા બાદ IDBDમાં જઈ આ ફિલ્મને રેટિંગ આપજો અને આપનો રિવ્યૂ મૂકજો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><em><span style="font-size: 12pt;"><strong>(લેખક બહુજન સમાજના વિખ્યાત ડિજિટલ પ્લેટફોર્મ R. K. Studioz ના ફાઉન્ડર છે)</strong></span></em></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/a-biopic-on-p-baloo-the-countrys-first-dalit-cricketer-will-star-ajay-devgan-in-the-lead-role">દેશના પ્રથમ દલિત ક્રિકેટર P. Baloo ની બાયોપિક બનશે, અજય દેવગણ નિભાવશે મુખ્ય ભૂમિકા?</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 23 Aug 2024 11:38:35 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1116</Articleid>
                    <excerpt>આંબેડકરવાદી ફિલ્મ ડિરેક્ટર પા. રંજિથની બહુચર્ચિત ફિલ્મ Thangalaan હાલ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે, પણ ગુજરાત-ઉત્તર ભારતમાં તેને રજૂ થવા દેવાઈ નથી. શા માટે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c8265adf724.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c8265aaf24e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c8265aaf24e.jpg" length="106008" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Film, Movie, Thangalaan, Periyar</media:keywords>
                </item>
                        <item>
                    <title>શું Lateral Entry અનામતને ભૂંસી નાખવાની યુક્તિ છે?</title>
                    <link>https://khabarantar.com/is-lateral-entry-a-trick-to-wipe-out-reserves</link>
                    <guid>https://khabarantar.com/is-lateral-entry-a-trick-to-wipe-out-reserves</guid>
                    <description>
                        <![CDATA[ Lateral Entry દેશના દલિતો, આદિવાસી, ઓબીસીની અનામતને ભૂંસી નાખવાની યુક્તિ છે કે બીજું કંઈ તે સમજીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">- રમેશ સવાણી </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">RSS, વડાપ્રધાન, અદાણી, અંબાણી એવું માને છે કે ઉચ્ચ હોદા પર માત્ર ઉપલા ત્રણ વર્ણના લોકો જ લાયક હોય છે. SC/ST/OBC સમુદાયના લોકોમાં લાયકાત હોતી નથી. એટલે જ ભારત સરકારના સચિવોમાં SC/ST/OBCનું પ્રમાણ તેમની વસ્તીના પ્રમાણમાં નહિવત છે. એવું જ અદાણી-અંબાણીની કંપનીઓમાં પણ ટોચના સ્થાને SC/ST/OBCનું પ્રમાણ નહિવત છે. સરકાર પાસેથી જમીનો, જંગલો, સવલતો, ટેક્સ માફી, લોન, પર્યાવરણની મંજૂરીઓ વગેરે લેવી છે પણ પોતાની કંપનીના દરવાજા SC/ST/OBC માટે બંધ રાખે છે. આ વ્યવસ્થાને ‘મનુસ્મૃતિ મોડેલ’, ‘ગુજરાત મોડેલ’ કહી શકાય. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">UPSCએ, 18 ઓગસ્ટ 2024ના રોજ lateral entry દ્વારા 45 joint secretaries, directors, deputy secretariesની ભરતી કરવાની જાહેરખબર આપી છે. જેથી દેશભરમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લેટરલ એન્ટ્રી શું છે? લેટરલ એન્ટ્રી એટલે સ્પર્ધાત્મક પરીક્ષા વિના સીધી ભરતી, સીધી નિયુક્તિ. 7-10 વરસનો કોર્પોરેટ કંપનીનો અનુભવ જરુરી. તેની શરુઆત 2018માં થઈ હતી. સરકાર (વડાપ્રધાન) માને છે કે ‘ખાનગી ક્ષેત્રના અનુભવી અધિકારીઓને સરકારી ઉચ્ચ હોદ્દા પર બેસાડવાથી બ્યુરોક્રસીને ગતિ મળે.’</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધારણના આર્ટિકલ- 16માં જાહેર નોકરીમાં તકની સમાનતાની; આર્ટિકલ-16 (4) હેઠળ વંચિત વર્ગોની ભાગીદારી જળવાય તેની; આર્ટિકલ- 315માં કેન્દ્ર તથા રાજ્યોના પબ્લિક સર્વિસ કમિશન અંગેની જોગવાઈ છે. બંધારણની જોગવાઈ મુજબ સરકારના ઉચ્ચ અધિકારીઓની પસંદગી UPSC કરે છે; જેને આપણે IAS/IPS વગેરે કેડરથી ઓળખીએ છીએ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોમાં તેઓ ચીફ સેક્રેટરી સુધીના હોદ્દા સંભાળતા હોય છે. એક IAS-Indian Administrative Service ને 17-18 વરસની નોકરી થાય ત્યારે તે જોઈન્ટ સેક્રેટરી બને છે. આ જોઈન્ટ સેક્રેટરીના હોદ્દા ઉપર સરકાર IAS ન હોય તેવી વ્યક્તિની પણ નિમણૂંક કરી શકે તે સીસ્ટમને ‘લેટરલ એન્ટ્રી’ કહે છે. દેશમાં જોઈન્ટ સેક્રેટરીની 341 જગ્યાઓ છે, તેમાં 249 હોદ્દા ઉપર IAS અધિકારીઓ જ હોય છે. લેટરલ એન્ટ્રીથી સર્વિસ કરતા IAS અધિકારીઓ, ભવિષ્યમાં IAS અધિકારી બનવાની ઝંખના રાખતા યુવાનો-પછાત વર્ગોને ચિંતા બેઠી છે કે શું Lateral Entry -લેટરલ એન્ટ્રી, અનામત ભૂંસવાની યુક્તિ છે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/why-are-most-of-the-characters-in-panchayat-web-series-brahmins">'પંચાયત' વેબ સિરીઝમાં મોટાભાગના પાત્રો બ્રાહ્મણ કેમ છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકાર ઈચ્છે કે ‘લોકોની સેવા માટે, talented/Motivated/રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદારી કરવા ઈચ્છતા હોય તેવા અધિકારી હોવા જોઈએ.’ વૈશ્વીકરણે સરકારનું કામ જટિલ કરી દીધું છે. એટલે આ ક્ષેત્રમાં કૌશલની જરૂર ઊભી થઈ છે. અર્થવ્યવસ્થા, ટેકનોલોજી, અંતરિક્ષ, બાયોટેકનોલોજી, ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રોમાં થિંક-ટેન્કની જરુરિયાત ઊભી થઈ છે. વિશિષ્ટ પ્રકારની સેવાની જરૂર હોય ત્યાં નિષ્ણાંત વ્યક્તિની નિમણૂંક કરવી આવશ્યક છે. વિષયમાં નિષ્ણાત વ્યક્તિ IAS ન હોય તો પણ શ્રેષ્ઠ હોઈ શકે છે; જેમકે મનમોહનસિંહ, સામ પિત્રોડા, વર્ગીસ કુરિયન, યોગેન્દ્ર અલઘ, રઘુરામ રાજન, ઉર્જિત પટેલ વગેરે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લેટરલ એન્ટ્રી કોઈ નવી બાબત નથી, અમેરિકામાં છે જ. ટેકનોલોજી ક્ષેત્રમાં UK/ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં પણ લેટરલ એન્ટ્રી છે જ. તજજ્ઞ તરીકે ઉચ્ચ હોદ્દા પર સરકાર કોઈની સેવા લે તેવી સામે વાંધો ન હોય; પરંતુ સચિવ તરીકે ‘સામૂહિક ભરતી’ લેટરલ એન્ટ્રીથી કરે તે વાંધાજનક કહેવાય. DoPT-Department of Personnel and Training ની માહિતી મુજબ ઉચ્ચ હોદ્દાઓ ઉપર વંચિત વર્ગોનું પ્રતિનિધિત્વ સાવ ઓછું છે. 2019માં; સેક્રેટરીની કુલ જગ્યા 89 હતી; તેમાં SC-1/ ST-3 હતા; જે 13 અને 7 હોવા જોઈએ. એડિશ્નલ સેક્રેટરીની કુલ જગ્યા 93 હતી; તેમાં SC-6/ ST-5 હતા; જે 14 અને 7 હોવા જોઈએ. જોઈન્ટ સેક્રેટરીની કુલ જગ્યા 275 હતી; તેમાં SC-13/ ST-9 હતા; જે 41 અને 21 હોવા જોઈએ. આ સ્થિતિમાં વંચિત વર્ગોને શંકા ઉદ્દભવે તે સ્વાભાવિક છે. UPSCની તૈયારી કરતા પ્રતિભાશાળી યુવાનોના હક્ક પર આ તરાપ છે. આ વહિવટી ઢાંચા અને સામાજિક ન્યાય વિરુદ્ધનું પગલું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બ્યુરોક્રસી સહિત દેશના મહત્વના પદો પર વંચિતોનું પ્રતિનિધિત્વ નથી; તેમાં સુધારો કરવાની જગ્યાએ લેટરલ એન્ટ્રી દ્વારા ‘IASનું ખાનગીકરણ’ કરી, ઉચ્ચ પદોથી SC/ST/OBC ને દૂર કરવાની અને ‘ભગત પ્રજાતિ’ મારફતે વહિવટ કરવાની વડાપ્રધાનની દાનત છે. અદાણીના હિતો સાચવવા જ SEBI-Securities and Exchange Board of India ના અધ્યક્ષ તરીકે નોન-IAS Madhabi Puri Buchની નિમણૂંક વડાપ્રધાને કરી છે, જે સખત વાંધાજનક કહી શકાય. વડાપ્રધાનને સચિવ તરીકે બ્રાહ્મણ-ગોડસે જોઈએ છે. આ બંધારણ વિરુદ્ધનું કૃત્ય છે.</span></p>
<p style="text-align: justify;"><em><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>(લેખક પૂર્વ આઈપીએસ અને રેશનલ વિચારધારાના પક્ષધર છે. લેખમાં વ્યક્ત થયેલા વિચારો લેખકના વ્યક્તિગત છે.)</strong></span></em></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/65-percent-of-bharat-ratna-has-been-given-to-brahmins-none-to-tribals">65 ટકા ભારત રત્ન બ્રાહ્મણોને અપાયા છે, આદિવાસીને એકેય નહીં</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 20 Aug 2024 11:03:38 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 20 Aug 2024 11:06:00 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1099</Articleid>
                    <excerpt>Lateral Entry દેશના દલિતો, આદિવાસી, ઓબીસીની અનામતને ભૂંસી નાખવાની યુક્તિ છે કે બીજું કંઈ તે સમજીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c42a0525f83.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c42a04e88f6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c42a04e88f6.jpg" length="105442" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Lateral Entry, Reservation, Dalit, Adivasi</media:keywords>
                </item>
                        <item>
                    <title>સવર્ણોના ડ્રોઈંગ રૂમમાં જે સંભળાતું હતું, જજે તે ચૂકાદામાં લખ્યું છે?</title>
                    <link>https://khabarantar.com/what-was-heard-in-the-drawing-room-of-savarna-the-judge-wrote-in-the-judgment</link>
                    <guid>https://khabarantar.com/what-was-heard-in-the-drawing-room-of-savarna-the-judge-wrote-in-the-judgment</guid>
                    <description>
                        <![CDATA[ SC-ST અનામતને લઈને Supreme Court ના ચુકાદા વિશે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયા અહીં એક ઓછા ચર્ચાયેલા મુદ્દા પર વાત કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span><br><span style="font-size: 14pt;">ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટની સાત ન્યાયાધીશોની બંધારણીય પીઠના અનામત નીતિ અંગેના હમણાંના ચુકાદાએ ભારે વિવાદ જગવ્યો છે. છ વિરુધ્ધ એકની બહુમતીના આ ચુકાદામાં અનુસૂચિત જાતિ અને જનજાતિની અનામત બેઠકોમાં સબ-કેટેગરીને બંધારણીય ઠેરવી છે. એથી આગળ વધીને ચાર જજોએ તો દલિત આદિવાસી અનામતમાં પણ ઓબીસીની માફક ક્રીમી લેયર દાખલ કરવા જણાવ્યું છે. દલિત આદિવાસીઓ માટેની અનામત નીતિને આ ચુકાદાએ હચમચાવી દીધી છે.  તેના વિરોધમાં ભારત બંધનું એલાન સુધ્ધાં અપાઈ ચૂક્યું છે. ઐતિહાસિક ગણાતો અને સારી-નરસી દૂરોગામી અસરો જન્માવનારો આ ચુકાદો સામાજિક ન્યાય અને સમાનતાના બંધારણીય ખ્યાલ અંગે પણ સવાલો ઉભા કરે છે.  </span><br><span style="font-size: 14pt;">ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૪૧થી અનુસૂચિત જાતિ અને ૩૪૨થી  અનુસૂચિત જનજાતિની યાદી, સંસદની મંજૂરીથી રાષ્ટ્રપતિએ નોટિફેકશન દ્વારા જાહેર કરી છે. આ યાદીના દલિતો- આદિવાસીઓને શિક્ષણ, સરકારી નોકરી અને રાજકારણમાં અનામત બેઠકો મળે છે. અનામતનો ઉદ્દેશ સામાજિક-સાંસ્કૃતિક ભેદભાવ, આભડછેટ, જ્ઞાતિભેદનો ભોગ બનેલા સમૂહોને પ્રતિનિધિત્વ આપવાનો, સમાનતા આણવાનો અને અંતે જ્ઞાતિ નિર્મૂલનનો છે. આર્ટિકલ ૩૪૧ અને ૩૪૨ હેઠળની યાદીના તમામ લોકો એકસરખા ભેદભાવ અને આભડછેટનો ભોગ બનેલા છે. પરંતુ આ સૂચિની પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિઓને જ અનામતનો લાભ મળે છે અને અ.જા. કે અ.જ.જાની અન્ય નબળી જ્ઞાતિઓ સુધી અનામતનો લાભ પહોંચ્યો નથી કે સરકારી નોકરીઓમાં તેમનું અલ્પ પ્રતિનિધિત્વ છે. આ સ્થિતિના ઉકેલ માટે કેટલાક રાજ્યોએ અનામતમાં અનામતની નીતિ અખત્યાર કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/rss-mouthpiece-panchjanya-termed-caste-system-as-necessary">RSS ના મુખપત્ર 'પાંચજન્ય'માં જાતિપ્રથાના 'જરૂરી' ગણાવવામાં આવી</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશના કોઈ એક રાજ્યની વસ્તીમાં દલિત વસ્તીનું પ્રમાણ સૌથી વધુ હોય તો તે પંજાબ છે. આખા દેશમાં સૌ પ્રથમ પંજાબે ૧૯૭૫થી દલિતોની બે સૌથી નબળી પેટા જ્ઞાતિઓ વાલ્મીકિ અને મજહબી શિખો માટે અ.જાતિની કુલ અનામતમાંથી જ પચાસ ટકા અનામતની જોગવાઈ કરી છે. અવિભાજિત આંધ્રપ્રદેશની ૫૭ અનુસૂચિત જાતિઓને ૧૫ ટકા અનામત મળતી હતી. ૨૦૦૦માં રાજ્ય સરકારે તેમાં વિભાગીકરણ કર્યું અને માડિગાની સબકેટેગરી માટે અનામતની જોગવાઈ કરી હતી. આ પ્રકારના વિભાગીકરણનો વિરોધ થયો અને અનામતમાં અનામત કાનૂની અને રાજકીય મુદ્દો બન્યો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૦૪માં સર્વોચ્ચ અદાલતે બંધારણના અનુચ્છેદ ૩૪૧ને સમરૂપ, સમાન સમૂહ ગણી તેમાં કોઈ વિભાગીકરણ કરી શકાય નહીં તેમ ઠરાવી સબકેટેગરી માટેની અનામતને ગેરબંધારણીય ઠેરવતો ચુકાદો આપ્યો હતો. ઈ.વી. ચિન્નેયા વર્સિસ આંધ્ર રાજ્યના આ ચુકાદાની અસર પંજાબની અનામત નીતિ પર પણ પડી હતી.પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબમાં મજહબી શિખો અને વાલ્મીકિ માટેની અનામતને રદ કરી હતી. એટલે પંજાબે ૨૦૦૬માં તે ચુકાદાની ઉપરવટ જઈને નવો કાયદો ઘડ્યો. પંજાબ અનુ.જાતિ અને પછાતવર્ગ( સેવાઓમાં અનામત) અધિનિયમ, ૨૦૦૬ની કલમ ૪(૫)માં વાલ્મીકિ અને મજહબી શિખોને અનામતમાં પ્રાથમિકતા આપવાની જોગવાઈ કરી હતી. ૨૦૧૦માં હાઈકોર્ટે આ કાયદાને અને કોટામાં  કોટાને ફરી રદ કરતો ચુકાદો આપ્યો એટલે પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી કે અનામતમાં અનામત બંધારણીય અને કાયદેસર છે. એટલે ઈ.વી. ચિન્નેયા ચુકાદાની સમીક્ષા કરી તેને રદ કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/rulings-on-reservation-have-mostly-been-given-in-favor-of-the-so-called-upper-castes">અનામત પરના ચુકાદા મોટાભાગે સવર્ણોની તરફેણમાં અપાયા છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિવિલ એપ્લિકેશન નંબર ૨૩૧૭ ઓફ ૨૦૧૧માં પંજાબ સરકાર અપીલકર્તા હતી. તો દવિંદર સિંઘ અને અન્ય પ્રતિવાદી હતા. અન્ય બે પ્રતિવાદી ચમાર મહાસભા અને લછમન સિંઘ હતા. અન્ય ૨૨ કેસો સાથેના આ કેસનો અંતિમ ચુકાદો આ મહિનાની પહેલી તારીખે આવ્યો છે. તે પૂર્વે પાંચ જજોની બેન્ચે  સબ-ક્લાસિફિકેશને  માન્ય રાખ્યું હતું પરંતુ આંધ્રનો ચુકાદો પાંચ જજની બેન્ચનો હતો એટલે આ કેસ સાત જજોની બેન્ચને સોંપવામાં આવ્યો. સાત જજોની બંધારણીય બેન્ચે ઈ.વી. ચિન્નેયા ચુકાદા બાબતે પુનર્વિચાર, રાજ્યોને અનામતનું વિભાગીકરણ કરવાનો અધિકાર અને સબકેટેગરાઈઝેશન સમાનતાના અધિકારનો ભંગ કરે છે કે નહીં તે નક્કી કરવાનું હતું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્ર્ચૂડ, જસ્ટિસ બી.આર ગવઈ, વિક્રમનાથ, બેલા ત્રિવેદી, પંકજ મિત્તલ, મનોજ મિશ્રા અને સતીશ ચંદ્ર શર્માની બંધારણીય બેન્ચના બેલા ત્રિવેદી સિવાયના છ જજિસે અ.જા. અને અ.જ.જા.ને એક્લ, સમાન અને સમરૂપ માનવાનો ઈન્કાર કર્યો. તેમણે ઐતિહાસિક અને અનુભવજન્ય સાક્ષ્યના સંકેતો પરથી તારવ્યું કે અ.જ.જા અને અ.જ.જા. એકરૂપ અને સમાન નથી. એટલે અનામતના લાભથી વંચિત માટે વિભાગીકરણ કરવું જોઈએ. આ પ્રકારની સબકેટેગરીનો રાજ્યોને હક છે, તે બંધારણીય છે અને સમાનતાના અધિકારનો ભંગ થતો. બેન્ચના એક માત્ર દલિત ન્યાયાધીશ ગવઈએ અનામતમાં ક્રીમી લેયર દાખલ કરવાનું જણાવ્યું હતું. જેને બીજા ત્રણ જજોએ સમર્થન આપ્યું હતું. જસ્ટિસ પંક્જ મિત્તલે અનામતનો લાભ એક જ પેઢી સુધી આપવા જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/is-the-game-going-on-to-make-reservation-based-on-economic-rather-than-social-basis">અનામતને સામાજિકને બદલે આર્થિક આધાર પર કરવાનો ખેલ ચાલી રહ્યો છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ બેલા ત્રિવેદી બહુમતી ચુકાદા સાથે સંમત નહોતા. તેમણે અલગ ચુકાદામાં જણાવ્યું હતું કે રાજ્ય અ.જા. અ.જ.જા.ની સૂચિમાં કોઈ જ્ઞાતિને અલગ તારવી તેને પ્રાયોરિટી આપી શકે નહીં. રાજ્યનું આવું પગલું સૂચિ સાથે છેડછાડ છે. અનામતનો લાભ  પૂર્ણતયા આખી સૂચિને મળે છે એટલે રાજ્યો રાષ્ટ્રપતિએ મંજૂર કરેલ સૂચિમાં ફેરફાર કરી શકે નહીં. આ અસંમત ચુકાદો અગાઉના ઈ.વી. ચિન્નેયા  ચુકાદાનું સમર્થન  કરે છે અને અનામતમાં અનામતનો વિરોધ કરે છે.</span><br><span style="font-size: 14pt;">અનામતનો લાભ લેવામાં પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિઓ આગળ હોય છે તે વાસ્તવિકતા સ્વીકારીને તેનો ઉકેલ અનામતમાં અનામત છે કે અન્ય તે વિચારવાનું છે. વળી આંધ્ર, પંજાબ અને તમિલનાડુમાં સબકેટેગરી બનાવી છે. તેનો અનુભવ પણ લક્ષમાં લેવાયો નથી. પંજાબમાં જે બે જ્ઞાતિઓને લગભગ ચાળીસ વરસથી સબકેટેગરીથી કેટલો ફાયદો થયો છે તેનો કોઈ અભ્યાસ આ ચુકાદામાં જોવા મળતો નથી. જો સૂચિ સમરૂપ ન હોય તો તેમના પ્રત્યેનો સામાજિક ભેદભાવ પણ ચડતો ઉતરતો હોવો જોઈએ. પરંતુ દલિતોની તમામ જ્ઞાતિઓને અસ્પૃશ્યતા અને સામાજિક ભેદભાવનો એક સરખો લાભ મળે છે. તો માત્ર અનામતનો લાભ જુદો કેમ? અલગ સબકેટેગરી કરવામાં આવે અને હાલના રોસ્ટર ક્રમ પ્રમાણે ભરતી કે બઢતી થાય તો અનામત લગભગ નાશ પામે અને કોઈને તેનો લાભ ન મળે તેવું બની શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/what-is-the-contribution-of-collegium-judges-regarding-classification-into-sc-st">SC-ST માં પેટા વર્ગીકરણ બાબતે સવર્ણ જજોની દાનત શું છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનામતનો આધાર સામાજિક ભેદ હોવા છતાં દલિત જજ ગવઈ ક્રીમી લેયરની વાત કરે અને આર્થિક માપદંડની વાત જોડે તે સમજ બહારનું છે. આ બેન્ચે જેમ અનુસૂચિત જાતિ માટે વિચારણા કરવાની હતી તેમ છતાં તેમાં અનુ. જનજાતિને સામેલ કરી તેમ ક્રીમીલેયરનો સવાલ પણ બેન્ચની વિચારણા બહારનો અને સુનાવણી દરમિયાન ઉપસ્થિત નહીં થયેલો છે. </span><br><span style="font-size: 14pt;">લગભગ ત્રણ હજાર વરસોથી વર્ણ વ્યવસ્થાનો ભોગ બનેલા દલિતો એક જ પેઢી અનામતનો લાભ મેળવી સક્ષમ અને સમાન થઈ જશે તેમ કહેવું સાવ વાહિયાત છે. અત્યાર સુધી મધ્યમ વર્ગના ડ્રોઈંગ રૂમમાં જે સંભળાતું હતું તે સુપ્રીમ  કોર્ટના જજે ચુકાદામાં લખ્યું છે. મોરારજી દેસાઈ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે પત્રકારના અનામતો ક્યાં સુધી એવા સવાલનો સ્પષ્ટ જવાબ આભડછેટ છે ત્યાં સુધી હતો. સર્વોચ્ચ અદાલતે ઈન્દ્રા સહાની કેસમાં જણાવ્યું હતું કે કોઈ જ્ઞાતિને કેવળ આર્થિક આધારે અનામતની બહાર કાઢી ન શકાય. આર્થિક ઊન્નતિનો અર્થ સામાજિક ઉન્નતિ ના હોઈ શકે. સર્વોચ્ચ અદાલતના માનનીય ન્યાયાધીશો તેમના પૂર્વસૂરિઓના ચુકાદા પણ વિસરી જશે?  </span><br><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><em><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)</span></strong></span></em></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/the-lord-of-cricket-is-nowhere-behind-vinod-kamblis-record">વિનોદ કાંબલીના રેકોર્ડ સામે 'ક્રિકેટના ભગવાન' ક્યાંય પાછળ છે?</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 17 Aug 2024 11:10:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1083</Articleid>
                    <excerpt>SC-ST અનામતને લઈને Supreme Court ના ચુકાદા વિશે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયા અહીં એક ઓછા ચર્ચાયેલા મુદ્દા પર વાત કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c032d476c44.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c032d44451d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c032d44451d.jpg" length="101668" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>supreme court, Dalit, Aadivasi, Reservation, Sub classification, SC-ST Reservation, Creamy Layer</media:keywords>
                </item>
                        <item>
                    <title>સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં વાંધાજનક શું છે? રાજુ સોલંકી પાસેથી સમજો</title>
                    <link>https://khabarantar.com/what-is-objectionable-in-the-judgment-of-the-supreme-court-find-out-from-raju-solanki</link>
                    <guid>https://khabarantar.com/what-is-objectionable-in-the-judgment-of-the-supreme-court-find-out-from-raju-solanki</guid>
                    <description>
                        <![CDATA[ સુપ્રીમ કોર્ટ(Supreme Court)ના સવર્ણ જજોએ SC-ST અનામતમાં પેટા વર્ગીકરણનો જે ચૂકાદો આપ્યો છે તેમાં વાંધાજનક શું છે તેના વિશે એક્ટિવિસ્ટ રાજુ સોલંકી વિસ્તારથી સમજાવે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ  ધનંજય વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની કુલ સાત જજોની બંધારણીય બેન્ચે છ વિરુદ્ધ એક મતે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓની અનામતોમાં પેટા વર્ગીકરણ કરવાનો રાજ્યસરકારોને આદેશ આપ્યો છે. આ આદેશથી સમગ્ર દેશના એસસી, એસટી સમાજોના બુદ્ધિજીવીઓ, કર્મશીલો, અગ્રણીઓ ખળભળી ઉઠ્યા છે. આ ચૂકાદાથી સમગ્ર દેશમાં એક જબરજસ્ત મંથન શરુ થયું છે. સોશિયલ મીડિયા પર, ખાસ કરીને ટ્વિટ્ટર પર #Save_Reservation હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. સવર્ણ મીડિયા આખા મામલાને ઉછાળી રહ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરેરાશ એસસી, એસટી વ્યક્તિને હજુ પણ આ મામલે અનેક સવાલો સતાવી રહ્યાં છે ત્યારે સામાજિક કાર્યકર અને એક્ટિવિસ્ટ રાજુ સોલંકી અહીં આપણાં મનમાં ઉઠતા અનેક સવાલોનું સમાધાન કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સવાલ એ છે કે સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં વાંધાજનક શું છે? રાજુ સોલંકી કહે છે,</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(1) બંધારણના અનુચ્છેદ 341 હેઠળ ભારતના રાષ્ટ્રપતિના જાહેરનામા થકી અનુસૂચિત જાતિઓની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ભાગ પાડીને કે નાના મોટા જૂથ બનાવીને કોઈ ચોક્કસ ભાગ કે જૂથને વિશેષ લાભો કે અલગ અનામત આપવા માટે કાયદો ઘડવાની સત્તા રાજ્યો પાસે નથી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(2) અનુસૂચિત જાતિઓ કે જનજાતિઓની યાદીમાં અલગ ભાગ કે જૂથ બનાવવાની યોજના યાદી સાથે ચેડાં કરવા બરોબર છે. જો કોઈ જાતિ કે જનજાતિ સુધી લાભો પહોંચતા ના હોય તો રાજ્ય સરકાર તેમના શિક્ષણ માટે વિશેષ કોચિંગની વ્યવસ્થા કરવી જોઇએ. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(3) ઇન્દિરા સાહની વિરુદ્ધ ભારતીય સંઘ અને અન્યો કેસમાં જસ્ટિસ એચ. કે. નેમાએ ઠરાવેલું કે અન્ય પછાત વર્ગો (ઓબીસી)ના પેટા વર્ગીકરણ માટેનો સિદ્ધાંત અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓને લાગુ પાડી શકાય નહીં. આ જ કેસમાં જસ્ટિસ સિંહાએ જણાવેલું કે અનુસૂચિત જાતિઓ કે જનજાતિઓની યાદીના સંબંધમાં કોઈપણ ફેરફાર કરવાની સત્તા માત્ર ને માત્ર ભારતની સંસદને જ છે, રાજય સરકારોને આવી કોઈ જ સત્તા નથી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(4) ભૂતકાળમાં આંધ્રપ્રદેશની અનુસૂચિત જાતિઓમાં પેટા વર્ગીકરણ કરવાના રાજ્ય સરકારના 2000ની સાલના કાયદાને 2005માં ઇ. વી. ચિન્નાઇયા કેસમાં પાંચ જજોની બેન્ચે ગેરબંધારણીય ઠરાવ્યો હતો. એ જ રીતે પંજાબ સરકારના 2006ના આવા જ એક કાયદાને 2010માં પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે ફગાવી દીધો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(5) ઇ. વી. ચિન્નાઇયા કેસમાં પાંચ જજોની બંધારણીય બેન્ચનું રુલિંગ પંદર વર્ષ સુધી અમલી બન્યું હતું. પંદર વર્ષ પછી ત્રણ જજોની અન્ય બેન્ચે પાંચ જજોની બેન્ચે આપેલા રુલિંગમાં ખામીઓ કાઢીને સાત જજોની બેન્ચ પાસે કેસ મોકલ્યો. આ ક્યાંનો ન્યાય?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/karo-Ya-maro-nationwide-bandh-announced-on-august-21-over-reservation-issue"><strong>કરો યા મરોઃ અનામતમાં ભાગલા મુદ્દે 21 ઓગસ્ટે દેશવ્યાપી બંધનું એલાન</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(6) હાલના પેટા વર્ગીકરણના ચૂકાદામાં સર્વોચ્ચ અદાલતનું ડબલ સ્ટાન્ડર્ડ સ્પષ્ટપણે જણાય છે. હાલના ચૂકાદામાં અદાલતે પછાતપણાના આધાર માટે વ્યક્તિના બદલે જાતિ નક્કી કરી. અગાઉ EWSના ચૂકાદામાં આ જ અદાલતે ફોરવર્ડ જાતિમાં ગરીબોને શોધી કાઢ્યા. જે અદાલતને સવર્ણોમાં ગરીબો દેખાયા એ જ અદાલતને અનુસૂચિત જાતિની કોઈ જાતિ ફોરવર્ડ થઈ ગઈ છે એવું કહેતાં સંકોચ થયો નહીં અને અદાલતને એવી કહેવાતી ડોમિનન્ટ અનુસૂચિત જાતિના ગરીબો ના દેખાયા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(7) ચૂકાદો જણાવે છે કે જે અનુસૂચિત જાતિઓ પછાત રહી ગઈ છે, એ એટલી નાની છે કે એમને અલગ અલગ અનામત આપી શકાય તેમ નથી, એટલે તેમનું એક ગ્રુપ બનાવવું પડશે. આ જ માપદંડ પ્રમાણે ગુજરાતમાં ગરો, તૂરી, નાડીયા, સેનમા, હાડી, વાલ્મીકિનું અલગ જૂથ બનાવીને અનામત આપવામાં આવે તો એમાં પણ એવું બનશે કે વાલ્મીકિની જગ્યાએ વધારે શિક્ષણ ધરાવતી કોઈ પેટા જાતિના ઉમેદવારો નોકરીઓ લઈ જશે. એટલે સવાલ વાલ્મીકિને શિક્ષણની ઉત્કૃષ્ટ સગવડો આપવાનો છે, નહીં કે ટુકડાનો ટુકડો કરવો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/apply-reservation-in-posts-of-high-court-supreme-court-judges-too-mayawati">હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના જજોની જગ્યામાં પણ અનામત લાગુ કરોઃ માયાવતી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(8) અદાલતે રાજ્ય સરકારોને જણાવ્યું છે કે તેમણે આ પેટા જાતિઓનું વહીવટીતંત્રમાં કેટલું પ્રતિનિધિત્વ છે એનો ડેટા એકઠો કરીને એમનું પછાતપણું નક્કી કરવું. હાલ ગુજરાત સરકાર પાસે કોઈ ડેટા જ નથી. સરકાર ડેટા એકઠો કર્યા પછી જ પેટા વર્ગીકરણ કરી શકે. અહીં સવાલ એ થાય છે કે જો ડેટા એકઠો કરવાનો જ હોય તો શા માટે સવર્ણ જાતિઓનો ડેટા પણ એકઠો ના કરવો જોઇએ. એસસી માટે ડેટા એકઠો કરવાનો આદેશ આપનારી અદાલત EWS વખતે સવર્ણ જાતિઓનું વહીવટીતંત્રમાં કેટલું પ્રતિનિધિત્વ છે એનો ડેટા એકઠો કરવાનો આદેશ આપવાનું કેમ ભૂલી ગઈ?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(9) આ ચૂકાદામાં અદાલતે એમ પણ કહ્યું છે કે પેટા વર્ગીકરણ કર્યા પછી જો નાની જાતિઓની અનામતો ના ભરાય તો કેરી ફોરવર્ડ કરવી. આનો અર્થ એવો થયો કે આ વર્ષે બે સીટો ના ભરાય તો પછીના વર્ષે ચાર સીટો ભરવી. હાલની યુવા પેઢીને એ વાતની ખબર જ નથી કે ગુજરાતમાં છેક 1981માં કેરી ફોરવર્ડની પ્રથા રદ કરવા માટે જ ભયાનક હિંસક અનામત વિરોધી આંદોલન થયેલું. સરકારે કેરી ફોરવર્ડની પ્રથા રદ કરેલી. હવે તમે વિચાર કરો કે ટોટલ સાત ટકા માટે કેરી ફોરવર્ડ રદ કર્યું છે, પરંતુ હવે નાની જાતિઓ માટેની અનામતને કેરી ફોરવર્ડ કરવામાં આવશે. આ પરિસ્થિતિ ક્યાં લઈ જશે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(10) હાલની યુવા પેઢીને એ વાતની પણ ખબર નથી કે અનામતપ્રથાના મૂળ છેક પૂના કરારમાં છે અને ડો. બાબાસાહેબ આંબેડકરથી માંડીને અસંખ્ય લોકોના બલિદાનોને કારણે આ અનામત મળી છે. 1981માં ગુજરાતના માત્ર સાત ટકા અનુસૂચિત સમાજે પણ મીડીયા અને સવર્ણ સમાજની સામે ટક્કકર ઝીલીને એવી ઝુઝારુ લડત આપેલી કે ભારતની સંસદના તમામ સભ્યોએ એક સાથે ઉભા થઇને સર્વાનુમતે અનામતપ્રથાના સમર્થનમાં ઐતિહાસિક ઠરાવ કરેલો. સંસદના ઇતિહાસમાં માત્ર બે વાર આવી અભૂતપૂર્વ ઘટના ઘટી છે. એક 1962ના ચીની આક્રમણ સમયે અને બીજી વાર ગુજરાતના હિંસક અનામતવિરોધી આંદોલન સમયે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/how-many-sc-st-judges-who-gave-this-order">જે જજોએ આ ઓર્ડર આપ્યો તેમાં કેટલાં SC-ST છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(11) એટલે યાદ રાખજો, આ અનામત કોઈ ભીખ નથી. સરકાર એક તરફ ખાનગીકરણ વધારી રહી છે, કાયમી નોકરીઓ ઘટાડી રહી છે, કોન્ટ્રક્ટપ્રથા લાગુ પાડી રહી છે, ત્યારે અનામતપ્રથા સાથે ચેડાં કરવાની છૂટ આ રાજ્ય સરકારને અપાય નહીં. વાલ્મીકિ સમાજ આપણો જ ભાઈ છે અને તેને અનામત માટે સક્ષમ બનાવવા ભણતર જરુરી છે અને તેના માટે સીબીએસઈ, ઇન્ટરનેશનલ સ્કૂલોમાં તેમને અનામત આપવામાં આવે. એક તરફ, ગરીબ સવર્ણો માટે બિન-અનામત આયોગને રૂ. 1000 કરોડ ફાળવવામાં આવે છે, બીજી તરફ, સફાઈ કામદાર નિગમ, અંત્યોદય વિકાસ નિગમ અને અનુસૂચિત જાતિ નિગમ ત્રણેય નિગમોને કુલ મળીને માત્ર રૂ. 50 કરોડ જ ફાળવવામાં આવે છે. વાલ્મીકિની આટલી બધી ચિંતા હોય તો સરકારને રૂ. 1000 કરોડનું વાલ્મીકિ વિકાસ નિગમ બનાવતા શું ચૂંક આવે છે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવો, આપણે સૌ અનુસૂચિત જાતિઓના તમામ લોકો સાથે મળીને આપણી એકતા ટકાવીને સરકાર ઉપર દબાણ લાવીને વાલ્મીકિ માટે રૂ. 1000 કરોડનું બજેટ ફાળવવા, રોસ્ટર એક્ટ બનાવવા, રાજ્યની તમામ જાતિઓનું વહીવટીતંત્રમાં પ્રતિનિધિત્વની ટકાવારી અંગે શ્વેતપત્ર બહાર પાડવા સરકારને ફરજ પાડીએ. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજુ સોલંકીએ ઉપર વર્ણવ્યા તે તમામ સવાલોને લઈને તા. 18 ઓગસ્ટ 2024ને રવિવારના રોજ બપોરે 1 વાગ્યે અમદાવાદના ચાંદખેડા ખાતે સંવિધાન સર્કલ, સ્નેહ પ્લાઝા ચાર રસ્તા, વીરમાયા રોડ, આઈઓસી રોડ ખાતે અનામત બચાવો આંદોલન સમિતિ ગુજરાત દ્વારા એક રાજ્યવ્યાપી અનામત બચાવો મહાસંમેલન થવા જઈ રહ્યું છે. જેમાં સમગ્ર ગુજરાતના ખૂણેખૂણેથી એસસી, એસટી સમાજનું હિત જેમના હૈયે વસેલું છે તેવા તમામ ભીમયોદ્ધાઓ, એક્ટિવિસ્ટો, સામાજિક કાર્યકરો, યુવાનો, યુવતીઓ, વડીલો હજારોની સંખ્યામાં ઉમટી પડવાના છે. ત્યારે આપ પણ એસી, એસટી સમાજ માટે કરો યા મરોની કટોકટી જેવી સ્થિતિમાં ખડેપગે હાજર રહી તમારું યોગદાન આપશો તેવી અપેક્ષા રાખવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મહાસંમેલનની પત્રિકા હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. લોકો તેને પોતાના સોશિયલ મીડિયા પેજ પર મૂકીને તેને આગળ ધપાવી રહ્યાં છે. અહીં એ પત્રિકા પણ રજૂ કરી છે, આ સ્ટોરીને તમે અન્ય લોકો સુધી પહોંચાડવા યોગદાન આપી શકો છો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Hindu-scriptures-written-by-Brahmins-are-a-mountain-of-immorality---Kaushik-beginning">બ્રાહ્મણોએ લખેલા હિંદુ ધર્મગ્રંથો અનૈતિકતાનો પહાડ છે - કૌશિક શરૂઆત</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 16 Aug 2024 17:06:25 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 16 Aug 2024 17:14:11 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1080</Articleid>
                    <excerpt>સુપ્રીમ કોર્ટ(Supreme Court)ના સવર્ણ જજોએ SC-ST અનામતમાં પેટા વર્ગીકરણનો જે ચૂકાદો આપ્યો છે તેમાં વાંધાજનક શું છે તેના વિશે એક્ટિવિસ્ટ રાજુ સોલંકી વિસ્તારથી સમજાવે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66bf167371fa5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bf167340da1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bf167340da1.jpg" length="74066" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>supreme court, SC-ST Reservation, Dalit, Aadivasi, Dalit Atrocity, SC ST act</media:keywords>
                </item>
                        <item>
                    <title>અનામત પરના ચુકાદા મોટાભાગે કથિત સવર્ણોની તરફેણમાં અપાયા છે?</title>
                    <link>https://khabarantar.com/rulings-on-reservation-have-mostly-been-given-in-favor-of-the-so-called-upper-castes</link>
                    <guid>https://khabarantar.com/rulings-on-reservation-have-mostly-been-given-in-favor-of-the-so-called-upper-castes</guid>
                    <description>
                        <![CDATA[ કાયદાકીય નિષ્ણાતો કહે છે કે અનામત પર કોર્ટના ચૂકાદાઓ મોટાભાગે કથિત સવર્ણોના પક્ષમાં આપવામાં આવ્યા છે. વાંચો આ વિસ્તૃત લેખ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે 1 ઓગસ્ટ, 2024 ના રોજ આપેલા તેના ચુકાદામાં અનુસૂચિત જાતિ (SC)માં પેટા-વર્ગીકરણને મંજૂરી આપી. જેને લઈને આદિવાસીઓમાં પેટા-વર્ગીકરણને પણ લીલીઝંડી આપી દેવામાં આવી છે. સાથે એવું પણ સૂચવાયું કે આ વર્ગમાં એક 'ક્રીમી લેયર' બનાવવું જોઈએ અને તેમને અનામત મેળવવાથી રોકવા જોઈએ. જો કે હજુ સુધી સ્થિતિ સંપૂર્ણ સ્પષ્ટ નથી. </span><br><span style="font-size: 14pt;">કથિત સવર્ણોનું વર્ચસ્વ ધરાવતું આપણું પ્રાદેશિક અને નેશનલ મીડિયા સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પછી ગેલમાં આવી ગયું છે અને સમગ્ર મામલાને ઉપરછલ્લી રીતે જોઈને મનફાવે તેમ ઉછાળી રહ્યું છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્ષોથી 'મલાઈ' ખાતા દલિત અને આદિવાસીઓની જગ્યાએ હવે 'નબળા' લોકોને તક મળશે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પ્રકારની બોદી દલીલ પાછળની માનસિકતા ધરાવતા લોકો અનામતને 'ચેરિટી'નું એક સ્વરૂપ માને છે. આવા તત્વોને કોણ સમજાવશે કે અનામત એ વંચિતોનો બંધારણીય અધિકાર છે? તે 'ચેરિટી' પર નહીં પરંતુ 'પેરિટી'(સમાનતા) પ્રાપ્ત કરવા માટે બનાવવામાં આવી છે. બંધારણમાં અનામત એ સદીઓની લડાઈનું પરિણામ છે. જોતિરાવ ફૂલે, ડૉ. ભીમરાવ આંબેડકર, પેરિયાર જેવા નેતાઓએ તેમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આંદોલનકારીઓ અને વિચારકો  સામે લાવ્યા કે ભારતમાં 'મેરિટ'નું નિર્ધારણ 'જાતિ'ના આધારે કરવામાં આવે છે. મતલબ કે ભારતમાં 'જાતિ' જ 'મેરિટ' છે. તેમ છતાં અનામત વિરોધી પ્રચાર બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. આજે પણ આવી પાયાવિહોણી અફવાઓ ફેલાવવામાં આવે છે કે જનરલ કેટેગરીના ઉમેદવારને 90 ટકા આવે તો તેને મેડિકલ કોલેજમાં પ્રવેશ મળતો નથી, જ્યારે 'અયોગ્ય' દલિત-બહુજન ઉમેદવાર 40 ટકા મેળવીને ડૉક્ટર બની જાય છે અને દર્દીનો જીવ લઈ લે છે. પરંતુ આ તત્વો ક્યારેય એ વાતની ચર્ચા કરતા નથી કે કેવી રીતે દલિત-બહુજન વિદ્યાર્થીઓ સાથે ડગલેને પગલે ભેદભાવ કરવામાં આવે છે. રોહિત વેમુલાની સંસ્થાકીય હત્યા કરનારા લોકો કોણ છે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/RSS-and-Ambedkar-are-polar-opposites-yet-why-Sangh-praises-Baba-Saheb"><span style="font-size: 14pt;">આરએસએસ અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે, છતાં કેમ સંઘ બાબાસાહેબના વખાણ કરે છે?</span></a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એમાં કોઈ શંકા નથી કે, SC-ST અનામતમાં પેટા-વર્ગીકરણ અનામતને નબળી પાડી શકે છે. ચિંતા એવી છે કે જ્યારે 'ક્રીમીલેયર' ના નામે કેટલીક એસસી, એસટી જાતિઓને અનામતમાંથી બહાર કરી દેવામાં આવશે, પછી દલિત, આદિવાસીઓની અનામતની એકેય ખાલી સીટો ભરવામાં નહીં આવે. આમ પણ પહેલેથી આ કેટેગરીની અનામત સીટો પુરેપુરી ભરવામાં આવતી નથી અને ઘણી વાર 'નોટ ફાઉન્ડ સ્યુટેબલ' (NFS) વિશે સાંભળવા મળે છે. પછી અનામત સીટોને જનરલ ક્વોટામાં પરિવર્તિત કરી દેવામાં આવે છે, જેનો સીધો લાભ કથિત સવર્ણ જાતિઓ ઉઠાવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો એવું માની પણ લેવામાં આવે કે SC-STની અનામતને 'જનરલ કેટેગરી'માં નહીં નાખવામાં આવે, તો પણ એવો ભય છે કે પેટા-વર્ગીકરણ દલિતો-આદિવાસીઓને અંદરોઅંદર વિભાજિત કરશે અને તેમના માટે અનામત મેળવવી વધુ મુશ્કેલ બની જશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સવર્ણ લૉબી સીધી બહુજનોની અનામત ખતમ કરવાનું જોખમ લેવા માંગતી નથી, કારણ કે આનાથી તેઓ ખૂલ્લાં પડી જાય. તેમનો કાયમ પ્રયત્ન રહ્યો છે કે અનામત મેળવવાના રસ્તામાં સતત અડચણો પેદા કરવામાં આવે અને કાયદાના પાલનના નામે બહુજનો અનામત મેળવતા પહેલા જ થાકી જાય.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ દુઃખની વાત છે કે કોર્ટે SC ને પેટા વર્ગીકરણ કરવા અંગે પોતાનો નિર્ણય આપવામાં આટલી ઉતાવળ કરી છે, પરંતુ આ જ કોર્ટે દલિત મુસ્લિમો અને દલિત ખ્રિસ્તીઓને SC કેટેગરીમાં સામેલ કરવાની અપીલના કેસ પર હજુ સુધી નિર્ણય લીધો નથી. એ જ રીતે, બિહાર સરકારે તાજેતરના મહિનાઓમાં વંચિત અને નબળા વર્ગો માટે અનામતની ટકાવારી વધારીને 65 ટકા કરી હતી, પરંતુ ત્યાં પણ પટના હાઈકોર્ટે વંચિતો વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. થોડા મહિના પહેલા કોલકાતા હાઈકોર્ટે પણ મુસ્લિમોની અમુક જાતિઓને ઓબીસી કેટેગરીમાં સ્થાન આપવાના પશ્ચિમ બંગાળ સરકારના નિર્ણય સામે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ <span style="font-size: 14pt;"><a href="https://khabarantar.com/Is-there-any-poverty-alleviation-plan-in-reserve">શું અનામત ગરીબી દૂર કરવાની કોઈ યોજના છે?</a></span></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોલકાતા હાઈકોર્ટે કહ્યું કે મુસ્લિમ જાતિઓને OBC કેટેગરીમાં સામેલ કરવા માટે કોઈ નક્કર ડેટા નથી. પરંતુ રસપ્રદ વાત એ છે કે, સુપ્રીમ કોર્ટ પણ કોઈપણ નક્કર ડેટા વિના EWS અનામતને લીલી ઝંડી આપે છે. ઘણા કાયદાકીય નિષ્ણાતો કહે છે કે અનામત પર કોર્ટના ચૂકાદાઓ મોટાભાગે કથિત સવર્ણોના પક્ષમાં આપવામાં આવ્યા છે અને વંચિતોના અધિકારને 'મેરિટ'ના નામે દબાવી દેવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ વાત કોઈનાથી છુપી નથી કે દલિતો અને આદિવાસીઓ હજુ પણ સમાજના સૌથી નીચા સ્તરે છે, પરંતુ સુપ્રીમ કોર્ટ તેમનામાં "ક્રીમીલેયર" શોધી રહી છે. કોર્ટે તેની આસપાસ શું ચાલી રહ્યું છે તે જોવા માટે ક્યારેય નજર ઉંચી કરીને જોયું નથી. એ હકીકતને નકારી શકાય તેમ નથી કે અમુક જ પરિવારોના લોકો વર્ષોથી દેશના ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન છે અને ન્યાયાધીશનો પુત્ર ન્યાયાધીશ બની જાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવા નિર્ણય પાછળના રાજકારણની અવગણના કરવી મૂર્ખામીભરી ગણાશે. શું એ કોઈ રહસ્ય છે કે હિંદુત્વ પાર્ટીની અંદર એક મજબૂત ઉચ્ચ જાતિની લોબી છે, જે અનામતને ખતમ કરવા માંગે છે અને દલિતો- પછાત જાતિઓમાં ભાગલા પાડવા માંગે છે? એવી વાત પણ ઉઠી છે કે સવર્ણ લૉબીએ એક ઓબીસી નરેન્દ્ર મોદીને પોતાનું મજબૂત સમર્થન એટલા માટે આપ્યું હતું કે તેઓ સત્તામાં આવ્યા પછી અનામત ખતમ કરશે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ <span style="font-size: 14pt;"><a href="https://khabarantar.com/the-law-of-manusmriti-which-sowed-the-seeds-of-inequality-in-indian-society">જાણો મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યા</a></span></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વંચિત વર્ગને ડર છે કે પીએમ મોદીના શાસનમાં આદિવાસીઓની જમીનોને લૂંટવાની અને ખાનગીકરણની નીતિ સવર્ણોના ષડયંત્રનો ભાગ છે. અનામત નાબૂદીનો માર્ગ મોકળો કરવા માટે તેની સામે ખોટી માન્યતાઓ ફેલાવવામાં આવી રહી છે. તેથી જ તેને સતત 'આર્થિક' દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનામતને ગરીબી નાબૂદી યોજના તરીકે વર્ણવીને પણ ભ્રમ પેદા કરવામાં આવે છે. જોકે, બંધારણમાં ક્યાંય આર્થિક આધાર પર અનામતનો ઉલ્લેખ નથી. એ કડવા સત્યને ભૂલાવી દેવામાં આવ્યું છે કે, જો કોઈ દલિત અધિકારી કે નેતા સવર્ણોના મંદિરમાં પ્રવેશવા માંગે છે અથવા ઉચ્ચ જાતિની છોકરી સાથે લગ્ન કરવા માંગે છે, તો જાતિવાદી સમાજ તેની સામે ઉભો રહી જાય છે.</span><br><span style="font-size: 14pt;">વાસ્તવમાં, અનામતને બંધારણીય ગેરંટી એટલા માટે આપવામાં આવી છે કારણ કે જ્યાં સુધી તમામ વર્ગો, ખાસ કરીને વંચિતોને પ્રમાણસર અને અસરકારક રીતે પ્રતિનિધિત્વ નહીં આપવામાં આવે ત્યાં સુધી લોકશાહી સફળ થઈ શકે નહીં. ડો. આંબેડકરે તેમના આખા જીવન દરમિયાન કહ્યું કે ભારતીય સમાજ જાતિગત અસમાનતા પર ટકેલો છે, જ્યાં કથિત ઉંચી જાતિઓ પાસે તમામ સંસાધનો છે, ઉચ્ચ શિક્ષણ છે, ઊંચા પગારની મોટી નોકરીઓ છે, તેઓ સામાજિક, ધાર્મિક, રાજકીય અને વ્યવસાયિક સંસ્થાઓ પર બેઠેલા છે અને તેને કંટ્રોલ કરે છે. જ્યારે મોટા ભાગના દલિતો, આદિવાસીઓ અને પછાત જાતિના લોકો આજે પણ ખેતમજૂર છે અથવા દહાડિયા મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ડો.આંબેડકરે સાબિત કર્યું કે ભારતમાં જાતિ અને શ્રમ વચ્ચે સીધો સંબંધ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Why-is-Emperor-Ashoka-untouchable-for-the-so-called-upper-castes-of-India"><span style="font-size: 14pt;">શા માટે સમ્રાટ અશોક ભારતની કથિત ઉચ્ચ જાતિઓ માટે 'અસ્પૃશ્ય' છે?</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે પણ મીડિયા, ફિલ્મો અને બિઝનેસમાં 90 ટકાથી વધુ લોકો કથિત ઉચ્ચ જાતિના છે, જ્યારે સફાઈ કામદારોના જૂથમાં એક-બે સિવાય મોટાભાગના દલિત છે. ભારતમાં આજે પણ લગભગ 70 ટકા દલિતો પાસે જમીનનો ટુકડો પણ નથી. જ્યારે મુઠ્ઠીભર ઉચ્ચ જાતિઓ પાસે પુષ્કળ જમીન છે. સરકારી આંકડાઓ સ્વયં કહે છે કે દર મિનિટે કોઈને કોઈ દલિત મહિલાની અસ્મિતા પર હુમલો થાય છે અને કોઈને કોઈ દલિત સવર્ણોના જુલમનો શિકાર બને છે. આવા નબળા સમાજમાં 'ક્રીમી લેયર' શોધવો કેટલો યોગ્ય છે? શું દેશની સૌથી મોટી સમસ્યા દલિતોમાં પેટા-વર્ગીકરણ છે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો. આંબેડકરે વારંવાર કહ્યું હતું કે એક સારો કાયદો પોતે એ ગેરંટી નથી આપતો કે તેનાથી નબળાં લોકોને ન્યાય મળશે. બાબાસાહેબનો સ્પષ્ટ મત હતો કે, જ્યાં સુધી કાયદાના નિર્માણ અને આયોજનની પ્રક્રિયામાં વંચિતોની ભાગીદારી નહીં વધે ત્યાં સુધી તેમના અધિકારો પર તરાપ પડતી રહેશે. જો આ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો SC- ST અનામતમાં પેટા વર્ગીકરણ અયોગ્ય લાગે છે. કારણ કે આજે પણ એસસી, એસટી અને ઓબીસી સમાજની અનામતનો સંપૂર્ણ અમલ થયો નથી. આજે પણ બહુજનોની 'બેકલોગ' બેઠકો ભરાઈ નથી. દુખની વાત એ છે કે SC-ST અનામતનો ક્વોટા સંપૂર્ણપણે ભરવા અને તેની ખોટી પ્રક્રિયાને સુધારવાને બદલે ક્વોટાની અંદર ક્વોટાની યોજના શરૂ કરવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/Know,-enjoy,-understand-and-explain-Indian-Constitution"><span style="font-size: 14pt;">ભારતીય બંધારણ વિશેની તમામ સમજ, જાણો બંધારણ આપને શું શું આપે છે?</span></a></span></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 12 Aug 2024 14:27:44 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 13 Aug 2024 10:33:49 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1060</Articleid>
                    <excerpt>કાયદાકીય નિષ્ણાતો કહે છે કે અનામત પર કોર્ટના ચૂકાદાઓ મોટાભાગે કથિત સવર્ણોના પક્ષમાં આપવામાં આવ્યા છે. વાંચો આ વિસ્તૃત લેખ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b9c5ce21468.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b9c5cde1087.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b9c5cde1087.jpg" length="95619" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, reservation</media:keywords>
                </item>
                        <item>
                    <title>અનામતને સામાજિકને બદલે આર્થિક આધાર પર કરવાનો ખેલ ચાલી રહ્યો છે?</title>
                    <link>https://khabarantar.com/is-the-game-going-on-to-make-reservation-based-on-economic-rather-than-social-basis</link>
                    <guid>https://khabarantar.com/is-the-game-going-on-to-make-reservation-based-on-economic-rather-than-social-basis</guid>
                    <description>
                        <![CDATA[ સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોએ એસસી,એસટી અનામતમાં ભાગલા પાડવાનો જે ચૂકાદો આપ્યો છે તેની પાછળનો અસલી હેતુ અનામતના મૂળ આધારને ખતમ કરી દેવાનો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે આ મહિનાની પહેલી તારીખે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પેટા-વર્ગીકરણને સમર્થન આપતા EV ચિન્નાયા વિરુદ્ધ આંધ્ર પ્રદેશ રાજ્યના 2004ના ચુકાદાને રદ કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડના નેતૃત્વમાં સાત ન્યાયાધીશોની બેન્ચે 6-1ની બહુમતી સાથે આ નિર્ણય આપ્યો હતો. સ્વાભાવિક છે કે આ નિર્ણયથી દેશના રાજકારણ પર મોટી અસર થવા જઈ રહી છે. એનું જ કારણ છે કે બહુજન રાજનીતિ કરતા રાજકીય પક્ષો બીએસપી, એલજેપી સિવાયના તમામ પક્ષોએ આ મામલે મૌન રહેવાનું પસંદ કર્યું હતું. જોકે, સોશિયલ મીડિયા પર દલિતો અને આદિવાસીઓમાં આ નિર્ણય સામે ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. શું 2 એપ્રિલ 2018 જેવું આંદોલન થવાનું છે? જ્યારે દલિતો અને આદિવાસીઓ એસસી/એસટી એક્ટના નબળા પડવાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ત્યારે સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે કાયદો બનાવવો પડ્યો હતો?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી રોહિણી કમિશનના અહેવાલને લાગુ કરવાની માંગ કરવામાં આવી રહી છે, જેમાં અન્ય પછાત વર્ગોમાં અતિ પછાત સમાજો માટે અલગ ક્વોટા નિર્ધારિત કરવાની વાત કરવામાં આવી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ભાજપની સરકારે હજુ સુધી તેનો અમલ કર્યો નથી. પરંતુ દલિતો અને આદિવાસીઓની અંદરના ભાગલાને યોગ્ય ઠેરવતા સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર ભાજપે ખુશી વ્યક્ત કરી હતી, આનો શું અર્થ છે? આ નિર્ણયને કેવી રીતે જોવો જોઈએ? શું આને ભાજપના વર્તમાન રાજકારણ સાથે કોઈ સંબંધ છે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ</span> <a href="https://khabarantar.com/did-the-change-in-the-constitution-of-the-rss-turn-the-tide-of-the-election">RSS ની બંધારણ બદલવાની વાતે ચૂંટણીનું પાસું પલટી નાખ્યું?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય જનતા પાર્ટી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પર સત્તામાં આવી છે. BJP-RSSની વોટ બેંક માત્ર કથિત સવર્ણ જાતિઓ છે, જેમની વસ્તી દેશમાં 10-12 ટકાથી વધુ નથી. તેથી જ લઘુમતીઓ વિરુદ્ધનું રાજકારણ કરતી ભાજપ દલિતો અને પછાત વર્ગોમાં સ્થાન મેળવવા માટે તેમની વચ્ચેના આંતરિક સંઘર્ષનો ઉપયોગ કરે છે. એ વાત સાચી છે કે દલિત અને ઓબીસી સમાજ પણ જ્ઞાતિઓમાં વહેંચાયેલો છે, તેની અંદર પણ સામાજિક તફાવતો છે. પરંતુ આ સમગ્ર સમાજ વ્યવસ્થા એ બ્રાહ્મણવાદની દેન છે જેણે વર્ણ અને જાતિનું માળખું બનાવ્યું છે. સુપ્રીમ કોર્ટ કહે છે કે દલિતોની અંદર ભાગલા એટલે યોગ્ય છે કારણ કે તે એક સમાન સમાજ નથી. સર્વોચ્ચ અદાલતનું આ નિવેદન ડૉ.આંબેડકરના વિચારો અને બંધારણની એકદમ વિરુદ્ધ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબા સાહેબ આંબેડકરે જાતિની સંરચનાને ધ્યાનમાં લેતી વખતે, ખાસ કરીને તેમના ગુરુ જ્યોતિબા ફુલે દ્વારા દલિતો માટે ઉપયોગમાં લેવાતા 'અતિશુદ્ર' શબ્દને નકારી કાઢ્યો હતો. જ્યોતિબા ફૂલેએ જે અસ્પૃશ્ય સમાજને અતિશુદ્ર કહ્યો, તેને આંબેડકરે દલિત ઓળખ સાથે સ્થાપિત કર્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું હતું કે દલિતો એક એવો સમાજ છે જે સદીઓથી બહિષ્કૃત જીવન જીવે છે. તેની સાથે અસ્પૃશ્યતા પાળવામાં આવે છે. તેમણે કહ્યું કે દલિતો હિંદુ નથી. અને તેમણે દલિત સમાજને પૂર્વ બૌદ્ધ અનુયાયીઓ સાથે જોડ્યો હતો. બાબાસાહેબનું કહેવું હતું કે, હિંદુત્વવાદી લોકોએ ગુપ્તકાળમાં બૌદ્ધોની કત્લેઆમ કરી હતી. જે બૌદ્ધો બચી ગયા હતા તેઓને સમાજમાં નિમ્ન સ્તરનું કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી. તેમને અસ્પૃશ્ય ગણવામાં આવતા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ </span><a href="https://khabarantar.com/the-slogan-of-abki-bar-charso-par-and-dr-ambedkars-warning">અબકી બાર 400 પારનો નારો અને ડૉ. આંબેડકરની ચેતવણી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'અસ્પૃશ્ય કોણ હતા?' નામના પુસ્તકમાં ડો.આંબેડકર કહે છે કે બૌદ્ધ અનુયાયીઓને નીચું દેખાડવા માટે હિંદુત્વવાદી લોકોએ ગાયને પવિત્ર બનાવી હતી. હકીકતે વૈદિક કાળમાં ગાયોની કતલ કરવામાં આવતી હતી અને તેનું માંસ પણ ખાવામાં આવતું હતું. બૌદ્ધ ધર્મ પ્રાણીઓ સામેની હિંસાને અયોગ્ય માને છે. પરંતુ મધ્યમ માર્ગને અનુસરીને બૌદ્ધો મૃત ગાયનું માંસ ખાઈ શકતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">આંબેડકર કહે છે કે હિંદુત્વવાદીઓએ પવિત્ર ગાયનો વિચાર લાગુ કરીને બૌદ્ધ અનુયાયીઓને નિશાન બનાવ્યા હતા. બૌદ્ધોએ મરેલી ગાયનું માંસ ખાવાનું બંધ ન કર્યું હોવાથી તેમને અસ્પૃશ્ય બનાવી દેવામાં આવ્યા. દલિતો વાસ્તવમાં અગાઉના બૌદ્ધ છે. એટલે આંબેડકરે હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. આંબેડકરના મંતવ્યો પરથી સ્પષ્ટ થાય છે કે દલિતો એક હોમોજેનિયસ સમાજ છે. એ સાચું કે દલિતોમાં પણ અસમાનતા છે, પણ તે હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. આ સમગ્ર સમાજ સામાજિક બહિષ્કારનો શિકાર બની રહ્યો છે. હિંદુઓ સદીઓથી દલિતો સાથે અસ્પૃશ્યતા પાળે છે. તેના આધારે બંધારણમાં અનામતની જોગવાઈ કરવામાં આવી છે. એટલા માટે સુપ્રીમ કોર્ટનો નિર્ણય બંધારણ અને ડૉ.આંબેડકરના વિચારોની વિરુદ્ધ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ ભલે પીએમ મોદીએ એસસી, એસટી અનામતમાં ભાગલા પાડવાનો કોઈ ઈરાદો ન હોવાનું જણાવ્યું હોય. પણ તેનાથી દલિતો, આદિવાસીઓના મનમાંથી ભાજપ-સંઘની અસલી છબિ ભૂંસાવાની નથી. વાસ્તવમાં, 2024ની લોકસભાની ચૂંટણીમાં, ખાસ કરીને ઉત્તર ભારતમાં, દલિતો અને આદિવાસીઓએ એક થઈને ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું હતું. 'અબકી બાર 400' પારનો નારો આપનાર ભાજપના ડઝનબંધ નેતાઓએ બંધારણ બદલવાની જાહેરાત કરી હતી. આ ધમકીઓએ દલિતો, આદિવાસીઓને એક કર્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ </span><a href="https://khabarantar.com/dr-does-rss-have-any-answer-to-these-questions-of-ambedkar">ડૉ. બાબાસાહેબ આંબેડકરના આ સવાલનો RSS પાસે કોઈ જવાબ છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ એસસી, એસટી સમાજ માટે આ માત્ર અનામતના અધિકારની વાત નહોતી, પરંતુ સદીઓની ગુલામીમાંથી મુક્તિ અને માણસ હોવાની ગેરંટીનો મામલો હતો. દલિતો માટે તે વધુ ભાવનાત્મક મુદ્દો એટલા માટે પણ છે કેમ કે ડો.આંબેડકર ભારતીય બંધારણના ઘડવૈયા છે. બાબા સાહેબ આંબેડકર દલિતો માટે મસીહા, તારણહાર અને ભગવાન સમાન છે. એનું જ કારણ છે કે જ્યારે ભાજપના નેતાઓ દ્વારા બંધારણ બદલવાની જાહેરાત કરવામાં આવી ત્યારે દલિતો એક થઈ ગયા. જેના કારણે ભાજપ ભૂંડી રીતે ચૂંટણી હારી ગયો. મોદી સરકારે વિપક્ષો સામે તમામ એજન્સીઓનો દુરુપયોગ કર્યો, કોર્પોરેટ મીડિયા અને ઈલેક્ટોરલ બોન્ડ જેવી ચાલાકીઓથી કોર્પોરેટો પાસેથી મેળવેલા કરોડોના દાનની મદદથી ભાજપ ચૂંટણી લડી રહ્યો હતો. ચૂંટણી પંચ તેમની આવી તમામ ગેરરીતિઓ સામે મૂંગું, બહેરું અને આંધળું બની રહ્યું હતું. પણ તેમ છતાં ભાજપ 240 બેઠકો પર આવી ગયો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપને સૌથી મોટો આંચકો મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં લાગ્યો છે, જે દલિત રાજકારણ, દલિત ચેતના અને દલિત આંદોલન માટે સૌથી મજબૂત રાજ્યો છે. રાજસ્થાનના તે વિસ્તારોમાં પણ તેને હારનો સામનો કરવો પડ્યો જ્યાં આદિવાસી અને દલિત આંદોલન ચાલી રહ્યા હતા. દલિતો-આદિવાસીઓની એકતાના કારણે ભાજપની ગભરામણ સમજી શકાય તેમ છે. આ જ કારણ છે કે ભાજપ હવે દલિતો-આદિવાસીઓની એકતાને તોડવા માંગે છે. તેથી જ તેણે શરૂઆતમાં સુપ્રીમ કોર્ટના એસસી, એસટીમાં પેટા વર્ગીકરણના ચૂકાદાનું સ્વાગત કર્યું હતું. પણ પછી વિરોધનો જંગી જુવાળ પારખીને પારોઠના પગલાં લેવા પડ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ </span><a href="https://khabarantar.com/Justice-affected-by-mention-of-caste-and-religion-of-party-in-court-cases">કોર્ટમાં દાખલ કેસોમાં પક્ષકારની જ્ઞાતિ અને ધર્મના ઉલ્લેખથી ન્યાય પ્રભાવિત થાય છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ જ રીતે આ દેશના પ્રથમ માલિક હોવાની આદિવાસી સમાજમાં જે ચેતના જાગી છે તેણે પણ ભાજપને ઘૂંટણિયે લાવી દીધો છે. વિપક્ષોએ આદિવાસીઓને 'વનવાસી' કહેવાનો એટલો વિરોધ કર્યો કે નરેન્દ્ર મોદી 'વનવાસી' શબ્દ જ ભૂલી ગયા અને 'આદિવાસી' શબ્દ વાપરવા લાગ્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય થકી આદિવાસી અસ્મિતા અને ચેતનાના ઉદય અને આદિવાસી એકતાને ઠેસ પહોંચાડવાનો ઈરાદો હતો. જેનો સીધો ફાયદો ભાજપના હિન્દુત્વવાદી રાજકારણને થાય તેમ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી એક વાત. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય કોઈપણ સર્વે અને કોઈ વિશેષ અભ્યાસ વિના આપવામાં આવ્યો છે. તેથી દલિતો અને આદિવાસીઓ તેને સ્વીકારવા તૈયાર નથી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ નિર્ણય RSS-BJP ના એ મનસૂબાઓને પૂર્ણ કરતો જણાય છે જે અનામત વ્યવસ્થાને સામાજિકને બદલે આર્થિક આધાર પર આપવા માંગે છે. સુપ્રીમ કોર્ટે EWS જેવી અનામતને બંધારણીય ગણાવીને તેને યોગ્ય ઠેરવી હતી. પરંતુ અનામત પર લાગેલી 50 ટકાની મર્યાદા હટાવવા તે તૈયાર નથી. પટના હાઈકોર્ટે બિહાર સરકાર દ્વારા અનામતની ટકાવારી વધારવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સુપ્રીમ કોર્ટે પણ આને યોગ્ય ગણાવ્યું છે. આ તમામ બાબતો પર બારીકાઈથી નજર કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય દ્વારા અનામતને સામાજિકને બદલે આર્થિક આધાર પર કરવાનો ખેલ ચાલી રહ્યો છે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આગળ વાંચોઃ </span><a href="https://khabarantar.com/police-officials-and-the-government-came-together-to-paralyze-the-atrocities-act">પોલીસ, અધિકારીઓ અને સરકારે મળી એટ્રોસિટી એક્ટને પાંગળો બનાવ્યો</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 10 Aug 2024 12:47:33 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 11 Aug 2024 09:41:34 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1050</Articleid>
                    <excerpt>સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોએ એસસી,એસટી અનામતમાં ભાગલા પાડવાનો જે ચૂકાદો આપ્યો છે તેની પાછળનો અસલી હેતુ અનામતના મૂળ આધારને ખતમ કરી દેવાનો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b70ec127e96.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b70ec0ed17a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b70ec0ed17a.jpg" length="62930" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, BJP, RSS, reservation</media:keywords>
                </item>
                        <item>
                    <title>વકફ બોર્ડ વિશે ફેલાવવામાં આવેલા કેટલાક ભ્રમ અને જુઠ્ઠાણાં</title>
                    <link>https://khabarantar.com/some-illusions-and-lies-spread-about-wakf-board</link>
                    <guid>https://khabarantar.com/some-illusions-and-lies-spread-about-wakf-board</guid>
                    <description>
                        <![CDATA[ કેન્દ્ર સરકાર વકફ બિલ લઈને આવી એ સાથે જ ગોદી મીડિયા અને સત્તાપક્ષના આઈટી સેલે વકફ વિશે ભ્રમ ફેલાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે અહીં વકફની હકીકત સમજીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભામાં ગઈકાલે વકફ સુધારા બિલ માટે માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) રચવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો. આ સમિતિમાં 31 સભ્ય હશે. લોકસભામાંથી 21 અને રાજ્યસભામાંથી 10. સમિતિ સંસદના આગામી સત્રના પ્રથમ સપ્તાહમાં પોતાનો અહેવાલ સુપરત કરવાનો રહેશે.</span><br><span style="font-size: 14pt;">સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ બિલને જેપીસીને મોકલવા માટે લોકસભામાં પ્રસ્તાવ મૂક્યો હતો. રિજિજુએ એક દિવસ પહેલાં એટલે કે ગુરુવાર, 8 ઓગસ્ટે લોકસભામાં વકફ બિલ 2024 રજૂ કર્યું હતું. જેને લઈને વ્યાપક વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષે બિલને મુસ્લિમવિરોધી ગણાવીને તેનો વિરોધ કર્યો હતો. ભારે વિરોધ વચ્ચે આ બિલને લોકસભામાં કોઈપણ ચર્ચા વિના જેપીસીને મોકલી દેવામાં આવ્યું છે. </span><span style="font-size: 14pt;">ગોદી મીડિયા અને સોશિયલ મીડિયામાં સત્તાપક્ષની ટ્રોલસેના વકફ બોર્ડને લઈને વ્યાપક જુઠ્ઠાણાં ફેલાવી રહી છે. ત્યારે અહીં વકફ શું છે અને વિશે વિસ્તારથી સમજીએ.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">- રમેશ સવાણી</span></strong></span><br><span style="font-size: 14pt;">કેટલાંક મિત્રોનો હઠાગ્રહ છે કે વક્ફ બોર્ડ અંગે કેમ લખતા નથી? દરમિયાન ‘દિવ્યભાસ્કર’ના સંપાદકે કહ્યું કે ‘ભારતમાં રેલ્વે, આર્મી પછી જ ત્રીજા નંબરે વકફ બૉર્ડ પાસે મિલ્કતો છે.’ </span><br><span style="font-size: 14pt;">જુનાગઢ જિલ્લાના માણાવદરમાં રહેતા નિવૃત નાયબ મામલતદાર હુસેન દલ સાથે 9 ઓગસ્ટ 2024 ના રોજ ફોન પર વાત કરી વક્ફ બોર્ડ વિશે જાણકારી મેળવી. હુસેન દલ લખે છે:</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[1] આ દુષ્પ્રચાર છે. વક્ફ બોર્ડ પાસે એક ચોરસ મીટર જમીન નથી કે એક રૂપિયાની મિલ્કત નથી. જે  મિલ્કતો છે તે સંબંધિત ટ્રસ્ટને વકફ થયેલી છે અથવા જે તે ટ્રસ્ટે વેચાણથી લીધેલી છે. ધાર્મિક, પવિત્ર અને સખાવતી હેતુ માટે કોઈ એ પોતાની માલીકીની મિલ્કત કાયમી અર્પણ કરી હોય એટલે કે વકફ કરી હોય એ મિલ્કતો વકફ મિલ્કતો છે અને એ જે તે મુસ્લીમ સંસ્થા કે ટ્રસ્ટને આપવામાં આવી છે. વકફ બૉર્ડને નહીં. મિલ્કત વકફ છે પણ વકફ બૉર્ડની નથી. ખેડૂતોની જમીનનું રેકર્ડ મામલતદાર રાખે છે, હક્કપત્રકમાં એન્ટ્રીઓ મામલતદાર પાડે છે એટલે શું ખેડૂતોની જમીનો મામલતદારની થઈ જાય? ખેડૂતોની જમીનો ખેડૂતોની જ રહે છે પરંતુ જમીનોના વ્યવહારો પ્રવર્તમાન કાયદા મુજબ થાય એની તકેદારી મામલતદાર રાખે છે. બસ આવી જ ભુમીકા વકફ મિલ્કતો અંગે વકફ બૉર્ડની છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><a href="https://khabarantar.com/why-swaminarayans-manifest-brahmaswarupo-remains-silent-on-dalit-atrocities"><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ</span></a></span><span style="font-size: 14pt;"><a href="https://khabarantar.com/why-swaminarayans-manifest-brahmaswarupo-remains-silent-on-dalit-atrocities"> દલિત અત્યાચાર મામલે સ્વામિનારાયણના 'પ્રગટ બ્રહ્મસ્વરૂપો' ચૂપ કેમ રહે છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[2] એ જૂઠ છે કે ‘પાકિસ્તાન હિજરત કરી ગયેલાઓની મિલ્કતો વકફ બૉર્ડને આપી દેવામાં આવી છે.’ વાસ્તવમાં, પાકિસ્તાન હિજરત કરી ગયેલા મુસ્લિમોની મિલ્કતો ‘હિજરતી જાહેર’ કરીને પાકિસ્તાનથી હિજરત કરીને આવેલા નિરાશ્રિતોને આપી દેવામાં આવી છે. રાજા-મહારાજા કે નવાબ-નિઝામના મહેલો, મિલ્કતો સરકારના હસ્તક છે જેમાં આજ પણ સરકારી કચેરીઓ આવેલી છે. એકપણ હિજરતી મિલ્કત વકફ બૉર્ડ હસ્તક નથી. તેથી વકફ બૉર્ડ પાસે લાખો એકર જમીન છે અને કરોડોની મિલ્કત છે એ વાત હવામાં ગોળીબાર જેવી છે. જે તે વકફ ટ્રસ્ટ પાસે આ મિલકતો છે. એમાં મોટા ભાગની મિલ્કતો મસ્જિદો, દરગાહો, ઈદગાહો, કબ્રસ્તાન, મદ્રેસા છે અને અમુક મિલ્કતો મસ્જિદો, દરગાહો, મદ્રેસાના નિભાવ માટે આપવામાં આવેલી છે જેમાં મકાનો, દુકાનો છે જે ભાડૂતોના કબ્જામાં છે. ક્યાંક ખેતીની જમીનો છે. જેના ઉપર દરગાહના મુંજાવરોનો કબજો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[3] એ જૂઠ છે કે ‘કોઈપણ મિલ્કતને વકફ મિલ્કત જાહેર કરવાની સત્તા વકફ બૉર્ડને છે.’ 1947 પહેલાંની મસ્જિદો, દરગાહો, ઈદગાહો, કબ્રસ્તાન જેવા ધાર્મિક સ્થળો અને એને નિભાવવા માટે વકફ કરવામાં આવેલી. 1947 પહેલાંની મિલ્કતો મૂળ વકફ મિલ્કતો છે. પ્રથમથી જ આવી વકફ મિલ્કતો ચેરીટિ કમિશનરની કચેરીમાં અને મહેસુલી રેકર્ડમાં જે તે વકફ ટ્રસ્ટના નામે નોંધાયેલી છે. આવી મુળ વકફ મિલ્કતોના વકફ ટ્રસ્ટોનો વહીવટ 1995થી વકફ બૉર્ડ હસ્તક છે. 1947 પહેલાંની મુળ વકફ મિલ્કતો સિવાય કોઈ ખાનગી કે સરકારી મિલ્કતોને વકફ મિલ્કતો જાહેર કરવાની વકફ બૉર્ડને કોઈ સત્તા નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[4]1947 પછી કોઈ વ્યક્તિ પોતાની મિલ્કત કોઈ વકફ ટ્રસ્ટને વકફ કરે ત્યારે અને કોઈ વકફ ટ્રસ્ટ પોતે મિલ્કત ખરીદે ત્યારે પ્રવર્તમાન કાયદાનુસાર સ્ટેમ્પ ડ્યુટી ભરીને રજિસ્ટર દસ્તાવેજથી મિલ્કતો વકફ કરવામાં કે ખરીદવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/swaminarayan-literature-contains-nonsense-and-outright-lies">સ્વામિનારાયણ સાહિત્યમાં તદ્દન વાહિયાત અને જુઠ્ઠાં પરચાઓ છે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[5] વકફ બૉર્ડ શું છે ? વકફ એકટ-1954 અમલમાં હતો ત્યાં સુધી વકફ મિલ્કતો વાળા વકફ ટ્રસ્ટો ચેરીટિ કમિશ્નરમાં B વર્ગના ટ્રસ્ટો તરીકે નોંધાયેલાં હતા અને આવા ટ્રસ્ટો ઉપર દેખરેખ અને નિયંત્રણ ચેરીટિ કમિશ્નરનું હતું. વકફ એક્ટ-1995 અમલમાં આવ્યો ત્યારથી એટલે કે 1 જાન્યુઆરી 1996 થી આવા B-વર્ગના ટ્રસ્ટો રાજ્ય વકફ બૉર્ડ હસ્તક આવી ગયા છે. હવે આવા વકફ ટ્રસ્ટો ઉપર દેખરેખ અને નિયંત્રણ રાજ્ય વકફ બૉર્ડ રાખે છે. રાજ્ય વકફ બૉર્ડ રાજ્યના લીગલ ડીપાર્ટમેન્ટની એક શાખા છે. રાજ્ય વકફ બૉર્ડ ઉપર વહીવટી બાબતો માટે સેન્ટ્રલ વકફ કાઉન્સિલ છે અને ન્યાયિક બાબતો માટે વકફ ટ્રિબ્યુનલ છે. વકફ મિલ્કતો અને વકફ કમિટીઓને લગતા લીગલ કેસ સિવિલ કોર્ટમાં ચાલતા હતા તે હવે વકફ ટ્રિબ્યૂનલમાં ચાલે છે. વકફ ટ્રિબ્યૂનલ જીલ્લા કોર્ટ સમકક્ષ છે એના ઉપર હાઈકોર્ટ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[6] વકફ મિલ્કતો વકફ બૉર્ડના નામે નથી. વકફ બૉર્ડ સુપરવાઈઝરી ઓથોરીટિ છે કે જે વકફ મિલ્કતોનો વકફ એકટની જોગવાઈ મુજબ ઉપયોગ થાય એની તકેદારી રાખે છે. વકફ બૉર્ડની ભૂમિકા ચેરીટિ કમિશનર જેવી જ છે. એથી વિશેષ નથી. સ્વામી નારાયણ સંપ્રદાય ટ્રસ્ટની મિલ્કતો, કોઈ મંદિર ટ્રસ્ટની મિલ્કતો, કોઈ શૈક્ષણિક ટ્રસ્ટની મિલ્કતો, કોઈ હોસ્પિટલ ટ્રસ્ટની મિલ્કતો કે કોઈપણ ટ્રસ્ટની મિલ્કતો ઉપર જેમ ચેરીટિ કમિશ્નરનો માલિકી હક્ક નથી એવી જ રીતે વકફ ટ્રસ્ટની મિલ્કતો ઉપર વકફ બૉર્ડનો કોઈ હક્ક નથી. ચેરીટી કમિશ્નરની જેમ જ વકફ બૉર્ડ પણ ફકત સુપરવાઈઝરી ઓથોરીટી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[7] વકફ એક્ટ-1995માં 2013માં સુધારો કરી, વકફ મિલ્કતો વેચાણ કરવાની મંજૂરી આપવાની સત્તા વકફ બૉર્ડને હતી તે સમાપ્ત કરવામાં આવી છે. 2013 ના સુધારાથી વકફ મિલ્કતો વેચાણ કરવા ઉપર પ્રતિબંધ આવેલ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/why-are-temples-overflowing-with-people-here-is-the-reasoned-answer">શા માટે ધર્મસ્થળો માણસોથી ઉભરાય છે? આ રહ્યો તર્કબદ્ધ જવાબ</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[8] ટૂંકમાં, વકફ બૉર્ડ પાસે અઢળક મિલ્કતો હોવાની વાત તદ્દન ખોટી છે. વકફ બોર્ડ પાસે હિજરતી મિલ્કતો હોવાની વાત પણ તદ્દન વાહિયાત છે. વકફ બૉર્ડને કોઈપણ મિલ્કત વકફ મિલ્કત જાહેર કરવાની સત્તા, વકફ એકટમાં હોવાની વાત પણ તદ્દન ખોટી છે.</span><br><span style="font-size: 14pt;">જેમ ગાંધીનગરમાં અક્ષરધામને 1 રુપિયામાં આપેલી જમીનનો ઉપયોગ વેપારી પ્રવૃતિ માટે થઈ શકે નહીં, તે રીતે ધાર્મિક હેતુ માટે જે મિલકત વકફ કરવામાં આવી છે તેનો ઉપયોગ ધંધા માટે થઈ ન શકે. સવાલ એ છે કે The Waqf (Amendment) Bill, 2024 શા માટે? કદાચ, કાયદામાં સુધારો કરીને ‘હેતુ ફેર’ કરવાનો ઈરાદો હોઈ શકે.</span></p>
<p style="text-align: justify;"><strong><em><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">(લેખક પૂર્વ આઈપીએસ અને રેશનલ વિચારધારાના પક્ષધર છે)</span></em></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/so-far-democracy-has-only-been-saved-rehabilitation-restoration-is-pending">હજુ તો લોકશાહીનો માત્ર બચાવ થયો છે, પુનર્વસન-પુનઃસ્થાપન બાકી છે</a></span></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 10 Aug 2024 10:14:50 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 11 Aug 2024 09:41:51 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1049</Articleid>
                    <excerpt>કેન્દ્ર સરકાર વકફ બિલ લઈને આવી એ સાથે જ ગોદી મીડિયા અને સત્તાપક્ષના આઈટી સેલે વકફ વિશે ભ્રમ ફેલાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે અહીં વકફની હકીકત સમજીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b6ec7c9aede.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b6ec7c6b25a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b6ec7c6b25a.jpg" length="79354" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, wakf board, wakf bill 2024</media:keywords>
                </item>
                        <item>
                    <title>સુપ્રીમ કોર્ટનો ચુકાદો BSP માટે &amp;apos;ટર્નિંગ પોઈન્ટ&amp;apos; સાબિત થવા જઈ રહ્યો છે</title>
                    <link>https://khabarantar.com/the-supreme-courts-verdict-is-going-to-prove-to-be-a-turning-point-for-the-bsp</link>
                    <guid>https://khabarantar.com/the-supreme-courts-verdict-is-going-to-prove-to-be-a-turning-point-for-the-bsp</guid>
                    <description>
                        <![CDATA[ સત્તાધારી સવર્ણોના ઈશારે સુપ્રીમના સવર્ણ જજોએ SC, ST અનામતમાં ભાગલા પાડવાનો ચૂકાદો તો આપી દીધો, પણ હવે જે થવા જઈ રહ્યું છે તેની કદાચ તેણે કલ્પના નહીં કરી હોય. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોના એસસી, એસટી અનામતમાં ભાગલા પાડવાની સુનિયોજિત ચાલને લઈને જ્યાં સમગ્ર એસસી, એસટી સમાજ કરો યા મરોની સ્થિતિમાં આવીને લડવા તૈયાર થયો છે, તો બીજી તરફ રાજકીય પક્ષોએ કદાચ જેની સપનામાં પણ કલ્પના નહીં કરી હોય તેવો એક ટર્નિંગ પોઈન્ટ બહુજન સમાજ પાર્ટી માટે આવી ગયો છે. સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો બહુજન સમાજ પાર્ટી માટે સંજીવની બુટ્ટી સાબિત થઈ રહ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપાના સ્થાપક માન્યવર કાંશીરામે દલિત સમાજમાં એવી રાજકીય ચેતના જગાવી હતી કે બહેન કુમારી માયાવતી યુપીમાં ચાર વખત સત્તા પર બિરાજમાન થઈ શક્યા હતા. એંશીના દાયકામાં, માન્યવરે સમાજના સૌથી નીચલા સ્તરે ઉભેલા દલિતોમાં એવી રાજકીય ચેતના પેદા કરી કે તેમને રાજકીય વ્યૂહરચનાના કેન્દ્રમાં લાવી દીધાં. દલિત મતોના દમ પર બીએસપીનું રાજ લાંબા સમય સુધી ચાલ્યું. પરંતુ સત્તામાંથી બહાર જતા જ BSPની રાજકીય જમીન સતત સંકોચાતી જઈ રહી છે. આવી સ્થિતિમાં, એસસી-એસટી અનામતના વર્ગીકરણ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયે બસપાને એક મોટો મુદ્દો આપી દીધો છે અને તે જ તેની રાજકીય જમીનને ફરી પરત લાવવા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થવા જઈ રહ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/what-is-the-contribution-of-collegium-judges-regarding-classification-into-sc-st">એસસી, એસટી અનામતમાં વર્ગીકરણ પાછળ કોલેજિયમ જજોની દાનત શું છે?</a></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે રાજ્યોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે સબ કેટેગરી તૈયાર કરવાનો અધિકાર આપ્યો છે. જસ્ટિસ બીઆર ગવઈએ SC-ST અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવા પર પણ ભાર મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયના વિરોધમાં બહેન માયાવતી અને બહુજન સમાજ પાર્ટી ખુલીને સામે આવ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયાવતીએ કહ્યું કે અનામતમાં ભાગલા અયોગ્ય અને ગેરબંધારણીય છે. સાથે જ તેમણે સુપ્રીમ કોર્ટને આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની સાથે SC-ST વર્ગના લોકોને તેમના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા અપીલ કરી હતી. દલિત સમાજને તેમણે યાદ અપાવ્યું હતું કે આ કરો યા મરોની આ સ્થિતિને સમજીને એક થાવ અને તમામ રાજકીય પક્ષો પર દબાણ લાવી તેમને બંધારણીય સુધારો કરવા મજબૂર કરો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયાવતીએ SC-ST અનામતમાં સબ કેટેગરી બનાવવાના નિર્ણયને સીધો પકડાર ફેંક્યો છે. એ રીતે બસપાનું સંગઠન ભારતભરમાં ફરી મજબૂત થવા જઈ રહ્યું છે. બસપાએ એવી રણનીતિ બનાવી છે કે ગ્રામસભા દ્વારા પાર્ટી અનામતના મુદ્દે લોકોને જાગૃત કરશે. આ માટે જિલ્લાથી લઈને ગ્રામ્ય સ્તર સુધી બસપાના નેતાઓને વિશેષ માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">BSP અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના મતદારો વચ્ચે અનામતના મુદ્દાને અસરકારક રીતે સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. SC-ST અનામતમાં ભાગલાનો સવર્ણ જજોનો નિર્ણય વાસ્તવમાં દલિત અને આદિવાસી સમાજની અનામત ખતમ કરવા તરફનું સુનિયોજિત કાવતરું હોવાનું બીએસપી સમજી ચૂકી છે. આથી જ તે કરો યા મરોની લડતમાં કોઈ કસર બાકી રાખવા માંગતી નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/supreme-courts-judgment-on-reservation-is-just-a-joke-prakash-ambedkar">અનામત અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો માત્ર જુમલાબાજી છેઃ પ્રકાશ આંબેડકર</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">BSPના રાષ્ટ્રીય કોર્ડિનેટર આકાશ આનંદે એક જાહેર સભામાં કહ્યું હતું કે, "ભાજપ અને કોંગ્રેસના નેતાઓ હાથમાં લાલ પુસ્તક(બંધારણ) બતાવીને કહે છે કે અમે બંધારણ બચાવવા આવ્યા છીએ, પરંતુ આ લોકો આપણી પાસેથી આપણો અધિકાર છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણાના ગોહનામાં આકાશ આનંદે કહ્યું કે, "એક તરફ ભાજપ છે, જેના નિશાન પર માન્યવર કાંશીરામ સાહેબની બહુજન ચળવળ છે, બીજી બાજુ કોંગ્રેસ છે, જેણે હંમેશા બાબા સાહેબ અને તેમના કાર્યોને નફરત કરી છે. આ બંને રાજકીય પક્ષો જાતિવાદી માનસિકતા ધરાવે છે. આ લોકો પોતાના ફાયદા માટે કાયમ એસસી, એસટીની અનામત અને બંધારણને વિકૃત કરવાનો પ્રયત્ન કરતા રહ્યા છે. બંધારણ બચાવોની દુહાઈ આપીને તેઓ દલિત સમુદાયનો વિશ્વાસ જીતીને તેમનો રાજકીય ફાયદો શોધી રહ્યાં છે. એનું જ કારણ છે કે, બંધારણ બચાવવાની વાતો કરતા, હાથમાં બંધારણ લઈને ફરતા કોંગ્રેસ, સહિતના પક્ષના નેતાઓએ એસસી, એસટીની અનામતમાં ભાગલા પાડવા મુદ્દે એક હરફ ઉચ્ચાર્યો નહોતો."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એંશીના દાયકામાં માન્યવર કાંશીરામે દલિત સમાજમાં શાસન અને સત્તામાં ભાગીદારી માટે બહુજન સમાજ પાર્ટીની રચના કરી હતી. સામાજિક ન્યાયને ઉજાગર કરતી વખતે માન્યવર કાંશીરામે કહ્યું હતું કે 'જીસકી જીતની સંખ્યા ભારી, ઉસકી ઉતની હિસ્સેદારી'. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ રીતે, માન્યવરે દલિત સમાજના અધિકારો અને સ્વતંત્રતા માટે પહેલા DS-4, પછી BAMCEFની રચના કરી અને 1984માં દલિત, OBC અને લઘુમતી સમાજને રાજકીય અધિકારો આપવા માટે બહુજન સમાજ પાર્ટી(BSP)ની રચના કરી હતી. એ રીતે BSPએ ઉત્તર પ્રદેશની રાજનીતિમાં પોતાની આગવી છાપ છોડી અને બહેન કુમારી માયાવતીજી ચાર વખત મુખ્યમંત્રી બન્યાં.નમાન્યવરના બહુજન હિતાય, બહુજન સુખાયની સાથે આગળ જતા માયાવતીએ સર્વજનને જોડ્યાં. જેની અસર એ થઈ કે, વર્ષ 2007માં બીએસપીએ પૂર્ણ બહુમતી સાથે યુપીમાં સરકાર બનાવી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/my-lord-why-should-the-burden-of-social-justice-be-shouldered-by-dalits-tribals">માય લોર્ડ, સામાજિક ન્યાયનો ભાર દર વખતે દલિતો-આદિવાસીઓના ખભે શા માટે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ એ પછી બસપાની નબળા પડવાની પ્રક્રિયા શરૂ થઈ. 2012માં બસપા ઉત્તર પ્રદેશમાં સત્તા પરથી બહાર થઈ એ પછીથી તેનું પ્રદર્શન ક્યારેય સુધરી શક્યું નથી. યુપીમાં ઘટતો જનાધાર અને દલિત વોટબેંક પરના જંગમાં બસપા માટે પડકાર વધી ગયો છે. બીએસપી હાલ તેના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશમાં દલિત મતદારો 21 ટકા છે અને 2019ની લોકસભા ચૂંટણીમાં BSPનો વોટ શેર 19.43 ટકા હતો. જે વર્ષ 2024ની ચૂંટણીમાં ઘટીને 9.39 ટકાએ પહોંચી ગયો છે. જે દર્શાવે છે કે, બિન-જાટવ મતદારો પહેલા જ બીએસપીથી દૂર થી ગયા હતા, પણ આ ચૂંટણીમાં તેના જાટવ મતદારો પણ વિખેરાઈ ગયા હતા. આશ્વાસન લેવા જેવી એક વાત એ રહી કે, જાટવ સમાજના 60 ટકા મતદારો હજુ પણ બસપા સાથે રહ્યા છે, પરંતુ સપા-કોંગ્રેસ તેમના 30 ટકા વોટ પડાવી લેવામાં સફળ રહ્યાં હતા. જ્યારે ભાજપને માત્ર 10 ટકા જાટવ મતો મળ્યા હતા. તેવી જ રીતે બીએસપીના પાસી સમાજના મતોમાં પણ વિભાજન જોવા મળ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ યુપીમાં સત્તાધારી ભાજપ દલિત સમાજને આપવામાં આવેલી 21 ટકા અનામતની વહેંચણીની રમત કરશે. અહીં દલિતો રાજકીય રીતે જાટવ અને બિનજાટવમાં વહેંચાયેલા છે. રાજનાથસિંહ જ્યારે યુપીના મુખ્યમંત્રી હતા ત્યારે અહીં 21 ટકા દલિત અનામતને 10 ટકા અને 11 ટકામાં વહેંચવાની ચાલાકી કરાઈ હતી, પરંતુ તે સમયે બસપાની જબરજસ્ત તાકાતને કારણે તેનો અમલ થઈ શક્યો નહોતો. યુપીમાં જાટવ સમાજને અનુસૂચિત જાતિઓને આપવામાં આવેલી અનામતનો સારો ફાયદો થયો છે, ત્યારબાદ ધોબી, પાસી અને અન્ય જાતિઓ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/65-percent-of-bharat-ratna-has-been-given-to-brahmins-none-to-tribals">65 ટકા ભારત રત્ન એવોર્ડ બ્રાહ્મણોને અપાયા છે, આદિવાસીને એકેય નથી મળ્યો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીએસપીએ હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કરો યા મરો જેવી સ્થિતિમાં જાટવ સમાજનો વિશ્વાસ જાળવી રાખીને પાસી, ધોબી અને ખાટીક સમાજને એક કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે, જે એક મોટો રાજકીય દાવ માનવામાં આવે છે. બહેનજી ફરી એકવાર તેમના પહેલાના મિજાજમાં પાછા ફરતા જોવા મળી રહ્યાં છે. દલિત, આદિવાસી સમાજની અનામતમાં ભાગલા સમગ્ર બહુજન સમાજની સાથે બીએસપી માટે પણ એક મોટો મુદ્દો બની ગયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહેન કુમારીમાયાવતીએ ઉત્તર પ્રદેશમાં અનામતને મોટો મુદ્દો બનાવીને આર યા પારની લડત માટેની યોજના બનાવી છે. ક્વોટામાં ક્વોટાના નિર્ણય સામે જમીની સ્તરેથી વાતાવરણ ઉભું કરવાનું શરૂ થઈ ચૂક્યું છે. બસપાના કાર્યકરો, બૌદ્ધિકો ગામડે ગામડે જઈને એસસી-એસટી સમાજના લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે, સવર્ણ પક્ષો સુપ્રીમ કોર્ટના ખભે બંદૂક મૂકીને દલિત, આદિવાસીઓની અનામત ખતમ કરવાનું કાવતરું કરી રહ્યાં છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/how-did-the-slogan-of-jai-bheem-outweigh-jai-shri-ram">'જયશ્રી રામ' સામે 'જય ભીમ'નો નારો કેવી રીતે ભારે પડ્યો?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે બીએસપીના કાર્યકરોએ દરેક ગામમાં બેઠકો કરવાની શરૂ કરી દીધી છે. મિટીંગોમાં દલિત અને આદિવાસી સમાજના બૌદ્ધિકોને આમંત્રિત કરવામાં આવી રહ્યાં છે, જેઓ એસસી, એસટી સમાજના લોકોને સમજાવી રહ્યાં છે કે, કેવી રીતે સત્તાધારી સવર્ણોના ઈશારે સુપ્રીમ કોર્ટના સવર્ણ જજો દલિતો, આદિવાસીઓની અનામતમાં ફાટ પડાવીને આખી અનામત વ્યવસ્થા જ ખતમ કરવાનું સુનિયોજિત કાવતરું રચી રહ્યાં છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટૂંકમાં સુપ્રીમ કોર્ટનો દલિત, આદિવાસી વિરોધી ચૂકાદો બહુજન રાજનીતિ, ખાસ કરીને બહુજન સમાજ પાર્ટી માટે ટર્નિંગ પોઈન્ટ બની ગયો છે. જેની અસર આગામી દિવસોમાં સ્પષ્ટ રીતે બહુજન રાજનીતિમાં નવેસરથી જોવા મળશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/Even-if-there-is-a-difference-between-you-and-me,-it-can-be-overcome-only-by-grooming-the-Bahujan-politics,-not-by-blowing-up-the-divide">મારી- તમારી અસહમતી હોય તો પણ, બહુજન રાજનીતિની માવજત કરીને જ તેને દૂર કરી શકાશે, છેડ ઉડાડીને નહીં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 08 Aug 2024 15:02:59 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 08 Aug 2024 15:03:17 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1043</Articleid>
                    <excerpt>સત્તાધારી સવર્ણોના ઈશારે સુપ્રીમના સવર્ણ જજોએ SC, ST અનામતમાં ભાગલા પાડવાનો ચૂકાદો તો આપી દીધો, પણ હવે જે થવા જઈ રહ્યું છે તેની કદાચ તેણે કલ્પના નહીં કરી હોય.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b48cb31797c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b48cb2da754.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b48cb2da754.jpg" length="68245" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case BSP, Mayawati</media:keywords>
                </item>
                        <item>
                    <title>અનામત અંગે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો કેવળ જુમલાબાજી છેઃ પ્રકાશ આંબેડકર</title>
                    <link>https://khabarantar.com/supreme-courts-judgment-on-reservation-is-just-a-joke-prakash-ambedkar</link>
                    <guid>https://khabarantar.com/supreme-courts-judgment-on-reservation-is-just-a-joke-prakash-ambedkar</guid>
                    <description>
                        <![CDATA[ SC-ST અનામતમાં ભાગલા પાડવાના સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોના ચૂકાદા અંગે વંચિત બહુજન અઘાડીના અધ્યક્ષ અને ડૉ. આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે આકરી પ્રતિક્રિયા આપી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટના ચુકાદાનો કોઈ આધાર નથી. આ માત્ર જુમલાબાજી છે. જો ચુકાદો તથ્યો પર આધારિત હોત તો હું સમજી શકત કે કોર્ટે કંઈક કહ્યું છે. પરંતુ જ્યારે તથ્યોની બહાર નિર્ણય લેવામાં આવે છે ત્યારે શંકાઓ જન્મે છે અને પ્રશ્નો ઉભા થાય છે. - વંચિત બહુજન અઘાડીના અધ્યક્ષ અને બાબાસાહેબના પૌત્ર ડો. પ્રકાશ આંબેડકરે એક મુલાકાતમાં આ પ્રકારની આકરી પ્રતિક્રિયા આપી છે. ફોરવર્ડ પ્રેસે તેમની ટેલિફોનિક મુલાકાત લીધી હતી જેનો અહીં અનુવાદ રજૂ કરીએ છીએ.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">એસસી-એસટી પેટા વર્ગીકરણ અંગે સુપ્રીમ કોર્ટની સાત સભ્યોની બેંચના નિર્ણય પર તમારી પ્રાથમિક પ્રતિક્રિયા શું છે?</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમે માનીએ છીએ કે કોર્ટે પેટા વર્ગીકરણ કેવી રીતે થશે તે સ્પષ્ટ કર્યું નથી, તેથી અમે તેનો વિરોધ કરીએ છીએ. બેન્ચે અનુસૂચિત જાતિના પેટા-વર્ગીકરણની નોંધ લીધી, જ્યારે એક સમુદાય તરીકે સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણમાં તેનું પ્રતિનિધિત્વ હજુ પણ સમાજના ઘણા સમુદાયો કરતાં ઘણું ઓછું છે. બેકલોગની અનામત જગ્યાઓ પર પણ ભરતી કરવામાં આવી નથી. જો અનામત પુરી થઈ હોત તો કદાચ અમે સમજી શક્યા હોત કે કયા સમાજને મળી અને કયા સમાજને નથી મળી. હાલ જે અનામત છે, તેની પચાસ ટકા પણ આપવામાં આવી રહી નથી, તો તમે કેવી રીતે કહી શકો કે આ સમાજને તેનો લાભ મળ્યો અને આ સમુદાયને નળી મળ્યો? કોઈક આધાર તો હોવો જોઈએ ને? એ રીતે જોઈએ તો સુપ્રીમ કોર્ટના ચુકાદાનો કોઈ આધાર નથી. આ કેવળ જુમલાબાજી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો ચુકાદો તથ્યો પર આધારિત હોત તો હું સમજી શકત કે કોર્ટે કંઈક કહ્યું છે. પરંતુ જ્યારે તથ્યોની બહાર નિર્ણય લેવામાં આવે છે ત્યારે શંકાઓ જન્મે છે અને પ્રશ્નો ઉભા થાય છે. હું કહીશ કે આ ચૂકાદો એક રીતે ઈન્દ્રા સાહનીના કેસમાં નવ ન્યાયાધીશોની બેન્ચે જે ચુકાદો આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે SC-ST પર ક્રીમી લેયર લાદી શકાય નહીં, એ જ ક્રીમી લેયર લાદવાની વાત વર્તમાન સુપ્રીમ કોર્ટના સાત જજોની પીઠે પરોક્ષ રીતે કહી છે. હકીકતે, ઇ.વી. ચિન્નૈયા વિ. આંધ્રપ્રદેશના ચુકાદામાં યોગ્ય બંધારણીય જોગવાઈઓ વિશે સમજાવવામાં આવ્યું હતું. બંધારણ કહે છે કે એસસી-એસટીમાં કઈ જાતિનો સમાવેશ થશે અને કોણ બહાર થશે તે નક્કી કરવાનો અધિકાર માત્ર સંસદને છે, વિધાનસભાઓને નહીં. અમે માનીએ છીએ કે આ બંધારણીય જોગવાઈનું યોગ્ય અર્થઘટન છે. જ્યાં સુધી સામાજિક ન્યાયનો સવાલ છે, તો અમે કોઈ એક વર્ગ માટે સામાજિક ન્યાયની વાત કરતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Give-in-writing-not-join-hands-with-BJP-after-elections-Prakash-Ambedkar-has-put-a-condition-against-Uddhav-Pawar-Congress"><span style="font-size: 14pt;">લેખિતમાં આપો ચૂંટણી પછી ભાજપ સાથે જોડાણ નહીં કરો, પ્રકાશ આંબેડકરે ઉદ્ધવ-પવાર-કૉંગ્રેસ સામે મૂકી શરત</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમગ્ર દેશના સ્તરે કહેવામાં આવે છે. હું તો કહું છું, સામાજિક ન્યાયની આ ચર્ચાની શરૂઆત ન્યાયતંત્રથી જ કેમ ન કરવી? તમે એસસી, એસટી અને ઓબીસીની વાત છોડો સવર્ણોને પણ ન્યાયતંત્રમાં પુરતી ભાગીદારી નથી મળતી. તો તમે કેવી રીતે કહી શકો કે તમે એક સમાજના આધારે અનામતનું પેટાવર્ગીકરણ કરશો અને બીજાના આધારે નહીં? આ ઈક્વાલિટી બિફોર લોનો મામલો છે. તેથી મને લાગે છે કે સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો એવી બીજી ઘણી બાબતોને સામે લઈને આવ્યો છે જેના પર હવે ચર્ચા થશે. બીજી વાત એ કે, આ નિર્ણયથી સમસ્યા ઉકેલાવાને બદલે વધુ ગૂંચવાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તમને નથી લાગતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી રાજ્ય આ દિશામાં કેટલીક વિવાદાસ્પદ પહેલ કરશે અને તેને કોર્ટમાં મોટી બેંચના ધ્યાન પર લાવવામાં આવશે, જેમ કે કેશવાનંદ ભારતી વિ. યુનિયનના કેસમાં થયું હતું, જેમાં 13 સભ્યોની બેન્ચે ચૂકાદો આપ્યો હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૂળ મુદ્દો એ છે કે એસસી-એસટીના મામલે રાજ્યને કોઈ અધિકાર નથી. જે સત્તા છે તે માત્ર સંસદ પાસે છે. બંધારણ આ મામલે રાજ્યને શૂન્ય સત્તા આપે છે. અને અનુસૂચિત જાતિના મામલામાં જો કોઈની પાસે પાવર છે તો તે સંસદ પાસે છે. જ્યારે ચુકાદો કહે છે કે રાજ્યએ ક્વોટા નક્કી કરવો જોઈએ, તો આ ચુકાદો બંધારણની વિરુદ્ધ છે. તેથી જ મેં એ શબ્દનો ઉપયોગ કર્યો કે આ ચુકાદાએ મામલાને ઉકેલવાને બદલે જટિલ બનાવી દીધો છે. રહી વાત કેન્દ્ર સરકારની આ મામલામાં કોઈ હસ્તક્ષેપ કરવાની, તો મને લાગે છે કે આ નિર્ણય તેમના ઈન્ટ્રેસ્ટ પ્રમાણે જ આવ્યો છે, એટલે તેઓ તેને પડકારશે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટનો ચુકાદો કહે છે કે પેટા-વર્ગીકરણનો આધાર ઈંપીરીકલ ડેટા હોવો જોઈએ, જેની વ્યાખ્યા સરકારી નોકરીઓમાં પ્રતિનિધિ તરીકે કરવામાં આવી છે. પરંતુ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં આ કેવી રીતે પ્રતિબિંબિત થશે, ઉદાહરણ તરીકે, શિક્ષકો અને વિદ્યાર્થીઓના દૃષ્ટિકોણથી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જુઓ, વાત એ છે કે વર્તમાનમાં જે વસ્તીગણતરી થાય છે, તેમાં અનુસૂચિત જાતિની વિવિધ જાતિઓ માટેની કોલમ હોય છે, પણ તેને પ્રકાશિત કરવામાં આવતી નથી. SC સમુદાયની કુલ વસ્તી અને તેની ટકાવારી કેટલી છે તે પ્રસિદ્ધ કરવામાં આવે છે. પણ ચમાર કેટલાં છે, વાલ્મીકિ કેટલા છે, તે પ્રકાશિત કરવામાં નથી આવતું. મતલબ પેટાજાતિઓની વસ્તીનો ડેટા ચૂંટણી પંચ પાસે ચોક્કસ છે, પરંતુ પબ્લિક ડોમેનમાં નથી. અને તે પબ્લિક ડોમેનમાં ન હોવાને કારણે તમે એ પણ નક્કી નથી કરી શકતા કે કઈ જાતિનો કેટલો વિકાસ થયો છે અને કોનો નથી થયો. હું આ એટલા માટે કહી રહ્યો છું, કારણ કે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ડેટા વગરનો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ વર્ગને સજાતીય વર્ગ નથી માન્યો. જ્યારે સમાજમાં વ્યવહારના સ્તરે તેમની વચ્ચે અસ્પૃશ્યતા એક સત્ય છે. આપ આ વિશે શું કહેશો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અસ્પૃશ્યતા તો દરેક સ્તરે સામાન્ય હોય જ છે. એમાં કોઈ બેમત નથી. ચૂકાદામાં આ પણ એક ભૂલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એક પ્રશ્ન એ છે કે સુપ્રિમ કોર્ટે અનુસૂચિત જાતિ કેટેગરીના પેટા-વર્ગીકરણને આ શ્રેણીમાં કોઈપણ જાતિના સમાવેશ કે બાદબાકીની પ્રક્રિયા તરીકે ગણી નથી, જેના માટે માત્ર સંસદ અધિકૃત છે, તમારો શું અભિપ્રાય છે? </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હું એ જ તો કરી રહ્યો છું. જ્યારે રાજ્યને નિર્ણય કરવાનો અધિકાર જ નથી, તો પછી તમે રાજ્યને ક્વોટા અથવા પેટા વર્ગીકરણ કરવાનો અધિકાર કેવી રીતે આપ્યો? રહી વાત SC અનામતની, તો તે સ્પષ્ટ છે કે વસ્તી ગણતરીમાં જે આંકડાઓ સામે આવશે તેના આધારે જ નક્કી કરવામાં આવશે. તો મુદ્દો એ છે કે પેટા વર્ગીકરણ રાજ્ય નક્કી કરે તે યોગ્ય નથી. રાજ્યને તે નક્કી કરવાનો અધિકાર નથી. SC-STના મામલામાં બંધારણે રાજ્યને બહાર રાખ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અનુસૂચિત જાતિમાં ક્રીમી લેયરની શક્યતા અંગે સાત જજોની બેન્ચનો ભાગ રહેલા જસ્ટિસ ગવઈ, જેઓ પોતે દલિત સમાજમાંથી આવે છે તેમના તારણોને તમે કેવી રીતે જુઓ છો? શું તમને લાગે છે કે તેમણે તેમના અનુભવોના આધારે આ વાત કહી હોય? બીજું કે શું ખરેખર અનુસૂચિત જાતિ માટે બંધારણમાં નિર્ધારિત અનામત ક્વોટાનો હવે આટલી હદે દુરુપયોગ થઈ રહ્યો છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે તેમની(જસ્ટિસ બી.આર. ગવઈ) નિમણૂક કરવામાં આવી ત્યારે તેમના પિતા સ્પીકર અને ગવર્નર રહી ચૂક્યા હતા, એટલે તેમણે તેમના ચુકાદામાં લખવું જોઈતું હતું કે તેઓ પોતાને ક્રીમી લેયરમાં સામેલ કરે છે. તમારે તમારો ચૂકાદો પહેલા તમારા પર લાગુ કરવો જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ નિર્ણય આંબેડકરવાદી ચળવળ, બ્રાહ્મણવાદ સામેના સંઘર્ષ અને દલિત રાજકારણ પર કેવી અસર કરશે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જુઓ, આંબેડકરવાદ હવે માત્ર સરકારી નોકરીઓ પૂરતો મર્યાદિત નથી રહ્યો. તેનો વિસ્તાર થયો છે. તે દરેક અન્યાયી બાબતો સુધી ફેલાઈ ગયો છે, અને એટલે જ તે આગળ વધી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જસ્ટિસ પંકજ મિત્તલે ગીતા અને પૌરાણિક પાત્ર કૃષ્ણને ટાંકીને કહ્યું કે જાતિ વ્યવસ્થા બ્રાહ્મણવાદી માન્યતાઓનું વિકૃત સ્વરૂપ છે. તેમના મતે, બ્રાહ્મણવાદી ભૂતકાળ જાતિવિહીન હતો અને બંધારણે આપણને જાતિવિહીન સમાજ બનાવવાની તક આપી છે અને અનામતનો ઉપયોગ આર્થિક રીતે થવો જોઈએ. શું તમને નથી લાગતું કે જસ્ટિસ મિત્તલનું આ તારણ સામાજિક ન્યાય અંગે ઉચ્ચ જાતિ અને બ્રાહ્મણવાદી માનસિકતાનું સૂચક છે, જે સંપૂર્ણપણે અન્યાયી છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે જસ્ટિસ પંકજ મિત્તલ પોતાને વૈદિક ધર્મ સાથે જોડે છે, ત્યારે તેઓ તેને બચાવવાનો પ્રયાસ કરે છે. તેમણે તો એમ કહેવું જોઈએ કે મનુસ્મૃતિ ગેરકાયદે છે. તેમણે હિંમત કરવી જોઈએ કે, રાજસ્થાન હાઈકોર્ટની સામે રાખવામાં આવેલા મનુના પૂતળાને હટાવવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટના આ નિર્ણયમાં ઓબીસીના પેટા વર્ગીકરણને કેવી રીતે જોવું જોઈએ?</span></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જુઓ, OBC માટે અનામત કલમ 340 મુજબ છે, જેના આધારે તૈયાર કરેલી યાદીને પડકારી શકાય છે. પરંતુ આ બંધારણની બહારની યાદી હોવાથી તે રાજ્યનો અધિકાર હોઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અંતિમ પ્રશ્ન એ છે કે શું તમને લાગે છે કે આ નિર્ણય અનુસૂચિત જાતિના ક્વોટા અને તેમના રાજકારણને અસર કરશે? શું તમામ દલિત પક્ષો એક થઈને આ મુદ્દે લડશે, અને તમે તેમાં જોડાશો?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચોક્કસ. મને લાગે છે કે યુપીમાં જેમ માયાવતી અને ચંદ્રશેખર આઝાદ છે, તેમણે સાથે બેસીને નિર્ણય લેવો જોઈએ. ચિરાગ પાસવાન અને રામદાસ આઠવલેએ નક્કી કરવું જોઈએ કે તેઓ સરકારમાં રહેવા માગે છે કે નહીં. જ્યાં સુધી અમારી પાર્ટીની વાત છે તો અમે તો લડી જ રહ્યાં છીએ. અને જો બધાં સાથે મળીને નિર્ણય કરે તો અમે આ લડતનું નેતૃત્વ કરવા તૈયાર છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/My-grandfather-Dr.-Babasaheb-Ambedkar-had-warned-that...%E2%80%9D-Prakash-Ambekar-declined-the-invitation-to-Ram-Mandir"><span style="font-size: 14pt;"> “મારા દાદા ડૉ. બાબાસાહેબ આંબેડકરે ચેતવ્યા હતા કે...” પ્રકાશ આંબેકરે રામ મંદિરનું નિમંત્રણ ઠુકરાવ્યું</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 07 Aug 2024 18:22:01 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 07 Aug 2024 17:33:19 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1039</Articleid>
                    <excerpt>SC-ST અનામતમાં ભાગલા પાડવાના સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોના ચૂકાદા અંગે વંચિત બહુજન અઘાડીના અધ્યક્ષ અને ડૉ. આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે આકરી પ્રતિક્રિયા આપી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b36000001aa.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b35fffc2550.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b35fffc2550.jpg" length="63942" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>SC, ST માં વર્ગીકરણ બાબતે કોલેજીયમ જજોની દાનત શું છે?</title>
                    <link>https://khabarantar.com/what-is-the-contribution-of-collegium-judges-regarding-classification-into-sc-st</link>
                    <guid>https://khabarantar.com/what-is-the-contribution-of-collegium-judges-regarding-classification-into-sc-st</guid>
                    <description>
                        <![CDATA[ એસસી, એસટી સમાજની અનામત સવર્ણ હિંદુઓને વર્ષોથી ખટકતો મુદ્દો રહ્યો છે. શરૂઆત પબ્લિકેશનના કૌશિક પરમાર અહીં ન્યાય તોળનારાઓની દાનતની વાત કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કૌશિક શરૂઆત</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદીના ૭૭ વર્ષ બાદ અનામત પૂરી રીતે લાગુ નથી થઈ, વસ્તી પ્રમાણે સીટો નથી ભરાઈ, આખા દેશની જાતિગત વસ્તી ગણતરી નથી કરવા દેવી અને હવે કોલેજીયમ સિસ્ટમથી જજ બનતા સવર્ણોએ અનામતનું વર્ગીકરણ કરવું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વસ્તી પ્રમાણે દલિત, આદિવાસીઓને પ્રતિનિધિત્વ આપ્યું હોત અને કેટલીક જાતિઓ પછાત રહી જાત તો કહેવાત કે ચાલો વર્ગીકરણ કરીએ. પણ હજી તો સીટો ભરવાની બાકી છે. તે પણ આઝાદીના ૭૭ વર્ષ બાદ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્ર સરકારમાં અને રાજ્ય સરકારમાં કેટલા કઈ કઈ જાતિના SC, ST સરકારી કર્મચારીઓ છે?આવા આંકડા ક્યાં છે? સુપ્રીમ કોર્ટ પાસે આવા આંકડા છે? શું આવો કોઈ સર્વે થયો છે? શું આવી કોઈ જાતિગત સરકારી કર્મચારીઓની ગણતરી થઈ છે? જો આંકડાઓ જ નથી તો સુપ્રીમ કોર્ટ કોઈ આધાર, પુરાવા વગર આવા મનસ્વી ચુકાદા કેવી રીતે આપી શકે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હું આંકડા આપુ? EWS થી ૪ વર્ષમાં ૭૪ બ્રાહ્મણ અને ૧૩ ક્ષત્રિય IAS બન્યા છે. સુપ્રીમ કોર્ટમાં ૫૦% થી વધારે જજ બ્રાહ્મણ છે. અહીં, જરૂર છે પેટા વિભાજનની અને બ્રાહ્મણોને તેમની વસ્તી પ્રમાણે નિયંત્રિત કરવાની કે જેથી દેશના અન્ય લોકોને પણ તેમની ભાગીદારી મળે. આઝાદીના ૭૪ વર્ષ પછી તો બીજી જાતિઓને જજ, IAS બનવા દો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખરેખર તો આમની દાનત જ ખોરી છે. પોલીસ હોય કે જજ, સામાજિક ન્યાય તેમના લોહીમાં નથી. આજે પણ એટ્રોસિટીની ફરિયાદો નોંધાવવા આંદોલન, ધરણા કરવા પડે છે, લાશો ગીરવે મૂકી આંદોલન કરીએ ત્યારે જતી FIR થાય છે, એટ્રોસિટીના કાયદામાં જોગવાઈ નથી તોય આરોપીઓને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જાય છે, કોર્ટમાંથી જામીન મેળવી લે છે, જજો વર્ષોના વર્ષો કેસ લંબાવે છે, સરકારી વકીલો જામીન વિરુદ્ધ, ચુકાદા વિરુદ્ધ ઉપરની કોર્ટમાં અપીલ નથી કરતા, સરકારમાં બેઠેલા હિંદુઓ એટ્રોસિટી એકટના અમલીકરણ માટે ૪ વર્ષથી મિટિંગ નથી બોલાવતા અને પાછા બહાના કરે કે SC ST માં આરક્ષણ અમુક જ જાતિઓ લઈ જાય છે, અમુકને મળતું નથી એટલે વર્ગીકરણ કરવું જોઈએ. ટૂંકમાં, ચોતરફથી દલિત, આદિવાસીઓને કચડવા આ લોકો ભૂરાયાં થયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો સવર્ણ હિંદુઓને દલિતોની, આદિવાસીઓની, ઓબીસીની એટલી જ ચિંતા હોય તો જે જગ્યાઓ ખાલી પડી છે ત્યાં પછાત જાતિઓની ભરતી કેમ નથી કરતા? ત્યાં કોલેજીયમથી ચુંટાયેલા સુપ્રીમ કોર્ટના જજો આદેશ કેમ નથી કરતા? </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાહેર જીવનમાં આવ્યા બાદ, ૧૦ વર્ષ રાજકારણનું નિરીક્ષણ કર્યા બાદ તે નિષ્કર્ષ પર આવ્યો છું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં બેઠેલા સવર્ણો જે પોલિસી લાગુ કરાવવામાં અસમર્થ હોય, મતબેંક ગુમાવવાની બીક હોય, ત્યાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટને આગળ કરી દે છે. કોલેજીયમથી ચૂંટાયેલા જજો ન્યાયના નામે કોર્ટમાંથી પોલિસી બનાવી રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારને મનગમતું કરી આપે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;"><span style="font-size: 10pt;"><strong>આ પણ વાંચો:</strong> <a href="https://khabarantar.com/how-many-sc-st-judges-who-gave-this-order"><strong><span style="font-size: 14pt;">જે જજોએ આ ઓર્ડર આપ્યો તેમાં કેટલાં SC-ST છે?</span></strong></a></span></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૫૦% અનામત મર્યાદા સુપ્રીમ કોર્ટે નક્કી કરી, EWSનું સમર્થન સુપ્રીમ કોર્ટે કર્યું. હાલ, અનામતના વર્ગીકરણ સુપ્રીમ કોર્ટ જવાબદાર, એટ્રોસિટી એકટમાં પોલીસ સ્ટેશનમાંથી જામીન, એકટમાં જોગવાઈ ના હોય તોય કાયદાની ઉપરવટ જઈને જામીન અને ચુકાદાઓ આપવામાં આવે છે તે પણ એક કોલેજીયમ જજે આપેલ ચુકાદાને આગળ કરીને.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટૂંકમાં, આ લોકો ગમે તે ભોગે સામાજિક અન્યાય ચાલુ રાખે છે. જેને ખબર ના હોય તે જાણી લે કે, ભારતમાં પોલિસી અને કાયદા બનાવવાની સત્તા સંસદ અને વિધાનસભા પાસે છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પાસે નથી. પણ, કોલેજીયમના નામે બનાવેલી વ્યવસ્થાથી સવર્ણો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના માધ્યમથી કાયદા અને પોલિસી બનાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટલું જ નહિ, સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટે આપેલ ચુકાદાઓ પલટવાની સત્તા પણ સંસદ અને વિધાનસભા પાસે છે, પરંતુ સત્તામાં બેઠેલા સવર્ણ હિંદુઓ આવા ચુકાદાઓ પલટતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">EWSમાં સુપ્રીમ કોર્ટે ત્રણ વર્ષ બાદ સુનાવણી ચાલુ કરી હતી અને ત્યાં સુધી અસંખ્ય સવર્ણોની ભરતીઓ થઈ ગઈ હતી. જે રાજ્યોમાં ઓબીસી આયોગ ના હોય, SC ST આયોગને કામ કરવા દેતા ના હોય, પૂરતો સ્ટાફ ના હોય, તેવા રાજ્યોમાં રાતોરાત EWS આયોગ ઊભું કરી સવર્ણોની ભરતી કરવામાં આવી છે. આ તો હમણાં જ આપણે સૌએ નજરે જોયું છે. ગુજરાતમાં સવર્ણની ભરતી કરવાની તાલાવેલી એટલી હતી કે જે ભરતીની જાહેરાત થઈ ગઈ હતી તેને કેન્સલ કરી EWS અનામત સાથે ફરીથી જાહેરાત કરેલી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હજી વધુ એક ઉદાહરણ જુઓ, EWS તે આર્થિક બાબતે પછાત માટેની અનામત છે, સ્પેશિયલ સવર્ણ લોકો માટેનું આરક્ષણ નથી. એટલે જાતિગત અનામતની ૫૦% ની મર્યાદાને તે ડિસ્ટર્બ કરતી નથી, તેવું કહેનારા લોકો જ EWS માં ઓબીસી, એસસી, એસટી સિવાયના લોકોની ભરતી કરે છે. શું ST, SC, OBC આર્થિક પછાત વર્ગમાં ના આવે? વાર્ષિક ૮ લાખ આવક મર્યાદાવાળા ગ્રુપમાં ST, SC, OBC ના આવે? EWS તે બંધારણીય રીતે સવર્ણ અનામત નથી, તેમ છતાં તેને તે રીતે લાગુ કરવામાં આવ્યું છે કે જાણે તે સવર્ણ માટેની અનામત હોય. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">SC, ST અનામત જાતિઓ આધારિત છે, તેમાં ક્રીમિલેયર હોય શકે નહિ, તેમ છતાં આ લોકોએ ક્રીમિલેયર દાખલ કરી SC ના એક વર્ગને લાભોથી વંચિત કર્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/65-percent-of-bharat-ratna-has-been-given-to-brahmins-none-to-tribals"><span style="font-size: 14pt;">65 ટકા ભારત રત્ન બ્રાહ્મણોને અપાયા છે, આદિવાસીને એકેય નહીં</span></a></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">SC, ST અનામત તેમની વિશેષ સ્થિતિના કારણે છે અને OBC આરક્ષણ સામાજિક અને શૈક્ષણિક પછાત જાતિઓ માટે છે. તેમ છતાં હિંદુઓ આર્થિક બાબતો માટે દલીલો કરીને SC, ST, OBC ના આર્થિક સમૃદ્ધ લોકો અનામત ના લઈ શકે તેવી દલીલો કરે છે અને તે પ્રમાણે અવનવા આયોજનો કરે છે. હકીકતે, SC, ST, OBC અનામતને આર્થિક બાબતો સાથે કોઈ લેવાદેવા છે જ નહિ. આ આડોડાઈ બધા સવર્ણ ભેગા મળીને કરી રહ્યાં છે. તે પછી IAS હોય, IPS હોય, જજ હોય, મંત્રી હોય કે કોઈ અધિકારી હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">SC, STની વસ્તી પ્રમાણે અલગથી ફંડ ફાળવવાની જોગવાઈ છે, તેમ છતાં આઝાદીના ૭૭ વર્ષ બાદ આ લોકો વસ્તી પ્રમાણે બજેટ ફાળવતા નથી, ઓછું ફાળવે છે અને આ ઓછા ફાળવેલા બજેટમાંથી અન્ય જગ્યાઓ પર ખર્ચ કરે છે. દરેક વર્ષે કરે છે. એ આ લોકોની ઇરાદાપૂર્વકની, આયોજનપૂર્વકની નાગાઈ છે. આમનામાં ભાતૃભાવ, બંધુતા જેવું કશું નથી હોતું બસ જે હોય છે તે પોતાની જાતિ અથવા જાતિ સમુહનું વેલફેર હોય છે. અને તેના માટે હિંદુઓ ગમે તે હદે અનૈતિકતા અપનાવી શકે છે તે આપણે છેલ્લા ૭૭ વર્ષમાં જોયું. આ દેશમાં અવ્યવસ્થા ઇરાદાપૂર્વકની છે. ન્યાય કે સામાજિક ન્યાય હિંદુઓના લોહીમાં જ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અને હા, કોઈ એમ વિચારતું હોય કે સવર્ણ જ દેશના અન્ય લોકોનું શોષણ કરે છે તો તમારી ભૂલ છે. કોઈપણ હિંદુ જાતિને જ્યાં મોકો મળે ત્યાં બીજી હિંદુ જાતિનું શોષણ કરી જ લે છે. પેલા આર્થિક, રાજકીય, સામાજિક રીતે સંપન્ન છે એટલે બીજાનું શોષણ કરે છે. જ્યારે કોઈ પછાત જાતિ આર્થિક, સામાજિક, રાજકીય રીતે સંપન્ન બનશે અથવા બને છે તો તે અન્યોનું શોષણ કરશે. ગુજરાતમાં ચાલતું "P ફોર P" તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મારા આ આર્ટિકલને સવર્ણ વિરુદ્ધ SC, ST, OBC તરીકે જોશો નહિ પણ એક હિંદુ જાતિ જુથ વિરુદ્ધ બીજી હિંદુ જાતિ જૂથ તરીકે જોજો. હિંદુ ધર્મનો ઇતિહાસ વાંચો તો જણાશે કે આ જૂથોમાં સમયે સમયે જાતિઓ બદલાતી રહે છે. જે કાયમી છે તે છે એક એકબીજાનું શોષણ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્મના નામે અહી બધું અધર્મ છે. જ્યાં સુધી ધર્મ શાસ્ત્રોના નામે અધર્મ શીખવાડવાનું બંધ નહિ થાય ત્યાં સુધી એક હિંદુ બીજા હિન્દુનું શોષણ કરતો રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">(લેખક બહુજન સમાજના પુસ્તકો માટે વિખ્યાત શરૂઆત પબ્લિકેશનના માલિક છે.)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;"><span style="font-size: 10pt;">આ પણ વાંચો:</span></span><span style="font-size: 12pt;"> </span><span style="font-size: 14pt;"><a href="https://khabarantar.com/we-will-remove-50-per-cent-reservation-limit-if-we-come-to-power-rahul-gandhi">અમે સત્તામાં આવીશું તો અનામતની 50 ટકા મર્યાદા હટાવીશું: રાહુલ ગાંધી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 06 Aug 2024 11:53:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1033</Articleid>
                    <excerpt>એસસી, એસટી સમાજની અનામત સવર્ણ હિંદુઓને વર્ષોથી ખટકતો મુદ્દો રહ્યો છે. શરૂઆત પબ્લિકેશનના કૌશિક પરમાર અહીં ન્યાય તોળનારાઓની દાનતની વાત કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b1c097e4c2f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b1c097b1fd0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b1c097b1fd0.jpg" length="84945" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>માય લોર્ડ, સામાજિક ન્યાયનો ભાર દલિતો&amp;આદિવાસીઓને ખભે શા માટે?</title>
                    <link>https://khabarantar.com/my-lord-why-should-the-burden-of-social-justice-be-shouldered-by-dalits-tribals</link>
                    <guid>https://khabarantar.com/my-lord-why-should-the-burden-of-social-justice-be-shouldered-by-dalits-tribals</guid>
                    <description>
                        <![CDATA[ સુપ્રીમ કોર્ટના એસસી-એસટી અનામતમાં ભાગલાના ચુકાદાની ચોતરફ ટીકા થઈ રહી છે ત્યારે સિનિયર પત્રકાર મેહુલ મંગુબહેન અહીં આખા મામલાના મૂળમાં ઘા કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મેહુલ મંગુબહેન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઑગસ્ટ ક્રાંતિનો મહિનો ગણાય છે અને પહેલી ઑગસ્ટે ભારતની સર્વોચ્ચ અદાલતે જરી પેચીદો અને એક રીતે અવળી ક્રાંતિનો ચુકાદો આપ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની સાત જજની બંધારણીય પીઠે એમ ઠેરવ્યું કે રાજ્યો શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઈબ યાને કે દલિત-આદિવાસીની અનામતમાં સબ-કેટેગરી બનાવી અનામત આપી શકશે. સાત જજ પૈકીના એક જજ બેલા ત્રિવેદીએ ભિન્ન અભિપ્રાય આપ્યો કે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઈબની સૂચિ એ રાષ્ટ્રપતિના અધિકારક્ષેત્રનો વિષય છે અને રાજ્ય તેમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. </span><br><span style="font-size: 14pt;">સાત જજની બંધારણીય પીઠે આપેલા આ ચુકાદામાં દલિત-આદિવાસી અનામતની અંદર વિભાગીકરણ ઉપરાંત એક મહત્ત્વનો મુદ્દો ક્રિમી લેયરનો પણ ઊભો કરવામાં આવ્યો છે. સાત પૈકી એક દલિત જજ બી.આર. ગવઈએ દલિત અને આદિવાસી અનામતમાં ક્રિમી લેયરને અનામતનો લાભ ન મળવો જોઈએ એવો અભિપ્રાય આપ્યો જેને અન્ય ત્રણ જજોએ સમર્થન આપ્યું. જોકે, સર્વોચ્ચ અદાલતે એ સ્પષ્ટ નથી કર્યું કે ક્રિમીલેયર કેવી રીતે નક્કી કરવામાં આવશે. દલિત આદિવાસી અનામતમાં સબ-કેટેગરી બનાવીને અનામત આપવાની રાજ્યોને સત્તા આપવાની સાથે સર્વોચ્ચ અદાલતે તે યોગ્ય આંકડાકીય અભ્યાસથી જ થઈ શકે તેમ કહ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/big-breaking-supreme-court-approves-quota-within-sc-st-quota">BIG BREAKING - સુપ્રીમ કોર્ટે એસસી, એસટી અનામતની અંદર અનામતને મંજૂરી આપી</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ કેસનો સંદર્ભ શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">1 ઑગસ્ટ 2024માં આવેલા આ ચુકાદાનું મૂળ 1975માં પંજાબ સરકારે બનાવેલી અનામત નીતિમાં છે. એ વખતે પંજાબ સરકારે શિક્ષણ અને નોકરીમાં વાલ્મીકિ અને મજહબી શીખ માટે 25 ટકા અનામત નિર્ધારિત કરી હતી. 2006માં હાઈકોર્ટે તે ફગાવી દીધી. હાઈકોર્ટે 2004ના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપ્યો કે અનુસૂચિત જાતિની સબ-કેટેગરી ન બનાવી શકાય. સુપ્રીમ કોર્ટે 2004માં એમ પણ કહ્યું હતું કે રાજ્યોને અનુસૂચિત જાતિઓની સૂચિમાં ફેરફારનો હક નથી કારણ કે તે રાષ્ટ્રપતિના અધિકારક્ષેત્રમાં આવે છે અને તેઓ તેને બનાવે છે. આંધ્રપ્રદેશે પણ પંજાબ જેવી જ નીતિ ઘડી હતી અને સુપ્રીમ કોર્ટે તે ફગાવી દીધી હતી. ટૂંકમાં 2004 નો એ ચુકાદો સુપ્રીમ કોર્ટની સાત જજોની બંધારણીય પીઠ પાસે હતો અને હવે તે મામલે કોર્ટે આ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વીસ વર્ષ પહેલાં જે વલણ લીધું હતું તે બદલાઈ ગયું છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત-આદિવાસીઓની એકતા અને સામાજિક ન્યાયની વાત </span></strong></span><br><span style="font-size: 14pt;">અનામતમાં સબ-કેટેગરીની વાત દલિત-આદિવાસીઓમાં પણ જે વધારે પછાત છે તેને લાભ આપવાની ઓથ લઈ કહેવાઈ રહી છે અને કેન્દ્રની સરકારનો તેને ટેકો છે, કારણ કે સર્વોચ્ચ અદાલતમાં એમણે વિરોધ કર્યો નથી કે નથી કોઈ યોગ્ય દલીલો કરી. અસ્પૃશ્યતા નાબુદી, જ્ઞાતિ નિર્મૂલન અને પ્રતિનિધિત્વ એ ત્રણ જેનો આધાર છે એવી અનામત વ્યવસ્થાને ગરીબી નિર્મૂલન કાર્યક્રમમાં ફેરવી દેવાનો કાર્યક્રમ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને સુપ્રીમ કોર્ટનું તાજેતરનું વલણ એ જ દિશામાં એક નવું પગલું છે જે સામાજિક ન્યાયને નામે લેવાયું છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતો અને આદિવાસીઓમાં પણ જે વધારે પાછળ છે તેમને અનામતનો લાભ મળવો જોઈએ તે વાત સિદ્ધાંતની રીતે ખરી છે અને હાલ દલિતો-આદિવાસીની કુલ અનામતમાં તેમનો પણ સમાવેશ થાય છે. પછી સબ-કેટેગરી બનાવવાની જરૂર શું છે અને એમ થાય તો તેની અસર શું થાય? જો એમ સબ-કેટેગરી બને તો દલિતો-આદિવાસીઓની અંદર વિભાજન ઊભું થાય. આવું વિભાજન સત્તાતંત્ર ઈચ્છી રહ્યું છે કારણ કે અનામતનો લાભ લઈને પોતાના હક અધિકારો માટે જાગૃત થયેલા દલિતો અને આદિવાસીઓ શહેરોમાં ધીમેધીમે એક મજબૂત સમૂહ બની રહ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/is-the-state-government-tacitly-agreeing-to-weaken-the-atrocities-act">રાજ્ય સરકાર એટ્રોસિટી એક્ટને નબળો પાડવા છુપી સહમતી આપી રહી છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતોમાં વિભાજન થાય તો તેની સીધી ચૂંટણીમાં રાજકીય અસર થઈ શકે છે. દલિતો અને આદિવાસીઓમાં પણ જે છેવાડે છે એમને અનામતનો યોગ્ય લાભ મળવો જોઈએ તે વાત ખરી છે પણ એનો રસ્તો અનામતમાં કેટેગરીઝ બનાવીને કાઢી શકાય તેમ નથી. ઉદાહરણ તરીકે જોઈએ તો દલિતોમાં વાલ્મીકિ સમાજ કે આદિવાસીઓમાં ભીલ સમાજ નોકરીઓમાં અનામતનો ઓછો લાભ મેળવે છે એનું કારણ જે તે સમુદાયમાં શિક્ષણનો અભાવ છે. સરકારે દલિતો અને આદિવાસીઓમાં પણ જેઓ ખૂબ પાછળની જ્ઞાતિઓ છે તેમના શિક્ષણ પર યોગ્ય ધ્યાન આપ્યું નથી. </span><br><span style="font-size: 14pt;">અંતરિયાળ વિસ્તારોમાં ગુણવત્તાકીય શિક્ષણ આપવામાં સરકાર નિષ્ફળ નીવડી છે અને તેને કારણે જ દલિત-આદિવાસીઓમાં સૌથી પાછળ રહેલો સમુદાય અનામતનો લાભ નથી પામી શક્યો. વળી શિક્ષણના ખાનગીકરણને કારણે તે એટલું મોંઘું છે કે એ મેળવવું એ વર્ગ માટે શક્ય નથી. હવે આ સ્થિતિમાં વાલ્મિકી કે ભીલને કુલ અનામતમાંથી અલગ કેટેગરી બનાવી અનામત ફાળવવામાં આવે તો પણ તે સાર્થક નીવડશે જ એમ ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/on-the-issue-of-misinterpretation-of-Arnesh-Kumars-verdict-the-battle-has-started">અર્ણેશ કુમારના ચૂકાદના ખોટા અર્થઘટન મુદ્દે હવે આરપારની લડાઈ શરુ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દરજ્જામાં ફેર પડ્યો?</span></strong></span><br><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટના એક જજે કહ્યું કે એક પેઢીને અનામત મળી હોય તો પછીની પેઢીને ન મળવી જોઈએ. આ માનનીય જજને એ નથી સમજાતું કે આ દેશમાં ઈકોતેર પેઢીઓએ પણ જાતિવ્યવસ્થા, અસ્પૃશ્યતા અને અસમાનતા ત્યાંની ત્યાં જ છે તો પછી આ એક પેઢીની વાત શા માટે? અનામત એ કોઈ એક પેઢીને ગરીબીમુક્ત કરવાનો કાર્યક્રમ નથી. એ જ્ઞાતિનિર્મૂલન, પ્રતિનિધિત્વ અને સમાનતાની સ્થાપના માટેની જોગવાઈ છે. સમાજ જ્યારે જ્ઞાન, સંસાધન, તક અને નિર્ણયાત્મક ભાગીદારીની સ્થિતિમાં આવશે ત્યારે અનામત પોતાની મેળે જ ખતમ થઈ જશે. દલિતો-આદિવાસીઓ પોતે જ તેનો ઈનકાર કરી દેશે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદીના સાત દાયકે હજારો વરસોના ઘાવમાં હજી તો આપણે પાટાપિંડી સુધી પહોંચ્યા છીએ ત્યાં ક્રિમીલેયરની વાતો થઈ રહી છે એ શરમજનક છે. કલેકટર કે ક્લાસ વન અધિકારી બનનાર દલિત-આદિવાસીઓ આર્થિક રીતે સુખી થાય તો પણ તેમનો સામાજિક દરજ્જો બદલાતો નથી. અરે રાષ્ટ્રપતિપદે સુધી પહોંચનાર દલિત-આદિવાસીને પણ ક્યાંક સીધી કે ક્યાંક મોઘમ રીતે તેની ઔકાત દેખાડી દેવાય છે તો પછી ક્રિમીલેયરની વાત જ શા માટે? </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બધીય વાત મુઠ્ઠીભર સરકારી નોકરી માટેની છે. એ મુઠ્ઠીભર નોકરી શહેરોમાં સ્થળાતંર કરીને દલિતો-આદિવાસીઓ માંડ મેળવે છે. બેરોજગારી ટોચે છે ત્યારે વાત તો ખાનગી ક્ષેત્રમાં અનામતની થવી જોઈતી હતી પણ જે વ્યવસ્થા છે એમાં પણ ડખો અને વિભાજન પેદા કરવાની હવા ઊભી થઈ રહી છે. એ પણ નોંધવું જોઈએ કે દલિત-આદિવાસી અનામતમાં સબ-કેટેગરીને ગ્રાહ્ય રાખનાર સુપ્રીમ કોર્ટ તાજેતરમાં બિહાર સરકારને અનામતની મર્યાદા 65 ટકા કરી તો તેને ફગાવી ચૂકી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-dalits-of-viramgam-will-carry-bhedbhav-no-garbo-and-go-to-gandhinagar">વીરમગામના દલિતો 'ભેદભાવનો ગરબો' માથે ઉપાડીને ગાંધીનગર સુધી જશે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનો વિરોધ થઈ રહ્યો છે અને અદાલતમાં પણ તેને પડકારવામાં આવશે જ, પણ આ ચુકાદાનો વિરોધ કરતી વેળા દલિતો અને આદિવાસીઓએ ખાસ એ યાદ રાખવું પડશે કે આ દલિતો અને આદિવાસીઓમાં જે છેવાડે છે એનો વિરોધ નથી. દલિતો અને આદિવાસીઓમાં જે છેવાડે છે એમણે પણ એ યાદ રાખવું પડશે કે સબ-કેટેગરીના નામે નોખો ચોકો કરી આપવાની આ સરકારી લોલીપોપમાં પડવા જેવું નથી. ચાહે એ ભીલ હોય કે વસાવા-ગામીત, ચાહે એ વણકર-ચમાર હોય કે સેનમા-વાલ્મીકિ, સૌએ સાથે રહેવું પડશે. દલિત-આદિવાસીમાં પણ આગળ આવેલી જ્ઞાતિઓની એ સામાજિક ફરજ છે કે તેઓ દલિત-આદિવાસી સમાજની અન્ય નબળી જ્ઞાતિઓને આગળ લાવવા માટે નક્કર પ્રયાસો કરે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટના આ ચુકાદામાં સૌથી વધારે ચર્ચા બંધારણીય પીઠમાં સામેલ અને આગામી સમયમાં ચીફ જસ્ટિસ બનવાના દાવેદાર એવા દલિત જજ બી.આર.ગવઈની થઈ રહી છે. જસ્ટિસ બી.આર. ગવઈએ ચુકાદામાં ડૉ. આંબેડકરે બંધારણસભાના ભાષણમાં આપેલી ચેતવણી યાદ કરાવી સામાજિક ન્યાયની વાત કરી છે. અલબત્ત, સિદ્ધાંતની રીતે તેઓ જે સામાજિક ન્યાયની વાત કરે છે તે ખરી હોવા છતાં રાજ્યોને દલિત-આદિવાસી અનામતમાં સબ-કેટેગરીઝ નક્કી કરવાનો અધિકાર આપવો કે ક્રિમીલેયરની તરફેણ કરવી એ બેશક એક ઉતાવળિયું પગલું છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/all-ministers-at-the-center-are-sarvans-bjp-is-an-anti-dalit-party-bjp-mps">કેન્દ્રમાં બધાં મંત્રીઓ સવર્ણ જાતિના છે, ભાજપ દલિત વિરોધી પક્ષ છેઃ ભાજપ સાંસદ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બજારને ખભે બેઠેલું તંત્ર જ્યારે અચાનક સામાજિક ન્યાયની વાત કરવા માડે તો વંચિતોએ ચેતી જવું જોઈએ. માનનીય સુપ્રીમ કોર્ટને સામાજિક ન્યાયની ખરેખર પડી હોય તો કરવા જેવા </span><span style="font-size: 14pt;">કામોની અને ઘડવા જેવી નીતિઓની આ દેશમાં ખોટ નથી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાજિક ન્યાય એ સરકારની જવાબદારી છે દલિતો-આદિવાસીઓ દરેકને સામાજિક ન્યાય મળવો જોઈએ એમ માને છે પણ એનો ભાર વરસોથી દમન-શોષણનો ભોગ બનેલા દલિતો-આદિવાસીઓને જ ખભે શા માટે માય લોર્ડ?</span></p>
<p style="text-align: justify;"><em><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>(લેખક વરિષ્ઠ પત્રકાર, કવિ અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે. હાલ તેઓ દિલ્હી સ્થિત રેખ્તા ફાઉન્ડેશનમાં કાર્યરત છે.)</strong></span></em></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/how-many-sc-st-judges-who-gave-this-order">જે જજોએ અનામતમાં ભાગલાનો આદેશ આપ્યો તેમાંથી કેટલાં SC-ST છે?</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 05 Aug 2024 14:40:53 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1029</Articleid>
                    <excerpt>સુપ્રીમ કોર્ટના એસસી-એસટી અનામતમાં ભાગલાના ચુકાદાની ચોતરફ ટીકા થઈ રહી છે ત્યારે સિનિયર પત્રકાર મેહુલ મંગુબહેન અહીં આખા મામલાના મૂળમાં ઘા કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b096c96d053.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b096c93160e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b096c93160e.jpg" length="82223" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, supreme court, ST ST Reservation</media:keywords>
                </item>
                        <item>
                    <title>65 ટકા ભારત રત્ન બ્રાહ્મણોને અપાયા છે, આદિવાસીને એકેય નહીં</title>
                    <link>https://khabarantar.com/65-percent-of-bharat-ratna-has-been-given-to-brahmins-none-to-tribals</link>
                    <guid>https://khabarantar.com/65-percent-of-bharat-ratna-has-been-given-to-brahmins-none-to-tribals</guid>
                    <description>
                        <![CDATA[ ભારત રત્નમા પણ જાતિની કથિત સર્વોપરિતા સ્પષ્ટપણે નજર ચડે છે. વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયા અહીં દેશના સર્વોચ્ચ સન્માનની આંટીઘૂંટી સમજાવે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span><br><span style="font-size: 14pt;">વર્તમાન કેન્દ્ર સરકારે તેના કાર્યકાળના દસ વરસોમાં ભારત રત્ન માટે દસ મહાનુભાવોની પસંદગી કરી છે. તેમાં પણ ૨૦૧૯ અને ૨૦૨૪ના ચૂંટણી વરસોમાં અનુક્રમે ૩ અને ૫ ભારતરત્ન આપ્યા છે. દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ચૂંટણીની હારજીતનું કારણ પણ બની શકે તે હદે ભારત રત્ન અને પદ્મ એવોર્ડનું રાજનીતિકરણ થયું લાગે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૯૫૪માં આરંભાયેલ ભારત રત્ન સન્માનને સિત્તેર વરસ થયાં. આ સિત્તેર વરસોમાં ૫૩ મહાનુભાવોને ભારત રત્નથી સન્માનિત કરાયા છે. દર વરસે ૩ વ્યક્તિને ભારત રત્ન આપી શકાય તેવો નિયમ છે. એ હિસાબે ૭૦ વરસોમાં તો ૨૧૦ ભારત રત્ન અપાવા જોઈતા હતા. પરંતુ તેના ચોથા ભાગના(૫૩)  જ અપાયા છે. એટલે પ્રશ્ન થાય કે શું આપણે ભારત રત્નની બાબતમાં દરિદ્ર છીએ?  કે કોઈ બીજા કારણો છે? તેની સાથે જ ભારતની વિવિધતા અને સર્વસમાવેશન ભારત રત્નની પસંદગીમાં દેખાય છે કે કેમ? તે પણ વિચારણીય મુદ્દો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૯૫૪થી ૨૦૨૪ સુધીના ૭૦ પૈકી ૨૭ વરસ જ ભારત રત્ન  અપાયા છે અને ૪૩ વરસ તે અપાયા નથી. નિયમાનુસાર વરસે ત્રણ ને બદલે ઓછા ભારત રત્ન માટે પસંદગી થઈ છે એ તો ખરું પણ નિયમને તાક પર મૂકીને ૧૯૯૯માં ચાર  અને ૨૦૨૪માં પાંચ વ્યક્તિઓને સાગમટા આપવામાં આવ્યા છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-dalits-of-viramgam-will-carry-bhedbhav-no-garbo-and-go-to-gandhinagar">વીરમગામના દલિતો 'ભેદભાવનો ગરબો' માથે ઉપાડી ગાંધીનગર સુધી જશે</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશથી દેશને સૌથી વધુ ભારત રત્ન મળ્યા છે, તો તમિલનાડુ અને મહારાષ્ટ્ર બીજા ક્રમે છે. માનવ પ્રયત્નના કોઈ પણ ક્ષેત્રમાં અસાધારણ કે સર્વોચ્ચ સ્તરની કામગીરી કે સેવા માટે ભારત રત્નનું સન્માન આપવામાં આવે છે. તેની પસંદગી માટે કોઈ ઔપચારિક સમિતિ હોતી નથી પરંતુ વડાપ્રધાન જ નામની ભલામણ રાષ્ટ્રપતિને કરે છે. ૫૩ માંથી ૨૩ ભારત રત્ન તો રાજનેતાઓ લાભ્યા છે એટલે ભૂવો ધૂણે તો... નો ઘાટ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધારણના અનુચ્છેદ ૧૮(૧) મુજબ ભારત રત્ન આપવામાં આવે છે. તેમાં કોઈ નાણાં આપવામાં આવતા નથી. પરંતુ કેટલીક સગવડો મળે છે. પ્રોટોકોલમાં સાતમું સ્થાન ભારત રત્ન સન્માનિતનું રાખવામાં આવ્યું છે. રેલવે અને હવાઈ મુસાફરી નિ:શુલ્ક કરી શકાય છે. તેઓ રાજ્યના મહેમાનનો દરજ્જો ધરાવતા હોઈ તેમને રહેવા-જમવા-ફરવાની મફત સગવડ મળે છે. તેમની નિયમ મુજબની સલામતીની વ્યવસ્થા સરકારી ખર્ચે કરવામાં આવે છે. સરકારી કાર્યક્રમોમાં તેઓને નિમંત્રણ મળે છે. કેબિનેટ મંત્રીનો વીઆઈપી દરજ્જો અને આવક વેરામાંથી મુક્તિનો લાભ મળે છે. ભારત રત્નથી સન્માનિત થયેલ વ્યક્તિ તેના નામની આગળ કે પાછળ ભારત રત્ન એવું લખી શકતી નથી. જો કે વિઝિટિંગ કાર્ડ, બાયોડેટા, લેટર હેડમાં તે રાષ્ટ્રપતિ દ્વારા ભારત રત્નથી સન્માનિત કે ભારત રત્ન પ્રાપ્તકર્તા એવું લખી શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/we-dont-trust-the-police-so-we-leave-the-village">પોલીસ પર અમને વિશ્વાસ નથી એટલે ગામ છોડીને જઈએ છીએ...</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરંભે ભારત રત્ન હયાત વ્યક્તિઓને આપવામાં આવતો હતો. પછી તેમાં સુધારો કરીને તે મરણોત્તર પણ આપવાનો શરૂ કર્યો છે. પહેલાં તેમાં મર્યાદિત ક્ષેત્રો નિર્ધારિત હતા. તેમાં પણ સુધારો કરીને કોઈ પણ ક્ષેત્રની  ઉચ્ચતમ કક્ષા માટે આપવાનું નક્કી કર્યું છે. દેશનું આ સર્વોચ્ચ નાગરિક સન્માન વિવાદોથી જરા ય પર નથી. ઈન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી પછી સત્તામાં આવેલી મોરારજી દેસાઈના વડપણ હેઠળની જનતા પક્ષની સરકારે ભારત રત્ન સહિતના પદ્મ સન્માનોને બિનજરૂરી ગણાવી જુલાઈ ૧૯૭૭ થી જાન્યુઆરી ૧૯૮૦ સુધી તે આપવાના બંધ કર્યા હતા. સર્વોચ્ચ અદાલતમાં ભારત રત્નની બંધારણીયતા અને જરૂરિયાતને જાહેર હિતની અરજીઓથી પડકારવામાં આવતા બે ત્રણ વરસો તે સ્થગિત કરવામાં આવ્યા હતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પદ્મ સન્માનોને ફાલતુ ગણાવી પોતાના વડાપ્રધાનના કાળમાં તે બંધ કરી દેનાર મોરારજી દેસાઈએ ૧૯૯૧માં ભારત રત્ન સ્વીકાર્યો હતો. ભારત રત્નની અનૌપચારિક પસંદગી સમિતિના સભ્ય હોઈ અબુલ કલામ આઝાદે તે સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ ખુદની ભલામણથી આપવામાં આવતું ભારત રત્ન સન્માન નહેરુ પિતા-પુત્રીએ તેમના પ્રધાનમંત્રીત્વના કાળમા જ મેળવી લીધું હતું. ક્રિકેટર સચિન તેંદુલકરને માત્ર ૪૦ વરસે અને સમાજ સુધારક ઘોંડો કેશવ કર્વેને શતાયુ ટાણે આ સન્માન મળ્યું હતું. સામાન્ય રીતે ભારત રત્ન અલંકરણ સમારોહ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાય છે. તેમાં એક માત્ર અપવાદ ઘોંડો કેશવ કર્વે છે. ૧૯૫૮માં દિલ્હીની બહાર મુંબઈના બેબ્રોન સ્ટેડિયમમાં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત રત્નથી સન્માનિતોની સૂચિ પર નજર કરતાં જણાય છે કે દેશમાં મહિલાઓની વસ્તી અડધોઅડધ છે પરંતુ અત્યાર સુધીમાં માત્ર પાંચ મહિલાઓને જ તે વર્યો છે. ભારતની હિંદુ સમાજ વ્યવસ્થાની ટોચે રહેલા બ્રાહ્મણોને ફાળે ૬૫ ટકા ભારત રત્ન બોલે છે. એક દલિતને તો તે મળ્યો છે પરંતુ દેશના આદિનિવાસી ગણાતા અને દેશની કુલ વસ્તીમાં ૧૨ થી ૧૫ કરોડ એવા આદિવાસીમાંથી હજુ કોઈ ભારત રત્નને પાત્ર ઠર્યો નથી. હિંદુ સિવાયના ભારત રત્નમાં ૫ મુસ્લિમ અને એક-એક જ પારસી-ખ્રિસ્તી-સિંધી છે. એટલે ભારત રત્નની પસંદગીમાં સર્વ સમાવેશન અને દેશની વિવિધતા ઓછી જણાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/54-dalit-families-of-amreli-have-been-struggling-for-rightful-land-for-42-years">અમરેલીના 54 દલિત પરિવારો 42 વર્ષથી હકની જમીન માટે સંઘર્ષ કરી રહ્યાં છે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજનીતિ અને વિચારધારાના આધારે પણ ભારત રત્નની પસંદગી થાય છે. કેટલાક રાજકીય વિશ્લેષકો કોંગ્રેસે ભારત રત્ન માટે પસંદ કરેલા  બ્રાહ્મણોને ધર્મ નિરપેક્ષ અને જમણેરી સરકારોએ પસંદ કરેલાને હિંદુત્વવાદી બ્રાહ્મણો ગણાવે છે. ૨૦૦૧માં વાજપાઈ સરકારે વિનાયક સાવરકરને ભારત રત્ન આપવા ભલામણ કરી હતી. પરંતુ તત્કાલીન રાષ્ટ્રપતિ કે.આર.નારાયણે તે સ્વીકારી નહોતી. કાશી અને બનારસ વિધ્યાપીઠોના સહસ્થાપક કેળવણીકાર ભગવાન દાસને તો ૧૯૫૫માં ભારત રત્ન મળી ગયો હતો. પરંતુ બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક મદન મોહન માલવિયાને આ સન્માન છેક ૨૦૧૫માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી મળ્યું છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરદાર પટેલને તેમના અવસાનના ૪૧ વરસો બાદ અને ડો. આંબેડકરને ૩૪ વરસો બાદ તેમની રાજકીય વિચારધારાના વળની સરકારોએ ભારત રત્નથી નવાજ્યા હતા. મધર ટેરેસા અને અમર્ત્ય સેનને નોબેલ પછી અને સત્યજિત રે ને ઓસ્કાર પછી ભારત રત્નનું સન્માન મળ્યું છે. હજુ એકેય સામ્યવાદીને આ સન્માન મળ્યું નથી. કર્પૂરી ઠાકુર પૂર્વે સામાજિક ન્યાય અને પછાત વર્ગો માટે અનામતનો અમલ  કરી ચૂકેલા કરુણાનિધિ આ સન્માનથી વંચિત છે. એવું જ બંગાળના દીર્ઘ કાળ સુધી મુખ્ય મંત્રી રહેલા જ્યોતિ બસુ અંગે કહી શકાય. ચૂંટણીકારણ ભારત રત્નની પસંદગી બનતાં તેનું મૂલ્ય ઘટ્યું છે. બીજા અનેકની જેમ આ ક્ષેત્ર પણ રાજનીતિથી  દૂષિત બન્યું છે. આ માટે તમામ રાજકીય પક્ષો જવાબદાર છે.</span><br><strong><span style="font-size: 14pt;">maheriyachandu@gmail.com</span></strong><br><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong><em>(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)</em></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/a-dalit-youth-was-beaten-up-for-saying-jai-bhim-namo-buddhay-on-the-phone">ફોન પર વાત કરતી વખતે 'જય ભીમ, નમોઃબુદ્ધાય' બોલતા દલિત યુવકને માર માર્યો</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 04 Aug 2024 12:05:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1023</Articleid>
                    <excerpt>ભારત રત્નમા પણ જાતિની કથિત સર્વોપરિતા સ્પષ્ટપણે નજર ચડે છે. વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયા અહીં દેશના સર્વોચ્ચ સન્માનની આંટીઘૂંટી સમજાવે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66af20f3aa0c5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66af20f376ed2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66af20f376ed2.jpg" length="116763" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Bharat Ratna, Castism</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગિગ વર્કર્સની હાલત અસંગઠિત શ્રમિકો કરતાં બદતર છે</title>
                    <link>https://khabarantar.com/gig-workers-are-worse-off-than-unorganized-workers</link>
                    <guid>https://khabarantar.com/gig-workers-are-worse-off-than-unorganized-workers</guid>
                    <description>
                        <![CDATA[ સ્માર્ટફોનની કોઈ એપ દ્વારા ઓર્ડર કરેલી વસ્તુ જ્યારે ગણતરીની મિનિટોમાં ડિલિવર થઈ જાય ત્યારે ખુશ થઈ જતા આપણે સૌએ આ લેખ ચોક્કસ વાંચવો રહ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૨૩માં રાજસ્થાનની કોંગ્રેસ સરકારે ગિગ વર્કર્સના કલ્યાણ અને રજિસ્ટ્રેશન અંગેનો કાયદો ઘડ્યો હતો. દેશના લાખો ગિગ વર્કર્સને લગતો કાયદો ઘડનારું રાજસ્થાન દેશનું પહેલું રાજ્ય છે. હવે તેના પગલે કર્ણાટકની કોંગ્રેસ સરકારે ગિગ વર્કર્સ  સંબંધી અધિનિયમનો મુસદ્દો તૈયાર કરી, જાહેર ચર્ચા માટે મુક્યો છે. તેલંગાણા સરકાર પણ આવો કાયદો ઘડવાની છે. કોંગ્રેસે તેની રાજવટના રાજ્યોમાં કાયદો ઘડી રાષ્ટ્રીય કક્ષાએ પણ ગિગ વર્કર્સ સંબંધી કાયદો બનાવવાની કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી કરી છે. તેને કારણે ગિગ ઈકોનોમી અને ગિગ વર્કર્સ ચર્ચામાં છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આપણે સ્માર્ટ ફોનથી કોઈ એપ મારફત ઓર્ડર કરીએ અને ગણતરીની મિનિટોમાં બહાર જવા કેબ ઘરના આંગણે આવી જાય કે કોઈ ઘરે જમવાનું અને બીજી ચીજો આપી જાય તો આ વ્યવસ્થા પર આપણે વારી જઈએ છીએ. પરંતુ આ વ્યવસ્થાની કરોડરજ્જુ સમા કામદારો-કર્મચારીઓની હાલત અંગે સાવ બેખબર હોઈએ છીએ. ગિગ ઈકોનોમી મુક્ત બજાર પ્રણાલી છે અને તે આર્થિક ઉદારીકરણની ઉપજ છે. કેબ ડ્રાઈવર, ડિલિવરી કરનારા વ્યક્તિઓ, સોફ્ટવેરની કામગીરી સાથે સંકળાયેલા લોકો, વ્યવસાયી સેવાઓ, સમૂહસેવાઓ, વકીલ, પત્રકાર, ફોટોગ્રાફર, લેખક, વેબ ડિઝાઈનર અને એવા બીજા કામો સાથે સંકળાયેલા લોકો ગિગ વર્કર્સના રૂપાળા નામે ઓળખાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગિગ વર્કરની કોઈ ચોક્કસ વ્યાખ્યા હજુ ઘડાઈ નથી પરંતુ સામાજિક સુરક્ષા સંહિતા, ૨૦૨૦ના અધ્યાય ૧, ખંડ-૨(૩૫)માં તેની અધૂરી અને અસ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે. તેમાં ગિગ વર્કરને એક વ્યક્તિના રૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. તે એક એવી કાર્ય વ્યવસ્થાનો ભાગ છે જેમાં તે મજૂર-માલિક સંબંધોથી પર રહીને પોતાની રોજી મેળવે છે. એક અર્થમાં ગિગ શ્રમિકો અસંગઠિત શ્રમિકોનું વિસ્તરણ છે. અંશકાલીન, સ્વનિયોજિત કે એકાધિક કામ કે નોકરી કરનાર વ્યક્તિ ગિગ શ્રમિક ગણાય છે. તેના કામના કલાકો, કામનું પ્રમાણ અને રોજી સાવ અનિશ્ચિત હોય છે. તે કોઈ કંપની કે સંસ્થાના હાજરીપત્રક પર નથી હોતા અને પગારપત્રક પર પણ નથી હોતા. પરંતુ તે કંપની કે સંસ્થાનું કામ કરે છે.  કહેવા ખાતર તો તેઓ પોતાના જ માલિક છે. મનમરજીનું કામ મન પસંદ સમયે કરે છે અને રિસેષ કે રજા માટે કોઈની પરવાનગી લેવાની હોતી નથી પરંતુ વાસ્તવિકતા જુદી છે. કહેવાતા માલિક સાથેનો તેનો સંબંધ ટૂંકા ગાળાનો અને કામ પૂરતો જ હોય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Gharghati,-Griha-Yogi,-House-Helper:-Not-bright-name,-more-work,-less-price"><span style="font-size: 14pt;"> ઘરઘાટી, ગૃહયોગી, હાઉસ હેલ્પર: ન ઉજળું નામ, વધુ કામ, કમ દામ</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગિગ વર્કર્સ માત્ર ભારત પૂરતા સીમિત નથી. આખી દુનિયામાં છે. મૂડીવાદી અમેરિકામાં  લગભગ સાડા છ કરોડ ગિગ વર્કર્સ છે. હવે પછીના પાંચેક વરસોમાં અમેરિકામાં કામ કરનારાઓમાંથી અડધોઅડધ ગિગ વર્કર્સ હશે. ૨૦૨૩માં વિશ્વ આખાના અર્થતંત્રમાં ગિગ ઈકોનોમીનું  પ્રદાન ૪૫.૫ કરોડ ડોલરનું હતું.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં ભારતમાં અંદાજિત ૭૭ લાખથી ૧.૫ કરોડ ગિગ વર્કર્સ છે. આ દાયકાના અંતે તે વધીને ૨.૪ કરોડ થવાની ધારણા છે. સૌથી ઓછા ૧ લાખ ગિગ વર્કર્સ શિક્ષણમાં અને સૌથી વધુ ૨૬.૬ લાખ રિટેઈલ ટ્રેડ એન્ડ સેલ્સમાં કામ કરે છે. ૧૩ લાખ ટ્રાન્સપોર્ટેશન, ૬.૩ લાખ ફાયનાન્સ અને ઈન્સ્યુરન્સમાં અને ૬.૨ લાખ મેન્યુફેકચરિંગ ક્ષેત્રે કામ કરી રોજી મેળવે છે. </span><br><span style="font-size: 14pt;">નીતિ આયોગના અહેવાલમાં ૨૦૧૯-૨૦માં ૪૭ ટકા ગિગ શ્રમિકો મધ્યમ કૌશલ્યના રોજગારમાં,  ૩૧ ટકા નિમ્ન કૌશલ્યમાં અને માત્ર ૨૨ ટકા જ ઉચ્ચ કૌશલ્યની નોકરીઓમાં હતા. ૨૦૨૦-૨૧માં દેશના ટોટલ વર્કફોર્સમાં ૧.૫ ટકા  અને બિનક્રુષિમાં ૨.૬ ટકા ગિગ વર્કર્સ હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અસંગઠિત ક્ષેત્રનો વિસ્તાર મનાતા ગિગ વર્કર્સની હાલત અસંગઠિત શ્રમિકો કરતાં બદતર છે. માર્ચ ૨૦૨૪માં જાહેર થયેલા ગિગવર્કર્સ અંગેના બે સર્વેક્ષણોમાં પણ આ બાબત ઉજાગર થઈ છે. ‘ જનપહેલ’  નામક સ્વૈચ્છિક સંસ્થાએ ૩૨ શહેરોના પાંચ હજાર ગિગવર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સનો અભ્યાસ  કર્યો હતો. ઈન્ડિયન ફેડરેશન ઓફ એપબેસ્ડ  ટ્રાન્સપોર્ટ વર્કર્સે દેશના આઠ મોટા શહેરોના ૫૩૦૨ કેબ ડ્રાયવરો અને ૫૦૨૮ ડિલિવરી મેનનું સર્વેક્ષણ કર્યું હતું.  પ્રથમ સર્વેક્ષણ હેઠળના કામદારોમાંથી ૮૫ ટકા,  ૩૦ થી ૫૦  વરસના જ્યારે બીજા સર્વેક્ષણના  ૭૮ ટકા, ૨૧ થી ૪૦ વરસના હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંને  સર્વેક્ષણના તારણોમાં કામના કલાકો, કામનો પ્રકાર અને માસિક આવકની વિગતો ચિંતાજનક છે. ગિગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સના ૫૭ ટકા ૨ થી ૫ વરસથી અને ૧૬ ટકા ૫ કરતાં વધુ વરસોથી કામ કરતા હતા. મતલબ કે કામની કોઈ ખાતરી કે સલામતી નહોતી. નોકરીની અસાલમતીનું કારણ ૮૭ ટકાના મતે ઓછા સમયમાં સેવા પૂરી પાડવી તે છે. અગાઉની તુલનામાં હવે તેમની સંખ્યા વધી છે પણ આવક ઘટી છે. ૧/૩ કેબ ડ્રાઈવર ૧૪ કલાક, ૬૦ ટકા ૧૨ કલાક અને ૮૩ ટકા ૧૦ કલાકથી વધુ કામ કરે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં પણ જ્ઞાતિગત અસમાનતા જોવા મળી છે. બિનઅનામત વર્ગના માત્ર ૧૬ ટકાની સરખામણીએ દલિત-આદિવાસી ૬૦ ટકા કેબ ડ્રાઈવરો ૧૪ કલાકથી વધુ કામ કરે છે. ૪૩ ટકાને રોજના રૂ.૫૦૦ અને મહિને રૂ.૧૫,૦૦૦ રોજી મળે છે. ૩૪ ટકા માસિક ૧૦ હજારથી ઓછું કમાય છે. કંપનીઓ અનુચિત, મનફાવતું અને અસ્પષ્ટ કમિશન લેતી હોવાની અને ગ્રાહકો દુર્વ્યવહાર કરતા હોવાની ફરિયાદ લગભગ બધાની હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગિગ વર્કસને અસંગઠિત ક્ષેત્રના કામદારોને મળતું કાયદાકીય રક્ષણ મળતું નથી. કેમકે શ્રમિક કાયદાઓમાં તેમનો સમાવેશા કરવામાં આવ્યો નથી. ગિગ વર્કર્સને લઘુતમ વેતન, પેન્શનરી લાભો, આરોગ્યની સેવાઓ, સવેતન અઠવાડિક કે અન્ય રજાઓ મળતી નથી. રાજસ્થાન અને અન્ય કોંગ્રેસશાસિત રાજ્યોના ગિગ વર્કસને લગતા કાયદા પણ તેમના અધિકારોના બદલે કલ્યાણને લગતા વધુ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાન અને કર્ણાટકના કાયદામાં પ્લેટફોર્મ આધારિત ગિગ વર્કર્સનો જ સમાવેશ થાય છે. જે લોકો ઓનલાઈન અલ્ગોરિથમ મેચિંગ પ્લેટફોર્મ કે એપનો ઉપયોગ કરે છે તે પ્લેટ આધારિત ગિગ વર્કર્સ છે પરંતુ તેનો ઉપયોગ ન કરનાર કે તેની બહાર રહીને કામ કરતા ગિગ વર્કર્સની સંખ્યા ઘણી મોટી છે. તેમનો સમાવેશ કાયદામાં થયો નથી. ગિગ વર્કર્સને  કર્ણાટકનો પ્રસ્તાવિત કાયદો નબળો લાગે છે તો તેમના માલિકોના સંગઠનને કાયદો જરાય સ્વીકાર્ય નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે દેશ અને દુનિયામાં ગિગ ઈકોનોમી અને ગિગ વર્કર્સમાં વૃધ્ધિ થઈ રહી છે ત્યારે ગિગ વર્કર્સને અસંગઠિત શ્રમિકોને મળતા હક અને લાભ મળવા જોઈએ. લઘુતમ વેતન, કામના નિર્ધારિત કલાકો, પારદર્શી અને નિષ્પક્ષ ચુકવણાની વ્યવસ્થા, કલ્યાણ બોર્ડ અને કલ્યાણ કોષની રચના જેવા પગલાં લેવા જોઈએ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આગામી યુનિયન બજેટને માત્ર આવકવેરાની મુક્તિ મર્યાદાની સંકુચિત નજરે સારા કે નરસા તરીકે મુલવવાને  બદલે ગિગ સહિતના અસંગઠિત શ્રમિકોના હિતની દ્રષ્ટિએ મુલવવું જોઈએ.  જેમની પાસે. સ્માર્ટ ફોન કે ઈન્ટરનેટની સુવિધા નથી તેમના માટે તો ગિગ વર્કર્સ બનવું પણ મુશ્કેલ છે. એટલે ડિજિટલ ડિવાઈડના દ્રષ્ટિકોણથી પણ આ બાબતને ચકાસવી જોઈએ  </span><br><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com"></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a> </span><span style="font-size: 12pt;"><em><strong>(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)</strong></em></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/may-day-asks-are-workers-better-off-or-worse-off"><strong>May દિન પૂછે છે: કામદારોની હાલત બહેતર કે બદતર?</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 01 Aug 2024 10:42:23 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1008</Articleid>
                    <excerpt>સ્માર્ટફોનની કોઈ એપ દ્વારા ઓર્ડર કરેલી વસ્તુ જ્યારે ગણતરીની મિનિટોમાં ડિલિવર થઈ જાય ત્યારે ખુશ થઈ જતા આપણે સૌએ આ લેખ ચોક્કસ વાંચવો રહ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66ab18cf0e813.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ab18cecf8c4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ab18cecf8c4.jpg" length="65582" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>વિકાસ દિવ્યકીર્તિ અને અવધ ઓઝાનું અસલી ચરિત્ર સામે આવી ગયું</title>
                    <link>https://khabarantar.com/the-real-character-of-vikas-divyakirti-and-awadh-ojha-came-out</link>
                    <guid>https://khabarantar.com/the-real-character-of-vikas-divyakirti-and-awadh-ojha-came-out</guid>
                    <description>
                        <![CDATA[ દિલ્હીની એક IAS એકેડેમીની લાઈબ્રેરીમાં પાણી ભરાતા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે, આ ઘટનાએ વિકાસ દિવ્યકીર્તિ અને અવધ ઓઝાનું અસલી ચરિત્ર સામે લાવી દીધું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીના ‘Rau's IAS Study Circle’ના બેઝમેન્ટની લાઈબ્રેરીમાં 27 જુલાઈ 2024ના રોજ સાંજના 6.45 વાગ્યે એકાએક વરસાદી પાણી ભરાતા UPSC પરીક્ષાની તૈયારી કરતા 3 વિદ્યાર્થીઓ, શ્રેયા યાદવ(આંબેડકરનગર) તાન્યા સોની(હૈદરાબીદ) અને નિવિન દાલવિન(કેરલ)ના મોત થઈ ગયા. સવાલ એ છે કે UPSCની તૈયારી કરાવતા કોચિંગ ક્લાસની કોઈ જવાબદારી હોય કે નહીં? તગડી ફી લે છે, છતાં જવાબદારી ખંખેરી નાખવાની? </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેટલાંક યુવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો કે ‘કોચિંગ ગુરુ અવધ ઓઝા અને વિકાસ દિવ્યકીર્તિ’એ આ ઘટના અંગે એક ટ્વિટ સુદ્ધાં નથી કર્યું, સાવ ચૂપ થઈ ગયા છે!’ યુવાનો અવધ ઓઝા અને વિકાસ દિવ્યકીર્તિના મોટિવેશનલ વીડિયોમાંથી પ્રેરણા લેતા હોય છે. એટલે યુવાનોને અપેક્ષા રહે છે કે 3 વિદ્યાર્થીઓના મોત બાબતે તેઓ ખોંખારીને બોલે. ઘટના ‘Rau's IAS Study Circle’ની છે, એટલે કદાચ ચૂપ રહ્યા હશે! શું એમનું મોટિવેશન અને જ્ઞાન માત્ર એક ધંધાકીય બાબત બની ગઈ છે? શું તેઓ સાચા શિક્ષક છે? શું વિદ્યાર્થીઓ જેને પોતાના આદર્શ માને છે, તે માત્ર પૈસાની જ ચિંતા કરે છે? વિદ્યાર્થીઓની આશા તૂટી રહી છે, કેમકે જેમની પર વિશ્વાસ કરતા હતા તેમણે મૌન ધારણ કરી લીધું છે, કથની અને કરણીમાં અંતર કેમ? અવધ ઓઝા, વિકાસ દિવ્યકીર્તિ વિદ્યાર્થીઓનો અવાજ જરૂર બની શકે, પરંતુ ખરા સમયે મૌન રહેનારા ગુનામાં ભાગીદાર બને છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શું UPSCની તૈયારી ઘેર રહીને ન થઈ શકે? કોચિંગ ક્લાસનો ઉદ્યોગ બંધ કરાવવાની જરુર નથી? શા માટે કોલેજ અને યુનિવર્સિટીના કેમ્પસમાં આ સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તૈયારી માટેની વ્યવસ્થા ન હોય? શું યુનિવર્સિટીઓની લાઈબ્રેરી કંગાળ છે? કોચિંગ લેવું પડે તે શિક્ષણ વ્યવસ્થાની ખામી નથી? </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં તો જ્ઞાતિ વાઈઝ કોચિંગ ક્લાસ ખોલવાની હરિફાઈ થઈ છે. ‘વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને’ માત્ર હિન્દુ સમાજના દીકરા કે દીકરીઓ માટે UPSC કે GPSCની તૈયારી માટે ‘IAS Academy’ શરૂ કરી છે. આ એવું શિક્ષણ છે જે જ્ઞાતિવાદ, ધર્મવાદને મજબૂત કરે છે. તેમાંથી કોઈ IAS, IPS બને તો તે સમાજ માટે ખતરનાક જ હોવાનો. મોટા ભાગના જ્ઞાતિ વાઈઝ, મંદિર વાઈઝ કોચિંગ ક્લાસ ચલાવનારાઓ પોતાની ગોડસેવાદી-ક્રીમિનલ છાપ પર સહેલાઈથી કલઈ કરી લેતા હોય છે. સરકારે જ્ઞાતિ, ધર્મ વાઈઝ અને ધંધાદારી કોચિંગ ક્લાસ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને આની વ્યવસ્થા યુનિવર્સિટીના કેમ્પસમાં ઊભી કરવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <span style="font-size: 14pt;"> <a href="https://khabarantar.com/gir-somnaths-ddo-became-ias-on-bogus-disability-certificate">ગીર સોમનાથના DDO બોગસ વિકલાંગતા પ્રમાણપત્ર પર IAS બન્યાં?</a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યાં બેઝમેન્ટમાં આટલું પાણી ભરાઈ જતું હોય ત્યાં લાઈબ્રેરી માટે મંજુરી આપનાર કોણ? શું આ ભ્રષ્ટાચારનો કિસ્સો નથી? પૈસા લઈને બેઝમેન્ટમાં ધધંધાદારી પ્રવૃતિની છૂટ આપવાની? મહાનગરપાલિકા ટેક્સ વસૂલે છે તો તેમની જવાબદારી થાય કે નહીં? દરેક વખતે સિસ્ટમનો વાંક કાઢી બેસી રહેવાનું? આ 3 યુવાનોના મોત માટે જવાબદાર છે ‘Rau's IAS Study Circle’ના માલિક તથા દિલ્હી મહાનગર પાલિકા. વાલીઓએ અને જાગૃત નાગરિકોએ એક થઈને કોર્ટ સમક્ષ વળતરનો મોટો દાવો માંડવો જોઈએ જેથી બીજા ધંધાદારી કોચિંગ ક્લાસવાળા આપોઆપ સુધરી જાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકારી, અર્ધસરકારી નોકરી મેળવવા માટે યુવાનોમાં થનગનાટ હોય છે. પોલીસનો યુનિફોર્મ, રીવોલ્વર અને મામલતદારનો મોભો જોઈને સપનાઓ જોવા લાગે. યુવક-યુવતીઓ, IAS-IPS થવા માટે કોચિંગ ક્લાસમાં જોડાય છે; પરંતુ કોચિંગ ક્લાસમાં જવાથી નોકરી મળી જતી નથી. શું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ઘરબેઠાં કરી શકાય? કઈ રીતે કરી શકાય?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સર્વપ્રથમ કઈ પોસ્ટ માટે તમે તૈયારી કરો છો, તે ધ્યાનમાં લો. ઉદાહરણ તરીકે વર્ગ-1 માટે તમે તૈયારી કરી રહ્યા છો, તો તેનો સિલેબસ જુઓ. અગાઉના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરો. વિષય મુજબ અલગ અલગ નોંધ તૈયાર કરો. સંદર્ભ પુસ્તકો મેળવો; તે માટે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, સંસ્થાની લાઇબ્રેરીનો ઉપયોગ કરો. કેરિયર મેગેઝિન જોઈ લેવાં. યાદ રહે કે માત્ર કેરિયર મેગેઝિન વાંચવાથી સફળતા ન મળે; કેમકે આ મેગેઝિન સૌ સ્પર્ધકો વાંચતા હોય છે. તમારે બીજા કરતા આગળ રહેવું હોય તો કેરિયર મેગેઝિન સિવાય સંદર્ભ પુસ્તકો વાંચવા જ પડે. આ બધી તૈયારી ઘરે બેઠાં થઈ શકે છે. જેનામાં વર્ગ-1 ના અધિકારી બનવાની મહત્વાકાંક્ષા છે, તેના પગ પાનના ગલ્લા તરફ નહીં, લાઇબ્રેરી તરફ જ ઉપડે. ન્યૂઝ પેપરમાં મોટાભાગે કચરો હોય છે, તેની પાછળ સમય ન બગાડો. ગુજરાતી અખબારોમાં સામાજિક પ્રશ્નો પ્રત્યે નિસબત ધરાવનાર લેખકોને વાંચો. લોકપ્રિય કોલમઘસુઓને વાંચવાથી સમય બગડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">‘નિરીક્ષક’, ‘નયામાર્ગ’, ‘ભૂમિપુત્ર’, ‘અર્થાત્’ની પ્રત્યેક લીટી વાંચો અને જરૂરી મુદ્દાઓ નોંધી લો. આ ટેવ તમને બીજા સ્પર્ધકથી આગળ લઈ જશે. અખબારોમાં ચર્ચાપત્ર લખો. સુબોધ શાહનું પુસ્તક ‘Culture Can Kill’ વાંચવા જેવું છે, તેનો ગુજરાતી ભાવાનુવાદ ગોવિંદ મારુના ‘અભિવ્યક્તિ’ બ્લોગ ઉપર વાંચવા મળશે, તેને ડાઉનલોડ કરીને નિરાંતે વાંચો; તેનાથી ‘ક્લેરિટી’ આવશે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે ‘ક્લેરિટી’ તો જોઈએ જ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાંચતા થાકી જાવ તો થોડીવાર કુદરતને નીરખો. મનન કરો. ફેસબૂક, ગૂગલ સર્ચ કરી જે તે મુદ્દા અંગે માહિતી એકત્ર કરી ડાઉનલોડ કરી અલગ અલગ ફોલ્ડરમાં સેવ કરો. રેફરન્સ માટે કામ લાગે. સોશિયલ મીડિયામાંથી સેક્યુલર, સમાનતા, સ્વતંત્રતા, સામાજિક ન્યાય, સમાજવાદ, માનવીય ગૌરવ, રાષ્ટ્રની એકતા, અખંડિતતા, બંધુતા-આદર-પ્રેમ, લોકશાહી, સાર્વભૌમત્વ અંગેના વિચારોનું ભાથું બાંધો. વર્ગ-1ની પરીક્ષા માટે વિચારભાથું અગત્યનું છે. વિચારભાથું હશે તો નિબંધમાં વિચારવિસ્તારમાં ઊંડાણ આવશે; જવાબો સચોટ લખાશે. આ વિચારભાથું કોચિંગ ક્લાસમાંથી મળતું નથી; ત્યાં માત્ર ટેકનિક મળે. યાદ રહે ટેકનિક કરતા વિચારનું મહત્વ વધારે છે. પરીક્ષા આપતા મિત્રો સાથે સંપર્કમાં રહો, મુદ્દાઓની ચર્ચા કરો. નવી જાણકારી નોટબૂકમાં ટપકાવી લો. જેટલું લખશો તેટલો વધુ ફાયદો થશે. લખવાની પ્રેક્ટિસ કરવી જ પડે. પરીક્ષા હોલમાં જ લખીએ તે માનસિકતા ન ચાલે. આ બધું ઘરબેઠાં સહેલાઈથી વિના ખર્ચે થઈ થઈ શકે છે. વૈજ્ઞાનિક-રેશનલ અભિગમ કેળવો; સફળતા બિલકુલ નજીક આવશે. હનુમાનદાદાના મંદિરે કે બીજા ધર્મસ્થાનકોએ જવાથી નિષ્ફળતા તદ્દન નજીક આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>રમેશ સવાણી </strong></span><em><span style="font-size: 12pt;"><strong>(લેખક પૂર્વ આઈએએસ અને રેશનલ વિચારધારાના પક્ષધર છે)</strong></span></em></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/controversy-over-upsc-teacher-calling-akbar-a-more-powerful-king-than-rama"><strong>UPSCની શિક્ષિકાએ અકબરને રામ કરતા શક્તિશાળી રાજા ગણાવતા વિવાદ</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 30 Jul 2024 10:31:54 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 30 Jul 2024 10:33:03 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>999</Articleid>
                    <excerpt>દિલ્હીની એક IAS એકેડેમીની લાઈબ્રેરીમાં પાણી ભરાતા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે, આ ઘટનાએ વિકાસ દિવ્યકીર્તિ અને અવધ ઓઝાનું અસલી ચરિત્ર સામે લાવી દીધું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a872ed0e0f6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a872ecd23a7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a872ecd23a7.jpg" length="69678" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;જય શ્રીરામ&amp;apos; સામે &amp;apos;જય ભીમ&amp;apos;નો નારો કેવી રીતે ભારે પડ્યો?</title>
                    <link>https://khabarantar.com/how-did-the-slogan-of-jai-bheem-outweigh-jai-shri-ram</link>
                    <guid>https://khabarantar.com/how-did-the-slogan-of-jai-bheem-outweigh-jai-shri-ram</guid>
                    <description>
                        <![CDATA[ લોકસભાની ચૂંટણીના પરિણામોમાં કઈ રીતે જય શ્રીરામના નારાને જય ભીમના નારાએ પાછળ છોડી દીધો તેની અથથી ઇતિ સુધીની કહાની અહીં પ્રસ્તુત છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભાજપ લોકસભા ચૂંટણીમાં મળેલી હારમાંથી બહાર આવી શકી નથી. લોકસભાની 80 બેઠકોમાંથી ભાજપે 75 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું. પરંતુ ભાજપ તેના જૂના સાથીઓ સાથે રહીને પણ આ લક્ષ્ય હાંસલ કરી શક્યું નથી. યુપીમાં એનડીએએ કુલ 36 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના ઈન્ડિયા ગઠબંધનને 43 બેઠકો મળી હતી. ભાજપ માટે તેના જ ગઢમાં આ કારમી હાર છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ ભાજપની આગેવાની હેઠળના એનડીએને મોટો ઝટકો લાગ્યો છે. ત્યાં NDA 48 માંથી 31 સીટો પર હારી ગયું, પરંતુ યુપીમાં ભાજપની હાર વધુ નોંધપાત્ર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ જ કારણ છે કે આ દિવસોમાં યુપી ભાજપમાં અંદરોઅંદર લડાઈ ચાલી રહી છે. આ હાર માટે જવાબદાર કોણ? આ માટે હજુ પણ સંઘર્ષ ચાલુ છે. પરંતુ આ હારના કારણે નરેન્દ્ર મોદીને એનડીએ સરકાર બનાવવાની ફરજ પડી હતી. '56 ઇંચની છાતીવાળા' અને 'એક અકેલા સબ પે ભારી' કહેવાતા નરેન્દ્ર મોદી હાલમાં નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુની કાંખઘોડીના સહારે સરકાર ચલાવી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૂળ પ્રશ્ન એ છે કે યુપીમાં ભાજપની હાર શા માટે થઈ અને આ હારને આટલી મોટી કેમ ગણવામાં આવી રહી છે? ઉત્તર પ્રદેશ રામમંદિર આંદોલનનું કેન્દ્ર છે જેના સહારે ભાજપ સત્તા સુધી પહોંચી હતી. 1980માં સ્થપાયેલી ભાજપના રામ મંદિર આંદોલનનું પહેલું પરિણામ 6 ડિસેમ્બર 1992ના રોજ આવ્યું, જ્યારે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી. લગભગ 27 વર્ષ પછી 2019માં, સુપ્રીમ કોર્ટે હિંદુઓની લાગણીઓના આધારે વિવાદિત સ્થળ પર રામ મંદિર બનાવવાનો આદેશ જારી કર્યો. 5 વર્ષ પછી 22 જાન્યુઆરી 2024ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવનિર્મિત રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/bulldozer-a-major-factor-in-bjps-defeat-in-ayodhya"><span style="font-size: 14pt;">બુલડોઝરઃ અયોધ્યામાં ભાજપની હારનું એક મોટું ફેક્ટર</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપને આશા હતી કે 2024ની લોકસભા ચૂંટણી રામમંદિરના આધારે સરળતાથી જીતી જવાશે. પરંતુ ચૂંટણી પરિણામોએ માત્ર ભાજપને જ નહીં પરંતુ ભલભલાં મોટા રાજકીય વિશ્લેષકોને પણ આશ્ચર્યચકિત કરી દીધા હતા. અયોધ્યા સ્થિત ફૈઝાબાદ સીટ પર પણ ભાજપ ચૂંટણી હારી ગઈ. ભાજપ માટે આ ઘા પર મીઠું ભભરાવતી વાત એ હતી કે અહીં જીતેલા સપાના ઉમેદવાર અવધેશ પ્રસાદ પાસી દલિત છે. અયોધ્યામાં ભાજપની હાર અત્યંત શરમજનક સાબિત થઈ. આનું એક પરિણામ એ આવ્યું કે ત્યારથી નરેન્દ્ર મોદીએ જય શ્રી રામના નારા લગાવવાનું બંધ કરી દીધું, જે રામ મંદિર આંદોલન અને ભાજપની રાજનીતિનું સૌથી તેજાબી શસ્ત્ર હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશમાં ભાજપની હારની ચર્ચા એટલા માટે પણ થઈ રહી છે કારણ કે તેની સૌથી મોટી બ્રાન્ડ નરેન્દ્ર મોદી બનારસથી ચૂંટણી લડે છે. તેમના સિવાય હિન્દુત્વની સૌથી કટ્ટર છબી ધરાવતા યોગી આદિત્યનાથ છેલ્લા 7 વર્ષથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે. હિન્દુત્વના બે સૌથી મોટા ફાયર બ્રાન્ડ ચહેરા હોવા છતાં યુપીમાં ભાજપની હાર મોટા પ્રશ્નો ઉભા કરે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ જે રાજકીય વિશ્લેષકોને યુપીના પરિણામો પર વિશ્વાસ નથી આવી રહ્યો તેઓ કદાચ ભૂલી ગયા છે કે ઉત્તર પ્રદેશ માન્યવર કાંશીરામની પણ જન્મભૂમિ છે. 1970-80ના દાયકામાં કાંશીરામે ઉત્તર પ્રદેશમાં સાંસ્કૃતિક ચળવળ દ્વારા દલિતો, પછાત અને મુસ્લિમો વચ્ચે બહુજન એકતા સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. 1984માં તેમણે BSP જેવી રાજકીય પાર્ટી બનાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપા રાષ્ટ્રીય પક્ષ તરીકે હજુ પણ મજબૂત છે. માયાવતી ચાર વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા. એક સમયે બહેનજીને રાષ્ટ્રીય રાજકારણમાં વડાપ્રધાન પદના ચહેરા તરીકે પણ જોવામાં આવતા હતા. પરંતુ 2012માં યુપી વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ બસપા વધુ સફળતા મેળવી શકી નહોતી. 2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ ઉત્તર પ્રદેશ પણ 2017માં ભાજપના હાથમાં આવ્યું. ભાજપે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવ્યા. આ વર્ષોમાં માયાવતીની નિષ્ક્રિયતા અને મૌનને કારણે દલિત રાજકારણ હાંસિયામાં ધકેલાઈ ગયું હતું. પરંતુ મહત્વની વાત એ છે કે આ ભૂમિ પર દલિત ચેતનાનો વિકાસ સતત થતો રહ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપની હાર પાછળ આ દલિત ચેતના અને આંબેડકરવાદી ચિંતન છે. છેલ્લા 10 વર્ષમાં દલિત-બહુજન રાજકારણ સતત નબળું પડતું રહ્યું. 2014માં ભાજપ સત્તામાં આવ્યા બાદ મુસ્લિમો વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું. હિંદુ કોમી ઉન્માદ વધ્યો. મુસલમાનોની અને દલિતો-પછાતો સામે કોમવાદી કુપ્રચારની આખી મશીનરી કામે લગાડી દેવાઈ. સત્ય એ છે કે ભાજપ અને આરએસએસની આંતરિક રાજનીતિ વાસ્તવમાં દલિતો અને પછાત વર્ગોના અધિકારો અને રાજકીય પ્રભાવની વિરુદ્ધ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/My-grandfather-Dr.-Babasaheb-Ambedkar-had-warned-that...%E2%80%9D-Prakash-Ambekar-declined-the-invitation-to-Ram-Mandir"><span style="font-size: 14pt;">“મારા દાદા ડૉ. બાબાસાહેબ આંબેડકરે ચેતવ્યા હતા કે...” પ્રકાશ આંબેકરે રામ મંદિરનું નિમંત્રણ ઠુકરાવ્યું</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરએસએસ જાણે છે કે મુસ્લિમો તેમના માટે ક્યારેય પડકાર બની શકે તેમ નથી. આરએસએસનું હિન્દુત્વ નવો બ્રાહ્મણવાદ છે. આરએસએસ સામાજિક સમરસતાના નામે જાતિગત અસમાનતા જાળવવા માંગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમની સામે ખરો પડકાર બંધારણીય વ્યવસ્થા છે. તેથી દલિત ચેતના અને મંડલની રાજકીય એકતાને નષ્ટ કરવા માટે ભાજપ-આરએસએસએ દલિતો અને પછાત વર્ગોના સ્વાર્થી, જીહજૂરિયા અને અસ્તિત્વહીન નેતાઓને પસંદ કર્યા. આ મહોરાં દ્વારા ભાજપ અને નરેન્દ્ર મોદીની સરકારે અનામત, શિક્ષણ, નોકરી જેવા દલિતો અને પછાત વર્ગોના બંધારણીય અધિકારોને અર્થહિન બનાવી દીધા. બહુજન નાયકોની પ્રતિમાઓને પ્રતીકોમાં ફેરવીને તેમને માત્ર મત મેળવવાનું માધ્યમ બનાવી દીધી. આ દરમિયાન, રોહિત વેમુલાની આત્મહત્યા(17 જાન્યુઆરી, 2016), ઉનાકાંડમાં 7 દલિતોને જાહેરમાં માર મારવાની ઘટના(11 જુલાઈ, 2016) ના ગુનેગારોને કોઈ સજા મળી નથી. યુપીના હાથરસમાં પણ માથાભારે ગુનેગારો પર સરકાર મહેરબાન રહી, જ્યારે પીડિત પરિવાર હજુ પણ ન્યાયની શોધમાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશમાં દલિત અત્યાચારની ઘટનાઓ પર પોલીસ ખાતું પગલાં લેવા તૈયાર જણાતું નથી. ઉલટું પોલીસ પોતે જ દલિતો પર અત્યાચાર કરવા લાગી. યોગી આદિત્યનાથના સાશનમાં કથિત સવર્ણ જાતિઓની બોલબાલા વધી. મોટાભાગના પોલીસ સ્ટેશનોમાં પીઆઈ ઠાકુર જાતિના બેસી ગયા. એસપી, ડીએમ, તહસીલદાર વગેરે જેવા તમામ મહત્વના હોદ્દાઓ પર સવર્ણોનો કબ્જો થઈ ગયો. દલિત, પછાત અધિકારીઓ અને કર્મચારીઓને સાઈડલાઈન કરવામાં આવ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિણામ એ આવ્યું કે દલિતોને પોલીસ સ્ટેશનથી લઈને યુનિવર્સિટી સુધી દરરોજ અન્યાય અને અપમાનનો સામનો કરવો પડ્યો. અન્યાય સામે વધતી જતી ચેતનાએ ઘણા બૌદ્ધિકો, લેખકો અને પત્રકારોને એક્ટિવિસ્ટ બનાવી દીધાં. તેમણે રાજકીય પક્ષો અને નેતાઓ તરફ જોવાનું બંધ કરી દીધું અને પોતે સમાજમાં સક્રિય થયા અને મહાનાયક બાબાસાહેબના વિચારો અને સંદેશા લઈને સમાજની વચ્ચે પહોંચ્યા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દરમિયાન કેટલીક મોટી ઘટનાઓ પણ બની હતી. ઉદાહરણ તરીકે, જ્યારે SC-ST એક્ટને સુપ્રીમ કોર્ટે નબળો પાડ્યો, ત્યારે તેની પાછળ કેન્દ્ર સરકારનો ઈરાદો છુપાયેલો હતો. તેની સામે 2 એપ્રિલ 2018ના રોજ દેશવ્યાપી આંદોલન થયું હતું. આ આંદોલનમાં ડઝનબંધ દલિત યુવાનો શહીદ થયા હતા. આ ચળવળ કોઈપણ રાજકીય પક્ષ કે નેતૃત્વ વિના, માત્ર સોશિયલ મીડિયા પર પ્રચાર દ્વારા ઉભી થઈ હતી. આ સ્વયંભૂ આંદોલન સામે કેન્દ્ર સરકારે ઝુકવું પડ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/attacking-the-sweeper-saying-you-are-bhangi-paran-chanted-jai-shri-ram"><span style="font-size: 14pt;">'તું ભંગી છે' કહીને સફાઈકર્મી પર હુમલો, પરાણે 'જય શ્રી રામ' બોલાવ્યું</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પછી માર્ચ 2019માં 13 પોઇન્ટ રોસ્ટર અનામતને લઈને પણ આંદોલન થયું અને એમાં પણ સફળતા મળી. આ ચળવળોએ દલિત સમાજના શિક્ષિત યુવાનોને સંગઠિત થવા, સંઘર્ષ કરવા અને વિજય હાંસલ કરવાની હિંમત આપી. આ ડૉ.આંબેડકરના વિચારોની સૌથી મોટી જીત સાબિત થઈ. હકીકતમાં બાબા સાહેબના સપનાને સાકાર કરવાનું કામ આ દાયકાના દલિત બૌદ્ધિકો અને યુવાનોએ કર્યું હતું. દલિત કાર્યકરોએ સમાજને બતાવ્યું કે કેવી રીતે નિઃશસ્ત્ર અને નેતૃત્વ વિના માત્ર વિચારની તાકાતથી એક અહંકારી અને ક્રૂર સત્તા સામે કેવી રીતે લડી શકાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1925માં સ્થપાયેલું RSS એ ભાજપનું મૂળ સંગઠન છે. શરૂઆતથી જ તેમનો ઉદ્દેશ્ય ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનો છે. તેથી, RSSએ કોંગ્રેસના નેતૃત્વમાં સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો ન હતો. ઊલટું, તેમણે અંગ્રેજોને ટેકો આપ્યો. આરએસએસે સ્વતંત્રતા ચળવળના મૂલ્યો, વિચારો અને તેમાંથી ઉદ્દભવેલા ભારતના બંધારણને ક્યારેય ન તો પસંદ કર્યું ન સ્વીકાર્યું. ડૉ. આંબેડકરે 1940માં જ સાવરકરના હિંદુત્વ અને આરએસએસના હિંદુ રાષ્ટ્રના ખતરાને માપી લીધું હતું. તેથી જ તેમણે દલિતોને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે "જો હિન્દુ રાષ્ટ્ર બનશે તો તે દલિતો માટે સૌથી મોટી આફત સાબિત થશે. માટે કોઈપણ કિંમતે તેને રોકવું જોઈએ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. આંબેડકરે બંધારણ દ્વારા અસમાનતા અને ભેદભાવ નાબૂદ કરીને દલિતો અને આદિવાસીઓને સમાન તકો પૂરી પાડવા માટે અનામતની જોગવાઈ કરી હતી. આરએસએસના બીજા સરસંઘચાલક એમ.એસ. ગોલવલકરે તેમના પુસ્તક 'બંચ ઓફ થોટ્સ'માં વર્ણ અને જાતિ પ્રથાનું સમર્થન કર્યું હતું. આરએસએસ શરૂઆતથી જ અનામત વિરોધી, પુરુષપ્રધાન અને સમાજમાં બ્રાહ્મણોના વર્ચસ્વનું સમર્થક છે. કોંગ્રેસ અને ડાબેરીઓએ આરએસએસ અને ભાજપની સાંપ્રદાયિક રાજનીતિનો તો વિરોધ કર્યો પરંતુ તેમના 'અનામત વિરોધ' અને 'જાતિ વ્યવસ્થાના સમર્થન'નો ક્યારેય મજબૂતીથી વિરોધ નથી કર્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એનું  જ કારણ છે કે, 1980ના દાયકામાં પછાત અને દલિત રાજકારણ ઉભરી આવ્યું. આ પડકારને પહોંચી વળવા માટે એક તરફ આરએસએસ અને ભાજપે કમંડલની રાજનીતિ શરૂ કરી અને બીજી તરફ તક મળ્યે બંધારણ અને અનામત પર પ્રતિક્રિયા આપી. સત્તામાં આવ્યા પછી અટલ બિહારી વાજપેયીએ ફેબ્રુઆરી 2000માં ન્યાયમૂર્તિ વેંકટ ચિલૈયાની અધ્યક્ષતામાં બંધારણની સમીક્ષા કરવા માટે એક રાષ્ટ્રીય પંચની રચના કરી. આ પંચે 2002માં પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો પરંતુ વિરોધના કારણે વાજપેયી સરકારે આ ભલામણોને લાગુ કરવાની હિંમત કરી ન હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદ આ ખતરો ઓર વધી ગયો. ભાજપ અને આરએસએસ ખૂબ જ શાતિર રીતે આના પર મૌન રહ્યા. અનામતનો વિરોધ કરવાને બદલે તેમણે સરકારી નોકરીઓ ખતમ કરવાની પદ્ધતિ અપનાવી અને તે વધુ અસરકારક સાબિત થઈ. સરકારી શિક્ષણ વ્યવસ્થા ખતમ કરી દેવામાં આવી, જેથી દલિતો, આદિવાસી કે ઓબીસીના બાળકો ભણી જ ન શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-dalit-youth-was-beaten-up-for-saying-jai-bhim-namo-buddhay-on-the-phone"><span style="font-size: 14pt;">ફોન પર 'જય ભીમ, નમો બુદ્ધાય' બોલવા પર દલિત યુવકને માર માર્યો</span></a><br></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેએનયુ જેવી યુનિવર્સિટીને અર્બન નક્સલવાદ અને અય્યાશીનો અડ્ડો કહીને બદનામ કરવામાં આવી. જેએનયુમાંથી સામાજિક પરિવર્તન અને ચેતનાની એક બૌદ્ધિક પેઢી ઉભરીને સામે આવી છે, જે સતત ભાજપ, આરએસએસના બ્રાહ્મણવાદ અને સાંપ્રદાયિકતા સામે મોટો પડકાર ઊભો કરી રહી છે. નરેન્દ્ર મોદીના શાસને આવી તમામ સંસ્થાઓ પર આયોજનબદ્ધ હુમલા કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2019ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ હિન્દુ રાષ્ટ્ર બનાવવાની ખુલ્લેઆમ જાહેરાત કરવામાં આવી હતી. દલિતો પર અત્યાચાર, અપમાન અને શોષણ વધવા લાગ્યું. આરએસએસની સ્થાપનાના 100માં વર્ષમાં હિન્દુ રાષ્ટ્રની ઘોષણા કરવાનો ધ્યેય હતો. આ ખતરાની ગંધ પારખીને દલિત સમાજનો જાગૃત વર્ગ બધું જ દાવ પર લગાવીને સક્રિય થયો. બાબા સાહેબના વિચારો અને તેમની ચિંતાઓ પર નિયમિતપણે સેમિનારોનું આયોજન થવા લાગ્યું. બંધારણ, અનામત, શિક્ષણ, સન્માન અને સ્વાભિમાન બચાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લાંબા સમય પછી, દલિત-વંચિત સમાજ બાબા સાહેબના અધૂરા સપના અને બાકી રહેલા કાર્યોને પૂર્ણ કરવા આગળ વધ્યો. મહારાષ્ટ્રની બહારના કોઈપણ રાજ્યમાં આ પહેલીવાર હતું જ્યારે લોકો બૌદ્ધ ધર્મ તરફ ઝુકવા લાગ્યા. વિવિધ સ્થળોએ બૌદ્ધ સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું. આ પરિષદોમાં ખૂલીને 22 પ્રતિજ્ઞાઓનું પુનરાવર્તન થવા લાગ્યું. સરકારી સ્તરે આયોજકોને હેરાન કરવામાં આવ્યા, કાર્યક્રમના આયોજનની પરવાનગી આપવામાં અડચણો ઉભી કરવામાં આવી, પણ બહુજન સમાજ ડગ્યો નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત બૌદ્ધિકોને ચૂપ કરવા અને તેમનું મનોબળ તોડવા હુમલા કરવામાં આવ્યા. તેમની સામે કેસ નોંધવામાં આવ્યા, પોલીસ અને કોર્ટ તરફથી પણ તેમને હેરાનગતિનો સામનો કરવો પડ્યો. દલિતો પરના અત્યાચારો જેમ જેમ વધતા ગયા તેમ તેમ તેઓ વધુ અવાજ ઉઠાવતા ગયા. તેમની સામે એક તરફ હિંદુત્વની ગુલામી અને બીજી બાજુ બંધારણની સ્વતંત્રતા હતી. તેને પોતાના સમાજ અને આવનારી પેઢીના ભવિષ્યની ચિંતા હતી. 2019માં રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય અને 2024માં મંદિરના ઉદ્ઘાટન વચ્ચે એક લહેર ચાલી રહી હતી, જે કદાચ અન્ય લોકો જોઈ શક્યા નહોતા. બહુજન સમાજ અને તેમાં ખાસ કરીને દલિતોએ મોટા પાયે હોળી અને દિવાળી જેવા હિન્દુ તહેવારોની ઉજવણી કરવાનું બંધ કરી દીધું હતું. તેમણે હિંદુ દેવી-દેવતાઓને છોડીને બહુજન ક્રાંતિકારીઓ અને આધ્યાત્મિક ગુરુઓ-સંતોને પોતાની આસ્થાનું કેન્દ્ર બનાવ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/you-are-a-jai-bheem-wala-we-dont-employ-jai-bheem-wala"><span style="font-size: 14pt;">તું 'જય ભીમ વાળો' છે, અમે 'જય ભીમ વાળા'ને નોકરી નથી આપતા</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બુદ્ધ, કબીર, રૈદાસથી લઈને આધુનિક ભારતના બહુજન નાયકો જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ, રામાસ્વામી પેરિયાર, છત્રપતિ શાહુજી મહારાજ, બાબાસાહેબ આંબેડકર, સંત ગાડગે મહારાજ, રામસ્વરૂપ વર્મા, પેરિયાર લાલાઈ સિંહ, કર્પુરી ઠાકુર જેવા તમામ મહાનાયકોની જન્મજયંતિઓ બહુજનો માટે તહેવારો બની ગયા. જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા સેમિનારમાં બંધારણની પ્રસ્તાવના વાંચવામાં આવી, બુદ્ધની પૂજા કરવામાં આવી હતી અને શપથ લેવામાં આવ્યા હતા કે અમે ભારતને હિંદુ રાષ્ટ્ર નહીં બનવા દઈએ. અમે બંધારણની રક્ષા કરીશું. બાબા સાહેબની જન્મજયંતિનો એપ્રિલ મહિનો દલિતો માટે ઈદ અને દિવાળી કરતાં પણ વધુ મહત્વનો બની ગયો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફાઈનાન્સિયલ ટાઈમ્સ અનુસાર, આ વર્ષે 14મી એપ્રિલે દેશભરમાં મનાવવામાં આવેલી આંબેડકર જયંતિ પર 5000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે. દલિત યુવાનો ડીજે અને સંગીતનાં તાલે, હાથમાં વાદળી ધ્વજ સાથે મોટા સરઘસોમાં નીકળે છે. છેલ્લા 5 વર્ષોમાં, બહુજન નાયકોની જન્મજયંતિઓ અને સરઘસો દલિત અસ્મિતા, અસ્તિત્વ અને તેમના અધિકારોની નોંધ માટેનું સૌથી મોટું માધ્યમ બની ગયા છે. છેલ્લા 5 વર્ષમાં આ સેમિનાર, કોન્ફરન્સ અને મીટિંગ્સની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે. આ સેમિનારના મુખ્ય વિષયો બંધારણની રક્ષા, હિન્દુ રાષ્ટ્રનો વિરોધ અને બાબા સાહેબ આંબેડકરના વિચારો છે. સ્વાભાવિક રીતે જ તેમાં રાજકીય દ્રષ્ટિકોણથી ભાજપ અને આરએસએસ પર જોરદાર પ્રહારો થયા અને બહુજનની એકતાના સંકલ્પનું વારંવાર પુનરાવર્તન થયું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંભવતઃ, ભાજપ દલિત બહુજનમાં ચાલી રહેલા આ આંદોલનને સમજવામાં સફળ રહ્યું ન હતું અથવા તેને આ નેતાવિહીન તાકાતનો ખ્યાલ નહોતો. કદાચ ભાજપને તેના હિન્દુત્વમાં વિશ્વાસ હતો. તેથી, રામ મંદિરના ઉદ્ઘાટન પછી (22 જાન્યુઆરી 2024), નરેન્દ્ર મોદીએ 'અબકી બાર 400 પાર'નું સૂત્ર આપ્યું. આનાથી ઉત્સાહિત થઈને ભાજપના ડઝનબંધ નેતાઓએ બંધારણ બદલવાનો તેમનો ઈરાદો જાહેર કર્યો. આનાથી દલિતોને આવનાર ખતરાની પુષ્ટિ થઈ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વિદ્રોહનું નેતૃત્વ કોઈ રાજકીય પક્ષ કે વ્યક્તિના હાથમાં ન હોવાથી, જ્યારે રાહુલ ગાંધી અને અન્ય ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ બંધારણને પોતાના હાથમાં લઈને તેને બચાવવાની વાત કરી, ત્યારે દલિતોએ તેમની જૂની રાજકીય પ્રતિબદ્ધતાઓ છોડી દીધી અને બંધારણ બદલવાની વાતો કરતી ભાજપને હરાવવા માટે કમર કસી લીધી. છેલ્લા 15 વર્ષમાં આવું પહેલીવાર બન્યું જ્યારે દલિતોની અંદર જ્ઞાતિની દીવાલો તૂટી ગઈ અને વિરોધાભાસનો અંત આવ્યો. ભાજપમાંથી આવતા પોતાની જાતિના ઉમેદવારને પણ દલિતોએ છોડી દીધા અને મોટા પાયે દલિતોએ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારોને મત આપ્યા.</span><br><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશમાં ભાજપની હારનું સૌથી મોટું કારણ દલિતોની પ્રતિક્રિયા હતી. 21.5 ટકા મત નિર્ણાયક સાબિત થયા. ભાજપના 'જય શ્રીરામ'ની સામે 'જય ભીમ'નો નારો બુલંદ થયો. આંબેડકરવાદ હિંદુત્વ પર ભારે પડ્યો. યુપીમાં દલિતોએ ભાજપને એવી હાર આપી છે જેને તે લાંબા સમય સુધી ભૂલી શકશે નહીં. આનાથી સમગ્ર દેશમાં આંબેડકરવાદના મૂળ વધુ મજબૂત થયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <strong><a href="https://khabarantar.com/a-new-chapter-in-the-land-scam-in-the-name-of-ram-in-ayodhya">અયોધ્યામાં રામના નામે જમીન કૌભાંડનો નવો અધ્યાય...</a></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 29 Jul 2024 11:51:34 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 29 Jul 2024 14:47:46 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>993</Articleid>
                    <excerpt>લોકસભાની ચૂંટણીના પરિણામોમાં કઈ રીતે જય શ્રીરામના નારાને જય ભીમના નારાએ પાછળ છોડી દીધો તેની અથથી ઇતિ સુધીની કહાની અહીં પ્રસ્તુત છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a734e3205ac.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a734e2e668d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a734e2e668d.jpg" length="67141" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપ અને RSS વચ્ચેના મતભેદો તીવ્ર બન્યા હોવાનાં એંધાણ</title>
                    <link>https://khabarantar.com/differences-between-bjp-and-rss-are-believed-to-have-intensified</link>
                    <guid>https://khabarantar.com/differences-between-bjp-and-rss-are-believed-to-have-intensified</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપ અને આરએસએસ વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નથી. લોકસભાની ચૂંટણીમાં પક્ષ પ્રમુખ જે.પી.નડ્ડાના નિવેદન બાદ બંને વચ્ચેના મતભેદો તીવ્ર બન્યાં હોવાના એંધાણ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભાની ચૂંટણી ભાજપે ફરી એકવાર નરેન્દ્ર મોદીના નામ પર લડી હતી. પક્ષને આશા હતી કે, રામમંદિરના નિર્માણ અને હિંદુત્વ તેને ફરી એકવાર સ્પષ્ટ બહુમતી અપાવશે. એટલે જ તેણે અબ કી બાર 400 પારનો નારો આપ્યો હતો. પણ પરિણામો આવ્યા ત્યારે ભાજપની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું હતું અને તે આપબળે બહુમતી મેળવવાથી પણ દૂર રહ્યો હતો. એ પછી પક્ષમાંથી બળવાના સૂર ઉઠવા શરૂ થઈ ગયા હતા, જે હજુ પણ ચાલું છે. અરવિંદ કેજરીવાલ જેવા નેતાએ તો પહેલા જ કહી દીધું હતું કે, ચૂંટણી બાદ ભાજપ યુપીમાંથી યોગી આદિત્યનાથને મુખ્યમંત્રીપદેથી દૂર કરી દેશે. જે હાલની હુંસાતુંસી જોતા મહદઅંશે સાચું લાગી રહ્યું છે. એ પછી ભાજપ અને સંઘ વચ્ચેના સંબંધો સતત તણાવભર્યા રહ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં જ ઉત્તરપ્રદેશમાં ભાજપ અને સંઘના નેતાઓ વચ્ચેની સમન્વય બેઠક છેલ્લી ઘડીએ રદ કરાતાં ભાજપ અને સંઘ વચ્ચેના મતભેદો તીવ્ર બન્યા હોવાનાં એંધાણ છે. સૂત્રોનું કહેવું છે કે, નરેન્દ્ર મોદીએ સંઘને ભાજપની આંતરિક બાબતોથી દૂર રહેવાનું કહી દેતાં સંઘના સહસરકાર્યવાહ અરૂણ કુમાર સાથેની ઉત્તર પ્રદેશના ભાજપના દિગ્ગજ નેતાઓની બેઠક સ્થગિત રખાઈ છે. સંઘની મધ્યસ્થીથી ભાજપનો ઝઘડો શાંત પડે તેના કારણે ભાજપ સંઘના ઈશારે ચાલે છે અને ભાજપના નેતા સંઘની કઠપૂતળી છે એવી છાપ ના પડે એટલે મોદીએ સંઘને દૂર રહેવા કહી દીધું હોવાનું કહેવાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-new-chapter-in-the-land-scam-in-the-name-of-ram-in-ayodhya">અયોધ્યામાં રામના નામે જમીન કૌભાંડનો નવો અધ્યાય...</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રોના મતે, સંઘ અત્યારે નરેન્દ્ર મોદી અને તેમની નજીકના નેતાઓના બદલે યોગી આદિત્યનાથની તરફેણમાં ઢળેલો હોવાથી આ બેઠકના કારણે યોગી વધારે મજબૂત બનશે એવો ડર લાગતાં બેઠક જ રદ કરી દેવાઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુપીમાં ભાજપની આંતરિક ખેંચતાણ બહુ વધી જતાં સંઘે દખલગીરી કરવી પડી છે એવો મેસેજ ના જાય એ પણ એક કારણ છે. આ બેઠક હવે ફરી ક્યારે મળશે એ સ્પષ્ટ નથી. લખનઉમાં ૨૦ અને ૨૧ જુલાઈ એટલે કે શનિવારે અને રવિવારે એમ બે દિવસ માટે મળનારી બેઠકમાં યુપીના સંઘના ટોચના નેતાઓ ઉપરાંત ભાજપ તરફથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રીઓ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક, યુપી ભાજપ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરી અને સંગઠન મહામંત્રી ધર્મપાલ હાજર રહેવાના હતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યોગી આદિત્યનાથે આ બેઠકને કારણે શનિવાર અને રવિવાર એમ બે દિવસના તેમના તમામ સરકારી કાર્યક્રમો પણ રદ કરી દીધા હતા. ભાજપ અને સંઘ વચ્ચે સંકલનની જવાબદારી સંભાળતા અરૂણ કુમાર શુક્રવારે સાંજે લખનઉ પહોંચવાના હતા પણ અરૂણ કુમાર લખનઉ પહોંચ્યા નહોતા. તેના બદલે જાહેરાત કરાઈ કે આ બેઠક સ્થગિત રખાઈ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/this-is-the-result-of-bjp-leaders-remaining-in-devotion-to-modi-sangh">ભાજપના નેતાઓ મોદીની ભક્તિમાં રત રહ્યાં તેનું આ પરિણામ છેઃ આરએસએસ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બેઠકમાં ભાજપ અને સંઘના નેતા લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ભાજપને મળેલી કારમી હારના કારણોની ચર્ચા કરવાના હતા. આ ઉપરાંત ભવિષ્યમાં ભાજપ અને સંઘ વચ્ચે કઈ રીતે વધારે સારી રીતે સંકલન થઈ શકે તેની વ્યૂહરચના પણ ઘડાવાની હતી. યુપીમાં વિધાનસભાની ૧૦ બેઠકોની પેટાચૂંટણી ટૂંક સમયમાં યોજાવાની છે. પેટાચૂંટણીમાં સંઘ ભાજપને પૂરી તાકાતથી મદદ કરે એ માટે સ્વયંસેવકોની ફરિયાદોનો મુદ્દો પણ એજન્ડામાં હોવાનું કહેવાતું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંઘના સહ સરકાર્યવાહ અરૂણ કુમારની ભાજપના નેતાઓની બેઠક રદ કરાવીને મોદીએ ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાના વલણને સમર્થન આપી દીધું છે અને નડ્ડાના નિવેદન પાછળ કોણ હતું એ પણ સ્પષ્ટ કરી દીધું છે. લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન નડ્ડાએ કહેલું કે, ભાજપને હવે સંઘની મદદની જરૂર નથી. ભાજપ એટલો મોટો થઈ ગયો છે કે પોતાની બાબતોને જાતે જ હેન્ડલ કરી શકે છે. વાજપેયીજીના સમયમાં ભાજ૫ નબળો હતો તેથી સંઘની મદદની જરૂર પડી હશે પણ હવે અમે પોતે સક્ષમ છીએ. નડ્ડાના નિવેદનથી નારાજ સંઘના સ્વયંસેવકો ચૂંટણી પ્રચારમાં ભાજપને મદદ કરવાથી દૂર રહ્યાનું મનાય છે. અને એટલે જ સંઘ અને ભાજપના મતભેદો તીવ્ર બન્યાનું કહેવાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/madhya-pradesh-employment-minister-wins-election-on-fake-sc-certificate-to-become-minister">મધ્યપ્રદેશના રોજગારમંત્રી નકલી એસસી સર્ટિફિકેટ પર ચૂંટણી જીતીને મંત્રી બની ગયા?</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 24 Jul 2024 11:14:18 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 24 Jul 2024 19:35:59 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>966</Articleid>
                    <excerpt>ભાજપ અને આરએસએસ વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નથી. લોકસભાની ચૂંટણીમાં પક્ષ પ્રમુખ જે.પી.નડ્ડાના નિવેદન બાદ બંને વચ્ચેના મતભેદો તીવ્ર બન્યાં હોવાના એંધાણ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a10a3d95ae8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a10a3d64217.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a10a3d64217.jpg" length="81357" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>lok sabha election 2024, model code of conduct, Free and fair election, election commission of india, Modi, Shah, BJP, Congress, RSS</media:keywords>
                </item>
                        <item>
                    <title>નકલી દલિત &amp; નકલી આદિવાસી બની SC&amp;ST ની નોકરીઓ કોણ ખાય છે?</title>
                    <link>https://khabarantar.com/fake-dalits-fake-tribals-who-are-eating-the-jobs-of-sc-sts</link>
                    <guid>https://khabarantar.com/fake-dalits-fake-tribals-who-are-eating-the-jobs-of-sc-sts</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં નકલી આદિવાસી અને નકલી દલિત બનીને અનેક સવર્ણો આ વર્ગના યુવાનોની સરકારી નોકરીઓ ગપચાવી ગયા છે, પણ કોઈ પગલાં લેવાતા નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશ આખામાં પૂજા ખેડકરની ચર્ચા છે. પૂજાની સામે દિલ્હી પોલીસે BNS (IPC) અને IT એકટ હેઠળ FIR નોંધી છે. પૂજાએ 2022માં UPSC એક્ઝામ પાસ કરી હતી અને તેનો ક્રમાંક 841મો હતો. અપંગતાના સર્ટિફિકેટ તથા OBC નોન ક્રિમિ લેયર સર્ટિફિકેટના કારણે તે IAS બની હતી. વરસની 8 લાખથી ઓછી આવક હોય તેને નોન-ક્રિમી લેયર સર્ટિફિકેટ મળે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે પૂજાના પિતા દિલીપ ખેડકર પણ નિવૃત IAS હતા અને 40 કરોડની સંપત્તિના માલિક હતા! પૂજાએ ‘માનસિક અપંગતા’નું સર્ટિફિકેટ મેળવેલ હતું કે ‘મને યાદ રહેતું નથી, નજર નબળી છે, દ્રષ્ટિ જઈ રહી છે’ મસૂરીની લાલબહાદુર શાસ્ત્રી એકેડેમીમાં તાલીમ બાદ તેની નિમણૂંક મહારાષ્ટ્રના પૂનામાં આસિસ્ટંટ કલેક્ટર તરીકે થઈ. તે કલેકટર ઓફિસ પહોંચી. કલેકટર હાજર ન હતા. પૂજાએ કલેક્ટરની ચેમ્બરનો કબજો લઈ લીધો. કલેક્ટરે સરકારમાં ફરિયાદ કરી તો પૂજાની બદલી પૂનાથી વાશિમ થઈ ગઈ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પૂજાના પિતા દિલીપ ખેડકરે 2024ની લોકસભા ચૂંટણીમાં જંપલાવ્યું હતું. તેમાં સંપત્તિ જાહેર કરેલી તે હવે પૂજાના ગળે ગાળિયો બની છે. સરકારી નોકરીમાં જોડાતા પહેલા મેડિકલ સકાસણી થાય છે. UPSCએ પૂજાના મેડિકલ ચેકઅપ માટે 6 વખત તેને નોટિસ આપી પણ પૂજા સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે હાજર ન રહી. તેણે ખાનગી હોસ્પિટલમાંથી ચેકઅપ કરાવી UPSCને સર્ટિફિકેટ સોંપ્યું જે UPSCએ માન્ય ન રાખ્યું. સવાલ એ છે કે મેડિકલ ચકાસણી વિના નિમણૂંક ન મળે, તો પછી વડાપ્રધાનની દેખરેખ હેઠળના DoPT- Department of Personnel and Training તરફથી પૂજાની નિમણૂંક પૂનાના આસિસ્ટંટ કલેક્ટર તરીકે કઈ રીતે થઈ? </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં પૂજા ખેડકરોનો રાફડો ફાટ્યો છે. મોટા પ્રમાણમાં નકલી આદિવાસીઓ તલાટી-શિક્ષક- પોલીસ-મામલતદાર-વર્ગ-1ની સરકારી નોકરીમાં છે. ઉદાહરણ તરીકે DySP સી.પી.(ચેતન પ્રભુદાસ) મુંધવા ધંધુકા તાલુકાના આકરુ ગામના છે. આકરુ ગામમાં કોઈ આદિવાસી રહેતા નથી છતાં મુંધવા ‘આદિવાસી ભરવાડ’ બની DySP તરીકે નોકરી કરે છે. તેમની સામે સરકારમાં રજૂઆતો થઈ પણ સરકાર તેને છાવરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/A-story-of-five-and-a-half-years-of-struggle-to-get-a-government-job"><span style="font-size: 14pt;">સરકારી નોકરી મેળવવા માટેના સાડા પાંચ વર્ષના સંઘર્ષની કથા</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આશ્ચર્યની બાબત એ છે કે સત્તાપક્ષના દલિત-આદિવાસી MLA, MP પણ નકલી દલિત, નકલી આદિવાસીઓ મામલે ચૂપ રહે છે. મીડિયા પણ ચૂપ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હું 1995માં ગોધરા DySP SC-ST હતો ત્યારે મને SC સમુદાયની એક મહિલા તરફથી છેડતીની ફરિયાદ મળી હતી. સ્થાનિક પોલીસે IPC કલમ-354 હેઠળ FIR નોંધી હતી. મહિલાની રજૂઆત એવી હતી કે ‘છેડતી કરનાર પોતાના ગામનો હતો અને પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતો. મેં સ્થાનિક પોલીસને ફોન કરીને પૂછ્યું કે એટ્રોસિટી એક્ટની કલમ કેમ લગાવવામાં આવી નથી? પોલીસનો જવાબ હતો કે ‘આરોપી હેડ કોન્સ્ટેબલ પણ આદિવાસી છે’ મેં ફરિયાદી મહિલાને આ વાત કહી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાએ કહ્યું, 'સાહેબ, હેડ કોન્સ્ટેબલ ખોટું બોલે છે, અમારા ગામમાં એક પણ આદિવાસી નથી!' સવાલ એ હતો કે આરોપી હેડ કોન્સ્ટેબલ આદિવાસી નથી; એ હકિકત કઈ  રીતે સાબિત કરવી? શાળાના પ્રમાણપત્રમાં બારીયા(ભીલ) લખેલ હતું. હેડ કોન્સ્ટેબલને બે પુત્રો હતા, એક તલાટી મંત્રી અને બીજો પ્રાથમિક શિક્ષક હતો. બંનેને STના સર્ટિફિકેટ પર નોકરી મળી હતી! અમે ગામના તલાટીનું નિવેદન લીધું. તેમણે કહ્યું કે ગામમાં એક પણ આદિવાસી નથી. અમે છેલ્લી વસ્તી ગણતરીનો પુરાવા મેળવ્યો; જે મુજબ ગામમાં એક પણ આદિવાસી રહેતા ન હતા. અમે હેડ કોન્સ્ટેબલનું વિગતવાર નિવેદન લીધું. જેમાં તેના પરિવારના સભ્યોએ કયા પરિવારમાં લગ્ન કર્યા હતા; વેવાઈ કોણ હતા; તેની માહિતી એકત્ર કરવામાં આવી. એક પણ લગ્નસંબંધ આદિવાસી પરિવાર સાથે થયો ન હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમે હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી. તેના બંને પુત્રો સામે અલગ-અલગ ગુનો નોંધવામાં આવ્યો. આ બાબત અખબારમાં પ્રસિદ્ધ થઈ; એ પછી અમને નકલી આદિવાસી અંગે અનેક અરજીઓ મળી. અમે ભૂતિયા-નકલી આદિવાસીઓ વિરુદ્ધ કુલ 72 કેસ નોંધ્યા હતા; જેઓ સરકારી નોકરીમાં હતા! પરંતુ સરકાર તરફથી તેમને નોકરીમાંથી ડિસમિસ કરવા જોઈએ તે કાર્યવાહી ન થઈ. અફસોસ એ છે કે આદિવાસી-દલિતોના મોંમાંથી કોળિયો ઝૂંટવી લેનાર નકલી દલિત/નકલી આદિવાસીઓને સરકાર છાવરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>રમેશ સવાણી</strong> </span><span style="font-size: 12pt;"><em><strong>(લેખક નિવૃત્ત આઈપીએસ અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.)</strong></em></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/obcs-scs-are-given-low-marks-in-job-interviews-apna-dal"><strong>નોકરીના ઈન્ટરવ્યૂમાં OBC, SC ને ઓછા માર્ક્સ અપાય છે: અપના દળ</strong></a></span><br><br></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 24 Jul 2024 10:09:56 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 24 Jul 2024 21:46:19 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>965</Articleid>
                    <excerpt>ગુજરાતમાં નકલી આદિવાસી અને નકલી દલિત બનીને અનેક સવર્ણો આ વર્ગના યુવાનોની સરકારી નોકરીઓ ગપચાવી ગયા છે, પણ કોઈ પગલાં લેવાતા નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a128cbcecbc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a128cb9e098.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a128cb9e098.jpg" length="89718" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>પોલીસ, અધિકારીઓ અને સરકારે મળી એટ્રોસિટી એક્ટને પાંગળો બનાવ્યો</title>
                    <link>https://khabarantar.com/police-officials-and-the-government-came-together-to-paralyze-the-atrocities-act</link>
                    <guid>https://khabarantar.com/police-officials-and-the-government-came-together-to-paralyze-the-atrocities-act</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં એટ્રોસિટી એક્ટને પોલીસ, સરકારી અધિકારીઓ અને સરકારે મળીને કેવી રીતે ધીરે ધીરે પાંગળો બનાવી દીધો છે તે અહીં વિસ્તારથી સમજીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ(અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989, તેના નિયમો 1995, સુધારા અધિનિયમ 2015 અને તેના નિયમો 2016 ની ખાસ જોગવાઓનો અમલ ન કરી એટ્રોસિટી એક્ટને પાંગળો કઈ રીતે બનાવી દેવામાં આવ્યો છે તે સમજવા જેવું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કાયદામાં આગોતરા જામીનની કોઈ જોગવાઈ ન હોવા છતાં આરોપીઓને આગોતરા જામીન આપી દેવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ગુના હેઠળ આવતા કેસોમાં સીધી જ ફરિયાદ નોંધવાની જોગવાઈ છે, છતાં પોલીસ અધિકારીઓ પ્રાથમિક તપાસની વાત આગળ ધરી ફરીયાદ નોંધવામાં વિલંબ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નવી જોગવાઈ મુજબ 60 દિવસમાં આ ગુના હેઠળ નોંધાયેલા કેસની તપાસ પુરી કરી કોર્ટમાં ચાર્જશીટ કરવાની જોગવાઈ હોવા છતાંય કેટલાય કેસોમાં 60 દિવસ થવા છતાંય ચાર્જશીટ કરવામાં આવતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટ્રોસિટી એક્ટના ટૂંકા નામે ઓળખાતો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ(અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989 અને તેના નિયમો 1995ના નિયમ 16 મુજબ રાજ્યના મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને 20 સભ્યોની હાઈ લેવલની રાજ્ય તકેદારી અને મોનીટરીંગ સમિતિની રચના કરવાની અને વર્ષમાં જાન્યુઆરી અને જુલાઈમાં બે વાર એટ્રોસિટી એક્ટના અમલીકરણની સમીક્ષા કરવા માટે ફરજીયાત મળવાની જોગવાઈ છે. જેથી આ કાયદાની જોગવાઈઓ મુજબ રાજ્યમાં આ કાયદાનો કડકપણે અમલ થાય જેના લીધે અનુસૂચિત જાતિ અને જન જાતિના લોકો પર થતો અત્યાચાર ઓછો થાય, કાબુમાં આવે અને પીડિતોને ન્યાય મળે તે જોવાની બંધારણીય જવાબદારી રાજ્યના મુખ્યમંત્રીની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, ડીજીપી, સચિવોના સભ્ય પદ વાળી મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને જે 20 સભ્યોની કમિટી બનાવવાની જોગવાઈ છે તેમાં હવે થાય છે શું? વાસ્તવિકતા શું છે? બંધારણીય અધિકારોના રક્ષણ માટે ઘડાયેલા કાયદાના અમલીકરણની સમીક્ષા કરવાની જવાબદારી જેની છે તે કરે છે કે કેમ?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નવી સરકારની રચના થયા બાદ એટ્રોસિટી એક્ટના અમલીકરણ માટે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને રચવાની જેની જોગવાઈ છે તેવી રાજ્ય તકેદારી અને મોનીટરીંગ સમિતિની રચના કરવામાં આવેલ જ નથી. બંધારણના શપથ લઈ બંધારણની રખેવાળી કરવામાં ચૂક કેમ?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને આ હાઈ લેવલની રાજ્ય  કક્ષાની રાજ્ય તકેદારી અને મોનીટરીંગ સમિતિની વર્ષમાં 2 વખત, એમ બે વર્ષમાં 4 વાર તેની મિટીંગ મળવી જોઈએ તે મળતી જ નથી, આનો મતલબ શું સમજવો? શું અનુસૂચિત જાતિ અને જન જાતિ વર્ગના લોકોના બંધારણીય અધિકારો વિશે સરકાર સંવેદનશીલ નથી? શું અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગના લોકોની સુરક્ષાની રાજ્ય સરકારને જરાય ચિંતા નથી?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યની અનામત બેઠક પર ચૂટાયેલા અનુસૂચિત જાતિના 13 અને અનુસૂચિત જન જાતિના 28 ધારાસભ્ય કેમ કાંઈ આ મુદ્દે બોલતા નથી? રાજ્યની અનુસૂચિત જાતિના અનામત બેઠક પર ચૂટાયેલા બે સાંસદ અને અનુસૂચિત જન જાતિના સાંસદ કેમ આ મુદ્દે ચૂપ છે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Jails-in-India:-Imprisonment,-Penitentiary,-Reformatory"><span style="font-size: 14pt;">ભારતની જેલો: કારાવાસ, કેદખાનું, સુધારગૃહ</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના દરેક અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના અનામત બેઠક પર ચૂટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ આ મુદ્દે અવાજ ઉઠાવે તેવી અપીલ કરવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક સચિવ હોદ્દાની રૂએ આ કાયદાના અમલીકરણ માટેના નોડલ ઓફિસર તરીકેના ચાર્જમાં છે અને રાજ્ય તકેદારી અને મોનીટરીંગ સમિતિના સભ્ય સચિવ પણ છે. જો આ કાયદાની અમલવારી ન કરી શકતા હોય તો અનુસૂચિત જાતિ અને જન જાતિ વર્ગના લોકોને સામાજિક ન્યાય શું આપવાના?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એટ્રોસિટી એક્ટના અમલીકરણની દશા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-પોલીસ સ્ટેશનમાં જ આરોપીઓને જામીન આપી છોડી દેવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-દર છ મહિને સરકારી વકીલોની કામગીરીની જિલ્લા કલેક્ટર દ્વારા કાયદાની જોગવાઈ મુજબ સમીક્ષા કરવામાં આવતી નથી.-ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર જતા નથી અને રાજ્ય સરકારને જાન-માલની નુકસાનીનો રિપોર્ટ આપતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-એટ્રોસિટીના ગંભીર કેસમાં સરકારી વકીલ કોર્ટમાં ફરિયાદી અને સાક્ષીઓને જુબાની કેમ આપવી તે માટે તૈયાર કરતા નથી અને એકપણ કેસમાં લેખિતમાં દલીલ રજૂ કરતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાજિક બહિષ્કાર અને હિજરતના બનાવોમાં પીડિતોને સામાજિક બહિષ્કાર અને હિજરતી જાહેર કરવામાં આવતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-તપાસ અધિકારી જાણી જોઈને પોતાને કરવાની થતી કાર્યવાહી ન કરતા હોવા છતાંયે એકપણ કેસમાં તપાસ અધિકારીની બેદરકારી બાબતે તેમની સામે એટ્રોસિટી એક્ટની કલમ-04 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- પીડિત દ્વારા એટ્રોસિટીની ફરિયાદ થાય એટલે તેની સામે તરત જ કોઈપણ જાતની તપાસ કર્યા વગર પોલીસ જ સીધી ક્રોસ ફરિયાદ કરાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-એટ્રોસિટી કેસના આરોપીઓને હાઇકોર્ટમાં કેસ રદ્દ કરવા ક્વોશીન પિટિશન કરવા દેવા માટે પોલીસ જાણી જોઈને ધરપકડ કરતી નથી અને હાઇકોર્ટમાં જવાનો સમય આપે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-એટ્રોસિટીના કેસમાં મોડી ફરિયાદ લેવાના કિસ્સામાં જવાબદાર અધિકારી સામે કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-પીડિતને જીવનું જોખમ હોવા છતાં પોલીસ રક્ષણ આપતી નથી અથવા તો રક્ષણ હટાવી લે છે જેના કારણે હત્યાઓ થાય છે. આવી અનેક ઘટનાઓ ગુજરાતમાં બની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ(અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989 અને તેના નિયમો 1995ના પેટા નિયમ 15 હેઠળ ગંભીર અત્યાચારનો ભોગ બનેલ પીડિતના આશ્રિત પરિવારનું પેન્શન, જમીન, મકાન, સરકારી નોકરી, બાળકોના શિક્ષણની વ્યવસ્થા વગેરે બાબતે પુન:વસન કરવામાં આવતું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-અત્યાચારના ગંભીર કેસોમાં ડો. આંબેડકર ફાઉન્ડેશનમાંથી અલગ સહાય આપવામાં આવે છે તેની દરખાસ્ત તૈયાર કરી સમાજ કલ્યાણ વિભાગ વર્ષ 2017થી દિલ્હી મોકલતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>- કાંતિલાલ પરમાર</strong></span><em><span style="font-size: 12pt;"><strong>(લેખક દલિત-બહુજન સમાજ માટે કામ કરતા સામાજિક કાર્યકર છે.)</strong></span></em></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/video-recording-of-all-proceedings-before-courts-in-atrocities-act-offenses-mandatory-bombay-high-court"><strong>એટ્રોસિટી એક્ટના ગુનામાં કોર્ટ સમક્ષની તમામ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ ફરજિયાત છેઃ બોમ્બે હાઈકોર્ટ</strong></a></span><br><br></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 23 Jul 2024 10:38:54 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 02 Aug 2024 19:37:24 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>960</Articleid>
                    <excerpt>ગુજરાતમાં એટ્રોસિટી એક્ટને પોલીસ, સરકારી અધિકારીઓ અને સરકારે મળીને કેવી રીતે ધીરે ધીરે પાંગળો બનાવી દીધો છે તે અહીં વિસ્તારથી સમજીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66ace81402650.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ace813c6d58.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ace813c6d58.jpg" length="61589" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>આ છે એટ્રોસિટી એકટ સંબંધિત કેટલાક સીમાચિહ્નરૂપ ચુકાદાઓ</title>
                    <link>https://khabarantar.com/here-are-some-landmark-judgments-related-to-atrocities-act</link>
                    <guid>https://khabarantar.com/here-are-some-landmark-judgments-related-to-atrocities-act</guid>
                    <description>
                        <![CDATA[ અર્ણેશકુમારના જજમેન્ટની આડમાં એટ્રોસિટીના આરોપીઓને જામીન આપી દેવાનું સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું છે ત્યારે અહીં એટ્રોસિટીના કેટલાક સીમાચિહ્નરૂપ ચુકાદાઓ વાંચો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમામ માણસો સમાન જન્મ્યા છે, તેમને કુદરતે કેટલાક પ્રાકૃતિક હકો આપ્યા છે. તેમાં જીવન જીવવાની સ્વતંત્રતા અને સુખના અનુસરણનો સમાવેશ થાય છે. આ બધાં સત્યો સ્વયં સિદ્ધ છે. - અમેરિકન ડેક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડેન્સ, 1976.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થોમસ જેફરસને બે સદીઓ પહેલા લખેલ શબ્દો આજે પણ ઇતિહાસમાં રણકે છે. છતાં ભારતીય સમાજનો એક મોટો વર્ગ આજે પણ પોતાના દેશવાસીઓના એક વર્ગને હલકો ગણી તેનાથી અભડાઈને સુગ રાખી અનેક પ્રકારના અત્યાચાર કરે છે. આધુનિક જગતમાં આ પ્રકારનું માનસિક વલણ અસ્વીકાર્ય છે. દેશની પ્રગતિને અવરોધક પરિબળો પૈકીનું એક છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટ સમક્ષના ઉપરોક્ત કેસની હકીકત એવી હતી કે તા. 1/7/1099 ના રોજ આરોપીઓ અને ફરિયાદી વચ્ચે એક મંદિર ઉત્સવમાં જલ્લીકટ્ટુમાં બળદો બાંધવાની બાબતે બોલાચાલી થયેલી. આરોપી અરુમુગમ શેરવાઈએ ફરિયાદી કે જે પલ્લાપલય અનુસૂચિત જાતિનો હતો તેને "પલ્લાપયલ" કહી તે ગાયનું માંસ ખાય છે તેમ કહી તેનું જાહેરમાં અપમાન કરી, તેણે તથા તેના સાથીદારોએ લાકડીઓથી હુમલો કરી ડાબા ખભે ઈજાઓ પહોંચાડી માથાના ભાગનું હાડકું ભાંગી નાખ્યું હતું. આ બનાવમાં બીજા બે લોકોને પણ ઈજાઓ થઈ હતી, તેથી તેઓ પણ બનાવના નજરે જોનાર સાક્ષીઓ હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બનાવ પછી FIR થઈ, પોલીસ તપાસ થઈ, ચાર્જશીટ થઈ. એટ્રોસિટી એક્ટ નીચેની કોર્ટે કેસ સાબિત માની આરોપીઓને સજા કરી. હાઇકોર્ટમાં અપીલ થઈ. હાઇકોર્ટે આરોપીઓની અપીલ રદ કરી નીચેની એટ્રોસિટી એક્ટ હેઠળની કોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો. આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. પરંતુ સુપ્રીમ કોર્ટે પણ આરોપીઓની અપીલ કાઢી નાખી નીચેની બન્ને કોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-complete-understanding-of-the-atrocities-act-social-justice-warriors-take-it-easy"><span style="font-size: 14pt;">એટ્રોસિટી એક્ટની સંપૂર્ણ સમજઃ સામાજિક ન્યાયના યોદ્ધાઓ આટલું મોઢે કરી લો</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપીઓ શેરવાઈ જ્ઞાતિ એટલે કે ઓ.બી.સી સમાજના હતા. જયારે ફરિયાદી-પીડિતો પલ્લન જ્ઞાતિ કે જે તામિલનાડુમાં અનુસૂચિત જ્ઞાતિ તરીકે ઓળખાય છે તે જ્ઞાતિના હતા. 'પલ્લન' શબ્દ એક જ્ઞાતિ દર્શાવે છે પણ તે એક એવો શબ્દ છે કે, જે કોઈનું અપમાન કરવા માટે હલકી રીતે વપરાય છે. જેમ ઉત્તર ભારતમાં 'ચમાર' શબ્દ એક જ્ઞાતિ દર્શાવે છે પણ સાથે સાથે કોઈનું અપમાન કરવા માટે હલકી રીતે વપરાય છે. અનુસૂચિત જાતિના કોઈ સભ્યનું અપમાન કરવાના ઇરાદે જો કોઈ વ્યક્તિને 'પલ્લન' કહેવામાં આવે તો તેને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર અટકાવવાનો કાયદો 1989 (એટ્રોસિટી એક્ટ) હેઠળ ગુનો બને છે.  તામિલનાડુમાં કોઈ વ્યક્તિને 'પલ્લાપયલ' કહેવો તે વધારે અપમાનજનક છે અને તે ગંભીર ગુનો છે. તે જ રીતે તામિલનાડુમાં 'પરાયણ' તરીકે ઓળખાતી જ્ઞાતિ છે અને 'પરાયણ' શબ્દનો ઉપયોગ હલકી રીતે પણ થાય છે. 'પરાપરાયણ'  શબ્દ પણ વધુ અપમાનજનક શબ્દ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'પલ્લન', 'પલ્લાપયલ', 'પરાયણ' અથવા 'પરાપરાયણ' શબ્દોનો ઉપયોગ અપમાન કરવાના ઇરાદે કરવામાં આવે તો તે ઘણો વાંધાજનક છે. તેથી એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો છે. જેવી રીતે અમેરિકામાં આફ્રિકન અમેરિકન માટે આજે 'નિગર' અથવા 'નિગ્રો' અસ્વીકાર્ય છે. જયારે આ કેસમાં સ્પષ્ટ છે કે 'પલ્લાપયલ' શબ્દ આરોપીઓએ અપમાન કરવાના ઇરાદે વાપર્યો હતો તેથી ગુનો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કૈલાશ વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર (2011) 1 સુપ્રીમ કોર્ટ કેસીસ (ક્રિમિનલ) 401 માં ઠરાવ્યા મુજબ આધુનિક યુગમાં કોઈની લાગણીઓને હાનિ પહોંચાડવી જોઈએ નહીં. ખાસ કરીને ભારત જેવા દેશમાં કે જ્યાં આટલી બધી વિવિધતા છે ત્યાં કોઈની લાગણીઓ ન દુભાય તેની કાળજી લેવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સવર્ણસિંઘ વિરુદ્ધ સ્ટેટ(2008)3 સુપ્રીમ કોર્ટ કેસીસ (ક્રિમિનલ) 527ના કેસમાં સુપ્રીમ કોર્ટે અવલોકન કરેલ છે કે, અત્યાચાર વિરુદ્ધ કાયદાની કલમ 3(1)(10) નું અર્થઘટન કરતી વખતે તે કાયદો કેમ ઘડવામાં આવ્યો તેનો હેતુ ધ્યાનમાં લેવો જોઈએ. એ સ્પષ્ટ છે કે તેના હેતુ અને કારણોમાં જણાવ્યા પ્રમાણે અનુસૂચિત જાતિ/જનજાતિના સભ્યોની અવહેલના, અપમાન અને હેરાનગતિ રોકવા માટે તે કાયદો ઘડવામાં આવેલ છે. તેથી આ કાયદાની કલમ 3(1)(10)નું અર્થઘટન કરતી વખતે આક્ષેપિત શબ્દ કે જેણે તેના વપરાશથી જે સામાન્ય અર્થ મેળવ્યો હોય તે ધ્યાનમાં લેવો જોઈએ.  જો આપણે તેનો જ્ઞાતિ વાચક અર્થ લેવા જઈએ તો કાયદાનો અર્થ માર્યો જાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Why-do-the-accused-get-away-with-such-a-strong-atrocity-law"><span style="font-size: 14pt;">એટ્રોસિટીનો આટલો મજબૂત કાયદો છતાં આરોપીઓ કેમ છુટી જાય છે?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉપરોક્ત કેસમાં સુપ્રીમ કોર્ટે એવું પણ અવલોકન કર્યું કે આ લોકશાહી અને સમાનતાનો યુગ છે. કોઈ લોક અથવા કોમનું આજે અપમાન થઇ શકે નહીં કે તે પ્રત્યે નીચી દષ્ટિએ જોઈ શકાય નહીં અને કોઈની લાગણીઓને હાનિ પહોંચાડી શકાય નહીં. આપણા બંધારણનો આ આત્મા પણ છે અને બંધારણના પાયાના લક્ષણોનો ભાગ પણ છે. કહેવાતી ઉચ્ચ જ્ઞાતિએ અથવા અન્ય પછાત જાતીએ અનુસૂચિત જાતિના સભ્યને સંબોધન કરતી વખતે 'ચમાર' શબ્દ વાપરવો જોઈએ નહીં; ભલે તે વ્યક્તિ હકીકતમાં ચમાર જ્ઞાતિની હોય. કારણ કે આવા શબ્દપ્રયોગથી તેની લાગણીઓને ઠેસ પહોંચશે. (પ્રસ્તુત સવર્ણસિંઘના કેસમાં 'ચમાર' શબ્દના ઉપયોગ અંગેની હકીકતો હતી).</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આપણા જેવા વિવિધતા ભર્યા દેશમાં ઘણા ધર્મો, જ્ઞાતિઓ, ભાષાકીય જૂથો છે. દરેક કોમ અને જૂથો એ પ્રત્યેક કોમ અને જૂથો પ્રત્યે માનપૂર્વક વર્તવું જોઈએ. કોઈને હલકો ગણવો જોઈએ નહીં. આ એક જ રસ્તે આપણે આપણા દેશને એક રાખી શકીએ. જાહેર સ્થળે અનુસૂચિત જાતિના કોઈ સભ્યને ચમાર કહેવું એ કલમ 3(1)(10) મુજબ ગુનો બને છે. આવા ઉપયોગમાં અપમાન કરવાનો ઈરાદો હતો કે કેમ તે જે સંદર્ભમાં વાપરવામાં આવ્યો તેના પર આધાર રાખે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તામિલનાડુના ઘણા ભાગોમાં પ્રવર્તતી બે ટમ્બલરની પ્રથા ઘણી વાંધાજનક છે. ઘણી ચાની દુકાનો અને રેસ્ટોરન્ટમાં અનુસૂચિત જાતિની વ્યક્તિઓને અને બિનઅનુસૂચિત જાતિની વ્યક્તિઓને ચા આપવાના ટમ્બલર્સ અલગ-અલગ હોય છે. આ ઘણું વાંધાજનક કહેવાય અને અત્યાચાર વિરોધી કાયદા હેઠળ તે ગુનો ગણાય અને આવી પ્રથા જે લોકો અનુસરતા હોય તેમની વિરુદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવી જોઈએ અને દોષિત સાબિત થયે તેમને સખત શિક્ષા કરવી જોઈએ.  આવી પ્રથા પોતાના વિસ્તારમાં અથવા પોતાની હકુમત હેઠળ હોવાનું જાણવા છતાં જો કોઈ વહીવટી અધિકારી અને પોલીસ અધિકારી તે વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ ના કરે તો તેમને જવાબદાર ગણી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આથી અમે વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓને સૂચના આપીએ છીએ કે આવા અત્યાચારી કૃત્યો અટકાવવા માટે તેમને સખત પગલાં લેવાં. જો કોઈ આવો કોઈપણ બનાવ બને તો જવાબદારો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવા ઉપરાંત રાજ્ય સરકારે તાત્કાલિક સંબંધિત જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ/કલેકટર અને એસ.એસ.પી./એસ.પી. ને તેમજ અન્ય સંબધિત અધિકારીઓને જો તેઓ આવો બનાવ ના બન્યો હોય પણ તેમને અગાઉથી તેની જાણ હોય અને તેઓ અટકાવે નહીં અથવા જો બન્યો હોય તો ત્વરિત ગુનેગારોને અને અન્ય સંકળાયેલાઓને પકડીને ફોજદારી કાર્યવાહી શરૂ ના કરે તો ફરજ મોકુફી ઉપર ઉતારી મુકવા અને તેમને ચાર્જશીટ આપી તેમની વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવી કારણ કે અમારા મતે તે લોકો સીધી કે આડકતરી રીતે આ બાબતમાં જવાબદાર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ચુકાદાની નકલ ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત વિસ્તારના મુખ્ય સચિવો, ગૃહ સચિવો અને પોલીસ મહાનિર્દેશકોને મોકલવી અને એવી સૂચના આપવી કે તેઓ જિલ્લા મેજિસ્ટ્રેટો, એસ.એસ.પી અને એસ.પી.ઓને મોકલશે. એક નકલ તમામ હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલ/રજીસ્ટ્રારને મોકલવી કે જેઓ તમામ ન્યાયધીશોને તેઓ ફેરવશે/circulate કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><em><span style="font-size: 12pt;"><strong><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);">- કે.બી.રાઠોડ </span></span>(લેખક નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ અને બહુજન સમાજને કાયદાકીય બાબતોમાં પડતી મુશ્કેલીઓને લઈને ચિંતિત વડીલ છે.)</strong></span></em><br></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/atrocities-act-being-widely-misused-gujarat-high-court"><strong>એટ્રોસિટી એક્ટનો મોટાપાયે દુરૂપયોગ થઈ રહ્યો છે: ગુજરાત હાઇકોર્ટ</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 22 Jul 2024 14:02:55 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 22 Jul 2024 14:02:02 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>958</Articleid>
                    <excerpt>અર્ણેશકુમારના જજમેન્ટની આડમાં એટ્રોસિટીના આરોપીઓને જામીન આપી દેવાનું સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું છે ત્યારે અહીં એટ્રોસિટીના કેટલાક સીમાચિહ્નરૂપ ચુકાદાઓ વાંચો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_669e176674acb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_669e176646fdb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_669e176646fdb.jpg" length="91502" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>લોકોમાં અસુરક્ષાનો ભાવ જેટલો વધારે, એટલો બાબાઓનો ધંધો ચમકે</title>
                    <link>https://khabarantar.com/the-higher-the-level-of-insecurity-among-the-people-the-more-the-business-of-baba-shines</link>
                    <guid>https://khabarantar.com/the-higher-the-level-of-insecurity-among-the-people-the-more-the-business-of-baba-shines</guid>
                    <description>
                        <![CDATA[ લોકોમાં અસલામતી જેટલી વધુ, એટલી બાબાઓ પ્રત્યેની શ્રદ્ધા વધુ. અને જેટલી વધુ શ્રદ્ધા એટલું જ વિવેક અને તર્કથી અંતર વધે. વાંચો આ ખાસ લેખ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકાર હરિના સત્સંગમાં નાસભાગમાં ઓછામાં ઓછા 121 લોકોના મોત થયા હતા. આમાં મોટાભાગની ગરીબ દલિત પરિવારની મહિલાઓ હતી. ભોલે બાબા પહેલા પોલીસમાં નોકરી કરતા હતા. કહેવાય છે કે તેમના પર બળાત્કારનો પણ આરોપ હતો. લગભગ 28 વર્ષ પહેલા તેણે પોલીસમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને બાબા બની ગયા હતા. થોડા વર્ષો પહેલા તેણે દાવો કર્યો હતો કે તે કેન્સરથી મૃત્યુ પામેલી છોકરીને ફરીથી જીવિત કરી શકે છે. દેખીતી રીતે આવું કશું થયું નહીં. બાદમાં બાબાના ઘરમાંથી સડતી લાશની ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને ફરિયાદ કરી હતી. આખરે તે દીકરીની લાશની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ બધું થયું હોવા છતાં તેઓ એક સફળ બાબા બન્યાં, તેમના અનુયાયીઓ અને આશ્રમોની સંખ્યા વધવા લાગી અને તેમની સંપત્તિ પણ વધવા લાગી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરની ઘટના બાદ પોલીસે બાબાના કેટલાક શિષ્યોને આરોપી બનાવ્યા છે. પરંતુ બાબાનું નામ FIRમાં નથી. નાસભાગ એટલા માટે થઈ કારણ કે એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે બાબા જે માટી પર ચાલે છે તે અનેક બીમારીઓ દૂર કરી શકે છે. સત્સંગ પૂરો થયા બાદ બાબા જ્યારે પાછા જઈ રહ્યા હતા ત્યારે ભક્તો તેમના પગની ધૂળ લેવા દોડ્યા હતા, જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા હતા. ભોલે બાબા કેટલા લોકપ્રિય છે તે એ વાત પરથી સ્પષ્ટ થાય છે કે સત્સંગમાં 80,000 લોકોને એકઠા થવાની પરમિશન હતી પરંતુ લગભગ 1.5 લાખ લોકો ત્યાં પહોંચ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં આ પ્રકારના બાબાઓ નવી વાત નથી. હા, એ વાત સાચી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની લોકપ્રિયતા ઝડપથી વધી છે. ભારતમાં સેંકડો બાબાઓ છે અને તેઓ દેશના લગભગ દરેક ભાગમાં જોવા મળે છે. કેટલાક બાબાઓ ચોક્કસ વિસ્તારોમાં પ્રખ્યાત છે. આસારામ અને ગુરમીત રામ રહીમ ઇન્સાન જેવા કેટલાક બાબાઓ બળાત્કાર અને હત્યાના કારણે જેલની સજા ભોગવી રહ્યા છે. અન્ય સફળ બાબાઓમાં એક બાબા રામદેવ છે, જેમને આધુનિક તબીબી વિજ્ઞાનની મજાક ઉડાવવા બદલ સુપ્રીમ કોર્ટે સખત ઠપકો આપ્યો હતો. શ્રી શ્રી રવિશંકર નામના બાબા પર યમુના નદીને પ્રદૂષિત કરવાનો આરોપ છે. સદગુરૂ જગ્ગી વાસુદેવના અનેક આશ્રમોમાં ગુનાહિત પ્રવૃતિઓ થતી હોવાની ચર્ચા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબાના અલગ-અલગ પ્રકાર છે પરંતુ તમામ બાબાઓમાં કેટલીક બાબતો સામાન્ય છે. બધા બાબાઓ પાસે ઘણી બધી સંપત્તિ અને પૈસા છે. બધાં બાબાઓ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપે છે અને બધાંનો આત્મવિશ્વાસ આશ્ચર્યમાં મૂકી દે તેવો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/bhole-baba-belongs-to-the-jatav-caste-of-dalits-and-thats-enough"> <span style="font-size: 14pt;">ભોલે બાબા દલિતોની 'જાટવ' જાતિના છે અને એટલું પુરતું છે...</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે આ વિશે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ વ્યાપક રીતે એમ કહી શકાય કે છેલ્લાં કેટલાક દાયકાઓમાં બાબાઓની સંખ્યા અને તેમના પ્રભાવમાં ઝડપથી વધારો થયો છે. આ વૃદ્ધિનો ધર્મના રાજકારણના વધતા વર્ચસ્વ સાથે સંબંધ સ્થાપિત કરવો પણ સરળ નથી. એ વાત સાચી છે કે બીજા દેશોમાં પણ બાબા જેવા લોકો છે. અમેરિકામાં કરિશ્માઈ ખ્રિસ્તી ચળવળ છે અને કેટલાક મુસ્લિમ દેશોમાં ચમત્કાર કરનારા ફકીર છે. પરંતુ ભારતમાં બાબાઓનો જેટલો પ્રભાવ છે તેટલો અન્ય કોઈ દેશમાં નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બધાં બાબાઓ ધર્મનો અંચળો ઓઢે છે. તેઓ સંસ્થાગત હિંદુ ધર્મના પુરોહિત વર્ગના નથી હોતા. તેમાંના મોટાભાગના પોતાના દમ પર સફળતા પ્રાપ્ત કરે છે. તેઓ લોકોના મન વાંચવામાં અને તેમના અનુયાયીઓની નબળાઈઓનો લાભ લેવામાં માહિર હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ એક મહત્વનો પ્રશ્ન એ છે કે લોકો બાબાઓ તરફ કેમ આકર્ષાય છે? એમાં કોઈ શંકા નથી કે બાબાઓ તેમનું માર્કેટિંગ ખૂબ જ સારી રીતે કરે છે, પરંતુ સાથે એ પણ સાચું છે કે તેમના ભક્તોની પોતાની નબળાઈઓ છે, જેના કારણે તેઓ આ ઢોંગી બાબાઓની ચુંગાલમાં ફસાઈ જાય છે. બાબાના ભક્તોમાં ઘણા એવા હોય છે જે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય છે. તેમની પાસે તેમની સમસ્યાઓનો કોઈ ઉકેલ નથી હોતો. તેમને જરૂર હોય છે આશ્વાસનના બે શબ્દોની, કોઈ એવી વ્યક્તિની જે તેમને સહારો આપે અને તેની ખાતરી આપી શકે કે બાબાની ચરણરજ કપાળ પર લગાવવાથી, તેમના પ્રત્યે પૂર્ણ સમર્પણભાવ દ્વારા અથવા તેમના દ્વારા સૂચવવામાં આવેલા ઉપાયોને અનુસરીને પોતાની સમસ્યાનો ઉકેલ લાવી શકાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબાઓની આસપાસ ભેગી થતી ભીડમાં મોટાભાગે એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ અસુરક્ષા અનુભવતા હોય છે. રાજકારણીઓ સાથેની મિલીભગત પણ તેમની સફળતામાં ફાળો આપે છે. ગુરમીત રામ રહીમ મહિનાઓ સુધી પેરોલ ભોગવે છે, ખાસ કરીને ચૂંટણી દરમિયાન. હરિયાણાના તત્કાલિન મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર ગુરમીતના આશીર્વાદ લેવા તેમના સમગ્ર મંત્રીમંડળ સાથે આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-case-has-been-registered-against-the-impostor-indian-baba-who-committed-1320-rapes-in-22-years-in-london"><span style="font-size: 14pt;">લંડનમાં 22 વર્ષમાં 1320 રેપ કરનાર ઢોંગી ભારતીય બાબા પર કેસ નોંધાયો</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ મુખ્યત્વે અનુયાયીઓમાં રહેલી અસુરક્ષાની ભાવના તેમને બાબાઓ તરફ ખેંચે છે. અસલામતી જેટલી વધુ એટલી બાબાઓ પ્રત્યેની શ્રદ્ધા વધારે. અને જેટલી વધુ શ્રદ્ધા એટલું જ વિવેક અને તાર્કિકતાથી અંતર વધે. અસુરક્ષાનું પરિબળ કેટલું મહત્ત્વનું છે એ આપણે આ વાત પરથી પણ સમજી શકીએ છીએ કે, જે દેશોમાં આર્થિક અને સામાજિક અસુરક્ષા ઓછી છે ત્યાં ધર્મનો પ્રભાવ પણ ઓછો થઈ રહ્યો છે. વૈશ્વિક સંશોધન સંસ્થા PEWનું તારણ છે કે, આ બાબતમાં અમેરિકા એકલું નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પશ્ચિમી યુરોપિયન દેશોના નાગરિકો સામાન્ય રીતે અમેરિકનો કરતાં પણ ઓછા ધાર્મિક હોય છે, કારણ કે તેઓ અમેરિકા કરતા પણ દાયકાઓ પહેલાં તે માર્ગ પર ચાલવા માંડ્યા હતા. ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા અન્ય આર્થિક રીતે સદ્ધર દેશોમાં પણ ધર્મનો ઘટતો પ્રભાવ જોઈ શકાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મિશિગન યુનિવર્સિટીના સેન્ટર ફોર પોલિટિકલ સ્ટડીઝના પ્રોફેસર રોનાલ્ડ ઈંગોહાર્ટ તેમના પુસ્તક 'ગીવિંગ અપ ઓન ગોડ' (પૃષ્ઠ 110-111) માં લખે છે, "અમે વર્ષ 2007 થી 2019 દરમિયાન જે 49 દેશોનો અભ્યાસ કર્યો, તેમાંથી 43 દેશોમાં લોકોમાં ધાર્મિકતા ઘટી છે. ધાર્મિક શ્રદ્ધામાં ઉણપ માત્ર ઉંચી આવકવાળા દેશો સુધી જ મર્યાદિત નથી, આવું આખી દુનિયામાં થયું છે.</span><br><span style="font-size: 14pt;">બાબાઓના સામ્રાજ્યનો સામનો કરવો સરળ નથી. આપણા બંધારણના ભાગ 4 ના અનુચ્છેદ 51A (મૂળભૂત ફરજો)માં કહેવાયું છે કે "ભારતના દરેક નાગરિકની એ ફરજ હશે કે તે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી માનવતાવાદ અને સુધારણાની ભાવનાનો વિકાસ કરે." બાબાઓ અને તેમના સમર્થકો આ જોગવાઈનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશમાં એવા ઘણા સામાજિક જૂથો છે જે બાબાઓનો પર્દાફાશ કરી તેમનો વિરોધ કરી રહ્યા છે. આ જૂથો બાબાઓના હવામાંથી રાખ કાઢવા અને આગ પર ચાલવા જેવા 'ચમત્કારો'ની વાસ્તવિકતાથી લોકોને અવગત કરાવવા પ્રયત્ન કરે છે. મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ આવી જ એક સંસ્થા છે. તેની સાથે સંકળાયેલા ડો. નરેન્દ્ર દાભોલકરને સનાતન સંસ્થા જેવા રૂઢિચુસ્ત જૂથના કાર્યકરોએ નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ જ પ્રકારની તાકાતોએ કોમરેડ ગોવિંદ પાનસરે, ગૌરી લંકેશ અને પ્રોફેસર કલબુર્ગીની હત્યા કરી હતી. ડૉ. દાભોલકરની હત્યા પછી મહારાષ્ટ્ર વિધાનસભાએ અંધશ્રદ્ધા અને ચમત્કારિક ઉપચાર વિરુદ્ધ કાયદો પસાર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે સમગ્ર દેશમાં આવા કાયદાની જરૂર છે. આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને પ્રોત્સાહન આપવું પડશે. સાથે જ એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે તમામ નાગરિકોને સામાજિક અને આર્થિક સુરક્ષા મળે. આપણે વર્તમાન વ્યવસ્થાને બદલવી પડશે, જેમાં અમીર વધુ અમીર થઈ રહ્યા છે અને ગરીબ વધુ ગરીબ થઈ રહ્યા છે. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે તમામ નીતિઓ છેવાડાના માણસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે. તો જ આપણે સમાજમાં સુરક્ષાની ભાવના સ્થાપિત કરી શકીશું અને ઢોંગી બાબાઓના વર્ચસ્વને તોડી શકીશું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>રામ પુનિયાની</strong></span><span style="font-size: 12pt;"><em><strong> (લેખક આઈઆઈટી બોમ્બેમાં શિક્ષક છે. મૂળ લેખ અંગ્રેજીમાં હતો, જેનો આ ગુજરાતી અનુવાદ છે.) </strong></em></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/about-20-fake-babas-including-bhole-baba-will-be-blacklisted"><strong>ભોલે બાબા સહિત 20 જેટલા નકલી બાબાઓને બ્લેકલિસ્ટ કરાશે</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><br><br></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 21 Jul 2024 17:28:53 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 21 Jul 2024 17:31:08 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>954</Articleid>
                    <excerpt>લોકોમાં અસલામતી જેટલી વધુ, એટલી બાબાઓ પ્રત્યેની શ્રદ્ધા વધુ. અને જેટલી વધુ શ્રદ્ધા એટલું જ વિવેક અને તર્કથી અંતર વધે. વાંચો આ ખાસ લેખ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_669cf7556e4c8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_669cf7553fa23.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_669cf7553fa23.jpg" length="90540" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>એટ્રોસિટીમાં પોલીસ આરોપીને પોલીસ સ્ટેશનમાંથી જામીન પર ન છોડી શકે</title>
                    <link>https://khabarantar.com/in-an-atrocity-the-police-cannot-release-the-accused-from-the-police-station-on-bail</link>
                    <guid>https://khabarantar.com/in-an-atrocity-the-police-cannot-release-the-accused-from-the-police-station-on-bail</guid>
                    <description>
                        <![CDATA[ એટ્રોસિટી એક્ટના ગુનાઓમાં પોલીસ અધિકારી આરોપીઓને પોલીસ સ્ટેશનમાં જામીન પર છોડી શકે નહીં. વાંચો નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજ કે.બી. રાઠોડ સાહેબ શું કહે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">- કે.બી.રાઠોડ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના અમુક જિલ્લામાં પોલીસ અધિકારીઓ The Schedule Castes and Schedule Tribes (Prevention of Atrocities) Act, 1989, ટૂંકમાં એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનાઓમાં આરોપીઓને અર્નેશકુમાર વિરુદ્ધ સ્ટેટ ઓફ બિહારના જજમેન્ટનું ખોટું અર્થઘટન કરી પોલીસ સ્ટેશનમાંથી જ જામીન પર છોડી દેવા લાગ્યા છે. પણ પોલીસ ખાતાનું આ વલણ કાયદા વિરુદ્ધનું છે તે આપણે સમજવું જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખરી હકીકતે, અર્નેશકુમારનું જજમેન્ટ એટ્રોસિટી એક્ટના ગુનાઓમાં લાગુ પડે નહીં. કારણ કે એટ્રોસિટી એક્ટની કલમ 20 મુજબ આ કાયદો બીજા કાયદા ઉપર સર્વોપરી છે. એટ્રોસિટી એક્ટ ખાસ વર્ગ વિરુદ્ધના ગુનાઓ માટે છે. આ કાયદા નીચેના ગુના સામાન્ય ગુનાઓ નથી. આ કાયદો દલિતો પર થતા ગુનાઓ અટકાવવા માટે છે. ભારતીય બંધારણના આર્ટિકલ 17 નો હેતુ સિદ્ધ કરી દલિતો પરત્વેની આભડછેદ દૂર કરી સામાજિક એકતા લાવવાનો છે. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 4 અને 5 ની જોગવાઈઓ મુજબ જો કોઈ ખાસ કાયદો અમલમાં હોય તો તે કાયદામાં જે જોગવાઈ હોય તો તેનો જ અમલ કરવાનો રહે છે. તેથી અર્નેશકુમારનું જજમેન્ટ લાગુ ન પડે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટ્રોસિટી એક્ટની કલમ 18 અને સને 2018માં પાર્લામેન્ટે આ કાયદાની કલમ 18A નો ઉમેરો કર્યા બાદ તેમાં આ કાયદા હેઠળ ગુનો કરનાર વ્યક્તિને કોઈ કોર્ટે કોઈ જજમેન્ટ, હુકમ કે આદેશથી જામીન પર છોડવાનો હુકમ કર્યોં હોય તો પણ આગોતરા જામીન મળી શકે નહીં તેવી સ્પષ્ટ જોગવાઈ કરી છે. તે 20/3/2018 ના હાઇકોર્ટના ડો. સુભાષ મહાજન વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્રના ચુકાદાની ગાઈડ લાઈન મુજબ આ કાયદા નીચેના ગુનાના આરોપીને આગોતરા જામીન આપી શકાય છે તે મતલબનો ચુકાદો આપવામાં આવેલ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તે ચુકાદા વિરુદ્ધ આખા દેશના દલિતોએ વિરોધ કરતા પાર્લામેન્ટે ઓગષ્ટ 2018માં એટ્રોસિટી એક્ટમાં કલમ 18Aનો ઉમેરો કરીને આરોપીઓને આગોતરા જામીન પર છોડવાની મનાઈ ફરમાવેલ છે.  આમ જો આ કાયદા નીચેના ગુનાઓના આરોપીઓને કોર્ટો પણ આગોતરા જામીન આપી શકતી ન હોય તો આ ગુનાની તપાસ કરનાર પોલીસ અધિકારીઓ અર્નેશકુમારના જજમેન્ટના આધારે પોલીસ સ્ટેશનમાં જામીન પર છોડી શકતી નથી. તેથી અર્નેશકુમારનું જજમેન્ટ એટ્રોસિટી એક્ટના ગુનાઓમાં લાગુ પાડી આરોપીઓને પોલીસ સ્ટેશનમાં જામીન પર છોડી શકાય નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ રીતે જો એટ્રોસિટી એક્ટની કલમ 18A ની જોગવાઈ મુજબ આરોપીઓને કોર્ટો પણ આગોતરા જામીન પર છોડી શકતી ન હોય તો પોલીસ અધિકારી પોલીસ સ્ટેશનમાં જ બારોબાર આરોપીઓએ જામીન પર છોડી શકે જ નહીં. ઉપરાંત IPC નીચેના ગુનાઓ સિવાય અન્ય કાયદાઓ જેવા કે POCSOના ગુનાઓ કે ACB ના ગુનાઓમાં સાત વર્ષથી ઓછી સજા હોય તો પોલીસ તેઓને પોલીસ સ્ટેશનમાં જામીન પર છોડતી નથી પણ પોલીસ તેવા ગુનાના આરોપીઓની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરે છે. તે વખતે પોલીસ ઈરાદાપૂર્વક અર્નેશકુમારનું જજમેન્ટ ભૂલી જાય છે. જયારે એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનાઓના કેસોમાં પોલીસનું વલણ આરોપીઓની ધરપકડ ટાળીને તેમને પોલીસ સ્ટેશનમાં જામીન પર છોડવાનું રહેલું છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘણી વખત અમુક પોલીસ અધિકારીઓ એટ્રોસિટી એક્ટ ગુનાઓમાં  સુપ્રીમ કોર્ટના અનીલકુમાર ઉર્ફે અનિલ બાબા વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસના રીટ પિટિશન(ક્રિમિનલ) નં. 577/2023 તા 11/12/2023ના ચુકાદા પર આધાર રાખી અર્નેશકુમારના જજમેન્ટ મુજબ આરોપીઓને પોલીસ સ્ટેશનમાં જામીન પર છોડી દે છે. ખરી હકીકતે અનીલકુમારનું જજમેન્ટ તે વ્યક્તિગત કેસ અંગેનું છે. આ જજમેન્ટ તે બંધનકારક કાયદો (Binding law) નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનિલકુમારના જજમેન્ટને 'જજમેન્ટ' પણ 'ના' કહી શકાય, કારણ કે તેમાં કોઈ કાયદાનો સર્વમાન્ય સિધ્ધાંત સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યો નથી. એ માત્ર અનુચ્છેદ ૩૨ હેઠળ રીટ પિટીશન નામંજૂર કરતો હુકમ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/rationalist-mansukh-rathore-gets-bail-in-bahuchar-mata-case"> <span style="font-size: 14pt;">'બહુચર માતા કેસ' માં રેશનાલિસ્ટ મનસુખ રાઠોડને જામીન મળ્યાં</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે હુકમથી ભૂલભરેલી અને ખોટા પ્રયાસરૂપે કરવામાં આવેલી પિટિશનને રદ કરવામાં આવી હતી. પોલીસ આવા નામંજૂર થયેલી રીટ અરજીનો સહારો લઇ કાયદાની આદેશાત્મક જોગવાઈઓનું ઉલ્લંઘન કરી શકે નહીં. ઉલટાનું પોલિસના આવા ખોટા અર્થઘટનના કારણે ગુનાનો ભોગ બનનારને અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી અનિલકુમારના હુકમની આડશમાં પોલીસે ફરિયાદીને સાંભળ્યા વગર અને આરોપીને કોર્ટમાં રજૂ કર્યા વગર જામીન આપવા જોઈએ નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી રીતે જોઈએ તો એટ્રોસિટી એક્ટની કલમ 15A માં પીડિત અને સાક્ષીઓના અધિકારોની જોગવાઈ કરવામાં આવેલ છે. એટ્રોસિટી એક્ટની કલમ 15A(3) મુજબ આ કાયદા હેઠળની કોઈ પણ કાર્યવાહીઓ કે જેમાં જમીનની જોગવાઈનો પણ સમાવેશ થાય છે તેવી દરેક કાર્યવાહીમાં પીડિત અથવા તેના આશ્રિતોને વ્યાજબી, ચોકસાઈપૂર્વકની અને સમયસરની નોટિસ આપવી ફરજીયાત છે એટલું જ નહીં કલમ 15A (5) મુજબ આ કાયદા હેઠળની કોઈ પણ કાર્યવાહીમાં પીડિત અથવા તેના આશ્રિતને સાંભળવાની તક આપવાની જોગવાઈ કરેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટ્રોસિટી એક્ટની કલમ 15A(3) અને 15A(5)ની જોગવાઈનું પાલન કરવું ફરજીયાત (mandatory) છે. નામદાર સુપ્રીમ કોર્ટે હરિરામ ભાંભી વિરુદ્ધ સત્યનારાયણના કેસમાં તા. 28/10/2021ના રોજ આપેલ જજમેન્ટ મુજબ આ કાયદા હેઠળના કોઈ પણ ગુનાના આરોપીને જામીન આપતા પહેલા કોર્ટે ફરિયાદી અને પીડિત કે આશ્રિતને નોટિસ આપી સાંભળવા ફરજીયાત છે. તે ઉપરાંત ગુજરાત હાઇકોર્ટે તા. 6/8/2020ના હેમલ અશ્વિન જૈન વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાના જજમેન્ટમાં પણ ઠરાવેલ છે કે આ કાયદાની કલમ 15A(3) અને 15A (5)નું પાલન કરવું ફરજીયાત (mandatory) છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ એટ્રોસિટી એક્ટની કલમ 15A(3) અને 15A(5)ની જોગવાઈ મુજબ નીચેની કોર્ટોથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધીની તમામ કોર્ટો જયારે આ કાયદા હેઠળના ગુનાના આરોપીઓની જામીન અરજીઓમાં ફરિયાદી અને પીડિતોને નોટિસ કરી સાંભળવાની તક આપતી હોય તો અર્નેશકુમારના જજમેન્ટ પર આધાર રાખી પોલીસ અધિકારી આરોપીને જામીન પર છોડી શકે જ નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><em><strong>(લેખક નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ અને બહુજન સમાજને કાયદાકીય બાબતોમાં પડતી મુશ્કેલીઓને લઈને ચિંતિત વડીલ છે.)</strong></em></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/k-b-rathore-sahibs-arguments-led-to-a-compensation-of-therteen-thirteen-hundred-seventy-thousand-to-the-deceased"><strong> કે.બી. રાઠોડ સાહેબની દલીલોએ મૃતકને 13.70 લાખનું વળતર અપાવ્યું</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 19 Jul 2024 11:02:37 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 02 Aug 2024 19:53:43 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>941</Articleid>
                    <excerpt>એટ્રોસિટી એક્ટના ગુનાઓમાં પોલીસ અધિકારી આરોપીઓને પોલીસ સ્ટેશનમાં જામીન પર છોડી શકે નહીં. વાંચો નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજ કે.બી. રાઠોડ સાહેબ શું કહે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66acebe6c36ea.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66acebe690a82.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66acebe690a82.jpg" length="65535" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગરીબીએ ભણવા ન દીધી, કુલી દલિત મહિલાએ પોતાની શાળા શરૂ કરી</title>
                    <link>https://khabarantar.com/poverty-did-not-allow-her-to-study-a-coolie-dalit-woman-started-her-own-school</link>
                    <guid>https://khabarantar.com/poverty-did-not-allow-her-to-study-a-coolie-dalit-woman-started-her-own-school</guid>
                    <description>
                        <![CDATA[ એક દલિત મહિલા ગરીબીમાં જન્મી, સાસરિયે કુલી તરીકે કામ કરવું પડ્યું, પછી શિક્ષિકા બની પોતાની શાળા શરૂ કરી, આજે તે સ્કૂલ પર તેના નામની તક્તિ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત બહુજન સમાજને તેમના હક અને અધિકારો અપાવવા માટે અનેક મહાનુભાવોએ લડત આપી છે. સૌથી પહેલા બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરનું નામ આવે છે. એ પછી બીજા અનેક એવા નામી-અનામી મહાનુભાવો થઈ ગયા જેમણે દલિતો માટે રાતદિવસ જોયા વિના તેમના હક અધિકારો અપાવવા માટે કામ કર્યું. આવું જ એક નામ એટલે જયબાઈ ચૌધરી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જયબાઈ ચૌધરીનું નામ અજાણ્યું લાગે. શક્ય છે બહુમતી લોકોએ તેમનું નામ પહેલીવાર સાંભળ્યું હોય, આવું શક્ય છે, કેમ કે ઈતિહાસમાં તેમના કામની ભાગ્યે જ નોંધ લેવાઈ છે. દલિત સમાજના મહાન સમાજ સુધારક અને લેખક જયબાઈ ચૌધરીનો જન્મ 1892માં નાગપુર શહેરથી લગભગ પંદર કિલોમીટર દૂર ઉમરેર ગામમાં દલિત મહાર જાતિમાં થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1896માં દુષ્કાળને કારણે તેમનો પરિવાર નાગપુર આવ્યો અને તેમણે પ્રાથમિક શિક્ષણ ત્યાં પૂરું કર્યું. 1901માં નાની ઉંમરે, તેણીના લગ્ન બાપુજી ચૌધરી સાથે થયા. તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાને કારણે જયબાઈએ કુલી તરીકે પણ કામ કર્યું. પરંતુ એક દિવસ મિશનરી નન ગ્રેગરી સાથે તેમની મુલાકાત થઈ, જેમનો સામાન ઉપાડીને જયબાઈ જઈ રહ્યા હતા. એ મુલાકાત પછી મધર ગ્રેગરીએ જય બાઈને દર મહિને 4 રૂપિયાના પગારે તેમની શાળામાં શિક્ષક તરીકે ભણાવવાની ઓફર કરી અને જય બાઈએ તેને સ્વીકારી લીધી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જય બાઈ અછૂત ગણાતી મહાર જાતિના હતા. એટલે જ્યારે હિંદુઓને ખબર પડી કે તેમના બાળકોને એક અસ્પૃશ્ય સ્ત્રી ભણાવે છે, ત્યારે તેમણે શાળાનો બહિષ્કાર કર્યો. જેના કારણે જય બાઈને શાળા છોડવી પડી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Manu-is-still-working-today,-both-in-this-country-and-in-foreign-countries-wherever-the-people-of-this-country-have-gone"><span style="font-size: 14pt;">મનુ આજે પણ કાર્યરત છે, આ દેશમાં પણ અને આ દેશવાળા જ્યાં જ્યાં ગયા છે તે વિદેશોમાં પણ</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાની જયબાઈ પર એટલી ઘેરી અસર થઈ કે તેમણે અસ્પૃશ્યતા અને જાતિ પ્રથા સામે લડવાનો અને અસ્પૃશ્ય છોકરીઓ અને સ્ત્રીઓને શિક્ષિત કરવાનો સંકલ્પ કર્યો અને 1922માં તેમણે સંત ચોખોમેલા કન્યા શાળાનો પાયો નાખ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નાગપુરમાં 8 થી 10 ઓગસ્ટ 1930 દરમિયાન યોજાયેલા અખિલ ભારતીય દલિત કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં દલિત મહિલાઓનું પ્રતિનિધિત્વ કરતા જયાબાઈ ચૌધરીએ કહ્યું હતું કે, છોકરાઓની જેમ છોકરીઓને અભ્યાસ કરવાની તમામ તકો પૂરી પાડવી જોઈએ. એક છોકરીના ભણતરથી આખો પરિવાર શિક્ષિત થઈ જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકવાર 1937માં ઓલ ઈન્ડિયા વુમન્સ કોન્ફરન્સ દરમિયાન ઉચ્ચ જાતિની મહિલાઓ દ્વારા જયબાઈએ જાતિ ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. આ કોન્ફરન્સમાં તેમને ડાઇનિંગ એરિયાથી અલગ બેસવાની ફરજ પાડવામાં આવી હતી. ત્યારબાદ 1 જાન્યુઆરી, 1938ના રોજ જયાબાઈએ દલિત મહિલાઓની એક વિશાળ સભા બોલાવી અને ઉચ્ચ જાતિની મહિલાઓની અસ્પૃશ્યતા અને અસ્પૃશ્યતા પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જયબાઈ જુલાઈ 1942માં આયોજિત ઓલ ઈન્ડિયા દલિત મહિલા પરિષદના સભ્ય પણ હતા. આ સંમેલનમાં બાબાસાહેબ પોતે પણ હાજર રહ્યા હતા. આ પરિષદમાં મહિલાઓની જાગૃતિ જોઈને બાબા સાહેબે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ પરિષદમાં મોટી સંખ્યામાં મહિલાઓની ભાગીદારી જોઈને હું સંતુષ્ટ અને ખુશ છું કે અમે પ્રગતિ કરી છે.જયાબાઈએ 1922માં શરૂ કરેલી શાળા હવે ઉચ્ચ માધ્યમિક શાળા બની ગઈ છે. છેલ્લું વાક્ય વાંચીને આપણને સૌને ગર્વ થશે. હવે આ શાળાનું નામ બદલીને જયબાઈ ચૌધરી જ્ઞાનપીઠ કરવામાં આવ્યું છે. એક દલિત કુલી મહિલા શિક્ષક બને, સંઘર્ષ કરે, જાતે સ્કૂલ શરૂ કરે અને આજે એ જ સ્કૂલ પર તેના નામની તક્તી લાગેલી હોય તેની પાછળ કેટલો મોટો સંઘર્ષ રહેલો હશે તેની કલ્પના કરો?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/It-was-not-visible-but-amin-sahib-was-holding-a-broom-behind-his-back-and-a-kuldi-around-his-neck"><strong>દેખાતો નહોતો પણ અમીન સાહેબ ની પીઠ પાછળ સાવરણી અને ગળામાં કુલડી વળગેલા હતા</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 17 Jul 2024 13:30:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>931</Articleid>
                    <excerpt>એક દલિત મહિલા ગરીબીમાં જન્મી, સાસરિયે કુલી તરીકે કામ કરવું પડ્યું, પછી શિક્ષિકા બની પોતાની શાળા શરૂ કરી, આજે તે સ્કૂલ પર તેના નામની તક્તિ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6697795b4a823.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6697795b1d806.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6697795b1d806.jpg" length="47791" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>વાત કંઈક અલગ અને વિચિત્ર કોર્ટ કેસની...</title>
                    <link>https://khabarantar.com/talking-about-something-different-and-weird-court-case</link>
                    <guid>https://khabarantar.com/talking-about-something-different-and-weird-court-case</guid>
                    <description>
