<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
    xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
    xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
    xmlns:admin="http://webns.net/mvcb/"
    xmlns:rdf="http://www.w3.org/1999/02/22-rdf-syntax-ns#"
    xmlns:atom="http://www.w3.org/2005/Atom"
    xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
    xmlns:media="http://search.yahoo.com/mrss/">
    <channel>
        <atom:link href="https://khabarantar.com/rss/category/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B2-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80" rel="self" type="application/rss+xml" />
        <title>KhabarAntar.com &amp; : સ્પેશ્યલ સ્ટોરી</title>
        <link>https://khabarantar.com/rss/category/સ્પેશ્યલ-સ્ટોરી</link>
        <description>KhabarAntar.com &amp; : સ્પેશ્યલ સ્ટોરી</description>
        <dc:language>gu</dc:language>
                <dc:rights>Copyright 2024 Khabar Antar&amp; All Rights Reserved.</dc:rights>
                        <item>
                    <title>કેમિકલ ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, 8 મજૂરોના મોત, 13 ઘાયલ</title>
                    <link>https://khabarantar.com/hyderabad-chemical-factory-blast-update</link>
                    <guid>https://khabarantar.com/hyderabad-chemical-factory-blast-update</guid>
                    <description>
                        <![CDATA[ બ્લાસ્ટમાં 8 કામદારોના મોત થયા છે. ફાયર અધિકારીઓના જણાવ્યા મુજબ હજુ પણ તેઓ કાટમાળમાં ફસાયેલા કામદારોને શોધી રહ્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં એક કેમિકલ ફેક્ટરીમાં એક મોટો વિસ્ફોટ થયો હતો (Hyderabad Chemical Factory Blast). આ અકસ્માતમાં ઓછામાં ઓછા 8 કામદારોના મોત થયા છે. જ્યારે 13 કામદારોને બચાવી લેવામાં આવ્યા છે. વિસ્ફોટ કેટલો ભયાનક હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, કામદારો 100 મીટર દૂર જઈને પડ્યા હોવાનું કહેવાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાટમાળમાં ફસાયેલાની શોધ ચાલુ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેલંગાણાના પશમિલારામ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં સિગાચી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના રિએક્ટર યુનિટમાં વિસ્ફોટ થયો હતો. ઘટનાની જાણ થતાં જ 11 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલ થયેલા તમામ કામદારોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી ઘણા ગંભીર રીતે દાઝી ગયા છે. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા કામદારોને શોધી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">તમામ એન્ગલથી તપાસ શરૂ</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધ હિન્દુના અહેવાલ મુજબ, ડ્રગ મેન્યુફેક્ચરિંગ યુનિટના રિએક્ટરમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ફાયર ફાઇટિંગ ટીમો આગને કાબુમાં લેવા માટે કામ કરી રહી છે. રિપોર્ટ અનુસાર, શરૂઆતની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે રિએક્ટરમાં દબાણ વધવાને કારણે વિસ્ફોટ થયો હશે. પરંતુ ચોક્કસ કારણ જાણવા અને ફેક્ટરીમાં સલામતી પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું હતું કે કેમ તે જાણવા માટે વિગતવાર તપાસ ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-dalit-woman-constable-was-attacked-with-a-sword-by-a-darbar-neighbor">દલિત મહિલા કોન્સ્ટેબલ પર દરબાર પડોશીએ તલવારથી હુમલો કર્યો</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 30 Jun 2025 14:18:20 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1925</Articleid>
                    <excerpt>બ્લાસ્ટમાં 8 કામદારોના મોત થયા છે. ફાયર અધિકારીઓના જણાવ્યા મુજબ હજુ પણ તેઓ કાટમાળમાં ફસાયેલા કામદારોને શોધી રહ્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202506/image_140x98_68624f20e7845.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202506/image_870x580_68624f20a9b53.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202506/image_870x580_68624f20a9b53.jpg" length="44292" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>hyderabad chemical factory blast</media:keywords>
                </item>
                        <item>
                    <title>હિંદુ યુવતી સાથે લગ્ન કરવા  પહોંચેલા મુસ્લિમ યુવકને જીવનું જોખમ</title>
                    <link>https://khabarantar.com/muslim-youth-in-bhopal-faces-life-threatening-situation-after-arriving-to-marry-hindu-girl</link>
                    <guid>https://khabarantar.com/muslim-youth-in-bhopal-faces-life-threatening-situation-after-arriving-to-marry-hindu-girl</guid>
                    <description>
                        <![CDATA[ કોર્ટમાં હિંદુ યુવતી સાથે લગ્ન કરવા પહોંચેલા મુસ્લિમ યુવકને હિંદુત્વવાદી તત્વોએ કોર્ટમાં જ ફટકાર્યો હતો. હવે યુવકને જીવનું જોખમ લાગી રહ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભોપાલમાં થોડા દિવસ પહેલા હિંદુ યુવતી સાથે લગ્ન કરવા કોર્ટમાં પહોંચેલા એક મુસ્લિમ યુવકને હિંદુત્વવાદી સંગઠનના કાર્યકરોએ કોર્ટ પરિસરમાં લવ જેહાદનો આરોપ મૂકીને માર માર્યો હતો. હવે એ યુવકે પોતાના જીવને જોખમ હોવાનું કહીને પોલીસ રક્ષણ માંગ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે    </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નરસિંહપુર જિલ્લાનો 28 વર્ષીય યુવક વ્યવસાયે JCB ઓપરેટર છે. તે 7 ફેબ્રુઆરીના રોજ તેની ગર્લફ્રેન્ડ સાથે ભોપાલ આવ્યો હતો. બંનેએ જિલ્લા કોર્ટમાં પોતાના લગ્ન નોંધાવવાનો નિર્ણય લીધો હતો. યુવકે આરોપ લગાવ્યો છે કે જે વકીલે તેમને લગ્ન કરાવવાનું વચન આપ્યું હતું તેણે ગુપ્ત રીતે હિન્દુત્વવાદી સંગઠનોને ફોન પર જાણ કરી દીધી હતી. એ પછી 'સંસ્કૃતિ બચાવો મંચ' ના લોકો ત્યાં પહોંચ્યા અને યુવક પર 'લવ જેહાદ'નો આરોપ લગાવીને તેને માર માર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના બાદ પોલીસે કહ્યું કે યુવક પર હુમલો કરનારાઓ સામે તેના નિવેદનના આધારે કાર્યવાહી કરવામાં આવશે. જોકે, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તેના બદલે પોલીસે હુમલો કરાયેલા યુવકની 'લવ જેહાદ'ના આરોપસર ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે યુવકની યુવતીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા મુસ્લિમ યુવકે કહ્યું કે હુમલા પછી તે ઘરે પાછો ફર્યો નથી. તેનું કહેવંર છે કે તેને અને તેના પરિવારને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. યુવકે કહ્યું, 'મારી મંગેતરે કોર્ટ મેરેજ માટે વકીલનો સંપર્ક કર્યો.' મેં ૩૫,૦૦૦ રૂપિયા આપ્યા, પણ લગ્ન રજીસ્ટર થાય તે પહેલાં જ વકીલે કેટલાક લોકોને બોલાવ્યા અને તેમણે મારા પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. તેમણે મારા પર બળજબરીથી ધર્મ પરિવર્તનનો આરોપ લગાવ્યો, પરંતુ મારી મંગેતરે વારંવાર તેનો ઇનકાર કર્યો. વકીલે મારો ફોન પણ છીનવી લીધો. મને અપમાનિત કરવામાં આવ્યો, લૂંટવામાં આવ્યો અને અન્યાય કરવામાં આવ્યો.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવકે વધુમાં કહ્યું, ‘જો એક પોલીસ અધિકારીએ મને એમપી નગર પોલીસ સ્ટેશન ન મોકલ્યો હોત તો મારી હત્યા થઈ જાત.’</span><br><span style="font-size: 14pt;">જોકે, યુવકના વકીલે તેના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. એટલું જ નહીં, યુવતીએ પણ બળજબરીથી ધર્મ પરિવર્તનના આરોપોને નકારી કાઢ્યા છે. યુવકનું કહેવું છે કે આ આરોપો ખોટા છે. તે અને યુવતી બંને પુખ્ત વયના છે અને તેમની તેમની ઇચ્છાથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/mukhyamantri-samuh-vivah-yojna-scam-kaushambi-dm-order-to-investigation">વર વિના 20 કન્યાઓના લગ્ન કરી દેવાયા, સર્ટિફિકેટ પણ મળ્યાં!</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 17 Feb 2025 09:54:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1924</Articleid>
                    <excerpt>કોર્ટમાં હિંદુ યુવતી સાથે લગ્ન કરવા પહોંચેલા મુસ્લિમ યુવકને હિંદુત્વવાદી તત્વોએ કોર્ટમાં જ ફટકાર્યો હતો. હવે યુવકને જીવનું જોખમ લાગી રહ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202502/image_140x98_67b21b1fc5f2f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202502/image_870x580_67b21b1f947e5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202502/image_870x580_67b21b1f947e5.jpg" length="69245" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>love jehad, bhopal news, muslim youth marry hindu girl</media:keywords>
                </item>
                        <item>
                    <title>સ્વામિનારાયણના હરિભક્તે NRI પટેલ સાથે રૂ. 1.23 કરોડની ઠગાઈ કરી</title>
                    <link>https://khabarantar.com/swaminarayans-devotee-cheats-nri-patel-of-1.23-crore</link>
                    <guid>https://khabarantar.com/swaminarayans-devotee-cheats-nri-patel-of-1.23-crore</guid>
                    <description>
                        <![CDATA[ સોખડા હરિધામ ખાતે મુલાકાત થયા બાદ અલગ અલગ સ્કીમો બતાવી રોકાણ કરાવી રૂપિયા ચાંઉ કરી ગયા. એનઆરઆઈને કેસ કરવાની ધમકી આપી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્વામીનારાયણના સંતો અને હરિભક્તો પર મંદિર બનાવવાના નામે ખેડૂતો સાથે છેતરપિંડીના અનેક કેસો નોંધાતા રહે છે. ત્યારે હવે એક હરિભક્તે એનઆરઆઈ હરિભક્તને શીંશામાં ઉતાર્યાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ મહીસાગરના લુણાવાડાના વતની એવા એક કેનેડીયન એનઆરઆઈને ઓછા સમયમાં રૂપિયા બમણાં કરવાની લાલચ આપીને એક હરિભક્તે શીંશામાં ઉતાર્યા હતા. વિદ્યાનગરના સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તે એનઆરઆઈ સાછે રૂ.૧.૨૩ કરોડની છેતરપિંડી આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહીસાગરના લુણાવાડાના દલુખડિયાના વતની અને કેનેડાના સિટીઝન બનેલા કલ્પેશકુમાર કાંતિલાલ પટેલ (ઉં.વ.૪૭) મીસીસાગા શહેરમાં એજ્યુકેશન ઈન્સ્ટીટયુટ ચલાવે છે. વર્ષ-૨૦૨૨માં તેઓ વડોદરાના હરિધામ સોખડા ખાતે ગયા હતા જ્યાં તેમની મુલાકાત વિદ્યાનગરના મિલનકુમાર ઉર્ફે નિશ્ચિંત મનુભાઈ પટેલ સાથે થઈ હતી. મિલને કલ્પેશભાઈને જણાવ્યું હતું કે, તે ૧૮ વર્ષ જેટલો સમય સ્વામિનારાયણ સંપ્રદાયના હરિપ્રસાદ સ્વામી સાથે સહિષ્ણુ સેવક તરીકે રહેલો છે અને વિદ્યાનગરના રેલવે સ્ટેશન રોડ પર સરદાર પટેલ સ્ટેચ્યૂ પાસે આવેલા નેપ્ચુન સ્ક્વેરમાં પ્રબોધમ ઈન્ટરનેશનલ નામથી રીયલ એસ્ટેટ, કોસ્મેટિક પ્રોડક્ટ અને વિઝા કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. સાથે જ પોતાની પાસે ટુંક સમયમાં રૂપિયા બમણા થાય તેવા રોકાણના વિવિધ પ્રકલ્પો છે. જેથી કલ્પેશે વિશ્વાસમાં આવીને રૂ.૨૩ લાખ રોકડ આપ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">23 લાખ મળ્યાં બાદ વર્તન બદલાઈ ગયું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી મિલને પટેલે રૂ.૨૩ લાખ રોકડના બદલામાં સિક્યુરીટી પેટે કરમસદમાં આદિત્ય હાર્મની એપાર્ટમેન્ટમાં મારી મમ્મી જયાબેન મનુભાઈ પટેલના નામનો તથા અમારા ઓળખીતા અમિતાબેન દિપકભાઈ દેસાઈના ફ્લેટનો દસ્તાવેજ કરી આપું છું તેમ જણાવ્યું હતું. જેના બદલામાં કલ્પેશ પાસેથી ચાર કોરા ચેકના ફોટો મંગાવ્યા હતા. બાદમાં બંને ફ્લેટના દસ્તાવેજ કરી આપ્યા હોવાનું અને રૂપિયા રોકાણ કરીને સારા એવા પ્રોફિટ અપાવું ત્યારે ફ્લેટના દસ્તાવેજ કેન્સલ કરવા જણાવ્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/swaminarayan-literature-contains-nonsense-and-outright-lies"><span style="font-size: 14pt;"> સ્વામિનારાયણ સાહિત્યમાં વાહિયાત અને તદ્દન જૂઠાં પરચાઓ છે</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાદમાં એક કરોડ રૂપિયાનું રોકાણ કરો તો એક વર્ષમાં મૂડી પાછી મળશે અને ૧૨થી ૧૮ મહિનામાં એક કરોડ જેવો વધારાનો પ્રોફિટ થશે તેમ જણાવ્યું હતું. મિલન હરિભક્ત હોવાથી કલ્પેશે વિવિધ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. ૧,૩૦,૭૨,૫૦૦ આપ્યા હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ કરાયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમયમર્યાદા પૂરી થતાં કલ્પેશે નાણાં માંગતા મિલને રૂ.૭.૫૦ લાખ રોકડ પરત મોકલી હતી. બાકીના પૈસા સ્કીમમાં રોકણ કર્યા હોવાથી ત્યાંથી પરત આવે એટલે આપવાના બહાના બનાવ્યા હતા. જોકે, કલ્પેશે વિદ્યાનગર ખાતે જઈને મિલન પાસેથી નાણાં પરત માંગતા મિલને જણાવ્યું હતું કે, તમને જે બે ફ્લેટના દસ્તાવેજ કરી આપ્યા છે, તેમાં તમારા ચેકના ઉલ્લેખ કર્યા છે, તેના પૈસા હજુ સુધી મકાન માલિકોને મળ્યાં નથી. તમે કોઈ ચેક આપ્યા વિના ફ્લેટનો દસ્તાવેજ કરાવી લીધો છે તેમ કહી ખોટો કેસ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં શખ્સે જાન્યુઆરી-૨૦૨૪માં સ્વહસ્તાક્ષર કરી તા.૨૩ મે ૨૦૨૪ સુધીમાં નાણાં ચૂકવી દેવાનો વાયદો કર્યો હતો. પરંતુ હજૂ સુધી નાણાં પરત ન કરતા કલ્પેશ પટેલે વિદ્યાનગર પોલીસ મથકે મિલન ઉર્ફે નિશ્ચિંત પટેલ વિરૂદ્ધ ૧.૨૩ કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરિયાદ બાદ જાન્યુઆરી 2025માં બાકરોલના મંદિર ખાતે એનઆરઆઈ કલ્પેશ પટેલ અને હરિભક્ત મિલન પટેલ મળ્યા હતા. અહીં પણ મિલને રૂપિયા પરત કરવાને બદલે ગાળો ભાંડીને જે થાય તે કરી લેવાની ધમકી ઉચ્ચારી હતી. તેણે ત્યાં સુધી કહી દીધું હતું કે, નફો તો દૂરની વાત છે, હવે તને મૂડીની રકમ પણ નહીં મળે. તેણે પોતાને રાજકારણીઓ સાથે ઉંચા સંપર્કો હોવાની શેખી મારી હતી. આમ એક પટેલ સ્વામીનારાયણ હરિભક્તે અન્ય એનઆરઆઈ હરિભક્ત સાથે છેતરપિંડી આચરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/2.63-crore-fraud-with-a-businessman-in-the-name-of-building-swaminarayan-temple">સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે વેપારી સાથે 2.63 કરોડની છેતરપિંડી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 07 Feb 2025 09:52:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1919</Articleid>
                    <excerpt>સોખડા હરિધામ ખાતે મુલાકાત થયા બાદ અલગ અલગ સ્કીમો બતાવી રોકાણ કરાવી રૂપિયા ચાંઉ કરી ગયા. એનઆરઆઈને કેસ કરવાની ધમકી આપી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202502/image_140x98_67a589be5580d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202502/image_870x580_67a589be1fab9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202502/image_870x580_67a589be1fab9.jpg" length="76044" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>swaminarayans devotee, Fraud to nri</media:keywords>
                </item>
                        <item>
                    <title>બાપુનગરમાં પિતાએ 10 વર્ષના દીકરાની સોડિયમ નાઇટ્રેટ પીવડાવી હત્યા કરી</title>
                    <link>https://khabarantar.com/father-kills-10-year-old-son-by-giving-him-sodium-nitrate-in-bapunagar-ahmedabad</link>
                    <guid>https://khabarantar.com/father-kills-10-year-old-son-by-giving-him-sodium-nitrate-in-bapunagar-ahmedabad</guid>
                    <description>
                        <![CDATA[ બાપુનગરમાં પિતાએ પહેલાં બંને બાળકોને ઉલટી ના થાય તેની દવા આપી બાદમાં એક દીકરાને પાણીમાં ઝેર નાખી પીવડાવી દીધું. પછી પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="" style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના બાપુનગરમાં એક પિતાએ પોતાના સગા દીકરાને સોડિયમ નાઇટ્રેટ પીવડાવીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પત્ની કામથી બહારગામ ગઇ હોવાથી પિતાે પહેલા બાળકને મારી બાદમાં પોતાનું જીવન ટુંકાવી દેવાનો વિચાર કર્યો હતો. જેથી તેણે પહેલા બે બાળકોને ઉલટી ના થાય તેની દવા આપી અને બાદમાં દીકરાને સોડિયમ નાઇટ્રેટ પીવડાવી દીધુ હતું. સોડિયમ નાઇટ્રેટથી દીકરાની તબીયત લથડતાં પિતા ગભરાઇ ગયા હતા અને તરત જ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.</span></p>
<div class="f3e032cb " style="text-align: justify;"><span style="font-size: 14pt;"><picture class="c62bd949  "><source media="(max-width: 768px)" type="image/webp" srcset="https://images.bhaskarassets.com/webp/thumb/360x0/web2images/960/2025/02/05/ku_1738743896.jpg"></picture></span></div>
<div class="f3e032cb ">
<p class="" style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ ચાંદખેડામાં આવેલા ન્યુ કમલકુંજ સોસાયટીમાં રહેતા યોગેશ ગોહિલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં કલ્પેશ ગોહિલ વિરૂદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. યોગેશનો નાનો ભાઇ કલ્પેશ તેના માતા-પિતા, પત્ની અને બાળક સાથે રહે છે. ગઇકાલે યોગેશના દીકરા મિહિરનો ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, કલ્પેશ કાકાનો ફોન આવ્યો હતો અને ઓમ બિમાર થઇ ગયો છે જેને શારદાબેન હોસ્પિટલમાં લઇ ગયા છે તેવું કહેતા હતા.</span></p>
<p class="" style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભત્રિજાના તબિયત ખરાબ થઈ હોવાના સમાચાર મળતાની સાથે જ યોગેશ પત્નીને લઇને તરત જ શારદાબેન હોસ્પિટલ પહોંચી ગયો હતો. હોસ્પિટલમાં પહોંચતાની સાથે જ ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. તે દરમિયાન ઓમની બહેને જણાવ્યું હતું કે, પપ્પાએ દવા આપી અને ત્યારબાદ ઓમની તબીયત ખરાબ થઇ ગઈ હતી. દવા આપ્યા બાદ પિતા જતો રહ્યો હતો જેથી તેની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન સામે આવ્યું હતું કે, કલ્પેશ બાપુનગર પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. કલ્પેશે પોલીસ સમક્ષ નીવેદન આપ્યું હતું કે, મારી પત્ની જયશ્રી મહેસાણા ગઇ હતી ત્યારે મને મરી જવાનો વિચાર આવ્યો. જેના કારણે મેં પહેલા મારા બન્ને દીકરાને ઉલટી ના થાય તેની દવા આપી હતી અને બાદમાં પીવાના પાણીમાં સોડિયમ નાઇટ્રેટ નાખીને ઓમને પીવડાવી દીધું હતું.</span></p>
<div class="f3e032cb " style="text-align: justify;"><span style="font-size: 14pt;"><picture class="c62bd949  "><source media="(max-width: 768px)" type="image/webp" srcset="https://images.bhaskarassets.com/webp/thumb/360x0/web2images/960/2025/02/05/jdbkbh_1738743904.jpg"></picture></span></div>
<div class="f3e032cb ">
<p class="" style="text-align: justify;"><span style="font-size: 14pt;">દીકરાને 30 ગ્રામ સોડિયમ નાઇટ્રેટ પીવડાવી દેતા તેના હોઠ વાદળી થઇ ગયા હતા અને તેના પેટમાં દુખાવો શરૂ થઇ ગયો હતો. કલ્પેશ ગભરાઇ જતા તે તરત જ ભાગી ગયો હતો અને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. દીકરાને વગર કારણે સોડિયમ નાઇટ્રેટ પીવડાવીને મોતને ઘાટ ઉતારનાર કલ્પેશ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે ઓમની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી છે. ત્યારે કલ્પેશની ધરપકડ કરી છે.</span></p>
<p class="" style="text-align: justify;"><span style="font-size: 14pt;">જયશ્રી મહેસાણા જતી રહી હતી જેના કારણે કલ્પેશે દીકરાઓની હત્યા કરીને પોતે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. કલ્પેશે પહેલા ઓમને સોડિયમ નાઇટ્રેટ પીવડાવી દીધું હતું અને જેમાં તેની તબીયત લથડતા તે ગભરાઇ ગયો હતો. ઓમ બાદ કલ્પેશ જીયાની પણ હત્યા કરવાનો હતો, પરંતુ તે ગભરાઇ ગયો અને તરતજ પોલીસ સ્ટેશનમાં દોટ મુકી હતી.</span></p>
<div class="f3e032cb " style="text-align: justify;"><span style="font-size: 14pt;"><picture class="c62bd949  "><source media="(max-width: 768px)" type="image/webp" srcset="https://images.bhaskarassets.com/webp/thumb/360x0/web2images/960/2025/02/05/jbdoi_1738743911.jpg"></picture></span></div>
<div class="f3e032cb ">
<p class="" style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોડિયમ નાઇટ્રેટ પાવડરના સ્વરૂપમાં હોય છે અને જો તેને એક ચમચી પાણીમાં મિક્સ કરીને પીવામાં આવે તો 20 મિનિટમાં જ મોત થઈ શકે છે. એકવાર સોડિયમ નાઇટ્રેટ પી લીધું પછી બચવાની સંભાવના રહેતી નથી.</span></p>
<p class="" style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-teenager-tied-to-tree-and-beaten-by-casteists-in-kaushambi-uttar-Pradesh">નિર્દોષ દલિત કિશોરને તાલીબાની સજાઃ જાતિવાદીઓએ ઝાડ સાથે બાંધીને ફટકાર્યો</a></span></strong></span></p>
</div>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 05 Feb 2025 14:29:01 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 07 Feb 2025 11:13:51 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1918</Articleid>
                    <excerpt>બાપુનગરમાં પિતાએ પહેલાં બંને બાળકોને ઉલટી ના થાય તેની દવા આપી બાદમાં એક દીકરાને પાણીમાં ઝેર નાખી પીવડાવી દીધું. પછી પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202502/image_140x98_67a3274ecb6c0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202502/image_870x580_67a3274e9a0f1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202502/image_870x580_67a3274e9a0f1.jpg" length="62269" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>‘શિવરાત્રીના મેળામાં મુજરા થાય છે, સાધુઓ બર્થડે પાર્ટીઓ કરે છે...’</title>
                    <link>https://khabarantar.com/maheshgiri-said-mujra-is-performed-at-the-shivaratri-fair-sadhus-hold-birthday-parties</link>
                    <guid>https://khabarantar.com/maheshgiri-said-mujra-is-performed-at-the-shivaratri-fair-sadhus-hold-birthday-parties</guid>
                    <description>
                        <![CDATA[ જૂનાગઢના અંબાજી મંદિરના વિવાદમાં હવે મહેશગીરી નામના સાધુએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, શિવરાત્રીમાં અખાડાઓમાં શરાબ-શબાબની પણ મહેફિલો જામે છે અને સંતો બર્થડે પાર્ટીઓ કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં ધર્મની આડમાં પોતાનો ધંધો જમાવીને બેઠેલા કહેવાતા સાધુસંતો લોકોને મોહમાયા ત્યાગવાનું પ્રવચન આપવાના પણ લાખો રૂપિયા લે છે. પણ આ જ સાધુઓ જ્યારે તેમની ખુદની સંપત્તિ ત્યાગવાની આવે ત્યારે લુખ્ખા તત્વોને પણ શરમાવે તેવા કૃત્યો કરતા શરમાતા નથી. માથાભારે ગુંડાઓની જેમ આ કહેવાતા સાધુઓ સંપત્તિ પર કબ્જો જમાવવા અન્ય ટોળકીના લોકો પર હુમલાઓ કરે છે, બદનામ કરે છે અને તેના માટે કોઈપણ રસ્તો અપનાવતા ખચકાતા નથી. આવું જ કંઈક જૂનાગઢના અંબાજીના મંદિરના કબ્જાને લઈને બે સાધુઓના જૂથ વચ્ચે જોવા મળી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સાધુઓ બર્થડે પાર્ટી કરી ભોગવિલાસમાં મસ્ત</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનાગઢ પવિત્ર ધર્મસ્થળ અંબાજી ગાદીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને ભૂતનાથના મહંત મહેશગીરી (Maheshgiri) સહિત ચાર સાધુઓની અખાડા પરિષદ(Akhada parishad) માંથી હકાલપટ્ટી થયાના અહેવાલો વચ્ચે 30 જાન્યુઆરીએ મહેશગીરી નામના સાધુએ પત્રકાર પરિષદ (Press Conference) યોજીને વિરોધી પક્ષના સાદુઓ પર ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202502/image_870x_67a07d5e57ca8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેશગીરીએ શિવરાત્રી (Shivaratri) ના મેળા (Fair) માં સાધુ-સંતોની હાજરીમાં ચાલતા મુજરા તેમજ સંતની બર્થડે પાર્ટીની ઉજવણી સહિતના વીડિયો જાહેર કરી કહેવાતા સાધુઓની વિલાસી જીવનશૈલીને ઉઘાડી પાડી દીધી હતી. મહેશગીરીએ પત્રકાર પરિષદ કરીને કેટલાક વીડિયો શેર કર્યા હતા અને જૂના અખાડાના સંરક્ષક હરીગીરી બાપુ ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. આ સાથે તેમણે ભવનાથમાં થતી ગેર પ્રવૃતિઓને લઈને ખુલાસા પણ કર્યા હતા. મહેશગીરીએ કહ્યું કે, હું હજુ 20 ટકા જ બહાર આવ્યું છે અને 20 ફેબ્રુઆરી યજ્ઞ પુરો થશે એટલે આ બધા દુષ્ટોને ઉઘાડા પાડીશ, એનો વિનાશ કરીશ. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અખાડામાં વેશ્યાઓને લઈને આવે છેઃ મહેશગીરીનો ગંભીર આક્ષેપ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેશગીરીએ જણાવ્યું હતું કે, આ બધું હરિગીરીની જવાબદારીમાં ચાલે છે. તેમણે કહ્યું કે જૂના અખાડાના કારણે સાધુ-સંતોની ગરિમા ખરડાઈ રહી છે અને તેના માટે જવાબદાર માત્રને માત્ર હરિગીરી (Harigir) છે. મહેશગીરીએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી હરિગીરી (Harigiri) ભવનાથ (Bhavnath Temple) અને ગિરનાર (Girnar) માંથી નહીં જાય ત્યાં સુધી તેઓ શાંતિથી નહીં બેસે. અખાડા હરિગીરી ચલાવે છે અને તે નક્કી કરે છે કોણ રહેશે અને કોણ નહીં રહે. તેના જ ચેલાઓ બેસે છે. અખાડામાં દારુ (liqueur) અને પોલીસે રેડ (Police Red) પાડી છે તે પણ વીડિયો છે. અખાડામાં વેશ્યા (Prostitute) ને લઈને આવે છે, શરમ કરો. સરકાર અને અધિયકારીઓ સમજી નથી શકતા કે શું શું થઈ રહ્યું છે. તમે આવા કામો કરી રહ્યા છો. મારા ગિરનારને અપવિત્ર કરે છે. હું સરકાર ને કહીશ કે આ પવિત્ર સ્થળ છે. હરિગીરીનું કંઈક જુઓ. સરકારની બદનામી થશે. જરાક તો વિચાર કરો. ભ્રષ્ટાચારીઓને બચાવવા આ બધાં નીકળી પડ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">90 ટકા સાધુઓ ડરથી બહાર નથી આવતાઃ મહેશગીરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેશગીરીએ વધુમાં કહ્યું કે, “જો સરકાર યોગ્ય તપાસ કરે તો હરીગીરી બીજા દિવસે જેલમાં જાય એમ છે. હરીગીરી જેલમાં જશે તો લાખો સાધુ-સંતો રાજી થશે. હરીગીરી કોઈ મોટી તોપ નથી, ડરપોક છે, હરીગીરી અને પ્રેમગીરીની ગેંગના મોટા કૌભાંડ બહાર આવશે. જો હું કોર્ટમાં જઈશ તો બધાને તકલીફ પડશે. મોટા સાધુ-સંતોના ફોન આવ્યા કે હરીગીરી સમાધાન કરવા માંગે છે, અધર્મ સાથે શા માટે સમાધાન? અંબાજી મંદિરની દશનામ પરિવારનો અધિકાર છે, 25 પેઢીથી સેવા કરે છે.મહેશગીરીએ ગીરીશ કોટેચા (Girish Kotecha) પર પ્રહાર કરતા કહ્યું કે, લોહાણા જ્ઞાતિમાં ઘણા સારા લોકો છે. પણ આનાથી જૂનાગઢ (Junagadh) ને મુક્ત કરો. સમાધાન એક જ વાતે કરીશ કે હરીગીરી ગિરનાર છોડી દે. હરીગીરી એની ફૌજને પહેલા જૂએ. બહિષ્કાર તો હરીગીરીનો થવો જોઈએ. 90% અખાડાના સાધુ સંતો ડરથી બહાર આવતાં નથી.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અખાડામાં બધાં અંગ્રેજી પાર્ટી કરે છે: મહેશગીરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેશગીરીએ પ્રેસ કોન્ફરન્સમાં હરીગીરીના પાંચ પાપ ગણાવ્યા હતા. જેમાં તેમણે મહાકુંભમાં પેશવાઈ થાય છે પહેલી વખત એવું થયું કે પરંપરા તુટી જે પાપ છે. તનીયા લગાવવામાં ન આવી, અખાડાની ઈજ્જત ધૂળમાં મળી રહી છે. તપાસ કમિટી બેસાડીએ તો બધા અંગ્રેજી પાર્ટી કરે છે. મહેશગીરીએ વધુમાં કહ્યું કે, અખાડો શું હરીગીરીના બાપનો છે. શિવરાત્રીના મેળામાં હરીગીરીને આવવા દેવો કે નહીં એ હવે જૂનાગઢના લોકોને વિચાર કરવો પડશે. ઉત્તરપ્રદેશમાં જ્યારે બહેનો દીકરીઓની ઉપાડી જતાં હતા, ત્યારે દેશપ્રેમ ક્યાં હતો? નાગા સાધુને લઈને કેમ ન ગયા, હરીગીરીના દબાણમાં બોલવું પડે પણ હવે હું જે કરીશ એ તમે કલ્પના પણ નહીં કરી હોય, હું હજી એક ટકા જ બહાર આવ્યો છું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મારા પર હુમલો થઈ શકે છેઃ મહેશગીરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેશગીરીએ છેલ્લે જણાવ્યું હતું કે, એક એક સાધુ બહાર આવશે તો હરીગીરી એમને એમ જ સમાધિ લઈ લેશે. હું ભાગીશ નહીં આ ચેસ જેવું યુધ્ધ છે, 20 ફેબ્રુઆરીએ યજ્ઞ પુરો થશે એટલે આ બધા દુષ્ટોને ઉઘાડા પાડીશ, એનો વિનાશ કરીશ. હુમલો હરીગીરી મારી પર હુમલો કરાવી શકે છે. શિવરાત્રીનો મેળો બગાડી શકે છે. શિવરાત્રીના મેળામાં હરીગીરી જો કંઈ કરશે તો ઉત્તરનો પ્રત્યુતર આવશે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/clashes-between-two-sadhus-over-property-issue-of-dhaneshwar-mahadev-temple-ashram-in-mangrol-narmada">મંદિર માટે બે સાધુઓ બાખડ્યા, અંતે બંનેને બાબાસાહેબનું બંધારણ યાદ આવ્યું!</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 03 Feb 2025 13:56:33 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1917</Articleid>
                    <excerpt>જૂનાગઢના અંબાજી મંદિરના વિવાદમાં હવે મહેશગીરી નામના સાધુએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, શિવરાત્રીમાં અખાડાઓમાં શરાબ-શબાબની પણ મહેફિલો જામે છે અને સંતો બર્થડે પાર્ટીઓ કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202502/image_140x98_67a07d3b53052.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202502/image_870x580_67a07d3b21fc1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202502/image_870x580_67a07d3b21fc1.jpg" length="85127" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>maheshgiri, shivaratri fair</media:keywords>
                </item>
                        <item>
                    <title>દાહોદમાં ટોળાએ મહિલાને નિર્વસ્ત્ર કરી બાઈક પાછળ બાંધીને ઢસડી</title>
                    <link>https://khabarantar.com/in-dahod-mob-stripped-a-woman-naked-tied-her-to-the-back-of-a-bike-and-dragged-her-away</link>
                    <guid>https://khabarantar.com/in-dahod-mob-stripped-a-woman-naked-tied-her-to-the-back-of-a-bike-and-dragged-her-away</guid>
                    <description>
                        <![CDATA[ યુપી-બિહાર જેવી આ ઘટનામાં દાહોદના સંજેલી ગામની છે. જ્યાં ટોળાંએ મહિલાના પ્રેમસંબંધના કારણોસર બાઈક પાછળ સાંકળથી બાંધી દંડા મારી ઢસડી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં કાયદો વ્યવસ્થાનો જાણે લોકોને કોઈ ડર જ ન હોય તેમ ગમે મનફાવે તેવા ગુનાઓ કરવા માંડ્યાં છે. આવી જ એક ચોંકાવનારી ઘટના દાહોદ જિલ્લામાંથી સામે આવી છે. અહીંના સંજેલી તાલુકાના એક ગામમાં એક 35 વર્ષની પરિણીત મહિલાને સ્થાનિકોએ ગામના એક યુવક સાથે પ્રેમસંબંધ હોવાનો આરોપ મૂકી 15 જેટલા લોકોના ટોળાએ નિર્વસ્ત્ર કરી ઢોર માર મારી બાઇક પાછળ સાંકળથી બાંધી રોડ પર ઢસડી હતી. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચાર દિવસ પહેલાની ઘટના છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના 28મી જાન્યુઆરીની છે, જ્યારે પીડિત મહિલા એક વ્યક્તિના ઘરે હાજર હતી. એ દરમિયાન 15 લોકોના ટોળાએ ગેરકાયદે મંડળી રચી તેને ઘરમાંથી બહાર ખેંચી કાઢી હતી. આરોપીઓએ મહિલાને માર માર્યો હતો અને બાદમાં નિર્વસ્ત્ર કરીને બાઇક પાછળ સાંકળથી બાંધીને ગામમાં ફેરવી હતી. આરોપીઓએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે ટોળું આક્રમક રીતે મહિલાને ઘેરીને તેનાં કપડાં કાઢી નાખે છે. મહિલા આજીજી કરતી હોવા છતાં ટોળું નિર્દયતાથી સાંકળ વડે મહિલાને બાઇક પાછળ બાંધે છે અને નિર્વસ્ત્ર મહિલાને દોડાવી દોડાવીને ધોકા ફટકારે છે. પીડિત મહિલા હાંફી જાય છે અને આજીજી કરતી હોવા છતાં રોડ પર ઢસડવામાં આવે છે અને અપશબ્દો બોલી ગામમાં ફેરવવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વીડિયો વાઇરલ થતાં સ્થાનિક પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. પીડિત મહિલાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતાં પોલીસે 15 પૈકી 12 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે અન્ય ત્રણની શોધખોળ ચાલુ છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે દાહોદ એસપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમથી આ ઘટનાની અમને જાણ થઈ હતી. એ પછી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં મહિલાને આરોપીઓએ તેના સસરાના ઘરે ગોંધી રાખી હતી તેનું રેસ્ક્યૂ કરાયું હતું. એજ સમયે 12 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ચાર પુરુષ, ચાર મહિલા અને ચાર સગીરનો સમાવેશ થાય છે. તેમની સામે અપહરણ, ગેરકાયદેસર ગોંધી રાખવાનો, મહિલાને માર મારવાનો, તેમની ગરીમાને નુકસાન જાય એ પ્રકારનું કૃત્ય આચરવાનો અને ઇન્ફોરમેશન ટેક્નોલોજી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હજી ત્રણ આરોપીઓ ફરાર છે, જેમાં એક પુરુષ, એક મહિલા અને એક બાળ કિશોર છે. જેમની શોધખોળ ચાલુ છે. આ ઘટનાએ આદિવાસી વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને યુપી-બિહારની ટોળાશાહીની યાદ અપાવી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/bjp-leader-brandished-a-gun-dragged-a-dalit-woman-by-the-hair">ભાજપ નેતાએ બંદૂક બતાવી, દલિત મહિલાને વાળ પકડી ઢસડી?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 31 Jan 2025 18:15:44 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1915</Articleid>
                    <excerpt>યુપી-બિહાર જેવી આ ઘટનામાં દાહોદના સંજેલી ગામની છે. જ્યાં ટોળાંએ મહિલાના પ્રેમસંબંધના કારણોસર બાઈક પાછળ સાંકળથી બાંધી દંડા મારી ઢસડી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679cc4f83c86e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679cc4f80715a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679cc4f80715a.jpg" length="91387" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dahod news, Dalit news</media:keywords>
                </item>
                        <item>
                    <title>Dr. Ambedkar ની પ્રતિમા હટાવતા બબાલ: 10 પોલીસકર્મી ઘાયલ, 6 બાઈક સળગ્યાં</title>
                    <link>https://khabarantar.com/clashes-during-removal-of-dr-ambedkars-statue-in-aligarhs-ibrahimpur-bhimpur</link>
                    <guid>https://khabarantar.com/clashes-during-removal-of-dr-ambedkars-statue-in-aligarhs-ibrahimpur-bhimpur</guid>
                    <description>
                        <![CDATA[ પોલીસ Dr. Ambedkar ની પ્રતિમા ઉપાડીને લઈ જતા લોકો બેકાબૂ બન્યાં. પોલીસકર્મીઓ પર હુમલો કરી 6 બાઈક સળગાવી દીધાં. હજુ પણ તંગ પરિસ્થિતિને જોતા પોલીસ પહેરો ગોઠવાયો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુપીના અલીગઢ (Aligarh) માં રોરાવર વિસ્તારના ઇબ્રાહિમપુર-ભીમપુર (Ibrahimpur-Bhimpur) ગામમાં ૨૭ જાન્યુઆરીની રાત્રે સ્થાપિત આંબેડકરની પ્રતિમા પોલીસે હટાવી દેતા ત્યારે રમખાણો ફાટી નીકળ્યા હતા. ગુસ્સે ભરાયેલા ટોળાંએ પહેલા પોલીસ પર હુમલો કર્યો અને પછી પોલીસકર્મીઓની છ બાઇક સળગાવી દીધી અને પોલીસના વાહનોમાં તોડફોડ કરી. ટોળાંને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા. હવાઈ ગોળીબાર પણ કરવામાં આવ્યો. ટોળા દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં દસથી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. હાલ ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસએસપી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ કેમ્પિંગ કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બઘેલ અને દલિત સમાજ વચ્ચે જમીનનો વિવાદ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈબ્રાહિમપુર-ભીમપુર ગામમાં બઘેલ (Baghel community) અને અનુસૂચિત જાતિના લોકો (Scheduled Caste) વચ્ચે ગામની જમીનને લઈને વિવાદ થયો છે. અહીં ગામની જમીનના બે પ્લોટ ખાલી પડેલા છે. 27 જાન્યુઆરીના રોજ, બઘેલ સમાજના લોકોએ એક પ્લોટ પર મંદિરનું બાંધકામ શરૂ કર્યું. અનુસૂચિત જાતિના લોકોએ આ અંગે પોલીસ અને વહીવટી અધિકારીઓને ફરિયાદ કરી. પોલીસ આવી અને મંદિરનું બાંધકામ અટકાવ્યું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_679c64572f8d0.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">27 જાન્યુઆરીની રાત્રે, અનુસૂચિત જાતિના લોકોએ બીજા પ્લોટ પર આંબેડકરની પ્રતિમા સ્થાપિત (installed Ambedkar's statue) કરી. બઘેલ સમાજના લોકોએ તેનો વિરોધ શરૂ કર્યો. પ્રતિમાને હટાવવાની માંગણીઓ થવા લાગી. જ્યારે અનુસૂચિત જાતિ સમાજના લોકોને લાગ્યું કે પોલીસ બાબાસાહેબની પ્રતિમાને હટાવી શકે છે, ત્યારે સમાજના લોકોના ટોળાએ પ્રતિમા સ્થળને ઘેરી લીધું અને બેસી ગયા. અધિકારીઓએ લોકોને સમજાવીને પ્રતિમા હટાવવાનો પ્રયાસ કર્યો પરંતુ લોકો તૈયાર નહોતા. જેના કારણે ગામમાં પણ તણાવ વધી ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ટોળું બેકાબૂ બન્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">28 જાન્યુઆરીના રોજ સાંજે લગભગ 6:30 વાગ્યે, પોલીસે અહીંથી પ્રતિમાને હટાવી અને તેને લઈ જવા લાગ્યા. જેને લઈને બે દિવસથી પ્રતિમા સ્થળની આસપાસ બેઠેલા લોકો ગુસ્સે ભરાયા અને પોલીસ પર પથ્થરમારો કર્યો. ત્યારે પોલીસકર્મીઓની સંખ્યા ઓછી હતી, તેથી તેઓ ભીડને રોકી શક્યા નહીં અને ભાગીને પોતાનો જીવ બચાવ્યો. પોલીસકર્મીઓ તેમના ગાડીઓ અને બાઈક ત્યાં જ મૂકીને ભાગી ગયા. ટોળાએ ટુ-વ્હીલરોને આગ ચાંપી દીધી હતી અને ફોર-વ્હીલર વાહનોમાં તોડફોડ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટનાની જાણ થતા પોલીસ બોલાવવી પડી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાની જાણ થતા નજીકના પોલીસ સ્ટેશનની પોલીસને તાત્કાલિક બોલાવવામાં આવી. અંધાધૂંધી વધતાં, અલીગઢ-ગોંડા રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો. ભીડને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. લગભગ છ રાઉન્ડ હવાઈ ગોળીબાર પણ થયો. બાદમાં પોલીસે ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. મોટાભાગના લોકો પોતાના ઘરોને તાળાં મારીને ચાલ્યા ગયા હતા. ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસએસપી સંજીવ સુમન કહે છે કે બદમાશોની ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ગામમાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે શું કહ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે મીડિયાને જણાવ્યું કે રોરાવર પોલીસ સ્ટેશનના ભીમપુર ગામમાં 26 જાન્યુઆરીથી આ મામલો ચાલી રહ્યો હતો. મામલો સરકારી જમીન પર મંદિર અને ડો.આંબેડકરની પ્રતિમા લગાવવાનો હતો. પહેલા બઘેલ સમાજે મંદિર બનાવવાનું શરૂ કર્યું હતું, જે જોઈને અનુસૂચિત જાતિ સમાજે બાજુની ખાલી જમીન પર ડો.આંબેડકરની પ્રતિમા લગાવવી શરૂ કરી હતી. તે પહેલાં પોલીસ સ્ટેશન દ્વારા કામ બંધ કરી દેવામાં આવ્યું. તે અડધું બંધાયેલું હતું. બે-ત્રણ દિવસમાં તેમણે રાત્રે જ એક પ્રતિમા સ્થાપિત કરી. ત્યારથી ફોર્સ ઘટનાસ્થળે હાજર છે. વિવિધ સ્તરે વાટાઘાટો થઈ છતાં ઘટના બની હતી. 28 જાન્યુઆરીના રોજ, તેમનું એક પ્રતિનિધિમંડળ ડીએમ અને એસએસપી સાથે વાત કરવા ગયું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_679c6469188ae.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિયમો હેઠળ કોઈપણ સરકારી જમીન પર કોઈ બાંધકામ કરી શકાતું નથી; પ્રતિમા પણ સ્થાપિત કરી શકાતી નથી. જ્યારે બીજા પક્ષ સાથે વાતચીત થઈ, ત્યારે તેમણે કહ્યું કે બઘેલ પક્ષ દ્વારા મંદિર બનાવવામાં આવી રહ્યું છે. તે મંદિરની જગ્યાએ બાઉન્ડ્રી વોલ બનાવી રહ્યો હતો. તેને પણ  બાંધવાની મંજૂરી આપવામાં આવી નહોતી અને બાબાસાહેબની પ્રતિમા પણ સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ડીએમ અને એસએસપી સાથેની વાતચીત બાદ બંને પક્ષો સંમત થયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">છેલ્લાં બે દિવસથી મામલો ગરમાયેલો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ લગભગ બે દિવસથી ચાલી રહ્યું હતું અને જ્યારે સાંજે પોલીસ પ્રતિમા હટાવવા ગઈ ત્યારે ત્યાં હાજર મહિલાઓ અને લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો. ત્રણ-ચાર સ્કૂટરોને આગ ચાંપી દેવામાં આવી. બે પોલીસકર્મીઓ ઘાયલ થયા અને તેમને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. પ્રતિમા હવે દૂર કરવામાં આવી છે, સ્થળ પર પૂરતો પોલીસ ફોર્સ હાજર છે. પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. માત્ર ૧૫ મિનિટ માટે જ અંધાધૂંધી સર્જાઈ હતી. આ ઘટનામાં પૂર્વ સરપંચ અને હાલના સરપંચને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આખી ઘટના સ્થાનિક રાજકારણથી પ્રેરિત હોવાનું લાગી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કલેક્ટરે શું કહ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અલીગઢના કલેક્ટર સંજીવ રંજને જણાવ્યું હતું કે, એક સ્પષ્ટ નિયમ છે કે ગ્રામ પંચાયતની જમીન પર આ રીતે કોઈપણ મહાપુરુષની પ્રતિમા કે અન્ય કોઈ પ્રતિમા સ્થાપિત કરી શકાતી નથી. આ વાત ગામલોકોને અને તેમના નેતાઓને વારંવાર સમજાવવામાં આવી હતી. એ જ ક્રમમાં, તેમને સતત વાતચીત દ્વારા માહિતી આપવામાં આવી હતી. અમે નીચેના લેવલના અધિકારીઓની બેદરકારી અને સમયસર જાણ ન કરવાના મામલાની તપાસ કરી રહ્યાં છીએ. જે કોઈ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/attacks-on-dr-ambedkars-statues-what-does-it-indicate">દેશભરમાં ડો.આંબેડકરની પ્રતિમાઓ પર થઈ રહેલા હુમલા શું સૂચવે છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 31 Jan 2025 11:20:18 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 31 Jan 2025 11:20:02 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1914</Articleid>
                    <excerpt>પોલીસ Dr. Ambedkar ની પ્રતિમા ઉપાડીને લઈ જતા લોકો બેકાબૂ બન્યાં. પોલીસકર્મીઓ પર હુમલો કરી 6 બાઈક સળગાવી દીધાં. હજુ પણ તંગ પરિસ્થિતિને જોતા પોલીસ પહેરો ગોઠવાયો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679c62f0ccf8a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679c62f08d890.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679c62f08d890.jpg" length="95715" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>removal of dr ambedkars statue, ibrahimpur bhimpur news</media:keywords>
                </item>
                        <item>
                    <title>પતિ સાથે રહેતી પત્નીના અન્યો સાથેના સંબંધથી જન્મેલું બાળક પતિનું જ ગણાય</title>
                    <link>https://khabarantar.com/child-born-to-a-wife-living-with-her-husband-through-affair-with-someone-else-is-considered-husbands</link>
                    <guid>https://khabarantar.com/child-born-to-a-wife-living-with-her-husband-through-affair-with-someone-else-is-considered-husbands</guid>
                    <description>
                        <![CDATA[ વીસ વર્ષથી ચાલતા કેસમાં સુપ્રીમ કોર્ટે મહિલાની શાખ, ડીએનએ ટેસ્ટ ન કરાવવાના પ્રાઈવસીના અધિકાર સહિતના કારણોને ધ્યાનમાં રાખીને ચૂકાદો આપ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે છેલ્લા બે દાયકાથી ચાલી રહેલા એક કેસમાં ચોંકાવનારો ચૂકાદો આપ્યો છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, પતિ સાથે રહેતી પત્નીના અન્યો સાથેના સંબંધથી જન્મેલું બાળક પતિનું જ ગણાય. આ કેસ ડીએનએ ટેસ્ટ ના કરાવવા માગતા એક પુરુષની પ્રાઇવસીનો અધિકાર અને ટેસ્ટની માગ કરી રહેલાના ભરણપોષણ અને તેના મૂળ પિતા કોણ છે તે જાણવાના એક પુત્રના અધિકારો વચ્ચેનો હતો. સુપ્રીમ કોર્ટે પ્રાઇવસીના અધિકારને ધ્યાનમાં રાખીને અંતે પુત્રની માગ ઠુકરાવી હતી. સુપ્રીમે પ્રાઇવસી, મહિલાનો અને પુત્રનો અધિકાર એમ ત્રણેય મુદ્દાને ધ્યાનમાં રાખી ચુકાદો આપ્યો હતો.  મહિલાના લગ્ન ૧૯૮૯માં થયા હતા, ૧૯૯૧માં એક બાળકીનો જન્મ થયો જે બાદ ૨૦૦૧માં એક બાળકનો જન્મ થયો હતો. ૨૦૦૩માં મહિલા પતિથી અલગ થઇ ગઇ, બાદમાં વર્ષ ૨૦૦૬માં બન્ને વચ્ચે છૂટાછેડા થઇ ગયા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દરમિયાન મહિલાએ નગરપાલિકામાં અરજી કરી અને પોતાના ૨૦૦૧માં જન્મેલા બાળકના પિતાનું નામ બદલવા માગ કરી અને દાવો કર્યા કે તેના મૂળ પિતા કોઇ અન્ય પુરુષ છે. જો કે પાલિકાએ અરજી ઠુકરાવી દીધી. બાદમાં સ્થાનિક કોર્ટમાં અપીલ કરાઇ, કોર્ટે બાયોલોજિકલ પિતાનો ડીએનએ ટેસ્ટ કરાવવા આદેશ આપ્યો, જેને બાયોલોજિકલ પિતાએ હાઇકોર્ટમાં પડકાર્યો. હાઇકોર્ટે પ્રાઇવસીના અધિકારને માન્ય રાખીને ડીએનએ ટેસ્ટ ના પાડી દીધી. સાથે જ કહ્યું કે પેટરનિટી ટેસ્ટનો આદેશ ત્યારે જ આપી શકાય જ્યારે એ સાબિત થાય કે પતિ-પત્ની વચ્ચે કોઇ સંપર્ક નહોતો. તેથી હાઇકોર્ટના ચુકાદાને બાદમાં પુત્ર દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો. જો કે સુપ્રીમ કોર્ટે પણ હાઇકોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમમાં યુવકે દલીલ કરી હતી કે તેના મૂળ પિતા કોણ છે તે જાણવા ડીએનએ ટેસ્ટ જરૂરી છે, આ મારો અધિકાર છે. જો કે જેનો ડીએનએ ટેસ્ટ કરાવવાની માગ થઇ હતી તેણે પુત્રની આ માગનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે ડીએનએ ટેસ્ટથી મારી પ્રાઇવેસીનો ભંગ થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે જ્યારે પુત્રનો જન્મ થયો ત્યારે મહિલા પોતાના પતિ સાથે એક ઘરમાં રહેતી હતી, આ દરમિયાન અન્ય કોઇ પુરુષ સાથે સંબંધથી પણ જો કોઇ બાળકનો જન્મ થાય તો તેવુ ના માની લેવાય કે મહિલા અને તેના પતિ વચ્ચે કોઇ સંબંધ નહોતો. એવુ માની પણ લઇએ કે મહિલા લગ્નેત્તર સંબંધમાં હતી અને તેનાથી જ બાળકનો જન્મ થયો તો પણ આ દલીલ પૂર્ણ નથી. કોઇ એક કે તેથી વધુ સાથે સંપર્ક હોવાથી સાબિત નથી થતું કે મહિલાનો તેના પતિ સાથે કોઇ સંબંધ નહોતો. તેથી યુવકને તેના કાયદેસર પિતાનો જ પુત્ર માનવામાં આવે. આ મામલામાં મહિલાની શાખ, ડીએનએ ટેસ્ટ ના કરાવવાનો પ્રાઇવેસીનો અધિકાર વગેરેને ધ્યાનમાં રાખીને સુપ્રીમે આ ચુકાદો આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/if-the-husband-is-a-dalit-and-the-wife-is-a-non-dalit-will-their-children-get-reservation-gujarati">પતિ દલિત-પત્ની બિનદલિત હોય તો તેમના સંતાનોને અનામત મળે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 29 Jan 2025 21:21:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1908</Articleid>
                    <excerpt>વીસ વર્ષથી ચાલતા કેસમાં સુપ્રીમ કોર્ટે મહિલાની શાખ, ડીએનએ ટેસ્ટ ન કરાવવાના પ્રાઈવસીના અધિકાર સહિતના કારણોને ધ્યાનમાં રાખીને ચૂકાદો આપ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679a4e01c343b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679a4e019365f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679a4e019365f.jpg" length="133982" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Supreme Court verdict on extramarital affair, latest news, suprem court</media:keywords>
                </item>
                        <item>
                    <title>Mahakumbh માં કુલ 30 લોકોના મોત, દુર્ઘટનાનું કારણ સામે આવ્યું</title>
                    <link>https://khabarantar.com/30-people-have-died-in-mahakumbh-so-far-the-cause-of-the-tragedy-has-been-revealed</link>
                    <guid>https://khabarantar.com/30-people-have-died-in-mahakumbh-so-far-the-cause-of-the-tragedy-has-been-revealed</guid>
                    <description>
                        <![CDATA[ Mahakumbh માં મૃત્યુ પામેલા લોકોનો સત્તાવાર આંકડો ઘટનાના લગભગ 20 કલાક પછી વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.  ઘટના પાછળનું કારણ પણ હવે જણાવ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Mahakumbh માં થયેલી ભાગાભાગીની દુર્ઘટનાના લગભગ 20 કલાક પછી વહીવટીતંત્રે માર્યા ગયેલા લોકોના સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 30 લોકોના મોત થયા છે. આમાંથી 25 લોકોની ઓળખ થઈ ગઈ છે. 60 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમને શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ મેડિકલ કોલેજમાં 36 લોકોની સારવાર ચાલી રહી છે. સીએમ યોગીએ પહેલાથી જ સરકારી ખર્ચે દરેકની સારવારનો આદેશ આપી દીધો છે. ઘણા લોકોના પરિવારમાં એક કરતાં વધુ મૃત્યુ થયા છે. કુંભ નગરના ડીઆઈજી વૈભવ કૃષ્ણને જણાવ્યું હતું કે ભારે ભીડને કારણે બેરિકેડ તૂટી ગયો અને નાસભાગ મચી જતા અકસ્માત થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહા કુંભ મેળા અધિકારી વિજય કિરણ આનંદ સાથે પ્રેસ કોન્ફરન્સ માટે પહોંચેલા ડીઆઈજીએ કોઈ પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો પરંતુ કહ્યું હતું કે રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે અખાડા માર્ગ પર ભારે ભીડનું દબાણ હતું. મૌની અમાવસ્યા પર મોટી સંખ્યામાં લોકો સ્નાન કરવા માટે પહોંચ્યા હતા. દબાણને કારણે બેરિકેડિંગ તૂટી ગયું અને સંગમમાં પ્રવેશેલી ભીડે સ્નાન કરવા માટે રાહ જોઈ રહેલા લોકોને કચડી નાખવાનું શરૂ કરી દીધું. ત્યાંથી કુલ 90 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી 30 લોકોના મોત થયા હતા. કેટલાક ઘાયલોને લઈને સંબંધીઓ ચાલ્યા ગયા છે. અહીં 36 ઘાયલોની સારવાર ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/there-was-a-lot-of-bickering-and-arguing-between-saints-and-mahants-at-the-mahakumbh-meeting-in-prayagraj"><span style="font-size: 14pt;">પ્રયાગરાજમાં મહાકુંભની બેઠકમાં સંતો-મહંતો વચ્ચે ઢીંકાપાટુ-લાફાવાળી થઈ</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડીઆઈજીએ જણાવ્યું કે ઓળખાયેલા 25 લોકોમાંથી ચાર કર્ણાટકના છે. એક-એક ગુજરાત અને આસામનો છે. તેમણે કહ્યું કે એક હેલ્પલાઇન પણ બનાવવામાં આવી છે. તેનો નંબર ૧૯૨૦ છે. જો કોઈ ગુમ થયું હોય, તો તેની માહિતી આ નંબર પર મેળવી શકાય છે. ડીઆઈજીએ એ પણ સ્પષ્ટતા કરી કે આજે કોઈ વીઆઈપી પ્રોટોકોલ નહોતો. તેમણે કહ્યું કે સરકારે પહેલાથી જ કડક સૂચના આપી દીધી છે કે કોઈ VIP પ્રોટોકોલ નહીં હોય. તેમણે કહ્યું કે ભવિષ્યમાં પણ કોઈપણ સ્નાન ઉત્સવ પર કોઈ VIP પ્રોટોકોલ રહેશે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પ્રેસ કોન્ફરન્સના થોડા કલાકો પહેલા જ ડીઆઈજીએ અકસ્માત માટે બીજું કોઈ કારણ જણાવ્યું હતું. તે સમયે ડીઆઈજીએ કહ્યું હતું કે સ્થળ પર હાજર પોલીસકર્મીઓના મતે ભીડનું દબાણ વધતાં ચેન્જિંગ રૂમનો દરવાજો ભીડ પર પડ્યો હતો. એ પછી જ નાસભાગ મચી ગઈ હતી. જોકે, હવે ડીઆઈજીએ જે કારણ આપ્યું છે તે જ કારણ મંગળવારે સવારે સીએમ યોગીએ પણ આપ્યું હતું. સીએમ યોગીએ કહ્યું હતું કે બેરિકેડિંગ તૂટવાને કારણે ભાગદોડ મચી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાગદોડની ઘટના બાદ અખાડા પરિષદે શાહી સ્નાન પણ રદ કર્યું હતું. પરંતુ બાદમાં, સીએમ યોગીની મહામંડલેશ્વરો સાથેની વાતચીત બાદ શાહી સ્નાનનો નિર્ણય લેવામાં આવ્યો. એ પછી નક્કી કરેલા સમયપત્રક મુજબ, નાગા સાધુઓ અને સંતોએ શાહી સ્નાન કર્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/if-there-is-a-stampede-at-the-kumbha-mela-will-god-be-arrested">જો કુંભ મેળામાં નાસભાગ થશે તો ભગવાનની ધરપકડ થશે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 29 Jan 2025 20:41:12 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1907</Articleid>
                    <excerpt>Mahakumbh માં મૃત્યુ પામેલા લોકોનો સત્તાવાર આંકડો ઘટનાના લગભગ 20 કલાક પછી વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.  ઘટના પાછળનું કારણ પણ હવે જણાવ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679a4460ab595.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679a44606ffeb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679a44606ffeb.jpg" length="112141" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Mahakumbh, mahakumbh Stampede, Prayagraj news</media:keywords>
                </item>
                        <item>
                    <title>Gurmeet Ram Rahim ને દિલ્હીની ચૂંટણી પહેલા 30 દિવસના પેરોલ મળ્યાં</title>
                    <link>https://khabarantar.com/gurmeet-ram-rahim-gets-30-days-parole-ahead-of-delhi-elections</link>
                    <guid>https://khabarantar.com/gurmeet-ram-rahim-gets-30-days-parole-ahead-of-delhi-elections</guid>
                    <description>
                        <![CDATA[ બળાત્કારી Gurmeet Ram Rahim ને મંગળવારે સવારે 5:26 વાગ્યે ગુપ્ત રીતે જેલમાંથી મુક્ત કરાયો. જેલમાંથી બહાર આવતા જ સિરસા જવાની મંજૂરી મળી. દિલ્હી ચૂંટણી સાથે કનેક્શન હોવાની આશંકા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Gurmeet Ram Rahim ને ફરી એકવાર પેરોલ મળી ગયા છે. બળાત્કાર અને હત્યાના કેસમાં સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમને વહીવટી તંત્રે બરાબર દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા પેરોલ આપતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે મંગળવારે સવારે જેલમાંથી બહાર આવ્યો હતો અને આ વખતે તે સિરસા સ્થિત કેમ્પમાં રહેશે. આ પહેલીવાર છે જ્યારે તેને સિરસામાં તેના કેમ્પમાં જવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉના પેરોલ અથવા ફર્લો દરમિયાન તેને ફક્ત ઉત્તર પ્રદેશના બાગપત સ્થિત આશ્રમમાં જવાની મંજૂરી આપવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જેલમાંથી બહાર આવતી વખતે કડક સુરક્ષા વ્યવસ્થા </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુરમીત રામ રહીમને મંગળવારે સવારે 5:26 વાગ્યે ગુપ્ત રીતે જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ પહેલી વાર છે જ્યારે તેમને સિરસાના ડેરામાં જવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ, રામ રહીમને તેમના આશ્રમની બહાર અન્ય કોઈ જગ્યાએ જવાની મંજૂરી નહોતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">Gurmeet Ram Rahim નો યુટ્યુબ પર સંદેશ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પેરોલ પર મુક્ત થયા બાદ ગુરમીત રામ રહીમે (Gurmeet Ram Rahim) તેની યુટ્યુબ ચેનલ પર એક સંદેશ જાહેર કર્યો. આમાં તેણે પોતાના અનુયાયીઓને સિરસા ન આવવા અને ડેરાના સેવકો દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી હતી. રામ રહીમે પોતાના અનુયાયીઓને જણાવ્યું કે આ વખતે તે સિરસા સ્થિત આશ્રમમાં રહેશે અને કોઈને મળવા જશે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચૂંટણી વખતે જ મળતા પેરોલને લઈને વિવાદ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Gurmeet Ram Rahim ની આ છેલ્લાં 12 મહિનામાં ચોથી પેરોલ છે. 2017 માં તેને દોષિત ઠેરવવામાં આવ્યા પછી આ તેની કુલ 16મી મુક્તિ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેને મળતા પેરોલમાં એક ચોક્કસ પેટર્ન જોવા મળી રહી છે અને તે મુજબ જ્યારે પણ ઉત્તર ભારતના કોઈ રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે તેને પેરોલ પર છોડવામાં આવે છે. પછી ભલે તે મ્યુનિસિપલ ચૂંટણી હોય કે રાજ્ય વિધાનસભાની ચૂંટણી. રામ રહીમને ચૂંટણી દરમિયાન પેરોલ આપવાની જાણે એક પરંપરા બની ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રામ રહીમનો વિવાદાસ્પદ ઇતિહાસ અને જેલમાંથી મુક્તિ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Gurmeet Ram Rahim ને 2017 માં તેની બે મહિલા અનુયાયીઓ પર બળાત્કારના આરોપસર દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જોકે, મે મહિનામાં, હરિયાણા હાઈકોર્ટે તેને અને અન્ય ચાર દોષિતોને 2002માં ડેરા સચ્ચા સૌદાના ભૂતપૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યા કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. રામ રહીમની મુક્તિ અને પેરોલના કેસ ઘણીવાર વિવાદાસ્પદ રહ્યાં છે, ખાસ કરીને ચૂંટણી દરમિયાન તેને મળતા પેરોલને લઈ અનેક સવાલો ઉઠતા રહ્યાં છે. આ વખતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના એક અઠવાડિયા પહેલા તેને પેરોલ મળ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">Gurmeet Ram Rahim ના પેરોલ પર વિવાદ અને રાજકીય અસર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામ રહીમ (Gurmeet Ram Rahim)નો હરિયાણા અને પંજાબમાં મોટો રાજકીય પ્રભાવ છે. તેના પેરોલ અને ફર્લોના મામલાઓ અંગે ઘણીવાર પ્રશ્નો ઉભા થયા છે, ખાસ કરીને જ્યારે તે ચૂંટણી સમયે બને છે. ખાસ કરીને ભાજપને મદદ કરવા માટે તેને ચૂંટણીમાં પેરોલ આપવામાં આવતા હોવાની ચર્ચા થતી રહે છે. આ વવખતે Gurmeet Ram Rahimને દિલ્હી વિધાનસભા ચૂંટણીના આઠ દિવસ પહેલા મુક્ત કરવામાં આવ્યો છે. અગાઉ, તેને ગયા વર્ષે ઓક્ટોબરમાં હરિયાણા વિધાનસભા ચૂંટણીના ત્રણ દિવસ પહેલા 20 દિવસના પેરોલ આપવામાં આવ્યા હતા. જાન્યુઆરીમાં લોકસભા ચૂંટણી પહેલા તેમને ૫૦ દિવસ માટે મુક્ત કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે પણ ૧૩ ઓગસ્ટે તેને ૨૧ દિવસ માટે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. હરિયાણા પંચાયત ચૂંટણી પહેલા જુલાઈ 2023માં તેને 30 દિવસના પેરોલ મળ્યા હતા. 2020 પછી આ 12મી વખત છે જ્યારે તેને જેલમાંથી કામચલાઉ ધોરણે જેલમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/over-120-killed-in-stampede-during-satsang-in-ups-hathras">યુપીના હાથરસમાં સત્સંગમાં ભાગદોડ થતા ૧૨૦થી વધુના મોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 29 Jan 2025 13:11:03 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1906</Articleid>
                    <excerpt>બળાત્કારી Gurmeet Ram Rahim ને મંગળવારે સવારે 5:26 વાગ્યે ગુપ્ત રીતે જેલમાંથી મુક્ત કરાયો. જેલમાંથી બહાર આવતા જ સિરસા જવાની મંજૂરી મળી. દિલ્હી ચૂંટણી સાથે કનેક્શન હોવાની આશંકા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6799db573b86e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6799db56e5050.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6799db56e5050.jpg" length="136728" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>gurmeet ram rahim, delhi elections</media:keywords>
                </item>
                        <item>
                    <title>Mahakumbh માં સંગમ કિનારે ભાગદોડ, 14 લોકોના મોત? 50 થી વધુ ઘાયલ</title>
                    <link>https://khabarantar.com/mahakumbh-stampede-on-the-banks-of-the-sangam-in-14-people-died-more-than-50-injured</link>
                    <guid>https://khabarantar.com/mahakumbh-stampede-on-the-banks-of-the-sangam-in-14-people-died-more-than-50-injured</guid>
                    <description>
                        <![CDATA[ Mahakumbh માં આસ્થાના નામે ભેગી કરાયેલી લાખોની ભીડે અકસ્માત સર્જ્યો છે. મધરાત બાદ સંગમ તટ પર ભેગી થયેલી ભીડમાં ભાગાભાગી થઈ હતી. 14 લોકોના મોત થયા છે. આ આકડો હજુ વધી શકે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Mahakumbh</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> માં મોટી ઘટના ઘટી છે. </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ભારતમાં આસ્થાના નામે ભીડ ભેગી કરવાના જે ભયસ્થાનો હોય છે તેમાં સૌથી પહેલો ભય અરાજકતા ફેલાતા ભાગદોડનો રહેતો હોય છે. </span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Mahakumbh</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">2025માં લાખો લોકો ઉમટી પડ્યાંના આંકડાઓ આવતા હતા ત્યારે બાબતનો ડર સતત રહેતો હતો અને હવે તે સાચો પડ્યો છે. સૂત્રો અને મીડિયામાંથી મળતી માહિતી પ્રમાણે મહાકુંભમાં ગઈકાલે રાત્રે મોટી દુર્ઘટના ઘટી</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">,</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> જેમાં ભાગાભાગી જવાથી 14 જેટલા લોકોના મોત થયા હોવાનું અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત રાત્રે લગભગ ૨ વાગ્યે સંગમ બીચ પાસે બન્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે. વહીવટીતંત્ર ઘાયલોને એર એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડવાની તૈયારી પણ કરી રહ્યું છે.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Mahakumbh</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">2025 માં મંગળવારે રાત્રે સંગમ નગરીમાં ભીડના દબાણને કારણે ભાગદોડ મચી ગઈ છે. અત્યાર સુધીમાં તેમાં 14 લોકોના મોત થયાના સમાચાર છે. જોકે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><o:p> </o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">સૂત્રોનું કહેવું છે કે મૃત્યુઆંક વધુ હોઈ શકે છે. આ ઘટના પછી</span>, NSG <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">કમાન્ડોએ મોરચો સંભાળી લીધો છે. સંગમ નોઝ વિસ્તાર સામાન્ય લોકો માટે સીલ કરી દેવામાં આવ્યો છે. મેળાના તંત્રની વિનંતી પર</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">બધા ૧૩ અખાડાઓએ અમૃત સ્નાન રદ કર્યું છે. ભાગદોડ પછી</span><span lang="GU"> </span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Mahakumbh</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> ની હોસ્પિટલો ઘાયલ લોકોથી ભરાઈ ગઈ છે. ઘાયલોને લઈ જતી એમ્બ્યુલન્સની લાંબી કતાર છે. સમગ્ર વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે. આ અકસ્માત રાત્રે લગભગ 2 વાગ્યે સંગમ બીચ નજીક થયો.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ઘણા લોકોના મોત થયા છે. આધારભૂત સુત્રોના મતે 17 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સ્વરૂપ રાની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જોકે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">વહીવટીતંત્ર દ્વારા મૃત્યુ કે ઈજા અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. મેળા પ્રશાસનની વિનંતી પર</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">બધા ૧૩ અખાડાઓએ અમૃત સ્નાન રદ કર્યું છે. </span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આ ઘટના એક અફવાને કારણે બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલીક મહિલાઓ જમીન પર પડી ગઈ. તે ઉભી થાય તે પહેલાં જ કેટલાક લોકો તેને કચડીને પસાર થયા. આ પછી મેળા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ. આ ઘટના બાદ</span>, NSG <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">કમાન્ડોએ ચાર્જ સંભાળી લીધો છે. સંગમ નોઝ વિસ્તાર સામાન્ય લોકો માટે સીલ કરી દેવામાં આવ્યો છે. અહીં ફક્ત સાધુઓને જ સ્નાન કરવાની મંજૂરી છે.</span></span><span style="mso-bidi-language: GU;"><o:p></o:p></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/kumbh-mela-massive-fire-breaks-out-in-geeta-press-tent-latest-update">કુંભમેળામાં ભીષણ આગ લાગી, 20થી વધુ ટેન્ટ ખાક</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 29 Jan 2025 09:54:22 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 29 Jan 2025 09:58:08 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1903</Articleid>
                    <excerpt>Mahakumbh માં આસ્થાના નામે ભેગી કરાયેલી લાખોની ભીડે અકસ્માત સર્જ્યો છે. મધરાત બાદ સંગમ તટ પર ભેગી થયેલી ભીડમાં ભાગાભાગી થઈ હતી. 14 લોકોના મોત થયા છે. આ આકડો હજુ વધી શકે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6799ad5a37dc1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6799ad5a07e39.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6799ad5a07e39.jpg" length="58794" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Mahakumbh 2025</media:keywords>
                </item>
                        <item>
                    <title>દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સત્તાની ચાવી દલિત મતદારોના હાથમાં</title>
                    <link>https://khabarantar.com/delhi-assembly-elections-2025-the-key-to-power-is-in-the-hands-of-dalit-voters</link>
                    <guid>https://khabarantar.com/delhi-assembly-elections-2025-the-key-to-power-is-in-the-hands-of-dalit-voters</guid>
                    <description>
                        <![CDATA[ Delhi Assembly Elections 2025 દલિત મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. 12 અનામત બેઠકો અને 17 ટકા દલિત મતદારો કોણ સત્તા પર બેસશે તે નક્કી કરશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Delhi Assembly Elections 2025 ની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. સત્તાધારી AAP સહિત આ વખતે BJP અને Congress પણ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. દરેક પક્ષો આ વખતે દલિત મતદારો (Dalit Voters) પર વધુ પડતો આધાર રાખતા થયા છે. કેમ કે, આ ચૂંટણીમાં દલિત મતદારો ફરી એકવાર નિર્ણાયક ભૂમિકામાં છે. ૧૨ અનામત બેઠકો (Reserve Seats) અને 17% દલિત વસ્તીના મતો સત્તાનો માર્ગ નક્કી કરશે. ઘણી બેઠકો પર જાટવ (Jatav)અને વાલ્મીકિ (Valmiki) સમાજનો પ્રભાવ નિર્ણાયક છે. રાજકીય પક્ષો તેમને વચનો અને યોજનાઓથી આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ હવે દલિત મતદારો ફક્ત કામ પર મતદાન કરવા માંગે છે. દિલ્હીની ખુરશી સુધીનો રસ્તો અહીંના દલિતોના સમર્થન વિના અશક્ય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 (Delhi Assembly Elections 2025) ના આંકડાઓ પર નજર કરીએ તો અહીંની 70 વિધાનસભા બેઠકોમાંથી 12 અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. એટલું જ નહીં દિલ્હીમાં લગભગ 17% દલિત મતદારો છે. આમાં ૩૮% જાટવ અને ૨૧% વાલ્મીકી સમાજના લોકોનો સમાવેશ થાય છે, જે દિલ્હીના રાજકારણ પર સીધો પ્રભાવ પાડે છે. ઇતિહાસ સાક્ષી છે કે દિલ્હીમાં ફક્ત તે જ પક્ષ સત્તા પર આવ્યો છે જેણે આ 12 અનામત બેઠકો પર સારો દેખાવ કર્યો હતો. ૨૦૨૦ અને ૨૦૧૫ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ આ બધી બેઠકો જીતીને સાબિત કર્યું હતું કે આ બેઠકો જીતવી એ સત્તાની ચાવી છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ અનામત બેઠકોના મતદારો ફક્ત "ચૂંટણીનું શસ્ત્ર" બની ગયા છે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દરેક પક્ષે દલિતોને આકર્ષવા માટે મોટા મોટા વચનો આપ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત મતદારોને આકર્ષવા માટે તમામ પક્ષોએ મોટી મોટી જાહેરાતો કરી છે. સત્તાધારી AAP એ ઘણી જાહેરાતો કરી છે, જેમાં આંબેડકર શિષ્યવૃત્તિ યોજના, વિદેશમાં અભ્યાસ કરવા માંગતા દલિત વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ભંડોળ પૂરું પાડવાનું વચન અને સફાઈકર્મીઓ માટે આવાસ યોજનાનો સમાવેશ થાય છે. પરંતુ શું છેલ્લા 10 વર્ષના શાસન દરમિયાન આ વચનો પૂરા થયા? વાસ્તવિકતા એ છે કે ઝૂંપડપટ્ટીમાં રહેતા સફાઈ કામદારો હજુ પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. દલિત વસાહતોમાં દિલ્હી સરકારના ઘણા મોહલ્લા ક્લિનિક હજુ પણ અધૂરા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપે આ વખતે ૧૪ દલિત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે અને ૫ રૂપિયામાં ભોજન પૂરું પાડવા માટે "અટલ કેન્ટીન યોજના" જેવી યોજનાઓનું વચન આપ્યું છે. પરંતુ ભાજપ માટે આ ચૂંટણી ખોવાયેલી જમીન પાછી મેળવવાનો પડકાર છે, કારણ કે પાર્ટી છેલ્લી બે ચૂંટણીઓમાં એક પણ અનામત બેઠક જીતી શકી નથી. ૧૯૯૩માં ૮ બેઠકો જીતનાર ભાજપનું પ્રદર્શન ધીમે ધીમે ઘટતું ગયું. ઝૂંપડપટ્ટીમાં રહેતા દલિતો માટે વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ તેમના માટે કોઈ નક્કર નીતિ લાગુ કરવામાં આવી ન હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસે તેના 15 વર્ષના શાસનમાં દિલ્હીને વિકાસના માર્ગે ચોક્કસ લાવ્યું, પરંતુ દલિત વસાહતો માટે કાયમી રોજગાર, શિક્ષણ અને સ્વચ્છતાના મામલામાં નિષ્ફળ ગઈ. કોંગ્રેસ 2020 અને 2015 માં એક પણ બેઠક જીતી શકી નહીં, અને દલિત સમાજ તેનાથી નિરાશ થઈ ગયો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત બહુમતી ધરાવતા વિસ્તારોની અવગણના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીના ૧૮ દલિત બહુમતી ધરાવતા વિધાનસભા મત વિસ્તારોમાં સ્વચ્છતા, પાણી અને રોજગારની સમસ્યાઓ હજુ પણ યથાવત છે. ત્રિલોકપુરી, બવાના, સીમાપુરી જેવા વિસ્તારોમાં લોકો હજુ પણ મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. ચૂંટણી વર્ષમાં રાજકીય પક્ષો અહીં મોટા મોટા વચનો આપે છે પરંતુ ચૂંટણી જીત્યા પછી તેઓ આ વિસ્તારોની કાળજી લેતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">"અમારો મત ફક્ત વચનો માટે નથી" દલિતોની સ્પષ્ટતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્રિલોકપુરીની સુનિતા દેવી કહે છે, “અમારા ઘરોમાં પાણી નથી, સફાઈ કામદારો હજુ પણ ગટરમાં પોતાના જીવ ગુમાવી રહ્યા છે, અને સરકાર ફક્ત વચનો આપે છે. તેઓ મત માંગવા આવે છે, પણ કોઈ કામ કરતું નથી. ઘડોલીના રામપ્રસાદ કહે છે, “દરેક ચૂંટણીમાં આપણે ફક્ત વચનો જ સાંભળીએ છીએ. આપણને હવે એવા નેતાની જરૂર છે જે આપણા વિસ્તારોને વધુ સારા બનાવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું દલિતો ફક્ત 'વોટ બેંક' બની ગયા છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીના રાજકારણમાં દલિત મતદારોનું મહત્વ ફક્ત ચૂંટણી વર્ષમાં જ દેખાય છે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ આ બધા જ આ વિસ્તારોમાં ઘણા બધા વચનો આપે છે પરંતુ જમીની સ્તરે પરિસ્થિતિ એવી જ રહે છે. દલિતો માટે રોજગાર, શિક્ષણ અને સામાજિક સમાનતા તરફ નક્કર પગલાં લેવાને બદલે, તેમને ફક્ત વોટબેંક તરીકે ગણવામાં આવે છે. આજે પણ દિલ્હીની અનામત બેઠકો અને દલિત બહુમતી ધરાવતા વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું દલિતો કોઈ મોટો નિર્ણય લેશે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૨૫ની ચૂંટણીમાં દલિત સમાજની ભૂમિકા નિર્ણાયક રહેશે. પણ આ વખતે તેઓ વચનો પર નહીં, કામ પર મત આપશે. જો રાજકીય પક્ષો તેમની વ્યૂહરચના નહીં બદલે અને દલિતોના મુદ્દાઓને ગંભીરતાથી નહીં લે, તો દલિત મતદારો આ પક્ષોને ચોક્કસ પાઠ ભણાવશે. હવે માત્ર ઓફિસોમાં ડો.આંબેડકરનો ફોટો રાખવાથી દલિતો રાજી નહીં થઈ જાય. તેમને તેમના મતોની ટકાવારી મુજબ સત્તામાં ભાગ જોઈએ છે. એવામાં જોવાનું એ રહેશે કે દિલ્હીના દલિત મતદારો સત્તાની ચાવી કોના હાથમાં સોંપે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/what-is-going-on-in-the-minds-of-the-17-percent-dalit-voters-of-delhi-who-are-angry-with-kejriwal">કેજરીવાલથી નારાજ દિલ્હીના 17 ટકા દલિત મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 28 Jan 2025 16:50:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1901</Articleid>
                    <excerpt>Delhi Assembly Elections 2025 દલિત મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. 12 અનામત બેઠકો અને 17 ટકા દલિત મતદારો કોણ સત્તા પર બેસશે તે નક્કી કરશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6798bd0bbdbe8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6798bd0b889fa.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6798bd0b889fa.jpg" length="119356" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Delhi assembly elections 2025, dalit voters, Delhi news</media:keywords>
                </item>
                        <item>
                    <title>Dr. Ambedkar ને હરાવવાનું કાવતરું કૉંગ્રેસે નહીં, Savarkar એ ઘડ્યું હતું?</title>
                    <link>https://khabarantar.com/the-conspiracy-to-defeat-dr-ambedkar-was-hatched-by-savarkar-not-congress-kharge</link>
                    <guid>https://khabarantar.com/the-conspiracy-to-defeat-dr-ambedkar-was-hatched-by-savarkar-not-congress-kharge</guid>
                    <description>
                        <![CDATA[ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો છે કે, ચૂંટણીમાં Dr.Ambedkar ને હરાવવાનું કાવતરું કૉંગ્રેસે નહીં પરંતુ Savarkar એ ઘડ્યું હતું. તેમણે એક પત્ર બતાવીને આ દાવો કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશની પહેલી લોકસભાની વર્ષ 1952માં યોજાયેલી ચૂંટણીમાં ડો.આંબેડકર (Dr.Ambedkar) ને હરાવવાને લઈને ભાજપ સહિતના વિરોધી પક્ષો દ્વારા સતત કૉંગ્રેસ પર માછલાં ધોવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) એ કહ્યું છે કે ડૉ.આંબેડકરને ચૂંટણીમાં હરાવવાનું કાવતરું કૉંગ્રેસે નહીં પરંતુ વિનાયક દામોદર સાવરકરે (Savarkar) ઘડ્યું હતું. મધ્યપ્રદેશના મહુમાં આયોજિત કોંગ્રેસ પાર્ટીની રેલીમાં બાબાસાહેબનો પત્ર બતાવતા ખડગેએ કહ્યું કે તેમણે પોતે કહ્યું હતું કે સાવરકરે તેમને હરાવવાનું કાવતરું ઘડ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી વિશે આ જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે, જેને હું સમાચાર પત્રોમાં જોઉ છું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'જય બાપુ, જય ભીમ, જય સંવિધાન' રેલીમાં ખડગેએ કહ્યું, “તેઓ બાબા સાહેબ વિશે અફવાઓ ફેલાવી રહ્યા છે, હું દરરોજ અખબારમાં તે જોઉં છું. પણ બાબા સાહેબે પોતે એક પત્ર લખ્યો હતો, હું તમને એ બતાવી રહ્યો છું. તેમણે આ વાત તેના મિત્ર કમલકાંતને લખી હતી. ડૉ. આંબેડકર  લખે છે - મારી હારમાં એસ.એ. ડાંગે અને સાવરકર સિવાય બીજા કોઈનો હાથ નહોતો, તેમણે કાવતરું ઘડીને મને હરાવ્યો. આ પત્ર વાંચો તેનાથી ઘણાં ભ્રમ દૂર થશે.” ખડગેએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, “તમે કેટલું બધું જૂઠું બોલો છો, બાબાસાહેબે પોતે પોતાના હાથે લખ્યું છે, તે ટાઈપ કરેલું નથી.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વર્ષ 1952ની ચૂંટણીમાં શું થયું હતું”</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે ૧૯૫૨ની લોકસભા ચૂંટણીમાં ડૉ.આંબેડકર(Dr.Ambedkar)ને બોમ્બે નોર્થ બેઠક પરથી નારાયણ સદોબા કાજરોલકર (Narayan Sadoba Kajrolkar) જેવા સામાન્ય ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કાજરોલકર, જે એક સમયે આંબેડકરના સહયોગી હતા, તેમને કોંગ્રેસ પાર્ટીએ તેમની સામે ઉમેદવાર બનાવ્યા હતા. સ્વતંત્રતા પછી પંડિત જવાહરલાલ નેહરુ (Pandit Jawaharlal Nehru) ના નેતૃત્વ હેઠળ રચાયેલી વચગાળાની સરકારમાં બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર કાયદા અને ન્યાય મંત્રી (Minister of Law and Justice) હતા, પરંતુ વડા પ્રધાન સાથે નીતિગત મુદ્દાઓ પર મતભેદો બાદ તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. ભાજપ ઘણીવાર આ મુદ્દા પર કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં, સંસદના શિયાળુ સત્રમાં, ભાજપે આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો અને કોંગ્રેસ પર આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે જ્યારે બાબા સાહેબ જીવિત હતા, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેમનું ખૂબ અપમાન કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ભાજપ અને RSS પર ડૉ. આંબેડકર અને તેમના દ્વારા બનાવવામાં આવેલા બંધારણનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે પક્ષના કાર્યકરોને સત્તામાં રહેલા લોકોથી બંધારણને બચાવવા માટે કામ કરવા કહ્યું. રાહુલ ગાંધીએ એવી પણ જાહેરાત કરી હતી કે કોંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં આવ્યા પછી ટૂંક સમયમાં દેશવ્યાપી જાતિ વસ્તી ગણતરી કરશે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ 50 ટકા અનામત મર્યાદા નાબૂદ કરશે અને લોકસભા અને રાજ્યસભા બંનેમાં આ સંદર્ભમાં કાયદો રજૂ કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/dr-abedkar-in-the-elections-to-defeat-when-nehru-fielded-his-pa-kajrolkar">જ્યારે ડૉ.આંબેડકરને હરાવવા નહેરૂએ તેમના PA ને જ ચૂંટણીમાં ઉતાર્યો?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 27 Jan 2025 20:12:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1896</Articleid>
                    <excerpt>કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો છે કે, ચૂંટણીમાં Dr.Ambedkar ને હરાવવાનું કાવતરું કૉંગ્રેસે નહીં પરંતુ Savarkar એ ઘડ્યું હતું. તેમણે એક પત્ર બતાવીને આ દાવો કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67979af526629.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67979af4eafe4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67979af4eafe4.jpg" length="72290" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dr. Ambedkar, savarkar, Mallikarjun Kharge</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;અનામત માથાનો દુઃખાવો બની ગઈ છે&amp;apos; &amp; ભાભરમાં ભાજપની નેતાનો બફાટ</title>
                    <link>https://khabarantar.com/bjp-leader-naukaben-prajapati-called-reservation-a-headache-in-bhabhar</link>
                    <guid>https://khabarantar.com/bjp-leader-naukaben-prajapati-called-reservation-a-headache-in-bhabhar</guid>
                    <description>
                        <![CDATA[ ભાભરમાં પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશમંત્રી નૌકા પ્રજાપતિએ જાહેર મંચ પરથી અનામતને દૂર કરવાની વાત કરતા હોબાળો મચી ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરએસએસ, ભાજપ અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓ અને તેના કાર્યકરો પર દલિત, આદિવાસી અને ઓબીસી સમાજની અનામતના કટ્ટર વિરોધી હોવાના આરોપો સતત લાગતા રહે છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતા અનંતકુમાર હેગડેએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે 400 સીટો જીતીશું તો બંધારણ બદલી દઈશું. રાજસ્થાન ભાજપના નેતા કિરોડીલાલ મીણાએ પણ બંધારણ બદલી નાખવાની અને અનામત ખતમ કરી નાખવાની વાત કરી હતી. જેનું પરિણામ ભાજપે લોકસભાની ચૂંટણીમાં ભોગવવું પડ્યું હતું. હવે ફરી એકવાર બરાબર પ્રજાસત્તાક દિવસે ભાજપના એક મહિલા નેતાએ અનામતને માથાનો દુઃખાવો ગણી તેને હટાવવી શક્યા નથી તેને લઈને જાહેર મંચ પરથી દુઃખ વ્યક્ત કર્યું હતું. જેને લઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશભરમાં આજે 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે ગુજરાતના બનાસકાંઠાના ભાભરમાં નગરપાલિકા ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમ દરમિયાન ભાજપના પ્રદેશ મંત્રીએ જાહેર મંચ પરથી અનામતનો વિરોધ કરીને કહ્યું કે, 'અનામત માથાનો દુખાવો બની રહી છે'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાસકાંઠાના ભાભરના આઝાદ ચોક ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં જિલ્લાના ભાજપ પ્રદેશ મંત્રી નૌકાબહેન પ્રજાપતિએ જાહેર મંચ પરથી અનામતને લઈને આપેલા નિવેદન આપતા કહ્યું કે, 'તૃષ્ટીકરણની રાજનીતિ અને વોટ બેંકની નીતિના આધારે અનામતને આજે પણ આપણે દૂર કરી શક્યા નથી. અનામત માથાનો દુખાવો બની રહી છે. દેશમાં આપણું આર્થિક સ્તર સુધરીને 5માં સ્થાને જઈ રહ્યું છે. દેશની પ્રોપર્ટી-મિલકત આપણી જ છે મિત્રો, ભારતના નાગરિક તરીકે આપણી શું ફરજ હોઈ શકે. રાષ્ટ્રભક્તિ ફક્ત 15મી ઓગસ્ટ કે 26માં જાન્યુઆરી નહીં પરંતુ આપણા અંદર દેશ પ્રત્યેની નિષ્ઠા હોવી જોઈએ.'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક તરફ ભાજપ કહેતુ આવ્યું છે કે, દેશમાં બંધારણ છે ત્યાં સુધી અનામતને કોઈ હટાવી નહીં કરી શકે. બીજી તરફ, પ્રજાસત્તાક દિવસે જ ભાજપના આ મહિલા નેતાની અનામત હટાવી દેવાના નિવેદનને કારણે ભારે હોબાળો મચી ગયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે નૌકાબહેન પ્રજાપતિએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, 'આ મારું વ્યક્તિ નિવેદન હતું અને તેનાથી કોઈને હાની પહોંચી હોય તો હું માફી માંગું છે. આ કોઈ પાર્ટી વતી નિવેદન ન હતું.'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/shambhavi-chaudhary-said-nehru-Indira-gandhi-and-rajiv-gandhi-were-against-reservation">'નહેરૂ, ઈંદિરા, રાજીવ ગાંધી અનામત વિરોધી હતા' - દલિત સાંસદના કોંગ્રેસ પર આક્ષેપ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 26 Jan 2025 22:02:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1891</Articleid>
                    <excerpt>ભાભરમાં પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશમંત્રી નૌકા પ્રજાપતિએ જાહેર મંચ પરથી અનામતને દૂર કરવાની વાત કરતા હોબાળો મચી ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67966381e64fa.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67966381af090.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67966381af090.jpg" length="69347" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>naukaben prajapati, Reservation</media:keywords>
                </item>
                        <item>
                    <title>અંધશ્રદ્ધાની પરાકાષ્ઠાઃ ભક્તે પોતાનું ગુપ્તાંગ કાપી શિવજીને ચઢાવ્યું</title>
                    <link>https://khabarantar.com/sitapur-up-middle-aged-man-cut-off-his-private-parts-and-offered-in-a-shiva-temple</link>
                    <guid>https://khabarantar.com/sitapur-up-middle-aged-man-cut-off-his-private-parts-and-offered-in-a-shiva-temple</guid>
                    <description>
                        <![CDATA[ આધેડે પોતાનું ગુપ્તાંગ કાપીને પુત્રને ગામના મંદિરમાં આવેલા શિવલિંગ પર ચઢાવવા મોકલ્યો. લોકોએ હર હર મહાદેવના નારા લગાવી જય જયકાર કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લામાં અંધશ્રદ્ધાની એક એવી ઘટના સામે આવી જેણે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. અહીંના મહમુદાબાદ પોલીસ સ્ટેશન હેઠળના બહરૌલી ગામમાં એક આધેડે તીક્ષ્ણ હથિયારથી પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. એ પછી તેણે કપાયેલો ભાગ તેમના 15 વર્ષના પુત્ર દ્વારા ગામના શ્રી જાગેશ્વર મહાદેવ મંદિરમાં અર્પણ કરવા મોકલ્યો. આ ઘટના બાદ ગામમાં હોબાળો મચી ગયો અને મંદિરમાં લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ. મંદિરમાં લોકોએ હર હર શંભુના નારા લગાવ્યા. આધેડ વયના વ્યક્તિની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ, આ ઘટના મહમુદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બહરૌલી ગામમાં બની હતી, જ્યાં શનિવારે સવારે બિહારી લાલ નામના 50 વર્ષના શખ્સે તીક્ષ્ણ હથિયારથી પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. એ પછી, તેણે આ કપાયેલો ભાગ તેમના 15 વર્ષના પુત્ર દ્વારા ગામના શ્રી જાગેશ્વર મહાદેવ મંદિરમાં અર્પણ કરવા મોકલ્યો. પુત્રએ કપાયેલ ગુપ્તાંગ શિવલિંગને અર્પણ કર્યો અને ઘરે પાછો ફર્યો. તે પછી બિહારીલાલ લોહીથી લથપથ પડેલા રહ્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/brahmin-grandson-killed-his-grandmother-with-a-trident-and-offered-the-blood-to-the-shivalinga">બ્રાહ્મણ પૌત્રએ ત્રિશૂળથી દાદીની હત્યા કરી લોહી શિવલિંગને ચડાવ્યું</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગુપ્તાંગ કાપી શિવજીને ચઢાવ્યું</span></strong></span><br><span style="font-size: 14pt;">બિહારી લાલના દીકરાએ જણાવ્યું કે તેના પિતાએ તેને ભગવાનના મંદિરમાં અર્પણ કરવા માટે પોતાનો ગુપ્ત ભાગ કાપીને આપ્યો હતો. જ્યારે ગામલોકોને માહિતી મળી ત્યારે તેઓ મંદિરે પહોંચ્યા હતા. મંદિરમાં પણ ભારે ભીડ હતી. ગામલોકો ખૂબ જ ડરી ગયા હતા અને મંદિરમાં જોરથી ઓમ નમઃ શિવાયનો જાપ કરવા લાગ્યા. ગુપ્તાંગ કાપીને તેને અર્પણ કરવાની ચર્ચા આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકો જાતભાતની ચર્ચા કરી રહ્યા છે. જે આધેડે પોતાનું ગુપ્તાંગ કાપ્યું તે માનસિક રીતે બીમાર હોવાનું કહેવાય છે. હાલમાં, તેની સીતાપુર જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પત્નીએ સાચી વાત જણાવી</span></strong></span><br><span style="font-size: 14pt;">બિહારી લાલની પત્ની આશા દેવીએ જણાવ્યું હતું કે જ્યારે બિહારી લાલને સવારે ઉઠીને નહાવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે ના પાડી દીધી હતી. તેમણે કહ્યું, મને મંદિર લઈ જાઓ. પરિવાર તેને મંદિરમાં લઈ ગયો, જ્યાં પૂજા કર્યા પછી તેઓ તેને ઘરે પાછો લાવ્યા. થોડા સમય પછી, બિહારી લાલની તબિયત બગડવા લાગી અને તેઓ બોલી શકતા ન હતા. જ્યારે પત્નીએ હોસ્પિટલ જવા કહ્યું, ત્યારે બિહારીલાલે ના પાડી અને મંદિર લઈ જવા કહ્યું. પરિવાર તેને બળજબરીથી હોસ્પિટલ લઈ ગયો, ત્યારે જ ખબર પડી કે તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બિહારીલાલની હાલત ગંભીર છે.</span></strong></span><br><span style="font-size: 14pt;">બિહારી લાલની પત્ની આશા દેવીએ જણાવ્યું કે બિહારી લાલની માનસિક સ્થિતિ સારી નથી. તેઓ અંધ શ્રદ્ધામાં માને છે અને તેમનું મન જે કહે છે તે કરે છે. તેઓ ઘણા દિવસથી મંદિરમાં જાય છે. હાલમાં, નાદુરસ્ત તબિયતને કારણે, બિહારી લાલ પાસેથી ઘટના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકાઈ નથી. મળતી માહિતી મુજબ બિહારી લાલને 5 બાળકો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-bhojpara-gondal-a-middle-aged-man-cut-his-throat-in-front-of-a-shivling-and-performed-kamal-puja">ગોંડલના ભોજપરામાં આધેડે શિવલિંગ સામે ગળું કાપી કમળપૂજા કરી?</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 26 Jan 2025 13:49:37 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1890</Articleid>