                        <![CDATA[ એક બહેન 36 વર્ષની ઉંમરે વિધવા થયા, તેમના પતિ પોલીસમાં જમાદાર હતા. 68 વરસની ઉંમરે થઈ ત્યાં સુધી એ વિધવા બહેનને પેન્શન વિશે ખબર નહોતી. વાંચો આગળ શું થયું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજથી લગભગ વીસેક વરસ પહેલા ગામડાના એક અભણ ગરીબ વિધવા બહેને એક જીલ્લાની દીવાની અદાલતમાં એક દિવાની કેસ કરેલો. તેમના પતિ પોલીસ ખાતામાં લગભગ ઓગણીસ વરસ સુધીની ચાલુ નોકરી દરમિયાન ચાલુ નોકરીએ ગુજરી ગયેલા. તે જિલ્લાની એસ.પી. ઓફિસ અને પેન્શન કચેરી (સરકાર) તરફથી લગભગ ૩૬ વરસ સુધી ફેમિલી પેન્શન અને બીજા મળવાપાત્ર નાણાંકીય લાભો નહીં ચૂકવતા અંતે ન્યાય મેળવવા માટે દાવો દાખલ કરી સરકાર તેને ફેમીલી પેન્શન તાત્કાલિક ચૂકવે તેવી માગણી માટે સરકાર સામે દિવાની દાવો કરેલો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાત એવી હતી કે, આ વિધવા મહિલાના પતિ લગભગ વીસ વરસની ઉંમરે પોલીસ ખાતામાં પોલીસ સિપાહીની નોકરીમાં જોડાયેલા. તેમને કોઈ તાલુકાના અમુક ગામમાં બીટ જમાદાર તરીકે પોસ્ટિંગ મળતા ત્યાં નોકરી કરતા હતા. જ્યાં તેઓ પત્ની અને પરિવાર સાથે રહીને નોકરી કરતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ જમાદાર 19 વર્ષની નોકરી દરમિયાન ચાલુ નોકરીએ ગુજરી ગયા. તે વખતે તેમની પત્નીની ઉંમર લગભગ માત્ર ૩૬ વરસની હશે. આટલી નાની ઉંમરે વિધવા થયેલા એ ગરીબ અભણ બહેનને ફેમીલી પેન્શન એટલે શું તેની કશી ખબર પડતી નહોતી. એસ. પી કચેરી કે પેન્શન ખાતા તરફથી તેમને પેન્શન ચૂકવવામાં આવતું નહીં. તેઓ બિચારા ગામડામાં મજૂરી કરી, પારકા ઘરના કામકાજ કરીને ગરીબીમાં જીવન ગુજારતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એમ ને એમ દિવસો, વરસો પસાર થતા લગભગ ૧૯૯૯ના અરસામાં તેમની ઉંમર ૬૭ કે ૬૮ વરસની વૃદ્ધાવસ્થાએ પહોંચી. તે અરસામાં કોઈ કામસર તેઓ ભાવનગર ગયેલા. ત્યાં કોઈ રીક્ષામાં બેસીને આ બહેન જતા હતા ત્યારે તે રીક્ષાવાળાએ તેમને કુતૂહલવશ પૂછ્યું કે ‘માજી તમારા પતિ શું કરે છે?’  માજી જવાબ આપે છે કે, તેમના પતિ તો ૩૫-૩૬ વરસથી ગુજરી ગયા છે. રીક્ષાવાળાએ માજીને ફરી પૂછ્યું, ‘તમારા પતિ શું કરતા હતા?’  માજીએ જવાબમાં કહ્યું કે, "મારા પતિ પોલીસ તરીકે નોકરી કરતા હતા." આવો જવાબ સાંભળી રીક્ષાવાળા ભાઈએ સવાલ કર્યો, ‘તો તો તમને દર મહિને ફેમીલી પેન્શન મળતું હશે ને?’ વિધવા બહેનને રીક્ષાવાળાની આ ફેમીલી પેન્શનવાળી વાત સાંભળી કુતૂહલ સાથે નવાઈ લાગી એટલે તેમણે રીક્ષાવાળાને પૂછ્યું  કે, "આ ફેમિલી પેન્શન એટલે શું?"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રીક્ષાવાળા ભાઈને પણ નવાઈ લાગી એટલે પૂછ્યું, "વરસો પહેલા તમારા પોલીસ પતિ ગુજરી ગયા છે છતા તમને હજુ ફેમીલી પેન્શન નથી મળતું?"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલા કહે, "અમને ગામડાના ગરીબ અભણને આવી ખબર ન પડે એટલે કોણ આપે ભાઈ?"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પેલા રીક્ષાવાળા ભાઈ થોડું ઘણું ભણેલા હશે એટલે આ મહિલાને ડી.એસ.પી. ઓફીસે લઈ ગયા. ત્યાં અધિકારીને મળી તે મહિલાએ પોતાના પતિ પોલીસમાં નોકરી કરતા હતા ને ગુજરી ગયા છે એટલે મને પેન્શન મળવું જોઈએ પણ મળતું નથી તો પેન્શન આપો તેવી માગણી કરીને રજૂઆત કરી. પરંતુ પેલા અધિકારી સામેથી એવો પ્રશ્ન કરે છે કે તમારા પતિ અમારા ખાતામા પોલીસની નોકરી કરતા હતા તેનો કોઇ પુરાવો(સાબિતી) છે તમારી પાસે? </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલા જવાબ આપે છે કે, "મારી પાસે તો કંઇ કાગળીયા નથી." </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પેલા અધિકારી આ બહેનને એવો જવાબ આપે છે કે, 'તો પેન્શન ન મળે જાવ..."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારબાદ આ વિધવા બહેન કોઈ ભણેલગણેલ માણસની સલાહ લેતા ભાઈએ જિલ્લા દફતર અધિકારીની કચેરીને સંબોધીને એક અરજી લખી આપી. તે અરજીમાં બહેનના મરહૂમ પતિની સર્વિસ બુકની ખરી નકલની માગણી કરાવી આપે છે. જિલ્લા દફતર કચેરીમાં નસીબજોગે પેલા મરહૂમ પોલીસવાળાની સર્વિસ બુકનું મહત્વનું કહી શકાય તેવું એક પાનું (Abstract) મળી આવતા તે સર્વિસ રેકર્ડની ખરી નકલ આ વિધવા બહેનને આપવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સર્વિસ રેકર્ડના abstractમાં પોલીસવાળા ભાઈનું નામ, તેમની જન્મ તારીખ, નોકરીમાં દાખલ થયાની તારીખ, મરણની તારીખ યાને નોકરીનો અંત આવવાની તારીખની વિગતો લખેલી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિધવા બહેન આ સર્વિસ રેકર્ડની ખરી નકલ લઇને ડી.એસ.પી. ઓફીસને મળી લેખિતમાં પેન્શન માટે અરજી કરે છે. છતા ડી.એસ.પી. કચેરી માનતી નથી અને વિધવાને સને ૧૯૯૯ના અરસામાં લેખિતમાં સામા પ્રશ્ન કરી કહે છે કે,"તમારા પતિ પોલીસમાં હતા ત્યારે તેને કોઈ સહાય મળી હોય કે કોઇ ઈનામ મળેલ હોય તેના પુરાવા અને તેઓ છેલ્લે કયા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા તેના પુરાવા આપો."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પેલા વિધવા બહેન તો નિરાશ થઇ ગયા. તેમની પાસે આવા પુરાવા ક્યાંથી હોય?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અંતે કંટાળીને ભાવનગરના હોંશિયાર વકીલને રોકે છે. કાયદેસર રીતે સરકાર વિરુદ્ધ દિવાની કેસ કરવો હોય તો સૌ પ્રથમ સરકારને સી.પી.સી.ની કલમ 80 મુજબ નોટિસ આપવી ફરજિયાત હોવાથી વકીલ મારફત સરકાર અને ડી.એસ.પી. વગેરેને સી.પી.સી.ની કલમ ૮૦ મુજબ નોટિસ આપવામાં આવે છે. છતાં પોલીસ ખાતા તરફથી કે સરકાર તરફથી કોઈ જવાબ આપવામાં આવતો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અંતે રાજ્ય સરકાર અને એસ. પી. કચેરી, પેન્શન ચૂકવણા અધિકારી વગેરે પેન્શન આપવાનો ઈનકાર કરતા અંતે ન્યાય ન મળતા પતિ મરી ગયાના ૩૬ વરસે ન્યાયની અદાલતમાં દાવો દાખલ કરવાની ફરજ પડી. એટલે તે મહિલા ભાવનગરની સિવિલ કોર્ટમાં દિવાની કેસ દાખલ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોગાનુજોગ તે દાવાની ટ્રાયલ મારે ચલાવી ચુકાદો આપવાનું સદભાગ્ય સાંપડે છે. સદરહુ કોર્ટ કેસમાં સરકાર યાને પોલીસ વડા તરફથી સરકારી વકીલ મારફત દાવા જવાબ રજુ થાય છે. તેમાં સામાન્ય રીતે સરકાર તરફથી જે ચીલાચાલું તકરાર ઉઠાવવામાં આવે તેમ જવાબ આપવામાં આવ્યો. એવી તકરાર પણ લીધી કે અરજદાર વિધવા બહેન પાસેથી તેના પતિ પોલીસ ખાતામા નોકરી કરતા હતા અને તેની નોકરીનો સમયગાળો પેન્શનેબલ હતો કે કેમ? તેના પુરાવા માંગેલા પણ રજૂ કરી શકેલ નહીં એટલે તેણીનો આ દિવાની દાવો/કેસ નામંજૂર કરવો જોઈએ તે મતલબનો જવાબ ડી.એસ.પી. તરફથી રજૂ થયો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારબાદ કોર્ટ કેસની કાર્યવાહી(Trial) આગળ ચાલે છે. કેસ કરનાર વિધવા મહિલા કોર્ટમાં પોતાના કેસની હકીકતોની સોગંદ પર જુબાની આપે છે. સાથે સાથે તેના કેસના સમર્થનમાં લેખિત દસ્તાવેજી પુરાવામાં તેણીએ બે વખત ડી.એસ.પી.માં આપેલ અરજીઓ, તેણીના પતિની સર્વિસ બુકનું Abstract, સરકારને આપેલ લીગલ નોટિસની કોપી અને સરકારે આપેલ તેનો જવાબ વગેરે લેખિત કાગળો રજૂ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામા પક્ષે સરકાર તરફથી તા.૧/૧/૧૯૭૨ના નોટિફીકેશનથી બહાર પાડવામાં આવેલ ફેમિલી પેન્શન સ્કીમ ૧૯૭૨ની કોપી રજૂ કરવામાં આવે છે. બીજો કોઈ મૌખિક કે લેખિત પુરાવો રજૂ થતો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારબાદ બન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળી ચૂકાદો (જજમેન્ટ) આપેલ. કોર્ટ આ કેસમાં રજૂ થયેલ મૌખીક અને લેખિત પુરાવો, નામદાર સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટના જજમેન્ટની ગાઇડલાઇન, ગુજરાત સરકારના જુદા જુદા પરિપત્રો અને ફેમિલી પેન્શન સ્કીમ ૧૯૭૨ વગેરે વંચાણે લઇ અભ્યાસ કરી તર્કસંગત તારણો અને કારણો આપી finding આપી જજમેન્ટમાં ઠરાવેલ કે, "આ વિધવા બહેનને કાયદેસર ફેમિલી પેન્શન મળવાપાત્ર છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Labourers-son-Labourer...-Know-how-much-the-condition-of-common-class-laborers-has-improved-in-14-years-compared-to-Dalits"> <span style="font-size: 14pt;">મજૂરનો દીકરો મજૂર... જાણો દલિતની તુલનાએ સામાન્ય વર્ગના મજૂરોની હાલત 14 વર્ષમાં કેટલી સુધરી?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે સુપ્રીમ કોર્ટના એક ચૂકાદાના સારાંશની નોંધ લીધેલ કે, "પેન્શન કે ફેમીલી પેન્શન ચુકવવાનો ઈન્કાર કરવો તે બંધારણમાં આર્ટીકલ ૨૧થી બક્ષવામાં આવેલ નાગરિકના જીવનના મૂળભૂત અધિકારનો ભંગ છે. આવા કિસ્સાઓમાં કે જ્યારે ગામડાના અભણ અજ્ઞાન મહિલા પાસે કોઇ આધાર ન હોય તેવા સંજોગોમાં સરકારના જે ખાતાની ફરજ બને છે તેની પાસે તો રેકર્ડ હોય  તેના આધારે તાત્કાલિક પેન્શન ચૂકવી દેવું પડે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુમાં આ જજમેન્ટમાં ગુજરાત હાઇકોર્ટેના  કાશીબેન વાળા વિરુદ્ધ બરવાળા નગર પંચાયતના કેસના 1994(1)GLR 398 માં રિપોર્ટ થયેલ કેસના ચુકાદાનો ઉલ્લેખ કરી નોંધ લીધેલ કે, " સ્થાપિત કાયદા મુજબ પેન્શન મેળવવાનો અધિકાર તે મિલકતનો અધિકાર છે અને તે recurring right છે. અને પેન્શન અને ગ્રેજ્યુઇટીની રકમ જે તારીખથી મેળવવાની થાય ત્યારથી ખરેખર ચુકવણું થાય ત્યાં સુધી ૧૨% લેખે વ્યાજ પણ ચુકવવું ફરજીયાત છે."  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુમાં  જજમેન્ટમાં અન્ય ચૂકાદાનો આધાર લઈને નોંધેલ કે, "પેન્શન તે નિવૃત્ત થનારે કે ફેમિલી પેન્શન મેળવવા જે હકદાર હોય તેણે જે તે ખાતા પાસે માંગવા જવાની જરૂર નથી પણ ચુકવવા માટે જવાબદાર તંત્ર એ જે તે હકદાર વ્યક્તિને તાત્કાલિક ચુકવવાની કાયદેસર ફરજીયાત જવાબદારી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ કેસની હકીકત અને બંને પક્ષકારો તરફથી રજુ થયેલ પુરાવા, સરકારના પરિપત્રો, પેન્શન સ્કીમના નિયમો બંને પક્ષોની દલીલો અને નામદાર સુપ્રીમ કોર્ટે અને હાઇકોર્ટના ચુકાદાઓના અભ્યાસના અંતે આ અદાલત જજમેન્ટ આપી આ વિધવા બહેનને નિયમો અનુસાર જે તારીખથી ફેમીલી પેન્શન અને બીજા એલાઉનસીસ ચૂકવવા પાત્ર થતાં હોય તેના એરીયરસની ગણતરી કરી આ ચુકાદાની તારીખથી બે મહિનામાં ચુકવી આપવા. અને જ્યારથી ચુકવવાપાત્ર થાય છે ત્યારથી  માંડીને ખરેખર ચુકવણું કરે તે તમામ સમયગાળા દરમિયાનનું ૧૨%  વ્યાજ સાથે આ પેમેન્ટ કરવાનું રહેશે. તે સાથે સાથે આ બહેનને નિયમો મુજબ દર મહિને નિયમિત ફેમીલી પેન્શન ચુકવતા રહેવાનું છે. અંતે આ કોર્ટ આ કેસ લડવાનો જે આ બહેનને ખર્ચ થયો હોય તે સરકારે ચુકવવો તેવો હુકમ કરી વાદીનો દાવો મંજૂર કરતો ચુકાદો જાહેર કર્યો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નસીબજોગે આ આખા કેસની ટ્રાયલ ચલાવી ચુકાદો આપવાનો મોકો મારા નસીબમાં આવેલ જેને મારું સદભાગ્ય સમજુ છું. આ ચુકાદા સામે સરકાર અને ડી.એસ.પી.એ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ કરેલી. અપીલ કોર્ટે સરકારની અપીલ નામંજૂર કરી ચુકાદામાં થોડું મોડીફીકેશન કરી મારો ચુકાદો માન્ય (confirm) કરેલ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કે.બી.રાઠોડ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 10pt;"><em><strong>(લેખક નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ અને બહુજન સમાજને ન્યાયિક વ્યવસ્થામાં પડતી મુશ્કેલીઓ અંગે ચિંતિત વડીલ છે.)</strong></em></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/now-the-revenue-record-will-be-accepted-as-proof-to-get-obc-certificate"><strong>હવે ઓબીસી પ્રમાણપત્ર મેળવવા રેવન્યૂ રેકોર્ડ પુરાવા તરીકે માન્ય ગણાશે</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 15 Jul 2024 12:24:02 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 02 Aug 2024 19:47:47 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>921</Articleid>
                    <excerpt>એક બહેન 36 વર્ષની ઉંમરે વિધવા થયા, તેમના પતિ પોલીસમાં જમાદાર હતા. 68 વરસની ઉંમરે થઈ ત્યાં સુધી એ વિધવા બહેનને પેન્શન વિશે ખબર નહોતી. વાંચો આગળ શું થયું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66acea8499524.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66acea8466f8b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66acea8466f8b.jpg" length="68155" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિતો&amp;મુસ્લિમ ના સહારે કોંગ્રેસ વાપસીની તૈયારીઓ કરી રહી છે</title>
                    <link>https://khabarantar.com/congress-is-preparing-to-return-with-the-help-of-dalits-and-muslims</link>
                    <guid>https://khabarantar.com/congress-is-preparing-to-return-with-the-help-of-dalits-and-muslims</guid>
                    <description>
                        <![CDATA[ લોકસભાની ચૂંટણીમાં દેશભરમાં કૉંગ્રેસે જે વાપસી કરી છે તેમાં દલિત અને મુસ્લિમ મતદારોનો મોટો ફાળો તેને જણાયો છે. ત્યારે હવે તે આ જ ફોર્મ્યૂલા પર વાપસીની તૈયારીઓ કરી રહી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભાની ચૂંટણીમાં ભાજપે અક કી બાર 400 પારનો નારો આપ્યો હતો, પરંતુ તે પોતાના બળે સ્પષ્ટ બહુમતી પણ મેળવી શક્યો નહોતો. ખાસ કરીને દેશનું બંધારણ ખતરામાં હોવાનો અને ભાજપ ફરી સત્તામાં આવશે તો દેશનું બંધારણ બદલી નાખશે તે વિચાર દેશના બહુજન સમાજના મનમાં બેસી ગયો. તેના કારણે ભાજપ ફરી ગઠબંધનના સહારે આવી પડ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ દિલ્હીમાં કૉંગ્રેસ અને આપ વચ્ચેનું ગઠબંધન તૂટી ગયું છે. </span><span style="font-size: 14pt;">જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે લોકસભાની ચૂંટણી એકસાથે લડવાની સમજૂતી થઈ ત્યારે ભાજપે તેને 'મજબૂરી'ની સમજૂતી ગણાવી હતી. ભાજપે આરોપ લગાવ્યો કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માત્ર ભાજપને રોકવા માટે એકસાથે આવી રહ્યા છે, જ્યારે તેમની વચ્ચે કોઈપણ પ્રકારનું સંકલન નથી. પાર્ટીએ એવી પણ શક્યતા વ્યક્ત કરી હતી કે ચૂંટણી બાદ આ ગઠબંધન તૂટી જશે અને બંને પક્ષો એકબીજા પર આક્ષેપો અને વળતા આક્ષેપો કરશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપનો આરોપ હવે એકદમ સાચો સાબિત થયો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન તૂટી ગયું છે અને બંને પાર્ટીઓએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અલગથી લડવાની જાહેરાત કરી છે. કોંગ્રેસના ત્રણેય લોકસભા ઉમેદવારો ઉદિત રાજ, જેપી અગ્રવાલ અને કન્હૈયા કુમારે કોંગ્રેસ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટિ સમક્ષ સ્વીકાર્યું છે કે ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ તેમને સમર્થન આપ્યું ન હતું, જેના કારણે તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ લોકસભા ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું ત્યારે તેનું પ્રદર્શન ઘણું સારું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણીમાં હારની સમીક્ષા કરવા માટે કોંગ્રેસે તેના નેતાઓ પીએલ પુનિયા, રજની પાટિલ અને દિલ્હી પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ દેવેન્દ્ર યાદવના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી હતી. ત્રણેય લોકસભા ઉમેદવારો સાથે વાત કર્યા બાદ આ સમિતિએ પોતાનો રિપોર્ટ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને સોંપી દીધો છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong>આ પણ વાંચોઃ</strong> <a href="https://khabarantar.com/congress-could-not-win-100-seats-but-why-does-it-have-the-glow-of-victory-on-its-face"><strong><span style="color: rgb(224, 62, 45);">કોંગ્રેસ 100 બેઠકો જીતી શકી નથી, છતાં તેના ચહેરા પર જીતની ચમક કેમ છે?</span></strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ રિપોર્ટમાં ત્રણેય ઉમેદવારોએ દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ તેમને ચૂંટણીમાં સમર્થન આપ્યું નથી. તેમને ડર હતો કે જો કોંગ્રેસ દિલ્હીમાં ઉભી રહેશે તો વિધાનસભાની ચૂંટણીમાં મેદાન મારી જશે. આ જ કારણ છે કે બંને પક્ષના કાર્યકરો વચ્ચે સંકલન ન હોવાથી કોંગ્રેસને તેના હિસ્સાની ત્રણેય બેઠકો પર કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસના નેતા રાજેશ લિલોઠીયાએ કહ્યું કે, પાર્ટીના ઘણા નેતાઓ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનને લઈને બેચેન હતા. તેમનું માનવું હતું કે કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવી જોઈએ અને કેજરીવાલના ભ્રષ્ટાચારનો બોજ પોતાના ખભા પર ઉઠાવવો જોઈએ નહીં. પરંતુ 'મોટા લક્ષ્યાંકો'ને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડી રહેલા પક્ષે આખરે અન્ય રાજ્યોની જેમ દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટી સાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. જો કે આનાથી તેને કોઈ ફાયદો થયો ન હતો. એકસાથે ચૂંટણી લડ્યા બાદ પણ બંને પક્ષો એક પણ બેઠક પર સફળતા મેળવી શક્યા નથી.</span><br><span style="font-size: 14pt;">રાજેશ લીલોઠીયાએ કહ્યું કે, દેશભરના મુસ્લિમ અને દલિત મતદારોએ કોંગ્રેસ પ્રત્યે પોતાની વફાદારી બતાવી છે. તેમની અંદર એવી લાગણી પ્રબળ બની છે કે દેશમાં ધર્મનિરપેક્ષતા અને ભાઈચારાને જો કોઈ બચાવી શકે છે તો તે માત્ર કોંગ્રેસ છે. દલિત સમુદાય ખૂબ જ આશંકિત હતો કે ભાજપને સત્તામાં પૂર્ણ બહુમતી મળ્યા બાદ દેશના બંધારણમાં ફેરફાર થઈ શકે છે. તેથી તેણે તેમની તમામ શક્તિથી કોંગ્રેસને ટેકો આપ્યો અને સમગ્ર દેશમાં ભાજપને હરાવવાનું કામ કર્યું. હવે કોંગ્રેસ આ બે મુખ્ય મતદાર વર્ગને પોતાની સાથે લઈને અન્ય સમુદાયોના લોકોને પણ આકર્ષવાનું કામ કરશે. કોંગ્રેસ નેતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે પાર્ટી ફરી એકવાર દિલ્હીમાં મજબૂત વાપસી કરવામાં સફળ રહેશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસની સંપૂર્ણ આશા મુસ્લિમ અને દલિત મતદારોના સમર્થન પર ટકી છે. મુસ્લિમ મતદારો દેશભરમાં વ્યૂહાત્મક મતદાન માટે જાણીતા છે. એવું માનવામાં આવે છે કે મુસ્લિમ મતદારો એવા રાજકીય પક્ષને જ મત આપે છે જે ભાજપને હરાવવાની સ્થિતિમાં હોય. આવી સ્થિતિમાં, દિલ્હીમાં છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણી અને ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં શૂન્ય પર અટવાયેલી કોંગ્રેસને મુસ્લિમ મતદારો કેમ મત આપશે તે સમજવું મુશ્કેલ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/we-will-remove-50-per-cent-reservation-limit-if-we-come-to-power-rahul-gandhi">અમે સત્તામાં આવીશું તો અનામતની 50 ટકા મર્યાદા હટાવીશુંઃ રાહુલ ગાંધી</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ કોંગ્રેસે આ વોટબેંક પર ભરોસો રાખ્યો હતો, તેનો તેને ચોક્કસ ફાયદો થયો હતો અને ૨૫૦ સીટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેના નવ ઉમેદવારો ૧૧.૬૮ ટકા મતો સાથે જીત્યા હતા. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં મુસ્લિમ મતદારોએ આમ આદમી પાર્ટીને જ સમર્થન આપ્યું હતું. આવી સ્થિતિમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોને સમર્થન આપશે તે જોવું રહ્યું. તેવી જ રીતે દલિત સમાજના મતદારો પણ દિલ્હીમાં સામાન્ય માણસમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે પોતાની જૂની વોટ બેંકને એકસાથે લાવવી ખૂબ જ પડકારજનક સાબિત થવાનું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમ છતાં એટલું તો સ્પષ્ટ લાગે છે કે, કૉંગ્રેસે હવે દેશભરમાં ફરી બેઠાં થવા માટે દલિતો, આદિવાસીઓ અને મુસ્લિમોનો સહારો લેવાનું નક્કી કર્યું છે. એટલે જ રાહુલ ગાંધી સહિતના તેના નેતાઓ સતત હાથમાં બંધારણની કોપી લઈને ફરે છે. તેની સાથે એ પણ એટલું જ સાચું છે કે, જ્યારે મલાઈદાર હોદ્દાઓ વહેંચવાના આવે ત્યારે આ જ કોંગ્રેસ ભાજપની જેમ સવર્ણોની પાર્ટી બની જાય છે અને દલિતો, આદિવાસીઓ અને મુસ્લિમોને સાઈડલાઈન કરી દે છે. આ સવર્ણ માનસિકતા ડો. આંબેડકર અને માન્યવર કાંશીરામ સારી રીતે સમજી ગયા હતા. તેથી જ તેમણે બહુજન સમાજનો પોતાનો રાજકીય પક્ષ મજબૂત કરવા પર ફોકસ કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/Crimes-against-Dalits-and-tribals-increased-by-46-and-48-since-2013">2013 પછી દલિતો, આદિવાસીઓ પરના ગુનાઓમાં 46 અને 48 ટકાનો વધારો થયો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 13 Jul 2024 11:01:54 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>914</Articleid>
                    <excerpt>લોકસભાની ચૂંટણીમાં દેશભરમાં કૉંગ્રેસે જે વાપસી કરી છે તેમાં દલિત અને મુસ્લિમ મતદારોનો મોટો ફાળો તેને જણાયો છે. ત્યારે હવે તે આ જ ફોર્મ્યૂલા પર વાપસીની તૈયારીઓ કરી રહી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66920c5da9828.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66920c5d7a856.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66920c5d7a856.jpg" length="85530" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>lok sabha election 2024, model code of conduct, Free and fair election, election commission of india, Modi, Shah, BJP, Congress</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભોલે બાબા દલિતોની &amp;apos;જાટવ&amp;apos; જાતિના છે અને એટલું પુરતું છે...</title>
                    <link>https://khabarantar.com/bhole-baba-belongs-to-the-jatav-caste-of-dalits-and-thats-enough</link>
                    <guid>https://khabarantar.com/bhole-baba-belongs-to-the-jatav-caste-of-dalits-and-thats-enough</guid>
                    <description>
                        <![CDATA[ હાથરસમાં જેમના સત્સંગ કાર્યક્રમમાં 121 લોકો મોતને ભેટ્યાં તે સૂરજપાલ સિંહ નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબા દલિતોની જાટવ જાતિના છે - આટલું મગજમાં રાખીને આ લેખ વાંચો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2 જૂન, 2024 ના રોજ, ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક દુર્ઘટનામાં અંદાજે 125 લોકોએ જીવ ગુમાવ્યા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બાબા સૂરજપાલ ઉર્ફે નારાયણ સાકાર વિશ્વ હરિ ઉર્ફે ભોલે બાબાના સત્સંગ બાદ અચાનક નાસભાગ મચી ગઈ હતી. પોલીસ, તંત્ર અને બાબાના અનુયાયીઓ અકસ્માતના કારણો અંગે પોતપોતાના દાવાઓ કરે છે. આ દાવાઓ અને પ્રતિદાવાઓની અલગ-અલગ સ્તરે તપાસ થઈ રહી છે, પરંતુ આ દરમિયાન બીજી એક ચર્ચા છેડાઈ ગઈ છે. અને એ છે ભોલે બાબાની જાતિ અને તેમના રાજકીય કનેક્શનોની.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકારી આંકડાઓ મુજબ હાથરસના ફુલરાઈ ગામમાં સર્જાયેલી દુર્ઘટનામાં 121 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 31 લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ પોલીસે સત્સંગના આયોજકો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. તાજેતરમાં લાગુ કરાયેલ ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 105, 110, 126(2), 223 અને 238 હેઠળ આયોજકોને આરોપી બનાવવામાં આવ્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હત્યા ઉપરાંત તેમાં સરકારી આદેશોનો અનાદર અને પુરાવા સાથે ચેડા કરવાના આરોપો પણ ઉમેરવામાં આવ્યા છે. અલીગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શલભ માથુરના જણાવ્યા અનુસાર, આ કેસમાં દેવપ્રકાશ મધુકરને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દેવપ્રકાશની શોધ હજુ ચાલુ છે. તેની ધરપકડ માટે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કરવા ઉપરાંત પોલીસ 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવાની પણ વાત કરી રહી છે. પરંતુ આ કેસમાં ભોલે બાબાનું નામ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે સવાલ એ છે કે આટલો મોટો અકસ્માત થયો હોવા છતાં પોલીસ-વહીવટી તંત્રે બાબા સૂરજપાલ જાટવ ઉર્ફે ભોલે બાબાને આરોપી કેમ ન બનાવ્યા? આ વિશે અલગ અલગ પ્રકારની વાતો થઈ રહી છે. આમાંનો એક દાવો એવો છે કે બાબા મજબૂત રાજકીય કનેક્શનો અને રાજકીય પીઠબળ ધરાવે છે. બીજો દાવો એ છે કે ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં બાબાના લાખો અનુયાયીઓ છે. સરકાર બાબા પર સીધો હાથ નાખીને તેમના લાખો ભક્તોને નારાજ કરવા માંગતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ આ દરમિયાન બાબાની જાતિ અને દલિતોમાં તેમના પ્રભાવને પણ તેમને બચાવવાનું કારણ માનવામાં આવે છે. પરંતુ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને સિનિયર પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે, જે લોકોએ કાર્યક્રમનું આયોજન કરવા માટે વહીવટીતંત્ર પાસેથી પરવાનગી માંગી હતી તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. કાર્યક્રમ માટેની અરજી બાબા તરફથી કરવામાં આવી ન હોવાથી તેમનું નામ એફઆઈઆરમાં નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે બાબા સૂરજપાલ જાટવ ઉર્ફે નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબા?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકાર હરિનું સાચું નામ સૂરજપાલ સિંહ છે. તેમનો જન્મ કાસગંજ જિલ્લાના પટિયાલી વિસ્તારમાં એક દલિત પરિવારમાં થયો હતો. તેમનું ગામ બહાદુર નગર હાથરસથી લગભગ 65 કિલોમીટર દૂર છે. પરિવારમાં કુલ ત્રણ ભાઈઓ હતા. મોટા ભાઈનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું. જ્યારે નાનો ભાઈ રાકેશ ખેડૂત છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબા બનતા પહેલા સૂરજપાલ સિંહ ઉત્તર પ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલ હતા. લાંબા સમય સુધી તેમણે લોકલ ઈન્ટેલિજન્સ યુનિટ એટલે કે LIUમાં સેવા આપી હતી. તેઓ આગ્રાની આસપાસના લગભગ 12 પોલીસ સ્ટેશનોમાં ડ્યૂટી નિભાવી ચૂક્યા છે. 1990ના દાયકામાં તેમની વિરુદ્ધ આગ્રાના શાહગંજ પોલીસ સ્ટેશનમાં જાતિય શોષણનો કેસ નોંધાયો હતો. એ પછી તેમની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન બાબાએ તેમની સરકારી નોકરી પણ ગુમાવી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/The-Controversy-of-the-Steps-Above-the-Fifth-Step-of-Mount-Girnar:-A-Perspective-on-the-Historical-Evidence"><span style="font-size: 14pt;">Exclusive - ગિરનાર પર્વતની પાંચમી ટૂંક ઉપર આવેલા પગલાંનો વિવાદ: ઐતિહાસિક પુરાવા પર એક દ્રષ્ટિપાત</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, ભોલે બાબા તેમના ભક્તોને જુદી જ વાત કરે છે. બાબા કહે છે કે તેમણે 18 વર્ષ સુધી પોલીસમાં કામ કર્યું અને પછી 90ના દાયકામાં VRS લીધું. બાબા દાવો કરે છે કે "તેમની ઈશ્વર સાથે મુલાકાત થઈ હતી અને પછી તેમણે પોતાનું જીવન ભગવાનને સમર્પિત કર્યું હતું. તેમનું શરીર ભગવાનનું અંગ છે અને માનવ કલ્યાણ એ તેમના જીવનનું લક્ષ્ય છે.” </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી સૂરજપાલે પોતાનું નામ બદલીને નારાયણ સાકાર વિશ્વ હરિ રાખ્યું. બાબાની ભગવાન સાથે મુલાકાતની વાર્તાઓ તેમના ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ તેમના ચમત્કારો તો તેના કરતાં પણ વધુ લોકપ્રિય છે. બાબાના ઉપદેશો ઉપરાંત તેમના કાર્યક્રમોમાં રોગો મટાડવા, ભૂત ભગાડવા અને ગરીબી દૂર કરવાના દાવાઓ પણ કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચમત્કારિક સ્પર્શ અને બાબાના નળનું પાણી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે બાબા જેલમાંથી છૂટ્યા ત્યારે તેમણે લોકોને ભગવાન સાથેની તેમની મુલાકાતની વાર્તા કહેવાનું શરૂ કર્યું હતું. તેમના ગામ પટિયાલીના એક રહેવાસી કહે છે, “તે દરમિયાન, બાબાએ તેમના ઘરની બહાર લગાવેલી ડંકીનું પાણી ચમત્કારિક હોવાની વાર્તા શરૂ કરી હતી. સમય સાથે તેમના ભક્તો વધવા લાગ્યા અને ચમત્કારિક પાણીની વાર્તા દૂરના વિસ્તારોમાં પણ ફેલાવા લાગી હતી. આ ડંકીમાંથી પાણી લેવા લોકો દૂર-દૂરથી આવવા લાગ્યા. તેમનું માનવું હતું કે, આ નળનું પાણી તેમના તમામ દુઃખો દૂર કરી દે છે અને તમામ પ્રકારની બીમારીઓથી મુક્તિ અપાવે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબાની લોકપ્રિયતા વધવા લાગી. પરંતુ આવા કિસ્સાઓમાં મોટાભાગે જોવા મળે છે તેમ, બાબાના મોટા ભાગના ભક્તો ગરીબ, પછાત અને દલિત સમાજના લોકો હતા. તેમાં પણ મોટાભાગની મહિલાઓ હતી, જે ઓછું ભણેલી અને ગરીબીથી ઘેરાયેલી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થોડા સમય પછી બાબાની લોકપ્રિયતા પટિયાલી અને કાસગંજની સીમાઓ વટાવીને અન્ય વિસ્તારોમાં ફેલાઈ ગઈ. એ પછી ફિરોઝાબાદ, ઇટાહ, ઇટાવા, મૈનપુરી, કાનપુર, જાલૌન, ફરુખાબાદ, આગ્રા, હાથરસ, મથુરા, પીલીભીત, બરેલી અને મુરાદાબાદ જેવા શહેરોમાં બાબાના કાર્યક્રમોનું આયોજન થવા લાગ્યું. આ દિવસોમાં, દર મહિનાના પહેલા મંગળવારે નારાયણ સાકાર હરિના વિશાળ સત્સંગનું આયોજન કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબા સામાન્ય બાબાઓની જેમ ભગવા વસ્ત્રો પહેરતા નથી. હંમેશા સફેદ સૂટમાં જોવા મળતા બાબા પોતાના અંગત સુરક્ષાકર્મીઓ સાથે ફરે છે. તેમની સાથે વાહનોનો લાંબો કાફલો પ્રવાસ કરે છે. તેમણે ઘણી જગ્યાએ આશ્રમો બનાવ્યા છે. જ્યાં પણ આશ્રમો હોય કે જ્યાં પણ બાબાના કાર્યક્રમોનું આયોજન થાય ત્યાં બાબાની ડંકી અવશ્ય દેખાય છે. બાબાની ડંકીનું પાણી અને બાબાનો ચમત્કારી સ્પર્શ મેળવવા માટે અનુયાયીઓમાં રીતસરની હોડ મચે છે. ભક્તો ડંકીનું પાણી પીને પોતાને ધન્ય માને છે. ભોલે બાબાની આવી ગાંડપણની હદની ભક્તિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમની ચરણરજ લેવા માટે 121 લોકોએ જીવ ગુમાવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાબાનો ગુનાહિત ઈતિહાસ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂરજપાલ સિંહ વિરૂદ્ધ માત્ર યૌન શોષણનો કેસ નથી, પરંતુ જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં કુલ પાંચ કેસ નોંધાયેલા છે. આ કેસ આગ્રા, ઈટાવા, કાસગંજ, ફરુખાબાદ અને રાજસ્થાનના દૌસામાં નોંધાયેલા છે. વર્ષ 2000ની સાલમાં તેમની પત્ની કટોરી દેવી સાથે ધરપકડ કરવામાં આવી હતી. બાબાને પોતાનું કોઈ સંતાન નથી. તેમણે તેમની ભત્રીજીને દત્તક લીધી છે, જે 16 વર્ષની ઉંમરે કેન્સરથી મૃત્યુ પામી હતી. બાબાએ દાવો કર્યો હતો કે તે તેને પુનર્જીવિત કરશે. આ કારણે તેમણે તેના મૃતદેહના અંતિમ સંસ્કાર નહોતા કરવા દીધાં. બાદમાં પોલીસે દરમિયાનગીરી કરીને બાબાને જેલમાં ધકેલી દીધા અને મૃતકના અંતિમ સંસ્કાર કર્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/Exclusive:-Age-and-height-also-make-social-distinctions"><strong>Exclusive: ઉંમર અને ઊંચાઈને પણ સામાજિક ભેદ નડે છે!</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોકે, 2 જુલાઈની ઘટનામાં બાબાને હજુ સુધી આરોપી બનાવવામાં આવ્યા નથી. આ મામલે પોલીસનું કહેવું છે કે તપાસ ચાલુ છે. હાથરસના કલેક્ટર દ્વારા સરકારને મોકલવામાં આવેલા અહેવાલ મુજબ, આયોજકોએ કાર્યક્રમ માટે એકઠા થવાની પરવાનગી માંગી હતી તેના કરતા અનેક ગણા વધુ લોકો સ્થળ પર એકઠા થયા હતા. આ ભીડ અકસ્માતનું મુખ્ય કારણ બની હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા અલીગઢના રહેવાસી સંદીપનું કહેવું છે કે “સત્સંગ તરફ જતા રસ્તા પર લોકોનો જામ હતો, જેને તંત્રે બળજબરીથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ભીડમાંથી બહાર નીકળવાના પ્રયાસમાં લોકો એકબીજા પર ચઢવા લાગ્યા અને નાસભાગ મચી ગઈ.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપીના વકીલ એ.પી. સિંહના કહેવા પ્રમાણે, “આ ઘટના પાછળ અસામાજિક તત્વોનો હાથ છે. આ બધું એક ષડયંત્ર હતું."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે આ મામલાની તપાસ માટે આગ્રા ઝોનના ADGની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે. આ ઘટનાની તપાસ માટે ન્યાયિક પંચની પણ રચના કરવામાં આવી છે. જેમાં હાઇકોર્ટના નિવૃત્ત જજ બ્રજેશ શ્રીવાસ્તવ, પૂર્વ IAS હેમંત રાવ અને ભૂતપૂર્વ IPS ભાવેશ કુમાર સિંહનો સમાવેશ થાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દરમિયાન રાજકીય આક્ષેપો અને પ્રતિઆક્ષેપો પણ શરૂ થઈ ગયા છે. એવા આરોપ લગાવવામાં આવી રહ્યાં છે કે ભોલે બાબાને ભાજપના સ્થાનિક નેતાઓનું સંરક્ષણ છે, તેથી જ તેમનું નામ FIRમાં નથી. બીજી તરફ ભાજપના લોકો બાબા સાથે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવનો ફોટો બતાવીને કહી રહ્યા છે કે બાબાને તેમનું પીઠબળ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેટલાક લોકો બાબાની જાતિના આધારે પણ આરોપો લગાવી રહ્યા છે. સૂરજપાલ સિંહ નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબા દલિતોની જાટવ પેટાજાતિના છે. તેમના મોટાભાગના ભક્તો પણ જાટવ, અતિ પછાત અને દલિત સમાજના છે. હાથરસની ઘટનામાં મૃતકોમાં સૌથી વધુ 14 મહિલાઓ જાટવ સમાજની છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્થાનિકોનો દાવો છે કે બાબાના કાર્યક્રમોમાં તમામ મોટા નેતાઓ આવતા રહ્યા છે. જોકે બાબા પોતે ટીવી, સોશિયલ મીડિયા અને અન્ય પ્રચાર માધ્યમોથી અંતર જાળવી રહ્યા છે, પરંતુ તેમના રાજકીય પ્રભાવને નકારી શકાય તેમ નથી. BSP સરકારના સમયમાં બાબાનો એક અલગ જ ચાર્મ હતો. તે સમયે તેમના કાફલામાં લાલ બત્તીવાળા વાહનો સામાન્ય હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક સ્થાનિક વ્યક્તિના જણાવ્યા પ્રમાણે, બાબાના દરબારની મુલાકાત લેનારાઓમાં માત્ર અખિલેશ યાદવ જ નથી, પરંતુ ભાજપ, બસપા અને અન્ય પાર્ટીઓના નેતાઓ પણ સામેલ રહ્યા છે. પીલીભીતના એક ભાજપના ધારાસભ્ય સતત બાબાના કાર્યક્રમોનું આયોજન કરાવતા રહે છે. બાબા પોતે દાવો કરે છે કે નેતાઓ સિવાય તેમના શિષ્યોમાં ઘણા IAS અને IPS પણ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાથરસના એક સ્થાનિકનો આરોપ છે કે “બાબાને તેમની દલિત જાતિના કારણે આ મામલામાં વધુ ઢસડવામાં આવી રહ્યાં છે. જો તેઓ કથિત સવર્ણ જાતિના હોત તો મીડિયામાં આટલો હોબાળો ન મચ્યો હોત."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે હાથરસની ઘટના ન તો પહેલી છે કે ન છેલ્લી છે. જ્યાં સુધી દેશમાં ગરીબી, નિરક્ષરતા, પછાતપણું અને આરોગ્ય સેવાઓનો અભાવ છે ત્યાં સુધી ચમત્કારોનો ધંધો ધીમો પડવાનો નથી. ગરીબ, નિરાધાર, પીડિત લોકો કે જેમની પાસે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ નથી તેઓ એ આશા સાથે તેમની સમસ્યાઓ લઈને આ પ્રકારના સત્સંગોમાં જાય છે કે કદાચ કોઈ ચમત્કાર થઈ જાય. આવી સ્થિતિમાં, જો ક્યાંક કાગનું બેસવું અને ડાળનું ભાંગવુંની જેમ કથિત ચમત્કારની ઘટના બની જાય છે તો તે લાખો લોકોમાં નવી આશા જગાવી દેતો હોય છે.સહાલમાં દેશની જે હાલત છે તેમાં, એક બે બાબાઓ જો બદનામ થઈ પણ જાય, બે-ચાર જેલમાં પણ જતા રહે, કે પાંચ-દસ દુર્ઘટનાઓનું કારણ બની પણ જાય, તો પણ આ ધંધામાં મંદી આવવાની નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/a-case-was-registered-against-the-organizers-of-the-Hathras-race-but-not-bhole-babas-name"><strong>હાથરસ ભાગદોડ મામલે આયોજકો સામે કેસ નોંધાયો, ભોલે બાબાનું નામ નહીં</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 06 Jul 2024 17:17:47 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 02 Aug 2024 20:02:24 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>878</Articleid>
                    <excerpt>હાથરસમાં જેમના સત્સંગ કાર્યક્રમમાં 121 લોકો મોતને ભેટ્યાં તે સૂરજપાલ સિંહ નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબા દલિતોની જાટવ જાતિના છે - આટલું મગજમાં રાખીને આ લેખ વાંચો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66acedef18513.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66acedeedb674.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66acedeedb674.jpg" length="78228" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બળાત્કારની વધતી ઘટનાઓ પાછળ સ્ત્રીઓના કપડાં જવાબદાર: ભાજપ નેતા</title>
                    <link>https://khabarantar.com/womens-clothing-responsible-for-rising-rape-incidents-bjp-leader</link>
                    <guid>https://khabarantar.com/womens-clothing-responsible-for-rising-rape-incidents-bjp-leader</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપના એક નેતાએ દેશમાં બળાત્કારની વધતી ઘટનાઓ માટે મહિલાઓના પહેરવેશને આડકતરી રીતે જવાબદાર ગણાવ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નેતાઓની મહિલાઓના કપડાને લઈને સંકુચિત માનસિકતાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે આ મામલે ભાજપના એક નેતાએ બળાત્કાર મામલે આડકતરી રીતે મહિલાઓના પહેરવેશને જવાબદાર ઠેરવતું નિવેદન કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરાખંડના કાશીપુરના પૂર્વ ધારાસભ્ય હરભજનસિંહ ચીમાએ બળાત્કારના વધતા કેસો અંગે ચિંતા વ્યક્ત કરતા બળાત્કારની ઘટનાઓમાં ક્યાંકને ક્યાંક મહિલાઓ પણ જવાબદાર હોવાનું જણાવ્યું છે. મહિલાઓ દ્વારા અપનાવવામાં આવી રહેલી પશ્ચિમી સભ્યતાના પોષાકના લીધે આ ઘટનાઓનું પ્રમાણ વધ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચીમાએ કહ્યું હતું કે, “મહિલાઓએ આપણા દેશની સંસ્કૃતિ અને સભ્યતાને અનૂરૂપ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. વાલીઓએ પોતાના પરિવારની મહિલાઓ અને બાળકીઓને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વસ્ત્ર ધારણ કરવા પ્રેરિત કરવી જોઈએ. તમામ શાળાઓના સંચાલકોએ પણ પોતાની વિદ્યાર્થિનીઓના ગણવેશમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર પરિવર્તન લાવવું જોઈએ.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચીમાએ આગળ કહ્યું હતું કે, “સમાજના તમામ વર્ગોએ આ દિશામાં આગળ વધવું જોઈએ અને પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવો જોઈએ, જેથી કરીને આ જઘન્ય કૃત્યમાં ઘટાડો કરી શકાય.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/non-bailable-arrest-warrant-issued-in-pocso-case-against-bjp-leader-yeddyurappa"><span style="font-size: 14pt;">ભાજપના નેતા યેદિયુરપ્પા વિરુદ્દ  POCSO કેસમાં બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ ચીમાના આ નિવેદનને લઈને કાશીપુરમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા મુક્તા સિંહે ચીમાના નિવેદનને અપમાનજનક ગણાવતા સવાલ કર્યો હતો કે, “જો બળાત્કારની ઘટનાઓ વધી રહી છે તો તેમાં મહિલાના પહેરવેશને કેવી રીતે દોષી ઠેરવી શકાય? તમે કોઈના પોશાક પરથી તેને કેવી રીતે જજ કરી શકો? ભારતના બંધારણમાં પહેરવા, રહેવા અને ખાવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. આવી સ્થિતિમાં શું તેઓ હવે મહિલાઓના મૂળભૂત અધિકારોને પણ પડકારશે? આ નિવેદનની સખત નિંદા થવી જોઈએ.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિપક્ષના આ હુમલાના જવાબમાં પૂર્વ ધારાસભ્ય હરભજન સિંહ ચીમાએ કહ્યું કે, “મેં સમાજના કલ્યાણ માટે આ મંતવ્યો આપ્યા છે. આ તદ્દન રાજકીય નિવેદન નથી પણ મારા અંગત વિચારો છે. સમાજને વધુ સારો સંદેશ આપવા માટે મેં મારા વિચારો રજૂ કર્યા છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાનગર પ્રમુખ મુશર્રફ હુસૈને કહ્યું હતું કે, “હું આ નિવેદનની સખત નિંદા કરું છું. ચીમાએ આવા નિવેદનો આપતા પહેલા વિચારવું જોઈતું હતું કે બળાત્કારની વધતી જતી ઘટનાઓમાં મહિલા કેવી રીતે દોષિત હોઈ શકે છે. આપણા સમાજમાં આ પ્રકારના નિવેદનને બિલકુલ પ્રોત્સાહન આપી શકાય નહીં. આ મહિલા વિરોધી નિવેદન છે અને તેની ટીકા થવી જોઈએ.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong> </span><a href="https://khabarantar.com/13-year-old-dalit-minor-killed-after-gang-rape-bjp-leaders-involment"><strong>13 વર્ષની દલિત સગીરાની ગેંગરેપ બાદ હત્યા, ભાજપ નેતાની સંડોવણી</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 06 Jul 2024 11:21:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>875</Articleid>
                    <excerpt>ભાજપના એક નેતાએ દેશમાં બળાત્કારની વધતી ઘટનાઓ માટે મહિલાઓના પહેરવેશને આડકતરી રીતે જવાબદાર ગણાવ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668822de40dce.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668822de127f5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668822de127f5.jpg" length="91840" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત અત્યાચાર મામલે સ્વામિનારાયણના ‘પ્રગટ બ્રહ્મસ્વરુપો’ ચૂપ કેમ રહે છે?</title>
                    <link>https://khabarantar.com/why-swaminarayans-manifest-brahmaswarupo-remains-silent-on-dalit-atrocities</link>
                    <guid>https://khabarantar.com/why-swaminarayans-manifest-brahmaswarupo-remains-silent-on-dalit-atrocities</guid>
                    <description>
                        <![CDATA[ સ્વામિનારાયણ સંપ્રદાયના શિક્ષાપત્રી સહિતના ગ્રંથોમાં દલિતો વિશે અનેક વાંધાજનક બાબતો લખવામાં આવેલી છે. આ લેખ તેના વિશે વિગતે વાત કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કડવા ભગત(1785-1850)નું ભજન છે, ‘મંદિર બાંધીને માયા વધારી, સાચા જતિ-સતિ રે સંતાણા; જગતમાં પાખંડવાળા પૂજાણા!’ આ ભજન સ્વામિનારાયણ સંપ્રદાય માટે જ કડવા ભગતે રચ્યું હશે. સ્વામિનારાયણના ભક્તો કહે છે કે ‘BAPSએ અબુધાબી, દુબઈ, અમેરિકા વગેરે દેશોમાં ‘હિન્દુ મંદિરો’નું નિર્માણ કરીને સનાતન ધર્મનો જયજયકાર કર્યો છે.’</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિદેશોમાં હિન્દુઓને પોતાના સંપ્રદાયના મંદિરમાં આવતા કરવા માટે BAPSવાળા સ્વામિનારાયણ મંદિરને ‘હિન્દુ મંદિર’ કહે છે. પરંતુ સનાતન દેવી-દેવતાઓની મૂર્તિઓ નાની અને સહજાનંદની મૂર્તિ મોટી હોય છે. સહજાનંદજીને રામ, કૃષ્ણ અને શિવની ઉપર મૂકે છે; તેમને સર્વોપરી ભગવાન કહે છે. આ તો સનાતન ધર્મનું હળાહળ અપમાન છે. વિદેશમાં પોતાના મંદિરને હિન્દુ મંદિર કહે છે પરંતુ ભારતની સુપ્રિમ કોર્ટ સમક્ષ સોગંદ પર સ્વામિનારાયણ સંપ્રદાયે કહ્યું હતું કે ‘સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ ધર્મનો ભાગ નથી!’</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્વામીનારાયણ સંપ્રદાયે સુપ્રિમ કોર્ટ સમક્ષ આવું કેમ કહ્યું? કેમ કે, સ્વામિનારાયણ મંદિરોમાં દલિતો પ્રવેશ કરે તેવું તેઓ ઈચ્છતા ન હતા. </span><span style="font-size: 14pt;">કેટલાંક દલિતો BAPSના અનુયાયીઓ છે. એમને બંધારણ કરતા શિક્ષાપત્રી મહાન લાગે છે. શિક્ષાપત્રીના શ્લોક-45 મુજબ દલિતો તિલક કરી શકતા નથી. શ્લોક-90 મુજબ શૂદ્રોએ ઉપલા ત્રણ વર્ણની સેવા જ કરવાની છે. સમાજમાં લઘુતાગ્રંથિ અને ગુરુતાગ્રંથિના શિખરસમા વર્ણ-ભેદભાવો થઈ રહ્યા છે તેનું કારણ મનુસ્મૃતિની વર્ણવ્યવસ્થા છે. આ વ્યવસ્થાનું પ્રચંડ સમર્થન સહજાનંદજીએ શિક્ષાપત્રીમાં કર્યું છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 16px;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/how-can-the-bahujans-be-saved-from-the-cultural-slavery-of-the-brahmins"><span style="font-size: 14pt;"> બ્રાહ્મણોની સાંસ્કૃતિક ગુલામીમાંથી બહુજનોને કેવી રીતે બચાવી શકાય?</span></a></span></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્વામિનારાયણ સંપ્રદાય કાયમ દલિતો વિરોધી રહ્યો છે. ગુજરાતમાં વર્ષ 1981 અને 1985માં અનામત વિરોધી આંદોલનો થયા ત્યારે આંદોલનને વેગ આપવામાં આ સંપ્રદાયની ભૂમિકા હતી. ગુજરાતમાં ઘોડી પર બેસવા, મૂછો રાખવા, જમીન રાખવા, કાર રાખવા, સારા કપડાં પહેરવા વગેરે કારણોસર દલિતોનું જાહેર અપમાન, મારઝૂડ, બળાત્કાર, હત્યા થાય છે; તે વખતે સ્વામિનારાયણના સ્વામીઓ, કથાકારો, પ્રગટ બ્રહ્મસ્વરૂપોએ આવું નહીં કરવા લોકોને ક્યારેય શીખામણ આપી નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સવાલ એ છે કે દલિતો પરના અત્યાચાર સમયે સ્વામિનારાયણના ‘પ્રગટ બ્રહ્મસ્વરુપો’ ચૂપ કેમ રહે છે? વર્ણ-ભેદભાવ દૂર કરવા માટે આ સંપ્રદાયના સાધુઓને દલિતવાસ, દેવીપૂજકવાસ કે આદિવાસીઓનાં ઝૂંપડાંઓમાં જવાની જરૂર નથી; પણ શિક્ષાપત્રીમાંથી વર્ણવ્યવસ્થાનું સમર્થન કરેલ છે; તેને દૂર કરવાની જરૂર છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">’શ્રી સ્વામિનારાયણ સંહિતા’ પુસ્તકના પેજ નં-116 ઉપર લખ્યું છે કે ‘ઉત્તમ દેશ, ઉત્તમ જાતિ, ઉત્તમ યોગ મળે તો જ પ્રભુ ભજાય. સિંધ જેવા દેશમાં જન્મ મળે તો પ્રભુ ભજાય નહીં. આ દેશમાં જન્મ મળે પણ દલિતનો (મૂળ શબ્દ લખી શકાય તેમ નથી) જન્મ મળે તો પણ પ્રભુ ભજી શકાય નહીં; કેમકે તેમાં દેવદર્શન, સાધુસંતનો સમાગમ થાય નહીં.’ વિચારો, આટલું હલકી કક્ષાનું સાહિત્ય વાંચી વાંચીને સ્વામિનારાયણના બાવાઓ અને તેમના સત્સંગીઓ દલિતોને ધિક્કારે કે નહીં? એટલું ચોક્કસ કહી શકાય કે, ‘સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ’ પ્રગટ્યા ન હોત તો દલિતો પ્રત્યેના ભેદભાવો જરૂર ઓછા થયા હોત. યૂટ્યુબર જ્યોત્સના આહિરે પાર્ટ-4માં સ્વામિનારાણ સંપ્રદાયના વિરોધાભાસનો પર્દાફાશ કર્યો છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">‘સર્વોપરી ભગવાન’ સહજાનંદજી રાજકોટ ખાતે અંગ્રેજ ગવર્નર માલ્કમને મળવા ગયા હતા અને તેમને આશીર્વાદ આપેલ કે 'તમો ગાય તથા બ્રાહ્મણોનું રક્ષણ કરજો. તમારું રાજ ઘણા કાળ સુધી રહેશે’('સહજાનંદ ચરિત્ર' પ્રકાશકઃ સ્વામિનારાયણ અક્ષરપીઠ, શાહીબાગ, અમદાવાદ. પેજ-145) ભારતને ‘ઘણા કાળ સુધી’ ગુલામ રાખવાના આશીર્વાદ આપે તેને સર્વોપરી ભગવાન કહી શકાય?માત્ર ‘ગાય તથા બ્રાહ્મણોનું રક્ષણ કરજો’ એવી અપીલ કરનારને ‘સર્વોપરી ભગવાન’ કહી શકાય? દલિતો, ગરીબો, કચડાયેલાં, શ્રમિકોનું રક્ષણ કરજો એવી વિનંતિ કરવાનું સહજાનંદજીને કેમ સૂઝ્યું નહીં હોય?</span><br><span style="font-size: 14pt;">- <span style="color: rgb(224, 62, 45);"><strong>રમેશ સવાણી</strong></span> <span style="font-size: 12pt;"><strong><em>(લેખક નિવૃત્ત આઈપીએસ અને રેશનલ વિચારધારાના પક્ષધર છે)</em></strong></span></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 16px;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચો: </span><span style="font-size: 14pt;"><a href="https://khabarantar.com/swaminarayan-literature-contains-nonsense-and-outright-lies">સ્વામિનારાયણ સાહિત્યમાં વાહિયાત અને તદ્દન જૂઠાં પરચાઓ છે</a></span><br></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 03 Jul 2024 13:24:17 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 03 Jul 2024 13:23:41 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>861</Articleid>
                    <excerpt>સ્વામિનારાયણ સંપ્રદાયના શિક્ષાપત્રી સહિતના ગ્રંથોમાં દલિતો વિશે અનેક વાંધાજનક બાબતો લખવામાં આવેલી છે. આ લેખ તેના વિશે વિગતે વાત કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668501c4efa62.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668501c4bf463.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668501c4bf463.jpg" length="90774" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case BAPS swaminarayan</media:keywords>
                </item>
                        <item>
                    <title>વોટ્સએપ યુનિવર્સિટી કરતા પણ કોર્પોરેટ કથાકારો વધુ જુઠ ફેલાવે છે</title>
                    <link>https://khabarantar.com/corporate-storytellers-spread-more-lies-than-whatsApp-university</link>
                    <guid>https://khabarantar.com/corporate-storytellers-spread-more-lies-than-whatsApp-university</guid>
                    <description>
                        <![CDATA[ આજકાલ અનિરુદ્ધાચાર્ય નામના એક મહારાજના આજકાલ તેમના ગપગોળાઓના વીડિયોને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં છે. અહીં આ આખા મુદ્દે વિસ્તારથી ચર્ચા કરીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">WhatsApp યુનિવર્સિટી કરતા પણ વધુ જૂઠ્ઠાણાં કોઈ ફેલાવતું હોય તો તે છે કોર્પોરેટ કથાકારો, સ્વામિનારાયણના સાધુઓ, વૈષ્ણવ સંપ્રદાયના મહારાજો, શ્રીશ્રીઓ, સદગુરુઓ, બાબાઓ, બાપુઓ છે. આ સ્થિતિ અન્ય ધર્મમાં પણ જોવા મળે છે. ભગવાનના ‘એજન્ટ’નું ચરિત્ર સરખું જ હોય છે. ભગવાનની કથામાં સત્ય પર ભાર મૂકવાને બદલે કોર્પોરેટ કથાકારો Baseless, Senseless, Illogical વાતો કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉદાહરણ તરીકે અનિરુદ્ધાચાર્ય મહારાજ(34)ને જ જોઈ લો. લોકો તેમની કથાઓમાં ધર્મની વાતો સાંભળવા જાય છે પરંતુ તેઓ ધર્મની વાત કરવાને બદલે મહાગપ્પાં સંભળાવે છે. અનિરુદ્ધાચાર્ય મધ્યપ્રદેશના દામોહી જિલ્લાના રિવઝા ગામના છે. તેઓ ભાગવત કથાકાર છે. તેમના વીડિયો સોશિયલ મીડિયામાં લાખો ભક્તો જૂએ છે. પાંચ ધોરણ સુધી ભણેલા અનિરુદ્ધાચાર્યની કથા સાંભળવા  સ્નતકો, અનુસ્નાતકો, Ph.D ડીગ્રીધારી સહિત પ્રચંડ જનમેદની ઉમટે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમની અમૃતવાણીના થોડાં ઉદાહરણ જોઈએઃ “હું પ્રશ્ન પૂછું તો સાયન્સ ચૂપ થઈ જાય. મારે પાસે ઘણાં સવાલો છે, જે સાયન્સ પાસે નથી. કોઈ વિજ્ઞાનના જાણકાર મારી પાસે આવે અને વાત કરે તો હું એને સંતુષ્ટ કરી દઈશ. પરંતુ તે મને સંતુષ્ટ નહીં કરી શકે. કેમકે મારી પાસે એવા સવાલ છે કે જે સાયન્સ પાસે નથી. પણ સાયન્સના લાખો સવાલ મને પૂછો જેના ઉત્તર હું આપી શકું છું.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">“તમે ક્યારેય ગાયના છાણથી મોં ધોયું? શુદ્ધ ગાયના છાણથી ન્હાવાથી ચામડીનો કોઈ પણ રોગ સમાપ્ત થઈ જાય છે, એની ગેરંટી આપું છું.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">“વોશરૂમ જતા પહેલા કાન પર જનોઈના ત્રણ રાઉન્ડ લગાવો. કેટલું વૈજ્ઞાનિક છે. આપણા કાનમાં એક નસ હોય છે, તેનું કનેક્શન મૂત્રેન્દ્રીય સાથે હોય છે. કાન પર જનોઈ વીંટાળવાથી પ્રેશર થાય છે જેથી બાથરુમ આરામથી કરી શકો છો!”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">“આ વખતે કોને જીતાડશો? જે રામને લાવ્યા! આ વખતે ઋણ ચૂકવવાનું છે. એમની લંકા સળગાવજો જે રામમંદિરનો વિરોધ કરતા હતા! આ વખતે જીતશે તો રામ જીતશે, હારશે તો રામ હારશે!”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/modi-does-not-conduct-caste-based-census-as-he-is-pro-caste"><span style="font-size: 14pt;">મોદી સવર્ણોના તરફદાર હોવાથી જાતિ આધારિત વસ્તી ગણતરી નથી કરાવતા</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">“આઈફોનનું નામ સાંભળ્યું છે? તે કંપનીના પ્રોડક્ટમાં લોગો હોય છે બટકું ભરેલું સફરજન! તમને ખબર છે આ લોગો કેમ બન્યો? ભારતના એક દિવ્ય સંત નીબ કરોલી બાબા હતા. તેમની પાસે અમેરિકાથી એક શિષ્ય આવ્યો. તેણે બાબાને કહ્યું કે, ‘અમે એક ફેકટરી બનાવીએ છીએ, તેનું સિમ્બોલ શું રાખવું? તે વખતે બાબા પાસે એક Apple પડ્યું હતું. બાબાએ એપલને બટકું ભરીને  એને પકડાવી દીધું! બસ, આ એપલને તેણે પોતાની કંપનીનો લોગો બનાવી દીધો! એપલ આજે દુનિયાની સૌથી મોટી બ્રાન્ડ છે!”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિચારો! આમાં ક્યાંય ધર્મની વાત આવી? ‘હું પ્રશ્ન પૂછું તો સાયન્સ ચૂપ થઈ જાય!’ આ મિથ્યાભિમાન નથી? દુનિયામાં કોઈ પણ ધર્મના એજન્ટે એક પણ વૈજ્ઞાનિક શોધ કરી નથી. તમામ કોર્પોરેટ કથાકારો વિજ્ઞાને શોધેલી વસ્તુઓ વાપરે છે; કાર, પ્લેન, AC, ફ્રિજ, મોબાઈલ, સાઉન્ડ સીસ્ટમ વગેરે. છતાં સાયન્સને ચૂપ કરવાની વાત કરી લોકોને ભ્રમિત કરતા નથી? ‘ગાયના છાણથી ન્હાવાથી ચામડીનો કોઈ પણ રોગ સમાપ્ત થઈ જાય’ એમ કહીને અંધશ્રદ્ધા ફેલાવતા નથી? ‘કાન પર જનોઈના ત્રણ રાઉન્ડ લગાવો’ એવા ઉપદેશનો કોઈ અર્થ ખરો? </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જનોઈનો અધિકાર તો ઉપલા વર્ણના લોકોનો છે, આ અધિકારથી બહુજન સમાજ વંચિત છે, એનું શું? વળી અન્ય ધર્મના લોકો જનોઈ પહેરતા નથી છતાં બાથરુમ આરામથી કરે છે, તો કાન પર ત્રણ વળ ચડાવવાનો ઉપદેશ આપવાનો કોઈ અર્થ ખરો? ‘જીતશે તો રામ જીતશે, હારશે તો રામ હારશે!’ એમ કહેનાર કથાકાર કહેવાય કે રાજકીય પક્ષનો એજન્ટ? મોદીજી હારે તો રામ કઈ રીતે હારી જાય? એપલ કંપનીનો શ્રેય નીબ કરોલી બાબાને આપી શકાય? હકીકત એ છે કે નીબ કરોલી બાબા 11 સપ્ટેમ્બર 1973ના રોજ અવસાન પામ્યા હતા અને એક વરસ પછી 1974માં સ્ટીવ જોબ્સ નીબ કરોલી બાબાના દરબારમાં ગયા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચાલો માની લઈએ કે નીબ કરોલી બાબાએ બટકું ભરીને સ્ટીવ જોબ્સને સફરજન આપ્યું હતું; તો સવાલ એ છે કે આપણા સંતો, કથાકારો, આપણા લોકોને એપલ કંપની ઊભી કરવા; એપલ જેવા ફોન, કોમ્પ્યુટર બનાવવા કેમ પ્રેરણા આપી શકતા નથી? શું આપણા સંતો, કથાકારોને અમેરિકનનો જ મોહ હશે? અમેરિકનને ટેકનોલોજીની પ્રેરણા આપવાની અને આપણને માત્ર ગોળગોળ, પોલાંપોલાં ઉપદેશો જ આપવાના? માત્ર મિથ્યાભિમાનની વાતો કરી શ્રોતાઓને ભ્રમિત કરવાના?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>-રમેશ સવાણી</strong></span> <span style="font-size: 12pt;"><em><strong>(લેખક નિવૃત્ત આઈપીએસ અધિકારી અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.)</strong></em></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/why-are-most-of-the-characters-in-panchayat-web-series-brahmins"><strong> 'પંચાયત' વેબ સિરીઝમાં મોટાભાગના પાત્રો બ્રાહ્મણ કેમ છે?</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 01 Jul 2024 10:27:57 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>849</Articleid>
                    <excerpt>આજકાલ અનિરુદ્ધાચાર્ય નામના એક મહારાજના આજકાલ તેમના ગપગોળાઓના વીડિયોને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં છે. અહીં આ આખા મુદ્દે વિસ્તારથી ચર્ચા કરીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668236c4919d2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668236c463c39.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668236c463c39.jpg" length="74305" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બિના પસીને કી ફસલ યા કવિતા બેમાની હૈ...</title>
                    <link>https://khabarantar.com/bina-paseen-ki-fasal-ya-kavita-bemani-hai</link>
                    <guid>https://khabarantar.com/bina-paseen-ki-fasal-ya-kavita-bemani-hai</guid>
                    <description>
                        <![CDATA[ હિન્દીના પ્રસિદ્ધ સાહિત્યકાર ઓમ પ્રકાશ વાલ્મિકીની આજે જન્મજયંતિ છે ત્યારે પાલનપુરી પત્રકાર હિદાયત પરમાર ‘જૂઠન’ અને ‘ઠાકુર કા કૂવાં’ ના લેખકને યાદ કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓમ પ્રકાશ વાલ્મિકીનો જન્મ ૩૦ જૂન ૧૯૫૦ના રોજ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના બરલા ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ દહેરાદૂનમાં થયું. બાલ્યાવસ્થા સામાજિક અને આર્થિક મુશ્કેલીઓમાં પસાર થઈ. શરૂઆમાં તો સામાજિક અને માનસિક યાતનાઓ પણ વેઠી. જે તેમના સાહિત્યમાં જોઈ શકાય છે. શોષિતો, વંચિતો, છેવાડાના લોકોની પીડાને તેઓ વધુ સારી રીતે સમજી શક્યા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૮૦ ના દાયકાથી તેમની  લખવાની સફર શરૂ થાય છે. પરંતુ સાહિત્યિક ક્ષેત્રમાં પ્રસિદ્ધ છેક ૧૯૯૭માં મેળવે છે. અન્યાયની વચ્ચે રહીને સંઘર્ષ કરતાં કરતાં દલિત આંદોલકારી તરીકેની ખ્યાતિ મેળવે છે. સાથે સાથે એ દરમિયાન તેઓ ૬૦ થી વધુ નાટકોમાં પોતાના અભિનય થકી લોકમનમાં ઊંડી છાપ છોડી દે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાહિત્યમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે તેમને ઘણા પુરસ્કારોથી પણ નવાજવામાં આવ્યા હતા. તેમને વર્ષ ૧૯૯૩માં ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. ૨૦૦૪માં ન્યુ ઈન્ડિયા બૂક પુરસ્કાર મળ્યો તેમજ ૨૦૦૮/૦૯ ના સાહિત્ય ભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ૧૭ નવેમ્બર ૨૦૧૩ના રોજ ૬૩ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જૂઠન આત્મકથાએ પ્રસિદ્ધિ અપાવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓમપ્રકાશ વાલ્મીકી હિન્દીના જાણીતા દલિત સાહિત્યકાર હતા અને તેમની આત્મકથા 'જૂઠન' સાહિત્ય જગતમાં ખૂબ જ લોકપ્રિય કૃતિ છે. આત્મકથા 'જૂઠન' થી માલુમ થાય છે કે કેવી રીતે અત્યાચારો વચ્ચે એક વાલ્મિકી રચનાકારનો વિકાસ અને નિર્માણ થાય છે. કેવી રીતે લાંબા સમયથી ચાલી આવતી ભારતીય સમાજ વ્યવસ્થામાં સૌથી તળિયે ઊભેલી જાતિનું એક બાળક ઓમપ્રકાશ સાહિત્યકાર અને રચનાકાર બને છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'જૂઠન' ઓમપ્રકાશ વાલ્મિકીની આત્મકથા છે. એમના જીવનની અસહ્ય દુઃખદ ઘટનાઓ તેમના આ પુસ્તકમાં છે, જેમાં તેઓ બતાવવાનો પ્રયાસ કરે છે કે તેઓ જયારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમના શિક્ષક તેમની પાસે ઝાડું લગાવડાવતાં હતા. તેમના ઘરના અન્ય લોકો પણ સાફ - સફાઈનું જ કામ કરતા હતા. તેઓ એવું લખે છે કે મેં એવા સમાજમાં જન્મ લીધો , જે સમાજ સાથે સદીયોથી ક્રૂરતાપૂર્વક અમાનવીય વર્તન થઇ રહ્યું છે. તેમણે તેમના જીવન સંઘર્ષ વિષે લખવાનો બહુ પ્રયત્ન કર્યો પણ પહેલા તો માનસિક રીતે તકલીફો આવવા લાગી અને તેમાં જીવના જોખમો પણ આવવા લાગ્યા, ઘણા લોકોને માન્યામાં ન આવે તેવી દિલને હચમચાવી નાખે તેવી, ઓમ પ્રકાશ વાલ્મિકીની કહાણી છે. 'જૂઠન' જેવી તેમની રચનાઓ દ્વારા, તેમણે માત્ર જાતિવાદના ઊંડા કલંકને જ જગતની સામે રાખ્યો ન હતો, પરંતુ જાતિની ક્રૂર વ્યવસ્થાને કારણે દલિતને જે પીડા સહન કરવી પડે છે તેનું પણ વર્ણન કર્યું હતું. જેઓ કહે છે કે તેઓ જાતિ અને જાતિવાદને સમજતા નથી, તેઓએ ઓમ પ્રકાશ વાલ્મીકિની 'જૂઠન' એકવાર જરૂર વાંચવી જોઈએ. 3 વર્ષ પહેલા આવેલી ફિલ્મ 'આર્ટિકલ 15' ના અભિનેતા આયુષ્માન ખુરાનાએ જણાવેલ કે તેમણે ભૂમિકાની તૈયારી માટે ‘જૂઠન’ પુસ્તક વાંચ્યું અને ઘણી રાતો સુધી તે ઊંઘી શક્યો નહોતો. કલ્પના કરો મહાન લેખક ઓમ પ્રકાશ વાલ્મીકી વિશે, એમના અનુભવો વિશે જેમણે આવી સંઘર્ષમય જીવન જીવ્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઉપરાંત દલિત સાહિત્યનું સૌંદર્ય શાસ્ત્ર, મુખ્ય પ્રવાહ અને દલિત સાહિત્ય, સફાઈ દેવતા જેવી તેમની મુખ્ય કૃતિઓ. તેમના પુસ્તકો જોઈએ તો, </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">सलाम, सफाई देवता, दलित साहित्य का सौंदर्यशास्त्र, जूठन (आत्मकथा), घूसपेठीए, अब और नहीं, मुख्यधारा और दलित साहित्य, अम्मा एन्ड अधर स्टोरी, दलित साहित्य - अनुभव, संघर्ष एवं यथार्थ। </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/dalit-politics-from-here-to-the-desert-from-here-to-the-river"><span style="font-size: 14pt;">દલિત રાજનીતિઃ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ...</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વંચિત, શોષિત, છેવાડાના સમુદાયોના સાહિત્યકારો, ઈતિહાસકારો, લેખકો, કવિઓ ઘણાય થઈ ગયા અને હાલ પણ કવિતાઓ કરે છે અને લખે પણ છે.. એમના કદરદાનોની પણ કોઇ કમી નથી. નામચીન પારિતોષિકથી પણ નવાજવામાં આવે છે. પરંતુ ઊંડે ઊંડે ક્યાંક એવી અસંતુષ્ટિ ઘર કરી ગઈ છે કે સાહિત્યિક સંસ્થાઓ, અકાદમી, પરિષદો જેવીમાં આ કલમના કસ્બીઓની કદર જોઈએ એવી થઈ નથી કે નથી એમના નામો જોવા મળતા.આવા સમાજોના સાહિત્યકારોને કેમ મહત્વ ઓછું અપાયું છે એ પણ યક્ષપ્રશ્ન છે. જયારે કોઈ આ સમાજમાંથી આવતા સાહિત્યકારે એમના સમાજ કે સમુદાયો વિશે લખવાનો પ્રયાસ કર્યો છે તો તેમને સંઘર્ષ કરવા સિવાય કોઈ રસ્તો મળ્યો નથી..તેમને ખુબ જ સહન કરવું પડતું જોવા મળ્યું કે મળે છે જેનો ઈતિહાસ ગવાહ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">मैंने बचपन से रोटी को बहुत मूल्यवान वस्तु माना है, इसे बर्बाद करने वाले लोग मुझे अपराधी लगते थे!</span><br><span style="font-size: 14pt;">-------------</span><br><span style="font-size: 14pt;">चिड़िया उदास है—</span><br><span style="font-size: 14pt;">जंगल के खालीपन पर</span><br><span style="font-size: 14pt;">बच्चे उदास हैं—</span><br><span style="font-size: 14pt;">भव्य अट्टालिकाओं के</span><br><span style="font-size: 14pt;">खिड़की-दरवाज़ों में कील की तरह</span><br><span style="font-size: 14pt;">ठुकी चिड़िया की उदासी पर…</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- ओमप्रकाश वाल्मीकि</span><br><span style="font-size: 14pt;">-----------------</span><br><span style="font-size: 14pt;">व्यवस्था के प्रति गहरा आक्रोश, कथा-विन्यास के अनुरूप तर्क और विचार, अनुभवजन्य ये कहानियाँ दलितों के सुख-दुःख, उनकी मुखरता और संघर्ष की कहानियाँ हैं।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- घुसपैठिए/ओमप्रकाश वाल्मीकि</span><br><span style="font-size: 14pt;">--------------------</span><br><span style="font-size: 14pt;">‘कुआँ ठाकुर का</span><br><span style="font-size: 14pt;">पानी ठाकुर का</span><br><span style="font-size: 14pt;">खेत-खलिहान ठाकुर के</span><br><span style="font-size: 14pt;">गली-मुहल्लेु ठाकुर के</span><br><span style="font-size: 14pt;">फिर अपना क्याठ?</span><br><span style="font-size: 14pt;">गाँव?</span><br><span style="font-size: 14pt;">शहर?</span><br><span style="font-size: 14pt;">देश?’</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-ओमप्रकाश वाल्मीकि</span><br><span style="font-size: 14pt;">------------------</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"छूना भी जिन्हें पाप</span><br><span style="font-size: 14pt;">हिस्से में जिनके सिर्फ</span><br><span style="font-size: 14pt;">उपेक्षा और उत्पीड़न</span><br><span style="font-size: 14pt;">"जाति" कही जाए जिनकी नीच</span><br><span style="font-size: 14pt;">आप बता सकते हैं</span><br><span style="font-size: 14pt;">यह किस सभ्यता और संस्कृति की देन हैं?"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">~ ओमप्रकाश वाल्मीकि जी (अब और नहीं)</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિદાયત પરમાર</span></strong></span> <span style="font-size: 12pt;"><em><strong>(લેખક વ્યવસાયે કમ્પ્યૂટર એન્જિનિયર, સ્વતંત્ર પત્રકાર અને જાગૃત નાગરિક છે.)</strong></em></span><br><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong></strong></span></span></p>
<p><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/together-a-book-presenting-the-sufficiency-of-forty-dalit-creators-was-published"><strong>એકસાથે 40 દલિત સર્જકોની કેફિયત રજૂ કરતું પુસ્તક પ્રકાશિત થયું</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><span style="font-size: 14pt;"><strong></strong></span></p>
<p></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 30 Jun 2024 19:44:01 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 30 Jun 2024 19:43:49 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>847</Articleid>
                    <excerpt>હિન્દીના પ્રસિદ્ધ સાહિત્યકાર ઓમ પ્રકાશ વાલ્મિકીની આજે જન્મજયંતિ છે ત્યારે પાલનપુરી પત્રકાર હિદાયત પરમાર ‘જૂઠન’ અને ‘ઠાકુર કા કૂવાં’ ના લેખકને યાદ કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_668166622633f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_66816661e8f35.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_66816661e8f35.jpg" length="122363" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>છત્રપતિ શાહુજી મહારાજ અને રાજકોટ વચ્ચે શું કનેક્શન છે?</title>
                    <link>https://khabarantar.com/what-is-the-connection-between-chhatrapati-shahuji-maharaj-and-rajkot</link>
                    <guid>https://khabarantar.com/what-is-the-connection-between-chhatrapati-shahuji-maharaj-and-rajkot</guid>
                    <description>
                        <![CDATA[ બે દિવસ પહેલા જેમનો 150મો જન્મદિવસ ઉજવાયો તે મહાનાયક શાહુજી મહારાજનું સૌરાષ્ટ્ર સાથે, એમાં પણ રાજકોટ સાથે ખાસ કનેક્શન રહ્યું છે. વાંચો આ રિપોર્ટ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોલ્હાપુરનરેશ છત્રપતિ શાહુ મહારાજ ( જન્મ -  ૨૬ જૂન ૧૮૭૪, અવસાન ૬ મે, ૧૯૨૦)ની આવરદા તો હતી માંડ અડતાળીસ વરસની. પરંતુ આટલા ટૂંકા જીવનકાળમાં એમણે સમાજ સુધારણાના એવા તો બેમિસાલ કામો કર્યા હતા કે  ભારતના સામાજિક આંદોલનના ઈતિહાસમાં તેઓનું માનભર્યું સ્થાન છે. ૧૮૯૦માં મહાત્મા ફુલેનું અવસાન થાય છે અને ૧૯૧૯માં ડો. આંબેડકર જાહેરજીવનમાં પ્રવેશે છે તે ગાળામાં શાહુ મહારાજે કરેલા કામો ફુલે-આંબેડકર વચ્ચે અવકાશપૂરક નહોતા પરંતુ તેની આગવી અને અમીટ છાપ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છત્રપતિ શિવાજીના ત્રીજી પેઢીના વંશજ  અને તેમણે સ્થાપેલ મરાઠા સામ્રાજ્યના પાંચમા છત્રપતિ શાહુ મહારાજ રાજકુળમાં જન્મ્યા નહોતા. શિવાજીની જેમ તેઓ પણ જન્મે શૂદ્ર હતા. કોલ્હાપુરના રાજવી શિવાજી ચોથાની હત્યાથી તેમના સંતાનવિહોણા વિધવા આનંદીબાઈએ જાગીરદાર જયસિંહરાવ ઘાટગેના દસ વરસના પુત્ર યશવંતરાવને ૧૮૮૪માં દત્તક લીધા હતા. આનંદીબાઈના આ દત્તક પુત્ર એ જ કોલ્હાપુરનરેશ શાહુ મહારાજ. ગુજરાત સાથે શાહુ મહારાજનો મહત્વનો નાતો રહ્યો છે. <strong><span style="color: rgb(224, 62, 45);">રાજકોટની રાજકુમાર કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો હતો.</span></strong> વડોદરાનાં મરાઠા સરદારનાં પુત્રી લક્ષ્મીબાઈ સાથે તેમના લગ્ન થયાં હતાં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીસ વરસની વયે ૧૮૯૪માં જ્યારે શાહુ મહારાજે રાજ્યની શાસન ધુરા સંભાળી ત્યારનો સમાજ રૂઢિદાસ્ય, ભીષણ વર્ણવાદ અને આભડછેટ,  મહિલાઓની બદતર હાલત, નિરક્ષરતા, ગરીબી અને ગુલામીમાં સબડતો હતો. યુવાન રાજવી શાહુ પણ તે માંહેલા જ હતા. તેમની કેફિયત પ્રમાણે તેઓ કન્જર્વેટિવ કે પુરાણપંથી હતા.જ્ઞાતિભેદ ટકવો જોઈએ અને તેનું પાલન થવું જોઈએ તેવું માનનારા હતા. આ પ્રકારના જ્ઞાતિગુમાનથી અન્યનો વિકાસ રૂંધાય છે તેનું પણ તેમને ભાન નહોતું એમ પણ તેમણે લખ્યું છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોલ્હાપુર રાજ્યની પ્રજાની વચ્ચે રહેતા-ફરતાં અને પુરોહિત વર્ગના પોતાના પ્રત્યેના વર્તનના જાત અનુભવથી તેમને વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો અને વિચારો બદલાયા. તેમના સામાજિક સુધારણાના કામોનો રાજ્યના કથિત ઉચ્ચ વર્ણના લોકોએ ભારે વિરોધ કર્યો ત્યારે એમણે કહ્યું કે રાજગાદી છોડીશ પરંતુ સામાજિક પ્રતિબધ્ધતાના કાર્યોમાં પીછેહઠ નહીં જ કરું. ડો.આંબેડકર સાથેનો તેમનો સંબંધ તો અઢીએક વરસનો (૧૯૧૯ થી ૧૯૨૨)  રહ્યો. પરંતુ બાબાસાહેબે તેમને સામાજિક લોકતંત્રના આધારસ્તંભ કહી બિરદાવ્યા એ કક્ષાના તેમના  કામો હતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/brahmins-were-4-percent-in-kolhapur-but-80-percent-of-the-jobs-were-brahmins">કોલ્હાપુરમાં ત્યારે બ્રાહ્મણોની વસ્તી 4 ટકા હતી, પણ નોકરીઓમાં 80 ટકા બ્રાહ્મણો હતા</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોલ્હાપુરના રાજવહીવટમાં એક જ્ઞાતિવિશેષનું કે બ્રાહ્મણોનું પ્રભુત્વ છે અને વહીવટ સર્વસમાવેશી નથી તેવું શાહુ મહારાજના ધ્યાનમાં આવ્યું. સ્વતંત્ર ભારતમાં આજે પણ શક્ય નથી તે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી તેમણે ૧૯૦૧માં કરાવી હતી. રાજ્યવહીવટના મહત્વના ૭૧ અધિકારીઓમાં ૬૦ અને ૫૦૦ કારકુનોમાં ૪૯૦ બ્રાહ્મણો હતા. એટલે ૨૬મી જુલાઈ ૧૯૦૨ના રોજ તેમણે અભિનવ પહેલ કરીને  કથિત અસ્પૃશ્યો અને પછાતો માટે ૫૦ ટકા અનામત દાખલ કરી હતી. તેથી આજે પણ તેઓનું અનામતના જનક તરીકે સ્મરણ કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેઓ રાજ્યના વહીવટમાં તમામ જ્ઞાતિઓની સમાન ભાગીદારી અને પ્રતિનિધિત્વ ઈચ્છતા હતા. અનામત દ્વારા સામાજિક ન્યાયનું તેમનુ કદમ  સફળ થયું હતું. અમલના દસ જ વરસમાં, ૧૯૧૨માં, કોલ્હાપુર રાજ્યમાં ૯૫માંથી ૬૦ અધિકારીઓ બિનબ્રાહ્મણો હતા. શાહુ મહારાજ તેથી અટક્યા નહીં. તેમણે કોલ્હાપુર નગરપાલિકામાં પણ કથિત અછૂતો માટે અનામત બેઠકો મુકરર કરી. તેના લીધે જ તેમની રાજવટ દરમિયાન એક દલિત કોલ્હાપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમાજ સુધારણાના કોઈ કામો શાહુ મહારાજે બાકી રાખ્યા નહોતા. મહાત્મા ફૂલેના કાર્યોનો તેમના પર જબ્બર પ્રભાવ હતો. તેમની સંસ્થા સત્ય શોધક સમાજની તેમણે પોતાના રાજ્યમાં રચના કરી અને ફુલેના કાર્યો આગળ ધપાવ્યા. ફુલે-આંબેડકરની જેમ શાહુ પણ વંચિતોના વિકાસમાં શિક્ષણને પ્રાથમિકતા આપતા હતા. ૧૯૧૨માં તેમણે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યુ અને પાંચ વરસ પછી ૧૯૧૭માં નિ:શુલ્ક કર્યું હતુ. </span><span style="font-size: 14pt;">૫૦૦ થી ૧૦૦૦ની વસ્તીના ગામોમાં પ્રાથમિક શાળા ખોલી.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શાળાઓમાં દલિતો-પછાતો પ્રત્યે કોઈ ભેદભાવ આચરવામાં ના આવે તે માટેનું ફરમાન જારી કર્યું.  તેમના ઉચ્ચ શિક્ષણ માટે રાજ્યે આર્થિક મદદ કરી. જ્ઞાતિના વિરોધી હોવા છતાં તત્કાલીન સમયની સ્થિતિ પારખીને બ્રાહ્મણ, મરાઠા, મહાર, ક્ષત્રિય, વૈશ્ય માટે જ નહીં ખ્રિસ્તી, મુસલમાન અને જૈનો માટે પણ અલગ હોસ્ટેલ્સ શરૂ કરી હતી.  હાયર એજ્યુકેશન માટે કોલ્હાપુર શહેરમાં જ ૨૨ હોસ્ટેલનું નિર્માણ કર્યું હતું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજર્ષિ શાહુ ડો.આંબેડકરના સાથી, સમર્થક અને સહાયક હતા. ૧૯૧૯માં તેઓ સામે ચાલીને નવ યુવાન આંબેડકરને મળવા મુંબઈ ગયા હતા. ૧૯૧૯માં માણગાંવ પરિષદના અધ્યક્ષ તરીકે તેમણે આંબેડકરની પ્રતિભા અને પ્રતિબધ્ધતા પારખીને દલિતોને તેનો સાચો નેતા મળી ગયો છે અને તે તેમનો ઉધ્ધારક બની રહેશે તેવી ભવિષ્યવાણી કરી હતી. બાબાસાહેબને એમના અધૂરા વિદેશ અભ્યાસ માટે તો એમણે આર્થિક સહાય કરી તેમના વિદેશવાસ દરમિયાન પત્ની અને બાળકોને સાચવ્યા. જે જમાનામાં સોનુ તેર રૂપિયે તોલો હતું ત્યારે તેમણે આંબેડકરના પ્રથમ સામયિક ‘મૂકનાયક’ ને રૂ. ૨૫૦૦ની માતબર સહાય કરી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યના વહીવટ, શિક્ષણ અને દવાખાનાઓમાં આભડછેટનું આચરણ ના થાય તે માટે તેમણે નિયમો ઘડ્યા હતા. જ્ઞાતિને તેઓ સમાજના સર્વાંગીણ  વિકાસના માર્ગનું રોડું માનતા હતા. એટલે તેનું સંપૂર્ણ નિર્મૂલન થાય તે માટેના તેમના પ્રયાસો હતા. જ્ઞાતિભેદનો વિરોધ કરનારા પણ જ્યારે જ્ઞાતિદ્વેષ ના રખાવો જોઈએ એમ કહેતા ત્યારે શાહુ મહારાજનો જવાબ રહેતો કે જ્ઞાતિને કારણે જ બેઉ છે એટલે એક સારું ને બીજું નહીં સારું એવું ન ચાલે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Savitribai-Phule-Original-Beti-Bachao-Icon">સાવિત્રીબાઈ ફૂલેઃ બેટી બચાવો અભિયાનના અસલી આઈકોન</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાઓની સ્થિતિ સુધારવા તેમણે રાજ્યમાં મહિલાઓ પરના પ્રતિબંધો ઉઠાવી લીધા. દીકરીઓને પિતાની સંપત્તિની વારસ  ઠેરવતા કાયદા ઘડ્યા. બાળલગ્નને પ્રતિબંધિત કર્યા તો વિધવા વિવાહનું સમર્થન કર્યું હતું. દલિત મહિલાઓના જાતીય શોષણની ધાર્મિક પ્રથા દેવદાસી પર પ્રતિબંધ લાદ્યો. આંતરજ્ઞાતિય લગ્નોને પણ મંજૂરી અને પ્રોત્સાહન આપ્યા હતા. બાળમજૂરી જ નહીં વેઠપ્રથા પણ બંધ કરાવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થોડી જમીનના ટુકડા માટે આખા કુટુંબે ગામની મફત સેવા કરવાની બલુંતદારી પ્રથામાંથી અછૂતોની મુક્ત કરાવી આર્થિક પરાધિનતામાંથી છોડાવ્યા હતા. ખેડૂતો માટે સહકારી ધોરણે મંડળીઓ બનાવી બજાર પૂરું પાડ્યું. તેમને ખેતીમાં પ્રયોગો કરવા કે ખેતી સુધારવા વિદેશથી નિષ્ણાતો બોલાવી માર્ગદર્શન અપાવ્યું. આધુનિક કૃષિના સાધનો ખરીદવા નાણાંકીય મદદ કરી.</span><br><span style="font-size: 14pt;">બ્રિટિશકાલિન ભારતના દસ પ્રભાવશાળી રાજ્યો પૈકીના એક કોલ્હાપુરમાં શાહુજીએ ધર્મસ્થળોની સંપત્તિ અને દાનને લોકહિતના કાર્યોમાં વાપરવાનો ક્રાંતિકારી નિર્ણય કર્યો હતો. સદી પૂર્વે મંદિરોના પૂજારી તરીકે મરાઠાઓની નિમણૂક કરવાનો નિર્ણય ભારે વિરોધ છતાં અમલી બનાવ્યો.  બિનબ્રાહ્મણ પૂજારીઓની સમયબધ્ધ તાલીમ માટે વ્યવસ્થા કરી. તમામ વિદ્યાર્થીઓને સમાન ધોરણે શાસ્ત્રોનું જ્ઞાન મળે તે માટે વૈદિક શાળાઓ સ્થાપી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમાજ સુધારક શાહુએ આધુનિક ભારતના નિર્માણનો પાયો નાંખ્યો હતો. ૧૯૦૬માં એમણે સ્પિનિંગ અને વિવિંગ મિલ સ્થાપી ઉદ્યોગો તરફ પ્રજાને વાળી. ૧૯૦૭માં ભોગાવતી નદી પર વિખ્યાત ઈજનેર વિશ્વેશ્વસરૈયાના માર્ગદર્શનમાં રાધાનગરી બંધ બંધાવવો શરૂ કર્યો હતો. બંધને કારણે નદીનું પાણી રોકી પુર અને દુકાળથી લોકોને બચાવ્યા, તો પીવાના અને સિંચાઈના પાણી ઉપરાંત બંધને લીધે જળવિદ્યુત ઉત્પન્ન કરવાનું ગોઠવ્યું. આજે પણ રાધાનગરી બંધ શાહુ મહારાજના સ્મૃતિ થાનક તરીકે હયાત છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણી ટાણે ગરીબો કે દલિતોના વોટ મેળવવા કે તેમની વોટબેન્ક્નું સમર્થન હાંસલ કરવા આજના રાજનેતાઓ તેમના ઘરે વાળુપાણી કરવા પહોંચી જાય છે. પરંતુ શાહુ મહારાજનો આભડછેટ નાબૂદી અને દીનદુખિયા પ્રત્યેની સંવેદનાનો અભિગમ સાચા દિલનો અને નોખો હતો. અસ્પ્રુશ્યતાનો ભોગ બનેલા રાજમહેલના દલિત કર્મચારી ગંગારામ કાંબળેને નોકરી છોડાવી મહારાજે મદદ કરી ચાની લારી ચાલુ કરાવી. અછૂત ગંગારામની ચા કોઈ પીવે નહીં એટલે લોકસંપર્ક કે શિકારે જતા શાહુ મહારાજ રોજ અચૂક ગંગારામની લારીએ જતા અને તેની ચા પીતા. સાથે આવેલા સૌને પીવડાવતા. આ રીતે મહારાજે કોઈ દબાણ કે ધાકધમકી સિવાય ખુદના આચરણથી દલિતની ચા સૌને પીતા કર્યા. અને આભડછેટ અંશત દૂર કરી.  મહારાષ્ટ્ર અને ભારતના આવા અનન્ય સમાજ સુધારક શાહુ મહારાજને હાલના તેમના દોઢસોમા જન્મદિન પર્વે આદરભેર સલામ. </span><br><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><em><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન ઈતિહાસના તલસ્પર્શી અભ્યાસુ છે.)</span></strong></span></em></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Why-is-Mata-Savitribai-Phule-not-taught-in-our-schools">આપણી શાળાઓમાં માતા સાવિત્રીબાઈ ફૂલેનો પાઠ કેમ ભણાવાતો નથી?</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 28 Jun 2024 12:01:44 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 28 Jun 2024 12:03:17 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>834</Articleid>
                    <excerpt>બે દિવસ પહેલા જેમનો 150મો જન્મદિવસ ઉજવાયો તે મહાનાયક શાહુજી મહારાજનું સૌરાષ્ટ્ર સાથે, એમાં પણ રાજકોટ સાથે ખાસ કનેક્શન રહ્યું છે. વાંચો આ રિપોર્ટ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667e571c1291f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667e571bd633c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667e571bd633c.jpg" length="131576" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>આમાં કેવી રીતે &amp;apos;ભણશે ગુજરાત&amp;apos;?</title>
                    <link>https://khabarantar.com/how-will-gujarat-learn-in-this</link>
                    <guid>https://khabarantar.com/how-will-gujarat-learn-in-this</guid>
                    <description>
                        <![CDATA[ શાળા પ્રવેશોત્સવનો સરકારી તાયફો શરૂ થઈ ગયો છે ત્યારે ગુજરાતમાં શિક્ષણની શું દયનિત સ્થિતિ છે તે વિશે પાલનપુરી લેખક-પત્રકાર હિદાયત પરમાર નક્કર આંકડાઓ સાથે વાત કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ હેઠળ ૨૬,૨૭, ૨૮ જૂન ૨૦૨૪ એમ ત્રણ દિવસ કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવની ધામધૂમથી ઉજવણી થશે. ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ યોજનાઓ રાજ્ય સરકારે શરૂ કરી છે. તેના લાભ છેક ગ્રામ્ય સ્તર સુધી દરેક વિદ્યાર્થી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનું આહવાન પણ કર્યું છે. રાજ્ય સરકારના મંત્રીઓ, પદાધિકારીઓ, આઈએએસ, આઈપીએસ, આઈએફએસ સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાશે. (જેમાંથી મોટા ભાગના પોતાના બાળકને ખાનગી શાળામાં મૂકીને પોતે સરકારી શાળામાં ઊજવણીના મહેમાન બનીને આવશે અને શિક્ષણના મહત્વ વિશેના પાઠ ભણાવશે.). બાળવાટિકાથી લઈને ધો. ૧૧ સુધી કુલ ૩૨.૩૩ લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. જેમાં સરકારના દાવા મુજબ બાળવાટિકામાં ૧૧.૭૩ લાખ, ધોરણ ૧ માં ૩.૬૨ લાખ, ધો.૯ માં ૧૦.૩૫ લાખ અને ધો. ૧૧ માં ૬.૬૧ લાખ સાથે ૧૦૦% નામાંકન લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. (જો કે ખાનગી બાળવાટિકાઓએ નોંધણી સરકારમાં કરાવી જ નથી. ૫૦% કરતાં વધુ બાળકો ખાનગી પ્રિ-સ્કૂલમાં પ્રવેશ મેળવતા હોય છે.)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૫૦૦ રૂપિયાની ગ્રાન્ટમાં વધારો કર્યો કે કેમ? એ જાણકારી નથી મળી. છતાં પહેલા ધોરણમાં પ્રવેશ કરતા બાળકો માટે દફ્તર, કંપાસ, પેન, સ્લેટ, દેશી હિસાબ, નોટ જેવી કીટ તૈયારી, કાર્યક્રમનું યોગ્ય આયોજન કરાયું છે. કેમ કે અધિકારીઓ અને સત્તાપક્ષના નેતાઓની હાજરી તો હોવાની જ, તેની જવાબદારી શાળા,એસએમએસી અને ગામલોકોના શિરે આવશે. ત્રણ દિવસ સુધી ફ્રન્ટ પેજ પર વાહવાહીની જાહેરાતો આવશે. શિક્ષણને ત્રણ દિવસ પુરતું ખુબ પ્રોત્સાહન આપવાનું પરસેપ્શન બનાવવામાં આવશે અને તેની ચિંતા કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વખતે પ્રવેશોત્સવની ઊજવણી દરમિયાન ફીડબેક લેવામાં આવશે અને મૂળભૂત જરૂરિયાત જણાય તો ૬ મહિનામાં પુરી કરવામાં આવશે એવા દાવા કરવામાં આવ્યા છે. ખુબ જ સારી અને સરાહનીય પહેલ છે. સાથે આવી રાજ્યની કેટલી સરકારી શાળાઓ હશે જેમાં શિક્ષકોની ઘટ, ઓરડાની ઘટ, જર્જરિત ઓરડાઓ અને મૂળભૂત જરૂરિયાતો જ નથી, જેને લઈને અવારનવાર એ શાળાઓ, વિસ્તારના લોકોની રજૂઆતો સાથે સમાચારો બન્યાં, વર્ષો થઈ ગયા હોવા છતાં હજી સુધી કોઈ જ નિરાકરણ લાવવાની શરુઆત સુદ્ધાં નથી થઈ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષણ વ્યવસ્થાને લઈને મુખ્યમંત્રીની હાજરીમાં ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ ખુદ સ્વિકારતાં કહે છે કે "કરોડો ખર્ચ છતાં સરકારી શિક્ષણ સુધરતું કેમ નથી?" આપણે ત્યાં વર્ષોથી પ્રવેશોત્સવ અને ગુણોત્સવોની ધૂમ છે. પાઠ્યપુસ્તકોમાં છબરડા એ પણ વર્ષો પછી ખબર પડે, બજેટમાં શિક્ષણ માટે ન બરાબર જોગવાઈ, ડ્રોપ આઉટ રેશિયો ખુબ જ ઊંચો, શું કારણ છે કે દિવસે ને દિવસે સરકારી શિક્ષણ કથળતું જાય છે? (૨૦૨૨માં ગુજરાતમાં સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો ૨૩.૩% નેશનલ એવરેજથી પણ વધુ હતો. ૨૦૨૩માં ગુજરાતનો ડ્રોપ આઉટ રેશિયો નેશનલ એવરેજથી ૫.૩% વધુ - ધો.૬ થી ૮નો રેશિયો ૫. ધોરણ-૬ થી ૮માં સૌથી વધુ વિદ્યાર્થિનીઓ અને ધો.૯ થી ૧૦માં ૧૭.૯% વિદ્યાર્થીઓ શાળા છોડી દે છે. સેકન્ડરીમાં ડ્રોપ આઉટ રેશિયોમાં ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે. ધોરણ ૧ થી ૭માં કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો  ૩૩.૧૭% થી ઘટીને ૩.૦૧% સુધી આવી ગયો છે. જ્યારે રિટેન્શન રેટ ૬૬.૮૩% થી વધીને ૯૩.૧૨% ટકા સુધી પહોંચી ગયો છે. જે ખુબ જ સારી બાબત છે. સાક્ષરતા દર વધે અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે શાળા છોડી જતી કન્યાઓની સંખ્યા ઘટે તેવા પ્રયાસો સરાહનીય છે.) </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૨૦૨૩ના કેટલાક સમાચાર પત્રોના સમાચારો મુજબ જોઈએ તો..</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- અમદાવાદ જિલ્લાના દસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ડ્રોપ આઉટ લીધો હતો. વિનોદ રાવ સાહેબના આદેશથી DEO એ શાળાઓને વોઇસ મેસેજ મોકલ્યો હતો કે તે વિદ્યાર્થીઓને શોધીને, ઘરે જઈને, રજીસ્ટર કરીને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડો. એનું શું થયું? એકાદ આંકડો તો બહાર પાડો તુલનાત્મક ચાર્ટ સાથે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-ગુજરાતમાં ૨૫ વર્ષમાં વોકેશનલ કોર્સના શિક્ષકોની ભરતી નથી કરી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- ગુજરાતી માધ્યમની શાળાઓ મરણપથારીએ પહોંચી છે. છેલ્લા પાંચ વર્ષમાં ૨૦૭ કરતાં વધારે ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- ૧૨૦થી વધારે ઉચ્ચત્તર-માધ્યમિક શાળાઓને તાળા લાગ્યા છે. આ ઉપરાંત ૭૦૦થી વધુ પ્રાથમિક શાળાઓ બંધ થઈ ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- અમદાવાદ જિલ્લામાં વધુ ૧૨ જેટલી સરકારી શાળાઓને તાળા વાગવા જઈ રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૨૩-૨૪ ના વિધાનસભાના આંકડા જોઈએ તો, રાજ્યની શાળાઓમાં ૩૨ હજારથી વધુ શિક્ષકો ૩૫૦૦ આચાર્યની જગ્યાઓ ખાલી પડી છે. સૌથી વધુ ખાલી જગ્યા દાહોદ અને કચ્છમાં, જે શિક્ષણની ગુણવતા સામે સવાલો ઉભા કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- ૭૧ શાળાઓમાં શિક્ષકોની ઘટ</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- ૧૬૦૬ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- ૨૦ શાળાઓ જ્યાં પાંચથી ઓછા શિક્ષકો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- ૮૬ શાળાઓમાં ૫ થી ૧૦ જ વિદ્યાર્થીઓ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- ૪૧૯ શાળાઓ ૨૧ થી ૩૦ જ વિદ્યાર્થીઓ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- ૬૦૦ શાળાઓ જેમાં ૩૧ થી ૬૦ શિક્ષકો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- રાજ્યની ૧૦૨૮ પ્રાથમિક શાળા અને ૨૫૪૯ સરકારી તેમજ ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં આચાર્ય જ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૨૦૨૨ના વર્ષના આંકડા જોઇએ તો વિધાનસભાના આંકડા મુજબ ૮૬ શાળાઓ બંધ કરાઈ, ૪૯૧ મર્જ કરી.</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- ૧૦,૦૦૦ ઉપર શિક્ષકોની ઘટ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- ૧૯,૧૨૮ વર્ગખંડોની ઘટ. બનાસકાંઠા બીજા નંબરે ૧૫૦૦ની ઘટ. ૧૪ જિલ્લાઓમાં એક પણ ઓરડો બનાવવામાં આવ્યો નથી. ૨૦૧૫ની સ્થિતિએ પ્રાથમિક શાળામાં ૮૩૮૮ ઓરડાની ઘટ  જોવા મળી હતી. સામે ૨૦૧૭માં ૧૬ હજાર ૦૮ ઓરડાની ઘટ સામે આવી હતી. ૨૦૨૧માં પ્રાથમિક શાળામાં ઓરડાઓની ઘટ ૧૮ હજાર ૫૩૭ પર પહોચી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- લગભગ ૭૦૦ જેવી શાળાઓમાં એક જ શિક્ષક છે. (ભરતી કરવામાં વિલંબ) </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- ૪૦૦૦ થી વધુ શાળાઓમાં મેદાન નથી</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- ૨૦૦૭-૦૮ બાદ વ્યાયામ શિક્ષકની ભરતી જ નહીં, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકની ભરતી છેલ્લે નવેમ્બર ૨૦૧૯માં જાહેરાત કરવામાં આવી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- શિક્ષણને લગતા ન હોય એવા ન કરવાના કામો શિક્ષકોને સોપવામાં આવે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- શિક્ષણનું વ્યાપારીકરણ કરી ધીકતો ધંધો બનાવવાનું કારસ્તાન ચાલી રહ્યું છે. અંગ્રેજી માધ્યમોનો ક્રેઝ વધવાથી માતૃભાષાની શાળાઓને થઈ રહ્યું છે નુકસાન. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">RTE હેઠળ ઓછા બાળકોને પ્રવેશ અપાય છે. રાજ્ય સરકાર RTE હેઠળ પ્રવેશમાં ઉદાસીનતા દાખવે છે. RTE હેઠળ રાજ્યમાં ૨૦૨૦-૨૧માં ૯૮,૩૧૨ બાળકો સામે ૭૮,૯૮૯ને જ પ્રવેશ અપાયો તો વર્ષ  ૨૦૨૧-૨૨માં ૭૫,૫૦૩ બાળકો સામે ૬૪,૧૭૫ બાળકોને જ પ્રવેશ અપાયો. સરકારે બે વર્ષમાં ૧,૪૩,૧૬૪ બાળકોને RTE હેઠળ પ્રવેશ આપ્યો હતો. આ દરમિયાન  ૩૦,૬૫૧ ઓછા બાળકોને પ્રવેશ અપાયો. ૨૦૨૪-૨૫ માં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે ત્યાં સુધી ૨.૩૫ લાખથી વધુ ફોર્મ ભરાયા, જેમાંથી ૧.૬૬ લાખથી વધુ ફોર્મ માન્ય થયા. ખાનગી શાળાઓમાં ૨૫% લેખે ૪૩,૮૯૬ બેઠકો RTE હેઠળ બાળકોને પ્રવેશ આપવાની જોગવાઇ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/10-percent-increase-in-class-10-12-examination-fee-will-hurt-the-education-seeking-Bahujan-society."><span style="font-size: 14pt;">ધોરણ 10-12ની પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો શિક્ષણ ઝંખતા બહુજન સમાજને નડશે</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એજ રીતે બાળકોના આરોગ્ય બાબતે જોઈએ તો, પ્રવેશોત્સવ,ગુણોત્સવ,કન્યા કેળવણીની જેમ શાળા આરોગ્ય સપ્તાહ ચાલ્યું થોડા દિવસ. કૂપોષણ મુક્ત ગુજરાત પાછળ કરોડોનો ધુમાડો છતાંય સ્થિતિ એમની એમ જ શું વધારે કથળી છે. ગુજરાતે તો કુપોષણ સામે એક પોલીસી બનાવી પરંતુ આ પોલીસી બાળકોને કામ લાગતી નથી. પોલીસીમાં ત્રુટીઓ હોવાથી બાળકોની સમસ્યા દૂર થઇ શકતી નથી. બાળકોના કુપોષણની સ્થિતિ ખુબ જ ગંભીર દિવસે દિવસે બનતી ગઈ. ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ રાજ્ય સરકારે પોતે કબૂલ્યું કે રાજ્યના ૩૧ જિલ્લામાં ૫.૭૦ લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર (૪૧,૬૩૨ ગંભીર કુપોષિત) છે. જે ૨૦૨૨માં ૧.૨૫ લાખ હતી. ચાર ગણો વધારો થયો.. ગુજરાતમાં ચાર લાખથી વધુ ઓછા વજનવાળા અને ૧.૭૦ લાખથી વધુ અતિ વધુ ઓછા વજનવાળા બાળકો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો વર્ષ ૨૦૧૩ માં સરકારે કુપોષણ નાથવા બનાસકાંઠા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયતનાના ૨૩૭ સરકારી કર્મચારીઓએ બાળકો દત્તક લીધા હતા. એ વખતે જિલ્લામાં ૯૯૦૦ જેવા ૧૬ વર્ષ સુધી વયના બાળકો કુપોષિત હતા.૩૭૬૦ અતિ કુપોષિત હતા.તે વર્ષે પણ ૨૧ કરોડ જેટલુ બજેટ ફાળવ્યું હતું..૨૦૧૮ માં બનાસકાંઠામાં ૬૫૩૯ બાળકો કુપોષિત હતા. ૨૦૨૨ માં ૪૮૩૮ અને ૨૦૨૩ માં આ આંકડો ૪૮,૮૬૬ અને ૨૦૨૪ માં ૨,૨૫,૮૦૫ બાળકોમાંથી ૨૦% એટલે ૪૪,૯૫૩ ની સંખ્યા છે. આદિવાસી વિસ્તાર દાંતા તાલુકામાં સૌથી વધું ૬૭૫૩ બાળકોની સંખ્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુપોષણની સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે ICDS હેઠળ આંગણવાડી કેન્દ્રોની સ્થાપના કરવાની હોય છે. ફેબ્રુઆરી ૨૦૨૨ની સ્થિતિએ રાજ્યમાં ૭૫,૪૮૦ આંગણવાડી કેન્દ્રની આવશ્યક્તા સામે સરકારે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ૨૦૧૫-૧૬ સુધીમાં બનેલા ૫૩૦૨૯ આંગણવાડી કેન્દ્રો(૪૩,૧૬૩ પોતાના મકાનમાં અને ૯,૮૬૬ પાસે પોતાનું મકાન નથી, ૭૮૨ આંગણવાડીઓમાં પીવાના પાણીની વ્યવસ્થા પણ નથી.) હતા એટલે કે રાજ્યના ૩૪ લાખ લાભાર્થી બાળકોને આ કાર્યક્રમમાં આવરી લેવાયા નથી જેથી સ્થિતિ ગંભીર બની છે. છેલ્લા સાત વર્ષમાં એકેય નવી આંગણવાડી નથી બનાવી.૨૦૦૮-૦૯થી નવા મકાનો બનાવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યાં છે. પરંતુ નાના ભૂલકાઓ માટે આંગણવાડી બનાવવા માટે ન તો સમય છે ના પૈસા! યુનિસેફ ચિલ્ડ્રન ફુડ પોવર્ટી રિપોર્ટ મુજબ ભારતમાં બાળકોની ખાદ્ય સુરક્ષાને મામલે વિશ્વનો આઠમો સૌથી ખરાબ દેશ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને લઈને ખુબ સરસ અને સુંદર વાતો કરવામાં આવે છે. પરંતુ જમીની હકીકત કંઈક જુદી છે. મીડિયા રિપોર્ટમાં સામે આવેલા આંકડા પરથી ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ દયનીય હોવાનું જણાય છે. ત્યારે આવી સ્થિતિમાં કેવી રીતે ભણશે ગુજરાત? આવતા વર્ષે યોજાનારા કન્યા કેળવણી - શાળા પ્રવેશોત્સવમાં શિક્ષણને લગતી સમસ્યાઓનું નિરાકરણ લાવી ફ્રંટ પેજ પર આના સુધારા વધારા સાથેના સાચા આંકડાઓ તુલનાત્મક રીતે રજૂ થાય એવી શુભકામનાઓ.</span></p>
<p><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>હિદાયત પરમાર</strong> </span><strong><span style="font-size: 12pt;"><em>(લેખક વ્યવસાયે કમ્પ્યૂટર એન્જિનિયર, સ્વતંત્ર પત્રકાર અને જાગૃત નાગરિક છે.)</em></span></strong></span></p>
<p><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/the-children-have-been-studying-in-the-workers-house-for-8-years-as-the-work-of-anganwadi-is-delayed"><strong>આંગણવાડીનું કામ ટલ્લે ચડતાં બાળકો 8 વર્ષથી કાર્યકરના ઘરમાં ભણે છે</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><span style="font-size: 14pt;">.</span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 27 Jun 2024 12:34:24 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 24 Jul 2024 19:41:33 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>827</Articleid>
                    <excerpt>શાળા પ્રવેશોત્સવનો સરકારી તાયફો શરૂ થઈ ગયો છે ત્યારે ગુજરાતમાં શિક્ષણની શું દયનિત સ્થિતિ છે તે વિશે પાલનપુરી લેખક-પત્રકાર હિદાયત પરમાર નક્કર આંકડાઓ સાથે વાત કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a10b8d0fbce.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a10b8cd03b0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a10b8cd03b0.jpg" length="119638" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સ્વામિનારાયણ સાહિત્યમાં વાહિયાત અને તદ્દન જૂઠાં પરચાઓ છે</title>
                    <link>https://khabarantar.com/swaminarayan-literature-contains-nonsense-and-outright-lies</link>
                    <guid>https://khabarantar.com/swaminarayan-literature-contains-nonsense-and-outright-lies</guid>
                    <description>
                        <![CDATA[ સ્વામીનારાયણ સંપ્રદાયના કથિત સ્વામીઓ, મોટિવેશનલ સ્પીકર બનીને લોકોને મોટિવેટ કરે છે, પણ તેમનું ખુદનું સાહિત્ય જૂઠા પરચાઓથી ભરેલું પડ્યું છે. વાચો આ લેખ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્વામિનારાયણ સંપ્રદાય એટલે સામંતવાદી વ્યવહાર. શિક્ષાપત્રીમાં લોકશાહીનો ખ્યાલ નથી. તેમના મુખ્ય પુસ્તક ‘શિક્ષાપત્રી’ને જોઈએઃ શૂદ્રોએ ઉપલા ત્રણ વર્ણની સેવા કરવી, શ્લોક-90. અતિ દલિતોએ તિલક કરવું નહી, માત્ર ચાંદલો જ કરવો, શ્લોક-45. પતિ નપુંસક હોય તો પણ ઈશ્વર માનવો, શ્લોક- 159. વિધવા મહિલાઓએ પતિ બુદ્ધિએ શ્રીકૃષ્ણ ભગવાનને સેવવા એટલે કે પુન:લગ્ન ન કરવા, શ્લોક-163. વિધવા મહિલાઓએ વ્રત ઉપવાસ કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું, શ્લોક-166. વિધવા મહિલાઓએ એકવાર આહાર કરવો, શ્લોક- 168. મહિલાઓએ વસ્ત્ર પહેર્યા વિના ન્હાવું નહીં, અને પોતાનું રજસ્વલાપણું છુપાવવું નહીં, શ્લોક- 173. મહિલાઓએ અસ્પૃશ્યતા પાળવી, શ્લોક-174. કોઈ પુરુષે મહિલાના મુખેથી જ્ઞાનવાર્તા સાંભળવી નહીં, શ્લોક-34. પતિ પરદેશ ગયો હોય ત્યારે પત્નીએ આભૂષણ ધારણ ન કરવા, શ્લોક-162. જન્મ તથા મરણનું સૂતક પાળવું, શ્લોક-88. વર્ણાશ્રમનો ત્યાગ ન કરવો, શ્લોક-24. જન્મથી બ્રાહ્મણ આચાર્ય પાસેથી જ દીક્ષા ગ્રહણ કરવી, શ્લોક-128. રાજાના દર્શને ખાલી હાથે ન જવું, શ્લોક-37. જે ગામમાં ઉપદ્રવ હોય તે ગામ છોડી દેવું, શ્લોક-154. ધનાઢ્ય ગૃહસ્થોએ યજ્ઞ કરવા, ઉત્સવ કરવા અને બ્રાહ્મણોને દાન કરવું, શ્લોક-155/156. શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરવું નહીં, શ્લોક-10. શિક્ષાપત્રીની પૂજા કરવી, શ્લોક-209. જે ભાઈઓ-બહેનો શિક્ષાપત્રી પ્રમાણે વર્તે નહીં તે અમારા સંપ્રદાયની બહાર છે, શ્લોક-207.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષાપત્રી સિવાયના સ્વામિનારાયણ સાહિત્યમાં વાહિયાત અને તદ્દન જૂઠાં પરચાઓ છે. બ્રહ્મા- વિષ્ણુ-મહેશને સહજાનંદ સ્વામીના દાસ બતાવ્યા છે. ટૂંકમાં સ્વામિનારાયણ સાહિત્ય એટલે જૂઠાણાંની  ફેક્ટરી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કૂવામાં હોય તેવું હવાડામાં આવે! સવાલ એ છે કે શું સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ સાધુ, સ્વામી, બાવાને સાંભળવાથી જ્ઞાન મળે ખરું? કોઈ મોટિવેશન મળે? મોક્ષ, અક્ષરધામ મળે? સદ્ગતિ થાય? </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">BAPS-બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના સાધુ જ્ઞાનવત્સલ સ્વામીની વકૃત્વ શક્તિ સારી છે. અંગ્રેજી મિશ્રિત તેમના પ્રવચનોને હરિભક્તો તાળીઓથી વધાવી લે છે. તેમના પ્રવચનોમાં અંતે તો કાલ્પનિક ‘પ્રગટ બ્રહ્મસ્વરુપ’ આવે જ! આવું જ્ઞાન ભક્તોના ગળે ઊતરે, પરંતુ હાઈકોર્ટના વકીલો, ડોક્ટર્સ, CA, MBAની કોન્ફરન્સમાં આવા સ્વામીઓને શા માટે આમંત્રણ આપવું જોઈએ? એક ટ્રેન્ડ બની ગયો છે, CA, MBA, વકીલો વગેરેની કોન્ફરન્સમાં સ્વામીઓને આમંત્રણ આપવામાં આવે એટલે વટ પડી જાય! સ્વામીઓના ગોળગોળ, પોલાંપોલાં, અર્થહીન પ્રવચનો સાંભળી લોકો તાળીઓ પાડે ત્યારે અખા ભગત યાદ આવેઃ ‘ઊંઘ્યો કહે, ઊંઘ્યો સાંભળે, તેથી જડપણું બન્નેનું ન ટળે!’</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Why-does-Swami-Ramabhadracharya-say-Chamar,-not-Rama"><span style="font-size: 14pt;">સ્વામી રામભદ્રાચાર્ય ‘રામને નહીં ભજનારને ચમાર’ કેમ કહે છે?</span></a><br></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">25 જૂન 2024ના રોજ, કોલકાતામાં CAના વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ હતી, તેમાં મોટિવેશન માટે જ્ઞાનવત્સલ સ્વામીને આમંત્રણ આપેલું. સ્વામી મંચ પર આવે તે પહેલાં સ્ટેજ પરથી ઘૃણાસ્પદ ઘોષણામાં કરવામાં આવી કે “કોન્ફરન્સ હોલની પ્રથમ પાંચ હરોળમાં કોઈ મહિલાએ બેસવું નહીં, તેમણે પાછળ બેસવું!” આ જાહેરાતના કારણે ભારે ઉહાપોહ થયો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ICAI-ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાએ જ્ઞાનવત્સલ સ્વામીને આમંત્રણ આપતા પહેલા શિક્ષાપત્રી વાંચી હશે ખરી? જો વાંચી હોય તો આ સંસ્થાને સમાનતા, લોકશાહી, માનવ ગૌરવની હાનિ દેખાઈ નહીં હોય? શું આ સંસ્થા ઊંચ-નીચના ભેદભાવમાં, વર્ણવ્યવસ્થામાં માનતી હશે? હાસ્યાસ્પદ બાબત તો એ હતી કે જ્ઞાનવત્સલ સ્વામીએ 2047 સુધીમાં ભારતને 'વિકાસિત' અને 'વિશ્વગુરુ' બનાવવાની વાત કરી હતી. શું શિક્ષાપત્રીના જૂનવાણી વિચારોનું અનુસરણ કરવાથી ‘વિશ્વગુરુ’ બનાશે? વિકસિત થવાશે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોઈ પણ સ્વામિનારાયણના બાવાને સાંભળવા એટલે ભૂતકાળ તરફ પાછા જવું! નવી સંસદના ઉદ્દઘાટન પ્રસંગે રાષ્ટ્રપતિને બોલાવવાના બદલે દેશભરમાંથી ‘સત્તાપક્ષની તરફેણ કરતા બાવાઓ’ને બોલાવવામાં આવેલ. આવનારા વર્ષોમાં આયાતુલ્લા ખોમૈનીનું ભારતીય સંસ્કરણ જોવા મળે તો આશ્ચર્ય પામવું નહીં! આપણે તાલિબાનની ઠેકડી ઉડાવીએ છીએ. તેઓ કટ્ટરપંથી છે, પરંતુ જ્યારે ભારતમાં જ્ઞાનવત્સલ સ્વામીના કારણે મહિલાઓને પાછળ બેસવું પડે તો આપણે વિશ્વગુરુ કઈ રીતે બનીશું? બાવાઓને આમંત્રણ આપનારાઓએ આત્મનિરીક્ષણ કરવાની જરુર નથી? તમામ વિદ્યાર્થીઓએ હોલની બહાર નીકળી જવાની જરૂર હતી. હોલમાં સ્વામીને એકલા રાખ્યા હોત તો તેમને બ્રહ્મજ્ઞાન મળત! ગમે તેવો સંત કે સેલિબ્રિટી હોય, પણ મહિલાઓ સાથે આવું શરમજનક વર્તન કઈ રીતે માન્ય થઈ શકે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>રમેશ સવાણી</strong></span> <span style="font-size: 12pt;"><em><strong>(લેખક નિવૃત્ત આઈપીએસ અધિકારી અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.)</strong></em></span></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/swami-brainwashed-the-teenager-now-he-wants-to-become-a-monk"><strong>સ્વામીએ કિશોરનું બ્રેઈનવોશ કર્યું, હવે તેને સાધુ બની જવું છે?</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 27 Jun 2024 12:31:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>828</Articleid>
                    <excerpt>સ્વામીનારાયણ સંપ્રદાયના કથિત સ્વામીઓ, મોટિવેશનલ સ્પીકર બનીને લોકોને મોટિવેટ કરે છે, પણ તેમનું ખુદનું સાહિત્ય જૂઠા પરચાઓથી ભરેલું પડ્યું છે. વાચો આ લેખ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667d0d2c42d3e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667d0d2c1313e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667d0d2c1313e.jpg" length="90365" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતી પત્રકારત્વની પહેલી સદી કેમ સ્વજાતિ પત્રકારત્વથી ઉપર ન ઉઠી?</title>
                    <link>https://khabarantar.com/why-the-first-century-of-gujarati-journalism-did-not-rise-above-swajati-journalism</link>
                    <guid>https://khabarantar.com/why-the-first-century-of-gujarati-journalism-did-not-rise-above-swajati-journalism</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતી પત્રકારત્વ વિશેની તમારી અત્યાર સુધીની જાણકારી અને સમજણ સિનિયર પત્રકાર અને અમદાવાદ મિરરના ચીફ રિપોર્ટર જિગ્નેશ પરમારનો આ લેખ વાંચ્યા બાદ ભાંગીને ભૂક્કો થઈ જવાની છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"મારો જન્મ વૈષ્ણવ સંપ્રદાયમાં એટલે હવેલીમાં જવાનું વખતોવખત બને પણ તેના વિશે શ્રદ્ધા ઉત્પન્ન ન થઈ, હવેલીનો વૈભવ મને ન ગમ્યો. હવેલીમાં ચાલતી અનીતિની વાતો સાંભળતો તેથી તેના વિશે મન ઉદાસ થઇ ગયું. ત્યાંથી મને કંઈ જ ન મળ્યું."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ શબ્દો મોહનદાસ કરમચંદ ગાંધીના છે. તેઓએ પોતાની આત્મકથા 'સત્યના પ્રયોગો'ના એક પ્રકરણ 'ધર્મની ઝાંખી'માં લખ્યા છે. આ શબ્દો અહીં મૂકવા પાછળનો આશય હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'મહારાજ'થી ચર્ચામાં આવેલા 'કરશનદાસ મૂળજી' અને ગુજરાતી પત્રકારત્વ વિશે વિચારો રજૂ કરવાનો છે. સાથે જ ગુજરાતી પત્રકારત્વની શરૂઆતની પહેલી સદી માત્ર સ્વજાતિના પત્રકારત્વમાં કેમ ખપી કેમ ગઈ? તે સવાલ વિશે પણ લખવું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધીએ તેમના વર્તમાનપત્ર 'નવજીવન'માં તબક્કાવાર લેખો દ્વારા તેમની આત્મકથા લખી. આ આત્મકથા 1927ની સાલમાં પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થઈ. આ પુસ્તક  હાલમાં પણ બેસ્ટ સેલર છે, પરંતુ તેમાં ગાંધી હવેલીમાં ચાલતી અનીતિની વાતોનો સ્વીકાર કરે છે પણ શું અનીતિ ચાલતી હતી તેના વિશે વિસ્તારથી વાત કરવાનું ટાળે છે. ગાંધીની આત્મકથા પ્રસિદ્ધ થઈ તેના લગભગ 65 વર્ષ પહેલાં પત્રકાર કરસનદાસ મૂળજી સામે 1862ની સાલમાં બદનક્ષીનો કેસ થયો હતો. કરસનદાસ મુળજીએ તા.21-10-1860 ના રોજ સત્યપ્રકાશ નામના તેમના અખબારમાં 'હિંદુનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો' નામના મથાળાથી લખેલા એક લેખની સામે વૈષ્ણવ સંપ્રદાયના જદુનાથ મહારાજે 50 હજારનો બદનક્ષીનો દાવો માડ્યો હતો. આ કેસનો ચુકાદો મહારાજ લાયબલ કેસ તરીકે જાણીતો છે. આ કેસમાં ચુકાદો કરસનદાસ મૂળજીની તરફેણમાં આવ્યો હતો. 1927ની સાલમાં ગાંધી પોતાની આત્મકથામાં જે બાબતો લખવાનું ટાળે છે તેના 65 વર્ષ પહેલાં આ હવેલીની અનીતિની બાબતો ઉપર કરસનદાસ મૂળજી લખે છે, એ હિંમતભર્યું કામ ખરું. એક પત્રકાર તરીકે નીડરતા ઉદાહરણ પણ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એક બાબત સમજો, ગાંધી, કરશનદાસ મૂળજી અને જદુનાથ મહારાજ ત્રણેય વૈષ્ણવ સંપ્રદાયમાં માનનારા લોકો છે, ગાંધીએ ભણવા માટે દરિયો ઓળંગી દીધો ત્યારે તેઓને નાત બહાર મુકાયા હતા. કરશનદાસ મુલજીને પણ 1863ની સાલમાં નાત બહાર મુકાયા હતા. અહીં એક બાબતનો ઉલ્લેખ કરવો જરૂરી બને કે, ભારતમાં બે પ્રકારના સમાજ સુધારકો પેદા થયાઃએક સ્વજાતિ કે સ્વજ્ઞાતિ સુધારક બીજા સમાજ સુધારક.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કરશનદાસ મૂળજીને પણ સ્વજાતિ અને સ્વજ્ઞાતિ સમાજ સુધારક તરીકે બાહોશ પત્રકાર ગણી શકાય. તેઓને ગુજરાતી પત્રકારત્વમાં સત્તા સામેના નીડર પત્રકારત્વ બદ લ પહેલી હરોળમાં મૂકવાં પડે. સ્વજાતિ સમાજ સુધારણા એવો મત વ્યક્ત કરતા પહેલા બે મુખ્ય બાબતો ઉપર ધ્યાન આપવું અનિવાર્ય છે, એક તો ગુજરાતી પત્રકારત્વ અને બીજું સમાજ સુધારણા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/how-can-the-bahujans-be-saved-from-the-cultural-slavery-of-the-brahmins"> <span style="font-size: 14pt;">બ્રાહ્મણોની સાંસ્કૃતિક ગુલામીમાંથી બહુજનોને કેવી રીતે બચાવી શકાય?</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6677c0db1f834.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કરશનદાસ મૂળજીએ સૌથી પહેલાં લખવાનું શરૂ કર્યું એ અખબારનું નામ 'રાસ્ત ગોફ્તાર' અને બીજું અખબાર હતું 'સત્ય પ્રકાશ'. આ સિવાય પણ એક વર્તમાન પત્ર 'સ્ત્રીબોધ' હતું જેમાં, કરશનદાસ મૂળજી લખતા હતા. અહીં મુખ્ય બે મોટા અખબાર વિશે જાણીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો. રતન રુસ્તમજી માર્શલ દ્વારા 'ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસ' ઉપર પ્રથમ પુસ્તક લખવામાં આવ્યું હતું તે વખતે તેઓએ ગુજરાતી પત્રકારત્વના ઈતિહાસને ત્રણ તબક્કામાં વહેંચ્યો છે. વર્ષ 1822માં સૌ પ્રથમ ગુજરાતી અખબાર મુંબઇ સમાચાર શરુ થયું ત્યાંથી વર્ષ 1880 સુધીનો પ્રથમ તબક્કો છે. બીજો તબક્કો વર્ષ 1880માં ગુજરાતી સાપ્તાહિકનો ઉદભવ થયો તે સને વર્ષ 1919 સુધીનો ગણવામાં આવ્યો છે જ્યારે ત્રીજો તબક્કો વર્ષ 1919માં ગાંધીજીએ નવજીવનનું સુકાન સંભાળ્યું ત્યારથી 1950 સુધીનો ગણવામાં આવ્યો છે. ડો. રતન રુસ્તમજી માર્શલ દ્વારા લખાયેલા 'ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસ'માં આપેલા સંદર્ભથી બે વર્તમાન પત્રો વિશે જાણીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાસ્ત ગોફ્તાર ( 1851 )</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તા. 15મી નવેમ્બર 1851ના દિવસે 'રાસ્ત ગોફ્તાર'નો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો. 'રાસ્ત ગોફ્તાર' શરુ થયું તે પહેલાં 1850માં ગુજરાતી ભાષાના પાંચ અખબાર નીકળતાં હતા. મુંબઇમાં તે સમયે બેરામજી જમશેદજી ગાંધીના તંત્રીપદે 'ચિત્રજ્ઞાન દર્પણ' નામનું માસિક નીકળતું હતું. આ અખબારમાં એક ચિત્ર પ્રકાશિત કરવામાં આવ્યું હતું તે વખતે ભારે વિરોધ થયો હતો. આ બાબતે પારસી-મુસ્લિમ હુલ્લડ પણ થયા હતા. આ સમયે પારસી આગેવાનોએ સમાજ ઉપર થયેલા અત્યાચારનો અવાજ ઉઠાવ્યો ન હતો તેવો આરોપ હતો. જેથી દાદાભાઇ નવરોજીએ 'રાસ્ત ગોફ્તાર' શરુ કર્યું હતું. પછી પહેલા ત્રણ અંક તો હુલ્લડમાં પારસી કોમને થયેલા નુકશાન અંગે તંત્રી લેખ લખ્યા હતા. આ અખબાર પણ પારસી સમાજને લગતા પ્રશ્નો ચર્ચા કરવામાં અગ્રેસર રહ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સત્ય પ્રકાશ( 1852 )</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1852માં કરસનદાસ મુળજીએ 'સત્ય પ્રકાશ'નો આરંભ કર્યો હતો. મંગલદાસ નથ્થુભાઇની સહાયતાથી 'સત્ય પ્રકાશ' શરૂ થયું હતું. આ પહેલાં કરસનદાસ મુળજી 'રાસ્ત ગોફ્તાર' અને 'સ્ત્રીબોધ' માં લખતા હતા. પણ આ અખબારોનો મોટાભાગનો વાંચકવર્ગ પારસી હતો જેથી સુધારાવાદી વિચારો પારસી સિવાયના જ્ઞાતિબંધુઓ સુધી પહોંચાડવા માટે 'સત્ય પ્રકાશ'નો આરંભ થયો હતો. 'સત્ય પ્રકાશ' દ્વારા વૈષ્ણવ ધર્મના મહારાજોના વિવિધ પાંખડો ખુલ્લા પાડ્યા હતા. કરસનદાસ મુળજીએ તા.21-10-1860ના રોજ 'સત્ય પ્રકાશ' માં 'હિંદુનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો' નામના મથાળાથી લખેલા એક લેખની સામે તેમની સામે જદુનાથ મહારાજે 50 હજારનો બદનક્ષીનો દાવો માડ્યો હતો. જેનો ચુકાદો 'મહારાજ લાયબલ કેસ' તરીકે જાણીતો છે. 'સત્ય પ્રકાશ' એ વૈષ્ણવ સંપ્રદાયમાં ફેલાયેલી બદીઓને ઉજાગર કરવા પોતાની કલમ ચલાવી હતી જેની સામે થયેલા બદનક્ષીના કેસમાં તેઓ જીત્યા હતા. 'સત્ય પ્રકાશ' એક સુધારાવાદી અખબાર તરીકે જાણીતું થયું હતુ. 1861માં 'રાસ્ત ગોફ્તાર' સાથે ભળી ગયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Why-is-cricket,-which-today-is-synonymous-with-patriotism,-a-symbol-of-slavery"><span style="font-size: 14pt;">આજે દેશ પ્રેમનો પર્યાય મનાતી ક્રિકેટ ગુલામી કાળનું પ્રતીક કેમ કહેવાય છે?</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6677bee0d0568.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બંને અખબાર મોટાભાગે સ્વજાતિ સુધારા માટે લખતા હતા, પણ 'રાસ્ત ગોફતાર' તો માત્ર પારસી સમાજના પ્રશ્નો વિશે લખતું હતું તે જગજાહેર છે. જો કે, એક બાબત નોંધાવી જરૂરી છે કે, આ વખતે ચાલતા વર્તમાન પત્રોમાં સ્વજાતિનું હીત સર્વોપરી હતું તેનો એક દાખલો નોંધવા જેવો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1લી જુલાઇ 1822 અને સોમવારે 'શ્રી મુમબઇ શમાચાર' (મુંબઇ સમાચાર)નો પ્રથમ અંક બહાર પડ્યો. તંત્રી ફરદુનજી મર્ઝબાન હતા. શરુઆતમાં આ અખબાર દર અઠવાડિયે પ્રકાશિત થતું હતું અને તેની પૃષ્ઠ સંખ્યા પાંચ કે છ પાનાં રહેતી હતી. તા.2જી જાન્યુઆરી 1832થી સાપ્તાહિક બન્યું પછી તા. 3જી જાન્યુઆરી 1832થી દૈનિક તરીકે પ્રકાશિત થવા લાગ્યું હતું. તે વખતે માત્ર એક પાનાનું દૈનિક નીકળતું હતુ. દસ વર્ષ સુધી ફરજદુનજીએ 'મુંબઇ સમાચાર'નું સુકાન સંભાળ્યું પછી છુટા પડ્યાં. તા.13 ઓગસ્ટ 1832ના રોજ તેમણે નવા તંત્રીને શિખામણ આપતાં અહેવાલ લખ્યો હતો તે અખબારની પ્રથમ દાયકાની નીતિથી વાકેફ કરે છે. ફરદુનજી મર્ઝબાનએ લખ્યું હતું કે:</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"પત્રકારે કોઈને વિના કારણ માઠું લખવું નહીં. પોતાના માટે કોઈ અયોગ્ય બોલ લખે તો સામો કડવો શબ્દ સંભળાવવો નહીં. બિનજરૂરી ભાંગજડમાં પડવું નહીં. ચર્ચાપત્રો નહીં પણ ટંટાપત્રોની ગરજ સારે એવા પત્રોને પોતાના છાપામાં સ્થાન આપવું નહીં. બને ત્યાં સુધી ધર્મની ચર્ચામાં પડવું નહીં અને તેમ કરવાની જરૂર જણાય તો તેમ કરતાં પહેલાં જે ધર્મ સંબધિત વિવાદ ઉભો થયો હોય તે ધર્મના વડાની આજ્ઞા મેળવવી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મુંબઈ સમાચારના તંત્રી પણ ધર્મ સામે લખવામાં સંકોચ અનુભવતા હશે તેવો સ્પષ્ટ સંકેત આપે છે. આ એ સમયગાળો હતો કે, શિક્ષણ, વેપાર અને ધર્મ માત્ર ચોક્કસ જ્ઞાતિનો ઈજારો હતો. ગુજરાતી પત્રકારત્વની શરૂઆતના અરસામાં શરૂ થયેલા વર્તમાન પત્રોની સ્પર્ધા એવી તીવ્ર હતી કે, તંત્રીઓએ એકબીજા સામે ગાળો પણ લખ્યાના દાખલા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નવરોજી દોરાબજી ચાનદારુ ઉર્ફે હલકારુએ તા.1લી સપ્ટેમ્બર 1830ના રોજ 'મુમબઇના વરતમાન' નામનું ગુજરાતી અઠવાડિક પ્રકાશિત કર્યું હતું. તા.8 નવેમ્બર 1831ના રોજ તેનું નામ બદલીને 'મુમબઇના હલકારુ અને વરતમાન' કરી નાંખ્યું હતું. આ પછી તા.5મી નવેમ્બર 1833થી પત્રનું નામ બદલીને 'મુમબઇના ચાબુક' (મુંબઇ ચાબુક) રાખ્યું હતું. આ પત્ર અઠવાડિયામાં બે વાર પ્રકાશિત થતું હતું.  'મુંબઇ ચાબુક' અને 'મુંબઇ સમાચાર' અને પછી 'મુંબઇ ચાબુક', 'જામે જમશેદ', 'રાસ્ત ગોફ્તાર' અને 'સત્યપ્રકાશ' અખબાર વચ્ચે યુદ્ધ જામ્યું હતું. 'મુંબઇ ચાબુક' અખબાર તેના પ્રતિસ્પર્ધી અખબાર વિશે લખતું હતું અને અન્ય બે અખબાર પણ તેની સામે લખતાં હતા. 'મુંબઇ ચાબુક' નામનું અખબાર પણ પારસી સમાજને લગતા સમાચાર પ્રકાશિત કરતું હતું. આ અખબાર પણ તત્કાલિન પારસી પંચાયતના આગેવાનોનું વિરોધી રહ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/It-was-not-visible-but-amin-sahib-was-holding-a-broom-behind-his-back-and-a-kuldi-around-his-neck"><span style="font-size: 14pt;">દેખાતો નહોતો પણ અમીન સાહેબ ની પીઠ પાછળ સાવરણી અને ગળામાં કુલડી વળગેલા હતા</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6677bec1c2555.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સ્પષ્ટ કરે છે કે, ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં શરૂ થયેલા વર્તમાન પત્રો પોતાની જ્ઞાતિમાં વર્ચસ્વ ધરાવતી સંસ્થા કે આગેવાનોના સમર્થક કે પછી તેમના વિરોધી હતા. તેઓને આખા એટલે કે, તમામ જ્ઞાતિઓ (સમાજ) સાથે નિસબત હોય તેવા દાખલા નથી. પોતાની જ્ઞાતિના રિવાજો કે પરંપરાના સમર્થનમાં એક પત્રકારોનો વર્ગ હતો જ્યારે બીજો નાના મોટા સુધારા માટે મથતો વર્ગ હતો. તેઓને બાકી 90-95 ટકા સમાજથી કોઈ લેવા દેવા હોય તેવું લાગતું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'જામે જમશેદ' (1832) નામનું વર્તમાન પત્ર પારસી સમાજની જુનવાણી વિચારધારાને સમર્થન કરતું હતું, સાથે જ ધર્મ અને જૂની રુઢિઓનું પણ સમર્થન કરતું હતું. તેણે મુંબઇમાં પ્રથમ કોંગ્રેસની સરકારે જ્યારે દારુબંધી દાખલ કરી હતી તો તેનો આકરો વિરોધ નોંધાવ્યો હતો. આ અખબાર પણ પારસી સમાજને લગતા સવાલો ઉપર ભારપૂર્વક ચર્ચા કરતું હતું. તે વખતે પારસી સમાજનો બહુમતિ વર્ગ જુનવાણી વિચારને સમર્થન કરતો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1822થી ગુજરાતી પત્રકારત્વનો આરંભ થયો પણ 100 વર્ષ સુધી તેઓ સ્વજાતિનું પત્રકારત્વ કરતા રહ્યાં. એ પછી સ્થિતિમાં થોડો ફેર આવ્યો કેમ કે, બીજી ભાષાઓમાં શરૂ થયેલા વર્તમાન પત્રો સામાજીક બદ્દીઓ, સામાજિક સમસ્યાઓ, જાતિવાદ, અસ્પૃશ્યતા, મહિલા અત્યાચાર, અંધશ્રદ્ધા અને સામાજિક દૂષણો સામે લખવા માંડ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં નોંધવું અનિવાર્ય છે કે, ડો. બાબાસાહેબ આંબેડકર તા.31 જાન્યુઆરી 1920ના દિવસે પબ્લિશ થયેલા 'મૂકનાયક'ના પ્રથમ લેખમાં લખે છે કે, "બહિષ્કૃત લોકો ઉપર આજે થઇ રહેલાં અને ભવિષ્યમાં થનારા અન્યાય ઉપર યોજનાબદ્ધ ઉપાય માટે વિચાર કરવો પડશે. તેની સાથે ભાવિ વિકાસ તથા તેને પ્રાપ્ત કરવા માટેના રસ્તાની સાચી જાણકારીના સંદર્ભમાં સાચી ચર્ચા કરવી પડશે. ચર્ચા કરવા માટે સમાચારપત્ર જેવી બીજી કોઇ જગ્યા નથી પરંતુ મુંબઇથી નીકળનારા સમાચારપત્રોને સુક્ષ્મ રીતે જોવામાં આવે તો ખબર પડે છે કે, તેમાંથી મોટાભાગના સમાચારપત્રો કોઈ વિશિષ્ટ જાતિના હીતનું સંરક્ષણ કરે છે. બીજી જાતિઓની તેઓને પરવાહ નથી. આટલું જ નથી, ક્યારેક ક્યારેક તેઓને જ નુકશાન પહોંચાડતી વાતો તે સમાચારપત્રોમાં જોવા મળે છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">-</span></strong></span><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>જિગ્નેશ પરમાર</strong></span> <em><strong><span style="font-size: 12pt;">(લેખક Ahmedabad Mirror ના ચીફ રિપોર્ટર અને બહુજન સમાજના પ્રશ્નોને વાચા આપતા જાગૃત નાગરિક છે.)</span></strong></em></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/why-are-most-of-the-characters-in-panchayat-web-series-brahmins"><strong>'પંચાયત' વેબ સિરીઝમાં મોટાભાગના પાત્રો બ્રાહ્મણ કેમ છે?</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 23 Jun 2024 11:58:19 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 23 Jun 2024 12:00:03 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>810</Articleid>
                    <excerpt>ગુજરાતી પત્રકારત્વ વિશેની તમારી અત્યાર સુધીની જાણકારી અને સમજણ સિનિયર પત્રકાર અને અમદાવાદ મિરરના ચીફ રિપોર્ટર જિગ્નેશ પરમારનો આ લેખ વાંચ્યા બાદ ભાંગીને ભૂક્કો થઈ જવાની છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6677be87e8dd1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6677be87b7d6c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6677be87b7d6c.jpg" length="125214" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>લાયકાત હોવા છતાં દલિત હોવાને કારણે તેઓ કદી કેપ્ટન ન બની શક્યાં</title>
                    <link>https://khabarantar.com/despite-his-qualifications-he-could-never-become-captain-due-to-being-a-dalit</link>
                    <guid>https://khabarantar.com/despite-his-qualifications-he-could-never-become-captain-due-to-being-a-dalit</guid>
                    <description>
                        <![CDATA[ બાલુ બાબાજી પાલવણકરની એક સ્ટાર ક્રિકેટર બનવાની કહાની અને તે માટેની તેમની મહેનત તથા સંઘર્ષ આજે પણ વેદના અને પ્રેરણા જન્માવે છે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રમત અને રમતવીરો વિશે ડઝનબંધ ફિલ્મો બની છે. ભારતના પ્રખ્યાત ક્રિકેટરો મોહમ્મદ અઝહરુદ્દીન, મહેન્દ્રસિંહ ધોની અને મહિલા ક્રિકેટર મિતાલી રાજની બાયોપિક બની છે. પરંતુ લગભગ દોઢસો વરસ પહેલાં, ઓગણીસમી સદીની છેલ્લી પચીસીમાં જન્મેલા અને  સિત્તેરેક વરસો પૂર્વે અવસાન પામેલા દેશના પહેલા દલિત ક્રિકેટરની બાયોપિક બની રહ્યાનું જાણીએ તો કેવા ભાવ જન્મે? જાણીતા દિગ્દર્શક તિગ્માંશુ ધૂલિયા ૨૦૧૭થી ભારતના પહેલા દલિત ક્રિકેટર પી.બાલુ વિશે ફિલ્મ બનાવવા પ્રયત્નશીલ છે. આખરે તેમને અજય દેવગણ અને પ્રીતિ સિંહાનો નિર્માણ સહયોગ પ્રાપ્ત થયો છે.  એટલે આ વરસના અંત સુધીમાં ફિલ્માંકન શરૂ થશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાલુ બાબાજી પાલવણકરની એક સ્ટાર ક્રિકેટર બનવાની કહાની અને તે માટેની તેમની મહેનત તથા સંઘર્ષ આજે પણ વેદના અને પ્રેરણા જન્માવે છે. ક્રિકેટ જ્યારે રાજા-મહારાજાઓ, અમીરો અને કુલીન વર્ગની રમત હતી, નાતજાતના ભેદ બહુ તીવ્ર હતા ત્યારે એક ગરીબ –દલિતનો તેમાં પ્રવેશ જ અસંભવ જેવો હતો. એ સંજોગોમાં તેનું ક્રિકેટ સ્ટાર બનવું, દેશ-વિદેશમાં છવાઈ જવું અને આભડછેટ પાળતા લોકોને તેમની ગરજે પોતાને ટીમમાં સામેલ કરવા મજબૂર કરવા – આ સઘળી હકીકતો ભારે રોમાંચક છે. પી. બાલુની બાયોપિક જેના પર આધારિત છે તે ઈતિહાસકાર રામચંદ્ર ગુહાની કિતાબ A Corner of foreign field : The Indian history of a British sport માં બાલુનું ક્રિકેટર કેરિયર અને તે માટેનો સંઘર્ષ આલેખાયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓગણીસમી માર્ચ ૧૮૭૬ના રોજ તત્કાલીન બ્રિટિશ ભારતના બોમ્બે પ્રેસિડેન્સીના ધારવાડમાં બાલુનો જન્મ. જોકે મૂળ વતન મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાનું પલવાની. ગામના નામ પરથી તેમની અટક પલવંકર કે પાલવણકર. મહારાષ્ટ્રના ઘણા દલિતોની જેમ બાલુના પિતા પણ બ્રિટિશ સેનામાં હતા. પુણેની આર્મ્ડ ફેકટરીમાં તે કામદાર હતા. એટલે બાલુ ત્યાંની સૈનિક સ્કૂલમાં ભણતા હતા. તેમને ત્રણ ભાઈઓ હતા: શિવરામ, ગણપત અને વિઠ્ઠલ. પિતાએ ઘરની નબળી આર્થિક સ્થિતિને લીધે  મોટા દીકરા બાલુને સત્તરમા વરસે ભણવાનું છોડાવી કામે વળગાળ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માસિક ચાર રૂપિયાના પગારે પૂણેની ઈંગ્લીશ ક્રિકેટ કલબ પૂના જિમખાનામાં ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે તેમનું કામ મેદાનની દેખભાળ, પિચ રોલ કરવી અને નેટ્સ લગાવવાનું હતું. છેક કિશોરાવસ્થાથી બાલુને બેટ-બોલની રમતનું ઘેલું હતું. મેદાનની બહાર બેઠાબેઠા સૈન્ય અફસરોને તેઓ ક્રિકેટ રમતા જોયા કરતા. ક્યારેક તેમનો બોલ લાવી આપતા. તે જે નકામા બેટ-બોલ ફેંકી દેતા તે લઈ લેતા અને ઘરે ભાઈઓ સાથે રમતા. એટલે ગ્રાઉન્ડમેન તરીકે તેમનો પ્રવેશ મેદાન પર થયો ત્યારે તો તે દોડીને બોલ લઈ આવતા. એક દિવસ નેટ પ્રેકટિસ કરતા એક જાણીતા પ્લેયરે બાલુને બોલિંગ કરવા કીધું. તેમણે પેલાના છક્કા છોડાવી નાંખતી બોલિંગ કરી અને એ જ દિવસથી તે મેદાન પર અને મેદાનની બહાર છવાઈ ગયા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુ, મુસ્લિમ, પારસી અને યુરોપિયન એમ ચાર ધર્મ આધારિત ટીમો (એ જમાનામાં આ સહજ હતું) વચ્ચે મુંબઈમાં ટુર્નામેન્ટ યોજાવાની હતી. ડેક્કન જિમખાના નામક હિંદુ ટીમમાં બધા કથિત ઉચ્ચ વર્ણના ખેલાડીઓ હતા. પરંતુ પૂનાની ધોળિયાઓની ટીમને હરાવવા તેમને બાલુ જેવા બોલરની જરૂર હતી. એટલે કેટલાક વિરોધ છતાં કથિત અસ્પૃશ્ય બાલુને ટીમમાં સામેલ કર્યા. ૧૯૦૫થી દોઢેક દાયકો તેઓ ઘરેલુ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મેચોમાં રમ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પતિયાળા નરેશની આગેવાનીમાં ભારતના ચાર ધર્મોની મિશ્ર ટીમ ૧૯૧૧માં ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. આ પ્રવાસમાં ટીમ તો ખાસ કંઈ ઉકાળી ના શકી પરંતુ બાલુની કેરિયરમાં તે બહુ યાદગાર રહ્યો. ચૌદમાંથી બે જ મેચ ઓલ ઈન્ડિયન ટીમ જીતી પરંતુ લેફ્ટ આર્મ સ્પિનર બાલુએ ઈંગ્લેન્ડ પ્રવાસમાં ૧૮.૮૬ રનની સરેરાશથી ૧૧૪ વિકેટો લીધી હતી. ઈંગ્લીશ બેટ્સમેનોને બાલુની બોલિંગ બહુ ભારે પડી હતી. એટલે વિદેશી ક્રિકેટ સમીક્ષકોએ તેમના ભરપૂર વખાણ કર્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Palwankar-Baloo:-The-Dalit-cricketer,-who-saved-the-nation-despite-being-untouchable"> <span style="font-size: 14pt;">Palwankar Baloo: એ દલિત ક્રિકેટર, જેણે અસ્પૃશ્યતા વેઠીને પણ દેશનું નાક બચાવેલું</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે બાલુ ક્રિકેટના મેદાનમાં હીરો હતા તે જન્મે દલિત અને એટલે અછૂત હોવાથી ટીમના સાથીઓની ઉપેક્ષા અને ભેદભાવો સતત વેઠતા હતા. એમને જુદા ટેબલ પર જમવા બેસાડવામાં આવતા. ચા પણ ડિસ્પોઝેબલ કપમાં બધાથી અલગ પીવી પડતી. કોઈ સાથી ખેલાડી તેમની સાથે વાતચીત કરતો નહીં પછી ઉઠકબેઠક કે આત્મીયતાની વાત જ શાની? પોતાના વાસણ એમણે જાતે સાફ કરવા પડતા. મેદાન પર બાલુએ સ્પર્શ કરેલા દડાને બધા અડતા પણ મેદાનમાં કે અન્યત્ર તેમને માટે પાણી લાવનાર તેમનો જ્ઞાતિભાઈ હોય તેની કાળજી લેવાતી હતી. અનેક સિધ્ધિઓ અને લાયકાત છતાં એકમાત્ર દલિત હોવાના કારણે બાલુને કદી કેપ્ટન બનાવવામાં આવ્યા નહીં. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેમ ક્રિકેટમાં તેમ રાજનીતિમાં પણ બાલુએ પોતાનું સ્થાન બનાવ્યું હતુ. હોમરુલ જેવી આઝાદીની ચળવળમાં તે જોડાયા હતા. કોંગ્રેસના તેઓ સમર્થક જ નહીં સભ્ય પણ હતા. મુંબઈની મહાનગરપાલિકાના તે સભ્ય બન્યા હતા. બાલુ કરતાં ઉમરમાં પંદરેક વરસ નાના ડો.આંબેડકર બાલુને દલિત સમાજનો હીરો માનતા હતા. ઈંગ્લેન્ડમાં સફળ બોલર તરીકેની સિધ્ધિ મેળવી પરત આવેલા બાલુનું દલિતોએ ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત કર્યું. રોહિદાસ વિધ્યાવર્ધક સમાજ તરફથી બાલુના સન્માનનો જે કાર્યક્રમ થયો તેમાં બાલુનું સન્માનપત્ર યુવાન આંબેડકરે લખ્યું હતું. કદાચ તે તેમના જાહેરજીવનનો આરંભ હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો.આંબેડકરના આ હીરો જાહેર પ્રવૃતિઓમાં તેમનાથી અલગ રહ્યા. ૧૯૩૨ના પૂના કરાર વખતે તેઓ ગાંધીજી અને કોંગ્રેસની તરફેણમાં અને ડો. આંબેડકરની વિરુધ્ધમાં હતા. તેઓ બાબાસાહેબની અલગ મતાધિકારની માંગણીને બદલે અનામતની તરફેણમાં હતા. પૂના કરાર પર તેમની સહી પણ છે. એટલું જ નહીં ૧૯૩૭માં પ્રાંતિક ધારાસભાની ચૂંટણીમાં આંબેડકર સામે મધ્ય મુંબઈ મત વિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર પી. બાલુ હતા.  જો કે આ ચૂંટણીમાં બાબાસાહેબ સામે બાલુ હારી ગયા હતા ડો. આંબેડકર અને પી.બાલુની પેટાજ્ઞાતિઓ અલગ હોવાથી દલિતોના પેટા જ્ઞાતિવાદને વટાવવા અને વકરાવવા કોંગ્રેસે બાલુને ઉમેદવાર બનાવ્યા હતા. તત્કાલીન રાજકીય વિશ્લેષકોએ તેનું શ્રેય સરદાર પટેલને આપ્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૭૯ વરસની વયે ચોથી જુલાઈ ૧૯૫૫ના રોજ મુંબઈમાં બાલુનું અવસાન થયું ત્યારે તેઓ ઠીકઠીક ભૂલાઈ ગયા હતા. પોતાની પ્રતિભા અને લાયકાતના જોરે આઝાદી પહેલાંની હિંદુ ક્રિકેટ ટીમમાં બાલુ અને તેમના ચાર ભાઈઓ સામેલ થયેલ હતા. પણ  આજની વાસ્તવિકતા જુદી છે. ભારતના આશરે ૫૦૦ ક્રિકેટરોમાં ગણીને પાંચ જ દલિતો છે. ૨૦ કરોડની વસ્તીનું માંડ એક ટકો જ પ્રતિનિધિત્વ છે. ક્રિકેટ અને તેના વહીવટમાંથી દલિતોની બાદબાકી કડવું સત્ય છે. આવતા વરસના માર્ચથી પી.બાલુની સાર્ધ શતાબ્દી આરંભાશે. ગુમનામી અને ઉપેક્ષાના શિકાર દલિત નાયક બાલુને દોઢસોમા જન્મ વરસે તેમની બાયોપિક્થી વધુ સારી અંજલિ કઈ હોઈ શકે? </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(53, 152, 219);"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a> </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/a-biopic-on-p-baloo-the-countrys-first-dalit-cricketer-will-star-ajay-devgan-in-the-lead-role"><strong>દેશના પ્રથમ દલિત ક્રિકેટર P. Baloo ની બાયોપિક બનશે, અજય દેવગણ નિભાવશે મુખ્ય ભૂમિકા?</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 22 Jun 2024 11:12:26 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 22 Jun 2024 11:28:31 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>804</Articleid>
                    <excerpt>બાલુ બાબાજી પાલવણકરની એક સ્ટાર ક્રિકેટર બનવાની કહાની અને તે માટેની તેમની મહેનત તથા સંઘર્ષ આજે પણ વેદના અને પ્રેરણા જન્માવે છે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667663cd95217.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667663cd65b63.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667663cd65b63.jpg" length="103458" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;પંચાયત&amp;apos; વેબ સિરીઝમાં મોટાભાગના પાત્રો બ્રાહ્મણ કેમ છે?</title>
                    <link>https://khabarantar.com/why-are-most-of-the-characters-in-panchayat-web-series-brahmins</link>
                    <guid>https://khabarantar.com/why-are-most-of-the-characters-in-panchayat-web-series-brahmins</guid>
                    <description>
                        <![CDATA[ Amazone Prime ઓટીટી પરની વેબ સિરીઝ પંચાયતની હાલ ચોતરફ ચર્ચા થઈ રહી છે. જોયા પછી એક સવાલ ચોક્કસ થાય કે, તેમાં બહુમતી પાત્રો બ્રાહ્મણ કેમ છે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એમેઝોન પ્રાઈમ ઓટીટી પ્લેટફોર્મની સુપરહિટ વેબ સિરીઝ 'પંચાયત'ની ત્રીજી સિઝનની હાલ ચોતરફ ચર્ચા થઈ રહી છે. ગાળાગાળી, હત્યા, સેક્સથી ભરપૂર વેબસિરીઝો વચ્ચે 'પંચાયત' તેની ગ્રામ્ય પૃષ્ઠભૂમિ ધરાવતી પારિવારી સ્ટોરીને કારણે પહેલી સિઝનથી જ દર્શકોના દિલમાં જગ્યા બનાવી ચૂકી હતી. તેના દરેક પાત્રોનો અભિનય પણ લોકોને ગમ્યો છે. સિરીઝના તમામ પાત્રો પર મીમ્સ બની રહ્યાં છે. દૂધી, વાંસનો ભાંઠો, ટાંકી, ડંકી, કબૂતર, ઘોડો, જેવી વસ્તુઓને પણ લોકો હવે આ વેબ સિરીઝના કારણે અલગ રીતે જોતા થયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ આપણે અહીં આ વેબ સિરીઝના મનોરંજન સિવાયના એંન્ગલની વાત કરવી છે. અને એ છે તેનો જાતિવાદી દ્રષ્ટિકોણ. તમને આ વેબ સિરીઝ જોતી વખતે એકવાર પણ એ સવાલ થયો ખરો કે તેમાં તમામ મહત્વના પાત્રો બ્રાહ્મણ કેમ છે? સરપંચ(હકીકતે તે સરપંચ મંજૂ દેવીનો પતિ છે.) બ્રિજભૂષણ દૂબે છે, ઉપ સરપંચ પ્રહલાદ પાંડે છે, સચિવજી ઉર્ફે તલાટી અભિષેક ત્રિપાઠી છે, સહાયક વિકાસ શુક્લા છે. એ તો ઠીક, તેમનો વિરોધી ભૂષણ શર્મા છે. વેબ સિરીઝમાં આવતા તમામ ઉચ્ચ અધિકારીઓ મિશ્રા, તિવારી, પાંડે, શુક્લા, દૂબે કે ગુપ્તાજી છે. વેબ સિરીઝના નિર્માતાઓ સહિતનો બહુમતી સ્ટાફ બ્રાહ્મણ છે એટલે તેમણે પોતાની જાતિની સર્વોપરિતાને જ અહીં રજૂ કરી છે.</span><br><span style="font-size: 14pt;"> </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પંચાયત સિરીઝની ત્રણેય સિઝન તમે ધ્યાનથી જોઈ હશે તો તમારા ધ્યાનમાં એ બાબત ચોક્કસ આવી હશે કે, વેબ સિરીઝની શરૂઆતમાં બતાવાતી સ્થાનિક સરકારી કચેરીઓની બહાર એક બોર્ડ ટીંગાડેલું દેખાય છે, જેમાં અધિકારીઓના નામ લખ્યા હોય છે અને તેમની અટક દૂબે, ત્રિપાઠી, શુક્લા અને મિશ્રા છે - જે બધાં બ્રાહ્મણ છે. દરેક એપિસોડમાં તરત એક નવો અધિકારી આવે છે જેની અટક પાંડે છે અને તે પણ બ્રાહ્મણ છે. એટલે સૂક્ષ્મ રીતે નહીં પરંતુ દ્રઢતાથી આ બોર્ડ સમગ્ર વેબ સિરીઝના સારને પણ દર્શાવે છે જેની કહાની એક બ્રાહ્મણથી બીજા બ્રાહ્મણ સુધી દર્શકોને દોરી જાય છે. એ રીતે આ વેબ સિરીઝે બ્રાહ્મણોનું પર્યાપ્ત પ્રતિનિધિત્વ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પહેલી સિઝનમાં એ સ્થાપિત કરવામાં આવ્યું કે, 'પંચાયત' જાતિવાદના પ્રજનન સ્થળ એવા ઉત્તરપ્રદેશમાં આવેલી છે. જ્યાં સ્થાનિક કાર્યાલયો પર બ્રાહ્મણ પુરુષોનું અસમાન રીતે પ્રભુત્વ છે. એ ત્યાં સુધી કે સરકાર ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે અનામત સીટ જાહેર કરે છે તો બ્રાહ્મણ પુરૂષો તેમની મહિલાઓને કઠપૂતળી બનાવીને સત્તા હાંસલ કરી લે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી પંચાયત ઓફિસમાં એક બહારની વ્યક્તિ તલાટી તરીકે નોકરી કરવા આવે છે, જેનું નામ 'અભિષેક ત્રિપાઠી' છે. ત્રિપાઠી તલાટી ગ્રામ્ય વિસ્તાર માટે એક બહારની વ્યક્તિ છે, પરંતુ બ્રાહ્મણ સમાજની અંદરની છે. આ ઘટના આખા શોના અસ્તિત્વ માટે સર્વોપરી હતી. જે દિવસે આ બ્રાહ્મણ અધિકારી ત્રિપાઠી ગામમાં આવે છે તેને ગામમાં ફેરવવા માટે લઈ જવામાં આવે છે. તેને સરપંચના ઘરે જમવા માટે આમંત્રિત કરાય છે અને સરપંચ પોતાની દીકરી સાથે તેના લગ્નની યોજના બનાવવા લાગે છે. - આ બધું માત્ર એટલા માટે શક્ય છે કેમ કે તલાટી અભિષેક ત્રિપાઠી એક બ્રાહ્મણ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Movie-12th-Fail---Its-not-about-the-struggle-but-the-privileges-that-Brahmins-get"><span style="font-size: 14pt;">ફિલ્મ 12th Fail - વાત સંઘર્ષની નહીં બ્રાહ્મણોને મળતા વિશેષાધિકારોની છે</span></a></span></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6676534562638.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પહેલી સિઝનના પહેલા એપિસોડમાં બ્રાહ્મણ સરપંચ, વધુ સારી રીતે કહીએ તો સ્વઘોષિત સરપંચ પતિ ગ્રામ પંચાયતની ચાવી ખોઈ નાખે છે. તેને તેની બ્રાહ્મણ પત્ની મંજૂ દેવી કહે છે કે, તમારે ચાવી જનોઈ સાથે બાંધીને રાખવી જોઈએ. મંજૂ દેવીની આ સલાહ શારીરિક અને રૂપક બંને રીતે દર્શાવે છે કે, ગ્રામીણ ભારતની સરકારી કચેરીની ચાવી, પહોંચ અને તાકાત બધું આ જનોઈ સાથે બંધાયેલું છે, જેને આ કાર્યાલયમાં પ્રવેશ કરનારી દરેક વ્યક્તિ ધારણ કરે છે. આ મંજૂ દેવી પોતે સરપંચ છે પણ તેના વતી બધો વહીવટ તેનો પતિ કરે છે, જે આખો મામલો ઘોર મહિલા વિરોધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પહેલા દિવસથી જ બધાં બ્રાહ્મણ તલાટી અભિષેક ત્રિપાઠીને તેના કામમાં મદદ કરે છે અને જ્યારે પણ તેઓ નિરાશ થાય છે ત્યારે તેને પોતાની સાથે રહેવા માટે આમંત્રણ આપે છે. સવાલ એ થાય કે બ્રાહ્મણ સિવાયની કોઈ જાતિની વ્યક્તિ જો તલાટી પદે હોત તો શું થાત? શું તો પણ સરપંચ સહિતના સૌ તેને આ રીતે પોતાના ઘરે લઈ જઈને સાચવત ખરાં?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા લેખિકા યશિકા દત્તે પોતાના પુસ્તક 'કમિંગ આઉટ એઝ એ દલિત' માં સ્પષ્ટ કર્યું છે કે કેવી રીતે ઉચ્ચ જાતિના લોકો જાણીજોઈને દલિત, આદિવાસી અને ઓબીસી ઉમેદવારોને ઈન્ટરવ્યૂમાં ઓછાં માર્ક્સ આપે છે, તેમને દંડ કરે છે, તેમની ફરજનિષ્ઠા પર સવાલ ઉઠાવે છે અને તેમને યોગ્ય પ્રમોશન ન આપીને હેરાન કરે છે. તેનું વધુ એક ઉદાહરણ મંડલ કમિશનના રિપોર્ટમાં જોવા મળે છે, જેમાં કહેવાયું છે કે, સૌથી ઓછું પ્રતિનિધિત્વ ઓબીસી સમાજનું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તલાટી અભિષેક ત્રિપાઠી પોતાની નોકરીને નફરત કરે છે અને રૂ. 20 હજાર પ્રતિ મહિનાના પગારને પોતાના દરજ્જા કરતા નીચો માને છે. જો કે, કોઈપણ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજની વ્યક્તિ માટે, આ ઓછા પગારની નોકરી કદાચ વર્ષોના દમનમાંથી બહાર નીકળવાનો એક રસ્તો હોઈ શકે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'ભારતમાં ધન, અસમાનતા, વર્ગ અને જાતિ, 1961-2012' શીર્ષકના એક પેપરમાં કહેવાયું છે કે, એસસી, એસટી અને ઓબીસી સમાજ રાષ્ટ્રીય સરેરાશથી અનુક્રમે 21, 34 અને 08 ટકા ઓછું કમાય છે અને બ્રાહ્મણ રાષ્ટ્રીય સરેરાશથી 48 ટકા વધુ કમાય છે, જેની પાછળનું કારણ 'પંચાયત' વેબ સિરીઝમાં જે દર્શાવાયેલું બ્રાહ્મણોનું જાતિવાદનું ગઠબંધન છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોરોનાએ તેને વધુ વકરાવી દીધું છે. સેન્ટર ફોર મોનિટરીંગ ઈન ઈન્ડિયન ઈકોનોમીના કન્ઝ્યૂમર પિરામીડ્સ હાઉસહોલ્ડ સર્વેના ડેટા પરથી ખ્યાલ આવે છે કે, ડિસેમ્બર 2019 અને એપ્રિલ 2020ની વચ્ચે નોકરી કરતા ઉચ્ચ જાતિઓના લોકોમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો છે, અને આ જ આંકડાઓ એસસી, એસટી અને ઓબીસી માટે અનુક્રમે 20, 14 અને 15 ટકા જેવી ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયા છે. એટલે અભિષેક ત્રિપાઠીને રૂ. 20 હજારની નોકરી તેના દરજ્જા કરતા નીચી લાગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્રણેય સિઝનમાં બ્રાહ્મણોને નોટિસ કરી શકાય છે. તેઓ દરેક જગ્યાએ છે. ડિરેક્ટર, એક્ઝિક્યૂટિવ પ્રોડ્યુસર, ક્રિયેટીવ ડિરેક્ટર, એસોસિએટ ક્રિયેટિવ પ્રોડ્યુસર, આસિસ્ટન્ટ ડિરેક્ટર તો ઠીક, તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે એપિસોડમાં તેમને મદદ કરનારા અનામી લોકોને પણ તેમની બ્રાહ્મણ અટક સાથે ક્રેડિટ આપવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધ્યાનથી જોશો તો સમજાશે કે વેબ સિરીઝમાં ટોઈલેટને લઈને હાંસિયામાં ધકેલાયેલો વિનોદ, એક ગુંડો રાજકારણી, એક ડાન્સ કરનારી છોકરી - આ પાત્રોની અટક બ્રાહ્મણની નથી. મતલબ જ્યારે પણ શોમાં કશુંક નકારાત્મક, હાંસિયામાં ધકેલાઈ ગયેલું દર્શાવવું પડે ત્યારે મોટાભાગના પાત્રો બિનબ્રાહ્મણ અટકના દર્શાવાયા છે. માથાભારે રાજકારણીને ઠાકુર અટક આપી દેવાઈ છે, એક નિઃસહાય ઓટોરિક્ષાચાલક, જેની પથારી પર સુવામાં અભિષેક ત્રિપાઠી અસહજતા અનુભવે છે, તેને જાણીજોઈને ઓબીસી અટક આપવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના સામાજિક, આર્થિક માહોલમાં નટ સમાજ, જે એક અનુસૂચિત જાતિમાં આવે છે, તેની મહિલાઓ કોઈપણ પ્રકારની સુરક્ષા વિના ઓછા પગારે મંચ પર પ્રદર્શન કરે છે અને ઘણીવાર ઉચ્ચ જાતિઓની હિંસા અને સતામણીનો ભોગ બને છે. અગાઉની સિઝનના એક એપિસોડમાં જ્યારે આવી જ એક નર્તકી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલી ધમાલનો ભોગ બને છે ત્યારે તેને અભિષેક ત્રિપાઠી દવાખાને લઈ જાય છે અને એ દવાખાનાનું તો નામ જ ત્રિપાઠી અટક ધરાવતા અન્ય એક બ્રાહ્મણના નામ પર રાખવામાં આવ્યું છે. આખી વેબ સિરીઝમાં કોઈ બ્રાહ્મણ પાત્ર લઘુમતી સમાજની વ્યક્તિને નથી મળતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વેબ સિરીઝની ત્રણેય સિઝન બ્રાહ્મણોની 'પોતે સર્વોપરી છે' પ્રકારની આભાસી દુનિયા પર આધારિત છે અને ગ્રામીણ ભારતના એક બાલીશ, ખોટી માહિતી આપનારા, લિંગવાદી, જાતિવાદી અને ઉચ્ચ જાતિના શહેરી દ્રષ્ટિકોણને જાળવી રાખે છે. ગ્રામીણ ભારત પ્રત્યે તલાટી અભિષેક ત્રિપાઠીની ઘોર ઉદાસીનતા અને જવાબદેહીની ઉણપ તેના જેવા વિશેષાધિકાર પ્રાપ્ત અટકધારીઓની એક ખાસ વિશેષતા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વેબ સિરીઝમાં બ્રાહ્મણ અધિકારી ગામડાની શાળા અને સરકારી ઓફિસોને ખોટી રીતે સજાવે છે અને પોતાના વ્યક્તિગત કામો માટે તેનો ઉપયોગ કરે છે. શોમાં આખું સરકારી તંત્ર બ્રાહ્મણ પાત્રોની હૂકુમત તળે ચાલે છે. પંચાયત ઓફિસનો તેઓ પોતાના છોકરા-છોકરીઓના લગ્નમાં ઉપયોગ કરે છે, અંદર બંદૂક રાખે છે, દારૂ રાખે છે અને પીવે છે, ઓફિસોની ખુરશીઓ પોતાના ઘરમાં વાપરે છે. એનો અર્થ એ કે ડિરેક્ટર બતાવવા માંગે છે કે બ્રાહ્મણ સરકારી સંપત્તિને પોતાની ખાનગી સંપત્તિ સમજે છે. આવી પરિસ્થિતિમાં એટલું તો નક્કી થઈ જાય છે કે, આવી પંચાયતમાં કોઈના પર જાતિ આધારિત ગુનાઓ થાય તો કોઈ રિપોર્ટ નહીં નોંધાય, સજા થવી તો બહુ દૂરની વાત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Documentary-film-Mhara-Pitcher-directed-by-Dakshina-Bajranghe-will-be-released-at-Dharamshala-International-Film-Festival"><span style="font-size: 14pt;">દક્ષિણ બજરંગે છારા નિર્દેશિત Documentary ફિલ્મ 'મ્હારા પિચર' Dharamshala ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થશે</span></a></span></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66765345e57b8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બધાં પાત્રો વચ્ચે જે સહજ બોન્ડિંગ છે, તે તેમની જાતિની સમાનતાને કારણે વધારે છે અને સ્થાનિક સરકારી ઓફિસના બંધારણીય કામકાજ પ્રત્યેના વિવેકને કારણે ઓછું છે. વિશ્વનાથ ચેટરજીએ સબ ઈન્સપેક્ટરનું પાત્ર ભજવ્યું છે, જયશંકર ત્રિપાઠી હેડ કોન્સ્ટેબલ છે. દીપક કુમાર મિશ્રાએ ઈલેક્ટ્રીશિયનનું પાત્ર ભજવ્યું છે, એટલું જ નહીં જે પિતા પોતાના દીકરાનું રજિસ્ટેશન કરાવવા માંગે છે તેનું નામ દીનબંધુ પાઠક છે અને જ્યોતિ દૂબેએ માંનું પાત્ર ભજવ્યું છે. જે અભિનેતાના નામે સરપંચ પતિની મજાક ઉડાવવામાં આવે છે તે મિથુન ચક્રવર્તી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેમ જેમ શો આગળ વધે છે તેમ બ્રાહ્મણ જાતિને વધુને વધુ પ્રોજેક્ટ કરવામાં આવે છે. ટીડીઓ જ્યારે પણ કોઈને ફોન કરે તો તે 'તિવારીજી'ને જ બોલાવે છે. પંચાયતની ઓફિસમાં ઉપસરપંચ પ્રહલાદ પાંડે છે અને સહાયક વિકાસ શુક્લા છે. આ જ લોકો જ્યારે રામધૂન માટે રસ્તા પર ઉભા રહીને દાન ઉઘરાવવા માટે બસો ઉભી રખાવે છે ત્યારે કંડક્ટરને ફક્ત તેનું નામ પૂછવામાં આવે છે અને તે જવાબમાં 'પ્રજેશ મિશ્રા' કહે છે. આ રીતે એપિસોડના અંત સુધીમાં ચક્રવર્તીથી લઈને તિવારી, શર્મા, ઝા અને ચેટર્જી સુધીના નામો આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખોટી નિષ્પક્ષતા અને મનઘડંત સાર્વભૌમિકતા થકી પંચાયત લૈંગિક ભેદભાવ પર હસે છે અને જાતિવાદને પ્રોત્સાહિત કરે છે. પ્રધાન બ્રિજભૂષણ દૂબેના ઘરમાં અને તેની આજુબાજુમાં રહેલા ઘરોમાં સ્પષ્ટ અંતર જોઈ શકાય છે. પરંતુ આ સામાજિક સ્થિતિનો આખી વેબસિરીઝમાં ક્યાંય ઉલ્લેખ નથી અને ન તો તેની પાછળના કારણો પર કોઈ વિચારવિમર્શ કરવામાં આવ્યો છે. બ્રાહ્મણ સરપંચ બ્રિજભૂષણ દુબેના ઘરમાં ગાય-ભેંસ, અનાજના કટ્ટા અને બીજું ઘણું બધું છે, જે તેના ત્રણ લોકોના પરિવારની જરૂરિયાત કરતા અનેકગણું વધારે છે. બીજી તરફ જગમોહન પાસે ઘરમાં ખાવાપીવાના પણ ફાંફા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તલાટી અભિષેક ત્રિપાઠી ગ્રામીણ લહેકાની મજાક ઉડાવે છે અને ભ્રષ્ટ, જાતિવાદી વ્યવસ્થા સાથે વહે જાય છે અને પિતૃસત્તા વિશે બેધડક વાત કરે છે. કોઈપણ સંસ્કૃતિ કે વ્યક્તિની સામૂહિક ચેતના અને બુદ્ધિનો અંદાજ એ કળા પરથી લગાવી શકાય છે જેને તે મનોરંજક અને મનોરંજન માને છે. શહેરી ઉચ્ચ જાતિના દર્શકો આ વેબ સિરીઝને કોમેડી કહે છે, કેમ કે તેઓ તલાટી અભિષેક ત્રિપાઠીની જેમ જ બેદરકારી અને જાણીજોઈને કરવામાં આવેલી બેજવાબદારી સાથે સ્વયંને જોડે છે. પોતાના આખા જીવન દરમિયાન તેમણે ગામડાના લોકોના અસ્તિત્વનો સ્વીકાર કર્યા વિના તેમનું શોષણ કર્યું છે. એ રીતે આખી સિઝનનો શ્રેય ફરી ચટ્ટોપાધ્યાયથી લઈને રાવ, અય્યર, દેસાઈ, દેશમુખ અને દ્વિવેદીને જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી સિઝનમાં જ્યારે એક બ્રાહ્મણ કોન્ટ્રાક્ટર ગામમાંથી કાઢવામાં આવતી માટીને ભ્રષ્ટ રીતે વેચે છે, તો માટીના ભાવ મામલે 'ત્રિપાઠી' સાથે વાતચીત થાય છે અને પછી ઈંટના ભઠ્ઠાના માલિક પાસે કોઈ 'પંડિતજી'નો ફોન આવે છે, જેને તે ઈંટો વેચવાનો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આખી સિરીઝમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર ઉચ્ચ જાતિ અને ઉચ્ચ વર્ગની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે જે હાંસિયામાં પડેલા લોકોને કોઈ સન્માન નથી આપતી. સિરીઝ મહિલાઓનું ઘરકામ કરવું, રસોઈ બનાવવી અને પુરૂષોના આરામ કરવા જેવી બાબતોને આગળ કરીને સ્ત્રી-પુરુષ વચ્ચે પુરૂષપ્રધાન ખ્યાલોનું સામાન્યીકરણ કરે છે. જ્યારે સરપંચ પતિ અને તેનો પરિવાર પોતાની દીકરી રિંકી માટે એક દયનિય અને ભાવી વરરાજાને મળવા માટે જાય છે ત્યારે વરરાજાના પિતાને 'પાઠકજી' કહેવામાં આવે છે, જે પૂર્ણપણે પોતાની જાતિમાં જ લગ્ન કરવાના આગ્રહને દર્શાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી અને ત્રીજી સિઝનમાં જ્યારે બ્રાહ્મણ સરપંચ પતિ બ્રિજભૂષણ દૂબેને તેના પ્રતિસ્પર્ધીઓ તરફથી વિરોધનો સામનો કરવો પડે છે ત્યારે એ વિરોધ પણ બીજો બ્રાહ્મણ 'ભૂષણ શર્મા' કરે છે. શું એક સેકન્ડ માટે પણ સિરીઝના નિર્માતાઓને એ વિચાર નહીં આવ્યો હોય કે, હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો પણ સિસ્ટમ પર સવાલ ઉઠાવી શકે છે? વિરોધ કરવો, કોઈને પડકાર ફેંકવો તે કંઈ બ્રાહ્મણોનો ઈજારો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Vidya:-The-first-film-to-challenge-caste-in-independent-India"><span style="font-size: 14pt;">વિદ્યાઃ આઝાદ ભારતમાં જાતિને પડકાર આપનારી પહેલી ફિલ્મ</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે અભિષેક ત્રિપાઠીનો મિત્ર સિદ્ધાર્થ ગામમાં આવે છે, ત્યારે બ્રાહ્મણ સરપંચ પતિ બ્રિજભૂષણ દૂબે તેને સવાલ કરે છે કે, તારું આખું નામ શું છે? સરપંચ પતિની હતાશાની કોઈ સીમા નથી રહેતી જ્યારે તેને ખ્યાલ આવે છે કે, સિદ્ધાર્થના પ્રમાણપત્ર પર તેનું ફક્ત પહેલું નામ જ છે. એ પછી તે સિદ્ધાર્થના પિતાનું નામ પૂછે છે. જેના જવાબમાં પણ સિદ્ધાર્થ તેમનું ફક્ત નામ જણાવે છે. ત્યારે જ અભિષેક ત્રિપાઠી વચ્ચે પડે છે અને સિદ્ધાર્થની અટક 'ગુપ્તા'નો ઉલ્લેખ કરે છે. એ પછી બ્રિજભૂષણ શાંત થઈ જાય છે અને તરત તેને 'ગુપ્તાજી' કહેવા લાગે છે. એ રીતે દૂબે, પાંડ, શુક્લા, ત્રિપાઠી પોતાની સાથે ગુપ્તાજીને પણ સામેલ કરી લે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોઈપણ વ્યક્તિ સમજી શકે છે કે, જો સિદ્ધાર્થ કથિત ઉચ્ચ જાતિનો ન હોત તો શું થાત? શું તેને બીજી વાર ચા આપવામાં આવત? શું તેને રાત્રે બ્રાહ્મણ સરપંચના ઘરે સૂવા માટે કહેવામાં આવત? પણ આ તમામ સવાલોને ટાળી દેવામાં આવે છે અને તેના પર કોઈ ચર્ચા નથી થતી. આ કથિત ઉચ્ચ જાતિનું પ્રતિનિધિત્વ કરતી વેબ સિરીઝ એ બાબતની પરવા નથી કરતી કે દેશની 80 ટકા વસ્તીને કેવી રીતે જોવામાં આવે છે અને વર્ણવ્યવસ્થા તેમને દરરોજ કેવી રીતે જીવન જીવવા માટે મજબૂર કરે છે? એ પછીના એપિસોડમાં જ્યારે બીજા બ્રાહ્મણ સરપંચ પતિને સિદ્ધાર્થ વિશે યાદ કરાવે છે, તો તે યાદ નથી કરી શકતા. પણ અંતે જ્યારે તેને સિદ્ધાર્થ યાદ આવી જાય છે ત્યારે તે તેને 'ગુપ્તાજી' કહે છે. ટૂંકમાં, તેની જાતિ જ તેની ઓળખ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પંચાયત વેબ સિરીઝ વિશેષાધિકાર પ્રાપ્ત લોકો માટે હાસ્યની ક્રૂર આડમાં જાતિવાદને મજબૂત કરે છે. રિંકીની બહેનપણી રવિનાનો રોલ 'આંચલ તિવારી'એ નિભાવ્યો છે. રાજકુમાર ભૈયાનો રોલ 'અનૂપ શર્મા'એ ભજવ્યો છે. વોર્ડના સભ્યની અટક 'ચક્રવર્તી' છે. ઉચ્ચ વર્ગના ક્રિટીક્સ, જેમની ભારતને લઈને સમજ જાણીજોઈને કથિત ઉચ્ચ વર્ગ અને અહંકારી સમૂહોના પોતાના અનુભવો સુધી મર્યાદિત છે, તેઓ આ સિરીઝના વખાણ કરી રહ્યાં છે. ઉચ્ચ જાતિના ક્રિટીક્સ દ્વારા આ શોના વખાણ જ એ વાતની સાબિતી છે કે હાસ્યનું મહોરું પહેરીને આ શો દ્વારા જાતિવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'પંચાયત'ની પહેલી સિઝનના પહેલા જ સીનમાં અભિષેક ત્રિપાઠી જેવો ગામમાં પ્રવેશ કરે છે, બ્રાહ્મણ 'સરપંચ પતિ' બ્રિજભૂષણ દૂબે તેનું દિલથી સ્વાગત કરે છે અને પોતાની પત્ની મંજૂ દેવીને કહે છે, 'સૌથી ખાસ વાત, તેઓ આપણી જાતિના છે.' સવાલ એ થાય કે શું આખી વેબ સિરીઝનું નિર્માણ પણ આ જ તર્જ પર કરવામાં આવ્યું છે કે શું? તમારું શું માનવું છે? લેખની નીચે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/do-you-know-why-vaishnavas-are-protesting-against-the-movie-maharaj"><strong>તમને ખબર છે વૈષ્ણવો શું કામ ‘મહારાજ’ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે?</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 22 Jun 2024 10:09:53 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 22 Jun 2024 10:18:26 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>803</Articleid>
                    <excerpt>Amazone Prime ઓટીટી પરની વેબ સિરીઝ પંચાયતની હાલ ચોતરફ ચર્ચા થઈ રહી છે. જોયા પછી એક સવાલ ચોક્કસ થાય કે, તેમાં બહુમતી પાત્રો બ્રાહ્મણ કેમ છે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_66765344e282d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_66765344b061b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_66765344b061b.jpg" length="63888" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>એકસાથે 40 દલિત સર્જકોની કેફિયત રજૂ કરતું પુસ્તક પ્રકાશિત થયું</title>
                    <link>https://khabarantar.com/together-a-book-presenting-the-sufficiency-of-forty-dalit-creators-was-published</link>
                    <guid>https://khabarantar.com/together-a-book-presenting-the-sufficiency-of-forty-dalit-creators-was-published</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતી દલિત સાહિત્ય જગતમાં પહેલીવાર એકસાથે 40 ધુરંધર દલિત સર્જકોની કેફિયત રજૂ કરતું પુસ્તક પ્રકાશિત થયું છે. શું છે આ પુસ્તકની ખાસિયત, વાંચો આ રિપોર્ટમાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રના વિદ્વાન લેખક અને પત્રકાર, જેમની ગણના ગોલ્ડનપેન રાઈટર તરીકે થાય છે તેવા પદ્મભૂષણ ડૉ. ધનંજય કીરે લખેલ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પ્રમાણભૂત અને વળી પાછું બાબાસાહેબની હાજરીમાં લખેલ જીવનચરિત્ર "ડૉ. આંબેડકરઃ જીવન અને કાર્ય" નો અનુવાદ મિત્રો સાથે મળી ગુજરાતી દલિત સાહિત્ય, આંબેડકરી અને બૌદ્ધ સાહિત્યમાં સૌપ્રથમ પ્રગટ કરનાર પત્રકાર મૂળજીભાઈ ખુમાણ ગુજરાતી દલિત સાહિત્યના ઈતિહાસમાં સૌ પ્રથમવાર એક સાથે 40 કરતા વધુ દલિત સાહિત્ય સર્જકોની કેફિયત લઈને આવ્યા છે. આ એક ઐતિહાસિક ઘટના છે કે એકી સાથે 40 દલિત સર્જકોની સર્જન પ્રક્રિયાને સમજવાનો લહાવો મળશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૂળજીભાઈ ખુમાણ હવે દલિત સાહિત્યના વૈચારિક પરિવર્તનની ધાર કાઢનાર પુસ્તક "ગુજરાતી દલિત સર્જકોની કેફિયત" લઈને આવ્યા છે, જેનું પ્રકાશન ગુજરાતની પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થા નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ તરફથી કરવામા આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Savaya-Dalit-writer-Praveen-Gadhvis-new-book-Truth-of-Indian-Culture-published">સવાયા દલિત સાહિત્યકાર પ્રવીણ ગઢવીનું નવું પુસ્તક 'ભારતીય સંસ્કૃતિનું સત્ય' પ્રકાશિત થયું</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6672a36944676.jpg" alt=""><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગુજરાતી દલિત સર્જકોની કેફિયત</span></strong></span><br><span style="font-size: 14pt;">ગુજરાતી દલિત સાહિત્યની જનની મરાઠી દલિત સાહિત્ય રહ્યું છે. મરાઠી દલિત સર્જકોએ મરાઠી સાહિત્યજગતમાં પોતાનું વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સાહિત્યકારો કેવી રીતે લખતા થયા? એ વાત દલિત સર્જકો સમજી શકે તે માટે મૂળજીભાઈએ પોતાના "દિશા" પાક્ષિકમાં "મરાઠી દલિત સર્જકોની કેફિયત" નામની કોલમ લગભગ બે વર્ષ ચલાવી હતી. એ પછી નવભારત સાહિત્ય મંદિરે એનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું  જે દલિત સાહિત્યની રેફરન્સ બુક થઈ શકે એમ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ લેખ શ્રેણીથી પ્રભાવિત થઈ હવે તેમણે આ જ પ્રકારનો પ્રયોગ દલિત સાહિત્યમાં કર્યો છે. આ માટે તેમણે દલિત સાહિત્ય જગતના ધુરંધરોને "તેઓ શા માટે લખે છે અથવા શા માટે લખવા પ્રેરાયા" તેની એક પ્રશ્નોત્તરી તૈયાર કરીને મોકલી હતી. જેના આધારે દલિત સાહિત્ય જગતના 40થી વધુ સાહિત્યકારોએ પોતાના સમાજના દુઃખ,પીડા વ્યક્ત કરવા લેખની ઉપાડ્યાનું વિષદ રીતે જણાવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ રીતે ગુજરાતી ભાષામાં લખતા 43 જેટલા દલિત સર્જકોની સૌ પ્રથમવાર એકી સાથે કેફિયતો લખાઈ અને આજે ગ્રંથસ્થ થઈને હવે પુસ્તકાકારે પ્રકાશિત થઈ છે. આ એક ઐતિહાસિક દસ્તાવેજ સમું પ્રકાશન પ્રગટ થઈ રહ્યું છે જે ગુજરાતી સાહિત્યમાં સીમાચિહ્નરૂપ બની રહેશે. આ પુસ્તકમાં જે ધુરંધર દલિત સાહિત્યકારોની કેફિયત રજૂ થયેલી છે તેમાં સર્વશ્રી પ્રવીણ ગઢવી, ભી.ન. વણકર, સાહિલ પરમાર, હરિશ મંગલમ, ડૉ. મોહન પરમાર, રમણ વાઘેલા, નટુભાઈ પરમાર, ડૉ. રતિલાલ રોહિત, દિવંગત શંકર પેન્ટર, નિલેશ કાથડ, એ. કે. ડોડિયા, નટુભાઈ પરમાર, શામત પરમાર, અરવિંદ વેગડા, ગોવિંદભાઈ ચૌહાણ, પ્રો. મંગળ રાઠોડ, ડૉ.નરસિંહ ઉજંબા, ડૉ.ભીખુભાઈ વેગડા, મહેબૂબ એ. સૈયદ, ધરમસિંહ પરમાર, એન. વી. ચાવડા, શ્રીપાલ એમ. વર્ધન, પી. કે. વાલેરા, ડૉ. પી. એ. પરમાર, ડૉ. પુષ્પાબેન વાઢેળ, ડૉ. મહેશ દાફડા, પૂનમચંદ પરમાર, ડૉ. ભાણજી સોમૈયા, દાન વાઘેલા, ભરત વાળા, મુકેશ બોરીચા, વારિજ લુહાર, બી.કેશરશિવમ, નરેન્દ્ર પરમાર અને કાંતિલાલ મકવાણાનો સમાવેશ થાય છે. આ એક ઐતિહાસિક ઘટના છે અને ટૂંક સમયમાં આ પુસ્તક આપણી વચ્ચે મળતું થઈ જશે. પુસ્તક ખરીદવા માટે આપ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઈટ પર જઈ શકો છો, અથવા વધુ જાણકારી માટે શ્રી મૂળજીભાઈ ખુમાણનો સંપર્ક કરી શકો છો.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/The-autorickshaw-drivers-of-Vadodara-wore-colors-as-carriers-of-the-Bahujan-ideology">વડોદરાના ઓટોરિક્ષા ચાલકોએ બહુજન વિચારધારાના વાહકો બનીને રંગ રાખ્યો</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 19 Jun 2024 17:53:50 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 19 Jun 2024 17:58:20 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>790</Articleid>
                    <excerpt>ગુજરાતી દલિત સાહિત્ય જગતમાં પહેલીવાર એકસાથે 40 ધુરંધર દલિત સર્જકોની કેફિયત રજૂ કરતું પુસ્તક પ્રકાશિત થયું છે. શું છે આ પુસ્તકની ખાસિયત, વાંચો આ રિપોર્ટમાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6672a363342bb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6672a362f3a64.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6672a362f3a64.jpg" length="132291" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>હજુ તો લોકશાહીનો માત્ર બચાવ થયો છે, પુનર્વસન&amp;પુનઃસ્થાપન બાકી છે</title>
                    <link>https://khabarantar.com/so-far-democracy-has-only-been-saved-rehabilitation-restoration-is-pending</link>
                    <guid>https://khabarantar.com/so-far-democracy-has-only-been-saved-rehabilitation-restoration-is-pending</guid>
                    <description>
                        <![CDATA[ હાલની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ-સંઘ બ્રાન્ડ હિંદુત્વના કોમવાદી ઝેરની અસર ઓછી નથી થઈ તેવું આંકડાઓ કહે છે. વાંચો આ રિસર્ચ લેખ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણી-2024ના પરિણામોથી લોકશાહી, માનવ અધિકારો, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ન્યાય અને વ્યક્તિનું ગૌરવ સિદ્ધ કરવાના ઉદ્દેશો માટે લડતા લોકોને થોડી રાહત થઈ છે પણ તેથી તેમણે શાંત બેસી રહેવાની જરૂર નથી. ભૂકંપ, સુનામી કે પૂર જેવી કુદરતી આપત્તિ આવે ત્યારે સૌથી પહેલું કામ લોકોને જીવતા બચાવી લેવાનું અને રાહત આપવાનું થાય છે. પછી જ પુનર્વસન અને પુનર્સ્થાપનનું કામ થાય છે. છેલ્લાં દસ વર્ષમાં ભારતની લોકશાહી પર નરેન્દ્ર મોદી, ભાજપ, RSS અને NDA સર્જિત તાનાશાહીની જે આપત્તિ આવી પડી હતી તેમાંથી લોકસભાની ચૂંટણીનાં પરિણામોએ ભારતનો અને ભારતના નાગરિકોનો બચાવ કર્યો છે અને મજબૂત વિપક્ષ મળ્યો છે, થોડી રાહત થઈ છે એટલું જ. પણ બંધારણના આમુખમાં જે આદર્શો સિદ્ધ કરવા માટે લખવામાં આવ્યું છે તે સિદ્ધ કરવા માટેની લડાઈ વધુ મજબૂત રીતે ચાલુ રાખવાની જરૂર છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વૈચારિક લડાઈ છે, લોકશાહી અને માનવ અધિકારોનાં મૂલ્યોની લડાઈ છે અને તેમાં માત્ર બચાવનું જ કામ આ પરિણામોએ કર્યું છે, આ મૂલ્યોનું પુનર્વસન અને પુનર્સ્થાપન નથી થયું. જે હિંદુત્વ બ્રાન્ડ તાનાશાહી મોદી, ભાજપ અને NDA દ્વારા ઊભી કરવામાં આવી હતી તે સહેજે હારી નથી એ સમજવા માટે કેટલીક હકીકતો જોઈએ : [1] ભાજપને 23.6 કરોડ મતદાતાઓએ મત આપ્યા છે કે જે 2019 કરતાં આશરે 70 લાખ વધારે છે. આ દેશની 140 કરોડની વસ્તીના એ લગભગ 17 ટકા થયા. એટલે, હિંદુત્વ બ્રાન્ડ તાનાશાહીની જે રીતરસમ મોદીની સરકાર દ્વારા દસ વર્ષ અપનાવાઈ તે વધુ 70 લાખ નાગરિકોને ગમી છે. તેમને લોકશાહી મૂલ્યો સાથે કશી લેવાદેવા નથી. આ લોકોનું લોકશાહી મૂલ્યોમાં પુનર્વસન કેવી રીતે થઈ શકે? [2] દેશમાં જે પ્રાદેશિક પક્ષો છે તેમને તેમના પ્રદેશમાં સત્તા જોઈએ છે અને મળેલી સત્તા ટકાવવી છે. તેમને સમગ્ર દેશની લોકશાહીની ઝાઝી ચિંતા છે જ નહિ. એટલે તેઓ ભાજપ સાથે હાથ મિલાવે છે. [3] ઇન્દિરા ગાંધીએ 1975-77ના 19 મહિના દરમ્યાન કોંગ્રેસને તાનાશાહી પક્ષ બનાવી દીધો હતો. એ જ કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ છેલ્લાં દસ વર્ષથી ભારે અવરોધો વચ્ચે લડે છે. તેને આ ચૂંટણીમાં 13.7 કરોડ મત મળ્યા છે કે જે 2019 કરતાં 1.8 કરોડ વધારે છે. આ મત દેશની વસ્તીના માત્ર 10 ટકા જ થયા. એટલે એમ કહી શકાય કે દેશની વસ્તીના માત્ર 10 ટકાને જ રાષ્ટ્રીય સ્તરે લોકશાહી પ્રકારની પરિસ્થિતિ ટકે તેમાં ખરો રસ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/what-is-the-strength-of-religion">ધર્મની તાકાત શું છે?</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6668141cb7cc5.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[4] ભાજપને 2019માં 37.36 ટકા મત મળ્યા હતા. 2024માં તેને 36.56 ટકા મત મળ્યા છે. માત્ર 0.8 ટકાનો જ ઘટાડો તેમાં થયો છે. એટલે, જેમને 2014-19 દરમ્યાનની હિંદુત્વ બ્રાન્ડ તાનાશાહી 2019ની ચૂંટણી સમયે ગમી હતી તેમાં કોઈ જ મોટો ફેરફાર થયો નથી, ભલે ભાજપની બેઠકોની સંખ્યા 63 જેટલી ઘટી ગઈ હોય. ભાજપને 44.20 ટકા બેઠકો મળી છે અને તે સૌથી વધુ છે. એટલે મોદીને પરમાત્માએ મોકલ્યા છે એમ ભાજપને મત આપનારા લોકો માને જ છે. 2014માં ભાજપને 31 ટકા મત મળ્યા હતા. આમ, ભાજપને 2019માં જે વધુ 6.36 ટકા મત મળ્યા હતા તેમાં કોઈ જ મોટો તફાવત ઊભો થયો નથી. આ બધા વંડી પર બેઠેલા હતા પણ તેઓ ભાજપના ખેતરમાં આવી ગયા છે એમ પણ કહેવાય. [5] મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, દિલ્હી, ત્રિપુરા અને ઉત્તરાખંડમાં ભાજપને બધી જ બેઠકો મળી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છત્તીસગઢ, ગુજરાત, બિહાર, ઝારખંડ, કર્ણાટક, ઓડિશા, રાજસ્થાન અને તેલંગણામાં ભાજપ બહુમતી બેઠકો જીત્યો છે. અને વળી, તે ઓડિશામાં એકલે હાથે વિધાનસભાની ચૂંટણી જીતી ગયો છે અને આંધ્ર પ્રદેશમાં TDP સાથે ગઠબંધનમાં વિધાનસભા જીત્યો છે. આ રાજ્યોમાં હવે લોકશાહી મૂલ્યો કેટલાં જળવાશે તે મોટો સવાલ છે. કારણ કે ગુજરાતનો તો 24 વર્ષનો અનુભવ એવો રહ્યો છે કે ભાજપે રાજ્યમાં લોકશાહી મૂલ્યોનું સત્યાનાશ કાઢી નાખ્યું છે. આ બધાં રાજ્યોની વસ્તી દેશની લગભગ 50 ટકા કરતાં પણ વધારે થાય છે. ત્યાંના લોકોને દેશની લોકશાહીની ઝાઝી ચિંતા નથી એમ જ અર્થ થાય. [6] જે તમિલનાડુમાં ભાજપને એક પણ બેઠક મળી નથી ત્યાં પણ તેને સાથી પક્ષો સાથે 18.27 ટકા મત મળ્યા છે. એટલે ત્યાં ભલે તાનાશાહીનો અનુભવ થયો ના હોય, પણ એટલા નાગરિકો હિંદુત્વ બ્રાન્ડ તાનાશાહીને આવકારે છે એમ કહેવાય. ત્યાં પણ સ્થાનિક રાજકારણને આધારે પ્રાદેશિક પક્ષો ભાજપ સાથે હાથ મિલાવવા તૈયાર થાય છે. એમના માટે સત્તા મહત્વની છે, લોકશાહી નહિ. આમ, રાજકીય હિંદુત્વ અને તાનાશાહી વલણોનું જે મિશ્રણ નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તેને દેશના મતદાતાઓએ સદંતર નકારી કાઢ્યું છે એવું છે જ નહિ, પણ વધુ 70 લાખ લોકોએ તેને આવકાર્યું છે. હિંદુ ધર્મ અને RSS બ્રાન્ડ કે ભાજપિયું હિંદુત્વ એક જ છે અને દેશમાં હિંદુઓ અને હિંદુ ધર્મ ખતરામાં છે એવું જે ખોટું કથાનક ઊભું કરવામાં આવ્યું તેને દેશના બહુમતી મતદારોએ સ્વીકાર્યું છે એમ કહેવાય, કારણ કે ‘ઇન્ડિયા’ ગઠબંધનને પણ એટલા મત તો મળ્યા જ નથી જેટલા એનડીએને મળ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/monarchy-in-democracy-princes-and-emperors">લોકશાહીમાં રાજાશાહી: શહજાદા અને શહેનશાહ</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66681425157c6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">   </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેકારી, મોંઘવારી, ગરીબી, ભૂખમરો અને અસમાનતા જેવા કોઈ વાસ્તવિક મુદ્દા આ ચૂંટણીમાં ઝાઝો પ્રભાવ પાડી શક્યા છે એવા ભ્રમમાં રહેવું જોઈએ નહિ. એ કોઈ સમગ્ર રાજ્યોમાં પણ નહિ, પણ કેટલાક પ્રદેશોમાં જ ચિંતાજનક મુદ્દા બન્યા હોઈ શકે છે. તમિલનાડુ સિવાય એક પણ મોટું રાજ્ય એવું નથી કે જ્યાં ભાજપ સાવ સાફ થઈ ગયો હોય. ઉપરાંત, જે 63.44 ટકા મતદારોએ ભાજપને મત આપ્યા નથી તેઓ બધાને લોકશાહી અને બંધારણ પ્રેરિત મૂલ્યોની ચિંતા છે એમ પણ સમજવાની જરૂર નથી. તેમાં ઘણા મતદારો એવા છે કે જેમણે ભાજપને નહિ પણ NDAને તો  મત આપ્યા જ છે. ‘ઇન્ડિયા’માં જે પક્ષો જોડાયા તેઓ પણ બેઠકોની ભાગીદારીમાં બધે જોડાયા છે એવું નથી. ‘ઇન્ડિયા’ના સાથી પક્ષોમાં સૌને જે રાજકીય રીતે પોતાને લાભદાયક લાગતું હતું તે જ કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/can-the-constitution-of-India-be-changed-by-the-force-of-majority">શું બહુમતીના જોરે ભારતના બંધારણને બદલી શકાય ખરું?</a><br></strong></span></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66681425a8870.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવા સંજોગોમાં જેમને ભારતમાં લોકશાહી, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, કાયદાનું શાસન અને માનવ અધિકારો ટકે તેની ખરેખર ચિંતા છે તેમણે મતદારોમાં વૈચારિક ક્રાંતિ માટે પ્રયાસ કરવાની જરૂર રહે છે. RSSની શાખા, બે જણા હોય તો પણ ઝંડો લઈને રોજ સવારે તેના નિયત સ્થાને મળે છે અને ભાજપે આ લોકસભાની ચૂંટણી વેળાએ આશરે 60 લાખ વોટ્સએપ ગ્રૂપ બનાવીને જુઠ્ઠાણું ફેલાવી પ્રચાર કર્યો હતો. ભાજપનો IT Cell અને કોર્પોરેટ ગોદી મીડિયા ભાજપિયા હિન્દુત્વથી આગળ લોકો વિચારે નહીં તેની ચીવટ રાખે છે. આ વાસ્તવિકતા પિછાણીને લોકશાહી અને માનવ અધિકારોનાં મૂલ્યોનું પ્રશિક્ષણ લોકોમાં થાય તેનો સતત પ્રયત્ન કરવામાં આવે તો જ લોકશાહી બચે, ટકે અને તેનું સંવર્ધન થાય. દેશની લોકશાહીનો બચાવ થયો છે એટલું જ, લોકશાહીનું પુનર્વસન અને પુનર્સ્થાપન બાકી છે, એ લાંબા ગાળાનો વૈચારિક પ્રોજેક્ટ છે.</span></p>
<p><span style="font-size: 14pt;"><span style="color: rgb(0, 0, 0);"><strong>રમેશ સવાણી</strong></span> <strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><em>(લેખક નિવૃત્ત આઈપીએસ અધિકારી અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.)</em></span></strong></span><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><em></em></span></strong></span></p>
<p><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/did-the-change-in-the-constitution-of-the-rss-turn-the-tide-of-the-election">RSSની બંધારણ બદલવાની વાતે ચૂંટણીનું પાસું પલટી નાખ્યું?</a></span></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 11 Jun 2024 17:24:50 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 11 Jun 2024 17:24:42 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>750</Articleid>
                    <excerpt>હાલની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ-સંઘ બ્રાન્ડ હિંદુત્વના કોમવાદી ઝેરની અસર ઓછી નથી થઈ તેવું આંકડાઓ કહે છે. વાંચો આ રિસર્ચ લેખ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666813de09e9b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666813ddcca29.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666813ddcca29.jpg" length="89623" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>lok sabha election 2024, model code of conduct, Free and fair election, election commission of india, Modi, Shah, BJP, Congress</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત રાજનીતિઃ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ...</title>
                    <link>https://khabarantar.com/dalit-politics-from-here-to-the-desert-from-here-to-the-river</link>
                    <guid>https://khabarantar.com/dalit-politics-from-here-to-the-desert-from-here-to-the-river</guid>
                    <description>
                        <![CDATA[ ભારતમાં દલિત રાજનીતિ હવે એવા મુકામ પર આવીને ઉભી છે, જ્યાંથી તેણે નક્કી કરવું પડશે કે તેણે કઈ દિશામાં જવું છે. વાંચો નવલ કિશોરકુમારનો આ લેખ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વખતની લોકસભા ચૂંટણીમાં બે બાબતો સ્પષ્ટપણે સામે આવી છે. પહેલી વાત એ કે શોષિત, દલિત અને વંચિત સમાજે આગળ આવીને ચૂંટણીમાં ભાગ લીધો. એટલું જ નહીં ચૂંટણી પહેલા જે અશક્ય લાગતું હતું તે પણ કરી બતાવ્યું. ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે અબકી બાર 400 પારનો લગાવનાર ભાજપ 240 સીટો અને સમગ્ર NDA ગઠબંધન 293 સીટો પર સમેટાઈ ગયું હતું. બીજું, આ વખતે દલિત રાજકારણે નવું વલણ અપનાવ્યું. એક તરફ, બહુજન સમાજ પાર્ટી (BSP) ઉત્તર પ્રદેશમાં 9.39 ટકા મત મેળવવા છતાં એક બેઠક મેળવવા માટે તરસી ગઈ, તો બીજી તરફ સહારનપુર રમખાણો દરમિયાન ચર્ચામાં આવેલા ચંદ્રશેખર આઝાદે પોતાના માટે નગીના બેઠક જીતીને દલિત રાજનીતિને એક નવો વિકલ્પ આપ્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત રાજનીતિની દશા અને દિશા પર વાત કરીએ તે પહેલા આપણે તેના ભૂતકાળ પર નજર કરીએ. દલિત રાજકારણની શરૂઆત ડૉ. આંબેડકરે કરી હતી અને તે પણ ત્યારે, જ્યારે અંગ્રેજો આ દેશ પર રાજ કરતા હતા. ઈતિહાસ 1930-32 દરમિયાન લંડનમાં યોજાયેલી પ્રથમ અને બીજી ગોળમેજી પરિષદની નોંધ કરે છે, જેમાં ડૉ. આંબેડકરે અસ્પૃશ્ય તરીકે ઓળખાતા સમુદાયો માટે અલગ ચૂંટણીની માંગણી કરી હતી. આને દલિત રાજકારણની શરૂઆત ગણવી જોઈએ. જો કે ગાંધીજીએ યરવડા જેલમાં આમરણાંત ઉપવાસ કરીને આ માંગને ફગાવી દીધી હતી, પરંતુ તેઓ દલિત રાજકારણના વિસ્તારને રોકી શક્યા ન હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/congress-could-not-win-100-seats-but-why-does-it-have-the-glow-of-victory-on-its-face">કોંગ્રેસ 100 બેઠકો જીતી શકી નથી, છતાં તેના ચહેરા પર જીતની ચમક કેમ છે?</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66656a6164fdb.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> </span><span style="font-size: 14pt;">ડો. આંબેડકરે આ રાજકારણને શિડ્યૂલ કાસ્ટ ફેડરેશન દ્વારા વિસ્તાર્યું. આઝાદી પછી, બંધારણ સભાની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉ. આંબેડકરે સંસદ-વિધાનસભા તેમજ સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણમાં દલિત જાતિઓ માટે અનામતનો અધિકાર સુનિશ્ચિત કરીને દલિત રાજકારણનો પાયો મજબૂત કર્યો. તેઓ ચૂંટણીના રાજકારણમાં આને સાકાર થતું જોવા માંગતા હતા, તેથી તેમણે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI)ની રચના કરી. પરંતુ આરપીઆઈને આકાર આપે તે પહેલા જ 6 ડિસેમ્બર 1956ના રોજ તેમનું અવસાન થયું. જો કે આ પછી આરપીઆઈ અસ્તિત્વમાં તો આવી, પણ સમયની સાથે તેની ધાર ઓછી થતી ગઈ. પછી 1970માં દલિત પેન્થરનો સમય આવ્યો, જેણે દલિત રાજકારણને કોઈ ધાર ભલે ન આપી પરંતુ હિંમત ચોક્કસ આપી. તેની પ્રવૃત્તિ માત્ર મહારાષ્ટ્ર પુરતી મર્યાદિત રહી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/did-the-change-in-the-constitution-of-the-rss-turn-the-tide-of-the-election">RSS ની બંધારણ બદલવાની વાતે ચૂંટણી પાસું પલટી નાખ્યું?</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666569a36af1c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત રાજનીતિને નવી ઓળખ આપવાનો શ્રેય માન્યવર કાંશીરામને જાય છે, જેઓ હાલ બહુજન સમાજ પાર્ટીના રૂપમાં માયાવતીના અનુગામી છે. કાંશીરામની વિશેષતા એ હતી કે તેમણે દલિત રાજકારણને માત્ર દલિત જાતિઓ સુધી સીમિત ન રાખ્યું, પરંતુ તેમાં તમામ વંચિત સમુદાયોને સામેલ કર્યા. તેમની સાયકલ યાત્રા ભારતીય રાજનીતિમાં લાંબા સમય સુધી યાદ રહેશે અને એ પણ યાદ રહેશે કે બામસેફની રચના કરીને તેમણે દલિત સમાજના નોકરીયાત વર્ગને રાજકીય ચેતનાથી સજ્જ કર્યા. પરિણામ એ આવ્યું કે બસપા, પહેલા સમાજવાદી પાર્ટી અને બાદમાં ભાજપ સાથે મળીને ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવવામાં સફળ રહી અને 2007માં આ પાર્ટી સફળતાના શિખરે પહોંચી અને રાજ્યમાં પોતાના દમ પર સરકાર બનાવવાનો માર્ગ મોકળો કર્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-slogan-of-abki-bar-charso-par-and-dr-ambedkars-warning">'અબકી બાર ચારસો પાર'નો નારો અને ડૉ. આંબેડકરની ચેતવણી</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666569a5956e3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ આ વાત 2007ની હતી અને હવે આ ઘટનાને 16-17 વર્ષ વીતી ગયા છે. દરમિયાન બસપા દિવસેને દિવસે તેની શાખ ગુમાવતી જઈ રહી છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એક સમયે બહુજન રાજનીતિ કરતી બસપા હવે રાજકીય ગલિયારાઓમાં માત્ર જાટવ સમાજની રાજનીતિ કરતી પાર્ટી બની ગઈ છે. અને હવે આ ઓળખને પણ ફટકો પડ્યો છે. નગીના સીટ પોતાના દમ પર જીતીને ચંદ્રશેખરે સાબિત કરી દીધું છે કે જાટવ સમાજના લોકો પણ હવે બસપા પર વિશ્વાસ ગુમાવી રહ્યાં છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666569a50a32a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંકડાઓની વાત કરીએ તો 2019માં જ્યારે લોકસભા ચૂંટણી યોજાઈ હતી ત્યારે બસપા અને સપા વચ્ચે ગઠબંધન હતું. આ ચૂંટણીમાં બસપાને કુલ 19.34 ટકા વોટ મળ્યા હતા અને સીટોની સંખ્યા 10 હતી. સમાજવાદી પાર્ટીને કુલ 18.11 ટકા વોટ મળ્યા હતા, પરંતુ સીટોની સંખ્યા માત્ર પાંચ હતી. આ વખતે BSP ભારત ગઠબંધનમાં જોડાઈ ન હતી અને ભાજપની 'B' પાર્ટીનું કલંક સહન કરવું પડ્યું હતું. પરિણામ એ આવ્યું કે તેની વોટ ટકાવારીમાં દસ ટકાથી વધુનો ઘટાડો થયો અને સફળતા શૂન્ય રહી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ એ નોંધવું જોઈએ કે આ દલિત રાજનીતિની નહીં પણ પાર્ટી તરીકે બસપાની નિષ્ફળતા છે. આજે દલિત રાજનીતિની સ્થિતિ એવી છે કે દેશના વંચિત સમુદાયોની તમામ ચળવળોના કેન્દ્રમાં આંબેડકરવાદ છે. આ ચૂંટણીમાં ડો. આંબેડકરનું લખેલું બંધારણ કેન્દ્રસ્થાને રહ્યું. જેણે પ્રચંડ બહુમતિના નશામાં ધૂત થયેલી ભાજપને 240 એ લાવીને પટકી દીધી. ફરક એટલો છે કે દલિત રાજકારણ જે નદીની જેમ વહેતું હતું, તેણે પોતાનો રસ્તો સ્વયં શોધી લીધો છે. હવે આ રાજકારણ પર કોઈ પોતાનું લેબલ લગાવી લે તેવી કોઈ શક્યતા દૂર દૂર સુધી જણાતી નથી. ચંદ્રશેખરનો ઉદય તેનું ઉદાહરણ છે. પણ તેમણે દલિત રાજકારણની કસોટી પર ખરા ઉતરવાનું હજુ બાકી છે. તેના માટે તેમણે પોતાની પાર્ટીની વિશ્વસનીયતા ઉભી કરવી પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-does-rss-have-any-answer-to-these-questions-of-ambedkar">ડૉ. આંબેડકરના આ સવાલોનો RSS પાસે કોઈ જવાબ છે?</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666569a4718a9.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ તો દલિત રાજકારણ જડતાનો શિકાર નથી. પરંતુ તેની સ્પર્ધા વર્ચસ્વવાદી રાજનીતિ સાથે છે, દલિત રાજકારણ કરનારા રાજકારણીઓએ પણ આ વાત સમજવી પડશે. હવે એ દિવસો ગયા જ્યારે કોઈ વ્યક્તિ ડૉ. આંબેડકરનો ફોટો હાથમાં લઈને પોતાને દલિત રાજકારણી ગણાવતી હતી. રામવિલાસ પાસવાન આનું શ્રેષ્ઠ ઉદાહરણ બની રહ્યાં, જેઓ દલિત રાજકારણી તરીકે જાણીતા હતા પરંતુ તેઓ ક્યારેય દલિત રાજકારણના વાહક બની શક્યા નહીં. આ જ સ્થિતિ હાલ બસપાની છે. (</span><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><em><strong>શીર્ષક પંક્તિઃ કવિ કિસન સોસા</strong></em></span>)</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/Raghala,-Matars-boy-does-not-have-a-groom,-have-you-seen-this-Benali">રઘલા, મેતરના છોકરાને વરઘોડો ન હોય, આ બેનાળી જોઈ છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 09 Jun 2024 14:36:19 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 09 Jun 2024 14:23:07 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>741</Articleid>
                    <excerpt>ભારતમાં દલિત રાજનીતિ હવે એવા મુકામ પર આવીને ઉભી છે, જ્યાંથી તેણે નક્કી કરવું પડશે કે તેણે કઈ દિશામાં જવું છે. વાંચો નવલ કિશોરકુમારનો આ લેખ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666569a63d4bf.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666569a60a614.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666569a60a614.jpg" length="69526" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>પીએમના સાવ નિમ્નકક્ષા ભાષણો, વાંધાજનક શબ્દપ્રયોગોએ ભાજપને હરાવી</title>
                    <link>https://khabarantar.com/pms-low-class-speeches-offensive-language-defeated-bjp</link>
                    <guid>https://khabarantar.com/pms-low-class-speeches-offensive-language-defeated-bjp</guid>
                    <description>
                        <![CDATA[ પીએમ મોદીની ભાષણ કરવાની કળાને સૌ વખાણે છે, પણ આ વખતની ચૂંટણીમાં તેમના નિમ્નકક્ષાના ભાષણોએ જ ભાજપને હરાવ્યો હોય તેવું દેખાય છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યાને છ દિવસ થઈ ગયા છે અને રાજકીય નિષ્ણાતો ભાજપને થઈ રહેલા નુકસાનની સમીક્ષા કરી રહ્યાં છે. આ સમીક્ષામાં અનેક તારણો સામે આવી રહ્યાં છે. આ પૈકી સૌથી ચોંકાવનારું તારણ ખુદ વડાપ્રધાન મોદીના સાવ નિમ્ન કક્ષાના ભાષણો, વાંધાજનક શબ્દપ્રયોગો અને તોછડી ભાષા રહ્યાં હોવાનું કહેવાય છે. સામાન્ય રીતે મોદીના ભાષણોના આધારે જ ભાજપ ચૂંટણી જીતતો હોવાની છાપ છે, પણ આ વખતની લોકસભા ચૂંટણીમાં તેનાથી ઉલટું ચિત્ર જોવા મળ્યું હતું અને મોદીના ભાષણોના કારણે જ ભાજપનું મોટાપાયે ધોવાણ થઈ ગયું હોવાનું રાજકીય નિષ્ણાતો માને છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણ દરમ્યાન વિપક્ષોને અને તેમના નેતાઓ માટે જે શબ્દપ્રયોગ કર્યા તેની માત્ર વિરોધ પક્ષના નેતાઓએ જ નહીં દેશના નાગરિકોએ પણ ટીકા કરી હતી. લોકો માનતા હતા કે દેશના વડાપ્રધાન આવા શબ્દપ્રયોગ સાથે હલકા વિચારો વ્યક્ત કરીને વિપક્ષો પર ઝેર ઓકે તે શોભાસ્પદ નથી. વડાપ્રધાન તો દેશના રોલ મોડેલ અને ફાધર ફિગર તરીકે જોવાતા હોય છે. તેથી તેમણે આ હદની નીચલી પાયરીએ જવું ન જોઈએ. એક કોંગ્રેસ નેતાએ તો એમ પણ પ્રતિક્રિયા આપી કે મોદી માનસિક બીમાર થઈ ગયા હોય તેમ લાગે છે. તેમને સારવારની જરૂર છે. મોદીના આવા ભાષણને લીધે મતદારો ભાજપથી દૂર થઈ ગયા હોવાનું માનનારો એક મોટો વર્ગ ભાજપમાં જ પેદા થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મટન માછલીનું વિવાદસ્પદ ભાષણ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જમ્મુ કાશ્મીરની પ્રચાર સભામાં મોદીએ વાયરલ બનેલ એક વીડિયોનો સંદર્ભ આપીને કહ્યું હતું કે રાહુલ ગાંધી બિહારમાં લાલુ પ્રસાદને ઘેર ગયા હતા. અને કઈ રીતે મટનની વાનગી બને તેનું નિદર્શન તેના ઘરના સભ્યોને કર્યું હતું. મોદીએ તે પછી કહ્યું હતું કે કોર્ટે જેને સજા આપી છે અને જે જામીન પર છે (લાલુ યાદવ) એવા ગુનેગારને ઘેર જઈને રાહુલ ગાંધી મટન બનાવવાની મજા લઈ રહ્યા છે. આવા વીડિયો રાહુલ પોતે જ વાઈરલ બનાવીને દેશના નાગરિકોને ચીઢવવાનું કામ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોદીએ એ જ સભામાં ટોણો મારતા કહ્યું હતું કે, રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ માછલી ખાય છે, એટલું જ નહીં તે નવરાત્રિના પવિત્ર તહેવારમાં તેનો વીડિયો પણ વહેતો કરે છે. નવરાત્રિમાં નોનવેજ ખાવાનું બતાવીને તમે કોની ભાવનાને ઠેસ પહોંચાડો છો અને કોને ખુશ કરવાનો ખેલ ખેલી રહ્યા છો તે હું જાણું છું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોદીએ એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી અને તેજસ્વી માંસાહાર કરીને તેઓની મુગલ વિચારસરણીને પ્રદર્શન કરે છે, પણ જનતા જયારે જવાબ આપશે ત્યારે શાહી ખાનદાનોના યુવરાજોને બેદખલ કરી દેતી હોય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિપક્ષના ચૂંટણી ઢંઢેરાને મુસ્લિમ લીગ સાથે સરખાવ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશના સરહાનપુરમાં ભાજપની વિશાળ રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે જે કોંગ્રેસે આઝાદીની લડાઈ લડી હતી તેની સાથે તો કેવા દિગ્ગજો જોડાયેલા હતા. આઝાદીની લડાઈ લડનારી કોંગ્રેસ તો દાયકાઓ પહેલા સમાપ્ત થઈ ગઈ, હવે જે કોંગ્રેસ બચી છે તેની પાસે દેશના હિત માટે કોઈ નીતિ નથી કે નથી રાષ્ટ્ર નિર્માણનું વિઝન. વર્તમાન કોંગ્રેસના ઘોષણાપત્ર પરથી મુસ્લિમ લીગ તરીકેની છાપ ઉપસી  આવે છે તેમ મોદીએ કહ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/how-bollywood-remained-on-the-mark-of-manuvadis-in-the-decade-of-modiraj">મોદીરાજના દાયકામાં કેવી રીતે બોલીવૂડ મનુવાદીઓના નિશાન પર રહ્યું</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666541b04365f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહારના પાટલીપુત્રમાં મોદીએ ભાષણ દરમ્યાન કહ્યું હતું કે ઈન્ડિયા ગઠબંધને  વોટ બેંકની ગુલામી કરવી હોય તો ભલે કરે, તેઓ તો તે માટે સ્વતંત્ર છે. તેઓ “મુજરા” કરે છે. હું એસસી, એસટી અને ઓબીસી અનામત માટે મક્કમતાથી ઉભો રહીશ. જો કે વાસ્તવિકતા એ છે કે, છેલ્લાં દસ વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને આ સમયગાળામાં અનામત પર જેટલા પ્રહારો થયા છે તેટલા અગાઉ ક્યારેય નથી થયા. દલિતો પર અત્યાચારો વધ્યા છે, ગૌરક્ષકો બેફામ બન્યા છે, એટ્રોસિટીના કાયદાને નબળો પાડવાનું કૃત્ય પણ મોદી સરકારના રાજમાં જ થયેલું. તેમ છતાં હું અનામતના રક્ષણ માટે ઉભો છું, તેવું જુઠ્ઠાણું ચલાવ્યું, પણ મતો મળ્યાં નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બંધારણ બદલી નાખવાની માનસિકતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સત્તાના મદમાં અંધ બની ગયેલા ભાજપના નેતાઓએ અબકી બાર 400 પારનો નારો આપ્યો હતો. પણ જ્યારે લોકોએ સવાલ પૂછ્યો કે, શા માટે આટલી જંગી બહુમતી જોઈએ છે. તો અનંત હેગડેએ કહ્યું કે, બંધારણ બદલવા માટે જોઈએ. વડાપ્રધાનના આર્થિક સલાહકાર વિવેક દેબરોયે પણ એક લેખમાં આવી જ વાત કરી હતી. આ બાબતમાં પાછું વડાપ્રધાને તો સાવ વિચિત્ર નિવેદન આપી દીધું. તેમણે કહ્યું કે, બાબાસાહેબ આંબેડકર આવે તો પણ દેશનું બંધારણ બદલી નહીં શકે. બૌદ્ધિકોને આ નિવેદન અત્યંત બાલિશ લાગ્યું હતું. કેમ કે બાબાસાહેબે તો આ દેશનું બંધારણ ઘડ્યું હતું અને તેઓ તો બંધારણના મજબૂત તરફદાર હતા, તેઓ શા માટે બંધારણ બદલ? આ વિવાદે પીએમની છબિને વધુ ખરડી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મંગળસૂત્રનો વિવાદ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનમાં એક ચૂંટણી સભામાં મોદીએ બહેનોને ભડકાવતા કહ્યું કે કોંગ્રેસની નજર તમારા સોના પર છે. તેઓ તમારૂ મંગલસૂત્ર પણ છીનવી લેશે. કેમ કે દરેકની પ્રોપર્ટીનો તેઓ સર્વે કરશે. બહેનો પાસે કેટલુ સોનું છે તેની તપાસ થશે. આદિવાસીઓ પાસે ચાંદી હોય છે તેનો પણ કોંગ્રેસ હિસાબ લેશે. સોનું હશે તે બહેનો પાસે તેનો હિસાબ માંગશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગાંધીજી અને ગાંધી ફિલ્મનો વિવાદ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોદીએ એક ઈન્ટરવ્યૂમાં એવું કહ્યું કે મહાત્મા ગાંધીને ૧૯૮૨માં તેમના પર એક વિદેશીએ ફિલ્મ બનાવી તે પહેલા વિશ્વમાં તેની કોઈ ખાસ ઓળખ નહોતી. અગાઉના દાયકાઓમાં જેઓનું શાસન હતું તેની એવી જવાબદારી નહોતી કે પુરી દુનિયા મહાત્મા ગાંધીને જાણે. મોદીએ તે પછી ઉમેર્યું કે દુનિયા માર્ટિન લ્યૂથર કિંગ અને નેલ્સન મંડેલા વિશે જાણે છે. મહાત્મા ગાંધી કોઈથી કમ નહોતા. તે પછી તેમની સરકારે મહાત્મા ગાંધીજી માટે શું કર્યું તે જણાવ્યું હતું. મોદીએ એવા કેટલાયે તેમના સ્તરના નિવેદનો કર્યા જે વડાપ્રધાન જેવા ગરિમામય પદે રહેલી હસ્તીને ન શોભે. સરેરાશ ભારતીય મતદાર આ બધું જોતો હતો અને તેણે સમજી વિચારીને જ જાણે ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું હતું. એક સમયે જે વડાપ્રધાનના ભાષણો તેમની સૌથી મોટી તાકાત ગણાતા હતા, તે જ ભાષણો આ વખતની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને પીએમ માટે હારનું કારણ બની ગયા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/modis-chance-to-become-prime-minister-now-depends-on-nitish-chandrababu"><strong>મોદીના વડાપ્રધાન બનવાનો મદાર હવે નીતિશ-ચંદ્રાબાબુ પર નિર્ભર</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 09 Jun 2024 11:22:02 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>739</Articleid>
                    <excerpt>પીએમ મોદીની ભાષણ કરવાની કળાને સૌ વખાણે છે, પણ આ વખતની ચૂંટણીમાં તેમના નિમ્નકક્ષાના ભાષણોએ જ ભાજપને હરાવ્યો હોય તેવું દેખાય છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6665419ba3bb5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6665419b72ce3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6665419b72ce3.jpg" length="104376" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>કોંગ્રેસ 100 બેઠકો જીતી શકી નથી છતાં તેના ચહેરા પર જીતની ચમક કેમ છે?</title>
                    <link>https://khabarantar.com/congress-could-not-win-100-seats-but-why-does-it-have-the-glow-of-victory-on-its-face</link>
                    <guid>https://khabarantar.com/congress-could-not-win-100-seats-but-why-does-it-have-the-glow-of-victory-on-its-face</guid>
                    <description>
                        <![CDATA[ હાલની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 100 બેઠકો પણ જીતી શકી નથી. તેમ છતાં તેના ચહેરા પર જીત જેવી ખુશીની ચમક કેમ જોવા મળે છે. આ રહ્યો તેનો જવાબ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને એનડીએ ત્રીજી વખત સત્તામાં પરત ફર્યું છે. વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાએ પણ તાકાત બતાવી છે અને અંત સુધી લડીને પોતાની તાકાતનો પરચો બતાવ્યો છે. દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ ફરી એકવાર બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. કોંગ્રેસે તે રાજ્યોમાં પણ મજબૂત પ્રદર્શન કર્યું છે જ્યાં તે છેલ્લા ૧૦ વર્ષથી હારી રહી હતી અને ખાતું ખોલવા માટે સંઘર્ષ કરી રહી હતી. એમ કહી શકાય કે વર્તમાન લોકસભાની ચૂંટણી કોંગ્રેસ માટે સંજીવનીથી ઓછી ન ગણી શકાય. આ વખતે, કોંગ્રેસ તેના નવા અને જૂના સાથીઓની મદદથી મજબૂત રીતે ઉભરી આવી છે અને તેણે જે ચમત્કાર બતાવ્યો છે તે સાબિત કરે છે કે કોંગ્રેસ માત્ર પરિણામો બદલવા માટે સક્ષમ નથી, પરંતુ વિપક્ષો, ખાસ કરીને પ્રાદેશિક પક્ષોમાં પણ તે સર્વવ્યાપી રીતે સ્વીકૃત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/role-of-code-of-conduct-in-free-and-fair-elections">સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાની ભૂમિકા</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6662af1f67028.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિપક્ષોને એક કર્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વખતે કોંગ્રેસે ચૂંટણીમાં અલગ રણનીતિ અપનાવી અને સૌથી પહેલા ભાજપનો મુકાબલો કરવા માટે વિપક્ષી દળોને એકત્ર કર્યા. આ કામ પણ અનેક રીતે મહત્ત્વનું હતું. રાજ્યોમાં મજબૂત પ્રાદેશિક પક્ષોએ તેમના અલગ મુદ્દાઓ અને વિચારધારાઓથી આગળ હાથ મિલાવ્યા. તેમની સાથે સીટ વહેંચણીની સમસ્યાને ઉકેલવા માટે ઘણી જહેમત ઉઠાવી હતી. પોતે મર્યાદિત રહી પ્રાદેશિક પક્ષોને વધુ બેઠકો પર ચૂંટણી લડવાની તક આપી. આ બધાં પ્રયત્નોમાં ઘણું બધું ગુમાવ્યું. દિગ્ગજ નેતાઓ ગુસ્સે થઈને ચાલ્યા ગયા. પરંતુ પાર્ટીએ તેના મિશનમાં કોઈ ફેરફાર કર્યો નહીં. દરમિયાન ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા પણ કાઢવામાં આવી હતી. આનાથી એ સંદેશ પણ મળ્યો કે પાર્ટી ગ્રાઉન્ડ કનેક્ટમાં માને છે. ચૂંટણી પહેલા તેના બેંક ખાતાઓ ફ્રીઝ કરવાને કારણે પાર્ટીને આર્થિક સંકટનો પણ સામનો કરવો પડ્યો હતો. સામાન્ય ચૂંટણીના છ મહિના પહેલા, પાર્ટીએ હિન્દી હાર્ટલેન્ડ રાજ્યો રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ સરકાર ગુમાવી દીધી હતી. ત્યારે ઈન્ડિયા બ્લોકના સાથીઓએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસની મનમાનીને કારણે તેમને હારનો સામનો કરવો પડ્યો.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">હારમાંથી બોધપાઠ લીધો </span></strong><br><span style="font-size: 14pt;">નિષ્ણાતો કહે છે કે કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં તેની હારમાંથી બોધપાઠ લીધો હતો અને સામાન્ય ચૂંટણી માટે બેઠકોની વહેંચણીનો મુદ્દો, જે મહિનાઓથી ઉકેલાઈ રહ્યો ન હતો, તેને થોડા દિવસોની બેઠકો પછી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ જ કારણ છે કે કોંગ્રેસે આ વખતે ચૂંટણીમાં સૌથી ઓછી ૩૨૭ બેઠકો પર ચૂંટણી લડી હતી. આ પ્રથમ વખત હતું જ્યારે સૌથી જૂની પાર્ટી ૪૦૦થી ઓછી બેઠકો પર સામાન્ય ચૂંટણી લડી હતી. કોંગ્રેસે અન્ય બેઠકો પર વિરોધ પક્ષોને સમર્થન આપ્યું હતું. પોતાના ઉમેદવારોને વિજયી બનાવવા જાહેર સભાઓ કરી. પ્રચાર માટે આવ્યા અને વિજય માટે પોતાની બેઠકો જતી કરી. ૪ જૂને પરિણામ આવ્યા ત્યારે પાર્ટી ભલે હારી ગઈ હોય, પરંતુ તેનાથી ચહેરા પર ખુશી જોવા મળી હતી. દેશે આ પરિણામોને ઈન્ડિયા ગઠબંધન માટે એક ચમત્કાર તરીકે જોયું. તેને ૧૦ વર્ષના સંઘર્ષનું પરિણામ પણ ગણાવ્યું હતું. કોંગ્રેસે ૨૦૨૪ની ચૂંટણીમાં ૩૨૭ બેઠકો પર ચૂંટણી લડી હતી અને ૯૯ બેઠકો જીતી હતી. આ વખતે કોંગ્રેસને ૨૧.૧૯ ટકા મત મળ્યા છે. બહુમતિ મેળવી સરકાર બનાવવાથી તે દૂર રહી ગઈ, પણ મોદીના અહંકારને તોડવામાં તે સફળ રહી તેના કારણે તેના ચહેરા પર ખુશી વર્તાઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/how-can-privatization-be-good-for-the-country">ખાનગીકરણ કઈ રીતે દેશ માટે સારું હોઈ શકે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 07 Jun 2024 12:37:35 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>731</Articleid>
                    <excerpt>હાલની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 100 બેઠકો પણ જીતી શકી નથી. તેમ છતાં તેના ચહેરા પર જીત જેવી ખુશીની ચમક કેમ જોવા મળે છે. આ રહ્યો તેનો જવાબ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6662af353cb02.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6662af350b4b3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6662af350b4b3.jpg" length="136088" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>lok sabha election 2024, model code of conduct, Free and fair election, election commission of india, Modi, Shah, BJP, Congress</media:keywords>
                </item>
                        <item>
                    <title>જાહેર પાણીના નળ પર 71.4 ટકા દલિતો સાથે આભડછેટ રખાય છે</title>
                    <link>https://khabarantar.com/71.4-percent-of-dalits-have-access-to-public-water-taps</link>
                    <guid>https://khabarantar.com/71.4-percent-of-dalits-have-access-to-public-water-taps</guid>
                    <description>
                        <![CDATA[ આભડછેટ અને જાતિવાદને કારણે ગુજરાત સહિત દેશભરમાં દલિતોએ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે પણ કેવો કેવો સંઘર્ષ કરવો પડે છે તે વાંચીને ચોંકી જશો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નાત-જાતના ભેદના કારણે કોઈને પીવાનું પાણી ન મળે એવું તમે ક્યાંય જોયું? પાણી આમ તો  કુદરતી દેણ છે અને પાણી દરેક વ્યક્તિની મૂળભૂત જરૂરિયાત છે પરંતુ જ્ઞાતિનું ઝેર પાણીને પણ છોડતું નથી. દલિત સમુદાયને પાણી મેળવવામાં પારાવાર તકલીફો પડે છે તેની કેટલીક નોંધપાત્ર હકીકતો જુવો જે અદ્રશ્ય ભારત બતાવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ પણ દલિતોએ પાણી માટે મોટા સંઘર્ષ કરવા પડ્યા છે તેના સબળ પુરાવા આપણે ઈતિહાસ ચકાસીએ તો જણાશે. સામાજિક ક્રાંતિના મહાનાયક ડૉ. બાબાસાહેબ આંબેડકરનો ચવદાર તળાવ સત્યાગ્રહ પાણી માટેનો એક ઐતિહાસિક સંઘર્ષ હતો, પાણીનો હક લેવામાં સનાતાનીઓ એ અનેક અડચણો ઊભી કરેલી. આ સત્યાગ્રહના આટલા વર્ષો બાદ પણ દલિતોને પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડે છે. 1982ની આસપાસ સુરેન્દ્રનગર જીલ્લાનાં મૂળી તાલુકાના રણમલપુર ગામે પાણી માટે મોટો હત્યાકાંડ થયેલો જેમાં બે દલિતોએ જાન ગુમાવી હતી. 1992ના  માર્ચ મહિનામાં અમદાવાદના 42 ગામના દલિતોએ સામૂહિક રીતે રેલી કાઢી પીવાના પાણીની થતી અસમાન વહેંચણીનો અને ગંદા પાણીનો પ્રશ્ન ઉભો કરેલો, રેલીમાં  કેટલીક બહેનો તો દલિતોને મળતું ગંદુ  પાણી બોટલોમાં સાથે લઈ આવી  હતી અને મામલતદારને આવેદનરૂપે ગંદા પાણીની બોટલો આપી કહેલું કે જો આપ આ પાણી પી શકતા હો તો અમારી આપ સમક્ષ કોઈ જ ફરિયાદ નથી, ત્યાર બાદ 2012માં અમદાવાદના કલેક્ટર રૂપવતસિંઘને  અમદાવાદ જિલ્લાની આજુબાજુના    20 ગામના 1200 જેટલા દલિત પરિવારોને નાતજાતના ભેદના કારણે પીવાનું પાણી મળી શકતું નથી એવું આવેદનપત્ર આપ્યું હતું. અમદાવાદ જિલ્લામાં ઘણાં બધાં ગામોમાં બોલતા પુરાવા જેવી હકીકતો સામાજિક નિસબત ધરાવતા નાગરિકો સમાજ સમક્ષ લાવેલા તેની કેટલીક હકીકતો આપ સમક્ષ મુકું છું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Two-satyagrahas-from-ancient-history-which-are-not-remembered-despite-fighting-for-human-rights">અર્વાચીન ઈતિહાસના બે સત્યાગ્રહો, જે માનવાધિકાર માટે લડાયા હોવા છતાં યાદ કરાતા નથી</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_665d5aa241714.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1100ની વસ્તી ધરાવતા ઘોડી ગામમાં દલિતોની 135ની વસ્તી છે. તેમના માટે પીવાના પાણીની લાઈન 20 વર્ષ જૂની છે અને ચારથી પાંચ દિવસે પાણી આવે છે અને તે પણ અપૂરતું જેના કારણે દલિતો પાણી મળતું નથી. મહોલ્લાથી થોડેક દૂર અવાવરું જગ્યાએ પાણીનું ખુલ્લું કનેક્શન છે જયાં પાણી વહી જાય છે. 125ની વસ્તી ધરાવતા અરણેજ ગામમાં દલિત બહેનો એક કિલોમીટર દૂરથી પીવાલાયક ન હોય તેવું પાણી લાવે છે. 800ની વસ્તી ધરાવતા જવારજમાં જ્ઞાતિ પ્રમાણે અલગ અલગ કૂવા છે, ત્રણ વર્ષ પૂર્વે દલિતોને પાણી પૂરું પાડવા માટે અલગ સમ્પ બનાવવામાં આવેલ, પણ ત્યાં પાણી આવતું નથી. ભુરખી ગામે પણ પાણીની પાઈપલાઇનમાંથી પાણી મળતું નથી એટલે જ્ઞાતિવાર અલગ કૂવેથી પાણી ભરાય છે. પાણીનું કનેકશન ધરાવતા લોકોમાં દલિતોને છેલ્લે અને ઓછું પાણી મળે છે. પીસાવાડા ગામે દલિતો 20 રૂપિયા ખર્ચીને પાણી લાવે છે. બાવળાના ધનાવાડામાં  જ્ઞાતિ પ્રમાણે પાણી છોડવાનો સમય જાહેરમાં લખીને મુક્યો છે જેમાં દલિતો માટે પાણી છોડવાનો સમય છેલ્લે લખેલ છે. દહેગામડામાં પાઇપલાઇન હોવા છતાં દલિત ફળિયામાં કનેક્શન આપવામાં આવતું નથી. આ અંગે સરપંચ કહે છે કે તેનાથી કીચડ થશે. બગોદરામાં દલિત સમુદાયને વહેલી સવારે 04:00 05:00 વાગે પાણી આપવામાં આવે છે તેથી તકલીફ પડે છે. વિરમગામના છાશિયાણા ગામમાં 135 દલિત પરિવાર નજીકના સમ્પમાંથી ગંદુ પાણી મેળવીને પીવે છે, દલિતોનો અલગ કૂવો છે પણ પાણીનું સ્તર ખૂબ ઉંડુ હોવાના કારણે પાણી મળી શકતું નથી. સાણંદના લોહરીયાડામાં દલિતો પટેલોના નળથી પાણી મેળવે છે આમ ઉડીને આંખે વળગે એવી બોલતા પુરાવા જેવી હકીકતો સામે આવેલી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/you-should-be-given-water-in-toilet-bowl-only-then-you-dont-do-nakhra">તમને તો સંડાસ જવાના ડબલામાં પાણી આપવું જોઈએ, તો જ તમે નખરા ન કરો...</a><br></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_665d5aa2bd16b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હમણાં તાજેતરમાં ખેડાના માલાવાડમાં પાણીના પ્રશ્ન લઇને દલિતો પર ગંભીર હુમલો થયેલો જેમાં સમગ્ર દલિત સમાજમાં ગામના લોકોએ આતંક મચાવેલો અને મકાનોમાં તોડફોડ તેમજ મારામારી કરેલી, આટલેથી તેમનું મન ન ભરતા દલિતોના કૂવાને ગંદો કરવામાં આવેલ. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખારવા ગામે દલિત બંધુઓએ પીવાના પાણી માટે આવેદન આપી સરકારી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. અહીં પણ માત્ર દલિત સમાજને પાણી મળતું નથી તેવો પ્રશ્ન સાથી મિત્ર જયસુખભાઈ ખારવા જેઓ મજૂરી કરી ગુજરાન ચલાવે છે, તેઓએ ઉભો કર્યો હતો. આ ગામ હાલના ભાજપના સિટીંગ ધારાસભ્યનું ગામ છે. જેઓનું નામ મેઘજી ચાવડા છે. હમણાં ગયા વર્ષે જ સાથી મિત્ર મહેશભાઈ તુરીએ મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરેલ કે મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના કુડોલ ગામે અને મંડાલી ગામે પણ દલિતોને પાણી આપવામાં ભેદભાવ થાય છે, દલિત ફળિયામાં પીવાના પાણીની લાઈન પણ નાની રાખવામાં આવી છે અને પુરતા પ્રમાણમાં પાણી પણ આપવામાં આવતું નથી. મોરબીના આંબેડકરનગરમાં દલિતોને પૂરતું પાણી મળતું નથીની ફરિયાદો વારંવાર પ્રસાસનને આપવામાં આવી છે. 2014માં મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લુણાસણ ગામે પાણી ભરવા જતી બે દલિત બહેનોએ અત્યાચારનો ભોગ બનવું પડેલું જેથી બહેનોએ ફરિયાદ કરી હતી. મહેમદાવાદના જાળિયામાં 2012માં ખુદ સરપંચે કુવામાંથી દલિતોને પાણી ભરવાની મનાઈ ફરમાવી હતી. જે તે સમયના મહેસાણા જિલ્લાના અને હાલના ગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકામાં પાણીની ફરિયાદ કરવા ગયેલા દલિતભાઈને જાતિ વિરુદ્ધ અપમાન  કરીને તેમની ઉપર હુમલો પણ કરવામાં આવેલો, જેમાં 17 લોકો આરોપી બન્યા હતા. તો આવી જ રીતે બનાસકાંઠાના ધાનેરામાં પણ પાણી ની ફરિયાદ કરવા ગયેલા દલિત ભાઈને જાતિગત અપમાનિત કરી કાઢી મુકાયેલા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રના બીડ જિલ્લાના સોના ખાટે ગામે અને જાલનાના ભુતેગાવમા ડંકીથી પાણી ભરવાનો પ્રયાસ કરનાર દૂધમલ દલિત યુવાનોની હત્યા થઈ હતી. સુશીલ કુમાર શિંદે જેવા દલિત મુખ્યમંત્રીના શાસનકાળના પ્રથમ છ માસમાં મરાઠાવાડા વિસ્તારમાં દલિત અત્યાચારના 46 બનાવો બનવા પામેલા, જેમાં 19 પાણીના પ્રશ્નને લગતા હતા. અરે મહાડ સત્યાગ્રહના સ્થળે 2003માં પાણીના હક સંબંધી દલિતોની અત્યાચાર વિરોધી પાણી હક સંબંધી પરિષદ યોજાઈ હતી. આ સઘળી હકીકતો દર્શાવે છે કે દલિતો માટે પાણી બહુ મોટી સમસ્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/in-rampur-disa-dalit-child-beaten-after-drinking-water-from-matla">ડીસાના રામપુરમાં દલિત બાળકે માટલામાંથી પાણી પીધું તો માર્યો</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_665d5aa342a42.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગ્રામીણ ગુજરાતની ૭૦ ટકા ઉપરાંતની દલિત વસ્તી પીવાના પાણીના સહિયારા સ્રોતમાંથી પાણી મેળવી શકતી નથી, તેમને ગામના સવર્ણ લોકોની મરજીથી રેડામણા પાણીનો આધાર રાખવો પડતો હોય છે.(રેડામણું પાણી એટલે કે દલિતોના ઘડામાં પોતાની મરજીથી ઉપરથી પાણી રેડવું). ગ્રામીણ ગુજરાતમાં અસ્પૃશ્યતા આચરણ અંગેના સમાજવિજ્ઞાનીઓ આઈ. પી. દેસાઈ અને  ઘનશ્યામ શાહના અભ્યાસક્રમમાં દલિતોને પાણીના પ્રશ્ને ભોગવવી પડતી સ્થિતિનું ભયાનક ચિત્ર જોવા મળે છે. આઈ.પી.દેસાઈના અભ્યાસ સર્વેક્ષણ હેઠળના 69 ગામો પૈકી 44 ગામોમાં દલિતો માટે અલાયદા પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">robert કેનેડી સેન્ટર ફોર જસ્ટિસ એન્ડ હ્યુમન રાઇટ્સ અને નવસર્જન દ્વારા 2010માં ગુજરાતના 56 તાલુકાના 1,589 ગામમાં આભડછેટ અંગેનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવામાં આવ્યો હતો તેમાં બિન દલિતોના વિસ્તારોમાં પાણીના નળ પર દલિતો સાથે 71.4 ટકા અને ગામના કુવેથી 66.3 ટકા આભડછેટ પળાતી હોવાનું જણાઈ આવ્યું હતું. હિન્દુ ધર્મ દ્વારા ઉભી કરાયેલી જાતિ વ્યવસ્થામાં ગુજરાતમાં પંચાયતોમાં પાણીની બાબતોમાં દલિત સભ્યો સાથે ૬૨.૭ ટકા આભડછેટ પાળવામાં આવે છે. જાહેર પાણીની પરબો પર 42.9 %, સ્કૂલોમાં ૪૨ ટકા પીવાના પાણી માટે દલિતો સાથે ભેદભાવ રાખવામાં આવે છે. આપણા સમાજમાં પીવાનું પાણી અને ઘર વપરાશનું પાણી લાવવાનું કામ સ્ત્રીઓના માથે મારવામાં આવ્યું છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્ત્રી હોવું અને તેમાંય દલિત સ્ત્રી હોવું એ વારી વિપદા વધારનારૂ પરિબળ છે. પાણી માટે  ક્યારેક દરબદરની ઠોકરો ખાવી, અપમાનો સહન કરવા અને ક્યારેક તો જાતીય શોષણનો ભોગ પણ સ્ત્રીઓએ બનવું પડે છે. સ્ત્રીઓ સમગ્ર કુટુંબ માટે પાણી મેળવવા તનતોડ મહેનત કરતી હોવા છતાં ક્યારેક પાણીનો ન્યાયપૂર્ણ હિસ્સો સ્ત્રીઓના ભાગે આવતો નથી અને તેના કારણે સ્ત્રીઓના આરોગ્ય વિષયક પ્રશ્નો ઊભા થાય છે. ગુજરાતમાં પાણી મેળવવા માટે વર્ષે 330 લાખ માનવ દિન ગુમાવવા પડે છે. માટે તે દલિત સ્ત્રીઓ માટે આ ભેદભાવના કારણે વધુ આકરું બને છે જે દેશમાં વિદેશી કંપનીઓ વર્ષે ૮૫ કરોડ રૂપિયાના પાણીનો વેપલો કરતી હોય તે દેશમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પંચના 1997/98 વર્ષના અહેવાલ મુજબ દલિત વિસ્તારમાં ૨૨.૪૬ ટકા જેટલી દલિત વસ્તી સુધી હજુ પીવાનું પાણી પહોંચી શક્યું નથી. આ સઘળી હકીકતો દર્શાવે છે કે આજે પણ દલિતો માટે પીવાનું પાણી હજુ પણ જોજન દૂર છે.</span></p>
<p><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>એડવોકેટ કૌશિક પરમાર,</strong></span><span style="color: rgb(0, 0, 0);"> </span><span style="color: rgb(224, 62, 45);"><strong>મહેસાણા</strong></span><span style="font-size: 12pt;"><em><strong>(લેખક વ્યવસાયે એડવોકેટ અને દલિત-બહુજન સમાજના પ્રશ્નો માટે સતત ઝઝૂમતા સામાજિક કાર્યકર છે)</strong></em></span></span></p>
<p><span style="font-size: 12pt;"><em><strong>(મૂળ લેખ વર્ષ 2015માં લખાયો હતો, જે સામાન્ય સુધારા સાથે અહીં રજૂ કર્યો છે.)</strong></em></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/dalit-drank-water-from-the-lake-which-they-did-not-dare-to-even-look-at"><strong>જે તળાવ સામે જોવાની પણ હિંમત નહોતી તેમાંથી જ્યારે દલિતોએ ખોબાં ભરીને પાણી પીધું</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 03 Jun 2024 11:34:18 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 03 Jun 2024 22:51:34 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>700</Articleid>
                    <excerpt>આભડછેટ અને જાતિવાદને કારણે ગુજરાત સહિત દેશભરમાં દલિતોએ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે પણ કેવો કેવો સંઘર્ષ કરવો પડે છે તે વાંચીને ચોંકી જશો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_665d5a8699c93.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_665d5a866a5d4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_665d5a866a5d4.jpg" length="119238" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>મોદીરાજના દાયકામાં કેવી રીતે બોલીવૂડ મનુવાદીઓના નિશાન પર રહ્યું</title>
                    <link>https://khabarantar.com/how-bollywood-remained-on-the-mark-of-manuvadis-in-the-decade-of-modiraj</link>
                    <guid>https://khabarantar.com/how-bollywood-remained-on-the-mark-of-manuvadis-in-the-decade-of-modiraj</guid>
                    <description>
                        <![CDATA[ 2014 બાદ હિંદુત્વવાદીઓ સરકારમાં મજબૂત થયા બાદ બોલીવૂડને કેવી રીતે મનુવાદી વિચારધારાના કુપ્રચારનું હથિયાર બનાવ્યું તેની વિગતે વાત કરીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય રાજકારણ, સમાજ અને સંસ્કૃતિ માટે આ ખૂબ જ અશાંત સમયગાળો છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. સિનેમા જગત પણ આનો એક ભાગ રહ્યો છે. 2014થી ભારતને એક રાષ્ટ્ર અને સમાજ તરીકે પુનઃવ્યાખ્યાયિત કરવાના વ્યવસ્થિત પ્રયાસો થઈ રહ્યા છે અને તેના માટે ફિલ્મોની મદદ પણ લેવામાં આવી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હકીકતે આ સમયગાળા દરમિયાન ભારતમાં સોફ્ટ પાવર કહેવાતી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવી. એક સમયે દેવતાઓની જેમ પૂજાતા તેના સુપરસ્ટાર્સ નફરત અને બહિષ્કાર ઝુંબેશનો શિકાર બન્યા. ખાસ કરીને હિન્દી સિનેમાને હિંદુ-મુસ્લિમની સાંપ્રદાયિક ગંદકીમાં ધકેલી દેવામાં આવ્યું. દેશમાં અચાનક એવી ફિલ્મોનું પૂર આવ્યું જેમાં મુસ્લિમો, ડાબેરીઓ અને ઉદારવાદીઓને વિલન તરીકે રજૂ કરવામાં આવ્યા. એ સમજી શકાય તેવું છે કે આ બધાંનું કનેક્શન 2014ના ભગવા ઉભાર, બોલીવૂડમાં ખાન(શાહરૂખ, સલમાન, આમીર ખાન જેવા) સુપરસ્ટાર્સના વર્ચસ્વ અને ફિલ્મી દુનિયાના ધર્મનિરપેક્ષ મિજાજ સાથે છે, જે મનુવાદીઓને ક્યારેય ગમ્યું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સિનેમાના પડદે સાંસ્કૃતિક સર્વોપરિતાની લડાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાસ્તવમાં, છેલ્લાં દસ વર્ષમાં હિન્દી સિનેમાને સાંસ્કૃતિક વર્ચસ્વની લડાઈનું મેદાન બનાવવામાં આવ્યું છે. આ માટે ઘણાં કારણો જવાબદાર છે. એમાં કોઈ શંકા નથી કે ભારતીય સિનેમા આઝાદી પછીના દાયકાઓ સુધી નેહરુવાદી સમાજવાદ અને ડાબેરી વિચારધારાથી પ્રભાવિત હતું. તેની અસર સમાજમાં પણ વ્યાપકપણે જોવા મળી હતી. પરંતુ સત્તાના કેન્દ્રમાં આવ્યા પછી બ્રાહ્મણવાદી તાકાતો સિનેમાના આ સોફ્ટ પાવરને સીધો નિયંત્રિત કરવા અને તેનો પોતાની રીતે ઉપયોગ કરવા માંગે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), જે પોતાને એક સાંસ્કૃતિક સંગઠન ગણાવે છે, તે બોલિવૂડને બિનસાંપ્રદાયિકતાનો ગઢ માને છે અને લાંબા સમયથી તેના આ મિજાજને બદલવાના મનસૂબા સેવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Documentary-film-Mhara-Pitcher-directed-by-Dakshina-Bajranghe-will-be-released-at-Dharamshala-International-Film-Festival">દક્ષિણ બજરંગે છારા નિર્દેશિત Documentary ફિલ્મ 'મ્હારા પિચર' Dharamshala ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થશે</a></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_66597549ef914.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજું કારણ બોલીવુડના ટોચના ત્રણ “ખાન” સુપરસ્ટાર્સ છે, જેઓ નેવુંના દાયકાથી બોલીવુડ અને દર્શકોના દિલો પર રાજ કરી રહ્યા છે અને તેમના ચાહકો ધાર્મિક સીમાઓથી પર છે. આ ત્રણેય સ્ટાર્સની અભૂતપૂર્વ લોકપ્રિયતા આશ્ચર્યજનક છે. આટલા વ્યાપક ધ્રુવીકરણના સમયમાં પણ હિન્દી સિનેમાની આ અનોખી પરિસ્થિતિ અંગે મનુવાદીઓની ચીડ સમજી શકાય તેવી છે. એટલા માટે છેલ્લા એક દાયકાથી ખાન સ્ટાર્સ સતત તેમના નિશાન પર છે. આ સમયગાળામાં તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવા અથવા તેમની ફિલ્મોનો બહિષ્કાર કરવાની માંગ કરવી ખૂબ સામાન્ય રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી બોલિવૂડ સામે સુનિયોજિત બોયકોટ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ફિલ્મ ઉદ્યોગને ડ્રગ એડિક્ટ્સ અને ગુનેગારો વચ્ચેની સાંઠગાંઠ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં, બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે બોલિવૂડ અને તેના કલાકારો વિરુદ્ધ કોઈ યોજના અંતર્ગત નકારાત્મક ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને આવું કરનારા બહુમતી લોકો જમણેરી વિચારધારાના હતા અને તેમનું જોડાણ સત્તાધારી પાર્ટી સાથે પણ હતું. સાંસ્કૃતિક વર્ચસ્વની આ લડાઈમાં આજે આપણા સમાજની જેમ બોલીવુડ પણ છાવણીઓમાં વહેંચાઈ ગયું છે. અહીં પણ હિન્દુ-મુસ્લિમનો પ્રશ્ન સામાન્ય બની ગયો છે અને સમગ્ર ઈન્ડસ્ટ્રી જબરદસ્ત વૈચારિક દબાણના સમયગાળામાંથી પસાર થઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સત્તાનો સચેત હસ્તક્ષેપ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં, 3 મેના રોજ કર્ણાટકમાં એક ચૂંટણી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'નો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આ ફિલ્મમાં કેરળમાં ચાલી રહેલા 'આતંકવાદી કાવતરા' (લવ જેહાદ)નો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એ પહેલા ફેબ્રુઆરી 2024માં જમ્મુ અને કાશ્મીરમાં એક સભામાં વડાપ્રધાને લોકોને 'આર્ટિકલ 370' ફિલ્મ જોવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે, "મેં સાંભળ્યું છે કે આ અઠવાડિયે 'આર્ટિકલ 370' પર એક ફિલ્મ રિલીઝ થવાની છે. આ સારું છે કારણ કે તેનાથી લોકોને સાચી માહિતી મેળવવામાં મદદ મળશે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાસ્તવમાં, છેલ્લા એક દાયકામાં બ્રાહ્મણવાદી એજન્ડા પર આધારિત ફિલ્મોનો ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ભારે પ્રચાર કરવામાં આવ્યો છે, જેમાં વડાપ્રધાનથી લઈને મુખ્યમંત્રી પણ સામેલ રહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ યાદ રાખવું રહ્યું કે, આ માત્ર એક, બે કે ત્રણ ફિલ્મોની વાત નથી. 2014માં કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ હિન્દી ફિલ્મ ઉદ્યોગનો એક વર્ગ સંઘ અને ભાજપની વિચારધારા પર કેન્દ્રિત ફિલ્મોનું નિર્માણ કરી રહ્યો છે. આ ફિલ્મો રાજકીય પ્રોપેગેન્ડાની સાથે જ લઘુમતીઓ અને આદિવાસીઓ વિરુદ્ધના દ્રષ્ટિકોણને પ્રોત્સાહન આપે છે. આ ફિલ્મોની યાદીમાં 'બુદ્ધા ઇન ટ્રાફિક જામ', 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર', 'ધ કેરળ સ્ટોરી', 'ધ કાશ્મીર ફાઇલ્સ', 'પીએમ નરેન્દ્ર મોદી', '72 હુરેં, 'ધ વેક્સીન વોર', 'મેં અટલ હું', 'સ્વાતંત્ર્યવીર સાવરકર', 'આર્ટિકલ 370', 'બસ્તર-ધ નક્સલ સ્ટોરી' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Vidya:-The-first-film-to-challenge-caste-in-independent-India">વિદ્યાઃ આઝાદ ભારતમાં જાતિને પડકાર આપનારી પહેલી ફિલ્મ</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_665975658d0c1.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ માત્ર એક સંયોગ નથી પરંતુ એક સુનિયોજિત કાવતરું છે કે 'બસ્તર - ધ નક્સલ સ્ટોરી' 2024ની લોકસભા ચૂંટણી પહેલા રિલીઝ થઈ હતી, જેના વિશે એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ ફિલ્મ છેલ્લાં 60 વર્ષથી ભારતમાં સક્રિય ડાબેરી ઉગ્રવાદના ઊંડા મૂળને ઉજાગર કરશે. આ ફિલ્મના દિગ્દર્શક સુદીપ્તો સેન છે, જેમની અગાઉની ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' પણ ઘણી વિવાદાસ્પદ રહી હતી. તેવી જ રીતે, 'JNU: જહાંગીર નેશનલ યુનિવર્સિટી' 5 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, જે પાછળથી મોકૂફ રાખવામાં આવી હતી. તેવી જ રીતે ગોધરાકાંડ પર આધારિત ફિલ્મ 'એક્સીડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા' જે આ વર્ષે માર્ચમાં રીલીઝ થવાની હતી પણ સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર ન મળવાને કારણે સમયસર રિલીઝ થઈ શકી નથી. આ સિવાય પણ કેટલીક ફિલ્મો લાઈનમાં છે. જેમાં 'રઝાકરઃ સાયલન્ટ જેનોસાઈડ ઓફ હૈદરાબાદ' મુખ્ય છે. જેનું નિર્માણ તેલંગાણા રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય ગુડ્ડુર નારાયણ રેડ્ડી દ્વારા કરવામાં આવ્યું છે. આ સિવાય દીનદયાળ ઉપાધ્યાય, આરએસએસના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવારના જીવનચરિત્ર પર પણ ફિલ્મો બની રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બોલિવૂડે હાર સ્વીકારી નથી </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે આટલા પ્રયત્નો છતાં બોલિવૂડની જૂની તાસિર હજુ યથાવત છે. આ દિશામાં, વર્ષ 2023 ની શરૂઆતમાં રિલીઝ થયેલી ફિલ્મ 'પઠાણ'એ બહિષ્કાર અભિયાનના ચક્રને તોડવાનું કામ કર્યું અને એક રીતે મુશ્કેલીમાં મૂકાયેલા બોલીવૂડની વાપસીમાં મહત્વની ભૂમિકા ભજવી. એક રીતે આ ફિલ્મે બોલિવૂડ વિશે બ્રાહ્મણવાદીઓ દ્વારા બનાવવામાં આવેલા ખાસ નેરેટિવનો તોડી નાખ્યો હતો. કદાચ એટલે જ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે 'પઠાણ'ની સફળતાને સોશિયો-પોલિટીકલ ઉલ્લાસ ગણાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ 2013માં તેના સો વર્ષ પૂરા કર્યા હતા. પોતાની તમામ મર્યાદાઓ છતાં આખી દુનિયામાં તેની ઓળખ તેની ખાસ પ્રકારની ફિલ્મોને લઈને રહી છે. આ આપણા કેટલાક એવા વ્યવસાયો પૈકીનો એક છે જેના દરવાજા પ્રતિભાશાળી દરેક વર્ગના લોકો માટે ખૂલ્લાં છે. અને એ જ વાત બહુમતી દક્ષિણપંથીઓને કાયમ ખટકતી રહી છે. એટલે જ તેઓ બોલીવૂડને પણ પોતાના કુપ્રચારનું હથિયાર બનાવી લેવા માંગે છે અને તેના માટે તેઓ કોઈપણ ચાલાકી કરતા ખચકાતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong> <a href="https://khabarantar.com/why-do-propaganda-films-that-are-supposed-to-turn-the-audience-into-vote-banks-fail"><strong>દર્શકોને મતબેંકમાં ફેરવવા મથતી પ્રોપેગેન્ડા ફિલ્મો કેમ ફ્લોપ જાય છે?</strong></a></span></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 31 May 2024 12:38:25 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 31 May 2024 12:36:41 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>686</Articleid>
                    <excerpt>2014 બાદ હિંદુત્વવાદીઓ સરકારમાં મજબૂત થયા બાદ બોલીવૂડને કેવી રીતે મનુવાદી વિચારધારાના કુપ્રચારનું હથિયાર બનાવ્યું તેની વિગતે વાત કરીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_6659752f87223.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_6659752f56a0f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_6659752f56a0f.jpg" length="121219" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બ્રાહ્મણોની સાંસ્કૃતિક ગુલામીમાંથી બહુજનોને કેવી રીતે બચાવી શકાય?</title>
                    <link>https://khabarantar.com/how-can-the-bahujans-be-saved-from-the-cultural-slavery-of-the-brahmins</link>
                    <guid>https://khabarantar.com/how-can-the-bahujans-be-saved-from-the-cultural-slavery-of-the-brahmins</guid>
                    <description>
                        <![CDATA[ બહુજન સમાજ ભૌતિક-આર્થિક-રાજકીય ગુલામીમાંથી અમુક અંશે મુક્ત થયો છે પરંતુ આજે પણ સંપૂર્ણ સાંસ્કૃતિક ગુલામીના કારણે માનસિક ગુલામીમાં જીવી રહ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બ્રાહ્મણ વર્ગ કહે છે કે આપણે કોટ-પેન્ટ છોડીને ધોતી-કુર્તા પહેરવા જોઈએ. તે કહે છે કે આપણે અંગ્રેજી છોડીને હિન્દી અપનાવવી જોઈએ, વિજ્ઞાનને બદલે ધર્મ તરફ જવું જોઈએ. પરંતુ તે પોતે તેનાથી વિપરીત કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુલામીના ઘણા પ્રકાર છે. જેમ કે - શારીરિક ગુલામી, માનસિક ગુલામી, આર્થિક ગુલામી, રાજકીય ગુલામી અને સાંસ્કૃતિક ગુલામી. હાલમાં બહુજન સમાજ ભૌતિક ગુલામી, આર્થિક ગુલામી અને રાજકીય ગુલામીમાંથી અમુક અંશે મુક્ત થયો છે. પરંતુ આજે પણ આપણે સંપૂર્ણ સાંસ્કૃતિક ગુલામી અને પરિણામે માનસિક ગુલામીમાં જીવી રહ્યા છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. ભીમરાવ આંબેડકરે સાંસ્કૃતિક ગુલામીની એ પરિસ્થિતિનું વર્ણન કર્યું છે, જ્યારે કોઈ સમાજ અથવા સમૂહના લોકો પોતાની સ્વતંત્રતા અને સ્વાધીનતાને બદલે અન્ય સમાજ અથવા વ્યક્તિઓની સાંસ્કૃતિક માન્યતાઓ, મૂલ્યો અને નિયમોને અનુસરવા મજબૂર હોય છે. તેનો અર્થ એ છે કે તેઓ પોતાની સાંસ્કૃતિક વિવિધતા અને સ્વતંત્રતાને છોડીને અન્ય લોકોની સાંસ્કૃતિક માન્યતાઓને અનુસરે છે. ડૉ. આંબેડકરે તેને એક પ્રકારની ગુલામી અથવા જુલમ તરીકે જોયો, જે વ્યક્તિ અને સમાજની સ્વતંત્રતાને હાઇજેક કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Hindu-scriptures-written-by-Brahmins-are-a-mountain-of-immorality---Kaushik-beginning">બ્રાહ્મણોએ લખેલા હિંદુ ધર્મગ્રંથો અનૈતિકતાનો પહાડ છે - કૌશિક શરૂઆત</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_665582ce31662.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ જાણીતું છે કે જ્યારે કોઈ શાસક સમાજ કોઈ સમાજને ગુલામ બનાવવાનો પ્રયાસ કરે છે ત્યારે તેનો પહેલો પ્રયાસ ધીમે ધીમે તેને સાંસ્કૃતિક ગુલામ બનાવવાનો હોય છે. તેથી જ તે ધાર્મિક પુસ્તકો લખે છે. મનુસ્મૃતિની જેમ વેદ, પુરાણ, રામાયણ, મહાભારત અને ગીતા લખાયા. બ્રાહ્મણ વર્ગ આ પુસ્તકોમાં બહુજન જાતિઓને હલકી કક્ષાની ગણાવે છે અને કહે છે કે આ પુસ્તકો ભગવાને લખ્યા છે. તે કહે છે કે તમે પગમાંથી જન્મ્યા છો એટલા માટે તમે શુદ્ર છો. આ પુસ્તકોમાં આવું એટલા માટે લાખવામાં આવ્યું છે જેથી એક મોટા સમાજને સાંસ્કૃતિક ગુલામ બનાવી શકાય. અને તેઓ આ કાર્યમાં લગભગ સફળ થયા છે. જો આવું ન થયું હોત તો એ કેવી રીતે શક્ય છે કે મહિલાઓ એ રામાયણના કાંડનું પઠન સ્વયં કરે છે, જેમાં કહેવાયું છે કે, "ઢોર, ગંવાર શુદ્ર પશુ ઔર નારી, યહ હૈ તાડન કે અધિકારી." આજે સાંસ્કૃતિક ગુલામીની સ્થિતિ એ છે કે દલિતો અને ઓબીસી પણ એ ભાગવત કથાનું આયોજન કરે છે જેમાં તેમને હલકી કક્ષાના ચીતરવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહેવાની જરૂર નથી કે આજે બહુજન સમાજ કે કોઈપણ શ્રમજીવી સમાજ ભદ્ર સમાજની સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યો છે. જ્યારે પણ બહુજન સમાજનો કોઈ વ્યક્તિ બંધારણ દ્વારા આપવામાં આવેલ અનામતનો લાભ લઈને કોઈ મોટા હોદ્દા કે કોઈ મોટા વેપારમાં આવે છે ત્યારે તે પોતાની જાતને કથિત ઉચ્ચ વર્ણના બતાવવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયત્નમાં તે કથિત સવર્ણ વર્ગના તહેવારો અને દેખાવને પણ અપનાવવાનું શરૂ કરે છે. તે પોતાના મહાન પૂર્વજો અને તેમના યોગદાનને યાદ કરવામાં શરમ અનુભવે છે. પોતાની સંસ્કૃતિને હલકી ગણે છે. એક રીતે જોવામાં આવે તો આ શિક્ષિત વ્યક્તિ વાસ્તવમાં બ્રાહ્મણ વર્ગનો સાંસ્કૃતિક ગુલામ છે. ભલે તેને આ ગુલામીની જાણ ન હોય. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Movie-12th-Fail---Its-not-about-the-struggle-but-the-privileges-that-Brahmins-get">ફિલ્મ 12th Fail - વાત સંઘર્ષની નહીં બ્રાહ્મણોને મળતા વિશેષાધિકારોની છે</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_665582ccda8f5.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘણી વખત બ્રાહ્મણ વર્ગ કે જે શાસક વર્ગ છે, તે બહુજન સમાજના તહેવારોને અપનાવે છે અને તેમાં ફેરફાર કરીને પીરસે છે. તેની પાછળ ભારતના પાક અને મોસમ આધારિત તહેવારોની જેમ મૂડી અને ગુલામીની વાર્તા જેવા કારણો છે. આ તહેવાર અહીંના બહુજન મૂળનિવાસીઓનો તહેવાર છે. તેને કાલ્પનિક, ધાર્મિક દેવતાઓના નામે વાર્તાઓ રચીને તેને પરિવર્તિત કરી દેવાયા છે. પાક અને ઋતુ આધારિત તહેવારો આજે ભેદભાવ અને ઊંચનીચના પ્રતિક બની ગયા છે. આ તહેવારો બ્રાહ્મણ વર્ગ માટે આવકનું સાધન બનીને રહી ગયા છે અને તેઓ તેના પર જ નિર્ભર છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રશ્ન એ છે કે સાંસ્કૃતિક આત્મનિર્ભરતા માટે કેવા પ્રકારના પ્રયત્નો જરૂરી છે? ઉદાહરણ તરીકે, સૌ પ્રથમ તેણે તેની ગુમાવેલી સંસ્કૃતિ પાછી મેળવવી જોઈએ. આ સમાજ પોતાના સાંસ્કૃતિક મૂલ્યોને ખુદ ઓળખે અને તેમાં બ્રાહ્મણ વર્ગ દ્વારા કરવામાં આવેલા ફેરફારોને ઉખાડી ફેંકે. જો બહુજન સમાજ આ કરી શકશે તો તે તેના ગુલામીવાળા દંભ, રીતિરિવાજો અને દેખાડાને જડમૂળથી ઉખાડીને ફેંકી શકશે. આ ઉપરાંત એવા તહેવારોનો બહિષ્કાર કરવો જોઈએ જેમાં બ્રાહ્મણો અથવા ચોક્કસ જાતિ વિશેષની જરૂર પડતી હોય. જોતિરાવ ફૂલે, ડૉ. આંબેડકર જેવા મહાપુરુષોએ જે નવા ઉત્સવોનું સૂચન કર્યું છે તે શરૂ કરો. અથવા એ મહાપુરુષો સાથે જોડાયેલી વિશેષ ઘટના જેમ કે તેમનો જન્મદિવસ, પરિનિર્વાણ દિવસ, મોટા આંદોલનના દિવસ વગેરે જેવી કોઈ વિશેષ ઘટનાની ઉજવણી કરો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાદા શબ્દોમાં કહીએ તો બ્રાહ્મણ વર્ગ આપણને કહે છે કે તમારે કોટ-પેન્ટ છોડીને ધોતી-કુર્તા પહેરવા જોઈએ, અંગ્રેજી છોડીને હિન્દી અપનાવવી જોઈએ, એલોપેથી અને આધુનિક દવાઓ છોડીને આયુર્વેદને અપાનવવું જોઈએ, વિજ્ઞાનને બદલે ધર્મ તરફ જવું જોઈએ. પરંતુ તેઓ પોતે તેનાથી વિપરીત કરે છે. તે આવું એટલા માટે કહે છે કારણ કે તે વિજ્ઞાન અને આધુનિકતાથી ડરે છે. તેને લાગે છે કે જો તેના ગુલામો વિજ્ઞાન અને આધુનિકતાથી સજ્જ હશે તો તેઓ તેમની ગુલામી છોડી દેશે અને તેમની સર્વોપરિતાને પડકારશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/What-did-E.-V.-Ramasamy-Periyar-believe-about-Hindu-Gods-and-scriptures"> E. V. Ramasamy Periyar હિંદુ દેવી-દેવતાઓ અને ધર્મગ્રંથો વિશે શું માનતા હતા?</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_665582cd8c7a1.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક પ્રશ્ન એ પણ છે કે, બહુજન સમુદાયે સાંસ્કૃતિક સ્વાવલંબનનું લક્ષ્ય કેવી રીતે હાંસલ કરવું જોઈએ. તો બહુજન મહાપુરુષોએ આ વિશે પહેલેથી જ કહ્યું છે. ઉદાહરણ તરીકે, આંતરજાતિય, આંતર-ધાર્મિક લગ્નો કરીને આપણે સાંસ્કૃતિક ગુલામીને તોડી શકીએ છીએ. મૂડીવાદની પકડમાં આવી ગયેલા તહેવારોનો ત્યાગ કરીને આપણે આર્થિક ગુલામીની સાંકળ તોડી શકીએ છીએ. બ્રાહ્મણો પર આધારિત તહેવારોનો બહિષ્કાર કરીને આપણે સાંસ્કૃતિક ગુલામીની સાંકળો તોડી શકીએ છીએ. જો સરકારી સ્તરે વાત કરીએ તો અત્યંત પછાત જાતિઓને પ્રતિનિધિત્વનો અધિકાર (અનામત કે તક) આપીને એક નવી સંસ્કૃતિની શરૂઆત કરી શકાય છે. આપણે બહુજન સમાજમાં ઉંચા-નીચના તમામ ભેદને દૂર કરવા પડશે. આ સિવાય આપણા પૂર્વજોની શ્રમણ સંસ્કૃતિને અપનાવીને આપણે સાંસ્કૃતિક રીતે આત્મનિર્ભર બની શકીએ છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong><a href="https://khabarantar.com/How-is-Periyars-book-Sachi-Ramayana-useful-in-the-fight-against-Brahminism"><strong>બ્રાહ્મણવાદ સામેની લડાઈમાં કેવી રીતે ઉપયોગી છે પેરિયારનું ‘સાચી રામાયણ’ પુસ્તક?</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 28 May 2024 12:54:39 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 28 May 2024 12:52:30 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>674</Articleid>
                    <excerpt>બહુજન સમાજ ભૌતિક-આર્થિક-રાજકીય ગુલામીમાંથી અમુક અંશે મુક્ત થયો છે પરંતુ આજે પણ સંપૂર્ણ સાંસ્કૃતિક ગુલામીના કારણે માનસિક ગુલામીમાં જીવી રહ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_665582ceebf61.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_665582ceb3a94.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_665582ceb3a94.jpg" length="55853" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સાહેબ, ગુજરાતીઓની સહનશક્તિની હવે હદ આવી ગઈ છે....</title>
                    <link>https://khabarantar.com/sir-the-endurance-of-gujaratis-has-reached-its-limit-now</link>
                    <guid>https://khabarantar.com/sir-the-endurance-of-gujaratis-has-reached-its-limit-now</guid>
                    <description>
                        <![CDATA[ સુરતમાં તક્ષશીલાકાંડ, મોરબી ઝૂલતા પૂલ હોનારત, વડોદરા હરણી બોટકાંડ અને હવે રાજકોટ ગેમ ઝોન કાંડથી વ્યથિત એક મહિલાએ મુખ્યમંત્રીને કંઈક આ રીતે વ્યથા ઠાલવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">ગુજરાતના મુખ્યમંત્રીને  ખુલ્લો  વેદનાપત્ર</span></strong><br><span style="font-size: 14pt;">  </span></p>
<p style="text-align: justify;"><em><strong><span style="font-size: 14pt;">માનનીય મુખ્યમંત્રીશ્રી,</span></strong></em></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારે દુઃખ સાથે જણાવવાનું  રાજકોટ ગેમ ઝોનમાં હત્યાકાંડ સર્જાયો એવા સમાચાર સાંભળીને  સૌ માનવતાવાદીઓનું હૈયું હચમચી ગયું છે. આખું ગુજરાત હીબકાં ભરી રહ્યું છે અને જ્યારે ચારેકોર હાહાકાર મચી ગયો હોય ત્યારે હત્યાકાંડના સ્થળ ઉપર ઉભા રહીને સવાલ પૂછાવા જોઈએ. ગુજરાત સરકારના તમારી પાર્ટીના રાજકોટના ધારાસભ્યે ચૂંટણી લડતી વખતે રાજકોટની પ્રજા ને મોટા મોટા વાયદા અને વચનો આપ્યા હતા. એ વખતે ખોબલે ને ખોબલે મત લેનાર તમારા ધારાસભ્યએ પ્રજાની સેવા અને સલામતીનું વચન તો પુરૂ ન કર્યું. ઉલટાનું પ્રજાના બની બેઠેલા, નામ પૂરતા સેવક એવા  શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ  રમેશભાઈ ટીલાળાને જ્યારે મીડિયા અને પત્રકારો ગેમ ઝોન હત્યાકાંડ બાબતે સવાલ કરતા હોય અને આપના રાજકોટના ધારાસભ્યના વળતા જવાબમાં ચેહરા પર શોક, દુઃખ-દર્દ, લાગણી અને ગમગીનીનો એક છાંટો પણ દેખાય નહીં અને મોતનો મલાજો જાળવવાની જગ્યાએ મલકાઈ રહ્યાં હોય એનો  અર્થ એટલો જ થાય કે એક ધારાસભ્ય તરીકે તો ઠીક પરંતુ આ વ્યક્તિની માણસ તરીકેની લાયકાત પણ ગેમ ઝોન હત્યાકાંડમાં બળી ને ખાખ થઈ ગઈ છે. આપની સરકારના સદર ધારાસભ્ય તો ઠીક પણ તેઓ સારા માણસ પણ બની શક્યાં નહીં અને દુઃખ પ્રગટ કરવાની દાનત પણ ના હોય તો આ ગરિમામય પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી અને નૈતિક ધોરણે પ્રજાના ચરણોમાં પોતાનું રાજીનામું ધરી દેવું જોઈએ. અને હા, મને તો શંકા છે કે આપની સરકારના ધારાસભ્યશ્રી એટલા માટે તો આવું હાસ્ય નથી રેલાવી રહ્યાં ને કે  છાશવારે સર્જાતા હત્યાકાંડ બાદ આપના કમલમમાં ગોષ્ઠી  થતી હશે ત્યારે આવી રીતે હસવું એ સહજ બની ગયું હશે??</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમે જાણીએ છીએ કે જનતા માટે બનેલું ગાંધીનગરનું આખેઆખું બિલ્ડીંગ ઈંટો અને પથ્થરથી બનેલું છે પરંતુ એમાં એસી ઓફિસમાં બેસીને પ્રજાની સુખાકારી માટેના વહીવટ કરનારાના દિલ પણ આટલી હદે પથ્થરના બનેલા છે એ જાણીને સાહેબ પથ્થર પણ પીગળી ગયો હશે. આપના કુશાસનમાં ભ્રષ્ટાચારના રંગમાં રંગાઈ ગયેલા ભ્રષ્ટ અધિકારીઓને ના વાંકે, એમના પાપે અને ભ્રષ્ટ અધિકારીઓને  છાવરનાર  તમારી સરકારના હસ્તે, હસતી-રમતી ખેલતી 35 જિંદગીને કફન ભેટમાં મળ્યું છે. તેમ છતાં પણ જાણે કે કોઈપણ પ્રકારનો ફરક પડવાનો જ નથી એવું વારંવાર સર્જાતા હત્યાકાંડ પરથી જનતાને પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ફરક માત્રને માત્ર જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એ પરિવારજનોને જ પડશે. જે પરિવારે પોતાના વહાલસોયા સ્વજનને ગુમાવ્યા છે એમને તો પરત હેમખેમ લઈ આવવાની કોઈ તાકાત નથી પરંતુ આવા હત્યાકાંડ રોકવાની તાકાત સને સત્તા બંને તમારી સરકારના હાથમાં હોવા છતાં પણ હત્યાકાંડનો સિલસિલો અવિરતપણે ચાલુ જ રહ્યો છે, અને દર વખતની જેમ આ વખતે પણ માણસની જિંદગીની કિંમત ચાર લાખ રૂપિયા ચૂકવીને આપની સરકારે તો આ વખતે પણ પોતાની નૈતિક જવાબદારીમાંથી જાણે હાથ ખંખેરી જ લીધા છે એવું લાગી રહ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેખાડો પણ ગજબનો કરવામાં આવી રહ્યો છે. દરેક ન્યૂઝ ચેનલમાં દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે કોઈ પણ ચમરબંધીને  છોડવામાં નહીં આવે, તપાસના આદેશ આપી દીધાં છે, ટુકડીઓ બનાવીને ચેકિંગ હાથ ધરી દીધું છે, ફાયર સેફટીની મંજૂરી લીધી હતી કે કેમ એની પણ તપાસ થઈ રહી છે, આ વખતે તો દોષિતોને છોડવામાં નહીં જ આવે, આ વખતે તો કડક એક્શન લેવામાં આવશે, એજન્સીઓના માલિકોને તો જેલના સળિયા પાછળ ધકેલી દઈશું. સીટની રચના કરવામાં આવી છે વગેરે વાતોના ફીફાં ખાંડવામાં આવી રહ્યાં છે. થોડાં દિવસો ન્યૂઝ ચેનલોમાં પણ આ સમાચાર સતત ચાલશે અને પછી ફરી પરિસ્થિતિ જેમની તેમ થઈ જશે એવી ભીતિ સેવાઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમારી સરકાર છાતી ઠોકીને સંવેદનશીલ હોવાના દાવાઓ કરતી હોય છે. પોસ્ટરો, બેનરો અને ભાષણોમાં તો ગુજરાત સરકારની સંવેદનશીલતાને વારંવાર પ્રોજેક્ટ કરાય છે. પણ વાસ્તવિકતા સૌ કોઈ જાણે છે, લોકો મૂરખ નથી. અમે જોઈ છે તમારી સંવેદનશીલતા, જ્યારે સુરતમાં તક્ષશીલા કાંડ સર્જાય છે ત્યારે થોડા સમય માટે પ્રગટ થાય છે. અને આગ ઠંડી થતાની સાથે જ તમારી સંવેદનશીલતા પણ બરફ જેવી ઠંડી થઈ જાય છે. તમારી સરકારની સંવેદનશીલતા અચાનક ત્યારે ઝૂલતી દેખાય છે, જ્યારે મોરબીના ઝૂલતા પૂલ પરથી 135 જિંદગીઓ નદીમાં ખાબકે છે અને ડૂબી મરે છે. જ્યારે ગુજરાતનું ભવિષ્ય એવા નાના ભૂલકાંઓ વડોદરાના હરણી બોટકાંડમાં જીવ ગુમાવે છે ત્યારે એમાં અમને તમારી સંવેદનશીલતા ડૂબતી દેખાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/By-putting-a-gun-to-the-right-of-the-economy,-political-power-suppresses-it">અર્થતંત્રને લમણે બંદૂક મૂકીને રાજકીય સત્તા તેને નચાવે છે!</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ હવે અમને ખબર પડી ગઈ છે કે તમારા હૃદય પથ્થરના બની ચૂક્યા છે. તમે સૌ અબકી બાર 400 પારના નારાને સાર્થક કરવામાં વ્યસ્ત રહો છો. તમને અમારા માટે ફુરસદ ત્યારે જ મળે છે જ્યારે રાજકોટ, સુરત, મોરબી કે વડોદરા જેવો મોટો હત્યાકાંડ સર્જાય છે. ત્યારે તમે સૌ સંવેદનશીલતાનો અંચળો ઓઢીને નીકળી પડો છો અમને સાંત્વના પાઠવવાનો દેખાડો કરવા. પરિસ્થિતિ એવી છે કે તમારી છત્રછાયામાં ભ્રષ્ટાચારીઓ સલામતીનો અનુભવ કરતા હશે પણ નિર્દોષ જનતા સુરક્ષિત નથી. આ રહ્યાં તેના કેટલાક ઉદાહરણો,</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧) સુરત તક્ષશિલા અગ્નિકાંડ  - ૨૨ વિદ્યાર્થીઓના મોત  ૨) મોરબી ઝૂલતા પૂલ હોનારતમાં - ૫૫ બાળકો સહિત ૧૩૫ લોકોના મોત</span><br><span style="font-size: 14pt;">૩) રંઘોળા અકસ્માત દુર્ઘટના - ૩૬ મોત </span><br><span style="font-size: 14pt;">4) કાંકરીયા રાઈડ કાંડ - ૨ બાળકો હોમાયા</span><br><span style="font-size: 14pt;">5) ભરૂચ હોસ્પિટલ આગકાંડ - ૧૮ મોત</span><br><span style="font-size: 14pt;">6) શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ - ૮ મોત</span><br><span style="font-size: 14pt;">7) ઉદય હોસ્પિટલ અગ્નિકાંડ - ૬ મોત</span><br><span style="font-size: 14pt;">8) અમદાવાદ-સુરત રાજકોટ BRTS અકસ્માત - ૭૦થી વધુના મોત,  નબિરાકાંડથી હિટ એન્ડ રનમાં થતા મોત તો જુદા.</span><br><span style="font-size: 14pt;">(9) વિવિધ લઠ્ઠાકાંડ-  100 લોકોના મોત</span><br><span style="font-size: 14pt;">૧૦) રખડતા કૂતરા અને ઢોરથી - ૧૦૦થી વધુ  લોકોએ જીવ ખોયા </span><br><span style="font-size: 14pt;">૧૧) સુરસાગર હત્યાકાંડ - 22 લોકોના મોત</span><br><span style="font-size: 14pt;"> (12) વડોદરા  હરણી બોટકાંડ  - 16 મોત</span><br><span style="font-size: 14pt;"> </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સિવાય વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં અનેકના મોત અને ઓવરલોડ બેફામ સ્પીડથી ચાલતા વાહનોમાં અકસ્માતથી મોતનો આંકડો તો જુદો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવા તો અનેક દુઃખદ બનાવો બન્યાં છે. આ તમામ હત્યાકાંડ સર્જનારા જે તે જગ્યાના માલિકો, જવાબદાર અધિકારીઓને તેમની જવાબદારીનું ભાન કરાવી સજા અપાવો તેવી રજૂઆત કરી રહી છું. ગુજરાતમાં ફરી આવા હત્યાકાંડો નહીં સર્જાય એ માટે તમારી નૈતિક જવાબદારી અને ફરજ નિભાવી બતાવો તો અમે પણ તમારી સંવેદનશીલ સરકાર પર ગર્વ કરીશું. પણ જો જવાબદારી કે ફરજ નિભાવવામાં ઉણાં ઉતરતા રહેશો અને ફરી આ જ રીતના હત્યાકાંડોનું પુનરાવર્તન થતું રહેશે તો એટલું સમજી લો કે હવે ગુજરાતીઓની સહનશક્તિ ખૂટી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડા અનુભવનાર ગુજરાતીઓ વતી</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">ચંદ્રિકા સોલંકી</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/if-you-have-the-strength-fight-the-likes-of-prajwal-revanna-not-the-feminists"><strong>તાકાત હોય તો પ્રજ્વલ રેવન્ના જેવા સામે લડો, ફેમિનિસ્ટો સામે નહીં</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 27 May 2024 11:37:05 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>667</Articleid>
                    <excerpt>સુરતમાં તક્ષશીલાકાંડ, મોરબી ઝૂલતા પૂલ હોનારત, વડોદરા હરણી બોટકાંડ અને હવે રાજકોટ ગેમ ઝોન કાંડથી વ્યથિત એક મહિલાએ મુખ્યમંત્રીને કંઈક આ રીતે વ્યથા ઠાલવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_66542248a9659.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_66542248757f5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_66542248757f5.jpg" length="74447" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>RSSની બંધારણ બદલવાની વાતે ચૂંટણીનું પાસું પલટી નાખ્યું?</title>
                    <link>https://khabarantar.com/did-the-change-in-the-constitution-of-the-rss-turn-the-tide-of-the-election</link>
                    <guid>https://khabarantar.com/did-the-change-in-the-constitution-of-the-rss-turn-the-tide-of-the-election</guid>
                    <description>
                        <![CDATA[ શું દેશના દલિત-બહુજનોમાં એ ચિંતા ઘર કરી ગઈ છે કે ભાજપ ફરી સત્તામાં આવશે તો બાબાસાહેબનું લખેલું બંધારણ બદલી નાખશે?  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2024ની લોકસભા ચૂંટણીના ચાર તબક્કામાં બે તૃતીયાંશથી વધુ એટલે કે 381 બેઠકો પર મતદાન થયું છે. મોટાભાગના ચૂંટણી વિશ્લેષકો અને નિરીક્ષકો માને છે કે આ ચૂંટણીમાં મતદારો ખૂબ જ શાંત છે. રાજકીય પક્ષોના કાર્યકરો અને સમર્થકો પણ અવાજ ઉઠાવતા જોવા મળતા નથી. સામાન્ય રીતે ભાજપના સમર્થકો માત્ર અવાજ જ નથી ઉઠાવતા પરંતુ વિપક્ષો પ્રત્યે આક્રમક પણ હોય છે. આ બધી પરિસ્થિત જોઈને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતા પત્રકારો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેમનું કહેવું છે કે આટલી શાંત ચૂંટણી તેમણે પહેલા ક્યારેય જોઈ નથી. પરંતુ તેમનું માનવું છે કે ભીતરમાં એક પ્રવાહ વહી રહ્યો છે જે ચૂંટણીને નિર્ણાયક બનાવી રહ્યો છે. પરંતુ આ પ્રવાહ શું છે? શું આ પ્રવાહે ચૂંટણીની દશા અને દિશા બદલી નાખી છે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વર્ષના જાન્યુઆરી મહિનામાં રામ મંદિરના ઉદ્ઘાટન અથવા રામની પ્રતિમામાં કથિત પ્રાણ પ્રતિષ્ઠાથી વાતની શરૂઆત કરીએ. એ પછી જનનાયક કર્પૂરી ઠાકુર (બિહારના ભૂતપૂર્વ સીએમ) અને ચૌધરી ચરણ સિંહ(ભૂતપૂર્વ વડા પ્રધાન) જેવા અતિ પછાત અને ખેડૂત સમુદાયોના નેતાઓને મોદી સરકાર દ્વારા ભારત રત્ન આપવામાં આવ્યો હતો. ત્યારે ભાજપ અને નરેન્દ્ર મોદીની તરફેણમાં વાતાવરણ સર્જાઈ રહ્યું હતું. વિપક્ષી ગઠબંધનની એકતા તૂટવા લાગી હતી. નીતિશ કુમારે ફરીથી સાથી બદલ્યા અને મમતા બેનર્જીએ જાહેરાત કરી કે તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ(TMC) પશ્ચિમ બંગાળમાં 'ઈન્ડિયા' ગઠબંધનનો ભાગ બનશે નહીં. આનાથી વિપક્ષી એકતા પર ફટકો પડ્યો. કેન્દ્ર સરકારે ટેક્નોલોજી વડે ક્રાઉડ ફંડિંગ થકી કોંગ્રેસ દ્વારા એકત્ર કરાયેલા દાનને પણ તાળા મારવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના ખાતા સીલ કરવામાં આવ્યા હતા. આનાથી એવું લાગવા માંડ્યું હતું કે એક તરફ ભાજપ પાસે વિપુલ પ્રમાણમાં સંસાધનો છે તો બીજી તરફ વિપક્ષો લગભગ ખાલી હાથ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/the-slogan-of-abki-bar-charso-par-and-dr-ambedkars-warning"> 'અબકી બાર ચારસો પાર' નો નારો અને ડૉ.આંબેડકરની ચેતવણી</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_664d81618dd67.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિપક્ષી નેતાઓ પર એક પછી એક ED અને CBIના દરોડા શરૂ થયા. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી નેતાઓને ડરાવી ધમકાવીને ભાજપમાં જોડાવાની ફરજ પાડવામાં આવી. એટલું જ નહીં, હેમંત સોરેન જેવા ચૂંટાયેલા આદિવાસી મુખ્યમંત્રીને EDની સ્પેશ્યિલ કોર્ટે જેલમાં મોકલી દીધા હતા. એ પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ તિહાર જેલમાં ધકેલી દેવામાં આવ્યા. વિપક્ષને ખતમ કરી નાખવા માટે એક પ્રકારનું ગેરિલા યુદ્ધ ચાલી રહ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તમામ કારણોસર વિપક્ષમાં બહુ આશા દેખાતી નહોતી. સામે મોદી અને સત્તાધારી પક્ષનો ઉત્સાહ ચરમસીમાએ હતો. તેથી જ નરેન્દ્ર મોદીએ “અબ કી બાર 400 પાર”નું સૂત્ર આપ્યું હતું. પરંતુ જ્યારે પ્રશ્ન ઉભો થયો કે આટલી મોટી બહુમતી શા માટે જરૂરી છે, ત્યારે ભાજપના ઘણાં સાંસદો અને ઉમેદવારોએ જાહેર કર્યું કે બંધારણ બદલવા માટે બે તૃતીયાંશથી વધુ બહુમતી જરૂરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"ભાજપ બંધારણ બદલવા માંગે છે" - આ જાહેરાતની દલિત, આદિવાસી અને OBC સમાજ પર તેજાબી અસર થઈ છે. ડો. આંબેડકરે લખેલા બંધારણે દલિતો અને આદિવાસીઓને રાજકીય અને સરકારી વિભાગોમાં તેમનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે અનામતનો અધિકાર આપ્યો અને ભવિષ્યમાં ઓબીસીની ઓળખ કરીને તેમના માટે અનામતની જોગવાઈઓ પણ કરી. બાબાસાહેબે દલિતોની ગુલામી અને વંચિતતાને નાબૂદ કરવા માટે જીવનભર સંઘર્ષ કર્યો. સ્વતંત્રતા ચળવળનું નેતૃત્વ કરનાર કોંગ્રેસ સાથે ઘણાં મતભેદો હોવા છતાં ડૉ. આંબેડકર ગાંધી અને નેહરુના આમંત્રણને માન આપીને બંધારણ સભામાં પહોંચ્યાં. ડૉ. આંબેડકરે સ્વીકાર્યું કે તેઓ દલિતોના હિતોની રક્ષા માટે બંધારણ સભામાં આવવા માગે છે. પરંતુ સભાએ તેમને ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ બનાવીને સૌથી મોટી જવાબદારી આપી. આ રીતે તેઓ બંધારણના નિર્માતા બન્યા અને બંધારણમાં દલિતો, લઘુમતીઓ અને પછાત લોકો માટે તમામ મૂળભૂત અને કાયદાકીય જોગવાઈઓ સુનિશ્ચિત કરી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/modi-will-change-the-constitution-if-he-comes-back-to-power-prakash-ambedkar">મોદી ફરી સત્તામાં આવશે તો બંધારણ બદલી નાખશે- પ્રકાશ આંબેડકર</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_664d8161157f7.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેખીતી રીતે, ભાજપની દેશનું બંધારણ બદલી નાખવાની જાહેરાત બાદ દેશનો જાગૃત દલિત અને આદિવાસી સમાજ સંગઠિત થઈ તેની સામે ઊભો થયો. ઘણાં પત્રકારો સમજી શકતા નથી કે અચાનક દલિત-બહુજન સમાજે પ્રચંડ રીતે ભાજપનો વિરોધ શા માટે શરૂ કર્યો? વાસ્તવમાં તેમના માટે બંધારણ બદલવાની વાત માત્ર અનામત પુરતી સીમિત નથી, પરંતુ તેઓ સદીઓ પછી મળેલા માણસ હોવાના અહેસાસને ગુમાવવા નથી માંગતા. દલિત-આદિવાસી સમાજને બંધારણ અને ડૉ. આંબેડકર પ્રત્યે જબરજસ્ત ભાવનાત્મક લગાવ છે, જેના કારણે તેઓ કોઈપણ કિંમતે બંધારણ પર ઉની આંચ પણ આવવા દેતો નથી. વંચિત અને શોષિત લોકોનો આ સમાજ તેની ભાવિ પેઢીઓને સ્મૃતિકાળ અને પેશવાઈ કાળની જેમ ગુલામ તરીકે જોઈ શકતો નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શું આ ચેતના દલિત-બહુજનોના મનમાં અચાનક આવી ગઈ? એવું બિલકુલ નથી. છેલ્લા 5 વર્ષથી સામાજિક જાગૃતિના કાર્યક્રમો અને સેમિનારોમાં સતત ચર્ચા થઈ રહી છે કે ભાજપ અને આરએસએસનો છુપો એજન્ડા ડો.આંબેડકરના બંધારણને બદલવાનો અને મનુસ્મૃતિમાં દર્શાવેલા કાયદાઓનો અમલ કરવાનો છે. સંઘ સાથે જોડાયેલા તમામ હિંદુત્વવાદી સંગઠનો ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની અને મનુસ્મૃતિના આધારે બંધારણને લાગુ કરવાની વાત સતત કરતા રહ્યા છે. તેથી જ બહુજન નાયકો પર યોજાતા સેમિનારોમાં બંધારણ બચાવવાના શપથ લેવાતા રહ્યાં. જે લોકોને લાગે છે કે, અચાનક બંધારણ કેવી રીતે મુદ્દો બની ગયું, તેઓ વાસ્તવમાં આ ચેતનાની પ્રક્રિયાથી અજાણ છે. આ જ કારણ છે કે દેશભરમાં લગભગ 70 ટકા દલિત-બહુજન સમુદાય આજે અચાનક વિપક્ષ સાથે આવેલો દેખાય છે. તે બંધારણ બદલનારાઓને જ બદલી નાખવા માટે વિપક્ષની સાથે આવી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/The-Constitution-of-India-begins-with-the-words-We-the-people-of-India,-meaning-that-India-is-not-a-creation-of-God">ભારતના બંધારણનો આરંભ ‘અમે ભારતના લોકો’ શબ્દોથી થાય છે, એનો અર્થ એ કે ભારત ઈશ્વરે સર્જેલી ઘટના નથી</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_664d8265caabb.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધારણ બચાવવાના મુદ્દા ઉપરાંત આ ચૂંટણીનો બીજો ટર્નિગ પોઈન્ટ કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો રહ્યો. જેની શરૂઆતમાં જ સામાજિક ન્યાયને સ્થાન આપવામાં આવ્યું હતું. હકીકતમાં, નરેન્દ્ર મોદીના 10 વર્ષના શાસન દરમિયાન ટોચના ચૂનંદા અમીરો અને મૂડીવાદીઓ સિવાય દેશના દરેક વર્ગને આર્થિક નુકસાન થયું છે. પહેલા નોટબંધીએ નાના દુકાનદારો અને ગરીબ પરિવારોને બરબાદ કર્યા. કાળાં નાણાંને ખતમ કરવાના નામે કરવામાં આવેલી નોટબંધીથી દેશની અર્થવ્યવસ્થા ઠપ થઈ ગઈ. એ પછી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) એ નાના વેપારીઓને બરબાદ કરી દીધા. બાકીનું કામ કોરોનાના રોગચાળાએ પુરું કર્યું. લોકડાઉનને કારણે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો બંધ થઈ ગયા હતા. અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા તમામ મજૂરો તેમના વતનમાં પરત ફર્યા. તેમને 5 કિલો અનાજ આપીને ભિખારી બનાવી દેવાયા. પણ તેને રોજગારી મળી નહોતી. આનાથી આ મજૂરોના સ્વાભિમાનને તો ઠેસ પહોંચી જ, પરંતુ તેમના બાળકોના શિક્ષણ અને ઉછેર પર પણ વિપરીત અસર પડી હતી. ડીઝલ, ખાતર અને બિયારણના ભાવમાં થયેલા કમરતોડ ભાવ વધારાએ ખેડૂતોને ગરીબીમાં હોમી દીધાં. દેવાના બોજથી દબાયેલા ખેડૂતોને આત્મહત્યા કરવાની ફરજ પડી હતી. જ્યારે તેમણે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની માગણી કરી ત્યારે કેન્દ્ર સરકારે તેમના પર લાઠીચાર્જ કર્યો. અદાણી જેવા મૂડીવાદીઓની નજર ખેડૂતોની જમીનો પર છે. મોદીનો ઉદ્દેશ્ય ખેડૂતોને તેમની જમીનમાંથી હાંકી કાઢી અદાણીનું સામ્રાજ્ય સ્થાપવાનો છે અને તેથી તેઓ તેમના મૂડીવાદી મિત્રો માટે ખેડૂતોને માત્ર ખેતમજૂર બનાવવા માંગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/A-true-republic-is-one-where-the-constitutional-provisions-and-their-implementation-reach-the-last-people-of-the-country">દેશના અંતિમ જન સુધી બંધારણીય જોગવાઈઓ અને તેનો અમલ પહોંચે તે જ સાચું પ્રજાસત્તાક</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_664d81607c12a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે માત્ર ખેડૂતો અને મજૂરો જ નહીં પરંતુ દેશના યુવાનો પણ મોદી સરકારથી ખૂબ નારાજ છે. છેલ્લા દસ વર્ષમાં લગભગ કોઈ સરકારી નોકરી આપવામાં આવી નથી. 'અગ્નવીર' જેવી ચાર વર્ષની યોજના લાવીને નરેન્દ્ર મોદીએ યુવાનોનું સૈનિક બનવાનું સપનું છીનવી લીધું. સરકારી ભરતીની રાહ જોતા યુવાનોની આંખો આંસુથી ભરાઈ આવી હતી. તેમનું મનોબળ તૂટતું રહ્યું. આ સમયગાળા દરમિયાન સેંકડો યુવાનોએ આત્મહત્યા કરી લીધી. આ વાતની પુષ્ટિ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો દ્વારા બહાર પાડવામાં આવેલ 'ક્રાઈમ ઈન ઈન્ડિયા-2022'માં થઈ. જે અંતર્ગત વર્ષ 2022માં કુલ 1 લાખ 71 હજાર લોકોએ આત્મહત્યા કરી હતી, તેમાંથી 26 ટકા દહાડિયા મજૂરો હતા. એ પણ નોંધવું જોઈએ કે છેલ્લા પાંચ વર્ષમાં દર વર્ષે દહાડિયા મજૂરો દ્વારા આત્મહત્યાના કેસમાં વધારો થયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ રીતે પ્રતીત થાય છે કે, જમીની લેવલે મોંઘવારી અને બેરોજગારી સામે લોકોનો ગુસ્સો અને બંધારણ બદલવાની ભાજપની જાહેરાતે તેની વિરુદ્ધ વાતાવરણ સર્જ્યું છે. ભાજપ અને હિન્દુત્વવાદીઓએ દસ વર્ષમાં જે ભયનો માહોલ પેદા કર્યો છે તેના કારણે લોકો ચૂપ છે. પરંતુ તેઓ પરિવર્તન માટે વોટ આપવા નીકળી રહ્યાં છે. સામે ભાજપનો કોર વોટર મોંઘવારી અને બેરોજગારીથી એટલો ત્રસ્ત છે કે મોદી વારંવાર મુસ્લિમોનો ડર બતાવતા હોવા છતાં તે નિષ્ક્રિય અને ચૂપ છે. તેથી જ આ વખતની ચૂંટણી એકદમ શાંત દેખાઈ રહી છે. પરંતુ આ આંતરિક વિરોધને કારણે ભાજપ સત્તામાંથી બહાર જતો જોવા મળી રહ્યો છે કે કેમ તે તો પરિણામો જ કહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/can-the-constitution-of-India-be-changed-by-the-force-of-majority">શું બહુમતીના જોરે ભારતના બંધારણને બદલી શકાય ખરું?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 22 May 2024 11:04:22 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>648</Articleid>
                    <excerpt>શું દેશના દલિત-બહુજનોમાં એ ચિંતા ઘર કરી ગઈ છે કે ભાજપ ફરી સત્તામાં આવશે તો બાબાસાહેબનું લખેલું બંધારણ બદલી નાખશે? </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_664d8162434f1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_664d81620ba54.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_664d81620ba54.jpg" length="90353" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સુંદરતા ઘેલા સમાજમાં પ્રાચી નિગમનું દસમી ટોપર થવું...</title>
                    <link>https://khabarantar.com/being-the-tenth-topper-of-prachi-nigam-in-the-beauty-filled-society</link>
                    <guid>https://khabarantar.com/being-the-tenth-topper-of-prachi-nigam-in-the-beauty-filled-society</guid>
                    <description>
                        <![CDATA[ ઉત્તરપ્રદેશમાં ધોરણ 10ની પરીક્ષાની ટોપર પ્રાચી નિગમને તેના અપરલિપ્સ પરના વાળને કારણે ભયંકર ટ્રોલિંગનો સામનો કરવો. વરિષ્ઠ પત્રકાર ચંદુ મહેરિયા અહીં તેની પાછળના સુક્ષ્મ કારણોની ચર્ચા કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span><br><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડની ૨૦૨૪ની દસમા ધોરણની પરીક્ષામાં ૯૮.૫૦ ટકા માર્ક્સ મેળવી પ્રથમ આવેલી પ્રાચી નિગમે બે ચાર દિવસ પછી જ પત્રકારોને અફસોસ સાથે કહ્યું કે મારે થોડા ઓછા માર્ક્સ આવ્યા હોત અને ટોપર ના બની હોત તો સારું. પ્રાચીને કેમ આવું કહેવું પડ્યું?  તેના કારણો જાણીએ તો સ્વાભાવિક જ રોષ જન્મે છે. પંદર વરસની આ કન્યા યુ.પી.ના સીતાપુર જિલ્લાના મહેમુદાબાદની સીતા ઈન્ટર કોલેજમાં ભણતી હતી. તેની તેજસ્વીતા, મહેનત અને લગનનું પરિણામ હતું કે સમગ્ર રાજ્યના પંચાવન લાખ પરીક્ષાર્થીઓમાં તે પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈ. તેની સફળતાના ઓવારણા તો લેવાતા હતા જ. પરંતુ સમાજનો એક વર્ગ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરતો હતો. પ્રાચીના અપરલિપ્સ પર વાળ છે તે તેની તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે. બાહ્ય સુંદરતાઘેલા કેટલાક લોકોને તેનો જ વાંધો પડ્યો. એટલે કોઈએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ થકી તેના ચહેરાને રૂપાળો બનાવ્યો, કોઈએ શેવ કરવાની સલાહ આપી, કોઈએ મિમ્સ બનાવ્યા, ઘણાંએ ભણવા સાથે ચહેરાની માવજત કરવા કહ્યું અને બહુ બધાંએ તેના ચહેરા પરના વાળની મજાક કરી. સફળતાના સર્વોચ્ચ શિખરે પહોંચેલી આ કન્યા ટ્રોલિંગથી આહત ન થાય તો જ નવાઈ. આરંભિક અફસોસ પછી પ્રાચીએ જાતને સંભાળી લીધી અને ટીકાખોરોની જમાતને દમદાર જવાબ પણ આપ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Shakra-is-called-Gadag-in-Marathi,-so-Gadge,-who-kept-it-forever,-was-called-Baba">શકોરાને મરાઠીમાં ગાડગં કહે છે એટલે તેને કાયમ સાથે રાખનાર ગાડગે બાબા કહેવાયા</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_664c4a6278d21.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">કેટલીક મહિલાઓને શરીર પરનાં અનિચ્છનીય વાળનો સામનો કરવો પડે છે. ચહેરો, હાથ, પીઠ અને છાતી પર વાળ ઉગવાનું કારણ બાયોલોજિકલ, હોર્મોનલ ઈમ્બેલેન્સ કે અસંતુલિત હોર્મોન્સ છે. પ્રાચીના ચહેરા પર મૂછ જેવા જે વાળ ઉગ્યા છે તેને પ્રાચી, તેનો પરિવાર, શાળાના શિક્ષકો અને તેના સહાધ્યાયીઓએ કશું મહત્વ આપ્યું નથી. પરંતુ તે ટોપર બનતાં તેની તસવીરો અનેક માધ્યમોમાં પ્રગટ થતાં તે મજાક અને ટીકાનું પાત્ર બની છે. પ્રાચી કોઈ ગોખણશી છોકરી નથી. ઉચ્ચ મૂલ્યો અને સકારાત્મ્ક વિચારો સાથે તે ભણે છે. ટ્રોલિંગ જે હદે થયું તે હદની નહીં તો તેનાથી વધતી-ઘટતી સ્થિતિનો સામનો તેણે અગાઉ ઘણી વાર કર્યો છે. આગળ અભ્યાસ જારી રાખીને ઈજનેર બનવા માંગતી આ કિશોરી માટે તેનું ધ્યેય અગત્યનું છે નહીં કે શરીરની બનાવટ. તેણે ટ્રોલરિયાઓને રોકડું પરખાવતાં કહ્યું છે કે જ્યારે જરૂર જણાશે ત્યારે હું મારો ઈલાજ કરાવી લઈશ પણ હાલમાં તો મારું લક્ષ્ય મન દઈને ભણવાનું છે. વિષાક્ત સાઈબર સ્પેસ સંદર્ભે પ્રાચી માને છે કે ક્ષણિકનું મનાતું ટ્રોલિંગ પણ વ્યક્તિ પર નકારાત્મક અસર કરે જ છે તેથી આવા તત્વો પર કાર્યવાહી થવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રાચીને ટીકાકારોની જેમ સમર્થકો પણ મળ્યા છે. તેની જ સ્કૂલના બે અન્ય ટોપર્સ હેમંત વર્મા અને જ્ઞાનેન્દુ વર્માએ #ડોન્ટટ્રોલપ્રાચી કેમ્પેન શરૂ કર્યું છે. તેને ઘણો હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર પ્રાચી વિશેની સઘળી ટિપ્પણીઓનો આ સહપાઠીઓ જ જવાબ વાળે છે. શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સતત પ્રાચીના પક્ષે રહ્યા છે. સુંદરતાને  સર્વોચ્ચ માનતા લોકોને સ્કૂલ પ્રિન્સિપાલ બહુ ગંદી ભાવના ધરાવનારા ગણાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-actress-who-rivaled-aishwarya-sushmita-has-embraced-buddhism">ઐશ્વર્યા-સુસ્મિતા ને ટક્કર આપનારી અભિનેત્રીએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રાચીના ટેકામાં બોમ્બે શેવિંગ કંપનીએ જાહેરખબર પ્રકાશિત કરી છે. જેમાં તેણે પ્રાચીનો બચાવ કર્યાનો દાવો કર્યો છે. કંપનીએ ડીયર પ્રાચીના સંબોધન સાથેની એડમાં લખ્યું છે કે જે લોકો આજે તારા ચહેરા પરના વાળને લીધે તને ટ્રોલ કરી રહ્યા છે તે કાલે પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ માટે તારી પ્રસંશા કરશે. જોકે કંપની જાહેરખબરમાં તેનું તકવાદી માનસ પ્રગટ કરતાં ના રહી શકી. તેણે માર્કેટિંગ કરતાં લખ્યું, અમે આશા રાખી છીએ કે અમારું રેઝર ઉપયોગ કરતાં જ તને કોઈ પરેશાન નહીં કરે. કંપનીની આ એડ્નો વ્યાપક વિરોધ થયો છે. એડવર્ટાઈઝીંગ સ્ટાન્ડર્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ASCI)એ લોકોના આક્રોશની નોંધ લઈને આ જાહેરખબરની તપાસ શરૂ કરી છે. સરકારના ઈશારે પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ( PGI ) લખનૌએ પ્રાચીના મફત ઈલાજની ઓફર કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Manipur-violence,-Soma-Laishram,-and-football:-Lets-erase-the-streak">મણિપુર હિંસા, સોમા લૈશરામ, અને ફૂટબોલ: આઓ લકીરેં મિટાયેં</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_664c4a614595b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આખરે આ સુંદરતા એટલે શું અને તેના માપદંડો ક્યા? સુંદરતાને પરિભાષિત કરવી કઠિન છે. બાહ્ય સુંદરતા કે શરીરની સુંદરતા પિતૃસત્તાત્મક વિચારની પેદાશ છે. જેણે મહિલાઓના માથે તે થોપી છે. લગભગ તમામ વયની મહિલાઓને સુંદરતા વળગાડી છે. પણ કિશોર અને યુવાન વયમાં તે વિશેષ છે. લગ્ન વિષયક જાહેરાતોમાં ગોરી, નમણી, નાજુક, સમપ્રમાણ કદ કાઠી, કાળા લાંબા ભરાવદાર અને સીધા વાળ, નાનું નાક અને મોટી પાણીદાર આંખો  ધરાવતી મહિલાઓની માંગ સૌ કોઈ કરે છે. પુરુષોની સુંદરતાની સમજ જ નહીં સૌંદર્યના બજારની પણ આ માયાજાળ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૌંદર્યનું બજાર કદી મંદ પડતું નથી. સૌંદર્ય પ્રસાધનોની વિશ્વની ટોપ બ્રાન્ડ ભારતમાં પુષ્કળ કમાણી કરે છે. ભારતનો કોસ્મેટિક ઉદ્યોગ સૌથી વધુ કમાણી કરતો વિશ્વનો ચોથા નંબરનો ધંધો છે. શરીર સૌંદર્ય અને વ્યક્તિગત માવજતના સાધનોનું બજાર ૨૦૨૦માં એક લાખ કરોડ રૂપિયાનું હતું, જે આવતા વરસે બે લાખ કરોડનું થવાનું છે. સુંદરતાના બજાર અને સમાજે બનાવેલા વિચારજડ માપદંડોમાં મહિલાઓ જકડાયેલી છે. એટલે પોતાની નાની શી બદસૂરતી પણ તે બરદાસ્ત કરતી નથી અને પોતાના આવા શરીરને તે ખુદ જ સ્વીકારતી નથી. અભાવગ્રસ્ત જિંદગી અને તેની જદ્દોજહદ વચ્ચે શરીરની બહારની સુંદરતાની તેની સમજ બજાર પર આધારિત છે. સુંદરતાના બજારની સૌથી મોટી ગ્રાહક મહિલાઓ જ હોય છે. હવે તેમાં પુરુષો પણ ફસાયા છે.  ગોરા થવાની મેન્સ ફેરનેસ ક્રીમ અને સાબુ પણ ધૂમ વેચાય છે.  ભારતના કુલ સોંદર્ય બજારનો ચોથો ભાગ તો નાહવાના સાબુનો છે. ગોરી ચામડી માટેના પ્રસાધનો ૨૦ ટકા અને માથામાં નાંખવાના તેલનો  હિસ્સો ૧૫ ટકા છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રાચી નિગમના અપરલિપ્સ પરના વાળની મજાક કરતો સુંદરતાઘેલો સમાજ ખરેખર તો સુંદરતાના બજારથી ઘેરાયેલો છે. બોડી શેમિંગની નઠારી અસર બાળકોના મન પર પડે છે. તેઓ લઘુતાગ્રંથિ કે હીનભાવ અનુભવે છે. તેની અસર તેમના અત્મવિશ્વાસ અને અભ્યાસ પર પડે છે. ફિલ્મો, સૌંદર્ય પ્રસાધનના સાધનોની જાહેરાતો અને નટનટીના રૂપાળા દેખાવાના ખર્ચા અને નખરાંથી અછૂતા રહી શકતી પ્રાચી જેવી કોઈ વિરલ તેજસ્વી કન્યા પણ મજાક અને આલોચનાનો શિકાર બને છે. તો  સામાન્ય દેખાવના લોકોનું તેની સામે ટકવાનું શું ગજું? સોશિયલ મીડિયા અને દેખાવડા લોકોને ઈન્સ્ટાગ્રામ જેવા માધ્યમ પર મળતી પ્રાથમિકતા પણ બળતામાં ઘી હોમે છે. દરમિયાન હાલમાં તો દસમી ટોપર પ્રાચીને અભિનંદન અને સૌંદર્યઘેલછાની દેશવ્યાપી ચર્ચા માટે આભાર.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><strong><em><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)</span></em></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/Strong-voice-of-tribal-rights:-Jaipal-Singh-Munda">આદિવાસી અધિકારોનો સબળ અવાજ: જયપાલ સિંહ મુંડા</a><br></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 21 May 2024 12:59:56 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 22 Jun 2024 11:34:50 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>645</Articleid>
                    <excerpt>ઉત્તરપ્રદેશમાં ધોરણ 10ની પરીક્ષાની ટોપર પ્રાચી નિગમને તેના અપરલિપ્સ પરના વાળને કારણે ભયંકર ટ્રોલિંગનો સામનો કરવો. વરિષ્ઠ પત્રકાર ચંદુ મહેરિયા અહીં તેની પાછળના સુક્ષ્મ કારણોની ચર્ચા કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667669730ae37.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_66766972d2309.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_66766972d2309.jpg" length="42682" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>મારા માટે સાહિત્ય દલિતોને દમનમાંથી મુક્તિ અપાવવાનું હથિયાર છે</title>
                    <link>https://khabarantar.com/for-me-literature-is-a-weapon-to-liberate-dalits-from-oppression</link>
                    <guid>https://khabarantar.com/for-me-literature-is-a-weapon-to-liberate-dalits-from-oppression</guid>
                    <description>
                        <![CDATA[ કપિલ ક્રિષ્ના ઠાકુરના લેખન અને બિનનિવાસી દલિત તરીકેના જીવનના અનુભવથી એમનું લેખન કેવી રીતે પ્રભાવિત છે એ અંગે લેખક પ્રસૂન ચૌધરીનો એમની સાથેનો વાર્તાલાપ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વર્ષની શરૂઆતમાં કેન્દ્ર સરકારે ‘નાગરિકતા સુધારા કાયદો’ (CAA)ના નિયમો જાહેર કર્યા તે વખતે બંગાળી લેખક-કર્મશીલ કપિલ ક્રિષ્ના ઠાકુર અગરતાલામાં સાહિત્ય સંમેલનમાં ભાગ લઈ રહ્યા હતા. એ યાદ કરતા તેઓ કહે છે કે એમના ફોન પર ઈમરજન્સીમાં કરાયેલ કૉલ સતત આવતા હતા, “મોટા ભાગના દલિતો હતા જે વિભાજન પછી પૂર્વ પાકિસ્તાનથી સ્થળાંતરિત થયા હતા અને એમની નાગરિકતાના ભાવિ અંગે અત્યંત મૂંઝવણમાં હતાં.”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નાગરિકતાની જટિલ સમસ્યા અંગેનો ઠાકુરનો ડર સાચો ઠર્યો છે અથવા સાચો ઠરેલો દેખાઈ રહ્યો છે. એ કહે છે, “૨૦૦૩માં એન.ડી.એ. સરકાર ‘નાગરિકતા સુધારા બિલ’ લાવી ત્યારથી શરૂઆત થયેલી. ધારાસભ્યોને એની વિસ્તૃત અસરો અંગે સમજાવવામાં નિષ્ફળ રહ્યાં અને  કોઈ પણ અડચણ વગર બિલ પસાર થઈ ગયું.” આ “કાળા કાનૂન” વિરુદ્ધ ઠાકુરે અમુક સાથી કર્મશીલો સાથે મળીને મજબૂત વિરોધ નોંધાવ્યો. એમને અણસાર આવી ગયો હતો કે વિભાજનના લાખો પીડિતોને “ગેરકાનૂની બિનનિવાસી” જાહેર કરી દેવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાંચ દાયકા ઉપરના સમયથી લેખક તરીકે ઠાકુર પછાત લોકોના જીવનની, ખાસ કરીને આઝાદી વખતે અને ત્યારબાદ પોતાના ઘરબાર છોડવાની ફરજ પડી હતી તેવાની ત્વારીખ નોંધતા આવ્યા છે. એમણે કાવ્યો, નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, નિબંધો લખ્યાં છે અને વિવિધ લઘુ સામયિકો પણ ચલાવ્યાં છે. ૧૯૮૦ના દાયકાની મધ્યમાં પાંગરેલી બંગાળી દલિત સાહિત્યિક ચળવળના અગ્રેસર એવા ઠાકુર કહે છે, “મારા માટે ઉચ્ચ જ્ઞાતિઓના દમનથી દલિતોને મુકિત અપાવવાનું હથિયાર સાહિત્ય છે.”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘણા નિષ્ફળ પ્રયત્નો બાદ હું ઠાકુર સાથે સેલ્દાહથી ૪૦ કિલોમીટરના અંતરે આવેલા બામગાચીમાં મુલાકાત કરી શક્યો. ‘નાગરિકતા સુધારા કાયદો’ના જાહેરનામાને કારણે એમની દિનચર્યામાં ભારે ઉત્પાત મચી ગયેલો છે. નાગરિકતા ગુમાવવાના ભયથી પીડાતા વધુ અને વધુ લોકોને એમણે મળવા અને સાંભળવા પડે  છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઠાકુરના વાંચનખંડમાંથી લીલીછમ કો-ઑપરૅટીવ સોસાયટીના સુંદર ઘર નજરે પડે છે. મોડી બપોર છે અને સૂરજના સોનેરી અજવાસથી પુસ્તકો અને મૅગૅઝીનો, ટ્રોફીઓ અને સર્ટીફિકૅટો ભરેલો ખંડ પ્રકાશિત છે. એમનો દીકરો ખંડમાં પ્રવેશીને ઑડિયો રૅકૉર્ડિંગ ફોન ઍપ ચાલુ કરી આપે છે. સવારથી હું બીજો પત્રકાર એમને મળવા આવેલો છું. ઠાકુર સમજાવે છે, “નવા કાયદાની સુક્ષ્મતાઓ ખાસ્સી જટિલ છે. લોકોમાં મૂંઝવણ પેદા કરવાનો અને ડર ઊભો કરવાનો આશય છે.”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઠાકુરનો જન્મ ૧૯૫૬માં પૂર્વ પાકિસ્તાનના ફરિદપુર જીલ્લાના સાતપાર ગામમાં થયો હતો. એમના જન્મના પાંચ મહિના બાદ એમના માતાપિતાને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને બર્દવાનના કન્સકા ટ્રાન્ઝીટ કૅમ્પમાં આશરો લેવાની ફરજ પડી હતી. થોડા સમય બાદ એમના મોટા ભાઈ અને માતા મૃત્યુ પામ્યા. દારુણ ગરીબીમાં એ ઉછર્યા. બાળપણમાં એ વિચરતા રહ્યાં, ઘર બદલતા, શાળા બદલતા, કોઈક વખત સરહદની આ તરફ તો કોઈ વખત સરહદની પેલી તરફ જીવતા રહ્યા—એ દિવસોમાં વચ્ચે કાંટાળી વાડ નહોતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઠાકુરના સાહિત્યિક સર્જનોમાં દલિત બિનનિવાસી તરીકેની કસોટીઓ અને વિપત્તિઓની સ્મૃતિની ઊંડી છાપ છે. “જિંદગીના મારા અનુભવો અને મારી આસપાસના લોકોની યાતનાઓ મારા સાહિત્યને ઈંધણ પૂરું પાડે છે,” ઠાકુર કહે છે. એમની નવલકથા ‘ઉજાનતલીર ઉપકથા’માં પારંપારિક રીતે ખેત મજૂરો, નાવીકો અને માછીમારો તરીકે કામ કરતા નામશુદ્રોની કથાનું આલેખન છે. “નવલકથાના બધાં પાત્રો વાસ્તવિક જીવનમાંથી  લીધેલા છે; ઘણા કિસ્સામાં અસલ નામ પણ જાળવેલા છે,” ઠાકુર જણાવે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પૂર્વ બંગાળના, જેનો મોટો હિસ્સો હવે બાંગ્લાદેશમાં છે, નદીના પરિવેશની જીવંત છબીઓથી એમનું લેખન ભરપૂર છે. ઠાકુર કહે છે, “નવલકથાનું બીજ મારી ટૂંકી વાર્તા ‘મધુમતિ ઑનૅક દૂર’માં મળે છે. વિભાજન પછી નાયક એના જન્મસ્થળની મુલાકાત લે છે ત્યારે મધુમતિ નદીના કિનારે એક નૌકા ઘાટ પર વાર્તાની શરૂઆત અને અંત થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રક્ષોભકારી બાળપણ હોવા છતાં ઠાકુરે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. કલકત્તા યુનિવર્સિટીમાંથી બંગાળીમાં અનુસ્નાતકની પદવી મેળવી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની કલકત્તા ઑફિસમાં સિક્કા અને નોટના પરિક્ષક તરીકે નોકરીમાં જોડાયા. તે દરમ્યાન સંયુક્ત ધોરણે દલિત લેખકોને તૈયાર કરવા અમુક લઘુ સામયિકો શરૂ કર્યા જેમાં ‘નિખિલ ભારત’ અને ‘ચતુર્થ દુનિયા’નો સમાવેશ થાય છે. સાહિત્યિક પ્રવૃત્તિઓની સાથોસાથ એમણે ભારતભરમાં દલિત શરણાર્થીઓની મદદ કરવા સામાજીક કર્મશીલતા ચાલુ રાખી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઠાકુરની કર્મશીલતા ડાબેરી છે. “મારા કૉલૅજકાળ દરમ્યાન હું વિદ્યાર્થીઓની ડાબેરી ચળવળમાં જોડાયો. દલિત રાજકારણના પ્રતિક એવા જોગેન્દ્રનાથ માંડલથી પ્રેરિત થઈ હું રાજકારણ તરફ આકર્ષાયો.” ડાબેરી પક્ષોના ટેકા સાથે રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયાના ઉમેદવાર તરીકે માંડલના રાજકીય અભિયાન દરમ્યાન એમની સાથે જોડાયાની સ્મૃતિ વાગોળતા ઠાકુર જણાવે છે. તે વખતે ઠાકુર શાળામાં અભ્યાસ કરતા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૦૩ના નાગરિકતા બિલને કારણે ઠાકુર સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા. એ કહે છે, “ જન જાગૃતિ ઊભી કરવા મેં મકુઆ પંથના બોરોમા બિનાપાની દેવી સહિતના આગેવાનોને સાંકળ્યા. આ બિલની જોખમી યોજના અંગે ઘણા ડાબેરી મોરચાના આગેવાનોને સંવેદનશીલ બનાવ્યા.” દાયકાઓથી ઠાકુરનગરના મતુઆ મહાસંઘ સાથે ઠાકુર ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. એમનું પુસ્તક ‘મતુઆ આંદોલન ઓ બાંગ્લાર અનુનતા સમાજ’ પંથના આગેવાનો તથા અનુયાયીઓ દ્વારા આદરથી જોવાય છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૧૬માં નાગરિકતા સુધારા મુદ્દાને રાજકીય ઝુંબેશમાં પરિવર્તિત કરવા માટેના એમના પ્રયાસને સશક્ત કરવા ઠાકુર ગાયઘાટ વિધાનસભા બેઠક પરથી સી.પી.આઈના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા. ઠાકુર જીત્યા નહીં પરંતુ એમના રાજકીય વિરોધીઓ દ્વારા નાગરિકતાના મુદ્દાઓ વિશે ગેરમાર્ગે દોરવાવવાના જોખમો અંગે એમના સંદેશનો પ્રસાર કરી શક્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અત્યારે નાગરિક્તા સુધારા કાયદાથી લોકોમાં વ્યગ્રતા અને અનિશ્ચિત્તા ઉત્તેજીત થઈ રહ્યા હોવાથી ઠાકુરની કર્મશીલતા સક્રીય થઈ ગઈ છે. ૨૦૧૮માં એમણે ‘છિન્નોમૂલ’(મૂળરહિત) કાવ્ય લખ્યું હતું. એની અંતિમ પંક્તિઓ છે:</span><br><span style="font-size: 14pt;">ઍકાદિન અમરાઓ છિન્નોમૂલ હોએ જાબો</span><br><span style="font-size: 14pt;">બિસવાસ કૉરૉ, સૅકૉથા ભાભીની કૉખૉનૉ…</span><br><span style="font-size: 14pt;">કોઈક દિવસ આપને બધાં મૂળરહિત થઈ જઈશું</span><br><span style="font-size: 14pt;">વિશ્વાસ કરો, મેં વિચાર્યું નહોતું કે આવું શક્ય બનશે.”</span><br><span style="font-size: 12pt;"><strong><em>(લેખક પ્રસૂન ચૌધરીનો આ લેખ ધ ટેલિગ્રાફ ઓનલાઈનમાં છપાયો હતો, જેનો રૂપાલી બર્ક દ્વારા ગુજરાતી અનુવાદ કરાયો છો.)</em></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ<a href="https://khabarantar.com/the-slogan-of-abki-bar-charso-par-and-dr-ambedkars-warning"> 'અબકી બાર ચારસો પાર' નો નારો અને ડૉ.આંબેડકરની ચેતવણી</a><br></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 16 May 2024 13:01:23 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>621</Articleid>
                    <excerpt>કપિલ ક્રિષ્ના ઠાકુરના લેખન અને બિનનિવાસી દલિત તરીકેના જીવનના અનુભવથી એમનું લેખન કેવી રીતે પ્રભાવિત છે એ અંગે લેખક પ્રસૂન ચૌધરીનો એમની સાથેનો વાર્તાલાપ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_664590b73c26b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_664590b70b4dc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_664590b70b4dc.jpg" length="69807" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Dalit literature</media:keywords>
                </item>
                        <item>
                    <title>લોકશાહીમાં રાજાશાહી: શહજાદા અને શહેનશાહ</title>
                    <link>https://khabarantar.com/monarchy-in-democracy-princes-and-emperors</link>
                    <guid>https://khabarantar.com/monarchy-in-democracy-princes-and-emperors</guid>
                    <description>
                        <![CDATA[ પ્રશ્ન એ નથી કે રાજકીય નેતાઓનાં સંતાનો રાજકીય નેતા બને છે. પ્રશ્ન એ છે કે લોકશાહીમાં નેતાઓ રાજાની જેમ વર્તે નહિ અને કાયદાનું શાસન પ્રવર્તે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પ્રો. હેમંતકુમાર શાહ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અભિનેતાઓ, પ્રાધ્યાપકો, ડોક્ટરો, એન્જિનિયરો, મેનેજરો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ક્રિકેટરો સહિતના રમતવીરો, સંગીતકારો સહિતના કલાકારો, દુકાનદારો અને IAS સહિતના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ વગેરે બધાનાં વ્યવસાયોમાં એમનાં સંતાનો ઘણીવાર એમના જ વ્યવસાયમાં જોડાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો એમ જ હોય તો, રાજકીય નેતાઓનાં સંતાનો પણ રાજકારણમાં આવે એનો વાંધો શા માટે? એવાં સંતાનોને રાજકારણ ગળથૂથીમાં મળતું હોય છે. લોકશાહીમાં તેઓ ચૂંટાય છે અને ચૂંટણીમાં હારે પણ છે. ઇન્દિરા ગાંધી પોતે પણ ૧૯૭૭માં ચૂંટણી હારી ગયાં હતાં અને રાજીવ ગાંધીની કોંગ્રેસ પણ ૧૯૮૯માં ચૂંટણી હારી ગઈ હતી. એન. ટી. રામારાવના ચંદ્રબાબુ નાયડુનો ટીડીપી ચૂંટણી હારી ચૂક્યો છે. દુનિયાભરમાં લોકશાહી દેશોમાં ઘણાં રાજકીય નેતાઓનાં સંતાનો રાજકારણમાં સફળ કે નિષ્ફળ રીતે પ્રવેશેલા છે જ. અમેરિકામાં જ્હોન કેનેડીનો લગભગ આખો પરિવાર અને જ્યોર્જ બુશ પહેલા અને જ્યોર્જ બુશ બીજા એનાં દ્રશ્યમાન ઉદાહરણો છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકશાહીમાં રાજકીય નેતાઓનાં સંતાનો લોકોની પસંદગીથી નેતા બને છે એ હકીકત ભૂલવી જોઈએ નહિ. સંતાનોમાં ગુણવત્તા હશે તો રાજકીય બજારમાં ચાલશે અને ટકશે, નહીં તો નહીં ચાલે, નહીં ટકે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એવું બીજાં બજારોમાં થાય છે જ. જેમ કે, અમિતાભ બચ્ચનનો દીકરો અભિષેક ફિલ્મોમાં બહુ ન ચાલ્યો, સચિન તેંડુલકરનો દીકરો તો ક્રિકેટમાં સહેજે ન ચાલ્યો. ધીરુભાઈ અંબાણીના દીકરા અનિલ અંબાણીએ શું ઉકાળ્યું એ બધાંને ખબર છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/consider-curbing-inequality">અસમાનતાને અંકુશમાં લેવાનું વિચારો</a><br></span></strong></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6642e9204b937.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં બધાં રાજકીય પક્ષોમાં રાજકીય નેતાઓનાં સંતાનોની બોલબાલા છે જ. નરેન્દ્ર મોદી રાહુલ ગાંધીને શહજાદા કહે તેથી કંઈ ભાજપમાં વારસાગત નેતાઓ નથી એવું તો સાબિત નથી જ થતું. એના સેંકડો દાખલા મોજૂદ છે. મહારાષ્ટ્રના નેતા ગોપીનાથ મુંડે અકસ્માતમાં માર્યા ગયા પછી નરેન્દ્ર મોદીએ તેઓ વડાપ્રધાન હતા તો પણ, અને રાહુલ ગાંધીને શહજાદા કહેતા હતા તો પણ, તેમની દીકરી પંકજા મુંડેને જ પસંદ કરી હતી કે જેનું નામ પણ ભારતમાં કોઈ જાણતું નહોતું. વંશવાદનો વિરોધ નરેન્દ્ર મોદી પોતાના પક્ષમાં જ કરે તો વધુ સારું. અને બજારમાં જે પેલા જથ્થાબંધ મોટીવેશનલ સ્પીકરો ફૂટી નીકળ્યાં છે તે પણ આ વિશે કોઈક મોટીવેશન નરેન્દ્ર મોદીને પણ આપે. તેમણે પદ્મશ્રી મળશે કે નહિ એની ચિંતા નહિ કરવી જોઈએ. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નરેન્દ્ર મોદી રાહુલને શહજાદા કહે છે એટલે પ્રિયંકાએ મોદીને શહેનશાહ કહ્યાં. દોઢ લાખ રૂપિયાના ચશ્મા અને દસ લાખ રૂપિયાનો સૂટ પહેરે, ૮૫૦૦ કરોડ રૂપિયાનું વિમાન વાપરે એ શહેનશાહ ન કહેવાય તો શું કહેવાય? મનમોહનસિંહ મોટી ઉંમરે પણ ૩૦૦ કરોડ રૂપિયાના વિમાનમાં જ આખી દુનિયામાં અને દેશમાં જતા હતા તે યાદ છે? </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકશાહીમાં કોણે રાજકીય નેતા બનવું કે ન બનવું એ તો એમની પોતાની પસંદગીનો વિષય છે. નેતા ચૂંટવાનો જેમ સૌને અધિકાર છે એમ નેતા બનવાનો પણ સૌને અધિકાર છે. પ્રશ્ન એ નથી કે રાજકીય નેતાઓનાં સંતાનો રાજકીય નેતા બને છે. પ્રશ્ન એ છે કે લોકશાહીમાં નેતાઓ રાજાની જેમ વર્તે નહિ અને કાયદાનું શાસન પ્રવર્તે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે લોકો રાહુલ અને પ્રિયંકા સામે વાંધો ઉઠાવી રહ્યા છે, તેઓ સહેજ બુદ્ધિ વાપરીને અને અંધ ભક્તિ છોડીને, ભાજપ સહિત અન્ય પક્ષોમાં શું થઈ રહ્યું છે તે થોડું જુએ. અને હા, એમના પરિવારોમાં કે સગાંસંબંધીઓમાં પણ જુદા જુદા વ્યવસાયની બાબતમાં શું થઈ રહ્યું છે તેના પર પણ નજર નાખે. માત્ર મિલકતનો વારસો ન હોય, વ્યવસાયનો પણ વારસો હોય અને રાજકારણનો પણ હોય. મિલકતના વારસા માટે કાયદા હોય, રાજકારણના વારસા માટે લોકશાહીમાં કાયદા હોય જ નહિ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધ આંખે તમાશાપ્રેમી બનવાને બદલે, લોકશાહી વિશે થોડી સમજણ મોદીના અંધ ભક્તોએ વિકસાવવાની જરૂર છે. મોદીની રાજાશાહી ઓછી થાય એને વિશે તેમના અંધ ભક્તો વધુ વિચારે તો સારું અને તો ભારતમાં લોકશાહી વધુ મજબૂત થશે.</span></p>
<p style="text-align: justify;"><em><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>(લેખક વિખ્યાત અર્થશાસ્ત્રી અને ભારતીય રાજનીતિના તલસ્પર્શી અભ્યાસુ છે)</strong></span></em><span><strong></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/Somers-of-Hindutva:-Gift-of-the-Gift-City">હિન્દુત્વનો સોમરસઃ ગિફ્ટ સિટીની ગિફ્ટ</a><br></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 14 May 2024 12:26:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>615</Articleid>
                    <excerpt>પ્રશ્ન એ નથી કે રાજકીય નેતાઓનાં સંતાનો રાજકીય નેતા બને છે. પ્રશ્ન એ છે કે લોકશાહીમાં નેતાઓ રાજાની જેમ વર્તે નહિ અને કાયદાનું શાસન પ્રવર્તે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_6642e920eea14.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_6642e920bb9a2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_6642e920bb9a2.jpg" length="110807" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;અબકી બાર ચારસો પાર&amp;apos; નો નારો અને ડૉ.આંબેડકરની ચેતવણી</title>
                    <link>https://khabarantar.com/the-slogan-of-abki-bar-charso-par-and-dr-ambedkars-warning</link>
                    <guid>https://khabarantar.com/the-slogan-of-abki-bar-charso-par-and-dr-ambedkars-warning</guid>
                    <description>
                        <![CDATA[ વર્તમાન લોકસભા ચૂંટણી આઝાદી પછીની સૌથી મહત્વપૂર્ણ અને પડકારજનક ચૂંટણી છે, કારણ કે તે લોકશાહી અને બંધારણને બચાવવા માટેની ચૂંટણી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્તમાન લોકસભા ચૂંટણી આઝાદી પછીની સૌથી મહત્વપૂર્ણ અને પડકારજનક ચૂંટણી છે, કારણ કે તે લોકશાહી અને બંધારણને બચાવવા માટેની ચૂંટણી છે. કહેવાની જરૂર નથી કે છેલ્લાં 10 વર્ષોમાં હિંદુત્વવાદી દક્ષિણપંથી સત્તાએ ભારતની અસ્મિતા અને તેના સાંસ્કૃતિક વારસાને લોહીલુહાણ કર્યો છે. એક રીતે જોઈએ તો આઝાદી સમયે દેશમાં જે પરિસ્થિતિઓ હતી તે જ સ્થિતિ આજે સર્જાઈ છે.</span><br><span style="font-size: 14pt;">આઝાદીની ચળવળમાં હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગની સાંપ્રદાયિક રાજનીતિએ એવી સ્થિતિ પેદા કરી દીધી હતી કે આઝાદીની સાથે જ ભારતને ભાગલાનો ભોગ બનવું પડ્યું હતું. ભાગલા દરમિયાન થયેલી સાંપ્રદાયિક હિંસા અને અમાનવીય અત્યાચારોએ ભારતની સ્વતંત્રતા પર સવાલો ઉભા કર્યા હતા. વિન્સ્ટન ચર્ચિલ જેવા નેતાઓ નવા રચાયેલા ભારતીય રાષ્ટ્રના ભાગલાની આગાહી કરતા હતા. પરંતુ ગાંધી, નેહરુના દૂરદર્શી ચિંતન અને ડૉ. આંબેડકરની સામાજિક ન્યાયની દીર્ઘદ્રષ્ટિએ દેશનો મજબૂત પાયો નાખ્યો. તમામ આશંકાઓ બાજુ પર મૂકીને </span><span style="font-size: 14pt;">વૈચારિક મતભેદો છતાં પણ જો ભારત આજે મજબૂતીથી ઊભું છે, તો તેનો પાયો ભારતનું બંધારણ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. આંબેડકરને ખ્યાલ હતો કે બંધારણ સામે પડકારો હશે. તેમણે બંધારણ સભાના છેલ્લા ભાષણમાં તે પડકારો અને આશંકાઓને સૂત્રબદ્ધ કરી હતી. બંધારણ સભામાં લગભગ 50 મિનિટ સુધી આપેલું એ ભાષણ અનેક વિશેષતાઓ ધરાવે છે. દુ:ખની વાત એ છે કે આગામી પચાસ વર્ષ સુધી આ ભાષણની લગભગ ન બરાબર ચર્ચા થઈ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">25 નવેમ્બર, 1949ના રોજ બંધારણ સભામાં આપવામાં આવેલું ડૉ. આંબેડકરનું આ ભાષણ 20મી સદીનું સૌથી મહત્વપૂર્ણ, બૌદ્ધિક અને ભવિષ્યની ચેતવણીઓથી ભરેલું ભાષણ છે. જેમ 15મી ઓગસ્ટ, 1947ના રોજ મધ્યરાત્રિએ નેહરુએ આપેલું 'એન્કાઉન્ટર વિથ ડેસ્ટિની' ભાષણ ભારતની ગરીબી અને દુર્દશાના પડકારોનો સામનો કરવા અને ભારતના નિર્માણ વિશે છે. એ જ રીતે ડૉ. આંબેડકરનું આ ભાષણ વૈચારિક અને સામાજિક-રાજકીય પડકારોની ચર્ચાથી ભરેલું છે. પરંતુ જ્યાં નહેરુના ભાષણની ચર્ચા હંમેશા થતી રહે છે, ત્યાં આંબેડકરના વિચારો અને વ્યક્તિત્વની જેમ તેમના ભાષણને પણ ભૂલાવી દેવામાં આવ્યું છે. આ ભાષણ જો તે સમયની કોંગ્રેસ સરકારો અને બુદ્ધિજીવીઓએ ધ્યાનથી વાંચ્યું અને તપાસ્યું હોત તો કદાચ હિંદુત્વવાદના આ ખરાબ દિવસો જોવા ન પડ્યા હોત.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/RSS-and-Ambedkar-are-polar-opposites-yet-why-Sangh-praises-Baba-Saheb">RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6642e18eea853.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ આરએસએસ અને તેના સંલગ્ન સંગઠનો બંધારણની રચનાથી લઈને તેના પસાર થવા સુધી તેની વિરુદ્ધ ઉભા હતા. એ ત્યાં સુધી કે વર્તમાનમાં આરએસએસની રાજકીય પાંખ એવી હાલની ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ ભારતીય બંધારણને સંસ્થાનવાદી ગુલામી અને વિદેશીનું પ્રતીક ગણાવે છે. વાસ્તવમાં આરએસએસનો ઉદ્દેશ્ય ભારતીયતાના નામે મનુ સ્મૃતિ પર આધારિત બંધારણ બનાવવાનો છે. આ જ કારણોસર તેમના દ્વારા બંધારણને વારંવાર અપ્રસ્તુત અને અસફળ કહેવામાં આવે છે. </span><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">જ્યારે ડૉ.આંબેડકરે તેમના ભાષણમાં કહ્યું હતું કે "બંધારણ ગમે તેટલું સારું હોય, પરંતુ જો તેનું પાલન કરનારા લોકો ખરાબ હશે તો તે ખરાબ સાબિત થશે." </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો. આંબેડકર લગભગ 90 વર્ષની આઝાદીની ચળવળ અને લાખો બલિદાન બાદ મળેલી આઝાદીને લઈને અત્યંત ચિંતિત હતા. ભારતના ભવિષ્ય વિશે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે “ભારત 26 જાન્યુઆરી, 1950ના રોજ એક સ્વતંત્ર રાષ્ટ્ર બનશે. તેની સ્વતંત્રતાનું ભવિષ્ય શું છે? શું તે તેની સ્વતંત્રતા જાળવી રાખશે કે ગુમાવશે? સદીઓથી ચાલતા સામંતવાદ અને બ્રાહ્મણવાદ પર આધારિત સમાજ આઝાદી પછી કેવો હશે? વર્ચસ્વ અને વંચિતમાં વહેંચાયેલો સમાજ એક સાથે કેવી રીતે રહેશે? ભારતના લોકો કેવી રીતે વર્તશે? </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. આંબેડકર લોકશાહી વ્યવસ્થામાં રાજકીય પક્ષોને લઈને પણ સભાન હતા. તેમણે ચેતવણી આપી હતી કે, “જો પક્ષો તેમની વિચારધારાને દેશથી ઉપર રાખશે તો આપણી સ્વતંત્રતા જોખમમાં આવી જશે. કદાચ તે કાયમ માટે ખોવાઈ જશે. પરંતુ આપણે આપણા લોહીનાં છેલ્લાં ટીપાં સુધી આપણી સ્વતંત્રતાની રક્ષા કરવી પડશે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે આરએસએસ માટે ભારતનો વિચાર જ હિંદુત્વ છે, સમાવેશી રાષ્ટ્ર નહીં. રાષ્ટ્રવાદના નામે તેણે હિંદુત્વને પોષ્યું અને હવે તે ખુલ્લેઆમ ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની જાહેરાત કરી રહ્યું છે. આરએસએસના વિચારો ભારતીય રાષ્ટ્ર માટે અત્યંત ખતરનાક હતા અને આજે વધુ ખતરનાક સાબિત થઈ રહ્યા છે.</span><br><span style="font-size: 14pt;">ડૉ. આંબેડકરે પણ આ બાબતે ચિંતન કર્યું હતું કે જો કોઈ રાજકીય પક્ષ ભારે બહુમતી મેળવી લે છે તો આ ખતરો અનેકગણો વધી જાય છે. આંબેડકરે તેમના ભાષણમાં કહ્યું હતું કે “આ નવજાત લોકશાહી માટે એ બિલકુલ શક્ય છે કે તે પડ લોકશાહીનું જાળવી રાખે, પરંતુ વાસ્તવમાં તે તાનાશાહી હોય. ચૂંટણીમાં મહાવિજયની સ્થિતિમાં બીજી શક્યતા વાસ્તવિકતા બનવાનું જોખમ વધુ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા ખુલ્લેઆમ “અબકી બાર 400 પાર” ના નારા આપવામાં આવી રહ્યા છે. 400 બેઠકો જીતવાનો એજન્ડા પણ ભાજપના નેતાઓએ સ્પષ્ટ કરી દીધો છે કે બંધારણ બદલવા માટે તેમને બે તૃતિયાંશથી વધુ બહુમતની જરૂર છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વેલ, બાબા સાહેબની સૌથી મોટી ચિંતા સ્વતંત્રતા ગુમાવવાની હતી. હકીકતમાં, આઝાદી પછી નેહરુની લોકપ્રિયતા સમગ્ર દેશમાં આસમાને પહોંચી હતી. નેહરુને જોવા માટે ભારતના ખૂણે ખૂણે ભીડ એકઠી થતી. આંબેડકર નેહરુ જેવા લોકપ્રિય નેતાના સરમુખત્યાર બનવાની આશંકાથી ઘેરાયેલા હતા. જ્હોન સ્ટુઅર્ટ મિલને ટાંકીને તેમણે ચેતવણીભર્યા અંદાજમાં કહ્યું હતું કે, "તમારી સ્વતંત્રતા કોઈ મહાનાયકના ચરણોમાં પણ સમર્પિત ન કરતા કે તેના પર વિશ્વાસ કરીને તેને એટલી તાકાત પણ પ્રદાન ન કરી દેતા  તે સંસ્થાઓને નષ્ટ કરવા જેટલો તાકાતવાન થઈ જાય"</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/ambedkarism-will-be-tested-in-2024-elections">2024ની ચૂંટણીમાં આંબેડકરવાદની કસોટી થશે</a><br></span></strong></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6642e240e6328.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">પણ છેલ્લા દસ વર્ષમાં આવું જ બન્યું છે. કોર્પોરેટ મીડિયા દ્વારા નરેન્દ્ર મોદીની સુપરહીરો તરીકેની ઈમેજ બનાવવામાં આવી હતી. મોદીએ તમામ બંધારણીય સંસ્થાઓને નખ-દાંત વગરની બનાવી દીધી. મીડિયા દ્વારા વિપક્ષોને અપ્રસ્તુત બનાવી દેવાયા. મુખ્યધારાનું મીડિયા સરકારના કામોની સમીક્ષા કરવા અને તેની ખોટી નીતિઓની ટીકા કરવાને બદલે મોદીના વખાણ કરવામાં મગ્ન છે. તેણે નાગરિકોના પ્રશ્નો ઉઠાવવાનું બંધ કરી દીધું છે. તેમણે સરકારના કામને જવાબદારી નહીં પરંતુ કૃપા બનાવી દીધાં છે. હિંદુત્વ પ્રણાલી અને મીડિયા દ્વારા લોકોને સરકાર પ્રત્યે આભારી બનવાનું શીખવવામાં આવે છે. જ્યારે ડૉ. આંબેડકરે આઇરિશ દેશભક્ત ડેનિયલ ઓ'કોનેલની ચેતવણીને ટાંકીને કહ્યું હતું કે "જેમ કોઈ પુરુષ તેના સન્માનના ભોગે કૃતજ્ઞ ન હોઈ શકે, કોઈ સ્ત્રી તેની પવિત્રતાના ભોગે આભારી ન હોઈ શકે, તેવી જ રીતે કોઈ પણ રાષ્ટ્ર તેની સ્વતંત્રતાની કિંમત પર કૃતજ્ઞ ન હોઈ શકે. તેઓ આગળ કહે છે કે “આ સાવધાની ભારતના કિસ્સામાં અન્ય કોઈ પણ દેશ કરતાં વધુ જરૂરી છે, કારણ કે ભારતમાં ભક્તિ કે નાયકપૂજા જે ભૂમિકા ભજવે છે તેટલા મોટાપાયે વિશ્વનો કોઈ દેશ ભારત સાથે બરાબરી કરી શકે તેમ નથી."</span><br><span style="font-size: 14pt;">એમ કહેવું જરૂરી છે કે, ભારત ખૂબ જ ધાર્મિક દેશ છે. અહીં ભક્તિ અને આધ્યાત્મિકતાની લાંબી પરંપરા છે. રાજકારણમાં આ ભાવના લોકશાહી માટે ખતરો છે. તેથી, ડૉ. આંબેડકરે ચેતવણી આપી હતી કે "ધર્મના ક્ષેત્રમાં ભક્તિ એ આત્માના ઉદ્ધારનો માર્ગ હોઈ શકે છે, પરંતુ રાજકારણમાં, ભક્તિ અથવા નાયક પૂજા એ પતન અને છેવટે સરમુખત્યારશાહીનો સીધો માર્ગ છે."</span><br><span style="font-size: 14pt;">આ ખતરો આજે દેશ સામે છે. જોવાનું એ રહે છે કે શું ભારતની જનતા આ ચૂંટણીમાં સરમુખત્યારશાહીને હરાવીને બંધારણ અને લોકશાહીને બચાવશે?</span></p>
<p style="text-align: justify;"><em><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">(પ્રો. રવિકાંતનો મૂળ લેખ ફોરવર્ડ પ્રેસમાં છપાયો હતો, તેનો આ ગુજરાતી અનુવાદ છે.)</span></strong></span></em></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-does-rss-have-any-answer-to-these-questions-of-ambedkar">ડૉ. આંબેડકરના આ સવાલોનો RSS પાસે કોઈ જવાબ છે?</a><br></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 14 May 2024 10:02:45 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 14 May 2024 09:40:23 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>614</Articleid>
                    <excerpt>વર્તમાન લોકસભા ચૂંટણી આઝાદી પછીની સૌથી મહત્વપૂર્ણ અને પડકારજનક ચૂંટણી છે, કારણ કે તે લોકશાહી અને બંધારણને બચાવવા માટેની ચૂંટણી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_6642e190345cf.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_6642e18ff3f50.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_6642e18ff3f50.jpg" length="69590" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>મયૂર વાઢેરના પુસ્તક &amp;apos;પૂના કરાર&amp;apos; ની સુધારેલી આવૃત્તિ પ્રગટ થઈ</title>
                    <link>https://khabarantar.com/revised-edition-of-mayur-vadhers-book-Puna-Karara-published</link>
                    <guid>https://khabarantar.com/revised-edition-of-mayur-vadhers-book-Puna-Karara-published</guid>
                    <description>
                        <![CDATA[ યુવા લેખક મયૂર વાઢેર દ્વારા લિખિત બહુચર્ચિત પુસ્તક &#039;પૂના કરારઃ ઈતિહાસ, અસર અને ઉકેલ&#039;ની સુધારેલી નવી આવૃત્તિ પ્રગટ થઈ છે. શું છે આ પુસ્તકમાં, ચાલો જાણીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'પૂના કરાર: ઇતિહાસ, અસર અને ઉકેલ' પુસ્તક બહુજન સમાજના સામાજિક અને રાજકીય પાસાના પતન અંગે વ્યાપક ચર્ચા કરતું પુસ્તક છે. ૨૪ સપ્ટેમ્બર, ૧૯૩૨ના રોજ થયેલા પૂના કરારને પ્રસ્તુત પુસ્તક ઊંડાણપૂર્વક ઝીલે છે. એટલું જ નહિ, આ પુસ્તક પૂના કરારના ઐતિહાસિક પાસાને સમજાવવા માટે છેક ઇ.સ. ૧૯૦૬માં આગાખાન અને તત્કાલિન ભારત સચિવ લૉર્ડ જૉન મોર્લેની શિમલામાં થયેલી મુલાકાતની ઝાંખી આપે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ તો આ પુસ્તક  ભારત પર શાસન અને વેપાર  કરવાનો ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો પરવાનો છીનવાઈ ગયો તે ઇ.સ.૧૮૫૮ના વર્ષના અધિનિયમથી શરૂ થાય છે. પણ પુસ્તકમાં તે ચર્ચા તો વાચકને અંગ્રેજોના જુદાજુદા અધિનિયમોનો આછેરો ખ્યાલ આપવાના આશયથી જ અવતરી છે. પણ પુસ્તકમાં તે બહાને ભારતમાં ચૂંટણી પ્રથાનો આરંભ દર્શાવવાનો પ્રયાસ પણ થયો છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિદ્યાર્થીજીવનથી માંડીને તેમના સામાજિક જીવનના પ્રવેશ અને તે પછી રાજકીય જીવનમાં તેમના પ્રવેશ અને આજીવન સંઘર્ષની ગાથા પુસ્તકના પાનેપાને પ્રગટે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'પૂના કરાર: ઇતિહાસ, અસર અને ઉકેલ' પુસ્તક ઇ.સ. ૧૯૦૯ના મોર્લેમીન્ટો અધિનિયમ, સાઉથબરો સમિતિ, ૧૯૧૯નો મોન્ટફર્ડ અધિનિયમ, સાયમન કમિશન, ગોળમેજી પરિષદો અને તેમાં ડૉ. આંબેડકરની ભૂમિકા ચર્ચે છે. નહેરુ રિપોર્ટમાં અસ્પૃશ્યોના અવાજની બાદબાકી, કૉંગ્રેસ અને તેના તત્કાલિન નેતાઓની ચાલબાજી, સામ્યવાદીઓ અને હિન્દુ મહાસભાના નેતાઓની ડૉ. બાબાસાહેબ આંબેડકરની અલગ મતાધિકારની માગ વિરૂદ્ધની ભૂમિકાનું પણ સુપેરે વર્ણન કરે છે. તેમાં ગાંધી-આંબેડકર વચ્ચે થયેલી પ્રથમ મુલાકાતની પણ ઝલક છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Dr.-Babasaheb-Ambedkars-book-My-Autobiography-is-now-also-available-in-Gujarati">ડૉ.બાબાસાહેબ આંબેડકરનું પુસ્તક ‘મારી આત્મકથા’ હવે ગુજરાતીમાં પણ ઉપલબ્ધ</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6640530113c8d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રસ્તુત પુસ્તક પૂના કરાર સુધી દોરી જતાં તમામ ઝીણાંઝીણાં પાસાઓને આવરી લે છે. પુસ્તક માત્ર પૂના કરારની આસપાસ નથી ફરતું પણ પૂના કરારથી વ્યથિત આંબેડકરની ચેતનાનો ચિતાર પણ આપે છે. પૂના કરારને રદ કરવા માટે ડૉ. આંબેડકરના સંઘર્ષને ઊંડાણપૂર્વક ઝીલે છે. આજના સમયે પૂના કરારની ચુંટણી પ્રથાને બદલે કેવી ચૂંટણી પ્રથા હોવી જોઈએ તેવો ખ્યાલ પણ પુસ્તકના અંતમાં જોવા મળે છે. તો પૂના કરાર વખતે કેટલાક દલિત નેતાઓ ગાંધીના ખોળે બેસી ગયા હતા અને જ્યારે તેમને સત્ય સમજાયું ત્યારે બાબાસાહેબ ડૉ. આંબેડકરની નજીક પણ આવ્યા અને તેમનો પસ્તાવો વ્યક્ત કર્યો તેની પણ ઐતિહાસિક ચર્ચા પુસ્તકના પાને પડઘાય છે.પણ પુસ્તક પૂના કરારની ચૂંટણી પ્રથાને બદલાવી દેવા માટેની ચર્ચા પણ છેડે છે, જો બહુજન સમાજના સંગઠનો ને  સંગઠકો તેને ગંભીરતાથી વાંચે તો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પુસ્તકમાં ઐતિહાસિક વિગતોને વિશ્વસનીય અને શ્રદ્ધેય રાખવા  માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરના અંગ્રેજી વોલ્યુમનો આધાર લીધો છે. અંગ્રેજી વોલ્યુમમાંથી લીધેલા કેટલાક કથનો અને વિગતોનો ગુજરાતી અનુવાદ તો લેખકે જાતે જ કર્યો છે. પૂના કરાર પુસ્તકમાં ખાસ કરીને આનંદ તેલતુંબડે,  મનોજ મિત્તાથી માંડીને એલીનોર ઝિલીઅટ, ક્રીસ્ટોફર જેફર્લો, પેરી એન્ડર્સન, સ્કોટ આર.સ્ટાઉડ, બેવર્લી નિકોલસ જેવા આંતરાષ્ટ્રીય અભ્યાસુ લેખકોના  પુસ્તકોનો સંદર્ભ પણ મૂક્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ આખરે આ પુસ્તક તો ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા આધુનિક ભારતના નિર્માતાના સ્વતંત્ર ભારતની લોકસભાની એક પણ ચૂંટણી જીતવા દીધી નહોતી તેવા પૂના કરારના કારમા ઘા પર ઘા કરે છે. પૂના કરાર: ઇતિહાસ, અસર અને ઉકેલ પુસ્તક આખરે તો બાબાસાહેબની પીડા અને તેમની મનોવ્યથા જ પ્રગટ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્તુત પુસ્તકમાં ડૉ. આંબેડકરના સંઘર્ષનું નિરૂપણ કરતી વેળાએ મારી પાંપણે આવેલા ઝળઝિળયાં વાચકના અંતરને પણ વલોવશે તો પુસ્તકમાં ડૉ. આંબેડકરના સંઘર્ષના ચિતારની ચર્ચા સાર્થક થશે. પુસ્તકનો આશય વાચકને ભાવક બનાવીને તેમની ભાવનાત્મકતા બનાવવાનો જરાય નથી.  પુસ્તકનો આશય તો વાચકને  પુસ્તકના પાનેપાને પસાર થઈને જ સ્પષ્ટ થશે. જેમણે પુસ્તક વાંચ્યું છે તેમના પ્રતિભાવને આવકાર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>-મયૂર વાઢેર</strong></span> <span style="font-size: 12pt;"><em><strong>(પુસ્તકની કિંમત રૂ.100/, વધુ જાણકારી માટે સંપર્ક મો. 9277770001)</strong></em></span></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </span><a href="https://khabarantar.com/Raju-Solankis-book-Human-Rights-Torchbearer:-Veer-Meghmaya-released">રાજુ સોલંકી લિખિત ‘માનવ અધિકારના મશાલચી: વીર મેઘમાયા’ પુસ્તકનું વિમોચન થયું</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 12 May 2024 10:58:16 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>608</Articleid>
                    <excerpt>યુવા લેખક મયૂર વાઢેર દ્વારા લિખિત બહુચર્ચિત પુસ્તક &#039;પૂના કરારઃ ઈતિહાસ, અસર અને ઉકેલ&#039;ની સુધારેલી નવી આવૃત્તિ પ્રગટ થઈ છે. શું છે આ પુસ્તકમાં, ચાલો જાણીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_6640511c93593.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_6640511c61688.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_6640511c61688.jpg" length="76565" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>વોટ આપતી વેળાનું ચિંતન</title>
                    <link>https://khabarantar.com/considerations-when-voting</link>
                    <guid>https://khabarantar.com/considerations-when-voting</guid>
                    <description>
                        <![CDATA[ મત આપવા જતી વખતે એક સરેરાશ મતદારના મનમાં ચાલતી ગડમથલને ડો. સ્વપ્લિનલ મહેતા પોતાના આગવા રમૂજી અંદાજમાં વ્યક્ત કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ડો. સ્વપ્નિલ મહેતા </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ તો મારા ધર્મપત્ની પેજ પ્રમુખ, એટલે અમારા ઘરમાં એની હાંક બોલે. જો કે પેજ પ્રમુખ બન્યા પછી એનામાં ઠાવકાઈનું પ્રમાણ પણ વધ્યું છે અને ચહેરા ઉપરની આછી મૂછો પણ હવે બરાબર ઉપસી આવી છે. આમ તો અમારા મહોલ્લાના રાજકીય કાર્યકરભાઈ હું પોતે પેજ પ્રમુખ બનું એવો આગ્રહ સેવતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"તમારા જેવા ભણેલા ગણેલા માણસ રાજકારણથી દૂર જશે તે કેમ ચાલશે? તમારા જેવા સજ્જન માણસોની દેશને જ નહિ આપણા પક્ષને પણ જરૂર છે." જ્યારે આ સામાજિક કાર્યકરભાઈ મારા માટે આવુ મનગમતું બોલ્યા ત્યારે મારો એમના પ્રત્યેનો અભિગમ બદલાયો હતો. નહીં તો મેં હંમેશા એમને નશાયુકત હાલતમાં ગાળાગાળી કરતા અને મારામારી કરતાં જ જોયા હતા. હું હંમેશા એમનાથી એક સામાજીક અંતર બનાવીને ચાલ્યો છું. રાજકારણ ભલે આપણને ગંદુ લાગતું હોય, પણ આવા ઘણાં લોકોને તે સફેદ કપડાં પહેરાવી  શુધ્ધ પણ કરી નાખતું હોય છે. હવે ડિરેકટરીના અમારાવાળા પેજ ઉપર બે પ્રબળ દાવેદાર હતા. જે પૈકી એક જૈફ વયના મારા માતૃશ્રી અને બીજા મારા ધર્મપત્ની.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"સાહેબ તમે કહો એને આપણે પેજપ્રમુખ બનાવી દઈએ" કાર્યકરે એવું કહયું અને યુધિષ્ઠિર પાસે જેટલુ ધર્મસંકટ નહોતું તેનાથી દશ ગણું એકસામટું ધર્મસંકટ મારા ઉપર આવી પડ્યું. હવે પેજ ઉપરનું રાજકારણ મારા ઘરમાં પ્રવેશી રહ્યુ હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"નરો વા, કુંજરો વા" એવું કહીને મે બધી જવાબદારી પેલા કર્મઠ કાર્યકર્તા ઉપર નાંખી દીધી. અડવાણીજી અને મનમોહનસિંહ પછી દરેક પક્ષો વૃધ્ધોને અવગણવા માંડ્યા છે એટલે પછી અંતે પત્ની જ પેજપ્રમુખ બની અને એ પછી તરત જ એના વર્ચસ્વમાં એક પેજ જેટલો વધારો થઈ ગયો. મતદાનના દિવસે મારી ભાર્યાએ દિવાળી વખતે ખરીદેલા રેડીમેઈડ પેન્ટ-શર્ટની જોડ મારા માટે અલગ રાખીને, એ તો સવારથી પક્ષના કામમાં લાગી પડી હતી. જતાં જતાં એ  કહેતી પણ ગઈ કે, "પહેલા જેવા ગાંડા હવે નથી કાઢવાના ખબર છે ને વૉટ કોને આપવાનો છે?" મે હકારમાં માથું હલાવ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચાર દિવસથી ઘરમાં પડેલું વાસી ખોરું ચવાણું અને રાતે પક્ષ કાર્યાલયથી આવેલા મેથીના ઠંડાગાર ભજિયા સામે નજર સુધ્ધાં નાખ્યા વગર મેં મારી પવિત્ર ફરજ પુરી કરવા મતદાન મથક જવા ચાલવા માંડયું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક વોટની કિંમત શુ હોય છે. એ હું જાણતો હતો. અન્ય એક પાર્ટીમાં સેવાભાવી કાર્યકરે એમની મોંધીદાટ ગાડીમાં મને  બેસાડવા ખૂબ જ આગ્રહ કર્યો પણ હું ટસ થી મસ ના થયો. મારા ઘરના પેજ પ્રમુખ ખુદે એની પ્રચાર રિક્ષા મારી આગળ ખડી કરી દીધી. તે ઉમેદવાર હોય એમ આંગળીઓથી વી આકાર બનાવી, મને વિજય ચિહ્વન દેખાડ્યું. મેં પણ ઔપચારિક સ્મિત કર્યુ. અને ચાલતો જ મતદાન કરવા નીકળી પડ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હું કોઈ સત્યાગ્રહી હોઉ અને જાણે મોટું આંદોલન કરવા જઈ રહ્યો હોઉં એવું અનુભવી રહ્યો હતો. હું આ દેશની અખંડ લોકશાહીનો એક ખંડ છું. એવું મને વારંવાર પ્રતિત થઈ રહ્યું હતું. હું જ તિરંગો, હું જ લોકશાહી ને હું જ સંવિધાન છું. એવી ભાવના મારામાં પ્રબળ થઈ રહી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મારા ખિસ્સામાં રહેલા આધારકાર્ડ, પાન કાર્ડ, વોટર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ, પોપર્ટી કાર્ડ, પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડ, આભા કાર્ડ, મા કાર્ડ, ગટર વેરાની પહોંચ, લાઈટ બિલની નકલ, ગેસના બાટલાની પહોંચ, મિલકતવેરા ભર્યાની પહોંચ, મારું બેંક સ્ટેટમેન્ટ, મારા ઇન્કમટેક્ષ રિર્ટનની પ્રમાણિત નકલ, શાળા છોડયાનું પ્રમાણ પત્ર. સારી ચાલચલગતનો દાખલો, છેલ્લે પેટ્રોલ ભરાયાનો પુરાવો, જન્મનું પ્રમાણપ્રત્ર, આ ઉપરાંત (ન વેચાયેલા રેલ્વેપ્લેટફોર્મની) હમણાં લીધેલી પ્લેટફોર્મ ટિકિટ પણ સાથે રાખી હતી. બધાં દસ્તાવેજો મને સંપૂર્ણ ભારતીય તરીકેની ઓળખ દર્ઢ કરવામા મદદરૂપ થઈ રહ્યા હતા. ટૂંકમાં મારા મરણના દાખલા સિવાય લગભગ બધાં જ ડોક્યુમેન્ટ મારી પાસે મોજૂદ  હતા. એટલું જ નહિ, એક સારા અને નીડર નાગરિક તરીકે કોરોનાની વેકસિન લેતી વખતે પડાયેલો ફોટો અને વિશ્વગુરૂની તસ્વીર વાળું વેકસિન સર્ટિફિકેટ પણ મેં મારા ખિસ્સામાં રાખ્યો હતો. આ દેશમાં હું કાયદેસર વસવાટ કરું છું, એનું ગૌરવ પણ મારી સાથે ભેગાભેગું ચાલતું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/It-was-not-visible-but-amin-sahib-was-holding-a-broom-behind-his-back-and-a-kuldi-around-his-neck">દેખાતો નહોતો પણ અમીન સાહેબ ની પીઠ પાછળ સાવરણી અને ગળામાં કુલડી વળગેલા હતા</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_663db47d08919.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મને આપણા તિંરગાના ત્રણેય રંગો પણ મુંહજબાની યાદ હતા. અશોક ચક્રમાં કેટલા આરા હોય તેની વિગત પણ મેં ગોખી નાંખી હતી. પ્રસંગોપાત હું ભારત માતાનો જય પણ બોલી શકતો હતો. રામમંદિર નિર્માણનિધિ માટે આપેલ રકમની પહોંચ પણ હું સાથે લેવાનું ચૂક્યો નહોતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મહાન દેશ તરફથી આવેલો ભાવવધારો હસતા મ્હોંએ, વિના વિરોધને સહન કરી શકતો હતો. એક ભારતીય તરીકે આ મારી મોટી વિશેષતા હતી. પાછો હું લોકશાહીમાં ભારોભાર શ્રધ્ધા રાખીને, હું વૉટ આપવા પણ જઈ રહ્યો હતો. ટૂંકમાં એક ભારતીય તરીકે મારામાં કશુંય ખુટતું નહોતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલધડક રીતે મેં મતદાન મથકમાં એન્ટ્રી કરી. લોકશાહીના રખેવાળો ભરી બંદૂકે લોકશાહીની  રખેવાળી કરી રહ્યા  હતા. મતદાન મથકના સરકારી સ્ટાફ પૈકી કેટલાંક લોકો રાજકીય પક્ષના કાર્યકરો હોય એવું વર્તન કરી રહ્યા હતા. એ મજબૂર લોકોને પણ મેં નજરઅંદાજ કર્યા અને એમના ઈશારાપણ નજરઅંદાજ કર્યાં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરજ પરના અધિકારી મારૂં ભારતીયપણું ઝીણવટભરી નજરે તપાસી રહયા હતા. દસ્તાવેજો બરાબર હોવા છતાં એમણે એક કરતા વધારે મારા ચહેરા સામે જોયું. મારો માસ્ક દૂર કરાવીને પણ જોયું. હું ઈસમ છું કે શખ્સ, એ નક્કી કરવામાં તેઓ વાર લગાડી રહ્યા હતા. આખરે શંકાનો લાભ આપી મને મારી પવિત્ર ફરજ પુરી કરવાની સંમતિ અને કાગળ આપ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મારા માટે વિજયની ક્ષણ હતી. મારૂં રુંવેરુંવું ભારત માતાના જય બોલાવી રહયું હતું ને આખરે હું ઇવીએમ સામે ખડો થઈ ગયો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈવીએમને જોતાં વેંત કેવળ મારી પત્ની, મારા બાળકો અને મારી માં સિવાય, પણ બીજા  મૂછોવાળા, દાઢીવાળા અને મૂછો વગરના રૂપાળા અને બિહામણા અનેકો ચહેરા મારી આંખ સામે તરવરવા લાગ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મારી સામે પડેલું આ કેવળ ઈવીએમ નહોતું. એક ભારતીય તરીકે મારું શસ્ત્ર  હતું. અસ્ત્ર હતું, ઓજાર હતું, ઉપચાર હતું. આશા હતું. મારા લોહીમાં રમમાણ થયેલી મારી લોકશાહી ઉપર મારી શ્રધ્ધાનેય વધારે ધટ્ટ કરવાનો એક ઉમદા અવસર હતું. એ મારે મન પવિત્ર હતું. બાહ્ય દેખાવથી જ નિર્દોષ દેખાતું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ બાહ્ય દેખાવથી હું હંમેશા એક સરેરાશ ભારતીયોની જેમ એક કરતા વધારે છેતરાયો છું.  ફરી એક વાર છેતરાવા માટે, લોકશાહી ઉપર પૂર્ણ શ્રધ્ધા રાખીને, બંધારણે આપેલા હકોના બદલામાં મે મારી પવિત્ર ફરજ પુરી કરવા, ક્ષણ એક માટે આંખો મીંચીને એક બટન ઉપર આંગળી દબાવી. ને ઇવીએમ કોઈ અકથ્ય પીડાથી ચીસ પાડી ઉઠયું. કોને વોટ ગયો હશે, એની કશી પણ ચિંતા કર્યા વગર મે મારું મતદાન પુરું કર્યુ. હું પૂરેપૂરો ઠલવાઈ ચુક્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/how-can-privatization-be-good-for-the-country">ખાનગીકરણ કઈ રીતે દેશ માટે સારું હોઈ શકે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 10 May 2024 12:06:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>602</Articleid>
                    <excerpt>મત આપવા જતી વખતે એક સરેરાશ મતદારના મનમાં ચાલતી ગડમથલને ડો. સ્વપ્લિનલ મહેતા પોતાના આગવા રમૂજી અંદાજમાં વ્યક્ત કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_663dbf955bea3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_663dbf952c9cc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_663dbf952c9cc.jpg" length="74750" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>અસમાનતાને અંકુશમાં લેવાનું વિચારો</title>
                    <link>https://khabarantar.com/consider-curbing-inequality</link>
                    <guid>https://khabarantar.com/consider-curbing-inequality</guid>
                    <description>
                        <![CDATA[ નોલેજ કમીશનના પૂર્વ ડિરેક્ટર અને કોંગી નેતા સામ પિત્રોડા આજકાલ રાજકીય કારણોસર ચર્ચામાં છે. તેમનો આ લેખ આંખો ઉઘાડનારો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લેખક: સામ પિત્રોડા</span></strong></span><br><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">અનુવાદ: હેમંતકુમાર શાહ</span></strong><br><span style="font-size: 14pt;">ઈતિહાસમાં પહેલી જ વાર દુનિયાના બધા જ ૮૦૦ કરોડ લોકો અવાજ, ડેટા અને વિડિયોના અત્યંત ગતિમાન નેટવર્કથી જોડાયેલા છે. તેને પરિણામે સરકારી પ્રક્રિયાઓ, ધંધાઓ અને અંગત જીવન કદી કલ્પના કરી ન હોય તે રીતે બદલાઈ ગયાં છે. તેને લીધે વસ્તુઓ, સેવાઓ અને નાણાકીય વ્યવસ્થાઓ એટલી હદ સુધી બદલાયાં છે કે આપણે આપણા અર્થતંત્રને સમજવા માટે, તેનું મૂલ્યાંકન કરવા માટે અને તે વિસ્તારવા માટે તદ્દન નવા અભિગમની જરૂર છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટલે આપણે જે કંઈ કરતાં રહ્યા હતા તે કરવા માટે શું આપણે હાઇપર કનેક્ટિવિટીનો ઉપયોગ કરીએ છીએ? કે પછી આપણે માનવજાત અને અર્થતંત્રને બીજા નવા સ્તરે લઈ જવા પહેલાં જે કદી ન કર્યું હોય તે કામ કરી રહ્યા છીએ? </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટેક્નોલોજીની પ</span><span style="font-size: 14pt;">હેલી ક્રાંતિ ૧૯૪૭માં ટ્રાન્ઝિસ્ટર રેડિયો આવ્યો ત્યારે થઈ. તેનો અંત આવ્યો ઈન્ટરનેટ, સ્માર્ટફોન અને એપ્લિકેશન્સથી લગભગ ૨૦૨૦માં, કે જ્યારે કોરોના મહામારીએ સહેજ લાંબો પોરો ખાવા આપણને મજબૂર કર્યા. પ્રકૃતિએ આપણને એક સંદેશો આપ્યો કે આપણે બધા આ જગતમાં એકબીજા સાથે જોડાયેલા છીએ, પરસ્પર સંબંધિત છીએ અને પરસ્પરાવલંબી છીએ. તેને લીધે અસમાનતા અને ગરીબોને થતા  અન્યાય અને તેઓ છેવાડે ફેંકાઈ જાય છે તે, અને દુનિયાભરમાં થતા આર્થિક સ્થળાંતરની બાબતો ઉપસી આવી. તેણે લોકોને અંતરનિરીક્ષણ કરવાની અને જીવન, જીવનનિર્વાહ તેમ જ સંબંધો, સમુદાયો, કામધંધા, વૈશ્વિકીકરણ, સરકાર વગેરે વિશે મૂળભૂત સવાલો ઉઠાવવા ફરજ પાડી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કમનસીબે, આપણને હજુ એમ લાગે છે કે મોટાં પ્રોત્સાહનો તથા રાહત પેકેજથી આપણી ગાડી ફરી પાટે ચડી જશે. પરંતુ દરેક દેશમાં દેવું ખાસ્સું વધ્યું છે અને નાણાકીય બીજો આવનારી પેઢી પર ફેંકાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-law-of-manusmriti-which-sowed-the-seeds-of-inequality-in-indian-society">મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં </a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_663c6454e981e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે માઇક્રોસોફ્ટ, એપલ, એનવિડિયા, ગૂગલ, એમેઝોન અને મેટા એમ છ મોટી ટેક્નોલોજી કંપનીઓ કોઈ પણ રીતે ઉત્પાદનની પરંપરાગત રીત અપનાવતી નથી. તેઓ ૧૫૦૦૦ અબજ ડોલરની માલિક છે. આટલી રકમમાં તો ભારત સરકારનાં ત્રીસ બજેટ થાય! આ નવી વાસ્તવિકતા છે. તેઓ એવો ધંધો કરે છે કે જેમાં કોઈ વસ્તુ કે આવક ઉત્પન્ન થતી જ નથી. આ બધાને આપણે કેવી રીતે સમજી શકીએ? </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વૈશ્વિક સ્તરે આવક અને સંપત્તિની અસમાનતાનાં દર્શન થાય છે. એ આ ઝડપી  ટેકનોલોજી અને આર્થિક વૃદ્ધિ સાથે વધી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે સંબંધિત નવી ટેક્નોલોજીથી આ સ્થિતિ વધુ વણસશે. અમીરો અને ગરીબો વચ્ચેની ખાઈ વધુ મોટી થતી જશે. તેને લીધે સામાજિક સંવાદિતા જટિલ બને, રાજકીય ધ્રુવીકરણ થાય, આર્થિક અસ્થિરતા આવે, હિંસા વધે અને બિન-ટકાઉ વિકાસ થાય એમ બને. તેને પરિણામે તત્કાળ નવતર બહુપાંખી વ્યૂહરચનાઓ, નીતિઓ અને કાર્યક્રમોની જરૂર છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓક્સફામ કહે છે તે મુજબ, ૨૦૨૦ પછી ૫૦૦ કરોડ લોકો ગરીબ બન્યા છે અને દુનિયાના પાંચ અમીરોની સંપત્તિ એક કલાકના ૧૨૦ કરોડ રૂપિયાની ઝડપે વધી છે અને બમણી થઈ ગઈ છે. અબજોપતિઓ ૨૦૨૦માં હતા તેના કરતાં ૨૮૦ લાખ કરોડ રૂપિયા વધુ ભેગા થઈ ગયા છે. સૌથી વધુ અમીર એક ટકા લોકો પાસે ૪૩ ટકા નાણાકીય સંપત્તિ છે. ભારત આમાં કંઈ અપવાદ નથી. </span><br><span style="font-size: 14pt;">ભારતના સૌથી અમીર ૪૦ જણા પાસે ૭૦ કરોડ લોકો પાસે છે તેમના કરતાં વધુ સંપત્તિ છે. આ અસમાનતા રસ્તા, દુકાનો, ખેતરો, કારખાનાં અને ગામોમાં રોજેરોજ દેખાય છે. આવકની અસમાનતા પાછળનું કારણ મજૂરોનું ઓછું વેતન, સ્ત્રીપુરુષ અસમાનતા, સરકારી પરવાના ને પ્રોત્સાહનો, ઇજારા, નાણાકીય ઇજનેરી, વૈશ્વિકીકરણ અને ઉદ્યોગપતિઓ તથા રાજકીય નેતાઓની સાંઠગાંઠ વગેરે છે. તેને લીધે નવા જ પ્રકારનો સંસ્થાનવાદ અસ્તિત્વમાં આવ્યો છે. પહેલાં ઇસ્ટ ઇન્ડીયા કંપની હતી, હવે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મોડેલ માત્ર શેરધારકોની સંપત્તિ વધારે છે, પણ તમામ હિતધારકોની નહિ; કે જ્યારે મજૂરો, સમુદાય અને પુરવઠાકારો માનવ વિકાસના કેન્દ્રમાં હોય છે. બધી બીબીએ અને એમબીએની કોલેજો પણ મૂલ્યનું સર્જન કરતાં નહિ પણ મૂલ્ય ખેંચી લેતાં શીખવે છે. તેઓ ઉત્પાદકતા, કાર્યક્ષમતા મહત્તમ કરતાં અને ખર્ચ ઓછું કરી મૂડી વધારવાનું શીખવે છે કે જેથી છેવટે નફો જ મહત્તમ થાય. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે કેન્દ્રિત સંચાલન પર ભાર મૂકવામાં આવે છે. તેમાં કમાન્ડ અને કંટ્રોલની વાત છે. તેમાં સહકાર, સહયોગ અને સહસર્જનનું વિકેન્દ્રીકરણ નથી. આ મોડેલ ઉપરથી નીચેના અભિગમ પર આધારિત છે અથવા માટલામાંથી પાણી ધીમે ધીમે ગળે તેમ ધીમે ધીમે ગરીબી દૂર થશે એવા ટ્રીકલ ડાઉન સિદ્ધાંત પર એટલે કે ગળતરના સિદ્ધાંત પર આધારિત છે. પણ એવું કશું થયું જ નથી. પરિણામે, બહુ થોડા લોકો બહુ જ વ્યસ્ત છે અને મોટા ભાગના લોકો પાસે કશું અર્થસભર કામ રહ્યું નથી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજા એક પ્રકારનું સંગઠનાત્મક માળખાનું નિર્માણ પણ થયું છે. તે છે સહકારી મંડળીઓનું. તેમાં શેર માત્ર રોકાણકારો પાસે નથી હોતા પણ કામદારો અને ઉત્પાદકો પાસે હોય છે. તેનું અનેરું ઉદાહરણ દૂધ ઉત્પાદક મંડળીઓ છે. મોહનદાસ કરમચંદ ગાંધીએ ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત આપ્યો. તેમ સંપત્તિ અને સંસાધનો હોય તો વ્યક્તિગત માલિકીનાં; પરંતુ સમાજના તમામ લોકો માટે ટ્રસ્ટ તરીકે જ હોય. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/how-can-privatization-be-good-for-the-country">ખાનગીકરણ કઈ રીતે દેશ માટે સારું હોઈ શકે?</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_663c64557371a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટ્રસ્ટીશિપનો વિચાર મૂડીવાદી વ્યવસ્થામાં સ્વીકારવામાં આવ્યો નહિ. તેનું મુખ્ય કારણ એ કે તે શેરધારકો માટે નફો મહત્તમ કરવાના વિચારની વિરુદ્ધ છે. વિનોબા ભાવેનું ભૂદાન આંદોલન આવો એક વિચાર અને પ્રયોગ હતું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે આપણે અધિશેષના અર્થતંત્રમાં જીવીએ છીએ. આપણે ગમે તે ઉત્પન્ન કરી શકીએ છીએ, પણ છેવટે તે એમના માટે ઉત્પન્ન થાય છે કે જેમને તે ખરીદવાનું પોસાય છે. જગતમાં ૧૭૦ લાખ કરોડ ₹ લશ્કર પાછળ ખર્ચાય છે. એ છે લશ્કરો અને ઉદ્યોગોની સાંઠગાંઠ. બીજી તરફ, ભૂખમરો દૂર કરવા માત્ર ૧૭ લાખ કરોડ રૂપિયાની જ જરૂર છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દુનિયાના શ્રેષ્ઠ બુદ્ધિશાળીઓ અમીરોની સમસ્યાઓ દૂર કરવામાં વ્યસ્ત છે. પરિણામે ગરીબોની સમસ્યાઓ દૂર કરવા માટે બુદ્ધિની અછત પ્રવર્તે છે. જે ટેક્નોલોજી આપણને જોડવામાં મદદરૂપ થવી જોઈએ તે સોશ્યલ મિડિયા પર ધિક્કાર અને ખોટી માહિતીના પ્રચારમાં લાગી ગઈ છે. </span><br><span style="font-size: 14pt;">આ બધું જ સામાજિક ગતિશીલતા ઘટાડે છે, મનુષ્યની વિકાસની સંભાવનાને રૂંધે છે, અને છેવાડે ફેંકાઈ ગયેલા લોકોમાં અન્યાય અને આક્રોશની ભાવના જગવે છે. એક નવા જગતનું સર્જન થઈ રહ્યું છે. જીડીપી, જીએનપી, માથાદીઠ આવક, વેપાર ખાધ, મૂડીરોકાણ, વિદેશી હૂંડિયામણની અનામતો, રોજગારી વગેરેના જૂના આર્થિક સિદ્ધાંતો સાથે આ નવા જગતને સમજવાનું અથવા ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધવાનું મુશ્કેલ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂના મોડેલનો હવે કશો અર્થ રહ્યો નથી. આપણે સંસ્થાનવાદી માનસ છોડવું પડે કે જે માત્ર નફા અને સત્તાની રમતનું મોડેલ છે. આપણે સમતા, સમાવેશ, ન્યાય અને ટકાઉપણા વિશે નૂતન આર્થિક વિચારધારાની જરૂર છે.</span><br><em><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>સ્રોત: 'Think of Inequality Control', The Economic Times, Ahmedabad.</strong></span></em></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/By-putting-a-gun-to-the-right-of-the-economy,-political-power-suppresses-it">અર્થતંત્રને લમણે બંદૂક મૂકીને રાજકીય સત્તા તેને નચાવે છે!</a><br></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 09 May 2024 11:29:14 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>597</Articleid>
                    <excerpt>નોલેજ કમીશનના પૂર્વ ડિરેક્ટર અને કોંગી નેતા સામ પિત્રોડા આજકાલ રાજકીય કારણોસર ચર્ચામાં છે. તેમનો આ લેખ આંખો ઉઘાડનારો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_663c645484388.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_663c64544b808.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_663c64544b808.jpg" length="100041" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Sam pitroda, Congress, INC, Hemantkumar Shah</media:keywords>
                </item>
                        <item>
                    <title>ધર્મની તાકાત શું છે?</title>
                    <link>https://khabarantar.com/what-is-the-strength-of-religion</link>
                    <guid>https://khabarantar.com/what-is-the-strength-of-religion</guid>
                    <description>
                        <![CDATA[ ધર્મની તાકાત કેટલી છે? આ વિષય પર ચિંતન કરવા જેવું છે. ધર્મની તાકાત એવી છે જેનાથી સિદ્ધાંતો, મૂલ્યો નેવે મૂકાઈ જાય છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્મ ઈશ્વરે બનાવેલ નથી, માણસે બનાવેલ છે. મુખ્યત્વે લોકો પર શાસન કરવું સહેલું બને તે માટે ધર્મની ઉત્પત્તિ થઈ છે. રાજા ઈશ્વરનો પ્રતિનિધિ છે અને ઈશ્વરની ઈચ્છાનુસાર શાસન કરે છે એવું સ્થાપિત કરવામાં આવ્યું હતું. ધર્મ શાસન ચલાવવામાં અને શાસન ટકાવી રાખવામાં ઉપયોગી બન્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્મની તાકાત કેટલી છે? આ વિષય પર ચિંતન કરવા જેવું છે. ધર્મની તાકાત એવી છે જેનાથી સિદ્ધાંતો, મૂલ્યો નેવે મૂકાઈ જાય છે. જેમકે ડુંગળી-લસણ નહીં ખાવાનો ઉપદેશ આપનાર સ્વામિનારાયણ સંતો અને જૈન મહારાજો પણ ગાયના કસાઈઓ પાસેથી 250 કરોડનું ડોનેશન મેળવનારનો પ્રચાર કરવા લાગે છે. ધર્મની તાકાત એવી છે જેનાથી બેકારી, મોંઘવારીનો અહેસાસ થતો નથી. ઉલટાનું બેરોજગારી, મોંઘવારી ભલે વધે પણ સંસ્કૃતિનું, રાષ્ટ્રહિતનું, ધર્મનું રક્ષણ થવું જોઈએ એવા હઠાગ્રહનો જન્મ થાય છે. માણસ ભલે રીબાઈ રીબાઈને મરે પણ ધર્મનું રક્ષણ થવું જોઈએ. ધર્મની તાકાત એવી છે જેનાથી પોતાના બાળકોની ખાનગી સ્કૂલ, કોલેજની ફી નહીં ભરી શકે તો વાંધો નહીં, ભણતર કરતા ધર્મનું જ્ઞાન મહત્વનું લાગવા લાગે છે. ધર્મની તાકાત એવી છે જેનાથી દ્રૌપદીઓના વસ્ત્રાહરણ રૂટિન લાગવા લાગે છે! ધર્મની તાકાત એવી છે જેનાથી સંવેદનાતંત્ર બૂઠું થઈ જાય છે. ધર્મની તાકાત એવી છે જેનાથી સામાન્ય માણસો ભ્રમિત થાય છે એવું નથી પરંતુ ગુણવંત શાહ જેવા વિદ્વાન લેખકો, જેલ નિવાસી પત્રકાર સૌરભ શાહ, મોટિવેશનલ સ્પીકર્સ, ફિલ્મ કલાકારો, ડાયરા કલાકારો, કોર્પોરેટ કથાકારો, સદગુરૂ, શ્રી શ્રીઓ, બાબાઓ, બાપુઓ, આશારામો ભ્રમિત થઈ બીજાઓને ભ્રમિત કરવા પરિશ્રમ કરે છે. ધર્મની તાકાત એવી છે જેનાથી તમને સાચા ઈતિહાસને બદલે નકલી ઈતિહાસ સાચો લાગે છે. ધર્મની તાકાત એવી છે જેનાથી તમને સત્તાપક્ષના IT Cell, WhatsApp યુનિવર્સિટીના ગપ્પાં પરમ સત્ય લાગે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/why-are-temples-overflowing-with-people-here-is-the-reasoned-answer">શા માટે ધર્મસ્થળો માણસોથી ઉભરાય છે? આ રહ્યો તર્કબદ્ધ જવાબ</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_663b1ddb0fd8e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્મની તાકાત એવી છે જેનાથી તમે વામપંથીઓને ગાળો દેવા લાગો છો પણ એ સમયે તમે ભૂલી જાઓ છો કે ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝ પણ વામપંથી હતા. ધર્મની તાકાત એવી છે જેનાથી તમે ખોટા, ખરાબ, ક્રિમિનલ શાસકોને પાંચ વરસ માટે પસંદ કરો છો અને પાંચ વરસ દરમિયાન તમારે યૌન શોષણની ફરિયાદ કરવા સુપ્રિમકોર્ટમાં જવું પડે છે. આત્મહત્યા માટે મજબૂર કરનારનું નામ ડાઈંગ ડેકલેરેશનમાં હોય તોપણ FIR નોંધાવવા તમારે હાઈકોર્ટ, સુપ્રિમકોર્ટમાં જવું પડે છે. ધર્મની તાકાત એવી છે જેનાથી તમે સત્ય બોલો કે વિરોધ કરો તો જેલમાં બંધ થવું પડે છે. ધર્મની તાકાત એવી છે જે સત્યને અસત્ય તરીકે સ્થાપિત કરી છે. ધર્મની તાકાત એવી છે જેનાથી નબળા શાસક; અવતારી, વિશ્વગુરુ દેખાવા લાગે છે. ધર્મની તાકાત એવી છે જેનાથી તમને બંધારણ કરતા મનુસ્મૃતિ ચડિયાતી લાગે છે. ધર્મની તાકાત એવી છે જેનાથી સમાજમાં અસ્પૃશ્યતા, ભેદભાવ ટકી રહે છે. ધર્મની તાકાત એવી છે જેનાથી આપણી વિવેકશક્તિ, તર્કશક્તિનો નાશ થઈ જાય છે અને દૂષણો સદ્દગુણો લાગે છે. ધર્મની તાકાત એવી છે જેનાથી લોકશાહીની કબર ખોદાય જાય છે. ધર્મની તાકાત એવી છે જેનાથી તમને માનવમૂલ્યો, બંધારણીય મૂલ્યો; બંધુતા-સમાનતા-સ્વતંત્રતા-સામાજિક ન્યાય આ બધાં મૂલ્યો ધર્મ કરતા બિન મહત્વના લાગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્મની તાકાત શું છે તેનું એક ઉદાહરણ જોઈએ. 7 મે 2024ના રોજ સુરેન્દ્રનગરના જોરાવરનગર વોર્ડ નંબર-10 ના પેજ પ્રમુખ દુષ્યંત આચાર્ય શાળામાં મતદાન થતું હતું તેના ગેટ પાસે ઊભા રહી, પોતાના પરિવાર, બાળકોના હિતને ભૂલીને સત્તાપક્ષને મત આપવાનો પ્રચાર કરતા હતા. ધર્મની તાકાત એવી છે કે તે ચૂંટણીપંચને, પોલીસને, ચૂંટણી અધિકારીઓને પણ અંધભક્ત, ચાપલૂસ બનાવી દે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><a href="https://khabarantar.com/why-are-temples-overflowing-with-people-here-is-the-reasoned-answer"></a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકશાહી દેશોમાં શાસકો પણ સત્તાપ્રાપ્તિ માટે, સત્તા ટકાવી રાખવા માટે ધર્મને વધુ પડતું  મહત્વ આપવા લાગ્યા છે. આ બહુ સરળ રસ્તો છે. રામના નામે પથ્થરા જ નહીં; પરંતુ  બળૂકા ભ્રષ્ટાચારીઓ, ક્રિમિનલ, તડિપાર અને યૌન શોષણ કરનારા પણ તરી જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રમેશ સવાણી </span></strong></span><span><strong><em>(લેખક નિવૃત્ત આઈપીએસ અધિકારી અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.)</em></strong></span><span><strong><em></em></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/some-lies-connected-with-reservation-and-exposed">અનામત સાથે જોડાયેલા કેટલાક જૂઠ્ઠાણાં અને તેનો પર્દાફાશ</a><br></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 08 May 2024 12:10:17 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 08 May 2024 12:09:34 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>593</Articleid>
                    <excerpt>ધર્મની તાકાત કેટલી છે? આ વિષય પર ચિંતન કરવા જેવું છે. ધર્મની તાકાત એવી છે જેનાથી સિદ્ધાંતો, મૂલ્યો નેવે મૂકાઈ જાય છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_663b1ddbb0224.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_663b1ddb81ba7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_663b1ddb81ba7.jpg" length="95691" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Anand district, saraswati sadhna yojna</media:keywords>
                </item>
                        <item>
                    <title>અનામત સાથે જોડાયેલા કેટલાક જૂઠ્ઠાણાં અને તેનો પર્દાફાશ</title>
                    <link>https://khabarantar.com/some-lies-connected-with-reservation-and-exposed</link>
                    <guid>https://khabarantar.com/some-lies-connected-with-reservation-and-exposed</guid>
                    <description>
                        <![CDATA[ અનામતનું નામ પડતા જ અમુક લોકોને પેટમાં દુઃખવા માંડે છે, પણ તેમણે કદી અનામત શું છે અને તે શા માટે મળી છે તેના વિશે વિચાર્યું છે? ચાલો અનામતની સાદી સમજણ મેળવીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પહેલું તો એજ કે અનામત એ ગરીબી દુર કરવાની કોઈ યોજના નથી, અનામત માટે બંધારણમાં 'પ્રતિનિધિત્વ' શબ્દ પ્રયોગ કર્યો છે. અનામતનું નામ આવે એટલે કેટલાંકને રીતસરનું પેટમાં દુખવાનું ચાલુ થઈ જાય. પણ ક્યારેય અનામત શું છે અને કેમ મળી એ વિશે વિચાર પણ ન કરે અને અધુરું જ્ઞાન લઈને આવી જાય છે. ચાલો અનામત વિશેની સાદી સમજણ મેળવીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતની આઝાદી પૂર્વે થી ભારતની પ્રજા બે ભાગમાં વહેંચાયેલી હતી, જાતિવાદના કારણે શોષિત વર્ગ અને એક શોષણખોર વર્ગ અને એટલી હદે આ જાતિવાદની સમસ્યા હતી કે એક ચોક્કસ વર્ગને શિક્ષણ, મિલકત અને સામાજિક મોભો મળે એવી દરેક બાબતથી હજારો વર્ષો સુધી દૂર રાખ્યા હતાં, એટલે જ અસમાનતા બહુ મોટી ખાઈ ઉભી થઈ હતી. એક સમાજ પાસે મિલકત, જમીન, પૈસા, શિક્ષણ બધું જ હતું અને એક સમાજ પાસે એ વર્ગની ગુલામી કરવા સિવાય કોઈ ચારો નહોતો. મહેનત કર્યા પછી પણ બે સમયનું ભોજન સરખુ નહોતું મળતું એવી પરિસ્થિતિ હતી. એટલે એક ચોકકસ શોષિત સમાજ ભારતની આઝાદી પછી પણ બધાંની સાથે બરોબરી ન કરી શકયો. બંધારણ બનાવનારને આ બાબતની ખબર હતી એટલે બંધારણમાં અનામતની બાબત ઉમેરી. જે સમાજને અનામતનો લાભ નથી મળ્યો એ સમાજ તેમની સાથે અન્યાય થયો હોવાની ફરીયાદ કર્યા કરે છે. પણ અનામત કેમ આપી એના પર ચિંતન નથી કરતો. અનામત અંગે ભારતીય બંધારણમાં 'પ્રતિનિધિત્વ' શબ્દ આપ્યો છે. વંચિત સમાજને પ્રતિનિધિત્વ આપવું એટલે અનામત. બંધારણની કલમ 15(4), 16(4), 338(3) અને 440(1)માં પછાત વર્ગ તરીકે ઉલ્લેખ. બંધારણની કલમ 46 રાજય સરકારને પછાત વર્ગના શોષણ સામે રક્ષણ આપવાનો આદેશ કરે છે. સામજમાં આજે પણ બે વર્ગ છે. અનામતનો લાભ મળે છે એ અને અનામનનો લાભ નથી મળતો. અને આજે પણ આ બને વર્ગ વચ્ચે આર્થિક, સામાજીક, માનસિક અસમાનતા છે. પ્રશ્ન થાય કેવી અસમાનતા તો એ પણ સમજીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કેવી અસમાનતા?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનામતનો લાભ નથી મળતો એનું કારણ છે. વર્ષો સુધી જાતિવાદના કારણે થયેલ અન્યાય, ભેદભાવના કારણે વર્ષો સુધી કોઈ એક સમાજ પર શોષણ કર્યુ, ગુલામી કરાવી, વેઠ ઉતરાવી, અરે માણસ પણ ન ગણ્યાં. આર્થિક રીતે એકદમ પાયમાલ કરી દીધાં, સામાજિક રીતે પણ મોભો છીનવી લીધો, અને સૌથી વધારે માનસિક રીતે એ રીતે તૈયાર કર્યા કે અવાજ ઉઠાવી ન શકે કે પોતાનું સ્વમાન જાળવી ન શકે, હવે આજ પરિસ્થિતિ ભારતનાં આઝાદી સમય સુધી હતી જ, બંધારણના અમલમાં આવવાથી અત્યાચાર, અન્યાય ઓછો તો થયો, પણ એમની આર્થિક પરિસ્થતિમાં એમ કોઈ ફરક ન આવ્યો, કેવી રીતે આવે બધું તો છીનવી લીધુ હતું? </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Why-EWS-Quota-Benefit-Only-General-Category,-Madhya-Pradesh-High-Court-Seeks-Answer-From-Central-Govt">EWS ક્વૉટાનો લાભ ફક્ત જનરલ કેટેગરીને જ કેમ?, મધ્યપ્રદેશ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6637248f03518.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુદાની વાત એ કરવી છે કે અનામતનો લાભ નથી મળતો પણ અગાઉથી તમને બાપદાદા તરફથી મળેલી અઢળક મિલકત મળી છે. જ્યારે એમાં ભણવાની વાત આવે છે ત્યારે તમને ભણવાની અઢળક સુવિધા મળે છે, મોંઘી દાટ સ્કૂલો, ટ્યુશન ક્લાસો, ઘરમાં અલગ રૂમ, જોઈએ એ તમામ જરૂરી પુસ્તકો મળી રહે, આવવા જવા માટે પોતાના વાહનો, ભણવા માટે દરેક જરૂરી સુવિધા મળી રહે છે. હવે જેને અનામત મળે છે એની પરિસ્થિતિ જોઈએ તો ભણવાનું સરકારી સ્કૂલમાં, પુસ્તકો વસાવી ન શકે, નોટબૂક ખરીદી ન શકે, થોડા મોટા થાય એટલે ઘરની આર્થિક જવાબદારી માથે આવી જાય, માહિતીનો અભાવ, કોઈ ટ્યુશનની વ્યવસ્થા નહીં, સારી કોલેજની ફી ન ભરી શકે, વધારે ભણવાનું ઈચ્છા હોય તો પરીવાર લોન લઈને અથવા થોડી ઘણી જમીન હોય એ વેચીને પણ ભણાવે, એમાં થોડો અનામતનો ટેકો મળે. આટલી અસમાનતા હોય અને તોય આટલી સુવિધા મેળવી લેતાં લોકો અનામતનો વિરોધ કરે ત્યારે ખરેખર નવાઈ લાગે, આ અસમાનતા જાતિવાદની જ દેન છે એટલે જયાં સુધી જાતિવાદ છે ત્યાં સુધી અનામત પણ રહેવી જોઈએ, ક્યારેક આર્થિક અસમાનતા વિશે વિચારી વિચારી જોજો, અનામત કેમ જરૂરી છે એ સમજાઈ જશે, વર્ષો સુધી જાતિવાદના કારણે અન્યાય થયો અને હવે ૭૦ વર્ષમાં અનામતને કારણે સમાનતા આવી ગઈ છે? ક્યારેક ગામડાંઓમાં જઈને અનામત મેળવનાર અને અનામત નથી મળતી એમના ઘરો જોઈ લેશો તોય અસમાનતા શું કહેવાય એ સમજાય જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અનામત ૧૦ વર્ષ માટે હતી એ ખોટી માન્યતા છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજ સુધી ઘણાંને કહેતાં સાંભળ્યાં છે કે અનામત ફક્ત ૧૦ વર્ષ માટે જ હતી. આ બાબત વિશે નેતાઓ, સમાજ સેવકો, પત્રકારો અને સામાન્ય લોકો પણ ચર્ચા કરતાં હોય છે. આ લોકો એમ જ માને છે અનામત ૧૦ વર્ષ પુરતી જ હતી, પણ આ માહિતી સદંતર ખોટી છે. અને આ ખોટી માહિતીના કારણે જ ઘણીવાર અનામત વિવાદમાં આવે છે. ભારતના બંધારણ મુજબ શૈક્ષણિક અનામત અને નોકરીમાં અનામત માટે ૧૦ વર્ષના સમયગાળનો કોઈ ઉલ્લેખ નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શિક્ષણમાં અનામત</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષણમાં અનામત એ આર્ટીકલ ૧૫(૪) મુજબ મળે છે. બંધારણ પ્રમાણે SC/ST/OBC વર્ગને શિક્ષણમાં સરકારી અને ખાનગી સંસ્થાઓમાં અનામતની વ્યવસ્થા છે. અને જાતિવાદના કારણે શિક્ષણથી વંચીત રહેલ સમાજને બંધારણમાં અનામત થકી જ શિક્ષણમાં 'પ્રતિનિધિત્વ' કરવાની વ્યવસ્થા મળી છે. અને ખાસ તો શિક્ષણમાં અનામત અંગે ૧૦ વર્ષ માટેની કોઈ એવી સમયમર્યાદાનો ઉલ્લેખ બંધારણમાં નથી. એટલે જો કોઈ શિક્ષણમાં ૧૦ વર્ષની અનામતની જોગવાઈ અંગે વાત કરે તો એ તદ્દન ખોટી માહિતી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સરકારી નોકરીમાં અનામત</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધારણની કલમ ૧૬(૪) મુજબ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, અને અન્ય પછાત વર્ગ માટે સરકારી નોકરીમાં અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. વિચારો એક સમયે ગટરો સાફ કરવા, જેવા કામો જ કરાવતાં હતાં એમને અનામત દ્વારા ઓફીસરો પણ બનતાં જોયા, આપણી સમાજ વ્યવસ્થા એવી હતી જ નહી કે અનામત વગર આ શક્ય બને. આપણી માનસિકતા તો ચોકકસ વર્ગને ગુલામીમાં રાખવાની જ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Over-19-thousand-SC,-ST,-OBC-students-left-central-educational-institutions-in-last-5-years-%E2%80%93-Central-Govt.">છેલ્લાં 5 વર્ષમાં 19 હજારથી વધુ એસસી, એસટી, ઓબીસી વિદ્યાર્થીઓએ કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓ છોડી – કેન્દ્ર સરકાર</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6637248d73b7d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટલે એમ માની શકાય કે બાબા સાહેબને ખબર હતી કે વર્ષોથી ઘર કરી ગયેલી જાતિવાદની માનસિકતા ટૂંક સમયમાં અનામત દ્વારા નાબૂદ નહિ થાય એટલે શિક્ષણની સાથે નોકરીના બંધારણમાં અનામત મુદે કોઈ સમયગાળો નક્કી રાખવામાં આવ્યો નથી. એટલે જયારે કોઈ નોકરીમાં ૧૦ વર્ષની અનામતની વાત કરે તો એ ખોટી માહિતી ફેલાવે છે. એવું કહી શકાય. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજકીય અનામત</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકીય અનામત વિશે મૂળ બંધારણની કલમ ૩૪૪ મુજબ ૧૦ વર્ષ સુધી અનામત ચાલુ રાખવાની જોગવાઇ હતી. જેમાં SC/ST/ અને એંગ્લો ઈન્ડીયન માટે લોકસભા, વિધાનસભામાં બેઠક અનામત રાખવાનો સમયગાળો ૧૦ વર્ષનો હતો. એ પછી બંધારણના અલગ અલગ સુધારા જેમાં ૮,૨૩,૪૫, ૬૨, ૭૯, અને છેલ્લે ૨૦૦૯ ના ૯૫મા સુધારા બિલમાં ૧૦ - ૧૦ વર્ષ સુધી અનામત ચાલુ જ રાખવી એવો સુધારો થયો છે જે 75 વર્ષ સુધી ચાલુ છે. એટલે અનામતની જોગવાઈમાં ૧૦ વર્ષ સુધી જે વાત હતી એ ફક્ત રાજકીય અનામતની વાત હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આજે અનામતની જરૂર ખરી?</strong></span> </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનામત ફક્ત શિક્ષણ, નોકરી અને રાજકીય લાભ આપવા પુરતી વ્યવસ્થા નહોતી, અનામતનો હેતુ એક ચોકકસ સમાજને જાતિવાદના કારણે સામાજીક મોભો પણ નહોતો મળતો એ સામાજીક મોભો અને સમાજમાં સ્વમાનભેર જીવી શકે એ પણ હતો. અનામત દ્વાર શિક્ષણ અને નોકરી તો મળી જાત પણ વિચારો પટેલ, દેવ, જોષી, બ્રાહ્મણ, અટક જેવી ઉચ્ચ જાતિની અટકો જોઈને જે માન મળતું એ શિક્ષણમાં કે નોકરીમાં એકસાથે ક્લાસમાં કે ઓફીસમાં બેઠેલ પરમાર, મકવાણા, સોલંકી અથવા ગામીત, વસાવા અટકવાળાને એટલુ જ માન મળતું હતું? અટકો જોઈને તો શિક્ષણ અને નોકરીમાં અન્યાય થતો અને આજે પણ ઘણી જગ્યાએ થાય છે. આજ અન્યાય દુર કરવા માટે આજે પણ અનામત જરૂરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-higher-the-education-the-lower-the-job-opportunities-reports-ilo">શિક્ષણ જેટલું વધુ, નોકરીની તકો એટલી ઓછીઃ ILOનો રિપોર્ટ</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6637248e794e7.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે પણ આઈ.પી.એસ, આઈ.એ.એસ અથવા તો કોઈ ઉચ્ચ સ્તરના અધિકારીઓ જેમને અટકના કારણે અપમાનજનક શબ્દપ્રયોગ સાંભળવા મળ્યા હોય એવાં પણ કિસ્સા જોય છે. આજે 75 વર્ષ બાદ પણ અસ્પૃશ્યતા, જાતિવાદ, વાળી માનસિકતા ધરાવનાર લોકો હયાત છે. આજે પણ એક ચોકકસ વર્ગના લોકો ગટરમાં ઊતરવા મજબૂર છે. જે અસમાનતા હતી એમાં થોડો ઘણો બદલાવ તો આવ્યો છે પણ એટલો પણ બદલાવ નથી આવ્યો કે અનામતનો લાભ બંધ કરી તેમનો અધિકાર છીનવી લેવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લે મૂળ વાત, અનામત જાતિવાદના કારણે છે, અનામતના કારણે જાતિવાદ નહીં. ઈલાજ કરવો હોય તો પહેલાં જાતિવાદ દૂર કરાય અને પછી અનામત, કોઈએ એવી ખોટી વાત ન કરવી કે આજના સમયમાં જાતિવાદ જેવુ કંઈ રહ્યુ નથી, રોજના અખબારો ઉઠાવી જોઈ લો એક સમાચાર તો જાતિવાદના નામે અત્યાચારના હશે જ. આજે પણ શહેરમાં ચોકકસ જાતિના હોવાથી ઘર નથી મળતું. એટલે અનામત હજુ ચાલું જ રાખવાની જરૂર છે. પહેલાં માનસિકતા બદલો બીજું બધું આપોઆપ બદલાઈ જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>કાંતિલાલ પરમાર</strong></span> <span style="font-size: 12pt;"><em><strong>(લેખક સામાજિક કાર્યકર અને બંધારણ, એટ્રોસિટી અને અનામતના મુદ્દાઓના જાણકાર છે.)</strong></em></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Is-there-any-poverty-alleviation-plan-in-reserve">શું અનામત ગરીબી દૂર કરવાની કોઈ યોજના છે?</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 05 May 2024 11:58:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>578</Articleid>
                    <excerpt>અનામતનું નામ પડતા જ અમુક લોકોને પેટમાં દુઃખવા માંડે છે, પણ તેમણે કદી અનામત શું છે અને તે શા માટે મળી છે તેના વિશે વિચાર્યું છે? ચાલો અનામતની સાદી સમજણ મેળવીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_6637248e1fa34.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_6637248de4045.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_6637248de4045.jpg" length="105038" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Anand district, saraswati sadhna yojna</media:keywords>
                </item>
                        <item>
                    <title>May દિન પૂછે છે: કામદારોની હાલત બહેતર કે બદતર?</title>
                    <link>https://khabarantar.com/may-day-asks-are-workers-better-off-or-worse-off</link>
                    <guid>https://khabarantar.com/may-day-asks-are-workers-better-off-or-worse-off</guid>
                    <description>
                        <![CDATA[ ચાર દિવસ પહેલા જ આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ ઉજવાઈ ગયો. ઉજવણી થઈ પરંતુ ભારત સહિત દુનિયાભરના દેશોમાં મજૂરીની સ્થિતિ કેવી છે તે પણ જાણવું જરૂરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દુનિયાભરના મહેનતકશોએ આ મહિનાની પહેલી તારીખે તેમના સંઘર્ષની સ્મૃતિ તાજી કરતો અને નવા સંઘર્ષની તૈયારી કરતો મે દિન ઉજવ્યો. ઈન્ટર નેશનલ લેબર ડે, મજૂર દિન, શ્રમિક દિન, કામદાર દિવસ કે વર્કર ડે  જેવા નામે ઓળખાતો આ દિવસ શ્રમિકોના બલિદાન અને યોગદાનના સ્મરણોનો દિવસ છે. કામદારોના સન્માન સાથે તેમના અધિકારો માટે અવાજ ઉઠાવવાનો આ દિવસ છે. કામદારોમાં ટ્રેડ યુનિયન પરંપરા અને આંદોલનોને કારણે વિકસેલી વર્ગ ચેતનાને દ્રઢાવવાના સંકલ્પનો આ દિવસ છે. મજદૂરોના અધિકારો માટેની જાગૃતિનો આ દિવસ છે. વિશ્વના કરોડો કામદારોના મહેનત, દ્રઢ નિશ્ચય અને ઉજળી આવતીકાલના સપનાં સજાવવાનો આ દિવસ છે. યોગ્ય અને સમાન, કામની સલામત સ્થિતિ, કામના કલાકો જેવી અનેક માંગ અને હક માટે અદાલતો અને સરકારો સામે  લડવા, સમાજમાં કામદારોની સ્થિતિ મજબૂત કરવાનો તેમજ  દુનિયા કે મજદૂર એક હો નો નારો બુલંદ કરવાનો પણ આ દિવસ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કામદારોના લોહી પરસેવાની કોઈ પણ દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા છે. પરંતુ ખુદ કામદારોની હાલત દયનીય છે. અમેરિકા જેવા મૂડીવાદી દેશ પાસે જે સમૃધ્ધિ, સત્તા અને શક્તિ છે તેના પાયામાં મજૂરોનો પસીનો છે. ઔદ્યોગિક ક્રાંતિએ દુનિયામાં ઘણાં પરિવર્તનો આણ્યાં છે પરંતુ તે કામદારોના શોષણ પર વિસ્તરી હતી તે ભૂલાઈ ગયું છે.  લોઢા સાથે બાથો ભરતા શ્રમિકોને આંતેડા ઘોઘરે આવે ત્યાં સુધી મજૂરી કરવી પડતી હતી. તેમના કામના કલાકો નિશ્ચિત નહોતા. પંદર થી અઢાર કલાક સુધી કામ કરતા મજૂરોએ તેની સામે અવાજ ઉઠાવ્યો હતો. અમેરિકા અને કેનેડાના કામદારોએ પહેલી મે ૧૮૮૬ના રોજ કામના મહત્તમ આઠ  જ કલાકની માંગણી માટે હડતાળ પાડી હતી. આ હડતાળ લોહિયાળ બનતાં, કામદારો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો. ગોળીબારમાં કામદારો મરાયા ને ઘણાં ઘવાયા હતા. તેના ત્રણ વરસ પછી ૧૮૮૯માં પેરિસમાં મળેલી ઈન્ટર નેશનલ સોશ્યાલિસ્ટ કોન્ફરન્સમાં અમેરિકાના કામદારોની પહેલી મે ની હડતાળની યાદમાં દર વરસે પહેલી મે નો દિવસ વિશ્વ મજૂર દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું હતું.  આજે તો એ ઘટનાને ૧૩૫ વરસ થયા પરંતુ હજુ કામદારોનું શોષણ અને તેની વિરુધ્ધના આંદોલનો ચાલે છે એટલે લગભગ આખી દુનિયામાં કામદાર દિવસ મનાવાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં ૧૯૨૩માં પહેલવહેલો મજૂર દિન ચેન્નઈમાં ઉજવાયો હતો. તેને પણ હવે સો વરસ વીતી ગયાં છે. જોકે હજુ દેશના મહેનતકશોની હાલત તો બદતર જ છે. ભારત સરકારના શ્રમ મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં ૪૮ કરોડ શ્રમિકો હોવાનો અંદાજ છે. તે પૈકીના મોટા ભાગના (૯૦ ટકા) અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. કૃષિમાં  ૪૨ ટકા, સેવા ક્ષેત્રમાં ૩૨ ટકા  અને ઉધ્ધોગોમાં ૨૬ ટકા કામદારો કામ કરે છે. વિશ્વના જે દસ દેશોના કામદારો સૌથી વધુ કલાક કામ કરે છે તેમાં ભારત સાતમા ક્રમે છે.ભારતીય શ્રમિક અઠવાડિયે ૪૭.૭ કલાક કામ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Terrible-nonsense:-Narayan-Murthy-became-the-symbol-of-shameless-and-ruthless-bazaar">ભયંકર નોનસેન્સ: નારાયણ મૂર્તિ બેશરમ અને નિર્દય બજારનું પ્રતીક બની ગયા!</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_663713212308d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કામદાર કલ્યાણના કાયદા આઝાદી પછી તુરત જ ઘડાયા હતા અને કામદાર સંગઠનો તો આઝાદી પૂર્વે જ રચાયા હતા. પરંતુ કામદારોનું શોષણ સંપૂર્ણ અટક્યું નથી. કામનું યોગ્ય વેતન અને કામના કલાકોની બાબતમાં આજે પણ શોષણ થાય છે. લધુતમ વેતનના કાયદા છતાં આજેય ભારતીય શ્રમિક મહિને સરેરાશ રૂ. ૧૦,૦૦૦ જ કમાય છે. જે લઘુતમ વેતનથી ઓછા છે. કેન્દ્રીય કર્મચારીઓ માટેના સાતમા વેતન આયોગે ૨૦૧૬માં કર્મચારીઓનું લઘુતમ વેતન રૂ. ૧૮,૦૦૦ નક્કી કર્યું હતું પરંતુ અસંગઠિત ક્ષેત્રના કામદારોને તેનાથી અડધું ય મળતું નથી. હવે તો સરકારી કચેરીઓ, જાહેર ક્ષેત્ર વગેરેમાં રોજમદારો અને કોન્ટ્રાકટ મજૂરોની પ્રથા ચાલે છે જેમાં તેમનું મોટાપાયે શોષણ થાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં નિયમિત વેતન મેળવતા કામદારો તો ૨૩ ટકા જ છે. કુલ કામદારોના ચોથા ભાગના રોજમદારો છે. ૭૧ ટકા કામદારોને તેમના કામ કે નોકરીનો કોઈ લેખિત ઓર્ડર આપવામાં આવ્યો નથી. ૫૪ ટકાને સવેતન અઠવાડિક રજા મળતી નથી. કુલ કામદારોના ૫૭ ટકા ગ્રામીણ વિસ્તારોમાં છે. બાળ મજૂરી અને વેઠિયા મજૂરી નાબૂદ થવાના અણસાર વર્તાતા નથી. જ્ઞાતિગત વ્યવસાયોની પરંપરા મટવાની જણાતી નથી. સ્ત્રી-પુરુષને સમાન કામનું સમાન વેતન મળતું નથી. કામના સ્થળ સલામત નથી. વ્યવસાયિક જોખમ અને અસલામત કામના  લીધે રોજ ક્યાંક ને ક્યાંક અકસ્માતો થાય છે અને મજૂરો મરે છે. દેશમાં ઔધ્યોગિક શાંતિના છદ્માવરણ તળે કામદારોનું શોષણ દટાયેલું રહે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્થળાંતર એ ભારતીય કામદારની જાણે કે નિયતિ છે. સ્થળાંતરિત કે પ્રવાસી મજૂરોની હાલત કેવી બદતર છે તેનો પરિચય દેશ અને દુનિયાને કોરોના મહામારીના લોકડાઉનના ગાળામાં થયો હતો. ભારતમાં મજૂરોની સ્થિતિ બહેતર થઈ રહ્યાના જે નગારા પિટાતા હતા તેની વાસ્તવિકતાનો પરચો આપણને  કોરોનાકાળમાં થઈ ચૂક્યો છે. એટલે શ્રમ કાયદાઓને સાંકળતી ચાર શ્રમ સંહિતાઓથી કામદારોનું દળદર ફિટવાનું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૯૯૧ થી અમલી નવી અર્થનીતિએ પણ કામદારોની સ્થિતિને બદતર બનાવવામાં મોટો ભાગ ભજવ્યો છે. વિદેશી મૂડીરોકાણને આકર્ષવા ઔધોગિક શાંતિ જરૂરી હોવાના જાપ જપતાં દેશના કામદાર આંદોલનોનો કાંકરો કાઢી નાંખવામાં આવ્યો છે. લેબર કાયદા અને કામદાર યુનિયનોને તેમાં મુખ્ય અંતરાય માની તેને અપ્રસ્તુત કરવાના ખેલ ખેલાયા છે. ભારતના જાહેર ક્ષેત્રના ગુણગાન ગાનારા તેનું સર્જન ખરેખર તો ખાનગી ક્ષેત્રને સહાયરૂપ થવાના આશયથી થયું હતું તે સત્ય છૂપાવી રાખે છે. ખાનગી ઉધોગોને આયાત કરવી પડે તેવા યંત્રોનું અને બીજું ઉત્પાદન જાહેર ક્ષેત્રે કરીને ખરેખર તો ખાનગી ક્ષેત્રને સરકારી મદદ આપી છે. નવી અર્થનીતિ અને ઉદારીકરણે કામદારોનું અહિત કરનારા નિર્ણયો લઈને સમાજવાદી શ્રમ કાયદા ધરાવતા દેશને મૂડીવાદી બનાવી દીધો છે.  ૨૦૦૦ થી ૨૦૧૮ દરમિયાન ભારતના ઉધ્યોગપતિઓનો નફાનો ભાગ ૧૭ ટકા થી વધીને ૪૮ ટકે પહોંચ્યો હતો પણ મજૂરીનો હિસ્સો ૩૩ ટકે થી ઘટીને  ૧૭ ટકા થઈ ગયો હતો. આવી બદતર હાલતમાં મજૂર આંદોલનો અને તેની તીવ્રતા ઘટ્યાં છે.  હડતાળઓમાં વેડફાયેલા માનવદિવસો અને માલિક-મજૂર વિવાદના કેસોમાં ઘટાડો તેનું પ્રમાણ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસે ભલે હમ એક હૈ ના નારા બોલાવાય પણ કામદારોની જ્ઞાતિ સભાનતા વર્ગચેતના આણી શકતી નથી. દેશમાં ૭૦,૦૦૦  મજૂર મંડળોનું હોવું કે રાજકીય પક્ષો અને વિચારધારા સાથે જોડાયેલા દસ મોટા કેન્દ્રીય મજૂર સંગઠનોનું હોવું કામદાર એકતા દર્શાવતા નથી. જે અમેરિકાના શિકોગાના મજૂરોની હડતાળની યાદમાં અને અમેરિકી શ્રમિકોની સામાજિક આર્થિક ઉપલબ્ધિઓની યાદમાં દુનિયાભરમાં પહેલી મે ના રોજ મજદૂર દિન મનાવાય છે તે અમેરિકામાં કામદાર દિન દર વરસના સપ્ટેમ્બર મહિનાના પહેલા સોમવારે મનાવાય છે! ભારતમાં ડાબેરી મજૂર સંગઠ્નો પહેલી મે ના મજૂર દિનની ઉજવણી કરે છે પરંતુ જમણેરી મજૂર સંગઠનોની માંગ ૧૭ મી સપ્ટેમ્બરની વિશ્વકર્મા જયંતીએ કામદાર દિનની છે!  જમણેરી મજૂર સગઠનો કામદારોને ઔદ્યોગિક પરિવાર લેખે અને ડાબેરીઓ વર્ગશત્રુતાના પાઠ પઢાવે તેની વચ્ચે ભારતીય કામદારે તેની બદતર હાલતને બહેતર બનાવવાની છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Gharghati,-Griha-Yogi,-House-Helper:-Not-bright-name,-more-work,-less-price">ઘરઘાટી, ગૃહયોગી, હાઉસ હેલ્પર: ન ઉજળું નામ, વધુ કામ, કમ દામ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 05 May 2024 10:40:38 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 05 May 2024 10:42:13 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>577</Articleid>
                    <excerpt>ચાર દિવસ પહેલા જ આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ ઉજવાઈ ગયો. ઉજવણી થઈ પરંતુ ભારત સહિત દુનિયાભરના દેશોમાં મજૂરીની સ્થિતિ કેવી છે તે પણ જાણવું જરૂરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_663712f064f0f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_663712f0361bb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_663712f0361bb.jpg" length="105828" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Anand district, saraswati sadhna yojna</media:keywords>
                </item>
                        <item>
                    <title>કોણે કહ્યું કે મધુકાંત કલ્પિત એક અફવા છે?</title>
                    <link>https://khabarantar.com/who-said-madhukanta-kalpit-is-a-rumour</link>
                    <guid>https://khabarantar.com/who-said-madhukanta-kalpit-is-a-rumour</guid>
                    <description>
                        <![CDATA[ ગઈકાલે કેસરિયા ટશરનું આકાશના કવિ મધુકાંત કલ્પિતનું અવસાન થયું છે ત્યારે જાણીતા કવિ, લેખક અને વક્તા અશોક ચાવડા &#039;બેદિલ&#039; તેમની સર્જનયાત્રાના વાગોળે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અશોક ચાવડા 'બેદિલ'</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્વ. કવિશ્રી નીરવ પટેલ સાથે અનેક દલિત કવિઓના પરિચયમાં આવવાનું થયું એ દાયકો 1996-97નો, પણ 1996-2024 સુધીની વિગતે વાત કરવાનો હાલ અવકાશ નથી, પણ ગઈ કાલે પ્રિય મધુકાન્ત કલ્પિતના નિધનના સમાચાર મળ્યા ને મન અતીતમાં સર્યું. સાઇકલયાત્રા થકી 1997-98માં ચાંદખેડામાં શ્રી મધુકાન્ત કલ્પિતને ત્યાં અવારનવાર આ પ્રકારની કાવ્યચર્ચા માટે મિત્ર દિલીપ દવે સાથે જવાનું થતું અને સર્વશ્રી મધુકાન્ત કલ્પિત, મોહન પરમાર, હરીશ મંગલમ્, અરવિંદ વેગડા, તુષાર સોલંકી, મીના કામલે, પ્રિયંકા કલ્પિત સહિત કેટલાય કવિમિત્રો સાથે હળવા-મળવાનું થતું. ત્યારથી એ રાતો, વાતો, મુલાકાતો વિશે લખવા એટલી જ રાતો, વાતો, મુલાકાતો જોઈએ. ખૈર, છેલ્લે 23 ઑગસ્ટ 2022ના રોજ કવિશ્રી મધુકાન્ત કલ્પિતનો ઇન્ટર્વ્યૂ અમદાવાદ દૂરદર્શન માટે લીધો હતો. એ તસવીર સાથે નવેમ્બર, 2011માં 'કવિલોક'માં પ્રકાશિત લેખ 'કોણે કહ્યું કે મધુકાન્ત કલ્પિત એક અફવા છે?' સાથે કવિશ્રી મધુકાન્ત કલ્પિતની ચેતનાને વંદન.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૯૭૯માં ‘કેસરિયા ટશરનું આકાશ’ કાવ્યસંગ્રહ આપી સાહિત્ય-વિશ્વમાંથી કોઈ નવીન કલ્પન-વિશ્વમાં સ્થાયી થયેલ કવિ સાચોસાચ મધુકાન્ત કલ્પિત એક અફવા છે તેવું પ્રવર્તમાન ગુજરાતી સાહિત્યમાં પ્રસ્થાપિત થઈ જાય તે પહેલાં ‘તરજૂમો’ અને ‘મધુકાન્ત કલ્પિત એક અફવા છે’ તેવાં બે કાવ્યસંગ્રહો સાથે પોતાની સાહિત્યિક હયાતીનો હોંકારો દે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૮ નવેમ્બર ૧૯૪૫ના રોજ મહેસાણા જિલ્લાના લાંઘણજ ગામે જન્મેલા આ કવિએ માનસશાસ્ત્રનો સ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો હતો; પણ કાવ્યશાસ્ત્રનો અભ્યાસ તો ‘બુધસભા’માંથી. મુરબ્બી બચુભાઈ રાવતની ‘બુધસભા’ની કસોટીમાંથી પાર ઉતરેલા કવિઓની કતાર લાં...બી... છે. આપણે તો આ કતારમાંના એક કાવ્યદીપકના અજવાસને જ સહેજ વધુ કાવ્ય-પ્રકાશિત થવાય તેમ નિકટથી જોવો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/all-my-literature-written-in-blood-will-speak-joseph-mcewan">લોહીની કલમે લખાયેલું મારું સઘળું સાહિત્ય બોલતું રહેશેઃ જૉસેફ મૅકવાન</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6635c8e9a12a8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાવ સરળ સ્વભાવ હોવા છતાં ધારદાર વિચારો ધરાવતો આ સર્જક કોઈ અગમ્ય કારણસર પડદા પાછળ રહ્યો છે. શારીરિક, માનસિક, સામાજિક વ્યાધિઓના ચક્રવ્યૂહમાં અટવાતા અટવાતા પણ કવિએ કલમના વહેણને અટકાવ્યું નથી તે તેમની કલમપ્રીતિ છે. મુખ્યત્વે પદ્યમાં અને એમાંય ગીતસર્જનનો ઝોક ધરાવતા આ કવિએ અન્ય કાવ્યસ્વરૂપો ઉપરાંત ગદ્યમાં પણ વાર્તા, નવલ અને વિવેચન જેવાં સાહિત્ય સ્વરૂપો ખેડ્યા છે, એટલું જ નહીં આ ખેડાણની નોંધ લેવી પડે તેમ આ સ્વરૂપોને હસ્તગત કર્યા છે. કવિના સર્જનનો આ વ્યાપ-વિસ્તાર તો સહજ યાદ કર્યો છે, અન્યથા અહીં તો કવિના ત્રણે કાવ્યસંગ્રહોમાંથી ગીતકવિને જાણવાનો, માણવાનો અને પ્રમાણવાનો જ ઉપક્રમ રાખ્યો છે. વયની સાથે લય ભળ્યો ને અવિરત સર્જનની ફલશ્રુતિ રૂપે કવિ મધુકાન્ત કલ્પિતે તાજેતરમાં જ ઉપર્યુક્ત બે કાવ્યસંગ્રહો આપીને પદ્યમાં તેમનાં પ્રદાનની સંખ્યા ત્રણ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">‘કેસરિયા ટશરનું આકાશ’માં ૧૮ ગીત, ૨ ગઝલ અને ૩૦ ગદ્ય કવિતા એમ કુલ ૫૦ કવિતાઓમાંથી તમામે તમામ ૧૮ ગીત નવા ગીતસંગ્રહ ‘મધુકાન્ત કલ્પિત એક અફવા છે’માં પુનઃ પ્રકાશિત થયા છે, તો ‘તરજૂમો’ કાવ્યસંગ્રહમાં પણ એક ગદ્ય કવિતા પુનઃ પ્રકાશિત થઈ છે. આમ, ‘કેસરિયા ટશરનું આકાશ’ની હાજરી કવિના તાજેતરના સંગ્રહોમાં પણ દેખાય છે. ‘કેસરિયા ટશરનું આકાશ’ કવિતાસંગ્રહમાં ગદ્ય કવિતાઓનું ખેડાણ સવિશેષ હોવા છતાં આ કાવ્યસંગ્રહ દ્વારા કવિની ઓળખ ગીતકવિ તરીકે વિશેષ પ્રતિષ્ઠાપિત થઈ. આ સંગ્રહ વિશે પ્રસ્તાવનાકાર હસિત હ. બૂચ નોંધે છે, “કવિત્વ-કવિકર્મ, કવિમૂડ અને કવિની લયવાહી પીંછી ‘કેસરિયા ટશરનું આકાશ’માં જે લિજ્જત સર્જે છે એ કવિની શક્તિનું ઊંડાણ અનુભવાવે છે, એમાં પ્રગટતાં પાસાં જાતભાતનાં છે, એવાં જ સત્ત્વથી પુલકિત છે. ગમગીનીનાં પાતળાં ભરત હજી જોતા હોઈએ ત્યાં અહીં આઠે અંગે કસ્તૂરિયા મારગની પાળો તૂટતીયે અનુભવીએ આપણે અને ‘પોએટિક પેઇન્સ’ની યે જે લિજ્જત હોય છે એમાં આપણે ય તદ્‌રૂપ થઈ જઈએ છીએ.” આ ગદ્યાંશ આ સંગ્રહ વિશે પૂરતો છે, જે કવિની સંપૂર્ણ છબીને ભાવકમનમાં ઉપસાવે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">‘તરજૂમો’ એ દલિત કવિતાસંગ્રહ છે, અને ‘તરજૂમો’માંની ૩૬ કવિતાઓમાંથી ૬ ગીતો ‘મધુકાન્ત કલ્પિત એક અફવા છે’ ગીતસંગ્રહમાં સમાવિષ્ટ છે. મુખ્યત્વે ‘તરજૂમો’ કવિની ગદ્યકવિતાઓનો આયનો છે, જેમાં દલિતતત્ત્વ ભારોભાર ધરબાયેલું છે. છેવાડાના માનવીની મનોવ્યથાને કવિ કવિતામાં ઢાળવામાં મહદ્‌અંશે સફળ રહ્યા છે. દલપત ચૌહાણ આ સંગ્રહને ‘વેદનાનો તરજૂમો’ કહી આવકારતા લખે છે, “આ કવિની અછાંદસમાં છંદ નથી, પણ લય છે. ગુંજન નથી, મમળાટ છે. ધડાકા નથી, સંવેદન સભરતાભરી લક્ષણા વિશેષ પથરાયેલી છે. ગીતોમાં લોકલય છે, તાજપ અને તૃષ્ટિ છે. ન સાંભળ્યાં પ્રતીક ને, ન થરક્યા અવાજ છે. ગામઠી મિજાજ અને શબ્દનું વજન છે. તોલ છે. એક એક થરકાટને પોતાની ગતિ છે એટલે જ ગ્રામ્ય જીવનનું ઝમતું વેદનાસભર ઝરણું છે.”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ, ઉપર્યુક્ત બંને સંગ્રહને પ્રસ્તાવનાકાર જ ખોલી આપે છે. આપણો ઉદ્દેશ તો ગીતકવિ મધુકાન્ત કલ્પિતને માણવાનો છે, જાણવાનો છે અને આ ઉદ્દેશ ‘મધુકાન્ત કલ્પિત એક અફવા છે’ ગીતસંગ્રહથી જ પરીપૂર્ણ થશે. વળી, આ ત્રણે સંગ્રહોને ધ્યાને રાખી સમગ્રયતા જોઈએ તો મધુકાન્ત કલ્પિતમાં કવિના બે સ્વરૂપ જોવા મળે છે, એક લલિત કવિ અને બીજો દલિત કવિ. એમનામાંના લલિત કવિને ગીત પ્રત્યે લગાવ છે અને દલિત કવિને ગદ્ય કવિતા પ્રત્યે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">‘મધુકાન્ત કલ્પિત એક અફવા છે’ ગીતસંગ્રહમાં કાવ્યાત્મક કેફિયત ‘મારી પીડાપોથીનું રહેતઘર’ અંતર્ગત કવિએ લખેલી આત્મનોંધ કવિના કવિકર્મને ખોલી આપવામાં યથાયોગ્ય ખપ આવે છે. કવિ લખે છે, ‘જીવનની વિષમતાઓ, ભૌતિક સંકુલતાઓ અને વૈચારિક સંઘર્ષોના પ્રત્યાઘાત રસબસ થયેલા સંવેદનરૂપે, વહેલા-મોડા, સાવ સહજ કે વિસ્મયકારક, ક્યાંક સળંગ કે ક્રમિક, ક્યારેક અછડતી એકાદ પ્રારંભિક પંક્તિરૂપે કે ગુચ્છમાં, ગમે ત્યારે ધક્કો મારીને પણ તકાજો કરે છે ત્યારે મને કલમ થામવી ગમે છે.’ આ ગદ્યાંશ ઘણું બધું બલ્કે બધું જ કહી જાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચંદ્રકાન્ત શેઠ પણ ‘જાતવફાઈના સર્જક’ એમ સૂચવી લખે છે, ‘‘કવિશ્રી મધુકાન્તનું ‘કલ્પિત’ નામ સાર્થક લાગે એવી કલ્પકતા પ્રસ્તુત ગીતસંગ્રહમાં છે. તળપદ જીવનનું ભાવદર્શન, એને વિલક્ષણ રીતે લયાન્વિત બાનીમાં રજૂ કરવાની કવિની મથામણ અહીં જોવા મળે છે. રમેશ પારેખની ગીતપરંપરા આ કવિમાં કંઈક અનોખા વાંકવળાંક દેખાડે છે. એમાં પ્રશ્નાર્થો છે ને વિસ્મયાર્થો પણ છે.’’</span><br><span style="font-size: 14pt;">‘મધુકાન્ત કલ્પિત એક અફવા છે’ સંગ્રહમાં ૧૯૭૪થી ૨૦૦૬ સુધીના સમયગાળામાં રચાયેલી ૫૭ ગીતરચનાઓ સમાવાઈ છે. આમાંથી ૧૯ રચનાઓમાં કવિએ શીર્ષકમાં ગીત શબ્દ પ્રયોજ્યો નથી અને ૧૮ રચનાઓ ‘કેસરિયા ટશરનું આકાશ’માંથી તેમજ ૬ રચનાઓ ‘તરજૂમો’માંથી છે. આમ, અહીં માત્ર ૩૩ ગીતરચનાઓ જ નવીન છે, તેમ કહેવાય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Raghala,-Matars-boy-does-not-have-a-groom,-have-you-seen-this-Benali">રઘલા, મેતરના છોકરાને વરઘોડો ન હોય, આ બેનાળી જોઈ છે...?</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6635c8ef38d87.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાધેશ્યામ શર્માએ જે ગીતથી મધુકાન્તને ‘ગુજરાતી ગાળોના ગાલિબ’ કહી નવાજ્યા છે તે ‘એક ગાંમેતી ગીત’ તેનાં ભાષાપ્રયોજનથી તો આકર્ષે છે જ, પણ સાથે સાથે એક નવી તાજગીમય અનુભૂતિ જગાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇન્ની માનો... દરિયો હૅનો?</span><br><span style="font-size: 14pt;">હૅનું દરિયું ફરિયું?? (પૃ.૫)</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">‘દરિયા’ને ‘દરિયું ફરિયું’ કહી જોયો ન જોયો કરનાર આ સર્જકની ગીતગતિ શિખરે તો સ્થિર થાય જ છે પણ  નીચે ખીણમાં પણ દૃષ્ટિ કરવાનું ચૂકતી નથી. અને એટલે જ પ્રસ્તુત સંગ્રહમાં અનેક ગીતમાં, પછી તે નાયકની ઉક્તિ હોય કે નાયિકાની, તેમાથી માનવ-ચિત્કાર સવિશેષ પ્રકટે છે. આમ કવિની ગીતગતિ ગીતપ્રગતિની સાથે સાથે માનવોન્નતિ તરફ કૂચ કરે છે. કેટલાક દૃષ્ટાંતો જોઈએઃ</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;"> તળિયે ચાંમાહુ જાય ઝેંક્યું દિયોર</span><br><span style="font-size: 14pt;"> નથી મેળ ખાતો ઊંડાંણે ચૂવો,</span><br><span style="font-size: 14pt;"> મંન્નયે ઊંબાડું મેલ ફાડ્યા</span><br><span style="font-size: 14pt;"> નેંકળ્યોસ છાતીહમાંણો તેલકૂવો </span><br><span style="font-size: 14pt;">  (પૃ.૧૪)</span><br><span style="font-size: 14pt;">-----------------</span><br><span style="font-size: 14pt;">પરપોટા પ્હેરીને પાણીમાં ફેલ્યાનું</span><br><span style="font-size: 14pt;"> સ્હેજે ના સુખ રહ્‌યું યાદ,</span><br><span style="font-size: 14pt;"> આંગળિયો વાઢ્યેથી લોહી નથી નીગરતું</span><br><span style="font-size: 14pt;"> એનો શું કરીએ વિવાદ?</span><br><span style="font-size: 14pt;"> (પૃ.૧૬)</span><br><span style="font-size: 14pt;">-----------------</span><br><span style="font-size: 14pt;">શવાશ? ભૂડાં ઘૂંવાપૂંવા ફડચેલ વાયરો</span><br><span style="font-size: 14pt;">બેય ફેફસાં ઠોલે,</span><br><span style="font-size: 14pt;">છાતીના કંતાન વચાળે મૅર ધબકવું</span><br><span style="font-size: 14pt;"> આઠે અંગે ઝોલે.</span><br><span style="font-size: 14pt;">(પૃ.૨૩)</span><br><span style="font-size: 14pt;">------------------</span><br><span style="font-size: 14pt;">પગલાં વ્યાકુળ જુએ,</span><br><span style="font-size: 14pt;">અને ચરણ તો ચાલી નીકળ્યાં એક માણસની રૂએ.</span><br><span style="font-size: 14pt;">(પૃ.૨૪)</span><br><span style="font-size: 14pt;">------------------</span><br><span style="font-size: 14pt;">આંખ ઠામુકી દદડીને હેઠી પડી રે!</span><br><span style="font-size: 14pt;"> બધાં દૃશ્યો વેરાઈ પડ્યાં ચોકમાં,</span><br><span style="font-size: 14pt;">ચાલ, મેલું ના થાય એમ આખ્ખાયે ફળિયાને</span><br><span style="font-size: 14pt;"> સાચવીને પહેરી લઉં ડોકમાં.</span><br><span style="font-size: 14pt;">(પૃ.૨૮)</span><br><span style="font-size: 14pt;">-------------------</span><br><span style="font-size: 14pt;">શેઢેથી લીલાછમ્મ આવે સંદેશઃ</span><br><span style="font-size: 14pt;"> મને માણસ કહેને? સારું લાગે!</span><br><span style="font-size: 14pt;"> અહીંયાં તો માણસનું સપનું પણ પથ્થર થૈ</span><br><span style="font-size: 14pt;"> આંખોમાં અળિયાળું વાગે.  (પૃ.૫૫)</span><br><span style="font-size: 14pt;">----------------------</span><br><span style="font-size: 14pt;">માંહ્યથી ચોખ્ખાંચમ છતાં </span><br><span style="font-size: 14pt;"> હડધૂત થવાનું જાત મૂઈને વેતરી નાખે,</span><br><span style="font-size: 14pt;">માણસ થઈને માણસ વચ્ચે </span><br><span style="font-size: 14pt;"> શીદને આવો ભેદ હળાહળ સાચવી રાખે?  (પૃ.૫૬)</span><br><span style="font-size: 14pt;">-------------------------</span><br><span style="font-size: 14pt;">અહીં પ્રસ્તુત ગીતરચનાઓમાં પ્રતિબિંબાતી પીડા માનવથી માનવને મળતી પીડા છે. મુખ્યત્વે મનુષ્યકેન્દ્રી આ ગીતો પીડાની પોથી સમા છે. સામાન્ય રીતે પીડાના ગીતોમાં પારાવાર રોદણાં જ હોય છે. કવિએ અહીંયાં એમ નથી કર્યું તે એમની વિશેષતા છે. અલબત્ત ક્યાંક મુખરતા છતી થાય છે તેમ છતાં તેમણે ‘આત્મગૌરવ’નો સધિયારો આપી પીડાને પ્રસરાવી છે. ‘રે કેમ!’ (પૃ.૧૧), ‘હોજી’ (પૃ.૨૩), ‘બોલ લાગ્ગી?’ (પૃ.૩૦) અને ‘અર્‌ર્‌ર્‌ ઑંય મા’ (પૃ.૩૧) જેેવી બોલચાલની અભિવ્યક્તિ સહજાભિવ્યક્તિ થઈને ગીતને ઉપકારક નીવડે છે. સામાન્ય રીતે આવી બોલચાલની છટા ઘણીવાર કવિને લયનું લટકણિયું બની લયના ઘોડાપૂરમાં તાણી ભાવોર્મિને ડૂબાડી દેતી હોય છે, પણ અહીં આવું થયું નથી. મધુકાન્ત કલ્પિતને  આવી વાક્‌છટા હાથવગી જ નહીં, હૃદયવગી છે અને તેઓ તેમના કલમ-કસબને યથાયોગ્ય જગાએ વધુ પાકટ રીતે પ્રકટાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">‘ઉજ્જડ ગામની ભાગોળે બેસી ગાવાનું ગીત’ એક લાંબું શીર્ષક ધરાવતું પ્રલંબ લયમાં લાં...બી... ભાવોક્તિ અને ગહન ભાવોર્મિ ધરાવતું ગીત છે. મધુકાન્ત કલ્પિતને ગીતસ્વરૂપ કેટલું અને કેવું ફળ્યું છે તેની અનુભૂતિ કરાવવા આ  ગીત જ પૂરતું છે. આવું જ એક અન્ય ગીત ‘હિજરતી’ પણ છે. ‘હિજરતી’ ગીત પણ કવિને મળેલા ‘ગુજરાતી ગાળોના ગાલિબ’ ખિતાબની યાદ તાજી કરાવે છે. અહીં પણ ‘સાલી જાત હરામી’ અને ‘કોઈ પત્તર ફાડે’ જેવા નિર્દોષ ગાળોને કવિએ ભાવ-અભાવ વચ્ચેનો ગાળો દર્શાવવા પ્રયોજી છે. તદુપરાંત અન્ય ગીતોમાં પણ ‘દિયોર’ (પૃ.૧૪), ‘રાંડ્યા’ (પૃ.૧૪)‘પત્તર ના ખાંડ’ (પૃ.૪૨) અને ‘નપાતર’(પૃ.૨૦) જેવા ભાષાપ્રયોગથી કવિએ ગાળકૂચ કરે રાખી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">‘દંતકથાનું ગીત’ (પૃ.૩૩), ‘સંવાદ ગીત’(પૃ.૬૭) અને ‘ભફ્ફાંગ ગીત’ (પૃ. ૧૯) રજૂઆતની અને કાવ્યાત્મકતાની દૃષ્ટિએ વિશિષ્ટ ભાત ઉપસાવે છે, તો કવિને ‘પડછાયા’, ‘મન’, ‘વન’ ઇત્યાદિ સાથે વિશેષ લગાવ છે. આ લગાવ મર્યાદા બની જવાનો ભય સ્પષ્ટ વર્તાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Why-does-the-dog-of-Dhedh-spoil-the-fathers-dog-So-it-exploded">ઢેઢનું કૂતરું બાપુના કૂતરાને રંજાડી જાય ઈ કેમ પાલવે? એટલે ભડાકે દીધું</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6635c8f3e2c81.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">‘આપ કહાં થે’(પૃ.૩૩), ‘ગેટ આઉટ’ (પૃ.૩૫), ‘એપેડેમિક’ (પૃ.૪૦) અને ‘કટ્‌’ (પૃ.૫૧)  જેવા બિનગુજરાતી શબ્દો પણ કવિએ ગુજરાતી વરખ ચઢાવી વાપર્યા છે. આમ તો સમગ્રયતા આખો સંગ્રહ ઉત્તર ગુજરાતની વાણીનું પ્રતિનિધિત્વ કરે છે, ખાસ કરીને ‘કેસરિયા ટશરનું આકાશ’માંના ગીતો. આ રીતે અહીં ભાષાનું અલગ અલગ પોત જોવા મળે છે. આ ભાષાકર્મ આવકાર્ય છે, પણ આજે બોલીઓ લુપ્ત થતી જાય છે ત્યારે સાહિત્યરૂપે જ બોલી ટકી રહેશે તેની ના નહીં, પણ સાહિત્યને પણ જો ટકવું હશે તો બોલાતી ભાષા જ પ્રયોજવી પડશે. કવિ આ જાણે છે અને એટલે જ પછીના ગીતોમાં ‘બોલી’ નહીં પણ ‘ભાષા’ પ્રયોજે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગીતરચનાની પ્રથમ શરત જ પ્રાસચુસ્તતા છે. પ્રાસનો એક પ્રકાર દૃશ્યાનુપ્રાસ પણ છે, પરંતુ આપણે ત્યાં તે ઓછો ચલણમાં છે. વળી, ગઝલની સરખામણીએ ગીતમાં પ્રાસની પકડ વધુ ચુસ્ત સ્વીકારાઈ છે, એના કારણમાં ગીતની ગેયતા જ તો છે, સાથે સાથે લયાનુભૂતિ અને દૃશ્યાનુભૂતિ પણ ખરી જ. લયની ઉડાન (તે પ્રાસાનુભૂતિ હોય તે દૃશ્યાનુભૂતિ)માં એક ખટકો આખા ગીતની ઇમારતને ભોંયભેગી કરી દે છે. અહીં આવું કેટલેક ઠેકાણે જોવા મળે છે. કદાચ એટલે જ ઉશ્‌નસે પ્રસ્તાવના અંતર્ગત ટકોર કરી છે. જોકે ‘બુધસભા’માંથી ઘડાયેલ કવિની નજરમાંથી આવી કેટલીક રચનાઓ કેમ હેમખેમ નીકળી તેવો પ્રશ્ન જરૂર થાય, પણ હાલ તો જે પ્રકાશિત છે તે જ ધ્યાને લઈએ તો આવાં કેટલાક ઉદાહરણો સામે ચાલીને મળી આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">‘ભીંજાયેલું ગીત’ (પૃ.૬)માં ‘લૂંછું’, ‘પૂછું’ પછી આવતો અંત્યાનુપ્રાસ ‘ચૂસું’ ખટકે છે. ‘વેદનાનો માનવી’ (પૃ.૨)માં ‘...પ્હેરીને આજ નીકળ્યો’, ‘...લ્હેરીને આજ નીકળ્યો’ પછી આગળ જતાં ‘...મ્હોરીને આજ નીકળ્યો’ આવે છે. અહીં ‘મ્હોરીને’ પ્રાસપ્રયોજન માત્રાની રીતે નથી નડતું, પણ ‘દૃશ્યાનુભૂતિ’ અને ‘લયાનુભૂતિ’ની દૃષ્ટિએ આંખ-કાન બેઉને ખટકે છે. તો ‘સ્મૃતિના કાંઠે ફરતું ગીત’, ‘વિદાય ગીત’ ‘સૉળવગું ગીત’ અને ‘જો’ જેવાં ગીતો પ્રસ્તુત સંગ્રહમાં ન હોત તો કદાચ આ ગીતસંગ્રહની પ્રસ્તુતિ વધારે સારી હોત. કવિની બરછટતાને બળકટતામાં રૂપાંતરિત કરતાં અન્ય ગીતોની સરખામણીએ આ ગીત ઘણાં ઊણાં ઊતરે છે.‘ચહેરો ઉગામેલ છોકરીનું ગીત’ તો રમેશાઈ શૈલીનું સૂચક છે. ગીત ગમે એમ છે, પણ અહીંયાં નહીં. કવિની આ સંગ્રહથી પ્રતિબિંબિત થતી કવિમુદ્રાને આ ગીત હળવી ઠેસ આપે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છોકરીના માથે બે શિંગડા દોરેલાં</span><br><span style="font-size: 14pt;">મેં કાતરથી કરી દીધા કટ્‌</span><br><span style="font-size: 14pt;">છોકરી સુંવાળી કોઈ અટકળ બનીને </span><br><span style="font-size: 14pt;">મારા તળિયે રેલાઈ રમઝટ (પૃ.૫૧)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કવિએ પરિશિષ્ટરૂપે હસિત બૂચ, રાધેશ્યામ શર્મા અને રતિલાલ સથવારાના કાવ્યાસ્વાદો મૂક્યા છે. આ પાંચ કાવ્યાસ્વાદોની સાથે ડૉ. પથિક પરમારે વિવિધ સાહિત્યકારોના અવતરણો ટાંકીને લખેલો પરિચય-આલેખ પણ કવિના કવિત્વને ખોલી આપવામાં સહાયરૂપ બને છે જ. આમ, એકંદરે ‘મધુકાન્ત કલ્પિત એક અફવા છે’ ગીતસંગ્રહ વાંચવો ગમે એમ જ નહીં, વંચાવવો પણ ગમે એમ છે. કવિની ગીતયાત્રાનો આ મુકામ કવિને કદી અફવા ન બનવા દે તેમ પોતિકી પીડા, પોતિકાં કલ્પનો અને પોતિકા અભાવથી સમૃદ્ધ છે. અંતે કવિને સ્વપ્નમાં પણ કોઈ ‘મધુકાન્ત કલ્પિત એક અફવા છે’ એવું ન કહી શકે તેવી બરછટ છતાં બળકટ ભાવોર્મિને ગીતસંગ્રહ રૂપે નહીં, પણ ‘માણસાઈની ગીતા’ રૂપે આપવા બદલ અભિનંદન સાથે આ સંગ્રહને આવકારીએ.</span></p>
<p style="text-align: justify;"><strong><em><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">(લેખક વ્યવસાયે આયુર્વેદ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર અને જાણીતા કવિ, વિચારક, સંશોધક અને વક્તા છે.)</span></em></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/i-will-not-die-of-hunger-chamar-i">મેં ભૂખા તો નહીં મરુંગા, ચમાર હું...</a><br></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 04 May 2024 11:28:07 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 04 May 2024 11:30:19 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>573</Articleid>
                    <excerpt>ગઈકાલે કેસરિયા ટશરનું આકાશના કવિ મધુકાંત કલ્પિતનું અવસાન થયું છે ત્યારે જાણીતા કવિ, લેખક અને વક્તા અશોક ચાવડા &#039;બેદિલ&#039; તેમની સર્જનયાત્રાના વાગોળે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_6635ccf040af9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_6635ccf010b32.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_6635ccf010b32.jpg" length="131727" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Anand district, saraswati sadhna yojna</media:keywords>
                </item>
                        <item>
                    <title>તાકાત હોય તો પ્રજ્વલ રેવન્ના જેવા સામે લડો, ફેમિનિસ્ટો સામે નહીં</title>
                    <link>https://khabarantar.com/if-you-have-the-strength-fight-the-likes-of-prajwal-revanna-not-the-feminists</link>
                    <guid>https://khabarantar.com/if-you-have-the-strength-fight-the-likes-of-prajwal-revanna-not-the-feminists</guid>
                    <description>
                        <![CDATA[ JDS ના નેતા અને પૂર્વ વડાપ્રધાન દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાના સેક્સ સ્કેન્ડલની ચોતરફ ચર્ચા થઈ રહી છે ત્યારે મહિલા અધિકાર મંચના કન્વીનર ડૉ. મિતાલી સમોવા તેમનો આક્રોશ ઠાલવે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૯૦૦+ સેક્સુઅલ અબ્યુઝ(બળાત્કાર)ના વીડિઓ શું ખરેખર ભારત દેશનો આજ સુધીનો સૌથી મોટો સેક્સ સ્કેન્ડલ બની રહેશે કે હજુ આનાથી પણ વધુ ખરાબ દુર્ઘટનાઓ ભારત દેશની મહીલાઓએ વર્તમાન સરકારના રાજમાં જોવાની બાકી છે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કર્ણાટકમા ૩૫ વર્ષીય પ્રજવલ રેવન્ના(પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાના પૌત્ર અને હસન લોકસભા સીટ પરના સાંસદ) ના ૨૯૦૦+ પોર્ન વિડીયો વાઈરલ થયા છે, જેમાં દરેકેદરેક ઊંમરની મહીલાઓ સાથે પ્રજવલ જબરદસ્તી બળાત્કાર કરતો નજર આવી રહ્યો છે. આ સ્ત્રીઓમાં તેમના ઘરની જ ૬૩ વર્ષીય કામવાળીથી લઈને શાળા-કોલેજ જતી દિકરીઓ, મહિલા પોલિસ અધિકારીઓ, સરકારી અધિકારી સ્ત્રીઓ, પાર્ટીની કાર્યકર્તાઓ, ઓળખીતા નેતાઓ-બિઝેનસમેન, પુરુષોની પત્નીઓ-દિકરીઓ, પારિવારીક સગી દીકરીઓ-મહિલાઓ, પત્રકારો, ટીવી એન્કરો, મદદ માંગવા આવનાર લાભાર્થી સ્ત્રીઓ જેવી ગણી ગણાય નહી એટલી સ્ત્રીઓને પોતાની હવસ સંતોષવા અને વારંવાર સેક્સુઅલ ગેરલાભ લેવાના દુરાશયના કારણે વીડિઓ ઉતારેલા અને બડાઈ હાંકવા મિત્રોને બતાવતો. એક મહિલાએ હીંમત કરીને ફરીયાદ કર્યા પછી જે બાકીના વાયરલ થયેલા વીડિયોના કારણે ત્યાં સ્થાનિક પ્રજામાં વિરોધનો જુવાળ ઊભરી આવ્યો છે. હજુ તો પંદર દિવસ પહેલાં જ આપણાં માનનીય વડાપ્રધાન ચાર મોઢે આ બળાત્કારીના વખાણ કરીને વોટ માંગી આવ્યા છે. ને હવે આ બળાત્કારી જર્મની ભાગી ગયો છે. પ્રજ્વલના આ કુકર્મો અને કાંડો વિશે ભાજપ હાઈ કમિશનને અગાઉથી જ માહીતી હતી. છતાં ૨૯૦૦+ માતાઓ-બહેનોની સુરક્ષા અને ન્યાયને નજરઅંદાજ કરીને તેને ટીકીટ આપવામાં આવી છે. દેશ‌ માટે લડતા નિર્દોષ આંદોલનકારીઓ તો તરત પકડાઈ જાય છે, ખબર નહી માલ્યા ને પ્રજવલ જેવા વિકૃત ગુનેગારો કેવી રીતે આ સરકારના રાજમાં ભાગી શકે છે? અજીત દોભાલ પાકિસ્તાનમાં બોમ્બ ફોડવાનો જશ ખાટે છે, પણ દેશમાં ખુદની દીકરીઓનાં બળાત્કારીઓને પકડી શકવામાં એમના હાથ ટૂંકા પડે છે. કેમ? </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/Mata-Ramabai:-The-woman-whose-sacrifice-made-Bhima-Dr.-Made-by-Bhimrao-Ambedkar"><strong>માતા રમાબાઈઃ એ મહિલા જેમના ત્યાગે 'ભીમા' ને ડો. ભીમરાવ આંબેડકર બનાવ્યા</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6631d53a65cee.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">INCELS (અનિચ્છાએ બ્રહમચારી રહેવું પડતું હોય તેવા પુરુષો માટેનું નામ કે જેમને પ્રેમ કરવા કે પરણવા કોઈ સ્ત્રી મળતી નથી) હાલના સમયમાં દિકરીઓની સંખ્યા ઘટતાં ઈન્ટરનેટ ઉપર અને સમાજમાં પણ ખૂબ વધી રહ્યા છે. તેઓ પોતાનું ફ્રસ્ટ્રેશન ઈન્ટરનેટ ઉપર ફેમિનિસ્ટોને ગાળો આપીને કે સ્ત્રીઓને ઉતારી પાડીને જાહેર કરતા જોવા મળે છે. એ બિચારા ઘણીવાર પોસ્ટ લખતા હોય છે કે પુરુષોએ ફેમિનિસ્ટ સ્ત્રીઓને કેમ ન પરણવું જોઈએ. આ ઈન્સેલ્સ બિચારાના પોતાના સમાજોમાં દિકરીઓ એટલી ઓછી હોય છે કે તેમના ત્યાં ૩૫-૫૦ હજારમાં મધ્યપ્રદેશના ઝાબુઆ અને મહારાષ્ટ્રના અમરાવતી મરાઠવાડા જેવા વિસ્તારમાંથી પછાત સમુદાયની એવી સ્ત્રીઓ પરણવા ખરીદી લવાય છે, કે જેમને બિચારીને એટલી પણ‌ ખબર નથી હોતી કે ઘરમાં ટાઈલ્સ પર પોતું પણ મારવાનું હોય. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઈન્સેલ્સનુ ચાલે તો ૮૦ વર્ષની મહીલાઓથી લઈને બકરી-ગાય‌ ભેંસને પણ પરણતા વિચાર ન કરે. પણ ઈન્ટરનેટ પર ફાંકા ફોજદારી કરવામાં ક્યાં કોઈ રિયલ બહાદુરી બતાવવાની છે તે ચિંતા! આવા બેરોજગાર અને અપરિણીત રહી‌ ગયેલા ભાઈઓને જણાવવાનું કે તમારા દુશ્મન ફેમિનિસ્ટો સ્ત્રીઓ-પુરુષો નથી, આવા પ્રજવલ જેવા પિતૃસત્તાક વ્યવસ્થાના વાહક અને લાભાર્થી એવા હવસખોર દરીંદાઓ છે, જેમને વોટ આપીને તમે જ‌ બાહુબલી બનાવો છો, જે તમારા સમાજની સ્ત્રીઓ પણ છીનવી જાય છે, તેમનુ શોષણ કરે છે, તમને સરખો પગાર નથી આપતા અને સમાજમાં દેશમાં સ્ત્રી-પુરુષ વચ્ચેની ખાઈને વધુ પહોળી કરવામાં ધક્કો મારે છે.‌ તમારે તેવા દરીંદાઓ સાથે લડવાનું હોય જે તમારા ભાગના પૈસા, સમૃદ્ધી અને સ્ત્રીઓ તમને મળવા નથી દેતા. તમારામાં લડવાની તાકાત અને સમજશક્તિ હોય તો ત્યાં લડો, ફેમિનિસ્ટો સાથે નહી!</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/why-is-this-booklet-of-the-supreme-court-special-for-women">સુપ્રીમ કોર્ટની આ પુસ્તિકા મહિલાઓ માટે ખાસ કેમ છે?</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6631d5517ad51.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોદીજી અગાઉ મણિપુર, બિલ્કીસ બાનુ, ગોધરાના આરોપીઓને જામીન અને નલિયાકાંડ જેવી ઘટનાઓ વખતે ચૂપ રહેલા અને વિકૃત બળાત્કારીઓને છાવરેલા, તેવું જ આટલી હૃદયદ્રાવક ઘટનામાં પણ થઈ રહ્યું છે અને તેઓ મૌન છે. હમણાં આ બળાત્કારી લઘુમતી સમાજનો હોત તો ગામ ગધેડે ચડાવ્યું હોત, પણ પોતાના ધર્મ-જાતિના ગમે તેટલા મોટા પાપીને તો બધી માફી! ભલે હિન્દુ દીકરીઓ ગમે‌ તેટલી શોષાતી, પીડાતી, આત્મહત્યા કરતી, બદનામ થતી, મૃત્યુ પામતી, તેની વારંવાર અસ્મિતા લૂંટાતી! આત્યંતિક વ્યથિત કરી મૂકે તેવી ઘટના! પણ આમને જરાય લાજશરમ નથી આવતી. હળાહળ ધાર્મિક અને પિતૃસત્તાક માનસિકતાથી ગ્રસ્ત પુરુષોની સત્તા પાસે મહિલાઓની સુરક્ષા કે સન્માનની માંગણી કરવી જ મૂર્ખામી છે. એટલે જ રાજકારણમાં કઠપૂતળી કે શોપિસ મહીલાઓ નથી જોઈતી પરંતુ ખરેખર શક્તિશાળી મહિલા નેતૃત્વ ઉભું કરવા આંદોલન કરવું રહ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>ડૉ.મિતાલી સમોવા</strong></span><em><strong><span style="font-size: 12pt;">(લેખિકા વ્યવસાયે ડૉક્ટર અને મહિલા અધિકાર મંચના મુખ્ય કન્વીનર છે.)</span></strong></em></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/dalit-woman-axed-on-chest-private-part-cut-critical-condition">દલિત મહિલાની છાતી પર કુહાડી મારી, પ્રાઈવેટ પાર્ટ કાપ્યું, હાલત ગંભીર</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 01 May 2024 11:14:43 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>566</Articleid>
                    <excerpt>JDS ના નેતા અને પૂર્વ વડાપ્રધાન દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાના સેક્સ સ્કેન્ડલની ચોતરફ ચર્ચા થઈ રહી છે ત્યારે મહિલા અધિકાર મંચના કન્વીનર ડૉ. મિતાલી સમોવા તેમનો આક્રોશ ઠાલવે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_6631d55e7892a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_6631d55e47a3d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_6631d55e47a3d.jpg" length="75079" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા છે, રાજકીય પક્ષો માટે નથી!</title>
                    <link>https://khabarantar.com/there-is-an-election-expenditure-limit-for-candidates-not-for-political-parties</link>
                    <guid>https://khabarantar.com/there-is-an-election-expenditure-limit-for-candidates-not-for-political-parties</guid>
                    <description>
                        <![CDATA[ સામાન્ય માણસ માટે હવે ચૂંટણી લડવી ગજા બહારની બાબત બની ગઈ છે ત્યારે રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયા અહીં ચૂંટણી ખર્ચ સાથે જોડાયેલી બાબતો પર વિસ્તારથી વાત કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણીઓ લોકતંત્રને ટકાવવા અને દ્રઢાવવાનું મહત્વનું ઓજાર છે. પણ આજકાલ ચૂંટણીઓ અતિ મોંઘી અને ખર્ચાળ બની ગઈ છે. તેમાં અધધધ રૂપિયો ખર્ચાય છે. ચૂંટણીઓ લોકશાહીનું લોકપર્વ મટીને નાણાંની રેલમછેલ કરતી ઘટના (કે દુર્ઘટના) બની ગઈ છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના અનુમાન પ્રમાણે હાલની લોકસભા ચૂંટણીમાં ૧.૩૫ લાખ કરોડથી વધુ ખર્ચ થશે. જે અમેરિકી રાષ્ટ્રપતિની ગત ચૂંટણી કરતાં વધુ છે. તો આ ખર્ચ પાકિસ્તાનના વાર્ષિક બજેટનો ૧/૩ કરતાં વધુ ભાગ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતનો પ્રત્યેક નાગરિક પછી તે અમીર હોય કે ગરીબ ચૂંટણી લડી લોકોનો ચૂંટાયેલો પ્રતિનિધિ બની શકે તે માટે ચૂંટણી લડતા ઉમેદવારો માટે ખર્ચની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેથી એકલા ધનપતિઓ ધનબળના જોરે ચૂંટાઈ ન જાય. પણ વાસ્તવમાં ઉમેદવારો માટેની ચૂંટણી ખર્ચની સીમા એક પાખંડ લાગે છે. સીધા કે આડા માર્ગે કાળા નાણાના બળે આર્થિક સામર્થ્ય ધરાવતા ઉમેદવારોનું ચૂંટાવાનું પ્રમાણ વધ્યું છે. હજુ દાયકા પૂર્વે ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં ૫૮ ટકા કરોડપતિ ઉમેદવારો ચૂંટાયા હતા  દસ વરસ પછીની ૨૦૧૯ની ચૂંટણીમાં તેમાં ત્રીસ ટકાનો વધારો થયો હતો અને ૨૦૧૯ થી ૨૦૨૪ની લોકસભામાં ૮૮ ટકા કરોડપતિ સાંસદો હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/The-government-spends-Rs.-51,000,-while-the-citizen-pays-only-Rs.-1815-spend">સરકાર એક સાંસદના આરોગ્ય પાછળ વર્ષે રૂ. 51,000 ખર્ચે છે, જ્યારે નાગરિક પાછળ ફક્ત રૂ. 1815 ખર્ચે છે!</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_663072d4c01c6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકાર, રાજકીય પક્ષો અને ઉમેદવારો એમ ત્રણ લોકો ચૂંટણીમાં નાણા ખર્ચે  છે. તેમાં સરકારી ખર્ચ તો કુલ ખર્ચમાં પંદર ટકા જ છે. ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા નિર્ધારિત કરી છે. રાજકીય પક્ષો માટે ખર્ચની મર્યાદા હોતી નથી એટલે રાજકીય પક્ષો બેફામ નાણું વાપરે છે. ઉમેદવારો હાથીના ચાવવાના અને બતાવવાના દાંત જુદા હોય છે તેમ સરકારી ચોપડે જુદો ખર્ચ બતાવે છે પણ વાસ્તવમાં તો અનેકગણા રૂપિયા વાપરે છે. ઈલેકશન વોચ અને એસોસિએસન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સનું ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના વિજેતા ૫૧૪ સભ્યોના ઈલેકશન કમિશન સમક્ષ રજૂ થયેલા ખર્ચના આંકડાઓનું વિશ્લેષણ દર્શાવે છે કે ૫૩ સાંસદોએ નિર્ધારિત રૂ. ૭૦ લાખ કરતાં અડધા જ ખર્ચમાં ચૂંટણી લડી હતી! માત્ર બે જ સાંસદોએ રૂ.૭૦ લાખથી વધુ ખર્ચ કર્યો હતો. ૫૧૪ સાંસદોએ નિર્ધારિત રકમના સરેરાશ ૭૩ ટકા રકમ જ ખર્ચી હતી. ભાજપના ૨૯૧ સાંસદોએ સરેરાશ રૂ. ૫૧.૩૧ લાખ અને કોંગ્રેસના ૫૧ સાંસદોએ સરેરાશ રૂ. ૫૧.૭૨ લાખ જ ખર્ચ કર્યો હતો. આ હકીકતો પરથી ખર્ચની મર્યાદા, તેના નિરીક્ષણ માટેનું તંત્ર અને ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા ખર્ચના પત્રકો લોકોની આંખોમાં ધૂળ નાંખવા બરાબર લાગે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નાણા મંત્રી નિર્મલા સીતારમણ જ્યારે ચૂંટણી માટે તેમની પાસે નાણા નથી એટલે લોકસભા ચૂંટણી લડવાની પક્ષની ઓફર સ્વીકારી શકી નથી એમ કહે છે ત્યારે તેઓ સ્વીકારે છે કે ઉમેદવાર પંચને બતાવે છે તે ખર્ચ સાચો નથી હોતો. નાણા મંત્રી બે કરોડ રૂપિયાના આસામી હોવાનું પી.એમ.ઓ ની સત્તાવાર વેબસાઈટ પર જણાવ્યું હોય અને પચાસેક લાખનો જ ખર્ચ સાંસદ દીઠ થતો હોય તો નિર્મલાજીની નાણાને અભાવે ટિકિટ નકાર્યાની વાત માની શકાતી નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૯૫૧-૫૨માં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારના ખર્ચની સીમા 25 હજાર રૂપિયા હતી. આજે આઝાદીના અમૃત કાળમાં ૨૦૨૪માં તે વધીને રૂ. 95 લાખ થઈ છે. ચૂંટણી પંચ ખર્ચની સ્વીકાર્ય રકમ નક્કી કરે છે તેમાં વિસ્તાર પ્રમાણે ચૂંટણી અધિકારી ફેરફાર કરી શકે છે. ઝંડા થી ડંડા, ચા થી ચવાણું, મંડપ થી માચીસ અને હેલિકોપ્ટરથી હવન માટેની રકમ ઠરાવે છે. ઈલેકશન કમિશને એક બાય દોઢના કપડાંના ઝંડાની સ્વીકાર્ય કિંમત ૭ રૂ, ત્રણ ફુટના ડંડાના ૧૫ રૂ., ગળાના ખેસના ૭રૂ., એક હજાર મલ્ટિકલર પત્રિકાના રૂ.૪૫૦૦, ફુલહારના રૂ.૧૨, અડધા કપ ચાના રૂ.૧૦, કોફીના રૂ. ૨૦, હવન માટે પંડિતની દક્ષિણાના રૂ.૧૨૦૦ અને નાડાછડીના રૂ.૪ નક્કી કર્યા છે. મતવિસ્તાર દીઠ અલગ સ્વીકાર્ય કિંમત પ્રમાણે ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્રે અડધા કપ ચા કે કોફીના રૂ.૬, મિષ્ટાન વગરની ગુજરાતી થાળીના રૂ. ૯૦ અને ૧૦૦ ગ્રામ ભજીયા કે દાળવડાના રૂ. ૩૦ ઠરાવ્યા છે એ જાણીને નવાઈ લાગે છે. કદાચ સબસિડાઈઝ રેટવાળી સંસદની કેન્ટિનનું તો આ ભાવપત્રક  નથી ને? એવો પ્રશ્ન મતદારોને થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/how-can-privatization-be-good-for-the-country">ખાનગીકરણ કઈ રીતે દેશ માટે સારું હોઈ શકે?</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_663078deb9cba.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈલેકશન કમિશન ચૂંટણી ખર્ચ પર નજર રાખવા માટે ભારતીય રેવન્યૂ સર્વિસના અધિકારીઓની ખર્ચ નિરીક્ષકો તરીકે નિમણૂક કરે છે. તેઓ ઉમેદવારના ચૂંટણી પ્રચાર અને અન્યમાં વપરાયેલા નાણાનો હિસાબ રાખવા વીડિયોગ્રાફી પણ કરે છે. તમામ ઉમેદવારોએ ચૂંટણી પરિણામના ૩૦ દિવસમાં જિલ્લા ચૂંટણી અધિકારીને ખર્ચની વિગતો આપવાની હોય છે. જે ઉમેદવારો ખર્ચની વિગતો આપતા નથી તેને પંચ ત્રણ વરસ માટે ઉમેદવારી માટે અયોગ્ય ઠેરવે છે. જો મર્યાદાથી વધુ ખર્ચ કર્યો હોય તો પણ સજા થઈ શકે છે. જો કોઈ નાગરિકને લાગે કે ઉમેદવારે ખર્ચેલા નાણા કરતાં ઓછો ખર્ચ દર્શાવ્યો છે તો તે આધાર-પુરાવા સાથે ઈલેકશન પિટીશન કરી શકે છે. ગાંધીનગર મહાનગરપાલિકાના બીજેપીના વર્તમાન એકતાળીસ   નગરસેવકોએ એકસરખો રૂ. ૧,૩૩,૩૮૦ ખર્ચ દર્શાવ્યો હતો. જે પહેલી નજરે જ શંકાસ્પદ લાગતાં તેમની સામે ફરિયાદ થઈ છે. ૨૦૦૯ની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ઉમેદવાર અશોક ચવાણ સામે અખબારમાં આપેલી ચૂંટણીની જાહેરાતનો ખર્ચ ઓછો બતાવવા બદલ ફરિયાદ થયેલી છે. આ બંને અને એવી બીજી ચૂંટણી ખર્ચની ફરિયાદોનો ભાગ્યે જ સમયસર નિવેડો આવે છે. </span><br><span style="font-size: 14pt;">ચૂંટણી પંચને બેનામી કે બેહિસાબી રોકડ અને બીજી વસ્તુઓ જપ્ત કરવાનો અધિકાર છે. જેથી ચૂંટણીમાં ગેરકાયદે થતા ખર્ચાઓ રોકી શકાય. ૨૦૧૯ની સમગ્ર ચૂંટણી કરતાં ૨૦૨૪માં પહેલા તબક્કાના મતદાન પૂર્વેના એકાદ માસમાં જ પંચે રૂ. ૪૬૫૦ કરોડની જપ્તી કરી છે. ભારતની ચૂંટણીઓ પર બેનામી અને કાળા નાણાનો કેટલો પ્રભાવ છે તેનું આ દ્યોતક છે. રૂ. ૪૬૫૦માં સૌથી વધુ રૂ. ૧૧૪૩ કરોડની કિંમતની મફત વહેંચણીની વસ્તુઓ પકડાઈ છે. તે સાબિત કરે છે કે ઉમેદવારોની સાથે મતદારો પણ ભ્રષ્ટ છે કે તેમને ભ્રષ્ટ કરવામાં આવે છે. નવેમ્બર ૨૦૨૨માં તેલંગાણાના મુનુગોડે મતવિસ્તારની પેટાચૂંટણીમાં રૂ. ૬૨૭ કરોડ ખર્ચાયા હોવાની ફરિયાદ ફોરમ ફોર ગુડ ગવર્નન્સે કરી છે. આ ચૂંટણીમાં ઉમેદવારે મતદારોને ૧૦૦ ગ્રામ સોનું આપ્યાની પણ ફરિયાદ થઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકીય પક્ષોના ખર્ચની કોઈ મહત્તમ મર્યાદા નક્કી ના થઈ હોવાથી તેના ખર્ચ પર કોઈ નિયંત્રણ નથી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે રૂ. ૧૨૬૪ કરોડ અને કોંગ્રેસે રૂ. ૮૨૦ કરોડ ખર્ચ્યા હોવાનું ઈલેકશન કમિશન સમક્ષ સબમિટ કરેલ હિસાબોમાં જણાવ્યું હતું. સૌ જાણે છે કે વાસ્તવિક ખર્ચ તેના કરતાં અનેકગણો થયો હશે. પરંતુ પોલિટિકલ પાર્ટીઝના ખર્ચની અસલિયત જાણી શકાતી નથી અને જે જાણીએ છીએ તે પણ અધધધ છે. રાજકીય પક્ષોના ખર્ચ પર નિયંત્રણના મુદ્દે તમામ રાજકીય પક્ષો એક્સંપ થઈને નકાર ભણે છે. રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ અને રાજકીય પક્ષોની ગાંધી –વૈધ્યનું સહિયારુંની નીતિને કારણે ચૂંટણીઓમાં થયા અનિયંત્રિત ખર્ચનો આજે તો કોઈ ઉકેલ જણાતો નથી. </span><br><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><em><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)</span></strong></em></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/role-of-code-of-conduct-in-free-and-fair-elections">સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાની ભૂમિકા</a><br></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 30 Apr 2024 10:51:22 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 30 Apr 2024 10:28:05 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>560</Articleid>
                    <excerpt>સામાન્ય માણસ માટે હવે ચૂંટણી લડવી ગજા બહારની બાબત બની ગઈ છે ત્યારે રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયા અહીં ચૂંટણી ખર્ચ સાથે જોડાયેલી બાબતો પર વિસ્તારથી વાત કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_663072d46a5cc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_663072d43b5b8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_663072d43b5b8.jpg" length="126995" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, election expenditure</media:keywords>
                </item>
                        <item>
                    <title>હું બહુજન સમાજ પાર્ટીથી ચૂંટણી લડ્યો, મારા કડવા અનુભવો</title>
                    <link>https://khabarantar.com/i-contested-elections-from-bahujan-samaj-party-my-bitter-experiences</link>
                    <guid>https://khabarantar.com/i-contested-elections-from-bahujan-samaj-party-my-bitter-experiences</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં એક સમયે બહુજન સમાજ પાર્ટીનો આધાર ગણાતા વરિષ્ઠ નેતા, સમાજસેવક વાલજીભાઈ પટેલ હાલ સુરતમાં બનેલી ઘટનાના સંદર્ભમાં પોતાના જૂનાં અનુભવો વાગોળે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સમાજ પાર્ટીના સુરતના બનાવ પછી પાર્ટીના લાગણીશીલ નિરાશ યુવા  મિત્રોને માર્ગદર્શન મળે તે માટે મેં અનુભવેલો કડવો પ્રસંગ લખવો મને જરૂરી લાગે છે. એટલે લખી રહ્યો  છું. આમ તો મને લખવાની આદત નથી. હું તો લડનાર માણસ છું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિવંગત શ્રી યશવંત વાઘેલાનાં પ્રયત્નોથી અમે આંબેડકરવાદી વિચારધારાવાળા મિત્રો ૧૯૯૪માં  અમદાવાદમાં ભેગા થયા અને ગુજરાતમાં બહુજન સમાજ પાર્ટીને મજબુત કરવાનો નિર્ણય લેવાયો. ભરૂચના સિનીયર એડવોકેટ મારા મિત્ર દિવંગત શ્રી છગનભાઈ ગોળીગજબારને ગુજરાતના પ્રમુખ અને મને ગુજરાતના મહામંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ. બીજા મિત્રોને પણ હોદ્દાઓ આપી સંગઠન મજબૂત બનાવ્યું. તે વખતે બહુજન સમાજ પાર્ટીના નિરીક્ષક મુંબઈના એક મુસ્લિમ અસર્ફી હતા. અમે એક મોટા હોલમાં સંમેલન લીધું. અને પછી તો ખૂબ જ મોટી સંખ્યામાં મુસ્લિમો સહીત ઘણા મિત્રો પાર્ટીમાં જોડાયા. હું ઉંમરના કારણે ઘણા સાથીઓના નામ ભૂલી ગયો છું. અને અમે  જુદાજુદા જીલ્લાઓમાં  સભાઓ કરી ગુજરાતમાં પાર્ટીનું મજબુત સંગઠન બનાવ્યું. અમદાવાદમાં ત્રણ દરવાજા ખાસ બજારમાં રાત્રે એક મોટું જાહેર સંમેલન લીધું. મુસ્લિમ સમાજનો જબરજસ્ત ટેકો મળ્યો. મારા મિત્ર  એક મોટા મુસ્લિમ વેપારીએ ખાસ બજારમાં ૧૦૦ લોકો બેસી શકે એવી મોટી નવી  બિલ્ડીંગ બહુજન સમાજ પાર્ટીની ઓફીસ બનાવવા મફત  આપી. પંખા અને અન્ય ફર્નિચર પણ તેમણે આપ્યું. મેં મારા સ્વભાવ મુજબ સંમેલનમાં જાહેરાત કરી હું માત્ર પાર્ટીના સંગઠનની ઓફિસ સંભાળીશ. કોઈ ચૂંટણીમાં ઉભો નહીં રહું. ભાઈશ્રી યશવંત વાઘેલાએ પણ મારી જેમ જાહેરાત કરી અને અમે બંનેએ ઓફિસની જવાબદારી સ્વીકારી લીધી. તે વખતે કચ્છના ગાંધીધામમાં મ્યુનિસિપાલીટીની ચૂંટણી આવી. બહુજન સમાજ પાર્ટીના ૬ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા. અમે ત્રણ દિવસ સુધી ગણેશનગરમાં રહી ચૂંટણી લડ્યા. જેનાથી લોકોમાં ઉત્સાહ આવ્યો. કાંશીરામ સાહેબ ગુજરાતની કામગીરીથી ખુબ જ ખુશ થયા અને અમને લખનૌ બોલાવ્યા, અમે કાંશીરામ સાહેબને મળ્યા અને વિસ્તૃત ચર્ચા કરી.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૯૯૫માં ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી આવી. હવે ખેલ શરૂ થાય છે. ઉમેદવારો નક્કી કરવા કેન્દ્રના પ્રતિનિધિ અસર્ફી ગુજરાતમાં આવી ગયા. એમને હોટેલમાં ઉતારો આપ્યો. અને આ નિરીક્ષકે અમને હોદ્દેદારોને પણ બાજુમાં રાખી ઉમેદવારો નક્કી કરવાનું શરૂ કર્યું. અમદાવાદની શહેર કોટડાની દલિત અને મુસ્લિમની મોટી વસ્તી ધરાવતી  અનામત સીટ પરથી કોંગ્રેસના પ્રધાન મનુભાઈ પરમાર કાયમ ચૂંટાઈને આવતા હતા.  અને ક્યારેય હારે નહિ તેવા અજાતશત્રુ ગણાતા હતા. પણ ગુજરાતની મજબૂત બનેલી બહુજન સમાજ પાર્ટી તેમને ખતરારૂપ લાગી. એટલે તેમણે પોતાના એક અંગત માણસને પૈસા આપી કેન્દ્રના નિરીક્ષક અસર્ફી પાસે મોકલ્યા અને અસર્ફીને નાણાં આપી તેને બહુજન સમાજ પાર્ટીનો ઉમેદવાર બનાવી દીધો. સુરતની જેમ છેલ્લા દિવસે આ ડમી ઉમેદવાર ઉમેદવારી પાછી ખેંચી કોંગ્રેસના મનુભાઈની જીત પાકી કરવા કૌભાંડ કરાયું. પાર્ટીના પ્રમુખ છગનભાઈ ગોડીગજબારને ખબર પડી. નિરીક્ષક અસર્ફી સાથે તો વાત કરવાનો કોઈ અર્થ નહોતો. એટલે  તેમણે કાંશીરામ સાહેબ સાથે સીધો ફોન કરી આખો રિપોર્ટ આપ્યો. અને સાહેબે બીજા ઉમેદવારને નક્કી કરવા હુકમ કર્યો. છગનભાઈએ મારા નામની દરખાસ્ત મૂકી અને કહ્યું કે, વાલજીભાઈ ચૂંટણી લડવા તૈયાર નથી. એટલે આપ તેમને સમજાવો. તે વખતે  હું અને યશવંતભાઈ બંને બહારગામ હતા. અમને તાત્કાલિક અમદાવાદ બોલાવવામાં આવ્યા અને બધી માહિતી મળી. મારું નામ શહેર કોટડામાં ચૂંટણી લડવા નક્કી કર્યું. મેં ના પાડી, એટલે મને પ્રમુખે કાંશીરામ સાહેબ સાથે વાત કરાવી. સાહેબે મને કહ્યું કે, આપ ખડે રહેંગે ઔર મેં આપકા પ્રચાર કરને લિયે આઉંગા. આમ કાંશીરામ સાહેબે મારા પ્રચાર માટે આવવાની મને પ્રોમિસ કરી અને મને શહેરકોટડામાં ચૂંટણી લડવાની ફરજ પડી. પાર્ટીના બધા જ સાથી મિત્રો શહેરકોટડાને ટારગેટ કરી ચૂંટણી પ્રચાર માટે મંડી પડ્યા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ સરકારના માજી શિક્ષણ મંત્રી આયેશા બેગમ શેખ મારા સંબધોના કારણે મુસ્લિમ બહેનોમાં પ્રચાર માટે આવ્યા. કાંશીરામ સાહેબે પણ તેમની પ્રોમિસ નિભાવી. અને હેલિકોપ્ટર લઇ સાહેબ માત્ર મારી ચૂંટણી સભા સંબોધવા જ અમદાવાદ આવ્યા. અને રાજપુર ચારરસ્તા પર ભવ્ય સભા થઈ.  જબરજસ્ત વાતાવરણ સર્જાયું.  બહુજન સમાજ પાર્ટીનો હાથી આગળ ચાલે છે તેવી અખબારી નોંધ આવવા લાગી. કાંશીરામ સાહેબે નિરીક્ષક અસર્ફીને યે સીટ નિકલ સકતી હૈ ઇસ પર ધ્યાન રખ્ખો. કહી નાણા આપ્યા. પણ નિરીક્ષક અસર્ફીએ કોઈ ખર્ચ ન કર્યો અને હું મારા પોતાના તેત્રીસ હજાર રૂપિયા ખર્ચી ચૂંટણી લડ્યો. પરિણામ જોરદાર આવ્યું. આપણી બહુજન સમાજ પાર્ટીને ૧૩૪૪૦ ( તેર હજાર ચારસો ચાલીશ) મત મળ્યા. કોંગ્રેસ ના સીટીંગ મજૂર પ્રધાન મનુભાઈ પરમારને બહુજન પાર્ટી કરતા માત્ર ને માત્ર ૫૭૦૮ મત જ વધારે મળ્યા. અને લાભ બીજેપીને મળતા તેને ૨૬૧૨૬ મત મળ્યા અને તે જીતી ગયા. શહેર કોટડામાં કોંગ્રેસની મોનોપોલી તૂટી. શહેર કોટડા ખૂબ મોટો વિસ્તાર છે. પૈસાને અભાવે સમગ્ર વિસ્તારમાં અમે તંત્ર ગોઠવી શક્યા નહિ. માન્યવર કાંશીરામ સાહેબે આપેલ નાણા જો નિરીક્ષક અસર્ફીએ ખર્ચ્યા હોત તો બી.એસ.પી. નો એક ધારાસભ્ય ૧૯૯૫માં બન્યો હોત અને બહુજન સમાજ પાર્ટીનું ગુજરાતમાં ખાતું ખૂલી ગયું હોત. </span></p>
<p><strong><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_662e799fc02af.jpg" alt=""><span style="color: rgb(224, 62, 45);">વાલજીભાઈ પટેલ</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માન્યવર કાંશીરામ સાહેબે કહ્યું છે કે, ચૂંટણીમાં પાર્ટીનો પહેલો તબક્કો હારનેવાલી પાર્ટી, બીજો તબક્કો હરાને વાલી પાર્ટી અને ત્રીજો તબક્કો જીતને વાલી પાર્ટી બને છે. ગુજરાતમાં આપણી બહુજન સમાજ પાર્ટી મજબૂત હરાનેવાલી બીજા તબક્કામાં આવી ગઈ. માત્ર બી.એસ.પી.નાં કારણે જ કોંગ્રેસના શાસનનાં સીટીંગ પ્રધાનને હારવાની ફરજ પડી. ગુજરાતમાં બહુજન સામાજ પાર્ટી  હારવા છતાં મોટું બળ બન્યું. અને પાર્ટીનું સંગઠન વિશાળ થવા લાગ્યું. પણ માન્યવર કાંશીરામ સાહેબના અવસાન પછી સત્તા માયાવતીના હાથમાં આવી. અને પાર્ટીમાં વૈચારિક સિંધ્ધાંત બાજુમાં રાખી માત્ર સત્તાલક્ષી માનસિકતાએ પાર્ટીના પાયા હચમચાવી દીધા. ગુજરાતમાં અમે મહેનત કરી દલિત-મુસ્લિમ એકતાની એક મોટી ધરી બનાવી હતી. પણ વર્ષ ૨૦૦૨ના અત્યાચારોમાં સમગ્ર મુસ્લિમ સમાજ બેબસ અને લાચાર બની ગયો હતો. બરાબર તે જ વર્ષ ૨૦૦૨માં  અમદાવાદના કાંકરિયાના ફૂટબોલ ગ્રાઉન્ડમાં બહુજન સમાજ પાર્ટીનું અધિવેશન મળ્યું. અને અમારા આશ્ચર્ય વચ્ચે માયાવતીએ નક્કી મુજબ તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેજ પર પ્રગટ થઇ ગયા અને માયાવતીએ મોદીનો હાથ પકડી ઉંચો કરી જાહેરાત કરી કે આવતી કાલથી નરેન્દ્ર મોદી સાથે કામે લાગી જાવ. અમારી સ્થિતિ તો કાપો તો લોહી ન નીકળે તેવી થઇ ગઈ. સંમેલનમાં દૂર દૂરથી આવેલા બહુજન સમાજ પાર્ટીના મુસ્લિમ હોદ્દેદારો-મિત્રો અવાક થઇ ગયા. હું આ આઘાત ક્યારેય ભૂલી શકું નહિ. માયાવતીના આવા સિધ્ધાંત વિરૂદ્ધના વર્તનથી અમે સૌ મિત્રોએ બહુજન સમાજ પાર્ટીનું વિસર્જન કરી છૂટા થઇ ગયા. ગુજરાતના ૨૦૦૨ નાં ભયંકર અત્યાચારોના સમયમાં જવાબદાર નરેન્દ્ર મોદીનો હાથ પકડી તેમની સાથે કામ કરવાના માયાવતીએ કરેલા આદેશનું કારણ મને આજે પણ સમજાતું નથી.   </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાંશીરામ સાહેબ દેશભરમાં પાર્ટીના વિસ્તાર માટે ગંભીરતાથી વિચારતા હતા અને જાતે દોડધામ કરતા હતા. દરેક રાજ્યોના હોદ્દેદારો સાથે સંપર્કમાં રહેતા હતા. અમે ગમે ત્યારે સાહેબ સાથે વાત કરી શકતા હતા. તે અમારી ખૂબ ઈજ્જત કરતા હતા. ત્યારે સવાલ એ થાય છે કે, આ બધું  માયાવતીના વહીવટમાં કેમ થતું નથી? જુદા જુદા રાજ્યોના હોદ્દેદારો સાથે પણ તેમનો કોઈ સંપર્ક નથી. હકીકતમાં રાજ્યોનાં સંગઠન મુદ્દે માયાવતીજીને કોઈ જ રસ નથી. માત્ર બહુજન સમાજ પાર્ટીનું રજિસ્ટ્રેશન નેશનલ લેવલ પાર્ટી તરીકે ચાલુ રહે તેવા એક માત્ર ઉદ્દેશથી જુદા જુદા રાજ્યોમાં ઉમેદવારો ઉભા રાખતા હોય તેમ લાગે છે. પરિણામે તોડબાજ નિરીક્ષકોને મોકળું મેદાન મળી ગયું છે. બહુજન સમાજ પાર્ટીને આ વખતે સુરતમાં એક જબરજસ્ત રાજકીય તક મળી હતી. માત્ર ને માત્ર ભાજપ વિરુધ્ધ બહુજન સમાજ પાર્ટી વચ્ચે સીધો જંગ ખેલાત. વિરોધ પક્ષો કોંગ્રેસ કે આપ પાર્ટી કે  હાલ વિરુદ્ધમાં આવેલ ક્ષત્રિયો માટે પણ બહુજન સમાજ પાર્ટી એક માત્ર વિકલ્પ હતો. અને એ બધાનાં મત માત્ર ને માત્ર બહુજન સમાજ પાર્ટીને મળ્યા હોત. ગુજરાતમાં એક મોટો ઈતિહાસ સર્જાઈ જાત. આજે સમગ્ર દેશમાં સુરતમાં બહુજન સમાજ પાર્ટીની ભૂમિકાને લઈને ચર્ચા થઇ રહી છે ત્યારે માયાવતીજી અને તેમની બહુજન સમાજ પાર્ટી ચૂપ કેમ છે? કોઈ તપાસની પણ વાત કરતા નથી. એનું કારણ શું? નિરીક્ષક કલોરીયા એકલાથી આવી કામગીરી કરવાની હિંમત ન થઇ શકે. દેશભરમાં માત્ર એક જ રાજ્યમાં સંસદ સભ્ય બિનહરીફ ચૂંટાય તે ચર્ચાનો વિષય છે ત્યારે જવાબદાર બહુજન સમાજ પાર્ટી અને એના રાષ્ટ્રીય નેતાઓ કેમ બોલતા નથી? </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. બાબાસાહેબ આંબેડકરે નેતાઓની અંધ ભક્તિનો વિરોધ કરેલ છે. ગુજરાતના દલિતો અન્ય રાજ્યો કરતા વધુ વિચારશીલ છે. ક્ષીર-નીર અલગ કરતા તેને આવડે છે. સુરતમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારને બેસાડી દેવાનું કૃત્ય કોઈ સામાન્ય ખેલ નથી. છેક ઉપરથી ખેલ ખેલાયો છે. ચૂંટણી જ ન થાય તે માટે ષડયંત્ર એક હાથે થાય નહિ. સુરતના બહુજન સમાજ પાર્ટીના એક આગેવાનના જણાવ્યા અનુસાર બહુજન સમાજ પાર્ટીના એક સંસદ સભ્યના ઈશારે કલોરીયા આ રમત રમ્યા છે. અને તેમાં કેટલાય ખોખા કામ કરી ગયા છે. હાલના સંજોગોમાં ગુજરાતમાં વચેટીયા વગર સ્વતંત્ર કામ કરી શકીએ તેવી બહુજન સમાજ પાર્ટી ન બને ત્યાં સુધી ધીરજ ધરવી જોઈએ એવો મારો અભિપ્રાય છે. નહી તો ખૂબ જ પરિશ્રમ અને પૈસા ખર્ચી ગુજરાતના દલિત યુવાનો પાર્ટી ઉભી કરે અને ચૂંટણીનાં એક જ દિવસમાં સફાચટ કરી કોઈ ઉપડી જાય તેવો ખેલ કાયમ ચાલુ જ રહેશે. જયભીમ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>વાલજીભાઈ પટેલ </strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/babasaheb-is-theoretical-manyavar-is-practical">બાબાસાહેબ થિયરી છે તો માન્યવર પ્રેક્ટિકલ છે  </a></strong></span><a href="https://khabarantar.com/babasaheb-is-theoretical-manyavar-is-practical"> </a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">   </span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 29 Apr 2024 09:59:25 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 29 Apr 2024 09:00:57 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>555</Articleid>
                    <excerpt>ગુજરાતમાં એક સમયે બહુજન સમાજ પાર્ટીનો આધાર ગણાતા વરિષ્ઠ નેતા, સમાજસેવક વાલજીભાઈ પટેલ હાલ સુરતમાં બનેલી ઘટનાના સંદર્ભમાં પોતાના જૂનાં અનુભવો વાગોળે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_662e7976544f9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_662e797626e59.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_662e797626e59.jpg" length="48119" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સુપ્રીમ કોર્ટની આ પુસ્તિકા મહિલાઓ માટે ખાસ કેમ છે?</title>
                    <link>https://khabarantar.com/why-is-this-booklet-of-the-supreme-court-special-for-women</link>
                    <guid>https://khabarantar.com/why-is-this-booklet-of-the-supreme-court-special-for-women</guid>
                    <description>
                        <![CDATA[ સુપ્રીમ કોર્ટે હાલમાં એક નાનકડી પુસ્તિકા પ્રકાશિત કરી છે. મહિલાઓ માટે ખૂબ જ મહત્વની આ પુસ્તિકામાં શું છે, વાંચો આ લેખમાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ તો એ ભારતની સર્વોચ્ચ અદાલતે પ્રકાશિત કરેલી નાનકડી પુસ્તિકા છે. પરંતુ નારી મુક્તિની દિશામાં આ નાનકડું પગલું અનેક સકારાત્મક અસરો જન્માવે તેવું છે. ૨૦૨૧માં સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટોને યૌન હિંસાના કેસોની સુનાવણી દરમિયાન પિતૃસત્તાત્મક ધારણાઓ અને લૈંગિક રૂઢિવાદથી મુક્ત રહેવા દિશાનિર્દેશ આપ્યા હતા. માર્ચ ૨૦૨૩માં LGBTQ હેન્ડબૂક પ્રગટ કરી હતી. એ વખતે જ વડા ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડે મહિલા સંબંધી ભેદભાવ અંગે હેન્ડબૂક પ્રગટ કરવા આશા વ્યક્ત કરી હતી. અદાલતોમાં કેસની કાર્યવાહી દરમિયાન વકીલો, ન્યાયાધીશો અને અન્ય લોકો રૂઢિવાદથી દ્રઢ થયેલા શબ્દો અને માન્યતાઓ વ્યક્ત કરે છે. તેની અસર ચુકાદા પર  પણ પડે છે. એટલે માંડ ત્રીસ પાનાંની HANDBOOK ON COMBATING GENDER STEREOTYPES  મહિલા સંબંધી પરંપરાગત માન્યતાઓમાંથી છૂટકારો અપાવવામાં અગત્યની છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમકોર્ટની વેબસાઈટ પર અપલોડ આ હેન્ડબૂક કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ મૌસમી ભટ્ટાચાર્યના અધ્યક્ષપદ હેઠળની સમિતિએ તૈયાર કરી છે. સમિતિના સભ્યો રિટાયર્ડ જસ્ટિસ પ્રભા શ્રીદેવન, જસ્ટિસ ગીતા મિત્તલ અને પ્રોફેસર ઝૂમા સેન હતા.  હેન્ડબુકમાં સ્ટિરીઓટાઈપ્સ એટલે શું તે જણાવ્યું છે. મહિલાઓ પ્રત્યેની પરંપરાગત માન્યતાઓ ઉદાહરણો સાથે જણાવી છે તો અસમાનતાસૂચક શબ્દોના વિકલ્પો દર્શાવ્યા છે. મહિલાઓ અને કન્યાઓ માટે લિંગ-તટસ્થ શબ્દોની સૂચિ સાથે તેમની મર્યાદા અને ગરિમાને અનુરૂપ વૈકલ્પિક શબ્દો આપીને મુક્તિની ભાષા કેવી હોવી જોઈએ તે જણાવવા પ્રયાસ કર્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ચંદ્રચૂડે પ્રસ્તાવનામાં કાયદાના મૂલ્યો શબ્દના માધ્યમથી સંચરિત થાય છે તેમ જણાવી આશા વ્યક્ત કરી છે કે લૈંગિક દ્રષ્ટિકોણથી ન્યાયપૂર્ણ શબ્દાવલીનો ન્યાયાધીશો ઉપયોગ કરશે તો આખા સમાજ પર તેની સારી અસર પડશે અને સમાજ પણ તે શબ્દોનો ઉપયોગ કરતો થશે. એ સાચું કે અદાલતી ચુકાદામાં ન્યાયાધીશો ભેદભાવકર્તા શબ્દોનો ઉપયોગ ન કરવા સભાન હોય છે પરંતુ જ્યારે મોટાભાગનો સમાજ પિતૃસત્તાક માનસિકતા ધરાવતો હોય ત્યારે જજો અને વકીલો તેનાથી મુક્ત હોતા નથી. એટલે ઉલટતપાસમાં કે કેટલાક ચુકાદાઓ સુધ્ધાંમાં આવા શબ્દો કે માન્યતાઓ જોવા મળે  છે. આ પુસ્તિકામાં એ શબ્દો, વાક્યાંશો અને માન્યતાઓની ઓળખ કરવામાં આવી છે અને તેના વિકલ્પો  જણાવ્યા છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેટલાક અદાલતી ચુકાદાઓ મહિલા સંબંધી રૂઢિવાદી માન્યતાઓથી ગ્રસ્ત જોવા મળે છે. નૈના સહાની તંદૂરકાંડના આરોપી સુશીલ શર્માને ફાંસીને બદલે  આજીવન કારાવાસની સજા કરી હતી. કેમ કે ન્યાયાધીશો એવી પરંપરાગત  માન્યતા ધરાવતા હતા કે નૈના સહાની ભણેલી-ગણેલી અને મહત્વાકાંક્ષી સ્ત્રી હતી. તે એક ગરીબ અને અસહાય  મહિલા નહોતી! પરંતુ પિતાના ખૂન કેસની આરોપી શબનમને ફાંસીની સજા એટલે આપી કે જજોની માન્યતા હતી કે પિતાનું આજીવન માન- સન્માન જાળવવાની જેની પાસે આશા હોય તે પુત્રી જ પિતાનું મર્ડર કરે તો તેને ફાંસીથી ઓછી સજા ના થઈ શકે. રાજસ્થાન હાઈકોર્ટે ૧૯૯૫ના ભંવરીદેવી સામુહિક બળાત્કારકાંડના તમામ અરોપીઓને મુક્ત કરતાં ચુકાદામાં કહેલું કે બળાત્કારનો ભોગ બનેલાં ભંવરીદેવી સુંદર નથી, કથિત નિમ્ન જ્ઞાતિના છે તેથી તેમના પર કથિત ઉચ્ચ જ્ઞાતિના પુરુષો બળાત્કાર કરી શકે નહીં. ન્યાય તોલનારા ન્યાયાધીશો કેવી લૈંગિક અસંવેદનશીલતા ધરાવી શકે છે તેના આ કેટલાંક ઉદાહરણો છે. લૈંગિક ન્યાયને હાનિકર્તા ચુકાદા અને ટિપ્પણીઓ સુપ્રીમની હેન્ડબુકથી અટકશે તેવી આશા રાખવી રહી.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/why-do-propaganda-films-that-are-supposed-to-turn-the-audience-into-vote-banks-fail">દર્શકોને મતબેંકમાં ફેરવવા મથતી પ્રોપેગેન્ડા ફિલ્મો કેમ ફ્લોપ જાય છે?</a><br></span></strong></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_662c8bd767259.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્ટીરિયોટાઈપ્સ અર્થાત ઘસાઈ ગયેલી કે પરંપરાગત માન્યતા, પરંપરાથી ઘર કરી ગયેલી, રૂઢ થઈ ગયેલી ધારણા કેવી હોય છે તે પણ સુપ્રીમે ઉદાહરણોથી જણાવ્યું છે. ૧. મહિલાઓ અતિભાવુક અને તર્કહીન હોય છે તથા નિર્ણયો લઈ શકતી નથી. ૨. મહિલાઓ પુરુષો કરતાં શારીરિક રીતે નબળી હોય છે. ૩. દરેક મહિલા બાળક પેદા કરવા માગે છે. ૪. મહિલાઓ બીજાની દેખભાળ કરવા માટે વધુ યોગ્ય હોય છે. જેવા ઉદાહરણોને રૂઢિગત માન્યતા ગણાવીને હેન્ડબુકમાં તે માન્યતા કે ધારણાનો છેદ ઉડાડતી તાર્કિક દલીલો કરવામાં આવી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાઓ પ્રત્યે ભેદભાવ કે અસમાનતા દર્શાવતા લગભગ ચાળીસ શબ્દો તેના વિકલ્પ સહિત જણાવ્યા છે. અદાલતી કાર્યવાહીમાં હવે ઈન્ડિયન વુમન કે વેસ્ટર્ન વુમનને બદલે માત્ર વુમન, પ્રોવોક્ટિવ ક્લોથિંગ (ભડકાઉ કે ઉત્તેજક કપડાં) ને બદલે  માત્ર ડ્રેસ કે કપડાં, બાસ્ટર્ડ કે નાજાયજ ઓલાદને બદલે એવું બાળક જેના માબાપે લગ્ન કર્યા નથી, હાઉસવાઈફ ને બદલે હોમમેકર, અવિવાહિત મા ને બદલે મા, વેશ્યાના વિક્લ્પે યૌનકર્મી કે સેક્સવર્કર, સેક્સ ચેન્જને બદલે જેન્ડર ટ્રાન્ઝિશન કે સેક્સરિએસાઈનમેન્ટ, પીડિતાને બદલે યૌન હિસાથી પ્રભાવિત,  ઈવ ટીજિંગ કે છેડછાડને બદલે ગલી કે સડક પર યૌન ઉત્પીડન, બાળવેશ્યાને બદલે જેમનું ટ્રેફિકિંગ થયું છે તેવા બાળકો, પતિવ્રતા, આજ્ઞાકારી અને વિશ્વાસપાત્ર પત્નીને બદલે પત્ની, અફેર ને બદલે લગ્ન બાહ્ય સંબંધ -  શબ્દોનો ઉપયોગ કરવા સૂચવ્યું છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ હેન્ડબુક કોઈ અદાલતી હુકમ નથી પરંતુ અદાલતી કાર્યવાહીમાં બાળકીઓ અને મહિલાઓ માટેના નકારાત્મક તથા ઘૃણિત માનસિકતાના ધ્યોતક શબ્દોના સ્થાને તટસ્થ શબ્દોના ઉપયોગથી એ સિધ્ધ થશે કે અદાલતોને મહિલાઓ અંગેની પરંપરાગત માન્યતાઓ, ધારણાઓ અને શબ્દો સ્વીકાર્ય નથી. કમ સે કમ ન્યાયતંત્ર તો લૈંગિક સમાનતાની તલાશ અને અમલ માટે પ્રતિબધ્ધ છે. બંધારણે સમાજ પરિવર્તનની જે શક્તિ  અદાલતોને આપી છે તેનો તે અમલ કરી રહી છે તેવું આ હેન્ડબુકના પ્રકાશનથી જણાશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે ન્યાયાલયો સમક્ષ વેશ્યા કે પ્રોસ્ટિટ્યૂટ્ને બદલે સેક્સવર્કર શબ્દ વપરાય અને તેને કારણે વર્કરની કામની જગ્યા, કામની સ્થિતિ, આવક, આરોગ્ય જેવી બાબતો ચર્ચાય તો આ હેન્ડબુકનું હોવું સાર્થક બની શકે છે . કાયદા કે ન્યાયાલયની બહાર , ભાષા અને વ્યવહારમાં સુપ્રીમની આ હેન્ડબુકનો અને તે થકી મહિલા સમાનતા તેમજ મહિલા ગરિમાનો તેનો સંદેશ આત્મસાત થાય તો બંધારણનિર્માતાઓનો બરાબરીનો હક વાસ્તવમાં સૌને  મળી શકે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમાજ  અને તેના ભાગરૂપ પોલીસ અને શિક્ષણ રૂઠિવાદિતાને સવિશેષ પોસે છે. એટલે જો આ માર્ગદર્શિકા પ્રમાણે તેમના વ્યવહાર, વિચારો અને પધ્ધતિમાં ફેરફાર આવી શકે તો સુપ્રીમનો મોટા પરિવર્તનનો નાનો પ્રયાસ દીપી ઉઠે તથા આગળ ધપી શકે . લૈંગિક રૂઢિવાદિતાની મસમોટી ખાઈ ભરવાના આવા નાનકડા પ્રયાસો જ આંતરરાષ્ટ્રીય મહિલા દિન જેવા દિવસોની ખરી ઉજવણી હોય છે. </span><br><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><em><strong>(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન ઈતિહાસના તલસ્પર્શી અભ્યાસુ છે.)</strong></em></span></p>
<p><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/to-kill-a-tiger-a-shocking-documentary-film">ટુ કિલ અ ટાઈગર- એક હચમચાવી નાખતી ડોક્યુમેન્ટરી ફિલ્મ</a><br></strong></span></p>
<div class="post-text"></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 27 Apr 2024 19:56:18 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 27 Apr 2024 20:00:10 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>550</Articleid>
                    <excerpt>સુપ્રીમ કોર્ટે હાલમાં એક નાનકડી પુસ્તિકા પ્રકાશિત કરી છે. મહિલાઓ માટે ખૂબ જ મહત્વની આ પુસ્તિકામાં શું છે, વાંચો આ લેખમાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_662c8bd80d273.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_662c8bd7d1e45.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_662c8bd7d1e45.jpg" length="69261" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, supreme court, Women booklet</media:keywords>
                </item>
                        <item>
                    <title>સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાની ભૂમિકા</title>
                    <link>https://khabarantar.com/role-of-code-of-conduct-in-free-and-fair-elections</link>
                    <guid>https://khabarantar.com/role-of-code-of-conduct-in-free-and-fair-elections</guid>
                    <description>
                        <![CDATA[ મોડેલ કોડ ઓફ કંડક્ટ ઘડાયો છે તો સ્વતંત્ર  અને નિષ્પક્ષ ચૂંટણીઓ માટે પણ તે બાધ્યકારી ન હોઈ તેનો અમલ કરાવવો મુશ્કેલ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span><br><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં આદર્શ ચૂંટણી આચારસંહિતા લાગુ પડ્યાના પહેલા જ મહિને તેના ભંગની  ચાળીસ હજાર ફરિયાદો ચૂંટણી પંચને મળી હતી. એ હિસાબે ૨૦૧૯ની ચૂંટણીમાં એકાદ લાખ આચારસંહિતા ભંગની ફરિયાદો થઈ હશે. હાલની સામાન્ય ચૂંટણીમાં ઈલેકશન કમિશને સી-વિજિલ એપ પર ફરિયાદો નોંધવાનું શરૂ કર્યું છે. પહેલા પંદર જ  દિવસોમાં ગુજરાતમાં ૫૪ અને મધ્યપ્રદેશમાં ૧૪૭૫ ફરિયાદો આવી છે. આદર્શ ચૂંટણી આચારસંહિતા દેશના તમામ રાજકીય પક્ષોની સર્વ સંમતિથી ઘડવામાં આવી છે. તેને કોઈ કાયદાનું પીઠબળ નથી. તમામ પક્ષો તેનો અમલ કરવા સ્વૈચ્છિક રીતે બંધાયેલા છે. પરંતુ વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના મુખ્યમંત્રીઓ અને સત્તાપક્ષ-વિપક્ષના તમામ નાના-મોટા નેતાઓ તેનું ઉલ્લંઘન કરે છે. મોડેલ કોડ ઓફ કંડક્ટ ઘડાયો છે તો સ્વંતંત્ર  અને નિષ્પક્ષ ચૂંટણીઓ માટે પણ તે બાધ્યકારી ન હોઈ તેનો અમલ કરાવવો મુશ્કેલ છે. </span><br><span style="font-size: 14pt;">દેશમાં રાષ્ટ્રપતિથી માંડીને ગામના સરપંચ સુધીની જે ચૂંટણીઓ થાય છે તેનાં દેખરેખ, સંચાલન અને  નિયંત્રણની સત્તા બંધારણના આર્ટિકલ ૩૨૪થી ઈલેકશન કમિશનને આપવામાં આવી છે. લોક પ્રતિનિધિત્વ ધારો, ૧૯૫૧ અને ભારતીય ન્યાય સંહિતામાં ફ્રી એન્ડ ફેર ઈલેકશન થાય તે માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોના ભ્રષ્ટ આચરણ તથા ચૂંટણી ગુના સંબંધી જોગવાઈઓ કરવામાં આવી છે. તે પ્રમાણે  ધર્મ, જ્ઞાતિ અને ભાષાના ધોરણે તણાવ પેદા કરવો, ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક પૂજા સ્થળો (મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુધ્વારા વગેરે) નો ઉપયોગ કરવો, મતદારોને લાલચ કે લાંચ આપવી, તેમને ધમકાવવા, વોટ મેળવવા જ્ઞાતિ, ધર્મના ધોરણે અપીલ કરવી, મતદારોને મતદાન મથક પર લાવવા-લઈ જવા, રાજકીય પક્ષોની જાહેર સભાઓમાં વિક્ષેપ પેદા કરવો, મતદાનના દિવસે મતદાન કેન્દ્રથી ૧૦૦ મીટરની અંદર પ્રચાર કરવો, મતદાનના દિવસે કે આગલી રાતે દારૂ વહેંચવો- વગેરે બાબતો ચૂંટણી અપરાધ અને ભ્રષ્ટ આચરણ છે. આ ગુના બદલ કાયદેસરની કાર્યવાહી કરી સજા અને દંડ કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાયદાકીય જોગવાઈ ઉપરાંત ચૂંટણી પ્રક્રિયા સુચારુ, પારદર્શી, તટસ્થ અને  સ્વતંત્ર હોય તે માટે આદર્શ ચૂંટણી આચારસંહિતા ઘડવામાં આવી છે. સામાન્ય આચરણ, સભા અને બેઠકો, સરઘસ અને રેલી, મતદાનનો દિવસ, મતદાન કેન્દ્ર, સત્તાધારી પક્ષ, ચૂંટણી ઢંઢેરા અને પર્યવેક્ષક એ આઠ બાબતો આચારસંહિતામાં આવરી લેવામાં આવી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્ર અને રાજ્યોના સત્તાપક્ષ સરકારી ખર્ચે પક્ષને મત મળે તેવી જાહેરાતો  આપી ન શકે. સરકારી ખર્ચે સરકારની સિધ્ધિઓ કે ઉપલબ્ધિઓનો પ્રચાર ન કરે, ચૂંટણી પ્રચારમાં સરકારી તંત્રનો ઉપયોગ ન કરે, સરકાર કોઈ નીતિવિષયક બાબત, યોજના કે મતદાર પર પ્રભાવ પડે તેવી બાબતો જાહેર ન કરી શકે . પક્ષના પ્રચાર માટે સરકારી મશીનરી કે વાહનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ રહેશે. મંત્રીઓ સરકારી કામ સાથે પક્ષના ચૂંટણી પ્રચારના પ્રવાસો ન ગોઠવે. ઉદ્દઘાટન, લોકાર્પણ કે શિલાન્યાસના કાર્યક્રમો ના થઈ શકે. જે અધિકારી વતનના જિલ્લામાં કે એક જ જગ્યાએ ત્રણ વરસથી વધુ સમયથી હોય તો તેમની બદલી કરવી. નવી નિમણૂક, બદલી, બઢતી પર પૂર્ણ પ્રતિબંધ રહેશે. જો કોઈ અનિવાર્યતા ઉભી થાય તો પંચની મંજૂરી લેવી પડશે. ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ રાતના ૧૦ થી સવારના ૬ સુધી કરી શકાશે નહીં. રાજકીય પક્ષો ઉમેદવારની ટીકા તેમના જ્ઞાતિ-ધર્મને કારણે કરી શકશે નહીં. હરીફ ઉમેદવારના કાર્યોની જ આલોચના કરી શકાશે. જાહેર મેદાનો, સાર્વજનિક સ્થળો અને હેલિપેડનો ઉપયોગ તમામ રાજકીય પક્ષો એક સમાન  નીતિ, નિયમો અને શરતોથી કરી શકશે.મતદારોને લાંચ, લોભ, લાલચ આપી શકાશે નહીં, ધર્મ, જ્ઞાતિ કે ભાષાના ધોરણે લાગણીઓ દુભાય તેવા પ્રવચનો કરી શકાશે નહીં. પૂર્ણ બજેટ  રજૂ કરવું નહીં અને બંધારણના આદર્શોથી વિપરિત વચનો ચૂંટણી ઢંઢેરામાં આપવા નહીં. આવી અનેક બાબતો આદર્શ આચાર સંહિતાનો ભાગ છે. </span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6624e349a0b78.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્તમાન આદર્શ ચૂંટણી આચારસંહિતા ૧૯૯૦ થી ૧૯૯૫  દરમિયાન દેશના નવમા મુખ્ય ચૂંટણી કમિશનર રહેલા ટી.એન. શેષનના ભેજાની પેદાશ મનાય છે. પરંતુ વાસ્તવિકતા અલગ છે. આચારસંહિતા સૌપ્રથમ વખત ૧૯૬૦ની કેરળ વિધાનસભાની ચૂંટણીમાં અમલી બની હતી. તે પછી તેનો ક્રમિક વિકાસ થયો છે. ૧૯૬૨ની  લોકસભા ચૂંટણી વખતે તેનો પહેલીવાર રાષ્ટ્રવ્યાપી અમલ થયો હતો. ૧૯૭૯માં તેમાં સત્તાધારી પક્ષ માટેની બાબતો ઉમેરવામાં આવી હતી. ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે તેમાં ચૂંટણી ઢંઢેરાની બાબત સામેલ કરાવી હતી. ૧૯૭૯, ૧૯૮૨, ૧૯૯૧ અને ૨૦૧૩માં તેમાં સુધારા થયા હતા. ટી.એન .શેષને તેનો કડક અમલ કરાવી ફ્રી અને ફેર ઈલેકશનમાં આચારસંહિતાની ભૂમિકા અને સ્વાયત્ત તથા સ્વતંત્ર ચૂંટણી કમિશનનો દેશને અહેસાસ કરાવ્યો હર્તો. </span><br><span style="font-size: 14pt;">ઈલેકશન કમિશન આચારસંહિતા ભંગની ફરિયાદ પરથી કે સુઓમોટો નોટિસ જારી કરી, સંબંધિતોનો ખુલાસો મેળવે છે. તે પછી  દોષિત જણાય તો ઠપકો  આપે છે. પરંતુ આચારસંહિતા ભંગના ગુના બદલ કોઈ સજા કે દંડ કરી શકાતાં નથી. રીઢા રાજકારણીઓને આચારસંહિતા ભંગ બદલ કમિશનના ઠપકાની સજાની કશી શરમ હોતી નથી. એટલે પણ આચારસંહિતા અસરકારક હથિયાર બની શકતી નથી. જોકે ૨૦૧૯માં કમિશને ઉત્તરપ્રદેશ, અસમ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીના મુખ્યમંત્રીઓ, તત્કાલીન બીજેપી પ્રમુખ, બીએસપી સુપ્રીમો અને અન્ય નેતાઓને આચારસંહિતાના ઉલ્લંઘન બદલ ૨૪ થી ૭૨ કલાક સુધી ચૂંટણી પ્રચારથી અળગા રહેવાની સજા કરી હતી. તેના દ્વારા આચારસંહિતાને જો કાયદાકીય સમર્થન હોય તો કેવું પરિણામ આવી શકે તે દર્શાવ્યું હતુ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૧૩માં કાનૂન અને ન્યાય સંબંધી સંસદની સ્થાયી સમિતિએ મોડેલ કોડ ઓફ કંડકટને કાયદાનું રૂપ આપવા અને ૧૯૫૧ના લોક પ્રતિનિધિત્વ અધિનિયમનો ભાગ બનાવવા ભલામણ કરી હતી. ૨૦૧૫માં કાયદા પંચે ચૂંટણી સુધારા અંગેના અહેવાલમાં લોકસભા કે વિધાનસભાના કાર્યકાળની સમાપ્તિના છ મહિના પૂર્વે સરકારી જાહેરખબરો પર પ્રતિબંધની ભલામણ કરી હતી. વ્યાપક ચૂંટણી સુધારાની માંગ વરસોથી પડતર છે. ચૂંટણી પંચને ડર છે કે જો આચારસંહિતાને કાનૂની રૂપ મળશે તો તેને કારણે કોર્ટ કેસોનું પ્રમાણ અને પંચનું ભારણ વધશે. જોકે હાલમાં પંચ આચારસંહિતા ભંગ કે અન્ય કાયદા ભંગની જે કાર્યવાહી કરે છે તે ચૂંટણી પછી પંચની મટી પોલીસની બની જાય છે. આ સૌથી મોટી મુશ્કેલી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અદાલતોએ ચૂંટણી આચારસંહિતાનો કાયદા ન હોવા છતાં તેનો સ્વીકાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે તેમાં સુધારા પણ સૂચવ્યા છે. એટલે તેનું હાલનું સ્વરૂપ જળવાય રહે તે પણ જરૂરી છે. આખરે ચૂંટણી આચારસંહિતાની સફળતાનો આધાર આપણા રાજકારણીઓમાં કેટલી શરમ બચી છે તેના પર આધારિત છે. જો તે જ નહીં હોય તો કાયદો હોય તો ય સફળ થવાની શકયતા બહુ અલ્પ છે. </span><br><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><em><strong>(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન ઈતિહાસના તલસ્પર્શી અભ્યાસુ છે.)</strong></em></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/If-the-leaders-have-the-right-to-rally-then-why-not-the-right-of-the-citizens-to-protest">નેતાઓને રેલી કાઢવાનો હક છે તો નાગરિકોને તેમના વિરોધનો હક કેમ નહીં?</a><br></strong></span></p>
<div class="post-text">
<div class="post-text">
<p style="text-align: justify;"><strong><span><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"> <span style="font-size: 14pt;">અહીં ક્લિક કરો</span></a></span></strong></p>
<p style="text-align: justify;"></p>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 24 Apr 2024 11:34:16 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 21 Apr 2024 15:43:44 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>532</Articleid>
                    <excerpt>મોડેલ કોડ ઓફ કંડક્ટ ઘડાયો છે તો સ્વતંત્ર  અને નિષ્પક્ષ ચૂંટણીઓ માટે પણ તે બાધ્યકારી ન હોઈ તેનો અમલ કરાવવો મુશ્કેલ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_6624e59643d5b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_6624e59614288.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_6624e59614288.jpg" length="121793" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>lok sabha election 2024, model code of conduct, Free and fair election, election commission of india, Modi, Shah, BJP, Congress</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખાનગીકરણ કઈ રીતે દેશ માટે સારું હોઈ શકે?</title>
                    <link>https://khabarantar.com/how-can-privatization-be-good-for-the-country</link>
                    <guid>https://khabarantar.com/how-can-privatization-be-good-for-the-country</guid>
                    <description>
                        <![CDATA[ વર્તમાન સરકાર એક પછી એક સરકારી કંપનીઓ અને સરકારી મશીનરી ખાનગી લોકોને વેચી રહી છે. તેના અનેક ભયસ્થાનો છે. એવામાં ખાનગીકરણ લોકશાહી દેશ માટે કેટલું ઘાતક નીવડે છે તેની વાત કરીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">- નરેશ મકવાણા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં રોકાણની રકમ પરત લેવાની પ્રક્રિયા શરૂ થઈ હતી ત્યારે એક બ્રહ્મવાક્ય નક્કી થયું હતું કે સરકાર નફો કરતી કંપનીઓને વેચશે નહીં. માત્ર એવી જ કંપનીઓને વેચવામાં આવશે જે નુકસાન કરી રહી છે અને હવે સરકાર માટે બોજો બની ગઈ છે. એમાં પણ વ્યૂહરચનાની રીતે મહત્વનાં એકમો અને લોકસેવા સાથે જોડાયેલી કંપનીઓને ડિસઈન્વેસ્ટમેન્ટનાં દાયરામાંથી બહાર રાખવામાં આવી હતી. તે ભલે ખોટમાં ચાલતાં હોય પણ તેમને કરદાતાઓનાં રૂપિયાથી ચલાવી રાખવા પર રાષ્ટ્રીય સહમતિ હતી. જેમ વચ્ચે એર ઈન્ડિયાને ચલાવી રાખવામાં કરદાતાઓનાં 50-60 હજાર કરોડ રૂપિયા ખર્ચ થયાં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ હવે આ સિદ્ધાંતને પૂરેપુરો ફેરવી નાખવામાં આવ્યો છે. હવે ખોટમાં ચાલતી કંપનીઓને વેચવામાં નથી આવતી, કેમ કે આજનાં જે ગણ્યાંગાંઠ્યાં ખરીદદારો છે તે તેને નહીં ખરીદે. તેમને નફો રળતી કંપનીઓ જોઈએ છે. એટલે સરકાર નફો કરી આપતી કંપનીઓ વેચી રહી છે. સોનાનું ઈંડું આપતી મરઘી જેવી જાહેર કંપનીઓ વેચીને રૂપિયા ઉભા કરી લેવાની સરકારની માનસિકતા ઘણી ખતરનાક છે. એ છેલ્લે દેશને એવી સ્થિતિમાં પહોંચાડી દેશે જ્યાં કરોડો લોકોનાં હિતોનું રક્ષણ કરનારું કોઈ નહીં હોય. દેશનાં ગરીબ, દલિત, આદિવાસી, વંચિતો, મહિલાઓ, બાળકો બધાં અસુરક્ષિત અને બજારની તાકાતોનાં હવાલે હશે. ત્યારે કોઈ મુશ્કેલીનાં સમયમાં સ્વયં સરકાર પણ અસહાય હશે કેમ કે દેશનાં નાગરિકોની મદદ કરવા માટે તેણે ખાનગી કંપનીઓ સામે હાથ ફેલાવવાં પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૌથી કમનસીબ બાબત એ રહી કે કોરોના વાયરસનાં સંકટે જે પાઠ ભણાવ્યો છે તેમાંથી પણ સરકાર કંઈ ધડો નથી લઈ રહી. યાદ કરો, કોરોના મહામારી વખતે દુનિયાનાં અન્ય દેશોમાં ફસાયેલાં ભારતીયોને પરત લાવવા માટે સરકારે એર ઈન્ડિયાનાં સહારે જ વંદે ભારત મિશન ચલાવ્યું હતું. એકમાત્ર સરકારી ઉડ્ડયન કંપની એર ઈન્ડિયા થકી જ લાખો લોકોને વિદેશથી ભારત લાવી શકાયા હતા. એટલું જ નહીં દેશ અને દુનિયામાં ભારતે જે રાહતસામગ્રી પહોંચાડી હતી તે કામ પણ એર ઈન્ડિયા દ્વારા જ થયું હતું. વડાપ્રધાન ગર્વથી કહી રહ્યાં હતા કે ભારતે 130 દેશોની મદદ કરી હતી, તો એ મદદ એર ઈન્ડિયા દ્વારા પહોંચાડવામાં આવી હતી. લેબનોનમાં ભીષણ વિસ્ફોટ પછી તરત ભારત મદદ પહોંચાડી શક્યું હતું તે એર ઈન્ડિયાને કારણે. પણ સરકારે કોઈપણ સંજોગોમાં એર ઈન્ડિયા વેચી દેવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોરોનાનાં સંકટમાં સરકારી કંપનીઓ અને સેવાઓએ કેટલી મોટી મદદ કરી છે તે સમજવું કોઈ મુશ્કેલ કામ નથી. લાખો દર્દીઓની તપાસ અને ઈલાજ સરકારી હોસ્પિટલોમાં જ થયો હતો, ખાનગી હોસ્પિટલોએ તો કોરોનાની આફતને અવસર બનાવીને લોકોને રીતસરના લૂંટ્યાં હતા. કોરોનાની રસી ક્યાં બની હતી? તેનાં માટે પણ સરકારી કંપની બીબીઆઈએલ જ કામ કરી રહી હતી. લાખો લોકોને તેમનાં ઘરો સુધી પહોંચાડવામાં રેલવેની સર્વિસ જ કામમાં આવેલી, ખાનગી પરિવહન સેવાઓથી આ કામ સંભવ નહોતું. ખુદ સરકાર સામે જ્યારે આર્થિક મુશ્કેલીઓ આવી ત્યારે પણ સરકારી કંપનીઓ જ કામમાં આવી છે. ઓએનજીસીનાં રૂપિયામાંથી ભારત સરકારે અનેક કંપનીઓનાં નુકસાનની ભરપાઈ કરી અને તેમને બચાવી છે. હવે ખુદ ઓએનજીસી સંકટમાં છે. બેન્કીંગ સેક્ટરનાં મુશ્કેલ સમયમાં આઈડીબીઆઈ અને યસ બેંકને સરકાર એલઆઈસીની મદદથી જ બચાવી શકી હતી એ ન ભૂલવું જોઈએ. પણ હવે એ જ એલઆઈસીનો 25 ટકા હિસ્સો સરકારે વેચી દેવાનો પ્લાન બનાવી લીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એલઆઈસી હોય કે ભારત પેટ્રોલિયમ, શિપીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા હોય કે કંન્ટેઈનર કોર્પોરેશન, આ બધી સોનાનાં ઈંડા આપતી મરઘીઓ છે. પણ ભારત સરકાર તેનું પેટ ચીરીને એક જ વારમાં બધાં ઈંડા મેળવી લેવાનાં શેખચલ્લી વિચાર પર કામ કરી રહી છે. તેને એ બાબતથી મતલબ નથી કે આ કંપનીઓ સરકારનાં હાથમાં રહેવાથી દેશનાં 121 કરોડ લોકોને કેટલો ફાયદો થશે. તેને વેચીને સરકારને જે રૂપિયા મળશે તેનાથી થોડાં સમય માટે તો સરકારી તિજોરી ભરેલી દેખાશે પણ તે પછી શું? તે ખજાનો ખાલી થતાં કેટલો સમય લાગશે? તે પછી શું થશે? ત્યારબાદ સરકાર શું વેચશે? આમ પણ વર્તમાન સરકારે એવું કશું બનાવ્યું નથી જેને આગળ જતાં જરૂર પડ્યે કોઈ વેચી શકે. વર્ષોની મહેનત બાદ ઉભી થયેલી દેશની સંપત્તિને વેચી નાખવી કઈ સમજદારીનું કામ છે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઘાતની વાત તો એ છે કે આ બધું સામાન્ય માણસની સહમતિનાં દાવાઓ સાથે થઈ રહ્યું છે. ભક્તિમાં ડૂબેલાં અમુક અબુધ લોકો તેનું સમર્થન કરી રહ્યાં છે. તેમનાં મગજમાં એ વાત બેસાડી દેવામાં આવી છે કે ખાનગીકરણ ખૂબ સારું પગલું છે. સવાલ એ છે કે જો ખાનગીકરણ એટલું જ સારું છે તો બધાંને સરકારી નોકરી કેમ જોઈએ છે? કેમ સરકારી હોસ્પિટલો સામે દર્દીઓની મોટી ભીડ હોય છે? કેમ કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયોમાં પ્રવેશ માટે વાલીઓમાં આટલી હોડ મચેલી છે? શા માટે દેશભરનાં વિદ્યાર્થીઓને દિલ્હી યુનિવર્સિટી, જેએનયુ કે બીએચયુમાં પ્રવેશ જોઈએ છે? કેમ તેઓ અશોકા, જિંદાલ કે જિયો યુનિવર્સિટી સામે લાઈન લગાવીને નથી ઉભા? કેમ લાખો વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરીને આઈઆઈટી, એનઆઈટીમાં પ્રવેશ માટે જેઈઈ મેઈન અને એડવાન્સની પરીક્ષાઓમાં સામેલ થાય છે? તેઓ સીધા કોઈ ખાનગી એન્જિનિયરીંગ કોલેજમાં જઈને એડમીશન કેમ નથી લઈ લેતાં? કેમ NEETની પરીક્ષા દ્વારા સરકારી મેડીકલ કોલેજોમાં પ્રવેશ માટે સારો રેન્ક લાવવાની હોડ મચેલી છે? ડઝન જેટલી ખાનગી બેંકો ખૂલી ગઈ છે છતાં કેમ ભીડ સરકારી બેંકોમાં જ જોવા મળે છે? કેમ કે આ તમામ સરકારી સંસ્થાઓની ગુણવત્તા,  સેવાઓ ખાનગી સંસ્થાઓ કરતાં સારી છે અને ફી પણ ખૂબ ઓછી છે. કહી શકાય કે દેશમાં ગરીબ, નિમ્ન મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગની વસ્તી વધારે છે એટલે સરકારી સંસ્થાઓ સામે ભીડ છે. તો પછી આ જ તર્ક પર આ સંસ્થાઓનું સરકારનાં હાથમાં રહેવું કરોડો લોકોનાં હિતમાં છે. જો આ સંસ્થાઓ બંધ થઈ ગઈ તો આવા કરોડો લોકો ક્યાં જશે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બધી જ સરકારી હોસ્પિટલો, કોલેજો, ઈન્સ્ટિટ્યૂટો, કંપનીઓ દાયકાઓની મહેનત બાદ ઉભી થઈ છે. લાખો લોકોએ તેને પોતાના લોહી-પરસેવાથી સીંચી છે. તેમને વેચીને બદલામાં જે મળશે તે તેમની સેવાઓની સામે કશું નથી. ત્યારે તેમને વેચવાને બદલે બચાવવાનાં પ્રયત્નો થવા જોઈએ. આંખો બંધ કરીને સરકારનાં દરેક પગલાંનું સમર્થન કરનારાઓએ આંખો ખોલવી જોઈએ. આ ભારતીયોનાં જીવન સાથે જોડાયેલો મુદ્દો છે. જો સરકારે બધું જ વેચી દીધું તો તમે હિંદુ હો કે મુસ્લિમ, પૈસાદારો માટે ઘેટાંબકરાં જ બનીને રહી જશો.</span></p>
<p style="text-align: justify;"><em><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>(લેખક જનસત્તા-લોકસત્તા અમદાવાદના ચીફ એડિટર અને 'અભિયાન' મેગેઝિનના પૂર્વ તંત્રી છે.)</strong></span></em></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ<a href="https://khabarantar.com/If-the-leaders-have-the-right-to-rally-then-why-not-the-right-of-the-citizens-to-protest"> નેતાઓને રેલી કાઢવાનો હક છે તો નાગરિકોને તેમના વિરોધનો હક કેમ નહીં?</a><br></strong></span></p>
<div class="post-text">
<div class="post-text">
<p><strong><span><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"> </span><span style="font-size: 14pt;">અહીં ક્લિક કરો</span></a></span></strong></p>
<p></p>
</div>
</div>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 20 Apr 2024 11:22:26 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 20 Apr 2024 11:21:56 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>530</Articleid>
                    <excerpt>વર્તમાન સરકાર એક પછી એક સરકારી કંપનીઓ અને સરકારી મશીનરી ખાનગી લોકોને વેચી રહી છે. તેના અનેક ભયસ્થાનો છે. એવામાં ખાનગીકરણ લોકશાહી દેશ માટે કેટલું ઘાતક નીવડે છે તેની વાત કરીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_6623552bbabba.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_6623552b8bc4b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_6623552b8bc4b.jpg" length="121802" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Privatization, modi sarkar, narendra modi</media:keywords>
                </item>
                        <item>
                    <title>વાયકોમ સત્યાગ્રહઃ મંદિરના માર્ગ પરથી પસાર થવાના અધિકાર માટેની લડત</title>
                    <link>https://khabarantar.com/vaikom-satyagraha-struggle-for-right-of-passage-on-temple-road</link>
                    <guid>https://khabarantar.com/vaikom-satyagraha-struggle-for-right-of-passage-on-temple-road</guid>
                    <description>
                        <![CDATA[ વાયકોમ સત્યાગ્રહ શિવ મંદિરમાં પ્રવેશનો નહીં પરંતુ એ મંદિરના માર્ગ પરથી પસાર થવાના અધિકાર માટેનો ભારતના દલિતોનો પહેલો સત્યાગ્રહ હતો. વાંચો ચંદુ મહેરિયાનો આ લેખ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span><br><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">સો વરસ પૂર્વેનો ત્રીસમી માર્ચ ૧૯૨૪નો એ દિવસ. તત્કાલીન મદ્રાસ પ્રેસિડેન્સીના ત્રાવણકોર રજવાડાનું અને હાલના કેરળ રાજ્યના કોટ્ટાયમ જિલ્લાનું વાયકોમ ગામ. ખાદીના વસ્ત્રો પહેરેલા અને ગળામાં માળા ધારણ કરેલા ત્રણ સત્યાગ્રહી યુવાનો અને તેમની પાછળ સેંકડોની ભીડ સવારસવારમાં વાયકોમના શિવ મંદિર તરફ જઈ રહી છે. જે ત્રણ યુવાનોએ સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું છે તેમાં કથિત સવર્ણ અને અવર્ણ બંને જ્ઞાતિના છે. તેમનો ઉદ્દેશ વાયકોમના શિવ મંદિર ચોફેરના રસ્તાઓ પરથી કહેવાતા શૂદ્રો અને અતિ શૂદ્રોને પસાર થવાની મનાઈ છે તેનો વિરોધ કરવાની છે. સત્યાગ્રહીઓ જેવા પ્રતિબંધની જાહેરાત કરતા નોટિસ બોર્ડ નજીક પહોંચ્યા કે તુરંત તેમને અટકાવવામાં આવ્યા. સેંકડોની ભીડ શાંત અને અહિંસક રીતે ત્યાં થોભી ગઈ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્રણ સત્યાગ્રહીઓની પોલીસે ધરપકડ કરી. પરંતુ તેથી સત્યાગ્રહીઓ ડગ્યા નહીં. જ્યાં અટકાવ્યા હતા ત્યાં સત્યાગ્રહ છાવણી બનાવી બેઠા અને ઘણાં રેંટિયો કાંતવા લાગ્યા. આ સિલસિલો રોજેરોજ ચાલતો રહ્યો. છેક દસમી એપ્રિલ સુધી નવા ત્રણ ત્રણ સત્યાગ્રહીઓની પોલીસ ધરપકડ કરતી રહી. પોલીસ અટકાયત કરતી અટકી પણ નવા સત્યાગ્રહીઓ આવવાનું ન અટક્યું કે સત્યાગ્રહ ન અટક્યો. વાયકોમના શિવ મંદિરમાં પ્રવેશનો નહીં, મંદિરના માર્ગ પરથી પસાર થવાના અધિકાર માટેનો ભારતના દલિતોનો એ કદાચ પહેલો સત્યાગ્રહ હતો. જેનું  આ શતાબ્દી વરસ છે. ગાંધીજીના માર્ગે શાંત અને અહિંસક રીતે અવિરત છસો દિવસ, ( ૩૦ માર્ચ, ૧૯૨૪ થી ૨૩ નવેમ્બર, ૧૯૨૫)  સુધી ચાલેલો વાયકોમ સત્યાગ્રહ અંશત: સફળ  થયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષિત, સમૃધ્ધ અને પ્રગતિશીલ કેરળમાં રુઢિવાદ, સામંતવાદ અને ભયાવહ જ્ઞાતિભેદ જોઈને ઈ.સ. ૧૮૯૨ની કેરળ મુલાકાત પછી વિવેકાનંદે તેને પાગલખાનું કીધું હતું. વાયકોમ જેવા સેંકડો મંદિરોમાં દલિતોને પ્રવેશ તો નહોતો, મંદિરો નજીકના માર્ગો પરથી અન્ય ધર્મના લોકો કે જાનવરો પસાર થઈ શકતા હતા, માત્ર દલિતો જ પસાર થઈ શકતા નહોતા. આભડછેટ સ્પર્શની જ નહીં સંસર્ગની પણ હતી. એટલે દલિતોને અડવાથી જ નહીં જોવાથી પણ અભડાઈ જવાતું હતું. જો દલિતો મંદિરો નજીકના રસ્તા પરથી પસાર થાય તો ભગવાન અભડાઈ જતા હતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો. પદ્મનાભ પલ્પૂએ મદ્રાસથી ડોકટરીનો અભ્યાસ કર્યો હતો. પછી તે વિદેશ જઈને પણ ભણ્યા. પરંતુ તે દલિત હોવાથી કદી કેરળમાં પ્રેકટિસ ન કરી શક્યા! અલુમુટી ચેન્નાર વાયકોમના એવા દલિત હતા જેમની પાસે મોટરકાર હતી અને રાજ્યના તે સૌથી મોટા કરદાતા હતા. પરંતુ જ્યારે વાયકોમના શિવ મંદિર પાસેથી પસાર થવાનું આવે ત્યારે તેમને દલિત હોવાના કારણે કારમાંથી ઉતરીને બીજા રસ્તે  ચાલતા આગળ વધવું પડતું. તેમનો બિનદલિત ડ્રાઈવર મંદિર પાસેના રસ્તેથી ગાડી લઈને જતો અને આગળ તેમની રાહ જોતો. આર્થિક સમૃધ્ધિ કે ઉજળા ધંધા છતાં વાયકોમના દલિતોને ક્રૂર એવી નાતજાતની વ્યવસ્થા સહેવી પડતી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_66221a47a7331.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૯૨૪ના અભૂતપૂર્વ વાયકોમ સત્યાગ્રહ પહેલાં પણ દલિતોએ મંદિરના રસ્તેથી પસાર થવા માટે સંઘર્ષ કર્યા હતા. ૧૮૦૫માં ૨૦૦ દલિત યુવાનોએ સંગઠિત થઈ શિવ મંદિરના રસ્તે ચાલવાનો કાર્યક્રમ આપ્યો હતો. મંદિરમાં જતાં પહેલાં બાજુના તળાવમાં તે નહાવા ગયા ત્યારે જ રાજ્યના સાથથી બિનદલિતોએ તેમના પર હિંસક હુમલો કર્યો  જેમાં ઘણાં યુવાનોને મારી નાંખ્યા અને તેમની લાશો તળાવમાં ફેંકી દીધી હતી. વકીલ અને દલિત નેતા ટી.કે. માધવને ૧૯૧૭માં પોતાના અખબાર ‘દેશાભિમાની’ ના તંત્રીલેખમાં વાયકોમ મંદિરના દલિતો માટે પ્રતિબંધિત રસ્તાનો મુદ્દો ઉઠાવ્યો હતો. માત્ર લખીને ના અટકતા તેઓ પ્રતિબંધિત રસ્તે ચાલ્યા પણ હતા. ૧૯૨૧માં તેમણે આ મુદ્દે લોક આંદોલન કરવા ગાંધીજીની મુલાકાત લીધી અને સમર્થન માંગ્યું હતું. ૧૯૨૩ના કોંગ્રેસના કાકીનાડા અધિવેશનમાં કેરળ કોંગ્રેસ સમિતિએ કોંગ્રેસે અસ્પૃશ્યતા વિરોધી વ્યાપક અભિયાન ચલાવવા અંગે પ્રસ્તાવ કર્યો હતો. ટી.કે.માધવન, કે.પી. કેશવ મેનન, કે. કેલપ્પન અને જોર્જ જોસેફની આગેવાનીમાં ૧૯૨૪ થી વાયકોમ સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાયકોમ સત્યાગ્રહના મુખ્ય સત્યાગ્રહી નેતાઓની ધરપકડ થતાં તમિલનાડુ કોંગ્રેસ કમિટીના પ્રમુખ અને દ્રવિડ આંદોલનનો શક્તિશાળી અવાજ એવા રામાસામી નાયકર પેરિયારને બોલાવવામાં આવ્યા. ગાંધીજીનું સમર્થન અને પેરિયારની સક્રિયતાથી આંદોલનને વેગ માળ્યો. વાયકોમ સત્યાગ્રહ કોઈ સ્થાનિક મુદ્દો ન રહેતાં રાષ્ટ્રવ્યાપી બન્યો હતો. સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી અને પેરિયારના મતભેદો ઉભર્યા. ગાંધીજી માટે વાયકોમ હિંદુ સુધારાવાદી આંદોલન હતું. જ્યારે પેરિયાર માટે જ્ઞાતિ આધારિત આત્યાચારો સામેનો સંઘર્ષ હતો. આ સત્યાગ્રહમાં પેરિયારની બે વાર ધરપકડ થઈ અને ૧ માસ અને પછી ૬ માસની જેલની સજા થઈ હતી. તેઓ વાયકોમ વીર કે વાયકોમ નાયક તરીકે જાણીતા થયા હતા.  </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સત્યાગ્રહીઓના પક્ષે છેક સુધી શાંતિ અને અહિંસા જાળવી રાખવામાં આવ્યાં. વીસ મહિના લાંબા સત્યાગ્રહ દરમિયાન જ્યારે પૂર આવ્યું તો કમરસમા પાણીમાં ઉભા રહીને સત્યાગ્રહ જારી રાખ્યો. શીતળાનો વાવર પણ વેઠ્યો. ગાંધીજી કથિત સવર્ણોના હ્રદયપલટામાં માનતા હતા. વાયકોમના ઘણા બિનદલિતો સત્યાગ્રહના સમર્થક હતા અને અન્યાયનો વિરોધ કરતા હતા. વાયકોમ સત્યાગ્રહના તરફદાર બિનદલિતોએ વાયકોમથી તિરુઅનંતપુરમ સુધી કૂચ કરી, પચીસ હજાર લોકોની સહીઓ સાથેનું આવેદનપત્ર મહારાણીને આપ્યું. મહારાણી દલિતોની વાજબી માંગ સાથે સહમત હોવા છતાં તે બિનદલિતોને નારાજ કરવા માંગતા નહોતા એટલે તેમણે પ્રસ્તાવ વિધાન પરિષદ સમક્ષ મુક્યો હતો. જ્યાં દલિતોના પક્ષે ૨૧ અને વિરોધમાં ૨૨ મતો પડ્યા. નવાઈની વાત એ હતી કે એક દલિતે દલિતોની માંગણીના વિરોધમાં મત આપ્યો હતો અને તે ડો. પલ્પૂના ભાઈ હતા! સત્યાગ્રહીઓને રંજાડવામાં વિરોધીઓએ કંઈ બાકી રાખ્યું નહોતું તો ય તેઓ અડગ રહ્યા. જેમ પેરિયાર, નારાયણ ગુરુ, તેમ સી. રાજગોપાલાચારી પણ સત્યાગ્રહીઓના સમર્થનમાં હતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6622198472a7c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માર્ચ ૧૯૨૫માં ગાંધીજી વાયકોમ આવ્યા અને તેમણે મહારાણી તથા સત્યાગ્રહીઓના વિરોધીઓની મુલાકાતો કરી. અંતે ચાર પૈકીના ત્રણ રસ્તા બધાને માટે ખૂલ્લા કરવા અને મંદિરનો પૂર્વનો માર્ગ કથિત ઉચ્ચ વર્ણ અને રાજપરિવાર માટે આરક્ષિત રાખવો તેવી સમજૂતી થઈ. તેનો અમલ કરવામાં પણ ઘણો સમય લાગ્યો. પેરિયાર અને અન્યોને ગાંધીજીનું આ સમાધાન મંજૂર નહોતું. નવેમ્બર ૧૯૨૫માં વીસ મહિના બાદ વાયકોમના ત્રણ માર્ગો દલિતો માટે ખૂલ્યા પરંતુ મંદિરમાં તેમનો પ્રવેશ તો બીજા સવા દાયકે ૧૯૩૬માં શક્ય બન્યો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતોનો હિંદુ મંદિરોમાં પ્રવેશનો પ્રશ્ન આજે વાયકોમ સત્યાગ્રહની શતાબ્દીએ પણ ઉભો છે. આજેય કેટલાક મંદિરોમાં દલિતો પ્રવેશી શકતા નથી. જાણીતા સમાજવિજ્ઞાની આઈ.પી.દેસાઈએ “અનટચેબિલીટી ઈન રુરલ ગુજરાત” સ્ટડીમાં ૧૯૭૧-૭૨માં ગુજરાતના ગામડાઓમાં મંદિર પ્રવેશમાં ૮૩ ટકા આભડછેટ પળાતી હોવાનું નોધ્યું છે. સમાજશાસ્ત્રી ઘનશ્યામ શાહના “એ સ્ટડી ઓફ અનટચેબિલીટી એન્ડ એટ્રોસિટી ઈન ગુજરાત” માં ૧૯૯૬માં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં મંદિર પ્રવેશમાં આભડછેટનું  પ્રમાણ, પચીસ વરસે ૧૯ ટકા ઘટીને, ૬૪ ટકા થયાનું નોંધ્યું છે. જોકે ૨૦૦૫ થી ૨૦૦૯ વચ્ચેનો એક અન્ય અભ્યાસ, “અન્ડરસ્ટેન્ડીંગ અનટચેબિલીટી” માં ગુજરાતના ગામડાઓના ૯૦.૮ ટકા મંદિરોમાં દલિતો પ્રત્યે આભડછેટ રખાતી હોવાનું જણાવ્યું છે. એટલે વાયકોમ સત્યાગ્રહની સ્મૃતિસદી દલિતોના મંદિર પ્રવેશમાં વ્યાપક અસ્પૃશ્યતા અને તે નિવારવાના પાંખા પ્રયાસોની કટુ યાદની પણ છે.</span><br><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com </a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><em><strong>(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન ઈતિહાસના તલસ્પર્શી અભ્યાસુ છે.)</strong></em></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/commemoration-of-nanak-singh-and-udham-singh-on-the-anniversary-of-the-jallianwala-incident">જલિયાંવાલા કાંડની વરસીએ સ્મરણ નાનક સિંહ અને ઉધમ સિંહનું</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></p>
<section id="comments" class="section">
<div class="col-sm-12 col-xs-12">
<div class="row">
<div class="comment-section"></div>
</div>
</div>
</section>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 19 Apr 2024 12:59:41 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 19 Apr 2024 12:50:00 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>526</Articleid>
                    <excerpt>વાયકોમ સત્યાગ્રહ શિવ મંદિરમાં પ્રવેશનો નહીં પરંતુ એ મંદિરના માર્ગ પરથી પસાર થવાના અધિકાર માટેનો ભારતના દલિતોનો પહેલો સત્યાગ્રહ હતો. વાંચો ચંદુ મહેરિયાનો આ લેખ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_66221a0a1a473.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_66221a09de308.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_66221a09de308.jpg" length="49398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, vaikom satyagraha</media:keywords>
                </item>
                        <item>
                    <title>નેતાઓને રેલી કાઢવાનો હક છે તો નાગરિકોને તેમના વિરોધનો હક કેમ નહીં?</title>
                    <link>https://khabarantar.com/If-the-leaders-have-the-right-to-rally-then-why-not-the-right-of-the-citizens-to-protest</link>
                    <guid>https://khabarantar.com/If-the-leaders-have-the-right-to-rally-then-why-not-the-right-of-the-citizens-to-protest</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદના પોલીસ કમિશ્નરે CrPC કલમ-144 હેઠળ જાહેનામું બહાર પાડી સભાઓમાં સૂત્રોચ્ચાર કરવા, કાળા વાવટા, પ્લેકાર્ડ, બેનર દેખાડવા સામે મનાઈ ફરમાવી છે ત્યારે આ લેખ નાગરિક તરીકેના આપણા હકો આપણને યાદ અપાવે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">- રમેશ સવાણી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકારની સૂચનાથી લોકસભાની ચૂંટણીમાં પોલીસે, સત્તાપક્ષને મદદ કરવાનું નક્કી કર્યું છે. આમ તો સત્તાપક્ષ પોતાના સ્વાર્થ માટે કાયમ પોલીસનો દુરૂપયોગ કરે છે. જેમકે વિપક્ષની સભામાં તમે સૂત્રોચ્ચાર કરો તો પોલીસની ઊંઘ ઉડતી નથી; પરંતુ સત્તાપક્ષની સભામાં જો તમે સૂત્રોચ્ચાર કરો, કાળા વાવટા ફરકાવો, પ્લેકાર્ડ-બેનર દેખાડો તો તમે જાણે આતંકવાદી હો તે રીતે પોલીસ તમારી ઉપર તૂટી પડે. 2001થી 2014 દરમિયાન ગુજરાતમાં એવું જોવા મળેલ છે કે મુખ્યમંત્રીની સભામાં કોઈ કાળા કલરની સાડી, શર્ટ પહેરીને જઈ શકતા નહીં. 2014થી 2024 દરમિયાન એવું જાવા મળેલ છે કે વડાપ્રધાન જો ગુજરાતમાં સભા કરે કે કોઈ કાર્યક્રમ યોજે તો તેમાં કોઈ વ્યક્તિ કાળા રંગના મોજા પહેરીને જઈ શકતી ન હતી. જો કોઈ એવી હિમ્મત કરે તો પોલીસ તેને ડીટેઈન કરતી. </span><br><span style="font-size: 14pt;">કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠક પર લોકસભાની ચૂંટણી લડતા પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માનહાનિ થાય તેવી ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજના યુવાનો રાજયભરમાં અલગ-અલગ જગ્યાએ કાળા વાવટા ફરકાવી રહ્યા છે. જેથી સરકાર મૂંઝાઈ ગઈ છે. સરકારની સૂચનાથી અમદાવાદના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે 16 એપ્રિલ 2024ના રોજ CrPC કલમ-144 હેઠળ જાહેનામું બહાર પાડી સભાઓમાં સૂત્રોચ્ચાર કરવા, કાળા વાવટા, પ્લેકાર્ડ, બેનર દેખાડવા સામે મનાઈ ફરમાવી છે એટલે આવી પ્રવૃતિ ગુનો બને છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_66220128c75a2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થોડાં મુદ્દાઓ: [1] ચૂંટણી હોય ત્યારે રેલીઓ નીકળે, સભાઓ થાય ત્યારે નાગરિકો પોતાના પ્રશ્નોને વાચા આપવા જે તે સત્તાપક્ષ સામે કાળા વાવટા ફરકાવે તો તેમાં શાંતિનો ભંગ કેવી રીતે થાય? સરકાર સામે, સત્તાપક્ષ સામે અહિંસક વિરોધ કરવો તે લોકશાહીમાં ગુનો બને? હા, રાજાશાહી, તાનાશાહી, લશ્કરશાહીમાં જરુર ગુનો બને. [2] સરકાર, સત્તાપક્ષે મીડિયાને ગોદી બનાવી દીધું હોય, રોજે કરોડો રૂપિયાના ખર્ચે જાહેરાત દ્વારા મુખ્યમંત્રી, વડાપ્રધાનની સ્તુતિ થતી હોય, ટેલિવિઝન, સોશિયલ મીડિયામાં સત્તાપક્ષના ભજનો ગવાતા હોય, ગોદી લેખકો, પત્રકારો લોકોને ભ્રમિત કરતા હોય તેવા સંજોગોમાં અકળાયેલા લોકો કાળા વાવટા ન દેખાડે તો કરે શું? શું લોકોએ માત્ર ટેક્સ જ ભરવાનો? અન્યાય સામે અવાજ ઉઠાવે તો ગુનો બને? આ કેવી લોકશાહી? [3] ચૂંટણીપંચ પણ સત્તાપક્ષની પાંખ હોય તે રીતે વર્તી રહ્યું છે. તેમને આ પ્રકારના આદેશોમાં આચાર સંહિતાનો ભંગ દેખાતો નહીં હોય? શું ચૂંટણી દરમિયાન પોલીસ તટસ્થ રહે તે જોવાની જવાબદારી ચૂંટણીપંચની નથી? સત્તાપક્ષની રેલીમાં, સભામાં સૂત્રોચ્ચાર કરો, કાળા વાવટા ફરકાવો, પ્લેકાર્ડ-બેનર દેખાડો તો ગુનો બને; પરંતુ આવી પ્રવૃતિ વિપક્ષની સભામાં સત્તાપક્ષના કાર્યકરો કરે તો પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. એનો અર્થ એ થયો કે પોલીસનું આવું જાહેરનામું સત્તાપક્ષની તરફેણ માટે જ છે. [4] અહિંસક, શાંત વિરોધ કરવાનો નાગરિકનો મૂળભૂત અધિકાર છે, તેના પર CrPC કલમ-144 હેઠળ નિયંત્રણ મૂકી શકાય નહીં. વાણી અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય એ બંધારણમાં આરિટિકલ- 19(A) મુજબ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે અને તેનો ભંગ આ જાહેરનામું કરે છે. બંધારણના આર્ટિકલ-19(B) મુજબ શાંતિપૂર્વક અને હથિયારો વિના એકઠા થવાનો નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. તેનો પણ આ જાહેરનામાથી ભંગ થાય છે. સરકાર, સત્તાપક્ષ, પોલીસ કમિશ્નર એવો દેખાડો કરી રહ્યા છે કે કાયદાથી પોતાને લોકોનો અવાજ ગૂંગળાવી દેવાનો અધિકાર મળેલ છે. આ તો CrPC કલમ-144 નો દુરુપયોગ છે. ઢોંગ તો જૂઓ; આ જાહેરનામું ‘ચૂંટણી પ્રક્રિયા શાંતિથી ચાલે અને લોકો ભયમુક્ત રહે’ તે બહાના હેઠળ બહાર પાડ્યું છે. પરંતુ ‘સત્તાપક્ષને ભયમુક્ત રાખવા’નો આ જાહેરનામાનો ઉદ્દેશ છે. તાનાશાહી હંમેશા કાયદાનો દુરુપયોગ કરીને જ પ્રસ્થાપિત થતી હોય છે. [5] પોલીસ કમિશ્નરના જાહેરનામાને રદ કરવા વિપક્ષોએ CrPC કલમ-144(5) હેઠળ પોલીસ કમિશ્નરને રજૂઆત કરવી જોઈએ. તેમ છતાં પોલીસ કમિશ્નર પોતાનું જાહેરનામું રદ ન કરે તો ચૂંટણીપંચને ફરિયાદ કરવી જોઈએ. સુપ્રિમ કોર્ટે 2020માં, અનુરાધા ભાસિન વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયાના કેસમાં ઠરાવેલ છે કે “CrPC કલમ-144 હેઠળની સત્તા લોકતાંત્રિક હક્કના ઉપયોગને રોકવા માટેના સાધન તરીકે ન કરી શકાય.” [6] લોકશાહીમાં સત્તાપક્ષને કાળા વાવટા દેખાડવા તે પવિત્ર ફરજ છે અને આ ફરજની આડે આવતા સરકાર, સત્તાપક્ષ, પોલીસ કમિશ્નર અપવિત્ર કામ, ગેરબંધારણીય કામ કરી રહ્યા છે. ચૂંટણીપંચ જો ગોદી ન હોત તો તેણે પોલીસ કમિશ્નરનો કાન જરુર આમળ્યો હોત. જો સ્તરહીન નેતાઓને રેલીઓ કાઢવાનો, સભાઓ યોજવાનો અધિકાર છે તો નાગરિકોને તેમનો વિરોધ કરવાનો અધિકાર હોવો જોઈએ કે નહીં? </span><span style="color: rgb(224, 62, 45);"><strong><em>(લેખક નિવૃત્ત આઈપીએસ અધિકારી અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.)</em></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/why-are-temples-overflowing-with-people-here-is-the-reasoned-answer">શા માટે ધર્મસ્થળો માણસોથી ઉભરાય છે? આ રહ્યો તર્કબદ્ધ જવાબ</a><br></strong></span></p>
<div class="post-text">
<p><strong><span><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"> <span style="font-size: 14pt;">અહીં ક્લિક કરો</span></a></span></strong></p>
<p></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 19 Apr 2024 11:12:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>525</Articleid>
                    <excerpt>અમદાવાદના પોલીસ કમિશ્નરે CrPC કલમ-144 હેઠળ જાહેનામું બહાર પાડી સભાઓમાં સૂત્રોચ્ચાર કરવા, કાળા વાવટા, પ્લેકાર્ડ, બેનર દેખાડવા સામે મનાઈ ફરમાવી છે ત્યારે આ લેખ નાગરિક તરીકેના આપણા હકો આપણને યાદ અપાવે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_662203d8dd4da.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_662203d8af389.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_662203d8af389.jpg" length="49398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>૧૪ થી ૧૮ વરસના ૫૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓને ભાગાકાર નથી આવડતો</title>
                    <link>https://khabarantar.com/more-than-50-percent-of-students-aged-14-to-18-do-not-know-division</link>
                    <guid>https://khabarantar.com/more-than-50-percent-of-students-aged-14-to-18-do-not-know-division</guid>
                    <description>
                        <![CDATA[ પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન નામની એક બિનસરકારી સંસ્થાનો રિપોર્ટ આવ્યો છે. જે ભારતમાં સરકારી શાળાઓમાં અપાતા શિક્ષણની પોલ ખોલી નાખે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span><br><span style="font-size: 14pt;">ઉચ્ચ પ્રાથમિક (ધોરણ-૮), માધ્યમિક (ધો-૯, ૧૦) અને ઉચ્ચ માધ્યમિક ( ધો.૧૧,૧૨) માં શિક્ષણ મેળવતા ગ્રામીણ ભારતના ૧૪ થી ૧૮ વરસના કિશોરો અને યુવાનોને પૂછવામાં આવ્યું કે ૧૫ લીટર પાણી શુધ્ધ કરવા ક્લોરીનની ૩ ગોળી જોઈએ તો ૨૫ લીટર માટે કેટલી જોઈએ? ૫૧.૬૦ ટકા વિધ્યાર્થીઓને જવાબ આવડ્યો નહોતો. રોજિંદા જીવનનો અને બગડિયા-તગડિયાનો સાદો ભાગાકાર ના આવડે તેવા અડધા કરતાં વધુ વિદ્યાર્થીઓએ આઠેક વરસનું શિક્ષણ પૂર્ણ કર્યા પછીના શિક્ષણની આ હાલત છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ રહો. એમ નિરાશ થવાની જરૂર નથી. આ જ વય જૂથના ૮૫ ટકા લંબાઈ બરાબર માપી શકે છે. હા, એમને મુશ્કેલી ત્યારે પડે છે જ્યારે મેજરપટ્ટી ઝીરોથી શરૂ ન થતી હોય! જો શૂન્યને બદલે બીજા કોઈ આંકડાથી લંબાઈ મપાવવી શરૂ કરાવીએ તો આ ૮૫ ટકા ઘટીને ૩૯ ટકે પહોંચી જાય છે!  </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રૂ. ૨૦,૦૦૦ની લોન પરનું જુદી જુદી ત્રણ બેન્કોનું વાર્ષિક વ્યાજ જણાવી, તમે કઈ બેન્ક પસંદ કરશો અને એક વરસ પછી કેટલી રકમ પાછી આપવાની થાય? તે બંને પ્રશ્નનો સાચો જવાબ આપી શકનારા છાત્રો માત્ર ૬ ટકા જ હતા. તો ઓઆરએસના પેકેટ પરની સૂચનાઓ વાંચી નહીં શકનારા સ્ટુડન્ટ ૩૫.૯ ટકા હતા. અર્થાત માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવતા વિધ્યાર્થીઓ રોજબરોજના વ્યાજ દર, માપ જેવા પાયાના સંખ્યાત્મક કૌશલ કે વાચનમાં ઘણા કાચા છે.  </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોઈ અઘરું વાચન-ગણન નહીં પણ તેઓ જે ધોરણમાં ભણે છે તેના કરતાં ચાર-પાંચ ધોરણ નીચેનું ભાષા કે ગણિતનું સાદું જ્ઞાન ન ધરાવતા વિધ્યાર્થીઓની સંખ્યા પચાસ ટકાથી વધારે હોય તેવા શિક્ષણની ચિંતા અને તે દૂર કરવાના મસમોટા પડકારોની અનુભૂતિ  ‘અસર’ (ASER- એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ)  ૨૦૨૩ વાંચતા થાય છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વરસ ૨૦૦૫થી બિનસરકારી સંસ્થા ‘પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન’  ગ્રામીણ ભારતના શિક્ષણની સ્થિતિ વિશે વાર્ષિક રિપોર્ટ પ્રગટ કરે છે. ૨૦૧૮થી તે દ્વિવાર્ષિક ધોરણે પ્રગટ થાય છે. આ વરસના આરંભે ‘એન્યુઅલ સ્ટેટ્સ ઓફ એજ્યુકેશન રિપોર્ટ ૨૦૨૩ બિયોન્ડ બેસિક્સ’ પ્રગટ થયો છે. ભારતના ૨૬ રાજ્યોના ૨૮ જિલ્લાના ૩૪,૭૪૫ વિધ્યાર્થીઓ પરના રાષ્ટ્રવ્યાપી નાગરિક નેતૃત્વકારી ઘરેલું સર્વેક્ષણનો હેતુ શાળામાં પ્રવેશ કે નામાંકન જેવી મૂળભૂત બાબતથી આગળની સ્થિતિ જાણવાનો છે. શાળા શિક્ષણ અને શિખવવાની સ્થિતિ તથા વાસ્તવિક જિંદગીમાં તેના ઉપયોગનો તાગ મેળવવાનો પણ ઉદ્દેશ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Exclusive:-Age-and-height-also-make-social-distinctions">ઉંમર અને ઊંચાઈને પણ સામાજિક ભેદ નડે છે!</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6620a83f9bb02.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિશ્વના ઘણા દેશો કરતાં ભારતમાં શાળામાં નામાંકનનો દર ઉંચો છે. ૨૦૨૧-૨૨માં ૬ થી ૧૦ વરસના બાળકોનો શાળા પ્રવેશનો દર ૯૯.૧ ટકા હતો. નવીનતમ રિપોર્ટ મુજબ હાલમાં ૧૪ થી ૧૮ વરસના બાળકોનો નામાંકન દર ૮૬.૮ ટકા છે. પરંતુ શું નામાંકનમાં વૃધ્ધિ શિક્ષણની ગુણવતાનો પુરાવો છે? ‘બાળકો શાળામાં છે પરંતુ શીખી નથી રહ્યા’ નો સંદેશ ધરાવતો ૨૦૨૩નો ‘અસર’ તેનો જવાબ છે. ૧૪ થી ૧૮ વરસના ૫૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓ સાદો ભાગાકાર કરી શકતા નથી. સ્થાનિક ભાષાનો બીજા ધોરણનો પાઠ અસ્ખલિત વાંચી ન શકનાર ૨૫ ટકા છે. જો કે ૫૭.૩૦ ટકા અંગ્રેજી વાક્ય બરાબર વાંચી શકે છે અને તેમાંથી ૭૩.૫ ટકાને જે વાંચે છે તેનો અર્થ  પણ આવડે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં જે બાળકો શાળા છોડે છે તેને સરકાર ડ્રોપ આઉટ ગણાવે છે. ખરેખર તો તેઓ આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કારણોસર શાળા બહાર ધકેલાય (પુશ આઊટ) છે. ૧૪ વરસના આવા કિશોરો ૩.૯ ટકા છે, ૧૬ વરસના ૧૦.૯ ટકા છે અને ૧૮ વરસના ૩૨.૬ ટકા છે. એટલે બાળક જેમ ઉપલા ધોરણમાં જાય તેમ શાળા છોડે છે કે શાળા બહાર ફેંકાય છે. </span><br><span style="font-size: 14pt;">જેમ ડ્રોપ આઉટનો ઉંચો દર તેમ છોકરા-છોકરીના શિક્ષણ વચ્ચેનો ભેદ પણ ગ્રામીણ ભારતના શિક્ષણ સામેનો પડકાર છે. ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી કન્યાઓ સ્નાતક સુધી ભણવા માંગે છે પરંતુ કુમારો ટૂંકા ગાળાના વ્યવસાયક્ષી કોર્સ મારફત કમાવા માંગે છે. નોકરી અને ડિગ્રી વચ્ચેનો અનુબંધ ઈચ્છનીય ગણાય પણ  માત્ર  ૫.૬ ટકા જ વિધ્યાર્થીઓની જ હાયર સેકન્ડરીમાં વ્યવસાયલક્ષી શિક્ષણના પ્રવાહની પસંદગી છે. છોકરાઓ ગણિતમાં તો છોકરીઓ ભાષામાં આગળ છે. આ બધું ભારતની પિતૃસત્તાત્મક સમાજ વ્યવસ્થાને આભારી છે અને સમાજ સુધારણાની ચળવળનો પડકાર શિક્ષણ સમક્ષ પણ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોરોના મહામારીને લીધે સર્જાયેલી બેરોજગારી છતાં શિક્ષણમાં પ્રવેશ ખાસ ઘટ્યો નથી તે આશ્વાસનરૂપ છે. દેશમાં સ્માર્ટફોનની ઉપલબ્ધતા વધી છે. ૮૯ ટકા બાળકોના ઘરમાં સ્માર્ટફોન છે અને ૯૨ ટકા બાળકોને તે ચલાવતા પણ આવડે છે. જોકે સર્વેક્ષણ હેઠળના વયજૂથના ૪૩.૭ ટકા છોકરા અને ૧૯.૩ ટકા છોકરીઓ મળી ૩૧.૧ ટકા પાસે તો ખુદનો સ્માર્ટ ફોન છે. ૮૦ ટકા તેનો ઉપયોગ મનોરંજન માટે કરે છે. અલબત્ત ૭૦ ટકા કોઈ જવાબ શોધવા ગુગલબાબા પાસે જવાનું જાણે છે. પોણા ભાગનાને એલાર્મ સેટ કરતાં ફાવે છે. એટલે હવે કમ્પ્યુટર અને ફોનનો શૈક્ષણિક ઉપયોગ વધારવાની જરૂર છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">‘અસર‘ના શૈક્ષણિક સ્થિતિ અંગેના રિપોર્ટની નોંધ નીતિ નિર્માતા, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને વાલીઓ લે છે અને તેના અમલ માટે લોકદબાણ ઉભું થાય છે. ૨૦૧૭માં શિક્ષણના અધિકાર અધિનિયમમાં રાજ્યો માટે શિક્ષણના મૂલ્યાંકનને ફરજિયાત કરતો સુધારો, નીતિ આયોગનો ૨૦૧૭થી ૨૦નો એકશન પ્લાન તથા ૨૦૨૦ની શિક્ષણ નીતિમાં બાળકો પાયાનું વાચન ગણન સંબંધી જ્ઞાન કૌશલ હાંસલ કરે તેનો સમાવેશ અસરના સર્વેક્ષણનું પરિણામ હોઈ શકે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉપલા ધોરણના બાળકોનો નીચલા ધોરણનો પાયો કાચો હોય તેનું શું થઈ શકે તે પણ એક પડકાર છે. વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકો માટે તેમના હાલના અભ્યાસક્રમની સાથે નીચેના ધોરણનું ભણાવવાનું શક્ય બનતું નથી. બીજી તરફ જો પાયો કાચો હશે તો ભવિષ્યમાં દેશની શ્રમશક્તિની ગુણવત્તા પર અસર થશે તેથી પણ તેમને બીજા બાળકોની હરોળમાં લાવવા જરૂરી છે. શિક્ષણની વ્યવસ્થા પાઠ્યપુસ્તક કેન્દ્રી કે વર્ગ કેન્દ્રી ને બદલે વ્યક્તિગત વિધ્યાર્થી કેન્દ્રિત બનાવી શકાય તો કદાચ નામાંકનમાં વૃધ્ધિ શિક્ષણની ગુણવત્તામાં પણ વ્રુધ્ધિ બની શકે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૌદથી અઠાર વરસના કિશોરો અને યુવાઓ તેમના ભાવિ વિશે બેખબર છે અને તેનું કોઈ માર્ગદર્શન તેમને મળતું નથી. ૪૮.૩ ટકા વિધ્યાર્થિનીઓ અને ૪૨.૫ ટકા વિધ્યાર્થીઓના કોઈ આદર્શ કે રોલમોડેલ નથી. ડેમોગ્રાફિક ડિવિડન્ડના લાભ મેળવવા હશે, વિશ્વગુરુ બનવું હશે તો મતદારની વયે પહોંચેલા  વિદ્યાર્થીઓના શિક્ષણની હાલત વિષે ચિંતા કરી તેમના શિક્ષણ સામેના પડકારો ઝીલી લેવા તે સમયનો તકાદો છે.</span><br><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><em><span style="color: rgb(224, 62, 45);"><strong>(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન ઈતિહાસના તલસ્પર્શી અભ્યાસુ છે.)</strong></span></em></p>
<p><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/speak-up-25-percent-students-of-gujarat-are-not-aware-of-the-new-education-policy">બોલો લો! ગુજરાતના 25 ટકા વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિની ખબર નથી</a></strong></span></p>
<p><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.<em> </em></span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span style="font-size: 14pt;">અહીં ક્લિક કરો.</span></a></strong></p>
<div class="post-text">
<div class="post-text">
<p></p>
<p></p>
</div>
</div>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 18 Apr 2024 11:00:48 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 18 Apr 2024 12:35:30 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>521</Articleid>
                    <excerpt>પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન નામની એક બિનસરકારી સંસ્થાનો રિપોર્ટ આવ્યો છે. જે ભારતમાં સરકારી શાળાઓમાં અપાતા શિક્ષણની પોલ ખોલી નાખે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_6620a84046336.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_6620a84012d59.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_6620a84012d59.jpg" length="49398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>નારીમુક્તિ&amp;નારીશક્તિના જ્યોતિર્ધર ડૉ. બાબાસાહેબ આંબેડકર</title>
                    <link>https://khabarantar.com/narimukti-narishakti-jyotirdha-dr-babasaheb-ambedkar</link>
                    <guid>https://khabarantar.com/narimukti-narishakti-jyotirdha-dr-babasaheb-ambedkar</guid>
                    <description>
                        <![CDATA[ સ્ત્રીઓને માત્ર લાગણી કે વિચારના સ્તરે નહીં પણ બંધારણીય  અને કાનૂની રીતે પણ સમાન અધિકાર મળે તે માટે બાબાસાહેબે કરેલું અજોડ કામ એટલે હિંદુ કોડ બિલની રચના. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે દેશભરમાં 14મી એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. વંચિત,શોષિત, પીડિત સમાજ ખૂલીને તેમના મહાનાયકની જન્મતિથિ ઉજવી રહ્યો છે. જેમાં સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત મહિલાઓની વધતી જતી ભાગીદારી છે. છેવાડા ગામમાંથી 14મી એપ્રિલે નીકળતી રેલીમાં પણ તમને છોકરીઓ પ્રતિનિધિત્વ કરતી દેખાશે. આ બાબાસાહેબની કમાલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. બાબાસાહેબ આંબેડકર (1891-1956) સ્ત્રી સમાનતા અને મહિલા અધિકારના પણ જ્યોતિર્ધર હતા.સ્ત્રીઓને માત્ર લાગણી કે વિચારના સ્તરે નહીં પણ બંધારણીય  અને કાનૂની રીતે પણ સમાન અધિકાર મળે તે માટે બાબાસાહેબે કરેલું અજોડ કામ એટલે હિંદુ કોડ બિલની રચના. આઝાદ ભારતના પહેલા કાયદા મંત્રી તરીકે તેમણે સંસદમાં 12 ઑગસ્ટ 1948 ના દિવસે રજૂ કરેલા આ બિલમાં હિંદુ સ્ત્રીઓને પહેલવહેલીવાર આપવામાં આવેલા અધિકારોમાંના મુખ્ય આ મુજબ છે: પુત્રીને પિતાની મિલકતમાં સમાન હિસ્સો, છૂટાછેડાનો અને  ભરણપોષણ મેળવવાનો તેમ જ દત્તક લેવાનો અને વારસ નિમવાનો અધિકાર, પોતાની મિલકતનો અને આંતરજાતિય લગ્નનો અધિકાર. સ્ત્રીઓને આવા અધિકારો આપવાનું  કામ આ દેશના કોઈપણ રાજદ્વારી વ્યક્તિએ કે દુનિયાના કોઈપણ સ્થાપિત ધર્મએ કર્યું નથી. આ બિલનો દેશભરના રૂઢિચુસ્ત હિંદુઓએ અને રાષ્ટ્રપ્રમુખ રાજેન્દ્રપ્રસાદે વિરોધ કર્યો હતો. આરંભે આ બિલની બાબતમાં ઉત્સાહી એવા નેહરુ પણ સમયાંતરે  ઢીલા પડી ગયા હતા. ચાર વર્ષની તબક્કાવાર વિલંબિત ચર્ચા પછીય બિલ પસાર ન થઈ શક્યું એટલે બાબાસાહેબે 1951ની અગિયારમી  ઑક્ટોબરે મંત્રીમંડળમાંથી મજબૂત ભાષણ સાથે રાજીનામું આપ્યું. મહિલાઓ વિશે છાશવારે બેહૂદા બકવાસ કરનારા આપણા અત્યારના રાજકારણીઓ અને નારીગૌરવની અભિવ્યક્તિસમું વિધેયક પસાર ન થતા હોદ્દાનો ત્યાગ કરનારા દલિત કેબિનેટ મંત્રી આંબેડકર એવી સરખામણી અસ્થાને ન ગણાય. જોકે પછીનાં વર્ષોમાં આ બિલ ચાર ટુકડે હિંદુ લગ્ન ધારો, હિંદુ વારસા ધારો, હિંદુ સગીર અને વાલીપણા ધારો અને હિંદુ દત્તક ધારો એવા ચાર જુદા જુદા કાયદારૂપે પસાર થયું.    </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નારીસ્વાતંત્ર્યની વિભાવના બાબાસાહેબની મૂલ્યવ્યસ્થાનો એક મુખ્ય હિસ્સો છેક વિદ્યાકીય વિચારઘડતરના તબક્કાથી જ હતી. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી સખત મહેનત કરીને ચોવીસ વર્ષની ઉંમરે અર્થશાસ્ત્રમાં એમ.એ. ની પદવી મેળવ્યા પછીના જ વર્ષે તેમણે ત્યાં માનવવંશશાસ્ત્રના એક પરિસંવાદમાં ‘ભારતીય જાતિસંસ્થા – તેની યંત્રણા, ઉત્પત્તિ અને વિકાસ’ વિષય પર અભ્યાસપત્ર રજૂ કર્યું. તેમાં તેમણે સતી, વિધવા પુનર્વિવાહની મનાઈ,અને સ્ત્રીઓના બાળલગ્ન જેવાં અનિષ્ટોની ચર્ચા કરી.ભારતમાં દલિતો અને સ્ત્રીઓની દુર્દશા માટે કારણરૂપ  ‘મનુસ્મૃતિ’ના ભીમરાવે જીવનભર કરેલા નિષેધના પ્રારંભિક રણકા જૉન ડ્યુઈ અને વૉશિંગ્ટનના દેશમાં બાબાસાહેબના વસવાટ દરમિયાન  સંભળાવા લાગે છે. ‘ધ રાઇઝ ઍ ન્ડ ફૉલ ઑફ ધ હિન્દુ વુમન’, ‘ધ રિડલ ઑફ ધ વુમન’ અને ‘ધ વુમન ઍન્ડ ધ કાઉન્ટર રેવોલ્યૂશન’ જેવાં પુસ્તકો તેમ જ ‘મૂક નાયક’ અને ‘બહિષ્કૃત ભારત’ સામયિકોમાં તેમણે હિંદુ ધર્મએ  મનુવાદના ભરડામાં સપડાઈને સ્ત્રીઓ અને શૂદ્રોની કેવી અવદશા કરી તેની છણાવટ કરી છે. ‘મનુસ્મૃતિ’ના જાહેર દહનનો કાર્યક્રમ મહારાષ્ટ્રના મહાડમાં પાણી માટેની આભડછેટ સામેના વિરોધ તરીકે 25 ડિસેમ્બર 1927 ના દિવસે કર્યો. તેમાં પચાસથી વધુ દલિત મહિલાઓએ ભાગ લીધો હતો. એ જ રીતે નાશિકના કાળારામ મંદિરમાં દલિતોને પ્રવેશ મળે તે માટેના  સત્યાગ્રહમાં પણ સંખ્યાબંધ બહેનો જોડાઈ હતી. સ્ત્રીઓને તેમની અવદશા અને ક્ષમતા બતાવી આપનારા બાબાસાહેબના પ્રભાવશાળી ભાષણોથી પ્રેરાઈને વિદ્યાર્થિનીઓથી  વૃદ્ધાઓ સુધીની દલિત મહિલાઓ અનેક કૌટુંબિક અને સામાજિક મુશ્કેલીઓ વેઠીને પણ તેમના બધી ઝુંબેશોમાં મોટી સંખ્યામાં સામેલ થવા લાગી. આંબેડકરી ચળવળમાં મહિલાઓના પ્રદાન પર ઉર્મિલા પવાર અને સમાજશાસ્ત્રના  અભ્યાસી મીનાક્ષી મૂને ‘ત્યાંની ઇતિહાસ ઘડવિલા’  નામનો મરાઠી સંશોધનગ્રંથ લખ્યો છે. પવાર ઉપરાંત બેબી કાંબળે, શાંતાબાઈ કાંબળે અને મુક્તા સર્વગૌડ જેવી દલિત લેખિકાઓનાં આત્મકથનોમાં પણ આંબેડકરનો  પ્રભાવ સતત દેખાય છે.   </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ.આંબેડકરે તેમના એક ગુરુ મહાત્મા જોતીરાવ ફુલેને અનુસરીને દલિત સ્ત્રીના શિક્ષણને સતત મહત્વ આપ્યું છે. સાતારા મિલિટરી કૅમ્પમાં રહેતા પ્રબુદ્ધ પિતા રામજી સુભેદારના પાડોશી જમાદાર શિવરામ જાધવને અમેરિકાથી  ખાસ પત્ર લખીને એટલા માટે અભિનંદન આપ્યા કે એ પોતાની દીકરીને બહારગામ રાખીનેય  ભણાવી રહ્યા હતા ! તેમણે એક કરતાં વધુ ભાષણોમાં એ મતલબનું કહ્યું હતું કે ‘ગામડાંગામમાં પણ લોકજાગૃતિ જરૂરી છે.ભણતરથી દીકરીઓ બગડે છે એ વિચાર સહુએ મનમાંથી કાઢી નાખવો જોઈએ... બ્રાહ્મણોની દીકરીઓ ભણે છે તેટલી જ આપણી દીકરીઓ પણ ભણવી જોઈએ.’ વળી 1932માં વિદ્યાર્થીઓને સંબોધતાં તેમણે સંતાનોનાં નાની ઉંમરમાં લગ્ન ન કરવા, વિવાહ સંબંધ બાંધવામાં કન્યાના ખુદની વરપસંદગીને મહત્વ આપવા અને સ્ત્રીનું સ્વતંત્ર વ્યક્તિ તરીકે અસ્તિત્વ સ્વીકારવા પર ભાર મૂક્યો હતો. આ જ વર્ષે સાવંતવાડીના ભાષણમાં તેમણે કન્યાસાક્ષરતા ઉપરાંત સ્વચ્છ અને સુઘડ રહેણીકરણીની  તેમ જ પતિના દુર્વર્તનનો વિરોધ કરવાની હિમ્મત કેળવવાની હિમાયત કરી હતી. જુલાઈ 1942માં વાઇસરૉયની કારોબારીમાં  બાબાસાહેબની કામદાર પ્રધાન તરીકે વરણી થઈ હતી. તેમણે કામદાર કલ્યાણના જે અનેક કાયદા કરાવ્યા તેમાં સ્ત્રી-પુરુષને સમાન કામ માટે સમાન વેતન,સ્ત્રી કામદારોને પૂરા પગારે પ્રસૂતીની  રજા, ઘોડિયાઘરની વ્યવસ્થા, સ્ત્રીઓ માટે આકસ્મિક અને હકની રજાઓ અને પેન્શનનો સમાવેશ થાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંબેડકરે દલિત મહિલા ફેડરેશનને સંબોધતાં,  નાગપુરમાં  જુલાઈ 1942માં કરેલું ભાષણ ખૂબ મહત્વનું ગણાય છે. ધનંજય કીરે લખેલા આંબેડકરના સહુથી જાણીતા ચરિત્રમાં તેનો સાર મળે છે. તેમાં આંબેડકરના સ્ત્રી શક્તિ-સ્ત્રી મુક્તિના મોટાભાગના વિચારો આવી જાય છે. તેનું કેન્દ્રવર્તી વાક્ય આ મતલબનું  છે : ‘સમાજની પ્રગતિ મૂલવવાનો  મારો માપદંડ સ્ત્રીઓની પ્રગતિ છે.’   </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 16px;"><b><span style="font-size: 14pt;">- સંજય શ્રીપાદ ભાવે</span><i> <span style="color: rgb(224, 62, 45);">(લેખક અમદાવાદની વિખ્યાત એચ.કે. આર્ટ્સ કોલેજના પ્રોફેસર છે.)</span></i></b></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:</span></strong><a href="https://khabarantar.com/take-the-26th-pledge-on-this-14th-april"><strong>આ ચૌદમી એપ્રિલે 26મી પ્રતિજ્ઞા એવી લેજો...</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com <span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span></span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 14 Apr 2024 13:55:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>503</Articleid>
                    <excerpt>સ્ત્રીઓને માત્ર લાગણી કે વિચારના સ્તરે નહીં પણ બંધારણીય  અને કાનૂની રીતે પણ સમાન અધિકાર મળે તે માટે બાબાસાહેબે કરેલું અજોડ કામ એટલે હિંદુ કોડ બિલની રચના.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_661b662e3f347.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_661b662e122f7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_661b662e122f7.jpg" length="49398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>શશી થરૂરનું પુસ્તક ‘Ambedkar: A Life’ &amp; કંઈક વિશેષ વાંચ્યાની અનુભૂતિ</title>
                    <link>https://khabarantar.com/shashi-tharoors-book-ambedkar-a-life-a-feeling-of-reading-something-special</link>
                    <guid>https://khabarantar.com/shashi-tharoors-book-ambedkar-a-life-a-feeling-of-reading-something-special</guid>
                    <description>