                    <excerpt>આધેડે પોતાનું ગુપ્તાંગ કાપીને પુત્રને ગામના મંદિરમાં આવેલા શિવલિંગ પર ચઢાવવા મોકલ્યો. લોકોએ હર હર મહાદેવના નારા લગાવી જય જયકાર કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6795ef67cc9fa.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6795ef67998c9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6795ef67998c9.jpg" length="67391" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Superstition, private part, cut off, offered in shiva, sitapur, uttar pradesh</media:keywords>
                </item>
                        <item>
                    <title>જો બંધારણ ન હોત તો આ અધિકારો આપણને ક્યારેય ન મળ્યાં હોત</title>
                    <link>https://khabarantar.com/if-it-werent-for-the-constitution-of-india-we-would-never-have-had-these-rights</link>
                    <guid>https://khabarantar.com/if-it-werent-for-the-constitution-of-india-we-would-never-have-had-these-rights</guid>
                    <description>
                        <![CDATA[ પ્રજાસત્તાક દિવસે જાણીએ, ડો.આંબેડકરે ઘડેલા ભારતના બંધારણે આપેલા એ 10 મહત્વના અધિકારો વિશે, જે બંધારણ ન હોત તો આપણને ક્યારેય ન મળ્યાં હોત. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે 26 જાન્યુઆરી (26th January) એ ભારત તેનો 76મો પ્રજાસત્તાક દિવસ (76th Republic day) ઉજવી રહ્યું છે ત્યારે લોકશાહી પ્રજાસત્તાક તરીકે દેશના 75 વર્ષ પૂર્ણ થયા તે પણ યાદ કરવામાં આવી રહ્યા છે. એ હકીકતથી સૌ વાકેફ છે કે, ભારતને આઝાદી ૧૯૪૭માં જ મળી ગઈ હતી અને ત્યારથી જ દેશ લોકશાહી તરીકે સ્થાપિત થઈ ગયો હતો. પરંતુ, ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ જ્યારે દેશમાં બંધારણ લાગુ થયું ત્યારે ભારત લોકશાહી પ્રજાસત્તાક બન્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લા 75 વર્ષોમાં, ભારતે લોકશાહી પ્રજાસત્તાક તરીકે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. ઉદાહરણ તરીકે આ દિવસે અમલમાં આવેલા બંધારણે દેશને સરકાર ચલાવતા શાસનના ખ્યાલથી વાકેફ કરાવ્યો. જેને ધ્યાનમાં રાખીને દેશમાં કેન્દ્ર અને રાજ્ય સ્તરે સરકારો પસંદ કરવા માટે ચૂંટણીઓ યોજાવાની શરૂઆત થઈ. આ ઉપરાંત, દેશમાં ઝડપી આર્થિક વિકાસ અને ઉદારવાદ પણ જોવા મળ્યો છે. ચાલો જાણીએ છેલ્લા 75 વર્ષમાં લોકશાહી પ્રજાસત્તાક તરીકે ભારતની 10 સૌથી મોટી સિદ્ધિઓ વિશે, જે બંધારણ ન હોત તો આપણને મળી ન હોત.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૧. મૂળભૂત અધિકારો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધારણ તમામ નાગરિકોને વ્યક્તિગત અને સામૂહિક રીતે ચોક્કસ મૂળભૂત સ્વતંત્રતાઓ પ્રદાન કરે છે. તેની મૂળભૂત અધિકારની 6 વ્યાપક કક્ષાઓ તરીકે બંધારણમાં ગેરંટી આપવામાં આવી છે, જે ન્યાયી છે. બંધારણના ભાગ III માં સમાવિષ્ટ કલમ 12 થી 35 મૂળભૂત અધિકારો સાથે સંબંધિત છે. જે નીચે મુજબ છેઃ </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમાનતાનો અધિકારઃ જેમાં કાયદા સમક્ષ સૌ સમાન હોવાનો એટલે કે સમાનતાનો સમાવેશ થાય છે; ધર્મ, વંશ, જાતિ, લિંગ અથવા જન્મ સ્થળના આધારે ભેદભાવ પર પ્રતિબંધ મૂકાયેલો છે. આમાં રોજગારના સંદર્ભમાં સમાન તકોનો પણ સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, ભેગા થવાની, સંગઠનો અથવા યુનિયન બનાવવાની સ્વતંત્રતા, હરવા-ફરવા, રહેઠાણ અને વ્યવસાયની સ્વતંત્રતા (આમાંથી કેટલાક અધિકારો રાજ્યની સુરક્ષા, વિદેશી દેશો સાથેના વિભિન્ન સંબંધો, જાહેર હિત અને નાગરિક સ્વતંત્રતાઓ સાથે સંબંધિત છે અને શિષ્ટાચાર તથા નૈતિકતાને આધીન આપવામાં આવે છે).</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શોષણ સામેનો અધિકારછ જેમાં બળજબરીથી મજૂરી, બાળ મજૂરી અને માનવ તસ્કરી પર પ્રતિબંધ મૂકાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શ્રદ્ધા અને કોઈપણ ધર્મનું પાલન કરવાની, તેમાં શ્રદ્ધા રાખવાની અને ધર્મનો પ્રચાર કરવાની સ્વતંત્રતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોઈપણ વર્ગના નાગરિકોને તેમની સંસ્કૃતિ, ભાષા અથવા લિપિ જાળવવાનો અધિકાર અને લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપિત કરવા અને જાળવવાનો અધિકાર; અને મૂળભૂત અધિકારોના અમલ માટે બંધારણીય ઉપાયોનો અધિકાર.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">2. મૂળભૂત ફરજો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૯૭૬માં અપનાવવામાં આવેલા ૪૨મા બંધારણીય સુધારામાં નાગરિકોની મૂળભૂત ફરજોની યાદી આપવામાં આવી છે. બંધારણના ભાગ IV માં કલમ 51 'A' મૂળભૂત ફરજો સાથે સંબંધિત છે. તે અન્ય બાબતોની સાથે નાગરિકોને બંધારણનું પાલન કરવાનો અને ભારતના સ્વતંત્રતા સંગ્રામને પ્રેરણા આપનારા આદર્શોને પ્રોત્સાહન આપવા અને તેનું પાલન કરવાનો આદેશ આપે છે. તે દેશનું રક્ષણ કરવા અને જ્યારે બોલાવવામાં આવે ત્યારે દેશની સેવા કરવા અને સંવાદિતા અને સામાન્ય ભાઈચારાની ભાવના વિકસાવવા અને ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અને વર્ગ વિવિધતાને પ્રોત્સાહન આપવાનો પણ આદેશ આપે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૩. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધારણ રાજનીતિના કેટલાક માર્ગદર્શક સિદ્ધાંતો નક્કી કરે છે. આમ તો તેને અદાલતમાં કાયદેસર રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં, પરંતુ તે દેશના શાસન માટે તે મૂળભૂત છે. કાયદાના ઘડતરમાં આ સિદ્ધાંતોનો ઉપયોગ કરવો એ રાજ્યોની ફરજ માનવામાં આવે છે. આમાં એવી જોગવાઈ છે કે રાજ્ય, રાષ્ટ્રીય જીવનની તમામ સંસ્થાઓમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય સહિત દરેક શક્ય સામાજિક વ્યવસ્થા સ્થાપિત કરીને, જાહેર નીતિઓને એવી રીતે નિર્દેશિત કરશે કે બધા પુરુષો અને સ્ત્રીઓને આજીવિકાના પર્યાપ્ત સાધનો પૂરા પાડવામાં આવે. સમાન કામ માટે સમાન પગાર અને તેની આર્થિક ક્ષમતા અને વિકાસની અંદર, બેરોજગારી, વૃદ્ધાવસ્થા, માંદગી અને અન્ય અસમર્થતા અથવા અપંગતાના કિસ્સામાં કામ, શિક્ષણ અને જાહેર સહાયના અધિકારને સુરક્ષિત કરવા માટે અસરકારક જોગવાઈ. રાજ્ય કામદારો માટે જીવનનિર્વાહ વેતન, કામની માનવીય પરિસ્થિતિઓ, યોગ્ય જીવનધોરણ અને ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની સંપૂર્ણ ભાગીદારી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૪. મતદાનનો અધિકાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોઈપણ લોકશાહી દેશમાં સૌથી મહત્વપૂર્ણ અધિકાર મતદાનનો અધિકાર છે. ભારતીય બંધારણ મુજબ દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ જાતિ, સમાજ અને ધર્મના દરેક નાગરિકને ચૂંટણીમાં પોતાના મતનો ઉપયોગ કરવાનો અધિકાર છે. ભારતીય બંધારણ મુજબ, ૧૮ વર્ષથી વધુ ઉંમરના દેશના કોઈપણ નાગરિક, જે ચૂંટણી પંચમાં નોંધાયેલા હોય, તે મતદાન કરવા માટે પાત્ર છે. દરેક નાગરિક પોતાના વિસ્તારની રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા અને સ્થાનિક ચૂંટણીઓમાં મતદાન કરી શકે છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ ગેરલાયકાતના નિયમોની મર્યાદા ઓળંગે નહીં, ત્યાં સુધી તેને મતદાન કરવાથી રોકી શકાય નહીં. દરેક નાગરિકને ફક્ત એક જ મતદાન કરવાનો અધિકાર છે અને મતદાર ફક્ત તેના નોંધાયેલા વિસ્તારમાં જ મતદાન કરી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય બંધારણ હેઠળ મતદાનના અધિકારને કેટલો મજબૂત કરવામાં આવ્યો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જે લોકો મતદાન મથક સુધી શારીરિક રીતે પહોંચી શકતા નથી તેમને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની સુવિધા મળે છે. એટલું જ નહીં, બિન-નિવાસી ભારતીયોને પણ મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૫. સંઘીય વ્યવસ્થા, સંસદ-વિધાનસભામાં સત્તાનું વિભાજન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતનું બંધારણ દેશને લોકશાહી પ્રજાસત્તાક તરીકે જાહેર કરે છે. એટલે કે, અહીં સત્તાનું વિભાજન સંઘવાદ પર આધારિત છે. ભારતમાં આ સત્તાઓ કેન્દ્ર સરકાર અને રાજ્યો વચ્ચે વહેંચાયેલી છે. અમુક હદ સુધી બંધારણમાં ત્રીજી કેટેગરી - પંચાયતો અને નગરપાલિકાઓને અલગ સત્તા આપવાની જોગવાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત માટે પ્રજાસત્તાક દિવસ કેટલો મહત્વપૂર્ણ રહ્યો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જો 1950 માં આ દિવસે બંધારણ લાગુ ન થયું હોત, તો દેશમાં સંઘવાદનો કોઈ ખ્યાલ ન હોત. જો વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ આટલા મોટા દેશને ચલાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાનું વિભાજન ન હોત, તો અરાજકતા ફેલાઈ ગઈ હોત. આવી સ્થિતિમાં, બંધારણે દેશને સંઘવાદ આપ્યો, જેમાં કેન્દ્રની સત્તા રાજ્યો કરતા વધારે રાખવામાં આવી. જોકે, ઘણા મુદ્દાઓ પર કેન્દ્ર દ્વારા રાજ્યોની સત્તા ઘટાડી શકાતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૬. સ્વતંત્ર કોર્ટ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય બંધારણની એક અનોખી વિશેષતા એ છે કે સંઘીય પદ્ધતિ અપનાવવા અને તેમના સંબંધિત ક્ષેત્રોમાં સંઘ અને રાજ્ય કાયદાઓના અસ્તિત્વ છતાં, તે સંઘ અને રાજ્ય બંને કાયદાઓનું સંચાલન કરવા માટે કોર્ટની એકીકૃત પદ્ધતિની જોગવાઈ કરે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર ન્યાયતંત્રમાં ટોચ પર ભારતની સુપ્રીમ કોર્ટ છે અને ત્યારબાદ દરેક રાજ્ય અથવા રાજ્યોના ગ્રુપની હાઈકોર્ટ આવે છે. દરેક હાઇકોર્ટના વહીવટ હેઠળ જિલ્લા અદાલતો હોય છે. કેટલાક રાજ્યોમાં નાનામોટા અને સ્થાનિક પ્રકૃતિના દિવાની અને ફોજદારી વિવાદોનો નિર્ણય કરવા માટે ન્યાય પંચાયત, ગ્રામ્ય કોર્ટ, ગ્રામ કચેરી જેવા વિવિધ નામોને આધિન ગ્રામ/પંચાયત ન્યાયાલય પણ કામ કરે છે. દરેક રાજ્યને જિલ્લા અને સત્ર ન્યાયાધીશના નેતૃત્વ હેઠળના ન્યાયિક જિલ્લાઓમાં વિભાજિત કરવામાં આવે છે. જિલ્લા અને સત્ર ન્યાયાધીશ એ જિલ્લાની સર્વોચ્ચ ન્યાયિક સત્તા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/what-does-rss-believe-about-the-constitution-of-india-written-by-dr-ambedkar"><span style="font-size: 14pt;">ભારતના બંધારણ પર RSS અને તેના સ્થાપકો શું માનતા હતા?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જિલ્લા અદાલતો એ નાગરિક અધિકારક્ષેત્રની અદાલતો છે, જેનું નેતૃત્વ વિવિધ રાજ્યોમાં મુન્સિફ, સબ-જજ, સિવિલ જજ તરીકે ઓળખાતા ન્યાયાધીશો દ્વારા કરવામાં આવે છે. તેવી જ રીતે, ફોજદારી અદાલતોના વર્ગોમાં મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ અને પ્રથમ અને બીજા વર્ગના ન્યાયિક મેજિસ્ટ્રેટનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૭. ધર્મનિરપેક્ષ શાસન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતના બંધારણના નિર્માતાઓએ દેશને પ્રજાસત્તાક જાહેર કર્યો અને તેને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્થાપિત કર્યો. આનો અર્થ એ થયો કે ભારતમાં કોઈ પણ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો નથી અને બધા ધર્મોને સમાન દરજ્જો આપવામાં આવે છે. બંધારણમાં ધર્મનિરપેક્ષતા માટે ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે. બંધારણની આ જોગવાઈને કારણે જ દેશના ધાર્મિક સમાજોને પોતાની ઇચ્છા મુજબ શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાનો અધિકાર છે. સરકાર બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતનું પાલન કરે છે, તેથી તે ધર્મના આધારે કોઈની સાથે ભેદભાવ કરી શકતી નથી. તેથી કાયદા સમક્ષ બધા ધર્મો સમાન માનવામાં આવે છે. જોકે, કેટલાક કિસ્સાઓમાં, વિવિધ ધર્મોને તેમના પોતાના નિયમોનું પાલન કરવા માટે અલગ છૂટ આપવામાં આવી છે. બંધારણમાં આને પણ પર્સનલ લો હેઠળ રાખવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સંદર્ભમાં, ભારતનું બંધારણ અન્ય લોકશાહી દેશોના બંધારણોથી તદ્દન અલગ રહ્યું છે. જ્યાં અમેરિકામાં સરકાર અને ધર્મ બંને એકબીજાના મામલામાં દખલ કરી શકતા નથી. પરંતુ ભારતમાં વ્યવસ્થા એવી છે કે ભારતીય ધર્મનિરપેક્ષતામાં સરકાર ધાર્મિક બાબતોમાં દખલ કરી શકે છે. અહીં વિવિધ ધર્મોની એવી બાબતોને પડકારી શકાય છે, જે બંધારણ કે મૂળભૂત અધિકારોની વિરુદ્ધ હોય. એટલે કે બંધારણ હેઠળ, દેશમાં કોઈપણ ધર્મના વર્ચસ્વને રોકવાની સત્તા પણ આપવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૮. એકલ નાગરિકતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતના બંધારણમાં સમગ્ર ભારત માટે એક જ નાગરિકત્વની જોગવાઈ છે. દરેક વ્યક્તિ જે બંધારણના અમલ સમયે (૨૬ જાન્યુઆરી ૧૯૫૦) ભારતના અધિકારક્ષેત્રમાં વસવાટ કરતો હતો અને (a) તેમાં જન્મ્યો હતો, અથવા (b) તેના માતાપિતામાંથી કોઈ એક ભારતમાં જન્મ્યાં હતા અથવા (c) જે વ્યક્તિ સામાન્ય રીતે ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે ભારતમાં રહ્યાં તે ભારતના નાગરિક બન્યાં. નાગરિકતા અધિનિયમ, ૧૯૫૫ બંધારણના અમલ પછી ભારતીય નાગરિકતાની પ્રાપ્તિ, નિર્ધારણ અને રદ કરવા સંબંધિત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/The-Constitution-of-India-begins-with-the-words-We-the-people-of-India,-meaning-that-India-is-not-a-creation-of-God"><span style="font-size: 14pt;">ભારતના બંધારણનો આરંભ ‘અમે ભારતના લોકો’ શબ્દોથી થાય છે, એનો અર્થ એ કે ભારત ઈશ્વરે સર્જેલી ઘટના નથી</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 26 Jan 2025 11:57:49 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 26 Jan 2025 11:58:57 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1889</Articleid>
                    <excerpt>પ્રજાસત્તાક દિવસે જાણીએ, ડો.આંબેડકરે ઘડેલા ભારતના બંધારણે આપેલા એ 10 મહત્વના અધિકારો વિશે, જે બંધારણ ન હોત તો આપણને ક્યારેય ન મળ્યાં હોત.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6795d53d91083.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6795d53d52302.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6795d53d52302.jpg" length="111621" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>constitution, republic day 2025, Dr Ambedkar</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;BIG BOSS 18&amp;apos; ની અભિનેત્રીને મુંબઈમાં ઘર નથી મળતું, લોકો જાતિ પૂછે છે</title>
                    <link>https://khabarantar.com/bigg-boss-18-fame-actress-yamini-malhotra-is-unable-to-find-a-house-in-mumbai</link>
                    <guid>https://khabarantar.com/bigg-boss-18-fame-actress-yamini-malhotra-is-unable-to-find-a-house-in-mumbai</guid>
                    <description>
                        <![CDATA[ ડેન્ટિસ્ટની ડિગ્રી ધરાવતી અભિનેત્રી યામિનીને મુંબઈમાં જાતિવાદનો કડવો અનુભવ થયો. જે તેણે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સલમાન ખાનના રિયાલિટી શો 'બિગ બોસ 18' માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મેળવનાર અભિનેત્રી યામિની મલ્હોત્રા આ સમયે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. અભિનેત્રી ઘણા સમયથી મુંબઈમાં રહેવા માટે ઘર શોધી રહી છે પરંતુ લોકો તેને ઘર આપવા તૈયાર નથી. યામિનીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યામિની મલ્હોત્રાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે તે એક અભિનેત્રી હોવાથી તેને મુંબઈમાં ઘર મળી શકતું નથી. લોકો તેને ઘર આપવા તૈયાર નથી. તેઓ તેમને ધર્મ સંબંધિત પ્રશ્નો પૂછી રહ્યા છે. પોસ્ટમાં યામિની આવી માનસિકતા ધરાવતા લોકો પર પ્રહાર કરતી જોવા મળી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">'તમે હિન્દુ છો કે મુસ્લિમ?'</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યામિનીએ પોતાની પોસ્ટમાં લખ્યું - 'નમસ્તે મિત્રો, હું કંઈક એવું શેર કરવા માંગુ છું જે ખરેખર નિરાશાજનક છે. મને મુંબઈ જેટલું ગમે છે, એટલું જ અહીં ઘર શોધવું મુશ્કેલ છે. મને એવા સવાલો પૂછવામાં આવ્યા કે, તમે હિન્દુ છો કે મુસ્લિમ? તમે ગુજરાતી છો કે મારવાડી? અને જેવી લોકોને ખબર પડે છે કે હું એક અભિનેત્રી છું, કે તરત જ તેઓ ઘર આપવાનો ઈનકાર કરી દે છે. શું હું ફક્ત અભિનેત્રી હોવાને કારણે ઘર મેળવવાને લાયક નથી?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યામિનીને સપનાના શહેર પર ગુસ્સો આવ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'બિગ બોસ 18' ફેમ અભિનેત્રીએ આગળ લખ્યું, 'આ આશ્ચર્યજનક છે કે 2025 માં પણ આ પ્રશ્નો કેવી રીતે અસ્તિત્વમાં છે.' જો સપનાઓ શરતો સાથે આવે છે, તો શું આપણે ખરેખર મુંબીને સપનાનું શહેર કહી શકીએ? યામિની મલ્હોત્રા 'બિગ બોસ 18' પહેલા ઘણા ટીવી શોનો ભાગ રહી ચૂકી છે. તેણે સ્ટાર પ્લસના 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' અને 'મૈં તેરી તુ મેરા' જેવા લોકપ્રિય શોમાં કામ કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યામિની મલ્હોત્રા એક અભિનેત્રી હોવા ઉપરાંત, એક ડેન્ટિસ્ટ પણ છે. ૨૦૧૬ માં આવેલી ફિલ્મ 'ચુટ્ટલાબાઈ' માં પણ તેણે કામ કર્યું છે. આ વર્ષે અભિનેત્રીએ 'બિગ બોસ ૧૮' માં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો. જો કે, તે લાંબા સમય સુધી ઘરમાં ટકી શકી નહોતી. અભિનેત્રી મૂળ દિલ્હીની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે આ પહેલી ઘટના નથી કે, મુંબઈમાં કોઈ અભિનેત્રીને ઘર માટે સંઘર્ષ કરવો પડ્યો હોય અને તેને તેની જાતિ પૂછવામાં આવી હોય. આ પહેલા ઉર્ફી જાવેદ પણ ભેદભાવનો સામનો કરી ચૂકી છે. વર્ષ ૨૦૨૩ માં, ઉર્ફીએ શેર કર્યું હતું કે લોકોએ તેને ઘર આપવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તે એક ચોક્કસ ધર્મની હતી. એ વખતે કેટલાક લોકોએ તેના પહેરવેશને કારણે પણ તેને ઘર આપવાનો પણ ઇનકાર કરી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/a-dalit-doctor-has-been-struggling-to-get-a-house-on-rent-for-four-years-in-visakhapatnam-andhra-pradesh">એક દલિત ડોક્ટર ચાર વર્ષથી ભાડે મકાન મેળવવા રઝળી રહ્યાં છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 25 Jan 2025 11:59:02 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1885</Articleid>
                    <excerpt>ડેન્ટિસ્ટની ડિગ્રી ધરાવતી અભિનેત્રી યામિનીને મુંબઈમાં જાતિવાદનો કડવો અનુભવ થયો. જે તેણે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67948430bf43e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679484308a4bb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679484308a4bb.jpg" length="84074" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BIG BOSS 18, Yamini Malhotra</media:keywords>
                </item>
                        <item>
                    <title>કર્ણાટક બ્રાહ્મણ મહાસભામાં બ્રાહ્મણ જજોનો ડૉ.આંબેડકરની લીટી નાની કરવા પ્રયાસ?</title>
                    <link>https://khabarantar.com/karnataka-high-court-judge-said-brahmins-made-a-big-contribution-in-the-constitution</link>
                    <guid>https://khabarantar.com/karnataka-high-court-judge-said-brahmins-made-a-big-contribution-in-the-constitution</guid>
                    <description>
                        <![CDATA[ કર્ણાટક હાઈકોર્ટના જજે બંધારણના નિર્માણમાં ત્રણ બ્રાહ્મણોનો ફાળો મોટો હોવાનું કહીને આડકતરી રીતે ડો.આંબેડકરના બંધારણના ઘડવૈયા હોવા મુદ્દે સવાલો ઉઠાવ્યા? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ભારતમાં છેલ્લાં કેટલાક સમયથી બંધારણ અને તેના ઘડવૈયા ડો.આંબેડકર રીતસરના છવાયેલા છે. વંચિત સમાજને માણસ હોવાનો કુદરતી હક અપાવનાર મહાનાયક ડો.આંબેકરના બંધારણ નિર્માણના વિરાટ કાર્યને મનુવાદીઓ યેનકેન પ્રકારે ઓછું આંકવાનો પ્રયાસ કરતા રહે છે. આવું જ કંઈક ચાર દિવસ પહેલા કર્ણાટકમાં યોજાયેલા અખિલ કર્ણાટક બ્રાહ્મણ મહાસભામાં જોવા મળ્યું હતું. જ્યાં કર્ણાટક હાઈકોર્ટના બ્રાહ્મણ જજ કૃષ્ણ એસ દીક્ષિતે બંધારણ ઘડવામાં બ્રાહ્મણોનો ફાળો મોટો હોવાનો કહીને આડકતરી રીતે ડો.આંબેડકરના યોગદાનને ઓછું આંકવાનો પ્રયાસ કર્યો હતો.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ ક્રિષ્ના એસ દીક્ષિતે આ મહાસભામાં કહ્યું હતું કે</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">,</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> આંબેડકરે પોતે કહ્યું હતું કે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ભારતીય બંધારણના નિર્માણમાં બ્રાહ્મણોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. બંધારણ તૈયાર કરવા માટે રચાયેલી મુસદ્દા સમિતિના સાત સભ્યોમાંથી ત્રણ બ્રાહ્મણો હતા. જેમની બંધારણ બનાવવામાં મહત્વની ભૂમિકા હતી.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">અખિલ કર્ણાટક બ્રાહ્મણ મહાસભાની સુવર્ણ જયંતિ નિમિત્તે બેંગલુરુમાં આયોજિત બે દિવસીય બ્રાહ્મણ સંમેલનમાં જસ્ટિસ કૃષ્ણા એસ દીક્ષિતે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">,</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> જો બી. એન. રાવે બંધારણનો મુસદ્દો તૈયાર ન કર્યો હોત તો બંધારણ તૈયાર કરવામાં હજુ ૨૫ વર્ષનો સમય લાગી જાત. તેમણે કહ્યું કે મુસદ્દા સમિતિમાં સામેલ સાત સભ્યોમાંથી ત્રણ સભ્યો અલ્લાદી કૃષ્ણસ્વામી આયંગર</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">એન. ગોપાલસ્વામી આયંગર અને બી. એન. રાવ<span style="mso-spacerun: yes;">  </span>બ્રાહ્મણ હતા. દીક્ષિતે કહ્યું કે બ્રાહ્મણ શબ્દને જાતિને બદલે વર્ણ સાથે જોડવો જોઈએ.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span lang="GU" style="font-family: Shruti, sans-serif; font-size: 14pt;">અન્ય બ્રાહ્મણ જજોએ પણ ભાગ લીધો હતો</span></strong></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિત ઉપરાંત અન્ય જસ્ટિસ વી. શ્રીશાનંદે પણ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જસ્ટિસ દીક્ષિતે કહ્યું કે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">બ્રાહ્મણ સમાજે દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ડૉ. આંબેડકરે પોતે બંધારણના નિર્માણમાં બ્રાહ્મણોના ફાળાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે ખુદ આંબેડકરે કહ્યું હતું કે જો બી. એન. રાવ બંધારણની મુસદ્દા સમિતિમાં ન હોત તો મુસદ્દો તૈયાર કરવામાં હજુ ૨૫ વર્ષનો સમય લાગત.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/celina-jaitley-said-If-i-get-another-birth-i-would-like-to-be-dr-ambedkar">સેલિના જેટલીએ કહ્યું હતું, "બીજો જન્મ મળે તો ડો.આંબેડકર બનવા માંગીશ"</a></span></strong></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><strong><span lang="GU" style="font-family: Shruti, sans-serif; font-size: 14pt; color: rgb(224, 62, 45);">બાબાસાહેબના જીવનમાં બ્રાહ્મણોના યોગદાનની ચર્ચા કરી</span></strong><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જસ્ટિસ દીક્ષિતે આંબેડકરના જીવનમાં બ્રાહ્મણ શિક્ષકના યોગદાન વિશે વાત કરતા કહ્યું હતું કે ભીમરાવ આંબેડકરના એક શિક્ષક હતા જેનું નામ કૃષ્ણજી હતું</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">તેમણે જ ભીમરાવને આંબેડકર અટક આપી હતી</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જેઓ પહેલા આંબાવડેકર હતા. આ સાથે તેમણે આંબેડકરને આર્થિક મદદ પણ કરી હતી જેથી તેઓ તેમનો અભ્યાસ આગળ વધારી શકે. ન્યાયાધીશે કહ્યું કે આ બાબતો સ્પષ્ટપણે દર્શાવે છે કે બ્રાહ્મણ સમાજ દરેકનું સન્માન કરે છે.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span lang="GU" style="font-family: Shruti, sans-serif; font-size: 14pt;">જજે વેદો સાથે દલિતોને જોડવા પ્રયાસ કર્યો</span></strong></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જસ્ટિસ દીક્ષિતે કહ્યું કે વેદોનું વર્ગીકરણ કરનાર વેદ વ્યાસ એક માછીમારનો પુત્ર હતો. તેવી જ રીતે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">વાલ્મીકિ પણ એસસી અથવા એસટી સમુદાયના હતા. તેમ છતાં તેમણે રામાયણ લખી જેની આપણે પૂજા કરીએ છીએ. (હકીકતે બ્રાહ્મણો વાલ્મિકી રામાયણને બદલે તુલસીદાસ રચિત રામચરિત માનસની પૂજા કરે છે.) તેમણે કહ્યું</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">શું આપણે બ્રાહ્મણોને એટલા માટે નીચી નજરથી જોઈએ છીએ કેમ કે રામાયણના રચયિતા વાલ્મીકિ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિમાંથી હતા</span>? <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">તેમણે કહ્યું કે આપણે સદીઓથી ભગવાન રામની પૂજા કરીએ છીએ અને તેમના મૂલ્યોને બંધારણમાં સામેલ કરવામાં આવ્યા છે. (બંધારણમાં રામાયણના મૂલ્યો ક્યાંથી આવ્યા</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">?</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) તેમના દ્વારા લખાયેલ રામાયણને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું છે.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span lang="GU" style="font-family: Shruti, sans-serif; color: rgb(224, 62, 45);">બંધારણમાં બ્રાહ્મણોના મોટા યોગદાનની વાતમાં કેટલું તથ્ય</span></strong><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><strong><span style="color: rgb(224, 62, 45);">?</span></strong><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જ્યારે કોઈ વિદ્વાન કહે છે કે ડૉ. આંબેડકર બંધારણના ઘડવૈયા હતા. તેનો અર્થ એ છે કે બંધારણને આકાર આપવામાં સૌથી મોટી અને નિર્ણાયક ભૂમિકા ભજવનાર એક વ્યક્તિત્વ નિઃશંકપણે ડૉ. ભીમરાવ આંબેડકર હતા. એ અલગ વાત છે કે બંધારણ સભા સમક્ષ બંધારણ રજૂ કરતી વખતે તેમના છેલ્લા ભાષણમાં</span><span style="mso-bidi-font-family: Shruti;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ડૉ. આંબેડકરે ગૌરવ અને નમ્રતા સાથે</span><span style="mso-bidi-font-family: Shruti;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આટલા ઓછા સમયમાં આટલું સંપૂર્ણ અને વિગતવાર બંધારણ તૈયાર કરવાનો શ્રેય તેમના સાથીદારો રાઉ અને એસ.એન. મુખર્જીને આપ્યો. હતો. પરંતુ સમગ્ર બંધારણ સભા એ હકીકતથી વાકેફ હતી કે આ એક મહાન નેતાની પોતાના સાથીદારો પ્રત્યે કૃતજ્ઞતાની પ્રેમાળ અને નમ્ર અભિવ્યક્તિ હતી.</span><span style="mso-bidi-font-family: Shruti;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/amit-shah-does-not-like-dr-ambedkar-because-he-is-a-staunch-opponent-of-savarkar">સાવરકરના ઘોર વિરોધી ડો.આંબેડકર અમિત શાહને ક્યાંથી ગમે?</a></span></strong></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span lang="GU" style="font-family: Shruti, sans-serif; color: rgb(224, 62, 45);">બંધારણ સભાએ આંબેડકરની ભૂમિકાને સ્વીકારી</span></strong><span style="mso-bidi-font-family: Shruti;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span lang="GU" style="font-family: Shruti, sans-serif; font-size: 14pt;">કર્ણાટકના બ્રાહ્મણ જજ ભલે બંધારણમાં બ્રાહ્મણોના યોગદાનની મોટી વાતો કરીને ડો.આંબેડકરના મહાકાર્યની લીટી નાની કરવા પ્રયત્ન કરતા હોય. પરંતુ બંધારણમાં બ્રાહ્મણોનું કેટલું અને કેવું યોગદાન હતું તેનો અસલી ચિતાર બંધારણ સભાની ચર્ચાઓના ભાગ 7ના પાના નંબર 231 પરથી મળે છે. જેમાં ઘણી બધી બાબતો સ્પષ્ટ થઈ જાય છે.<o:p></o:p></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આંબેડકર બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ હતા</span><span style="mso-bidi-font-family: Shruti;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જેમની જવાબદારી બંધારણનો લેખિત મુસદ્દો રજૂ કરવાની હતી. આ સમિતિમાં કુલ </span><span style="mso-bidi-font-family: Shruti;">7 </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">સભ્યો હતા. બંધારણને અંતિમ સ્વરૂપ આપવામાં ડૉ. આંબેડકરની ભૂમિકા પર પ્રકાશ પાડતા ભારતીય બંધારણની ખરડા સમિતિના સભ્ય ટી.ટી. કૃષ્ણમાચારીએ નવેમ્બર ૧૯૪૮માં બંધારણ સભા સમક્ષ કહ્યું: </span><span style="mso-bidi-font-family: Shruti;">'</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ગૃહ એ વાત જાણે છે કે ડ્રાફ્ટિંગ કમિટીમાં જે સાત સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી તેમાંથી એક સભ્યએ ગૃહમાંથી રાજીનામું આપ્યું છે અને તેમના સ્થાને બીજા સભ્યને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ દરમિયાન એક સભ્યનું અવસાન થયું છે અને તેમના સ્થાને કોઈ નવો સભ્ય આવ્યો નથી. એક સભ્ય અમેરિકામાં હતા અને તેનું સ્થાન ભરાયું નહોતું. બીજા એક વ્યક્તિ સરકારી બાબતોમાં પડેલા હતા અને તેમને સોંપવામાં આવેલી જવાબદારીઓ નિભાવી રહ્યા નહોતા. એક કે બે વ્યક્તિઓ દિલ્હીથી ઘણાં દૂર હતા અને સંભવત સ્વાસ્થ્યના કારણોસર સમિતિની કાર્યવાહીમાં ભાગ લઈ શક્યા ન હતા. તો એકંદરે એવું બન્યું છે કે આ બંધારણ લખવાનો ભાર ડૉ. આંબેડકર પર આવી ગયો છે. મને કોઈ શંકા નથી કે આપણે બધાએ તેમના આભારી હોવું જોઈએ કે તેમણે આ જવાબદારી આટલી પ્રશંસનીય રીતે નિભાવી. (બંધારણ સભાની ચર્ચાઓ</span><span style="mso-bidi-font-family: Shruti;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ભાગ </span><span style="mso-bidi-font-family: Shruti;">7, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">પાનું </span><span style="mso-bidi-font-family: Shruti;">231)</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">.</span></span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/what-does-rss-believe-about-the-constitution-of-india-written-by-dr-ambedkar">ભારતના બંધારણ પર RSS અને તેના સ્થાપકો શું માનતા હતા?</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 25 Jan 2025 11:02:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1884</Articleid>
                    <excerpt>કર્ણાટક હાઈકોર્ટના જજે બંધારણના નિર્માણમાં ત્રણ બ્રાહ્મણોનો ફાળો મોટો હોવાનું કહીને આડકતરી રીતે ડો.આંબેડકરના બંધારણના ઘડવૈયા હોવા મુદ્દે સવાલો ઉઠાવ્યા?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6794773de12d6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6794773dcc3d3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6794773dcc3d3.jpg" length="41530" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>karnataka high court judge, Krishna S Dixit, framing the Constitution, Dr Ambedkar, Brahmins</media:keywords>
                </item>
                        <item>
                    <title>હિંદુ નામે ચાલતી મુસ્લિમ માલિકોની હોટલો પર હવે એસટી બસ નહીં ઉભી રહે</title>
                    <link>https://khabarantar.com/gujarat-st-buses-will-no-longer-stop-at-muslim-owned-hotels-running-under-hindu-names</link>
                    <guid>https://khabarantar.com/gujarat-st-buses-will-no-longer-stop-at-muslim-owned-hotels-running-under-hindu-names</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે વિવિધ રૂટો પર હિન્દુ નામથી ચાલતી મુસ્લિમ માલિકોની હોટલોના લાઈસન્સ રદ કર્યા છે. જાણો શું છે આખો મામલો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સરકારે હવે ઉત્તરપ્રદેશની તર્જ પર રાજ્યમાં મુસ્લિમો પર આડકતરી રીતે આર્થિક પ્રતિબંધો લાદવાની શરૂ કર્યું હોય તેમ જણાઈ રહ્યું છે. આવું એટલા માટે લાગે છે કેમ કે, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે (GSRTC) હિંદુ નામથી ચાલતી મુસ્લિમ માલિકોની હોટલોના લાઇસન્સ રદ કર્યા છે. મળતી માહિતી મુજબ આ હોટલોનું નામ કાં તો હિન્દુ હતું અથવા તેને ચલાવવા માટે કોઈ હિન્દુ માલિકના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. હવે રાજ્ય પરિવહન નિગમ એટલે કે GSRTC ની બસો આ હોટલો પર રોકાશે નહીં.</span><span style="font-size: 14pt;"> </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લા એક વર્ષમાં, GSRTC એ એવી હોટલોની યાદી તૈયાર કરી હતી જેમાં હિન્દુ નામોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અથવા કેટલાક કિસ્સાઓમાં હોટલ માલિક તરીકે હિન્દુ નામ હતું પરંતુ તે મુસ્લિમ સમાજના લોકો દ્વારા ચલાવવામાં આવી રહી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકારનું કહેવું છે કે, હોટલોમાં પારદર્શિતા અને યોગ્ય સંચાલન માટે આ પગલું લેવામાં આવ્યું છે. જે હોટલોના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે તેમાં વડોદરા ડિવિઝનમાં અમદાવાદ-સુરત રોડ પર આવેલી સ્વાજી ઇન, હોટેલ વિશાલ, હોટેલ બસેરા અને હોટેલ સતીમાતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભરૂચ વિભાગ હેઠળ સુરત-અમદાવાદ રોડ પર આવેલી હોટેલ તુલસી, હોટેલ મારુતિ, હોટેલ ડાયમંડ અને હોટેલ રોનકના નામ પણ તે હોટલોમાં સામેલ છે જેમના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. આ સિવાય, રાજકોટ વિભાગ હેઠળ ભુજ-ધાંગધ્રા-અમદાવાદ રોડ પર આવેલી હોટલ શિવશક્તિનું રજીસ્ટ્રેશન પણ રદ કરવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">GSRTC એ ગોધરા વિભાગ હેઠળ આવતી કિસ્મત કાઠિયાવાડી (ડેલોલ) અને હોટેલ વૃંદાવન નામની હોટલોનું રજીસ્ટ્રેશન પણ રદ કર્યું છે. તેવી જ રીતે, પાલનપુર વિભાગમાં પણ, GSRTC એ હોટેલ ગુરુકૃપા, હોટેલ રિલીફ અને હોટેલ રોનકના રજીસ્ટ્રેશન રદ કર્યા છે. જે હોટલોના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે તેમાં સાસણ રોડ પર આવેલી હોટલ તુલસી, ઊંઝા-મહેસાણા હાઇવે પર આવેલી હોટલ માનસી, નડિયાદ ખેડા પર આવેલી હોટલ શ્રીજી અને રાજકોટ-ચોટીલા હાઇવે પર આવેલી હોટલ સર્વોદય એન્ડ રૂમ્સનો સમાવેશ થાય છે. પ્રાપ્ત યાદી અનુસાર, GSRTC એ કુલ ૨૭ હોટલના લાઇસન્સ રદ કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/bjp-leader-threatens-muslim-owner-of-shop-in-baghpat-uttar-pradesh-because-it-has-hindu-name">દુકાનનું નામ હિંદુ હોવાથી ભાજપ નેતાએ મુસ્લિમ માલિકને ધમકાવી તોડફોડ કરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 24 Jan 2025 12:04:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1881</Articleid>
                    <excerpt>ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે વિવિધ રૂટો પર હિન્દુ નામથી ચાલતી મુસ્લિમ માલિકોની હોટલોના લાઈસન્સ રદ કર્યા છે. જાણો શું છે આખો મામલો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6793341a024ad.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67933419c01d5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67933419c01d5.jpg" length="65815" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>gujarat st buses, muslim hotels hindu names, Gujarat news</media:keywords>
                </item>
                        <item>
                    <title>નડિયાદમાં ડૉ.આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા મૂકવાની માંગે જોર પકડ્યું</title>
                    <link>https://khabarantar.com/demand-to-install-a-full-size-statue-of-dr-ambedkar-in-nadiad</link>
                    <guid>https://khabarantar.com/demand-to-install-a-full-size-statue-of-dr-ambedkar-in-nadiad</guid>
                    <description>
                        <![CDATA[ સંતરામ રોડ પર આવેલી ડો.આંબેડકરની અર્ધકાર પ્રતિમાને બદલીને પૂર્ણ કદની પ્રતિમા મૂકવા કમિશનરને લેખિતમાં રજૂઆત કરાઈ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નડિયાદ શહેરમાં બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા સ્થાપવા માટે સ્થાનિક બહુજન કાર્યકરો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. એડવોકેટ દિનેશ રાઠોડ દ્વારા નડિયાદના સંતરામ રોડ પર હાલમાં સ્થાપિત અર્ધકદની પ્રતિમાને બદલવાની માંગ સાથે મનપા કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, નડિયાદમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને ઈન્દુલાલ યાજ્ઞિક જેવા નેતાઓની પૂર્ણ કદની પ્રતિમાઓ છે, પરંતુ ભારતરત્ન ડૉ.આંબેડકરની માત્ર અર્ધકદની પ્રતિમા છે. હાલનું વર્ષ 'બંધારણ વર્ષ' તરીકે ઉજવાઈ રહ્યું છે ત્યારે બંધારણના ઘડવૈયા અને વિશ્વવિભૂતિ એવા બાબાસાહેબની પૂર્ણ કદની પ્રતિમા હોવી જોઈએ તેવી માગ કરવામાં આવી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખેડા જિલ્લાના વડા મથક અને હવે મહાનગરપાલિકા બનેલા નડિયાદમાં આ પરિવર્તન શહેરનું ગૌરવ વધારશે. ડૉ. આંબેડકર માત્ર દેશના જ નહીં પરંતુ વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને તેમની પ્રતિમા અન્ય મહાન નેતાઓની જેમ પૂર્ણ કદની હોવી જોઈએ તેવી લાગણી દિનેશભાઈ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/had-it-not-been-for-dr-ambedkar-the-struggle-of-phule-couple-would-have-been-buried-in-history">ડૉ. આંબેડકર ન હોત તો ફૂલે દંપતિનો સંઘર્ષ પણ ઈતિહાસમાં દટાઈ ગયો હોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 22 Jan 2025 19:41:29 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1875</Articleid>
                    <excerpt>સંતરામ રોડ પર આવેલી ડો.આંબેડકરની અર્ધકાર પ્રતિમાને બદલીને પૂર્ણ કદની પ્રતિમા મૂકવા કમિશનરને લેખિતમાં રજૂઆત કરાઈ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6790fc48911ca.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6790fc485b3b1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6790fc485b3b1.jpg" length="36065" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>statue of dr ambedkar, nadiad news</media:keywords>
                </item>
                        <item>
                    <title>કેજરીવાલની ઉમેદવારી રદ થશે, આવક અને કેસની માહિતી છુપાવી?</title>
                    <link>https://khabarantar.com/bjp-candidate-pravesh-verma-demands-cancellation-of-arvind-kejriwals-candidature</link>
                    <guid>https://khabarantar.com/bjp-candidate-pravesh-verma-demands-cancellation-of-arvind-kejriwals-candidature</guid>
                    <description>
                        <![CDATA[ આપના નેતા અરવિંદ કેજરીવાલ પર ઉમેદવારીપત્રકમાં આવકની યોગ્ય માહિતી ન આપવી, બે જગ્યાએ મતદાર હોવા સહિતના આક્ષેપો લાગ્યા છે, આ સાથે તેમની ઉમેદવારી રદ કરવાની માંગ ઉઠી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વખતે દિલ્હી વિધાનસભા ચૂંટણીની નવી દિલ્હી બેઠક પરની લડાઈ ખૂબ જ રસપ્રદ અને વિવાદોથી ભરેલી છે. ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ આમ આદમી પાર્ટી (AAP) ના વડા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઉમેદવારી પર સવાલો ઉઠાવ્યા બાદ રાજકીય વાતાવરણ ગરમાયું હતું. ભાજપ દ્વારા કેજરીવાલ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા, જેમાં આવકની વિગતોમાં ભૂલો, બે જગ્યાએથી મતદાર હોવાનો દાવો અને ફોજદારી કેસોની માહિતી છુપાવવાનો સમાવેશ થાય છે. જોકે, ચૂંટણી પંચે આ આરોપોને ફગાવી દીધા અને કેજરીવાલની ઉમેદવારીને માન્ય રાખી છે. આ નિર્ણય બાદ ભાજપ અને કોંગ્રેસ બંનેએ ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપના ઉમેદવારે અનેક આક્ષેપો કર્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપના નેતા પ્રવેશ વર્માએ તેમના વકીલ સાકેત ગુપ્તા દ્વારા નવી દિલ્હી બેઠકના રિટર્નિંગ ઓફિસરને ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે અરવિંદ કેજરીવાલના ઉમેદવારી પત્રકમાં અનેક ખામીઓ છે. વર્માએ દાવો કર્યો હતો કે કેજરીવાલે પોતાની આવકની વિગતો ખોટી રીતે રજૂ કરી હતી, જે ચૂંટણી પ્રક્રિયાના નિયમોનું સીધું ઉલ્લંઘન હતું. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે કેજરીવાલ હજુ પણ ઉત્તર પ્રદેશના મતદાર છે, જે એક જ સમયે બે જગ્યાએ મતદાર બનવાના નિયમની વિરુદ્ધ છે. આ ઉપરાંત, વર્માએ આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલે તેમની સામે નોંધાયેલા ફોજદારી કેસોની માહિતી છુપાવી હતી. ભાજપે આ મુદ્દાને મુખ્ય મુદ્દો બનાવ્યો અને ચૂંટણી પંચ પાસે માંગ કરી કે કેજરીવાલનું નામાંકન તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચૂંટણી પંચનો નિર્ણય અને વિપક્ષનો હુમલો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રવેશ વર્માના આરોપોની તપાસ કર્યા પછી ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલનું ઉમેદવારી પત્રક તપાસીને તેને સાચું માનીને સ્વીકાર્યું હતું. જેને લીને ભાજપ અને કોંગ્રેસ બંનેએ કમિશનના આ નિર્ણય પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. ભાજપે તેને "ચૂંટણી પ્રક્રિયાની મજાક" ગણાવી અને કહ્યું કે કમિશને AAP સરકારના દબાણ હેઠળ કામ કર્યું છે. કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિતે પણ ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે પંચે સંપૂર્ણ તપાસ કરી નથી અને આ નિર્મય AAPના પક્ષમાં લેવાયો છે જેથી લોકશાહી મૂલ્યોને નુકસાન પહોંચાડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે જ્યારે અરવિંદ કેજરીવાલ, પ્રવેશ વર્મા અને સંદીપ દીક્ષિતની ઉમેદવારી સ્વીકારાઈ ગઈ છે, તો નવી દિલ્હી બેઠક પરની સ્પર્ધા ખૂબ જ રસપ્રદ બનવાની છે. ભાજપે આ મુદ્દાનો લાભ લેવા માટે પોતાનો ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે અને "આપની પારદર્શિતા" પર પ્રશ્નો ઉભા કર્યા છે. કોંગ્રેસે AAP અને BJP બંને પર નિશાન સાધ્યું અને કહ્યું કે આ બંને પક્ષો ફક્ત જનતાને ભ્રમિત કરવા અને વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનું કામ કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/what-is-going-on-in-the-minds-of-the-17-percent-dalit-voters-of-delhi-who-are-angry-with-kejriwal">કેજરીવાલથી નારાજ દિલ્હીના 17 ટકા દલિત મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 22 Jan 2025 11:14:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1871</Articleid>
                    <excerpt>આપના નેતા અરવિંદ કેજરીવાલ પર ઉમેદવારીપત્રકમાં આવકની યોગ્ય માહિતી ન આપવી, બે જગ્યાએ મતદાર હોવા સહિતના આક્ષેપો લાગ્યા છે, આ સાથે તેમની ઉમેદવારી રદ કરવાની માંગ ઉઠી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6790854806673.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67908547bec32.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67908547bec32.jpg" length="78222" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>arvind kejriwals, pravesh verma, Delhi Election 2025</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઈતિહાસના પાનામાં શોધી બતાવો આઝાદીમાં RSS ભાજપનું શું યોગદાન છે?</title>
                    <link>https://khabarantar.com/rss-did-not-hoist-the-national-flag-at-its-headquarters-for-52-years-mallikarjun-kharge</link>
                    <guid>https://khabarantar.com/rss-did-not-hoist-the-national-flag-at-its-headquarters-for-52-years-mallikarjun-kharge</guid>
                    <description>
                        <![CDATA[ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ડો.આંબેડકરના અપમાનથી લઈને આઝાદીની ચળવળમાં સંઘ-ભાજપના યોગદાનને લઈને આકરા પ્રહારો કર્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સ્વતંત્રતા સંગ્રામમાં કોઈ ભાગ લીધો નહોતો. ખડગેએ તેમને પડકાર ફેંક્યો કે ઈતિહાસમાં શોધી બતાવો કે આઝાદીના આંદોલનમાં સંઘ અને ભાજપની ભાગીદારી કેટલી શું હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કોંગ્રેસે ડો.આંબેડકરનું અપમાન કર્યું હોવાના ભાજપના આક્ષેપોના જવાબમાં કહ્યું, “કોંગ્રેસે ડૉ. આંબેડકરના સન્માન માટે જે કર્યું તે કદાચ બીજું કોઈ કરી શક્યું ન હોત. તેમને મુંબઈથી બંધારણ સભામાં લાવવા માટે કોંગ્રેસે તેના સભ્ય એમ.આર. જયકર પાસેથી રાજીનામું માંગી લીધું હતું. બંધારણ સભાની મુસદ્દા સમિતિના અધ્યક્ષપદ માટે બાબાસાહેબ ડૉ. આંબેડકરનું નામ કોંગ્રેસે સૂચવ્યું હતું અને ભારત સરકારમાં દેશના પ્રથમ કાયદા પ્રધાન બનાવવામાં પણ પોતાનો ટેકો આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખડગેએ વધુમાં કહ્યું, 'બાબાસાહેબ બોમ્બેથી બે વાર રાજ્યસભામાં ચૂંટાયા હતા. પહેલીવાર ૩ એપ્રિલ ૧૯૫૨ થી ૨ એપ્રિલ ૧૯૫૬ની વચ્ચે. બીજીવાર ૩ એપ્રિલ ૧૯૫૬ના રોજ તેઓ ફરીથી રાજ્યસભાના સભ્ય બન્યાં પરંતુ ૬ ડિસેમ્બર ૧૯૫૬ના રોજ તેમનું અવસાન થયું. કોંગ્રેસ ઇચ્છતી હતી કે બાબાસાહેબ સન્માન સાથે રાજ્યસભામાં પહોંચે, તેથી જ તેઓ બે વાર રાજ્યસભાની ચૂંટણી બિનહરીફ જીત્યા હતા. ભાજપના લોકો એવું જૂઠાણું ફેલાવવાનો પ્રયાસ કરે છે કે કોંગ્રેસે ડો.આંબેડકરની કોઈ પ્રતિમા સ્થાપિત કરી નથી. ૨ એપ્રિલ ૧૯૬૭ના રોજ કોંગ્રેસ સરકારે બાબાસાહેબના માનમાં સંસદ ભવનમાં તેમની સૌથી મોટી પ્રતિમા સ્થાપિત કરી હતી. તે સમયે ડૉ. એસ.રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ હતા અને સરદાર હુકુમ સિંહજી, જે લોકસભાના અધ્યક્ષ હતા, તેમણે પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખડગેએ કહ્યું, 'ભાજપ આરએસએસ અને તેમના પૂર્વજોએ ભારતીય રાષ્ટ્રધ્વ, આપણા બંધારણ, અશોક ચક્ર, બાબાસાહેબ આંબેડકર અને આપણા સ્વતંત્રતા સંગ્રામનો વિરોધ કર્યો હતો. RSS એ 52 વર્ષ સુધી નાગપુર સ્થિત તેના મુખ્યાલય પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો નહોતો અને કોર્ટના આદેશને પગલે તેને રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ફરજ પડી હતી. રામલીલા મેદાનમાં ભાજપ, આરએસએસ અને તેમના પૂર્વજોએ ગાંધીજી, નેહરુ અને ડૉ.આંબેડકરના પુતળા સાથે ભારતના બંધારણની નકલોનું દહન કર્યું હતું. હું તેમને પડકાર ફેંકું છું કે તેઓ ઇતિહાસ વાંચે અને રાષ્ટ્રીય ચળવળમાં તેમની ભૂમિકા શું હતી તે જણાવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/my-society-does-not-allow-me-to-go-to-temples-how-can-I-be-tolerated">મારા સમાજને મંદિરોમાં જવા નથી દેતા, મને કેવી રીતે સહન કરે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 21 Jan 2025 20:44:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1869</Articleid>
                    <excerpt>કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ડો.આંબેડકરના અપમાનથી લઈને આઝાદીની ચળવળમાં સંઘ-ભાજપના યોગદાનને લઈને આકરા પ્રહારો કર્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678fb8c5c4982.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678fb8c58bb43.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678fb8c58bb43.jpg" length="70405" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>mallikarjun kharge, RSS, BJP, Freedom</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, 16 ફેબ્રુઆરીએ મતદાન</title>
                    <link>https://khabarantar.com/gujarat-local-body-election-dates-announced-voting-on-february-16</link>
                    <guid>https://khabarantar.com/gujarat-local-body-election-dates-announced-voting-on-february-16</guid>
                    <description>
                        <![CDATA[ રાજ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી. જાણો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વિસ્તારથી માહિતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચાલતી લાંબા સમયની અટકળોનો અંત આવી ગયો છે અને તેની તારીખો જાહેર થઈ ચૂકી છે. રાજ્ય ચૂંટણી આયોગ કમિશનર એસ.મુરલીકૃષ્ણે પ્રેસ કોન્ફરન્સ કરીને આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. એ મુજબ 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે અને 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. વિવાદને પગલે ધાનેરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં નથી આવ્યો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_678f8ba14a19a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ડૉ. એસ. મુરલીક્રિષ્ણને જણાવ્યું છે કે, રાજ્યમાં જૂનાગઢ મહાનગર પાલિકા, 66 નગર પાલિકા, 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે. આ સિવાય અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગર પાલિકાની 3 ખાલી પડેલ બેઠકની ચૂંટણી યોજાશે. ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી હાલ જાહેર નથી કરાઈ. આ સિવાય ધાનરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_678f8bb26c792.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બોરસદ, સોજીત્રા જેમાં OBCની ભલામણ મુજબ હજી રિઝર્વેશન નક્કી થયું નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેમાં 19 લાખ જેટલા મતદારો મત આપશે.  ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ચૂંટણીઓમાં 27 ટકા ઓ.બી.સી., 14 ટકા એસ.ટી. અને 7 ટકા એસ.સી. અનામત બેઠકો રહેશે. રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 નગર પાલિકા અને 539 નવી ગ્રામ પંચાયતો સાથે કુલ 4765ની ચૂંટણીઓ થઈ શકી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાલિકા અને પંચાયતોની સામાન્યની સાથે પેટાચૂંટણી પણ યોજાશે. જેમાં ત્રણ મહાનગરપાલિકાની ત્રણ બેઠકો, બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી. નગરપાલિકાની ખાલી પડેલી 21 બેઠક, જિલ્લા પંચાયતની 9 બેઠક અને તાલુકા પંચાયતની 91 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ તમામ બેઠકો પર પણ 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/now-candidates-and-the-general-public-will-not-get-cctv-footage-of-polling-stations">હવે ઉમેદવારો અને સામાન્ય લોકોને મતદાન મથકોના સીસીટીવી ફૂટેજ નહીં મળે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 21 Jan 2025 17:29:37 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1868</Articleid>
                    <excerpt>રાજ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી. જાણો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વિસ્તારથી માહિતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678f8b7beb21b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678f8b7bb698e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678f8b7bb698e.jpg" length="80672" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gujarat local body election, voting on february 16, Gujarat news</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગાંધીનગરના લાકરોડામાં ચાર દિવસીય ‘મનુસ્મૃતિ તાલીમ શિબિર’ યોજાશે</title>
                    <link>https://khabarantar.com/A-four-day-manusmriti-training-camp-will-be-held-in-lakroda-gandhinagar</link>
                    <guid>https://khabarantar.com/A-four-day-manusmriti-training-camp-will-be-held-in-lakroda-gandhinagar</guid>
                    <description>
                        <![CDATA[ દેશભરના દલિતો, શોષિતો, પીડિતોની સમસ્યાના મૂળમાં જે ગ્રંથ રહેલો છે તે મનુસ્મૃતિની તાલીમ શિબિર ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે યોજાવા જઈ રહી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશભરમાં દલિતો, આદિવાસીઓ, ઓબીસી અને લઘુમતી સમાજને જે પુસ્તકના કારણે સામાજિક, આર્થિક અને રાજકીય મોરચે ભારે અન્યાય થઈ રહ્યો છે તે મનુસ્મૃતિની ચાર દિવસની એક તાલીમ શિબિર ગુજરાતમાં, એ પણ પાટનગર ગાંધીનગર જિલ્લામાં થવા જઈ રહી છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે તેવી જાણકારી મળી રહી છે. આ શિબિરમાં ડો.આંબેડકરે કરેલા મનુસ્મૃતિના અભ્યાસનો પણ તુલનાત્મક અભ્યાસ રજૂ કરવામાં આવશે તેની જાણકારી મળી રહી ચે. ડો.આંબેડકરે મનુસ્મૃતિને વર્ણવ્યવસ્થા સહિતના અનેક દૂષણોની જનની માનીને તેનું જાહેરનું દહન કર્યું હતું. જો કે, વર્તમાન સત્તાધીશો પર આ વિવાદાસ્પદ ગ્રંથ અને તેમાં વર્ણવાયેલા નિયમોને ફરીથી દેશમાં થોપવાના આરોપો લાગતા રહે છે ત્યારે જ આ શિબિર યોજાઈ રહી છે, જેના અનેક રીતે સૂચક છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર પાસે આવેલા પ્રાંતિજના લાકરોડા ગામે દર્શનયોગ ધામ સંસ્કૃતિ વન ખાતે આ કાર્યક્રમ યોજાશે. ચાર દિવસ સુધી ચાલનારી આ શિબિરને માનવ સંવિધાન મનુસ્મૃતિ પ્રશિક્ષણ શિબિર નામ અપાયું છે. 23 થી 26 જાન્યુઆરી 2025 (ગુરૂવારથી રવિવાર સુધી) ચાલનારી આ શિબિરમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. આ શિબિર માટેની એક ઓનલાઈન પત્રિકા પર સોશિયલ મીડિયામાં ફરી રહી છે. જેમાં આ શિબિરને લઈને વિસ્તારથી માહિતી આપવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પત્રિકામાં જણાવ્યા પ્રમાણે ગુરૂકુળ કાંગડી યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. સુરેન્દ્ર કુમાર શિબિરની અધ્યક્ષતા કરશે અને ઉપસ્થિત લોકોને મનુસ્મૃતિ અંગે તાલીમ આપશે. પત્રિકામાં કરાયેલા ઉલ્લેખ મુજબ ડો. સુરેન્દ્ર કુમાર છેલ્લાં દસ વર્ષ કરતા વધુ સમયથી મનુસ્મૃતિ પર સંશોધન કરી રહ્યાં છે અને તેના આધારે તેઓ મનુસ્મૃતિમાં કરવામાં આવેલી ભેળસેળ અંગે પણ વાત કરશે. તેમણે લખેલી મનુસ્મૃતિની નવી પ્રત અંગે પણ ચર્ચા કરવામાં આવશે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_678de951a3cfb.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><em><strong>ખબરઅંતર.કોમે</strong></em> આ મામલે વધુ જાણકારી મેળવવા માટે પત્રિકામાં આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. જેમાં ફોન પર હાજર વ્યક્તિએ જણાવ્યું હતું કે, ચાર દિવસની આ શિબિરમાં ડો. સુરેન્દ્રકુમાર મનુસ્મૃતિ સંબંધિત તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવશે. તેમના કહેવા પ્રમાણે ખાસ કરીને લોકોના મનમાં મનુસ્મૃતિને લઈને જે કેટલીક ખોટી ધારણાઓ બંધાયેલી છે તેને લઈને આ શિબિરમાં સ્પષ્ટતા કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખબરઅંતર.કોમે મનુસ્મૃતિમાં લખવામાં આવેલી વર્ણવ્યવસ્થા અને મહિલા વિરોધી બાબતો વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આવી અનેક બાબતો મૂળ મનુસ્મૃતિમાં બાદમાં ઉમેરવામાં આવી હોઈ શકે છે અને તેના વિશે જ ડો.સુરેન્દ્રકુમાર જાણકારી આપશે. તેના માટે ચાર દિવસ શિબિરાર્થીએ અહીં જ રહેવાનું રહેશે. અમે તેને પ્રાંતિજથી અમારા વાહનમાં પિક અપ કરીને આશ્રમે લઈ જઈશું અને ત્યાં તેણે રજિસ્ટ્રેશન બાદ શિબિરમાં ભાગ લેવાનો રહેશે. આ શિબિરમાં તેમના આ તમામ સવાલોના જવાબો મળી જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ સોશિયલ મીડિયામાં આ પત્રિકા ફરતી થતા દલિત-બહુજન સમાજના બૌદ્ધિક વર્ગમાં તેને લઈને રોષની લાગણી ફેલાઈ છે. આ વર્ગનું માનવું છે કે, દેશમાં હાલ જે દૂષણો છે તેના મૂળમાં મનુસ્મૃતિ રહેલી છે, ત્યારે તેની તાલીમ શિબિર યોજાય એ ચોંકાવનારું છે. વાસ્તવમાં તાલીમ દેશના બંધારણ અને તેમાં કરવામાં આવેલી જોગવાઈઓની સમજણ આપવાની યોજાવી જોઈએ. પરંતુ તેના બદલે હિંદુત્વાદી સંસ્થાઓ દેશને ફરી મનુવાદી યુગમાં ખેંચી જવા મથી રહી છે, આ શિબિર તેનો જ એક ભાગ હોય તેવું લાગી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શિબિરમાં નીચે મુજબના વિષયો અંગે ચર્ચા કરાશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનુસ્મૃતિ – વિશ્વનું સૌપ્રથમ બંધારણ</span><br><span style="font-size: 14pt;">ડો.આંબેડકરના તુલનાત્મક અભ્યાસના સંદર્ભમાં મનુસ્મૃતિકાલીન સમાજ વ્યવસ્થા, વર્ણવ્યવસ્થા, જાતિ વ્યવસ્થાની સમજ.</span><br><span style="font-size: 14pt;">મનુસ્મૃતિ મુજબ શુદ્રોના કર્તવ્ય અને સન્માન</span><br><span style="font-size: 14pt;">મનુસ્મૃતિ મુજબ મહિલાઓનું કર્તવ્ય અને સન્માન</span><br><span style="font-size: 14pt;">મનુસ્મૃતિમાં લગ્ન અને ગૃહાસ્થાશ્રમના કર્તવ્યો</span><br><span style="font-size: 14pt;">મનુસ્મૃતિકાલીન રાજનીતિનો વર્તમાન રાજનીતિના સંદર્ભમાં તુલનાત્મક અભ્યાસ</span><br><span style="font-size: 14pt;">મનુસ્મૃતિકાલીન શિક્ષણ વ્યવસ્થાનો વેદોત્ક શિક્ષા વ્યવસ્થાની સંદર્ભમાં તુલનાત્મક અભ્યાસ</span><br><span style="font-size: 14pt;">મનુસ્મૃતિમાં પુરુષાર્થ ચતુષ્ટય ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું યર્થાર્થ સ્વરૂપ</span><br><span style="font-size: 14pt;">મનુસ્મૃતિમાં બ્રહ્મચર્ય વગેરે આશ્રમો અને કર્તવ્ય</span><br><span style="font-size: 14pt;">મનુસ્મૃતિમાં મોક્ષનો ઉપાય અને સ્વરૂપ</span><br><span style="font-size: 14pt;">મનુસ્મૃતિમાં પચ્ચયગ્ન વિધાન અને તેના લાભો</span><br><span style="font-size: 14pt;">મનુસ્મૃતિમાં સંસ્કાર અને તેમની ઉપયોગિતા</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ શિબિર અંગે વધુ જાણકારી મેળવવા માટે દર્શનયોગ ધામ લાકરોડાની વેબસાઈટ darshanyog.org પર જતા ત્યાં આ સંસ્થાની અન્ય કામગીરી વિશે પણ જાણકારી મળે છે. સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલી મનુસ્મૃતિની શિબિરની પત્રિકામાં બે સંપર્ક નંબરો પણ આપેલા છે, 9409615011 અને 8200915011 જેના પર ફોન કરીને આ શિબિરના હેતુઓ અને વિષય વિશે જાણકારી મેળવી શકાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/the-law-of-manusmriti-which-sowed-the-seeds-of-inequality-in-indian-society">મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં </a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 20 Jan 2025 11:45:08 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1860</Articleid>
                    <excerpt>દેશભરના દલિતો, શોષિતો, પીડિતોની સમસ્યાના મૂળમાં જે ગ્રંથ રહેલો છે તે મનુસ્મૃતિની તાલીમ શિબિર ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે યોજાવા જઈ રહી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678de93082721.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678de9304fa90.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678de9304fa90.jpg" length="101818" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>manusmriti, manusmriti training camp, lakroda gandhinagar</media:keywords>
                </item>
                        <item>
                    <title>IIT મદ્રાસના ડિરેક્ટરે ગૌમૂત્રની પ્રશંસા કરી, કહ્યું&amp; સાધુઓ તાવ આવે ત્યારે ગૌમૂત્ર પીએ છે</title>
                    <link>https://khabarantar.com/iit-madras-director-v-kamakoti-praises-cow-urine-congress-dmk-criticize</link>
                    <guid>https://khabarantar.com/iit-madras-director-v-kamakoti-praises-cow-urine-congress-dmk-criticize</guid>
                    <description>
                        <![CDATA[ IIT મદ્રાસના ડિરેક્ટર વી કામકોટીએ એક કાર્યક્રમમાં ગૌમૂત્રના ઔષધીય ગુણોની ભારોભાર પ્રશંસા કરી. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા કોંગ્રેસ અને ડીએમકેએ ઝાટકણી કાઢી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">IIT મદ્રાસના ડિરેક્ટર વી કામકોટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ગૌમૂત્રના ઔષધીય ગુણો વિશે વાત કરી રહ્યા છે. કામકોટીએ ગૌમૂત્રને એન્ટીબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને પાચનમાં મદદરૂપ ગણાવ્યું. તેમણે દાવો કર્યો હતો કે ગૌમૂત્ર જઠરની વિકૃતિઓમાંથી પણ રાહત આપે છે. તેમના આ દાવાઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ કોંગ્રેસ અને ડીએમકેએ તેમની આકરી ઝાટકણી કાઢી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચેન્નાઈમાં ગૌ સંરક્ષાશાળા ખાતે એક કાર્યક્રમમાં IIT મદ્રાસના ડિરેક્ટર વી કામકોટીએ કહ્યું હતું કે જ્યારે સાધુઓને ખૂબ તાવ આવે છે, ત્યારે તેઓ ગૌમૂત્રનો ઉપયોગ કરે છે. પીટીઆઈના અહેવાલ મુજબ, વાયરલ થઈ રહેલો વીડિયો સાચો છે. તેમણે કહ્યું કે તેઓ એક પ્રાકૃતિક ખેડૂત છે તેથી તેમની વાતોનો સંદર્ભ ખૂબ વ્યાપક છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">IIT મદ્રાસના ડિરેક્ટરના આ નિવેદનની DMK અને કોંગ્રેસે ટીકા કરી છે. કોંગ્રેસના નેતા કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે IIT મદ્રાસના ડિરેક્ટરનો દાવો પાયાવિહોણો છે અને તેને વિજ્ઞાન સાથે કોઈ લેવાદેવા નથી. આ દરમિયાન, ડીએમકે નેતા ટીકેએસ એલાંગોવાને કહ્યું કે તેમને આ પ્રખ્યાત સંસ્થામાંથી બીજે ક્યાંક મોકલવા જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડીએમકે નેતાએ કહ્યું કે જો તેમને આઈઆઈટી મદ્રાસમાંથી સરકારી મેડિકલ કોલેજમાં ટ્રાન્સફર કરવામાં આવે તો તેઓ શું કરશે? તેઓ IIT માં શું કરી રહ્યાં છે? તેમને એઈમ્સના ડિરેક્ટર બનાવી દેવા જોઈએ. સરકારે તેમને તાત્કાલિક IITમાંથી હટાવવા જોઈએ. તમને જણાવી દઈએ કે વી કામકોટીના આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર હાજર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/enter-garba-only-after-drinking-cow-urine-indore-bjp-leader">ગૌમૂત્ર પીવડાવો પછી જ ગરબામાં એન્ટ્રી આપોઃ ઈન્દોર ભાજપ નેતા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 19 Jan 2025 20:27:04 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1858</Articleid>
                    <excerpt>IIT મદ્રાસના ડિરેક્ટર વી કામકોટીએ એક કાર્યક્રમમાં ગૌમૂત્રના ઔષધીય ગુણોની ભારોભાર પ્રશંસા કરી. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા કોંગ્રેસ અને ડીએમકેએ ઝાટકણી કાઢી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678d1249b3d79.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678d12497f50f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678d12497f50f.jpg" length="50113" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>iit madras, iit madras director v kamakoti, cow urine</media:keywords>
                </item>
                        <item>
                    <title>કુંભમેળામાં ગીતા પ્રેસના ટેન્ટમાં ભીષણ આગ લાગી, 20થી વધુ ટેન્ટ ખાક</title>
                    <link>https://khabarantar.com/kumbh-mela-massive-fire-breaks-out-in-geeta-press-tent-latest-update</link>
                    <guid>https://khabarantar.com/kumbh-mela-massive-fire-breaks-out-in-geeta-press-tent-latest-update</guid>
                    <description>
                        <![CDATA[ આગ કેવી રીતે લાગી તે અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી બહાર આવી નથી પરંતુ રસોઈ બનાવતી વખતે સિલિન્ડર ફાટ્યો હોવાની આશંકા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ભીષણ આગ (Kumbh Mela Fire) લાગી હોવાના સમાચાર છે. શાસ્ત્રી બ્રિજ સેક્ટર 19 માં અનેક તંબુઓ બળીને રાખ થઈ ગયા છે. અનેક ફાયરફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી બહાર આવી નથી પરંતુ એવી શંકા છે કે રાંધતી વખતે સિલિન્ડર ફાટ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આગ એટલી ભયાનક હતી કે આસપાસનો વિસ્તાર ધુમાડાથી ભરાઈ ગયો હતો. આસપાસનો વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ સેક્ટર 19 માં લાગી હતી પરંતુ ભારે પવનને કારણે તે સેક્ટર 20 સુધી પહોંચી ગઈ હતી અને નજીકના ઘણા તંબુઓમાં ફેલાઈ ગઈ હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આગ ગીતા પ્રેસ ગોરખપુરના કેમ્પમાં લાગી હતી. જેમાં 20 થી વધુ તંબુ બળી ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યોગી આદિત્યનાથે ઘટના સ્થળની મુલાકાત લીધી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ ઘટનાની નોંધ લીધી છે. તેમણે વરિષ્ઠ અધિકારીઓને સ્થળ પર હાજર રહેવા સૂચના આપી છે. તેમણે ઘાયલોને યોગ્ય સારવારના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી યોગી 'પરમાર્થ નિકેતન ઋષિકેશ' ના કાર્યક્રમમાં હાજરી આપવા માટે કુંભ મેળામાં પહોંચ્યા હતા. મુખ્યમંત્રી યોગીએ આગ લાગી તે જગ્યાની પણ મુલાકાત લીધી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુપીના ચીફ ફાયર ઓફિસર પ્રમોદ શર્માએ જણાવ્યું છે કે સિલિન્ડર વિસ્ફોટને કારણે આગ લાગી હતી. NDRF અને SDRFની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. એડીજી ભાનુ ભાસ્કરે કહ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ડીઆઈજી-ડીએમે શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહા કુંભ મેળાના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે, ગીતા પ્રેસ ગોરખપુરના તંબુમાં આગ લાગી હતી. કોઈ જાનહાનિના સમાચાર નથી. આગથી થયેલા નુકસાનની તપાસ માટે સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ તપાસનો વિષય છે. ફક્ત તંબુ અને કેટલીક વસ્તુઓ બળી ગઈ છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_678cf91a35dc3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રયાગરાજના ડીએમ રવિન્દ્ર કુમારે પણ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, સેક્ટર ૧૯ માં ગીતા પ્રેસના તંબુમાં સાંજે ૪.૩૦ વાગ્યે આગ લાગી હતી. થોડી જ વારમાં આગ નજીકના 10 તંબુઓમાં ફેલાઈ ગઈ હતી. પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. કોઈ જાનહાનિ વિશે કોઈ માહિતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સમાજવાદી પાર્ટીએ મેળાની તૈયારીઓ પર પ્રશ્નો ઉઠાવ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમાજવાદી પાર્ટીએ આ મામલે પ્રશ્નો ઉઠાવ્યા છે. સપા પ્રવક્તા ફખરુલ ચાંદે જણાવ્યું હતું કે, સમાજવાદી પાર્ટી શરૂઆતથી જ કુંભ મેળાની તૈયારીઓ પર પ્રશ્નો ઉઠાવી રહી હતી. અહીં મોટી સંખ્યામાં ભક્તો પહોંચી તો રહ્યાં છે પરંતુ તેઓ ખુલ્લા આકાશ નીચે છે. પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી. સમાજવાદી પાર્ટી પોતાના લોકશાહી અધિકારો અંતર્ગત સવાલો ઉઠાવતી રહી છે. આજે લાગેલી આગમાં ભક્તોની સલામતી સુનિશ્ચિત કરવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/bjp-is-using-kumbh-mela-to-appease-dalits-and-obc-voters"> દલિત, ઓબીસીને રિઝવવા ભાજપ કુંભમેળાનો ઉપયોગ કરી રહી છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 19 Jan 2025 18:40:14 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1857</Articleid>
                    <excerpt>આગ કેવી રીતે લાગી તે અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી બહાર આવી નથી પરંતુ રસોઈ બનાવતી વખતે સિલિન્ડર ફાટ્યો હોવાની આશંકા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678cf90a21cae.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678cf909e5727.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678cf909e5727.jpg" length="52980" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>kumbh mela fire, kumbh mela 2025, Yogi Adityanath, Prayagraj news</media:keywords>
                </item>
                        <item>
                    <title>‘કાળો’ કહીને ઉતારી પાડ્યા હતા તે દલિત શિક્ષક એજ વિભાગના અધ્યક્ષ બન્યાં</title>
                    <link>https://khabarantar.com/keralas-kalamandalam-university-appoints-first-dalit-assistant-professor-in-Bharatanatyam</link>
                    <guid>https://khabarantar.com/keralas-kalamandalam-university-appoints-first-dalit-assistant-professor-in-Bharatanatyam</guid>
                    <description>
                        <![CDATA[ મોહિનીઅટ્ટમ માત્ર રૂપાળાં લોકો જ કરી શકે તેમ કહીને જે દલિત શિક્ષકનું અપમાન કરવામાં આવ્યું હતું, હવે તે શિક્ષકે આખા વિભાગના અધ્યક્ષ બનીને વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેરળ કલામંડલમ યુનિવર્સિટીએ આરએલવી રામકૃષ્ણનને ભરતનાટ્યમના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિયુક્ત કર્યા છે. ભરતનાટ્યમ વિભાગમાં પુરુષ કલાકારની નિમણૂક કરવામાં આવી હોય તેવો આ પહેલો પ્રસંગ છે. રામકૃષ્ણન એક દલિત પરિવારમાંથી આવે છે. અગાઉ તેમની જાતિ, લિંગ અને રંગને કારણે આ પ્રતિષ્ઠિત સંસ્થામાં પ્રોફેસર તરીકે તક આપવામાં આવી નહોતી. આ નિમણૂક કલા જગતમાં એક ઐતિહાસિક પરિવર્તન દર્શાવે છે. ૯૦ વર્ષથી વધુ જૂની આ સંસ્થામાં તમિલનાડુના પ્રખ્યાત નૃત્યગુરુ રાજરત્નમ પિલ્લઈ અને એઆરઆર ભાસ્કર તેમના શરૂઆતના વર્ષોમાં અહીં કામ કરતા હતા. તે બંને અહીં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કામ કરતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રામકૃષ્ણન ફિલ્મ અભિનેતા કલાભવન મણિના ભાઈ છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામકૃષ્ણન સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેતા કલાભવન મણિના ભાઈ છે. તેમની પાસે મોહિનીઅટ્ટમ અને ભરતનાટ્યમમાં બે એમએ ડિગ્રી છે. ઉલ્લેખનીય છે કે લિંગ અને જાતિના આધારે મોહિનીઅટ્ટમ કરવા બદલ તેમને અપમાનનો સામનો કરવો પડ્યો હતો. રામકૃષ્ણને કહ્યું કે આ એક મોટી ક્ષણ છે. મારા ભાઈ કહેતા હતા કે આપણે દૃઢ નિશ્ચય સાથે આપણા લક્ષ્યાંકોનો પીછો કરવો જોઈએ અને કોઈપણ પ્રકારના પડકારોથી વિચલિત ન થવું જોઈએ. આ મહાન સંસ્થાના ઇતિહાસનો ભાગ બનવા બદલ હું ખૂબ જ ગર્વનો અનુભવ કરું છું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પસંદગી સમિતિએ તેમને સૌથી યોગ્ય ઉમેદવાર માન્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુનિવર્સિટીના કુલપતિ બી. અનંતકૃષ્ણને જણાવ્યું હતું કે જ્યારે તેમણે આ પદ માટે અરજીઓ મંગાવી હતી ત્યારે રામકૃષ્ણન અરજદારોમાંના એક હતા. પસંદગી સમિતિએ તેમને સૌથી યોગ્ય ઉમેદવાર માન્યા અને અમે તેમની નિમણૂક કરી છે. આ એક નવી શરૂઆત છે. રામકૃષ્ણન ૨૦૦૭ થી ૨૦૧૭ સુધી કલામંડલમમાં એમફિલ અને પીએચડી કરી રહ્યા હતા, તેમ છતાં તેમને ત્યાં મોહિનીઅટ્ટમ કરવાની તક મળી નહોતી. ગયા વર્ષે પણ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી, કલામંડલમ સત્યભામા (જુનિયર) એ જાતિવાદી ટિપ્પણી કરી હતી કે રામકૃષ્ણન મોહિનીઅટ્ટમ ન કરી શકે કારણ કે તેમનો રંગ કાળો છે. તેમને ગયા માર્ચમાં જ કલામંડલમમાં સર્ફોમ કરવાની તક મળી હતી. કલામંડલમને અગાઉ મોહિનીઅટ્ટમમાં છોકરાઓને પ્રવેશ ન આપવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. હવે તેમણે ભરતનાટ્યમ વિભાગના અધ્યક્ષ બનીને રંગભેદી, જાતિવાદી તત્વોની બોલતી બંધ કરી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/samata-sangthan-an-organization-fighting-against-derogatory-names-of-dalits-and-tribals">'ગાંડો', 'કાળો', 'કચરો', 'કાળી' જેવા અપમાનજનક નામો સામેની લડાઈ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 19 Jan 2025 12:56:26 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 19 Jan 2025 12:56:56 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1855</Articleid>
                    <excerpt>મોહિનીઅટ્ટમ માત્ર રૂપાળાં લોકો જ કરી શકે તેમ કહીને જે દલિત શિક્ષકનું અપમાન કરવામાં આવ્યું હતું, હવે તે શિક્ષકે આખા વિભાગના અધ્યક્ષ બનીને વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678ca93793dae.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678ca93762cdc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678ca93762cdc.jpg" length="53275" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kerala Kalamandalam University, RLV Ramakrishnan, Bharatanatyam, Ramakrishnan film</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજ્યની 9 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સામેલ 60 ગ્રામ પંચાયતના લોકોમાં રોષ?</title>
                    <link>https://khabarantar.com/anger-among-the-people-of-60-gram-panchayats-included-in-the-9-municipal-corporations-of-the-state</link>
                    <guid>https://khabarantar.com/anger-among-the-people-of-60-gram-panchayats-included-in-the-9-municipal-corporations-of-the-state</guid>
                    <description>
                        <![CDATA[ ગ્રામ પંચાયતો ભંગ થઈ છે અને નવી બનેલી નવ મહાપાલિકાઓ પાસે ડેટા નથી. જન્મ-મરણ, લગ્ન અને આવકના દાખલા સહિતની કામગીરી અટવાઈ ગઈ ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં એક બાજુ ગામડાઓમાં લોકો અનેક પ્રકારની હાડમારીઓનો સામનો કરી રહ્યાં છે. રોજગારી, શિક્ષણ, પ્રાથમિક સુવિધાઓના અભાવ વચ્ચે સરકારે અચાનક પુરતા આયોજન વિના નવી  9 મહાનગરપાલિકા જાહેર કરી દીધી છે. પણ હવે આ મામલે વિરોધનો વંટોળ ઉઠવો શરૂ થયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે નવી 9 મનપામાં સામેલ કરાયેલી 60 ગ્રામ પંચાયતો ભંગ કરી દેવાઈ છે ત્યાં લોકો જન્મ-મરણ, લગ્ન અને આવક સહિતના સરકારી દાખલાઓ મેળવવામાં અટવાઈ પડ્યાં છે. પંચાયતો ભંગ થઈ છે અને નવી બનેલી નવ મહાપાલિકાઓ પાસે ડેટા નથી. આ સ્થિતિમાં આ સરકારી દાખલાઓ કાઢી આપવાની પ્રક્રિયા મહદ્દઅંશે ખોરંભે પડી છે. હોબાળો મચતાં આણંદ સહિતની અમુક મહાપાલિકા સિક્કો મારીને જન્મ- મરણના સાદા દાખલા આપી રહી છે. પરંતુ, ડેટા ટ્રાન્સફર થયાં ન હોવાથી કોમ્પ્યુટરાઈઝડ દાખલાઓ કાઢી અપાતાં નથી. બીજી તરફ, નવ મહાનગરપાલિકાઓએ આ દાખલાઓ કાઢી આપવા માટે સરકારમાંથી સત્તાવાર મંજુરી મેળવવાની દરખાસ્તો કરી દીધી છે તે મળી નથી. આ મંજુરી મળશે ત્યાં સુધી પ્રજાજનો દાખલા માટે ડખે ચડતાં રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આયોજનના અભાવે લોકોને હાલાકી વેઠવાની આવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1લી જાન્યુઆરીથી મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી, આણંદ, નડિયાદ, પોરબંદરને રાજ્ય સરકારે નવી મહાનગરપાલિકા જાહેર કરી દેવામાં આવી હતી. જો કે, આ જાહેરાત પહેલા કે પછી શું કરવું તેનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું ન હોવાથી આજે પરિસ્થિતિ એવી થઈ છે કે આ નવ મહાનગરપાલિકામાં સમાવેશ થતા 60 ગ્રામ પંચાયતોના રહીશોને સરકારી દાખલા મેળવવામાં સમસ્યા સર્જાઈ રહી છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્થાનિક સૂત્રો કહી રહ્યાં છે કે, મહાનગરપાલિકા જાહેર થયા 60માંથી મોટાભાગની ગ્રામ પંચાયતોમાં વસતા લોકોને જન્મ, મરણ કે લગ્નનો પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે. પ્રમાણપત્ર કાઢવા માટેની સત્તા મળે તે માટે ઠરાવ પસાર કરી દેવાયો છે અને સરકારને મોકલી પણ દેવાયો છે. પરંતુ સરકારે પોતાની ઢીલી નીતિના દર્શન અહીં પણ કરાવ્યા છે અને હજુ સુધી આવી સત્તા મ્યુનિસિપલ કમિશનરને ન આપતા લોકો પ્રમાણપત્રો મેળવવાની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ સત્તા મળી ગયા બાદ પણ 60 ગ્રામ પંચાયતોના લોકોને જન્મ-મરણ અને લગ્નનો  પ્રમાણપત્ર મેળવવા માટે છેક શહેર સુધી ધક્કા ખાવા પડશે તે કાયમી સમસ્યાનો સામનો લોકોએ કરવો પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">17 દિવસ પછી પણ ગાડી પાટે ચડી નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ નવ મહાનગરપાલિકામાં સમાવેશ થઈ ગયેલી 60 જેટલી ગ્રામ પંચાયતોના લોકો દાખલા મેળવવાની સામાન્ય પ્રક્રિયા માટે પિડાઈ રહ્યા છે. જન્મ અને મરણ તેમજ લગ્ન સહિતના પ્રમાણપત્રો થકી  મિલકત તેમજ અન્ય સમાજ સંબંધિત કામગીરીઓ થતી હોય છે. આવા મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાના બદલે હવે સરકાર ખૂબ જ ઢીલી નીતિ અપનાવી રહી  છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાનગરપાલિકા જાહેર થઈ ગયા ને 17 દિવસ વિત્યાં  છતાં હજુ સુધી મહાનગરપાલિકા નો વહીવટ પાટે ચડ્યો નથી. પરિણામે મહત્વના ગણાતા દાખલાઓ હજુ સુધી મહાનગરપાલિકામાંથી નીકળી શકતા નથી.  રાજ્યમાં 60 ગ્રામપંચાયતોને નવી નવ નગરપાલિકાઓમાં ભેળવી દેવામાં આવી છે. આ 60 ગ્રામ પંચાયતો ભંગ કરવામાં આવતાં હાલ પૂરતાં જન્મ-મરણ, આવક સહિતના સરકારી દાખલાઓ આપવાની પ્રક્રિયા થંભી ગઈ છે. સરકાર તરફથી દરખાસ્તને મંજુરી ન અપાય ત્યાં સુધી નીચે દર્શાવેલી 60 ગ્રામ પંચાયતોના રહીશો સરકારી દાખલાઓના મામલે અદ્ધરતાલ છે અને તેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/nine-municipalities-in-the-state-were-granted-municipal-status">રાજ્યની 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 19 Jan 2025 09:39:43 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1852</Articleid>
                    <excerpt>ગ્રામ પંચાયતો ભંગ થઈ છે અને નવી બનેલી નવ મહાપાલિકાઓ પાસે ડેટા નથી. જન્મ-મરણ, લગ્ન અને આવકના દાખલા સહિતની કામગીરી અટવાઈ ગઈ</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678c7a0d8c33b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678c7a0d5c7e3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678c7a0d5c7e3.jpg" length="96186" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>9 municipal corporations, gram panchayats</media:keywords>
                </item>
                        <item>
                    <title>બજેટ સત્ર પૂર્વે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગશે</title>
                    <link>https://khabarantar.com/local-body-elections-to-be-announced-before-budget-session-in-gujarat</link>
                    <guid>https://khabarantar.com/local-body-elections-to-be-announced-before-budget-session-in-gujarat</guid>
                    <description>
                        <![CDATA[ આવતા અઠવાડિયે જાહેરાતની સંભાવના. જૂનાગઢ મનપા, ખેડા જિલ્લા પંચાયત અને 73 નગરપાલિકાની સામાન્ય અને પેટા ચૂંટણી યોજાશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ઘણા લાંબા સમયથી અટવાયેલી પડી છે. ત્યારે ટૂંક સમયમાં રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓની જાહેરાત થઈ શકે છે. એટલું જ નહીં આ ચૂંટણીઓ વિધાનસભાના બજેટ સત્ર પહેલા પૂર્ણ થઈ જાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાપાલિકા અને ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ ઉપરાંત 73 નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓની આગામી સપ્તાહમાં જાહેરાત થઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંગેની મહત્વની બાબતો સામે આવી છે. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગર ખાતે તાજેતરમાં મળેલી કેબિનેટ બેઠકમાં મંત્રીઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ અંગે જવાબદારી સોંપવામાં આવી હતી.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગત સપ્તાહમાં મળેલી કેબિનેટની બેઠકમાં તમામ મંત્રીઓને સંબંધિત જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓની જાહેરાત સંભવત આગામી સપ્તાહમાં જાહેર થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સંભવત ફેબ્રુઆરીના બીજા કે ત્રીજા સપ્તાહમાં યોજાઇ શકે છે. એટલે કે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થાય તે અગાઉ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આખરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેના અંતર્ગત હાલના સંજોગોમાં પંચાયત, નગરપાલિકા અને જૂનાગઢ સહિતની અન્ય મહાપાલિકાઓની ચૂંટણીઓની આખરી તૈયારીઓ ચાલી રહી છે. રાજ્ય ચૂંટણી પંચ  દ્વારા ગત મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની બેઠકોની ફાળવણી પણ કરી દેવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યમાં વિવિધ 73 નગરપાલિકાની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીઓ તેમજ જૂનાગઢ મનપા અને ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાશે. જૂનાગઢ મનપાની સામાન્ય તથા અન્ય મનપાઓની ખાલી પડેલી બેઠકો માટેની પેટા ચૂંટણીઓને લઈને ચૂંટણી પંચ દ્વારા આખરી મતદાર યાદી તૈયાર કરાયા બાદ હવે ટૂંક સમયમાં આખરી ફોટો મતદાર યાદી જાહેર થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/considerations-when-voting">વોટ આપતી વેળાનું ચિંતન</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 18 Jan 2025 21:09:25 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1851</Articleid>
                    <excerpt>આવતા અઠવાડિયે જાહેરાતની સંભાવના. જૂનાગઢ મનપા, ખેડા જિલ્લા પંચાયત અને 73 નગરપાલિકાની સામાન્ય અને પેટા ચૂંટણી યોજાશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678bcaad96979.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678bcaad595ef.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678bcaad595ef.jpg" length="78513" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Local government elections 2025, budget, gujarat</media:keywords>
                </item>
                        <item>
                    <title>તમિલનાડુમાં જલ્લીકટ્ટુ દરમિયાન 7 લોકોના મોત, સેંકડો લોકો ઘાયલ</title>
                    <link>https://khabarantar.com/during-jallikattu-in-tamil-nadu-7-people-died-hundreds-injured</link>
                    <guid>https://khabarantar.com/during-jallikattu-in-tamil-nadu-7-people-died-hundreds-injured</guid>
                    <description>
                        <![CDATA[ જલ્લિકટ્ટુ તમિલનાડુની પરંપરાગત રમત છે જે પોંગલના તહેવાર દરમિયાન રમાય છે. જેમાં તોફાની બળદને સ્પર્ધક સાથે બાંધવામાં આવે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આસ્થા અને પરંપરાના નામે દુનિયાભરમાં અનેક કાર્યક્રમો, ઉત્સવો ઉજવાય છે અને તેમાં પ્રાણીઓનો ખો નીકળી જતો હોય છે. તો અનેક લોકો પણ કારણ વિના તેમાં મોતને ભેટતા હોય છે. આવો જ એક ઉત્સવ એટલે જલ્લિકટ્ટુ, જે તમિલનાડુમાં ઉજવાય છે અને તેમાં લોકો બળદ સાથે દોટ મૂકે છે. તમિલનાડુમાં કાણુમ પોંગલના દિવસે યોજાયેલા જલ્લીકટ્ટુ અને મંજુવીરટ્ટુ કાર્યક્રમોમાં સાત લોકોના મોત (7 death Jallikattu events) થયા છે. મોટાભાગના મૃતકો દર્શકો અને બળદના માલિક હોવાનું કહેવાય છે. અલગ અલગ બે અકસ્માતોમાં પણ બે આખલાના મોત થઈ ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસે માહિતી આપી હતી કે પુડુક્કોટ્ટઈમાં આયોજિત જલ્લીકટ્ટુમાં એક બળદનું મોત થયું છે. શિવગંગાના સિરવયાલ મંજુવિરટ્ટુમાં એક બળદ અને તેના માલિકનું મોત થઈ ગયું હતું. સિરવયાલના નાદુવિકોટ્ટાઈ કીલા આવંધિપટ્ટી ગામનો થનેશ રાજા તેના બળદ સાથે આ કાર્યક્રમમાં ભાગ લેવા ગયો હતો. થનેશનો બળદ અખાડામાંથી ભાગીને કંબનુરમાં કૂવામાં પડી ગયો હતો. આ ઘટનામાં બંનેના મોત થયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંજુવિરાટ્ટુમાં બનેલી ઘટનામાં લગભગ ૧૩૦ લોકો ઘાયલ થયા હતા. અહીં ૧૫૦ આખલા અને ૨૫૦ બળદોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દેવકોટ્ટાઈમાં સુબ્બૈયા નામના એક દર્શકને એક બળદે શીંગડા મારી દીધાં હતા. હોસ્પિટલ લઈ જતી વખતે તેનું મૃત્યુ થયું. પોલીસે જણાવ્યું હતું કે મદુરાઈના અલંગનલ્લુરના મેટ્ટુપટ્ટી ગામના રહેવાસી 55 વર્ષીય દર્શક પી પેરિયાસામીને એક તોફાને ચડેલા બળદે ગળામાં શીંગડા ઘૂસેડી દીધાં હતા. મદુરાઈની હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. આ રીતે આ કાર્યક્રમમાં ઓછામાં ઓછા 70 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી મોટાભાગના દર્શકો હોવાનું કહેવાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ તિરુચિરાપલ્લી, કરુર અને પુડુકોટ્ટાઈ જિલ્લામાં ચાર અલગ-અલગ જલ્લીકટ્ટુ ઇવેન્ટમાં બે દર્શકોના મોત થયા હતા. અહીં બળદ માલિકો સહિત ૧૪૮ લોકો ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, પુડુક્કોટાઈ જિલ્લામાં લગભગ 19 લોકો ઘાયલ થયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જલ્લીકટ્ટુ શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જલ્લીકટ્ટુ એ તમિલનાડુની પરંપરાગત રમત છે. તે 'પોંગલ' દરમિયાન યોજાય છે. આ રમતમાં ખેલાડીઓ તેમના બળદ સાથે દોરડાથી બંધાયેલા હોય છે અને અન્ય સ્પર્ધકો સાથે રેસ લગાવે છે. આ રમત પર મદ્રાસ હાઈકોર્ટે 2006માં પ્રતિબંધ મૂક્યો હતો. એ પછી વર્ષ 2014 માં સુપ્રીમ કોર્ટે પણ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટના આદેશો સામે રાજ્યમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા. જેના કારણે તમિલનાડુ સરકારે વર્ષ 2017 માં આ રમત પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો હતો. પરંતુ રમતના નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કેટલાક એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટોના જૂથોએ સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટમાં ચર્ચા દરમિયાન તમિલનાડુ સરકારે કહ્યું હતું કે આ રમત ફક્ત મનોરંજન માટે નથી. આ રમત સાથે ઇતિહાસ, પરંપરા અને ધાર્મિક શ્રદ્ધા સંકળાયેલી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2023માં જસ્ટિસ કે.એમ. જોસેફની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની સુપ્રીમ કોર્ટની બેન્ચે જલ્લીકટ્ટુ પર તમિલનાડુ સરકારના નિયમોને મંજૂરી આપી હતી. તેમણે કહ્યું કે જ્યારે રાજ્ય સરકાર માને છે કે જલ્લીકટ્ટુ તમિલનાડુની પરંપરા સાથે જોડાયેલું છે, તો અમે પણ એવું જ માનીએ છીએ. પોતાનો ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ 2017 (તમિલનાડુ સંશોધન) રમતગમતમાં પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતામાં નોંધપાત્ર ઘટાડો કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/wadhwans-bhuva-who-killed-12-people-dies-in-police-custody">12 લોકોની હત્યા કરનાર વઢવાણના ભૂવાનું પોલીસ કસ્ટડીમાં મોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 17 Jan 2025 19:05:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1849</Articleid>
                    <excerpt>જલ્લિકટ્ટુ તમિલનાડુની પરંપરાગત રમત છે જે પોંગલના તહેવાર દરમિયાન રમાય છે. જેમાં તોફાની બળદને સ્પર્ધક સાથે બાંધવામાં આવે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678a5ba41ec67.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678a5ba3d86fa.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678a5ba3d86fa.jpg" length="144616" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>jallikattu in tamil nadu, jallikattu, Pongal</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગાંધીનગર ખાતે નિવૃત્ત ઉચ્ચ સરકારી અધિકારીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો</title>
                    <link>https://khabarantar.com/a-get-together-program-for-retired-senior-government-officials-was-held-in-gandhinagar</link>
                    <guid>https://khabarantar.com/a-get-together-program-for-retired-senior-government-officials-was-held-in-gandhinagar</guid>
                    <description>
                        <![CDATA[ પૂર્વ મહેસૂલ સચિવ શ્રી એમ.બી.પરમારની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ક્લાસ 1-2 અને સુપર ક્લાસ વન અધિકારીઓએ સમાજને સ્પર્શતા અનેક મુદ્દે ચિંતન-મનન કર્યું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિવૃત્ત કલેકટર અને મહેસૂલ વિભાગના સચિવ શ્રી એમ. બી. પરમાર IASની અધ્યક્ષતામાં રવિવાર તા. 12 જાન્યુઆરી 2025ના રોજ ગાંધીનગર ખાતે વર્ગ ૨ - વર્ગ ૧ અને સુપર વર્ગ ૧ ના વિવિઘ ઊચ્ચ સરકારી હોદ્દા પરથી નિવૃત્ત થયેલા મિત્રોનું સ્નેહમિલન ગેટ ટુ ગેધર ગાંધીનગર જીમખાના બેંક્વેટ હોલ ખાતે યોજાયું હતું. જેમા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, નિગમ, બોર્ડ, સ્વાયત્ત સંસ્થાઓ, ખાતાના વડા નિયામક, કમિશનર, પોલીસ ખાતાનાં વડાઓ, આઇએએસ, આઇપીએસ, તબીબી અધિકારીઓ, ઓએનજીસી અને રેલ્વેનાં નિવૃત્ત અધિકારી મિત્રો હાજર રહ્યાં હતા. આ સિવાય હાલમાં ચાલુ હોદ્દા પરના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અન્ય અધિકારી મિત્રોમાં સચિવાલય સંવર્ગના નાયબ સચિવ અને ઉપસચિવ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કક્ષાની કચેરીઓ પૈકી જિલ્લા કલેકટર કચેરીના મામલતદાર, માહિતી અને પ્રસારણ નિયામક કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ અને સમારોહ પ્રસંગ હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_6789f6c7f2a26.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૌ પ્રથમ સમારંભના આયોજક, સંયોજક રાજેન્દ્ર કુમાર, અધિક કલેકટર અને સંયુક્ત નિયામક માહિતી અને પ્રસારણ નટુભાઈ દ્વારા મંચસ્થ ઉચ્ચ મહાનુભવોનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હાજર સર્વે ઉચ્ચ અધિકારી મિત્રોને સ્નેહભર્યો આવકાર આપી સ્વાગત કરવામા આવ્યું અને તમામ મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_6789f6fd55c15.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉપસ્થિત મિત્રોએ પોતાનો પરિચય તેમજ નોકરી-બિઝનેસ વિગેરેની માહિતી આપી તેમજ નિવૃત્તિ અને વર્તમાન પ્રવૃત્તિ Activities થી બધાંને વાકેફ કર્યાં હતા. હાલના ડિજિટલ વર્લ્ડ અને માર્કેટિંગ નાં સ્પર્ધાત્મક અને ચેલેન્જના સમયને અનુલક્ષીને ધંધા - વેપાર સાહસિકતા, યુવા પેઢી વિકાસ અને ઘડતર, શિક્ષણ અને નોકરી સાહસિકતા વિષયો પર વિચાર વિમર્શ કરવમાં આવ્યાં. ઘણાં બધાં નિવૃત અને વર્તમાન અધિકારીઓએ પોતાના નોકરી સમય દરમ્યાનના અનુભવો અને  પોતાના મંતવ્યો જણાવી પોતાના સમય અને માર્ગદર્શન માટે વિનામૂલ્ય ઓફર કરી. સંકલન સમિતિ દ્વારા સર્વે સૂચનો, પગલાં અને માર્ગદર્શક મુદ્દાની અને અમલીકરણના પગલાં માટેની નોંધ લેવામા આવી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્નેહમિલન ના Chief Initiator  શ્રી એમ. બી. પરમાર IASની આગેવાનીમાં શ્રી ડૉ. ડી ડી. કાપડિયા IAS દ્વારા અંત્યંત નિપુણતાપૂર્વક કાર્યક્રમને બખૂબી સફળ અને વિશિષ્ટ બનાવવામાં માટે ખાસ પરિશ્રમ ઉઠાવવામાં આવ્યો હતો. સર્વે મંચસ્થ અધિકારી મહાનુભાવ મિત્રોનો કાર્યક્રમમાં આવી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા અને યુવાનોને કારકીર્દિ ઘડતર માટે કાળજી લેવા અને સખત મહેનત કરવા વગેરે બાબતે હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. ત્યારબાદ અન્ય ઉપસ્થિત અધિકારી મિત્રોનો આભાર માની સ્નેહમિલન સમારોહ પ્રસંગની સમાપ્તિ કરવામાં આવી હતી. ભોજન - લંચની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી બધાં મિત્રોએ ભોજનને ન્યાય આપ્યો. આ સ્નેહમિલન સાચા અર્થમાં વાસ્તવિક સ્નેહમિલન બની રહ્યું. બધાં મિત્રો સહકર્મી અધિકારી હતા અને ઘણાં સમય બાદ મળ્યાં હોવાથી ખૂબ સ્નેહ અને લાગણી, કૌટુંબિક ભાવનાથી મળ્યાં અને એકમેકને ભેટી પડયા હતા. શ્રી એમ. બી. પરમાર IAS આખા પ્રોગ્રામની પાયાની ઈંટ અને પૃષ્ઠ ભૂમિ foundation stone બની રહ્યાં. આખા કાર્યક્રમ નાં સફળ સંચાલન માટે પૂર્વ સંયુક્ત માહિતી નિયામક શ્રી નટુભાઈ પરમાર તેમજ Additional Collector શ્રી રાજેન્દ્ર કુમાર RKનું યોગદાન, મહેનત, માર્ગ દર્શન, ખંત અને સંકલન અદ્વિતિય અને અગત્યનાં બની રહ્યાં હતા. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_6789f6dd730db.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શ્રી એમ  બી પરમાર IAS, નટુભાઈ JID, રાજેન્દ્ર કુમાર GAS અને અન્ય મિત્રોની મેહનત, જેહમત  કોઈપણ અપેક્ષા વિનાની કામગીરી, કાર્ય ક્ષમતા અને કાર્યશૈલી સ્નેહમિલન ને નજીકના ભવિષ્યની મોટી ગગનચુંબી ઇમારતમાં ફેરવી નાખશે તેમાં લેશ માત્ર શંકા નથી. જે આજના યુવાનોની ભાવિ પેઢીને સોનેરી ભવિષ્ય અને શિક્ષણ અને વ્યવસાય બીઝનેસ કારકિર્દી માટે અંત્યત ઉપયોગી બની રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/vhp-trishul-initiation-program-buddhist-monks-attended-and-exchanged-vows">VHP ના ત્રિશુલ દીક્ષા કાર્યક્રમમાં બૌદ્ધ ભંતે હાજરી આપી સંકલ્પ લેવડાવ્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 17 Jan 2025 11:46:32 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 17 Jan 2025 11:52:19 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1846</Articleid>
                    <excerpt>પૂર્વ મહેસૂલ સચિવ શ્રી એમ.બી.પરમારની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ક્લાસ 1-2 અને સુપર ક્લાસ વન અધિકારીઓએ સમાજને સ્પર્શતા અનેક મુદ્દે ચિંતન-મનન કર્યું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6789f6aa60e4c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6789f6aa2c93b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6789f6aa2c93b.jpg" length="97045" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>gandhinagar news, get-together program, gandhinagar</media:keywords>
                </item>
                        <item>
                    <title>સેલિના જેટલીએ કહ્યું હતું, &amp;quot;બીજો જન્મ મળે તો ડો.આંબેડકર બનવા માંગીશ&amp;quot;</title>
                    <link>https://khabarantar.com/celina-jaitley-said-If-i-get-another-birth-i-would-like-to-be-dr-ambedkar</link>
                    <guid>https://khabarantar.com/celina-jaitley-said-If-i-get-another-birth-i-would-like-to-be-dr-ambedkar</guid>
                    <description>
                        <![CDATA[ 24 વર્ષ પહેલા Femina Miss India 2001 સ્પર્ધામાં સેલિના જેટલીને સૌરવ ગાંગુલીએ પૂછેલો સવાલ અને તેણે આપેલો જવાબ આટલા વર્ષ પછી કેમ વાયરલ થઈ રહ્યો છે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલથી સોશિયલ મીડિયામાં એક 24 વર્ષ જૂનો વીડિયો વાયરલ થયો છે, જેમાં ફેમિના મિસ ઈન્ડિયા 2001 સ્પર્ધા દરમિયાન તત્કાલીન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્પર્ધામાં જજ પેનલિસ્ટ રહેલા સૌરવ ગાંગુલીએ સ્પર્ધક સેલિના જેટલીને પૂછ્યું હતું, "જો તમને બીજો જન્મ મળે, તમે શું બનવા માંગો છો અને શા માટે?"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સેલિના જેટલીએ આ પ્રશ્નનો જવાબ અત્યંત સંવેદનશીલતા અને બૌદ્ધિક અભિગમ સાથે આપ્યો. તેણે કહ્યું કે તે 'ડૉ. ભીમરાવ આંબેડકર' તરીકે જન્મ લેવા માંગશે. સેલિનાએ ડૉ. આંબેડકરના જીવન, સંઘર્ષ અને તેમના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું: "હું તેમને તેમના ગહન અભ્યાસ અને જ્ઞાન માટે ખૂબ જ માનથી જોઉં છું. મને તેમના પ્રત્યે ખૂબ જ માન છે. કાયદાકીય અને સામાજિક સુધારા પ્રત્યેનું તેમનું વિઝન અનોખું છે. ભારતમાં જાતિ વ્યવસ્થાનો અંત લાવવા અને ભારતીય બંધારણ લખવાનું તેમણે જે કાર્ય કર્યું તે દરેક માટે પ્રેરણા આપનારું છે. કાશ, હું ભારતનું બંધારણ લખી શકત અને લોકો મને દરેક વખતે એ જ રીતે યાદ કરત, જે રીતે ડો.બાબાસાહેબ આંબેડકરને યાદ કરે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સેલિનાના આ જવાબે ન માત્ર પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા પરંતુ એ પણ જોવા મળ્યું કે તે સામાજિક સમાનતા અને માનવ અધિકારો જેવા મુદ્દાઓને કેટલી ગંભીરતાથી સમજે છે. સેલિનાએ ૨૦૦૧નો એ ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો અને ૨૦૦૧માં મિસ યુનિવર્સ સ્પર્ધામાં ચોથી રનર-અપ બની હતી. તેણે 2003 ની થ્રિલર ફિલ્મ 'જાનશીન' થી અભિનયની શરૂઆત કરી હતી. સેલેનાને 2013 થી United Nations Equality Champion તરીકે પણ ઓળખવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/what-does-rss-believe-about-the-constitution-of-india-written-by-dr-ambedkar"><span style="font-size: 14pt;">ભારતના બંધારણ પર RSS અને તેના સ્થાપકો શું માનતા હતા?</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સેલિના જેટલીનો આ વીડિયો એવા સમયે વાયરલ થઈ રહ્યો છે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડૉ. આંબેડકર પર કરવામાં આવેલી ટિપ્પણીની વ્યાપક ટીકા થઈ રહી છે. આ નિવેદનનો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે બહુજન સમાજ તરફથી વ્યાપક વિરોધ થઈ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">17 ડિસેમ્બરે સંસદમાં અમિત શાહના ભાષણ પછી વિવાદ શરૂ થયો હતો. રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન બોલતા કેન્દ્રીય ગૃહમંત્રીએ આંબેડકરને લઈને વિપક્ષી પક્ષો પર નિશાન સાધ્યું હતું. આ વિવાદ હજુ પણ લગભગ ત્રણ અઠવાડિયાથી ચાલી રહ્યો છે અને અમિત શાહ પાસેથી માફી અને રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. સેલિના જેટલીનો આ વાયરલ વીડિયો આંબેડકરના યોગદાન અને તેમના વિચારોને ફરીથી ચર્ચાના કેન્દ્રમાં લાવી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ક્લિપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર ઘણી વખત શેર કરવામાં આવી છે. બહુજન સમાજ અને સામાજિક કાર્યકરોએ સેલિના જેટલીના આ નિવેદનની ખૂબ પ્રશંસા કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટ્રાઇબલ આર્મીના સ્થાપક હંસરાજ મીણાએ એક્સ પર એક પોસ્ટ શેર કરી જેમાં તેમણે સેલિના જેટલીની આ ક્લિપ શેર કરતા લખ્યું, "સેલિનાના જવાબથી ખબર પડે છે કે તે આંબેડકરના જીવન, સંઘર્ષ અને સમાજમાં તેમના યોગદાનથી કેટલી પ્રભાવિત હતી. ડૉ. આંબેડકરે સામાજિક સમાનતાને મહત્વ આપ્યું હતું અને માનવ અધિકારો માટેની લડાઈમાં તેમણે જે મિસાલ સ્થાપિત કરી છે તે દરેક પેઢીને પ્રેરણા આપે છે. સેલિના જેટલીનો આ જવાબ ન માત્ર તેના વિચારો અને સામાજિક સંવેદનશીલતાને જ ઉજાગર કરે છે, પરંતુ પ્રેક્ષકો પર પણ ઊંડી છાપ છોડી ગયો હતો."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. ભીમરાવ આંબેડકરે ભારતીય સમાજમાં સમાનતા અને માનવ અધિકારો સ્થાપિત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમને બંધારણના ઘડવૈયા તરીકે યાદ કરવામાં આવે છે, જેમણે દરેક નાગરિક માટે સમાન અધિકારો સુનિશ્ચિત કરવા માટે લડત આપી હતી. તેમનો વારસો આજે પણ દરેક પેઢીને પ્રેરણા આપે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/if-dr-ambedkars-constitution-was-not-there-amit-shah-would-have-been-selling-scrap-siddarmaiah">ડૉ.આંબેડકરનું બંધારણ ન હોત તો અમિત શાહ ભંગાર વેચતા હોત : સિદ્ધારમૈયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 12 Jan 2025 16:46:16 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 12 Jan 2025 16:52:30 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1840</Articleid>
                    <excerpt>24 વર્ષ પહેલા Femina Miss India 2001 સ્પર્ધામાં સેલિના જેટલીને સૌરવ ગાંગુલીએ પૂછેલો સવાલ અને તેણે આપેલો જવાબ આટલા વર્ષ પછી કેમ વાયરલ થઈ રહ્યો છે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6783a43a5a1d8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6783a43a2907f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6783a43a2907f.jpg" length="100066" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>celina jaitley, dr ambedkar, viral video</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;મોહરા&amp;apos; ફિલ્મ જેમ આસારામના 400 વિરોધીઓની હત્યાના પ્લાનનો પર્દાફાશ?</title>
                    <link>https://khabarantar.com/mohra-film-exposes-asarams-plan-to-kill-400-opponents</link>
                    <guid>https://khabarantar.com/mohra-film-exposes-asarams-plan-to-kill-400-opponents</guid>
                    <description>
                        <![CDATA[ આસારામના કેસના મહત્વના સાક્ષી અમૃત પ્રજાપતિના હત્યારા કિશોર બોડકેએ કરેલા ઘટસ્ફોટથી રાજકોટ ક્રાઈમ બ્રાંચના પગ તળેથી જમીન ખસકી ગઈ છે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનેક યુવતીઓનું જીવન બરબાદ કરી દેનાર અને હાલ દુષ્કર્મના કેસમાં જેલની સજા કાપી રહેલો ઢોંગી બાપુ એવો આસારામ હાલ સારવારના કારણે પેરોલ પર બહાર છે. પણ એ દરમિયાન એક એવી ઘટના બની છે જેણે સૌ કોઈને ચોંકાવી દીધાં છે. આસારામની સામે પડેલા તેના પૂર્વ સાધક અને દુષ્કર્મ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિની 23 મે 2014ના રોજ રાજકોટમાં ફાયરિંગમાં હત્યા થઈ હતી. આ કેસમાં આસારામનો એક સાધક કિશોર બોડકે છેલ્લાં 10 વર્ષથી ફરાર હતો. અમદાવાદ આસારામ આશ્રમના સેવક એવા કિશોર બાલકૃષ્ણ બોડકે (ઉવ.37)ને રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે ગુપ્ત ઓપરેશન પાર પાડી જીવના જોખમે કર્ણાટકના કાલા બગુડીમાં આવેલ આશારામ આશ્રમમાંથી ઝડપી લીધો છે. અને પોલીસ પૂછપરછમાં તેણે જે કબૂલાતો કરી છે તે સાંભળીને ક્રાઈમ બ્રાંચ પણ ચોંકી ઉઠી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_6783590fccaa9.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમૃત પ્રજાપતિ વૈદ્યની હત્યામાં આસારામના સાધકોની સંડોવણી ખુલી હતી. રાજકોટમાં તેની હત્યા કરનાર શાર્પશૂટર કાર્તિક બંગાળી ઉર્ફે રાજુ દુલાલચંદ હલદની ધરપકડ બાદ કિશોર બાલકૃષ્ણ બોડકેની સંડોવણી ખુલી હતી. જેની રાજકોટ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. હજુ આ કેસમાં 7 શખ્સો ફરાર છે. પકડાયેલ કિશોર બાલકૃષ્ણ બોડકનો અમદવાદ સીઆઇડી ક્રાઈમે કબજો લીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આસારામ વિરોધી 400 લોકોને પતાવી દેવાનો પ્લાન હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રાથમિક તપાસમાં ચોકાનારી હકીકત સામે આવી છે. કિશોર બાલકૃષ્ણ બોડકેએ ભારતમાં આસારામનો વિરોધ કરનાર 400 જેટલા વિરોધીઓની યાદી તૈયાર કરી હતી. અને એક પછી એક દરેક વિરોધીઓની હત્યાનો પ્લાન પણ બનાવ્યો હતો. કિશોર બોડકેએ આસારામના વિરોધીઓને ‘પાઠ’ ભણાવવા એસિડ એટેકથી માંડી ફાયરીંગ સહિતની તૈયારી કરી લીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અમૃત પ્રજાપતિને કેવી રીતે પતાવી દીધો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દુષ્કર્મ કેસમાં આસારામની સામે પડેલા તેમના પૂર્વ સાધક અને કેસના મહત્વના સાક્ષી અમૃત પ્રજાપતિ ગત તા 23/05/2014ના રોજ રાજકોટમાં પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયિંરગ કરી હત્યા કરવામાં આવી હતી. રાજકોટના સંત કબીર રોડ પર આવેલી ઓમ શાંતિ આયુર્વેદિક હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે આવેલ વૈદ્ય અમૃત પ્રજાપતિ પાસે બપોરે 1 વાગે એક વ્યક્તિ ઓમ શાંતિ આરોગ્ય ધામમાં દર્દીના સ્વાંગમાં આવ્યો હતો અને વૈદ્ય અમૃત પ્રજાપતિ હોસ્પિટલની બહાર નીકળતા હતા ત્યારે આ શખ્સે અમૃત પ્રજાપતિ ઉપર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયિંરગ કર્યું હતું. ફાયિંરગમાં અમૃત પ્રજાપતિને ગળામાં ગોળી ઘૂસી જતા ગંભીર ઇજા થઇ હતી. ભાગવાના પ્રયાસમાં હત્યારાની બે પિસ્તોલ અને એક મેગેઝિન અને 10 કાર્ટીસ સ્થળ પડી જતા તે મળી આવ્યા હતા. અમૃત પ્રજાપતિને રાજકોટ અને બાદમાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવ અંગે રાજકોટ બી-ડીવીઝન પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અમૃત પ્રજાપતિએ અંતિમ નિવેદનમાં અનેકના નામ આપ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા અમૃત પ્રજાપતિએ સારવાર વખતે ભાનમાં હતા ત્યારે પોતાના અંતિમ નિવેદનમાં મેઘજીભાઇ પટેલ(કાંકરેજ, હાલ માં નગર, વડોદરા આશ્રમ), કે.ડી. ઉર્ફે કાંતિલાલ ડી.પટેલ (ઇડર, સાબરકાંઠા, હાલ-એ-16, મહેનજીબા નગર, મોટેરા), આસારામની જમીનનું કામકાજ સંભાળતા વિકાસ કૈલાસચંદ ખેમકા (રહે, સુરત) રામચંદ્ર ચંદીરામ ઠક્કર (ડીસા, હાલ મોટેરા, આશ્રમના ખરીદ વેચાણના ઇન્ચાર્જ), અજય રસિકલાલ શાહ (મનોરમાગંજ ઇન્દોર, હાલ મોટેરા આશ્રમ) અને કૌશિક પોપટ (નંદુરબાર, મહારાષ્ટ્ર, હાલ હિસાબનીશ, મોટેરા આશ્રમ)ના નામ આપ્યા હતા. જોકે આ તમામની પુછપરછ બાદ આ હત્યા કેસમાં શાર્પશૂટર કાર્તિક બંગાળી ઉર્ફે રાજુ દુલાલચંદ હલદરનું નામ ખૂલ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કિશોર બાડકે કર્ણાટકના આસારામ આશ્રમમાંથી ઝડપાયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બન્ને શખ્સો અગાઉથી રાજકોટ આવી ગયો હતો અને રાજકોટ ખાતે આસારામ આશ્રમમાં રોકાયાનું સીઆઇડીની તપાસમાં બહાર આવ્યું હતું. આ કેસમાં કિશોર બાલકૃષ્ણ બોડકેનું નામ ખુલ્યું હતું જેણે અમૃત પ્રજાપતિની હત્યાની સોપારી આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/gauri-garwa-murder-case-kutch-people-hold-silent-rally-and-submit-complaint-to-collector-sp"><span style="font-size: 14pt;">ગૌરી ગરવાની હત્યામાં આખું કચ્છ હિબકે ચઢ્યું, ખુદ સાંસદ ન્યાય માટે રસ્તે ઉતર્યા</span></a></span></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_6783592b63ffc.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટમાં આસારામના પૂર્વ સાધકની 10 વર્ષ પૂર્વની હત્યાનું કાવતરું રચનાર હત્યામાં સંડોવાયેલ મૂળ મહારાષ્ટ્રના સોલાપુરના વીડીઘરકુલ બ્રહ્મનાથનગરના વતની અને અમદાવાદ આશારામ આશ્રમ, મોઢેરા ખાતે રહેતા સેવક કિશોર બાલકૃષ્ણ બોડકે (ઉવ.37) કર્ણાટકના કાલા બગુડીમાં આવેલ આશારામ આશ્રમમાં છુપાયો હોવાની બાતમીને આધારે રાજકોટ ક્રાઈમ બ્રાંચના એ.એસ.આઇ.જલદિપસિહ વાઘેલા, હેડ કોન્સટેબલ સુભાષભાઇ ધોધારી, વિજયરાજસિંહ જાડેજા, સંજયભાઇ ખાખરીયાની ટીમે કર્ણાટકના કાલા બગુડીમાં આવેલ આશારામ આશ્રમમાં સેવક બની વેશપલ્ટો કરી પાંચ દિવસ સુધી વોચ રાખી સેવક કિશોર બાલકૃષ્ણ બોડકેને પકડી રાજકોટ લાવવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">'મોહરા' ફિલ્મ જેમ આસારામ બોલે તેનું લિસ્ટ બનાવતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસની પ્રાથમિક તપાસમાં કિશોર બોડકે આસારામનો કટ્ટર સાધક હોવાનું જાણવા મળ્યું છે. તે ભારતમાં આવેલ આસારામના અલગ-અલગ આશ્રમમાં ફરતો રહેતો અને સેવા આપતો હતો. તે આસારામના વિરોધીઓ ઉપર ખાસ વોચ રાખતો હતો અને જે લોકો આસારામની વિરુદ્ધ બોલે તેમનું લિસ્ટ તૈયાર કરી તેમના ઉપર હુમલા કે તેની હત્યાનો પ્લાન બનાવતો હતો હતો. કિશોર બોડકે હત્યા અને હત્યાની કોશિશ સહિત ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. જેમાં સુરત ખાતે ઉમરા, અડાજણ અને ખાટોદર પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. અગાઉ તે સુરતમાં આસારામના એક વિરોધી ઉપર એસિડ એટેક પણ કર્યો હતો. કિશોર સાથે અન્ય 7 સાધકો ફરાર હોય તેની ભાળ મેળવવા માટે હવે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ટીમ કિશોરની વિશેષ પૂછપરછ કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કિશોરની ધરપકડ બાદ પોલીસે નોન સ્ટોપ 1200 કિમી અંતર કાપ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કિશોરની ધરપકડ બાદ કર્ણાટકના કાલા બગુડીમાં આવેલ આસારામ આશ્રમમાં સાધકો રાજકોટ પોલીસ ઉપર હુમલો કરે તેવી દહેશતને પગલે ગુપ્ત ઓપરેશન ઘડવામાં આવ્યું હતું. પી.એસ.આઈ એ.એન.પરમાર પી.એસ.આઈ એમ.કે.મોવલીયાની ટીમમાં ફરજ બજાવતા એએસઆઈ જલદીપસિંહ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ સુભાષ ઘોઘારી, વિજયરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુન ડવ અને સંજય ખાખરીયા બે દિવસ પૂર્વે રાજકોટથી નીકળી 1200 કિલોમીટરનું અંતર કાપી કર્ણાટક સ્થિત કાલા બગુડા જિલ્લામાં આવેલ આસારામના આશ્રમ ખાતે પહોંચ્યા હતા. અહીંયા પહોંચી તેઓ પ્રથમ એક દિવસ સાધક બની દર્શન કર્યા હતા અને આરોપી ઉપર વોચ રાખવી શરૂ કરી હતી. ત્યાબાદ બાદ કિશોર બોડકે વિશે ભાળ મળી જતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને 10 કલાકમાં 1200 કિલોમીટરનું નોનસ્ટોપ અંતર કાપી કર્ણાટકથી પરત રાજકોટ લઈ આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/lucknow-hotel-murder-agra-a-young-man-killed-4-sisters-and-his-mother">‘ઓ બાંગ્લાદેશી…’ ના મેણાંથી કંટાળી યુવકે 4 બહેનો અને માતાની હત્યા કરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 12 Jan 2025 11:28:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1838</Articleid>
                    <excerpt>આસારામના કેસના મહત્વના સાક્ષી અમૃત પ્રજાપતિના હત્યારા કિશોર બોડકેએ કરેલા ઘટસ્ફોટથી રાજકોટ ક્રાઈમ બ્રાંચના પગ તળેથી જમીન ખસકી ગઈ છે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678358cecaf99.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678358ce966bf.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678358ce966bf.jpg" length="64221" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Asaram Bapu, mohra film, asarams case, The killers of Amrit Prajapati, Rajkot crime branch</media:keywords>
                </item>
                        <item>
                    <title>હવે અમેરિકામાં અમિત શાહ વિરુદ્ધ આંબેડકરવાદીઓ રસ્તા પર ઉતર્યા</title>
                    <link>https://khabarantar.com/now-ambedkarites-take-to-the-streets-against-amit-shah-in-america</link>
                    <guid>https://khabarantar.com/now-ambedkarites-take-to-the-streets-against-amit-shah-in-america</guid>
                    <description>
                        <![CDATA[ ભારતના બાદ હવે અમેરિકામાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડો.આંબેડકર વિરુદ્ધ કરેલા નિવેદનના વિરોધમાં આંબેડકરવાદીઓ રસ્તા પર ઉતર્યા અને માફીની માગણી કરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત પછી હવે અમેરિકામાં પણ આંબેડકરવાદીઓમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે ગુસ્સો ફાટી નીકળ્યો છે. ન્યૂયોર્કમાં આંબેડકરવાદીઓ દ્વારા તાજેતરમાં કરાયેલા વિરોધ પ્રદર્શન બાદ હવે 4 જાન્યુઆરીએ અમેરિકાના ટેક્સાસના ડલ્લાસમાં આંબેડકરવાદીઓએ અમિત શાહની વિરુદ્ધમાં મોટો વિરોધ નોંધાવ્યો હતો. અહીંના સિટી હોલમાં 150થી વધુ આંબેડકરવાદીઓ ભેગા થયા હતા અને અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંસદમાં બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહે જે રીતે બાબાસાહેબ પર ટિપ્પણી કરી, તેનાથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેતા આંબેડકરવાદીઓએ તેમની વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે તે સ્પષ્ટ છે. અને તેઓ કોઈ પણ સંજોગોમાં અમિત શાહને માફ કરવાના મૂડમાં નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખાસ વાત એ હતી કે આ વિરોધ પ્રદર્શનમાં દલિત સમુદાય ઉપરાંત લઘુમતી સમુદાયના લોકોએ પણ ભાગ લીધો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે બાબાસાહેબ આંબેડકર વિના ભારતની કલ્પના પણ કરી શકાતી નથી. આ દરમિયાન આંબેડકરવાદીઓએ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી અમિત શાહ માફી નહીં માંગે ત્યાં સુધી આ વિરોધ બંધ થવાનો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, સંસદમાં અમિત શાહે કહ્યું હતું કે, "આજકાલ એક ફેશન થઈ ગઈ છે, આંબેડકર,આંબેડકર,આંબેડકર..આટલું નામ જો ભગવાનનું લીધું હોત તો સાત જન્મો સુધી સ્વર્ગ મળી જાત." તેમના આ નિવેદન બાદ દેશભરમાં આંબેડકરવાદીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. અનેક શહેરોમાં અને ગામડાઓમાં પણ અમિત શાહ વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને દેખાવો કરી તેમની માફીની માગણી કરી હતી. જો કે, હજુ સુધી અમિત શાહે આ મામલે માફી નથી. એ સ્થિતિમાં ફરી આ મુદ્દે ચગે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/amit-shah-chief-guest-at-gujarat-bar-council-event-in-ahmedabad-lawyers-protest-against">અમિત શાહ સામે હવે ગુજરાત બાર કાઉન્સિલના વકીલે મોરચો માંડ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 12 Jan 2025 11:00:57 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1837</Articleid>
                    <excerpt>ભારતના બાદ હવે અમેરિકામાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડો.આંબેડકર વિરુદ્ધ કરેલા નિવેદનના વિરોધમાં આંબેડકરવાદીઓ રસ્તા પર ઉતર્યા અને માફીની માગણી કરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678336f0ac609.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678336f0784cd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678336f0784cd.jpg" length="137298" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Amit Shah, Dr. Ambedkar, statement, Protests abroad</media:keywords>
                </item>
                        <item>
                    <title>National Dastak ચેનલના બેંક એકાઉન્ટ ફ્રીઝ, બહુજન મીડિયાને દબાવવાનો પ્રયાસ?</title>
                    <link>https://khabarantar.com/national-dastaks-bank-account-frozen-by-income-tax-department</link>
                    <guid>https://khabarantar.com/national-dastaks-bank-account-frozen-by-income-tax-department</guid>
                    <description>
                        <![CDATA[ નેશનલ દસ્તકના એડિટર શંભુકુમાર સિંહે જણાવ્યું છે કે, ઈન્કમ ટેક્સ વિભાગે કોઈપણ સુનાવણી વિના તેમની મીડિયા કંપનીના બેંક ખાતા સીલ કરી દીધાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સમાજની સમસ્યાઓ અને મુદ્દાઓને વાચા આપતા દેશના અગ્રણી ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ 'નેશનલ દસ્તક'ના બેંક ખાતાને આવકવેરા વિભાગે ફ્રીઝ કરી દીધું છે. આ ઘટનાએ મીડિયાની સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. નેશનલ દસ્તકના સ્થાપક અને સંપાદક શંભુ કુમાર સિંહે તેને બહુજન સમાજના અવાજને દબાવવા માટે સરકારનું કાવતરું ગણાવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શંભુ કુમારે જણાવ્યું હતું કે આવકવેરા વિભાગે સુનાવણી માટે કોઈ સમય આપ્યા વિના તેમની મીડિયા કંપનીના બેંક ખાતાઓ સ્થગિત કરી દીધા હતા. સામાન્ય પ્રક્રિયા મુજબ નોટિસ પછી ઓછામાં ઓછો એક મહિનાનો સમય આપવામાં આવે છે, પરંતુ અહીં સીધી કાર્યવાહી કરવામાં આવી હતી. શંભુ કુમારે તેને "બહુજન સમાજના અવાજને દબાવવા અને સરકાર પર સવાલ ઉઠાવનારાઓ સામે બિનજરૂરી કાર્યવાહી કરવાનો" એક ભાગ ગણાવ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કર્મચારીઓનો પગાર વિલંબમાં મૂકાયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નેશનલ દસ્તકની ટીમમાં કુલ 10 લોકો કામ કરે છે, જેમને દર મહિને નિયમિતપણે પગાર ચૂકવવામાં આવે છે. આ મહિને પણ પગાર ચૂકવવાનો સમય હતો, પરંતુ આવકવેરા વિભાગે કોઈપણ સૂચના કે નોટિસ આપ્યા વિના તેમનું બેંક ખાતું ફ્રીઝ કરી દીધું, જેના કારણે કર્મચારીઓનો પગાર અટકી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નેશનલ દસ્તકના રિપોર્ટર નિધિ રતને આરોપ લગાવ્યો કે આ કાર્યવાહી ફક્ત એટલા માટે કરવામાં આવી છે કારણ કે નેશનલ દસ્તક વંચિત અને શોષિત સમાજનો અવાજ ઉઠાવે છે. નિધિએ કહ્યું, "સરકાર અમને ચૂપ કરવા માટે આવી યુક્તિઓ અપનાવી રહી છે જેથી અમને સમાજના પ્રશ્નો અને સમસ્યાઓ ઉઠાવતા અટકાવતા રોકી શકાય."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અગાઉ માહિતી અને પ્રસારણ મંત્રાલયે નોટિસ મોકલી હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નેશનલ દસ્તક ચેનલ પર આ કાર્યવાહી પહેલી વાર નથી રહી. અગાઉ, લોકસભા ચૂંટણી દરમિયાન દિલ્હીના માહિતી અને પ્રસારણ વિભાગે નેશનલ દસ્તકને નોટિસ મોકલી હતી અને તેની યુટ્યુબ ચેનલ બંધ કરવાનું કહ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શંભુ કુમાર માને છે કે નેશનલ દસ્તક વંચિત અને શોષિત સમાજનો અવાજ ઉઠાવવાનું કામ કરે છે, જે સરકારને અસહજ કરી મૂકે છે. તેમણે કહ્યું, "સરકારને પ્રશ્નો પૂછનારા અને બહુજન સમાજના મુદ્દાઓ ઉઠાવનારાઓને ચૂપ કરવા માટે આ યુક્તિઓ અપનાવવામાં આવી રહી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધારણની કલમ 19(1)(a) દરેક નાગરિકને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપે છે. આવી સ્થિતિમાં યોગ્ય પ્રક્રિયા વિના મીડિયા સંસ્થાઓ સામે કાર્યવાહી કરવી એ લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ છે. શંભુ કુમારે કહ્યું કે નેશનલ દસ્તક આ અન્યાયી કાર્યવાહી સામે કાનૂની લડાઈ લડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/shambhu-kumar-singhs-national-dastak-youtube-channel-received-a-shutdown-notice">શંભુ કુમાર સિંહની નેશનલ દસ્તક યુટ્યૂબ ચેનલને બંધ કરવાની નોટિસ મળી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 12 Jan 2025 09:00:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1836</Articleid>
                    <excerpt>નેશનલ દસ્તકના એડિટર શંભુકુમાર સિંહે જણાવ્યું છે કે, ઈન્કમ ટેક્સ વિભાગે કોઈપણ સુનાવણી વિના તેમની મીડિયા કંપનીના બેંક ખાતા સીલ કરી દીધાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67829756eb00d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67829756b775b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67829756b775b.jpg" length="61271" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>national dastaks, Shambhu Kumar Singh</media:keywords>
                </item>
                        <item>
                    <title>અખિલેશ યાદવે અનેક યોજનાઓમાંથી ડૉ.આંબેડકરનું નામ હટાવ્યું હતું?</title>
                    <link>https://khabarantar.com/dr-lalji-prasad-nirmal-said-akhilesh-yadav-removed-dr-ambedkars-name-from-schemes</link>
                    <guid>https://khabarantar.com/dr-lalji-prasad-nirmal-said-akhilesh-yadav-removed-dr-ambedkars-name-from-schemes</guid>
                    <description>
                        <![CDATA[ અખિલેશ યાદવે અનેક યોજનાઓ અને સ્મારકોમાંથી ડો.આંબેડકરનું નામ દૂર કરી દીધું હતું, જે બીએસપીની સરકાર વખતે જે તે સ્મારક સાથે જોડવામાં આવ્યું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના સભ્ય ડૉ. લાલજી પ્રસાદ નિર્મલે આરોપ લગાવ્યો કે અખિલેશ યાદવની સરકારે દલિતોને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે અને યોજનાઓ અને સ્મારકોમાંથી ડૉ. આંબેડકરનું નામ દૂર કર્યું છે. તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના વારસાનું ખતમ કરવામાં કોઈ કસર નથી છોડી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના સભ્ય અને ઉત્તર પ્રદેશ અનુસૂચિત જાતિ નાણા અને વિકાસ નિગમના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. લાલજી પ્રસાદ નિર્મલે અખિલેશ યાદવ પર ડૉ. ભીમરાવ આંબેડકરના નામને સરકારી યોજનાઓ અને સ્મારકોમાંથી દૂર કરવાના ગંભીર આરોપો લગાવ્યા છે. ડૉ. નિર્મલે કહ્યું કે જ્યારે અન્ય રાજકીય પક્ષો ડૉ. આંબેડકરના નામે દલિતોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે સપા સરકાર દરમિયાન દલિતો માટે કરવામાં આવેલા કાર્યોને પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. તેમણે ખાસ કરીને તે યોજનાઓ અને સ્થળોનો ઉલ્લેખ કર્યો જેમાંથી સપા દ્વારા બાબા સાહેબનું નામ દૂર કરવામાં આવ્યું હતું. આ આરોપ ગંભીર એટલા માટે છે કેમ કે, સપા પણ કોંગ્રેસની જેમ ડો.આંબેડકરની ગુણગાન ગાઈ રહી છે. ત્યારે દલિત સમાજ માટે આ આરોપો ચોંકાવનારા છે. ડૉ. આંબેડકર માત્ર ભારતીય બંધારણના નિર્માતા જ નહોતા, પરંતુ તેમણે દલિતોના અધિકારો માટે સતત લડત પણ આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-does-rss-have-any-answer-to-these-questions-of-ambedkar">ડૉ. આંબેડકરના આ સવાલોનો RSS પાસે કોઈ જવાબ છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અખિલેશ યાદવના શાસનમાં ડૉ. આંબેડકરના નામ સાથે છેડછાડ</span></strong></span><br><span style="font-size: 14pt;">ડૉ. નિર્મલે સમાજવાદી પાર્ટીની સરકાર દરમિયાન થયેલા નામ પરિવર્તનના ઘણાં ઉદાહરણો આપ્યા. તેમણે જણાવ્યું કે 'આંબેડકર ગ્રામ વિકાસ યોજના' દ્વારા 'ડૉ. આંબેડકર' નામ કાઢી નાખવામાં આવ્યું છે અને લખનૌના 'ડૉ. આંબેડકર ગ્રીન પાર્ક'નું નામ બદલીને જનેશ્વર મિશ્રા પાર્ક રાખવામાં આવ્યું. આ ફેરફાર માત્ર ડૉ. આંબેડકરના યોગદાનનો અસ્વીકાર નહોતો પરંતુ દલિત સમાજને સંદેશ પણ હતો કે રાજ્યમાં તેમના વારસાનું મૂલ્ય નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો. નિર્મલે આગળ જણાવ્યું કે, આ સિવાય રામપુરમાં ડૉ. આંબેડકર પ્લેનેટોરિયમમાંથી પણ બાબા સાહેબનું નામ કાઢી નાખવામાં આવ્યું હતું અને કન્નૌજમાં ડૉ. આંબેડકર મેડિકલ કોલેજનું નામ બદલીને એક સામાન્ય નામ આપી દેવામાં આવ્યું હતું. લખનૌના આંતરરાષ્ટ્રીય બસ ટર્મિનલ પરથી પણ ડો.આંબેડકરનું નામ હટાવીને તેને બદલીને આલમબાગ બસ ટર્મિનલ કરવામાં આવ્યું હતું. ભીમનગર(સંભાલ) નું નામ કાઢી નાખવામાં આવ્યું. રમાબાઈ આંબેડકર નગર (કાનપુર દેહાત) પરથી રમાબાઈનું નામ દૂર કરવામાં આવ્યું અને તેને એક સામાન્ય નામ આપવામાં આવ્યું છે. આ તમામ પગલાં દલિતો માટે નિરાશાનું કારણ બન્યાં હતા, જેઓ હંમેશા ડૉ. આંબેડકરને તેમના અધિકારો માટેની લડાઈનું પ્રતીક માનતા આવ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતો પ્રત્યે અખિલેશ યાદવની સરકારનું વલણ</span></strong></span><br><span style="font-size: 14pt;">ડૉ. નિર્મલે અખિલેશ યાદવની સરકાર વિરુદ્ધ કડક ટિપ્પણી કરી અને કહ્યું કે દલિતો માટે બનાવેલા સ્મારકો અને યોજનાઓમાંથી ડૉ. આંબેડકરનું નામ દૂર કરવાનું તેમના દ્વારા લેવાયેલું પગલું દલિત સમાજ પ્રત્યે મોટો અન્યાય છે. તેમણે કહ્યું કે અખિલેશ યાદવની સપા સરકારે હંમેશા બાબા સાહેબના વિચારો અને યોગદાનને પાછળ ધકેલી દેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે યોજનાઓ અને સંસ્થાઓનું નામમાંથી ડૉ. આંબેડકરનું નામ દૂર કરવામાં આવ્યું, ત્યારે જ એ સાબિત થઈ ગયું હતું કે સમાજવાદી પાર્ટીની સરકારને દલિત સમાજના ઇતિહાસ અને તેમના સંઘર્ષો પ્રત્યે કોઈ માન નહોતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બધાં રાજકીય પક્ષો ડો.આંબેડકરના યોગદાનનો આદર કરે</span></strong></span><br><span style="font-size: 14pt;">અખિલેશ યાદવની સરકાર દ્વારા ડૉ. આંબેડકરના નામ સાથે ચેડા કરવાનો વિવાદ દલિત સમાજ માટે એક ગંભીર પ્રશ્ન છે. ડૉ. નિર્મલે સ્પષ્ટ કર્યું કે અખિલેશ યાદવે બાબાસાહેબના વારસાને નકારીને તેમણે દલિતો માટે કરેલા કાર્યોને નષ્ટ કરવાનું કામ કર્યું છે. હવે સમય પાકી ગયો છે કે બધા રાજકીય પક્ષો ડૉ. આંબેડકરના યોગદાનનો યોગ્ય રીતે આદર કરે અને તેમના વિચારોને પોતાના કાર્યોમાં પણ પ્રતિબિંબિત કરે. દલિતો પ્રત્યે સાચો આદર ફક્ત નામકરણથી નહીં, પરંતુ વાસ્તવિક કાર્યોથી જ સુનિશ્ચિત થઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/brahmins-attack-in-buddha-katha-babasahebs-photo-torn-six-dalit-injured">બુદ્ધ કથામાં બ્રાહ્મણોનો હુમલોઃ બાબાસાહેબનો ફોટો ફાડ્યો, 6 દલિતો ઘાયલ</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 11 Jan 2025 15:11:17 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1833</Articleid>
                    <excerpt>અખિલેશ યાદવે અનેક યોજનાઓ અને સ્મારકોમાંથી ડો.આંબેડકરનું નામ દૂર કરી દીધું હતું, જે બીએસપીની સરકાર વખતે જે તે સ્મારક સાથે જોડવામાં આવ્યું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67823c966d55e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67823c9628df8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67823c9628df8.jpg" length="64290" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dr. Lalji Prasad Nirmal, Akhilesh Yadav, Dr. Ambedkar</media:keywords>
                </item>
                        <item>
                    <title>VHP ના કાર્યક્રમમાં જઈ કોમવાદી નિવેદન કરનાર જજે હજુ માફી નથી માંગી</title>
                    <link>https://khabarantar.com/allahabad-high-court-judge-shekhar-kumar-yadav-has-not-yet-apologized</link>
                    <guid>https://khabarantar.com/allahabad-high-court-judge-shekhar-kumar-yadav-has-not-yet-apologized</guid>
                    <description>
                        <![CDATA[ મુસ્લિમોને &#039;કઠમુલ્લા&#039; કહી ઉતારી પાડનાર અને &#039;દેશ બહુમતીઓના હિસાબે ચાલશે&#039; કહેનાર જજ shekhar kumar yadav ને કોનું પીઠબળ છે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના કાર્યક્રમમાં જઈને "આ દેશ બહુમતીના આધારે ચાલશે" અને મુસ્લિમોનું 'કઠમુલ્લા' કહીને જાહેરમાં અપમાન કરનાર જજ શેખર કુમાર યાદવે (Justice Shekhar kumar yadav) પોતાના નિવેદનને લઈને હજુ સુધી માફી માંગી નથી. કોમવાદી નિવેદન આપવા બદલ તપાસનો સામનો કરી રહેલા આ જજને સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સ્પષ્ટતા કરવા કહ્યું હતું. જો કે હજુ સુધી તેમણે આ બાબતે દિલગીરી વ્યક્ત નથી કરી અને માફી પણ નથી માંગી. હવે સમન્સ પાઠવ્યાના લગભગ 3 અઠવાડિયા પછી સીજેઆઈ સંજીવ ખન્નાએ ફરીથી અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. અહેવાલ છે કે અત્યાર સુધી જસ્ટિસ યાદવે આ મામલે માફી માંગી નથી. જેને લઈને સુપ્રીમ કોર્ટ તેમના પર પગલાં લઈ શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમ દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટના સિટીંગ જજ શેખર કુમાર યાદવે મુસ્લિમ સમાજનો ઉલ્લેખ કરતી ટિપ્પણી કરી હતી. જેને લઈને તેમના પર મહાભિયોગ ચલાવીને દૂર કરવા સુધીની કાર્યવાહી કરવા અરજી કરાઈ હતી. સીજેઆઈ ખન્નાએ અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરુણ ભસાલીને એક પત્ર લખ્યો છે. જેના દ્વારા, CJI એ આ કેસમાં એક નવો રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે. 17 ડિસેમ્બરે જ કોલેજિયમ અને જસ્ટિસ યાદવ વચ્ચેની બેઠક દરમિયાન સ્પષ્ટતા માંગવામાં આવી હતી. અહેવાલ મુજબ, બેઠક પછીથી જસ્ટિસ યાદવ પોતાના નિવેદન પર અડગ રહ્યા છે અને હજુ સુધી માફી માંગી નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-youth-beaten-up-by-bajrang-dal-shaved-his-head-and-paraded-him-around-the-village-in-fatehpur">બજરંગ દળ-VHP ની ગુંડાગર્દી, દલિત યુવકનું માથું મુંડી આખા ગામમાં ફેરવ્યો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સી રવિચંદ્રન વિરુદ્ધ જસ્ટિસ એએમ ભટ્ટાચાર્ય અને અન્યોના કેસનો નિર્ણય સુપ્રીમ કોર્ટે 1995માં લીધો હતો. ત્યારબાદ એવું કહેવામાં આવ્યું હતું કે જો કેસ હાઈકોર્ટના ન્યાયાધીશ વિરુદ્ધ ફરિયાદનો હોય, તો તે હાઈકોર્ટના સીજેઆઈ તપાસ પછી ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે આ બાબતે ચર્ચા કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મહાભિયોગ કાર્યવાહીને પડકારતી અરજી ફગાવાઈ</span></strong></span><br><span style="font-size: 14pt;">અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે મંગળવારે ન્યાયાધીશ શેખર કુમાર યાદવ સામે લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવને પડકારતી પીઆઈએલ ફગાવી દીધી. અરજદારે વિનંતી કરી હતી કે હાઇકોર્ટે રાજ્યસભાના અધ્યક્ષને 55 સાંસદો દ્વારા રાજ્યસભાના મહાસચિવ સમક્ષ રજૂ કરાયેલા પ્રસ્તાવ પર આગળની કાર્યવાહી શરૂ ન કરવાનો નિર્દેશ આપવો જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેન્ચે કહ્યું કે પીઆઈએલ દબાયેલા-કચડાયેલા વર્ગના લોકોનો અવાજ ઉઠાવવા માટે દાખલ કરવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં એવું નથી. કોર્ટે એમ પણ કહ્યું કે આ અરજી પીઆઈએલ દાખલ કરવા માટે નિર્ધારિત સમય મર્યાદાની બહાર છે અને તેથી, તે સુનાવણી માટે યોગ્ય નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>મામલો શું હતો?</strong></span><br>અલ્હાબાદ હાઈકોર્ટના જજ શેખર કુમાર યાદવ 8 ડિસેમ્બર 2024ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું હતું કે, "હિંદુઓ એવી અપેક્ષા રાખતા નથી કે મુસ્લિમો તેમની સંસ્કૃતિનું પાલન કરે, પરંતુ તેઓ ઈચ્છે છે કે તેઓ તેનો અનાદર ન કરે. તેમણે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCC વિશે પણ વાત કરી. ઉપરાંત, તેમણે કહ્યું કે આ ભારત છે અને તે તેની બહુમતી વસ્તીની ઈચ્છા અનુસાર ચાલશે."<br></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કાર્યક્રમમાં ઘણા વકીલો અને VHP કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. તેમને સંબોધતા </span><span style="font-size: 14pt;">જસ્ટિસ શેખર કુમાર યાવદ(Justice Shekhar Kumar Yadav) એ વધુમાં કહ્યું કે, "અમે અમારા બાળકોને જન્મથી જ સહનશીલતા અને દયા શીખવીએ છીએ. અમે તેમને પ્રાણીઓ અને પ્રકૃતિને પ્રેમ કરવાનું શીખવીએ છીએ. બીજાના દુઃખ જોઈ અમને દુઃખ થાય છે. પણ તમને એવું નથી લાગતું. શા માટે... જ્યારે તમે પ્રાણીઓને તેમની સામે મારશો ત્યારે તમારું બાળક સહનશીલતા અને દયા કેવી રીતે શીખશે?"<br></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ તેણે ભારતની બહુમતી વસ્તી વિશે પણ વાત કરી હતી. જસ્ટિસ શેખર કુમારે કહ્યું, મને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે આ ભારત છે અને તે પોતાની બહુમતી વસ્તીની ઈચ્છા પ્રમાણે ચાલશે.<br></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે તેમની સામે રાજ્યસભામાં મહાભિયોગની કાર્યવાહી કરવા માટે અરજી કરવામાં આવી છે. એ પહેલા તેમને સુપ્રીમ કોર્ટની કોલેજિયમે પણ નિવેદન અંગે ખુલાસો કરીને માફી માંગવા કહ્યું હતું, પણ હજુ સુધી તેમણે માફી નથી માંગી.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/allahabad-high-court-judge-shekhar-kumar-yadav-reaches-vhp-event">VHPના કાર્યક્રમમાં પહોંચ્યા હાઈકોર્ટના સિટિંગ જજ, રામ મંદિરની પ્રશંસા કરી</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 11 Jan 2025 11:44:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1832</Articleid>
                    <excerpt>મુસ્લિમોને &#039;કઠમુલ્લા&#039; કહી ઉતારી પાડનાર અને &#039;દેશ બહુમતીઓના હિસાબે ચાલશે&#039; કહેનાર જજ shekhar kumar yadav ને કોનું પીઠબળ છે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67820be8ede36.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67820be8b78e6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67820be8b78e6.jpg" length="102462" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>shekhar kumar yadav, allahabad high court, not yet apologized, VHP, Supreme Court, CJI Sanjiv Khanna, Impeachment</media:keywords>
                </item>
                        <item>
                    <title>બાળકોને સોશિયલ મીડિયા અને ફોનથી દૂર રાખવા રાજ્ય સરકાર માર્ગદર્શિકા લાવશે</title>
                    <link>https://khabarantar.com/state-government-to-bring-guidelines-to-keep-children-away-from-social-media-and-phones</link>
                    <guid>https://khabarantar.com/state-government-to-bring-guidelines-to-keep-children-away-from-social-media-and-phones</guid>
                    <description>
                        <![CDATA[ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો, વાલીઓ અને બાળકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરાશે. સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી વિદ્યાર્થીઓને દૂર રાખવા શિક્ષણ રાજ્ય મંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યમાં શાળાના વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે સરકાર શિક્ષકો, વાલીઓ અને બાળકો માટે માર્ગદર્શિકા (ગાઈડલાઈન) જાહેર કરવા જઈ રહી છે. જેના સંદર્ભે આજે શિક્ષણ રાજ્ય મંત્રીએ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે. જે અંગે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ આજે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ -2  ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં શાળાના બાળકોને સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી કઈ રીતે દૂર રાખી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે શિક્ષણ રાજ્ય મંત્રી પાનશેરિયાએ જણાવ્યું હતું કે, બાળકો, વાલીઓ અને શિક્ષકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી તેમજ સિવિલના સાઇકાટ્રીસ્ટની સાથે પરામર્શ કરીને એક પરિપત્ર બહાર પાડવામાં આવશે અને બાળકોના ભવિષ્યની ચિંતા કરીને એક અભિયાન સ્વરૂપે શરૂ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાળકોનો સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનનો વધુ ઉપયોગ તેમની શારીરિક અને માનસિક શક્તિને અસર કરી રહ્યો છે, બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને રમત ગમત પ્રત્યે વધુ ધ્યાન આપે તે માટે વાલીઓ તેમજ શિક્ષકો માટે નિયમ બનાવાશે. જેમાં શિક્ષકોને ક્લાસ રૂમમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ અને પ્રાથમિક શાળાના બાળકો મોબાઈલ લઈને શાળામાં ન આવે તે માટેના કડક પગલાં લેવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષણ રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકોના સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનના ઉપયોગને બદલે તેમને વાંચન અને રમત-ગમત જેવી પ્રવૃતિઓમાં જોડાયેલા રહે તે માટે શાળાઓના શિક્ષકોને માહિતગાર કરવામાં આવશે. તેમણે બાળકોના માતા-પિતાને વિનંતી કરી હતી કે, બાળકોની સામે પોતે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરે, માતા-પિતા પોતે પોતાના બાળકના ભવિષ્યની ચિંતા કરીને સોશિયલ મીડિયાથી બાળકને દૂર રાખે. સમગ્ર ભારતમાં બાળકો સોશિયલ મીડિયાથી દૂર રહી પોતાના જીવનમાં વાંચન અને રમત ગમતને સ્થાન આપે તે માટે શિક્ષકો, વાલીઓ અને બાળકો માટે માર્ગદર્શિકા બહાર પાડનારું ગુજરાત પ્રથમ રાજ્ય હશે તેવી આશા પણ શિક્ષણ રાજ્ય મંત્રીએ વ્યક્ત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષણ રાજ્ય મંત્રીએ વધુમાં એન.જી.ઓ, ધાર્મિક સંસ્થાઓ, તેમજ સામાજિક કાર્યકરો તેમજ મીડિયાના મિત્રોને બાળકોને સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનથી દૂર રહે તે માટેના અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો. તેમજ ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી સરકાર સાથે મળીને કઈ રીતે આ મહાભિયાન લોકો સુધી વધુને વધુ પહોચે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. દરેક શાળામાં શોર્ટ ફિલ્મ મારફતે બાળકોના વાલીઓને સોશિયલ મીડિયાના ઉપયોગો અને તેના નુકશાન વિષે માહિતગાર કરવામાં આવશે, વાલીઓ અને શિક્ષકો જો જાગૃત હશે તો જ બાળકો સોશિયલ મીડિયાથી દૂર રહી વાંચનની સાથે પોતાના જીવન ઘડતર અને સ્પોર્ટ્સ સાથે જોડાઈને પોતાની તંદુરસ્તીનો ખ્યાલ રાખી શકશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/from-the-next-academic-year-2024-25-the-books-of-class-1-to-12-will-change">આગામી શૈક્ષણિક વર્ષ 2024-25થી ધોરણ 1 થી 12 ના પુસ્તકો બદલાશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 10 Jan 2025 10:42:24 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1827</Articleid>
                    <excerpt>શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો, વાલીઓ અને બાળકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરાશે. સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી વિદ્યાર્થીઓને દૂર રાખવા શિક્ષણ રાજ્ય મંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6780ac2c42c67.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6780ac2c0eec1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6780ac2c0eec1.jpg" length="75181" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>guidelines, Keeping children away from phones, gujarat news</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભારતીય પાસપોર્ટની રેન્કિંગ 5 પોઈન્ટ ઘટી, જાણો હવે ક્યા નંબર પર છે</title>
                    <link>https://khabarantar.com/indian-passport-ranking-drops-by-5-points-know-where-if-ranks-now</link>
                    <guid>https://khabarantar.com/indian-passport-ranking-drops-by-5-points-know-where-if-ranks-now</guid>
                    <description>
                        <![CDATA[ હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનો પાસપોર્ટ પાંચ પોઈન્ટ નીચે સરકી ગયો છે. જાણો ભારતીય પાસપોર્ટ ધારકો હવે કેટલા દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતનો પાસપોર્ટ રેન્કિંગ નીચે સરકી ગયો છે અને હવે તે હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 માં 85મા સ્થાને આવી ગયો છે. આ વર્ષે, ભારતનો ક્રમાંક અગાઉના ૮૦મા ક્રમથી પાંચ સ્થાન નીચે આવી ગયો છે. ઇન્ડેક્સ મુજબ, ભારતીય પાસપોર્ટ ધારકો હવે 57 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે.જ્યારે પડોશી દેશ પાકિસ્તાન ૧૦૩મા ક્રમે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પાસપોર્ટ મામલે કયો દેશ ટોચ પર રહ્યો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિંગાપોર સતત બીજા વર્ષે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ટોચ પર રહ્યું છે. ૨૦૨૫ના હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ, સિંગાપોર પાસપોર્ટ ધારક ૧૯૫ દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. જાપાન આ યાદીમાં બીજા ક્રમે છે, જેના પાસપોર્ટ ધારકો 193 દેશોમાં વિઝા મુક્ત મુસાફરી કરી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ છે પાસપોર્ટ મામલે ટોચના 10 દેશો:</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧. સિંગાપોર</span><br><span style="font-size: 14pt;">2. જાપાન</span><br><span style="font-size: 14pt;">3. ફિનલેન્ડ</span><br><span style="font-size: 14pt;">4. ફ્રાન્સ</span><br><span style="font-size: 14pt;">5. જર્મની</span><br><span style="font-size: 14pt;">6. ઇટાલી</span><br><span style="font-size: 14pt;">7. દક્ષિણ કોરિયા</span><br><span style="font-size: 14pt;">૮. સ્પેન</span><br><span style="font-size: 14pt;">9. ઑસ્ટ્રિયા</span><br><span style="font-size: 14pt;">૧૦. ડેનમાર્ક</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પાસપોર્ટના રેન્કિંગમાં પણ ફેરફાર થયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લા દાયકામાં UAE એ પોતાની સ્થિતિમાં મોટો સુધારો કર્યો છે અને હવે તે 10મા સ્થાને છે. તેના નાગરિકો હવે ૧૮૫ દેશોમાં વિઝા મુક્ત મુસાફરી કરી શકે છે. જ્યારે અમેરિકાના રેન્કિંગમાં પણ ઘટાડો થયો છે અને તે હવે નવમા સ્થાને છે, જ્યારે 2015 માં તે બીજા સ્થાને હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તળિયે કોણ છે? </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2025 માં પાકિસ્તાન અને યમન 103મા ક્રમે છે, જ્યાં પાસપોર્ટ ધારકોને ફક્ત 33 દેશોમાં વિઝા-મુક્ત મુસાફરીની મંજૂરી છે. એ પછી ઇરાકનો નંબર આવે છે, આ દેશના પાસપોર્ટ ધારકો 31 દેશોમાં વિઝા-મુક્ત મુસાફરી કરી શકે છે, સીરિયા પાસપોર્ટ ધારકો 27 દેશોમાં વિઝા-મુક્ત મુસાફરી કરી શકે છે અને અફઘાનિસ્તાન પાસપોર્ટ ધારકો 26 દેશોમાં વિઝા-મુક્ત મુસાફરી કરી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/Indias-passport-issue-numbers-rise,-Gujarat-at-number-six"><span style="font-size: 12pt;"> </span>ભારતમાં પાસપોર્ટ ઈશ્યૂ થવાના આંકડાઓ વધ્યાં, ગુજરાત છઠ્ઠા નંબરે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 09 Jan 2025 21:49:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1826</Articleid>
                    <excerpt>હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનો પાસપોર્ટ પાંચ પોઈન્ટ નીચે સરકી ગયો છે. જાણો ભારતીય પાસપોર્ટ ધારકો હવે કેટલા દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677ff6a2c82cd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677ff6a29655a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677ff6a29655a.jpg" length="44491" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>indian passport ranking drops, National News</media:keywords>
                </item>
                        <item>
                    <title>વિદ્યા સહાયકની ભરતીની માંગ સાથે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા</title>
                    <link>https://khabarantar.com/demanding-recruitment-of-vidya-sahayak-candidates-reached-gandhinagar</link>
                    <guid>https://khabarantar.com/demanding-recruitment-of-vidya-sahayak-candidates-reached-gandhinagar</guid>
                    <description>
                        <![CDATA[ ધોરણ 1 થી 5માં વિદ્યા સહાયકની ભરતીનો મામલો ગરમાયો. પોલીસે ઉમેદવારોની અટકાયત કરવાનો પ્રયાસ કરતાં ઘર્ષણની સ્થિતિ સર્જાઈ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિદ્યા સહાયકની ભરતી મામલે આજે ફરી એક વખત ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા. વિદ્યાસહાયકોના ઉમેદવારો દ્વારા વિદ્યા સહાયકની ભરતીની જગ્યાની સંખ્યામાં વધારો કરવા અનેક વખત રજૂઆતો કરાઇ છે, તેમ છતાં સરકાર દ્વારા તેમની વાતને ધ્યાને લેવામાં આવી નથી. જેના કારણે ત્રસ્ત થયેલા ઉમેદવારો ફરી આંદોલન પર ઉતર્યાં છે. આ ઉમેદવારો ધોરણ 1 થી 5માં વિદ્યાસહાયકની જગ્યામાં વધારો કરવાની માંગ સાથે આજે ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં રેલી કાઢીને આવેલા વિદ્યા સહાયક ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયતનો પ્રયાસ કરવામાં આવતા થોડા સમય માટે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ બાદમાં ઉમેદવારો રસ્તા પર બેસી જઈ ને આગળ ન વધતાં મામલો થાળે પડ્યો હતો.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકોની ભરતીની સંખ્યામાં વધારો કરવા માટે ઉમેદવારો દ્વારા સરકારમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તેમની માંગણીઓને અત્યાર સુધી ધ્યાને લેવામાં આવી નથી. જેના કારણે ઉમેદવારોએ વિદ્યા સહાયકની બેઠક વધારવાની માંગ સાથે ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. જેના અંતર્ગત ઉમેદવારો દ્વારા આજે ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે દેખાવો કરવા પહોંચ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા ઉમેદવારોની અટકાયત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે થોડા સમય માટે ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ના દ્રશ્યો સર્જાયા હતા. જો કે, સમજાવટ બાદ ઉમેદવારો રોડ પર બેસી ગયા હતા. જેથી મામલો થાળે પડ્યો હતો.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધીનગર ખાતે વિદ્યા સહાયકની ભરતીમાં જગ્યા વધારવા માટેની માંગણી કરવા આવેલા ઉમેદવારોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ચાલુ વર્ષે 5000 વિદ્યા સહાયકોની ઉમેદવારોની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઇ છે, અમારી (ઉમેદવારોની) માગ છે કે વિદ્યા સહાયકોની 10,000 જગ્યા પર ભરતી કરવામાં આવે. કારણ કે, હાલમાં રાજયમાં ધોરણ 1 થી 5 માં 18 હજાર કરતા વધુ જગ્યા ખાલી પડી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિદ્યા સહાયકના ઉમેદવારોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં આશરે 18 હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે અને તેની સામે સરકાર દ્વારા ધોરણ 1થી 5માં માત્ર 5 હજારની જગ્યા માટે જ ભરતીની જાહેરાત કરાઇ છે. જ્યારે ધોરણ 6 થી 12 સુધીમાં 50 ટકાથી વધારે ભરતી કરવામાં આવી છે તો અમારી સાથે અન્યાય કેમ થઈ રહ્યો છે? ધોરણ 1થી 5 માં તો 18 હજાર જગ્યાઓ ખાલી હોવા છતાં કેમ આટલી ઓછી જગ્યા માટેની જાહેરાત કરાઇ છે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિદ્યાસહાયકોના ઉમેદવારોનું કહેવું છે કે, બાળકો માટે ધોરણ 1થી 5 એ પાયાનું શિક્ષણ છે અને તેમાં જ આટલી ઓછી જાહેરાત કરાઇ છે. જે અમારી સાથે અને બાળકો સાથે થતો અન્યાય છે અને તેના માટે અમે અહીં આવ્યાં છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/state-degree-engineering-colleges-4000-Professors-deprived-of-benefits">રાજ્યની ડિગ્રી ઈજનેરી કોલેજોના 4000 અધ્યાપકો મળવાપાત્ર લાભથી વંચિત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 09 Jan 2025 21:04:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1825</Articleid>
                    <excerpt>ધોરણ 1 થી 5માં વિદ્યા સહાયકની ભરતીનો મામલો ગરમાયો. પોલીસે ઉમેદવારોની અટકાયત કરવાનો પ્રયાસ કરતાં ઘર્ષણની સ્થિતિ સર્જાઈ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677feb97c125f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677feb97854ff.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677feb97854ff.jpg" length="153396" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>recruitment of vidya sahayak, Gandhinagar News</media:keywords>
                </item>
                        <item>
                    <title>લાંચ ન આપી તો તલાટીએ અરજદારનું ડેથ સર્ટિફિકેટ બનાવી નાખ્યું!</title>
                    <link>https://khabarantar.com/if-the-bribe-was-not-paid-talati-made-the-applicants-death-certificate-hardoi-up</link>
                    <guid>https://khabarantar.com/if-the-bribe-was-not-paid-talati-made-the-applicants-death-certificate-hardoi-up</guid>
                    <description>
                        <![CDATA[ મૃત પત્નીનું ડેથ સર્ટિફિકેટ કઢાવવા ગયેલા દલિત શખ્સે તલાટીને લાંચ આપવાનો ઈનકાર કરી દેતા બદલો લેવા તલાટીએ તે વ્યક્તિનું જ મૃત્યુનું પ્રમાણપત્ર બનાવી દીધું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાંથી લાંચનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક દલિત વ્યક્તિ તેની મૃત પત્નીનું ડેથ સર્ટિફિકેટ કઢાવવા માટે ગ્રામ પંચાયતમાં ગયો હતો. જ્યાં તલાટીએ તેની પાસે સર્ટિ કઢાવવા માટે લાંચ માંગી હતી. દલિત વ્યક્તિએ તે આપવાનો ઈનકાર કરી દીધો. તેથી બદલો લેવા માટે તલાટીએ તેની પત્નીને બદલે એ દલિત શખ્સનું જ ડેથ સર્ટિફિકેટ બનાવી દીધું. અરજીકર્તા દલિતે આ મામલે કલેક્ટરને ફરિયાદ કરી છે. એ પછી તલાટી સામે કાર્યવાહી કરવામાં આવી અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તેની વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીં હરદોઈ જિલ્લાના કોથાવાના અટવા ગામના રહેવાસી વિશ્વનાથની પત્ની શાંતિ દેવીનું ૧૯ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ અવસાન થયું હતું. એ પછી વિશ્વનાથ પત્નીનું મૃત્યુ પ્રમાણપત્ર કઢાવવા માટે ગ્રામ પંચાયતના તલાટી સરિતા દેવી પાસે ગયા હતા. વિશ્વનાથના મતે, શરૂઆતમાં તલાટી સરિતા દેવી ડેથ સર્ટિફિકેટ કાઢી દેવામાં ખચકાટ અનુભવતા હતા. એ પછી તેણે સર્ટિફિકેટ બનાવી આપવા માટે બે હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કલેક્ટરને ફરિયાદ કરી</span></strong></span><br><span style="font-size: 14pt;">મળતી માહિતી અનુસાર, જ્યારે વિશ્વનાથે તલાટીને લાંચ આપવાની ના પાડી. તો તેણે વિશ્વનાથને ખૂબ ધક્કા ખવડાવ્યા. અંતે, જ્યારે પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું ત્યારે પણ તે પત્ની શાંતિ દેવીનું નહોતું, પરંતુ તેમનું ખુદનું જ હતું. ૩ જાન્યુઆરીના રોજ, તલાટી સરિતા દેવીએ વિશ્વનાથને 'વિશ્વનાથનું' જ મૃત્યુ પ્રમાણપત્ર પકડાવી દીધું હતું. વિશ્વનાથે કહ્યું કે તે સ્થળ પર પ્રમાણપત્ર યોગ્ય રીતે જોઈ શક્યો નહીં. પણ જ્યારે તેણે ઘરે જઈને પ્રમાણપત્ર જોયું ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો હતો. એ પછી તેણે આ અંગે હરદોઈ જિલ્લા મેજિસ્ટ્રેટ મંગલા પ્રસાદ સિંહને ફરિયાદ કરી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘરે જ આપવામાં આવ્યું મૃત્યુ પ્રમાણપત્ર</span></strong></span><br><span style="font-size: 14pt;">કલેક્ટર મંગલા પ્રસાદ સિંહે આ મામલે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. જે બાદ જિલ્લા પંચાયતના અધિકારીએ તલાટી સચિવ સરિતા દેવીને સસ્પેન્ડ કરી દીધી. તેમની સામે FIR પણ દાખલ કરવામાં આવી છે. એટલું જ નહીં તાલુકા વિકાસ અધિકારીએ પોતે વિશ્વનાથના ઘરે ગયા અને તેમને તેમની પત્ની શાંતિ દેવીનું મૃત્યુ પ્રમાણપત્ર આપ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/upsarpanch-talati-did-not-give-chair-to-dalit-women-sarpanch">દલિત મહિલા સરપંચ ને ઉપસરપંચ-તલાટીએ બેસવા ખુરશી ન આપી</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 09 Jan 2025 12:08:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1823</Articleid>
                    <excerpt>મૃત પત્નીનું ડેથ સર્ટિફિકેટ કઢાવવા ગયેલા દલિત શખ્સે તલાટીને લાંચ આપવાનો ઈનકાર કરી દેતા બદલો લેવા તલાટીએ તે વ્યક્તિનું જ મૃત્યુનું પ્રમાણપત્ર બનાવી દીધું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677f6ec089c6c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677f6ec051f04.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677f6ec051f04.jpg" length="86250" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>death certificate, bribe, ralati, UP, Hardoi, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>નાગ દેવતા માની લોકોએ મહિનાઓ સુધી જેની પૂજા કરી તે મશરૂમ નીકળ્યું!</title>
                    <link>https://khabarantar.com/superstition-the-snake-god-whom-he-worshipped-turned-out-to-be-a-mushroom</link>
                    <guid>https://khabarantar.com/superstition-the-snake-god-whom-he-worshipped-turned-out-to-be-a-mushroom</guid>
                    <description>
                        <![CDATA[ ગામલોકોએ નાગની ફેણ જેવા દેખાતા મશરૂમની મહિનાઓ સુધી પૂજા કરી. વૈજ્ઞાનિકે ખૂલાસો કર્યો છતાં લોકોની અંધશ્રદ્ધામાં જરાય ઘટાડો ન થયો.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં કશુંક નવું કે વિચિત્ર દેખાય કે તરત તેમાં ઈશ્વરી શક્તિને શોધવા માંડતા લોકોની કમી નથી. લોકોની આવી માનસિકતાને કારણે લેભાગુ તત્વોને મોકળું મેદાન મળી જતું હોય છે અને તેઓ લોકોની ધાર્મિક લાગણીઓનો આર્થિક લાભ લેવા માંડતા હોય છે. આવું જ કંઈક આસામના સોનિતપુર જિલ્લાના ચારિદુવાર વિસ્તારના અંતરિયાળ ગામ અમલોગામાં બન્યું હતું. અહીં એક વ્યક્તિના ઘર પાછળ આવેલા વાડામાં એક વિચિત્ર પ્રકારનું મશરૂમ ઉગી નીકળ્યું હતું. જેનો આકાર નાગની ફેણ જેવો હતો. ગામમાં પહેલીવાર આ પ્રકારનું મશરૂમ ઉગી નીકળ્યું હોવાથી લોકો તેની હકીકતથી અજાણ હોવાથી તેને નાગદેવતા સમજીન પૂજા કરવા લાગ્યા હતા. જોતજોતામાં આ સમાચાર વાયુ વેગે અન્ય ગામોમાં પણ ફેલાઈ જતા લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને યુવકના ઘરનો વાડો એક તીર્થસ્થળમાં ફેરવાઈ ગયો હતો. લોકોએ અહીં ધૂપદીપ અને દીવાબત્તી કરવાનું તથા માનતા માનવાનું ચાલું કરી દીધું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ દરમિયાન કોઈએ આ મામલે વૈજ્ઞાનિકને બોલાવી તથ્યની ચકાસણી કરાવતા તે કોઈ નાગદેવતા નહીં પરંતુ અલગ પ્રકારનું મશરૂમ હોવાનું સામે આવ્યું હતું. જો કે હકીકતનો પર્દાફાશ થયો હોવા છતાં અંધશ્રદ્ધાળુંઓની ભીડમાં જરાય કમી આવી નહોતી અને લોકોના ટોળેટોળાં દર્શન માટે ઉમટી પડ્યાં હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમલોગા ગામમાં રહેતા તિલક કોચ નામના યુવકના ઘર પાછળ આવેલા વાડામાં તેણે એક વિચિત્ર સાપ જેવી આકૃતિ જમીનમાંથી ઉગેલી જોઈ હતી. તેણે વિચાર્યું કે આ તો એક અદ્દભૂત વસ્તુ છે અને ટૂંક સમયમાં તેનું ઘર એક તીર્થસ્થળમાં ફેરવાઈ ગયું કારણ કે ગામલોકો તે વિચિત્ર વસ્તુને નાગદેવતા માનીને તેના આશીર્વાદ લેવા ઉમટી પડ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ગત સોમવારે ત્યારે પ્રકાશમાં આવી હતી જ્યારે તિલક તેના ઘરની પાછળના યાર્ડમાં ઉગી નીકળેલા ઝાડીઝાંખરાને સાફ કરી રહ્યો હતો. અહીં તેને અસામાન્ય આકાર દેખાયો હતો. આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા અને થોડી જ વારમાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું અને કહેવાતા દેવતા સમક્ષ પ્રણામ કરી ધૂપદીપ, પ્રાર્થના કરી આશિર્વાદ માંગવા લાગ્યા હતા. લોકો એવું માનતા હતા કે આ નાગદેવતા છે અને તેનું આવું સ્વરૂપ સમૃદ્ધિ અને સુખાકારીનું પ્રતીક હોય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, આ નવા દેવતા વિશેની લોકોની ઉત્તેજના લાંબો સમય ટકી શકી નહોતી. રંગપારા કોલેજના આસિસ્ટન્ટ લેક્ચરર શુભમ રોય વિદ્યાર્થીઓ અને કોલેજના બોટની વિભાગના નિષ્ણાતો સાથે ઘટનાની તપાસ કરવા પહોંચ્યા હતા. તેમણે વૈજ્ઞાનિક રીતે તપાસ કરીને જાહેર કર્યું કે નાગદેવતા જેવી દેખાતી આ વિચિત્ર વસ્તુ ખરેખર એક જંગલી મશરૂમ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રંગપારા કોલેજના વનસ્પતિશાસ્ત્ર વિભાગના જણાવ્યા અનુસાર, તિલકના ઘરની પાછળના યાર્ડમાં જોવા મળતા સાપ જેવા મશરૂમ એ ઘણા પ્રકારની ફૂગમાંથી એક છે જે ભેજવાળી પરિસ્થિતિઓમાં ખીલી ઉઠે છે, આવું આસામમાં ઘણી જગ્યાએ બનતું હોય છે. છેલ્લા એક વર્ષમાં, વિભાગે તેના ચાલુ સંશોધનના ભાગરૂપે લગભગ 40 વિવિધ મશરૂમની પ્રજાતિઓને ઓળખી અને તેનું દસ્તાવેજીકરણ કર્યું છે. નાગદેવતા જેવા દેખાતા મશરૂમ તેના લાંબા અને સાપના આકાર માટે જાણીતા છે, તેને કુદરતી રીતે ઉગી નીળકતા પરંતુ અસામાન્ય પ્રજાતિ તરીકે ઓળખવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે આવી અંધશ્રદ્ધાભરી ઘટનાઓની ભારતમાં જરાય કમી નથી. અહીં કુદરતી ઘટનાઓને પણ લોકો ધર્મ અને અંધવિશ્વાસના ચશ્મા ચડાવીને જોવા ટેવાયેલા છે. આંસુ જેવા રસ સાથે ટપકતા વૃક્ષોથી લઈને દેવતાઓનું ઘર માનવામાં આવતા વિચિત્ર આકારના પથ્થરો સુધી, દેશના ઘણા ભાગોમાં અજાણ્યા લોકોને અલૌકિક મહત્વ આપવાનું વલણ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/bharat-jan-vigyan-jatha-exposes-witchcraft-superstition-in-vagra-bharuch">એ બંને ડાકણ છે, રાતે ઉંદરડી-બિલાડીનું રૂપ ધારણ કરે છે...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 06 Jan 2025 21:14:05 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1815</Articleid>
                    <excerpt>ગામલોકોએ નાગની ફેણ જેવા દેખાતા મશરૂમની મહિનાઓ સુધી પૂજા કરી. વૈજ્ઞાનિકે ખૂલાસો કર્યો છતાં લોકોની અંધશ્રદ્ધામાં જરાય ઘટાડો ન થયો. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677bf8ef43e26.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677bf8ef0e6a5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677bf8ef0e6a5.jpg" length="77983" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>superstition, snake god, mushroom, assam news today</media:keywords>
                </item>
                        <item>
                    <title>કેવડિયામાં દીપડાએ કાળિયારનું મારણ કર્યું, આઘાતમાં બીજા 7 કાળિયારના મોત</title>
                    <link>https://khabarantar.com/leopard-kills-blackbuck-at-statue-of-unity-seven-more-die-in-shock</link>
                    <guid>https://khabarantar.com/leopard-kills-blackbuck-at-statue-of-unity-seven-more-die-in-shock</guid>
                    <description>
                        <![CDATA[ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થિત જંગલ સફારીમાં અચાનક દીપડો ઘૂસી ગયો હતો. તેણે કાળિયારને ફાડી ખાધો હતો, જે જોઈને તેના સાથી 7 કાળિયાર આઘાતમાં મોતને ભેટ્યાં હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેવડિયા કોલોની ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એક વિચિત્ર ઘટના બની છે. અહીં પાસે આવેલા જંગલ સફારી પાર્કમાં અચાનક એક દીપડો ઘૂસી ગયો હતો. તેણે કાળિયારનો શિકાર કર્યો હતો. જે જોઈને આઘાતમાં 7 જેટલાં હરણનાં મોત થયા છે. મળતી માહિતી મુજબ 1 જાન્યુઆરીએ સવારે દીપડો અહીંના ઝૂઓલોજિકલ પાર્કમાં આવેલા એન્ક્લોઝરમાં ઘૂસી ગયો હતો અને એક કાળિયારનું મારણ કર્યું હતું. જે બાદ વધુ 7 હરણો મૃત્યુ પામ્યા હતા. વન વિભાગના અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર નવા વર્ષની સવારે દીપડો ફેન્સીંગ ઓળંગીને અંદર પ્રવેશી ગયો હતો. આ બિડાણ કેવડિયા વન વિભાગ હેઠળ આવે છે અને ઉદ્યાન શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્યના જંગલોથી ઘેરાયેલું છે. અહીં પ્રાણીઓની સુરક્ષા માટે મજબૂત ફેન્સિંગ કરવામાં આવી છે. પરંતુ દીપડો તેને પાર કરવામાં સફળ રહ્યો હતો. તેણે એક કાળિયારનું મારણ કર્યું હતું. જેના આઘાતમાં અન્ય 7 કાળિયાર મોતને ભેટ્યાં હતા. વન વિભાગે કુલ 8 કાળિયારના મૃતદેહો બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. એ પછી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર મામલે કેવડિયા વિભાગના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (DCF) અગ્નિશ્વર વ્યાસે જણાવ્યું હતું કે, આસપાસના જંગલોમાં દીપડાની હાજરી સામાન્ય છે. પરંતુ સફારી પાર્કમાં દીપડો ઘૂસ્યો હોય તેવી આ પહેલી ઘટના છે. પાર્કની આસપાસ 400 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. અહીં કેમેરા દ્વારા 24 કલાક દેખરેખ રાખવામાં આવે છે. સીસીટીવી ફૂટેજમાં દીપડાની હાજરી સામે આવી છે. દીપડો પ્રવેશતા જ કર્મચારીઓને જાણ થઈ હતી. કર્મચારીઓને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા ત્યારબાદ દીપડો ભાગી ગયો હતો. અત્યારે એ કહી શકાય નહીં કે દીપડો સફારી પાર્કમાંથી નીકળી ગયો છે કે અંદર ક્યાંક છુપાઈ ગયો છે? આ ઘટના બાદ સફારી પાર્ક બે દિવસ બંધ રાખવામાં આવ્યો હતો અને ગઈકાલે ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો. હાલમાં દીપડો જંગલ સફારીની અંદર જ છે કે બહાર નીકળી ગયો છે તેને લઈને શંકા સેવાઈ રહી છે. પ્રવાસીઓમાં પણ આ ઘટનાને લઈને ભયનો માહોલ સ્પષ્ટ જોઈ શકાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી નર્મદા જિલ્લાના આદિવાસી સમાજના લોકોની જમીન પર બનેલું છે. તેમને યોગ્ય વળતર આપ્યા વિના તેમની જમીનો પડાવી લેવાના આક્ષેપો મેધા પાટકરથી લઈને અનેક એક્ટિવિસ્ટો દ્વારા લગાવવામાં આવ્યા છે. આજે પણ અહીં વિસ્થાપિત થયેલા આદિવાસીઓના અનેક પ્રશ્નો જેમના તેમ હોવાનું કહેવાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/a-leopard-was-left-behind-to-drive-tribals-out-of-the-forest">આદિવાસીઓને જંગલમાંથી ખદેડવા ત્યાં દીપડો છોડી દેવાયો?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 05 Jan 2025 20:27:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1811</Articleid>
                    <excerpt>સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થિત જંગલ સફારીમાં અચાનક દીપડો ઘૂસી ગયો હતો. તેણે કાળિયારને ફાડી ખાધો હતો, જે જોઈને તેના સાથી 7 કાળિયાર આઘાતમાં મોતને ભેટ્યાં હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677a9ce08c633.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677a9ce057200.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677a9ce057200.jpg" length="137770" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>leopard kills blackbuck at statue of unity, statue of unity</media:keywords>
                </item>
                        <item>
                    <title>દિલ્હીમાં સાવરકરના નામે કૉલેજ બનશે, PM મોદી આજે શિલાન્યાસ કરશે?</title>
                    <link>https://khabarantar.com/college-will-be-built-in-the-name-of-savarkar-in-delhi-pm-modi-will-lay-the-foundation-stone-today</link>
                    <guid>https://khabarantar.com/college-will-be-built-in-the-name-of-savarkar-in-delhi-pm-modi-will-lay-the-foundation-stone-today</guid>
                    <description>
                        <![CDATA[ દેશમાં પહેલીવાર વિવાદાસ્પદ હિંદુત્વવાદી નેતા વિનાયક દામોદર સાવરકરના નામ પર કૉલેજ શરૂ થવા જઈ રહી છે. આજે પીએમ મોદી તેનો શિલાન્યાસ કરશે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશની રાજધાની દિલ્હીમાં વિવાદાસ્પદ હિંદુત્વવાદી નેતા વિનાયક દામોદર સાવરકર (Savarkar) ના નામ પર એક નવી કૉલેજ શરૂ થવા જઈ રહી છે. આજે પીએમ મોદી (PM Modi) આ કોલેજનો શિલાન્યાસ (lay foundation stone) કરે તેવી શક્યતા છે. આ માટે પીએમઓને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. પણ હજુ સુધી પરમીશન ન મળી હોવાનું કહેવાય છે. દિલ્હી યુનિવર્સિટી (DU) ના બે નવા કેમ્પસ પૂર્વ અને પશ્ચિમ દિલ્હીમાં બનાવવામાં આવનાર છે. જેમાં સાવરકરના નામ પર રાખવામાં આવેલી કોલેજનો શિલાન્યાસ થશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાવરકરના નામે નવી કોલેજની માહિતી દિલ્હી યુનિવર્સિટી (Delhi University) ના સૂત્રો દ્વારા આપવામાં આવી છે. અગાઉ વર્ષ ૨૦૨૧માં દિલ્હી યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે નઝફગઢમાં અંદાજિત ૧૪૦ કરોડ રૂપિયાના ખર્ચે સાવરકર કોલેજના નિર્માણને મંજૂરી આપી હતી. પીએમ મોદીને કોલેજના શિલાન્યાસ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હી યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું છે કે યુનિવર્સિટીના પૂર્વ કેમ્પસની સ્થાપના સૂરજમલ વિહારમાં કરવામાં આવશે અને તેનો અંદાજિત ખર્ચ ૩૭૩ કરોડ રૂપિયા હશે. સાથે જ દ્વારકામાં યુનિવર્સિટીનું વેસ્ટર્ન કેમ્પસ સ્થપાશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હી યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે વર્ષ ૨૦૨૧માં ભાજપના દિવંગત નેતા સુષ્મા સ્વરાજના નામ પર કોલેજના પ્રસ્તાવને પણ મંજૂરી આપી હતી. આ સિવાય ડીયુના વાઇસ ચાન્સેલરને બે પ્રસ્તાવિત કોલેજો માટે નામ પસંદ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. આ નામોની યાદીમાં સ્વામી વિવેકાનંદ, વલ્લભભાઈ પટેલ, અટલ બિહારી વાજપેયી અને સાવિત્રીબાઈ ફુલે જેવા નામો સામેલ હતા. જો કે આખરે સાવરકરના નામ પર કૉલેજ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નામકરણને લઈને વિવાદ શરૂ</span></strong></span><br><span style="font-size: 14pt;">સાવરકરના ઈતિહાસને જોતા તેમના નામે કોલેજ શરૂ થાય અને વિવાદ ન થાય તો જ નવાઈ લાગે. કોંગ્રેસે આ મામલે પીએમ મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે કહ્યું છે કે ભાજપને વિવાદાસ્પદ લોકો પર રાજનીતિ કરવાની ટેવ છે. તેઓ કોના નામે સંસ્થા બનાવી રહ્યા છે તે મહત્વનું નથી. છેલ્લા 11 વર્ષમાં તેમણે સાવરકરના નામે કોઈ યોજના શરૂ કરી નથી. આખો દેશ જાણે છે કે સાવરકરનો અંગ્રેજો સાથે કેવો સંબંધ હતો. એક નહીં 50 યુનિવર્સિટી બનાવો, બાળકો ભણવા માટે બહાર જાય.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસના સાંસદ સૈયદ નાસિર હુસૈને ભાજપ પર સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનની અવગણના કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે એક કોલેજના નામકરણ દ્વારા એક એવી વ્યક્તિની વાહવાહી કરવામાં આવી રહી છે જેણે અંગ્રેજોને માફીપત્ર લખ્યા હતા. તેમણે કહ્યું કે, ઘણા લોકો દેશ માટે જીવ્યા અને સ્વતંત્રતા સંગ્રામમાં મોટું યોગદાન આપ્યું હતું. પણ ભાજપ એવા લોકોને કાયદેસરતા આપી રહી છે જેમણે અંગ્રેજોને માફી પત્રો લખ્યા હતા અને તેમની પાસેથી પેન્શન લીધું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/savarkar-ate-beef-despite-being-a-brahmin-minister-of-karnataka">સાવરકર બ્રાહ્મણ હોવા છતાં ગૌમાંસ ખાતા હતા: કર્ણાટકના મંત્રી</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_6777526b5bb2d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપે વળતો પ્રહાર કર્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">ભાજપના નેતા શહેઝાદ પૂનાવાલાએ કોંગ્રેસના સાંસદ નસીર હુસૈનની વીર સાવરકર વિશે કરેલી ટિપ્પણીની આકરી ટીકા કરી હતી. તેમણે પક્ષ પર સાવરકર જેવી અગ્રણી વ્યક્તિઓનું વારંવાર અપમાન કરવાનો આરોપ લગાવ્યો. પૂનાવાલાએ કહ્યું, "મહાન લોકોનું અપમાન કરવું એ કોંગ્રેસની ઓળખ બની ગઈ છે. રાહુલ ગાંધીએ તેમના એક સાંસદ નાસિર હુસૈન દ્વારા ફરી એકવાર વીર સાવરકરનું અપમાન કર્યું છે. દિલ્હી યુનિવર્સિટી (ડીયુ) એ તેની એક કોલેજનું નામ વીર સાવરકરના નામ પર રાખ્યું છે. અને કોંગ્રેસે વિરોધ શરૂ કર્યો છે. હું નાસિર હુસૈન જીને પૂછું છું કે શું ઈન્દિરા ગાંધી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે કે શિવરાજ સિંહ ચૌહાણ પણ ખોટા હતા, કારણ કે આ બધાએ પણ સાવરકરની મહાનતાની પ્રશંસા કરી હતી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પંજાબ કોંગ્રેસે શહીદોના નામે ઈન્સ્ટિટ્યૂટ ખોલવા કહ્યું</span></strong></span><br><span style="font-size: 14pt;">પંજાબના કોંગ્રેસના સાંસદ સુખજિન્દર સિંહ રંધાવાએ દિલ્હીમાં વીર સાવરકરના નામ પર ઈન્સ્ટિટ્યૂટ બનાવવા પર કહ્યું કે, "અંગ્રેજો પાસેથી માફી લાવનારાઓ માટે ઈન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવશે, પરંતુ ફાંસીએ લટકી જનારાઓ માટે ઈન્સ્ટિટ્યૂટ કોણ બનાવશે? આઝાદીની ચળવળ દરમિયાન પંજાબના ઘણા લોકોને ફાંસી પણ આપવામાં આવી હતી. આ લોકો માટે ઈન્સ્ટિટ્યૂટ કોણ બનાવશે? જો કોલેજ બનાવવી હોય તો શહીદ ભગતસિંહ, લાલા લજપત રાય, સુખદેવ સિંહના નામની બનાવવી જોઈએ. હું સમજું છું કે આવા લોકોએ દેશ માટે બલિદાન આપ્યું છે. નહીં કે, એવા લોકોના નામે કોલેજ બને જે અંગ્રેજો પાસે માફી માંગીને આવ્યા હતા."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ડૉ. મનમોહનસિંહના નામે ઈકોનોમિક્સ ઈન્સ્ટિટ્યૂટની માંગ</span></strong></span><br><span style="font-size: 14pt;">સુખજિન્દર સિંહ રંધાવાએ પૂર્વ પીએમ મનમોહન સિંહના નામ પર વર્લ્ડ ક્લાસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ ઈન્સ્ટિટ્યૂટ બનાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, "પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહને જે સન્માન મળવું જોઈએ તે તેમને આપવામાં આવ્યું નથી. તેઓ 10 વર્ષ સુધી ભારતના વડાપ્રધાન હતા. અમે સરકાર પાસે માંગ કરી છે કે સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ ઈન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) એ પીએમ મોદીને પત્ર લખીને દિલ્હી યુનિવર્સિટીની પ્રસ્તાવિત નવી કોલેજનું નામ વીર સાવરકરને બદલે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નામ પર રાખવા વિનંતી કરી છે. પત્રમાં, NSUI ના રાષ્ટ્રીય અધ્યક્ષ વરુણ ચૌધરીએ શિક્ષણ અને વહીવટમાં મનમોહન સિંહના યોગદાન પર પ્રકાશ પાડ્યો અને વિનંતી કરી કે કોલેજ તેમના વારસાને સન્માન આપે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એનએસયુઆઈએ પીએમને પત્ર લખ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">પત્રમાં લખવામાં આવ્યું છે કે, 'માનનીય વડાપ્રધાન, તમે વીર સાવરકરના નામે દિલ્હી યુનિવર્સિટી હેઠળ એક કોલેજનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છો. એનએસયુઆઈ ભારપૂર્વક માંગ કરે છે કે આ સંસ્થાનું નામ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નામ પર રાખવામાં આવે. તેમનું તાજેતરનું અવસાન એ એક મોટી ખોટ છે અને તેમના યોગદાન અને વારસાને સન્માનવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તેમના નામે પ્રીમિયર શૈક્ષણિક સંસ્થાઓને સમર્પિત કરવામાં આવે.'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">NSUIએ કહ્યું છે કે, 'મનમોહન સિંહે IIT, IIM, AIIMS જેવી ઘણી સંસ્થાઓની સ્થાપના કરી અને સેન્ટ્રલ યુનિવર્સિટી એક્ટ રજૂ કર્યો. તેમના નામ પર સંસ્થાઓનું નામકરણ પેઢીઓને પ્રેરણા આપશે અને તેમની પરિવર્તનકારી દ્રષ્ટિનું સન્માન કરશે. ભારતમાં તેમના અનન્ય યોગદાનને ઓળખવા માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/savarkar-an-attempt-to-distort-the-truth-to-strengthen-hindutva-politics">સાવરકરઃ હિંદુત્વવાદી રાજનીતિને મજબૂત કરવા સત્યને વિકૃત કરતો પ્રયત્ન</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 03 Jan 2025 09:47:34 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1801</Articleid>