                        <![CDATA[ મહામાનવ-ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર પર સતત અને સતત લખાતું જ રહ્યું છે.  ‘Ambedkar: A Life’ દ્વારા થરૂરે આપણા ઈતિહાસપુરુષને આલેખવાનો પ્રયાસ કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>- નટુભાઈ પરમાર</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શશી થરુર, અજાણ્યું નહિ પણ ચર્ચિત નામ છે. UN-યુનાઈટેડ નેશન્સના પૂર્વ અન્ડર સેક્રેટરી જનરલ, ભારત સરકારના માનવ સંશાધન અને વિદેશી બાબતોના પૂર્વ મંત્રી, પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટિના પૂર્વ અધ્યક્ષ, થિરૂઅનંતપુરમ્‌ (કેરાલા)થી ચૂંટાતા રહીને લોકસભામાં લાંબા સમય સુધી સંસદ સભ્ય રહેલા શશી થરૂર, દેશ-વિદેશમાં સૌથી વધુ વંચાતા લેખક પણ છે - ‘The Great Indian Novel’, ’An Era of Darkness-The British Empire in India’ `Why I am Hindu’, ‘What It Means to Be Indian’ કે પછી ‘The Paradoxical Prime Minister Narendra Modi and his India’ જેવા બેસ્ટસેલર ૨૪ પુસ્તકોના આ પ્રતિભાવંત લેખક એમના વધુ એક પુસ્તક ‘Ambedkar: A Life’ સાથે આપણી વચ્ચે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનોખા પાર્લામેન્ટેરિયન એવા શશી થરૂર, એમના ઈન્દ્રધનૂષી લેખનને કારણે ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ, રામનાથ ગોએન્કા પત્રકારત્વ ઍવોર્ડ, ક્રોસવર્ડ લાઈફટાઈમ એચીવમેન્ટ ઍવોર્ડ, પ્રવાસી ભારતીય સન્માન અને ન્યુ એજ પોલીટીશીયન્સના અનેકવિધ બહુમાન મેળવી ચૂક્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુજ્ઞ વાચકો સુવિદિત છે એમ ક્યારેક એમના પુસ્તકો સિવાયના કારણોસર પણ શશી થરૂર ચર્ચાના કેન્દ્રમાં હોય છે!  કિન્તુ તેઓ જ્યારે કોઈ વિષય પર કલમ ઉપાડે છે ત્યારે પ્રાપ્ય તે તમામ સંદર્ભોના અભ્યાસ અને પાકી તપસીલ પછી, જે તે વિષય પર તેઓ લખતા હોય છે. ‘Ambedkar: A Life’ માંથી પસાર થનારા હરકોઈ વાચકને એની પ્રતીતિ થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક મહાકાવ્ય જેવું જીવન જીવી ગયેલા અને જેમણે લખેલું - કહેલું ૧૭૫૦૦ (આંબેડકરના લખાણો અને વક્તવ્યોના આટલા પૃષ્ઠોનો આંકડો થરૂરે પૃષ્ઠ ૧૪૧ પર આપેલો છે !) પૃષ્ઠોમાં જગતચોકમાં વિસ્તરેલું પડેલું છે, એ મહામાનવ-ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર પર સતત અને સતત લખાતું જ રહ્યું છે. આજે તો એમના પરના આંતરરાષ્ટ્રીય પ્રકાશનોની પણ ભરમાર છે. મારા મતે ‘Ambedkar: A Life’ દ્વારા થરૂરે આપણા ઈતિહાસપુરુષને આ પહેલાં નહિ ચર્ચાયેલા અનેક દૃષ્ટિબિંદુઓથી આલેખવાનો પ્રયાસ કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Launch-of-Bahujan-News-Portal:-It-is-imperative-to-have-our-own-voice">બહુજન ન્યૂઝ પોર્ટલનો શુભારંભ: નિતાંત આવશ્યક છે આપણા પોતાના અવાજનું હોવું</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Aleph Book Company (રૂપા પબ્લિકેશન્સ) દ્વારા પ્રકાશિત ૨૨૫ પાનાંના, રૂપિયા ૫૯૯ની કિંમતના આ પુસ્તકની Bibliography (ગ્રંથસૂચિ) જ દર્શાવે છે કે ‘Ambedkar: A Life’ લખતા શશી થરૂરે કેટલો ઊંડો અભ્યાસ કર્યો છે અને કેટલી જહેમત ઊઠાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પુસ્તકને સાકાર કરતા સ્વાભાવિકપણે જ થરૂરને ડૉ. આંબેડકર લિખિત દળદાર ગ્રંથોની સાથે, એવા જ દળદાર ગાંધી સાહિત્યમાંથી પણ પસાર થવું પડ્યું છે!</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જીવનમાં કદાચ પહેલવહેલી વાર ડૉ. આંબેડકર પર આમ લખવાનો નિર્ધાર કરનાર શશી થરૂરે, ડૉ. આંબેડકરના અભ્યાસમાં કોઈ કસર છોડી નથી, એમ આ પુસ્તક વાંચનારને જરૂર લાગશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધારણીય સભાની દિવસો સુધી ચાલેલી લંબાણ ડીબેટ (ચર્ચા), ધનંજય કીર - વસંત મૂન, હરિ નારકે, ચાંગદેવ ખૈરમોડે, એમ.એલ. શહારે જેવા પ્રખર આંબેડકરી વિદ્વાનોના, અનેક ભાગોમાં વહેંચાયેલા ગ્રંથો, એલિનોર ઝેલિયટ, ગેલ ઓમવેટ - ક્રિસ્ટોફર જેફરનોટ જેવા વિદેશી અભ્યાસીઓના ડૉ. આંબેડકરના પુસ્તકો / લખાણો, તળ ભારતના ભીખુ પારેખ, અરુંધતિ રોય, કાંચા ઈલૈયા જેવા આંબેડકરવાદીઓ, ભાલચન્દ્ર મુનગેકર-આનંદ તેલતુંબડે - યાશિકા દત્ત - દિલીપ મંડલ - કે. રાજુ - સૂરજ યેંગડે - યોગેશ મૈત્રેય - જેવા વિદ્યમાન આંબેડકરવાદી લેખકો, જ્યોતિરાવ ફૂલે (ગુલામગીરી)થી લઈ મૂલ્કરાજ આનંદ (ધ અનટચેબલ) અને દેશમાં દલિત સાહિત્યના ઉદગાતા સમા દયા પવાર, નામદેવ ઢસાળ, રાજા ઢાલે, ઓમપ્રકાશ વાલ્મિકી, ઉત્તમ ખોબ્રાગડે, ઉર્મિલા પવાર જેવા અનેક ખ્યાતિપ્રાપ્ત મરાઠી દલિત સાહિત્યકારોના સાહિત્યના પૂરા અભ્યાસે, થરૂરને ડૉ. આંબેડકર પર લખવાની હિંમત અને પ્રેરણા આપ્યાં હશે, એમ મને લાગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સિવાય આ પુસ્તક લખતા થરૂરે ધ હિન્દુ, ધ ટેલીગ્રાફ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, ટ્રિબ્યુન જેવા અનેક પ્રમુખ રાષ્ટ્રીય દૈનિકોમાં તેમજ ધ વાયર, ધ પ્રિન્ટ, એએનઆઈ, ઝ્રદ્ગમ્ઝ્ર સહિતની અનેક વેબ/ન્યૂઝ ચેનલોમાં પ્રકાશિત/ પ્રસારિત થયેલા, ન માત્ર દલિત અત્યાચાર પરના કે દેશના દલિતોની હાલત પરના સમાચારો / લખાણો / ટિપ્પણીઓને ખપમાં લીધા છે, દલિતો સંબંધિત ન્યાયિક ચૂકાદાઓને પણ વંચાણે લીધા છે. દેશ અને વિદેશની યુનિવર્સિટીઓમાં ડૉ. આંબેડકર યા દલિતો પર રજૂ થયેલા શોધનિબંધો, થયેલ ચર્ચાઓ, નરેન્દ્ર મોદી સહિત રાજનેતાઓએ ડૉ. આંબેડકર કે દલિતો વિષયે આપેલા વક્તવ્યો તેમજ દલિતોના રાજકારણ, અર્થકારણ, સમાજકારણ અને આંબેડકરવિચારની વિસ્તૃત ચર્ચા કરતા લેખો / આલેખો અને દેશ-વિદેશના અગ્રીમ સામયિકોમાં વિદ્વાનોએ દલિતોના પ્રશ્ને રજૂ કરેલા વિચારોને પણ ખપમાં લીધા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈરફાન હબીબ સરીખા ઈતિહાસકારોના અવલોકનો, પ્રમુખ દલિત આત્મકથાઓ, સંવિધાન ઘડ્યાના વર્ષો બાદ મ્મ્ઝ્ર ચેનલને ડૉ. આંબેડકરે આપેલ લંબાણ મુલાકાત (ઈન્ટરવ્યૂ), ડૉ. આંબેડકરે પોતાના જીવનકાળ દરમિયાન ચલાવેલા પાંચ જેટલા સામયિકોમાં વ્યક્ત કરેલા વિચારો, મહાત્મા ગાંધી સાથેના આંબેડકરના મતભેદો, ગોળમેજી પરિષદોમાં અને બંધારણીય સમિતિની બેઠકોમાં આંબેડકરે કરેલી રજૂઆતો, પ્રવર્તમાન સમયમાં દલિતો અને દલિતવિરોધીઓ દ્વારા સોસિયલ મિડિયામાં થતી ચર્ચાઓ વગેરેને ધ્યાને લઈને, જે સમયમાં આપણે શ્વસી રહ્યા છીએ, તે સાંપ્રતમાં ડૉ. બાબાસાહેબની પ્રસ્તૂતતા અને મૂલ્ય શું છે, એની બહુ જ તલસ્પર્શી હકીકતો થરૂરે તાદૃશ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Gurukilli-of-Power:-Dalitjan,-Bahujan,-Sarvajan">સત્તાની ગુરૂકિલ્લી: દલિતજન, બહુજન, સર્વજન</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પુસ્તક વાંચનાર એ જોઈ શકશે કે ૨૦૨૨ સુધીના આવા ઘણાબધા સંદર્ભોને થરૂરે એમાં ટાંક્યા છે. પુસ્તકના બે-પાંચ પૃષ્ઠ જ એવા હશે, જેમાં જે તે પૃષ્ઠના લખાણની નીચે પાંચથી છ સંદર્ભો નહીં હોય. યાને પરફેક્ટ ફેક્ટ-ચેક પછી જ થરૂર પોતાના લખાણમાં આગળ વધ્યા છે. (ગુજરાતમાંથી ઘનશ્યામ શાહ અને ઉર્વીશ કોઠારી, એ બે જ નામો થરૂરના સંદર્ભોમાં જોવા મળે છે.)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેમત નથી કે, ઊંડા અભ્યાસ, થકવી નાખતા સંશોધન અને (પૂર્વગ્રહ વિનાની) સમજદારી સાથે લખાયેલા Ambedkar: A Life પુસ્તક દ્વારા થરૂરનો પ્રયાસ તો ડૉ. બાબાસાહેબની ‘Larger than life’ પ્રતિભાને જ ઉજાગર કરવાનો છે. અને એથી - ત્યારે અને આજેય - ડૉ. આંબેડકરને અંગ્રેજોના પીઠ્ઠુ, ગાંધીના, હિન્દુઓના અને સ્વતંત્રતાના વિરોધી, આદિવાસીજનોના હિતો પ્રતિ ઉદાસીન એવા રાષ્ટ્રવિરોધી ચિતરવાની, અરુણ શૌરી (Work shipping False Godsના લેખક) સહિતના આંબેડકરવિરોધીઓએ કરેલી ટીકાઓના પણ બહુ સચોટ અને સટીક જવાબો આપણને આ પુસ્તકમાંથી સાંપડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રબુદ્ધજનો ડૉ. આંબેડકરના જીવનસંઘર્ષ વિશેની ઘણીબધી હકીકતોથી પરિચિત હોઈ શકે છે. આમ છતાં આ પુસ્તક મારા મતે તેમને કંઈક વિશેષ વાંચ્યાની અનુભૂતિ કરાવવાને સક્ષમ જણાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાવ નવી જ અને વણકહી-વણસાંભળી હકીકતો જેવી કે પ્રસિદ્ધ અદાકાર દિલીપકુમાર ડૉ. આંબેડકરને આર્થિક મદદ કરવા ચાહતા હતા, કિન્તુ ડૉ. આંબેડકરે અનિચ્છા વ્યક્ત કરી હતી, તે તથા અમેરિકાની રંગભેદ ચળવળના પ્રણેતા માર્ટિન લ્યૂથર કિંગ પત્ની સાથે (૧૯૫૯માં) ભારત (કેરાલા) આવ્યા અને તેમનો ‘અમેરિકાના અસ્પૃશ્ય’ તરીકે જાહેર પરિચય કરાવાયો ત્યારે તે ચોંકી ઉઠ્યા હતા, તે તથા મહાત્મા ગાંધીના અમેરિકન બાયોગ્રાફર (આત્મકથા કાર) લુઈ ફિશરના ડૉ. આંબેડકર માટેના એ ઉદ્‌ગારો કે, ‘ગાંધી વિરોધી અને પાકિસ્તાન તરફી, એમના જેવો કડવો ઝેર માણસ મેં જોયો નથી.’ એટલીસ્ટ હું તો પહેલીવાર વાંચી રહ્યો છું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">‘આજે ડૉ. આંબેડકર હયાત હોત તો આર.એસ.એસ., ભાજપ, આપ, કોંગ્રેસ, સહિતના પક્ષો, એમના નામને આગળ કરીને, કેવી તીવ્ર ગતિએ એમના વિચારોને ખતમ કરવાનો ખેલ પાડી રહ્યા છે, તે જોઈને આશ્ચર્યમાં ગરકાવ હોત !’ એવું માર્મિક નિરીક્ષણ રજુ કરતાં થરૂરના પુસ્તકનું સમાપન આ શબ્દોમાં થાય છે  ‘Ambedkar today is larger than life, and nearly seven decades after his death, he keeps on growing.’ </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6619f9688a3c7.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">‘ડૉ. આંબેડકરે જેમને ઘણું આપ્યું છે ને જેઓ હજી તેમની પૂરી કદર કરી શક્યા નથી, એ ભારતીય પ્રજાને અર્પણ’ એ શબ્દોથી (એક અર્થમાં આંબેડકરના પ્રદાનને નહીં સ્વીકારનારી) ભારતીય પ્રજાને અર્પણ થયેલું આ પુસ્તક (૧) ડૉ. આંબેડકરનું જીવન અને (૨) તેમનો વિચારવારસો, એમ મુખ્યત્વે બે ભાગોમાં વહેંચાયેલું છે. આ બે વિભાગો હેઠળ પ્રથમ વિભાગમાં (૧) ડૉ. આંબેડકરના જન્મ વર્ષ ૧૮૯૧થી ૧૯૨૩, (૨) ૧૯૨૩ થી ૧૯૩૦, (૩) ૧૯૩૦ થી ૧૯૩૫, (૪) ૧૯૩૫ થી ૧૯૪૬ અને (૫) ૧૯૪૬ થી ૧૯૫૬ - ડૉ. આંબેડકરના મહાપરિનિર્વાણ વર્ષ, એમ વર્ષવાર- આ પાંચ તબક્કાના વર્ષોમાં જન્મથી માંડી મૃત્યુપર્યંતના સમયખંડમાં-ડૉ. આંબેડકરના જીવનમાં ઘટેલી ઘટનાઓને પોતાના વિશાળ વાંચનના સંદર્ભે ચકાસતાં - મૂલવતાં, મહામાનવ ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જે છબિ તેમને પ્રાપ્ત થઈ, તેને જ થરૂરે વાચકો સમક્ષ આ પુસ્તક દ્વારા ધરી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Were-the-Dalits-of-Gujarat-in-an-unencumbered-state-before-the-advent-of-Gandhiji">શું ગાંધીજીના આગમન પહેલા ગુજરાતના દલિતો નિર્લેપ અવસ્થામાં હતા?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">‘Ambedkar: A Life’ ના મહત્વના અને શશી થરૂરની વિદ્વતા, અભ્યાસનિષ્ઠા, પ્રામાણિકતા અને મૂલ્યાંકનશક્તિના દર્શન કરાવતા બીજા વિભાગમાં ‘A Life Well Lived- જીવન જેમણે જીવી જાણ્યું’ શિર્ષક હેઠળના (૧) બંધારણવિદ ડૉ. આંબેડકર (૨) ડૉ. આંબેડકરનો લોકતાંત્રિક રાષ્ટ્રવાદ (૩) વિદેશોમાં ડૉ. આંબેડકરનો વ્યાપ (૪) ડૉ. આંબેડકરના આલોચકો (૫) આજના સંદર્ભે ડૉ. આંબેડકર અને (૬) ડૉ. આંબેડકરઃ એક મૂલ્યાંકન, જેવા છ પ્રકરણોમાં થરૂરે રજૂ કરેલા નિરીક્ષણો નિષ્પક્ષ હોવાની સાથે વિચારોત્તેજક પણ જણાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોઈ શકાશે કે અરૂણ શૌરીએ નર્યા દ્વેષભાવથી આંબેડકરની કરેલી આલોચના અને શશી થરૂરે - આપણે ગ્રાહ્ય ગણીએ એવી કરેલી નુકતેચીનીમાં કેટલું અંતર છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં, આ પુસ્તકમાંના આવા કેટલાક મહત્વના બિન્દુઓથી સુજ્ઞ વાચકોને અવગત કરાવવાનો મારો પ્રયાસ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પુસ્તકના સ્વકથનમાં થરૂર લખે છે  ‘ડૉ. આંબેડકર જેવી મહાન પ્રતિભા પર પ્રમાણમાં સંક્ષિપ્ત છતાં લોકભોગ્ય બને એવું જીવનચરિત્ર આપતાં મારે ન માત્ર વિપુલ માત્રામાં વિસ્તરેલા ડૉ. આંબેડકરના ખુદના લખાણોમાંથી કિન્તુ એટલી જ વિપુલ માત્રામાં રહેલા તેમના (ડૉ. આંબેડકર) પરના વિવિધ લેખકો-વિદ્વાનોએ લખેલા સાહિત્યમાંથી પણ પસાર થવું પડ્યું છે.’</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોતે દલિત નથી અને જાતિવાદનો પોતાને સીધો કોઈ પરિચય નથી છતાં અપ્રતિમ સિદ્ધિઓને વરેલા, ઈતિહાસના પ્રખર વિદ્વાન અને અત્યંત પ્રતિભાવંત વ્યક્તિત્વ નામે ડૉ. આંબેડકર પ્રતિના મારા આદર અને અહોભાવને  કારણે જ હું આ જીવનચરિત્ર લખવાને પ્રેરાયો છું, એમ આમુખમાં કહેતા થરૂર એવો નિખાલસ એકરાર પણ કરે છે કે, ડૉ. આંબેડકરે સદેહે વેઠેલી યાતનાઓ - અપમાનોને તો કદાપિ નજરઅંદાજ કરી શકાય એમ નથી જ, છતાં આ પુસ્તક પાછળથી મારી ખરી પ્રેરણા તો ડૉ. આંબેડકરે જીવનભર કહેલા ને લખેલા વિદ્વતાપૂર્ણ શબ્દો જ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમુખમાં થરૂર એમ કહેવાનું પણ ચૂકતા નથી કે, દલિતો વિશે બીનદલિતો લખે એ કરતાં દલિતો ખુદ લખે એ વધારે અસરકારક હોય છે, એ હકીકતથી પોતે ભલીપેરે વાકેફ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આગળ ઉલ્લેખ કર્યો તેમ ડૉ. આંબેડકરની જીવનયાત્રાની તલસ્પર્શી હકીકતોથી સુમાહિતગાર થવાને, થરૂર આ પુસ્તક લખતાં પહેલાં દળદાર આંબેડકરીય ગ્રંથોમાંથી પસાર થયા છે. આથી ડૉ. આંબેડકરના જન્મ વર્ષ ૧૮૯૧થી નિર્વાણવર્ષ ૧૯૫૬ સુધીના વર્ષોને આવરી લેતા આ પુસ્તકના વિભાગ-૧ હેઠળના તમામ પ્રકરણોમાં ડૉ. આંબેડકરના પૂરા જીવનકાળમાં ઘટેલી એ તમામ ઘટનાઓ કે જેનાથી સર્વસામાન્ય આંબેડકરી વાચક વાકેફ છે, તે અહીં પણ છે. જો કે અનેક દળદાર ગ્રંથોમાં વિસ્તરેલી ડૉ. આંબેડકરની જીવનયાત્રાની તુલનામાં થરૂરે કરેલું વિવરણ સ્વાભાવિકપણે જ ઘણું સંક્ષિપ્ત છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મારા મતે આ પુસ્તકનો જો કોઈ વિશેષ હોય તો તે છે, પોતાના વિશાળ વાંચનના બળે આ પુસ્તકના લેખન સારુ થરૂરે ખાસ જહેમત લઈ ને એકઠા કરેલા અનેક સંદર્ભો અને, ડૉ. આંબેડકરના જીવનકાળની અનેક મહત્વપૂર્ણ ઘટનાઓને પોતાના આગવા દૃષ્ટિકોણથી જોઈને, પુસ્તકના પાને-પાને  રજૂ કરેલું પોતાનું અર્થઘટન, અવલોકન અને આપેલો અભિપ્રાય. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. આંબેડકરના જીવનકાળની એવી હકીકતો જે ઘટી હોય તો પણ શબ્દસ્થ નથી થઈ તે તથા પ્રવર્તમાન સમયમાં નવી નવી કલમો જે નવી નવી હકીકતો પર પ્રકાશ પાથરીને ડૉ. આંબેડકરની પ્રસ્તુતતાને અને તેમની બહુમૂલ્યતાને પુરવાર કરી રહી છે તે, આ પુસ્તકમાં એક વીજચમકારની જેમ આપણું ધ્યાન આકર્ષિક કરે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હું કહીશ કે, આ પુસ્તકના વિભાગ-૨માં - ડૉ. આંબેડકરની સદેહે ઉપસ્થિતિ વિનાના આ સમયમાં - માનવસહજ મર્યાદાઓ સાથે પણ કાળની કસોટી પર ખરા ઉતરેલા ડૉ. આંબેડકરના વિચારવારસા પર અને તેમની પ્રસ્તુતતા પર થરૂરે રજૂ કરેલા મૌલિક ચિંતનમાં આ ચમકારા કંઈ વિશેષ વર્તાય છે! નમૂના દાખલ </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/How-is-Periyars-book-Sachi-Ramayana-useful-in-the-fight-against-Brahminism"><strong>બ્રાહ્મણવાદ સામેની લડાઈમાં કેવી રીતે ઉપયોગી છે પેરિયારનું ‘સાચી રામાયણ’ પુસ્તક?</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૧) જ્યારે ઉચ્ચવર્ગીય દેશવાસીઓ માત્ર ‘બી.એ. (ફેઈલ)’ લખીને જ ગૌરવ લેતા હતા ત્યારે આંબેડકર બી.એ. પાસ થઈ ગયેલા! (પા. નં.૧૧)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૨) ઘણાના મતે વિદેશોમાં અભ્યાસ કરેલો તેથી આંબેડકર શુટ-ટાઈ પહેરતા, કિન્તુ મારા મતે જન્મજાત થોપી દેવાયેલી પોતાની ઓળખ સામેનો એ એમનો વિદ્રોહ હતો. (પા.નં. ૨૬)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૩) ૧૯૩૦ નવેમ્બરની ૧૨મી તારીખે લંડનમાં વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડના અધ્યક્ષપદવાળી ભવ્ય રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનો પંચમ જ્યોર્જે આરંભ કરાવ્યો ત્યારે, ૩૯ વર્ષીય ચશ્માધારી, મજબૂત બાંધાનો એક અસ્પૃશ્ય યુવાન બેફિકરાઈથી ત્યાં બેઠો હતો. ઊભા થઈને યુવાને કહ્યુઃ ‘બ્રિટીશ ઈન્ડિયા શાસન હેઠળની ૧/૫ વસ્તીના પ્રતિનિધિ તરીકે હવે હું આ સભાને સંબોધવા જઈ રહ્યો છું.’ (પા. નં. ૫૨)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૪) અંગ્રેજોએ આ દેશની નિરક્ષરતા નિવારવા જો ઠોસ પગલાં લીધાં હોત તો આ દેશમાં અસ્પૃશ્ય કે પછાત એવો વર્ગ રહ્યો જ ન હોત, એવી મદનમોહન માલવિયાની દલીલ સામે આંબેડકરે કહ્યુઃ ‘મારી આટલી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત છતાં મને અસ્પૃશ્ય જ ગણવામાં આવે છે.’ (પા. નં. ૫૮)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૫) ગોળમેજી પરિષદ દરમિયાનના ગાંધીના દલિતધ્વેષની આંબેડકરે બહુ આકરી ટીકા કરી હતી. એનાથી દિગમૂઢ બની ગયેલા ગાંધી દેશભરમાં અસ્પૃશ્યતા નિવારણ માટેના લાંબા પ્રવાસ પર નીકળી પડેલા ! (પા. નં. ૬૯)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૬) પરિવારના આગ્રહને વશ થઈ કરવી પડેલી પિતાની મરણોત્તર ક્રિયામાં આંબેડકરે બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપવાને બદલે પોતાના ૪૦ વિદ્યાર્થીઓને જમાડ્યા હતા. (પા. નં. ૭૨)  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૭) ઈ.એમ.એસ. નામ્બુદિરીપાદે આંબેડકરને સંપૂર્ણ આઝાદીના નહિ કિન્તુ અસ્પૃશ્ય વર્ગની સિમિત આઝાદીના હિમાયતી ગણાવ્યા હતા. (પા. નં. ૮૭)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૮) અસ્પૃશ્યો માટે ગાંધીએ આપેલો ‘હરિજન’ શબ્દ આંબેડકરને સ્વીકાર્ય નહોતો તેથી તેમણે બહિષ્કૃત, દલિત અને બંધારણની રચના બાદ અનુસૂચિત જાતિ શબ્દ સ્વીકાર્યો હતો. આમ છતાં ‘હરિજન’ શબ્દ સામેનો તેમનો વિરોધ આજીવન રહ્યો. (પા. નં. ૯૧)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૯) ૧૯૪૬માં કેબિનેટ મિશન સાથે ક્રિપ્સ ભારત આવ્યા તેમણે અસ્પૃશ્યોના પ્રશ્ને આંબેડકરે આપેલા મેમોરેન્ડમનો અસ્વીકાર કરી, દેશમાં વચગાળાની સરકાર અને બંધારણ રચવા સમિતિની દરખાસ્ત કરી. જ્યાં સુધી બ્રિટીશરોને સંબંધ છે, એ તેમના અંતની શરૂઆત હતી,તો આંબેડકર માટે વધુ મોટા પડકારોની એ શરૂઆત હતી. (પા. નં. ૯૯)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૧૦) પોતાની શૈક્ષણિક સંસ્થાની સ્થાપનાના કારણોસર આંબેડકર ઔરંગાબાદ આવેલા અને ત્યાં એ હોટલમાં રોકાયેલા, જેમાં પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા દિલીપકુમાર પણ રોકાયેલા.દિલીપકુમારે સંવિધાન રચયિતા આંબેડકરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એની ત્રણ વાયકાઓ સાંભળવામાં આવી છે. (૧) દિલીપકુમાર તો આતુર હતા મળવાને પણ આંબેડકરનો પ્રતિભાવ શુષ્ક હતો. (૨) દિલીપકુમાર ડૉ. આંબેડકરની સંસ્થાને આર્થિક યોગદાન આપવા ઈચ્છતા હતા, કિન્તુ ફિલ્મના માણસો માટે ખાસ આદર નહિ ધરાવતા આંબેડકરે, એમનું અનુદાન સ્વીકારવા ઈન્કાર કરેલો અને (૩) આંબેડકર અને દિલીપકુમારની મુલાકાત માટે મધ્યસ્થી બનેલ વ્યક્તિને નીતિમત્તા પર લાંબુ ભાષણ આપીને આંબેડકરે ખખડાવી નાખેલો ! (પા. નં. ૧૦૦)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૧૧) આંબેડકરના શબ્દોથી પ્રભાવિત પ્રજાને, શારદા કબીર (માઈસાહેબ) સાથે પુનઃલગ્ન કરતા પહેલા, પોતાની થનાર સાસુમાને આંબેડકરે લખેલા આ શબ્દો માનવામાં ન આવે એવા આશ્ચર્યકારી છે. ડૉ. આંબેડકરે પત્રમાં લખેલું: ‘આમ હું એક શાંત પણ અઘરો વ્યક્તિ છું. મારા પર એવો આરોપ છે કે હું સ્ત્રીઓ સાથે બહુ વાત કરતો નથી, પણ એમ તો અંગત કે પરિચિત ન હોય તો હું પુરુષો સાથે પણ વાત કરતો નથી. આમ હું ગંભીર પણ ધૂની વ્યક્તિ છું. દુન્વયી સુખો મને બહુ આકર્ષી શકતા નથી. મારા બનનાર સાથીએ મને સહન કરવો પડશે. મારા ખરા સાથી તો મારા પુસ્તકો જ છે.’ (પા. નં. ૧૦૯)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૧૨) ડૉ. આંબેડકર વિવિધતા ધરાવતા રાજ્યોની એકતા સાથેના એક રાષ્ટ્રના હિમાયતી હતા અને તેમણે ઉતર અને દક્ષિણના રાજ્યો અને તેમની ખાસિયતો વિશે સચોટ અવલોકનો કરીને કેટલીક ચેતવણીઓ પણ ઉચ્ચારી હતી. ક્યાં ખબર હતી કે એમની વિદાયના ૬૦ વર્ષો પછી એમણે કરેલી આગાહીઓ સપાટી પર આવવાની છે. (પા. નં. ૧૨૫)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૧૩) વિભાજન બાદ પોતે કાયદામંત્રી હતા ત્યારે, ‘પાકિસ્તાનના મુસ્લિમો તમારા મિત્રો નથી’ એમ કહી ત્યાંના દલિતોને ભારત આવી જવા આંબેડકરે એક નિવેદન જારી કર્યું હતું અને તેમને સલામત ભારત પરત લઈ આવવા વડાપ્રધાન નહેરૂને અપીલ પણ કરી હતી. (ધર્મપરિવર્તન કરતા મુસ્લિમ ધર્મ ન સ્વીકારવાનું કદાચ આ પણ એક કારણ હશે.) (પા. નં. ૧૨૫)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૧૪) અન્યાય સામે ઝઝૂમતા અમેરિકન નિગ્રો (અશ્વેતો)ને દમનમાંથી બહાર લાવવા ત્યારના ક્રિશ્ચિયનોએ કંઈ મદદ કરી નહોતી તથા અશ્વેતોના કારણે ત્યાં ગૃહયુદ્ધ ફાટી નિકળવાની અણી પર હતું ત્યારે, તે ક્રિશ્ચિયનોએ જ તેને નિષ્ફળ બનાવેલું. (ધર્મ પરિવર્તન કરતાં ક્રિશ્ચિયન ધર્મ ન સ્વીકારવાનું કદાચ આ પણ એક કારણ હશે.) (પા. નં. ૧૨૬)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૧૫) આંબેડકરને ભય હતો કે જો તેઓ મુસ્લિમ ધર્મ સ્વીકારશે તો દેશમાં મુસ્લિમ જનસંખ્યા વધી જવાનું જોખમ ઊભું થશે અને શીખ ધર્મ સ્વીકારશે તો ત્યાં દલિતો બીજા દરજ્જાના શીખ બની રહેશે. (પા. નં. ૧૨૬)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૧૬) નજરે જોનારા કહે છે કે, ધર્મ પરિવર્તનની ક્ષણે લાખોની મેદનીને સંબોધતા આંબેડકર બહુ લાગણીશીલ બની ગયેલા અને તેમનો અવાજ રૂંધાઈ ગયેલો. (પા. નં. ૧૨૮)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૧૭) વધુ પડતા વાંચન, લેખન, પ્રવાસ અને પ્રવચનોના કારણે આંબેડકરનું સ્વાસ્થ્ય કથળી ગયેલું. સંધિવા, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, પીંડીઓના દુખાવા સાથે એમનું જમવાનું પણ બહુ ઓછું થઈ ગયેલું. આબેડકર દંપતિએ દિલ્હીથી મુંબઈ આવવા તા.૧૪ ડિસેમ્બર ૧૯૫૬ના રોજની એરટિકિટ પણ બુક કરાવેલી...અને ૬ ડિસેમ્બર ૧૯૫૬ એ તો આંબેડકર સદાય માટે ચાલ્યા ગયા. (પા. નં. ૧૩૧)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૧૮) લખાણની ઝડપ, એની પ્રવાહિતી, ગુણવત્તા તથા તીવ્ર બુદ્ધિમતાયુક્ત પરિશ્રમી સ્વભાવના સાયુજ્યથી આંબેડકરે આપણા માટે એટલો મોટો વિચારવારસો છોડ્યો છે કે, એમણે લખવા સિવાય બીજું કંઈ ન કર્યું હોત તોય સદીઓ સુધી તેઓ યાદ રહેવાના છે. (પા. નં. ૧૩૩)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૧૯) પોતાની કોઈ ભૂલ વિના ડગલે ને પગલે જેણે અન્યાય સહ્યો છે તેને અધિકાર છે કે તે અન્યોથી અલગ પુરવાર થઈને રહે. લાગણીવેડા તેમને ગમતા નહિ. આ કારણે એમને ચાહનારા તો ઘણા હતા પણ મિત્રો બહુ ઓછા હતા. એક અર્થમાં રાજકારણ તેમને ફાવ્યું નહિ અને એ જ કારણે એમણે શરૂ કરેલા રાજકીય પક્ષો લાંબુ ચાલ્યા નહિ. (પા. નં. ૧૩૪)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૨૦) ભારત આવીને માર્ટિન લ્યૂથર કિંગને પણ અહેસાસ થયો હતો કે નિગ્રો અને દલિતોની સ્થિતિમાં ઘણી બધી સામ્યતા છે. એ જ દર્શાવે છે કે આંબેડકરના વિચારોનો વ્યાપ ક્યાં સુધી પહોંચ્યો હતો. (પા. નં. ૧૪૦)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૨૧) આ દેશે પહેલા એમને અપમાનિત કર્યા અને પછી ગૌરવાન્વિત કર્યા. એમને દલિતોના ઉદ્ધારક કહ્યા પણ એમના તેજાબી વિચારોને તો છૂપાવ્યા જ કર્યા. (પા. નં. ૧૪૧)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૨૨) દેશે તેમને અસ્પૃશ્યોના ઉદ્ધારક તરીકે અને બંધારણના ઘડવૈયા તરીકે તો સ્વીકાર્યા પણ તેમના રાજકીય અને આર્થિક વિચારોને ક્યાં સ્વીકાર્યા છે? (પા. નં. ૧૪૧)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૨૩) એમના જીવનનો એકમાત્ર મકસદ હતો, એમનો અસ્પૃશ્ય સમાજ સ્વમાનની જીંદગી જીવે. (પા. નં. ૧૪૩)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૨૪) આઝાદી માટેનો સંઘર્ષ બ્રિટીશ શાસનથી મુક્તિ માત્રનો ન હતો, બ્રિટીશરોના તુમાખીભર્યા-એકહથ્થુ કાયદો - વ્યવસ્થાના શાસનથી મુક્તિનો પણ હતો અને એમાંથી જ ‘Constitutional Morality- બંધારણીય નૈતિકતા’ ના આદર્શનો જન્મ થયો. આંબેડકરે બંધારણીય સભાની ચર્ચાઓમાં એનો અવારનવાર ઉલ્લેખ પણ કર્યો. એ શબ્દોનો ઉપયોગ આજે અદાલતોમાં ફેશનની જેમ થઈ રહ્યો છે ! (જો કે બંધારણીય નૈતિકતાનો સૌ પ્રથમ વિચાર અંગ્રેજ ઈતિહાસકાર જ્યોર્જ ગ્રોટેએ રજૂ કર્યો હતો) (પા. નં. ૧૪૭)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૨૫) એ આંબેડકર જ હતા જેઓ ૧૯૧૯ની સાઉથબરો કમિટિથી લઈ ૧૯૪૬ના કેબિનેટ મિશન સુધી ચાલેલી બંધારણીય રચવા માટેની કવાયતોમાં સામેલ હતા. (પા. નં. ૧૪૯)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૨૬) માત્ર અનુસૂચિત જાતિ/જનજાતિ માટેની જ અનામત બાદ ૧૯૯૦માં મંડલ કમિશન દ્વારા અન્ય પછાતવર્ગો માટે અનામતની જાેગવાઈ આવી, કિન્તુ કહેવું જોઈએ કે આંબેડકરનો ઉદ્દેશ તો અનામત દ્વારા જાતિઉચ્છેદનો હતો, જ્યારે હવે તો જાતિઓ જાણે મજબૂત થાય છે. (પા. નં. ૧૫૧)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૨૭) ૨૦૧૯માં બ્રિટીશ ટેલીવિઝન પર પ્રસારિત થયેલ દસ્તાવેજી ચિત્રમાં કહેવાયું કે બ્રિટનમાં વસતા ભારતીયોમાં પણ જાતિવાદનું તત્વ મોજૂદ છે. (પા.નં. ૧૬૭)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૨૮) આધુનિક પર્યાવરણ નિષ્ણાતો દેશના શોષિતો - દલિતો માટે ‘Environmental Justice-પર્યાવરણીય ન્યાય’ની પણ માંગ કરે છે. જેમાં તેમને શોષિતોના સારા સ્વાસ્થ્ય, કુદરતી સંશાધનોનો સમાન ઉપયોગ, ગટર સફાઈ ને માનવમળ ઉલેચવા જેવા ગંદા કામોથી મુક્તિ જેવા મુદ્દાઓ તથા વિકાસને નામે એમની વસાહતોને તંત્ર દ્વારા તહસનહસ કરવાના મુદ્દાઓ અભિપ્રેત છે. (પા. નં. ૧૬૯)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૨૯) રાજકીય પક્ષો દ્વારા એમના નામને પોતાના પક્ષ સાથે જોડવાની અને વોટ મેળવવાના હેતુ સર (રાજકીય લાભ લેવાને) તેમના વિચારોને અનુકૂળતા અનુસાર તપાસવાની અને બદલવાની આજે હોડ મચી છે. (પા. નં. ૧૮૦)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૩૦) રાજકીય વ્યૂહાત્મકતા માટે જાણીતા ભાજપાને ખબર છે કે, આંબેડકરને આગળ કર્યા વિના દલિતોના વોટ તેને મળી શકે તેમ નથી. સાથે જ તે ઉચ્ચ હિન્દુ વર્ગની તેની મજબૂત વોટબેન્કને પણ નારાજ કરી શકે તેમ નથી. (પા. નં. ૧૮૧)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૩૧) આજે આંબેડકરના નામે સંસ્થાઓ, એરપોર્ટ્‌સ, સ્મારક સ્થળો, સ્મારકો, યુનિવર્સિટીઓ બને છે અને આખેઆખા જિલ્લાઓના નામ તેમને મળે છે, પણ આ બધું ૫૦ વર્ષ પહેલાં થવું જોઈતું હતું. ખેર, આ જ એનું પ્રમાણ છે કે આંબેડકરનુ કદ કેટલું વિસ્તરેલું છે. (પા. નં. ૧૮૩)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૩૨) એક સમયનો તેમનો વિરોધી ઇજીજી પણ હવે તો આંબેડકરને હિન્દુ ધર્મની ત્રૂટિઓ સુધારનાર તરીકે જોઈને, હિન્દુ એકતાના પ્રતીક ગણે છે. ઇજીજી ના આગેવાનો આંબેડકર પર પુસ્તકો પણ લખી રહ્યા છે ! (પા. નં. ૧૮૩)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૩૩) આંબેડકરના સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, કાયદાશાસ્ત્ર અને ભારતના લોકતંત્ર પરના વિચારોને વાંચવા જેટલા મહત્વના છે, તે કરતાંય આ સંદર્ભે તેમણે લીધેલા એક્શનને સમજવા વધારે મહત્વના છે, અને આ પુસ્તક દ્વારા મારો એ પ્રયાસ છે. (પા. નં. ૧૯૧)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં પૂર્વ કેન્દ્રિય મંત્રી, તંત્રી-પત્રકાર-લેખક અરૂણ શૌરી એ ‘Worshing False Gods’ પુસ્તક દ્વારા કરેલી આંબેડકરની આકરી ટીકાઓ અને થરૂરે વાળેલા તેના પ્રત્યુત્તરો પર પણ એક નજર કરીએ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/ambedkarism-will-be-tested-in-2024-elections"><strong>2024ની ચૂંટણીમાં આંબેડકરવાદની કસોટી થશે</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શૌરીએ આરોપ મૂકતા કહ્યું છે ‘હકીકતોને તોડીમરોડીને આંબેડકરને ખોટી રીતે મહાન ચિતરવામાં આવ્યા છે તેમની ખોટી પૂજા થાય છે તેઓ અંગ્રેજો તરફી અને સ્વતંત્રતા વિરોધી હતા આઝાદી આંદોલનના તબક્કે જ્યારે જ્યારે નિષ્ફળતા મળી, તાળીઓ પાડનારાઓમાં આંબેડકર સામેલ હતા.સ્વતંત્રતા ચળવળને ખાળવા અને કોંગ્રેસીઓના વિરોધ માટે અંગ્રેજોને આંબેડકરનું વલણ અનુકૂળ આવતું હતું’ વગેરે વગેરે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સામે શશી થરૂરે વાળેલા પ્રત્યુત્તરો પણ જોઈએ. થરૂર લખે છેઃ  ‘શૌરીના આરોપો સામે આંબેડકરના શબ્દો જ પુરતા છે અને શૌરીને ખબર હોવી જોઈએ કે આંબેડકરની પહેલા પણ મહાત્મા ફુલે એ કહી ગયા છે કે, જ્યાં શૂદ્ર, આદિવાસી, ભીલ, માછીમાર સાચા અર્થમાં શિક્ષિત અને સ્વતંત્ર ન હોય તેને ‘રાષ્ટ્ર’ કહી શકાય નહી. બ્રિટીશ શાશકો ભલે ઉત્તમ પ્રશાસકો - વહીવટકર્તા ન હોય તો પણ ઉચ્ચવર્ગીય હિન્દુઓ દ્વારા અસ્પૃશ્યોની થતી સતામણી અને અત્યાચારની સરખામણીમાં તો આંબેડકરના મતે એ સારા જ હતા. આંબેડકરનું વલણ હંમેશા તર્કસંગત રહ્યું છે. જે વિદેશી શાસન પોતાના સમાજની તકલીફો ઓછી કરતું હોય અને તકો આપતું હોય, તો શા માટે એવા શાસનનો ઉપયોગ કોઈ ન કરે ? આંબેડકર તો માનતા જ હતા કે તેમના માટે રાજકીય કરતાં સામાજીક સ્વતંત્રતા વધારે મહત્વની છે. સ્વરાજની લડત શરૂ થઈ ત્યારે અસ્પૃશ્યોના મૂળભૂત અધિકારોની રક્ષા માટે કોઈ ચિંતા જ ન કરવામાં આવી, તો પછી એવું સ્વરાજ પણ અસ્પૃશ્યોને અને આંબેડકરને શા ખપનું હોય? કોંગ્રેસની સ્વતંત્રતાની લડાઈ, અસ્પૃશ્યોની મુક્તિ માટેની પણ લડાઈ છે, એમાં આંબેડકરને શંકા હતી અને તેથી જ ત્યારે એમણે કોંગ્રેસ પાસે સ્પષ્ટતા માંગેલી કે પહેલા એ કહો કે કોની આઝાદી? આંબેડકર ટીકાકારોથી વાકેફ હતા ને તોય અડગ રહ્યા, કેમકે એમને ખબર હતી કે તેઓ સાચા છે. આંબેડકર કહેતા કે અંગ્રેજોનું શાસન જશે એટલે ઉચ્ચ હિન્દુઓનું શાસન આવશે તો ત્યાં પણ અસ્પૃશ્યોની સ્થિતિ સુધરશે નહીં. તેઓ કહેતા કે ઉચ્ચવર્ગીય હિન્દુઓ જો અસ્પૃશ્યો પર અત્યાચાર કરશે, તો ફરિયાદ લઈને જનારા એ અસ્પૃશ્યો સામે શાસનમાં બેઠેલા હિન્દુઓ ન્યાય તો આપશે નહિ પણ એમના જ ભાઈઓને બચાવવાનું કામ કરશે. ડૉ. આંબેડકરની જેમ રાજા રામમોહન રોયે પણ બ્રિટીશ શાસનકાળમાં જ સમાજ - સુધારાની ચળવળ ચલાવી હતી. શું એમના પ્રદાનને પણ અવગણવાનું?’ વગેરે વગેરે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/manu-pratima-a-symbol-of-injustice-at-the-courthouse"><strong>મનુ પ્રતિમા - ન્યાયાલયના આંગણે અન્યાયનું પ્રતીક સાંખી લેવાય?</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થરૂર જેવા અભ્યાસી કંઈ લખે અને એમાં એમનો તુલનાત્મક અભિગમ ન આવે, એ તો વળી બને જ કેમ ?આ પુસ્તકમાં પણ તેમને આવા ચારેક મુદ્દા જડ્યા છે! (૧) તેમના મતે અનુસૂચિત જાતિ (દલિતો)ની તુલનામાં આંબેડકરે અનુસૂચિત જનજાતિ (આદિવાસીઓ)ની કંઈક ઓછી ચિંતા કરી છે. (૨) અસ્પૃશ્યોના ઉદ્ધારના મુદ્દે ઉચ્ચવર્ગીય હિન્દુઓનો સાથ લેવો કે છેડો ફાડી નાખવો? એ મુદ્દે આંબેડકર અવઢવમાં રહ્યા છે! (૩) મહાત્મા ગાંધીએ અસ્પૃશ્યતા નિવારણનું કાર્ય કર્યું હોવા છતાં અને તેમણે ખુદ એવી કબૂલાત કરી હોવા છતાં કે ‘એ મારી નિષ્ફળતા છે કે, હું તમારી (આંબેડકરની) નજીક આવી ન શક્યો. તમે કહો ત્યાં અને ત્યારે મળવા આવું’ આંબેડકર હંમેશા ગાંધી સામે કડવાશ જ રાખતા ગયા. એમનો ગાંધી વિરોધ વધારે પડતો હતો. (૪) દલિતોના ઉત્થાન માટે કાયદો-વ્યવસ્થાનું સચોટ પાલન કરી શકે તેવા કેન્દ્રિય શાસનના હિમાયતી આંબેડકર એ ભૂલી ગયા હતા કે મન-હૃદયથી પણ લોકોને જોડી શકાય છે. સંત ચોખામેલા, કબીર અને વિવેકાનંદ જેવાઓના પ્રદાનની શું કોઈ ગણતરી નહી?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ છતાં, પુસ્તકના અંતે થરૂર કહે છે તેમ આ ટીકાઓ તેથી આ પુસ્તકમાં વર્ણવેલી આંબેડકરની સિદ્ધિઓને જરાય ઓછી નથી કરતી. પ્રશંસા અને આલોચના તો માનવજીવન સાથે સહજ વણાઈ ગયેલ છે. સફળતા-નિષ્ફળતા વચ્ચે જ માનવી આગળ વધતો હોય છે. આંબેડકરને જ જુઓને. જ્યારે જ્યારે તેમને લાગ્યું કે તેમની અવગણના થઈ છે, ને ત્યારે તરત એક બીજી તક એમની પાસે આવીને ઊભી રહી છે. ૧૯૪૬ની ચૂંટણીઓમાં પોતે સાઈડલાઈન થયાનું અનુભવી  રહ્યા હતા તેના પછીના જ વર્ષે તેઓ ભારતના કેબીનેટ મંત્રી બન્યા ! પોતે જેનો વિરોધ કરતા રહ્યા એ કોંગ્રેસ આખરે સ્વતંત્રતા મેળવવામાં સફળ રહી, તો તુરત આંબેડકર ભારતીય બંધારણ સમિતિના અધ્યક્ષ બન્યા ! તેમણે રજૂ કરેલા હિન્દુ કોડ બીલનો વિરોધ થયો, તો પછી તુરત પોતાના લાખો અનુયાયીઓને તેઓ બૌદ્ધ ધર્મ તરફ દોરી જવામાં સફળ રહ્યા! અરે ! મૃત્યુ પણ તેમના વિચારોના ધસમસતા પ્રવાહને ખાળી ન શક્યું, આંબેડકર સતત અને સતત વિરાટ થતા જ ગયા થતા જ ગયા.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 12pt;"><em>‘Ambedkar: A Life’ (લેખકઃ શશી થરૂર), પ્રકાશક:લેફ બુક કંપની (રૂપા પબ્લીકેશન્સ), ૭/૧૬, અન્સારી રોડ, દરિયાગંજ, નવી દિલ્હી: ૧૧૦૦૦૨; પૃષ્ઠ-૨૨૬; કિંમત: રૂા. ૫૯૯.</em></span></strong></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong><em>(લેખક વરિષ્ઠ પત્રકાર અને પૂર્વ સંયુક્ત માહિતી નિયામક છે)</em></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/The-Constitution-of-India-begins-with-the-words-We-the-people-of-India,-meaning-that-India-is-not-a-creation-of-God">ભારતના બંધારણનો આરંભ ‘અમે ભારતના લોકો’ શબ્દોથી થાય છે, એનો અર્થ એ કે ભારત ઈશ્વરે સર્જેલી ઘટના નથી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com <span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 14 Apr 2024 10:57:30 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 13 Apr 2024 08:51:35 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>497</Articleid>
                    <excerpt>મહામાનવ-ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર પર સતત અને સતત લખાતું જ રહ્યું છે.  ‘Ambedkar: A Life’ દ્વારા થરૂરે આપણા ઈતિહાસપુરુષને આલેખવાનો પ્રયાસ કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_6619f696e9d54.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_6619f696bc495.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_6619f696bc495.jpg" length="88703" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>જલિયાવાલા બાગ હત્યાકાંડ સાથે જોડાયેલી ‘ખૂની બૈસાખી’ની કવિતા શું છે?</title>
                    <link>https://khabarantar.com/what-is-the-poem-of-khooni-baisakhi-associated-with-jalliawala-bagh-massacre</link>
                    <guid>https://khabarantar.com/what-is-the-poem-of-khooni-baisakhi-associated-with-jalliawala-bagh-massacre</guid>
                    <description>
                        <![CDATA[ જલિયાવાલા બાગ હત્યાકાંડ પર નાનકસિંહ નામના બહુજન કવિએ લખેલી ખૂની બૈસાખી કવિતા પર અંગ્રેજોએ પ્રતિબંધ મૂક્યો હતો. જે હવે 100 વર્ષ પછી પ્રકાશિત થઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જલિયાવાલા બાગના હત્યાકાંડને આજે 105 વર્ષ પુરા થઈ રહ્યાં છે. એ વખતે નાનકસિંહ નામના એક બહુજન પણ ત્યાં મોજૂદ હતા. તેમણે એ દર્દનાક અનુભવો પર ખૂની બૈસાખી નામથી એક લાંબી કવિતા લખી હતી, જેના પર અંગ્રેજોએ પ્રતિબંધ લાદ્યો હતો. હવે 100 વર્ષ બાદ આ કવિતા ફરી પ્રકાશિત થઈ છે. તેના પર જતા પહેલા સમગ્ર હત્યાકાંડ શું હતો તે જાણવું જરૂરી બની જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૦૫ વર્ષ પહેલાં ૯ એપ્રિલ ૧૯૧૯ની રામ નવમીની માટે હિંદુ-મુસ્લિમ-શીખ બધાં ભેગાં મળી અગાઉથી તૈયારી કરી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ. જાહેર સ્થળોએ અલગ અલગ પાણી-શરબત પીવાની વ્યવસ્થાને તોડી તમામ માટે એક જ જગ્યાએ, એક જ ઘડા-વાસણથી પાણી-શરબત પીધું હતું. જેમાં ડો. સૈફુદ્દીન કિચલૂ અને ડો. સત્યપાલની ભૂમિકા મહત્વની રહી હતી. રામનવમી દરમિયાન સાંપ્રદાયિક સૌહાર્દ અને ભાઈચારો જોઈ અંગ્રેજી હુકુમત હચમચી ગઈ હતી. ૭-૮ એપ્રિલ ૧૯૧૯ના રોજ, સમગ્ર શહેરના લોકોએ ઉત્સાહપૂર્વક રામ નવમીની ઉજવણી માટે વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું હતું. પંજાબના લેફ્ટનન્ટ-ગવર્નર સર માઈકલ ઓ'ડ્વાયર અમૃતસર અને પંજાબના અન્ય શહેરોમાં પ્રેમ અને મહોબ્બતની ભાવના જોઈને હેરાન થઈ ગયા હતા. તેમની સરકારે સ્થાનિક અખબારો પર પ્રતિબંધ મૂકવાના આદેશો જારી કર્યા અને અમૃતસરમાં ડૉ. સત્યપાલ સહિતના મુખ્ય નેતાઓને જાહેરમાં બોલવા પર પ્રતિબંધ મૂક્યો. આ શોભાયાત્રા દરમિયાન સામાન્ય નારાઓ સાથે 'હિંદુ-મુસલમાન કી જય'ના નારા લગાવવામાં આવ્યા હતા. આ તહેવાર હિન્દુ-મુસ્લિમ એકતાને આગળ વધારવા માટે એક આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો. વિવિધ સંપ્રદાયના લોકો એક જ ગ્લાસ-કપ-ઘડામાંથી જાહેરમાં અને પ્રદર્શનના માર્ગે પાણી-શરબત પીતા હતા. આ સંયુક્ત સંસ્કૃતિની ભાવના હતી જે અમૃતસરમાં રામ નવમીની ઉજવણીમાં પ્રગટ થઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/Bahujan-poet-Vishan-Kathads-next-song-Dastan-became-a-hot-topic-know-what-is-special-about-it"><strong>બહુજન સાહિત્યકાર વિશન કાથડનું આગામી ગીત ‘દાસ્તાન’ ચર્ચાસ્પદ બન્યું, જાણો શું છે તેની ખાસિયત</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બ્રિટિશ પ્રશાસકોની અસુરક્ષાને કારણે ડૉ. કિચલૂ અને ડૉ. સત્યપાલ સામે દેશનિકાલનો આદેશ અને અમૃતસર જઈ રહેલા ગાંધીજીના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. બ્રિટિશ સંસ્થાનવાદી સામ્રાજ્યવાદનો સામનો કરવા હિંદુઓ, શીખો અને મુસ્લિમો એકઠા થયા હતા. આપણે પણ રાષ્ટ્રવાદની મૂળ ભાવનાને યાદ કરીએ જેમણે માતૃભૂમિ માટે લડવા માટે એકબીજાના તહેવારો થકી વિવિધ સંપ્રદાયોના લોકોને એકસાથે એક મંચ પર લાવ્યા.વસાહતી સત્તા સામેના સંઘર્ષમાં દરેકને - તમામ જાતિ, સંપ્રદાય અને ધર્મના સ્ત્રી-પુરુષોને સામેલ કરવાનો પ્રયાસ કર્યો. એ પછી સ્થાનિક મસ્જિદમાં નમાઝ પઢાવનાર (ઈમામ) ગુલામ જિલાની હોય કે રામભાજ દત્ત, ગોકળચંદ, ધારા દાસ સૂરી, દુની ચંદ અને અન્યોએ  સરકાર વિરુદ્ધ હિંદુઓ અને મુસ્લિમોના ભાઈચારાને પ્રોત્સાહન આપ્યું હતું અને રામનવમી તહેવારના આયોજન બદલ અંગ્રેજોનો ત્રાસ સહન કરવો પડ્યો હતો. </span><br><span style="font-size: 14pt;">સમગ્ર પંજાબમાં શોભાયાત્રાઓમાં હિંદુઓ, મુસ્લિમો અને શીખોએ સાથે મળીને બ્રિટિશ સરકારના પાયાને હલાવી દીધા હતા. તે ત્રણ દિવસ પછી  'બૈસાખી' નો તહેવાર આવતો હોઈ રામ નવમીની જેમ જ કોમી એકતા, ભાઈચારા અને પ્રેમના વાતાવરણનું જોખમ લઈ શકે એમ ન હોતા, તેથી માર્શલ લૉ જાહેર કરવામાં આવ્યો અને જલિયાંવાલા બાગમાં સેંકડો નિઃશસ્ત્ર હિંદુઓ, મુસ્લિમો અને શીખોને ઠંડા કલેજે ઠાર કરવામાં આવ્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્વાતંત્ર્ય ચળવળના ઈતિહાસમાં,૧૩ એપ્રિલ, ૧૯૧૯ નો દિવસ આંસુઓથી તરબોળ છે, જ્યારે અંગ્રેજોએ અમૃતસરના જલિયાંવાલા બાગ ખાતે નિઃશસ્ત્ર ભારતીયોની સભા પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને સેંકડો નિર્દોષ લોકોની હત્યા કરી હતી. મૃત્યુ પામેલાઓમાં માતાની છાતીમાં ચોંટેલા દૂધપીતા બાળકો, જીવનની સંધ્યાએ દેશની આઝાદીના સપના જોતા વૃદ્ધો અને દેશ માટે બધું ખર્ચવા તૈયાર યુવાનો હતા. આ ઘટનાએ ઉધમસિંહને હચમચાવી નાખ્યાં અને તેમણે અંગ્રેજો સામે બદલો લેવાનું નક્કી કર્યું. હિંદુ, મુસ્લિમ અને શીખ એકતાનો પાયો નાખનાર ઉધમ સિંહ ઉર્ફે રામ મુહમ્મદ આઝાદ સિંહે આ ઘટના માટે જનરલ માઈકલ ઓ'ડાયરને જવાબદાર માન્ય, જે તે સમયે પંજાબ પ્રાંતનો ગવર્નર હતો. ગવર્નરના આદેશ પર બ્રિગેડિયર જનરલ રેજિનાલ્ડ એડવર્ડ હેરી ડાયરે 90 સૈનિકો સાથે જલિયાવાલા બાગને ઘેરી લીધું અને બંદૂકોથી ગોળીબાર કરાવ્યો.</span><br><span style="font-size: 14pt;">અમર શહીદ ઉધમ સિંહે પંજાબના ભયાનક જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે જવાબદાર માઈકલ ઓ'ડાયરને લંડનમાં જઈ ગોળી મારીને હત્યા કરી નિર્દોષ ભારતીય લોકોના મૃત્યુનો બદલો લીધો હતો.</span><br><span style="font-size: 14pt;">મે, ૧૯૧૯ માં ભારત તરફથી પહેલું પ્રતિનિધિ મંડળ જ્યારે લેનિનને મળ્યું હતું, જેમાં રાજા મહેન્દ્ર પ્રતાપ, મૌલવી બરકતુલ્લાહ, મૌલવી અબ્દુલ રબ, પ્રતિવાદી ભયંકર આચાર્ય, દિલીપસિંહ ગિલ અને ઇબ્રાહીમ સામેલ હતા. એ વખતે તરત જ ‘અમૃત બજાર પત્રિકા’ને પત્ર લખીને જલિયાંવાલા બાગ હત્યાકાંડ પર સોલિડારીટી દર્શાવી હતી.</span><br><span style="font-size: 14pt;">૧૯૧૯ના જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી સાંપ્રદાયિક દંગાઓનો બ્રિટિશ સરકારે ખૂબ પ્રચાર પ્રસાર શરૂ કર્યો. તેની અસર હેઠળ ૧૯૨૪માં કોહાટમાં ખૂબ જ અમાનવીય ઢંગથી હિન્દુ-મુસ્લિમ દંગા થયા. તે પછી રાષ્ટ્રીય રાજનીતિક ચેતનામાં સાંપ્રદાયિક દંગા પર લાંબી ચર્ચાઓ ચાલી. તેને સમાપ્ત કરવાની જરૂર તો સૌએ મહેસૂસ કરી, કોંગ્રેસી નેતાઓએ તો હિન્દુ-મુસ્લિમ નેતાઓમાં સમાધાન પત્રો લખાવીને દંગાઓ રોકવા માટે પ્રયત્નો પણ કર્યા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/Raghala,-Matars-boy-does-not-have-a-groom,-have-you-seen-this-Benali"><strong>રઘલા, મેતરના છોકરાને વરઘોડો ન હોય, આ બેનાળી જોઈ છે...?</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવા અવસર પર ભગતસિંહે પોતાના વિચારો મૂક્યા – “ભારતવર્ષની દશા આ વખતે ખૂબ જ દયનીય છે. એક ધર્મનો અનુયાયી બીજા ધર્મના અનુયાયીઓના જાની દુશ્મન છે. હવે તો એક ધર્મનું હોવું જ બીજા ધર્મનું કટ્ટર દુશ્મન હોવું છે. જો આ વાત નો હાલ ભરોસો ન હોય તો, લાહોરના તાજા દંગા જ જોઈ લો. કેવી રીતે મુસલમાનોએ નિર્દોષ શીખો-હિન્દુઓને માર્યા છે અને કેવા પ્રકારે શીખો-હિંદુઓએ પણ કોઈ કસર છોડી નથી. આ માર-કાટ એ માટે નથી કરવામાં આવી કે ફલાણો આદમી દોષી છે,પરંતુ એ માટે કે ફલાણો આદમી હિન્દુ છે યા શીખ યા મુસલમાન છે. બસ, કોઈ પણ વ્યક્તિનું શીખ યા હિન્દુ હોવું મુસલમાનો દ્વારા મારવા માટે કાફી હતું અને એ જ રીતે કોઈ વ્યક્તિનું મુસલમાન હોવું જ શીખ-હિન્દુ માટે જાન લેવા માટે પર્યાપ્ત તર્ક હતું. આવી સ્થિતિમાં હિન્દુસ્તાનનું ભવિષ્ય ખૂબ જ અંધકારમય નજર આવે છે. આ 'ધર્મો' એ હિન્દુસ્તાનનો બેડો ગર્ક કરી દીધો છે. અને હજી ખબર નથી કે આ ધાર્મિક દંગાઓ ભારતવર્ષનો પીછો ક્યારે છોડશે? આ દંગાઓએ સંસારની નજરોમાં ભારતને બદનામ કરી દીધું છે અને આપણે જોયું છે કે આ અંધવિશ્વાસના વહેણમાં બધા જ વહી જાય છે. કોઈ બિરલા જે હિંદુ, મુસલમાન યા શીખ હોય છે, જે પોતાનું દિમાગ ઠંડું રાખે છે, બાકી ડંડા - લાકડીઓ, તલવાર-છુરા હાથમાં પકડી લે છે અને અંદરો-અંદર માથા કાપી-કાપીને મરી જાય છે. બાકી બચેલા થોડા તો ફાંસી પર ચડી જાય છે અને થોડાક જેલોમાં ફેંકી દેવામાં આવે છે. આટલું રક્તપાત થવા પર 'ધર્મજનો' પર અંગ્રેજી સરકાર દ્વારા ડંડાઓ વરસે છે અને પછી તેમના દિમાગનો કીડો ઠેકાણે આવી જાય છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભગતસિંહ આગળ લખે છે, “જ્યાં સુધી જોવામાં આવ્યું છે, આ દંગાઓ પાછળ સાંપ્રદાયિક નેતાઓ અને અખબારોનો હાથ છે. આ સમયે હિન્દુસ્તાનના સાંપ્રદાયિક નેતાઓએ એવું નેતૃત્વ કર્યું છે કે ચુપકીદી ભલી. એ જ નેતાઓ જેમણે ભારતને સ્વતંત્ર કરાવવાનો બીડું પોતાના માથા પર ઉપાડેલ હતું અને જે 'સ્વરાજ-સ્વરાજ' ની બડાઈ મારતા થાકતા ન હતા, તે જ પોતાના માથા યા તો સંતાડેલા ચૂપચાપ બેઠા છે અથવા આ જ ધર્માંધતાના વહેણમાં વહી જઈ રહ્યા છે. માથા સંતાડીને બેસનારાઓની સંખ્યા પણ શું ઓછી છે? પરંતુ આવા નેતાઓ જે સાંપ્રદાયિક આંદોલનમાં જઈને ભળી ચૂક્યા છે, આમ તો જમીન ખોદવાથી સેંકડો મળી આવે છે. જે નેતાઓ હૃદયથી સૌનું ભલું ઈચ્છે છે, એવા ખૂબ જ ઓછા છે અને સાંપ્રદાયિકતાની એવો પ્રબળ પૂર આવેલો છે કે તેઓ પણ તેને રોકી શકતા નથી.એવું લાગે છે કે ભારતમાં નેતૃત્વનું દેવાળું ફુંકાઈ ગયું છે. બીજા સજ્જન જે સાંપ્રદાયિક દંગાને ભડકાવવામાં વિશેષ ભાગ લેતા રહે છે તે અખબારવાળાઓ છે. પત્રકારિતાનો વ્યવસાય જે એક વખતે ખૂબ જ ઊંચો સમજવામાં આવતો હતો, આજે ખૂબ જ ગંદુ થઈ ગયું છે. આ લોકો એક-બીજાની વિરુદ્ધ મોટા-મોટા શીર્ષકો આપી લોકોની ભાવનાઓ ભડકાવે છે અને પરસ્પર ભોડા-ભીટકાવે છે. એક-બે જગ્યાએ જ નહીં, કેટલીયે જગ્યાઓ પર એટલે જ દંગાઓ થાય છે કે સ્થાનિક અખબારોએ ખૂબ જ ઉત્તેજનાપૂર્ણ લેખો લખ્યા છે. એવા લેખક, જેમનું દિલોદિમાગ આવા દિવસોમાં પણ શાંત રહ્યું હોય, ખૂબ જ ઓછા છે. અખબારોનું કર્તવ્ય શિક્ષણ આપવું,લોકોમાંથી સંકીર્ણતા નીકાળવી,સાંપ્રદાયિક ભાવનાઓ દૂર કરવી, પરસ્પર મેળ-મિલાપ વધારવું અને ભારતની સામાન્ય રાષ્ટ્રીયતા બનાવવી હતી,પરંતુ એમણે તેમનું મુખ્ય કર્તવ્ય અજ્ઞાનતા ફેલાવવી, સંકીર્ણતાનો પ્રચાર કરવો,સાંપ્રદાયિક બનાવવું, લડાઈ-ઝઘડા કરાવવા અને ભારતની રાષ્ટ્રીયતાને નષ્ટ કરવા બનાવી લીધું છે.આ જ કારણ છે કે ભારતવર્ષની વર્તમાન દશા પર વિચાર કરી આંખોથી લોહીના આંસુ વહેવા લાગે છે, અને દિલમાં સવાલ ઉઠે છે કે 'ભારતનું શું થશે?”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"આ ખુશીના સમાચાર અમારા કાને પડ્યા છે કે ભારતના નવયુવકો હવે એવા ધર્મોથી, જે પરસ્પર લડાવવા તેમજ ધૃણા કરવાનું શીખવે છે તેનાથી તંગ આવીને હાથ ધોઈ રહ્યા છે અને એમનામાં એટલું ખુલ્લાપણું આવી ગયું છે કે તે ભારતના લોકોને ધર્મના નજરથી હિન્દુ-મુસલમાન યા શીખના સ્વરૂપે નહીં, પરંતુ બધાને પહેલા માણસ સમજે છે પછી ભારતવાસી. ભારતના યુવકોમાં આ વિચારોના પેદા થવાથી માલુમ થાય છે કે ભારતનું ભવિષ્ય સોનેરી છે અને ભારતવાસીઓને આ દંગા વગેરેને જોઈને ગભરાવવું જોઈએ નહીં, બલ્કે તૈયાર થઈને પ્રયત્ન કરવો જોઈએ કે આવું વાતાવરણ બને, જેથી દંગાઓ જ ન થાય. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/He-said-that-if-the-village-eats,-then-you-too-should-come-to-eat-the-way-you-have-always-come.-Now-means-forever"><strong>એમણે કહ્યું કે ગામ જમે છે તો તમે પણ ‘કાયમ આવો છો એ રીતે’ જમવા આવજો. હવે કાયમની જેમ એટલે?</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુભદ્રા કુમારી ચૌહાણે વસંતને આહ્વાન કરતાં કહ્યું કે જો વસંત જલિયાંવાલા બાગ આવે તો કેવી રીતે આવે? કારણ કે જલિયાંવાલા બાગ શોકનું પ્રતીક છે અને વસંત (નવો ઉત્સાહ અને ઉમંગ) ખુશીઓનું. કવયિત્રી જલિયાંવાલા બાગમાં વસંતનું આગમન ગમતું નથી, પરંતુ વસંતને આવતાં કોઈ રોકી શકતું નથી, તેથી વસંતને સંબોધતી વખતે કવિયત્રી પ્રાર્થના કરે છે કે હે વસંત! જ્યારે પણ તું જલિયાંવાલા બાગ આવે, ખૂબ શાંતિથી આવજે,  કારણ કે અહીં એવું ઘણું બન્યું છે  જેનાથી જૂનમાં નાના પુરુષો,  સ્ત્રીઓ, બાળકો મૃત્યુના ખોળામાં સૂઈ ગયા હતા. આ બગીચામાં તમારું સ્વાગત છે, પરંતુ જ્યારે પણ તમે આ બગીચામાં આવો ત્યારે એ વાતનું ધ્યાનમાં રાખજો કે આ જગ્યાએ શું થયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">जलियाँवाला बाग में बसंत </span><br><span style="font-size: 14pt;"> </span><br><span style="font-size: 14pt;">यहाँ कोकिला नहीं, काग हैं, शोर मचाते,</span><br><span style="font-size: 14pt;">काले काले कीट, भ्रमर का भ्रम उपजाते।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">कलियाँ भी अधखिली, मिली हैं कंटक-कुल से,</span><br><span style="font-size: 14pt;">वे पौधे, व पुष्प शुष्क हैं अथवा झुलसे।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">परिमल-हीन पराग दाग़ सा बना पड़ा है,</span><br><span style="font-size: 14pt;">हा! यह प्यारा बाग़ ख़ून से सना पड़ा है।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ओ, प्रिय ऋतुराज! किन्तु धीरे से आना,</span><br><span style="font-size: 14pt;">यह है शोक-स्थान यहाँ मत शोर मचाना।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">वायु चले, पर मंद चाल से उसे चलाना,</span><br><span style="font-size: 14pt;">दुःख की आहें संग उड़ा कर मत ले जाना।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">कोकिल गावें, किन्तु राग रोने का गावें,</span><br><span style="font-size: 14pt;">भ्रमर करें गुंजार कष्ट की कथा सुनावें।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">लाना संग में पुष्प, न हों वे अधिक सजीले,</span><br><span style="font-size: 14pt;">तो सुगंध भी मंद, ओस से कुछ कुछ गीले।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">किन्तु न तुम उपहार भाव आ कर दिखलाना,</span><br><span style="font-size: 14pt;">स्मृति में पूजा हेतु यहाँ थोड़े बिखराना।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">कोमल बालक मरे यहाँ गोली खा कर,</span><br><span style="font-size: 14pt;">कलियाँ उनके लिये गिराना थोड़ी ला कर।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">आशाओं से भरे हृदय भी छिन्न हुए हैं,</span><br><span style="font-size: 14pt;">अपने प्रिय परिवार देश से भिन्न हुए हैं।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">कुछ कलियाँ अधखिली यहाँ इसलिए चढ़ाना,</span><br><span style="font-size: 14pt;">कर के उनकी याद अश्रु के ओस बहाना।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">तड़प तड़प कर वृद्ध मरे हैं गोली खा कर,</span><br><span style="font-size: 14pt;">शुष्क पुष्प कुछ वहाँ गिरा देना तुम जा कर।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">यह सब करना, किन्तु यहाँ मत शोर मचाना,</span><br><span style="font-size: 14pt;">यह है शोक-स्थान बहुत धीरे से आना।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પંજાબની ધરતી પ્રાચીન સમયથી સમૃદ્ધ છે. પંજાબના ખેડૂતો અને લહેરાતા ખેતરોની વાત હોય કે પછી દેશ માટે બલિદાન આપનાર બહાદુર સપૂતોની વાત હોય કે પછી જનચેતનામાં ક્રાંતિની જ્યોત પ્રજ્વલિત કરનાર સાહિત્યની વાત હોય, પંજાબ રાજ્ય શરૂઆતથી જ સમૃદ્ધ રહ્યું છે. સમાજ અને દેશ માટે પોતાનું બલિદાન આપ્યું. પંજાબના સાહિત્યકારોએ તેમની મહત્વની કૃતિઓથી પંજાબી-હિન્દી સાહિત્યને માત્ર સમૃદ્ધ જ બનાવ્યું નહીં, પરંતુ તેમણે બ્રિટિશ શાસનનો વિરોધ કરવા માટે તેમની કલમનો પણ ઉપયોગ કર્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અંગ્રેજો નાનક સિંહની કવિતા "ખૂની બૈસાખી" થી ડરી ગયા હતા - અંગ્રેજોએ જલિયાવાલા બાગમાં જે નરસંહાર કર્યો હતો તે ક્યારેય ભૂલી શકાય નહીં. જનરલ ડાયરની આ ક્રૂરતાને નજીકથી જોનારા અને અનુભવનારા બે લોકો હતા જે લાશોના ઢગલામાં બચી ગયા હતા. તેમાંથી એક ઉધમ સિંહ અને બીજા નાનક સિંહ હતા. કહેવાય છે કે ૧૩ એપ્રિલ ૧૯૧ના રોજ બૈસાખીના દિવસે જલિયાંવાલા બાગમાં ભારતીય આગેવાનો રોલેટ એક્ટ વિરુદ્ધ ભાષણ આપી રહ્યા હતા, તે સમયે ૨૨ વર્ષના નાનક સિંહ પણ ત્યાં જ હાજર હતા. ગોળીબારમાં નાનક સિંહ બેહોશ થઈ ગયા હતા. પરંતુ તેમણે આ ક્રૂરતા નજીકથી જોઈ અને અનુભવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નાનક સિંહે જલિયાંવાલા હત્યાકાંડના લગભગ એક વર્ષ પછી ૧૯૨૦માં 'ખૂની બૈસાખી' નામની લાંબી કવિતા લખી. તેમણે આ કવિતા પંજાબીમાં લખી. નાનક સિંહની આ કવિતા અંગ્રેજો સામેની ચળવળમાં ક્રાંતિકારીઓને પ્રોત્સાહિત કરનારી હતી. કવિતાના પ્રકાશનના થોડા સમય પછી અંગ્રેજોએ "ખૂની બૈસાખી" કવિતાને બ્રિટિશ સરકાર વિરુદ્ધ હોવાનું માની તેના પર પ્રતિબંધ મૂક્યો અને તેની મૂળ નકલ જપ્ત કરી લીધી હતી. એમાંની પાંચ હિંદી અનુવાદિત કવિતાઓ.. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">जुबां को ताड़ना</span><br><span style="font-size: 14pt;">******</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ऐ जुबां खामोश वरना काट डाली जाएगी।</span><br><span style="font-size: 14pt;">खंजर-ए-डायर से बोटी छांट डाली जाएगी।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">चापलूसी छोड़कर गर कुछ कहेगी, साफ तू,</span><br><span style="font-size: 14pt;">इस खता में मुल्क से फौरन निकाली जाएगी।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">देख गर चाहेगी अपने हमनशीनों का भला,</span><br><span style="font-size: 14pt;">बागियों की पार्टी में तू भी डाली जाएगी।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">गर इरादा भी किया आजाद होने के लिए,</span><br><span style="font-size: 14pt;">मिसले अमृतसर मशीन-ए-गन मंगा ली जाएगी।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">गर जरा सी की खिलाफत तू ने रौलट बिल की,</span><br><span style="font-size: 14pt;">मार्शल लॉ की दफा तुम पर लगा दी जाएगी।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">मानना अपने ना हरगिज़ लीडरों की बात तू</span><br><span style="font-size: 14pt;">वरना सीने पे तेरे मारी दुनाली जाएगी।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">खादिमाने मुल्क की मजलस में गर शिरकत हुई,</span><br><span style="font-size: 14pt;">दी सजा जलियां वाले बाग वाली जाएगी।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">हिन्दीओं को इनाम</span><br><span style="font-size: 14pt;">******</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">नहीं कोई दुनिया में सानी तुम्हारी।</span><br><span style="font-size: 14pt;">चलो देख ली हुक्मरानी तुम्हारी।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">नफा कुछ न कानून रौलट से पाया,</span><br><span style="font-size: 14pt;">बढ़ा दी मगर बदगुमानी तुम्हारी।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">हवाई जहाजों से गोले गिराना,</span><br><span style="font-size: 14pt;">न भूलेंगे हम मेहरबानी तुम्हारी।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">सिले में फतेह की दिया मार्शल लाअ,</span><br><span style="font-size: 14pt;">मिली है फक्त ये निशानी तुम्हारी।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">असर आह का जब कि होगा हमारी,</span><br><span style="font-size: 14pt;">बहाएगी आंख खुद पानी तुम्हारी।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ये खून बेकसों का बावक्ते जरूरत,</span><br><span style="font-size: 14pt;">सुनाएगा किस्सा जबानी तुम्हारी।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">अदालत के द्वार में जब अदल होगा,</span><br><span style="font-size: 14pt;">न काम आएगी खून फिशानी तुम्हारी।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">धार खंजर की</span><br><span style="font-size: 14pt;">*****</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">सुना है तेज़ करते हैं दोबारा धार खंजर की।</span><br><span style="font-size: 14pt;">करेंगे आजमाइश क्या मुकर्रर वो मेरे सिर की।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">सबब पूछा तो यों बोले नहीं जाहिर खता कोई,</span><br><span style="font-size: 14pt;">मगर कुछ दीख पड़ती है शरारत दिल के अंदर की।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">उजाड़े घोंसले कितने चमन बर्बाद कर डाले,</span><br><span style="font-size: 14pt;">शरारत उसकी नस-नस में भरी है खूब बंदर की।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">चलेंगी कब तलक देखें ये बन्दर घुरकियां उन की,</span><br><span style="font-size: 14pt;">नचाएगी उन्हें भी एक दिन लकड़ी कलंदर की।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">मेरे दर्द-ए-जिगर में, आह में, नाले में, शीवन में,</span><br><span style="font-size: 14pt;">नजर आती है हर जा सूरते जालिम सितमगर की।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">खामीदा करके गर्दन को कहां तंग आजमाई हो,</span><br><span style="font-size: 14pt;">रहेगी कब्जा-ए-कातिल में खाली मूठ खंजर की।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">भारत माता का विलाप</span><br><span style="font-size: 14pt;">********</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">गैर सूरत है मेरी देखने आए कोई।</span><br><span style="font-size: 14pt;">कौन है किस्सा-ए-गम जिस को सुनाए कोई।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">कहती है रो-रो के हर इक पे ये भारत माता,</span><br><span style="font-size: 14pt;">मुझे कमजोर समझ कर न सताए कोई।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">दूध बचपन में सपूतों को पिलाया मैंने,</span><br><span style="font-size: 14pt;">अब बुढ़ापे में दवा मुझ को पिलाए कोई।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">खौफ ऐसा है कि चलने से गिरी जाती हूँ,</span><br><span style="font-size: 14pt;">दोनों हाथों से मुझे आ के उठाए कोई।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">मैंने बिगड़ी हुई तकदीर बनाई सब की,</span><br><span style="font-size: 14pt;">मेरी बिगड़ी हुई तकदीर बनाए कोई।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">मैंने बचपन में बहुत नाज उठाए सब के,</span><br><span style="font-size: 14pt;">अब बुढ़ापे में मेरा नाज उठाए कोई।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ख्वाबे गफलत में पड़े सोते हैं अहले वतन,</span><br><span style="font-size: 14pt;">होश मे लाए कोई, इन को जगाए कोई।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">प्यारा वतन होगा</span><br><span style="font-size: 14pt;">******</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">जब अपना बागबां होगा चमन अपना चमन होगा।</span><br><span style="font-size: 14pt;">तो फिर फसले बहार आएगी पहला सा चमन होगा।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">मनाही फिर न होगी बुलबुलों को चहचहाने की,</span><br><span style="font-size: 14pt;">जुबां अपनी जुबां होगी दहन अपना दहन होगा।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">गुलामी की कटेंगी बेड़ियां सारी मगर उस दिन,</span><br><span style="font-size: 14pt;">निछावर जब वतन पे अपना तन-मन और धन होगा।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">निकल जाएगा जिस दिन खौफ दिल से जान जाने का,</span><br><span style="font-size: 14pt;">शहादत को झुकी गर्दन बंधा सिर पर कफन होगा।</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">अगर हम हुक्म गांधी पर रहे आए कमर बस्ता,</span><br><span style="font-size: 14pt;">रिहा सय्याद के पंजे से फिर प्यारा वतन होगा।</span></p>
<p><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>હિદાયત પરમાર </strong></span><strong><span style="font-size: 12pt;"><em>(લેખક વ્યવસાયે કમ્પ્યુટર એન્જિનિયર છે અને બહુજન સાહિત્યના અભ્યાસુ છે.)</em></span></strong></span><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 12pt;"><em></em></span></strong></span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Two-satyagrahas-from-ancient-history-which-are-not-remembered-despite-fighting-for-human-rights">અર્વાચીન ઈતિહાસના બે સત્યાગ્રહો, જે માનવાધિકાર માટે લડાયા હોવા છતાં યાદ કરાતા નથી</a></span></strong></span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 13 Apr 2024 11:56:05 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 13 Apr 2024 11:24:48 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>499</Articleid>
                    <excerpt>જલિયાવાલા બાગ હત્યાકાંડ પર નાનકસિંહ નામના બહુજન કવિએ લખેલી ખૂની બૈસાખી કવિતા પર અંગ્રેજોએ પ્રતિબંધ મૂક્યો હતો. જે હવે 100 વર્ષ પછી પ્રકાશિત થઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_661a19b75406f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_661a19b724390.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_661a19b724390.jpg" length="49398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>પાંજરાપોળો બંધાવનારા ગૌચરની જમીન પરના દબાણ વખતે કેમ ચૂપ રહે છે?</title>
                    <link>https://khabarantar.com/why-do-cage-builders-remain-silent-when-pressured-on-the-ground-by-gauchers</link>
                    <guid>https://khabarantar.com/why-do-cage-builders-remain-silent-when-pressured-on-the-ground-by-gauchers</guid>
                    <description>
                        <![CDATA[ પાંજરાપોળોનું નિર્માણ કરીને પુણ્યનું કામ કર્યાનો સંતોષ માનતો વર્ગ પશુઓના ચરિયાણની જગ્યા પર કોમર્શિયલ કોમ્પલેક્ષ બને તેનો કેમ વિરોધ કરતો નથી વાંચો તાર્કિક જવાબ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘણાં વર્ષો પહેલાં હું વઢવાણ ગયો હતો. જૂનું શહેર. લોકવાયકા છે કે પહેલાં એનું નામ વર્ધમાનનગર હતું ને અપભ્રંશ થઈને વઢવાણ થઈ ગયું. પાસેનાં સુરેન્દ્રનગરનો વિકાસ થયો અને વઢવાણ ત્યાંનું ત્યાં જ રહ્યું. ઘસાઈ જવાથી એવું લાગે જાણે કે તેની ભવ્યતા સામંતી ઈતિહાસનાં કોઈ જૂનાં પુસ્તકમાં બંધ થઈને રહી ગઈ હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મને કોઈએ કહ્યું કે અહીંની જૂની પાંજરાપોળ જોવા જેવી છે. જ્યાં ગાય, ભેંસ, ઘોડા તો ઠીક; કોઈ જીવજંતુ ને ય મારી નાખવાનું પાપ કરવાને બદલે તેને ડબ્બીમાં સાચવી જીવદયાપ્રેમીઓ મૂકી જાય છે. અનાજ- લોટમાંથી વીણેલાં ધનેડાં પણ મૂકી જાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૂંગા પશુઓ-જીવજંતુ તરફનો દયાભાવ, તેમને મારવું એ પાપ છે એવી ધાર્મિક ભાવનામાંથી, વિશેષ કરીને જૈન ધર્મમાં જે અહિંસાની વાત છે ત્યાંથી આવેલો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રાણી, પક્ષી, મૂંગાજીવ પ્રત્યે દયાભાવ રાખવો એ ખોટું તો હરગીઝ નથી જ પણ પ્રશ્ન ત્યારે થાય કે આવી જ કોઈ પાંજરાપોળ જે વિશાળ જમીનમાં પથરાયેલી હોય કે ગામના ઢોર પશુઓના ચરાણ માટે ગૌચરની મોટી જમીન હોય અને ત્યાં કોઈ ધનપતિ, રાજકીય નેતાઓ ને સંચાલકોના મેળાપીપણામાં તેને ખરીદી લઈ ત્યાં મોટ્ટો મોલ કે કોમર્શિયલ બહુમાળી બિલ્ડિંગો ઊભા કરી દેવા માંડે ત્યારે કેટલા લોકો તેનો ભારોભાર વિરોધ કરવા, સત્તાધારીઓની સામે લડવા મેદાને પડે છે? અને આ 'સોદા' ને લઈ આંખમિચામણા કરતાં લોકોને ચૂપ રહેતાં લોકોને કોઈ 'પાપી' કહેશે ખરું?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/all-my-literature-written-in-blood-will-speak-joseph-mcewan"><strong>લોહીની કલમે લખાયેલું મારું સઘળું સાહિત્ય બોલતું રહેશેઃ જૉસેફ મૅકવાન</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કદાચ એવું જરૂર કોઈ કહેનાર ધાર્મિક વ્યક્તિ નીકળે કે 'મૂંગા પશુઓની જગા વેચી નાંખનાર, પાપમાં પડનાર મૂઆ નર્કે જશે! ઉપરવાળો બધું જુએ છે!'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ આ બધો ખેલ જોનારા જે આ અગાઉ પાપ ના લાગે એમ માની ખોડાઢોર કે ઘવાયેલાં પંખી કે પ્રાણીઓ પાંજરાપોળમાં મૂકવા ગયા હશે કે જતાં હશે યા આ પાંજરાપોળનાં રખરખાવ માટે નાણાંકીય મદદ કે ઘાસપૂળાં ખરીદીને આપ્યાં હશે. એવાં બધાંની ચૂપકીદીને આપણે 'પાપ' કેમ નથી કહેતાં?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પ્રકારના સવાલ એટલા માટે ઊભા થાય છે કે સમાજમાં આવી ઘણી બાબતો છે. મંદિર બહાર કે રસ્તા પર ભીખ માંગતા કે ભૂખ્યા અજાણ્યા વ્યક્તિને ક્યારેય આપણે કે કોઈક વારતહેવારે દાન આપી, ખાવાનું આપી આપણે સંતોષ અનુભવીએ છીએ કે ગરીબોને દાન આપવું, ભૂખ્યાને અન્ન આપવું એ 'પુણ્ય'નું કામ છે, માનવતા નું કામ છે અને ધર્મમાં તે લખાયું છે કહેવાયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પ્રકારની માન્યતા ને ખ્યાલો માત્ર આપણા દેશમાં જ છે એવું નથી. દુનિયાના દરેક ખૂણામાં, દરેક ધર્મ પાળતાં લોકોમાં જોવા મળે છે. પણ ભીખારીઓ કેમ છે? કેમ આટલાં બધાં લોકો કામધંધા વગરનાં છે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમે રસ્તે લારી પર મિત્રો સાથે કંઈક ચટાકેદાર ખાતાં હો ત્યારે કોઈક બાળક ભૂખ્યા પેટે તમારી સામે ટગર ટગર જોયાં કરતું હોય ત્યારે કેમ આપણા મનમાં પ્રશ્ન નથી થતો કે આવાં બધાં બાળકોને કેમ રોજ તેમનાં પોતાનાં ઘરમાં બે ટાઇમ પેટ ભરીને ખાવાનું નહીં મળતું હોય?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધાર્મિક નેતા કે બાવા તો તરત આવા પ્રશ્નનો જવાબ આપી દેશે કે એ તો એમનું ગયા જનમનું પાપ! કંઈક પાપ કર્યું હશે તે એને ભગવાને આ જનમમાં આવી સજા આપી હશે! એક બાજુ ભૂખ્યાંને જમાડવા એ પુણ્યનું કામ ને માનવતાનું કામ ગણાય ને બીજી બાજુ એ બધાં ભૂખ્યાં એટલે છે કે ગયા જનમમાં એ ભૂખ્યાઓએ પાપ કર્યા હશે! આ બન્ને વાત એકબીજા સાથે મેળ ખાનારી છે ખરી?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવાં પરસ્પર વિરોધી ઘણા મુદ્દાઓ આપણાં જીવનમાં ડગલે ને પગલે જોવા મળે છે. શાળામાં ભણતાં ગરીબ બાળકોને ચોપડીઓ નોટબુકો ફ્રીમાં વહેંચવી, કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર સૂતાં મજૂરો કે ઘરવિહોણા લોકોને ધાબળા વહેંચવા જેવા ઘણા 'માનવતાનાં કામ' કરતાં લોકોને આપણે જોઈએ છીએ. આ કામ ખોટું છે કે સાચું, કરવું જોઈએ કે ના કરવું જોઈએ એવી ચર્ચામાં હું અહીં પડવા માંગતો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખરેખર ક્રૂર વાસ્તવિકતા તો એવી છે, જેમ કે આપણી આંખ સામે ઠંડીમાં ફૂટપાથ પર લોકો સૂતાં છે અને આપણે સ્વેટર-મફલરમાં સજ્જ થઈ ફૂટપાથ પર ફરીએ છીએ કે બંધ ઘરમાં આપણે રજાઈ ઓઢીને સૂતાં હોઈએ છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/dalit-drank-water-from-the-lake-which-they-did-not-dare-to-even-look-at"><strong>જે તળાવ સામે જોવાની પણ હિંમત નહોતી તેમાંથી જ્યારે દલિતોએ ખોબાં ભરીને પાણી પીધું</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવાં સમયે આપણા  દિમાગમાં એવી સ્પષ્ટતા હોય કે આ સભ્યસમાજમાં, માણસજાતે જે વિકાસ સાધ્યો છે એવા સમયે જે જન્મે છે તે દરેક ને નાનું કે મોટું શરીરના રક્ષણ માટે ઘર તો મળવું જ જોઈએ. માથે છાપરું તો સૌનો અધિકાર છે. પુરતું પોષક ભોજન, પેટ ભરીને ખાવાનું દરેક ને મળવું જ જોઈએ, એ સૌનો મૂળભૂત હક્ક છે એવું જો આપણે માનતા હોઈએ અને તે માટે મથતાં હોઈએ અને સાથે સાથે આપણી સામે જો કોઈ ભૂખ્યો હોય, પૂરતાં કપડાં વિનાનો હોય એને આપણાં ખોરાકમાં, આપણાં કપડાંમાં હીસ્સેદાર બનાવીએ તો એને હું ધર્મમિશ્રિત માનવતાવાદી નહીં પરંતુ માનવવાદી કહેવાનું પસંદ કરીશ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાથેસાથે એવું માનવતાનું કામ કરનાર વ્યક્તિએ ભગવાન કે ધર્મના ભયથી, પાપના ભયથી કે આવતા ભવમાં પોતાને સ્વર્ગ મળે એવાં સ્વાર્થથી કે આવતા ભવમાં ભીખારીનું જીવન મળશે એવાં ભયથી ડરીને કંઈક દયાદાન કરતો હોય તો તેને માનવવાદી તો નહીં જ કહી શકાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દુનિયાનો દરેક માણસ સમાન છે, સન્માન્ય છે. જાતિ, જ્ઞાતિ, ધર્મ, રંગ ને સ્ત્રી-પુરુષ એવાં ભેદભાવોની બાદબાકી કરી માણસમાત્ર સરખો છે, દરેકને જીવવાનો સમાન હક્ક છે, દરેકને મુક્તમને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, દરેકને ગૌરવપૂર્ણ જીવનનો અધિકાર છે એવું આપણે માનતા હોઈએ અને તે પણ કોઇના કહેવાથી નહીં, ક્યાંક વાંચવાથી નહીં પરંતુ વિજ્ઞાનના ટેકે, તર્ક-વિચારણાથી માપીને પારખીએ તો એને આપણે માનવવાદી કહીશું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાથે સાથે કુદરતનાં દરેક જીવનું મહત્વ છે અને પ્રકૃતિના સંતુલનમાં દરેક જીવની આગવી ભૂમિકા છે એ વૈજ્ઞાનિક સત્યનાં સ્વીકાર સાથે માણસ તરીકે જીવવાની પધ્ધતિને આપણે માનવવાદી કહીશું, માનવતાવાદી નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખરેખર માનવવાદી જેવો શબ્દપ્રયોગ છે જ નહીં. કેટલાક લોકો અજ્ઞાનવશ કે જાણકારીના અભાવમાં દરેક દયાદાન, કરુણા કે માનવતાના કામ કરનાર ને માનવતાવાદી ગણે છે. જ્યારે કેટલાક ચાલાક લોકો સભાનતાપૂર્વક માનવવાદનો સાચો અર્થ ને </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિમા લોકો સુધી પહોંચે નહીં અને માનવતાવાદને નામે ગૂંચવાડો ચાલુ રહે એવા આશયથી 'માનવતાવાદી' શબ્દ વાપર્યા કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માત્ર ધર્મ મિશ્રિત દયાદાનને કરૂણા જ માનવતા ન કહેવાય પરંતુ માણસજાતના પરસ્પર આધારિત ને સહજીવનને કારણે વિકસિત થયેલાં સહજ ગુણ તરીકે 'માનવતા' કે માણસાઈ ને જોવી ઘટે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોઈ દિવ્ય કે ચમત્કારિક શક્તિ વિના માનવ જ માનવનો ઘડવૈયો છે, તેણે જ પોતાની મહેનતથી, પોતાની અક્કલથી, સહિયારીપણાની ભાવનાથી, સહિયારા અનુભવો ને સહિયારા શારીરિક ને માનસિક શ્રમથી આ દુનિયા, આ સુવિધાઓ, આ યંત્રો, આ આનંદ ઉલ્લાસ, આ 'માનવતા' ઘડી છે એવું સ્વીકારીએ તેને જ માનવવાદ કહેવાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વળી પોતાની જાતને અને અન્યોને સતત પ્રશ્નો પૂછતો રહે, મનુષ્યજીવન વિશે ભગવાનના ભય વિના પ્રશ્નો પૂછતો રહે અને માનવજીવનની સમસ્યાઓ યાતનાઓના નિરાકરણ માટે મથતો રહે, દુનિયાના દરેક મનુષ્યનું જીવન વધુ ને વધુ બહેતર, આનંદમય ને ખુશહાલ બની રહે તે માટે સપનાં સેવતો રહે, માત્ર પોતાનું જીવન નહીં પણ સમગ્ર માનવજીવન સુખમય બને તેવી ઈચ્છા રાખનારને જ માનવવાદી કહી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો માનવવાદ એ એક જીવનદિશા છે, જીવનદૃષ્ટિ છે. અને એટલે જ હું કહું છું કે હું માનવતાનો પૂજારી નહીં પણ માનવવાદી છું.</span></p>
<p><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">મનીષી જાની</span><em><span style="font-size: 12pt;"> (2021માં પ્રકાશિત પુસ્તક 'માનવવાદ' માંથી)</span></em></strong></span><span style="font-size: 14pt;"><strong><em><span style="font-size: 12pt;"></span></em></strong></span></p>
<p><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/ambedkarism-will-be-tested-in-2024-elections">2024ની ચૂંટણીમાં આંબેડકરવાદની કસોટી થશે</a></strong></span></p>
<p><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"> </span>અહીં ક્લિક કરો</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 13 Apr 2024 11:04:49 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 13 Apr 2024 11:08:06 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>485</Articleid>
                    <excerpt>પાંજરાપોળોનું નિર્માણ કરીને પુણ્યનું કામ કર્યાનો સંતોષ માનતો વર્ગ પશુઓના ચરિયાણની જગ્યા પર કોમર્શિયલ કોમ્પલેક્ષ બને તેનો કેમ વિરોધ કરતો નથી વાંચો તાર્કિક જવાબ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_6618c60b57084.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_6618c60aeeca8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_6618c60aeeca8.jpg" length="110481" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડૉ. આંબેડકર ન હોત તો ફૂલે દંપતિનો સંઘર્ષ પણ ઈતિહાસમાં દટાઈ ગયો હોત</title>
                    <link>https://khabarantar.com/had-it-not-been-for-dr-ambedkar-the-struggle-of-phule-couple-would-have-been-buried-in-history</link>
                    <guid>https://khabarantar.com/had-it-not-been-for-dr-ambedkar-the-struggle-of-phule-couple-would-have-been-buried-in-history</guid>
                    <description>
                        <![CDATA[ ડૉ. આંબેડકરે  ઇતિહાસના કાળખંડમાં દટાઈ ગયેલા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીમાઈ ફૂલેના સંઘર્ષને કેવી રીતે પુનઃસજીવન કર્યો તેની વાત લેખક મયૂર વાઢેર અહીં વિસ્તારથી સમજાવે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. બાબાસાહેબ આંબેડકરના ઈ.સ. 1952માં સાઠ વર્ષ પૂર્ણ થયા ત્યારે તેમના પ્રતિબદ્ધ અનુયાયીઓ તેમના હિરક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવા માગતા હતા. પણ દેશના શ્રમજીવીઓ, વંચિતો તથા મહિલાઓના અધિકારો માટે ઝંઝાવાતી સંઘર્ષ કરવા માટેની ડૉ. આંબેડકરની ધખના અને તેમના જાહેરજીવનની સઘન વ્યસ્તતા તેમના અનુયાયીઓના ઓરતા પુરા થવા દેતી નહોતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેથી તેમના અનુયાયીઓએ તેમનો હિરક મહોત્સવ 28 ઓક્ટોબર, 1954 ના રોજ મુંબઈના નૈગામ વિસ્તારમાં સાજે છ વાગે મનાવ્યો હતો. તેમાં 25000 લોકો એકઠા થયા હતા. તે કાર્યક્રમ બિહારના રાજ્યપાલ રહી ચુકેલા આર.ડી. ભંડારેની અધ્યક્ષતામાં યોજાયો હતો. તેમણે તેમના ભાષણમાં ડૉ. આંબેડકરને કાર્લ માર્કસ અને અબ્રાહમ લિંકન કરતા પણ મહાન નેતા ગણાવ્યા હતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. આંબેડકરના ત્રણ ગુરુ બુદ્ધ, કબીર અને ફૂલે અંગેની પ્રચલિત વાતનું મૂળ આજ સભામાં મળે છે. તેમણે કહ્યું, “...અને મારા ત્રીજા ગુરૂ છે, મહાત્મા જ્યોતિબા ફૂલે. બિન-બ્રાહ્મણોના સાચા ગુરૂ તે જ છે. તેમણે જ દરજી, કુંભાર, વાળંદ, મોચી, કુર્મી માળી, માતંગ, મછીયારાને માનવતાના પાઠ શીખવ્યા છે. આપણે જ્યોતિબા ફૂલેની રાહ પર જ આગળ વધી રહ્યા હતા. સમયના વહેણ બદલાયા અને મરાઠા આપણાથી નોખા થયા. કોઈ કૉંગ્રેસનોં એંઠવાડ ખાવા ગયું. તેમાંથી જ રાવબહાદુર એસ.કે. બોલે હિંદુ મહાસભામાં ચાલ્યા ગયા. તે અહીં ઉપસ્થિત છે. કોઈ ગમે ત્યા જાય પણ આપણે જ્યોતિબા ફૂલેના માર્ગ પર જ ચાલવાનું છે. આપણે કાર્લ માર્ક્સને આપણી સાથે લઈશું કે અન્ય કોઈને, પણ આપણે જ્યોતિબા ફૂલેના ચિંતનનો માર્ગ મુકવાનો નથી.”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબાસાહેબ ડૉ. આંબેડકરે તેમના સમગ્ર જીવનમાં મહાત્મા ફૂલેનો માર્ગ છોડ્યો નહી. તેમના આંદોલનો, વિચારો અને સામાજિક અભિયાનોમાં ફૂલેના વિચારોના દર્શન થાય છે. મહાત્મા ફૂલેએ દત્તક લીધેલા દીકરાના અવસાન (1909) પછી તેમણે સ્થાપેલી સત્યશોધક સંસ્થા પણ વેરવિખેર થઈ ગઈ હતી. સત્યશોધક સંસ્થાના સભ્યો પણ કૉંગ્રેસ અને હિંદુ મહાસભામાં ગોઠવાઈ ગયા હતા. જ્યોતિબા ફૂલે અને માતા સાવિત્રીમાઈ ફૂલેએ  મહિલાઓ તથા શુદ્રોના શિક્ષણ અને તેમના અધિકારો માટે ઓગણીસમી સદીમાં પોકારેલો બંડ શમી ચુક્યો હતો. પણ ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિસ્તરતા કદને લીધે ફૂલે દંપતિનો સંઘર્ષ સજીવન થયો. તેમણે  ઇતિહાસના કાળખંડમાં દટાઈ ગયેલા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના સંઘર્ષને સજીવન કર્યો.  ડૉ. બાબાસાહેબ આંબેડકર ના હોત તો ફૂલે દંપતિનો સંઘર્ષ પણ વિસરાઈ ગયો હોત. બહુજન રાજકીય ચેતનાની અમર પ્રેરણાપૂંજ કાંશીરામ સાહેબની પ્રેરણાથી બહેન માયાવતીએ ઉત્તરપ્રદેશના અમરોહી જિલ્લાને જ્યોતિબા ફૂલે નગર નામે જિલ્લો પણ બનાવ્યો છે. ડૉ. આંબેડકરે  ઇતિહાસના કાળખંડમાં દટાઈ ગયેલા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીમાઈ ફૂલેના સંઘર્ષને પુનઃ સજીવન કર્યો. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Savitribai-Phule-Original-Beti-Bachao-Icon">સાવિત્રીબાઈ ફૂલેઃ ઓરિજિનલ બેટી બચાવો આઈકોન</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6617aaaf4712c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. બાબાસાહેબ આંબેડકરે નાસિક ખાતે ચૂંટણી સભામાં 17 નવેમ્બર, 1951ના રોજ એક જાહેરસભામાં જ્યોતિબા ફૂલે વિશે કહ્યું હતું કે, “હું જ્યોતિબા ફૂલેના અનુયાયી તરીકે મારી ઓળખ જાહેર કરવામાં ક્યારેય શરમ અનુભવતો નથી. હું આત્મવિશ્વાસથી કહું છું કે આજે હું એકલો જ જ્યોતિબા ફૂલે સાથે ઈમાનદારીપૂર્વક અને પ્રામાણિકતાથી જોડાયેલો રહ્યો છું. આ દેશમાં કોઈપણ પક્ષ હશે તેમણે જ્યોતિબા ફૂલેની નીતિઓ, તેમનું તત્વચિંતન અને તેમના અભિયાનોના સહારે જ આગળ વધવું પડશે. લોકતંત્ર સુધી પહોંચવાનો આ જ એક માર્ગ છે.”</span><br><span style="font-size: 14pt;">ફૂલે દંપતિએ 4 ફેબ્રુઆરી, 1989ના રોજ એક દીકરાને દતક લીધો હતો તેનું નામ યશવંત રાખ્યું હતું. સંભવતઃ ફૂલે દંપતિના દત્તક દીકરાના નામ પરથી જ ડૉ. આંબેડકરે મોટા દીકરાનું નામ યશવંત રાખ્યું હોય તેવું બની શકે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાત્મા ફૂલેએ 1 જૂન, 1873ના રોજ પ્રકાશિત કરેલાં તેમના પુસ્તક ‘ગુલામગીરી’માં બ્રાહ્મણવાદ પર આકરા પ્રહારો કર્યા હતા. તે પુસ્તક ફૂલે-ધોંડીરાવના સંવાદરૂપે છે. તે સંવાદમાં ફૂલે હિંદુ ધર્મની માન્યતાઓ, સ્મૃતિઓ અને બ્રાહ્મણવાદી વર્ચસ્વને તર્કબદ્ધ રીતે વિંધે છે.  દેશના લોકો શુદ્રો-અતિશુદ્રોને બ્રાહ્મણવાદમાંથી મુક્તિ અપાવે તેવી મહાત્મા ફૂલેને અપેક્ષા હતી. જે તેમના પુસ્તકના અર્પણ પાના પર જોઈ શકાય છે.  તેમણે ‘ગુલામગીરી’ પુસ્તક અમેરિકાના નીગ્રો લોકોને નહીં પણ નીગ્રોની ગુલામીપ્રથા સામે લડનારા અમેરિકાના ઉમદા લોકોને અર્પણ કર્યું છે. (Dedicated to the Good People of the United States.) તેમના શબ્દો નીચે મુજબ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">“ઉદાર, નિઃસ્વાર્થ અને સમર્પણભાવથી નીગ્રો ગુલામોને ગુલામીપ્રથામાંથી મુક્ત કરવાનું ઉમદા કાર્ય કરનારા સંયુક્ત રાષ્ટ્ર(અમેરિકા)ની ઉમદા પ્રજાને  તેમની પ્રસંશાના પ્રતિકરૂપે અર્પણ, તેમજ તેમના ઉમદા ઉદાહરણમાંથી મારા દેશબાંધવોને પણ શુદ્રો બંધુઓને બ્રાહ્મણોની ગુલામીની બેડી તોડીને તેમને મુક્તિ આપવાની પ્રેરણા મળે તેવી પ્રામાણિક અપેક્ષા સહ.”</span><br><span style="font-size: 14pt;">ડૉ. આંબેડકર મહાત્મા ફૂલેની વૈચારિકધારા સાથે કેવા જોડાયેલા હતા તે તો ડૉ. આંબેડકરના લેખન અને વકત્વ્યો પરથી આપણને સહેજે સમજાય છે. ડૉ. આંબેડકરે ઈ.સ. 1946માં વિદ્વતાસભર લખેલું અંગ્રેજી પુસ્તક  ‘Who were Shudras?’ (BAWS- New English Volume 07) મહાત્મા જ્યોતિબા ફૂલેને અર્પણ કર્યું હતું. તેમન અર્પણ શબ્દો હતાઃ</span><br><span style="font-size: 14pt;">“આધુનિક ભારતના મહાન શુદ્ર, જેમણે ઉજળિયાતોની ગુલામી કરનારા હિંદુઓના નિમ્ન વર્ગોને તેમની ગુલામી પ્રત્યે સચેત કર્યા અને જેણે ભારતને ઉપદેશ આપ્યો હતો કે વિદેશી શાસનમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા કરતા સામાજિક લોકતંત્ર વધારે મહત્વનું છે એવા મહાત્મા જ્યોતિબા ફૂલેને અર્પણ.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ એપ્રિલ મહિનામાં ફૂલે-આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી ટાણે બંને મહાનાયકોના વિચારોની ગાથા વહેંચવાનો સમય છે. ફૂલે-આંબેડકરનાં વિચારોની જુગલબંધી ભારતીય સામાજિક સંરચનાની જડતાને ધ્વસ્ત કરવાના આપણા ભાવિ અભિયાનોમાં ખપ લાગે તેવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>- મયૂર વાઢેર </strong></span><span style="font-size: 12pt;"><strong><em>(લેખક અંગ્રેજીના શિક્ષક અને ફૂલે-આંબેડકરી સાહિત્યના તલસ્પર્શી અભ્યાસુ છે.) </em></strong></span></span><span style="font-size: 12pt;">(નોંધઃ અંગ્રેજી ગ્રંથોમાંથી લીધેલા અવતરણોનો ગુજરાતી અનુવાદ લેખકે જ કર્યો છે.)</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/even-after-the-death-of-the-great-jyotirav-phule-he-continued-to-stir-the-pot-of-casteism">ધ ગ્રેટ જ્યોતિરાવ ફૂલે મર્યા પછી પણ જાતિવાદનો ભાંડો ફોડતા ગયા</a><br></span></strong></p>
<div class="post-text">
<p style="text-align: justify;"><span><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો</span>. <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span style="font-size: 14pt;">અહીં ક્લિક કરો.</span></a></strong></span></p>
<p style="text-align: justify;"></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 12 Apr 2024 10:57:55 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>495</Articleid>
                    <excerpt>ડૉ. આંબેડકરે  ઇતિહાસના કાળખંડમાં દટાઈ ગયેલા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીમાઈ ફૂલેના સંઘર્ષને કેવી રીતે પુનઃસજીવન કર્યો તેની વાત લેખક મયૂર વાઢેર અહીં વિસ્તારથી સમજાવે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_6618c464b8556.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_6618c4648b0cf.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_6618c4648b0cf.jpg" length="70619" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>આ ચૌદમી એપ્રિલે 26મી પ્રતિજ્ઞા એવી લેજો...</title>
                    <link>https://khabarantar.com/take-the-26th-pledge-on-this-14th-april</link>
                    <guid>https://khabarantar.com/take-the-26th-pledge-on-this-14th-april</guid>
                    <description>
                        <![CDATA[ માતૃભાષા બચાવોના હાકલા પડકારા વચ્ચે દરેક મોરચે દલિત યુવાનો કેમ પાછાં પડે છે તેની વાત એક્ટિવિસ્ટ રાજુ સોલંકી અહીં તેમના આગવા અંદાજમાં સમજાવે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતની સુપ્રિમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા આલા દરજ્જાના, ખ્યાતનામ ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલ કોઈપણ અસીલનો કેસ લડવા દિલ્હી બહાર પગ મૂકે  તો એમની ફી માત્ર રૂ. દોઢ કરોડ છે. સિબ્બલ સાહેબની ફીનું રેટકાર્ડ જુઓ. સુપ્રિમ કોર્ટમાં મીસેલેનીયસ મેટરમાં એક સુનાવણીમાં ઉપસ્થિત થવાના રૂ. પંદર લાખ પચાસ હજાર અને નોન-મીસેલેનીયસ મેટરમાં કે પછી ફાઈનલ હીયરિંગમાં ઉપસ્થિત થવાના રૂ. વીસ લાખ. રેગ્યુલર મેટરમાં એક સુનાવણીમાં ઉપસ્થિત થવાના રુ. 25 લાખ. દિલ્હી હાઇકોર્ટ કેદિલ્હીમાં જ કોઈ કાનૂની સત્તામંડળમાં કે પછી વર્ચ્યુઅલ હીયરિંગના કોન્ફરન્સ દીઠ મીસેલેનીયસ મેટરમાં રૂ. પચીસ લાખથી રૂ. પાંત્રીસ લાખ અને નોન-મીસેલેનીયસ મેટરમાં રૂ. 35 લાખ. અન્ય રાજ્યોની હાઇકોર્ટોમાં વર્ચ્યુઅલ હીયરિંગના રૂ. પાંત્રીસ લાખ. આર્બિટ્રેશનનો ચાર્જ રૂ. 15 લાખ. કોઈપણ મેટરમાં માત્ર મૌખિક અભિપ્રાય આપવાના રૂ. 11 લાખ. કોઈપણ મેટરમાં લેખિત અભિપ્રાય આપવાના રૂ. 15 લાખ. આંખો ફાટી ગઈ તમારી? સિબ્બલ સાહેબને ભાંડશો નહીં. અરૂણ જેટલી પણ આટલો જ ચાર્જ લેતા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુદ્દાની વાત એટલી જ છે કે સિબ્બલ સફળતાના જે શિખરો ચડ્યા છે તેની પાછળ તેમનું લીગલ નોલેજ માત્ર જ જવાબદાર નથી, પરંતુ તેમનું ધુંઆધાર, અસ્ખલિત અંગ્રેજી પણ એટલું જ મહત્વનું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ રેટકાર્ડ વાંચ્યા પછી તમને ગુજરાત શિક્ષણ પરિષદની પેલી મુહિમનો અર્થ સમજાઈ જવો જોઇએ, જેમાં તેઓ કહે છે કે, "ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહી અંગ્રેજીમાં કરો અથવા તો અમને અંગ્રેજીમાં ભણાવો." </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong><a href="https://khabarantar.com/If-you-do-not-have-a-meal,-eat-bread-in-hand-and-teach-your-children"><strong>ખાવાના વાસણ ન હોય તો રોટલી હાથમાં રાખીને ખાવ પણ તમારા બાળકોને ભણાવો</strong></a></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2015માં રાજુ સોલંકી નામનો એક માણસ ગુજરાત હાઇકોર્ટમાં રાઇટ ટુ એજ્યુકેશનના અમલ માટે જાહેર હિતની અરજી કરે છે. ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં પ્રથમવાર સાડી છસો નોન-ગ્રાન્ટેડ, પ્રાઇવેટ સ્કૂલોને નોટિસો ફટકારવામાં આવે છે. પરિણામે જેની ફી સીત્તેર-એંસી હજાર છે તેવી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં દલિત બાળકો ભણતા થાય છે. સવા લાખ બાળકો પ્રવેશ મેળવે છે. આ કોઈ નાની સૂની ઘટના નહોતી. જ્યાં વિચારધારાની પત્તર ખંડાય છે તેવા ઉત્તરપ્રદેશમાં પણ 2015માં માત્ર સાત હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રિમ કોર્ટમાં એડવોકેટ ઓન રેકોર્ડ (એઓઆર)ની સંખ્યા માંડ 2 હજાર છે અને એમાં પણ ગુજરાતના મુઠ્ઠીભર વકીલો છે. ગુજરાત હાઇકોર્ટમાં પણ આંગળીના વેઢે ગણાય એટલા દલિત વકીલો છે. આપણા સમાજે અંગ્રેજી માધ્યમનું મહત્વ સમજવાનું છે. ‘માતલુ ભાષા માતલુ ભાષા’નું રટણ છોડો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">14મી એપ્રિલ આવી રહી છે. દલિતો ડાયરાઓ, રેલીઓ, સભાઓ પાછળ ધૂમ પૈસા ખર્ચશે. ‘જય ભીમ જય ભીમ’ના ગગનભેદી નારા લગાવશે. મોટાભાગના સમારંભોમાં ભાજપના પદાધિકારીઓને હારતોરા થશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યાદ રાખજો, રૂપાલાને અંગ્રેજી નહીં આવડે તો પણ એ મિનિસ્ટર થવાના જ છે. ક્ષત્રિયો એમના પ્રતાપી પૂર્વજોની ગૌરવગાથા પર જન્મારો કાઢી નાંખશે. ફલાણી મહિલા આપણા સમાજ માટે ગમે તેમ બોલી ગઈ અને લોંકડી બાઈએ એની ચેનલમાં એનો વીડિયો મૂક્યો. આ બધી જ ફાલતુ વાતો છે. તમે ફેસબૂક પર એમને વખાણતી કે વખોડતી પોસ્ટ કર્યા કરશો તો તમારી ભવની ભાવઠ ભાંગવાની નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. બાબાસાહેબ આંબેડકરને માનતા હો તો એમના જીવનમાંથી 0.000001 ટકા જેટલી પણ પ્રેરણા લેજો. આ ચૌદમી એપ્રિલે બાબાસાહેબની પ્રતિમાએ બાબાસાહેબે આપેલી પચીસ પ્રતિજ્ઞાઓ લીધા પછી છવીસમી પ્રતિજ્ઞા એવી પણ લેજો કે હું મારા બાળકને અંગ્રેજી ભણાવીશ, એવું અંગ્રેજી ભણાવીશ કે એમના અસ્ખલિત વાણી પ્રવાહમાં આ દેશની સદીઓ જૂની વર્ણવ્યવસ્થા અને ઉજળિયાતોનો અહમ તણાઈને કાયમ માટે દફન થઈ જાય. જય ભીમ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">- રાજુ સોલંકી</span><em> <span style="font-size: 12pt;">(લેખક ગુજરાત શિક્ષણ પરિષદના પ્રમુખ અને આંબેડકરી વિચારધારાના પક્ષધર છે)</span></em></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/UGC-Education-Ministry-forced-to-clarify-after-uproar-over-conspiracy-to-abolish-reservation-in-higher-education-institutions">ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનામત ખતમ કરવાનું ષડયંત્ર નિષ્ફળ, હોબાળા બાદ UGC-શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com <span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 11 Apr 2024 14:28:17 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 11 Apr 2024 13:53:45 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>492</Articleid>
                    <excerpt>માતૃભાષા બચાવોના હાકલા પડકારા વચ્ચે દરેક મોરચે દલિત યુવાનો કેમ પાછાં પડે છે તેની વાત એક્ટિવિસ્ટ રાજુ સોલંકી અહીં તેમના આગવા અંદાજમાં સમજાવે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_66179d92c0a42.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_66179d9292c59.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_66179d9292c59.jpg" length="66808" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બાબાસાહેબ થિયરી છે તો માન્યવર પ્રેક્ટિકલ છે</title>
                    <link>https://khabarantar.com/babasaheb-is-theoretical-manyavar-is-practical</link>
                    <guid>https://khabarantar.com/babasaheb-is-theoretical-manyavar-is-practical</guid>
                    <description>
                        <![CDATA[ માન્યવર કાંશીરામના જીવનનો આ પ્રસંગ આપણું માર્ગદર્શન કરવા માટે પુરતો છે. માન્યવર બાબાસાહેબના સપનાને કેવી રીતે પૂર્ણ કરી શક્યાં તેનું રહસ્ય આ લેખમાં પડેલું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માન્યવર કાશીરામ એક IAS ઓફિસર પાસે વારંવાર ફંડીગ અને બામસેફમાં જોડવા માટે જઈ રહ્યા હતા. પણ એ અધિકારી વારંવાર જૂઠ્ઠું બોલીને પોતાના નોકર દ્વારા મેસેજ આપતા કે સાહેબ ઘરે નથી કે પછી વ્યસ્ત છે. પણ માન્યવર હાર માને તેમ નહોતા. તેઓ માનતા હતા કે સમાજના આવા લોકો મહાપુરુષોના બલિદાનના લીધે લાભો લઈ રહ્યાં છે, એટલે તેઓ જે ફંડ આપે છે એ મહેરબાની નથી પરંતુ એમની નૈતિક ફરજ છે. તેથી માન્યવર ક્રમશઃ એ અધિકારીના ઘરે ફંડ માગવા માટે જવા લાગ્યા. આ રીતે ખુદ માન્યવરને વારંવાર ઘરે આવતા જોઈને એ અધિકારી પરેશાન થઈ ગયા અને આખરે તેમની સામે આવીને ગુસ્સામાં કહ્યું, “તમારું માનસિક સંતુલન બગડી ગયું છે કે પછી તમારી પાસે બીજો કોઈ કામધંધો નથી?” </span><br><span style="font-size: 14pt;">એ અધિકારીના સવાલનો જવાબ આપતા માન્યવરે કહ્યું, "શ્રીમાન મને એક બીમારી છે જે તમને નથી."અધિકારીએ કહ્યું: “શું બીમારી છે? બિમારી હોય તો દવા કરાવો.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માન્યવરે કહ્યું: "આ બીમારી પરંપરાગત છે. એ બીમારી ગૌતમ બુદ્ધ, બાબાસાહેબ આંબેડકર, પેરિયાર, જ્યોતિબા ફૂલે, શાહુજી મહારાજ, ફાતિમા શેખ, સાવિત્રીબાઈ ફૂલે, કબીર, રવિસાહેબ, ગુરુનાનક જેવા મહાપુરુષોને પણ હતી. અને એ બીમારી એમના મુત્યુ સુધી રહી.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અધિકારીએ પૂછ્યું: “એ કઈ બીમારી છે?”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માન્યવર કહ્યું: “તમે બીમારીનું નામ જાણી ને શું કરશો? તમે જો એ બીમારીનું નામ સાંભળી પણ લીધું તો પણ તમને હજમ નહીં થાય, કેમ કે તમે એનાથી ગ્રસિત નથી.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વાત સાંભળીને અધિકારીએ કહ્યું: "એવી કઈ બીમારી છે જે મારામાં નથી, તમે જણાવી રહ્યાં છો કે એ મહાપુરુષોમાં હતી?”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માન્યવર એ ગંભીરતાથી જવાબ આપ્યોઃ “સામાજિક ઈમાનદારીની બીમારી.” અને કહ્યું: “આ બધાં મહાપુરુષો સાધનસંપન્ન હતા. એમને કોઈ વ્યક્તિગત સમસ્યા નહોતી. પોતાના જીવનમાં સુખી સંપન્ન હતા. કષ્ટભર્યું સામાજિક જીવન જીવવા કરતા તેઓ સુખી જીવન જીવી શકતા હતા. ગૌતમ બુદ્ધ અને છત્રપતિ શાહુજી મહારાજ તો રાજ વ્યવસ્થામાં રાજા હતા. પણ તમે તો વ્યવસ્થામાં માત્ર નોકર  છો. અને એ મહાપુરુષો તો સમાજિક ઈમાનદારીની બીમારીના લીધે વ્યક્તિગત સુખમય જીવન જીવ્યા નહોતા.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/No-one-can-erase-these-works-of-Babasaheb-they-will-be-remembered-even-after-centuries">બાબાસાહેબના આ કાર્યોને કોઈ ભૂંસી શકશે નહીં, સદીઓ પછી પણ રહેશે યાદ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વાત સાંભળી અધિકારી શરમ અનુભવવા લાગ્યા અને માન્યવરને ઘરમાં આવવા કહ્યું. સાહેબ ઘરમાં ગયા અને ફંડીગની કૂપનો આપી. અધિકારીએ પચાસ હજારનો ચેક આપ્યો ત્યારે કાશીરામ સાહેબે કહ્યું “આ બીમારી એક જ વારમાં ના આવવી જોઈએ. ક્રમશ આવવી જોઈએ, હંમેશા આવવી જોઈએ અને ત્યાં સુધી આવવી જોઈએ જ્યાં સુધી આખો સમાજ આ બીમારીથી ગ્રસ્ત થઈને બરાબરી ન ધરાવતા લોકોની સામાજિક વ્યવસ્થા માટે પરિવર્તન ન કરે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેટલાક અધિકારીઓ પાસે ફંડીગ માટે જવાનું થાય તો જાણે ભીખ આપતા હોય, કંઈક મહેરબાની કરતા હોય તેવા બહાના બતાવતા હોય છે. એવા લોકોને કહેવાનું કે તમને આ નોકરી, સુખસાહ્યબી મફતમાં નથી મળી. એના માટે કબીરથી માંડીને કાશીરામ સાહેબે પોતાનું જીવન કુરબાન કરી દીધુ છે. ત્યારે આ બધું તમને નસીબ થયું છે, નહીં તો ક્યાંય ગામના છેવાડે બીમારી કે ગંદકીમાં સડી ને મરી ગયા હોત.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટલે કહું છું કે, 14મી એપ્રિલ અને 6ઠી ડિસેમ્બરે બહાર નીકળવું એજ આંદોલન નથી, એજ વિચારધારા નથી. એના માટે માન્યવર કાશીરામને વાંચવા પડે, કાશીરામને વાંચ્યા એટલે તમે બીજા મહાપુરુષો વિશે જાણતા થઈ જશો. કહેવાય છે બાબા સાહેબ થિયરી છે તો માન્યવર પ્રેક્ટિકલ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વૈચારિક પરિવર્તન વગર ક્યારેય શાસક બની નહીં શકાય કે ક્રાંતિ નહીં થાય. એના માટે સામજિક વિચારોનું પરિવર્તન કરવું પડશે. અને એ જમીની આંદોલન સિવાય શકય નથી. એના માટે ટાઈમ, ટિકિટ, ટિફિન સૌએ મિશનમાં આપવા પડશે, ત્યારે જ એ શક્ય બનશે. અપમાનો સહન કરવા પડશે, લોકો કહેશે ‘નવરા બેઠા છે એટલે આવી ગયા’ પણ એ બધાં ઝેરના ઘૂંટ પીને પણ સામજિક પરિવર્તનની ગતિ જાળવી રાખવી પડશે. ત્યારે જ બાબાસાહેબનો મિશનરૂપી રથ આપણે આગળ વધારી શકીશું. છેલ્લે એટલું જ કહીશ કે, ફાટેલી ગંજી, તૂટેલાં ચંપલ પહેરીને, ખાલી પેટ અને લાખો અપમાન સહન કરીને માન્યવર કાંશીરામ સાહેબે બહુજન મિશનને આગળ વધાર્યું હતું, બાબાસાહેબના મિશનના સાકાર કરી શક્યા હતા. રાજકીય સત્તા જ સામાજિક પરિવર્તનની માસ્ટર કી છે એ આપણે સૌએ યાદ રાખીને ચાલવું રહ્યું. ચૂંટણી આવી રહી છે, ત્યારે માન્યવરની આ વાત આપણે ગળે બાંધી લેવી જોઈએ.</span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">- ભરત નાગવંશી</span></strong></span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/those-10-revolutionary-ideas-of-manyavar-kanshiram-which-are-proving-to-be-true-even-today">માન્યવર કાંશીરામના એ 10 ક્રાંતિકારી વિચારો, જે આજેય એટલા જ સત્ય સાબિત થઈ રહ્યાં છે</a></span></strong></span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 10 Apr 2024 13:01:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>481</Articleid>
                    <excerpt>માન્યવર કાંશીરામના જીવનનો આ પ્રસંગ આપણું માર્ગદર્શન કરવા માટે પુરતો છે. માન્યવર બાબાસાહેબના સપનાને કેવી રીતે પૂર્ણ કરી શક્યાં તેનું રહસ્ય આ લેખમાં પડેલું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_6614d8960fd13.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_6614d895d61ba.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_6614d895d61ba.jpg" length="77392" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડૉ. આંબેડકરના આ સવાલોનો RSS પાસે કોઈ જવાબ છે?</title>
                    <link>https://khabarantar.com/dr-does-rss-have-any-answer-to-these-questions-of-ambedkar</link>
                    <guid>https://khabarantar.com/dr-does-rss-have-any-answer-to-these-questions-of-ambedkar</guid>
                    <description>
                        <![CDATA[ RSS ડૉ. આંબેડકરને લઈને કેવા ગપગોળા ચલાવે છે, કેવી રીતે તેમના વિચારોને તોડીમરોડીને હિંદુત્વની તરફેણમાં ખેંચી જાય છે તેનો આ લેખ પર્દાફાશ કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">RSS ગોળો ફેંકે છેઃ “સાવરકર દલિત-ઉદ્ધારક હતા! સાવરકરે શિવાજીની જેમ કૂટનીતિનો સહારો લીધો હતો; તેથી તેમણે અંગ્રેજ સરકારને સશર્ત મુક્ત કરવાની અરજ કરી હતી!” સાવરકર 6 જાન્યુઆરી 1924ના રોજ જેલમુક્ત થયા હતા. બે દિવસ બાદ 8 જાન્યુઆરીના રોજ સાવરકરે જાહેરાત કરી કે, “હવે આભડછેટ સમાપ્ત કરવાનું આંદોલન ચલાવીશ. જો કોઈ અછૂત હોય તો તેમને બળદગાડામાં અહીં લઈ આવો!“ ‘કોઈ અછૂત હોય તો અહીં લઈ આવો’ શું આ રીતે આભડછેટ સમાપ્ત કરવાનું આંદોલન ચાલે? જો સાવરકરે દલિત-ઉદ્ધારનું કોઈ કામ કર્યું હોય તો ડૉ. આંબેડકર પોતાના દલિત આંદોલનના ઈતિહાસમાં તેનો ઉલ્લેખ ન કરે? આરએસએસ(RSS)નો આશય આંબેડકર પહેલાં સાવરકરને દલિત ઉદ્ધારક તરીકે સ્થાપીને આંબેડકરને ઠેકાણે પાડવાનો હતો. સાવરકર પહેલા 1922માં એસ. કે. બોલેએ મુંબઈ વિધાન પરિષદમાં અછૂત જાતિઓ સાર્વજનિક સ્થળોનો ઉપયોગ કરી શકે તે માટેનું વિધેયક પાસ કરાવ્યું હતું; તેના કારણે જ મહાડ સત્યાગ્રહ થયો હતો. 20 જુલાઈ 1924ના રોજ આંબેડકરે ‘બહિષ્કૃત હિતકારિણી સભા’ની સ્થાપના કરી હતી. શું અછૂતોની સમસ્યા માત્ર આભડછેટની હતી? શું શિક્ષણ, સન્માનિત રોજગાર, ખરાબ ધંધાથી મુક્તિ, રાજનીતિક ભાગીદારી તેમની સમસ્યા ન હતી? આ બાબતે સાવરકરે 1924થી લઈ 1966 સુધીમાં કેમ કોઈ આંદોલન ન ચલાવ્યું? આરએસએસ(RSS) કહે છે કે ‘સાવરકરે દલિતો માટે પતિત પાવન મંદિર બનાવ્યું!’ અછૂતો ‘પતિત પાવન મંદિર’માં જાય એટલે પાવન થઈ જાય! આ હતો અછૂત-ઉદ્ધારનો પાખંડી ઉપચાર! રત્નાગિરીમાં 1931માં ‘પતિત પાવન મંદિર’ ભાગોજી શેઠે દલિતો માટે બનાવેલ, તેમાં સવર્ણ જતા ન હતા! આ મંદિર બનાવવાનું કારણ એ હતું કે એ સમયે પૂરા દેશમાં અછૂતો માટે મંદિર-પ્રવેશ આંદોલન ચાલી રહ્યું હતું; જેનો કટ્ટરપંથી હિન્દુઓ વિરોધ કરી રહ્યા હતા! 29 મે 1929ના રોજ રત્નાગિરીમાં સાવરકરે શ્રી સત્યનારાયણની કથા વેળાએ જાતિભેદ નહીં રાખવા પ્રવચન આપ્યું હતું. આ કથા જ જાતિભેદને પ્રોત્સાહન આપે છે. વળી 1924 થી 1929 સુધી સાવરકર નજરબંધ હતા, સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ લેવા પર પ્રતિબંધ હતો; તો અછૂત-ઉદ્ધારનું આંદોલન કઈ રીતે ચલાવ્યું હશે? 1934માં માલવાનમાં સાવરકરે અછૂતોને જનોઈ ગ્રહણ કરાવેલ. જનોઈથી અછૂતોની સમસ્યા દૂર થાય ખરી? 1930માં આંબેડકરે કહ્યું હતું કે ‘ફક્ત મંદિર પ્રવેશ દલિતોનું લક્ષ્ય નથી, પણ તેનું લક્ષ્ય હિન્દુઓની ગુલામીથી મુક્તિનું છે.’ ઈસાઈ મિશનરીઓએ દલિતોને ભણાવવાનું ચાલુ કરેલ, તેના કારણે તેઓ સન્માન માટે ઈસાઈ બનવા લાગ્યા હતા; આમ ઈસાઈ જ ભારતના પ્રથમ દલિત ઉદ્ધારક કહેવાય. અંગ્રેજો સાથે લોકતંત્રનો વિચાર પણ આવ્યો હતો. અછૂત જાતિઓ માટે શિક્ષણના દરવાજા પ્રથમ વખત ખૂલ્યા. શિક્ષણે તેમનામાં દલિત-ચેતના જાગૃત કરી. સવાલ એ છે કે શું સાવરકરે દલિતોને તેમના રાજનીતિક અધિકારો માટે જાગૃત કર્યા હતા? શું તેમણે અછૂતોને શિક્ષિત કરવા કોઈ સ્કૂલ, કોલેજ, છાત્રાલયનું નિર્માણ કર્યું હતું? શું અછૂતોના ગંદા ધંધા સામે કોઈ આંદોલન કર્યું હતું? શું તેઓ અછૂતોને સરકારી નોકરી મળે તે માટે મદદરૂપ થયા હતા? જ્યારે આંબેડકરે 1927માં મહાડ સત્યાગ્રહ; 1930માં કાલારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહ કર્યો ત્યારે સાવરકર ચૂપ કેમ રહેલ? મનુસ્મૃતિ અછૂતોને શિક્ષણથી, ધનથી, સામાજિક વ્યવહારથી વંચિત રાખવાનું કહે છે. સાવરકર જ્યારે મનુસ્મૃતિને ગ્રંથ પવિત્ર માનતા હોય ત્યારે તેઓ કઈ રીતે દલિત ઉદ્ધાર કરી શકે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/ambedkarism-will-be-tested-in-2024-elections"><strong>2024ની ચૂંટણીમાં આંબેડકરવાદની કસોટી થશે</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6612bc1308ddc.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">RSS પ્રચાર કરે છે કે, “આંબેડકરે સત્યાગ્રહની પ્રેરણા ગીતામાંથી લીધી હતી”. ‘બહિષ્કૃત ભારત’ના 25 નવેમ્બર 1927ના અંકમાં આંબેડકરે લખ્યું હતું- “ગીતા સત્યાગ્રહ ઉપર એક આધ્યાત્મશાસ્ત્ર છે. અછૂત લોકો સવર્ણોથી સમાન અધિકાર પામવાનો જે આગ્રહ કરે છે, તે સત્યાગ્રહ છે.” કોઈપણ વ્યક્તિમાં પરિવર્તન પરિસ્થિતિઓ અનુસાર થતું હોય છે. શું 14 ઓક્ટોબર 1956ના રોજ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો તે જ આંબેડકર 1927માં હતા? આંબેડકરનો પરિવાર ધાર્મિક હતો; જેમ કે શરૂઆતમાં તમામ ગરીબ પરિવાર હોય છે. ધાર્મિક પરિવારમાં પૂજાપાઠ અને અંધવિશ્વાસ સામાન્ય હોય છે. આંબેડકર કહે છે કે “સ્વતંત્રતા, સમાનતા, બંધુતા- આ ત્રણ શબ્દો મેં ફ્રાન્સની ક્રાન્તિમાંથી નહીં બુદ્ધના વિચારોમાંથી ગ્રહણ કર્યા છે.” જ્યારે સ્વતંત્રતા, સમાનતા, બંધુતા; આ ત્રણ શબ્દો હિન્દુ ધર્મના કોઈ શાસ્ત્રમાં નથી, તો આંબેડકર હિન્દુત્વથી પ્રભાવિત કઈ રીતે હોય? આંબેડકરે ગાંધીજીને લખ્યું હતું કે “કોઈ પણ હિન્દુ સંતે જાતિ વ્યવસ્થા ઉપર ક્યારેય પ્રહાર કર્યો નથી. કોઈપણ હિન્દુ સંતે અસ્પૃશ્યતાની વિરુદ્ધ કોઈ અભિયાન ચલાવ્યું ન હતું.” RSS કહે છે કે ‘1913માં આંબેડકર ન્યૂયોર્ક સ્થિત કોલંબિયા યુનિવર્સિટીમાં ભણવા ગયા ત્યારે ગૌમાંસ ખાવાનું છોડી દીધું હતું.’ પરંતુ આંબેડકરે લખ્યું છે કે ‘અહીંનું મોટાભાગનું ભોજન ગાયના માંસનું હોય છે; જે સારી રીતે રંધાયેલું પણ હોતું નથી.’ આંબેડકરે બીફ એટલા માટે નહોતું છોડ્યું કે તેઓ ગોભક્ત હતા; પરંતુ એટલા માટે છોડ્યું હતું કે તે ખરાબ રીતે અધકચરું રંધાયેલ આવતું હતું. RSS કહે છે કે ‘આંબેડકરે મંદિર પ્રવેશ માટે કેટલાંય સત્યાગ્રહ ચલાવ્યાં હતા.’ પરંતુ તેમનો વિરોધ શામાટે થયો હતો? હિન્દુ ધર્મને જીવતો રાખવાવાળા શૂદ્ર અને અછૂત વર્ગ જ છે. બધાં હિન્દુ સંસ્કારો, આડંબરો, રીતરિવાજો, તહેવારો આ જ વર્ગ પોતાના ખંભા ઉપર લઈને ચાલી રહ્યો છે. આંબેડકરે સવાલો ઊઠાવ્યા હતાઃ “હિન્દુત્વની રક્ષા કરીને અછૂતોને શું મળ્યું? હિન્દુત્વએ તેમના માટે શું કર્યું? શું તેમને મનુષ્યનો દરજ્જો આપ્યો?” RSS મહારાણા પ્રતાપને હિન્દુત્વના નાયક માને છે. શું તેમણે એ લાખો વિચરતા યોદ્ધાઓની ચિંતા કરી; જે મહારાણા પ્રતાપની સાથે જંગલોમાં ઘાસ ઝાડ-પાનના રોટલા ખાઈને જીવતા હતા અને જેમણે મરતા સુધી મહારાણા પ્રતાપને સાથ આપ્યો હતો? આજે તેમના વંશજ ખરાબ હાલતમાં ઘર ઘર ઠોકરો ખાઈને ભટકે છે. હિન્દુત્વે તેમના માટે શું કર્યું? RSSએ તેમના પુન:વસવાટ માટે કોઈ કામ કર્યું છે? તેમના શિક્ષણનો પ્રબંધ કર્યો છે? આંબેડકર લખે છે કે “હિન્દુ સમજે છે કે દલિત જાતિઓ તેમની સેવા માટે પેદા કરવામાં આવી છે. હિન્દુ કહે છે કે ‘હિન્દુ સભ્યતા દુનિયાની સૌથી જૂની સભ્યતા છે.’ પરંતુ આ સભ્યતાએ જનજાતિઓ, અછૂતોને સમાનતાનો અધિકાર આપ્યો છે? સભ્યતાનું અજવાળું આપ્યું છે?” RSS આંબેડકરનો જય જયકાર કરે છે, પરંતુ આ જય જયકાર તેમના જીવનકાળમાં કેમ કર્યો નહીં? જ્યારે આંબેડકરે હિન્દુ કોડ બિલ રજૂ કર્યું ત્યારે RSS એ તેમને હિન્દુધર્મના શત્રુ કહીને સડકો પર પ્રદર્શનો કેમ કર્યા હતા? આંબેડકરના પૂતળા કેમ સળગાવ્યા હતા? હવે આંબેડકર RSS ની નજરમાં  હિન્દુવાદી, ગૌભક્ત, ભગવાપ્રેમી કઈ રીતે થઈ ગયા? શું RSS દલિતોની આંખોમાં ધૂળ નથી નાખતું? </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">RSS કહે છેઃ “આંબેડકરે મુસ્લિમોને ન સુધરે તેવી કોમ કહી હતી.” ‘પાકિસ્તાન આર ધ પાર્ટિશન ઓફ ઈન્ડિયા’ પુસ્તકમાં આંબેડકરે લખ્યું છેઃ ‘એ દુ:ખદ છે કે ભારતના મુસ્લિમોમાં સમાજ-સુધારનું સંગઠિત આંદોલન નથી ઊભર્યું; જે આ અનિષ્ટોને સફળતાપૂર્વક નાબૂદ કરી શકે. હકીકતમાં મુસ્લિમો એ અનુભવ જ નથી કરતા કે તે અનિષ્ઠો છે. પરિણામે તેઓ તેને ખતમ કરવા માટે સક્રિય પણ નથી રહેતા. ઉલ્ટાના તે પોતાની પ્રથાઓમાં કોઈ પરિવર્તનનો વિરોધ કરે છે.’ પરંતુ આગળ આંબેડકરે જે લખ્યું છે તે RSS છૂપાવે છે. આંબેડકરે લખ્યું છેઃ “ભારતના મુસ્લિમોમાં સુધારાની ભાવના નથી તેનું કારણ મને એ દેખાય છે કે અહીં મુસ્લિમો એવા હિન્દુ વાતાવરણમાં રહે છે, જે ધીરે ધીરે ખમોશીથી તેમના ઉપર હાવી થઈ રહ્યો છે. અને તે પોતાના ઈસ્લામીકરણ માટે જોખમ અનુભવ કરે છે. તેથી તે પોતાના ઈસ્લામીકરણને સુરક્ષિત રાખવા માટે દરેક એ ચીજ કરે છે, જે ઈસ્લામિક છે. પોતાના અસ્તિત્વને બચાવવા માટે હિન્દુઓની વિરુદ્ધ સંઘર્ષ કરવામાં જ લાગી રહે છે; તેથી તેમની પાસે સુધારાઓ માટે સમય જ નથી.” </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Is-political-power-based-on-pluralist-ideology-the-only-alternative-to-Aryan-politics">શું આર્યન પૉલીટિક્સ સામે બહુજનવાદી વિચારધારા આધારિત રાજકીય સત્તા જ વિકલ્પ છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6612bc29598f3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">RSS કહે છે કે “આંબેડકર સામ્યવાદના વિરોધી હતા.” આંબેડકરના સમયે સામ્યવાદના એજન્ડામાં જાતિના પ્રશ્નો ન હતા તેથી આંબેડકર તેમને પસંદ કરતા નહોતા. પરંતુ સમાજવાદીઓને પસંદ કરતા હતા; જેમના રાજનીતિક એજન્ડામાં દલિત પ્રશ્નો હતા. પરંતુ બૌદ્ધ ધર્મમાં તેમના ધર્માંતર પછી પણ પરિસ્થિતિ બદલાઈ નહીં. તેઓ આજે જીવિત હોત તો એ વાતનો જરૂર અનુભવ કરત કે બૌદ્ધ ભારતમાં પણ જાતિ, ગરીબી, શોષણના પ્રશ્નો ઊભા છે અને સમાજવાદી શક્તિઓ પણ આ પ્રશ્નોની ઉપેક્ષા કરીને જાતિભેદ અને ધર્મની જ પૂંજીવાદી રાજનીતિ કરી રહ્યા છે. તેથી ભારતને RSS અને ધર્મની જાળમાંથી મુક્તિ અપાવવા સામ્યવાદ સિવાય કોઈ રસ્તો નથી. શ્રમિક વર્ગોના બે દુશ્મન છે- પુરોહિતવાદ અને પૂંજીવાદ. આ બન્નેનો ખાત્મો ત્યારે જ થઈ શકે છે જ્યારે તે માટે દલિત, શોષિત વર્ગ પોતાની લડાઈને વર્ગીય બનાવશે. આંબેડકર પૂછે છેઃ “શું હિન્દુ ધર્મમાં સમાનતાનું દર્શન છે? શું હિન્દુ ધર્મમાં સ્વતંત્રતાનું દર્શન છે? શું હિન્દુ ધર્મમાં બંધુત્વનું દર્શન છે? હિન્દુ ધર્મ સામાન્ય મનુષ્યના અંતરંગ જીવનને  ખતમ કરી નાખે છે. મનુષ્યને પંગુ બનાવવાનું કામ કરે છે. હિન્દુ ધર્મમાં સામાન્ય માણસો માટે કોઈ સુખ નથી. તેમાં સામાન્ય માનવ દુ:ખો માટે કોઈ સંવેદના નથી. આ ઉચ્ચ વર્ણોનું સ્વર્ગ છે અને સામાન્ય માનવીનું નર્ક છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">‘RSS અને બહુજન ચિંતન’ પુસ્તક દ્વારા લેખક કંવલ ભારતીએ RSSના પાખંડનો, જૂઠનો સરળ શૈલીમાં જબરજસ્ત પર્દાફાશ કર્યો છે. આ પુસ્તકને ગુજરાતીમાં ઢાળનાર ગોવિંદ ગોહિલ પણ ધન્યવાદને પાત્ર છે. ગુજરાતના દલિતો, આદિવાસીઓ, વંચિતો, જાગૃત નાગરિકો આ પુસ્તકને જરૂર આવકારશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોડસેવાદી સત્તાપક્ષને બરાબર સમજવા માટે ભાગ 1 થી 5 શાંત ચિત્તે ફરી વાંચી જાવ. દ્રષ્ટિ સાફ કરતું આવું પુસ્તક ગુજરાતીમાં હોવું જોઈએ. ગોવિંદ ગોહિલે અનુવાદ તો કર્યો પરંતુ પુસ્તક પ્રકાશિત થઈ શક્યું નથી. આ પુસ્તક માટે મેં પ્રસ્તાવના લખી હતી તે આ ભાગ 1 થી 5. આપણે ઈચ્છીએ કે ગોડસેવાદીઓના પર્દાફાશ માટે નાગરિકો આગળ આવે.</span></p>
<p><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"><span style="font-size: 14pt;"><strong>- રમેશ સવાણી</strong></span><em><strong> </strong></em></span><span style="font-size: 10pt;"><em><strong>(લેખક નિવૃત્ત આઈપીએસ અધિકારી અને રેશનલ વિચારધારાના પક્ષધર છે)</strong></em></span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"><em><strong></strong></em></span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/RSS-and-Ambedkar-are-polar-opposites-yet-why-Sangh-praises-Baba-Saheb">RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?</a></span></strong></span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 09 Apr 2024 11:33:23 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 07 Apr 2024 21:10:50 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>478</Articleid>
                    <excerpt>RSS ડૉ. આંબેડકરને લઈને કેવા ગપગોળા ચલાવે છે, કેવી રીતે તેમના વિચારોને તોડીમરોડીને હિંદુત્વની તરફેણમાં ખેંચી જાય છે તેનો આ લેખ પર્દાફાશ કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_6612bbe40a31b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_6612bbe3ca8f2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_6612bbe3ca8f2.jpg" length="67485" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઈસ કમબખ્ત મુલ્ક મેં ચમાર કભી પ્રાઈમ મિનિસ્ટર નહીં હો સકતા હૈ</title>
                    <link>https://khabarantar.com/is-kambakht-mulk-main-chamar-kabhi-prime-minister-nahi-ho-sakta-hai</link>
                    <guid>https://khabarantar.com/is-kambakht-mulk-main-chamar-kabhi-prime-minister-nahi-ho-sakta-hai</guid>
                    <description>
                        <![CDATA[ બાબુ જગજીવન રામ ત્રણ વખત વડાપ્રધાન પદની સાવ નજીક આવી ગયા હતા. એકવાર તો જનસંઘ પણ તેમના સમર્થનમાં હતો, પણ... ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><em><strong>ઈસ કમબખ્ત મુલ્ક મેં ચમાર કભી પ્રાઈમ મિનિસ્ટર નહીં હો સકતા હૈ..</strong>.</em>(બાબુ જગજીવન રામ, 1979)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><em>યે દેશ કો પહલા દલિત પ્રધાનમંત્રી દેને કા મૌકા હૈ...</em></strong>(અરવિંદ કેજરીવાલ, 2023)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બંને નિવેદનો વચ્ચે 44 વર્ષ વીતી ગયા. એ દરમિયાન માન્યવર કાંશીરામ આવ્યા. તેમના શિષ્યા માયાવતી દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા. દેશને દલિત રાષ્ટ્રપતિ, દલિત લોકસભા અધ્યક્ષ, દલિત CJI (ભારતના મુખ્ય ન્યાયાધીશ) મળ્યા. પરંતુ દલિત વડાપ્રધાન ન મળ્યા. હવે દેશ વધુ એક સામાન્ય ચૂંટણીના આરે આવીને ઉભો છે ત્યારે ફરી એકવાર દેશને દલિત વડાપ્રધાન ક્યારે મળશે તે સવાલ ચર્ચામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીના અનેક નિવેદનોથી સ્પષ્ટ થઈ ગયું છે કે જો ભારતીય જનતા પાર્ટી જીતશે તો વડાપ્રધાન કોણ હશે. વિપક્ષી ભારતીય ગઠબંધનમાં મલ્લિકાર્જુન ખડગેને લઈને કેટલીક વાતો થઈ છે, પરંતુ હજુ સુધી કંઈ નક્કી નથી થયું. જે થશે તે ભાવિના ગર્ભમાં છે. પરંતુ આ સવાલનું વજન તો એની જગ્યાએ છે જ કે, આજ સુધી એક પણ દલિત નેતા વડાપ્રધાન કેમ બની શક્યો નથી. અહીં તેની ભીતરમાં જવા પ્રયત્ન કરીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એવું ઓછામાં ઓછું ત્રણ વખત બન્યું હતું કે એક દલિત નેતા વડાપ્રધાન બનવાની સાવ નજીક પહોંચી ગયા હતા. પરંતુ તેમના પોતાના જ સાથીઓએ એવી રમત રમી કે તે થઈ ન શક્યું. ત્રણેય વખત એક જ નેતા નિરાશ થયા હતા અને એ હતા બાબુ જગજીવન રામ.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_66103ef98fab6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 1975, 1977 અને 1979 – ત્રણ વાર જગજીવન રામનું નામ પીએમ પદ માટે ચાલી રહ્યું હતું. પણ તેમના હાથ લાગ્યો ભીતરના આઘાતમાંથી જન્મેલો ક્ષોભ અને હતાશા. કંટાળીને તેમણે 1979માં ઈન્ડિયા ટુડેને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “ईस कमबख्त मुल्क में चमार कभी प्राईम-मिनिस्टर नहीं हो सकता है.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જગજીવન રામ સ્વાતંત્ર્યસેનાની હતા. બંધારણ સભાનો હિસ્સો પણ રહ્યા હતા. તેમની ગણતરી કોંગ્રેસના ટોચના નેતાઓમાં થતી હતી. 1971માં જ્યારે દેશે બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ જીત્યું ત્યારે તેઓ દેશના સંરક્ષણ મંત્રી હતા. આગળ જતા તેઓ નાયબ વડાપ્રધાન બન્યા. પણ તેઓ વડાપ્રધાન ન બની શક્યા. શું તેમની દલિત જાતિ નડી ગઈ હતી? આખરે શા માટે તેઓ દેશના વડાપ્રધાન ન બની શક્યા </span><span style="font-size: 14pt;">એ પ્રશ્નના કેટલાક જવાબો તેમની જીવનયાત્રામાંથી મળે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બિહારના પ્રથમ દલિત સ્નાતક</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબુ જગજીવન રામનો જન્મ 5 એપ્રિલ 1908ના રોજ બિહારના ચંદવા ગામના એક દલિત પરિવારમાં થયો હતો. તે સમયે આ ગામ બિહારના આરા જિલ્લામાં હતું. તેમણે આરાની સરકારી નિશાળમાંથી શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો અને બી.એસસી. કરવા કલકત્તા જતા રહ્યા. વર્ષ 1931માં ડિગ્રી મેળવી. આ ડિગ્રી માત્ર જગજીવન રામની જ નહીં પરંતુ સમગ્ર બિહારની સિદ્ધિ હતી. કારણ કે તેમના પહેલા બિહારમાં કોઈ દલિતે જાતિના યુવકે આટલું ઉચ્ચ શિક્ષણ મેળવ્યું નહોતું કે કૉલેજનો અભ્યાસ કર્યો નહોતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જગજીવન રામ 1931માં કોંગ્રેસમાં જોડાયા. બિહારમાં વર્ષ 1934માં ભૂકંપ આવ્યો હતો. આ રાહત-બચાવ કાર્યક્રમ દરમિયાન જ તેઓ પ્રથમ વખત ગાંધીજીને મળ્યા હતા. અહીંથી તેઓ ધીરે ધીરે પાર્ટીની અંદર અને બહાર બંને તરફ મોટા થતા ગયા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 1936માં વચગાળાની ચૂંટણીઓ યોજાઈ. જેમાં જગજીવન રામ પણ જીત્યા. તે સમયે બિહારમાં મોહમ્મદ યુનુસની કઠપૂતળી સરકાર બની હતી. કઠપૂતળી એટલા માટે કારણ કે ચૂંટણી ભારતીયોએ લડી હતી પરંતુ સત્તાની ચાવી અંગ્રેજો પાસે હતી. જગજીવન રામને સરકારમાં જોડાવાની ઓફર મળી. પરંતુ તેણે નકારી કાઢી. તેમણે ક્યારેય કોંગ્રેસની લાઈન ન છોડી. જ્યારે આઝાદી મળી ત્યારે જગજીવન રામ બંધારણ સભાના સભ્ય હતા. ઔપચારિક ચૂંટણીઓ પછી, જગજીવન રામ નેહરુ સરકાર દ્વારા રચાયેલા તમામ મંત્રીમંડળમાં સ્થાન મેળવતા રહ્યા.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-law-of-manusmriti-which-sowed-the-seeds-of-inequality-in-indian-society">મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં </a><br></span></strong></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_66103efa1c6c0.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હંમેશા સૌથી મુશ્કેલ કામ મળ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જગજીવન રામ જે મંત્રાલયમાં જોડાયા તેનો સૌથી નાજુક તબક્કો તેમના જ ભાગે આવ્યો હતો. 1967માં જ્યારે તેઓ કૃષિ મંત્રી બન્યા ત્યારે તે જ વર્ષે દુકાળ પડ્યો હતો. માત્ર બે વર્ષ પહેલા પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન અમેરિકાએ ઘઉંના સપ્લાય પર શરત મૂકી હતી. આવી પરિસ્થિતિથી બચવા માટે હરિયાળી ક્રાંતિનો વિચાર આવ્યો. અને અમલીકરણનું કામ જગજીવન રામને મળ્યું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જગજીવન રામનું આગળનું અસાઈનમેન્ટ તેનાથી વધુ મુશ્કેલ હતું. 1970માં તેઓ સંરક્ષણ મંત્રી બન્યા અને તે દિવસોમાં પૂર્વ પાકિસ્તાનમાં કટોકટી સર્જાઈ. 1971માં એક નવા દેશનો જન્મ થયો - બાંગ્લાદેશ. પરંતુ આનો મોટાભાગનો શ્રેય ઈન્દિરા ગાંધી અને આર્મી ચીફ જનરલ સેમ માણેકશા વચ્ચે વહેંચાઈ ગયો.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">1975ની ઈમરજન્સી</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">12 જૂન 1975. અલ્હાબાદ હાઈકોર્ટે ચૂંટણીમાં ઘાલમેલના કારણે ઈન્દિરાનું સંસદ સભ્યપદ રદ કરી દીધું. મતલબ કે હવે ઈન્દિરા વડાપ્રધાન પદ પર રહી શકે તેમ નહોતા. જગજીવનરામ જૂના કોંગ્રેસી હતા. તેથી આશા હતી કે ઇન્દિરા તેમને સત્તાની ચાવીઓ સોંપશે. પણ એવું થયું નહીં. ઈન્દિરા ગાંધીએ તેમના ખાસ ગણાતા બંગાળના મુખ્યમંત્રી સિદ્ધાર્થ શંકર રે અને દીકરા સંજય ગાંધીની વાત સાંભળીને 25 જૂન 1975ના રોજ દેશભરમાં ઈમર્જન્સી લગાવી દીધી અને તેના પ્રસ્તાવક હતા બાબુ જગજીવનરામ. જો કે એ પછી તેમનું મન કોંગ્રેસમાં લાગ્યું નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 1977ની વાત છે. ઈન્દિરાએ જાન્યુઆરીમાં કટોકટી પાછી ખેંચી લીધી હતી. ચૂંટણી થવાની હતી. રામવિલાસ પાસવાનના યુગ પહેલા જગજીવન રામ રાજકારણના હવામાનશાસ્ત્રી હતા. તેઓ સમજી ગયા કે પવન કઈ તરફ ફૂંકાઈ રહ્યો છે. 5 ફેબ્રુઆરી 1977ના રોજ, બાબુજીએ વધુ પાંચ કેબિનેટ મંત્રીઓ સાથે કોંગ્રેસથી અલગ થઈને એક નવો પક્ષ બનાવ્યો - કોંગ્રેસ ફોર ડેમોક્રસી (CFD).</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1977ની ચૂંટણી પહેલા જગજીવન રામનું કોંગ્રેસથી અલગ થવું એ વડા પ્રધાન ઈન્દિરા ગાંધી માટે મોટો ઝટકો હતો. એમાં પણ જ્યારે જગજીવન રામે રામલીલા મેદાનમાં યોજાનારી વિરોધ પક્ષોની વિશાળ જાહેર સભામાં હાજરી આપવાનું નક્કી કર્યું, ત્યારે તેને ફ્લોપ કરવા માટે, એ વખતે જાહેર પ્રસારણના એકમાત્ર માધ્યમ એવા દૂરદર્શને તે દિવસે ટેલિવિઝન પર 'બોબી' ફિલ્મ બતાવી જેથી લોકો પોતાના ઘરની બહાર ન જાય. પરંતુ લોકો બહાર આવ્યા અને ઐતિહાસિક સભા થઈ. બીજા દિવસની હેડલાઇન હતી, <span style="color: rgb(224, 62, 45);"><em>‘બાબુ બીટ્સ બોબી’</em></span></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Visaranai-%E2%80%93-A-wonderful-movie-based-on-a-novel-written-by-a-rickshaw-puller">વિસરાનાઈ – એક રિક્ષાચાલકે લખેલી નવલકથા પરથી બનેલી અદ્દભૂત ફિલ્મ</a><br></span></span></strong></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_66103ef91445f.jpg" alt="">(ઈન્ડિયા ટુડેને બાબુ જગજીવન રામે આપેલા ઈન્ટરવ્યૂનો અંશ)</p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદી પછી 1977માં પ્રથમ બિન-કોંગ્રેસી સરકાર રચાઈ હતી. ઈન્દિરા રાયબરેલીથી અને સંજય ગાંધી અમેઠીથી ચૂંટણી હારી ગયા. કોંગ્રેસને 542માંથી 154 બેઠકો મળી હતી. જ્યારે ભારતીય લોકદળને 295 બેઠકો મળી હતી. હવે સવાલ એ પેદા થયો કે PM કોણ બનશે? સ્વાભાવિક છે કે જગજીવન રામ પણ ખુરશી પર બેસવા માંગતા હતા. તેમની પાર્ટી જનતા પાર્ટીમાં ભળી ગઈ હતી. અને બે વર્ષના ગાળામાં તેઓ બીજી વખત પીએમ બનવાનું વિચારી રહ્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">વાજપેયીએ ખોળામાં માથું રાખીને માફી માંગી  </span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જગજીવન રામ ઉપરાંત, 1977માં વડાપ્રધાન પદ માટે અન્ય બે દાવેદાર હતા - મોરારજી દેસાઈ અને ચૌધરી ચરણ સિંહ. જગજીવન રામે વાંધો ઉઠાવ્યો હતો કે જે પક્ષના સૌથી વધુ સાંસદો ઉત્તર ભારતમાંથી આવતા હોય તે પક્ષનું નેતૃત્વ કોઈ ગુજરાતી કેવી રીતે કરી શકે? ત્યારે જનસંઘ પણ જગજીવન રામ પીએમ બને તેવું ઈચ્છતો હતો. પણ પછી તે પીછેહઠ કરી ગયો. મોરારજીને ગુજરાતી તરીકે દર્શાવવાની યુક્તિ પણ કામમાં આવી નહીં. છઠ્ઠી લોકસભાના નેતા તરીકે મોરારજી દેસાઈ જ ચૂંટાયા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તે દિવસે જગજીવન રામના ઘરે હાહાકાર મચી ગયો. તેમના સમર્થકો ગુસ્સામાં જનતા પાર્ટીના ઝંડાને કચડી રહ્યા હતા. જગજીવન રામ એટલા ગુસ્સામાં હતા કે તેઓ દરેક રૂમના ફર્નિચરને લાત મારીને રાડો પાડી રહ્યા હતા, “દગો, દગો...”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જનસંઘના કેટલાક નેતાઓ જગજીવન રામને શાંત કરવા આવ્યા. શાંતિ ભૂષણ પણ તેમની સાથે હતા. જગજીવન રામને જ્યારે મામલો સમજાયો ત્યારે તેઓ જોરથી તેમના પર ચિલ્લાયા. વાજપેયી રડવા લાગ્યા અને જગજીવન રામના ખોળામાં માથું મૂકીને તેમની માફી માંગવા લાગ્યા, પરંતુ જગજીવન રામ તેનાથી શાંત ન થયા. શાંતિ ભૂષણે પાછળથી તેમના પુસ્તક "કોર્ટિંગ ડેસ્ટિની" માં લખ્યું, </span></p>
<p style="text-align: justify;"><em><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">“તેઓ વિચારી રહ્યા હતા અને તે કદાચ સાચું પણ હતું કે તેમના સમર્થકોએ છેલ્લી ઘડીએ તેમનો સાથ છોડી દીધો હતો. ખરેખર, ચૂંટણીના પરિણામો બાદ કોને નેતા બનાવવો તે અંગે ભારે મૂંઝવણ હતી. જનસંઘે જગજીવન રામને સમર્થન આપવાનું નક્કી કર્યું હતું. તેમનું માનવું હતું કે જો જગજીવન રામને નેતા બનાવવામાં આવે તો પાર્ટી પાંચ વર્ષ સુધી ચલાવી શકાશે. પરંતુ જગજીવન રામનું એક નબળું પાસું એ હતું કે તેમણે સંસદમાં ઈમરજન્સી ઠરાવની તરફેણમાં ભાષણ આપ્યું હતું."</span></em></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ જમાનાની બિન-કોંગ્રેસી રાજનીતિની ઊંડી સમજ ધરાવતા રામ બહાદુર રાયનું એક નિવેદન બીબીસીના અહેવાલમાં પ્રકાશિત થયું છે. તેઓ કહે છે, </span><span style="font-size: 14pt;">"બીજી તરફ, અન્ય લોકો ચરણ સિંહને સ્વીકારવા તૈયાર ન હતા. જ્યારે લોકોએ જોયું કે મામલો બની નથી રહ્યો, ત્યારે જયપ્રકાશ નારાયણ અને આચાર્ય કૃપાલાનીને વિનંતી કરવામાં આવી હતી કે તમે જે પણ નામ જાહેર કરશો તે અમે બધાં સ્વીકારીશું."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Raghala,-Matars-boy-does-not-have-a-groom,-have-you-seen-this-Benali">રઘલા, મેતરના છોકરાને વરઘોડો ન હોય, આ બેનાળી જોઈ છે...?</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_66103ef886452.jpg" alt="">(ડાબેથીઃ અટલ બિહારી વાજપેયી, ચંદ્રશેખર, બાબુ જગજીવન રામ અને મોરારજી દેસાઈ)</p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાયના જણાવ્યા મુજબ,</span><span style="font-size: 14pt;">"પડદા પાછળની પ્રવૃત્તિઓ પણ તીવ્ર બની અને જેપીની સલાહ પર, જનસંઘે પણ જગજીવન રામને ટેકો આપવાને બદલે મોરારજી દેસાઈને ટેકો આપવાનું નક્કી કર્યું. ઈન્ડિયન એક્સપ્રેસના માલિક રામનાથ ગોએન્કાની પણ આ પાછળ ભૂમિકા હતી."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જયપ્રકાશ નારાયણને રડવું આવી ગયું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોરારજી દેસાઈ પીએમ બન્યા ત્યારે જગજીવન રામ એટલા ગુસ્સામાં હતા કે તેમણે તેમની કેબિનેટમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો હતો અને શપથવિધિ સમારોહમાં પણ હાજરી આપી નહોતી. આ પછી જેપીએ ફરી એકવાર દરમિયાનગીરી કરવી પડી હતી. તેઓ જગજીવન રામને મળ્યાં. તેમને કેબિનેટમાં સામેલ થવા માટે ખૂબ જ ભાવનાત્મક વિનંતી કરી. આ વાતચીત એટલી લાગણી સાથે થઈ કે એક સમયે જયપ્રકાશ લગભગ રડી પડ્યા. જગજીવન સામે હાથ જોડવાનું જ બાકી હતું. પણ એ પહેલાં જ જગજીવન રામનું હૃદય પીગળી ગયું. એ પછી તેઓ કેબિનેટમાં સામેલ થયા. તેમને રક્ષા મંત્રાલય અને ચૌધરી ચરણ સિંહને નાયબ વડાપ્રધાન પદ પણ મળ્યું.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Meet-Indias-first-Dalit-billionaire-Padma-Shri-Rajesh-Saraiya,-whose-company-has-an-annual-turnover-of-Rs.-26.42-billion">મળો ભારતના પહેલા દલિત અબજોપતિ પદ્મશ્રી Rajesh Saraiyaને, જેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર છે રૂ. 26.42 અબજ!</a><br></span></strong></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_66103ef7ea2cf.jpg" alt="">(જગજીવન રામનો રડતો ફોટો. Image credit - india today)</p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જગજીવન રામે 1977ની ચૂંટણીનો માહોલ પલટી નાખ્યો હતો જેણે ઇન્દિરાને સત્તા પરથી હટાવી દીધા હતા. ઈન્દિરાએ આ વિદ્રોહને ક્યારેય માફ કર્યો નહોતો. જગજીવન રામની રાજકીય મૂડીને સમેટવામાં સૌથી મોટો ફાળો ઈન્દિરાની નાની વહુ મેનકા ગાંધીએ આપ્યો હતો. <span style="color: rgb(224, 62, 45);">'સૂર્યા' મેગેઝિન</span>માં કેટલાક એવા ફોટોગ્રાફ્સ પ્રકાશિત થયા હતા જેમાં જગજીવનના પુત્ર સુરેશ રામ અને એક મહિલા નગ્ન જોવા મળી હતી. આ કૌભાંડે જગજીવન રામની રાજકીય કારકિર્દી લગભગ બરબાદ કરી નાખી.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ના એટલે ના </span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે ઈન્દિરા ગાંધીએ 1979માં ચૌધરી ચરણ સિંહની સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો. તો જગજીવન રામને ફરી આશા જાગી. ત્રણ દાવેદારોમાંથી બે - મોરારજી અને ચૌધરી ચરણ સિંહ- વડાપ્રધાન બની ચૂક્યા હતા. જગજીવન રામના હિસાબ પ્રમાણે, હવે તેમનો વારો હતો. પરંતુ તેમના ભાગમાં આવી ગયો અમજદ ઈસ્લામ અસલમનો એક શેર,</span></p>
<p style="text-align: justify;"><em><span style="font-size: 14pt;">વો તિરે નસીબ કી બારિશેં કિસી ઔર છત પે બરસ ગઈ</span></em><br><em><span style="font-size: 14pt;">દિલ-એ-બેખર મિરી બાત સુન ઉસે ભૂલ જા ઉસે ભૂલ જા</span></em></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંસુ સાથેની જગજીવન રામની આ તસવીર પાછળ ચૌધરી ચરણ સિંહ અને નીલમ સંજીવ રેડ્ડી આ બંનેનું રાજકારણ જવાબદાર છે. ચરણ સિંહ એવી રીતે કે, જગજીવન રામના સમર્થનમાં પૂરતી સંખ્યામાં સાંસદો હોવાની જાણ હોવા છતાં તેમણે તત્કાલિન રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીને લોકસભા ભંગ કરવાની ભલામણ કરી દીધી. અને નીલમ સંજીવ રેડ્ડીએ ચરણ સિંહના રાજીનામા બાદ સરકાર બનાવવા માટે જગજીવન રામને આમંત્રણ જ ન આપ્યું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાસ્તવમાં જનતા સરકાર અનેક ઘટક પક્ષોની બનેલી હતી. તેથી સમય સાથે વિખવાદ વધે તે સ્વાભાવિક હતું. જનસંઘમાંથી જનતા પાર્ટીમાં જોડાયેલા ઘણા સાંસદો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પણ સભ્ય હતા. જનતા પાર્ટીના કેટલાક સભ્યોને આની સામે વાંધો હતો. થોડા જ મહિનામાં જનતા સરકાર એક અસહજ ગઠબંધન બની ગઈ જેનું કોઈ ભવિષ્ય નહોતું. છેવટે ચરણસિંહે સંસદ ભંગ કરી. અને છેલ્લી તક પણ જગજીવન રામના હાથમાંથી જતી રહી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જનતા પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર અને જગજીવન રામ રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીને મળવા પહોંચ્યા હતા. સરકાર પડી જશે તેની તેમને કલ્પના પણ નહોતી. જગજીવન રામ રાષ્ટ્રપતિ ભવનમાંથી બહાર આવ્યા કે તરત જ તેમને સમાચાર મળ્યા કે ચરણ સિંહે રાજીનામું આપી દીધું છે. બાબુજી બહુ દુઃખી થયા. તેમની છેલ્લી આશા રાષ્ટ્રપતિ પાસેથી હતી કે તેઓ તેમને સરકાર રચવા માટે આમંત્રણ આપે, પરંતુ તેમ પણ ન થયું. જગજીવન રામે કહ્યું કે રેડ્ડી બદલો લઈ રહ્યા છે કારણ કે દસ વર્ષ પહેલા તેમણે તેમને રાષ્ટ્રપતિ બનાવવાનો વિરોધ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/What-did-E.-V.-Ramasamy-Periyar-believe-about-Hindu-Gods-and-scriptures">E. V. Ramasamy Periyar હિંદુ દેવી-દેવતાઓ અને ધર્મગ્રંથો વિશે શું માનતા હતા?</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_66103ef65ce9c.jpg" alt="">(જગજીવન રામ વડાપ્રધાન ન બની શક્યા પણ તેમની દીકરી મીરા કુમાર લોકસભાની સ્પીકર બની શક્યા.)</p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોતે પીએમ ન બન્યાં પણ દીકરી સ્પીકર બની</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જગજીવન રામ પીએમ ન બની શક્યા. સેન્ડલને કારણે પુત્ર સુરેશ રામની કારકિર્દી પર અસર પડી. પરંતુ બાબુજીના પુત્રી મીરા કુમાર 2009 થી 2014 સુધી લોકસભાના સ્પીકર રહ્યાં. તેમણે 2017માં રાષ્ટ્રપતિની ચૂંટણી પણ લડી હતી, પરંતુ રામનાથ કોવિંદ સામે હારી ગયા હતા. ભાજપે છેલ્લી બે ચૂંટણીમાં બાબુ જગજીવન રામનો ગઢ ગણાતી બિહારની સાસારામ લોકસભા બેઠક પર પણ કબ્જો જમાવી દીધો છે. જો કે આજે પણ તેમના કેટલાક એવા સમર્થકો છે, જેઓ રાષ્ટ્રીય કવિ મૈથિલીશરણ ગુપ્તે જગજીવન રામ વિશે જે લખ્યું હતું તે તેમની જન્મજયંતિ કે પુણ્યતિથિ પર ફેસબુક સ્ટેટસમાં લખવાનું ભૂલતા નથી. રાષ્ટ્રકવિએ લખ્યું હતું,</span></p>
<p style="text-align: justify;"><em><strong><span style="font-size: 14pt;">તુલ ન સકે ધરતી ધન ધામ, ધન્ય તુમ્હારા પાવન નામ</span></strong></em><br><em><strong><span style="font-size: 14pt;">લેકર તુમ સા લક્ષ્ય લલામ, સફલ કામ જગજીવન રામ.</span></strong></em></p>
<p style="text-align: justify;"><em><strong><span style="font-size: 12pt;">(મૂળ લેખ ધ લલ્લનટોપમાં પ્રકાશિત થયો હતો.)</span></strong></em></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: </span></strong></span><a href="https://khabarantar.com/to-kill-a-tiger-a-shocking-documentary-film"><strong><span style="font-size: 14pt;">ટુ કિલ અ ટાઈગર- એક હચમચાવી નાખતી ડોક્યુમેન્ટરી ફિલ્મ</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 06 Apr 2024 09:53:30 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 06 Apr 2024 00:03:46 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>471</Articleid>
                    <excerpt>બાબુ જગજીવન રામ ત્રણ વખત વડાપ્રધાન પદની સાવ નજીક આવી ગયા હતા. એકવાર તો જનસંઘ પણ તેમના સમર્થનમાં હતો, પણ...</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_66103ef78d2b3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_66103ef758756.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_66103ef758756.jpg" length="95186" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સાવરકરઃ હિંદુત્વવાદી રાજનીતિને મજબૂત કરવા સત્યને વિકૃત કરતો પ્રયત્ન</title>
                    <link>https://khabarantar.com/savarkar-an-attempt-to-distort-the-truth-to-strengthen-hindutva-politics</link>
                    <guid>https://khabarantar.com/savarkar-an-attempt-to-distort-the-truth-to-strengthen-hindutva-politics</guid>
                    <description>
                        <![CDATA[ બહુમતીવાદી અને ભાગલાવાદી મુદ્દા-આધારિત રાજકારણ અને હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારાના ઉદય સાથે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ઘણા લોકોએ એવી ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફિલ્મ જનસંચારનું એક શક્તિશાળી માધ્યમ છે જે સામાજિક સમજને ઘણી રીતે પ્રભાવિત કરે છે.  દાયકાઓ પહેલા ભારતમાં સામાજિક વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરતી અને પ્રગતિશીલ મૂલ્યોને પ્રોત્સાહન આપતી ફિલ્મો બનાવવામાં આવી હતી. 'મધર ઈન્ડિયા', 'દો બીઘા જમીન' અને 'નયા દૌર' આવી કેટલીક ફિલ્મો હતી. કેટલીક બાયોપિક ફિલ્મોએ વાસ્તવવાદી સામાન્ય સમજને પણ વિસ્તૃત કરી અને સમાવિષ્ટ મૂલ્યોને પ્રોત્સાહન આપ્યું. રિચર્ડ એટનબરોની 'ગાંધી' અને ભગતસિંહના જીવન પર બનેલી કેટલીક ફિલ્મો ખૂબ જ પ્રેરણાદાયી ગણી શકાય. આ બાયોપિક ફિલ્મો ભારે મહેનત અને સાવધાનીથી કરવામાં આવતા સંશોધન પર આધારિત હતી અને સ્ક્રીન પર જે તે મહાનાયકના વાસ્તવિક ચરિત્રને રજૂ કરતી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુમતીવાદી અને ભાગલાવાદી મુદ્દા-આધારિત રાજકારણ અને હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારાના ઉદય સાથે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ઘણા લોકોએ એવી ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું છે જે ચોક્કસ ભાગલાવાદી કથાને પ્રોત્સાહન આપે છે અને રાજકારણ અને ઇતિહાસને ચોક્કસ સાંપ્રદાયિક દૃષ્ટિકોણની દ્રષ્ટિએ જોવા પર આધારિત છે. આવી બધી ફિલ્મોમાં સત્યને વિકૃત કરવામાં આવે છે અને મોટા ભાગના કિસ્સાઓમાં હિંદુ રાષ્ટ્રવાદી હીરોનો મહિમા કરવામાં આવે છે. આમાંની મોટાભાગની ફિલ્મોમાં સત્ય સાથે ચેડાં કરવામાં આવે છે અને અસત્યને સત્ય તરીકે રજૂ કરવામાં આવે છે. આવી જ એક ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો વડાપ્રધાન મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતે ભારે પ્રચાર કર્યો હતો. બીજેપીના ઘણાં નેતાઓએ આ ફિલ્મની જથ્થાબંધ ટિકિટો ખરીદી હતી અને તેમના વિસ્તારના લોકોમાં વહેંચી હતી જેથી તેઓ ફિલ્મ જોઈ શકે. આ ફિલ્મનું પ્રમોશન કરનારાઓએ દાવો કર્યો છે કે આ ફિલ્મે કાશ્મીરની વાસ્તવિક સત્યતા લોકો સામે લાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ અન્ય એક ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'માં ઇસ્લામ ધર્મ અપનાવીને ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)માં જોડાનારા લોકોની સંખ્યા ખૂબ જ વધારી-ચડાવીને દર્શાવવામાં આવી હતી. આવી ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. તેમાં '72 હુરેં' નો સમાવેશ થાય છે જેમાં આતંકવાદને રાજકારણને બદલે ધર્મ સાથે જોડવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં એ હકીકતને દબાવી દેવામાં આવી હતી કે, હિંદુ ધર્મ પણ સ્વર્ગમાં અપ્સરાઓ સાથે મજા કરવાની વાતો કહેવામાં આવી છે. એ જ રીતે અન્ય ધર્મોમાં પણ સ્વર્ગમાં પરીઓની ચર્ચા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'ધ કેરલા સ્ટોરી', 'ધ કાશ્મીર ફાઇલ્સ', 72 હૂરેં જેવી ફિલ્મોનો હેતુ ઇસ્લામોફોબિયા ફેલાવવાનો છે. બીજી તરફ ગોડસે પર 2022માં બનેલી ફિલ્મમાં મહાત્મા ગાંધીના હત્યારાનનો મહિમામંડન કરવામાં આવ્યો હતો. આમાં, સંઘ પરિવારનું જૂનું જુઠ ફરી એક વાર દોહરાવવામાં આવ્યું હતું કે ગાંધીજીએ ભગતસિંહને ફાંસીથી બચાવ્યા ન હતા અને તેમની શહાદતના શોકના કૉંગ્રેસના એક પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. અને હવે આવ્યું છે રણદીપ હુડ્ડાનું 'સ્વાતંત્ર્યવીર સાવરકર'. જુઠ્ઠાણાનો પ્રચાર કરવામાં તે નવી ઊંચાઈએ પહોંચે છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે ભગતસિંહ ગયા અને સાવરકરને મળ્યા અને તેમની ઈચ્છા વ્યક્ત કરી કે તેઓ સાવરકરના પુસ્તક 'First War of Independence'નો મરાઠીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરવા માગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સત્ય શું છે? ઘણા ક્રાંતિકારીઓએ આ પુસ્તક વાંચ્યું છે અને તેની પ્રશંસા પણ કરી છે. પરંતુ સમસ્યા એ છે કે આ પુસ્તક 1908 ની આસપાસ મરાઠીમાં પ્રકાશિત થયું હતું અને તેનો અંગ્રેજી અનુવાદ એક વર્ષ પછી પ્રકાશિત થયો હતો. ભગતસિંહનો જન્મ 1907માં થયો હતો અને તેઓ તેમના જીવનમાં ક્યારેય સાવરકરને મળ્યા નહોતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફિલ્મમાં સાવરકરને એવું કહેતા બતાવવામાં આવ્યા છે કે ભારત 1912 સુધીમાં આઝાદી પ્રાપ્ત કરશે - એટલે કે આપણને આઝાદી મળ્યાના લગભગ 35 વર્ષ પહેલાં. સત્ય એ છે કે 1910થી સાવરકર આંદામાનની સેલ્યુલર જેલમાં હતા અને ત્યાંથી તેઓ બ્રિટિશ સરકારને માફી માંગતી અરજીઓ લખી રહ્યા હતા. 1912 સુધીમાં તેમણે આવી ત્રણ અરજીઓ લખી હતી. આ તમામ અરજીઓમાં સરકારનો વિરોધ કરવા બદલ તેમની માફી માંગવામાં આવી હતી અને એમ પણ કહેવામાં આવ્યું હતું કે જો તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવશે તો તેઓ બ્રિટિશ સરકારને નિષ્ઠાપૂર્વક વફાદાર રહેશે. અને જેલમાંથી મુક્ત થયા પછી સાવરકર અંગ્રેજ સરકારને વફાદાર રહ્યા. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામને 1920માં વેગ મળ્યો જ્યારે કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલ અસહકાર આંદોલનમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: </span></strong></span><a href="https://khabarantar.com/Movie-12th-Fail---Its-not-about-the-struggle-but-the-privileges-that-Brahmins-get"><strong><span style="font-size: 14pt;">ફિલ્મ 12th Fail - વાત સંઘર્ષની નહીં બ્રાહ્મણોને મળતા વિશેષાધિકારોની છે</span></strong></a></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_660a7cc58efed.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ફિલ્મ એ સવાલ પણ ઉઠાવે છે કે શા માટે કોંગ્રેસના કોઈ નેતાને આંદામાન જેલમાં મોકલવામાં આવ્યા નહોતા અને તેમને ભારતની જેલમાં જ કેમ રાખવામાં આવ્યા હતા. પહેલી વાત તો એ છે કે આ તથ્તની સત્યતાની પુષ્ટિ કરવી પડશે. બીજું, 1920 પછી કોંગ્રેસ અને ગાંધીજીએ અહિંસાનો માર્ગ અપનાવ્યો હતો અને તેથી તેમના અનુયાયીઓને મૃત્યુદંડની સજા આપવામાં આવી ન હતી અને માત્ર ભારતની જેલોમાં રાખવામાં આવ્યા હતા. ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને હિંસામાં સામેલ થવા બદલ મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. ગાંધીજીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ અહિંસાના સિદ્ધાંતને અનુસરતી હોવાથી તેના સભ્યોને આંદામાનમાં ફાંસી કે સજા આપવામાં આવી ન હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ફિલ્મ જણાવે છે કે ભારતને આઝાદી અહિંસાથી નહીં પરંતુ હિંસાથી મળી છે. ભારતમાં સક્રિય થયેલા મોટાભાગના ક્રાંતિકારીઓ હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના હતા. ભગતસિંહ અને તેમના સાથીઓના મૃત્યુ પછી ભારતમાં કોઈ મોટી ક્રાંતિકારી ચળવળ થઈ ન હતી. સાવરકરે સરકારની માફી માંગી તે પછી સાવરકરના અભિનવ ભારત સંગઠને અંગ્રેજ સરકારનો વિરોધ કરવાનું બંધ કરી દીધું હતું. આઝાદ હિંદ ફોજની રચના કરનાર સુભાષ ચંદ્ર બોઝની 1945માં હત્યા કરવામાં આવી હતી અને આઝાદ હિંદ ફોજના અધિકારીઓ અને સૈનિકોને લાલ કિલ્લામાં કેદ રાખવામાં આવ્યા હતા. જવાહરલાલ નેહરુની પહેલ પર કોંગ્રેસે આ યુદ્ધ કેદીઓને કોર્ટમાં બચાવવા માટે એક સમિતિની રચના કરી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફિલ્મ એ પણ જણાવે છે કે સાવરકરે જ બોઝને આઝાદ હિંદ ફોજની રચના કરીને અંગ્રેજો સામે લડવાની સલાહ આપી હતી! આ તથ્યોની તદ્દન વિરુદ્ધ છે. કોંગ્રેસ છોડ્યા પછી જ બોઝે નક્કી કર્યું હતું કે તેઓ જર્મની અને જાપાનની મદદથી બ્રિટિશ સરકાર સામે યુદ્ધ કરશે. જે સમયે બોઝ બ્રિટિશ સરકાર સામે લડી રહ્યા હતા તે સમયે સાવરકર હિંદુ મહાસભાને બ્રિટિશ આર્મીમાં વધુમાં વધુ હિંદુઓની ભરતી કરવા વિનંતી કરી રહ્યા હતા જેથી બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનની શક્તિ વધી શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુ મહાસભાના કલકત્તા સત્રને સંબોધિત કરતી વખતે સાવરકરે તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને શાળાઓને અપીલ કરી હતી કે ભારતીય યુવાનોને બ્રિટિશ આર્મીમાં ભરતી કરવા માટે દરેક રીતે પ્રયત્નો કરે. બીજા વર્ષે 1940માં ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યો. તે જ વર્ષે ડિસેમ્બરમાં હિંદુ મહાસભાના અધિવેશનને સંબોધિત કરતી વખતે સાવરકરે હિંદુ યુવાનોને બ્રિટિશ આર્મીની વિવિધ શાખાઓમાં મોટા પાયે પ્રવેશ લેવાનું આહ્વાન કર્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાવરકર વિશે લખતા સુભાષચંદ્ર બોઝે કહ્યું હતું કે, "એવું લાગે છે કે સાવરકર આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિથી અજાણ છે અને માત્ર એટલું જ વિચારી રહ્યા છે કે હિંદુઓ બ્રિટિશ આર્મીમાં જોડાઈને લશ્કરી તાલીમ મેળવી શકશે." સુભાષ ચંદ્ર બોઝનું તારણ હતું કે " મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભા પાસેથી કોઈપણ પ્રકારની  અપેક્ષા રાખી શકાય નહીં."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદ હિંદ રેડિયો દ્વારા ભારતીયોને સંબોધતા સુભાષ ચંદ્ર બોઝે કહ્યું હતું કે, "હું શ્રીમાન જિન્ના, શ્રી સાવરકર અને એવા તમામ લોકો, જેઓ હવે બ્રિટિશ સરકાર સાથે સમાધાનની વાત કરી રહ્યા છે, તેમને વિનંતી કરવા માંગુ છું કે તેઓ એ સમજી લે કે આવાનારી દુનિયામાં બ્રિટિશ સામ્રાજ્ય નહીં હોય."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યાં સુધી ફિલ્મમાં સાવરકર અને સુભાષ બોઝને સાથી તરીકે રજૂ કરવાનો પ્રશ્ન છે. નેતાજીના પૌત્ર ચંદ્રકુમાર બોઝે ફિલ્મનું ટ્રેલર જોયા બાદ રણદીપ હુડ્ડાને કહ્યું હતું કે, "કૃપા કરીને નેતાજીને સાવરકર સાથે ન જોડો. નેતાજી સર્વસમાવેશક અને બિનસાંપ્રદાયિક નેતા હતા. તેઓ દેશભક્તોના દેશભક્ત હતા.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ફિલ્મ આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને હિંદુ રાષ્ટ્રવાદી રાજકારણને મજબૂત કરવા માટે સત્યને વિકૃત કરવાનો વધુ એક પ્રયાસ છે.)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>અમરીશ હરદેણિયા</strong></span><em><span style="font-size: 12pt;"> (લેખક આઈઆઈટી બોમ્બેમાં ભણાવતા હતા અને વર્ષ 2007માં કોમ્યુનલ હાર્મની ઍવોર્ડથી સન્માનિત છે.)</span></em></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: </span></strong></span><a href="https://khabarantar.com/why-do-propaganda-films-that-are-supposed-to-turn-the-audience-into-vote-banks-fail"><strong><span style="font-size: 14pt;">દર્શકોને મતબેંકમાં ફેરવવા મથતી પ્રોપેગેન્ડા ફિલ્મો કેમ ફ્લોપ જાય છે?</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો</span>. <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
<h1 class="title" style="text-align: justify;"></h1> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 01 Apr 2024 19:29:10 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 01 Apr 2024 14:56:28 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>459</Articleid>
                    <excerpt>બહુમતીવાદી અને ભાગલાવાદી મુદ્દા-આધારિત રાજકારણ અને હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારાના ઉદય સાથે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ઘણા લોકોએ એવી ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_660a7b6ea23d7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_660a7b6e7204f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_660a7b6e7204f.jpg" length="91150" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>હેં! જાપાનમાં પણ અસ્પૃશ્યો છે!</title>
                    <link>https://khabarantar.com/hey-there-are-untouchables-in-japan-too</link>
                    <guid>https://khabarantar.com/hey-there-are-untouchables-in-japan-too</guid>
                    <description>
                        <![CDATA[ ભારતની જેમ જાપાનમાં પણ ઉંચ-નીચના ભેદ છે, આભડછેટ પળાય છે, એમ કોઈ કહે તો આપણે માનીએ? વાંચો વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયાનો આ લેખ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતની જેમ જાપાનમાં પણ ઉંચ-નીચના ભેદ છે, આભડછેટ પળાય છે, એમ કોઈ કહે તો આપણે માનીએ? દુનિયાના આ વિકસિત અને સમૃધ્ધ દેશનો સમાજ સમાનતાપૂર્ણ, સંવાદી અને સામંજસ્યપૂર્ણ હોવાની વૈશ્વિક છાપ છે. જાપાનના નાગરિકોનું કર્તવ્ય, સમય અને  શિસ્તનું પાલન વખણાય છે. એ સ્થિતિમાં જાપાનીઝ નાગરિકો દેશના એક પ્રજાસમૂહને હેય દ્રષ્ટિએ જોતા હોય તે ઝટ ગળે ન ઉતરે એવી હકીકત છે. ૨૦૦૧માં દક્ષિણ આફ્રિકાના ડરબનમાં યોજાયેલી વર્લ્ડ કોન્ફરન્સ અગેઈન્સ્ટ રેસિઝમમાં જાપાનના કથિત અસ્પૃશ્ય એવા બુરાકુમિન સમાજના નેતાઓને પ્રત્યક્ષ જોવા-મળવાનું થયું હતું. ભારતની જેમ જાપાનની સરકાર અને સમાજ પણ એમ કહે છે કે હવે ક્યાં કશા ભેદ રહ્યા જ છે? પરંતુ ભારતમાં કે જાપાનમાં આભડછેટ પૂર્ણ ભૂતકાળ નહીં પણ ચાલુ વર્તમાનકાળ છે, તેની પ્રતિતી તાજેતરના જાપાનની સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી થઈ. બંધારણ અને કાયદાપોથીમાં તો જાપાનના તમામ નાગરિકો સમાન છે પરંતુ લોકોનો સામાજિક દ્રષ્ટિકોણ બદલાયો નથી. એટલે બુરાકુમિન આજે પણ ભેદભાવ વેઠે છે. જાપાની પ્રકાશકો  બુરાકુમિન વસ્તીના  નકશા, વસાહતોની તસવીરો અને તેમના વિશેની માહિતી પ્રકાશિત કરતા હોય છે. આવા જ એક પ્રકાશક સામેના દીર્ઘ કાનૂની સંઘર્ષને કારણે અદાલતે તે આચરણ ભેદભાવપૂર્ણ હોવાનું સ્વીકારીને ત્રણ કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. એટલે જાપાનમાં હજુ આભડછેટ અને ભેદભાવ મોજૂદ છે અને તે સામેનો અવિરામ સંઘર્ષ પણ ચાલે છે તે પુરવાર થયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાપાનમાં યોધ્ધા, ખેડૂતો, કામદારો અને વેપારીઓની ચારસ્તરીય સમાજરચના સત્તરમી સદીના ઈદોકાળમાં જન્મી હતી. તોકુગાવા શોગુનેટ( ૧૬૦૩-૧૮૬૭) વંશ દ્વારા સમાજમાં સ્થિરતા આણવા અને રાજ્યસત્તા ટકાવવા માટે ચડતી-ઉતરતી ભાંજણીની સમાજવ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આ સામંતી શાસનમાં ચાર જ્ઞાતિ, સ્તર કે વર્ણ સિવાયના લોકોને બુરાકુમિન કે બુરાકુ કહેવામાં આવે છે. પૂર્વે તેમના માટે વધુ અપમાનજનક શબ્દો (દા.ત.એટા ) વપરાતા હતા. જાપાની શબ્દ બુરાકુમિનનો સાદો અર્થ તો ગામડાના લોકો થાય. પણ જ્યારે આ શબ્દ વર્ણ, જ્ઞાતિ કે ચારસ્તરીય સમાજવ્યવસ્થા બહારના લોકો માટે વપરાતો થયો ત્યારે તેનો અર્થ બદલાઈને ગામડિયો, ગમાર, ઉપેક્ષિત અને બહિષ્કૃત એવો થવા લાગ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/It-was-not-visible-but-amin-sahib-was-holding-a-broom-behind-his-back-and-a-kuldi-around-his-neck">દેખાતો નહોતો પણ અમીન સાહેબ ની પીઠ પાછળ સાવરણી અને ગળામાં કુલડી વળગેલા હતા</a></span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_6607b2989b88d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામંતી સમાજવ્યવસ્થાની પેદાશસમા બુરાકુમિનો બહારનો પ્રજાસમૂહ એટલે પણ છે કે તેઓના માથે  જે વ્યવસાય કે કામો મારવામાં આવ્યા હતા તેને ગંદા, અશુધ્ધ અને અપવિત્ર માનવામાં આવે છે. મરેલા ઢોર ખેંચવા, સફાઈ, કબ્રસ્તાનની રખેવાળી, શબ માટેની કબર ખોદવી, જેલરથી જલ્લાદ અને કસાઈથી દેહવ્યાપારના કામો, ભીખ માંગવી અને સામંતી જમીનદારોના વેઠિયા હોવું, ચામડા કમાવા – જેવા ગંદા અને હલકા ગણાતા કામો તેઓને કરવા પડતા હતા. તેમની વસ્તી ભારતના દલિતોની જેમ ગામના છેડે,  ટેકરીઓ પર કે જમીનના ઢોળાવ પર હતી. ઘેટો(GHETO)માં  રહેવું, હલકા ગણાતા કામો કરવા તેને કારણે તેમની આર્થિક સ્થિતિ નબળી અને સામાજિક દરજ્જો ઉતરતો હતો. શિક્ષણ, આરોગ્ય અને બીજી નાગરિક સુવિધાઓથી તેમને વંચિત રાખવામાં આવતા હતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતના દલિતોની જેમ જાપાનના બુરાકુમિન પર પણ જાતભાતના પ્રતિબંધો લદાયેલા છે. અન્ય ચાર સમૂહો સાથે કે નજીક તેઓ રહી શકે નહીં. તેઓ જુદા કે નીચા છે તે દર્શાવવા અન્ય જાપાનીઓ જેવા કપડાં પહેરી શકે નહીં. માથું  ખૂલ્લું અને વાળ ટૂંકા રાખવા પડતા. મહિલાઓ આઈબ્રો કરી શકતી નહીં કે દાંત રંગી શકતી નહીં. ધાર્મિક સ્થળો અને શાળાઓમાં પ્રવેશી શકતા નહીં. બુરાકુ સિવાયના લોકો સાથે લગ્ન કરી શકે નહીં ૧૮૬૮માં મીજી સમ્રાટે આ ભેદભાવ કરતા સામાજિક પદાનુક્રમને સમતલ કરવા પ્રયાસ કર્યો. ૧૮૬૯માં સામંતશાહીના અંત સાથે ૧૮૭૧માં ચારસ્તરીય સમાજરચના નાબૂદ થઈ અને બુરાકુમિનોને નવા નાગરિક બનાવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;">સ્વમાન અને સમાનતા માટેની જાપાનના કહેવાતા અસ્પૃશ્યોની લડતે પણ તેમને બરાબરીનો હક્ક અપાવ્યો છે. ત્રીજી મે ૧૯૪૭થી અમલી જાપાનના બંધારણના પ્રકરણ-૩ના અનુચ્છેદ ૧૪માં કાયદા સમક્ષ તમામ જાપાનીઓને એક સમાન ગણવામાં આવ્યા છે. ઉપરાંત જ્ઞાતિ, ધર્મ, પંથ, લિંગ, સામાજિક સ્થિતિ કે પારિવારિક મૂળના કારણે કોઈપણ નાગરિક સાથે રાજકીય, આર્થિક અને સામાજિક ભેદભાવ કરવામાં આવશે નહીં તેમ પણ જણાવ્યું છે. બંધારણીય સમાનતા મળી તેનું કારણ ૧૯૨૨થી શરૂ થયેલું બુરાકુમુક્તિ આંદોલન છે. લેવલર્સ સંગઠન( ૧૯૨૨), બુરાકુ લિબરેશન રાષ્ટ્રીય સમિતિ((૧૯૪૬) અને બુરાકુ લીબરેશન લીગ( ૧૯૫૫), સોસાયટી ફોર ઈન્ટીગ્રેશન(૧૯૬૦) તથા ઓલ જાપાન બુરાકુ લિબરેશન મૂવમેન્ટ( ૧૯૭૬) જેવા સંગઠનો દ્વારા તેમણે આંદોલનો કર્યા છે. અન્યાય અને અત્યાચારો સામે પ્રતિકાર અને વાજબી હકો તેમણે સંઘર્ષ કરી મેળવ્યા છે. બુરાકુ લિબરેશન લીગના લડાકૂ નેતા જિઈચિરો માત્સુમેતો (૧૮૮૭-૧૯૬૬) બુરાકુઓના મુક્તિદાતા ગણાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/it-raid-on-trust-building-educational-complex-for-dalits-in-surendranagar">સુરેન્દ્રનગરમાં દલિતો માટે શૈક્ષણિક સંકુલ બનાવનાર ટ્રસ્ટ પર ITની રેડ</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_6607b2980bd43.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધારણના સમાનતાના અધિકારને જમીન પર ઉતારવા સરકારે પ્રયાસો કર્યા છે. ગાંધી જન્મ શતાબ્દી વરસ ૧૯૬૯માં આરંભાયેલી બુરાકુ માટેની ખાસ સવલતો- રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ અને રોજગારે  તેમની સ્થિતિમાં સુધારો આણ્યો છે. લગ્ન અને રોજગારમાં ભેદભાવ ઘટ્યો છે. ૧૯૩૦માં માંડ ૧૦ ટકા બુરાકુમિન અન્ય સાથે લગ્ન કરી શકતા હતા તે હવે વધીને ૬૦ ટકે પહોંચ્યા છે. પરંતુ હજુ સરેરાશ જાપાનીના માનસમાં બુરાકુમિન પ્રત્યેનો ભેદભાવ કે દુર્ભાવ ઓછો થયો નથી. ૨૦૦૩નો ટોક્યો મેટ્રોપોલિટન સરકારના સર્વેમાં ૭૬ ટકા ટોક્યોવાસીઓએ બુરાકુમિન વિશેનો તેમનો ભેદભાવભર્યો મત બદલ્યો ન હોવાનું કે પાંચ ટકાએ તેમને કદી પોતાના પાડોશી તરીકે નહીં સ્વીકારવાનો મત વ્યક્ત કર્યો હતો. બુરાકુમિન નેતાઓએ ખાનગી કંપનીઓમાં બુરાકુમિનને નોકરી ના આપવા માટે બિનબુરાકુઓએ તૈયાર કરેલી તેમના નામ-સરનામા સાથેની ૩૩૦ પાનાંની હસ્તલિખિત યાદીની નકલ સરકારને આપી છે. બુરાકુઓની વસ્તીના અધિકૃત આંકડાઓ તો ઉપલબ્ધ નથી પરંતુ તેમના નેતાઓ દેશની આશરે ૧૨ કરોડની વસ્તીમાં તેમની વસ્તી ૧૦ થી ૩૦ લાખ હોવાનું જણાવે છે. બુરાકુઓના રાજકીય પ્રતિનિધિત્વનો સવાલ પણ છે જ. બુરાકુઓના વંશજો માટે પણ કેવો ભેદ રખાય છે તેનું એક આંખ ઉઘાડનારું ઉદાહરણ જાણવા જેવું છે. ૨૦૦૧માં તત્કાલીન જાપાની સરકારમાં નંબર ૨નું સ્થાન ધરાવતા હિરોમુ નોનકાનું નામ વડાપ્રધાનના ઉમેદવાર તરીકે ચર્ચામાં હતું. પરંતુ તેઓ બુરાકુમિન હોવાથી વડાપ્રધાન પદના અન્ય ઉમેદવાર તારો એસોએ ‘અમે કોઈ બુરાકુને વડાપ્રધાન  બનવા દઈશું નહીં’ તેવો જાહેર હુંકાર કર્યો હતો અને બહુમતી જાપાની મતદારોએ તેમનું સમર્થન કર્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાપાની સમાજ તેમના અસ્પૃશ્યોને સ્વીકારવા તૈયાર નથી તો સરકાર બુરાકુમિનને બંધારણીય સમાનતા આપે છે પરંતુ તેનો કાયદેસર ભંગ કરી ભેદભાવ આચરનારને સજા કે દંડની જોગવાઈ કરતી નથી. એટલે એકરસ કે સમરસ થવાનો માર્ગ બુરાકુઓ માટે ભારે કઠિન છે.</span><br><span style="font-size: 14pt; color: rgb(52, 73, 94);"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"><strong><em>(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)</em></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(186, 55, 42);"><strong>આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/Exclusive:-Has-urbanization-weakened-the-caste-system">શું શહેરીકરણથી જ્ઞાતિ વ્યવસ્થા નબળી પડી છે?</a></strong></span></p>
<div class="post-text">
<p style="text-align: justify;"><strong><span><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span style="font-size: 12pt;"> </span><span style="font-size: 14pt;">અહીં ક્લિક કરો</span></a></span></strong></p>
<p style="text-align: justify;"></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 31 Mar 2024 10:05:07 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 30 Mar 2024 12:11:28 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>456</Articleid>
                    <excerpt>ભારતની જેમ જાપાનમાં પણ ઉંચ-નીચના ભેદ છે, આભડછેટ પળાય છે, એમ કોઈ કહે તો આપણે માનીએ? વાંચો વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયાનો આ લેખ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_6607b2994a911.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_6607b2991aa65.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_6607b2991aa65.jpg" length="71328" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>શા માટે ધર્મસ્થળો માણસોથી ઉભરાય છે? આ રહ્યો તર્કબદ્ધ જવાબ</title>
                    <link>https://khabarantar.com/why-are-temples-overflowing-with-people-here-is-the-reasoned-answer</link>
                    <guid>https://khabarantar.com/why-are-temples-overflowing-with-people-here-is-the-reasoned-answer</guid>
                    <description>
                        <![CDATA[ દેશભરમાં ધાર્મિક સ્થળોમાં શ્રદ્ધાળુઓની ભીડની સાથે અંધશ્રદ્ધાનો ફેલાવો વધી રહ્યો છે. પૂર્વ આઈપીએસ રમેશ સવાણી સાહેબ તેની પાછળના કારણોનો તર્કબદ્ધ જવાબ રજૂ કરે છે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">- રમેશ સવાણી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં ધાર્મિક સ્થળોએ ધાર્મિક મેળાઓમાં, પૂનમમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. દિવસે દિવસે ભીડ મોટી થતી જાય છે. ભક્તોની દલીલ હોય છે કે, લોકોને આમંત્રણ અપાતું નથી, તેઓ પોતાની મેળે આવે છે. દાન લેવાતું નથી. તમે 10 માણસોને જમાડી જુઓ, જ્યારે અહીં હજારો લોકો વિના મૂલ્યે જમે છે. રૂબરૂ આવીને સેવાકીય પ્રવૃતિ જોઈને લખો. કેટલાંયને અંધશ્રદ્ધામુક્ત કર્યા, વ્યસનમુક્ત કર્યા તે જુઓ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાયન્સની પ્રગતિ થતાં અંધશ્રધ્ધા ઓછી થશે એ ગણતરી ખોટી પડી છે. સાયન્સના/ટેકનોલોજીના સાધનોનો ઉપયોગ અંધશ્રદ્ધા ફેલાવવામાં થયો. ટીવી પરની ધાર્મિક ચેનલો/ફેસબૂક પર ભૂવાજીના વીડિયોનો જબરો મારો થઈ રહ્યો છે. એક પણ ધર્મ-સંપ્રદાય એવો નથી કે જેણે માઈક-લાઉડસ્પીકરનો વિરોધ કર્યો હોય, હવાઈ જહાજનો, કાર, ટ્રેન, મોબાઈલનો, ઈન્ટરનેટનો વિરોધ કર્યો હોય. વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરીને જ વિજ્ઞાનને ભાંડવાની ફેશન બની ગઈ છે. ભક્તોની દલીલોની સ્પષ્ટતા કરીએઃ [1] ‘લોકોને આમંત્રણ અપાતું નથી, લોકો પોતાની મેળે આવે છે.’ આ દલીલ તદ્દન ખોટી છે. શ્રદ્ધાળુ લોકોને પોતાની તરફ ખેંચવા સોશિયલ મીડિયામાં ઝૂંબેશ ચાલે છે. ભૂવાજીના ફોટાને ‘પાપી હશે તે લાઈક નહીં કરે’ એવી સૂચના સાથે પ્રચાર કરાઈ રહ્યો છે. પ્રચાર સાહિત્ય વહેંચાય છે. સીડી વહેંચાય છે. કાર પર સ્ટિકર મારવામાં આવે છે. રાજકીય નેતાઓ, કોર્પોરેટ કથાકાર, પોલીસ અધિકારીઓ સાથે ફોટા મૂકવામાં આવે છે. અઠવાડિયાના ચોક્કસ વારે હાજર રહેવા જણાવવામાં આવે છે. પ્રવચનો થાય છે. શું આ શ્રદ્ધાળુ લોકોને આકર્ષવાની ટેકનિક નથી? [2] ‘દાન લેવાતું નથી’, તે બાબત પણ ચમત્કાર માટે ઈરાદાપૂર્વક ફેલાવવામાં આવે છે. જો દાન લેવાતું ન હોય તો હજારો લોકોને ભોજન કઈ રીતે આપી શકાય? વાહનોમાં કઈ રીતે ફરી શકાય? દાન લીધા વિના જો દિવ્યશક્તિ ભોજનની વ્યવસ્થા કરતી હોય તો ચોક્કસ સ્થળ માટે જ કેમ? આખા ગુજરાતમાં ભૂખ્યા લોકોને જમાડી ન શકાય? એક પણ ધર્મસંસ્થા કે ધર્મગુરુ બતાવો જે લોકોને પેતાના આવક-જાવક-ખર્ચના હિસાબ આપતા હોય? ધાર્મિક સંસ્થાઓમાં બધું અપારદર્શક કેમ? [3] જલારામ બાપાએ 20 વર્ષની ઉંમરે 1876માં સદાવ્રત શરુ કર્યું હતું. સદાવ્રતમાં નાતજાતના ભેદભાવ વિના ભોજન અપાય છે. ગરીબનું પેટ ઠારવાનો હેતુ છે. જયાં રોટલાનો ટુકડો ત્યાં હરિ ઢુંકડો; એ વિચાર છે. પરંતુ હાલના સદાવ્રતો ધંધો વિકસાવવા માટેના છે. ગરીબીની સમસ્યા સદાવ્રતો ચાલુ રાખીને ઉકેલી શકાય? સદાવ્રત, દાન, સખાવત આપણી જવાબદારી ખંખેરી નાખવા માટેનો રસ્તો છે? આ તો ગરીબોને મફત ભોજનની લત લગાડવા જેવું છે. સદાવ્રતના સ્થળોને પુષ્કળ દાન મળે છે. દાન આપનારને પુણ્યની ગઠરી બાંધ્યાનો સંતોષ થાય છે. સદાવ્રતથી સામાજિક પરિવર્તન થતું નથી પણ સમાજમાં ઈરરેશનલ અભિગમ દ્રઢ થાય છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_6606c3e16bc07.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટલે જ ગાંધીજીએ, 13 ઓગસ્ટ 1925 ના રોજ ‘યંગ ઇન્ડિયા’માં લખ્યું હતુઃ ”જે તંદુરસ્ત માણસે પોતાના ભોજન માટે પ્રામાણિકપણે શ્રમ ન કર્યો હોય તેને મફત જમાડવાનો વિચાર મારી અહિંસા સહી નહી શકે. જો મારા હાથમાં સત્તા હોય તો હું મફત ભોજન આપનાર એકેએક સદાવ્રત બંધ જ કરાવી દઉં. એણે પ્રજાના ગૌરવને હલકું પાડ્યું છે; આળસ, નિષ્ક્રિયતા, દંભ અને ગુનેગારવૃત્તિને પણ પોષી છે. ખોટી જગ્યાએ બતાવેલી આવી ઉદારતા દેશની આર્થિક કે આધ્યાત્મિક સંપત્તિમાં કશો ઉમેરો કરતી નથી અને દાતાના મનમાં દાનધર્મ કર્યાનું ખોટું સમાધાન ઊભું કરે છે. ‘શ્રમ નહી, ભોજન નહી’ એ નિયમ રહેવો જોઈએ.” [4] મોટા ભાગની ધાર્મિક સંસ્થાઓની દલીલ હોય છે કે ‘રૂબરૂ આવીને સેવાકીય પ્રવૃતિ જોઈને લખો.’ ધર્મસંસ્થાઓ પબ્લિક લેજિટિમસી-લોકમાન્યતા માટે સેવાકીય પ્રવૃતિઓ કરે છે. આવી પ્રવૃતિઓનો પ્રચાર થાય છે અને વધુ ડોનેશન મેળવે છે! 26 જાન્યુઆરી 2001ના રોજ કચ્છમાં ભૂકંપ આવ્યો. તે સમયે કચ્છમાં સેવાકીય પ્રવૃતિ માટે પાંડુરંગ શાસ્ત્રીએ યુકે અને અમેરિકાથી કરોડો રૂપિયાનું ડોનેશન ઉઘરાવ્યું હતું. તે રકમ કચ્છમાં વાપરવાને બદલે પાંડુરંગ શાસ્ત્રીએ પોતાના જુદા જુદા ટ્રસ્ટમાં જમા કરાવી દીધી! ઊહાપોહ થયો. મોટું ડોનેશન આપનાર સ્વાધ્યાયી પંકજ ત્રિવેદીએ હિસાબ માંગ્યો તો તેમની હત્યા કરવામાં આવી. આશારામ, રામ રહીમ, રામપાલ, સૂરજ ભૂવાજી વગેરે ઉદાહરણો આપણી સામે છે જ. [5] દરેક ધર્મના-સંપ્રદાયના ગુરુઓ, પ્રગટ બ્રહ્મસ્વરૂપો વરસોથી 'અંધશ્રદ્ધામુક્ત કર્યા, વ્યસનમુક્ત કર્યા'નો દાવો કરે છે; તેમ છતાં ફરક કેમ પડતો નથી? વ્યસન સમજદારી અને શિક્ષણથી દૂર થાય, જો ધર્મસંસ્થાઓથી વ્યસન દૂર થઈ જતું હોય તો જગતમાં કોઈને વ્યસન જ ન હોય! અંધશ્રદ્ધા દૂર કરવાનો દાવો કરનારા પોતે જ અંધશ્રદ્ધાઓ, પરચાઓ ફેલાવતા હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું આખું સાહિત્ય પરચાઓથી ભરેલું છે. અંધશ્રદ્ધા હંમેશા ભૂવાજીઓ, પૂજારીઓ, મૌલવીઓ, પાદરીઓને ફાયદો કરાવે છે અને શ્રદ્ધાળુ લોકોને નુકસાન કરાવે છે. કોઈપણ ધર્મસંસ્થાનો આધાર જ અંધશ્રદ્ધા હોય છે. વ્યસનમુક્તિના ઓઠા હેઠળ અંધશ્રદ્ધા ફેલાવવી તે જ મોટું ઘાતક વ્યસન છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_6606c3a01a14e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સવાલ એ છે કે ધર્મસ્થળોએ માણસો ઊભરાય છે કેમ? શું લોકો વધારે નૈતિક બની ગયા છે એટલે? શું લોકો પાપમુક્ત થવા ધર્મસ્થળોએ જાય છે? શું છે કારણો? [1] શ્રદ્ધાળુ લોકોમાં અંધશ્રદ્ધા વધી છે અને વૈજ્ઞાનિક મિજાજમાં ઘટાડો થયો છે. લોકોને વિજ્ઞાનના સિદ્ધાંતો શુષ્ક લાગે છે, પરંતુ ધાર્મિક બાબતો રોમાંચક અને આનંદદાયક લાગે છે. ધાર્મિકસ્થળે શાંતિ મળે, ભલે તે ભ્રામક શાંતિ હોય. લોકો સુખ, સમૃદ્ધિ, પૈસા, સફળતા માટે જાય છે. દુ:ખનિવારણ માટે જાય છે. ઘરના વડીલો જતાં હોય એટલે પરંપરા મુજબ જાય છે. મારા એક રેશનલ મુસ્લિમ મિત્ર કહે છેઃ ‘પરીક્ષા નજીક આવે એટલે મારો પુત્ર નમાજ પઢવા લાગે છે. હું એને કહું છું કે વાંચવામાં ધ્યાન આપ!’ [2] શ્રદ્ધાળુ લોકો વધારે નસીબવાદી બન્યા છે. કૃપા થાય તો મેળ પડી જાય તેવી ભાવના હોય છે. [3] ધાર્મિક સ્થળોએ નાસ્તો, ચા, ભોજનની વ્યવસ્થા હોય છે. ગરીબ, મધ્યમવર્ગ મોંઘવારી, બેરોજગારીથી પીડાતો હોય છે, ત્યારે ધાર્મિક સ્થળોએ થોડો હાશકારો મળે છે. [4] કોઈપણ સમાજ, કોઈપણ દેશમાં જ્યાં ગરીબી વધુ છે, બેરોજગારી વધુ છે, મોંઘવારી વધુ છે, ત્યાં ધાર્મિકસ્થળોનું મહત્વ વધારે હોય છે. ગરીબ, મધ્યમવર્ગના લોકોને મોંઘા દવાખાનાનો ખર્ચ પોસાતો નથી, તેથી લોકો ધર્મસ્થળોએ જાય છે. કેટલાંક ‘આધ્યાત્મિક શોખ’ માટે જાય છે. [5] શ્રદ્ધાળુ લોકોમાં પોતાનો ઉદ્ધાર કરાવી લેવાની લાલચ હોય છે. મોક્ષની ગણતરી હોય છે. જીવનની હાડમારીથી છૂટકારો મેળવવાની આશા હોય છે. [6] ધાર્મિક સ્થળોની, લોકોને આકર્ષવાની જુદી જુદી ટેકનિક હોય છે. પરચાઓ, ચમત્કારો, પ્રચાર સાહિત્ય, યૂટ્યુબ ચેનલ, સોશિયલ મીડિયાનો ઉપયોગ થાય છે. [7] ધર્મગુરુઓ, કોર્પોરેટ કથાકારો, ભૂવાજીઓ, મોટિવેશનલ સ્પીકરોની આંતરિક ભાઈબંધીથી એક વાતાવરણ બને છે. એકબીજાની પીઠ થાબડે અને પ્રચાર કરે! લોકો ભ્રમિત થઈ જાય છે. [8] સમાજના પ્રભુત્વ ધરાવતા લોકોની ધર્મસ્થળોની વિઝિટ. પોલીસ, મામલતદાર, જજ, IAS-IPS અધિકારીઓ, મિનિસ્ટર્સની વિઝિટ. તેના કારણે શ્રદ્ધાળુ લોકો તેમને જોઈને અંજાઈ જાય છે. [9] જ્યારે લોકો શાળા કરતા ધર્મસ્થળોને વધુ મહત્વ આપતા થઈ જાય, ત્યારે શાળાને નહીં પણ ધર્મસ્થળોમાં દાન આપતા થઈ જાય તો શાળાઓ નબળી પડે, ઓરડાઓની અને શિક્ષકોની અછત રહે અને ધર્મસ્થળો આધુનિક સગવડતાવાળા બને. ધર્મનું અફીણ વિવેક હણી લે છે. શાળા માણસને ઉદાર બનાવે છે, જ્યારે ધર્મસ્થળો માણસને સંકુચિત, કટ્ટર બનાવે છે. બળાત્કારી આશારામ નિર્દોષ છે તેવી ઝૂંબેશ ભક્ત મહિલાઓ ચલાવે છે. [10] દરેક ધર્મસ્થળનો એક દાવો હોય છે કે ‘અમે સર્વોચ્ચ શક્તિના આશીર્વાદથી વ્યસનમુક્તિનું ઐતિહાસિક કામ કરીએ છીએ. ભૂખ્યાંને જમાડીએ છીએ. તેમના દુ:ખદર્દ દૂર કરીએ છીએ.’ પરંતુ આ સર્વોચ્ચ શક્તિ, માણસ વ્યસની બને તે પહેલાં તેને કેમ અટકાવતી નહીં હોય? આ સર્વોચ્ચ શક્તિ માણસને દુ:ખદર્દ શામાટે આપે છે? ધર્મસ્થળો આ પ્રકારના પ્રશ્નો ઊઠાવવાની સમજનો નાશ કરે છે, એટલે ભીડ વધતી જાય છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_6606c40796816.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દુ:ખની વાત એ છે કે આ ધાર્મિક ઘેલછાને સત્તાપક્ષ દ્વારા પ્રમોટ કરવામાં આવે છે, આ ઘેલછાયુક્ત ભક્તો સત્તાપક્ષ માટે મતદાર બની જાય છે. તેમને મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, તંત્રની હેરાનગતિ, મોંઘા શિક્ષણ કે આરોગ્યની ચિંતા સતાવતી નથી. કદાચ ધર્મના નશાના કારણે જ લોકો ધર્મસ્થળો, ધર્મગુરુઓ, કથાકારો, ભૂવાજીના શરણે જઈ રહ્યા છે. લોકોને એમ લાગે છે કે આપણી સમસ્યાઓનો ઉકેલ રાજકીય, આર્થિક રીતે શક્ય નથી, માત્ર ધાર્મિક રીતે જ શક્ય બનશે. લોકોની આ માનસિકતાનો લાભ સત્તાપક્ષ,  ધર્મસ્થળો, ધર્મગુરુઓ, કોર્પોરેટ કથાકારો, ભૂવાજીઓ, ડાયરા કલાકારો, મેટિવેશનલ સ્પીકર્સ, સમાજના સ્વઘોષિત નેતાઓ લઈ રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 12pt;"><em>(લેખક નિવૃત્ત આઈપીએસ અધિકારી અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.)</em></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: </span></strong></span><a href="https://khabarantar.com/a-fire-broke-out-in-the-sanctum-sanctorum-during-holi-celebrations-in-Ujjains-mahakal-temple-13-priests-were-burnt"><strong><span style="font-size: 14pt;">ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં હોળી રમતી વખતે ગર્ભગૃહમાં આગ લાગી, 13 પૂજારીઓ દાઝ્યાં</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"> </span>અહીં ક્લિક કરો</a></span></span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 30 Mar 2024 09:59:46 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 30 Mar 2024 09:59:05 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>454</Articleid>
                    <excerpt>દેશભરમાં ધાર્મિક સ્થળોમાં શ્રદ્ધાળુઓની ભીડની સાથે અંધશ્રદ્ધાનો ફેલાવો વધી રહ્યો છે. પૂર્વ આઈપીએસ રમેશ સવાણી સાહેબ તેની પાછળના કારણોનો તર્કબદ્ધ જવાબ રજૂ કરે છે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_6606c38032e4d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_6606c380045df.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_6606c380045df.jpg" length="126677" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>લોહીની કલમે લખાયેલું મારું સઘળું સાહિત્ય બોલતું રહેશેઃ જૉસેફ મૅકવાન</title>
                    <link>https://khabarantar.com/all-my-literature-written-in-blood-will-speak-joseph-mcewan</link>
                    <guid>https://khabarantar.com/all-my-literature-written-in-blood-will-speak-joseph-mcewan</guid>
                    <description>
                        <![CDATA[ ગઈકાલે દલિત સાહિત્યના દાદા જૉસેફ મૅકવાનની 14મી પુણ્યતિથિ હતી ત્યારે કેનેડા રહેતા તેમના પુત્ર મધુરમ મૅકવાન અહીં જૉસેફ દાદાની છેલ્લી ઘડીની યાદોંને સંભારે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><em><span style="font-size: 14pt;">વિવક્ષિતં હિ અનુકતં અનુતાપં જનયતિ!</span></em></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૧૦ની વતનની માંડ બે અઠવાડિયાની ટૂંકી મુલાકાત બાદ ૧૫ જાન્યુઆરીની મોડી રાત્રે કેનેડાની રિટર્ન ફલાઇટ હતી. એ દિવસે બાપુને તેમના કાર્યકક્ષમાં પગે લાગવા ગયો ત્યારે ઉપરોક્ત પંક્તિ ઉચ્ચારી તેનો સંક્ષિપ્ત અર્થ તેમણે મને સમજાવેલો. સમયની પાબંધીને લઈ વધુ વાર્તાલાપ શક્ય નહોતો એટલે કઠોર થઈ ટકોર કરેલી, “પહોંચીને તરત ફોન કરજે, ભૂલ્યાં વગર..”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પછી જે થયું એ મારા દુર્ભાગ્યે કે પછી થવા કાળ થવાનું હતું. ફોન પર જે સંવાદ થયો એ બાપ-બેટા વચ્ચેનો છેલ્લો વાર્તાલાપ હતો. ૨૮ માર્ચ, ૨૦૧૦ ના રોજ તેમણે આ ફાની દુનિયાને અલવિદા કરી દીધી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાલિદાસની એ પંક્તિ મને ખૂબ યાદ આવે છે અને એટલું જ સતાવે છે. વિવક્ષિતં હિ અનુકતં અનુતાપં જનયતિ! અર્થાત્...જે કહેવાનું હોય એ ન કહીએ તો પસ્તાવો થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાપુજીના મૃત્યુ બાદ જીવન અને એના અંતને, વાંચન, ચિંતન અને મનન દ્વારા સમજવાનો મારો વિલાપ બાપુજીના એ અંતિમ વાર્તાલાપને, જિંદગી જીવવાના એમના હરખને અને પત્રો દ્વારા મારી પર પાઠવેલા જીવનમૂલ્યોના અમૃત મંથનને વધુ પ્રગાઢ કરે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જિંદગીને મેં મન ભરીને માણી છે બેટા. અઢળક ભાવે આરાધી છે. મોતની સાથે પણ દિલ ફાડીને દોસ્તી કરી છે. જિંદગી જીવ્યાનો હરખ છે, તો મોતને ભેટવાનો આનંદ પણ છે. જીવનના અંતને મૂલવતા ઘણાં શબ્દો છે- મૃત્યુ, મોત, મરણ, અવસાન, નિર્વાણ, નિધન, દેહાંત...બધાં જ અર્થપૂર્ણ છે, અર્થસભર છે એને હું મોક્ષના અભિવાદનથી સ્વીકારું છું. જિંદગી અને મૃત્યુને, અસ્તિત્વ અને અંતને, હયાતી અને દેહાંતને વિશ્વના શ્રેષ્ઠ સાહિત્ય સર્જક દિમાગોએ સમજવા પ્રયાસ કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્વીડિશ ફિલ્મ દિગ્દર્શક ઈંગમાર બર્ગમેને મૃત્યુની કલાત્મક વ્યાખ્યા આપી છેઃ મૃત્યુ એ પારદર્શક કાચની પાછળ ચડાવેલું કાળું પાણી છે જેના વિના આપણે કંઈ જ જોઈ શકતા નથી. માણસ જ્યારે જીવનને સમજવાની સ્થિતિમાં આવે છે ત્યારે મૃત્યુનો પડછાયો એની પર હાવી થઈ ચૂક્યો હોય છે. ૭૦ વટાવ્યા પછી માણસને મોતની ક્ષિતિજ પાસે દેખાય છે. એ વખતે બાળપણની ક્ષિતિજ બહુ દૂર ચાલી ગઈ હોય છે. ભૂતકાળનું વજન હોય છે. વર્તમાન એના તોલે જીવાતો હોય છે અને ભવિષ્ય મૃત્યુનું વજન લઈને માથે તોળાતું હોય છે. ભૂતકાળ અને ભવિષ્યના અર્થઘટન માટે આપણે માત્ર ભૂતકાળના પ્રકાશમાં જ જીવનના પ્રશ્નોને સમજવાનો એના ઉકેલને શોધવાનો પ્રયાસ કરીએ છીએ. વીસથી વધુ ભાષા બોલી, સમજી શકતા મૂળ આફ્રિકન અમેરિકન એક્ટિવિસ્ટ કમ સીંગર પોલ રોબસને એક ગીત ગાયેલું, "ઓલ્ડ મેન રિવર... જીવનથી હું થાકી ગયો છું પણ મોતના વિચારથી ધ્રુજી જાઉં છું" </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેં જોયું છે, જીવવું કઠિન છે પણ મરવું સરળ નથી. દુઃખનું સુખ જોયુ છે. સુખનું દુઃખ જોયું છે. ગિલા, શિકવા, રંજીશ કે કોઈ ગમ નથી. જે જ્યારે આવ્યું છે એને સ્વીકારી લીધું છે. મેં અનુભવ્યું છે પ્રેમના આલિંગન કરતા ભયનું આલિંગન વધારે ગાઢ હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રોજબરોજ જીવાતું જીવન એક શારીરિક ક્રિયા છે પણ એમાં માનસિક પ્રક્રિયા વધારે છે. શરીરની તુટન મનની ઘૂટનને પોષે છે. વર્ષો સુધી ધબકતું હૃદય, દિલની ધડકનોને તેજ કરે છે, લોહીનું દબાણ વધારે છે. એના શ્વાસ અને ઉચ્છવાસ, એના ફેફસાં, કલાંતી અને રિક્તતા, જિંદગી અને મોત, બધું સ્વીકારી લેવાનું છે. કારણ માત્ર એજ કે વેદના શરીરનો સૌથી મોટો અને પ્રમાણિક પ્રતિભાવ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્પોન્ડિલીટીસની સર્જરી વખતે MRI થયું ત્યારે બંને બાજુ સજ્જડ બંધ એવી એ વિશાળ ટનલમાં પુરાઈને મેં દોસ્તી, દુશ્મની, પ્રેમ, દ્વેષ, પાપ, પુણ્ય, જીવન અને મૃત્યુની એક ભયાવહ એવી લાચાર અનુભૂતિ કરી છે. લાગે છે આ આયુષ્ય હવે પૂર્ણવિરામ શોધતું આગળ વધી રહ્યું છે. ગરદનના મણકા મારા મસ્તિકનો, એમાંથી સતત વહેતા લેખનનો ભાર સહી સહીને તૂટી ગયા છે, એનો ગમ નથી પણ હવે લખવા માટે લહિયો રાખવો પડે છે એનો વિસ્મયાનંદ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જીવનમાં પુષ્કળ મિત્રો મળ્યા છે. એમનો મિત્રભાવ મારું જમા પાસુ છે. ઘણાં હવે રહ્યાં નથી એનો વિષાદભાવ છે. દુશ્મનો મળ્યા પણ એમનું પલ્લું હમેંશા નીચું રહ્યું છે. સાહિત્ય જીવનમાં મારા દુશ્મનો બુધ્ધિમાં મારા સમકક્ષ રહ્યા છે જો એ ઉચ્ચકક્ષ હોત તો મારા શ્રેષ્ઠ દુશ્મન બની શકત. મારી સાથે દુશ્મની કરવી અઘરી છે કારણ દુશ્મનીને પણ મેં દિલ ફાડીને પ્રેમ કર્યો છે. શત્રુઘ્ન નામનો શબ્દ વાંચ્યો છે. પણ મિત્રઘ્ન નામનો શબ્દ મારી જીવન પોથીમાં નથી.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/preview/all-my-literature-written-in-blood-will-speak-joseph-mcewan">તમને તો સંડાસ જવાના ડબલામાં પાણી આપવું જોઈએ, તો જ તમે નખરા ન કરો...</a><br></span></strong></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_6606772b82a60.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લેખકનો ધર્મ છે લખતા રહેવાનો. લેખક હમેંશા એકલો હોય છે પણ એને બહુમતીની જરૂર પડતી નથી. એકલા માણસને ભાષાની જરૂર પડતી નથી. વગર ભાષાએ એ ભગવાન સાથે વાત કરી શકે છે. લખવું એક ક્રાંતિ છે. લખવા માટે લાઈસન્સ લેવું પડતું નથી. કલ્પનાનું સાહિત્ય સર્જન સરળ છે. વાસ્તવિકતા લખવા માટે ભીષ્મ પિતામહની બાણ શૈયા પર સૂવું પડે છે. એની અસહ્ય યાતનામાંથી પસાર થવું પડે છે. મારા વાચકોએ મારી વ્યથા વાંચી છે. એમનો પ્રતિભાવ, પ્રેમભાવ મારા સર્જનનું હાર્દ છે. લેખિત શબ્દોમાં ખુબ તાકાત હોય છે. એ ભલભલા સિંહાસનો ધ્રુજાવી નાખે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જીવું છું ત્યાં સુધી, સ્પોંડીલીટીસથી તૂટી ગયેલા ગરદનના મણકાના અસહ્ય દર્દમાંથી, લોહીનું પૂરતું પરિભ્રમણ ન પામતા મગજના મારા જ્ઞાન તંતુઓમાંથી અને આ થીજી ગયેલી, તૂટી ગયેલી, સૂઝી ગયેલી શિથિલ આંગળીઓમાંથી હીમશિલાઓ ધ્રુજાવી પીગળાવી નાખે એવું વેધક ગુજરાતી ગદ્ય હજુ ફાટતું રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભલભલા બાદશાહો, આલમગીરો અને સિકંદરો મિટ્ટીને હવાલે થયા છે. પરમવીરો, ચક્રવર્તીઓ, શ્રીશ્રી, સિંહ અને વિક્રમો ચિતાની ભડભડતી આગમાં ખાક થઇ ગયા છે. મિટ્ટી અને ખાક જીવનના અંતિમ સત્યો છે. પૂર્ણવિરામ પછીની ખામોશી કોઈએ સાંભળી નથી. એ ખામોશીનો કોલાહલ કહેવા કોઈ પાછું આવ્યું નથી. અને આવશે પણ નહીં. પણ લોહીની કલમે લખાયેલા મારા શબ્દો, તલવારની ધારથી કોતરાયેલા મારા ધારદાર શબ્દો, મારી કલમવેદના, એની વ્યથાનું મારું સઘળું સાહિત્ય બોલશે, એને ઉજાગર કરશે. પ્રસિદ્ધ થવું સહેલું છે. સિધ્ધ થવા માટે મરવું પડે છે, એ સનાતન સત્ય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃત્યુને હું કળી રહ્યો છું. એને નીરખી રહ્યો છું. બહુ દૂર નહીં અને એટલું નજીક નહીં પણ એ મારી વાટ જોઇને ઉભું છે. ધોતી પહેરીને કબીરના ભજન ગાતાં ગાતાં,  સિતારવાદન શીખી મનગમતી ધૂન વગાડતા વગાડતા, મન મસ્ત મગન મૌલાના પર ઝૂમતા શરીરને સર્જનહારને સોંપી માટી ભેળા થઈ જવું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સત્ય હંમેશા કષ્ટ આપે છે. ઈમાનદારી હંમેશા તકલીફ આપે છે. મૃત્યુ જીવનનો જ ભાગ છે એ સત્ય છે પણ એ સત્યને સ્વીકારી એની સાથે જ મરવું એ ઈમાનદારી છે. કદાચ એ સૌથી શ્રેષ્ઠ મૃત્યુ છે!</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૧૦, માર્ચ ૨૮, રવિવારના રોજ સ્વર્ગે સિધાવેલ મારા બાપુની આજે ૧૪મી પુણ્યતિથી છે. રામે ચૌદ વરસ વનવાસ ગાળેલો. બાપુજીના મૃત્યુ બાદ મારી માં ચૌદ વરસ મારા બાપુ વગર વનવાસ વેઠી આજથી બરાબર પંદર દિવસ પહેલાં સ્વર્ગે સિધાવી, ૧૩ માર્ચ, ૨૦૨૪ના રોજ, જે મારા બંને બાળકોની જન્મતિથિ છે. બે જન્મ અને બે મૃત્યુની સુખદુઃખની મિશ્ર લાગણીઓનું મહિમા મંડન કરતો મહાપર્વનો માર્ચ મહિનો મારા માટે પાવનપર્વમાં પુનરુત્થાન પામતા પ્રભુ ઈસુના પ્રેમથી પાવન પુલકિત થઈ ગયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દીકરી અને દીકરો, મારા બાપુ અને મારી માં, જીવન અને મૃત્યુની પરિભાષા સમજાવતા, એમની ખોટ સરભર કરતા તથ્યોનું એક એવું અમૃતમંથન છે જે જન્મની દેનને અભિભાવિત કરે છે તો મૃત્યુના મોક્ષને શ્રધ્ધાંજલિ અભિવ્યક્ત કરે છે. </span></p>
<p><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મધુરમ મૅકવાન</span> </strong></span><strong>(<em>લેખક દલિત સાહિત્યના દાદા જૉસેફ મૅકવાના પુત્ર છે.)</em></strong></span><span style="font-size: 10pt;"><strong><em></em></strong></span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: </span></strong></span><a href="https://khabarantar.com/Bahujan-poet-Vishan-Kathads-next-song-Dastan-became-a-hot-topic-know-what-is-special-about-it"><strong><span style="font-size: 14pt;">બહુજન સાહિત્યકાર વિશન કાથડનું આગામી ગીત ‘દાસ્તાન’ ચર્ચાસ્પદ બન્યું, જાણો શું છે તેની ખાસિયત</span></strong></a></p>
<p><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
<p><strong><span style="font-size: 14pt;"></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 29 Mar 2024 19:13:11 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 29 Mar 2024 13:42:48 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>453</Articleid>
                    <excerpt>ગઈકાલે દલિત સાહિત્યના દાદા જૉસેફ મૅકવાનની 14મી પુણ્યતિથિ હતી ત્યારે કેનેડા રહેતા તેમના પુત્ર મધુરમ મૅકવાન અહીં જૉસેફ દાદાની છેલ્લી ઘડીની યાદોંને સંભારે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_6606772c42baf.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_6606772c0e3ff.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_6606772c0e3ff.jpg" length="64969" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દર્શકોને મતબેંકમાં ફેરવવા મથતી પ્રોપેગેન્ડા ફિલ્મો કેમ ફ્લોપ જાય છે?</title>
                    <link>https://khabarantar.com/why-do-propaganda-films-that-are-supposed-to-turn-the-audience-into-vote-banks-fail</link>
                    <guid>https://khabarantar.com/why-do-propaganda-films-that-are-supposed-to-turn-the-audience-into-vote-banks-fail</guid>
                    <description>
                        <![CDATA[ બોલીવૂડમાં હિંદુત્વવાદી એજન્ડાને આગળ ધપાવતી પ્રોપેગેન્ડા ફિલ્મોને પ્રોત્સાહન મળી રહ્યું છે, જાણો કેવી રીતે હોંશિયાર દર્શકોએ આ મેલી મુરાદ પર પાણી ફેરવી દીધું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">- R. K. Parmar</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમેરિકાના વિખ્યાત ફિલ્મ નિર્દેશક ઓલિવર સ્ટોનનું એક પ્રસિદ્ધ કથન છે, "જ્યારે તમે ફિલ્મ જુઓ છો ત્યારે તમે નિર્દેશકના વિચારોની પ્રકિયાને જુઓ છો." ફિલ્મ એટલે માત્ર વાર્તા રજૂ કરવી એટલું જ નહિ પરંતુ તમે કઈ રીતે વાર્તાને રજૂ કરો છો એ જ ફિલ્મનો મુખ્ય પાયો છે. છેવટે તો સ્ક્રિપ્ટ રાઈટર, નિર્દેશક, નિર્માતા, અભિનેતા-અભિનેત્રી, સંગીતકાર, ગીતકાર, સિનેમેટોગ્રાફર આ બધાં સાથે મળીને એક વાર્તાને પોતાની પ્રતિભા થકી દર્શકો સમક્ષ રજૂ કરે છે. હવે ફિલ્મની સૌથી મોટી વિશેષતા એ છે કે ઉપરના તમામ કલાકારોમાં જો એકપણ કલાકાર પોતાની ક્ષમતા મુજબ કામ ન કરે કે વાર્તાને ન્યાય ન આપી શકે તો આખી ફિલ્મને દર્શકો નકારી દેતા હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલની કેટલીક આવી જ ફિલ્મોની વાત કરીએ. હમણાં સોશિયલ મીડિયામાં મને અભિનેતા રણદીપ હુડ્ડાનો પુસ્તકો સાથેનો એક ફોટો જોવા મળ્યો. અત્યાર સુધી એક પ્રતિભાશાળી અભિનેતા તરીકેનું ટેગ લઈ ફરતા રણદીપ હુડ્ડાને અચાનક નકલી દેશભક્તિનું ચાનક ચડ્યું અને ‘વીર સાવરકર’ ફિલ્મ બનાવી પોતાની કારકિર્દીને ICUમાં પહોંચાડી દીધી છે. અનુપમ ખેર, અક્ષય કુમાર કે કંગના રાણાવત કોઈને પણ જોઈ લો જેણે પણ બોલિવૂડમાં હિન્દુત્વનો ઝંડો ઉપાડ્યો છે એ તમામની કારકિર્દી મરણપથારીએ પહોંચી ગઈ છે. કંગનાએ તો ભાજપમાંથી સાંસદની ટીકીટ મેળવી કારકિર્દી પણ બદલી દીધી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: </span></strong></span><a href="https://khabarantar.com/When-I-was-young,-my-father-took-me-to-see-the-film-Gandhi,-which-I-had-to-sit-down-to-watch-because"><strong><span style="font-size: 14pt;">નાનો હતો ત્યારે પિતાજી મને ‘ગાંધી’ ફિલ્મ જોવા લઈ ગયા હતા, જે મારે નીચે બેસીને જોવી પડી હતી કેમ કે...</span></strong></a></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_66064fd9ea760.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રણદીપ હુડ્ડાએ વીર સાવરકર માટે આ બધાં પુસ્તકો વાંચ્યા હશે અને વાંચવું જરૂરી પણ છે, પણ વાંચવું, માહિતી એકઠી કરવી અને સિનેમાના પડદે તે માહિતીને તેના મૂળ સ્વરૂપે રજૂ કરવી તેમાં ઘણો ફરક છે. સિનેમા એ સાહિત્યનું જ એક સ્વરૂપ છે. પણ પુસ્તકો અને સિનેમામાં ફરક એટલો છે કે પુસ્તકમાં માહિતીને રજૂ કરતી વખતે તમે તેમાં કોઈ છૂટછાટ ન લઈ શકો જ્યારે સિનેમામાં માહિતીને ઓડિયો-વિઝ્યુઅલ ફોર્મેટમાં રજૂ કરવાની હોઈ તેમાં થોડીઘણી છૂટછાટનો અવકાશ ચોક્કસ રહે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<span style="color: rgb(0, 0, 0);"> </span></span></strong></span><a href="https://khabarantar.com/a-biopic-on-p-baloo-the-countrys-first-dalit-cricketer-will-star-ajay-devgan-in-the-lead-role"><strong><span style="font-size: 14pt;">દેશના પ્રથમ દલિત ક્રિકેટર P. Baloo ની બાયોપિક બનશે, અજય દેવગણ નિભાવશે મુખ્ય ભૂમિકા?</span></strong></a></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_66065047611b1.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ અહી રણદીપ હુડ્ડાએ તો કંઈક વધારે જ છૂટછાટ લઈ લીધી. ફિલ્મનું ટ્રેલર જોઈને જ તમને ખબર પડી જશે કે આ એક પ્રોપેગેંડા ફિલ્મ છે જેમાં અંગ્રેજોના એક સેવકને અંગ્રેજોના ઘોર વિરોધી અને દુશ્મન બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મોહનદાસ ગાંધી, શહીદ ભગતસિંહ તથા બીજા કેટલાક ઐતિહાસિક પાત્રોને તેમના મૂળ પાત્ર કરતા એક અલગ જ રીતે રજૂ કરવામાં આવ્યા છે. જે માણસે કાયદેસર માફી માંગી અંગ્રેજોને વફાદાર રહેવાનું કબૂલ કર્યું હતું તેને અંગ્રેજોના દુશ્મન તરીકે રજૂ કરવાનું સાહસ રણદીપ હુડ્ડાએ કર્યું, જે પચાવવું દર્શકો માટે અઘરું થઈ પડ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં પુસ્તકો વાંચી શું સાચું શું ખોટું એ તર્ક લગાવ્યા વિના માત્ર અમે જે કહીએ એજ સાચું વાળી માનસિકતા ફિલ્મ નિર્દેશકે રજૂ કરી છે. જે આ ફિલ્મના ટ્રેલરથી જ ખબર પડી જાય છે. માટે જ લોકોએ થિયેટર સુધી લાંબા થવાનું જોખમ નથી લીધું. લોકો પ્રોપેગેંડા ફિલ્મોને નકારી રહ્યા છે તેનો સૌથી મોટો પુરાવો એ છે કે ૨૦ કરોડના બજેટમાં બનેલી ‘વીર સાવરકર’ ફિલ્મે તેના પહેલા દિવસે ભારતમાં માત્ર ૧ કરોડની કમાણી કરી!</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: </span></strong></span><a href="https://khabarantar.com/Kaala---The-roar-of-Dalit-identity-presented-on-the-cinema-screen"><strong><span style="font-size: 14pt;">Kaala - સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહગર્જના</span></strong></a></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_660650645ba99.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં ફિલ્મો માટેની લોકોની ઘેલછા જગજાહેર છે. હમણાં છેલ્લા કેટલાક વર્ષોથી હિન્દુત્વના ઠેકેદારો પ્રોપેગેંડા ફિલ્મો દ્વારા લોકોને વોટબેંકમાં પરિવર્તિત કરવાના જે પ્રયાસો કરી રહ્યા છે તે સિનેમા માટે હાનિકારક છે. પરંતુ મનુવાદી મિડીયાના સતત ભ્રામક પ્રચારની સામે લોકો દ્વારા જાતે સોશિયલ મીડિયામાં થઈ રહેલા જાગૃત પ્રચારનો એ ફાયદો થઈ રહ્યો છે કે લોકો હવે આવી કુપ્રચાર ફિલ્મોનો બહિષ્કાર કરી રહ્યા છે. </span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/Vidya:-The-first-film-to-challenge-caste-in-independent-India"><span style="font-size: 14pt;">વિદ્યાઃ આઝાદ ભારતમાં જાતિને પડકાર આપનારી પહેલી ફિલ્મ</span></a></strong></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_660650789983c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અભિનેતા, ફિલ્મ નિર્દેશક, લેખક, મીડિયા કર્મચારી, નેતા કે સામાન્ય માણસ કેટલું વાંચે છે તે મહત્વનું નથી પરંતુ શું વાંચે છે તે મહત્વનું છે. અંતે એક વિનંતી કે તમારા બાળકો, તમારા ઘરની મહિલાઓને એક માફી માંગનારા વિશે જણાવવા કરતા કોઈ એવા વ્યક્તિ વિશે જણાવો જેનાથી તેમને કોઈ પ્રેરણા મળે. જો તમારે હિન્દી ફિલ્મોમાં બનેલી શ્રેષ્ઠ બાયોપિક ફિલ્મ જોવી હોય તો મિલ્ખા સિંહના જીવન ઉપર બનેલી 'ભાગ મિલ્ખા ભાગ' ફિલ્મ જુઓ. મિલ્ખા સિંહની તમામ મહત્વની વાતોને જે બારીકાઈથી નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મહેરાએ રજૂ કરી છે તે કાબિલેદાદ છે. જોવી જ હોય તો દક્ષિણ ભારતના નિર્દેશક પા.રંજિથે, વેટરીમારને નિર્દેશિત કરેલી અનુક્રમે કબાલી, કાલા, અસુરન, સરપટ્ટા પરંબરાઈ જુઓ. દલિત, બહુજન સમાજની ખરી સમસ્યાઓને રજૂ આ કરતી ફિલ્મો શા માટે બોલીવૂડથી ચડિયાતી છે તે તમને આપોઆપ સમજાઈ જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">(લેખક વિખ્યાત બહુજન ડિજિટલ પ્લેટફોર્મ આર.કે. સ્ટુડિયોઝના ફાઉન્ડર, એક્ટિવિસ્ટ અને ફિલ્મરસિયા છે.)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: </span></strong></span><a href="https://khabarantar.com/Movie-12th-Fail---Its-not-about-the-struggle-but-the-privileges-that-Brahmins-get"><strong><span style="font-size: 14pt;">ફિલ્મ 12th Fail - વાત સંઘર્ષની નહીં બ્રાહ્મણોને મળતા વિશેષાધિકારોની છે</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 29 Mar 2024 12:24:05 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>452</Articleid>
                    <excerpt>બોલીવૂડમાં હિંદુત્વવાદી એજન્ડાને આગળ ધપાવતી પ્રોપેગેન્ડા ફિલ્મોને પ્રોત્સાહન મળી રહ્યું છે, જાણો કેવી રીતે હોંશિયાર દર્શકોએ આ મેલી મુરાદ પર પાણી ફેરવી દીધું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_66064f642fe19.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_66064f63f419b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_66064f63f419b.jpg" length="125409" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>આટલું રેશનલ લખ્યું છતાં તમે લોકોએ હોળી સળગાવી, શરમ ન આવી?</title>
                    <link>https://khabarantar.com/despite-writing-so-rationally-you-guys-burned-Holi-didnt-you-feel-ashamed</link>
                    <guid>https://khabarantar.com/despite-writing-so-rationally-you-guys-burned-Holi-didnt-you-feel-ashamed</guid>
                    <description>
                        <![CDATA[ હોળી-ધૂળેટીની ઉજવણી કરવી કે નહીં તેને લઈને બહુજન સમાજમાં મતભેદો જોવા મળે છે ત્યારે અમદાવાદના રેશનાલિસ્ટ લેખક ડૉ. પારિતોષ એક સરસ ઉદાહરણ આપીને પોતાની વાત રજૂ કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આટલું બધું રેશનલ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે લખાણ લખ્યું હોવા છતાં આપ લોકોએ આખરે હોળી સળગાવી. શરમ ના આવી? તમે તમારી જાતને ખોટા લાકડાઓ બાળી પ્રદૂષણ ફેલાવતી દુનિયાની કમઅક્કલ પ્રજા સાબિત કરી, ખરૂં ને? જમાના અને જરૂરિયાત પ્રમાણે સુધરો. હાથમાં વૈજ્ઞાનિક ઉપકરણ/ઘરમાં વૈજ્ઞાનિક ઉપકરણનો ખડકલો અને મગજમાં ગંદકીનો ઉકરડો! આ માટે એક થયેલ પ્રયોગ આપની સામે મૂકી રહ્યો છું, કદાચ આપની સદબુદ્ધિ એને સ્વીકારે તો ઠીક છે. આ પ્રયોગ યુ.કે.માં કરવામાં આવેલો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાંચ વાંદરાઓને એક કમરામાં મૂકવામાં આવ્યા. કમરાની વચ્ચોવચ્ચ એક નિસરણી  મૂકવામાં આવી. વ્યવસ્થા એવી હતી કે આ નિસરણી પર ચઢી, વાંદરા છત પરના હુક પર લટકાવેલી કેળાની લૂમને લઈ શકે. પરંતુ સાથે સાથે બીજી એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે જ્યારે પણ કોઈ વાંદરો નિસરણી ચઢવા જાય કે તરત બધાં જ વાંદરાઓ પર બરફનું ઠંડુંગાર પાણી ફોર્સથી છંટાવાનું શરૂ થઈ જાય. આ ઠંડા પાણીથી વાંદરાઓ ખૂબ યાતના-દર્દ અનુભવે. થોડા વખતમાં એવું થઈ ગયું કે જ્યારે પણ કોઈ  વાંદરો નિસરણી ચઢવા જાય કે બાકીના બધા વાંદરા તેને અટકાવવા તેની પર તૂટી પડે, કારણ કે તેઓ પેલા ઠંડાગાર પાણીનો છંટકાવ ન થાય તેવું ઈચ્છતા હતા. એટલે થોડા વખતમાં એવી પરિસ્થિતિ થઈ ગઈ કે કોઈ વાંદરો નિસરણી પર ચઢતો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે પાંચમાંથી એક વાંદરાને કમરામાંથી બહાર કાઢી, તેની જગ્યાએ એક નવા વાંદરા(A)ને મૂકવામાં આવ્યો. નિસરણી અને કેળાંની લૂમ જોઈને આ વાંદરાને થયું કે બાકીના વાંદરા કેમ જે સ્વાભાવિક છે તે નથી કરી રહ્યાં? તેણે તો તરત નિસરણી તરફ જવાનું શરૂ કર્યું. આ વખતે ઠંડાગાર પાણીનો છંટકાવ  કરવામાં ન આવ્યો. અચાનક મૂળ ચાર વાંદરાઓ તેના(A)પર તુટી પડ્યા ને તેને બરાબર ધીબી નાખ્યો. પેલા નવા પાંચમા વાંદરા(A)ને કાંઈ ગતાગમ ન પડી કે આ વાંદરાઓ આવું કેમ કરે છે? જેવો આ પાંચમો વાંદરો(A) કેળાની લૂમની નજીક જતો કે આ ઘટનાનું પુનરાવર્તન થતું. છેવટે નવા પાંચમા(A) વાદરાંએ પણ નિસરણી પર ચઢવાના પ્રયત્નો છોડી દીધા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરી પ્રયોગ  આગળ વધારવામાં આવ્યો. હવે પાંચમાંના મૂળ ચાર વાંદરામાંથી બીજા વાંદરાને હટાવી તેની જગ્યાએ નવા વાંદરા(B)ને મૂકવામાં આવ્યો. નવા વાંદરા(B)એ પણ સ્વાભાવિક રીતે કેળાં માટે નિસરણી ચઢવાનો પ્રયત્ન કર્યો. પણ બીજા વાંદરાઓએ તેની પણ એ જ અવદશા કરી. મજાની વાત તો એ છે કે તૂટી પડવામાં પેલો પહેલો નવો વાંદરો(A)પણ સામેલ હતો!</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેને હવે જરા રાહત એ છે કે આ વખતે માર ખાવાનો વારો તેનો નથી. પેલા નવા વાંદરા(B)ને મારવામાં તે પણ એટલા માટે જોડાઈ ગયો કે બીજા વાંદરા એમ કરી રહ્યાં છે. પેલા શરૂઆતના ત્રણ વાંદરાઓ તો ઠંડા પાણીનો છંટકાવ ન થાય તે માટે નવા વાંદરાને નિસરણી પર ચઢતા રોકી રહ્યા છે. પણ પેલા (પહેલો) નવા આવેલ વાંદરા(A)ને તો કંઈ ખબર નથી કે તે બીજા નવા આવેલ વાંદરા(B) પર હુમલો શા માટે કરી રહ્યો છે? </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ જ રીતે પ્રયોગમાં છેવટે એક પછી એક કરીને બધાં જુના(ત્રણ)વાંદરાઓને હટાવી દેવામાં આવ્યા. એટલે હવે કમરામાંના પાંચેય વાંદરા નવા છે. તેમાંથી કોઈની પર પણ ઠંડાગાર પાણીનો છંટકાવ નથી થયો. છતાં તેમાંથી કોઈ નિસરણી ચઢવાનો પ્રયત્ન નથી કરતું. અને જો કોઈ નવો વાંદરો પ્રયત્ન કરે તો પૂરા જૂસ્સાથી બાકીના વાંદરાઓ તેના પર તૂટી પડે છે અને તેને અટકાવે છે, એ જાણ્યા વિના કે તેઓ આમ કેમ કરી રહ્યા છે! વાર્તા પૂરી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વાર્તાનો બોધપાઠ: આપણે પરંપરાઓ/પ્રણાલિકાઓ/ધર્મો/વ્યવસ્થાઓને શા માટે અનુસરીએ છીએ તે આપણે જાણીએ છીએ? "આમ શા માટે?" તેવો પ્રશ્ન આપણે કરીએ છીએ? શું બીજા લોકો જે કરે છે તેવું વિચાર્યા વિના કરવા માંડવું યોગ્ય છે? શું આપણે જીવન આપણી સમજણને અનુસરીને જીવીએ છીએ કે પછી દેખાદેખીથી? આ સવાલો વિશે વિચારજો.</span><br><em><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">(સંજીવ શાહના પુસ્તક ‘જીવનની ભેટ’માંથી સાભાર. સંકલનકર્તાઃ ડૉ. પારિતોષ)</span></strong></em></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/It-was-not-visible-but-amin-sahib-was-holding-a-broom-behind-his-back-and-a-kuldi-around-his-neck">દેખાતો નહોતો પણ અમીન સાહેબ ની પીઠ પાછળ સાવરણી અને ગળામાં કુલડી વળગેલા હતા</a></span></strong></span><em><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><br></span></strong></em></p>
<div class="post-text">
<p><strong><span><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
<p></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 26 Mar 2024 12:50:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>444</Articleid>
                    <excerpt>હોળી-ધૂળેટીની ઉજવણી કરવી કે નહીં તેને લઈને બહુજન સમાજમાં મતભેદો જોવા મળે છે ત્યારે અમદાવાદના રેશનાલિસ્ટ લેખક ડૉ. પારિતોષ એક સરસ ઉદાહરણ આપીને પોતાની વાત રજૂ કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_6601ad24a9d98.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_6601ad247bd23.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_6601ad247bd23.jpg" length="59398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>દેખાતો નહોતો પણ અમીન સાહેબ ની પીઠ પાછળ સાવરણી અને ગળામાં કુલડી વળગેલા હતા</title>
                    <link>https://khabarantar.com/It-was-not-visible-but-amin-sahib-was-holding-a-broom-behind-his-back-and-a-kuldi-around-his-neck</link>
                    <guid>https://khabarantar.com/It-was-not-visible-but-amin-sahib-was-holding-a-broom-behind-his-back-and-a-kuldi-around-his-neck</guid>
                    <description>
                        <![CDATA[ અટક બદલીને સવર્ણોની હરોળમાં બિરાજવાની દલિત સમાજના કહેવાતા  ઉચ્ચ વર્ગની માનસિકતા જ્યારે વતનમાં જતાની સાથે જ ભાંગીને ભૂક્કો થઈ જાય છે તેની વાત ડૉ. સ્વપ્નિલ મહેતા અહીં તેમની આગવી સ્ટાઈલમાં રજૂ કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ડૉ. સ્વપ્નિલ કેશવલાલ મહેતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોતાના જન્મ વખતે અમીન સાહેબ જે ના કરી શક્યા, તેવી બધ્ધી જ કાળજી તેમણે એમની દીકરીના જન્મ વખતે રાખી. પત્નીનાં ગર્ભધારણથી પુત્રીનાં પ્રસવ સુધી જે બધી વેકસિન લેવાની હોય એની વાત નથી કરતો, પણ દિકરીના જન્મ વખતે એની અટકમાં જયારે ‘અમીન’ લખાયું ત્યારે તે રાજીના રેડ થયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોતે વહીવટીતંત્રમાં ઠેબાં ખાઈ ખાઈને ક્લાસ વન સુધી પહોચ્યા હતા. મોટેભાગે તેઓ શુટ જ પહેરતા. ઘણીવાર તો રાત્રે સુતી વખતે પણ શુટ કાઢવાનો એમને કંટાળો આવતો. 40 ડિગ્રી ગરમીમાં પણ તેઓ શુટમાં આરામનો અનુભવ કરતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાપને બિચારાને ખબર નહોતી ભ'ઈ મોટા થઈને મોટા સાહેબ બનવાના છે. એટલે ‘મકવાણા’ અટક સાથે જ અમીન સાહેબને જન્માવી દીધા હતા. પણ સાહેબ ભણ્યા. લખવાની સાથે ભુંસવાની પણ ટેવ પડી. એટલે પોતાનું નામ અને અટક ભુંસી નાખી. બાપના નામ ‘ગોબર’નું ટૂંકું કરી નાખ્યું 'જી'. અર્થાર્ત ચંદ્રવદન જી અમીન.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સવર્ણની સોસાયટીમાં 'શ્રીજીકૃપા' બંગલો અને વિશાળ બેઠકરૂમમાં અલૌકિક આભા ઊભી કરતું પ્રમુખ સ્વામીનું તૈલચિત્ર એમની સફળતા ઉપર મંદમંદ હસતું રહેતું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિવૃતિનાં થોડા વરસો પહેલાની વાત છે. નિયતી ચંદ્રકાન્ત અમીન એમની લાડલી મેડિકલના છેલ્લાં સેમેસ્ટરમાં આવી ચુકી હતી. અમીન સાહેબને શું થયું કે, પત્ની અને દીકરી નિયતી સાથે પોતાના વતનમાં આવ્યા. ગોબરબાપાના આ અંતિમ દિવસો. દીકરાની ડૉકટર દીકરીનું મ્હોં પણ જોવું હતું. પૌત્રી પણ દાદાને સ્ટેથોસ્કૉપથી તપાસે એવું અમીન સાહેબ પણ ઈચ્છતા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાસમા પ્રવેશતા જ વળાંક આગળ એક ગાડું પસાર થયું. ગામના ઠાકોર નીકળ્યાં, ગાડીમાં જોઈને પૂછ્યુઃ</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"અલ્યા વાહ મા જાય સ? કુનો છિયો?" </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"ગોબર કાળા" નિયતિથી આંખો ચોરીને ધીમા અવાજે ક્લાસ વન અમીન સાહેબે જવાબ દીધો. ફેશનેબલ મમ્મીને પહેલીવાર આઘું ઓઢેલા જોયા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામ સુધર્યુ હશે એમ માનીને તેઓ નિયતિને સાથે લાવ્યા હતા, પણ એમને નિયતિને ગામમાં લઈ આવવાનો પેટ ભરીને પસ્તાવો થયો. અમીન સાહેબ એમનો પસ્તાવો લંબાવે એ પહેલા ઠાકોરે ચમકતી કાર જોઈને કહયુઃ</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"આયા સો તો માપમાં રેજો દિયોર. બહુ છલકઈ ના જાતા, હું કીધું?" </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: </span></strong></span><a href="https://khabarantar.com/you-should-be-given-water-in-toilet-bowl-only-then-you-dont-do-nakhra"><strong><span style="font-size: 14pt;">તમને તો સંડાસ જવાના ડબલામાં પાણી આપવું જોઈએ, તો જ તમે નખરા ન કરો..</span></strong></a>.</p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમીન સાહેબે ગાડી રિવર્સમાં લઈને ગાડાને માર્ગ કરી આપ્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજા દિવસે નિયતિ કુટુંબની ફોઈ સાથે ગામનો કૂવો જોવા ગઈ. ઘરે આવ્યા પછી નિયતિનું વર્તન બદલાય ગયુ હતું. આંખો ચકળવકળ થવા લાગી હતી. પોતાના પપ્પાને અજીબ નજરોથી જોઈ રહી હતી. ગોબરબાપા સામે જોઈને ખડખડાટ હસતી હતી. મમ્મીને જોઈ ધોધમાર રડી પડતી. ફોઈને તો ખબર પડી ગઈ. કૂવા પાસેની આંબલી ઉપરથી ‘કંકુડી’ વળગી છે. અમીન સાહેબ દુ:ખી હૃદયે નિયતિ અને પત્નીને લઈને પોતાના ઘરે પાછા ફર્યા. આખી જિંદગી ગામ અને અટકથી નિયતિને દૂર રાખી હતી. પણ આખરે નિયતિને નિયતિએ પકડી જ લીધી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભૂવા ધુણાવ્યા. બાધા રાખી. બોકડો ને મરધો પણ ચઢાવ્યો. માતા મહાદેવ કર્યા. પીરોમૂરશીદ બોલાવ્યા. પણ ઘરે આવ્યા પછી નિયતિ વધારે સૂનમુન થઈ ગઈ હતી. કશોય ફેર પડતો નહોતો. બેઠકરૂમમાં લટકી રહેલાં પ્રમુખ સ્વામીને જોઈ ખડખડાટ હસતી પછી એકીટશે છત સામે તાકી રહેતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમીનસાહેબનો એક મિત્ર હતો. ખૂબ જ સારો મનોચિકિત્સક હતો, ડો. ભારદ્વાજ. એણે પણ અટક બદલાવેલી હતી. એણે નિયતિના ઉપચાર ચાલું કર્યા. ચાર સિટિંગ પછી ભારદ્વાજે અમીન સાહેબને કહ્યુઃ</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"ચંદુ, નિયતિને પેલી આંબલીવાળી કંકુ નહિ પણ "જાતિ" વળગી છે"</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"ઉપાય શું?" અમીન સાહેબે યંત્રવત્ પૂછયું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"કંકુ હોત તો તગેડી પણ મુકત ચંદુ, પણ આતો જાતિ, જાતિ નથી જાતી મારા ભાઈ!"</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભલે દેખાતા નહોતા, પણ ચંદ્રકાંત જી. અમીનની પીઠ પાછળ સાવરણો અને ગળામાં કુલડી હજી ચુસ્ત રીતે વળગ્યાં હતાં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">(લેખક આરટીઆઈ એક્ટિવિસ્ટ અને ‘આરટીઆઈ ઈમ્પેક્ટ’ વીકલીના તંત્રી છે.)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/dalit-drank-water-from-the-lake-which-they-did-not-dare-to-even-look-at"><strong><span style="font-size: 14pt;">જે તળાવ સામે જોવાની પણ હિંમત નહોતી તેમાંથી જ્યારે દલિતોએ ખોબાં ભરીને પાણી પીધું</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 25 Mar 2024 13:48:00 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 25 Mar 2024 13:46:15 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>441</Articleid>
                    <excerpt>અટક બદલીને સવર્ણોની હરોળમાં બિરાજવાની દલિત સમાજના કહેવાતા  ઉચ્ચ વર્ગની માનસિકતા જ્યારે વતનમાં જતાની સાથે જ ભાંગીને ભૂક્કો થઈ જાય છે તેની વાત ડૉ. સ્વપ્નિલ મહેતા અહીં તેમની આગવી સ્ટાઈલમાં રજૂ કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_660130d501bfb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_660130d4c68d2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_660130d4c68d2.jpg" length="55032" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>શું હોળીનો તહેવાર દલિત, આદિવાસી, ઓબીસીએ ઉજવવો જોઈએ?</title>
                    <link>https://khabarantar.com/should-holi-be-celebrated-by-dalits-tribals-obcs</link>
                    <guid>https://khabarantar.com/should-holi-be-celebrated-by-dalits-tribals-obcs</guid>
                    <description>
                        <![CDATA[ હોળીના તહેવારની ઉજવણીને લઈને એકથી વધુ મનુવાદી કથાઓ માર્કેટમાં મૂકી દેવામાં આવી છે. એ સ્થિતિમાં સવાલ એ થાય કે દલિત, આદિવાસી અને ઓબીસી સમાજે તેની ઉજવણી કરવી જોઈએ કે નહીં. આ લેખ તેનો જવાબ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હોળી એ હિન્દુઓનો તહેવાર નથી. તે ભારતીયોનો તહેવાર છે અને વધુ સારી રીતે કહીએ તો તે ભારતીય ખેડૂતો, મજૂરો, આદિવાસીઓ, ઓબીસી અને દલિત સમાજનો તહેવાર છે. અથવા આપણે એમ કહી શકીએ કે હોળી ભારતના સામાન્ય માણસનો તહેવાર છે. જો વિશેષ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો વાસ્તવમાં તમામ તહેવારો ખેડૂતોના તહેવારો છે. ઘઉંની લણણી પછી પ્રકૃતિનો આભાર માનવા માટે તહેવારોની રચના કરવામાં આવે છે. ધીરેધીરે જેમ જેમ ધર્મો અને સંસ્કૃતિઓનો વિકાસ થતો ગયો તેમ તેમ તેમણે તેમાં તેમના ધાર્મિક પ્રતીકો ઉમેર્યા. આ કામ તમામ દેશોમાં તમામ સમાજોમાં થયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી વિવિધ સમાજોમાં માહિતી અને જ્ઞાનની આપ-લે થઈ અને લોકો એકબીજાને મળવા લાગ્યા. એ પછી ધીરે ધીરે એક સંસ્કૃતિ બીજી સંસ્કૃતિ પર આધિપત્ય જમાવતી થઈ, એક સમાજે બીજા સમાજ પર હુમલો કરીને પોતાનો ગુલામ બનાવ્યો. આ રીતે તેમણે જૂના સમાજના તહેવારોમાં પોતાના નવા દેવીદેવતાઓ અને પ્રતીકોને જોડી જૂના પ્રતીકોને હટાવી દીધા. એવું નથી કે માત્ર ભારતમાં જ આર્ય બ્રાહ્મણોએ ભારતના મૂળ રહેવાસીઓ વિરુદ્ધ આવું કર્યું છે, આખી દુનિયામાં આવું થયું છે. આખી દુનિયામાં જે પણ મોટા ધર્મોનો ઉદય થયો છે તેમણે નવા વિસ્તારોમાં જઈને સ્થાનિક મૂળનિવાસીઓને તલવાર અને ષડયંત્ર દ્વારા જીત્યા અને પછી તેમને માનસિક અને સાંસ્કૃતિ રીતે ગુલામ બનાવીને તેમની જૂની પરંપરાઓમાં પોતાની પરંપરાઓની ભેળસેળ કરી દીધી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અદ્દલ આવું જ ભારતમાં હોળી, દિવાળી, ગુરુ પૂર્ણિમા, વૈશાખી, પોંગલ, મકરસક્રાંતિ વગેરે તહેવારો સાથે થયું છે. એ પછી ભારતના મૂળનિવાસી મહાપુરૂષોના જીવન સાથે જોડાયેલા ઉત્સવો અને તહેવારોને પણ આર્ય બ્રાહ્મણોએ પોતાના ધર્મ પ્રમાણે બદલી નાખ્યા. ઉદાહરણ તરીકે, શિવ વાસ્તવમાં ભારતના આદિવાસી અથવા આદિવાસી સમુદાયના દેવતા રહ્યા છે, જેને મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત મહારાષ્ટ્ર, ઓરિસ્સા, તેલંગાણા, કર્ણાટક વગેરે રાજ્યોમાં સંભુ સેક કહેવામાં આવે છે. તેમની સાથે 'શંભુ નરકા' નામનો તહેવાર સંકળાયેલો છે જે હિન્દુઓએ પાછળથી શિવરાત્રીમાં બદલ્યો. આવા બીજા ઘણા ઉદાહરણો છે જેની વિગતવાર ચર્ચા કરી શકાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકદમ એ રીતે જોવામાં આવે તો ભારતમાં ઉજવાતા તમામ તહેવારો મૂળભૂત રીતે ભારતીય ખેડૂતો અને મહિલાઓના છે. સમસ્યા એ છે કે આર્ય બ્રાહ્મણોએ આ પ્રાચીન તહેવારોને તેમના ભગવાન અને તેમના ધર્મ સાથે ભેળવી દીધા છે અને તેમને ખેડૂતો, મજૂરો અને મહિલાઓની સામે ઉભા કરી દીધા છે. તેથી, જ્યારે પૂછવામાં આવે છે કે આપણે દિવાળી જેવા તહેવારો ઉજવવા જોઈએ કે નહીં, તો જવાબ થોડો મુશ્કેલ છે. અહીં મુશ્કેલી એ છે કે આપણે સૌપ્રથમ એ શોધવું પડશે કે આર્યો તેમના ભગવાન અને ધર્મને મિશ્રિત કરતા પહેલા પ્રાચીન ભારતીયોએ આ તહેવાર કઈ રીતે ઉજવ્યો હતો. ત્યારે આપણે એ પણ જાણવાની જરૂર છે કે કઈ ભેળસેળ કરવામાં આવી છે અને એ ભેળસેળ કેવી રીતે દૂર કરવી. આ રીતે, જો આપણે ભારતના પ્રાચીન લોકો દ્વારા ઉજવાતા તહેવારોને સમજીએ અને તેમાંથી બ્રાહ્મણવાદના દેવી-દેવતાઓ અને વર્ણાશ્રમ ધર્મના દંભને દૂર કરીએ, તો આ તહેવારો ખૂબ જ સુરક્ષિત બની જશે અને પછી તમામ દલિત, પછાત અને મહિલાઓ આ તહેવારો ઉજવી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજનો વિષય 'હોળીનો તહેવાર' છે, જો આપણે આ તહેવારને ઠીકથી જોઈએ તો તે મૂળભૂત રીતે ઈન્ડીજીનસ અથવા આદિવાસી લોકોનો અથવા ભારતના OBC, દલિતો અને ખેડૂતોનો તહેવાર છે. પ્રાચીન સમયમાં લણણી પછી જ્યારે પ્રથમ વખત પાક ગામમાં લાવવામાં આવતો ત્યારે આખું ગામ ઘર અને શેરીઓ સાફ કરવામાં આવતી. આ કુદરતની ફળદ્રુપતાને માન આપવા માટે કરવામાં આવ્યું હતું. ઘરો અને શેરીઓમાંથી નીકળતો કચરો એક જગ્યાએ એકઠો કરી સળગાવી દેવામાં આવતો હતો. આ રીતે દહન દરમિયાન અગ્નિની પૂજા કરવામાં આવતી હતી. અહીં અગ્નિ પરિપક્વતા, જ્ઞાન અને શક્તિનું પ્રતીક બની જતી હતી. પ્રાચીન કાળમાં ભગવાન વગેરેની શોધ થઈ ન હતી, ત્યારે માત્ર પ્રકૃતિની શક્તિઓને જ પૂજવામાં આવતી હતી. આજે પણ ભારતના આદિવાસી સમાજમાં ઈશ્વર કે સૃષ્ટિનો કોઈ ખ્યાલ નથી. આજે પણ ભારતનો આદિવાસી અને દલિત સમાજ બૌદ્ધ અને જૈન પરંપરા મુજબ ઈશ્વર અને સૃષ્ટિમાં માનતો નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/you-should-be-given-water-in-toilet-bowl-only-then-you-dont-do-nakhra">તમને તો સંડાસ જવાના ડબલામાં પાણી આપવું જોઈએ, તો જ તમે નખરા ન કરો...</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65ffac36d8356.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">પ્રાચીન આદિવાસી અથવા ઈન્ડીજીનસ ખેડૂતો તેમના ઘરની સફાઈ કર્યા પછી ગામનો કચરો એક નિશ્ચિત જગ્યાએ બાળી નાખતા અને અગ્નિની પૂજા કરતા. આવી પૂજા કરતી વખતે નવા પાકની ઉપજનો થોડો ભાગ અગ્નિમાં અર્પણ કરીને બાળી નાખવામાં આવતો હતો. ઉદાહરણ તરીકે, નવા આવેલા ઘઉંના કેટલાક ડુંડા ગાયના છાણથી બનેલા રીંગ જેવા માળામાં બાંધીને એ આગમાં બાળી અથવા શેકીને ખાઈ જતા હતા. પછી બધાંએ આ આગનો ઉપયોગ પોતપોતાના ઘરમાં ચૂલો સળગાવવા માટે કર્યો. એ રીતે આ એક ખૂબ જ પ્રાચીન ખેડૂતોને તહેવાર છે. પાછળથી જ્યારે આર્ય બ્રાહ્મણોએ ભારત પર હુમલો કર્યો અને ધીમે ધીમે ભારતના નિર્દોષ લોકોને તેમના કાવતરાથી નબળા બનાવીને જીતી લીધા. પછી તેમના સીધા સાદા પ્રકૃતિ પૂજક તહેવારોમાં પોતાના દેવીદેવતાઓ ઇન્દ્ર, વિષ્ણુ, બ્રહ્મા, રુદ્ર અને તેમના કાલ્પનિક અવતારો વગેરેને તેની સાથે જોડી દીધાં. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતના મૂળનિવાસી સમાજમાં સ્ત્રી અને પુરૂષ વચ્ચે બહુ ભેદ કરવામાં નથી આવતો, ઉલટાની પ્રાચીન ભારતીય પરંપરા તો માતૃસત્તાક હતી. પણ જ્યારે આર્ય બ્રાહ્મણોએ ભારતમાં તેમના ભગવાનને થોપવાનું શરૂ કર્યું ત્યારે તેમણે સ્ત્રીઓને નબળી સાબિત કરીને પિતૃસત્તાક માળખું બનાવ્યું. તેથી જ તેમણે ભારતની પ્રાચીન દેવીઓ અને ગ્રામદેવીઓને તેમના પુરૂષ દેવતાઓની પત્નીઓ બનાવીને તેમના ગુલામ બનાવ્યા. અને ધીરેધીરે પ્રાચીન ભારતના ઉત્સવો જે સ્ત્રીઓની પ્રજનન ક્ષમતાને પ્રકૃતિની ફળદ્રુપતા સાથે જોડીને ઉજવવામાં આવતા હતા, એ ઉત્સવોમાં તેમના પુરુષો અને વૈદિક દેવતાઓનો સામેલ કરી દીધા. આમ સ્ત્રીઓ અને પ્રકૃતિની આરાધના કરતા તહેવારો પાછળથી માણસ અને ભગવાનને પૂજતા તહેવારો બની ગયા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે આ બધાં તહેવારોમાં મહિલાઓને ન માત્ર ઓછું સન્માન આપવામાં આવે છે, પરંતુ તેમને પુરુષો કરતાં નબળી અને પુરુષો પર નિર્ભર પરિવારના સભ્યો તરીકે પણ દર્શાવવામાં આવે છે. આ દ્રષ્ટિકોણથી હોળીનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે, જ્યારે આર્યો અને બ્રાહ્મણોના ભગવાન પ્રાચીન ભારતીય સમાજમાં નહોતા આવ્યા, ત્યારે ભારતીય લોકો સ્ત્રી અને પ્રકૃતિની પ્રજનન શક્તિની પૂજા કરતા હતા. બ્રાહ્મણોના ઈશ્વરે ધીમે ધીમે આમાં ફેરફાર કર્યો અને સ્ત્રીને માત્ર નબળી જ સાબિત કરી એટલું જ નહીં, તેણીની પ્રજનન ક્ષમતા અને બાળકો પેદા કરવાની ક્ષમતાને અપમાનિત કરીને તેને અસ્પૃશ્ય અને પાપી સાબિત કરી. હોળીના તહેવારમાં જે રીતે સ્ત્રીને માયાવી કે રાક્ષસ કહીને જે રીતે બાળવામાં આવે છે તે પોતે જ એક મોટા ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરિવર્તનનો સંકેત આપે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો આજે આપણે તહેવારની ઉજવણી કરવી હોય તો સૌપ્રથમ આપણા પ્રાચીન ઈતિહાસ, આપણી આસપાસ રહેતા ઈન્ડીજીનસ કે આદિવાસી કે દલિત લોકોની પરંપરાઓ પર નજર નાખવી જોઈએ. તેના દ્વારા આપણને સમજાશે કે પ્રાચીન સમયમાં કોઈ એક વિસ્તારમાં આ તહેવાર કેવી રીતે ઉજવવામાં આવતો હતો. આ રીત જાણવી બહુ મુશ્કેલ નથી, જો આપણને આ પદ્ધતિની ખબર પડી જાય તો તે પછી આપણે એમાંથી બ્રાહ્મણોના ઈશ્વર અને વર્ણાશ્રમ ધર્મ સાથે જોડાયેલા પ્રતીકોને એમાંથી કાઢી શકીએ છીએ. અને પછી ધીમે ધીમે આપણે ભારતના મૂળનિવાસીઓના તહેવારોને પુનર્જીવિત કરી શકીએ છીએ. હવે આ કામ કોઈ એક વ્યક્તિ કે એક પરિવાર કે એક ગામ કરી શકે તેમ નથી, તેના માટે ભારતની મૂળનિવાસી બહુજન સંસ્થાઓએ આગળ આવવું જોઈએ અને ભારતના પ્રાચીન તહેવારોનું વાસ્તવિક સ્વરૂપ સામે લાવવું જોઈએ. જો આપણે આવી શરૂઆત કરી શકીએ તો ધીમે ધીમે આવતા 10-15 વર્ષમાં ભારતના તમામ તહેવારોને ફરીથી પ્રાચીન મૂળનિવાસીઓના તહેવારોની જેમ ઉભા કરી શકીએ છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેથી આ તહેવારો લોકોને એકઠા કરીને તેમનામાં સામાજિકતાની ભાવના પેદા કરવા માટે બનાવવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે, ભારતમાં આર્ય બ્રાહ્મણોના આગમન પછી, ભારતીયોને નબળા બનાવવા અને તેમનામાં ભાગલા પાડીને શાસન કરવા માટે, તેઓએ ભગવાન અને દેવોના ધર્મને મિશ્રિત કર્યા અને તેમના તહેવારોમાં તેમના મતભેદો શીખવ્યા. આ પછી ભારતીય સમાજ સંપૂર્ણપણે તૂટી ગયો અને નબળો પડી ગયો. અને તેમાં જ્ઞાતિ અને વર્ણ વ્યવસ્થાનો સમાવેશ થયો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો આપણે આને યોગ્ય રીતે સમજીએ તો ખ્યાલ આવે છે કે ભારતમાં વર્ણવ્યવસ્થા, જાતિ વ્યવસ્થા અને દુનિયાભરની અંધશ્રદ્ધા વાસ્તવમાં તહેવારો અને વાર્તાઓના માધ્યમથી જ ફેલાવવામાં આવ્યા છે. એટલે ભારતમાં વર્તમાનમાં જે રીતે તહેવારોની ઉજવણી કરવામાં આવે છે તેને સંપૂર્ણપણે બદલવાની જરૂર છે. તમે જોયું જ હશે અને આપણે બધાં જાણીએ છીએ કે અસ્પૃશ્યતા, ઊંચનીચના ભેદભાવ અને  સ્ત્રીઓનું અપમાન કરવું આ બધું શાળા, કોલેજ કે યુનિવર્સિટીમાં ભણાવવામાં આવતું નથી. આ બધી ગંદી વાતો લોકો ધાર્મિક વાર્તાઓ, પુરાણો, પૌરાણિક કથાઓ દ્વારા શીખે છે. અને ભારતમાં જેટલા પણ ઉત્સવો અને તહેવારો છે તે ગંદી, મહિલા વિરોધી, અસભ્ય વાર્તાઓ અને મૂલ્યોને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/can-the-constitution-of-India-be-changed-by-the-force-of-majority">શું બહુમતીના જોરે ભારતના બંધારણને બદલી શકાય ખરું?</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65ffac365aaf5.jpg" alt=""></p>
<p><span style="font-size: 14pt;">તેનાથી સારો વિકલ્પ એ છે કે તમે તમારા પ્રાચીન તહેવારોમાં ઈશ્વર, આત્મા, પુનર્જન્મ અને વર્ણ વ્યવસ્થાની જે ભેળસેળ કરવામાં આવી છે તેને ઓળખી કાપીને બહાર ફેંકી દો અને તેમાં પ્રાચીન શ્રમણ અને આદિવાસી સંસ્કૃતિના મૂલ્યોને ફરીથી સામેલ કરી દો. જો આપણે આ કરી શકીએ તો આગામી 10-15 વર્ષમાં ભારતમાં કરોડો ઓબીસી, દલિતો, ખેડૂતો, મજૂરો અને મહિલાઓને પાપી બનાવતી પરંપરાને જડમૂળથી ઉખેડી નાખીશું અને ભારતના કરોડો લોકોને સન્માનજનક જીવન આપી શકીશું. પરંતુ આ કામ એક વ્યક્તિ, એક પરિવાર કે ગામ કરી શકે નહીં. આ માટે સમગ્ર ભારતમાંથી ઓબીસી દલિતો, આદિવાસી મહિલાઓ અને ધાર્મિક લઘુમતીઓએ આગળ આવવું જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આપણે એવા સંગઠનોનું નિર્માણ કરવું જોઈએ જે ભારતમાં તહેવારો ઉજવવાની રીત, એકબીજા સાથે વાત કરવાની રીત, એકબીજાને સંબોધવાની શૈલી, લગ્ન-જન્મદિવસની ઉજવણીની રીત, હોળી, દિવાળી ઉજવવાની રીતને બદલવાનું શરૂ કરી શકે. આ રીતે સ્થાયી સાંસ્કૃતિક પરિવર્તન ખૂબ જ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. આજે આપણી પાસે ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા વગેરે જેવી સુવિધાઓ છે, જેની મદદથી આગામી 10 કે 15 વર્ષમાં આ કામ ખૂબ જ સરળતાથી થઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવા સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન હંમેશા મુશ્કેલ કાર્ય રહ્યા છે. જો તે સરળ કાર્ય હોત તો તે પૂર્ણ થઈ ગયું હોત. બાબાસાહેબ આંબેડકર, મહાત્મા જ્યોતિરાવ ફુલે અને પેરિયારે આપણને મુશ્કેલ કામ કરવાનું જ શીખવ્યું છે. સરળ કામ કરવાથી મોટા પરિણામો પ્રાપ્ત થતા નથી, અને જો આપણે ભારતમાં લાખો ઓબીસી, દલિત, આદિવાસી અને મહિલાઓના જીવનમાં સુધારો કરવા માંગતા હોઈએ તો આપણે સખત મહેનત કરવી પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે પણ જો તમે ભારતના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોની મુલાકાત લેશો તો તમને શહેરોમાં ઉજવાતા તહેવારો ઓછા જોવા મળશે. જો તમે આદિવાસી વિસ્તારોમાં જશો તો સમજાશે કે ત્યાં છેલ્લા 20 વર્ષમાં વિવિધ પ્રકારના દેવી-દેવતાઓના ચિત્રો પહોંચી ગયા છે. તે પહેલા ત્યાં તેઓ જંગલો, પર્વતો વગેરે સાથે તેમના સ્થાનિક ગ્રામ્ય દેવતાઓની પૂજા કરતા હતા. પછી જ્યારે ટેલિવિઝન અને ફિલ્મો આવી ત્યારે વિવિધ દેવી-દેવતાઓની વાર્તાઓ ટીવી સિરિયલો અને ફિલ્મો દ્વારા ઘર-ઘર સુધી પહોંચી. આ વાર્તાઓએ ત્યાંની જાતિ વ્યવસ્થાને મજબૂત બનાવી અને સ્ત્રીઓનો વિરોધ કરવાની પરંપરા ઊભી કરી. આર્ય બ્રાહ્મણોએ પણ આ કામ ખૂબ જ ધીરે ધીરે અને મુશ્કેલીઓ સાથે કર્યું છે અને હજુ પણ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો કે તેઓ કેટલું આયોજન કરે છે, પૈસા ખર્ચે છે, હજારો અને લાખો લોકોને રોજગારી આપે છે અને આ કાર્ય પૂર્ણ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં કરોડો ઓબીસી, દલિતો, આદિવાસીઓ અને મહિલાઓનું જીવન બદલવા માટે આપણે નવી પરંપરાઓ બનાવવી પડશે. ઝંડા, દંડા અને રાજકીય નારાઓ લગાવવાથી કશું થવાનું નથી, જ્યાં સુધી સમાજની જીવનશૈલી અને તહેવારો ઉજવવાની રીત નહીં બદલાય ત્યાં સુધી આપણે બાબાસાહેબ આંબેડકર, જ્યોતિબારાવ ફૂલે અને બીપી મંડળના સપનાનું ભારત બનાવી શકીશું નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">- સંજય શ્રમણ</span> <em>(યુનિવર્સિટી ઓફ સસેક્સના પૂર્વ વિદ્યાર્થી, ગંભીર લેખક, વિચારક, સ્કોલર છે)</em></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/we-did-not-go-to-cast-holi-and-on-the-day-of-holi-itself-the-upper-caste-attacked-vas-dalpat-chauhan">અમે હોળીના છાણાં નાખવા ન ગયા, ને હોળીના જ દિવસે સવર્ણોએ વાસ પર સામૂહિક હુમલો કર્યો - દલપત ચૌહાણ</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><br></span></strong><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"> <span style="font-size: 14pt;">અહીં ક્લિક કરો</span></a></strong><strong><span style="font-size: 14pt;"><br></span></strong></span></p>
<div class="post-text">
<div class="post-text">
<p></p>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 24 Mar 2024 10:13:12 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 24 Mar 2024 10:12:35 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>436</Articleid>
                    <excerpt>હોળીના તહેવારની ઉજવણીને લઈને એકથી વધુ મનુવાદી કથાઓ માર્કેટમાં મૂકી દેવામાં આવી છે. એ સ્થિતિમાં સવાલ એ થાય કે દલિત, આદિવાસી અને ઓબીસી સમાજે તેની ઉજવણી કરવી જોઈએ કે નહીં. આ લેખ તેનો જવાબ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65ffac37817cc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65ffac3752a92.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65ffac3752a92.jpg" length="108494" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>2024ની ચૂંટણીમાં આંબેડકરવાદની કસોટી થશે</title>
                    <link>https://khabarantar.com/ambedkarism-will-be-tested-in-2024-elections</link>
                    <guid>https://khabarantar.com/ambedkarism-will-be-tested-in-2024-elections</guid>
                    <description>
                        <![CDATA[ 2025 એ RSSનું શતાબ્દી વર્ષ છે. 100 વર્ષ પહેલા સંઘ પોતાનું હિન્દુ રાષ્ટ્રનું સપનું પૂરું કરવા માંગે છે. નરેન્દ્ર મોદી સંઘના પ્રચારક રહ્યા છે. તેઓ ગુરુ દક્ષિણામાં હિન્દુ રાષ્ટ્રને સંઘને સોંપવા માંગે છે. આ સ્થિતિમાં હાલની લોકસભા ચૂંટણીમાં આંબેડકરવાદની આકરી કસોટી થશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભાની ચૂંટણી ખૂબ નજીક છે. શાસક પક્ષ એટલે કે નરેન્દ્ર મોદીની યોજનાઓ માટે આ ચૂંટણી ખૂબ જ ખાસ છે. જ્યારે વિપક્ષ માટે 'કરો યા મરો' જેવી સ્થિતિ છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી પાંચ મહિના (7 સપ્ટેમ્બર, 2022 થી 26 જાન્યુઆરી, 2023) સુધી પગપાળા ચાલીને રાહુલ ગાંધીએ 4000 કિલોમીટરની ભારત જોડો યાત્રા કરી. આ યાત્રાથી સર્જાયેલા વાતાવરણમાં વિપક્ષી દળો એક થવા લાગ્યા. વિપક્ષની પહેલી બેઠક મે 2023માં પટનામાં થઈ હતી. એ પછી બેંગ્લોર, મુંબઈ અને દિલ્હીમાં ભારતનું જોડાણ થયું. પરંતુ જાન્યુઆરી 2024 સુધીમાં રાજકીય મહત્વાકાંક્ષાઓ અને અંગત હિતો ટકરાવા લાગ્યા. મહાગઠબંધનની શરૂઆત કરનાર નીતિશ કુમાર હવે ફરી નરેન્દ્ર મોદીના પક્ષમાં જોડાયા છે. નિઃશંકપણે, ઈન્ડિયા ગઠબંધને વિપક્ષો માટે એક મજબૂત નૅરેટિવ બનાવ્યો હતો. પરંતુ નીતીશ કુમારે પક્ષ બદલતા જ ગોદી મીડિયા તેને દિવસ-રાત નબળું કહીને તોડી પાડવામાં વ્યસ્ત છે. સવાલ એ છે કે શું આ ચૂંટણી મીડિયાના નેરેટિવ પર લડવામાં આવશે?</span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65fd2319b61ab.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાસ્તવિકતા એ છે કે વિપક્ષી એકતામાં તિરાડ હોવા છતાં મોદી માટે આ ચૂંટણી જરા પણ સરળ નથી. આ જ કારણ છે કે ભાજપ તેના જૂના અને નવા તમામ સાથીઓને પોતાની સાથે લાવવામાં વ્યસ્ત છે. દેશના દલિતો અને વંચિતોના અસ્તિત્વની લડાઈમાં આ ચૂંટણી સૌથી મોટી ચૂંટણી બનવા જઈ રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો, 2024ની ચૂંટણી નક્કી કરશે કે દલિતો અને વંચિતોનું ભવિષ્ય સુરક્ષિત રહેશે કે નહીં. ડૉ. આંબેડકર આ પડકારને છેક 1940માં જ સમજી ગયા હતા. તેમણે તેમના પુસ્તક 'પાકિસ્તાનઃ ધ પાર્ટીશન ઓફ ઈન્ડિયા'માં સ્પષ્ટ લખ્યું હતું કે જો હિન્દુ રાષ્ટ્ર બનશે તો કરોડો દલિતો માટે તે મોટી આફત સાબિત થશે. આથી કોઈપણ ભોગે આને રોકવું જોઈએ. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે હિંદુ રાષ્ટ્ર બ્રિટિશ શાસન કરતાં વધુ ક્રૂર હશે. આજે એક તરફ તમામ બાબાઓ અને હિંદુત્વવાદી સંગઠનો ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની ઘોષણા કરી રહ્યા છે, તો બીજી તરફ ડો. આંબેડકર દ્વારા બનાવેલા બંધારણને સરકાર ધીરે ધીરે કોતરી ખાવામાં આવી રહ્યું છે. ભાજપના કેટલાક નેતાઓ અને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ બિબેક દેબરોયે બંધારણ બદલવાની વાત કરી છે. સંઘના વડા મોહન ભાગવત પણ વર્ષોથી આ જ વાત કરે છે. કર્ણાટક ભાજપના સાંસદ અનંત હેગડેએ તો જાહેરમાં કહ્યું કે ભાજપને 400 પ્લસ સીટો આપો અમે બંધારણ બદલી દઈશું.</span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65fd231b551ed.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધી, નેહરુ અને આંબેડકરના સમયથી અત્યાર સુધી હિંદુત્વવાદીઓના ઈરાદા જગજાહેર છે. હિંદુત્વના ધ્વજવાહક સાવરકરે આઝાદીની ચળવળમાં અંગ્રેજોને ખુલ્લેઆમ ટેકો આપ્યો હતો. એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે સ્વતંત્રતા અને ડૉ. આંબેડકર દ્વારા તૈયાર કરવામાં આવેલું દેશનું નવું બંધારણ હિન્દુત્વવાદી લોકોને જરાય ગમતું નથી. તેથી, વિભાજન સમયે, તેઓ હિંદુઓ અને શીખોને ખાસ કરીને પાકિસ્તાનથી આવતા લોકોને, સાંપ્રદાયિક ઉન્માદ પેદા કરવા માટે ઉશ્કેરવામાં રોકાયેલા હતા. ગાંધીજીની હત્યા પણ આ ષડયંત્રનો એક ભાગ હતી. પરંતુ એ પછી હિન્દુત્વવાદી લોકો લાંબા સમય સુધી હાંસિયામાં ધકેલાઈ ગયા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ હિન્દુત્વવાદી લોકો જુઠ્ઠાણા અને છેતરપિંડી દ્વારા પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરતા રહ્યા. પોતાની વાસ્તવિકતા છુપાવીને તેઓ ધર્મના નામે દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓમાં ઘૂસણખોરી કરતા રહ્યા. 1990ના દાયકામાં તેમને પ્રથમ વખત સફળતા મળી હતી. મંદિર ચળવળના ઉદય છતાં તેઓ લઘુમતીમાં રહ્યા. પરંતુ 2014માં કોર્પોરેટ રથ પર સવાર થઈને નરેન્દ્ર મોદી સંપૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં સત્તા પર આવ્યા એ પછી RSSએ પોતાનો એજન્ડા લાગુ કરવાનું શરૂ કર્યું. પ્રથમ પાંચ વર્ષમાં ખાસ કરીને મુસ્લિમ લઘુમતીઓના અધિકારો કચડવામાં આવ્યા હતા. તેમની સામે ખુલ્લેઆમ નફરત અને હિંસા થઈ હતી. બીજા કાર્યકાળમાં મોદી સંઘના વાસ્તવિક એજન્ડા તરફ આગળ વધ્યા. દલિતો, પછાત લોકો અને આદિવાસીઓના અધિકારો અને તકો કચડી નાખવામાં આવી. જ્ઞાતિ વ્યવસ્થાના સ્ક્રૂ ટાઈટ થવા લાગ્યા અને હિંદુ રાષ્ટ્ર બનાવવાની જાહેરાતો થવા લાગી. દલિતો, શોષિતો, વંચિતોને સદીઓની ગુલામીમાંથી મુક્ત કરાવનાર બંધારણને હટાવવાની વાત થઈ. મનુસ્મૃતિ, ગીતા અને રામચરિત માનસનો મહિમા થવા લાગ્યો. દેખીતી રીતે, આ ધાર્મિક ગ્રંથો દ્વારા વર્ણ અને જાતિ વ્યવસ્થાને યોગ્ય ઠેરવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65fd231ace462.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નોંધનીય છે કે ડૉ.આંબેડકરે દલિતો, શુદ્રો અને મહિલાઓની ગુલામી માટે ધાર્મિક ગ્રંથોને સૌથી મોટા જવાબદાર માનતા હતા, કારણ કે તેમના દ્વારા તે વ્યવસ્થાને દૈવી કાયદો બનાવવામાં આવ્યો હતો. એટલા માટે તેમણે કહ્યું હતું કે ધાર્મિક ગ્રંથોને વિસ્ફોટકોથી ઉડાવી દેવા જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લા દાયકામાં દલિતોએ હિંદુત્વનો ક્રૂર ચહેરો જોયો. જૂન 2016ના ઉનાકાંડમાં દલિત યુવાનોને નગ્ન કરીને જાહેરમાં માર મારવામાં આવ્યો અને હાથરસમાં (સપ્ટેમ્બર, 2020) દલિત દીકરી પર બળાત્કાર જેવી ઘટનાઓ એ હકીકતની સાક્ષી છે કે ડૉ. આંબેડકરની આશંકા ખોટી નહોતી. દલિત અત્યાચારની ઘટનાઓ પહેલા પણ બનતી રહી છે પરંતુ આ 10 વર્ષમાં મોટો બદલાવ આવ્યો છે. હવે હિંદુત્વવાદી સંગઠનો દમનકારીઓને સાથ આપે છે. સરકાર ગુનેગારોને રક્ષણ આપવાનું શરૂ કરે છે. હાથરસમાં બળાત્કારીઓના સમર્થનમાં એક સંપૂર્ણ સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં ભગવા ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા અને જયશ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા. આવી ઘટનાઓનું સતત પુનરાવર્તન થઈ રહ્યું છે. હિન્દુત્વના લોકોના આ નારાઓમાં અન્યાય અને અત્યાચારની બૂમો ગુંજી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65fd23a97d67d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમને જણાવી દઈએ કે 2025 એ આરએસએસનું શતાબ્દી વર્ષ છે. સો વર્ષ પહેલા સંઘ પોતાનું હિન્દુ રાષ્ટ્રનું સપનું પૂરું કરવા માંગે છે. નરેન્દ્ર મોદી સંઘના પ્રચારક રહ્યા છે. તેઓ ગુરુ દક્ષિણામાં સંઘને હિન્દુ રાષ્ટ્ર સોંપવા માંગે છે. નવી સંસદમાં સેંગોલની સ્થાપનાથી લઈને રામ મંદિરના ઉદ્ઘાટન સુધી સમગ્ર દેશને ભગવો બનાવીને હિન્દુ રાષ્ટ્રની પૃષ્ઠભૂમિ તૈયાર કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું ડૉ.આંબેડકરનો પડકાર પરાસ્ત થશે? કે પછી દલિત-વંચિત સમાજ આ ચૂંટણીમાં હિંદુત્વવાદી તાકાતોનો બહાદુરીથી મુકાબલો કરશે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><em><strong>(મૂળ લેખ પ્રો. રવિકાંત દ્વારા ફોરવર્ડ પ્રેસમાં લખવામાં આવ્યો હતો, જેનો આ ગુજરાતી અનુવાદ છે.)</strong></em></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(186, 55, 42);"><strong>આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/RSS-and-Ambedkar-are-polar-opposites-yet-why-Sangh-praises-Baba-Saheb">RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?</a><br></strong></span></span></p>
<div class="post-text">
<p style="text-align: justify;"><span><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span style="font-size: 14pt;"> અહીં ક્લિક કરો</span></a></strong></span></p>
<p style="text-align: justify;"></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 22 Mar 2024 12:03:43 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 26 Apr 2024 19:49:36 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>432</Articleid>
                    <excerpt>2025 એ RSSનું શતાબ્દી વર્ષ છે. 100 વર્ષ પહેલા સંઘ પોતાનું હિન્દુ રાષ્ટ્રનું સપનું પૂરું કરવા માંગે છે. નરેન્દ્ર મોદી સંઘના પ્રચારક રહ્યા છે. તેઓ ગુરુ દક્ષિણામાં હિન્દુ રાષ્ટ્રને સંઘને સોંપવા માંગે છે. આ સ્થિતિમાં હાલની લોકસભા ચૂંટણીમાં આંબેડકરવાદની આકરી કસોટી થશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65fd231a729a8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65fd231a443b4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65fd231a443b4.jpg" length="95469" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>તમને તો સંડાસ જવાના ડબલામાં પાણી આપવું જોઈએ, તો જ તમે નખરા ન કરો...</title>
                    <link>https://khabarantar.com/you-should-be-given-water-in-toilet-bowl-only-then-you-dont-do-nakhra</link>
                    <guid>https://khabarantar.com/you-should-be-given-water-in-toilet-bowl-only-then-you-dont-do-nakhra</guid>
                    <description>
                        <![CDATA[ પૂર્વ સમાજ કલ્યાણ અધિકારી પી.એલ. રાઠોડ સાહેબ અહીં તેમના બાળપણનો એક એવો પ્રસંગ વર્ણવે છે, જે વાંચીને ભલભલાં કઠણ કાળજાનાં લોકો પણ કકળી ઉઠે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">-પી.એલ. રાઠોડ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હું એ મહામાનવોના સંઘર્ષને કઈ રીતે ભૂલી શકું જેમણે મને કાછલીનાં અસ્વચ્છ પાણીથી કેન્ટનાં ફિલ્ટર પાણીની વ્યવસ્થા કરી આપી હોય? બાળપણ અને કિશોરવયમાં મજૂરી કરીને થાક્યા હોઈએ કે એક ગામડેથી બીજા ગામડે પગપાળા મુસાફરી કરતા હોઈએ ત્યારે સ્વાભાવિક છે કે રસ્તામાં તરસ લાગે. બાળપણના એવા કેટલાય કિસ્સા યાદ આવે છે કે ક્યાંક તરસથી ટળવળતા હોઈએ ત્યારે આજુબાજુમાં ક્યાંક કોઈકનું ખોરડું-ઘર દેખાય એટલે રાડ પાડીને પાણી માટે આજીજી કરીયે ત્યારે સીધા જ પહેલો પ્રશ્ન આવે "એલા તમે કેવા?" અને જેવો જવાબ આપીએ એટલે તરત જ તુચ્છ ભાષામાં કહે ‘એલાવ જોવ તમારા જેવા હારુ ઓલ્યા ગોખલામાં કાછલી (નારિયેળ ફોડી નાખ્યા પછીનો એની બાહ્ય છાલનો ભાગ) રાખી છે એ લઈ લ્યો.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અને તરસે હાંફી ગયેલા અમે એ ગોખલામાંથી અથવા તો ક્યાંક કોઈ ઝાડ પર ટીંગાડેલી એ કાછલી હાથમાં લઈએ, અને કોણ જાણે કેટલાય દિવસોની પડતર એ કાછલીમાં ગમે તેટલી ધૂળ કે કચરો હોય તો ફૂંક મારીને કે હાથેથી સાફ કરવાની રહે, કોઈ વળી સારી વ્યક્તિ હોય તો કાછલી સાફ કરવા પાણી આપે નહીંતર જેવી હોય તેવી કાછલીમાં પાણી પી લેવાનું અને પાણી પી ને પાછી એ જ જગ્યાએ ફરીથી કાછલી મૂકી દેવાની કારણ કે એ લોકો કાછલીને અડે તો પણ અભડાઈ જતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આવો જ એક પ્રસંગ મને યાદ છે,</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમારા ગામ કોબમાં મગફળી કે તેલની ઘાણી નહોતી. એટલે અમે બાજુના તડ ગામે ઘાણી કઢાવવા વહેલી સવારે ચાલીને જતા. ઘાણી કઢાવીને હું તેમજ મારાથી મોટા બેન રાજુબેન બપોરના ધોમધખતા તડકામાં ચાલીને ઘરે પરત જતા હતા. રસ્તામાં ભીંગરણ ગામ આવે છે ત્યાં બસ સ્ટેશનની દક્ષિણે એક કોળી જ્ઞાતિનું ઘર હતું. અમે ત્યાં જઈ પાણી માટે આજીજી કરતો અવાજ કર્યો એટલે લગભગ અંદાજે 35થી 40 વરસની ઉંમરની મહિલા ઘરમાંથી પાણીના કળશ સાથે બહાર નીકળી અને કહે કે હામે ઝાડવેથી કાછલી લઈ લે, મેં કાછલી લીધી તો બહુ ગંદી હતી. તેમ છતાં અમે બેનના હાથથી અને કપડાથી સાફ કરી પણ બરાબર સાફ ના થઈ એટલે અમે કહ્યું કે કાછલી સાફ કરવા થોડુંક પાણી નાખો ને, એટલે એ બાઈએ કહ્યું કે, "હારું છે તમે લોકોને કાછલીમાં પાણી આપીયે છયે, તમને તો સંડાસ જવાના ડબલામાં પાણી આપવું જોયે તો જ તમે નખરા ન કરો." તરસે ટળવળતા અમે બેન ભાઈ પાસે એ ગંદી કાછલીમાં પાણી પીવા સિવાય કોઈ વિકલ્પ ના હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65fab2c1a2f08.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે પણ જ્યારે હું નારિયેળની આવી કાછલી જોઉં છું ત્યારે અપમાનિત થઈને પણ કાછલીમાં પીધેલા પાણીની યાદ આવી જાય છે, એટલું જ નહીં જ્યારે જ્યારે ભીંગરણ ગામેથી નીકળું છું ત્યારે એ બાઈના શબ્દો "તમે લોકોને તો સંડાસના ડબલામાં પાણી આપવું જોઈએ" એ શબ્દો મને અચૂક યાદ આવી જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અને આજે તો લાખો રૂપિયાના બંગલામાં રહીને લાખોની મોંઘી ગાડીમાં <strong>કેન્ટ</strong>નું પ્યોરીફાય પાણી પીઉં છું ત્યારે કાછલીના એ ગંદા પાણી ને પણ હું ભૂલી શકતો નથી. અને પોતાની જાતને પ્રશ્ન કરું છું કે આ કાછલીના અસ્વચ્છ પાણીમાંથી કેન્ટના વોટર પ્યુરીફાય પાણી સુધી મને પહોંચાડનાર એવા કેટલાય મારા મહામાનવો અને કેટલાય નામી અનામી વડવાઓએ બલિદાનો આપ્યા છે કે જેના પ્રતાપે આજે હું અને મારો પરિવાર જ નહીં, એવા કેટલાય કરોડો લોકો સ્વચ્છ પાણી મેળવી શક્યા છે. ત્યારે હવે મારા મહામાનવો તેમજ નામી અનામી કેટલાય નવલોહીયા શહીદોએ અમોને આપેલા આ અધિકારોના રક્ષણ માટે મારી ભૂમિકા શું? એ પ્રશ્ન હું અવારનવાર મારી જાતને પૂછતો જ રહેતો હોઉં છું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/The-Constitution-of-India-begins-with-the-words-We-the-people-of-India,-meaning-that-India-is-not-a-creation-of-God"><strong><span style="font-size: 14pt;">ભારતના બંધારણનો આરંભ ‘અમે ભારતના લોકો’ શબ્દોથી થાય છે, એનો અર્થ એ કે ભારત ઈશ્વરે સર્જેલી ઘટના નથી</span></strong></a></p>
<p>.<img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65faec0662cfb.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અને એમાંય ઘણી વખત કુટુંબમાંથી કે મિત્ર વર્તુળોમાંથી લોકો સલાહ આપતા હોય છે કે “અરે આટલી સારી નોકરી, સારો પગાર, સારા મકાન એમ ઘણું બધું છે તો મોજ કરોને, આ સામાજિક કામ કરવાનો ઠેકો કંઈ તમે એકલા એ જ થોડો લીધો છે? આ સૌની હારે જેમ બધાં હાલે એમ આપણે પણ કરાય, હવે આ ખોટો હાય ઉકાળો અને દોડા દોડી છોડો.”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારે હું એમને આપણા મહામાનવોના સંઘર્ષની વાત તેમજ આવું આપણા નામી અનામી શહીદોએ પણ વિચાર્યું હોત તો? તો આપણે ક્યાં હોત? એવો પ્રશ્ન કરું એટલે લગભગ સામેની વ્યક્તિ ચૂપ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસ પછી તો જ્યારે જ્યારે પણ મને થોડી ઘણી નિરાશા સાંપડે કે કડવા અનુભવ થાય ત્યારે મારી જાતને જ હું ઉપરોક્ત સવાલો કરું અને અંદરથી જ મને જવાબ પણ મળી જાય અને હું મારી નૈતિક ફરજમાં ફરીથી જોડાઈ જાવ છું. કોઈ કરે કે ના કરે, મારી પોતાની જે નૈતિક ફરજ છે તે મારે ગમે તે સંજોગોમાં બજાવવાની છે આ જ મંત્ર મને સતત શક્તિ અને બળ પૂરું પાડે છે. <strong>જય ભીમ, જય સંવિધાન.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">(લેખક નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી અને બામસેફ-બસપાના સક્રિય કાર્યકર છે.)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/dalit-drank-water-from-the-lake-which-they-did-not-dare-to-even-look-at"><strong><span style="font-size: 14pt;">જે તળાવ સામે જોવાની પણ હિંમત નહોતી તેમાંથી જ્યારે દલિતોએ ખોબાં ભરીને પાણી પીધું</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 20 Mar 2024 21:07:56 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 20 Mar 2024 20:09:38 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>428</Articleid>
                    <excerpt>પૂર્વ સમાજ કલ્યાણ અધિકારી પી.એલ. રાઠોડ સાહેબ અહીં તેમના બાળપણનો એક એવો પ્રસંગ વર્ણવે છે, જે વાંચીને ભલભલાં કઠણ કાળજાનાં લોકો પણ કકળી ઉઠે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65faeba747b06.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65faeba718454.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65faeba718454.jpg" length="66698" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>જે તળાવ સામે જોવાની પણ હિંમત નહોતી તેમાંથી જ્યારે દલિતોએ ખોબાં ભરીને પાણી પીધું</title>
                    <link>https://khabarantar.com/dalit-drank-water-from-the-lake-which-they-did-not-dare-to-even-look-at</link>
                    <guid>https://khabarantar.com/dalit-drank-water-from-the-lake-which-they-did-not-dare-to-even-look-at</guid>
                    <description>
                        <![CDATA[ આજે ઐતિહાસિક મહાડ જળસત્યાગ્રહ દિન છે. 20 માર્ચ 1927ના રોજ ડૉ. આંબેડકરે ચવદાર તળાવના પાણીને સ્પર્શ કરવા માટે સત્યાગ્રહ કરવો પડ્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">-વિરાગ સુતરિયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">19-20 માર્ચ 1927 મહાડ, મહારાષ્ટ્ર. આ દિવસોમાં માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર માનવજાતિના ઇતિહાસમાં કાયમી સ્થાન પામે એવી ‘ચવદાર’ તળાવ સત્યાગ્રહની ઘટના બની. વિશ્વ ઇતિહાસના તમામ સત્યાગ્રહોમાં આ સત્યાગ્રહ અનોખો એટલા માટે કેમ કે,  વિશ્વમાં કોઈ જગ્યાએ ક્યારેય પણ જીવતા - જાગતા માનવીઓએ એક તળાવના પાણીને સ્પર્શ કરવા માટે સત્યાગ્રહ કરવો પડ્યો હોય એવી ઘટના માત્ર અને માત્ર આપણા દેશમાં બની. કૂતરાં-બીલાડાં જેવાં પ્રાણીઓ તળાવનું પાણી પી શકે, પણ ભારતમાં જન્મેલા હજારો વર્ષોથી અસ્પૃશ્યતાની અમાનવીય પરંપરામાં સબડતા દલિતો જો એ પાણીને સ્પર્શે તો સ્પર્શ માત્રથી પાણી અભડાઇ જાય! </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોલાબા જિલ્લાના મહાડમાં દલિતોને પાણી પીવાની કોઇ વ્યવસ્થા નહોતી, આ વાત બાબાસાહેબના ધ્યાન પર હતી, એ વિષયની ફરિયાદો ઘણીવાર એમના સાંભળવામાં આવી હતી. એટલે ‘ચવદાર’ તળાવમાંથી દલિતો પાણી ‘પી’ શકે એટલા માટે સંવાદ કરવાનું અને જો એનાથી સફળતા ના મળે તો સત્યાગ્રહ કરીને પણ અધિકાર મેળવવાનું બાબાસાહેબ અને એમના સાથીઓએ નક્કી કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1927ની 19-20 માર્ચે ‘બહિષ્કૃત પરિષદ’નું બે દિવસીય સંમેલન મહાડમાં બોલાવવાનું નક્કી થયું. બાબાસાહેબ, સુરબા ટીપણીસ, સૂબેદાર સવાદકર અને અનંતરાવ ચિત્રે સંમેલન માટે તૈયાર થયા. કાર્યકર્તાઓએ સંમેલનની સફળતા માટે રાતદિવસ મહેનત કરી, પત્રિકાઓ વહેંચી, ગામેગામ ફરીને બે મહિના સુધી પ્રચાર કર્યો. જેના પરિણામે મહારાષ્ટ્ર અને ગુજરાતનાં સેંકડો ગામોમાંથી હજારોની સંખ્યામાં ગરીબ દલિતો પગપાળા, તો કેટલાક ગાડાંમાં બેસીને સંમેલનનાં સ્થળે પહોંચ્યા હતા. સ્ત્રીઓ, બાળકો, યુવાનો, વૃદ્ધો સૌ કોઈ પોતાના ‘માનવ’ હોવાનો અધિકાર મેળવવા ‘મહાડ’ પહોંચ્યા હતા. કેટલાક સાથે રોટલો- ચટણી તો કેટલાક સીધું લાવેલા. આવેલા તમામ ઉત્સાહથી છલકાતા હતા. સૌને લાગતું હતું કે સદીઓથી જે અવ્યવસ્થા, અત્યાચાર, દમન, શોષણનો ભોગ બન્યા છીએ એ હવે તૂટશે. સદીઓથી અમાનુષી અત્યાચારનો ભોગ બનેલ ચીંથરેહાલ દલિતોની આંખોમાં નવા પ્રભાતના સોનેરી કિરણની આશા હતી, એનો ઉલ્લાસ હતો. જ્યારે ઘણીવાર મનમાં રૂઢિવાદીઓ આખો કાર્યક્રમ છીન્નભિન્ન કરી દેશે એવો ડર પણ હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Manu-is-still-working-today,-both-in-this-country-and-in-foreign-countries-wherever-the-people-of-this-country-have-gone"><strong><span style="font-size: 14pt;">મનુ આજે પણ કાર્યરત છે, આ દેશમાં પણ અને આ દેશવાળા જ્યાં જ્યાં ગયા છે તે વિદેશોમાં પણ</span></strong></a></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65fab2c1a2f08.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાડમાં ત્યાંના ગ્રામદેવતા ‘વિરેશ્વર’નું મંદિર હતું. એના નામે મંડપ ઊભો કરવામાં આવ્યો હતો. એ વખતના કહેવાતા મુખ્ય રાજકીય પક્ષોના મંડપ જેવો મંડપ તો ક્યાંથી હોય? આ મંડપતો જાતે વાંસડા રોપી, ઉપર ઘાસ-પરાળ નાખીને બનાવેલો હતો. મહાડના ગ્રામજનો આ સંમેલન સફળ બને એવું ઇચ્છતા નહોતા. સંમેલનના સ્થળે પાણીની પણ તકલીફ હતી. આયોજકોએ ‘ચાલીસ રૂપિયા’ ભરીને સરકાર પાસેથી સંમેલન માટે પાણી મેળવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">19 માર્ચે બપોરે બાબાસાહેબ સંમેલન સ્થળે આવ્યા. સંમેલનમાં કેટલાક બિનદલિત આગેવાનો પણ હતા કે જેઓ માનતા કે અસ્પૃશ્યતા કલંક છે અને એ ભૂંસાવું જોઇએ. બાબાસાહેબે લગભગ બે કલાક સુધી સૌ સમક્ષ શિક્ષણ, કુરિવાજોમાંથી મુક્તિ, આત્મસન્માન, સ્વાવલંબન, ખેતી વગેરે જેવા મુદ્દાઓ પર પોતાના વિચારો મૂક્યા. સંમેલનમાં હાજર બિનદલિતોએ પણ પોતાની વાત કરી. સંમેલનમાં બપોર પછી કાર્યકારીણી સમિતીની બેઠકે મંજૂર કરેલા 10 ઠરાવોનું વાચન કરી તેના પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજા દિવસનો કાર્યક્રમ નક્કી કરવા માટે નગરપાલિકાના ગેસ્ટહાઉસમાં બેઠક બોલાવવામાં આવી. સરકારે કરેલા નિર્ણયના અનુસંધાને મહાડ નગરપાલિકા દ્વારા પણ ‘સાર્વજનિક સ્થળો’ અસ્પૃશ્યો પણ ઉપયોગમાં લઇ શકશે એવો ઠરાવ કર્યો હતો. પરંતુ, રૂઢિચુસ્તોના દબાણને લીધે એ ઠરાવ અમલમાં આવી શકતો નહોતો. આ બેઠકમાં બીજા દિવસે એટલે કે, 20 માર્ચના રોજ સામૂહિક રીતે તળાવ પર જઇને પાણી મેળવવાનો નિર્ણય કરવામાં આવ્યો. 20 માર્ચે સંમેલન ભરાયું ત્યારે અનંતરાવ ચિત્રે એ ઘોષણા કરી કે, આપણે સૌ મહાડ નગરપાલિકાએ કરેલા ઠરાવના અમલીકરણ માટે ‘ચવદાર’ તળાવે જઇશું. બાબાસાહેબે સૌને વાકેફ કર્યા કે, આપણો વિરોધી વર્ગ આપણને ઉશ્કેરવા કેટલીય રીત-રસમો અજમાવશે. આપણે કોઇને અન્યાય કરવા નહીં પણ ન્યાય મેળવવા જઇએ છીએ. વિરોધીઓની ચાલમાં ફસાઇને ધાંધલ-ધમાલ અને અશાંતિ સર્જાશે તો આપણા હાથમાંથી બાજી સરી પડશે. વિરોધીઓને સફળતા મળશે. આપણે ‘મારીશું નહીં અને માનીશું નહીં.’ </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંમેલનમાં ભેગા થયેલા સૌ દલિતો સત્યાગ્રહ માટે તૈયાર થયા. આ જાહેરાતો જોઇને સંમેલનમાં જોડાયેલા બિનદલિત નેતાઓ ગભરાયા. હિંદુ ધર્મનું પાપ ધોઈ નાખવાની વાતો કરતા એ સૌ, ’હજુ પરીક્ષા લેવાનો સમય આવ્યો નથી, લોકમત કેળવાયો નથી, આપણે ઉતાવળીયા પગલાથી દૂર રહેવું જોઇએ, ઉતાવળીયું પગલું ના ભરવું જોઇએ’ વગેરે વાતો કરીને મંડપના પાછલે દરવાજેથી વિદાય થયા.  </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/manu-pratima-a-symbol-of-injustice-at-the-courthouse"><strong><span style="font-size: 14pt;">મનુ પ્રતિમા - ન્યાયાલયના આંગણે અન્યાયનું પ્રતીક સાંખી લેવાય?</span></strong></a></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65fab2d965be1.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબાસાહેબના નેતૃત્વમાં 4000 જેટલાં બાળકો, સ્ત્રીઓ, જવાનો અને વૃદ્ધો ચાર-ચારની હરોળમાં ચવદાર તરફ જવા નીકળ્યા. મહારો વર્ષો સુધી લશ્કરમાં રહેલા, યુદ્ધો લડેલા હતા. એમણે કદમતાલ કરતા હોય એ રીતે કૂચ કરી, જેમને કદમતાલ નહોતું આવડતું એ પણ એમને અનુસર્યા. અને સૌ જે તળાવમાં અન્ય ધર્મીઓ પાણી પી શકે અને કૂતરાં બિલાડાં પણ પાણી પી શકે એ તળાવમાંથી માત્ર અસ્પૃશ્યો પાણીને અડી પણ જાય તો પાણી અભડાઇ જાય એ રૂઢિ, અત્યાચાર, શોષણ તોડવા આગળ વધ્યા. આખરે બાબસાહેબે તળાવમાંથી પાણીની અંજલી ભરી. અને સદીઓની પરંપરા તોડી. સૌ દલિતોને સદીઓની જંજીરો તૂટવાનો હર્ષ થયો. હર્ષના, વિજયના ઘોષ થયા. જે તળાવ બાજુ જવાની સદીઓથી હિંમત નહોતી થતી એ તળાવમાંથી સૌએ ખોબેખોબા ભરીને પાણી પીધું. પાણીની મીઠાશ કરતાં એક કુચક્રના અંતનો, બેડી તોડવાનો, અન્યાય સામે માથું ઊંચકવાનો, ન્યાય માટે લડીને વિજય મેળવવાનો આનંદ વધુ હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શાંતિપૂર્ણ ચાલતા આ સત્યાગ્રહથી અને તેની સાથે કટ્ટરપંથીઓના એકાધિકારનો અંત આવશે અને એમને પોતાનું આસન ડોલતું લાગતાં પૂજારીએ ગામમાં દાંડી પીટાવી કે અસ્પૃશ્યો મંદિરમાં પ્રવેશવાના છે, આવી જાહેરાતથી કટ્ટરપંથીઓ, અસ્પૃશ્યો મંદિરને અભડાવે નહીં એટલા માટે લાકડીઓ - દંડાઓ લઇને મંદિરમાં જમા થઇ ગયા. ડો. આંબેડકર અને સ્થાનિક ફોજદારની સમજાવટની કોઇ અસર ના થઇ. ધાર્મિક ટોળાએ ‘બહિષ્કૃત પરિષદ’ ના ભોજન સ્થળ પર હુમલો કર્યો. અને ભોજન માટેના સામાનનો નાશ કર્યો. એકઠા થયેલા દલિતો પર હુમલાઓ કર્યા જેનાથી અસંખ્ય દલિતો ઘાયલ થયા. ખુદ ડો. આંબેડકરે પોતાના જીવની સલામતી માટે આખી રાત પોલીસ મથકે ગાળી. અને આ બધું મેજીસ્ટ્રેટની હાજરીમાં થયું કારણ કે તેણે કોઇ પગલાં ન લીધાં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">21 માર્ચ 1927 એટલે કે સત્યાગ્રહના બીજા દિવસે મહાડના સનાતનીઓએ તળાવના પાણીમાં પંચગવ્ય મેળવીને વૈદિક મંત્રોચ્ચારથી શુદ્ધ કર્યું કારણ કે દલિતોએ તળાવ અભડાવેલું!</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સત્યાગ્રહ અલગ એ રીતે છે કે એમાં સદીઓથી કચડાયેલા લોકોએ સંગઠિત બની માત્ર પાણી લેવાનો જ નહીં પણ પોતાના માનવીય અધિકારો માટે લડવાનો સામૂહિક ‘હુંકાર’ કરેલો. અને એના પછી જ ભારતમાં અસ્પૃશ્યતા જેવી અમાનવીય પ્રથા સામે સંઘર્ષની ચેતના વધુ પ્રબળ બની.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે ‘ચવદાર’ તળાવ સત્યાગ્રહના 90 કરતાં પણ વધુ વર્ષો બાદ પણ અસ્પૃશ્યતાની બદીમાંથી સમાજ સંપૂર્ણ મુકત નથી બન્યો એ બાબત પોતાની જાતને માણસ તરીકે ઓળખાવતા દરેક માટે શરમજનક છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Two-satyagrahas-from-ancient-history-which-are-not-remembered-despite-fighting-for-human-rights"><strong><span style="font-size: 14pt;">અર્વાચીન ઈતિહાસના બે સત્યાગ્રહો, જે માનવાધિકાર માટે લડાયા હોવા છતાં યાદ કરાતા નથી</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 20 Mar 2024 15:33:45 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>427</Articleid>