                    <excerpt>દેશમાં પહેલીવાર વિવાદાસ્પદ હિંદુત્વવાદી નેતા વિનાયક દામોદર સાવરકરના નામ પર કૉલેજ શરૂ થવા જઈ રહી છે. આજે પીએમ મોદી તેનો શિલાન્યાસ કરશે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67774dca3b85c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67774dca08740.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67774dca08740.jpg" length="72524" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Savarkar College, Delhi University, Foundation stone, PM Modi</media:keywords>
                </item>
                        <item>
                    <title>આણંદના મીતલી ગામે પહેલીવાર ભીમા કોરેગાંવ શૌર્ય દિવસ ઉજવાયો</title>
                    <link>https://khabarantar.com/bhima-koregaon-valor-day-celebrated-for-the-first-time-in-mithali-village-of-anand</link>
                    <guid>https://khabarantar.com/bhima-koregaon-valor-day-celebrated-for-the-first-time-in-mithali-village-of-anand</guid>
                    <description>
                        <![CDATA[ અંતરિયાળ ગામડાઓ સુધી બહુજન મહાનાયકોની વીરગાથા પહોંચી. બહુજન સમાજે તેમના પૂર્વજોને ગર્વથી યાદ કર્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે સમગ્ર દેશમાં ભીમા કોરેગાંવ શૌર્ય દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને મહારાષ્ટ્રમાં ભીમા નદીના કાંઠે આવેલા સ્મારક ખાતે હજારો બહુજનો ઉમટી પડ્યા હતા. 500 મહાર યોદ્ધાઓએ પેશ્વાઓની 28000 હજારની સેનાને ભોં ભેગી કરીને વિજય મેળવ્યો હતો. એ દિવસ હતો 1 જાન્યુઆરી 1818. ડો.આંબેડકરની પ્રેરણાથી પછી તો દેશના વિવિધ ભાગોમાં આ ઘટનાને શૌર્ય દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરાયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે 1લી જાન્યુઆરીએ આણંદ જિલ્લાના મીતલી ગામે પહેલીવાર બહુજન સમાજ દ્વારા ભીમા કોરેગાંવ શૌર્ય દિવસની ઉજવણી કરી હતી. મીતલી ગામના આગેવાનો, યુવા મિત્રો અને મહિલાઓ દ્વારા પ્રથમ તથાગત બુદ્ધની પ્રતિમાને પુષ્પો અર્પણ કરી, બાબાસાહેબ આંબેડકર તથા બહુજન મહામાનવને ફૂલહાર કરી શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બુદ્ધ વંદના કરી અને પબુદ્ધ સુમેધબોધીજીએ બુદ્ધ વંદના વિશે માહિતી આપી હતી. ડૉ. સુગતરાજ શાક્યજીએ આજના દિવસનું મહત્વ અને ભીમા કોરેગાવ શૌર્ય દિવસની વાત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનિલ આંબેડકરજીએ કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવા મિત્રો, આગેવાનો અને મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં તથા બહાર ગામના અનુયાયીઓ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. જેમાં સિલવર્ધન બૌદ્ધ બાવળા, દિલીપભાઈ ખેડા, તરૂણભાઈ અને તેમની ટીમ, પાંદડની ટીમ, કસ્બારા ટીમ વગેરે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. ધીરુભાઈ, વિનોદભાઈ ચાવડા અને તેમની મીતલી ટીમ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પહેલીવાર મીતલીમાં આ પ્રકારનું આયોજન કરાયું હોવાથી સમગ્ર બહુજન સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હવે આ રીતે દર વર્ષે આયોજન કરીને પોતાના પૂર્વજોના પરાક્રમોને યાદ કરવામાં આવશે તેમ આયોજકોએ જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/The-Hool-Mutiny:-A-Heroic-Story-of-Santhal-Tribes-Including-Tilka-Manjhi-and-Seedo-Kanhu">હૂલ વિદ્રોહ: તિલકા માંઝી અને સીદો-કાન્હુ સહિત સંથાલ આદિવાસીઓની શૌર્યગાથા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 02 Jan 2025 18:44:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1799</Articleid>
                    <excerpt>અંતરિયાળ ગામડાઓ સુધી બહુજન મહાનાયકોની વીરગાથા પહોંચી. બહુજન સમાજે તેમના પૂર્વજોને ગર્વથી યાદ કર્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677690af2a1ea.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677690aeea98b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677690aeea98b.jpg" length="108145" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>bhima koregaon valor day celebrated, mithali village, anand news</media:keywords>
                </item>
                        <item>
                    <title>ધાર્યું હતું એવું જ થયું, નવા બનેલા વાવ&amp;થરાદ જિલ્લામાં વિરોધ શરૂ</title>
                    <link>https://khabarantar.com/people-protest-against-inclusion-of-dhanera-kankrej-deodar-in-newly-created-vav-tharad-district</link>
                    <guid>https://khabarantar.com/people-protest-against-inclusion-of-dhanera-kankrej-deodar-in-newly-created-vav-tharad-district</guid>
                    <description>
                        <![CDATA[ વાવ-થરાદ જિલ્લાની જાહેરાત થતાની સાથે જ અહીંના ત્રણ તાલુકાના લોકોએ તેનો વિરોધ શરૂ કરી દીધો છે. તેમાં સ્થાનિક ધારાસભ્યોએ પણ સૂર પુરાવતા મામલો ગરમાયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બનાવવામાં આવેલા નવા જિલ્લા વાવ-થરાદને અપેક્ષા પ્રમાણે જ વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે. વાવ-થરાદ જિલ્લામાં સામેલ કરાયેલા ત્રણ તાલુકાઓ ધાનેરા, કાંકરેજ અને દિયોદરના લોકોએ તેમને બનાસકાંઠામાં જ રહેવું છે તેમ કહીને ઉત્ર વિરોધ નોંધાવ્યો છે. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલ સહિતના અગ્રણીઓએ પણ તેમના તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માગ કરી છે. એટલું જ નહીં, સરકાર આ નિર્ણય પાછો નહીં ખેંચે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના વિભાજન બાદ ધાનેરા-કાંકરેજ અને દિયોદરનો વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેની સામે આ તાલુકાના રહેવાસીઓને બનાસકાંઠા જિલ્લામાં જ રહેવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે. શિહોરીમાં દુકાનદારોએ દુકાનો બંધ રાખી સજ્જડ બંધ પાળ્યો છે અને લોકોએ રસ્તા પર ઉતરી આવી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">આ મામલે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઇએ મુખ્યમંત્રીને પત્ર લખીને ધાનેરાને બનાસકાંઠામાં સમાવેશ કરવા રજૂઆત કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે ધાનેરા તાલુકાની પ્રજા બનાસકાંઠા સાથે સંકળાયેલી છે. અહીં મોટાભાગના લોકોના ધંધા રોજગાર તેમજ વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ ધાનેરાથી પાલનપુર તેમજ અમદાવાદ જવા માટે અનુકૂળ છે. એવામાં તેમને નવા જિલ્લામાં ભેળવી દેવાથી સમસ્યાઓ પેદા થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/division-of-banaskantha-district-announcement-of-new-vav-tharad-district">બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_67764b8533700.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના આ નિર્ણયને અયોગ્ય ગણાવી વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું હતું કે સરકારે ભૌગોલિક સ્થિતિને ધ્યાને લીધા વિના જ નિર્ણય લઈ લીધો છે. કાંકરેજ તાલુકાના રહેવાસીઓ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માંગે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે વિરોધ વ્યક્ત કરતાં કહ્યું કે ધાનેરા તાલુકાના લોકોને વાવ-થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે. ધાનેરાવાસીઓ માટે થરાદ અનુકૂળ વિસ્તાર નથી. જો ભવિષ્યમાં લોકો સરકારના આ નિર્ણયના વિરોધમાં આંદોલન કરશે તો કોંગ્રેસ તેમની સાથે ઊભી રહેશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદ જિલ્લો બન્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના 14 તાલુકામાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકા તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ કરાયો છે. બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકા પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકા તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/nine-municipalities-in-the-state-were-granted-municipal-status">રાજ્યની 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 02 Jan 2025 13:50:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1797</Articleid>
                    <excerpt>વાવ-થરાદ જિલ્લાની જાહેરાત થતાની સાથે જ અહીંના ત્રણ તાલુકાના લોકોએ તેનો વિરોધ શરૂ કરી દીધો છે. તેમાં સ્થાનિક ધારાસભ્યોએ પણ સૂર પુરાવતા મામલો ગરમાયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67764b84ba989.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67764b8483cc5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67764b8483cc5.jpg" length="108111" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Vav-Tharad district, protest, deodar, dhanera, kankrej, banaskantha</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભારતની જેલોનું જાતિવાદી મોડેલ : દલિત કેદી સફાઈ કરે, સવર્ણ કેદી રસોઈ કરે</title>
                    <link>https://khabarantar.com/casteist-model-of-indias-prisons-dalit-prisoners-cleaning-upper-caste-prisoners-cooking</link>
                    <guid>https://khabarantar.com/casteist-model-of-indias-prisons-dalit-prisoners-cleaning-upper-caste-prisoners-cooking</guid>
                    <description>
                        <![CDATA[ દલિત કેદીઓને સફાઈ કરવી, પોતું મારવું જેવા નિમ્ન સ્તરના કામો સોંપાય છે, જ્યારે સવર્ણ કેદીઓને રસોઈ બનાવવી જેવા કામો સોંપાય છે. જાણો ભારતીય જેલોનું જાતિવાદી મોડેલ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે હાલમાં જ દેશની જેલોમાં દલિતો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજના કેદીઓ સાથે દાખવવામાં આવતા જાતિગત ભેદભાવને ખતમ કરવાનો ચૂકાદો આપ્યો હતો. એ પછી આજે કેન્દ્ર સરકારે જેલ મેન્યુઅલમાં ફેરફારની જાહેરાત કરી છે. પણ આ બધી ચર્ચા વખતે દલિત, આદિવાસી અને ઓબીસી કેદીઓ સાથે જેલમાં કેવા પ્રકારના ભેદભાવો થઈ રહ્યાં છે તે ખુદ કેદીઓએ જણાવ્યું છે તેની ચર્ચા થઈ રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશભરમાં દલિત કેદીઓ અને કાર્યકર્તાઓ, જેમ કે દોલત કુંવર, જેઓ લાંબા સમયથી જેલોમાં ચાલતા જાતિગત ભેદભાવો અને અત્યાચારો સામે ફરિયાદ કરી ચૂક્યાં છે, તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. દૌલત કુંવર જણાવે છે કે, જેલોમાં કેદીઓને તેમની જાતિના આધારે કામ સોંપવામાં આવે છે. દલિત કેદીઓને સફાઈ જેવા અપમાનજનક કામો સોંપવામાં આવતા. જ્યારે સવર્ણ કેદીઓ, ખાસ કરીને બ્રાહ્મણ કેદીઓને રસોડામાં રસોઈ કરવા જેવા કામો સોંપાતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ભેદભાવ માત્ર કામ પૂરતો સીમિત ન હતો પરંતુ દલિતો પર ખાવા-પીવાની બાબતમાં પણ ભેદભાવ રખાતો. દલિત કેદીઓ અન્યોની સરખામણીમાં નિમ્નસ્તરનું ભોજન પીરસવામાં આવતું હતું. આ માત્ર તેમના માનવ અધિકારોનું ઉલ્લંઘન ન હતું, પરંતુ ભારતીય સમાજમાં ઉંડે સુધી જડ ઘાલી ગયેલી જાતિ વ્યવસ્થા સાબિતી હતી. કેટલાક કેદીઓ પોતાની જેલની વાતો શેર કરી છે, જેમાં તેમને કેવી રીતે તેઓ બીમાર હોવા છતાં બ્રશ વિના ટોઈલેટની સફાઈ માટે મજબૂર કરાયા હતા તેની પણ વાત કરી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/what-human-rights-do-prisoners-receive-in-prison">જેલમાં કેદીઓને કયા માનવ અધિકારો મળે છે?</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677621f16576c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત કેદીઓને વધેલું ભોજન આપવામાં આવતું?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાપુડના ઇન્દર પાલ અને મોનુ કશ્યપ નામના બે દલિત કેદીઓએ એક ન્યૂઝ પોર્ટલને જણાવ્યું કે, કેવી રીતે દલિત કેદીઓને ઓછો ખોરાક આપવામાં આવતો હતો, અને જાનવરોની જેમ કતારોમાં ઊભા રહીને બચેલો ખોરાક આપવામાં આવતો હતો. આ પરિસ્થિતિએ તેમની ગરિમાનું અપમાન તો કર્યું જ, પરંતુ તેમની સાથે થઈ રહેલા જાતિય શોષણનું સત્ય પણ ઉજાગર કર્યું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સર્વોચ્ચ અદાલતે જેલ મેન્યુઅલમાં ઘણા જૂના નિયમોને ફગાવી દેતા કહ્યું હતું કે, આ નિયમો શ્રમના જાતિ આધારિત વિભાજનને પ્રોત્સાહન આપે છે. આ નિર્ણય દલિત કેદીઓ માટે ન્યાય અને સમાનતા તરફ નવી આશા જગાવે છે. પોલીસ અને વહીવટી અધિકારીઓએ પણ આ નિર્ણયની પ્રશંસા કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માત્ર મેન્યુઅલમાં ફેરફારથી પરિસ્થિતિ બદલાશે?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાજિક કાર્યકરો માને છે કે જેલ મેન્યુઅલમાં કરાયેલા ફેરફારો માત્ર શરૂઆત છે. દલિત કાર્યકર્તા સતીશ પ્રકાશ કહે છે કે અસલી પડકાર સમાજમાં ઊંડા ઉતરી ગયેલા જાતિગત પૂર્વગ્રહને દૂર કરવાનો છે, જે જેલની અંદર અને બહાર બંને જગ્યાએ અસ્તિત્વ ધરાવે છે. સોશિયલ એન્જિનિયરીંગ અને માનસિકતામાં પરિવર્તન વિના, ફક્ત કાયદાકીય સુધારાઓ પૂરતા નથી. કિશોર કુમાર જેવા વકીલો પણ એ વાત પર ભાર મૂકે છે કે જેલ પ્રશાસન માટે 'દલિત' શબ્દ માત્ર એક ઓળખ નથી, પરંતુ તેમને પરંપરાગત વ્યવસાયો સાથે જોડવાની માનસિકતાને પણ બદલવાની જરૂર છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જેલના અધિકારીઓ કેવો અમલ કરે છે તેના પર આધાર</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટના નિર્ણયથી જેલોમાં જાતિ ભેદભાવને દૂર કરવાની દિશામાં એક નવી દિશા મળી છે. આ ચુકાદો માત્ર દલિત કેદીઓ માટે ન્યાયની આશા જ નહીં પરંતુ ભારતીય સમાજમાં સમાનતા અને ગૌરવને પ્રોત્સાહન આપતા વ્યાપક સુધારાઓનું પણ આહ્વાન કરે છે. કેન્દ્ર સરકારે જેલ નિયમાવલીમાં સુધારા કર્યા છે પણ તેનો છેવટનો અમલ તો જેલ તંત્ર પર નિર્ભર કરે છે. એ સ્થિતિમાં આ સુધારાનો કેટલો અને કેવો અમલ થાય છે, તેના પર જ જેલોમાં થતા જાતિ આધારિત ભેદભાવને ખતમ કરવાનો આધાર રહેલો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/casteism-even-in-prisons-dalits-clean-uppers-cook">જેલમાં પણ જાતિવાદ : દલિતો સફાઈ કરે, સવર્ણો રસોઈ બનાવે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 02 Jan 2025 12:25:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1796</Articleid>
                    <excerpt>દલિત કેદીઓને સફાઈ કરવી, પોતું મારવું જેવા નિમ્ન સ્તરના કામો સોંપાય છે, જ્યારે સવર્ણ કેદીઓને રસોઈ બનાવવી જેવા કામો સોંપાય છે. જાણો ભારતીય જેલોનું જાતિવાદી મોડેલ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677635c594f74.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677635c560090.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677635c560090.jpg" length="78173" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>casteist model of indias prisons, dalit prisoners cleaning, upper caste prisoners cooking</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;જેલોમાં ચાલતો જાતિવાદ&amp;apos; બંધ થશે, કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો</title>
                    <link>https://khabarantar.com/caste-based-discrimination-in-prisons-will-end--central-government-changed-prison-rules</link>
                    <guid>https://khabarantar.com/caste-based-discrimination-in-prisons-will-end--central-government-changed-prison-rules</guid>
                    <description>
                        <![CDATA[ નવા સુધારા મુજબ જેલ સત્તાવાળાઓએ કડક રીતે એ બાબતોનું પાલન કરવાનું રહેશે કે કેદીઓ સાથે તેમની જાતિના આધારે કોઈ ભેદભાવ, વર્ગીકરણ કે વિભાજન ન થાય. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જેલોમાં ભેદભાવ અને કેદીઓની જાતિના આધારે થતા વર્ગીકરણને રોકવા માટે જેલ નિયમોમાં સુધારો કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે કેદીઓ સાથે થતા કોઈપણ જાતિ આધારિત ભેદભાવને ઉકેલવા માટે "આદર્શ જેલ નિયમો 2016" અને "આદર્શ જેલ અને સુધારણા સેવા અધિનિયમ, 2023" માં સુધારો કરવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેદીઓ સાથે જાતિ આધારિત ભેદભાવ અંગે સુપ્રીમ કોર્ટના 3 ઓક્ટોબર, 2024ના આદેશને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવામાં આવ્યા છે. જેલના નિયમોમાં કરાયેલા નવા સુધારા મુજબ જેલ સત્તાવાળાઓએ કડક રીતે એનું પાલન કરવાનું રહેશે કે કોઈપણ કેદી સાથે તેની જાતિના આધારે ભેદભાવ, વર્ગીકરણ કે વિભાજન ન થાય.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમાં કહેવામાં આવ્યું છે કે, "જેલમાં કોઈપણ ફરજ અથવા કામની ફાળવણીમાં કેદીઓ સાથે તેમની જાતિના આધારે કોઈ ભેદભાવ ન થાય તેની ખાતરી કરવામાં આવશે. આદર્શ જેલ અને સુધારણા સેવા અધિનિયમ 2023માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં કલમ 55(A) તરીકે નવું શીર્ષક 'જેલો અને સુધારણા ગૃહોમાં જાતિ આધારિત ભેદભાવ પર પ્રતિબંધ' ઉમેરવામાં આવ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૃહ મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે "મેન્યુઅલ સ્કેવેન્જર્સની કામગીરી પર પ્રતિબંધ અને તેના પુનર્વસન અધિનિયમ 2013" ની જોગવાઈઓ જેલો અને સુધારાત્મક સંસ્થાઓમાં પણ બંધનકર્તા રહેશે. જેમાં કહેવામાં આવ્યું છે કે, "જેલની અંદર હાથથી મેલું સાફ કરવાની કે ગટરની સફાઈ કરવા જેવા જોખમી કામો માટેની મંજૂરી આપવામાં આવશે નહીં."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/casteism-even-in-prisons-dalits-clean-uppers-cook">જેલમાં પણ જાતિવાદ : દલિતો સફાઈ કરે, સવર્ણો રસોઈ બનાવે</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_6759319cc49df.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમના અધિકારક્ષેત્રમાં રીઢા ગુનેગારો માટેના કાયદાનો અમલ કર્યો નથી અને વિવિધ રાજ્યોના ઉપલબ્ધ આવા કાયદાની વ્યાખ્યા તપાસ્યા બાદ આદર્શ જેલ નિયમાવલી 2016 અને આદર્શ જેલ અને સુધારાત્મક સેવા અધિનિયમ, 2023માં 'હેબિચ્યુઅલ ઓફેન્ડર એક્ટ'ની હાલની વ્યાખ્યા બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં "રીઢા ગુનેગારો" વિશે પણ નિર્દેશો આપ્યા હતા અને કહ્યું હતું કે જેલ નિયમાવલી અને આદર્શ જેલ નિયમાવલી સંબંધિત રાજ્ય વિધાનસભાઓ દ્વારા ઘડવામાં આવેલા કાયદા મુજબની "રીઢા ગુનેગારો" ની વ્યાખ્યા મુજબ હશે. સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો હતો કે જો રાજ્યમાં આવો કાયદો નથી, તો કેન્દ્ર અને રાજ્ય સરકારો ત્રણ મહિનાની અંદર પોતાના નિર્ણયને અનુરૂપ નિયમાવલી અને નિયમોમાં જરૂરી ફેરફારો કરશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે એક ડઝન રાજ્યોની જેલ નિયમાવલીઓમાં જાતિ આધારિત ભેદભાવપૂર્ણ જોગવાઈઓ હતી, જેમાં જાતિના આધારે કેદીઓને અલગ બેરેકમાં રાખવાની જોગવાઈ હતી. સુપ્રીમ કોર્ટે જેલ મેન્યુઅલના એ નિયમોને "ગેરબંધારણીય" જાહેર કર્યા હતા જેમાં માત્ર કથિત ઉચ્ચ જાતિના કેદીઓને જ જમવાનું બનાવવાનો, અનુસૂચિત જાતિઓ, ખાસ કરીને સફાઈ કામદારોએ શૌચાલય સાફ કરવા પડશે અને અન્ય જનજાતિઓ તથા રીઢા ગુનેગારો વિરુદ્ધ જાતિના આધારે ભેદભાવ કરવામાં આવતો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Does-caste-based-discrimination-happen-in-prisons-too-The-Supreme-Court-sought-a-response-from-the-Center-and-11-states">શું જેલોમાં પણ થાય છે જાતિ આધારિત ભેદભાવ? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને 11 રાજ્યો પાસે માંગ્યો જવાબ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 02 Jan 2025 10:55:26 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1795</Articleid>
                    <excerpt>નવા સુધારા મુજબ જેલ સત્તાવાળાઓએ કડક રીતે એ બાબતોનું પાલન કરવાનું રહેશે કે કેદીઓ સાથે તેમની જાતિના આધારે કોઈ ભેદભાવ, વર્ગીકરણ કે વિભાજન ન થાય.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677621f18781a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677621f154565.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677621f154565.jpg" length="69298" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>caste-based discrimination in prisons, central government, changed prison rules</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજ્યની 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો</title>
                    <link>https://khabarantar.com/nine-municipalities-in-the-state-were-granted-municipal-status</link>
                    <guid>https://khabarantar.com/nine-municipalities-in-the-state-were-granted-municipal-status</guid>
                    <description>
                        <![CDATA[ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નવી 9 મહાનગરપાલિકાને મંજૂરી અપાઈ છે. આ સાથે જ રાજયમાં મહાનગરપાલિકાની સંખ્યા 8 થી વધીને 17ની થઈ ગઈ.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2025ના પ્રથમ દિવસે રાજ્ય સરકાર દ્વારા નવ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારની આ જાહેરાતથી રાજયમાં મહાનગરપાલિકાઓની સંખ્યા 8 હતી તે વધીને હવે 17 થઈ છે. સ્થાનિક નાગરિકોની લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓ આજે સંતોષાઈ હોવાનું સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં એક સાથે નવી નવ મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને બહાલી આપી છે. મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન સરકારે વર્ષ 2024-25ના બજેટમાં આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણ, મોરબી, ગાંધીધામ, પોરબંદર-છાયા, નવસારી અને વાપી એમ કુલ નવ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. એટલું જ નહીં, રાજ્ય સરકાર દ્વારા આ નવ મહાનગરપાલિકાની રચનાને મંજૂરી આપીને મહાનગરપાલિકાઓને તાત્કાલિક અસરથી કાર્યરત કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા જે નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે, તેમાં આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીધામ, પોરબંદર, નવસારી અને વાપી મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. છેલ્લા ઘણાં લાંબા સમયથી આ તમામ નગરોના નાગરિકોની માગ હતી, જે હવે પૂર્ણ થતાં સ્થાનિક નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.  </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં રાજ્યમાં આઠ મહાનગરપાલિકા કાર્યરત છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકા છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા નવ નવી મહાનગરપાલિકાને મંજૂરી અપાતાં હવે મહાપાલિકાઓની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કઈ મહાનગરપાલિકામાં ક્યા ક્યા વિસ્તારનો સમાવેશ કરાયો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા નવ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે, તેમાં આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીધામ, પોરબંદર, નવસારી અને વાપી મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા આ નવ નગરપાલિકાને મહાપાલિકા બનાવાઇ છે. ત્યારે આ મહાપાલિકાઓમા જે તે નગરપાલિકા વિસ્તારની સાથોસાથ આસપાસની ગ્રામ પંચાયત વિસ્તારોની સમાવેશ કરાયો છે. નવી બનેલી મહાપાલિકામાં ક્યાં વિસ્તારોનો સમાવેશ કરાયો છે તે અત્રે પ્રસ્તુત છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આણંદ મહાનગરપાલિકા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યમંત્રી મંડળના નિર્ણય અનુસાર આણંદ મહાપાલિકામાં આણંદ, વલ્લભવિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા ઉપરાંત મોગરી, જીટોડીયા, ગામડી અને લાંભવેલ ગ્રામ પંચાયતો કરાયો છે. આમ આણંદ મહાપાલિકામાં ત્રણ નગરપાલિકા અને ચાર ગ્રામ પંચાયતોનો સમાવેશ કરાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નડિયાદ મહાનગરપાલિકા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યમંત્રી મંડળના નિર્ણય મુજબ નડિયાદ મહાપાલિકા વિસ્તારમાં નડિયાદ નગરપાલિકા તેમજ યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમલા, માંજીપુરા, ડભાણ, બીલોદરા, ઉત્તરસંડા અને ટુંડેલ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરાયો છે. આમ નડિયાદ મહાપાલિકા વિસ્તારમાં એક નગરપાલિકા અને 10 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મહેસાણા મહાનગરપાલિકા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકારની કેબિનેટમાં અપાયેલી મંજૂરી મુજબ મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં મહેસાણા નગરપાલિકા ઉપરાંત રામોસણા નોટિફાઈડ એરિયા (એનએ) વિસ્તાર તેમજ રામોસણા, ફતેપુરા, દેદીયાસણ, પાલાવાસણા, હેડુવા રાજગર, હેડુવા હનુમંત, તળેટી અને લાખવડ ગ્રામ પંચાયતો ઉપરાંત પાલોદર, પાંચોટ, ગિલોસણ, નુગર, સખપુરડા અને લાખવડ ગ્રામ પંચાયતોના કેટલાક સર્વે નંબરવાળા વિસ્તારોનો સમાવેશ કરાયો છે. આમ મહેસાણા મહાપાલિકામાં એક નગરપાલિકા, એક નોટિફાઇડ એરિયા, આઠ ગ્રામ પંચાયતો અને છ ગ્રામ પંચાયતોના કેટલાક સર્વે નંબરવાળા વિસ્તારોનો સમાવેશ કરાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સુરેન્દ્રનગર મહાનગરપાલિકા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકારની કેબિનેટમાં અપાયેલી મંજૂરી અંતર્ગત સુરેન્દ્રનગર મહાપાલિકા વિસ્તારમાં સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા તેમજ ખમીસણા, ખેરાળી, માળોદ, મુળચંદ અને ચમારજ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરાયો છે. આમ સુરેન્દ્રનગર મહાપાલિકામાં એક નગરપાલિકા અને પાંચ ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મોરબી મહાનગરપાલિકા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકારની કેબિનેટમાં અપાયેલી મંજૂરી અંતર્ગત મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં મોરબી નગરપાલિકા તેમજ શક્તસનાળા, રવાપરા, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ (જવાહર), ત્રાજપર (માળીયા-વનાળિયા), મહેન્દ્રનગર (ઈન્દિરાનગર) અને માધાપર/વજેપર ઓજી ગ્રામ પંચાયતનો સમાવેશ કરાયો છે. આમ મોરબી મહાપાલિકામાં એક નગરપાલિકા અને નવ ગ્રામ ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગાંધીધામ મહાનગરપાલિકા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકારની કેબિનેટમાં અપાયેલી મંજૂરી અંતર્ગત ગાંધીધામ મહાપાલિકા વિસ્તારમાં ગાંધીધામ નગરપાલિકા તેમજ કિડાણા, ગળપાદર, અંતરજાળ, શિણાય, મેઘપર-બોરીચી અને મેઘપર-કુંભારડી ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરાયો છે. આમ ગાંધીધામ મહાપાલિકામાં એક નગરપાલિકા અને છ ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોરબંદર મહાનગરપાલિકા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકારની કેબિનેટમાં અપાયેલી મંજૂરી અંતર્ગત પોરબંદર મહાપાલિકા વિસ્તારમાં પોરબંદર/ છાયા નગરપાલિકા તેમજ વનાણા(વિરપુર), દિગ્વિજયગઢ, રતનપર અને ઝાવર ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરાયો છે. આમ પોરબંદર મહાપાલિકામાં એક નગરપાલિકા અને ચાર ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નવસારી મહાનગરપાલિકા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકારની કેબિનેટમાં અપાયેલી મંજૂરી અંતર્ગત નવસારી મહાપાલિકા વિસ્તારમાં નવસારી નગરપાલિકા તેમજ દાંતેજ, ધારાગીરી, એરુ અને હાંસાપોર ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરાયો છે. આમ નવસારી મહાપાલિકામાં એક નગરપાલિકા અને ચાર ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વાપી મહાનગરપાલિકા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકારની કેબિનેટમાં અપાયેલી મંજૂરી અંતર્ગત વાપી મહાપાલિકામાં વાપી નગરપાલિકા તેમજ બલિઠા, સલવાવ, છીરી, છરવાડા, ચણોદ, કરવડ, નામધા, ચંડોર, મોરાઈ, વટાર, કુંતા ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરાયો છે. આમ વાપી મહાપાલિકામાં એક નગરપાલિકા અને 11 ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/a-total-area-of-1.84-lakh-hectares-around-gir-has-been-declared-an-eco-sensitive-zone">ગીર આસપાસનો કુલ ૧.૮૪ લાખ હેક્ટર વિસ્તાર ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 01 Jan 2025 21:16:50 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 01 Jan 2025 21:17:41 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1794</Articleid>
                    <excerpt>રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નવી 9 મહાનગરપાલિકાને મંજૂરી અપાઈ છે. આ સાથે જ રાજયમાં મહાનગરપાલિકાની સંખ્યા 8 થી વધીને 17ની થઈ ગઈ. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6775629b4c9cd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6775629b1f003.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6775629b1f003.jpg" length="49462" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>municipal status, Gujarat News</media:keywords>
                </item>
                        <item>
                    <title>બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવા વાવ&amp;થરાદ જિલ્લાની જાહેરાત</title>
                    <link>https://khabarantar.com/division-of-banaskantha-district-announcement-of-new-vav-tharad-district</link>
                    <guid>https://khabarantar.com/division-of-banaskantha-district-announcement-of-new-vav-tharad-district</guid>
                    <description>
                        <![CDATA[ વિભાજનથી બનાસકાંઠામાં છ તાલુકા અને બે નગરપાલિકા, જ્યારે નવા વાવ-થરાદ જિલ્લામાં 8 તાલુકા અને ચાર નગરપાલિકાનો સમાવેશ થશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકારે વર્ષ 2025ના પહેલા જ દિવસે બે મોટી જાહેરાતો કરી છે. સરકારે રાજ્યના બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવા વાવ-થરાદ જિલ્લાની રચના કરી છે. આ જિલ્લાના વિભાજનથી હવે બનાસકાંઠામાં છ તાલુકા અને બે નગરપાલિકા રહેશે. જ્યારે નવા બનેલા વાવ-થરાદ જિલ્લામાં આઠ તાલુકા અને ચાર નગરપાલિકાનો સમાવેશ કરાયો છે.  હવે આ નવા બનનારા વાવ-થરાદ જિલ્લા સાથે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા ૩૪ થશે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને ૨૦૨૫ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વધુ એક નવો જિલ્લો વાવ- થરાદ બનાવવાની જાહેરાત કરાઇ હોવાની માહિતી સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જૂની માંગણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રવર્તમાન બનાસકાંઠા જિલ્લો રાજયમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ ૧૪ તાલુકા ધરાવતો જિલ્લો છે. એટલું જ નહીં, વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે. વસ્તી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને નાગરિકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે જનહિતમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા વાવ-થરાદ અને બનાસકાંઠા બનશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રવકતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ બંને જિલ્લામાં ગામડાઓનું વિભાજન મહદઅંશે સમાન રીતે એટલે કે, બંને જિલ્લામાં ૬૦૦ આસપાસ ગામડાં રહે. તેમજ વિસ્તારમાં જોઈએ તો વાવ-થરાદ જિલ્લામાં ૬૨૫૭ ચો.કિ.મી  અને બનાસકાંઠા જિલ્લામાં ૪૪૮૬ ચો. કિ.મી રહે તે પ્રમાણે વિભાજન કરવામાં આવશે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાસકાંઠા જિલ્લાના પ્રજાજનોને વહીવટી/ભૌગોલિક/આર્થિક વગેરે બાબતે વધુ સુગમતા રહે તે આશયથી બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર રખાયું છે. જ્યારે નવા બનનારા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રાખવાનું નક્કી કરાયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેના પરિણામે અગાઉ વાવ-થરાદ જિલ્લા બાજુના આઠ તાલુકાઓને મુખ્ય મથક પાલનપુર જવા માટે જે અંતર લાગતું હતું. તેમાં સરેરાશ ૩૫ થી ૮૫ જેટલા કિ.મી.નો અંતરમાં ઘટાડો થશે તથા સમય અને ઈંધણની બચત થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બનાસકાંઠા જિલ્લામાં રહેનારા તાલુકાઓ અને નગરપાલિકાઓ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વધુ એક નવો જિલ્લા બનાવાશે. આ વિભાજનના કારણે નવા બનાસકાંઠા જિલ્લામાં છ તાલુકા અને બે નગરપાલિકા વિસ્તાર રહેશે. જિલ્લાના વિભાજન બાદ નવા  બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ ૬ તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નવા વાવ-થરાદ જિલ્લામાં જનારા તાલુકાઓ અને નગરપાલિકાઓ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો જિલ્લો વાવ-થરાદ બનાવવામાં આવશે. ત્યારે આ નવા વાવ-થરાદ જિલ્લામાં આઠ તાલુકાઓ અને ચાર નગરપાલિકા વિસ્તારનો સમાવેશ થશે. જેમાં નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ ૮ તાલુકા તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/will-the-state-government-divide-6-district-and-create-3-new-districts"><span style="font-size: 12pt;"> </span>રાજ્ય સરકાર 6 જિલ્લાઓનું વિભાજન કરી નવા 3 જિલ્લા બનાવશે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 01 Jan 2025 20:50:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1793</Articleid>
                    <excerpt>વિભાજનથી બનાસકાંઠામાં છ તાલુકા અને બે નગરપાલિકા, જ્યારે નવા વાવ-થરાદ જિલ્લામાં 8 તાલુકા અને ચાર નગરપાલિકાનો સમાવેશ થશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67755bf740f28.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67755bf7091b7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67755bf7091b7.jpg" length="69207" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>division of banaskantha, new vav tharad district, gujarat News</media:keywords>
                </item>
                        <item>
                    <title>‘ઓ બાંગ્લાદેશી…’ ના મેણાંથી કંટાળી યુવકે 4 બહેનો અને માતાની હત્યા કરી</title>
                    <link>https://khabarantar.com/lucknow-hotel-murder-agra-a-young-man-killed-4-sisters-and-his-mother</link>
                    <guid>https://khabarantar.com/lucknow-hotel-murder-agra-a-young-man-killed-4-sisters-and-his-mother</guid>
                    <description>
                        <![CDATA[ 2025ના વર્ષનો પ્રથમ દિવસ જ દેશમાં એક જઘન્ય ઘટના સાથે શરૂ થયો છે. આ સમાચારે સામાન્ય માણસને જ નહીં પરંતુ પોલીસ વિભાગને પણ હચમચાવી નાખ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષનો પ્રથમ દિવસ જ જાતિવાદના એપી સેન્ટર એવા યુપીની રાજધાની લખનૌમાં એક જઘન્ય ઘટના સાથે શરૂ થયો. આ સમાચારે સામાન્ય માણસને જ નહીં પરંતુ પોલીસ વિભાગને પણ હચમચાવી નાખ્યો છે. અહીં એક મુસ્લિમ યુવકે તેની માતા અને ચાર બહેનો એમ પરિવારના 5 સભ્યોની ઘાતકી રીતે હત્યા કરી નાખી. ચોંકાવનારી વાત એ છે કે, આ હત્યામાં યુવકના પિતા પણ સામેલ હતા. આ હત્યાકાંડ માટે સ્થાનિકોને જવાબદાર ઠેરવતા યુવકે મંદિર માટે પોતાનું ઘર દાનમાં આપી દેવાનો વીડિયો બનાવ્યો છે. જેમાં તેણે હત્યા સાથે જોડાયેલી બીજી ઘણી વાતો કહી, જેને સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોલોનીના લોકો બાંગ્લાદેશી હોવાના મેણાં મારતા હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવકે લખનઉની એક હોટલમાં આખી ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે ચાર બહેનો અને તેની માતા સહિત પાંચ લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તે પરિવારને સ્થાનિકો બાંગ્લાદેશી હોવાનું કહીને મેણાં મારતા હતા અને આ વિસ્તાર અને ઘર છોડી દેવા માટે દબાણ કરતા હોવાનું જણાવ્યું છે. આરોપી યુવકનું નામ અરશદ છે અને તેનો પરિવાર આગ્રાનો રહેવાસી છે. સ્થાનિકો તેને બાંગ્લાદેશી કહીને પરેશાન કરતા હોવાથી તે તેની માતા અને બહેનો સાથે લખનૌની એક હોટલમાં આવ્યો હતો. અહીં જ પિતાની મદદથી તેણે ચાર બહેનો અને તેની માતાની હાથની નસો કાપીને ગળું દબાવીને હત્યા કરી હતી. હત્યાકાંડ પછી અરશદે એક વીડિયો બનાવ્યો અને તેમાં તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_67754a4a62b52.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરશદે સ્થાનિકો પર આરોપ મૂક્યો અને કહ્યું કે તેઓ તેનું ઘર છીનવી લેવા માગતા હતા. જેના કારણે તેનો પરિવાર છેલ્લા 10-15 દિવસથી ભટકતો હતો. હત્યાકાંડના થોડા દિવસ પહેલા તેણે મુખ્યમંત્રી યોગી અને પીએમ મોદીને એક ફરિયાદ પત્ર પણ મોકલ્યો હતો, જેમાં તેણે વિનંતી કરી હતી કે બાંગ્લાદેશી કહીને તેને હેરાન કરતા લોકોને છોડવામાં ન આવે. કારણ કે આ લોકો જમીન પર કબજો કરી રહ્યા છે. વીડિયોમાં અરશદે માતા અને બહેનોના મોત માટે આખી કોલોનીને જવાબદાર ગણાવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બહેનોને વેચાતી જોઈ ન શકત એટલે હત્યા કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીડિયોમાં અરશદ કહી રહ્યો છે કે તે તેની બહેનોને વેચાતી જોઈ ન શકત એટલે તેમની હત્યા કરી હતી. સ્થાનિકો પર આરોપ લગાવતા તેણે કહ્યું કે કોલોનીના લોકો તેને રોજ હેરાન કરતા હતા. તેને બાંગ્લાદેશી કહીને હેરાન કરવામાં આવતો હતો. આથી કંટાળીને તે હિંદુ ધર્મ અપનાવીને હિંદુ બનવા માંગતો હતો. અરશદે પોલીસ પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું કે, પોલીસે સ્થાનિકો સામે કોઈ કાર્યવાહી નહોતી કરી. બાંગ્લાદેશી હોવાના આરોપોથી કંટાળી તેણે પોતાનું ઘર મંદિર બનાવવા માટે દાન દીધું હોવાનું પણ તે કહે છે. અરશદે વીડિયોમાં કહ્યું છે કે તેના ઘરમાં જે પણ સામાન છે તે અનાથાશ્રમને આપી દેવામાં આવે જેથી તેની બહેનોને શાંતિ મળે. તેણે જણાવ્યું કે કોલોનીના રહેવાસીઓ સતત તેના પર બાંગ્લાદેશી હોવાનો આરોપ પણ લગાવતા હતા, જેનાથી દુઃખી થઈને તેણે આ પગલું ભર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હોટલમાં એક સાથે 5 લોકોની હત્યાથી ખળભળાટ મચી ગયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે અર્શદે આખી ઘટનાને લખનઉની એક હોટલમાં અંજામ આપ્યો હતો. બાંગ્લાદેશી હોવાના આરોપોથી કંટાળીને તે અને તેનો આખો પરિવાર અહીં આવીને રોકાયો હતો. એ પછી તેણે રાત્રે પિતાની મદદથી તેની ચાર બહેનો અને માતાને બ્લેડના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશોનો કબજો મેળવ્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લખનઉ સેન્ટ્રલના ડીસીપી રવિના ત્યાગીએ જણાવ્યું કે આ ઘટના નાકા વિસ્તારમાં આવેલી હોટલ શરણજીતમાં બની હતી. આરોપીની ઓળખ અરશદ (24) તરીકે થઈ છે જેણે કથિત રીતે પોતાના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી છે. આ ઘટના બાદ સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને સ્થળ પરથી જ પકડી લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ આલિયા (9), અલશિયા (19), અક્સા (16), રહેમીન (18) આ તમામ અરશદની બહેનો છે અને આસ્મા તેની માતા છે. 24 વર્ષીય અરશદ આગ્રાનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે ઘરેલું વિવાદને કારણે આ ઘટનાને અંજામ આપ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/who-should-have-the-right-to-decide-on-euthanasia-in-india-gujarati">ઈચ્છામૃત્યુના નિર્ણયનો અધિકાર કોને હોવો જોઈએ?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 01 Jan 2025 19:35:55 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1792</Articleid>
                    <excerpt>2025ના વર્ષનો પ્રથમ દિવસ જ દેશમાં એક જઘન્ય ઘટના સાથે શરૂ થયો છે. આ સમાચારે સામાન્ય માણસને જ નહીં પરંતુ પોલીસ વિભાગને પણ હચમચાવી નાખ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67754a1b97ba3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67754a1b651f4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67754a1b651f4.jpg" length="74703" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>lucknow hotel murder case, Bangladesh, Latest News</media:keywords>
                </item>
                        <item>
                    <title>મંદિર માટે બે સાધુઓ બાખડ્યા, અંતે બંનેને બાબાસાહેબનું બંધારણ યાદ આવ્યું!</title>
                    <link>https://khabarantar.com/clashes-between-two-sadhus-over-property-issue-of-dhaneshwar-mahadev-temple-ashram-in-mangrol-narmada</link>
                    <guid>https://khabarantar.com/clashes-between-two-sadhus-over-property-issue-of-dhaneshwar-mahadev-temple-ashram-in-mangrol-narmada</guid>
                    <description>
                        <![CDATA[ લોકોને ત્યાગ, બલિદાનના ઉપદેશો આપતા સાધુ-બાવાઓ જ્યારે ખુદને પ્રોપર્ટી ત્યાગવાનો વારો આવે ત્યારે ભગવાનને છોડી બાબાસાહેબના બંધારણના જ શરણમાં આવતા હોય છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહેવાતા સંતો-સાધુઓ અસલમાં તો ધર્મનો ધંધો લઈને બેઠેલા છે અને આ વાત નગ્ન સત્ય હોવા જાહેરમાં તેનો સ્વીકાર કરતા લોકો ડરે છે. સામાન્ય માણસને ત્યાગ, બલિદાન અને મોહમાયા છોડી દેવાના ઉપદેશો આપતા આવા સાધુઓ જ્યારે તેમને ખુદને પ્રોપર્ટી કે અન્ય કોઈ કિંમતી વસ્તુ જતી કરવાની આવે ત્યારે મારામારી પર ઉતરી આવે છે. કેટલાક તો તેનાથી પણ આગળ વધીને ગુંડાઓ મોકલી એકબીજા પર હુમલાઓ કરાવે છે અથવા કોર્ટમાં સામસામે કેસ ઠોકી દે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના ભારતી આશ્રમ સરખેજ, જૂનાગઢ ભવનાથ મંદિર, સતાધાર મંદિરનો વિવાદ આપણી નજર સામે છે ત્યાં હવે વધુ એક 25 વર્ષ જૂના મંદિરનો વિવાદ ઉભો થયો છે. આમાં તો બે સાધુઓ વચ્ચે પ્રોપર્ટીને લઈને એવી બબાલ ઉભી થઈ કે બંને મારામારી પર ઉતરી આવ્યા હતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નર્મદાના માંગરોળના ધનેશ્વર મંદિરનો મામલો</span></strong></span><br><span style="font-size: 14pt;">મામલો નર્મદા જિલ્લામાં નર્મદા નદીના કાંઠે આવેલા નાંદોદ તાલુકાના માંગરોલના ધનેશ્વર મહાદેવ મંદિરનો છે. આ આશ્રમનો છેલ્લા 25 વર્ષથી વિવાદ ચાલતો આવ્યો છે. મંદિરની પ્રોપર્ટી મુદ્દે ત્યાં જ રહેતા બે સાધુ વચ્ચે ફરીથી ડખો ઊભો થયો છે. મામલો એટલો ઉગ્ર બની ગયો હતો કે ધનેશ્વર મંદિરના મહંત જાનકીદાસ બાપુના પત્ની ભગવતદાસે મંદિરે સામા પક્ષના અખિલ સદાનંદ મહારાજને પોલીસની હાજરીમાં તમાચો મારી દીધો હતો. આ સદાનંદ મહારાજ અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લાના મંત્રી છે. આ હુમલો થયા બાદ સદાનંદ મહારાજે કહ્યું હતું કે, ધનેશ્વર મંદિરના સાધુ દંપતીથી તેમના જીવને જોખમ છે એટલે સુરક્ષા આપવામાં આવે. તેમણે વધુમાં કહ્યું કે, આ મામલે કોઈ નિરાકરણ નહીં આવે તો તેઓ હાઇકોર્ટ નજીક આત્મવિલોપન કરશે. ટૂંકમાં, વાત ન્યાયની આવે ત્યારે ભલભલાં લોકો ભગવાનને ભૂલીને બાબાસાહેબના બંધારણની શરણમાં જ આવતા હોય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એક સાધુની પત્નીએ બીજાને લાફો ઝીંકી દીધો</span></strong></span><br><span style="font-size: 14pt;">અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લા મંત્રી સદાનંદ મહારાજ વચ્ચે અનેકવાર વિખવાદ થતાં આ મામલો એટલી હદે વધ્યો કે પોલીસ બોલાવી પડી હતી. પોલીસની હાજરીમાં જાનકીદાસ બાપુના પત્નીએ સદાનંદ મહારાજને તમાચો મારી દીધો હતો. જે બાદ આ આખો મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. પોલીસે બંને સંતોની સામસામે ફરિયાદો લીધી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે મહંત જાનકીદાસ બાપુની પત્ની ભાગવતદાસે 100 નંબર પર ફોન કરી ફરિયાદ કરી હતી કે, સદાનંદ મહારાજ અને અન્ય લોકોએ એમના આશ્રમ પર રાત્રે પથ્થરમારો કરી અપશબ્દો બોલ્યા હતા. આ ફરિયાદને લઈને પોલીસ ત્યાં પહોંચી હતી. એ દરમિયાન મહંત જાનકીદાસ બાપુની પત્ની ભાગવતદાસ પોલીસ સાથે સદાનંદ મહારાજના આશ્રમ પર પહોંચી હતી અને પોલીસની હાજરીમાં જ સ્વામી સદાનંદ મહારાજ પર હુમલો કર્યો હતો. જેથી તમામને પોલીસમથકે લઈ જવાયા હતા અને કાયદેસરની કાર્યવાહી બાદ મુક્ત કરાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/junagadh-sadhu-gave-rs-five-crore-to-bjp-to-become-mahant-of-bhavnath-temple">ભવનાથ મંદિરના મહંત બનવા માટે ભાજપને 5 કરોડનું ફંડ આપ્યું</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677512111fdf1.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એક સાધુએ બીજા સાધુના ડરથી પોલીસ સુરક્ષા માંગી</span></strong></span><br><span style="font-size: 14pt;">આ બાબતે અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લા મંત્રી સ્વામી સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે, "આ લોકોએ અનેકવાર મારી પર હુમલો કર્યો છે, તેઓ ધનેશ્વરની પ્રોપર્ટી હડપ કરવા માંગે છે અને એટલે અનેક ષડયંત્રો કરી મંદિર અને ગામનો માહોલ બગાડી રહ્યાં છે. જો આ બાબતે મને ન્યાય નહીં મળે અને સમસ્યાનું સમાધાન નહીં થાય તો  મુખ્યમંત્રી સુધી રજૂઆત કરીશ અને હાઇકોર્ટ નજીક આત્મવિલોપન કરીશ. હવે હું રજૂઆતો કરીને કંટાળી ગયો છું. મહંત જાનકીદાસ અસામાજિક વ્યક્તિ છે. લોકો એમને ઓળખે છે. હું મારા આશ્રમમાં એકલો રહું છું એટલે આ લોકો મારા પર હુમલો કરી મારી હત્યા કરશે એવી મને આશંકા છે એટલે મને સુરક્ષા મળવી જોઈએ."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અગાઉ પણ એક સાધુની હત્યા થઈ હતી</span></strong></span><br><span style="font-size: 14pt;">બીજી તરફ મહંત જાનકીદાસ મહારાજે જણાવ્યું હતું કે, " અને મારી પત્ની શાંતિથી આશ્રમમાં રહી લોકોની સેવા કરીએ છીએ. મારા વિરૂદ્ધ પોલીસ મથકમાં કોઈ પણ કેસ હોય કે અરજી હોય તો મને બતાવો, હું અસામાજિક તત્વ નથી. આ મંદિરના પૂર્વ મહંત રામપ્યારે દાસની પણ હત્યા કરવામાં આવી હતી એટલે મારી પણ હત્યા થશે એવો મને ડર છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">છેલ્લે તો બાબાસાહેબનું બંધારણ જ કામે લાગ્યું!</span></strong><br><span style="font-size: 14pt;">આ ઘટના પરથી એટલું તો ચોક્કસ કહી શકાય કે ધર્મની આડમાં સૌ પોતપોતાના રોટલાં શેકી રહ્યાં છે. ભગવાનની સેવા કરવાના બહાને આશ્રમો બાંધીને જમીન હડપ કરી જનારા આવા લોકો જ્યારે આવી પ્રોપર્ટી પર અન્ય કોઈ નજર નાખે ત્યારે મારામારી પર ઉતરી આવતા પણ પાછી પાની નથી કરતા. સૌથી મોટી વાત એ કે લોકોને ભગવાનનો ડર બતાવનારા ખુદ પોતાને મુશ્કેલી પડે ત્યારે ભગવાનને છોડીને દેશના બંધારણની શરણે આવી કોર્ટમાં ન્યાય માંગે છે. ડો.આંબેડકરના બંધારણની આનાથી મોટી જીત બીજી કઈ હોઈ શકે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/iskon-temple-keeps-retired-armymans-daughter-with-disciple-after-he-is-chased-away">ઈસ્કોન મંદિરે નિવૃત્ત આર્મીમેનની દીકરીને શિષ્ય સાથે ભગાડી ગોંધી રાખી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 01 Jan 2025 15:38:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1791</Articleid>
                    <excerpt>લોકોને ત્યાગ, બલિદાનના ઉપદેશો આપતા સાધુ-બાવાઓ જ્યારે ખુદને પ્રોપર્ટી ત્યાગવાનો વારો આવે ત્યારે ભગવાનને છોડી બાબાસાહેબના બંધારણના જ શરણમાં આવતા હોય છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67751210aae81.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6775121079534.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6775121079534.jpg" length="79080" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dhaneshwar mahadev temple ashram, temple property issue, clashes between two sadhus, mangrol narmada</media:keywords>
                </item>
                        <item>
                    <title>સનાતન ધર્મ એટલે ‘ગાય અને બ્રાહ્મણો’ને જલસા : કેરળના મુખ્યમંત્રી</title>
                    <link>https://khabarantar.com/kerala-cm-pinarayi-vijayan-sanatan-dharma-means-a-celebration-of-cows-and-brahmins</link>
                    <guid>https://khabarantar.com/kerala-cm-pinarayi-vijayan-sanatan-dharma-means-a-celebration-of-cows-and-brahmins</guid>
                    <description>
                        <![CDATA[ મનુવાદી વર્ણવ્યસ્થા પર આકરા ચાબખા મારવા માટે જાણીતા કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને સ્ટેજ પરથી મનુવાદી સનાતન ધર્મ અને જાતિ પ્રથાના છોતરાં કાઢી નાખ્યાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને સનાતન ધર્મ અને જાતિ પ્રથા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સનાતન ધર્મને વર્ણાશ્રમ ધર્મનો જ અભિન્ન હિસ્સો ગણાવ્યો અને કહ્યું કે તે ચાતુર્વર્ણ પદ્ધતિ પર જ આધારિત છે. મુખ્યમંત્રીએ કહ્યું, "વર્ણાશ્રમ ધર્મ વંશપરંપરાગત વ્યવસાયોનો મહિમા કરે છે, પરંતુ શ્રી નારાયણ ગુરુએ આ વંશપરંપરાગત વ્યવસાયોને પડકાર્યા હતા. આવી સ્થિતિમાં નારાયણ ગુરુને સનાતન ધર્મના સમર્થક કેવી રીતે કહી શકાય?"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને મંગળવારે શીવગીરી માધોમ ખાતે 92મી શિવગીરી યાત્રાનું ઉદ્ઘાટન કરતી વખતે સામાજિક સુધારણાનો સંદેશ આપ્યો હતો. તેમણે શિવગીરી માધોમ દ્વારા ભક્તોને મંદિરમાં પ્રવેશ કરતી વખતે શર્ટ ઉતારવાની પ્રથાને ખતમ કરવાની અપીલને આધુનિક અને પ્રગતિશીલ મૂલ્યોને અનુરૂપ ગણાવી. મુખ્યમંત્રીએ કહ્યું કે શિવગીરી માધોમના પ્રમુખ સ્વામી સચિતાનંદે આ પ્રથાને જૂના સમયની અવશેષ ગણાવી હતી, જે આજના પ્રગતિશીલ સમાજમાં અપ્રસ્તુત છે.તેમના શબ્દો શ્રી નારાયણ ગુરુના સુધારાવાદી વિચારો અને સંદેશને પ્રતિબિંબિત કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શ્રી નારાયણ ગુરુ અને સુધારાવાદી આંદોલન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પી. વિજયને કહ્યું કે, શ્રી નારાયણ ગુરુ સાથે સંકળાયેલા મંદિરોએ આ પ્રથા છોડી દીધી છે અને તેમને આશા છે કે અન્ય મંદિરો પણ આ દિશામાં પગલાં લેશે. તેમણે શ્રી નારાયણ ગુરુને સનાતન ધર્મના સમર્થક તરીકે રજૂ કરવાના પ્રયાસોની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે સનાતન ધર્મ અને વર્ણાશ્રમ ધર્મમાં કોઈ ખાસ તફાવત નથી. બંને સમાજ વ્યવસ્થાને જાતિના આધારે બાંધી રાખે છે અને નીચલા વર્ગો માટે સામાજિક પ્રગતિના રસ્તાઓ બંધ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સનાતન ધર્મ પર તીક્ષ્ણ પ્રહાર કરતા વિજયને કહ્યું, "સનાતન ધર્મ સાર્વત્રિક કલ્યાણની વાત કરે છે પરંતુ તેની પાછળ 'ગાય અને બ્રાહ્મણોની સુખાકારી' ની શરત જોડી દેવામાં આવે છે. આ ધર્મ જાતિની સામાજિક વ્યવસ્થાને જાળવી રાખવા માટે બ્રાહ્મણવાદી સર્વોપરિતાને પ્રોત્સાહન આપે છે. તેમણે તેને 'સિંગલ પાવર'ના ગુણગાન અને સામાજિક-આર્થિક અસમાનતાઓને જાળવી રાખનાર ગણાવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પિનરાઈ વિજયને મહાભારતમાં ન્યાયની અસ્પષ્ટતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે મહાભારત એ યુગની રચના છે જ્યારે સમાજ આદિવાસી વ્યવસ્થાથી જાતિના રાજકારણમાં બદલાઈ રહ્યો હતો. શ્રી નારાયણ ગુરુએ આ ગ્રંથની ન્યાય પ્રત્યેની અસ્પષ્ટતા પર આકરા સવાલો ઉઠાવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું, "મહાભારત સ્વયં નક્કી નથી કરતું કે ધર્મ શું છે, પરંતુ ધર્મ વિશે શંકા અને પ્રશ્નો ઉભા કરે છે." મુખ્યમંત્રીએ વર્તમાન સંદર્ભમાં ‘સનાતન હિન્દુત્વ’ની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું, "આપણે એવા સમયમાં જીવી રહ્યાં છીએ જ્યારે સનાતન હિંદુત્વને અત્યંત શ્રેષ્ઠ અને ભવ્ય તરીકે દર્શાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેને તમામ સામાજિક સમસ્યાઓનું સમાધાન કહેવામાં આવે છે." </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે ‘લોકા: સમસ્તા સુખીનો ભવન્તુ" જેવા સૂત્રની ચર્ચા કરતાં કહ્યું કે આ સૂત્રનો અર્થ ચોક્કસપણે સકારાત્મક છે અને તે સાર્વત્રિક સુખની કામના કરે છે. પરંતુ તેમણે એમ પણ કહ્યું કે તેને માત્ર હિન્દુત્વની વિશેષતા તરીકે રજૂ કરવું તે સુનિયોજિત નેરેટિવનો હિસ્સો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતો અને પછાત લોકો માટે ન્યાયની માંગ કરતા વિજયને કહ્યું કે, આજે પણ ગ્રામીણ ઉત્તર ભારતમાં દલિતો, પછાતો અને લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. આ અત્યાચારોને રાજકીય અને વહીવટી રક્ષણ મળે છે, જેના કારણે ગુનેગારો કાયદાની પકડમાંથી છટકી જાય છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, શ્રી નારાયણ ગુરુનો માનવતાવાદી સંદેશ સામાજિક સમાનતા અને ન્યાયનો માર્ગ બતાવે છે. તેમણે બધાંને આગ્રહ કર્યો કે સામાજિક સુધારા માટે શિવગીરીના ઐતિહાસિક નેતૃત્વને અનુસરે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-sinde-government-of-maharashtra-gave-the-status-of-rajmata-gaumata-to-the-country-cow">મહારાષ્ટ્રની શિંદે સરકારે દેશી ગાયને રાજમાતા-ગૌમાતાનો દરજ્જો આપ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 31 Dec 2024 19:39:20 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1788</Articleid>
                    <excerpt>મનુવાદી વર્ણવ્યસ્થા પર આકરા ચાબખા મારવા માટે જાણીતા કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને સ્ટેજ પરથી મનુવાદી સનાતન ધર્મ અને જાતિ પ્રથાના છોતરાં કાઢી નાખ્યાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6773fa098901d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6773fa0952f4c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6773fa0952f4c.jpg" length="65013" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>pinarayi vijayan, kerala cm, sanatan dharma, cows, brahmins</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;શાંતિથી દર્શન કરવાના 1200 થશે..&amp;apos; બેટ દ્વારકામાં VIP દર્શનનો ધંધો</title>
                    <link>https://khabarantar.com/bet-dwarka-is-viral-a-video-vip-darshan-business</link>
                    <guid>https://khabarantar.com/bet-dwarka-is-viral-a-video-vip-darshan-business</guid>
                    <description>
                        <![CDATA[ ધર્મ એક ધંધો છે એવું બહુજન મહાપુરૂષો અનેકવાર કહી ચૂક્યા છે ત્યારે બેટ દ્વારકામાં તેનું તાજું ઉદાહરણ સામે આવ્યું છે. અહીં વીઆઈપી દર્શનના નામે મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમે સીધા જ કોઈ વ્યક્તિને સમજાવવા જાવ કે ભારત સહિત દુનિયાભરમાં ધર્મ એક ધંધો છે તો શક્ય છે સામેની વ્યક્તિ નારાજ થઈ જાય છે અને કોઈ કટ્ટર હિંદુત્વવાદી હશે તો હુમલો પણ કરી બેસે. સત્તામાં હિંદુત્વવાદીઓ મજબૂત થતા જ આવા તત્વો કાયદો વ્યવસ્થાની પરવા કર્યા વિના બેફામ બની ગયા છે, જેના કારણે સામાન્ય માણસ માટે લૂંટાવા સિવાય કોઈ વિકલ્પ નથી બચ્યો. આમ તો દરેક મોટા મંદિરો રૂપિયા રળવાનું રીતસરનું મશીન બની ગયા છે, પણ અહીં વાત છે ગુજરાતના બેટ દ્વારકા મંદિરની.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ દેશ-દુનિયામાં ક્રિસમસ અને નવા વર્ષની ધૂમ મચેલી છે ત્યારે બેટ દ્વારકામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યાં છે અને તેના કારણે અહીં ભગવાનના નામે દલાલી કરતા તત્વો પણ ફૂટી નીકળ્યાં છે. જેઓ વીઆઈપી દર્શનના નામે ભોળાં લોકો પાસેથી પૈસા પડાવવાનું કામ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં ભગવાનના વીઆઈપી દર્શન કરાવવા માટે દલાલો ફૂટી નીકળ્યા છે, જેઓ દર્શને આવતા લોકો પાસેથી વીઆઈપી દર્શનના બહાને 200 થી લઈને 2000 રૂપિયા સુધીની રકમ પડાવી રહ્યાં છે. આ આખી ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં એક શખ્સ દર્શને આવનાર એક ગ્રુપ પાસેથી 6 લોકોના રૂ. 1200 રેટ ચાલતો હોવાનું કહીને તેમને વીઆઈપી દર્શન કરાવી આપવાનું કહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભગવાનના VIP દર્શન કરાવવા માટે જુદા-જુદા ભાવ દલાલો લગાવે છે ત્યારે કેટલાક ભક્તો શાંતિથી દર્શન કરવા માટે આ દલાલોનું સંપર્ક પણ કરતા હોય છે. ત્યારે શાંતિથી દર્શન કરવા માટે 200થી 2 હજાર રૂપિયા દલાલ ઉઘરાવ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, મોંમાં માવો ઠૂંસી સફેદ શર્ટ પહેલી, માથે ટીલું લગાડેલો એક શખ્સ 6 વ્યકિતના 1200 રૂપિયા લઇ ભગવાનના દર્શન કરાવવાની વાત કરે છે. ચોંકાવનારી વાત એ છે કે આ બધું ખૂલ્લેઆમ થઈ રહ્યું છે, દલાલોને કરાણે સામાન્ય લોકોને અગવડતા ભોગવવી પડે છે, તેમ છતાં લોકો અહીં દર્શન માટે જાય છે. ભગવાનના વીઆઈપી દર્શનના નામે ખૂલ્લેઆમ રૂપિયા પડાવવાનો ધંધો ચાલતો હોવા છતાં લોકોની આંખો ખૂલતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/junagadhs-saffron-clad-baba-sexually-abused-a-transgender-girl">જૂનાગઢના ભગવાધારી બાબાએ ટ્રાન્સજેન્ડર યુવતીનું જાતીય શોષણ કર્યું</a></span></strong></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 31 Dec 2024 11:01:50 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1785</Articleid>
                    <excerpt>ધર્મ એક ધંધો છે એવું બહુજન મહાપુરૂષો અનેકવાર કહી ચૂક્યા છે ત્યારે બેટ દ્વારકામાં તેનું તાજું ઉદાહરણ સામે આવ્યું છે. અહીં વીઆઈપી દર્શનના નામે મોટું કૌભાંડ ચાલી રહ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_677380c7475a2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_677380c713348.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_677380c713348.jpg" length="93457" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>bet dwarka is viral a video, bet dwarka News, vip darshan business</media:keywords>
                </item>
                        <item>
                    <title>કેજરીવાલનો મનુવાદ: દિલ્હીના પૂજારીઓને દર મહિને રૂ. 18,000 આપશે</title>
                    <link>https://khabarantar.com/pujari-granthi-samman-yojana-will-give-rs-18000-per-month-to-delhi-priests</link>
                    <guid>https://khabarantar.com/pujari-granthi-samman-yojana-will-give-rs-18000-per-month-to-delhi-priests</guid>
                    <description>
                        <![CDATA[ ડો.આંબેડકર અને તેમની વિચારધારાના ગુણગાન ગાતી આપ અને તેના સુપ્રીમો અરવિંદ કેજરીવાલનો અસલ મનુવાદી ચહેરો ધીરેધીરે ખૂલ્લો પડી રહ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હી વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનો મનુવાદી ચહેરો પણ ધીરેધીરે ખૂલીને સામે આવી રહ્યો છે. જાહેરમાં ડો.આંબેડકરની વિચારધારાની દુહાઈ દેતા અને મીડિયામાં પોતાના ઘરની તસવીરો છપાય ત્યારે દિવાલ પર ટાંગેલો ડો. બાબાસાહેબ આંબેડકરનો ફોટો ખાસ દેખાય તેની કાળજી રાખનાર કેજરીવાલ ચૂંટણી આવતા જ તેમના અસલ મનુવાદી રંગમાં આવી ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણી હોવાથી કેજરીવાલ દરરોજ નવી જાહેરાતો કરી રહ્યાં છે અને આજે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ એક નવી સ્કીમની જાહેરાત કરી છે, જેનું નામ છે 'પૂજારી-ગ્રંથી સન્માન યોજના'. આ યોજના હેઠળ, જો આમ આદમી પાર્ટી ચૂંટણી જીતશે તો દિલ્હીના તમામ મંદિરોના પૂજારીઓ અને ગુરુદ્વારા સાહિબના ગ્રંથીઓને દર મહિને રૂ. 18,000 નું માનદ વેતન આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેજરીવાલે કહ્યું કે, દરેક ઘરને તેના સુખ અને દુઃખમાં પૂજારીની જરૂર હોય છે. પરંતુ તેમના પર ક્યારેય ધ્યાન આપવામાં આવ્યું નહોતું. ન તો પૂજારી પોતાના પરિવારો પર પૂરતું ધ્યાન આપી શકે છે. તેથી AAP તેમના સન્માનમાં આ યોજના લાવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને મંત્રી સૌરભ ભારદ્વાજ પણ હાજર રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેજરીવાલે કહ્યું, “કાલે હું કનોટ પ્લેસના હનુમાન મંદિર જઈશ અને પૂજારીઓની નોંધણી કરાવીશ. હું ભાજપને વિનંતી કરું છું કે પૂજારીઓ અને ગ્રંથિઓના રજિસ્ટ્રેશનમાં અવરોધો ન ઉભા કરે. આ નોંધણી પ્રક્રિયા બંધ ન કરાવશો. જો ભાજપ આ યોજનાને રોકવાનો પ્રયાસ કરશે તો તેમને પાપ લાગશે.” કેજરીવાલની આ યોજના સ્પષ્ટ રીતે મનુવાદ અને મનુવાદીઓને પ્રોત્સાહન આપે છે. ‘પાપ’ જેવો શબ્દપ્રયોગ જ સ્પષ્ટ કરે છે કે તેઓ ડો.આંબેડકરની વિચારધારાનું મહોરું ઓઢીને ફરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણી નજીક આવતા જ કેજરીવાલે યોજનાઓનો પટારો ખોલી નાખ્યો છે. અગાઉ તેમની પાર્ટીએ વૃદ્ધો માટે પેન્શનની જાહેરાત કરી હતી. જેમાં  દિલ્હીમાં 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને પેન્શન આપવામાં આવશે. 60-69 વર્ષની વયના લોકોને 2,000 રૂપિયા અને 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને 2,500 રૂપિયા પેન્શન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટલું જ નહીં કેજરીવાલે મહિલાઓ માટે પણ યોજનાની જાહેરાત કરી હતી. 2024-25ના બજેટમાં દિલ્હી સરકારે 'મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના'ની જાહેરાત કરી હતી, જે અંતર્ગત 18 વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવશે. પરંતુ જેવી ચૂંટણી નજીક આવી કે તરત કેજરીવાલે જાહેરાત કરી કે 1,000 રૂપિયાની રકમ વધારીને 2,100 રૂપિયા કરવામાં આવશે. આવા તકવાદી અને ઈચ્છા પડે ત્યારે મનુવાદીઓ તરફ ઢળી પડતા કેજરીવાલને દિલ્હીના દલિત મતદારો કેટલા ફળે છે તેના પર નજર રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/arvind-kejriwal-aap-delhi-schemes-for-dalits-flop">કેજરીવાલે દલિતો માટે બનાવેલી મોટાભાગની યોજનાઓ કેમ ફ્લોપ રહી?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 30 Dec 2024 21:29:30 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 31 Dec 2024 09:53:54 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1784</Articleid>
                    <excerpt>ડો.આંબેડકર અને તેમની વિચારધારાના ગુણગાન ગાતી આપ અને તેના સુપ્રીમો અરવિંદ કેજરીવાલનો અસલ મનુવાદી ચહેરો ધીરેધીરે ખૂલ્લો પડી રહ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6772c19e0e47e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6772c19dc524b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6772c19dc524b.jpg" length="77370" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Pujari Granthi Samman Yojana, Delhi Election.AAP</media:keywords>
                </item>
                        <item>
                    <title>હવે ‘જજનો દીકરો જજ’ નહીં બને, સુપ્રીમ કોર્ટ Nepotism પર બ્રેક લગાવશે?</title>
                    <link>https://khabarantar.com/end-of-nepotism-injudiciary-supreme-court-now-a-judges-son-will-not-become-a-judge</link>
                    <guid>https://khabarantar.com/end-of-nepotism-injudiciary-supreme-court-now-a-judges-son-will-not-become-a-judge</guid>
                    <description>
                        <![CDATA[ દેશના ન્યાયતંત્રમાં સવર્ણ જજોએ સદીઓથી મોનોપોલી સ્થાપિત કરેલી છે. અહીં બીજા કોઈપણ ક્ષેત્ર કરતા ભાઈ-ભત્રીજા વધુ છે. પણ હવે તેના પર બ્રેક લાગશે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયા હંમેશા સવાલોના ઘેરામાં રહી છે. 'ન્યાયાધીશોની પસંદગી કરતા ન્યાયાધીશો'ની કોલેજિયમ સિસ્ટમને લઈને એ ટીકા હંમેશા થતી રહી છે કે હાઈકોર્ટમાં મોટાપાયે જજોના સગાસંબંધીઓ નિયુક્તિ થાય છે અને એજ લોકો આગળ જતા સુપ્રીમ કોર્ટના જજ બને છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટમાં 50 ટકા જજો સંબંધીઓ નીકળ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાઈકોર્ટમાં નિમણૂક પામેલા જજો અને સુપ્રીમ કોર્ટમાં આવતા જજોની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો આ આરોપ પણ સાચો લાગે છે, કારણ કે મોટાભાગના જજોના પરિવારમાં પહેલાથી જ કોઈ જજ રહેલું હોય છે. કોઈના પિતા, તો કોઈના કાકા જજ છે અથવા કોઈના નજીકના સંબંધીઓ જજ છે. NJAC (નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન) કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં ખુલાસો થયો હતો કે હાઈકોર્ટના લગભગ 50 ટકા જજ સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના જજના સંબંધીઓ છે. આટલી હદે જ્યાં ભાઈ-ભત્રીજાવાદ ચાલતો હોય ત્યાં સામાન્ય માણસ તટસ્થ ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખી શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ સુપ્રીમ કોર્ટ કોલેજિયમ હવે આ સેટિંગનો અંત લાવવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટ કોલેજિયમ એ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે કે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત અથવા વર્તમાન ન્યાયાધીશના પરિવારમાંથી કોઈપણ વકીલના નામની જજ પદ માટે ભલામણ કરવામાં ન આવે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોલેજિયમની બેઠકમાં મામલો ઉઠ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, કોલેજિયમની બેઠક દરમિયાન કોલેજિયમના એક સભ્યએ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે લોકોમાં સામાન્ય માન્યતા છે કે ફર્સ્ટ જનરેશન એડવોકેટ (જેમના પરિવારમાં કોઈ ન્યાયાધીશ નથી રહ્યું) ની તુલનામાં સંબંધી એડવોકેટ્સને પ્રાથમિકતા મળે છે, જેના કારણે ફર્સ્ટ જનરેશન એડવોક્ટ્સ ભાગ્યે જ જજની ખુરશી સુધી પહોંચી શકે છે. આમાં પણ પાછી જે તે વકીલની જાતિનું મહત્વ તો ખરું જ. તેથી જજોના પરિવારના સભ્યોના નામની જજ તરીકે ભલામણ કરવા પર પ્રતિબંધ હોવો જોઈએ. કોલેજિયમના બાકીના કેટલાક ન્યાયાધીશો પણ આ બાબત સાથે સંમત થયા છે. જ્યારે કેટલાકનું માનવું હતું કે આના કારણે, ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે પાત્રતા ધરાવતા કેટલાક લાયક વકીલો ન્યાયાધીશ બની શકશે નહીં કારણ કે તેઓ પૂર્વ ન્યાયધીશના સગા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોલેજિયમ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોલેજિયમમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) સહિત સર્વોચ્ચ અદાલતના ચાર વરિષ્ઠ ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. આ પાંચ લોકો મળીને નક્કી કરે છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કોણ જજ બનશે. જેમને જજ બનાવવાના છે તેવા લોકોના નામ આ કૉલેજિયમ સરકારને મોકલે છે. કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલી ભલામણને સરકાર માત્ર એક જ વાર પરત કરી શકે છે. કોલેજિયમ દ્વારા બીજી વખત મોકલવામાં આવેલી ભલામણને સરકાર સ્વીકારવા માટે બંધાયેલી છે. વર્તમાન કોલેજિયમમાં CJI સંજીવ ખન્ના અને જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ એ.એસ. ઓકાનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">NJAC રદ કરવામાં આવી હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'Judges Selecting Judges' ની કોલેજિયમ સિસ્ટમની ખામીઓને દૂર કરવા માટે નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન (NJAC) ની સ્થાપના કરવામાં આવી હતી, જેને ઓક્ટોબર 2015માં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. NJAC માં મુખ્ય ન્યાયાધીશ, સર્વોચ્ચ અદાલતના બે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશો, કેન્દ્રીય કાયદા પ્રધાન અને નાગરિક સમાજના બે લોકોને સામેલ કરવાની જોગવાઈ હતી. જો કે આમાં સુપ્રીમ કોર્ટથી ઉપર સરકાર પોતાના માણસોને ગોઠવી દે તેવી પુરી શક્યતા દેખાતી હોવાથી સુપ્રીમે તેને ફગાવી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તેમાં ભાઈ-ભત્રીજાવાદને દૂર કરવા માટેની વાત થઈ છે. પણ ભારતમાં જે રીતે આખું ન્યાયતંત્ર અને અન્ય વહીવટીતંત્ર ચાલી રહ્યું છે તે જોતા આ દાવાઓ પોકળ સાબિત થાય તેવી શક્યતા વધુ જણાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/what-is-the-contribution-of-collegium-judges-regarding-classification-into-sc-st">SC, ST માં વર્ગીકરણ બાબતે કોલેજીયમ જજોની દાનત શું છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 30 Dec 2024 18:56:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1783</Articleid>
                    <excerpt>દેશના ન્યાયતંત્રમાં સવર્ણ જજોએ સદીઓથી મોનોપોલી સ્થાપિત કરેલી છે. અહીં બીજા કોઈપણ ક્ષેત્ર કરતા ભાઈ-ભત્રીજા વધુ છે. પણ હવે તેના પર બ્રેક લાગશે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67729f64d5141.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67729f64ac8aa.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67729f64ac8aa.jpg" length="111328" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>collegium-reforms, NJAC, suprem court, Judges Selecting Judges</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજકોટના જેતલસરમાં ભૂવાજીએ ગૌશાળામાં કૂટણખાનું શરૂ કર્યું?</title>
                    <link>https://khabarantar.com/bhuvaji-started-a-sex-racket-in-a-gaushala-in-jetalsar-rajkot</link>
                    <guid>https://khabarantar.com/bhuvaji-started-a-sex-racket-in-a-gaushala-in-jetalsar-rajkot</guid>
                    <description>
                        <![CDATA[ ગામલોકોએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો. પોલીસને જાણ કરી પણ યોગ્ય કાર્યવાહી ન થતા ગૃહમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્મની આડમાં આ દેશમાં કંઈપણ કરી શકાય છે, પછી તે વેશ્યાવૃત્તિ જ કેમ નથી. આવો જ એક કિસ્સો રાજકોટ જિલ્લાના જેતપુરના જેતલસરમાં સામે આવ્યો છે. અહીં ધર્મના નામે ધતિંગ કરતાં એક ભૂવાજીએ જેતપુરના જેતલસર ગામે ગૌશાળાની અંદર કુટણખાનું ચાલુ કર્યું હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે એક ઓડિયો ક્લિપ વાયરલ થતા રાજકોટ ગ્રામ્ય એસપીએ તપાસના આદેશ કર્યા હતા. જો કે મામલો ધર્મની આડમાં કાળા કામોનો હોવાથી પોલીસે માત્ર નામપુરતી કાર્યવાહી કરીને માત્ર જાહેરમાં ચેનચાળા કરાયા હોવાનો ગુનો નોંધીને આખા મામલાનો વીંટો વાળી દીધો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે આ મામલામાં જવાબદાર બે મુખ્ય સૂત્રધારોને બચાવી લીધા છે, જેના કારણે હવે આ કેસમાં પુરાવા સાથે ગૃહમંત્રીને રજૂઆત કરાતા સ્થાનિક પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">ગુજરાતના મોટા શહેરોમાં અને હવે તો નાના ટાઉનોમાં પણ જિમ, સ્પ અને ,બ્યૂટી પાર્લરની આડમાં દેહવ્યાપાર થતો હોવાની વાત નગ્ન સત્ય છે. પરંતુ રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામે ગૌશાળાની આડમાં બે સંચાલકોએ 6 માસથી દેહવ્યાપારનો ધંધો શરૂ કર્યો હતો. જેમાં હવસખોરો ગૌશાળાની મુલાકતના નામે ઓરડીમાં બેઠેલી લલનાઓ સાથે રંગરેલીયા મનાવવા માટે આવતા હતા. જો કે અચાનકથી ગૌશાળાના મુલાકાતીઓ વધી જતાં ગામલોકોને શંકા ગઈ હતી અને તેમણે અંદરખાને તપાસ કરાવતા તેમને હોંશ ઉડી ગયા હતા. કેમ કે ભૂવાજી ધર્મની આડમાં અહીં કૂટણખાનું ચલાવી રહ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/three-months-old-bhagwati-died-while-burning-incense">ત્રણ માસની 'ભગવતી'ને ભૂવાએ અગરબત્તીના ડામ દેતા મોત</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગામલોકોએ પોલીસને જાણ કરી</span></strong></span><br><span style="font-size: 14pt;">ઘટનાની જાણ થતા જ ગામલોકોએ તરત ગ્રામ્ય એસપીને ફોન કરીને જાણ કરી હતી. એ પછી તરત જેતપુર તાલુકા પોલીસે દરોડો પાડીને ગૌશાળાના સંચાલક ધવલ મનસુખ મારકડા અને રાજકોટ ગ્રામ્યની એક મહિલાને ઝડપી પાડીને જાહેરમાં ચેનચાળા કર્યા હોવાનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. જો કે આ બનાવમાં પોલીસે બે સંચાલકોની પોલીસે આબરૂ બચાવી લીધી હોવાની ચર્ચા છે. જેનાથી નારાજ થયેલા ગામલોકોએ આ આખી ઘટનાના કેટલાક ઓડિયો-વીડિયો અને ફોટાં સાથેની સીડી તૈયાર કરીને ગૃહ રાજ્યમંત્રીને મોકલી ન્યાયની માંગણી કરતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગૌશાળાની અંદર ધંધો કરવો પડશે, નહીંતર હપ્તો આપવો પડશે?</span></strong></span><br><span style="font-size: 14pt;">જેતલસરની ગૌશાળાની અંદર ચાલતા કૂટણખાનાને લઈને તેના સંચાલકો વચ્ચે પૈસા બાબતે ડખ્ખો શરૂ થયા બાદ ઓડિયો ક્લિપ વાઇરલ થતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે 7 જેટલી ઓડિયો ક્લિપ વાયરલ થતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે. જેમાં ગૌશાળાની અંદર દેહવ્યાપારનો ધંધો કરતાં શખ્સો તથા અન્ય શખ્સ વચ્ચેની વાતચીત છે. જેમાં સ્પષ્ટ રીતે સાંભળવા મળે છે કે, જેતલસર ગામે અલગ અલગ ત્રણથી ચાર જગ્યાએ કૂટણખાનું ચાલી રહ્યું છે. ઓડિયોમાં એક શખ્સ બોલતો જણાય છે કે, તે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સાથે વગ ધરાવે છે તેથી ખંડણી તરીકે રૂ. 10 હજાર આપવા પડશે. તે વધુમાં કહે છે કે, જો ધંધો કરવો હોય તો ગૌશાળાની અંદર જ કરવો પડશે અને દરરોજના 1000 રૂપિયા આપવા પડશે, જો નહીં આપો તો દર મહિને હપ્તો આપવો પડશે. આમ ગૌશાળામાં કૂટણખાનું ચાલું થવાની આ ઘટનાથી ગામલોકોમાં સોંપો પડી ગયો છે અને પોલીસે આ મામલે વહેલીતકે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-woman-died-after-tantric-drinking-water-of-statistics-in-the-name-of-treatment">ભૂવાએ સારવારના નામે આંકડાનું પાણી પીવડાવતા મહિલાનું મોત</a> </strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 30 Dec 2024 12:01:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1781</Articleid>
                    <excerpt>ગામલોકોએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો. પોલીસને જાણ કરી પણ યોગ્ય કાર્યવાહી ન થતા ગૃહમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67723d3fd30e7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67723d3f9ce5d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67723d3f9ce5d.jpg" length="87100" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>sex racket, gaushala, jetalsar, rajkot</media:keywords>
                </item>
                        <item>
                    <title>મનુસ્મૃતિ સળગાવવા બદલ 13 વિદ્યાર્થીઓની ધરપકડ કરી જેલમાં પુરી દીધાં</title>
                    <link>https://khabarantar.com/13-students-arrested-and-jailed-for-burning-manusmriti-at-banaras-hindu-university</link>
                    <guid>https://khabarantar.com/13-students-arrested-and-jailed-for-burning-manusmriti-at-banaras-hindu-university</guid>
                    <description>
                        <![CDATA[ મનુસ્મૃતિ દહન કાર્યક્રમમાં ભાગ લેવા બદલ 13 વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી જેલમાં પુરી દીધાં, જેમાં 3 વિદ્યાર્થીનીઓ પણ સામેલ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનુસ્મૃતિ દહન દિવસ (Manusmriti Dahan Day) નિમિત્તે બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) ના આર્ટ્સ વિભાગમાં ભગત સિંહ સ્ટુડન્ટ મોરચા દ્વારા આયોજિત ચર્ચામાં ભાગ લેનારા 13 વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી (13 students arrested) જેલમાં મોકલી દીધા છે. તેમાં ત્રણ વિદ્યાર્થીનીઓ પણ સામેલ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે, બાબાસાહેબ આંબેડકરે 25 ડિસેમ્બર, 1927ના રોજ મનુસ્મૃતિનું દહન કર્યું હતું. દેશભરમાં આ દિવસે દલિત-બહુજન સમાજ જાહેરમાં મનુસ્મૃતિની હોળી કરે છે. એ રીતે આ પ્રસંગે ભગતસિંહ સ્ટુન્ડ મોરચાના વિદ્યાર્થીઓ ચર્ચા માટે ભેગા થયા હતા. સંસ્થાના એક અધિકારીએ જણાવ્યું કે ચર્ચા દરમિયાન BHU પ્રોક્ટોરિયલ બોર્ડના ગાર્ડ આવ્યા અને વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક શરૂ કરી. પહેલા તેમને ઢસડવામાં આવ્યા અને પછી સાંજે 7:30 વાગ્યાની આસપાસ પ્રોક્ટોરિયલ બોર્ડ ઑફિસમાં લઈ જઈને પુરી દીધાં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ દરમિયાન વિદ્યાર્થીઓને ઈજાઓ પણ થઈ હતી, તેમના કપડા ફાટી ગયા હતા અને ચશ્માના કાચ તૂટી ગયા હતા. આ વિદ્યાર્થીઓને મદદ કરવા પહોંચેલા તમામ વિદ્યાર્થીઓની પણ ધક્કા મારીને અટકાયત કરવામાં આવી હતી. એ પછી BHU ગાર્ડ અને વારાણસી પોલીસે મળીને વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની ધમકીઓ આપી હતી. જેમાં તેમનું ભવિષ્ય બગાડવાની અને જોઈ લેવાની ધમકી પણ સામેલ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/In-more-than-1000-villages-of-Gujarat,-Manusmriti-was-burnt-and-a-pylon-of-equality-was-built">ગુજરાતના 1000થી વધુ ગામોમાં મનુસ્મૃતિનું દહન કરી સમાનતાનું તોરણ બંધાયું</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાદમાં, અટકાયત કરાયેલા વિદ્યાર્થીઓને બળજબરીથી પોલીસ વાનમાં બેસાડી તેમની સાથે મારપીટ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓમાં ત્રણ છોકરીઓ પણ સામેલ છે. વિદ્યાર્થીઓએ પોલીસની આ કાર્યવાહીને ગેરકાયદેસર અને વાંધાજનક ગણાવી છે. તેમનું કહેવું છે કે સાંજ પછી પોલીસ દ્વારા છોકરીઓની અટકાયત એ કાયદાનું ઉલ્લંઘન અને સત્તાનો દુરુપયોગ છે. લંકા પોલીસ સ્ટેશન સતત કહી રહ્યું છે કે 'મામલો ઉપરથી ઉઠાવવામાં આવી રહ્યો છે' એટલે કે ભાજપ, આરએસએસ-એબીવીપી જેવા મનુવાદી-ફાસીવાદી લોકો આ મામલામાં ખુલ્લેઆમ સામેલ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે અટકાયત કરાયેલ તમામ 13 વિદ્યાર્થીઓને પોલીસે જેલમાં મોકલી દીધા છે. ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓમાં મુકેશ કુમાર, સંદીપ જયસ્વાલ, અમર શર્મા, અરવિંદ પાલ, અનુપમ કુમાર, લક્ષ્મણ કુમાર, અવિનાશ, અરવિંદ, શુભમ કુમાર, આદર્શ, ઇપ્સિતા અગ્રવાલ, સિદ્દી તિવારી અને કાત્યાયની બી રેડ્ડીનો સમાવેશ થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તમામ વિદ્યાર્થીઓ સામે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 132/121(2)/196(1)/299/190/191(2)/115(2)/110 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. સંગઠને કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકારના ડરના કારણે વિદ્યાર્થીઓ પર આ દમન થયું છે. ભગતસિંહ સ્ટુડન્ટ મોરચાએ ફાસિસ્ટ રાજ્યની મનુવાદી પોલીસ દ્વારા કરાયેલી ગેરકાયદેસર કાર્યવાહી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે તમામ પ્રગતિશીલ પક્ષોને તેમની સામે એક થવાની અપીલ પણ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-law-of-manusmriti-which-sowed-the-seeds-of-inequality-in-indian-society">મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં </a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 28 Dec 2024 14:58:35 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1775</Articleid>
                    <excerpt>મનુસ્મૃતિ દહન કાર્યક્રમમાં ભાગ લેવા બદલ 13 વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી જેલમાં પુરી દીધાં, જેમાં 3 વિદ્યાર્થીનીઓ પણ સામેલ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676fc24d298a9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676fc24cec5be.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676fc24cec5be.jpg" length="82615" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>13 students arrested, burning manusmriti, banaras hindu university, Manusmriti Dahan Day</media:keywords>
                </item>
                        <item>
                    <title>વર વિના 20 કન્યાઓના લગ્ન કરી દેવાયા, સર્ટિફિકેટ પણ મળ્યાં!</title>
                    <link>https://khabarantar.com/mukhyamantri-samuh-vivah-yojna-scam-kaushambi-dm-order-to-investigation</link>
                    <guid>https://khabarantar.com/mukhyamantri-samuh-vivah-yojna-scam-kaushambi-dm-order-to-investigation</guid>
                    <description>
                        <![CDATA[ મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં મોટું કૌભાંડ. 10-10 હજાર રૂપિયાની લાંચ લઈને કૌભાંડીઓએ વર વિના જ કન્યાઓને પરણાવી દીધી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">scam in Chief Minister's mass marriage scheme : ઉત્તરપ્રદેશના કૌશાંબીમાં મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં મોટી છેતરપિંડી સામે આવી છે. ગયા મહિને અહીં આયોજિત એક લગ્ન કાર્યક્રમમાં 20થી વધુ દીકરીઓના લગ્ન વરરાજા વગર કરવામાં આવ્યા હતા. એક ફરિયાદીએ સમાજ કલ્યાણ મંત્રીને IGRS દ્વારા છેતરપિંડીની ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, 10,000 રૂપિયાની લાંચ લીધા બાદ 20થી કન્યાઓના વરરાજા વગર લગ્ન કરાવી દેવાયા હતા અને તેમને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. મામલાને ગંભીરતાથી લેતા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નાયબ મુખ્યમંત્રીના વતનમાં જ કૌભાંડ થયું?</span></strong></span><br><span style="font-size: 14pt;">23 નવેમ્બરના રોજ સિરાથુ તાલુકાના મીઠાપુર સાયરાની બાબુ સિંહ ડિગ્રી કોલેજમાં મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ ગરીબ પરિવારની દીકરીઓના લગ્નનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ર૦0 થી વધુ યુવતીઓના લગ્ન થયા હતા. આ સમૂહ લગ્નમાં કડા બ્લોકના સાયરા મીઠાપુર, અંદાવા, શહઝાદપુર અને સિરથુ બ્લોકના કોખરાજ, બિદાનપુર, ભદવા વગેરે ગામોના યુગલોએ સમૂહ લગ્ન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ભાજપના જિલ્લા અધ્યક્ષ ધરમરાજ મૌર્ય, રાજ્ય મહિલા આયોગના સભ્ય પ્રતિભા કુશવાહા, સિરાથુ બ્લોકના મુખ્ય પ્રતિનિધિ લવકુશ મૌર્ય અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">20 થી વધુ કન્યાઓના વર જ નહોતા</span></strong></span><br><span style="font-size: 14pt;">નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના વતન સિરાથુના ડીએસ મૌર્યએ IGRS પોર્ટલ દ્વારા સમાજ કલ્યાણના વિભાગના રાજ્ય મંત્રીને ફરિયાદ કરી હતી કે 20 થી વધુ છોકરીઓના વરરાજા સમૂહ લગ્ન કાર્યક્રમમાં આવ્યા ન હતા. પરંતુ સિરથુ અને કડા બ્લોકના મદદનીશ વિકાસ અધિકારી (સમાજ કલ્યાણ)એ 10-10 હજાર રૂપિયા લઈને લગ્ન કરાવ્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપ છે કે ગરીબ છોકરીઓના લગ્નની ફાઇલો મદદનીશ વિકાસ અધિકારીઓ દલાલો દ્વારા તૈયાર કરાવે છે. દરેક કપલ પાસેથી 3 થી 5 હજાર રૂપિયાનું ફંડ એકત્ર કરવામાં આવે છે. જે છોકરીઓના વરરાજા પૈસા કમાવા પરદેશ જાય છે અને લગ્ન સમારોહમાં હાજરી આપી શકતા નથી તેમની પાસેથી 10,000 રૂપિયાની રકમ લેવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે જો કોઈ અરજદાર પોતે જ સમૂહ લગ્નની ફાઈલ ઓનલાઈન અરજી કરીને લાવે તો તેની ફાઈલમાં કોઈને કોઈ ખામી કાઢવામાં આવે છે. અંતે અરજદાર મજબૂરીમાં અધિકારીઓએ નક્કી કરેલા દલાલો પાસે જાય છે. આ પછી તે મોટી રકમ લે છે અને ફાઇલને સમૂહ લગ્નમાં સમાવી લે છે. ડીએસ મૌર્યએ સિરાથુ અને કડા બ્લોકના સહાયક વિકાસ અધિકારીઓ સામે તપાસ કરીને કડક કાર્યવાહીની માંગ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ મામલે DMએ શું કહ્યું?</span></strong></span><br><span style="font-size: 14pt;">આ મામલે ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ મધુસુદન હુલગીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનાનું આયોજન સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે અને જે લોકો અહીં સમૂહમાં લગ્ન કરવા માંગે છે તેમની ત્યાં અરજી સ્વીકારવામાં આવે છે. બધું જ ઓનલાઈન થાય છે. ત્યાર બાદ તપાસ પણ થાય છે. એ પછી તપાસ કરવામાં આવે છે કે તેઓ એક જ પરિવારના તો નથી ને અને અલગ છે કે નહીં? બંને પરિવારોની તમામ વિગતો તપાસવામાં આવે છે. તે પછી જ તેને મંજૂરી આપવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડીએમ મધુસુદને કહ્યું કે જો આવા કોઈ તથ્યો તેમના ધ્યાન પર આવે છે તો તેઓ દંપતીની તપાસ કરાવે છે. જો કોઈ વર-કન્યા ન આવ્યા હોય તો પણ અમે તેમના લગ્ન કરાવીએ એ શક્ય નથી. પરંતુ જો આવો કિસ્સો સામે આવ્યો છે, તો અમે તેની ફરીથી તપાસ કરીશું. જેટલા લોકો લગ્ન કરી ચૂક્યા છે તે જ ક્રમમાં ડિપાર્ટમેન્ટમાંથી ચૂકવણી કરવામાં આવશે અને સુવિધા પણ આપવામાં આવશે. એવું નથી કે વર ન આવ્યા અને કન્યા આવી ગઈ છતાં લગ્ન થઈ ગયા અને તેમને લાભ પણ મળશે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/marriage-with-the-constitution-as-witness-kapu-village-chhattisgarh">દેશભરમાં પહેલીવાર માત્ર બંધારણ અને આંબેડકરની સાક્ષીએ લગ્ન થયા</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 27 Dec 2024 13:54:14 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1770</Articleid>
                    <excerpt>મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં મોટું કૌભાંડ. 10-10 હજાર રૂપિયાની લાંચ લઈને કૌભાંડીઓએ વર વિના જ કન્યાઓને પરણાવી દીધી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676e63d66804b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676e63d632cc9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676e63d632cc9.jpg" length="103649" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>mukhyamantri samuh vivah yojna, scam, kaushambi, DM, investigation</media:keywords>
                </item>
                        <item>
                    <title>અંબાજીમાં આખલાએ દોઢ વર્ષની બાળકીની છાતી પર પગ મૂકી દેતા મોત</title>
                    <link>https://khabarantar.com/ambaji-news-a-bull-stepped-on-a-girls-chest-and-killed-her</link>
                    <guid>https://khabarantar.com/ambaji-news-a-bull-stepped-on-a-girls-chest-and-killed-her</guid>
                    <description>
                        <![CDATA[ મજૂર પરિવાર સંબંધીના ખબરઅંતર પૂછવા આબુ રોડ આવ્યો હતો અને રેલવે સ્ટેશનના રિઝર્વેશનના રૂમમાં બાળકીને કાળ ભેટી ગયો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અંબાજીના આબુ રોડ રેલવે સ્ટેશન ખાતે કમકમાટીભરી ઘટના બની છે. અહીં એક આખલાએ દોઢ વર્ષની બાળકીની છાતી પર પગ મૂકી દેતા તેનું મોત થઈ ગયું છે. મુંદ્રાનો ગરીબ પરિવાર પોતાના એક સંબંધીની ખબર કાઢવા માટે આબુ રોડ ખાતે આવ્યો હતો અને રેલવે સ્ટેશનના રિઝર્વેશન રૂમમાં આરામ ફરમાવી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે, મુંદ્રાનો ગરીબ પરિવાર સંબંધીના ખબરઅંતર પૂછવા માટે આબુ રોડ આવ્યો હતો. તેઓ સ્વજનોને મળીને મુંદ્રા પરત ફરવા આબુ રોડ રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. અહીં રિઝર્વેશન રૂમમાં પરિવાર સૂતો હતો ત્યારે અચાનક જ ત્યાં એક રખડતો આખલો આવી ચડ્યો હતો અને તેણે સૂતેલી દોઢ વર્ષની બાળકીની છાતી પર પગ મૂકી દીધો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676d6dafb2313.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેના પગલે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. પરિવાર બાળકીને રેલવે સ્ટેશન લઈ ગયો હતો, જ્યાં ડ્રાઈવરોએ પરિવારના સભ્યોની મદદ કરી પૈસા ભેગા કરી આપ્યા હતા. પરિવારજનોએ મૃતક બાળકીને લઈને પોતાના ઘરે જવા રવાના થયા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાની માહિતી મળતાં જ એસડીએમએ ઘટનાસ્થળે પહોંચી ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ ઘટના બાદ રિઝર્વેશન રૂમની બહાર સાંકળ લગાવી દેવામાં આવી છે. રખડતા ઢોર રિઝર્વેશન રૂમમાં પ્રવેશ ન કરે તે માટે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં કોઈ આવી ઘટના ન બને તે માટે વહીવટીતંત્રએ આ કાર્યવાહી કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/3-tribal-women-die-7-fall-ill-after-eating-aam-ka-daliya-in-odishas-mandipanka-village">કેરીના ગોટલાનો રસો પીવાથી 3 આદિવાસી મહિલાઓના મોત, 7 બીમાર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 26 Dec 2024 20:26:29 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1767</Articleid>
                    <excerpt>મજૂર પરિવાર સંબંધીના ખબરઅંતર પૂછવા આબુ રોડ આવ્યો હતો અને રેલવે સ્ટેશનના રિઝર્વેશનના રૂમમાં બાળકીને કાળ ભેટી ગયો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676d6d9d6ee4e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676d6d9d36207.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676d6d9d36207.jpg" length="79590" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>ambaji news, bull stepped on a girls chest and killed</media:keywords>
                </item>
                        <item>
                    <title>હિંદુ થઈને સાન્તાક્લોઝ બનો છો? કહી ડિલિવરી બોયનો ડ્રેસ ઉતરાવ્યો</title>
                    <link>https://khabarantar.com/will-you-become-a-hindu-and-become-santa-claus-he-took-off-his-delivery-boys-dress-and-said</link>
                    <guid>https://khabarantar.com/will-you-become-a-hindu-and-become-santa-claus-he-took-off-his-delivery-boys-dress-and-said</guid>
                    <description>
                        <![CDATA[ યુવકે ઝોમેટાના ડિલિવરી બોયને રોકીને તેનો સાન્તાક્લોઝનો ડ્રેસ ઉતરાવવા કહ્યું, મારની બીકે ડિલિવરી બોયે ડ્રેસ ઉતારી દીધો અને કટ્ટરવાદી યુવક જયશ્રી રામ કહીને ચાલ્યો ગયો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ક્રિસમસ પર બાળકો અને ગ્રાહકોને ખુશ કરવા માટે સાન્તાક્લોઝનો ડ્રેસ પહેરીને ડિલિવરી કરવા જતા એક ડિલિવરી બોયને એક કટ્ટરવાદી યુવકે ડ્રેસ ઉતરાવ્યો હોવાની ઘટના સામે આવી છે. મામલો ઈન્દોરનો છે અને તેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાયરલ વીડિયોમાં હિન્દુ સંગઠન સાથે સંકળાયેલ એક વ્યક્તિ ઝોમેટો ડિલિવરી બોયને સાન્તાક્લોઝનો ડ્રેસ પહેરવા વિશે સવાલ પૂછે છે. એ પછી તે તેને કહે છે કે તમારા મોટાભાગના ગ્રાહકો હિંદુ છે છતાં તમે લોકો ક્યારેય કોઈ હિંદુ તહેવારો પર કંઈ ખાસ નથી કરતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તે એમ પણ કહે છે કે Zomato જેવી કંપનીઓ માત્ર ખ્રિસ્તી અને મુસ્લિમ તહેવારો પર જ અમુક ખાસ સંદેશ આપે છે, પરંતુ હિન્દુ ધાર્મિક તહેવારો પર ક્યારેય કંઈ કરતી નથી. હિંદુત્વવાદી યુવક ડિલિવરી બોયને સલાહ આપે છે અને કહે છે કે જો તમારે બનવું હોય તો ભગતસિંહ બનો, ચંદ્રશેખર આઝાદ બનીને ડિલિવરી કરો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી તે વ્યક્તિ ડિલિવરી બોયને તેનું નામ પૂછે છે અને જ્યારે તે તેનું નામ અર્જુન કનાત હોવાનું જણાવે છે, ત્યારે હિંદુ કટ્ટરવાદી વ્યક્તિ કહે છે, 'અર્જુન ભાઈ, હિંદુ હોવા છતાં તમે સાન્તાક્લોઝનો ડ્રેસ પહેરીને શું સંદેશ આપવા માંગો છો?' એ પછી તે ડિલિવરી બોયને સાન્તાક્લોઝનો ડ્રેસ ઉતારાવી દે છે અને પછી ‘જય શ્રી રામ’ કહીને નીકળી જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડિલિવરી બોય અને હિંદુવાદી વ્યક્તિ વચ્ચેની વાતચીતના વીડિયોમાં હિંદુવાદી યુવક ડિલિવરી બોયને સાન્તાક્લોઝનો ડ્રેસ પહેરવાનું કારણ પૂછે છે. જેના જવાબમાં ડિલિવરી બોય કહે છે કે ઝોમેટોએ કેટલાક ડિલિવરી બોયને સાન્તાનો ડ્રેસ પહેરીને ડિલિવરી કરવા કહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી, હિન્દુ યુવક તેને કહે છે કે આ ઓર્ડર તો મોટાભાગે હિન્દુ સમાજના લોકો દ્વારા આપવામાં આવે છે, અન્ય ધર્મના લોકોની વસ્તી એટલી નથી. તો જ્યારે તમે આ લોકોના તહેવારો પર આ રીતે ખાસ ગેટઅપ ધારણ કરીને જાવ છો તો હિંદુઓના તહેવારો દિવાળી વગેરે પર પણ આ રીતે ભગવા પહેરીને જાવ. આ રીતે સાન્તાક્લોઝ બનીને તમે પરિવારોને શું સંદેશ આપો છો?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી, હિંદુવાદી યુવક ડિલિવરી બોયને તેનું આખું નામ પૂછે છે અને જ્યારે તે તેનું નામ અર્જુન કણાટ જણાવે છે, ત્યારે હિંદુવાદી યુવક કહે છે કે, અર્જુન ભાઈ આપણે હિંદુ છીએ, આ રીતે સાન્તાક્લોઝ બનીને આપણે શું સંદેશ આપવાના છીએ. આને તમે જાતે ઉતારી લો. આ હિન્દુ બાળકોને સાંતાક્લોઝ વિશે શું સંદેશ આપવા જઈ રહ્યા છે? શું એ જરૂરી છે કે જ્યારે આપણે સાન્તાક્લોઝ બનીને જઈશું ત્યારે જ લોકોમાં સંદેશો જશે. ભગતસિંહને જુઓ, ચંદ્રશેખર આઝાદને જુઓ. હટાવો આને, ઉતારો આ સાન્તાક્લોઝનો ડ્રેસ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એપછી હિન્દુ યુવક કહે છે, 'જો તમે તમારી પર્સનલ લાઈફમાં આ બધું કરો છો તો કોઈ વાંધો નથી. પરંતુ તમારા સાન્તાક્લોઝ બનીને તમે લોકોના ઘરે જઈને તેમને ડિલિવરી આપી રહ્યા છો. આજ સુધી મેં તમને ક્યારેય હિન્દુ તહેવારો પર કંઈ બનતા જોયા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પછી યુવકે ફરી એકવાર ડિલિવરી બોયને તેનો ડ્રેસ ઉતારવાનું કહ્યું, ત્યારે ડિલિવરી બોય ફોન પર વાત કરતાં કહે છે કે, સાહેબ, હું મારા સરને પૂછી લઉં. એ દરમિયાનથોડો સમય લાગતા હિન્દુ યુવક ગુસ્સે થઈ જાય છે અને ધમકી આપતા કહે છે કે, આ રીતે ડ્રેસ નહીં ઉતારો કે શું? તમારા સાહેબ કોણ છે, તેમણે આવી ગાઈડલાઈન નક્કી રાખી છે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એપછી, હિન્દુ યુવક વીડિયોમાં કહે છે, 'આ એવા લોકો છે, તેમની હિન્દુ તહેવારો પર બુદ્ધિ લગભગ ખતમ થઈ જાય છે, પરંતુ ખ્રિસ્તી અને ઇસ્લામિક તહેવારોમાં તેમને સારો મેસેજ આપવો હોય છે. તો જુઓ, આ Zomato વાળા લોકો આ રીતે આજે સાન્તાક્લોઝ બન્યાછે. આ લોકો ક્યારેય હિંદુ ધર્મ કે હિંદુ તહેવારો માટે આ પ્રકારનો પોશાક પહેરતા નથી. આખરે, તે હિંદુ યુવક ડિલિવરી બોયનો સાન્તાક્લોઝનો ડ્રેસ અને તેણે પહેરેલ લાલ લોઅર કઢાવી નાખે છે અને અંતે આભાર અને જય શ્રી રામ કહીને ચાલ્યો જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/amroha-non-veg-controversy-school-expels-three-muslim-children-for-bringing-non-veg-in-tiffin">ટિફિનમાં નોનવેજ લાવતા શાળાએ ત્રણ મુસ્લિમ બાળકોને કાઢી મૂક્યા?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 25 Dec 2024 21:24:47 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 25 Dec 2024 21:27:20 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1762</Articleid>
                    <excerpt>યુવકે ઝોમેટાના ડિલિવરી બોયને રોકીને તેનો સાન્તાક્લોઝનો ડ્રેસ ઉતરાવવા કહ્યું, મારની બીકે ડિલિવરી બોયે ડ્રેસ ઉતારી દીધો અને કટ્ટરવાદી યુવક જયશ્રી રામ કહીને ચાલ્યો ગયો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676c2904bd207.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676c29048ab4b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676c29048ab4b.jpg" length="74147" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>santa claus, Hindu, crismistmas 2024</media:keywords>
                </item>
                        <item>
                    <title>VHP ના ત્રિશુલ દીક્ષા કાર્યક્રમમાં બૌદ્ધ ભંતે હાજરી આપી સંકલ્પ લેવડાવ્યા</title>
                    <link>https://khabarantar.com/vhp-trishul-initiation-program-buddhist-monks-attended-and-exchanged-vows</link>
                    <guid>https://khabarantar.com/vhp-trishul-initiation-program-buddhist-monks-attended-and-exchanged-vows</guid>
                    <description>
                        <![CDATA[ વિશ્વ હિંદુ પરિષદ દિલ્હીમાં ચૂંટણી દરમિયાન 200 કાર્યક્રમ યોજી 50,000 ત્રિશૂળ વહેંચશે. અત્યાર સુધીમાં 8 હજારથી વધુ ત્રિશૂળ વહેંચવામાં આવ્યા છે. બૌદ્ધ ભંતેએ શપથ લેવડાવ્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશની રાજધાની દિલ્હીમાં એકબાજુ સત્તાધારી આપને હરાવવા કોંગ્રેસ અને ભાજપ સહિતના વિપક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન 50 હજાર ત્રિશૂળના વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં સાતથી આઠ હજાર ત્રિશૂળનું વિતરણ કરવામાં આવ્યું છે અને વિધાનસભાની ચૂંટણી પહેલા 50 હજારથી વધુ ત્રિશુલનું વિતરણ કરવાનો લક્ષ્યાંક છે. જોકે, VHPનું કહેવું છે કે તેને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. વિહિપના આ કાર્યક્રમની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, 15મી ડિસેમ્બરે યોજાયેલા તેના પહેલા સમારોહમાં એક બૌદ્ધ ભંતેએ હાજરી આપી હતી અને તેમણે ઉપસ્થિત સૌ ત્રિશૂળ દીક્ષાર્થીઓને હિંદુ ધર્મને બચાવવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દિલ્હીની ચૂંટણી પહેલા જ ત્રિશૂળ દીક્ષાનો કાર્યક્રમ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમને જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તારીખોની સત્તાવાર જાહેરાત જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં થઈ શકે છે અને ફેબ્રુઆરીના મધ્યમાં મતદાન થઈ શકે છે. એ દરમિયાન વિશ્વ હિંદુ પરિષદના આ ત્રિશૂળ વિતરણની ઝુંબેશ 15મી ડિસેમ્બરે પહાડગંજમાં પ્રથમ સમારોહ યોજીને શરૂ કરવામાં આવી હતી. આગામી મોટો સમારોહ 19 જાન્યુઆરી, 2025 ના રોજ યોજાનાર છે. કોઈપણ વ્યક્તિ આ કાર્યક્રમોમાં આવીને ત્રિશુલ લઈ શકે છે. VHP સામાન્ય જનતાને વ્હોટ્સએપ દ્વારા આમંત્રિત કરી રહ્યું છે - 'તમે બધા તમારા નામ નોંધાવો અને શસ્ત્ર ધારણ કરો'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ત્રિશૂળ દીક્ષા એટલે બજરંગ દળમાં ભરતીનો કાર્યક્રમ</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક રીતે આ VHPની યુવા પાંખ બજરંગ દળમાં ભરતીનો કાર્યક્રમ પણ છે. વિશ્વ હિંદુ પરિષદના પ્રાંત મંત્રી સુરેન્દ્ર ગુપ્તા કહે છે, 'જેઓ પહેલેથી જ સંગઠનમાં છે, તેમણે તો (ત્રિશૂલ) ધારણ કરવાનું જ હોય છે. જેઓ સંસ્થામાં નથી અને જોડાવાની ઈચ્છા વ્યક્ત કરે છે, તેમને સંસ્થામાં સામેલ કરવામાં આવે છે. ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ બજરંગ દળની શરૂઆતથી થઈ રહ્યો છે. દિલ્હીમાં પણ સમયાંતરે આવું બન્યું છે. આ કાર્યક્રમ પાંચ-દસ વર્ષમાં એકવાર આ રીતે થાય છે. કારણ કે જે પેઢીને આપણે તે પહેલા ત્રિશુલ આપ્યું હતું તેમની પાસેથી તો તે હજુ પણ હોય જ છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676ba6de1add6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરેન્દ્ર ગુપ્તા આગળ કહે છે, "જો અમે ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવું કરી રહ્યા હોત, તો લોકસભાની ચૂંટણી થઈ ત્યારે અમે આવું કેમ ન કર્યું? તે પહેલા મહાનગરપાલિકાની ચૂંટણીમાં કેમ ન કર્યું? વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ હિંદુ સમાજની રક્ષા માટે જે સંકલ્પ લે છે તે ચૂંટણીના આધારે લેવામાં આવતો નથી.' જો કે, પહાડગંજના કાર્યક્રમમાં એ જ મુદ્દાની ગૂંજ ઉઠી હતી, જેને ભાજપ ચૂંટણીનો મુદ્દો બનાવી રહી છે - બાંગ્લાદેશી ઘૂસણખોરોનો."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર હાજર રહ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમારોહમાં મુખ્ય વક્તા તરીકે હાજર રહેલા VHPના કેન્દ્રીય સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, "લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાની પહેલથી દિલ્હી પહેલું રાજ્ય બન્યું છે જેણે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઓળખી કાઢ્યા છે અને તેમને ભારતમાંથી હાંકી કાઢવાના પ્રયાસો શરૂ કરી દીધાં છે. પરંતુ અમને શંકા છે કે લેફ્ટનન્ટ ગવર્નરની આ પ્રશંસનીય પહેલ અને સૂચનાઓનું તેમના વહીવટી અધિકારીઓ ગંભીરતાથી પાલન કરશે કે કેમ. બજરંગ દળના સેંકડો કાર્યકરો ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઓળખ કરવા અને તેમને બહાર કાઢવા માટે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અને વહીવટીતંત્રને સહકાર આપવા તૈયાર છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૈને તે દિવસે કહ્યું હતું કે સંભલની હિંસા 'સુયોજિત ષડયંત્રનો ભાગ' હતી. જેહાદી તત્વો હિંદુઓના ધાર્મિક યાત્રાધામો પર હુમલા કરે છે અને સ્થાપિત મંદિરોનો કાયદેસર રીતે સર્વે કરવામાં આવે તો પણ સાંપ્રદાયિક ઉન્માદ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવે છે. હવે બજરંગ દળના કાર્યકરો આવા હુમલાઓનો જવાબ આપવા માટે તૈયાર થયા છે,'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ત્રિશુલ દીક્ષાનો હેતુ શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">VHP શસ્ત્ર વિતરણનો આ કાર્યક્રમ કેમ ચલાવે છે? આના જવાબમાં સુરેન્દ્ર ગુપ્તા કહે છે, "આપણા તમામ દેવી-દેવતાઓના હાથમાં શસ્ત્રો છે. અમે વિજયાદશમીના દિવસે શસ્ત્રોની પૂજા પણ કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે દરેક હિંદુએ ભગવાન મહાકાલના આશીર્વાદના પ્રતીક તરીકે ત્રિશુલ ધારણ કરવું જોઈએ."</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676ba6f2957ef.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">15 ડિસેમ્બરના કાર્યક્રમમાં હિન્દુત્વવાદી ટીવી ચેનલ સુદર્શન ન્યૂઝ સાથે વાત કરતા VHPના દિલ્હી પ્રદેશ પ્રમુખ કપિલ ખન્નાએ કહ્યું હતું કે, "અમે દિલ્હીમાં વિધર્મીઓના કુચક્રને સમાપ્ત કરી દઈશું. અમે દિલ્હીમાં વિધર્મીઓ દ્વારા ફેલાવવામાં આવતી લવ જેહાદ, લેન્ડ જેહાદ જેવી તમામ બદીઓનો અંત લાવવાનો સંકલ્પ કર્યો છે. અમે ગાયોની રક્ષાની પણ પ્રતિજ્ઞા લીધી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બૌદ્ધ ભંતેએ શસ્ત્ર વિતરણ કાર્યક્રમમાં સંકલ્પ લેવડાવ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમની સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે, વિશ્વ હિંદુ પરિષદના પહાડગંજમાં યોજાયેલા શસ્ત્ર વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંકલ્પ લેવડાવવાનું કામ એક બૌદ્ધ ધર્મી રાહુલ સંઘપ્રિયા ભારતીએ કર્યું હતું. આરએસએસ, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના સંગઠનો સાથે ઘરોબો ધરાવતા રાહુલ સંઘપ્રિયા ભારતી ભાજપના તમામ મોટા નેતાઓ સાથે પણ જોવા મળે છે. તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેઓ સતત તેનો પ્રચાર કરતા પોસ્ટરો, ફોટા શેર કરતા રહે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૌ જાણે છે કે બૌદ્ધ ધર્મની મુખ્ય દીક્ષા જ અહિંસા અને કરૂણાની હોય છે. આ જ કારણોસર ડો.આંબેડકરે બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. પણ ભંતે રાહુલ બૌદ્ધે તે ઉપદેશને ભૂલી જઈને વિહિપના ત્રિશૂળ કાર્યક્રમમાં હાજરી આપી ઉપસ્થિત લોકોને સંકલ્પ લેવડાવ્યા હતા. જે જોઈને બહુમતી બૌદ્ધ ધર્મીઓને મોટો આંચકો લાગ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/now-to-indulge-the-dalits-the-vishwa-hindu-parishad-will-go-and-eat-at-their-homes">હવે દલિતોને રીઝવવા વિશ્વ હિંદુ પરિષદ તેમના ઘરે જઈને ભોજન કરશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 25 Dec 2024 12:08:25 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1759</Articleid>
                    <excerpt>વિશ્વ હિંદુ પરિષદ દિલ્હીમાં ચૂંટણી દરમિયાન 200 કાર્યક્રમ યોજી 50,000 ત્રિશૂળ વહેંચશે. અત્યાર સુધીમાં 8 હજારથી વધુ ત્રિશૂળ વહેંચવામાં આવ્યા છે. બૌદ્ધ ભંતેએ શપથ લેવડાવ્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676ba6c74e368.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676ba6c71a140.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676ba6c71a140.jpg" length="85219" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>vhp trishul initiation program, Hindu Rashtra, buddhist monks</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઈસ્કોન મંદિરે નિવૃત્ત આર્મીમેનની દીકરીને શિષ્ય સાથે ભગાડી ગોંધી રાખી</title>
                    <link>https://khabarantar.com/iskon-temple-keeps-retired-armymans-daughter-with-disciple-after-he-is-chased-away</link>
                    <guid>https://khabarantar.com/iskon-temple-keeps-retired-armymans-daughter-with-disciple-after-he-is-chased-away</guid>
                    <description>
                        <![CDATA[ ઈસ્કોન મંદિરના સ્વામીઓએ દીકરીનું બ્રેઈનવોશ કર્યાનો આરોપ. પિતાએ દીકરીને શોધી કાઢવા ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ દાખલ કરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈસ્કોન મંદિર અને તેના સ્વામીઓ પર આંધળો વિશ્વાસ કરીને પોતાના સંતાનો તેમને હવાલે કરી દેતા વાલીઓ માટે ફરી એકવાર આંખ ખોલનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા એક નિવૃત્ત આર્મીમેને હાઈકોર્ટમાં એડવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે હેબિયસ કૉર્પસ પિટિશન દાખલ કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, તેમની યુવાન દીકરીને ઈસ્કોન મંદિરના સ્વામીઓ દ્વારા બ્રેઈનવોશ કરીને ગોંધી રાખવામાં આવી છે. દીકરી દેખાવડી અને હોંશિયાર હોવાથી ઈસ્કોન મંદિરના સ્વામીઓએ તેનું બ્રેઈનવોશ કરીને પરિવારથી દૂર કરી દીધી હોવાનો પણ પિતાએ આરોપ મૂક્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આર્મીમેન પિતાનું કહેવું છે કે, તેમને બે દીકરા અને એક પુખ્ત વયની દીકરી છે. દીકરીને ભક્તિભાવમાં રસ હોવાથી તે અમદાવાદના એસ.જી.હાઇવે સ્થિત ઇસ્કોન મંદિરમાં જતી હતી. જ્યાં સુંદરમામા પ્રભુ નામના સ્વામીના સંપર્કમાં આવતા તેમને ગુરૂ માનતી હતી. સુંદરમામા તેને કૃષ્ણલીલાનો બોધ આપતા હતા. ઇસ્કોન મંદિર પર વિશ્વાસ હોવાથી તેઓ દીકરીને ત્યાં જવા દેતા હતા. પરંતુ, ઇસ્કોન મંદિરમાં ભક્તિના નામે યુવાન દીકરીઓનું બ્રેઇન વોશ કરવામાં આવે છે. ત્યાંના સ્વામીઓ પોતે કૃષ્ણ છે એવો આડંબર કરે છે અને ઇસ્કોનમાં રહેતી 600 દીકરીઓ ગોપી હોય તેમ દીકરીઓને જણાવે છે. ગુરુના મહત્વને માતા-પિતા કરતા ચઢિયાતું જણાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દીકરીના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, આ સુંદરમામાએ દીકરી સુંદર અને હોંશિયાર હોવાથી તેને ઇસ્કોન મંદિરમાં રાખવાની છે તેમ જણાવી તેને પોતાના શિષ્ય સાથે પરણાવી દો તેમ કહ્યું હતું. પરંતુ અરજદાર પોતે રાજપુરોહિત જાતિના હોવાથી અન્ય જાતિમાં પરણાવવા ના પાડી હતી. ત્યારબાદ તેમને ધમકીઓ મળવા લાગી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિવૃત્ત આર્મીમેન પિતાએ વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, એ પછી તેમની દીકરીને ભડકાવીને 23 તોલા સોનું અને 3.62 લાખ રૂપિયા રોકડા લઈને મથુરાના એક શિષ્ય સાથે ભગાડી દેવામાં આવી છે. હાલ તેમની દીકરી ઉતર પ્રદેશના મથુરા ખાતે જ રહે છે, એવી તેમની પાસે માહિતી છે. રાજસ્થાનના એક ઇસ્કોનવાસીએ અરજદારને જણાવ્યું હતું કે, તેની દીકરીને એરપોર્ટ ઉપર મૂકવા પણ ગયા હતા. આ ધર્મ અને ઈશ્વરનું અપમાન છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજદારની દીકરી જૂન મહિનાના અંતમાં ભાગી ગઈ હતી. જુલાઈ મહિનામાં પોલીસ કમિશનર, કાયદા મંત્રી અને ગૃહ મંત્રીને અરજી આપવામાં આવી હતી. અગાઉના વકીલે હેબિયસ કૉર્પસની જગ્યાએ ફરિયાદના નિર્દેશ માંગતી અરજી કરી હતી પરંતુ, પુત્રીને ગેરકાનૂની રીતે ગોંધી રાખવામાં આવી છે. હાઈકોર્ટ આ સંદર્ભે પક્ષકારોને નોટિસ પાઠવીને વધુ સુનાવણી જાન્યુઆરી મહિનામાં રાખી છે. આ ઘટનાએ ફરી એકવાર ઈસ્કોન મંદિરની પ્રવૃત્તિઓને ઉઘાડી પાડી દીધી છે. જો કે, ભક્તિના નશામાં ચૂર બની ગયેલા લોકો આ બાબતમાંથી કોઈ બોધપાઠ લે તેવી શક્યતા ઓછી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/swami-used-to-look-at-other-girls-besides-me-with-dirty-eyes">સ્વામી મારા સિવાય બીજી છોકરીઓને પણ ગંદી નજરથી જોતા હતા...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 24 Dec 2024 19:55:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1754</Articleid>
                    <excerpt>ઈસ્કોન મંદિરના સ્વામીઓએ દીકરીનું બ્રેઈનવોશ કર્યાનો આરોપ. પિતાએ દીકરીને શોધી કાઢવા ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ દાખલ કરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676ac385305c0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676ac384f022f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676ac384f022f.jpg" length="121868" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>iskon temple, Gujarat highcourt, allege brainwashing, Ahmedabad News</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;અમારા ભાઈઓ દુર્યોધન થઈને આવ્યા&amp;apos;, સતાધારના મહંતના ભાઈ</title>
                    <link>https://khabarantar.com/satadhar-controversy-mahant-vijay-bapu-adultery-and-corruption-allegations-case-update</link>
                    <guid>https://khabarantar.com/satadhar-controversy-mahant-vijay-bapu-adultery-and-corruption-allegations-case-update</guid>
                    <description>
                        <![CDATA[ સતાધારના મહંત વિજય બાપુ પર તેમના સગા મોટાભાઈએ વ્યભિચાર અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા બાદ હવે ત્રીજા ભાઈએ મોટું નિવેદન આપ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનાગઢના વિસાવદર નજીક આવેલા સતાધાર ધામના મહંત વિજય બાપુ પર તેના સગાભાઈ નીતિન ચાવડા દ્વારા વ્યભિચાર અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે. જેને જગ્યાના મહંત વિજય બાપુએ પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા હતા. હવે આ મામલે મહંતના બીજા ભાઈએ નિવેદન આપ્યું છે અને આરોપ લગાડનાર ભાઈની સરખામણી દુર્યોધન સાથે કરી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સતાધારના મહંત વિજયબાપુના ભાઈ રમણીકભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, અમે છ ભાઈઓ છીએ, બે મારાથી મોટા અને ત્રણ મારાથી નાના અને બે બહેનો. અમે મજૂરી કરીએ છીએ, અમે વિજય બાપુને ભણાવ્યાં છે, જે જેના લલાટમાં હોય તે ન ભુસાય. અમને તેમના પર ગર્વ છે. પણ બધાં સરખા ન હોય, એક બે જ્યારે આવા નીકળે તો તેની પાછળ બધાંએ સોસાવું પડે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રમણીકભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, નિતીન ભાઈએ વિજય બાપુ પર જે આક્ષેપો કર્યા છે તે વ્યાજબી નથી. આવું ક્યારેય વ્યાજબી ન હોય. તેને ક્યાં તકલીફ છે? શું તકલીફ છે? કોની તકલીફ છે? તે જાણવું જોઈએ. તે અમને પણ ત્યાં રહેવા દેતો નથી. આ બે ભાઈઓ નાનજી મોહન અને નીતિન મોહન, નરાધમ દુર્યોધન થઈને આવ્યાં છે. અથવા શિશુપાલ હોય. નહિતર અમારી દશા આવી ન હોય. એ નથી સમજતો, મેં બે વર્ષથી તેને ફોન કરવાનુ પણ બંધ કરી દીધુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મહંત વિજય બાપુ પર સગા ભાઈ નીતિન ચાવડાના ગંભીર આક્ષેપ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સતાધારની જગ્યાના મહંત પર સગા ભાઈ દ્વારા જ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યાં છે. સતાધાર મહંત વિજય બાપુના સગાભાઈ નીતિન ચાવડાએ મુખ્યમંત્રી તેમજ ગૃહ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી. મહંતના સગાભાઈ નીતિન ચાવડાએ સતાધારમાં જ રહેતી મહિલા ગીતા વ્યાસ અને વિજય બાપુ વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંનેએ લગ્ન કરી લીધા હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે. ગીતા વ્યાસે વિજય બાપુને બ્લેકમેલ કરી સતાધારના કરોડો રૂપિયા પડાવી લીધા હોવાના પણ આક્ષેપ કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વ્યભિચાર-ભ્રષ્ટાચારની તરફેણમાં સાધુ-સંતો આવ્યા?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિસાવદર નજીક આવેલા સતાધાર ધામના મહંત વિજય બાપુ પર તેના સગાભાઈ દ્વારા વ્યભિચાર અને ભ્રષ્ટાચારને લઈ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે. સામાન્ય રીતે આ પ્રકારની મેટરથી સંસાર છોડી ચૂકેલા સાધુ-સંતો દૂર રહેતા હોય છે. પરંતુ અહીંથી તો જેમના પર આરોપ લાગ્યા છે તે મહંતના બચાવમાં સાધુ-સંતો આવ્યા છે. ગિરનાર છાયા મંડળના સાધુ સંતો દ્વારા વિજય બાપુ સાથે બેઠક યોજી ગુજરાત ભરના સાધુ સંતોએ વિજય બાપુના સમર્થનમાં આવવા અપીલ કરી હતી. અને સૌ સતાધાર ખાતે આવી પહોંચ્યા હતા. જેમાં અખિલ ભારતીય સંત સમિતિના ઉપાધ્યક્ષ પણ હાજર રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિવાદ સનામત ધર્મને બદનામ કરવાનું કાવતરુંઃ ગુરુવંદ સનાતન ધર્મ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુરુવંદ સનાતન ધર્મના અધ્યક્ષ ડી જી વણઝારાએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી સનાતન ધર્મના અને તમામ સંપ્રદાયના સાધુ-સંતો અને આગેવાનો સતાધારમાં ઉપસ્થિત થયા છીએ. અહીં આવનાર સાધુ-સંતોનો ઉદ્દેશ્ય માત્ર એટલો હતો કે, સતાધાર મામલે જે વિવાદ ઊભો થયો છે તેનો યોગ્ય ઉકેલ આવે. આ વિવાદ સનાતન ધર્મને અને સતાધાર સમાધિ સ્થાનને બદનામ કરવાનો પ્રયાસ છે. વિજયદાસ બાપુની બદનક્ષી કરવા માટે આ વિવાદ ઉભો કરવામાં આવ્યો છે અને તેમાં કોઈપણ પ્રકારના આધાર પુરાવા નથી. આજે જે સાધુ-સંતો અહીં ઉપસ્થિત રહ્યા તે તમામે વિજય બાપુને પોતાનો ટેકો અને સમર્થન એક મતે જાહેર કર્યો છે. સૌ ઈચ્છે છે કે આ મામલે વહેલી તકે સુખદ સમાધાન આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિજય બાપુ પરના વ્યક્તિગત આરોપોને ધર્મનું અપમાન ગણાવાયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાધુ સંતો પણ હવે રાજકારણીઓને શરમાવે તેવું રાજકારણ રમવા લાગ્યા છે. સતાધારની જગ્યામાં મહંત પર વ્યભિચાર અને ભ્રષ્ટાચારના આરોપોની સરકારી રાહે પોલીસ તપાસ કરાવવાને બદલે કહેવાતા સાધુ-સંતો તપાસ વિના જ મહંતને ક્લિન ચીટ આપી રહ્યાં છે અને તેને સનાતનનું અપમાન ગણાવી આખા મામલાનો વીંટો વાળી દેવા માંગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડવાળા રામજી મંદિર ઝાંખના મહંત ગણેશદાસ બાપુએ જણાવ્યું હતું કે, આજે તમામ સાધુ સંતો સનાતન સત્યની ધરોહર સમા સતાધાર ખાતે આવ્યાં હતા. સતાધારની જગ્યા પર જે આક્ષેપ કરવામાં આવ્યાં છે. સાધુઓ અને સનાતનીઓનું દિલ દુભાય છે. ત્યારે વિજયદાસ બાપુ સાથેના સાધુ-સંતોને ખૂબ ભાવ છે. સતાધારમાં વિજય બાપુ દ્વારા રાત દિવસ સેવા કરવામાં આવે છે. ત્યારે વિજય બાપુ પર જે આક્ષેપો કરવામાં આવ્યાં છે જેને લઈ આજે સમગ્ર ગુજરાતભરના સાધુ સંતો અલગ અલગ જિલ્લાઓમાંથી અહીં આવ્યાં છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાધુ સંતોએ વિજય બાપુને આશ્વાસન આપ્યું છે કે, સત્ય એ સત્ય છે અને સતાધાર એ સત્યના પાયા પર રચાયેલુ છે. સતાધાર જેવો રોટલો અને ઓટલો કોઈએ કોઈને આપ્યા નથી. આવી આ પરંપરાની જગ્યા પર જ્યારે આક્ષેપો થઈ રહ્યા હોય તે ખૂબ જ દુ:ખની વાત છે. આક્ષેપોને લઈ આજે સતાધાર ખાતે સાધુ સંતોએ વિજય બાપુ સાથે બેઠક યોજી હતી. વિજય બાપુને આશ્વાસન આપ્યું છે કે, સૌ સાધુ સંતો તમારી સાથે છે. વિજય બાપુ પર કરાયેલા આક્ષેપોમાં જો તથ્યો જણાશે તો તેનો પણ નિકાલ કરાશે અને તેનો પણ રસ્તો થશે. તેમજ સમાધાન ફોર્મ્યુલામાં તમામ સાધુ સંતો વિજય બાપુને સાથ સહકાર આપી આ વિવાદનો ઉકેલ લાવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામજી બાપુએ જણાવ્યું હતું કે, ગુજરાત ભરના સાધુ-સંતો સતાધારના વિવાદ મુદ્દે ચિંતિત હતા. ત્યારે ગુજરાત ભરના સાધુ-સંતો સતાધાર વિજય બાપુની શુભેચ્છા મુલાકાત અને સત્યને જાણવા સતાધાર પહોંચ્યા હતા. સૌ સાધુ સંતોએ વિજય બાપુ સાથે મુલાકાત કરી હતી. થોડા જ સમયમાં વિવાદ મામલે જે સત્ય હશે તે બહાર આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/mahant-vijay-bapu-of-satadhars-aapagiga-mandir-accused-of-adultery-and-corruption-by-his-brother-nitin-chavda">સતાધારની આપા ગીગા જગ્યાના મહંતે પ્રેમલગ્ન કરી લીધાં? ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 24 Dec 2024 11:02:23 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1748</Articleid>
                    <excerpt>સતાધારના મહંત વિજય બાપુ પર તેમના સગા મોટાભાઈએ વ્યભિચાર અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા બાદ હવે ત્રીજા ભાઈએ મોટું નિવેદન આપ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676a465b21c7d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676a465ae66d8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676a465ae66d8.jpg" length="77827" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>satadhar controversy, mahant vijay bapu, Junagadh News</media:keywords>
                </item>
                        <item>
                    <title>વિનોદ કાંબલીની તબિયત લથડી, તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા</title>
                    <link>https://khabarantar.com/vinod-kamblis-health-deteriorates-he-was-immediately-admitted-to-the-hospital</link>
                    <guid>https://khabarantar.com/vinod-kamblis-health-deteriorates-he-was-immediately-admitted-to-the-hospital</guid>
                    <description>
                        <![CDATA[ વિનોદ કાંબલી છેલ્લાં 10 વર્ષ કરતા વધુ સમયથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ સામે લડી રહ્યાં છે. હવે શારીરિક સાથે તેમની આર્થિક સ્થિતિ પણ કથળી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટીમ ઈન્ડિયા એક સમયના સ્ટાર ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી છે. તેમને થાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. જોકે, જ્યારે તેમને દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેમની હાલત ખૂબ જ ખરાબ હોવાનું કહેવાયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાંબલીને શનિવારે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તબીબોએ તેમને કડક નિરીક્ષણ હેઠળ રાખ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લાંબા સમયથી આરોગ્ય સમસ્યાનો સામનો કરી રહ્યાં છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિનોદ કાંબલી છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ તેમની આર્થિક સ્થિતિ પણ સારી નથી. કાંબલીએ કબૂલ્યું હતું કે તેની આર્થિક સ્થિતિ ખરાબ છે. આરોગ્યની સમસ્યાઓનો સામનો કરી રહેલા કાંબલીની આવકનો એકમાત્ર સ્ત્રોત તેમનું BCCI નું પેન્શન છે, જે દર મહિને રૂ. 30,000 છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676959d77880e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે પોતે 2022માં આ વાતનો ખુલાસો કર્યો હતો. કાંબલી તેમના બે બાળકોની સંભાળ રાખવા માટે 15મી વખત રિહેબમાં જવા માટે પણ તૈયાર હતા. તેઓ 14 વખત રિહેબ સેન્ટરમાં જઈ ચૂક્યા છે પરંતુ તે પછી કોઈ સુધારો થયો નહોતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">2013માં બે વાર હાર્ટ એટેક આવ્યો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દારૂની લતને કારણે વિનોદ કાંબલીની તબિયત લથડી હતી. કાંબલીએ આ વર્ષની શરૂઆતમાં એક ઈન્ટરવ્યૂમાં કેટલાક ખુલાસા કર્યા હતા. 2013 માં તેમને બે હાર્ટ એટેક આવ્યા હતા. તે ગંભીર ચેપથી પણ પીડિત હતા. કાંબલીએ કહ્યું, 'મને બે હાર્ટ એટેક આવ્યા હતા. મારી પત્ની મને લીલાવતી હોસ્પિટલમાં લઈ ગઈ અને પછી સચિને મારી મદદ કરી. તેણે 2013 માં મારી બે સર્જરીના રૂપિયા પણ ચૂકવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગયા અઠવાડિયે કાંબલીનો વીડિયો વાયરલ થયો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાંબલી થોડા અઠવાડિયા પહેલા ફરી ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમના કોચ રમાકાંત આચરેકરના સ્મારકના અનાવરણ દરમિયાન તેમનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ બોલવા માટે પણ સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. તેમની બોલચાલ પરથી તેમના નબળા સ્વાસ્થ્ય વિશે અનેક અટકળો ચાલી હતી. એ વિડિયો સામે આવ્યાના 48 કલાકથી પણ ઓછા સમયમાં 1983ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ કાંબલીની મદદ કરવા આગળ આવી હતી. ગાવસ્કરથી લઈને કપિલ દેવ સુધીના ક્રિકેટરોએ કાંબલીને મદદની ઓફર કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વર્તમાન પરિસ્થિતિ વિશે કાંબલીએ શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે કાંબલીને ઈન્ટરવ્યુમાં તેની વર્તમાન નાણાકીય સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું, 'તેમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.' કાંબલીએ વિકી લાલવાનીની યુટ્યૂબ ચેનલ પર કહ્યું, 'પણ મારી પત્નીએ જે રીતે બધું સંભાળ્યું છે એ માટે તેને સલામ. કાંબલીએ કહ્યું હતું કે, મને રિહેબ સેન્ટરમાં જવા માટે કોઈ ખચકાટ નથી, જ્યાં સુધી મારી સાથે મારો પરિવાર છે ત્યાં સુધી હું કોઈ પણ બાબતથી ડરતો નથી. હું તેને પૂર્ણ કરીશ અને પાછો આવીશ.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અતિશય દારૂ પીવાને કારણે તબિયત બગડી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાંબલીએ એ પણ કબૂલ્યું હતું કે વધુ પડતાં દારૂના સેવનથી તેમને તકલીફ થઈ, પણ તેમણે એ પણ કહ્યું કે છેલ્લાં ઘણાં સમયથી તેમણે એક ટીપું પણ દારૂ પીધો નથી. કાંબલીના મિત્ર અને ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ અમ્પાયર માર્કસ કાઉટોએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_67695a17c0fbc.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાંબલીએ કહ્યું, 'મેં છ મહિના પહેલા પીવાનું અને ધૂમ્રપાન કરવાનું બંધ કર્યું હતું. મારા બાળકો માટે આ કર્યું. હું અગાઉ આ બધું કરતો હતો, પરંતુ હવે મેં તેને છોડી દીધું છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કેવી રહી છે કાંબલીની કારકિર્દી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિનોદ કાંબલી ક્રિકેટર કરિયર ટૂંકી છતાં ભલભલા ક્રિકેટરોને ઈર્ષા અપાવે તેવી રહી છે. તેમણે વર્ષ 1993 થી 2000 વચ્ચે ભારત માટે 17 ટેસ્ટ અને 104 વનડે રમી હતી. તે સૌથી ઝડપી 1000 ટેસ્ટ રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે. આ એક એવો રેકોર્ડ છે જે આજે પણ કોઈ તોડી શક્યું નથી. 1991માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યા બાદ ભારત માટે 104 ODI અને 17 ટેસ્ટ રમ્યા છતાં કાંબલીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી એક દાયકા પણ ટકી શકી નહીં. કાંબલીએ 17 ટેસ્ટમાં 54.20ની એવરેજથી 1084 રન બનાવ્યા હતા. જેમાં ચાર સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. આ સિવાય તેણે 104 વનડેમાં 32.59ની એવરેજથી 2477 રન બનાવ્યા છે. જેમાં બે સદી અને 14 અડધી સદી સામેલ છે. આ સિવાય 129 ફર્સ્ટ ક્લાસ મેચમાં તેણે 59.67ની એવરેજથી 9965 રન બનાવ્યા છે. જેમાં 35 સદી અને 44 અડધી સદી સામેલ છે. આ સિવાય કાંબલીએ 221 લિસ્ટ-એ મેચોમાં 41.24ની એવરેજથી 6476 રન બનાવ્યા છે. જેમાં 11 સદી અને 35 અડધી સદી સામેલ છે. આટલો શાનદાર ટ્રેક રેકોર્ડ ધરાવતા ખેલાડી સાથે તેની દલિત જાતિના કારણે અન્યાય થયાની ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી થતી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/the-lord-of-cricket-is-nowhere-behind-vinod-kamblis-record">વિનોદ કાંબલીના રેકોર્ડ સામે 'ક્રિકેટના ભગવાન' ક્યાંય પાછળ છે!</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 23 Dec 2024 18:12:35 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 23 Dec 2024 18:19:12 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1747</Articleid>
                    <excerpt>વિનોદ કાંબલી છેલ્લાં 10 વર્ષ કરતા વધુ સમયથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ સામે લડી રહ્યાં છે. હવે શારીરિક સાથે તેમની આર્થિક સ્થિતિ પણ કથળી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676959abf2766.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676959abbabbc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676959abbabbc.jpg" length="73015" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>vinod kambli, vinod kamblis health</media:keywords>
                </item>
                        <item>
                    <title>કુમાર વિશ્વાસનો મનુવાદી&amp;જાતિવાદી ચહેરો અંતે બેનકાબ થયો!</title>
                    <link>https://khabarantar.com/kumar-vishwas-statement-on-sonakshi-sinha-and-supriya-shrinets-response</link>
                    <guid>https://khabarantar.com/kumar-vishwas-statement-on-sonakshi-sinha-and-supriya-shrinets-response</guid>
                    <description>
                        <![CDATA[ કુમાર વિશ્વાસ શર્માએ કવિ સંમેલનમાં અભિનેત્રી સોનાક્ષી સિન્હાના ઝહીર ઈકબાલ સાથેના લગ્નને લઈને કરેલા નફરતી નિવેદને તેમનામાં પડેલા મનુવાદ-જાતિવાદને ઉજાગર કરી દીધો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશના મેરઠમાં એક કવિ સંમેલન દરમિયાન કવિ કુમાર વિશ્વાસ શર્માએ અભિનેત્રી સોનાક્ષી સિન્હાના મુસ્લિમ અભિનેતા ઝહીર ઈકબાલ સાથેના લગ્નને લઈને કરેલા નિવેદનથી વિવાદ ઉભો થયો છે. આ નિવેદનથી કુમાર વિશ્વાસમાં પડેલો બ્રાહ્મણવાદી ઘમંડ અને જાતિવાદ પણ ઉછળીને બહાર આવી ગયો છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કુમાર વિશ્વાસ કહે છે કે, "તમારા બાળકોને સીતાની બહેનો અને રામના ભાઈઓના નામ યાદ કરાવો. તમારા બાળકોને રામાયણ સંભળાવો અને ગીતા વંચાવો, નહીંતર એવું પણ બની શકે કે તમારા ઘરનું નામ 'રામાયણ' હોય અને તમારા ઘરની શ્રીલક્ષ્મીને કોઈ બીજો ઉપાડીને લઈ જાય."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુમાર વિશ્વાસે આ નિવેદન અભિનેત્રી સોનાક્ષી સિન્હાના ઝહીર ઈકબાલ સાથેના લગ્નને લઈને કર્યું છે. અભિનેતા અને રાજકારણી શત્રુધ્ન સિંહાના ઘરનું નામ 'રામાયણ' છે અને તેના પરિવારના લોકોના નામો પણ રામાયણના પાત્રોના નામ મુજબ છે. આથી કુમાર વિશ્વાસે સોનાક્ષીના લગ્ન પર નિશાન સાધ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સુપ્રિયા શ્રીનેતે કુમાર વિશ્વાસને આપેલો જવાબ </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુમાર વિશ્વાસના આ નિવેદન મુદ્દે અનેક લોકોએ પ્રતિક્રિયા આપીને  તેમની ભારે ઝાટકણી કાઢી છે. આ બધામાં કોંગ્રેસી નેતા સુપ્રિયા શ્રીનેતે આપેલો જવાબ ભારે ચર્ચામાં આવ્યો છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676919ec1b1dc.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી કે, "જો તમારા પોતાના ઘરમાં એક દીકરી હોય તો શું તમે બીજા કોઈની દીકરી પર ભદ્દી કોમેન્ટ કરીને સસ્તી તાળીઓ ઉઘરાવશો? આ નિવેદન પરથી તમે કઈ હદે નિમ્ન સ્તર સુધી જઈ શકો છો તેનો અંદાજ આવે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">"છોકરી કોઈ સામાન નથી કે કોઈ ઉપાડી જાય"</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રિયાએ વધુમાં લખ્યું કે, "કુમાર વિશ્વાસ, તમે માત્ર સોનાક્ષી સિન્હાના આંતરધર્મી લગ્ન પર જ ભદ્દી મજાક નથી કરી, પરંતુ તમારી અંદર મહિલાઓને લઈને પડેલી અસલી વિચારસરણી પણ સામે આવી ગઈ છે. નહીંતર તમે 'તમારા ઘરની શ્રીલક્ષ્મીને કોઈ બીજું ઉપાડીને લઈ જશે' એવા શબ્દો ન બોલત. શું છોકરી કોઈ સામાન છે કે તેને કોઈ ગમે ત્યાં ઉપાડીને લઈ જશે? તમારા જેવા લોકો ક્યાં સુધી સ્ત્રીને પહેલા તેના પિતા અને પછી તેના પતિની મિલકત માનતા રહેશે?"</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">"કોણે કોની સાથે લગ્ન કરવા એ ધર્મના સ્વ-ઘોષિત ઠેકેદારો નક્કી કરશે?"</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રિયા શ્રીનેતે આગળ લખ્યું, "લગ્ન અને તેનો પાયો સમાનતા, પરસ્પર વિશ્વાસ અને પ્રેમ છે. કોઈ કોઈને ઉપાડીને ક્યાંય લઈ જતું નથી અને 2024ના ભારતમાં તમે પોતાની મરજીથી લગ્ન કરવાને તેના ઉછેર પર સવાલ ગણાવો છો!?? શું એક છોકરીને એ હક નથી કે જેની સાથે તેની ઈચ્છા હોય તેની સાથે લગ્ન કરે? અહીં કોણ શું ખાશે, શું પહેરશે, કોને પ્રેમ કરશે, કેવી રીતે લગ્ન કરશે એ પણ ધર્મના સ્વ-ઘોષિત ઠેકેદારો નક્કી કરશે?"</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોઈને તમારા પ્રમાણપત્રની જરૂર નથી - સુપ્રિયા શ્રીનેત</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસના નેતાએ કહ્યું, "આમ તો ઉછેરનો સવાલ તો ત્યારે પણ ઉઠવો જોઈએ જ્યારે તમારી સાથેના બાઉન્સરો એક જાણીતા ડોક્ટરને માર મારે છે, આ તો તમારી ખામી છે કે તમારો સ્ટાફ તમારી હાજરી હોવા છતાં આવું કરે છે. તમારા સર્ટિફિકેટની ન તો શત્રુધ્ન સિંહાને જરૂર છે, ન તેમની સફળ દીકરી સોનાક્ષીને. પરંતુ તમારાથી 17 વર્ષ નાની છોકરી પરનું તમારું નિવેદન ચોક્કસપણે તમારી નિમ્ન સ્તરની વિચારસરણીને છતી કરે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તમારે પિતા અને પુત્રી બંનેની માફી માંગવી જોઈએ - કોંગ્રેસ નેતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રિયા શ્રીનેતે કહ્યું, "બીજાના બાળકોને રામાયણ અને ગીતા ભણવાની શિખામણ આપનારા કવિ મહોદય, સોનાક્ષીના પતિના ધર્મને નફરત કરવામાં તમે રામાયણમાં પ્રેમને કેટલી મધુરતાથી દર્શાવવામાં આવ્યો છે તે ભૂલી ગયો છો. જો તમે ખરેખર રામાયણનો અભ્યાસ કર્યો હોત, તો તમે ચોક્કસપણે પ્રેમને સમજી શક્યા હોત. બે મિનિટની સસ્તી તાળીઓ તો તમને ચોક્કસ મળશે પરંતુ તમારું કદ જમીનની અંદર વધુ ઉતરી ગયું. તમારે ભૂલનો અહેસાસ કરવો જોઈએ અને પિતા અને પુત્રી બંનેની માફી માંગવી જોઈએ."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/dalit-woman-works-as-a-laborer-and-makes-her-two-daughters-wrestlers">દલિત મહિલાએ મજૂરી કરી બે દીકરીઓને કુસ્તીબાજ બનાવી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 23 Dec 2024 13:38:33 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 23 Dec 2024 13:43:31 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1745</Articleid>
                    <excerpt>કુમાર વિશ્વાસ શર્માએ કવિ સંમેલનમાં અભિનેત્રી સોનાક્ષી સિન્હાના ઝહીર ઈકબાલ સાથેના લગ્નને લઈને કરેલા નફરતી નિવેદને તેમનામાં પડેલા મનુવાદ-જાતિવાદને ઉજાગર કરી દીધો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676919aeb69ea.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676919ae69fb3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676919ae69fb3.jpg" length="85421" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>kumar vishwas, sonakshi sinha, upriya shrinets, Shatrughan Sinha</media:keywords>
                </item>
                        <item>
                    <title>હવે ઉમેદવારો અને સામાન્ય લોકોને મતદાન મથકોના સીસીટીવી ફૂટેજ નહીં મળે</title>
                    <link>https://khabarantar.com/now-candidates-and-the-general-public-will-not-get-cctv-footage-of-polling-stations</link>
                    <guid>https://khabarantar.com/now-candidates-and-the-general-public-will-not-get-cctv-footage-of-polling-stations</guid>
                    <description>
                        <![CDATA[ ચૂંટણી પંચે નિયમોમાં માત્ર એક લીટી ઉમેરી અને વર્ષોથી ચાલી આવતો નિયમ બદલાઈ ગયો. વિપક્ષો સમગ્ર મામલાને કોર્ટમાં પડકારશે. જાણો શું છે આ નિયમ અને તેનાથી શું ફરક પડશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણી પંચે ચૂંટણી સંબંધિત નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. જે અંતર્ગત હવે મતદાન મથકોના સીસીટીવી ફૂટેજ ઉમેદવારો અને સામાન્ય જનતાને નહીં મળી શકે. આ સુધારા પહેલા ચૂંટણીના આચાર નિયમોની કલમ ૯૩(૨) હેઠળ કોર્ટની પરવાનગી અંતર્ગત સામાન્ય લોકો માટે તમામ ચૂંટણી સંબંધિત કાગળો નિરીક્ષણ માટે ઉપલબ્ધ હતા. પણ ચૂંટણી પંચ દ્વારા હવે આ નિયમોમાં ફેરફાર કરી નાખ્યો છે. એ રીતે તેણે વધુ એક લોકશાહી વ્યવસ્થાનો દરવાજો લોકો માટે બંધ કરી દીધો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ મોદી સરકાર અને ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા છે. તેમણે ચૂંટણી પ્રક્રિયા પર તેની શુદ્ધતા અને પારદર્શિતાનો નાશ કરવાનો આરોપ લગાવ્યો છે. સામે પંચનું કહેવું છે કે મતદારોની પ્રાઈવસી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ફેરફારો એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચૂંટણી પંચને હરિયાણા વિધાનસભા ચૂંટણી સંબંધિત દસ્તાવેજો એડવોકેટ મહેમૂદ પ્રાચાને આપવાનો નિર્દેશ આપ્યો હતો. એડવોકેટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં તેણે હરિયાણા ચૂંટણી દરમિયાન લીધેલા વિડીયોગ્રાફી, સીસીટીવી કેમેરા ફૂટેજ, ફોર્મ ૧૭-સી ભાગ ૧ અને ભાગ ૨ની નકલો માંગી હતી. અત્યાર સુધી નિયમો અને નિયમોમાં એક યાદી હતી, જે સક્ષમ કોર્ટની સૂચનાથી લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી. પરંતુ ચૂંટણી પંચે તેમાં એક લીટીનો ઉમેરો કરીને આખી વ્યવસ્થાને સામાન્ય માણસ માટે બંધ કરી દીધી છે. જેમાં ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે પેપરોની યાદીમાં એવા દસ્તાવેજો કે ઈલેક્ટ્રોનિક રેકોર્ડ્‌સ સામેલ નહીં હોય, જેનો નિયમોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે કહ્યું કે તેમની પાર્ટી આ ફેરફારોને કોર્ટમાં પડકારશે. તેમણે કહ્યું કે જો ચૂંટણી પંચે ચૂંટણીની અખંડિતતાને અસર કરવા માટે તાજેતરના સમયમાં કોઈ પગલું ભર્યું હોય તો તે આ છે. જો કે ચૂંટણી પંચના સૂત્રોએ આ ફેરફારોને યોગ્ય ઠેરવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સીસીટીવી ફૂટેજ કોઈને પણ ઉપલબ્ધ કરાવવાથી મામલો ગંભીર બની શકે છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર અને નક્સલ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં આ સુરક્ષાનો મુદ્દો બની શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચૂંટણીના તમામ કાગળો અને દસ્તાવેજો સામાન્ય લોકોના નિરીક્ષણ માટે ઉપલબ્ધ છે. કોઈપણ સંજોગોમાં ઉમેદવારો તમામ પ્રકારના રેકોર્ડ વિશે જાણી શકે છે. અધિકારીએ કહ્યું કે પ્રાચા તેમના વિધાનસભા મતવિસ્તારના તમામ દસ્તાવેજો મેળવવા માટે પણ હકદાર છે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર નિયમોમાં જે દસ્તાવેજો જાહેર જનતાને ઉપલબ્ધ ન કરાવવાનું કહેવામાં આવ્યું છે તે ઈલેક્ટ્રોનિક રેકોર્ડ છે. ચૂંટણી પંચના અધિકારીએ કહ્યું કે સીસીટીવી ફૂટેજ મળ્યા બાદ કોઈ પણ વ્યક્તિ આઇએ દ્વારા તેની સાથે છેડછાડ કરી શકે છે. તેથી આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/considerations-when-voting">વોટ આપતી વેળાનું ચિંતન</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 22 Dec 2024 20:55:48 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1742</Articleid>
                    <excerpt>ચૂંટણી પંચે નિયમોમાં માત્ર એક લીટી ઉમેરી અને વર્ષોથી ચાલી આવતો નિયમ બદલાઈ ગયો. વિપક્ષો સમગ્ર મામલાને કોર્ટમાં પડકારશે. જાણો શું છે આ નિયમ અને તેનાથી શું ફરક પડશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67682eb2dbe9c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67682eb2a5d54.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67682eb2a5d54.jpg" length="109356" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Election Commission, cctv footage of polling stations, congress, modi govt</media:keywords>
                </item>
                        <item>
                    <title>દાનપેટીમાં ભક્તનો iPhone પડી ગયો, પૂજારીએ કહ્યું, &amp;apos;હવે એ ભગવાનનો થઈ ગયો&amp;apos;</title>
                    <link>https://khabarantar.com/iphone-fell-into-donation-box-priest-said-it-has-now-become-gods-property-will-not-be-returned</link>
                    <guid>https://khabarantar.com/iphone-fell-into-donation-box-priest-said-it-has-now-become-gods-property-will-not-be-returned</guid>
                    <description>
                        <![CDATA[ આમીર ખાનની &#039;પીકે&#039; ફિલ્મ જેવો કિસ્સો. પૂજારીઓએ ભગવાનનું બહાનું કાઢી ભક્તનો આઈફોન બે મહિના થઈ ગયા છતાં પરત નથી કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમીર ખાનની ફિલ્મ પીકે જેમણે જોઈ હશે તેને એ દ્રશ્ય યાદ હશે, જેમાં હિરોઈન અનુષ્કા શર્માનું રૂપિયા ભરેલું પાકીટ મંદિરની દાનપેટીમાં ભૂલથી પડી જાય છે. એ પછી જ્યારે પૂજારી આવીને દાનપેટી ખોલાવે છે અને અનુષ્કા પોતાનું પાકિટ પરત માંગે છે ત્યારે પૂજારી તે પાકીટમાંથી અડધાથી વધુ ભાગના રૂપિયા કાઢી લે છે અને ડાયલોટ ફટકારે છે કે, 'અબ યે ભગવાન કા હો ગયા..' જો કે વાસ્તવિકતા છે કે, દાનપેટીમાં પડેલા રૂપિયા સહિતની બધી વસ્તુઓ ભગવાનના નામે પૂજારીઓ જ ઘરભેગી કરી જાય છે. તિરૂપતી બાલાજી મંદિરના પૂજારીઓની દીકરીઓના લગ્નમાં તેમણે પહેરેલા ઘરેણાંના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા રહે છે, જેમાં તેમણે પહેલા લાખોની કિંમતના સોનાના ઘરેણાં જોઈ સૌ કોઈના મોં આશ્ચર્યથી પહોળા થઈ જાય છે. મંદિરમાં ભગવાનની આડમાં દાન એ એક પ્રકારનો ધંધો છે તે શ્રદ્ધાળુ હજુ સમજી શકતા નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">પીકે ફિલ્મના આ દ્રશ્ય જેવો જ અસલી કિસ્સો હાલ સામે આવ્યો છે. તમિલનાડુના તિરુપોરુરમાં અરુલમિગુ કંદસ્વામી મંદિરના દાન પેટીમાં એક ભક્તનો આઇફોન ભૂલથી પડી ગયો હતો. એ પછી મંદિર તંત્રે આઈફોન પરત કરવાનો ઈન્કાર કરી દીધો છે. તમિલનાડુ સરકારના હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આઇફોન પરત કરી શકાય નહીં. તંત્રે આ મામલે નિયમો બતાવ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">18 ઓક્ટોબરે ફોન પડ્યો હજુ મળ્યો નથી</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટના શ્રી કંદસ્વામી મંદિરમાં બની હતી. ભક્તનું નામ દિનેશ છે અને તે તિરુવલ્લુર જિલ્લાના વિનાયગપુરમનો રહેવાસી છે. 18 ઓક્ટોબરે દિનેશ પરિવાર સાથે મંદિરે દર્શન કરવા ગયો હતો. દર્શન દરમિયાન દાન કરતી વખતે તેના હાથમાંથી આઇફોન સરકીને દાન પેટીમાં પડી ગયો હતો. એ પછી તેણે મંદિર પ્રશાસનને ફોન પરત કરવા વિનંતી કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-donation-of-18.11-crores-came-out-of-the-donation-box-of-the-temple-counting-took-4-days">મંદિરની દાનપેટીમાંથી 18.11 કરોડનું દાન નીકળ્યું, 4 દિવસ ગણતરી ચાલી</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાના બે મહિના પછી 20 ડિસેમ્બરે દાન પેટી ખોલવામાં આવી હતી અને ફોન મળી આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, મંદિર પ્રશાસને દિનેશને જાણ કરી કે તેનો ફોન મળી ગયો છે પરંતુ તે પરત કરવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું, મંદિરના તંત્રે કહ્યું કે ફોન હવે મંદિરની મિલકત બની ગઈ છે. જોકે વહીવટીતંત્રનું કહેવું છે કે ભક્ત દિનેશ તેના ફોનમાંથી ડેટા લઈ શકે છે. દિનેશે આ નિર્ણયને ફગાવી દીધો છે અને તે મંદિર તંત્ર પાસેથી આઈફોન પરત મેળવવા અડગ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મંદિર વિભાગના મંત્રીએ શું કહ્યું?</span></strong></span><br><span style="font-size: 14pt;">આ મામલે તમિલનાડુ સરકારના હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (HR&amp;CE) વિભાગના મંત્રી પીકે શેખર બાબુએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "દાનપેટીમાં જે પણ પ્રસાદ આવે છે. પછી તે જાણી જોઈને આપવામાં આવે કે ભૂલથી, તે ભગવાનનો બની જાય છે. મંદિરોમાં પ્રચલિત પરંપરા અને નિયમો મુજબ દાન પેટીમાં મૂકેલી કોઈપણ વસ્તુ પરત કરી શકાતી નથી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે એમ પણ કહ્યું કે વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવશે. જો જરૂરી હોય તો ભક્તને વળતર આપવાની વિચારણા કરવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અગાઉ પણ આવા કિસ્સા બન્યાં છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">આ કંઈ પહેલી ઘટના નથી. મે 2023માં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. કેરળના અલપ્પુઝાની એક મહિલાનો સોનાનો હાર દાનપેટીમાં પડી ગયો હતો. બાદમાં મંદિર ટ્રસ્ટ બોર્ડે તેના વજન પ્રમાણે બીજી માળા બનાવી આપી હતી. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે 1975ના નિયમો મુજબ દાન પેટીમાં મૂકેલી કોઈપણ વસ્તુ પરત કરી શકાતી નથી. તેને મંદિરની સંપત્તિ માનવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/religion-business-ujjains-mahakal-temple-earns-15-crores-in-1-month">ધર્મનો ધંધોઃ ઉજ્જૈનના મહાકાલ મંદિરે 1 મહિનામાં 15 કરોડની આવક રળી</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 22 Dec 2024 10:42:28 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 22 Dec 2024 10:43:23 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1737</Articleid>
                    <excerpt>આમીર ખાનની &#039;પીકે&#039; ફિલ્મ જેવો કિસ્સો. પૂજારીઓએ ભગવાનનું બહાનું કાઢી ભક્તનો આઈફોન બે મહિના થઈ ગયા છતાં પરત નથી કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67679f94f2626.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67679f94c2653.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67679f94c2653.jpg" length="65226" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>iPhone, Devotee, fell into donation box, God&#039;s property, not be returned, Kandswami temple tamilnadu</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમિત શાહ સામે હવે ગુજરાત બાર કાઉન્સિલના વકીલે મોરચો માંડ્યો</title>
                    <link>https://khabarantar.com/amit-shah-chief-guest-at-gujarat-bar-council-event-in-ahmedabad-lawyers-protest-against</link>
                    <guid>https://khabarantar.com/amit-shah-chief-guest-at-gujarat-bar-council-event-in-ahmedabad-lawyers-protest-against</guid>
                    <description>
                        <![CDATA[ 30મી ડિસેમ્બરે અમદાવાદ ખાતે નવા 6000 વકીલોનો શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે, જેમાં અમિત શાહ મુખ્ય મહેમાન હોવાથી વકીલોમાં કાર્યક્રમનો વિરોધના સૂર ઉઠ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">A lawyer from Gujarat has filed a protest against Amit Shah : ડૉ. ભીમરાવ આંબેડકરને લઈને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નિવેદનની અસર તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. અમદાવાદમાં ગુજરાત બાર કાઉન્સિલ (BCG) દ્વારા 30 ડિસેમ્બરે આયોજિત જાહેર કાર્યક્રમનો બહિષ્કાર કરવાની ચિમકીઓ ઉચ્ચારાઈ રહી છે. કેમ કે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમિત શાહને આમંત્રણ આપવામાં આવ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એક વકીલ સભ્ય પરેશ વાઘેલાએ અમિત શાહનો વિરોધ કરીને સમગ્ર કાર્યક્રમનો બહિષ્કાર કરવાની વાત કરી છે. વાઘેલાએ કહ્યું કે જો અમિત શાહ તેમના ડૉ.આંબેડકર અંગેના કથિત અપમાનજનક નિવેદનને લઈને માફી નહીં માંગે તો તેઓ આ કાર્યક્રમનો ભાગ નહીં બને. તેમણે કહ્યું, "તમે તે વ્યક્તિનું અપમાન કર્યું છે જેના નેતૃત્વમાં બંધારણ ઘડવામાં આવ્યું હતું. તમારે ત્રણ દિવસ સુધીમાં માફી માંગવી પડશે. જો તમે આમ નહીં કરો, તો તમે જે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી રહ્યા છો, ત્યાં હું શું કામ હાજર રહું?"</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/if-dr-ambedkars-constitution-was-not-there-amit-shah-would-have-been-selling-scrap-siddarmaiah">ડૉ.આંબેડકરનું બંધારણ ન હોત તો અમિત શાહ ભંગાર વેચતા હોત : સિદ્ધારમૈયા</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા 30મી ડિસેમ્બરે વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી અમદાવાદ ખાતે નવા વકીલોના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 6,000 નવા વકીલો શપથ લેશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાઘેલાએ કહ્યું કે, "મેં એક દલિત અને આંબેડકરવાદી તરીકે આ નિર્ણય લીધો છે. તેને કોંગ્રેસ સાથે કોઈ લેવાદેવા નથી. મારી લાગણીઓને ઠેસ પહોંચી છે, તેથી મેં આ નિર્ણય લીધો છે."</span><br><span style="font-size: 14pt;">દરમિયાન BCG પ્રમુખ જેજે પટેલે વાઘેલા પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, "વાઘેલા કોંગ્રેસના સમર્થક છે. તેઓ કોંગ્રેસના લીગલ સેલના પદાધિકારી છે. જો તેઓ રાજકીય રીતે વિરોધ કરવા માંગતા હોય તો તે તેમનો અધિકાર છે, પરંતુ તે BCGના મંચ પરથી ન થવો જોઈએ. "</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પટેલે એમ પણ કહ્યું હતું કે BCGની તમામ બોર્ડ મીટિંગમાં વાઘેલા હાજર રહ્યા હતા, જ્યાં એવો નિર્ણય લેવાયો હતો કે આ કાર્યક્રમ અમિત શાહના નેતૃત્વમાં યોજાશે અને ત્યારબાદ વાઘેલાએ સંમતિ આપી દીધી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પટેલે જણાવ્યું હતું કે BCG આ કાર્યક્રમનું સંપૂર્ણ તાકાત સાથે આયોજન કરશે અને ગુજરાતમાંથી રેકોર્ડ સંખ્યામાં વકીલો તેમાં ભાગ લેશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/amit-shahs-statement-against-dr-ambedkar-is-now-being-opposed-abroad-too">અમિત શાહે ડૉ.આંબેડકર સામે કરેલા નિવેદનનો હવે વિદેશોમાં પણ વિરોધ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના વિધાનસભા મંત્રી રૂષિકેશ પટેલ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રા, ભારત સરકારના સોલિસિટર જનરલ તુષાર મહેતા અને ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી પણ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ભારતના બંધારણના 75 વર્ષ પુરા થવા પર મંગળવારે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન અમિત શાહે બંધારણના ઘડવૈયા ડો.આંબેડકર પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેને લઈને દેશભરમાં ડો.આંબેડકરના ચાહકોમાં રોષ ફાટી નીકળ્યો છે. એટલું જ નહીં, વિદેશમાં પણ અમિત શાહનો વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષોએ શાહના નિવેદનનો વિરોધ કર્યો અને તેને આંબેડકરનું અપમાન ગણાવ્યું છે. એ પછી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર તેમના વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, હજુ સુધી તેમણે આ મામલે કોઈ પસ્તાવો નથી કર્યો કે માફી નથી માંગી. જેના કારણે આંબેડકરવાદીઓમાં ભારે રોષ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/amit-shah-does-not-like-dr-ambedkar-because-he-is-a-staunch-opponent-of-savarkar">સાવરકરના ઘોર વિરોધી ડો.આંબેડકર અમિત શાહને ક્યાંથી ગમે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 21 Dec 2024 14:30:35 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 21 Dec 2024 14:31:36 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1734</Articleid>
                    <excerpt>30મી ડિસેમ્બરે અમદાવાદ ખાતે નવા 6000 વકીલોનો શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે, જેમાં અમિત શાહ મુખ્ય મહેમાન હોવાથી વકીલોમાં કાર્યક્રમનો વિરોધના સૂર ઉઠ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676682ca6d573.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676682ca38195.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676682ca38195.jpg" length="57374" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Amit Shah, Dr. Ambedkar statement, Gujarat Lawyers protest against, Gujarat Bar Council, Paresh vaghela</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડૉ.આંબેડકરનું બંધારણ ન હોત તો અમિત શાહ ભંગાર વેચતા હોત : સિદ્ધારમૈયા</title>
                    <link>https://khabarantar.com/if-dr-ambedkars-constitution-was-not-there-amit-shah-would-have-been-selling-scrap-siddarmaiah</link>
                    <guid>https://khabarantar.com/if-dr-ambedkars-constitution-was-not-there-amit-shah-would-have-been-selling-scrap-siddarmaiah</guid>
                    <description>
                        <![CDATA[ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ડો.આંબેડકર પરના નિવેદનને લઈને કર્ણાટકના સીએમે તેમની આકટી ટીકા કરે છે. જાણો બીજું શું કહ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બંધારણ ધડવૈયા ડૉ. આંબેડકર વિશેના કથિત નિવેદન મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આકરી ટીકા કરી છે. સિદ્ધારમૈયાએ દાવો કર્યો હતો કે જો આંબેડકરનું બંધારણ ન હોત તો અમિત શાહ ‘ભંગાર વેચનારા’ બની ગયા હોત. સિદ્ધારમૈયાએ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પણ આડે હાથ લીધા હતા. ધનખડ વિશે તેમણે કહ્યું કે જો રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ ખરેખર બંધારણ અંતર્ગત કામ કરતા હોય તો તેમણે શાહને તરત જ ગૃહમાંથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોના હોબાળા વચ્ચે વિધાનસભામાં વિગતવાર નિવેદન વાંચતા, સિદ્ધારમૈયાએ કહ્યું કે, “બાબા સાહેબ આંબેડકર વિશે ગૃહપ્રધાન દ્વારા બોલવામાં આવેલા "અપમાનજનક" શબ્દો સમગ્ર દેશે સાંભળ્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે, "હવે એક ફેશન બની ગઈ છે... આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર. આટલું નામ જો ભગવાનનું લીધું હોત તો સાત જન્મો સુધી સ્વર્ગ મળી જાત.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિપક્ષી નેતાઓએ આ નિવેદને લઈને અમિત શાહની ટીકા કરી છે. સિદ્ધારમૈયાએ કહ્યું કે શાહે જે કહ્યું તેમાં આશ્ચર્યજનક કંઈ નથી. કેમ કે, ભાજપ અને (રાષ્ટ્રીય સ્વયંસેવક) સંઘ પરિવારના નેતાઓના મનમાં જે કંઈ ચાલી રહ્યું હતું તે હવે ખુલીને સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિદ્ધારમૈયાએ કહ્યું, "સૌથી પહેલા હું તમને (અમિત શાહ)ને અભિનંદન આપું છું કે તમે બાબા સાહેબ આંબેડકર વિશે ભારતીય જનતા પાર્ટીના આંતરિક મતને ખુલ્લેઆમ અને હિંમતપૂર્વક દેશ સમક્ષ મૂક્યો અને અંતે સાચું બોલી ગયા." તેમણે કહ્યું કે, “જો બંધારણ ન હોત, તો શાહ દેશના ગૃહમંત્રી ન હોત, પરંતુ તેમના ગામમાં "ભંગાર વેચનાર" હોત.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે તેણે રાજ્યસભામાં બાબાસાહેબ આંબેડકર પરના તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરી સમાજમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે ચર્ચા દરમિયાન સત્તાધારી પક્ષના સભ્યોએ કોંગ્રેસ દ્વારા બંધારણના ઘડવૈયાના વારંવાર કરવામાં આવેલા અપમાનની પોલ ખોલી નાખી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું, “જ્યાં સુધી આ લેખિત બંધારણ અમલમાં નહોતું આવ્યું ત્યાં સુધી ભારતીય સમાજમાં ‘મનુસ્મૃતિ’ હતી, જેણે જાતિ અને લિંગ ભેદભાવને કાયદો બનાવી દીધો હતો. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની આશા રાખતા ડૉ.આંબેડકરે માત્ર બંધારણ જ નહોતું આપ્યું પરંતુ તેમણે એ અલિખિત બંધારણ 'મનુસ્મૃતિ'ને પણ બાળી નાખ્યું હતું જે અત્યાર સુધી અમલમાં હતું.''  તેમણે કહ્યું કે 25 ડિસેમ્બર, 1927ના રોજ આંબેડકરે જાહેરમાં 'મનુસ્મૃતિ' સળગાવી અને 22 વર્ષ પછી નવું બંધારણ બનાવ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/what-does-rss-believe-about-the-constitution-of-india-written-by-dr-ambedkar">ભારતના બંધારણ પર RSS અને તેના સ્થાપકો શું માનતા હતા?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 20 Dec 2024 19:44:45 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1732</Articleid>
                    <excerpt>કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ડો.આંબેડકર પરના નિવેદનને લઈને કર્ણાટકના સીએમે તેમની આકટી ટીકા કરે છે. જાણો બીજું શું કહ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67657b12b5005.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67657b127fd8a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67657b127fd8a.jpg" length="96068" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dr ambedkar, constitution, siddarmaiah, amit shah</media:keywords>
                </item>
                        <item>
                    <title>મેરઠમાં પ્રદીપ મિશ્રાના શિવમહાપુરાણમાં ભાગાભાગી, અનેક મહિલા કચડાઈ</title>
                    <link>https://khabarantar.com/meerut-pradeep-mishras-shiva-mahapuran-many-women-were-injured</link>
                    <guid>https://khabarantar.com/meerut-pradeep-mishras-shiva-mahapuran-many-women-were-injured</guid>
                    <description>
                        <![CDATA[ ભાગાભાગીમાં અનેક શ્રદ્ધાળુઓ નીચે પડી ગયા. કથાનો છઠ્ઠો દિવસ હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ આવી પહોંચી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના મેરઠમાં પંડિત પ્રદીપ મિશ્રાની શિવમહાપુરાણ કથા દરમિયાન ભાગાભાગી થતા અનેક શ્રદ્ધાળુઓ કચડાયા હોવાનું જાણવા મળ્યું છે. નાસભાગમાં ઘણા ભક્તો પડી ગયા અને કચડાયા હતા. પંડિત પ્રદીપ મિશ્રાની કથાનો આજે છઠ્ઠો દિવસ હતો. ભાગાભાગી થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્યમાં લાગેલી છે. મળતી માહિતી મુજબ કથા સાંભળવા માટે એક લાખથી વધુ લોકો મેરઠ પહોંચ્યા હતા. આવતીકાલે કથાનો છેલ્લો દિવસ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ કથા સાંભળવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને વડીલો આવ્યા હતા. આ દરમિયાન બાઉન્સરોએ તેમને રોક્યા હતા. એ પછી ભીડમાં ધક્કા-મુક્કી શરૂ થઈ ગઈ. લોકો એકબીજા પર પડવા લાગ્યા. શિવમહાપુરાણ સાંભળવા માટે ઘણા VVIP પણ મેરઠ પહોંચ્યા હતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેરઠના શતાબ્દીનગરમાં શ્રી કેદારેશ્વર સેવા સમિતિ દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા 15મી ડિસેમ્બરથી ચાલી રહી છે, જે બપોરે 1 વાગ્યે શરૂ થાય છે અને 4 વાગ્યા સુધી ચાલે છે. દરરોજ લાખો ભક્તો કથા સાંભળવા આવી રહ્યા છે. આયોજકો દ્વારા વાહનો પાર્ક કરવા માટે 7 પાર્કિંગ લોટ બનાવવામાં આવ્યા છે. જ્યારે લગભગ 1000 પોલીસકર્મીઓ સ્થળ પર તૈનાત છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આયોજકોના જણાવ્યા મુજબ એસએસપી ડો.વિપિન ટાડા તમામ વ્યવસ્થા જોઈ રહ્યા છે. એસપી ટ્રાફિક રાઘવેન્દ્ર મિશ્રાના જણાવ્યા અનુસાર, કથા પંડાલ અને આસપાસના વિસ્તારો પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કથાના કારણે ટ્રાફિક પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તેમ છતાં આ ઘટના ઘટી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓને ઈજા પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા હાલ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/every-hindu-should-have-4-children-narrator-pradeep-mishra">દરેક હિંદુએ ૪ બાળકો પેદા કરવા જોઈએ: કથાકાર પ્રદીપ મિશ્રા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 20 Dec 2024 14:13:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1731</Articleid>
                    <excerpt>ભાગાભાગીમાં અનેક શ્રદ્ધાળુઓ નીચે પડી ગયા. કથાનો છઠ્ઠો દિવસ હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ આવી પહોંચી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67652d8635f74.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67652d85f32cf.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67652d85f32cf.jpg" length="70448" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Meerut Pradeep Mishra, Shiva Mahapuran, Shouldering, Many women injured</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમિત શાહે ડૉ.આંબેડકર સામે કરેલા નિવેદનનો હવે વિદેશોમાં પણ વિરોધ</title>
                    <link>https://khabarantar.com/amit-shahs-statement-against-dr-ambedkar-is-now-being-opposed-abroad-too</link>
                    <guid>https://khabarantar.com/amit-shahs-statement-against-dr-ambedkar-is-now-being-opposed-abroad-too</guid>
                    <description>
                        <![CDATA[ અમેરિકા, બ્રિટન, કેનેડા અને અન્ય દેશોમાં વસતા આંબેડકરવાદીઓએ સહી ઝુંબેશ શરૂ કરી, રાષ્ટ્રપતિને પત્ર લખી કરી મોટી માગણી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ.આંબેડકરને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કરેલા અપમાનજનક નિવેદનને લઈને વિવાદ વધી ગયો છે. એકબાજુ વિરોધ પક્ષો અને આંબેડકરવાદી સંગઠનો અમિત શાહના નિવેદનની સતત નિંદા કરી રહ્યા છે, બીજી તરફ તેમના પૂતળા બાળવામાં આવી રહ્યા છે અને દેશભરમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. આ બધાંની વચ્ચે વિદેશમાં પણ હવે અમિત શાહનો વિરોધ થઈ રહ્યો છે. તેમના નિવેદનને લઈને આંબેડકરવાદીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. NRI આંબેડકરવાદીઓએ ગુરુવારે એક ઓનલાઈન પિટિશન શરૂ કરી હતી જેને ઝડપથી લોકોનું સમર્થન મળી રહ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">NRI આંબેડકરવાદીઓ દ્વારા શરૂ કરાયેલી ઓનલાઈન પિટિશનને ગુરુવારે કલાકોમાં જ સેંકડો સહીઓ મળી હતી. આ અરજી ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધવામાં આવી છે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ડૉ. ભીમરાવ આંબેડકર પર કરવામાં આવેલી ટિપ્પણી પર પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/mayawati-upset-over-amit-shahs-statement-on-dr-ambedkar">ડૉ.આંબેડકર પર અમિત શાહના નિવેદન પર માયાવતી નારાજ, જાણો શું કહ્યું</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજીમાં અમિત શાહના કથિત નિવેદનની આકરી ઝાટકણી કાઢવામાં આવી છે. અરજદારોનું કહેવું છે કે આ નિવેદનો ડૉ. આંબેડકરના વારસા અને તેમના યોગદાનને ઓછો કરવાનો પ્રયાસ છે. અરજીમાં લખવામાં આવ્યું છે કે, "ડૉ. આંબેડકરનો વારસો માત્ર એક સમાજનું ગૌરવ નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્રનો વારસો છે. દરેક નાગરિક, ખાસ કરીને સત્તામાં રહેલા લોકો તેમના યોગદાનને માન આપે અને તેમની મહાનતાને ઓળખે તે જરૂરી છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અરજીમાં શું માગણી કરવામાં આવી?</span></strong></span><br><span style="font-size: 14pt;">એનઆરઆઈ આંબેડકરવાદીઓ દ્વારા રાષ્ટ્રપતિને કરવામાં આવેલી અરજીમાં નીચે મુજબની માગણીઓ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાહેરમાં માફી માગવામાં આવે: અમિત શાહે કરેલા નિવેદન બદલ જાહેરમાં માફી માંગવામાં આવે અને તેનાથી લોકોની લાગણીઓને ઠેસ પહોંચી હોવાનું સ્વીકારવામાં આવે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંબેડકરવાદી મૂલ્યોનું સમર્થન: સરકાર એ ખાતરી આપે કે ડૉ. આંબેડકર દ્વારા સ્થાપિત ન્યાય, સમાનતા અને બંધુત્વના મૂલ્યોનું સન્માન કરવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષણ અને જાગૃતિ: ડૉ. આંબેડકરના યોગદાન વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ પગલાં લેવામાં આવે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-abedkar-in-the-elections-to-defeat-when-nehru-fielded-his-pa-kajrolkar">જ્યારે ડૉ.આંબેડકરને હરાવવા નહેરૂએ તેમના PA ને જ ચૂંટણીમાં ઉતાર્યો?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અરજીને NRI આંબેડકરવાદી સંગઠનો અને યુએસ, કેનેડા અને યુકે સહિત અનેક દેશોમાં રહેતા વ્યક્તિઓ તરફથી સમર્થન મળી રહ્યું છે. થોડા જ કલાકોમાં તેને વિશ્વભરમાંથી સેંકડો લોકોનો ટેકો મળ્યો. શિક્ષણવિદો, સામાજિક કાર્યકરો અને વ્યાવસાયિકો આ અરજીને સમર્થન આપી રહ્યા છે. તેઓ કહે છે કે ડો. આંબેડકરના વિચારો જાતિના ભેદભાવ સામેની લડાઈમાં હજુ પણ પ્રાસંગિક છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજદારોનું કહેવું છે કે ડૉ. આંબેડકરનું બંધારણ અને ન્યાયી સમાજનું વિઝન ભારતની લોકશાહી વ્યવસ્થાનો પાયો છે. તેમના વારસાને ઘટાડવાનો કોઈપણ પ્રયાસ સમાજના પોતને નબળો પાડી શકે છે. આ અરજીમાં બંધારણના રક્ષક તરીકે રાષ્ટ્રપતિના હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઓનલાઈન પિટિશન દર્શાવે છે કે ડૉ. આંબેડકરનો વારસો માત્ર ભારત પૂરતો મર્યાદિત નથી. એનઆરઆઈ પણ તેને પોતાનો માને છે અને તેની સુરક્ષા માટે પગલાં લઈ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/amit-shah-does-not-like-dr-ambedkar-because-he-is-a-staunch-opponent-of-savarkar">સાવરકરના ઘોર વિરોધી ડો.આંબેડકર અમિત શાહને ક્યાંથી ગમે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 20 Dec 2024 13:03:40 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1730</Articleid>
                    <excerpt>અમેરિકા, બ્રિટન, કેનેડા અને અન્ય દેશોમાં વસતા આંબેડકરવાદીઓએ સહી ઝુંબેશ શરૂ કરી, રાષ્ટ્રપતિને પત્ર લખી કરી મોટી માગણી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67651da5807b0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67651da54ba64.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67651da54ba64.jpg" length="97686" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Amit Shah, Dr. Ambedkar, statement, Protests abroad</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીની વિધિ કરનાર ભૂવો કોણ છે?</title>
                    <link>https://khabarantar.com/who-is-the-doctor-who-performed-the-patients-ritual-at-ahmedabad-civil-hospital</link>
                    <guid>https://khabarantar.com/who-is-the-doctor-who-performed-the-patients-ritual-at-ahmedabad-civil-hospital</guid>
                    <description>
                        <![CDATA[ આઈસીયુમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીની વિધિ કરનાર ભૂવો ભલભલાં રોગના દર્દીઓને પોતે નવજીવન આપતો હોવાનો દાવો કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદની એશિયાની સૌથી મોટી એવી સિવિલ હોસ્પિટલના એક આઈસીયુ રૂમમાં એક ભૂવો વેન્ટિલેટર પર રહેલા દર્દીની વિધિ કરી, તેનો વીડિયો બનાવી વાયરલ કર્યો હોવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. ત્યારે આ ભૂવો કોણ છે તેના વિશે લોકો વધુને વધુ સર્ચ કરી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકવીસમી સદીમાં એક તરફ અંધશ્રદ્ધા દૂર કરવા મામલે સરકાર બિલ લાવી રહી છે. બીજી તરફ સરકારી હોસ્પિટલમાં જ ICU વિભાગમાં ભૂવાએ વિધિ કરતા હોબાળો મચી ગયો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જડબેસલાક સિક્યોરિટી વચ્ચે એક ભૂવો આઈસીયુ સુધી પહોંચ્યો અને વિધિ પણ કરી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. જેને લઈને હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે સ્પષ્ટતા કર્યા બાદ રેશનાલિસ્ટો પણ મેદાનમાં આવ્યા છે. જો કે આ બધાં વચ્ચે ભૂવો કોણ છે તેની પણ શોધખોળ શરૂ થઈ ગઈ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે મુકેશ ભુવાજી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ સિવિલમાં વિધિ કરનાર ભૂવાનું નામ મુકેશ ભુવાજી છે અને અમદાવાદના નિકોલ વિસ્તારનો રહેવાસી છે. મુકેશ ભુવાજી સોશિયલ મીડિયામાં 81 હજારથી વધુ ફોલોવર્સ ધરાવે છે. અન્ય ભુવાઓની જેમ તેણે પણ કમાણી કરવા માટે પોતાની યુટ્યૂબ ચેનલ બનાવેલી છે અને તેમાં તેણે ભૂતપ્રેત ભગાડતો હોવાના, તાંત્રિક વિદ્યા અને મેલી વિદ્યા કરતો હોવાના વીડિયો મૂકેલા છે. અત્યાર સુધીમાં તેણે આવા 468 થી વધુ અપલોડ કરેલા છે જેમાંના મોટાભાગના લોકોને ગેરમાર્ગે દોરતા અને અંધશ્રદ્ધાનો ફેલાવો કરી ભૂતપ્રેત તાંત્રિક વિદ્યા તરફ દોરી જતા છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_6762e3551aab6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ રીતે તે અંધશ્રદ્ધા ફેલાવતા વીડિયો યુટ્યુબ ચેનલમાં મૂકીને લોકોમાં પોતાનો પ્રચાર કરી કમાણીની તકો શોધતો રહેતો હતો. તેના પરિવારમાં બે સંતાનો અને પત્ની છે અને તે નરોડા વિસ્તારમાં રહેતો હોવાનું પણ ખુલ્યું છે. જોવાનું એ રહેશે કે સિવિલ હોસ્પિટલમાં જઈને અંધશ્રદ્ધા ફેલાવ્યા બાદ તેના પર કોઈ કાર્યવાહી થાય છે કે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દર રવિવારે પોતાના ઘરે દરબાર ભરી લોકોને ફસાવે છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુકેશ ભુવાજી દરરોજ રવિવારે ભોળા લોકોને ફસાવવા દરબાર ભરતો હતો અને લોકોના મગજમાં એવી અંધશ્રદ્ધા ફેલાવતો કે તે પોતે ગમે તેવા દર્દીઓ હોય તેને સાજા કરી દે છે. આજે પણ દર રવિવારે મોટી સંખ્યામાં લોકો તેને ત્યાં પૂજા કરવા આવે છે. ચોંકાવનારી વાત એ છે કે, લોકોના દુ:ખ દૂર કરી દેવાની વાતો કરતો મુકેશ ભુવાજી ખુદ જીવનનિર્વાહ ચલાવવા માટે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મુકેશ ભુવાજી પોતાના ઘરે માતાજીને પણ ડોક્ટરના વાઘા ધરાવે છે અને પોતે ડોક્ટર જે દર્દીને સાજા ન કરી શકે તેમને પોતાની ચમત્કારિક શક્તિથી સાજા કરી દેતો હોવાની શેખી મારતો ફરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/ahmedabad-civil-hospital-the-priest-performed-the-ritual-on-the-patient">બોલો લો! અમદાવાદ સિવિલના ICU માં પહોંચી ભૂવાએ દર્દી પર વિધિ કરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 18 Dec 2024 20:36:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1721</Articleid>
                    <excerpt>આઈસીયુમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીની વિધિ કરનાર ભૂવો ભલભલાં રોગના દર્દીઓને પોતે નવજીવન આપતો હોવાનો દાવો કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6762e32f6dea0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6762e32f36650.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6762e32f36650.jpg" length="71507" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>ahmedabad civil hospital, Mukesh Bhuvaji ahmedabad, viral video</media:keywords>
                </item>
                        <item>
                    <title>બોલો લો! અમદાવાદ સિવિલના ICU માં પહોંચી ભૂવાએ દર્દી પર વિધિ કરી</title>
                    <link>https://khabarantar.com/ahmedabad-civil-hospital-the-priest-performed-the-ritual-on-the-patient</link>
                    <guid>https://khabarantar.com/ahmedabad-civil-hospital-the-priest-performed-the-ritual-on-the-patient</guid>
                    <description>