                    <excerpt>આજે ઐતિહાસિક મહાડ જળસત્યાગ્રહ દિન છે. 20 માર્ચ 1927ના રોજ ડૉ. આંબેડકરે ચવદાર તળાવના પાણીને સ્પર્શ કરવા માટે સત્યાગ્રહ કરવો પડ્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65fab29a95d2b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65fab29a650cc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65fab29a650cc.jpg" length="72411" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>એટ્રોસિટી એક્ટના ગુનામાં કોર્ટ સમક્ષની તમામ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ ફરજિયાત છેઃ બોમ્બે હાઈકોર્ટ</title>
                    <link>https://khabarantar.com/video-recording-of-all-proceedings-before-courts-in-atrocities-act-offenses-mandatory-bombay-high-court</link>
                    <guid>https://khabarantar.com/video-recording-of-all-proceedings-before-courts-in-atrocities-act-offenses-mandatory-bombay-high-court</guid>
                    <description>
                        <![CDATA[ બોમ્બે હાઈકોર્ટે એક અતિ મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે, એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનાઓમાં કોર્ટ સમક્ષની તમામ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવું ફરજિયાત છે. જાણો કોર્ટે બીજી શું મહત્વની વાત કરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">- કે.બી. રાઠોડ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં તા.13/3/2024 ના રોજ બોમ્બે હાઇકોર્ટની ચીફ જસ્ટિસની ડિવિઝન બેંચે ડૉ. હેમા સુરેશ આહુજા અને બીજાઓ વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર અને બીજાઓના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપીને ઠરાવેલ છે કે, એટ્રોસિટી એક્ટની કલમ 15એ (10) ની જોગવાઈ મુજબ એટ્રોસિટી એક્ટ નીચેની ‘તમામ કાર્યવાહી’નું વીડિયો રેકોર્ડિંગ કરવું ફરજીયાત છે. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 2(1) મુજબ આ ‘તમામ કાર્યવાહી’માં ‘કોર્ટ કાર્યવાહી’ પણ આવી જાય છે. તેથી એટ્રોસિટી એક્ટ નીચેના કેસોની ‘તમામ કાર્યવાહી’નું વીડિયો રેકોર્ડિંગ જરૂરી છે. આ કાયદાની કલમ 14A નીચે જામીન અરજીઓ થાય તે પણ કલમ 15A મુજબ ‘કોર્ટ કાર્યવાહી’નો ભાગ જ છે. માટે જામીન અરજીના હીયરિંગનું પણ વીડિયો રેકોર્ડિંગ કરવું ફરજીયાત છે. તે અંગે નિયમો ઘડવામાં ન આવ્યા હોય કે કોઈ સ્કીમ તૈયાર ન થઇ હોય તો પણ વીડિયો રેકોર્ડિંગ કરવું જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">બોમ્બે હાઈકોર્ટના સિંગલ જજની કોર્ટે એક કેસમાં એટ્રોસિટી એક્ટની કલમ 15A(10) ની જોગવાઈની અમુક મુદ્દાઓની સ્પષ્ટતા માટે ચીફ જસ્ટિસની કોર્ટને રેફરન્સ કરેલ. તે મુદ્દાઓ જોઈએ તો (1) એટ્રોસિટી એક્ટની કલમમાં વીડિયો રેકોર્ડિંગ કરવાનું લખ્યું છે તો તેમાં શું કોર્ટ કાર્યવાહીનું રેકોર્ડિંગ કરવાનું આવી જાય ખરું? (2) ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 327 મુજબ અમુક ગુનાઓમાં બંધ બારણે (in camera) કોર્ટ કાર્યવાહી કરવાનું લખ્યું છે તે સિવાયના ગુનાઓની તમામ કોર્ટ કાર્યવાહી ખુલ્લી કોર્ટમાં થાય જ છે તો પછી વીડિયો રેકોર્ડિંગનો કોઈ હેતુ ખરો? (3) શું આ કાયદા નીચેની કલમ 14A મુજબની જામીન અરજીઓની કાર્યવાહીને ‘કોર્ટ કાર્યવાહી’ કહી શકાય ખરી? (4) શું આ કલમ 15A (10) ના અમલીકરણ માટે સરકારે કોઈ નિયમો (Rules) ઘડ્યાં ન હોય કે કોઈ સ્કીમ નક્કી કરી ન હોય તો પણ વીડિયો રેકોર્ડિંગની જોગવાઈનો અમલ કરવો ફરજીયાત છે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/How-is-Periyars-book-Sachi-Ramayana-useful-in-the-fight-against-Brahminism">બ્રાહ્મણવાદ સામેની લડાઈમાં કેવી રીતે ઉપયોગી છે પેરિયારનું ‘સાચી રામાયણ’ પુસ્તક?</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તમામ મુદ્દાઓના સંદર્ભમાં બોમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટિસની બેંચે ઉપરોક્ત ચુકાદો આપીને નક્કી કરી આપ્યું છે કે આ કાયદા નીચેની કોર્ટ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ ફરજીયાત છે. પાર્લામેન્ટ અને કાયદાનું ડ્રાફટિંગ કરનારા પ્રજાના પ્રતિનિધિઓ છે, તેઓ જે કોઈ કાયદો ઘડે તે તેની પ્રજાની સારી નરસી બાજુઓને સમજી વિચારીને ઘડતા હોય છે, તેથી ઘડેલ કાયદા ઉપર કોઈ ડહાપણ વાપરીને મનઘડંત અર્થઘટન ન થઈ શકે. તે જોગવાઈનો અમલ થવો જ જોઈએ. આ કાયદાની આ કલમમાં લખ્યું જ છે કે આ કાયદા નીચેની તમામ કાર્યવાહીનું વીડિઓ રેકોર્ડિંગ કરવું ફરજીયાત છે. પછી સરકારે તેના અમલીકરણ માટે નિયમો ન બનાવ્યા હોય કે કોઈ સ્કીમ તૈયાર ન કરી હોય તો તે ન ચાલે. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આ ચુકાદો ખુબ જ મહત્વનો કહી શકાય, કારણ કે એટ્રોસિટી એક્ટ નીચેના કેસોમાં પીડિતો અને સાક્ષીઓને જે ખાસ રક્ષણ આપવાની કાયદામાં જોગવાઈ છે તેનો ઘણાં તબક્કે ભંગ થતો હતો અથવા પીડિતો અને સાક્ષીઓ આવા હક્ક અને અધિકારોથી અજાણ અને અજ્ઞાન હોય છે, તેથી તેનો ગેરલાભ લેવામાં આવતો હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Jails-in-India:-Imprisonment,-Penitentiary,-Reformatory">ભારતની જેલો: કારાવાસ, કેદખાનું, સુધારગૃહ</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65f67ff21f90f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">બોમ્બે હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો એટલે નક્કી થઈ ગયું કે વીડિયો રેકોર્ડિંગ કરવું ફરજીયાત છે. એટ્રોસિટી એક્ટની કલમ 15A (10) માં સ્પષ્ટ જોગવાઈ કરેલ છે કે આ કાયદા નીચેના ગુનાની તમામ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે. હકીકતમાં એટ્રોસિટી એક્ટ નીચેના ગુનાઓની કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવતું જ નથી. ખરેખર તો આ જોગવાઈ મુજબ એટ્રોસિટીના બનાવનો પીડિત કે ફરિયાદી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવા જાય ત્યાંથી માંડીને તે ગુનાના બનાવની તપાસની તમામ કાર્યવાહીનું વીડિયો રેકોડિઁગ કરવું જોઈએ. પોલીસ અધિકારી ગુનાની તપાસ કરે તેમાં જુદા જુદા સાક્ષીઓના નિવેદનો નોંધે, પંચનામાં કરે, અમુક પીડિતો કે સાક્ષીઓના CrPC કલમ 164 મુજબ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ રૂબરૂ નિવેદનો નોંધાય, કોઈ હત્યાના ગુનામાં લાશનું ઇન્કવેસ્ટ ભરી પોસ્ટમોર્ટમ કરવામાં આવે, જુદા જુદા નમૂનાઓના FSL પરિક્ષણ થાય વગેરે અનેક પ્રકારની તપાસની કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવું જરૂરી છે. તપાસના અંતે પોલીસ અધિકારી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરે પછી તે કેસની આખી કાર્યવાહી/ટ્રાયલ શરૂ થાય, જુદા જુદા પ્રકારના સાહેદોની કોર્ટ સમક્ષ જુબાની લેવાય, આરોપીઓના વિશેષ નિવેદનો લેવાય, બંને પક્ષની દલીલ થાય અને અંતે કોર્ટ ચુકાદો જાહેર કરે તે તમામ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવું ફરજીયાત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Negative-Role-of-Police-Administration-Judiciary-in-Judicial-Process-of-Atrocity-Cases-and-its-Remedies">એટ્રોસિટીના કેસોની ન્યાયિક પ્રક્રિયામાં પોલીસ-વહીવટીતંત્ર-ન્યાયતંત્રની નકારાત્મક ભૂમિકા અને તેના ઉપાયો</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાયદામાં આ જોગવાઈ માત્ર કાયદાની બૂકમાં લખી છે. એટ્રોસિટી એક્ટમાં આ કલમ 2016માં નવેસરથી ઉમેરવામાં આવી. કલમ 15A (10) તે આ કાયદામાં એટ્રોસિટીના પીડિતો અને સાક્ષીઓના હક્ક અને અધિકારોના રક્ષણ માટે ખાસ ઘડવામાં આવી છે છતાં આ કાયદા નીચેની કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ થતું જ નથી.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ગુજરાતમાં થોડાં વરસ પહેલા એટ્રોસિટી એક્ટ નીચેના ગુનાઓની ટ્રાયલ ચલાવી રહેલી એક કોર્ટમાં એક કેસમાં પીડિતે અરજી આપીને માંગણી કરેલ કે કલમ 15A(10) નીચે મારા આ કેસની કોર્ટ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવા વિનંતી છે. આ કોર્ટે તે પીડિતની અરજી રદ કરીને એવું કારણ આપેલું કે આ કોર્ટમાં સીસીટીવી કેમેરા છે તેનું રેકોર્ડિંગ તમે મેળવી શકો છો. તે પીડિતે રાઈટ ટુ ઇન્ફોરમેશન (RTI ) એક્ટ નીચે તે કોર્ટનાં સીસીટીવી કેમેરાના વીડિયો રેકોર્ડિંગની માંગણી કરતા તેને વિડિયો રેકોર્ડિંગની માહિતી આપવાનો પણ ઈનકાર કરેલ. હવે આ જજમેન્ટથી નક્કી થઈ ગયું છે કે એટ્રોસિટી એક્ટના ગુનામાં કોર્ટ સામેની તમામ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ ફરજિયાત છે.</span></p>
<p style="text-align: justify;"><em><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">(લેખક નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ અને બહુજન સમાજને ન્યાયિક વ્યવસ્થામાં પડતી સમસ્યાઓ અંગે ચિંચિત વડીલ છે)</span></strong></span></em></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Justice-affected-by-mention-of-caste-and-religion-of-party-in-court-cases">કોર્ટમાં દાખલ કેસોમાં પક્ષકારની જ્ઞાતિ અને ધર્મના ઉલ્લેખથી ન્યાય પ્રભાવિત થાય છે?</a></span></strong></span><em><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;"><br></span></strong></span></em></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></span></p>
<p style="text-align: justify;"><em><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;"></span></strong></span></em></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 17 Mar 2024 11:13:29 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>419</Articleid>
                    <excerpt>બોમ્બે હાઈકોર્ટે એક અતિ મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે, એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનાઓમાં કોર્ટ સમક્ષની તમામ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવું ફરજિયાત છે. જાણો કોર્ટે બીજી શું મહત્વની વાત કરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65f67ff2ca4ba.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65f67ff29898a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65f67ff29898a.jpg" length="123581" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>એટ્રોસિટી એક્ટની સંપૂર્ણ સમજઃ સામાજિક ન્યાયના યોદ્ધાઓ આટલું મોઢે કરી લો</title>
                    <link>https://khabarantar.com/a-complete-understanding-of-the-atrocities-act-social-justice-warriors-take-it-easy</link>
                    <guid>https://khabarantar.com/a-complete-understanding-of-the-atrocities-act-social-justice-warriors-take-it-easy</guid>
                    <description>
                        <![CDATA[ Atrocities Act: સામાજિક ન્યાયની લડતમાં એટ્રોસિટીનો કાયદો ખૂબ અગત્યનું શસ્ત્ર છે. સામાજિક ન્યાયની લડત લડતા કાર્યકરો અને અત્યાચારનો ભોગ બનેલ લોકો માટે એટ્રોસિટી એક્ટના ટૂંકા નામે ઓળખાતા કાયદા વિશેની આપણી સામાન્ય સમજણમાં વધારો થાય તે માટે અહીં તેને સરળ ભાષામાં રજૂ કરીએ છીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આખું નામઃ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">THE SCHEDULED CASTES AND SCHEDULED TRIBES (PREVENTION OF ATROCITIES) A MENDMENT ACT, 2015 અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (અત્યાચાર અટકાવ) સુધારા અધિનિયમ ૨૦૧૫</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એટ્રોસિટી એક્ટનો હેતુઃ</span></strong></span><br><span style="font-size: 14pt;"> અનુ. જાતિ અથવા જનજાતિના સભ્યોની વિરુદ્ધ અત્યાચારના ગુના બનતા અટકાવવા માટે, આવા ગુનાની ઇન્સાફી કાર્યવાહી કરવા માટે ખાસ કોર્ટોની જોગવાઈ કરવા અને ગુનાઓના ભોગ બનેલાઓને રાહત અને તેમના પુન: વસવાટ માટે અને તેની સાથે સંકળાયેલી અથવા આનુસાંગિક બાબતો માટેનો અધિનિયમ</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગુનો અને ગુનાને સબંધિત કલમઃ</span></strong></span><br><span style="font-size: 14pt;">કલમ ૩(૧):અનુસુચિત જાતિ અથવા અનુસુચિત જનજાતિની સભ્ય ન હોય તેવી કોઈપણ વ્યક્તિ- </span><br><span style="font-size: 14pt;">(a) અનુ.જાતિ અથવા જનજાતિના સભ્યના મુખમાં કોઈપણ અખાધ્ય અથવા અણગમતા/ખરાબ પદાર્થ મૂકે અથવા તેને પીવા/ખાવા માટે જબરજસ્તી કરે. </span><br><span style="font-size: 14pt;">(b) અનુ.જાતિ અથવા જનજાતિના સભ્ય ઉપર મળ, મૂત્ર, પ્રાણીના બગડી ગયેલ પદાર્થ, પશુના મડદા અથવા અન્ય કોઈ ખરાબ પદાર્થ તેમની જગ્યામાં કે પ્રવેશ દ્વાર પર નાખે.</span><br><span style="font-size: 14pt;">(c) અનુ.જાતિ અથવા જનજાતિના કોઈ સભ્યને હાની, અપમાન, કે ત્રાસ કરવાના આશયથી તેમના ઉપર મળમૂત્ર, પ્રાણીના બગડી ગયેલ પદાર્થ, પશુના મડદા અથવા અન્ય કોઈ ખરાબ પદાર્થ તેમના પર નાખવામાં આવે.  </span><br><span style="font-size: 14pt;">(d) અનુ.જાતિ અથવા જનજાતિના સભ્યને પગરખાના હાર પહેરાવે અથવા નગ્ન/અર્ધનગ્ન પરેડ કરાવે.</span><br><span style="font-size: 14pt;">(e) અનુ.જાતિ અથવા જનજાતિના સભ્યને બળજબરી પૂર્વક કોઈ દબાણ કરવું, જેમ કે આવા વ્યક્તિના કપડા દૂર કરવા, માથાનું મુંડન કરવું, મૂછો દૂર કરવી, ચહેરા અને શરીર પર ચિત્રામણ કરવું અથવા તેને સુસંગત કોઈ અન્ય કાર્ય કરવું કે જે માનવ ગૌરવ માટે અપમાનજનક ગણાય.</span><br><span style="font-size: 14pt;">(f) અનુ. જાતિ અથવા જનજાતિના સભ્યની માલિકીની અથવા કબજો અથવા તેને ફાળવેલી અથવા આવા સભ્યને કોઈ યોગ્ય સતાધીકારીએ ફાળવવા માટે જાહેર કરેલી કોઈ જમીનનો ગેરકાયદે ભોગવટો કરે અથવા તેમાં ખેતી કરે અથવા આવી જમીન તબદીલ કરે. </span><br><span style="font-size: 14pt;">(g) અનુ. જાતિ અથવા જનજાતિના કોઈ સભ્યને તેની જમીન કે જગ્યાના કબજામાંથી ગેરકાયદે હટાવે અથવા કોઈ જમીન, જગ્યા અથવા પાણી બાબતે તેમજ જંગલ અધિકારો અને સિંચાઈ સુવિધાના હક્કો ભોગવવામાં દખલગીરી કરે અથવા પાક અને તેની પેદાશોનો નાશ કરે.</span><br><span style="font-size: 14pt;">(h) અનુ. જાતિ અથવા જનજાતિના સભ્યને સરકારે નિશ્ચિત કરેલ જાહેર હેતુઓ માટેની કોઈ ફરજિયાત સેવા સિવાય વેઠ અથવા તેવા પ્રકારની બીજી બળજબરી પૂર્વકની કે બંધનયુકત મજૂરી કરાવે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65f27aa675171.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(i) અનુ. જાતિ અથવા જનજાતિના સભ્યને માનવ અથવા પ્રાણીના બગડી ગયેલ પદાર્થ/મડદાનો નિકાલ કરવા અથવા કબર ખોદવા અંગે ફરજ પાડે.</span><br><span style="font-size: 14pt;">(J) અનુ. જાતિ અથવા જનજાતિના સભ્યને જાત સફાઈ- કામગીરીના હેતુ માટે રોજગારી અંગેની પરવાનગી અથવા મંજુરી આપે. </span><br><span style="font-size: 14pt;">(k) અનુ. જાતિ અથવા જનજાતિના સભ્યની મહિલાને દેવતા, મૂર્તિ પૂજા, મંદિર અથવા અન્ય ધાર્મિક સંસ્થામાં દેવદાસી અથવા અન્ય પ્રકારની સમાન પ્રથા માટે અથવા ઉપરોક્ત કૃત્યો માટે સમર્પિત કરે અને પ્રોત્સાહન આપે.</span><br><span style="font-size: 14pt;">(l) અનુ.જાતિ અથવા જનજાતિના સભ્ય સાથે નીચે જણાવેલ કૃત્યો માટે બળજબરી કરવી, કરાવવા અથવા અટકાવવા – </span><br><span style="font-size: 14pt;">    (A) મતદાન ન કરવા અથવા કોઈ ચોક્કસ ઉમેદવારને જ મત આપવો અથવા કાયદા દ્વારા માન્ય કરાવેલ પધ્ધતિ સિવાય મતદાન કરાવવું.</span><br><span style="font-size: 14pt;">    (B) કોઈ એક ઉમેદવારનું નામાંકન ન કરવું અથવા આ પ્રકારનું નામાંકન પરત ખેંચવું.</span><br><span style="font-size: 14pt;">    (C) અનુ. જાતિ અથવા જનજાતિના સભ્યનું નામ ચૂંટણીના હેતુસર ઉમેદવારી માટે સમર્થન ન કરવું. </span><br><span style="font-size: 14pt;">(m) અનુ. જાતિ અથવા જનજાતિના સભ્યને, કે જે ભારતીય બંધારણના ભાગ-૯ હેઠળ સ્થપાયેલ પંચાયતના સભ્ય, અધ્યક્ષ અથવા કોઈ હોદ્દેદાર હોય, તેમની સામાન્ય ફરજો અને કાર્યો કરવામાં બળજબરી કરવી અથવા ડરાવવા, અવરોધવા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Negative-Role-of-Police-Administration-Judiciary-in-Judicial-Process-of-Atrocity-Cases-and-its-Remedies">એટ્રોસિટીના કેસોની ન્યાયિક પ્રક્રિયામાં પોલીસ-વહીવટીતંત્ર-ન્યાયતંત્રની નકારાત્મક ભૂમિકા અને તેના ઉપાયો</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">(n) મતદાન કર્યા પછી અનુ. જાતિ અથવા જનજાતિના સભ્યને સામાજિક અથવા આર્થિક બહિષ્કાર લાદવા હેતુથી ઈજા, ગંભીર ઈજા, પહોંચાડવી અથવા ધમકાવવા અને તેમને મળવાપાત્ર સાર્વજનિક સેવાઓના લાભ અટકાવવા.</span><br><span style="font-size: 14pt;">(o) અનુ. જાતિ અથવા જનજાતિના સભ્યો વિરુદ્ધ મતદાન કર્યા અંગે અથવા કોઈ ચોક્કસ ઉમેદવારને મત ન આપવા અંગે અથવા કાયદા દ્વારા પ્રસ્થાપિત કરેલ પદ્ધતિ મુજબ મતદાન અંગે આ અધિનિયમ હેઠળ કોઈ ગુનો આચરેલ હોય.</span><br><span style="font-size: 14pt;">(p) અનુ. જાતિ અથવા જનજાતિના સભ્યો વિરુદ્ધ કોઈ ખોટી, દ્વેષપૂર્ણ અથવા સંતાપક દાવો અથવા અન્ય કોઈ કાયદાકીય/કાનૂની કાર્યવાહી કરવી.</span><br><span style="font-size: 14pt;">(q) કોઈ જાહેર સેવક (કર્મચારી)ને ખોટી અથવા ક્ષુલ્લક(અર્થહીન) માહિતી આપવી કે જેના આધારે જાહેર સેવક તેમને મળેલ કાયદાકીય સત્તાનો ઉપયોગ કરી અનુ.જાતિ અથવા જનજાતિના સભ્યને હાની પહોચાડે અથવા ચીડવવા અંગેનું કારણ બનાવવા.</span><br><span style="font-size: 14pt;">(r) કોઈ જાહેર સ્થળ પાસે અનુ.જાતિ અથવા જનજાતિના સભ્યને ઉતારી પાડવાના ઉદ્દેશથી ઈરાદાપૂર્વક અપમાન કરે અથવા ધમકાવે.</span><br><span style="font-size: 14pt;">(s) કોઈ જાહેર સ્થળ પાસે અનુ.જાતિ અથવા જનજાતિના સભ્યના નામનો દુરુપયોગ કરવો. </span><br><span style="font-size: 14pt;">(t) સામાન્ય રીતે અનુ.જાતિ અથવા જનજાતિના સભ્યો દ્વારા માનવામાં આવતી પવિત્ર અથવા ઉચ્ચ પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુનો નાશ કરવો, નુકશાન પહોચાડવું અથવા મલીન/અપવિત્ર કરવી.</span><br><span style="font-size: 14pt;">(u) લેખિત અથવા મૌખિક શબ્દો અથવા અન્ય કોઈ રીતે અનુ. જાતિના સભ્ય અથવા જનજાતિના કોઈ પણ ઉચ્ચ પ્રતિષ્ઠા ધરાવતા સ્વર્ગવાસી વ્યક્તિનો અનાદર કરવો.</span><br><span style="font-size: 14pt;">(w) (i) કોઈ મહિલા અનુ. જાતિ સભ્ય અથવા જનજાતિની સભ્ય છે તે બાબત જાણતા હોવા છતાં અનુ.જાતિ અથવા જનજાતિની મહિલાને ઈરાદાપૂર્વક સ્પર્શ કરવો, જયારે આ પ્રકારનો સ્પર્શ કરવાનું કૃત્ય જાતીય/લૈંગિક પ્રકારનો તેમજ તેમની(મહિલાની) સંમતિ વગરનું હોય.</span><br><span style="font-size: 14pt;">     (ii) કોઈ મહિલા અનુ.જાતિના સભ્ય અથવા જનજાતિના સભ્ય છે તે બાબત જાણવા છતાં, તે મહિલા સમક્ષ જાતીય પ્રકૃતિવાળા શબ્દપ્રયોગ કરવા અથવા તેવું કોઈ કૃત્ય કરવું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Why-is-cricket,-which-today-is-synonymous-with-patriotism,-a-symbol-of-slavery">આજે દેશ પ્રેમનો પર્યાય મનાતી ક્રિકેટ ગુલામી કાળનું પ્રતીક કેમ કહેવાય છે?</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65f27aa5ec576.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">(x) અનુ. જાતિ અથવા જનજાતિના સભ્યો દ્વારા કોઈ ઝરણું, જળાશય કે અન્ય કોઈ સામાન્ય સ્ત્રોતથી વપરાતા પાણીને બગાડવુ અથવા ગંદુ કરવું કે જેથી તે પાણી સામન્ય રીતે ઉપયોગમાં લેવા માટે ઓછું યોગ્ય બને.</span><br><span style="font-size: 14pt;">(y) અનુ. જાતિ અથવા જનજાતિના સભ્યને જાહેર રિસોર્ટની જગ્યાનો માર્ગ વાપરવા અંગેનો રૂઢિગત હક્ક નકારવો અથવા કોઈ સભ્ય (અનુ. જાતિ અથવા જનજાતિ) ને જાહેર રિસોર્ટની જગ્યા માર્ગનો ઉપયોગ અને વપરાશ માટે અવરોધવા કે જે સામાન્ય રીતે અન્ય જાહેર જનતા અને સભ્યોને તેમના ઉપયોગ અને વપરાશ માટે અધિકારે મળેલ છે.</span><br><span style="font-size: 14pt;">(z) અનુ.જાતિ અથવા જનજાતિના કોઈ સભ્યને તેમનું ઘર, ગામ અથવા નિવાસ સ્થાન છોડવા અંગે બળજબરી અથવા દબાણ કરવું. </span><br><span style="font-size: 14pt;">     (z-a) અનુ. જાતિ અથવા જનજાતિના કોઈ સભ્યને નીચે જણાવેલ કોઈ બાબતો માટે અવરોધે અથવા અટકાવે.</span><br><span style="font-size: 14pt;">    અન્ય વ્યક્તિઓની સમાન દફન અને અગ્નિદાહના વિસ્તાર માટે સામાન્ય મિલકત સ્ત્રોતનો ઉપયોગ કરવો અથવા નદી, ઝરણા, વહેણ, કૂવો, ટાંકી, નળ, પીવાના પાણીનું સ્થળ, સ્નાનાઘાટ જાહેર વાહન, માર્ગ અને રસ્તાનો ઉપયોગ કરવો. </span><span style="font-size: 14pt;">સાયકલ અથવા મોટર સાયકલથી પર્વતારોહણ કરવું, જાહર સ્થળોએ પગરખા અથવા નવા કપડાં પહેરવા અથવા લગ્ન સરઘસ(શોભાયાત્રા)કાઢવી અથવા લગ્ન સરઘસ (શોભાયાત્રા) દરમિયાન ઘોડેસવારી કરવી અથવા અન્ય કોઈ વાહનનો ઉપયોગ કરવો. </span><span style="font-size: 14pt;">જાહેર લોકો માટે માન્ય હોય તેવી પૂજા(ભક્તિ) કરવાની જગ્યાએ પ્રવેશ કરવો કે જ્યાં લોકો સમાન ધર્મ અપનાવે અને ભાગ લે છે. અથવા કોઈ જાત્રા સહિત અન્ય ધાર્મિક અથવા સાંસ્કૃતિક સરઘસ(શોભાયાત્રા) કાઢવી. </span><span style="font-size: 14pt;">કોઈ શૈક્ષણિક સંસ્થા, દવાખાનું, ઔષધાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દુકાન, જાહેર સ્થળ કે અન્ય જાહેર મનોરંજન ના સ્થળ પર પ્રવેશ કરવો અથવા જાહેર સ્થળ પર જાહેર ઉપયોગના ઈરાદા માટે રાખેલ વાસણો અથવા ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો.</span><span style="font-size: 14pt;">વ્યક્તિએ કોઈ વ્યવસાય અપનાવેલ હોય અથવા કોઈ રોજગાર, વેપાર અથવા વ્યવસાય અપનાવેલ હોય કે જે જાહેર જનતા અથવા અન્ય કોઈ શાખાના અન્ય લોકો તેના ઉપયોગ અને વપરાશ માટે હક્કદાર હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/The-law-of-Manusmriti,-which-sowed-the-seeds-of-inequality-in-Indian-society">મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં </a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(z-b) ચૂડેલ અથવા મેલી વિદ્યાના આક્ષેપોને આધારે અનુ. જાતિ અથવા જનજાતિના કોઈ સભ્યને શારીરિક હાનિ/નુકસાન અથવા માનસિક યાતના (વેદના) ભોગવવા માટે કારણ બને.</span><br><span style="font-size: 14pt;">(z-c) અનુ.જાતિ અથવા જનજાતિના કોઈ વ્યક્તિ, પરિવાર કે જૂથને સામાજિક અથવા આર્થિક બહિષ્કાર લાદવામાં આવે અથવા ધમકી આપવામાં આવે.   </span><br><span style="font-size: 14pt;">તે વ્યક્તિ છ મહિના કરતા ઓછી નહી, પાંચ વર્ષ સુધીની મુદતની કેદ અને દંડની સજાને પાત્ર થશે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65f27aa7034c0.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભોગ બનનાર અને સક્ષીઓના અધિકારો -કલમ ૧૫(ક) – </span></strong></span><br><span style="font-size: 14pt;"> (૧) ધાક, ધમકી, જબરજસ્તી, પ્રલોભન, હિંસા, અથવા હિંસાત્મક ધમકી – ભોગ બનનાર અથવા તેમના આશ્રિતો અને સક્ષીઓનું રક્ષણ તેમજ વ્યવસ્થા કરવી તે રાજ્ય સરકારની ફરજ અને જવાબદારી રહેશે.</span><br><span style="font-size: 14pt;">(૨) ભોગ બનનાર તેમજ ઉમર અથવા જાતી અથવા શૈક્ષણિક ગેરલાભ અથવા ગરીબીના ખાસ કારણો અને જરૂરિયાત બાબતે તેમને ઔચિત્ય, આદર અને ગૌરવની દ્રષ્ટીએ ગણવા.</span><br><span style="font-size: 14pt;">(૩) ભોગ બનનાર અથવા તેમના આશ્રિતોને કોર્ટ કાર્યવાહી તેમજ જામીન મેળવવા માટેની પ્રક્રિયામાં વ્યાજબી, ચોક્કસ અને સમયસર નોટીસ મેળવવાનો અધિકાર રહેશે. તેમજ ખાસ સરકારી વકીલ અથવા રાજ્ય સરકાર દ્વારા આ અધિનિયમની હેઠળની કોઈપણ કાર્યવાહી અંગે ભોગ બનનારને માહિતગાર કરવાના રહેશે.</span><br><span style="font-size: 14pt;">(૪) ભોગ બનનાર અથવા તેમના આશ્રિતોને ખાસ અદાલત અથવા વિશિષ્ટ ખાસ અદાલત ખાતે કોઈપણ દસ્તાવેજો, સામગ્રી (માલ સામાન), સક્ષીઓ અથવા હાજર વ્યક્તિઓની તપાસ (પરીક્ષણ) કરવા પક્ષકારોને બોલાવવાનો(કોર્ટ સમક્ષ હાજર રહેવા) અધિકાર રહેશે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Justice-affected-by-mention-of-caste-and-religion-of-party-in-court-cases">કોર્ટમાં દાખલ કેસોમાં પક્ષકારની જ્ઞાતિ અને ધર્મના ઉલ્લેખથી ન્યાય પ્રભાવિત થાય છે?</a><br></span></strong></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">(૫) ભોગ બનનાર અથવા તેમના આશ્રિતોને આ અધિનિયમ હેઠળ આરોપીને જામીન, છૂટકારો, ડીસ્ચાર્જ, પેરોલ (જેલમાંથી શરતી છૂટકારો) દોષિત અથવા સજા બાબતે અથવા આ પ્રકારની કોઇપણ દલીલો કે કાર્યવાહી તબક્કે સાંભળવા અને દોષિત, નિર્દોષ છૂટકારો અથવા સજા બાબતે લેખિત નિવેદન રજૂ કરવા માટે હક્કદાર રહેશે.</span><br><span style="font-size: 14pt;">(૬) ખાસ અદાલતમાં કેસની સુનાવણી દરમ્યાન ભોગ બનનાર, આશ્રિતો, ફરિયાદી તેમજ સક્ષીઓને  </span><br><span style="font-size: 14pt;">     (અ) ન્યાયના હેતુ માટે રક્ષણ રક્ષણ પૂરું પાડવું.</span><br><span style="font-size: 14pt;">     (બ) તપાસના કામે, પૂછપરછના કામે, સુનાવણી વખતે મુસાફરી અને જાળવણી ખર્ચ પૂરો પાડવો.</span><br><span style="font-size: 14pt;">     (ક) તપાસ, પૂછપરછ, સુનાવણી દરમ્યાન સામાજિક, આર્થિક પુનર્વસન કરવું.</span><br><span style="font-size: 14pt;">     (ડ) સ્થળાંતર બાબતે પુનર્વસન કરવું.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">(૭) ભોગ બનનાર, આશ્રિતો, ફરિયાદી અને સાક્ષીઓને રક્ષણ બાબતે સરકારે ખાસ અદાલતને જણાવવું </span></strong></span><br><span style="font-size: 14pt;">     - અદાલતે રક્ષણ બાબતે સમયાંતરે સમીક્ષા કરી યોગ્ય આદેશ/હુકમ પસાર કરી શકે.</span><br><span style="font-size: 14pt;">     - ભોગ બનનાર અથવા તેમના આશ્રિતોને બિન સરકારી સંસ્થાઓ(NGO), વ્યક્તિઓ અથવા વકીલ તરફથી મદદ/સહાય મેળવવાનો હક રહેશે.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">(૮) ભોગ બનનાર, આશ્રિતો, ફરિયાદી, અને સાક્ષીઓ વતી ખાસ સરકારી વકીલે કરેલ અરજી અંગે ખાસ અદાલતે નીચે મુજબ પગલા લેવાના રહેશે.</span></strong></span><br><span style="font-size: 14pt;">     (અ) જાહેર જનતાને ઉપલબ્ધ એવા કોઈ હુકમ, જજમેન્ટ કે કોઈ રેકર્ડમાં સાક્ષીઓના નામ અને સરનામાં છૂપવવા, ગુપ્ત રાખવા </span><br><span style="font-size: 14pt;">     (બ) સાક્ષીઓની ઓળખ, સરનામાં છૂપાવવા, જાહેર ન કરવા ખાસ અદાલત દ્વારા નિર્દેશ, આદેશ જારી કરવો.</span><br><span style="font-size: 14pt;">     (ક) હેરાનગતિ ના કિસ્સમાં ફરિયાદના સંદર્ભમાં તાત્કાલિક પગલા લેવા જરૂર પડયે તેમના રક્ષણ માટે તેજ દિવસે ખાસ અદાલત દ્વારા આદેશ, હુકમ પસાર કરવો. </span><span style="font-size: 14pt;">મળેલ ફરિયાદ અંગે            પૂછપરછ અને તપાસ બાબતે અદાલત આ કેસને મૂળ કેસથી અલગ રાખશે અને સુનાવણી કરશે ફરીયાદીએ કરેલ ફરિયાદની તારીખથી બે માસમાં સુનાવણી પૂર્ણ કરવાની રહેશે.</span><br><span style="font-size: 14pt;">     - ફરિયાદ જાહેર સેવક વિરુધ્ધ હોય ત્યારે અદાલત જાહેર સેવકને ભોગ બનનારા, ફરીયાદી, સાક્ષીઓ સાથે દખલગીરી –દરમ્યાનગીરી કરતા અટકાવશે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">(૯) તપાસ અધિકારી, પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ, દ્વારા ફરજના ભાગ રૂપે ધાક-ધમકી, હિંસા, પ્રલોભન, જબરજસ્તી બાબતે ભોગ બનનાર, ફરીયાદી, સાક્ષીઓની મૌખિક કે લેખિત ફરિયાદની નોંધ કરવાની રહેશે.</span><br><span style="font-size: 14pt;">(૧૦) ગુનાઓ સબંધિત તમામ કાર્યવાહીનું આ કાયદા નીચે વીડિયો રેકોર્ડીંગ કરવાનું રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">(૧૧) રાજય સરકારની ફરજો</span></strong></span><br><span style="font-size: 14pt;">ભોગ બનનાર અને સાક્ષીઓના હકો અને મળવાપાત્ર લાભોનું અમલીકરણ થાય તે માટે ખાત્રી કરી યોજનાઓનો અમલ કરવાનો રહેશે.</span><br><span style="font-size: 14pt;">નોંધણી કરેલ પ્રથમ બાતમી અહેવાલ (FIR)ની નકલ વિના મૂલ્યે પૂરી પાડવી.</span><br><span style="font-size: 14pt;">અત્યાચારનો ભોગ બનનાર, તેમના આશ્રિતોને તાત્કાલિક ધોરણે નાણાંકીય અથવા અન્ય સહાય પૂરી પાડવી.</span><br><span style="font-size: 14pt;">અત્યાચારનો ભોગ બનનાર અથવા તેમના આશ્રિતોને અને સાક્ષીઓને જરૂરી રક્ષણ પૂરું પાડવું.</span><br><span style="font-size: 14pt;">મૃત્યુ અથવા ઈજા અથવા મિલકત નુકસાની વખતે રાહત પૂરી પાડવી.</span><br><span style="font-size: 14pt;">ભોગ બનનાર માટે ખોરાક, પાણી, કપડા, આશ્રય, તબીબી સહાય, પરિવહન સુવિધા અને દૈનિક સુવિધાઓની વ્યવસ્થા કરવી.</span><br><span style="font-size: 14pt;">અત્યાચારનો ભોગ બનનાર અથવા તેમના આશ્રિતોને ભરણપોષણ ખર્ચ પૂરો પાડવો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/In-an-atrocity-complaint,-the-court-cannot-release-the-accused-on-bail-without-hearing-the-victim">એટ્રોસિટીની ફરિયાદમાં કોર્ટ પીડિતને સાંભળ્યાં વિના આરોપીને જામીન પર છોડી શકે નહીં</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરિયાદ નોંધતી વખતે અત્યાચારનો ભોગ બનનારના હક્કો અંગે માહિતી પૂરી પાડવી.</span><br><span style="font-size: 14pt;">ધાક-ધમકી અને સતામણી સામે ભોગ બનનાર અથવા તેમના આશ્રિતોને અને સાક્ષીઓને રક્ષણ પૂરું પાડવું.</span><br><span style="font-size: 14pt;">તપાસ અને આરોપનામું (ચાર્જશીટ)ની સ્થિતિ વિશે અત્યાચારનો ભોગ બનનાર અથવા તેમના આશ્રિતો અથવા સબંધિત સંગઠનો અથવા વ્યક્તિઓને માહિતી પૂરી પાડવી તેમજ આરોપનામા (ચાર્જશીટ)ની નકલ વિના મુલ્યે પૂરી પાડવી.</span><br><span style="font-size: 14pt;">તબીબી પરીક્ષણ વખતે જરૂરી સાવચેતી રાખવી.</span><br><span style="font-size: 14pt;">અત્યાચારનો ભોગ બનનાર, અને તેમના આશ્રિતો અથવા સબંધિત સંગઠનો અથવા વ્યક્તિઓને રાહત રકમ બાબતે માહિતી પૂરી પાડવી.</span><br><span style="font-size: 14pt;">અત્યાચારનો ભોગ બનનાર, અને તેમના આશ્રિતોને, સંગઠનો અથવા વ્યક્તિઓને તપાસ અને સુનાવણીની તારીખો તેમજ સ્થળ અંગે અગાઉથી માહિતગાર કરવા.</span><br><span style="font-size: 14pt;"> અત્યાચારનો ભોગ બનનાર, અને તેમના આશ્રિતોને, સંગઠનો અથવા વ્યક્તિઓને કેસથી માહિતગાર થવા સુનાવણી માટે તકો પૂરી પાડવી અને કાનૂની સહાય પૂરી પાડવી.</span><br><span style="font-size: 14pt;">તમામ સુનાવણી વખતે અત્યાચારનો ભોગ બનનાર, અને તેમના આશ્રિતોને, સંગઠનો અથવા વ્યક્તિઓને મળેલ હક્કોની અમલવારી કરાવવી, અમલવારી માટે આ કાયદા મુજબ જરૂરી સહાય પૂરી પાડવી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૧૨) અત્યાચારનો ભોગ બનનાર, અને તેમના આશ્રિતોને, સંસ્થાઓ (NGO) અથવા વ્યક્તિઓ અને વકીલો તરફથી મદદ/સહાયતા મેળવવાનો હક્ક રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આઈ.પી.સી.ની મહત્વની કલમો</span></strong></span><br><span style="font-size: 14pt;">કલમ -૧૧૪ – એક બીજાની મદદગારી </span><br><span style="font-size: 14pt;">કલમ – ૩૪ – સમાન ઈરાદો </span><br><span style="font-size: 14pt;">કલમ – ૧૨૦ (B) – કાવતરું </span><br><span style="font-size: 14pt;">કલમ - ૩૦૭ – જાનથી મારી નાખવાની કોશિશ </span><br><span style="font-size: 14pt;">કલમ -૩૦૨- ઈરાદાપુવક હત્યા કરવી.</span><br><span style="font-size: 14pt;">કલમ - ૩૫૪ - છેડતી</span><br><span style="font-size: 14pt;">કલમ -૩૬૩- અપનયન </span><br><span style="font-size: 14pt;">કલમ – ૩૬૫- અપહરણ </span><br><span style="font-size: 14pt;">કલમ-૩૬૬- લગ્ન કરવાના બદ ઈરાદાથી અપહરણ </span><br><span style="font-size: 14pt;">કલમ – ૩૭૬-બળાત્કાર</span><br><span style="font-size: 14pt;">કલમ – ૩૨૩ – ઈજા – સાદો માર  </span><br><span style="font-size: 14pt;">કલમ – ૩૨૪- સ્વેચ્છા પૂર્વક ઈજા - હથિયાર વડે ઈજા </span><br><span style="font-size: 14pt;">કલમ – ૩૨૫- ગંભીર ઈજા </span><br><span style="font-size: 14pt;">કલમ – ૩૨૬- હથિયાર વડે ગંભીર ઈજા </span><br><span style="font-size: 14pt;">કલમ – ૫૦૪-જાહેરમાં બખેડો કરવો.</span><br><span style="font-size: 14pt;">કલમ - ૫૦૬ – ધમકી આપવી </span><br><span style="font-size: 14pt;">૫૦૬(૨) જાનથી મારી નાખવાની ધમકી આપવી.</span><br><span style="font-size: 14pt;">કલમ – ૫૦૯- સ્ત્રીને અપશબ્દો કહેવા, અનિષ્ટ કૃત્ય  </span></p>
<p style="text-align: justify;"><em><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>સંકલનઃ કાંતિલાલ પરમાર (લેખક સામાજિક કાર્યકર તરીકે વર્ષોથી કાર્યરત છે.)</strong></span></em></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/Know,-enjoy,-understand-and-explain-Indian-Constitution">ભારતીય બંધારણઃ જાણો, માણો, સમજો અને સમજાવો</a><br></strong></span></span></p>
<div class="post-text">
<div class="post-text">
<div class="post-text">
<p><span><span style="font-size: 12pt;"><strong>Khabarantar.com </strong></span><strong><span lang="GU" style="font-size: 12pt;">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </strong></span><span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span><o:p></o:p></p>
</div>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 14 Mar 2024 10:08:50 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>410</Articleid>
                    <excerpt>Atrocities Act: સામાજિક ન્યાયની લડતમાં એટ્રોસિટીનો કાયદો ખૂબ અગત્યનું શસ્ત્ર છે. સામાજિક ન્યાયની લડત લડતા કાર્યકરો અને અત્યાચારનો ભોગ બનેલ લોકો માટે એટ્રોસિટી એક્ટના ટૂંકા નામે ઓળખાતા કાયદા વિશેની આપણી સામાન્ય સમજણમાં વધારો થાય તે માટે અહીં તેને સરળ ભાષામાં રજૂ કરીએ છીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65f27bf847353.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65f27bf8170dc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65f27bf8170dc.jpg" length="71936" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>શું આર્યન પૉલીટિક્સ સામે બહુજનવાદી વિચારધારા આધારિત રાજકીય સત્તા જ વિકલ્પ છે?</title>
                    <link>https://khabarantar.com/Is-political-power-based-on-pluralist-ideology-the-only-alternative-to-Aryan-politics</link>
                    <guid>https://khabarantar.com/Is-political-power-based-on-pluralist-ideology-the-only-alternative-to-Aryan-politics</guid>
                    <description>
                        <![CDATA[ વાર્તા અને હકીકત વચ્ચેનો ભેદ મિટાવી દેવાની તાકાત સાહિત્યમાં હોય છે તે આ લેખનો મૂળ વિચાર છે. બહુજન વિચારધારામાં માનતી વ્યક્તિ માટે આને સમજવો ખૂબ સરળ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કનુભાઈ કબીર, આણંદ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સવાલ એ છે કે સંસ્કૃતિ પહેલી કે સાહિત્ય? સામાન્ય રીતે મૂંઝવતા સવાલનો સરળ જવાબ એ છે કે પહેલા સંસ્કૃતિનું નિર્માણ થાય છે પછી એના સમર્થનમાં સાહિત્ય નિર્માણ કરવામાં આવે છે. એટલે જેની સંસ્કૃતિ એનું સાહિત્ય. સંસ્કૃતિમાં માત્ર સ્થાપત્ય કે મૂર્તિઓ કે પત્થર પર કોતરણીવાળા લેખો નથી હોતા પણ એમાંથી જે તે સંસ્કૃતિના દર્શન થાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે થાય છે? વિચારધારા સંસ્કૃતિની માતા છે. કોઈ એક વિચારધારાનું માનવબળ બીજી વિચારધારા પર હાવી થાય એ પહેલાં બંને વિચારધારાવાહકો વચ્ચે સત્તાનો સંઘર્ષ થાય છે. જે પરાજિત થાય છે તેની પર જીતેલી પ્રજાની સંસ્કૃતિ લાદવામાં આવે છે અને એને કાયમી બનાવવા લોકમાનસમાં સ્થાપિત કરવા સાહિત્ય નિર્માણ કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક થિયરી એવી ચાલી હતી કે આર્યો બહારથી આવ્યા. આગળ જતાં "બહારથી આવેલા"ની છાપ ભુંસી નાખવા એવું સ્થાપિત કરવામાં આવ્યું કે ‘આર્યોના આગમન’ની થિયરી ખોટી છે.  એના સમર્થનમાં એવું પણ કહેવાયું કે આર્યો એક ભારતીય પ્રજા જ હતી, એટલે તો પ્રાચીન સમયમાં પણ બુદ્ધ પહેલાં આર્ય શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હતો.  તથાગત બુદ્ધે પણ ‘આર્ય સત્યો’ શબ્દપ્રયોગ કર્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આર્ય શબ્દની શાબ્દિક પળોજણમાં પડીએ તો આર્ય એટલે સારું, ઉચ્ચ, પવિત્ર અને સનાતન એવા અર્થ કાઢવામાં આવશે. તો છેવટે વાત તો ત્યાં આવી ને અટકી ને કે ‘આર્ય’ એટલે સારું કે ઉચ્ચ કે પવિત્ર. તો વાંધો અહિયાંથી શરૂ થાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાહિત્યે સારું નરસુંના વિભાજન કરી બતાવ્યા પણ છેવટે એ એક પ્રજા વિશેષ શબ્દ બની ગયો અને એની વિરુદ્ધ ‘અનાર્ય’ પ્રજા વિશેષ શબ્દપ્રયોગ કરવામાં આવ્યો. આજે પણ દક્ષિણ ભારતમાંથી શા માટે ‘રામ’ સામે વિવાદ વંટોળ ઉઠ્યો છે? જો માત્ર સત્તાકીય સંઘર્ષનો સવાલ હોય તો આર્ય સાંસ્કૃતિક ચળવળના પ્રતિક ‘રામ’ શબ્દપ્રયોગનો ઈન્કાર ના થાત. આ વિવાદના મૂળ ઉત્તર ભારતથી આર્યની સાંસ્કૃતિક ચઢાઈ દક્ષિણ ભારતમાં છેક લંકા સુધી ‘રામ’ ની સવારી દ્વારા સાંસ્કૃતિક લડાઈથી પહોંચી એમાં પડેલા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/The-Constitution-of-India-begins-with-the-words-We-the-people-of-India,-meaning-that-India-is-not-a-creation-of-God"><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;">ભારતના બંધારણનો આરંભ ‘અમે ભારતના લોકો’ શબ્દોથી થાય છે, એનો અર્થ એ કે ભારત ઈશ્વરે સર્જેલી ઘટના નથી</span></strong></span></a></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">“વાહ ભાઈ વાહ ” ના હાસ્ય કવિના કાર્યક્રમમાં એક હાસ્ય કવિએ ‘લંકા’ ને ‘શ્રીલંકા’ કેમ કહેવામાં આવે છે એના પર પ્રકાશ પાડ્યો હતો. કુમાર જાવેદ કવિએ ક્હ્યું કે સીતા લંકામાં થોડો સમય રહ્યાં એટલે સી એટલે શ્રી ને લંકા સાથે જોડાયું એટલે લંકા ને પછી ‘શ્રીલંકા’ કહેવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ હાસ્ય કવિની કવિતા દરમિયાનની વાત છે પણ સાંસ્કૃતિક આક્રમણ સાહિત્ય મારફતે થાય છે તેનો પુરાવો છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65eb43728691c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આર્યની ચઢાઈ ઉત્તર ભારત તરફથી દક્ષિણ ભારત તરફ થવામાં શાનો સંકેત છે એ સમજવા મૂળ ભારતીય પ્રજા પર વિદેશી પ્રજાનું આક્રમક પછી સાંસ્કૃતિક સંઘર્ષને સમજવા ની જરૂર છે. શા માટે રામાયણ લખવામાં આવી? શા માટે લંકા સુધીની કહાની સીતાહરણના નામે છેક રાવણ દહનની ઘટના સુધી ઘડી કાઢવામાં આવી આવા પ્રશ્નોના જવાબ શોધવાની જેને નવરાશ નથી એ પ્રજા સાંસ્કૃતિક આક્રમણને સમજી શકે જ નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દક્ષિણ ભારતમાં શા માટે આજે પણ રામનો વિરોધ છે. દક્ષિણ ભારતના મહામાનવો એ શા માટે આર્ય પ્રચારિત સાહિત્યની સામે વિરોધી અથવા કાઉન્ટર કલ્ચરલક્ષી સાહિત્ય નિર્માણ કર્યું એ સમજવું જરૂરી છે. નારાયણ ગુરૂ,  પેરિયાર રામાસામી જેવા મહાન પ્રતિભા સંપન્ન ક્રાંતિકારીઓએ શા માટે કાઉન્ટર કલ્ચરલક્ષી સાહિત્યનું નિર્માણ કર્યું એ જાણવું પડશે, તો જ આજના દક્ષિણ ભારતીય નેતાઓના રામ આધારિત સત્તા, સાહિત્ય અને સાંસ્કૃતિક આક્રમણ ને સમજી શકાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામાયણની એક ઘટના એવી બતાવી છે કે રામના નામે પથ્થરો તરી ગયા ને રામસેતુ પુલ બની ગયો. વાનરસેનાએ પથ્થર પર રામ લખી સમંદરમાં તરતા મુક્યા એ જોઈને રાવણે પણ પથ્થર સમંદરમાં તરતો મૂક્યો તો એ પણ  તરતો હતો. આ આશ્ચર્ય જોઈને રાવણને પત્ની મંદોદરીએ પૂછ્યું કે તમે મુકેલ પથ્થર કેવી રીતે તરી ગયો? તો રાવણના મુખે જવાબ ઘૂસવાડવામાં આવ્યો કે તેણે મનોમન ‘શ્રીરામ"નું સ્મરણ કરીને પથ્થર સમંદરમાં તરતો મૂક્યો ને તે તરી ગયો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાર્તા અને હકીકત વચ્ચેનો ભેદ મિટાવી દેવાની તાકાત સાહિત્યમાં હોય છે. યુગોથી વારંવાર કથા સ્વરૂપે આમ જનતામાં કહેવાતી અને પ્રચારિત કરી, પ્રચલિત કરાતી વાત દિલોદિમાગમાં વાસ્તવિકરૂપ ધારણ કરી લે છે. જીતેલી પ્રજા હંમેશા એ ધ્યાનમાં રાખીને રાજકીય રણનીતિ તૈયાર કરે છે કે તેની જીત સાશ્વત અને સનાતની બની રહે. રાજકારણમાં ધાર્મિક ડૉઝ ભલભલાને ભૂ પીતા કરી દે છે એનો ઈતિહાસ ગવાહ છે. લાંબી વાત ના કરીએ તો મંગલ પાંડે કારતૂસ પર લાગેલ ગાયની ચરબીથી ભડકી ગયા હતા અને વિદ્રોહ કર્યો. આઝાદીની લડતમાં ગાંધીએ સિફતપૂર્વક ‘રામ’ નામનું મિશ્રણ કર્યું છતાં રામની સાંસ્કૃતિક વિરાસતના વાહકોએ જ્યારે ગોળી મારી દીધી ત્યારે પણ "હે રામ" બોલાઈ ગયું. આ કથાનાક સાચું કે ખોટું છે એ જોવા કરતા એની સાહિત્ય દ્વારા લોકમાનસમાં કેટલી જબરદસ્ત અસર પડી છે એ સમજવું જરૂરી છે. એજ ‘રામ’ શબ્દનું આજના રાજકારણમાં મિશ્રણ તૈયાર કરી મંદિરનું નિર્માણ સાંસ્કૃતિક આક્રમણની પરંપરાનો પુરાવો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકીય પક્ષ આધારિત સત્તા કદાચ બદલાઈ જાય તો પણ શું આર્ય કલ્ચર આધારિત રાજકીય પક્ષો આવા સાંસ્કૃતિક આક્રમણ ને ખાળશે ખરા? હું ચોક્કસપણે માનું છું કે આજના ખુલ્લા સ્વરૂપે નહીં તો નવા પ્રચ્છન્ન સ્વરૂપે પણ તેને સ્થાયી બનાવવાની કોશિશ કરશે. સંતો ભલે કહે કે મારો રામ જુદો ને તારો રામ જુદો પણ આ શબ્દની વિભાવનાને આમ જનતા કેમ કરીને અલગ પાડીને બતાવશે? કારણ રામને શ્રધ્ધાનો વિષય બનાવી તમારા લોહીમાં ભેળવી દેવામાં આવ્યો છે એ તો સાહિત્યની કમાલ છે.</span><br><span style="font-size: 14pt;">ખબર નથી તો મુખે સરી પડે ‘રામ જાણે', કોઈ પૌરુષત્વમાં નથી તો તેનામાં ‘રામ’ નથી એ શું હવામાંથી પડ્યું છે? ના, એની પાછળ પણ લાંબી સાહિત્ય આક્રમણની પરંપરા રહેલી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આર્ય કલ્ચરની સાહિત્યક અસર આપણા જીવનના અંતમાં પણ એટલી ઊંડી છે કે છેલ્લે પણ ‘રામ બોલો ભાઈ રામ’થી જ સ્મશાનગ્રસ્ત થવાય છે. છે આવા સાંસ્કૃતિક આક્રમણ સામે નો કોઈ બચાવ? કોણે શું કરવું એ સંવિધાનિક સ્વતંત્રતા છે પણ ધર્મપરિવર્તન કરવા સાથે આર્ય કલ્ચરની સામે બહુજનવાદી સત્તા, સંસ્કૃતિ અને સાહિત્યનું નિર્માણ અને અંગિકાર એ એનો ઉપાય ના હોય શકે? આર્યન પૉલીટીકસની સામે બાબાસાહેબ ડૉ આંબેડકરથી માન્યવર કાંશીરામ સુધીના રાજકીય સંઘર્ષમાંથી નિર્માણ પામેલ બહુજનવાદી વિચારધારા આધારિત રાજકીય સત્તા સિવાય મને તો કોઈ વિકલ્પ નથી લાગતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Two-satyagrahas-from-ancient-history-which-are-not-remembered-despite-fighting-for-human-rights"><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;">અર્વાચીન ઈતિહાસના બે સત્યાગ્રહો, જે માનવાધિકાર માટે લડાયા હોવા છતાં યાદ કરાતા નથી</span></strong></span></a></p>
<p style="text-align: justify;"><strong><span><span style="color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 09 Mar 2024 10:08:25 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 08 Mar 2024 22:33:36 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>398</Articleid>
                    <excerpt>વાર્તા અને હકીકત વચ્ચેનો ભેદ મિટાવી દેવાની તાકાત સાહિત્યમાં હોય છે તે આ લેખનો મૂળ વિચાર છે. બહુજન વિચારધારામાં માનતી વ્યક્તિ માટે આને સમજવો ખૂબ સરળ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65eb43531b69a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65eb4352e25f7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65eb4352e25f7.jpg" length="65472" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બહુજન સાહિત્યકાર વિશન કાથડનું આગામી ગીત ‘દાસ્તાન’ ચર્ચાસ્પદ બન્યું, જાણો શું છે તેની ખાસિયત</title>
                    <link>https://khabarantar.com/Bahujan-poet-Vishan-Kathads-next-song-Dastan-became-a-hot-topic-know-what-is-special-about-it</link>
                    <guid>https://khabarantar.com/Bahujan-poet-Vishan-Kathads-next-song-Dastan-became-a-hot-topic-know-what-is-special-about-it</guid>
                    <description>
                        <![CDATA[ બહુજન સાહિત્યકાર વિશન કાથડ ડૉ. આંબેડકરની જન્મજયંતિને ધ્યાનમાં રાખીને એક નવું ગીત લઈને આવી રહ્યાં છે. આ ગીતને લઈને હાલ સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ છે. ત્યારે આ ગીતમાં શું છે, તેની ખાસિયત શું છે તેની વાત કરીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સાહિત્ય અને બહુજન મહાપુરૂષોની ગાથાઓને છેવાડાના માણસ સુધી પહોંચાડવામાં જેમનો સિંહફાળો રહેલો છે વિખ્યાત બહુજન સાહિત્યકાર વિશન કાથડ હવે તેમનું સાતમું ગીત લઈને આવી રહ્યાં છે, આ ગીતનું બેનર હાલ સોશિયલ મીડિયામાં રજૂ કરવામાં આવ્યું છે, જેણે ભારે ચર્ચા જગાવી છે. અગાઉ તેઓ વર્ષ 2018માં પહેલું ગીત ‘મોભી’ લઈને આવ્યા હતા, જે સફળ રહ્યું હતું. એ પછી તેમણે વિરાસત, જય જય ભીમા, વારસો, સમર્પણ, રાજસત્તા જેવા સફળ બહુજન ગીતો આપ્યા છે, ત્યારે ’દાસ્તાન’ ગીતમાં ક્યા બહુજન મહાપુરૂષોની વાત હશે અને તેમાં બીજી કઈ બાબતોને વણી લેવામાં આવી હશે તેને લઈને હાલ યુવાવર્ગમાં ભારે ચર્ચા ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Why-are-things-like-bhava-bhava,-vanda-bhava,-gaya-bhava-not-acceptable-in-Bahujan-literature">બહુજન સાહિત્યમાં ભવો-ભવ, આવતા ભવ, ગયા ભવ જેવી વાતો કેમ સ્વીકાર્ય નથી?</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65e8557334787.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, વિશનભાઈ કાથડ અત્યાર સુધીમાં 1500થી વધુ બહુજન સાહિત્યના લાઈવ કાર્યક્રમો આપી ચૂક્યા છે. આ સિવાય તેમણે 42 જેટલા ગીતો પણ લખ્યા છે. ડિજિટલ મીડિયાના આગમન પછી તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી બહુજન યુવાવર્ગને સમાજના ખરા યોદ્ધાઓની વાતો સર્ચ કરતો કરી દીધો છે. તેમના કાર્યક્રમોમાં યુવાનોની હાજરી સૌથી વધુ હોય છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65e85572b213f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ ગીતની ખાસિયત શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">વિશન કાથડનું નવું ગીત ‘દાસ્તાન’ આગામી 17મી માર્ચના રોજ યુટ્યુબ પર રજૂ થશે. આ ગીત નારાઝ છંદમાં અને લખાયેલું છે. બહુજન સાહિત્યમાં આ પ્રકારનો આ પહેલો પ્રયોગ છે. આ ગીત 14મી એપ્રિલને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી રહ્યું છે. અગાઉ તેમનું ‘રાજસત્તા’ ગીત માન્યવર કાંશીરામ સાહેબને સમર્પિત હતું. તેની પહેલાનું ‘જય જય ભીમા’ ગીત ડો. આંબેડકરને સમર્પિત હતું જે ભારે લોકપ્રિય થયું હતું. એ સ્થિતિમાં નવા ગીતને લઈને યુવાવર્ગમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/80-years-ago-Dr.-What-did-Ambedkar-say-about-Indian-media-and-what-is-its-condition-today">80 વર્ષ અગાઉ ડૉ. આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું અને આજે શું હાલત છે?</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65e8557237b00.jpg" alt=""></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65e93b81f0a10.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે વિશન કાથડ?</span></strong></span><br><span style="font-size: 14pt;">બહુજન સાહિત્યને લોકપ્રિય બનાવવામાં જેમનો સિંહફાળો છે તેવા વિશન કાથડ પોતે સરકારી કર્મચારી છે. જો કે, તેમની અસલી ઓળખ બહુજન સાહિત્યકાર તરીકેની છે. એક સમયે માત્ર શોખ ખાતર સૌરાષ્ટ્રના તેમના વતન માંગરોળ અને જૂનાગઢમાં સ્ટેજ કાર્યક્રમ કરતા વિશનભાઈ ધીરેધીરે બહુજન સાહિત્ય વાંચતા થયા. એ પછી તેમણે બહુજન મહાનુભાવો અને બહુજન સાહિત્યને છેવાડાના બહુજન સુધી પહોંચાડવાનું નક્કી કર્યું અને સ્ટેજ પરથી જાહેરાત કરી હતી કે હવે પછી તેમનું જીવન ફક્ત બહુજન સાહિત્ય અને બહુજન મહાનુભાવોને જનજન સુધી પહોંચાડવાનું રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Exclusive:-Age-and-height-also-make-social-distinctions">Exclusive: ઉંમર અને ઊંચાઈને પણ સામાજિક ભેદ નડે છે!</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65e85571af4ff.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછીથી અત્યાર સુધીમાં તેમણે 1500થી વધુ ભીમ સંધ્યા, ભીમ ભજનો અને બહુજન સાહિત્ય સંધ્યા જેવા નામો હેઠળ અનેક કાર્યક્રમો કર્યા છે. અત્યાર સુધીમાં તેમણે 42 જેટલા ગીતો લખીને બહુજન સમાજ વચ્ચે મૂક્યા છે. કોરોનાકાળ દરમિયાનના લૉકડાઉનમાં તેમણે જ્ઞાનોત્સવ નામે યુટ્યુબ પર લાઈવ કાર્યક્રમો કરીને બહુજન સાહિત્યને લોકો સુધી પહોંચાડ્યું હતું. વર્ષ 2018 થી લઈને 2023 સુધીમાં તેઓ 6 જેટલા વીડિયો ગીત આપી ચૂક્યાં છે. હવે તેમનું સાતમું ગીત 17મી માર્ચના રોજ ‘દાસ્તાન’ ટાઈટલથી રજૂ થવા જઈ રહ્યું છે જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Raghala,-Matars-boy-does-not-have-a-groom,-have-you-seen-this-Benali">રઘલા, મેતરના છોકરાને વરઘોડો ન હોય, આ બેનાળી જોઈ છે...?</a><br></span></strong></span></p>
<div class="post-text">
<p><strong><span><span style="font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 07 Mar 2024 10:20:50 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 07 Mar 2024 11:03:58 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>392</Articleid>
                    <excerpt>બહુજન સાહિત્યકાર વિશન કાથડ ડૉ. આંબેડકરની જન્મજયંતિને ધ્યાનમાં રાખીને એક નવું ગીત લઈને આવી રહ્યાં છે. આ ગીતને લઈને હાલ સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ છે. ત્યારે આ ગીતમાં શું છે, તેની ખાસિયત શું છે તેની વાત કરીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65e85573e3245.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65e85573b45ca.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65e85573b45ca.jpg" length="108485" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>અર્વાચીન ઈતિહાસના બે સત્યાગ્રહો, જે માનવાધિકાર માટે લડાયા હોવા છતાં યાદ કરાતા નથી</title>
                    <link>https://khabarantar.com/Two-satyagrahas-from-ancient-history-which-are-not-remembered-despite-fighting-for-human-rights</link>
                    <guid>https://khabarantar.com/Two-satyagrahas-from-ancient-history-which-are-not-remembered-despite-fighting-for-human-rights</guid>
                    <description>
                        <![CDATA[ આપણી સ્વાતંત્ર્ય ચળવળમાં સત્યાગ્રહોનું વિશિષ્ટ સ્થાન છે. લોકજાગૃતિ માટે આ સત્યાગ્રહોએ ખૂબ મોટી ભૂમિકા ભજવેલી. દાંડી, બારડોલી, ચંપારણ વગેરે જેવા સત્યાગ્રહોને અર્વાચીન ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. જનતા પણ આ સત્યાગ્રહો વિશે સારી એવી માહિતગાર છે. પરંતુ દેશના અર્વાચીન ઇતિહાસમાં બે સત્યાગ્રહો એવા પણ છે કે જે માનવઅધિકારો માટે લડાયેલા હોવા છતાં તેમને યાદ કરાતા નથી કે નથી અભ્યાસક્રમોમાં તેના વિશે ભણાવાતું. એ ક્યા બે ઈતિહાસ છે, વાંચો આ લેખમાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">- વિરાગ સુતરિયા</span></strong></span><br><span style="font-size: 14pt;">આપણી સ્વાતંત્ર્ય ચળવળમાં સત્યાગ્રહોનું વિશિષ્ટ સ્થાન છે. લોકજાગૃતિ માટે આ સત્યાગ્રહોએ ખૂબ મોટી ભૂમિકા ભજવેલી. દાંડી, બારડોલી, ચંપારણ વગેરે જેવા સત્યાગ્રહોને અર્વાચીન ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. જનતા પણ આ સત્યાગ્રહો વિશે સારી એવી માહિતગાર છે. આપણા દેશના અર્વાચીન ઇતિહાસના બે સત્યાગ્રહો એવા છે કે જે માનવઅધિકારો માટે લડાયેલા પણ એ ઇતિહાસમાં કે લોકજીવનમાં એટલા યાદ કરાતા નથી કે એના વિશે અભ્યાસક્રમોમાં પણ એટલું ભણાવાતું નથી. આ બંને સત્યાગ્રહોનું નેતૃત્વ બાબાસાહેબે કરેલું અને બંને મહારાષ્ટ્રમાં થયેલા. એમાંથી એક મહાડ - ચવદાર તળાવમાંથી દલિતોને પાણી પીવા માટેના અધિકાર માટે કરવામાં આવેલો અને બીજો નાસિકના કાલારામ મંદિરમાં પ્રવેશ માટે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65e31d22ebc78.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">1930માં 2 જી માર્ચના દિવસે રાજનૈતિક આઝાદી મેળવવા સવિનય કાનૂનભંગની ચળવળ ચાલુ કરવા અંગે ગાંધીજીએ વાઇસરૉયને પત્ર લખીને દેશભરમાં આંદોલનનો પ્રારંભ કર્યો હતો. જ્યારે બાબાસાહેબ અસ્પૃશ્યોને સામાજિક આઝાદી મળે એ માટે મથતા હતા. આ દિવસે નાસિકમાં બાબાસાહેબના નેતૃત્ત્વમાં મોટી સભા થઇ જેમાં અહીંના કાલારામ મંદિરમાં પ્રવેશ મેળવવા માટે સત્યાગ્રહ કરવાનું નક્કી કરવામાં આવ્યું અને એ માટે ત્રીજી માર્ચનો દિવસ નક્કી થયો.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Movie-12th-Fail---Its-not-about-the-struggle-but-the-privileges-that-Brahmins-get">ફિલ્મ 12th Fail - વાત સંઘર્ષની નહીં બ્રાહ્મણોને મળતા વિશેષાધિકારોની છે</a><br></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારીઓને પહેલાંથી જ સત્યાગ્રહની સૂચના આપી દેવાઇ હતી કે જેથી તેઓ નિર્ણય કરી શકે. ધર્મ સમાનતા શીખવતો હોય તો મંદિરમાં દરેકને પ્રવેશ હોય. અને જો ચોક્કસ વર્ગને પ્રવેશ ન હોય તો એ કલંક ગણાવું જોઇએ. બાબાસાહેબના નેતૃત્વમાં અસ્પૃશ્યો પોતાના અધિકારની પ્રાપ્તિ માટે સજ્જ હતા. બાબાસાહેબ સનાતનીઓના હ્રદય પરિવર્તન દ્વારા મંદિર પ્રવેશ ઇચ્છતા હતા. આ અગાઉ 1929માં પુનાના પાર્વતી મંદિર અને મુંબઇના મુંબાદેવી મંદિર પ્રવેશના પ્રસંગો બાબાસાહેબના નેતૃત્વમાં સફળ રહ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65e31d247396b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ત્રીજી માર્ચના રોજ બપોરે ત્રણ વાગે મંદિર પ્રવેશ માટે વિશાળ સરઘસ ચાર-ચારની હરોળમાં ગોઠવાઈ ગયું. નાસિક ભાઉરાવ ગાયકવાડની કર્મભૂમિ હોઈ બાબાસાહેબના અનુયાયીઓ વિશેષ સંખ્યામાં હતા, એટલે 20-25 હજાર માણસો ભેગા થયા હતા. કાયદો વ્યવસ્થા જળવાય એટલા માટે સમગ્ર નાસિકમાં  પોલીસ ખડકી દેવાઇ હતી. બાબસાહેબની આગેવાનીમાં એક માઇલ લાંબું સરઘસ મંદિર પ્રવેશ માટે નીકળ્યું. સરઘસની આગળ સૈનિક બેન્ડ ચાલતું હતું જ્યારે પાછળ સ્કાઉટ એન્ડ ગાઇડની ટુકડી હતી. તેની પાછળ 500 સત્યાગ્રહીઓની ટુકડી હતી. બધાનાં મનમાં હતું કે, મંદિરના દરવાજા ખુલ્લા હશે, પૂજારીઓ સામેથી સ્વાગત કરશે. પણ સરઘસ જોઈને પૂજારીઓએ દરવાજા બંધ કરી દીધા. સંચાલકોના મનમાં એમ હતું કે, મંદિરના દરવાજા બંધ જોઇને સરઘસમાં રહેલા માણસો દરવાજા પર હુમલો કરશે જેથી ધાંધલ-ધમાલ થશે અને વ્યવસ્થા જાળવવા આવેલી પોલીસ બળપ્રયોગ કરશે. જેથી મંદિર પ્રવેશની જગ્યાએ અસ્પૃશ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/The-law-of-Manusmriti,-which-sowed-the-seeds-of-inequality-in-Indian-society">મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં </a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ, બાબાસાહેબના નેતૃત્વમાં રહેલા લોકો બિલકુલ શાંત રહ્યા. બાબાસાહેબ એમને ગોદાવરીના ઘાટ પર દોરી ગયા. ત્યાં સભા ભરાઈ અને નક્કી થયું કે જ્યાં સુધી મંદિરના દરવાજા ના ખૂલે ત્યાં સુધી મંદિરના દરેક દરવાજે બેસીને શાંત ધરણાં કરવાં. લોકોએ સત્યાગ્રહ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી. આ રીતે સત્યાગ્રહ ચાલુ રખાયો. 125 પુરૂષો અને 25 સ્ત્રીઓ મંદિરના દરવાજે ઘેરો ઘાલીને બેઠાં હતાં. મંદિરની ચારેબાજુ પોલીસ ગોઠવી દેવાઈ હતી. સત્યાગ્રહીઓની એક ટૂકડી જાય એટલે બીજી ટૂકડી ધરણાં માટે આવતી. પણ મંદિરના દરવાજા ના ખૂલ્યા તે ના જ ખૂલ્યા. આમને આમ એક મહિનો વિત્યો. સમગ્ર દેશમાં મંદિર સત્યાગ્રહ ચર્ચામાં હતો. દેશભારમાંથી ઘણાં લોકોએ બાબાસાહેબને સમર્થન આપ્યું. મંદિર બંધ હતું અને રામનવમી નજીક આવતી હતી. નગરયાત્રા કાઢવાનો સમય આવી ગયો હતો. એવામાં સત્યાગ્રહીઓએ સંચાલકોને વિનંતી કરી કે જે રીતે મંદિરનો રથ હિંદુ યુવાનો ખેંચે છે એવી રીતે જ રથ ખેંચવાની છૂટ અસ્પૃશ્યોને પણ આપવી જોઇએ. સીટી મેજીસ્ટ્રેટે બંને પક્ષોને સાથે રાખીને એક બાજુ હિંદુ યુવાનો રથ ખેંચે અને એક બાજુ અસ્પૃશ્ય યુવાનો રથ ખેંચે એવું સમાધાન કરાવ્યું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65e31d25125e1.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આ દરમિયાન બાબાસાહેબના કાર્યકર્તાઓને એવું જાણવા મળ્યું કે, ભીડમાં અંધાધૂંધીનો લાભ લઇને કેટલાક લોકો બાબાસાહેબની હત્યા કરવાનું આયોજન કરી રહ્યા છે. દાદાસાહેબ ગાયકવાડે જ્યારે આ વાત જણાવી બાબાસાહેબને કહ્યું કે, "ગાડી તૈયાર છે આપ નીકળી જાઓ." ત્યારે બાબાસાહેબે કહ્યું કે, “હું સૈનિકનો દીકરો છું એમ જીવ બચાવવા ભાગું નહીં. એના કરતાં તો મૃત્યુ સારું."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Why-is-Emperor-Ashoka-untouchable-for-the-so-called-upper-castes-of-India">શા માટે ‘સમ્રાટ અશોક’ ભારતની કથિત ઉચ્ચ જાતિઓ માટે અસ્પૃશ્ય છે?</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ નગરયાત્રા જોવા માટે લગભગ એક લાખની મેદની એકઠી થઇ હતી. આ બાજુ હિંદુ યુવાનોએ સમાધાનનો ભંગ કરીને અસ્પૃશ્ય યુવાનો પર હુમલો કર્યો. જેના પરિણામે ધાંધલ- ધમાલ થઇ જેનો લાભ લઇ બીજા હિંદુઓ રથને લઇને દોડ્યાં અને રથ એક સાંકડી ગલીમાં ઊભો કરી દીધો. જ્યાં સશસ્ત્ર પોલીસ તૈયાર હતી. અસ્પૃશ્ય યુવાનો રથ ખેંચવાની રસમ પૂરી કરવા માગતા હતા. પણ જેવા એ રથની નજીક જાય કે તરત તેમના પર હુમલો થતો. આમ, હુલ્લડની સ્થિતિ પેદા થઈ.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65e31d25b1b99.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">બાબાસાહેબને આ ખબર પડતાં તેઓ ભીડમાંથી માર્ગ કરતા ઘટનાસ્થળે આવ્યા. એમને જોઇને તોફાનીઓએ પથ્થરમારો કર્યો. બાબાસાહેબ લોહીલુહાણ થઇ ગયા. અસ્પૃશ્ય યુવાનોએ બાબાસાહેબને ચારેબાજુથી ઘેરીને એમનું રક્ષણ કર્યું. બાબાસાહેબને હોસ્પીટલ પહોંચાડવામાં આવ્યા. રામનવમી લોહીયાળ બની ગઇ. નાસિકમાં અસ્પૃશ્યો અને રૂઢિચુસ્ત હિંદુઓ વચ્ચે હુલ્લડ ફાટી નીકળ્યું. રામનવમી પૂરી થઈ. બીજે દિવસે પણ સત્યાગ્રહ ચાલુ થઈ ગયો. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Why-is-cricket,-which-today-is-synonymous-with-patriotism,-a-symbol-of-slavery">આજે દેશ પ્રેમનો પર્યાય મનાતી ક્રિકેટ ગુલામી કાળનું પ્રતીક કેમ કહેવાય છે?</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અસ્પૃશ્યો મંદિર પ્રવેશ માટે જ્યારે રૂઢિચુસ્તો મંદિરમાં અસ્પૃશ્યો ન પ્રવેશે તે માટે મક્કમ હતા. રોજે રોજ સત્યાગ્રહીઓની ટુકડીઓ મંદિરના બંધ દરવાજે આવી જતી. પોલીસ આવીને એમની ધરપકડ કરતી તો બીજી ટુકડી આવતી. સરકાર સજા કરતી એમ સત્યાગ્રહીઓ વધુ મજબૂત બનતા. આમને આમ એક વર્ષ સુધી મંદિરના દરવાજા બંધ રહ્યા. આખરે રથયાત્રાની પ્રથા જ બંધ કરી દેવામાં આવી કારણ કે બાબાસાહેબના અનુયાયીઓ સત્યાગ્રહની ઘોષણા કરી દેતા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65e31d23e9b2c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">સમય વીતતો ગયો બાબાસાહેબ બીજા કામોમાં વ્યસ્ત રહેતા હોવાથી નાસિક સત્યાગ્રહને પૂરતો સમય આપી શકતા નહોતા. </span><span style="font-size: 14pt;">આખરે 1935ના ઑક્ટોબર માસમાં મંદિર પ્રવેશનો કાયદો બનતાં મંદિરના દરવાજા અસ્પૃશ્યો માટે ખૂલ્યા. બાબાસાહેબે હિંદુઓના હ્રદય પરિવર્તન દ્વારા મંદિર પ્રવેશ મેળવવા સત્યાગ્રહ આરંભેલો. હ્રદય પરિવર્તન તો ના થયું પણ કાયદો થયો એટલે દ્વાર ખૂલ્યાં. સત્યાગ્રહમાં હ્રદય પરિવર્તન મુખ્ય ગણાય પણ પોતાના જ દેશબાંધવો માટે અન્ય દેશબાંધવોનું હ્રદય પરિવર્તન ન થયું એ કેટલું દુઃખદ!</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ</strong></span> <strong><a href="https://khabarantar.com/Raghala,-Matars-boy-does-not-have-a-groom,-have-you-seen-this-Benali">રઘલા, મેતરના છોકરાને વરઘોડો ન હોય, આ બેનાળી જોઈ છે...?</a></strong><br></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બે મહિના પહેલાં નાસિકની મુલાકાત લીધેલી. ત્રિરશ્મિ ગુફાઓ જોયા બાદ ખાસ કાલારામ મંદિરે ગયેલા. મંદિરના પટાંગણની દીવાલ પર મંદિર અને તે ક્ષેત્રનું મહત્વ દર્શાવતી વિગતો છે. પણ એમાં આ સત્યાગ્રહનો ઉલ્લેખ ના જ હોય ને! હા, મંદિરના પટાંગણની બહારની દીવાલ પર કર્મવીર દાદાસાહેબ ગાયકવાડની જન્મશતાબ્દી(2001-2) ના ઉપલક્ષ્યમાં ઇ.સ. 2008માં તત્કાલિન સરકાર દ્વારા એક શિલાલેખ કોતરાવવામાં આવ્યો છે. જેમાં સત્યાગ્રહ સમિતીના તમામ સભ્યોનાં નામ છે. કાલારામ મંદિર સત્યાગ્રહ અને મહાડ-ચવદાર તળાવ સત્યાગ્રહ માનવ અધિકારો અને દેશના વંચિતોના ઇતિહાસનાં સુવર્ણપૃષ્ઠ તરીકે કાયમ યાદ રહેશે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/80-years-ago-Dr.-What-did-Ambedkar-say-about-Indian-media-and-what-is-its-condition-today">80 વર્ષ અગાઉ ડૉ. આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું અને આજે શું હાલત છે?</a><br></span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><span>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 02 Mar 2024 18:09:16 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 02 Mar 2024 18:07:55 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>385</Articleid>
                    <excerpt>આપણી સ્વાતંત્ર્ય ચળવળમાં સત્યાગ્રહોનું વિશિષ્ટ સ્થાન છે. લોકજાગૃતિ માટે આ સત્યાગ્રહોએ ખૂબ મોટી ભૂમિકા ભજવેલી. દાંડી, બારડોલી, ચંપારણ વગેરે જેવા સત્યાગ્રહોને અર્વાચીન ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. જનતા પણ આ સત્યાગ્રહો વિશે સારી એવી માહિતગાર છે. પરંતુ દેશના અર્વાચીન ઇતિહાસમાં બે સત્યાગ્રહો એવા પણ છે કે જે માનવઅધિકારો માટે લડાયેલા હોવા છતાં તેમને યાદ કરાતા નથી કે નથી અભ્યાસક્રમોમાં તેના વિશે ભણાવાતું. એ ક્યા બે ઈતિહાસ છે, વાંચો આ લેખમાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65e31d238a979.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65e31d235ea36.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65e31d235ea36.jpg" length="71694" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>2 થી વધુ બાળકો ધરાવતા માતા&amp;પિતાને નહીં મળે સરકારી નોકરી, સુપ્રીમ કોર્ટે પણ આપી મંજૂરી</title>
                    <link>https://khabarantar.com/Parents-with-more-than-2-children-will-not-get-government-jobs,-Supreme-Court-also-allowed</link>
                    <guid>https://khabarantar.com/Parents-with-more-than-2-children-will-not-get-government-jobs,-Supreme-Court-also-allowed</guid>
                    <description>
                        <![CDATA[ સામાન્ય માણસ માટે ચૂંટણી લડવાથી લઈને બીજી પણ અનેક બાબતોમાં જાતભાતના નિયંત્રણો લદાતા જઈ રહ્યાં છે. અગાઉ બેથી વધુ બાળકો ધરાવતી વ્યક્તિ પંચાયતની ચૂંટણી નહીં લડી શકે તેવો નિયમ આવ્યો હતો. હવે તેમાં વધુ એક બાબત ઉમેરાઈ છે અને તે સરકારી નોકરીને લઈને છે. સુપ્રીમ કોર્ટે પણ તેમાં મંજૂરીની મહોર મારી દીધી છે એટલે અન્ય રાજ્યોમાં પણ તેની અસર થયા વિના રહેવાની નથી. વાંચો આ અહેવાલ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનમાં હવે પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો તેમજ સરકારી નોકરીઓ માટે 'બે બાળકો'ની નીતિ ફરજિયાત કરવામાં આવી છે. તેની મંજૂરી પણ સુપ્રીમ કોર્ટમાંથી મળી ગઈ છે. જેઓ સરકારી નોકરી શોધી રહ્યાં છે તેવા બેથી વધુ બાળકો ધરાવતા ઉમેદવારો માટે આ મોટો ઝટકો છે. ઉલ્લેખનીય છે કે, લગભગ 21 વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે પંચાયત ચૂંટણી માટે આ નીતિને ફરજિયાત બનાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે ભૂતપૂર્વ સૈનિક રામ લાલ જાટ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી. તેઓ 2017માં સેવામાંથી નિવૃત્ત થયા હતા અને 25 મે 2018ના રોજ રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલના પદ માટે અરજી કરી હતી. રાજસ્થાન પોલીસ સબઓર્ડિનેટ સર્વિસીસ રૂલ્સ, 1989ના નિયમ 24(4) હેઠળ તેમની ઉમેદવારી નકારી કાઢવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(186, 55, 42);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Were-the-Dalits-of-Gujarat-in-an-unencumbered-state-before-the-advent-of-Gandhiji">શું ગાંધીજીના આગમન પહેલા ગુજરાતના દલિતો નિર્લેપ અવસ્થામાં હતા?</a><br></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાન વિવિધ સેવા (સુધારા) નિયમ 2001 હેઠળ જોગવાઈ છે કે જો ઉમેદવારને 1 જૂન, 2002 ના રોજ અથવા તે પછી બે કરતાં વધુ બાળકો હોય, તો તે સરકારી નોકરી માટે પાત્ર રહેશે નહીં. અરજીકર્તા રામ લાલ જાટને બે થી વધુ બાળકો છે. તેણે અગાઉ સરકારના નિર્ણયને રાજસ્થાન હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ઓક્ટોબર 2022માં પોતાનો ચુકાદો આપતી વખતે હાઇકોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">જસ્ટિસ કાંતની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું, “કંઈક આ જ પ્રકારની જોગવાઈઓ પંચાયત ચૂંટણી લડવા માટે પાત્રતાની શરત તરીકે રજૂ કરવામાં આવી હતી. જાવેદ અને અન્યો વિરુદ્ધ હરિયાણા રાજ્યના કેસમાં 2003માં સુપ્રીમ કોર્ટે તેને સમર્થન આપ્યું હતું. આ અંતર્ગત ઉમેદવારોને બે કરતાં વધુ જીવિત બાળકો હોય તો ગેરલાયક ઠેરવવામાં આવે છે. આ જોગવાઈનો હેતુ કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપવાનો હતો.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેન્ચે રામલાલ જાટની અપીલને ફગાવી દેતા કહ્યું કે હાઈકોર્ટના નિર્ણયમાં કોઈ દખલગીરીની જરૂર નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(186, 55, 42);">આ પણ વાંચોઃ</span></strong> <a href="https://khabarantar.com/Justice-affected-by-mention-of-caste-and-religion-of-party-in-court-cases"><strong>કોર્ટમાં દાખલ કેસોમાં પક્ષકારની જ્ઞાતિ અને ધર્મના ઉલ્લેખથી ન્યાય પ્રભાવિત થાય છે?</strong></a><br></span></p>
<div class="post-text">
<div class="post-text">
<p><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></strong></span></p>
<p></p>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 01 Mar 2024 13:43:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>378</Articleid>
                    <excerpt>સામાન્ય માણસ માટે ચૂંટણી લડવાથી લઈને બીજી પણ અનેક બાબતોમાં જાતભાતના નિયંત્રણો લદાતા જઈ રહ્યાં છે. અગાઉ બેથી વધુ બાળકો ધરાવતી વ્યક્તિ પંચાયતની ચૂંટણી નહીં લડી શકે તેવો નિયમ આવ્યો હતો. હવે તેમાં વધુ એક બાબત ઉમેરાઈ છે અને તે સરકારી નોકરીને લઈને છે. સુપ્રીમ કોર્ટે પણ તેમાં મંજૂરીની મહોર મારી દીધી છે એટલે અન્ય રાજ્યોમાં પણ તેની અસર થયા વિના રહેવાની નથી. વાંચો આ અહેવાલ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65e080a151a91.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65e080a12290f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65e080a12290f.jpg" length="99040" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>supreme court, Dalit, Aadivasi, OBC, Minority, Dalit Atrocity, SC ST act</media:keywords>
                </item>
                        <item>
                    <title>બુદ્ધ અને મહાવીર વેદો અને ઈશ્વરને નકારતા હોવા છતાં આસ્તિક વિચારકો હતા</title>
                    <link>https://khabarantar.com/Buddha-and-Mahavira-were-theistic-thinkers-though-they-rejected-the-Vedas-and-God</link>
                    <guid>https://khabarantar.com/Buddha-and-Mahavira-were-theistic-thinkers-though-they-rejected-the-Vedas-and-God</guid>
                    <description>
                        <![CDATA[ પહેલી નજરે ધાર્મિક લાગી શકતો આ લેખ આખો વાંચીને વિચારતા તર્કની એરણે સાવ જુદા પ્રકારનો દ્રષ્ટિકોણ આપણી સમક્ષ રજૂ કરે છે. નાસ્તિક અજિત કેસકંબલથી લઈને મહાવીર અને બુદ્ધ સુધી દોરી જતો આ લેખ વાંચ્યા પછી વર્ષાઋતુમાં નાહીને નવપલ્લવિત થયેલી પ્રકૃતિ જેવી લાગણી થાય તો નવાઈ નહીં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">1.નાસ્તિક અજિત કેસકંબલ </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાવીર નિરીશ્વરવાદી અને બુદ્ધ નૈરાત્મ્ય વાદી હતા અને બંને વેદો વગેરેને માનતા નહીં પણ એથી તેઓ નાસ્તિક નથી બની જતા. નાસ્તિકોની વિચારધારા વેદો અને બૌદ્ધો બંનેથી અલગ હતી. નાસ્તિકોને કોઈએ ઋષિ નથી કહ્યાં કારણ કે એમના સિદ્ધાંતો જ એવા હતા. પ્રાચીન ભારતમાં શુદ્ધ નાસ્તિકવાદી વિચારકને ઉચ્છેદવાદી કહેવામાં આવતા અને એવા એક ચિંતક હતા અજિત કેસકંબલ. કહેવાય છે કે તે પોતાના વાળનું બનાવેલું વસ્ત્ર પહેરતા માટે આવું નામ પડ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અજિત કહે છે, “ના કોઈ દાન છે, ના યજ્ઞ કે હોમ છે જે મુખ્યત્વે દાન માટે કરવામાં આવે છે. જ્યાં દાન જ નિષ્પ્રયોજન છે ત્યાં યજ્ઞયાગ પણ નિરર્થક જ હોવાનાં. ના કોઈ સત્કર્મના સારા વા દુષ્કર્મના ખરાબ ફળો પ્રાપ્ત થાય છે. ના આ લોકો છે, ના પરલોક, માટે પરલોકમાં મૂએલાં અહીં જન્મ લેતા નથી કે ના ઇહલોકમાં મરેલાં ત્યાં જન્મ લે છે. આ લોક અને પરલોકમાં આવાગમનની માન્યતા જ મિથ્યા છે. આ સંસારમાં કોઈ શ્રમણ કે બ્રાહ્મણ એવો દાવો ના કરી શકે કે આધ્યાત્મિક સાધનામાં તેઓ એક ચોક્કસ કક્ષાએ પહોંચ્યા છે અને પારંગત થઇ એવા સ્તરે આવ્યા હોય કે જેઓ આ લોક અને પરલોકની બધી વાસ્તવિક્તાઓનો સાક્ષાત્કાર કરી ચૂક્યા છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અજિત આગળ કહે છે, “ના માતા છે, ના પિતા છે. માટે તેઓ સાથેના કામભોગ પર પ્રતિબંધ નહીં પણ મુક્તાચાર હોવો જોઈએ, જેમ કે પશુપક્ષીઓને બધી છૂટ છે. બધા પ્રાણીઓ પર સરખા નિયમો લાગુ થવા જોઈએ અને માનવસમાજના કોઈ વિશિષ્ટ નિયમો ના હોવા જોઈએ. એ માન્યતા સાચી નથી કે માતાપિતાના સંયોગ વગર કોઈ દેવલોકમાં જન્મ લે છે. કોઈ પોતાની મેળે જન્મ નથી લેતું અને બધા સંભોગથી જ જન્મે છે. ચાર પદાર્થોથી બનેલો માણસ જયારે મૃત્યુ પામે છે ત્યારે એનામાં રહેલું પૃથ્વીતત્વ પૃથ્વીમાં, જળ જળમાં, અગ્નિ અગ્નિમાં અને વાયુતત્વ વાયુમાં ભળી જાય છે. ઇન્દ્રિયો આકાશમાં વિલીન થઇ જાય છે. ચાર માણસો મૃતકને લઇ જઈને અગ્નિદાહ આપે છે અને થોડી વારમાં એના કોઈ ચિહ્ન રહેતા નથી. મનુષ્ય ભસ્મીભૂત થઇ જાય છે અને માત્ર કબૂતર જેવા સફેદ હાડકાં જ અવશિષ્ટ રહી જાય છે. એના મરણ બાદ એના માટે કરાયેલા શ્રાદ્ધ અને યજ્ઞદાન એના કશા કામમાં આવતાં નથી. આ બધું નિરર્થક સાબિત થાય છે. માટે મૃત્યુ પછી કર્મફળની વાત આસ્તિકો કરે છે એ માત્ર એમનો તુચ્છ પ્રકારનો વૃથા પ્રલાપ કેવળ છે. આથી કોઈ મૂર્ખ હોય કે બુદ્ધિમાન, મરણોપરાંત બધાના શરીર નષ્ટ થઇ જાય છે. બધું ખતમ થઇ જાય છે અને કશું જ રહેતું નથી.”</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65deb313f1a66.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વિચારક કર્મફળનાં સિદ્ધાંતનો સર્વથા નિષેધ કરતો હતો માટે શુદ્ધ નાસ્તિકમતનો પ્રતિપાદક હતો. આ ગુરુ અને એના અનુયાયીઓ મૃત્યુ પછી બધું સમાપ્ત થઇ જાય છે એમ કહેવાના કારણે ઉચ્છેદવાદી કહેવાતા. આસ્તિકોના પૂર્વજન્મના સિદ્ધાંતને પણ સ્વાભાવિકપણે જ નાસ્તિક હોઈ તેઓ માનતા નથી. બુદ્ધે આ વાદનો વિરોધ કરવા માટે જે તર્ક આપ્યા એની રજૂઆત દીઘનિકાય ગ્રંથમાં જોવા મળે છે, એમાંથી આ સંદર્ભ અભિપ્રેત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">2. અક્રિયાવાદી પૂરણક્સ્સપ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બુદ્ધ અને મહાવીરના સમકાલીન એવા વિચારકોમાં એક પૂરણકસ્સપ થઇ ગયા. આ મતમાં કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે અને આ મતના અનુયાયીઓને નાસ્તિકો તરીકે ઓળખવામાં આવતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પૂર્ણકાશ્યપ કહે છે, “કોઈ પણ દુષ્કર્મ કરવા કે કરાવવાથી, કોઈના શરીરને પીડા આપવા-અપાવવાથી, કોઈની હત્યા કરી એનું માંસ શેકવા કે શેકાવવાથી, કોઈને દુઃખી કરવા કે કરાવવાથી, કોઈને વિહ્વળ/વ્યાકુળ કે ભયભીત કરવા કે કરાવવાથી, પ્રાણીની હત્યા કરવા-કરાવવાથી, કોઈને કશું આપ્યા વગર એની પાસેથી કશુંક લઇ લેવાથી એટલે કે ચોરી કરવાથી, કોઈના ઘર પર કબ્જો કરવાથી કે લૂંટ ચલાવવાથી, પરસ્ત્રી સાથે સંબંધ બાંધવાથી કે જૂઠું બોલવાથી કોઈ પાપ લાગતું નથી.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં રાજગીરીથી સામે ગંગાના દક્ષિણતટે જતાં સુધીમાં તલવારની તીવ્ર/તીક્ષ્ણ ધાર વડે તમામ પ્રાણીઓના ટુકડેટુકડા કરી દેવાથી પણ કોઈ પાપ થતું નથી. ગંગાના ઉત્તરકાંઠે દાન આપવા કે અપાવવાથી, યજન -પૂજન કરવા કે કરાવવાથી અથવા દાન, દમન, સંયમ અને સત્યભાષણથી કોઈ પ્રકારે પુણ્ય પ્રાપ્ત થતું નથી. આ વિચારક અને એના અનુયાયીઓ કર્મનો જ છેદ ઉડાવી દેતા હોવાથી ઉચ્છેદવાદી-નાસ્તિકમતવાદી જ કહેવાતા. નાસ્તીકોમાં આ પ્રકારના વિચાર કરનારા અક્રિયાવાદી કે અકર્મવાદી પણ કહેવાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">3. શાશ્વતવાદી પ્રકુધ કાત્યાયન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બ્રાહ્મણ(વેદ-યજ્ઞ) અને શ્રમણ(જિન-બુદ્ધ)થી પૃથક એવા આગવી વિચારસરણી અને એને લગતા સંઘોના સ્થાપક વિચારકોની વાતમાં હવે સમજીએ પ્રકુધ કાચ્ચ્યાયનને જે સાત શાશ્વત વસ્તુઓમાં વિશ્વાસ કરતા અને નાસ્તિક હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65deb32e3501b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાત્યાયન કહે છે, “સાત પ્રકારના સમૂહ છે અથવા સાત તત્વો છે. તે અકૃત અને અવિહિત છે. ના તે નિર્મિત છે કે ના તે નિર્માણ કરે છે. એમાંથી કશું ઉત્પન્ન થતું નથી અને તે કુટસ્થ, અવિચલ તથા અટલ છે. આ સાત તત્વોમાં કોઈ પ્રકંપ કે પરિવર્તન થતાં નથી. આ તત્વો ના એકબીજાને સહાયક છે કે ના એકબીજાને બાધક બને છે અને ના તે એકબીજા માટે સુખનું, દુઃખનું કે સુખદુઃખનું કારણ બને છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સાત તત્વો એટલે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, સુખ, દુઃખ અને જીવ(પ્રાણી) પોતે. આમાં ના કોઈ હત્યા કરનાર છે કે ના કરાવનાર છે, ના અહીં કોઈ કોઈનું સંભાળવાવાળું છે કે ના કોઈ સંભળાવનાર છે. અહીં ના કોઈ જાણવાવાળું છે કે ના જણાવવાવાળું છે. આવામાં જો કોઈ તીક્ષ્ણ હથિયાર વડે કોઈની હત્યા કરી નાંખે તો પણ પ્રાણ નષ્ટ થતા નથી. શસ્ત્ર આ બધાની વચ્ચે જ ખોવાઈ જાય છે, માટે ના કોઈ મરે છે, ના કોઈ મારે છે. ત્યાં માત્ર આ સંઘ વિખરાઈ જાય છે અને એક વિઘટન થાય છે. કારણ કે આ સાત તત્વો અજર-અમર, અવિનાશી છે. પાપ-પુણ્ય, કર્મનો સિદ્ધાંત વગેરે આ વિચારકને અને તેના અનુયાયીઓને માન્ય નથી. આ વિચારક શાશ્વતવાદી તરીકે ઓળખાય છે અને નાસ્તિકમતનો જ આ એક પ્રકાર છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">4. ભાગ્યવાદી મખ્ખલી ગોસાલ</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બુદ્ધકાલીન ભારતના નિયતિવાદી વિચારક ગોસાલ કહે છે, “પ્રાણીઓના ક્લેશનો ના કોઈ હેતુ છે કે ના એનું કોઈ કારણ છે. કોઈ હેતુ કે કારણ વિના અને કોઈ પાપ ના કર્યું હોવા છતાં પ્રાણી દુઃખી થાય છે. એ જ પ્રમાણે પ્રાણીઓના એ ક્લેશ કે પીડામાંથી મુક્તિ માટે પણ કોઈ કારણ નથી. પુણ્યના કારણે તે દુઃખમુક્તિ પામે છે એવું નથી. કોઈ કારણ વગર જ પ્રાણી વિશુદ્ધ અને વિમુક્ત થઇ જાય છે. મુક્તિ માટે એ પોતે કશું કરી શકે પણ નહીં અને કોઈ અન્ય એમના માટે કશું કરી શકે એમ પણ નથી. કોઈ બળ, વીર્ય, પરાક્રમ કે પુરુષાર્થ મુક્તિ માટે કામના નથી. બધા પ્રાણી, જીવ, વ્યક્તિ અને અસ્તિત્વો નિર્વીર્ય, નિર્બળ, વિવશ છે અને પ્રારબ્ધવશાત સુખદુઃખ ભોગવતા રહે છે. અહીં ફ્રી વિલનો સદંતર નિષેધ કરી દેવામાં આવ્યો છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૂર્ખ હોય કે જ્ઞાની, બધાંએ ચૌદ લાખ છાંસઠસો યોનીઓમાંથી પસાર થતાં એંશી લાખ કલ્પો સુધી ભવસંસરણ કરવું પડે છે ત્યારે જ દુઃખોનો અંત થાય છે. એ અશક્ય છે કે કોઈ પોતાના તપ, શીલ, વ્રત કે બ્રહ્મચર્યના સહારે પોતાના અપક્વ કર્મોને પરિપક્વ કરી શકે અથવા પક્વ કર્મોને ભોગવીને એનો અંત કરી શકે. સુખ દુઃખ બરાબર અનુપાતમાં જ ગોઠવાયેલા હોય છે અને સંસારમાં એની વધઘટ થવી કે કરવી સંભવ નથી. જ્ઞાની અને અજ્ઞાની, બંનેએ આમાંથી અનિવાર્યપણે પસાર થવાનું જ છે અને એનો કોઈ ઉપાય નથી. બધા માટે બધું કેવળ નિયતિ મુજબ જ થાય છે. આ નિષ્કર્મ્યવાદી, પ્રારબ્ધવાદી, નિયતિવાદી ચિંતક પણ નાસ્તિક્તાવાદનો જ એક પ્રકાર પ્રસ્તુત કરતા જણાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">5. અનિશ્ચયવાદી સંજય બેલઠ્ઠપુત્ત</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગણાચાર્ય તીર્થંકર એવા સંજય કોઈ વાદનું સમર્થન ના કરતા વાદના પ્રવર્તક હતા. કર્મફળ અને ઇહલોકપરલોકની માન્યતાઓને ના આ વિચારક સ્વીકારતા કે ના એનો અસ્વીકાર કરતા. ના એ આસ્તિક હતા કે ના નાસ્તિક અને એમનો કોઈ ચોક્કસ મત નહોતો. આશ્ચર્યની વાત એ છે કે એનો કોઈ મત કે વાદ જ નહોતો છતાં એને ઘણા ભક્તો અને અનુયાયીઓ હતા. સારિપુત્ત અને મોગ્ગલ્લાન સહિતના અઢીસો જેટલા શિષ્યો જયારે એમને છોડીને ભગવાન બુદ્ધના સંઘમાં જોડાઈ ગયા ત્યારે રાજગીરના ગૃહસ્થ નાગરિકોએ બુદ્ધની નિંદા કરી હતી, એનું કારણ પણ એ જ હતું કે એ બધાં બેલઠ્ઠપુત્તના સમર્થકો હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">6. પયાસી વસ્સ અને ભજ્જ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં જેઓનો ઉલ્લેખ છે અને જેઓ ધર્મ-કર્મના તત્વજ્ઞાનને અનુસરતા નહીં એવા નાસ્તિક કે અજ્ઞેયવાદી વિચારકોમાં એક રાજા પયાસી પણ હતા. કૌશલનરેશ પ્રસેનજિત દ્વારા મેળવેલા પ્રદેશ પર રાજ્ય કરતો આ રાજા સારા ખરાબ કર્મોના ફળ, લોક-પરલોક અને જન્માંતરના સિદ્ધાંતમાં માનતો નહીં. કહેવાય છે કે બુદ્ધના શિષ્ય ભિક્ષુ કુમારકાશ્યપઃ સાથેના સંવાદ પછી આ રાજા નાસ્તિકદ્રષ્ટિથી મુક્ત થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માત્ર મધ્યપ્રદેશ જ નહિ પણ ભારતના ઉત્તરપ્રદેશમાં પણ નાસ્તિક્તાવાદ એ સમયે ઘણો પ્રચલિત વિચાર હતો. વસ્સ અને ભજ્જ નામના બે અહેતુવાદી, અક્રિયાવાદી અને નાસ્તિક વિચારસરણીના મનુષ્યો ઉત્કલમાં રહેતા હતા. એવું કહેવાય છે તેઓએ જયારે બુદ્ધના અલોભ, અક્રોધ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિના ઉપદેશો સાંભળ્યા ત્યારે એનો વિરોધ તેઓ કરી શક્યા નહીં. આવું ના કરવા પાછળ તેઓ લોકલાજ અને લોકનિંદાથી બચવા માંગતા હતા કારણ કે તેઓ કટ્ટર નાસ્તિક કે ધર્મના બધી રીતે આલોચક બનવા માંગતા નહોતા. એવું કહી શકાય કે તેઓ નાસ્તિક તો હતા જ પણ ધર્મની બધા પ્રકારે નિંદા કરવામાં માનતા નહીં અને સદ્ગુણના પક્ષમાં હતા. તેઓને કોઈ સ્વતંત્ર સંઘો કે સ્થાપિત વિચારધારાઓ નહોતા પણ સદ્ગુણી નાસ્તિક હતા એમ કહી શકાય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">7. નિગંઠ નાટપુત્ત (વર્ધમાન મહાવીર) અને શાક્યમુનિ ગૌતમ (શાસ્તા બુદ્ધ)- સામ્ય અને વિષમતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાવીર ગણી હતા, ગણાચાર્ય અને તીર્થંકર હતા. કર્મફળ, પુનર્જન્મ અને લોકપરલોકને નકારનારા નાસ્તિક આચાર્યોની સામે બુદ્ધની જેમ મહાવીર પણ શીલ-સદાચારનો ઉપદેશ આપતા અને દેહદમન તથા તપત્યાગપ્રધાન ધર્મનું આચરણ એ તેઓનું દર્શન હતું. એ સમયે આત્મા પરમાત્મા સાથે નહીં પણ સદાચાર સાથે આસ્તિકતાને સંબંધ હોઈ બુદ્ધ અને મહાવીર વેદો અને ઈશ્વરને નકારતા હોવા છતાં આસ્તિક વિચારકો હતા. નિગંઠ નાટપુત્ત અને દેવ સિદ્ધાર્થની વિચારણામાં ભેદ હતો આથી તેઓ પરસ્પર સમર્થક નહોતા પરંતુ તેઓ ઉભય ધર્મને સ્વીકારતા અને નાસ્તિક્તાનો વિરોધ કરતા એ સામ્ય હતું, જેના કારણે તેઓ એકબીજાના નિંદક નહોતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65deb34199bec.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લિચ્છવી ગણતંત્રના સેનાપતિ સિંહ મહાવીરના અનુયાયી હતા પરંતુ બુદ્ધથી પ્રભાવિત થયા હતા અને એ અન્વયે તેઓએ બુદ્ધ પાસે જઈ ઉપદેશ ગ્રહણ કરવાની વાતનો પ્રસ્તાવ મુક્યો ત્યારે મહાવીરે એમ કહીને એ નકાર્યો કે બુદ્ધ તો અક્રિયાવાદી છે. જો તે બુદ્ધનો ઉપદેશ સાંભળશે તો એનાથી લાભ નહીં પણ હાનિ થવા પામશે. એ કાળમાં જે તપ અને પુરુષાર્થ દ્વારા મુક્તિને પામવા પ્રયત્ન કરતા નહીં તેઓને અક્રિયાવાદી કહેવામાં આવતા ત્યારે આખરે સિંહે બુદ્ધને મળીને એ જ પ્રશ્ન કર્યો કે શું તેઓ અક્રિયાવાદી છે? ત્યારે બુદ્ધે ઉત્તર આપતા જણાવ્યું કે અતિશ્યોક્તિભર્યા તપત્યાગના સ્થાને હું કુશળ કર્મો કરવાનો ઉપદેશ આપું છું. હું અકુશળ કર્મો ના કરવા કહું છું માટે હું અક્રિયાવાદી નથી થઇ જતો. આ સાંભળી સિંહ સેનપતિ સંતુષ્ટ થઇ બુદ્ધના ગૃહસ્થ શિષ્ય બની ગયા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિગંઠ નાટપુત્તના અન્ય શિષ્ય શ્રેષ્ઠી ઉપાલી એ બુદ્ધ સમક્ષ એવો વિવાદ ઉપસ્થિત કર્યો કે જેમાં બુદ્ધના મન અને વાણીના કર્મો પર ભાર આપવાને નિરર્થક અને શરીરના કર્મોને પ્રાધાન્ય આપવાને મહત્વપૂર્ણ માનવાની વાત હતી, પરંતુ તર્કયુક્ત રીતે બુદ્ધે જયારે શરીરની નહીં પણ મનની જ સાધના શ્રેષ્ઠ છે એમ સિદ્ધ કર્યું ત્યારે તે પણ બુદ્ધના શિષ્ય બની ગયા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એવા એક મહાવીરશિષ્ય અભય રાજકુમાર હતા જેઓએ બુદ્ધને એવો પ્રશ્ન કર્યો હતો કે શું તેઓ ક્યારેય અપ્રિય વાણી બોલે છે? એનો હેતુ તો એ હતો કે એને જાણ હતી કે બુદ્ધે કોઈને અપ્રિય વચનો કહ્યા હતા, પણ બુદ્ધે પોતે જ એ વાતનો સ્વીકાર કરી જણાવ્યું કે તેઓ મૈત્રીપૂર્ણ રીતે કોઈના હિત માટે અપ્રિય વાણી બોલવાની આવે તો એમ કરે છે એ જાણી તે પણ સંતુષ્ટ થયો. આમ બુદ્ધ મહાવીર વેદ અને ઈશ્વરની બાબતમાં નાસ્તિક કહેવાતા પરંતુ પોતાના મતોમાં તેઓ આસ્તિક હતા. બંનેના વિચારોમાં વૈષમ્ય હતું પરંતુ તેઓ અન્ય નાસ્તિકોના મતોનું ખંડન કરતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પરેશ બૌદ્ધ, મહેસાણા (સંદર્ભઃ કલ્યાણમિત્ર એસ.એન. ગોએન્કા)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/The-branches-of-the-Bodhi-tree,-through-which-Emperor-Ashoka-propagated-the-Dhamma-to-the-world"><strong><span style="font-size: 14pt;">બોધિ વૃક્ષની તે શાખાઓ, જેના દ્વારા સમ્રાટ અશોકે વિશ્વમાં 'ધમ્મ'નો પ્રચાર કર્યો હતો</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"> </span>અહીં ક્લિક કરો</a></span></span></strong></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 28 Feb 2024 09:59:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>372</Articleid>
                    <excerpt>પહેલી નજરે ધાર્મિક લાગી શકતો આ લેખ આખો વાંચીને વિચારતા તર્કની એરણે સાવ જુદા પ્રકારનો દ્રષ્ટિકોણ આપણી સમક્ષ રજૂ કરે છે. નાસ્તિક અજિત કેસકંબલથી લઈને મહાવીર અને બુદ્ધ સુધી દોરી જતો આ લેખ વાંચ્યા પછી વર્ષાઋતુમાં નાહીને નવપલ્લવિત થયેલી પ્રકૃતિ જેવી લાગણી થાય તો નવાઈ નહીં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65deb2fa8bf67.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65deb2fa5fafa.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65deb2fa5fafa.jpg" length="47513" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>એટ્રોસિટીની ફરિયાદમાં કોર્ટ પીડિતને સાંભળ્યાં વિના આરોપીને જામીન પર છોડી શકે નહીં</title>
                    <link>https://khabarantar.com/In-an-atrocity-complaint,-the-court-cannot-release-the-accused-on-bail-without-hearing-the-victim</link>
                    <guid>https://khabarantar.com/In-an-atrocity-complaint,-the-court-cannot-release-the-accused-on-bail-without-hearing-the-victim</guid>
                    <description>
                        <![CDATA[ એટ્રોસિટી એક્ટ હેઠળ થતી અનેક ફરિયાદોમાં કોર્ટ પીડિતોને સાંભળવાની તક આપ્યા વિના આરોપીઓને જામીન પર છોડી મૂકતી હોય છે. એટ્રોસિટી એક્ટની જોગવાઈઓ મુજબ તે યોગ્ય નથી. હાલમાં જ આ મામલે દિલ્હી હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચૂકાદો આપ્યો છે ત્યારે નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજ કે.બી. રાઠોડ સાહેબ અહીં આ સંદર્ભમાં વિસ્તારથી સમજણ આપે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">- કે.બી. રાઠોડ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં તા 14/2/2024 ના રોજ દિલ્હી હાઈકોર્ટેના જસ્ટિસ નવીન ચાવલાની બેંચે એક દલિત પીડિતાએ કરેલ અપીલમાં ચુકાદો આપીને દિલ્હીની સાકેત કોર્ટ સ્થિત સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટે આરોપીને જામીન આપવાનો કરેલ હુકમ રદ કરેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક દલિત યુવતી પર સવર્ણ સમાજના આરોપીએ કરેલ બળાત્કાર, છેડતી અને ગુનાહિત ધમકી અંગે IPC કલમ 376, 354B, 506(2) ઉપરાંત એટ્રોસિટી એક્ટ ની કલમ 3(1)(w)(i), 3(2)(v) ના ગુનાની FIR નોંધાયેલ. તે ગુનાઓમાં પોલીસે આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલેલ. આ કેસમાં આરોપીએ જામીન અરજી કરતા કોર્ટે પીડિત યુવતીને સાંભળવાની તક આપ્યા વિના જામીન પર છોડવાનો હુકમ કરેલ.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આ હુકમ વિરુદ્ધ બળાત્કાર પીડિત દલિત યુવતીએ દિલ્હી હાઇકોર્ટમાં એટ્રોસિટી એક્ટની કલમ 14A ની જોગવાઈ મુજબ અપીલ કરેલ. અપીલમાં એવો કાનૂની મુદ્દો ઉઠાવેલ કે એટ્રોસિટી એક્ટની કલમ 15A(3) અને 15A(5) મુજબ કોર્ટે જામીન અરજીમાં ફરિયાદી કે પીડિતને નોટિસની બજવણી કરી સાંભળવા ફરજીયાત છે. તેમ છતાં સ્પે જજની કોર્ટે ફરિયાદી પીડિતને નોટિસની બજવણી કર્યા વિના આરોપીને જામીન પર છોડવાનો હુકમ કરેલ છે તેથી કાયદાની આ જોગવાઈમાં જે ફરજીયાત પ્રક્રિયા(procedure) કરવી જોઈએ તેનું ઉલ્લંઘન કરી જામીન પર છોડેલ છે. તે સંજોગોમાં જામીન રદ કરવા જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં સીમાચિહ્નરૂપ ચુકાદો આપીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC/ST) સામેના અત્યાચાર સંબંધિત કેસોમાં પ્રક્રિયાગત ન્યાયીપણાના સર્વોચ્ચ મહત્વ પર ભાર મૂક્યો છે. અને પીડિતોના અધિકારો અને ન્યાયતંત્ર પરની પ્રક્રિયાગત જવાબદારીઓ અંગે નોંધપાત્ર દાખલો બેસાડે તેવો ચુકાદો આપેલ છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">તે પહેલા હરીરામ ભાંભિ વિરુદ્ધ સત્યનારાયણના કેસમાં સુપ્રીમ કોર્ટે તા 29/10/2021ના ચુકાદામાં પણ ઠરાવી આપેલ છે કે એટ્રોસિટી એક્ટ નીચેના ગુનાની જામીન અરજીની સુનવણી કરતા પહેલા એટ્રોસિટી એક્ટની કલમ 15A (3) મુજબ ફરિયાદી/પીડિતને નોટિસની બજવણી કરવી જોઈએ. અને કલમ 15A(5) મુજબ ફરિયાદી/પીડિતને સાંભળવાની તક આપવી ફરજીયાત છે. આ કાર્યવાહી (procedure) નું પાલન કરવું ફરજીયાત છે. તેનું ઉલ્લઘન થયેલ હોય તો જામીન રદ થાય.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આમ એટ્રોસિટી એક્ટની કલમ 15A(3) અને (5) માં સ્પષ્ટ જોગવાઈ કરેલ છે. ઉપરાંત સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટના ચુકાદામાં આ કાનૂની સિધ્ધાંત પ્રતિપાદીત કરેલ હોવા છતાં ગુજરાતની એટ્રોસિટી એકટ નીચેની અમુક સ્પેશ્યલ કોર્ટો અમુક કિસ્સામાં જામીન અરજીઓમાં ફરિયાદી કે પીડિતને પાર્ટી તરીકે જોડેલ ન હોય તો પણ જામીન અરજીઓ સ્વીકારીને રજીસ્ટરે લઈ માત્ર ગુનાની તપાસ કરનાર પોલીસ અધિકારીને નોટિસની બજવણી કરતી હોય છે. હકીકતમાં ઉપરોક્ત દિલ્હી હાઇકોર્ટના ચુકાદા મુજબ ફરિયાદી કે પીડિતને નોટિસની બજવણી થયા અંગેની ખાત્રી કરી તે અંગેનું રેકર્ડ જામીન અરજીમાં રેકર્ડ પર આવ્યા પછી જ જામીન અરજીનો નિર્ણય કરવો જોઈએ. ઘણા કિસ્સાઓમાં ગુનાની તપાસ કરનાર પોલીસ અધિકારી ફરિયાદીને મોબાઈલ કોલ કરી જામીન અરજીની જાણ કરી કોર્ટમાં હાજર રહેવાની મૌખિક સૂચના આપી કોર્ટમાં રજૂઆત કરતા હોય છે કે અમે ફરિયાદીને મોબાઈલ કોલથી જાણ કરેલ છે. આ પ્રેક્ટિસ ગેરકાયદેસર છે. છતાં ચલાવી લેવાય છે. અમુક કિસ્સાના તપાસ કરનાર પોલીસ અધિકારીને કોર્ટ નોટિસ કરે તેમાં ફરિયાદીને જાણ કરી હાજર રખાવવાની સૂચના આપે તેના પરથી તે અધિકારી પોતાની સહી કરી એક પત્ર લખી ફરિયાદીને જામીન અરજી બાબત અને તેની મુદતની જાણ કરતા હોય છે. અમુક કિસ્સામાં આ પોલીસ અધિકારીઓ જામીન અરજીની મુદતની ખોટી તારીખ જણાવતા હોય છે કે જે દિવસે જામીન અરજીની મુદત હોતી નથી. આમ કરી પીડિત અને ફરિયાદીને ગેરમાર્ગે દોરતા હોય છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">એટ્રોસિટી એક્ટની કલમ 15A(5) માં જામીન અરજીમાં ફરિયાદી/પીડિતને સાંભળવાની તક આપવાની સ્પષ્ટ જોગવાઈ કરી છે. આ બધી જોગવાઈઓ એટ્રોસિટી એક્ટમાં 2016માં ધરખમ સુધારા કરી એટ્રોસિટી એક્ટ નીચેના ગુનાઓમાં પીડિતોના હક્ક અને અધિકારો માટે સ્પેશ્યલ જોગવાઈઓ કરેલ છે. તેમ છતાં અમુક કોર્ટો જામીન અરજીમાં કે આ કાયદા નીચેની બીજી કોઈ પણ કાર્યવાહીમાં ફરિયાદી કે પીડિતને કે તેની પસંદગીના વકીલ ને સાંભળવાનો સ્પષ્ટ ઇન્કાર કરીને સાંભળતી જ નથી. તેઓના તરફથી કોઈ દલીલ કે રજૂઆત કરવામાં આવે તો તેને ના પાડીને એમ સંભળાવી દેવામાં આવે કે તમારે બોલવાનું નથી. ઘણા કિસ્સામાં કોર્ટ તરફથી "પબ્લિક પ્રોસોક્યુટર આ કેસ ચલાવે છે એટલે તમે બોલશો નહીં" તેમ કહી આ જોગવાઈનું ઉલ્લંઘન કરવામાં આવે છે.</span></p>
<p><em><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">(લેખક નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ અને બહુજન સમાજને ન્યાયિક વ્યવસ્થામાં પડતી સમસ્યાઓ અંગે ચિંચિત વડીલ છે)</span></strong></span></em></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/More-than-48-thousand-vacancies-of-SC,-ST,-OBC-in-various-departments-of-Gujarat-Govt">ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં SC, ST, OBCની 48 હજારથી વધુ નોકરીઓ ખાલી</a><br></span></strong></span></p>
<p><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>Khabarantar.com </strong></span><strong><span lang="GU" style="color: rgb(224, 62, 45);">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </strong></span><span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span><o:p></o:p></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 25 Feb 2024 11:24:25 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>368</Articleid>
                    <excerpt>એટ્રોસિટી એક્ટ હેઠળ થતી અનેક ફરિયાદોમાં કોર્ટ પીડિતોને સાંભળવાની તક આપ્યા વિના આરોપીઓને જામીન પર છોડી મૂકતી હોય છે. એટ્રોસિટી એક્ટની જોગવાઈઓ મુજબ તે યોગ્ય નથી. હાલમાં જ આ મામલે દિલ્હી હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચૂકાદો આપ્યો છે ત્યારે નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજ કે.બી. રાઠોડ સાહેબ અહીં આ સંદર્ભમાં વિસ્તારથી સમજણ આપે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65dad5d334a0b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65dad5d2d9e82.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65dad5d2d9e82.jpg" length="88086" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>અર્થતંત્રને લમણે બંદૂક મૂકીને રાજકીય સત્તા તેને નચાવે છે!</title>
                    <link>https://khabarantar.com/By-putting-a-gun-to-the-right-of-the-economy,-political-power-suppresses-it</link>
                    <guid>https://khabarantar.com/By-putting-a-gun-to-the-right-of-the-economy,-political-power-suppresses-it</guid>
                    <description>
                        <![CDATA[ દુનિયાભરમાં શાસકો કેવી કેવી રીતે સત્તા પ્રાપ્ત કરે છે, કરતા આવ્યા છે, તેનું સ્વરૂપ કેવું હોય છે તે બાબતે બૌદ્ધિક વર્ગ પણ બહુ ઊંડો ઉતરતો નથી, ત્યારે તેના વિશે પ્રો. હેમંતકુમાર શાહ વિખ્યાત લેખક રોબર્ટ સ્કિદેલસ્કીના પુસ્તક What is Wrong with Economics ના પ્રકરણ Economics and Powerનો ભાવાનુવાદ રજૂ કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લેખકઃ રોબર્ટ સ્કિદેલસ્કી, ભાવાનુવાદઃ પ્રો. હેમંતકુમાર શાહ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">“મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રીઓને આર્થિક ઘટનાઓને સમજાવવા માટે શોષણ અને સત્તા જેવા ખ્યાલો માત્ર નકામા જ લાગ્યા છે એવું નથી, પરંતુ તેમને આવા સંવેદનાત્મક શબ્દો વિશ્લેષણમાં દાખલ કરવામાં ચિંતા થાય છે.” એમ 2001ના નોબેલ ઈનામ વિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી જોસેફ સ્ટિગ્લિટ્ઝ કહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેવી રીતે સત્તા પ્રાપ્ત કરવામાં આવે છે, કેવી રીતે સત્તાનો ઉપયોગ થાય છે અને સત્તાની લોકસ્વીકૃતિ (legitimacy) શું છે એ રાજ્યશાસ્ત્રનો મુખ્ય વિષય છે. અર્થશાસ્ત્રમાં આ વિષયની ગેરહાજરી એકદમ સ્પષ્ટ છે. કમ-સે-કમ કહેવા પૂરતું પણ જેમાં દબાણ ન હોય તેવા સંબંધોનો અભ્યાસ તો અર્થશાસ્ત્ર કરે જ છેઃ જેમ કે, બજારમાં સ્વૈચ્છિક રીતે થતી સોદાબાજી. વાસ્તવિક રાજકીય જગત સત્તાના સંબંધો દ્વારા આકાર પામે છે અને વાસ્તવિક આર્થિક જગત સ્વૈચ્છિક કરારો દ્વારા આકાર પામે છે; ત્યારે શું રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જીવનનાં બે અલગ અલગ ક્ષેત્રો વિષે વાત કરે છે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકીય અર્થતંત્ર (political economy) એ બંનેને સાથે મૂકવાનો એક પરંપરાગત પ્રયાસ છે. પરંતુ એક વિદ્યાશાખા તરીકે માર્ક્સવાદ સાથે તે જોડાયો તેથી જે બિન-માર્ક્સવાદી અર્થઘટનો હતાં તે સત્તાના સંબંધો અને આર્થિક સંબંધો કેવી રીતે પરસ્પર જોડાયેલા છે તેને વિષે અસ્પષ્ટતા ધરાવતાં થઈ ગયાં. તેને પરિણામે રાજકીય અર્થતંત્રનો અભ્યાસ હાંસિયામાં ધકેલાઈ ગયો. રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર, એ બંને વિદ્યાશાખાઓ તેમના અલગ અલગ રસ્તે ચાલે છે અને તેમની પોતાની ગુફાઓમાં રહે છે. એ બંનેની વચ્ચે જ જાહેર નીતિઓના મહત્ત્વના પ્રશ્નો ઊભા થતા હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અર્થશાસ્ત્રીઓએ આર્થિક સંબંધોમાં સત્તા જે ભૂમિકા ભજવે છે તેને અવગણી છે. આ અવગણના ઈરાદાપૂર્વકની છે. અર્થતંત્રમાં સત્તા કેટલી હદ સુધી વ્યાપ્ત છે તે બાબતને અવગણીને મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રીઓએ સત્તાનાં પ્રવર્તમાન માળખાંને અદૃશ્ય બનાવીને મજબૂત બનાવી દીધાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સત્તા વિશે વાત કરનાર કોઈ પણ વ્યક્તિ માટે સૌ પ્રથમ પડકાર એ છે કે તેનો અર્થ શો થાય છે તે કહેવું. એકદમ સીધા-સાદા શબ્દોમાં કહીએ તો સત્તા એટલે સજા કે ધમકી દ્વારા બીજાને પોતાની ઈચ્છાને તાબે કરવા તે. સત્તા(power) અને સત્તાધિકાર(authority) બંને એક જ નથી. જો કે, એ બંને ખ્યાલો એકબીજાના પર્યાય બને છે ખરા. સત્તાધિકાર એટલે સ્વીકૃત ચારિત્ર્ય, દિમાગ, અનુભવ અથવા હોદ્દાની ઉચ્ચતા મારફતે પ્રસ્થાપિત થાય તે. તેમાં માન્ય અધિકાર આવે છે કે જેનો સ્વીકાર થાય છે. જો કે, ડોક્ટરની પાસે સત્તાધિકાર છે પણ સત્તા નથી. બધી સત્તા કંઈ ગેરકાનૂની (illegitimate) હોતી નથી. તે કાનૂની હોઈ શકે છે તે એ અર્થમાં કે હુકમો કરવાનો કોઈકનો અધિકાર અને તેમનું પાલન કરવાની બીજાની ફરજ એ સામાન્ય રીતે સ્વીકૃત બાબત છે. જો કે, તે કદી પણ સંપૂર્ણતયા કાનૂની હોતી નથી. તેમાં સત્તા જેની પાસે છે તેની ઈચ્છાઓ સામેનો વાસ્તવિક કે સંભવિત એવો કોઈક પ્રકારનો પ્રતિકાર હોઈ શકે છે, કે જેને રોકવો પડે અથવા તો તેને અતિક્રમી જવો પડે. બધા જ સત્તાધિકારને સત્તાથી અલગ પણ પાડી શકાય નહિ. આપણે સત્તાની ઉપરવટ હોય અથવા અલગ હોય એવા કોઈક મહિમાવંત કાનૂન(majesty of law)ની વાત કરી રહ્યા છીએ. પરંતુ આપણે ‘ધનવાનો માટે એક કાયદો છે અને ગરીબો માટે બીજો કાયદો છે’ એવી શંકાને ટાળી શકીએ એમ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સત્તા વિશેની એક સૌથી પ્રભાવક ચર્ચા બ્રિટિશ સમાજશાસ્ત્રી સ્ટિવન લુક્સ (1941) દ્વારા કરવામાં આવી છે. તેઓ કહે છે કે સત્તાને ત્રણ રીતે સમજવી જોઈએ: સખત સત્તા (blunt power), કાર્યસૂચક સત્તા (agenda power) અને વર્ચસ્વલક્ષી સત્તા (hegemonic power).</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સખત સત્તા એ એકદમ સરળ સ્વરૂપની છે. તે બહુ ઓછી વિવાદાસ્પદ છે અને તે ચોક્કસપણે આ ત્રણમાં સૌથી મહત્વનું સ્વરૂપ છે. સખત સત્તા એટલે લમણે બંદૂક અને ગળું દબાવવુંઃ એટલે લોકો જે કરવા ઈચ્છતા નથી અને તમે જે તેમની પાસે કરાવવા માંગો છો તે કરવા માટે લોકો પર દબાણ લાવવાની ક્ષમતા. દબાણની માત્રા જુદી જુદી હોય છે, પરંતુ મૂળ બાબત તો એક જ છે. હું જે ઈચ્છું છું તે તમે નહિ કરો તો હું તમને મારી નાખીશ અથવા તમારી જિંદગીને બહુ જ પીડાદાયક બનાવી દઈશ અથવા બહુ જ મુશ્કેલ બનાવી દઈશ. ઈતિહાસમાં સત્તાનું આ સ્વરૂપ સૌથી વધુ પ્રવર્તમાન રહ્યું છે. તે મોટે ભાગે લશ્કરી સંઘર્ષોની કહાનીઓ છે. પોલેન્ડના લશ્કરી જનરલ રહેલા કાર્લ ક્લોઝ્વિત્ઝ(1780-1831) યુદ્ધની વ્યાખ્યા આ રીતે આપે છેઃ “મારી ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે વિરોધીને ફરજ પાડવા માટે કરવામાં આવતી હિંસા.” આંતરરાષ્ટ્રીય સંબંધોમાં હજુ પણ યુદ્ધ એક મહત્વનો મુદ્દો છે, જો કે તેનું સ્વરૂપ મિશ્ર થઈ ગયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાર્યસૂચક સત્તા એટલે રાજકારણની કાર્યસૂચિ ઉપર અંકુશ ધરાવવાની સત્તા. તે એ છે કે જેમાં નિર્ણય પ્રક્રિયામાં અણગમતા વિચારોને બાકાત રાખવામાં આવે છે. જો તમારાં હિતો સાથે કોઈક વિચારનો મેળ ન ખાતો હોય તો તમે તેની ચર્ચા થતી જ રોકો છો. કોઈક સભામાં જે અધ્યક્ષ હોય છે તે સભાની કાર્યસૂચિ નક્કી કરે છે અને તે ચાલાકીપૂર્વક એની કાળજી રાખે છે કે અણગમતા વિષયની ચર્ચા માટે સમય રહે તે પહેલાં જ સભા પૂરી થઈ જાય! માધ્યમો અને રાજકીય પક્ષો જાહેર ચર્ચાનાં ભાષા અને રંગ(tone) નક્કી કરે છે. તેઓ નક્કી કરે છે કે કયા વિચારો વિષે ચર્ચા ચાલે અને કયા મુદ્દા ઢંકાઈ જાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગ્રીસની નાણાકીય કટોકટી વખતે તેને ઉગારવા માટેની ચર્ચા ચાલતી હતી ત્યારે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ(IMF)ના વડા ક્રિસ્ટિન લેગાર્ડ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે,  “પુખ્ત લોકો સાથે જ વાતચીત” કરવાની જરૂર છે. તેમની આ વાત બહુ પ્રખ્યાત થઈ ગઈ હતી. તેમનો ઈશારો ગ્રીસના નાણાં પ્રધાન યાનિસ વારુફકિસ સામે હતો કે જેમને બાલિશ માણસ તરીકે ચીતરવામાં આવ્યા હતા. યાનિસે દેવામાં રાહત વિશે જે દરખાસ્તો રજૂ કરી હતી તેના ઉપર ચર્ચા કરવામાં આવી જ નહોતી. ગ્રીસના કપાળે બંદૂક મૂકવાની ઘડી તો પછી આવી હતી; કે જ્યારે યુરોપિયન સેન્ટ્રલ બેંકે ગ્રીસમાં લોકમત લેવામાં આવનાર હતો ત્યારે દેશની બેન્કિંગ વ્યવસ્થા જ તોડી પાડી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65d5bb74052b7.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ જ રીતે, જો મોટાં માધ્યમો કાર્યસૂચક સત્તા દ્વારા થતા કાર્યને પ્રસિદ્ધિ આપવાનો ઇનકાર કરે અને રાજકીય પક્ષો તેને માટે દબાણ ન કરે તો ધીમે ધીમે તેમાં લોકોનો રસ ઓછો થઈ જાય છે. લોકો પાનના ગલ્લે કે ચોરે ને ચૌટે  ઊભા ઊભા બડબડાટ કર્યા કરે, પરંતુ મોટે ભાગે તેનાથી કશું વળતું નથી. તેનું એક વિશિષ્ટ ઉદાહરણ વૈશ્વિક સ્થળાંતર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અલબત્ત, આ રીતે, વાસ્તવિક બાબતોને તદ્દન અવગણવાનું સંપૂર્ણપણે શક્ય બનતું નથી, સફળ  થતું નથી. ‘ડેઈલી મેલ’ અને ‘ડેઈલી ટેલિગ્રાફ’ અખબારો દ્વારા સતત લાંબા ગાળા સુધી બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જાય તેને ટેકો આપવામાં આવ્યો હતો; પરંતુ જ્યાં સુધી ડેવિડ કેમેરોન અને જ્યોર્જ ઓસ્બોર્ન સત્તા પર આવ્યા અને તેમને લાગ્યું કે યુરોપ અંગે જે આંતરવિગ્રહ રૂઢિચુસ્ત પક્ષ દ્વારા ઊભો કરવામાં આવ્યો છે તે લોકમત લીધા સિવાય શાંત નહિ થાય, ત્યાં સુધી એ મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવ્યો જ નહોતો. એ જ રીતે, રિપબ્લિકન પાર્ટીની અંદરની આરંભિક ચૂંટણીમાં સામાજિક માધ્યમોનો લુચ્ચાઈભર્યો ઉપયોગ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ એકદમ ધડાકાભેર આગળ ન આવ્યા ત્યાં સુધી તો તેમને કોઈ ગણતરીમાં લેતું જ નહોતું. ટીવી ચેનલો નાટક કરવામાં જે રસ ધરાવતી હતી તેનો તેમણે ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. કાર્યસૂચક સત્તાનો ઉપયોગ કરવાની ક્ષમતાની સૌથી મોટી મર્યાદા ભિન્ન ભિન્ન અભિપ્રાયો હોય છે એ છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાર્યસૂચક સત્તા વર્ચસ્વલક્ષી સત્તા અથવા વિચારધારાકીય સત્તા (ideological power) સાથે બેવડાય છે. એમાં એનો અર્થ ખોટા વિચારોને બાજુ પર મૂકી દેવાનો નથી થતો પણ પોતાના વિચારોથી લોકોના મગજને ભરી દેવાનો થાય છે. વિચારધારાકીય સત્તા અદ્રશ્ય હોય છે, એટલે તેમાં પ્રતિકાર ઊભો થતો નથી. સ્ટિવન લુક્સ તેને “વિચારો, ઈચ્છાઓ, માન્યતાઓ અને તેને પરિણામે પ્રાથમિકતાઓ પરની સત્તા” કહે છે. ફ્રેન્ચ સમાજશાસ્ત્રીઓ પિયર બોર્દૂ (1930-2002) અને મિશેલ ફુકો (1926-1984) બંનેએ રહસ્યમયી વર્ચસ્વ (cryptic domination)ની વાત કરી છે. તેઓ કહે છે કે આ પ્રકારનું વર્ચસ્વ આપણી અંદર અને આપણી આદતોમાં એવું ઘૂસી જાય છે કે આપણે ખરેખર તેને માટે સભાન પણ થઈ શકતા નથી. પ્રચાર કાર્યસૂચક સત્તા અને વર્ચસ્વલક્ષી સત્તા બંનેને ટેકો આપે છે લોકો લાંબે ગાળે કેવી રીતે વિચારે તેનું માળખું તૈયાર કરી આપે છે. તમે પ્રેમપૂર્વક તેને તાબે થાવ છો, ભયથી નહિ. લુક્સ, બોર્દૂ અને ફુકોની વ્યાખ્યાઓ થોડી થોડી જુદી પડે છે ખરી, પણ તેઓ ત્રણેય જે વાત કરે છે તે એ છે કે આપણાં મૂલ્યો અને આપણી વિચાર કરવાની આદતો જેઓ સત્તામાં બેઠા છે તેમનાં હિતોને અનુકૂળ બને તે રીતે ગોઠવી શકાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(<span style="color: rgb(224, 62, 45);"><strong>સ્ત્રોતઃ લેખકનું પુસ્તક- What is Wrong with Economics, પ્રકરણઃ Economics and Power)</strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો : </strong></span><a href="https://khabarantar.com/Ambedkars-treatise-on-the-rupee-has-a-clear-vision"><strong>રૂપિયા પર આંબેડકરના ગ્રંથમાં સ્પષ્ટ દ્રષ્ટિ છે</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com <span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span></span> <span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 21 Feb 2024 16:24:38 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>358</Articleid>
                    <excerpt>દુનિયાભરમાં શાસકો કેવી કેવી રીતે સત્તા પ્રાપ્ત કરે છે, કરતા આવ્યા છે, તેનું સ્વરૂપ કેવું હોય છે તે બાબતે બૌદ્ધિક વર્ગ પણ બહુ ઊંડો ઉતરતો નથી, ત્યારે તેના વિશે પ્રો. હેમંતકુમાર શાહ વિખ્યાત લેખક રોબર્ટ સ્કિદેલસ્કીના પુસ્તક What is Wrong with Economics ના પ્રકરણ Economics and Powerનો ભાવાનુવાદ રજૂ કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65d5bb74b08b7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65d5bb747c372.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65d5bb747c372.jpg" length="49398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>મોદી સરકાર, કોર્પોરેટ અને વ્યક્તિગત કરદાતાઃ જમવામાં જગલો, કૂટવામાં ભગલો</title>
                    <link>https://khabarantar.com/Modi-government,-corporate-and-individual-tax-payers:-eat,-eat,-mix</link>
                    <guid>https://khabarantar.com/Modi-government,-corporate-and-individual-tax-payers:-eat,-eat,-mix</guid>
                    <description>
                        <![CDATA[ આર્થિક બાબતો અને આંકડાઓને કારણે આ લેખ સમજવામાં થોડો અઘરો લાગે, પણ ફક્ત એ કારણથી તેને અધવચ્ચે છોડવા જેવો નથી. કઈ રીતે કેન્દ્ર સરકાર વ્યક્તિગત કરદાતાઓની સરખામણીએ કોર્પોરેટ્સને આવક વેરાની વસૂલાતમાં ધીરે ધીરે લાભ આપતી જઈ રહી છે તેની વાત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નિવૃત્ત જનરલ મેનેજર એચ. કે. ડાભી સાહેબ અહીં આંકડાઓ સાથે રજૂ કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">- એચ. કે. ડાભી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય આવકવેરા પ્રણાલી એક ન્યાયી વ્યવસ્થા હોવાની અપેક્ષા છે. જોકે, એવું જણાતું નથી. તેના બદલે તે વ્યક્તિગત કરદાતાઓની સરખામણીમાં કોર્પોરેટ્સની તરફેણમાં હોવાનું જણાયું છે. તે હકીકત પરથી જોઈ શકાય છે કે વ્યક્તિગત આવકવેરાની વસૂલાત મુખ્યત્વે એટલા માટે વધી છે કારણ કે જેઓ ઊંચી આવકની શ્રેણીમાં છે તેઓને તેમની આવક પર નોંધપાત્ર રીતે વધુ સરચાર્જ ચૂકવવાપાત્ર બનાવવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે જો દેશમાં આવકવેરા શાસનની પેટર્ન પર નજર નાખો તો આપણને એક અસામાન્ય બાબત જોવા મળે છે કે, વ્યક્તિગત આવકવેરા ની કમાણી હવે કેન્દ્ર સરકાર દ્વારા કોર્પોરેટ આવક વેરાની વસૂલાત કરતાં વધુ કરનું યોગદાન આપી રહી છે. વર્ષ 2024-25 માટે વચગાળાના બજેટ(વોટ ઓન એકાઉન્ટ) મુજબ, કેન્દ્ર સરકારે રૂ.11.56 લાખ કરોડ એકત્ર કરવાનો અંદાજ મૂક્યો છે, જે વ્યક્તિગત આવકવેરા દ્વારા જીડીપીના 3.53% થાય છે, જ્યારે તે જ સમયે, કોર્પોરેટ્સ આવકવેરામાંથી રૂ. 10.43 લાખ કરોડનો અંદાજ છે, જે જીડીપીની દ્રષ્ટિએ 3.18% છે. વર્ષ 2018-19માં કોર્પોરેટ્સે જીડીપીના 3.51% જેટલો કર ફાળો આપ્યો હતો, જે હવે ચાલુ નાણાકીય વર્ષમાં ઘટીને જીડીપીના 3.11% થવાની ધારણા છે. દેખીતી રીતે, વ્યક્તિગત આવક વેરાની રકમ સરકારી તિજોરીમાં વધુ છે જે જીડીપીના 2.44% થી વધીને 3.45% સુધી મોટો વધારો કરે છે. વધુમાં, વ્યક્તિગત આવક વેરાની વસૂલાતમાં થયેલો વધારો સરકારના અન્ય આવકના સ્ત્રોતોમાં વળતર આપે છે, જેમ કે ડિસઇન્વેસ્ટમેન્ટ આવકમાં ઘટાડો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્તમાન નાણાંકીય વર્ષ 2023-24માં પણ આવું જ છે, જેમાં કેન્દ્ર સરકાર વ્યક્તિગત આવકવેરામાંથી જીડીપીના 3.45% હિસ્સો ધરાવતા રૂ. 10.22 લાખ કરોડ એકત્ર કરે તેવી શક્યતા છે, જેમાંથી કોર્પોરેટ આવક વેરો જીડીપીના 3.11 ટકા જેટલી રકમ રૂ. 9.23 લાખ કરોડની વસૂલાતની શક્યતા છે. આ આવનાર વર્ષો માટે આવકવેરાની આવકમાં નવી પેટર્ન સેટ કરે તેવું લાગે છે; સામાન્ય જનતાના ખર્ચે મોટા કોર્પોરેટ હાઉસ પર ઓછી રકમનો ટેક્સ નાખવામાં સરકારની ઉદારતાને કારણે. જે વ્યક્તિગત કરદાતાઓ માટે આ એક પ્રતિકૂળ સ્થિતિ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે આપણે કોર્પોરેટ કેવી રીતે વધુ પૈસા કમાય છે અને ઓછો ટેક્સ ચૂકવે છે તે અંગેની જમીની વાસ્તવિકતા તપાસીએ. કોર્પોરેટ્સની કમાણી દર વર્ષે વધી રહી હોવા છતાં આવું થઈ રહ્યું છે. કોર્પોરેટ નીચા વેરા ચૂકવીને પણ તેમની કમાણી સાથે સુસંગત નથી. તેમની કમાણી/નફો વર્ષોથી નોંધપાત્ર રીતે વધ્યો છે પરંતુ તેઓ કેન્દ્ર સરકારને તે પ્રમાણમાં કર ચૂકવતા નથી. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીએ લગભગ 35,000 કંપનીઓના એકંદર ડેટાની તપાસ કરી છે જે દર્શાવે છે કે 2018-19 અને 2021-22ની વચ્ચે આ કંપનીઓનો કર પહેલાનો નફો 144% વધ્યો છે. આ ઉપરાંત ટેક્સની જોગવાઈઓમાં માત્ર 39%નો વધારો થયો છે, જેણે આ કંપનીઓ માટે કર પછીના નફામાં 244% વધારો કરવામાં મદદ કરી છે. કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2019માં કોર્પોરેટને ફાયદો પહોંચાડવાના હેતુથી કોર્પોરેટ ટેક્સના દરમાં ઘટાડો કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચાલો આપણે તાજેતરમાં 5,000 લિસ્ટેડ કંપનીઓના વધુ એકત્ર કરેલા ડેટાની તપાસ કરીએ. આ કિસ્સામાં, આ કંપનીઓનો કર પહેલાંનો નફો 2018-19 થી 2022-23 સુધીમાં 128% વધ્યો હતો, જેની સામે તેઓએ માત્ર 35% વધુ આવકવેરો ચૂકવ્યો હતો, જે દર્શાવે છે કે તેમનો કર પછીનો નફો 186% વધ્યો છે. તેથી, તે ખૂબ જ સ્પષ્ટ છે કે કોર્પોરેટને કેન્દ્ર સરકાર તરફથી આવકવેરામાં રાહતનો અયોગ્ય ફાયદો થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વ્યક્તિગત આવકવેરા દાતા પરના આ ઊંચા કરના પરિણામે વધુ ભારતીયોએ તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી. 2023માં લગભગ 2.16 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી હોવાનું કહેવાય છે, જે 2019માં જ્યારે 1.44 લાખ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી હતી, તેનાથી 50% જેટલો ઊંચો જમ્પ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ પરના જંગી પરોક્ષ કરમાં ઘટાડો કરવાની તક ગુમાવી છે, તેમજ આવા અન્ય પગલાઓ સાથે તે આ પ્રક્રિયામાં નાગરિકોના હાથમાં વધુ  નાણાં મૂકવામાં મદદ કરી શકત.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એક મહત્વનો મુદ્દો નોંધવા જેવો છે કે સરકાર 2023-24માં ઘટતા ખાનગી વપરાશ વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે વ્યક્તિગત આવકવેરાના દરોમાં ઘટાડો કરી શકી હોત જે 4.4% જેટલો નીચો રહેવાની ધારણા છે, અને જે 2002-03 પછીની સૌથી ધીમી છે. ખાનગી વપરાશમાં ભારતીય અર્થતંત્રનો 57% હિસ્સો છે, જેને કોર્પોરેટ ટેક્સ વસૂલાત દ્વારા નહીં પણ વ્યક્તિગત આવકવેરો ઘટાડીને વધારી શકાય છે. સરકારે ખાસ કરીને જેઓ વાર્ષિક રૂ. 10 લાખથી વધુ કમાણી કરે છે. તેમને માટે વચગાળાના બજેટમાં ટેક્સના દરો ઘટાડવાની તક ગુમાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નવા ખાનગી રોકાણોને વેગ આપવા માટે સરકારની કોર્પોરેટ્સ પર વધુ પડતી નિર્ભરતા કામ કરી શકી નથી. મોતીલાલ ઓસ્વાલના અહેવાલ મુજબ, 2022-23માં, એકંદર રોકાણના પ્રમાણમાં કોર્પોરેટ રોકાણનો હિસ્સો ઘટીને 19 વર્ષમાં સૌથી નીચો રહ્યો હતો. CMIEનો બીજો ડેટા સૂચવે છે કે એપ્રિલ-ડિસેમ્બર 2023 દરમિયાન જાહેર કરાયેલા નવા રોકાણ પ્રોજેક્ટ્સની કિંમત 2022ના સમાન સમયગાળાની તુલનામાં લગભગ 54% જેટલી ઘટી છે. તેથી, નિષ્કર્ષમાં તે સ્પષ્ટ છે કે કોર્પોરેશનો પહેલા કરતાં વધુ નફો કરી રહી છે, પરંતુ સરકારની અપેક્ષા મુજબ રોકાણ કરતા નથી, અને પહેલા કરતા ઓછો કર ચૂકવે છે અને વ્યક્તિગત આવકવેરાદાતાઓ કરતા પણ ઓછો કર ચૂકવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">(લેખક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નિવૃત્ત જનરલ મેનેજર અને આર્થિક બાબતોના નિષ્ણાત છે)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Even-today,-the-young-man-still-remembers-the-pain-of-breaking-his-bicycle-when-he-was-found-by-a-young-soldiers-kettle"><strong><span style="font-size: 14pt;">આજેય એ યુવાન જવાનભાઈની કીટલીએ મળી જાય ત્યારે સાઈકલ તૂટ્યાની વેદનાને સંભારે છે</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com <span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span></span> </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 20 Feb 2024 20:30:00 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 01 Jun 2024 18:01:39 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>355</Articleid>
                    <excerpt>આર્થિક બાબતો અને આંકડાઓને કારણે આ લેખ સમજવામાં થોડો અઘરો લાગે, પણ ફક્ત એ કારણથી તેને અધવચ્ચે છોડવા જેવો નથી. કઈ રીતે કેન્દ્ર સરકાર વ્યક્તિગત કરદાતાઓની સરખામણીએ કોર્પોરેટ્સને આવક વેરાની વસૂલાતમાં ધીરે ધીરે લાભ આપતી જઈ રહી છે તેની વાત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નિવૃત્ત જનરલ મેનેજર એચ. કે. ડાભી સાહેબ અહીં આંકડાઓ સાથે રજૂ કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_665b14a26ff32.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_665b14a242f39.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_665b14a242f39.jpg" length="43778" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ભારતના બંધારણનો આરંભ ‘અમે ભારતના લોકો’ શબ્દોથી થાય છે, એનો અર્થ એ કે ભારત ઈશ્વરે સર્જેલી ઘટના નથી</title>
                    <link>https://khabarantar.com/The-Constitution-of-India-begins-with-the-words-We-the-people-of-India,-meaning-that-India-is-not-a-creation-of-God</link>
                    <guid>https://khabarantar.com/The-Constitution-of-India-begins-with-the-words-We-the-people-of-India,-meaning-that-India-is-not-a-creation-of-God</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદની એચ.કે. કોલેજના પૂર્વ આચાર્ય અને અર્થશાસ્ત્રના પ્રોફેસર હેમંતકુમાર શાહ અર્થશાસ્ત્ર ઉપરાંત ભારતીય બંધારણ વિશેના તેમના સુક્ષ્મ નિરીક્ષણો માટે પણ જાણીતા છે. હાલમાં જ તેમણે સુરતમાં અલગ અલગ ત્રણ કાર્યક્રમોમાં ‘બંધારણનું આમુખઃ કેટલાક ખ્યાલો’ અને ‘ભારતના બંધારણમાં વૈજ્ઞાનિક અભિગમ’ વિષયો પર વ્યાખ્યાનો આપ્યા હતા. જેના મુખ્ય મુદ્દાઓ અહીં પ્રસ્તુત છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p><span style="font-size: 14pt;">(1) ભારતના બંધારણના આમુખમાં લોકશાહી ભારત રહેશે એમ લખવામાં આવ્યું છે. એનો અર્થ એ છે કે લોકશાહી નબળી પડે એવી કોઈ પણ સરકારી કાર્યવાહી, કાયદા અને નિયમોનો વિરોધ કરવો એ નાગરિકોની ફરજ છે.</span></p>
<p><br><span style="font-size: 14pt;">(2) વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એ લોકશાહીનો એક મજબૂત પાયો છે. એ ન હોય તો લોકશાહી મરી પરવારે. આ સ્વતંત્રતા દરેક નાગરિકની છે, થોડાક લોકોની નહિ. સરકાર એમ કહે કે તે જે રીતે વિચારે છે તે જ રીતે નાગરિકો પણ વિચારે, તો તે તાનાશાહી કહેવાય.</span></p>
<p><br><span style="font-size: 14pt;">(3) સામાજિક ન્યાય હોય તો જ લોકશાહી ટકે અને વિકસે. એને માટે પરિવારમાં અને સમાજમાં લોકશાહી હોવી જોઈએ. કોઈના પણ, કોઈ પણ વિચારને આદર આપવો જોઈએ. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65d1866d48fbe.jpg" alt=""></p>
<p><br><span style="font-size: 14pt;">(4) આર્થિક ન્યાય ઊભો કરવો શક્ય છે, ભલે આર્થિક સમાનતા શક્ય ન હોય એમ મહાત્મા ગાંધીએ કહ્યું છે. આર્થિક ન્યાય એટલે પાયાની મૂળભૂત જરૂરિયાતો સૌને સંતોષકારક રીતે મળે તે.</span></p>
<p><br><span style="font-size: 14pt;">(5) નાગરિકોની ફરજ છે કે તે તેઓ સરકારોની ટીકા કરે. એ જ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. એ જો ટકશે તો દેશમાં લોકશાહી ટકશે. અત્યારે તેના પર તરાપ મારવાના જે પ્રયાસો થઈ રહ્યા છે તેનો વિરોધ કરવો જોઈએ.</span></p>
<p><br><span style="font-size: 14pt;">(6) દરેક વ્યક્તિનું ગૌરવ બીજી દરેક વ્યક્તિએ, સમાજે અને રાજ્યે જાળવવાનું છે. સરકાર બેફામ રીતે વર્તી શકે નહિ. સરકારમાં બેઠેલા પોતાને રાજા સમજે અને એ રીતે વર્તે એ સહેજે ક્ષમ્ય ન ગણાય.</span></p>
<p><br><span style="font-size: 14pt;">(7) બંધુતાનો અર્થ એ છે કે દરેક વ્યક્તિએ અને સમાજે બીજી દરેક વ્યક્તિ અને સમાજ પરત્વે માનસન્માનથી વર્તવું જોઇએ. એમ થાય તો જ રાષ્ટ્ર ટકે અને વિકસે. ધિક્કારનું વાતાવરણ સમાજને તોડે છે એટલું જ નહિ, દેશને પણ તોડે છે એમ જગતનો છેલ્લાં સો વર્ષનો ઈતિહાસ કહે છે.</span></p>
<p><br><span style="font-size: 14pt;">(8) અમે ભારતના લોકો એવા શબ્દોથી ભારતના બંધારણનો આરંભ થાય છે. એનો અર્થ એ છે કે ભારત એ ઈશ્વરે સર્જેલી ઘટના નથી, પણ મનુષ્યો દ્વારા નિર્મિત અને તેમના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે સર્જિત રાજ્ય છે. ભારતની સ્થાપના પાછળનો એ વૈજ્ઞાનિક અભિગમ છે અને તેથી ભારત નાગરિકો માટે છે, નાગરિકો ભારત માટે છે એવું નથી, ન હોઈ શકે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65d1873e10243.jpg" alt=""></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong>(પ્રો. હેમંતકુમાર શાહ (image credit - google images)</strong></span></p>
<p><br><span style="font-size: 14pt;">(9) બંધારણ એ એક સામાજિક કરારથી ઊભું થયેલું રાજ્ય છે એટલે કે એ મૂળભૂત રીતે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવા માટે અસ્તિત્વ ધરાવે છે, અધિકારો છીનવી લેવા માટે રાજ્ય નથી.</span></p>
<p><br><span style="font-size: 14pt;">(10) કાયદા ઘડવાની, તેમનો અમલ કરવાની અને અમલ ન કરે તેને સજા કરવાની સત્તા લોકશાહીમાં ત્રણ વ્યવસ્થાઓમાં વહેંચાયેલી હોય છે એ તાર્કિક બાબત છે. રાજાશાહીમાં આ ત્રણેય સત્તા રાજામાં કેન્દ્રિત થયેલી હતી. સત્તાનશીન લોકો એમ સમજે કે તેમનામાં જ બુદ્ધિ છે અને નાગરિકોમાં નથી, તો એ તદ્દન બુદ્ધિ વગરની વાત છે. </span></p>
<p><br><span style="font-size: 14pt;">(11) શાસકોની સત્તાને નિયંત્રિત રાખવા માટેની અને નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાની જોગવાઈ બંધારણમાં છે એ મૂળભૂત રીતે વૈજ્ઞાનિક અભિગમની બાબત છે. કારણ કે અધિકારોના રક્ષણ માટે જ આપણે ભારત નામના રાજ્યની સ્થાપના કરી છે.</span></p>
<p><span style="font-size: 14pt;"></span></p>
<p><span style="font-size: 14pt;">(12) સમાનતાનો અભિગમ અને ન્યાયની સ્થાપના માટેની ઝંખના તેમ જ સ્વતંત્રતાને બરકરાર રાખવાનો ઉદ્દેશ બંધારણની પાયાની બાબત છે. </span></p>
<p><span style="font-size: 14pt;"></span></p>
<p><span style="font-size: 14pt;">(13) વિચારની સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદીનું રક્ષણ એ સૌથી તર્કબદ્ધ બાબત છે. કારણ કે મનુષ્ય જ તેના વિચારોને શબ્દબદ્ધ કરી શકે છે.</span></p>
<p><span style="font-size: 14pt;"></span></p>
<p><span style="font-size: 14pt;">(14) પરીક્ષણ અને પ્રયોગને આધારે તારણ અને એમાં પણ કાળક્રમે સુધારા એ વૈજ્ઞાનિક અભિગમ છે, એ જ રીતે બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ પણ વૈજ્ઞાનિક અભિગમની સાબિતી આપે છે.</span></p>
<p><br><span style="font-size: 14pt;">(15) જેઓ સરકારમાં બેઠા હોય છે તેઓ એમ સમજે છે કે તેમની પાસે પૈસા અને સત્તા છે એટલે તેમનામાં જ બુદ્ધિ છે. બુદ્ધિનો ઈજારો કોઈની પાસે નથી એવો વૈજ્ઞાનિક અભિગમ ભારતનું બંધારણ આપણને શીખવે છે. લોકશાહીનો અર્થ જ એ છે કે બધામાં બુદ્ધિ છે જ.</span><span style="font-size: 14pt;"></span></p>
<ul>
<li><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>પ્રો. હેમંતકુમાર શાહ (<span style="font-size: 12pt;">લેખક વિખ્યાત અર્થશાસ્ત્રી અને ભારતીય બંધારણના તલસ્પર્શી અભ્યાસુ છે)</span></strong></span><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong></strong></span></li>
</ul>
<p><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>આ પણ વાંચોઃ<a href="https://khabarantar.com/A-true-republic-is-one-where-the-constitutional-provisions-and-their-implementation-reach-the-last-people-of-the-country"> દેશના અંતિમ જન સુધી બંધારણીય જોગવાઈઓ અને તેનો અમલ પહોંચે તે જ સાચું પ્રજાસત્તાક</a><br></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 18 Feb 2024 10:00:05 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 18 Feb 2024 10:22:18 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>350</Articleid>
                    <excerpt>અમદાવાદની એચ.કે. કોલેજના પૂર્વ આચાર્ય અને અર્થશાસ્ત્રના પ્રોફેસર હેમંતકુમાર શાહ અર્થશાસ્ત્ર ઉપરાંત ભારતીય બંધારણ વિશેના તેમના સુક્ષ્મ નિરીક્ષણો માટે પણ જાણીતા છે. હાલમાં જ તેમણે સુરતમાં અલગ અલગ ત્રણ કાર્યક્રમોમાં ‘બંધારણનું આમુખઃ કેટલાક ખ્યાલો’ અને ‘ભારતના બંધારણમાં વૈજ્ઞાનિક અભિગમ’ વિષયો પર વ્યાખ્યાનો આપ્યા હતા. જેના મુખ્ય મુદ્દાઓ અહીં પ્રસ્તુત છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65d1866caae02.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65d1866c57952.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65d1866c57952.jpg" length="55508" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>નામદેવ ઢસાળઃ દલિત પેન્થરના સ્થાપક, ભારતીય કવિતાઓના આંબેડકર</title>
                    <link>https://khabarantar.com/Namdev-Dhasal:-Founder-of-Dalit-Panther,-Ambedkar-of-Indian-Poetry</link>
                    <guid>https://khabarantar.com/Namdev-Dhasal:-Founder-of-Dalit-Panther,-Ambedkar-of-Indian-Poetry</guid>
                    <description>
                        <![CDATA[ સ્વાભાવિક છે કે કોઈ દલિત-બહુજન લેખક લખે તો તેની કલમમાંથી કોઈ પુષ્પવર્ષા તો થાય નહીં! મનુવાદના ઘોર વિરોધી પાસે મર્યાદિત શબ્દોની અપેક્ષા રાખવી પણ ન જોઈએ અને નામદેવ ઢસાળના શબ્દો પણ કોઈ મર્યાદાનું પાલન નહોતા કરતા. દલિત પેન્થરના સ્થાપક અને ભારતીય કવિતાઓના આંબેડકરની જેમને ઉપમા મળેલી છે તેવા નામદેવ ઢસાળનો આજે જન્મદિવસ છે ત્યારે તેમને યાદ કરીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક સમયે જેમને ભારતીય કવિતાઓના આંબેડકર તરીકેનું બિરુદ્દ મળ્યું હતું તે વિદ્રોહી કવિતાના જનક નામદેવ ઢસાળનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 15 ફેબ્રુઆરી, 1949ના રોજ પુણે, મહારાષ્ટ્રના એક નાનકડા ગામમાં થયો હતો. દલિત ચળવળના ઈતિહાસમાં, ડૉ. આંબેડકર અને માન્યવર કાંશીરામ વચ્ચેની કડીમાં ઢસાલની ઓળખ મુખ્યત્વે કવિ તરીકે કરવામાં આવી છે, પરંતુ તેઓ સાથે એક ચિંતક, ચિત્રકાર, અસાધારણ સંગઠક અને દૂરંદેશી રાજનેતા જેવા અન્ય ઘણાં ગુણો પણ હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજથી ચાર દાયકા પહેલાં, 9 જુલાઈ 1972ના રોજ, નામદેવ ઢસાલે તેમના સાથી લેખકો સાથે મળીને 'દલિત પેન્થર' જેવા બળવાખોર સંગઠનની સ્થાપના કરી હતી. ડૉ.આંબેડકર પછી આ સંગઠને માન-અપમાનથી અજ્ઞાન એવા દલિત સમાજને નવેસરથી જાગૃત કર્યો. કહેવાતા આંબેડકરવાદી નેતાઓની સ્વાર્થી નીતિઓ અને બેવડા ચારિત્ર્યથી નિરાશ થયેલા આ પ્રગતિશીલ વિચારધારા સાથે સંકળાયેલા દલિત યુવાનોએ દલિતોમાં એક નવો જુસ્સો ભર્યો, જેના પરિણામે તેઓને તેમની તાકાતનો અહેસાસ થયો અને ઈંટનો જવાબ પથ્થરથી આપવાની માનસિકતા પેદા થઈ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત પેન્થર અને દલિત સાહિત્ય એક જ સિક્કાની બે બાજુ છે. જે નેતાઓએ તેની સ્થાપના કરી હતી તે પહેલાથી જ સાહિત્ય સાથે સંકળાયેલા હતા. દલિત પેન્થરની સ્થાપના પછી, તેમનું સાહિત્ય પરાકાષ્ઠાએ પહોંચ્યું અને જોતાં જ તે મરાઠી સાહિત્યની સમકક્ષ સ્તરે પહોંચ્યું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65cdc37d17954.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પછીના સમયગાળામાં, ડૉ. આંબેડકરની વિચારધારા પર આધારિત પેન્થર્સના મરાઠી દલિત સાહિત્યે હિન્દી પટ્ટા સહિત અન્ય વિસ્તારો પર કબજો કર્યો. દલિત સાહિત્યને આ ઉંચાઈએ લઈ જવાનો મોટાભાગનો શ્રેય નામદેવ ઢસાળને જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'ગોલપિઠા', 'પીબી રોડ' અને 'કમાઠીપુરા'ના નરકમાં જીવીને નામદેવ ઢસાળે લાવા જેવી તપતી કવિતાઓમાં જીવનની જે અંધારી બાજુઓ કોતરેલી છે તેનું વર્ણન કરવાની ક્ષમતા ભાગ્યે જ કોઈ અન્ય કવિઓમાં જોવા મળે છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65cdc37be478d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નામદેવ ઢસાલે તેમના કાવ્ય જગતને જમીન પર લાવવા માટે તેમના લેખક મિત્રો સાથે મળીને દલિત પેન્થર જેવી લડાયક સંસ્થાની સ્થાપના કરી, જેણે માત્ર મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ સમગ્ર ભારતની રાજનીતિને પ્રભાવિત કરી. જો કે જીવનના અંતિમ તબક્કામાં તેઓ આરએસએસ અને શિવસેના તરફ ઢળ્યાં તેના કારણે ઘણાં લોકોને આશ્ચર્ય થયું હતું. તેમ છતાં આ રાજકીય ઝોંક તેમની કવિતાઓને સ્પર્શી શક્યો નહોતો. આજે ગુજરાતમાં પણ દલિત પેન્થર મજબૂતીથી કાર્યરત છે તેના મૂળ નામદેવ ઢસાળે મહારાષ્ટ્રમાં રોપેલા બીજમાં પડ્યાં છે.</span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિદાયત પરમાર</span></strong></span><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/The-Hool-Mutiny:-A-Heroic-Story-of-Santhal-Tribes-Including-Tilka-Manjhi-and-Seedo-Kanhu"><strong><span style="font-size: 14pt;">હૂલ વિદ્રોહ: તિલકા માંઝી અને સીદો-કાન્હુ સહિત સંથાલ આદિવાસીઓની શૌર્યગાથા</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com <span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span></span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span></span></strong></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"></span></strong></span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 15 Feb 2024 13:29:50 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>344</Articleid>
                    <excerpt>સ્વાભાવિક છે કે કોઈ દલિત-બહુજન લેખક લખે તો તેની કલમમાંથી કોઈ પુષ્પવર્ષા તો થાય નહીં! મનુવાદના ઘોર વિરોધી પાસે મર્યાદિત શબ્દોની અપેક્ષા રાખવી પણ ન જોઈએ અને નામદેવ ઢસાળના શબ્દો પણ કોઈ મર્યાદાનું પાલન નહોતા કરતા. દલિત પેન્થરના સ્થાપક અને ભારતીય કવિતાઓના આંબેડકરની જેમને ઉપમા મળેલી છે તેવા નામદેવ ઢસાળનો આજે જન્મદિવસ છે ત્યારે તેમને યાદ કરીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65cdc37cc0670.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65cdc37c7c9dc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65cdc37c7c9dc.jpg" length="99408" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ધૂમિલ પુણ્યતિથિ વિશેષઃ સો જાઓ હત્યાઓ કે ખિલાફ ઓઢકર નિકમ્મી આદતોં કા લિહાફ...</title>
                    <link>https://khabarantar.com/Dhoomil-Punyatithi-Special:-So-jao-murders-or-khilaf-odhakar-nikammi-habits-ka-lihaf</link>
                    <guid>https://khabarantar.com/Dhoomil-Punyatithi-Special:-So-jao-murders-or-khilaf-odhakar-nikammi-habits-ka-lihaf</guid>
                    <description>
                        <![CDATA[ એક આદમી રોટી બેલતા હૈ, દૂસરા આદમી રોટી ખાતા હૈ, તીસરા આદમી હૈ જો ન રોટી બેલતા હૈ ઔર ન હી રોટી ખાતા હૈ, બલ્કિ રોટી કે સાથ ખેલતા હૈ, મેં પૂછતા હું કિ યહ તીસરા આદમી કૌન હૈ, મેરે દેશ કી સંસદ મૌન હૈ.- વાંચો આવી જ આક્રમક કવિતાઓના રચયિતા ધૂમિલની પુણ્યતિથિ પરનો આ ખાસ લેખ ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">- હિદાયત પરમાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુદામા પાંડે 'ધૂમિલ' ક્રાંતિકારી વિચારધારા ધરાવતા કવિ હતા, જેમને 'વિરોધી-કવિતાઓ' લખવા બદલ 'હિન્દી કવિતાના ક્રોધિત યુવાન'નું બિરુદ મળ્યું હતું. તેમણે તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ 'સંસદ સે સડક તક' પ્રકાશિત કર્યો. કાવ્યસંગ્રહ 'કલ સુનના મુઝે' પ્રકાશિત થયો, જેના માટે તેમને 1979માં મરણોત્તર 'સાહિત્ય અકાદમી પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યો હતો. તેમના પુત્ર રત્નશંકરે તેમનો કાવ્યસંગ્રહ 'સુદામા પાંડે કા પ્રજાતંત્ર' પ્રકાશિત કરાવ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધૂમિલના દિલોદિમાગમાં લોકશાહીના નામે ચાલતો દંભ, ઉચ્ચ વર્ગની દબંગાઈ, ગુનાહિત પાત્રોની ઓળખ, સામંતશાહી, પૂંજીપતીયો, ધર્મના ઠેકેદારો દ્વારા પ્રાયોજિત લોકશાહીની ઐસીતૈસી કરનારાઓ પ્રત્યે ભારોભાર આક્રોશ હતો. પ્રજાના મહત્વના પ્રશ્નો પર મૌન રહેતી સંસદમાંથી પોતાના મનગમતા ટોણા માટે જાણીતા ધૂમિલે ગુસ્સાના સ્વરમાં સવાલ કર્યો હતો કે, 'આઝાદી માત્ર ત્રણ થાકેલા રંગોનું નામ છે, જેને એક પૈડું વહન કરે છે, કે પછી તેનો કોઈ અર્થ થાય છે?'</span></p>
<p><span style="font-size: 14pt;">'ધૂમિલ'નો જન્મ 9 નવેમ્બર, 1936ના રોજ વારાણસીના ખેવલી ગામમાં થયો હતો. તેમની માતા રાજવંતી દેવી અને પિતા શિવનાયક પાંડે હતા. ધૂમિલ 11 વર્ષના હતા ત્યારે તેમના પિતા પરલોક સિધાવ્યા, છતાં અભાવો વચ્ચે તે ગામનો પ્રથમ હાઇસ્કૂલ પાસ આઉટ છોકરો હતો. 12 વર્ષની ઉંમરે મુરત દેવી સાથે લગ્ન કર્યા, તેથી કૌટુંબિક જવાબદારીઓ નિભાવવા માટે, તેઓ કલકત્તા ગયા, જ્યાં તેમણે ભાર વહન કર્યો અને મજૂર તરીકે કામ કર્યું. મિત્ર તારકનાથે ધૂમિલને લાકડાના વેપારીને ત્યાં નોકરી પર રાખ્યો જ્યાં તે લગભગ દોઢ વર્ષ કામ કર્યા પછી અસ્વસ્થ રહેતાં ઘરે પાછા ફર્યા. માલિકે તેમને મોતિહારીથી ગુવાહાટી જવાનું કહ્યું પરંતુ ધૂમિલે ના પાડી. ગુસ્સે ભરાયેલા માલિકે કહ્યું, 'હું મારા કામ માટે પૈસા આપું છું, તમારી તબિયત માટે નહીં', જેના જવાબમાં અપમાનિત ધુમિલે મોટેથી કહ્યું, 'પણ હું તમારા કામ માટે નહીં, મારા સ્વાસ્થ્ય માટે કામ કરું છું' અને કુલ સાડા ચારસોનો પગાર અને અન્ય લાભો છોડીને તે ઘરે ચાલ્યા ગયા. આ ઘટનાએ ધૂમિલમાં મૂડીવાદીઓ અને કામદારો વચ્ચેના અંતરના કારણોનું સત્ય ઉજાગર કર્યું, જેણે આગળ જતા ક્રાંતિકારી કવિ બનવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેઓ 1957માં કાશી યુનિવર્સિટીમાં જોડાયા, 1958 માં ઇલેક્ટ્રિકલ વર્ક્સમાં ડિપ્લોમા કર્યો અને ત્યાં પ્રશિક્ષક બન્યા. નોકરીના સંબંધમાં તેઓ બલિયા, સહારનપુર, સીતાપુર વગેરે સ્થળોએ રોકાયા પણ તેમનું મન બનારસના ગામ ખેવલીમાં જ રમતું રહેતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાર્તાકાર 'કાશીનાથ સિંહ'ના જણાવ્યા મુજબ, ઉચ્ચ શિક્ષણથી વંચિત રહીને તેઓ કવિતા શીખવા અને સમજવા માટે જીવનભર વિદ્યાર્થી રહ્યા. અંગ્રેજી કવિતાઓ વાંચવા અને સમજવા માટે તેઓ પડોશી નાગાનંદ અને વિવિધ શબ્દકોશોની મદદથી અંગ્રેજી શીખ્યા. ડાબેરી વિચારધારા હોવા છતાં, અભ્યાસના અભાવને કારણે, તે સ્ત્રીઓના વિષયમાં પુરુષવાદી વિચારોથી મુક્ત ન હતા, ન તો તે ગામડાઓ અને શહેરો વચ્ચે પક્ષપાતની પસંદગીમાં સમ્યક વર્ગનો દૃષ્ટિકોણ અપનાવી શક્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c74864a6d31.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધૂમિલને ઘણી 'અનૌપચારિક માહિતીએ’ પરંપરાગત ડાબેરી માન્યતાઓની વિચારધારામાંથી મુક્ત કર્યા, જેના પરિણામે તેમણે ખેડૂતોના પ્રવક્તા તરીકે લેખન દ્વારા સામંતવાદી સંસ્કારોની ચામડી ઉતારવાનું ચાલું રાખ્યું. લોકશાહીના યોદ્ધા કવિ તરીકે તેઓ ખરા અર્થમાં ખેડૂતોની વેદના, સમસ્યાઓ, સંઘર્ષના હિતચિંતક હતા. ધૂમિલ પર 'દિશાહીન આંધળા ગુસ્સાની હિમાયત કરવાનો' અને 'સામાન્યીકરણ' કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો કારણ કે તેમણે ભ્રષ્ટ, તદ્દન અતૃપ્ત, અસંતુષ્ટ, ખાણીપીણીની ક્રાંતિકારી બૌદ્ધિક યુક્તિઓમાં ઊંડો 'અવિશ્વાસ' કર્યો હતો. પરંતુ આરોપોનો સામનો કરવા છતાં, તે મક્કમતાથી પ્રશ્ન પૂછતા રહ્યા હતા કે 'શું મુશ્કેલીઓ અને સંઘર્ષોથી 'અસંગ' લોકો ક્રાંતિકારી બની શકે છે ખરા?' ધૂમિલે અરાજક હોવાનો આરોપ પણ સ્વીકાર્યો, કેમ કે એમને વિશ્વાસ હતો કે ક્ષુલ્લક સુવિધાઓના લોભી અપરાધીઓના પરિવારોના પરિવારો એક સમયે સમાપ્ત થઈ જશે. ધૂમિલે દંભી પ્રણાલીઓ દ્વારા પોષિત પરંપરાઓ, નમ્રતા-સંસ્કૃતિ, સુઘડતા-શાલીનતા ને અસ્તવ્યસ્ત કરવાને અંતિમ ધ્યેય બનાવ્યું અને કવિતાઓમાં પ્રતિબંધિત વિસ્તારની શોધ કરી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'ધુમિલ' ઉપનામ પાછળ પણ એક રસપ્રદ વાર્તા છે. બનારસના અન્ય કવિ, ધૂમિલના નામના અને સમકાલીન, 'સુદામા તિવારી' હયાત છે અને 'સાંડ બનારસી' નામથી હાસ્ય કવિતાઓ લખે છે. ધૂમિલને 'જયશંકર પ્રસાદ'ના ઘરાના, છાયાવાદના મુખ્ય સ્તંભોમાંથી એક સાથે પૂર્વજોનો સંબંધ હોવાથી, કવિતાની સંસ્કૃતિ વારસામાં મળી હતી. સુદામા તિવારી અને તેમના સમાન નામ સાથે કોઈ મૂંઝવણ ટાળવા માટે, ધૂમિલે છાયાવાદથી પ્રેરિત ઉપનામ 'ધૂમિલ' રાખ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધૂમિલની પ્રથમ કૃતિ વાર્તા હતી, જે 'કલ્પના' સામયિકમાં છપાઈ હતી, પરંતુ વાર્તાઓ લખવાને બદલે તેમણે આક્રોશી, ક્રાંતિકારી વિચારો સાથે કવિતાઓ લખી હતી. બનારસના લેખકો તેમને સ્વાભિમાનનું પ્રતીક માનતા હતા. ધૂમિલને વરિષ્ઠ વિવેચક 'નામવર સિંહ'ના લાકડીબાજ પણ કહેવામાં આવતા હતા કારણ કે તેઓ નામવરજીની ટીકા કે ખરાબ વાતો સાંભળતા ન હતા. પરંતુ જો તેમને લાગતું કે નામવરજી તેમનો ઉપયોગ કરી રહ્યા છે, તો તેમણે કોઈ પણ વિલંબ કર્યા વિના છોડી દીધા હોત, કારણ કે ધૂમિલને જે વ્યર્થ, ખરાબ વિચારો ધરાવતો જણાય તેની વિરુદ્ધ થઈ જતા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમની લોકપ્રિય કવિતાઓ જોઈએ...</span><br><span style="font-size: 14pt;">‘‘एक आदमी रोटी बेलता है,</span><br><span style="font-size: 14pt;">एक आदमी रोटी खाता है,</span><br><span style="font-size: 14pt;">एक तीसरा आदमी भी है,</span><br><span style="font-size: 14pt;">जो न रोटी बेलता है, न रोटी खाता है,</span><br><span style="font-size: 14pt;">वह सिर्फ रोटी से खेलता है,</span><br><span style="font-size: 14pt;">मैं पूछता हूं,</span><br><span style="font-size: 14pt;">यह तीसरा आदमी कौन है,</span><br><span style="font-size: 14pt;">और मेरे देश की संसद मौन है’’</span><br><span style="font-size: 14pt;">*********</span><br><span style="font-size: 14pt;">शब्द किस तरह</span><br><span style="font-size: 14pt;">कविता बनते हैं</span><br><span style="font-size: 14pt;">इसे देखो</span><br><span style="font-size: 14pt;">अक्षरों के बीच गिरे हुए</span><br><span style="font-size: 14pt;">आदमी को पढ़ो</span><br><span style="font-size: 14pt;">क्या तुमने सुना कि यह</span><br><span style="font-size: 14pt;">लोहे की आवाज है या</span><br><span style="font-size: 14pt;">मिट्टी में गिरे हुए खून</span><br><span style="font-size: 14pt;">का रंग</span><br><span style="font-size: 14pt;">लोहे का स्वाद</span><br><span style="font-size: 14pt;">लोहार से मत पूछो</span><br><span style="font-size: 14pt;">उस घोड़े से पूछो</span><br><span style="font-size: 14pt;">जिसके मुँह में लगाम है</span><br><span style="font-size: 14pt;">*******</span><br><span style="font-size: 14pt;">દાયકાઓ પછી પણ સંસદનું મૌન સાબિત કરે છે કે ભારતની વૈકલ્પિક અને વિરોધવિહીન, જનવિરોધી રાજનીતિનો વાસ્તવિક વિરોધ ધૂમિલની કવિતાઓમાં દેખાય છે. 'ધુમિલ'ની કવિતાઓ આજે પણ ખૂબ જ મુખર અવાજ છે અને કવિતાઓની સુસંગતતાને કારણે ધૂમિલને નવેસરથી સમજવાની જરૂર છે. અન્ય વિચારધારા ધરાવતા તેમના અને તેમની કવિતાઓથી ખૂબ જ અસુવિધા હતી, અને આ તેમની જ્વલંત, વિસ્ફોટક કવિતાઓનું બળ હતું. ધૂમિલની 'મોચીરામ' કવિતા, જે NCERT ના પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ હતી, તેને પુસ્તકમાંથી કાઢી નાખવા માટે એક પક્ષે મોરચો ખોલ્યો હતો (જે આજે સત્તામાં છે) અને તેને પુસ્તકમાંથી કઢાવીને જ રાહત લીધી હતી. જન્મ અને વિશેષતાઓથી ઘાંટી બનારસી ધૂમિલ, ગરીબ પરિવારમાં જન્મના કારણે, 'મોચીરામ' કવિતાના નાયક મોચી દ્વારા ચામડાની સિલાઈ માટે વપરાતા ઓજારની જેમ, જનપક્ષધરતા અને સામાન્ય માણસને હાથોમાં સંભાળી રાખ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિન્દી સાહિત્યની વિકરાળ વિડંબના અને કરૂણાંતિકા એ કહેવાશે કે અનેક અદ્ભુત પ્રતિભાશાળી કવિ-કવિઓ, લેખકો-લેખકોથી સમૃદ્ધ હોવા છતાં એ બધાના જીવનકાળમાં કોઈ પ્રતિભાને ઓળખવામાં કે આદર આપવામાં આવ્યો નથી. મોટાભાગના સર્જકો જીવનની અછત અને જટિલતાઓ સામે લડીને જ દુનિયા છોડી દે છે. ધુમિલ પણ દ્વેષપૂર્ણ વલણનો શિકાર, આવા શાપિત કવિ જેમને તેમની પ્રતિભા અનુસાર માન કે પ્રસિદ્ધિ ન મળી. ચાહકો ઉપરાંત, તેમના સાહિત્યને વિવેચકો દ્વારા પણ અવગણવામાં આવ્યું હતું અને તે ખૂબ મોડા ઓળખાયા, જે પાઠકોનું દુર્ભાગ્ય જ કહી શકાય.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c7487b85bcb.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધૂમિલની રચનાઓ રાજકમલ પ્રકાશન દ્વારા, પેપરબેક આવૃત્તિમાં, એક સંયુક્ત ગ્રંથ તરીકે પ્રકાશિત કરવામાં આવી છે. ધૂમિલના ચાહકો તેમના સમગ્ર સાહિત્યની રાહ જોઈ રહ્યા હતા અને આખરે ધૂમિલની કૃતિઓને લાયક માન અને ખ્યાતિ મળી જેના તેઓ અધિકારી હતા. ધૂમિલને સારી રીતે જાણવા માટે, આ સમગ્રનો અભ્યાસ કરવો જરૂરી છે, જે એક આવશ્યક પગલું છે જે ચેતનાને સક્રિય કરે છે. ધૂમિલે તેમના ટૂંકા જીવનમાં જે કંઈ લખ્યું છે, તે ત્રણ ભાગમાં પ્રકાશિત થયું છે અને ડૉ.રત્નાકર પાંડેએ સુંદર સંપાદન કર્યું છે. પ્રથમ ખંડમાં ધૂમિલની પ્રકાશિત, અપ્રકાશિત કવિતાઓ, બીજા ખંડમાં ગીતો-લોકગીતો, નિબંધ-નાટકો, વાર્તાઓ, અનુવાદિત કવિતાઓ અને ત્રીજા ખંડમાં વરિષ્ઠ કવિઓ અને લેખકોની છબીઓ સહિત ડાયરીઓ, હસ્તલિખિત પત્રો અને કેટલાક ફોટોગ્રાફ્સ છે. ધૂમિલની કાવ્યાત્મક છબી સૌથી પ્રસિદ્ધ અને શક્તિશાળી હતી, તેથી વાર્તાઓ, નિબંધો, ગીતો જેવી અન્ય શૈલીઓની રચનાઓ વાંચતી વખતે, જ્યારે તેમની ડાયરી અને પત્રોના પૃષ્ઠો ફેરવીએ છીએ ત્યારે 'ધુમિલ' ક્યાંક આસપાસ બેઠા હોય તેવું લાગે છે. એમની કવિતાઓને બદલે એમને જાણવાની તીવ્ર ઉત્સુકતા ત્રીજો ખંડ વાંચીને પૂરી થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધૂમિલની કૃતિઓ વાંચતી વખતે વાચકો પોતાને એ વિચારો અને લાગણીઓની નજીક શોધવાના લક્ષણોને કારણે જ સાચા જનકવિ કહેવાય છે. તે એક પાખંડ, દંભ, બનાવટ, સ્વાંગ, ઔપચારિકતાથી સંપૂર્ણપણે મુક્ત કવિ હતા, જેમની પાસે હિંમતભેર, બેબાકતાથી અને સત્યતાથી લખવાની ક્ષમતા હતી. ધૂમિલ પોતે અભાવોમાં ઉછર્યા હતા, તેથી તે સામાન્ય લોકોના દુ:ખ, દર્દ, વ્યથા અને પીડાને રચી શક્યા. તેમણે પ્રભાવિત થયા વિના પીડારહિત રીતે લખ્યું અને તેમની કવિતાઓ વાંચીને કોઈ વાચક ક્યારેય નિરાશાની ખાઈમાં ન સમાયો. તેમના પાત્રો સંઘર્ષો, મુશ્કેલીઓનો સામનો કરીને આનંદની ટૂંકી, સૂક્ષ્મ ક્ષણો જીવ્યા. ધૂમિલની કવિતાઓ દ્વારા તેમને સમજવા સત્યનો સાક્ષાત્કાર કરવા જેવો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોતાના સ્પષ્ટવાદી, અકડ, દબંગ સ્વભાવના કારણે તેઓ હંમેશા અધિકારીઓના ગુસ્સાના નિશાન બનતા હતા અને અધિકારીઓ દ્વારા અલગ-અલગ રીતે થતા જુલમ તેમના માનસિક તણાવનું કારણ બની ગયું હતું. 1974માં સીતાપુરમાં બિમારી બાદ તેમને ઓક્ટોબરમાં કાશી યુનિવર્સિટીની મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ડોકટરોએ મગજની ગાંઠ હોવાનું નિદાન કર્યું હતું. નવેમ્બરમાં, તેમને લખનૌની કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની મગજની સર્જરી કરવામાં આવી હતી પરંતુ તેઓ કોમામાં સરકી ગયા હતા અને બેભાન અવસ્થામાં અવસાન થયું હતું. ધૂમિલની જીવનશૈલી એટલી સરળ હતી કે જ્યારે તેમના મૃત્યુના સમાચાર રેડિયો પર પ્રસારિત થયા ત્યારે તેમના પરિવારને ખબર પડી કે 'ધૂમિલ' એક મહાન કવિ હતા. બનારસના મણિકર્ણિકા ઘાટ ખાતે અંતિમ સંસ્કાર સમયે માત્ર કવિ કુંવરનારાયણ અને શ્રીલાલ શુક્લ જ પહોંચ્યા હતા. 10 ફેબ્રુઆરી, 1975ના રોજ હિન્દી સાહિત્યના આ અનન્ય લોકપ્રિય કવિ કાયમ માટે બ્રહ્મલીન થઈ ગયા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">(મૂળ લેખ આઉટલૂકમાં છપાયો હતો, જેનો હિદાયત પરમારે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Manu-is-still-working-today,-both-in-this-country-and-in-foreign-countries-wherever-the-people-of-this-country-have-gone"><strong><span style="font-size: 14pt;">મનુ આજે પણ કાર્યરત છે, આ દેશમાં પણ અને આ દેશવાળા જ્યાં જ્યાં ગયા છે તે વિદેશોમાં પણ</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com <span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span></span> </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span></strong></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 11 Feb 2024 11:13:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>335</Articleid>
                    <excerpt>એક આદમી રોટી બેલતા હૈ, દૂસરા આદમી રોટી ખાતા હૈ, તીસરા આદમી હૈ જો ન રોટી બેલતા હૈ ઔર ન હી રોટી ખાતા હૈ, બલ્કિ રોટી કે સાથ ખેલતા હૈ, મેં પૂછતા હું કિ યહ તીસરા આદમી કૌન હૈ, મેરે દેશ કી સંસદ મૌન હૈ.- વાંચો આવી જ આક્રમક કવિતાઓના રચયિતા ધૂમિલની પુણ્યતિથિ પરનો આ ખાસ લેખ</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65c748427eafd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65c7484248761.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65c7484248761.jpg" length="66482" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>રઘલા, મેતરના છોકરાને વરઘોડો ન હોય, આ બેનાળી જોઈ છે...?</title>
                    <link>https://khabarantar.com/Raghala,-Matars-boy-does-not-have-a-groom,-have-you-seen-this-Benali</link>
                    <guid>https://khabarantar.com/Raghala,-Matars-boy-does-not-have-a-groom,-have-you-seen-this-Benali</guid>
                    <description>
                        <![CDATA[ દલિત સાહિત્ય વાસ્તવિક અનુભવો પરથી ઉતરી આવ્યું છે. કથિત સવર્ણો માટે જે તદ્દન સામાન્ય વાત છે, તેવી બાબતો દલિતો માટે અમલમાં મૂકવા માટે પણ કોઈની રજા લેવી પડે તે વાત આઝાદ ભારતમાં પણ અસ્તિત્વ ધરાવે છે. નવી પેઢી આ અનુભવ કેટલો પીડાદાયક હોય છે તેનાથી સાવ અજાણ છે. તેમને વાસ્તવિકતાથી વાકેફ કરાવવા માટે હવેથી ખબરઅંતર.કોમ પર બહુજન વાર્તાઓને રજૂ કરવાનું નક્કી કર્યું છે. રાધનપુરના વતની, નિવૃત્ત આચાર્ય એવા જાણીતા વાર્તાકાર ધરમસિંહ પરમાર આવી જ એક મજબૂત વાત લઈને આપણી વચ્ચે આવ્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">- ધરમસિંહ પરમાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'મા'રાજ જરા વાહના લોકોને બોલાવી આવો ને...!</span><br><span style="font-size: 14pt;">'જી' કહીને મહારાજ ગયા. </span><br><span style="font-size: 14pt;">દીકરાના લગ્નનો મંગળ અવસર છે. ઘર આગળ મંડપ બંધાયો છે. ઘર, આંગણામાં હરખ પમરી રહ્યો છે. દરેકના હૈયામાં આનંદ છલકી રહ્યો છે. રઘાની ભાવના છે કે, લગ્નના દિવસો સુધી સૌ કોઈ પોતાના ઘેર જ જમે, તેથી સવારથી મોડી રાત સુધી ચૂલો સળગતો રહે છે.</span><br><span style="font-size: 14pt;">મહારાજના કહેણે એક પછી એક સૌ આવવા લાગ્યા. ખાટલા અને ખુરશીઓ ઉપર ગોઠવાતા ગયા. ધવલના લગ્ન છે તે બધા જાણતા હતા પણ 'કેમ બોલાવ્યા હશે?' તે સવાલ દરેકને મૂંઝવતો હતો.</span><br><span style="font-size: 14pt;">ઘણી વખત વાસમાં કોઈ સંકટ આવી પડે કે, વાત વટે ચડે ત્યારે પચ્ચીસેક ઘરના મહોલ્લામાં રઘાના ઘેર જ બધા એકઠા થતા. ચર્ચાઓ થતી. અનુભવોના નિચોડના અંતે નિવડો આવતો.</span><br><span style="font-size: 14pt;">આજની વાતની કોઈને ગંધ ન હતી. મગનું નામ મરી પાડ્યા સિવાય બધા એકબીજા સામે સાંકેતિક ભાષામાં પૂછતા હતા. ઓસરીમાં મહિલા વૃંદ બેઠું હતું. તેમના ગણગણાટમાં બાળકોનો કલબલાટ ભળી રહ્યો.</span><br><span style="font-size: 14pt;">બે યુવાનો ચા- પાણી આપી રહ્યા હતા. વચ્ચે જુદી જુદી બ્રાન્ડની બીડી, સિગારેટ અને દીવાસળીઓ મૂકેલી ડીસ પડી હતી. લગ્ન પ્રસંગમાં આ જોગવાઈ એક રિવાજ બની ચૂક્યો હતો.</span><br><span style="font-size: 14pt;">ધનાકાકાએ બીડીનો કસ ખેંચ્યો. મોમાંથી ધૂમાડાની લાંબી સેર કાઢી. 'રઘા, ચ્યમ હવાર હવારમાં બોલાયા સે ભૈ?'  </span><br><span style="font-size: 14pt;">રઘાના મનમાં જે વાત રમી રહી હતી તેને ગોળ ગોળ ન ફેરવતાં ઠાવકાઈથી બોલ્યો, 'કાકા, તમાંને તો ખબર સે. ધવલના લગ્ન આદર્યા સે ઈ.</span><br><span style="font-size: 14pt;">'હા તે...?'</span><br><span style="font-size: 14pt;">'નમાયાને પૈણાવવામાં મારે કાંય કસર બાચી નથ રાખવી. ઈન ઓરતો ના રૈ જાય કે, મારી મા હોત તો...! એના વિવામાં ચાર ચાંદ લગાવી દેવા સે. કાકા...!'</span><br><span style="font-size: 14pt;">'અલ્યા ભૈ, તુ તાર કરને ધમધોકાર. હેયને જલસા પડી જાય ઈમ. અમે બેઠા છીએ જ ને.'</span><br><span style="font-size: 14pt;">'બસ કાકા, મારે તમારે મોઢે ઈ જ હાંભળવું હતું. તમે હૌ ભૈ મારી પડખે સો પસ મારે બીજું સું જોવે?' </span><br><span style="font-size: 14pt;">'ભૈ વાહમાં હારો અવસર થાય ઈનાથી રૂડું શું? લોકો કે'કે, વિવા તો ધવલિયાના કર્યા હો! આટલું વખાણે તો તારા એકલાની નય, અમારી આખા વાહની અને ગામની શોભા છે ને, એમાં વળી પૂછવાનું ના હોય ગાંડા!'</span><br><span style="font-size: 14pt;">'ના કાકા તમે હૌ મારા વડીલ સો. હખદખમાં ભેળા સીએ. પૂસવુ તો પડે ને મારે?'</span><br><span style="font-size: 14pt;">'અમેય રાજી ન અમારો ભગવાનેય રાજી. તું તા કર વટબંધ.</span><br><span style="font-size: 14pt;">ધનાકાકાની વાત સાંભળી રઘાનો પોરસ બેવડાયો. તેને પોતાની મૂળ વાત કરવાની ચળ ઉપડી. 'કાકા, વાત ઈમ સે ને કે, મારે ઇન ઘોડે બેહાડીને ગામમાં ફેરવવો સે.'</span><br><span style="font-size: 14pt;">બેઠેલાના મોઢામાંથી 'હે...'કરતો હાયકારો નીકળી ગયો. મોં વકાસી એકબીજા સામે જોઈ રહ્યાં.</span><br><span style="font-size: 14pt;">સૌનાં પેટમાં ફાળ પડી. ધનાકાકા ઠૂહ...ઠૂહ...કરતાં, 'રઘલા,આ સું બકે સે તું.  કાંઈ ભાંગ બાંગ પી નથ ગયો ને?'</span><br><span style="font-size: 14pt;">વચ્ચે એક ભાઈ ટપકી પડ્યા. 'આ દિયોરને વરઘોડો કાઢવાનો ચેવો ચસકો લાગ્યો સે.’</span><br><span style="font-size: 14pt;">બીજાએ વાતમાં મમરો મૂક્યો, 'બે ફદિયે થિયું સે એટલે ઈન આવા તાયફા હૂઝે સે.'</span><br><span style="font-size: 14pt;">મગનભાઈએ કહ્યું, 'રઘા તારી ડાગળી ચસકી તો નથી ગૈ ને? તારે અમારા માથાં ફોડાવવા સે કે શું? તન ખબર સે ને કે, ગામમાં બનાબાપુની હાક ચેવી સે. વાણિયા બામણેય ઈયાને પૂસ્યા વના પાણી પણ નથ પીતા.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Even-today,-the-young-man-still-remembers-the-pain-of-breaking-his-bicycle-when-he-was-found-by-a-young-soldiers-kettle">આજેય એ યુવાન જવાનભાઈની કીટલીએ મળી જાય ત્યારે સાઈકલ તૂટ્યાની વેદનાને સંભારે છે</a><br></span></span></strong></p>
<p style="text-align: justify;"> <br><span style="font-size: 14pt;">રઘો બધાની વાત એક ધ્યાને સાંભળી રહ્યો હતો. તેને પોતાનાં અરમાન ચકનાચૂર થતાં લાગ્યાં. </span><br><span style="font-size: 14pt;">'ઓલ્યા જયા હુથારના સોકરે બાપુના પોતરાને બાપુ ના કીધું ઈમાં તો ઈના ઘરનાંને બચારાને   ચેવાં ઢીબી નાસ્યા'તા. યાદ સે ને? હાત 'દિ દવાખાને તરફડતા રહ્યાં હતાં. ગામમાં ચેની તાકાત સે કે બાપુ હામે થાય!'</span><br><span style="font-size: 14pt;">'પણ મારી વાત તો હાંભળો?</span><br><span style="font-size: 14pt;">'નથ હાંભળવી અમારે...'           </span><br><span style="font-size: 14pt;">'બનાબાપુ તો વાઘ સે વાઘ ...ઊભા ને ઊભા ફાડી ખાશે. ઘરમાં બેનાળી રાખે સે. તન ભડાકે ના દે તો મન ફટ્ કે જે. તારે એકલાને ખાવી હોય તો જા...અમારે તો ગામમાં રે'વું સે. સું કામ બાપુ હામે વેર બાંધવું?'</span><br><span style="font-size: 14pt;">ધનાભાઈએ બીજી બીડી સળગાવી. હજી પણ બીડીના કસ પર કસ માર્યે જતા હતા. તેમના ચેહરા પરની કરચલીઓ વધારે ઊંડી ઉતરી. અનુભવી આંખો ઝીણી થઈ. મનમાં અઘટિત ઘટનાની શંકા ઘેરી વળી. તેમને વાસના ખોરડાં ભડભડ સળગતાં દેખાયાં. ઓ બાપ રે, મારી નાખ્યા.... કરતાં  આબાલવૃદ્ધ ભાગંભાગ કરતાં હતાં. પશુઓ ખીલો ખેંચી કાઢવા મથામણ કરતાં હતાં.મારો...કાપો...ના દેકારા મોતનું તાંડવ ખેલી રહ્યા હતા. જીવ બચાવવા ગડથોલા ખાતા જન જનાવરની વેદનાથી ધનાભાઈ ધ્રુજી ઊઠ્યા.</span><br><span style="font-size: 14pt;">તેમણે ખોંખારો ખાધો. 'જો ભૈ, તારા મનમાં જે હોય તે, પણ જો ઘોડાની વાત લાવતો હોય તો એમાં અમે હા નથ પાડવાના.'</span><br><span style="font-size: 14pt;">'ચ્યમ કાકા, હમણાં તો તમે કે'તા'તા કે, અમે હૌ તારા હાથે...'</span><br><span style="font-size: 14pt;">'પણ ગાડું કે વેલડું કરને...એમાંયે બાપુની તો રજા લેવી જ પડશે.'</span><br><span style="font-size: 14pt;">'એટલે તો તમાંને બોલાયા સે. આપણે ચ્યાં બાપુ હામે વેર બાંધવા સે.'</span><br><span style="font-size: 14pt;">'રજા આલશે? એમ માને સે તું. ભૂલ કરે સે. બે - ચાર હોફણાવી દેશે. અને તારે ખમવીએ પડશે.'</span><br><span style="font-size: 14pt;">'નૈ ચ્યમ આલે? આપણે ઈયાનો જ ઘોડો લાવીએ. ઈયાને જ મોટા ભા કરીએ. બાપુને કઈએ કે, ઘોડા ભેગા તમેય આવો. વરના મોડવી થઈને.'</span><br><span style="font-size: 14pt;">બધાંએ થોડી હળવાશ અનુભવી. છતાં કોઈ રઘા સાથે જવા તૈયાર થતા ન હતા. તે ગળગળો થઈ ગયો. 'કાકા મે'રબાની કરો. એની માનાં અરમાન પૂરાં કરવા દો. બસ એક આ લ્હાવો લેવા દો. ભૈસાબ તમારી ગાય સું. તમાંને હાથ જોડુ સું' એમ કહી રઘાએ નાતીલાઓ સામે પાઘડી ઉતારી.</span><br><span style="font-size: 14pt;">ઘડીભર શાંતિ છવાઈ ગઈ. એક તરફ રઘાની ભાવના. બીજી તરફ બાપુનો ભય. તરણું સહારો બને તેમ એક યુવાનનો લલકાર સંભળાયો, 'રઘાકાકા તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ.' </span><br><span style="font-size: 14pt;">ઘણી મથામણ થઈ. ના....હા....ના....અંતે રઘો, ધનાકાકા અને બે પીઢ આદમીઓ બાપુ પાસે જવા તૈયાર થયા. માતાજીની દેરી પાસે અટક્યાં. હાથ જોડી પગે લાગ્યાં, 'માડી લાજ રાખજે.' બે ડગલાં ચાલ્યા ત્યાં એક બિલાડી આગળથી સડસડાટ કરતી પસાર થઈ ગઈ. હૃદયમાં પારેવાની જેમ ફડક પેસી ગઈ. 'રઘા બિલાડી આડી ઉતરી છે. અપશુકન થાય છે. મારું મન નથી માનતું. હજીએ વહેલું સે. પાસા વળીએ.'</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c65a5dd1fa9.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">'અરે કાકા, બિલાડી તો વાઘની માસી કહેવાય. એવો ભય ન રખાય. કચવાતા મને સૌ આગળ વધ્યા.</span><br><span style="font-size: 14pt;">બાપુ એટલે  વિશાળ ફળિયું. ડેલીમાં રાત - દિવસ ડાયરો જામેલો હોય. કસુંબા થતા હોય. ગામના 'જી' હજુરિયા બાપુની સેવામાં તત્પર હોય. બાપુ મૂછે તાવ દેતા જાય, ખોખરા ખાતા જાય અને પોતાની પેઢીઓની શૂરવીરતાનો ઇતિહાસ કહેતા જાય.</span><br><span style="font-size: 14pt;">'રામ...રામ...બાપુ, જય માતાજી...' કહેતા હાથ જોડી બધાં ડેલીમાં પ્રવેશ્યા. બાપુ રજવાડી ઢોલિયા પર તકિયાના ટેકે બેઠા હૂક્કો ગગડાવતા હતા. બે હજુરિયા બાપુનો પડ્યો બોલ ઝીલવા ઊભા હતા. બાપુએ ડોકું હલાવી દૂર પડેલા પાથરણા પર બેસવા ઇશારો કર્યો.</span><br><span style="font-size: 14pt;">રઘાએ ધનાકાકાને ઘોદો માર્યો. પણ ધનાભાઈની જીભ ના ઉપડી.</span><br><span style="font-size: 14pt;">બાપુ બોલ્યા, 'બોલ ધના, કેમ આજે નાનું માજન મારે આંગણે?'</span><br><span style="font-size: 14pt;">કોઈ એક અક્ષર પણ ના બોલ્યું. બાપુ અકળાયા. </span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Why-does-Swami-Ramabhadracharya-say-Chamar,-not-Rama">સ્વામી રામભદ્રાચાર્ય ‘રામને નહીં ભજનારને ચમાર’ કેમ કહે છે?</a><br></span></span></strong></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">અરે બોલોને...ચંતા ના કરો જે હોય તે કહી દો. બાપુ બેઠા છે ને! એમ કહી બાપુએ મૂંછોને વળ ચડાવ્યો.</span><br><span style="font-size: 14pt;">આખરે રઘાએ ઊભા થઈને હાથ જોડી 'બાપુ તમારો ઘોડો જોઈએ છે' બાપુનાં ભવાં ખેંચાયા.'</span><br><span style="font-size: 14pt;">'ચ્યમ રઘલા?'</span><br><span style="font-size: 14pt;">'છોકરાના વીવા સેને?'</span><br><span style="font-size: 14pt;">'તી ઈમાં ઘોડાને શું કરીશ?'</span><br><span style="font-size: 14pt;">'બાપુ લગ્નન તો ઘડી ઘડી ના આવે ને! તમારા જેવા ગામધણી હંગાથે હોય તો મારા અવસરમાં સોગુ ઉમેરાય.'</span><br><span style="font-size: 14pt;">બાપુ પોતાની પ્રશંસા સાંભળી ઝૂમવા લાગ્યા. સાંજનો નશો સવાર સવારમાં ચડી ગયો હોય એમ. એમને એમ કે' રઘલાને વેવાઈ આગળ વટ પાડવો છે એટલે મને ઘોડો લઈને જાનમાં આવવાનું આમંત્રણ આપવા આવ્યા છે.</span><br><span style="font-size: 14pt;">બાપુ પોતાની વાત ન સમજ્યા હોય એમ લાગતાં રઘાએ ધડાક કરતાં કહી દીધું, 'બાપુ મારે દીકરાનો વરઘોડો કાઢવો સે.'</span><br><span style="font-size: 14pt;">   'હે...'</span><br><span style="font-size: 14pt;">બાપુનો પિત્તો સાતમા આસમાનને પાર કરી ગયો. મૂંછો ફર ફર થવા લાગી. સટ્ટાક... કરતાક  ઢોલિયા ઉપરથી ઊભા થઈ ગયા. લાલઘૂમ થઈ જતાં ગર્જયા 'તારી તે જાતના. હલકી વરણ થઈને વરઘોડાની ચળ ઉપડી સે…’ બે ચાર ચોપડાવી દીધી. </span><br><span style="font-size: 14pt;">'બાપુ...બાપુ...ખમ્મા...ખમ્મા...' આખા ગામનાં સોકરાં તમારાં જ સે ને! ઈ વરઘોડે ચડે તો તમાંનેય હરખ થાય ને?'</span><br><span style="font-size: 14pt;">બાપુનો ક્રોધ હજીયે શાંત થયો ન હતો. તેઓ ગર્જયા. 'રઘલા, મેતરના છોકરાને ઘોડો તો શું ગધેડોય ન હોય. હમજ્યો! આ બેનાળી જોઈ છે?’ એમ કહી બાપુએ દિવાલ તરફ હાથ કર્યો. </span><br><span style="font-size: 14pt;">રઘાના સ્વમાનને ઠેસ પહોંચી. તે સમસમી ગયો. ઘડીભર શાંત ઊભો રહ્યો. તેને પોતાના ઘેર ભીંતે ઝૂલતી આવી જ બેનાળી દેખાઈ. 'બાપુ તમારી પાહે રાજાશાહીવાળી સે તો મારી પાહેય બેનાળી લાયન્સવાળી સે.' કહેવું તો ઘણું હતું પણ તે બોલી ન શક્યો. </span><br><span style="font-size: 14pt;">'આ તો અમારા રાજ ગયાં ને તમારી લૂલી ઉપડતી થઈ. નકર  તમે હાળા...અમારી હામે...?'</span><br><span style="font-size: 14pt;">'બાપુ, સોકરાના લગ્ન તો લીધા સે. તેને ઘોડે બેહાડવાનો હરખેય સે. તમે ઘોડો નહીં દો ઈમને. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમાંને અમારો સોકરો ઘોડા ઉપર બેહે ઈનો જ વાંધો છે ને...બીજો નઈ ને...? </span><br><span style="font-size: 14pt;">વળતો જવાબ સાંભળ્યા વિના બધા ઊભા થયા ને ચાલતા થયા. પાછળ બાપુનો ગણગણાટ સંભળાતો હતો. </span><br><span style="font-size: 14pt;">રઘો આખો દિવસ ધૂંધવાયેલો રહ્યો. ચેન ન પડ્યું. સાંજ પડી. જમવાની ઈચ્છા ન થઈ. ખાટલા પર આડા પડી સૂવાની કોશિશ કરી પણ ઊંઘ આવતી ન હતી. પડખાં પર પડખાં ફેરવ્યા કર્યાં. કોઈકે હળવેકથી પડખામાં આંકડો ભરાવી ગલીપચી કરી. હોઠ મલકાતાં મલકાતાં ઉદાસી ફરી વળી. તે ઊભો થવા ગયો અને જાણે કોઈએ હાથ પકડી ખેંચ્યો, 'બેહો હવે ઘડીક મારી હામે.' કમલીનો જ હાથ હતો. તે તેને અમિનેષ જોઈ રહ્યો. 'આમ શું બાઘાની જેમ જોઈ રહ્યા છો? કાંઈ પહેલીવાર જોઈ છે. આવી રીતે તો પરણવા આવ્યા ત્યારેય…!' તે ઝબક્યો. પોપચાં પરનો ભાર હળવો થતો જણાયો. 'હાંભળો, આપણા ધવલિયાને રંગેચંગે પરણાવવાનો છે.' </span><br><span style="font-size: 14pt;">'હા કમુ હા…' તે પથારીમાંથી બેઠો થઈ ગયો. આંખો ચોળી. આજુબાજુ નજર કરી. અફસોસ કોઈ ન હતું. વહેલી પરોઢનું સપનું હતું કે હકીકત, કલ્પી ન શકાયું.</span><br><span style="font-size: 14pt;">જ્યારે જ્યારે જીવનમાં મુશ્કેલી આવતી ત્યારે ત્યારે કમુ જ તેનો ઉકેલ શોધી કાઢતી. આજે તે નથી પણ મનની મૂંઝવણ દૂર કરતી ગઈ. તે હસ્યો. તેણે ગાંઠ વાળી. ગમે તે થાય પણ જાનમાં ઉણપ તો નહીં આવવા દઉ.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ </span><a href="https://khabarantar.com/Why-does-the-dog-of-Dhedh-spoil-the-fathers-dog-So-it-exploded">ઢેઢનું કૂતરું બાપુના કૂતરાને રંજાડી જાય ઈ કેમ પાલવે? એટલે ભડાકે દીધું</a><br></span></strong></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">વહેલી સવારે ધવલની જાન જવાની તૈયારી ચાલે છે. જાનૈયા સજીધજીને તૈયાર છે. ફટાકડાના અવાજો, બેન્ડવાજા અને ઢોલના ધ્રુબાંગ ધ્રુબાંગ વચ્ચે સૂટબૂટમાં સજ્જ ધવલ મિત્રોની સાથે હાથમાં તલવાર લઈ ઘર બહાર નીકળ્યો છે. તેની પાછળ પાછળ જાનડીઓ લગ્ન ગીતો ગાઈ રહી છે. પાદરમાં લક્ઝરી બસ અને બીજી ગાડીઓ શણગારેલી છે. આવનાર પૂત્રવધૂ માટે પણ ગાડી પર બગી સાથેની પાલખી સજાવેલી છે. </span><br><span style="font-size: 14pt;">વર મહોલ્લાના ઝાંપે પહોંચ્યો. એક મદોન્મત હાથી આવી રહ્યો છે. માથે શણગારેલી અંબાડી છે. સૌ અચરજથી જોઈ રહ્યા છે. તેવામાં મહાવતે કહ્યું: 'વરને બોલાવો. હાથી પર બેસાડો.'</span><br><span style="font-size: 14pt;">બધાના હોશ ઊડી ગયા. જાનૈયા સ્તબ્ધ થઈ ગયા. </span><br><span style="font-size: 14pt;">ધનાભાઈથી રહેવાયું નહીં, 'આ તે શી આદરી છે રઘલા...?'</span><br><span style="font-size: 14pt;">'રામ રામ કરો કાકા, હૌ હારા વાનાં થશે.'</span><br><span style="font-size: 14pt;">'ભૈલા બાપુએ ના કીધી હતી તોયે...? તે તો ભારે કરી.'</span><br><span style="font-size: 14pt;">'બાપુએ ઘોડાની ના પાડી સે, હાથીની ક્યાં ના પાડી સે?</span><br><span style="font-size: 14pt;">ધીમે ધીમે ડોલતો 'વરહાથી' ગામમાંથી પસાર થઈ રહ્યો છે. ધવલ હાથી પર બેઠો છે. ચક્રવર્તી રાજાની જેમ માથે છત્ર શોભી રહ્યું છે. બે બાજુ લૂણો ઉતારનારી નાની દીકરીઓ ગોઠવાઈ છે. યુવાન-યુવતિઓ નાચી રહ્યાં છે. છતાં દરેકના હૃદયમાં ફડક તો છે જ. રઘાએ લાયસન્સ ધરાવતી બેનાળી બંદૂક ખભે લટકાવી છે. વરના બાપ તરીકેનો રૂઆબ અને હરખ હૈયામાં છલકાઈ રહ્યો છે.    </span><br><span style="font-size: 14pt;">ગામે હાથી પર બેઠેલો મુરતિયો પહેલી વખત જોયો. ગામ આખામાં હવા ફેલાઈ કે રઘાનો ધવલ હાથીની સવારી પર પરણવા જાય છે. કૂતુહલવશ ગામના અબાલવૃદ્ધ વરહાથીને જોઈ રહ્યા.</span><br><span style="font-size: 14pt;">બાપુની ડેલી આગળના ચોક પરથી પસાર થતાં બેન્ડવાજા બંધ થઈ ગયાં. ગીતો અને નાચગાન થંભી ગયું. ફટાકડા ફૂસ થઈ ગયા.</span><br><span style="font-size: 14pt;">'વગાડો...વગાડો...ફોડો…ફોડો…’ કહી રઘાએ ફાયરિંગ કર્યું. ફટાકડાની સેરો ફટાફટ ફૂટવા લાગી. ‘હમણાં બાપુ આવશે...’ નો ભય કેટલાકને ડરાવી રહ્યો હતો. આવે તો કઈ તરફ ભાગવું તે પણ વિચારી રાખ્યું હતું. એકાદ બે તો પહેલેથી છૂ થઈ ગયા હતા.</span><br><span style="font-size: 14pt;">ડેલીમાં બેઠા બાપુ ધૂંઆપૂંઆ થઈ ગયા. તેમનું આવું અપમાન? સમસમી ગયા. મારી નાખું કે મરી જાઉ. તેઓ ઢોલિયા પરથી ઊભા થયા. આમતેમ આંટા મારવા લાગ્યા. આંખો કરડી કરી. મ્યાનમાંથી તલવાર બહાર કાઢી. એક જ ઝાટકે રઘલાની ગરદન કાપી નાખવાનુ મન થયું. ભીંતે લટકતી બેનાળી સામે જોયું. તેને ઉપાડવા હાથ લાંબા કર્યા. તેવામાં પાછળથી ચેતનબાનો અવાજ આવ્યો. 'બેહો હવે છાનામાના. તમારાં દરબારપણાં ગયાં. હવે તો પગથી માથા સુધી આખાય ઢીલા થઈ ગયા છો, સમજો.' હાથ પકડીને ચેતનાબા બનાબાપુને ઘરમાં ઢસડી ગયાં. થોડીવાર થઈ. બાપુનો ક્રોધ બરફની જેમ થીજી ગયો.</span><br><span style="font-size: 14pt;">ચેતનાબાના આગ્રહથી બાપુએ ઘોડો તૈયાર કર્યો. તેના પર પલાણ નાખી સવાર થયા. ચેતનાબાએ તલવાર આપી. તે કમરે લટકાવી. કારતુસનો પટ્ટો ખભે ભેરવ્યો. કોઈ યોદ્ધા યુદ્ધમાં જતા હોય તેમ બંદુક લીધી.     </span><br><span style="font-size: 14pt;">થોડીવાર પછી ડેલી ખૂલી. દરબારી પહેરવેશના ઠાઠ સાથે ઘોડા ઉપર બેસીને બાપુ બહાર આવ્યા. ચેતનાબાએ લગામ પકડી હતી. સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. કશુંક અમંગળ થવાનાં એંધાણ વર્તાયા. દરેકના ચહેરા પર ડર છે. શું થશે? હવે નક્કી આવી જ બન્યું છે. બાપુએ રઘા સામે બંદૂક તાગી. ટ્રિગર પર આંગળી મૂકી. રઘાએ છાતી ટટ્ટાર કરી. આંખો બંધ કરી.   </span><br><span style="font-size: 14pt;">ધાય... ધાય... કરી બાપુએ હવામાં ફાયરિંગ કર્યું, 'રઘલા આજે તારા નહીં આપણા ગામના દીકરાનાં લગ્ન છે. હું જાનમાં ના આવું તો મારી અને આખા ગામની લાજ જાય.'</span><br><span style="font-size: 14pt;">રઘાનો આનંદ ભરતી બની ઊછળી રહ્યો. બાપુએ ઘોડો આગળ કર્યો. હાથી પર બેઠેલા ધવલનાં ચેતનાબાએ ઓવારણાં લીધાં. પાલખી સાથે  લશ્કર વાજતે ગાજતે  આગળ વધ્યું.</span><br><span style="font-size: 14pt;">............................................. </span><br><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>(ધરમસિંહ પરમાર, ૩૬/૨, વલ્લભનગર સોસાયટી, ગાયત્રી શક્તિપીઠ સામે, રાધનપુર, જિ. પાટણ. ૩૮૫૩૪૦, મો. ૯૮૭૯૨ ૪૬૪૯૪)</strong></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/The-law-of-Manusmriti,-which-sowed-the-seeds-of-inequality-in-Indian-society">મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં </a><br></span></span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 10 Feb 2024 14:18:57 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 10 Feb 2024 14:35:56 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>333</Articleid>
                    <excerpt>દલિત સાહિત્ય વાસ્તવિક અનુભવો પરથી ઉતરી આવ્યું છે. કથિત સવર્ણો માટે જે તદ્દન સામાન્ય વાત છે, તેવી બાબતો દલિતો માટે અમલમાં મૂકવા માટે પણ કોઈની રજા લેવી પડે તે વાત આઝાદ ભારતમાં પણ અસ્તિત્વ ધરાવે છે. નવી પેઢી આ અનુભવ કેટલો પીડાદાયક હોય છે તેનાથી સાવ અજાણ છે. તેમને વાસ્તવિકતાથી વાકેફ કરાવવા માટે હવેથી ખબરઅંતર.કોમ પર બહુજન વાર્તાઓને રજૂ કરવાનું નક્કી કર્યું છે. રાધનપુરના વતની, નિવૃત્ત આચાર્ય એવા જાણીતા વાર્તાકાર ધરમસિંહ પરમાર આવી જ એક મજબૂત વાત લઈને આપણી વચ્ચે આવ્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65c65a5e8fed8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65c65a5e4dd3e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65c65a5e4dd3e.jpg" length="101561" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>મનુ આજે પણ કાર્યરત છે, આ દેશમાં પણ અને આ દેશવાળા જ્યાં જ્યાં ગયા છે તે વિદેશોમાં પણ</title>
                    <link>https://khabarantar.com/Manu-is-still-working-today,-both-in-this-country-and-in-foreign-countries-wherever-the-people-of-this-country-have-gone</link>
                    <guid>https://khabarantar.com/Manu-is-still-working-today,-both-in-this-country-and-in-foreign-countries-wherever-the-people-of-this-country-have-gone</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"> - સાહિલ પરમાર </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એલ.ટી.સી.ક્યારેય ભોગવ્યું ન હતું. નિવૃત્ત થતાં પહેલાં દક્ષિણ ભારત અને ઉત્તર ભારત જોઈ લેવાં એવો વિચાર તો હતો જ ને દિનેશ પટેલે કહ્યું, 'જી.એમ., દક્ષિણ ભારત આવવું છે, સજોડે? વિક્રમભાઈ પટેલની GSRTCની માન્ય બસ છે, આવવું હોય તો.' </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્રણે દીકરીઓ તો ભણતી હતી. એમણે ના પાડી. એટલે અમે બંનેએ 15મી મેના રોજ ઉપડતી બસમાં બે ટિકિટો બુક કરાવી લીધી. બસ ઉપડી. બસમાં બીજા કોઈ ઓળખીતા ન હતા - દિનેશભાઇ અને ભગવતીબેન સિવાય. દિનેશભાઈએ એમની હરોળમાં જ ટુ બાય ટુ સીટ પર બેઠેલાં એક યુગલની ઓળખાણ કરાવીઃ 'આ અમારા પડોશી હરીશભાઈ ભાવસાર અને આ નિર્મળાબેન, એમનાં પત્ની. અમે છેલ્લાં ચોવીસ વર્ષથી પડોશમાં રહીએ છીએ' કહેતાં દિનેશભાઈ ભાવવિભોર થઇ ગયા. બસમાં એક યુવાન છોકરી હતી, જે સારી ગાયિકા હતી. એ બસમાં રોજ ગરબા ગાતી. બીજી બહેનો એની ગાયેલી પંક્તિઓ ઝીલી લેતી. ત્રણ દિવસ થયાં ને બીજી બહેનોએ પેલી યુવતીને ફરમાઈશ કરીઃ 'સ્મિતાબહેન, આનંદનો ગરબો ગાવ ને?' મને થયું આ ‘આનંદનો ગરબો’ શું છે? ચોપન વર્ષમાં કદી આનંદના ગરબાનું નામ પણ નથી સાંભળ્યું મેં તો. બહેને આનંદનો ગરબો ઉપાડ્યો ને બધાં એકી ટહે એને ઝીલતાં. દરેક પંક્તિના અંતે મા શબ્દ આવતો. ઢાળ પણ ઉલાળનો. મને થયું કે હું કોઇ બીજા જ ગુજરાતમાં રહું છું'. ગરબા તો ઘણાં સાંભળેલા અને કિશોરાવસ્થામાં ગાયેલા પણ ખરા, પણ આનંદના ગરબાનું નામ પ્રથમ વાર સાંભળ્યું અને ગવાતો પણ પ્રથમ વાર સાંભળ્યો. એનું એકધારાપણું સતત કાનને ખૂંચતું હતું. તદ્દન કંટાળાજનક ગરબો. પછીથી ઘેર આવીને ખણખોદ કરી તો ખબર પડી કે ભક્ત વલ્લભ ધોળાએ એના માતાજીની કૃપા એના પર ઊતરતાં આ ગરબો લખ્યો હતો. ચેન્નઇથી બસ તિરુપતિ બાલાજી જવા એક હોટલ આગળ ઊભી રહી ગઈ. હોટલમાં રાત્રિરોકાણ કરી સવારે ત્યાંથી જીપમાં તિરુપતિ બાલાજી જવાનું હતું. બસમાં એક મહેન્દ્રભાઈ પટેલ અને એમનાં પત્ની પણ હતાં. અમે જોયું તો દિનેશભાઈ પટેલ અને ભગવતીબેનની બાજુમાં જીપના આગળના ભાગે મહેન્દ્રભાઈ પટેલ તેમનાં પત્ની સાથે બેઠા હતા. હું દિનેશભાઇ પટેલ સાથે પોરબંદર બદલી થઈ ત્યારે 23 મહિના એક રૂમમાં રહેલો એટલે મને તો દિનેશભાઈ જીપના આગળના ભાગે અમારી જગા રાખે એવી અપેક્ષા પણ ન હતી. હું ને હીરા બન્ને જીપના પાછળના ભાગે ગોઠવાયાં. ત્યાં તો હરીશભાઇ ભાવસાર અને નિર્મળાબેન આવ્યાં. એમણે દિનેશભાઇને કહ્યુઃ 'અમને આગળ બેસાડો. 'દિનેશભાઇએ એમને પાછળ બેસવા કહ્યું. નિર્મળાબેન ભાવસારે કહ્યું: 'પાછળ તો અમે નહીં બેસીએ. તમે અમારી જગા ના રાખીને? તો હવે અમે બીજી જીપમાં જઇશું.' એમનો ચહેરો રડું રડું થઇ ગયો હતો. એ બંને પતિ-પત્ની બીજી જીપમાં આગળની સીટ પર ગોઠવાયાં. તિરુપતિ બાલાજી તરફ જીપો ઉપડી. આખો દિવસ ત્યાં પસાર થયો. સાંજે પાછા આવ્યા પછી હું અને હીરા જમી રહ્યાં હતાં ત્યાં હરીશભાઇ ભાવસાર અને નિર્મળાબેન આવ્યાં. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જમતાં જમતાં અમારી બાજુમાં ઊભા રહ્યાં. નિર્મળાબેન ભાવસારે હીરા સાથે વાત કરતાં કહ્યું: 'દિનેશભાઈ સાથે અમે ચોવીસ વર્ષથી પડોશી તરીકે રહીએ છીએ. પણ એમણે અમારું જરાય ના રાખ્યું. આઠ દિવસના સંબંધવાળા મહેન્દ્ર માટે આગળ જગા રાખી, અમારા માટે ના રાખી. મહેન્દ્ર એમનો પટેલ હતો ને એટલે. પડોશી કરતાં ય સવાયો પટેલ થઈ ગયો." બોલતાં બોલતાં નિર્મળાબેનની આંખો ભરાઇ આવી. "હવે અમારા સંબંધો કાયમ માટે પૂરા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"બીજા દિવસે બસમાં અમે જોયું કે હરીશ ભાવસાર અને નિર્મળાબેન દિનેશભાઈની બાજુમાં બેસતાં તે સીટ પર બીજું કોઇ યુગલ બેઠું હતું. હરીશભાઈ અને નિર્મળાબેન દિનેશભાઈથી દૂરની સીટ પર બેઠાં હતાં. બસ જ્યાં ઊભી રહેતી ત્યાં તક મળ્યે હું ભાવસાર દંપતિના ચહેરા ધ્યાનથી જોતો. મને લાગ્યું કે એમનાં મન મુરઝાઈ ગયેલી વેલ જેવાં થઇ ગયા હતા. જાણે વેલ પર હિમ પડ્યું હોય કે કોઈ મોટો આઘાત લાગ્યો હોય. બે વર્ષ પછી હરીશ ભાવસાર જૂના સચિવાલયમાં ચાની કીટલીએ મળી ગયા. મેં એમને પૂછ્યુઃ “શું ચાલે છે હરીશભાઇ?” તેમણે હરખાતાં હરખાતાં કહ્યું, "અમે તો બે વર્ષથી પેલા બદમાશ સાથે બોલતાં જ નથી. બધો જ સંબંધ કાપી નાખ્યો એની સાથેનો " </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેં કહ્યુઃ “તમને આભડછેટનો એ અનુભવ કેટલો કઠ્યો? તમારા સવર્ણોમાં આ સ્થિતિ છે, તો અમારી હાલતની તો તમે કલ્પના પણ ન કરી શકો. મનુ કાર્યરત છે આજે પણ. આ દેશમાં પણ અને આ દેશવાળા જ્યાં જ્યાં ગયા છે ત્યાં વિદેશોમાં પણ."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Why-does-the-dog-of-Dhedh-spoil-the-fathers-dog-So-it-exploded"><strong><span style="font-size: 14pt;">ઢેઢનું કૂતરું બાપુના કૂતરાને રંજાડી જાય ઈ કેમ પાલવે? એટલે ભડાકે દીધું</span></strong></a></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"><span style="font-size: 10pt;"><strong>Khabarantar.com </strong></span><strong><span lang="GU" style="font-size: 10pt; color: rgb(186, 55, 42);">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </strong></span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a><o:p></o:p></p>
<p class="MsoNormal"><span lang="EN-US"><o:p> </o:p></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 09 Feb 2024 09:55:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>326</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65c3c3ca8391b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65c3c3ca46e2e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65c3c3ca46e2e.jpg" length="42664" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ડૉ આંબેડકરે પત્રકાર અને તંત્રી કેમ બનવું પડ્યું?</title>
                    <link>https://khabarantar.com/Why-did-Dr-Ambedkar-become-a-journalist-and-editor</link>
                    <guid>https://khabarantar.com/Why-did-Dr-Ambedkar-become-a-journalist-and-editor</guid>
                    <description>
                        <![CDATA[ દિલ્હી યુનિવર્સિટીની હિંદુ કૉલેજના એસોસિએટ પ્રોફેસર  રતનલાલનું નામ બહુજન સમાજ માટે અજાણ્યું નથી. આજે 4 ફેબ્રુઆરી છે, 1956માં આ દિવસે ડૉ. આંબેડકરે પોતાના &#039;જનતા&#039; સામયિકનું નામ બદલીને &#039;પ્રબુદ્ધ ભારત&#039; કર્યું હતું. આ ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રો. રતનલાલ અહીં મીડિયાના ચરિત્ર વિશે ડૉ. આંબેડકરની દ્રષ્ટિ ઉપરાંત બહુજન સમાજ માટે મીડિયા કેટલું મહત્વનું છે તે વિસ્તારથી સમજાવે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. બી.આર. આંબેડકર (14 એપ્રિલ 1891 – 6 ડિસેમ્બર 1956) એક બહુમુખી પ્રતિભાશાળી વિદ્વાન અને એક દૂરદર્શી સંસ્થાન નિર્માતા હતા. તેમના જીવનના એક સાથે અનેક પાસાઓ છે અને અસંખ્ય અર્થઘટનો થઈ શકે છે. પ્રસ્તુત લેખમાં ડો. આંબેડકરના વિચારોના સંદર્ભમાં મીડિયાના ચારિત્ર્યની તપાસ કરવાનો અને મીડિયા પ્રત્યે તેમની દ્રષ્ટિ શું હતી તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ લેખ લખવા માટેનો બીજો સંદર્ભ એ છે કે ડૉ. આંબેડકર દ્વારા બહાર પાડવામાં આવેલા તેમના સામયિક 'જનતા'નું નામ બદલીને તેમણે 'પ્રબુદ્ધ ભારત' કર્યું હતું. એ દિવસ હતો 4 ફેબ્રુઆરી 1956.</span><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ડૉ. આંબેડકરના સમયમાં છાપાં એટલે કે અખબારો, સામયિકો અને રેડિયો જનસંચારનું મુખ્ય માધ્યમ હતા. ત્યારે પણ મીડિયા પર બ્રાહ્મણો અને કથિત ઉચ્ચ જાતિઓનું પરંપરાગત વર્ચસ્વ હતું. તેથી, ડૉ. આંબેડકર શરૂઆતથી જ સમજી ગયા હતા કે તેઓ જે લડાઈ લડી રહ્યા છે તેમાં મુખ્ય પ્રવાહના માધ્યમો તેમના માટે ઉપયોગી સાબિત થશે નહીં, બલ્કે તેમને ત્યાંથી પ્રતિકારનો જ સામનો કરવો પડશે. તે અકારણ નથી કે ડો. આંબેડકરને તેમના વિચારો લોકો સુધી પહોંચાડવા માટે ઘણાં સમાચારપત્રો પ્રકાશિત કરવા પડ્યાં હતાં, જેનાં નામ છે – મૂકનાયક (1920), બહિષ્કૃત ભારત (1924), સમતા (1928), જનતા (1930), આમ્હી શાસનકર્તી જમાત બનણાર (1940) અને પ્રબુદ્ધ ભારત (1956). તેમણે સંપાદક, લેખક અને સલાહકાર તરીકે કામ કરવાની સાથે આ પ્રકાશકોનું માર્ગદર્શન પણ કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ડો. આંબેડકરે પોતાના સામાજિક-રાજકીય આંદોલનને મીડિયાના માધ્યમથી પણ ચલાવ્યા અને અસ્પૃશ્યોના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો. ‘મૂકનાયક’ ડો. આંબેડકર દ્વારા સ્થાપિત પહેલી પત્રિકા હતી. તે દિવસોમાં બાળ ગંગાધર તિલક ‘કેસરી’ નામનું અખબાર બહાર પાડતા હતા. કેસરીમાં ‘મૂકનાયક’ની જાહેરાત સંપૂર્ણ એડવર્ટાઈઝ ફી સાથે છાપવા વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તિલકે તેને છાપવાનો ઇનકાર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">‘મૂકનાયક’ના એડિટર પી.એન. ભાટકર હતા, જેઓ મહાર જાતિના હતા. તેમણે કોલેજ સુધીનું શિક્ષણ મેળવ્યું હતું. મૂકનાયકના પ્રથમ 13 સંપાદકીય લેખો ડૉ. આંબેડકરે લખ્યા હતા. પ્રથમ લેખમાં, આંબેડકરે હિંદુ સમાજને એક બહુમાળી ઈમારત તરીકે વર્ણવ્યું હતું, જેમાં એક માળેથી બીજા માળે જવા માટે ન તો સીડી છે કે ન તો પ્રવેશદ્વાર છે. દરેક વ્યક્તિએ એ જ માળમાં જીવવાનું અને મરવાનું છે, જેમાં તેઓ જન્મ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">મીડિયા પ્રત્યે ડૉ. આંબેડકરનો દ્રષ્ટિકોણ</span></strong></span><br><span style="font-size: 14pt;">18 જાન્યુઆરી 1943ના રોજ ગોખલે મેમોરિયલ હોલ, પૂના ખાતે મહાદેવ ગોવિંદ રાનડેની 101મી જન્મજયંતિની ઉજવણીમાં ડો. આંબેડકરે 'રાનડે, ગાંધી અને જિન્ના' શીર્ષક હેઠળ આપેલું વક્તવ્ય મીડિયાના ચરિત્ર વિશેની તેમની દ્રષ્ટિને સમજવા માટે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, 'કોંગ્રેસના અખબારો દ્વારા મારી ટીકા કરવામાં આવે છે. હું કોંગ્રેસના અખબારોને સારી રીતે જાણું છું. હું તેમની ટીકાને કોઈ મહત્વ આપતો નથી. તેમણે ક્યારેય મારી દલીલોનું ખંડન કર્યું નથી. તેઓ મારા દરેક કાર્યની ટીકા, ભર્ત્સના અને નિંદા કરવાનું જાણે છે. તેઓ મારી દરેક વાતની ખોટી માહિતી આપે છે, તેને ખોટી રીતે રજૂ કરે છે અને ખોટું અર્થઘટન કરે છે. કૉંગ્રેસીપત્રો મારા કોઈપણ કામથી ખુશ નથી થતા. જો હું એમ કહું કે મારા પ્રત્યે કૉંગ્રેસીપત્રોનો આ દ્વેષ અને વેરભાવ અછૂતો પ્રત્યે હિંદુઓની નફરતની અભિવ્યક્તિ છે તો તે અયોગ્ય નહીં હોય.’</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65bf98623c12e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આજે જે રીતે મીડિયાના વિવિધ માધ્યમો વ્યક્તિ પૂજા અને સરકારની ટીકાને રાષ્ટ્રની ટીકા તરીકે સાબિત કરવામાં લાગેલા છે અથવા રાજકીય પક્ષોના પ્રવક્તાની જેમ કામ કરી રહ્યાં છે, તેને જોતા ડૉ. આંબેડકરના વિચારો આજે પણ પ્રાસંગિક છે. જો આજે ડો. આંબેડકર હયાત હોત તો અંદાજ લગાવી શકાય છે કે તેમના નિશાન પર કઈ વિચારધારા અને પાર્ટી તથા નેતા હોત.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">અસ્પૃશ્યો પ્રત્યે મીડિયાનું વલણ</span></strong></span><br><span style="font-size: 14pt;">અસ્પૃશ્યોના જીવન અને આંદોલનમાં પ્રેસની ભૂમિકા અને મર્યાદાઓ પર પ્રકાશ પાડતા ડૉ. આંબેડકરે લખ્યું હતું, “ભારત બહારના લોકો માને છે કે કોંગ્રેસ એકમાત્ર એવી સંસ્થા છે જે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, અને અસ્પૃશ્યોનું પણ. આનું કારણ એ છે કે અસ્પૃશ્યોની પાસે પોતાનું કોઈ સાધન નથી જેના દ્વારા તેઓ કોંગ્રેસ સામે પોતાનો દાવો રજૂ કરી શકે. અસ્પૃશ્યોની આ નબળાઈના બીજા પણ ઘણાં કારણો છે. અસ્પૃશ્યોનું પોતાનું કોઈ મીડિયા નથી. કોંગ્રેસના પ્રેસ તેમના માટે બંધ છે. તેણે અસ્પૃશ્યોને સહેજ પણ પ્રસિદ્ધિ ન આપવાના સમ ખાધા છે. અસ્પૃશ્યો પોતાનું મીડિયા સ્થાપી શકતા નથી. તે સ્પષ્ટ છે કે કોઈપણ મીડિયા જાહેરાતના પૈસા વિના ચાલી શકે નહીં. જાહેરાતના પૈસા માત્ર વ્યવસાયિક જાહેરાતોમાંથી આવે છે. ધંધાર્થી નાનો હોય કે મોટો, એ બધાં કૉંગ્રેસ સાથે જોડાયેલા છે અને ગેરકૉંગ્રેસી સંસ્થાની તરફેણ કરી શકતા નથી. ભારતની સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ ઓફ ઈન્ડિયાનો સ્ટાફ સંપૂર્ણ રીતે મદ્રાસી બ્રાહ્મણોથી ભરેલો છે. વાસ્તવમાં, ભારતનું આખું પ્રેસ તેમની મુઠ્ઠીમાં છે અને તે સંપૂર્ણપણે કૉંગ્રેસના પીઠ્ઠુ છે, જેઓ કૉંગ્રેસ વિરુદ્ધ કોઈ સમાચાર પ્રકાશિત કરી શકતા નથી.”</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65bf99f903799.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આ સંદર્ભમાં, મીડિયા સ્ટડીઝ ગ્રુપ દ્વારા મીડિયામાં દલિતો/આદિવાસીઓ/પછાત લોકોની ભાગીદારીના સંદર્ભમાં મીડિયાકર્મીઓની સામાજિક પૃષ્ઠભૂમિનો અભ્યાસ પ્રાસંગિક છે. 2006માં કરવામાં આવેલું આ સંશોધન જણાવે છે કે 21મી સદીમાં પણ ભારતીય મીડિયાનું સામાજિક ચરિત્ર બદલાયું નથી અને અહીં જ્ઞાતિનું વર્ચસ્વ હજુ પણ કામ કરી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><br><strong><span style="font-size: 14pt; color: rgb(186, 55, 42);">લોકશાહીમાં મીડિયાની ભૂમિકા અને ડૉ. આંબેડકર</span></strong><br><span style="font-size: 14pt;">ઓલ ઈન્ડિયા શિડ્યૂલ કાસ્ટ ફેડરેશને જાન્યુઆરી 1945માં તેનું સાપ્તાહિક મુખપત્ર 'પીપલ્સ હેરાલ્ડ' શરૂ કર્યું. આ પત્રનો મુખ્ય ઉદ્દેશ્ય અસ્પૃશ્યોની આકાંક્ષાઓ, માંગણીઓ અને ફરિયાદોને અવાજ આપવાનો હતો. આ સમાચારપત્રના ઉદ્ઘાટનકર્તા તરીકે ડૉ. આંબેડકરે કહ્યું, “આધુનિક લોકશાહી વ્યવસ્થામાં સારી સરકાર માટે સમાચારપત્ર મૂળ આધાર છે. એટલે ભારતની અનુસૂચિત જાતિઓની આ અજોડ દુર્ભાગ્યપૂર્ણ દુર્દશાનો અંત લાવવામાં ત્યાં સુધી સફળતા નહીં મળી શકે, જ્યાં સુધી 8 કરોડ અસ્પૃશ્યોને રાજકીય રીતે શિક્ષીત કરવામાં ન આવે. જો વિવિધ વિધાનસભાઓના ધારાસભ્યોના વ્યવહારનું રિપોર્ટિંગ કરીને સમાચારપત્રો લોકોને કહે કે ધારાસભ્યોને પૂછો આવું કેમ છે, કેવી રીતે થયું, ત્યારે મારા મનમાં કોઈ શંકા નથી કે ધારાસભ્યોના વર્તનમાં મોટો ફેરફાર આવી શકે છે. આ રીતે વર્તમાન દુર્વ્યવસ્થા, જેનો ભોગ આપણા સમાજના લોકો છે તેને રોકી શકાય છે. માટે હું આ અખબારને એક એવા માધ્યમ તરીકે જોઈ રહ્યો છું જે તે લોકોનું શુદ્ધિકરણ કરી શકે છે જેઓ તેમની રાજકીય કારકિર્દીમાં ખોટી દિશામાં ગયા છે.”</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">1937ની વિધાનસભાની ચૂંટણીમાં મરાઠી અખબારોની ભૂમિકાને ટાંકીને આંબેડકરે સૂચવ્યું હતું કે, “અખબારો ન માત્ર મતદારોને તાલીમ આપે છે પરંતુ એ પણ સુનિશ્ચિત કરે છે કે જેને તેમણે પોતાના મત આપીને ચૂંટ્યા છે તેઓ તેમની પડખે ઊભા રહે, તેઓ તેમની ફરજ યોગ્ય રીતે નિભાવી રહ્યા છે અને કોઈની સાથે ગેરવર્તન નથી કરતા. તેમણે આગળ કહ્યું, “મેં 16 વર્ષ સુધી બોમ્બેમાં એક સાપ્તાહિકનું સંપાદન કર્યું. તેણે જે પ્રભાવ ઉભો કર્યો તેની અસર બૉમ્બે વિધાનસભાની ચૂંટણીમાં દેખાઈ, જેમાં મેં તમામ સમાજના લોકોના મતો મેળવીને કૉંગ્રેસના મારા પ્રતિસ્પર્ધીને હરાવ્યા હતા.”</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65bf99de93bc2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેખીતી રીતે, ડૉ. આંબેડકરે લોકશાહીના પ્રહરી તરીકે અને લોકોની રાજકીય તાલીમમાં અખબારોની મહત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. આંબેડકરના સમયથી લઈને અત્યાર સુધીમાં મીડિયા જગતમાં ઘણું બદલાઈ ચૂક્યું છે. પરંતુ, ઘણું બધું યથાવત પણ છે. દલિતો માટે મુખ્યધારાના મીડિયાના દરવાજા આજે પણ મોટાભાગે બંધ છે. આંબેડકર પછીના સમયગાળા દરમિયાન માન્યવર કાંશીરામે તેમની ચળવળને આગળ વધારવા ઘણાં સમાચારપત્રો પ્રકાશિત કર્યા. આજે, વ્યક્તિગત પ્રયાસોથી કેટલીક વ્યક્તિઓ અને સંસ્થાઓ છૂટાછવાયા અખબારો અને સામયિકો પ્રકાશિત કરી રહી છે. વ્યક્તિગત પ્રયત્નો દ્વારા અસંખ્ય સોશિયલ મીડિયા પેજ, X પેજ, ફેસબૂક ગ્રુપ, યુટ્યુબ ચેનલ, વિડિયો બ્લોગ અને બ્લોગ ચલાવવામાં આવી રહ્યા છે. પરંતુ એવું કેમ છે કે સેંકડો દલિત કરોડપતિઓ, DICCI અને BAMCEF જેવી સંસ્થાઓ, સેંકડો ધારાસભ્યો/સાંસદો/મંત્રીઓ, ડઝનબંધ શક્તિશાળી રાષ્ટ્રીય નેતાઓ, હજારો સરકારી નોકરીયાતો હોવા છતાં આજે પણ મુખ્યધારામાં એવી કોઈ હિન્દી-અંગ્રેજી ટીવી ચેનલ કે સમાચારપત્ર નથી, જે દલિતો અને પછાતો સાથે જોડાયેલા મુદ્દાઓ વિશે વાત કરી શકે, તેમની વિશ્વ દ્રષ્ટિનું પ્રતિનિધિત્વ કરી શકે? આ દલિત નેતૃત્વ અને નવા ઉભરેલા મધ્યમ વર્ગની બૌદ્ધિક મર્યાદાઓને પણ દર્શાવે છે.</span></p>
<p style="text-align: justify;"><br><em><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"><strong>(લેખક હિંદુ કોલેજ, દિલ્હી યુનિવર્સિટીમાં ઇતિહાસના એસોસિયેટ પ્રોફેસર, વિચારક, યુટ્યુબર, લેખક, સંશોધક છે.)</strong></span></em></p>
<p style="text-align: justify;"><em><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Ambedkar-were-you-like-that">આંબેડકર તમે આવા ય હતા?</a></span><br></strong></span></em></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></p>
<p style="text-align: justify;"><em><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"><strong></strong></span></em></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 04 Feb 2024 19:40:37 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>316</Articleid>
                    <excerpt>દિલ્હી યુનિવર્સિટીની હિંદુ કૉલેજના એસોસિએટ પ્રોફેસર  રતનલાલનું નામ બહુજન સમાજ માટે અજાણ્યું નથી. આજે 4 ફેબ્રુઆરી છે, 1956માં આ દિવસે ડૉ. આંબેડકરે પોતાના &#039;જનતા&#039; સામયિકનું નામ બદલીને &#039;પ્રબુદ્ધ ભારત&#039; કર્યું હતું. આ ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રો. રતનલાલ અહીં મીડિયાના ચરિત્ર વિશે ડૉ. આંબેડકરની દ્રષ્ટિ ઉપરાંત બહુજન સમાજ માટે મીડિયા કેટલું મહત્વનું છે તે વિસ્તારથી સમજાવે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65bf9862e8fac.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65bf9862afb8e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65bf9862afb8e.jpg" length="81382" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>કોર્ટમાં દાખલ કેસોમાં પક્ષકારની જ્ઞાતિ અને ધર્મના ઉલ્લેખથી ન્યાય પ્રભાવિત થાય છે?</title>
                    <link>https://khabarantar.com/Justice-affected-by-mention-of-caste-and-religion-of-party-in-court-cases</link>
                    <guid>https://khabarantar.com/Justice-affected-by-mention-of-caste-and-religion-of-party-in-court-cases</guid>
                    <description>
                        <![CDATA[ ભારતના બંધારણનું આમુખ દેશને બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક તરીકે ઓળખાવે છે, પરંતુ નગ્ન સત્ય એ છે ક, દેશનું ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર હશે જ્યાં આમુખના આ મૂળ તત્વોનું ઉલ્લંઘન ન થતું હોય. ન્યાયતંત્ર પણ તેમાંથી બાકાત નથી. ત્યારે હાલમાં જ સુપ્રીમ કોર્ટે દેશની તમામ હાઈકોર્ટો અને નીચલી કોર્ટોમાં દાખલ થતા કેસોમાં પક્ષકારોના નામ, સરનામાં સાથે તેની જ્ઞાતિ અને ધર્મનો ઉલ્લેખ કરવાની મનાઈ ફરમાવી છે. આવું શું કામ કરવું પડ્યું, તેની વાત અહીં નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ કે. બી. રાઠોડ સાહેબ આપણને વિસ્તારથી સમજાવે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">- કે. બી. રાઠોડ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અસનુદ્દીન અમાનુલ્લાહની બેંચે શમા શર્મા વિરુદ્ધ કિશન કુમારના કેસમાં જજમેન્ટ આપી એવો આદેશ કરેલ છે કે સુપ્રીમ કોર્ટથી માંડીને આ દેશની તમામ હાઇકોર્ટો અને ડિસ્ટ્રીક્ટ જ્યુડિશિયલી અર્થાત તમામ નીચલી કોર્ટોમાં જે કેસો દાખલ થાય તેમાં પક્ષકારોના નામ સરનામા વિગેરે વિગતોનું જે કોઝ ટાઇટલ હોય તેમાં જે તે પક્ષકારની જ્ઞાતિ અને ધર્મનો ઉલ્લેખ કરવો નહીં. સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટનાં રજિસ્ટ્રી વિભાગ ઉપરાંત દેશની તમામ હાઇકોર્ટના રજિસ્ટ્રારોને જજમેન્ટની નકલ મોકલી આપી આ જજમેન્ટમાં જે ગાઈડ લાઈન આપેલ છે તેનો અમલ કરવાનો આદેશ કરેલ છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આ આદેશનો અમલ કરવાના ભાગરૂપે આ આદેશની નકલ ગુજરાત હાઇકોર્ટને મોકલતા, હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલે જિલ્લાની તમામ કોર્ટોને એક સર્ક્યુલર બહાર પાડીને સુપ્રીમ કોર્ટના આદેશનું કડકાઈથી પાલન કરવાની સૂચના જારી કરેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(186, 55, 42);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Burglars-and-criminals-will-take-a-lesson-from-the-proverbial-mother-of-a-thief-who-weeps-in-her-cell">તોડબાજો અને ગુનેગારો, ચોરની મા કોઠીમાં મોઢું રાખી રડે તે કહેવત પ્રમાણે બોધપાઠ લેશે?</a></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય બંધારણના આર્ટિકલ 141 મુજબ સુપ્રીમ કોર્ટ જજમેન્ટમાં જે કાનૂન જાહેર કરે અર્થાત જે કંઈ માર્ગદર્શિકા જાહેર કરે તેનું પાલન અને અમલ કરવા દેશની તમામ કોર્ટો બંધાયેલી છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">મતલબ કે સુપ્રીમ કોર્ટનાં આ જજમેન્ટ મુજબ દેશની તમામ કોર્ટનાં પક્ષકારોની જ્ઞાતિ અને ધર્મનો ઉલ્લેખ કરવાનો નથી. આ આદેશનો ભંગ થયે સુપ્રીમ કોર્ટ જે તે વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ કન્ટેમ્પટ ઓફ કોર્ટના પગલાં લઈ સજા પણ કરી શકે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આ દેશમાં જ્ઞાતિ જાતિ અને ધર્મના નામે જે ઝઘડા, તકરારો, ખૂનખરાબી, અત્યાચારો, અન્યાય અને આતંક ફેલાય છે તેને દૂર કરવા માટે ભારતીય બંધારણમાં આમુખ(Preamble) અને જુદાજુદા આર્ટિકલોમાં જોગવાઈઓ કરવામાં આવેલ છે. તેના અમલીકરણ માટે જુદાજુદા કાયદાઓ ઘડવામાં આવેલ છે. છતાં તેનો કડક અમલ થતો નથી. તેના ઉપાય તરીકે દેશની તમામ અદાલતોમાં દાખલ થતા કેસોના પક્ષકારોની જ્ઞાતિ અને ધર્મનો ઉલ્લેખ નહીં કરવાના સુપ્રીમ કોર્ટનાં આદેશથી અમુક અંશે જ્ઞાતિવિહીન ધર્મનિરપેક્ષ સમાજ વ્યવસ્થા પેદા થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અત્રે હવે થોડી આડ વાતઃ આ પહેલા આ દેશની કોર્ટોમાં જે કોઈ કેસ દાખલ થાય તેમાં પક્ષકારોના નામ, ઉંમર, સરનામાં વગેરે વિગતો ઉપરાંત તેની જ્ઞાતિ અને ધર્મનો ઉલ્લેખ કરવો પડતો. આ રીતે જ્ઞાતિ અને ધર્મનો ઉલ્લેખ કરવાના કારણે ઘણી વખત કોર્ટોના જજોની, ઉભય પક્ષકારોની, સાક્ષીઓની, વહીવટીતંત્રના અધિકારીઓ, પોલીસકર્મીઓની, વકીલોની એમ સૌની વ્યક્તિગત જ્ઞાતિ, ધર્મ, સંસ્કાર, માન્યતાઓ વગેરેના લીધે અમુક પક્ષકારો વિરુદ્ધ પૂર્વગ્રહિત માનસિકતાથી અન્યાય થવાની શક્યતા નકારી શકાતી નહીં.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">કોર્ટ કેસોના પક્ષકારોની જ્ઞાતિ અને ધર્મનો ઉલ્લેખ કરવાના કારણો પૈકીનું એક કારણ એ પણ હતું કે કોર્ટમાં જે કેસ દાખલ થાય તેમાં પક્ષકારોના સોગંદનામાં રજૂ કરવાના થાય. ઉપરાંત પક્ષકારોની કોર્ટ સમક્ષ સોગંદ પર જુબાની લેવામાં આવે ત્યારે સોગંદ અંગેના કાયદાની(Oaths Act) ની જોગવાઈ મુજબ જે તે પક્ષકારની જ્ઞાતિ અને ધર્મના આધારે કોર્ટનાં જજ જે તે પક્ષકારની જુબાની શરૂ થાય તે પહેલા સોગંદ લેવડાવે ત્યારે પક્ષકારના ધર્મ પ્રમાણે તેના ઇષ્ટદેવ કે દેવીદેવતાના સોગંદ લેવડાવવા ફરજીયાત હોય છે. દા. ત. મુસ્લિમ પક્ષકાર હોય તો તેને અલ્લાહના સોગંદ લેવડાવવા, ક્રિશ્ચિયન હોય તો ક્રાઇસ્ટ(ઈસુ ખ્રિસ્ત) ના સોગંદ લેવડાવવાના થાય. તેવું જ હિન્દુ પક્ષકારનું બને. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">અલબત ક્યારેક એવું બને કે કોઈ પક્ષકાર કોઈ ધર્મ પાળતો જ ન હોય અને નાસ્તિક હોય તો સોગંદ લેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દે ત્યારે શું? તેવો પ્રશ્ન ઘણી વાર બને. આમ જયારે કોઈ પક્ષકાર સોગંદ જ લેવાનો ઇન્કાર કરે તો તેની જુબાનીનું શું સમજવું? તેની જુબાની માનવાની કે નહીં માનવાની? આવા કિસ્સામાં એવી જોગવાઈ છે કે કોઈ પક્ષકાર કે સાક્ષી સોગંદ લેવાનો જ ઈન્કાર કરે તો સોગંદ નહીં લેવા માત્રથી તેની જુબાની નહીં માનવી તેવું નથી. તેની જુબાની ચૂકાદામાં પુરાવાના વિશ્લેષણ વખતે ધ્યાને લઈ જ શકાય.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">અલબત કોર્ટમાં દાખલ થતા તમામ કેસોમાં પક્ષકારોના નામ પરથી તેની જ્ઞાતિ અને ધર્મનો ખ્યાલ આવ્યા વગર રહે નહીં. તેના જે કોઈ ભયસ્થાનો હોય તે નિવારી શકાય નહીં. તેથી તે અંગે કંઈક નવું વિચારવું રહ્યું. આ દેશ જ્ઞાતિવિહીન અને ધર્મનિરપેક્ષ બને તેવી સૌ અપેક્ષા રાખીએ.</span></p>
<p style="text-align: justify;"><em><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 12pt;">(લેખક નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ અને બહુજન સમાજને ન્યાયિક વ્યવસ્થામાં પડતી સમસ્યાઓ અંગે ચિંચિત વડીલ છે)</span></strong></span></em></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Know,-enjoy,-understand-and-explain-Indian-Constitution" target="_blank" rel="noopener">ભારતીય બંધારણઃ જાણો, માણો, સમજો અને સમજાવો</a></span></span></strong></span><em><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 12pt;"><br></span></strong></span></em></p>
<div class="post-text">
<p><strong><span><span style="font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો</span>. <span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
<p></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 04 Feb 2024 09:59:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>314</Articleid>
                    <excerpt>ભારતના બંધારણનું આમુખ દેશને બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક તરીકે ઓળખાવે છે, પરંતુ નગ્ન સત્ય એ છે ક, દેશનું ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર હશે જ્યાં આમુખના આ મૂળ તત્વોનું ઉલ્લંઘન ન થતું હોય. ન્યાયતંત્ર પણ તેમાંથી બાકાત નથી. ત્યારે હાલમાં જ સુપ્રીમ કોર્ટે દેશની તમામ હાઈકોર્ટો અને નીચલી કોર્ટોમાં દાખલ થતા કેસોમાં પક્ષકારોના નામ, સરનામાં સાથે તેની જ્ઞાતિ અને ધર્મનો ઉલ્લેખ કરવાની મનાઈ ફરમાવી છે. આવું શું કામ કરવું પડ્યું, તેની વાત અહીં નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ કે. બી. રાઠોડ સાહેબ આપણને વિસ્તારથી સમજાવે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65bf11ccea219.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65bf11ccbc9ea.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65bf11ccbc9ea.jpg" length="76901" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત&amp;આદિવાસી સમાજ સાંસદ, ધારાસભ્ય પાસેથી પોતાના કામો આ રીતે કરાવી શકે</title>
                    <link>https://khabarantar.com/Dalit-tribal-society-can-get-their-work-done-from-MP,-MLA-in-this-way</link>
                    <guid>https://khabarantar.com/Dalit-tribal-society-can-get-their-work-done-from-MP,-MLA-in-this-way</guid>
                    <description>
                        <![CDATA[ સામાન્ય માણસ માટે સરકારી કચેરીઓમાં પોતાના વિસ્તારમાં થતા કામો કેવી રીતે મંજૂર થતા હોય છે, બજેટ કેવી રીતે ફાળવાતું હોય છે, તેની રકમ કેટલી હોય છે, આ તમામ બાબતો વિશે સમ ખાવા પુરતી પણ જાણકારી હોતી નથી. એ સ્થિતિમાં સ્થાનિક સાંસદ કે ધારાસભ્ય તેમને જવાબ પણ ન આપે તે શક્ય છે. જો કે અહીં આપણે સાંસદ કે ધારાસભ્ય પાસેથી કેવી રીતે કામ કઢાવી શકાય તેની માહિતી આપી છે. સાથે જ કેટલીક એ યોજનાઓની વિગતો રજૂ કરીએ છીએ, જે આપને આપના વિસ્તારમાં થતા સરકારી કાર્યો કરાવતી વખતે મદદરૂપ થશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સાંસદ ગ્રાન્ટ - સ્થાનિક વિસ્તાર વિકાસ ભંડોળ (એમપેલ્ડ યોજના)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આપના વિસ્તારમાં આપના મતોથી ચૂંટાયેલા આપના જનપ્રતિનિધિ એવા સંસદ સભ્યને આપના વિસ્તારના વિકાસના કામો માટે દર વર્ષે રૂ. 5 કરોડની ગ્રાન્ટ ભારત સરકાર તરફથી આપવામાં આવે છે. જે સીધી જ જિલ્લા કલેક્ટરશ્રીના સરકારી બેંક એકાઉન્ટમાં જમા થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્થાનિક વિકાસના કામો માટે સાંસદે જિલ્લા કલેક્ટરને લેખિતમાં ભલામણ કરવાની હોય છે, જે ભલામણ ભારત સરકારની ગાઇડલાઈન મુજબ હોય તો ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગ્રાન્ટ સીધી કોઈ સાંસદને આપવામાં આવતી નથી પણ તે જે કામ સૂચવે તે જ કામ ભારત સરકારની ગાઇડલાઇન મુજબ આવતું હોય તો મંજૂર થાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનુસૂચિત જાતિ રહેણાંક વિસ્તારના વિકાસ માટે દર વર્ષે રૂ. 5 કરોડની સાંસદની આ ગ્રાન્ટમાંથી 14 ટકા લેખે 14*5=70 લાખ અલગ જ અનુસૂચિત જાતિ વર્ગના વિકાસ માટે ફાળવવાના હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આપણા વિસ્તારના કામ માટે આપણે ચૂંટીને મોકલેલ સંસદ સભ્યને રૂબરૂ અથવા ટપાલ દ્વારા આપણી માંગણી લેખિતમાં આપવી જોઈએ. જેથી તે તેઓના લેટરપેડ પર ભલામણ મોકલી શકે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65bc78c6191b4.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધારાસભ્ય ગ્રાન્ટ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્થાનિક વિસ્તારના વિકાસ માટે આપણે ચૂંટીને મોકલેલ ધારાસભ્યને રાજ્ય સરકાર દર વર્ષે 1.5 (દોઢ) કરોડની ગ્રાન્ટ આપે છે. મોટા શહેરોમાં આ ગ્રાન્ટ રૂ. 2.5 કરોડ હોય છે, જે રાજ્ય સરકારની ગાઈડલાઇન મુજબ વાપરવાની હોય છે. આ ગ્રાન્ટ પણ સીધી ધારાસભ્યને મળતી નથી પણ જિલ્લા કલેકટરના સરકારી એકાઉન્ટમાં જમા થાય છે. આપણે આપણી વિકાસના કામોની માંગણી લેખિતમાં ધારાસભ્યને રૂબરૂ અથવા ટપાલથી મોકલી શકાય. જે બાદ તેઓ જિલ્લા કલેક્ટરને ભલામણ પત્ર મોકલી શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટ વાપરવાંની અમલીકરણ એજન્સી જીલ્લા આયોજન કચેરી હોય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દર બીજા અને ચોથા શનિવારના રોજ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન મિટીંગ થાય છે જેમાં વિકાસના કામોની ચર્ચા અને સમીક્ષા થાય છે. આ મિટીંગમાં તમામ ટોપના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ હાજર રહેતા હોય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જીલ્લા પંચાયત સભ્યો/મહાનગર પાલિકાના કોર્પોરેટરોને પણ સરકાર તરફથી રૂ. 20 થી 30 લાખ સુધીની ગ્રાન્ટ પોતાના વિસ્તારના વિકાસના કામો કરવા માટે ફાળવાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગ્રામ પંચાયતમાં વિકાસ માટે અનેક જાતની ગ્રાન્ટ આવે છે જેમાં નાણાં પંચની, 15 ટકા વિવેકાધીન, ખાસ અંગભૂત યોજના, એટીવીટી(આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો), 5 ટકા પ્રોત્સાહક ગ્રાન્ટ, પર્ફોમન્સ ગ્રાન્ટ, સહિતની અનેક પ્રકારની ગ્રાન્ટ ડાયરેક્ટ સરકાર આપે છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65bc78c6b9564.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">SCCP-TSP-ખાસ અંગભૂત યોજના (અનુસૂચિત જાતિ સબ-પ્લાન અને ટ્રાયબલ સબ-પ્લાન) </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનુસૂચિત જાતિ વર્ગના લોકોના વિકાસ માટે વસ્તીના ધોરણે ગુજરાત રાજ્યના બજેટમાં જેટલું બજેટ હોય તેના 7 ટકા લેખે બજેટ ફાળવણી કરવાની જોગવાઈ છે. પરંતુ તે 4 થી 4.5 ટકા જેટલું જ ફાળવાય છે. આદિવાસીઓ માટે 14 ટકા ફાળવણી કરવાની જોગવાઈ છે. પણ સરકાર 7 થી 10 ટકા બજેટની જ ફાળવણી કરે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વસ્તીના ધોરણે ભારત સરકારના બજેટમાં અનુસૂચિત જાતિના લોકોના વિકાસ માટે કેન્દ્ર સરકારના બજેટમાં વસ્તીના ધોરણે 14 ટકા લેખે બજેટ ફાળવણી કરવાની હોય છે પણ ભારત સરકાર બજેટમાં 8 ટકાની આસપાસ રકમની ફાળવણી કરે છે. આદિવાસીઓના વિકાસ માટે કેન્દ્ર સરકારના બજેટમાં વિકાસ માટે વસ્તીના ધોરણે 7 ટકા રકમની ફાળવણી કરવાની હોય છે, પણ ભારત સરકાર 4 ટકાની આજુબાજુ જ બજેટમાં રકમની ફાળવણી કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ વર્ગના લોકોના વ્યક્તિગત અને સામૂહિક વિકાસ માટે વસ્તીના ધોરણે રાજ્ય અને કેન્દ્ર સરકારના બજેટમાં વિકાસ માટેની અલગ રકમની ફાળવણી પ્લાનિંગ કમિશનના 1979ની ગાઈડલાઈન મુજબ કરવાની હોય છે. પરંતુ બજેટમાં પૂરતી રકમની ફાળવણી થતી નથી, જે ફાળવણી થાય છે તે રકમ પૂરતી વપરાતી નથી, અને અમુક રકમ અન્ય જગાએ ડાયવર્ટ કરીને વાપરી નાખવામાં આવે છે, જેથી બંધારણમાં અનુસૂચિત જાતિ અને જન જાતિના લોકોને જે આર્થિક અધિકારો આપવામાં આવ્યા છે તેનો ભંગ થાય છે. આવી સ્થિતિમાં આપણી ફરજ છે કે, આ યોજનાઓ વિશે જાણકારી રાખીએ અને જરૂર પડ્યે તેનો ઉપયોગ કરીએ.</span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાંતિલાલ પરમાર (લેખક સામાજિક કાર્યકર અને નવસર્જન ટ્રસ્ટના સક્રિય કાર્યકર છે.)</span></strong></span><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"></span></strong></span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Gurukilli-of-Power:-Dalitjan,-Bahujan,-Sarvajan"><strong><span style="font-size: 14pt;">સત્તાની ગુરૂકિલ્લી: દલિતજન, બહુજન, સર્વજન</span></strong></a></p>
<p><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 02 Feb 2024 12:17:39 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 02 Feb 2024 10:39:44 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>310</Articleid>
                    <excerpt>સામાન્ય માણસ માટે સરકારી કચેરીઓમાં પોતાના વિસ્તારમાં થતા કામો કેવી રીતે મંજૂર થતા હોય છે, બજેટ કેવી રીતે ફાળવાતું હોય છે, તેની રકમ કેટલી હોય છે, આ તમામ બાબતો વિશે સમ ખાવા પુરતી પણ જાણકારી હોતી નથી. એ સ્થિતિમાં સ્થાનિક સાંસદ કે ધારાસભ્ય તેમને જવાબ પણ ન આપે તે શક્ય છે. જો કે અહીં આપણે સાંસદ કે ધારાસભ્ય પાસેથી કેવી રીતે કામ કઢાવી શકાય તેની માહિતી આપી છે. સાથે જ કેટલીક એ યોજનાઓની વિગતો રજૂ કરીએ છીએ, જે આપને આપના વિસ્તારમાં થતા સરકારી કાર્યો કરાવતી વખતે મદદરૂપ થશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65bc78c782351.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65bc78c7406df.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65bc78c7406df.jpg" length="43688" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>રાષ્ટ્રની આવક વધે તો લોકોનું સુખ વધે એ જરૂરી નથી</title>
                    <link>https://khabarantar.com/An-increase-in-the-income-of-the-nation-does-not-necessarily-increase-the-happiness-of-the-people</link>
                    <guid>https://khabarantar.com/An-increase-in-the-income-of-the-nation-does-not-necessarily-increase-the-happiness-of-the-people</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લેખક: રોબર્ટ સ્કિદેલસ્કી</span></strong></span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાવાનુવાદ: હેમન્તકુમાર શાહ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેટલાક અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે કોઈ પણ નીતિ(policy)નું ધ્યેય રાષ્ટ્રીય આવકને બદલે ‘સુખ’(happiness) હોવું જોઈએ. આ બાબતે દરેક વ્યક્તિ સંમત થાય જ કે લોકોને તેમની માનસિક સુખાકારી(well-being)માં સુધારો કરવાના અર્થમાં વધુ સુખી કરવા એ પ્રશંસનીય લક્ષ્ય છે. આ અભિગમ એવા સર્વે તરફ લઈ જાય છે કે જે એમ બતાવે છે કે સુખ એ આવકનું પ્રમાણ નથી. આ ઘટનાને ‘ઇસ્ટરલિનના કોયડા’ તરીકે ઓળખવામાં આવે છે. અર્થશાસ્ત્રી રિચર્ડ ઇસ્ટરલિન(1926-) દ્વારા એમ જણાવવામાં આવ્યું કે અમુક હદ પછી રાષ્ટ્રીય આવક વધે તેની સાથે સાથે સુખ વધે એવું હોતું નથી. અમુક હદ સુધી જ બંને સાથે વધે છે અને પછી સુખ સ્થિર થઈ જાય છે અને આવક વધવાનું ચાલુ રહે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ એમ બતાવે છે કે કોઈ પણ નીતિમાં આવકના વધારાને બદલે સુખમાં વધારો થાય તેવું ધ્યેય હોવું જોઈએ. એનો અર્થ એ છે કે લોકો સુખી કે અસુખી થાય તે માટેનું કારણ માત્ર પૈસા નથી હોતા. સુખ અને અસુખનાં વ્યક્તિલક્ષી પગલાંને વસ્તુલક્ષી પરિસ્થિતિ સાથે જોડવાં પડે. અનેક સર્વે એમ બતાવે છે કે લોકો આવી બાબતોથી વધુ સુખી થાય છે: પરિવાર અને મિત્રો સાથે વધુ સમય વિતાવવો, આવક ઊભી કરતા કામમાં સંતોષ મળવો, આવકની સલામતી હોવી વગેરે. કોઈ પણ નીતિમાં આ ધ્યેયોને સુખ સાથે જોડવાં જોઈએ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુખનો ખ્યાલ પોતે જ બહુ નબળો છે. મોટા ભાગના સંશોધકો એમ કહે છે કે તેનો અર્થ એ છે કે તે માનસિક સુખાકારી અથવા મનના આનંદ સિવાય બીજું કશું નથી. ધર્મગુરુઓ સુખ વિષે ઉપદેશો આપે છે, શાળાઓમાં સુખ વિષેના અભ્યાસક્રમો ચાલે છે; વગેરે બધું વધતું ચાલ્યું છે. 2008ની મંદી પછી સત્તા પર આવેલા બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમેરોન દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે તેઓ દર ત્રણ મહિને દેશના નાગરિકોની સુખાકારી માપશે અને સુખાકારીમાં જે ફેરફાર થયો હશે તેને આધારે તેમની નીતિઓ સફળ થઈ કે નહિ તે જોશે અને એને માટે તેઓ પોતાની જાતને જવાબદાર ગણશે. પછી આ પ્રયાસ વિષે કશું સાંભળવા મળ્યું નહોતું. જ્યારે અર્થતંત્ર ખાડામાં પડી રહ્યું હોય ત્યારે સુખાકારી માપવાનું તદ્દન વિચિત્ર લાગે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પહેલી વાર જોતાં જ એમ લાગે છે કે કોઈ પણ નીતિનું ધ્યેય સુખ પ્રાપ્ત કરવાનું હોય તો એ કાચી રાષ્ટ્રીય આવકમાં સુધારો છે. તે આવકની વૃદ્ધિના ચક્રમાંથી બહાર નીકળવામાં અથવા તેને ધીમી કરવામાં સહાય કરે છે અને જે સારું(good) છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ સુખને મજબૂતપણે કેવી રીતે માપવું એ મુદાને બાજુ પર મૂકીએ તો પણ આમાં એક ખતરનાક ફસામણી છે. જો સુખને કાયમી રીતે સંમત થઈ શકાય તેવી મનની બાબત ગણીએ તો તે આનંદ વધારતી દવાઓ મફત વહેંચવાથી, અસ્તિત્વ ટકાવવા માટે જરૂરી વસ્તુઓનું ઉત્પાદન રોબોટ ઉપર છોડી દેવાથી, મોજશોખની જિંદગી જીવવાથી કે પછી નશામાં રહેવાથી સુખ મહત્તમ થઈ શકે છે. આ તો અક્ષરશ: લોકો  માટે અફીણ કહેવાય. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અલબત્ત, સુખની ચિંતા કરનારા અર્થશાસ્ત્રીઓ પણ આની હિમાયત કરતા નથી. જો કે, રિચર્ડ લેયાર્ડ(1934-) તેમના સુખ પેદા કરવાના એજન્ડામાં ઔષધીય અને મનોરંજક દવાઓનો સમાવેશ કરે છે ખરા. તેઓ એમ ઈચ્છે છે કે નીતિ એવી હોવી જોઈએ કે જે એવી સ્થિતિનું નિર્માણ કરે કે જે સ્થિતિ લોકો માટે ઓછી દુઃખદાયી હોય. તેઓ એમ પણ માને છે કે આવી સ્થિતિની શોધ થઈ શકે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓછા દુઃખની બાબતને વચગાળાના નૈતિક ધ્યેય તરીકે ખરેખર ગંભીરતાથી લેવી જોઈએ, એટલે કે લોકો વધુ સારી જિંદગી જીવી શકે તે શક્ય બનાવવું જોઈએ. પરંતુ સુખને જ અંતિમ ધ્યેય ગણીને તે સિદ્ધ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. સુખ તો સારી જિંદગી જીવવાનું પરિણામ છે. પ્રાચીન ગ્રીક દર્શનમાં એમ જ જણાવવામાં આવ્યું છે. સુખ એ કોઈ અલગ ધ્યેય નથી અને તે ઘણી વાર આપોઆપ બની જતી ઘટના છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમર્ત્ય સેન સુખ માટે બીજાં કેટલાંક માપ બતાવે છે. આલ્ફ્રેડ માર્શલની જેમ અમર્ત્ય સેન એમ વિચારે છે કે નીતિનું ધ્યેય સુખાકારીમાં વધારો હોવું જોઈએ. પરંતુ સુખાકારીને માત્ર ભૌતિક વપરાશ જ ન સમજવી જોઈએ. તેને બદલે તે અનેક અને એકબીજાને વળગતી ક્ષમતાઓ કે સમર્થતાઓ(capabilities)થી થાય છે. તે ક્ષમતાઓ એકબીજાથી અલગ ન પણ થઈ શકે. તે ભૌતિક  કલ્યાણ તો છે જ, પણ તેમાં બિન-આર્થિક પાસાં પણ છે, જેમ કે, વ્યક્તિની પોતાને માટે પોતાની યોજના બનાવવાની સ્વતંત્રતા. પરિણામે, આર્થિક વિકાસને વિસ્તરતી ક્ષમતાઓ કે સમર્થતાઓ તરીકે સમજવો જોઈએ, અને ગરીબીને એ સમર્થતાઓના અભાવ તરીકે સમજવી જોઈએ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમર્થતાને નીતિનું ધ્યેય બનાવવામાં આવે તો અંતિમ ધ્યેયની વ્યાખ્યા કરવાની ફસામણીમાંથી બચી શકાય છે. પરંતુ ‘શાની સમર્થતા?’ એવા પ્રશ્નનો ઉત્તર આપવામાં તે નિષ્ફળ જાય છે. વ્યક્તિઓ તંદુરસ્ત કે શિક્ષિત થવા માટે સમર્થ બને તેની કે તેના જેવી બીજી ચિંતા આપણે શા માટે કરવી જોઈએ? હકીકતમાં જે બાબત મહત્ત્વની છે તે તો એ છે કે તેઓ ખરેખર તંદુરસ્ત અને શિક્ષિત હોય. તંદુરસ્ત અને શિક્ષિત હોવું એટલે શું તે અંગે સરકાર વલણ નક્કી કરે તો તેને તાનાશાહી કહેવાય. એટલે કે સમર્થતા વ્યક્તિગત પસંદગીનું જતન કરે છે.</span></p>
<p><strong><span style="font-size: 14pt;">સ્રોત: </span></strong><br><strong><span style="font-size: 14pt;">લેખનું પુસ્તક: What is Wrong with Economics?</span></strong><br><strong><span style="font-size: 14pt;">પ્રકરણ: Ethics and Economics</span></strong></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Five-legendary-poets-will-present-their-works-in-the-Dalit-Chetana-program-in-Ahmedabad-today"><strong><span style="font-size: 14pt;">આજે અમદાવાદમાં ‘દલિત ચેતના’ કાર્યક્રમમાં પાંચ દિગ્ગજ કવિઓ પોતાની રચનાઓ રજૂ કરશે</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
<p><strong><span style="font-size: 14pt;"></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 01 Feb 2024 13:46:50 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>308</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65bb5279f0251.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65bb5279b557a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65bb5279b557a.jpg" length="62014" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>આપણી રાજનીતિમાં મોટાભાગના રાજકીય પક્ષો અનિવાર્યપણે અલોકતાંત્રિક છે</title>
                    <link>https://khabarantar.com/Most-of-the-political-parties-in-our-polity-are-essentially-undemocratic</link>
                    <guid>https://khabarantar.com/Most-of-the-political-parties-in-our-polity-are-essentially-undemocratic</guid>
                    <description>
                        <![CDATA[ ભારતીય લોકશાહી અને રાજકારણની તાસીર-તસવીરને એક જુદા દ્રષ્ટિકોણ સાથે આપણી સમક્ષ મૂકતો આ લેખ જાણીતા રાજકીય અર્થશાસ્ત્રી અને સોશિયલ કમેન્ટેટર ડૉ. પરકલા પ્રભાકરે લખ્યો છે. લેખ થોડો લાંબો ચોક્કસ છે પણ શાંત ચિત્તે વાંચ્યા બાદ આપણે ભારતની વર્તમાન લોકશાહી વ્યવસ્થા અને રાજકીય પ્રતિનિધિત્વ જેવી અનેક બાબતે નવેસરથી વિચારતા થઈ જઈએ છીએ. અંગ્રેજી, તમિલ, તેલુગુ, મલયાલમ સહિતની અનેક ભાષામાં અનુવાદિત થયેલા આ લેખને ગુજરાતીમાં દક્ષિણ બજરંગે છારાએ ભારે જહેમત અને ચીવટ બાદ આપણા માટે તૈયાર કર્યો છે. આશા છે, લેખની લંબાઈને બાજુ પર મૂકીને વાચકો તેના મૂળ તત્વ પર ધ્યાન કેન્દ્રિય કરશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આપણા દેશમાં લોકશાહી માટે આ એક પડકારજનક સમય છે. અમારી સરકાર અમને કહે છે કે આપણે અમૃતકાળમાં જીવીએ છીએ. આપણે આપણી આઝાદીની 75મી વર્ષગાંઠ, આઝાદી કા અમૃત મહોત્સવને જોઈ રહ્યાં છીએ. સરકાર, શાસક પક્ષ અને નાગરિક અધિકારો પર કામ કરતી કેટલીક સંસ્થાઓએ વિવિધ ઉજવણીઓના સ્વરૂપમાં અનેક ચર્ચાઓ, સંવાદો, પરિસંવાદોનું આયોજન કર્યું છે. આ ઉજવણીના પ્રસંગો દ્વારા ઉત્પન્ન થયેલ લોકોની ઊંચી અપેક્ષાઓ ઝડપથી ક્ષીણ થઈ જાય છે. નાગરિક સંસ્થાઓ પાસે હવે આ ઉત્સવની ઘટનાઓ અને ચર્ચાઓની માત્ર થોડી ઘણી યાદો છે, પરંતુ તેમાંથી મળતા સંદેશ વિશે કંઈ જાણ નથી. કારણ કે, હકીકતમાં તેમાં કોઈ મેસેજ જ નહોતો.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">અમે લોકશાહી તરીકેની અમારી સાડા સાત દાયકાની સફરને ગંભીરતાથી લેવા માટે અમારી આઝાદીની 75મી વર્ષગાંઠ દ્વારા આપવામાં આવેલી તક અને સંદર્ભનો ઉપયોગ કર્યો નથી. આ ઉજવણીનું ખરું આહ્વાન છે કારણ કે આપણે એવા થોડા લોકોમાંથી એક છીએ જેમણે ગંભીર પડકારો વચ્ચે આપણી રાજનીતિક લોકશાહી જાળવી રાખી છે. આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકાના ઘણા રાષ્ટ્રો લશ્કરી જુન્ટા, પ્રભાવશાળી અને લોકશાહી સત્તાવાદીઓ, સામ્યવાદી તાનાશાહો ધાર્મિક અસ્પષ્ટતાઓનો શિકાર બન્યા હતા. મોટાભાગના પોસ્ટ-કોલોનિયલ સમાજો લોકશાહીને પોષી શક્યા નથી. તેમની સરખામણીમાં ભારતનો રેકોર્ડ અનુકરણીય છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">જો કે, તાજેતરના ભૂતકાળમાં એક ચિંતાજનક વલણ આપણા દેશમાં જોવા મળી રહ્યું છે. આપણું રાજકીય વ્યાખ્યાન વધુને વધુ અલોકતાંત્રિક બની રહ્યું છે; વિવિધતા અને સહિષ્ણુતા જેવા મુખ્ય લોકશાહી મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા નબળી પડી રહી છે; કેન્દ્ર-રાજ્ય સંબંધોમાં તિરાડ પડી રહી છે, જેના કારણે આપણા સંઘીય માળખામાં ઊંડી તિરાડ પડી રહી છે; ધારાસભાઓ નિષ્ક્રિય થઈ ગયા છે; આપણાં રાષ્ટ્રીય ‘સ્ટેટીસ્ટીકલ આર્કિટેક્ચર’ સાથે ચેડાં થાય છે અને તેના કારણે સરકારને જવાબદાર બનાવવાના પ્રયત્નોમાં અવરોધ ઊભો થાય છે; આપણી મીડિયા સ્વતંત્રતા ગંભીર રીતે સંકુચિત છે; અસંમતિ ને દબાવવામાં આવે છે; રાજ્ય સંસ્થાઓ કે જેમણે રક્ષક તરીકે કામ કરવું જોઈએ તેમની સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. આપણાં ન્યાયતંત્રની સ્વતંત્રતા પર હવે પ્રશ્નાર્થ ઊભો થયો છે. સરકારી અમલીકરણ અને તપાસ એજન્સીઓ શાસક વહીવટના પક્ષપાતી હિતોની સેવા કરવા માટે તૈનાત છે તેના પુરાવા દિવસેને દિવસે વધી રહ્યાં છે. આ તમામ વલણો અનેક પ્રતિષ્ઠિત વૈશ્વિક વોચડોગ સંસ્થાઓ દ્વારા વર્ષ-દર-વર્ષ પ્રકાશિત કરવામાં આવતા રેન્કિંગમાં પ્રતિબિંબિત થાય છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આપણા પ્રજાસત્તાકના ઈતિહાસના આ નિર્ણાયક સમયે એ મહત્વનું છે કે નાગરિક સમાજ આપણી લોકશાહીની સ્થિતિ વિશે ગંભીર ચર્ચામાં ભાગ લે અને આપણી રાજનીતિમાં લોકશાહીની ભાવનાને વધુ ઊંડી બનાવવાના માર્ગો શોધવામાં સક્રિય થાય. સમય આવી ગયો છે કે આપણે આપણી લોકતાંત્રિક સફરના પંચોતેર વર્ષની આ મુસાફરીમાં વ્યાપકપણે એવા પ્રશ્નો કરીએ કે જે તપાસ કર્તા હોય. તેમણે કેવી રીતે વહેંચણી કરી અને તેમની નિષ્ફળતાઓ શું છે તે જોવા માટે આપણે આપણી લોકશાહી પદ્ધતિઓનું મૂલ્યાંકન કરવું જોઈએ. આપણે નિષ્ફળતાઓ અને ખામીઓનાં કારણોની ચર્ચા કરવી જોઈએ તેમજ આગળ વધીએ ત્યારે આવી નિષ્ફળતાઓ અને ખામીઓને પુનરાવર્તિત થતી અટકાવવાના ઉપાયોની ચર્ચા કરવી જોઈએ. આપણી સફળતાઓને ઓળખવી, તેની ઉજવણી કરવી, તેના કારણોને ઓળખવા અને તે સફળતાઓમાં ફાળો આપનારા પરિબળોને મજબૂત કરવાના પગલાં વિશે પણ વિચારવું જરૂરી છે.</span><br><span style="font-size: 14pt;">આ પ્રયાસમાં આપણે અન્ય સમાજો, ખાસ કરીને પશ્ચિમી સમાજો અને તેમની પ્રથાઓ સાથે સરખામણી કરવાની લાલચ ટાળવાની કાળજી લેવી રહી. દરેક સમાજ અનન્ય છે. દરેકની પોતાની સમસ્યાઓ, પડકારો છે. દરેકે તેના પોતાના ઉકેલો અને તકો શોધી કાઢવી જોઈએ. તેથી, આપણે ભારતમાં આપણા પડકારો અને ખામીઓને ઓળખવાની, આપણા પોતાના ઉકેલો શોધવાની અને આપણી પોતાની તકોનું મૂલ્યાંકન કરવાની જરૂર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ</span></strong> <a href="https://khabarantar.com/A-true-republic-is-one-where-the-constitutional-provisions-and-their-implementation-reach-the-last-people-of-the-country"><strong>દેશના અંતિમ જન સુધી બંધારણીય જોગવાઈઓ અને તેનો અમલ પહોંચે તે જ સાચું પ્રજાસત્તાક</strong></a><br></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">બિનલોકશાહી રાજકીય પક્ષો</span></strong><br><span style="font-size: 14pt;">સમયાંતરે થતી ચૂંટણીઓ તે લોકશાહી પ્રક્રિયાનું વિશ્વભરમાં સૌથી સ્પષ્ટ પાસું છે. ચૂંટણીઓ લોકશાહી પ્રક્રિયાનો આવશ્યક ભાગ છે. સાર્વત્રિક પુખ્ત મતાધિકાર, મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ, ગેરવાજબી પ્રતિબંધો વિના પોતાના મંતવ્યો વ્યક્ત કરવાની અને તેનો પ્રચાર કરવાની ક્ષમતા આ પ્રક્રિયાનું કેન્દ્ર છે. સંગઠનોમાં સંગઠિત થવાનો, દેશમાં મુક્તપણે ફરવાનો, શાંતિપૂર્ણ રીતે તેમના મંતવ્યો રજૂ કરવાનો અને પ્રચાર કરવાનો લોકોનો અધિકાર લોકશાહી પ્રક્રિયાને અર્થપૂર્ણ અને અધિકૃત બનાવે છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આપણા દેશમાં અન્યત્રની જેમ રાજકીય પક્ષો લોકશાહી અભિપ્રાયનું સૌથી મહત્વપૂર્ણ વાહન છે. તે એવા લોકો છે જે ચૂંટણીમાં ભાગ લે છે, લોકો સમક્ષ તેમના કાર્યક્રમો રજૂ કરે છે, જનાદેશ માંગે છે, જો તેઓ તેને સુરક્ષિત કરે છે તો સરકાર બનાવે છે, અથવા જો તેઓ જીત્યા ન હોય તો સરકારોને જવાબદાર બનાવવા માટે વિપક્ષ તરીકે કાર્ય કરે છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65ba72d92b00d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">જો કે, આપણી રાજનીતિમાં તમામ નહીં પરંતુ મોટાભાગના રાજકીય પક્ષો અનિવાર્યપણે અલોકતાંત્રિક છે. અપવાદો બહુ ઓછા છે અને કદાચ વર્તમાન રાજકીય પરિદ્રશ્યમાં બહુ ગણાય નહીં. જો કોઈ કાશ્મીરથી લઈને તમિલનાડુ સુધીની દેશની રાજકીય ભૂગોળ પર નજીકથી નજર નાખે તો દરેક રાજ્યની રાજનીતિમાં પરિવાર દ્વારા ચલાવવામાં આવતી પાર્ટીઓ અથવા પોકેટ સંસ્થાઓનું વર્ચસ્વ છે, જે મહત્વાકાંક્ષી અને સાધનસંપન્ન વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ પક્ષો પારિવારિક પક્ષો બનવાની ક્ષમતા ધરાવે છે. આપણા દેશનો સૌથી જૂનો રાજકીય પક્ષ એ પોતાની ખરેખરની કાર્યપધ્ધતી સમયે તો એક કુટુંબની માલિકીનો છે. વર્તમાન શાસક પક્ષ હવે દલીલપૂર્વક એક અથવા શ્રેષ્ઠ બે વ્યક્તિઓ દ્વારા સંપૂર્ણ રીતે નિયંત્રિત સંસ્થા છે, જો કે તે તેવો દેખાતો નથી. આપણી રાજનીતિમાં લગભગ દરેક પાર્ટીઓમાં આંતરિક લોકશાહી સંપૂર્ણપણે ગેરહાજર છે. આ પડકારજનક નથી કારણ કે તમામ રાજકીય પક્ષોમાં નેતૃત્વ આ વ્યવસ્થાનો જ ભાગ બની ગયા છે, અને તેમને આ વ્યવસ્થા પરવડી ચુકી છે. નાગરિક સમાજ કાં તો ઉદાસીન છે અથવા પોતાને ખાતરી આપી રહ્યો છે કે, આ વ્યવસ્થામાં કોઈપણ ફેરફાર કરવા દબાણ કરવામાં તે શક્તિહીન છે. એવામાં દેશમાં રાજકીય પક્ષોની પ્રકૃતિ, સંગઠન, ભંડોળ, નેતૃત્વની પસંદગીની પ્રક્રિયાઓ, નીતિ ઘડતર અંગે તેમજ આંતરિક નિર્ણય લેવાની પ્રક્રિયાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. આજે આપણા રાજકીય પક્ષોને લોકશાહી બનવા માટે કોઈ દબાણ કરતું નથી.</span></p>
<p style="text-align: justify;"><br><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">દેશમાં બનેલી દરેક સરકાર સૌથી મોટી લઘુમતી સરકાર હતી</span></strong><br><span style="font-size: 14pt;">દેશમાં અત્યાર સુધી આપણી પાસે બહુમતીની એક પણ સરકાર નથી. આપણા દેશમાં બનેલી દરેક સરકાર સૌથી મોટી લઘુમતી સરકાર હતી. અહીં પચાસ ટકાથી વધુ વોટ શેર સાથે ક્યારેય કોઈ સરકારે સત્તા સંભાળી નથી. પરંતુ આ તરફ કોઈનું ધ્યાન ગયું નથી. અમે અપનાવેલી 'ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ' ચૂંટણી પ્રણાલીનું આ એક ઘાતક પરિણામ છે. દેશના દરેક મતવિસ્તારમાં ઉમેદવાર અથવા પક્ષના ઉમેદવારને તે મતદારક્ષેત્રમાં બહુમતી મત મેળવવાની જરૂર નથી. તેમને તેમના નજીકના હરીફ કરતાં માત્ર એક મત વધુ મેળવાની જરૂર છે. બહુકોણીય સ્પર્ધાઓમાં, જે આપણા દેશમાં અપવાદને બદલે સામાન્ય છે, ઉમેદવારો 30 થી 35 ટકા જેટલા ઓછા મતો સાથે પણ ચૂંટાય છે. રાજકીય પક્ષો માત્ર ત્રીજા ભાગના મતદારોના સમર્થન સાથે વિધાનસભાઓમાં ક્રૂર અને જબરજસ્ત બહુમતી એકત્ર કરે છે. આપણે હવે મૂળભૂત લોકશાહી સિદ્ધાંતની આ ઉપેક્ષાને અવગણી શકીએ નહીં.</span></p>
<p style="text-align: justify;"><br><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">પ્રતિનિધિત્વનો ઇનકાર</span></strong><br><span style="font-size: 14pt;">‘ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ’ અને ‘વિનર ટેક્સ ઓલ’ એટલે કે જીતનાર બધું લઈ જાય છે તે સિસ્ટમના આપણા રાજકારણના લોકતાંત્રિક પાત્ર માટે અન્ય અને એટલા જ નબળાં પરિણામો છે. અમે આ પેપરમાં માત્ર થોડાકને જ આવરીશું. જે ઉમેદવાર તેમના નજીકના હરીફ કરતાં માત્ર એક મત વધુ મેળવે છે તે બહુમતી મતદારોનું અને તેમના અવાજને વિધાનસભામાં પ્રતિનિધિત્વ વિનાનું છોડીને ચૂંટાય છે. જો તે બે પક્ષો/ઉમેદવારોની હરીફાઈ હોય તો પણ દૃશ્ય ભૌતિક રીતે બદલાતું નથી, અને વિજેતા 100 માંથી 51 મત મેળવે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Movie-12th-Fail---Its-not-about-the-struggle-but-the-privileges-that-Brahmins-get">ફિલ્મ 12th Fail - વાત સંઘર્ષની નહીં બ્રાહ્મણોને મળતા વિશેષાધિકારોની છે</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આ શક્યતાની કલ્પના કરો: 100 બેઠકોની વિધાનસભામાં, દરેક બેઠક પક્ષ અથવા ઉમેદવારો માત્ર 1 મતથી જીતે છે. વિધાનસભાની કુલ બેઠકો પર એક જ પક્ષનો કબજો છે, અથવા ઉમેદવારો કે જેઓ તેમના હરીફ કરતાં માત્ર એક જ મતથી ચૂંટણી જીત્યા છે. તે વિજેતા પક્ષ/ઉમેદવારો અને હારેલા પક્ષ/ઉમેદવારો વચ્ચેના કુલ મતદાનમાં માત્ર 100નો તફાવત બનાવે છે. પરંતુ દરેક મતવિસ્તારમાં 49 મત મેળવનાર પક્ષ/ઉમેદવારોના મંતવ્યો સંપૂર્ણપણે અપ્રસ્તુત છે. તેથી 49 % મતદારો રદ થાય છે. આપણી વર્તમાન ચૂંટણી લોકશાહી પ્રણાલીમાં અપૂર્ણતાને અન્ડરસ્કોર કરવા માટે આ શક્યતા અહીં પ્રસ્તુત કરવામાં આવી છે, અને સંપૂર્ણ રીતે વાકેફ છે કે આ વારંવારની સંભાવના નથી. પરંતુ તક સિવાય બીજું કંઈ આ શક્યતાને વાસ્તવિકતા બનતા અટકાવતું નથી. આપણી સરકારો લોકોની લોકપ્રિય લોકશાહી ઇચ્છાને પ્રતિબિંબિત કરવામાં ખામીયુક્ત ચૂંટણી પ્રણાલીને કારણે થતી નબળાઈથી પીડાય છે.</span></p>
<p style="text-align: justify;"><br><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આપણી લોકશાહી ‘ગેમ-એબલ’ છે</span></strong><br><span style="font-size: 14pt;">ચાલો આપણે આપણી ચૂંટણી પ્રણાલીની બીજી નબળાઈ તપાસીએ, જે આપણી લોકશાહીને ‘ગેમ-એબલ’ બનાવે છે. આપણો સમાજ વિવિધ જાતિઓ, પેટાજાતિઓ, ધર્મો, પ્રદેશો, ભાષાઓ સાથેનો વૈવિધ્યસભર અને ઉચ્ચ સ્તરીય સમાજ છે. સામાન્ય રીતે આ કેટેગરીઓ ભૌગોલિક રીતે વિતરિત કરવામાં આવે છે. તેઓ ચોક્કસ ભૌગોલિક વિસ્તારોમાં ગીચતાપૂર્વક કેન્દ્રિત હોય છે. આપણા દેશમાં ચોક્કસ વિસ્તારોમાં ચોક્કસ જાતિ, પેટા જાતિ, ધર્મના લોકો જોવા મળે છે. તેવી જ રીતે, ચોક્કસ ભાષા બોલતા લોકો પણ ચોક્કસ ભૌગોલિક પ્રદેશોમાં જોવા મળે છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આપણા જેવા વૈવિધ્યસભર અને સ્તરીકૃત રાજકારણમાં પ્રાદેશિક મતવિસ્તાર પ્રણાલી આપણી વિધાનસભાઓમાં પ્રતિનિધિત્વના બીજા અને વિકૃત પ્રતિબિંબ તરફ દોરી જાય છે. જો કોઈ રાજકીય પક્ષ 1000 મત મેળવી શકે અને તે 100 મતવિસ્તારોમાંથી ઓછા કે વત્તા પ્રમાણમાં મત ખેંચે, તો તેની વિધાનસભામાં એક પણ બેઠક જીતવાની કોઈ શક્યતા નથી. પરંતુ જો અન્ય પક્ષ તે સંખ્યાનો માત્ર અડધો ભાગ મેળવે છે પરંતુ તે કોઈ ચોક્કસ પ્રદેશ/પ્રદેશના માત્ર દસ મતવિસ્તારોમાંથી મતો મેળવે છે, તો તેના સભ્યોમાંથી દસ સભ્યો ગૃહમાં ચૂંટાઈ શકે છે. પરિણામે, 1000 મત મેળવનાર પક્ષ કોઈ બેઠક વિના સમાપ્ત થઈ શકે છે. પરંતુ બીજી તરફ  500 મતો પર મતદાન કરનારી પાર્ટી 10 બેઠકો મેળવી શકે છે. તેથી આપણી ચૂંટણી પ્રણાલીની આ વિશેષતા આપણી લોકશાહી પ્રક્રિયામાં જાતિ, પેટાજાતિ, ધાર્મિક, પ્રાદેશિક, ભાષાકીય ઓળખને વિશેષાધિકાર આપે છે. આપણી રાજનીતિમાં આ વિભાગીય હિતોને આગળ વધારતા અથવા તેના પર આધાર રાખતા પક્ષોની હાજરી કોઈ અકસ્માત નથી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65ba72dac8f6b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">રાષ્ટ્રીય એકતા માટે ખતરો</span></strong><br><span style="font-size: 14pt;">આજે આપણી રાજકીય ભૂગોળ એટલી રૂપરેખાંકિત થઈ ગઈ છે કે દક્ષિણના તમામ રાજ્યો મળીને 3 અથવા 4 મોટા ઉત્તરીય રાજ્યો દ્વારા મોકલવામાં આવેલા પ્રતિનિધિઓની સંખ્યા જેટલા પ્રતિનિધિઓને કેન્દ્રમાં મોકલે છે. આનાથી તેમને રાજકીય ગણતરીમાં એવા પક્ષો માટે નગણ્ય ગણાય છે જે ઉત્તરના કેટલાક મોટા રાજ્યોના મતદારોની ચિંતાઓ, રુચિઓ, જુસ્સો અથવા પૂર્વગ્રહોને અપીલ કરી શકે છે. નજીકના ભવિષ્યમાં જે સીમાંકન થઈ શકે છે તેનાથી પરિસ્થિતિ વધુ બગડવાનો ભય છે. આનાથી આપણા સંઘીય માળખા પર અને આપણા રાષ્ટ્રની એકતા પર પણ ગંભીર અસરો થઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આજે શક્ય છે કે કોઈ રાજકીય પક્ષ આપણી રાજનીતિના મોટા ભૌગોલિક વિસ્તારોની રાજકીય પસંદગીઓની અવગણના કરે અને છતાં સત્તામાં આવે. તેવી જ રીતે શક્ય છે કે રાજકીય પક્ષ ચોક્કસ ધર્મ પાળતા, અમુક ભાષાઓ બોલતા, અમુક જાતિના નાગરિકોને અવગણી શકે. રાજકીય પક્ષો આપણા સમાજના કેટલાક વર્ગોને કેળવવા માટે રાજકીય રીતે લાભદાયી શોધી શકે છે. બીજી બાજુ, કેટલાક વિભાગો અને પ્રદેશોને જાણી જોઈને અવગણવાથી, વર્તમાન વ્યવસ્થામાં રાજકીય રીતે સજા વિના રહી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">લોકશાહીનું ધીમું મૃત્યુ</span></strong><br><span style="font-size: 14pt;">1960 અને 1970 ના દાયકામાં લશ્કરી ટેકઓવર, ચૂંટાયેલા રાજકીય નેતાઓ દ્વારા બંધારણના રદ્દીકરણ, રાષ્ટ્રીય કટોકટીની ઘોષણાને કારણે લોકશાહી મૃત્યુ પામી હતી. લોકશાહીનો અંત એક નાટકીય ચાલમાં, એક જ તરાપમાં થઈ શકે છે. પરંતુ ત્યારથી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આજે લોકશાહી ધીમી અને ઘણીવાર અગોચર બેકસ્લાઇડિંગ દ્વારા ધીમે ધીમે મૃત્યુ તરફ દોરાઈ રહી છે. નેતાઓ, પક્ષો, જૂથોએ સરમુખત્યારશાહી સત્તાની ધારણાની જાહેરાત કરવાની અને પોતાને લોકો સમક્ષ બિનજવાબદાર જાહેર કરવાની જરૂર નથી. લોકશાહીનું રક્ષણ કરતી સંસ્થાઓ અને સંરચનાઓને ક્રમશઃ ક્ષીણ કરીને આજે આપણા દેશમાં જે કરવું હોય તેમ કરી શકાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે આપણા દેશમાં લોકશાહીનો અર્થ માત્ર પાંચ વર્ષમાં એક વખત ચૂંટણી યોજવા માટે કરવામાં આવે છે. લોકશાહી એટલે સંવાદ, ચર્ચા, તમામ દૃષ્ટિકોણને ધ્યાનમાં લઈને, વિવિધ મંતવ્યો સાંભળીને લેવાતો નિર્ણય છે તે વિચાર ભાગ્યે જ સ્વીકારવામાં આવે છે. સૌથી મોટી લઘુમતી મતો સાથે વિધાનસભામાં બહુમતી બેઠકો જીતીને સરકાર રચતા રાજકીય પક્ષો કાયદેસરતાનો દાવો કરે છે. એકવાર તેઓ મત જીત્યા પછી તેઓને લાગે છે કે તેઓ આગામી ચૂંટણી સુધી જવાબદાર નથી. આપણી વિધાનસભાઓમાં કાયદાકીય દરખાસ્તો પર ભાગ્યે જ ચર્ચા થાય છે. આપણી વસ્તીના મોટા વર્ગો માટે દૂરગામી પરિણામો ધરાવતા બિલો રજૂ કરવામાં આવે છે, મતદાન કરવામાં આવે છે અને કાયદા ઘડવામાં આવે છે; અને જ્યારે સરકાર આ રીતે ઘડવામાં આવેલા કાયદાઓને પાછા ખેંચી લેવાનું તેના હિતમાં શોધે છે, ત્યારે તે તટસ્થતા સાથે તેને પાછો ખેંચી લે છે, પરંતુ તે સમયે પણ કોઇ ચર્ચા થતી નથી. સરકારી નેતાઓ મીડિયા અથવા અન્ય કોઈ નાગરિક સમાજના પ્લેટફોર્મ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Have-you-ever-heard-and-read-this-Vivekanandavani">કદી સાંભળી-વાંચી છે આ વિવેકાનંદ વાણી?</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">છૂપા એક્ઝિક્યુટિવ્સ તરીકે નિષ્ક્રિય વિધાનસભાઓ</span></strong><br><span style="font-size: 14pt;">આપણી વિધાનસભાઓ નિષ્ક્રિય થઈ ગઈ છે. લોકો હવે ધારાસભ્યોને ચૂંટતા નથી. તેના બદલે તેઓ મુખ્ય પ્રધાનો અને વડા પ્રધાનોને ચૂંટે છે. ઉમેદવારો તેમના ધારાસભ્ય કાર્યના આધારે મત માંગતા નથી. તેઓ તેમના વચનો પૂરા કરવા માટે મત માંગે છે જે આવશ્યકપણે એક્ઝિક્યુટ ડોમેનમાં હોય છે. એક રીતે જોઈએ તો આપણી વિધાનસભાઓ છૂપી વહીવટી બની ગઈ છે. આ સંદર્ભે ગંભીર તપાસની જરૂર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિધાનસભામાં ચૂંટાયેલા લોકોના કાયદાકીય કાર્યોના આ ડાઉનગ્રેડિંગે આપણી ચૂંટણી પ્રક્રિયાને બગાડી છે. જે લોકો કાયદા અને કાયદાકીય કાર્યોમાં ઓછામાં ઓછો રસ ધરાવતા હોય તેઓ વિધાનસભામાં ચૂંટાવા માટે ઉગ્ર સ્પર્ધા કરે છે. તેઓ ચૂંટાવા માટે મોટા પ્રમાણમાં નાણાં અને અન્ય સંસાધનો ખર્ચવા તૈયાર છે. કારણ કે રાજકીય કારોબારીના સભ્ય બનવા માટે ધારાસભ્ય બનવું જરૂરી લાયકાત છે. તેથી, ધારાસભ્ય બનવાની ઇચ્છા અનિવાર્યપણે કારોબારીના સભ્ય બનવા માટે અથવા બનવા માટે લાયક બનવાની છે અથવા તેના પર અસર કરે છે. આમ તે આર્થિક રીતે અને અન્યથા ધારાસભાના સભ્ય બનવા માટે લાભદાયી બને છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે આપણે જે જોઈએ છીએ તે વિધાનસભામાં પ્રવેશવા માટે સાધનસંપન્ન વ્યક્તિઓ વચ્ચેની તીવ્ર સ્પર્ધાનું મૂળભૂત કારણ છે. એક દૃશ્યની કલ્પના કરો: કે વિધાનસભાના સભ્યને સરકારનો ભાગ બનવાથી પ્રતિબંધિત કરવામાં આવે છે; અને તે કે જેઓ ધારાસભામાં ચૂંટાયા છે, તેઓ વર્ષના મોટાભાગના સમય માટે વિવિધ કાયદાઓ પર કામ કરવા માટે બંધાયેલા છે, પરંતુ તેમની પાસે તે માટેની ઓછી સત્તા છે, જેથી તેઓ કારોબારીના નિર્ણયોને પર કોઇ અસર પાડી શકતા નથી, તેમજ રાજકીય કારોબારીના સભ્ય બનવાની તક પણ ગુમાવી દે છે. કદાચ, કેટલાક અપવાદોને બાદ કરતાં આજે ધારાસભામાં રહેલી લગભગ તમામ વ્યક્તિઓ તેમના ઉમેદવારીપત્રો ભરવા પણ તૈયાર નહીં હોય. તેમાંથી કોઈ પણ સાંસદ અને ધારાસભ્ય બનવા માટે તેમના અભિયાન માટે કરોડો રૂપિયા ખર્ચવા તૈયાર થશે નહીં. આપણાં ધારાસભ્યોને ચૂંટવાની પ્રક્રિયા અવિશ્વસનીય રીતે સસ્તી બનશે. આપણી લોકશાહી પ્રક્રિયાના આ ક્ષેત્રને નવા દેખાવની જરૂર છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65ba72d9d55ea.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મર્યાદિત લોકશાહીની ખતરનાક અપીલ</span></strong></span><br><span style="font-size: 14pt;">હાલમાં, સાર્વત્રિક મતાધિકાર પર આધારિત બહુપક્ષીય ઉદાર લોકશાહીનું વૈકલ્પિક મોડેલ પ્રસ્તાવિત અને સક્રિય રીતે પ્રચાર કરવામાં આવી રહ્યું છે. આ મુખ્યત્વે ચીનમાંથી નીકળેલું છે. આ વિકલ્પ ઘણા વિકાસશીલ દેશોમાં, ખાસ કરીને એવા દેશોમાં જ્યાં ચીનની આર્થિક અને રાજકીય હાજરી વધી રહી છે, રાજકીય ચુનંદા વર્ગમાં ગ્રહણશીલતા શોધી રહી છે. આ વિકલ્પ વ્યાપક રીતે આ પ્રમાણે ચાલે છે: જે લોકો ઉદાર લોકશાહીમાં ચૂંટણી જીતવાનું સંચાલન કરે છે તેમની પાસે સરકાર ચલાવવા અને જાહેર બાબતોનું સંચાલન કરવા માટે જરૂરી કુશળતા અને અનુભવ નથી. મોટાભાગના મતદારો તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રત્યે ઊંડો અસંતોષ વ્યક્ત કરે છે, જેનાથી ચૂંટણી પ્રક્રિયાના પરિણામો શંકાસ્પદ બને છે; પરિણામે, આ લોકશાહીઓ તેમના લોકોને મજબૂત વહીવટ અને સૌથી અગત્યનું, આર્થિક વિકાસ અને સમૃદ્ધિ પહોંચાડવામાં અસમર્થ છે. આ વૈકલ્પિક મોડલના સમર્થકો એવું માને છે કે સરકારના નેતાઓને ચૂંટણી અને પસંદગીને જોડતી પ્રક્રિયા દ્વારા પસંદ કરવાની જરૂર છે, જેમ કે ચીનમાં થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/The-Unrecognized-Suffering-of-the-Dalit-Muslim-and-the-Direction-of-Solution">દલિત મુસલમાનની અજાણી વ્યથા અને ઉકેલની દિશા</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મોડેલના સમર્થકો એ બતાવવા માટે કામ કરે છે કે બહુ-પક્ષીય લોકશાહી પ્રક્રિયા અને આર્થિક વિકાસ એકબીજા સાથે સ્વાભાવિક રીતે અસંગત છે, ખાસ કરીને ગરીબ દેશોમાં. તેમના દેશોમાં પ્રવર્તતી પ્રક્રિયાઓમાં રહેલી ખામીઓ અને નબળાઈઓ આ પ્રસ્તાવિત મોડલને ત્રીજા વિશ્વના ઘણા ચુનંદા લોકો માટે આકર્ષક બનાવી શકે છે. છેવટે, આ મૉડલના સમર્થકોના મતે, આર્થિક વિકાસ અને જાતિ, ધાર્મિક, સાંસ્કૃતિક, રાષ્ટ્રીય ઓળખનો દાવો કરવો એ વાણી સ્વાતંત્ર્ય, મુક્ત અને વાજબી મતાધિકાર જેવા અધિકારોનો ઉપયોગ કરવા સક્ષમ હોવા કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે. વાજબી પ્રતિનિધિત્વ, સરકારને જવાબદાર બનાવવી, અસંમતિ વ્યક્ત કરવામાં સક્ષમ બનવું, સામાજિક વિવિધતા પ્રત્યે આદરને પ્રોત્સાહન આપવું એ સાંસ્કૃતિક-રાષ્ટ્રીય ઓળખ, મજબૂત રાજ્યનું નિર્માણ, અસરકારક શાસન પ્રદાન કરવા, ઝડપી આર્થિક વિકાસ કરવાની ક્ષમતાની તુલનામાં બિનમહત્વપૂર્ણ મૂલ્યો તરીકે દર્શાવવામાં આવ્યા છે. .</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો આપણી પોતાની ઉદાર લોકશાહીની પ્રક્રિયાઓમાં રહેલી ખામીઓ અને નબળાઈઓને તાકીદે ધ્યાન પર લેવામાં નહીં આવે અને તેને ટૂંક સમયમાં સુધારવામાં નહીં આવે તો, મર્યાદિત લોકશાહીની કેટલીક આવૃત્તિઓ અપીલમાં આવશે અને આખરે આપણા દેશના લોકોના મોટા વર્ગ માટે પણ તે પસંદગી બની જશે તે ભય છે. આપણી રાજનીતિમાંથી લોકશાહીના સારને પોકળ બનાવવું અને તેના ધાર્મિક સ્વરૂપો અને દેખાવને જાળવી રાખવો એ સહન કરવામાં આવશે. ઉદાસીનતાથી સહિષ્ણુતા, સ્વીકૃતિ અને છેવટે પસંદગી તરફની સફરમાં લાંબો સમય લાગતો નથી. એક દાયકા કરતાં પણ ઓછા સમયમાં આપણે આપણા દેશમાં જોયેલા રાજકીય લેન્ડસ્કેપ અને પ્રવચનમાં જે મોટા ફેરફારો થયા છે તે આપણને આત્મસંતોષ છોડી દેવા માટે દબાણ કરશે. આથી, આપણી લોકશાહી પર વ્યાપક ચર્ચાની તાતી જરૂર છે. દીક્ષા લેવા માટે વર્તમાન કરતાં સારો સમય કોઈ નથી. તાકીદને અતિરેક કરી શકાતી નથી.</span></p>
<p style="text-align: justify;"><em><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 12pt;">(મૂળ લેખકઃ ડૉ. પરકલા પ્રભાકર, ગુજરાતી અનુવાદઃ દક્ષિણ બજરંગે છારા)</span></strong></span></em></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42); font-size: 14pt;"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Even-if-there-is-a-difference-between-you-and-me,-it-can-be-overcome-only-by-grooming-the-Bahujan-politics,-not-by-blowing-up-the-divide" target="_blank" rel="noopener"><span style="font-size: 14pt;">મારી-તમારી અસહમતી હોય તો પણ બહુજન રાજનીતિની માવજત કરીને જ તેને દૂર કરી શકાશે, છેદ ઉડાડીને નહીં</span></a><br></strong></span></p>
<div class="post-text">
<div class="post-text">
<p><span style="font-size: 12pt;"><strong>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</strong></span><span style="font-size: 14pt;"><strong> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></strong></span></p>
</div>
</div>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42); font-size: 14pt;"><strong><span style="font-size: 14pt;"></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 01 Feb 2024 12:32:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>306</Articleid>
                    <excerpt>ભારતીય લોકશાહી અને રાજકારણની તાસીર-તસવીરને એક જુદા દ્રષ્ટિકોણ સાથે આપણી સમક્ષ મૂકતો આ લેખ જાણીતા રાજકીય અર્થશાસ્ત્રી અને સોશિયલ કમેન્ટેટર ડૉ. પરકલા પ્રભાકરે લખ્યો છે. લેખ થોડો લાંબો ચોક્કસ છે પણ શાંત ચિત્તે વાંચ્યા બાદ આપણે ભારતની વર્તમાન લોકશાહી વ્યવસ્થા અને રાજકીય પ્રતિનિધિત્વ જેવી અનેક બાબતે નવેસરથી વિચારતા થઈ જઈએ છીએ. અંગ્રેજી, તમિલ, તેલુગુ, મલયાલમ સહિતની અનેક ભાષામાં અનુવાદિત થયેલા આ લેખને ગુજરાતીમાં દક્ષિણ બજરંગે છારાએ ભારે જહેમત અને ચીવટ બાદ આપણા માટે તૈયાર કર્યો છે. આશા છે, લેખની લંબાઈને બાજુ પર મૂકીને વાચકો તેના મૂળ તત્વ પર ધ્યાન કેન્દ્રિય કરશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_65ba72daef6d0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_65ba72dab5bbb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_65ba72dab5bbb.jpg" length="61468" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>આજેય એ યુવાન જવાનભાઈની કીટલીએ મળી જાય ત્યારે સાઈકલ તૂટ્યાની વેદનાને સંભારે છે</title>
                    <link>https://khabarantar.com/Even-today,-the-young-man-still-remembers-the-pain-of-breaking-his-bicycle-when-he-was-found-by-a-young-soldiers-kettle</link>
                    <guid>https://khabarantar.com/Even-today,-the-young-man-still-remembers-the-pain-of-breaking-his-bicycle-when-he-was-found-by-a-young-soldiers-kettle</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદની નરશી ભગત છાત્રાલયમાં ભણતા એક યુવાન માટે તેની સાઈકલ સુખ-દુઃખની સાથી છે. એક દિવસ તેની સાઈકલ સાથે કશુંક એવું બને છે, જે યુવાનને નોંધારો કરી મૂકે છે, એ ઘટના દિલમાં કાયમ માટે ઉંડો ઘા કરી જાય છે. પણ એ પછી તે જે સંઘર્ષ કરે છે તે મારા-તમારા જેવા અનેક દલિત યુવાનોને પ્રેરણા પુરી પાડે છે. વાંચો વિખ્યાત બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્યની કલમે મૌર્યવાણી.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મૌર્યવાણી - મોહિન્દર મૌર્ય</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વહેલી સવારનો સૂરજ ધીમે ધીમે કાળા ડિબાંગ વાદળોના દળકટકને વિખેરતો વિખેરતો અજવાળા પાથરતો ઊગી રહ્યો હતો. ચારેબાજુ કાળા ભમ્મર રસ્તાઓ પર જાણે કે વાહનો નહિ પણ માત્ર હોર્નના અવાજો ચાલી રહ્યા હોય એમ ભાસતું હતું. દરેક વાહનના અલગ અલગ હોર્નના અવાજ સાત સૂરના સંગીતની જેમ અલગ અલગ રાગરાગીણીમાં સવારના સમયમાં ભૈરવી રાગમાં રિયાઝ કરવા રાગધારી સૂર રેલાવતા હોય એમ લાગતું હતું.</span></p>
<p><span style="font-size: 14pt;">એવા સમયે અમદાવાદના બાપુનગર રખિયાલની એક સોસાયટીમાંથી આખી રાત ચોકીદારની નોકરી કરીને એક યુવાન સાયકલ લઈને પાલડીમાં આવેલી નરસિંહ ભગત છાત્રાલયમાં જવા નીકળે છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65b21aef9b921.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાયકલના શાહી શણગારની વાત કરું તો બંને ટાયર પર પંખા નહિ. ઘસાઈ ગયેલા રબ્બર અને સાવ કાટ ખાઈ ગયેલા આરા વાળા બન્ને ટાયર. ચેઇન ખરી, પણ ઓઇલ કરેલું નહિ એટલે કિચુડ કિચૂડ અવાજ આવે, ચેઇન પર પંખો નહિ એટલે ઘૂંટણથી નીચે પાટલૂનના પાવસા કાળા કાટવાળા ડાઘથી કાયમ બગડે. જે કંપનીની સાયકલ હતી એ કંપનીનું નામ પણ વંચાય નહિ એવું ભૂંસાઈ ગયેલું. આવી સાયકલ લઈને જાણે હાથીની અંબાડી પર બેસતો હોય એમ એ યુવાન વટથી સીટ પર બેસીને સાઈકલ પાલડી તરફ હંકારી મૂકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે એને વતનમાં જવાનું હતું. એના હરખમાંને હરખમાં તે સાઈકલને પેડલ માર્યે જતો હતો. સાયકલ સરસપુરથી એસ.ટી.બસ સ્ટેન્ડ તરફ વળી તો એ વ્યક્તિને પોતાના વતન જનારી બસની પૂછપરછ કરવાનું મન થયું, તેણે સાઈકલ એસ.ટી.સ્ટેન્ડ પર પાર્ક કરી અને પૂછપરછની બારીએ પોતાના વતન જનારી બસ માટે પૃચ્છા કરી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65b21b054ccd9.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાજુ પાર્ક કરેલી સાયકલને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારીને આગળના ટાયરને વાળી નાખ્યું. બસની પૂછપરછ કરીને યુવાન પરત આવીને સાઈકલની હાલત જુએ છે અને જોતાવેત જ રીતસરની પોક મૂકીને રડવા લાગે છે. પોતાનું જીવતું જાગતું કોઈ સ્વજન ગુમાવ્યા પછી જે વેદના થાય છે એવી જ વેદના એ યુવકની આંખોમાંથી ચોધાર આંસુ બનીને વહેવા લાગી.</span><br><span style="font-size: 14pt;">આંખોના પાણી થોડા ઓસર્યા એટલે યુવાને ટાયરથી વળી ગયેલી સાયકલને પોતાના ખભે નાખી અને નરસિંહ ભગત છાત્રાલયની વાટ પકડી. એ દ્રશ્ય કેવું લાગતું હશે? પોતાના સ્વજનના મૃત્યુ પછી એની નનામીને કાંધ આપવા માટે જેમ કાંધિયા હોય છે એમ યુવાનના ખભે તેની માનીતી સાઈકલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસ.ટી.બસ સ્ટેન્ડ થઈ વાયા જમાલપુર પાલડી સુધી એ યુવાન રડતા રડતા સાયકલને ખભે નાખીને છાત્રાલયમાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છાત્રાલયમાં જ્યારે એ આગળના ટાયરથી વળી ગયેલી સાયકલ લઈને આવે છે ત્યારે એના મગજમાં જે વિચારોનું વાવાઝોડું સર્જાય છે એના કારણે તે વતનમાં જવાનું માંડી વાળે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવાન સતત વિચારોમાં ખોવાઈ ગયો. એને થવા લાગ્યું કે હવે હું કોલેજ કેવી રીતે જઈશ? રાતે નોકરીએ કેવી રીતે પહોંચીશ? જો નોકરી નહિ કરું તો કોલેજનો ખર્ચ કેમ કાઢીશ? કોલેજ જવા માટે રીક્ષા ભાડું કે અમદાવાદ મ્યુનિસિપલ બસની મુસાફરી તો મોંઘી પડશે? કરીને ભાડાની વ્યવસ્થા થશે? આ સાયકલ તો બે બાજુનો આધાર હતી. રોજ સાયકલ તેને કોલેજમાં ભાડા વગર પહોંચાડતી હતી. કોલેજના ખર્ચને પહોંચી વળવા માટે તે રાતે ચોકીદારની નોકરી કરવા બાપુનગર રખિયાલ સુધી જતો અને ત્યાં પણ આ સાયકલ જ તેને પહોંચાડતી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિચારો કરતા કરતા યુવાન જવાનભાઈની ચાની કિટલીયે આવીને બેઠો. ચા પીવા જાય છે અને ત્યાં બેઠા બેઠા ફરી એક નાનું બાળક રડે એમ પોક મૂકીને રડે છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65b21b04a0604.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જવાનભાઈની કિટલી પાલડી-અમદાવાદમાં બહુ ફેમસ. જવાન ટી સ્ટોલ તરીકે ઓળખાય. પાલડીમાં હોસ્ટેલ ઘણી બધી હતી. આથી ઘણી બધી હોસ્ટેલના વિદ્યાર્થીઓ ચા પીવા આ કિટલી પર જ આવતા. રડવાનું બંધ કરીને યુવાન જવાનભાઈને અડધી ચા મોકલવાનું કહે છે. ચા પીતા પીતા દુઃખને ઘૂંટડે ઘૂંટડે પી લીધું હોય એમ એ યુવાન તરત બેઠા થઈ જાય છે અને અડધી ચા ડાયરીમાં લખીને હોસ્ટેલમાં આવેલા પોતાના રૂમમાં જાય છે અને બારણું બંધ કરીને વાંચવા બેસી જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હોસ્ટેલમાં ભણતા છોકરાઓ પાસે ઘરેથી જરૂરિયાત પૂરતા પૈસા આપવામાં આવતા હોય છે. ઘરેથી હોસ્ટેલ જવાનું ભાડું અને હોસ્ટેલથી ઘરે આવવાનું ભાડું. કોલગેટ, સાબુ, તેલ અને કોલેજમાં આવવા જવાનું ભાડું. આમાં ચાના પૈસાનું આયોજન કરવું પડતું. ઘણાં છોકરાઓ ચા પીવા માટે અન્ય સુખી પરિવારમાંથી આવતા છોકરાઓ પર આધાર રાખતા. કેટલાક વિદ્યાર્થીઓ તો તાકીને બેઠા હોય કે ફલાણો આવે તો ચા પીવા મળે. આવી કરકસર વાળી કોલેજ લાઈફ ગજબની હોય છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65b21b0421416.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ યુવાનની કથા તો બહુ લાંબી છે, પણ આપણે ટૂંકમાં વાત કરીએ તો, તેણે આવા બીજા પણ અનેક કડવા ઘૂંટને ચામાં ઓગાળીને પી નાખ્યા. કોલેજ પાસ કરી એન્જિનિયરીંગ કર્યું, સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ તો ચાલુ જ હતી. આખરે તેની મહેનત રંગ લાવી. જિનિયસ ડૉ. આંબેડકરને પોતાના આદર્શ માનતો એ યુવાન આજે અધ્યાપક છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી પણ તે ત્રણ વર્ષ સુધી જવાનભાઈની કીટલી પર ચાલતી ડાયરી ચાલુ રાખે છે. જેથી હોસ્ટેલમાં જેમની પાસે પૈસા ન હોય તેવા વિદ્યાર્થીઓ ચા પીને તેમાં લખી શકે મહિનાને અંતે યુવાન અમદાવાદ આવીને તે બિલ ભરી દે છે. ઘણીવાર તે અહીં આવીને અડધી ચાનો ઓર્ડર કરે અને પછી પેલી તૂટેલી સાઈકલ વખતની વેદનાને વાગોળે. ચા પત્યાં પછી જ્યારે ડાયરીના હિસાબની રકમ આપવા ખિસ્સામાં રહેલા પાકીટને ખોલે ત્યારે પેલી સાયકલ તૂટ્યાંની વેદના સણસણતા તીરની માફક તેના હૃદયમાં ખૂંપી જાય છે. આજેય ઘણીવાર એ અધ્યાપકમિત્ર જવાનભાઈની કીટલીએ ચા પીતા જોવા મળી જાય છે. હું તેમની સાઈકલ તૂટ્યાંની વેદનાનો સાક્ષી રહ્યો છું. છતાં એ દુઃખ કઈ કક્ષાએ પહોંચ્યું હશે એ તો જેણે અનુભવ્યું હોય એજ જાણે. પણ આ વેદના પછીની વસંત આજે તો સોળે કળાયે ખીલી છે. લાંબો સંઘર્ષ કર્યા પછી આજે એ યુવાન પ્રોફેસર છે. મારા ખાસ મિત્ર છે. હાલ નામ નહિ લખવાની શરતે અને સંઘર્ષના બધાં પાનાં નહીં ખોલવાની શરતે મને આટલું લખવાની મંજૂરી આપી છે. </span><strong><span style="font-size: 14pt;">વસંત પહેલાની વેદના વેઠે, એને પ્રગતિ સામે ચાલીને ભેટે.</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>મોહિન્દર મૌર્ય (M.A..B,Ed..M,Ed, મો. 8401552887)</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong>Khabarantar.com </strong><strong><span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </strong></span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો :</span></strong><span style="font-size: 14pt;"> </span></span><a href="https://khabarantar.com/Why-does-the-dog-of-Dhedh-spoil-the-fathers-dog-So-it-exploded"><strong><span style="font-size: 14pt;">ઢેઢનું કૂતરું બાપુના કૂતરાને રંજાડી જાય ઈ કેમ પાલવે? એટલે ભડાકે દીધું</span></strong></a></p>
<p class="MsoNormal"><span lang="EN-US"><o:p> </o:p></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 26 Jan 2024 11:01:37 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 25 Jan 2024 21:12:45 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>294</Articleid>
                    <excerpt>અમદાવાદની નરશી ભગત છાત્રાલયમાં ભણતા એક યુવાન માટે તેની સાઈકલ સુખ-દુઃખની સાથી છે. એક દિવસ તેની સાઈકલ સાથે કશુંક એવું બને છે, જે યુવાનને નોંધારો કરી મૂકે છે, એ ઘટના દિલમાં કાયમ માટે ઉંડો ઘા કરી જાય છે. પણ એ પછી તે જે સંઘર્ષ કરે છે તે મારા-તમારા જેવા અનેક દલિત યુવાનોને પ્રેરણા પુરી પાડે છે. વાંચો વિખ્યાત બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્યની કલમે મૌર્યવાણી. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_65b21b0615b5a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_65b21b05bd8c0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_65b21b05bd8c0.jpg" length="106916" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>દેશના અંતિમ જન સુધી બંધારણીય જોગવાઈઓ અને તેનો અમલ પહોંચે તે જ સાચું પ્રજાસત્તાક</title>
                    <link>https://khabarantar.com/A-true-republic-is-one-where-the-constitutional-provisions-and-their-implementation-reach-the-last-people-of-the-country</link>
                    <guid>https://khabarantar.com/A-true-republic-is-one-where-the-constitutional-provisions-and-their-implementation-reach-the-last-people-of-the-country</guid>
                    <description>
                        <![CDATA[ 75મા પ્રજાસત્તાક દિવસની પ્રભાત ઉગી ચૂકી છે, પણ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઉજવણી નહીં પરંતુ ચિંતા કરવી પડે તેવી સ્થિતિ છે. બંધારણના ઘડવૈયાઓએ એક નાગરિક તરીકે આપણને જે બંધારણીય હકો આપ્યા હતા તેના પર ખૂલ્લેઆમ તરાપ પડી રહી છે. દેશ માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્યસેનાનીઓની કલ્પનાથી વિપરીત ભારત અસ્તિત્વમાં આવ્યું છે ત્યારે વરિષ્ઠ પત્રકાર ચંદુ મહેરિયા અહીં પ્રજાસત્તાકનો સાચો અર્થ સમજાવવા પ્રયત્ન કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક ઓર પ્રજાસત્તાક પર્વ આંગણે આવીને ઊભું છે. ઓણ વળી પંચોતેરમું છે એટલે એનું સ્મરણ અનેરું છે. 26મી જાન્યુઆરી 1950ના દિવસથી સ્વતંત્ર ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને આપણે પ્રજાસત્તાક કહેવાયા. આ 26મી જાન્યુઆરીની પ્રજાસત્તાક દિન તરીકેની પસંદગી પણ ખાસ કારણસરની છે. પંડિત નહેરુના પ્રમુખસ્થાને ડિસેમ્બર 1929માં લાહોરમાં રાવી તટે કૉંગ્રેસનું અધિવેશન ભરાયેલું. તેમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ થયેલો. અંગ્રેજોને 26મી જાન્યુઆરી 1930 સુધીની મહેતલ પૂર્ણ સ્વરાજ માટે આપવામાં આવેલી હતી. ગુલામ ભારતની 26મી જાન્યુઆરીની પૂર્ણ સ્વરાજની ઘોષણા પછી તો આઝાદ ભારતનો પ્રજાસત્તાક દિન જ બની રહે ને? 15મી ઑગસ્ટ 1947ના રોજ જે સત્તાનું હસ્તાંતરણ થયું હતું તે 26મી જાન્યુઆરી 1950ના રોજ પૂર્ણ સ્વરાજની અપેક્ષા સાથે પ્રજાસત્તાક બન્યું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65b2915183797.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ભારતની બંધારણસભાએ 2 વરસ 11 માસ અને 18 દિવસની જહેમત પછી હાલનું બંધારણ ઘડ્યું છે. મુસદ્દા સમિતિના અધ્યક્ષના નાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરનો બંધારણના ઘડતરમાં સિંહફાળો છે. 25મી નવેમ્બર 1949ના દિવસે બંધારણસભા સમક્ષના પોતાના અંતિમ પ્રવચનમાં ડૉ. આંબેડકરે કહ્યું હતું, “26મી જાન્યુઆરી, 1950ના રોજ ભારતનું પ્રજાસત્તાક રાજ્ય સ્થપાતાં આપણે વિરોધાભાસોથી ભરેલી જીવનવ્યવસ્થામાં પ્રવેશીશું. રાજકીય દૃષ્ટિએ આપણે સમાનતા આણીશું પરંતુ સામાજિક અને આર્થિક અસમાનતા ચાલુ જ છે. રાજકીય રીતે ‘એક વ્યક્તિ, એક મત’નું મૂલ્ય સ્વીકાર્યું છે, પણ સામાજિક-આર્થિક જીવનમાં આપણા વર્તમાન માળખાને લઈને ‘એક વ્યક્તિ, એક મૂલ્ય’ના સિદ્ધાંતનો ઇન્કાર ચાલુ જ છે. આ અસમાનતા અને વિરોધાભાસ ક્યાં સુધી ચાલુ રાખીશું?” ભારતમાં પ્રવર્તતી સામાજિક આર્થિક ગેરબરાબરીથી ચિંતિત બાબાસાહેબે એવી ચેતવણી પણ ઉચ્ચારી હતી કે, “સામાજિક-આર્થિક અસમાનતા જો લાંબો સમય ચાલુ રહેશે તો તેનાથી પીડાતા લોકો બંધારણસભાએ જહેમતપૂર્વક તૈયાર કરેલ રાજકીય લોકશાહીની ઇમારતને ધ્વસ્ત કરતાં અચકાશે નહીં.” ૨૦૨૪ મેં ભી મોદી આયેંગે ના પ્રચાર અને વિપક્ષી I N D I A ગઠબંધનના સાથીઓના રિસામણા-મનામણાં વચ્ચે દેશ લોકસભાની ચૂંટણીના માહોલમાં પ્રવેશી ચૂક્યો છે ત્યારે આ વરસના પ્રજાસતાક પર્વે બંધારણ નિર્માતાઓના શબ્દો કાળજે ધરવા જેવા છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65b29151ebeed.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">અનુચ્છેદ ૩૭૦ની નાબૂદી અને આર્થિક અનામતની જોગવાઈ જેવા બંધારણ સુધારા સાથે ભારતનું સંવિધાન એના મૂળભૂત માળખાને અકબંધ રાખીને બદલાતું રહ્યું છે. એક તરફ ‘બંધારણ બચાવો’ની તો બીજી તરફ ‘બંધારણ બદલો’ની માગણીઓ પણ થતી રહી છે. બંધારણની હોળી થાય છે, તો એને હાથીની અંબાડી પર રાખી શોભાયાત્રાઓ પણ નીકળે છે. બંધારણના અનુચ્છેદ 368 અન્વયે સવાસો ઉપરાંતના સુધારા સહી ચૂકેલા ભારતના બંધારણની સમીક્ષા માટેના પ્રયત્નો પણ થયા છે. જસ્ટિસ વૈકટચૈલ્લેયાહના અધ્યક્ષપદે બંધારણના સુવર્ણજયંતી વરસે રચાયેલા બંધારણ સમીક્ષા પંચે 31મી માર્ચ 2002ના રોજ પોતાનો અહેવાલ ભારત સરકારને સુપરત કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">બંધારણ સમીક્ષા પંચે ‘સામાજિક-આર્થિક પરિવર્તન અને વિકાસનો માર્ગ’ શીર્ષક હેઠળના અહેવાલના દસમા પ્રકરણમાં દલિતો, આદિવાસીઓ, પછાતવર્ગો, લઘુમતીઓ, સ્ત્રીઓ અને કામદારો સંદર્ભે જે મહત્વની ભલામણો કરી હતી તે તત્કાલીન સરકારને (અને કદાચ તે પછીની અને આજની સરકારને પણ) માફક આવે તેવી નહોતી. તેથી તે અહેવાલ અભરાઈએ ચઢાવી દેવાયો હતો. ચૂંટણીની વૈતરણી તરવા કે દેશમાં ચાલતા બિનઅનામત જ્ઞાતિઓનાં અનામત આંદોલનોથી છૂટકારો મેળવવા ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ પૂર્વે કેન્દ્ર સરકારે આર્થિક અનામતનો માર્ગ બંધારણ સુધારા મારફત લીધો હતો. લગભગ સઘળા વિપક્ષે(દલિતોના કહેવાતા પક્ષોએ સુધ્ધાં) સરકારના ઇરાદા અંગે થોડાં વાંધાવચકા સાથે તેનું સમર્થન કરવું પડ્યું હતું. આજે દલિતો-આદિવાસીઓ માટેની વર્તમાન અનામત વ્યવસ્થા અપર્યાપ્ત બની છે. વળી નવી આર્થિક નીતિ અને ખાનગીકરણના વધતા પ્રભાવમાં જ્યારે સરકારી કે જાહેર ક્ષેત્રની નોકરીઓ સંકોચાઈ રહી છે ત્યારે બે દાયકા પૂર્વે બંધારણ સમીક્ષા પંચે દલિતો-આદિવાસીઓ માટે ખાનગી ક્ષેત્રોમાં અનામતની નીતિ લાગુ પાડવાની જે ક્રાંતિકારી ભલામણ કરી હતી, તે વિસારે પાડી દેવાઈ છે. અસંગઠિત ક્ષેત્રોમાં વધતી સંખ્યાને ધ્યાનમાં લઈને જમીનવિહોણા ખેડૂતો એવા ખેતકામદારોના લઘુતમ વેતન માટેના સર્વગ્રાહી કાનૂનની બંધારણમાં જોગવાઈ કરવાની પંચની ભલામણ હતી. સમગ્ર દેશમાં એકસરખા ધોરણે લઘુતમ વેતનના દરો ઠરાવવા અને વરસમાં અમુક દિવસની ફરજિયાત રોજી આપવા પણ પંચે ભલામણ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65b2928fcbd42.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">‘ઑલ ઇન્ડિયા શિડ્યૂલ કાસ્ટ ફેડરેશન’ દ્વારા ડૉ. આંબેડકરે ઘડેલ અને બંધારણસભાને આપવામાં આવેલ આવેદનપત્ર ‘સ્ટેટ્સ ઍન્ડ માઇનોરિટી’માં જમીન, ઉદ્યોગો અને વીમાના રાષ્ટ્રીયકરણની તથા કૃષિને રાજ્ય ઉદ્યોગ ગણવાની માગણીઓ કરવામાં આવી હતી. બંધારણના ઘડવૈયા આંબેડકરની અનુસૂચિત જાતિઓની સલામતી માટેની એ માગણીઓ બંધારણમાં આમેજ થઈ શકી નહોતી અને આજે પણ તે આંબેડકરના બાકી એજન્ડા તરીકે સૌ સંઘર્ષશીલોને પડકારી રહી છે. બંધારણ સમીક્ષા પંચે જમીન સુધારા કાયદાના કડક અમલ તથા તમામ સરકારી પડતર જમીનો દેશના ભૂમિહીનોને આપવાની અને રાજ્યની વિશેષ સવલતો સાથે ખેતી કરવાની વ્યવસ્થા કરવાની ભલામણ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આઝાદ ભારતની શરમ એવી હાથથી થતી મળ સફાઈની સદંતર નાબૂદીની અને તે કામમાં  જોતરાયેલા સફાઈ કામદારોના પુનર્વસનની જોગવાઈઓ કરવાની પણ પંચની ભલામણ હતી. મહિલા અનામતની સાથે સ્ત્રીઓનાં તમામ ક્ષેત્રોમાં યોગ્ય પ્રતિનિધિત્વ માટેના કાયદાની જરૂરિયાત પણ પંચે ચીંધી હતી. બાળ મજૂરી કે વેઠિયા મજૂરી નાબૂદ કરવા તથા સામાજિક-ધાર્મિક લઘુમતીઓને પર્યાપ્ત રક્ષણ આપવા તથા વિકાસની તકો પૂરી પાડવા પણ પંચે બંધારણીય સોઈનો આગ્રહ સેવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">દિલ્હીના લાલ કિલ્લે ફ્રાન્સના પ્રમુખ મેંક્રોની વિશેષ ઉપસ્થિતિમાં લશ્કરી પરેડ સાથે ભવ્ય રીતે પ્રજાસત્તાક દિન ઉજવાશે તો ખરો પણ એ વાત સગવડપૂર્વક વિસારે પાડી દેવાશે કે આઝાદી આંદોલનના સૌ તારકો- ગાંધી, નહેરુ, સરદાર, સુભાષ, આંબેડકર અને મૌલાના- જનજનના પ્રજાસત્તાક અને પૂર્ણસ્વરાજ માટે મથનારા હતા. સમાજના સૌથી “આઘામાં આઘા અને પાછામાં પાછા” એવા અંતિમજન કે છેવાડાના જન સુધી પ્રજાસત્તાકના પગલાં પડે એવી બંધારણીય જોગવાઈઓ અને તેનો અમલ તે જ સાચું પ્રજાસત્તાક છે, તે વાત ક્યારેય ન ભૂલાય તે જ પ્રજાસત્તાક પર્વની સાચી ઉજવણી ગણાશે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></strong></p>
<p style="text-align: justify;"><em><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"><strong>(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)</strong></span></em></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Constitution-Day-Special:-Know-what-fundamental-rights-the-Constitution-of-India-gives-us" target="_blank" rel="noopener">બંધારણ દિવસ વિશેષઃ જાણો ભારતનું બંધારણ આપણને ક્યા મૂળભૂત અધિકારો આપે છે</a></span><br></strong></span></p>
<div class="post-text">
<div class="post-text">
<div class="post-text">
<div class="post-text">
<p><span><strong><span style="font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></span></p>
</div>
</div>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 26 Jan 2024 09:53:49 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>295</Articleid>
                    <excerpt>75મા પ્રજાસત્તાક દિવસની પ્રભાત ઉગી ચૂકી છે, પણ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઉજવણી નહીં પરંતુ ચિંતા કરવી પડે તેવી સ્થિતિ છે. બંધારણના ઘડવૈયાઓએ એક નાગરિક તરીકે આપણને જે બંધારણીય હકો આપ્યા હતા તેના પર ખૂલ્લેઆમ તરાપ પડી રહી છે. દેશ માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્યસેનાનીઓની કલ્પનાથી વિપરીત ભારત અસ્તિત્વમાં આવ્યું છે ત્યારે વરિષ્ઠ પત્રકાર ચંદુ મહેરિયા અહીં પ્રજાસત્તાકનો સાચો અર્થ સમજાવવા પ્રયત્ન કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_65b29150be21a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_65b291508ffab.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_65b291508ffab.jpg" length="72456" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ફિલ્મ 12th Fail &amp; વાત સંઘર્ષની નહીં બ્રાહ્મણોને મળતા વિશેષાધિકારોની છે</title>
                    <link>https://khabarantar.com/Movie-12th-Fail---Its-not-about-the-struggle-but-the-privileges-that-Brahmins-get</link>
                    <guid>https://khabarantar.com/Movie-12th-Fail---Its-not-about-the-struggle-but-the-privileges-that-Brahmins-get</guid>
                    <description>
                        <![CDATA[ હાલમાં જ રજૂ થયેલી ફિલ્મ 12th Fail એ સારી એવી ચર્ચા જગાવી છે. ફિલ્મમાં મનોજ શર્મા નામના એક બ્રાહ્મણ યુવકની 12 ધોરણમાં ફેઈલ થયા પછી આઈપીએસ બનવા સુધીની સફરને દર્શાવવામાં આવી છે. જો કે, ફિલ્મ અનેક રીતે લોકોને ગેરમાર્ગે દોરે છે. ખાસ કરીને બ્રાહ્મણ હોવાના નાતે મનોજ શર્મા જે વિશેષાધિકાર ભોગવે છે તેને સાઈડલાઈન કરાયો છે. આ સિવાય પણ બીજી અનેક એવી બાબતો છે જે મનોજ શર્મા જેવા યુવાનોને ફક્ત બ્રાહ્મણ હોવાના કારણે સાંપડે છે પણ મહેનત કરવા છતાં દેશનો દલિત, આદિવાસી, ઓબીસી કે લઘુમતી સમાજનો યુવાન તેના વિશે વિચારી પણ શકતો નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">સિનેમા, કલા, પુસ્તકો, ગીતો આ બધાં જ સમાજનું દર્પણ છે. જેની બે બાજુએ અસર થાય છે. આ તમામ સમાજથી પ્રભાવિત છે અને આ તમામ માધ્યમની અસર સમાજ પર પણ પડે છે. જે પૈકી સિનેમાની અસર સૌથી વધારે છે, કારણ કે તેનો દર્શક વર્ગ વધારે છે તેમજ લોકો સિનેમામાં દેખાડવામાં આવેલી વાતને સાચી માની લે છે. ફિલ્મોની ફેશન અને વિચારો પર પણ ઊંડી અસર પડે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 12th Fail પર એક સમાજશાસ્ત્રીય નજર કરીએ. </span></strong></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">પહેલી નજરે આ ફિલ્મ ગરીબીમાંથી બહાર આવીને ઊંચાઈને સ્પર્શતી તેમજ સંઘર્ષ કરીને સફળતા પ્રાપ્ત કરતી વાર્તા લાગે છે. જેમાં એક વિદ્યાર્થી હિન્દી મીડિયમની તમામ અડચણોને પાર કરીને અધિકારી બને છે. આ ઉત્સાહ અને જોશ વધારતી ફિલ્મ છે કે જે આશા જગાવે છે, તેમાં એવું પણ દર્શાવાયું છે કે પ્રેમમાં કેવી રીતે કશું કરી દેખાડવાનું ઝનૂન પેદા થાય છે અને આ ફિલ્મ એવો પણ સંદેશ આપે છે કે હાર નહીં માનું. પણ, આ લેખમાં એવું દેખાડવાનો પ્રયાસ કરીશ કે 12th Fail ફિલ્મના હીરો મનોજ શર્માની આ સફરમાં તેને જન્મોથી મળેલા વિશેષાધિકારો એટલે કે પ્રિવિલેજે કેવી ભૂમિકા ભજવી છે, અને જો તેમને આ વિશેષાધિકારો ના મળ્યા હોત તો તેઓ માટે આ તમામ દરવાજા આટલા સરળતાથી ના ખુલ્યા હોત. મનોજ શર્માના જીવનસંઘર્ષમાં તેમની સાથે એક સપોર્ટ સિસ્ટમ પણ સમાંતરે ચાલી રહી હતી. વિશેષાધિકારો વિના તેમની આ યાત્રા કદાચ આટલી શાનદાર ના રહી હોત. સાથે જ એ કહેવું પણ એટલું જ જરૂરી છે કે દેશના મોટાભાગના લોકો પાસે તે વિશેષાધિકારો નથી, માટે જો કોઈ યુવા એવું વિચારતો હોય કે દિલ્હી આવ્યા પછી બધું આટલી સરળતાથી થઈ જશે તો તેને તેનો ભ્રમ માનવામાં આવશે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65b1477f773e6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હું અહીં વિદ્યાર્થી મનોજ શર્માના કેટલાંક વિશેષાધિકારોનું લિસ્ટ રજૂ કરી રહ્યો છું.</span></strong></span><br><span style="font-size: 14pt;">1. દિલ્હી આવ્યા પહેલા મનોજ શર્મા જ્યારે ચંબલના એક ગામમાં રહેતા હતા ત્યારે તેમનો અને તેમના ભાઈનો સ્થાનિક ધારાસભ્યના લોકો સાથે ઝઘડો થયો હતો. કસ્ટડીમાં લીધા પછી તેઓ બંનેને પોલીસ સાથે વિવાદ થાય છે અને મનોજ ભાગીને રાત્રે ડીએસપીના સરકારી નિવાસસ્થાનના પ્રાંગણમાં પ્રવેશ કરે છે. તે ડીએસપીને પડકારતા સિસ્ટમને અપશબ્દો આપવાનું શરૂ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે ડીએસપી મનોજને લઈને પોલીસ સ્ટેશને પહોંચે છે અને તેઓ બંનેને મુક્ત કરાવે છે. વર્તમાન વ્યવસ્થામાં આ લગભગ અશક્ય વાત છે. હવે એ સમજવાની વાત છે કે મનોજ શર્માના કેસમાં આ કેવી રીતે શક્ય બન્યું અને એ પણ સમજવું પડશે કે શું રાત્રે ડીએસપીના ઘરમાં ઘૂસવાનો આત્મવિશ્વાસ ક્યાંક મનોજ શર્મા જે જ્ઞાતિમાંથી આવે છે તેના કારણે તો નથી ને?</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">2. ઘણાં વિવેચકો આ ફિલ્મને ગરીબોના સંઘર્ષ તરીકે જોઈ રહ્યા છે. પણ, આ ગરીબ પરિવાર બિલકુલ નથી. મનોજના દાદા આર્મીમાં જુનિયર કમિશન્ડ ઓફિસર હતા. દાદીને પેન્શન મળે છે. પિતા સરકારી કર્મચારી હતા જેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને આરોપો સામે હાઈકોર્ટમાં કેસ લડી રહ્યા હતા. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે તેમની પાસે જમીન અને ગાય પણ છે. એટલે કે BPL પરિવારમાંથી અધિકારી બનવાની આ કોઈ ડ્રીમ સ્ટોરી નથી. એકંદરે તે મધ્યમ વર્ગનું કુટુંબ કહી શકાય.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65b1499d934e4.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">3. નવાઈની વાત એ પણ છે કે માત્ર મનોજ જ નહીં, સમગ્ર પરિવારને વિશ્વાસ છે કે મનોજ 12મું પાસ થતાં જ તેને સરકારી નોકરી મળી જશે. આ આત્મવિશ્વાસનું કારણ શું છે તે ખબર નથી. આ 1980-90ની વાત છે અને તે સમયે 12મું પાસ કર્યા પછી નોકરી મેળવવાનો આટલો આત્મવિશ્વાસ હોવો સ્વાભાવિક ન હતો, કારણ કે ત્યાં સુધીમાં નોકરીઓ માટેની મારામારી શરૂ થઈ ગઈ હતી. આ આત્મવિશ્વાસનું કારણ અથવા વિશેષાધિકાર શું હશે તે ફિલ્મ જોઈને જાણી શકાતું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">4. જ્યારે મનોજ ગ્વાલિયરથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા આવે છે અને રસ્તામાં તેના પૈસા અને સામાન ચોરાઈ જાય છે, ત્યારે તે એક હોટલમાં ખાવાનું માગે છે અને તેને ટેબલ ખુરશી પર બેસાડવામાં આવે છે અને તેને મફતમાં ભોજન આપવામાં આવે છે. શું આ તમને સ્વાભાવિક લાગે છે? ત્યાં તે શ્રીમાન પાંડેને મળે છે જેઓ મનોજ શર્માને પોતાના ખર્ચે દિલ્હી લઈ જાય છે. દરેકના જીવનમાં આટલા બધા સુખી સંયોગો નથી હોતા.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">5. ગૌરી ભૈયા મનોજના જીવનમાં ભગવાનની જેમ આવે છે. તે પોતે ઉમેદવાર છે, પરંતુ અન્યોને મફત કોચિંગ આપે છે. તે મનોજને પોતાના શિષ્ય બનાવે છે. બાદમાં, તે મનોજ માટે પોતાનો રૂમ છોડી દે છે અને તેને 24 કલાકનો સહાયક પણ આપે છે. મનોજ શર્માના જીવનમાં આ પણ એક રસપ્રદ સંયોગ બને છે, પરંતુ કેટલા લોકોના જીવનમાં આવા સંયોગો બને છે? અને પછી પણ કેટલા લોકોના જીવનમાં આ સંયોગો સતત બનતા રહે છે? શું આને અમુક પ્રકારના વિશેષાધિકારનું પરિણામ ગણી શકાય? ગૌરી ભૈયાનું પાત્ર માત્ર એ બતાવવા માટે ઊભું કરાયું છે કે મનોજનો સંઘર્ષ કેટલો મહાન છે કારણ કે ગૌરી ભૈયાને છ અને મનોજને ચાર અટેમ્પટ મળવાના છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65b1478002d64.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">6. મનોજ શર્મા અને શ્રદ્ધા જોષીની લવસ્ટોરી મસાલા ફિલ્મો જેવી છે. હિન્દી ફિલ્મોમાં એ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે એક જ જ્ઞાતિના લોકો વચ્ચે પ્રેમ થાય, જેથી લગ્નમાં કોઈ મુશ્કેલી ના આવે. થોડી અનિચ્છા પછી શ્રદ્ધાના પિતા પણ સંમત થાય છે. છેવટે, છોકરો સિવિલ સર્વિસનો ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યો છે અને તે સમુદાયનો પણ છે!</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">7. ગરીબ મનોજ દિલ્હીની એક પ્રખ્યાત કોચિંગ સંસ્થામાં એડમિશન લે છે. આ પણ એક સંયોગ છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">8. જ્યારે મનોજ શર્મા મેઈન્સમાં નિષ્ફળ જાય છે, ત્યારે તે કારકિર્દી માર્ગદર્શન માટે સીધા અગાઉના IAS ટોપર પાસે જાય છે, જે હવે વરિષ્ઠ અધિકારી છે. આટલું જ નહીં, અધિકારી બળજબરીથી ઘૂસી આવેલા એક યુવકને બેસાડી તેની સાથે વાત કરે છે અને મહત્વની બાબતો પણ સમજાવે છે. આપણે સમજી શકીએ છીએ કે કયા વિશેષાધિકારને લીધે આ બન્યું હશે. પરંતુ તેને મનોજ શર્માના સંઘર્ષરૂપે દર્શાવવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">9. મનોજ શર્માનો UPSC ઇન્ટરવ્યૂ ખૂબ જ નાટકીય અને સનસનાટીભર્યો છે. ઇન્ટરવ્યૂ લેનારાઓ તેના જવાબો સાંભળ્યા પછી તેને બહાર કરી દે છે. પછી તેમાંથી એક હસ્તક્ષેપ કરે છે અને મનોજને ફરીથી બોલાવવામાં આવે છે, તેની વાર્તા સાંભળવામાં આવે છે અને તેની પસંદગી કરવામાં આવે છે. આ કાંઈ દરેક લોકો સાથે થતો સંયોગ નથી. જે રીતે UPSC ઈન્ટરવ્યૂમાં વંચિત વર્ગને નંબર આપવાની પેટર્ન છે તે જોતાં મને નથી લાગતું કે SC, ST કે OBC ઉમેદવારો સાથે આવો સંયોગ બની શકે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65b147807ea45.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">10. હિન્દીના ઉમેદવારોને ઘણી વખત અંગ્રેજી માધ્યમના ઉમેદવારો કરતા ઓછા આંકવામાં આવે છે. પણ, અન્ય ભારતીય ભાષાઓના મુકાબલે તેઓને સારું પરિણામ મળે છે. દિલ્હીમાં ઈન્ટરવ્યૂ થતો હોવાથી અથવા સંરચનાત્મક કારણોથી બોર્ડમાં હિન્દી જાણતા લોકો વધારે હોય છે. માટે મનોજ શર્માની વાત સાંભળવામાં આવી. જો તેઓ તમિલ, તેલુગુ, કન્નડ અથવા ઉડિયા બોલ્યા હોત તો તેમની વાત કોણે સાંભળી હોત?</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">વાત જાણે એમ છે કે આ ફિલ્મ 12th Failમાં સંઘર્ષ અને પ્રિવિલેજ એટલે કે મહેનત વિના મળેલા વિશેષાધિકારોની અસરનું મિશ્રણ કરવામાં આવ્યું છે. જેથી એ ખ્યાલ નથી આવતો કે આ સંઘર્ષ છે કે પછી પ્રિવિલેજ એટલે કે વિશેષાધિકાર.</span></p>
<p style="text-align: justify;"><em><span style="font-size: 12pt;"><strong>(<span style="color: rgb(224, 62, 45);">પ્રૉ. દિલીપ મંડલે</span> આ લેખ THE PRINTમાં લખેલો. જેનો ગુજરાતી અનુવાદ <span style="color: rgb(224, 62, 45);">નિલય ભાવસારે</span> કર્યો છે.)</strong></span></em></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="color: rgb(186, 55, 42);">આ પણ વાંચોઃ</span> <span style="color: rgb(19, 58, 229);"><a href="https://khabarantar.com/When-I-was-young,-my-father-took-me-to-see-the-film-Gandhi,-which-I-had-to-sit-down-to-watch-because" target="_blank" rel="noopener" style="color: rgb(19, 58, 229);">નાનો હતો ત્યારે પિતાજી મને ‘ગાંધી’ ફિલ્મ જોવા લઈ ગયા હતા, જે મારે નીચે બેસીને જોવી પડી હતી કેમ કે...</a></span><br></span></strong></p>
<div class="post-text">
<div class="post-text">
<p><strong><span><span style="font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 25 Jan 2024 09:57:31 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 25 Jan 2024 09:58:25 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>293</Articleid>
                    <excerpt>હાલમાં જ રજૂ થયેલી ફિલ્મ 12th Fail એ સારી એવી ચર્ચા જગાવી છે. ફિલ્મમાં મનોજ શર્મા નામના એક બ્રાહ્મણ યુવકની 12 ધોરણમાં ફેઈલ થયા પછી આઈપીએસ બનવા સુધીની સફરને દર્શાવવામાં આવી છે. જો કે, ફિલ્મ અનેક રીતે લોકોને ગેરમાર્ગે દોરે છે. ખાસ કરીને બ્રાહ્મણ હોવાના નાતે મનોજ શર્મા જે વિશેષાધિકાર ભોગવે છે તેને સાઈડલાઈન કરાયો છે. આ સિવાય પણ બીજી અનેક એવી બાબતો છે જે મનોજ શર્મા જેવા યુવાનોને ફક્ત બ્રાહ્મણ હોવાના કારણે સાંપડે છે પણ મહેનત કરવા છતાં દેશનો દલિત, આદિવાસી, ઓબીસી કે લઘુમતી સમાજનો યુવાન તેના વિશે વિચારી પણ શકતો નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_65b1477ee6bb6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_65b1477ea7dec.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_65b1477ea7dec.jpg" length="89492" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>એમણે કહ્યું કે ગામ જમે છે તો તમે પણ ‘કાયમ આવો છો એ રીતે’ જમવા આવજો. હવે કાયમની જેમ એટલે?</title>
                    <link>https://khabarantar.com/He-said-that-if-the-village-eats,-then-you-too-should-come-to-eat-the-way-you-have-always-come.-Now-means-forever</link>
                    <guid>https://khabarantar.com/He-said-that-if-the-village-eats,-then-you-too-should-come-to-eat-the-way-you-have-always-come.-Now-means-forever</guid>
                    <description>
                        <![CDATA[ અયોધ્યામાં રામ મંદિરના કથિત પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમને એક પક્ષના લાભાર્થે રાજકીય ઈવેન્ટમાં પરિવર્તિત કરી દેવાઈ છે ત્યારે અહીં બહુજન યુવાન પ્રદ્યોત પ્રિયદર્શી તેમના ગામ ‘રામપુર’માં ચાલી રહેલા વર્ષો જૂના મુદ્દાને આપણી સમક્ષ લઈ આવ્યા છે. આમ તો ગુજરાત સહિત દેશભરના દલિતો માટે આ જરાય નવી વાત નથી, પરંતુ કથિત રામરાજ્યને લઈને જ્યાં ચોતરફ ધાર્મિક-રાજકીય ઉન્માદ પેદા કરીને અન્યાયની મૂળ વાતને ભૂલાવી દેવા પ્રયત્નો થઈ રહ્યાં છે ત્યારે એ બાબતે સમાજનું ધ્યાન ચોક્કસ દોરવું રહ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પ્રદ્યોત પ્રિયદર્શી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અન્ય ગામોની સાપેક્ષે અમારું ગામ શાંત. જ્ઞાતિઓ વચ્ચે ઝઘડા ને વેરઝેર પણ ઓછાં, અસ્પૃશ્યતાનું પ્રમાણ પણ ઓછું. વરરાજાને ઘોડી પર બેસવા સામે પણ કોઈ વાંધો ન લે ને સૌ કોઈ મૂછો રાખી શકે. જુદી જુદી જ્ઞાતિના લોકોની વ્યક્તિગત મૈત્રીનાં પણ ઘણા દાખલા મળે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ, હું નાનો હતો ત્યારનો જોઉં છું કે અમારા ગામની ગૉમહાયણી(સામૂહિક જમણવાર)માં પહેલાં કથિત સવર્ણો જમી લે પછી રાવળોનો વારો આવે ને પછી અમારો(દલિતોનો). સૌથી છેલ્લા હોવાને કારણે ભોજનનો યોગ્ય સમય તો વીતી જ જાય અને ક્યારેક અમુક વાનગી પતી ગઈ હોય એમ પણ બને. મેં પણ આ પ્રકારે છેલ્લી પંગતમાં ભાગ લીધેલો છે. વર્ષો સુધી આવું ચાલ્યું. પણ હવે અનુસૂચિત જાતિના લોકો આવી અન્યાયી વ્યવસ્થા સ્વીકારવા તૈયાર નથી. છેલ્લા બે-ત્રણ વર્ષથી અમારા ગામના દલિતો ગૉમહાયણીમાં ભાગ લેતા નથી. માંગણી એવી છે કે અમને પણ બધાની જેમ રાખવામાં આવે. મતલબ કે અમારા માટે કોઈ અલગ વ્યવસ્થા ના હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વચ્ચે અમારા ગામના પણ વર્ષોથી શહેરમાં રહેતા એક પટેલ ભાઈએ એમની માતાની જીવતચર્યા કરવાનું ગોઠવ્યું. ગામ જમાડનાર દરેકના મનમાં હોય કે ગામની એક પણ વ્યક્તિ રહી જવી ન જોઈએ. ઘણા વખતથી દલિતો ગૉમહાયણીમાં ભાગ લેતા નથી એની એમને જાણ હતી પણ એમણે એક પ્રયત્ન કરી જોવાનું નક્કી કર્યું અને અમારા વાસમાં આવીને પ્રસ્તાવ મુક્યો કે હું ગામ જમાડું છું, તમે બધા આવશો ને?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ગામ જમાડે એના પહેલાં આખા ગામની બેઠક બોલાવી સૌની આગળ પ્રસ્તાવ મૂકે, ગામ મોટાભાગે સંમતિ દાખવે અને જમણવાર થાય, આ પરંપરા છે. અમારા વાસના લોકોએ તો તરત પોતાની માંગણી આગળ ધરીને કહ્યું કે, સમાનતા હશે તો આવીશું. થોડી ચર્ચાના અંતે પેલા શહેરી ભાઈ તો સંમત થયા પણ તોય એમ કહ્યું કે ગામને પૂછવું પડે. અમારા વાસની મીટિંગ પૂરી થયા પછી ગામના કથિત સવર્ણોની મીટિંગ મળી. પણ એમાં આ મુદ્દે સર્વસંમતિ સધાઈ નહીં. અમુક લોકોએ એમ કહ્યું કે એ લોકો પણ સાથે જમવાના હોય તો અમે નહિ જમીએ. આ સાંભળી યજમાન ફસાયા અને અંતે અમને પડતા મુકાયા. એના પછી પણ ગામ બે-ત્રણ વાર જમ્યું અને અમારામાંના મોટાભાગના લોકો સ્વમાનભેર એનાથી દૂર રહ્યાં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ 22 જાન્યુઆરી 2024(રામ મંદિરના કથિત પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે) એ ફરી ગામ જમવાનું છે ત્યારે આ પ્રસંગે બધાં જમે એવો વિચાર ગામના કથિત સવર્ણોને આવ્યો હશે તેથી તેમાંના કેટલાક અમારા વાસમાં બેઠક કરવા, આમંત્રણ આપવા આવ્યા. હું તો મીટિંગમાં હાજર નહોતો પણ મારા દાદાએ કહ્યું તે પ્રમાણે, પહેલાં રામના અવસર નિમિત્તે પ્રસાદ લેવા આવવાની વાત મુકાઈ પછી ખાસ્સો સમય બંને પક્ષ મૌન રહ્યાં. એટલામાં અમારા વાસનો એક યુવાન બોલ્યો કે “શું રામ ભગવાન અસ્પૃશ્યતા પાળતા હતા?”  આ સવાલ સાંભળતા જ ગામમાંથી આવેલ એક જણ છંછેડાઈ ગયો હોય એમ ઊભો થઈ ગયો ને બીજા બધાં પણ એને અનુસર્યા. એમણે કહ્યું કે ગામ જમે છે તો તમે પણ કાયમ આવો છો એ રીતે જમવા આવજો. હવે કાયમની જેમ એટલે? અમુક વાતો ઈશારામાં કહેવાતી હોય છે. કાયમ તો અસમાન વ્યવહાર કરવામાં આવતો હતો અને એ મુદ્દે તો જવાનું બંધ કરેલ છે. તો હવે? બેઠક શરૂ થતાં જ પૂરી થઈ ગઈ અને પ્રશ્ન ઠેરનો ઠેર રહ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ ગામમાં પાછા ગયા બાદ કદાચ એ લોકોએ પુનર્વિચાર કર્યો હશે એટલે ત્યાંથી વાસમાં ફોન આવ્યો કે હજુ પણ વિચાર કરીને નિર્ણય આપો. બીજા દિવસે વાસમાં ઘણી ચર્ચાઓ થઈ. રાત્રે ફરી વાસના લોકો ભેગા થયા. ગામમાંથી એવો પ્રસ્તાવ આવ્યો હતો કે તમે તમારો નિર્ણય કરી થોડાક પ્રતિનિધિઓ સાથે ગામમાં આવો પછી નિર્ણય કરીએ. મોટાભાગના યુવાનોનો મત એવો હતો કે અસમાનતા હોય તો સ્વમાનના ભોગે જમવા ન જવું જોઈએ. કેટલાક પરંપરાગત માનસ ધરાવતા વડીલો જવાના મતના હતા પણ આટલા પ્રબળ વિરોધમાં ખોંખારીને પોતાનો મત વ્યક્ત કરી શકતા નહોતા. અમુક લોકોએ એવું કહ્યું કે આ તો આખા દેશનો અવસર છે તો આ વખત પૂરતું જવું જોઈએ. ગામલોકો જોડે ઘનિષ્ટ સંબંધ ધરાવતા વ્યક્તિઓએ એમ કહ્યું કે આ રીતે અલગ પડીએ તો પછી ગામમાં રહેવામાં મુશ્કેલી પડે. સામે એવા જવાબ મળ્યા કે હવે ક્યાં પહેલાંની જેમ એમના પર આધારિત છીએ, કોઈ મુશ્કેલી નહિ પડે. અને ખરેખર ખાસ પડે એમ પણ નથી કારણ કે, મોટાભાગના ગ્રામજનોના વ્યક્તિગત રીતે એકબીજા જોડેના સંબંધો સારા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જમણવારમાં ના જવા તરફ વધુ મત હતા. અમારો નિર્ણય લઈને અમને ગામમાં આવવા જણાવાયું હતું પણ કેટલાકે એવો વિચાર કર્યો કે સમાનતાવાળા જમણવારની વાત કરીએ અને ગામ ના પાડી દે તો? વિલે મોઢે પાછા આવવા કોઈ રાજી નહોતું આથી એમ વિચાર કર્યો કે ખરેખર ગામના લોકોની ઈચ્છા હોય કે સૌ જમે તો એમણે જ ફરીથી આમંત્રણ આપવા આવવું જોઈએ. મારા જેવા કેટલાકે કહ્યું કે આમંત્રણ લેવા સામેથી તો ના જ જવાય ને! અને એમાંય આપણી સમાનતાવાળી શરત ના સ્વીકારાય તો ભોંઠા પડવાનું થાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામમાં ફોન કર્યો પણ ગામના પ્રતિનિધિઓ ફરી અમારા વાસમાં આવવા તૈયાર નહોતા, આથી અમારા તરફથી જણાવવામાં આવ્યું કે "અમે જમણવારમાં ભાગ નહિ લઈએ અને ભવિષ્યમાં પણ આમંત્રણ આપવા આવતા નહીં."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામા પક્ષે આ વાત તરત સ્વીકારી લીધી જાણે માત્ર ઔપચારિકતા ખાતર જ આમંત્રણ ના આપ્યું હોય! વાસનો નિર્ણય ગામમાં જણાવી દીધા પછી પણ વાસમાં અંદરોઅંદર ઘણી ચર્ચા થઈ, ભિન્ન મત ધરાવતા લોકો વચ્ચે ઉગ્ર માહોલ પણ બન્યો. પણ હવે નિર્ણય લેવાઈ ગયો હતો. એક જણે એમ કહ્યું કે આપણે ભૂલ કરી રહ્યા છીએ, આપણે આપણો મત ગામમાં જઈને મૂકવાની જરૂર હતી, કદાચ એ લોકો એ તરફનો જ નિર્ણય લઈને બેઠા હોય અને માત્ર આપણા પ્રસ્તાવની રાહ જોતા હોય. પણ જો ખરેખર એવું હોત તો આપણી ના એ લોકો આટલી સહજ રીતે સ્વીકારી લે ખરા? આવું કોઈકે કહ્યું. અને અસ્પૃશ્યતા પાળીને ભૂલ તો સદીઓથી કથિત સવર્ણોએ જ કરી છે એટલે નમીને પણ એમણે એ સુધારવી રહી. કેટલાકે શંકા વ્યક્ત કરી કે જેમને સ્વમાન જેવું કશું નથી એવા અમુક લોકો કાયમની જેમ આ વખતે પણ જશે અને એકના જવાથી આખો વાસ આવ્યો એવું ગણાશે. કોઈકે એમ પણ કહ્યું કે જેને જવું હોય એ જાય. કેટલાકે કહ્યું કે હું તો આટલા વર્ષોથી જતો જ નથી. મારા દાદા સ્વેચ્છાએ છેલ્લા 40-50 વર્ષથી અસમાનતાભરી ગૉમહાયણીમાં નથી જતા અને ઉદાહરણરૂપ બની પોતાનો મત વ્યક્ત કરે છે. વાસમાં દિવસે દિવસે આવા લોકો વધતા ગયા છે. હવે એ જમાનો પણ નથી રહ્યો કે કોઈને લાડુની નવાઈ હોય એટલે માત્ર ભોજનના હેતુથી જનાર તો નહિવત હોવાના.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૂળે દલિતોની વાત એમ છે કે સદીઓથી જે વેઠતા આવ્યા છીએ એ હવે નથી વેઠવું. સહનશક્તિની પણ એક હદ હોય ને! અને અન્યાય તો શું કામ વેઠવો? હા, સુધારો થયો છે-થઈ રહ્યો છે ખરો, પણ એની આટલી બધી ધીમી ગતિ હવે મંજૂર નથી. ચર્ચામાં એક જણે એમ પણ કહ્યું કે શું રામ આ લોકોને એટલું પણ નહીં સમજાવી શકતા હોય કે અસ્પૃશ્યતા પાળવી એ બરાબર નહીં? કોઈકે ‘શબરીવાળો’ પ્રસંગ પણ ટાંક્યો. આટઆટલી ચર્ચામાં શંબુક વધની વાત ક્યાંય ન આવી એ સારું કહેવાય કે ખરાબ એનો નિર્ણય હું નથી કરી શકતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામના રામજી મંદિરમાં 29 વર્ષમાં હું બે-ચાર વાર ગયો હોઈશ અને એ પણ લગ્નમાં વરરાજા પગે લાગવા જાય એમની સાથે. મતલબ કે પ્રવેશબંધી છે એવું નહિ પરંતુ નિઃસંકોચ જવાય એવું પણ નહીં. ક્યારેક કોઈક ઠપકો આપી દેશે એવી બીક રહે. જોકે  મંદિરપ્રવેશ એ મહત્ત્વનો મુદ્દો નથી, મૂળે વાત તો પોતાના જેવા જ માણસના સ્વીકારની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉપરની ચર્ચા થતી હતી ત્યારે મેં નવરાત્રીનો મુદ્દો પણ ઉમેરેલો. છેલ્લે એવી ચર્ચા પણ થઈ કે આ બધું તો છે જ પણ આપણે એકબીજાના દુશ્મન નથી. સામાન્ય દિવસોમાં સૌ સારી રીતે જ બોલાવે-ચલાવે છે. આ પ્રશ્નો ગામે-ગામ છે, અમુક ગામોમાં જ્ઞાતિવાર પાટિયાં મારીને વિભાગો પાડીને પણ જમણવાર થતા હોય છે, એ પણ બરાબર ન કહેવાય. ઘણા સવર્ણો વ્યક્તિગત જીવનમાં અસ્પૃશ્યતા નહિ પાળતા હોય પણ જાહેરમાં ખૂલીને તેનો વિરોધ કરી શકતા નથી. જાહેરમાં અસ્પૃશ્યતાનો વિરોધ કરનારા સવર્ણોની સંખ્યા વધે તો ચિત્ર ઝડપથી બદલાય. સારપવાળા તો ઘણાં હશે પણ આ માટે સાહસ પણ જોઈએ. અને અસ્પૃશ્યતા નિવારણનું કામ કોઈક કથિત સવર્ણ કરે તો કથિત અવર્ણ કરતાં વધુ પરિણામ મળે એ તો છે જ. અમારા ગામને પણ આવા સાહસિક-સુધારાવાદી સવર્ણોની ખપ છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65ad5548703bb.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષણ, નોકરી, ધંધા, રોજગાર, પ્રેમલગ્નો, શહેરીકરણ વગેરે થકી અસ્પૃશ્યતા ઘટી તો છે જ પણ સહજ રોટી-બેટી વ્યવહાર એ સમાનતા માટેની આદર્શ અપેક્ષા ગણાય છે અને સમજુ સવર્ણોના પ્રયાસો વધે તો ત્યાં ઝડપથી પહોંચાય. આંબેડકરે એમની રીતે ખૂબ પ્રયત્નો કર્યા છે ત્યારે સૌએ આ બાબતે વિચારવું રહ્યું. સ્વામી સચ્ચિદાનંદને આ અંગે એક પુસ્તક પણ લખેલું 'આ છેલ્લી ટ્રેઈન છે'  જેને વિસ્તારીને એમણે જે પુસ્તક કર્યું એનું નામ 'અધોગતિનું મૂળ વર્ણવ્યવસ્થા'.</span><br><span style="font-size: 14pt;">આ મુદ્દો કરોડો ભારતીયોને અસર કરે છે ત્યારે આઝાદીના 76 વર્ષ બાદ તો સમાનતા અને બંધુતા આણીએ. નવું જન્મેલ બાળક તો કંઈ આ બધું શીખીને આવતું નથી, મૂળે પોતાનાં સંતાનોને વારસામાં અસ્પૃશ્યતા ન આપીએ તોય અમુક વર્ષોમાં એ નાબૂદ થઈ જાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સદનસીબે મને અસ્પૃશ્યતાના બહુ જ ઓછા અનુભવો થયા છે ને મિત્રો, સાથીઓ પણ બહુ મજાના મળ્યા છે, ધીમે ધીમે સુધારો આવી તો રહ્યો જ છે પણ Accelerator આપવાની જરૂર છે. રામના નામે ભારતમાં 3000 થી વધુ ગામો છે. એમાંનું એક ગામ એટલે અમારું રામપુરા. અયોધ્યા-રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ-ચૂંટણીલક્ષી/વ્યક્તિકેન્દ્રી પ્રાણપ્રતિષ્ઠા-ધાર્મિક ઉન્માદના પ્રશ્નો તો છે જ, પણ હાલ તો ઉપરનો પ્રશ્ન અમારે ત્યાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ત્યારે વાલ્મિકીના રામ, મીરાના રામ, કબીરના રામ, તુલસીના રામ આપણને બીજા માણસ સાથે કેમ વર્તવું એ શીખવે એ આશા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો :</span></strong><span style="font-size: 14pt;"> </span></span><a href="https://khabarantar.com/Why-does-the-dog-of-Dhedh-spoil-the-fathers-dog-So-it-exploded"><strong><span style="font-size: 14pt;">ઢેઢનું કૂતરું બાપુના કૂતરાને રંજાડી જાય ઈ કેમ પાલવે? એટલે ભડાકે દીધું</span></strong></a></p>
<p><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"><strong>Khabarantar.com </strong></span><strong><span lang="GU"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો</span>.</span> </strong><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a><o:p></o:p></p>
<p class="MsoNormal"><span lang="EN-US"><o:p> </o:p></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 22 Jan 2024 10:12:21 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 01 Nov 2024 21:10:11 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>285</Articleid>
                    <excerpt>અયોધ્યામાં રામ મંદિરના કથિત પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમને એક પક્ષના લાભાર્થે રાજકીય ઈવેન્ટમાં પરિવર્તિત કરી દેવાઈ છે ત્યારે અહીં બહુજન યુવાન પ્રદ્યોત પ્રિયદર્શી તેમના ગામ ‘રામપુર’માં ચાલી રહેલા વર્ષો જૂના મુદ્દાને આપણી સમક્ષ લઈ આવ્યા છે. આમ તો ગુજરાત સહિત દેશભરના દલિતો માટે આ જરાય નવી વાત નથી, પરંતુ કથિત રામરાજ્યને લઈને જ્યાં ચોતરફ ધાર્મિક-રાજકીય ઉન્માદ પેદા કરીને અન્યાયની મૂળ વાતને ભૂલાવી દેવા પ્રયત્નો થઈ રહ્યાં છે ત્યારે એ બાબતે સમાજનું ધ્યાન ચોક્કસ દોરવું રહ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6724f64f18b39.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6724f64edbbad.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6724f64edbbad.jpg" length="67981" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>બહુજન સાહિત્યમાં ભવો&amp;ભવ, આવતા ભવ, ગયા ભવ જેવી વાતો કેમ સ્વીકાર્ય નથી?</title>
                    <link>https://khabarantar.com/Why-are-things-like-bhava-bhava,-vanda-bhava,-gaya-bhava-not-acceptable-in-Bahujan-literature</link>
                    <guid>https://khabarantar.com/Why-are-things-like-bhava-bhava,-vanda-bhava,-gaya-bhava-not-acceptable-in-Bahujan-literature</guid>
                    <description>
                        <![CDATA[ આજથી વિખ્યાત બહુજન સાહિત્યકાર, સંશોધક, લેખક, કવિ એવા મોહિન્દ મૌર્ય બહુજન સમાજની અજાણી વાતો લઈને આપણી સમક્ષ આવી રહ્યાં છે. ‘બહુજન સાહિત્યકાર’ શબ્દ જેમણે આપણને આપ્યો છે તેવા મોહિન્દરભાઈના મનમાં બહુજન સમાજનો અજાણ્યો ઈતિહાસ, તેની વાતો, કથાઓને વિશાળ બહુજન સમાજ સુધી પહોંચાડાવાનો વિચાર લાંબા સમયથી મનમાં રમતો હતો. જે અંતે તેના મુકામ સુધી પહોંચવા જઈ રહ્યો છે ત્યારે આશા રાખીએ કે khabarantar.comના માધ્યમથી તેઓ સમાજને જે આપવા ઈચ્છે છે તેમાં સફળ થાય. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Khabarantar.com પર આજથી જ્યારે હું નિયમિત રીતે બહુજન સાહિત્યની વાતો લખવા જઈ રહ્યો છું ત્યારે હૃદયમાં કંઈક જુદા જ પ્રકારની લાગણી અનુભવાઈ રહી છે. અનેક વિચારો મનમાં વમળાઈ રહ્યાં છે. શરૂઆત ક્યાંથી કરવી એ વિચાર લાંબા સમય સુધી ચાલ્યો. પછી વિચાર્યું કે, પહેલા બહુજન સાહિત્ય એટલે શું, તેની વ્યાખ્યા કે વિભાવના કેવી છે તે સમજાવવું જોઈએ. એટલે પહેલા તો બહુજન સાહિત્ય એટલે શું તે સમજીએ, પછી આગળ વધીએ.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">બહુજન સાહિત્યની વ્યાખ્યા કે વિભાવના કરવી સાવ સરળ છે. એમાં કોઈ ભારેભરખમ શબ્દોની રમત કરવાની જરૂર નથી. થોડું લાંબુ લાગશે પણ, એકલ દોકલ વ્યક્તિ કે સમાજ જે વગદાર, પૈસાદાર, મોભાદાર હોય, એમના જીવનની વાતો કહેવાને બદલે ઘણાં બધાં લોકો અને માનવ સમુદાયની વેદના, સંવેદના, તકોથી વંચિત રહી ગયેલા, જિંદગી આખી જીવવા માટે મથામણ કરતા, તકોનું સર્જન થાય એના માટે પેઢી દર પેઢી પ્રયત્ન કરનારા, ગરીબીમાં પણ દાતારી કરી જાણનારા, મજૂરી કરતા હોય તો પણ મોહબ્બત નિભાવી જાણનારા, ઘરે હાંડલા કુશ્તી કરતા હોય તો પણ ખાનદાની નિભાવી જાણનારા, મર્યાદામાં રહીને જીવન જીવનારા, આવા માનવ સમુદાયની વાતો, ઉત્સવો, ગીતો, એમના મહામાનવોના ચારિત્ર્યના પ્રસંગો વગેરે બાબતોને જનસામાન્ય વચ્ચે લઈ આવવા માટે સર્જવામાં આવતું સાહિત્ય એટલે બહુજન સાહિત્ય.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">બહુ એટલે ઘણાં, ઝાઝા અને જન એટલે લોકો. ઝાઝા માણસોની વાત, જે દબાવી રાખવામાં આવી હોય, સમયની થપાટમાં ક્યાંક ભંડારી દેવામાં આવી હોય, આવી વાતોને બહાર લાવીને જન જન સુધી પહોંચાડવાનું કામ બહુજન સહિત્યનું છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">બહુજન સમાજ ગુજરાત, ભારતથી લઈને દુનિયાના ખૂણેખૂણે વસવાટ કરે છે. ગુજરાતમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, અન્ય પછાત વર્ગો, ધાર્મિક લઘુમતીઓ જેવી કે મુસ્લિમ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી, શીખ અને અન્ય નાનામોટાં સંપ્રદાયો કે પંથ જેવા કે લિંગાયત, નાથ, નિજારી વગેરેમાં જીવન જીવતા લોકો અને તેમની વાતોને સાહિત્યમાં વણવામાં આવે એટલે બહુજન સાહિત્ય રચાય.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">બહુજન સાહિત્ય શરૂઆતથી જ પાખંડવાદ અને અંશ્રધ્ધાની વિરુદ્ધમાં રહ્યું છે. પણ તેનો મુખ્ય આધાર ફક્ત પાખંડવાદ જ નથી, પ્રેમ અને કરૂણા પણ છે. જો કે બહુજન સમાજ આજે પણ ઘણાં બધાં પાખંડ અને અંધશ્રદ્ધામાં જીવે છે. એવામાં બહુજન સાહિત્યના સંશોધકે બહુજન સમાજ પાખંડવાદમાં જીવે છે એમ કહીને એમની વાતોને મુખ્ય ધારામાં લાવવાથી દૂર થઈ જવાનું નથી, પરંતુ સમાજ પાખંડવાદમાંથી મુક્ત થઈ જાય ત્યાં સુધી પ્રયત્નો કરતા રહેવાના છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">બહજુન સાહિત્ય એ પ્રયત્નોનું સાહિત્ય છે. તેના સંશોધકે, બહુજન સાહિત્યકારે, બહુજન ગીતકારે કે બહુજન કલાકારે બહુજન સમાજની તમામ જાતિઓ, જ્ઞાતિઓ અને ધર્મ કે પંથ સાથે જોડાયેલ તમામ લોકો વચ્ચે જવું પડશે. ફક્ત અનુસૂચિત જાતિમાં જ જવાથી પરિવર્તન નહિ આવે. ફક્ત બૌદ્ધ ધર્મ પુરતું સીમિત નથી રહેવાનું, અન્ય જાતિઓ અને લઘુમતીઓ વચ્ચે પણ જવું પડશે. બુદ્ધની તમામ ક્રાંતિઓ અન્ય ધાર્મિક લઘુમતી સમાજ વચ્ચે મૂકવાની છે અને એમની વાતોને પણ સ્વીકારવાની છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65aab4d3112e9.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">બધાં દલિતો આંબેડકરવાદી ના હોય, બધાં આંબેડકરવાદી બૌદ્ધિસ્ટ ના હોય, બધાં બૌદ્ધિસ્ટ દલિતો ના હોય, એમ બધાં બધું ના હોય. વિશ્વ આખામાં બૌદ્ધ ધર્મ ફૂલ્યો ફાલ્યો છે તો એ બધાં બૌદ્ધધર્મી કંઈ દલિત સમાજના જ ના હોય ને? અલગ અલગ જાતિ સમુદાયમાંથી આવ્યા હોય અને બુદ્ધ બન્યા હોય. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને મૈત્રી અને કરુણાની આધારશીલા પર બહુજન સાહિત્ય રચવું જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">બહુજન સહિત્યનું કેન્દ્ર બિંદુ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું જીવન અને કવન છે. માટે તેમના લખાયેલા, બોલાયેલા એક એક શબ્દો બહુજન સાહિત્યમાં પથ્થરની લકીર સમાન છે. દા.ત. ડૉ. આંબેડકર તથાગત ગૌતમ બુદ્ધને પોતાના માર્ગદર્શક તરીકે માનતા હતા, તથાગત ગૌતમ બુદ્ધ અનિત્ય વાદ અને અજન્મ વાદને માનતા હતા. એટલે કે કશું કાયમી નથી, બધું જ પરિવર્તનશીલ છે અને પુનઃજન્મ જેવું પણ કશું જ નથી, આ જન્મ મળ્યો એ જ સાચો. આથી બહુજન સાહિત્યમાં ભવો-ભવ, આવતા ભવ, ગયા ભવ જેવી વાતોને સ્વીકારવામાં આવતી નથી.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">કોઈ ગીત ગાય કે, “આ ભવે મલ્યા બાબા ભવો ભવ મળજો..” તો આવું ગીત ગાનાર આપણા કલાકારને આપણે આ કાનમાં કહેવું, ખાનગીમાં સમજાવવું પણ બધાં વચ્ચે એ અપમાનિત થાય તેમ ના કહેવું. કેમ કે આપણી લડાઈ સ્વમાન અને સન્માનની છે, માટે આપણે કોઈનું પણ અપમાન થાય એવું ના કરવું જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">બહુજન સમાજ વિશાળ છે. એમના ઉત્સવો, આરાધક મહામાનવો, પહેરવેશ, બોલી ભાષા બધું જ વિવિધતાઓથી ભરેલું છે. માટે બહુજન સાહિત્યના સંશોધકે, બહુજન સાહિત્યકારે, બહુજન ગીતકારે અને બહુજન કલાકારે આ વિવિધતામાં એકતા લાવવા સતત પ્રત્યન કરવો પડશે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">બહુજન સમાજના મોટાભાગના મહામનવોને મનુવાદની ફોટો ફ્રેમમાં મઢી દેવામાં આવેલા છે. બહુજન સાહિત્ય દ્વારા આ મનુવાદની ફોટો ફ્રેમને દૂર કરીને આપણા મહામાનવોના સાચા માનવતાવાદી ચારિત્ર્યને જન જન સુધી પહોંચાડવાનું છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ઉદાહરણ તરીકે, રાજસ્થાનમાં થઈ ગયેલા બાબા રામદેવપીર. તેમના દ્વારા ઘણાં માનવતાવાદી કામો થયા હતા, પણ આજે રામદેવપીરની સાથે ઘણી બધી દંતકથાઓ જોડી દેવામાં આવી છે. બહુજન સાહિત્ય દ્વારા આવા આવરણો દૂર કરીને ખરું સાહિત્ય બહાર લાવવા પ્રયત્ન કરવો પડશે. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">બહુજન સાહિત્યની આવી જ ધરાતળની વાતો, અંતરિયાળ ગામડાઓમાં પડેલી કથાઓને આ કૉલમ થકી આપની વચ્ચે મૂકવાની છે. ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધાર લખી, જોગાનુજોગે હાલ તેનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે ત્યારે અહીં બહુજન સાહિત્યની એવી જ કંઈક વણખેડાયેલી, અજાણી કથાઓને આપની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યો છું. ગામોગામ ફરીને, ભીમ ડાયરાઓમાં, બહુજન સાહિત્યના મેળાવડાઓમાં, બેઠકોમાં સ્થાનિક બહુજન સમાજની જે વાતો મારા સુધી પહોંચી છે, તેને અહીં આપની સમક્ષ મૂકવા પ્રયત્ન કરીશ. આ કામ કપરું છે, પણ khabarantar.com જેવા બહુજન સમાજને સમર્પિત સશક્ત માધ્યમ થકી આપ સૌ સુધી એ નિયમિત રીતે પહોંચતું રહે તે માટે કમર કસી લીધી છે. એમાં ક્યાંક જો મારાથી કોઈ નાનીઅમથી ચૂંક થઈ જાય, ભૂલ થઈ જાય તો મોટું મન રાખીને માફ કરશો.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આપ સૌનો સાથી,</span></strong></span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મોહિન્દર મૌર્ય</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">(લેખક વિખ્યાત બહુજન સાહિત્યકાર, લેખક, કવિ અને બહુજન સાહિત્યના સંશોધક છે)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/The-law-of-Manusmriti,-which-sowed-the-seeds-of-inequality-in-Indian-society"><span style="color: rgb(9, 15, 244);">મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં </span></a><br></span></strong></span></p>
<p><span style="font-size: 12pt;"><strong>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</strong></span><strong> <span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W" style="color: rgb(224, 62, 45);">અહીં ક્લિક કરો.</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 20 Jan 2024 10:02:12 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 19 Jan 2024 23:22:26 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>281</Articleid>
                    <excerpt>આજથી વિખ્યાત બહુજન સાહિત્યકાર, સંશોધક, લેખક, કવિ એવા મોહિન્દ મૌર્ય બહુજન સમાજની અજાણી વાતો લઈને આપણી સમક્ષ આવી રહ્યાં છે. ‘બહુજન સાહિત્યકાર’ શબ્દ જેમણે આપણને આપ્યો છે તેવા મોહિન્દરભાઈના મનમાં બહુજન સમાજનો અજાણ્યો ઈતિહાસ, તેની વાતો, કથાઓને વિશાળ બહુજન સમાજ સુધી પહોંચાડાવાનો વિચાર લાંબા સમયથી મનમાં રમતો હતો. જે અંતે તેના મુકામ સુધી પહોંચવા જઈ રહ્યો છે ત્યારે આશા રાખીએ કે khabarantar.comના માધ્યમથી તેઓ સમાજને જે આપવા ઈચ્છે છે તેમાં સફળ થાય.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_65aab4d2a519e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_65aab4d26c03c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_65aab4d26c03c.jpg" length="60557" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>મારી&amp;તમારી અસહમતી હોય તો પણ બહુજન રાજનીતિની માવજત કરીને જ તેને દૂર કરી શકાશે, છેદ ઉડાડીને નહીં</title>
                    <link>https://khabarantar.com/Even-if-there-is-a-difference-between-you-and-me,-it-can-be-overcome-only-by-grooming-the-Bahujan-politics,-not-by-blowing-up-the-divide</link>
                    <guid>https://khabarantar.com/Even-if-there-is-a-difference-between-you-and-me,-it-can-be-overcome-only-by-grooming-the-Bahujan-politics,-not-by-blowing-up-the-divide</guid>
                    <description>
                        <![CDATA[ ગઈકાલે બહેન કુમારી માયાવતીજીનો જન્મદિવસ ગયો. બસપાની રાજનીતિને લઈને હાલ અનેક સવાલો બહુજનોના મનમાં પણ ઉઠી રહ્યાં છે ત્યારે લેખક મયૂર વાઢેર બહુજન રાજનીતિના પ્રરિપ્રેક્ષ્યમાં બસપા અને તેની રણનીતિને લઈને ખૂબ જ મહત્વના મુદ્દે અહીં વાત કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">- મયૂર વાઢેર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સમાજ પાર્ટી એક વ્યાપક રાજકીય પ્લેટફોર્મના રૂપમાં ચુંટણીના માધ્યમથી થતી સ્પર્ધામાં ટકી રહેવા માટે અન્ય પક્ષોની મત અંકે કરવાની રણનીતિ સામે સતત હરીફાઈમા રહી છે. તેણે અન્ય પક્ષો દ્વારા મતદારોનું ધ્રુવીકરણ કરવાની રણનીતિને મ્હાત આપવા માટે રાજકીય પ્રયોગો કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે “તિલક, તરાજૂ ઔર તલવાર..”ના સૂત્રને બદલવા માટે બસપાની ટીકા થઈ રહી છે. માયવતીએ બ્રાહ્મણોને બહુજન સમાજ પાર્ટીમા પ્રવેશ આપ્યો તેનાથી નારાજ અંતિમવાદીઓ એ વાતથી તદ્દન અજાણ છે કે સ્વયં માન્યવર કાશીરામ સાહેબે 2001માં સૌપ્રથમ વાર 92 બ્રાહ્ણણ-ઠાકુરોને બસપાની ટીકીટ આપી હતી. તેમાથી 43 ઉમેદવારો જીત્યાં હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોઈ ચોક્કસ જાતિને તેના જન્મના આધારે રાજકીય સંસ્થાઓમાં નિષેધ ભારતની બંધારણીય ભાવનાના ચોકઠામાં પણ બેસતી નથી. તો તેની સમાંતરે બાબાસાહેબે બ્રાહ્મણ અને બ્રાહ્મણવાદ અંગે કરેલી સ્પષ્ટતાના ચોકઠામાં પણ બેસતી નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાડ ચવદાર તળાવ સત્યાગ્રહ વખતે જેધે અને જવળેકરે બાબાસાહેબ સમક્ષ બ્રાહ્મણોને સત્યાગ્રહમાં સામેલ ન કરવાનો  પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે બાબાસાહેબે તેમના પ્રસ્તાવનો ઈનકાર કરતાં કહ્યું હતું કે, “આપણી લડાઈ બ્રાહ્ણણ કે કોઈ ચોક્કસ જાતિ સામે નહિ પણ બ્રાહ્મણવાદ સામે છે. આપણો સંઘર્ષ અસ્પૃશ્યતામાં માનતા અને ન માનતા વચ્ચેનો છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકીય પક્ષોના સૂત્રો પણ રાજકીય પ્રયોગોનો જ મહત્વનો ભાગ છે. દરેક પક્ષો આ પ્રકારના રાજકીય પ્રયોગો દ્વારા મતો અંકે કરવાનો આશય પાર પાડતા હોય છે. ‘કસમ રામ કી ખાતે હૈ, મંદીર વહી બનાયેંગે’ જેવા નારા પોકારતું ભાજપ આજે ‘સબકા સાથ સબકા વિકાસ’ જેવા સૂત્રો પોકારે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંસદમા હિન્દુ કોડ બિલ રજૂ થયુ તે સમયે આંબેડકર વિરોધી નારાઓથી દિલ્હીની ગલીઓ ગુંજાવતી સનાતની સંસ્થાઓ આજે બાબાસાહેબની જન્મજયંતિ વાજતે-ગાજતે ઉજવી રહી છે. તો એનો અર્થ એ નથી કે તેનું વિચારધારાત્મક ચરિત્ર આજે આંબેડકરવાદી થઈ ગયું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકતંત્રમા લોકોની વચ્ચે સતત જમીની સ્તર પર રહીને મત અંકે કરવાની રણનીતિના આટાપાટા રાજકારણનું મેદાન બનતું હોય છે. રાજકીય પક્ષ હોવાના નાતે બસપા પણ આ બાબતથી સતત સજાગ રહે છે. પોતાની પાર્ટીને લોકો સુધી લઈ જવા માટે સૂત્રો બદલવાની રણનીતિથી પક્ષની વિચારધારા બદલાતી નથી તે પણ એક નરી હકીકત છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નરેન્દ્ર મોદીએ 2012માં સદભાવના ઉપવાસ કરીને તેમના હિન્દુવાદી ચહેરાની છાપ ભૂંસવાનો પ્રયાસ કર્યો હતો. સંઘમાં પણ મુસલમાનોને પ્રવેશ આપ્યો છે. તેનો અર્થ એ નથી કે મોદી કે સંઘએ હવે તેની મૂળ વિચારધારા ભૂલી ગયા છે. સંઘ અને ભાજપના સમર્થકો એ વાત સારી રીતે જાણે છે કે બાબાસાહેબની જન્મજયંતિ ઉજવવાથી કે મુસલમાનોને સંઘમા પ્રવેશ આપવાથી સંઘ કે ભાજપની વિચારધારા બદલાઈ જતી નથી. તેથી તેના સમર્થકો તેનો દુષ્પ્રચાર કરતા નથી પણ તેની આ રણનીતિનો ખૂબ ફેલાવો કરે છે. કારણ કે તેઓ જાણે છે કે મતના રાજકારણમાં ટકી રહેવા માટે જુદા- જુદા જનસમૂહોને આકર્ષવા માટે રાજકીય પ્રયોગો કરવા પડે છે. તેથી જ વર્ષો પહેલાના સૂત્રોને સમયને અનુકૂળ બનાવી ચૂંટણીના રાજકારણમાં પોતાનું અસ્તિત્વ ઉભું રાખવુ પડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતના બંધારણમાં દેશની બહુમત સામાજિક-પછાત પ્રજાનાં હકોનો મેગ્નાકાર્ટા હોવાને લીધે સવર્ણમતોને ગલગલિયાં કરાવવા માટે ભાજપે અને તેની જનની સંઘે અનામત અને બંધારણ પ્રત્યે દ્વેષ જન્મે તેવા નિવેદનો આપ્યાં છે. અર્થાંત નખશીષ બંધારણ વિરોધી-નખશીષ અનામત વિરોધી પક્ષે અનામતને જાહેર ટેકો આપીને ભરપૂર રાજનીતિક રણનીતિ અખત્યાર કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહેન માયાવતીના શાસનમાં ઉત્તરપ્રદેશમાં 2007-08માં પ્રમોશનમાં અનામત આપી, તેને અલ્હાબાદ હાઈકોર્ટે નિરસ્ત કર્યો હતો. એટલે  બહુજન સમાજ પાર્ટીના પ્રયત્નોને લીધે 2012માં SC-ST માટે પ્રમોશનમાં અનામત અપાવવા માટે લોકસભામાં 117મું સંવિધાન સંશોધન રજૂ થયું ત્યારે અનિચ્છાએ ભાજપે પણ તેને ખુલ્લો સપોર્ટ આપવો પડ્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેને પ્રમોશનમાં અનામત તો શું એન્ટ્રી અનામત પણ મંજૂર નથી તો’ય તેણે છડે ચોક પ્રમોશનમાં અનામતના બિલને સમર્થન આપ્યું હતું. કેમકે ત્યારે ભાજપે વિરોધ કર્યો હતો તો પણ એ બિલ પાસ થવાનું હતું અને ન થાય તો સુપ્રિમ કોર્ટમાં પ્રમોશનમાં અનામત આપવાની જ હતી. એટલે તેણે તેનો ખુલ્લો વિરોધ કરવાને બદલે ખુલ્લું સમર્થન આપ્યું. આ તેની રાજકીય રણનીતિ હતી. બસપાના 10 ટકા કથિત આર્થિક અનામતના સમર્થનને રાજકીય રણનીતિના પરિપ્રેક્ષ્યમાં જોવી જોઈએ. છતા કોઈ બિંદુએ મારી-તમારી અસહમતી હોય તો પણ બહુજન રાજનીતિની માવજત કરીને, તેને  પોષીને અને વિકસિત કરીને જ એ અસહમતિ દૂર કરી શકાશે, બહુજન રાજનીતિનો છેદ ઉડાડીને નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">(લેખક વ્યવસાયે શિક્ષક અને બહુજન સમાજના પ્રશ્નો મુદ્દે પોતાનો મત નિર્ભીક રીતે વ્યક્ત કરવા માટે જાણીતા છે)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો :</span></strong><span style="font-size: 14pt;"> </span></span><a href="https://khabarantar.com/BSP-gets-young-leadership,-Mayawati-names-nephew-Akash-Anand-as-partys-national-president"><strong><span style="font-size: 14pt;">BSPને મળ્યું યુવા નેતૃત્વ, માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જાહેર કર્યા</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 16 Jan 2024 14:03:39 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 16 Jan 2024 14:08:36 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>275</Articleid>
                    <excerpt>ગઈકાલે બહેન કુમારી માયાવતીજીનો જન્મદિવસ ગયો. બસપાની રાજનીતિને લઈને હાલ અનેક સવાલો બહુજનોના મનમાં પણ ઉઠી રહ્યાં છે ત્યારે લેખક મયૂર વાઢેર બહુજન રાજનીતિના પ્રરિપ્રેક્ષ્યમાં બસપા અને તેની રણનીતિને લઈને ખૂબ જ મહત્વના મુદ્દે અહીં વાત કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_65a63e4b9ca14.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_65a63e4b67714.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_65a63e4b67714.jpg" length="65218" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>સ્વામી રામભદ્રાચાર્ય ‘રામને નહીં ભજનારને ચમાર’ કેમ કહે છે?</title>
                    <link>https://khabarantar.com/Why-does-Swami-Ramabhadracharya-say-Chamar,-not-Rama</link>
                    <guid>https://khabarantar.com/Why-does-Swami-Ramabhadracharya-say-Chamar,-not-Rama</guid>
                    <description>
                        <![CDATA[ કથિત જગદગુરુ રામભદ્રાચાર્યનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેમાં તેઓ કહે છે કે, જો રામ કો નહીં ભજતા વો ચમાર હૈ. આ મામલે તેમની ધરપકડ સુધીની વાતો ચાલી રહી છે ત્યારે સિનિયર પત્રકાર-લેખક-કવિ મેહુલ મંગુબહેન અહીં આ કથિત જગદગુરૂએ આવું શું કામ કહ્યું તેના પાયામાં રહેલા મુદ્દાની વાત કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મેહુલ મંગુબહેન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં કથિત જગદગુરૂ સ્વામી રામભદ્રાચાર્યનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એ વીડિયોની ખરાઈ આ લખનારે કરી નથી પણ એ વીડિયોમાં તેઓ કહે છે કે ‘જો રામ કો નહીં ભજતા વો ચમાર હૈં’. બેશક આ વાત વાહિયાત છે જ અને અમુક લોકો એમની ધરપકડની માગણી કરે છે તે પણ યોગ્ય જ છે, પણ મૂળ સવાલ એ પણ છે કે એમણે આવું શું કામ કહ્યું હશે? ધારો કે ભૂલથી કહેવાઈ ગયું હોય તો પણ આવું કેમ કહેવાઈ ગયું?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કથિત જગદગુરૂ સ્વામી રામભદ્રાચાર્ય બેશક હોંશિયાર માણસ છે અને તેઓ રામને નહીં ભજનાર નાલાયક છે, મૂરખા છે, અબુધ છે એમ પણ કહી શક્યા હોત, પણ ‘જો રામ કો નહીં ભજતા વો ચમાર હૈં’ એ તેમના મુખે કેમ આવ્યું એ જાણવું અને સમજવું વધારે જરૂરી છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65a56878149c6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હકીકત તો એ છે 1358 થી 1518 દરમિયાન વારાણસી યાને કાશીમાં જન્મેલા રૈદાસ ચમારે યાને રવિદાસ યાને સંત રવિદાસે હિંદુ ધર્મના પાખંડીઓની જે પોલ ખોલી નાખી હતી અને અમર શબ્દોથી જે ધોકા ફટકાર્યા હતા તે આ કહેવાતા જગદગુરૂ સ્વામી રામભદ્રાચાર્ય અને તેમના જેવા અનેક પાખંડીઓને હજીયે ચચરે છે અને એટલે જ એમના મહાધૂર્ત મુખે આવા શબ્દો નીકળે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રૈદાસને ભારતીય પરંપરા ભારતીય પરંપરામાં ભક્તિના જ્ઞાનમાર્ગ અને પ્રેમમાર્ગને જોડતી કડી કહેવાય છે. તેઓ સમાજ સામે બાથ ભીડનાર મીરાંબાઈના ગુરૂ પણ ગણાય છે. જોકે, મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે વારાણસીના વણકર કબીરની જેમ રૈદાસ ચમાર પણ એક વિદ્રોહી સંતકવિ હતા અને આ કવિએ કરેલો વિદ્રોહ હજી પણ બરકરાર છે અને કહેવાતા જગદગુરૂઓને તે કનડે છે. ઝઘડો ધનુષધારી દશરથપુત્ર સગુણ રામ અને કબીર-રૈદાસના નિરગુણ રામનો છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કબીરની જેમ જ રૈદાસ સીધી ને સટ વાત કરી છે જેને હજીયે પાંખડીઓ મિટાવી શક્યા નથી તેથી તે તેમને કઠે છે. કબીરની વાત ફરી ક્યારેક કરીશું પણ આજે રૈદાસની વાત કરીએ. રૈદાસ ચમાર કેમ કથિત પાંખડીઓને કઠે છે એ સમજીએ એમની વિદ્રોહી કવિતાથી.</span><br><span style="font-size: 14pt;">રૈદાસ કહે છે:</span><br><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">मस्जिद सों कुछ घिन नहीं, मंदिर सों नहीं पिआर। </span><br><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">दोए मंह अल्लाह राम नहीं, कहै रैदास चमार॥ </span><br><span style="font-size: 14pt;">મતલબ, ન તો મને મસ્જિદથી નફરત છે ન તો મંદિરથી પ્રેમ છે. રૈદાસ ચમાર કહે છે વાસ્તવિકતા તો એ છે કે ન તો અલ્લાહ મસ્જિદમાં વસે છે ન તો રામ મંદિરમાં. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65a56877861ec.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રૈદાસ સેક્યુલર શબ્દની પણ ભારતને જાણ ન હતી એ વખતે સેક્યુલર યાને કે બિનસાંપ્રદાયિક છે. કથિત જગદગુરૂ સ્વામી રામભદ્રાચાર્યને રૈદાસ હજી પણ કઠે છે, કનડે છે તેનું એક કારણ એ પણ છે કે રામભદ્રાચાર્ય સાંપ્રદાયિક છે. એક તરફ ભવ્ય રામમંદિરની વાત થઈ રહી હોય અને તેની આસપાસ ખૂબ મોટું ઇવેન્ટ મેનેજમેન્ટ ચાલી રહ્યું હોય ત્યારે ‘મંદિરમાં રામ નથી’ એમ કહેનાર રૈદાસ ચમાર સ્વામી રામભદ્રાચાર્યને ન કઠે તો શું કઠે? </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રૈદાસે જન્મગત મહાનતાનો ઇનકાર કર્યો. વાંચો. </span><br><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ऊँचे कुल के कारणै, ब्राह्मन कोय न होय। </span><br><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);">जउ जानहि ब्रह्म आत्मा, रैदास कहि ब्राह्मन सोय॥</span> </span><br><span style="font-size: 14pt;">મતલબ, ફક્ત ઊંચા કુળમાં જન્મ લેવાને કારણે જ કોઈને બ્રાહ્મણ ન કહી શકાય. જે બ્રહાત્માને જાણે છે તેને જ ફક્ત બ્રાહ્મણ કહેવડાવવાનો અધિકાર છે. </span><br><span style="font-size: 14pt;">રૈદાસ ફક્ત કોને બ્રાહ્મણ કહેવો એની જ વાત નથી કરતા. એ અયોગ્ય વ્યક્તિપૂજાથી પણ ચેતવે છે. </span><br><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">रैदास ब्राह्मण मति पूजिए, जए होवै गुन हीन। </span><br><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">पूजिहिं चरन चंडाल के, जउ होवै गुन प्रवीन॥ </span><br><span style="font-size: 14pt;">મતલબ, જેનામાં હિન ગુણો છે એવા બ્રાહ્મણને ન પૂજો. એવા બ્રાહ્મણને પૂજવા કરતાં ગુણોમાં પ્રવીણ ચાંડાલને પૂજવો વધારે યોગ્ય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2024માં પણ અમુકની સાચી વાત કહેતા ફાટે છે ત્યારે આ રૈદાસ મધ્યકાળમાં યાને 13મીથી 15મી સદીમાં કહે છે. અમુક મુરખ દલિતો અને બિનદલિતો આજે સાંપ્રદાયિકતાનો ઝંડો ઉઠાવીને ચાલે છે એમણે રૈદાસમાંથી ધડો લેવો જોઈએ. કાશીના વણકર કબીર અને કાશીના ચમાર રૈદાસે જે કહ્યું છે એ ભૂલીને મંજિરા વગાડીને તેઓ પોતાનું જ અહિત કરી રહ્યાં છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65a568770c7a4.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભાની ચૂંટણી નજીક છે અને અયોધ્યા નિમિત્તે આજે ચોતરફ રામરાજ્યની વાતો ચાલે છે ત્યારે અયોધ્યાના રાજા રામ અને કબીર-રૈદાસના રામનો તફાવત પણ સમજવો પડશે. જો એ નહીં સમજીએ તો ફક્ત આ જ પેઢી બરબાદ નથી થવાની આવનારી અનેક પેઢીઓ બરબાદ થવાની છે. શું કહે છે રૈદાસ?</span><br><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">माथे तिलक हाथ जपमाला, जग ठगने कूं स्वांग बनाया। </span><br><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);">मारग छाड़ि कुमारग उहकै, सांची प्रीत बिनु राम न पाया॥</span> </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માથામાં તિલક છે અને હાથમાં જપમાળા એ જગતને ઠગવા માટે લીધેલો વેશ છે. એ ખરો રસ્તો છોડીને ખોટે રસ્તે જવા બરોબર છે. ખરા પ્રેમ વિના રામ મળતો નથી. </span><br><span style="font-size: 14pt;">રૈદાસ કહે છે:</span><br><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">हिंदू पूजइ देहरा मुसलमान मसीति। </span><br><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">रैदास पूजइ उस राम कूं, जिह निरंतर प्रीति॥ </span><br><span style="font-size: 14pt;">મતલબ હિંદુ મંદિરને પૂજે છે અને મુસલમાન મસ્જિદને પૂજે છે પણ રૈદાસ એ રામને પૂજે છે જે નિંરતર પ્રેમ છે. રૈદાસનો રામ દશરથપુત્ર રામ નથી. રૈદાસ દશરથપુત્ર રામનો ઇનકાર કરે છે અને ચોખવટ કરે છે કે:</span><br><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">रैदास हमारौ राम जी, दशरथ करि सुत नाहिं। </span><br><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">राम हमउ मांहि रहयो, बिसब कुटंबह माहिं॥ </span><br><span style="font-size: 14pt;">રૈદાસ કહે છે કે મારો રામજી દશરથનો પુત્ર નથી, મારો રામ તો મારી ભીતર વસે છે અને તે વિશ્વના દરેક પરિવારમાં છે.</span><br><span style="font-size: 14pt;">રૈદાસનો રામ દશરથપુત્ર નથી તો કોણ છે? </span><br><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">जो ख़ुदा पच्छिम बसै तौ पूरब बसत है राम। </span><br><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);">रैदास सेवों जिह ठाकुर कूं, तिह का ठांव न नाम॥</span> </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65a56968eb1c6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રૈદાસ કહે છે, જો ખુદા પશ્ચિમમાં વસે છે તો રામ પૂર્વમાં વસે છે પણ મારો રામ એ છે જેનું ન તો કોઈ નામ છે ન તો કોઈ ઠેકાણું છે. રૈદાસ નિરગુણ રામની વાત કરે છે. ભીતરના રામની યાને પ્રેમની, કરૂણાની, સન્માન, સ્વાધિનતાની વાત કરે છે. આપણા ગામોમાં એકબીજાને રામ-રામ કહેવાનો રિવાજ હતો. એકબીજાની ખબર-અંતર પૂછવાથી લઈ રામ બોલો ભાઈ રામ સુધી જે રામ આપણને વારસામાં મળ્યો તે આ રામ છે. વડવાઓએ આપણને એ રામ શીખવ્યો હતો પણ પછી ધીમે ધીમે રામનું સાંપ્રદાયિકરણ થયું આપણે રામમાંથી જયશ્રી રામ અને જયજય શ્રીરામ સુધી પહોંચી ગયા છીએ. ઠીક છે કોઈને એ ગમે તો એ રાખે. બંધારણે હક આપ્યો છે પણ બંધારણ ફક્ત અભિવ્યક્તિની આઝાદી જ આપી શકે છે ડહાપણ આપણે જાતે શીખવાનું હોય છે એ યાદ રાખવું જોઈએ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રૈદાસ વિદ્રોહી છે પણ એ કોઈથી ભેદ કરવાનું કહેતા નથી. એ કહે છે,</span><br><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">जनम जात मत पूछिए, का जात अरू पात। </span><br><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);">रैदास पूत सब प्रभु के, कोए नहिं जात कुजात॥</span> </span><br><span style="font-size: 14pt;">મતલબ, જન્મ કે જાત ન પૂછો કારણ કે સંસારમાં કોઈ જાતિ નથી. સૌ પ્રભુનાં સંતાનો છે અને કોઈ જાતિ કુજાતિ નથી. </span><br><span style="font-size: 14pt;">રૈદાસ જાતિવ્યવસ્થા પર પ્રહાર કરે છે અને ગુલામીનો ઇનકાર કરે છે. </span><br><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">पराधीनता पाप है, जान लेहु रे मीत। </span><br><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">रैदास दास पराधीन सौं, कौन करैहै प्रीत॥ </span><br><span style="font-size: 14pt;">રૈદાસ ગુલામીને પાપ ગણાવે છે અને કહે છે “પરાધીનતા પાપ છે, જાણી લો ઓ દોસ્ત. જો રૈદાસ પરાધીન હોત તો તેને કોણ પ્રેમ કરત?” ટૂંકમાં, રૈદાસ પ્રેમ અને પરાધીનતા વચ્ચે કેવો મોટો વિરોધાભાસ છે તે દર્શાવે છે. આજે સમાજમાં પ્રેમ તો ઘટી જ રહ્યો છે સામે ગુલામી પણ વધી રહી છે. જો પ્રેમ વધારવો હશે તો ગુલામી છોડવી પડશે. આ ગુલામી વૈચારિક ગુલામી છે. પોતાને સુધરેલા સમજતા દલિતોની અને શહેરી સવર્ણોની વ્યક્તિપૂજામાં ખદબદતી માનસિક ગુલામી જગજાહેર છે એમણે નથી તો રૈદાસમાંથી ધડો લીધો કે નથી આંબેડકરમાથી. કથિત જગદગુરુ રામભદ્રાચાર્યને આ કારણે પણ રૈદાસ કઠે છે કારણ કે તે પ્રેમનો પોકાર કરે છે અને ગુલામીનો ઇનકાર કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અને છેલ્લે રૈદાસ સાંપ્રદાયિકોને એટલે પણ કઠે છે કારણ કે તે હિંદુ-મુસ્લિમ બેઉને એક માને છે. રૈદાસ કહે છે:</span><br><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">जब सभ करि दोए हाथ पग, दोए नैन दोए कान। </span><br><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">रैदास प्रथक कैसे भये, हिन्दू मुसलमान॥ </span><br><span style="font-size: 14pt;">મતબલ, જ્યારે દરેકને હાથ-પગ બે છે અને બે આંખો અને બે કાન છે તો આ હિંદુ-મુસલમાન એકબીજાથી અલગ કેવી રીતે થયાં?</span><br><span style="font-size: 14pt;">જો તમને અયોધ્યાના દશરથપુત્ર રામમાં રસ પડતો હોય તો ભવ્ય મંદિર મુબારક. બાકી કબીર-રૈદાસ વતી રામરામ! </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">माला जपूँ ना कर जपूँ, मुख से कहूँ ना राम </span><br><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">राम हमारा हमें जपे है, हम पायो विश्राम। </span><br><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">- कबीर साहब</span></p>
<p style="text-align: justify;"><em><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">(લેખક વરિષ્ઠ પત્રકાર, લેખક, કવિ અને બહુજન સમાજને સ્પર્શતા વ્યાપક મુદ્દાઓના જાણતલ છે.)</span></strong></span></em></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <span style="color: rgb(53, 152, 219);"><a href="https://khabarantar.com/Have-you-ever-heard-and-read-this-Vivekanandavani" style="color: rgb(53, 152, 219);">કદી સાંભળી-વાંચી છે આ વિવેકાનંદ વાણી?</a></span><br></span></strong></p>
<div class="post-text">
<div class="post-text">
<p><strong><span><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><span style="color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </span><span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 16 Jan 2024 10:20:36 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 15 Jan 2024 23:05:37 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>274</Articleid>
                    <excerpt>કથિત જગદગુરુ રામભદ્રાચાર્યનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેમાં તેઓ કહે છે કે, જો રામ કો નહીં ભજતા વો ચમાર હૈ. આ મામલે તેમની ધરપકડ સુધીની વાતો ચાલી રહી છે ત્યારે સિનિયર પત્રકાર-લેખક-કવિ મેહુલ મંગુબહેન અહીં આ કથિત જગદગુરૂએ આવું શું કામ કહ્યું તેના પાયામાં રહેલા મુદ્દાની વાત કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_65a56878af43f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_65a568787d6ef.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_65a568787d6ef.jpg" length="105431" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ભારતની જેલો: કારાવાસ, કેદખાનું, સુધારગૃહ</title>
                    <link>https://khabarantar.com/Jails-in-India:-Imprisonment,-Penitentiary,-Reformatory</link>
                    <guid>https://khabarantar.com/Jails-in-India:-Imprisonment,-Penitentiary,-Reformatory</guid>
                    <description>
                        <![CDATA[ ભારતની જેલો કાચાં કામના કેદીઓથી ભરેલી છે અને તેમાં સબડતાં મોટાભાગનાં કેદીઓ મોટાભાગે બહુજન સમાજના છે એ વાત હવે કોઈથી છુપી નથી. સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે જેલમાં તો સૌ સરખાં, પણ હકીકત તેનાથી જુદી છે. દેશની જેલોમાં પણ જાતિ આધારિત ભેદભાવો થાય છે અને તે બાબતે મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. એવામાં સિનિયર પત્રકાર ચંદુ મહેરિયા અહીં ભારતની જેલોની શું પરિસ્થિતિ છે તેની વાત આંકડાઓ સાથે કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતની બેન્કોને કરોડોનો ચૂનો ચોપડી વિદેશમાં ભાગી ગયેલા લિકરકિંગ વિજ્ય માલ્યાએ તેના પ્રત્યાર્પણ અંગે ભારતની જેલોની બદતર હાલતના મુદ્દે વિરોધ કર્યો હતો. માલ્યાને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવાનું આયોજન હતું. ૧૯૨૬માં નિર્મિત અને બે એકરમાં ફેલાયેલી આર્થર રોડ જેલને ૧૯૯૪માં સેન્ટ્રલ જેલનો દરજ્જો મળ્યો હતો. તેની ક્ષમતા આઠસો કેદીઓને સમાવવાની છે પરંતુ તેમાં બે હજાર કેદીઓ છે. એટલે દુનિયાની ખતરનાક દસ જેલોમાં તેની ગણના થાય છે. આર્થિક અપરાધી માલ્યાના ભારતની જેલોની હાલતના આરોપના પુરાવા પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઓફ ઈન્ડિયા ૨૦૨૦માં પણ જોવા મળે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ક્ષમતા કરતાં વધુ કેદીઓ અને તેને કારણે કેદીઓને રહેવા માટેની લઘુતમ જગ્યાનો અભાવ જેલોની મુખ્ય સમસ્યા છે. એક અંદાજ મુજબ ભારતની જેલોમાં સરેરાશ છત્રીસ ટકા વધુ કેદીઓ હોય છે. રાજધાની દિલ્હીની તિહાર જેલમાં ૬૨૫૦ કેદીઓને સમાવી શકાય તેમ છે પરંતુ તેમાં ૧૪૦૦૦ કેદીઓ છે. કોવિડ મહામારીના ૨૦૨૦ના વરસમાં, તેના ગયા વરસ કરતાં, નવ લાખ વધુ લોકોની ધરપકડ થઈ હતી. એટલે ૨૦૧૯ કરતાં ૨૦૨૦માં કેદીઓની સંખ્યામાં વૃધ્ધિ થઈ હતી. દેશના ૧૭ રાજ્યોની જેલોમાં ૨૦૧૯ કરતાં ૨૦૨૦માં સરેરાશ ૨૩ ટકા કેદીઓ વધ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_659ed3c780f70.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જગ્યાની સંકડાશ સાથે જ અપૂરતી આરોગ્ય સુવિધાઓ જેલોને કેદખાનું બનાવે છે. પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઓફ ઈન્ડિયા ૨૦૨૦ મુજબ જેલોમાં ડૉકટરોની અછતની ટકાવારી નેશનલ લેવલે ૩૪ ટકા છે, પરંતુ કેટલાક રાજ્યોમાં તો નામમાત્રના ડોકટરો અને આરોગ્યકર્મીઓ છે. ઉત્તરાખંડની જેલોમાં ૯૦ ટકા અને ઝારખંડમાં ૭૭.૧ ટકા ડોકટરોની જગ્યાઓ ખાલી છે. કેદીઓ વધે છે પરંતુ ડોકટર્સ અને મેડિકલ- પેરા મેડિકલ સ્ટાફ ઘટે છે. ગોવાની જેલોમાં મંજૂર થયેલી જગ્યાઓમાંથી  ૮૬.૬ ટકા, લદ્દાખમાં ૬૬.૭ ટકા, કર્ણાટકમાં ૬૬.૧ ટકા, ઝારખંડમાં ૫૯.૨ ટકા અને ઉત્તરાખંડમાં ૫૭.૬ ટકા આરોગ્ય કર્મચારીઓ ઓછા છે. અપર્યાપ્ત આરોગ્ય સગવડો અને સ્ટાફની અછતને લીધે કેદીઓને ઘણું વેઠવું પડે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેલોમાં કેદીઓને શારીરિક-માનસિક અત્યાચાર, ખરાબ અને અપર્યાપ્ત ભોજન, બહારની દુનિયા સાથે સંપર્ક પરના નિયંત્રણો, અપૂરતી આરોગ્ય સગવડોને કારણે થતા રોગ, વેઠ અને ગુલામી જેવી સમસ્યાઓ વેઠવી પડે છે.  જેલોમાં પોણા ભાગના કેદીઓ તો જે દોષિત છે કે નિર્દોષ તે અદાલતો દ્વારા નક્કી થવાનું બાકી છે તેવા કાચા કામના કેદીઓ છે. મહિલા કેદી માટે કોઈ ખાસ સગવડો હોતી નથી. તેઓ પોતાના છ વરસ સુધીના બાળકોને જેલમાં સાથે રાખી શકે છે. દેશની જેલોમાં ૨૦૨૦માં ૨૦,૦૦૦ મહિલા કેદીઓ હતી. તેમાંથી ૧૪૨૭ મહિલાઓ બાળકો સાથે હતી. એટલે માતા અને બાળક બંનેની વિશેષ કાળજી જરૂરી છે. જેલોમાં આત્મહત્યા અને અકુદરતી મોત પણ થાય છે. અગાઉની તુલનામાં આવા મોતમાં ૭ ટકાનો વધારો થયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_659ed3c6f418e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશનું બંધારણ તો કાયદા સમક્ષ સૌને સમાન માને છે પરંતુ આપણા સમાજમાં જે અસમાનતા અને ભેદભાવ વ્યાપ્ત છે તે જેલોમાં પણ છે. ભારતીય સમાજમાં અમીર-ગરીબ અને વર્ણ-જ્ઞાતિના ભેદ છે તેમ જેલોમાં પણ છે. અમીર અને વગવાળા કેદીઓને જેલમાં પણ મહેલની સગવડો મળી રહે છે. પરંતુ ગરીબ અને કથિત નિમ્ન જ્ઞાતિના કેદીઓને વિશેષ સહેવું પડે છે. અંડર કે પ્રિ.ટ્રાયલ કેદીઓને જેલના શ્રમથી મુક્તિ મળે છે. જોકે વાસ્તવિકતા એ છે કે લાંબી સજા ભોગવતા રીઢા કેદીઓ કશું કામ કરતા નથી અને કાચાકામના કેદીઓને તેમનું પણ કામ કરવું પડે છે. </span></p>
<p>.</p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_659ed3c67b33f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેલોમાં સફાઈ કામદાર, રસોઈયા, વાળંદ અને આરોગ્ય સહાયક જેવા કામોની વહેંચણી જ્ઞાતિના ધોરણે થાય છે. હદ તો એ વાતની છે કે આ બાબત કેટલાક રાજ્યોના જેલ મેન્યુઅલ્સમાં જ લખેલી છે. મધ્યપ્રદેશના જેલ મેન્યુઅલમાં લખ્યું છે કે, “જાજરૂમાં માનવમળની સફાઈની જવાબદારી ‘મહેતર’ કેદીની છે.” રાજસ્થાન જેલ નિયમાવલીમાં તો વધુ સ્પષ્ટ કરીને કહ્યું છે કે જેલની બહાર જે સફાઈનું કામ કરતા ના હોય(અર્થાત સફાઈકામદાર જ્ઞાતિના ના હોય) તેવા કોઈપણ કેદીને સફાઈનું કામ ના આપવું. બિહારની જેલોનું મેન્યુઅલ ઉચ્ચ જ્ઞાતિના હિંદુ કેદીને જ રસોઈનું કામ સોંપવા જણાવે છે. તમિલનાડુના પલાયકોટ્ટાઈના મધ્યસ્થ કારાગારમાં જ્ઞાતિ પ્રમાણે જેલ કોટડીઓ હોવાનું અભ્યાસીઓએ નોંધ્યું છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૧૬માં કેન્દ્ર સરકારે બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા તૈયાર કરેલું મોડેલ જેલ મેન્યુઅલ રાજ્યોને મોકલ્યુ હતું. પરંતુ બંધારણ અન્વયે જેલ એ રાજ્ય યાદીનો વિષય હોવાથી ભારત સરકારની ભૂમિકા સલાહકારની જ હોય છે. એટલે ઘણાં રાજ્યોએ તેમની જેલ નિયમાવલી સુધારી નથી. મોટાભાગના જેલ મેન્યુઅલ્સ અંગ્રેજોના વારાના અને ૧૮૯૪ના જેલ મેન્યુઅલ પર આધારિત છે. જેમાં કેદીને રાજ્યનો ગુલામ માનવામાં આવતો હતો. જોકે ૨૦૧૬ની આદર્શ જેલ  નિયમાવલીમાં સમાનતા અને ન્યાયની જિકર કરતાં જણાવ્યું છે કે જેલોમાં જ્ઞાતિ કે ધર્મના આધારે રસોડાની વ્યવસ્થા કે ખાવાનું બનાવી શકાશે નહીં. પરંતુ આ બાબતનો ભાગ્યે જ અમલ થાય છે. અરે જેલોની લાઈબ્રેરીઓમાં પણ જેલ મેન્યુઅલની નકલ હોતી નથી. જેલોમાં જાણે કે ઘરની ધોરાજી જ હાંકે રખાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધીજી માનતા હતા કે દરેક કેદીનું એક ચોક્કસ ભવિષ્ય હોય છે. એટલે કારાવાસનું કામ સુધારગૃહનું હોવું જોઈએ. જેથી કેદી નવી જિંદગી જીવવા યોગ્ય બને. આ દિશામાં કેટલીક જેલોમાં મહત્વનું કામ થયું છે. કિરણ બેદીએ દિલ્હીની તિહાર જેલને સુધારગૃહ બનાવવા મહત્વના કાર્યો કર્યા હતા. અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં પણ કેદીઓના પુન:સ્થાપનનું કામ થઈ રહ્યું છે. જેલોમાં કેદીઓને રહેવા માટેની સંકડાશ નિવારવી, આરોગ્ય સુવિધા પૂરી પાડવી, તેમના અધિકારોથી વાકેફ કરવા, મફત કાનૂની સહાય, બહારની દુનિયા સાથે સંવાદની તક, શિક્ષણ અને વ્યવસાયલક્ષી શિક્ષણ, મહિલા કેદીઓની દેખભાળ જેવા કાર્યો કરવાના રહે છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_659ed3c5f2412.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેલો કેદખાનાના બદલે સંજોગોવશ ગુનો આચરી બેઠેલા કેદીને ભૂલનો અહેસાસ અને પસ્તાવો થાય તેવી બનવી જોઈએ. કેદી આત્મનિરીક્ષણ કરે, જેલમુક્તિ પછી તે સમજદાર અને કાનૂનનું પાલન કરનાર જવાબદાર નાગરિક બને તેમ કરવાની જરૂર છે. અદાલતોએ જેમ કેદીઓના અધિકારો તેમ તેમની ફરજો પણ નિશ્ચિત કરી છે, તેનું ઉભયપક્ષોએ પાલન કરવું જોઈએ. શંકાના આધારે કે ગરીબ અને કહેવાતી નીચલી જ્ઞાતિના હોવા માત્રથી ધરપકડ કરી જેલમાં ગોંધી રાખવાનું વલણ ખોટું છે. અદાલતોએ પણ જામીન પર મુક્તિની સુનાવણીમાં ઝડપ કરવા તો સરકારે ઘરમાં નજરકેદ માટે કાયદામાં સુધારા માટે વિચારવું રહ્યું. જેલ સુધારણા નવી જેલો બનાવવાથી નહીં, હયાત જેલોને વધુ સગવડદાયી બનાવવામાં છે. નવો, સ્વસ્થ અને ન્યાયી સમાજ ત્યારે જ નિર્માશે જ્યારે ગુનામાં અને સરવાળે જેલોમાં ઘટાડો થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Does-caste-based-discrimination-happen-in-prisons-too-The-Supreme-Court-sought-a-response-from-the-Center-and-11-states"><strong><span style="font-size: 14pt;">શું જેલોમાં પણ થાય છે જાતિ આધારિત ભેદભાવ? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને 11 રાજ્યો પાસે માંગ્યો જવાબ</span></strong></a></p>
<p><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"><strong>Khabarantar.com </strong></span><strong><span lang="GU" style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </strong><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a><o:p></o:p></p>
<p class="MsoNormal"><span lang="EN-US"><o:p> </o:p></span></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 11 Jan 2024 11:25:56 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 11 Jan 2024 18:50:43 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>265</Articleid>
                    <excerpt>ભારતની જેલો કાચાં કામના કેદીઓથી ભરેલી છે અને તેમાં સબડતાં મોટાભાગનાં કેદીઓ મોટાભાગે બહુજન સમાજના છે એ વાત હવે કોઈથી છુપી નથી. સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે જેલમાં તો સૌ સરખાં, પણ હકીકત તેનાથી જુદી છે. દેશની જેલોમાં પણ જાતિ આધારિત ભેદભાવો થાય છે અને તે બાબતે મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. એવામાં સિનિયર પત્રકાર ચંદુ મહેરિયા અહીં ભારતની જેલોની શું પરિસ્થિતિ છે તેની વાત આંકડાઓ સાથે કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_659ed3c81abe3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_659ed3c7de91e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_659ed3c7de91e.jpg" length="59230" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ઢેઢનું કૂતરું બાપુના કૂતરાને રંજાડી જાય ઈ કેમ પાલવે? એટલે ભડાકે દીધું</title>
                    <link>https://khabarantar.com/Why-does-the-dog-of-Dhedh-spoil-the-fathers-dog-So-it-exploded</link>
                    <guid>https://khabarantar.com/Why-does-the-dog-of-Dhedh-spoil-the-fathers-dog-So-it-exploded</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">– વિજય મકવાણા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારે હું આઠ વરસનો હતો. ત્રીસ-પાંત્રીસ ઘરનો વાસ અને તેમાં વણકર, ચમાર અને વાલ્મિકી એમ ત્રણ જાતિ રહેતી. બધું મળીને બે શેરીમાં તો વાસ પૂરો થઇ જતો. એકવાર અમારી શેરીમાં એક કૂતરી વિયાઈ હતી. તેનું એક રાતા રંગનું, માથે કાળા ચાંદલાવાળું, રાભડાં જેવું ગલુડીયું હતું, જે વાસના તમામ છોકરાંઓને વ્હાલું હતું. બધાં તેને ‘રાતડો’ કહેતાં. રાતડાને બધાંય ખવડાવે, ગેલ કરાવે. વાસના ચમારોના પંચની ત્યારે મોટી ભામ હતી. આજુબાજુના ચારેક ગામના મરેલાં ઢોરને રોડની સામેની બાજુ આવેલી ખળાવાડમાં લાવતા. તેની ખાલ ઉતારવાનો સામુહિક વ્યવસાય પંચ દ્વારા થતો. અમે બધાં છોકરાઓ રાતડા માટે તેનો ‘પ્રિય ખોરાક’ ત્યાંથી લાવી તેને ખવડાવતાં. રાતડો દિવસે દિવસે કદાવર થતો જતો હતો. ખાઇ ખાઇને તે માતેલો સાંઢ થઇ ગયો હતો. વાસમાં કોઇ અજાણી વ્યક્તિ પ્રવેશે તો રાતડો રીતસર તૂટી પડતો. જ્યાં સુધી વાસનો કોઇ વ્યક્તિ રાડ પાડીને ન કહે કે, ''રાતડાંઆ...મેલ્ય હવે.'' તો જ રાતડો તેને છોડે! રાતડાની ખરેખર રાડ્ય હતી, દબદબો હતો! </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામમાં એક દરબાર રહે. બહુ મોટા જાગીરદાર. તે શહેરથી એક કૂતરો લાવેલા. કૂતરો પડછંદ હતો. તેના ગળે ચામડાનો પટ્ટો બાંધેલો હોય, તેની સાથે લાંબી સાંકળ બાંધેલી હોય અને દરબાર સાહેબના ખભે જોટાળી બંદૂક લટકતી હોય. આ રીતે દરબાર રોજ તળાવની પાળ પર ફરવા નીકળે. આ તેમનો નિત્યક્રમ હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક દિવસ નિત્યક્રમ ફર્યો. તળાવની પાળ ચડવાને બદલે દરબારના પગલાં દલિતવાસ તરફ જતાં મુખ્યમાર્ગ પર વળ્યાં. હાથમાં સાંકળ અને ખભે બંદૂક. દલિતવાસ નજીક પહોંચ્યાં ત્યાં જ રોડ પર રાતડો રાજાની અદાથી બેઠેલો! પેલાં શહેરી કૂતરાને પોતાના એરિયામાં આવતો જોઈને રાતડાને ગરમી ચડી ગઇ! સીધી મુકી દોટ અને વીંછળી નાખ્યો! દરબારને રીસ ચડી. તેમણે પોતાના કૂતરાના ગળેથી પટ્ટો છોડી મૂક્યો. હવે મેદાનમાં રાતડો અને પેલો શહેરી કૂતરો બઘડાટી બોલાવવા લાગ્યા. દરબારે હાથમાં બંદૂક લીધી અને લડાઇ રસપૂર્વક જોવા લાગ્યા. અમે બધાં પણ ભેગાં થઇ ગયાં! રાતડો બહું જોરાવર હતો. દસેક મિનિટમાં તો પેલાંને બચકાં ભરીને લોહીલુહાણ કરી નાખ્યો. શહેરી કૂતરાએ હાર સ્વીકારી લીધી અને દરબારનાં પગ વચ્ચે ઘુસીને 'વાંઉ વાંઉ' ચાલું કર્યું! </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અચાનક દરબારનો પિત્તો ગયો. પોતાના કૂતરાના માથે બંદૂક મુકી અને ધડામ...! કૂતરો બે મિનીટમાં શાંત. રાતડો હજી પણ ભસી રહ્યો હતો. દરબાર થોડુંક ગામ તરફ ચાલ્યાં, પછી પાછું વળીને રાતડા સામે જોયું. આ વખતે તેમની નજરમાં ખુન્નસ હતું. થોડી જ વારમાં બંદૂકનો બીજો ભડાકો થયો. ધડામ..</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાતડો તરફડી ઉઠ્યો. અમે બધાં દોડીને રાતડા પાસે પહોંચ્યાં. એણે બધાંયના હાથ ચાટ્યાં અને હળવેકથી આંખો મીંચી દીધી. દરબાર જતા જતા બબડ્યાં ''ઢેઢનું કૂતરું બાપુના કૂતરાંને રંજાડી જાય, ઈ કેમ પાલવે? એટલે ભડાકે દીધું''</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગલઢેરાં, જુવાનિયા, બાળકો સૌ અવાચક બનીને જોઇ રહ્યાં. કોઇ કંઈ બોલ્યું નહીં. ઘટના નાની હતી પણ કાળજે કોરાઈ ગઈ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પછી તો કોઇ આંબેડકરની વાત લઇને આવે તો રસપૂર્વક સાંભળતા થયા, વાતો સાંભળતાં રાતડો યાદ આવતો, આંખ જરાક ભીની થતી, પણ હૃદય મજબૂત બનતું ગયું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે હું આડત્રીસ વરસનો છું. ત્રીસ વરસમાં શિક્ષણ, આધુનિકતાને કારણે મારામાં ઘણું બધું બદલાઈ ગયું છે. પણ માનસિકતા જેમની તેમ છે. એ વખતે રાતડાની ઘટનાનો કોઇ પ્રત્યુત્તર નહોતો અપાયો. પણ રાતડો ઘણું શીખવતો ગયો હતો. પછી તો લડવા માટે કમર કસી. ક્યારેક તૂટ્યાં, ક્યારેક લડ્યાં, એક તાંતણે બંધાયા, હાર્યા-જિત્યાં. આજે કમ સે કમ એ મુકામ પર તો છીએ જ કે કોઈ સીધી લડત આપતા ડરે છે. પણ પડદા પાછળ ષડયંત્રોની ભરમાર છે. અને અમે પણ એ ખટપટ સામે નવતર ખટપટથી જવાબ આપતા શીખી ગયા છીએ. હવે લડત સામાજિક, આર્થિક અને રાજકીય એમ ત્રણેય મોરચે લડાઈ રહી છે, અને અમે લડી રહ્યાં છીએ અને જીતીશું પણ ખરાં. લડેંગે..જીતેંગે. જય ભીમ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Palwankar-Baloo:-The-Dalit-cricketer,-who-saved-the-nation-despite-being-untouchable"><strong><span style="font-size: 14pt;">Palwankar Baloo: એ દલિત ક્રિકેટર, જેણે અસ્પૃશ્યતા વેઠીને પણ દેશનું નાક બચાવેલું</span></strong></a></p>
<p><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"><strong>Khabarantar.com </strong></span><strong><span lang="GU"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો</span>.</span> </strong><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a><o:p></o:p></p>
<p class="MsoNormal"><span lang="EN-US"><o:p> </o:p></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 09 Jan 2024 10:46:29 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>262</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_659c1f0333c24.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_659c1f02f23e0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_659c1f02f23e0.jpg" length="86943" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>મનુ પ્રતિમા &amp; ન્યાયાલયના આંગણે અન્યાયનું પ્રતીક સાંખી લેવાય?</title>
                    <link>https://khabarantar.com/manu-pratima-a-symbol-of-injustice-at-the-courthouse</link>
                    <guid>https://khabarantar.com/manu-pratima-a-symbol-of-injustice-at-the-courthouse</guid>
                    <description>
                        <![CDATA[ રાજસ્થાન હાઈકોર્ટના પરિસરમાં છેલ્લાં કેટલાય વર્ષોથી વર્ણવ્યવસ્થાના મૂળ રોપનાર કથિત ભગવાન મનુની પ્રતિમા ઉભી છે. તેને હટાવવા માટે માન્યવર કાંશીરામથી લઈને વર્તમાન કર્મશીલો સુદ્ધાંએ પ્રયત્નો કરી જોયા છે. પણ હજુ સુધી તેને હટાવી શકાઈ નથી. વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયા અહીં મનુની પ્રતિમા સ્થાપિત કરવા પાછળના ઈરાદાથી લઈ વર્તમાન સુધીનો ઈતિહાસ વિસ્તારથી સમજાવે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><strong><span style="font-size: 14.0pt; color: #e03e2d;">- </span></strong><strong><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman'; color: #e03e2d;">ચંદુ મહેરિયા</span></strong><strong><span style="font-size: 14.0pt; color: #e03e2d;"> </span></strong><o:p></o:p></p>
<p style="text-align: justify;"><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">૨૫મી ડિસેમ્બરનો મનુસ્મૃતિ દહન દિન ૨૦૨૩માં પણ યાદ રાખવો પડે છે. એટલું જ નહીં હવે તો પહેલાં કરતાં વધુ ઉગ્રતા અને તીવ્રતા સાથે મનુ સ્મૃતિનું દહન અને વિરોધ કરવો પડે તેવો દેશનો માહોલ છે. રાજસ્થાનના પાટનગર જયપુરમાં તો હાઈકોર્ટ પરિસરમાં મનુનું પૂતળું અનેક વિરોધો છતાં સાડા ત્રણ દાયકાથી અડીખમ ઉભું છે ત્યારે તો મનુસ્મૃતિનો વિરોધ વધુ આક્રમક હોઈ શકે. ૨૦૨૩માં યોજાયેલી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ન્યાયાલયના આંગણે અન્યાયના પ્રતીક સમી મનુની પ્રતિમા રાજ્યના એકેય રાજકીય પક્ષના એજેન્ડામાં નહોતી તેથી પણ દલિતો સહિતના સૌ પીડિતોનો વિરોધ વધુ વ્યાપક બનવો જોઈએ.</span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65997c117a9a9.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">અમેરિકી પોલીસે ૨૦૨૦માં જ્યૉર્જ ફ્લૉઇડ નામક કાળા નાગરિકની બેરહેમીથી સરાજાહેર હત્યા કરી</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">તેના વિરોધમાં દુનિયાના ઘણાં દેશોમાં વિરોધ આંદોલનો થયાં હતા. આ હત્યાના મૂળમાં અમેરિકાની ધોળી પ્રજાનો કાળી પ્રજા સામેનો રંગભેદ કારણભૂત છે. અમેરિકા અને અન્યત્ર ‘બ્લેક લાઈવ્સ મેટર’(કાળાઓનું જીવન પણ મહત્ત્વનું છે) એવું નામ ધરાવતી ચળવળ પણ ચાલી હતી. તેની અંતર્ગત કાળા લોકોને અન્યાય કરનાર ઘણા નેતાઓની પ્રતિમાઓ ધ્વસ્ત કે ખંડિત કરાઈ હતી. શાયદ એના પગલે</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">રાજસ્થાન હાઇકોર્ટ જયપુરના પરિસરમાં છેલ્લા પાંત્રીસેક વરસોથી અનેક વિરોધો છતાં અડીખમ મનુની પ્રતિમા હઠાવવાની ઝુંબેશ</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">દલિત અગ્રણી માર્ટિન મેકવાનની પહેલથી શરૂ થઈ હતી. </span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65997c0cba9a2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">દેશના છસો જેટલા બૌદ્ધિકો</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">કર્મશીલો</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">અધ્યાપકો અને જાહેર જીવનના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોએ તત્કાલીન કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાજસ્થાનના તત્કાલીન કૉંગ્રેસી મુખ્યમંત્રી અશોક ગહેલોતને પત્ર લખી આગામી ૨૫મી ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં આ પ્રતિમા હઠાવી દેવાની માગણી કરી હતી. પરંતુ આ ઝુંબેશનું કોઈ ઠોસ પરિણામ આવ્યાનું જાણ્યું નથી.</span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><strong><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman'; color: #e03e2d;">મનુ અને ‘મનુસ્મૃતિ’</span></strong><br><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">મનુ હિંદુ ધર્મના આદિપુરુષ મનાય છે. તેમણે જ હિંદુઓના આદિ ધર્મશાસ્ત્ર ગણાતા ‘મનુસ્મૃતિ’ની રચના કરી હતી. ‘સ્મૃતિ’નો અર્થ ધર્મશાસ્ત્ર કે સંહિતા થાય છે. મનુ દ્વારા રચાયેલી સંહિતા ‘મનુસ્મૃતિ’ કહેવાય છે.  હિંદુ ધર્મનાં પુસ્તકોમાં કુલ ચૌદ મનુનાં નામ અને ઉલ્લેખ જોવા મળે છે. મનુના સમયગાળા કે ‘મનુસ્મૃતિ’ના રચનાકાળ અંગે જુદા જુદા મંતવ્યો પ્રવર્તે છે. મહાભારત અને રામાયણમાં મનુ અને ‘મનુસ્મૃતિ’ના ઉલ્લેખો છે પરંતુ ‘મનુસ્મૃતિ’માં તેના ઉલ્લેખો નથી. તેથી મનુ અને ‘મનુસ્મૃતિ’નો સમય વેદોની રચના પછીનો અને મહાભારત-રામાયણ પૂર્વેનો માની શકાય. ઈસુ વરસનાં ૨૦૦ કે ૩૦૦ વરસ પૂર્વે ‘મનુસ્મૃતિ’ રચાઈ હોવાનું કહેવાય છે. ચૌદ પૈકીના આઠમા મનુ તેના રચયિતા હોવાનું એકમત તારણ છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ‘મનુસ્મૃતિ’માં તેના લેખકનું નામ જણાવ્યું ન હોવાનું નોંધી</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">શંકારહિત વિદ્વાનોના હવાલાથી તેના રચનાકાર સુમતિ ભાર્ગવ(મનુનું ઉપનામ કે પ્રચ્છન નામ) હોવાનું અને ‘મનુસ્મૃતિ’ની રચના ઈ.સ.પૂર્વે ૧૭૦ થી ૧૫૦ના મધ્યકાળમાં થઈ હોવાનું તેમના ગ્રંથ ‘પ્રાચીન ભારતમાં ક્રાંતિ અને પ્રતિક્રાંતિ’માં લખે છે.</span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65997c10e592d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">હિંદુઓનું આદિ ધર્મશાસ્ત્ર ‘મનુસ્મૃતિ’ ભારતના ઈન્ડિયન પિનલ કોડ કે ક્રિમિનલ પ્રોસિજર કોડ(જેનું સંસદની છેલ્લી બેઠકમાં નવીનીકરણ થયું છે) ની  જેમ લખાયેલું છે. ’મનુસ્મૃતિ’માં ૧૨ અધ્યાય અને ૨</span><span style="font-size: 14.0pt;">,</span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">૬૮૪ શ્લોક છે. કેટલાક વિદ્વાનો શ્લોકની સંખ્યા ૨</span><span style="font-size: 14.0pt;">,</span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">૯૬૪ હોવાનું પણ નોંધે છે. ‘મનુસ્મૃતિ’માં કાળક્રમે એટલા બધાં સુધારા વધારા થયા છે કે મૂળ ‘મનુસ્મૃતિ’માં ૫૬ ટકા ક્ષેપકો હોવાનું કહેવાય છે. અધિકાર તથા અપરાધનું બયાન કરતી અને તે માટેની સજાની જોગવાઈ કરતી ‘મનુસ્મૃતિ’ સમાજના ઉચ્ચ વર્ણોને ફાયદો કરી આપનારી અને નિમ્ન વર્ણોને અન્યાય કરનારી છે. તેથી વરસોથી તેનો વિરોધ થતો રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><o:p></o:p><strong><span style="font-size: 14.0pt; color: #e03e2d;">‘</span></strong><strong><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman'; color: #e03e2d;">મનુસ્મૃતિ’ - વિરોધથી દહન</span></strong><o:p></o:p></p>
<p style="text-align: justify;"><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">ભારતમાં પ્રવર્તમાન વર્ણવ્યવસ્થા</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">આભડછેટ અને ઉંચ-નીચના ભેદ ‘મનુસ્મૃતિ’ને કારણે હોવાની વ્યાપક માન્યતા છે. સ્ત્રીઓ અને શૂદ્રાતિશૂદ્રોના ઉદ્ધારક એવા મહાન સમાજસુધારક મહાત્મા ફુલેએ તેમના ઘણાં પુસ્તકોમાં ‘મનુસ્મૃતિ’નો તર્કબદ્ધ વિરોધ કર્યો છે. ભારતમાં દલિતોને સમાનતાનો અધિકાર અપાવનાર ડૉ. આંબેડકરે ‘મનુસ્મૃતિ’નું દહન કરી પોતાનો વિરોધ ઉગ્ર રીતે વ્યક્ત કર્યો હતો. મહારાષ્ટ્રના તત્કાલીન કોલાબા અને હાલના રાયગઢ જિલ્લાના મહાડ નગરમાં દલિતોના પીવાના પાણીના અધિકાર માટે ઈ.સ. ૧૯૨૭માં ડૉ. આંબેડકરે સત્યાગ્રહ કર્યો હતો. પહેલાં ૧૯૨૭ના માર્ચમાં અને બીજા તબક્કામાં ડિસેમ્બરમાં યોજાયેલા મહાડ જળ સત્યાગ્રહમાં</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">૨૫મી ડિસેમ્બર ૧૯૨૭ના રોજ બાબાસાહેબે ‘મનુસ્મૃતિ’નું દહન કર્યું હતું. તેમના બ્રાહ્મણ સાથી ગંગાધર સહસ્ત્રબુદ્ધેના હસ્તે ‘મનુસ્મૃતિ’નું દહન કરતી મહાડ પરિષદના ઠરાવમાં જણાવાયું હતું કે</span><span style="font-size: 14.0pt;">, “</span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">હિંદુ કાયદા ઘડનાર મનુના નામે જાહેર કરવામાં આવેલા</span><span style="font-size: 14.0pt;">, ‘</span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">મનુસ્મૃતિ’માં જણાવવામાં આવેલા અને હિંદુઓની સંહિતા તરીકે માન્ય ઠરેલા કાયદાઓ નીચી જાતિની વ્યક્તિઓનું અપમાન થાય તેવા</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">તેમના માનવીય અધિકારો છીનવી લેનારા અને તેમનું વ્યક્તિત્વ કચડી નાખનારા છે. સભ્ય દુનિયાના માનવ અધિકારો સાથે તેની તુલના કરતાં આ સંમેલનને લાગે છે કે આ ‘મનુસ્મૃતિ’ કોઈપણ જાતના આદરની હકદાર નથી. તે પવિત્ર ગ્રંથ કહેવડાવવાને લાયક નથી. ‘મનુસ્મૃતિ’માં દર્શાવેલી અસમાનતાની પ્રથા સામેના વિરોધ રૂપે</span><span style="font-size: 14.0pt;">, ‘</span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">મનુસ્મૃતિ’ના ભારે વિરોધ અને તિરસ્કાર સાથે આ સંમેલનના અંતે તેની નકલ બાળવામાં આવે છે.”</span><span style="font-size: 14.0pt;"> </span><br><span style="font-size: 14.0pt;"> </span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65997c10553bc.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14.0pt;"></span><br><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">ચાતુર્વર્ણ્ય મનુના ભેજાની પેદાશ નથી તેમ સ્વીકારીને</span><strong><span lang="GU" style="font-size: 14.0pt; color: #e03e2d;"> </span></strong><strong><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman'; color: #e03e2d;">ડૉ. આંબેડકરે</span></strong><span lang="GU" style="font-size: 14.0pt;"> </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">તેમના ગ્રંથ ‘અસ્પૃશ્યો અને અસ્પૃશ્યતા</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">સામાજિક-રાજકીય-ધાર્મિક’માં જણાવ્યું હતું કે</span><span style="font-size: 14.0pt;">, <strong><i><span style="color: #e03e2d;">“</span></i></strong></span><strong><i><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman'; color: #e03e2d;">સમાજનું ચાર વર્ણોમાં વિભાજન તો મનુના પહેલાં પણ અસ્તિત્વમાં હતું. વર્ણોમાં સમાજવિભાજનનો પ્રારંભ મનુ સાથે થયો નહોતો. મનુએ ચાતુર્વર્ણ્યની અંદર અને તેની  બહાર રહેલા વચ્ચે જે વિભાજન કર્યું છે તે તેનું મૌલિક પ્રદાન છે.”</span></i></strong><span lang="GU" style="font-size: 14.0pt;"> </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">ડૉ. આંબેડકરે ભારતમાં દલિતો અને મહિલાઓ પ્રત્યેના ભેદભાવ અને પ્રતિબંધો કે બહિષ્કારના ઘણાં બનાવો ટાંકીને હાલના સમયમાં પણ દેશમાં મનુના કાયદા પ્રવર્તમાન હોવાનું પુરવાર કર્યું. ડૉ.આંબેડકર અને બીજા વિદ્વાનોએ ‘મનુસ્મૃતિ’ કઈ રીતે શુદ્રો</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">સ્ત્રીઓ અને વર્ણબહારના લોકોને ભારે અન્યાયકર્તા છે તે અવારનવાર લેખો</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">ભાષણો અને પુસ્તકો દ્વારા દર્શાવ્યું છે.</span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><br><strong><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman'; color: #e03e2d;">ન્યાયના દરબારમાં અન્યાયનું પ્રતીક</span></strong><o:p></o:p></p>
<p style="text-align: justify;"><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">રાજકીય</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">સામાજિક અને આર્થિક સમાનતા આણનારું</span><span style="font-size: 14.0pt;">, ‘</span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">એક વ્યક્તિ</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">એક મત’નું મૂલ્ય પ્રસ્થાપિત કરતું આઝાદ ભારતનું બંધારણ ઘડ્યાની જાહેરાત કરતાં ડૉ.આંબેડકરે કહ્યું હતું કે “આ બંધારણે મનુના શાસનની સમાપ્તિ કરી દીધી છે.” પરંતુ ભારતમાં છેલ્લા ત્રણેક દાયકાથી</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">દલિતોના સામાજિક-રાજકીય આંદોલનોમાં</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">ખાસ કરીને બહુજન સમાજ પાર્ટીના ઉભાર પછી</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">બ્રાહ્મણવાદના વિકલ્પે ‘મનુવાદ’ શબ્દ જે છૂટથી અને વિરોધથી વપરાય છે તે દર્શાવે છે કે મનુ અને મનુના વિચારો આજે પણ હયાત છે. રાજસ્થાન રાજ્યની જયપુર સ્થિત વડી અદાલતના પ્રાંગણમાં મનુનું પૂતળું હોય તે દર્શાવે છે કે સમાનતાના સંવિધાનના દેશમાં અન્યાય</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">અસમાનતા અને ભેદભાવના પ્રતીક મનુના ચાહકો મોટી સંખ્યામાં છે.</span><span style="font-size: 14.0pt;"> </span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><br><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">રાજસ્થાન હાયર જ્યુડિશિયલ ઓફિસર્સ એસોસિએશનના તત્કાલીન પ્રમુખ પદમકુમાર જૈને માર્ચ ૧૯૮૯માં એકટિંગ ચીફ જસ્ટિસ એન.એસ. કાસલીવાલ સમક્ષ  હાઈકોર્ટ પરિસરના બ્યુટીફીકેશનમાં વધારો કરવા મનુની પ્રતિમા સ્થાપિત કરવાની મંજૂરી માંગી અને તુરત મળી ગઈ. મનુનો સમયગાળો અઢી-ત્રણ હજાર વરસ પહેલાંનો મનાય છે અને તેમનું કોઈ ચિત્ર કે મૂર્તિ નથી ત્યારે તેમની પ્રતિમા ઘડવી તે મુશ્કેલ કામ હતું. સુમરેન્દ્ર શર્મા નામક જયપુરના એક શિલ્પકારે અઢી એક મહિનાની મહેનતથી ચાર ફુટની સિમેન્ટની મનુપ્રતિમા ઘડી. વકીલોના મંડળને આ પ્રતિમાસ્થાપનમાં જયપુરની લાયન્સ કલબનો સહયોગ મળ્યો હતો.</span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><br><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">વડી અદાલતના પરિસરમાં મનુની પ્રતિમા સ્થાપનના સમાચારથી મનુના વિરોધીઓનો આક્રોશ ફાટી નીકળ્યો. હજુ બે વરસ પહેલાં ૧૯૮૭માં</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરની પ્રતિમા ટ્રાફિકને અડચણરૂપ હોઈ તેને કોઈ મોકાની જગ્યાએ સ્થાપિત કરવાની શાસને મંજૂરી આપી નહોતી. એટલે વડી અદાલતની બહાર એક ચૌરાહે તે મૂકવી પડી હતી ત્યારે મનુની પ્રતિમા ન્યાયની દેવડીએ સ્થપાય તે દલિતોને સ્વીકાર્ય નહોતું. તત્કાલીન એકટિંગ ચીફ જસ્ટિસ મિલાપચંદ જૈનના હસ્તે પ્રતિમાનું અનાવરણ રખાયું હતું. દલિતોના ભારે વિરોધથી અનાવરણનો કાર્યક્રમ તો ન થઈ શક્યો</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">પણ વગર લોકાર્પણે ૨૮મી જુલાઈ ૧૯૮૯ના રોજ મનુની પ્રતિમા ખુલ્લી મુકી દેવામાં આવી.</span><span style="font-size: 14.0pt;"> </span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><strong><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman'; color: #e03e2d;">આ પણ વાંચોઃ</span></strong><span lang="GU" style="font-size: 14.0pt;"> </span><span style="color: rgb(53, 152, 219);"><a href="https://khabarantar.com/The-law-of-Manusmriti,-which-sowed-the-seeds-of-inequality-in-Indian-society" style="color: rgb(53, 152, 219);"><strong><span lang="GU" style="font-size: 14pt; font-family: Shruti, 'sans-serif'; text-decoration: none;">મનુસ્મૃતિના એ કાયદા</span></strong><strong><span style="font-size: 14pt; text-decoration: none;">, </span></strong><strong><span lang="GU" style="font-size: 14pt; font-family: Shruti, 'sans-serif'; text-decoration: none;">જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં</span></strong><strong><span style="font-size: 14pt; text-decoration: none;"> </span></strong></a></span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">હાઈકોર્ટમાં મનુની પ્રતિમા મુકાઈ તેનો દેશભરમાં ભારે વિરોધ થતાં બીજા જ દિવસે રાજસ્થાન હાઈકોર્ટના તમામ ૧૮ જજની જોધપુરની મુખ્ય વડી અદાલતમાં બેઠક મળી અને તેમણે સર્વાનુમતે વહીવટી પ્રસ્તાવ પસાર કરીને હાઈકોર્ટના રજિસ્ટારને આ પ્રતિમા હઠાવી લેવા વકીલમંડળને જણાવવા આદેશ કર્યો. માનનીય ન્યાયાધીશોની પૂર્ણ પીઠના વહીવટી પ્રસ્તાવમાં જણાવાયું હતું કે</span><span style="font-size: 14.0pt;">, “</span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">મનુ પ્રત્યે કોઈ અનાદર રાખ્યા સિવાય આ બાબતનો વિવાદ જોઈને પ્રસ્તાવ કરવામાં આવે છે કે મૂર્તિને રાજસ્થાન હાઈકોર્ટના પરિસરમાંથી હઠાવી લેવામાં આવે” જો કે આ બાબતનો અમલ થાય તે પૂર્વે જ વિશ્વ હિંદુ પરિષદના ધર્મેન્દ્ર મહારાજે પ્રતિમા ન હઠાવવા  હાઈકોર્ટમાં દાદ માગી. હાઈકોર્ટની એકલપીઠના જજ મહેન્દ્રભૂષણે હાઈકોર્ટના તમામ જજોના પ્રતિમા હઠાવી લેવાના સર્વાનુમત નિર્ણય સામે મનાઈહુકમ આપ્યો અને આ બાબતની સુનાવણી કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બૅન્ચને કરવા પણ આદેશ કર્યો.</span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65997c0d3a058.jpg" alt=""><strong><i><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman'; color: #e03e2d;">પી.એલ મીમરોઠ</span></i></strong></p>
<p style="text-align: justify;"><br><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">૧૯૮૯ થી ૨૦૨૩ સુધીમાં રાજસ્થાનની વડી અદાલતમાં વીસ જેટલા મુખ્ય ન્યાયાધીશો આવ્યા-ગયા છે પરંતુ એક અપવાદ સિવાય કોઈએ આ બાબતની સુનાવણી  હાથ ધરી નથી. છેક ૨૩ વરસે તે સમયના ચીફ જસ્ટિસ સુનીલ અંબવાનીએ ૧૩ ઓગસ્ટ</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">૨૦૧૫ના રોજ આ કેસની સુનાવણી હાથ ધરી. હતી. આ દિવસે અદાલતનો ખંડ ચારસો-પાંચસો વકીલોથી ભરાઈ ગયો હતો. મનાઈહુકમ ઉઠાવી લઈને કોર્ટના સર્વાનુમત વહીવટી  હુકમનો અમલ કરવા માટે જાણીતા</span><span lang="GU" style="font-size: 14.0pt;"> </span><strong><i><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman'; color: #e03e2d;">દલિત આગેવાન અને વકીલ પી.એલ મીમરોઠે રિટ કરી હતી</span></i></strong><span style="font-size: 14.0pt;">. </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">પણ તેમના એડવોકેટ અજયકુમાર જૈને જેવી દલીલો કરવી શરૂ કરી કે તુરત તેમના વિરોધમાં અદાલતમાં શોરબકોર અને બૂમબરાડા થવા માંડ્યા. ચીફ જસ્ટિસે શાંતિ સ્થાપવા પ્રયત્નો કર્યા પણ તે સફળ ન થતાં તેઓ કાર્યવાહી સ્થગિત કરીને ચાલ્યા ગયા. એટલે વીત્યાં પાંત્રીસ વરસમાં આ કેસ એમ જ લટકેલો પડ્યો છે. વિરોધીઓ મનુની પ્રતિમાને કોઈ તકતી સુધ્ધાં લગાવવા દેતા નથી કે તરફદારો એને હઠાવી લેવાની માંગણી આગળ જરાય ઝુકતા નથી.</span><span style="font-size: 14.0pt;"> </span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><br><strong><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman'; color: #e03e2d;">તરફદારો અને વિરોધીઓનાં આંદોલનો</span></strong><o:p></o:p></p>
<p style="text-align: justify;"><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">મનુની પ્રતિમા હઠાવવા માટે દલિતો અને મહિલાઓનાં આંદોલનો સતત ચાલતાં રહ્યાં છે. બહુજન સમાજ પાર્ટીના સ્થાપક કાંશીરામે ૧૯૯૬માં એક મોટી રેલી અને સભા મનુપ્રતિમા હઠાવવા કરી હતી. મહારાષ્ટ્રના જાણીતા કર્મશીલ બાબા આઢવે ૨૦૦૦ના વરસમાં ત્રણ મહિનાની મહાડથી જયપુરની ‘મનુપ્રતિમા હઠાવો યાત્રા’ કરી હતી. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65997c0db1531.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">જેનો મુખ્ય નારો ‘મનુવાદ હઠાવો</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">મનુપ્રતિમા હઠાવો</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">આંબેડકરપ્રતિમા લગાવો’ હતો. આઠમી માર્ચ ૨૦૦૦ના આંતરરાષ્ટ્રીય મહિલા દિને રિપબ્લિકન પાર્ટીના આગેવાન અને વર્તમાન એનડીએ સરકારમાં મંત્રી રામદાસ આઠવલેના નેતૃત્વમાં જયપુરમાં વિરોધ આંદોલન થયુ હતું. ૨૦૧૭ના વરસમાં દલિત નેતા અને હાલ ગુજરાત વિધાનસભાના સભ્ય જિજ્ઞેશ મેવાણીના નેતૃત્વમાં જયપુરમાં મનુવાદવિરોધી સંમેલન યોજવામાં આવ્યું હતું અને તેમાં મનુની પ્રતિમા હઠાવી લેવાની માગ થઈ હતી. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65997c0fa3d20.jpg" alt=""><em><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બાબા આઢવ</span></strong></span></em></p>
<p style="text-align: justify;"><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">રિપબ્લિકન પાર્ટીના ખરાત જૂથનાં ઓરંગાબાદનાં બે મહિલા કાર્યકરો કાંતા અહીરે અને શીલાબાઈ પવારે છેક ૧</span><span style="font-size: 14.0pt;">,</span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">૨૫૦ કિલોમીટર દૂર ઔરંગાબાદથી જયપુર આવીને</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">આઠમી ઓકટોબર ૨૦૧૮ના રોજ મનુની પ્રતિમા પર કાળો રંગ લગાડીને ઉગ્ર વિરોધ કર્યો હતો. તેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા.</span><span style="font-size: 14.0pt;"> </span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65997c0bd28c1.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><strong><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman'; color: #e03e2d;">આ પણ વાંચોઃ</span></strong><strong><span lang="GU" style="font-size: 14.0pt; color: #e03e2d;"> </span></strong><a href="https://khabarantar.com/Know,-enjoy,-understand-and-explain-Indian-Constitution"><b><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">ભારતીય બંધારણઃ જાણો</span></b><b><span style="font-size: 14.0pt;">, </span></b><b><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">માણો</span></b><b><span style="font-size: 14.0pt;">, </span></b><b><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">સમજો અને સમજાવો</span></b></a><o:p></o:p></p>
<p style="text-align: justify;"><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">મનુના વિરોધીઓ મનુપ્રતિમા હઠાવો સંઘર્ષ સમિતિઓ રચીને આંદોલનો કરે છે</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">તો તેના તરફદારો ‘મનુપ્રતિષ્ઠા સંઘર્ષ સમિતિ’ દ્વારા પ્રતિમાને યથાવત રાખવા કામ કરે છે. સંઘ પરિવારની રગરગમાં મનુ અને મનુના વિચારો પડેલા છે અને તે વ્યક્ત પણ થાય છે. ડાબેરી લેખક સુભાષ ગાતાડેના પુસ્તક ‘મોદીનામા’ના પ્રકરણ પાંચ ‘મનુનું સંમોહન’માં મનુ અને વડાપ્રધાન મોદીના વિચારોની ચર્ચા છે. ડિસેમ્બર ૨૦૧૭માં આર.એસ એસના અગ્રણી ઈન્દ્રેશકુમારે જયપુરમાં યોજેલી સભાનો વિષય હતો</span><span style="font-size: 14.0pt;">, “</span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">આદિપુરુષ મનુને ઓળખો</span><span style="font-size: 14.0pt;">, ‘</span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">મનુસ્મૃતિ’ને જાણો”.</span><span style="font-size: 14.0pt;"> </span><o:p></o:p></p>
<p><em><strong><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65997ff325d48.jpg" alt=""><span style="color: rgb(224, 62, 45);">(મનુની પ્રતિમા પર કાળો રંગ ફેરવતા કાંતા અહીરે અને શીલાબાઈ પવારે)</span></strong></em></p>
<p style="text-align: justify;"><br><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">તેમાં મનુને સામાજિક સદ્‌ભાવ અને સામાજિક ન્યાયના પહેલા ન્યાયવિદ ઠરાવવામાં આવ્યા હતા. સાવરકર હિંદુ રાષ્ટ્ર માટે વેદો પછીનો સૌથી મહત્ત્વના ગ્રંથ ‘મનુસ્મૃતિ’ને ગણે</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">ગુરુ ગોલવલકર ‘વી ઔર અવર નેશનહુડ ડિફાઇન્ડ’માં મનુના કાયદાની હિમાયત કરે</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">ભાજપ તેના ચૂટણીઢંઢેરામાં બંધારણની સમીક્ષાનો મુદ્દો સામેલ કરે</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">૨૦૧૭માં સંઘ સુપ્રીમો મોહન ભાગવત ભારતનું બંધારણ વિદેશી સ્ત્રોતો પર આધારિત હોવાની વાત કરીને દેશની મૂલ્યપ્રણાલીને અનુરૂપ બંધારણની માગ કરે</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">સંઘતરફી લેખકો અને વિચારકો વિશુદ્ધ ‘મનુસ્મૃતિ’નું સંપાદન અને પ્રકાશન કરે</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">અદાલતો તેમના ચુકાદામાં ‘મનુસ્મૃતિ’ના સંદર્ભો ટાંકે—એ સઘળું મનુની પ્રતિમાને અને મનુના વિચારોને વાજબી અને પ્રસ્તુત ઠેરવે છે. એ સંદર્ભમાં મનુ વિરોધીઓને અદાલતનો આશરો હતો. અદાલતો રામમંદિરનો ચુકાદો આપી શકે છે</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">પરંતુ મનુની પ્રતિમાના કેસની તો સુનાવણી પણ કરતી નથી. એ સંજોગોમાં દલિતો અને મહિલાઓ નિરાશા જ નહીં</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">હતાશા પણ અનુભવે તો નવાઈ નહીં.</span><span style="font-size: 14.0pt;"> </span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65997c0c4c9c3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">ભારતના બંધારણના અનુચ્છેદ ૧૩માં જણાવ્યું છે કે</span><span style="font-size: 14.0pt;">, “</span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">૨૬મી જાન્યુઆરી</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">૧૯૫૦ પછી અગર જો કોઈ જૂની પરંપરા યા વિધાન જે મૂળભૂત અધિકારોનું હનન કરે</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">જે કોઈ પણ પ્રકારની રૂઢિ હોઈ શકે તો એ પરંપરા અનુચ્છેદ ૧૩નું ઉલ્લંઘન મનાશે.” પણ અહીં તો ખુદ અદાલતના આંગણામાં જ અન્યાયનું પ્રતીક શોભાયમાન છે.</span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><br><strong><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman'; color: #e03e2d;">શું પ્રતિમાઓ હટાવી શકાતી નથી</span></strong><strong><span style="font-size: 14.0pt; color: #e03e2d;">?</span></strong><o:p></o:p></p>
<p style="text-align: justify;"><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">૨૦૨૦ની ‘મનુપ્રતિમા હટાવો ઝુંબેશ’ અમેરિકા</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">ઈંગ્લેન્ડ અને ફ્રાન્સના કાળા આંદોલનકારીઓની ‘પ્રતિમા હઠાવો આંદોલન’ ઝુંબેશની સફળતાથી પ્રેરિત હતી. એટલે કોઈ સ્થાપિત પ્રતિમા હટાવી ન શકાય તેમ માનવું સાચું નથી. તાલિબાનોએ બળજબરીથી બામિયાનમાં બુધ્ધની પ્રતિમા ધ્વસ્ત કરી હતી. દીર્ધ સામ્યવાદી શાસન પછી માર્ચ ૨૦૧૮માં ત્રિપુરામાં  ભાજપની જીત થઈ કે તુરત જ ભાજપના સમર્થકો અને કાર્યકરોએ ત્રિપુરાના બેલોનિયા અને સબરૂમ શહેરમાં આવેલી રૂસી ક્રાંતિના નાયક લેનિનની પ્રતિમાઓ જેસીબીથી ઉખાડી ફેંકી હતી. </span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65997c0f0df19.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">જવાબમાં પશ્ચિમ બંગાળમાં સામ્યવાદી કાર્યકરોએ જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમા ક્ષતિગ્રસ્ત કરી હતી. તમિલનાડુમાં પેરિયારની પ્રતિમા ક્ષતિગ્રસ્ત કરનારા છે</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">તો ભર લૉકડાઉને દેશમાં આંબેડકર પ્રતિમાઓ ખંડિત કરવાના દસ બનાવો બન્યા હતા. બ્લેક મુવમેન્ટમાં ગાંધીજીને રંગદ્વેષી ગણાવીને અમેરિકાના ભારતીય દૂતાવાસમાં સ્થાપિત ગાંધીજીની પ્રતિમા સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">૨૦૧૮માં આફ્રિકી દેશ ઘાનાની યુનિવર્સિટીમાં મુકાયેલી ગાંધી પ્રતિમા બે વરસના વિરોધ આંદોલનો પછી હઠાવી દેવામાં આવી હતી. એટલે મનુની પ્રતિમા પણ જરૂર હઠી શકે છે.</span><span style="font-size: 14.0pt;"> </span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><strong><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman'; color: #e03e2d;">આ પણ વાંચોઃ</span></strong><span lang="GU" style="font-size: 14.0pt;"> </span><a href="https://khabarantar.com/RSS-and-Ambedkar-are-polar-opposites-yet-why-Sangh-praises-Baba-Saheb"><strong><span style="font-size: 14.0pt; color: blue; text-decoration: none; text-underline: none;">RSS </span></strong><strong><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman'; color: blue; text-decoration: none; text-underline: none;">અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે</span></strong><strong><span style="font-size: 14.0pt; color: blue; text-decoration: none; text-underline: none;">?</span></strong></a><o:p></o:p></p>
<p style="text-align: justify;"><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">ત્રિપુરામાં ભાજપની જીત પછી લેનિનની પ્રતિમા ધ્વસ્ત કરાઈ ત્યારે રાજ્યપાલના બંધારણીય હોદ્દે બિરાજમાન તથાગત રાયે અદભૂત ટ્વીટ કરી હતી કે</span><span style="font-size: 14.0pt;">, “</span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી એક સરકાર જે કામ કરે છે</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">તેને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી બીજી સરકાર ખતમ કરી શકે છે” રાજસ્થાનમાં ૧૯૮૯માં મનુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી ત્યારે રાજ્યમાં કોંગ્રેસનું શાસન હતું જે માર્ચ ૧૯૯૦માં સમાપ્ત થયું તે પછી સતત નવેક વરસ ભાજપના ભૈરોસિંઘ શેખાવત મુખ્યમંત્રી હતા. ગયા પાંચ વરસો (૨૦૧૯થી ૨૦૨૩) થી રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી અને અશોક ગહેલોત મુખ્યમંત્રી હતા. હવે ભારતીય જનતા પક્ષની સરકાર છે અને બ્રાહ્મણ મુખ્યમંત્રી છે. એટલે ૩૫ વરસોમાં આ બે પક્ષોની  સત્તા રાજ્યમાં વારાફરતી આવતી રહી છે</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">પણ કોઈને મનુની પ્રતિમા હઠાવવાનું સૂઝતું નથી. ત્રિપુરાના ગવર્નર કહે છે તેમ</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી એક સરકારનું પગલું બીજી સરકાર બદલે તેવું આ કામ નથી. કેમ કે ‘ઈન્ડિયન એક્સપ્રેસ’નો તા. ૨૯-૧૦-૨૦૧૮નો અહેવાલ જણાવે છે તેમ</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">મનુની પ્રતિમા સ્થાપિત કરવામાં વકીલોનું મંડળ</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">લાયન્સ કલબ</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">ચીફ જસ્ટિસની સંમતિની સાથે તે વખતના રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજકુમાર કાલા પણ સક્રિય રીતે ભળેલા  હતા.</span><span style="font-size: 14.0pt;"> </span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65997c0e673bb.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">ગઈ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ અને ‘શિવભક્ત’ રાહુલ ગાંધી તથા પ્રભારી અશોક ગહેલોત હિંદુત્વના રસ્તે કેવા મંદિર-દર-મંદિર માથા ટેકવતા હતા. ગળામાં રહેલી રુદ્રાક્ષની માળા સૌને નજરે પડે તેવી જ રીતે કાયમ સાડી પરિધાન કરતાં દાદીમા અને દાદીમાના અંતિમ સંસ્કારમાં જનોઈ દેખાય એવા ખુલ્લા બદનવાળા પિતાજીનું સંતાન રાહુલ ગાંધી ગુજરાતમાં કોઈ આદિવાસી કિશોરી સાથે આચરાતી અંધશ્રદ્ધાનો વીડિયો ટ્વીટ કરી શકે છે (ને તે વખાણવાલાયક જ છે)</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">મનમોહનસિંઘ સરકારનો ખરડો સરેઆમ ફાડી નાંખવાની બહાદુરી  બતાવી શકે છે</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">પણ  મનુપ્રતિમાને હાથ લગાડી શકશે નહીં એટલું નક્કી જાણવું.</span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><br><strong><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman'; color: #e03e2d;">જસ્ટિસ રવાણી અને જસ્ટિસ ભૈરવિયા</span></strong><o:p></o:p></p>
<p style="text-align: justify;"><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">આટલા વરસોમાં રાજસ્થાન હાઈકોર્ટમાં જે  ચીફ જસ્ટિસ આવ્યા-ગયા તેમાં એક નામ ગુજરાતના દલિત-ગરીબ તરફી પ્રગતિશીલ જજ એ. પી. રવાણીનું છે. જસ્ટિસ રવાણી તા.૪-૪-૧૯૯૫ થી તા. ૧૦-૦૯-૧૯૯૬ સુધી રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા. તે દરમિયાન તેમણે મનુની પ્રતિમા હઠાવવા અંગે કંઈ કર્યું હોય તેમ નોંધાયું નથી.</span><span style="font-size: 14.0pt;"> </span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><br><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">મુંબઈ અને ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">જન્મે દલિત</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">દિવંગત વિનુભાઈ ભૈરવિયાએ એમની આત્મકથા ‘સ્વાતંત્ર્યની મંઝિલ’માં મનુપ્રતિમા પ્રતિરોધનો એક સરસ અનુભવ લખ્યો છેઃ</span><span lang="GU" style="font-size: 14.0pt;"> </span><strong><span style="font-size: 14.0pt; color: #e03e2d;">“</span></strong><strong><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman'; color: #e03e2d;">૧૯૯૩માં રાજસ્થાન હાઈકોર્ટમાં અનુસૂચિત જાતિ અને જનજાતિને કાનૂની સહાય આપવા અંગે સુપ્રીમ કોર્ટના જજ કે. રામસ્વામીના પ્રમુખસ્થાને અને મારા અતિથિવિશેષપદે સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમનું સ્થળ હાઈકોર્ટ પરિસર</span></strong><strong><span style="font-size: 14.0pt; color: #e03e2d;">, </span></strong><strong><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman'; color: #e03e2d;">જયપુર  હતું. મંચની સામે જ મનુની પ્રતિમા હતી અને વક્તાઓએ તેની સામે જોઈને જ સંબોધન કરવાનું હતું. કાર્યક્રમના આરંભે મનુની પ્રતિમાને હાર પહેરાવવામાં આવ્યો. જ્યારે મારે સંબોધન કરવાનું આવ્યું ત્યારે મેં મુખ્ય આયોજકને બોલાવી મનુના પૂતળાનો ચહેરો ઢાંકી દેવા જણાવ્યું. જો એમ નહીં કરો તો મારાથી પ્રવચન કરી શકાશે નહીં</span></strong><strong><span style="font-size: 14.0pt; color: #e03e2d;">, </span></strong><strong><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman'; color: #e03e2d;">તેમ પણ કહ્યું. કેમ કે સેમિનારનો વિષય દલિત-આદિવાસી અને સ્ત્રીઓને કાનૂની મદદ પહોંચાડવાનો હતો અને મનુ આવા અધિકારની વિરુદ્ધ હતા. એટલું જ નહીં</span></strong><strong><span style="font-size: 14.0pt; color: #e03e2d;">, </span></strong><strong><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman'; color: #e03e2d;">મનુએ અસ્પૃશ્યો અને સ્ત્રીઓના માનવગૌરવને નકાર્યું હતું. આયોજકોને મારો મુદ્દો સમજાઈ ગયો. તેમણે પૂતળાને સફેદ સ્વચ્છ કપડાં વડે ઢાંકી દીધું. જોકે તેના પર હાર તો મૂકવામાં આવ્યો જ હતો. મે મારા વક્તવ્યમાં ભારત જેવા લોકશાહી દેશમાં મનુષ્ય ગૌરવના  દુશ્મન અને સામાજિક ભેદભાવ તથા અસમાનતાના સર્જક મનુનું સ્થાન ન્યાયના મંદિરમાં તો ના જ હોવું જોઈએ તે વાત પર ખાસ ભાર મૂક્યો. શ્રોતાઓ અને મંચ પરના મહાનુભાવો આ સાંભળીને ડઘાઈ ગયા.”</span></strong><span lang="GU" style="font-size: 14.0pt;"> </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">કાશ</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">આટલા વરસોમાં જસ્ટિસ ભૈરવિયા જેવો માનનીય જજસાહેબોનો પ્રતિરોધ પણ આપણને મળ્યો હોત!</span><span style="font-size: 14.0pt;"> </span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><br><strong><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman'; color: #e03e2d;">ઉકેલ શો</span></strong><strong><span style="font-size: 14.0pt; color: #e03e2d;">? </span></strong></p>
<p style="text-align: justify;"><o:p></o:p><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">મનુની પ્રતિમાના જ નહીં</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">તેમના વિચારોના પણ તરફદારો દેશમાં બહુમતીમાં નથી. છતાં</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">શાસન અને સ્થાપિત હિતોની ઓથને કારણે તે મજબૂત છે. એટલે મનુની પ્રતિમા હટાવવાનું આંદોલન લોકશાહી ઢબે</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">શાંત અને અહિંસક રીતે</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">પણ મજબૂત સંગઠનથી ચાલવું જોઈએ. જાણીતાં લેખિકા</span><span lang="GU" style="font-size: 14.0pt;"> </span><strong><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman'; color: #e03e2d;">અરુંધતી રોય કહે છે</span></strong><strong><span style="font-size: 14.0pt; color: #e03e2d;">, “</span></strong><strong><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman'; color: #e03e2d;">આપણે એક જ્ઞાતિવાદી</span></strong><strong><span style="font-size: 14.0pt; color: #e03e2d;">, </span></strong><strong><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman'; color: #e03e2d;">હિંદુ રાષ્ટ્રવાદી દેશમાં રહીએ છીએ. આપણે એ દિવસથી હજુ બહુ દૂર છીએ. જ્યારે આપણે ત્યાં અમેરિકાની જેમ મૂર્તિઓ હઠાવી કે તોડી નંખાશે. આપણે તો આવી મૂર્તિઓ સ્થાપિત કરવાના અને તેના ઉત્સવો મનાવવાના જમાનામાં જીવીએ છીએ.”</span></strong><span style="font-size: 14.0pt;"> </span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65997df0d0f38.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">અમેરિકાના બ્લેક લાઈવ્સ મુવમેન્ટ અને કાળાઓના બીજા આંદોલનોને વરસોના સંઘર્ષ અને સંગઠન સાથે કવિતા</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">કલા</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">સંગીત સાહિત્યનાં આયોજનો અને સ્મૃતિઓનું પરિણામ ગણાવતાં અરુંધતી નોંધે છે કે “અમેરિકાની નવી પેઢીમાં રંગભેદના મુદ્દે બેહદ રોષ અને શરમ છે.” એ નોંધવું જોઈએ કાળાઓના આંદોલનમાં જ નહીં</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">પેલી પ્રતિમાઓ તોડવામાં પણ ઘણાં ગોરાઓ તેમની સાથે હતા. ભારતમાં એ દિવસો ઘણા દૂર છે. મનુ અને તેમના વિચારોને પૂર્ણ ભૂતકાળ નહીં</span><span style="font-size: 14.0pt;">, </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">ચાલુ વર્તમાન કાળ ગણાવતાં ડૉ.આંબેડકરે પૂછ્યું હતું</span><span style="font-size: 14.0pt;">, “</span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">મનુનો ધર્મ એ કેવળ ભૂતકાળ નથી. એ જાણે આજે જ ઘડાયો હોય તેવો તેનો વર્તમાન છે અને તેની પકડ ભવિષ્યમાં પણ રહેશે એવાં સ્પષ્ટ એંધાણ વર્તાય છે. સવાલ એ છે કે મનુ અને તેના વિચારોની અસર થોડા સમયની જ હશે કે કાયમી</span><span style="font-size: 14.0pt;">?” </span><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">બાબાસાહેબના સવાલનો જવાબ મનુની પ્રતિમાનું અને મનુના વિચારોનું ભવિષ્ય નિર્ધારિત કરશે.</span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14.0pt; color: #e03e2d;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><strong><i>(</i></strong><strong><i><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">લેખક વરિષ્ઠ પત્રકાર</span>, </i></strong><strong><i><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના મુદ્દાઓના તલસ્પર્શી અભ્યાસુ છે)</span></i></strong><o:p></o:p></p>
<p style="text-align: justify;"><strong><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman'; color: #e03e2d;">આગળ વાંચોઃ</span></strong><strong><span lang="GU" style="font-size: 14.0pt; color: #e03e2d;"> </span></strong><a href="https://khabarantar.com/Why-is-Mata-Savitribai-Phule-not-taught-in-our-schools"><strong><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman'; color: blue; text-decoration: none; text-underline: none;">આપણી શાળાઓમાં માતા સાવિત્રીબાઈ ફૂલેનો પાઠ કેમ ભણાવાતો નથી</span></strong><strong><span style="font-size: 14.0pt; color: blue; text-decoration: none; text-underline: none;">?</span></strong></a><o:p></o:p></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #e03e2d;">Khabarantar.com </span></strong><strong><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman'; color: #e03e2d;">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </strong><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU" style="font-size: 14.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: 'Times New Roman';">અહીં ક્લિક કરો.</span></b></a><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span lang="EN-US" style="font-size: 12.0pt; line-height: 115%; font-family: 'Shruti','sans-serif';"><o:p> </o:p></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 07 Jan 2024 09:47:36 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 16 Mar 2024 21:01:37 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>258</Articleid>
                    <excerpt>રાજસ્થાન હાઈકોર્ટના પરિસરમાં છેલ્લાં કેટલાય વર્ષોથી વર્ણવ્યવસ્થાના મૂળ રોપનાર કથિત ભગવાન મનુની પ્રતિમા ઉભી છે. તેને હટાવવા માટે માન્યવર કાંશીરામથી લઈને વર્તમાન કર્મશીલો સુદ્ધાંએ પ્રયત્નો કરી જોયા છે. પણ હજુ સુધી તેને હટાવી શકાઈ નથી. વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયા અહીં મનુની પ્રતિમા સ્થાપિત કરવા પાછળના ઈરાદાથી લઈ વર્તમાન સુધીનો ઈતિહાસ વિસ્તારથી સમજાવે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_65997c0b8e601.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_65997c0b5c989.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_65997c0b5c989.jpg" length="87923" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;જય ભીમ&amp;apos; નો નારો ખરેખર કોણે આપ્યો હતો, બાબુ હરદાસે, મહાર સૈનિકોએ કે પછી બીજા કોઈએ?</title>
                    <link>https://khabarantar.com/Who-really-gave-the-slogan-Jai-Bheem,-Babu-Hardas,-Mahar-soldiers-or-someone-else</link>
                    <guid>https://khabarantar.com/Who-really-gave-the-slogan-Jai-Bheem,-Babu-Hardas,-Mahar-soldiers-or-someone-else</guid>
                    <description>
                        <![CDATA[ આજે 6 જાન્યુઆરી એટલે બહુજન સમાજની ઓળખ બની ચૂકેલો ‘જય ભીમ’નો નારો આપનાર બાબુ હરદાસની 119મી જન્મજયંતિનો દિવસ. તેમણે આંબેડકરવાદીઓને &#039;જય ભીમ&#039; નો નારો આપ્યો હોવાનું કહેવાય છે. જો કે કેટલાક અભ્યાસુઓ ‘જય ભીમ’ના નારાના ઉદ્ભવને લઈને ભિન્ન મતો પણ ધરાવે છે. શું છે તે ભિન્ન મતો તેના વિશે અહીં ચર્ચા કરીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">- હિદાયત પરમાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જય ભીમ એ બહુજન સમાજની નવી ઓળખ છે જે દરેકને એકસૂત્રમાં પરોવે છે. પરંતુ શું તમે જાણો છો કે ‘જય ભીમ’નો આ નારો ક્યાંથી આવ્યો? જય ભીમ બોલનાર સૌ પ્રથમ કોણ હતું? અને જય ભીમનો આ નારો આજે બહુજન સમાજની ઓળખ કેવી રીતે બન્યો છે? બાબુ હરદાસજીની જન્મજયંતિ પર જાણીએ શા માટે ‘જય ભીમ’ ના નારાના જનક કહેવામાં આવે છે. સાથે જ આ મામલે પ્રવર્તતા બીજા મતો વિશે પણ ચર્ચા કરવી છે. પહેલા બાબુ હરદાસ વિશે જાણીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબુ હરદાસ એ વ્યક્તિ છે જેઓ હરહંમેશ બાબા સાહેબ સાથે રહ્યા. 1921ના સામાજિક આંદોલનમાં પણ તેઓ બાબા સાહેબની સાથે હતા. બાબુ હરદાસ લક્ષ્મણ નાગરાલે બાબા સાહેબની સાથે આંદોલનોમાં સક્રિયપણે ભાગ લેતા હતા. એવું નહોતું કે બાબુ હરદાસ કોઈ આંદોલનમાં બાબા સાહેબનો સાથ આપતા. હકીકતમાં, બાબુ હરદાસે 1930માં નાસિક કાલારામ મંદિર સત્યાગ્રહ અને 1932માં પૂના કરાર દરમિયાન બાબાસાહેબ આંબેડકરની સાથે રહીને ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબુ હરદાસના મનમાં જય ભીમ શબ્દો પહેલીવાર કોઈ મુસ્લિમ વ્યક્તિને જોઈને આવ્યા હતા. થયું એવું કે તેમણે એક મુસ્લિમ સમુદાયના કાર્યકરને બીજા મુસ્લિમ ભાઈને ‘અસ્સલામુ-‘અલૈકુમ'(આપ પર અમારો સલામ પહોંચે. મુલાકાત, છુટા પડતી વખતે કે પત્રાચાર વખતે અભિવાદન) કહેતા જોયો. જેના જવાબમાં બીજા મુસ્લિમ વ્યક્તિએ પણ 'વ’અલૈકુમ - અસ્સલામ’(તમે પણ સલામત રહો) કહીને જવાબ આપી રહ્યા હતા. આ જ ક્ષણે બાબુ હરદાસે વિચાર્યું કે આપણે પણ મુસ્લિમ ભાઈઓની જેમ એકબીજાનું અભિવાદન કરવું જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પછી તરત જ તેમના મનમાં એક વિચાર આવ્યો કે અભિવાદનમાં કહેવું શું જોઈએ? તેમના મનમાં અચાનક આવ્યું કે આપણે એકબીજાને ‘જય ભીમ’ કહીને અભિવાદન કરીએ તો કેવું રહે? આ પછી તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે, હું તમને બધાને 'જય ભીમ' કહીશ અને તમે જવાબમાં 'બળ ભીમ' બોલજો. ત્યારથી આ અભિવાદન શરૂ થયું. પરંતુ હવે ફરી એક પ્રશ્ન આપ સૌનાં મનમાં ઉદ્દભવશે કે જો આપણે શુભેચ્છામાં ‘જય ભીમ’ બોલીએ તો જવાબમાં ‘જય ભીમ’ પણ બોલાય. પરંતુ એ વખતે જય ભીમના નારાના અભિવાદનમાં ‘બળ ભીમ’ કહેવાનું હતું અને તેની પાછળ પણ એક કારણ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હકીકતમાં થયું એવું કે બહુજન સમુદાયમાં શરૂઆતમાં જય ભીમના સંબોધનમાં બળ ભીમ જ કહેવામાં આવતું હતું. પરંતુ સમયની સાથે સમાજના લોકોએ તેમાં ફેરફાર કર્યો અને તેઓને તેનો ખ્યાલ પણ ન રહ્યો. તેમણે બળ ભીમને બદલે જય ભીમ કહેવાનું શરૂ કર્યું, જેના કારણે ‘બળ ભીમ’ ધીમે ધીમે ઉપયોગમાંથી ગાયબ થઈ ગયો અને તેનું સ્થાન ‘જય ભીમે’ લીધું. ત્યારથી લઈને આજ સુધી 'જય ભીમ'થી અભિવાદન ચાલુ છે. જય ભીમનો નારો આજે પણ દેશના તમામ બહુજન સમુદાયને એક સૂત્રમાં બાંધી રાખવાનું કામ કરી રહ્યો છે. જય ભીમનો અર્થ થાય છે ભીમની જીત કે ડૉ. ભીમરાવ આંબેડકર જિંદાબાદ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વિષય પર એક અન્ય અભિપ્રાય પણ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત એક ઈન્ટરવ્યૂમાં જેએનયુના પ્રોફેસર વિવેક કુમારના જણાવ્યા અનુસાર, ‘જય ભીમ’ શબ્દની ઉત્પત્તિ બાબા સાહેબના જન્મ પહેલા જ થઈ હતી. એટલે કે લગભગ 73 વર્ષ પહેલાં 1818માં. તેમનો ઇન્ટરવ્યૂ 18 એપ્રિલ, 2016ના રોજ પ્રકાશિત થયો હતો. જેએનયુના સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ સોશિયલ સિસ્ટમ્સ, સ્કૂલ ઑફ સોશિયલ સાયન્સના પ્રોફેસર વિવેક કુમારે જણાવ્યું હતું કે 1 જાન્યુઆરી, 1818ના રોજ કોરેગાંવની લડાઈમાં જય ભીમનો નારો સૌથી પહેલા ઉચ્ચારવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ યુદ્ધ પેશવા અને બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે થયું હતું. પ્રોફેસર વિવેક કુમારે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે યુદ્ધ દરમિયાન મહાર સૈનિકોએ (તત્કાલીન બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો ભાગ) ભીમા નદી પાર કરીને ‘જય ભીમ’ના નારા લગાવ્યા હતા. આ સૂત્રએ તેમને નીલ નદી પર વિજય મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા. હવે એ હકીકતથી તો સૌ વાકેફ છે કે, મહાર સેનાએ પેશવાઓને હરાવ્યા હતા. બાબા સાહેબ પણ દર વર્ષે પૂણેમાં આ સ્થાનની મુલાકાત લેતા હતા અને મહારો દ્વારા પ્રદર્શિત કરાયેલ અનુકરણીય બહાદુરીને પુષ્પાંજલિ અર્પણ કરતા હતા. પ્રો. વિવેકે વધુમાં કહ્યું છે કે 1936માં ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી (ILP) ની સ્થાપના પછી જ્યારે બાબાસાહેબ મુંબઈની એક ચાલમાં તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા હતા, ત્યારે તેમના એક સમર્થકે તેમને શુભેચ્છા પાઠવવા માટે ‘જય ભીમ’ના નારા લગાવ્યા, ત્યારબાદ આ નારો સતત આગળ વધતો ગયો. આજે ‘જય ભીમ’ ખૂબ જ લોકપ્રિય નારો બની ગયો છે. પરસ્પર અભિવાદન સિવાય, સામાજિક ન્યાય સંબંધિત મુદ્દાઓ પર ચાલતા તમામ આંદોલનોમાં તમે ચોક્કસપણે ‘જય ભીમ’ના નારા સાંભળશો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">(લેખક વ્યવસાયે કમ્યૂટર નિષ્ણાત હોવાની સાથે બહુજન સાહિત્યના અભ્યાસુ છે.)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/The-words-Jai-Bheem-came-to-Babu-Hardass-mind-on-seeing-a-Muslim-person"><strong><span style="font-size: 14pt;">બાબુ હરદાસના મનમાં ‘જય ભીમ’ શબ્દો એક મુસ્લિમ વ્યક્તિને જોઈને આવેલા</span></strong></a></p>
<div class="post-text">
<div class="post-text">
<div class="post-text">
<div class="post-meta">
<div class="post-text">
<p><span><strong><span style="color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></strong></span></p>
</div>
<div class="post-tags"></div>
</div>
<p></p>
</div>
</div>
</div>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 06 Jan 2024 10:49:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>257</Articleid>
                    <excerpt>આજે 6 જાન્યુઆરી એટલે બહુજન સમાજની ઓળખ બની ચૂકેલો ‘જય ભીમ’નો નારો આપનાર બાબુ હરદાસની 119મી જન્મજયંતિનો દિવસ. તેમણે આંબેડકરવાદીઓને &#039;જય ભીમ&#039; નો નારો આપ્યો હોવાનું કહેવાય છે. જો કે કેટલાક અભ્યાસુઓ ‘જય ભીમ’ના નારાના ઉદ્ભવને લઈને ભિન્ન મતો પણ ધરાવે છે. શું છે તે ભિન્ન મતો તેના વિશે અહીં ચર્ચા કરીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_6598e1a946123.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_6598e1a915348.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_6598e1a915348.jpg" length="59601" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>દલપત ચૌહાણની નોંધ ગુજરાતી સાહિત્ય જગતમાં કઈ રીતે લેવાઈ છે?</title>
                    <link>https://khabarantar.com/How-has-Dalpat-Chauhan-been-noticed-in-the-Gujarati-literary-world</link>
                    <guid>https://khabarantar.com/How-has-Dalpat-Chauhan-been-noticed-in-the-Gujarati-literary-world</guid>
                    <description>
                        <![CDATA[ દિગ્ગજ દલિત સાહિત્યકાર દલપત ચૌહાણની પૂર્વ સંયુક્ત માહિતી નિયામક અને વરિષ્ઠ પત્રકાર નટુભાઈ પરમારે લીધેલી સુદીર્ઘ મુલાકાતની ત્રીજી કડી અહીં પ્રસ્તુત છે. જેમાં દલપતભાઈના સર્જનની ગુજરાતી સાહિત્ય જગતમાં લેવાયેલી નોંધ સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">ગુજરાતી ભાષાના સાહિત્યમાં દલિત સાહિત્યને અપેક્ષા પ્રમાણે સ્થાન અને આદર મળી શક્યા નથી પરંતુ એ વાત પણ હકીકત છે કે દલિત સાહિત્યકાર દલપત ચૌહાણના સર્જનમાં રહેલી સબળતા-સર્જકતાને કારણે તેમના સાહિત્યની ગુજરાતી વિવેચકો અને સમીક્ષકોએ નોંધ લીધી છે.</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમની નવલકથાઓ આઝાદીકાળના દલિતોની દયનીય સ્થિતિ, અન્ય સવર્ણ સમાજ દ્વારા પહોંચાડાયેલ યાતના - પીડાનો દસ્તાવેજ છે. 'મલક' દલિત પુરુષના સવર્ણ સ્ત્રી સાથેના સંબંધોને કારણે આખા દલિત સમાજ પર આવી પડતી આફત અને અંતે કરવી પડતી હિજરત અને માનવતાના મુદ્દે મુઠી ઊંચેરા પુરવાર થતા દલિતોની કથા છે. નવલકથા 'ગીધ' મહેનતકશ દલિત યુવાન ઈસાને શારીરિક રીતે પામવા મથતી સવર્ણ દિવાળી જ્યારે બીજા કોઈ પુરુષનું પડખે સેવે છે ત્યારે તેનું આળ તો ઈસા પર જ આવે છે. સાવ નિર્દોષ હોવા છતાં જાતિવાદના કારણે ઈસો હોમાઈ જાય છે. 'ભળભાંખળું' નવલકથામાં જેના પર એમની હથોટી છે અને જે જીવન એમણે જોયું છે - અનુભવ્યું છે તે ગ્રામજીવનને તેમણે તાદૃશ્ય ખડું કર્યું છે. નાનકડી એવી દલિત કન્યા મણિને સ્કુલ જવું છે પણ ગામ આખાનો વિરોધ છે. અહીં પણ દલિતોના સામાજીકજીવનની અનેક યાતનાઓ - વિટંબણાઓને યથાતથ વર્ણવી છે. 'રાશવા સૂરજ' અને હવે આવી રહેલી 'બપોર' નવલકથાના કથાતત્વની અછડતી વાત હું આગળ કરી ચૂક્યો છું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6590f1d2e37a0.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમના પાંચ વાર્તાસંગ્રહોમાંની સાઈઠ ઉપરાંતની વાર્તાઓ તમામ દલિત ચેતના જગવતી વાર્તાઓ છે. તેમની પોતાની જ નહિ તમામ દલિતવાર્તાકારોની વાર્તાઓ સંદર્ભે તેમણે કહ્યું છેઃ 'ગુજરાતી સાહિત્યમાં આધુનિકવાદના વાદળ એવા છાયા હતા કે, વાર્તા બિચારી, બાપડી, રાંક થઈ ગઈ હતી, તેને સંજીવની પાઈ છે દલિત વાર્તાઓએ. આજે અનુઆધુનિક સાહિત્ય પ્રવાહમાં દલિતવાર્તાઓ ધસમસતી વહી રહી છે.' તેમની વાર્તાઓ વિશે ડૉ. ભરત મહેતાએ પણ કહ્યુંઃ 'દલિત સાહિત્યના મહત્વના સર્જક તરીકે નીવડી આવી ગુજરાતી સાહિત્યની મુખ્યધારાને રળિયાત કરનારા સર્જકોમાંના એક દલપત ચૌહાણ છે'.(વાર્તા 'મુંઝારો' નિમિત્તે)</span></p>
<div class="post-text">
<p><span style="font-size: 14pt;"><strong>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.<a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"> અહીં ક્લિક કરો</a></strong></span></p>
</div>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>લેખકની સાથે ઉત્તમ વક્તા</strong></span><br><span style="font-size: 14pt;">સ્વયંમાં ગુજરાતી દલિત સાહિત્યની એક જંગમ વિદ્યાપીઠ સમા દલપત ચૌહાણ પ્રસંગોપાત, સમય અનુકૂળતાનુસાર ને નિમંત્રણ મળે સેમિનારો, સમારંભો, અકાદમી- પરિસંવાદોમાં ન માત્ર પોતાની કૃતિઓ વિશે, સમગ્ર દલિત સાહિત્યના પક્ષમાં તેમનો વિદ્વત મત રજૂ કરતા રહ્યા છે. વિવિધ યુનિવર્સિટીઓ, સાહિત્યિક સંસ્થાઓ, સંશોધન કેન્દ્રોમાં તેમને વક્તવ્ય માટે નિમંત્રણ મળતા રહ્યા છે. તેમના આવા વક્તવ્યો / પ્રવચનો પર એક નજર કરી એ તો, 'દલિત કવિતા તરફ એક નજર (મુંબઈ યુનિ.), 'દલિત પથ અને દલિત પ્રશ્નો' (દ. ગુ. યુનિવર્સિટી), 'આધુનિકોત્તર કવિતા' (એમ. એસ.યુનિવર્સિટી), 'દલિત સાહિત્યના લીમડાની 'મેંઠી' ડાળ' (ભાવનગર યુનિવર્સિટી), 'સાંપ્રત સંદર્ભે દલિત સાહિત્યની યથાર્થતા' (બી.એડ્. કોલેજ - મેઘરજ), 'આંબેડકર અને દલિત પીડિતોનું સાહિત્ય' (ગુજરાત યુનિવર્સિટી આંબેડકર ચેર), નવલકથા 'ભળભાખળું' વિશે ('અધિકાર'ના ઉપક્રમે), 'ગોવર્ધનરામ ત્રિપાઠી મારી દૃષ્ટિએ' (સાહિત્ય અકાદમી - દિલ્હીના ઉપક્રમે, અમદાવાદમાં), 'ઉપક્રમ - ગુજરાતી વાર્તાના ભાષાંતરનો' (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), 'ટૂંકી વાર્તાઃ સ્વરૂપ અને સર્જન' (મુંબઈ યુનિવર્સિટી), 'આદિવાસી સમાજ એ હિન્દુ સમાજનો ભાગ છે?' (ભાષા કેન્દ્ર, આદિવાસી અકાદમી, તેજગઢ), 'અવતાર અંગુલીમાનનોઃ એકવીસમી સદીનું ગુજરાતી સાહિત્ય' (મુંબઈ યુનિવર્સિટી), 'મલક' (નવલકથા) અને 'હરિફાઈ' (એકાંકી)માં 'દલિત ચેતના' (દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી), 'નવલકથામાં દલિત ચેતના' (આર્ટસ કોલેજ - તલોદ), '૧૯૮૦ પછીના ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી સર્જકોનું પ્રદાન' (એસ. એન. ડી. ટી. કોલેજ - મુંબઈ), 'ગુજરાતી દલિત સાહિત્ય' (એસ. એન.ડી. ટી. કોલેજ - મુંબઈ), 'ગુજરાતી દલિત સાહિત્ય' (કલિંગ યુનિવર્સિટી - ભુવનેશ્વર) પ્રમુખ છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6590f1ec185cf.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>દલપત ચૌહાણના સર્જન અંગે સંશોધન</strong></span><br><span style="font-size: 14pt;">દલિત સાહિત્ય, લલિત સાહિત્ય કે તે બે વચ્ચેની તુલના - અંતર તથા તેવી કૃતિઓને સમગ્રપણે - દલિત સર્જકની દૃષ્ટિએ તપાસવાની નિપુણતા - ક્ષમતા ધરાવતા દલપત ચૌહાણનો મત લલિત અને દલિત સાહિત્યમાં અત્યંત આધારભૂત લેખવામાં આવે છે. આવા સર્જક આ ઉંમરે પણ આપણી વચ્ચે એમની પૂરી શખ્શિયત સાથે અડીખમ ઊભા છે, તે પણ ગુજરાતી દલિત સાહિત્યના અહોભાગ્ય.</span></p>
<div class="post-text">
<p><span style="font-size: 14pt;"><strong>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.<a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"> અહીં ક્લિક કરો</a></strong></span></p>
</div>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત સાહિત્યના સર્વસંગ્રહકોષ સમા, અભ્યાસુ સર્જક દલપત ચૌહાણના સાહિત્ય સર્જન પર અનેક વિદ્યાર્થીઓ એમ.ફિલ-પીએચ.ડી. કરી રહ્યા છે, કરી ચૂક્યા છે. એ પણ આનંદજનક છે કે, યુનિવર્સિટીઓ/મહાવિદ્યાલયોમાં હવે દલિત સાહિત્યને સંશોધનના એક વિષય તરીકે સ્વીકારનારા છાત્રો/પ્રોફેસરોની સંખ્યા વધી છે. આવા નિબંધોની સંખ્યા ૧૦૦ ઉપરની થવા જાય છે. દલપત ચૌહાણ પરના મહાનિબંધો જોઈએ તો 'દલપત ચૌહાણઃ વ્યક્તિત્વ અને વાંગ્મય' (રમેશ સોનારા- હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી,૨૦૧૫), 'ગુજરાતી દલિત સાહિત્યમાં દલપત ચૌહાણનું પ્રદાન' (એલ.પી. વણકર - ગુજરાત યુનિવર્સટી, ૨૦૨૦), 'ગુજરાતી સાહિત્યમાં દલપત ચૌહાણઃ સમીક્ષાત્મક અભ્યાસ' (ડૉ. રાજેન્દ્ર પરમાર - એમ. એસ. યુનિવર્સિટી, ૨૦૨૧), 'દલપત ચૌહાણનું ગુજરાતી દલિત સાહિત્યમાં ઐતિહાસિક પ્રદાન - ૧૯૪૦ - ૨૦૦૨' (વૈશાલી આનંદ - ગુજ. યુનિ.). ઉપરાંત દલપતભાઈની સાથે અન્ય એક કે બે દલિત સર્જકોના સર્જનકર્મનો સાથે (મહાનિબંધ માટે) અભ્યાસ થયો હોય, તે સંખ્યા (મહાનિબંધોની) પણ ૧૦ જેટલી છે અને કેટલાક તુલનાત્મક અભ્યાસ થયા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમની કેટલીક વાર્તાઓ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી (પાટણ) અને મુંબઈ યુનિવર્સિટીમાં, 'મલક' (નવલકથા) અને 'હરિફાઈ' (એકાંકીસંગ્રહ) નર્મદ યુનિવર્સિટી (સુરત)માં, 'ગીધ', 'મલક' નવલકથાઓ ગુજરાત યુનિવર્સિટી (અમદાવાદ) અને એમ.એસ.યુનિવર્સિટી (વડોદરા)માં ભણાવાઈ છે. ઈન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી (દિલ્હી)માં કવિતાઓ અભ્યાસક્રમમાં છે. તેમનું પુસ્તક 'દલિત સાહિત્યના ઈતિહાસની કેડીએ' યુનિવર્સિટીઓમાં રેફરન્સ બુક તરીકે ભણાવાય છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_657de6e832f0f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">પુરસ્કૃત કૃતિઓ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતી દલિત સાહિત્યમાં તેમની કૃતિઓ સૌથી વધુ પુરસ્કૃત થઈ છે. (૧) ઈસ્કસ એવોર્ડ (૧૯૮૩ કવિતા) (૨) અખિલ ભારતીય રેડિયો નાટય લેખન પ્રતિયોગીતા પુરસ્કાર (૧૯૮૭ 'પાટણને ગોંદરે') અને (૩) (૧૯૮૯-૯૦ 'અનાર્યાવર્ત') (૪) ગુજરાત સાહિત્ય અકાદમી શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક (દ્વિતિય) - ('અનાર્યાવર્ત') (૫) ગુજરાતી સાહિત્ય પરિષદનું બટુભાઈ ઉમરવાડિયા પારિતોષિક ૧૯૯૮-૯૯ (પ્રથમ) - ('દીવાલો' એકાંકી), (૬) ગુજરાત સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક (પ્રથમ) - (૨૦૦૩ - 'હરિફાઈ' એકાંકી) (૭) સંતોકબા સુવર્ણ ચંદ્રક - ૨૦૦૦ ('ગીધ' નવલકથા) (૮) ગુજરાત સરકારનો 'દાસી જીવણ' શ્રેષ્ઠ દલિત સાહિત્ય પુરસ્કાર - ૨૦૦૫/૦૬ ('ભળભાંખળું') (૯) ગુજરાતી સાહિત્ય પરિષદનો 'પ્રિયકાન્ત પરીખ' નવલકથા પારિતોષિક (ભળભાંખળું') (૧૦) ગુજરાતી સાહિત્ય પરિષદનો 'દોલત ભટ્ટ પારિતોષિક - ૨૦૦૪' ('ભળભાંખળું') (૧૧) ગુજરાત સાહિત્ય અકાદમીનો 'શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક - ૨૦૦૪' (પ્રથમ) ('ભળભાંખળું') (૧૨) ગુજરાત સાહિત્ય અકાદમીનો ૨૦૦૨નો શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક (દ્વિતિય)- ('ક્યાં છે સૂરજ' (કાવ્યસંગ્રહ) (૧૩) 'તાદર્થ્ય વાર્તા પુરસ્કાર (પ્રથમ) ૧૯૯૫' ('બાનું મૃત્યુ' વાર્તા) (૧૪) જલારામદીપ વાર્તા પુરસ્કાર ૨૦૦૮ (દ્વિતિય) ('ભેલાણ' વાર્તાસંગ્રહ) (૧૫) કવિ નરસિંહ મહેતા દલિત સાહિત્યકાર પુરસ્કાર -૨૦૦૧/૦૨ (દલિત સાહિત્ય સર્જન અને સેવા) (૧૬) ગુજરાત દલિત સાહિત્ય અકાદમીનો શ્રી ઈબ્રાહીમ સરવૈયા પુરસ્કાર - ૨૦૦૯ (શ્રેષ્ઠ દલિત સાહિત્યકાર) (૧૭) ધૂમકેતુ વાર્તા પુરસ્કાર - ૨૦૦૯ ('ડર' વાર્તાસંગ્રહ) (૧૮) 'ગુજરાત સમાચાર વાર્તા હરિફાઈ પુરસ્કાર' (વાર્તા 'દરબાર') (૧૯) સયાજી વિદ્યાર્થી આશ્રમ સાહિત્ય પુરસ્કાર, જેવા પુરસ્કારો - સન્માનો ગુજરાતી દલિત સાહિત્યના આ હરફનમૌલા - ઓલરાઉન્ડર સર્જક દલપત ચૌહાણના પ્રતિબદ્ધ સર્જકકર્મની સાહેદી પૂરે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><em><span style="color: rgb(224, 62, 45);"><strong>(દલપત ચૌહાણની તેમના મિત્ર અને સિનિયર પત્રકાર - લેખક નટુભાઈ પરમારે લીધેલી મુલાકાત, ભાગ-3)</strong></span></em></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><em><span style="color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ </strong></span></em><a href="https://khabarantar.com/We-did-not-go-to-cast-Holi,-and-on-the-day-of-Holi-itself,-the-upper-caste-attacked-Vas---Dalpat-Chauhan" target="_blank" rel="noopener"><strong>અમે હોળીના છાણાં નાખવા ન ગયા, ને હોળીના જ દિવસે સવર્ણોએ વાસ પર સામૂહિક હુમલો કર્યો - દલપત ચૌહાણ</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ </strong></span><a href="https://khabarantar.com/Dalpat-Chauhan-is-an-advocate-of-Gujarati-Dalit-literature" target="_blank" rel="noopener"><strong>દલપત ચૌહાણ એટલે ગુજરાતી દલિત સાહિત્યના વકીલ</strong></a></span></p>
<div class="post-text">
<p><span style="font-size: 14pt;"><strong>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.<a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"> અહીં ક્લિક કરો</a></strong></span></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 31 Dec 2023 10:18:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>240</Articleid>
                    <excerpt>દિગ્ગજ દલિત સાહિત્યકાર દલપત ચૌહાણની પૂર્વ સંયુક્ત માહિતી નિયામક અને વરિષ્ઠ પત્રકાર નટુભાઈ પરમારે લીધેલી સુદીર્ઘ મુલાકાતની ત્રીજી કડી અહીં પ્રસ્તુત છે. જેમાં દલપતભાઈના સર્જનની ગુજરાતી સાહિત્ય જગતમાં લેવાયેલી નોંધ સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_6590f1edc349a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_6590f1ed7e73e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_6590f1ed7e73e.jpg" length="69194" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>મણિપુર હિંસા, સોમા લૈશરામ, અને ફૂટબોલ: આઓ લકીરેં મિટાયેં</title>
                    <link>https://khabarantar.com/Manipur-violence,-Soma-Laishram,-and-football:-Lets-erase-the-streak</link>
                    <guid>https://khabarantar.com/Manipur-violence,-Soma-Laishram,-and-football:-Lets-erase-the-streak</guid>
                    <description>
                        <![CDATA[ મણિપુર આજકાલ સમાચારોમાંથી ગાયબ હોવાથી જનસામાન્ય એવું માની લે છે કે ત્યાં શાંતિ સ્થાપિત થઈ ચૂકી છે, પણ હિંસા હજુ જારી છે. એ સ્થિતિમાં સિનિયર પત્રકાર ચંદુ મહેરિયા અહીં એક અભિનેત્રી અને ફૂટબોલની રમતે કેવી રીતે આ રાજ્યની અશાંતિને ઠારવા પ્રયત્ન કર્યા તેની વિસ્તારથી વાત કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ચંદુ મહેરિયા</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છ-આઠ મહિનાથી મણિપુર અશાંત છે, સંકટગ્રસ્ત છે. અટકી અટકીને પણ હિંસાના બનાવો ચાલુ રહે છે. તેનું તાત્કાલિક કારણ તો મણિપુરના એક બળુકા બિનઆદિવાસી જ્ઞાતિ સમુદાય મૈતેઈને રાજ્ય સરકારે આપેલ અનુસૂચિત જનજાતિના દરજ્જાને વડી અદાલતની મહોર છે. રાજ્યના આદિજાતિ કુકી સમુદાયનો મૈતેઈને એસ.ટી. ગણવા સામે વિરોધ છે.  આ વિરોધ શાંત અને અહિંસક ન રહેતાં હિંસક બન્યો તે પછી બંને સમુદાયો વચ્ચે મોટાપાયે હિંસા થઈ છે. લગભગ પોણા બસો લોકોના મોત થયાં છે, બળાત્કારો થયાં, આખીને આખી વસ્તીઓ સળગાવી દેવામાં આવી, પોલીસના શસ્ત્રોની મોટાપાયે લૂંટ થઈ. હજારો લોકો વિસ્થાપિત થયા છે અને રાહત છાવણીઓમાં છે. મૈતેઈ અને કુકી વચ્ચેનો હાલનો વિવાદ વિભાજક  બની ગયો છે. મૈતેઈ મોટેભાગે ઈમ્ફાલ ઘાટીના મેદાની પ્રદેશમાં વસે છે જ્યારે કુકી પહાડી વિસ્તારોમાં વસે છે. અગાઉ પણ એમની વચ્ચે કોઈ સૌહાર્દપૂર્ણ સંબંધો નહોતા પણ અત્યારે તો અંતર એ  હદે વધ્યું છે કે હવે તો બેમાંથી કોઈ, અરે પોલીસ કે સરકારી અધિકારી-કર્મચારી સુધ્ધાં, એકબીજાના વિસ્તારમાં જઈ શકતા નથી. વિભાજન એકબીજા પ્રત્યેની નફરત અને ઘૃણા સુધી મર્યાદિત ન રહેતાં બદલાની ભાવનામાં પલટાઈ ગયું  છે. બંને એકબીજાના જીવના તરસ્યા બન્યા છે. મૈતેઈ રાજકીય સહિતના તમામ ક્ષેત્રોમાં પ્રભાવશાળી છે. રાજ્યના ભાજપી મુખ્યમંત્રી પણ મૈતેઈ છે. એટલે હાલની હિંસા, ખાસ તો કુકીઓ પ્રત્યેની, રાજ્યપ્રેરિત નહીં તો રાજ્ય સમર્થિત હોય એમ લાગે છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658fb6334d865.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદી પૂર્વે મણિપુર એક રજવાડુ હતું. ૧૯૪૯માં તેનો ભારતમાં વિલય થયો. પહેલાં તે કેન્દ્રશાસિત પ્રદેશ હતો. ૧૯૭૨થી રાજ્ય બન્યું છે. મણિપુરની આશરે ૨૯ લાખની વસ્તીમાં હિંદુ અને ખ્રિસ્તી વસ્તી સરખી એટલે કે ૪૧-૪૧ ટકા છે. રાજ્યમાં ૮ ટકા મુસ્લિમો પણ વસે છે. મેદાની પ્રદેશોમાં રહેતા મૈતેઈની વસ્તી ૫૩ ટકા અને કુકી સહિતની ૬૦ જનજાતિઓની વસ્તી ૪૦ ટકા છે. રાજ્ય વિધાનસભાના ૬૦ માંથી ૪૦ ધારાસભ્યો મૈતેઈ છે અને રાજ્યના વર્તમાન સહિતના લગભગ તમામ મુખ્યમંત્રીઓ મૈતેઈ હતા. અનુસૂચિત જનજાતિના કુકીઓને સરકારી નોકરીઓ સરળતાથી મળે છે. વળી તેઓ ખ્રિસ્તી ધર્મી છે. હિંદુ મૈતેઈઓ પહાડી વિસ્તારમાં જમીન ખરીદી શકતા નથી અને બિનઅનામત વર્ગના હોઈ સરકારી નોકરીઓ મળતી નથી તેવી તેમની ફરિયાદ છે. કુકીઓ પર્વતીય પ્રદેશમાં અને મ્યાંમારની સરહદે વસતા હોઈ તેઓ ડ્રગ્સ વેચે છે અને ગાંજાની ખેતી કરે છે એવો મૈતેઈઓનો અને રાજ્ય સરકારનો આરોપ છે. એટલે કુકીઓની જમીનોની આકારણી અને તપાસ કરવામાં આવે છે. હવે મૈતેઈને આદિજાતિનો દરજ્જો મળતાં તેઓ પણ પહાડી વિસ્તારોમાં જમીનો ખરીદી શકશે અને કુકી જમીનવિહોણા થશે. એટલે અનામત અને જમીનનો સવાલ હાલની હિંસાના મૂળમાં છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658fb6321afd2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સ્થિતિમાં શાંતિ અને સદભાવનાના, બંને સમુદાયો વચ્ચેનું અંતર ઘટે અને તેમની વચ્ચેની દીવાલો તૂટે તેવા પ્રયાસો આવશ્યક છે. જોકે તે દિશાના પ્રયાસો બહુ ઓછા છે. હાલના વિભાજક અને વિષાક્ત માહોલમાં જો કોઈ આવો પ્રયત્ન કરે તો તેણે બહિષ્કૃત થવું પડે છે. થોડા દિવસો પહેલાં રાજધાની દિલ્હીમાં પૂર્વોત્તરની સાંસ્કૃતિક વિરાસતની ઉજવણીનો કાર્યક્ર્મ નોર્થ ઈસ્ટ સ્ટુડન્ટ ફેસ્ટિવલ નામે યોજાયો હતો. ખ્યાતનામ મણિપુરી સિને અભિનેત્રી અને ગાયિકા સોમા લૈશરામે તેના સમાપન કાર્યક્રમમાં મણિપુરનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને પોતાના સંબોધનમાં મણિપુરની પીડા વ્યક્ત કરી શાંતિ અને સોહાર્દની અપીલ કરી હતી. બસ આટલા જ કારણસર તેમના પર ત્રણ વરસ સુધી ફિલ્મોમાં અભિનય કરવા અને જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવા પર પ્રતિબંધ લદાયો હતો. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658fb632bb52f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૈતેઈ સમાજના હિતમાં કાર્યરત કાંગલેઈપાક કનબા લૂપ (કે કે એલ) નામક સંગઠને મણિપુરની સ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી કોઈને પણ મનોરંજક કાર્યક્રમોમાં ભાગ ના લેવાનું ફરમાન જારી કર્યું છે. સોમાને પણ તેમણે વ્યક્તિગત અને જાહેર અપીલથી દિલ્હીના કાર્યક્રમથી દૂર રહેવા અપીલ કરી હતી. પરંતુ તેની ઉપરવટ જઈને તે ઉપસ્થિત રહ્યાં હતાં. એટલે તેમના પર પ્રતિબંધ મુકાયો. એકત્રીસ વર્ષીય સોમાએ દોઢસો જેટલી મણિપુરી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને બેસ્ટ એકટ્રેસના એવોર્ડથી પુરસ્કૃત છે. પ્રતિબંધથી ક્ષુબ્ધ સોમાએ પોતાની ભૂમિકા સમજાવતાં કહ્યું કે તેઓ મણિપુરના લોકોની પીડા વ્યક્ત કરવા જ કાર્યક્રમમાં ગયાં હતાં. આ કોઈ મનોરંજક કાર્યક્રમ નહોતો. તેમણે પૂર્વોત્તરના લોકોને જ નહીં સમગ્ર ભારતને મણિપુર પ્રશ્ને અવાજ ઉઠાવવા અને હિંસા વિરુધ્ધ શાંતિ માટે લડનારા મણિપુરના સમર્થનમાં આવવા અપીલ કરી હતી. સોમા પરના પ્રતિબંધનો સિને સંગઠનો અને લોકોએ વ્યાપક વિરોધ કરતાં આખરે  પ્રતિબંધ પાછો ખેંચવો પડ્યો છે. શાંતિ અને ભાઈચારાની દિશામાં પ્રતિબંધ બાધક હતો તો સોમા અને અન્યનો વિરોધ પ્રતિબંધ દૂર કરાવીને સોહાર્દ સ્થાપવામાં મદદરૂપ થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાઈચારાની દિશામાં બીજો બનાવ અંડર૧૬ સાઉથ એશિયન ફુટબોલ ફેડરેશન ચેમ્પિયનશીપની  ફાઈનલ મેચમાં ભારતનો વિજય છે. ભારતીય ટીમના ૨૩ માંથી ૧૬ ખેલાડી મણિપુરના હતા. તેમાં ૧૧ મૈતેઈ, ૪ કુકી અને ૧ મુસ્લિમ હતા. ભૂતાનના થિમ્પૂમાં રમાયેલી બાંગલાદેશ સામેની ફાઈનલમાં ફસ્ટ હાફમાં મૈતેઈ ભરતે અને સેકન્ડ હાફ્માં કુકી લેવિસે ગોલ કરી ભારતને ૨-૦ થી જીતાડ્યુ હતું. મણિપુરના યુવા ફૂટબોલરો સાથે રહ્યાં, ખાધું-પીધું, હસ્યા, રમ્યા, વાતો કરી અને મેચ જીતાડી. વિજયી ગોલ કુકી રમતવીર લેવિસે કર્યો ત્યારે તેને સૌ પ્રથમ ગળે વળગીને જીતની ખુશી વ્યક્ત કરનાર મૈતેઈ ખેલાડી ભરત હતો. રમતના મેદાનમાં મણિપુરના આપસી મતભેદોની દીવાલો સાવ ભૂંસાઈ ગઈ હતી. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658fb6317f980.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મણિપુરના યુવા ફુટબોલરો ફુટબોલને મતભેદો દૂર કરવામાં મદદ કરનાર રમત ગણે છે. તેનાં ખેલાડીઓમાં એકતાની ભાવના જાગે છે. મણિપુરના જ્ઞાતિગત તણાવો અને હિંસા વચ્ચે આ ફુટબોલરોએ અનેક પ્રતિકૂળતાઓ અને દુ:ખોને બાજુએ હડસેલીને તેમની પ્રતિભા અને સમજથી  ના માત્ર વિજય મેળવ્યો છે, પરંતુ જેમ ફૂટબોલે તેમને જોડ્યા છે, અલગ કર્યા નથી તેવું મણિપુર પણ થઈ શકે છે તેવો સંદેશ આપ્યો છે. આ વિજય મણિપુરના લોકોની આશા અને અપેક્ષાનું પણ પ્રતીક બની રહે તો કેવું સારું?    </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માંડ ૧૦ ટકા મેદાની અને ૯૦ ટકા પહાડી પ્રદેશમાં વસેલું મણિપુર માતૃપ્રધાન સંસ્કૃતિને વરેલું છે. ૮૦ ટકા આસપાસની સાક્ષરતા છતાં મણિપુરની ૪૦ ટકા વસ્તી ગરીબીની રેખા તળે જીવે છે. એટલે તેમણે અંદરોઅંદરની હિંસાનો માર્ગ છોડી ગરીબી અને બેરોજગારી જેવા અસલી મુદ્દાઓ પર પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">maheriyachandu@gmail.com</span></strong></span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/In-Nikol,-Ahmedabad,-500-OBC-families-were-rendered-homeless-overnight-by-the-corporations-bulldozer"><strong><span style="font-size: 14pt;">અમદાવાદના નિકોલમાં 500 ઓબીસી પરિવારો કોર્પોરેશનના બુલડોઝરે રાતોરાત બેઘર કર્યા</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"> </span>અહીં ક્લિક કરો</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 30 Dec 2023 11:56:41 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 30 Dec 2023 14:05:04 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>239</Articleid>
                    <excerpt>મણિપુર આજકાલ સમાચારોમાંથી ગાયબ હોવાથી જનસામાન્ય એવું માની લે છે કે ત્યાં શાંતિ સ્થાપિત થઈ ચૂકી છે, પણ હિંસા હજુ જારી છે. એ સ્થિતિમાં સિનિયર પત્રકાર ચંદુ મહેરિયા અહીં એક અભિનેત્રી અને ફૂટબોલની રમતે કેવી રીતે આ રાજ્યની અશાંતિને ઠારવા પ્રયત્ન કર્યા તેની વિસ્તારથી વાત કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_658fb6312e26a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_658fb630ed3f6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_658fb630ed3f6.jpg" length="77499" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>વિસરાનાઈ – એક રિક્ષાચાલકે લખેલી નવલકથા પરથી બનેલી અદ્દભૂત ફિલ્મ</title>
                    <link>https://khabarantar.com/Visaranai-–-A-wonderful-movie-based-on-a-novel-written-by-a-rickshaw-puller</link>
                    <guid>https://khabarantar.com/Visaranai-–-A-wonderful-movie-based-on-a-novel-written-by-a-rickshaw-puller</guid>
                    <description>
                        <![CDATA[ દક્ષિણ ભારતની ફિલ્મોની ખાસિયત એ છે જાતિવાદ, ભાઈભત્રીજાવાદ અને મનુવાદથી ગ્રસ્ત બોલીવૂડ જે વિષય તરફ જોવાનું પણ પસંદ નથી કરતો તેના પર તેઓ મુખ્યધારાની ફિલ્મો બનાવી જાણે છે. વિસરાનાઈ આવી જ એક અદ્દભૂત ફિલ્મ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિસરાનાઈ - વર્ષ ૨૦૧૫માં આવેલી તમિલ ફિલ્મ છે. વિસરાનાઈનો ગુજરાતીમાં અર્થ થાય છે ‘પૂછપરછ’. વિસરાનાઈ પહેલીવાર 12 સપ્ટેમ્બર 2015ના રોજ વેનિસ ઈન્ટરનેશનલ ફિલ્મ ફૅસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. એ પછી ભારતીય સિનેમાઘરોમાં આ ફિલ્મ ૫ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ રિલીઝ થઈ હતી. ૬૩માં નૅશનલ ઍવૉર્ડ સમારંભમાં આ ફિલ્મને કુલ ત્રણ નૅશનલ ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા, જેમાં શ્રેષ્ઠ તમિલ ફિલ્મ, શ્રેષ્ઠ સંપાદન અને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો સમાવેશ થાય છે. આ ફિલ્મ એમ. ચંદ્રકુમાર નામના રિક્ષા-ડ્રાઇવરે લખેલી નવલકથા ‘લૉકઅપ’ પર આધારિત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફિલ્મની શરૂઆતમાં જ એક પછી એક ચાર લોકોને પકડી અને રિક્ષામાં બેસાડીને પોલીસ-સ્ટેશનમાં લાવવામાં આવે છે. ત્યાર બાદ જે-તે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ આ ચારેયને ફટકારવાનું શરૂ કરી દે છે અને ફિલ્મના લગભગ મધ્યાંતર સુધી આ ચાર લોકોને ફટકારવાની ઘટના પડદા ઉપર ચાલુ જ રહે છે. ફિલ્મની વાર્તા એમ છે કે આંધ્રપ્રદેશના કોઈ એક વિસ્તારમાં તમિલનાડુમાંથી કામ અર્થે આવેલા સ્થળાંતરિત ચાર મજૂરોને પોલીસ કોઈ કારણ વગર પકડીને લઈ જાય છે. આ ચાર મજૂરો અનુક્રમે પાંડી, મુરુગન, અફ્ઝલ અને કુમારને એ વાતનો ખ્યાલ નથી કે પોલીસ એમને પકડીને કેમ લાવી છે. પહેલાં તો આ ચારેય લોકોને એવું લાગે છે કે પાંડી (ચાર પૈકીની એક વ્યક્તિ) જ્યાં કામ કરે છે, તે કરિયાણાની દુકાનની પાસે આવેલા એક ઘરમાં એક સ્ત્રીએ થોડા સમય પહેલાં પાંડીની મદદ માગી હતી કે તેને અહીંથી બહાર તેના ગામ સુધી લઈ જવા માટે મદદ કરે અને પાંડીએ તે સ્ત્રીને મદદ કરવાની હા પણ પાડી હતી, પણ અહીં તો ઘટના સાવ અલગ જ છે. પોલીસ સ્ટેશનમાં થોડી વાર બાદ પોલીસવાળા આવી, તેમને કહે છે કે તમે ચારેય લોકો તમારો ગૂનો કબૂલ કરી લો, ત્યારે તેઓને ખ્યાલ આવે છે કે થોડા સમય પહેલાં શહેરના ભદ્ર વિસ્તારના એક બંગલામાં ચોરીની ઘટના બની હતી અને પોલીસ તે ચોરને પકડવામાં નિષ્ફળ રહેતાં તેમણે આ ચાર મજૂરોને પકડી લીધા છે કે જેઓ ચોરી થઈ તે વિસ્તારમાં જ કામ કરે છે અને પોલીસ તેમની પાસેથી વગર વાંકે ચોરીનો ગૂનો કબૂલ કરાવવા માગે છે કે જેથી આ ચોરીના કેસનો ઝડપથી ‘નિકાલ’ આવે.</span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658bba4a8fc32.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફિલ્મમાં પોલીસવાળા જે રીતે આ ચારેય લોકોને પોલીસ સ્ટેશનમાં અત્યંત ક્રૂરતાપૂર્વક ફટકારે છે તે દ્રશ્યો ફિલ્મમાં ખૂબ ઝીણવટપૂર્વક ફિલ્માવવામાં આવ્યાં છે. ફિલ્મના એક દ્રશ્યમાં આ ચાર પૈકી પાંડી નામનો આરોપી એવું જાહેર કરે છે કે જો હવે તમે અમને મારશો તો અમે ભૂખ-હડતાળ કરીશું, ત્યારે પોલીસવાળા ચતુરાઈપૂર્વક તેઓને છોડી દે છે કે જેથી તેઓ બહાર જઈ ભરપેટ જમે અને ત્યાર બાદ તેઓને સહી કરવાના બહાને પોલીસ-સ્ટેશનમાં લાવી અને ફરીથી અત્યંત ક્રૂરતાપૂર્વક લાકડાના દંડાથી ફટકારવામાં આવે છે. ત્યારબાદ આ ચારેય લોકોને કહેવામાં આવે છે કે તમારે ચોરીનો ગૂનો કબૂલવો જ પડશે, પણ જ્યારે આ ચારેય લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, ત્યારે પાંડી જજ સમક્ષ કહી દે છે કે તેમને આ કેસમાં ખોટા ફસાવવામાં આવ્યા છે. અને તેમને છોડી મૂકવામાં આવે છે. પણ વાત અહીં ખતમ થતી નથી. આ ચારેય લોકોને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, ત્યારે તેઓ તમિલ ભાષામાં બોલતા હોવાથી જજ તેમની વાત સમજી શકતા નથી, ત્યારે તેઓ ત્યાં કોર્ટ-પરિસરમાં હાજર એક પોલીસવાળા(મુથુવેલ)ને ટ્રાન્સલેટર તરીકે મદદ કરવાનું કહે છે અને આ પોલીસવાળાની મદદથી આ ચાર લોકો છૂટી જાય છે. ત્યાર બાદ આ પોલીસવાળો (મુથુવેલ) આ લોકોને જણાવે છે કે તમારે મારી એક નાની મદદ કરવી પડશે. એમ કહીને એક આરોપી(કે.કે.)નું અપહરણ કરાવીને જે તે પોલીસ સ્ટેશન સુધી લઈ જવાનું કહે છે અને ચારેય લોકો તેનું આ કામ કરી આપે છે. ત્યાર બાદ આ ચાર લોકોને મુથુવેલ જ્યાં કાર્યરત છે, તે નવા પોલીસ સ્ટેશનને સાફ કરવાનું કામ સોંપવામાં આવે છે. અહીં આરોપી કે.કે. ઉર્ફે કિશોર કે જે જાણીતો એકાઉન્ટન્ટ છે અને વિરોધી પાર્ટીના તમામ હવાલાઓ સંભાળવાનું કામ કરે છે તે ત્યાંના ડી.સી.પી. અને એ.સી.પી.ની રાજરમતનો શિકાર બને છે. કે.કે.ને પણ આ પોલીસ સ્ટેશનમાં મુથુવેલ(કે જે આ સ્ટેશનનો ઇન્ચાર્જ છે)ની ગેરહાજરીમાં અતિશય ફટકારવામાં આવે છે અને તેનું મોત નીપજે છે, એ પછી પોલીસવાળા આ આત્મહત્યાનો કેસ જાહેર કરીને કે.કે.ના ઘરમાં જઈ, પંખા પર લટકાવી આવે છે અને ત્યાં સુધી આ ત્રણ (આ ચાર પૈકી એક કુમાર નામનો મજૂર અપહરણ દરમિયાન રસ્તામાં જ ઊતરી જાય છે) મજૂરો કે જેઓ બિચારા માંડ-માંડ પોલીસની ચુંગાલમાંથી છૂટેલા છે અને પોલીસ- સ્ટેશનની સફાઈ કરતા જ રહે છે, ત્યારે ત્યાં હાજર કેટલાક ભ્રષ્ટાચારી પોલીસવાળાઓ આ ત્રણ લોકોને ફરી પાછા ચોરીના કેસમાં ફસાવી દે છે અને તેઓની હત્યા કરી નાખે છે. સાથે ઇન્સ્પેક્ટર મુથુવેલની પણ હત્યા કરી નાખે છે. ફિલ્મમાં મધ્યાંતર સુધીની ઘટનાનો ભાગ ‘લૉકઅપ’ નામની નવલકથામાંથી પ્રેરિત છે, જ્યારે મધ્યાંતર પછીની, ઇન્સ્પેક્ટર મુથુવેલવાળી સમગ્ર ઘટના કાલ્પનિક છે છતાં તેમાં પણ દરેક દૃશ્યને એકદમ ઝીણવટભર્યું રજૂ કરવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ફિલ્મમાં પોલીસવાળાની બર્બરતા અને ક્રૂરતાને લોકો સમક્ષ રજૂ કરવાનો દિગ્દર્શક વેટરીમારનનો પ્રયાસ ખરેખર બિરદાવવાને પાત્ર છે. ફિલ્મમાં આ ચાર મજૂરો એક સ્થળેથી બીજા સ્થળે કામની શોધમાં સ્થળાંતરિત થયેલા છે અને વધુમાં તેઓની પાસે રહેવા માટે રહેઠાણ નથી, માટે તેમને પબ્લિક પાર્કમાં આશરો લેવો પડે છે અને જ્યારે તેમને ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવામાં આવે છે, ત્યારે તેમને કેવી-કેવી યાતનાઓનો સામનો કરવો પડે છે, તે વાત આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં જ્યારે આ ચાર મજૂરોનો માલિક તેમને મળવા માટે આવે છે, ત્યારે તે આ ચાર લોકોને જણાવે છે કે તેમણે પોતાનો ગૂનો (કે જે તેમણે કર્યો જ નથી) તે કબૂલી લેવો જોઈએ, નહીં તો પોલીસવાળા તેમને વધારે ફટકારશે. કોઈની પણ મદદ વિના એક નવા શહેરમાં આ ચારેય લોકો મૂંગા મોંએ પોલીસવાળાનો માર સહન કર્યા જ કરે છે અને પોલીસવાળા પણ તેમને મહાપરાણે ગૂનો કબૂલ કરાવવા માટે તેમના પર અત્યાચારો કરતા જ રહે છે. ફિલ્મમાં તમામ પાત્રોનો અભિનય ઉત્કૃષ્ટ છે.</span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658bba6697fbc.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે થોડી વાત આ ફિલ્મ જેમની નવલકથા ‘લૉક અપ’ પર આધારિત છે, તે લેખક એમ. ચંદ્રકુમાર વિશે. લેખક એમ. ચંદ્રકુમાર હાલ કોઇમ્બતુરમાં રિક્ષાચાલક તરીકે કામ કરે છે અને લોકો ત્યાં તેમને ઑટો ચંદ્રનના નામથી ઓળખે છે. ૫૩ વર્ષીય ઑટો ચંદ્રનની વર્ષ ૧૯૮૩માં આંધ્રપ્રદેશના ગુંતુર જિલ્લામાં ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાં લગભગ ૧૩ દિવસ તેમને પોલીસ- સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેમણે પોતાના અનુભવોનું વર્ણન કરતું પુસ્તક ‘લૉકઅપ’ લખ્યું. આ પુસ્તક વર્ષ ૨૦૦૬માં પ્રકાશિત થયું હતું. તેઓ જણાવે છે કે આજથી ૧૦ વર્ષ પહેલાં મેં આ પુસ્તક લખ્યું હતું અને હવે તેના પરથી ફિલ્મ બની છે. મારી વાત સિનેમાના માધ્યમ થકી લોકો સુધી પહોંચી છે.</span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658bb872b32e8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દક્ષિણ ભારતીય સિનેમાની આ જ ખાસિયત છે કે તેમાં વણસ્પર્શ્યા વિષયોને સ્પર્શ કરાય છે. જાતિવાદ, અસ્પૃશ્યતા, પોલીસ અત્યાચાર, મનુવાદ જેવા વિષયો પર બોલીવૂડ કદી ફિલ્મ બનાવવાની હિંમત કરી શકતું નથી ત્યારે તમિલ સિનેમાએ આ મામલે એક અલગ ચીલો ચાતર્યો છે. જોવાનું એ રહ્યું કે છેલ્લા થોડા સમયથી પ્રચલિત થયેલ અર્બન ગુજરાતી ફિલ્મોમાં આ પ્રકારનો સામાજિક સંદર્ભ અને જાતિવાદ જેવા મુદ્દાઓ ક્યારે જોવા મળે છે?</span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નિલય ભાવસાર (લેખક વ્યવસાયે પત્રકાર છે)</span></strong></span><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"></span></strong></span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Shaheed-Udhamsingh:-The-Lion-Raised-in-an-Orphanage,-Who-Killed-an-Enemy-After-21-Years"><strong><span style="font-size: 14pt;">શહીદ ઉધમસિંહઃ અનાથ આશ્રમમાં ઉછરેલો એ સિંહ, જેણે 21 વર્ષ પછી દુશ્મનને ઘરમાં ઘૂસીને માર્યો</span></strong></a></p>
<p><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 27 Dec 2023 11:25:03 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>232</Articleid>
                    <excerpt>દક્ષિણ ભારતની ફિલ્મોની ખાસિયત એ છે જાતિવાદ, ભાઈભત્રીજાવાદ અને મનુવાદથી ગ્રસ્ત બોલીવૂડ જે વિષય તરફ જોવાનું પણ પસંદ નથી કરતો તેના પર તેઓ મુખ્યધારાની ફિલ્મો બનાવી જાણે છે. વિસરાનાઈ આવી જ એક અદ્દભૂત ફિલ્મ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_658bb7b7f05a0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_658bb7b7b6b86.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_658bb7b7b6b86.jpg" length="111236" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં </title>
                    <link>https://khabarantar.com/the-law-of-manusmriti-which-sowed-the-seeds-of-inequality-in-indian-society</link>
                    <guid>https://khabarantar.com/the-law-of-manusmriti-which-sowed-the-seeds-of-inequality-in-indian-society</guid>
                    <description>
                        <![CDATA[ 25મી ડિસેમ્બર 1927ના રોજ  ડો. આંબેડકરે મહાડ તળાવ સત્યાગ્રહ દરમિયાન મનુસ્મૃતિનું દહન કર્યું હતું. બાબાસાહેબે આવું શા માટે કરવું પડ્યું તેનો જવાબ મનુસ્મૃતિમાં શુદ્રો માટે નક્કી કરવામાં કાયદામાં પડેલો છે. અહીં મનુસ્મૃતિના એ કાયદાઓ વિશે જાણીએ જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનુવાદ હજુ પણ ભારતીય સમાજમાં ઊંડે સુધી ધરબાયેલો છે. ઉચ્ચ વર્ગ સામાજિક અસમાનતા દ્વારા દરેક હદ સુધી નીચલા વર્ગનું શોષણ કરવામાં વ્યસ્ત છે. દલિત અત્યાચારની રોજની ઘટનાઓ તેનો પુરાવો છે. દલિતો સાથે આ બધું થઈ રહ્યું છે તેની પાછળનું મુખ્ય કારણ 'કથિત ઉચ્ચ વર્ગની પછાત વિચારસરણી' છે, પરંતુ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે ભારતીય સમાજમાં આ અસમાનતાના બીજ કોણે વાવ્યા? શા માટે પછાત જાતિઓને હંમેશા નીચી નજરે જોવામાં આવે છે અને તેમના અધિકારોને કચડી નાખવામાં આવે છે? આનો જવાબ મનુએ લખેલી મનુસ્મૃતિમાં મળે છે. મનુસ્મૃતિમાં તે કાયદા શુદ્રો માટે બનાવવામાં આવ્યા હતા, જેણે ભારે સામાજિક અસંતુલન ઉભું કર્યું હતું અને શૂદ્રો પેઢી દર પેઢી તેના દ્વારા અત્યાચારનો ભોગ બનતા રહ્યા છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658839a2d957c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચાલો જાણીએ કે મનુસ્મૃતિમાં શુદ્રો માટે કેવા કાયદા છે, જે દર્શાવે છે કે શુદ્રો, અતિશુદ્રો અને સ્ત્રીઓ પર કેવા અને કેટલા અમાનવીય અત્યાચારો કરવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-જો નીચી જાતિની વ્યક્તિ ઉચ્ચ જાતિના વ્યક્તિના વ્યવસાયને લોભથી અપનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે, તો રાજાએ તેની બધી મિલકત છીનવી લેવી જોઈએ અને તેને તાત્કાલિક હાંકી કાઢવો જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-બ્રાહ્મણોની સેવા કરવી એ શુદ્રોનું મુખ્ય કર્તવ્ય કહેવાયું છે. આ સિવાય શુદ્ર જે કંઈ કરે છે, તેનું કર્મ ફળહીન થઈ જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-જો કોઈ શૂદ્ર ધન સંચય કરવા સક્ષમ હોય તો પણ તેણે તે એકઠું ન કરવું જોઈએ, કારણ કે સંપત્તિ મેળવ્યા પછી શૂદ્ર બ્રાહ્મણોને હેરાન કરે છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-જે દેશમાં રાજા શુદ્ર એટલે કે પછાત વર્ગના હોય ત્યાં બ્રાહ્મણોએ ન રહેવું જોઈએ, કારણ કે શુદ્રોને રાજા બનવાનો અધિકાર નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-રાજાએ સવારે વહેલા ઊઠીને વિદ્વાન બ્રાહ્મણો અને ત્રણેય વેદના જાણકાર બ્રાહ્મણોની સેવા કરવી જોઈએ અને તેમની સૂચના પ્રમાણે કરવું જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-શૂદ્ર ન્યાયાધીશ ધરાવતા રાજાનો દેશ કાદવમાં ફસાયેલી ગાયની જેમ પીડાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-બ્રાહ્મણની મિલકત રાજાએ ક્યારેય ન લેવી જોઈએ, તે એક નિશ્ચિત નિયમ છે, તે એક પ્રતિષ્ઠા છે, પરંતુ અન્ય જાતિના લોકોની મિલકત રાજા લઈ શકે છે જો તેનો કોઈ વારસદાર ન હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-જો કોઈ શૂદ્ર તિરસ્કારપૂર્વક પોતાનું નામ અને જાતિ ઉચ્ચાર કરે છે, જાણે કે તે કહે છે કે, દેવદત્ત, તમે નીચ બ્રાહ્મણ છો, તો તેના મોંમાં દસ આંગળી લાંબો લોખંડનો સળિયો ઠોકી દેવો જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-જો કોઈ શુદ્ર ગર્વથી બ્રાહ્મણ પર થૂંકે અથવા તેના પર પેશાબ કરે તો તેના હોઠ અને શિશ્ન કાપી નાખવામાં આવે અને જો તે અપાનવાયુ તેની તરફ બહાર કાઢે તો તેની ગુદા કાપી નાખવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-જો કોઈ શુદ્ર બ્રાહ્મણ સામે હાથ ઉપાડે કે લાકડી મારે તો તેનો હાથ કાપી નાખવો જોઈએ અને જો કોઈ શુદ્ર ગુસ્સામાં બ્રાહ્મણને લાત મારે તો તેનો પગ કાપી નાખવો જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-બ્રાહ્મણની હત્યા કરતા મોટું પાપ આ પૃથ્વી પર બીજું કોઈ નથી. તેથી રાજાએ બ્રાહ્મણને મારવાનો વિચાર પણ ન કરવો જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-જો કોઈ શુદ્ર અહંકારથી બ્રાહ્મણોને ઉપદેશ આપે તો રાજાએ તે શુદ્રના મોં અને કાનમાં ગરમ તેલ નાખવું જોઈએ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-શુદ્રને ખોરાક માટે કાચો ખોરાક, પહેરવા માટે જૂનાં કપડાં, પથારી માટે ડાંગરનું ભૂંસુ અને જૂના ફાટેલાં કપડાં આપવા જોઈએ.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658839a3ac3bb.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-બિલાડી, શિયાળ, દેડકા, કૂતરો, ઘુવડ, કાગડાની હિંસાનું પ્રાયશ્ચિત શુદ્રની હત્યાના પ્રાયશ્ચિત સમાન છે, એટલે કે શૂદ્રની હત્યા એક કૂતરા અથવા બિલાડીની હત્યા સમાન છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-જો કોઈ શૂદ્ર દ્વિજનું અપમાન કરે તો તેની જીભ કાપી નાખવી જોઈએ, કારણ કે તે બ્રહ્માના સૌથી નીચલા ભાગમાંથી જન્મ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-જો કોઈ નીચલી જાતિમાં જન્મેલી વ્યક્તિ ઉચ્ચ જાતિની વ્યક્તિ પર હુમલો કરે અને તેને નુકસાન પહોંચાડે તો તેના શરીરનું અંગ નુકસાનના પ્રમાણમાં કાપી નાખવું જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-બ્રહ્માએ શુદ્રો માટે માત્ર એક જ ફરજ નક્કી કરી છે, તે છે બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યોની સ્તુતિ કરવી અને તેમની સેવા કરવી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-જો શૂદ્ર બ્રાહ્મણની સાથે આસન પર બેસે તો રાજાએ તેની પીઠ ગરમ લોખંડથી બાળીને તેને પોતાના રાજ્યમાંથી હાંકી કાઢવો જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-રાજાએ મોટી દક્ષિણા સાથે અનેક યજ્ઞો કરવા જોઈએ અને ધર્મની ખાતર સ્ત્રી, ઘર, પલંગ, વાહન વગેરે અન્ય વસ્તુઓ અને ધન બ્રાહ્મણોને આપવું જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-જો કોઈ શુદ્ર જાણીજોઈને ક્રોધથી બ્રાહ્મણને તણખલાથી પણ મારે તો તે 21 જન્મો સુધી કૂતરા, બિલાડી વગેરે જેવા પાપી વર્ગમાં જન્મ લે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-ધર્મ અનુસાર બ્રાહ્મણ બ્રહ્માના મુખેથી જન્મ લઈને અને વેદોને આત્મસાત્ કરીને સમગ્ર સૃષ્ટિનો સ્વામી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-શુદ્ર લોકો વસાહતની વચ્ચે ઘર બનાવી શકતા નથી. ગામ કે નગરની નજીક કે સ્મશાન ભૂમિ, ટેકરી કે બગીચાની નજીક ઝાડ નીચે રહે અને પોતાના કર્મો દ્વારા આજીવિકા રળે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-બ્રાહ્મણે શૂદ્રની સંપત્તિ વિના સંકોચ છીનવી લેવી જોઈએ કારણ કે શુદ્ર પાસે પોતાનું કંઈ નથી. તેની સંપત્તિ તેના માલિક બ્રાહ્મણ દ્વારા છીનવી લેવી યોગ્ય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-રાજાઓ વૈશ્ય અને શુદ્રોને તેમના કામ કરવા માટે દબાણ કરવામાં સાવચેત રહે, કારણ કે જ્યારે આ લોકો તેમના કર્તવ્યથી ભટકે છે ત્યારે તેઓ આ દુનિયાને અવ્યવસ્થિત કરી દે છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658839a6db218.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-શુદ્રોની સંપત્તિ કૂતરો અને ગધેડો છે. મૃતદેહો પરથી ઉતારવામાં આવે એ તેમના કપડા છે. શુદ્રોએ તૂટેલા વાસણોમાં ભોજન કરવું જોઈએ. શુદ્ર સ્ત્રીઓ માત્ર લોખંડના ઘરેણાં પહેરે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-જો યજ્ઞ અધૂરો રહી જાય તો વૈશ્યની અસમર્થતાને લીધે યજ્ઞ કરવા માટે શૂદ્રની સંપત્તિ છીનવી લેવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-બ્રાહ્મણોએ વેદનો અભ્યાસ કરતી વખતે શુદ્રો સાથે કોઈ સંબંધ ન રાખવો જોઈએ, પછી ભલે તેમના પર આપત્તિ આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-સ્ત્રીઓને વેદ સાથે કોઈ લેવાદેવા નથી. શાસ્ત્રો દ્વારા આની પુષ્ટિ થાય છે. તેથી, જે સ્ત્રીઓ વેદનો અભ્યાસ કરે છે તે પાપી છે અને અસત્ય જેટલી અશુદ્ધ છે, આ સનાતન નિયમ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-શુદ્રોને બુદ્ધિ ન આપવી જોઈએ. એટલે કે તેમને શિક્ષણ મેળવવાનો અધિકાર નથી. શુદ્રોને ધર્મ અને ઉપવાસનો ઉપદેશ ન આપવો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-જેમ શાસ્ત્રોમાં સ્થાપિત અગ્નિ અને સાધારણ અગ્નિ બંને સર્વોત્તમ દેવતાઓ છે, તેવી જ રીતે બ્રાહ્મણ મૂર્ખ હોય કે વિદ્વાન, બંને સ્વરૂપે શ્રેષ્ઠ દેવતા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-શુદ્રની હાજરીમાં વેદનો પાઠ ન કરવો જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-બ્રાહ્મણનું નામ શુભ અને સન્માનનું સૂચક હોવું જોઈએ, ક્ષત્રિયનું નામ બહાદુરીનું સૂચક હોવું જોઈએ, વૈશ્યનું નામ સંપત્તિનું સૂચક હોવું જોઈએ અને શૂદ્રનું નામ તિરસ્કાર દર્શાવતું હોવું જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-10 વર્ષના બ્રાહ્મણને પિતા માનીને 90 વર્ષના ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રએ વંદન કરવા જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ </strong></span><a href="https://khabarantar.com/The-branches-of-the-Bodhi-tree,-through-which-Emperor-Ashoka-propagated-the-Dhamma-to-the-world"><strong>બોધિ વૃક્ષની તે શાખાઓ, જેના દ્વારા સમ્રાટ અશોકે વિશ્વમાં 'ધમ્મ'નો પ્રચાર કર્યો હતો</strong></a></span></p>
<div class="post-summary"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </strong><strong><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></strong></span></div>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 25 Dec 2023 08:04:05 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 16 Mar 2024 21:13:52 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>227</Articleid>
                    <excerpt>25મી ડિસેમ્બર 1927ના રોજ  ડો. આંબેડકરે મહાડ તળાવ સત્યાગ્રહ દરમિયાન મનુસ્મૃતિનું દહન કર્યું હતું. બાબાસાહેબે આવું શા માટે કરવું પડ્યું તેનો જવાબ મનુસ્મૃતિમાં શુદ્રો માટે નક્કી કરવામાં કાયદામાં પડેલો છે. અહીં મનુસ્મૃતિના એ કાયદાઓ વિશે જાણીએ જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_658839a5b6f08.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_658839a57613e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_658839a57613e.jpg" length="91956" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ખેલદિલીનાં રમત મેદાનો કે ભેદભાવનાં ભારખાનાં?</title>
                    <link>https://khabarantar.com/Playgrounds-of-sportsmanship-or-burdens-of-discrimination</link>
                    <guid>https://khabarantar.com/Playgrounds-of-sportsmanship-or-burdens-of-discrimination</guid>
                    <description>
                        <![CDATA[ સરેરાશ ભારતીયના હાથમાં સ્માર્ટફોન આવ્યા પછી તે એવો સવાલ પૂછવા લાગ્યો છે કે સ્પોર્ટ્સમાં તો હવે ક્યાં ભેદભાવ જેવું કશું રહ્યું છે? જો તમે પણ આ સવાલની તરફેણવાળી પંગતમાં ઉભા છો, તો ચંદુ મહેરિયાનો આ લેખ તમને ચોક્કસ મોટો ઝાટકો આપશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોઈપણ પ્રકારની રમતની પ્રાથમિક શરત ખેલદિલી છે. પરંતુ ખેલદિલીની આ ભાવના માત્ર હારજીત સુધી જ મર્યાદિત છે. રમતના મેદાનો પર કે તેની બહાર દેશ, પ્રદેશ, રંગ, ધર્મ, જ્ઞાતિ અને બીજા અનેક પ્રકારના ભેદભાવ ભારોભાર જોવા મળે છે. ભેદભાવના આચરણની બાબતમાં કોઈ દેશ કે કોઈ રમત બાકાત નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈ.સ. ૧૯૯૮માં ઈંગ્લેન્ડ અને વેલ્સના ક્રિકેટ બોર્ડે ’રેસિઝમ સ્ટડી ગ્રુપ’ની રચના કરી હતી. રંગભેદના બનાવો અને કોઈ જ ભેદ વિના સૌને રમવાની સરખી તક મળે છે કે નહીં તેની તપાસ તેણે કરી હતી. ‘હિટ રેસિઝમ ફોર એ સિક્સ’ (રંગભેદને છગ્ગો ફટકારો અર્થાત તેને મેદાનની બહાર ફેંકી દો) એવા બહુ સૂચક શીર્ષક સાથે જૂન, ૧૯૯૯માં તેનો અહેવાલ પ્રગટ થયો હતો. હવે સવા બે દાયકે ફૂટબોલની વર્લ્ડ ગવર્નિંગ બોડી, ’ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ’ (FIFA) અને ફૂટબોલ પ્લેયર્સના યુનિયન ‘ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ પ્રોફેશનલ ફૂટબોલર્સ’ (FIFPro)એ મળીને ફૂટબોલના ખેલાડીઓને ઓનલાઈન ટાર્ગેટ કરતી કોમેન્ટ્સનો તાજેતરમાં અભ્યાસ કર્યો છે. યુરો કપ ૨૦૨૦ અને આફ્રિકા કપની સેમિફાઈનલ –ફાઈનલની ચાર લાખ સોશિયલ મીડિયા પોસ્ટના અભ્યાસ પરથી જણાયું છે કે પચાસ ટકા કરતાં વધુ ખેલાડીઓને ઓનલાઈન દુર્વ્યવહાર  સહેવો પડ્યો છે. કોમેન્ટ્સ કરનારાના નિશાના પર મોટાભાગે શ્યામવર્ણી ફૂટબોલર્સ જ હોય છે. એટલે રંગભેદ અને બીજા ભેદ ક્રિકેટ કે ફૂટબોલના મેદાન પર અને બહાર હજુય હયાત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ક્રિકેટ ટેસ્ટ શ્રેણીની એજબેસ્ટન સ્ટેડિયમની મેચ દરમિયાન ભારતીય ટીમના ચાહક દર્શકો ઈંગ્લીશ દર્શકોની રંગભેદી ટિપ્પણીનો ભોગ બન્યાની ઘટના હજુ હમણાંની જ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૨૦૨૧માં સિડનીમાં રમાયેલી મેચ દરમિયાન ફિલ્ડીંગ કરતા ભારતીય પ્લેયર્સ મોહમ્મદ સિરાજ અને  જસપ્રિત બુમરાહને ઓસ્ટ્રેલિયન દર્શકોની સતત રંગભેદી ટિપ્પણીઓ સાંભળવી પડી હતી. એક તબક્કે સિરાજ મેદાન પર રડી પડ્યો અને તેણે ભારતીય કેપ્ટન રહાણેને અને તેણે એમ્પાયરને ફરિયાદ કરી હતી. આ કારણે રમત દસ મિનિટ બંધ રહી અને પોલીસે આઠ લોકોને શોધીને મેદાનની બહાર તગેડી મૂક્યા હતા. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6586907588771.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માત્ર ધોળી ચામડીના દર્શકો જ રંગભેદ આચરે છે એવું નથી. ઘઉંવર્ણા ભારતીયો પણ કાળી ચામડીના દેશી-વિદેશી ખેલાડીઓ સાથે આવું કરે છે. વેસ્ટ ઈન્ડીઝના પ્રસિધ્ધ ઓલરાઉન્ડર ડેરેન સેમીની કેપ્ટનશીપમાં વેસ્ટ ઈન્ડીઝ બે વખત ટી-૨૦ વિશ્વ કપ જીત્યું હતું. ડેરેન સેમી આઈપીએલની મેચોમાં ૨૦૧૩ અને ૨૦૧૪માં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં હતો. તે સમયે તેમના સાથી ઘઉવર્ણા ભારતીય ખેલાડીઓ તેને સામુહિક રીતે ‘કાલુ’ કહીને જ બોલાવતા હતા. સેમીએ આ અપમાનજનક શબ્દનો ફોડ ‘બ્લેક લાઈવ્સ મેટર’ અભિયાન દરમિયાન પાડ્યો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_65868f8068525.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દક્ષિણ ભારતના અને શ્યામ વર્ણના પૂર્વ ભારતીય ક્રિકેટરો એલ. બાલાજી અને શિવરામકૃષ્ણન પોતાના જ દેશમાં રમતાં રંગભેદ સહેતા આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “અમે આખી જિંદગી અમારા જ દેશમાં ચામડીના કાળા રંગને કારણે ભેદભાવ અને ટીકાઓ સહેતા રહ્યા છીએ”. હોકી ખેલાડીઓ વિજય અમૃતરાજ, જયકુમાર રોયપ્પા અને વાસુદેવન ભાસ્કરનને ચેન્નાઈની લોયાલા કોલેજના તેમના ધોળી ચામડીના પ્રોફેસર ડાર્ક, ડાર્કર અને ડાર્કેસ્ટ તરીકે ઓળખતા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_65869233ec0c1.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માત્ર રંગ જ નહીં દેખાવ પણ ભેદનું કારણ બને છે. ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી ત્યારે ભારતના જાણીતા સ્પિનર હરભજન સિંઘે ઓસ્ટ્રેલિયાના એન્ડ્ર્યુ સાયમંડ્સને ‘મંકી’ કહેતા તેને ત્રણ મેચના પ્રતિબંધની સજા કરાઈ હતી. પૂર્વોત્તરના લોકોનો ચહેરો થોડો અલગ હોઈ શેષ ભારતના લોકો તેમને  ચિંકી કે મોમા કહે છે. આંતરરાષ્ટ્રીય બોક્સર સરિતા દેવીને આવા શબ્દોથી તો ઠીક તેમના એક કોચ તો જંગલી જ કહેતા હતા. ૨૦૧૯માં ભારતીય અભિનેત્રી એશા ગુપ્તાએ નાઈજિરિયાના ફૂટબોલર એલેકઝાન્ડર ઈબોબીને ‘ગોરિલ્લો’ કહ્યા હતા. એટલે આ કેવું વિષચક્ર છે તે જણાય છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6586925663fda.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈંગ્લેન્ડના ક્રિકેટર મોઈન અલીએ મિહિર બોઝના સહલેખનમાં લખેલી તેમની આત્મકથા ‘મોઈન’માં લખ્યા મુજબ ૨૦૧૫માં ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં તેમને દર્શકો ‘ઓસામા’ કહેતા હતા. ધર્મ અને રંગને કારણે  ઓસ્ટ્રેલિયન દર્શકો  પજવતા હોવાની ફરિયાદ ભારતના હરભજન સિંઘની પણ હતી. એશિયન ખેલાડીઓને પશ્ચિમના કેટલાક દેશોમાં ‘પાકી’ એટલે કે પાકિસ્તાની તરીકે ઓળખવામાં આવતા હોવાનો ઘણાંનો અનુભવ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતના સ્ટાર બેટ્સમેન ગણાયેલા યુવરાજ સિંહે એક કાર્યક્રમમાં સાથી ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ માટે અપમાનજનક જ્ઞાતિસૂચક શબ્દ વાપર્યો હતો. બ્રિટિશ રાજ દરમિયાન ભારતમાં જ્યારે ધર્મ આધારિત ક્રિકેટ ટીમો રચાતી હતી. ત્યારે કથિત અસ્પૃશ્ય સમાજમાંથી આવતા મહારાષ્ટ્રના પી. બાલુ અને તેમના ત્રણ ભાઈઓ ‘હિંદુ ટીમ’ના ખેલાડીઓ હતા. પી.બાલુ એક ઉંચા ગજાના બોલર હતા અને હિંદુ ટીમના વિજયમાં તેમનું સવિશેષ યોગદાન રહેતું છતાં તેમને કદી ટીમના કેપ્ટન બનાવાયા નહોતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_65869286119e1.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે પણ ભારતીય ક્રિકેટ ટીમ અને તેના વહીવટમાં કહેવાતી નિમ્ન જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ ખાસ જોવા મળતું નથી. બહુ વાજબી રીતે દેશ હોકીના જાદુગર તરીકે ધ્યાન ચંદને આજે પણ યાદ રાખે છે. પરંતુ ૧૯૨૮ની જે ઓલમ્પિકમાં ભારતને હોકીમાં ગોલ્ડ મળ્યો હતો તે ટીમના કેપ્ટન આદિવાસી સમાજના જયપાલ સિંહ મુંડાને  સાવ વિસારે પાડી દેવાયા છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_65869518bd4f1.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ખેલદિલીની રમતો અને રમતના મેદાનો ભેદભાવના ભારખાના હોવાના બનાવો અલ્પ કે છૂટાછવાયા નથી, વળી આ કોઈ પૂર્ણ ભૂતકાળની નહીં ચાલુ વર્તમાનકાળની વાતો છે. એટલે તેનો ઉકેલ શોધવો રહ્યો. મોટાભાગની રમતો અમીરો અને કથિત ઉચ્ચવર્ણના લોકો માટે છે. તે સ્થિતિ બદલાવી જોઈએ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૌરવ ગાંગુલીએ તેમની કપ્તાની દરમિયાન મેદાન પરની સ્લેજિંગ(ઉશ્કેરણી) માટે કુખ્યાત ઓસ્ટ્રેલિયાને તેનાથી બમણી ઉશ્કેરણીથી માત આપી હતી! પાકિસ્તાનના કેપ્ટન ઈમરાન ખાને હરીફ ટીમના પ્લેયરને કોઈ પાકિસ્તાની પ્લેયર ‘સર’ કહીને ના બોલાવે તેની ફરજ પાડેલી. યુઈએમાં રમાયેલા ૨૦૨૧ના વર્લ્ડ કપ વખતે દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે બ્લેક લાઈવ્સ મેટરના સમર્થનમાં બધાં ખેલાડી માટે મેચના આરંભે મેદાન પર ઘૂંટણભેર ઉભા રહેવાનું ફરજિયાત કર્યું હતું. તેના વિરોધમાં ટીમના શ્વેતવર્ણી ખેલાડી ક્વિંટન ડિકોકે મેચની બહાર રહેવાનું પસંદ કર્યું હતું. તેથી આ પ્રકારના ઉકેલ કેટલે અંશે ભેદભાવ ડામી શકશે તે પ્રશ્ન છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6586953459674.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાઉથ આફ્રિકી ટીમના કોચ માર્ક બાઉચર પર ખેલાડી પ્રત્યેના રંગભેદી આચરણનો આરોપ તપાસ પછી જૂઠ્ઠો ઠર્યો ત્યારે પણ બાઉચરે માફી માંગી હતી અને તેમનું આચરણ અધિક સંવેદનશીલ હોવું જોઈતું હતું તેમ જણાવ્યું હતું. ઈંગ્લેન્ડમાં એજબેસ્ટન સ્ટેડિયમ પર ભારતીય દર્શકો સાથેના તાજેતરના ગેરવર્તન પછી ટીમના કોચ ક્રિસ સિલ્વાવુડે કહ્યું હતું તેમ સૌનો સમાવેશ અને નહીં કોઈ પ્રત્યે ભેદ એ જ રમતને ખેલદિલ તથા શાનદાર બનાવી શકે છે.   </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">maheriyachandu@gmail.com</span></strong></span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન પ્રવાહોના ઊંડા અભ્યાસુ છે)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Exclusive:-Age-and-height-also-make-social-distinctions"><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;">Exclusive: ઉંમર અને ઊંચાઈને પણ સામાજિક ભેદ નડે છે!</span></strong></span></a></p>
<p style="text-align: justify;"><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42); text-decoration: underline;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42); text-decoration: underline;"> </span>અહીં ક્લિક કરો</a></span></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;"></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 23 Dec 2023 20:09:15 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>225</Articleid>
                    <excerpt>સરેરાશ ભારતીયના હાથમાં સ્માર્ટફોન આવ્યા પછી તે એવો સવાલ પૂછવા લાગ્યો છે કે સ્પોર્ટ્સમાં તો હવે ક્યાં ભેદભાવ જેવું કશું રહ્યું છે? જો તમે પણ આ સવાલની તરફેણવાળી પંગતમાં ઉભા છો, તો ચંદુ મહેરિયાનો આ લેખ તમને ચોક્કસ મોટો ઝાટકો આપશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_6586928635f9f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_6586928600e5b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_6586928600e5b.jpg" length="74829" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>હિન્દુત્વનો સોમરસઃ ગિફ્ટ સિટીની ગિફ્ટ</title>
                    <link>https://khabarantar.com/Somers-of-Hindutva:-Gift-of-the-Gift-City</link>
                    <guid>https://khabarantar.com/Somers-of-Hindutva:-Gift-of-the-Gift-City</guid>
                    <description>
                        <![CDATA[ વિકાસના નામે ગઈકાલે ગુજરાત સરકારે તેના ગાંધીનગર પાસેના અતિમહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છુટ આપતો પરિપત્ર જાહેર કર્યો છે ત્યારે પ્રો. હેમંતકુમાર શાહ તેની પાછળના ઈરાદાઓની પોલ ખોલી નાખે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વિકાસ બહુ ખતરનાક શબ્દ છે. માત્ર દારૂનો જ નશો હોય એમ નહિ, વિકાસનો પણ નશો હોય છે. અને વિકાસનો નશો દારૂના નશા કરતાં પણ વધુ ખતરનાક હોય છે. ‘ગમે તે ભોગે વિકાસ કરો, જે થવું હોય તે ભલે થાય’ એવું માનો અને એને આધારે સરકારી નીતિ ઘડો કે બદલો તો એ શુદ્ધ કિસમની નશાખોરી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સરકારે વિકાસ માટે ગિફ્ટ સિટીમાં દારૂ વેચવાની અને પીવાની છૂટ આપતો પરિપત્ર જારી કર્યો છે અને તેમાં વિકાસને એ છૂટ માટેનું કારણ ગણાવવામાં આવ્યું છે. જો કે, આમ જુઓ તો આ કંઈ નવાઈની વાત નથી. છેલ્લાં ૨૦ વર્ષમાં આવી છૂટછાટો અનેક  વાર આપવામાં આવી જ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમે એમ સમજો કે આ હિન્દુત્વનો સોમરસ છે. એ તો પીવો જ પડે અને પીવડાવવો જ પડે, તો જ ગુજરાતથી વિશ્વગુરુ થવાય ને! ગુજરાત વિશ્વગુરુ થાય એટલે સમજી લેવાનું કે દેશ વિશ્વગુરૂ થઈ ગયો. અને હા, એની કોઈ સાબિતી નહીં માંગવાની. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતનો વિકાસ શું દારૂબંધીનો કારણે અટકી ગયો હતો? ૧૯૮૦-૯૫નાં ૧૫ વર્ષના ગાળા દરમ્યાન ગુજરાતનો સરેરાશ વાર્ષિક વિકાસ દર ૧૪.૫૫ ટકા રહ્યો હતો. અને એ ૨૦૦૧-૨૩ દરમ્યાન ૯.૫ ટકા રહ્યો છે. બોલો, હવે દારૂ વેચો અને પીઓ તો જ વિકાસ થાય? આ આંકડાથી તો એમ સાબિત થાય છે કે દારૂબંધી હોય તો વધુ વિકાસ થાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૂડીરોકાણ કરવા જે કંપનીઓ આવે છે તે દારૂ પીવા નથી આવતી, નફો થવાનો છે કે નહિ એ જોઈને રોકાણ કરે છે. કઈ કંપનીએ એમ કહ્યું કે અમને દારૂ પીવાની છૂટ આપો તો અમે રોકાણ કરીએ?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ વિકાસનો નશો ભયંકર છે, ખતરનાક છે. એ તમને કશું પણ કરવા પ્રેરે છે. તોફાનો, હત્યાઓ, દાદાગીરી, ખંડણીખોરી, એન્કાઉન્ટર વગેરે કશું આ નશામાં કોઈને દેખાય જ નહિ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગિફ્ટ સિટીનો ખ્યાલ ૨૦૦૭માં આવેલો. પછી એમાં એ જેને માટે હતું તે નાણાકીય સેવાઓ માટેનું રોકાણ બહુ થયું નહીં એટલે ગમે તે ક્ષેત્રમાં રોકાણ કરવાની છૂટ આપવાનો વારો આવ્યો. આ હકીકત છે. આરંભમાં ₹ ૨૫,૦૦૦ કરોડના ખર્ચનો અંદાજ હતો અને પછી તે અંદાજ ₹ ૭૫,૦૦૦ કરોડનો પણ કરાયો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચાલો, હવે મહેરબાની કરીને ગાંધીનું ગુજરાત બોલ બોલ ના કરો. ગાંધીએ તો એમ કહેલું કે, "મને લીંબુ ઉછાળ સમય માટે પણ દેશનો તાનાશાહ બનાવવામાં આવે તો હું દારૂનાં તમામ પીઠાં કોઈ પણ જાતનું વળતર આપ્યા વગર બંધ કરી દઉં."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી ઓકટોબરે અને ત્રીસમી જાન્યુઆરીએ હજુ ગાંધીને યાદ કરવા પડે છે. કાલે કદાચ એમાં પણ ગાંધી નહિ હોય અને નથુરામ ગોડસે હોય તો નવાઈ નહિ. આ જ છે નવું ગુજરાત, તમારે એને મોદીનું ગુજરાત કહેવું હોય તો કહો. હિન્દુત્વનો સોમરસ પીને અને પીવડાવીને કહો: "આ ગુજરાત મેં બનાવ્યું!"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>હેમંતકુમાર શાહ (લેખક વરિષ્ઠ અર્થશાસ્ત્રી અને અમદાવાદની H.K.Arts કોલેજના પૂર્વ આચાર્ય છે)</strong></span></span><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો : </strong></span><a href="https://khabarantar.com/In-the-Panchamahal,-racism-did-not-leave-the-chase-even-after-the-death,-the-funeral-had-to-be-done-on-the-field-without-a-cremation-for-the-funeral-of-the-woman"><span style="text-decoration: underline;"><strong>પંચમહાલમાં જાતિવાદે મર્યા પછી પણ પીછો ન છોડ્યો, મહિલાની અંતિમવિધિ માટે સ્મશાન ન મળતા ખેતરમાં અંતિમવિધિ કરવી પડી</strong></span></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="text-decoration: underline;"><strong><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42); text-decoration: underline;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 23 Dec 2023 11:26:58 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 23 Dec 2023 12:00:59 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>223</Articleid>
                    <excerpt>વિકાસના નામે ગઈકાલે ગુજરાત સરકારે તેના ગાંધીનગર પાસેના અતિમહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છુટ આપતો પરિપત્ર જાહેર કર્યો છે ત્યારે પ્રો. હેમંતકુમાર શાહ તેની પાછળના ઈરાદાઓની પોલ ખોલી નાખે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_65867656c4636.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_6586765691a14.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_6586765691a14.jpg" length="75669" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>IPCની જગ્યાએ આવનાર નવા કાયદામાં જજોને પણ 7 વરસની સજા થઈ શકશે?</title>
                    <link>https://khabarantar.com/In-the-new-law-to-replace-IPC,-judges-can-also-be-punished-for-7-years</link>
                    <guid>https://khabarantar.com/In-the-new-law-to-replace-IPC,-judges-can-also-be-punished-for-7-years</guid>
                    <description>
                        <![CDATA[ કેન્દ્ર સરકાર IPCની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા નામનો નવો કાયદો લાવવા જઈ રહી છે. જેમાં જજોને પણ 7 વરસ સુધીની જેલની સજા અને દંડ થઈ શકે છે. પણ આખો મામલો ક્યાં આવીને અટકે છે તે સમજવા જેવું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં ઇન્ડિયન પીનલ કોડનો કાયદો રદ કરીને તેની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા નામનો નવો કાયદો આવી રહ્યો છે. આ નવા કાયદાની કલમ 255 મુજબ જજો જો દ્વેષબુદ્ધિપૂર્વક અથવા ભ્રષ્ટાચાર આચરીને કાયદા વિરુદ્ધ કોઈ જજમેન્ટ, ચુકાદો કે કોઈ હુકમ જાહેર કરશે તો તેને સાત વરસ સુધીની જેલની સજા અને દંડ અથવા બન્ને પ્રકારની સજા થઈ શકશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉના ઇન્ડિયન પીનલ કોડમાં આવી જજો વિરુદ્ધ ગેરકાયદેસરના જજમેન્ટ ચુકાદો કે હુકમો કરે તો તે અંગે કોઈ જોગવાઈ ન હતી. પરંતુ આ નવા આવી રહેલ નાગરિક સુરક્ષા સંહિતા કાયદાની આ કલમ 255 જોતા જજો જો કાયદા વિરુદ્ધ કોઈ પણ ચુકાદાઓ આપશે તો તેઓની પણ ખેર નથી. સારી વાત છે જજો પણ જો ઈરાદાપૂર્વક, દ્વેષબુદ્ધિપૂર્વક અને પૂર્વગ્રહથી અથવા ભ્રષ્ટાચાર આચારીને કાયદા વિરુદ્ધ ચુકાદા આપશે તે તેઓની વિરુદ્ધ FIR નોંધી પોલીસ તપાસ કરી ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ કરી કોર્ટમાં બીજા ગુનાના આરોપીઓની જેમ ટ્રાયલ ચાલશે અને ગુનો સાબિત થયે જેલ ભેગા થવું પડશે. આ નવા કાયદો લાવવાનું બિલ સંસદના બન્ને ગૃહઓમાં થી પાસ થઈ તેના પર રાષ્ટ્રપતિની મંજૂરીની મહોર લાગી જાય એટલી જ વાર છે. જજોને પણ આ કાયદાના દાયરામાં આવરી લેવામાં આવેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતું ભારતીય બંધારણ અને બીજા કાયદાઓ જોતા નીચેની કોર્ટ થી માંડી ને સુપ્રીમ કોર્ટ સુધી ઉતરોતર અપીલો, રીવીઝન, રીવ્યુ અને રિટ પિટિશનોની જોગવાઈઓ કરવામાં આવેલ છે. માની લો કે નીચેના જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ કે સિવિલ જજે ખોટો ચુકાદો આપ્યો તો તેની વિરુદ્ધ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં અપીલ થઈ શકે. ડિસ્ટ્રીક્ટ કોર્ટોના ચુકાદાઓ વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ થઈ શકે અને હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ શકે તેવી જોગવાઈઓ છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે આ નવા કાયદાની આ કલમ મુજબ જજે જે ચુકાદો આપ્યો તે ગેરકાયદેસર છે તે નક્કી કોણ કરશે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટો ના દરેક કેસમાં સામસામે બે પક્ષકારો હોય છે તેમાં એક હારે તો બીજો જીતે એટલે શું હારેલો પક્ષકાર સીધો પોલીસ સ્ટેશનમાં જઈને જજ સામે FIR નોંધાવી શકશે ખરો?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જજોના ખોટા, ભુલ ભરેલા અથવા કાયદા વિરુદ્ધના ચુકાદાઓ વિરુદ્ધ નીચેની કોર્ટથી માંડીને ઉતરોતર સુપ્રીમ કોર્ટ સુધી અપીલો થઈ શકતી હોય, વળી નીચેની કોર્ટમાં જ કેસ ચાલતા વરસોના વરસ નીકળી જતા હોય તો સુપ્રીમ કોર્ટ સુધી લડવામાં તો કેટલા વરસ લાગે તેનું શું? તે અંગે આ નવો કાયદો લાવનારે નહીં વિચારવાનું? કે નીચેની કોર્ટનો ગેરકાયદેસર ચુકાદો આવે એટલે તરત જજ વિરુદ્ધ FIR નોંધાવી દેવાની?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સંદર્ભમાં ઇન્ડિયન પીનલ કોડ ની કલમ 77 જોવામાં આવે તો તેમાં તો એવું લખ્યું છે કે ન્યાયધીશ દ્વારા જે કંઈ કૃત્ય/કાર્ય કરવામાં આવશે તે ગુનો ગણવામાં આવશે નહીં તેનું શું સમજવાનું?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અને છેલ્લે, ભારતની પાર્લામેન્ટે સને 1985 માં જજોના રક્ષણ (protection)નો કાયદો ઘડ્યો છે. જે આ દેશમાં અમલમાં છે. આ કાયદામાં માત્ર ચાર જ કલમો છે. તે પૈકીની કલમ 3 માં એવી જોગવાઈ કરી છે કે બીજા કોઈ કાયદામાં બીજી કોઈ પણ જોગવાઈ હોય તો પણ જજો એ જજ તરીકે કોઈ કૃત્ય કર્યું હોય તો તેઓની વિરુદ્ધ કોઈ કોર્ટમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ શકશે નહીં. ટૂંકમાં આ ખાસ કાયદાથી જજો જજ તરીકે કોઈ પણ કૃત્ય કરે તો તેઓની વિરુદ્ધ ગુનો બનતો નથી. તે જોતા આ દેશના જજો ના રક્ષણ માટેના બીજા કાયદાઓન જે મોજુદ છે અને અમલમાં છે તેનું શું સમજવાનું? આ બધું જોતા જુદા જુદા કાયદાઓ જ અંદરોઅંદર સંઘર્ષ પેદા કરશે તેવું નહીં બને?</span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કે. બી. રાઠોડ (લેખક નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ છે.)</span></strong></span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/If-you-do-not-have-a-meal,-eat-bread-in-hand-and-teach-your-children"><strong><span style="font-size: 14pt;">ખાવાના વાસણ ન હોય તો રોટલી હાથમાં રાખીને ખાવ પણ તમારા બાળકોને ભણાવો</span></strong></a></p>
<p><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 22 Dec 2023 14:01:57 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>221</Articleid>
                    <excerpt>કેન્દ્ર સરકાર IPCની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા નામનો નવો કાયદો લાવવા જઈ રહી છે. જેમાં જજોને પણ 7 વરસ સુધીની જેલની સજા અને દંડ થઈ શકે છે. પણ આખો મામલો ક્યાં આવીને અટકે છે તે સમજવા જેવું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_658466036221f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_6584660322cfe.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_6584660322cfe.jpg" length="53653" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>બ્રાહ્મણોએ લખેલા હિંદુ ધર્મગ્રંથો અનૈતિકતાનો પહાડ છે &amp; કૌશિક શરૂઆત</title>
                    <link>https://khabarantar.com/Hindu-scriptures-written-by-Brahmins-are-a-mountain-of-immorality---Kaushik-beginning</link>
                    <guid>https://khabarantar.com/Hindu-scriptures-written-by-Brahmins-are-a-mountain-of-immorality---Kaushik-beginning</guid>
                    <description>
                        <![CDATA[ હમણાં પત્રકાર તવલીન સિંહે ઈન્ડિયન એક્સપ્રેસની પોતાની કોલમમાં અનામતનો વિરોધ કરતા બે લેખ લખ્યાં, જેની સામે સોશિયલ મીડિયામાં બહુજન સમાજ પોતાનો આક્રોશ ઠાલવી રહ્યો છે. શરૂઆત પબ્લિકેશનના કૌશિકભાઈનો આક્રોશ અહીં કેટલીક તર્કબદ્ધ દલીલો રજૂ કરીએ છીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુ એક એવી પ્રજા છે જે કાયર, જડ હોવાની સાથે સમસ્યાને સમસ્યા તરીકે સ્વીકારવા પણ તૈયાર નથી. તે જુઠ્ઠાણાં, દંભ, પાખંડ, કાલ્પનિક ઇતિહાસ અને બ્રાહ્મણોએ લખેલ ગ્રંથોને સત્ય માની વાસ્તવિકતાથી મોં ફેરવી લે છે. જાતિ દરેક ક્ષેત્રમાં છે તેમ છતાં તેણે નક્કી કરી નાંખ્યું છે કે ક્યાં જાતિ જોવાની અને ક્યાં નહિ જોવાની.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈન્ડિયન એક્સપ્રેસમાં ગત રવિવારે તવલીન સિંહ નામની પત્રકારે પોતાની કોલમમાં અનામતની વિરુદ્ધમાં બે કોલમો લખી કાઢી. તેમણે બે લેખ ‘Time to end reservations’ અને ‘A caste census is casteism’ લખ્યાં હતા. જેના કારણે વિવાદ થવો સ્વાભાવિક હતો. લોકો સોશિયલ મીડિયામાં તલવીન સિંહના રિમાન્ડ લઈ રહ્યાં છે. તવલીનસિંહને લાગે છે કે જાતિઓએ હવે પર્યાપ્ત ગૌરવ હાંસલ કરી લીધું છે એટલે જાતિના આધારે કોઈ પણ અનામતની જરૂર નથી કે તેની રાજનીતિ કરવી પણ ઉચિત નથી!</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તવલીન સિંહે રજૂ કરેલા વિચારો એક પત્રકાર કરતા વધુ એક કથિત સવર્ણ હિંદુના વિચારો વધુ લાગે છે. ભારતમાં દર વર્ષે આતંકવાદીઓ દ્વારા થતી ભારતીયોની હત્યા કરતાંય મોટી સંખ્યામાં હિંદુઓ દલિત - આદિવાસીઓનો હત્યા કરે છે અને આ આંકડા સરકારમાં બેઠેલા હિંદુઓ જ રજૂ કરે છે તો પણ તેઓ પોતાની વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા અને પોતાના ધર્મને સમસ્યા ગણવા તૈયાર નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એમને એ યાદ છે કે કાશ્મીરી પંડિતોને કેટલાક દાયકાઓ પહેલા આતંકવાદીઓએ મારેલા પણ દર વર્ષે હજારોની સંખ્યામાં, 2023ના વર્ષમાં પણ, દલિત - આદિવાસીઓની હત્યાઓ હિંદુ જાતિવાદીઓ દ્વારા થાય છે તે દેખાતું નથી. GPSC, UPSC, કોલેજીયમ વિગેરે જાતિવાદના અડ્ડા છે. ઇન્ટરવ્યૂના નામે સવર્ણ ને વધારે માર્કસ આપી પાસ કરવા અને પછાત સમાજને ઓછા માર્કસ આપી ફેલ કરવાનું દાયકાઓથી ચાલે છે. અને તેમાંય ઓબીસીને તો સૌથી વધુ ફેઇલ કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ એ લોકો છે જે અંગ્રેજોના સમયમાં આખો દેશ ગુલામ હતો ત્યારે પણ જાહેર તળાવોમાંથી પાણી નહોતા પીવા દેતા, શિક્ષણ નહોતા લેવા દેતા, અંગ્રેજોની સેનામાં પોતે ભરતી થતા, અંગ્રેજી શિક્ષણ લઈ ઉચ્ચ હોદ્દાઓ ગ્રહણ કરતા, પણ પછાત જાતિઓની ભરતી ના થાય, તેમને શિક્ષણ ના મળે, તે માટે રજૂઆતો કરતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ન્યાયતંત્ર, પોલીસતંત્ર, વહીવટીતંત્ર, ઉદ્યોગો, ઉદ્યોગોમાં લોનમાફી, બોલીવૂડ, કેબિનેટ મંત્રીઓ, પાર્ટીઓમાં ઉચ્ચ હોદ્દાઓ, મીડિયા એમ જ્યાં જુઓ ત્યાં જાતિવાદ છે અને આ બધાં પર તવલીન સિંહ પ્રકારની કથિત સવર્ણ જાતિઓ કબ્જો જમાવીને બેઠી છે અને દેશની તથા વ્યવસ્થાની ઘોર ખોદી રહી છે તે તેમને દેખાતું નથી. કરોડપતિઓ દેશના કરોડો રૂપિયા ડુબાડી વિદેશ ભાગી જાય છે તેમની જાતિ તેમને દેખાતી નહીં હોય? જેની સામે દલિત, આદિવાસી 35% ટકાએ મેડિકલમાં એડમિશન લે છે તેવું ધુપ્પલ આ લોકો તરત ચલાવે છે. સેંકડો દલિત-આદિવાસી લોકોની દર વર્ષે હત્યા બાદ પણ ‘હવે ક્યાં જાતિવાદ જેવું કંઈ છે?’ તેમ આ લોકો બેધડક અને બેશરમ થઈને જાહેર મંચ પર બોલે છે. હમણાં મોરબી પૂલ ઘટનામાં ૧૩૫ લોકોનાં મૃત્યુ થયા છે. પણ કંપની એક કથિત સવર્ણની હોવાથી એ સમાજના આગેવાનો, ભાજપ કોંગ્રેસના તે સમાજના નેતાઓ, સરકારી વકીલ, કથાકાર વગેરે સૌ આરોપીના બચાવમાં ઉતરી પડ્યાં છે. ૧૩૫ લોકોનાં મોત પર જાતિવાદ આટલો બધો ભારે પડે છે. આ હિંદુઓને પોતાના ધર્મના ૧૩૫ લોકોના મૃત્યુનો પણ કોઈ અફસોસ અહીં દેખાતો નથી. બસ આરોપીની જાતિ મજબૂત છે એટલે પોતાના વ્યક્તિને બચાવો. શું મોરબી પુલ હોનારતની ઘટનામાં આરોપી કોઈ કોળી અથવા ઠાકોર હોત તો શું આ જ હિંદુઓ તેના બચાવમાં ઉતરત?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનામત અને એટ્રોસિટી પર તવલીન સિંહ જેવા કથિત સવર્ણ હિંદુઓ કંઈપણ બકવાસ કરી શકે છે પણ જાતિની વાત કરો તો મોઢું ફેરવી લે છે, વાત નથી કરતા, વાત સાંભળવા પણ નથી માંગતા. તેમને જાતિગત અત્યાચારો બંધ કરવા કંઈ નથી કરવું પણ અનામત અને એટ્રોસિટીનો કાયદો કાઢી નાખવો છે કે જેના લીધે દલિત-આદિવાસીઓને થોડે અંશે પણ રક્ષણ કે ન્યાય માટે લડવાની શક્તિ મળે છે. એટ્રોસિટીના સેંકડો કેસોમાં,</span><br><span style="font-size: 14pt;">૧. પોલીસ ફરિયાદ લેતી નથી, ફરિયાદ લેવડાવવા માટે આંદોલનો કરવા પડે છે.</span><br><span style="font-size: 14pt;">૨. FIR નબળી લખાય છે.</span><br><span style="font-size: 14pt;">૩.તપાસ સરખી કરાતી નથી. તાત્કાલિક ધરપકડ નથી કરાતી. ફરિયાદીને પ્રોટેક્શન નથી અપાતું.</span><br><span style="font-size: 14pt;">૪. આડકતરી રીતે પુરાવા નષ્ટ કરવા, સમાધાન કરવા, ફરિયાદીને ધમકાવવા, માર મારવા, હત્યા કરવા માટે પૂરતો સમય અપાય છે.</span><br><span style="font-size: 14pt;">૫. નબળી ચાર્જશીટ રજૂ કરાય છે.</span><br><span style="font-size: 14pt;">૬. સરકારી વકીલ નબળી દલીલો કરે છે.</span><br><span style="font-size: 14pt;">૭. ઉપલી કોર્ટમાં અપીલ નથી કરાતી.</span><br><span style="font-size: 14pt;">૮. કોર્ટમાં મુદતો પાડવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;">૯. કાયદા વિરુદ્ધમાં જજમેન્ટો આપી વળતર પાછું આપવા કહેવાય છે.</span><br><span style="font-size: 14pt;">૧૦.ચૂકાદો આપવામાં વર્ષો કાઢી નાખવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;">૧૧. સામાજિક ન્યાય વિભાગને પાંગળું રાખી, સમયસર મિટીંગ કે અન્ય જરૂરી પગલાં નથી ભરાતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉપર જણાવી તે તમામ છટકબારીઓમાંથી માફક આવે તેનો ઉપયોગ કરીને એટ્રોસિટીના કેસોમાં આ લોકો પોતાની જાતિના આરોપીને છોડાવે છે અને પાછાં સોશિયલ મીડિયામાં તેમના જ મનુવાદી નબીરાઓ ‘ખોટા એટ્રોસિટી કેસ થાય છે’ની બૂમરાણ મચાવે છે. આ જ બાબત સરકારી નોકરીઓની ભરતીઓમાં પણ લાગુ પડે છે. ૭ દાયકા બાદ પણ વસ્તી પ્રમાણે, નિયમ મુજબની અનામત પ્રમાણે દલિત, આદિવાસી, OBCની ભરતીઓ કરી નથી અને છતાં કેટલાકને અનામત કાઢી નાખવી છે. એટલે જ કહું છું અને વારંવાર કહું છું કે, "બ્રાહ્મણોએ લખેલા હિંદુ ધર્મ ગ્રંથો અનૈતિકતાનો પહાડ છે અને તેને માનનાર, પાળનાર લોકો સૌથી ધર્માંધ, જડ અને કટ્ટર પ્રજા છે."</span></p>