                        <![CDATA[ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મુજબ સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં ભૂવો વેન્ટિલેટર પર રહેલા દર્દીની વિધિ કરતો જોવા મળે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અંધશ્રદ્ધા છેક એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સુધી પહોંચી ગઈ છે. જી હા, એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી અમદાવાદના અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દી પાસે પહોંચી એક ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ચકચાર મચી છે. સિવિલ હોસ્પિટલના આ વિસ્તારમાં ફોટો કે વીડિયોગ્રાફી કરવાની મનાઈ હોવા છતાં ભૂવાએ છેક આઈસીયુમાં પહોંચીને વિધિ કરી હતી અને તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સિવિલની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભૂવાની આ કરતૂતોને કારણે એશિયાની સૌથી મોટી જનરલ હોસ્પિટલની સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે સિવિલ હોસ્પિટલની કડક સુરક્ષા માટે વર્ષો લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. અહીં સામાન્ય માણસના પરિવારજનો સાથે સિક્યોરિટી સ્ટાફ અત્યંત તોછડું વર્તન કરતો હોય છે, જેને લઈને પણ ફરિયાદો થતી રહે છે ત્યારે આ ભૂવાએ ગેટથી લઈને આઇસીયુ તરફ જતા રસ્તા પર વીડિયો ઉતારીને રીલ બનાવી, એટલું જ નહીં આઇસીયુમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીની બાજુમાં ઊભા રહીને રીલ બનાવતા હોસ્પિટલની સિક્યોરિટી સામે પણ સવાલ થઈ રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દર્દીનો સગો બની આઈસીયુમાં પહોંચ્યાનું અનુમાન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર ઘટનાને લઈને સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ તપાસ કરતાં આ વ્યક્તિ દર્દીનો સગો બનીને હોસ્પિટલમાં ગયાનું જણાયું છે. દર્દીના સગાને જવા માટે હોસ્પિટલમાંથી પાસ આપવામાં આવે છે, તેનો ઉપયોગ કરીને આ વ્યક્તિ દર્દી સુધી પહોંચ્યો હોવાનું પ્રાથમિક તારણ છે. આઇસીયુમાં દાખલ દર્દીની ઇન્ફેક્શન ન લાગે એ પ્રમાણે કર્ટેન્સ સાથે પ્રાઈવસી જાળવવામાં આવે છે. તેનો દુરુપયોગ કરીને આ વ્યક્તિએ વીડિયો બનાવ્યો હોવાનું જણાય છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_6762ce8a73317.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીડિયોમાં જે દર્દી બતાવવામાં આવ્યો છે તે ઓલરેડી વેન્ટિલેટર પર છે, પરંતુ તે સાજો થઇ રહ્યો હોવાની ક્રેડિટ ભૂવાએ કરેલી વિધિને નથી જતી. તે સંપૂર્ણપણે સિવિલના નિષ્ણાત ડોક્ટરોની ટીમને જાય છે. એટલે ભૂવા કે અન્ય કોઇ વિધિ, માન્યતાથી દર્દી સાજો થયો એમ કહેવું અંધશ્રદ્ધાથી ભરેલું છે. સિક્યોરિટી દ્વારા પુરતી તકેદારી રાખવામાં આવે છે છતાં આ વ્યક્તિ દર્દી સુધી કેવી રીતે પહોંચી તેની વધુ તપાસ કરીશું. આગામી સમયમાં વધુ ધ્યાન રાખીને આ પ્રકારની ઘટના કોઇપણ હોસ્પિટલમાં ન બને એનું ધ્યાન રાખવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/wadhwans-bhuva-who-killed-12-people-dies-in-police-custody">12 લોકોની હત્યા કરનાર વઢવાણના ભૂવાનું પોલીસ કસ્ટડીમાં મોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 18 Dec 2024 19:08:32 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1720</Articleid>
                    <excerpt>સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મુજબ સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં ભૂવો વેન્ટિલેટર પર રહેલા દર્દીની વિધિ કરતો જોવા મળે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6762ce757e81d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6762ce7548c90.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6762ce7548c90.jpg" length="71314" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>ahmedabad civil hospital, Viral video, Local news</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભીમા કોરેગાંવ મામલો : એક્ટિવિસ્ટ Rona Wilson ના વચગાળાના જામીન ફગાવાયા</title>
                    <link>https://khabarantar.com/rona-wilsons-interim-bail-rejected-in-elgar-parishad-case</link>
                    <guid>https://khabarantar.com/rona-wilsons-interim-bail-rejected-in-elgar-parishad-case</guid>
                    <description>
                        <![CDATA[ Rona Wilson એ તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે વચગાળાના જામીનની માંગણી કરી હતી, જેને મુંબઈની વિશેષ અદાલતે ફગાવી દીધી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Rona Wilson's interim bail rejected : મુંબઈની વિશેષ અદાલતે એલ્ગાર પરિષદ કેસમાં ધરપકડ કરાયેલા કાર્યકર્તા રોના વિલ્સનની અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં તેમણે તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે વચગાળાના જામીનની માંગણી કરી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, વિશેષ એનઆઈએ કોર્ટે કહ્યું કે સંબંધો ખૂબ દૂરના છે અને ત્યાં તેમની હાજરી બિલકુલ જરૂરી નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિલ્સનની જૂન 2018માં પુણે પોલીસ દ્વારા તેમના દિલ્હીના નિવાસસ્થાને દરોડા પાડ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આ કેસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવામાં આવ્યો હતો. પુણે પોલીસે આ કેસમાં પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિલ્સન હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે અને મહારાષ્ટ્રના નવી મુંબઈમાં આવેલી તલોજા જેલમાં બંધ છે. તેમણે તાજેતરમાં તેની પિતરાઈ બહેનની પુત્રીના લગ્નમાં હાજરી આપવા માટે 6 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી, 2025 સુધી વચગાળાના જામીન માંગ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">13 ડિસેમ્બરે સ્પેશિયલ જજ ચકોર બાવિસ્કરે તેમની અરજી ફગાવી દીધી હતી. ગયા મંગળવારે (17 ડિસેમ્બરે) ઉપલબ્ધ ઓર્ડરમાં વિશેષ અદાલતે અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે, "આરોપી તેમની ભત્રીજીના લગ્ન સમારોહમાં હાજરી આપવા માંગે છે. આ સંબંધ ઘણો દૂરનો છે અને તેના માટે લગ્નમાં હાજર રહેવું બિલકુલ જરૂરી નથી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગયા અઠવાડિયે કોર્ટે ચાર વર્ષ પહેલાં આ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય આરોપી સાગર ગોરખેને લોની પરીક્ષા આપવા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, પુણે પોલીસ અને NIAએ એલ્ગાર પરિષદ કેસમાં 15 કાર્યકર્તાઓ, </span><span style="font-size: 14pt;">શિક્ષણવિદો અને વકીલોની ધરપકડ કરી હતી. તેમાંથી સૌથી વૃદ્ધ ફાધર સ્ટેન સ્વામી હતા, જેમનું જુલાઈ 2021માં અવસાન થયું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એલ્ગાર પરિષદનો મામલો 31 ડિસેમ્બર 2017ના રોજ પુણેમાં આયોજિત સેમિનારમાં કથિત ભડકાઉ ભાષણ સાથે સંબંધિત છે. પોલીસનો દાવો છે કે આ ભાષણને કારણે બીજા દિવસે શહેરની હદમાં આવેલા ભીમા-કોરેગાંવ યુદ્ધ સ્મારક પાસે હિંસા થઈ હતી અને આ સેમિનારના આયોજકોના કથિત માઓવાદીઓ સાથે સંબંધો હતા. આ કેસમાં ધરપકડ કરાયેલા 16 લોકોમાંથી આઠ લોકો કસ્ટડીમાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં અત્યાર સુધી જેમને જામીન મળ્યા છે તેમાં કવિ વરવરા રાવ, શિક્ષણવિદો આનંદ તેલતુમ્બડે અને શોમા સેન, પત્રકાર ગૌતમ નવલખા, વકીલ સુધા ભારદ્વાજ અને અરુણ ફરેરા તથા  કાર્યકર્તા વર્નોન ગોન્સાલ્વિસનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bhima-koregaon-case-journalist-gautam-navalkhan-gets-bail-after-4-years">ભીમા કોરેગાંવ મામલોઃ પત્રકાર ગૌતમ નવલખાને 4 વર્ષ બાદ જામીન મળ્યાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 18 Dec 2024 16:44:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1719</Articleid>
                    <excerpt>Rona Wilson એ તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે વચગાળાના જામીનની માંગણી કરી હતી, જેને મુંબઈની વિશેષ અદાલતે ફગાવી દીધી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67629dda7c1c9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67629dda47c27.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67629dda47c27.jpg" length="50779" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Rona Wilson, interim bail rejected, Elgar Parishad case, Bhima Koregaon violence case</media:keywords>
                </item>
                        <item>
                    <title>વોર્ડ પ્રમુખ બનવા ભાજપ કાર્યકરે દસ્તાવેજોમાં જન્મ તારીખ બદલી નાખી</title>
                    <link>https://khabarantar.com/bjp-worker-changed-date-of-birth-in-documents-to-become-ward-president</link>
                    <guid>https://khabarantar.com/bjp-worker-changed-date-of-birth-in-documents-to-become-ward-president</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપના કાર્યકરે ઉમર નાની બતાવવા દસ્તાવેજમાં પોતાની જન્મતારીખ બદલી નાખી હતી. ભાંડો ફૂટતા પક્ષે સસ્પેન્ડ કરી દીધો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજનીતિ ફિલ્મનો એક ડાયલોગ છે – રાજનીતિ કા એક હી નિયમ હૈ, જીત – કિસી ભી કિમત પર. જો રાજકારણમાં તમારી પાસે કોઈ સત્તા કે હોદ્દો નથી તો તમારી કોઈ કિંમત નથી. સત્તા પક્ષના હોદ્દેદારો, નેતાઓનો એક અલગ મોભો હોય છે. આવો મોભો સૌ કોઈને મેળવવો હોય છે. પરંતુ રાજકોટના ભાજપના એક કાર્યકરે તો હદ કરી નાખી. તેણે વોર્ડ પ્રમુખ બનવા માટે પોતાની ઉમર નાની દર્શાવવા માટે સરકારી દસ્તાવેજોમાં ચેડાં કરીને પોતાની જન્મ તારીખ બદલી નાખી હતી. જો કે આ બાબતની ભાજપના સંગઠનને જાણ થતાં તેણે આ કાર્યકરને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત ભાજપના સંગઠનમાં હાલમાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે. એટલે આગામી દિવસોમાં પક્ષના સંગઠનના માળખામાં ફેરફારો થવાના છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા સંગઠનમાં પણ કેટલાક મહત્વના પદો માટે વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જેના અંતર્ગત તાલુકા પ્રમુખ કે વોર્ડ પ્રમુખ બનવા માટે ભાજપ દ્વારા કાર્યકરની 40 વર્ષની વયમર્યાદા નક્કી કરી છે. આ સંજોગોમાં વોર્ડ કે તાલુકા પ્રમુખ બનવા ઇચ્છુક અનેક કાર્યકરોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ત્યારે રાજકોટમાં વોર્ડ પ્રમુખ બનવા ઇચ્છુક ભાજપના એક કાર્યકરે સરકારી દસ્તાવેજોમાં ચેડાં કરીને પોતાની જન્મ તારીખ બદલી નાખીને મોટો કાંડ કરી નાખ્યો. જેના કારણે વોર્ડ પ્રમુખ બનવું તો દૂર રહ્યું, પક્ષમાંથી સસ્પેન્ડ થવું પડ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટ શહેર ભાજપના કાર્યકર અને બક્ષી પંચ મોરચાના પ્રમુખ એવા એવા વિપુલ માખેલા વોર્ડ પ્રમુખ બનવા ઈચ્છતો હતો. પરંતુ ભાજપ સંગઠનના નવા નિયમો મુજબ 40 વર્ષથી વધુ વયની વ્યક્તિ વોર્ડ કે તાલુકા પ્રમુખ બની શકે નહીં. જ્યારે ખાસ કિસ્સા વધુમાં વધુ 45 વર્ષની વય મર્યાદા નિશ્ચિત કરાઇ છે. પરંતુ વિપુલ માખેલા 50 વર્ષનો છે, પરંતુ વોર્ડ પ્રમુખ બનવાની લાલસા એટલી બધી હતી કે, તેણે સરકારી દસ્તાવેજો એવા જન્મના દાખલા અને આધારકાર્ડમાં પોતાની જન્મ તારીખ સાથે છેડછાડ કરીને પોતાની ઉમર છ વર્ષ નાની કરી હતી. વિપુલ માખેલાનો જન્મ 1974માં થયો હતો, પરંતુ તેણે જન્મના દાખલા અને આધારકાર્ડમાં જન્મનું વર્ષ 1980 કરી નાખ્યું હતું. વિપુલ માખેલાની આ કરતૂત પક્ષના નેતાઓના ધ્યાને આવી હતી. જેના અંતર્ગત ભાજપ દ્વારા વિપુલ માખેલાને પક્ષમાં સસ્પેન્ડ કરી દીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/i-had-cast-15-fake-votes-bjp-workers-video-created-uproar">15 નકલી મત તો મેં નાખ્યા હતાઃ ભાજપ કાર્યકરના વીડિયોથી હોબાળો મચ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 17 Dec 2024 20:41:12 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1713</Articleid>
                    <excerpt>ભાજપના કાર્યકરે ઉમર નાની બતાવવા દસ્તાવેજમાં પોતાની જન્મતારીખ બદલી નાખી હતી. ભાંડો ફૂટતા પક્ષે સસ્પેન્ડ કરી દીધો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676193b78075f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676193b75068a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676193b75068a.jpg" length="50291" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bjp ward president, Bjp, Vipul Makhela, Rajkot News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતમાં 43 ટકા સરકારી અનાજ સગે વગે થઈ જાય છે?</title>
                    <link>https://khabarantar.com/43-percent-of-government-food-grains-in-gujarat-go-to-waste</link>
                    <guid>https://khabarantar.com/43-percent-of-government-food-grains-in-gujarat-go-to-waste</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતની જાહેર વિતરણ વ્યવસ્થામાં મસમોટું ગાબડું હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં ઘઉં-ચોખા સહિત રાશનનું રૂા.૬૯૦૦૦ કરોડનું અનાજ ગરીબો સુધી પહોંચતું જ નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતની જાહેર વિતરણ વ્યવસ્થાને લઈને ચોંકાવનારા સમાચાર મળી રહ્યાં છે. સમાજના ગરીબ વર્ગના લોકો માટે સરકાર દ્વારા રાશનમાં સસ્તું અનાજ આપવામાં આવે છે. પરંતુ ફુડ કોર્પોરેશનના ગોડાઉનમાંથી માર્ગમાં જ આ અનાજનો જથ્થો ‘પગ’ કરી જાય છે. એટલું જ નહીં, સમગ્ર દેશમાં આવી રીતે ૨૮ ટકા અનાજનો જથ્થો લીકેજ, બગાડને કારણે ગોડાઉનથી રેશનની દુકાન સુધી પહોંચતું નથી, જેના કારણે રાષ્ટ્રીય તિજોરીને મોટું નુકશાન થાય છે તેવો આક્ષેપ ગુજરાત કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રદેશ પ્રવકતા ડૉ. મનીષ દોશીએ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યુ છે કે, સમગ્ર ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થાના ઘઉં-ચોખાનો  ૪૩.૦૨ ટકા જથ્થો લીકેજ કે ગાયબ થઈ જાય છે તે અંગે રાજ્ય સરકાર જવાબ આપે તેવી માગણી પણ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં લક્ષિત વિતરણ વ્યવસ્થા હેઠળ નિયમીત રીતે વિવિધ અનાજ અપાય છે. જેમાં લીકેજ એટલે કે કાળાબજારમાં ધકેલાઈ જતા અનાજ અને ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોડાઉનમાં પણ હજારો ટન અનાજ સડી જાય છે. હાલમાં જ એક ઈકોનોમીક ર્થીક ટેન્ક દ્વારા અપાયેલા તારણ મુજબ સરકારી વિતરણનું ૨૮% અનાજ એટલે કે ૨૦ મિલિયન ટન ચોખા અને ઘઉં જેની આશરે કિંમત રૂા.૬૯૦૦૦ કરોડનું અનાજ ગરીબો સુધી પહોંચતું જ નથી. આ વાર્ષિક નુકસાન છે. આ ક્યાં જઈ રહ્યું છે? કદાચ તે ખુલ્લા બજારમાં અથવા નિકાસ માટે મોકલવામાં આવી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દોશીએ જણાવ્યું હતું કે, હાઉસ હોલ્ડ કન્ઝમ્પશન એકસપેન્ડીચર સર્વેના ડેટા અને ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દર મહીને જે ડેટા રીલીઝ કરે છે તેના અભ્યાસ પરથી (ઓગષ્ટ ૨૦૨૨થી જુલાઈ ૨૦૨૩ વચ્ચે) એ તારણ અપાયુ છે કે, ૨ કરોડ ટન ઘઉં અને ચોખા લાભાર્થી સુધી પહોંચ્યા જ ન હતા. આ એક મોટું રાષ્ટ્રીય નુકસાન છે અને તે અનાજ જે ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોડાઉનમાંથી નિકળે છે તે કયાં જાય છે ? તે ગંભીર બાબત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, આ એક મોટો આર્થિક ભ્રષ્ટાચાર છે અને તેનાથી સરકારી તિજોરીને મોટું નુકસાન થાય છે. ૨૮% બગાડ કે ખરેખર જરૂરિયાતમંદ સુધી ન પહોંચે તે એક મોટો મુદ્દો છે. સરકાર ટેકાના ઉંચા ભાવે આ અનાજ ખરીદે છે અને જરૂરિયાતમંદ વર્ગને મફત અથવા સાવ નીચા ભાવે તે પૂરું પાડે છે. સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં ડિજિટલ ટેકનોલોજી અપનાવી અને જોબ ઈન્વેસન સહિતના ઉપાયોની જાહેરાતો કર્યા છતાં પણ રૂા.૬૯૦૦૦ કરોડનું અનાજ 'ગરીબો સુધી પહોંચતું નથી. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સમગ્ર દેશમાં ૨૮ ટકા લીકેજ, જાહેર વિતરણ વ્યવસ્થાના અનાજનો બગાડ અટકાવવા જરૂરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, એક તરફ સતત કુપોષણનો ભોગ બની રહેલા બાળકો અને કુપોષિત મહિલાઓ દેશ માટે મોટો પડકાર છે ત્યારે, જાહેર વિતરણ વ્યવસ્થાના છીંડા માટે સરકાર દ્વારા મક્કમતાથી પગલા ભરવામાં આવશે તો જ ભ્રષ્ટાચાર અટકશે અને ગરીબોને તેમના હક્કનું અનાજ મળશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સૌથી વધુ લીકેજ ધરાવતા રાજ્યો અને સૌથી ઓછુ લીકેજ ધરાવતા રાજ્યોની યાદી</span></strong></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">ક્રમ – રાજ્ય - ટકા : ક્રમ - રાજ્ય - ટકા</span></strong><br><span style="font-size: 14pt;">1 અરૂણાચલ પ્રદેશ ૬૩.૧૮ - 1 તેલંગાણા ૦.૩૦</span><br><span style="font-size: 14pt;">2 નાગાલેન્ડ ૬૦.૩૬ - 2 આંધ્રપ્રદેશ ૧.૨૦</span><br><span style="font-size: 14pt;">3 ગુજરાત ૪૩.૦૨ - 3 કર્ણાટક ૬.૧૭</span><br><span style="font-size: 14pt;">4 હિમાચલ પ્રદેશ ૩૬.૨૭ - 4 પશ્ચિમ બંગાળ ૯.૦૦</span><br><span style="font-size: 14pt;">5 ઉત્તરાખંડ ૩૫.૭૨ - 5 જમ્મુ કાશ્મિર ૯.૮૭</span><br><span style="font-size: 14pt;">6 મહારાષ્ટ્ર ૩૫.૬૮ - 6 તામિલનાડુ ૧૫.૮૪</span><br><span style="font-size: 14pt;">7 ઉત્તર પ્રદેશ ૩૩.૧૫ - 7 બિહાર ૧૯.૧૬</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/15.50-lakhs-of-government-food-grains-were-caught-smuggling-in-sutrapada">સૂત્રાપાડામાં 15.50 લાખનું સરકારી અનાજ સગેવગે થતું પકડાયું</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 17 Dec 2024 20:12:38 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1712</Articleid>
                    <excerpt>ગુજરાતની જાહેર વિતરણ વ્યવસ્થામાં મસમોટું ગાબડું હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં ઘઉં-ચોખા સહિત રાશનનું રૂા.૬૯૦૦૦ કરોડનું અનાજ ગરીબો સુધી પહોંચતું જ નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67618d537691b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67618d534446a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67618d534446a.jpg" length="90958" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>government food grains, Gujarat</media:keywords>
                </item>
                        <item>
                    <title>15 દિવસ ચાલતા મેળામાં 2 દિવસમાં 4200 ભેંસોની બલિ ચડાવાઈ</title>
                    <link>https://khabarantar.com/worlds-largest-animal-sacrifice-fair-nepals-gadhimai-mela-2024</link>
                    <guid>https://khabarantar.com/worlds-largest-animal-sacrifice-fair-nepals-gadhimai-mela-2024</guid>
                    <description>
                        <![CDATA[ 5 વર્ષમાં એકવાર મેળો ભરાય છે. 15 દિવસમાં લાખો જાનવરોની બલિ ચડાવી દેવામાં આવે છે. ગિનીસ બુકમાં સૌથી વધુ સામૂહિક બલિ પ્રથા તરીકે આ મેળો કુખ્યાત થઈ ચૂક્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાડોશી દેશ નેપાળ (Nepal) ના બારા જિલ્લામાં ગઢીમાઈ દેવી (Gadhimai Devi) ના સ્થાનકે દર પાંચ વર્ષે એક વાર મેળો ભરાય છે. જેમાં ૨.૫ લાખથી ૫ લાખ પશુઓની બલિ (animals sacrificed) ચઢાવવામાં આવે છે. આ વખતે, સશસ્ત્ર સીમા દળ અને સ્થાનિક વહીવટીતંત્રે પ્રાણીઓને બચાવવા માટે દિવસ-રાત કામ કર્યું હતું. મળતી માહિતી મુજબ ૧૫ દિવસ સુધી ચાલનારા મેળામાં આ વખતે ૮ અને ૯ ડિસેમ્બરના બે દિવસમાં જ ૪૨૦૦ ભેંસોની બલિ ચડાવવામાં આવી હતી. સાથે જ વહીવટી તંત્રની સતર્કતાના કારણે ૭૫૦ જેટલા પશુઓને બચાવી લેવાયા છે, જેમાં ભેંસ, ઘેટાં, બકરા અને અન્ય પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ પ્રાણીઓને જામનગરમાં રિલાયન્સના વાઇલ્ડલાઇફ રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બારા જિલ્લામાં ગઢીમાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ગઢીમાઈ મંદિર ખાતે દર પાંચ વર્ષે આયોજિત મેળાનું ઉદ્‌ઘાટન ૨જી ડિસેમ્બરે નેપાળના ઉપરાષ્ટ્રપતિ રામ સહાય યાદવે કર્યું હતું. આ મેળો ૧૫ ડિસેમ્બર સુધી ચાલ્યો હતો. ૮મી ડિસેમ્બરે એક વિશેષ પૂજા કરવામાં આવી હતી અને તે પછી, જેમની મનોકામના પૂર્ણ થઈ હતી તેવા લોકોએ તેમની માનતા મુજબ પશુ-પક્ષીઓની બલિ ચઢાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લોહીયાળ આ પરંપરા પાછળ શું માન્યતા છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ લોહિયાળ પરંપરા સાથે જોડાયેલી માન્યતા એવી છે કે, ગઢીમાઈ મંદિરના સ્થાપક ભગવાન ચૌધરીને સપનું આવ્યું હતું કે માતા તેમને જેલમાંથી મુક્ત કરવા માટે બલિ માંગી રહી છે. એ પછી પૂજારીએ પ્રાણીનું બલિદાન આપ્યું હતું. ત્યારથી  લોકો આ મંદિરે આવે છે અને માનતા માની, તે પૂર્ણ થતા પ્રાણીઓની બલિ ચઢાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહેવાય છે કે ગઢીમાઈનો આ ઉત્સવ ૨૬૫ વર્ષથી ચાલ્યો આવે છે. નેપાળની સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૯માં અહીં પ્રાણીઓની બલિ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. નિષ્ણાતો કહે છે કે જ્યારે લોકો તેમની મનોકામના પૂર્ણ થાય ત્યારે ગઢીમાઈના મંદિરમાં બલિ ચઢાવે છે. વિશ્વમાં સૌથી વધુ બલિ આ મંદિરમાં અપાય છે. અહીં બલિ આપવા માટે જાનવરોની ખરીદી કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઢીમાઈનો મેળો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી મોટી સામૂહિક બલિ પ્રથા તરીકે નોંધાયેલો છે. અહીં સૌથી પહેલા વારાણસીના ડોમ રાજને ત્યાંથી આવતા 5100 પ્રાણીઓની બલિ ચઢાવવામાં આવે છે. આ મેળો લગભગ ૧૫ દિવસ સુધી ચાલે છે અને તેમાં નેપાળ અને ભારતના ભક્તો ભાગ લે છે. દરરોજ લગભગ પાંચ લાખ ભક્તો આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભારતમાં આ મેળાનો ભારે વિરોધ થઈ રહ્યો છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મેળામાં નેપાળ ઉપરાંત ભૂટાન, બાંગ્લાદેશ અને ભારત સહિતના અનેક દેશોમાંથી કરોડો શ્રદ્ધાળુઓ આવે છે. વિશ્વના ઘણા દેશોમાં બલિ પ્રથા વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવ્યો છે ત્યારે ભારતમાં પણ આ બલિ પ્રથા સામે અવાજ ઉઠવા લાગ્યો છે. ભારતમાં આ મેળાને લઈને પશુઓની તસ્કરી થવા લાગી છે. આ મામલો નેપાળની સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. જો કે વર્ષ ૨૦૧૯માં અહીંની કોર્ટે અહીં પ્રાણીઓની બલિ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ આદેશમાં તેણે કહ્યું હતું કે ગઢીમાઈના મેળા દરમિયાન પશુઓની બલિ ધીરેધીરે ઘટાડવામાં આવે. કોર્ટે કહ્યું હતું કે મામલો ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલો છે, તેથી તેની સાથે જોડાયેલા લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી શકાય નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/indias-meat-production-increased-by-5-percent-to-10.2-million-tonnes"><span style="font-size: 14pt;">ભારતનું માંસ ઉત્પાદન 5% વધીને 1.02 કરોડ ટન સુધી પહોંચી ગયું</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 16 Dec 2024 20:01:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1709</Articleid>
                    <excerpt>5 વર્ષમાં એકવાર મેળો ભરાય છે. 15 દિવસમાં લાખો જાનવરોની બલિ ચડાવી દેવામાં આવે છે. ગિનીસ બુકમાં સૌથી વધુ સામૂહિક બલિ પ્રથા તરીકે આ મેળો કુખ્યાત થઈ ચૂક્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676038cfc14de.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676038cf85a36.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676038cf85a36.jpg" length="118557" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gadhimai Devi, animals sacrificed, Nepal, Mass sacrifice</media:keywords>
                </item>
                        <item>
                    <title>જો કુંભ મેળામાં નાસભાગ થશે તો ભગવાનની ધરપકડ થશે?</title>
                    <link>https://khabarantar.com/if-there-is-a-stampede-at-the-kumbha-mela-will-god-be-arrested</link>
                    <guid>https://khabarantar.com/if-there-is-a-stampede-at-the-kumbha-mela-will-god-be-arrested</guid>
                    <description>
                        <![CDATA[ પોતાના આખા બોલા સ્વભાવને કારણે જાણીતા ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ અલ્લુ અર્જુનની ધરપકડ બાદ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટે હોબાળો મચાવ્યો છે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેલંગાણા પોલીસે 'પુષ્પા ૨' ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાના મૃત્યુના સંબંધમાં શુક્રવારે બપોરે એક્ટર અલ્લુ અર્જુનની તેના ઘરેથી ધરપકડ કરી હતી. એ પછી પોલીસે તેને નીચલી કોર્ટમાં રજૂ કર્યો જ્યાં તેને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો. મોડી સાંજે તેને આ કેસમાં હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા. જો કે, અભિનેતાને મુક્તિ મળી શકી ન હતી અને શુક્રવારની રાત તેણે જેલમાં વિતાવવી પડી હતી. એ પછી અભિનેતા શનિવારે સવારે જેલમાંથી બહાર આવ્યો હતો. જો કે, અલ્લુ અર્જુનની ધરપકડને કારણે ફિલ્મ ઉદ્યોગ બે જૂથોમાં વહેંચાયેલો જોવા મળ્યો હતો. કેટલાકે કાયદાની ન્યાયી કાર્યવાહીની પ્રશંસા કરી જ્યારે અન્ય લોકોએ અલ્લુ અર્જુનની ધરપકડને ખોટી ગણાવી હતી. હવે અલ્લુને ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માનો સપોર્ટ મળ્યો છે. અભિનેતાની તરફેણમાં અવાજ ઉઠાવતા રામુએ અધિકારીઓને ચાર મહત્વના પ્રશ્નો પૂછ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોતાના એક્સ હેન્ડલ પર રામગોપાલ વર્માએ લખ્યું, અલ્લુ અર્જુનની ધરપકડ મામલે મારા અધિકારીઓને ચાર સવાલ છે. એક - કુંભ મેળા કે બ્રહ્મોત્સવ જેવા સ્થળોએ નાસભાગ થાય તો શું દેવતાઓની ધરપકડ કરવામાં આવશે? બીજું- રાજકીય સભાઓ કે રેલીઓમાં નાસભાગને કારણે થતા મૃત્યુના કિસ્સામાં રાજકીય નેતાઓની ધરપકડ કરવામાં આવશે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામ ગોપાલ વર્માએ આગળનો પ્રશ્ન પૂછ્યો - જાહેર ફિલ્મ કાર્યક્રમોમાં નાસભાગ મચી જવાના કિસ્સામાં પોલીસ સિવાય હીરો-હીરોઈનોની ધરપકડ કરવામાં આવશે? અને આયોજકો સિવાય આ નાસભાગને બીજું કોણ નિયંત્રિત કરી શકે?' રામુની અગાઉની પોસ્ટના જવાબમાં આ એક પોસ્ટ હતી જેમાં તેણે નાસભાગના કેસ માટે અલ્લુ અર્જુનને દોષી ઠેરવવાની ટીકા કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે લખ્યું હતું કે, 'પુષ્પા ૨ દર્શાવતા થિયેટરની બહાર નાસભાગમાં એક મહિલાના દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ માટે અલ્લુ અર્જુનને દોષી ઠેરવવો ખરેખર હાસ્યાસ્પદ છે. સેલિબ્રિટીઓ તેમની અપીલથી ભારે ભીડને આકર્ષિત કરે છે, પછી તે ફિલ્મ સ્ટાર્સ, રોક સ્ટાર્સ અને ભગવાન પણ હોય. અને નાસભાગ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે ભારે ભીડ હોય અને નાસભાગની આ પહેલી ઘટના નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામ ગોપાલ વર્મા પહેલા, રવિ કિશન, રશ્મિકા મંદન્ના, નાની, વિવેક ઓબેરોય અને વરુણ ધવન જેવા સ્ટાર્સ પણ પોલીસની આ કાર્યવાહીની ટીકા કરતા અને તેને અન્યાયી ગણાવતા જોવા મળ્યા છે. અલ્લુ અર્જુન જેલમાંથી છૂટ્યો પછી, 'પુષ્પા ૨' ના નિર્દેશક સુકુમાર, વેંકટેશ અને વિજય દેવરાકોંડા તેને મળવા તેના ઘરે પહોંચ્યા હતા. જ્યારે પ્રભાસે અભિનેતા સાથે ફોન પર પણ વાત કરી અને તેની ખબર પૂછી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/there-was-a-lot-of-bickering-and-arguing-between-saints-and-mahants-at-the-mahakumbh-meeting-in-prayagraj">પ્રયાગરાજમાં મહાકુંભની બેઠકમાં સંતો-મહંતો વચ્ચે ઢીંકાપાટુ-લાફાવાળી થઈ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 15 Dec 2024 20:53:53 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1705</Articleid>
                    <excerpt>પોતાના આખા બોલા સ્વભાવને કારણે જાણીતા ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ અલ્લુ અર્જુનની ધરપકડ બાદ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટે હોબાળો મચાવ્યો છે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675ef4279ca63.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675ef427648c6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675ef427648c6.jpg" length="68369" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ram Gopal Varma  Social Media Post, Allu Arjun, Pushpa 2</media:keywords>
                </item>
                        <item>
                    <title>કોંગ્રેસે ડો.આંબેડકરને ભારતરત્ન નહોતો આપ્યો : માયાવતી</title>
                    <link>https://khabarantar.com/congress-did-not-give-bharat-ratna-to-dr-ambedkar-mayavati</link>
                    <guid>https://khabarantar.com/congress-did-not-give-bharat-ratna-to-dr-ambedkar-mayavati</guid>
                    <description>
                        <![CDATA[ બીએસપી સુપ્રીમોએ બંધારણના 75 વર્ષે સંસદમાં થઈ રહેલી ચર્ચા મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને સપા સહિતના પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતીએ બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર સંસદમાં ચાલી રહેલી ચર્ચા પર ભાજપ, કોંગ્રેસ અને સપાને ફટકાર લગાવી હતી. તેમણે કહ્યું કે જ્યારે બાબા સાહેબે રાજીનામું આપી દીધું હતું અને લોકસભામાં તેમના વિચારો રજૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે કોંગ્રેસે તેમને બોલવા દીધા ન હતા. એ પછી તેમણે મીડિયા સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. માયાવતીએ કહ્યું કે, કોગ્રેસની સરકાર હતી ત્યારે ડો.આંબેડકર દરેક બાબતમાં લાયક હોવા છતાં કોંગ્રેસે તેમને ભારત રત્ન નહોતો આપ્યો. માન્યવર કાંશીરામના નિધન દરમિયાન કોંગ્રેસ સરકારે એક દિવસનો પણ રાષ્ટ્રીય શોક જાહેર નહોતો કર્યો. માયાવતીએ આ દરમિયાન ત્રણ મુખ્ય વાતો કહી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">'સપા-કોંગ્રેસના કારણે અનામત બિલ પાસ ન થઈ શક્યું'</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીએસપી સુપ્રીમો માયાવતીએ કહ્યું કે બંધારણ પર સંસદમાં ચાલી રહેલી ચર્ચામાં એસસી-એસટી, ઓબીસી સમાજના લોકો અને ખાસ કરીને અનામત વિશે જે કહેવામાં આવી રહ્યું છે તેમાં એક અંશ પણ સત્ય નથી. એ વખતે કોંગ્રેસની જ સરકાર હતી, જ્યારે સમાજવાદી પાર્ટીએ પ્રમોશનમાં અનામત બિલને ફાડીને સંસદમાં ફેંકી દીધું હતું અને તેનો ભારે વિરોધ કર્યો હતો અને બસપાએ આ બિલને પાસ કરાવવા માટે અથાગ મહેનત કરી હતી. જો કે, આ પક્ષોના કારણે આ બિલ હજુ સુધી પસાર થઈ શક્યું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">'80 કરોડ લોકો રસ્તા પર રહેવા મજબૂર'</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયાવતીએ કહ્યું કે, જો સત્તામાં રહેલા પક્ષોએ બંધારણના નિયમોનું પાલન કરવામાં ઈમાનદારી અને દેશભક્તિ બતાવી હોત તો આજે દેશની આ હાલત ન હોત. આજે દેશમાં 80 કરોડ લોકોને બેરોજગારીને કારણે અનાજ અને આજીવિકાની શોધમાં રસ્તાઓ પર રહેવું પડે છે. હાલમાં દેશમાં વિદ્યાર્થીઓ, યુવાનો, ખેડૂતો, મજૂરો અને મહિલાઓ પોતાની સમસ્યાઓથી ચિંતિત છે. જો શાસક પક્ષોએ બંધારણનું યોગ્ય રીતે પાલન કર્યું હોત અને રોજગાર પર કામ કર્યું હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">'દેશ ચલાવનારા લોકોએ બંધારણને નિષ્ફળ ગયા'</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ-ભાજપનું નામ લીધા વિના માયાવતીએ કહ્યું કે બંધારણ નિષ્ફળ ગયું નથી, પરંતુ દેશમાં સરકાર ચલાવી રહેલા લોકો અને પક્ષોએ બંધારણને નિષ્ફળ બનાવવાનું કામ કર્યું છે. માયાવતીએ કહ્યું કે જ્યારે સંસદમાં બંધારણ પર ચર્ચા થઈ રહી હતી, ત્યારે ખાસ કરીને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સમાન પ્રકારના આક્ષેપો થઈ રહ્યા હતા. બંને પક્ષો અમારા કરતાં તમે વધુ દોષી છો એમ સાબિત કરવામાં વ્યસ્ત રહી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનામત પર માયાવતીએ કહ્યું કે બંને પાર્ટીઓ મળીને કોર્ટની આડમાં અનામત પર હુમલો કરી રહ્યાં છે. બીએસપી વડાએ આરોપ લગાવ્યો કે સત્તાપક્ષ અને વિપક્ષે પોત પોતાના અંગત સ્વાર્થ માટે બંધારણનું રાજનીતિકરણ કર્યું છે. સંસદમાં થયેલી ચર્ચા જોયા બાદ આવું જ જણાય છે. બસપાના વડાએ કહ્યું કે જો સત્તામાં રહેલી કોઈપણ પાર્ટી કોઈ ચોક્કસ સંસ્થાને લાભ આપવા માટે બંધારણમાં સુધારો કરે છે તો તેમની પાર્ટી તેનું સમર્થન કરશે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/Messiah-of-OBC-community-Karpuri-Thakur-to-get-Bharat-Ratna,-announcement-on-eve-of-birth-centenary"><strong>ઓબીસી સમાજના મસીહા કર્પૂરી ઠાકુરને મળશે ભારતરત્ન, જન્મ શતાબ્દીની પૂર્વસંધ્યાએ જાહેરાત</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 15 Dec 2024 20:11:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1704</Articleid>
                    <excerpt>બીએસપી સુપ્રીમોએ બંધારણના 75 વર્ષે સંસદમાં થઈ રહેલી ચર્ચા મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને સપા સહિતના પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675ee9b0d2064.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675ee9b0a3610.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675ee9b0a3610.jpg" length="70822" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bharat Ratna, Bharat Ratna to Dr. Ambedkar</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજ્યની ડિગ્રી ઈજનેરી કોલેજોના 4000 અધ્યાપકો મળવાપાત્ર લાભથી વંચિત</title>
                    <link>https://khabarantar.com/state-degree-engineering-colleges-4000-Professors-deprived-of-benefits</link>
                    <guid>https://khabarantar.com/state-degree-engineering-colleges-4000-Professors-deprived-of-benefits</guid>
                    <description>
                        <![CDATA[ ટેકનિકલ શિક્ષણ વિભાગનો વહીવટ રેઢિયાળ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. એક અધ્યાપક પર વિશેષ પ્રેમથી ઓફલાઇન લાભ અપાયાનો આક્ષેપ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યની સરકારી ઇજનેરી તેમજ પોલિટેકનિક કોલેજોના ૪૦૦૦ અધ્યાપકોના કિસ્સામાં પણ ઓફલાઈન ચકાસણી પ્રક્રિયા ઝડપથી કરીને સમય મર્યાદામાં ગ્રેડ-પે નો  લાભ આપવાની માંગ ગુજરાત કોંગ્રેસે કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ટેકનિકલ શિક્ષણની કચેરી દ્વારા ડીપ્લોમા કોલેજના એક જ અધ્યાપકના સ્પેશિયલ કેસમાં માત્ર એક જ મહિનાના સમય ગાળામાં કેસની ત્રણ ગ્રેડની પ્રક્રિયા ઓફલાઈન પૂર્ણ કરી આદેશ કરાયેલ છે. જેમાં ગ્રેડ પે 8000 થી 9000 મંજૂરીની તારીખ 1 જાન્યુઆરી 2016 પછી હોવા છતાં કોજન્ટ પોર્ટલ ઉપર પ્રકિયા કર્યા વગર ઓફ લાઈન ચકાસણી કરી 29 નવેમ્બરેના રોજ મંજૂરીનો આદેશ કરાયો છે. બીજી બાજુ રાજ્યની ૧૬ ડીગ્રી અને ૩૧ ડીપ્લોમા સરકારી ઈજનેરી કોલેજના 4 હજાર અધ્યાપકોને મળવાપાત્ર લાભથી વંચિત રહે તે રીતે ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા આશરે 4000 અધ્યાપકોને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ(કેસ) માટે પોર્ટલની ઓનલાઈન ચકાસણીની પ્રક્રિયા માટે ફરજીયાત પરિપત્ર કરાયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એઆઇસીટીઇના તા. 1 માર્ચ 2019ના પરિપત્રના પાંચ વર્ષ બાદ 1 માર્ચ 2024ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા કેસ અંગે પરિપત્ર કરાયો હતો. વર્ષોની રજૂઆત બાદ પરિપત્ર થતા સરકારી ડિગ્રી અને ડિપ્લોમા કોલેજોના અધ્યાપકો તેમના 7-8 વર્ષોથી લંબિત કેસ ટૂંક સમયમાં મળી જશે તેવી આશા જન્મી હતી. આ અંતર્ગત અરજીઓ મંગાવી ઓફલાઈન ચકાસણી કરી સત્વરે આદેશ થાય એવી વ્યવસ્થા ઉભી કરવાની બદ્લે  ઓનલાઇન ચકાસણી કરવા અંગે કમિશનર ઓફ ટેકનિકલ શિક્ષણ દ્વારા નિર્ણય કરાયો હતો. 30 જુલાઈ 2024ના પરિપત્ર દ્વારા તમામ અધ્યાપકોને કેસની અરજી ફરજિયાત કોજન્ટ પોર્ટલ ઉપર કરવા માટે સૂચના આપી હતી. પરંતુ કોજન્ટ પોર્ટલ યોગ્ય રીતે થયેલ ન હોવાના કારણે ટેકનિકલ ક્ષતિઓને લીધે પોર્ટલ પર અરજી કરવામાં મોટાભાગના અધ્યાપકોએ વ્યાપક હેરાનગતિ ભોગવી હતી તેમ કોંગ્રેસ પ્રવકતાએ જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ પ્રવકતાએ જણાવ્યું હતું કે, ટેકનિકલ શિક્ષણ કચેરી દ્વારા અધ્યાપકોને કોજન્ટ પોર્ટલ પર કેસ માટે ઓનલાઈન અરજી કરવા માટે ૨૦ ઓગસ્ટ 2024ની સમયમર્યાદા આપી હતી. પરંતુ ટેકનિકલ ક્ષતિઓને લીધે ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા અરજી કરવા માટેની છેલ્લી તારીખ બે વખત લંબાવી અનુક્રમે 5 સપ્ટેમ્બર કરવાની ફરજ પડી હતી. તેમાં પણ આજદિન સુધી કોજન્ટ પોર્ટલના 5 તબક્કામાંથી માત્ર બે તબક્કાની ચકાસણી પૂર્ણ થઇ છે, બાકીના 3 તબક્કાની પરિપત્રના ૬ મહિના થયા છતાં અમલીકરણ થયું નથી. જે રાજ્યના 4000 જેટલા અધ્યાપકો માટે ખૂબ જ નિરાશાજનક બાબત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટેકનિકલ શિક્ષણ વિભાગનું કોજન્ટ પોર્ટલ જે ગતિથી ચાલી રહ્યું છે તે જોતા હજુ આગામી તા. ૩૧/૦૩/૨૦૨૫ સુધીમાં અધ્યાપકોની ગ્રેડ-પે ૬૦૦૦ થી ૭૦૦૦ તેમજ ગ્રેડ-પે ૭૦૦૦ થી ૮૦૦૦ એમ બે ઇવેન્ટ તો દૂર રહી, પરંતુ પ્રથમ ઇવેન્ટ પણ પૂરી થઇને જરૂરી આદેશ થશે કે કેમ એ પણ અનિશ્ચિત જણાય છે. આ રીતે ટેકનિકલ ક્ષતિઓ તેમજ સંવેદનશીલતાના અભાવે સરકારે કેસ જાહેર કર્યાને અંદાજે ૧૦ મહિના થયા છતાં હક/ન્યાય/લાભથી વંચિત 4000 જેટલા અધ્યાપકોને નાણાકીય તેમજ તેમની કારકિર્દીને ભારે નુકસાન થઇ રહ્યું છે. તો આ અંગે સરકાર દ્વારા તાકીદે ઘટતી કાર્યવાહી ઝડપભેર થાય તેવી માંગણી પણ કોંગ્રેસ પ્રવક્તાએ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/engineering-professor-working-as-a-delivery-boy-in-telangana">એન્જિનિયરિંગના પ્રોફેસરો ડિલિવરી બોયનું કામ કરી રહ્યા છે...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 13 Dec 2024 20:58:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1699</Articleid>
                    <excerpt>ટેકનિકલ શિક્ષણ વિભાગનો વહીવટ રેઢિયાળ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. એક અધ્યાપક પર વિશેષ પ્રેમથી ઓફલાઇન લાભ અપાયાનો આક્ષેપ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675c50e8a96f7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675c50e86a19d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675c50e86a19d.jpg" length="84957" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>state degree engineering colleges</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;એક દેશ એક ચૂંટણી&amp;apos; પ્રાદેશિક અવાજને ખતમ કરી દેવાનું કાવતરું છે : સ્ટાલિન</title>
                    <link>https://khabarantar.com/tamil-nadu-chief-minister-and-dmk-chief-mk-stalin-said-on-one-nation-one-election</link>
                    <guid>https://khabarantar.com/tamil-nadu-chief-minister-and-dmk-chief-mk-stalin-said-on-one-nation-one-election</guid>
                    <description>
                        <![CDATA[ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ભાજપના એક દેશ, એક ચૂંટણીના એજન્ડા સામે અવાજ ઉઠાવવાની અપીલ કરી છે. તેમણે આ મામલે બીજા પણ અનેક ભયસ્થાનો રજૂ કર્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમિલનાડુ (Tamil nadu) ના મુખ્ય પ્રધાન (Chief Minister) અને ડીએમકે (DMK) ના વડા (Chief) એમકે સ્ટાલિને (MK Stalin) કેન્દ્રીય કેબિનેટ દ્વારા વન નેશન, વન ઇલેક્શન (One Nation One Election) પર પસાર કરાયેલા ઠરાવ સામે વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે આ પગલું પ્રાદેશિક અવાજોને ખતમ કરી નાખશે અને સંઘવાદનો અંત લાવશે. મુખ્યમંત્રી સ્ટાલિને લોકોને આની સામે અવાજ ઉઠાવવાની અપીલ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું, "કેન્દ્રીય કેબિનેટે સંસદમાં કઠોર 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી બિલ' રજૂ કરવાની મંજૂરી આપી છે. આ અવ્યવહારુ અને લોકશાહી વિરોધી પગલું છે, જે પ્રાદેશિક અવાજોને અને સંઘવાદને ખતમ કરી તંત્રને ખોરવી નાખશે. જાગો ભારત! ચાલો ભારતીય લોકશાહી પરના આ હુમલાનો આપણી પૂરી તાકાતથી વિરોધ કરીએ!”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પહેલા મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે (INC) પણ કેન્દ્ર સરકારના આ પગલા પર સવાલ ઉઠાવ્યા હતા. કેન્દ્રીય કેબિનેટે 'એક દેશ, એક ચૂંટણી' વ્યવસ્થાને લાગુ કરવા માટેના બિલને મંજૂરી આપ્યા પછી, કોંગ્રેસે ગુરુવારે આરોપ લગાવ્યો કે સરકાર ચૂંટણી પર ઉઠાવવામાં આવતા પ્રશ્નો પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' લાગુ કરવા માટેના બિલને મંજૂરી આપી દીધી છે અને વર્તમાન શિયાળુ સત્રમાં ડ્રાફ્ટ કાયદો સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે (Jairam Ramesh) પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિને લખેલા પત્રને ટાંકીને કહ્યું કે પાર્ટીના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. ખડગેએ આ વર્ષે 17 જાન્યુઆરીએ સમિતિને પત્ર લખીને 'એક દેશ, એક ચૂંટણી'ના વિચારનો સખત વિરોધ કર્યો હતો. લોકસભામાં કોંગ્રેસના ઉપનેતા ગૌરવ ગોગોઈ (Gaurav Gogoi) એ ગુરુવારે કહ્યું હતું કે, આ પહેલા પણ તેમની પાર્ટીએ ચૂંટણી, ચૂંટણી પદ્ધતિ અને ચૂંટણીની અખંડિતતા સાથે જોડાયેલા ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોગોઈએ કહ્યું, “હવે આ બિલ આવવા દો, ચાલો જોઈએ કે તેઓ શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ અમે અગાઉ પણ કહ્યું છે કે આ બિલના માધ્યમથી આપણા દેશના સંઘીય ચરિત્ર પર પ્રભાવને લઈને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે અનેક ચિંતાઓ છે. તેમણે કહ્યું કે, "વડાપ્રધાન મોદી તેમની વાત નથી પાળી રહ્યા તેઓ 'એક દેશ, એક ચૂંટણી'ની વાત કરે છે, પરંતુ જ્યારે તે તેમને અનુકૂળ આવે છે ત્યારે તેઓ હરિયાણા અને મહારાષ્ટ્ર માટે અલગ ચૂંટણીઓ કરાવે છે. તેઓ ગુજરાતની ચૂંટણી અલગથી કરાવે છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોગોઈએ કહ્યું કે, “ભારતના લોકો ખૂબ જ સમજદાર છે અને સમજે છે કે આખી ચૂંટણી પ્રક્રિયાના સંબંધમાં ચૂંટણી કમિશનરોની ભૂમિકા અને તેમની નિમણૂક જેવા ઘણા મોટા પ્રશ્નો ઉઠાવવાની જરૂર છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ સાંસદે કહ્યું, "મને લાગે છે કે તેઓ માત્ર એ સવાલોથી ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે જે આપણી લોકશાહી પદ્ધતિની ચૂંટણીની શુચિતાના સંબંધમાં લોકોના મનમાં ઉઠી રહ્યાં છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/scheduled-caste-federation-will-contest-amc-elections-will-field-candidates-in-all-wards">શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશન AMC ની ચૂંટણી લડશે, તમામ વોર્ડમાં ઉમેદવાર ઉભા રાખશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 13 Dec 2024 19:16:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1698</Articleid>
                    <excerpt>તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ભાજપના એક દેશ, એક ચૂંટણીના એજન્ડા સામે અવાજ ઉઠાવવાની અપીલ કરી છે. તેમણે આ મામલે બીજા પણ અનેક ભયસ્થાનો રજૂ કર્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675c3a6c763da.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675c3a6c3d381.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675c3a6c3d381.jpg" length="59477" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dmk chief mk stalin, tamil nadu chief minister, one nation one election</media:keywords>
                </item>
                        <item>
                    <title>મસ્જિદો નીચે મંદિરના દાવાઓના નવા કેસ હવે દાખલ નહીં કરી શકાય</title>
                    <link>https://khabarantar.com/places-of-worship-act-1991-new-cases-of-temple-cannot-be-filed-under-mosques</link>
                    <guid>https://khabarantar.com/places-of-worship-act-1991-new-cases-of-temple-cannot-be-filed-under-mosques</guid>
                    <description>
                        <![CDATA[ સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને આ કાયદાની કેટલીક જોગવાઈઓને પડકારતી અરજીઓ પર સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સર્વોચ્ચ અદાલતે (SC), પૂજા સ્થળ અધિનિયમ, 1991 વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કરતી વખતે નિર્દેશ આપ્યો છે કે જ્યાં સુધી આ અરજીઓનો નિકાલ ન થાય ત્યાં સુધી દેશમાં આ કાયદા હેઠળ કોઈ નવા કેસ નોંધવામાં આવશે નહીં. આનો અર્થ એ થયો કે હવે મસ્જિદો નીચે મંદિરો હોવાના દાવાઓ સાથેના નવા કેસ દાખલ કરવામાં આવશે નહીં. આ કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ કાયદાની કેટલીક જોગવાઈઓને પડકારતી અરજીઓ પર સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્રને ચાર અઠવાડિયામાં અરજીઓ પર જવાબ દાખલ કરવા જણાવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્ર દ્વારા અરજીઓ પર જવાબ દાખલ કરવામાં આવ્યા બાદ કોર્ટે સંબંધિત પક્ષકારોને રિજાઇન્ડર દાખલ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે. અદાલતે કાર્યવાહીમાં હસ્તક્ષેપની માંગ કરતી મુસ્લિમ સંસ્થાઓ સહિત વિવિધ પક્ષકારોની અરજીઓને પણ સ્વીકારી છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે આગળના આદેશો સુધી કોઈ પણ કોર્ટમાં સર્વેક્ષણ માટે કોઈ નવો દાવો દાખલ કરવામાં આવશે નહીં અથવા નોંધવામાં આવશે નહીં. વધુમાં, અદાલતો આગળના આદેશો સુધી પડતર કેસોમાં કોઈ અસરકારક વચગાળાનો અથવા અંતિમ આદેશ પસાર કરશે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું છે મામલો? </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સર્વોચ્ચ અદાલતે ગુરુવારે પૂજા સ્થાન અધિનિયમ, 1991 ની કેટલીક જોગવાઈઓની માન્યતાને પડકારતી પીઆઈએલ પર સુનાવણી શરૂ કરી છે. સંબંધિત કાયદો જણાવે છે કે 15 ઓગસ્ટ, 1947 ના રોજ અસ્તિત્વમાં રહેલા પૂજા સ્થાનોની ધાર્મિક પ્રકૃતિ તે દિવસે હતી તેવી જ રહેશે. તે ધાર્મિક સ્થળ પર ફરીથી દાવો કરવા અથવા તેના પાત્રને બદલવા માટે દાવો દાખલ કરવા પર પ્રતિબંધ મૂકે છે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ આ કેસની સુનાવણી કરે તેવી શક્યતા છે. ચીફ જસ્ટિસે કહ્યું કે આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. જ્યાં સુધી અમે કેસની સુનાવણી અને નિકાલ ન કરીએ ત્યાં સુધી કોઈ વધુ કેસ દાખલ કરી શકાશે નહીં. અમારી પાસે રામજન્મભૂમિનો મામલો પણ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સંબંધમાં સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ પેન્ડિંગ છે, જેમાંથી એક અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવી છે. ઉપાધ્યાયે પૂજાના સ્થળો (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ, 1991ની કલમ બે, ત્રણ અને ચારને રદ કરવાની વિનંતી કરી છે. અરજીમાં કરાયેલી દલીલો પૈકીની એક એવી છે કે આ જોગવાઈઓ કોઈ વ્યક્તિ અથવા ધાર્મિક જૂથના પૂજા સ્થળ પર ફરીથી દાવો કરવા માટે ન્યાયિક નિવારણ મેળવવાના અધિકારને છીનવી લે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી અને મહારાષ્ટ્રના વિધાનસભ્ય જિતેન્દ્ર સતીશ આવ્હાડે પણ પ્લેસ ઓફ વર્શીપ (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ, 1991ની બંધારણીય માન્યતાને પડકારતી અનેક પડતર અરજીઓ સામે અરજીઓ દાખલ કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કાયદો જાહેર વ્યવસ્થા, બંધુત્વ, એકતા અને બિનસાંપ્રદાયિકતાના રક્ષણ માટે ખતરો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસની સુનાવણી વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ, મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદ અને સંભલમાં શાહી જામા મસ્જિદ સહિત વિવિધ અદાલતોમાં દાખલ કરાયેલા અનેક મુકદ્દમાઓની પૃષ્ઠભૂમિમાં થશે. આ કિસ્સાઓમાં, એવો દાવો કરવામાં આવ્યો છે કે આ સ્થળો પ્રાચીન મંદિરોના વિનાશ પછી બનાવવામાં આવ્યા હતા અને હિન્દુઓને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપવા વિનંતી કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમાંના મોટાભાગના કેસોમાં, મુસ્લિમ પક્ષે 1991ના કાયદાને ટાંકીને દલીલ કરી છે કે આવા કેસ સ્વીકાર્ય નથી. આ કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરાયેલી એક અરજી સહિત છ અરજીઓ દાખલ કરવામાં આવી છે. સ્વામી ઇચ્છે છે કે સુપ્રીમ કોર્ટ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદ પર દાવો કરી શકે તે માટે કેટલીક જોગવાઈઓનું ફરીથી અર્થઘટન કરે, ઉપાધ્યાયે દાવો કર્યો કે આખો કાયદો ગેરબંધારણીય છે અને તેના પર પુનર્વિચાર કરવો પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/there-was-no-ram-temple-under-babri-masjid-the-verdict-against-secularism">બાબરી મસ્જિદ નીચે રામમંદિર નહોતું, ચૂકાદો સેક્યુલરિઝમની વિરુદ્દ હતો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 12 Dec 2024 20:08:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1693</Articleid>
                    <excerpt>સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને આ કાયદાની કેટલીક જોગવાઈઓને પડકારતી અરજીઓ પર સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675af383a5b4f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675af3836a9cf.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675af3836a9cf.jpg" length="57298" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Places of Worship Act, 1991, suprem court, temple disput mosques</media:keywords>
                </item>
                        <item>
                    <title>વિવાદાસ્પદ જજ શેખર કુમાર યાદવ સામે વિપક્ષ મહાભિયોગ લાવશે?</title>
                    <link>https://khabarantar.com/india-alliance-to-bring-impeachment-against-allahabad-high-court-judge-shekhar-kumar-yadav-gujarati</link>
                    <guid>https://khabarantar.com/india-alliance-to-bring-impeachment-against-allahabad-high-court-judge-shekhar-kumar-yadav-gujarati</guid>
                    <description>
                        <![CDATA[ વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમમાં જઈને વિવાદાસ્પદ નિવેદનો કરનાર અલાહાબાદ હાઈકોર્ટના જજ શેખર કુમાર યાદવ હવે બરાબરના ભેરવાયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Opposition to bring impeachment against Judge Shekhar Kumar Yadav: ઈન્ડિયા એલાયન્સે (India Alliance) અલ્હાબાદ હાઈકોર્ટ (Allahabad High Court) ના જજ શેખર કુમાર યાદવ (Judge Shekhar Kumar Yadav) વિરુદ્ધ મહાભિયોગ (impeachment) પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી લીધી છે. આ માટે એક પિટિશન તૈયાર કરવામાં આવી છે અને ઘણા સાંસદોએ તેના પર હસ્તાક્ષર પણ કર્યા છે. જસ્ટિસ શેખર કુમાર યાદવે VHPના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને વિવાદાસ્પદ ભાષણ આપ્યું હતું. અલ્હાબાદ હાઈકોર્ટ સંકુલમાં VHPના લીગલ સેલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જસ્ટિસ શેખર કુમાર યાદવે એમ કહીને વિવાદ સર્જ્યો હતો કે, "આ ભારત છે અને દેશ બહુમતીની ઈચ્છા પ્રમાણે ચાલશે. ન્યાયાધીશે મુસ્લિમ સમુદાય વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા અને કહ્યું હતું કે બહુમતીનું કલ્યાણ અને સુખ અન્યની ઈચ્છાથી ઉપર છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ન્યાયાધીશે વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુસ્લિમો વિરુદ્ધ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા 'કઠમુલ્લા' શબ્દનો ઉપયોગ કરવા સહિત અનેક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. ઉગ્રવાદીઓને 'કઠમુલ્લા' ગણાવતા તેમણે કહ્યું કે દેશે તેમનાથી સતર્ક રહેવું જોઈએ. તેમણે કહ્યું, 'પણ આ જે કઠમુલ્લાઓ છે... આ સાચો શબ્દ નથી... પરંતુ કહેવામાં કોઈ સંકોચ નથી કારણ કે તે દેશ માટે ખરાબ છે... તે દેશ માટે ખતરનાક છે, તે દેશની વિરુદ્ધ છે. આ એવા લોકો છે જે જનતાને ઉશ્કેરે છે... દેશ આગળ ન વધી શકે તે પ્રકારના લોકો છે...તેમનાથી સાવધાન રહેવાની જરૂર છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-junior-judges-sitting-in-the-lower-courts-want-to-set-the-country-on-fire">સપા નેતાએ કહ્યું - નીચલી કોર્ટમાં બેઠેલાં નાના જજો દેશમાં આગ લગાડવા માંગે છે...</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યસભામાં ઈન્ડિયા એલાયન્સની પાર્ટીઓએ અલ્હાબાદ હાઈકોર્ટના આ જજ શેખર કુમાર યાદવ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે નોટિસ આપવાની તૈયારી કરી રહી છે.</span><br><span style="font-size: 14pt;">ઈન્ડિયન એક્સપ્રેસે સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે વિવિધ પક્ષોના 36 વિપક્ષી સાંસદોએ અરજી પર હસ્તાક્ષર કરી દીધા છે. આ અરજી રાજ્યસભાના સ્વતંત્ર સાંસદ અને વકીલ કપિલ સિબ્બલે શરૂ કરી છે. હજુ વધુ સહીઓ કરાવીને વિપક્ષ તેને આગળ લઈ જઈ શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈન્ડિયા એલાયન્સના રાજ્યસભામાં 85 સાંસદો છે. રિપોર્ટ અનુસાર, જે લોકોએ પહેલાથી જ તેના પર હસ્તાક્ષર કરી દીધા છે તેમાં કોંગ્રેસના દિગ્વિજય સિંહ, જયરામ રમેશ અને વિવેક તન્ખા, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, તૃણમૂલ કોંગ્રેસના સાકેત ગોખલે અને સાગરિકા ઘોષ, આરજેડીના મનોજ કુમાર ઝા, સમાજવાદી પાર્ટીના જાવેદ અલી ખાન, સીપીઆઈએમના જ્હોન બ્રિટાસ અને CPI ના સંદોષ કુમારનો સમાવેશ થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નોટિસમાં જસ્ટિસ યાદવ સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. ન્યાયાધીશ તપાસ અધિનિયમ, 1968 મુજબ, જો કોઈ ન્યાયાધીશ વિરુદ્ધ લોકસભામાં ફરિયાદ કરવામાં આવે છે, તો તેમાં ઓછામાં ઓછા 100 સભ્યોની સહી હોવી જોઈએ, અને જો રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે તો ઓછામાં ઓછા 50 સાંસદો દ્વારા તે પ્રસ્તાવ પર સહી કરવામાં આવી જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/allahabad-high-court-judge-shekhar-kumar-yadav-reaches-vhp-event">VHPના કાર્યક્રમમાં પહોંચ્યા હાઈકોર્ટના સિટિંગ જજ, રામ મંદિરની પ્રશંસા કરી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાંસદો દ્વારા દરખાસ્ત રજૂ કર્યા પછી ગૃહના પ્રમુખ અધિકારી તેને સ્વીકારી અથવા નામંજૂર કરી શકે છે. જો સ્વીકારવામાં આવે, તો ફરિયાદની તપાસ કરવા અને મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરવા માટે તે યોગ્ય કેસ છે કે કેમ તે નક્કી કરવા માટે બે ન્યાયાધીશો અને એક ન્યાયશાસ્ત્રીની બનેલી ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;">આ સમિતિમાં સુપ્રીમ કોર્ટના જજ અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસનો સમાવેશ થાય છે. જો ફરિયાદ હાઈકોર્ટના ન્યાયાધીશ વિરુદ્ધ હોય, અથવા જો ફરિયાદ સુપ્રીમ કોર્ટના વર્તમાન ન્યાયાધીશ વિરુદ્ધ હોય, તો સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશો તેમાં હોય છે. બંધારણની કલમ 124 (4) જણાવે છે કે મહાભિયોગ માટેની દરખાસ્તને સંબંધિત ગૃહના કુલ સભ્યપદના બહુમતી દ્વારા અને ગૃહમાં હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોના બે તૃતીયાંશ કરતા ઓછા ન હોય તેવા બહુમતી દ્વારા સમર્થન હોવું જોઈએ. બંને ગૃહોમાં એનડીએની બહુમતી જોતાં, લોકસભા કે </span><span style="font-size: 14pt;">રાજ્યસભામાં મહાભિયોગ પ્રસ્તાવ પસાર થવાની શક્યતા નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અત્યાર સુધીમાં, હાઈકોર્ટના ન્યાયાધીશો પર મહાભિયોગ કરવાના ચાર પ્રયાસો થયા છે અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને દૂર કરવાના બે પ્રયાસો થયા છે, જેમાંથી છેલ્લો પ્રયાસ 2018માં ભારતના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. આમાંથી કોઈપણ પ્રસ્તાવ આખી પ્રક્રિયામાં પસાર નહોતો થઈ શક્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/supreme-court-will-take-action-against-allahabad-high-court-justice-shekhar-kumar-yadav-for-making-controversial-statement">'દેશ બહુમતીના હિસાબે ચાલશે' કહેનાર જજ સામે સુપ્રીમ કોર્ટ કાર્યવાહી કરશે</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 12 Dec 2024 14:34:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1691</Articleid>
                    <excerpt>વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમમાં જઈને વિવાદાસ્પદ નિવેદનો કરનાર અલાહાબાદ હાઈકોર્ટના જજ શેખર કુમાર યાદવ હવે બરાબરના ભેરવાયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675aa6d96543d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675aa6d930381.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675aa6d930381.jpg" length="80636" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Judge Shekhar Kumar Yadav, Allahabad High Court, Opposition, bring impeachment, VHP legal Cell Programme</media:keywords>
                </item>
                        <item>
                    <title>સતાધારની આપા ગીગા જગ્યાના મહંતે પ્રેમલગ્ન કરી લીધાં? ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા</title>
                    <link>https://khabarantar.com/mahant-vijay-bapu-of-satadhars-aapagiga-mandir-accused-of-adultery-and-corruption-by-his-brother-nitin-chavda</link>
                    <guid>https://khabarantar.com/mahant-vijay-bapu-of-satadhars-aapagiga-mandir-accused-of-adultery-and-corruption-by-his-brother-nitin-chavda</guid>
                    <description>
                        <![CDATA[ આરોપ મૂકનાર મહંતના સગા મોટાભાઈ છે. તેમણે વિજય બાપુના પરસ્ત્રી સાથેના સંબંધો અને કરોડોના ખોટા વહીવટના આક્ષેપો કર્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Satadhar Aapagiga Mahant controversy: જૂનાગઢના અંબાજી, ભવનાથ મંદિરની ગાદી અને ભ્રષ્ટાચારનો વિવાદ શમ્યો નથી ત્યાં હવે વધુ એક કરોડપતિ મંદિરના મહંત પર વ્યભિચાર અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગ્યા છે. આ વખતે મામલો આપા ગીગાની જગ્યા સતાધારનો છે અને તેના મહંત પર તેમના જ સગાભાઈએ વ્યભિચાર અને કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. તેમણે મહંતે એક મહિલા સાથે ખાનગીમાં લગ્ન કરી લીધા હોવાનો અને તેની સાથે ઘણાં વર્ષોથી સંબંધ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ મામલે મહંતના ભાઈએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી જગ્યાનો વહીવટ સરકાર હસ્તક લઈ લેવા અને વહીવટદાર નિમવા વિનંતી કરી છે. સાથે જ તેમણે આ મામલે યોગ્ય તપાસ થાય તેવી પણ વિનંતી કરી છે. સતાધારની જગ્યા લાખો લોકોની આસ્થાનું પ્રતિક છે ત્યારે આ જગ્યાના મહંત પર તેમના સગાભાઈએ ગંભીર આક્ષેપ કરતા માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાં ચર્ચા જાગી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">જૂનાગઢની સતાધારની જગ્યાના મહંત વિજય બાપુના સગાભાઈ નીતિન ચાવડાએ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે જગ્યાના મહંત દ્વારા ગેરકાયદેસર કરોડોના વ્યવહારો થાય છે અને સતાધારમાં જ રહેતી મહિલા ગીતા વ્યાસ અને જગ્યાના મહંત વિજય બાપુ વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંનેએ લગ્ન કરી લીધા છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આક્ષેપો કોઈ અન્ય વ્યક્તિને નહીં પરંતુ સતાધારના મહંત વિજયબાપુના ભાઈ નીતિનભાઈ ચાવડાએ કર્યા છે. તેમણે મીડિયાને જણાવ્યું છે કે, સતાધારના મહંત વિજય બાપુ કરોડોના ખોટા વ્યવહારો કરે છે અને તેઓ વ્યભિચારી છે. તેમની કથિત પ્રેમિકાના કારણે તેઓ જગ્યામાં સેવા કરતા લોકોને માર મારે છે. આ બાબતે કોઈ નાના માણસો પોલીસ ફરિયાદ પણ કરી શક્યા નથી. જેના કારણે દિવસેને દિવસે તેમની દાદાગીરી વધતી ગઈ છે. જેને લઈ મેં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી રજૂઆત કરી આ બાબતે વાકેફ કર્યા છે. ત્યારે સતાધાર ને સરકાર દ્વારા વહીવદારની નિમણૂક થાય તેવી માંગ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહંત વિજય બાપના સગાભાઈ નીતિન ચાવડાએ વધુમાં જણાવ્યું છે કે, વિજય બાપુએ જેની સાથે લગ્ન કરી લીધા છે તે ગીતાબેન વ્યાસ ગોંડલ પાસેના શ્રીનાથગઢના વતની છે. અમારી જાણ મુજબ તેમણે બે-ત્રણ લગ્ન કર્યા છે અને સતાધારમાં છેલ્લા 20 વર્ષથી રહે છે અને સતાધારના મહંત વિજયબાપુ સાથે તેમને પ્રેમ સંબંધ થઈ ગયો છે, જેમણે લગ્ન અને મૈત્રી કરાર પણ કરી લીધા છે. વિજય ભગતને બ્લેકમેલિંગ કરી સતાધારના કરોડો રૂપિયા ગીતાબેન વ્યાસે ઉઠાવી લીધા છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_675a8e093836d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કરોડો રૂપિયાના વહીવટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ</span></strong></span><br><span style="font-size: 14pt;">નીતિન ચાવડાએ તા. 3 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું હતું કે, જૂનાગઢના વિસાવદર તાલુકાના સતાધાર મુકામે આવેલા આપા ગીગાના મંદિરમાં હાલના મહંત અને એકમાત્ર ટ્રસ્ટી વિજય ભગત ગુરૂ જીવરાજ ભગત મંદિરનો વહીવટ સંભાળે છે. છેલ્લા 20 વર્ષથી તેઓ સતાધાર મંદિરના મહંત તરીકે વહીવટ કરી રહ્યા છે, મંદિરની પોતાની 1200થી 1300 વીઘા જમીન છે. તેમજ મંદિર પાસે ગેરકાયદેસર 60 દુકાનો પણ છે, જેનું વાર્ષિક ભાડું બે લાખથી અઢી લાખ છે. મંદિરની મોટી ગૌશાળા સતાધારના ગ્રાઉન્ડમાં આવેલી છે. આ ગૌશાળામાં જે ગાયો છે તેના દૂધની વાર્ષિક આવક એક કરોડથી વધુ છે, તેમજ ખેતીવાડીની વાર્ષિક આવક 50 કરોડ તથા ધર્માદાની વાર્ષિક આવક 100 કરોડ ઉપરની થાય છે. આ તમામ રકમ મહંત વિજય બાપુ દ્વારા ગેરમાર્ગે વાપરવામાં આવે છે. આવું આગળ ન થાય તે માટે સતાધારમાં વહેલી તકે વહીવટદારની નિમણૂક કરવામાં આવે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિજય બાપુ આઈપીએસ-ડીવાયએસપી હોવાનો રોફ મારે છે</span></strong></span><br><span style="font-size: 14pt;">નીતિન ચાવડાએ અગાઉ એક પત્રમાં ગુહમંત્રીને લખ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી સતાધાર આપાગીગા મંદિરના મહંત તરીકે વિજય ભગત છે. 20 વર્ષ પહેલા વિજય ભગત પોલીસ ખાતાની જુદાજુદા કેડરની પરીક્ષાઓ આપતા હતા, પરંતુ કોઈ પણ કેડરમાં તેઓ પાસ નહોતા થયા. એ પછી વર્ષ 2004 થી તેઓ સતાધાર મંદિરના મહંત તરીકે સતાધારમાં સ્થાયી થયેલ છે. અહીં તહેવારોમાં હજારો ભાવિક ભક્તો આવે છે ત્યારે ભીડને નિયંત્રણ કરવા માટે મહંત દ્વારા અનેકવાર લોકોને મારકૂટ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ વિજય ભગતનો પ્રતિકાર કરે તો વિસાવદર પોલીસ સ્ટેશનમાં પી.આઇ કે પી.એસ.આઇને એવું કહેવામાં આવે છે કે વિજય ભગત પોતે IPS કે DySP હતો. આવો ખોટો રોફ ઝાડીને લોકોને ડરાવાય છે. વિજય બાપુએ અનેક વાર કાયદો હાથમાં લઇ લોકોને બેફામ માર પણ માર્યો છે. ત્યારે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી નીતિન ચાવડાએ માંગ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સગાભાઈએ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું</span></strong></span><br><span style="font-size: 14pt;">સતાધાર જગ્યાના મહંત વિજય બાપુના ભાઈ નીતિન ચાવડાએ તારીખ 09/05/2023ના કોર્ટમાં સોગંદનામુ કરી જણાવ્યું હતું કે, તેનું મૂળ વતન અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું બોરડી ગામ છે. તેઓ છ ભાઈઓ છે. જેમાં સૌથી નાના વાલજીભાઈ એટલે કે હાલના સતાધારના મહંત વિજય બાપુ છે. તેમના બાપદાદાની ખેતીની જમીન અને ઘર સહિતનું બધું બોરડી ગામે આવેલું છે તેઓ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જ્ઞાતિના છે, સૌથી નાના વાલજી મોહન ચાવડા જે હાલ સતાધારના મહંત હોવાથી વિજય બાપુ તરીકે ઓળખાય છે તેમને નીતિનભાઈ ચાવડાએ અમરેલી ખાતે કોલેજમાં ગુજરાતી વિષય સાથે બી.એ.નો અભ્યાસ કરાવ્યો હતો. નિતીન ચાવડાએ સોગંદનામાં લખ્યું હતું કે વિજય બાપુની પ્રવૃત્તિઓ કોલેજકાળથી ખરાબ હતી. તે અશોભનીય પ્રવૃત્તિ કરતા અને દારૂ પી પરસ્પર ગમન જેવી પ્રવૃત્તિઓ કરતા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_675a8e0893aad.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">વિજય બાપુ પરસ્ત્રી સાથે સંબંધથી બિમાર પડ્યા હતા</span></strong><br><span style="font-size: 14pt;">નીતિન ચાવડાએ સોગંદનામામાં ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે મારો નાનો ભાઈ વાલજી મોહન ચાવડા એટલે કે સતાધારનો મહંત વિજય કંઈપણ પ્રકારનો કામ ધંધો ન કરતો હોવાના કારણે મારા ઘરના સભ્યો વારંવાર તેને ઠપકો આપતા અને એકવાર તે ઘરેથી ચાલ્યા ગયા અને મુંબઈ જતા રહ્યા હતા. જ્યાં એક સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવાથી બીમાર પડેલો અને જેની મેં તપાસ કરાવતા તેને ગંભીર બીમારી થયાનું જાણવા મળેલ હતું. ત્યારે મેં તેને સ્ત્રીથી છોડાવેલ અને મેં સારવાર કરાવેલ ત્યાર બાદ અમારા જ્ઞાતિના આગેવાનના સહકારથી ગીતા વ્યાસ નામની સ્ત્રી સાથે લગ્ન કરેલા અને તેને રહેવા માટે જૂની સતાધાર અને મોટી સતાધારની વચ્ચે બંગલા ની વ્યવસ્થા પણ મેં કરી આપેલ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નીતિન ચાવડાના સોગંદનામામાં ઉલ્લેખ કરાયો છે કે, ગીતા વ્યાસે વિજય બાપુની કોઈ સીડી બનાવી લીધી છે અને તે પેનડ્રાઈવમાં પોતાની પાસે રાખીને બ્લેકમેઈલ કરે છે. જેના કારણે વિજય ભગતે ગીતા વ્યાસની શરણાગતિ સ્વીકારી લીધી છે અને બધી વ્યવસ્થા કરી આપી છે. મહંત વિજય બાપુ અને ગીતા વ્યાસે આપાગીગાની જગ્યામાંથી વર્ષોથી સેવા-પૂજા કરતા લોકોને જગ્યામાંથી કાઢી મુકેલ છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/did-the-daughter-of-the-father-of-kabarau-mogal-dham-marry-a-bookie">કબરાઉ મોગલ ધામના બાપુની દીકરીએ બુકી સાથે લગ્ન કરી લીધાં?</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 12 Dec 2024 12:49:50 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1690</Articleid>
                    <excerpt>આરોપ મૂકનાર મહંતના સગા મોટાભાઈ છે. તેમણે વિજય બાપુના પરસ્ત્રી સાથેના સંબંધો અને કરોડોના ખોટા વહીવટના આક્ષેપો કર્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675a8e09e4d92.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675a8e09b759c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675a8e09b759c.jpg" length="54223" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>aapagiga mandir, satadhar, mahant vijay bapu, accused of adultery and corruption, Brother Nitin Chavda</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહારાષ્ટ્રના પરભણીમાં ડૉ.આંબેડકરની પ્રતિમાનું અપમાન થતાં હિંસા</title>
                    <link>https://khabarantar.com/violence-parbhani-maharashtra-desecration-of-dr-ambedkar-statue</link>
                    <guid>https://khabarantar.com/violence-parbhani-maharashtra-desecration-of-dr-ambedkar-statue</guid>
                    <description>
                        <![CDATA[ બાબાસાહેબની પ્રતિમા સાથે રાખવામાં આવેલા બંધારણની કોપીને કોઈએ નુકસાન પહોંચાડ્યું હતું. ભીમયોદ્ધાઓ શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા હતા ત્યાં કોઈએ છમકલું કર્યું અને હિંસા ફાટી નીકળી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રના પરભણીમાં ડો.આંબેડકરની પ્રતિમાનું અપમાન થયા બાદ આજે અપાયેલા શાંતિપૂર્ણ બંધમાં તોફાની તત્વોએ છમકલું કરતા સમગ્ર મામલો હિંસક બની ગયો હતો. તોફાની તત્વોએ ડો.આંબેડકરના અનુયાયીઓને ઉશ્કેર્યા હતા. જેના કારણે સંયમ જાળવીને બેઠેલા વિફરેલા ભીમયોદ્ધાઓ આખરે વિફર્યા હતા. પ્રદર્શનકારીઓએ કાબૂમાં કરવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. અમુક જગ્યાએ ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે અને તણાવપૂર્ણ શાંતિ છે. જિલ્લાધિકારીએ કોઈ પણ અફવા પર વિશ્વાસ નહીં કરવાની અપીલ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરભણી શહેરમાં કલેક્ટર કાર્યાલય સામે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભારતીય બંધારણની એક કોપી રાખવામાં આવી છે. મંગળવારે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે કોઈ અજાણ્યા શખ્સે સંવિધાનની કોપી ખરાબ કરી નાખી હતી. તેની જાણકારી મળતા જ પરભણી શહેરમાં તણાવની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. ગુસ્સે થયેલા ભીમયોદ્ધાઓએ મંગળવારે શાંતિપૂર્ણ રીતે બંધનું એલાન આપ્યું હતું. એ દરમિયાન કોઈ તોફાની તત્વોએ ફરીથી છમકલું કરતા મામલો બિચક્યો હતો અને રસ્તો રોકો, રેલ રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કર્યા હતા. આજે પણ પરભણી બંધ છે. ભીમયોદ્ધાઓની માંગ છે કે આ મામલાના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવામાં આવે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_6759b9564c71f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજના બંધ દરમ્યાન ભીડ અચાનક આક્રમક થઈ ગઈ હતી. અમુક જગ્યા પર રસ્તા પર ટાયરો સળગાવ્યા હતા, તો વળી રસ્તા પર ઊભેલી ગાડીઓમાં તોડફોડ કરી હતી. અમુક દુકાનોના બોર્ડ પણ તોડી નાખ્યા હતા. અમુક જગ્યાએ ભીડને કાબૂમાં કરવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા, તો વળી અમુક જગ્યાએ હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. પરભણીમાં હાલ કર્ફ્‌યૂની સ્થિતિ છે. જ્યાં સુધી આગળનો આદેશ ન આવે ત્યાં સુધી લોકોને ઘરોમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_6759b96c7eeee.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે પરભણી બંધને લોકોનો મોટી સંખ્યામાં પ્રતિસાદ મળ્યો હતો. અહીં હિંસા બાદ કલમ 144 લાગુ કરવામાં આવી છે. શહેરના કેટલાય વિસ્તારો સવારથી જ બંધ રહ્યા હતા. કોઈ અપ્રિય ઘટના ન થાય, તે માટે જિલ્લામાં કેટલીય જગ્યાએ ભારે પોલીસ ફોર્સ ખડકી દેવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/napa-talpad-of-borsad-dr-ambedkars-statue-vandalized-uproar">બોરસદના નાપા તળપદમાં ડૉ. આંબેડકરની પ્રતિમા ખંડિત કરાતા હોબાળો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 11 Dec 2024 21:48:04 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1687</Articleid>
                    <excerpt>બાબાસાહેબની પ્રતિમા સાથે રાખવામાં આવેલા બંધારણની કોપીને કોઈએ નુકસાન પહોંચાડ્યું હતું. ભીમયોદ્ધાઓ શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા હતા ત્યાં કોઈએ છમકલું કર્યું અને હિંસા ફાટી નીકળી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6759b939a8dee.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6759b93973a01.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6759b93973a01.jpg" length="118093" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>violence parbhani maharashtra, dr ambedkar statue</media:keywords>
                </item>
                        <item>
                    <title>પતિનું દેવું ચૂકવવા પત્નીએ 1.5 લાખમાં પોતાના 30 દિવસના બાળકને વેચી દીધું</title>
                    <link>https://khabarantar.com/karnataka-wife-sells-one-month-old-baby-boy-for-rs-1.5-lakh-to-pay-husbands-debt</link>
                    <guid>https://khabarantar.com/karnataka-wife-sells-one-month-old-baby-boy-for-rs-1.5-lakh-to-pay-husbands-debt</guid>
                    <description>
                        <![CDATA[ મજૂર પરિવાર પર ત્રણ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. પત્નીએ પતિનું દેવું ચૂકવવા મહિના પહેલા જન્મેલા દીકરાને નિઃસંતાન દંપતીને વેચ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કર્ણાટકના રામનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મજૂર પરિવારની મહિલાએ પતિનું દેવું ચૂકવવા માટે થઈને પોતાના એક મહિનાના દીકરાને રૂ. દોઢ લાખમાં વેચી દીધો હતો. ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મહિલાના પતિએ પોલીસમાં તેનો પુત્ર ગુમ હોવાની ફરિયાદ નોંધાવી. પતિએ પત્ની પર શંકા વ્યક્ત કરી હતી, જે બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને મહિલાએ જ તેના બાળકને 1.5 લાખ રૂપિયામાં વેચી નાખ્યું હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે મહિલા અને તેના બે સહયોગીઓ તથા ખરીદનારની પણ ધરપકડ કરી છે. પોલીસે બાળકને બચાવીને બાળ કલ્યાણ ગૃહમાં મોકલી દીધું છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાના પતિએ 7 ડિસેમ્બર, 2024ના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો નવજાત પુત્ર ઘરેથી ગુમ થયો હતો અને તેને તેની પત્નીની મિલીભગતથી કંઈક ખોટું થયું હોવાની શંકા હતી. પતિ-પત્ની બંને મજૂરી કરે છે અને તેમને પાંચ બાળકો છે. ઓછી આવકના કારણે દંપતીને ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/being-a-dalit-the-teacher-made-the-6-year-old-child-clean-the-toilet">દલિત હોવાને કારણે 6 વર્ષના બાળક પાસે શિક્ષિકાએ ટોઈલેટ સાફ કરાવ્યું</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ બાળકના પિતાએ પોલીસને જણાવ્યું કે, “મારા પર 3 લાખ રૂપિયાથી વધુની લોન છે અને મારી પત્નીએ થોડા દિવસો પહેલા મને સૂચન કર્યું હતું કે લોનની ચુકવણી કરવા માટે આપણે આપણા નવજાત બાળકને એક નિઃસંતાન દંપતીને વેચી દઈએ, પરંતુ મેં સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે તેણે આવું ક્યારેય ન વિચારવું જોઈએ.”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેણે વધુમાં જણાવ્યું હતું કે, “5 ડિસેમ્બરની સાંજે હું કામ પરથી ઘરે પાછો આવ્યો અને જોયું કે મારો પુત્ર ગુમ હતો. જ્યારે મેં પૂછપરછ કરી તો મારી પત્નીએ મને કહ્યું કે તેને સ્વાસ્થ્ય સંબંધી કેટલીક સમસ્યાઓ હતી અને તેણે તેને એક સંબંધી પાસે રાખ્યો હતો. આ વાત માનીને હું કામ પર ગયો અને રાત્રે પાછો આવ્યો, પરંતુ મારી પત્નીએ તે જ વાતનું પુનરાવર્તન કર્યું, પરંતુ આ વખતે મને શંકા હતી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરિયાદીએ જણાવ્યું હતું કે, “જ્યારે મને શંકા થઈ, ત્યારે મેં મારી પત્ની પાસે એ ડૉક્ટર અથવા સંબંધીનો નંબર માંગ્યો કે જેમની પાસે મારો પુત્ર હતો, પરંતુ તેણીએ ના પાડી. જેના કારણે અમારી વચ્ચે ઝપાઝપી થઈ.” ફરિયાદ બાદ મહિલા પોલીસ બાળકની માતાને મળવા ગઈ હતી. રિપોર્ટ અનુસાર, એક તપાસ અધિકારીએ કહ્યું, “આરોપીઓએ બાળક તેના સંબંધી પાસે હોવાનું કહીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ પછી મહિલાએ કબૂલાત કરી હતી કે તેણે તેનું બાળક બેંગલુરુની એક મહિલાને 1.5 લાખ રૂપિયામાં વેચ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/40-dalit-children-dropped-out-of-education-due-to-harassment-by-headstrong-elements">માથાભારે તત્વોના ત્રાસના કારણે 40 દલિત બાળકોએ ભણતર છોડી દીધું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 11 Dec 2024 15:01:31 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1685</Articleid>
                    <excerpt>મજૂર પરિવાર પર ત્રણ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. પત્નીએ પતિનું દેવું ચૂકવવા મહિના પહેલા જન્મેલા દીકરાને નિઃસંતાન દંપતીને વેચ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67595b3ebb57d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67595b3e8aa76.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67595b3e8aa76.jpg" length="47884" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Karnataka News, Wife sells one-month-old baby, for Rs 1.5 lakh, pay husband&#039;s debt</media:keywords>
                </item>
                        <item>
                    <title>આજે કેરળમાં એમ.કે.સ્ટાલિન પેરિયાર સ્મારક&amp;પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરશે</title>
                    <link>https://khabarantar.com/cm-stalin-to-inaugurate-periyar-memorial-library-in-keral-today</link>
                    <guid>https://khabarantar.com/cm-stalin-to-inaugurate-periyar-memorial-library-in-keral-today</guid>
                    <description>
                        <![CDATA[ રૂ. 10 કરોડના ખર્ચે પુનઃનિર્માણ પામેલા આ સ્મારક પુસ્તકાલયમાં બે રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત અનેક હસ્તીઓ હાજર આપશે. આવું પહેલીવાર બની રહ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દ્રવિડ કઝગમના સ્થાપક ઈ.વી. રામાસામી પેરિયારને સમર્પિત બહુપ્રતિક્ષિત થંથાઈ પેરિયાર મેમોરિયલ અને પેરિયાર લાઈબ્રેરીનું ઉદ્ઘાટન 12 ડિસેમ્બરે કેરળના વાઈકામમાં થશે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન સત્તાવાર રીતે આ સ્મારક પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરશે, જ્યારે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સમારંભની અધ્યક્ષતા કરશે અને મુખ્ય વક્તવ્ય આપશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમિલનાડુના જાહેર બાંધકામ વિભાગના મંત્રી ઈ.વી. વેલુએ ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરતા કહ્યું હતું કે, "આ કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને મુખ્યમંત્રી સ્ટાલિન આજે કોટ્ટાયમ પહોંચશે," વેલુએ કેરળના દેવસ્વમ અને પોર્ટ મંત્રી વી.એન. વસવન સાથે મળી મીડિયાને આ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંત્રી વેલુ છેલ્લા ત્રણ દિવસથી આ સ્મારક અને પુસ્તકાલયની અંતિમ તૈયારીઓનું મોનિટરિંગ કરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેરળના મંત્રી વી.એન. સહિત અનેક મહાનુભાવો પણ ભાષણો આપશે. જેમાં કેરળના મંત્રી વી.એન. વસવન, સાજી ચેરિયન અને તમિલનાડુના મંત્રીઓ દુરાઈમુરુગન, ઈ.વી. વેલુ અને એમ.પી. સામીનાથનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેરળના મુખ્ય સચિવ શારદા મુરલીધરન, તમિલનાડુના મુખ્ય સચિવ એન. <span style="color: rgb(0, 0, 0);">મુરુગાનંદમ</span> અને કોટ્ટાયમના જિલ્લા કલેક્ટર જોન વી. સેમ્યુઅલ પણ હાજર રહે તેવી શક્યતા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું છે થંથાઈ પેરિયાર સ્મારક?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થંથાઈ પેરિયાર મેમોરિયલ અને પેરિયાર લાઇબ્રેરીને મહાન સમાજ સુધારક ઈ.વી.રામાસામી પેરિયારના સામાજિક ન્યાય અને સમાનતાને પ્રોત્સાહન આપવાના તેમના કાયમી વારસાને શ્રદ્ધાંજલિ તરીકે જોવામાં આવે છે. વૈક્કમ, જે સામાજિક ન્યાય આંદોલન માટે એક ઐતિહાસિક મહત્વનું સ્થાન છે ત્યાં આ સ્મારક બની રહ્યું છે. કોટ્ટાયમ સ્થિત પેરિયાર સ્મારક અને પુસ્તકાલય રૂ. 10 કરોડના ખર્ચે પુનઃનિર્મિત કરવામાં આવ્યું છે. આ સ્મારક સામાજિક ન્યાય માટે પેરિયારના સંઘર્ષ અને તેમની જીતને દર્શાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> 70 એકર જમીનમાં ફેલાયેલા આ સ્મારક કમ લાઈબ્રેરીમાં એક કાયમી ફોટો પ્રદર્શન હોલ, એક વિશાળ પુસ્તકાલય, એક ગેસ્ટ હાઉસ, બાળકો માટે પાર્ક અને પેરિયારની બેઠેલી અવસ્થામાં મૂર્તિ હશે. ઉદ્ઘાટન સમારોહ વૈકમ વિરોધની શતાબ્દિ મહોત્વ સાથે મેળ ખાય છે, જે સામાજિક ન્યાયના સંઘર્ષમાં એક મહત્વની ઘટના છે. કેરળના મુખ્યમંત્રી પી. વિજયન આ કાર્યક્રમમાં ખાસ સંબોધન કરશે. જ્યારે તમિલનાડુની આખી સરકાર કાર્યક્રમમાં ભાગ લેશે. </span><span style="font-size: 14pt;">આ પહેલીવાર બની રહ્યું છે કે, પેરિયારનું સ્મારક કેરળમાં બની રહ્યું હોવા છતાં તેનું ઉદ્ઘાટન કરવા માટે તમિલનાડુના મુખ્યમંત્રી આવી રહ્યાં છે. આ પેરિયારની વિચારધારામાં જ શક્ય બની શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/How-is-Periyars-book-Sachi-Ramayana-useful-in-the-fight-against-Brahminism">બ્રાહ્મણવાદ સામેની લડાઈમાં કેવી રીતે ઉપયોગી છે પેરિયારનું ‘સાચી રામાયણ’ પુસ્તક?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 11 Dec 2024 13:16:24 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1684</Articleid>
                    <excerpt>રૂ. 10 કરોડના ખર્ચે પુનઃનિર્માણ પામેલા આ સ્મારક પુસ્તકાલયમાં બે રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત અનેક હસ્તીઓ હાજર આપશે. આવું પહેલીવાર બની રહ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6759419ff2e54.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6759419fc3235.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6759419fc3235.jpg" length="44229" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>cm stalin, tamil nadu cm stalin, periyar memorial library, periyar</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;દેશ બહુમતીના હિસાબે ચાલશે&amp;apos; કહેનાર જજ સામે સુપ્રીમ કોર્ટ કાર્યવાહી કરશે</title>
                    <link>https://khabarantar.com/supreme-court-will-take-action-against-allahabad-high-court-justice-shekhar-kumar-yadav-for-making-controversial-statement</link>
                    <guid>https://khabarantar.com/supreme-court-will-take-action-against-allahabad-high-court-justice-shekhar-kumar-yadav-for-making-controversial-statement</guid>
                    <description>
                        <![CDATA[ અલાહાબાદ હાઈકોર્ટના સિટીંગ જજ હોવા છતાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમ જઈને દેશ અને બંધારણ વિરોધી ભાષણ આપનાર સંઘી જજ સામે હવે સુપ્રીમ કોર્ટે કાર્યવાહી શરૂ કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બે દિવસ પહેલા વિશ્વ હિંદુ પરિષદ (Vishva Hindu Parishad) ના એક કાર્યક્રમમાં જઈને દેશ અને બંધારણ વિરોધી ભાષણ આપનાર અલાહાબાદ હાઈકોર્ટ (Allahabad High Court)ના જજ શેખર કુમાર યાદવ (Justice Shekhar Kumar Yadav) ની મુશ્કેલીઓ વધી છે. જજ સાહેબે આરએસએસને વહાલા થવાની લ્હાયમાં પોતાના પદની ગરિમાની પણ પરવા નહોતી કરી. તેમણે કહ્યું હતું કે ભારતમાં કાયદો બહુમતી લોકોના હિસાબે ચાલશે. આ નિવેદન બાદ રાજકીય અને સામાજિક નેતાઓએ તેમની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. હવે સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ મામલાની તપાસ માટે અલ્હાબાદ હાઈકોર્ટ પાસે રિપોર્ટ માંગ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span><br><span style="font-size: 14pt;">અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ શેખર કુમાર યાદવે 9 ડિસેમ્બર, 2024ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું, જેના કારણે દેશવ્યાપી વિવાદ સર્જાયો હતો. તેમણે કહ્યું, “આ ભારત છે અને તે ભારતમાં રહેતા બહુમતીઓના હિસાબે ચાલશે. આ કાયદો છે અને તે બહુમતીના હિસાબે કામ કરશે.” જસ્ટિસ યાદવનું આ નિવેદન તરત જ ચર્ચામાં આવ્યું કારણ કે તેમાં તેમણે બહુમતી સમાજની ઇચ્છાને દેશના કાયદા અને બંધારણનો આધાર ગણાવ્યો હતો. આ નિવેદન માત્ર બંધારણ અને ન્યાયતંત્રની નિષ્પક્ષતા પર જ સવાલો ઉઠાવતું નથી પરંતુ હાઈકોર્ટના જજ માટે તેને ગેરબંધારણીય પણ માનવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે તરત મામલો હાથમાં લીધો</span></strong></span><br><span style="font-size: 14pt;">આ વિવાદ બાદ સુપ્રીમ કોર્ટે જસ્ટિસ શેખર કુમાર યાદવના ભાષણની નોંધ લીધી છે અને મામલાની તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટ પાસેથી ન્યાયાધીશના ભાષણની સંપૂર્ણ વિગતો માંગી છે જેથી તે નક્કી કરી શકાય કે નિવેદન ન્યાયતંત્રની સ્વતંત્રતા અને નિષ્પક્ષતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે કે કેમ. સુપ્રીમ કોર્ટનું આ પગલું આ મામલાની ગંભીરતા દર્શાવે છે અને સ્પષ્ટ કરે છે કે ન્યાયતંત્રમાં કોઈપણ પ્રકારનું પક્ષપાતી નિવેદન સ્વીકાર્ય નથી.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ટીકા થઈ</span></strong></span><br><span style="font-size: 14pt;">જસ્ટિસ યાદવના ભાષણે માત્ર સુપ્રીમ કોર્ટમાં જ નહીં પરંતુ રાજકીય વર્તુળોમાં પણ હોબાળો મચાવ્યો હતો. AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ જજ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરતી નોટિસ પર સહી કરી હતી. ઓવૈસીએ પોતાની ટિપ્પણીમાં કહ્યું કે જસ્ટિસ યાદવનું આ નિવેદન બંધારણની વિરુદ્ધ છે અને તે ગેરબંધારણીય અભિગમને પ્રોત્સાહન આપે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીપીઆઈ નેતા વૃંદા કરાતે (Vridha Karat) પણ જસ્ટિસ યાદવના ભાષણને બંધારણ પર હુમલો ગણાવ્યો હતો અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી. કરાતે કહ્યું કે જે લોકો આવા પક્ષપાતી વિચારોનું સમર્થન કરે છે તેમના માટે ન્યાયતંત્રમાં કોઈ સ્થાન ન હોવું જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સામાજિક સંસ્થાઓએ પણ ટીકા કરી</span></strong></span><br><span style="font-size: 14pt;">સામાજિક ન્યાય માટે કામ કરતી સંસ્થા “કોઓર્ડિનેશન ઑફ જસ્ટિસ ફોર એલિયન રિજેક્ટર્સ” (CJAR) એ પણ જસ્ટિસ શેખર યાદવના ભાષણ પર ચિંતા વ્યક્ત કરી છે. સંગઠને સુપ્રીમ કોર્ટને જસ્ટિસ યાદવ સામે ઇન-હાઉસ તપાસ શરૂ કરવા વિનંતી કરી હતી. સંગઠને એમ પણ કહ્યું કે જ્યાં સુધી આ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી જસ્ટિસ યાદવ પાસેથી તેમની ન્યાયિક ફરજો પરત ખેંચી લેવી જોઈએ. તેમના નિવેદનથી સ્પષ્ટ છે કે તેઓ ન્યાયિક કાર્યવાહીમાં નિષ્પક્ષતા જાળવી શકતા નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સિટીંગ જજ આવું નિવેદન આપે તે કેવી રીતે ચલાવી લેવાય?</span></strong></span><br><span style="font-size: 14pt;">જસ્ટિસ શેખર યાદવના નિવેદન બાદ સવાલ ઉઠવા લાગ્યા છે કે શું કોઈ જજને આવા પક્ષપાતી વિચારો જાહેરમાં વ્યક્ત કરવાનો અધિકાર હોવો જોઈએ. તેમનું નિવેદન ભારતના બિનસાંપ્રદાયિક અને લોકશાહી સિદ્ધાંતોની વિરુદ્ધ હોવાનું જણાય છે, કારણ કે બંધારણ દરેક વ્યક્તિને તેમની ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં લીધા વિના સમાજમાં સમાનતાની ખાતરી આપે છે. જસ્ટિસ યાદવનું આ નિવેદન ન માત્ર ન્યાયતંત્રની સ્વતંત્રતાના સિદ્ધાંતને પડકારે છે પરંતુ તે </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લોકશાહીમાં વૈવિધ્યતાના અભિગમની પણ વિરુદ્ધ છે.</span></strong></span><br><span style="font-size: 14pt;">હવે અલાહાબાદ હાઈકોર્ટના જજ દ્વારા આપવામાં આવેલા આ નિવેદનને લઈને કોર્ટમાં ચર્ચા ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે આ મામલાની તાત્કાલિક નોંધ લીધી છે અને તપાસ શરૂ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. હવે જોવાનું એ રહે છે કે જસ્ટિસ યાદવ સામે શું પગલાં લેવામાં આવે છે અને ન્યાયતંત્રમાં આવો વિચાર રાખનારાઓ માટે કોઈ સજા નક્કી કરવામાં આવશે કે કેમ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બંધારણ અને ન્યાયતંત્ર પર સવાલો ઉભા થયા</span></strong></span><br><span style="font-size: 14pt;">આ મામલાએ ફરી એકવાર બંધારણ અને ન્યાયતંત્રની ભૂમિકા પર સવાલો ઉભા કર્યા છે. શું ન્યાયાધીશને કોઈ ચોક્કસ સમુદાય વિરુદ્ધ જાહેરમાં નિવેદન આપવાનો અધિકાર હોવો જોઈએ? શું આવા નિવેદનો ભારતના ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન નથી કરતા? આ સવાલોના જવાબ આવનારા સમયમાં કોર્ટના નિર્ણય પરથી મળી જશે, જે ભારતીય ન્યાય વ્યવસ્થા માટે મહત્વનું ઉદાહરણ બની શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/allahabad-high-court-judge-shekhar-kumar-yadav-reaches-vhp-event">VHPના કાર્યક્રમમાં પહોંચ્યા હાઈકોર્ટના સિટિંગ જજ, કહ્યું - દેશ બહુમતીના હિસાબે ચાલશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 11 Dec 2024 11:19:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1682</Articleid>