<p><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>કૌશિક શરૂઆત (લેખક બહુજન સમાજના પુસ્તકો માટે જાણીતા શરૂઆત પબ્લિકેશનના માલિક છે)</strong></span></span><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong></strong></span></span><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો : </strong></span><a href="https://khabarantar.com/Did-the-upper-classes-build-flats-by-taking-crores-of-government-land-in-the-name-of-dalit-tribals"><strong>દલિત-આદિવાસીઓના નામે કરોડોની સરકારી જમીનો લઈ સવર્ણોએ ફ્લેટ બનાવ્યા?</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </span><span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 20 Dec 2023 19:08:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>215</Articleid>
                    <excerpt>હમણાં પત્રકાર તવલીન સિંહે ઈન્ડિયન એક્સપ્રેસની પોતાની કોલમમાં અનામતનો વિરોધ કરતા બે લેખ લખ્યાં, જેની સામે સોશિયલ મીડિયામાં બહુજન સમાજ પોતાનો આક્રોશ ઠાલવી રહ્યો છે. શરૂઆત પબ્લિકેશનના કૌશિકભાઈનો આક્રોશ અહીં કેટલીક તર્કબદ્ધ દલીલો રજૂ કરીએ છીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_6582edaa46516.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_6582edaa0f797.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_6582edaa0f797.jpg" length="67113" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>દલપત ચૌહાણ એટલે ગુજરાતી દલિત સાહિત્યના વકીલ</title>
                    <link>https://khabarantar.com/dalpat-chauhan-is-an-advocate-of-gujarati-dalit-literature</link>
                    <guid>https://khabarantar.com/dalpat-chauhan-is-an-advocate-of-gujarati-dalit-literature</guid>
                    <description>
                        <![CDATA[ દિગ્ગજ દલિત સાહિત્યકાર દલપત ચૌહાણની નટુભાઈ પરમારે લીધેલી દીર્ઘ મુલાકાતના આ બીજા ભાગમાં લેખક દલિત સાહિત્યની વિસ્તારપૂર્વકની વ્યાખ્યા સહિતના પાસાઓ પર પ્રકાશ પાડે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'ગીધ' નામની નોંધપાત્ર નવલકથાથી જાણીતા દલિત સાહિત્યકાર દલપત ચૌહાણે માત્ર સાહિત્ય સર્જન જ નથી કર્યું પરંતુ ગુજરાતી ભાષામાં દલિત સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે પણ પ્રારંભથી જ સક્રિયતા દાખવી છે. ગુજરાતી ભાષામાં દલિત સાહિત્યને માન્યતા અપાવવાની ઐતિહાસિક ચળવળ પણ તેમણે ચલાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>દલિત સાહિત્ય એટલે શું?</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલપત ચૌહાણ અને એમના મિત્રોની આગેવાનીમાં ૧૯૭૮માં - દલિત સંજ્ઞાા હેઠળનું - પહેલ વહેલું દલિત કવિતા ઋતુપત્ર(સામયિક) પ્રકાશિત થયું ત્યારે દલિત સાહિત્યની વ્યાખ્યા, વિભાવના અને વિશિષ્ઠતાને ઉજાગર કરતી વિશદ્ સંપાદકીય નોંધમાં તેમણે લખ્યું: 'દલિતોના દુઃખદર્દો, અપમાન, અન્યાય, અત્યાચાર-અનાચાર, તિરસ્કાર - ઘૃણા, જુગુપ્સા, વેઠ-વૈતરું, અસ્પૃશ્યતા, હિંસા, ગરીબી, નિરાશા, લાચારી, શોષણ, ભેદભાવ, ઓરમાયાપણું, પૂર્વગ્રહ, લઘુતાગ્રંથિ અને તેની સામે એમનું ભોળપણ, સરળતા, સાલસપણું, દિલાવરી, સામાજિકતા, સ્વમાન, કૌશલ, સંસ્કાર અને અસ્મિતા એ સઘળાને વર્ષોથી ઝીલતાં વ્યક્ત થતું મૂક આક્રંદ એટલે દલિત કવિતા.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસ આ જ વ્યાખ્યા દલિત સાહિત્યની તમામ વિદ્યાઓને પણ લાગુ પડે છે. સાથે સાથે દલિત માનવકેન્દ્રી વિભાવનાઓ, ભોગવેલો યથાર્થ - તેની રચના સાથે પૂરેપૂરી વફાદારી અને તળબોલી - ભાષા સાથેનું દલિત સાહિત્યનું જોડાણ તેને વિશિષ્ટ બનાવે છે. ક્યારેક ઉપલક દૃષ્ટિએ લલિત સાહિત્યકાર દલિત સાથે જોડાયેલા જણાય ત્યારે પણ તેમનો પ્રથમ પ્રેમ તો લલિત સાહિત્ય જ હોય છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_657de6e78212b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તે વિષાદ સાથે કહે છે કે, “દલિત સર્જકે દલિત સાહિત્યને પ્રતિબદ્ધ હોવું નિતાંત જરૂરી છે. કિન્તુ આ સમયમાં આ વાત મિથ્યા થતી જાય છે. જ્યાં લલિત સાહિત્યની ધસમસતી નદી વહેતી હોય તેની વચ્ચે ટાપુ સમાન લખાતું દલિત સાહિત્ય ક્યારે એમાં ડૂબી કે તણાઈ જશે, તે કહી શકાય તેમ નથી. માટે જ હું કહું છું કે દલિત સર્જકે દલિત યથાર્થ જીવન, વિડંબના, પરિવેશ અને સંસ્કારને અંકે કરી શકાય, તે ચિત્રિત કરી લેવું જોઈએ. સમાજ ઝડપથી બદલાતો હોય છે. એટલે દરેક સાહિત્ય પ્રવાહે પોતાના વિકાસનો માર્ગ શક્ય તે ઝડપે અંકે કરી લેવાનો રહે છે. સમયાંતરે સાહિત્યના સમયગાળા/ યુગ નબળા પડતા જાય છે, નવીનધારાઓ ઉદ્ભવતી જાય છે. જુઓને, દલિત સાહિત્યધારાનો આવિષ્કાર થયો ત્યાર પછી તેની સાથે બીજા કેટલા સાહિત્યઝરણાં ફૂટી નીકળ્યાં હતાં. (નારીવાદ, ગ્રામ્યચેતના, સબાલ્ટન સાહિત્ય વગેરે વગેરે). આજે દલિત ધારાના (આજના) ક્ષીણ પ્રવાહ સિવાય અન્ય ધારાનું સાહિત્ય અલપ-ઝલપ જ દેખાય છે.”</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આમ છતાં આ કડવા સત્યની વચ્ચે આશા કે ધીરજ નહિ ગુમાવતા, તેઓ મક્કમપણે એમ માને છે કે, દલિત સાહિત્ય પ્રવાહની ધારાનું ઉઠમણું થવાનું નથી જ, સિવાય કે ગુજરાતી સાહિત્યનું બારમું થઈ જાય! કારણ કે સાહિત્યને સમયે-સમયે એના નવતર સાહિત્યની રચના કરનારા મળી જ રહે છે. જેઓ આવશે, તેઓ તેમના સમયને આકાર આપશે. આવનારા સમયમાં દલિતો પ્રત્યે સમાજ આજે જેવો વર્તાવ કરે છે, તેવો જ વર્તાવ જો કરતો રહેશે તો દલિત સાહિત્યકાર તેના યથાર્થ અને પ્રતિકારનું સાહિત્ય રચતો જ રહેશે. તેમાં કોઈ શંકા નથી.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">તેમના મતે, આ સમય એવો છે કે દલિત સાહિત્યને દિલથી સ્વીકારનારા લલિત સાહિત્યકાર હોય કે ન હોય, તેની કોઈ તમા આજે ગુજરાતી દલિત સાહિત્યને છે જ નહિ. દલિત સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં જ નહિ પણ ભારતની અને જગતની અન્ય ભાષાઓમાં વત્તે-ઓછે અંશે જવા લાગ્યું છે, પોતાનું સ્થાન જમાવવા લાગ્યું છે અને એટલે જ એ ટકશે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_657de6ea77450.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">તેઓ પૂછે છે, “રાજકારણ અને તિકડમાજી કયા વિષયોમાં નથી? રસ્સાખેંચની રમત બધા જ ક્ષેત્રે છે. સાહિત્યનું ક્ષેત્ર પણ એમાં બાકાત નથી. એ હકીકત છે કે, કોઈપણ સાહિત્યધારાને રાતોરાત સ્વીકારવામાં આવતી નથી, તેમ તેને તાત્કાલિક નાબૂદ પણ કરી શકાતી નથી. સાહિત્યની નવીન ધારા ઉદ્ભવે ત્યારે જેમ જેમ તેની રચનાઓ પ્રકાશમાં આવતી જાય તેમ તેમ તે જાતે પોતાના સાહિત્યિક માપદંડ-માનદંડને અવતારે છે. આથી જ્યારે કોઈ સાહિત્યકાર દલિત કથાવસ્તુ લઈને લખવા પ્રેરાય ત્યારે તેને તેના માપદંડ વિશે વિચારવાનું હોતું નથી. કથાવસ્તુ પોતે જ એના માપદંડ લઈને અવતરે છે. એટલે દલિત રચના હોય કે લલિત રચના, તે તો પોતાની રીતે રચાતી જાય છે. એમાં જ્યારે દલિત-લલિતની ભેળસેળ જો થઈ જાય છે તો આખી રચના જ અળપાઈ જતી જોવાય છે. તે નથી દલિત રહેતી કે નથી લલિત રહેતી!”</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">'ગુજરાતી સાહિત્યના ઈતિહાસકારોએ દલિત સાહિત્યની ઘટનાઓની ખાસ નોંધ લીધી નથી. પરિણામ એ આવ્યું કે દલિત સાહિત્યમાં થયેલ ખરેખરા કાર્યની અવગણના થતી રહી, અને જ્યારે જ્યારે દલિત સાહિત્યની વાત કરવામાં આવી ત્યારે વાંચ્યા વિનાના - અધકચરા અને બેહૂદા ટાંચણો રજૂ કરવામાં આવ્યા, ક્યારેક અન્ય ભાષાના દલિત સાહિત્ય વિશેના લેખને પ્રાધાન્ય આપ્યું. સરવાળે અનુઆધુનિક સાહિત્યની મજબૂત શાખા/ધારા એવા ગુજરાતી દલિત સાહિત્યને અન્યાય થયો' એમ જવાબદારીપૂર્વક અને સભાનપણે કહેતા, તેઓ કડવું અને અપ્રિય સત્ય કહેવા માટે પણ એટલા જ જાણીતા છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">તેમણે કહ્યું: “બીજા વિશ્વયુદ્ધની અસર ગુજરાતી લેખકોને થતી નથી. ગાંધીવાદની થોડી અસર થાય છે, પણ ગાંધીના મૃત્યુ પછી તેનોય અસ્ત થઈ જાય છે. ભારત-પાકિસ્તાન ભાગલા વખતે રાષ્ટ્રની તમામ ભાષાઓ હચમચે છે, સિવાય ગુજરાતી ભાષા. ૧૯૫૬ થી ૧૯૬૦ સુધી ચાલેલી મહાગુજરાત ચળવળ, ૧૯૬૨ ચીન સાથે અને ૧૯૬૫ - ૧૯૭૧માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધો, ૧૯૫૬ થી ૧૯૬૦ અને ૧૯૭૪ના રોટી રમખાણો, ૧૯૬૯ના કોમી તોફાનો, બધામાં ગુજરાતી કવિ/લેખક મહદ્અંશે ચૂપ છે. પણ કટોકટીકાળમાં કવિ/લેખકો કકળી ઊઠે છે. મોટાં માથાં જેલમાં જાય એ જોઈ શકતા નથી. સ્થાપિતો, મૂડીપતિઓ, ઉચ્ચ મધ્યવર્ગોને દુઃખ પડે તે તેમને કેમ પોસાય? કેવળ ઉચ્ચ વર્ગોને જ માનવીય ગરીમા હોય, એવું કવિ/લેખકોએ સાબિત કર્યું. રાજકીય બૂમાબૂમ એમને ગમે છે. ગરીબ તરફી તો કાંઈ થવાતું હશે?!”</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_657de6eb614fc.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">“દલિત સાહિત્ય એ ગુજરાતી ભાષાના ઈતિહાસનું પરિશિષ્ટ નથી, પરંતુ આગળ વધતો ઈતિહાસ છે.' એવી સ્પષ્ટ ચેતવણી આપે છે. દલિત સાહિત્યની ગામઠી-જાનપદી ભાષા, નર્યા અત્યાચાર - શોષણની વાતોથી તેને બીબાઢાળ કે નીરસ-એકસૂત્રી ગણીને, તેને ભાષા કલા-સૌંદર્યના દૃષ્ટિકોણથી માપી, તેનો છેદ ઉડાડવા મથતા દલિત સાહિત્યના વિરોધીઓને વળતો પ્રત્યુત્તર આપી, એમ કહેવાનું પણ ચૂકતા નથી કે, 'દલિત સાહિત્યે ગુજરાતી ભાષાને ક્યારેય નુકશાન પહોંચાડયું નથી. નવી વિભાવના - નવા શબ્દ - નવા પ્રતીક અને નવસંધાન સાથે દલિત સાહિત્યે નવી ધારાનો આવિષ્કાર કર્યો છે. તેનો ઋણ સ્વીકાર તો ક્યારેય ન થયો. (ભલે તેમ થાઓ!) પણ (સમજી લેજો!) આથી આ કામ અટકતું નથી. અટકશે પણ નહિ.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેઓ બુલંદ સ્વરે કહે છે: “દલિત સાહિત્ય ગુજરાતી સાહિત્ય છે. ગુજરાતી સમાજના અધુરા ચિત્રને તે પૂર્ણ કરે છે. દલિત સાહિત્ય ગુજરાતી સાહિત્યથી સહેજ પણ દૂર નથી. અળગું નથી. તે એક વિશિષ્ટ સાહિત્ય છે.”</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ગુજરાતી દલિત સાહિત્યના સતત ને સાતત્યપૂર્ણ સર્જન દ્વારા પ્રારંભથી માંડી આજદિન સુધી તેઓ સક્રિય રહ્યા છે. ગુજરાતમાં દલિત સાહિત્ય વિશે, ક્યાંયથી પણ જો કોઈ વિરોધનો સૂર ઉઠયો છે, તો તેનું સૌ પ્રથમ ખંડન કરનારા કોઈને તમે જો જોશો તો તે અવશ્યપણે દલપત ચૌહાણ જ હશે! </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં યાદ આવે ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર 'પરબ'ના ઓક્ટોબર-૨૦૦૮ના અંકમાં પ્રસિદ્ધ થયેલો તેમનો પત્ર: જે છેક ૧૯૩૩માં લખાયેલા અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (હાલની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી-પાટણ)માં અભ્યાસક્રમમાં સ્વીકારાયેલા ઉમાશંકર જોષીના એકાંકી સંગ્રહ 'સાપના ભારા' માંના એક એકાંકી સામે દલિતો દ્વારા થયેલા વ્યાપક વિરોધ સંદર્ભે તેમણે લખેલો. એ નાટકના શિર્ષકથી તો ખરો જ, તેમાંના Contentથી પણ ભણનારા અને ભણાવનારા દલિત વિદ્યાર્થીઓ/પ્રોફેસરો સહિતના બહુમતિ દલિતો નારાજ હતા, અને તેને અભ્યાસક્રમમાંથી રદ કરવાની માંગણી કરતા હતા. અગાઉના વર્ષોમાં જે તે સમાજ વિશે ઘસાતો ઉલ્લેખ હોય એવી નામાંક્તિ સર્જકોની એકથી વધુ કૃતિઓ તે સમાજનો વિરોધ થવાને કારણે યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાંથી રદ કરાઈ હોવાનો હવાલો આપીને એ પત્રમાં દલપતભાઈએ બહુ જ પાયાના પ્રશ્ન ઉઠાવેલા અને લખેલું; “લેખક તો ગમે તે લખવા સ્વતંત્ર છે, પણ શું ભણાવવું એ વિદ્વાનોએ નક્કી કરવાનું હોય. આવા વિવાદો થાય ત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસક્રમનો નિર્ણય લેતા વિદ્વાનોએ અને સાહિત્ય પરિષદે તમામ પાસાંઓનો વિચાર કરી, સંબંધિત સમાજ, સમાજસેવકો અને સંસ્થાઓનો મત મેળવીને વિવાદનું નિરાકરણ લાવવાનું હોય.”</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_657de6e6bbb2e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">એ દિવસોમાં એ એકાંકીનો દલિતોએ ન માત્ર વિરોધ - એ પુસ્તકની માર્ગદર્શિકાની જાહેર હોળી પણ કરેલી. સફાળી જાગેલી સાહિત્ય પરિષદે દલિતોના વિરોધ સામે આંધળુંકીયું કરી દલિતોની વિરોધમાં ઠરાવ પસાર કર્યો! ત્યારે પત્રમાં તેમણે સવાલો ઉઠાવ્યાઃ 'શું આ સાહિત્ય પરિષદ દલિતો અને દલિત સાહિત્યકારોના વિરોધ કરવાનું જ કામ કરે છે? અગાઉ આવા વિવાદો થયા ત્યારે 'પરિષદ' અને સાહિત્યકારો કેમ ચૂપ રહેલા?'</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">દલિતો વિરોધી ઠરાવ પસાર કર્યો ત્યારે સાહિત્ય પરિષદના પ્રમુખ ગાંધીજીના ખોળામાં રમેલા એક ગાંધીવાદી લેખક હતા. આ નાટક છપાયું ત્યારે જ (૧૯૩૩માં) ડૉ. બાબાસાહેબ આંબેડકરના સાથીદાર ગુજરાતના પી. જી. સોલંકીએ વિરોધ નોંધાવેલો, તેનો પણ એ પત્રમાં દલપતભાઈએ ઉલ્લેખ કરેલો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈતિહાસ સાક્ષી છે. રાજ ગુજરાતમાં પણ વહીવટની ભાષા મરાઠી! તેથી આપણા આદ્યકવિ દલપતરામ તો ફાર્બસ સરને લઈ પહોંચ્યા ખંડેરાવ ગાયકવાડના રાજ દરબારે ને બુલંદ સ્વરે સંભળાવ્યુંઃ 'દાખે દલપતરામ, ખુદાવિંદ ખંડેરાવ!/ રૂડી ગુજરાતી રાણી વાણીનો વકીલ છું!'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>દલિત સાહિત્યના પાયામાં જ અત્યાચારની વેદના ધરબાયેલી છે</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હા. આ ગુજરાતી દલિત વાણી (સાહિત્ય) પાસેય તેનો એક વકીલ છે - દલપત ચૌહાણ! જોકે મને એમને ગુજરાતી દલિત સાહિત્યના પ્રવક્તા કહેવાનું વધુ પસંદ પડે છે!</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'ગુજરાતી દલિત સાહિત્ય એ ગુજરાતી સાહિત્યનો હિસ્સો છે, શાખા છે, ગુજરાતી સાહિત્યથી અલગ પાડીને તેની માપણી કરવી યોગ્ય નથી. હા, તેના માનદંડ - માપદંડ જુદા હોઈ શકે અને આ માપદંડો રચાઈ આવેલા સાહિત્યમાંથી આવકારવા કે સ્વીકારવા જોઈએ'...' દલિત સાહિત્ય એ ફક્ત નકાર કે વિદ્રોહનું સાહિત્ય નથી. દલિત સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં ઉમેરણ કરે છે, સંવર્ધન કરે છે, ઉપરાંત તે ગુજરાતી સાહિત્યનું અવિભાજ્ય અંગ છે. દલિત સાહિત્ય એ યથાર્થનું સાહિત્ય છે. યથાર્થનું સાહિત્ય જીવન જેવું છે એવું જ એને ચિતરે છે, આલેખે છે' એમ અદલિત સાહિત્યકારોને તે કહી શકે છે, તેમ જન્મે દલિત અને લલિત ધારામાં ફંટાઈ ગયેલા પોતાના સર્જકોનેય સાચી વાત કહેવાનું ચૂકતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">  </span><br><span style="font-size: 14pt;">“આપણે એક વાત સ્વીકારવી પડે કે, મરાઠી કે હિન્દી સાહિત્યમાં જેઓ દલિત સાહિત્ય લખતા થયા તેમણે દલિત સાહિત્યને જ પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. જ્યારે ગુજરાતી દલિત સાહિત્યમાં તદ્દન વિપરિત પરિસ્થિતિ સામે આવી. જૂની પેઢીના કેટલાક દલિત સાહિત્યકારો એવા છે, જે લલિત સાહિત્ય લખતા હતા અને હવે દલિત ધારામાં આવ્યા તે દૂધમાં અને દહીંમાં હાથ રાખે છે. એટલે કે તેમને દલિત સાહિત્ય પ્રત્યે પૂર્ણ પ્રતિબદ્ધતા નથી. ઉપરાંત કેટલાક દલિત સાહિત્યકાર એવા છે, જેમને પ્રતિબદ્ધતા જાળવવી નથી છતાં પોકારી પોકારીને પોતાનો દાવો રજૂ કરતા રહ્યા છે. તેમની વિચારપ્રણાલી, ધારણાઓ બહુ જ જટિલ અને ન સમજાય તેવી છે. તેમની વિચારધારા પ્રગતિશીલ, આંબેડકરવાદી, ગાંધીવાદી અને કલાવાદીઓનો ખીચડો છે. તેઓ લખવા ખાતર લખે છે. બીજી વાત ખાસ જાણવા જેવી છે કે ગુજરાતી દલિત સાહિત્યની આવનાર પેઢીઓમાં દલિત સાહિત્યકાર જણાતા નથી. અર્થ એનો એવો નથી કે દલિત સમાજમાં સાહિત્યકાર પેદા થવા બંધ થઈ ગયા છે. જરૂર સારા કવિ, વાર્તાકાર, નવલકથાકાર આવી રહ્યા છે, પણ તેઓ પોતાને મુખ્ય ધારાના સાહિત્યકાર તરીકે ઓળખાવે છે. તેમને ક્યારેક સમાજ યાદ આવી જાય તો લખવાની આવડતનો ઉપયોગ કરી, એકાદ વાર્તા - કવિતા લખે પણ ખરા, પછી જાણે દલિત સાહિત્ય પર ઉપકાર કર્યો હોય એમ પોતાના શ્રેષ્ઠત્વની ડંફાસો હાંકતા ફરે છે.”</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_657de6e909ce2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">“કેટલાક પોતાને દલિત સાહિત્યકાર કહેવડાવે ખરા, પરંતુ તેઓ પચીસ ટકા દલિત સાહિત્ય અને પંચોતેર ટકા અદલિત સાહિત્ય લખતા નજરે પડે છે. હવે તેમની અને તેમના સાહિત્યની મૂલવણી થાય કેમની? તેમની કૃતિઓમાં દલિત સાહિત્ય કેટલા અંશે પામી શકાય? તેમની કૃતિઓમાં અદલિત વિભાવનાઓ અવિનાભાવે જોડાયેલી હોય છે. કેટલાક દલિત સાહિત્યકારો કલાની અવધારણાઓ, માનદંડ લઈને જ સાહિત્ય રચે છે. તે કૃતિઓને મૂલવીએ તો શું પરિણામ આવે?! પ્રતિબદ્ધતા વિનાનો સાહિત્યકાર કાયમ અવઢવમાં જ હોવાનો.”</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">તેઓ કહે છે:  'જે સાહિત્યકારો (જન્મે દલિત) શિષ્ટ પ્રવાહમાં હતા અને તે પછી દલિત સાહિત્ય ધારામાં આવ્યા, તે સાહિત્યકારોએ તેમનું બધું સાહિત્ય દલિત સમાજ/વિભાવના/ પરિવેશને ધ્યાનમાં રાખીને લખ્યું નથી. તેમણે જ્યારે જે લાગ આવ્યો તે લખ્યું, પરિણામે તેમનું બધું સાહિત્ય દલિત સાહિત્યને નામે ચઢાવવામાં આવે, તે બરાબર નથી. આનો વિગતે ફોડ પાડવો જોઈએ.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં દલિત સાહિત્યનો જુવાળ આવ્યો. ખૂબ લખાયું, નોંધપાત્ર લખાયું, ચર્ચાયું, પુરસ્કૃત થયું, વિદ્યાલયો - મહાવિદ્યાલયોમાં સ્થાન પામ્યું ને હવે - જેના આરંભના પૂરા પચાસ વર્ષ પણ નથી થયા ત્યાં તેનો વેગ ઘટતો જતો હોવાની - પ્રવાહ મંદ પડી રહ્યો હોવાની ચિંતા થવા લાગે, એ ગુજરાતી દલિત સાહિત્ય માટે સારા સમાચાર નથી. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">જેમના ઉલ્લેખ વિના ગુજરાતી દલિત સાહિત્યની ચર્ચા થઈ નથી શકતી, તેવા દલિત સાહિત્યના પીઢ - ઘેઘુર વડલા સમા આ સાહિત્યકારના સર્જનકર્મની કૃતિલક્ષી ચર્ચાને સહેતુક - સભાનપણે મેં ટાળી છે. એ તો અન્યત્ર પણ વાંચી શકાશે.</span><br><span style="font-size: 14pt;"> </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોજ, આનંદ કે માન-મરતબો મેળવવાના નહિ કિન્તુ વર્ણાશ્રમ - જાતિવાદના પાપે એક વિશાળ માનવસમુદાયને થઈ રહેલા અન્યાય, અત્યાચાર, અપમાન સામે પ્રતિબદ્ધતા - ફરજ - જવાબદારી સાથે કલમ ઉપાડી, આવા શોષિતોનો અવાજ બની તેમનામાં જાગૃતિ - ચેતના આણવાના આશયને દલિત સાહિત્યના મૂળભૂત સિધ્ધાંત રૂપે ઓળખી કાઢવામાં આવ્યો છે ત્યારે, ગુજરાતમાં એક યા બીજા કારણે દલિત સાહિત્યથી વિમુખ થયેલા, પ્રવર્તમાન સમયમાં સર્જનકાર્ય કરી રહેલા અને નવા આવનાર દલિત સર્જકોએ તેમની આ ચિંતાને પારખીને તેમણે કહેલ શબ્દોને ગંભીરતાથી લેવા પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> </span><br><span style="font-size: 14pt;">મરાઠી દલિત સર્જકો મોટે ભાગે સીધી રીતે આંદોલન સાથે જોડાયેલા હોય છે, તેવું ગુજરાતમાં પણ છે કે કેમ? તેવા મારા સવાલના પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું: “આ સાહિત્યકારોની મહત્તા તેની પ્રજા, સ્વીકાર કરનારાઓ પર અવલંબે છે. મરાઠી સર્જકને પ્રેમ-પ્રશંસા ને પૈસા મળે છે, જ્યારે ગુજરાતનો દલિત સર્જક ગાંઠના રૂપિયા ખર્ચીને પોતાનું સાહિત્ય છપાવે છે. છતાં હું એટલું જરૂર કહીશ કે નવલકથા, વાર્તામાં ગુજરાતી દલિત સાહિત્યનું જે ગજું છે, તે ભારતમાં ગમે તે ભાષા સાથે ખભેખભા મેળવી ઊભું રહી શકે તેવું છે. તેમાં બે-મત નથી.”</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_657de6e9ca4d2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">તેમણે કહ્યું: “આપણા ગુજરાતમાં આજ સુધીના જે દલિત સર્જકો છે તેમણે દલિત અત્યાચારને આલેખિત કરવાનો પૂરો પ્રયાસ કર્યો છે. દલિતો પર થયેલા નાનામાં નાના અત્યાચારથી માંડી મોટી હોનારતોને દલિત સાહિત્ય નજર અંદાજ કરતું નથી. દલિત સર્જક અને દલિત અત્યાચારને જુદા પાડી શકાય નહિ. દલિત સાહિત્યના પાયામાં જ અત્યાચારની વેદના ધરબાયેલી છે. જેને જુદી પાડી શકાય નહીં.”</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">દલિત સાહિત્યજગતને કોઈ સંદેશ?! તો તેઓ બોલ્યા: “જ્યારે સમાજમાં પત્ર વ્યવહાર (પોસ્ટકાર્ડ)નો જમાનો હતો ત્યારે દલિત સમાજના લોકો પત્રના અંતે લખતા, 'વાંચનાર સુખી રહો, સાંભળનાર સુખી રહો!' મારેય કહેવું છે કે, દલિત સાહિત્ય લખનાર સુખી રહો!... પણ મારા અંતરની ઈચ્છા છે કે, દલિતો પરના આ સમગ્ર અત્યાચાર બંધ થાય, જેથી દલિતોએ દલિત સાહિત્ય જ લખવું ન પડે. 'એ' પણ ફૂલોની કવિતા લખે. એ અર્થમાં એ સુખી રહે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">...અને છેલ્લે, એમની સાથેની મારી લંબાણ બેઠકોમાં મને એય જાણવા મળ્યું કે, ગુજરાતી દલિત સાહિત્યનો પૂરો ઇતિહાસ જાણતા દલપતભાઈ, તેમની ખુદની પંદર પેઢીનો પૂરો ઈતિહાસ પણ જાણે છે! એમના વહીવંચા બારોટો પાસેથી એમણે એમના દાદા-પરદાદાઓના નામો જાણ્યા છે, તદ્અનુસાર તેમની તેરમી પેઢીએ દાદા રાજસ્થાનના ક્ષત્રિય રાજપૂત હતા. તેઓ ક્યારે વટલાયા અને દલિત થયા તેની સિલસિલાવાર વિગતો પણ અલબત તેમની પાસે ઉપલબ્ધ છે! તેરમી પેઢીના પરદાદા માલોસિંહના દીકરા ઝેહોસંગ, તેમના પુત્રો-પ્રપોત્રો કમોસંગ, ખેંગારજી, ભીખુસંગ, પદમસંગ, અરજણ સંગ તે છેક નીચે ઉતરતી પેઢીએ દલપતભાઈના પિતા ધૂળાભાઈ સુધીના વંશવેલાનો ઇતિહાસ(પેઢીઆંબો) પણ દલપતભાઈએ જતનથી જાળવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૂર્ધન્ય સર્જક - ઇતિહાસકાર - સંશોધનકાર કે. કે. શાસ્ત્રી પણ કહી ગયા છે કે આજના દલિતો એક સમયના ક્ષત્રિયો છે ત્યારે આપણે પણ દલપત ચૌહાણને દલસંગ ચૌહાણ તરીકે ઓળખીએ તો કેમ?!</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><em><span style="color: rgb(224, 62, 45);"><strong>(દલપત ચૌહાણ સાથે લેખક નટુભાઈ પરમારે કરેલી વાતચીત આધારે. ભાગ-2)</strong></span></em></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><em><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો (દલપત ચૌહાણ ભાગ-1) </strong></span></em><a href="https://khabarantar.com/We-did-not-go-to-cast-Holi,-and-on-the-day-of-Holi-itself,-the-upper-caste-attacked-Vas---Dalpat-Chauhan"><strong>અમે હોળીના છાણાં નાખવા ન ગયા, ને હોળીના જ દિવસે સવર્ણોએ વાસ પર સામૂહિક હુમલો કર્યો - દલપત ચૌહાણ</strong></a></span></p>
<p style="text-align: justify;"><strong><span>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 19 Dec 2023 10:08:44 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 16 Mar 2024 21:19:35 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>209</Articleid>
                    <excerpt>દિગ્ગજ દલિત સાહિત્યકાર દલપત ચૌહાણની નટુભાઈ પરમારે લીધેલી દીર્ઘ મુલાકાતના આ બીજા ભાગમાં લેખક દલિત સાહિત્યની વિસ્તારપૂર્વકની વ્યાખ્યા સહિતના પાસાઓ પર પ્રકાશ પાડે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_657de6e85a325.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_657de6e81de28.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_657de6e81de28.jpg" length="48990" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>આંબેડકર તમે આવા ય હતા?</title>
                    <link>https://khabarantar.com/Ambedkar-were-you-like-that</link>
                    <guid>https://khabarantar.com/Ambedkar-were-you-like-that</guid>
                    <description>
                        <![CDATA[ ભારતીય બંધારણના ઘડવૈયા અને દલિતોના માનવ અધિકારોના લડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર( ૧૮૯૧-૧૯૫૬)ના નિર્વાણને હવે તો ખાસ્સા પોણા સાત દાયકા થયા છે. પણ તેમના જીવનકાર્ય અને વિચારોની પ્રસ્તુતતા જરાય ઘટી નથી. ઘણા દેશી-વિદેશી લેખકોએ લખેલા તેમના જીવનચરિત્રો પ્રકાશિત થયાં છે અને નવા નવા પ્રકાશિત થઈ રહ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય બંધારણના ઘડવૈયા અને દલિતોના માનવ અધિકારોના લડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર( ૧૮૯૧-૧૯૫૬)ના નિર્વાણને હવે તો ખાસ્સા પોણા સાત દાયકા થયા છે. પણ તેમના જીવનકાર્ય અને વિચારોની પ્રસ્તુતતા જરાય ઘટી નથી. ઘણા દેશી-વિદેશી લેખકોએ લખેલા તેમના જીવનચરિત્રો પ્રકાશિત થયાં છે અને નવા નવા પ્રકાશિત થઈ રહ્યાં છે. તેમાં તાજેતરનું નોંધપાત્ર ઉમેરણ નવા સંશોધનો સાથેનું પ્રા. આકાશસિંહ રાઠોડ લિખિત Becoming Baba saheb છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેમ બાબાસાહેબનું જીવન તેમ તેમના વિચારો પણ અભ્યાસીઓના રસ-રુચિ અને આકર્ષણનું કેન્દ્ર છે. ડો.આંબેડકરના આટઆટલા  જીવનચરિત્રો છતાં હજુ તેમના જીવનનું માનવીય પાસું કોઈ એક જીવનચરિત્રમાં પૂર્ણપણે ઉઘડ્યું નથી. આંબેડકર હોય કે ગાંધી, નહેરુ  હોય કે સરદાર, માર્ક્સ હોય કે લેનિન - આખરે આ સૌ આપણા જેવા હાડચામના માણસો હતા. એ વાત તેમના વિભૂતિમત્વના આલેખનમાં વિસરાઈ જાય છે. બાબાસાહેબ એક વિદ્વાન તરીકે તો જરૂર આલેખાયા છે પણ એક માણસ તરીકેનું તેમનું ચિત્રણ બાકી છે. એટલે બાબાસાહેબના એકાધિક જીવનચરિત્રો અને સ્વજનો-મિત્રોએ લખેલા સ્મરણોમાંથી તારવી-સારવીને તેમનું માનવીય પાસું વ્યક્ત કરતા થોડા પ્રસંગો પ્રસ્તુત છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_657fe36f17a97.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાનગર મુંબઈની ડબક ચાલ, બી આઈ ટી ચાલ અને પોયબાવાડી ચોકી પાસેની ખોલીઓમાં કણકી અને રોટલા પર ડો.આંબેડકરે દહાડા  ટૂંકા કર્યા હતા. પિતાની સલાહ તો છાંયડે બેસીને થાય તેવા કામો કરવાની હતી. પણ સમાજસેવા છોડીને તગડા પગારવાળી નોકરી ભણી તેમણે કદી જોયું નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૯૦૬માં ડો.આંબેડકરના લગ્ન થયા હતા. લગ્નનું સ્થળ હતું,  મુંબઈના ભાયખલાનું મચ્છી બજાર. રાત્રે ખાલી થઈ જતાં આ બજારમાં ખુલ્લા આકાશ નીચે, દીવા અને ફાનસના અજવાળે, વગર મંડપે, વગર બેન્ડવાજે તેઓ પરણ્યા હતા. ગંભીર પ્રકૃતિના આંબેડકરનો પત્ની રમાબાઈ સાથેનો વર્તાવ અત્યંત પ્રેમાળ હતો. પત્નીને તે ભાગ કે રામુ કહીને બોલાવતા હતા. ‘પાકિસ્તાન ઔર ધ પાર્ટીશન ઓફ ઈન્ડિયા’  ગ્રંથ બાબાસાહેબે રમાબાઈને અર્પણ કરતાં લખ્યું છે, ‘ઉમદા માનસ, ચારિત્ર્યની પવિત્રતા, ઠંડી ધીરજ અને મારી સાથે સહન કરવાની તૈયારી - ખાસ કરીને અમારા જેવા જૂથ પર આવી પડેલ અછત અને ચિંતાના મિત્રવિહોણા દિવસોમાં-દર્શાવનાર રમુને, સ્નેહના પ્રતીક રૂપે’.  </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_657fe394534b3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૯૩૫ની યેવલા પરિષદ સુધી ડો.આંબેડકર પાસે ખુદની મોટરકાર નહોતી. મુંબઈની મ્યુનિસિપલ બસનો તે ઉપયોગ કરતા હતા. જ્યારે કાર વસાવી ત્યારે  પુસ્તકોની ખરીદીના બિલ જેટલા પૈસા પાસે ના હોય તો બાકી બિલ પેટે પ્રકાશકને કાર સોંપી  ચાલી નીકળતા પણ તે ખચકાતા નહોતા. પિતા રામજીએ તેમના બધા સંતાનોને અંગ્રેજી લખતાં, વાચતાં, બોલતાં કરેલા. એક વાર મુંબઈની મારવાડી વિદ્યાલયમાં જસ્ટિસ ચંદરવાકરના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં એક યુવાને અસ્ખલિત અંગ્રેજીમાં ઘણાં સવાલો પૂછ્યા. સભા પૂર્ણ થયા પછી ન્યાયમૂર્તિ ચંદરવાકર તે યુવાન પાસે ગયા અને વાતો કરવા માંડી. કદાચ તેઓ તે યુવાનને આંબેડકર સમજી બેઠા હતા. એટલે પેલા યુવાને ગેરસમજ દૂર કરતાં કહેલું, વિલાયતમાં જે  ભણે છે તે આંબેડકર છે, એ મારો નાનો ભાઈ છે. હું તો તેનો મોટો ભાઈ બલરામ છું. ભાષાઓ પ્રત્યે બાબાસાહેબને ગજબનો લગાવ હતો. મરાઠી એમની માતૃભાષા. પણ અંગ્રેજી બહુ સારું. એમ તો અમદાવાદની સભામાં ડો.આંબેડકરે ગુજરાતીમાં વક્તવ્ય પણ આપ્યું હતું! જીવનના ઉત્તરાર્ધમાં એ પાલી શિખતા હતા. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_657fe3adedfab.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંબેડકરનો બાહ્ય દેખાવ બહુધા સૂટેડ-બૂટેડનો છે. પરંતુ મુંબઈના માટુંગાની દલિત વિદ્યાર્થીઓ માટેની કુમાર વિનય મંદિર શાળાના એક શિક્ષકે નોંધ્યું છે તેમ, બાબાસાહેબ એક દિવસ તેમની શાળાની મુલાકાતે આવ્યા હતા. બધા વિચારતા હતા કે તેઓ સૂટ અને હેટ પહેરીને આવશે. પણ સવારે લગભગ આઠેક વાગે એક સુદ્રઢ કદ-કાઠીની વ્યક્તિ મદ્રાસી ઢબની લૂંગી બાંધી, ઉપર ખમીસ  અને  પગમાં ચંપલ પહેરી કોઈ કસરતબાજ પહેલવાનની જેમ શાળામાં આવી અને તે ડો. આંબેડકર છે તે જાણીને બધા અચંભિત થઈ ગયા હતા. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_657fe3cd3b170.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમેરિકી પત્રકાર વિન્સેન્ટ શીએને ભારતના અનેક મહાનુભાવોના જીવન વૃતાંતના દળદાર પુસ્તક ‘હુઝ હુ’ નો ઉલ્લેખ કરી કહ્યું છે કે આ પુસ્તકમાં પોતાના પરિચયમાં કોઈ મહાનુભાવે પોતાની જ્ઞાતિનો ઉલ્લેખ કર્યો નહોતો. પરંતુ ડો.આંબેડકરે કર્યો હતો. અને લખ્યું, જાતે અસ્પૃશ્ય. પોતાના બીજાં પત્ની ડો. શારદા કબીરના પરિચયમાં લખ્યું હતું, જાતે બ્રાહ્મણ. જો કે આઝાદ ભારતની સંસદમાં જ્યારે આભડછેટ નાબૂદીનો કાયદો પ્રસ્તુત થયો ત્યારે બાબાસાહેબે કાયદાના નામ અંગે જ પોતાની અસંમતિ વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે સ્વતંત્રતા અને બંધારણ પછી હવે આ દેશમાં કોઈ સ્પૃશ્ય નથી અને કોઈ અસ્પૃશ્ય નથી. બધા એક સમાન નાગરિક છે. એટલે આભડછેટ નાબૂદી કાયદાનું નામ નાગરિક હક સંરક્ષણ ધારો હોવું જોઈએ.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_657fe42e09eec.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગંભીર વિદ્વાન આંબેડકર કરતાં વ્યક્તિ આંબેડકર ઘણા રસિક હતા. એમને ચિત્રો દોરવા ગમતા હતા. વાધ્ય શિખતા અને વગાડતા. વિવિધ પ્રકારની ફાઉન્ટન પેનોનું તેમને આકર્ષણ હતું. તેમના હસ્તાક્ષરો બહુ સુંદર હતા. શરાબ કે સિગારેટને કદી હાથ લગાવ્યો નથી. પિતા, પત્ની, સંતાનો અને ખાસ અંગત મિત્રોના જ નહીં પેટ ડોગના અવસાન સમયે પણ તેમણે  ભારે આક્રંદ કર્યું હતું. ક્યારેક ક્રિકેટ, ચેસ  અને બ્રિજ રમતા. સમુદ્રસ્નાન કરતા. અઠંગ વાચક આંબેડકરે અછૂત કન્યા, અંકલ ટોમ, ઓલિવર પ્રિસ્ટ  અને ગરીબો - દલિતોકેન્દ્રી કેટલીક ફિલ્મો સજળ આંખે જોઈ હતી. જાતભાતની રસોઈ આવડતી પણ ભોજન માટેની ચોક્કસ વાનગીનો કદી આગ્રહ રાખતા નહીં. ખાવાનું અને બોલવાનું બંધ કરીને તેઓ કોઈ વ્યક્તિ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા ખરા, પણ જો એ ગાળો લંબાય તો અરે હું તો એકલો પડી ગયો કહીને ગુસ્સો થૂંકી કાઢતા. આજાર શરીરે  નિર્વાણના ચાર દિવસ પહેલાં દિલ્હીના કોનોટ પ્લેસની પુસ્તકોની દુકાને જઈ પુસ્તકોની ખરીદી કરી હતી. બાળ ભીમરાવને કોઈ પાઈ પૈસો આપે તો રોપો ખરીદી લાવે અને વાવે. મહારાષ્ટ્રના પછાત મરાઠાવાડા વિસ્તારના ઔરંગાબાદમાં કેળવણીકાર આંબેડકરે કોલેજ શરૂ કરી તો કોલેજ કેમ્પસમાં એક છોડ વાવવાની શરતે તે મુલાકાતીઓને મળતા હતા. ૫૫ વરસના થયા ત્યાં સુધી માથાનો એકેય વાળ ધોળો થયો નહોતો પણ દાંત બહુ વહેલા જવા માંડેલા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_657fe43f2465d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબાસાહેબે આત્મકથા લખી નથી. પરંતુ પરદેશીઓને ભારતની જાલિમ જ્ઞાતિપ્રથા અને અસ્પૃશ્યતાનો પરિચય કરાવવાના હેતુથી ‘વેઈટિગ ફોર વિસા’ મથાળે થોડા આત્મકથનાત્મક લખાણો લખ્યા હતા. ડો. આંબેડકરને જ્ઞાતિમુક્ત ભારત અને જ્ઞાતિમુક્ત માનવના પરવાનાની પ્રતીક્ષા હતી. આપણે પણ તેની પ્રતીક્ષા જ કર્યા કરીશું શું?</span><br><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચો : </span><a href="https://khabarantar.com/We-did-not-go-to-cast-Holi,-and-on-the-day-of-Holi-itself,-the-upper-caste-attacked-Vas---Dalpat-Chauhan"><span style="font-size: 14pt;">અમે હોળીના છાણાં નાખવા ન ગયા, ને હોળીના જ દિવસે સવર્ણોએ વાસ પર સામૂહિક હુમલો કર્યો - દલપત ચૌહાણ</span></a></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 18 Dec 2023 11:50:40 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>206</Articleid>
                    <excerpt>ભારતીય બંધારણના ઘડવૈયા અને દલિતોના માનવ અધિકારોના લડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર( ૧૮૯૧-૧૯૫૬)ના નિર્વાણને હવે તો ખાસ્સા પોણા સાત દાયકા થયા છે. પણ તેમના જીવનકાર્ય અને વિચારોની પ્રસ્તુતતા જરાય ઘટી નથી. ઘણા દેશી-વિદેશી લેખકોએ લખેલા તેમના જીવનચરિત્રો પ્રકાશિત થયાં છે અને નવા નવા પ્રકાશિત થઈ રહ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_657fe25b2bcf5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_657fe25ad31aa.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_657fe25ad31aa.jpg" length="93349" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>અમે હોળીના છાણાં નાખવા ન ગયા, ને હોળીના જ દિવસે સવર્ણોએ વાસ પર સામૂહિક હુમલો કર્યો &amp; દલપત ચૌહાણ</title>
                    <link>https://khabarantar.com/we-did-not-go-to-cast-holi-and-on-the-day-of-holi-itself-the-upper-caste-attacked-vas-dalpat-chauhan</link>
                    <guid>https://khabarantar.com/we-did-not-go-to-cast-holi-and-on-the-day-of-holi-itself-the-upper-caste-attacked-vas-dalpat-chauhan</guid>
                    <description>
                        <![CDATA[ દિગ્ગજ દલિત સાહિત્યકાર દલપત ચૌહાણના પુસ્તકોની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ રહી છે ત્યારે અહીં તેઓ તેમના મિત્ર, પૂર્વ સંયુક્ત માહિતી નિયામક નટુભાઈ પરમાર સામે તેમની જિંદગીની કિતાબના પાનાં ખોલી રહ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતી ભાષામાં દલિત સાહિત્ય સર્જન ક્ષેત્રે જેમનું પાયાનું યોગદાન રહેલું છે, એવા કવિ, નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર દલપત ચૌહાણ ગુજરાતી ભાષાના કદાચ એક માત્ર એવા લેખક છે જેમના પુસ્તકોનું પ્રકાશન ખૂબ જાણીતી પ્રકાશન સંસ્થા પેંગવીને ભારતમાં કર્યું છે. આ લેખકનું અંગત જીવન પણ અનેક સંઘર્ષોથી ભરેલું હતું. તેમણે જાતે પણ દલિત હોવાને કારણે અનેક પ્રકારની અડચણો-યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ગુજરાતી દલિત સાહિત્યના આરંભની ક્ષણથી આજપર્યંત પ્રતિબદ્ધતાપૂર્વક સતત સક્રિય રહેલા, ગુજરાતી દલિત સાહિત્યના આરંભના ઈન્કારથી આજની સ્વીકૃતિ સુધીની લાંબી મજલના સાક્ષી, સહયાત્રી અને તેના જાગૃત પહેરેદાર, ગુજરાતી દલિત સાહિત્યના પાયાના પથ્થર-એનો બળૂકો અવાજ, સમર્થ દલિત સાહિત્યકાર દલપત ચૌહાણ હોવું એટલે શું? એનો એક જવાબ 'દર્દની વાત કરો એટલે સાહિત્ય આપોઆપ આવી જાય, તેથી જેમનું શોષણ થયું છે, તેમનું સાહિત્ય ન હોય તો જ નવાઈ' એવું દૃઢપણે માનતા દલપત ચૌહાણ સાથેના એક વાર્તાલાપમાંથી મળે છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_657de6ea77450.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">૧૦ એપ્રિલ ૧૯૪૦ના રોજ મંડાલી, તા. ખેરાલુ, જિલ્લો મહેસાણામાં જન્મેલા દલપત ધુળાભાઈ ચૌહાણ આજે ઉંમરના ૮૨મા વર્ષના પડાવે યુવાનોને પણ શરમાવે તેવા જોમ, ઉત્સાહ અને પૂર્ણ દલિત સાહિત્યનિષ્ઠા સાથે અડીખમ છે - અવિરત કાર્યરત છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આ દિવસોમાં હું, ગાંધીનગરના એમના નિવાસસ્થાનના-એમના સર્જનકાર્યના કેન્દ્રબિન્દુ સમા બીજે માળે એમની સામે ચારથી પાંચ વાર લગાતાર પલાંઠી વાળીને બેઠો છું ને તેમને સાંભળતો રહ્યો છું. તેમની સાથેની આ ગોષ્ટિઓમાં તેમણે મને જે કહ્યું તે તેમના જ શબ્દોમાંઃ</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">'ગામ મંડાલીમાં એક વર્ષ (૧૯૪૭-૪૮) ગાયકવાડી ત્રણ ધોરણ સુધીની શાળામાં દાખલો. પણ ગામ સાથે સંઘર્ષ થવાથી ૧૯૪૯થી રખિયાલ (અમદાવાદ) ગુજરાતી શાળા નં. ૧માં ફરીથી ૧લા ધોરણમાં દાખલો અને પ્રાથમિક શિક્ષણ લીધું. માધ્યમિક શિક્ષણ વી.એસ. ટયુટોરિયલ હાઈસ્કૂલ, ત્રણ દરવાજા-અમદાવાદમાં અને ઉચ્ચ શિક્ષણ ગુજરાત કૉલેજ - એલિસબ્રિજ અને સિટી કોલેજ - લાલ દરવાજા, અમદાવાદમાં. બી.એ.ની ઉપાધિ અહીંથી જ મળી. ત્યારે કૉલેજની હોકી-કબડ્ડીની ટીમોમાં પણ મારી હિસ્સેદારી રહેતી. બાળપણ ગામ અને શહેર વચ્ચે વહેંચાયેલું પરંતુ બાળપણનો મોટો હિસ્સો અમદાવાદ શહેરની જીવણલાલની ચાલીમાં વિત્યો. દરમિયાન ગામ મંડાલી જવા-આવવાનું પણ ચાલુ જ રહ્યું.”</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">“એ સમયમાં અસ્પૃશ્યતા હાડોહાડ હતી. ગાડી કે બસમાં બેસવામાં સાવચેતી રાખવી પડતી. અમે અમદાવાદથી સિદ્ધપુર થઈ ગાડી (રેલ ગાડી)માં બેસી ગામ મંડાલી જતા. રેલ્વે સ્ટેશને હિન્દુ પાણી, મુસ્લિમ પાણી માટે જુદી જુદી કોઠીઓ હતી. પરબની બહાર એક ચાર-પાંચ ફૂટનું નાળચું લગાવેલું હતું, તે નાળચે પરબવાળી બાઈ ઉપરથી પાણી રેડે તેને બીજેના છેડેથી ખોબો ધરી દલિતોએ પીવું પડતું. રસ્તા પરની પરબોએ પરબ સામે દૂર ઊભડક બેસી પાણી ખોબામાં રેડાય તે પીવાનું. આમ કહીએ કે તે વખતે ગામડાંમાં જે અસ્પૃશ્યતાના પ્રકાર હતા તે સર્વનો મને - અમને અનુભવ મળેલો. માથે ટોપી કે રૂમાલ, પાઘડી બાંધ્યા સિવાય ગામમાં જઈ ન શકાય. સ્ત્રીઓ ગામમાં ચંપલ/સપાટ પહેરીને જઈ શકે નહિ. પુરુષ પણ જો ઉઘાડા માથે હોય - તેણે વાળ ઓળ્યા હોય તો તેમાં સવર્ણો ધૂળ ભરી દેતા. હૂરિયો બોલાવતા. મેં ટોપીનો ઉપયોગ ગામમાં જવા અને ખેતરે ખળામાં ખળું માંગવા (અનાજ માગવા) કરેલો. પુરુષ રંગીન કિનારવાળી ધોતી કે આંકડા ચઢાવેલી મૂછ ન રાખી શકે. દલિતો બાંધે એવી પાઘડી બાંધવી પડતી. ગામના હિન્દુ મંદિરમાં હું ક્યારેય ગયો નથી (યાને જવા દેવાયો નથી.)”</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_657de6e9ca4d2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">“અમારા ગામની શાળામાં એકથી ત્રણ ધોરણ. આઝાદી પછી શાળાની અંદર પણ જુદા ખૂણા કે ભીંત પાસે અમારે બેસવાનું. મોડા પડીએ તો દરવાજેથી દાખલ ન થવાય પણ બારીમાંથી કૂદીને અંદર જવાનું. સાહેબ (વર્ગશિક્ષક) જોઈ જાય તો છૂટી આંકડી મારે, જો અમને વાગે (યાને અડી જાય) તો પાણીની છાંટ નાખી આંકડી પાછી લઈ લે. બે શિક્ષક, એક હિન્દુ સુથાર, બીજો મુસલમાન. પણ બંને કટ્ટર અસ્પૃશ્યતાના પાળનાર.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">“આઝાદી આવી ત્યારે અમારા વાસે ગામની વેઠ (સવર્ણોની વિનામૂલ્યે કરવાની થતી ફરજિયાત મજૂરી) કરવાનું બંધ કર્યું. આઝાદી પછીની પહેલી હોળી આવી ત્યારે અમે હોળીના છાણાં ગામના હોળીને ચકલે નાખવા ન ગયા, તો એ હોળીના જ દિવસે ગામના સવર્ણોએ અમારા વાસ પર સામુહિક હુમલો કરી, અમારા વણકર વાસમાં પહેલું (પ્રવેશતા પહેલું) લવજીનું ઘર સળગાવ્યું. ખેરાલુ ફરિયાદ પણ થઈ છતાં હુમલાની બીકે પુરુષોએ ગામ છોડવું પડયું. અમે બાપા સાથે અમદાવાદ ગયા. બીજા સિધ્ધપુર. મારે પહેલું ધોરણ પાસ કરી બીજામાં જવાનું હતું ને મોટાભાઈને બીજું ધોરણ પાસ કરી ત્રીજામાં જવાનું હતુ પણ શાળાએ અમારા સ્કુલ લિવિંગ પ્રમાણપત્ર અમને ન આપ્યા. ૧૯૪૯માં અમે બંને ભાઈઓ રખિયાલ (અમદાવાદ) ગુજરાતી શાળા નં. ૧ માં નવેસરથી પહેલા ધોરણમાં બેઠા. અમદાવાદમાં અમને આભડછેટને બદલે ગરીબી બહુ નડેલી. છતાં મારે કહેવું જોઈએ કે જેટલા પ્રકારની અસ્પૃશ્યતા છે તેનો અનુભવ મને અહીં અમદાવાદમાં પણ થતો જ રહેલો.” (ક્રમશઃ)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><em><span style="color: rgb(224, 62, 45);"><strong>(દિગ્ગજ દલિત સાહિત્યકાર દલપત ચૌહાણનો પૂર્વ સંયુક્ત માહિતી નિયામક નટુભાઈ પરમારે કરેલો ઈન્ટરવ્યૂ, ભાગ-1)</strong></span></em></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ </span></strong></span></span><a href="https://khabarantar.com/A-State-Level-Seminar-on-Dalit-Literature-and-Neglected-Society-was-held-at-Ahmedabad"><span style="font-size: 14pt;"><strong>અમદાવાદ ખાતે ‘દલિત સાહિત્ય અને ઉપેક્ષિત સમાજ’ વિષય પર રાજ્ય કક્ષાનો પરિસંવાદ યોજાયો</strong></span></a></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 17 Dec 2023 10:25:02 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 16 Mar 2024 21:24:09 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>204</Articleid>
                    <excerpt>દિગ્ગજ દલિત સાહિત્યકાર દલપત ચૌહાણના પુસ્તકોની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ રહી છે ત્યારે અહીં તેઓ તેમના મિત્ર, પૂર્વ સંયુક્ત માહિતી નિયામક નટુભાઈ પરમાર સામે તેમની જિંદગીની કિતાબના પાનાં ખોલી રહ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_657de6eb83000.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_657de6eb50943.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_657de6eb50943.jpg" length="75718" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>કંધો સે મિલતે હૈ કંધે, કદમોં સે કદમ મિલતે હૈ, હમ ચલતે જબ ઐસે તો દિલ દુશ્મન કે હિલતે હૈ..</title>
                    <link>https://khabarantar.com/Kandho-se-millate-hai-kandhe,-kadamon-ke-kadam-millate-hai,-hum-chalte-jab-aise-to-dil-dushman-ke-hilate-hai</link>
                    <guid>https://khabarantar.com/Kandho-se-millate-hai-kandhe,-kadamon-ke-kadam-millate-hai,-hum-chalte-jab-aise-to-dil-dushman-ke-hilate-hai</guid>
                    <description>
                        <![CDATA[ ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધમાં રાષ્ટ્ર અને માનવ સ્વતંત્રતાના સાર્વત્રિક મૂલ્યોની રક્ષા કરવા બદલ આપણા સશસ્ત્ર દળોને કૃતજ્ઞતા સાથે યાદ કરીએ. ખાસ કરીને તે સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ જેમણે તે સાહસિક અભિયાનમાં પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૯૭૧ માં ચૂંટણીમાં પૂર્ણ બહુમતી મેળવ્યા પછી, અવામી લીગે પૂર્વ પાકિસ્તાનની સ્વાયત્તતાનો આગ્રહ રાખ્યો. પશ્ચિમ પાકિસ્તાનના શાસકે સૈન્ય ક્રેકડાઉન અને દમન સાથે જવાબ આપ્યો. પરિણામે, લગભગ દસ મિલિયન (૧,૦૦,૦૦,૦૦૦) પૂર્વ પાકિસ્તાનીઓ ભારત તરફ વળ્યા. જેની ભારતીય અર્થવ્યવસ્થા પર પ્રતિકૂળ અસર થઈ. જ્યારે ભારતે પાકિસ્તાનને પૂર્વ બંગાળમાંથી શરણાર્થીઓને તેમના ઘરે પાછા ફરવા માટે શરતો નક્કી કરવાનું કહ્યું ત્યારે તેમણે ૩ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ ભારત પર હુમલો કરીને આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે લાવવાની માંગ કરી. યુદ્ધ પૂર્વ અને પશ્ચિમ એમ બંને મોરચે લડવામાં આવ્યું હતું. ભારતે પૂર્વી મોરચે આક્રમક વ્યૂહરચના અને પશ્ચિમી મોરચે રક્ષણાત્મક વ્યૂહરચના અપનાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પૂર્વીય મોરચો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પૂર્વી મોરચા પર ભારતીય સેનાએ 13 દિવસના યુદ્ધમાં પાકિસ્તાન આર્મીના ચાર વિભાગો અને ૩૦,૦૦૦ અર્ધ-લશ્કરી દળોને હરાવ્યા હતા. ભારતીય સેનાના ત્રણ કોર્પ્સ અને ૧૦૧ કોમ્યુનિકેશન ઝોન એરિયાએ આ યુદ્ધમાં ભાગ લીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય XXXIll (૩૩) કોર્પ્સ (૨૦ માઉંટેન ડિવિઝન, ૭૧ માઉન્ટેન બ્રિગેડ) એ પૂર્વ પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ સેક્ટરમાં યમુના અને પદ્મા નદીઓ વચ્ચે કામગીરી હાથ ધરી હતી. સેક્ટરનો બચાવ ૧૬ પાક દળ અને ૩૦૦૦ અર્ધ-લશ્કરી દળો દ્વારા કરવામાં આવી રહ્યો હતો. જ્યારે ભારતીય બ્રિગેડ પચાગઢ-ઠાકુરગાંવ ધરી પર આગળ વધ્યું, ત્યારે વિભાગે સેક્ટરની કમર લાઇન પર, એટલે કે હિલી વિસ્તાર પર હુમલો કર્યો. આખરે ૧૧ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ તેમાં ઘટાડો કરવામાં આવ્યો. કોર્પ્સે રંગપુર અને બોગરાના દુશ્મન ગઢ પર પણ કબજો કર્યો, દુશ્મનને ભારે જાનહાનિ પહોંચાડી અને તેના લગભગ 17 હજાર સૈનિકોને કબજે કર્યા. આ ઓપરેશન્સમાં ૪૭૧ માર્યા ગયા અને ૧૪૫૦ ઘાયલ થયા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્પ્સ Il (૨) (૯ ઈંન્ફન્ટ્રી ડિવિઝન, ૪ માઉંટેન ડિવિઝન) એ પૂર્વ પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ સેક્ટરમાં ઓપરેશન હાથ ધર્યું હતું. આ ક્ષેત્ર ઉત્તરમાં પદ્મા નદી, પૂર્વમાં જમુના નદી અને દક્ષિણમાં બંગાળની ખાડીથી ઘેરાયેલું હતું. 8 બટાલિયન સાથે એક પાક પાયદળ વિભાગ આ ક્ષેત્રનો બચાવ કરી રહ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૪ માઉન્ટેન ડિવિઝન (પર્વતીય વિભાગે) આ સેક્ટરના ઉત્તર ભાગમાં ઓપરેશન હાથ ધર્યું હતું. તે જીવનનગર, કોટચંદપુર, સુઆડીહ, જનેંદિયા અને મગુરા થઈને લડ્યા. તેમણે કુશ્તિયામાં દુશ્મનના સખત પ્રતિકારને પણ વટાવી દીધો. ડિવિઝન ૧૫ ડિસેમ્બરે મધુમતીના પશ્ચિમ કિનારે એક નિર્ણાયક યુદ્ધ લડ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૯ ઈંન્ફ્ન્ટ્રી ડિવિઝન (પાયદળ વિભાગે) ગરીબપુર-જેસોર-ખુલના ધરી પર કોર્પ્સ સેક્ટરના દક્ષિણ ભાગમાં ઓપરેશન હાથ ધર્યું હતું. તેમણે બુરિંડા અને જેસોર કબજે કર્યું અને પછી ખુલના તરફ આગળ વધ્યા. પાક બ્રિગેડ કમાન્ડરે ૧૭મા, ૩૭૦૦ સૈનિકો સાથે અહીં આત્મસમર્પણ કર્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરથી ૧૦૧ કોમ્યુનિકેશન ઝોન એરિયા (એક બટાલિયન સાથે ૯૫ બ્રિગેડ અને FJ સેક્ટર) દ્વારા પૂર્વ પાકિસ્તાનમાં વધુ એક દબાણ કરવામાં આવ્યું. તે પૂર્વમાં મેઘના, પશ્ચિમમાં જમુના અને દક્ષિણ-પશ્ચિમમાં પદ્માથી ઘેરાયેલા વિસ્તારને આવરી લે છે. ઝોને બે બાજુઓ પર તેનો હુમલો શરૂ કર્યો. બ્રિગેડ કમાલપુર-જમાલપુર-માધુપુર ધરી પર આગળ વધ્યું અને કમાલપુર અને જમાલપુર ખાતે સખત વિરોધનો સામનો કરવો પડ્યો. હવાઈ અને આર્ટિલરી શક્તિના ભારે ઉપયોગે આખરે આ ગઢ પર દુશ્મનના પ્રતિકારને તોડી નાખ્યો. ૧૦મીની રાત્રે દુશ્મન જમાલપુરથી ભાગી નીકળ્યાં અને પીછેહઠ દરમિયાન ભારે જાનહાનિ થઈ.</span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_657d6521ec953.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન, FJ ફોર્સે હાલુઘાટ-મૈમનસિંહ ધરી પર ઝડપી પ્રગતિ કરી. હલુઘાટ ખાતે પાક માટે સ્થિતિ કાબૂ બહાર નીકળી ગઈ હતી અને બચાવ બટાલિયન સંપૂર્ણપણે નાશ પામી હતી. ફોર્સે ૧૧મીએ મૈમનસિંહ અને ૧૨મીએ માધુપુર કબજે કર્યું. આ તે સમય હતો જ્યારે ભારતીય IV(૪) કોર્પ્સ ઢાકાના પૂર્વી દરવાજા પર દસ્તક દઈ રહી હતી. પાક કમાન્ડર ગભરાઈ ગયો અને પૂર્વ તરફથી આવેલા ખતરાનો સામનો કરવા માટે આ સેક્ટરનો બચાવ કરી રહેલી નાની સેનાને પાછી ખેંચી લીધી. આનાથી ૧૦૧ કોમ્યુનિકેશન ઝોન એરિયાને પડકાર વિના આગળ વધવા માટે સક્ષમ બનાવ્યું. તાંગેલ ખાતે ૨ પેરા લેન્ડિંગ અને તેના પૂંગલી બ્રિજને સુરક્ષિત કરવાથી પણ CZA ફોર્સને આગળ વધવામાં મદદ મળી હતી. તે એફજે સેક્ટર હતું (બે બટાલિયન દ્વારા મજબૂત) જે આખરે ૧૬મીએ ઢાકા પહોંચ્યું.</span><br><span style="font-size: 14pt;">  </span><br><span style="font-size: 14pt;">પરંતુ પૂર્વ પાકિસ્તાનમાં સૌથી મહત્વપૂર્ણ દબાણ IV(૪) કોર્પ્સ (૮,૫૭,૨૩ ડિવિઝન, Kilo ફોર્સ, પૂર્વ બંગાળ બટાલિયન) દ્વારા કરવામાં આવ્યું હતું. તે ઉત્તરમાં સિલ્હેટથી દક્ષિણમાં ચિત્તગોંગ સુધીના વિસ્તારને આવરી લે છે. બે પાક વિભાગો દ્વારા સેક્ટરનો બચાવ કરવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૮ માઉન્ટેન ડિવિઝન સિલ્હેટ વિસ્તારમાં કાર્યરત હતું અને પાક ૧૪ ડિવિઝનનો સામનો કરી રહ્યું હતું. તેની ૮૧ બ્રિગેડ કલૌરા-સિલહેટ ધરી પર અને ૫૯ બ્રિગેડ કલૌરા-ફેન્ચુગંજ-સિલહેટ ધરી પર આગળ વધી. તેણે રસ્તામાં તમામ વિરોધનો નાશ કરીને સિલ્હટ તરફ કૂચ કરી. ડિવિઝને ૧૪ ડિસેમ્બરે સિલ્હટ પર કબજો કર્યો. ૧૭ ડિસેમ્બરના રોજ, પાક સેનાના ૧૦૭ અધિકારીઓ અને ૬૫૦૦ સૈનિકોએ ૮ ડિવિઝન સમક્ષ આત્મસમર્પણ કર્યું.</span></p>
<p style="text-align: justify;">.<span style="font-size: 14pt;">૫૭ ડિવિઝન (૭૧,૩૧૧ બ્રિગેડ્સ) અગરતલા-અખૌરા-આશુગંજ- ઢાકા ધરી પર કાર્યરત હતું. ૩ ડિસેમ્બરે અખૌરા નજીક ગંગાસાગર પરના પ્રારંભિક હુમલા દરમિયાન, ૧૪ ગાર્ડ્સના લાન્સ નાઈક આલ્બર્ટ એક્કાએ અસાધારણ બહાદુરી દર્શાવી હતી. ૫ ડિસેમ્બરના રોજ, વિભાગે બે બ્રિગેડ સાથે અખૌરા પર હુમલો કર્યો અને બચાવ કરતી ૨૭ પાક બ્રિગેડને કારમી હાર આપી. તે પછી આશુગંજ તરફ આગળ વધ્યું અને પાક બ્રિગેડ તરફથી તીવ્ર વળતો હુમલો થયો. દરમિયાન, ડિવિઝનની ૬૧ બ્રિગેડે કોમિલા-માયનામતી-દાઉદકાંડી ધરી પર આગળ વધીને ૧૦ ડિસેમ્બરના રોજ દાઉદકાંડી પર કબજો કર્યો. ૬૧ બ્રિગેડના આ પગલાથી ૧૧૭ પાક બ્રિગેડને લાલમાઈ અને કોમિલ્લા ખાતે સારી રીતે તૈયાર સંરક્ષણ ખાલી કરવા અને માયનામતી પર પાછા પડવાની ફરજ પડી.આનાથી ભારતીય ૨૩ ડિવિઝનને આગળ વધારવામાં મદદ મળી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">IV (૪) કોર્પ્સ સેક્ટરમાં દક્ષિણનો ભાર હિમતનગર-લક્ષમ-ચાંદપુર ધરી પર ૨૩ વિભાગ (૮૩,૧૮૧,૩૦૧ બ્રિગેડ્સ) દ્વારા વહન કરવામાં આવ્યો હતો. તેણે લક્ષમ ખાતે ૫૩ પાક બ્રિગેડને સંપૂર્ણ રીતે ઘેરી લીધું અને તેને ખતમ કરી દીધું. ડિવિઝને ૯ ડિસેમ્બરે ચાંદપુર કબજે કર્યું, ૧૪ ડિસેમ્બરે મેઘના પાર કર્યું અને પછી ૧૦૧ કોમ્યુનિકેશન ઝોન વિસ્તાર પછી ૧૬ મીએ ઢાકા પર દબાવ્યું. આગળ, દક્ષિણમાં ચટગાંવ પર દ્વિ-પક્ષીય હુમલો કરવામાં આવ્યો. ઉત્તરીય હૂકનું નેતૃત્વ ૮૩ બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યું હતું અને દક્ષિણ હૂકનું નેતૃત્વ કિલો ફોર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. નબળા પ્રતિકાર પછી દુશ્મને ૧૬ મીએ આત્મસમર્પણ કર્યું. એવું કહેવાય છે કે ઢાકામાં ગવર્નર સચિવાલય પર IAF લડવૈયાઓ દ્વારા ચોક્કસ રોકેટ હુમલાએ આત્મસમર્પણ કરવાનો પાકિસ્તાનનો નિર્ણય ઝડપી કર્યો.</span></p>
<p style="text-align: justify;">.</p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_657d6543b7c85.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૬ ડિસેમ્બરે ૧૬:૩૦ કલાકે લેફ્ટનન્ટ જનરલ એએકે નિયાઝીએ ૯૩,૦૦૦ નિયમિત અને પેરા-મિલિટરી જવાનો સાથે લેફ્ટનન્ટ જનરલ જે.એસ. અરોરા સમક્ષ આત્મસમર્પણ કર્યું. પૂર્વીય મોરચા પર યુદ્ધ ભારત માટે સંપૂર્ણ વિજય સાથે સમાપ્ત થયું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સૌજન્ય: સાગા ઓફ વેલોર પરમવીર ચક્ર એન્ડ અશોકચક્ર (અંગ્રેજી પુસ્તક)</span></strong></span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અનુવાદ: હિદાયત પરમાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો : </span><a href="https://khabarantar.com/Free-Police-Constable-Batch-for-Bahujan-Youth-launched-by-Phule-Shahu-Library-in-Deodar">દિયોદરમાં ફૂલે-શાહુ લાઈબ્રેરી દ્વારા બહુજન યુવાનો માટે ફ્રી પોલીસ કોન્સટેબલ બેચ શરૂ કરાઈ</a></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 16 Dec 2023 14:24:36 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 16 Dec 2023 20:45:02 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>203</Articleid>
                    <excerpt>૧૯૭૧ના ભારત-પાક યુદ્ધમાં રાષ્ટ્ર અને માનવ સ્વતંત્રતાના સાર્વત્રિક મૂલ્યોની રક્ષા કરવા બદલ આપણા સશસ્ત્ર દળોને કૃતજ્ઞતા સાથે યાદ કરીએ. ખાસ કરીને તે સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ જેમણે તે સાહસિક અભિયાનમાં પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_657d650d4adc4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_657d650d109b7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_657d650d109b7.jpg" length="91953" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>આર્થિક અને નૈતિક રીતે કાર્યક્ષમ સામાજિક વ્યવસ્થા ઉભી કરવાની સમસ્યા</title>
                    <link>https://khabarantar.com/The-problem-of-creating-an-economically-and-morally-efficient-social-order</link>
                    <guid>https://khabarantar.com/The-problem-of-creating-an-economically-and-morally-efficient-social-order</guid>
                    <description>
                        <![CDATA[ જ્હોન મેનાર્ડ કેઇન્સ કહે છે કે &quot;મૂળભૂત સમસ્યા એક એવી સામાજિક વ્યવસ્થા ઊભી કરવાની છે કે જે આર્થિક રીતે અને નૈતિક રીતે કાર્યક્ષમ હોય. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લેખક: રોબર્ટ સ્કિદેલસ્કી<br>ભાવાનુવાદ: પ્રો. હેમંતકુમાર શાહ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લાયોનેલ રોબિન્સ દ્વારા આ શબ્દો સાથે અર્થશાસ્ત્રમાંથી નીતિને બહાર ફેંકી દીધી: "કોઈ આર્થિક ધ્યેયો નથી, માત્ર આપેલાં ધ્યેયો સિદ્ધ કરવા માટેનાં આર્થિક અને બિન-આર્થિક સાધનો છે. અર્થશાસ્ત્ર નિશ્ચિતતાથી કહી શકાય તેવી હકીકતો સાથે સંબંધ ધરાવે છે, નીતિને મૂલ્યો અને ફરજો સાથે સંબંધ છે. એમને સાંકળવાનો માર્ગ એમને નિકટ લાવવાનો છે." એ બંને "સંવાદમાં એક જ જગ્યાએ નથી." નોબેલ ઈનામ વિજેતા જ્યોર્જ જોસેફ સ્ટિગ્લર(૧૯૧૧-૯૧) પણ એવા જ વિચારો ધરાવતા હતા. તેમણે લખેલું કે ‘સામાજિક ભૂલો’ સુધારવા માટે અર્થશાસ્ત્રને ગણિતની જરૂર છે, નીતિની નહિ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અર્થશાસ્ત્રીઓની જૂની પેઢી ધ્યેયની તાર્કિકતા, સ્વાર્થમાં નીતિ અને સાધનોમાં નૈતિકતા જેવા મુદ્દા વિશે મૂંઝવણ અનુભવતી હતી. જો કે, આવા પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવે તો તે યોગ્ય વિશ્લેષણ કરવામાં અવરોધ બને છે એમ ધીમે ધીમે વધુ ને વધુ સમજવામાં આવતું ગયું. કેમ્બ્રિજ ખાતેના રાજકીય અર્થતંત્ર વિષયના પ્રાધ્યાપક આલ્ફ્રેડ માર્શલ દ્વારા ૧૯૦૩માં નૈતિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાંથી અર્થશાસ્ત્રની બાદબાકી કરી નાખવામાં આવી. તેમને એવી પ્રતીતિ થઈ હતી કે અધ્યાત્મશાસ્ત્ર(metaphysics) સારા લોકોને અર્થશાસ્ત્ર નો અભ્યાસ કરતાં રોકે છે. રોબિન્સ દ્વારા કહેવામાં આવ્યું હતું તેમ અર્થશાસ્ત્ર માત્ર સાધનોની કાર્યક્ષમતા સાથે જ સંબંધિત બનતું ગયું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દા. ત. યુદ્ધ લડવા માટે ઓછા અને વધુ કાર્યક્ષમ રસ્તા છે. યુદ્ધ થવું જોઇએ કે નહીં અને તે જે રીતે લડવામાં આવે છે તેની નૈતિકતા એ એવી બાબત છે કે જેના વિશે અર્થશાસ્ત્રીઓ અંગત મંતવ્યો ધરાવી શકે છે. પરંતુ કોઈ અર્થશાસ્ત્રી જો ‘વૈજ્ઞાનિક’ સલાહ આપે તો તેના વિશે અર્થશાસ્ત્રીઓએ કશી માથાકૂટ કરવી જોઇએ નહિ. જો એ વ્યક્તિગત રીતે યુદ્ધ સાથે કે તે લડવાની પદ્ધતિઓ સાથે સંબંધિત ન રહેવાનું પસંદ કરે તો પણ, એ નૈતિક મુદ્દો છે અને અર્થશાસ્ત્રની બહારનો મુદ્દો છે. અર્થશાસ્ત્ર વિષયમાં નૈતિક કે અનૈતિક વર્તન જેવું કશું છે જ નહિ, માત્ર કાર્યક્ષમ અને બિન-કાર્યક્ષમ વર્તન હોય છે. બહુ બહુ તો, નૈતિક સૂત્રો કાર્યક્ષમતાના સાધન તરીકે કામ લાગે. જેમ કે, 'પ્રામાણિકતા એ શ્રેષ્ઠ નીતિ છે.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્પષ્ટ છે કે આધુનિક અર્થશાસ્ત્રના પિતા ગણાતા એડમ સ્મિથ સ્વહિતના સ્વાર્થી મતલબથી વિક્ષુબ્ધ હતા. તેમણે 'સહાનુભૂતિ'ના અલગ હેતુ વિશે વાત કરી હતી પણ તેમના અનુગામીઓએ એ મુદ્દો જ પડતો મૂક્યો હતો. તેમને એ મુદ્દો આનુમાનિક વ્યવસ્થા(deductive system)ના તર્કને ગૂંચવી નાખનારો લાગ્યો હતો.  કાર્લ માર્ક્સને વિતરણના ન્યાય સાથે સંબંધ હતો. જ્હોન સ્ટુઅર્ટ મિલ દ્વારા એવો સવાલ ઉઠાવવામાં આવ્યો કે સારી જિંદગી માટે ‘કેટલું હોવું પૂરતું છે?’ પરંતુ લાયોનેલ રોબિન્સના ખ્યાલમાં આવી બાહ્ય નૈતિક બાબતો કાઢી નાખવામાં આવી. તેમના અર્થશાસ્ત્રમાં સ્વાર્થથી ભરપૂર વ્યક્તિઓ છે, તેમને સામાજિક સંબંધો છે જ નહિ. પરંતુ એ વ્યક્તિઓ વિવિધ અનંત ઈચ્છાઓ ધરાવે છે અને તેમનું બજેટ ઓછું છે અને તેથી તેઓ એકસાથે બધી ઈચ્છાઓ પરિપૂર્ણ કરી શકતા નથી. તેથી તેમણે પસંદગીઓ કરવી પડે છે. અર્થશાસ્ત્ર આ રીતે આવી પસંદગીઓ વિશેના તર્કનો અભ્યાસ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકો ખરેખર કેવી રીતે વર્તે છે અથવા તેમણે કેવી રીતે વર્તવું જોઈએ તે વર્ણવવાનો આ મોડેલનો ઈરાદો છે કે નહિ તે મુદ્દો અહીં છે જ નહિ. બેમાંથી એકેયમાં નીતિ સામેલ છે જ નહિ, માત્ર ગણિત સામેલ છે. જો લોકોને સારી વસ્તુઓને બદલે ખરાબ વસ્તુઓ વાપરવાની ઈચ્છા થાય તો અર્થશાસ્ત્રમાં તેને માત્ર માંગમાં ફેરફાર થયો એમ જ ગણવામાં આવે છે. અને એમાં અર્થશાસ્ત્ર માત્ર એટલું જ પૂછે છે કે ખરાબ વસ્તુઓ પ્રાપ્ત કરવાનો હેતુ સિદ્ધ કરવા કયાં સાધનો યોગ્ય છે. સાધનો કે હેતુનું નૈતિક મૂલ્ય અર્થશાસ્ત્રમાં અપ્રસ્તુત છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવા બધા વિચારો અર્થતંત્ર વિશેના અગાઉના વિચારોથી ખાસ્સા ઊંધા હતા. મધ્યયુગીન વ્યવસ્થાનું પતન થતું ગયું તેમ તેમ મૂડીવાદની સાથે સાથે વૈજ્ઞાનિક અર્થશાસ્ત્ર વિકસતું ગયું. મધ્યયુગીન વિચારધારાના કેન્દ્રમાં મૂલ્યનો પ્રશ્ન હતો, પ્રશંસા કે ગૌરવ માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે તે મહત્ત્વનું હતું, સીધીસાદી ભાષામાં કહીએ તો શું સારું છે અને શું ખરાબ છે તે મહત્વનું હતું. અર્થશાસ્ત્ર એની ખોજનો એક ભાગ હતું. પરંતુ સારી બાબતો અને ખરાબ બાબતો વિશેની ચર્ચામાં એક લાભ હતો અને તે એ હતો કે ભૌતિક વસ્તુઓનું મૂલ્ય(value) સમતોલ કરી શકાય છે - એટલે કે તેના ખર્ચ અને લાભને નાણાંના એક જ માપદંડ દ્વારા નિર્ધારિત રીતે દર્શાવી શકાય છે. એટલે ભૌતિક ચીજોના મૂલ્યનો પ્રશ્ન આરંભથી જ નાણાકીય ભાવના સંદર્ભમાં દર્શાવી શકાય છે. એટલે આર્થિક વસ્તુઓના ભાવ પણ નૈતિક વ્યવસ્થામાં આ વસ્તુઓનું શું સ્થાન છે તે વ્યક્ત કરે તેમ બને, અને તેના સંદર્ભ સાથે તેની સમજૂતી પણ મળે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે આપણે જોઈએ છીએ કે અર્થશાસ્ત્ર જેમ જેમ પુખ્ત થતું ગયું તેમ તેમ તેમાંથી નૈતિક બાબતો પડતી મૂકાતી ગઈ. મૂલ્ય(value ) અને કિંમત(price) વચ્ચેના સંબંધની ચર્ચા મૂલ્યમુક્ત ગણિતમાં સરી પડી. વ્યવહાર માટે મિલકત છે એવો ખ્યાલ અદૃશ્ય થઈ ગયો. સાધનોની નૈતિકતા કાર્યક્ષમતામાં સામેલ થઈ ગઈ; અને ધ્યેયની નૈતિકતા ધર્મ અને નીતિશાસ્ત્રની બાબત છે એમ કહેવામાં આવ્યું. આજે સવાલ એ છે  કે અર્થશાસ્ત્રીઓની સામાજિક ભૂલોના ઉપાય માટે પર્યાપ્ત શક્તિશાળી એવો નૈતિક સંવાદ આપણી પાસે છે કે નહિ. (ક્રમશ:)</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સ્ત્રોત: અમેરિકાની યેલ યુનિવર્સિટીના અધ્યાપક દ્વારા ૨૦૨૦માં લખવામાં આવેલા પુસ્તક 'What is Wrong with Economics?'નું પ્રકરણ-૧૨ 'Ethics and Economics'.</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>આ પણ વાંચો :  </strong></span><a href="https://khabarantar.com/Ambedkars-treatise-on-the-rupee-has-a-clear-vision"><strong><span style="font-size: 14pt;">રૂપિયા પર આંબેડકરના ગ્રંથમાં સ્પષ્ટ દ્રષ્ટિ છે</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 16 Dec 2023 11:49:33 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>200</Articleid>
                    <excerpt>જ્હોન મેનાર્ડ કેઇન્સ કહે છે કે &quot;મૂળભૂત સમસ્યા એક એવી સામાજિક વ્યવસ્થા ઊભી કરવાની છે કે જે આર્થિક રીતે અને નૈતિક રીતે કાર્યક્ષમ હોય.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_657d40330a285.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_657d4032c2e99.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_657d4032c2e99.jpg" length="55972" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>બાબુ હરદાસના મનમાં ‘જય ભીમ’ શબ્દો એક મુસ્લિમ વ્યક્તિને જોઈને આવેલા</title>
                    <link>https://khabarantar.com/The-words-Jai-Bheem-came-to-Babu-Hardass-mind-on-seeing-a-Muslim-person</link>
                    <guid>https://khabarantar.com/The-words-Jai-Bheem-came-to-Babu-Hardass-mind-on-seeing-a-Muslim-person</guid>
                    <description>
                        <![CDATA[ જય ભીમ ઉર્જા નો સ્ત્રોત છે, ક્રાંતિ ની જ્વાળા છે, વિચારોની પ્રજ્વલિત જ્યોત છે, કરોડો વંચિત, શોષિત પીડિત સમાજનો અવાજ છે. દુનિયાભરમાં બહુજન સમાજની ઓળખ બની ચૂકેલા આ નારાનો ઈતિહાસ પણ રસપ્રદ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">13 ડિસેમ્બર 1945ના રોજ નાગપુરની પરિષદમાં પહેલીવાર ‘જય ભીમ’ નો નારો લાગ્યો હતો. આજે તે એક નારો નહિ પણ સામાજિક અન્યાય સામે વિદ્રોહનું પ્રતીક બની ગયો છે. જય ભીમ ઉર્જા નો સ્ત્રોત છે, ક્રાંતિ ની જ્વાળા છે, વિચારોની પ્રજ્વલિત જ્યોત છે, કરોડો વંચિત, શોષિત પીડિત સમાજનો અવાજ છે. દુનિયાભરમાં બહુજન સમાજની ઓળખ બની ચૂકેલા આ નારાનો ઈતિહાસ પણ રસપ્રદ છે. જય ભીમનો નારો બાબુ હરદાસે આપેલો એ તો હવે જાણીતી વાત છે, પણ તેની પાછળની કહાની અને તેના આપનાર વિશે પણ વિસ્તારથી જાણીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ હતા બાબુ હરદાસ?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબુ હરદાસનું પૂરું નામ હરદાસ લક્ષ્મણરાવ નાગરલે હતું. તેમનો જન્મ 6 જાન્યુઆરી 1904ના રોજ મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કામઠી ગામમાં મહાર જાતિમાં થયો હતો. જેને કથિત રીતે નીચલી જાતિ માનવામાં આવતી હતી. તેમના પિતા રેલવેમાં ક્લાર્ક હતા. તેમણે મેટ્રિકનો અભ્યાસ નાગપુરથી કર્યો હતો અને સંસ્કૃતિનું પણ સારું જ્ઞાન હતું. એક દલિત નેતા, રાજકારણી અને સમાજ સુધારક એવા બાબુ હરદાસ ડૉ.આંબેડકરને પોતાના આદર્શ માનતા હતા. તેમણે તમામ આંદોલનોમાં ડૉ.આંબેડકરનો સાથ આપ્યો હતો. બાબુ હરદાસ કામદારોના નેતા હતા અને બાદમાં સ્વતંત્ર મજૂર પક્ષના મહાસચિવ બન્યા હતા. 1937માં તેઓ નાગપુર કામઠી વિધાનસભામાં પ્રથમ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6579b54b58713.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">‘જય ભીમ’નો નારા કેવી રીતે આવ્યો?</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમને જાણીને નવાઈ લાગશે કે બાબુ હરદાસના મનમાં ‘જય ભીમ’ શબ્દો પહેલીવાર એક મુસ્લિમ વ્યક્તિને જોઈને આવ્યા હતા. તેમણે જોયું કે મુસ્લિમ સમાજના લોકો જ્યારે એકબીજાને શુભેચ્છા પાઠવવા માટે 'અસ્સલામ અલેકુમ' કહે છે, ત્યારે તેના જવાબમાં સામેની વ્યક્તિ પણ 'વાલેકુમ-સલામ' કહે છે. આ જોઈને બાબુ હરદાસે વિચાર્યું કે આપણે પણ મુસ્લિમ ભાઈઓની જેમ એકબીજાને શુભેચ્છા પાઠવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી તેમણે શુભેચ્છામાં શું કહેવું જોઈએ તે વિચારવાનું શરૂ કર્યું. અચાનક તેમના મનમાં વિચાર આવ્યો કે આપણે એકબીજાને “જય ભીમ” કહીને અભિવાદન કરીએ તો કેવું! આ વાત તેમણે કાર્યકરોને કરી અને સૌને ગમ્યું. એ પછી તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે, “હું તમને બધાને અભિવાદન કરતી વખતે 'જય ભીમ' કહીશ અને તમારે જવાબમાં 'બલ ભીમ' કહેવું.” ત્યારથી આ પ્રથા શરૂ થઈ. અહીં એક સવાલ એ થાય કે ‘જય ભીમ’ ના જવાબમાં ‘બલ ભીમ’ બોલવાનું કેમ નક્કી થયું હશે?</span></p>
<p>.<span style="font-size: 14pt;">હકીકતમાં થયું એવું કે બહુજન સમાજમાં શરૂઆતમાં ‘જય ભીમ’ની સામે ‘બલ ભીમ’ કહીને સ્વાગત કરવામાં આવતું હતું. પણ પછી સમયની સાથે સમાજના લોકોએ તેમાં ફેરફાર કર્યો અને ‘જય ભીમ’ની સામે ‘બલ ભીમ’ને બદલે ‘જય ભીમ’ જ કહેવાનું શરૂ કરી દીધું. જેના કારણે ‘બલ ભીમ’ ધીમે ધીમે ઉપયોગમાંથી ગાયબ થઈ ગયું અને તેનું સ્થાન ‘જય ભીમે’ જ લઈ લીધું. ત્યારથી લઈને આજ સુધી 'જય ભીમ'થી જ સ્વાગત ચાલુ છે. આજે પણ, ‘જય ભીમ’નો આ નારો દેશના 85 ટકા મૂળનિવાસી બહુજન સમાજને એક તાંતણે બાંધતા એક દોરા તરીકે કામ કરે છે. મોટાભાગના બહુજનો પોતાના મૂળનિવાસી હોવાનો અહેસાસ ‘જય ભીમ’ની સામે ‘જય ભીમ’થી અભિવાદન થાય ત્યારે અનુભવે છે. ‘જય ભીમ’નો નારો તેમનો પોતિકો લાગે છે. દુનિયાના કોઈપણ ભાગમાં ‘જય ભીમ’ બોલાય એ પછી બહુજનોને બીજી કોઈ ચિંતા સતાવતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાબુ હરદાસનું યોગદાન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">17 વર્ષની ઉંમરે બાબુ હરદાસે દલિતોમાં સામાજિક જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે નાગપુરમાં 'મહારાષ્ટ્ર' નામના સાપ્તાહિકની સ્થાપના કરી હતી. તેમણે વર્ષ 1922માં મહાર સમાજ સંગઠનની સ્થાપના કરીને મહાર સમુદાયને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે અસંગઠિત મહાર યુવાનોને દલિતો પર થતા અત્યાચારોથી બચાવવા માટે એક સ્વૈચ્છિક કોર ગ્રુપ અને મહાર સમાજ પાઠકની પણ રચના કરી હતી. તેમણે દલિત મહિલાઓને સશક્ત, આત્મનિર્ભર અને મજબૂત બનાવવા માટે તાલીમ કેન્દ્ર તરીકે મહિલા આશ્રમ ખોલ્યો. તેમજ બીડી કામદારોને શોષણથી બચાવવા માટે સહકારી ધોરણે બીડીનું કામ શરૂ કર્યું હતું, જે ગામમાં ખૂબ જ સફળ રહ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરદાસ કુરિવાજો અને અંધશ્રદ્ધાના ભારે વિરોધી હતા. તેમણે દલિતોમાં પ્રસરેલા પેટાજાતિવાદની અડચણનો સખત વિરોધ કર્યો હતો. તેમણે મહાર સમુદાયના 14મી સદીના સંત ચોખામેલાની પુણ્યતિથિ પર વાર્ષિક સામાજિક રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. તેઓ મૂર્તિપૂજાના વિરોધી હતા. 1927માં તેમણે રામટેક ખાતે ખેડૂત ફાગુજી બંસોડની અધ્યક્ષતામાં તેમના ભાઈઓ સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં હરદાસે તેમના લોકોને રામટેકના મંદિરમાં મૂર્તિપૂજા શરૂ કરવા અને ત્યાંના ગંદા તળાવમાં નહાવાનું બંધ કરવા હાકલ કરી હતી. જો કે, તેમણે 2 માર્ચ 1930ના રોજ શંકર મુકુંદ બેલે નામની વ્યક્તિની આગેવાની હેઠળ તેમના અનુયાયીઓનાં એક જૂથને ડો. આંબેડકરના સમર્થનથી કાલારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહમાં ભાગ લેવા મોકલ્યા હતા. એ વખતે તેમણે કહ્યું કે આ અસમાનતાની વિરુદ્ધની લડાઈ છે અને વ્યક્તિએ મૂર્તિઓની પૂજા ન કરવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">શિક્ષણમાં યોગદાન</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરદાસ દલિતોના શિક્ષણના પ્રબળ હિમાયતી હતા. તેમણે પોતે મેટ્રિક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જે તે સમયે દલિતો માટે એક દુર્લભ બાબત ગણાતી હતી. તેમણે મહાર સમાજના કહેવાથી 1927માં કામઠીમાં રાત્રિ શાળાઓ શરૂ કરી હતી. તેમની આ શાળામાં એક સમયે 86 છોકરાઓ અને 22 છોકરીઓ અભ્યાસ કરી શકતા હતા. તે જ સમયે તેમણે કામઠીમાં સંત ચોખમેલા પુસ્તકાલય પણ ખોલ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરદાસ એક પ્રભાવશાળી લેખક હતા અને મોટે ભાગે હતાશ વર્ગોમાં સામાજિક જાગૃતિ લાવવા માટે તેમના લેખન કૌશલ્યનો ઉપયોગ કરતા હતા. તેમણે 1924માં સમાજમાં રહેલી ખરાબીઓ સામે લોકોમાં જાગૃતિ લાવવા માટે 'મંડલ મહાત્મે' પુસ્તક લખ્યું હતું. તેમણે લોકોમાં આ પુસ્તકની મફત નકલો વહેંચી. આ પુસ્તકે લોકો પર નોંધપાત્ર અસર કરી અને ગામના દલિતોએ હિન્દુ દેવી-દેવતાઓ પર આધારિત નાટકો જોવાનું અને માણવાનું બંધ કરી દીધું હતું. તેમણે વીર બાલક(બહાદુર બાળક) નાટક પણ લખ્યું અને લોકોમાં જાગૃતિની નવી લહેર ઊભી કરવા માટે તેનું મંચન કરાવ્યું. ડો. આંબેડકર દ્વારા સંપાદિત સાપ્તાહિક 'જનતા'માં પણ તેમના લેખો પ્રકાશિત થયા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6579b56642d56.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">હરદાસનું રાજકીય જીવન</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરદાસ વર્ષ 1928માં પહેલીવાર બાબા સાહેબને મળ્યા હતા. જો કે તેમણે તેમની સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ અગાઉથી શરૂ કરી દીધી હતી. એ જ વર્ષે ડૉ. આંબેડકરે તેમને સાયમન કમિશન સમક્ષ તેમની જુબાની આપવા વિનંતી કરી. બાદમાં વર્ષ 1930-31માં બીજી ગોળમેજી પરિષદના સંદર્ભમાં જ્યારે અસ્પૃશ્યોના વાસ્તવિક નેતૃત્વ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા, ત્યારે હરદાસે UKના તત્કાલીન વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડને એક તાર મોકલ્યો કે ડૉ. આંબેડકર જ અસ્પૃશ્યોના સાચા નેતા છે, મહાત્મા ગાંધી નહીં. તેમણે દેશના જુદા જુદા ભાગોમાં આ વિશે અભિપ્રાય પણ બનાવ્યો અને વિવિધ અસ્પૃશ્ય નેતાઓ દ્વારા મેકડોનાલ્ડને કુલ 32 તાર મોકલ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબાસાહેબની જેમ હરદાસ પણ વિધાનસભાઓમાં દલિતોની વધુ ભાગીદારી ઇચ્છતા હતા. તેમણે કેન્દ્રીય પ્રાંતો અને બેરારના ગવર્નરને વિધાન પરિષદ, જિલ્લા સ્થાનિક બોર્ડ અને નગરપાલિકાઓમાં દલિતો વર્ગોના સભ્યોને નોમિનેટ કરવા અપીલ કરી. તેઓ 8 ઓગસ્ટ 1930 ના રોજ નાગપુર ખાતે દલિત વર્ગોની કોન્ફરન્સના મુખ્ય આયોજકોમાંના એક હતા જેની અધ્યક્ષતા ડૉ. આંબેડકરે કરી હતી. આ કોન્ફરન્સમાં દલિત વર્ગો માટે અલગ ઈલેક્ટોરલ કોલેજનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ સંમેલને અખિલ ભારતીય દલિત વર્ગ સંઘની રચના કરી અને હરદાસ તેના જોઈન્ટ સેક્રેટરી તરીકે ચૂંટાયા. આ સંઘનું બીજું સંમેલન 7 મે 1932ના રોજ કામઠીમાં યોજાયું હતું અને હરદાસ તેની સ્વાગત સમિતિના અધ્યક્ષ હતા. આ બેઠકમાં તેઓ ફેડરેશનની રાષ્ટ્રીય સંસ્થાના સચિવ તરીકે ચૂંટાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરદાસ 1936માં સ્વતંત્ર મજૂર પક્ષ(ILP)ની કેન્દ્રીય પાર્ટી(CP) અને બેરાર શાખાના સેક્રેટરી બન્યા. તેઓ 1937માં નાગપુર-કામઠી મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી લડ્યા અને જીત્યા. 1938માં તેમને ILPની CP અને બેરાર શાખાના પ્રમુખ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1939માં તેઓ ક્ષય રોગથી બીમાર પડ્યા અને 12 જાન્યુઆરી 1939ના રોજ તેમનું અવસાન થયું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરદાસે તેમના મૃત્યુ પછી પણ દલિત વર્ગ પર નોંધપાત્ર અસર છોડી હતી. તેમના માટે કહેવાય છે કે, જેમ ધૂમકેતુ દેખાય છે, સમગ્ર આકાશમાં પ્રકાશ રેલાવે છે અને પછી તરત જ અદૃશ્ય થઈ જાય છે, એવું જ કંઈક હરદાસ સાથે થયું હતું. તેમના દ્વારા રચવામાં આવેલો 'જય ભીમ'નો નારો આજે બહુજનોમાં વાતચીત અને સ્વાગતનો સર્વસ્વીકૃત સામાન્ય શબ્દ બની ગયો છે. 2016માં નિર્માતા ધનંજય ગલાણીએ "બોલે ઈન્ડિયા જય ભીમ" નામની ફિલ્મ બનાવી હતી, જેમાં હરદાસના જીવન અને કાર્યને દર્શાવવામાં આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો :</span></strong><span style="font-size: 14pt;"> </span></span><a href="https://khabarantar.com/The-movement-of-the-sweepers-of-Dhasa-Vishi-village-of-Garhda-entered-the-40th-day"><strong><span style="font-size: 14pt;">ગઢડાના ઢસા વીશી ગામના સફાઈકર્મીઓનું આંદોલન 40માં દિવસમાં પ્રવેશ્યું</span></strong></a></p>
<p><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"><strong>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</strong></span></p>
<p><strong><span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 13 Dec 2023 19:21:04 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 14 Dec 2023 12:32:26 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>197</Articleid>
                    <excerpt>જય ભીમ ઉર્જા નો સ્ત્રોત છે, ક્રાંતિ ની જ્વાળા છે, વિચારોની પ્રજ્વલિત જ્યોત છે, કરોડો વંચિત, શોષિત પીડિત સમાજનો અવાજ છે. દુનિયાભરમાં બહુજન સમાજની ઓળખ બની ચૂકેલા આ નારાનો ઈતિહાસ પણ રસપ્રદ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_6579b5d621871.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_6579b5d5dbb37.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_6579b5d5dbb37.jpg" length="62293" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>રૂપિયા પર આંબેડકરના ગ્રંથમાં સ્પષ્ટ દ્રષ્ટિ છે</title>
                    <link>https://khabarantar.com/ambedkars-treatise-on-the-rupee-has-a-clear-vision</link>
                    <guid>https://khabarantar.com/ambedkars-treatise-on-the-rupee-has-a-clear-vision</guid>
                    <description>
                        <![CDATA[ પ્રસ્તુત લેખ અમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટીફન ઈચે અંગ્રેજી અખબાર &#039;ધ ઈન્ડિયન એક્સપ્રેસ&#039;માં  પ્રગટ કરેલા લેખનો મયૂર વાઢેરે કરેલો ગુજરાતી અનુવાદ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અનુવાદ: મયૂર વાઢેર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક સદી પહેલા ઈ.સ. 1923ની ગ્રીષ્મ ઋતુમાં એક યુવાન ધારાશાસ્ત્રીએ લંડનની ગ્રેઈઝ ઈન યુનિવર્સિટીમાંથી કાનૂનશાસ્ત્રનો અભ્યાસ પૂર્ણ કરીને બૉમ્બે હાઈકોર્ટમાં પ્રવેશ કર્યો; તે યુવાન વકીલ હતા બી. આર. આંબેડકર, પછી તેઓ તુરંત બાબાસાહેબ તરીકે ખ્યાતિપ્રાપ્ત થઈ ગયા હતા. તેમણે ખેડેલી કાનૂની અને રાજકીય સફર જગતભરના દલિત કર્મશીલો અને બંધારણના સિદ્ધાંતકારો માટે પ્રેરણાની વિરાસત બની ગઈ.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">પરંતુ તે જ 1923નું વર્ષ આંબેડકરના સાવ નોખા-અનોખા અને પ્રમાણમાં ઓછા ઉજાગર થયેલા તેમના આર્થિક ઈતિહાસકાર અને નાણાકીય સુધારક તરીકેના પાસા માટે ઉચ્ચતમ કક્ષાએ અંકિત થયું હતું. જ્યારે ડૉ. આંબેડકર બૉમ્બે આવ્યા ત્યારે 32 વર્ષની વયે ભારતીય નાણાતંત્રનાં મહત્ત્વના ઈતિહાસનો ગહન અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો. તેમનો આ અભ્યાસ સામ્રાજ્યવાદી બ્રિટિશ રાજતંત્રના નાણાકીય ગેરવહિવટની ઉગ્ર આલોચનાની બૌદ્ધિકતાથી તરબોળ છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">તેમનો ‘રૂપિયાની સમસ્યા: ઉદ્ભવ અને ઉકેલ’ શીર્ષક ધરાવતો ગ્રંથ ડિસેમ્બર, 1923માં લંડન ખાતે પ્રગટ થયો હતો. અને તે ગ્રંથ ભારતના નાણાકીય ચલણ અને બેન્કિંગ ક્ષેત્રે જગતના અગ્રગણ્ય નિષ્ણાંતોમાં ડૉ. આંબેડકરને માનવંતુ સ્થાન આપાવે છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;"> લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અર્થશાસ્ત્રી એડવિન કેનનનાં માર્ગદર્શન હેઠળ ઈ.સ. 1923માં સંશોધનપત્રના રૂપમાં તૈયાર થયા પછી તુરંત જ આ ગ્રંથની ભારત અને બ્રિટન સહિત અમેરિકામાં વ્યાપકરીતે સમીક્ષા કરવામાં આવી હતી. તેના પરિણામે ડૉ. આંબેડકર ઈ.સ. 1925માં ભારતીય ચલણ અને બેંન્કિંગ માટે રચાયેલા રોયલ કમિશનના ધ્યાને આવ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ડૉ. આંબેડકરે કોલંબિયા યુનિવર્સિટી માટે  ભારતીય જાહેર નાણાકીય વહિવટનાં પ્રાંતિય વિકેન્દ્રીકરણ પર તેમનો અન્ય સંશોધનગ્રંથ પૂર્ણ કરી લીધો હતો. પણ તે સંશોધનગ્રંથ યુનિવર્સિટીને સુપ્રત કરે તે પહેલા તેને ગુમાવી દેવાનો વારો આવ્યો. કારણ કે તેઓ ભારત પરત ફરતા હતા ત્યારે તેમનો સામાન જે થોમસ કૂક જહાજમાં આવતો હતો તે જહાજને જર્મન નૌસેનાની તોપે નષ્ટ કરી દીધું હતું. જેમાં ડૉ. આંબેડકરના પ્રસ્તુત સંશોધનગ્રંથે પણ જળસમાધિ લઈ લીધી હતી.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. આંબેડકરે હવે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સને સુપ્રત કરવાનો સંશોધનગ્રંથ તૈયાર કરતી વેળાએ તેના (પ્રાંતિય વિકેન્દ્રીકરણનાં) બદલે રૂપિયાના અવમૂલ્યન પર તેમનું ધ્યાન કેન્દ્રીત કર્યું. તેમનો ગ્રંથ ‘રૂપિયાની સમસ્યા’ અઢારમી સદીથી આરંભાયેલા ભારતીય ચલણના વ્યાપક ઈતિહાસને માત્ર રેખાંકિત જ નથી કરતું પણ તે સમકાલિન ભારતના નાણાકીય શોષણના બિહામણું ચિત્ર આબાદરીતે ઝીલે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે ઈન્ડિયા ઓફિસ અને તેના તત્કાલિન નેતાઓ સમક્ષ ભારતની નાણાકીય દશાની હકીકત મોઢામોઢ જણાવી દીધી હતી. તેમણે ભારતીય ચલણ અંગે બ્રિટિશતંત્રનો બચાવપૂર્વક ખુશામત કરનારા પુસ્તકના લેખક જોન મેનાર્ડ કેઈન્સને પડકાર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અલબત્ત, બ્રિટિશરોના નાણાકીય ગેરવહિવટ અંગે ભારતના લોકોની સમકાલિન પીડા તેમના ગ્રંથ ‘રૂપિયાની સમસ્યા’માં પ્રકટ થઈ એ તેમનું બીજુ સૌથી અદભૂત પરાક્રમ હતું.  તેમાં સમગ્ર બ્રિટિશ સંસ્થાનનાં માધ્યમથી ઓગણીસમી સદીમાં થયેલા સતત વિઘાતક નાણાકીય સુધારાઓમાં ભારતીય રૂપિયો કેવી રીતે  ધરી બન્યો હતો તેનો અસરકારક ચિતાર ઝીલાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રસ્તુત પુસ્તકમાં રજૂ થયેલો નાણાનો વ્યાપક ઇતિહાસ નાણાકીય સુધારણા માટે ચિંતનાત્મક દરખાસ્ત રજૂ કરે છે.   ડૉ. આંબેડકર ભારતીય ઉપખંડમાં વિસ્તરેલા સુવર્ણ ધોરણનો અંત લાવીને જ ભારતીય રૂપિયાને બ્રિટિશ અને ઉજળિયાતો બંનેના આધિપત્ય સામે મજબૂત રીતે રક્ષણ આપી શકાય તેમ આશ્વર્યજનક વણાંક આપીને પુસ્તકનું સમાપન કરે છે. સુવર્ણ ધોરણે બ્રિટિશ સત્તાના ઉદયમાં બ્રિટનને સધિયારો આપ્યો હતો અને તેણે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ઈ.સ. 1920ના આરંભમાં સમગ્ર જગતમાં ઉગ્ર નાણાકીય  વર્ચસ્વને પૂર્વવત કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ ‘રૂપિયાની સમસ્યા’ પુસ્તક સુવર્ણ ધોરણ અને નાણાકીય નિયંત્રણની સહજતાનો રૂઢિચુસ્ત બચાવ કરતું નથી પણ તેમાં વ્યાવહારુ રાજકીય તર્ક પ્રગટ થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. આંબેડકર બ્રિટિશરોની ભારતમાં હિંસા ધ્યાને લેતી વખતે બ્રિટિશ નાણાકીય ખ્યાલના ઉત્કટ સિદ્ધાંતોને તપાસે છે. તેઓ પુસ્તકનું સમાપન કરતા કહે છે, જ્યાં સુધી ભારત પોતાની રીતે શાસન કરતું ન થાય ત્યાં સુધી તેને અબાધિત સત્તા આપી દેવાને બદલે સંસ્થાનિક રાજ્ય સાથે જોડાયેલુ રાખવું વધારે બહેતર રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. આંબેડકર ઈ.સ. 1947માં ‘રૂપિયાની સમસ્યા’નો મુદ્દો ફરીથી હાથ ધરે છે. પુસ્તકની નવી પ્રસ્તાવનામાં તેઓ બીજા ગ્રંથમાં પ્રસ્તુત વિષયવસ્તુનું વિસ્તૃત અને અદ્યતન સંસ્કરણ પ્રગટ કરશે તેમ વચન વ્યક્ત કર્યું હતું. પરંતુ આ લખાણ લખ્યા પછી એક જ સપ્તાહમાં ભારત આઝાદ થઈ ગયું હતું. ડૉ. આંબેડકર  બંધારણ ઘડતરના ગંજારવ કાર્ય અને તેમના પ્રખર રાજકીય અભિયાનમાં ડૂબી ગયા હતા. જાહેર જીવનમાં તેમની સઘન વ્યસ્તતાના પરિણામે, આપણે  તે બીજા ગ્રંથથી વંચિત રહી ગયા. તે ગ્રંથમાં તેમણે લોકતાંત્રિક બંધારણીય ઉપલક્ષમાં સુવર્ણ ધોરણને બદલે જાહેર નાણાકીય નીતિ અંગે કેવો ખ્યાલ બાંધ્યો હોત તેનાથી આપણે અવગત થઈ શક્યા હોત.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-<strong>સ્ટીફન ઈચ</strong> <em>(લેખક અમેરિકાની જ્યાર્જટાઉન યુનિવર્સિટીના પ્રોફેસર અને ‘ધ કરન્સી ઓફ પોલિટિક્સ’ પુસ્તકના સર્જક છે.)</em></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong>આ પણ વાંચોઃ</strong> </span><a href="https://khabarantar.com/RSS-and-Ambedkar-are-polar-opposites-yet-why-Sangh-praises-Baba-Saheb"><strong><span style="font-size: 14pt;">RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?</span></strong></a></p>
<div class="post-meta">
<p><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </strong><strong><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></strong></span></p>
</div>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 13 Dec 2023 09:56:17 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 16 Mar 2024 21:29:00 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>194</Articleid>
                    <excerpt>પ્રસ્તુત લેખ અમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટીફન ઈચે અંગ્રેજી અખબાર &#039;ધ ઈન્ડિયન એક્સપ્રેસ&#039;માં  પ્રગટ કરેલા લેખનો મયૂર વાઢેરે કરેલો ગુજરાતી અનુવાદ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_65789b4582d92.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_65789b454588b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_65789b454588b.jpg" length="80596" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ખલીલ ધનતેજવી સાહેબના સંભારણા</title>
                    <link>https://khabarantar.com/Memories-of-Khalil-Dhantejvi-Saheb</link>
                    <guid>https://khabarantar.com/Memories-of-Khalil-Dhantejvi-Saheb</guid>
                    <description>
                        <![CDATA[ વિખ્યાત શાયર ખલીલ ધનતેજવી સાહેબનો આજે જન્મ દિવસ છે ત્યારે શૂન્ય, મરીઝ અને જલન સાહેબની હરોળના આ શાયરના સંભારણાં વાગોળીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતી ગઝલના ઇતિહાસમાં ખલીલ ધનતેજવીનું નામ એમની શ્રેષ્ઠતમ ગઝલો અને ઉત્તમ રજૂઆત, પ્રભાવશાળી અવાજ અને શાનદાર વ્યક્તિત્વને કારણે હંમેશા યાદ રહેશે. અમૃત ઘાયલ, શૂન્ય પાલનપુરી, બરકત વિરાણી 'બેફામ', ગની દહીંવાલા, શેખાદમ આબુવાલા, જલન માતરી અને 'મરીઝ' જેવા ધરખમ શાયરોની હરોળના શાયર, મુશાયરાની રજૂઆતના શહેનશાહ કહેવાતા ખલીલ ધનતેજવી ગઝલકાર, નવલકથાકાર, વાર્તાકાર, ઉચ્ચ કક્ષાના પત્રકાર અને શ્રેષ્ઠ માનવતાવાદી સાહિત્યકાર હતા. એમણે શયદાથી લઈને શૂન્ય પાલનપુરી સુધીની પેઢીની ગઝલની પરંપરાને જીવંત રાખવામાં ખૂબ જ મોટું પ્રદાન કર્યું છે. આધુનિક ગઝલકારોમાં પણ તેઓ એટલા જ લોકપ્રિય હતા. એમના ઘણા બધા શેર લોકોને હલબનાવી નાખે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">“તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,</span><br><span style="font-size: 14pt;">અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">“अब मैं राशन की क़तारों में नज़र आता हूँ</span><br><span style="font-size: 14pt;">अपने खेतों से बिछड़ने की सज़ा पाता हूँ”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">“જો તમારા પર ખુદાની મહેરબાની હોય તો,</span><br><span style="font-size: 14pt;">એક ક્ષણ માગો અને આખી સદી તમને મળે!”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમના આવા અનેક શેર લોકહૈયે આજે પણ રમે છે. ગુજરાતી ગઝલકારોમાં ખલીલ ધનતેજવી બેજોડ અને અજોડ શાયર એટલે કહેવાય છે કે આ એક જ શાયરની ગઝલ સેવાઓ અને શબ્દ સાધનાને ધ્યાનમાં લઈને ભારત સરકારે એમને પદ્મશ્રીનો ખિતાબ આપ્યો હતો. આવો ખિતાબ કોઈ ગુજરાતી શાયરને કદાચ મળ્યો નથી. એમણે માત્ર વડોદરાનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું નામ ભારત અને ભારત બહાર અમેરિકા, બ્રિટન સુધી પહોંચાડ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખલીલ ધનતેજવીનું મૂળ નામ ખલીલ ઈસ્માઈલ મકરાણી હતું. તેઓ ધનતેજ ગામનાં વતની હતા, માટે તેમણે તેમનાં નામની પાછળ પોતાનાં ગામનું નામ રાખ્યું. ખલીલ સાહેબનો જન્મ ૧૨ ડિસેમ્બર, ૧૯૩૮નાં રોજ વડોદરાનાં ધનતેજ ગામમાં થયો હતો. પિતાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમણે ચાર ચોપડી સુધી જ શિક્ષણ મેળવ્યુ હતું. પરંતુ જેને જન્મજાત જ સાહિત્યની કળા મળી હોય, તેને ઓછા ભણતરથી કંઈ ફેર નથી પડતો. તેઓ હિંદી, ગુજરાતી અને ઉર્દૂ ભાષામાં પોતાની રચનાઓ લખતા. તેમણે સાહિત્ય સફરની શરૂઆત વાર્તા લખવાથી કરી હતી. તેમણે ઘણી ખ્યાતનામ નવલકથાઓ લખેલી જેની પર એવૉર્ડ વિજેતા ફિલ્મો અને નાટકો પણ બન્યા છે, તેઓ વ્યવસાયે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ તેમજ ફિલ્મ નિર્માણનાં કાર્યો સાથે સંકળાયેલા હતાં.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6577f58fb03e3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમની કવિતાઓ અને ગઝલોની વાત કરીએ તો, તો તે મનોમન તેની રચના કરી લેતા અને એને શબ્દશઃ યાદ રાખી શકતા, તેમજ કવિ મિત્રોને પણ સંભળાવતા. તેઓને તેમની રચનાઓ ક્યાંય કાગળમાં લખવાની જરૂર ન પડતી, તેમને લાંબા ગાળા સુધી યાદ રહેતી. આજ સુધીનાં જેટલા કવિ સંમેલન, મુશાયરા તેમજ અન્ય સાહિત્યને લગતા કાર્યક્રમો થયા છે, તેમાં ખલીલ સાહેબ તેમની ગઝલો અને કવિતાઓ કાગળમાં જોયા વગર જ બોલતા. એમની રચનાઓ એમને છેક સુધી કંઠસ્થ રહી. જ્યારે તેમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘સાદગી’ બહાર પાડવાનો હતો, ત્યારે તેમણે ત્યાંને ત્યાં જ એકી સાથે ૧૦૦ ગઝલો કાગળમાં લખી અને પ્રિંટીંગ માટે પબ્લીશરને આપી હતી. તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં ડિરેક્ટર, સંવાદ લેખક, ગીતકાર, પટકથા લેખક તરીકે કામ કરેલું. અમુક ફિલ્મો માટે તેઓને ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ લેખક અને દિગ્દર્શક તરીકે એવૉર્ડ્સ પણ મળેલાં. તેમની ઉર્દૂ ભાષામાં લખાયેલ ગઝલો, મશહૂર ગઝલકાર જગજીતસિંહના કંઠે ગવાઈ હતી. વર્ષ – ૨૦૨૧માં ૪ એપ્રિલ, ૨૦૨૧નાં રોજ ૮૫ વર્ષની વયે વડોદરા ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધાં. એ જ વર્ષે તેમને મરણોપરાંત ‘પદ્મશ્રી’ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતાં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક સરસ,સુંદર વ્યક્તિત્વ અને સજ્જન પુરુષ તરીકે ખલીલ ધનતેજવી શાયરોમાં લોકપ્રિય હતા. પાલનપુરમાં પણ એમના અનેક પ્રોગ્રામો થયેલા છે. આ લોકપ્રિય શાયરની શબ્દ સાધના માત્ર ગઝલ પુરતી જ મર્યાદિત ન હતી. પત્રકાર ક્ષેત્રમાં પણ તેમણે ખૂબ નામના મેળવી હતી. ત્યાં સુધી કે અભિનેતા અમિતાભ બચ્ચનનો ઇન્ટરવ્યૂ પણ તેમણે કરેલ હતો. ગુજરાતી ગઝલ, ગઝલરસિકો, ગઝલકારો, પત્રકારો ખલીલ ધનતેજવીને હંમેશા હંમેશા યાદ રાખશે. ઉત્તમ કક્ષાના શાયર, ઉચ્ચ ગુણોથી સંપન્ન, માનવતાવાદી શાયર અને સાહિત્યકાર તરીકે ખલીલ ધનતેજવીનું નામ ગુજરાતી ગઝલના આકાશમાં દાયકાઓ સુધી ઝળહળતું રહેશે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">ખલીલ સાહેબનું તેજોમય અને ઉત્તમ સાહિત્ય સર્જન આ મુજબ છેઃ</span></strong></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નવલકથાઃ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુકામ પોસ્ટ ઝાકળ, ભરચક એકાંત, એક મુઠ્ઠી હવા, છૂટાછેડા, સાંજ પડે ને સૂનું લાગે, લીલોછમ તડકો, મોંત મલકે મીઠું મીઠું, સન્નાટાની ચીસ, લીલા પાંદડે પાનખર, મીણની આંગળીએ સૂરજ ઊગ્યો, લોહભીની રાત, કોરી આંખમાં ભીનાં સ્વપ્નાં, સાવ અધૂરા લોક, નગરવધૂ, કોરી કોરી ભીનાશ, તરસ્યા એકાંત, સળગતો બરફ, સફેદ પડછાયા, ડૉ. રેખા, સુંવાળો ડંખ, સોગંધનામુ–આત્મકથા. નગરવધૂ(નવલકથા), સાવ અધૂરા લોક(નવલકથા), લીલા પાંદડે પાનખર(નવલકથા), પારકી તોય પાડોશણ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગઝલ સંગ્રહ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાદગી, સારાંશ, સોગાત, સૂર્યમુખી, સાયબા, સાંવરિયો, સગપણ, સરોવર, સોપાન, સારંગી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગુજરાતી ફિલ્મોઃ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખાપરો ઝવેરી, ડૉ. રેખા(નવલકથા), ચૂંદડી ચોખા(સંવાદ લેખક), છૂટાછેડા(આઠ એવૉર્ડ્સ મળેલાં), મન માનતું નથી – આ બધી ફિલ્મોમાં ખલીલ સાહેબ દિગ્દર્શક, સંવાદકાર, કથા-પટકથાકાર, ગીતકાર તરીકે કાર્ય કરેલું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પ્રસારણઃ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે આકાશવાણી તેમજ દૂરદર્શનમાં પણ ગઝલોની રજૂઆત કરેલી. સોની સબ ટીવીમાં “વાહ વાહ ક્યા બાત હૈ..” શો માં તેમણે પોતાની ગઝલો હિંદીમાં રજૂ કરી હતી. આ ઉપરાંત અનેક સાહિત્યલક્ષી કાર્યક્રમો, મુશાયરાઓ તેમજ સંમેલનોમાં પોતાની ગઝલો અને કવિતાઓની રજૂઆત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એવોર્ડ્સઃ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કલાપી એવૉર્ડ(વર્ષ – ૨૦૦૪), વલી ગુજરાતી ગઝલ એવૉર્ડ(વર્ષ – ૨૦૧૩), નરસિંહ મહેતા એવૉર્ડ(વર્ષ – ૨૦૧૯), પદ્મશ્રી એવૉર્ડ – મરણોપરાંત(વર્ષ – ૨૦૨૧). છૂટાછેડા ફિલ્મ માટે શ્રેષ્ઠ લેખક, શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકેના એવોર્ડ્સ.</span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિદાયત પરમાર (સાભારઃ મુસાફિર પાલનપુરી, રિફ્લેક્શન લાઈવ) </span></strong></span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"></span></strong></span><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"></span></strong></span><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"></span></strong></span><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></span><a href="https://khabarantar.com/Gharghati,-Griha-Yogi,-House-Helper:-Not-bright-name,-more-work,-less-price"><span style="font-size: 14pt;">ઘરઘાટી, ગૃહયોગી, હાઉસ હેલ્પર: ન ઉજળું નામ, વધુ કામ, કમ દામ</span></a></strong></p>
<p><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"> અહીં ક્લિક કરો</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 12 Dec 2023 11:28:38 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 22 Dec 2023 16:41:33 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>190</Articleid>
                    <excerpt>વિખ્યાત શાયર ખલીલ ધનતેજવી સાહેબનો આજે જન્મ દિવસ છે ત્યારે શૂન્ય, મરીઝ અને જલન સાહેબની હરોળના આ શાયરના સંભારણાં વાગોળીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_6577f5b98bcd1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_6577f5b9535bb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_6577f5b9535bb.jpg" length="63271" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>બોમ્બે વિધાન પરિષદમાં માત્ર બે જ દલિત સભ્યો હતાઃ એક ડો. આંબેડકર, બીજા ડો. પી.જી. સોલંકી</title>
                    <link>https://khabarantar.com/There-were-only-two-Dalit-members-in-the-Bombay-Legislative-Council:-one-Dr.-Ambedkar,-another-Dr.-PG-Solanki</link>
                    <guid>https://khabarantar.com/There-were-only-two-Dalit-members-in-the-Bombay-Legislative-Council:-one-Dr.-Ambedkar,-another-Dr.-PG-Solanki</guid>
                    <description>
                        <![CDATA[ 20મી સદીના બીજા દાયકામાં બોમ્બે ઇલાકા (Bombay Province) માં મજલુમોની મુક્તિ માટે બે સિપેહસાલાર સંઘર્ષ કરી રહ્યા હતા. એક હતા દક્ષિણ ગુજરાતમાં માહ્યાવંશી તરીકે ઓળખાતા ડૉ. પુરુષોત્તમરાય ગોવિંદભાઇ સોલંકી અને બીજા મહારાષ્ટ્રના મહારવંશી ડો. બાબાસાહેબ આંબેડકર. આજે જેમની જન્મજયંતિ છે તેવા ડો. પી.જી. સોલંકી વિશે વાત કરીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">20મી સદીના બીજા દાયકામાં બોમ્બે ઇલાકા (Bombay Province) માં મજલુમોની મુક્તિ માટે બે સિપેહસાલાર સંઘર્ષ કરી રહ્યા હતા. એક હતા દક્ષિણ ગુજરાતમાં માહ્યાવંશી તરીકે ઓળખાતા ડૉ. પુરુષોત્તમરાય ગોવિંદભાઇ સોલંકી અને બીજા મહારાષ્ટ્રના મહારવંશી ડો. બાબાસાહેબ આંબેડકર. આજે જેમની જન્મજયંતિ છે તેવા ડો. પી.જી. સોલંકી વિશે વાત કરીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. પી. જી. સોલંકીનો જન્મ સુરતના માહ્યાવંશી વણકર આગેવાન ગોવિંદભાઇને ત્યાં 10-12-1876 ના રોજ થયેલો. પિતા પશુ ડોકટર હતા અને મુંબઇના ઠાકુર દ્વાર વિસ્તારમાં પોતાના બે માળના મકાનમાં રહેતા હતા. 1883-1886 દરમિયાન પ્રાથમિક શિક્ષણ તેમણે ધોબી તળાવ બોમ્બેની માસ્તર જમનાદાસ એન્ડ કાવસજી પારસી સ્કૂલમાં લીધું અને 1886થી ખેતવાડી વિલ્સન સ્કૂલમાંથી માધ્યમિક શિક્ષણ લેતા 1894માં મેટ્રીકની પરીક્ષા પાસ કરીને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. પરંતુ આર્થિક પરીસ્થિતિ નબળી પડતા અભ્યાસ અવરોધાયો અને છુટક નોકરીઓમાં લાગ્યા. એ અરસામાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ તરફથી શિષ્યવૃત્તિની મદદ મળતા પુનઃઅભ્યાસ પ્રારંભ કર્યો અને 1917 માં વિષશાસ્ત્રમાં (Gold Medallist) ડોક્ટર બન્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોલેજના અભ્યાસ દરમિયાન જ તત્કાલિન સુધારાવાદી મહાનુભવોના સંપર્કમાં આવતા તેઓ સમાજ સેવામાં સક્રિય બનેલા. હિંદુ સમાજ સુધારક મંડળ, પ્રાર્થના સમાજ વગેરે સંસ્થાઓમાં તેઓ જોડાયા. Student Brotherhood માં કામ કરતા તેઓ ડો. કનૈયાલાલ મુન્શી, ચંદ્રશેખર પંડ્યા, મહાદેવ ગોવિંદભાઇ રાનડે વગેરેના સંપર્કમાં આવ્યા. જેમની સંગતે તેઓની સમાજ સુધારણાની વિચારસરણીને બળ મળ્યું અને દલિતોના ઉત્થાન અંગે કામ કરતા થયા. તેઓ પોતે પણ અસ્પૃશ્ય સમાજમાંથી આવેલા અને વ્યવસાય તેમજ અભ્યાસ વખતે અસંખ્ય જાતિવાદી મુશ્કેલીઓને ભોગવી હોવાથી તેઓ આ પરીસ્થિતિને બદલવા મક્કમ બન્યા અને દલિત સમુદાયની સેવા માટે રાજકારણમાં જોડાયા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અંત્યજ વર્ગોના ઉત્થાન માટે ચાલતી ડિપ્રેસ્ડ ક્લાસ મિશન સોસાયટીના અધ્યક્ષ ન્યાયમુર્તિ નારાયણ ગણેશ ચંદાવકરની આગેવાનીમાં સમગ્ર દલિત સમાજનુ પ્રતિનિધિત્વ કરતા 1917ની મોન્ટેગ્યુ કેમ્સફોર્ડ પરિષદમાં આવેદન પત્ર રજૂ કર્યુ. તે સમયના બોમ્બે ઇલાકા(Bombay Province) માં તેઓની રજૂઆતનો પડઘો પડ્યો, જેમાં કોલ્હાપુરના નરેશ છત્રપતિ શાહુ મહારાજ પણ જોડાયા અને જાતિપ્રથાને જાકારો આપવાનું એલાન કરતા 14-12-1918ની આર્ય ધર્મ પરિષદના અધ્યક્ષસ્થાને ડૉ. પી. જી. સોલંકીની નિમણૂંક કરી. ગાંધીજીના પ્રયત્નોથી ગોધરા ખાતે 1918માં અંત્યજ પરીષદ મળી જ્યાં સુરતના વીર છત્રસિંહ ઉટેકર પણ ઉપસ્થિત રહેલ. આ સમયે તેઓ ડો. બાબાસાહેબ આંબેડકરના પરિચયમાં આવ્યા અને 27-01-1919ના રોજ સાઉથબરો સમિતિ સમક્ષ ભારતના દલિતોની દુઃખદ સ્થિતિ વર્ણવતું આવેદન પત્ર રજૂ કર્યુ. આ સાથે ડૉ. પી. જી. સોલંકીએ તેમના વતન સુરત, તાપી, નવસારી, વલસાડ વિસ્તારમાં દલિતોના ઉત્થાન અને કુરિવાજ નાબુદી માટેના સુધારાવાદી કાર્યો આરંભ્યા. તેઓની કામગીરીથી પ્રસન્ન થઈ દલિતોના પ્રતિનિધિ તરીકે ગવર્નર સર લેસ્લી વિલ્સન તરફથી બોમ્બે વિધાન પરિષદના સભ્ય (Member of Legislative Council) તરીકે પસંદગી થઈ અને તેઓએ 18-02-1927 રોજ મુંબઈ ટાઉન હોલમાં ડો. બાબા સાહેબ આંબેડકર સાથે સોગંદવિધિમાં ભાગ લીધો. એ સમયે 114 સભ્યોની બોમ્બે વિધાન પરિષદમાં માત્ર બે જ દલિત સભ્યો હતા, એક ડૉ. પી. જી. સોલંકી અને બીજા ડો. બાબા સાહેબ આંબેડકર.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બ્રિટિશ સરકારે ભારતની સ્થિતિની સમીક્ષા અને તેના બંધારણ માટે નિમેલું સાયમન કમીશન જ્યારે ભારત આવ્યું ત્યારે દલિતોના પ્રતિનિધિ તરીકે સર જોહન સાયમનનું ડૉ. પી. જી. સોલંકીએ મોલ સ્ટેશને સ્વાગત કરેલું અને 23-10-1927ના રોજ દલિતોની વ્યથા અંગે ડો. બાબા સાહેબ આંબેડકર સાથે કમીશન સમક્ષ સંયુક્ત રજૂઆત કરતા દલિતોને બોમ્બે વિધાન પરિષદમાં વસ્તીના ધોરણે 22 બેઠકોની જોગવાઇ સાથે દલિતોને કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓના અત્યાચારોથી રક્ષણ આપતા કાયદાની માંગ મૂકી 1984 ના એટ્રોસિટી એક્ટનું બીજ રોપેલું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત વર્ગો અને આદિમ જાતિઓના વિકાસ માટે એક સમિતિ નિમાવાનો પ્રસ્તાવ 08-08-1928 ના રોજ તેઓએ બોમ્બે વિધાન પરિષદમાં મૂક્યો જે સર્વાનુમતે સ્વીકારાતા એચ. બી. સ્ટાર્ટની અધ્યક્ષતામાં સમિતિ રચાઈ. આ સ્ટાર્ટ સમિતિએ બોમ્બે પ્રાંત(Bombay Province) માં પ્રવાસ કરી તે સમયની સામાજિક પરીસ્થિતિનો અભ્યાસ કર્યો અને તેના આધારે અંત્યજ વર્ગ(આજની અનુસૂચિત જાતિ - જનજાતિ અને અન્ય પછાત જાતિની ઓળખ) માટેના ધારા-ધોરણો નક્કી કર્યા તેમજ તેઓના ઉત્થાન માટે 1931માં The Bombay Presidency Backward Class Boardની રચના કરી અને દરેક જીલ્લામાં બેકવર્ડ ઓફિસરોની નિમણૂંક કરી. ડૉ. પી. જી. સોલંકીએ 1928માં અમદાવાદ ખાતે The Gujarat Depressed Class Associationની સ્થાપના કરી હતી જેના પ્રયત્નોથી દલિત વર્ગના બાળકોને અભ્યાસ માટે અલગ આશ્રમ શાળા સ્થપાયેલ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુંબઇના હિંદુ-મુસ્લીમ તોફાનોમાં સુલેહ-શાંતિની કામગીરી માટેની શાંતિ સમિતિમાં તેઓની નિમણૂંક થઇ જ્યાં તેઓની પ્રસંશનીય કામગીરી માટે જે. પી. જસ્ટીસ ઓફ પીસના ખિતાબ દ્વારા સન્માનિત કરવામાં આવેલ. પહેલી અને બીજી ગોળમેજી પરિષદમાં ડો. બાબા સાહેબ આંબેડકરની ઐતિહાસિક કામગીરીને બિરદાવતા અસંખ્ય સમારંભો બોમ્બે પ્રાંત (Bombay Province)માં થયા હતા જેમાં મોટા ભાગના સમાંરંભોનું અધ્યક્ષસ્થાન ડૉ. પી. જી. સોલંકીએ શોભાવેલ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1931-1937 દરમિયાન તેઓ બોમ્બે યુનિ.ના સેનેટર રહ્યા હતા. ગર્વનર સર ફ્રેડરિક દ્વારા 1931માં ફરી તેઓની બોમ્બે વિધાન પરિષદના સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી અને બોમ્બે રાજ્યની નાણાકીય સમિતિના સભ્ય પણ બનાવવામાં આવ્યા, જ્યાં તેઓ 1937 સુધી કાર્યરત રહેલ. 1932 માં લોર્ડ લુથીયને બોમ્બે પ્રાંત (Bombay Province)માં મતાધિકારની સમીક્ષા કરવા બોમ્બે ફ્રેન્ચાઇઝ સમિતિ નીમી. જેમાં Gujarat Depressed Class Association અને ડૉ.બાબાસાહેબ આંબેડકર દ્વારા સ્થાપિત બહિષ્કૃત હિતકારિણી સભા સહિત સમગ્ર દલિતોના પ્રતિનિધિ તરીકે તેઓને સભ્ય બનાવવામાં આવ્યા. તેજ અરસામાં ઉપવાસ પર ઉતરેલ ગાંધીજીને મનાવવા ડૉ. પી. જી. સોલંકી અને ડો. બાબાસાહેબ આંબેડકર પૂનાની યેરવડા જેલ ગયા અને જે સમાધાન થયું તેના પરિણામે 24-09-1932ના રોજ પૂના કરાર અસ્તિત્વમાં આવ્યો. ગાંધીજીએ Board of Harijan Sevak Sangh of Bombay Presidencyમાં ડૉ. પી. જી. સોલંકીની નિમણૂંક કરી જેના તેઓ આજીવન સભ્ય રહેલા. 1933-1935 દરમિયાન બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર તરીકે તેઓએ ઘણા પ્રસંશનિય કાર્યો કરેલા. 1938 માં બોમ્બે મ્યુનિસિપલ સ્કૂલ કમિટીના પ્રથમ દલિત ચેરમેન તરીકે નિમાયા. તેમના જ પ્રયત્નોથી 1938માં અનુસુચિત જાતિ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો અને વણકર અને અન્ય જ્ઞાતિઓને બીજી આદિવાસ-પછાત જાતિઓથી અલગ ઓળખ અપાવી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બોમ્બે વિધાન પરીષદના સભ્ય તરીકે ડૉ. પી. જી. સોલંકીની કામગીરીની પ્રસંશા કરતા ખુદ ડો. બાબાસાહેબ આંબેડકર થાકતા ન હતા! પત્ની રમાબાઇના 27-05-1935માં અવસાનના આઘાત અને જે દલિતમિત્રો માટે તેઓ લડી રહ્યા હતા તેઓની જ વિશ્વાસઘાતી રાજકારણ રમતોથી કંટાળી હતાશ થયેલ બાબા સાહેબ આંબેડકર જ્યારે બધું છોડી નિવૃત્ત થવા વિચારતા હતા ત્યારે ડૉ. પી. જી. સોલંકી જ તેમની પડખે ઉભા રહેલા અને એક સાચા મિત્ર તરીકે હિંમત અને સાંત્વના આપી તેઓને હતાશાના નર્કાગારમાંથી બહાર લાવેલ. દલિત સંગ્રામના આ યોધ્ધા 76 વર્ષની ઉમરે 09-04-1953ના રોજ અવસાન પામ્યા. ભારતના અન્ય રાજ્યો કરતા ગુજરાતના દલિતોની અને તેમાં પણ વણકર સમાજની આજે જે સારી પરિસ્થિતિ છે તે ડૉ. પી. જી. સોલંકીના આજીવન સેવાકાર્યોની દેન છે. તત્કાલિન બોમ્બે ઇલાકા(Bombay Province) અને હાલના દક્ષિણ ગુજરાતના દલિતોમાં શિક્ષણનો પ્રસાર કરવાનો શ્રેય ડૉ. પી. જી. સોલંકીને જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"1 जनवरी 1918 के कोरेगांव कार्यक्रम से यह महार भाई मेरे हर काम मे साथ खड़े है और में उसका आभारी हूं। आज में जो यह ऊंचाई पर हु वहा पहुंचाने में मेरे महार समाज का बड़ा हाथ है।" </span></p>
<ul>
<li style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓગસ્ટ ૧૯૪૩ માં મુંબઇ મહાર મંડળ દ્વારા કોલાબા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં ગુજરાતના માયાવંશી વણકર પુત્ર ડૉ. પીજી સોલંકીનો સન્માન કાર્યક્રમ હતો ત્યારે તેમનુ ભાષણ કંઈક આવું હતું. અહીં નોંધવા જેવી બાબત એ છે કે ડૉ. પીજી સોલંકીના સન્માન સમારોહમાં તેમની જ માયાવંશી જ્ઞાતિના લોકોએ કાળા વાવટા સાથે દેખાવો કરેલા અને આયોજકોએ પોલીસને બોલાવવી પડેલી.</span></li>
</ul>
<p><span style="color: rgb(224, 62, 45);"><em><strong><span style="font-size: 14pt;">(ડો. પી.જી. જ્યોતિકરના પુસ્તકમાંથી સાભાર)</span></strong></em></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચો</span><span style="font-size: 14pt;"> : </span><a href="https://khabarantar.com/If-I-keep-my-distance,-I-will-ruin-my-career-%E2%80%93-Prof.-Laxman-Yadav"><span style="font-size: 14pt;">ઉનસે અલગ રાય રખતા હું, ઈસલિયે મેરા કરિયર બરબાદ કર દિયા ગયા – પ્રો. લક્ષ્મણ યાદવ</span></a></strong></p>
<div class="post-text">
<div class="post-text">
<div class="post-text">
<div class="post-text">
<div class="post-text">
<div class="post-meta">
<div class="post-text">
<div class="post-text">
<div class="post-meta">
<div class="post-text">
<div class="post-meta"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"><strong>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </strong></span><strong><span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો</a></span></strong></div>
</div>
</div>
</div>
</div>
<div class="post-tags"></div>
</div>
</div>
<div class="post-tags"></div>
</div>
</div>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 10 Dec 2023 19:40:02 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 10 Dec 2023 20:44:47 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>185</Articleid>
                    <excerpt>20મી સદીના બીજા દાયકામાં બોમ્બે ઇલાકા (Bombay Province) માં મજલુમોની મુક્તિ માટે બે સિપેહસાલાર સંઘર્ષ કરી રહ્યા હતા. એક હતા દક્ષિણ ગુજરાતમાં માહ્યાવંશી તરીકે ઓળખાતા ડૉ. પુરુષોત્તમરાય ગોવિંદભાઇ સોલંકી અને બીજા મહારાષ્ટ્રના મહારવંશી ડો. બાબાસાહેબ આંબેડકર. આજે જેમની જન્મજયંતિ છે તેવા ડો. પી.જી. સોલંકી વિશે વાત કરીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_6575c664e84e8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_6575c664b4aa0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_6575c664b4aa0.jpg" length="73782" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ઘરઘાટી, ગૃહયોગી, હાઉસ હેલ્પર: ન ઉજળું નામ, વધુ કામ, કમ દામ</title>
                    <link>https://khabarantar.com/Gharghati,-Griha-Yogi,-House-Helper:-Not-bright-name,-more-work,-less-price</link>
                    <guid>https://khabarantar.com/Gharghati,-Griha-Yogi,-House-Helper:-Not-bright-name,-more-work,-less-price</guid>
                    <description>
                        <![CDATA[ દિવાળીના તહેવારો પૂર્વેની ઘરની સાફ-સફાઈ કામવાળા બહેન કે ભાઈ વિના શક્ય છે? જે રોજેરોજ આપણાં ઘરોને ઉજળા રાખે છે અને વારે-તહેવારે ચમકાવે છે એવા ઘરના અનિવાર્ય સભ્ય જેવા આ વર્ગને  સન્માનજનક નામથી આપણે સંબોધીએ છીએ ખરા? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિવાળીના તહેવારો પૂર્વેની ઘરની સાફ-સફાઈ કામવાળા બહેન કે ભાઈ વિના શક્ય છે? જે રોજેરોજ આપણાં ઘરોને ઉજળા રાખે છે અને વારે-તહેવારે ચમકાવે છે એવા ઘરના અનિવાર્ય સભ્ય જેવા આ વર્ગને  સન્માનજનક નામથી આપણે સંબોધીએ છીએ ખરા? પહેલા (અને કદાચ આજે  પણ) એ ઘરઘાટી, રામલો કે રામલી તરીકે ઓળખાતા. પછી રામો કે રામુ થયું, નોકર-નોકરાણી બન્યા, કામવાળા બહેન અને ભાઈ કહેવાયા, ક્યાંક દીદી તરીકે બોલાવાયાં, સાધન-સંપન્ન અને અંગ્રેજી જાણતો વર્ગ તેમને ડોમેસ્ટિક વર્કર, હોમ મેનેજર અને હવે હાઉસ હેલ્પર ગણાવે છે. વીસેક વરસથી  ગુજરાત સરકારે સરકારી કર્મચારીનું નામકરણ કર્મયોગી અને તમામ પ્રકારના મજૂર કે કામદારનું શ્રમયોગી કર્યું છે. એ જ તર્જ પર ઘરઘાટી કે કામવાળા માટે ગૃહયોગી કર્યાનું જાણ્યું નથી. ગરિમાપૂર્ણ નામ જરૂર હોવું જોઈએ પણ સાથે તેમના પ્રત્યેનું વર્તન અને મળતર પણ વાજબી હોવું જોઈએ. પરંતુ હજુ જેને સન્માનસૂચક નામ જ નસીબ નથી થયું તેના માટે આ બહુ દૂરની વાત આજે તો લાગે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શ્રમયોગી કે શ્રમયોગિની દેશનો બહુ મોટા અસંગઠિત શ્રમિક વર્ગ છે. ભારતના કામદાર વર્ગનો તે સૌથી વધુ ઉપેક્ષિત અને શોષિત હિસ્સો છે. તેના કામનું સ્થળ(વર્કપ્લેસ) કોઈકનું ઘર(પ્રાઈવેટ સ્પેસ) છે. એ કહેવાય તો છે ઘરકામમાં સહાયક પણ તેનો જોબચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ઘરના લગભગ સઘળાં કામો તેણે કરવાના હોય છે. કચરા-પોતાં, ઠામ-વાસણ, લુગડાં ધોવા, જમવાનું બનાવવું, બાળકો, વૃધ્ધો, અસહાય  અને બીમારની દેખભાળ, મેડમ અને સરના ઓફિસના અને ઘરના ટાઈમ સાચવવા, બાળકોને સ્કૂલે કે વાનમાં લેવા-મૂકવા જવાં, ઘરમાં નિયમિત ઝાપટ-ઝૂપટ કરવી, સંડાસ-બાથરૂમ ધોવા, બાબાભાઈ કે બેબીબહેનને ઉંઘાડવા-જગાડવા, તેમને દૂધ પાવું, ઘરની બીમાર વ્યક્તિને દવાખાને લઈ જવાય ત્યારે  સંભાળ માટે સાથે જવું, કપડાંને ઈસ્ત્રી કરવી, ઘરની ચોકીદારી અને બાગકામ જેવા કંઈક કામો તેણે કરવાના હોય છે. આ કામો જોતાં ભારતના ધનાઢ્યથી માંડીને મધ્યમવર્ગીય જીવનમાં ઘરનોકરની પાયાની ભૂમિકા છે. શહેરીકરણમાં વૃધ્ધિ, સંયુક્ત પરિવારોનું તૂટવું અને પતિ-પત્ની બંનેનું કમાવું- જેવા કારણોથી પણ કામવાળાની અનિવાર્યતા વધી છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6572ac10ac044.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પહેલાના સમયમાં ઘરના કામો શ્રમદોહનના સામંતી ઢાંચામાં જુદા ગણાતા નહોતા. સામંતી શોષણ સામે સંઘર્ષ પછી તે જુદાં પડ્યાં. શાયદ એટલે જ ૧૯૩૧માં ૨૭ લાખ કામવાળા(મુખ્યત્વે પુરુષો)  ૧૯૭૧માં ઘટીને ૬૭ હજાર થઈ ગયા હતા. જોકે ભારતે નવી અર્થનીતિ અપનાવી એટલે વૈશ્વિકીકરણના વાયરે ૧૯૯૧માં એ ૧૦ લાખ( ૭૫ ટકા મહિલાઓ) થયાં હતા. આજે તેનો કોઈ ચોક્કસ આંકડો નથી પણ લાખો અને કરોડોનો હોવાનું કહેવાય છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થાના એક અનુમાન મુજબ ભારતમાં ૪૭ લાખ ઘરનોકરો  છે. જેમાં ૩૦ લાખ મહિલાઓ છે. ભારત સરકારના ઈ-શ્રમ પોર્ટલ પર ૮.૫૬ કરોડ નોંધાયેલા અસંગઠિત શ્રમિકો છે, જેના આઠથી દસ ટકા ઘરનોકરો છે. બેંગલુરૂમાં ૭૫ ટકા  કામવાળા દલિત અને માત્ર ૨ ટકા જ કથિત ઉચ્ચ વર્ણના છે. આખા દેશમાં પણ દલિત, આદિવાસી, પછાત અને ગરીબ મહિલાઓ જ આ કામ કરે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભલે સામંતી શોષણ ઘટ્યાનું કહેવાતું હોય દલિતોના લલાટે તો હજુ ય તે લખાયેલું છે. ભારતના ગામડાંઓમાં દલિત મહિલાઓને ગામના કથિત ઉચ્ચ વર્ણના લોકોના છાણવાસીદાથી માંડીને ઘરનું આંગણું, ઢોરની ગમાણ ચોખ્ખા રાખવાના અને માલ-ઢોરને ચારો-પાણી આપવાના કામો છાશ-રોટલાના બદલામાં કરવા પડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘરના કામો કરનારાઓમાં મહિલાઓ, સગીરવયની બાળકીઓ તથા પરપ્રાંતિય સ્થળાંતરિત કામદારો હોય છે. ગૃહયોગીઓની દિનચર્યા થકવી નાંખનારી અને ઘણી લાં...બી હોય છે. તેમના કામના કલાકો નિશ્ચિત હોતા નથી. ઘરમાલિકોનો તેમના પ્રત્યેનો વર્તાવ નકારાત્મક, શંકાળુ અને અપમાનજનક હોય છે. કામાવાળાઓ પરના અત્યાચારોના સમાચારો ઘણીવાર છાપાંના પાને ચઢે છે. તેમાં શારીરિક હિંસા, માનસિક ત્રાસ અને ભેદભાવ પણ છે. જે સંડાસ-બાથરૂમ તે સાફ કરે છે તેનો ઉપયોગ તે કરી શકતાં નથી. લિફ્ટનો ઉપયોગ પણ પ્રતિબંધિત હોય છે. ખાવાનું વાસી અને વધેલું-ઘટેલું આપવામાં આવે છે. સાજે-માંદે કે તહેવારોમાં જ રજા મળતી નથી એટલે અઠવાડિક રજાનો તો સવાલ જ નથી. લગભગ બધા જ કામો વાંકા વળીને કે લાંબો સમય ઉભાઉભા કરવાના હોય છે. ઘરમાં તેને ટી.વી જોવાની કે સોફા-ખુરશી-પલંગ પર બેસવાની મંજૂરી નથી. તેણે હંમેશા ભોંય પર જ  બેસવું પડે છે. તેના ખાવા-પીવાના વાસણો જુદા રાખવામાં આવે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘરકામ કરનારાઓમાં કેટલાક લિવ ઈન(પૂર્ણકાલીન) અને કેટલાકા લિવ આઉટ(અંશકાલીન) છે. ફુલટાઈમ કામવાળાને દિવસરાત ઘરમાલિક્ને ત્યાં જ રોકાઈને બધાં કામો કરવાના હોય છે. તેને ઘરના ગેરેજ, સ્ટોર રૂમ કે બીજે રહેવાનું મળે છે. જ્યારે પાર્ટટાઈમ કામ કરનારને કામના ચોક્કસ સમયે આવીને કામ નિપટાવવાનું હોય છે. આ પ્રકારના કામો તેઓ એક કરતાં વધુ ઘરે કરતાં હોય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહેવાતી હાઉસ હેલ્પના બદલામાં આ શ્રમિકોને મળતું મહેનતાણું તેમના કામના બદલામાં ઘણું ઓછું હોય છે. પાટનગર ગાંધીનગરમાં શ્રમિકોના યુનિયને કોઈ એક કામ(દા.ત. કચરા-પોતું, વાસણ, કપડાં)ના માસિક રૂ. ૯૦૦ ઠરાવ્યા છે. એટલે દિવસના રૂ.૩૦ થયાં. સવાર-સાંજ વાસણ માંજવાના હોય તો એક ટાઈમના ૧૫ રૂ. જ કહેવાય. દિલ્હી અને જયપુરના કામવાળા બહેનો પરનું એક અધ્યયન જણાવે છે કે ૬૮ ટકા મહિલાઓ મહિને રૂ. ૧૦ હજાર કરતાં ઓછું કમાય છે. ઘરકામ કરીને રૂ. ૨૦,૦૦૦થી વધુ કમાતી મહિલાઓ માત્ર ૧.૯ ટકા જ છે. ૨૦ ટકાને મહિને રૂ. ૫૦૦૦ થી ઓછા, ૪૬ ટકાને ૫ થી ૧૦,૦૦૦ અને ૬.૯ ટકાને ૧૫ થી ૨૦,૦૦૦ મળે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશના કાયદામાં ઘરકામને વ્યવસાય ગણવામાં આવ્યું નથી. એટલે કામવાળાને દેશમાં શ્રમિકનો દરજ્જો મળ્યો નથી. તેના અધિકારો, સલામતી અને કલ્યાણ માટે કોઈ કાયદો કે યોજના નથી. તેની ચોક્કસ સંખ્યા નક્કી થઈ નથી. હાલની સરકારે ૨૦૨૧માં દેશના ૭૪૨ જિલ્લામાં સર્વે હાથ ધર્યો હતો. પણ સર્વેના તારણો હજુ જાહેર થયા નથી. મહિલા, દલિત-આદિવાસી-પછાત અને ગરીબ હોવાનું ત્રણ પ્રકારનું શોષણ શ્રમયોગિની સહે છે. સરકાર અને સમાજની સંવેદનશીલતા કે પછી તેમના મજબૂત સંગઠનો અને આંદોલનો જ કદાચ તેમના દુ:ખો નિવારી શકે.</span><br><span style="font-size: 14pt; color: rgb(45, 194, 107);"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Rashtriya-Dalit-Adhikar-Manch-returned-to-the-owners-the-land-that-had-been-grabbed-by-the-headstrong-elements-for-25-years-in-Garhda."><span style="font-size: 14pt;"><strong>રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ગઢડામાં 25 વર્ષથી માથાભારે તત્વોએ પચાવી પાડેલી જમીન માલિકોને પરત અપાવી</strong></span></a></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો</span>.<a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"> અહીં ક્લિક કરો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(45, 194, 107);"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 08 Dec 2023 11:18:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>178</Articleid>
                    <excerpt>દિવાળીના તહેવારો પૂર્વેની ઘરની સાફ-સફાઈ કામવાળા બહેન કે ભાઈ વિના શક્ય છે? જે રોજેરોજ આપણાં ઘરોને ઉજળા રાખે છે અને વારે-તહેવારે ચમકાવે છે એવા ઘરના અનિવાર્ય સભ્ય જેવા આ વર્ગને  સન્માનજનક નામથી આપણે સંબોધીએ છીએ ખરા?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_6572acd8145ec.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_6572acd7d504d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_6572acd7d504d.jpg" length="90923" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>6th December Special: નિર્વાણ, પરિનિર્વાણ અને મહાપરિનિર્વાણમાં ફરક છે</title>
                    <link>https://khabarantar.com/6th-December-Special:-There-is-a-difference-between-Nirvana,-Parinirvana-and-Mahaparinirvana</link>
                    <guid>https://khabarantar.com/6th-December-Special:-There-is-a-difference-between-Nirvana,-Parinirvana-and-Mahaparinirvana</guid>
                    <description>
                        <![CDATA[ નિર્વાણ, પરિનિર્વાણ અને મહાપરિનિર્વાણ- સામાન્ય રીતે સમાન લાગતા આ શબ્દોમાં મૂળભૂત અંતર છે અને એમના બૌદ્ધ અર્થોમાં પણ અંતર છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">નિર્વાણ</span><span style="font-family: Segoe UI Historic;">, </span><span style="font-family: Shruti;">પરિનિર્વાણ અને મહાપરિનિર્વાણ</span><span style="font-family: Segoe UI Historic;">- </span>સામાન્ય રીતે સમાન લાગતા આ શબ્દોમાં મૂળભૂત અંતર છે અને એમના બૌદ્ધ અર્થોમાં પણ અંતર છે.</span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;">નિર્વાણનો બૌદ્ધ અર્થ એટલે મૃત્યુ નહીં પરંતુ જીવતેજીવ જ પ્રાપ્ત થતી અવસ્થા<span style="font-family: Segoe UI Historic;">, </span>જેમાં કાયા, વાચા અને મનના કર્મોના પ્રભાવનો નાશ કરી નવા કર્મસંસ્કાર નિર્માણ ન કરી<span style="font-family: Segoe UI Historic;">, </span>ફરીથી જન્મ ગ્રહણ કરવાના કારણને સમાપ્ત કરી કાર્યને સમાપ્ત કરી દેવું.</span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;">નિર્વાણ આ જીવનમાં જ જીવિત અવસ્થામાં જ પ્રાપ્ત થાય છે. એક વ્યક્તિ નિર્વાણ પ્રાપ્ત કરે ત્યારે એને સમ્યક સંબુદ્ધ (બુદ્ધ) કહેવાય છે<span style="font-family: Segoe UI Historic;">, </span>જ્યારે બીજો વ્યક્તિ નિર્વાણ પ્રાપ્ત કરે એને અરહત કહેવાય છે. </span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;">અહીં બન્ને વ્યક્તિએ જે અવસ્થા(નિર્વાણ) પ્રાપ્ત કરી છે એ બન્નેમાં એકદમ સમાન છે<span style="font-family: Segoe UI Historic;">, </span>પરંતુ પહેલા વ્યક્તિને એ અવસ્થાએ પહોંચતા સમ્યક સંબુદ્ધ એટલા માટે કહેવાય છે કે એણે જે અવસ્થા(નિર્વાણ) પ્રાપ્ત કરી છે એનો માર્ગ એણે જાતે જ શોધેલો છે<span style="font-family: Segoe UI Historic;">. </span>જ્યારે બીજા વ્યક્તિ જેને અરહત કહેવાય છે એણે સમ્યક સંબુદ્ધે શોધેલા માર્ગનું અનુસરણ કરીને (ઉપદેશ સાંભળીને અને તે મુજબ અનુસરણ કરીને) આ અવસ્થા પ્રાપ્ત કરી છે એટલે એ અરહત કહેવાય છે<span style="font-family: Segoe UI Historic;">, </span>(બુદ્ધ) નહીં. </span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;">પરિનિર્વાણનો બૌદ્ધ અર્થ છે નિર્વાણ પ્રાપ્ત અરહતોના શરીરનો નાશ. જેને લીધે એમના શારીરિક દુઃખોનો પણ નાશ પામે છે. અહીં એ પણ યાદ રાખવું કે માત્ર નિર્વાણ પ્રાપ્ત ભિક્ષુ/ભિક્ષુણીના મૃત્યુને જ પરિનિર્વાણ કહેવામાં આવે છે. અન્ય ભિક્ષુ/ભિક્ષુણીને નહીં.</span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;">મહાપરિનિર્વાણનો બૌદ્ધ અર્થ એટલે ભગવાન સમ્યક સંબુદ્ધનું મૃત્યુ. જેના કારણે એમના પણ શારીરિક દુઃખોનો નાશ પામે છે. બૌદ્ધ ધર્મમાં સમ્યક સંબુદ્ધનું સ્થાન સૌથી ઊંચું છે માટે એમન<span style="font-family: Shruti;">ી</span> નિર્વાણ પ્રાપ્ત કરવાની અવસ્થામાં એમને સમ્યક સંબુદ્ધ અને શરીરાંતને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે.</span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;">અહીં એ પણ યાદ રાખવા જેવું છે કે <span style="font-family: Segoe UI Historic;">‘</span>મહાપરિનિર્વાણ<span style="font-family: Segoe UI Historic;">’  </span>માત્રને માત્ર ભગવાન સમ્યક સંબુદ્ધ(બુદ્ધ)ના મૃત્યુને જ કહેવામાં આવે છે, અન્યોને નહીં. અરહત ભિક્ષુ/ભિક્ષુણી કે બોધિસત્વોના મૃત્યુને પણ નહીં.</span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;">બાબાસાહેબ જેવા મહાન બૌદ્ધ વિદ્વાને આ શબ્દોના અર્થને પોતાના અંગ્રેજી ગ્રંથ <span style="font-family: Shruti;">નંબર </span>૧૬(પાલિ-મરાઠી-અંગ્રેજી-હિન્દી-<wbr>ગુજરાતી શબ્દકોશ)માં સારી રીતે આપ્યા છે.</span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;">ઘણીવાર આપણે ભાવના અને લાગણીમાં વહી બૌદ્ધ શબ્દોનો અર્થ જાણ્યા વિના તેનો ગમે ત્યાં અને ગમે તે રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. જેના કારણે બૌદ્ધ સંસ્કૃતિ પુન<span style="font-family: Shruti;">ર્જીવિત</span> થવાને બદલે વધુ દૂષિત થતી જાય છે.</span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;">બાબાસાહેબ જેવા બોધિસત્વ(જેમના હ્રદયમાં કરોડો પીડિત, શોષિત, વંચિતને દુઃખમુક્ત કરવા માટેની કરુણા હતી) માટે મહાપરિનિર્વાણ શબ્દને સ્થાને <span style="font-family: Segoe UI Historic;">‘</span>મહાપ્રયાણ<span style="font-family: Segoe UI Historic;">’</span> શબ્દ વધુ યોગ્ય છે. બાબાસાહેબ પોતે બુદ્ધ નથી પરંતુ એમણે બુદ્ધને આદર્શ માની નમન કર્યું <span style="font-family: Shruti;">હતું</span> અને એમનું અનુસરણ કર્યું <span style="font-family: Shruti;">હતું</span><span style="font-family: Segoe UI Historic;">.</span> બાબાસાહેબનું પોતાનું લખાણ જ આ શબ્દની મહત્તા વિશે ઘણું બધું કહી જાય છે. </span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;">બૌદ્ધ ધર્મને લઈને બાબાસાહેબ આપણા માટે ઘણું સાહિત્ય નિર્માણ કરી ગયા છે. (એમને તો એવી પણ આશા હતી કે ભવિષ્યમાં ગુજરાતીઓ પણ પાલિ ભાષાનો અભ્યાસ કરશે<span style="font-family: Segoe UI Historic;">, </span>માટે એમણે એમના શબ્દકોશમાં બીજી ત્રણ ભાષાઓની સાથે ગુજરાતી ભાષાને પણ સામેલ કરી) હવે જરૂરત છે માત્ર એ સાહિત્યના અધ્યયનની.</span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;">નોંધ:- મહાપરિનિર્વાણ શબ્દના અર્થ માટે બાબાસાહેબ દ્વારા લિખિત અંગ્રેજી Volume No 16ના પાના નં 196નો ફોટો પણ <span style="font-family: Shruti;">અહીં </span>સામેલ કર્યો છે.</span></p>
<p><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti; color: rgb(224, 62, 45);">- <strong>પરેશ બૌદ્ધ</strong></span><strong> </strong><span style="font-family: Segoe UI Historic;">(</span><b><i><span style="font-family: Shruti;">લેખક બૌદ્ધ ધર્મના તલસ્પર્શી અભ્યાસુ છે</span></i></b><span style="font-family: Segoe UI Historic;">)</span></span><span style="font-size: 14pt;"><span style="font-family: Segoe UI Historic;"></span></span></p>
<p><span style="font-size: 14pt;"><span style="font-family: Segoe UI Historic;">આગળ વાંચોઃ </span><span style="color: rgb(224, 62, 45);"><a href="https://khabarantar.com/RSS-and-Ambedkar-are-polar-opposites-yet-why-Sangh-praises-Baba-Saheb" style="color: rgb(224, 62, 45);"><strong>RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?</strong></a></span></span></p>
<div class="post-meta"><strong><span style="color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span> </span>અહીં ક્લિક કરો</a></strong></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 06 Dec 2023 11:54:57 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 05 Dec 2023 20:43:22 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>172</Articleid>
                    <excerpt>નિર્વાણ, પરિનિર્વાણ અને મહાપરિનિર્વાણ- સામાન્ય રીતે સમાન લાગતા આ શબ્દોમાં મૂળભૂત અંતર છે અને એમના બૌદ્ધ અર્થોમાં પણ અંતર છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_656f3cd5b0e3c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_656f3cd5596ec.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_656f3cd5596ec.jpg" length="85139" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>Exclusive: ઉંમર અને ઊંચાઈને પણ સામાજિક ભેદ નડે છે!</title>
                    <link>https://khabarantar.com/Exclusive:-Age-and-height-also-make-social-distinctions</link>
                    <guid>https://khabarantar.com/Exclusive:-Age-and-height-also-make-social-distinctions</guid>
                    <description>
                        <![CDATA[ માણસની ઉંમર અને ઊંચાઈને તે કંઈ સામાજિક ભેદભાવ નડતો હશે? જો આ સવાલ તમારા મનમાં પણ પેદા થતો હોય તો વાંચો આ સંશોધન લેખ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">- ચંદુ મહેરિયા </span></strong></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">દેશમાં પ્રવર્તતા વિકરાળ સામાજિક-આર્થિક ભેદ ઘણીવાર જીવનના સાવ જ અકલ્પનીય લાગે તેવા ક્ષેત્રોમાં જોવા મળે છે. કોઈ વ્યક્તિની ઉંમર અને ઉંચાઈ તેની સામાજિક-આર્થિક સ્થિતિ મુજબની હોય છે તેવું માનવું અઘરું છે. પરંતુ સંશોધનો પરથી પુરવાર થયું છે કે ઉંમર અને ઉંચાઈને પણ ભેદ નડે છે. </span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદી મળી ત્યારે, ૧૯૪૭માં, ભારતીયોનું સરેરાશ આયુષ્ય માત્ર ૩૨ વરસ હતું. આજે તે બમણા કરતાં વધુ એટલે કે ૬૯.૭ વરસનું છે. પરંતુ તમામ ભારતીયોને માટે આ સાચું નથી. સમાજના છેવાડાના વર્ગો કે જેમના માટે આમેય જીવન દોહ્યલું છે તેમની આવરદા પણ ટૂંકી હોય છે. યુ.એન. વુમન રિપોર્ટ ૨૦૧૮માં સમાવિષ્ટ ‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ દલિત સ્ટડીઝ’ના ૨૦૧૩ના મહિલાઓ સંબંધી અભ્યાસ મુજબ કથિત ઉચ્ચ વર્ણની મહિલાઓ અને દલિત મહિલાઓની સરેરાશ ઉંમર વચ્ચે મોટો ફરક હોય છે. દલિત મહિલાઓ સમાજની કથિત ઉચ્ચ વર્ણીય મહિલાઓ કરતાં લગભગ સાડા ચૌદ વરસ વહેલી મરી જાય છે. કથિત સવર્ણ મહિલાઓનું સરેરાશ આયુષ્ય ૨૦૧૩માં ૫૪.૧. વરસ  હતું જ્યારે દલિત મહિલાઓનું ૩૯.૫ વરસ હતું! શા માટે દલિત મહિલાઓ ઓછું જીવે છે તેના કારણો જગજાહેર છે. કુપોષણ, દલિતથી અદકી દલિત હોવું, જીવનની જદ્દોજહદ અને સંઘર્ષોને કારણે તેમનું આયખું અન્ય મહિલાઓ કરતાં ટૂંકુ હોય છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">દલિત મહિલાઓ સહિત સમાજના દલિત, આદિવાસી, પછાત અને મુસ્લિમ જેવા  વંચિત સમુદાયની સરેરાશ આવરદા પણ કથિત ઉજળિયાત વર્ણ અને આર્થિક સમૃધ્ધ વર્ગ કરતાં ઓછી હોય છે. જાણીતા અર્થશાસ્ત્રી વાણીકાંત બરુઆના ૨૦૧૮માં પ્રકાશિત સંશોધન ‘કાસ્ટ, રિલિજિયન એન્ડ હેલ્થ આઉટકમ્સ ઈન ઈન્ડિયા, ૨૦૦૪-૧૪’માં ૨૦૦૪ થી ૨૦૧૪ વચ્ચેના ભારતીયોના મૃત્યુ સમયના સરેરાશ આયુષ્યનું અધ્યયન, નેશનલ સેમ્પલ સર્વે(૨૦૦૪-૨૦૧૪)ના આધારે કરવામાં આવ્યું છે. આ અધ્યયનના તારણો પ્રમાણે (૧)આદિવાસીઓ બહુ ઓછું જીવે છે. દેશમાં સૌથી ઓછું સરેરાશ આયુષ્ય આદિવાસીઓનું છે. (૨) આદિવાસી પછીના ક્રમે ઓછું આયુષ્ય દલિતોનું છે. (૩) આદિવાસી અને દલિત પછીના ક્રમનું સરેરાશ આયુષ્ય પછાત વર્ગના લોકોનું છે. અને (૪) કથિત ઉંચી જ્ઞાતિના લોકો દલિત-આદિવાસી-પછાત કરતાં વધુ જીવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> </span><br><span style="font-size: 14pt;">વંચિતો અને સમાજના ઉપલા વર્ણોના લોકોના આયુષ્ય વચ્ચે મોટું અંતર છે. ૨૦૧૪માં ભારતના આદિવાસીઓની મૃત્યુ સમયની ઉંમર ૪૩ વરસ, દલિતોની ૪૮ વરસ, પછાત મુસલમાનોની ૫૦ વરસ, પછાત બિનમુસ્લિમોની ૫૨ વરસ હતી. જ્યારે એ વરસે ઉપલા વર્ણના હિદુઓની ૬૦ વરસ અને બિનપછાત મુસલમાનોની ૪૯ વરસ હતી. ૨૦૦૪માં ઉપલા વર્ણના હિંદુઓ સરેરાશ ૫૫, બિનમુસ્લિમ પછાત ૪૯, પછાત મુસલમાન ૪૩, બિનપછાત મુસલમાન ૪૪, દલિતો ૪૨ અને આદિવાસીઓ ૪૫ વરસનું સરેરાશ આયુષ્ય ભોગવતા હતા. ૨૦૦૪માં ૪૨ વરસનું સૌથી ઓછું સરેરાશ આયુષ્ય ધરાવતા દલિતોના આયુષ્યમાં ૨૦૧૪માં ૬ વરસનો વધારો થઈને ૪૮નું થયું હતુ. પરંતુ  ૨૦૦૪માં ૪૫ વરસની આવરદા ધરાવતા આદિવાસીઓની જીવન રેખા ૨ વરસ ઘટીને ૪૩ થઈ ગઈ હતી! ૨૦૦૪ અને ૨૦૧૪ના સરેરાશ આયુષ્યમાં સર્વાધિક ૭ વરસની વૃધ્ધિ પછાત મુસલમાનોમાં જોવા મળી હતી. તેમની સરેરાશ ઉંમર આ દાયકામાં ૪૩ વરસથી વધીને ૫૦ વરસની થઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ભારત રાજ્યોનો સંઘ છે, પરંતુ તમામ રાજ્યોનો વિકાસ એકસરખો નથી. તેથી વિકસિત અને અવિકસિત રાજ્યોના લોકોનું સરેરાશ આયુષ્ય પણ એકસરખું નથી. અવિકસિત રાજ્યોના લોકો વિકસિત રાજ્યોના લોકો કરતાં સાત વરસ વહેલા મરે છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ ૨૦૧૫-૧૯ના ડેટા પરથી જણાય છે કે દેશમાં સૌથી વધુ સરેરાશ આયુષ્ય દિલ્હીના લોકોનું છે. દિલ્હીના પુરુષો સરેરાશ ૭૪.૩ વરસ અને સ્ત્રીઓ ૭૭.૫ વરસ જીવે છે. સૌથી ઓછું આયુષ્ય છત્તીસગઢના લોકોનું (પુરુષો ૬૫. ૩ અને સ્ત્રીઓ ૬૩.૭ વરસ) છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">વ્યક્તિની ઉંચાઈ જેનેટિક કન્ડીશન પર આધાર રાખે છે. પણ ભારતમાં સામાજિક-આર્થિક સ્થિતિ પણ વ્યક્તિની ઉંચાઈ પર અસર કરે છે. ઉંમરના પ્રમાણમાં ઓછી ઉંચાઈના, પાંચ વરસ કરતાં ઓછી વયના સૌથી વધુ બાળકો ભારતમાં છે. દુનિયાના ઓછી ઉંચાઈના કુલ બાળકોમાં એક તૃતીયાંશ બાળકોના હિસ્સા સાથે ભારત ઠીંગણા બાળકોનું ઘર ગણાય છે.  ભારતમાં જ્ઞાતિ અને સામાજિક-આર્થિક કારકોની બાળકોની ઉંચાઈ પર સારી-નરસી અસરો તપાસતા સંશોધન “ધી મિસિંગ પીસ ઑફ પઝલ: કાસ્ટ ડિસ્ક્રિમિનેશન એન્ડ સ્ટન્ટિંગ’ના તારણો ચોંકાવનારા છે. હાઈડેલબર્ગ યુનિવર્સિટી, જર્મનીના રાજેશ રામચન્દ્રન અને અશોકા યુનિવર્સિટી નવી દિલ્હીના અશ્વિની દેશપાંડેનો અભ્યાસ જણાવે છે કે દલિત બાળકો સામાજિક ભેદભાવનો સૌથી વધુ ભોગ બને છે. સામાજિક સમાનતા અને સામાજિક સલામતીની દ્રષ્ટિએ તેઓ સૌથી વધુ અસુરક્ષિત હોઈ તેમની ઉંચાઈ ઉપલાવર્ણના અન્ય બાળકોની તુલનામાં ઓછી જોવા મળે છે. દલિતો અને ઉપલા વર્ણના બાળકોની ઉંચાઈનો આ તફાવત આભડછેટ અને સામાજિક ભેદભાવના કારણે છે. દેશના જે જિલ્લાઓમાં અસ્પૃશ્યતાનું ચલણ વધારે છે તે જિલ્લાના દલિત બાળકોની ઉંચાઈ ઓછી રહી જવા પામે છે. જ્યારે જે જિલ્લાઓમાં આભડછેટ ઓછી છે તે જિલ્લાના બાળકો  પ્રમાણમાં સામાન્ય ઉંચાઈ ધરાવે છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ઉંચાઈના આ તફાવતનું કારણ આભડછેટ ઉપરાંત શૌચાલય સહિતની સ્વચ્છતાનો અભાવ, કુપોષણ, માતાનું ઓછું શિક્ષણ, પરિવારનું મોટું કદ અને નબળી આર્થિક સ્થિતિના કારણે છે. અભ્યાસ હેઠળના દલિત માતા સરેરાશ ૫.૨૬ વરસ અને અન્ય માતા સરેરાશ ૯.૪૭ વરસ શાળા શિક્ષણમાં  ગાળતા જોવા મળ્યા છે. કથિત અવર્ણ માતાઓનો સાક્ષરતા દર ૫૧ ટકા જેટલો નીચો અને સવર્ણ માતાઓનો સાક્ષરતા દર ૮૩ ટકા જેટલો ઉંચો છે. તેની અસર બાળકોના લાલનપાલન પર પડે છે. સામાજિક પરિવેશમાં ફરક પણ આ ઉંચાઈના તફાવતના મૂળમાં રહેલો છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ઉંમર અને ઉંચાઈની બાબતમાં જોવા મળતા તફાવતનું સામાન્યીકરણ કરવાની જરૂર નથી. વંચિત વર્ગના બાળકોના ઠીંગણાપણાના અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે તેમ જ્યાં આભડછેટનું આચરણ વધુ છે ત્યાં સામાજિક અસલામતીથી દલિત બાળકોનું કદ ઓછું છે પણ તેમના પ્રત્યે આભડછેટ આચરનારા વર્ગના બાળકોનું કદ કંઈ વધારે નથી. એ જ રીતે સામાજિક-આર્થિક વંચિત સમુદાયના બધાજ ભારતીયો ઓછું જીવે છે અને તેનાથી વિપરીત સ્થિતિના બધાજ લોકો હંમેશા લાંબુ જ જીવે છે તેવું નથી હોતું. સહિતો અને રહિતો વચ્ચેનો આ ભેદ દેશમાં કેવી ભયાવહ સામાજિક-આર્થિક અસમાનતા પ્રવર્તે છે અને તે કેવી કેવી અસરો જન્માવે છે તે દર્શાવીને સર્વસમાવેશી એવા સૌના વિકાસની જરૂરિયાત ચીંધે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<ul>
<li style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></li>
</ul>
<p><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને ડો. આંબેડકરના જીવનકાર્યના અભ્યાસુ છે.)</strong></span></p>
<p><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>આગળ વાંચોઃ </strong></span><a href="https://khabarantar.com/Exclusive:-Has-urbanization-weakened-the-caste-system"><span style="font-size: 14pt;"><strong>Exclusive: શું શહેરીકરણથી જ્ઞાતિ વ્યવસ્થા નબળી પડી છે?</strong></span></a></p>
<div class="post-text">
<div class="post-meta">
<div class="post-text">
<div class="post-summary">
<div class="post-text">
<div class="post-text">
<p><span><strong>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.  </strong></span><span><strong><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></strong></span></p>
</div>
</div>
<div class="post-tags"></div>
</div>
<p></p>
</div>
<div class="post-tags"></div>
</div>
<p></p>
</div>
<div class="post-tags"></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 29 Nov 2023 09:59:16 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>160</Articleid>
                    <excerpt>માણસની ઉંમર અને ઊંચાઈને તે કંઈ સામાજિક ભેદભાવ નડતો હશે? જો આ સવાલ તમારા મનમાં પણ પેદા થતો હોય તો વાંચો આ સંશોધન લેખ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_65662492e698b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_65662492acd1c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_65662492acd1c.jpg" length="135140" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>બંધારણ દિવસ વિશેષઃ જાણો ભારતનું બંધારણ આપણને ક્યા મૂળભૂત અધિકારો આપે છે</title>
                    <link>https://khabarantar.com/Constitution-Day-Special:-Know-what-fundamental-rights-the-Constitution-of-India-gives-us</link>
                    <guid>https://khabarantar.com/Constitution-Day-Special:-Know-what-fundamental-rights-the-Constitution-of-India-gives-us</guid>
                    <description>
                        <![CDATA[ આજે બંધારણ દિવસ છે ત્યારે ચાલો જાણીએ ભારતીય બંધારણની એ વિશેષ કલમો વિશે જે એક નાગરિક તરીકે આપણને ચોક્કસ મૂળભૂત અધિકારો આપે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">શરીરનું બંધારણ જેટલું મજબુત હોય તેટલું શરીર સ્વસ્થ અને આરોગ્યવાળું હોય. આજ બાબત સમાજ, કુટુંબ તથા દેશને લાગુ પડે છે. </span><span style="font-size: 14pt;">૧૫ ઓગસ્ટ ૧૯૪૭માં ભારત અંગ્રેજોની 200 કરતા વધુ વર્ષની ગુલામીમાંથી આઝાદ થયો ત્યારે આ પ્રશ્ન આપણી સામે આવીને ઉભો હતો. શું ખરેખર ભારત દેશ આઝાદ થયો છે? જે દેશમાં ૫૦ ટકા વસ્તી ભૂખે મરતી હોય, જે દેશમાં પૈસા માટે મોટા પ્રમાણમાં સ્ત્રીઓને સળગાવવામાં આવતી હોય, જે દેશમાં આદિવાસીઓને માણસ જ ગણવામાં ન  આવતા હોય, જે દેશમાં બેકારી અને ભૂખમરાને કારણે લાખો બાળકોણે ભણવાને બદલે મજૂરી કરવી પડતી હોય તે દેશ ખરેખર આઝાદ કહેવાય?</span></strong></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આઝાદી બાદ દેશને ચલાવવા માટે બંધારણની રચના કરવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી. જેમાં કુલ ૩૮૯ સભ્યો અને જુદી જુદી સાત સમિતિઓ હતી. બંધારણને અંતિમ સ્વરૂપ આપવા માટે ડો. બાબા સાહેબ આંબેડકર, જેઓ બંધારણ ઘડવાની મુસદ્દા સમિતિના પ્રમુખ હતા, તેમની સામે આ મોટો પડકાર હતો. બંધારણ એક મોટું સાધન તેમને લાગ્યું જેનાથી સામાજિક, શૈક્ષણિક રીતે પછાત વર્ગના તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના  નાગરિકોને  સામાજિક ન્યાય આપી શકાય, કારણ દેશ કઈ નીતિથી ચાલશે, નાગરિકોને શું અધિકાર હશે તે બાબતો, અસમાનતાઓને નજર સામે રાખી બંધારણ ઘડવાનું શરૂ કર્યું. અમેરિકા, બ્રિટન, કેનેડા જેવા દેશોના બંધારણની સારી બાબતો તેમણે સ્વીકારી. 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભા દ્વારા બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો. ત્યારથી આ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. </span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મુસદ્દા સમિતિ (ડ્રાફટીંગ કમિટી)</span></strong></span><br><span style="font-size: 14pt;">૧. ચેરમેન: ડો. ભીમરાવ આંબેડકર </span><br><span style="font-size: 14pt;">સભ્યો: ૧. શ્રી એન. ગોપાલ સ્વામી આયંગર, ૨. શ્રી કે. એમ. મુનશી, ૩. શ્રી સૈયદ મોહંમદ સાદુલ્લાહ, ૪. શ્રી ડી.પી.ખેતાન(૧૯૪૮ માં મૃત્યુ બાદ ટી.ટી. ક્રિશ્નનામાંચારી નિમાયા),  ૫. શ્રી બી.એલ.મિતર (તેમના સ્થાને એન. માધવરાયની  નિમણુંક કરવામાં આવી હતી). </span><span style="font-size: 14pt;">બંધારણ ઘડતા કુલ બે વર્ષ ૧૧ માસ અને ૧૮ દિવસ લાગ્યા હતા જેમાં અંદાજીત ખર્ચ ૬૪ લાખ રૂપિયા થયો હતો. </span><br><span style="font-size: 14pt;">તા.૨૬-૧-૧૯૫૦થી બંધારણનો અમલ શરૂ થયો. બાબા સાહેબે કહ્યું હતું કે, ખરેખર દેશમાં જો સામાજિક, આર્થિક સમાનતા ન આવે તો બંધારણના કાગળો ઉપર લખેલી સમાનતાનો કોઈ અર્થ નથી. આપણે એટલું ધ્યાનમાં રાખીએ કે જો આપણે તેનો વ્યવસ્થિત ઉપયોગ કરીએ તો સામાજિક ન્યાય અપાવવા માટે બંધારણ એક મજબૂત સાધન છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">બંધારણમાં સૌથી અગત્યની બાબતો મૂળભૂત અધિકારો છે. રાજ્યની તે જવાબદારી છે કે, નાગરિકોના મૂળભૂત અધિકારોનું તે રક્ષણ કરે. સામાજિક અન્યાયનો ભોગ બનનાર શાના આધારે ન્યાય માંગી શકે? બંધારણમાં લખેલ મૂળભૂત (જન્મે ત્યારથી જ) અધિકારના આધારે જ.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બંધારણમાં કુલ પાંચ પ્રકારના મૂળભૂત અધિકારો સમાવવામાં આવેલા છે.</span></strong></span><br><span style="font-size: 14pt;">     ૧. સમાનતાનો અધિકાર </span><br><span style="font-size: 14pt;">     ૨. સ્વતંત્રતાનો અધિકાર </span><br><span style="font-size: 14pt;">     ૩. વ્યક્તિનાં જીવનનો અધિકાર </span><br><span style="font-size: 14pt;">     ૪. શોષણ વિરુદ્ધનો અધિકાર </span><br><span style="font-size: 14pt;">     ૫. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આ અધિકારોની સરળ સમજૂતી મેળવીએ. </span><span style="font-size: 14pt;">કલમ ૧૪ થી ૧૮ માં સમાનતાને લગતા અધિકારો આપવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> </span><br><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">કલમ 14</span></strong> ભારતની સરહદની અંદર રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા આગળ સમાનતા અથવા કાયદાનું સરખું રક્ષણ આપવાની ના પાડી શકશે નહિ. આ કલમથી નીચે બાબતો સ્પષ્ટ થાય છે. </span><br><span style="font-size: 14pt;">૧. ભારતમાં દરેક વ્યક્તિને કાયદાનું સરખું રક્ષણ મેળવવાનો અધિકાર છે.</span><br><span style="font-size: 14pt;">૨. કાયદા આગળ બધા સમાન છે. </span><br><span style="font-size: 14pt;">૩. આ અધિકારનું રક્ષણ કરવાની જવાબદારી રાજ્યની છે. કાયદા આગળ બધા સરખા છે. પરંતુ સમાજમાં જો બધા સરખા ન હોય તો કાયદાનું સરખું રક્ષણ કેવી રીતે શક્ય છે? આથી રાજ્ય સરકાર કોઈ ખાસ પ્રદેશો માટે ખાસ કાયદો બનાવે અથવા અમુક માર્યાદિત વર્ગ માટે ખાસ કાયદો બનાવે તો તેનાથી આ કલમનો ભંગ થયો છે તેવું ગણાય નહિ. માત્ર એટલું જ જોવાનું કે સરકારનો નિર્ણય નીચે પ્રમાણે હોવો જોઈએ.</span><br><span style="font-size: 14pt;">તેણે કરેલ કાયદાનું વર્ગીકરણ વ્યાજબી હોવું જોઈએ.</span><br><span style="font-size: 14pt;">તે મનસ્વી ના હોવું જોઈએ.</span><br><span style="font-size: 14pt;">તે ગેરવ્યાજબી ના હોવું જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><br><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">કલમ 15ઃ ધર્મ, વંશ, જાતિ, જ્ઞાતિ, કે જન્મસ્થળને આધારે ભેદભાવ ઉપર પ્રતિબંધ:</span></strong></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">૧. રાજ્ય કોઈ નાગરિક સામે માત્ર તેના ધર્મ, વંશ, જ્ઞાતિ કે જન્મ સ્થળના આધારે ભેદભાવ રાખી શકશે નહી.</span><br><span style="font-size: 14pt;">૨.(અ) દુકાન, જાહેર રેસ્ટોરન્ટ, હોટેલો, જાહેર મનોરંજનના સ્થળે.</span><br><span style="font-size: 14pt;">   (બ) કૂવા, તળાવ, નાહવાના ઘાટ, રસ્તા, જાહેર સ્થળો, જે રાજ્યના નાણામાંથી સંપૂર્ણ અથવા ઓછા અંશે ચાલે છે અને જાહેર જનતા માટે ખુલ્લા મુકાયેલ છે. આ તમામના વપરાશ કરવા જતા માત્ર તે નાગરિક તેના ધર્મ, વંશ, જાતિ કે જન્મસ્થળને કારણે અડચણ, મુશ્કેલી શરતનો ભોગ નહી બને. આ કલમમાં સ્પષ્ટ છે કે, ભારત દેશનો કોઈ પણ નાગરિક જાહેર સ્થળોના ભોગવટાનો હક્ક ધરાવે છે. તેમાં ઉપર જણાવેલ કારણોથી પ્રતિબંધ કે ભેદભાવ લાદી શકાય નહી. </span><br><span style="font-size: 14pt;">૧. રાજ્ય સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ જોગવાઈઓ કરે તેને રોકી શકાય નહી.</span><br><span style="font-size: 14pt;">૨. રાજ્ય સામાજિક, શૈક્ષણિક રીતે પછાત વર્ગો તથા અનુસુચિત જાતિ તથા જનજાતિના નાગરિકોના ઉત્થાન માટે વિશેષ જોગવાઈઓ કરે, તો આ કલમ નીચે ભેદભાવનું કારણ ધરી અટકાવી શકાશે નહી. અહિયાં ધ્યાનમાં રાખવાનું કે ખાસ જોગવાઈઓથી નબળા વર્ગો પ્રત્યે રાજ્ય ભેદભાવ નથી કરતું પરંતુ નબળા વર્ગો અન્ય સમાજોની સરખામણીમાં આવી શકે તે જ હેતુથી ખાસ જોગવાઈઓ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કલમ 16 જાહેર નોકરીઓમાં સમાન તકો:</span></strong></span><br><span style="font-size: 14pt;">૧. રાજ્યની જાહેર નોકરીઓમાં દરેક નાગરિકને સરખી તક રહેશે.    </span><br><span style="font-size: 14pt;">૨. નાગરિકને માત્ર તેના ધર્મ, જાતિ, જ્ઞાતિ, વંશ, જન્મસ્થળ, કે રહેઠાણ માત્રને આધારે કોઈપણ નાગરિકને રાજ્યની જાહેર નોકરીઓમાં સરખી તક મેળવવામાં અયોગ્ય ઠેરવવામાં કે ભેદભાવ રાખવામાં નહી આવે. ઉપરોક્ત કલમમાં ઠેરવવામાં આવે છે કે આ કલમ રાજ્યની જાહેર નોકરીઓમાં લાગુ પડે છે. આ કલમમાં બે અપવાદ નીચે મુજબ છે.</span><br><span style="font-size: 14pt;">૧. લોકસભા અમુક જાતની નોકરીઓમાં જે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે સ્થાનિક અધિકારની હોય, તેમાં નોકરી ઈચ્છતી વ્યક્તિને જે તે ચોક્કસ જગ્યાએ રહેવું પડે તેવા કાયદા ઘડવાની સતા ધરાવે છે. </span><br><span style="font-size: 14pt;">૨. રાજ્ય સરકારને જો લાગે કે અમુક વર્ગોનું રાજ્યની નોકરીઓમાં પ્રમાણસર પ્રતિનિધિત્વ નથી તો આવા નબળા વર્ગો માટે નોકરીમાં અનામત રાખી શકશે.આ બે વસ્તુ હોવી જરૂરી છે.</span><br><span style="font-size: 14pt;">૧. આવો વર્ગ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોવો જોઈએ.</span><br><span style="font-size: 14pt;">૨. આ વર્ગોનું પ્રમાણસર પ્રતિનિધિત્વ નથી, તેવો રાજ્યનો અભિપ્રાય હોવો જોઈએ. </span></p>
<p style="text-align: justify;"><br><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">કલમ - 17 અસ્પૃશ્યતાની નાબુદી </span></strong><br><span style="font-size: 14pt;">અસ્પૃશ્યતાની નાબુદ કરવામાં આવી છે અને તેના પર પ્રતિબંધ છે. અસ્પૃશ્યતા પાળવી તે કાયદેસર સજાપાત્ર ગુન્હો બને છે. આ જ એક અધિકાર છે જેમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે. અસ્પૃશ્યતાના આચરણ અને અનુસુચિત જાતિ અને જનજાતિ પર કરાતા અત્યાચાર અત્યાચારો માટે અલગ ધારા ઘડી તેમને સજા પાત્ર બનાવાયા છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કલમ-18 ખિતાબોની નાબુદી</span></strong></span><br><span style="font-size: 14pt;">લશ્કરી અને શૈક્ષણિક કારકિર્દી સિવાયનો કોઈપણ ખિતાબ રાજ્ય આપી શકશે નહી. આવા કોઈ ખિતાબ વિદેશી સંસ્થાઓ પાસેથી સ્વીકારવા માટે જો વ્યક્તિ રાજ્યની નોકરીમાં હોય તો રાષ્ટ્રપતિની પરવાનગી લેવી પડે.</span></p>
<p style="text-align: justify;"><br><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">કલમ-19 સ્વતંત્રતાના અધિકારો</span></strong><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કલમ-19માં 6 પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવેલ છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">૧. વાણી અને અભિવ્યક્તિ સ્વતંત્રતાઃ</span><br><span style="font-size: 14pt;">દરેક નાગરીકને વાણી એટલે કે બોલવાનો અને પોતાના વિચારો જાહેરમાં રજૂ કરવાનો અધિકાર છે. આ અધિકારમાં સમાચાર પત્રોની સ્વતંત્રતાનો અધિકાર પણ આવી જાય છે.</span><br><span style="font-size: 14pt;">આ અધિકારમાં એક અપવાદ એ છે કે, રાજ્ય અન્ય વિદેશી રાજ્યો સાથે મૈત્રીભર્યા સંબંધો, જાહેર હિત, નીતિમત્તા, કોર્ટનો અનાદર, બદનક્ષી કે ગુનાને ઉત્તેજન વગેરે બાબતો ધ્યાનમાં રાખી નાગરિકના આ અધિકાર પર વ્યાજબી નિયંત્રણ લાદી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">૨. શાંતિપૂર્વક અને હથિયાર વગર ભેગા થવાનો અધિકાર: </span><br><span style="font-size: 14pt;">દરેક નાગરીકને જાહેરમાં કે ખાનગીમાં ભેગા થવાનો અધિકાર છે. સભા સરઘસો, રેલી, મોર્ચા, ધરણા, વગેરે કરવાનો અધિકાર આમાં આવી જાય છે. આ કલમમાં અપવાદ એ છે કે દેશની અખંડીતતા, જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં લઈને આ અધિકાર પર યોગ્ય નિયંત્રણ લાદી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">૩. સંગઠનો તથા યુનિયનો બનાવવાનો અધિકાર:</span><br><span style="font-size: 14pt;">આ કલમ હેઠળ સંગઠન બનાવવાનો અગત્યનો અધિકાર આપવામાં આવેલ છે. આ કલમમાં એક અપવાદ એ છે કે, દેશની અખંડીતતા, જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં લઈ યોગ્ય નિયંત્રણ લાદી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">૪. ભારતમાં કોઇપણ જગ્યાએ છૂટથી હરવા-ફરવાનો અધિકાર: </span><span style="font-size: 14pt;">કોઈપણ નાગરિક દેશમાં છૂટથી હરી-ફરી શકે છે. આ કલમ માટે અપવાદ એવો છે કે, જાહેર જનતા અનુસુચિત જનજાતિઓના હિતોના રક્ષણને ધ્યાનમાં લઇ રાજ્ય વ્યાજબી નિયંત્રણ લાદી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">૫. દેશમાં ગમે ત્યાં રહેવાનો તથા વસવાટ કરવાનો અધિકાર:</span><span style="font-size: 14pt;">કોઈપણ નાગરિક ગમે ત્યાં રહી શકી તથા વસવાટ બનાવી શકે છે. ઉપરના અપવાદો આ કલમને પણ લાગુ પડે છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">૬. કોઈ પણ ધંધો, ઉદ્યોગ કરવાનો તથા ચલાવવાનો અધિકાર: </span><span style="font-size: 14pt;">આ અધિકાર ભોગવવા બે બાબત જરૂરી છે.</span><br><span style="font-size: 14pt;">૧. ધંધા, નોકરી સાથે સંકળાયેલ વૈજ્ઞાનિક કે તાંત્રિક આવડત હોવી જોઈએ, દા.ત. ઓપરેશન ડોક્ટર જ કરી શકે. </span><br><span style="font-size: 14pt;">૨. જે ધંધા, ઉદ્યોગ રાજ્ય કે કેન્દ્ર સરકારના નિયંત્રણમાં હોય અને રાજ્ય અન્ય નાગરિકોને આ ધંધા, ઉદ્યોગ કરવા નિયંત્રણમાં મૂક્યા હોય, તે ધંધા, ઉદ્યોગ કરી શકાય નહી.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કલમ-20 વ્યક્તિ સ્વતંત્રતાના અધિકારો: </span></strong></span><br><span style="font-size: 14pt;">કલમ-20 થી 22 વચ્ચેના અધિકારો માત્ર નાગરિકોને નહીં પણ વ્યક્તિઓને મળે છે.</span><br><span style="font-size: 14pt;">૧. કોઈ પણ વ્યક્તિને તેના ગુના માટે જે સમયે ગુનો બન્યો હોય તે સમયે જે સમયે જે કાયદો અમલમાં હોય તેની નીચે જ સજા થઇ શકે.</span><br><span style="font-size: 14pt;">૨. ગુનામાં તે સમયે કાયદામાં જેટલી જોગવાઈઓ હોય તેટલીજ સજા થઇ શકે.</span><br><span style="font-size: 14pt;">૩. એક ગુના માટે એકથી વધારે વખત સજા ન થઇ શકે.</span><br><span style="font-size: 14pt;">૪. વ્યક્તિને પોતની સામે સાક્ષી આપવા ફરજ ના પાડી શકાય.પોલીસ દ્વારા વ્યક્તિની જુબાની અથવા પોલીસ તપાસ વગેરેથી એવું કહી શકાય કે પોતાની સામે જુબાની આપવાની ફરજ પડી છે. </span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કલમ-21 જીવન જીવવાનો અધિકાર: </span></strong></span><br><span style="font-size: 14pt;">કોઇપણ વ્યક્તિને કાયદા માન્ય રસ્તા સિવાય જીવવાનો અધિકાર નહી લઇ શકાય આ કલમ વ્યક્તિની સ્વતંત્રતામાં તે વ્યક્તિની મિલ્કત પણ આવી જાય છે. કાયદા માન્ય રસ્તાથી વ્યક્તિનો અધિકાર છિનવાયો હોય તો નીચે મુજબની બાબતો આપવી જોઈએ.</span><br><span style="font-size: 14pt;">૧. યોગ્ય કાયદો હોવો જોઈએ.</span><br><span style="font-size: 14pt;">૨. કાયદામાં કાર્યવાહીઓ ઉલ્લેખ હોવો જોઈએ.</span><br><span style="font-size: 14pt;">૩. કાર્યવાહી યોગ્ય, સાચી તથા ન્યાયપૂર્ણ હોવી જોઈએ.</span><br><span style="font-size: 14pt;">૪. કલમ-૧૪ અને કલમ -૧૯ની જોગવાઈઓને પણ ધ્યાનમાં લેવી જોઈએ.</span><br><span style="font-size: 14pt;">આ અધિકાર નાગરિક તેમન બિનનાગરિક વ્યક્તિઓને બંનેને અપાયો છે. </span><span style="font-size: 14pt;">તેમાં કારોબારી તંત્રીય તેમજ વિધાનતંત્રીય આપખુદ વર્તન/કૃત્ય સામે સક્ષણ મળે છે.</span><br><span style="font-size: 14pt;">‘જીવન’ જીવવાનો અધિકાર એટલે માત્ર શારીરિક અસ્તિત્વ એવો સંકુચિત અર્થ નથી. તેમાં માત્ર પ્રાણી જેવું જીવન નહિ પણ એક માણસના ગૌરવ સાથેનું જીવન એવો વ્યાપક અર્થ કરાયો છે. </span><br><span style="font-size: 14pt;">ન્યાયતંત્રે વખતોવખત અહીં વાપરેલા ‘જીવન’ શબ્દનું અતિ વ્યાપક અર્થઘટન કરી તેમાંથી સંખ્યાબંધ નવા અધિકારો ફલિત કર્યા છે. જેમ કે: આજીવિકા રળવી; શુદ્ધ હવા, પાણી, ખોરાક મેળવવો, પર્યાવરણ રક્ષણ; આરામ; આરોગ્ય; પ્રાથમિક સારવાર; જેલતંત્ર કે પોલીસતંત્ર કે અન્ય જાપ્તો ધરાવતાં તંત્રોના ક્રૂર અમાનવીય વ્યવહાર/વર્તન સામે રક્ષણ; શિક્ષણ; વેઠ/અસ્પૃશ્યતા સામે રક્ષણ; બાળમજૂરી સામે રક્ષણ; કૂપોષણ સામે રક્ષણ; એકાંત કારાવાસમાં ત્રાસ/યાતના સામે રક્ષણ; અધીઅક્ર ભંગ માટે નુકસાન વળતર મેળવવું વગેરે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કલમ-21(એ) - મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ:  </span></strong></span><br><span style="font-size: 14pt;">રાજ્ય દરેક ૬ થી ૧૪ વર્ષની ઉમરના તમામ બાળકોને ની;શુલ્ક અને ફરજિયાત શિક્ષણ પરું પાડશે. સંસદે બાળકોનો ની;શુલ્ક અને ફરજિયાત શિક્ષણનો અધિકાર ૨૦૦૯ નામનો કાયદો પસાર કરેલ છે અને તેનો અમલ તા. ૧ અપ્રિલ ૨૦૧૦ થી શરૂ થયેલ છે. </span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કલમ -22 ધરપકડ અને અટકાયત સામે રક્ષણ: </span></strong></span><br><span style="font-size: 14pt;">૧. વ્યક્તિની ધરપકડ પછી તરત જ તેને ધરપકડના કારણો જાણવા તથા વકીલ(તેની પસંદગીનો)ની સલાહ લેવાનો અધિકાર આપ્યા સિવાય અટકાયતમાં રાખી શકાશે નહી.</span><br><span style="font-size: 14pt;">૨. જે પણ વ્યક્તિની અટકાયત કે ધરપકડ થઇ હોય તેને ૨૪ કલાકની અંદર મેજીસ્ટ્રેટ રજૂ કરવો પડશે.</span><br><span style="font-size: 14pt;">૩. અપવાદ રૂપે દેશનો કોઈ દુશ્મન હોય અને પ્રીતીબંધક અટકાયત નીચે ધરપકડ થઇ હોય તેને ઉપરની જોગવાઈઓ લાગુ પડતી નથી.</span><br><span style="font-size: 14pt;">૪. પ્રતિબંધક અટકાયતમાં વ્યક્તિને ૩ મહિનાથી વધારે અટકાયતમાં રાખી શકાય નહી સિવાય કેઃ</span><br><span style="font-size: 14pt;"> ૧. હાઇકોર્ટના ન્યાયમૂર્તિની હાજરીવાળું સલાહકાર બોર્ડ વધારે અટકાયત માટે કારણો જણાવે.</span><br><span style="font-size: 14pt;">૨. જે તે કાયદામાં વધારેમાં વધારે જોગવાઈ હોય તેટલીજ અટકાયત થઇ શકે.</span><br><span style="font-size: 14pt;">૩. પ્રતિબંધક અટકાયત હેઠળ, અટકાયત વખતે વ્યક્તિને અટકાયતના કારણો જણાવવા પડે તથા કાયદાનું રક્ષણ મેળવવા તક આપવી પડે. પરંતુ લોકહીતણે ધ્યાનમાં લઇ રાજ્ય કારણો ના જણાવે તો પણ યોગ્ય ગણાશે.</span><br><span style="font-size: 14pt;">૪. પ્રતિબંધક અટકાયત નીચેના કાયદા હેઠળ થઇ શકે.</span><br><span style="font-size: 14pt;">૧. વિદેશી મુદ્રા નિયંત્રણ ધારો (કોફેપાસા)</span><br><span style="font-size: 14pt;">૨. જીવન જરૂરીયાતની ચીજોનો સંગ્રહનો કાયદો </span><br><span style="font-size: 14pt;">૩. રાષ્ટ્રીય સુરક્ષા ધારો (નાસા)</span><br><span style="font-size: 14pt;">૪. નશીલી દવાઓને લગતો કાયદો </span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કલમ -23 અને કલમ-24 માં શોષણ વિરોધી અધિકારો આપેલા છે.</span></strong></span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કલમ-23 </span></strong></span><br><span style="font-size: 14pt;">૧. જીવતા વ્યક્તિઓના વેપાર, વેઠ તથા આવી જાતના બળજબરીના કામો કરાવવા ઉપર પ્રતિબંધ છે અને તેના ભંગ બદલ સજા પાત્ર ગુન્હો બનશે.</span><br><span style="font-size: 14pt;">૨. પરંતુ જાહેર હેતુઓ માટે રાજ્ય ફરજીયાત સેવાઓ લઇ શકશે. પરંતુ તેમાં રાજ્ય, ધર્મ, જ્ઞાતિ, વંશ, જાતિ, વર્ગના કારણે ભેદભાવ રાખી શકશે નહી.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કલમ-24</span></strong></span><br><span style="font-size: 14pt;"> ૧૪ વર્ષથી નીચેના વયના બાળકોને કારખાના, ખાણ, અને જીવના જોખમ પેદા થાય તેવા કામોમાં રાખી શકાય નહી.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કલમ-25 ધર્મ સ્વાતંત્ર્ય અંગેના અધિકાર:</span></strong></span><br><span style="font-size: 14pt;">૧. જાહેર વ્યવસ્થા, નૈતિકતા તથા આરોગ્યને ધ્યાનમાં  લઇ બધી વ્યક્તિઓને પોતાના અંત:કરણ મુજબ ધર્મો પાળવાનો કે પ્રચાર કરવાનો અને અપનાવવાનો અધિકાર રહેશે.</span><br><span style="font-size: 14pt;">૨. કોઇપણ ધર્મ સાથે આર્થીક, નાણાકીય, રાજકીય કે સાંપ્રદાયિક પ્રવૃત્તિ જોડાયેલ હોય તો રાજ્ય તેના ઉપર નિયંત્રણ કે કાબુ રાખી શકે. આ ઉપરાંત હિંદુ ધર્મની સંસ્થાઓ બધા હિંદુ સંપ્રદાયો માટે સરકાર ખુલ્લા મૂકી શકશે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કલમ-26</span></strong></span><br><span style="font-size: 14pt;">જાહેર વ્યવસ્થા, નૈતિકતા તથા આરોગ્યને ધ્યાનમાં લઇ દરેક ધર્મની સંસ્થા તથા સંપ્રદાયોને નીચે મુજબના અધિકાર રહેશે.</span><br><span style="font-size: 14pt;">૧. ધાર્મિક તથા સાર્વજનિક હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવી તથા ચલાવવી.</span><br><span style="font-size: 14pt;">૨. ધર્મની બાબતમાં જાતે સંચાલન કરવું.</span><br><span style="font-size: 14pt;">૩. સ્થાથી તથા અસ્થાયી મિલ્કતોનો વહીવટ કરવો.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કલમ-27 </span></strong></span><br><span style="font-size: 14pt;">કોઇપણ ધાર્મિક સંપ્રદાયના ઉત્કર્ષ તથા દેખરેખ માટે ઉભા કરાતાં નાનામાં કોઈને દાન આપવાની ફરજ પાડી શકશે નહી.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કલમ-28</span></strong></span><br><span style="font-size: 14pt;">રાજ્યના ભંડોળમાંથી થોડા અથવા સંપૂર્ણ નાણાં મેળવતી શૈક્ષણિક સંસ્થાઓમાં ધર્મનું શિક્ષણ આપી શકાશે નહિ. પરંતુ કોઈ ટ્રસ્ટ હેઠળ સ્થપાયેલી સંસ્થા તેમાં ધાર્મિક જ્ઞાન જરૂરી હોય અને રાજ્યના વહીવટથી ચાલતી હોય તો ઉપરની જોગવાઈઓ લાગુ ન પડે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કલમ- 29 સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો તથા લઘુમતીના અધિકારો:</span></strong></span><br><span style="font-size: 14pt;">૧. દેશના કોઈ ભાગમાં નાગરિકોનું જૂથ રહેતું હોય તેઓને તેમની પોતાની ભાષા,લીપી, અથવા સંસ્કૃતિ અલગ હોય તો તેની જાળવણી કરવાનો તેમને અધિકાર છે.</span><br><span style="font-size: 14pt;">૨. રાજ્યના ભંડોળમાંથી થોડા કે સંપૂર્ણ નાણા મેળવતી શૈક્ષણિક સંસ્થામાં કોઇપણ વ્યક્તિને માત્ર ધર્મ, વંશ, જ્ઞાતિ, ભાષાને આધારે પ્રવેશ આપવાની ના પાડી શકાશે નહી.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કલમ-30 </span></strong></span><br><span style="font-size: 14pt;">બધી જ લઘુમતીઓને, પછી તે ધાર્મિક હોય કે ભાષાકીય પસંદગીથી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો તથા ચલાવવાનો અધિકાર રહેશે. </span><br><span style="font-size: 14pt;">જે તે કાયદા નીચે આવી સંસ્થાઓની મિલ્કતો સંપાદિત કરવી પડે તેમ હોય ત્યારે ઉપર જણાવ્યા મુજબનો અધિકાર છીનવાય ના જાય તેની દેખરેખ રાજ્યે રાખવી પડશે. રાજ્યના નાણા શૈક્ષણિક સંસ્થાઓને વહેંચતી વખતે, સંસ્થાઓ માત્ર ધાર્મિક અથવા ભાષાકીય લઘુમતીઓ છે, તેટલા જ કારણથી તેના પ્રત્યે ભેદભાવ રાખી શકાશે નહી.</span></p>
<p><br><em><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">-</span></strong></em><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"> કાતિલાલ પરમાર,</span></strong><em><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"> (</span></strong><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><span style="color: rgb(0, 0, 0);">લેખક નવસર્જન ટ્રસ્ટના કાર્યકર અને એટ્રોસિટી એક્ટ, ભારતીય બંધારણના અભ્યાસુ છે</span>)</span></strong></em><em><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"></span></strong></em></p>
<p><em><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"></span></strong></em></p>
<p><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આગળ વાંચોઃ </span><a href="https://khabarantar.com/Know,-enjoy,-understand-and-explain-Indian-Constitution"><span style="font-size: 14pt;">ભારતીય બંધારણઃ જાણો, માણો, સમજો અને સમજાવો</span></a></strong></p>
<p><span style="font-size: 12pt;"><strong>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.  <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 26 Nov 2023 08:23:45 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>152</Articleid>
                    <excerpt>આજે બંધારણ દિવસ છે ત્યારે ચાલો જાણીએ ભારતીય બંધારણની એ વિશેષ કલમો વિશે જે એક નાગરિક તરીકે આપણને ચોક્કસ મૂળભૂત અધિકારો આપે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_65622d47d6caa.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_65622d47a15a1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_65622d47a15a1.jpg" length="88724" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>24 નવેમ્બર 1930ના રોજ ‘જનતા’ અખબારનો પ્રથમ અંક પ્રકાશિત થયો હતો</title>
                    <link>https://khabarantar.com/The-first-issue-of-Janata-newspaper-was-published-on-24-November-1930</link>
                    <guid>https://khabarantar.com/The-first-issue-of-Janata-newspaper-was-published-on-24-November-1930</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">24 નવેમ્બર ઇતિહાસમાં આગવું સ્થાન છે. આજના જ દિવસે બાબાસાહેબ પ્રેરિત ‘જનતા’ સમાચારપત્રનો પહેલો અંક પ્રકાશિત થયો હતો. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ડો. બાબાસાહેબ આંબેડકર બ્રિટન ગયા તે પહેલા પોતાના સમાચાર તેમજ વિદેશમાં ગોળમેજીમાં થયેલી પ્રવૃત્તિ વિશે પ્રકાશ પાડવા અખબાર શરૂ કરવા માટે નિર્ધાર કર્યો હતો. પુના કરારની સચોટ માહિતી 'જનતા' અખબારનો અભ્યાસ કરવાથી સંશોધકને મળી રહે છે. ‘જનતા’ ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા શરૂ કરાયેલું પહેલું અખબાર હતું. તેનો પ્રથમ અંક 24 નવેમ્બર 1930ના રોજ પ્રકાશિત થયો હતો. તેના સંપાદક દેવરાવ વિષ્ણુ નાઈક હતા. પ્રકાશક અને વ્યવસ્થાપન ભાસ્કરરાવ રઘુનાથ કદરેકર સંભાળ્યું હતું. ‘જનતા’નું વાર્ષિક લવાજમ બે રૂપિયા દસ આના હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શરૂઆતમાં પાક્ષિક રહ્યાં બાદ 31મી ઓક્ટોબર ઈ.સ. 1930માં તે સાપ્તાહિક બન્યું.</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અખબારમાંથી ડૉ. બાબાસાહેબ આંબેડકરે તમામ તાકીદના મુદ્દાઓની ચર્ચા કરી અને લોકોના પત્રો, ખાસ કરીને વિલાયતથી તેમના દ્વારા મોકલવામાં આવેલા પત્રો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ અખબારના તંત્રીઓ સમયાંતરે બદલાતા રહ્યાં હતાં. જેમાં અનંતરાવ વિનાયક ચિત્રે, બાપુસાહેબ સહસ્ત્રબુદ્ધેએ જવાબદારી સુપેરે પાર પાડી હતી. નોંધવા જેવી બાબત એ છે કે સંપાદકો અને વ્યવસ્થાપકો સવર્ણ જ્ઞાતિના હતા. 4 ફેબ્રુઆરી ઈ.સ 1956માં 'જનતા'નું નામ બદલીને ‘પ્રબુદ્ધ ભારત’ કરવામાં આવ્યું હતું. જેનું લવાજમ રૂ. 7 હતું. પ્રથમ અંકના મથાળા ઉપર ‘જનતા’ સમાચાર પત્રનું નામ બદલી ‘પ્રબુદ્ધ ભારત’ રાખ્યું છે તેની નોંધ મૂકેલી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. બાબાસાહેબ આંબેડકરના તમામ અખબારો મરાઠી ભાષામાં પ્રકાશિત થતા હતા કારણ કે મરાઠી તે સમયની સામાન્ય ભાષા હતી. વળી બાબાસાહેબનું કાર્યક્ષેત્ર (કર્મભૂમિ) મહારાષ્ટ્ર હતું અને ત્યાંની સ્થાનિક ભાષા મરાઠી છે. બાબાસાહેબ અંગ્રેજી ભાષાના મહાન વિદ્વાન હતા પરંતુ તેઓ પ્રજાની નાડ પારખતા હતા. એટલે તેમના અખબારો મરાઠી ભાષામાં પ્રકાશિત કર્યા કારણ કે તે સમયે મહારાષ્ટ્રની દલિત જનતા બહુ શિક્ષિત નહોતી, તેઓ માત્ર મરાઠીમાં જ સમજી શકતા હતા. સમાજ સુધી સમાજની વેદના સાચી રીતે પહોંચી શકવા માટે માતૃભાષા જ સેતુ બનશે તે તેમને ખબર હતી. પરંતુ તે જ સમયે ગાંધીજી પોતાને દલિતોના હિતચિંતક તરીકે પ્રસ્થાપિત કરવા માટે અંગ્રેજી ભાષામાં તેમનું અખબાર 'હરિજન' પ્રકાશિત કરી રહ્યાં હતાં. સમસ્યા એ હતી કે તે સમયે દલિતોને શિક્ષણથી વંચિત રાખવામાં આવતા હતા, એટલે તેમના માટે અંગ્રેજી ભાષા સમજવી અઘરી હતી. આથી જ ‘જનતા’નું મહત્વ આપોઆપ વધી જાય છે.</span></p>
<ul style="text-align: justify;">
<li style="font-size: 14pt; font-weight: bold; color: rgb(224, 62, 45);"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અમિત પી. જ્યોતિકર (લેખક ડો. આંબેડકરના જીવનકાર્યના અભ્યાસુ છે.)</span></strong></span></li>
</ul>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો</span></strong> :<a href="https://khabarantar.com/Constitution-Day-will-be-held-in-the-Supreme-Court-premises.-7-feet-tall-statue-of-Babasaheb-Ambedkar"><span style="text-decoration: underline;"><strong>સુપ્રીમ કોર્ટ પરિસરમાં બંધારણ દિવસે લાગશે ડો. બાબાસાહેબ આંબેડકરની 7 ફૂટ ઊંચી પ્રતિમા</strong></span></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(45, 194, 107);"><strong>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="text-decoration: underline;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span style="font-size: 12pt; color: rgb(45, 194, 107); text-decoration: underline;"><strong>અહીં કલિક કરો:</strong></span></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 25 Nov 2023 11:28:44 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>150</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_65618cdf359c3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_65618cdef04ea.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_65618cdef04ea.jpg" length="62100" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>આજે દેશ પ્રેમનો પર્યાય મનાતી ક્રિકેટ ગુલામી કાળનું પ્રતીક કેમ કહેવાય છે?</title>
                    <link>https://khabarantar.com/Why-is-cricket,-which-today-is-synonymous-with-patriotism,-a-symbol-of-slavery</link>
                    <guid>https://khabarantar.com/Why-is-cricket,-which-today-is-synonymous-with-patriotism,-a-symbol-of-slavery</guid>
                    <description>
                        <![CDATA[ શા માટે ભારતમાં ક્રિકેટનો ઇતિહાસ એ ધાર્મિક, જ્ઞાતિય વર્ચસ્વ, શાસક વર્ગનું પ્રભુત્વ અને અંગ્રેજોની ચમચાગીરીનો દસ્તાવેજ છે? વાંચો આ લેખમાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં ક્રિકેટનો ઇતિહાસ એ ધાર્મિક, જ્ઞાતિય વર્ચસ્વ, શાસક વર્ગનું પ્રભુત્વ અને અંગ્રેજોની ચમચાગીરીનો દસ્તાવેજ છે, જે દેશના આભિજાત્ય વર્ગના આંતરિક સામાજિક અને ધાર્મિક વર્ચસ્વની લડાઈને આબેહૂબ બયાન કરે છે. સાથે જ આ રમત અંગ્રેજોને વહાલા થઈ વેપાર વધારવા માટેનું માધ્યમ પણ બની હતી. સંશોધકોએ આ દૃષ્ટિકોણથી પણ ક્રિકેટના ઇતિહાસને મૂલવવાની જરૂર છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202311/image_870x_655ee4f66bbfb.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં ક્રિકેટનો ઇતિહાસ ગુલામી કાળમાં પારસીઓના સામાજિક વર્ચસ્વની કહાનીથી શરૂ થાય છે. તેઓની અંગ્રેજો સાથેની દોસ્તીનો એ મદાર પણ ખરો. પારસીઓના રસ્તે હિંદુ, મુસ્લિમ અને અન્ય શાસક વર્ગનો આભિજાત્ય વર્ગ પણ આગળ વધે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની સત્તાવાર વેબસાઈટ મુજબ, ભારતમાં પહેલી ક્રિકેટ ક્લબ વર્ષ 1792માં શરૂ થઈ હતી. આ ક્લબનું નામ કલકત્તા ક્રિકેટ ક્લબ હતું, જે માત્ર યુરોપિયન માટે હતી. એ વખતે કોલકત્તા સિવાય ભારતના અન્ય ભાગોમાં તો કોઈએ ક્રિકેટ શબ્દ સાંભળ્યો ન હતો.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પારસીઓએ ક્રિકેટ રમવાનું કેમ પસંદ કર્યું હશે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુલામ ભારતમાં ક્રિકેટ રમનારો પહેલો સમુદાય પારસી હતો. તેમણે ક્રિકેટ રમવાનું કેમ પસંદ કર્યું? આ સવાલનો જવાબ ‘A Corner Of a Foreign Field’ નામની બુકમાં ઇતિહાસકાર રામચંદ્ર ગુહા લખે છે કે, "પારસી સમાજ એક મધ્યસ્થી સમુદાય હતો જેણે પોતાના વ્યાપારિક ફાયદા માટે અંગ્રેજોની સાથે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવ્યા. પારસીઓએ મુંબઈમાં વ્યાપારી અને કમિશન એજન્ટ તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી. પછી તેઓએ કાયદા અને વહીવટી તંત્રમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. પારસીઓએ અંગ્રેજોનો પરિવેશ, ભાષા અને સંગીત સહિત તમામ બાબતો અપનાવી અને તેના ભાગરૂપે તેમણે ક્રિકેટ પણ રમવાની શરૂઆત કરી. એ વખતે પારસીઓની સ્પર્ધા હિન્દુઓ અને મુસ્લિમોના ખાનદાની વર્ગ સાથે હતી અને ક્રિકેટ રમવાનું શરૂ કરીને પારસીઓ એમનાથી આગળ નીકળી ગયા. જોકે, પાછળથી હિન્દુ અને મુસ્લિમના આ કહેવતા ખાનદાની વર્ગ દ્વારા પણ ક્રિકેટ રમવાનું શરૂ કરવામાં આવ્યું હતું."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1850 થી 1860 દરમિયાન એકલા મુંબઈમાં પારસી સમુદાયે 30 જેટલી ક્રિકેટ ક્લબો શરૂ કરી અને તેઓ ક્રિકેટ રમવા લાગ્યા. એ સમયના એક પ્રતિષ્ઠિત પારસી સોરાબજી શાપુરજીએ તો સર્વશ્રેષ્ઠ પારસી ટીમને ઈનામ આપવાની ઘોષણા પણ કરી. તો બીજી તરફ અન્ય એક પારસી પ્રતિષ્ઠિત એવા સર કોવાસાજી જહાંગીર પોર્ટ દ્વારા તે વખતના એક પારસી અખબાર ‘રાસ્તે ગોફતર’માં એક જાહેરાત આપવામાં આવી કે, "જે વ્યક્તિ અરજી કરશે તે દરેકને એક ક્રિકેટ કીટ આપશે."</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202311/image_870x_655ee50ebf0df.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બ્રિટિશ શાસન આવ્યા પછી 29 વર્ષે પહેલી વિદેશી ક્રિકેટ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે ભારતમાં ક્રિકેટની શરૂઆત થઈ ત્યારે દેશમાં 1857ના વિપ્લવની પૂર્વભૂમિકા બંધાઈ રહી હતી. ભારત અલગ અલગ દેશી રજવાડામાં વહેચાયેલું હતું અને મુઘલ સામ્રાજ્યનો સૂરજ આથમી ગયો હતો.એક કંપની ઇસ્ટ ઇન્ડીયા ભારત પર રાજ કરતી હતી પણ 1857ના વિપ્લવ બાદ ઇસ્ટ ઇન્ડીયા કંપનીને બદલે બ્રિટિશ ક્રાઉન ભારતની સત્તા પર બેસવાનું હતું. બ્રિટિશ ક્રાઉનના હાથમાં ભારતની સત્તા આવી પછી 29 વર્ષ બાદ પહેલી વિદેશી ક્રિકેટ થઈ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં પારસીઓની ક્રિકેટ ટીમે વર્ષ 1886થી 1888 દરમિયાન બ્રિટનમાં પ્રવાસ ખેડ્યો હતો અને તેઓ બ્રિટિશ ટીમ સાથે મેચ પણ રમ્યા હતા. આ પ્રવાસ ‘પારસી ટુર’ના નામે ઓળખાય છે. હવે વિચારો કે, એ વખતે પારસીઓની હેસિયત એટલી હતી કે, તેઓ પોતાના સમુદાયની ક્રિકેટ ટીમ લઈ વિદેશ પ્રવાસ કરી રહ્યા હતા. બીજી તરફ કથિત ઉચ્ચ વર્ગના હિંદુ અને મુસ્લિમની ક્રિકેટ ટીમો પણ બની ચૂકી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અંગ્રેજ પારસી હિંદુ મુસ્લિમ: ચતુષ્કોણીય મુકાબલા </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં ક્રિકેટની શરૂઆત 231 વર્ષ પહેલાં થઈ હતી પણ પહેલીવાર મુંબઈમાં પારસી ટીમ અને અંગ્રેજોની ટીમ વચ્ચે મુકાબલા થવા લાગ્યા પછી મુસ્લિમ અને હિન્દુઓની ટીમો પણ બની અને ચાર ટીમોનો ચતુષ્કોણીય ક્રિકેટ મુકાબલો વર્ષ 1906માં થયો. 117 વર્ષ પહેલાં ચાર ટીમો વચ્ચે સ્પર્ધા થઈ અને ક્રિકેટને વધુ દર્શકો પણ મળવા લાગ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વખતે ચાર ટીમો હતી. એક ટીમ પારસી સમુદાયની હતી, બીજી ટીમ હિંદુ સમુદાયની હતી અને ત્રીજી ટીમ મુસ્લિમ સમુદાયની હતી જ્યારે ચોથી ટીમ અંગ્રેજોની હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમયગાળામાં પારસી ટીમ, હિંદુ ટીમ કે મુસ્લિમ ટીમના સભ્યોની પસંદગી પણ તેના નામ પ્રમાણે તેમના સમુદાયમાં થતી હતી. મોટાભાગના કિસ્સામાં આ ટીમના સભ્યો ઉચ્ચ વર્ગનું પ્રતિનિધિત્વ કરતા હતા. જોકે, મુસ્લિમ અને હિંદુ ટીમોએ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું તો પારસીઓનો દબદબો ઘટવા લાગ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજાઓમાં પોલો બાદ ક્રિકેટ સૌથી વધુ લોકપ્રિય</span></strong></span><br><span style="font-size: 14pt;">વર્ષ 1932માં ભારતીય ટીમ પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી પણ તે વખતે આ ટીમમાં ફિરોઝ અને સોરાબજી નામના બે પારસી ખેલાડી હતા, જ્યારે બાકી મોટાભાગના ખેલાડીઓએ રાજા રજવાડાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ષ 1932માં ભારતની ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ પ્રવાસ કર્યો તે વખતે એક ટેસ્ટ મેચનું આયોજન થયું હતું તે વખતે પોરબંદરના મહારાજ કેપ્ટન હતા. જોકે, ભારતની આ ક્રિકેટ ટીમ બની તે પહેલાં તો રાજા મહારાજાઓમાં પોલો બાદ ક્રિકેટ સૌથી વધુ લોકપ્રિય રમત હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ, મહારાજા રણજીતસિંહ ઇંગ્લેન્ડ તરફથી 1896થી 1902 દરમિયાન 15 ટેસ્ટ મેચ રમ્યા. એમણે 45ની એવરેજથી 989 રન કર્યા હતા. 1933માં એમનું નિધન થયા બાદ તેમના નામે રણજી ટ્રોફી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ શરૂ થઈ હતી, આજે રણજી ટ્રોફીની મેચ થાય છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202311/image_870x_655ee52e169ed.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ, ક્રિકેટ ભારતમાં અંગ્રેજો લાવ્યા, તેમની સાથે મૈત્રીપૂર્ણ સંબધો ઊભા કરવા માટે પારસી સમુદાયે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું પછી પારસી સમુદાયની દરેક ક્ષેત્રમાં સ્પર્ધા હિંદુ અને મુસ્લિમના કથિત ભદ્ર સમાજ સાથે હતી તેઓ પણ અંગ્રેજોની સાથે સુમેળ ભર્યા સંબધો ઊભા કરી તેનો ફાયદો લેવા ક્રિકેટ રમવા લાગ્યા. રાજા મહારાજા પણ વેસ્ટર્ન કલ્ચર સાથે ક્રિકેટ તરફ આકર્ષાયા. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્કોલર પણ ક્રિકેટ રમવા લાગ્યા. ગુલામ ભારતમાં ક્રિકેટ પ્રભુત્વ ધરાવતા સમુદાયો અને શાસકો વચ્ચે બ્રીજ બની.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં આઝાદી બાદ ક્રિકેટ થોડી ડેમોક્રેટિક થવા તરફ આગળ વધી પણ હજુ એ મોટા શહેરોના અભિજાત્ય વર્ગથી બહાર આવી શકી નહિ. અપવાદ જોવા મળી શકે પણ એ વાત પણ સત્ય છે કે, છેવાડાના વર્ગ માટે ભારત જેવા દેશમાં ભારતની ક્રિકેટ ટીમ સુધી પહોંચવાનો રસ્તો આજે પણ સહેલો નથી.</span></p>
<p><br><span style="font-size: 14pt;">- <span style="color: rgb(224, 62, 45);"><strong>જિગ્નેશ પરમાર</strong></span> (<em><strong>લેખક Ahmedabad Mirrorના ચીફ રિપોર્ટર અને વિવિધ વિષયોના તલસ્પર્શી અભ્યાસુ છે.</strong></em>)</span><span style="font-size: 14pt;"></span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ </span></strong></span><span style="font-size: 14pt;"><a href="https://khabarantar.com/Launch-of-Bahujan-News-Portal:-It-is-imperative-to-have-our-own-voice"><span style="text-decoration: underline; color: rgb(53, 152, 219);"><strong>બહુજન ન્યૂઝ પોર્ટલનો શુભારંભ: નિતાંત આવશ્યક છે આપણા પોતાના અવાજનું હોવું</strong></span></a></span></p>
<div class="post-meta"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong><span></span></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 23 Nov 2023 09:00:00 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 23 Nov 2023 11:08:30 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>143</Articleid>
                    <excerpt>શા માટે ભારતમાં ક્રિકેટનો ઇતિહાસ એ ધાર્મિક, જ્ઞાતિય વર્ચસ્વ, શાસક વર્ગનું પ્રભુત્વ અને અંગ્રેજોની ચમચાગીરીનો દસ્તાવેજ છે? વાંચો આ લેખમાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_655ee4d575107.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_655ee4d52c006.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_655ee4d52c006.jpg" length="151001" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>Exclusive: શું શહેરીકરણથી જ્ઞાતિ વ્યવસ્થા નબળી પડી છે?</title>
                    <link>https://khabarantar.com/Exclusive:-Has-urbanization-weakened-the-caste-system</link>
                    <guid>https://khabarantar.com/Exclusive:-Has-urbanization-weakened-the-caste-system</guid>
                    <description>
                        <![CDATA[ લોકોમાં સામાન્ય છાપ એવી પડેલી છે કે શહેરીકરણથી જ્ઞાતિ વ્યવસ્થા નબળી પડે છે. જો કે, વાસ્તવિક ચિત્ર સાવ જુદું જ છે. વાંચો સિનિયર પત્રકાર, લેખક, રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયાનો Exclusive લેખ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">- ચંદુ મહેરિયા</span></strong></span><br><span style="font-size: 14pt;">ડો.બાબાસાહેબ આંબેડકર ભારતના ગામડાને સંકુચિતતા, અજ્ઞાન, કોમવાદ, સામંતશાહી અને જ્ઞાતિપ્રથાનું કેન્દ્ર માનતા હતા. તેથી તેમણે કથિત અસ્પૃશ્યોને ગામડા છોડી શહેરોમાં વસવા આહ્વાન કર્યું હતું. બાબાસાહેબના મતે જ્ઞાતિની નાબૂદીમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણ મહત્વનું કારક બની શકે છે. જ્ઞાતિ નિર્મૂલનની આ આંબેડકરી આશા આઝાદીના અમૃતકાળમાં વાસ્તવિકતાની સરાણે ચકાસવા જેવી છે. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ભારતનું ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે. ૨૦૦૧માં ૨૭.૮૧ ટકા, ૨૦૧૧માં ૩૦.૧૬ ટકા અને ૨૦૧૮માં ૩૩.૬ ટકા વસ્તી શહેરોમાં વસે છે. ૨૦૦૧માં દેશમાં ૫૧૬૧ શહેરો હતા જે ૨૦૧૧માં વધીને ૭૯૩૬ થયા છે. એક અંદાજ મુજબ આ દાયકાના અંતે દેશની 40 ટકા વસ્તી શહેરોમાં વસતી હશે. ૨૦૨૫ સુધીમાં તમિલનાડુની 60 ટકા તો ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ અને કર્ણાટકમાં 50 ટકા શહેરીકરણ થયું હશે. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">શહેરોમાં જ્ઞાતિનું સામંતી વાતાવરણ હોતું નથી. ગામડાની તુલનામાં શહેરમાં જ્ઞાતિગત ઓળખ પ્રચ્છન રહી શકે છે. સરકારી અને અન્ય નોકરીના સ્થળો, જાહેર પરિવહન, શાળા-કોલેજ, મોલ, થિયેટર અને મોટા જાહેર મંદિરો વગેરેમાં આભડછેટ પાળી શકાતી નથી. જ્ઞાતિગત ધંધાને બદલે કહેવાતા ઉજળા ધંધાની પણ તક મળી શકે છે. ગામડા કરતાં શહેરમાં નોકરી-ધંધાના સ્થળોએ જ્ઞાતિ ઓગળી જઈ શકે છે. આ બધા કારણોસર દલિતોનું ગામડાં છોડી શહેરોમાં વસવું આવશ્યક છે. શહેરો તેમને સારું શિક્ષણ અને રોજગાર તો મેળવી આપે છે, તેમની જ્ઞાતિગત ઓળખને ભૂંસી શકે છે. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ડો.આંબેડકરની સલાહ અને શહેરીકરણના આટલાં બધાં ફાયદા પછી દલિતોનું શહેરીકરણ મોટાપાયે થયું હોવું જોઈએ. પરંતુ હકીકતો કંઈક જુદી જ છે. રાજધાની દિલ્હીમાં શહેરની કુલ વસ્તીમાં ૧૫.૭૬ ટકા, પચરંગી મહાનગર મુંબઈમાં ૬.૪૬ ટકા, નાગપુરમાં ૧૯.૮ ટકા, ચેન્નઈમાં ૧૬.૭૮ ટકા, બેંગલુરુમાં ૧૧.૩૭ ટકા અને કોલકાતામાં ૫.૩૮ ટકા જ દલિતો આવી વસ્યા છે. દીર્ઘ ડાબેરી શાસન ધરાવતા પશ્ચિમ બંગાળમાં દલિતોની વસ્તી ૨૩  ટકા છે પરંતુ નવજાગરણ અને સમાજસુધારાના કેન્દ્ર કોલકાતામાં દલિત વસ્તી માંડ પાંચ ટકા જ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ </strong></span><a href="https://khabarantar.com/80-years-ago-Dr.-What-did-Ambedkar-say-about-Indian-media-and-what-is-its-condition-today"><span style="text-decoration: underline; color: rgb(53, 152, 219);"><strong>80 વર્ષ અગાઉ ડૉ. આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું અને આજે શું હાલત છે?</strong></span></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong></strong></span>ગુજરાતના પાંચ મોટા શહેરોમાંથી અમદાવાદની કુલ વસ્તીમાં ૧૦.૭ ટકા, વડોદરામાં ૬.૬૨ ટકા,રાજકોટમાં ૬.૫ ટકા,  ભાવનગરમાં ૬ ટકા  અને સુરતમાં ૨.૫ ટકા જ દલિતો છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યની કુલ વસ્તીમાં દલિતોનું પ્રમાણ ૬.૭૪ ટકા છે તેના કરતાં  વધુ પ્રમાણમાં દલિતો એકમાત્ર અમદાવાદમાં જ વસ્યા છે. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ભારતનું ભાગ્યે જ કોઈ એવું ગામ હશે કે જ્યાં દલિતોનો વસવાટ ગામથી અલગ ન હોય. તો શું શહેરોમાં દલિતો જ્ઞાતિભેદ વિના સૌની સાથે વસી શકે છે? જૂન ૨૦૧૮માં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બેંગ્લુરુએ પ્રકાશિત કરેલ ભારતના મેટ્રો સિટીઝમાં વસવાટ અને પાડોશ તરીકે દલિતો સાથે આચરાતો સામાજિક ભેદભાવ ગ્રામીણ ભારત કરતાં જરાય ઉતરતો નથી. નવીન ભારતી, દીપક મલગન અને અંદલીબ રહમાનનું સંશોધન જણાવે છે કે, “દેશના  સાત સૌથી મોટા શહેરોમાં વસવાટમાં સામાજિક-આર્થિક કરતાં જ્ઞાતિના આધારે વધારે ભેદ છે.” આ સંશોધકોના અભ્યાસનો આધાર ૨૦૧૧ની બ્લોકવાઈઝ થયેલી વસ્તી ગણતરી છે. અગાઉ વોર્ડવાર થતી વસ્તી ગણતરી કરતાં આ વસ્તીગણતરીમાં ઓછી વસતી આવરી લેવામાં આવતી હોઈ તેમાં કેટલી દલિત વસ્તી છે તે તારવવું વધુ સહેલું બન્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ગામડાની જેમ દેશના મહાનગરોમાં દલિતોની વસ્તી જુદી હોવાનું કે શહેરની બિનદલિત વસ્તીમાં બહુ ઓછા દલિત વસતા હોવાનું બ્લોકવાર વસ્તી ગણતરીના આંકડાઓ પરથી પુરવાર થયું છે. આઈઆઈએમ, બેંગલુરુ પ્રકાશિત અભ્યાસનું તારણ છે કે કોલકાતાના ૬૦ ટકા મહોલ્લાઓમાં એક પણ દલિત નથી. આઈટી ક્રાંતિ માટે સુખ્યાત દેશના આધુનિક શહેર બેંગલુરુની આધુનિક નવી વસાહતોમાં કોઈ દલિતનો વસવાટ શક્ય બન્યો નથી. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">શહેરોના સૌથી સલામત, સૌથી સ્વચ્છ, સૌથી મોંઘા, સૌથી સસ્તા, સૌથી પ્રદૂષિત એવા જે વિભિન્ન રેકિંગ થાય છે તે મુજબ દેશના સૌથી વધુ અલગ દલિત વસ્તીના શહેર તરીકેનો પ્રથમ ક્રમ ગુજરાતના રાજકોટના ફાળે જાય તેમ છે. ૮૭.૬ ટકા સાક્ષરતા ધરાવતા અને ૮૯.૯ ટકા હિંદુ વસ્તીના શહેર રાજકોટમાં ૮૬,૨૬૫ દલિતો વસે છે. પરંતુ રાજકોટ શહેરની ૮૦ ટકા વસ્તીમાં એકપણ દલિત વસતો નથી. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">દલિતોને શહેરી વસ્તીની બહાર વસાવવાનું સૌથી વધુ ચલણ ધરાવતા ગુજરાતમાં સૌરાષ્ટ્રના ઘણા શહેરોમાં દલિતોની અલગ વસ્તી બહારપુરા કે સામાકાંઠે તરીકે વસાવી છે. મિશ્ર વસવાટ અને તેને કારણે જ્ઞાતિનો નાશ શહેરોમાં થઈ શક્યો નથી. આર્થિક રીતે સક્ષમ દલિતો જ્યારે મકાનની ખરીદી માટે જાય છે ત્યારે શહેરોની કથિત સવર્ણ સોસાયટી કે ફ્લેટમાં તેમને જાકારો મળે છે. માલિક કે બિલ્ડર તેમને આડકતરી રીતે, સીધી રીતે કે ક્યારેક કાયદાની બીકે  ઠાવકાઈથી ના પાડે છે. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">એકલા અમદાવાદ શહેરમાં જેમાં માત્ર દલિતો જ વસતા હોય તેવી દલિતોની અલગ આશરે ચારસો હાઉસિંગ સોસાયટીઓ છે. દલિતોનું પોતાના જાતભાઈઓ સાથે અલગ વસવાનું કારણ ન તો તેમની પસંદગીનું છે કે ન તો દલિત અસ્મિતાની કોઈ સભાનતાથી છે. કથિત ઉજળિયાત હિંદુ સમાજના દુર્ભાવપૂર્ણ વલણનું તે પરિણામ છે. ગુજરાત અને ભારતના શહેરોમાં ગરીબ દલિતો અલગ ચાલીઓ-ઝૂંપડપટ્ટીઓમાં અને સંપન્ન દલિતો અલગ સોસાયટીઓ- ફ્લેટ્સમાં રહે છે. જાણે ‘ઘેટો’માં રહેવું અને જીવવું તે દુભાયેલા દલિતોની જ્ઞાતિ-ધર્મે સર્જેલી નિયતી છે. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">શહેરોમાં દલિતોને માત્ર વસવાટમાં જ નહીં શિક્ષણ અને વ્યવસાયમાં પણ જ્ઞાતિના કારણે ભેદભાવ સહન કરવા પડે છે. Social Attitude Research India, SARI ના ઉપક્રમે ૨૦૧૬માં થયેલ અને છઠ્ઠી જાન્યુઆરી ૨૦૧૮ના ‘ઈકોનોમિક એન્ડ પોલિટીકલ વિકલી”માં પ્રગટ સર્વેના તારણો મુજબ રાજસ્થાનના શહેરી વિસ્તારોમાં ૫૦ ટકા, ઉત્તરપ્રદેશના શહેરી વિસ્તારોમાં ૪૮ ટકા અને દિલ્હીના શહેરી વિસ્તારોમાં  ૩૯ ટકા લોકો આભડછેટનું સમર્થન કરે છે. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">અર્થશાસ્ત્રના અધ્યાપક અસદ ઈસ્લામ અને અન્યએ ૨૦૧૭માં ઉત્તરપ્રદેશના કાનપુર શહેરની મોબાઈલ સેવાના દર્દીઓ અને ડોકટરો વિશે સર્વેક્ષણ કર્યું હતું. કાનપુરના ચાળીસ સ્થળોએ મોબાઈલ આરોગ્ય સેવાના આ સર્વેમાં દર્દીને અપાયેલા વિકલ્પો પરથી જાણવા મળ્યું હતું કે ઉચ્ચ જ્ઞાતિની અટક ધરાવતા પણ ઓછો અનુભવ અને ઓછી નિષ્ણાત ડિગ્રી ધરાવતા ડોકટરની સરખામણીએ નીચલી જ્ઞાતિની અટકના વધુ અનુભવી અને નિષ્ણાત ડોકટરની દર્દીઓ ઓછી પસંદગી કરતા હતા. અર્થાત દર્દી માટે ડોકટરની ડિગ્રી, અનુભવ અને નિષ્ણાતપણું નહીં તેમની જ્ઞાતિ રોગના નિદાન અને સારવાર માટે મહત્વની હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ </strong></span><a href="https://khabarantar.com/RSS-and-Ambedkar-are-polar-opposites-yet-why-Sangh-praises-Baba-Saheb"><span style="text-decoration: underline; color: rgb(53, 152, 219);"><strong>RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?</strong></span></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતોને ડોકટર થયા પછી જ નહીં મેડિકલના શિક્ષણ દરમિયાન પણ ભેદભાવ સહેવા પડે છે. AIMS દિલ્હીમાં દલિત વિદ્યાર્થીઓ સાથે આચરાતા ભેદભાવ અને તેને કારણે તેમની આત્મહત્યા અંગે તપાસ કરવા યુજીસીના પૂર્વ ચેરપર્સન સુખદેવ થોરાટના વડપણ હેઠળ સરકારે સમિતિની રચના કરી હતી. થોરાટ સમિતિએ રાજધાનીની સૌથી મોટી હોસ્પિટલ અને તબીબી સંસ્થાનમાં દલિત વિદ્યાર્થીઓની કનડગત અને ભેદભાવ અંગે ચોંકાવનારા તારણો રજૂ કર્યા હતા. સમિતિના રિપોર્ટ મુજબ દલિત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં બિનદલિતને બદલે દલિત સાથે જ રહેવાની ફરજ પડે છે. ૮૫ ટકા દલિત વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે મેડિકલની પરીક્ષામાં સુપરવાઈઝર તેમને ઓછો સમય આપતા હતા, આંતરિક મૂલ્યાંકન પરીક્ષા વખતે ૭૬ ટકા દલિત વિદ્યાર્થીઓની જ્ઞાતિ જાણવા પરીક્ષક પ્રયત્ન કરતા હતા અને ૮૪ ટકા દલિત વિદ્યાર્થીઓને અન્યાય થતો હતો. થોરાટ સમિતિએ તેના અહેવાલમાં એવી ટિપ્પણી કરી હતી કે, “વિજ્ઞાનના નિયમો ભણનારા, વૈજ્ઞાનિક અભિગમ કેળવવાને બદલે વાસ્તવિક જીવનમાં જ્ઞાતિને પ્રાધાન્ય આપીને પોતાની જ્ઞાતિગત ઉચ્ચતા જાળવી રાખવા માગે છે”</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">દિલ્હી યુનિવર્સિટીના ૨૦૦૦ વિદ્યાર્થીઓના સર્વેના તારણમાં, ‘દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની પ્રકૃતિ અનામત વર્ગના વિદ્યાર્થીઓના બહિષ્કરણની હોવાનું’ નોંધી જણાવ્યું છે કે ,” એક કુલીન વિશ્વ વિદ્યાલયમાં શહેરી પૃષ્ઠભૂમિવાળા વિદ્યાર્થીઓ વચ્ચે મોટાપાયે જ્ઞાતિ આધારિત ભેદભાવ મોજૂદ છે.” રોહિત વેમુલાથી લઈને પાયલ તડવી સુધીની આત્મહત્યાઓ તેનું જ પરિણામ છે. ભારતની સાયન્સ, ટેકનોલોજી અને મેનેજમેન્ટની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવર્તતા સામાજિક ભેદભાવોએ પૂરવાર કર્યું છે કે વિજ્ઞાન, તકનિકી અને પ્રબંધનનું શિક્ષણ ગ્રહણ કરનારા પણ જ્ઞાતિ નિરપેક્ષ બની શક્યા નથી. દલિતોનો શહેરોમાં પણ જ્ઞાતિભેદથી પૂર્ણ છૂટકારો થઈ શકતો નથી. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">અમદાવાદ- મુંબઈની કાપડમિલો હોય કે કોલકાતાની શણની મિલો, દલિતો તેમાં પણ આભડછેટ અને જ્ઞાતિપ્રથાનો ભોગ બન્યા છે ડો. આંબેડકર સાચું જ કહે છે કે ‘જ્ઞાતિપ્રથા એ માત્ર શ્રમનું વિભાજન નથી શ્રમિકોનું વિભાજન છે.’ જોકે ગટરસફાઈ જેવું જ્ઞાતિગત અને જોખમી કામ શહેરોમાં પણ દલિતોના માથે જ મરાયું છે. ૨૬ થી ૩૦ માર્ચ ૨૦૨૨ના પાંચ જ દિવસોમાં લખનૌ અને રાયબરેલી(ઉ.પ્ર), બીકાનેર (રાજસ્થાન)  નૂહ(હરિયાણા) અને દિલ્હીમાં અનુક્રમે ૨, ૨, ૪, ૨ અને ૬ એમ કુલ ૧૬ દલિતોના ગટરમાં અંદર ઉતરી સફાઈ કરાવવાને કારણે મોત થયા હતા. શહેરોમાં વળી ક્યાં ભેદભાવ કે આભડછેટ જેવું કંઈ છે તેમ કહેનાર જ્ઞાતિગત ગટરસફાઈના કામ અને મોત અંગે મૌન રહે છે. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">વિશ્વ બેન્કના મતે ભારતમાં આડેધડ, અસ્તવ્યસ્ત અને અઘોષિત શહેરીકરણ થયું છે. નિયોજિત, સતત અને સમાવેશી શહેરીકરણ જ્ઞાતિવ્યવસ્થાને અટકાવી શકે છે. બહોળી વસ્તીને એક જ જગ્યાએ વસાવીને કે એક સાથે રાખીને માનવીય વ્યવસ્થામાં સુધારો લાવી શકાય છે. સમાજ પરિવર્તનમાં તે ઉત્કૃષ્ઠ ભૂમિકા ભજવી શકે છે ગાંધીનગર અને ચંદીગઢનો આ દ્રષ્ટિકોણથી અભ્યાસ કરતાં પણ નિરાશા જ સાંપડે છે. ગાંધીનગરમાં સરકારી અધિકારીઓ-કર્મચારીઓને સંપૂર્ણ કમ્પ્યૂટરાઈઝ ડ્રોથી વસવાટ માટેની જમીન ફાળવાઈ હોવા છતાં દલિતોને એક જથ્થે દૂરના કે અવિકસિત સેકટરોમાં જમીન ફાળવાય તેવું જ્ઞાતિગત ભેદ સિવાય કઈ રીતે શક્ય છે. કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ અને ગુજરાતનું પાટનગર ગાંધીનગર રહેઠાણ અને પાડોશની બાબતમાં સર્વસમાવેશી બની શક્યા નથી. એવું જ મહારાષ્ટ્રના લાતૂર અને ગુજરાતના કચ્છના ભૂકંપ પછીના જ્ઞાતિ આધારિત પુનર્વસનનું છે. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">૧૯૭૦માં રાષ્ટ્રીય અખબારોમાં દલિતોની લગ્ન વિષયક જાહેરાતોનું પ્રમાણ ૧.૫ ટકા હતું, તે ૨૦૧૦માં વધીને ૧૦ ટકા થયું છે. જ્યાં શહેરીકરણ વધુ છે તેવા રાજ્યોમાં આંતરજ્ઞાતિય લગ્નોનું પ્રમાણ વધારે છે અને શહેરી મધ્યમવર્ગમાં દલિતોનો પ્રવેશ અને પ્રભાવ શક્ય બન્યો છે તે સ્વીકારીને પણ કહેવું પડશે કે ભારતની જડ જ્ઞાતિપ્રથા આધુનિકીકરણ, શહેરીકરણ અને કુદરતી આફતને પણ ગાંઠ્યા વિના અકબંધ રહે છે. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ગાંધીજીએ કહ્યું હતું, “અંત્યજોનો પ્રશ્ન કોઈપણ  રીતે આ પેઢી દરમિયાન અથવા આવતી કેટલીક પેઢીઓ દરમિયાન નહીં પણ હમણા જ ઉકેલવાનો છે. નહીં તો તે કદી ઉકલવાનો નથી.” ગામડા કે નાના નગરોમાં જ નહીં મહાનગરોમાં પણ આઝાદીના પંચોતેર વરસો પછીની વર્ણગત વિભાજીતતાની વાસ્તવિકતા પછી પ્રશ્ન થાય છે કે શું ભારતમાંથી જ્ઞાતિ વ્યવસ્થા અને તેના બાહ્ય સ્વરૂપ જેવી અસ્પૃશ્યતા ક્યારેય  નાબૂદ થશે નહીં? વિનોબા કહેતા હતા તેમ, “જાતિ વો હે જો કભી જાતી નહીં” કાયમી સત્ય બની રહેશે?</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a> <em>(<span style="color: rgb(224, 62, 45);"><strong>લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને ડો. આંબેડકરના જીવનકાર્યના અભ્યાસુ છે.</strong></span>)</em></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ </strong></span><a href="https://khabarantar.com/The-government-spends-Rs.-51,000,-while-the-citizen-pays-only-Rs.-1815-spend" target="_blank" rel="noopener"><span style="text-decoration: underline; color: rgb(53, 152, 219);"><strong>સરકાર એક સાંસદના આરોગ્ય પાછળ વર્ષે રૂ. 51,000 ખર્ચે છે, જ્યારે નાગરિક પાછળ ફક્ત રૂ. 1815 ખર્ચે છે!</strong></span></a></span></p>
<div class="post-meta">
<div class="post-meta"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>બહુજન સમાજને લગતા તમામ મહત્વના સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</strong></span><strong></strong></span></div>
<div class="post-meta"></div>
<div class="post-meta"><span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><strong>ખબરઅંતર.કોમની વોટ્સએપ ચેનલને ફોલો કરવા માટે અહીં ક્લિક કરો.</strong></a></span></div>
<div class="post-meta"></div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 21 Nov 2023 11:20:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>137</Articleid>
                    <excerpt>લોકોમાં સામાન્ય છાપ એવી પડેલી છે કે શહેરીકરણથી જ્ઞાતિ વ્યવસ્થા નબળી પડે છે. જો કે, વાસ્તવિક ચિત્ર સાવ જુદું જ છે. વાંચો સિનિયર પત્રકાર, લેખક, રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયાનો Exclusive લેખ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_655ba0601e951.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_655ba05fc48ee.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_655ba05fc48ee.jpg" length="115740" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?</title>
                    <link>https://khabarantar.com/RSS-and-Ambedkar-are-polar-opposites-yet-why-Sangh-praises-Baba-Saheb</link>
                    <guid>https://khabarantar.com/RSS-and-Ambedkar-are-polar-opposites-yet-why-Sangh-praises-Baba-Saheb</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">આરએસએસ અને આંબેડકરની વિચારધારાઓ ભારતીય રાજનીતિના બે વિરોધી ધ્રુવ છે. જ્યારે આંબેડકર જાતિના નાશ, લોકતાંત્રિક મૂલ્યોની સ્થાપના અને સામાજિક ન્યાય તરફના પગલાંની તરફેણમાં હતા, આરએસએસ પૂર્વ-આધુનિક સમયના આધારે યથાસ્થિતિ જાળવી રાખવા અને મૂલ્યોના પુનરુત્થાનની હિમાયત કરે છે. આ એક વિડંબના છે કે વૈચારિક સ્તરે આંબેડકરના કટ્ટર વિરોધીઓ હોવા છતાં, આરએસએસના નેતાઓ આંબેડકરનું કેટલું સન્માન કરે છે તે દર્શાવતા ક્યારેય થાકતા નથી. તેઓ આંબેડકરનો જન્મદિવસ ઉજવે છે અને તેમની પુણ્યતિથિ પર કાર્યક્રમોનું પણ આયોજન કરે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આશ્ચર્યની વાત નથી કે, તેમના વાર્ષિક વિજયાદશમી પ્રબોધનમાં (24 ઓક્ટોબર, 2023), RSSના વડા મોહન ભાગવતે તેમના અનુયાયીઓને આંબેડકરના ભાષણો વાંચવા આહ્વાન કર્યું હતું, ખાસ કરીને બંધારણ સભામાં તેમના છેલ્લા બે ભાષણો. એટલું જ નહીં, ભાગવતે આંબેડકરની સરખામણી સંઘના સ્થાપક અને તેના પ્રથમ સરસંઘચાલક ડૉ. કે.બી. હેડગેવાર સાથે કરી નાખી. આરએસએસ સમર્થકો વૈચારિક રીતે આંબેડકરના સંઘર્ષ અને પ્રયત્નોનો “આપણા ભવ્ય ભૂતકાળ”ના નામે વિરોધ કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સત્ય એ છે કે આરએસએસનો જન્મ સામાજિક ન્યાયની માંગનો વિરોધ કરવા માટે થયો હતો. વિદર્ભના નાગપુર પ્રદેશમાં બિન-બ્રાહ્મણ ચળવળના ઉદયના પ્રતિભાવરૂપે, પ્રદેશના જમીનદાર-બ્રાહ્મણ ગઠબંધને આરએસએસની સ્થાપના કરી. મહારાષ્ટ્રમાં આ જોડાણને શેઠજી-ભટ્ટજી જોડાણ કહેવામાં આવે છે. દલિત જાગૃતિની શરૂઆત જોતિરાવ ફુલેથી થઈ, જેમણે દલિતોને શાળાઓમાં પ્રવેશ અપાવવા માટે સંઘર્ષ કર્યો. આંબેડકરે આ વર્ગમાં જાગૃતિ લાવવાનું કામ આગળ ધપાવ્યું. તેમણે 1920માં પોતાનું અખબાર 'મૂકનાયક' શરૂ કર્યું અને 1923માં બહુજન હિતકારિણી સભાની સ્થાપના કરી. આ બધાથી દલિતોનો આત્મવિશ્વાસ વધ્યો અને તેઓ પોતાના અધિકારો માટે જાગૃત થયા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંબેડકરે સામાજિક ન્યાયની સ્થાપના માટેના તેમના સંઘર્ષના ભાગરૂપે 1927માં દલિતો પાણીના સાર્વજનિક સ્રોત સુધી પહોંચી શકે એ માટે ચવદાર તળાવ ચળવળ અને તેમના મંદિરમાં પ્રવેશને સમર્થનમાં 1930માં કાલારામ મંદિર ચળવળનું નેતૃત્વ કર્યું. બાબાસાહેબના આ આંદોલનોને RSSએ સમર્થન આપ્યું હોવાના કોઈ પુરાવા નથી. જો કે, મહાત્મા ગાંધીએ જાતિના પ્રશ્નને ખૂબ જ ગંભીરતાથી લીધો અને 1932ના પૂના કરાર પછી દલિતોની સ્થિતિ સુધારવા માટે ઘણા વર્ષો સુધી સંઘર્ષ કર્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તે સમયે આરએસએસ હિન્દુ રાષ્ટ્રની વાત કરી રહ્યું હતું. સાવરકર આપણને ઉત્સાહપૂર્વક કહેતા હતા કે ભારતમાં બે રાષ્ટ્રો છે - હિન્દુ અને મુસ્લિમ. આંબેડકરે આરએસએસના હિન્દુ રાષ્ટ્રના સિદ્ધાંતની આકરી ટીકા કરી હતી. તેમણે લખ્યું, “તે વિચિત્ર લાગે પરંતુ સત્ય એ છે કે શ્રી સાવરકર અને શ્રી જિન્ના એક રાષ્ટ્ર વિરુદ્ધ બે રાષ્ટ્રોના મુદ્દે એકબીજાના વિરોધી બનવાને બદલે એકબીજા સાથે સંપૂર્ણ સહમત છે. બંને સંમત છે - માત્ર સંમત નથી પરંતુ આગ્રહ પણ રાખે છે - કે ભારતમાં બે રાષ્ટ્રો છે, એક મુસ્લિમ રાષ્ટ્ર અને બીજું હિન્દુ રાષ્ટ્ર.'' (1940માં પ્રકાશિત ડૉ. આંબેડકરના પ્રખ્યાત પુસ્તક 'થોટ્સ ઓન પાકિસ્તાન'માંથી).</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંબેડકર હિન્દુ રાષ્ટ્રની કલ્પનાના કટ્ટર વિરોધી હતા. "જો હિંદુ રાજ સ્થપાય છે, તો નિઃશંકપણે આ દેશ માટે સૌથી મોટી આફત હશે... હિંદુ રાજને કોઈપણ ભોગે અટકાવવું જ પડશે." (બી.આર. આંબેડકર, ‘પાકિસ્તાન ઓર ધ પાર્ટીશન ઓફ ઈન્ડિયા’ (1946) પેજ 354-355). તેઓ બહુમતીવાદનો વિરોધ કરતા હતા, જેનો અર્થ ભારતના સંદર્ભમાં બહુમતી હિંદુ સમુદાયનું શાસન થાય છે. અને આ ભાગવતની આગેવાની હેઠળની આરએસએસની વિચારધારા છે, જેનો બચાવ કરતા નરેન્દ્ર મોદી પૂછે છે કે બહુમતીવાદમાં આખરે ખોટું શું છે!</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધારણના અંતિમ મુસદ્દાની રજૂઆત બાદ આરએસએસના બિનસત્તાવાર મુખપત્ર 'ઓર્ગેનાઇઝર' તેની સામે ખુલ્લેઆમ સામે આવ્યું. તેમણે ભારતીય બંધારણ પર આકરા પ્રહારો કર્યા. તેના 30 નવેમ્બર, 1949ના અંકના સંપાદકીયમાં, 'ઓર્ગેનાઇઝર'એ લખ્યું, "ભારતના નવા બંધારણની સૌથી ખરાબ બાબત એ છે કે તેમાં ભારતીય કંઈ નથી... તેમાં પ્રાચીન ભારતીય બંધારણીય કાયદાઓનો કોઈ ભાગ નથી. સંસ્થાઓ, નામકરણ અને શબ્દોની સહેજ પણ નિશાની નથી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંબેડકર દ્વારા તૈયાર કરવામાં આવેલ હિંદુ કોડ બિલ એ સમાજ પર પિતૃસત્તાની પકડ ઘટાડવા અને મહિલાઓ માટે સમાનતા સ્થાપિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું હતું. આરએસએસના નેતૃત્વમાં રૂઢિચુસ્ત દળોએ હિંદુ કોડ બિલ પર જોરદાર હુમલો કર્યો. આધુનિક ભારતીય ઈતિહાસના જાણીતા વિદ્વાન રામચંદ્ર ગુહા લખે છે, "સંઘે હિંદુ કોડ બિલના અમલનો વિરોધ કર્યો હતો કારણ કે આ બિલે હિંદુ મહિલાઓને તેમની જાતિની બહાર લગ્ન કરવાનો, તેમના પતિઓને છૂટાછેડા લેવા અને મિલકતનો વારસો મેળવવાનો અધિકાર આપ્યો હતો." 1949માં આરએસએસએ આ બિલ વિરુદ્ધ દેશભરમાં સેંકડો સભાઓ અને વિરોધ પ્રદર્શનોનું આયોજન કર્યું. આમાં ઋષિ-મુનિઓને પ્રવચન આપવા માટે બોલાવવામાં આવ્યા હતા."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધારણ સભાએ બંધારણમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામતની જોગવાઈ કરી હતી. 1980-81 અને ફરીથી 1985માં ગુજરાતમાં દલિત વિરોધી હિંસા પરિણમી, આ જોગવાઈઓને મૌખિક અપપ્રચાર દ્વારા બદનામ કરવામાં આવી. એ જ રીતે, મંડલ કમિશનની ભલામણોનો પરોક્ષ રીતે વિરોધ કરવા માટે રામ મંદિર રથયાત્રા શરૂ કરવામાં આવી હતી અને પક્ષના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે "જો તેઓ મંડલ લાવ્યા, તો અમે કમંડલ લાવ્યા". એ પણ રસપ્રદ છે કે બાબરી મસ્જિદ તોડવા માટે સંઘ પરિવારે 6 ડિસેમ્બરની પસંદગી કરી હતી, જે આંબેડકરની પુણ્યતિથિ છે. લોકતાંત્રિક મૂલ્યોના મહત્વને રેખાંકિત કરતા દિવસના મહત્વને ઘટાડવાનો આ એક વ્યૂહાત્મક પ્રયાસ હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> જ્યાં સુધી ધાર્મિક લઘુમતીઓનો સંબંધ છે, આંબેડકર તેમના રક્ષણ માટે વ્યાપક જોગવાઈઓની તરફેણમાં હતા. જો કે આ જોગવાઈઓ ક્યારેય સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવી ન હતી, પરંતુ તેનો અમલ કરવાના પ્રયાસોને 'લઘુમતીઓના તુષ્ટિકરણ' તરીકે પણ વર્ણવવામાં આવે છે. બાબાસાહેબ ભાઈચારાના હિમાયતી હતા. ભાઈચારાની લાગણી બહુમતીવાદી રાજકારણની વિરુદ્ધ છે. બહુમતીવાદી રાજકારણ લઘુમતીઓ સામે નફરત ફેલાવે છે જે હિંસા અને સમાજના ધ્રુવીકરણમાં પરિણમે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંબેડકર માટે રાજકીય લોકશાહી સામાજિક લોકશાહી વિના અધૂરી હતી. તેઓ જાતિ નાબૂદીના હિમાયતી હતા. તેનાથી વિપરીત, RSSએ ‘સામાજિક સમરસતા મંચ’ની સ્થાપના કરી છે. સંઘની દૃષ્ટિએ જાતિઓ હિંદુ ધર્મનું અભિન્ન અંગ છે અને તે હિંદુ ધર્મને મજબૂત બનાવે છે. આ બે વૈચારિક પ્રવાહો વચ્ચેનો મૂળભૂત વિરોધાભાસ છે. હિંદુ બહુમતીવાદી રાજકારણ નવા નામો હેઠળ જાતિ વંશવેલો જાળવી રાખવા માંગે છે. તેને ભારતીય બંધારણમાં માત્ર શાબ્દિક વિશ્વાસ છે. સંઘ ચિંતકો કહે છે કે ભારત એક 'સંસ્કારી રાજ્ય' છે (મનુસ્મૃતિ જેવા પવિત્ર પુસ્તકોમાં સમાવિષ્ટ જાતિ અને લિંગ મૂલ્યોનું પ્રતીક) જેના માટે બંધારણ એટલું મહત્વનું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંબેડકરનો કટ્ટર વિરોધી હોવા છતાં સંઘ પરિવાર તેમના માત્ર નામના વખાણ કરે છે. અને હવે તેઓએ તેમને ટાંકવાનું પણ શરૂ કર્યું છે. આ બધું માત્ર મત મેળવવાની કવાયત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">(જાણીતા લેખક રામ પુનિયાનીના નવજીવનઈન્ડિયા.કોમ પર પ્રકાશિત લેખનો અનુવાદ)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">Read Also: </span></strong></span><a href="https://khabarantar.com/80-years-ago-Dr.-What-did-Ambedkar-say-about-Indian-media-and-what-is-its-condition-today"><span style="text-decoration: underline; color: rgb(53, 152, 219); font-size: 14pt;"><strong>80 વર્ષ અગાઉ ડૉ. આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું અને આજે શું હાલત છે?</strong></span></a></p>
<div class="post-summary"></div>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 13 Nov 2023 12:01:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>118</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_6551c236f09f3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_6551c236a10a9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_6551c236a10a9.jpg" length="70185" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>સરકાર એક સાંસદના આરોગ્ય પાછળ વર્ષે રૂ. 51,000 ખર્ચે છે, જ્યારે નાગરિક પાછળ ફક્ત રૂ. 1815 ખર્ચે છે!</title>
                    <link>https://khabarantar.com/The-government-spends-Rs.-51,000,-while-the-citizen-pays-only-Rs.-1815-spend</link>
                    <guid>https://khabarantar.com/The-government-spends-Rs.-51,000,-while-the-citizen-pays-only-Rs.-1815-spend</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>- ચંદુ મહેરિયા</strong></span><b></b></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">ગુજરાતી સાહિત્યના ગાંધી યુગના કવિ ઈન્દુલાલ ગાંધી( ૧૯૧૧-૧૯૮૬)ની જાણીતી રચના <span style="font-family: Shruti;">’</span>આંધળી માનો કાગળ<span style="font-family: Shruti;">’</span>માં નિર્ધન આંધળ<span style="font-family: Shruti;">ી</span> મા<span style="font-family: Shruti;">તા</span> પાંચ વરસથી મુંબઈમાં પેટિયું રળી ખાતા દીકરાને પત્ર લખાવે છે તેનું કર<span style="font-family: Shruti;">ુ</span>ણ આલેખન છે. પત્રમાં મા પુત્રને તે સાજો નરવો રહે અને માંદો ના પડે તેની કાળજી રાખવા જણાવે છે. કેમ કે જો તે બીમાર પડશે તો<span style="font-family: Shruti;">, </span><span style="font-family: Shruti;">“</span>દવા દારુના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ” ની માને ફિકર છે. આજે પણ ગરીબ, નિમ્ન મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગના લોકો માટે માંદા પડવું મોંઘુ છે. માંદગીમાંથી બેઠા થવા તેમને કાં તો વધુ ગરીબ બનવું પડે છે કાંતો મરવું પડે છે. એક અંદાજ મુજબ દેશમાં દર વરસે આશરે છ કરોડ લોકો દવા-દાર<span style="font-family: Shruti;">ુ</span>ના દોકડા માટે દેવાદાર બની ગરીબીની વધુ ઉંડી ગર્તામાં ધકેલાય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા<span style="font-family: Shruti;">ઓ</span> મુજબ <span style="font-family: Shruti;">વર્ષ</span> ૨૦૨૧માં દેશમાં થયેલી આત્મહત્યાઓનું બીજું મોટું કારણ બીમારી હતું. ગયા વ<span style="font-family: Shruti;">ર્ષે</span> ૩૦,૪૪૬ લોકોએ બીમારીથી કંટાળીને, એટલે સાજા થવાની આશા ના હોવાથી કે તે માટેનો ખર્ચ પરવડે તેમ ના હોવાથી આત્મહત્યા કરી હતી.</span></strong></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલની અસહ્ય લાગતી મોંઘવારીનો દર સાત ટકા છે. પરંતુ દવા અને સારવારનો ખર્ચ તેનાથી બમણો, ચૌદ ટકા, જેટલો મોંઘો છે. આ વરસના એપ્રિલથી સરકારે દવાઓના ભાવમાં દસ ટકાનો વધારો કરી આપ્યો છે. તેને કારણે શરદી-તાવથી માંડીને <span style="font-family: Shruti;">હૃ</span>દયરોગ સહિતની <span style="font-family: Shruti;">800</span> દવાઓ મોંઘી થઈ છે. છેલ્લા <span style="font-family: Shruti;">5 વરસમાં </span>હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ બે ગણો વધી ગયો છે. હોસ્પિટલમાં ડોકટરના કન્સલટેશન ચાર્જમાં ૪.૫ ટકા, દાખલ ફીમાં ૫.૯ ટકા અને મેડિકલ તપાસના  દરમાં ૬.૨ ટકાનો વધારો થયો છે. આ વધારાએ આર્થિક રીતે નબળા લોકોની કમર ભાંગી નાંખી છે.</span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત સરકારના આરોગ્ય મંત્રાલય હેઠળ આવેલ નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી(NPPA) દવાઓની કિંમતમાં વધારો-ઘટાડો કરી શકે છે. સરકારી નિયંત્રણની દ્રષ્ટિએ બે પ્રકારની દવાઓ હોય છે: શેડ્યુલ અને નોનશેડ્યુલ. પેઈન કિલર, પેરાસિટામોલ અને એન્ટીબાયોટિક વગેરે દવાઓ શેડ્યુલ ડ્રગ્સ ગણાય છે. આ દવાઓ આવશ્યક દવાઓ છે અને તેની કિંમત પર સરકારનું સીધું નિયંત્રણ છે. આવશ્યક દવાઓની રાષ્ટ્રીય સૂચિમાં ૮૭૫ દવાઓ સામેલ છે. દવા ઉ<span style="font-family: Shruti;">દ્યોગ</span>ની <span style="font-family: Shruti;">30</span> ટકા દવાઓના ભાવ સરકારના નિયંત્રણમાં છે. છેલ્લા ત્રણ-ચાર વરસોમાં આ દવાઓના ભાવમાં <span style="font-family: Shruti;">15 </span>થી <span style="font-family: Shruti;">20</span> ટકાની વૃધ્ધિ થઈ છે.</span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">નોનશેડ્યુલ દવાઓ સરકારના સીધા નિયંત્રણમાં નથી. તેની કિંમતમાં વાર્ષિક <span style="font-family: Shruti;">10 </span>ટકાના વધારાની જોગવાઈ છે. એનપીપીએ જથ્થાબંધ ભાવાંક મૂલ્યના આધારે શેડ્યુલ દવાઓની કિંમતમાં વધારાની દરખાસ્ત કરે છે. ભારત સરકારની મંજૂરી પછી તે અમલી બને છે. ગયા વરસે ભારત સરકારે ૧૦.૭ ટકા વધારાની દરખાસ્તને ઘટાડીને <span style="font-family: Shruti;">10 </span>ટકા કરતાં હવે તે દવાઓ ૧લી એપ્રિલ ૨૦૨૩થી <span style="font-family: Shruti;">12 </span>ટકા વધુ કિંમતે વેચાય છે. નોનશેડ્યુલ દવાઓની કિંમત માંગ અને પુરવઠાના નિયમ આધારે નક્કી થાય છે. ૨૦૧૯માં આવશ્યક દવાઓની કિંમતમાં ૨ ટકા, ૨૦૨૦માં ૦.૫ ટકા અને ૨૦૨૨માં ૧૦ ટકાનો આકરો ભાવવધારો થયો છે. </span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેનેરિક દવાઓનું કોઈ બ્રાન્ડ નેમ હોતું નથી. આ દવાઓની અસર બ્રાન્ડેડ દવાઓ જેવી જ હોય છે પરંતુ તેનો કોઈ પ્રચાર-પ્રસારનો ખર્ચ ન હોઈ જેનેરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓથી આશરે <span style="font-family: Shruti;">20 </span>થી <span style="font-family: Shruti;">50</span> ટકા જેટલી સસ્તી હોય છે. સરકારના જન ઔષધિ કેન્દ્રો પર તેનું વેચાણ થાય છે. પરંતુ દવાબજારના ઈજારાને કારણે ડોકટરો જેનેરિક દવાની ભલામણ કરતા નથી. તાજેતરમાં સરકારે તે માટે ફરજ પાડી હતી પણ પછી તેણે પારોઠનું પગલું ભરવું પડ્યું છે.</span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં સરકારી આરોગ્ય સેવાઓ તમામને ઉપલબ્ધ નથી અને જ્યાં ઉપલબ્ધ છે ત્યાં તેની ગુણવત્તાના પ્રશ્નો છે. એટલે લોકોને ખાનગી આરોગ્ય સેવાઓ લેવી અનિવાર્ય બને છે. મેડિકલ ઈન્સ્યોરન્સ પણ ભારતમાં બહુ ઓછા લોકો લે છે. આરોગ્ય વીમો ન લેતા નાગરિકોની દ્રષ્ટિએ ભારત દુનિયાનો બીજો દેશ છે. એટલે જેમની પાસે આરોગ્ય વીમો નથી તેમની આર્થિક સ્થિતિ પર માંદગીની ગંભીર અસર પડે છે. મેડિકલ ઈન્સ્યોરન્સ ક્લેમની રકમમાં અનેકગણા વધારાની ફરિયાદ વીમા કંપનીઓની છે તો મેડિકલ ઈન્સ્યોરન્સના પ્રિમિયમમાં કોરોના મહામારી પછી તો <span style="font-family: Shruti;">25 </span>ટકા જેટલો મોટો વધારો થયાની ફરિયાદ વીમાધારકોની છે. </span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સ્થિતિનું એક નિવારણ સરકાર આરોગ્યના ક્ષેત્રે ખર્ચ વધારે અને સરકારી આરોગ્ય સેવાઓને વધુ સક્ષમ બનાવે તે જણાય છે. આરોગ્ય માટે સરકારે તેના જીડીપીના ઓછામાં ઓછા <span style="font-family: Shruti;">5 </span>ટકા ખર્ચવા જ જોઈએ. પાડોશી ગરીબ દેશો ભૂતાન જીડીપીના <span style="font-family: Shruti;">2.65 </span>ટકા અને શ્રીલંકા <span style="font-family: Shruti;">2</span> ટકા ખર્ચે છે. પરંતુ ભારતે <span style="font-family: Shruti;">2021-22</span>માં જીડીપીના <span style="font-family: Shruti;">2.1</span> ટકા જ ખર્ચ્યા હતા. તેને કારણે લોકોને પોતાની આર્થિક ક્ષમતા બહાર જઈને બીમારીના ઈલાજ માટે ખર્ચ કરવો પડે છે. આવા ખર્ચને આઉટ ઓફ પોકેટ કહે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર તેની વૈશ્વિક સરેરાશ <span style="font-family: Shruti;">18.2</span> ટકા છે. પરંતુ ભારતમાં તે <span style="font-family: Shruti;">48</span> ટકા જેટલી ઉંચી છે. આ બાબતમાં <span style="font-family: Shruti;">189</span> દેશોમાં ભારત <span style="font-family: Shruti;">66</span>મા ક્રમે છે. પાડોશી દેશો ભૂતાન <span style="font-family: Shruti;">37</span>મા, બાંગ્લાદેશ <span style="font-family: Shruti;">52</span>મા, પાકિસ્તાન <span style="font-family: Shruti;">55</span>મા અને નેપાળ <span style="font-family: Shruti;">63</span>મા ક્રમે છે. </span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશની <span style="font-family: Shruti;">8</span> થી <span style="font-family: Shruti;">10</span> ટકા વસ્તી ગરીબી રેખા હેઠળ જીવે છે અને ખુદ ભારત સરકારના જણાવ્યા પ્રમાણે સરકાર જેમને મફત રાશન પૂરું પાડે છે તેવી વસ્તી <span style="font-family: Shruti;">80</span> કરોડ છે. ઈન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે દવા અને ઈલાજનો <span style="font-family: Shruti;">62</span> ટકા ખર્ચ દર્દી પોતાના ખિસ્સાનો કરે છે કે દેવું કરીને કે નાની-મોટી જમીન-જાયદાદ વેચીને ચ<span style="font-family: Shruti;">ૂ</span>કવે છે. આ ચિંતાનો વિષય છે. નેશનલ હેલ્થ એકાઊન્ટ્સના જણાવ્યા પ્રમાણે <span style="font-family: Shruti;">2018-19</span>માં દેશનો કુલ આરોગ્ય ખર્ચ <span style="font-family: Shruti;">5.96</span> લાખ કરોડ હતો તેમાંથી સરકારોએ રૂ. <span style="font-family: Shruti;">2.42</span> લાખ ખર્ચ્યા હતા. શેષ <span style="font-family: Shruti;">3.54</span> લાખ કરોડ લોકોના વપરાયા હતા.</span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકાર એક સાંસદના આરોગ્યની દેખભાળ માટે વરસે રૂ. <span style="font-family: Shruti;">51,000</span> ખર્ચે છે પરંતુ આમ નાગરિક પાછળ તો માંડ રૂ.<span style="font-family: Shruti;">1815</span> જ ખર્ચે છે. એટલે પ્રજા અને તેણે ચૂંટેલા પ્રતિનિધિ વચ્ચેના આરોગ્ય ખર્ચનો આ ફાંસલો ભેદાય, સરકારની પ્રાથમિકતા બદલાય તેમજ સૌને માટે નિશુલ્ક આરોગ્ય સુલભ બને તો બાત બન જાયે.</span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><b><a href="mailto:maheriyachandu@gmail.com" target="_blank" rel="noopener"></a></b><span style="color: rgb(224, 62, 45);"><strong><a href="mailto:maheriyachandu@gmail.com" target="_blank" rel="noopener" style="color: rgb(224, 62, 45);">maheriyachandu@gmail.com</a> (લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને ડો. આંબેડકરના જીવનકાર્યના અભ્યાસુ છે)</strong></span></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); text-decoration: underline;">આ પણ વાંચો:</span></span></strong><a href="https://khabarantar.com/Kali-Chaudhas-is-an-excellent-opportunity-to-encounter-superstition:-Jitendra-Vaghela"><strong><span style="font-size: 14pt;">કાળી ચૌદશ 'અંધશ્રદ્ધાનું એન્કાઉન્ટર' કરવા માટેની ઉત્તમ તક છેઃ જીતેન્દ્ર વાઘેલા</span></strong></a></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"> </span></strong></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><b> </b></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><b> </b></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 11 Nov 2023 13:03:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>115</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_654f2e3a79da0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_654f2e3a4b086.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_654f2e3a4b086.jpg" length="86117" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>શા માટે ‘સમ્રાટ અશોક’ ભારતની કથિત ઉચ્ચ જાતિઓ માટે અસ્પૃશ્ય છે?</title>
                    <link>https://khabarantar.com/Why-is-Emperor-Ashoka-untouchable-for-the-so-called-upper-castes-of-India</link>
                    <guid>https://khabarantar.com/Why-is-Emperor-Ashoka-untouchable-for-the-so-called-upper-castes-of-India</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">આ વર્ષે </span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">29</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> માર્ચ</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, 2023</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">ના રોજ સમ્રાટ અશોકની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. એવા લોકો દ્વારા જેઓ અશોકની મહાનતા</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">ભારતમાં તેમના યોગદાન અને બૌદ્ધ ધર્મના પ્રસારમાં તેમના યોગદાનને ભૂલ્યા નથી. પરંતુ ભારતની સરકારોએ તે સમ્રાટ અશોકની અવગણના કરી</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">જેમનું રાજ્ય પ્રતીક આજે પણ વપરાય છે. જેમના દ્વારા આપેલ ચક્ર</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">જેને અશોક ચક્ર કહેવામાં આવે છે</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">તે ભારતના ત્રિરંગામાં છે. કોંગ્રેસની સરકાર હોય</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">જનતા દળની સરકાર હોય</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">ગઠબંધન સરકારો હોય કે હવે ભાજપની સરકાર હોય</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">જો ભારતની તમામ સરકારોએ સમ્રાટ અશોકની અવગણના કરી છે તો પ્રશ્ન એ થાય છે કે શા માટે</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">?</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> શરૂઆત સમ્રાટ અશોકથી કરીએ જેથી તમે સમ્રાટ અશોકની મહાનતા સમજી શકો.</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">સમ્રાટ અશોકનો પરિચય ઈ.સ. પૂર્વે </span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">304</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">થી </span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">232</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> સુધી ઉલ્લેખિત છે. તે ભારતીય મૌર્ય વંશના મહાન સમ્રાટ હતા. તેમનું પૂરું નામ દેવાનાંપ્રિય અશોક હતું. તેમનું શાસન પ્રાચીન ભારતમાં ઈ.સ. પૂર્વે </span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">269</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">થી </span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">232</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> સુધી હતું. તમામ સ્ત્રોતો અનુસાર</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">મૌર્ય વંશના ચક્રવર્તી સમ્રાટ અશોકનું સામ્રાજ્ય હિંદુકુશ</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">ઉત્તરમાં તક્ષશિલાથી લઈને દક્ષિણમાં ગોદાવરી નદી</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">સુવર્ણગિરી ટેકરી અને મૈસૂર સુધી અને પૂર્વમાં બંગાળ પાટલીપુત્રથી પશ્ચિમમાં ઈરાન</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">બલૂચિસ્તાન, અફઘાનિસ્તાન સુધી પહોંચ્યું હતું. સમ્રાટ અશોકનું સામ્રાજ્ય આજના સમગ્ર ભારત</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">પાકિસ્તાન</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">અફઘાનિસ્તાન</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">નેપાળ</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">બાંગ્લાદેશના મોટાભાગના પ્રદેશો પર હતું</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">આ વિશાળ સામ્રાજ્ય તે સમયથી સૌથી મોટું ભારતીય સામ્રાજ્ય રહ્યું છે.</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">આ કારણથી સમ્રાટ અશોકને </span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">'</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">ચક્રવર્તી સમ્રાટ અશોક</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">' </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">કહેવામાં આવે છે</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">જેનો અર્થ થાય છે - </span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">'</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">સમ્રાટોના સમ્રાટ</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">'. </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">ભારતમાં આ સ્થાન માત્ર સમ્રાટ અશોકને મળ્યું છે. સમ્રાટ અશોક અદ્ભુત વહીવટ કાર્યક્ષમ અને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પણ જાણીતા છે. આ કારણે આજના બૌદ્ધ સમાજમાં સમ્રાટ અશોકને ખૂબ જ મહત્વપૂર્ણ દરજ્જો આપવામાં આવે છે.</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર ભારત સિવાય શ્રીલંકા</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">અફઘાનિસ્તાન</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">પશ્ચિમ એશિયા</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">ઇજિપ્ત અને ગ્રીસમાં કર્યો. સમ્રાટ અશોક તેમના સમગ્ર જીવનમાં એક પણ યુદ્ધમાં પરાજીત નહોતા થયા. તેમણે પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા મોકલ્યા હતા.<o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">આટલું કર્યું હોવા છતાં</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">સમ્રાટ અશોક ભારતના શાસકોમાં અદ્રશ્ય છે. સત્તા પર બેઠેલા લોકો તેમની મહાનતાનો ઉલ્લેખ કરતા નથી. વાસ્તવમાં</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">ભારતમાં સત્તા પર બેઠેલા લોકો સમ્રાટ અશોકને ચક્રવર્તી રાજા તરીકે યાદ કરવા માંગે છે</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">પરંતુ તેઓ સમ્રાટ અશોકને એવા મહાન રાજા તરીકે યાદ કરવા માંગતા નથી કે જેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો અને જેના કારણે માત્ર ભારત જ નહીં પરંતુ ઘણા ભાગોમાં એશિયા બૌદ્ધ બન્યું. કારણ કે આમ કરવું તેમને ગમતું નથી.<o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">હકીકતમાં</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">સમ્રાટ અશોક અને બૌદ્ધ ધર્મ સાથેના તેમના જોડાણની વાત ઐતિહાસિક કલિંગ યુદ્ધ પછી ફળીભૂત થઈ. જોકે તે પહેલાથી તે કેટલાક બૌદ્ધ સાધુઓના સંપર્કમાં હતા. પરંતુ જ્યારે કલિંગ યુદ્ધમાં લાખો લોકો માર્યા ગયા</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">ત્યારે સમ્રાટ અશોક ભારે વ્યથિત થઈ ગયા. તેમનું હૃદય માનવતા પ્રત્યે દયા અને કરૂણાથી ભરાઈ ગયું અને તેમણે ફરીથી ક્યારેય યુદ્ધ ના કરવાની પ્રતિજ્ઞા લીધી. અહીંથી અશોકના આધ્યાત્મિક અને ધમ્મ જીવનનો યુગ શરૂ થયો. અને મહાન ચક્રવર્તી સમ્રાટે મહાન બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો.<o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">અશોકની આ ઓળખ ભારતમાં એક પછી એક સત્તા પર આવતા નેતાઓ અને રાજકીય પક્ષોને અનુકૂળ નથી. કારણ કે જો તે સમ્રાટ અશોકનો ઉલ્લેખ કરશે તો તેણે અશોકની મહાનતાનો ઉલ્લેખ કરવો પડશે. તેમના શાસનકાળ દરમિયાન થયેલા તમામ ઐતિહાસિક કાર્યોને યાદ કરવા પડશે. તેમણે જણાવવું પડશે કે સમ્રાટ અશોકના સમયમાં જ </span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">23</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> વિશ્વવિદ્યાલયોની સ્થાપના કરવામાં આવી હતી</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">જેમાં વિશ્વવિખ્યાત તક્ષશિલા</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">નાલંદા</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">વિક્રમશિલા</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">કંદહાર વગેરે વિશ્વવિદ્યાલયો મુખ્ય હતી. તેમણે જણાવવું પડશે કે વિશ્વના બુદ્ધિજીવીઓ અને ઈતિહાસકારો સમ્રાટ અશોકના શાસનકાળને ભારતીય ઈતિહાસનો </span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">‘<span lang="GU">સુવર્ણ યુગ</span>’<span lang="GU"> માને છે. તેમણે કહેવું પડશે કે તે સમ્રાટ અશોકનું જ શાસન હતું</span></span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">જેમાં ભારત </span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">‘<span lang="GU">વિશ્વ ગુરુ</span>’<span lang="GU"> હતું અને તેને ‘સોને કી ચિડીયા’ <span style="mso-spacerun: yes;"> </span>કહેવામાં આવતું હતું, જેમાં જનતા ખુશ હતી</span></span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">લોકો વચ્ચે કોઈ ભેદભાવ ન હતો.<o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">આજની સરકારોને જણાવવું પડશે કે સૌથી પ્રસિદ્ધ હાઇવે </span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">‘<span lang="GU">ગ્રાન્ડ ટ્રંક રોડ</span>’<span lang="GU"> જેવા ઘણા હાઇવે સમ્રાટ અશોકના જ શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યા હતા. લોકોના રહેવા માટે ધર્મશાળાઓ બનાવવામાં આવી હતી. મનુષ્યો માટે તો ઠીક, સમ્રાટ અશોકના શાસનમાં પ્રથમ વખત પ્રાણીઓ માટે ચિકિત્સાલયો (હોસ્પિટલો) ખોલવામાં આવી હતી. પ્રાણીઓની હત્યા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.<o:p></o:p></span></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">પરંતુ આગળ કહ્યું તેમ ભારતમાં સત્તા પર રહેલા લોકોને આ અનુકૂળ નથી. કારણ કે જ્યારે તે અશોકનો ઉલ્લેખ કરી એમની <span style="mso-spacerun: yes;"> </span>મહાનતાનો ઉલ્લેખ કરશે ત્યારે પ્રશ્ન થશે કે હવે અશોક જેવું શાસન કેમ નથી</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">? </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">પ્રશ્ન એ થશે કે સમ્રાટ અશોકના સમયે ભારત બૌદ્ધમય હતું</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">તો પછી બૌદ્ધ ધર્મનો અંત કેવી રીતે થયો</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">? </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">અને આ સવાલના જવાબમાં ઘણા લોકોના મહોરાં ઉતરી જશે. આવા અનેક લોકોના નામ આવશે</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">ઈતિહાસ વખોડ્યું જશે. ભારતની સરકારો એ ઈતિહાસને દબાવવા માંગે છે.<o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">પછી બૌદ્ધ ધર્મની વાત પણ આવશે. ભારતના શાસકોને કહેવું પડશે કે મગધ સામ્રાજ્યનો ઈતિહાસ જેનો સમ્રાટ અશોક હતો તે ભારતના ઈતિહાસનો હિસ્સો રહ્યો છે. તેમણે જણાવવું પડશે કે સમ્રાટ અશોકે તેમના સામ્રાજ્યના દરેક ખૂણામાં શિલાલેખો</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">સ્તંભ શિલાલેખ અને અન્ય રેકોર્ડ્સ દ્વારા</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">સામાન્ય લોકોને નૈતિકતા તથા જીવન સુધારણાની કળા શીખવી હતી. જણાવવું પડશે કે અશોકના બે નાના શિલાલેખ</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, 14</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> મોટા શિલાલેખ</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, 07</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> સ્તંભ લેખ</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">ત્રણ ગુફા લેખ</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">ચાર નાના સ્તંભ લેખ</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">બે સ્મારક સ્તંભ લેખો મળી આવ્યા છે. આ શિલાલેખોની ઘણી આવૃત્તિઓ વિવિધ સ્થળોએ કોતરવામાં આવી છે. તેમણે કહેવું પડશે કે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે </span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">84,000</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> બૌદ્ધ સ્તૂપ બનાવ્યા હતા. વાત અહીં જ અટકી જાય છે. કારણ કે અશોકનો બૌદ્ધ પ્રેમ હિંદુ રાષ્ટ્રના નિર્માણની દોડમાં મોટો અવરોધક છે.<o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">તેથી જ ભારતમાં સત્તા પર બેઠેલા લોકો અશોકના સમયમાં કોતરેલા પ્રતીકાત્મક પ્રતીકનો ઉપયોગ કરશે</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">જેને આપણે </span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">'</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">અશોક પ્રતીક</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">' </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">તરીકે જાણીએ છીએ અને જે આજે ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે. તેઓ તેને ભારતીય રાષ્ટ્રધ્વજમાં સમ્રાટ અશોકના શાહી પ્રતીક </span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">‘<span lang="GU">અશોક ચક્ર</span>’<span lang="GU"> તરીકે મૂકશે. તેઓ સમ્રાટ અશોકના શાહી પ્રતીક </span>‘<span lang="GU">ચારમુખી સિંહ</span>’<span lang="GU"> ને ભારતીય </span>‘<span lang="GU">રાષ્ટ્રીય પ્રતીક</span>’<span lang="GU"> તો માનશે</span></span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">દેશની સેનાનું સૌથી મોટું યુદ્ધ સન્માન</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">સમ્રાટ અશોકના નામ પર </span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">‘</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">અશોક ચક્ર</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">’<span lang="GU"> આપશે</span></span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">પરંતુ ભારતના આ મહાન સમ્રાટ અશોકને યાદ નહીં કરે.<o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">નવાઈની વાત એ છે કે સમ્રાટ અશોક પહેલા કે પછી ક્યારેય એવો કોઈ રાજા કે સમ્રાટ થયો નથી કે જેણે </span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">‘</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">અખંડ ભારત</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">’<span lang="GU"> પર એકલા હાથે શાસન કર્યું હોય અને જેના નામ સાથે વિશ્વભરના ઇતિહાસકારો </span></span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">‘</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">મહાન</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">’ </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">શબ્દ જોડે છે. નવાઈની વાત છે કે, તેમના પોતાના દેશમાં તેમની જન્મજયંતિ ઉજવવામાં આવતી નથી કે જાહેર રજા પણ નથી અપાતી.<o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">જરા વિચારો</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">જો સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો ન હોત તો પણ શું ભારતની સરકાર અને આઝાદી પછી સત્તા પર બેઠેલા લોકોએ તેમની આ રીતે જ અવગણના કરી હોત</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">? </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">કદાચ ના. સરકારો કદાચ સમ્રાટ અશોકને ભૂલી જવા માંગે છે</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">પરંતુ ભારતનો બહુજન સમાજ આજે પણ તે </span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">‘</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">ધ ગ્રેટ અશોક સમ્રાટ</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">’</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">ને માન આપે છે</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> આ જ સમાજ છે જે અશોક જયંતિ પર કાર્યક્રમોનું આયોજન કરે છે</span><span style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">સમ્રાટ અશોકને યાદ કરે છે. ભારતે અને ભારતની સરકારે પણ આ મહાન સમ્રાટને એ સન્માન આપવું પડશે જેને તેઓ હકદાર છે. આ માટે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે.</span></span><span style="font-size: 14.0pt; mso-bidi-font-size: 12.5pt; line-height: 115%; font-family: 'Shruti','sans-serif'; mso-bidi-language: GU;"><o:p></o:p></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="text-decoration: underline; color: rgb(186, 55, 42);"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">આ પણ વાંચો:</span></span></span><a href="https://khabarantar.com/How-is-Periyars-book-Sachi-Ramayana-useful-in-the-fight-against-Brahminism"><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;">બ્રાહ્મણવાદ સામેની લડાઈમાં કેવી રીતે ઉપયોગી છે પેરિયારનું ‘સાચી રામાયણ’ પુસ્તક?</span></strong></span></a></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 08 Nov 2023 11:26:16 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 08 Nov 2023 11:25:58 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>104</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_654a751aa2fc9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_654a751a74351.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_654a751a74351.jpg" length="54381" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>મહિલાઓને period leave આપવી વાજબી છે?</title>
                    <link>https://khabarantar.com/Is-it-fair-to-give-period-leave-to-women</link>