                    <excerpt>અલાહાબાદ હાઈકોર્ટના સિટીંગ જજ હોવા છતાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમ જઈને દેશ અને બંધારણ વિરોધી ભાષણ આપનાર સંઘી જજ સામે હવે સુપ્રીમ કોર્ટે કાર્યવાહી શરૂ કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67592784ac82f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675927846b4c7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675927846b4c7.jpg" length="65544" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Justice Shekhar Kumar Yadav, Allahabad High Court, Controversial statement, Supreme Court, Vishva Hindu Parishad</media:keywords>
                </item>
                        <item>
                    <title>સુહાગરાતે વહુએ બાગેશ્વર ધામ જવાની જીદ પકડી, અને પછી..</title>
                    <link>https://khabarantar.com/in-sirohi-rajasthan-the-bride-insisted-on-going-to-bageshwar-dham-on-her-wedding-night-and-then-ran-away</link>
                    <guid>https://khabarantar.com/in-sirohi-rajasthan-the-bride-insisted-on-going-to-bageshwar-dham-on-her-wedding-night-and-then-ran-away</guid>
                    <description>
                        <![CDATA[ લગ્નની પહેલી રાત્રે યુવતીએ બાગેશ્વર ધામની માનતા હોવાનું કહી આખા પરિવારને મધ્યપ્રદેશ લઈ ગઈ પછી જે થયું તેની અપેક્ષા વરરાજા કે તેના પરિવારને નહોતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના સિરોહી જિલ્લામાં લૂંટેરી દુલ્હને જોરદાર નાટક કર્યું. સાસરિયે પહોંચતાની સાથે જ નવવધુ 'બાગેશ્વર ધામ' જવાની જીદ કરવા લાગી. પરિવાર જેવો બીજા દિવસે તેને ત્યાં લઈ ગયો કે તરત દુલ્હન મોકો જોઈને ભાગી ગઈ હતી. વરરાજાએ સ્વરૂપગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુલ્હન સહિત ચાર લોકોની ધરપકડ કરી ચારેયને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને જેલમાં ધકેલી દેવાયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસપી અનિલ કુમારે જણાવ્યું કે આ કેસ 4 જુલાઈએ સ્વરૂપગંજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. અચપુરાના રહેવાસી અશોક કુમારે રિપોર્ટ નોંધાવ્યો અને કહ્યું કે દલાલે તેના લગ્ન અન્ય સમાજમાં કરાવ્યા હતા. તેના બદલામાં 2.5 લાખ રૂપિયા લીધા હતા. દલાલે પંઢરી, અમરાવતી મહારાષ્ટ્રમાં સંબંધ ગોઠવ્યો હતો. પછી સુષ્મા અભ્યંકર નામની છોકરી સાથે મુલાકાત કરાવી હતી. 5 મે, 2024ના રોજ અમરાવતીની સુષ્મા સહિત દલાલ અને તેના સંબંધીઓ સ્વરૂપગંજની એક હોટલમાં રોકાયા હતા. હોટલમાં દોઢ લાખ રૂપિયા લીધા. પછી કાશી વિશ્વનાથ મંદિર કાસિન્દ્રા ગયા. ત્યાં સુષ્મા સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન થયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત અશોકે જણાવ્યું કે દુલ્હનના કહેવા પર તેણે બાબા બાગેશ્વર ધામ જવાની યોજના બનાવી. 26મીએ આબુ રોડથી જયપુર ગયો હતો. ટ્રેન દ્વારા ખજૂરાહો થઈને બાગેશ્વરધામ પહોંચ્યા હતા. ત્યાંથી અજમેર-પુષ્કર પરત ફર્યા. ત્યારબાદ સાલાસર બાલાજી ધામના દર્શન કરવા ગયા હતા. જ્યાં દર્શન કર્યા બાદ સુષ્મા દુકાનમાં ખરીદી કરતી વખતે ભાગી ગઈ હતી. આખી ટોળકીએ તેની સાથે છેતરપિંડી કરીને લગભગ ચાર લાખ રૂપિયા પડાવી લીધા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસપી અનિલ કુમારની સૂચનાથી વિશેષ ટીમને જવાબદારી સોંપવામાં આવી હતી. વિશેષ ટીમે કન્યા સુષ્મા (26) કૈલાશ સુખદેવ અગ્રવાલ (62) સિંધુ વિલાસરાવ ઇગડે અને રાજકન્યા વિજય ટેલમોરની ધરપકડ કરી હતી. ચારેય આરોપીઓની ધરપકડ કરીને સોમવારે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જેલ હવાલે કરાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ<a href="https://khabarantar.com/clashes-between-devotees-during-mangala-aarti-at-ranchhodji-temple-in-dakor"> ડાકોરના રણછોડજી મંદિરમાં મંગળા આરતી વખતે ભક્તો વચ્ચે મારામારી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 11 Dec 2024 09:53:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1681</Articleid>
                    <excerpt>લગ્નની પહેલી રાત્રે યુવતીએ બાગેશ્વર ધામની માનતા હોવાનું કહી આખા પરિવારને મધ્યપ્રદેશ લઈ ગઈ પછી જે થયું તેની અપેક્ષા વરરાજા કે તેના પરિવારને નહોતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675913487d2b4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675913484802a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675913484802a.jpg" length="97938" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Sirohi Rajasthan, Bride going to Bageshwar Dham, wedding night, ran away, Baba Bageshwar, Dhirendra Shastri</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતમાં મંદીનો મારઃ 10 લાખથી વધુ લોકોએ રોજગારી ગુમાવી</title>
                    <link>https://khabarantar.com/more-than-10-lakh-people-lost-their-jobs-due-to-recession-in-gujarat</link>
                    <guid>https://khabarantar.com/more-than-10-lakh-people-lost-their-jobs-due-to-recession-in-gujarat</guid>
                    <description>
                        <![CDATA[ વિકસિત ગણાતા ગુજરાતમાં મંદી ભરડો લઈ ગઈ છે. હીરા, સ્ટીલ, કાપડ અને એમએસએમઈ સેક્ટરની મંદીએ ગુજરાતમાં સામાન્ય માણસની કમર તોડી નાખી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં હાલ સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો તે મોંઘવારી, બેરોજગારી, બેકારી અને ઓછી આવક છે. સરકાર આ મુખ્ય સમસ્યાઓથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે જાતભાતના ઉત્સવોનું આયોજન કરી સમસ્યાને વધુ વકરાવી રહી છે. પરંતુ અર્થતંત્રને લઈને આવતા સર્વેના આંકડાઓ વાસ્તવિકતા છતી કરી દે છે. ગુજરાતને રોજગારી પુરી પાડવા માટે દેશમાં અગ્રેસર ગણવામાં આવે છે. દેશભરમાંથી લોકો રોજગારી મેળવવા માટે ગુજરાત આવે છે. સૌથી વધુ રોજગારી હીરા, સ્ટીલ, કાપડ ઉદ્યોગ અને એમએસએમઇમાં મેળવી રહ્યા છે. પરંતુ મંદીએ ગુજરાતની કમર ભાંગી નાખી છે અને અંદાજે 10 લાખથી વધુ લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફાર્માસ્યુટીકલ પાર્ટસ, ઓઈલ એન્જિન, બ્રાસપાર્ટ સહિતના 55 હજાર ઉદ્યોગોને સરકારની નીતિને કારણે મૃત્યુ ઘંટ વાગી રહ્યો છે. હીરાના હજારો એકમો બંધ છે. વેપારી અને સાહસી લોકોના કારણે લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રથમ ક્રમે છે, નહીં કે સરકારના કારણે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં જુલાઈ 2020થી 2024ના 4 વર્ષમાં 4,861 મધ્યમ, નાના, લઘુ ઉદ્યોગો એમએસએમઈ બંધ થયા છે. જેમાં 5876 માઈક્રો, 89 સ્મોલ અને 7 મિડિયમ એકમો બંધ થયા હતા. જે દેશના ત્રીજા નંબરે મહારાષ્ટ્ર અને તમિલનાડુ બાદ ગુજરાતમાં ઉદ્યોગો મંદીના ઝપેટમાં છે. સરકારના એમએસએમઈ મંત્રાલયના જણાવ્યા મુજબ, આમ વાઈબ્રન્ટ ગુજરાતમાં રોજના ત્રણથી ચાર ઉદ્યોગ માંદા પડી રહ્યાં છે. સરકારી દાવા પ્રમાણે ગુજરાતમાં 19.60 લાખ એકમોની નોંધણી થઈ હતી. જેમાં 1.07 કરોડ લોકોને રોજગારી મળતી હોવાનું સરકાર અગાઉ જાહેર કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">38 હજાર ફેક્ટરીઓમાંથી 9800 બંધ પડી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">4 વર્ષમાં દેશમાં 49,342 એકમોને તાળાં વાગ્યા છે. 2022-2023માં ઉત્પાદન ક્ષેત્રમાં લગભગ 1 કરોડ 78 લાખ કારખાના ચાલતા હતા. જે 2015-16માં 1 કરોડ 97 લાખ હતા. 9.3 ટકા ઓછા થયા હતા. તેમાં કામ કરતા લોકોની સંખ્યામાં 15 ટકા ઘટી હતી. 2014માં ગુજરાતમાં લગભગ 3 લાખ નોંધાયેલા નાના અને મધ્યમ ઉદ્યોગો હતા જેમાં લગભગ 95 ટકા નોંધણી થયા વગરના હતા. 9 ટકા નાના અને મધ્યમ ઉદ્યોગો બંધ પડી ગયા હતા. 2021માં જીઆઈડીસીમાં આવેલા 1500 ઉદ્યોગો બંધ પડી ગયા હતા. 2024માં ઈન્ડસ્ટ્રીયલ ડાયરેક્ટરની વેબસાઈટ પ્રમાણે 48 હજાર નોંધાયેલી ફેક્ટરીઓમાંથી 38 હજાર ફેક્ટરી ચાલુ હતી અને 9800 ફેક્ટરીઓ બંધ પડી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં કુલ આશરે પાંચ લાખ એકમો છે જેમાં 70 હજાર એકમ જીઆઇડીસીમાં આવેલા છે. ગુજરાતમાં જ ઔદ્યોગિક વસાહતોમાં 8500 પ્લોટ અને 500 શેડ ખાલી પડેલા છે. જ્યારે 2200 ઉદ્યોગો બંધ હાલતમાં છે. 36000 હેક્ટર જગ્યામાં 228 ઔધોગિક વસાહતો છે. 1 લાખ હેક્ટરમાં 500થી વધુ ખાનગી વસાહતો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2024 ફેબ્રુઆરીમાં 2020થી ફેબ્રુઆરી 2024 સુધીમાં ભારતમાં 3 કરોડ 70 લાખ નાની અને મધ્યમ કદની ફેક્ટરીઓમાંથી 35,680 ફેક્ટરીઓ બંધ થઈ છે. જેમાં 2022-23માં 13,290 એકમો બંધ થયા હતા. 2021-22 માં 6,222 બંધ થયા હતા. જેમાં ગુજરાતમાં 3,243 નાના એકમો બંધ થયા હતા. 34 હજાર ઉદ્યોગો બંધ થવાના કારણે 17 કરોડ નોકરીઓમાંથી 1 લાખ 20 હજાર લોકોએ નોકરી ગુમાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગુજરાતમાં સ્ટીલના 30-35 ટકા એકમો બંધ થયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓક્ટોબરને મીની મંદીનો મહિનો તરીકે ગણવામાં આવે છે. ઓક્ટોબર મહિનો એપ્રિલ 2020 પછીનો સૌથી ખરાબ જોવાયો છે. સ્ટેનલેસ સ્ટીલના દેશમાં 80 ટકા એમએસએમઈ ગુજરાતમાં છે. 30-35 ટકા એકમોએ ધંધો બંધ કરવામાં આવ્યા હતા. અલંગમાં પણ આવી જ હાલત છે. અમદાવાદની 80 ઇન્ડક્શન ફર્નેસ કંપનીઓમાંથી 20 કંપનીઓએ બિઝનેસ બંધ કરી દીધો છે. તે જ સમયે સસ્તી આયાતને કારણે 100થી વધુ રી-રોલર (વાસણો જેવી વિવિધ વસ્તુઓના નિર્માતાઓ) બંધ થઈ ગયા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાપડ ઉદ્યોગમાં ઉત્પાદન 40 ટકા સુધી ઘટ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2023માં સુરત અને અમદાવાદમાં વિશ્વમાં કાપડ ઉદ્યોગ સારો વ્યવસાય કરતો હતો તેમ છતાં દક્ષિણ ગુજરાતમાં 400 ટેક્સટાઇલ પ્રોસેસીંગ યુનિટમાંથી રૂ.5 કરોડનું 1 લાખ મીટર કાપડ બનાવતાં 20 મોટા યુનિટ બંધ થઈ ગયા હતા. 2023માં ગુજરાતમાં સુરત કાપડ ઉદ્યોગના ઉત્પાદનમાં 30-40% ઘટાડો થયો હતો. ઉત્પાદન અને રોજગારીમાં 50 ટકાનો કાપ મૂક્યો હતો. તમિલનાડુમાં તિરૂૂપુર પછી સુરત એ ભારતનું બીજું સૌથી મોટું રૂૂ.80 હજાર કરોડનું કાપડ ઉત્પાદન કેન્દ્ર છે. 20 લાખ બહારના રાજ્યના મજુરોને રોજગારી આપે છે. 4.5 કરોડ મીટર કાપડની સામે 2.5 કરોડ મીટર પ્રતિદિન થઈ ગઈ હતી. સુરતમાં અંદાજે 50 હજાર કાપડ ઉત્પાદન એકમો છે. ઉદ્યોગમાં એકંદર ઉત્પાદન લગભગ 30% ઘટ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હીરાના 60 લાખમાંથી 50 ટકા લોકો બેકાર બન્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરતની હીરા બનાવતી કંપનીમાં 4 ડિસેમ્બર 2024માં મારૂતિ ઈમ્પેક્ષ કંપનીમાં 15 હજાર કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા. મારૂતિ ઈમ્પેક્ષના માલિક સુરેશ ભોજપરાને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. 2023 ઓક્ટોબરમાં બોટાદમાં 20 ટકા મંદીને કારણે 40 ટકાથી વધુ હીરાના કારખાના બંધ થઈ ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરતમાં 6 લાખ ડાયમંડ પોલિમર્સ છે અને 5 હજાર નાની, મધ્યમ અને મોટી ફેક્ટરી છે. એક યુનિટમાં 10 લોકોને રોજગારી મળતી હોય છે. સુરતમાં પણ આવી જ હાલત હતી. હીરાના કારખાનામાં કામ કરતા 60 લાખ લોકોમાંથી 50 ટકા બેકાર બની ગયા હતા. સુરત વિશ્વના 85% હીરા બનાવે છે. સુરત ડાયમંડ બોર્સનું ઉદઘાટન 17મી ડિસેમ્બર 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કર્યું હતું. ત્યારથી ભારે મંદી ચાલી રહી છે. 4,200 ઓફિસ રૂમ સાથે વિશ્વનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ તો બન્યું પણ મંદીએ કમર તોડી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હીરાના 75 ટકા નાના એકમો હજુ શરૂ થયા નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડિસેમ્બર 2024 સુધીમાં દિવાળી બાદ 50 ટકા કારખાના શરૂ થયા નથી. કુદરતી હીરાના કુલ 75 ટકા સુધી નાના ઉદ્યોગો ફરીથી શરૂ થયા નથી. 2 વર્ષથી મંદી હોવાથી હીરાના ભાવમાં 40 ટકા ઘટાડો થયો છે. પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ પછી 2 હજાર નાના ઉદ્યોગો બંધ થયા હતા. 50 હજાર લોકોને રોજગારી પર અસર થઈ હતી. મોટા ભાગના એકમો પંચમહાલ જિલ્લાના હાલોલ, વડોદરા અને વાઘોડિયાના છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશમાં 30 હજાર એકમો પ્લાસ્ટિક ઉત્પાદન કરે છે. જેમાં 90% નાના એકમો છે. જેમાંથી ૠીષફફિિં માં 10 હજાર એકમો છે. જેમાંથી લગભગ 80% નાના પાયાના ક્ષેત્રમાં છે જે લગભગ રૂૂ. 10 હજાર કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવે છે. દેશમાં કુલ ટર્નઓવર 38,500 કરોડ રૂૂપિયા છે. જેમાં ભારે મંદી છે. 50 હજાર લોકોને સીધી રોજગારીની અસર થઈ રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દિવાળી બાદ 70 હજાર વતનથી પરત ફર્યા જ નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત ડાયમંડ વર્કર સંગઠનના ભાવેશ ટાંકે નવેમ્બરમાં જ ધ્યાન દોર્યું હતું કે, 10 મહિનામાં 50 હજાર કારીગરો સુરતમાં બેકાર થયા છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓ જેમાં અમરેલીમાં 1.5 લાખ, ભાવનગર 3.50 લાખ, જૂનાગઢ, બોટાદમાં 2 લાખ કારીગરો કામ કરતા હતા. જેમાં 1 લાખ બેકાર છે. સુરતથી એસટીની 1 હજાર બસમાં વતન ગયેલા 70 હજાર લોકો પરત ફર્યા નથી. બોટાદમાં 1,500 હીરાના કારખાનામાં 70 હજાર લોકો કામ કરતા હતા. 2 મહિનામાં 40 ટકાથી વધુ નાની અને મધ્યમ ફેક્ટરીઓ બંધ થઈ ગઈ હતી. બેકાર બનેલા 42 કારીગરોએ આત્મહત્યા કરી હતી. કુટુંબોની આર્થિક હાલત ખરાબ છે. અમરેલીમાં 960 કારખાના છે જેમાં 2024ની દિવાળી પછી 30 ટકા કારખાના ફરી શરૂૂ ન થતા 42 હજાર કારીગરોને અસર થઈ છે. સરકાર સમક્ષ મદદ માટે માંગણી કરી છે. પણ સરકારે કોઈ મદદ કરી નથી. 2023માં 5.1% વૃદ્ધિ થવાની ધારણા હતી, પણ ઉદ્યોગ પર આફત આવી હતી. 5 મહિનામાં 30થી વધુ હીરાના કારીગરોએ પોતાનો જીવ લીધો છે. 2 મહિનાથી હીરાના કારખાના બંધ રાખવા પડ્યા હતા. હીરાની નિકાસ ત્રણ મહિનામાં રૂ. 77,500 કરોડથી ઘટીને રૂ. 60,222 કરોડ થઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">1800 કંપનીઓ બંધ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2020 એપ્રિલથી 29 નવેમ્બર, 2021 સુધી 1,938 કંપનીઓએ સમગ્ર ગુજરાતમાં શટર ડાઉન કર્યા છે. પ્રવાસન અને પર્યટન ક્ષેત્રની કંપનીઓ હતી. કોવીડના કારણે બંધ થઈ છતાં સરકારે કોઈ મદદ ન કરી. 2023 જૂન સુધીમાં ગુજરાતમાં 100 કાગળ મીલોમાંથી 20 મિલો 6 મહિનામાં બંધ હતી. મોરબી, અમદાવાદ, સુરત, વાપીમાં બંધ થઈ ગઈ છે. જેનાથી 26 હજાર લોકો બેકાર થઈ ગયા છે. મિલો 3 લાખ મેટ્રિક ટનની માંગ હતી. 50 ટકા ઉત્પાદન ઘટાડી દીધું છે. ગુજરાત અને મહારાષ્ટ્રની નિકાસ વાર્ષિક 1.50 લાખ ટન હતી, જે ઘટીને 30,000 ટન થઈ ગઈ છે. નિકાસ સ્થળો ચીન, મધ્ય પૂર્વ વગેરે હતા. એક એક પેપર મિલ 300 લોકોને સીધી રોજગાર અને 1,000 લોકોને આડકતરી રોજગારી પૂરી પાડે છે. એક મિલનું રોજનું ઉત્પાદન 150 ટન છે. પેપરને પેકેજિંગ મટિરિયલ્સ માટે વપરાય છે. વાપીમાં બે મહિનામાં ચાર મિલો બંધ થઈ ગઈ છે.ૠીષફફિિં માં વાપી અને મોરબીમાં પેપર મિલો આવેલી છે. 100 પેપર મિલોમાંથી 20 વલસાડ જિલ્લાના વાપી જીઆઇડીસીમાં હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શિક્ષિત બેરોજગારોમાં છ ટકાનો વધારો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોદી રાજના 10 વર્ષમાં શિક્ષિત બેરોજગારોમાં છ ટકાનો વધારો થયો છે. ઈન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024માં સ્પષ્ટ કહેવાયું છે કે, ભારતમાં શિક્ષિત યુવાનોમાં બેરોજગારી વધી છે. માધ્યમિક કે તેથી વધુ શિક્ષણ ધરાવતા બેરોજગાર યુવાનોની સંખ્યામાં વધારો થયો છે. બેરોજગારીમાં શિક્ષિત યુવાનોનો હિસ્સો 54.2 ટકા હતો, જે 2022માં વધીને 65.7 ટકા થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/Unemployment-rate-rises-to-two-year-high-of-10.09-percent-in-October---report"><strong>ઓક્ટોબરમાં બેરોજગારી દર વધીને બે વર્ષની સર્વોત્તમ સપાટી 10.09 ટકાએ પહોંચ્યો - રિપોર્ટ</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 10 Dec 2024 09:50:40 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 10 Dec 2024 09:51:57 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1676</Articleid>
                    <excerpt>વિકસિત ગણાતા ગુજરાતમાં મંદી ભરડો લઈ ગઈ છે. હીરા, સ્ટીલ, કાપડ અને એમએસએમઈ સેક્ટરની મંદીએ ગુજરાતમાં સામાન્ય માણસની કમર તોડી નાખી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6757c09ada2f0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6757c09aa0b2a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6757c09aa0b2a.jpg" length="111568" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Educated unemployed, to recession in Gujarat, Unemployment</media:keywords>
                </item>
                        <item>
                    <title>રામ મંદિરના ચૂકાદા બાદ હવે જસ્ટિસ નરીમને EWS અનામતને ખોટી ગણાવી</title>
                    <link>https://khabarantar.com/justice-nariman-calls-ews-reservation-wrong</link>
                    <guid>https://khabarantar.com/justice-nariman-calls-ews-reservation-wrong</guid>
                    <description>
                        <![CDATA[ જસ્ટિસ નરીમને કહ્યું કે સંસદે કલમ 46 નો ઉલ્લેખ કરતા આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામતની વાત કરી હતી, પરંતુ આમાં એવું કંઈ નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ રોહિન્ટન ફલી નરીમને, જેમણે તાજેતરમાં રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને બંધારણ અને બિનસાંપ્રદાયિક મૂલ્યોની વિરુદ્ધ ગણાવ્યો હતો, તેમણે હવે EWS અનામત પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે સંસદે કલમ 46 નો ઉલ્લેખ કરીને આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામતની વાત કરી હતી, પરંતુ આમાં એવું કંઈ નથી. આ આર્ટિકલ આર્થિક આધાર પર અનામતની વાત નથી કરતો. આ રીતે, 103માં બંધારણીય સુધારા દ્વારા આપવામાં આવેલી અનામત બંધારણને જ માથાના ટેકે ઉભા રાખવા જેવું છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_6757027e7ef6e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે જસ્ટિસ કૃષ્ણ અય્યર મેમોરિયલ લેક્ચરમાં કહ્યું કે, “અનામતનો વિચાર સૌથી નીચલા સ્તરના લોકો સુધી પહોંચવાનો હતો. પરંતુ EWS અનામતમાં આવી વિચારણાને ધ્યાનમાં રાખવામાં આવી ન હતી. આ સિવાય તેમણે સુપ્રીમ કોર્ટના આ ક્વોટાને યથાવત રાખવાના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા હતા. આ કેસમાં સર્વોચ્ચ અદાલતની 5 સભ્યોની બેન્ચે 3-2ની બહુમતીથી ક્વોટાને યથાવત રાખ્યો હતો. તેમણે કહ્યું, 'આર્થિક માપદંડો પર આધારિત આ નિર્ણય ન તો બંધારણીય કાયદામાં યોગ્ય છે અને ન તો કોઈપણ પ્રકારના સિદ્ધાંતમાં યોગ્ય છે. આ હકીકતમાં કલમ 46ની વિરુદ્ધ છે. ચોક્કસપણે કલમ 15(1) અને 16(1)ની વિપરિત છે, જેવું અલ્પમતના ન્યાયાધીશ જસ્ટિસ ભટે માન્યું છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ નરીમને કહ્યું કે, “આ 10 ટકા અનામતના દાયરામાંથી SC, ST અને OBCને જ બહાર રાખવામાં આવ્યા છે. આ બંધારણને જ માથાના ટેકે ઉભા કરવા જેવો નિર્ણય હતો. આ અનામતને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી અને એવી દલીલ કરવામાં આવી હતી કે 10 ટકા EWS ક્વોટા 50 ટકાની મર્યાદા કરતાં વધી જાય છે, જેને ખુદ સુપ્રીમ કોર્ટ દ્વારા જ નક્કી કરવામાં આવી હતી. પરંતુ 5-સભ્યની બંધારણીય બેન્ચે અનામતને એમ કહીને સમર્થન આપ્યું હતું કે, માત્ર આર્થિક માપદંડોના આધારે અનામતની 50% મર્યાદાને વટાવી દેવાથી બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન થતું નથી.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે અલ્પમતમાં રહેલા અન્ય બે ન્યાયાધીશો, રવિન્દ્ર ભટ અને તત્કાલીન સીજેઆઈ યુ યુ લલિતે અનામતની 50 ટકાની ની મહત્તમ મર્યાદાનું ઉલ્લંઘન કરવું અને SC/ST/OBC ના ગરીબોને EWS ક્વોટામાંથી બાકાત રાખવાના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે અનામતની 50 ટકાની મર્યાદા તોડવી યોગ્ય નથી. આ સિવાય સામાજિક રીતે પછાત લોકોને પણ આ અનામતના દાયરામાં સામેલ ન કરવા તે પણ ખોટું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/Why-EWS-Quota-Benefit-Only-General-Category,-Madhya-Pradesh-High-Court-Seeks-Answer-From-Central-Govt"> EWS ક્વૉટાનો લાભ ફક્ત જનરલ કેટેગરીને જ કેમ?, મધ્યપ્રદેશ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 09 Dec 2024 20:22:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1675</Articleid>
                    <excerpt>જસ્ટિસ નરીમને કહ્યું કે સંસદે કલમ 46 નો ઉલ્લેખ કરતા આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામતની વાત કરી હતી, પરંતુ આમાં એવું કંઈ નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675702677c588.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675702674a1fe.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675702674a1fe.jpg" length="38599" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>justice rohinton nariman, Judge R.F. Narima, EWS, Reservation</media:keywords>
                </item>
                        <item>
                    <title>1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમ વિનોદ કાંબલીની મદદ કરશે</title>
                    <link>https://khabarantar.com/1983-world-cup-winning-team-to-help-vinod-kambli</link>
                    <guid>https://khabarantar.com/1983-world-cup-winning-team-to-help-vinod-kambli</guid>
                    <description>
                        <![CDATA[ ક્રિકેટર વિનોદ કાંબલીની પરિસ્થિતિ હાલ નાજુક છે, તેના ખાસ મિત્ર સચિન તેંદુલકરે ભલે તેની બાજુથી મોં ફેરવી લીધું હોય પણ વર્ષ 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમ કાંબલીની વ્હારે આવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નાદુરસ્ત તબિયત અને આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહેલા એક સમયના દિગ્ગજ ક્રિકેટર વિનોદ કાંબલી (Vindo Kambli) થોડા દિવસ પહેલા તેના કોચ રમાકાંત આચરેકર (Ramakant Acharekar)ની પ્રતિમાના અનાવરણના કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં જે રીતે ક્રિકેટરના ભગવાન ગણાતા સચિન તેંદુલકરે (Sachin Tendulkar) કાંબલીથી અંતર જાળવ્યું હતું તેની ચોતરફ ટીકા થઈ રહી છે. અગાઉ પણ કાંબલીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ ચાલી પણ શકતા નહોતા. વિનોદ કાંબલીની આવી હાલતમાં તેના મિત્રે ભલે તેની મદદ ન કરી, પણ વર્ષ 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમે (1983 World Cup winning team) તેની મદદ કરવાનું નક્કી કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે 1983ની ભારતની પ્રથમ વર્લ્ડ કપ વિજેતા ટીમ વિનોદ કાંબલીની સંભાળ લેશે અને તેને પગભર કરવામાં મદદ કરશે. ક્રિકેટર સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) જેઓ આ ટીમના સભ્ય હતા તેમણે આ વાતની પુષ્ટિ કરી છે. 1983ની ટીમના કેપ્ટન કપિલ દેવે પણ આ વાતનો સંકેત આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુનીલ ગાવસ્કરે વિનોદ કાંબલીને પોતાનો પુત્ર ગણાવીને કાંબલીના ચાહકોને આશ્વસ્ત કર્યા કે 1983ની ટીમના સભ્યો તેમના વિનોદ કાંબલી સહિત અન્ય ક્રિકેટરોને મદદ કરવા માટે એકસાથે આવશે. ગાવસ્કરે ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચ સિરીઝ દરમિયાન આ વાત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વાતચીતમાં ગાવસ્કરે કહ્યું કે, 1983ની ટીમ યુવા ખેલાડીઓને લઈને ખૂબ જ સભાન છે. તે (વિનોદ કાંબલી) મારા માટે પૌત્ર જેવો છે. મને મદદ શબ્દ ગમતો નથી. 1983ની આખી ટીમ તેની કાળજી લેવા માંગે છે. અમે વિનોદ કાંબલીની સંભાળ રાખીશું અને તેને ફરી તેના પગ પર ઉભો થવામાં મદદ કરીશું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુનીલ ગાવસ્કરે વધુમાં કહ્યું, 'અમે એવા ક્રિકેટરોની સંભાળ લેવા માંગીએ છીએ જેઓ સંઘર્ષ કરી રહ્યા છે.' અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે કપિલ દેવ (Kapil Dev) પણ વિનોદ કાંબલીની મદદ કરવા માંગે છે. 1983નો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના સભ્ય બલવિંદર સિંહ સંધુ (Balwinder Singh Sandhu)એ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 83ની ટીમના કેપ્ટન કપિલ દેવે મને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો વિનોદ કાંબલી રિહેબમાં જવા માંગે છે તો અમે તેને આર્થિક મદદ કરવા તૈયાર છીએ. જો કે, તેણે પહેલા જાતે રિહેબ સેન્ટરમાં જવું પડશે. જો તે જાતે ત્યાં જશે તો અમે તેનો તમામ ખર્ચ ઉપાડવા તૈયાર છીએ. પછી સારવાર કેટલો સમય ચાલે છે તે મહત્વનું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કેવી છે વિનોદ કાંબલીની હાલત?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં વિનોદ કાંબલી બરાબર ચાલી શકતા ન હતા. તેને સંતુલન જાળવવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. જેના કારણે તેમના ચાહકોમાં ચિંતા ફેલાઈ હતી. કહેવાય છે કે વિનોદ કાંબલી દારૂની લત સામે ઝઝૂમી રહ્યાં છે. કાંબલીના નજીકના મિત્ર માર્કસ કોઉટોએ તેમના સ્વાસ્થ્ય વિશે વાત કરી હતી. આ વાતચીતમાં તેણે જણાવ્યું કે તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેણે વધુમાં કહ્યું કે, તેના રિહેબમાં જવાનો કોઈ અર્થ નથી. કાંબલી 14 વખત રિહેબમાં ગયો છે! ત્રણ વાર અમે તેને વસઈમાં પુનર્વસન માટે લઈ ગયા હતા. હાલમાં જ વિનોદ કાંબલીનો સચિન તેંડુલકર સાથેનો એક વીડિયો વાયરલ થયો હતો. એમાં જેવો સચિન તેની પાસે આવે છે કે તરત કાંબલી તેનો હાથ પકડી લે છે અને થોડી સેકન્ડ માટે છોડતો નથી. જો કે, બાદમાં બાજુમાં બેઠેલો વ્યક્તિ આવીને તેમાં દરમિયાનગીરી છે. સચિન અને કાંબલીની આ મુલાકાત બાળપણના કોચ રમાકાંત આચરેકરની પ્રતિમાના અનાવરણ સમારોહમાં થઈ હતી. બંને ખેલાડીઓ રમાકાંત આચરેકરના શિષ્ય રહી ચૂક્યા છે. જો કે, સચિન જાતિના કારણે તેને સતત તકો મળતી ગઈ, જ્યારે કાંબલીને તેની દલિત જાતિના કારણે વર્ષ 1996ના વર્લ્ડ કપ બાદ કોઈ મોટી તક અપાઈ નહોતી અને તેની કરિયર ખતમ કરી દેવાઈ હતી. એ પછી કાંબલી તાણમાં આવી ગયા હતા અને દારૂની લતે ચડી ગયા હતા. તેમાંથી આ સમસ્યા ઉભી થઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/the-lord-of-cricket-is-nowhere-behind-vinod-kamblis-record">વિનોદ કાંબલીના રેકોર્ડ સામે 'ક્રિકેટના ભગવાન' ક્યાંય પાછળ છે!</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 09 Dec 2024 13:55:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1674</Articleid>
                    <excerpt>ક્રિકેટર વિનોદ કાંબલીની પરિસ્થિતિ હાલ નાજુક છે, તેના ખાસ મિત્ર સચિન તેંદુલકરે ભલે તેની બાજુથી મોં ફેરવી લીધું હોય પણ વર્ષ 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમ કાંબલીની વ્હારે આવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6756a8d3762ca.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6756a8d33ff50.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6756a8d33ff50.jpg" length="62331" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>1983 World Cup winning team, vinod kambli</media:keywords>
                </item>
                        <item>
                    <title>VHPના કાર્યક્રમમાં પહોંચ્યા હાઈકોર્ટના સિટિંગ જજ, રામ મંદિરની પ્રશંસા કરી</title>
                    <link>https://khabarantar.com/allahabad-high-court-judge-shekhar-kumar-yadav-reaches-vhp-event</link>
                    <guid>https://khabarantar.com/allahabad-high-court-judge-shekhar-kumar-yadav-reaches-vhp-event</guid>
                    <description>
                        <![CDATA[ દેશના ન્યાયતંત્રમાં RSSની વિચારધારામાં માનતા જજો હવે ખૂલીને સામે આવી રહ્યાં છે. અગાઉ એક જજે કોર્ટમાં સંઘની પ્રશંસા કરી હતી, હવે આ જજ તેનાથી એક ડગલું આગળ ગયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અલ્હાબાદ હાઈકોર્ટના જજ જસ્ટિસ શેખર કુમાર યાદવ ગઈકાલે 8 ડિસેમ્બરે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું કે હિંદુઓ એવી અપેક્ષા રાખતા નથી કે મુસ્લિમો તેમની સંસ્કૃતિનું પાલન કરે, પરંતુ તેઓ ઈચ્છે છે કે તેઓ તેનો અનાદર ન કરે. તેમણે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCC વિશે પણ વાત કરી. ઉપરાંત, તેમણે કહ્યું કે આ ભારત છે અને તે તેની બહુમતી વસ્તીની ઈચ્છા અનુસાર ચાલશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કાર્યક્રમમાં ઘણા વકીલો અને VHP કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. તેમને સંબોધતા જસ્ટિસ શેખર કુમાર યાવદ(Justice Shekhar Kumar Yadav) એ વધુમાં કહ્યું કે, "અમે અમારા બાળકોને જન્મથી જ સહનશીલતા અને દયા શીખવીએ છીએ. અમે તેમને પ્રાણીઓ અને પ્રકૃતિને પ્રેમ કરવાનું શીખવીએ છીએ. બીજાના દુઃખ જોઈ અમને દુઃખ થાય છે. પણ તમને એવું નથી લાગતું. શા માટે... જ્યારે તમે પ્રાણીઓને તેમની સામે મારશો ત્યારે તમારું બાળક સહનશીલતા અને દયા કેવી રીતે શીખશે?"</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક મીડિયા રિપોર્ટ મુજબ તેણે ભારતની બહુમતી વસ્તી વિશે પણ વાત કરી હતી. જસ્ટિસ શેખર કુમારે કહ્યું, મને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે આ ભારત છે અને તે પોતાની બહુમતી વસ્તીની ઈચ્છા પ્રમાણે ચાલશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/what-did-the-two-retired-judges-of-the-supreme-court-attend-the-meeting-of-vhp">સુપ્રીમ કોર્ટના બે નિવૃત્ત જજો વિશ્વ હિંદુ પરિષદની બેઠકમાં શું કામ ગયા હતા?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુ રીતિ-રિવાજો અને મહિલાઓના આદર અંગે તેમણે કહ્યું હતું કે, "અમને એવી અપેક્ષા નથી કે તમે લગ્ન કરતી વખતે અગ્નિની આસપાસ સાત ફેરા લેશો. અમે અપેક્ષા નથી રાખતા કે તમે ગંગામાં ડૂબકી મારશો. પરંતુ અમે તમારી પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે તમે દેશની સંસ્કૃતિ, દેવતાઓ અને મહાન નેતાઓનો અનાદર ન કરો. હિંદુ શાસ્ત્રો અને વેદોમાં દેવી ગણાતી સ્ત્રીનું તમે અપમાન ન કરી શકો."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, પ્રયાગરાજમાં VHP legal cell દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં જસ્ટિસ શેખર કુમાર યાદવે 'UCCની બંધારણીય આવશ્યકતા' વિશે વાત કરી. એ દરમિયાન જસ્ટિસ શેખર કુમારે કહ્યું હતું કે, "તમે ચાર પત્નીઓ રાખવાનો, હલાલા કરવાનો અથવા ટ્રિપલ તલાકના હકનો દાવો ન કરી શકો. મહિલાઓને ભરણપોષણ આપવાનો ઇનકાર અને અન્ય પ્રકારનો અન્યાય કામ કરશે નહીં. શાહ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે પણ સંમતિ આપી હતી કે પીડિત છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાને ભરણપોષણ ભથ્થું આપવામાં આવે. પરંતુ તત્કાલીન કેન્દ્ર સરકારે કેટલાક લોકો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ શેખર કુમારે વધુમાં કહ્યું કે હિંદુ સમાજે સતી પ્રથા અને બાળ વિવાહ સહિત અનેક ખરાબ પ્રથાઓમાંથી મુક્તિ મેળવી છે. ભૂલો સ્વીકારીને સમયસર સુધારી લેવામાં કંઈ ખોટું નથી. હિંદુ હોવાને કારણે તે પોતાના ધર્મનું સન્માન કરે છે. પરંતુ આનો અર્થ એ નથી કે તેમની અન્ય ધર્મો કે આસ્થાઓ પ્રત્યે દુર્ભાવના છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/i-was-and-am-a-member-of-rss-retiring-judge-chittaranjan-das">"હું RSS નો સભ્ય હતો અને છું", નિવૃત્ત થઈ રહેલા જજ ચિત્તરંજન દાસ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">UCC પર વાત કરતા તેણે કહ્યું, "યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ની હિમાયત કરનાર માત્ર RSS, VHP કે હિન્દુઓ જ નથી. દેશની સર્વોચ્ચ અદાલત પણ આનું સમર્થન કરે છે. જો કે, તેણે વધુમાં કહ્યું કે તેમણે જે કહ્યું તે કોઈ ખાસ ધર્મ માટે નથી. આ આપણા બધાં પર લાગુ પડે છે. દરેક ધર્મે પોતે બધી ખોટી પ્રથાઓથી દૂર રહેવું જોઈએ. જો તેઓ આમ નહીં કરે, તો દેશ તમામ નાગરિકો માટે સમાન કાયદા લાવશે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) 2025માં તેનું શતાબ્દી વર્ષ ઉજવશે. સાથે જ એ પણ જણાવ્યું કે કેવી રીતે સંઘ પરિવાર અને તેની પાંખ VHP 'મહત્વપૂર્ણ મુદ્દાઓ' પર કામ કરી રહી છે. તેમણે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની પણ પ્રશંસા કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે આ વાત કરવા પર તેમન કોઈ સવાલ નહીં કરી શકે. કારણ કે તેઓ કાયદાની વાત કરી રહ્યા છે અને મીડિયા આ ભાષણમાં જે ઈચ્છે તે છાપી શકે છે. આ કાર્યક્રમમાં અન્ય એક સિટીંગ જજ દિનેશ પાઠક પણ હાજર રહ્યા હતા. જો કે, તેમણે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું પરંતુ ત્યાં કોઈ ભાષણ આપ્યું ન હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-junior-judges-sitting-in-the-lower-courts-want-to-set-the-country-on-fire">નીચલી કોર્ટમાં બેઠેલાં નાના જજો દેશમાં આગ લગાડવા માંગે છે...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 09 Dec 2024 10:18:05 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1672</Articleid>
                    <excerpt>દેશના ન્યાયતંત્રમાં RSSની વિચારધારામાં માનતા જજો હવે ખૂલીને સામે આવી રહ્યાં છે. અગાઉ એક જજે કોર્ટમાં સંઘની પ્રશંસા કરી હતી, હવે આ જજ તેનાથી એક ડગલું આગળ ગયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675673eb3af9c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675673eb06c20.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675673eb06c20.jpg" length="71073" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>judge shekhar kumar yadav, allahabad high court, reaches VHP event, RSS, Ram Mandir, VHP legal cell</media:keywords>
                </item>
                        <item>
                    <title>12 લોકોની હત્યા કરનાર વઢવાણના ભૂવાનું પોલીસ કસ્ટડીમાં મોત</title>
                    <link>https://khabarantar.com/wadhwans-bhuva-who-killed-12-people-dies-in-police-custody</link>
                    <guid>https://khabarantar.com/wadhwans-bhuva-who-killed-12-people-dies-in-police-custody</guid>
                    <description>
                        <![CDATA[ તાંત્રિક વિધિથી લોકોના રૂપિયા ચાર ગણા કરી આપવાની લાલચ આપી અત્યાર સુધીમાં 12 લોકોને મોતને ઘાટ ઉતારનાર વઢવાણના ભૂવાનો ચકચારી ખેલ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાંત્રિક વિધિ કરીને લોકોના પૈસા ચાર ગણા કરી આપવાની લાલચ આપી તેમને દારૂમાં સોડિયમ નાઈટ્રેટ પીવડાવી મોતને ઘાટ ઉતારી, રૂપિયા લઈ ફરાર થઈ જનાર કથિત ભૂવાનું મોત થયું છે. મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના નવલસિંહ ચાવડા નામના આ કથિત ભૂવાને સરખેજ પોલીસે પાંચ દિવસ પહેલા એક વ્યક્તિને આ જ મોડસ ઓપરેન્ડીથી મોતને ઘાટ ઉતારવાના કાવતરા સબબ ઝડપી પાડ્યો હતો. ત્યારથી તે પોલીસ કસ્ટડીમાં હતો અને તેના રિમાન્ડ ચાલી રહ્યા હતા. એ દરમિયાન તેણે અત્યાર સુધીમાં 12 લોકોની હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું. ગઈકાલે પોલીસ કસ્ટડીમાં અચાનક તેની તબિયલ લથડતા લોક અપમાં જ ઢળી પડ્યો હતો અનો ઉલટી કર્યા બાદ મોતને ભેટ્યો હતો. આરોપી કથિત ભૂવા નવલસિંહે પોલીસ સમક્ષ કબૂલ કર્યું હતું કે અત્યાર સુધીમાં તેણે તાંત્રિક વિધિના નામે 12 લોકોની હત્યા કરી નાખી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તાંત્રિક વિધિથી રૂપિયા ચાર ગણાં કરી દેવાની લાલચ આપતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપી નવલસિંહ ચાવડા પૈસાદાર લોકોને શીંશામાં ઉતારતો હતો અને તેમને તાંત્રિક વિધિ કરી રૂપિયા ચાર ગણાં કરી દેવાની લાલચ આપતો હતો. આ રીતે તેણે સુરેન્દ્રનગર અને અમદાવાદમાં અનેક લોકોને છેતર્યા હતા. અમદાવાદમાં તેણે એક ફેક્ટરીના માલિક સાથે ષડયંત્ર રચ્યું હતું. ફેક્ટરીના માલિકને તેણે તાંત્રિક વિધિના નામે સોડિયમ નોઇટ્રેટ નેનો 3 પીવડાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. પોતાને મસાણી મેલડી માતાનો ભૂવો કહેતો નવલસિંહ આ રીતે અત્યાર સુધીમાં 12 લોકોને મોતને ઘાટ ઉતારી ચૂક્યો હતો, તેવી તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. છેલ્લે તેણે તાંત્રિક વિધિના નામે ફેક્ટરીના માલિકને લૂંટી લીધો હતો અને બાદમાં તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સરખેજ પોલીસ સમયસર પહોંચી જતા ફેક્ટરી માલિકનો આબાદ બચાવ થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો? </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા ચાંગોદરમાં એબીઆર કોસ્મેટિક ટ્રેડિંગ ફેક્ટરીના માલિક અભિજિત સિંહ રાજપૂતને કથિત ભૂવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિ કરીને તેમના રૂપિયાના ચાર ગણા કરી આપવાની લાલચ આપી હતી. આ માટે નવલસિંહે ફેક્ટરીના માલિકને 1લી ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે સનાથલ ખાતે રૂપિયા લઈને બોલાવ્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે માલિકને ઝેરી પદાર્થવાળું પ્રવાહી ભેળવીને વિધિના બહાને પીવડાવી તેની હત્યાની યોજના ઘડી હતી. ફેક્ટરીના માલિકની હત્યા કરી નવલસિંહ બધાં રૂપિયા લઈ નાસી જવાની તૈયારીમાં હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_6755a0b6db60f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ નવલસિંહના જ એક મિત્રએ પોલીસને આખા મામલાની જાણ કરી દેતા સરખેજ પોલીસ સમયસર ઘટના સ્થળે પહોંચી જતા ફેક્ટરીના માલિક અભિજિતસિંહનો જીવ બચી ગયો હતો. ચોંકાવનારી વાત એ છે કે નવલસિંહની ચાલમાં ફસાયેલો અભિજિતસિંહ તેનો કૌટુંબિક સંબંધી થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મસાણી મેલડી નામે યુટ્યુબ ચેનલ ચલાવતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી ભૂવો નવલસિંહ મૂળ સુરેન્દ્રનગરના વઢવાણનો રહેવાસી હતો અને લોકોમાં પોતાનો પ્રભાવ ઉભો કરવા માટે થઈને મસાણી મેલડી નામની યુટ્યૂબ ચેનલ ચલાવતો હતો. જેમાં તે આ જ પ્રકારના તંત્ર વિદ્યા અને મેલડી માતાની શક્તિના વીડિયો બનાવી પોતાને શક્તિશાળી ભૂવા તરીકે સ્થાપિત કરતો હતો. યુટ્યૂબ ચેનલના તેના વીડિયો જોઈને અનેક લોકો તેના પ્રભાવમાં આવી જતા હતા. થોડા દિવસ પહેલાં જ તે અમદાવાદના વેજલપુરમાં રહેવા આવ્યો હતો. તે વઢવાણમાં મસાણી મેલડી માતાનો મઢ ચલાવતો હતો અને ત્યાં ભૂવા તરીકે તાંત્રિક વિધિ કરી લોકો સાથે છેતરપિંડી આચરતો હતો. યુટ્યૂબ ચેનલમાં તે તાંત્રિક વિદ્યા કરતા વીડિયો પણ શેર કરતો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ક્રાઈમ પેટ્રોલ શો જોઈને ગુનો શીખતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરખેજ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી નવલસિંહ જાણીતો ટીવી શો ક્રાઈમ પેટ્રોલ નિયમિત રીતે જોતો હતો અને તેમાંથી જ તે સોડિયમ નાઈટ્રેટનો ઉપયોગ કરવાનું શીખ્યો હતો. તેણે કોઈ લેબમાંથી સોડિયમ નાઇટ્રેટ ખરીદ્યુ હતું. તે તાંત્રિક વિધિ કરી રૂપિયા ચાર ગણાં કરી દેવાની લાલચ આપી પૈસાદાર લોકોને મોટી રકમ લઈને અવાવરૂ જગ્યાએ બોલાવતો. જ્યાં તે વિધિના બહાને તેમને સોડિયમ નાઈટ્રેટ પીવડાવી દેતો, જેથી તે વ્યક્તિનું મોત થઈ જતું અને નવલસિંહ રૂપિયા લઈને ફરાર થઈ જતો. વિધિ પહેલા તે વ્યક્તિ પાસેથી મોતને લઈને ચિઠ્ઠી લખાવી લેતો હતો, જે પછી મરનાર વ્યક્તિના ખિસ્સામાં મૂકી હત્યાને આપઘાતમાં ખપાવી દેતો. આ રીતે તે 12 જેટલી હત્યાઓ કરી ચૂક્યો હોવાનું કબૂલ્યું હતું. તેણે અભિજિતસિંહ રાજપૂતને રૂ. 15 લઈને વિધિ માટે બોલાવ્યો હતો. જો કે તેના સાથીએ પોલીસને આખા મામલાની જાણ કરી દેતા નવલસિંહનો ભાંડો ફૂટી ગયો હતો અને સરખેજ પોલીસે તેને ઝડપી લીધો હતો. હવે તે ખુદ ગુના કબૂલ કર્યા બાદ વોમીટ થતા મોતને ભેટ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બહુજન સમાજે આમાંથી શું શીખવાનું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાંથી બહુજન સમાજના લોકોએ એટલું જ શીખવાનું કે તાંત્રિક વિધિ એક પ્રકારની અંધશ્રદ્ધા છે, તેનાથી કદી કોઈનું ભલું કે બુરું કરી શકાય નહીં. તે મનુવાદીઓના ભગવાન જેવું જ છળકપટ છે. તેમાં પડવું નહીં, કહેવાતા ભૂવાઓ જો રૂપિયા ચાર ગણાં કરી શકતા હોય તો તેઓ ખુદ કેમ માંગતા ફરે છે? તેમનો પરિવાર કેમ કામ ધંધા કરીને ઘર ચલાવે છે. કેમ મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી તેમનાથી વધારે પૈસાદાર છે? ઈશ્વરી શક્તિ જેવું કશું હોતું નથી, તમારે તમારો ઉદ્ધાર જાતે કરવાનો છે અને તેના માટે લક્ષ્ય નક્કી કરી યોગ્ય દિશામાં મહેનત કરીને ફળ મેળવી શકાય છે, નહીં કે નવલસિંહ જેવા ઢોંગી તાંત્રિકો કે ભૂવાઓ પાસે વિધિ કરાવવાથી</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/tantrik-rapes-parinita-on-the-pretext-of-vastu-dosha-removal-ritual">વાસ્તુદોષ દૂર કરવાની વિધિના બહાને તાંત્રિકે પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 08 Dec 2024 19:10:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1671</Articleid>
                    <excerpt>તાંત્રિક વિધિથી લોકોના રૂપિયા ચાર ગણા કરી આપવાની લાલચ આપી અત્યાર સુધીમાં 12 લોકોને મોતને ઘાટ ઉતારનાર વઢવાણના ભૂવાનો ચકચારી ખેલ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6755a081c56a7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6755a0819296e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6755a0819296e.jpg" length="80731" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>wadhwans News, surendranagar</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમદાવાદમાં પુરૂષો કરતા વધારે મહિલાઓએ દારૂની પરમિટ લીધી</title>
                    <link>https://khabarantar.com/more-woman-than-obtained-liquor-premits-in-ahmedabad</link>
                    <guid>https://khabarantar.com/more-woman-than-obtained-liquor-premits-in-ahmedabad</guid>
                    <description>
                        <![CDATA[ દારૂની પરમિટ મેળવવામાં છેલ્લાં બે વર્ષમાં અમદાવાદ શહેરમાં સ્ત્રીઓએ પુરૂષોને પાછળ ધકેલી દીધાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાણીને ચોંકી જવાશે પણ હકીકત એ છે કે, અમદાવાદ શહેરમાં સ્ત્રીઓએ લિકર પરમિટ મેળવવામાં પુરૂષોને પાછળ ધકેલી દીધાં છે. આવું કોઈ હવાઈ સર્વેના આધારે નહીં પરંતુ આંકડાઓ કહે છે. મળતી માહિતી પ્રમાણે વર્ષ 2023 અને 2024માં અપાયેલી હેલ્થ પરમિટ એટલે કે લિકર પરમિટમાં પુરૂષો કરતાં મહિલાઓની સંખ્યા વધારે છે. અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં 1,277 નવી લિકર પરમિટ અપાઈ છે. તેમાં 690 પરમિટ મહિલાઓને અપાઈ છે જ્યારે પુરૂષોને 587 પરમિટ અપાઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લિકર પરમિટમાં મહિલાઓનું પ્રમાણ 40 ટકા વધ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદમાં 2019થી 2024ના મે સુધીમાં કુલ 14,132 લોકોની લિકર પરમિટ રિન્યૂ કરવામાં આવી હતી. તેમાં 8115 પુરૂષ અને 6257 મહિલા છે. એક દાયકા પહેલાં અમદાવાદમાં અપાતી લિકર પરમિટમાં 90 ટકા પરમિટ પુરૂષોને અપાતી હતી. પરંતુ મહિલાઓ પણ ધીરે ધીરે લિકર પરમિટ લેવા માંડી તેના કારણે રિન્યુઅલ અરજીઓમાં હવે પુરૂષોનું પ્રમાણ 60 ટકાથી ઓછું થઈ ગયું છે. જ્યારે મહિલાઓનું પ્રમાણ 40 ટકાથી વધારે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">છેલ્લાં બે વર્ષમાં બમણી મહિલાઓએ પરમિટ લીધી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદમાં મહિલાને લિકર પરમિટમાં વધારાના આંકડો ધ્યાન ખેંચનારો છે. 2019થી 2022 દરમિયાન છ વર્ષમાં કુલ 275 મહિલાઓને નવી લિકર પરમિટ અપાઈ હતી. જ્યારે છેલ્લાં 2 વર્ષમાં તેના કરતાં લગભગ બમણી મહિલાઓને લિકર પરમિટ અપાઈ છે. અમદાવાદમાં છેલ્લા એક દાયકામાં પરમિટ લેનારાંની સંખ્યામાં પણ જંગી વધારો થયો છે. અમદાવાદમાં 31મી ડિસેમ્બર 2013 સુધીમાં કુલ 11,890 લોકોને પરમીટ આપવામાં આવી હતી. છેલ્લા એક દાયકામાં રીન્યુઅલ લિકર પરમિટ સાથે કુલ 20,339 લોકો પાસે લિકર પરમિટ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હોટલો કરોડોનો દારૂ વેચે છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદ અને ગાંધીનગરમાં 25 જેટલી હોટલોને લિકર પરમિટ આપવામાં આવી છે. આ હોટલો સામાન્ય સંજોગોમાં 3 કરોડ રૂપિયાની આસપાસનો દારૂ વેચે છે. દિવાળીના તહેવારમાં 4 કરોડ રૂપિયાથી વધારેનો દારૂ વેચાયો હતો. અત્યારે પણ ઠંડીની સિઝન અને લગ્નની સિઝન ચાલુ હોવાથી લિકર પરમિટવાળી હોટલોનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. અત્યારે લિકર પરમિટ ધરાવતી હોટલોમાંથી દારૂ અને બિયર મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/in-andhra-pradesh-you-will-get-high-quality-liquor-for-just-99-ropees"><strong>આંધ્રપ્રદેશમાં માત્ર 99 રૂપિયામાં ઉચ્ચ ગુણવત્તાનો દારૂ મળશે</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 08 Dec 2024 13:42:17 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 08 Dec 2024 13:43:20 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1670</Articleid>
                    <excerpt>દારૂની પરમિટ મેળવવામાં છેલ્લાં બે વર્ષમાં અમદાવાદ શહેરમાં સ્ત્રીઓએ પુરૂષોને પાછળ ધકેલી દીધાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67555422a2a61.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67555422703bc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67555422703bc.jpg" length="86877" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>liquor permit near Ahmedabad, Gujarat, Ahmedabad News</media:keywords>
                </item>
                        <item>
                    <title>વડોદરામાં મહાપરિનિર્વાણ દિવસે આંબેડકર વંદના પરિસંવાદ યોજાયો</title>
                    <link>https://khabarantar.com/ambedkar-vandana-seminar-held-in-vadodara-on-mahaparinirvana-day</link>
                    <guid>https://khabarantar.com/ambedkar-vandana-seminar-held-in-vadodara-on-mahaparinirvana-day</guid>
                    <description>
                        <![CDATA[ મહાનાયક ડૉ.આંબેડકરને હડધૂત કરીને કાઢી મૂકનાર કહેવાતી સંસ્કાર નગરી વડોદરામાં બહુજન વિદ્વાનોએ આંબેડકર વંદના પરિસંવાદમાં અનેક પ્રસંગોને ઉજાગર કર્યા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'દક્ષિણ આફ્રિકામાં ટ્રેનના ડબ્બામાંથી બ્લેક - એશિયન મિ.ગાંધીને હડધૂત કરીને અંગ્રેજો દ્વારા સામાન સહિત પ્લેટફોર્મ પર બહાર ફેંકી દેવાયા તે પછી જ આ દેશને 'મહાત્મા ગાંધી' નામક મહાન પ્રતિભાની ભેટ મળી, બરાબર એજ રીતે વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડને ત્યાં નોકરી કરવા આવેલા ડો.આંબેડકરને અપમાનિત કરીને તેમના સામાન સહિત પારસી મકાન માલિક દ્વારા બહાર ફેંકી દેવાયા તે પછી જ આ દેશને 'ડો.બાબાસાહેબ આંબેડકર' નામક મહાન પ્રતિભાની ભેટ મળી. બેય મહાનુભાવો સાથે ઘટેલી આ બે ઘટનાઓ યુગ પરિવર્તનની સાક્ષી બની રહી છે.'</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_6754025160e33.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે વડોદરાના કમાટી બાગના ઝાડ નીચે ફેંકાઈ દેવાયેલા સામાનને સમેટીને સજળ આંખોએ ડો.આંબેડકરે જાતિભેદ નાબૂદીનો કૃતસંકલ્પ કર્યો હતો તે સ્થળ આજે તો 'સંકલ્પ ભૂમિ' રૂપે ખ્યાત છે. આંબેડકરી તવારિખમાં મહત્વના સ્થાને રહેલા શહેર વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા 'ડો.બી.આર. આંબેડકર ભવન' ખાતે ગઈકાલે 6 ડિસેમ્બર 2024ના રોજ મહામાનવ ડો. આંબેડકરના 68માં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે બાબાસાહેબને સ્મૃતિવંદના અર્પણ કરવાની સાથે એક ખાસ પરિસંવાદ યોજાયો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_67540266d2bfa.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કાર્યક્રમમાં પૂર્વ મેયર જીવરાજભાઈ ચૌહાણ, 'ભવન'ના પ્રમુખ શ્રી મણિભાઈ પરમાર, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પી.એમ.ચાવડા, પારૂલ યુનિવર્સિટીના ડો. જી.કે.વણકર, અગ્રીમ સાહિત્યકાર પ્રવીણ ગઢવી, વડોદરા મ્યુનિસિપલ કાઉન્સિલર્સ બહેનો - લીનાબેન મકવાણા અને રશ્મીબેન વાઘેલા, સેન્ટ્રલ યુનિવર્સિટી(ગુજરાત)ના ડો.રાજેશ મકવાણા, સરદાર પટેલ યુનિવર્સિટીના ડો.બલદેવ આગજા, યુવા દલિત લેખક મયૂર વાઢેર સાથે  પૂર્વ સંયુક્ત માહિતી નિયામક નટુભાઈ પરમારે 'ડો.આંબેડકર અને આજના રાજકીય પક્ષો' વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_6754028035460.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાર્યક્રમમાં પ્રવીણ શ્રીમાળી, વસંત જાદવ, સાહિલ પરમાર, રમણ વાઘેલા, ગિરીશ સેંગાલ, અશોક વાણીયા, કે.પી.વાઘેલા, મુકેશ હેલૈયા, અજય ડાભી સહિત અનેક મહાનુભાવો, લેખકો, કવિઓ અને ડો.આંબેડકરના ચાહકો ઉપસ્થિત રહ્યાં હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/A-State-Level-Seminar-on-Dalit-Literature-and-Neglected-Society-was-held-at-Ahmedabad">અમદાવાદ ખાતે ‘દલિત સાહિત્ય અને ઉપેક્ષિત સમાજ’ વિષય પર રાજ્ય કક્ષાનો પરિસંવાદ યોજાયો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 07 Dec 2024 13:44:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1665</Articleid>
                    <excerpt>મહાનાયક ડૉ.આંબેડકરને હડધૂત કરીને કાઢી મૂકનાર કહેવાતી સંસ્કાર નગરી વડોદરામાં બહુજન વિદ્વાનોએ આંબેડકર વંદના પરિસંવાદમાં અનેક પ્રસંગોને ઉજાગર કર્યા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67540237a3207.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675402377404a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675402377404a.jpg" length="85430" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dr ambedkar mahaparinirvan din, mahaparinirvan din 2024</media:keywords>
                </item>
                        <item>
                    <title>આજે 68મા મહાપરિનિર્વાણ દિવસે SSD દ્વારા સુરતમાં મહારેલી</title>
                    <link>https://khabarantar.com/on-the-68th-mahaparinirvana-day-a-grand-rally-was-held-in-surat-by-ssd</link>
                    <guid>https://khabarantar.com/on-the-68th-mahaparinirvana-day-a-grand-rally-was-held-in-surat-by-ssd</guid>
                    <description>
                        <![CDATA[ ડૉ.બાબાસાહેબ આંબેડકરના 68મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે આજે દેશભરમાં ભીમ યોદ્ધાઓ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાનાર છે. સૌથી મોટો કાર્યક્રમ SSD દ્વારા સુરતમાં યોજાશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે મહાનાયક ડો.બાબાસાહેબ આંબેડકરનો 68મો મહાપરિનિર્વાણ દિવસ છે. આજના દિવસે બહુજન સમાજના ઉદ્ધારક મહાનાયક બાબાસાહેબે અંતિમ શ્વાસ લીધા હતા. આ દિવસે દેશભરમાં બહુજન સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં પણ લગભગ તમામ શહેરો અને નાના કસ્બાઓમાં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૌથી મોટો કાર્યક્રમ આ વખતે સુરતમાં યોજાઈ રહ્યો છે. જ્યાં સ્વયં સૈનિક દળ (SSD) દ્વારા જંગી ભીમ રેલી અને મહા સલામીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય એસએસડીના તમામ યુનિટ દ્વારા દરેક શહેરો, ગામડાઓમાં પણ આ જ પ્રકારના શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરતના કાર્યક્રમની વાત કરીએ તો વહેલી સવારે 9 વાગ્યે ભીમ રેલીનું પ્રસ્થાન શ્યામધામ મંદિર કામરેજ રોડથી થશે. આ જંગી રેલીમાં એસએસડી રીતસરનું શક્તિ પ્રદર્શન કરશે. આ ભીમ રેલીમાં 500 જેટલી વોલ્વો બસ, 1400થી વધુ કાર અને 3000થી વધુ બાઈક તથા અન્ય વાહનો જોડાશે. રેલી સવારે 9 વાગ્યે શરૂ થશે. ત્યારબાદ વીઆઈપી સર્કલ મોટા વરાછા ખાતે મહા સલામીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જ્યાં મહાનાયક ડો.આંબેડકરને ગુજરાતભરમાંથી આવેલા એસએસડીના કાર્યકરો અને ભીમયોદ્ધાઓ સલામી આપશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારબાદ બપોરે 2.00 વાગ્યાથી 4.00 વાગ્યા સુધી કેપિટલ ગ્રાઉન્ડ, વીઆઈપી સર્કલની બાજુમાં, મોટા વરાછા ખાતે જંગી મહાસભાનું આયોજન કરાયું છે. જેમાં પણ હજારો લોકો ઉમટી પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, એસએસડી ગુજરાત સહિત દેશભરમાં ડો.આંબેડકરની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતું સૌથી મોટું સંગઠન છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે, અહીં કોઈ નેતા નથી, સૌ કાર્યકરો છે અને એટલે જ તેના કાર્યક્રમોમાં હાજર રહેતો સ્વયંસેવક સ્વખર્ચે ત્યાં પહોંચે છે. SSD આ પ્રકારના કાર્યક્રમો દરમિયાન ભવિષ્યના કાર્યક્રમોની રૂપરેખા પણ આપતું હોય છે. એ મુજબ આગામી ચાર વર્ષમાં 6ઠ્ઠી ડિસેમ્બરના કાર્યક્રમો હવે ભૂજ, ગોધરા અને પાટણ ખાતે યોજાશે. જ્યારે 14મી એપ્રિલનું રાષ્ટ્રીય સ્તરનું આયોજન વર્ષ 2025માં કલકત્તામાં, 2026માં ભોપાલમાં અને 2027માં બેંગલુરુમાં થશે. જ્યારે વર્ષ 2028માં ચૈત્યભૂમિ દાદર-મુંબઈમાં 2 કરોડ મૂળનિવાસીઓ એકસાથે બૌદ્ધ ધર્મ અંગિકાર કરશે તેવું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ તમામ કાર્યક્રમોમાં એસએસડીનું માઈક્રો મેનેજમેન્ટ અને કાર્યકરોનું સમર્પણ સ્પષ્ટ રીતે ઉડીને આંખે વળગે છે. જેમાથી અન્ય સંગઠનો પણ ઘણું બધું શીખી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/6th-December-Special:-There-is-a-difference-between-Nirvana,-Parinirvana-and-Mahaparinirvana">6th December Special: નિર્વાણ, પરિનિર્વાણ અને મહાપરિનિર્વાણમાં ફરક છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 06 Dec 2024 08:36:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1658</Articleid>
                    <excerpt>ડૉ.બાબાસાહેબ આંબેડકરના 68મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે આજે દેશભરમાં ભીમ યોદ્ધાઓ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાનાર છે. સૌથી મોટો કાર્યક્રમ SSD દ્વારા સુરતમાં યોજાશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675268b6b927a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675268b68119c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675268b68119c.jpg" length="152762" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dr ambedkar mahaparinirvan din, mahaparinirvan din 2024</media:keywords>
                </item>
                        <item>
                    <title>કબરાઉ મોગલ ધામના બાપુની દીકરી ઘરે પરત ફરી, બાપુએ મૌન તોડ્યું</title>
                    <link>https://khabarantar.com/kabarau-mogal-dham-bapu-daughter-returned-home-manidhar-bapu-broke-the-silence</link>
                    <guid>https://khabarantar.com/kabarau-mogal-dham-bapu-daughter-returned-home-manidhar-bapu-broke-the-silence</guid>
                    <description>
                        <![CDATA[ ભચાઉના કબરાઉ મોગલ ધામના બાપુની દીકરીએ બૂકી સાથે લગ્ન કર્યા બાદ હવે ઘરે પરત ફરતા 10 દિવસથી મૌન રહેલા મણિધર બાપુએ મૌન તોડ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છના ભચાઉમાં આવેલા કબરાઉ મોગલ ધામ (kabrau mogal dham) ના મણિધર બાપુ (manidhar bapu mogal dham) ની દીકરીએ (kabrau mogal dham bapu daughter) થોડા દિવસ પહેલા ભૂજના બૂકી સાથે ભાગીને પ્રેમ લગ્ન કરી લીધી હતા. આ મામલો આખા ગુજરાત સહિત જ્યાં પણ ગુજરાતીઓ વસે છે ત્યાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. 25મી નવેમ્બરે બાપુની દીકરીનું અપહરણ થયાનું સામે આવ્યું હતું, એ પછી ખ્યાલ આવ્યો કે દીકરી ભાગીને અમદાવાદ આવી ગઈ છે અને અહીં પ્રેમ લગ્ન કરી લીધા છે. ભૂજના બુકી યુવક અને મણિધર બાપુની દીકરીના લગ્નના ફોટા અને સર્ટિફિકેટ પણ વાયરલ થયા હતા. આ મામલે પહેલા ભચાઉ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. પણ ફોટા વાયરલ થયા બાદ મામલો પ્રેમ લગ્નનો નીકળ્યો હતો. એ પછી પોલીસે બંનેને શોધી કાઢ્યા હતા અને હવે બાપુની દીકરીને કબરાઉ ધામ પરત મોકલી દીધી છે. આ મામલે અત્યાર સુધી મૌન રહેલા કબરાઉ ધામના મણિધર બાપુએ હવે પોતાનું મૌન તોડ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જેણે કર્યું હશે તેને મારી માતા જોઈ લેશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાપુએ કહ્યું કે, 'બાપુને કોઈ ફરક પડવાનો નથી. મારે મોગલથી મતલબ છે અને જે કરશે એ મોગલ જ કરશે. જે પણ લોકો આમા સામેલ હશે, આંગળી ચિંધનારો, રસ્તો બતાવનારો તેમજ સાચું-ખોટું બોલનારાનું કશું નહીં વધે. બાપુ પાસે અહીં અઢારેય વર્ણની દીકરીઓ આવે છે અને સેવા કરે છે. અમે તો સંત છીએ અને અમારો સ્વભાવ તો ક્ષમા કરવાનો છે. હું દુઃખનો ભિખારી છું. તમારા તમામ દુઃખ મને આપો. આટલાં બધાં દુઃખ લીધા બાદ આ દુઃખ મને શું નડવાનું? પણ એટલું ધ્યાન રાખજો કે, જેણે પણ આ કર્યું હશે તેને મારી માતાજી જોઈ લેશે.'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિંમત રાખજો, કોઈની વાતમાં ન આવતા..</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મણિધર બાપુએ વધુમાં કહ્યું કે, "મારે કંઈ નથી કરવું. કેમકે, મારી પાસે મારી મોગલ છે. મોટા-મોટા અધિકારીઓથી લઈને બધાને ખબર છે કે, મારૂ હથિયાર મોગલ છે. હું સાચું કહેવાવાળો ચારણ છું. પોતાની દીકરી સાથે લગ્ન કરેલા વ્યક્તિ વિશે વાત કરતાં બાપુએ કહ્યું કે, આવા ઉંદરડા કદાચ ઠેકડા મારતા હોય તો એ કરે.. સમાજ તો બધો આ ઉંદરડાથી દૂર ભાગી ગયો છે અને ઉંદરડાને એકલો મૂકી દીધો છે. હું તો અઢારેય વર્ણની દીકરીને કહું છું કે, તમે બધી મારી રાજબાય છો. હું તમને આદેશ કરૂ છું કે, હિંમત રાખજો અને કોઈની પણ વાતમાં ન આવતાં." </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એકવાર સામે આવીને ઉભા રહો એટલે ખબર પડે..</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાપુએ સમગ્ર મામલે સંડોવાયેલા લોકોને ચેતવણી આપતા કહ્યું કે, "તમારે બેન છે, દીકરી છે, મા છે. આ તો બાપુનું કામ છે અઢારેય વર્ણના અવળા રસ્તે ગયેલાં ને સવળા રસ્તે લાવવાનું. કોઈ પક્ષપાત નથી, પરંતુ આ ષડયંત્રમાં જેટલાં છે એમને કહેવું છે કે, તમારી તાકાત નથી બાપુને ઝૂકાવી શકો. તમારી તાકાત હોય તો સામે આવીને આંખ મેળવીને વાત કરો. એકવાર સામે આવીને ઉભા રહો એટલે ખબર પડે કે બાપુ સામે કેમ બોલાય અને ઉભા રહેવાય."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/did-the-daughter-of-the-father-of-kabarau-mogal-dham-marry-a-bookie">કબરાઉ મોગલ ધામના બાપુની દીકરીએ બુકી સાથે લગ્ન કરી લીધાં?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 04 Dec 2024 15:07:52 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 04 Dec 2024 15:14:55 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1649</Articleid>
                    <excerpt>ભચાઉના કબરાઉ મોગલ ધામના બાપુની દીકરીએ બૂકી સાથે લગ્ન કર્યા બાદ હવે ઘરે પરત ફરતા 10 દિવસથી મૌન રહેલા મણિધર બાપુએ મૌન તોડ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675022ca60cf4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675022ca2c2b1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675022ca2c2b1.jpg" length="85049" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kabrau Mogal Dham, Kutch Kabrau, Mogal Dham, Kabrau Bapu</media:keywords>
                </item>
                        <item>
                    <title>દેશની 8 IIT, 7 IIM માં 80 ટકાથી વધુ શિક્ષકો સવર્ણ જાતિના</title>
                    <link>https://khabarantar.com/casteism-in-indias-iits-and-iims-revealed-in-rti-80-percent-of-staff-are-upper-caste</link>
                    <guid>https://khabarantar.com/casteism-in-indias-iits-and-iims-revealed-in-rti-80-percent-of-staff-are-upper-caste</guid>
                    <description>
                        <![CDATA[ દેશની લગભગ તમામ આઈઆઈટી, આઈઆઈએમમાં 80 ટકાથી વધુ શિક્ષકો સવર્ણો છે. સૌથી વધુ ખાલી જગ્યા ઓબીસીની છે. વાંચો શિક્ષણ જગતમાં ચાલતા જાતિવાદને નગ્ન કરતો રિપોર્ટ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદ જેવું કશું ક્યાં હવે છે જ - એવું કહેનારના મોં પર સણસણતો તમાચો મારતો એક રિપોર્ટ સામે આવ્યો છે. એક આરટીઆઈમાં થયેલા ખૂલાસા મુજબ દેશની 8 આઈઆઈટી અને 7 આઈઆઈએમમાં 80 ટકાથી પણ વધુ શિક્ષકો કથિત સવર્ણ જાતિના છે. એમાં પણ બે IIT અને ત્રણ IIM માં તો 90 ટકાથી વધુ સંખ્યા જનરલ કેટેગરીના શિક્ષકોની છે. એ જ રીતે અન્ય છ આઈઆઈટી અને ચાર આઈઆઈએમમાં ​​આ સંખ્યા 80-90 ટકાની વચ્ચે છે. આ આંકડા આરટીઆઈ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સામે આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં ચોંકાવનારી બાબત એ છે કે, કેન્દ્ર સરકારે અન્ય પછાત વર્ગો એટલે કે OBC માટે આ સંસ્થાઓમાં 27 ટકા બેઠકો, SC માટે 15 ટકા અને આદિવાસી સમુદાય માટે 7.5 ટકા બેઠકો અનામત રાખી છે. તેમ છતાં 90 ટકાથી વધુ શિક્ષકો સવર્ણો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">IIM ઇન્દોરમાં, 109 માંથી 106 પોસ્ટ સામાન્ય કેટેગરીના લોકો પાસે છે. અહીં એસસી અને એસટી કેટેગરીના કોઈ શિક્ષક નથી. જ્યારે IIM ઉદયપુરમાં સામાન્ય વર્ગના શિક્ષકોની સંખ્યા 90 ટકાથી વધુ છે. IIM લખનૌમાં આ સંખ્યા વધીને 95 ટકા થઈ ગઈ છે. છ આઈઆઈએમમાં ​​એસટી કેટેગરીના એક પણ શિક્ષક નથી. IIM બેંગ્લોરમાં, જ્યાં અનામત લાગુ કરવા માટે નિયમિત વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે, ત્યાં 85 ટકા ફેકલ્ટી જનરલ કેટેગરીના છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">IIT મુંબઈ અને IIT ખડગપુરના 700 શિક્ષકોમાંથી 90 ટકા શિક્ષકો જનરલ કેટેગરીના છે. જ્યારે મંડી, ગાંધીનગર, કાનપુર, ગુવાહાટી અને દિલ્હી IITમાં આ આંકડો 85 ટકા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/casteism-at-iim-lucknow-86-percent-faculty-are-general-sc-2-percent-st-zero"><span style="font-size: 12pt;"> </span></a><a href="https://khabarantar.com/dalits-share-only-2.6-percent-of-the-countrys-wealth-89-percent-of-the-general"><span style="font-size: 12pt;"></span></a></strong></span><a href="https://khabarantar.com/dalits-share-only-2.6-percent-of-the-countrys-wealth-89-percent-of-the-general"><strong> દેશની સંપત્તિમાં દલિતોનો હિસ્સો ફક્ત 2.6 ટકા, જનરલનો 89 ટકા</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકંદરે 13 IIM માં 82.8 ટકા ફેકલ્ટી જનરલ કેટેગરીના છે. જ્યારે 5 ટકા એસસી અને 1 ટકા એસટી કેટેગરીના છે. જ્યારે 9.6 ટકા ફેકલ્ટી સભ્યો ઓબીસી કેટેગરીના છે. બાકીના EWS અને શારીરિક રીતે વિકલાંગ લોકો માટે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">21 IIT માં, 80 ટકા શિક્ષકો જનરલ કેટેગરીમાંથી છે. જ્યારે 6 ટકા SC અને 1.6 ટકા ST અને 11.2 ટકા ઓબીસી કેટેગરીના છે. બાકીની સીટો EWS અને વિકલાંગ વર્ગ માટે અનામત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે તમામ IIT અને IIM આવી નથી. IIT પટનામાં 38 ટકા ફેકલ્ટી OBC સમાજની છે. જ્યારે 22 ટકા SC અને 13 ટકા ST સમાજના છે. અહીં માત્ર 12 ટકા જ જનરલ કેટેગરીના છે. IIT ભિલાઈ અને ઈન્દોરમાં પણ 50 ટકા ફેકલ્ટી જનરલ કેટેગરીના છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેવી જ રીતે IIM જમ્મુમાં 51 ટકા ફેકલ્ટી જનરલ કેટેગરીના છે. 19 ટકા SC, 5 ટકા ST, 23 ટકા OBC અને 2 ટકા EWS કેટેગરીના છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે સંસ્થાઓએ વિગતો પુરી પાડી છે તેમાં 7 IIM માં કુલ 256 જગ્યાઓ ખાલી હતી. જેમાં તમામ કેટેગરીમાં સૌથી વધુ ઓબીસી કેટેગરીની હતી, જેની સંખ્યા 88 છે. આ સિવાય SC સમાજની 54 જગ્યાઓ ખાલી છે. જ્યારે STની 30 જગ્યાઓ ખાલી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેવી જ રીતે, 11 IITમાં 1557 જગ્યાઓ ખાલી છે. જેમાં સૌથી વધુ 415 ઓબીસીની છે અને 223 SC અને 129 ST સમાજની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/casteism-at-iim-lucknow-86-percent-faculty-are-general-sc-2-percent-st-zero"><span style="font-size: 12pt;"> </span>IIM લખનઉમાં જાતિવાદઃ 86 ટકા ફેકલ્ટી સવર્ણ, SC 2 ટકા, ST ઝીરો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 04 Dec 2024 13:10:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1647</Articleid>
                    <excerpt>દેશની લગભગ તમામ આઈઆઈટી, આઈઆઈએમમાં 80 ટકાથી વધુ શિક્ષકો સવર્ણો છે. સૌથી વધુ ખાલી જગ્યા ઓબીસીની છે. વાંચો શિક્ષણ જગતમાં ચાલતા જાતિવાદને નગ્ન કરતો રિપોર્ટ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6750067100bcb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67500670c3b58.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67500670c3b58.jpg" length="129537" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>casteism in iit iim, iim indore</media:keywords>
                </item>
                        <item>
                    <title>CREDAI ની ચેતવણી : નવી જંત્રી કોઈ કાળે સ્વીકાર્ય નથી, ફેર વિચારણા કરે</title>
                    <link>https://khabarantar.com/credais-warning-new-jantri-is-not-acceptable-at-any-time-reconsider</link>
                    <guid>https://khabarantar.com/credais-warning-new-jantri-is-not-acceptable-at-any-time-reconsider</guid>
                    <description>
                        <![CDATA[ રાજ્ય સરકારની નવી સૂચિત જંત્રીને લઈને વિરોધના સૂર ઉઠવા શરૂ થઈ ગયા છે. બિલ્ડરો અને ડેવલપરોની સંસ્થા ક્રેડાઈએ મોરચો માંડી અનેક વાંધા રજૂ કર્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા આગામી 1 એપ્રિલ, 2025 થી સૂચિત નવી જંત્રી અમલમાં લાવવા માટે જંત્રીના ભાવ જાહેર કર્યા છે. જો કે, રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલી સૂચિત નવી જંત્રી સામે રાજ્યના બિલ્ડર્સ અને ડેવલોપર્સ એસોશિએશનની સંસ્થા એવી ક્રેડાઈએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં, ક્રેડાઈ દ્વારા એવો દાવો કરાયો છે, રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સૂચિત જંત્રીના દરમાં જે વધારો કરાયો છે, તે વાસ્તવિક નથી. તેમજ જંત્રીના દરોમાં કરાયેલા સૂચિત વધારાની દરખાસ્તો ખેડૂતો, મકાન ખરીદનાર સામાન્ય વર્ગની મુશ્કેલીમાં વધારો કરનાર છે. સરકારના મહેસૂલ વિભાગ દ્વારા નવી જંત્રીના દરોમાં 200થી 2000 ટકાનો અણઘડ વધારો ઝીકયો છે તે ખેડૂતો અને મકાન ખરીદવા ઇચ્છતા સામાન્ય વર્ગના લોકોની કમર તોડી નાખશે. જેથી સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે સૂચિત જંત્રીના દરોમાં ઘટાડો કરવા, જંત્રી માટે મંગાવવામાં આવેલા વાંધા સૂચનોની મર્યાદાને 31 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવે તેમજ વાંધા સૂચનો ઓનલાઈનની સાથોસાથ ઓફલાઇન ધોરણે જે તે જિલ્લા અને તાલુકા મથકથી આપી શકાય તેવી વ્યવસ્થા કરવાની માંગણી ક્રેડાઈ દ્વારા કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા કોઈ પણ જાતના સાયન્ટિફિક રીતે સર્વે કર્યા વિના નવી સૂચિત જંત્રીના દર આગામી તા. 31. માર્ચ 2025થી અમલમાં મૂકવાનો નિર્ણય કરાયો છે. એટલું જ નહીં, આ નવી જંત્રીના દરમાં 200થી 2000 ટકા સુધીનો ધરખમ વધારો કરાયો છે. આ નવી જંત્રીના દર અંગે આગામી તા. 20 નવેમ્બર સુધીમાં ઓનલાઈન દ્વારા વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે. સરકારનો આ નિર્ણય રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર ગંભીર અસર પહોંચાડી શકે છે. સરકારના આ નિર્ણયથી સૌથી વધુ કફોડી સ્થિતિ ખેડૂતો તેમજ ઘર (મકાન) ખરીદનાર સામાન્ય વર્ગના લોકો તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રના લોકોની બનશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકારના આ નિર્ણય અંગે કોન્ફેડેરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ એસોશિએશન ઓફ ઈન્ડિયા (ક્રેડાઈ) અમદાવાદ ગાહેડના પ્રમુખ ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2011 માં જંત્રી આવી હતી, તેના બાદ 12 વર્ષ સુધી કોઈ જ વધારો કરાયો ન હતો. ડેવલપમેન્ટને ધ્યાને રાખી ક્રેડાઈ દ્વારા સરકારને અવારનવાર સૂચનો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા માર્ચ 2023 માં એક સરપ્રાઈઝ તરીકે જંત્રી ડબલ કરવાની જાહેરાત કરાઈ હતી. ત્યારે પણ ક્રેડાઈએ હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો. હવે 12 વર્ષ પછી આ જંત્રીમાં વધારો કરાયો છે તે અંગે સરકારે વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે કરી જંત્રીમાં સુધારો કરાયો હોવાની વાત કરી છે. રાજ્ય સરકારે એપ્રિલ 2023 થી અત્યાર સુધી સર્વે કર્યો અને 20 ઓક્ટોબર 2024ના રોજ એ સૂચિત જંત્રી જાહેર કરી છે. અને આગામી તા. 20 નવેમ્બર સુધીમાં વાંધા સૂચનો ઓનલાઈન મંગાવવામાં આવ્યા છે. જેથી અમે આ મામલે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી કે, રાજ્યમાં 40,000 વેલ્યૂ ઝોન આવેલા છે. આ ઝોનને ધ્યાનમાં રાખ્યા વિના નવી જંત્રીના દર નક્કી કરાયા છે. આ વેલ્યૂ ઝોનની અનેક પ્રકારની જમીનના મુદ્દા રાજ્યના ખેડૂતોથી લઇ તમામ લોકોને લાગુ પડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પોતે નવી જંત્રી માટે દોઢ વર્ષ લીધું, પરંતુ જનતાના વાંધા સૂચનો માટે ફક્ત 1 મહિનો આપ્યો, તે વ્યાજબી નથી. હાલની સૂચિત જંત્રીમાં અમારા સર્વે મુજબ 200 ટકાથી લઈને 2000 ટકા સુધીનો સરેરાશ વધારો કરાયો હોવાનું જણાય રહ્યું છે. વિકાસ અને સમય મુજબ જંત્રી વધવી જોઈએ એ અમે પણ માનીએ છીએ, પણ એક ઝાટકે આટલો ધરખમ વધારો અમને સ્વીકાર્ય નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પોતે રિવ્યૂ કરવા માટે દોઢ વર્ષનો સમય લે છે અને પ્રજાને તેના વાંધા સૂચનો માટે ફક્ત 1 મહિનો અને તે પણ ઓનલાઈન સિસ્ટમ દ્વારા આપે છે. જે બિલકુલ યોગ્ય નથી. અમારી માંગણી છે કે, આગામી તા. 31 માર્ચ 2025 સુધી અમને રિવ્યૂ કરવાનો સમય આપો. એટલું જ નહીં, ઓનલાઇન રિવ્યૂનો વિકલ્પ બિલકુલ ઉપયોગી (યુઝર ફ્રેન્ડલી) નથી, ઓનલાઈન સિસ્ટમમાં અનેક ટેકનિકલ ક્ષતિઓ આવી રહી છે. જેના કારણે અમદાવાદ જેવા મહાનગરમાં અમારા જેવા શિક્ષિત લોકોએ અનેક મુશ્કેલીઓ પડી રહી છે, તો ગ્રામીણ વિસ્તારમાં રહેતા નાદાન અને નાસમજ લોકો આ વાંધા સૂચનો કરી જ નહીં શકે. આ માટે રાજ્યના તાલુકા અને જિલ્લા મથકો ખાતે નાગરિકોના ઓફલાઈન પદ્ધતિથી પણ વાંધા સૂચનો સ્વીકારવામાં આવે એવી અમારી માંગણી છે. એટ્લે કે આ માટે મામલતદાર અને કલેકટર કચેરીએ પણ  લેખિતમાં વાંધા સૂચનો સ્વીકારવા જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ક્રેડાઈના પ્રમુખ ધ્રુવ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ સૂચિત જંત્રી મામલે અમારે પણ હજી સંપૂર્ણ અભ્યાસ કરવો શક્ય નથી. તેથી આ જંત્રી હાલના સંજોગોમાં અમારા માટે કોઈ કાળે સ્વીકાર્ય નથી. જેથી આ નવી જંત્રીના ધરખમ દર વધારાનો અમલ કરવા માટે રાજ્ય સરકાર અમને વધુ મુદત આપે તે જરૂરી છે. સાથોસાથ ઓફલાઈન વાંધા સૂચન સ્વીકારવાનો પણ સરકાર વિકલ્પ આપે. તેમજ જંત્રીનો વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે થવો જોઈએ પરંતુ હાલની જંત્રી કયા ધારા ધોરણોથી જાહેર કરવામાં આવી છે તેનો અમને જરા પણ અંદાજ નથી આવતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સામાન્ય વર્ગના લોકોને ઘરનું ઘર ખરીદવું સપનું બની રહેશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે ક્રેડાઈના પ્રમુખે જણાવ્યું હતું કે, સરકારની આ નવી સૂચિત જંત્રીમાં જમીન ફેરફાર માટેનું પ્રીમિયમ અનેકગણું વધી જાય છે. જેના કારણે અનેક કિસ્સાઓમાં જમીનની કિંમત કરતા પ્રીમિયમની રકમ ઘણી વધારે થાય છે. આ ઉપરાંત દસ્તાવેજની કિંમતમાં પણ વધારો થતાં મકાન કે ઘર ખરીદનાર સામાન્ય વર્ગના નાગરિકોને મોટી તકલીફ થશે. રાજ્ય સરકારની આ નવી સૂચિત જંત્રીથી અમદાવાદ, ગાંધીનાર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ સહિતના શહેરો અને નગરોમાં મકાનોની કિંમતમાં 30 થી 40 ટકા જેટલો ધરખમ વધારો થશે. જેના કારણે સામાન્ય વર્ગના લોકોને ઘરનું ઘર ખરીદવું એક સપનું બની જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી સંભાવના બળવત્તર બની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નવા તેમજ રિડેવલપમેન્ટની યોજનાઓ પડી ભાંગશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નવી જંત્રીથી આવનારી મુશ્કેલીઓ વિશે ક્રેડાઈના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, નવી જંત્રીથી ટીડીઆરમાં પણ મુશ્કેલી થતા સ્લમ ડેવલપમેન્ટ તેમજ રિડેવલોપમેન્ટની યોજનાઓ પડી ભાંગશે. રિડેવલપમેન્ટ સહિતના પ્રોજેક્ટ પણ વિવાદમાં સપડાશે. ગ્રાહકો અને બિલ્ડરો વચ્ચે વર્તમાન પ્રોજેક્ટને લઈને અનેક કાનૂની ગુંચવણ ઉભી થશે. જંત્રીનો દર બજાર કિંમતની નજીક હોવો જોઈએ એ અમે પણ માનીએ છીએ. પણ આ ટૂંકા ગાળાની જાહેરાતથી આટલો મોટો વધારો પચાવવો શક્ય નથી. એક તરફ અમદાવાદમાં ઓલિમ્પિક યોજવા માટેની અરજી કરાઈ છે, અને અમદાવાદમાં મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનવાનું છે. કોઈપણ સિટીનું રિયલ એસ્ટેટ એની ઓળખ બને છે, પરંતુ આ નવી જંત્રીના કારણે આ આખું માર્કેટ 3 થી 4 વર્ષ પાછળ જતું રહેશે. આની સૌથી મોટી અસર જમીન માલિક એવા ખેડૂતોને થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજયમાં કલેકટરને આવેદનપત્ર આપવા ઉપરાંત જરૂર પડે મુખ્યમંત્રીને ફરી મળીશું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ક્રેડાઈ પ્રમુખે જણાવ્યું હતું કે, આ તમામ મામલે આગામી સમયમાં અમે રાજ્યભરમાં કલેક્ટરને આવેદન પત્રો આપી વાસ્તવિકતા જણાવીશું. સમય આવે મુખ્યમંત્રીને પણ પુનઃ મળવા જઈશું. જરૂર પડ્યે કોર્ટનો પણ સહારો લેવાની વાત અમારા સભ્યોએ કરી છે. કોઈપણ ઘર્ષણ વગર જંત્રીનો યોગ્ય અમલ થાય એવી અમારી સરકારને રજૂઆત છે. હાલની જાહેર કરાયેલી જંત્રીના સર્વેના ધારાધોરણ જાહેર કરવા જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/now-land-can-be-acquired-by-collecting-10-percent-of-the-jantri">હવે જંત્રીના 10 ટકા વસૂલ કરીને જમીન એનએ કરાવી શકાશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 03 Dec 2024 21:31:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1644</Articleid>
                    <excerpt>રાજ્ય સરકારની નવી સૂચિત જંત્રીને લઈને વિરોધના સૂર ઉઠવા શરૂ થઈ ગયા છે. બિલ્ડરો અને ડેવલપરોની સંસ્થા ક્રેડાઈએ મોરચો માંડી અનેક વાંધા રજૂ કર્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674f2a2c830ed.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674f2a2c4b791.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674f2a2c4b791.jpg" length="87227" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>CREDAI, Jantri</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપના ધારાસભ્યે રાષ્ટ્રધ્વજ ઉતારીને ભગવો ફરકાવ્યો, કહ્યું, હિંદુ રાષ્ટ્રની શરૂઆત</title>
                    <link>https://khabarantar.com/bjp-mla-hoists-saffron-flag-after-lowering-national-flag-says-hindu-rashtra-is-beginning</link>
                    <guid>https://khabarantar.com/bjp-mla-hoists-saffron-flag-after-lowering-national-flag-says-hindu-rashtra-is-beginning</guid>
                    <description>
                        <![CDATA[ મધ્યપ્રદેશમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં ભાજપના એક ધારાસભ્યે રાષ્ટ્રધ્વજ ઉતારીને તેની જગ્યાએ ભગવો ધ્વજ ફરાવી ભારતમાં હિંદુ રાષ્ટ્રની શરૂઆત થઈ ચૂક્યાનું જાહેર કરી દીધું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ભાજપના ધારાસભ્ય અમર સિંહ યાદવે ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરતા ભારતીય રાષ્ટ્રધ્વજ ઉતારી લીધો અને તેની જગ્યાએ ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. એ દરમિયાન તેમણે કહ્યું કે, આજથી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે. તેમણે "હિન્દુ રાષ્ટ્ર ઝિંદાબાદ" અને "જય શ્રી રામ" ના નારા પણ લગાવ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટનાનું લોકેશન અને વીડિયો વાયરલ થયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે અને લોકો જાતભાતની ચર્ચાઓ કરી રહ્યા છે. ઘટના મધ્યપ્રદેશના રાજગઢના ભારત માતા ચોક પર બની હતી. ભાજપના ધારાસભ્યએ ચાર રસ્તા પર ભારતનો રાષ્ટ્રધ્વજ ઉતારી લીધો હતો અને તેની જગ્યાએ હિંદુત્વની નિશાનીસમો ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ધારાસભ્ય અમર સિંહ યાદવ ચાર રસ્તા પર ભગવો ઝંડો ફરકાવતા જોવા મળે છે અને તેની સાથે કેટલાક અન્ય લોકો પણ હાજર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપ ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીડિયોમાં મીડિયા સાથે વાત કરતા ભાજપના ધારાસભ્ય અમર સિંહ યાદવે કહ્યું કે, "આજથી ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની પ્રક્રિયા રાજગઢથી શરૂ થઈ રહી છે. અમે ભારતને હિંદુ રાષ્ટ્ર તરીકે જાહેર કરવાની પહેલ રાજગઢથી શરૂ કરી રહ્યા છીએ." તેમણે એમ પણ કહ્યું કે ભગવો ધ્વજ લહેરાવીને આ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે, અને હવે સમગ્ર હિન્દુ સમાજ એકત્ર થયો છે. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે તેઓ આ મિશનને આગળ વધારવા માટે પગપાળા કૂચ શરૂ કરશે, જેનો ઉદ્દેશ્ય ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે જાહેર કરવાનો છે. આ ઘટના સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે અને ભાજપના ધારાસભ્યના આ નિવેદન અને કાર્યવાહી અંગે વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/savarkar-an-attempt-to-distort-the-truth-to-strengthen-hindutva-politics"> સાવરકરઃ હિંદુત્વવાદી રાજનીતિને મજબૂત કરવા સત્યને વિકૃત કરતો પ્રયત્ન</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 03 Dec 2024 20:26:22 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1643</Articleid>
                    <excerpt>મધ્યપ્રદેશમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં ભાજપના એક ધારાસભ્યે રાષ્ટ્રધ્વજ ઉતારીને તેની જગ્યાએ ભગવો ધ્વજ ફરાવી ભારતમાં હિંદુ રાષ્ટ્રની શરૂઆત થઈ ચૂક્યાનું જાહેર કરી દીધું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674f1adb4963c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674f1adb15840.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674f1adb15840.jpg" length="62443" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>National Flag, Hindu Nation, BJP MLA Amar Singh Yadav, viral video</media:keywords>
                </item>
                        <item>
                    <title>15 વર્ષમાં 75 લોકો ગટરમાં ગૂંગળાઈ મર્યા, સજા ફક્ત 1 ને થઈ</title>
                    <link>https://khabarantar.com/75-people-drowned-in-sewers-in-15-years-only-1-was-punished</link>
                    <guid>https://khabarantar.com/75-people-drowned-in-sewers-in-15-years-only-1-was-punished</guid>
                    <description>