                    <guid>https://khabarantar.com/Is-it-fair-to-give-period-leave-to-women</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong><span style="font-family: Shruti;">ચંદુ મહેરિયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong>વિદ્યાર્થીનીઓ અને મહિલા કર્મચારીઓને પીરિયડ લીવ(period leave) આપવાની માંગણી કરતી જાહેર હિતની અરજી સરકારની નીતિ વિષયક બાબત ગણાવી સર્વોચ્ચ અદાલતે સુનાવણી માટે સ્વીકારી નથી. જોકે અન્ય PILમાં સુપ્રીમ કોર્ટે માસિક સ્ત્રાવ દરમિયાનની સ્વચ્છતા અંગે સમાન રાષ્ટ્રીય નીતિ ઘડવા અને તમામ સ્કૂલ ગર્લ્સને વિનામૂલ્યે સેનેટરી પેડ આપવા નિર્દેશ આપ્યો છે. તેને કારણે માસિક સ્ત્રાવ, મોનોપોઝ, પીરિયડ લીવ અને સેનેટરી નેપકિન જેવી શરમ અને સંકોચને કારણે ભાગ્યે જ જાહેરમાં ચર્ચાતી બાબતો સપાટી પર આવી છે.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મલયાલમ લેખક પી. ભાસ્કર રુન્નીના પુસ્તક ‘કેરલ ઈન નાઈનટીન્થ સેન્ચુરી’માં ઈ.સ. ૧૯૧૨માં કેરળના કોચીન રજવાડાના(હાલનો અર્નાકુલમ જિલ્લો)  ત્રિપુનથુરા ગામની સરકારી કન્યા શાળાએ વાર્ષિક પરીક્ષામાં પણ મહિલા શિક્ષકો અને વિધ્યાર્થીઓને પીરિયડ લીવ આપી હોવાનો ઉલ્લેખ છે. સોવિયત સંઘે ઈ.સ. ૧૯૨૨માં નેશનલ પોલિસી થકી મહિલા કામદારોને માસિક સ્ત્રાવની રજા આપી હતી. આ તો હવે સદી પુરાણી વાત થઈ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ નવેમ્બર ૧૯૯૧માં મુખ્યત્વે કેન્દ્રના ધોરણે પગાર અને પગાર વિસંગતતા નાબૂદી માટેના બિહારના સરકારી કર્મચારીઓના આંદોલનની એક ગૌણ માગણી મહિલા કર્મચારીઓને માસિક સ્ત્રાવની પીડાના દિવસોની સવેતન ખાસ રજા આપવાની હતી. માધ્યમોએ ગંવાર તરીકે ચિતરેલા લાલુપ્રસાદ યાદવ તે સમયે બિહારના મુખ્યમંત્રી હતા. કર્મચારી આગેવાનો સાથે મંત્રણાના મેજ પર લાલુપ્રસાદે પીરિયડ લીવની માંગણી ક્ષણના ય વિલંબ વિના સ્વીકારી લીધી હતી. અને ૧૯૯૨ની પહેલી જાન્યુઆરીથી તેનો અમલ થઈ રહ્યો છે તેમ જણાવી દીધું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પછાત, સામંતી અને બિમારુ રાજ્ય બિહારની મહિલા કર્મચારીઓ લગભગ ત્રણ દાયકા કરતાં વધુ સમયથી પીરિયડ લીવ મેળવે છે. પરંતુ ભારતનું એકેય પ્રગતિશીલ, વિકસિત કે વાઈબ્રન્ટ રાજ્ય જમાના કરતાં આગળના બિહારના આ પગલાંનું અનુકરણ કરી શક્યું નથી. (અપવાદરૂપે હજુ હમણા કેરળની સામ્યવાદી સરકારે રાજ્યની તમામ યુનિવર્સિટીઓની છાત્રાઓને પીરિયડ લીવ આપવાનું ઠરાવ્યું છે) એટલે દુનિયાના લગભગ એકાદ ડઝન દેશોમાં મહિલાઓને માસિકસ્ત્રાવના દુખાવા માટે ખાસ રજા મળે છે અને તાજેતરમાં સ્પેનની સંસદે આ માંગ સ્વીકારતાં તે પીરિયડ લીવ આપનારો  પહેલો યુરોપિયન દેશ બન્યો છે. તેની યાદ ભારતને આપવાનો અર્થ નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમામ મહિલાઓ દર મહિને એકાધિક દિવસોની માસિક સ્ત્રાવની પીડા ભોગવે છે. એક મહિલા તેની જિંદગીના કુલ વરસોમાંથી સરેરાશ 10 વરસ કે 3500 દિવસ માસિકની પીડા વેઠે છે. તેમાં બે વરસનો ગાળો તો ભારે મુશ્કેલ હોય છે. તેમાં અસહ્ય પીડા, દર્દ અને રક્તસ્ત્રાવ સહેવા પડે છે. આ વિષયના એક વિદેશી નિષ્ણાતના મત પ્રમાણે માસિકનો દુ:ખાવો હ્રદય રોગના હુમલા જેટલો હોય છે. માસિકના  દિવસોમાં લગભગ ૨૦ ટકા મહિલાઓ તો ચાલી પણ શકતી નથી. મહિલાઓ જે શારીરિક-માનસિક મુશ્કેલીઓ ભોગવે છે તેમાં માથું, પેટ અને પગનો દુખાવો, શરીરમાં કળતર, ઉલટી, તાવ, ચક્કર , ચીડિયાપણું, બેચેની, મૂડ ખરાબ હોવો, ઉંઘ અને  ભૂખ ઘટવાં જેવી બાબતોનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાઓને આ દિવસોમાં આરામની સખત જરૂર હોય છે એટલે જો તે આ સમયે કામ કરે તો કામને અને મહિલાને બંનેને અસર થાય છે. તેને કારણે કામની ગુણવત્તા જોખમાય છે અને ઉત્પાદન ઘટે છે. જો માસિકના દુખાવાની પીડાના સમયે તેને રજા કે આરામ મળે તો પછીના દિવસોમાં તે વધુ સારી રીતે કામ કરી શકે છે અને ધાર્યું ઉત્પાદન થઈ શકે છે. એટલે મહિલા અને નોકરીદાતાના લાભમાં છે કે તેને આરામ કે રજા મળે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કામગરા દેશની વાજબી છાપ ધરાવતા જાપાનમાં ૧૯૪૭થી મહિલાઓને પીરિયડ લીવ આપવામાં આવે છે. માસિકસ્ત્રાવ અને તેની પીડા એક જૈવિક પ્રક્રિયા છે. મહિલાઓ આ દિવસો અને તેની પીડા વિશે ખુલીને પુરુષકર્મી સાથે સહજતાથી વાત કરી શકતી નથી. ઘણી મહિલાઓ રજોનિવૃતિકાળની મુશ્કેલીઓને કારણે નોકરી છોડે છે. દેશમાં સરેરાશ ૫૭.૬ ટકા મહિલાઓ જ સેનેટરી પેડ વાપરે છે. બાકીનાને તે પોસાય તેમ નથી તેથી તેઓ હાથવગા ઉપાય કરે છે. દેશની શ્રમિક અને અસંગઠિત ક્ષેત્રે કામ કરતી મહિલાઓને પીડા વેઠીને પણ કામ કરવું પડે છે. નહીં તો તેને ભૂખે મરવું પડે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ પણ સવેતનિક કામ માટે મહિલાઓની પસંદગી ઓછી જ થાય છે. ૧૯૬૧ના માતૃત્વ લાભ અધિનિયમ પ્રમાણે મહિલાકર્મીને પ્રસૂતિ, ગર્ભપાત, ફેમિલીપ્લાનિંગ સર્જરી જેવા કારણોસર પેઈડ લીવ આપવી  નોકરીદાતાને ગમતી નથી. જો તેમાં પીરિયડ લીવ ઉમેરાય તો મહિલાઓને શાયદ નોકરીએ જ ના  રાખે..આ સૌથી મોટો ગેરફાયદો છે. જાપાનમાં કાયદા છતાં પાત્રતા ધરાવતી ૦.૯ ટકા મહિલાઓ જ પીરિયડ લીવનો લાભ લે છે.તે હકીકત પણ નજરઅંદાજ કરવા જેવી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોકે સ્ત્રી-પુરુષ સમાનતાની દ્રષ્ટિએ આ માંગનો વિરોધ યોગ્ય નથી. સ્ત્રી ગર્ભ ધારણ કરે છે, બાળક્ને જન્મ આપે છે, માસિક્ની પીડા વેઠે છે. આ કશું ય પુરુષને ભાગે આવતું ના હોઈ સમાનતાની આડ લેવી યોગ્ય નથી. માસિકની રજા મહિલાઓનો કાનૂની અને માનવીય અધિકાર છે અને તે તેમને આરામ અને રાહત આપશે તે નિર્વિવાદ છે. દેશની દોઢ ડઝન ખાનગી કંપનીઓ અને બિહાર રાજ્ય જો પીરિયડ લીવ આપતાં હોય તો બીજા પણ આપી શકે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીરિયડ લીવના મુદ્દે રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ જોવા મળે છે. સંસદમાં આ અંગેના બે બિનસરકારી વિધેયકો પર સરકારનો અભિગમ નકારાત્મક હતો.. લોકસભામાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ  પ્રવર્તમાન કાયદાનો હવાલો આપીને માંગ નકારી છે. તો આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે માસિકસ્ત્રાવને સામાન્ય શારીરિક પ્રક્રિયા ગણાવીને ગંભીર પીડા કે મુશ્કેલીઓનો સામનો કરતી મહિલાઓનું પ્રમાણ ઓછું છે તેમ જણાવી રજાની માંગણી ઈન્કારી છે. કેરળના ઉચ્ચ શિક્ષણ મંત્રી આર. બિન્દુ  માસિકના ગાળાને મહિલાઓ માટે ઈમોશનલ રોલર કોસ્ટર જેવો ગણાવે છે ખરા પણ રજા તો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પૂરતી જ આપે છે !</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાઓની માસિક્સ્ત્રાવની રજાની માંગ સ્વીકારીને સરકાર કદાચ સરકારી કચેરીઓ, સંસ્થાઓમાં મહિલાલક્ષી સવલતો અને સુધારા કરવામાંથી મુક્તિ મેળવી લેશે. વળી બહુ મોટો ગરીબ મહિલાઓનો વર્ગ તો તેમાંથી બાકાત હશે.સિંદૂર, કાજલ,  ચાંદલો જેવા મહિલા સોંદર્યપ્રસાધનના સાધનો જીએસટી મુક્ત હોય પણ સેનેટરી નેપકિન  જીએસટીયુક્ત હોય તેવી સરકારી નીતિ અને માસિક્સ્ત્રાવની જૈવિક પ્રક્રિયાને પણ ધર્મ સાથે જોડી માસિકધર્મ તરીકે ઓળખાવતા સમાજ સામે મહિલાઓએ અનેક મોરચે લડવાનું છે. એટલે સરકારસહિતના સમગ્ર સમાજની સંવેદનશીલતા જરૂરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને ડો. બાબાસાહેબ આંબેડકરના જીવનકાર્યના અભ્યાસુ છે.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="text-decoration: underline;">આ પણ વાંચો</span>:</strong></span><a href="https://khabarantar.com/MP-Sidhi-urine-scandal:-Aggrieved-tribal-Dasmat-Rawat-says,-CM-Shivraj-Singh-has-forgotten-his-Sudama..."><span style="text-decoration: underline;"><strong>MP Sidhi પેશાબકાંડઃ પીડિત આદિવાસી દશમત રાવત કહે છે, "CM શીવરાજસિંહ તેમના સુદામાને ભૂલી ગયા છે..."</strong></span></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 06 Nov 2023 11:43:01 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 06 Nov 2023 11:45:50 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>96</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_654883351aa15.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_65488334dfda7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_65488334dfda7.jpg" length="67222" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>શું ગાંધીજીના આગમન પહેલા ગુજરાતના દલિતો નિર્લેપ અવસ્થામાં હતા?</title>
                    <link>https://khabarantar.com/Were-the-Dalits-of-Gujarat-in-an-unencumbered-state-before-the-advent-of-Gandhiji</link>
                    <guid>https://khabarantar.com/Were-the-Dalits-of-Gujarat-in-an-unencumbered-state-before-the-advent-of-Gandhiji</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(255, 3, 30);"><strong>- પ્રો. અરૂણ વાઘેલા</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong>ગુજરાતમાં અનેક દલિત જાતિઓ અને અંદાજે સાડા સાત ટકા દલિતો, જે ગુજરાતની કુલ વસતિના ૪૫ લાખ જેટલી થાય છે, છતાં રાષ્ટ્રનો સ્વતંત્રતા આંદોલન અને ગુજરાતના દલિત નેતાઓ જેવાં મહત્વપૂર્ણ  સંશોધન ક્ષેત્રો લગભગ વણખેડાયેલાં રહ્યાં છે. પ્રસ્તુત લેખમાં આવી એક ખાલી જગ્યા પુરવાનો પ્રયત્ન છે. લેખનો પ્રધાન હેતુ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં દલિતોની ભૂમિકા સ્પષ્ટ કરવાનો તો છે જ, સાથે દલિત ઈતિહાસને દલિત દ્રષ્ટિકોણથી તપાસવાનો ઉપક્રમ પણ છે.</strong></span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ભારતીય ઈતિહાસ સદીઓ પુરાણો છે અને તે ભારતીયોનો સહિયારો ઈતિહાસ છે. પ્રાચીન કાળથી અસ્તિત્વ ધરાવતા શુદ્રોમાંની કેટલીક જ્ઞાતિઓ કાળક્રમે દલિતની સંજ્ઞામાં મુકાઈ હતી. તેમના ઈતિહાસ નિર્માણનો સૌથી પહેલો પુરાવો વૈદિક સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. અંદાજે ઈ.સ પૂર્વે ૧૪૦૦ની આસપાસ થયેલા દશરાજ્ઞ(દશ રાજાઓ) યુદ્ધમાં મળે છે. જેમાં સુદાસ નામના શુદ્ર રાજાએ યુદ્ધનું નેતૃત્વ કર્યું હોવાનું પ્રમાણ મળે છે. (see for Detail : B.R.Ambedakar, who were Shudras) સમયના અંતરાલ પર ભારતીય દલિતોએ ઇતિહાસના નિર્માણમાં વૈવિધ્યસભર ભૂમિકા ભજવી હતી. જેમાં રાજકીય ઘટનાઓની સાથે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં પણ તેમની ભૂમિકા રહી હતી. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ભારતના પશ્રિમ કાંઠે સ્થિત ગુજરાત દલિત વસતિના સંદર્ભે મહત્વપૂર્ણ રાજ્ય છે. મધ્યકાળથી ગુજરાતમાં સંતો અને ભક્તોની ભવ્ય અને ગૌરવશાળી પરંપરા રહી છે. એટલે જ ‘વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે’ ના સર્જક આદિકવિ નરસિંહ મહેતા જુનાગઢના હરિજનવાસમાં ભજન ગાવા જતાં હતાં. તે પછી પણ દાસી જીવણ, ખીમ સાહેબ જેવા અનેક દલિત સંતોએ ગુજરાતી સાંસ્કૃતિક પરંપરાને નવી ઊંચાઈ આપી હતી, જેમનો ગાઢ પ્રભાવ આજે પણ ગુજરાતી સાહિત્ય પરંપરામાં જળવાઈ રહ્યો છે. વાસ્તવમાં આ સંતો ગુજરાતનાં સાંસ્કૃતિક ઇતિહાસનું અમુલ્ય ઘરેણું છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(243, 16, 16); font-size: 14pt;"><strong>19મી સદીમાં દલિતોની સ્થિતિ</strong></span><br><span style="font-size: 14pt;">૧૯મા સૈકામાં ભારતમાં અંગ્રેજી શાસન સ્થપાયું હતું. બ્રિટીશ શાસન ભારતમાં સદીઓથી થયેલા શાસન કરતાં તદ્દન નવતર અને તેથી ભારતીય સમાજજીવનને ધરમૂળથી બદલનારું હતું. બ્રિટીશ શાસનમાં વાહન અને સંદેશા વ્યવહાર, છાપકામના સાધનો અને શિક્ષણ વગેરેનો વ્યાપક વિકાસ થયો હોવા છતાં દલિતોની સામાજિક સ્થિતિમાં વિશેષ તબદીલી આવી ન હતી. જેની જીકર બાબાસાહેબ આંબેડકરે પણ તેમના લખાણોમાં કરી છે. ગુજરાતના દલિતો અને ૧૯મા સૈકામાં તેમની સ્થિતિ બાબતે ઘણા ઈતિહાસકારોએ તેમની કલમ દ્રારા તેમની દારુણ પરિસ્થિતિનું વર્ણન કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">૧૯મા સૈકામાં દલિતો અપમાનજનક સ્થિતિમાં જીવતા હતા. અસ્પૃશ્યતા, સમાજના ઉચ્ચ વર્ગો સાથે મર્યાદિત સામાજિક વિનિમય વગેરે દલિતો ભોગવતા હતાં. તેનો પુરાવો સુરતમાં મળે છે: ૧૮ ફેબ્રુઆરી ૧૮૪૩ના રોજ સુરતમાં એક વાલ્મિકી સમાજના વ્યક્તિ એ ત્યાંના પ્રસિદ્ધ સમાજ સુધારક શ્રી દુર્ગારામ મહેતાજીને ટોણો માર્યો હતો કે તમે મુસલમાનોને અડકો છો તો અમને કેમ નહિ? આ સમયે દલિતોનો શાળા પ્રવેશ તો નિષેધ હતો જ પણ અકસ્માતે કોઈ દલિતને શાળામાં પ્રવેશ અપાય તો બીજી જ્ઞાતિના વિદ્યાર્થીઓ શાળા છોડી જતાં. એક સંસ્થાએ અમદાવાદના હીરાબાગમાં પ્રીતિભોજન યોજેલું તેમાં ગયેલાઓએ જ્ઞાતિ બંધનના કારણે શરમ અનુભવવી પડેલી કે માફી માંગવી પડી હતી દલીતો સાથે વ્યવહાર રાખનાર સુધારક વૃતિના ભદ્રવર્ગીય નેતાઓનો પણ બહિષ્કાર થતો.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">૧૯મા સૈકા પૂર્વેનો દલિત ઈતિહાસ સામાજિક અવમાનનાની સાથે સામાજિક પરિવર્તનનો પણ સમય હતો. તે સાથે કેટલાક અગ્રગણ્ય સુધારકોએ અસ્પૃશ્યતા જેવાં મુદ્દાઓને હાથમાં લઇ તેની ચર્ચા શરુ કરી હતી. ઉદા. તરીકે સુરતના સમાજ સુધારક દુર્ગારામ મહેતાએ દલિતો સાથે માનવીય વ્યવહાર કરવા માટેની ચર્ચા શરુ કરી હતી. એજ રીતે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના વ્યાપક પ્રયત્નો અસ્પૃશ્યતા નિવારણ અને દલિત ઉત્કર્ષના રહ્યાં હતાં. દલિતો માટે શાળાઓ શરૂ કરવી અને તેનાં માટે માળખાકીય સુવિદ્યાઓ ઉભી કરવાની પહેલ મહારાજા સયાજીરાવ ગાયકવાડની રહી હતી. બાબાસાહેબ આંબેડકરને વિદેશ પ્રવાસ માટે વડોદરા રાજયએ કરેલી આર્થિક મદદનો ઈતિહાસ તો સુવિદિત છે જ. સયાજીરાવે ઈ.સ ૧૮૮૩ના વર્ષે દલિતો માટે શાળાઓ શરૂ કરવાના પ્રયત્નો કર્યા હતાં પરંતુ દલિત બાળકોને ભણાવવા માટે શિક્ષકો તૈયાર થતાં ન હતાં, તેનાં ઉપાય તરીકે મહારાજા સયાજીરાવ ગાયકવાડે પંજાબના અમૃતસરથી આર્યસમાજી આત્મારામ અમૃતસરીને વડોદરા તેડાવ્યાં અને દલિત શિક્ષણનું ભગીરથ કાર્ય શરુ થયું હતું. દલિત શિક્ષણની સાથે દલિત નેતાઓને વડોદરા રાજ્યની ધારાસભામાં નિયુક્ત કરી કલ્યાણ રાજ્યનો ઉત્તમ નમુનો પ્રસ્તુત કર્યો હતો. સયાજીરાવ પર આર્યસમાજનો ઊંડો પ્રભાવ હતો. તેમના માર્ગદર્શનમાં નાગજીભાઈ આર્ય અને ગોવિંદજી જેવાં દલિત આર્યસમાજીઓએ દલિત પ્રવૃત્તિઓને વેગ આપ્યો હતો. આ પૃષ્ઠભૂમિ પર વડોદરા રાજ્યના દલિતો શિક્ષણ અને સામાજિક ક્ષેત્રમાં સમગ્ર ગુજરાતમાં સર્વોપરી રહ્યાં હતાં.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(243, 16, 16); font-size: 14pt;"><strong>1857નો બળવો અને બહુજનોની ભાગીદારી</strong></span><br><span style="font-size: 14pt;">સન 1857નો સંગ્રામ ભારતીય ઇતિહાસની મહાનતમ ઘટનાઓ પૈકીની એક છે. આ સંગ્રામમાં શહેરો અને ગામડાઓથી લઇ દલિત, આદિવાસીઓએ પણ તેમનું યોગદાન આપ્યું હતું. ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈના સહાયક રહેલા ઝલકારીબાઈ તો આજે ભારતભરમાં પ્રસિદ્ધ થઇ રહ્યાં છે. તો સત્તાવનના સંગ્રામના પ્રથમ શહીદ મંગલ પાંડેના પ્રેરક તરીકે માતાદીન નામના વાલ્મિકી યુવાનની ભૂમિકાને પણ ઈતિહાસકારો સ્વીકારતા થયા છે. ૧૮૫૭ના સંગ્રામમાં આખા દેશમાં રોટી અને કમળના સંદેશ દ્રારા સમગ્ર દેશને ક્રાંતિના માર્ગે આંદોલિત કરવાનો હતો. તેમાં સંદેશાવાહક તરીકે વાલ્મિકીઓએ જવાબદારી વહન કરી હતી. તેઓ સંગ્રામના પ્રતિક એવાં રોટી અને કમળને ગામેગામ પહોંચાડી સંગ્રામનો વ્યાપ વધાર્યો હતો. કમનસીબે આવ મદદગાર દલિતોના નામો આજે પણ ઉપલબ્ધ નથી.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(243, 16, 16); font-size: 14pt;"><strong>શું ગાંધી આવ્યા પહેલા ગુજરાતના દલિતો નિર્લેપ અવસ્થામાં હતા?</strong></span><br><span style="font-size: 14pt;">સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મહાત્મા ગાંધીના ભારત આવ્યા પહેલા ગુજરાતના દલિતો ઈતિહાસ નિર્માણના સંદર્ભમાં નિર્લેપ અવસ્થામાં હતા પરંતુ તે સત્ય નથી. કેટલાક દાખલાઓ જોઈએ: મહાત્મા ગાંધી પૂર્વે પણ અમદાવાદના દલિતોએ તેમનો બળવાખોર મિજાજ દાખવ્યો હતો. સને ૧૮૯૫માં અમદાવાદના મિલ મજુરોએ હડતાલ પાડી હતી તેમાં દલિત મજૂરોનો પણ સિંહ ફાળો હતો. જ રીતે ૧૪ સપ્ટેમ્બર ૧૯૧૧ના રોજ સ્થાનિક વાલ્મીકીઓએ અમદાવાદ મ્યુનિસિપલના સફાઈ કામદારોએ ઐતિહાસિક હડતાલ પાડી હતી. તેમના નેતાઓને ઝંઝીરથી જકડી કોર્ટમાં રજુ કરવામાં આવ્યા અને એક માસની સખ્ત મજુરી સાથેની સજા કરી હતી ૧૯૧૭ માં અમદાવાદમાં મિલમજૂર આંદોલનમાં ગાંધીજીનો પ્રવેશ થયો એ પહેલા અમદાવાદમાં સ્થાનિક દલિત નેતૃત્વ તૈયાર જ હતું. તેમના સહારે જ ગાંધીવાદીઓ મજુર આંદોલનને વેગ આપી શક્યા હતા.</span><br><span style="font-size: 14pt;">સ્વતંત્રતા આંદોલનના સંદર્ભમાં ગુજરાતના સદર્ભમાં ૧૯૧૭નું વર્ષ ઘણું મહત્વનું છે. આ વર્ષે પંચમહાલ જીલ્લાના પાટનગર ગોધરામાં રાજકીય પરિષદના ભાગરૂપે  ૩ નવેમ્બર ૧૯૧૭ના રોજ અત્યંજ પરિષદ મળી હતી દલિત વસતિમાં યોજાયેલી પ્રસ્તુત પરિષદે ગુજરાતમાં અસ્પૃશ્યતા નિવારણના ક્ષેત્રમાં સીમા સ્તંભ રચ્યો હતો. પરિષદ પછી મહારાષ્ટ્રના ચિત્તપવન બ્રાહ્મણ મામાસાહેબ ફડકેએ દલિત બાળકોને ભણાવવા માટે ગોધરામાં શાળા શરુ કરી હતી. આ શાળાની નિશ્રામાં સેંકડો બાળકો ભણી રાષ્ટ્રવાદી માનસ ધરાવતા થયાં હતાં. તેમાંના કેટલાક તો સ્વતંત્રતા આંદોલન અને ગાંધીવાદી રચનાત્મક પ્રવુતિઓમાં ભાગ લઇ જેલવાસ પણ ભોગવ્યો હતો. ઉદા. તરીકે મહેન્દ્રભાઈ ચૌહાણ નામના વાલ્મિકી સમાજના યુવાને ૧૯૪૨ના હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઇ જેલવાસ ભોગવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(243, 16, 16);">અમદાવાદના મજૂર આંદોલનમાં દલિત મજૂરોનું યોગદાન સર્વોપરી હતું</span></strong></span><br><span style="font-size: 14pt;">૧૯૧૭ના વર્ષે જ અમદાવાદમાં મજુરોએ વેતન વધારાના ઉદ્દેશ્યથી હડતાલ પાડી હતી. જેને ગાંધીજીએ પણ સમર્થન આપ્યું હતું. સ્થાનિક નેતૃત્વ અને મજુરોના અભૂતપૂર્વ સહકારથી હડતાલ આંદોલનમાં તબદીલ થઇ હતી. ગાંધીજી, અનસુયાબેન સારાભાઇ, શંકરલાલ બેન્કર અને કેશવજી વાઘેલા જેવાં નેતાઓના સાનિધ્યમાં લાંબો સમય હડતાલ ચાલી હતી તેમાં અમદાવાદના મજૂરોનો વિજય થયો હતો, કારણકે મિલમાલિકોને વેતન વધારવાની ફરજ પડી હતી. અમદાવાદની મિલ મજુર ચળવળમાં અમદાવાદના દલિત મજુરોનું યોગદાન સર્વોપરી હતું. ૧૯૪૨ના હિન્દ છોડો આંદોલન દરમિયાન આંદોલનની તરફેણમાં મજુરો એ ત્રણ મહિનાની લાંબી હડતાલ પાડી હતી. જે મજુર પ્રવૃત્તિના ક્ષેત્રે કીર્તિમાન હતો.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">૧૯૨૦થી ૧૯૪૮નો ગાળો ભારતના ઇતિહાસમાં ગાંધી યુગ તરીકે ઓળખાય છે. તે દરમિયાન દલિત નેતૃત્વ અને દલિતોની સ્વતંત્રતા આંદોલનમાં સહભાગીદારીના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે. આ ગાળા દરમિયાન અસહકાર આંદોલન, સવિનય કાનુન ભંગ અને હિન્દ છોડો આંદોલન જેવાં મોટા આંદોલનો થયા હતાં. અસહકાર આંદોલન પહેલાં ગુજરાતમાં થયેલી પ્રવુતિઓથી મોટા આંદોલનોની ભૂમિકા ઉભી થઇ હતી.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(243, 16, 16); font-size: 14pt;"><strong>સ્વરાજ આંદોલનમાં ગુજરાતના દલિતોની ભાગીદારી</strong></span><br><span style="font-size: 14pt;">ગુજરાતમાં કેટલાક દલિત નેતાઓ ગાંધીયુગના પ્રારંભથી જ રાષ્ટ્રીય આંદોલનમાં સક્રિય હતાં. દા.ત પ્રાંતિજના પુરુષોત્તમ જેઠાલાલ સોલંકી. અસહકાર અને સવિનય કાનુન ભંગમાં તો ભાગ તો લીધો જ સાથે ૧૯૪૨ના હિન્દ છોડો આંદોલનમાં વધુ ઉગ્રતાથી ભાગ લીધો હતો. તેમને આંદોલનમાં ભૂગર્ભ પ્રવૃત્તિઓ પણ કરી હતી( સંજય પ્રસાદ: પૃષ્ઠ,૧૨૪-૧૨૫), ગુજરાતના દલિતોની સવિનય કાનુન ભંગ આંદોલન પછી દલિતોની સ્વતંત્રતા સંગ્રામમાં ભાગીદારી વધી હતી. ગુજરાતના દલિત સ્વતંત્રતા સૈનિકોમાં ગુરુજીના નામે પ્રસિદ્ધ થયેલાં મૂળદાસ વૈશ્ય સમતાવાદી અને  સમરસતાના પ્રતિક હતાં. ગુજરાતની સમન્વયવાદી પ્રવૃત્તિઓમાં તેમનું મહત્વનું યોગદાન છે. ઉદા. તરીકે ૧૯૨૦માં અમદાવાદમાં મળેલી ચોથી અંત્યજ પરીષદમાં તેમણે કહ્યું હતું કે, “દેશમાં અમે(દલિતો)પાંચમાં ભાગની વસતિ ધરાવીએ છીએ, સવર્ણ હિંદુઓ અમને દૂર રાખશે તો અમે દેશ માટે ઉપયોગી થઇ શકીશું નહિ. જેમ દૂધમાં પાણી સમાઈ જાય છે તેમ અમને તમારામાં સમાવી લો” દલિતોના ધર્મ પરિવર્તનનો પણ તેઓએ જબરદસ્ત વિરોધ કર્યો હતો. મૂળદાસ વૈશ્યએ આઝાદી આંદોલન દરમિયાન હિન્દ છોડો આંદોલન અને દલિતોના મંદિર પ્રવેશ સત્યાગ્રહ કે મોટર સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. સમયાંતરે ગુજરાત અને મૂળ ગુજરાતના પણ મુંબઈમાં નિવાસ કરતાં અંદાજે ૮૪ જેટલાં દલિત સ્ત્રી-પુરુષોએ સ્વરાજ્ય યજ્ઞમાં ભાગ લીધો હતો. જેમાં રામજીભાઈ બઢિયા, જયંતિભાઈ ગોહિલ, ગોવિંદભાઈ શિણોલ, શ્યામજી નાનજી મારવાડી, લાલજીભાઈ પરમાર, લાલજીભાઈ કાળીદાસ પરમાર, છગનલાલ જાદવ, નાગજીભાઈ આર્ય, લક્ષ્મીબેન મારુતીદાસ, જેઠીબેન વણકર, નિર્મળાબેન દુધાભાઈ સોલંકી વગેરેનો સમાવેશ થાય છે. ટૂંકમાં સ્વરાજ્ય આવ્યું ત્યાં સુધી દલિતોની આઝાદીના યજ્ઞમાં ભાગીદારી વધતી રહી હતી.</span></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(255, 3, 30);"><strong>આગળ વાંચોઃ</strong></span> <span style="color: rgb(43, 26, 235);"><a href="https://khabarantar.com/Know,-enjoy,-understand-and-explain-Indian-Constitution" style="color: rgb(43, 26, 235);"><span style="text-decoration: underline;"><strong>ભારતીય બંધારણઃ જાણો, માણો, સમજો અને સમજાવો</strong></span></a></span></span></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધીજીએ સુરાજ્યના સ્વપ્ન સાથે અમદાવાદમાં આશ્રમની સ્થાપના કરી હતી. તેનું નામ તેમણે હરીજન આશ્રમ આપ્યું હતું. ગુજરાતભરમાં આશ્રમો સ્થાપી દલિતો માટે શાળાઓ ચરખા કેન્દ્રો સાથે મામાસાહેબ ફડકે, અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કરબાપા, પરીક્ષિતલાલ મજુમદાર, ઇન્દુલાલ યાજ્ઞિક જેવાં અનેક રચનાત્મક કાર્યકરોની નિશ્રામાં આખા ગુજરાતમાં દલિત ઉત્કર્ષની પ્રવુતિઓનો વ્યાપ વધ્યો અને સેંકડોની સંખ્યામાં દલિત કાર્યકરો તૈયાર થયાં હતાં. જેમાં કેશવજી વાઘેલા, પુરુષોત્તમ સોલંક, મૂળદાસ વૈશ્ય, છબીલદાસ ગુર્જર, નાગરદાસ શ્રીમાળી જેવા દલિત કાર્યકરો મુખ્ય હતાં. ગાંધીવાદી દલિત કર્મશીલોએ મહાત્મા ગાંધીના વિચારોના પાયા પર અત્યંજ પરિષદો, દલિતોના સામાજિક મેળાવડાઓ વગેરેના આયોજન દ્રારા અસ્પુશ્યતા નિવારણ અને દલિત ઉદ્ધારના ક્ષેત્રે ભગીરથ કામ કર્યું હતું. આઝાદી બાદ પણ દલિત સમાજનું નેતૃત્વ ગાંધીવાદી દલિત નેતાઓએ જ ઉપાડયું હતું.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(243, 16, 16); font-size: 14pt;"><strong>ગાંધીવિચાર સામે બાથ ભીડી આંબેડકરી વિચારનો ગુજરાતમાં પ્રવેશ</strong></span><br><span style="font-size: 14pt;">બાબાસાહેબ આંબેડકર આધુનિક ભારતના ઇતિહાસનું વિરાટ વ્યકિતત્વ છે. ૨૦મા સૈકાના બીજા દાયકાથી તેઓ રાષ્ટ્રીય નેતા તરીકે ઉભરી રહ્યાં હતાં. દલિતોના માનવીય હક્કો માટેની તેઓની પ્રવૃત્તિઓ મહારાષ્ટ્રના સીમાડા ભેદી ગુજરાતને પણ સ્પર્શી હતી. તેનું મૂળ કારણ ગુજરાતથી મુંબઈમાં સ્થળાંતરિત થયેલાં ગુજરાતી દલિતોનો સહવાસ હતો. મુંબઈના ગુજરાતી દલિતો મુંબઈમાં રહેતા હોવાથી તેઓ આંબેડકરી પ્રવૃત્તિઓથી પ્રભાવિત થયા અને ટૂંક જ સમયમાં આંબેડકરી વિચારો ગુજરાત પહોંચ્યા હતાં. તેમાં ડોકટર પુરુષોત્તમ ગોવિંદજી સોલંકી, છત્રસિંહ લાલજી ઊંટેકર, છબીલદાસ સુખાભાઈ માસેકર, ગોવિંદજી ટાભાભાઈ પરમાર, ઝીણાભાઈ મુળજીભાઈ રાઠોડ, નાનજી મારવાડી ગુજરાતમાં આંબેડકરી વિચારોનો ફેલાવો કરનારા પ્રારંભિક ગુજરાતી દલિતો હતા.(જ્યોતિકર, પૃષ્ઠ ૧૩૦-૩૨) તેઓએ ગુજરાતમાં શાળાઓ, છાત્રાલયો, દલિત મંડળો,ગ્રંથાલયો, જાતિના મુદ્દે દલિતો સાથે અન્યાય જેવાં મુદ્દાઓ ઉપાડી ગુજરાતમાં આંબેડકરી વિચારને ધબકતો કર્યો હતો. આંબેડકરી વિચારપ્રવાહમાં સમયાંતરે સેંકડો દલિત યુવાનો સંકળાયા હતાં. છતાં એક વાત ખાસ ઉલ્લેખનીય છે કે ગુજરાતના દલિતો પર  ૧૯૮૧-૮૫ના અનામત વિરોધી રમખાણો* સુધી બાબાસાહેબ આંબેડકર કરતાં મહાત્મા ગાંધીનો પ્રભાવ વિશેષ હતો. આઝાદી પૂર્વે ગાંધીવાદી દલિતો અને આંબેડકરવાદી દલિતો વચ્ચે વૈચારિક ટક્કર પણ જોવા મળતી હતી. એનું ઉદાહરણ બાબાસાહેબની અમદાવાદ મુલાકાત દરમિયાન જોવા મળે છે. કોંગ્રેસી દલિતોએ કાલુપુર રેલ્વે સ્ટેશને કાળા વાવટા દેખાડી ડો. આંબેડકરનો વિરોધ કર્યો હતો. છતાં સમય સાથે બાથ ભીડી આંબેડકરી વિચાર ગુજરાતમાં ગુંજતો થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">પ્રસ્તુત લેખમાં આપણે ગુજરાતના દલિતોનો રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં ભાગીદારીનો ઈતિહાસ જોયો. સન સત્તાવનના સંગ્રામથી લઇ આઝાદી આવી ત્યાં સુધી ગુજરાતના દલિતો વિવિધ વિચારધારાઓના પ્રભાવમાં સ્વતંત્રતા સંગ્રામમાં વૈવિધ્યસભર ભૂમિકા અદા કરતાં જણાય છે. રાષ્ટ્રના આઝાદીના જંગમાં ગુજરાતના દલિતોનું માતબર યોગદાન હોવા છતાં  ગુજરાતના દલિતોનો ઈતિહાસ અવગણાયેલો છે. તેમના ઈતિહાસને દલિતોના દ્રષ્ટિકોણથી છાનબીન કરવાના પ્રયાસો ચાલુ છે. આપણે આશા રાખીએ કે ગુજરાતના દલિતોના રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં યોગદાનને લગતો સર્વાંગી અને પ્રમાણભૂત ઈતિહાસ જલ્દી ઉપલબ્ધ થાય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(255, 3, 30);"><strong><span style="font-size: 14pt;">(લેખક ગુજરાત યુનિ.ના ઈતિહાસ વિભાગના અધ્યક્ષ અને દલિત-આદિવાસી સમાજના ઈતિહાસના તલસ્પર્શી અભ્યાસુ છે)                                                </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 8pt;">સંદર્ભ ગ્રંથો</span><br><span style="font-size: 8pt;">૧. મહેતા મકરંદ, હિંદુ વર્ણ વ્યવસ્થા, સમાજ પરિવર્તન અને ગુજરાતના દલિતો, અમદાવાદ, ૧૯૯૩ </span><br><span style="font-size: 8pt;">૨. જ્યોતિકર પી.જી. - ગુજરાતમાં આંબેડકરી ચળવળનો ઈતિહાસ, ગાંધીનગર, ૧૯૯૧ </span><br><span style="font-size: 8pt;">૩. ઓઝા ઈશ્વરલાલ, તથાત્વ, વિસનગર, ૨૦૦૮ </span><br><span style="font-size: 8pt;">૪. પ્રસાદ સંજય અને અન્ય, ગુજરાતની અનુસૂચિત જાતિની ચળવળોનો ઈતિહાસ, અમદાવાદ, ૨૦૧૯ </span><br><span style="font-size: 8pt;">૫ પંડયા કમળાશંકર, વેરાન જીવન(આત્મકથા), વડોદરા, ૧૯૭૪  </span><br><span style="font-size: 8pt;">૬ યાજ્ઞિક ઇન્દુલાલ, આત્મકથા, ભાગ ૨-૩, અમદાવાદ </span><br><span style="font-size: 8pt;">૭ બેન્કર શંકરલાલ, ગાંધીજી અને મજુર પ્રવૃત્તિ, અમદાવાદ, ૧૯૬૫ </span><br><span style="font-size: 8pt;">૮ વાઘેલા અરુણ, ઈતિહાસ દર્પણ(લેખ સંગ્રહ), અમદાવાદ, ૨૦૦૬ </span><br><span style="font-size: 8pt;">૯ શાહ કાન્તિલાલ, ઠકકરબાપા, દિલ્હી, ૧૯૫૫ </span><br><span style="font-size: 8pt;">૧૦ Patel Sujata, The Making of Industrial relation : Ahmadabad Textile industries 1918-38, Delhi, 1988 </span><br><em><strong>નોંધઃ અત્રે ‘અનામત વિરોધી પ્રવૃત્તિઓ’ને ‘આંદોલન’ નહિ પણ ‘રમખાણ’ કહેવાનું પસંદ કર્યું છે. કારણકે આંદોલન કોઈપણ સ્થાપિત સત્તાના કોઈ કાર્યોના વિરોધમાંથી પેદા થાય છે, એ રીતે અનામતનો વિરોધ આંદોલન બનતો નથી પણ આંદોલન શબ્દ પોતાનું મહત્વ ગુમાવી દે છે.</strong></em></p>
<p style="text-align: justify;"><em><strong><span style="font-size: 14pt;"><span style="color: rgb(255, 3, 30);">આગળ વાંચોઃ </span></span></strong></em><span style="font-size: 14pt;"><a href="https://khabarantar.com/Meet-Indias-first-Dalit-billionaire-Padma-Shri-Rajesh-Saraiya,-whose-company-has-an-annual-turnover-of-Rs.-26.42-billion"><span style="color: rgb(43, 26, 235);"><strong>મળો ભારતના પહેલા દલિત અબજોપતિ પદ્મશ્રી Rajesh Saraiyaને, જેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર છે રૂ. 26.42 અબજ!</strong></span></a></span></p>
<div class="post-meta"></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 03 Nov 2023 20:00:57 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>88</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_6545021f54539.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_6545021f08de4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_6545021f08de4.jpg" length="64581" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ધનવાનો શોષણને પોતાનો ઈશ્વરદત્ત અધિકાર સમજે છે</title>
                    <link>https://khabarantar.com/Exploitation-of-the-rich-considers-Iswardatta-his-right</link>
                    <guid>https://khabarantar.com/Exploitation-of-the-rich-considers-Iswardatta-his-right</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">ધનવાનો હંમેશાં માને છે કે કર્મચારીઓ, કામદારો, ગુમાસ્તા, મજૂરો, ખેતમજૂરો ફેરિયાઓ, લારીવાળા, પાથરણાંવાળા, રેંકડી ચલાવનારા વગેરે કામચોરી કરે છે કે મહેનત કરતા જ નથી. ઘણા પત્રકારો, લેખકો, સાહિત્યકારો, સ્થપતિઓ, ડોક્ટરો, વકીલો, ઇજનેરો, અધ્યાપકો અને શિક્ષકો જેવા અનેક વ્યવસાયીઓ પણ આ ધનવાનોની માન્યતાને ટેકો આપે છે. તેઓ ઘણી વાર આ ધનવાનોનો હિસ્સો હોય છે એટલે પણ અથાગ શારીરિક કે માનસિક શ્રમ કરનારા પ્રત્યે તેઓ ઘૃણાની નજરે જોતા હોય છે, અથવા તો આ બધા વ્યવસાયીઓ પણ એમ સમજે છે કે ગરીબો ગરીબ છે એનું કારણ ગરીબો પોતે છે. કોઈ શોષણ થઈ રહ્યું છે એ જોવા, સમજવા કે તેનો વિરોધ કરવા મોટા ભાગના વ્યવસાયીઓ તૈયાર થતા નથી.</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકારો પણ મોટે ભાગે આ ધનવાનોની હોય છે; અથવા તો ધનવાનોના અંકુશ હેઠળ હોય છે, અથવા સરકારમાં આવ્યા પછી ગરીબો ધનવાન થઈને ગરીબોનો જ વિરોધ કરે છે અને શોષક વ્યવસ્થાનો ભાગ બને છે. એટલે સરકારોના કાયદા અને નિયમો પણ શોષણ દૂર કરનારા હોય તો પણ એમનો ઝાઝો અમલ થતો નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધનવાનો ધનવાન બને છે તે માત્ર તેમની મહેનત કે મૂડીને લીધે નહિ પણ એ બધાની મજૂરીને લીધે પણ, એ વાત તેઓ બહુ જ સગવડતાથી ભૂલી જાય છે, કારણ કે તેમને એમનું શોષણ કરવા માટે આ બહાનું મળે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મજૂરો આઠ જ કલાક કામ કરે, કામ દરમ્યાન વાગે તો સારવાર મળે, મૃત્યુ થાય તો વળતર મળે, પેન્શન મળે વગેરે અનેક કાયદા હોવા છતાં ધનવાન માલિકો અને સરકારો એનું પાલન કરતાં નથી. શોષણની વ્યવસ્થામાં સરકારો, વ્યવસાયીઓ અને ધનવાનોની મિલીભગત હોય છે. આ હકીકત છે, ભારતમાં તો છે જ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વ્યવસ્થા સામે લડો તો તમને માર્ક્સવાદી, સમાજવાદી, સામ્યવાદી અને ગાંધીવાદી વગેરે વિશેષણોથી નવાજવામાં આવે. આજકાલ એમને હવે દેશદ્રોહી, વિકાસદ્રોહી, અર્બન નક્સલ, હિંદુ રાષ્ટ્ર વિરોધી કહેવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;">RSS, ભાજપ અને હિંદુ રાષ્ટ્રના સમર્થકો એમ વારંવાર કહે છે હિંદુ સંસ્કૃતિ તો ફરજ પ્રધાન છે, અધિકાર પ્રધાન નહિ. પણ શોષણ ન કરવાની ફરજ ધનવાનો અને વ્યવસાયીઓ ન નિભાવે અને સરકારો સાંભળે નહિ તો શોષકો પોતાના અધિકાર માટે લડે કે નહિ? </span></p>
<ul style="text-align: justify;">
<li style="text-align: justify; font-size: 14pt; font-weight: bold; color: rgb(243, 16, 16);"><span style="color: rgb(243, 16, 16);"><strong><span style="font-size: 14pt;">હેમંતકુમાર શાહ (લેખક વિખ્યાત અર્થશાસ્ત્રી અને અમદાવાદની H.K. આર્ટ્સ કોલેજના પૂર્વ આચાર્ય છે.)</span></strong></span></li>
</ul>
<p style="text-align: justify;"><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;"><span style="color: rgb(243, 16, 16); text-decoration: underline;">આ પણ વાંચો</span>: </span></strong><a href="https://khabarantar.com/Gurukilli-of-Power:-Dalitjan,-Bahujan,-Sarvajan"><strong><span style="font-size: 14pt;">સત્તાની ગુરૂકિલ્લી: દલિતજન, બહુજન, સર્વજન</span></strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 03 Nov 2023 12:24:12 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>87</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_65449701ae747.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_654497013c07f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_654497013c07f.jpg" length="111306" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપ ચૂંટણી પ્રચારમાં ડો. આંબેડકરને યાદ કરે છે, પરંતુ ભારતીય દૂતાવાસોમાં તેમની કોઈ તસવીર નથી</title>
                    <link>https://khabarantar.com/In-the-BJP-election-campaign,-Dr.-Ambedkar-is-remembered,-but-there-are-no-pictures-of-him-in-Indian-embassies</link>
                    <guid>https://khabarantar.com/In-the-BJP-election-campaign,-Dr.-Ambedkar-is-remembered,-but-there-are-no-pictures-of-him-in-Indian-embassies</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">14 ઓક્ટોબર, 2023ના રોજ અમેરિકામાં એક મહત્વપૂર્ણ તક ઊભી થઈ. વ્હાઇટ હાઉસથી થોડે દૂર ભારતીય-અમેરિકન આંબેડકરવાદીઓએ દલિતોની પરિવર્તનકારી યાત્રાની ઉજવણી કરતા ધમ્મ ચક્ર પ્રવર્તન દિવસ નિમિત્તે ડો. બાબાસાહેબ આંબેડકરની 'સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી' (સમાનતાની પ્રતિમા)નું અનાવરણ કર્યું હતું.</span></strong></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(243, 16, 16);">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/Know,-enjoy,-understand-and-explain-Indian-Constitution"><span style="font-size: 14pt;">ભારતીય બંધારણઃ જાણો, માણો, સમજો અને સમજાવો</span></a></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એવું લાગે છે કે આ સીમાચિહ્ન અને તેનું ઐતિહાસિક મહત્વ હોવા છતાં ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેને ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. આવી અજ્ઞાનતા એક કરૂણ પ્રશ્ન ઉભો કરે છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યાય અને સામાજિક ઉત્થાનના આ સ્મારક પ્રતીકને શા માટે સ્વીકાર્યું નથી જે સરહદો ઓળંગીને છેક વિદેશોમાં પહોંચી ચૂક્યું છે.? તે માત્ર પ્રતિમા નથી; આ આંબેડકરના શાશ્વત વારસા અને તેમના આદર્શોના વૈશ્વિક પડઘાનું પ્રમાણ છે. આવી સિદ્ધિઓને માન્યતા આપવી એ યોગદાનને સ્વીકારવું છે જે વિશ્વ મંચ પર ભારતને ગૌરવ અપાવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી આપણને યાદ અપાવે છે કે ન્યાય અને સમાનતાની શોધમાં કોઈ સીમા નથી અને તે એક તક હતી જેના પર ખાસ કરીને ભારતીય નેતૃત્વ તરફથી વધુ ધ્યાન આપવાની જરૂર હતી. જોકે, એવું લાગતું હતું કે મોદી અને તેમની સરકારનું ધ્યાન બીજે કેન્દ્રિત હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડાપ્રધાનની એ દિવસની વિવિધ સોશિયલ મીડિયા પોસ્ટમાં ક્યાંય પણ આ ઐતિહાસિક ઘટનાનો ઉલ્લેખ જોવા મળતો નથી.  તેમની X-ફીડ (ટ્વીટર) હિંદુ દેવી-દેવતાઓને લગતા વિષયોથી ભરેલી હતી. માં દુર્ગાને શુભેચ્છા આપવાથી માંડીને FIDE વર્લ્ડ જુનિયર રેપિડ ચેસ ચેમ્પિયનશિપ 2023 સ્વીકારવા અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર નાથ પાંડેને જન્મદિવસની શુભેચ્છાઓ આપવા સુધી તેમનું ધ્યાન વિવિધ વિષયો પર વેરવિખેર જોવા મળ્યું હતું. પણ ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની આ પ્રતિમા વિશે તેમણે શબ્દ નથી ઉચ્ચાર્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(243, 16, 16);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:</span></strong></span><a href="https://khabarantar.com/Statue-Of-Equality:-In-America,-Dr.-Babasaheb-Ambedkars-Tallest-Statue-Unveiled,-Ceremony-Resounds-With-Jai-Bhima-Naad"><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;">Statue Of Equality: અમેરિકામાં થયું ડો. બાબાસાહેબ આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ, સમારોહ જય ભીમના નાદથી ગૂંજી ઉઠ્યો</span></strong></span></a></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંબેડકર, જેમણે પ્રતિષ્ઠિત આઇવી લીગ સંસ્થામાં તેમના શૈક્ષણિક કાર્યોને આગળ ધપાવીને અમેરિકાની ધરતી પર પ્રથમ જાણીતા દલિત તરીકે પોતાનું સ્થાન બનાવ્યું હતું, તે આજે અદમ્ય ભાવનાના પ્રતીક અને અસંખ્ય પેઢીઓ માટે આશાના કિરણ તરીકે ઊભરી રહ્યાં છે. 1913માં કોલંબિયા યુનિવર્સિટીના પવિત્ર કેમ્પસમાં તેમના પ્રારંભિક પગલાએ સૌથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો, ખાસ કરીને દલિતોના હિતોની રક્ષા કરવાનો માર્ગ મોકળો કર્યો, જેમને અત્યાર સુધી 'અસ્પૃશ્ય' તરીકે એક તરફ ધકેલી દેવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે ભારતીય કોન્સ્યુલેટ અથવા ભારત સરકારની વિનંતી પર અમેરિકામાં મહાત્મા ગાંધીની અસંખ્ય પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. તેનાથી તદ્દન વિપરીત, આંબેડકરનો વારસો ભારતીય ઉપખંડની બહાર સંબંધિત અસ્પષ્ટતામાં રહેલો છે. એક માર્મિક અસંગતતા ત્યારે ઊભી થાય છે જ્યારે કોઈ માને છે કે ભાજપ ચૂંટણી પ્રચાર દરમિયાન આંબેડકરનું નામ મોટેથી બોલાવે છે, ત્યારે વિદેશમાં તેના દૂતાવાસો ઘણીવાર તેમના કેમ્પસમાંથી તેમનો ફોટો હટાવી દે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોદી વારંવાર દાવો કરે છે કે આંબેડકર વિના, તેઓ વડાપ્રધાન પદ પર ન હોત. તેમણે જાહેરમાં આ ઐતિહાસિક પગલાંને સ્વીકાર્યા નથી, જ્યારે કે કેટલીક સંસ્થાઓમાં નાની ઘટનાઓએ તરત જ તેમનું ધ્યાન ખેંચ્યું હતું. શું ભારતને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્વપ્નદ્રષ્ટા આંબેડકર દેશના સર્વોચ્ચ પદાધિકારી તરફથી વધુ માન્યતાને પાત્ર નથી?  </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય અમેરિકન આંબેડકરવાદીઓ બહિષ્કારના પડછાયામાં ઉભા છે, રાહ જોઈ રહ્યાં છે કે મોદી તેમને ઓળખે અને તેમના સોશિયલ મીડિયા પેજ પર તેઓને યોગ્ય જગ્યા આપે. શું આ કાયમી ‘અસ્પૃશ્યતા’, વૈશ્વિક મંચ પરનું આ અકલ્પનીય મૌન, પરિવર્તન અને સ્વીકૃતિના પવનને ક્યારેય જન્મ આપશે?</span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 02 Nov 2023 13:06:44 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 02 Nov 2023 13:08:15 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>83</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_65434f2378b76.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_65434f2341bba.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_65434f2341bba.jpg" length="165169" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>બ્રાહ્મણવાદ સામેની લડાઈમાં કેવી રીતે ઉપયોગી છે પેરિયારનું ‘સાચી રામાયણ’ પુસ્તક?</title>
                    <link>https://khabarantar.com/How-is-Periyars-book-Sachi-Ramayana-useful-in-the-fight-against-Brahminism</link>
                    <guid>https://khabarantar.com/How-is-Periyars-book-Sachi-Ramayana-useful-in-the-fight-against-Brahminism</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="color: rgb(245, 16, 10);"><strong><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">- R. K. Parmar</span></span></strong></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">તેમની ઓળખ માટે પેરિયાર નામ જ કાફી છે. એક બેબાક વ્યક્તિત્વ જેમણે દક્ષિણ ભારતમાં ખૂબ જ આક્રમક રીતે મૂળનિવાસી એટલે કે દ્રવિડ આંદોલનને પ્રસ્થાપિત કર્યું. પોતાની અનોખી નેતૃત્વ ક્ષમતા અને આક્રમક અમલીકરણના લીધે પેરિયારે દક્ષિણ ભારતમાં હિંદુત્વની વિચારધારાને ભોંયભેગી કરી દીધી હતી. આજેપણ સમગ્ર ભારતમાં હિન્દુત્વનો સૂર્ય મધ્યાહને તપતો હોવા છતાં પણ પેરિયારના તમિલનાડુની ધરતી ઉપર હિન્દુત્વનો સૂર્ય ઉગી પણ</span><span lang="GU" style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">શકતો નથી.</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14.0pt; font-family: 'inherit','serif'; mso-fareast-font-family: 'Times New Roman'; mso-bidi-font-family: 'Segoe UI Historic'; color: #050505; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;"><o:p> </o:p></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">જેટલી આક્રમક પેરિયારની રાજનીતિ રહી છે એટલું જ આક્રમક તેમનું લખાણ રહ્યું છે. તમારે તેમના શબ્દોને વાંચવા</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">સમજવા અને અમલમાં મૂકવા માટે ફકત સમજણની જ નહિ પણ મજબૂત મનોબળની પણ જરૂર પડશે. પેરિયાર જ્યારે ભાષણો આપતા ત્યારે તેમના ભાષણોને અસહનીય દર્શાવી ઠેર ઠેર વિરોધ કરવામાં આવતો એટલે વિચારી લો કે તેમના શબ્દો કેટલા કઠોર હશે</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">?</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14.0pt; font-family: 'inherit','serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #050505; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;"><o:p> </o:p></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">હિન્દુઓએ રામના નામે જે ગંદી રાજનીતિને હાલ અમલમાં મૂકી છે તેનો તોડ ડૉ.બાબાસાહેબ આંબેડકર અને પેરિયાર જ છે. તમારે હિન્દુત્વ સામે લડવા માટે બહુજન મૂવમેન્ટનાં ત્રણ પુસ્તકોનો ખાસ અભ્યાસ કરવો જોઈએ.</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);"></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><i><span style="font-family: 'inherit', 'serif'; color: red;">(</span></i><i><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">૧) જોતિબા ફૂલેનું </span></i><i><span style="font-family: 'inherit', 'serif'; color: red;">‘</span></i><i><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">ગુલામગીરી</span></i><i><span style="font-family: 'inherit', 'serif'; color: red;">’</span></i><i><span style="font-family: 'inherit', 'serif'; color: red;"><o:p></o:p></span></i></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><i><span style="font-family: 'inherit', 'serif'; color: red;">(</span></i><i><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">૨) ડૉ.બાબાસાહેબ આંબેડકરનું </span></i><i><span style="font-family: 'inherit', 'serif'; color: red;">‘</span></i><i><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">જાતિનો વિનાશ</span></i><i><span style="font-family: 'inherit', 'serif'; color: red;">’</span></i><i><span style="font-family: 'inherit', 'serif'; color: red;"><o:p></o:p></span></i></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><i><span style="font-family: 'inherit', 'serif'; color: red;">(</span></i><i><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">૩) પેરિયાર રામાસામીનું </span></i><i><span style="font-family: 'inherit', 'serif'; color: red;">‘</span></i><i><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">સાચી રામાયણ</span></i><i><span style="font-family: 'inherit', 'serif'; color: red;">’<o:p></o:p></span></i></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><i><span style="font-family: 'inherit', 'serif'; color: red;"></span></i></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Segoe UI Historic', 'sans-serif'; color: rgb(5, 5, 5);"><o:p> </o:p></span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">આ ત્રણ પુસ્તકો હિંદુ ધર્મની જાતિ વ્યવસ્થા</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">તેના કારણો</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">તેને દૂર કરવાના ઉપાયો અને તે ટકાવી રાખનારા પરિબળો વિશે સંપૂર્ણ માહિતી આપે છે.</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14.0pt; font-family: 'inherit','serif'; mso-fareast-font-family: 'Times New Roman'; mso-bidi-font-family: 'Segoe UI Historic'; color: #050505; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;"><o:p> </o:p></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">પેરિયારની </span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">‘</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">સાચી રામાયણ</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">’</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);"> હિંદુત્વની જીવલેણ બિમારીનો અક્સીર ઈલાજ છે. આજે જ્યારે દેશમાં જય શ્રીરામનો નારો ના બોલો તો જીવ લઈ લેવામાં આવે છે</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">રામના નામે રાજકારણ ચલાવવામાં આવે છે</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">રામના નામે સત્તા મેળવવામાં આવે છે ત્યારે આ રામ અને તેની મૂળ વાર્તા હકીકતમાં શું છે તે જાણવા માટે તમારે </span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">‘</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">સાચી રામાયણ</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">’</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);"> વાંચવી પડશે.</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">રામ</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">રાવણ</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">સીતા</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">હનુમાન</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">દશરથ આ બધા પાત્રો હકીકતમાં</span><span lang="GU" style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">હતા કે નહિ અને તેમનું મૂળ વાર્તામાં કઈ રીતે નિરૂપણ કરવામાં આવ્યું હતું તે જાણવા માટે તમારે </span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">‘</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">સાચી રામાયણ</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">’</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);"> વાંચવી રહી.</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">રામ અને રાવણની વાર્તા મૂળ શું છે</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">? </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">આ વાર્તાને બ્રાહ્મણો દ્વારા કેવી રીતે મહત્વ આપવામાં આવ્યું અને કેવી રીતે લોકોના જનમાનસમાં તેને એક ધર્મગ્રંથ અને ઇતિહાસ તરીકે સ્થાપિત કરવામાં આવી, શું હકીકતમાં રાવણે સીતાનું અપહરણ કર્યું હતું કે પછી સીતા સ્વયં રાવણ પાછળ ચાલીને લંકા ગયા હતા</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">?</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">શું તમે જાણો છો કે રાવણની પ્રતિભા અને જાહોજલાલીથી ખુદ સીતા અને હનુમાન પણ અંજાઈ ગયા હતા</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">?</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">રાવણની લંકા સળગાવવા</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">રાવણની હત્યા કરવા</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">બધા રાક્ષસોને મારવા માટેનું સાચું કારણ શું હતું</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">?</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">યજ્ઞ</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">આર્યો</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">રાક્ષસો</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">દ્રવિડો</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">સુર</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">અસુર વગેરે શબ્દોનો સાચો અર્થ શું થાય છે</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">? </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">રામને જંગલમાં મોકલવાનો સાચો હેતુ વનવાસ હતો કે રાક્ષસોનો વધ કરવાનો હતો</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">?</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">જે રામના પાયા ઉપર બ્રાહ્મણવાદે આજે હિંદુત્વનું સામ્રાજ્ય ઉભુ કર્યું છે એ રામ અને તેમના અનુયાયીઓનું ઝીણવટભર્યું અને સચોટ નિરૂપણ પેરિયાર રામાસામીએ </span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">‘</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">સાચી રામાયણ</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">’</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);"> માં કર્યું છે. ૪૦ વર્ષોના સખત અધ્યયન અને અવલોકન બાદ આ પુસ્તક લખવામાં આવ્યું છે. માટે જ બહુજન મૂવમેન્ટ માટે આ સૌથી મહત્વપૂર્ણ પુસ્તકોમાનું એક પુસ્તક છે. બ્રાહ્મણવાદ સામે લડવા માંગતા દરેક વ્યક્તિએ આ પુસ્તકનું અધ્યયન જરૂર કરવું જોઈએ. પેરિયાર દ્વારા આ પુસ્તકમાં રામાયણની મૂળ વાર્તા</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">તેમાં સમયાંતરે થયેલા સુધારાઓ</span><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">તેના પાત્રોની વાસ્તવિકતાઓ અને બ્રાહ્મણો અને હિંદુઓ દ્વારા તેને આપવામાં આવેલા ષડયંત્રકારી મહત્વને ખૂબ જ વિશ્લેષણત્મક રીતે રજૂ કરવામાં આવ્યા છે.</span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);"></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span style="font-family: 'inherit', 'serif'; color: rgb(5, 5, 5);"><o:p></o:p></span></span><span style="font-size: 14pt;"><strong><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);">(<em>લેખક બહુજન સાહિત્યના અભ્યાસુ અને બહુજન ચેનલ RK Studiozના ફાઉન્ડર છે</em>)</span></strong><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);"></span></span><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);"></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><strong><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(5, 5, 5);"></span></strong></span></p>
<p><span style="font-size: 14pt;"><span style="color: rgb(255, 3, 30);"><strong><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આગળ વાંચોઃ </span></strong></span><a href="https://khabarantar.com/What-did-E.-V.-Ramasamy-Periyar-believe-about-Hindu-Gods-and-scriptures"><span style="text-decoration: underline; color: rgb(43, 26, 235);"><strong>E. V. Ramasamy Periyar હિંદુ દેવી-દેવતાઓ અને ધર્મગ્રંથો વિશે શું માનતા હતા?</strong></span></a></span></p>
<div class="post-meta"></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 02 Nov 2023 10:20:31 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 01 Nov 2023 21:07:15 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>82</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_65426fceb9a43.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_65426fce83555.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_65426fce83555.jpg" length="59496" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>શું અનામત ગરીબી દૂર કરવાની કોઈ યોજના છે?</title>
                    <link>https://khabarantar.com/Is-there-any-poverty-alleviation-plan-in-reserve</link>
                    <guid>https://khabarantar.com/Is-there-any-poverty-alleviation-plan-in-reserve</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પહેલી વાત તો એ કે અનામત એ ગરીબી દૂર કરવાની કોઈ યોજના નથી. અનામત માટે બંધારણમાં </span><span lang="EN-US">‘</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પ્રતિનિધ્વ</span><span lang="EN-US">’</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';"> શબ્દપ્રયોગ કરાયો છે. અનામતનું</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નામ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આવે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એટલે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કેટલાંકને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">રીતસરનું</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પેટમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">દુઃખવાનું</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ચાલું</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">થઈ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જાય છે,</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ક્યારેય</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શું</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કેમ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મળી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વિશે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વિચાર</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કરતા નથી અને અજ્ઞાન લઈને દલીલ કરવા આવી જતા હોય છે.<o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';"></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ભારતની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આઝાદી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પૂર્વેથી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ભારતની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પ્રજા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ભાગમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વહેંચાયેલી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">હતીઃ એક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જાતિવાદના</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કારણે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શોષિત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ગ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બીજો શોષક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ગ. જાતિવાદ એ હદે વ્યાપ્ત હતો કે એક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ચોક્કસ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ગને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શિક્ષણ</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મિલકત, સામાજીક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મોભો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મળે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એવી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">દરેક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બાબતથી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">હજારો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ષો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સુધી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">દૂર</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">રાખ્યા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">હતાં. જેના કારણે સમાજમાં અસમાનતાની મોટી ખાઈ પેદા થઈ હતી. એક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સમાજ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પાસે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મિલકત</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જમીન</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પૈસા</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શિક્ષણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એમ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બધું</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">હતું</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સમાજ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પાસે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ગની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ગુલામી કરવા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સિવાય</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કંઈ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નહોતું. તનતોડ મહેનત કર્યા પછી પણ સરખું બે ટંકનું ભોજન નહોતું મળતું. પરિણામે એક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ચોકકસ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શોષિત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સમાજ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ભારતની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આઝાદી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પછી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એ શોષક વર્ગની બરાબરી ન કરી શક્યો. બંધારણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બનાવનારને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બાબત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ખબર</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">હતી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એટલે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બંધારણમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામતની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બાબત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ઉમેરી</span><span lang="EN-US">. </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સમાજને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામતનો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">લાભ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નથી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મળ્યો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સમાજ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">તેમની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સાથે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અન્યાય</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">થયો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">હોવાની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ફરિયાદ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કર્યા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કરે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="EN-US">. </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કેમ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આપી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એના</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પર</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ચિંતન</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કરતો નથી. અનામત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અંગે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ભારતીય</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બંધારણમાં</span><span lang="EN-US"> '</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પ્રતિનિધિત્વ</span><span lang="EN-US">' </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શબ્દ અપાયો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="EN-US">. </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વંચીત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સમાજને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પ્રતિનિધિત્વ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આપવું</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એટલે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામત</span><span lang="EN-US">. </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બંધારણની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કલમ</span><span lang="EN-US"> 15(4), 16(4), 338(3) </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અને</span><span lang="EN-US"> 440(1)</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">માં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પછાત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ગ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">તરીકે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ઉલ્લેખ છે.</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બંધારણની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કલમ</span><span lang="EN-US"> 46 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">રાજય</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સરકારને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પછાત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ગના</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શોષણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સામે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">રક્ષણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આપવાનો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આદેશ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કરે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="EN-US">.<o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span lang="EN-US" style="font-size: 14pt;"><o:p> </o:p></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સામજમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આજે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ગ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="EN-US">. </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામતનો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">લાભ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મળે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામનનો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">લાભ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નથી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મળતો તે.</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';"><span style="mso-spacerun: yes;"> </span>આજે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ગો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વચ્ચે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આર્થિક</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સામાજીક, માનસિક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અસમાનતા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="EN-US">. </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આ અસમાનતા કેવી છે તે પણ સમજીએ.</span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span><span style="color: rgb(243, 16, 16);"><strong><span lang="GU" style="font-size: 14pt; font-family: Shruti, 'sans-serif';"><o:p>આ પણ વાંચો: </o:p></span></strong></span><a href="https://khabarantar.com/Maratha-reservation-movement-intensified-in-Maharashtra,-houses-of-MLAs,-office-vehicles-were-burnt,-Mun.-The-office-was-set-on-fire"><span style="text-decoration: underline;"><strong><em><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન ઉગ્ર બન્યું, ધારાસભ્યોનાં ઘર, ઓફિસ-વાહનો સળગાવાયાં, મ્યુનિ. ઓફિસને આગચંપી</span></em></strong></span></a></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;"></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">બંને વર્ગો વચ્ચે કેવી અસમાનતા છે</span><span lang="EN-US" style="color: red;">?</span></strong><b><span style="color: red;"><o:p></o:p></span></b></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામતનો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">લાભ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નથી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મળતો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એનું</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કારણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="EN-US">. </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ષો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સુધી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જાતિવાદના</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કારણે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">થયેલ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અન્યાય</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ષો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સુધી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કોઈ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સમાજનું</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શોષણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કર્યુ</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ગુલામી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કરાવી</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વેઠ કરાવી,</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અરે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">માણસ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ન</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ગણ્યાં</span><span lang="EN-US">. </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આર્થિક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">રીતે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એકદમ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પાયમાલ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કરી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">દીધા</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સામાજીક મોભો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છીનવી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">લીધો. સૌથી મહત્વની વાત એ કે તેમને માનસિક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">રીતે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">હદે તોડી પાડ્યાં કે તેઓ પોતાના પર થતા અત્યાચારો અને અન્યાય સામે અવાજ પણ ન ઉઠાવી શકે, સ્વમાન</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જાળવી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ન</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શકે.</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">હવે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આજ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પરિસ્થિતિ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ભારતનાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આઝાદી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સમય</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સુધી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">હતી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જ</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બંધારણના</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અમલમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આવવાથી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અત્યાચાર</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અન્યાય</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ઓછો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">તો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">થયો</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એમની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આર્થિક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પરિસ્થતિમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કોઈ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ફરક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ન</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આવ્યો. કેવી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">રીતે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આવે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બધુ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">તો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છીનવી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">લીધુ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">હતું</span><span lang="EN-US">? </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મુદ્દાની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વાત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કરવી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામતનો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">લાભ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નથી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મળતો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અગાઉથી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">તમને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બાપદાદા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">તરફથી અઢળક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મિલકત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મળી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="EN-US">. </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આ વર્ગને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ભણવાની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અઢળક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સુવિધા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મળે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મોંઘી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">દાટ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સ્કૂલો</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ટ્યુશન</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ક્લાસીસ</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ઘરમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અલગ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">રૂમ</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જોઈએ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જરુરી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પુસ્તકો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મળી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">રહે</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આવવા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જવા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">માટે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પોતાના</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વાહનો</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ભણવા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">માટે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">દરેક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જરૂરી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સુવિધા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મળી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">રહે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="EN-US">.</span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span lang="EN-US" style="font-size: 14pt;"></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જેની સામે જેને અનામત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મળે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એણે ભણવાનું</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સરકારી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સ્કૂલોમાં</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પુસ્તકો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વસાવી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ન</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શકે</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નોટબુક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ખરીદી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ન</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શકે</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">થોડા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મોટા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">થાય</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એટલે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ઘરની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આર્થિક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જવાબદારી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">માથે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આવી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જાય</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">માહિતીનો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અભાવ</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કોઈ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ટ્યુશનની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વ્યવસ્થા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નહીં</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સારી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કોલેજની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ફી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ન</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ભરી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શકે</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વધારે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ભણવાની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ઈચ્છા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">હોય</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">તો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પરિવાર</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">લોન</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">લઈને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અથવા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">થોડી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ઘણી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જમીન</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">હોય</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">તો એ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વેચીને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ભણાવે</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">થોડો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામતનો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ટેકો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મળે</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આટલી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અસમાનતા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">હોય</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">તોય</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આટલી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સુવિધા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મેળવી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">લેતાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">લોકો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામતનો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વિરોધ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કરે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ત્યારે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ખરેખર</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નવાઈ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">લાગે.<o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span lang="GU" style="font-size: 14pt; font-family: Shruti, 'sans-serif';"><o:p> </o:p></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અસમાનતા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જાતિવાદની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">દેન</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એટલે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જયાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સુધી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જાતિવાદ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ત્યાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સુધી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">રહેવી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જોઈએ.</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ક્યારેક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આર્થિક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અસમાનતા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વિશે વિચારી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જોજો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કેમ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જરૂરી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સમજાઈ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જશે.</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ષો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સુધી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જાતિવાદના</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કારણે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અન્યાય</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">થયો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">હવે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">૭૦</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ષમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામતને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કારણે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સમાનતા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આવી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ગઈ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="EN-US">? </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ક્યારેક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ગામડાંઓમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જઈને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મેળવનાર</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નથી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મળતી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એમના</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ઘરો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જોઈ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">લેશો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">તોય</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અસમાનતા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શું</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કહેવાય</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સમજાય</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જશે</span><span lang="EN-US">.<o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="color: rgb(243, 16, 16);"><strong><span lang="EN-US" style="font-size: 14pt;"><o:p>આ પણ વાંચો: </o:p></span></strong></span><a href="https://khabarantar.com/10-percent-increase-in-class-10-12-examination-fee-will-hurt-the-education-seeking-Bahujan-society."><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;">ધોરણ 10-12ની પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો શિક્ષણ ઝંખતા બહુજન સમાજને નડશે</span></strong></span></a></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;"></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">અનામત</span><span lang="GU" style="color: red;"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">૧૦</span><span lang="GU" style="color: red;"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">વર્ષ</span><span lang="GU" style="color: red;"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">માટે</span><span lang="GU" style="color: red;"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">હતી</span><span lang="GU" style="color: red;"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">એ માન્યતા ખોટી છે</span></strong><span lang="EN-US" style="color: red;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આજ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સુધી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ઘણાંને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કહેતાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સાંભળ્યાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ફક્ત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">૧૦</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ષ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">માટે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">હતી</span><span lang="EN-US">. </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બાબત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વિશે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નેતાઓ</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સમાજ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સેવકો</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પત્રકારો અને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સામાન્ય</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">લોકો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ચર્ચા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કરતાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">હોય</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="EN-US">. </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">તેઓ એમ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">માને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કે અનામત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">૧૦</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ષ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પુરતી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">હતી</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">માહિતી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સદંતર</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ખોટી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે, અને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ખોટી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">માહિતીના</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કારણે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ઘણીવાર</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વિવાદમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આવે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="EN-US">. </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ભારતના</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બંધારણમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શૈક્ષણિક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અને નોકરીમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">માટે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">૧૦</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ષના</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સમયગાળનો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કોઈ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ઉલ્લેખ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નથી</span><span lang="EN-US">. <o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span lang="EN-US" style="font-size: 14pt;"><o:p> </o:p></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શિક્ષણમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આર્ટિકલ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">૧૫</span><span lang="EN-US">(</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">૪</span><span lang="EN-US">) </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મુજબ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મળે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="EN-US">. </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બંધારણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પ્રમાણે</span><span lang="EN-US"> SC/ST/OBC </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ગને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શિક્ષણમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સરકારી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ખાનગી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સંસ્થાઓમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામતની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વ્યવસ્થા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="EN-US">. </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જાતિવાદના</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કારણે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શિક્ષણથી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વંચિત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">રહેલ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સમાજને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બંધારણમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">થકી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શિક્ષણમાં</span><span lang="EN-US"> '</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પ્રતિનિધિત્વ</span><span lang="EN-US">' </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કરવાની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વ્યવસ્થા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મળી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="EN-US">.</span><span lang="EN-US" style="font-family: Shruti, 'sans-serif';"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શિક્ષણમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અંગે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">૧૦</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ષ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">માટેની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કોઈ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એવી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સમયમર્યાદાનો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ઉલ્લેખ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બંધારણમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નથી</span><span lang="EN-US">. </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એટલે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કોઈ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શિક્ષણમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">૧૦</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ષની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામતની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જોગવાઈ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અંગે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વાત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કરે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે તો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">તે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">તદ્દન</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ખોટી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">માહિતી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="EN-US">.<o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span lang="EN-US" style="font-size: 14pt;"><o:p> </o:p></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સરકારી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નોકરીમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બાબતે બંધારણની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કલમ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">૧૬</span><span lang="EN-US">(</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">૪</span><span lang="EN-US">) </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મુજબ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનુસૂચિત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જાતિ</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનુસૂચિત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જન</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જાતિ અને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અન્ય</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પછાત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ગ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">માટે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નોકરીમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામતની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વ્યવસ્થા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કરવામાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આવી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="EN-US">. </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વિચારો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સમયે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ગટરો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સાફ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કરવા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જેવા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કામો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કરાવતાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">હતાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એ વર્ગ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">થકી અધિકારી પણ બની શક્યો.</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આપણી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સમાજ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વ્યવસ્થા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એવી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">હતી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નહી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વગર</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શક્ય</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બને</span><span lang="EN-US">. </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આપણી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">માનસિકતા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">તો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ચોકકસ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ગને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ગુલામીમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">રાખવાની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">હતી</span><span lang="EN-US">. </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બાબા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સાહેબને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ખબર</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">હતી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ષોથી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ઘર</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કરી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ગયેલી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જાતિવાદી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">માનસિકતા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ટૂંક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સમયમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">દ્વારા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નાબૂદ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નહિ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">થાય</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એટલે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શિક્ષણની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સાથે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નોકરીમાં અનામતને લઈને પણ બંધારણમાં કોઈ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સમયગાળો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નિયત કરવામાં આવ્યો નથી. એટલે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જયારે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કોઈ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નોકરીમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">૧૦</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ષની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામતની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વાત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કરે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">તો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ખોટી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">માહિતી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ફેલાવે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે એવું</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કહી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શકાય</span><span lang="EN-US">. <o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span lang="EN-US" style="font-size: 14pt;"><o:p> </o:p></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">રાજકીય</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વિશે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મૂળ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બંધારણની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કલમ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">૩૪૪</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મુજબ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">૧૦</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ષ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સુધી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ચાલુ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">રાખવાની</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જોગવાઇ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">હતી</span><span lang="EN-US">. </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જેમાં</span><span lang="EN-US"> SC/ST </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એંગ્લો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ઈન્ડીયન</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">માટે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">લોકસભા</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વિધાનસભામાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બેઠક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">રાખવાનો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સમયગાળો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">૧૦</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ષનો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">હતો</span><span lang="EN-US">. </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પછી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બંધારણના</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અલગ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અલગ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સુધારા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જેમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">૮</span><span lang="EN-US">,</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">૨૩</span><span lang="EN-US">,</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">૪૫</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">૬૨</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">૭૯ અને છેલ્લે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">૨૦૦૯નો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">૯૫મા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સુધારા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બિલમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">૧૦</span><span lang="EN-US"> - </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">૧૦</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ષ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સુધી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ચાલુ રાખવી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એવો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સુધારો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">થયો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જે</span><span lang="EN-US"> 75 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ષ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સુધી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ચાલુ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="EN-US">.</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';"> એટલે અનામતની જોગવાઈ જે 10 વર્ષ સુધી રાખવાની વાત હતી કે ફક્ત રાજકીય અનામતને લઈને હતી.</span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span><span style="color: rgb(243, 16, 16);"><strong><span lang="EN-US" style="font-size: 14pt;"><o:p>આ પણ વાંચો: </o:p></span></strong></span><a href="https://khabarantar.com/Beta-le-lo...-beta-le-lo...-Why-was-a-father-forced-to-sell-his-beloved-son"><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;">'બેટા લે લો... બેટા લે લો...' એક પિતા પોતાના લાડકા દીકરાને વેચવા મજબૂર કેમ બન્યો?</span></strong></span></a></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;"></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">આજે</span><span lang="GU" style="color: red;"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">અનામતની</span><span lang="GU" style="color: red;"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">જરૂર</span><span lang="GU" style="color: red;"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">ખરી</span><span lang="EN-US" style="color: red;">?</span></span></strong></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ફક્ત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શિક્ષણ</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નોકરી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">રાજકીય</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">લાભ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આપવા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પુરતી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વ્યવસ્થા નહોતી. તેનો હેતુ એક ચોક્કસ સમાજ જાતિવાદના કારણે સામાજિક મોભો અને સ્વમાન નહોતો મેળવી શકતો તેમને તે અપાવવાનો હતો, જેથી તે સ્વમાનથી પોતાની જિંદગી જીવી શકે. અનામત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">દ્વારા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શિક્ષણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નોકરી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">તો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મળી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જાત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પણ કથિત ઉચ્ચ જાતિના લોકોને જે માનમોભો મળતો તેટલો મોભો શિક્ષણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નોકરીમાં એક જ સરકારી કચેરી કે ઓફિસમાં બેસીને કામ કરતા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પરમાર</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મકવાણા</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સોલંકી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અથવા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ગામીત</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વસાવા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અટક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વાળાને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મળતો હતો</span><span lang="EN-US">? </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અટકો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જોઈને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">તો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શિક્ષણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નોકરીમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અન્યાય</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">થતો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">હતો અને</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આજે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એ અન્યાય યથાવત છે. આ અન્યાય દૂર કરવા માટે આજે પણ અનામતની પહેલા કરતા વધુ મજબૂતાઈથી જરૂર પડી રહી છે. આજે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પણ</span><span lang="EN-US"> IAS, IPS</span><span lang="EN-US" style="font-family: Shruti, 'sans-serif';"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અથવા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">તો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કોઈ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ઉચ્ચ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સ્તરના</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અધિકારીઓને તેમની અટકના કારણે અપમાનજનક શબ્દો સાંભળવા પડ્યાં હોય તેવા કિસ્સાઓની ભરમાર છે. આજે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આઝાદીના </span><span lang="EN-US">75 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ષ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બાદ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અસ્પૃશ્યતા</span><span lang="EN-US">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જાતિવાદી માનસિકતા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ધરાવનાર</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">લોકો ઘટવાને બદલે વધી રહ્યાં છે. આજે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એક</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ચોકકસ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વર્ગના</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">લોકો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ગટરમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ઊતરવા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મજબૂર</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="EN-US">. </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અસમાનતા</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">હતી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">થોડો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ઘણો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બદલાવ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">તો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આવ્યો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એટલો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પણ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બદલાવ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નથી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આવ્યો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અનામતનો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">લાભ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બંધ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કરી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">તેમનો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અધિકાર</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છીનવી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">લેવામાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આવે</span><span lang="EN-US">. <o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';"></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">તો મૂળ વાત એટલી કે જાતિવાદના કારણે અનામત છે, અનામતના</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કારણે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જાતિવાદ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નહીં. જો ઈલાજ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કરવો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જ હોય</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">તો</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પહેલાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જાતિવાદનો કરવાની જરૂર છે. એ દૂર થઈ જાય અને શોષિત વર્ગને સામાજિક સમાનતાનો અનુભવ થાય તો અનામત આપોઆપ દૂર થઈ જશે. <o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';"></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">અહીં કોઈએ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એવી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ખોટી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વાત</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ન</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કરવી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કે</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આજના</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સમયમાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જાતિવાદ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જેવુ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કંઈ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">રહ્યુ</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નથી.</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">દરરોજ સમાચાર માધ્યમોમાં જોશો તો જાતિવાદના નામે અત્યાચાર થયાના કોઈને કોઈ સમાચાર તો મળી જ આવશે. એ સમાચાર તો કેસ નોંધાયો હોવાથી છપાય છે, બાકી જેમાં કેસ નથી થતો અને જાતિવાદ આચરાય છે તેવા બનાવો તો સેંકડોની સંખ્યામાં બને છે. આજની તારીખે શહેરોમાં પણ ચોક્કસ જાતિના હોવાને કારણે ઘર નથી મળતું. એ સ્થિતિમાં સામાજિક સમાનતા માટે અનામત ચાલુ રાખવી જરૂરી છે. પહેલા માનસિકતા બદલો બાકી બધું એની મેળે બદલાઈ જશે.<o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span lang="EN-US" style="font-size: 14pt;"><o:p> </o:p></span><span style="font-size: 14pt;"><strong><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">- <span style="color: rgb(243, 16, 16);">કાંતિલાલ પરમાર (<i>લેખક નવસર્જન ટ્રસ્ટના સક્રિય કાર્યકર</i></span></span><span style="color: rgb(243, 16, 16);"><i><span lang="GU"> </span></i><i><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">છે</span></i><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">)</span></span></strong><span lang="EN-US"><o:p></o:p></span></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 01 Nov 2023 12:05:56 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 01 Nov 2023 18:52:04 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>79</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_6541f3207fa55.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_6541f32046910.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_6541f32046910.jpg" length="127401" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>એટ્રોસિટીના કેસોની ન્યાયિક પ્રક્રિયામાં પોલીસ&amp;વહીવટીતંત્ર&amp;ન્યાયતંત્રની નકારાત્મક ભૂમિકા અને તેના ઉપાયો</title>
                    <link>https://khabarantar.com/Negative-Role-of-Police-Administration-Judiciary-in-Judicial-Process-of-Atrocity-Cases-and-its-Remedies</link>
                    <guid>https://khabarantar.com/Negative-Role-of-Police-Administration-Judiciary-in-Judicial-Process-of-Atrocity-Cases-and-its-Remedies</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <div id=":5a" class="Ar Au Ao">
<div id=":5e" class="Am Al editable LW-avf tS-tW tS-tY" hidefocus="true" aria-label="Message Body" g_editable="true" role="textbox" aria-multiline="true" contenteditable="true" spellcheck="false" aria-owns=":dq" aria-controls=":dq" tabindex="1">
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong>- કે.બી. રાઠોડ</strong></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતો પરના અત્યાચાર/એટ્રોસીટીનાં ગુનામાં સૌ પ્રથમ તો પોલીસ FIR નોંધી ગુનો દાખલ કરતી નથી. આમ FIR નોંધાવવામાં ફરિયાદી કે પીડિતોને ખુબ જ મુશ્કેલી પડે છે. FIR નોંધી ગુનો દાખલ થયા પછી મોટા ભાગના કિસ્સાઓમાં DySP કે ACP તટસ્થ અને નિષ્પક્ષ રીતે તપાસ કરતા નથી. તપાસ કરનાર પોલીસ અધિકારી ગુનેગારોની ધરપકડ કરતા નથી અથવા વિલંબ કરે છે. તેથી આરોપીઓને તપાસ કરનાર અધિકારીઓ જ કાં તો હાઇકોર્ટમાં CRPCની કલમ ૪૮૨ નીચે FIR QUASH કરવા મોકો આપતી હોય તેવું બને છે.</span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">તપાસ અધિકારીઓની ઢીલી નીતિને લીધે અથવા આરોપીઓની તાત્કાલિક ધરપકડ નહીં કરવાના કારણે તેઓને આગોતરા જામીન અરજી કરવા<span style="font-family: Shruti;">નો</span> મોકો મળી જતો હોય છે. આગોતરા જમીન અરજી થાય એટલે પોલીસ ગુનેગારની ધરપકડ કરત<span style="font-family: Shruti;">ી</span> નથી. હકીકતમાં આવી આગોતરા જામીન અરજી થવા માત્રથી ધરપકડ ન થઈ શકે તેવું નથી. કોર્ટમાં આગોતરા જામીન અરજી પેન્ડિંગ હોય તો પણ ધરપકડ થઈ શકે છે. છતાં પોલીસ ગુનેગારોને પકડતી નથી.</span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો<span style="font-family: Segoe UI Historic;">. </span>સુભાસ મહાજનના સુપ્રિમ કોર્ટનાં બે જજોની બેન્ચના તા.20/03/2018<span style="font-family: Shruti;">ના</span> ચુકાદા પછી દેશભરમાંથી વિરોધ થતા પાર્લામેન્ટે એસ.સી.<span style="font-family: Segoe UI Historic;">- </span>એસ. ટી. પ્રિવેનશન ઓફ એટ્રોસિટી(એમેન્ડમેન્ટ) એક્ટ 2018નો સુધારો કરી કાયદામાં નવી કલમ 18A ઉમેરીને આરોપીઓ આગોતરા જામીન અરજી કરી શકશે નહીં તેવી સ્પષ્ટ જોગવાઈ કરી છે. છતાં તેનો અમલ થતો નથી.</span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમાં કલમ 18 A(2) નવી ઉમેરીને એવી જોગવાઈ કરી કે દેશની કોઈ પણ કોર્ટ જજમેન્ટ,  હુકમ, કે આદેશ આપે તો પણ CrPC ની કલમ 438 મુજબ આગોતરા જમીન અરજી થ<span style="font-family: Shruti;">ઈ</span> શકતી નથી.</span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">સદરહુ સુધારેલી કલમ 18 A(1) મુજબ આ કાયદા નીચે કોઈપણ ગુનાની ફરિયાદ થાય તો તેની પ્રાથમિક તપાસ કરવાની જ નથી. FIR નોંધવી ફરજીયાત છે છતા<span style="font-family: Shruti;">ં</span> એટ્રોસ<span style="font-family: Shruti;">ી</span>ટીનાં ગુનાની ફરિયાદ ને એક સામાન્ય અરજી તરીકે ટ્રીટ કરીને પોલીસ પ્રાથમિક તપાસ કરી ફાઈલ કરી નાખે છે<span style="font-family: Segoe UI Historic;">.</span></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટ્રોસિટી એક્ટ <span style="font-family: Shruti;">હેઠળના</span> મોટાભાગના ગુનાઓમાં FIR થાય એટલે તે ગુનાના આરોપીઓ હાઇકોર્ટમાં CrPCની કલમ 482 <span style="font-family: Shruti;">અંતર્ગત</span> FIR રદ(Quash) કરવા માટે પ<span style="font-family: Shruti;">િટિ</span>શનો કરે <span style="font-family: Shruti;">છે</span><span style="font-family: Segoe UI Historic;">.</span> તેવી અમુક પીટીશનોમાં હાઇકોર્ટ તરફથી ફરિયાદી કે પીડિતને સાંભળ્યા વિના માત્ર એ.પી.પી. નો<span style="font-family: Shruti;">ટિસ</span> વેઇવ કરે એટલે No coerceive steps to be taken એવા હુકમો કરી FIRની તપાસ સ્ટે કરી લાંબી મુદત નાખી દેવામાં આવે છે. આવી અનેક <span style="font-family: Shruti;">પિટિશનો</span> હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. તેથી કાયદાની અસરકારકતા ઘટતી જાય છે.</span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘણા સમયથી ગુજરાતના પોલીસ તંત્રનો એવો ટ્રેન્ડ રહેલ છે કે એટ્રોસિટીના બન<span style="font-family: Shruti;">ાવ</span>ની FIR નો<span style="font-family: Shruti;">ં</span>ધાવનાર ફરિયાદી વિરુદ્ધ આરોપી પક્ષ તરફથી સામ<span style="font-family: Shruti;">ી ફરિયાદ </span>(Cross complaint) નોંધ<span style="font-family: Shruti;">ાવ</span>વામાં આવતી હોય છે<span style="font-family: Segoe UI Historic;">, </span>એટલે ફરિયાદી કે પીડિત વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી તેઓને હેરાન કરતા હોય છે. હકીકતમાં ઘણી વખત પોલીસ તંત્ર જ એટ્રોસિટીના આરોપીને ફરિયાદી વિર<span style="font-family: Shruti;">ૂ</span>દ્ધ ફરિયાદ કરવાની સલાહ આપી FIR નોંધે છે. <span style="font-family: Shruti;">એ રીતે પીડિતને જ ખોટી રીતે </span>ગુનામાં સંડોવી દેવામાં આવે છે જે પણ અત્યાચારનો એક ભાગ છે.</span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતો પરના અત્યાચારના ગંભીર પ્રકારના મોટા ભાગના બનાવોની તપાસનાં અંતે પોલીસ અધિકારીઓ કોર્ટમાં B અથવા C સમરીનાં રિપો<span style="font-family: Shruti;">ર્ટ</span> ભરી આરોપીઓને છોડી મુકવાના અહેવાલ રજ<span style="font-family: Shruti;">ૂ</span> કરીને રિપો<span style="font-family: Shruti;">ર્ટ</span> કરી દે છે.</span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવા સમરીના રિપોર્ટ સામે ફરિયાદી તરફથી વાંધા અરજી (Protest petition) કરવી પડે. પરંતુ આવી વાંધા અરજી કરવા માટે સારા વકીલો મળતા નથી. આ રીતે ઘણા કેસોમાં આવી સમરી રિપોર્ટ<span style="font-family: Shruti;">નો</span> <span style="font-family: Shruti;">સિલસિલો ચાલી રહ્યો છે</span><span style="font-family: Segoe UI Historic;">.</span></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">હકીકતમાં એટ્રોસિટી એક્ટની કલમ 4(2)(e) મુજબ તપાસ કરનાર પોલીસ અધિકારીએ તપાસ કરીને આરોપી વિરુદ્ધ ચાર્જશીટ જ કરવું જોઈએ. સમરી રિપોર્ટ કરવાનું કાયદામાં ક્યાંય લખ્યું નથી.  છતા સમરી રિપોર્ટ ભરી આરોપીને છોડી મુકવાનાં અભિપ્રાયો આપતા હોય છે.</span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતની મોટાભાગની એટ્રોસિટીની કોર્ટો આ ગુનાના આરોપીઓની આગોતરા જ<span style="font-family: Shruti;">ા</span>મીન અરજીઓ મંજ<span style="font-family: Shruti;">ૂ</span>ર જ કરે છે. એટલું જ નહિ<span style="font-family: Segoe UI Historic;">, </span>ગુજરાત હાઇકોર્ટમાં પણ મોટાભાગે આગોતરા જમીન અરજીઓ મંજ<span style="font-family: Shruti;">ૂ</span>ર કરવાનો સિલસિલો છે.</span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">હકીકતમાં <span style="font-family: Segoe UI Historic;">20 </span><span style="font-family: Shruti;">માર્ચ </span><span style="font-family: Segoe UI Historic;">2018</span><span style="font-family: Shruti;">ના</span> સુપ્રિમ કોર્ટનાં ડો. સુભાસ મહાજનના જજમેન્ટ વિર<span style="font-family: Shruti;">ૂ</span>દ્ધની રિવ્ય<span style="font-family: Shruti;">ૂ</span> પ<span style="font-family: Shruti;">િટિશનમાં </span>નામદાર સુપ્રિમ કોર્ટનાં તારીખ 01/10/2019 ના ત્રણ જજોની બેન્ચના જજમેન્ટમાં આગોતરા જમીન આપવાની ના પડેલ છે. તેમ છતા આ ગુનાની FIR પરથી કોર્ટને એમ લાગે કે પ્રથમ દર્શનીય રીતે એટ્રોસિટી એક્ટ નીચે કોઈ ગુનો બનતો જ નથી તો માત્ર તેવા અપવાદરૂપ કિસ્સામાં જ આગોતરા જમીન આપવા તેવું જજમેન્ટ છે.  તેમ છતા આવા અપવાદને નીચેની કોર્ટો એક જનરલ રૂલ તરીકે ટ્રીટ કર<span style="font-family: Shruti;">ે છે અને </span>પોતાની રીતે <span style="font-family: Shruti;">આમાં એટ્રોસિટી એક્ટનો કોઈ ગુનો બનતો નથી તેમ માની લઈને મોટાભાગના કેસોમાં આગોતરા જામીન આપે છે</span><span style="font-family: Segoe UI Historic;">. </span>હકીકતમાં FIR જોતા પ્રથમ દર્શનીય રીતે એવું લાગે કે એટ્રોસિટી એક્ટનો ગુનો બને જ છે<span style="font-family: Segoe UI Historic;">,</span> છતાં કોર્ટો આગોતરા જામીન અરજીઓ મંજ<span style="font-family: Shruti;">ૂ</span>ર કરી દેતી હોય છે.</span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કાયદા નીચેન<span style="font-family: Shruti;">ા</span> સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટ સમક્ષના કેસોમાં આ કાયદાની કલમ 15(A)(3) તથા (5)ની જોગવાઈ મુજબ આ કાયદાની દરેક કાર્યવાહીનાં તબક્કે ફરિયાદી અથવા <span style="font-family: Shruti;">પીડિ</span>તને કોર્ટે સાંભળવા જોઈએ. એટલું જ નહ<span style="font-family: Shruti;">ીં</span><span style="font-family: Segoe UI Historic;">,</span> સદરહુ કલમ 15(A)(12)ની જોગવાઈ મુજબ પીડિત અથવા તેના આશ્રિતોને NGO, સામાજિક કાર્યકરો અને વકીલોની મદદ લેવાનો અધિકાર છે. તેમ છતા<span style="font-family: Shruti;">ં</span> મોટાભાગની એટ્રોસિટી એકટ નીચેની કોર્ટો પીડિતો કે તેના આશ્રિતોને કોર્ટમાં રજૂઆત કરવાની ના પાડી દે છે. અને ખાનગી વકીલ રાખે તો તેવા વકીલને પણ આ કોર્ટો સાંભળવાની સ્પષ્ટપણે ના પાડી દેતી હોય છે.</span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટલું જ નહિ ફરિયાદી, પીડિતો કે તેનાં આશ્રિતો કે સાક્ષીઓ સરકાર તરફથી આ કેસ ચલાવનાર સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર ને રજૂઆત કરે તો મોટાભાગના પ્રોસીક્યુટરો સાંભળતા નથી અને પોતાની <span style="font-family: Shruti;">મુનસફી </span>પ્રમાણે <span style="font-family: Shruti;">વર્તી પીડિતોના હિત વિરૂદ્ધ કેસો ચલાવતા હોય છે</span><span style="font-family: Segoe UI Historic;">.</span></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટ્રોસિટી એક્ટ નીચેના જે કોઈ કેસોમાં પોલીસ અધિકારીઓ તપાસ કરી ચાર્જશીટ કરે તો પણ તેઓએ કરેલ તપાસ કાં તો અધૂરી હોય, ખોટી તપાસ કરી હોય અથવા આરોપીને ગુનામાંથી છાવરવા માટે ઉપરછલ્લી તપાસ કરીને ચાર્જશીટ કરતા હોય છે. તેવા સંજોગોમાં પબ્લિક પ્રોસીક્ય<span style="font-family: Shruti;">ુ</span>ટરોની ફરજ છે કે CRPCની કલમ 173 મુજબ જે તે ગુનાની વિશેષ તપાસ(Further unvestigation) કરવા માટે કોર્ટમાં અરજી કરીને માંગણી કર<span style="font-family: Shruti;">ે</span><span style="font-family: Segoe UI Historic;">.</span> છતાં આવી વિશેષ તપાસની અરજી કરતા નથી.</span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત રાજ્યની અમુક કોર્ટો માત્ર એટ્રોસિટી એક્ટ નીચેના કેસોમાં ગુનેગારોને નિર્દોષ ઠરાવી છોડી મુકવા ઉપરાંત ફરિયાદી અને પીડિતોને સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તરફથી ચૂકવેલ સહાય પરત લેવાનાં હુકમો કરે છે. અમુક કેસોમાં આવી સહાય પરત લેવા માટે ફરિયાદી કે પીડિતની જમીનના રેવન્ય<span style="font-family: Shruti;">ૂ</span> રેકર્ડમાં બોજાની એન્ટ્રી પાડવાના હુકમો કરે છે. અમુક કેસોમાં ફરિયાદી અને પ<span style="font-family: Shruti;">િ</span>ડીતને ખોટી રીતે ખોટી જુબાની આપવાના કારણસર કોર્ટ<span style="font-family: Shruti;">ે</span> સજા કર્યાના પણ દાખલા છે.</span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">ઘણાં</span> જિલ્લામાં એટ્રોસિટી એક્ટ નીચેના ગુનાઓમાં તપાસ કરનાર પોલીસ અધિકારી Arnesh Kumar v/s State Of Bihar નાં જજમેન્ટ મુજબ ગુનેગારોને પોલીસ સ્ટેશનમાં જ અટક કરીને જ<span style="font-family: Shruti;">ા</span>મીન મુક્ત કરી દે છે. હકીકતમાં એટ્રોસિટી એક્ટની કલમ 18-A મુજબ આ કાયદા નીચેના ગુનામાં જો આગોતરા જામીન અરજી થઇ શકતી ન હોય તો પછી આરોપીની ધરપકડ કરવી ફરજીયાત બને છે અને પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજ<span style="font-family: Shruti;">ૂ</span> કરી જેલમાં મોકલવો જ જોઈએ. બીજુ કે, એટ્રોસિટી એક્ટની કલમ 15-A(3) અને (5) મુજબ આ કાયદા નીચેની દરેક કાર્યવાહીમાં ફરિયાદી <span style="font-family: Shruti;">અથવા </span>પીડિતને સાંભળવા ફરજીયાત છે. એનો મતલબ એ થયો કે ફરિયાદી કે પીડિતને સાંભળ્યા સિવાય પોલીસ સ્ટેશનમાં જ આરોપીને જામીન આપી શક<span style="font-family: Shruti;">ાતા</span> નથી. ઉપરાંત, આ કાયદાની કલમ 20 મુજબ આ કાયદો સ્પેશ્યલ કાયદો છે અને બીજા કાયદાની ઉપરવટ (override)નો કાયદો છે. આવા ઘણા સંજોગો જોતા પોલીસ આરોપીને અર્નેશકુમારના જજમેન્ટના બહાના નીચે જામીન પર છોડી શકતી નથી. છતાં અમુક જિલ્લામાં પોલીસ સ્ટેશનમાં જામીન પર મુકત કરી દ<span style="font-family: Shruti;">ે</span> છે. પોલીસખાતાનું આ વલણ તદ્દન ગેરકાયદેસર છે<span style="font-family: Segoe UI Historic;">.</span></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><i><span style="font-family: Segoe UI Historic;">(</span><span style="font-family: Shruti;">લેખક એટ્રોસિટી કાયદાના નિષ્ણાત અને નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજ છે</span><span style="font-family: Segoe UI Historic;">.)</span></i></strong><i></i></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"> </span></p>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 27 Oct 2023 20:44:48 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 27 Oct 2023 20:46:26 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>57</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202310/image_140x98_653bd2628a943.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202310/image_870x580_653bd26254178.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202310/image_870x580_653bd26254178.jpg" length="49398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>80 વર્ષ અગાઉ ડૉ. આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું અને આજે શું હાલત છે?</title>
                    <link>https://khabarantar.com/80-years-ago-Dr.-What-did-Ambedkar-say-about-Indian-media-and-what-is-its-condition-today</link>
                    <guid>https://khabarantar.com/80-years-ago-Dr.-What-did-Ambedkar-say-about-Indian-media-and-what-is-its-condition-today</guid>
                    <description>
                        <![CDATA[ khabarantar.com ના લોન્ચિંગ વખતે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા સિનિયર પત્રકાર, લેખક-કવિ, નાટ્યકાર, અભિનેતા મેહુલ મંગુબહેને આપેલા ધારદાર વક્તવ્યના અંશો અહીં તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નમસ્કાર</span><br><span style="font-size: 14pt;">મંચ પર ઉપસ્થિત મહાનુભાવોને અને મંચ પર નથી એ આપ સૌ મહાનુભાવોને પણ જયભીમ-જય સાવિત્રીબાઈ.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આપણે પણ બાકીનાં લોકોની જેમ ખાઈ-પીને જલસા કરવા હોય છે પણ નથી થઈ શકતા. કેમ? આપણે પણ ફૂલ-પતંગિયા, વાદળ-વરસાદ, ઝાકળ-મોતીની કવિતાઓ કરવી છે પણ નથી થઈ શકતી. કેમ? રવિવારે માંડ રજાનો એક દિવસ મળતો હોય છે ત્યારે આપણે આ શું ઉપાડો લઈને બેઠા છીએ અને શું કામ બેઠા છીએ એ વિષય પર મારે આજે તમારી સાથે વાત કરવાની છે. હું પેટછૂટી વાત કરનારો માણસ છું એટલે ગોળ ગોળ કોઈ વાત નહીં કરું. ભારતમાં ઈસવીસન 1780માં અખબારોની શરૂઆત થઈ. 1927માં રેડિયો આવ્યો. આજે 2023ની 15 ઑક્ટોબર છે. આજે ભારતમાં સ્માર્ટફોન અને ઇન્ટરનેટ છે. 1000 જેટલી સેટેલાઇટ ચેનલો છે. 400થી વધારે ન્યૂઝ ચેનલો છે. દેશમાં 17 હજારથી વધારે અખબારો નીકળે છે અને 36,000થી વધારે અઠવાડિક મેગેઝિનો છે જેની લાખો નકલો વેચાય છે. આ સિવાય નાની-મોટી યુટ્યુબ ચેનલો, સોશિયલ મીડિયા વગેરે તો અલગ અને છતાં આજે નરેશભાઈ અને તેમની સાથે સંકળાયેલા આપણે સહુએ બહુજન મીડિયાની વાત કેમ કરવી પડે છે? આ વાતને મૂળથી સમજવી પડશે. તો ચાલો મૂળમાં જઈએ.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202310/image_870x_65393ddc7bdb6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">2023માં દલિતોની, આદિવાસીઓની, ગરીબ ખેડૂતો અને ખેતમજરોની, મુસલમાનોની, અગરિયાઓ અને ખાણિયાઓની, ભૂમિહીન મજૂરોની અને મહિલાઓની વાત મીડિયામાં કેમ નથી થઈ રહી એ સમજવા માટે હું તમને સહેજ ઇતિહાસમાં લઈ જઈશ. કાન દઈને સાંભળજો હવે હું જે બોલવાનો છું એ મારાં શબ્દો નથી અને એ કોનાં શબ્દો છે એ તમને હું બોલી રહું પછી પૂછીશ.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">“ભારતમાં પત્રકારત્વ એક સમયે વ્યવસાય હતું જે આજે હવે એક ધંધો બની ગયું છે. એની નૈતિકતા સાબુ બનાવનાર જેટલી જ બચી છે. તે પોતાને પબ્લિક માટે એક જવાબદાર સલાહકાર તરીકે જોતું નથી. તે પોતે પોતાને કોઈ હેતુ વગર પક્ષપાતવિહિન સમાચાર આપનાર તરીકે જોતું નથી, તે લોકોનાં હિતમાં જાહેર નીતિઓ બાબતે ચોક્કસ દ્રષ્ટિકોણ રજૂ કરતું નથી, તે કોઈ પણ હેતુ વગર કેવળ સમાચાર નથી આપતું, તે નથી તો ખોટી વાત કરનાર-ખોટા રસ્તે ચાલનાર મોટાં માણસોની સાન ઠેકાણે લાવતું કે નથી સત્યને પુનસ્થાપિત કરતું. આ બધું કરવું તે પત્રકારત્વનું સૌપ્રથમ કર્તવ્ય છે પણ ભારતમાં એવું નથી. ભારતમાં તેને પત્રકારત્વ ગણવામાં આવતું નથી. કોઈને હીરો બનાવી દેવો અને પછી તેની ભક્તિ કર્યા કરવી એ ભારતીય પત્રકારત્વનો ધર્મ બની ગયો છે. આ કરવામાં એ સમાચારને બદલે સનસનાટી ફેલાવે છે, તાર્કિક મત રજૂ કરવાને બદલે અતાર્કિક ઉન્માદ ઊભો કરે છે, બેજવાબદાર લોકોની લાગણીઓને ઉશ્કેરે છે."</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202310/image_870x_65393ddbd023a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">“ભારતમાં પત્રકારત્વ ઢોલકી વગાડનારા લોકો દ્વારા એમના હીરોનું મહિમામંડન કરવા માટે થાય છે. વ્યક્તિપૂજા માટે બેશરમીથી દેશનાં હિતોનું આવું બલિદાન ક્યારેય નથી અપાયું. વ્યક્તિપૂજા ભારતમાં આજે દેખાય છે એટલી આંધળી ક્યારેય ન હતી. મને એ કહેતાં સહેજ સારું લાગે છે આવી સ્થિતિમાં પત્રકારત્વમાં અમુક અપવાદો છે પણ તે ખૂબ ઓછાં છે અને તેમનો અવાજ ક્યારેય સાંભળવામાં નથી આવતો.”</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">કોનાં શબ્દો છે આ ખબર છે કોઈને? હા. ડૉ. ભીમરાવ રામજી આંબેડકરના. અને આ ક્યારે બોલેલા? મને પ્રિય એવું “ગાંધી, રાનડે અને ઝીણા” પરનું એ પ્રખ્યાત ભાષણ ડૉ. આંબેડકરે 1943માં પુણેમાં આપ્યું હતું અને એમાં એમણે દેશનાં મીડિયાની હાલત વિશે આ વાત કરી હતી. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202310/image_870x_65393ddb306a9.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">એ વખતે ખાલી અખબારો અને રેડિયો જ હતાં. ટીવી ન્યૂઝ ચેનલો હજી હમણાં 70-80માં આવી અને સ્માર્ટફોન્સની તો કોઈએ ક્લ્પના પણ કરી ન હતી. </span><span style="font-size: 14pt;">1943થી 2023. 80 વર્ષનો લાંબો સમય. શું લાગે છે આ 80 વર્ષોમાં કંઈ ફરક પડ્યો છે મીડિયાની હાલતમાં? </span><span style="font-size: 14pt;">જવાબ છે ના. નથી ફરક પડ્યો અને એ વખતે જે હાલત હતી એનાથી બદતર હાલત અત્યારે મીડિયાની છે. </span><span style="font-size: 14pt;">મીડિયા અને રાજનીતિ વચ્ચે રણમાં વરસાદ જેવો સહેજ શરમનો છાંટો હતો એ પણ હવે રહ્યો નથી. ભારતનું મીડિયા મુઠ્ઠીભર લોકોનાં હાથમાં છે. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">એ મુઠ્ઠીભર લોકો દેશની સમસ્યા શું છે એ આપણને જણાવે છે. એ મુઠ્ઠીભર લોકો દેશની નીતિ નક્કી કરે છે. એ મુઠ્ઠીભર લોકો દેશની રાજનીતિની દિશા નક્કી કરે છે. એ મુઠ્ઠીભર લોકો તમારા ઘર સુધી ઘૂસી ગચેલા છે અને રોજેરોજ તમારા મનમાં-મગજમાં ઝેરનું વાવેતર કરે છે. એ મુઠ્ઠીભર લોકો રોજ તમને તુચ્છ બાબતો પર ગર્વ લીધે રાખવાની ગોળીઓ પીવડાવે છે. એ મુઠ્ઠીભર લોકો જે વાત પર શરમ આવવી જોઈએ એ વાત પર અભિમાન કરવા માંડો એવું તમને શીખવાડે છે. એ મુઠ્ઠીભર લોકો તમે નાચ-ગાન-તહેવાર-તાયફામાંઓ વ્યસ્ત રહો એમ ઇચ્છે છે. એ મુઠ્ઠીભર લોકો તમને વ્યક્તિપૂજામાં વ્યસ્ત રાખે છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202310/image_870x_65393dda57963.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">અહીં જે યુવાનો છે એમને વિનંતી કે ઘરે જઈને ગુગલને પૂછજો કે ભારતમાં મીડિયાનાં માલિકો કોણ કોણ પરિવાર છે. અહીં જે યુવાનો છે એમને બીજી એક વિનંતી છે કે ફક્ત 2 કલાકનો સમય કાઢો. તમારા ઘરે જે છાપું આવતું હોય એમાં દરેક પેજ પર જે પણ સમાચારો હોય એને વિષય પ્રમાણે વિભાજિત કરો. તમને મીડિયામાં તમારુ સ્થાન શું છે એ સમજાઈ જશે. કુલ પાનાં અને કુલ શબ્દોમાં વંચિતોનો અવાજ એક ટચૂકડી જાહેરખબરથી વિશેષ નથી.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">મીડિયા પંખી બચાવો અભિયાન ચલાવશે પણ ગટરમાં મોત થાય છે એની સામે અભિયાન નહીં ચલાવે. મીડિયા દલિતની હત્યા થઈ જાય ત્યારે સમાચાર કવર કરશે પણ આ હત્યાઓ અટકતી કેમ નથી એની ચર્ચા નહીં કરે. મીડિયા અનામત અનામતની વાતો કરશે પણ ખરેખર દલિતો કે બહુજનોને અનામતનો કેટલો લાભ મળ્યો કે ના મળ્યો એની વાત નહીં કરે. ખાલી જગ્યા ભરાતી નથી અને આપણા જુવાનોની આખી જિંદગીની મહેનત બરબાદ થઈ જાય છે એની વાત નહીં કરે. માંડ મળેલી અનામતનો લાભ પણ વધારે દલિતો ના લઈ લે એ માટે કેવી કેવી નીતિઓ ઘડવામાં આવી છે એની વાત નહીં કરે. એક સામાન્ય ઉદાહરણ આપું. દલિતો-આદિવાસીઓમાં ભણતર વધ્યું અને બાળકો સાયન્સ ભણી 90-95 ટકા લાવવા માંડ્યાં અને મેડિકલ એન્જિનિયરિંગમાં જવા માંડ્યાં ત્યાં તો નીટ જેવી પરિક્ષા આવી ગઈ. એ મીડિયા તમને એ નહીં જણાવે કે આપણા જ દેશના તામિલનાડુ રાજ્યે નીટની વિરોધમાં શું કામ નીતિ ઘડી છે. આવી તો હજારો બાબત છે જેની કાં તો આપણને જાણ નથી થવા દેવામાં આવતી અથવા તો એની માત્ર અધકચરી માહિતી આપવામાં આવે છે. મીડિયાનું કામ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ઊભો કરવાનું, પૂર્વગ્રહો તોડવાનું, સત્ય રજૂ કરવાનું અને જનતાનો અવાજ બનવાનું છે પણ એવું થઈ નથી રહ્યું. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202310/image_870x_65393dd9a0c6a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">જાતિવ્યવસ્થા શું છે? મારી ટૂંકી વ્યાખ્યા કંઈક આવી છે. એક વર્ગ માટે જાતિવ્યવસ્થા એ જ્ઞાન, બળ, સંસાધનો અને તકોની ઈજારાશાહી છે અને જે વર્ગ એનો ભોગ બને છે એ વર્ગ માટે અલગ અલગ સ્તરે જાતિવ્યવસ્થા એ જ્ઞાન, બળ, સંસાધનો અને તકો ન મળવાથી ઊભી થતી લાચારી છે, હેરાનગતિ છે, અન્યાય છે. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">અહીં જ્ઞાન એટલે કંઈ ઢોંગી આધ્યાત્મની અને તત્ત્વજ્ઞાનની વાત નથી કહી રહ્યો. જ્ઞાનનો પાયો માહિતી છે. માહિતીનો મોટો સ્રોત મીડિયા છે. મીડિયાની હાલત મેં તમને અગાઉ ડૉ. આંબેડકરને ટાંકીને જણાવી છે. આ કારણે બહુજન ન્યૂઝ પોર્ટલ અનિવાર્ય છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">તમને બધાને ખબર છે આ ઈન્ફર્મેશન ટેકનોલોજીનો યુગ છે. માહિતી ક્રાંતિનો પણ યુગ અને માહિતીઓ તોતિંગ શહેરોની જેમ વધી રહી છે. એકબીજા સાથે અથડાઈ રહી છે. આ સમયે બહુજનોને એના ભલા-બુરા વિશે વિચારીને સમાચાર આપે એવા ન્યૂઝ પોર્ટલની જરૂર છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">સમાજમાં નફરત, ધાર્મિક વિતંડાવાદ વધી રહ્યો છે ત્યારે બહુજનોને વૈજ્ઞાનિક અભિગમ, દેશ અને દુનિયામાં બનતી ઘટનાઓ વિશે તાર્કિક દૃષ્ટિકોણ મળે એ માટે બહુજન મીડિયાની જરૂર છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202310/image_870x_65393db4919ca.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">80 વર્ષ અગાઉ ડૉ. આંબેડકરે ભારતીય મીડિયાની જે હાલત વર્ણવી હતી એમાં તસુભાર પણ ફરક પડ્યો નથી એટલે આ Khabarantar.comની નોબત આવી છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">મારે એ પણ ખાસ કહેવું જોઈએ કે આ કામ નરેશભાઈએ શરૂ ભલે કર્યું હોય પણ એમના એકલાથી થશે નહીં. તમારે એમને સહયોગ આપવો પડશે. સહયોગ આપવાની ઘણી રીતો છે. તમે સામાગ્રીથી સહયોગ આપી શકો. આર્થિક સહયોગ આપી શકો. જાહેરાત આપી શકો. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">નરેશભાઈ અને તેમની ટીમ આ સરસ કામ કરી રહ્યા છે ત્યારે મને હરખ થાય કે મારે એમને ચા પીવડાવવી જોઈએ. એટલે હું નરેશભાઈને સવાર-સાંજ બે ટાઈમની ચા આખું વરસ પીવડાવીશ એવી ખાતરી આપું છું. એ સિવાય પણ એમને જે પણ સહયોગ કરી શકાય તે કરીશ એવી પણ ખાતરી.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">નરેશ અને તેમની સાથે જોડાયેલા સહુ કોઈને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> </span><br><span style="font-size: 14pt;">(<span style="color: rgb(255, 3, 30);"><em>Khabarantar.comના લોન્ચિંગ નિમિત્તે સિનિયર પત્રકાર મેહુલ મંગુબહેને દસેક મિનિટમાં આપેલું વકતવ્ય સામાન્ય સુધારાઓ સાથે. વકતવ્યમાં ડૉ. આંબેડકરનું ક્વૉટ ટૂંકાવીને સામાન્ય લોકોને સમજાય તે રીતે અંગ્રેજીમાંથી ભાવાનુવાદ કરેલું છે. એમાં ઍકેડેમિક સંદર્ભો જાળવી રાખેલા નથી તેની નોંધ લેશો.</em></span>)</span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 26 Oct 2023 08:14:49 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>48</Articleid>
                    <excerpt>khabarantar.com ના લોન્ચિંગ વખતે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા સિનિયર પત્રકાર, લેખક-કવિ, નાટ્યકાર, અભિનેતા મેહુલ મંગુબહેને આપેલા ધારદાર વક્તવ્યના અંશો અહીં તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202310/image_140x98_65393db4b425f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202310/image_870x580_65393db481079.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202310/image_870x580_65393db481079.jpg" length="98361" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>અશોક વિજયાદશમી: યુદ્ધને ત્યાગીને બુદ્ધ તરફ પ્રયાણની પ્રેરણા આપતો દિવસ</title>
                    <link>https://khabarantar.com/Ashoka-Vijayadashami:-The-Day-That-Inspires-Renunciation-of-War-and-Journey-to-Buddhahood</link>
                    <guid>https://khabarantar.com/Ashoka-Vijayadashami:-The-Day-That-Inspires-Renunciation-of-War-and-Journey-to-Buddhahood</guid>
                    <description>
                        <![CDATA[ ‘અશોક વિજયાદશમી’ શબ્દ ઐતિહાસિક એ ઉત્સવ પરથી ઉતરી આવ્યો છે  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">આજે</span> <span style="font-family: Shruti;">ભારતમાં</span> <span style="font-family: Shruti;">હિન્દુઓ</span> <span style="font-family: Shruti;">એક</span> <span style="font-family: Shruti;">બાજુ </span><span style="font-family: Shruti;">દશેરાની</span> <span style="font-family: Shruti;">ઉજવણી</span> <span style="font-family: Shruti;">કરી</span> <span style="font-family: Shruti;">રહ્યાં છે જે ભગવાન રામના રાવણ પર વિજયની યાદમાં ઉજવાય છે</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">બીજી તરફ ભારતમાં બૌદ્ધો આ દિવસને અશોક વિજયા દશમી તરીકે ઉજવે છે</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">ત્યારે એ </span><span style="font-family: Shruti;">જાણવું</span> <span style="font-family: Shruti;">મહત્વપૂર્ણ</span> <span style="font-family: Shruti;">છે</span> <span style="font-family: Shruti;">કે</span> <span style="font-family: Shruti;">ભારતમાં</span> <span style="font-family: Shruti;">બૌદ્ધો</span> <span style="font-family: Shruti;">માટે</span> <span style="font-family: Shruti;">શા</span> <span style="font-family: Shruti;">માટે</span> <span style="font-family: Shruti;">આ</span> <span style="font-family: Shruti;">દિવસ</span> <span style="font-family: Shruti;">એક</span><wbr> <span style="font-family: Shruti;">વિશિષ્ટ</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">મહત્વપૂર્ણ</span> <span style="font-family: Shruti;">છે</span><span style="font-family: Calibri;">.</span></span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"> </span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"><span style="font-family: Calibri;">‘</span><span style="font-family: Shruti;">અશોક</span> <span style="font-family: Shruti;">વિજયાદશમી</span><span style="font-family: Calibri;">’</span> <span style="font-family: Shruti;">શબ્દ</span> <span style="font-family: Shruti;">ઐતિહાસિક</span><wbr> <span style="font-family: Shruti;">એ</span> <span style="font-family: Shruti;">ઉત્સવ પરથી </span><span style="font-family: Shruti;">ઉતરી</span> <span style="font-family: Shruti;">આવ્યો</span> <span style="font-family: Shruti;">છે</span> <span style="font-family: Shruti;">જે</span> <span style="font-family: Shruti;">કલિંગ</span> <span style="font-family: Shruti;">યુદ્ધમાં</span> <span style="font-family: Shruti;">સમ્રાટ</span> <span style="font-family: Shruti;">અશોકની</span> <span style="font-family: Shruti;">જીતના</span> <span style="font-family: Shruti;">દસ</span> <span style="font-family: Shruti;">દિવસ</span> <span style="font-family: Shruti;">પ<wbr>છી</span> <span style="font-family: Shruti;">ઉજવાયો</span> <span style="font-family: Shruti;">હતો</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">આ</span> <span style="font-family: Shruti;">દિવસે</span>, <span style="font-family: Shruti;">સમ્રાટ</span> <span style="font-family: Shruti;">અશોકે</span> <span style="font-family: Shruti;">બૌદ્ધ</span> <span style="font-family: Shruti;">ધર્મના</span> <span style="font-family: Shruti;">માર્<wbr>ગ</span> <span style="font-family: Shruti;">પર</span> <span style="font-family: Shruti;">પ્રયાણ</span> <span style="font-family: Shruti;">કર્યું</span> <span style="font-family: Shruti;">હતું</span>, <span style="font-family: Shruti;">જે</span> <span style="font-family: Shruti;">તેમના</span> <span style="font-family: Shruti;">જીવનમાં</span> <span style="font-family: Shruti;">પરિવર્તનશીલ</span> <span style="font-family: Shruti;">ક્ષ<wbr>ણ</span> <span style="font-family: Shruti;">હતી</span>. <span style="font-family: Shruti;">ભયાનક</span> <span style="font-family: Shruti;">કલિંગ</span> <span style="font-family: Shruti;">યુદ્ધ</span> <span style="font-family: Shruti;">પછી</span> <span style="font-family: Shruti;">તેમણે</span> <span style="font-family: Shruti;">હિં<wbr>સા</span> <span style="font-family: Shruti;">છોડી</span> <span style="font-family: Shruti;">દીધી</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">બૌદ્ધ</span> <span style="font-family: Shruti;">ધર્મના</span> <span style="font-family: Shruti;"><wbr>સિદ્ધાંતોને</span> <span style="font-family: Shruti;">અપનાવ્યા</span> <span style="font-family: Shruti;">હતા</span><span style="font-family: Calibri;">.</span><span style="font-family: Calibri;"></span></span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"> </span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">આ</span> <span style="font-family: Shruti;">દસ</span>-<span style="font-family: Shruti;">દિવસીય</span> <span style="font-family: Shruti;">ઉત્સવમાં</span> <span style="font-family: Shruti;">દસમા</span> <span style="font-family: Shruti;">દિ<wbr>વસની</span> <span style="font-family: Shruti;">મુખ્ય</span> <span style="font-family: Shruti;">ક્ષણનો</span> <span style="font-family: Shruti;">સમાવેશ</span> <span style="font-family: Shruti;">થાય</span> <span style="font-family: Shruti;">છે</span> <span style="font-family: Shruti;">જ્યારે</span> <span style="font-family: Shruti;">સમ્રાટ</span> <span style="font-family: Shruti;">અશોક</span> <span style="font-family: Shruti;">તેમના</span> <span style="font-family: Shruti;">શાહી</span><wbr> <span style="font-family: Shruti;">પરિવાર</span> <span style="font-family: Shruti;">સાથે</span>, <span style="font-family: Shruti;">આદરણીય</span> <span style="font-family: Shruti;">બૌદ્ધ</span> <span style="font-family: Shruti;">સાધુ</span> <span style="font-family: Shruti;">ભંતે</span> <span style="font-family: Shruti;">મોગ્ગી<wbr>લીપુટ્ટ</span> <span style="font-family: Shruti;">તિસ્ય</span> <span style="font-family: Shruti;">પાસેથી</span> <span style="font-family: Shruti;">ધમ્મ</span> <span style="font-family: Shruti;">ઉપદે<wbr>શો</span> <span style="font-family: Shruti;">પ્રાપ્ત</span> <span style="font-family: Shruti;">કરે</span> <span style="font-family: Shruti;">છે</span>. <span style="font-family: Shruti;">આ</span> <span style="font-family: Shruti;">ધમ્મ</span> <span style="font-family: Shruti;">દીક્ષા</span> <span style="font-family: Shruti;">પછી</span> <span style="font-family: Shruti;">અશોકે</span> <span style="font-family: Shruti;">બળ</span> <span style="font-family: Shruti;">અથવા</span> <span style="font-family: Shruti;">શસ્ત્રો</span> <span style="font-family: Shruti;">દ્વારા</span> <span style="font-family: Shruti;">નહીં</span> <span style="font-family: Shruti;">પરંતુ</span> <span style="font-family: Shruti;">શાં<wbr>તિ</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">અહિંસા</span> <span style="font-family: Shruti;">દ્વારા</span> <span style="font-family: Shruti;">તેમની</span> <span style="font-family: Shruti;">પ્<wbr>રજાના</span> <span style="font-family: Shruti;">હૃદય</span> <span style="font-family: Shruti;">જીતવાની</span> <span style="font-family: Shruti;">પ્રતિજ્ઞા</span> <span style="font-family: Shruti;">લી<wbr>ધી</span> <span style="font-family: Shruti;">હતી</span><span style="font-family: Calibri;">.</span></span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"> </span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">બૌદ્ધ</span> <span style="font-family: Shruti;">ધર્મના</span> <span style="font-family: Shruti;">પ્રસાર</span> <span style="font-family: Shruti;">માટેની</span> <span style="font-family: Shruti;">તે<wbr>મની</span> <span style="font-family: Shruti;">પ્રતિબદ્ધતામાં</span>, <span style="font-family: Shruti;">અશોકે</span> <span style="font-family: Shruti;">નોંધપાત્ર</span> <span style="font-family: Shruti;">પ્રયાસો</span> <span style="font-family: Shruti;">કર્યા</span>, <span style="font-family: Shruti;">જેમાં</span> <span style="font-family: Shruti;">હજારો</span> <span style="font-family: Shruti;">સ્તૂપોનું</span> <span style="font-family: Shruti;">નિર્માણ</span>, <span style="font-family: Shruti;">શિલાલેખો</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">ધમ્મ</span> <span style="font-family: Shruti;">સ્તંભો</span> <span style="font-family: Shruti;">ઉભા</span> <span style="font-family: Shruti;">ક<wbr>રવા</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">તેમની</span> <span style="font-family: Shruti;">પુત્રી</span> <span style="font-family: Shruti;">સંઘમિત્રા</span><wbr> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">પુત્ર</span> <span style="font-family: Shruti;">મહેન્દ્રને</span> <span style="font-family: Shruti;">બૌદ્ધ</span> <span style="font-family: Shruti;">ધર્મ<wbr>ના</span> <span style="font-family: Shruti;">પ્રસાર</span> <span style="font-family: Shruti;">માટે</span> <span style="font-family: Shruti;">બૌદ્ધ</span> <span style="font-family: Shruti;">ભિક્ષુઓ</span> <span style="font-family: Shruti;">ત<wbr>રીકે</span> <span style="font-family: Shruti;">શ્રીલંકા</span> <span style="font-family: Shruti;">મોકલવામાં</span> <span style="font-family: Shruti;">આવ્યા</span>. <span style="font-family: Shruti;">જ્યાં</span> <span style="font-family: Shruti;">તેમણે</span> 84,000 <span style="font-family: Shruti;">સ્તંભો</span> <span style="font-family: Shruti;">ઉભા</span> <span style="font-family: Shruti;">કર્યા</span>. <span style="font-family: Shruti;">તેમણે</span> <span style="font-family: Shruti;">તેમના</span> <span style="font-family: Shruti;">સંસાધનોનું</span> <span style="font-family: Shruti;">ધમ્મની</span> <span style="font-family: Shruti;"><wbr>સેવામાં</span> <span style="font-family: Shruti;">રોકાણ</span> <span style="font-family: Shruti;">કર્યું</span>, <span style="font-family: Shruti;">જે</span> <span style="font-family: Shruti;">દાન</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">કલ્યાણ</span> <span style="font-family: Shruti;">માટે</span> <span style="font-family: Shruti;">તેમનું</span> <span style="font-family: Shruti;"><wbr>સમર્પણ</span> <span style="font-family: Shruti;">દર્શાવે</span> <span style="font-family: Shruti;">છે</span>.</span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"> </span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">આ</span> <span style="font-family: Shruti;">દિવસ</span> <span style="font-family: Shruti;">દશેરા</span> <span style="font-family: Shruti;">તરીકે</span> <span style="font-family: Shruti;">ઓળખાય</span> <span style="font-family: Shruti;">છે</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">સમ્રાટ</span> <span style="font-family: Shruti;">અશોક</span> <span style="font-family: Shruti;">દ્વારા</span> <span style="font-family: Shruti;">કરવામાં</span> <span style="font-family: Shruti;">આવે<wbr>લી</span> <span style="font-family: Shruti;">ઘોષણાને</span> <span style="font-family: Shruti;">તેમની</span> <span style="font-family: Shruti;">શાહી</span> <span style="font-family: Shruti;">સત્તા</span> <span style="font-family: Shruti;">દ્<wbr>વારા</span> <span style="font-family: Shruti;">અધિકૃત</span> <span style="font-family: Shruti;">કરવામાં</span> <span style="font-family: Shruti;">આવી</span> <span style="font-family: Shruti;">હતી</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">તેમણે</span> <span style="font-family: Shruti;">તેમના</span> <span style="font-family: Shruti;">ક્ષેત્રના</span> <span style="font-family: Shruti;">લોકોને</span> <span style="font-family: Shruti;"><wbr>અશોક</span> <span style="font-family: Shruti;">વિજયાદશમીની ઉજવણી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">જે</span> <span style="font-family: Shruti;">બૌદ્ધ</span> <span style="font-family: Shruti;">ધર્મના</span> <span style="font-family: Shruti;">પ્રચારની</span> <span style="font-family: Shruti;">સાથે</span> <span style="font-family: Shruti;"><wbr>તહેવારના સંબંધને પણ </span><span style="font-family: Shruti;">દર્શાવે</span> <span style="font-family: Shruti;">છે</span>.</span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"> </span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">દેશના</span> <span style="font-family: Shruti;">દલિત વર્ગ માટે આ દિવસ બીજી પણ એક મહત્વની ઘટનાને લઈને મહત્વનો બની રહે છે</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">એ મુજબ </span>14 <span style="font-family: Shruti;">ઓક્ટોબર</span> 1956<span style="font-family: Shruti;">ના</span> <span style="font-family: Shruti;">રોજ</span> <span style="font-family: Shruti;">અશોક</span> <span style="font-family: Shruti;">વિજયા<wbr>દશમીના</span> <span style="font-family: Shruti;">રોજ</span> <span style="font-family: Shruti;">ડૉ</span>. <span style="font-family: Shruti;">ભીમરાવ</span> <span style="font-family: Shruti;">આંબેડકર</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">તેમના</span> 500,<wbr>000 <span style="font-family: Shruti;">અનુયાયીઓ</span> <span style="font-family: Shruti;">તેમની</span> <span style="font-family: Shruti;">હિંદુ</span> <span style="font-family: Shruti;">ઓળખનો</span> <span style="font-family: Shruti;">ત્<wbr>યાગ</span> <span style="font-family: Shruti;">કરવા</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">બૌદ્ધ</span> <span style="font-family: Shruti;">ધર્મ</span> <span style="font-family: Shruti;">અપના<wbr>વવા</span> <span style="font-family: Shruti;">માટે</span> <span style="font-family: Shruti;">નાગપુરની</span> <span style="font-family: Shruti;">દીક્ષાભૂમિ</span> <span style="font-family: Shruti;">ખા<wbr>તે</span> <span style="font-family: Shruti;">એકઠા</span> <span style="font-family: Shruti;">થયા</span> <span style="font-family: Shruti;">હતા</span>. <span style="font-family: Shruti;">આ</span> <span style="font-family: Shruti;">ઐતિહાસિક</span> <span style="font-family: Shruti;">દિવસને</span> <span style="font-family: Shruti;">દર</span> <span style="font-family: Shruti;">વર્ષે</span> "<span style="font-family: Shruti;">ધમ્મ</span> <span style="font-family: Shruti;">ચક્ર</span> <span style="font-family: Shruti;">પરિવર્તન</span> <span style="font-family: Shruti;">દિવસ</span>" <span style="font-family: Shruti;">તરીકે</span> <span style="font-family: Shruti;">પણ</span> <span style="font-family: Shruti;">ઉજવવામાં</span> <span style="font-family: Shruti;">આવે</span> <span style="font-family: Shruti;">છે</span>.</span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"> </span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"><span style="color: rgb(243, 16, 16);"><strong><span style="font-family: Shruti;">અશોક</span> <span style="font-family: Shruti;">ધ</span> <span style="font-family: Shruti;">ગ્રેટ</span>: <span style="font-family: Shruti;">પ્રેમ</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">કરૂણાનું</span> <span style="font-family: Shruti;">પ્રતિક</span></strong></span></span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">ભારતના</span> <span style="font-family: Shruti;">ઈતિહાસમાં</span> <span style="font-family: Shruti;">ભારતીય</span> <span style="font-family: Shruti;">ઉપખંડ</span> <span style="font-family: Shruti;"><wbr>પર</span> <span style="font-family: Shruti;">શાસન</span> <span style="font-family: Shruti;">કરનારા</span> <span style="font-family: Shruti;">ઘણા</span> <span style="font-family: Shruti;">શાસકો</span> <span style="font-family: Shruti;">રહ્યા</span><wbr> <span style="font-family: Shruti;">છે</span>. <span style="font-family: Shruti;">બ્રિટિશ</span> <span style="font-family: Shruti;">કાળ</span> <span style="font-family: Shruti;">પહેલાં</span> <span style="font-family: Shruti;">ભારતમાં</span> <span style="font-family: Shruti;">રા<wbr>જવંશીય</span> <span style="font-family: Shruti;">શાસકોએ</span> <span style="font-family: Shruti;">વિવિધ</span> <span style="font-family: Shruti;">પ્રદેશો</span> <span style="font-family: Shruti;">પર</span><wbr> <span style="font-family: Shruti;">શાસન</span> <span style="font-family: Shruti;">કર્યું</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">આમાંના</span> <span style="font-family: Shruti;">મોટાભાગના</span> <span style="font-family: Shruti;">શાસકો</span> <span style="font-family: Shruti;">લાંબા</span> <span style="font-family: Shruti;">ગા<wbr>ળાની</span> <span style="font-family: Shruti;">અસરો</span> <span style="font-family: Shruti;">પેદા</span> <span style="font-family: Shruti;">કરવામાં</span> <span style="font-family: Shruti;">નિષ્ફળ</span> <span style="font-family: Shruti;"><wbr>ગયા</span> <span style="font-family: Shruti;">હતા</span><span style="font-family: Calibri;">. </span> <span style="font-family: Shruti;">જો</span> <span style="font-family: Shruti;">કે</span>, <span style="font-family: Shruti;">અશોક</span> <span style="font-family: Shruti;">ધ</span> <span style="font-family: Shruti;">ગ્રેટ</span>, <span style="font-family: Shruti;">જેમણે</span> <span style="font-family: Shruti;">પ્રાચીન</span> <span style="font-family: Shruti;">ભારત</span> <span style="font-family: Shruti;">પર</span> <span style="font-family: Shruti;">શાસન</span> <span style="font-family: Shruti;">કર્<wbr>યું</span> <span style="font-family: Shruti;">હતું</span>, <span style="font-family: Shruti;">તે</span> <span style="font-family: Shruti;">ભારતીય</span> <span style="font-family: Shruti;">ઇતિહાસમાં</span> <span style="font-family: Shruti;">સૌથી</span> <span style="font-family: Shruti;">મોટા</span> <span style="font-family: Shruti;"><wbr>સામ્રાજ્યની</span> <span style="font-family: Shruti;">અધ્યક્ષતામાં</span> <span style="font-family: Shruti;">અનન્ય</span><wbr> <span style="font-family: Shruti;">છે</span>. <span style="font-family: Shruti;">તેમનું</span> <span style="font-family: Shruti;">સામ્રાજ્ય</span> <span style="font-family: Shruti;">પશ્ચિમમાં</span> <span style="font-family: Shruti;">હા<wbr>લના</span> <span style="font-family: Shruti;">અફઘાનિસ્તાનથી</span> <span style="font-family: Shruti;">પૂર્વમાં</span> <span style="font-family: Shruti;">હા<wbr>લના</span> <span style="font-family: Shruti;">બાંગ્લાદેશ</span> <span style="font-family: Shruti;">સુધી</span> <span style="font-family: Shruti;">વિસ્તરેલું</span><wbr> <span style="font-family: Shruti;">હતું</span>.</span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"> </span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">અશોકનો</span> <span style="font-family: Shruti;">જન્મ</span> <span style="font-family: Shruti;">ઈ</span><span style="font-family: Calibri;">.</span><span style="font-family: Shruti;">સ</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">પૂર્વે </span>304<span style="font-family: Shruti;">માં</span> <span style="font-family: Shruti;">બીજા</span> <span style="font-family: Shruti;">મૌર્ય</span> <span style="font-family: Shruti;">શાસક</span> <span style="font-family: Shruti;">બિંદુસા<wbr>રને</span> <span style="font-family: Shruti;">થયો</span> <span style="font-family: Shruti;">હતો</span>. <span style="font-family: Shruti;">ઈ</span><span style="font-family: Calibri;">.</span><span style="font-family: Shruti;">સ</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">પૂર્વે </span>268<span style="font-family: Shruti;">માં</span> <span style="font-family: Shruti;">અશોક</span> <span style="font-family: Shruti;">ત્રીજા</span> <span style="font-family: Shruti;">મૌર્ય</span> <span style="font-family: Shruti;">શાસક</span> <span style="font-family: Shruti;"><wbr>બન્યા</span> <span style="font-family: Shruti;">હતા</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">અશોક ધ ગ્રેટ એક અજય સાશક હતા અને તેમના વિજય રથને રોકનાર કોઈ નહોતું</span><span style="font-family: Calibri;">.</span> <span style="font-family: Shruti;">જો</span> <span style="font-family: Shruti;">કે</span>, <span style="font-family: Shruti;">કલિંગ</span> <span style="font-family: Shruti;">યુદ્ધ</span>, <span style="font-family: Shruti;">જે</span> <span style="font-family: Shruti;">તેમણે</span> <span style="font-family: Shruti;">જીત્યું</span> <span style="font-family: Shruti;">હતું</span>, <span style="font-family: Shruti;">તે</span> <span style="font-family: Shruti;">તેમના</span> <span style="font-family: Shruti;">જીવન</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">સમકાલીન</span> <span style="font-family: Shruti;">ભા<wbr>રતની</span> <span style="font-family: Shruti;">દિશા</span> <span style="font-family: Shruti;">બદલવામાં</span> <span style="font-family: Shruti;">નિર્ણાયક</span> <span style="font-family: Shruti;">ભૂ<wbr>મિકા</span> <span style="font-family: Shruti;">ભજવવાનું</span> <span style="font-family: Shruti;">હતું</span>.</span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"> </span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">આ</span> <span style="font-family: Shruti;">યુદ્ધ</span> <span style="font-family: Shruti;">અશોકની</span> <span style="font-family: Shruti;">આગેવાની</span> <span style="font-family: Shruti;">હેઠળના</span> <span style="font-family: Shruti;"><wbr>મૌર્ય</span> <span style="font-family: Shruti;">સામ્રાજ્ય</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">આધુનિક</span> <span style="font-family: Shruti;">ભા<wbr>રતના</span> <span style="font-family: Shruti;">પૂર્વ</span> <span style="font-family: Shruti;">ભાગમાં</span> (<span style="font-family: Shruti;">હાલના</span> <span style="font-family: Shruti;">ઓડિશા</span><wbr> <span style="font-family: Shruti;">પ્રદેશમાં</span>) <span style="font-family: Shruti;">સ્થિત</span> <span style="font-family: Shruti;">કલિંગના</span> <span style="font-family: Shruti;">સ્વતંત્ર</span> <span style="font-family: Shruti;">રાજ્ય</span> <span style="font-family: Shruti;">વ<wbr>ચ્ચે</span> <span style="font-family: Shruti;">લડવામાં</span> <span style="font-family: Shruti;">આવ્યું</span> <span style="font-family: Shruti;">હતું</span>. <span style="font-family: Shruti;">કલિંગ</span> <span style="font-family: Shruti;">પ્રદેશ</span> <span style="font-family: Shruti;">તેની</span> <span style="font-family: Shruti;">સમૃદ્ધ</span> <span style="font-family: Shruti;">સંસ્<wbr>કૃતિ</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">વેપાર</span> <span style="font-family: Shruti;">માટે</span> <span style="font-family: Shruti;">જાણીતો</span> <span style="font-family: Shruti;">હતો</span><wbr>, <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">વિસ્તરતા</span> <span style="font-family: Shruti;">મૌર્ય</span> <span style="font-family: Shruti;">સામ્રાજ્ય</span> <span style="font-family: Shruti;">મા<wbr>ટે</span> <span style="font-family: Shruti;">પ્રચંડ</span> <span style="font-family: Shruti;">પ્રતિસ્પર્ધી</span> <span style="font-family: Shruti;">સાબિત</span> <span style="font-family: Shruti;">થ<wbr>ઈ</span> <span style="font-family: Shruti;">રહ્યો</span> <span style="font-family: Shruti;">હતો</span>. <span style="font-family: Shruti;">પરિણામે</span>, <span style="font-family: Shruti;">મૌર્ય</span> <span style="font-family: Shruti;">સામ્રાજ્ય</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">કલિંગ</span> <span style="font-family: Shruti;">સામ્<wbr>રાજ્ય</span> <span style="font-family: Shruti;">વચ્ચે</span> <span style="font-family: Shruti;">યુદ્ધ</span> <span style="font-family: Shruti;">થયું</span> <span style="font-family: Shruti;">હતું</span><span style="font-family: Calibri;">.</span></span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"> </span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">યુદ્ધમાં</span>, <span style="font-family: Shruti;">અશોકની</span> <span style="font-family: Calibri;">‘</span><span style="font-family: Shruti;">અજેય</span><span style="font-family: Calibri;">’</span> <span style="font-family: Shruti;">સેનાએ</span> <span style="font-family: Shruti;">કલિંગના</span> <span style="font-family: Shruti;">સૈ<wbr>ન્યને</span> <span style="font-family: Shruti;">અત્યંત</span> <span style="font-family: Shruti;">ખરાબ રીતે હરાવ્યું હતું</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">પણ </span><span style="font-family: Shruti;">કલિંગ</span> <span style="font-family: Shruti;">યુદ્ધ</span> <span style="font-family: Shruti;">અત્યંત</span> <span style="font-family: Shruti;">ક્રૂર</span> <span style="font-family: Shruti;">હતું</span> <span style="font-family: Shruti;"><wbr>અને</span> <span style="font-family: Shruti;">બંને</span> <span style="font-family: Shruti;">પક્ષે</span> <span style="font-family: Shruti;">જાનમાલનું</span> <span style="font-family: Shruti;">ભારે</span> <span style="font-family: Shruti;"><wbr>નુકસાન</span> <span style="font-family: Shruti;">થયું</span> <span style="font-family: Shruti;">હતું</span>. <span style="font-family: Shruti;">અશોક</span> <span style="font-family: Shruti;">અપાર</span> <span style="font-family: Shruti;">વેદના</span>, <span style="font-family: Shruti;">માનવ</span> <span style="font-family: Shruti;">જીવનની</span> <span style="font-family: Shruti;">ખોટ</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">સંઘર્ષને</span> <span style="font-family: Shruti;">કા<wbr>રણે</span> <span style="font-family: Shruti;">થયેલા</span> <span style="font-family: Shruti;">વિનાશથી</span> <span style="font-family: Shruti;">ખૂબ</span> <span style="font-family: Shruti;">જ</span> <span style="font-family: Shruti;">દુખી</span> <span style="font-family: Shruti;">થ<wbr>યા</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">તેમને </span><span style="font-family: Shruti;">લાગ્યું</span> <span style="font-family: Shruti;">કે</span> <span style="font-family: Shruti;">તેણે</span> <span style="font-family: Shruti;">મેળવેલો</span> <span style="font-family: Shruti;">વિજય</span> <span style="font-family: Shruti;">અ<wbr>ર્થહીન</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">નિરાશાજનક</span> <span style="font-family: Shruti;">છે</span>.</span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"> </span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">યુદ્ધની</span> <span style="font-family: Shruti;">ભયાનકતા</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">તેનાથી</span> <span style="font-family: Shruti;">પે<wbr>દા થયેલી વેદાન જોઈને અશોકના </span><span style="font-family: Shruti;">હૃદયમાં</span> <span style="font-family: Shruti;">ભારે</span> <span style="font-family: Shruti;">પરિવર્તન આવ્યું</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">તેમણે</span> <span style="font-family: Shruti;">કલિંગ</span> <span style="font-family: Shruti;">પર કરેલા આક્રમણ બદલ </span><span style="font-family: Shruti;">પસ્તાવો</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">અપરાધની</span> <span style="font-family: Shruti;">લાગણી</span> <span style="font-family: Shruti;">અનુ<wbr>ભવી</span> <span style="font-family: Shruti;">અને યુદ્ધની માનવીય અને નૈતિક કિંમતથી તેઓ ઊંડે સુધી પ્રભાવિત થયા</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">પરિણામે</span> <span style="font-family: Shruti;">તેઓ</span> <span style="font-family: Shruti;">બૌદ્ધ</span> <span style="font-family: Shruti;">ધર્મ</span> <span style="font-family: Shruti;">તરફ</span> <span style="font-family: Shruti;">વળ્<wbr>યા</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">તેના</span> <span style="font-family: Shruti;">અહિંસા</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">કરુણાના</span><wbr> <span style="font-family: Shruti;">સિદ્ધાંતો</span> <span style="font-family: Shruti;">અપનાવ્યા</span>.</span></p>
<p class="MsoNormal"><span style="font-size: 14pt;"> </span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(243, 16, 16);"><span style="font-family: Shruti;">વિશ્વભરમાં</span> <span style="font-family: Shruti;">બૌદ્ધ ધર્મ ફેલાવવામાં અશોક ધ ગ્રેટનું મોટું યોગદાન</span></span></strong><b></b></span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">બૌદ્ધ</span> <span style="font-family: Shruti;">ધર્મ</span> <span style="font-family: Shruti;">અંગિકાર કર્યા પછી અશોકે પોતાના શાસનના માર્ગદર્શક દર્શનના રૂપમાં બૌદ્ધ સિદ્ધાંતોને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">તેમણે પોતાના નૈતિક શાસન</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">અહિંસા અને સમાજ કલ્યાણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાના પ્રસાર માટે સમગ્ર સામ્રાજ્યમાં શિલાલેખો સ્થાપિત કરાવ્યા</span><span style="font-family: Calibri;">.</span></span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"> </span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">અશોકે</span> <span style="font-family: Shruti;">બૌદ્ધ</span> <span style="font-family: Shruti;">ધર્મનો</span> <span style="font-family: Shruti;">પ્રચાર</span> <span style="font-family: Shruti;">ધર્મ</span><wbr> <span style="font-family: Shruti;">તરીકે</span> <span style="font-family: Shruti;">નહીં</span> <span style="font-family: Shruti;">પરંતુ</span> <span style="font-family: Shruti;">જીવનમાં</span> <span style="font-family: Shruti;">પરિ<wbr>વર્તન</span> <span style="font-family: Shruti;">લાવવાની</span> <span style="font-family: Shruti;">કળા</span> <span style="font-family: Shruti;">તરીકે</span> <span style="font-family: Shruti;">કર્યો</span> <span style="font-family: Shruti;"><wbr>હતો</span>. <span style="font-family: Shruti;">શિલાલેખો</span> <span style="font-family: Shruti;">બિનજરૂરી</span> <span style="font-family: Shruti;">ધાર્મિક</span> <span style="font-family: Shruti;">વિધિ<wbr>ઓને</span> <span style="font-family: Shruti;">સમર્થન</span> <span style="font-family: Shruti;">આપતા</span> <span style="font-family: Shruti;">નથી</span>. <span style="font-family: Shruti;">જૂનાગઢ</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">નાસિકની</span> <span style="font-family: Shruti;">ગુફાઓ</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">પાલી</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">પ્રાકૃત</span> <span style="font-family: Shruti;">શિલાલેખો</span> <span style="font-family: Shruti;">સાબિ<wbr>ત</span> <span style="font-family: Shruti;">કરે</span> <span style="font-family: Shruti;">છે</span> <span style="font-family: Shruti;">કે</span> <span style="font-family: Shruti;">તે</span> <span style="font-family: Shruti;">સમયે</span> <span style="font-family: Shruti;">લોકોમાં</span> <span style="font-family: Shruti;">કો<wbr>ઈ</span> <span style="font-family: Shruti;">દુશ્મનાવટ</span> <span style="font-family: Shruti;">નહોતી</span>, <span style="font-family: Shruti;">વેરની</span> <span style="font-family: Shruti;">ભાવના</span> <span style="font-family: Shruti;">નહોતી</span>, <span style="font-family: Shruti;">ભાઈચારો</span> <span style="font-family: Shruti;">હતો</span> <span style="font-family: Shruti;">અને અનૈતિકતા </span><span style="font-family: Shruti;">પ્રવર્તતી</span> <span style="font-family: Shruti;">નહોતી</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">આપણે</span> <span style="font-family: Shruti;">જી<wbr>વનમાં</span> <span style="font-family: Shruti;">આ</span> <span style="font-family: Shruti;">જ</span> <span style="font-family: Shruti;">ઈચ્છીએ</span> <span style="font-family: Shruti;">છીએ</span>. <span style="font-family: Shruti;">તેમણે</span> <span style="font-family: Shruti;">શાંતિનો</span> <span style="font-family: Shruti;">સંદેશ</span> <span style="font-family: Shruti;">ફેલાવવા</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">વિશ્વભરના</span> <span style="font-family: Shruti;">શાસકો</span> <span style="font-family: Shruti;">માટે</span> <span style="font-family: Shruti;">માર્ગદર્<wbr>શક</span> <span style="font-family: Shruti;">તરીકે</span> <span style="font-family: Shruti;">સેવા</span> <span style="font-family: Shruti;">આપવા</span> <span style="font-family: Shruti;">ઈરાન</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">ઈરા<wbr>ક</span> <span style="font-family: Shruti;">જેવા</span> <span style="font-family: Shruti;">દૂર</span>-<span style="font-family: Shruti;">દૂરના</span> <span style="font-family: Shruti;">સ્થળોએ</span> <span style="font-family: Shruti;">શિલાલે<wbr>ખો</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">સ્તૂપો </span><span style="font-family: Shruti;">સ્થાપિત</span> <span style="font-family: Shruti;">કર્યા</span>. <span style="font-family: Shruti;">આ</span> <span style="font-family: Shruti;">શિલાલેખ</span> <span style="font-family: Shruti;">અશો<wbr>કની</span> <span style="font-family: Shruti;">દૂરંદેશીનો</span> <span style="font-family: Shruti;">પુરાવો</span> <span style="font-family: Shruti;">છે</span> <span style="font-family: Shruti;">કારણ કે આ શિલાલેખો કાળની થપાટથી આજ સુધી બચી શક્યા છે અને તે </span><span style="font-family: Calibri;">1 </span><span style="font-family: Shruti;">લાખ વર્ષ કરતા વધુ સમય સુધી સુરક્ષિત રહેવાની ક્ષમતા છે</span><span style="font-family: Calibri;">.</span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 24 Oct 2023 20:18:02 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 12 Oct 2024 21:09:34 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>42</Articleid>
                    <excerpt>‘અશોક વિજયાદશમી’ શબ્દ ઐતિહાસિક એ ઉત્સવ પરથી ઉતરી આવ્યો છે </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670a975329cc5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670a9752ec590.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670a9752ec590.jpg" length="85465" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ashok Vijaya Dashmi</media:keywords>
                </item>
                        <item>
                    <title>સત્તાની ગુરૂકિલ્લી: દલિતજન, બહુજન, સર્વજન</title>
                    <link>https://khabarantar.com/Gurukilli-of-Power:-Dalitjan,-Bahujan,-Sarvajan</link>
                    <guid>https://khabarantar.com/Gurukilli-of-Power:-Dalitjan,-Bahujan,-Sarvajan</guid>
                    <description>
                        <![CDATA[ આજીવન જ્ઞાતિ નાબૂદી માટે સંઘર્ષરત આંબેડકરે પોતે સ્થાપેલા રાજકીય પક્ષો મારફતે આજે જેની બોલબાલા છે તે જ્ઞાતિનું રાજકારણ જરાય ખેલ્યું નહોતું. પરંતુ તેમણે દલિતોના મુદ્દાઓને પ્રાધાન્ય આપીને સમાજના વિભિન્ન વર્ગોને સ્પર્શતા મુદ્દાઓની રાજનીતિ કરી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><b><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">- ચંદુ મહેરિયા</span></b></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><b><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></b><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">ડો.બાબાસાહેબ આંબેડકરે દલિતોને રાજકીય અધિકારો અપાવ્યા હતા. એટલું જ નહીં તેમણે તે માટે તેમને સંઘર્ષ કરતા કર્યા હતા. તેઓ દલિતોને કહેતા હતા કે જ્યાં સુધી આપણી પાસે રાજકીય અધિકાર નથી ત્યાં સુધી સમાજમાં જરૂરી પરિવર્તન લાવી શકાશે નહીં. પોતાના જીવનકાળમાં ડો.આંબેડકરે ત્રણ રાજકીય પક્ષો સ્થાપ્યા હતા: ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> ઓલ ઈન્ડિયા શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશન અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા. ૧૯૩૨ની ગોળમેજી પરિષદમાં બાબાસાહેબે દલિતો માટે અલગ મતાધિકારની માંગણી કરી હતી. તે પછી થયેલા પૂના કરારમાં તેને બદલે અનામત બેઠકો મળી. ૧૯૩૫ના હિંદ સ્વાતંત્ર્ય ધારા અન્વયે ૧૯૩૭માં ચૂંટણી થઈ. આ ચૂંટણીમાં ભાગ લઈ દલિતોનું રાજકીય પ્રતિનિધિત્વ ઉભું કરવા માટે ૧૯૩૬માં ડો.આંબેડકરે સ્વતંત્ર મજૂર પક્ષ(ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી) ની સ્થાપના કરી હતી. તેમના પ્રથમ રાજકીય પક્ષે મુંબઈ પ્રાંતની 17 બેઠકો પર ઉમેદવારી કરીને 15 પર વિજય મેળવ્યો હતો. એ રીતે બાબાસાહેબના પહેલા રાજકીય પક્ષને સારી સફળતા મળી હતી અને તેણે વિરોધ પક્ષનું સ્થાન મેળવ્યું હતું. </span><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify; text-indent: 36.0pt;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">આજીવન જ્ઞાતિ નાબૂદી માટે સંઘર્ષરત આંબેડકરે પોતે સ્થાપેલા રાજકીય પક્ષો મારફતે આજે જેની બોલબાલા છે તે જ્ઞાતિનું રાજકારણ જરાય ખેલ્યું નહોતું. પરંતુ તેમણે દલિતોના મુદ્દાઓને પ્રાધાન્ય આપીને સમાજના વિભિન્ન વર્ગોને સ્પર્શતા મુદ્દાઓની રાજનીતિ કરી હતી. પહેલી રાજકીય પાર્ટીની સ્થાપના વખતે તેમણે સ્પષ્ટતા કરી હતી કે પાર્ટીનો મુખ્ય આધાર દલિતોની અનામત બેઠકો છે પણ<span style="mso-spacerun: yes;">  </span>પાર્ટીનું નામ અને એજન્ડા વિશાળ રાખીને અમે અન્ય વર્ગ તથા જ્ઞાતિને માટે અમારા દરવાજા ખૂલ્લા રાખવા માંગીએ છીએ. દલિતેતર મતદારો અને પક્ષોનો રાજકીય સહયોગ પાર્ટીનું ફલક વ્યાપક હોય તો જ શક્ય છે તે દલિત રાજનીતિના આ પુરોધાને સમજાઈ ચૂક્યું હશે. </span><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify; text-indent: 36.0pt;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">આજથી આઠ દાયકા પૂર્વે</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">19મી જુલાઈ ૧૯૪૨ના રોજ</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> તેમણે ઓલ ઈન્ડિયા શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશન નામક પોલિટિકલ પાર્ટીની રચના કરી ત્યારે પણ તેઓ જ્ઞાતિના રાજકારણથી દૂર રહ્યા હતા. આ પાર્ટીની રચનાનો તેમનો ઉદ્દેશ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સંતુલન સાધી ત્રીજો વિકલ્પ ઉભો કરવાનો હતો. પક્ષનો મુખ્ય ઉદ્દેશ સ્વતંત્રતા</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> સમાનતા અને બંધુતાનું રક્ષણ</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">તમામ ભારતીયો માટે રાજકીય</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> આર્થિક</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> સામાજિક અને ધાર્મિક સમાનતા કાયમ કરવી</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> શોષણ મુક્તિ</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> લોકોને ભય અને અભાવથી મુક્ત રાખવા વગેરે હતો. </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">બાબાસાહેબના </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">આ પક્ષને ઝાઝી રાજકીય સફળતા મળી નહોતી પરંતુ ભૂમિ આંદોલન મારફતે તેણે દલિતોમાં રાજકીય ચેતના જગવી હતી અને મજબૂત સંગઠન ઉભું થઈ શક્યું હતું</span><span lang="EN-US" style="line-height: 115%;">.</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> <span style="mso-spacerun: yes;"> </span></span><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify; text-indent: 36.0pt;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">૧૯૫૬ની 14મી ઓકટોબરે નાગપુરમાં ડો. આંબેડકરે શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશનનું વિસર્જન કરી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાની રચના કરવાની જાહેરાત કરી હતી. આ પક્ષનું બંધારણ પણ બાબાસાહેબે ઘડ્યું હતું. પરંતુ તેમની હયાતીમાં પક્ષની સ્થાપના થઈ શકી નહીં. ડો.આંબેડકરના નિર્વાણ પછી ત્રીજી ઓકટોબર ૧૯૫૭ના રોજ તે અસ્તિત્વમાં આવી હતી. આંબેડકરે રચેલા આ ત્રીજા પક્ષનો ઉદ્દેશ બંધારણમાં આપેલા વચનોના અમલનો તો હતો જ ઉપરાંત સમાજમાં પ્રવર્તતી વિષમતા દૂર કરી કાયદા સમક્ષ સમાનતા સ્થાપવાનો હતો. ન્યાય</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> સ્વતંત્રતા</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> સમાનતા અને બંધુતા પ્રાપ્ત કરવાનું પક્ષનું મુખ્ય ધ્યેય હતું. અગાઉના પક્ષોની જેમ આ પક્ષને પણ તેઓ દલિતો પૂરતો મર્યાદિત રાખવાને બદલે વ્યાપક બનાવવા માંગતા હતા. કેટલાક વરસો મુસલમાન</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> શીખ વગેરે તેમાં સામેલ પણ થયા હતા જોકે આજે તો રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાની ઈમેજ દેશમાં અનેક ફાંટાઓમાં વહેંચાયેલી દલિત પાર્ટીની છે. </span><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify; text-indent: 36.0pt;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">ઉત્તર આંબેડકરી દલિત રાજનીતિમાં ઉભરેલું દમદાર નામ કાંશીરામનું છે. બામસેફ(૧૯૭૮) અને </span><span lang="EN-US" style="line-height: 115%;">DS</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">૪(૧૯૮૧) પછી તેમણે ૧૯૮૪માં બહુજન સમાજ પાર્ટી (</span><span lang="EN-US" style="line-height: 115%;">BSP</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">) ની સ્થાપના કરી હતી. કાંશીરામે પક્ષના નામમાં બહુજન શબ્દ પ્રયોજી તેને દેશની બહુમતી વસ્તીની રાજકીય આકાંક્ષાનું પ્રતિબિ</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">ંબ પાડતી </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">પાર્ટી બનાવવાનું સ્વપ્ન જોયું હતુ. સમાજવાદી નેતા ડો. રામ મનોહર લોહિયાનો નારો </span><span lang="GU" style="line-height: 115%; font-family: 'Times New Roman', 'serif';">“</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">પિછડા માંગે સો મેં સાઠ</span><span lang="GU" style="line-height: 115%; font-family: 'Times New Roman', 'serif';">”</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> નો હતો. કાંશીરામનો નારો </span><span lang="GU" style="line-height: 115%; font-family: 'Times New Roman', 'serif';">“</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">જિસ કી જીતની સંખ્યા ભારી ઉસકી ઉતની હિસ્સેદારી</span><span lang="GU" style="line-height: 115%; font-family: 'Times New Roman', 'serif';">”</span><span lang="GU" style="line-height: 115%;"> </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">નો હતો. દેશની વસ્તીમાં દલિતો</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> આદિવાસીઓ</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">પછાત</span><span lang="GU" style="line-height: 115%;"> </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">વર્ગો અને લઘુમતીઓને તેમના વસ્તીના પ્રમાણમાં રાજકીય પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેમ તેઓ માનતા હતા. તેમણે રાજનીતિને દલિતજનથી બહુજનમાં પરિવર્તિત કરી હતી. </span><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify; text-indent: 36.0pt;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">દેશમાં દલિતોની સૌથી વધુ વસ્તી(૩૯.૯૪ ટકા) તો પંજાબમાં છે</span><span lang="EN-US" style="line-height: 115%;">.</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> કાંશીરામ પણ પંજાબના હતા પરંતુ તેમને રાજકીય સફળતા ઉત્તરપ્રદેશમાં મળી! બસપા નેત્રી માયાવતીને તેઓ </span><span lang="EN-US" style="line-height: 115%;">4</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> વાર દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનાવી શક્યા.</span><span lang="GU" style="line-height: 115%;"> </span><span lang="EN-US" style="line-height: 115%;">“</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">ડો.</span><span lang="GU" style="line-height: 115%;"> </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">આંબેડકર પુસ્તકો ભેગા કરે છે અને હું લોકોને</span><span lang="EN-US" style="line-height: 115%;">”</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> એમ કહેનારા કાંશીરામ આંબેડકરની સિધ્ધાંતો આધારિત રાજનીતિને બદલે નિતાંત સત્તાની રાજનીતિમાં માનતા હતા. કાંશીરામ-માયાવતી દલિતોને હુકમરાન સમાજ બનાવવા માંગતા હતા. તે માટેની તેમની સફર દલિતજન કે બહુજન સુધી સીમિત ના રહેતાં સર્વજન સુધી વિસ્તરી હતી. વિશુધ્ધ સત્તાની આ રાજનીતિ ગઠબંધનની રાજનીતિ હતી અને તેમાં કથિત દલિતવિરોધી પક્ષનું સમર્થન મેળવવાનો પણ કોઈ બાધ નહોતો.</span><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify; text-indent: 36.0pt;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">બાબાસાહેબના સમતા સૈનિક દળની તુલના જ્યારે રામવિલાસ પાસવાનની દલિત સેના કે ચંદ્રશેખર આઝાદની ભીમ આર્મી સાથે કરીએ ત્યારે લાગે છે કે આ ત્રણેય નામમાં જ કેટલો ભેદ છે. આંબેડકરે લોકતંત્રનો આધારભૂત બંધારણીય ઢાંચો મજબૂત કર્યો હતો. પણ તે પછીના અને આજના દલિત નેતાઓએ વિચારધારાના કશા છોછ વિના રાજકીય દાવપેચ ખેલીને સત્તા કે પ્રધાનપદાં મેળવ્યાં છે. અને પાછા તેઓ દલિતોને હુકમરાન સમાજ બનાવ્યાનું કે સત્તાની ગુરુકિલ્લી તો તેમની પાસે જ હોવાનું ગૌરવ લે છે. </span><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify; text-indent: 36.0pt;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">છેક ૧૯૬૦માં દામોદરમ સંજીવૈયા આંધ્રના મુખ્યમંત્રી બન્યા હતા. તે દેશના પહેલા દલિત મુખ્યમંત્રી હતા. હજુ ગયા વરસે જ સામી ચૂંટણીએ પંજાબમાં કોંગ્રેસે દલિત નેતા ચરણજીત સિંઘ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. વર્તમાનમાં ભારતના એક પણ રાજ્યમાં દલિત મુખ્યમંત્રી નથી. અનામત બેઠકો પર દલિતો સાંસદો અને ધારાસભ્યો બન્યા છે. કેન્દ્ર અને રાજ્યોમાં મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ પણ બન્યા છે. પરંતુ આંબેડકરના સપનાના વર્ગવિહીન-જ્ઞાતિવિહીન સમાજની રચનાની દલિત રાજનીતિથી તે જોજનો દૂર છે. </span><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify; text-indent: 36.0pt;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">દેશની વસ્તીમાં દલિતોનું <span style="mso-spacerun: yes;"> </span>જે પ્રમાણ છે તે મુજબ તે એકલા હાથે સત્તા મેળવી શકે તેમ નથી. તેને બહુજન કે સર્વજન સુધી વિસ્તારીને સત્તા હાંસલ કરતાં દલિત સમસ્યાના નિરાકરણનો અવકાશ રહેતો નથી. મુખ્ય ધારાના રાજકીય પક્ષનું પ્રમુખ પદ(કોંગ્રેસમાં ખડગે કે ભાજપમાં બાંગારુ) કે રાજ્યનું મુખ્યમંત્રી પદ મળે તેથી સ્વાયત્ત અને સ્વતંત્ર દલિત રાજનીતિ શક્ય બની નથી. ડો.આંબેડકરે વિસર્જિત કરેલા ઓલ ઈન્ડિયા શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશનની સ્થાપનાના આઠેક કરતાં વધુ દાયકે આ એક વણઉકેલ્યો કોયડો છે.</span><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><b><span lang="EN-US" style="line-height: 115%;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a><o:p></o:p></span></b></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><b><span lang="EN-US" style="line-height: 115%;">(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને ડો. બાબાસાહેબના જીવનકાર્યના અભ્યાસુ છે.)</span></b></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><b><span lang="EN-US" style="line-height: 115%;"><o:p> </o:p></span></b></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span lang="EN-US" style="font-size: 14.0pt; line-height: 115%;"><o:p> </o:p></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span lang="EN-US" style="font-size: 14.0pt; line-height: 115%;"><o:p> </o:p></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span lang="EN-US" style="font-size: 14.0pt; line-height: 115%;"><o:p> </o:p></span></p>
<p class="MsoNormal" style="text-align: justify; text-indent: 36.0pt;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"><span style="mso-spacerun: yes;">  </span></span><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify; text-indent: 36.0pt;"><span lang="EN-US" style="font-size: 14.0pt; line-height: 115%; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-font-family: Shruti; mso-bidi-theme-font: minor-bidi;"><span style="mso-spacerun: yes;"> </span><span style="mso-spacerun: yes;"> </span></span><span lang="EN-US" style="font-size: 14.0pt; line-height: 115%;"><o:p></o:p></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 22 Oct 2023 10:01:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>36</Articleid>
                    <excerpt>આજીવન જ્ઞાતિ નાબૂદી માટે સંઘર્ષરત આંબેડકરે પોતે સ્થાપેલા રાજકીય પક્ષો મારફતે આજે જેની બોલબાલા છે તે જ્ઞાતિનું રાજકારણ જરાય ખેલ્યું નહોતું. પરંતુ તેમણે દલિતોના મુદ્દાઓને પ્રાધાન્ય આપીને સમાજના વિભિન્ન વર્ગોને સ્પર્શતા મુદ્દાઓની રાજનીતિ કરી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202310/image_140x98_6534a59ece4e2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202310/image_870x580_6534a59e9abdc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202310/image_870x580_6534a59e9abdc.jpg" length="49398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ભારતીય બંધારણઃ જાણો, માણો, સમજો અને સમજાવો</title>
                    <link>https://khabarantar.com/Know,-enjoy,-understand-and-explain-Indian-Constitution</link>
                    <guid>https://khabarantar.com/Know,-enjoy,-understand-and-explain-Indian-Constitution</guid>
                    <description>
                        <![CDATA[ કાયદાના જિનિયસ ડો. બાબાસાહેબ આંબેડકરે આપેલ હક અને અધિકાર માટે લડત લડતા પહેલા બંધારણમાં આપેલ હક અને અધિકારોની જાણકારી હોવી ખુબ જ જરૂરી છે. એટલે જ અહીં ભારતીય બંધારણની વિસ્તારથી સમજ આપવામાં આવી છે... ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 12pt;">ડો. બાબા સાહેબ આંબેડકરે મહામહેનતે અને લાંબા સંઘર્ષ બાદ આપણને હક અને અધિકારો અપાવ્યા છે. તેઓએ આ અધિકારો આપાવવા માટે પોતાની પત્ની, ચાર બાળકોની પણ પરવા ન કરી. શરીર સાથ નહોતું આપતું છતાં તેની અવગણના કરીને સમાજ માટે કામ કરતા રહ્યાં. તેમના એ લાંબા સંઘર્ષ બાદ આપણને સાંપડેલા બંધારણીય અધિકારોની જાળવણી કરવાની આપણી નૈતિક અને સામાજિક તેમજ રાષ્ટ્રીય ફરજ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">અંગ્રેજોની 200 વર્ષની ગુલામીમાંથી 15 ઓગસ્ટ 1947 ના દિવસે દેશ આઝાદ થયો ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે આ દેશ કઈ રીતે ચાલશે?આ દેશની નીતિ શું હશે? કઈ દિશામાં દેશ જશે?. ડો. બાબા સાહેબ આંબેડકર લિખિત ભારતીય બંધારણ અને બંધારણીય જોગવાઈઓ એક ભારતના નાગરિક તરીકે આપણે જાણવું ખુબ જ જરૂરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"> </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">26 જાન્યુઆરી 1950 ના દિવસે 10:10 મિનિટે સમગ્ર ભારતમાં લાગુ થયેલ ભારતના બંધારણમાં કુલ 22 ભાગો છે, જેમાં 446 અનુચ્છેદ (આર્ટિકલ), 12 સિડ્યુઅલ(પિરિશિષ્ટ)આવેલ છે, જેમાં શરૂઆત આમુખથી થાય છે, આમુખ એ બંધારણને જોવાનો અરીસો છે, જેમાં જુદાજુદા આદર્શ આપવમાં આવેલ છે, જે આદર્શ આપણે બંધારણીય જોગવાઈઓ થકી સિદ્ધ કરવા માંગીએ છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"> </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(243, 16, 16); font-size: 12pt;"><strong>ભારતના બંધારણની શરૂઆત we the people of india એટલેકે અમે ભારતના લોકો થી શરુ થાય છે, ભારત એટલે ઇન્ડિયા.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">બંધારણમાં આમુખ, રાજ્યોનો સંઘ, કેન્દ્ર શાસિત પ્રદેશો, ભાષાનાઆધારે રાજ્યોની રચના, નાગરિકતા, મૂળભૂત અધિકાર, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત,નાગરિકોની ફરજો, કાયદો વ્યવસ્થા અને નાણાકીય કટોકટી, યુપીએસસી, ચૂંટણીપંચ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓ, ધારાસભા, રાજ્યસભા, સંસદ, સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટની રચના સતા, કાર્યોની જોગવાઈ, મુખ્ય ભાષા, ત્રી-સ્તરીય પંચાયતની જોગવાઈ, રાજ્યપાલોની નિમણુંકની જોગવાઈ, મંત્રીમંડળ, સતા, ફરજો, રાષ્ટ્રપતિની સતા, રાજ્ય અને કેન્દ્ર સરકારને કાયદા ઘડવાની સતા, યાદી, વિદેશી બાબતો અને વિદેશ સાથે સબંધ, લઘુમતીના અધિકારો, સ્વતંત્રતા, સમાનતા, બંધુતાના મૂલ્યો, વ્યસ્ક મતાધિકાર, ચૂંટણીમાં ઉભા રહેવા અને પ્રક્રિયામાં ભાગ લેવાનો અધિકાર, વિ. બાબતોની જોગવાઈઓનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">ભારતના બંધારણના આમુખમાં દર્શાવ્યા મુજબ અમે ભારતના લોકો ભારતને એક સાર્વભોમ, બિનસાંપ્રદાયિક, સમાજવાદી, લોકતંત્રાત્મક, પંથ નિરપેક્ષ, પ્રજાસતાક બનાવવા માટે તથા બધા નાગરિકોને ન્યાય-સામાજિક, આર્થિક અને રાજકીય, સ્વતંત્રતા, વિચાર, વાણી, માન્યતા, ધર્મઅને પૂજાની, સમાનતા, પ્રતિષ્ટા અને તકની તથા વ્યકતિના ગૌરવ તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા  માટે  ભાઈચારો કેળવવાનો દઢ સંકલ્પ કરીને અમારી બંધારણ સભામાં 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ અપનાવીએ છીએ અને અમારી જાતને સમર્પિત કરીએ છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(243, 16, 16); font-size: 12pt;"><strong>બંધારણમાં પ્રતિનિધિત્વ ચાર પ્રકારનું છે.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">1. શિક્ષણમાં</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">2. સરકારી નોકરીઓમાં</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">3. સરકારી નોકરીઓમાં પ્રમોશન</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">4. રાજકીય</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">ભારતીય નાગરિકો અને અન્ય વ્યક્તિઓને બંધારણમાં કેટલાક મૂળભૂત અને પાયાના મૌલીક હક્કો આપવામાં આવ્યા છે, જેનો અમલ અને રક્ષણ કરવું te જે તે સરકારની જવાબદારી બને છે, જો સરકાર આ હકકોની જાળવણી કરવામાં નિષ્ફળ જાય તો આપણે આપણા હક્કની રક્ષા માટે હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">ચાલો એક નજર કરીએ મૂળભૂત હક્કો પર</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(243, 16, 16); font-size: 12pt;"><strong>સમાનતાનો હક્ક (અનુચ્છેદ- ૧૪ થી ૧૮ )</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">અનુચ્છેદ – ૧૪ . કાયદા સમક્ષ બધા સરખા,. કાયદાનું સરખું રક્ષણ</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">અનુચ્છેદ– ૧૫ . વંશ, જાતિ, જ્ઞાતિ, ધર્મ કે જન્મના સ્થળને કારણે ભેદભાવ રાખી શકાય નહી, જાહેર કુવા તળાવ પર પાણી ભરવાનો જાહેર હોટેલ, સિનેમા, દુકાન વી.સ્થળનો ઉપભોગ કરવાનો સૌને અધિકાર</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">અનુચ્છેદ– ૧૬ . સરકારી નોકરીઓમાં ભેદભાવ વિના બધાને સરખી તક, પણ એસ. સી./એસ. ટી. વર્ગ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોનું સરકારી નોકરીઓમાં પૂરતું પ્રતિનિધિત્વ નથી તેવો રાજ્યની વિધાનસભા, સંસદનો અભિપ્રાય હોય તો વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ રાખવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">અનુચ્છેદ– ૧૭. કોઈપણ સ્વરૂપે આભડછેટ પાળવા ઉપર પ્રતિબંધ અને આભડછેટ પાળવા પર કે પ્રોત્સાહન આપવા સજા પાત્ર ગુન્હો ગણેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">અનુચ્છેદ– ૧૮. ખીતાબોની નાબુદી, રાજ્ય શૈક્ષણિક અને લશ્કરી  ડિગ્રી/પ્રમાણપત્રઆપી શકશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">સ્વતંત્રતાનો હક્ક (  અનુચ્છેદ- ૧૯ થી ૨૨ )</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(243, 16, 16); font-size: 12pt;"><strong>અનુચ્છેદ- ૧૯</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">(૧) વાણી અને અભિવ્યક્તિનો અધિકાર એટલેકે બોલવાનો અધિકાર</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">(૨) હથિયાર વિના શાંતિપૂર્વક સૌને ભેગા થવાનો અધિકાર</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">(૩) સંસ્થા/સંગઠનો બનાવવાનો અધિકાર</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">(૪) આખા દેશમાં છૂટથી હરવા ફરવાનો અધિકાર</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">(૫) દેશના કોઈપણ ભાગમાં વસવાટ કરવાનો અધિકાર</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">(૬) દેશમાં કોઈપણ ધંધો વ્યવસાય કરવાની છૂટ (સરકાર જરૂર જણાયે લાયકાત નક્કી કરી શકે, અથવા અમુક ધંધા પોતેજ કરી શકે)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(243, 16, 16);">અનુચ્છેદ - ૨૦</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">ગુના સબંધિત સજા, વ્યક્તિ સ્વતંત્રતાનો અધિકાર:- ગુનો જયારે બન્યો હોય ત્યારે જે કાયદામાં અમલમાં હોય તેટલી સજાથઇ શકે / એકના એક ગુનામા એકથી વધારે વાર સજા ન થઇ શકે / કોઇપણ વ્યક્તિને પોતાની સામે સાક્ષી આપવા ફરજ ન પડી શકાય</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(243, 16, 16);">અનુચ્છેદ – ૨૧ </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">.ગૌરવપૂર્ણ રીતે જીવન જીવવાનો અધિકાર:- જીવન અને શરીર સ્વતંત્રતાનું રક્ષણ</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">આ કલમ માં વ્યક્તિની સ્વતંત્રતામાં વ્યક્તિની મિલકત પણ આવી જાય છે. કાયદા માન્ય રસ્તા સિવાય કોઈ વ્યક્તિનું જીવન સમાપ્ત કરી ન શકાય, કાયદો યોગ્ય હોવો જોઈએ, કાયદામાં કાર્યવાહીનો ઉલ્લેખ હોવો જોઈએ, જીવન જીવવાના અધિકારમાં વ્યક્તિ સ્વતંત્રતા પણ આવી જાય છે. સુરક્ષા, કામ, ખોરાક, આવાસ, વિકાસ, ગુપ્તતા, આરોગ્ય, સહિતના અધિકારો જે જીવન જીવવાના અધિકારમાં આવી જાય છે. પશુ જેવું જીવન નહિ પણ માણસ તરીકે જીવવા માટે ગૌરવપૂર્ણ રીતે જીવન જીવી શકે તેવા અધિકારોનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">અનુચ્છેદ-21. (A) ૬ થી ૧૪ વર્ષના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર:-વર્ષ 2009 માં કાયદો બનાવવામાં આવ્યો અને 1 લી એપ્રિલ 2010 થી સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(243, 16, 16);">અનુચ્છેદ –૨૨ .ધરપકડ અને અટકાયત સામે રક્ષણ:-</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તો તેને ધરપકડના કારણો જણવાનો અધિકાર છે, પોતાની પસંદગીના વકીલની સલાહ લેવાનો અધિકાર છે. ધરપકડ બાદ ૨૪ કલાકની અંદર સૌથી નજીકના મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવાનો અધિકાર, પ્રતિબંધક અટકાયતમાં ૩ મહિનાથી વધુ સમય અટકાયતમાં રાખી શકાય નહી સિવાય કે ....(૧) હાઇકોર્ટના ન્યાયમૂર્તિ વાળું સહકાર બોર્ડ વધારે અટકાયત માટે કારણ જણાવે (૨) જે તે કાયદામાં વધારેમાં વધારે અટકાયતની જોગવાઈ હોઈ તેટલી જ અટકાયત થઇ શકે (૩) પ્રતિબંધિક કાયદા હેઠળ અટકાયત વખતે અટકાયતના કારણો જણાવવા, તથા કાયદાનું રક્ષણ મેળવવા તક આપવી, પરંતુ લોકહિતને ધ્યાને લઈને રાજ્ય કારણો ન જણાવે તો પણ તે યોગ્ય ગણાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">અટકાયત કરેલ વ્યક્તિને રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ પકડવામા આવ્યો હોય તો એક વર્ષ સુધી સુનાવણી વગર કે કોર્ટમાં રજુ કર્યા વગર કસ્ટડીમાં રાખી શકાય છે, કોઈપણ કોર્ટમાં જામીન માટે જઈ ન શકાય, હા અપીલ શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(243, 16, 16);">પ્રતિબંધિત અટકાયતના મુખ્ય કાયદા:-</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">(૧) વિદેશી મુંદ્રા નિયંત્રણ ધારો</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">(૨) જીવન જરૂરિયાતની ચીજોનો સંગ્રહનો કાયદો</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">(૩) રાષ્ટ્રીય સુરક્ષા ધારો</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">(૪) નશીલી દવાઓને લાગતો કાયદો</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">(૫) ત્રાસવાદ વિરોધી કાયદો</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(243, 16, 16);">શોષણ સામે રક્ષણનો હક્ક (  અનુચ્છેદ ૨૩ થી ૨૪ )</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">અનુચ્છેદ– ૨૩.જીવતા વ્યક્તિઓના વેપાર, વેઠ અને બળજબરીથી કરાવવામાં આવતા કામો ઉપર પ્રતિબંધ છે. અને તે સજા પાત્ર ગુન્હો પણ બને છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">પરંતુ જાહેર હેતુઓ માટે રાજ્ય ફરજીયાત સેવાઓ લઇ શકશે, પરંતુ તેમાં રાજ્ય ધર્મ, જ્ઞાતિ, વંશ, જાતિ, વર્ગના કારણે ભેદભાવ રાખી શકશે નહી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">અનુચ્છેદ- ૨૪ . ૧૪ વર્ષથી નીચેની વયના બાળકોને ને કારખાના, ખાણ અને જીવના જોખમ પેદા થાય તેવા કામોમાંમાં નોકરી રાખવા ઉપર પ્રતિબંધ</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(243, 16, 16);">ધર્મ સ્વત્રંતાનો હક્ક (અનુચ્છેદ– ૨૫ થી ૨૮ )</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">અનુચ્છેદ ૨૫ . અંત કરણ મુજબનો ધર્મ પાળવાનો અને તેનો પ્રચાર પ્રસાર કરવાનો સરખો અધિકાર, કોઇપણ ધર્મ સાથે આર્થિક, નાણાકીય, રાજકીય કે સંપ્રદાયિક પ્રવૃત્તિ જોડાયેલ હોય તો તેના પર નિયંત્રણ કે કાબુ રાખી શકશે, હિંદુ ધર્મની સંસ્થાઓ બધા હિંદુ સંપ્રદાયો માટે સરકાર ખુલ્લા મૂકી શકશે</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">અનુચ્છેદ– ૨૬ .</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">(૧) દરેક ધર્મ અને સંપ્રદાયોના ધાર્મિક અને સાર્વજનિક હેતુ માટે સંસ્થાઓ સ્થાપવી, તથા ચલાવવી</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">(૨) ધર્મની બાબતમાં જાતે સંચાલન કરવું</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">(૩) સ્થાઈ તથા અસ્થાઈ મિલકતોનો વહીવટ કરવો</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">અનુચ્છેદ- ૨૭ . કોઇપણ ધાર્મિક સંપ્રદાયના ઉત્કર્ષ તથા દેખરેખ માટે ઉભા કરતા નાણામાં કોઈને દાન આપવામાં ફરજ પાડી શકાશે નહી</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">અનુચ્છેદ– ૨૮ . રાજ્યના ભંડોળમાંથી થોડા અથવા સંપૂર્ણ નાણા મેળવતી સંસ્થાઓમાં ધર્મનું શિક્ષણ આપી શકાશે નહી. પરંતુ કોઈ ટ્રસ્ટ હેઠળ સ્થપાયેલી સંસ્થા તેમાં ધાર્મિક જ્ઞાન આપવું જરૂરી હોઈ અને રાજ્યના વહીવટથી ચાલતી ન હોય તો ઉપરની જોગવાઈ લાગુ પડશે નહી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(243, 16, 16); font-size: 12pt;"><strong>સંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો તથા લધુમતીઓના હક્ક-</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">અનુચ્છેદ– ૨૯ .</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">દેશના કોઇપણ ભાગમાં રહેતા નાગરિકોના જૂથની પોતાની ભાષા, લીપી અથવા સંસ્કૃતિ અલગ હોય તો તેની જાળવણી કરવાનો અધિકાર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">રાજ્યના ભંડોળમાંથી થોડા કે સંપૂર્ણ નાણા મેળવતી શૈક્ષણિક સંસ્થાઓ કોઇપણ વ્યક્તિને માત્ર ધર્મ, વંશ, pજ્ઞાતિ કે ભાષાને આધારે પ્રવેશ આપવાની ના પડી શકશે નહી</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">અનુચ્છેદ- ૩૦.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">બધીજ લઘુમતીઓને, પછી તે ધાર્મિક હોય કે ભાષાકીય પસંદગીથી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">રાજ્યના શૈક્ષણિક સંસ્થાઓને નાણા ભંડોળ પૂરું પાડતી વખતે આ સંસ્થા માત્ર ધાર્મિક કે ભાષાકીય લઘુમતીની છે. તેટલા જ કારણથી તેના પ્રત્યે ભેદભાવ રાખી શકશે નહી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">આર્ટિકલ-32:- બંધારણીય ઈલાજનો અધિકાર</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">આર્ટિકલ-33:-સંસદને મૂળભૂત અધિકારો, સશસ્ત્ર દળો, અથવા જાહેર વ્યવસ્થાની જાળવણી કરવાની જેમની ફરજ છે તે લાગુ પાડવાની સબંધમાં માર્યાદિત કે રદ્દ કરવાની સતા અપાયેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">આર્ટિકલ-34:-સંસદને જ્યાં માર્શલ લો અમલમાં હોય ત્યારે તે વિસ્તારમાં કોઈ વ્યક્તિને તેણે કરેલ કૃત્ય માટે અપરાધ મુક્તિ બક્ષવાની સતા છે.</span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 15 Oct 2023 16:00:00 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 09 Jun 2024 19:29:19 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>3</Articleid>
                    <excerpt>કાયદાના જિનિયસ ડો. બાબાસાહેબ આંબેડકરે આપેલ હક અને અધિકાર માટે લડત લડતા પહેલા બંધારણમાં આપેલ હક અને અધિકારોની જાણકારી હોવી ખુબ જ જરૂરી છે. એટલે જ અહીં ભારતીય બંધારણની વિસ્તારથી સમજ આપવામાં આવી છે...</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6665b5296e05a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6665b5293d350.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6665b5293d350.jpg" length="87912" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બહુજન ન્યૂઝ પોર્ટલનો શુભારંભ: નિતાંત આવશ્યક છે આપણા પોતાના અવાજનું હોવું</title>
                    <link>https://khabarantar.com/Launch-of-Bahujan-News-Portal:-It-is-imperative-to-have-our-own-voice</link>
                    <guid>https://khabarantar.com/Launch-of-Bahujan-News-Portal:-It-is-imperative-to-have-our-own-voice</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 12pt;">બહુજન સમાજને સમર્પિત સૌ પ્રથમ એવા ન્યૂઝ પોર્ટલના પ્રારંભે મને આમ લખવાને પ્રેરિત કરવા બદલ આ પોર્ટલના સૌ જવાબદાર સંવાહકો પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી, હું મારો રાજીપો પણ વ્યક્ત કરું છું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">આ પ્રસંગે મારા મનોભાવ કંઈક આમ છે:</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">એ ખરું છે કે, છેક ગુજરાતી પત્રકારત્વના આરંભકાળથી તે આજે બહુજન સમાજનું આ આગવું પોર્ટલ આરંભ પામી રહ્યું છે તે ઘડી પર્યંત, ગુજરાતી પત્રકારત્વમાં વંચિત-પીડિત-દલિત-આદિવાસી-પછાત કહેતા બહુજન સમાજની વ્યથા-વેદનાનો કે તેમના પ્રાણપ્રશ્નોનો યથાયોગ્ય પડઘો પડતો હોય કે તેને સુયોગ્ય સ્થાન મળતું હોય, તે હજી પણ એક દિવાસ્વપ્ન જ રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">એક સમયે માત્ર અખબારો-સામયિકો-ચોપાનિયારૂપે પ્રસિધ્ધ થતા અને પ્રિન્ટ મીડિયાથી ઓળખાયેલા ગુજરાતી પત્રકારત્વે આજના અત્યાધુનિક સમયમાં ઈલેક્ટ્રોનિક, ડિજિટલ અને સોશિયલ મીડિયા ક્ષેત્રે પણ   ધોધમાર પ્રગતિ હાંસલ કરી છે. છતાં કડવી અને વરવી વાસ્તવિકતા એ છે કે ગુજરાતી પત્રકારત્વની આ હરણફાળમાંય શોષિત અને વંચિત એવા બહુજન સમાજને એ પ્રસ્થાપિત પત્રકારત્વ-મીડિયામાં, પ્રજા સમુહનો ૮૦ ટકા ઉપરાંતનો આંકડો ધરાવતા બહુજન સમાજનું પ્રતિનિધિત્વ શોધી શકાતું નથી. ને જો શોધવા બેસીએ તો એ સંખ્યા ગણતા આંગળીના વેઢાય વધી પડે એમ છે!</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">એક આડવાત છે છતાં અહીં પ્રસ્તુત છે તે એ કે, હજી હમણાં જ તા. ૧૦ ઓક્ટોબર ૨૦૨૩એ નવી દિલ્હીમાં પત્રકારોથી ખચાખચ એવી પ્રેસ કોન્ફરન્સને રાહુલ ગાંધીએ સંબોધી ત્યારે કોઈ પત્રકારે એમને 'જાતિગત વસ્તી ગણતરીનો કોંગ્રેસનો આગ્રહ શા માટે?' એવો સવાલ કર્યો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">એ ભરી સભામાં રાહુલ ગાંધીએ એવો વળતો સવાલ કરી પત્રકારોને જ ભોંઠપનો અનુભવ કરાવ્યો કે, 'મને હાથ ઉંચો કરીને એ જણાવો કે અહીં ઉપસ્થિત આટલી મોટી સંખ્યાના પત્રકારોમાં કોણ કોણ દલિત,આદિવાસી કે ઓબીસી વર્ગમાંથી આવે છે?'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">પ્રતિભાવમાં પત્રકારોના એ ધણમાંથી એક હાથ ઉંચો ન થયો!</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">એક ઊભડક હિસાબ જો માંડીએ તો, તા. ૧\૭\૧૮૨૨ તે ગુજરાતી પત્ર 'મુંબઈ સમાચાર' ના આરંભ કે જેને ગુજરાતી પત્રકારત્વના આરંભની તવારીખ પણ કહે છે, એ તારીખથી રાહુલ ગાંધીની તા.૧૦\૧૦\૨૦૨૩ની પ્રેસ કોન્ફરન્સ સુધીના પુરા ૨૦૦ વર્ષેય ગુજરાતી પત્રકારત્વના બહુજન સમાજ પ્રતિના ભેદભાવભર્યા અને પક્ષપાતી વલણમાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે, એમ આપણે ખાતરીથી કહી શકીએ તેમ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">પત્રકારત્વના પ્રારંભના એ કાળેય અમુક અખબારોએ તો એમના નીતિવિષયક સૂત્રમાં એમ પણ છાપેલું જોવાયું છે કે, 'અસ્પૃશ્યતા આ દેશનું કલંક છે એમ અમે માનતા નથી!'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">આઝાદી પછી કાયદાની પાબંદીઓને પગલે આજે ભલે ખુલ્લેઆમ આમ કોઈ ન કહે કે લખે, પણ દલિત-શોષિત-વંચિત-પીડીત જનસમૂહને મીડિયા કે પત્રકારત્વે આ વર્ગના પક્ષકાર બની એમને ધરપત આપી હોય કે સધિયારો પુરો પાડ્યો હોય, એવા દાખલા દીવો લઈ શોધ્યેય મળતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">લોકશાહીના ચાર પૈકીના આ એક મજબૂત ને બોલકા સ્તંભ પત્રકારત્વ-મીડિયાની આવી બે-ધારી નીતિને પારખતા જાણતલો કાયમ એ કારસ્તાનોને ઉઘાડા કરતા રહ્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">હું કહીશ કે, બહુજનોના આજે  શુભારંભ પામી રહેલા પોર્ટલે, બહુજનોની વેદના-વ્યથાને વાચા આપવાની સાથે, કહેવાતી મુખ્યધારાના મીડિયા-પત્રકારત્વના એવા કારસા અને એના ભેદભાવભર્યા વલણના પર્દાફાશનું દાયિત્વ પણ નિભાવવું પડશે. ભલે એ કામ પડકારભર્યું હોય તો પણ હવે એને હાથ પર લેવાનો આ સમય છે. અને તો જ આ આપણું આગવું પોર્ટલ બહુજનોનો વિશ્વાસ અને પ્રેમ પ્રાપ્ત કરી શકશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">આપણું પત્રકારત્વ કંઈ આજે આવું પક્ષપાતી બની ગયું છે એવું નથી, એ પહેલેથી જ આવું છે. મહાત્મા ગાંધીની સ્વતંત્રતા ચળવળને ટેકો અને પીઠબળ પુરા પાડનાર આપણા આ જ પત્રકારત્વે ગાંધીની અસ્પૃશ્યતા નાબૂદ કરવાની સલાહ માની નહોતી. નહીંતર સતીપ્રથા - દીકરીને દૂધપીતી કરવા જેવી કુપ્રથાઓનો જેમ અંત આવ્યો તેમ અસ્પૃશ્યતા જેવી કુપ્રથાનો પણ અંત આવી જ ચૂક્યો હોત ને?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">સંશોધકોએ તો એ પણ નોંધ્યું છે કે, તે સમયના પત્રો - વર્તમાનપત્રો - સામયિકોમાં ગાંધીની દાંડીયાત્રા કે નમક આંદોલનને તો પુરતું સ્થાન મળતું હતું, કિન્તુ ગાંધીના જ સમકાલીન એવા ડો.બાબાસાહેબ આંબેડકરના મહાડ તળાવ આંદોલન કે કાલારામ મંદિર પ્રવેશ આંદોલન વિશે તેઓએ એક લીટી પણ લખી નહોતી. અને જો કંઈ લખવું જ પડ્યું તો ડો. બાબાસાહેબને દેશવિરોધી ચિતરીને જ લખ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">ત્યારે જો આ સ્થિતિ હતી તો આજે શું છે? બહુજન સમાજનો ગમે તેટલો મોટો કાર્યક્રમ કે આયોજન હશે, અત્યાચારના વિરોધમાં ગમે તેટલી મોટી-વિરાટ રેલી હશે તો પણ મીડિયામાં એને સ્થાન નહીં મળે. અરે, બહુજન સમાજના સમાચાર જેવા સમાચારની નાની નોંધ લેવાથી પણ તે કતરાય છે. પરિણામે  બહુજન સમાજે એમના આયોજનોના પ્રચાર-પ્રસાર  માટે પ્રસ્થાપિત મીડિયાને સહારે રહેવાનું છોડી દઈ  ને સોશિયલ મીડિયાને સહારે કામ પાર પાડવાનું આજે શીખી લીધું છે. તાજું ઉદાહરણ ગાંધીનગરમાં આ વર્ષે જ યોજાયેલી દલિત-આદિવાસી સમાજની SSDની વિશાળ રેલીનું છે. રેલીના મહત્વપૂર્ણ સમાચારને ગુજરાતના મીડિયાએ સદંતર અવગણ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">આવી  વિકટ આ ઘડીમાં બહુજનોના આગવા એવા ન્યૂઝ પોર્ટલની પહેલ થવી એક રાહતના સમાચાર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">સૌ જાણે છે કે સ્વતંત્ર પ્રેસ મીડિયામાં સમગ્ર વિશ્વમાં ભારત સાવ છેલ્લા એવા ક્રમાંકોમાં બેઠેલું છે. એને એ ક્રમે ધકેલવામાં આ દેશના ગોદી મીડિયાનો સિંહફાળો છે, એ પણ સૌ જાણો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">શાસક પક્ષને ખોળે બેઠેલું ગોદી મીડીયા એ હદે બેશરમ છે કે, શાસકોના સૂર સિવાય બીજો કોઈ સૂર તે આલાપતું નથી, જેમાં પ્રમાણમાં શક્તિશાળી ગણાય એવા વિપક્ષોની પણ તે સદતંર અવગણના કરે છે. આ સ્થિતિમાં તે (ગોદી મીડીયા) બહુજનોની રાવ-ફરિયાદને તો ગણકારે જ શાને? આજકાલ ગોદી મીડિયાનો વ્યાપ વકરીને એટલો રાક્ષસી બન્યો છે કે, સર્વહારા-બહુજન એવી મોટી જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરતા વર્ગની મરણચીસ કે આર્તનાદ પણ એના બહેરા કાને જ અથડાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">આ સ્થિતિ બહુજનોના આગવા અવાજ સમા અને એના સુખદુઃખના સાથી બને એવા ન્યૂઝ પોર્ટલની નિતાંત આવશ્યકતા દર્શાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">જાણકારોના મતે, આજનું પક્ષપાતી અને કેવળ ઉન્નત વર્ગનું પ્રતિનિધિત્વ કરતું મીડિયા બહુજન સમાજની જ્વલંત સિધ્ધિના કોઈ  સમાચાર હશે તો એવા ગૌરવવંતા બહુજનની જાતિ નહીં જણાવે પણ યદાકદા જો બહુજન સમાજની કોઈ નકારાત્મક બાબતે કશી ભૂમિકા જો માલૂમ પડશે અથવા જો એવી શંકા પડશે, તો તરત જે તે બહુજનની જાતિની પુરી જન્મકુંડળી સાથે વાત કરશે અને ઉચ્ચ વર્ગની તુલનાએ એમને નીચા ચીતરવાની કોશીષ કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">શોષિત-બહુજન પર જો કોઈ જઘન્ય અત્યાચારની ઘટના હશે તો પહેલા તો એ સમાચારને ગણકારશે જ નહીં. પણ પછી જો લોકલાજે - પત્રકારત્વના વ્યવસાયની તટસ્થતા બતાવવાને, એ ઘટનાને ધ્યાને લેવી પડે એમ હશે તો એ એને મહત્વના સમાચાર રૂપે નહીં પણ સાવ સામાન્ય સમાચારની જેમ ને એ પણ ન છૂટકે સ્થાન આપશે. એ પછી એ ઘટના સંદર્ભે વધુ અન્વેષણ(Investigation) કરવાનો ઉત્સાહ તો એ કદાપિ દાખવશે જ નહીં. જ્યારે કે બહુજન સિવાયની ઉચ્ચ જાતિને અન્યાયની જો કોઈ ક્ષુલ્લક ઘટના પણ હશે તો એ અદાલતોના ચૂકાદાય પ્રભાવિત થાય એ હદની ઝૂંબેશ એના રિપોર્ટિંગ દ્વારા ચલાવશે!</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">મીડિયા-પત્રકારત્વ દ્વારા બહુજન સમાજને થઈ રહેલા અન્યાયના સેંકડો ઉદાહરણો અહીં ટાંકી શકાય એમ છે ને એટલે જ બહુજન સમાજના પોતાના પ્લેટફોર્મની આવશ્યકતા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">ભારતીય પત્રકારત્વ સાથે ઘટેલી મોટી દુર્ઘટના એ છે કે તે આજે ધ્યેય મટીને ધંધો બન્યું છે, જ્યાં આર્થિક રીતે મજબૂત ઉન્નત વર્ગનું જ વર્ચસ્વ છે. ઘણા એવી દલીલ રજૂ કરે છે કે, આજે ઠીકઠીક સંખ્યાના બહુજન પત્રકારો બધા મીડિયામાં કામ કરી રહ્યા છે. પણ આમ કહેનારા એ ભૂલી જાય છે કે, પત્રકારત્વ-મીડિયામાં નીતિનિર્ધારણ કરતી કક્ષાએ કે જ્યાં પોતાની વ્યક્તિતા કે સામર્થ્યને પુરવાર કરવાની સંભાવના હશે ત્યાં તમને ભાગ્યે જ કોઈ બહુજન સમાજનો વ્યક્તિ જોવા મળશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">હકીકત એ પણ છે કે આજે બહુજન સમાજ પણ શિક્ષિત અને જાગૃત બની રહ્યો છે, છતાં આર્થિક સંપન્નતા પ્રાપ્ત કરવામાં એ હજી ઉચ્ચ વર્ગોની તુલનાએ ઘણો પાછળ છે. પરિણામે માલેતુજાર તો ખરા જ સાથે સમાજના ઉચ્ચ વર્ગોનું જ પ્રતિનિધિત્વ કરતા મીડિયામાં બહુજન સમાજનો અવાજ કાયમ દબાયેલો જ રહ્યો છે. આપણા પત્રકારત્વની આ લુચ્ચાઈને કારણે જ બહુમતિ હોવા છતાં, બહુજન સમાજના વ્યથાવિતકનો મીડિયામાં કોઈ પડઘો પડતો હોતો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">આ સ્થિતિનું નિવારણ બહુજનોના પોતાના મીડિયાથી થઈ શકે તેમ છે ત્યારે એ દિશાના એક પગલા રૂપે 'KhabarAntar.com'ના શુભારંભમાં હું મારી આશાઓ અને અરમાનોને પણ જોડું છું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(243, 16, 16);"><strong>- નટુભાઈ પરમાર (લેખક પૂર્વ સંયુક્ત માહિતી નિયામક છે)</strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 15 Oct 2023 16:00:00 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 10 Jun 2024 19:11:36 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>15</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202310/image_140x98_652ac20de0f5b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202310/image_870x580_652ac20d59c45.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202310/image_870x580_652ac20d59c45.jpg" length="53219" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
            </channel>
</rss>