                        <![CDATA[ ગટરની સફાઈ કરતી વખતે મોતને ભેટેલા સફાઈકર્મીઓના અનેક કેસો કોર્ટમાં ફસાયેલા પડ્યાં છે. કેટલાક કેસમાં તપાસ પૂર્ણ થઈ નથી. કેટલાક કેસમાં કોઈ સાક્ષી નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશની રાજધાની દિલ્હીમાં પરપ્રાંતિય મજૂરો કાયમી અને કોન્ટ્રાક્ટના ધોરણે ગટરની સફાઈનું કામ કરે છે. આ મજૂરોની જરૂર દરેકને છે પરંતુ કોઈને તેમના જીવની પરવા નથી, કે નથી તેમને ન્યાય આપવાની ઈચ્છા. છેલ્લા 15 વર્ષમાં બનેલી ઘટનાઓ તેની ચાડી ખાય છે. એ દરમિયાન 94 સફાઈ કામદારોએ ગટરની સફાઈ કરતી વખતે ઝેરી ગેસની ઝપટમાં આવી જવાથી પોતાનો જીવ ગુમાવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">94 કર્મચારીઓના મોત છતાં લેખિત દસ્તાવેજોમાં આ આંકડો માત્ર 75 છે. નવાઈની વાત એ પણ છે કે 75 લોકોના જીવ ગુમાવવાના મામલામાં માત્ર એક જ વ્યક્તિને દોષિત ઠેરવવામાં આવી છે અને સજા થઈ છે, જેના કારણે સવાલ એ ઊભો થાય છે કે શું આ 75 કે 94 મોત માટે માત્ર એક દોષિત વ્યક્તિ જ જવાબદાર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગટરમાં થયેલા મોતના માત્ર 9 કેસ ઉકેલાયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈન્ડિયન એક્સપ્રેસની આરટીઆઈ ટીમે ભેગી કરેલી માહિતી ચોંકાવનારી છે. દસ્તાવેજો અનુસાર, આ 75 લોકોમાંથી 38 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેમાંથી માત્ર 9 કેસ જ ઉકેલાયા છે અને તે 19 લોકોના જીવ લેતો મામલો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ આરોપીઓને શોધી શકી નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગટરની સફાઈમાં થયેલા મોતને લગતા કેસોમાંથી માત્ર એક કેસમાં જ આરોપી ગુનો સાબિત થયો છે અને બે કેસમાં તો લોકોને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે. એટલું જ નહીં હાઈકોર્ટે ગટર અકસ્માતને લગતા બે કેસ રદ કર્યા છે. એક કેસમાં સમાધાન થઈ ગયું છે અને બીજા કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ બે કેસમાં આરોપીઓને શોધી શકી નથી. આરટીઆઈ રેકોર્ડ દર્શાવે છે કે પોલીસે હજુ સુધી નિર્દોષ છોડવામાં આવેલા આદેશોને હાઈકોર્ટમાં પડકાર્યા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અલગ અલગ કારણોસર કેસો પેન્ડિંગ છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરટીઆઈમાં મળેલી માહિતી મુજબ ગટર અકસ્માતના ઘણા કેસો દિલ્હીની વિવિધ અદાલતોમાં પેન્ડિંગ છે, જેના ઘણા કારણો છે. કેટલાક કિસ્સામાં અધિકારીઓ આવતા નથી, તો કેટલાક કિસ્સામાં સ્ટાફની અછત છે. ઓછામાં ઓછા ત્રણ કેસમાં પોલીસે કહ્યું છે કે તેઓ આરોપીઓને શોધી શક્યા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- બે કેસ એવા છે જેમાં તપાસકર્તાઓને કોઈ સાક્ષી મળ્યાં નથી.</span><br><span style="font-size: 14pt;">- પાંચ કેસમાં સાક્ષીઓ કે તપાસ અધિકારીઓ સમયસર કોર્ટમાં પહોંચ્યા ન હતા, જેના કારણે કેસ આગળ વધી રહ્યો નથી.</span><br><span style="font-size: 14pt;">- કુલ 5 કેસ એવા છે જેમાં પોલીસે હજુ સુધી તપાસ પૂર્ણ કરી નથી અને ચાર્જશીટ પણ દાખલ કરી નથી.</span><br><span style="font-size: 14pt;">- અન્ય કેટલાક કિસ્સામાં સ્ટાફના અભાવે સુનાવણી પૂર્ણ થઈ શકી ન હોવાનું ધ્યાને આવ્યું છે.</span><br><span style="font-size: 14pt;">- આટલું જ નહીં, પોલીસ અધિકારીઓનો સહકાર ન મળવાને કારણે અનેક મામલા અટવાયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સફાઈ કામદારો માટે કેટલાક ખાસ નિયમો છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેન્યુઅલ સ્કેવેન્જર્સ તરીકે રોજગાર પર પ્રતિબંધ અને તેમના પુનર્વસન અધિનિયમ, 2013 જોખમી સફાઈને પ્રતિબંધિત કરે છે, પરંતુ ગટર અને સેપ્ટિક ટાંકીઓના મેન્યુઅલ સફાઈ પર કોઈ ચોક્કસ પ્રતિબંધ નથી. કાયદામાં 44 પ્રકારના રક્ષણાત્મક ગિયરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં શ્વાસ લેવા માટેનું માસ્ક, ગેસ મોનિટર અને ફુલ-બોડી વેડર સૂટનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દરેક મોત માટે જવાબદારી નક્કી થવી જોઈએ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સફાઈ કર્મચારીઓના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ એમ. વેંકટેશને કહ્યું કે પોલીસનું કહેવું છે કે તેઓ આ કેસોમાં પુરાવા એકત્ર કરવામાં સક્ષમ નથી. ધારો કે ઘટનાસ્થળે માત્ર બે જ લોકો હાજર હતા, સુપરવાઈઝર અને સફાઈ કામદાર – અને સફાઈ કામદાર ગટરમાં ઉતર્યા પછી મૃત્યુ પામ્યો. એવામાં સુપરવાઈઝરે સફાઈ કામદારને ગટરમાં પ્રવેશવાનું કહ્યું હતું કે કેમ તે કોણ સાબિત કરશે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે આ માટે કાયદામાં કેટલાક ફેરફારોની જરૂર છે. ગટરોમાં થતા મૃત્યુના કિસ્સામાં, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સામે પણ એફઆઈઆર નોંધવી જોઈએ, તો જ મ્યુનિસિપલ સંસ્થાઓ નિયમોનું યોગ્ય રીતે પાલન કરશે. જ્યારે દરેક મૃત્યુ માટે જવાબદારી હશે ત્યારે જ નિયમોનું પાલન કરવાનો સંકેત મળશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/three-cleaners-dead-by-poisonous-gas-while-cleaning-sewage-tank">ગટર ટેંક સાફ કરતી વખતે ઝેરી ગેસથી ત્રણ સફાઈ કર્મીઓના મોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 03 Dec 2024 11:48:32 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1641</Articleid>
                    <excerpt>ગટરની સફાઈ કરતી વખતે મોતને ભેટેલા સફાઈકર્મીઓના અનેક કેસો કોર્ટમાં ફસાયેલા પડ્યાં છે. કેટલાક કેસમાં તપાસ પૂર્ણ થઈ નથી. કેટલાક કેસમાં કોઈ સાક્ષી નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674ea17de7c97.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674ea17dafbb9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674ea17dafbb9.jpg" length="100848" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Sewer cleaning, Cleaners</media:keywords>
                </item>
                        <item>
                    <title>નેહાકુમારીની મુશ્કેલી વધી: રાષ્ટ્રીય અનુ. જાતિ આયોગે DGP પાસે રિપોર્ટ માંગ્યો</title>
                    <link>https://khabarantar.com/nehakumaris-troubles-increase-national-commission-for-scheduled-castes-seeks-report-from-dgp</link>
                    <guid>https://khabarantar.com/nehakumaris-troubles-increase-national-commission-for-scheduled-castes-seeks-report-from-dgp</guid>
                    <description>
                        <![CDATA[ મહીસાગરના જાતિવાદી કલેક્ટર નેહાકુમારીની મુશ્કેલીમાં વધારો થયો છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે મોટી કાર્યવાહી કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહીસાગરના કલેક્ટર નેહાકુમારી વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટના દુરુપયોગ બાબતે કોમેન્ટને લઈને આગામી 6 ડિસેમ્બરે આંદોલન થવા જઈ રહ્યું છે, ત્યારે આંદોલન અગાઉ નેહાકુમારી સામે વધુ એક નવી સમસ્યા આવી છે. જેમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા DGPને નોટિસ મોકલીને 15 દિવસની અંદરમાં સમગ્ર ઘટનાનો એક્શન ટેકન રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર મામલે એક અરજદાર સંજય પરમારે  રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં નેહા કુમારી સામે એટ્રોસિટી એક્ટ સહિત માનવ અધિકાર હનન જેવા ગંભીર આરોપો સાથે ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા કાર્યવાહી કરતા ગુજરાત રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP)ને નોટિસ મોકલવામાં આવી છે. જેમાં ડીજીપીએ સમગ્ર ઘટના અંગે 15 દિવસની અંદરમાં આયોગને એક્શન ટેકન રિપોર્ટ મોકલવા જણાવ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહીસાગરના જિલ્લા કલેક્ટર નેહાકુમારીએ સરકારી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લોકોની સમક્ષ જાહેર પ્રશ્નો બાબતે વાર્તાલાપમાં નાગરિકો સાંભળી શકે તે રીતે તિરસ્કાર અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જેમાં નેહાકુમારીએ 'ચપ્પલ ખોલ કે મારને જેસી હૈ' જેવા શબ્દોથી અનુસૂચિત જાતિના અરજદારનું અપમાન કર્યું હતું. આ મામલે દલિત સમાજમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઈને દલિતો દ્વારા વિરોધ નોંધાવી રહ્યાં છે. સમગ્ર મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આગામી છઠ્ઠી ડિસેમ્બરના રોજ લુણાવાડા ખાતે મોટો કાર્યક્રમ આયોજિત કરવાની જાહેરાત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/mahisagar-collector-nehakumari-dubey-said-90-percent-of-atrocity-cases-are-committed-for-blackmail">એટ્રોસિટીના 90 ટકા કેસ બ્લેકમેઇલ કરવા માટે કરાય છે : મહીસાગર કલેક્ટર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 03 Dec 2024 10:28:53 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1639</Articleid>
                    <excerpt>મહીસાગરના જાતિવાદી કલેક્ટર નેહાકુમારીની મુશ્કેલીમાં વધારો થયો છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે મોટી કાર્યવાહી કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674de32e99df0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674de32e668f4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674de32e668f4.jpg" length="58257" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Mahisagar Collector Nehakumari, National Commission for Scheduled Castes</media:keywords>
                </item>
                        <item>
                    <title>ABP ન્યૂઝની એન્કર ચિત્રા ત્રિપાઠીની POCSO હેઠળ ધરપકડનો આદેશ, જેલમાં જશે?</title>
                    <link>https://khabarantar.com/order-for-arrest-of-abp-news-anchor-chitra-tripathi-under-pocso-will-she-go-to-jail</link>
                    <guid>https://khabarantar.com/order-for-arrest-of-abp-news-anchor-chitra-tripathi-under-pocso-will-she-go-to-jail</guid>
                    <description>
                        <![CDATA[ સમગ્ર મામલો આસારામ બાપુ અને 10 વર્ષની બાળકી સાથે જોડાયેલા વીડિયો સાથે જોડાયેલો છે. કોર્ટે ચિત્રાના આગોતરા જામીન ફગાવી દીધા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ABP NEWS ની એન્કર (Anchor) ચિત્રા ત્રિપાઠી (Chitra Tripathi) ની મુશ્કેલીઓ વધી રહી છે. ગુરુગ્રામ કોર્ટે ચિત્રા ત્રિપાઠીની ધરપકડનો આદેશ જાળવી રાખ્યો છે. 2013ના એક કેસમાં ચિત્રા ત્રિપાઠી વિરુદ્ધ POCSO (પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો આસારામ બાપુ અને 10 વર્ષની બાળકી સાથે જોડાયેલા વીડિયો સાથે જોડાયેલો છે. આ કેસમાં ચિત્રા ત્રિપાઠીએ કોર્ટ પાસે આગોતરા જામીનની માંગણી કરી હતી પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી છે. આ પહેલા કોર્ટે ચિત્રા ત્રિપાઠી સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. સોશિયલ મીડિયા પર લોકોને એ જાણવામાં ખૂબ જ રસ છે કે હવે ચિત્રા ત્રિપાઠી સામે મોટી કાર્યવાહી થશે કે કેમ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દીપક ચૌરસિયા, સૈયદ સુહેલ, અજીત અંજુમ પણ આરોપી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં ચિત્રા ત્રિપાઠી ઉપરાંત ન્યૂઝ એન્કર દીપક ચૌરસિયા, સૈયદ સુહેલ, અજીત અંજુમ, રાશિદ હાશ્મી, રિપોર્ટર સુનીલ દત્ત અને લલિત સિંહ બડગુર્જર અને ઈન્ડિયા ન્યૂઝ માટે કામ કરતા નિર્માતા અભિનવ રાજ સામેલ છે. તેમની સામે પહેલાથી જ આરોપો ઘડવામાં આવ્યા છે. આ તમામ લોકો પર દસ વર્ષની બાળકી અને તેના પરિવારના 'મોર્ફ્ડ, એડિટ અને અશ્લીલ' વીડિયો ફરતા કરવાનો આરોપ છે. આ વીડિયોને આસારામ બાપુ સામેના જાતીય સતામણીના કેસ સાથે જોડવાનો પણ આરોપ છે. આ તમામ લોકો પર IPCની કલમ 120B, 469 અને 471, કલમ 67B અને 67 IT એક્ટ અને POCSO એક્ટની કલમ 23 અને 13C હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હવે ચિત્રા ત્રિપાઠી સામે શું પગલાં લેવાશે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે જોવાનું એ રહે છે કે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે અને ચિત્રા ત્રિપાઠી સામે શું કાયદાકીય પગલાં ભરાય છે? ચિત્રા ત્રિપાઠી સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું જ્યારે કોર્ટે તેના જામીન રદ કર્યા હતા અને કોર્ટમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ માટેની તેની અરજીને ફગાવી દીધી હતી. ચિત્રા ત્રિપાઠીએ કોર્ટમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ માંગી હતી કારણ કે તેને મહારાષ્ટ્રની ચૂંટણી કવર કરવાની હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રની ચૂંટણી કવર કરવાનું બહાનું કાઢ્યું હતું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચિત્રા ત્રિપાઠીએ કહ્યું હતું કે તે મહારાષ્ટ્રની ચૂંટણીને કવર કરવા અને નાયબ મુખ્યમંત્રીનો ઈન્ટરવ્યૂ કરવા મહારાષ્ટ્રના નાસિક જઈ રહી છે. જો કે, આ દલીલો સાંભળ્યા પછી, કોર્ટે કહ્યું કે તે કોર્ટની કાર્યવાહીને હળવાશથી લઈ રહી છે. ચિત્રા ત્રિપાઠીના આ કેસમાં તેની સામે શું કાર્યવાહી કરવામાં આવશે, તેની ધરપકડ કરવામાં આવશે કે નહીં…હાલ આ અંગે કોઈ માહિતી નથી. તેમજ ચિત્રા ત્રિપાઠીએ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. જો કે, કાયદાકીય પ્રક્રિયા મુજબ, એકવાર ધરપકડ વોરંટ જારી થયા પછી પોલીસને આરોપીની ધરપકડ કરવાનો અધિકાર મળે છે. આથી વોરંટ જારી થયા બાદ ચિત્રા ત્રિપાઠીએ તેના વકીલ મારફત આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ હવે આ પણ ફગાવી દેવામાં આવ્યું છે. આથી હવે ગમે ત્યારે ચિત્રાની ધરપકડ થઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપ સાથે ઘરોબો હોવાથી કશું નહીં થાય?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ ચિત્રા ત્રિપાઠી વગદાર હોવાથી અને સત્તાધારી ભાજપ સાથે તેનો સારો એવો ઘરોબો હોવાથી તેના પર તરત કાર્યવાહી નથી થઈ રહી. જેના કારણે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ફરિયાદીના વકીલે જણાવ્યું હતું કે છેલ્લી બે તારીખો પર આરોપી ચિત્રા ત્રિપાઠીને સ્વાસ્થ્યના કારણોસર હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ હવે આરોપીને હાજર થવામાંથી મુક્તિ આપવા માટે કોઈ યોગ્ય કારણ નથી. જો કે આ કેસમાં ચિત્રા ત્રિપાઠીને જેલમાં મોકલવામાં આવશે કે કેમ તે અંગે હાલ કોઈ અપડેટ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/aaj-tak-anchor-sudhir-chaudhary-not-arrested-in-case-of-objectionable-statement-on-tribal-society">AAJ TAK ના એન્કર સુધીર ચૌધરીની આદિવાસી સમાજ પર વાંધાજનક નિવેદન કેસમાં ધરપકડ નહીં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 03 Dec 2024 09:43:08 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1640</Articleid>
                    <excerpt>સમગ્ર મામલો આસારામ બાપુ અને 10 વર્ષની બાળકી સાથે જોડાયેલા વીડિયો સાથે જોડાયેલો છે. કોર્ટે ચિત્રાના આગોતરા જામીન ફગાવી દીધા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674e842eb8b11.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674e842e8460e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674e842e8460e.jpg" length="64436" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Chitra Tripathi, News anchor chitra tripathi, Chitra Tripathi POCSO</media:keywords>
                </item>
                        <item>
                    <title>વર્ષે 617 કરોડ ખર્ચ્યા પછી પણ બાળકોને પોષણ મળશે ખરું?</title>
                    <link>https://khabarantar.com/will-children-get-nutrition-even-after-spending-rs-617-crore-a-year</link>
                    <guid>https://khabarantar.com/will-children-get-nutrition-even-after-spending-rs-617-crore-a-year</guid>
                    <description>
                        <![CDATA[ રાજ્ય સરકારે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ પ્રાથમિક શાળાના બાળકોના પોષણ માટે વાર્ષિક રૂ. ૬૧૭ કરોડના ખર્ચે નવી યોજના શરૂ કરી છે, પણ તેનો લાભ બાળકોને મળશે ખરો? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં અપાતાં બપોરના ભોજન ઉપરાંત 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' અંતર્ગત પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત આ 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના નામાભિધાન સાથે શરૂ થનારી આ નવી યોજના હેઠળ રાજ્યની ૩૨,૨૭૭ શાળાના અંદાજે ૪૧ લાખ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણકાર્ય શરૂ થાય તે પહેલાં પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યના આદિજાતિ વિસ્તારના 52 તાલુકા તથા બિન આદીજાતિ વિસ્તારના 29 વિકાસશીલ તાલુકાની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળામાં બપોરના ભોજન ઉપરાંત દૂધ સંજીવની યોજના અન્વયે ૨૦૦ મિલિગ્રામ ફ્લેવર્ડ મિલ્ક અપાય છે. આવા ૮૧ તાલુકાઓની ૧૨,૫૨૨ શાળાઓમાં નોંધાયેલા ૧૫.૦૫ લાખ વિદ્યાર્થીઓને પી.એમ. પોષણના બપોરના ભોજન બાદની નાની રિસેસમાં આ પૌષ્ટિક અલ્પાહાર અપાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યમાં પીએમ પોષણ યોજના હેઠળ વિદ્યાર્થીઓને અપાતા કેલરી-પ્રોટીનયુક્ત ગુણવત્તાસભર બપોરના ભોજન ઉપરાંત આ નવી યોજનામાં સપ્તાહ દરમિયાન ખાંડેલા સીંગદાણા સહિતની સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ તથા શ્રી અન્ન(મીલેટ)માંથી બનાવેલી ખાદ્ય સામગ્રી અલ્પાહાર સ્વરૂપે અપાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ હેતુસર મટિરિયલ કોસ્ટ માટે રૂ. ૪૯૩ કરોડ તથા પૌષ્ટિક અલ્પાહાર તૈયાર કરવાની વધારાની કામગીરી માટે માનદવેતન ધારકોને ૫૦ ટકા માનદવેતન વધારા માટે રૂ. ૧૨૪ કરોડ મળીને 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' માટે કુલ મળીને વાર્ષિક રૂ. ૬૧૭ કરોડનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સંચાલકોનું માસિક માનદ વેતન વધારાશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તદ્અનુસાર, પીએમ પોષણ યોજનાના માનદ વેતનધારક સંચાલકને હવે રૂ.૪૫૦૦નું માસિક માનદવેતન, ૨૬ કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કૂક કમ હેલ્પરને માસિક રૂ.૩૭૫૦ તથા નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ-હેલ્પરને માસિક રૂ.૧૫૦૦ માનદવેતન અપાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના'નો અમલ થવાથી સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના શિક્ષણ સહ પોષણ, આરોગ્ય અને શારીરિક સૌષ્ઠવના માપદંડો પર મોટી હકારાત્મક અસરો પડશે તેમ કહેવાય છે. જો કે ગુજરાતમાં આંગણવાડીઓ, મધ્યાહન ભોજન સહિતની યોજનાઓમાં જે રીતે ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે તે જોતા પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો લાભ બાળકોના પેટ સુધી પહોંચશે કે કેમ તે મુખ્ય સવાલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/hundreds-of-poor-children-will-not-be-able-to-get-the-scholarship-as-the-process-becomes-difficult">પ્રક્રિયા અઘરી બનતા સેંકડો ગરીબ બાળકો શિષ્યવૃત્તિ નહીં મેળવી શકે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 02 Dec 2024 21:03:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1638</Articleid>
                    <excerpt>રાજ્ય સરકારે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ પ્રાથમિક શાળાના બાળકોના પોષણ માટે વાર્ષિક રૂ. ૬૧૭ કરોડના ખર્ચે નવી યોજના શરૂ કરી છે, પણ તેનો લાભ બાળકોને મળશે ખરો?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674dd269d21d3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674dd2699ca9f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674dd2699ca9f.jpg" length="102671" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Nutritious snack plan, Gujarat Govt</media:keywords>
                </item>
                        <item>
                    <title>કબરાઉ મોગલ ધામના બાપુની દીકરીએ બુકી સાથે લગ્ન કરી લીધાં?</title>
                    <link>https://khabarantar.com/did-the-daughter-of-the-father-of-kabarau-mogal-dham-marry-a-bookie</link>
                    <guid>https://khabarantar.com/did-the-daughter-of-the-father-of-kabarau-mogal-dham-marry-a-bookie</guid>
                    <description>
                        <![CDATA[ કબરાઉ ધામના બાપુની દીકરીનું પહેલા અપહરણ થયાની વાત ઉડી હતી,પણ હવે તેણે રાજીખુશીથી લગ્ન કરી લીધાં હોવાનું સામે આવ્યું છે ત્યારે શું થશે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે કચ્છના ભચાઉમાં આવેલા મોગલ ધામ કબરાઉના બાપુને ન ઓળખતી હોય. તેમના વીડિયોમાં તેઓ લોકોને ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને ચાલવાની સલાહ આપે છે અને તેમની માનતાના પૈસા પરત આપીને બહેન દીકરીઓમાં વહેંચી દેવાની વાત કરતા દેખાતા હોય છે. આવા અનેક વીડિયોની રિલ્સ સોશિયલ મીડિયામાં ફરી રહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મોગલ ધામ કચ્છના ભચાઉ પાસે કબરાઉમાં આવેલું છે જે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. કબરાઉ ધામના બાપુની દીકરીનું થોડા દિવસ પહેલા અપહરણ થયું હોવાની વાત સામે આવી હતી. પણ હવે તેમાં અણધાર્યો ટ્વિસ્ટ આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે બાપુની પુખ્ય વયની દીકરીએ ભૂજના એક બૂકી સાથે કાયદેસર રીતે લગ્ન કરી લીધાં છે અને તેના ફોટા તથા સર્ટિફિકેટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. હાલ પોલીસ બાપુની દીકરી અને યુવકને વલસાડથી પકડીને ભચાઉ લઈને આવી રહ્યાં છે ત્યારે પોલીસ તેમની સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરે છે તે જોવાનું રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છ (Kutch)ના ભચાઉ (Bhachau) તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ કબરાઉ (Kabrau) ના બાપુની પુખ્ત વયની દીકરીને ભૂજનો એક બુકી પાંચ દિવસ પહેલા 25મી નવેમ્બરે ઉઠાવીને લઈ જતા ખળભળાટ મચી ગયો હતો. જો કે હવે મળતી માહિતી પ્રમાણે બૂકીએ યુવતી સાથે કાયદેસર લગ્ન કરી લીધા હોવાનું સામે આવી રહ્યું છે. હાલ ભચાઉ પોલીસની ટીમ તેમને લઈને કચ્છ આવી રહી છે. દીકરીના કુટુંબીજનો પોલીસ સ્ટેશનમાં હાજર છે. બીજી તરફ ભુજથી બુકી યુવાનના ફેમેલી મેમ્બર પણ ભચાઉ જવા રવાના થઇ ગયા છે. અત્યાર સુધી આ મામલામાં એવું લાગતું હતું કે, ભૂજનો બૂકી યુવાન ઓમ ડાભી બાપુની દીકરીને બળજબરીથી ઉઠાવી ગયો છે. પરંતુ જે રીતે બંનેના લગ્ન ફોટા અને મેરેજ સર્ટિફિકેટના ફોટા વાયરલ થઇ રહ્યા છે તેના ઉપરથી એમ લાગે છે કે દીકરી તેની મરજીથી ઘર છોડીને બુકી સાથે જતી રહી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ ભચાઉ પોલીસ મથકમાં દાખલ થયેલી ગુમ નોંધને પગલે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સને આધારે બંનેને પાંચ દિવસે વલસાડ જિલ્લામાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. ભચાઉ પોલીસની એક ટીમ બંનેને લેવા માટે શુક્રવારે વલસાડ જવા માટે નીકળી ગઈ હતી. યુવક ત્રણ વર્ષથી કબરાઉ દર્શન માટે આવતો હતો, એવામાં તેણે બાપુની યુવતી સાથે પ્રેમ લગ્ન કરી લેતા શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર મામલે શરૂઆતથી જ પૂર્વ કચ્છ પોલીસની ભૂમિકા અતિ શંકાસ્પદ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ભૂજના બુકી યુવક અને મોગલધામના બાપુની દીકરીના લગ્ન અને તેમને ભચાઉ લઇ આવવા અંગે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસે કશું કહેવાનું ટાળ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છના એક લોકલ ન્યૂઝ પોર્ટલ દ્વારા પૂર્વ કચ્છના SP સાગર બાગમાર, ભચાઉના ડેપ્યુટી એસપી સાગર સાંબડ તેમજ ભચાઉના પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેન્દ્રભાઈ સીસોદીયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કારણ કે, ભાગેલા બંને યુવક-યુવતી પુખ્ત વયના છે. વળી તેમણે લગ્ન પણ કરી લીધા છે. એટલે સમગ્ર મામલે હવે પોલીસનું વલણ કેવું રહેશે તે જાણવું જરૂરી હતું. પરંતુ પોલીસે ફોન ન ઉપાડીને ચૂપ રહેવાનું પસંદ કર્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/fifty-crore-bharati-ashram-bapu-took-over-with-bouncers">50 કરોડના ભારતી આશ્રમ પર બાપુએ બાઉન્સરો સાથે કબ્જો મેળવ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 01 Dec 2024 12:47:37 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1631</Articleid>
                    <excerpt>કબરાઉ ધામના બાપુની દીકરીનું પહેલા અપહરણ થયાની વાત ઉડી હતી,પણ હવે તેણે રાજીખુશીથી લગ્ન કરી લીધાં હોવાનું સામે આવ્યું છે ત્યારે શું થશે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674c0c032e933.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674c0c02ef251.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674c0c02ef251.jpg" length="109535" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kabrau Mogal Dham, Kutch Kabrau</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગિરનાર બાદ હવે કાંકરેજના જાગીર મઠના મહંતનો વિવાદ શરૂ</title>
                    <link>https://khabarantar.com/after-girnar-now-the-controversy-over-the-mahant-of-kankrejs-jagir-math-has-begun</link>
                    <guid>https://khabarantar.com/after-girnar-now-the-controversy-over-the-mahant-of-kankrejs-jagir-math-has-begun</guid>
                    <description>
                        <![CDATA[ જાગીર મઠના મહંતનું અવસાન થયા બાદ નવા મહંત કોણ તેનો વિવાદ એટલો વધી ગયો છે કે કેટલાય દિવસોથી મઠ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહેવાતા સાધુ-સંતો લોકોને ભલેને ત્યાગ અને સમર્પણની સલાહો આપતા હોય, પણ વાત જ્યારે તેમના ખુદના ધન સંપત્તિ છોડવાની આવે ત્યારે તેમનામાં રહેલું સામાન્ય માણસનું તત્વ પ્રગટ થાય છે. જૂનાગઢના ગિરનારમાં અંબાજી મંદિરના મહંત પદને લઈને ઘણાં દિવસોથી અખાડાના સાધુઓ સામસામે આક્ષેપો કરી રહ્યાં છે અને રાજકારણીઓને પણ શરમાવે તેવું રાજકારણ રમી રહ્યાં છે. અગાઉ અમદાવાદના સરખેજ સ્થિત ભારતી આશ્રમની માલિકીને લઈને પણ બે સાધુઓ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો. જેમાં એક સાધુએ બાઉન્સરો સાથે આશ્રમ પર કબ્જો જમાવ્યો હતો. ભારતી આશ્રમ અને જૂનાગઢના મહંતનો વિવાદ હજુ ભૂલાયો પણ નથી ત્યાં હવે વધુ એક આશ્રમમાં મહંતની નિમણૂકને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. અહીં સ્થિતિ એ હદે વણસી ગઈ છે કે છેલ્લાં કેટલાય દિવસથી આખો મઠ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાંકરેજના થળી જાગીર મઠનો મામલો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠનો છે. અહીં મહંત જગદીશપુરી દેવલોક પામ્યા બાદ હવે જાગીર મઠના મહંત કોણ તેને લઇ વિવાદ છેડાયો છે. વિવાદ એટલો વકર્યો છે કે છેલ્લાં કેટલાય દિવસથી આખો મઠ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. એક તરફ દેવ દરબારના મહંત બળદેવનાથ બાપુ સહિત થરા જાગીરદાર સ્ટેટ દ્વારા શંકરપુરી મહારાજને ગુરૂ ગાદી સોપાઈ. તો બીજી તરફ થળી મઠ નજીક આવેલા ગામોના લોકો દ્વારા શંકરપુરી મહારાજનો વિરોધ કરી કાર્તિકપુરી મહારાજને ચાદર ઓઢાડાતા વિવાદ વકર્યો છે. જો કે મહંતના વિવાદમાં સપડાયેલી આ થળી ખાતે કાયદો વ્યવસ્થા ન કથળે તેને લઈને પોલીસ ખડકી દેવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાસકાંઠાના કાંકરેજ વિસ્તારમાં બનાસ નદી નજીક આવેલો થળી જાગીર મઠ એ વર્ષો જૂની ધાર્મિક જગ્યા છે અને સ્થાનિકો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ જાગીર મઠમાં અત્યાર સુધી ૧૩ જેટલાં મહંત ગુરૂગાદીએ બિરાજી ચૂક્યા છે. જો કે તાજેતરમાં મહંત જગદીશપુરી કે જે છેલ્લાં કેટલાય સમયથી આ મઠનો કારભાર સંભાળતા તેઓ ૧૯ નવેમ્બરે હાર્ટએટેકના કારણે તેઓ દેવલોક પામ્યા હતા. મહંત દેવલોક પામ્યા બાદ તેમના દેહને મઠની જગ્યામાં જ સમાધિ અર્પણ કરાઈ હતી. એ પછી ગુરૂગાદી દેવ દરબારના મહંત બળદેવનાથ બાપુ અને થરા સ્ટેટના આગેવાનો દ્વારા થળી જાગીર મઠના મહંત તરીકે મહંત શંકરપુરીને ચાદર ઓઢાડીને ગુરૂગાદી સોપાઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તરફ આ મઠની આસપાસના ગામોના લોકો દ્વારા દેવ દરબાર અને થરા સ્ટેટ દ્વારા લેવાયેલા આ નિર્ણયનો વિરોધ કરાયો અને ૨૨ નવેમ્બર આસપાસના ગામોના હજારો લોકોએ થળી જાગીર મઠ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું તું. એ દરમ્યાન સ્થાનિકો દ્વારા મઠ બહાર જ મહંત કાર્તિકપુરીને થળી જાગીર મઠના મહંત તરીકે સ્થાપિત કરવા નિર્ણય લેવાયો હતો અને તેમને ચાદર ઓઢાડી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સમર્થકોનો રોષ જોતા પોલીસ ખડકી દેવી પડી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ સમગ્ર મામલામાં શંકપુરી અને કાર્તિકપુરીના સમર્થકો મહંતપદને લઈને સામસામે આવી ગયા છે અને કોઈપણ ભોગે મહંતપદું મેળવવા તત્પર છે. સ્થિતિની ગંભીરતા પારખીને જાગીર મઠ ખાતે કાયદો વ્યવસ્થા કથળે નહીં તે માટે બનાસકાંઠા એસપી સહિત પોલીસ કાફલો ખડકી દેવાયો છે અને બંને પક્ષોને પોલીસ દ્વારા સમજાવવા પ્રયાસ કરાયા છે. પરંતુ એક પણ પક્ષ કોઈ વાતે ન સમજતા આખરે બનાસકાંઠા એસપી દ્વારા થળી જાગીર મઠ ખાતે એસઆરપીની ટુકડી ઉતારી જાગીર મઠને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. મહંત કાર્તિકપુરીના સમર્થનમાં ઉમટેલા લોકોએ આક્ષેપ કર્યા કે મહંત શંકરપુરીને ખોટી રીતે ગાદીએ બેસાડવામાં આવ્યા છે. તો કેટલાક લોકોએ તો મઠની તિજોરીના તાળા તૂટી ગયા હોવાના પણ આક્ષેપો કરી દીધા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કથિત સાધુ-સંતોનો દંભ ખૂલ્લો પડ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં પરિણામ જેની પણ તરફેણમાં આવે તેનાથી કોઈ ફરક નથી પડતો. પરંતુ આખા મામલામાંથી એટલો બોધ ચોક્કસ મળે છે કે કહેવાતા સાધુ-સંતો જ્યારે તેમની ગાદીઓનો ત્યાગ કરવાનો વખત આવે ત્યારે સામાન્ય સમજણ પણ વિસરી જાય છે. જે લોકો ખુદ ભોગવિલાસનો ત્યાગ નથી કરી શકતા તેઓ એક સામાન્ય માણસ, જેણે હજુ દુનિયાના રંગો પુરા જોયા પણ નથી તેને ત્યાગ કરવાની સલાહ આપે ત્યારે દંભની પરાકાષ્ઠા આવ્યા વિના રહેતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/fifty-crore-bharati-ashram-bapu-took-over-with-bouncers">50 કરોડના ભારતી આશ્રમ પર બાપુએ બાઉન્સરો સાથે કબ્જો મેળવ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 29 Nov 2024 21:00:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1623</Articleid>
                    <excerpt>જાગીર મઠના મહંતનું અવસાન થયા બાદ નવા મહંત કોણ તેનો વિવાદ એટલો વધી ગયો છે કે કેટલાય દિવસોથી મઠ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6749dcad23e78.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6749dcace48c9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6749dcace48c9.jpg" length="95246" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kankarej, Jagir Math, Banaskantha</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહારાષ્ટ્રની ચૂંટણીમાં 5,04,313 &amp;apos;વધારાના&amp;apos; મતોનો હિસાબ કોણ આપશે?</title>
                    <link>https://khabarantar.com/who-will-account-for-the-504313-extra-votes-in-the-maharashtra-elections</link>
                    <guid>https://khabarantar.com/who-will-account-for-the-504313-extra-votes-in-the-maharashtra-elections</guid>
                    <description>
                        <![CDATA[ EVM નો મુદ્દો ફરી ચગ્યો છે ત્યારે મહારાષ્ટ્રની ચૂંટણીમાં મતદારોના ડેટા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે મતોની ગણતરી અને પડેલા મતો વચ્ચે મોટો તફાવત છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રની ચૂંટણીમાં આવેલા પરિણામો બાદ કોંગ્રેસે ફરી એકવાર ઈવીએમનો મુદ્દો ઉઠાવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઈવીએમના વિરોધમાં સમગ્ર દેશમાં ભારત જોડો યાત્રા જેવી જ ઈવીએમ છોડો યાત્રા કાઢવાની વાત કરી છે. ઈવીએમનો મુદ્દો પહેલેથી જ શંકાસ્પદ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રની ચૂંટણીમાં 5 લાખ જેટલા મતો વધુ પડ્યાં હોવાનું એક વિશ્લેષણમાં સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ના મતદારોના ડેટા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે મતોની ગણતરી અને પડેલા મતો વચ્ચે મોટો તફાવત છે. કેન્દ્રીય ચૂંટણી પંચ (ECI) અનુસાર, અંતિમ મતદાન 66.05% હતું, જેમાં કુલ 64,088,195 મતદારોએ મત આપ્યા હતા. પરંતુ ગણતરી કરાયેલા કુલ મતોમાં 64,592,508 નો ઉમેરો થાય છે, જે કુલ પડેલા મતો કરતાં 504,313 વધુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">8 વિધાનસભા સીટો પર ગણતરી કરાયેલા મતોની સંખ્યા મતદાન કરતા ઓછી નીકળી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">5,04,313 નો આ તફાવત સમગ્ર રાજ્યમાં ગણવામાં આવેલા વધારાના મત દર્શાવે છે. જ્યારે આઠ વિધાનસભા મતવિસ્તારમાં ગણતરી કરાયેલા મતોની સંખ્યા મતદાન કરતાં ઓછી હતી, જ્યારે બાકીના 280 મતવિસ્તારમાં ગમવામાં આવેલા મત નાખવામાં આવેલા મતથી વધુ હતા. સૌથી મોટી વિસંગતતા અષ્ટી મતવિસ્તારમાં જોવા મળી હતી, જ્યાં મતદાન કરતાં 4,538 વધુ મત ગણવામાં આવ્યા હતા. મતલબ જેટલા મત પડ્યા નહોતા તેનાથી વધુ મત ગણવામાં આવ્યા. ઉસ્માનાબાદ મતવિસ્તારમાં પણ તફાવત 4,155 મતોનો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિધાનસભા ચૂંટણીની આ ગેરરીતિઓ મે 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન મતદાર મતદાનના ડેટા અને ફોર્મ 17C સંબંધિત ચિંતાઓની યાદ અપાવે છે. વાસ્તવમાં, ફોર્મ 17C દરેક મતદાન મથક પર પડેલા મતોની સંખ્યા રેકોર્ડ કરે છે. ત્યારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ દરેક મતદાન તબક્કાના 48 કલાકની અંદર મતદાન મથક મુજબ મતદાર મતદાનનો ડેટા જાહેર કરવા જણાવ્યું હતું, જેમાં પ્રારંભિક અને અંતિમ મતદાનના આંકડાઓ વચ્ચે 5-6% ની વિસંગતતા હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની દલીલોને ટાંકીને આ વિનંતીને ફગાવી દીધી હતી કે આ પ્રકારનો ખુલાસાથી તાર્કિક સમસ્યાઓ પેદા થઈ શકે છે, ડેટાના દુરુપયોગ અંગે ચિંતા વધી શકે છે અને તેમાં સ્પષ્ટ કાયદાકીય આધારનો અભાવ છે. ECIએ જણાવ્યું હતું કે ફોર્મ 17C ડેટા ઉમેદવારોના એજન્ટોને આપવામાં આવે છે, પરંતુ તે જાહેર પ્રચાર માટે નથી. પરંતુ 10 વર્ષ પહેલા આ ફોર્મ 17Cનો ડેટા સાર્વજનિક કરવામાં આવ્યો હતો. આના પર ક્યારેય કોઈ પ્રતિબંધ નહોતો. ચૂંટણી પંચ તેના ભૂતકાળના રેકોર્ડ કેમ તપાસતું નથી?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીએ ચૂંટણી પ્રક્રિયામાં ડેટાની પારદર્શિતા પર નવા પ્રશ્નો ઉભા કર્યા છે. ચૂંટણી પંચે ભૂતકાળની વિસંગતતાઓ માટે ડેટા અપડેટ કરવાની અને એકત્ર કરવાની પ્રક્રિયાને જવાબદાર ઠેરવી છે. જાહેરમાં ઉપલબ્ધ વિસ્તૃત મતદાન કેન્દ્ર ડેટાનું ન હોવું, જેમ કે ફોર્મ 17સી સંબંધમાં એડીઆરની અગાઉની અરજીમાં દર્શાવવામાં આવ્યું હતું, એ જ સ્થિતિ આજે પણ છે. ફોર્મ 17સી દ્વારા ન મળનારો ડેટા અને તેની ખરાઈના અભાવમાં સમગ્ર પ્રક્રિયા પડકારરૂપ બની ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુમાં, હાલની વિસંગતતાઓ ચૂંટણી પરિણામો પર તેમની સંભવિત અસર વિશે પ્રશ્નો ઉભા કરે છે. ખાસ કરીને જ્યાં ઓછા મતોથી જીત અને હાર થઈ છે. આવા વિધાનસભા મતવિસ્તારોમાં આ આંકડાઓ પડેલા અને ગણેલા મતોમાં તફાવતની કોઈપણ પેટર્નને જાહેર નથી કરતી. પરંતુ અમુક સો કે હજાર મતોનો તફાવત નિર્ણાયક બની શકે છે અને હકીકત એ છે કે આવી વિસંગતતાઓ ઘણા મતવિસ્તારોમાં બહાર આવી છે. આવી સ્થિતિમાં, પરિણામો કેવી રીતે વિશ્વસનીય હોઈ શકે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નવાપુરનું ઉદાહરણ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણી પંચના ડેટા અનુસાર, નવાપુર (અનુસૂચિત જનજાતિ) વિધાનસભા મતવિસ્તારમાં કુલ મતદારોની સંખ્યા 2,95,786 છે અને મતદાન 81.15% થયું હતું. મતલબ કે 20 નવેમ્બરે 2,40,022 વોટ પડ્યા હતા. જો કે, કમિશન દ્વારા જાહેર કરાયેલા પરિણામો અનુસાર, કુલ 2,41,193 મતોની ગણતરી કરવામાં આવી હતી, જે મતદાન કરતાં 1,171 મત વધુ છે. હવે જુઓ - અહીં જીતનું માર્જિન 1,122 જેવા નજીવા મતોનું હતું. એટલે 1171 મત જે વધારે હતા, અને હારજીતનું અંતર 1122 મતોનું છે, તો આ જે 1171 વધારાના મતો છે, તે આ વિધાનસભા સીટના પરિણામોને સંદિગ્ધ બનાવે છે, કેમ કે હારજીતમાં માત્ર 1122 મતોનું જ અંતર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માવલ વિધાનસભા મતવિસ્તાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજા મતવિસ્તારનું ઉદાહરણ લઈએ જ્યાં મતદાનની તુલનામાં ઓછા મતોની ગણતરી કરવામાં આવી હતી. ચૂંટણી પંચના ડેટા અનુસાર, માવલ વિધાનસભા ક્ષેત્રમાં કુલ મતદારોની સંખ્યા 3,86,172 છે અને 72.59% મતદાન થયું હતું. મતલબ કે 20 નવેમ્બર 2024ના રોજ 2,80,319 મત પડ્યા હતા. જો કે, કમિશન દ્વારા પ્રકાશિત પરિણામો અનુસાર, કુલ મતોની ગણતરી 2,79,081 હતી, જે મળેલા મતો કરતાં 1,238 મત ઓછા છે. આ વિધાનસભા મતવિસ્તારના પરિણામોને શું કહેવું જોઈએ?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને વોટર વેરીફાઈએબલ પેપર ઓડિટ ટ્રેઈલ (VVPAT) સ્લીપના સંચાલન દરમિયાન ક્લાર્કની ભૂલો, ડેટા એન્ટ્રી અથવા ટેકનિકલ ક્ષતિઓ સહિતના વિવિધ કારણોસર વિસંગતતાઓ આવી શકે છે, પરંતુ પારદર્શિતા માટે મજબૂત ઓડિટ કેમ કરવામાં આવતું નથી તે સવાલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/evms-can-be-tampered-with-i-have-studied-it-for-years-sam-pitroda">EVMમાં ચેડાં કરી શકાય છે, મેં વર્ષો સુધી તેનો અભ્યાસ કર્યો છે - સામ પિત્રોડા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 28 Nov 2024 18:08:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1620</Articleid>
                    <excerpt>EVM નો મુદ્દો ફરી ચગ્યો છે ત્યારે મહારાષ્ટ્રની ચૂંટણીમાં મતદારોના ડેટા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે મતોની ગણતરી અને પડેલા મતો વચ્ચે મોટો તફાવત છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67485654e4673.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67485654ac3a6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67485654ac3a6.jpg" length="80738" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Maharashtra elections, EVM</media:keywords>
                </item>
                        <item>
                    <title>શું ISKCON એક કટ્ટરપંથી સંગઠન છે? બાંગ્લાદેશ તો આવું જ કહે છે!</title>
                    <link>https://khabarantar.com/is-iskon-a-radical-organization-bangladesh-says-so</link>
                    <guid>https://khabarantar.com/is-iskon-a-radical-organization-bangladesh-says-so</guid>
                    <description>
                        <![CDATA[ બાંગ્લાદેશમાં ઈસ્કોનના એક પૂજારી પર રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો છે અને જામીન પણ નથી મળી રહ્યાં. બાંગ્લાદેશ શા માટે ઈસ્કોનને એક કટ્ટરપંથી સંગઠન માને છે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામે વધી રહેલી હિંસા વચ્ચે બુધવારે ત્યાંની હાઈકોર્ટમાં International Society for Krishna Consciousness (ISKCON) પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં અશાંતિને રોકવા માટે ચટગાવ અને રંગપુરમાં કટોકટી લાદવાની પણ માંગ કરવામાં આવી હતી. અરજીમાં ઈસ્કોનને કટ્ટરવાદી સંગઠન ગણાવ્યું છે. બાંગ્લાદેશ સરકારે પણ હાઈકોર્ટમાં આ જ વાત કહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ, હાઈકોર્ટ એ જાણવા માગે છે કે બાંગ્લાદેશ સરકારે ઈસ્કોનની તાજેતરની પ્રવૃત્તિઓ અંગે શું પગલાં લીધાં છે. કોર્ટે એટર્ની જનરલ એમડી અસદુઝમાનને કહ્યું કે તેઓ આજે (ગુરુવાર 28 નવેમ્બર) સુધીમાં કોર્ટને સરકારની કાર્યવાહી વિશે જણાવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટના વકીલ મોનીરુઝમાને ઇસ્કોન પરના બે અખબારોના અહેવાલોને બેંચ સમક્ષ મૂક્યા બાદ જસ્ટિસ ફરાહ મહેબૂબ અને જસ્ટિસ દેબાશિષ રોય ચૌધરીની હાઇકોર્ટ બેન્ચે આ આદેશ આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાંગ્લાદેશ હાઈકોર્ટે દેશમાં ધાર્મિક લઘુમતીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા સરકારને પરિસ્થિતિનો સામનો કરવા તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે. બાંગ્લાદેશમાં તાજેતરની અશાંતિની શરૂઆત 25 નવેમ્બરના રોજ ઢાકા એરપોર્ટ પર અગ્રણી હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુ (chinmay krishna das prabhu) ની ધરપકડથી થઈ હતી. ધાર્મિક લઘુમતીઓના અધિકારો અને રક્ષણની તરફેણ કરવા માટે જાણીતા ચિન્યમ કૃષ્ણ પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને જામીન નકારવામાં આવ્યા હતા. તેમની ધરપકડ પછી, સમગ્ર બાંગ્લાદેશમાં વિરોધ ફાટી નીકળ્યો અને હિંદુઓએ તેમની મુક્તિની માંગ શરૂ કરી. ચિત્તાગોંગ કોર્ટની બહાર પ્રદર્શન હિંસક બન્યું, જેના પરિણામે ટોળાના હાથે વકીલનું મૃત્યુ થયું. સંબંધિત અથડામણમાં 20 થી વધુ લોકો ઘાયલ થયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઇસ્કોને સમગ્ર દુનિયા પાસે સમર્થન માંગ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા, ઇસ્કોને ધરપકડની નિંદા કરી અને આંતરરાષ્ટ્રીય સમાજને દરમિયાનગીરી કરવા વિનંતી કરી. ઇસ્કોનના પ્રવક્તાએ કહ્યું- “સંયુક્ત રાષ્ટ્રોએ બાંગ્લાદેશમાં લઘુમતીઓને બચાવવા માટે પગલાં લેવા જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભારતે ચિંતા વ્યક્ત કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિદેશ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં "ઊંડી ચિંતા" વ્યક્ત કરી. વિદેશ મંત્રાલયે કહ્યું- “આ ઘટના બાંગ્લાદેશમાં કટ્ટરપંથી તત્વો દ્વારા હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર અનેક હુમલાઓ બાદ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લઘુમતીઓના ઘરો અને વેપાર સંસ્થાઓમાં આગ અને લૂંટફાટ તેમજ ચોરી, તોડફોડ અને દેવી-દેવતાઓના મંદિરોને અપવિત્ર કરવાના અનેક મામલા સામે આવ્યા છે. તેમણે હિંદુઓ દ્વારા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન પરના હુમલાની પણ નિંદા કરી હતી. વિદેશ મંત્રાલયે લખ્યું, "અમે બાંગ્લાદેશના સત્તાવાળાઓને વિનંતી કરીએ છીએ કે હિંદુઓ અને તમામ લઘુમતીઓની સલામતી સુનિશ્ચિત કરે, જેમાં શાંતિપૂર્ણ સભા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર પણ સામેલ છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અમારી આંતરિક બાબતોમાં દખલ ન કરોઃ બાંગ્લાદેશ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારતના જવાબની ટીકા કરતા કહ્યું કે આ મુદ્દો બાંગ્લાદેશનો "આંતરિક મામલો" છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અત્યંત નિરાશા અને ઊંડા દુઃખ સાથે બાંગ્લાદેશ સરકાર નોંધે છે કે ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડનું અમુક લોકો દ્વારા ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે કારણ કે ચિન્મય કૃષ્ણ દાસની ચોક્કસ આરોપોમાં ધરપકડ કરવામાં આવી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાંગ્લાદેશે એમ પણ કહ્યું કે ભારતનું નિવેદન તથ્યોને ખોટી રીતે રજૂ કરે છે અને પડોશી દેશો વચ્ચે મિત્રતા અને સમજણની ભાવનાનું ખંડન કરે છે. બાંગ્લાદેશના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતનું નિવેદન તમામ ધર્મના લોકો વચ્ચે ઉપસ્થિત સદ્ભાવ અને આ સંબંધમાં સરકાર અને લોકોની પ્રતિબદ્ધતા અને પ્રયત્નોને પ્રતિબિંબિત નથી કરતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૂળ સવાલ એ છે કે, ભારતમાં ધાર્મિક લઘુમતીઓની સ્થિતિ શું છે? સરકાર બાંગ્લાદેશમાં હિંદુઓ લઘુમતીઓમાં છે તેની ચિંતા કરે છે, પણ ખુદ ભારતમાં લઘુમતી સમાજના ઘરો તોડી પાડે છે. તેમની સામે અત્યાચારની સેંકડો ઘટનાઓ બને છે તેમાં ન્યાય નથી મળતો તેના વિશે કેમ કશું બોલતી નથી. એવું નથી લાગતું કે આપણે પહેલા પોતાનું મોં ચહેરામાં જોવાની જરૂર છે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/what-is-the-foreign-media-saying-about-Indian-elections">ભારતની ચૂંટણી પર વિદેશી મીડિયા શું કહે છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 28 Nov 2024 11:57:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1618</Articleid>
                    <excerpt>બાંગ્લાદેશમાં ઈસ્કોનના એક પૂજારી પર રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો છે અને જામીન પણ નથી મળી રહ્યાં. બાંગ્લાદેશ શા માટે ઈસ્કોનને એક કટ્ટરપંથી સંગઠન માને છે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67480c9d936ac.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67480c9d617f1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67480c9d617f1.jpg" length="93648" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>ISKCON, Bangladesh</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભારતનું માંસ ઉત્પાદન 5% વધીને 1.02 કરોડ ટન સુધી પહોંચી ગયું</title>
                    <link>https://khabarantar.com/indias-meat-production-increased-by-5-percent-to-10.2-million-tonnes</link>
                    <guid>https://khabarantar.com/indias-meat-production-increased-by-5-percent-to-10.2-million-tonnes</guid>
                    <description>
                        <![CDATA[ નાણાકીય વર્ષ 2023-24માં ભારતનું માંસ ઉત્પાદન લગભગ પાંચ ટકા વધીને 1.02 કરોડ ટન થયું છે. કુલ માંસ ઉત્પાદનમાં મુખ્ય ફાળો 12.62 ટકા હિસ્સા સાથે પશ્ચિમ બંગાળનો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લા નાણાકીય વર્ષ 2023-24માં ભારતનું માંસ ઉત્પાદન લગભગ પાંચ ટકા વધીને 1.02 કરોડ ટન થયું છે. 2023-24 દરમિયાન દેશમાં માંસનું કુલ ઉત્પાદન 10.2 મિલિયન ટન રહેવાનો અંદાજ છે એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. 2014-15માં 66.9 લાખ ટનના અંદાજની સરખામણીએ છેલ્લા 10 વર્ષમાં સરેરાશ 4.85 ટકાનો વધારો નોંધાયો છે. વધુમાં, 2022-23ની સરખામણીમાં 2023-24માં ઉત્પાદનમાં 4.95 ટકાનો વધારો થયો છે. કુલ માંસ ઉત્પાદનમાં મુખ્ય ફાળો 12.62 ટકા હિસ્સા સાથે પશ્ચિમ બંગાળનો છે. તે પછી ઉત્તર પ્રદેશ (12.29 ટકા), મહારાષ્ટ્ર (11.28 ટકા), તેલંગાણા (10.85 ટકા) અને આંધ્રપ્રદેશ (10.41 ટકા) આવે છે. વાર્ષિક વૃદ્ધિ દરના સંદર્ભમાં, સૌથી વધુ વાર્ષિક વૃદ્ધિ દર (એજીઆર) આસામમાં (17.93 ટકા) નોંધવામાં આવ્યો છે. તે પછી ઉત્તરાખંડ (15.63 ટકા) અને છત્તીસગઢ (11.70 ટકા) આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઇંડાના ઉત્પાદનમાં આંધ્ર પ્રદેશ મોખરે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉપલબ્ધ ડેટા અનુસાર 2023-24 દરમિયાન દેશનું કુલ ઇંડા ઉત્પાદન 142.77 અબજ હોવાનો અંદાજ છે અને 2014-15 દરમિયાન 78.48 અબજના અંદાજની સરખામણીએ છેલ્લા 10 વર્ષમાં સરેરાશ 6.8 ટકા વૃદ્ધિ નોંધાવી છે. વધુમાં, પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં 2023-24 દરમિયાન ઉત્પાદનમાં 3.18 ટકાનો વધારો થયો છે. ઇંડાના કુલ ઉત્પાદનમાં મોટો ફાળો આંધ્રપ્રદેશનો છે, જેનો કુલ ઈંડા ઉત્પાદનમાં હિસ્સો 17.85 ટકા છે. આ પછી તમિલનાડુ (15.64 ટકા), તેલંગાણા (12.88 ટકા), પશ્ચિમ બંગાળ (11.37 ટકા) અને કર્ણાટક (6.63 ટકા) આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઊનના ઉત્પાદનમાં રાજસ્થાનનો હિસ્સો સૌથી વધુ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉનના ઉત્પાદનમાં એજીઆરની દ્રષ્ટિએ સૌથી વધુ વૃદ્ધિ દર લદ્દાખ (75.88 ટકા)માં નોંધાયો હતો, ત્યારબાદ મણિપુર (33.84 ટકા) અને ઉત્તર પ્રદેશ (29.88 ટકા)નો નંબર આવે છે. ડેટા અનુસાર, 2023-24 દરમિયાન કુલ ઊનનું ઉત્પાદન 3.36 કરોડ કિલો થવાનો અંદાજ છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 0.22 ટકાનો નજીવો વધારો છે. કુલ ઊનના ઉત્પાદનમાં રાજસ્થાનનો મોટો ફાળો છે, જેનો હિસ્સો 47.53 ટકા છે. એ પછી જમ્મુ અને કાશ્મીર (23.06 ટકા), ગુજરાત (6.18 ટકા), મહારાષ્ટ્ર (4.75 ટકા) અને હિમાચલ પ્રદેશ (4.22 ટકા) આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/savarkar-ate-beef-despite-being-a-brahmin-minister-of-karnataka">સાવરકર બ્રાહ્મણ હોવા છતાં ગૌમાંસ ખાતા હતા: કર્ણાટકના મંત્રી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 27 Nov 2024 19:50:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1615</Articleid>
                    <excerpt>નાણાકીય વર્ષ 2023-24માં ભારતનું માંસ ઉત્પાદન લગભગ પાંચ ટકા વધીને 1.02 કરોડ ટન થયું છે. કુલ માંસ ઉત્પાદનમાં મુખ્ય ફાળો 12.62 ટકા હિસ્સા સાથે પશ્ચિમ બંગાળનો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67472a02d5c2d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67472a02a55e0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67472a02a55e0.jpg" length="67072" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>indias meat production, Meat</media:keywords>
                </item>
                        <item>
                    <title>જન હિતના કોઈપણ કામ માટે &amp;apos;ફ્રી હેન્ડ&amp;apos; એ બંધારણનું હાર્દ : મુખ્યમંત્રી</title>
                    <link>https://khabarantar.com/free-hand-for-any-work-of-public-interest-is-the-heart-of-the-constitution-chief-minister</link>
                    <guid>https://khabarantar.com/free-hand-for-any-work-of-public-interest-is-the-heart-of-the-constitution-chief-minister</guid>
                    <description>
                        <![CDATA[ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બંધારણ દિવસની ઉજવણી કરાઈ. મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો, સચિવોએ બંધારણના આમુખનું સામૂહિક પઠન કર્યું, ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધીનગર ખાતે ૨૬ નવેમ્બરે બંધારણના અંગીકરણના ૭૫ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે બંધારણ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આહવાન કર્યું હતું કે, બંધારણને માત્ર પુસ્તક સ્વરૂપે ન જોતા તેના રાષ્ટ્રહિત સર્વોપરિના ભાવને આપણી જીવન શૈલી બનાવીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તા.૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ અંગીકાર થયેલા આપણા બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન આપવાની રાષ્ટ્રહિત ભાવના ઉજાગર કરવા સમગ્ર દેશમાં ૨૦૧૫થી દર વર્ષે ૨૬ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વર્ષે બંધારણના ઘડતરના ૭૫ વર્ષ પૂર્ણ થયા છે તે સંદર્ભમાં “હમારા સંવિધાન, હમારા સ્વાભિમાન” થીમ સાથે અમૃતકાળનો આ બંધારણ દિવસ દેશભરમાં ઉજવાયો છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બંધારણ દિવસની ઉજવણી અન્વયે મુખ્યમંત્રી સહિત મંત્રીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ, મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો સૌએ બંધારણના આમુખનું સામૂહિક પઠન કર્યું હતું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6745e35b21ff5.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીયતા આપણો ધર્મ છે તો બંધારણ આપણો ધર્મગ્રંથ છે એટલું જ નહીં, નાગરિક ધર્મ નિભાવવામાં આ બંધારણ આપણા સૌનું પથદર્શન કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જનહિતના કોઈપણ કામ માટે 'ફ્રી હેન્ડ' એ આપણા બંધારણનું હાર્દ છે. આ ઉપરાંત ‘વી ધ પીપલથી’ શરૂ થતું બંધારણ “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ની ભાવના પણ સાકાર કરનારું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બંધારણ સભા દ્વારા બંધારણ નિર્માણ અને સ્વીકારમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરના અમૂલ્ય યોગદાન સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુન્શી,  હંસાબેન મહેતા જેવા ગરવા ગુજરાતીઓના પ્રદાનનું પણ સ્મરણ કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અગાઉ બંધારણ દિવસની ઉજવણી રૂપે યુવાશક્તિને રાષ્ટ્રહિત સ્વાભિમાન માટે પ્રેરિત કરી “હમારા સંવિધાન, હમારા સ્વાભિમાન” સૂત્ર સાથેની સંવિધાન ગૌરવ પદયાત્રાને પ્રસ્થાન કરાવીને પોતે પણ પદયાત્રામાં જોડાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અગાઉ સેન્ટ્રલ વિસ્ટા ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને મંત્રીઓએ બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ વિકસિત ભારત યંગ લીડર ડાયલોગના પોસ્ટરનંડ લોન્ચિંગ પણ કર્યું હતું. ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવિધાન ગૌરવ પદયાત્રાને પ્રસ્થાન કરાવીને પોતે પણ પદયાત્રામાં જોડાયા હતા. આ પદયાત્રામાં ગાંધીનગર શહેરની શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, એન.વાય.કે.એસ.ના કર્મીઓ, સ્વૈચ્છિક સંગઠનો તથા નાગરિકો જોડાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/the-blindfold-of-the-goddess-of-justice-came-off-the-constitution-replaced-the-sword-in-her-hand">ન્યાયની દેવીની આંખેથી પટ્ટી ઉતરી, હાથમાં તલવારને બદલે બંધારણ અપાયું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 26 Nov 2024 20:40:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1608</Articleid>
                    <excerpt>ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બંધારણ દિવસની ઉજવણી કરાઈ. મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો, સચિવોએ બંધારણના આમુખનું સામૂહિક પઠન કર્યું,</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6745e330b07ab.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6745e3307a426.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6745e3307a426.jpg" length="96896" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Constitution Day Celebration, Preamble of the Constitution, Gandhinagar News</media:keywords>
                </item>
                        <item>
                    <title>હવે સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ ભારતનું બંધારણ ઉપલબ્ધ</title>
                    <link>https://khabarantar.com/now-the-constitution-of-india-is-available-in-sanskrit-and-maithili-languages-too</link>
                    <guid>https://khabarantar.com/now-the-constitution-of-india-is-available-in-sanskrit-and-maithili-languages-too</guid>
                    <description>
                        <![CDATA[ ભારતીય બંધારણના નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવા પર તે સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Now the Constitution of India is available in Sanskrit and Maithili languages ​​too : ભારતનું બંધારણ હવે સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ વાંચી શકાશે. આજે બંધારણના નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આ બંને ભાષાઓમાં ભારતીય બંધારણની નકલો બહાર પાડવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર રહ્યા હતા, જ્યારે બંને ગૃહોના સ્પીકર, પીએમ નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા. બંધારણ દિવસ પર એક ખાસ ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડવામાં આવ્યો છે. આ પ્રસંગે કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આ બંધારણ દેશને તેજસ્વી લોકોની ભેટ છે. તેણે દેશની વિવિધતાને અભિવ્યક્તિ આપી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાષ્ટ્રપતિએ કહ્યું કે છેલ્લા 75 વર્ષોમાં આપણો દેશ વિશ્વબંધુ તરીકે ઉભરી આવ્યો છે. આજે કૃતજ્ઞ રાષ્ટ્ર તેના બંધારણના નિર્માતાઓને વંદન કરે છે. આપણે આ સમયગાળા દરમિયાન ઘણી પ્રગતિ કરી છે અને હવે મહિલા સશક્તિકરણ તરફ આગળ વધ્યા છીએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દરમિયાન રાષ્ટ્રપતિએ મહિલા સાંસદોના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે અમારી સરકારે આવશ્યક જાહેર સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આપણા બંધારણનો એ જ હેતુ એ છે કે કાર્યપાલિકા, ન્યાયતંત્ર અને ધારાસભાએ સામાન્ય લોકોના હિત માટે સાથે મળીને કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે આપણે બધા રાષ્ટ્રના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સાથે છીએ અને વિવિધતામાં એકતા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કાર્યક્રમ દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ સાથે જોવા મળ્યાં. બંધારણની મૈથિલી અને સંસ્કૃતિ નકલના વિમોચન દરમિયાન જ્યારે પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ સાથે મંચ પર હતા, ત્યારે રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે જેવા વિપક્ષી નેતાઓ પણ હાજર હતા. આ સિવાય બંને ગૃહોના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર પણ મંચ પર જોવા મળ્યા. 75માં સંવિધાન દિવસ નિમિત્તે ખાસ સ્ટેમ્પ અને સિક્કા પણ બહાર પાડવામાં આવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે બંધારણ દિવસના અવસર પર ગૃહની સામાન્ય કાર્યવાહી નથી થઈ રહી પરંતુ બંનેનું સંયુક્ત સત્ર બોલાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ તમામ સભ્યો પાસે બંધારણની પ્રસ્તાવનાનું વાંચન પણ કરાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Constitution-Day-Special:-Know-what-fundamental-rights-the-Constitution-of-India-gives-us">બંધારણ દિવસ વિશેષઃ જાણો ભારતનું બંધારણ આપણને ક્યા મૂળભૂત અધિકારો આપે છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 26 Nov 2024 16:01:51 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 26 Nov 2024 16:05:22 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1607</Articleid>
                    <excerpt>ભારતીય બંધારણના નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવા પર તે સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67459f81c7bab.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67459f8196508.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67459f8196508.jpg" length="71395" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>constitution of india, sanskrit, maithili languages, 75th constitution day</media:keywords>
                </item>
                        <item>
                    <title>હોટલોમાં ઘૂસી યુવતીઓના વીડિયો બનાવતો વિશ્વ હિંદુ મહાસંઘનો નેતા ઝડપાયો</title>
                    <link>https://khabarantar.com/vishwa-hindu-mahasangh-leader-caught-making-videos-of-girls-entering-hotel</link>
                    <guid>https://khabarantar.com/vishwa-hindu-mahasangh-leader-caught-making-videos-of-girls-entering-hotel</guid>
                    <description>
                        <![CDATA[ હિન્દુ સંગઠનની આડમાં ટોળકી યુવતીઓની છેડતી કરતી હતી અને પશુઓ ભરેલી ગાડીઓને જે તે વિસ્તાર પાર કરાવવા ખંડણી વસૂલતી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હોટેલો પર દરોડા પાડવા, રૂમ ખોલીને અંદર જોવું, ત્યાં આવતા પ્રેમીપંખીડાઓનો વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપીને પૈસા પડાવવા, છોકરીઓને હાથ પકડીને ખેંચવી, હોટલ માલિકને ધમકાવી ખંડણી માંગવી - આ તમામ ગુનાઓ અંતર્ગત યુપીના બદાયૂમાં વિશ્વ હિન્દુ મહાસંઘના જિલ્લા પ્રમુખ વિશાલ ઠાકુર સહિત છ સામે નામજોગ અને ત્રણ અજાણ્યા તત્વો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના બદાયૂના કબૂલપુરની છે. અહીં હિન્દુ સંગઠનની આડમાં આ ટોળકી ઘણા દિવસોથી યુવતીઓની છેડતી અને ખંડણીનો ધંધો કરતી હતી અને તેમની સામે કાર્યવાહી કરાઈ છે. ભૂતકાળમાં મળેલી ફરિયાદના આધારે પણ પોલીસે આ કાર્યવાહી કરી છે. આમાં કેટલાક કહેવાતા મીડિયાકર્મીઓ પણ સામેલ છે. પોલીસે વિશ્વ હિન્દુ મહાસંઘના જિલ્લા પ્રમુખ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુપીના કબુલપુર વિસ્તારના રહેવાસી ધર્મેન્દ્ર કુમારની સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારના પટેલ ચોક પાસે મિડટાઉન હોટેલ છે. જેમાં તેઓ ઓનલાઈન હોટલ બૂકિંગ સર્વિસ ઓયેની ફ્રેન્ચાઈઝી ધરાવે છે. પોલીસને ફરિયાદ આપતાં ધર્મેન્દ્રએ કહ્યું કે ગુરુવારે કેટલાક લોકો હોટલના રૂમમાં રોકાયા હતા. નિયમો અનુસાર, તેમને તેમના ઓળખ કાર્ડ વગેરે સબમિટ કર્યા પછી જ રૂમ આપવામાં આવ્યા હતા. રૂમમાં રહેલા તમામ લોકો પુખ્ત વયના હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દાદાગીરી કરી હોટલના રૂમમાં પ્રવેશી ગયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરિયાદીએ જણાવ્યું કે, બપોરે વિશાલ ઠાકુર, કરણ પટેલ, તેજેન્દ્ર કુમાર, બબલુ અને અન્ય ચાર-પાંચ લોકો આવ્યા અને હોટલના રૂમમાં રોકાયેલા ગ્રાહકોના ઓળખ કાર્ડ દાદાગીરી કરીને ચેક કરવા લાગ્યા. જ્યારે ગ્રાહકોએ વિરોધ કર્યો તો તેઓ બળજબરીથી તેમના રૂમમાં પ્રવેશ્યા અને તેમના આઈડી ચેક કર્યા. તમામ ગ્રાહકોના આઈડી ચેક કર્યા બાદ પણ તેમણે છેડતીના ઈરાદે ત્યાં આવેલી યુવતીઓનો હાથ પકડી લીધો હતો. એ પછી ગાળો ભાંડી ધમકીઓ આપવા લાગ્યા. આ ગેંગે પોતાના મોબાઈલમાં ગ્રાહકોનો વીડિયો બનાવી લીધો હતો અને તેને વાયરલ કરી દેવાની ધમકી આપવા લાગ્યા હતા. હોટલમાં કેટલાક કપલ્સ પણ રોકાયેલા હોવાથી તેમને ધમકાવવાનું શરૂ કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વીડિયો વાયરલ ન કરવા માટે પૈસાની માંગણી કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપ છે કે આ લોકોએ કપલ્સને કહ્યું હતું કે, જો તમે ઈચ્છો છો કે વીડિયો વાયરલ ન થાય તો રૂપિયા આપો. ફરિયાદના આધારે પોલીસે વિશાલ ઠાકુર, કરણ પટેલ, તેજેન્દ્ર કુમાર, બબલુ અને અજાણ્યા વિરુદ્ધ FIR નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં વિશાલ ઠાકુર, અમિત પિપ્પલ અને કરણ પટેલનો સમાવેશ થાય છે, જે પોતાને વિશ્વ હિન્દુ મહાસંઘના જિલ્લા પ્રમુખ કહે છે. ત્રણેયને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કેટલાક સાગરિતો હજુ પણ ફરાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિવિલ લાઇન્સના ઇન્સ્પેક્ટર સંજય સિંહે જણાવ્યું કે આરોપીઓએ હોટલમાં દરોડા પાડવાનો વીડિયો પણ સર્ક્યુલેટ કર્યો છે. જેમાં યુવતીઓનો હાથ પકડનારો બબલુ અને અન્ય કેટલાક લોકો જોવા મળે છે. આ તમામ ફરાર છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. પોલીસે FIR નોંધાયા બાદ તપાસ શરૂ કરી અને વીડિયો તથા CCTV ફૂટેજના આધારે વધુ બે નામ ઉમેર્યા છે. જેમાં અમિત પિપ્પલ પહેલેથી જ પોલીસને મળી આવ્યો હતો. જ્યારે અજયની શોધખોળ ચાલુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિંદુ સંગઠન અને ગૌરક્ષક દળની આડમાં કાળા કામો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે આ મામલે અન્ય કેટલાક આરોપીઓની ઓળખ કરી છે, પરંતુ તેમના નામ મળી શક્યા નથી. થોડા દિવસો પહેલા વિશ્વ હિન્દુ મહાસંઘના જિલ્લા પ્રમુખ વિશાલ ઠાકુરનો ઓડિયો અને વિડીયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. ઓડિયોમાં તે પશુઓના વેપારી સાથે વાત કરી રહ્યો હતો. આ સાથે સ્ક્રીન શોટ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં દસ હજાર રૂપિયા નાખવામાં આવ્યા હતા. ઓડિયોમાં પશુઓ ભરેલા વાહનોને બહાર કાઢવા માટેની વાત ચાલી રહી હતી. એ પછી આ ગેંગ પર આરોપો લાગ્યા હતા કે તેઓ હિંદુ સંગઠન અને ગૌરક્ષક દળની આડમાં પશુઓની હેરાફેરી કરતી ગાડીઓને જે તે વિસ્તારમાંથી કઢાવવાનું કામ કરે છે. તેમ છતાં પોલીસે તે સમયે કોઈ કાર્યવાહી કરી ન હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/now-to-indulge-the-dalits-the-vishwa-hindu-parishad-will-go-and-eat-at-their-homes">હવે દલિતોને રીઝવવા વિશ્વ હિંદુ પરિષદ તેમના ઘરે જઈને ભોજન કરશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 26 Nov 2024 13:07:12 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1606</Articleid>
                    <excerpt>હિન્દુ સંગઠનની આડમાં ટોળકી યુવતીઓની છેડતી કરતી હતી અને પશુઓ ભરેલી ગાડીઓને જે તે વિસ્તાર પાર કરાવવા ખંડણી વસૂલતી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_674579bfcd148.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_674579bf8d839.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_674579bf8d839.jpg" length="84381" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Vishwa Hindu Mahasangh, Badayu, Kabulpur</media:keywords>
                </item>
                        <item>
                    <title>બંધારણના આમુખમાં &amp;apos;સમાજવાદી&amp;apos; અને &amp;apos;સેક્યુલર&amp;apos; શબ્દ નહીં હટે</title>
                    <link>https://khabarantar.com/the-words-socialist-and-secular-will-not-be-removed-from-the-preamble-of-the-constitution</link>
                    <guid>https://khabarantar.com/the-words-socialist-and-secular-will-not-be-removed-from-the-preamble-of-the-constitution</guid>
                    <description>
                        <![CDATA[ સુપ્રીમ કોર્ટે બંધારણના આમુખમાંથી આ બંને શબ્દોને હટાવવાની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે બંધારણ દિવસ પહેલા મોટો નિર્ણય આપતાં બંધારણની પ્રસ્તાવનામાં સમાવિષ્ટ 'સમાજવાદી' અને 'સેક્યુલર' શબ્દોને હટાવવાની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી હતી. આ બંને શબ્દો 1976માં બંધારણના 42મા સુધારા પછી આમુખમાં સામેલ કરવામાં આવ્યા હતા. સીજેઆઈ સંજીવ ખન્ના અને જસ્ટિસ પીવી સંજય કુમારે કહ્યું કે બંધારણના મૂળ તત્વને નુકસાન પહોંચાડ્યા વિના સંસદને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે કહ્યું કે 26 નવેમ્બર 1949 જેવું આમુખ બનાવવા માટે આ બે શબ્દોને આમુખમાંથી દૂર શકાય નહીં. એ વાત સાચી કે છે કે, 26 નવેમ્બર 1949ના બંધારણ આ દેશના લોકોને સોંપવામાં આવ્યું હતું. પરંતુ બંધારણના સ્વીકારની તારીખ કલમ 368 હેઠળ આપવામાં આવેલા અધિકારોને છીનવી શકે નહીં. ભાજપના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, સામાજિક કાર્યકર્તા બલરામ સિંહ અને એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે 42માં સુધારા બાદ બંધારણના ઘડવૈયાઓના મૂળ દ્રષ્ટિકોણને ખતમ કરી દેવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું, 'સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો 1976 માં સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા હતા અને તે હકીકતથી કોઈ ફરક પડતો નથી કે બંધારણ 1949માં અપનાવવામાં આવ્યું હતું...જો આ દલીલો, જે અગાઉના કેસોમાં પ્રભાવી હતી તેને સ્વીકારવામાં આવે તો તે બધા સુધારાઓને લાગુ પડશે.’</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુબ્રમણ્યમ સ્વામીએ તેમની અરજીમાં કહ્યું હતું કે બંધારણ અપનાવવાની તારીખે જે પ્રસ્તાવના હતી તેને બદલવામાં આવી હતી. એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે તેમને ‘સમાજવાદી’ અને ‘બિનસાંપ્રદાયિક’ શબ્દો સામે કોઈ વાંધો નથી પરંતુ જે ગેરકાયદેસર રીતે તેને બંધારણમાં સામેલ કરવામાં આવ્યા હતા તેના પર વાંધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/will-the-words-secular-and-socialist-remain-in-the-constitution-or-be-removed">‘ધર્મનિરપેક્ષ’ અને ‘સમાજવાદી’ શબ્દો બંધારણમાં રહેશે કે દૂર થશે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 25 Nov 2024 20:26:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1602</Articleid>
                    <excerpt>સુપ્રીમ કોર્ટે બંધારણના આમુખમાંથી આ બંને શબ્દોને હટાવવાની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67448eed20191.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67448eece1878.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67448eece1878.jpg" length="108828" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>secular, socialis, Constitution</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડી.વાય. ચંદ્રચૂડનું નામ ઈતિહાસમાં કાળા અક્ષરોમાં લખાશે, કોર્ટો ICU માં છે...</title>
                    <link>https://khabarantar.com/d-y-chandrachuds-name-will-be-written-in-black-letters-in-history-the-courts-are-in-icu</link>
                    <guid>https://khabarantar.com/d-y-chandrachuds-name-will-be-written-in-black-letters-in-history-the-courts-are-in-icu</guid>
                    <description>
                        <![CDATA[ મહારાષ્ટ્રમાં હાર બાદ શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે પૂર્વ CJI ડી.વાય. ચંદ્રચૂડ પર ગંભીર આરોપ લગાવ્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે ગઈકાલે પૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ પર આકરા પ્રહારો કર્યા હતા. રાઉતે પૂર્વ સીજેઆઈ પર ગંભીર આરોપ લગાવ્યો કે તેમણે મહારાષ્ટ્રમાં પક્ષપલટો કરનારા નેતાઓના મનમાંથી કાયદાનો ડર દૂર કરી દીધો છે. રાઉતે દાવો કર્યો હતો કે પક્ષપલટુ નેતાઓની અયોગ્યતાની અરજીઓ પર નિર્ણય ન લઈને ચંદ્રચૂડે પક્ષપલટા માટે દરવાજા અને બારીઓ ખુલ્લી છોડી રાખી હતી. શિવસેના (UBT) નેતા રાઉતનું આ નિવેદન રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની કારમી હાર પછી આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ જ્યાં મહા વિકાસ અઘાડી (MVA) હેઠળ 95 બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ માત્ર 20 બેઠકો જીતી શકી હતી.  મહા વિકાસ અઘાડીના અન્ય ગઠબંધન ભાગીદારોનું પ્રદર્શન પણ સારું નહોતું રહ્યું. કોંગ્રેસે 101 બેઠકોમાંથી માત્ર 16 બેઠકો જીતી હતી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદપવાર) 86 બેઠકોમાંથી માત્ર 10 જ જીતી શકી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પત્રકારો સાથે વાત કરતા સંજય રાઉતે આરોપ લગાવ્યો કે, 'ચંદ્રચૂડે પક્ષપલટુઓના મનમાંથી કાયદાનો ડર દૂર કરી દીધો છે. તેમનું નામ ઇતિહાસમાં કાળા અક્ષરે લખવામાં આવશે.' </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2022માં અવિભાજિત શિવસેનાના ભાગલા બાદ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા જૂથે એકનાથ શિંદે સાથે પક્ષપલટો કરનારા પક્ષના ધારાસભ્યોની ગેરલાયકાતને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોની ગેરલાયકાત અંગે નિર્ણય લેવાની જવાબદારી મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ પર છોડી દીધી હતી. એ પછી વિધાનસભા અધ્યક્ષે એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથને 'અસલી રાજકીય પક્ષ' જાહેર કર્યો હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાઉતે આક્ષેપ કર્યો હતો કે વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલાથી જ નક્કી થઈ ગયા હતા. તેમણે કહ્યું કે જો તત્કાલિન સીજેઆઈએ આ ધારાસભ્યોની ગેરલાયકાતની અરજીઓ પર સમયસર નિર્ણય કર્યો હોત તો આજે પરિણામ અલગ હોત.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અદાલતો હવે ICUમાં છે</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંજય રાઉતે કહ્યું, 'અમે દુઃખી છીએ, પરંતુ નિરાશ નથી. અમે લડાઈને નહીં છોડીએ. મતોનું વિભાજન પણ એક પરિબળ હતું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નફરતનું ઝેર ફેલાવતા અભિયાને અમારા પર નકારાત્મક અસર પાડી.'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાઉતે કહ્યું કે, નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ પડોશી રાજ્ય ગુજરાતમાં યોજવો જોઈએ. દરમિયાન, પક્ષના મુખપત્ર 'સામના'માં તેમની સાપ્તાહિક કૉલમ 'રોકઠોક' માં રાઉતે દાવો કર્યો હતો કે ચૂંટણી પંચ પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાનો સમય આવી ગયો છે, તેણે ચૂંટણીમાં ધનબળના ઉપયોગ તરફ આંખ આડા કાન કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે કોર્ટ લાંબા સમયથી ICUમાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/there-is-nothing-wrong-with-pm-coming-to-my-house-on-ganpati-puja-dy-chandrachud">ગણપતિ પૂજા પર PM મારા ઘરે આવે એમાં કંઈ ખોટું નથી: ડી.વાય. ચંદ્રચૂડ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 25 Nov 2024 17:43:24 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1601</Articleid>
                    <excerpt>મહારાષ્ટ્રમાં હાર બાદ શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે પૂર્વ CJI ડી.વાય. ચંદ્રચૂડ પર ગંભીર આરોપ લગાવ્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_674468be9999c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_674468be66644.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_674468be66644.jpg" length="84806" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>D.Y. Chandrachud, Shiv Sena UBT, Sanjay Raute</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભગવદ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નહીં, ભારતીય સંસ્કૃતિ&amp;સભ્યતાનો ભાગ છે : હાઈકોર્ટ</title>
                    <link>https://khabarantar.com/bhagavad-gita-is-not-just-a-religious-scripture-it-is-part-of-Indian-culture-and-civilization-gujarat-high-court</link>
                    <guid>https://khabarantar.com/bhagavad-gita-is-not-just-a-religious-scripture-it-is-part-of-Indian-culture-and-civilization-gujarat-high-court</guid>
                    <description>
                        <![CDATA[ શાળાઓમાં પ્રાર્થના દરમિયાન ભગવદ ગીતાના શ્લોકોને સામેલ કરવા અંગે થયેલી પીઆઈએલમાં ગુજરાત હાઈકોર્ટે તર્કને બદલે ધર્મની ભેળસેળ કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં પ્રાર્થના દરમિયાન ભગવદ ગીતા (Bhagavad Gita) ના શ્લોકો ઉમેરવાને લઈને ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) માં જમિયત ઉલેમા-એ-હિંદ (Jamiyat Ulema-e-Hind) દ્વારા પીઆઈએલ (PIL) દાખલ કરવામાં આવી હતી. જેમાં ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે ઠરાવ પસાર કરીને ગુજરાતની શાળાઓમાં પ્રાર્થના વગેરે દરમિયાન ભગવદ ગીતાના શ્ર્લોકો ઉમેરવામાં આવ્યા છે, જે અભ્યાસક્રમનો પણ એક ભાગ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તે સરકારી દરખાસ્તને મૂળ પિટિશનમાં પડકારવામાં આવી છે. સંસ્થાની દલીલ હતી કે, નેશનલ એજ્યુકેશન પોલિસી અનુસાર, તમામ ધર્મોની સારી બાબતો શીખવતા બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતોનો અભ્યાસમાં સમાવેશ થવો જોઈએ, માત્ર ભગવત ગીતા જ નહીં.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">સંસ્થાની દલીલ તાર્કિક હોવા છતાં ગુજરાત હાઈકોર્ટે તેને સ્વીકારવાને બદલે ભારતીય સંસ્કૃતિ અને સભ્યાનો ભાગ ગણાવીને આખા મામલાને છાવર્યો હોય તેમ જણાય છે. હાઈકોર્ટે કહ્યું કે ભગવદ ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો એક ભાગ છે. તેમાં રહેલા સિદ્ધાંતો નૈતિક મૂલ્યો શીખવે છે. તેથી, ભગવદ ગીતા એક પ્રકારનું નૈતિક વિજ્ઞાન છે. </span><br><span style="font-size: 14pt;">હાઈકોર્ટની બેન્ચે એમ પણ કહ્યું કે અમે વર્ષોથી પશ્ચિમી વિશ્વના નૈતિક પાઠ શીખી રહ્યા છીએ. આ અરજી એક પ્રચાર અને સ્ટંટ સિવાય બીજું કંઈ નથી અને તેમાં રાષ્ટ્રીય નીતિ વિરુદ્ધ કંઈ નથી. અભ્યાસક્રમમાં સામેલ કરવા માટે અરજદારોએ તેમના ધર્મની યોગ્યતાઓ સરકાર સમક્ષ રજૂ કરવાની રહેશે. સરકાર પછી સરકાર તેને પોતાની રીતે ઉમેરી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આ સંદર્ભમાં અરજદારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીને પણ ટાંકી હતી અને એમ પણ કહ્યું કે સરકાર દ્વારા અરજી અંગે કોઈ જવાબ રજૂ કરવામાં આવ્યો નથી. અરજદારે કહ્યું કે, એક વિશેષ સંસ્થા છે જે અભ્યાસક્રમ નક્કી કરે છે. તેમણે અભ્યાસ નક્કી કરવો જોઈએ, સરકારે તેમાં દખલ ન કરવી જોઈએ. જો કે, હાઈકોર્ટે કહ્યું કે ભગવદ ગીતા માત્ર ધાર્મિક શિક્ષણ નથી, પરંતુ જીવનના મૂળભૂત નીતિ-નિર્માણ મૂલ્યો શીખવે છે. તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની વિરુદ્ધ નથી. હાઈકોર્ટે અરજદારને મૂળ અરજી પર સુનાવણી માટે એક મહિના પછીની તારીખ આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/from-the-new-academic-session-st-bhagwat-gita-lessons-will-be-taught-in-6th-to-8th">નવા શૈક્ષણિક સત્રથી ધો. 6 થી 8માં ભગવદ ગીતાના પાઠ ભણાવાશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 24 Nov 2024 10:56:48 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1596</Articleid>
                    <excerpt>શાળાઓમાં પ્રાર્થના દરમિયાન ભગવદ ગીતાના શ્લોકોને સામેલ કરવા અંગે થયેલી પીઆઈએલમાં ગુજરાત હાઈકોર્ટે તર્કને બદલે ધર્મની ભેળસેળ કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6742b9068b2d2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6742b90650f4c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6742b90650f4c.jpg" length="48475" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bhagavad Gita, Gujarat High Court, Jamiyat Ulema-e-Hind, School Syllabus</media:keywords>
                </item>
                        <item>
                    <title>એક રેશનાલીસ્ટ અખબારનો તંત્રી જેલમાં જતા બચી ગયો...</title>
                    <link>https://khabarantar.com/the-editor-of-a-rationalist-newspaper-escaped-prison</link>
                    <guid>https://khabarantar.com/the-editor-of-a-rationalist-newspaper-escaped-prison</guid>
                    <description>
                        <![CDATA[ ધર્માંધ લોકો કેવી રીતે ન્યાયતંત્રના સહારે રેશનાલિસ્ટોને હેરાન-પરેશાન કરતા હોય છે તેની એક સત્ય ઘટના. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખંભાત શહેરમાં એનવી ચાવડા દ્વારા લખાયેલ એક લેખ, જેનું હેડિંગ "તુલસીદાસ સાચા કે વાલ્મિકી? કે મોરારીબાપુ" તેમજ "હિન્દુઓએ કાઢેલો ભાગવત ગીતા વિરુદ્ધનો મોરચો" તેવા હેડિંગ સાથેના લેખ પ્રસિદ્ધ થયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખંભાતમાંથી બહાર પડતા પાક્ષિક 'તીસરી આઝાદી' ના તંત્રી અને ઉપરોક્ત લેખો દ્વારા રેશનાલિસ્ટ વિચારોને પ્રકાશિત કરનાર શ્રી જોન ડી'કોસ્ટા  વિરુદ્ધ ફરિયાદ થયેલી.  વિશ્વ હિંદુ પરિષદ ખંભાતના પ્રમુખ દ્વારા આઈ.પી.સી.ની કલમ 295(ક) તથા કલમ 153(ક) એટલે કે ધાર્મિક લોકોની લાગણી દુભાવવી અને પ્રાદેશિક અને જ્ઞાતિઓ અને કોમો વચ્ચે દુશ્મનાવટ અને દ્વેષની લાગણી ફેલાવવી અને તેથી શાંતિ ભંગ થાય તેવું કૃત્ય કરવા બદલ ૩ માર્ચ 2020 ના રોજ કેસ ચલાવી ટ્રાયલ કોર્ટ દ્વારા જોન ડી'કોસ્ટા તંત્રીને ત્રણ વર્ષની કેદની અને દંડની સજા કરવામાં આવેલી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં અનેક સિનિયર વકીલોએ અપીલ કરવા કે બચાવવા આવા કેસ લડવાની ના પાડેલી અને હિન્દુ ધર્મ વિશે ટિપ્પણી કરતા હોવાથી સજા ભોગવવા કહેલું. આરોપી કંટાળીને સજા ભોગવવા પણ તૈયાર થયેલ. આખરે ખંભાતથી જ્હોન ડી'કોસ્ટાએ એડવોકેટ પિયુષ જાદુગરનો સંપર્ક કર્યો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ વખતે કોરોનાનો ભયાનક સમય હતો અને સૌ ઘરમાં પુરાયેલા હતા. તેમ છતાં એડવોકેટ પિયુષ જાદુગરે એડવોકેટ તરીકેની ફરજ બજાવવા તમામ સાથ સહકાર આપી ઓનલાઇન અપીલ કરી જામીન અપાવેલા અને ફરી અપીલ દાખલ કરી આપેલી. એ અપીલમાં સેશન્સ અપીલ કોર્ટે ટ્રાયલ કોર્ટનો ત્રણ વર્ષની કેદની સજાનો હુકમ રદ કરી દીધો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં ધર્માંધ લોકો રેશનાલિસ્ટોને ટાર્ગેટ કરીને, ખોટા કેસ કરીને હેરાન કરવા માંગતા હોય છે. સરકારના કેટલાક લોકો પણ આમાં સામેલ રહે છે અથવા આડકતરી મદદ કરતા હોય છે. આવી સ્થિતિમાં રેશનાલિસ્ટો સાચાં હોવા છતાં તેમને મદદ નથી કરતું (ડૉ. વલિ કેસનો કેસ) તે નોંધવું રહ્યું. આથી સાવચેત રહેવું જરૂરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સવર્ણ ધાર્મિક જજ અને સવર્ણ ધાર્મિક સરકારી વકીલ અને ક્યારેક તો આરોપી તરફે પણ ધાર્મિક વકીલ ડિફેન્સ તરીકે હોય ત્યારે રેશનાલિસ્ટને  સજા થવાના ચાન્સ વધુ હોય છે તે પણ નોંધવું રહ્યું. </span><br><span style="font-size: 14pt;">જ્હોન ડી કોસ્ટના આ કેસમાં અપીલ સમયે એડવોકેટ પિયુષ જાદુગર સાથે કોર્ટ પ્રોસિજર જોવા અને જાણવા દરેક મુદ્દતે હાજર હતો અને કોર્ટની કાર્યવાહીથી માહિતગાર છું. ઘણીવાર કોર્ટ પણ પોતાની ધાર્મિક આસ્થાને કારણે પોતાની અંગત માન્યતાઓને કેસમાં જોડી દે છે અને રેશનલ વાતો, તર્ક અને સત્ય સ્વીકારવા તૈયાર નથી હોતી, તે મેં નજરે જોયું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એન. વી. ચાવડા પ્રખર રેશનાલીસ્ટ અને લેખક તો હાલ હયાત નથી. પરંતુ આજે એક રેશનાલિસ્ટ અખબારના તંત્રી ત્રણ વર્ષની કેદની સજામાંથી બચી ગયેલ છે. જે રેશનાલીસ્ટ લોકો માટે ખૂબ આનંદની વાત છે. </span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/The-hard-work-of-the-rationalists-paid-off:-More-than-4000-Bahujans-flocked-to-the-Ahmedabad-crematorium-leaving-behind-the-fear-of-Kali-Chaudash.">કાળી ચૌદશનો ડર છોડી અમદાવાદમાં 4000થી બહુજનો સ્મશાનમાં ઉમટી પડ્યાં</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 23 Nov 2024 10:45:43 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1591</Articleid>
                    <excerpt>ધર્માંધ લોકો કેવી રીતે ન્યાયતંત્રના સહારે રેશનાલિસ્ટોને હેરાન-પરેશાન કરતા હોય છે તેની એક સત્ય ઘટના.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_674164dfc3def.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_674164df91c1f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_674164df91c1f.jpg" length="110595" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>rationalist, Media, newspaper, teesri azadi, morari bapu, valmiki ramayan, tulsidas</media:keywords>
                </item>
                        <item>
                    <title>‘ધર્મનિરપેક્ષ’ અને ‘સમાજવાદી’ શબ્દો બંધારણમાં રહેશે કે દૂર થશે?</title>
                    <link>https://khabarantar.com/will-the-words-secular-and-socialist-remain-in-the-constitution-or-be-removed</link>
                    <guid>https://khabarantar.com/will-the-words-secular-and-socialist-remain-in-the-constitution-or-be-removed</guid>
                    <description>
                        <![CDATA[ સુબ્રમણ્યમ સ્વામી સહિતના લોકોએ બંધારણમાં ‘સમાજવાદી’ અને ‘બિનસાંપ્રદાયિક’ શબ્દને સામેલ કરવાના વિરોધમાં આ અરજી દાખલ કરી છે. ચૂકાદો 25મી નવેમ્બરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દોના સમાવેશ સામે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેંચ પૂર્વ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, એડવોકેટ વિષ્ણુ શંકર જૈન અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરી રહી હતી. આ અરજદારોએ આ બે શબ્દોને બંધારણમાં સામેલ કરવાના વિરોધમાં અરજી દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ૧૯૭૬માં ૪૨મો સુધારો પસાર થયા બાદ આ બંને શબ્દોને બંધારણની પ્રસ્તાવનામાં સામેલ કરવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દરમિયાન સીજેઆઇએ કહ્યું કે. બંધારણમાં ૪૨મો સુધારો આ અદાલત દ્વારા ઘણી ન્યાયિક સમીક્ષાઓને આધિન છે. તે સમયે (ઇમરજન્સી) સંસદે જે પણ કર્યું તે અમાન્ય હતું એવું આપણે કહી શકીએ નહીં. ચુકાદો અનામત રાખતી વખતે બેન્ચે અરજદારોની આ કેસને બંધારણીય બેન્ચને મોકલવાની માંગને ફગાવી દીધી હતી. બેન્ચે એ પણ કહ્યું કે ભારતીય અર્થમાં "સમાજવાદી બનવું" એ "કલ્યાણકારી રાજ્ય" ગણાય છે. સીજેઆઈની બેન્ચે આ મુદ્દે ચુકાદો આપવા માટે ૨૫ નવેમ્બરની તારીખ નક્કી કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૭૬માં ઈન્દિરા ગાંધીની સરકારે ૪૨મો બંધારણીય સુધારો કરીને બંધારણની પ્રસ્તાવનામાં “સમાજવાદી”, “સેક્યુલર” અને “અખંડિતતા” શબ્દોનો સમાવેશ કર્યો હતો. આ સુધારા પછી પ્રસ્તાવનામાં ભારતનું સ્વરૂપ "સાર્વભૌમ, લોકશાહી, પ્રજાસત્તાક" થી "સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક" માં ફેરવાયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Stop-worship-at-court-events-just-bow-before-the-Constitution-Justice-Abhay-Oka">અદાલતોના કાર્યક્રમોમાં પૂજા-અર્ચના બંધ કરો, ફક્ત બંધારણ આગળ માથું નમાવોઃ જસ્ટિસ અભય ઓકા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 22 Nov 2024 21:46:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1590</Articleid>
                    <excerpt>સુબ્રમણ્યમ સ્વામી સહિતના લોકોએ બંધારણમાં ‘સમાજવાદી’ અને ‘બિનસાંપ્રદાયિક’ શબ્દને સામેલ કરવાના વિરોધમાં આ અરજી દાખલ કરી છે. ચૂકાદો 25મી નવેમ્બરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6740ad44337d5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6740ad43ec842.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6740ad43ec842.jpg" length="111249" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>secular, socialis, Constitution, Subramanian Swamy</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભવનાથ મંદિરના મહંત બનવા માટે ભાજપને 5 કરોડનું ફંડ આપ્યું</title>
                    <link>https://khabarantar.com/junagadh-sadhu-gave-rs-five-crore-to-bjp-to-become-mahant-of-bhavnath-temple</link>
                    <guid>https://khabarantar.com/junagadh-sadhu-gave-rs-five-crore-to-bjp-to-become-mahant-of-bhavnath-temple</guid>
                    <description>
                        <![CDATA[ રાજકારણીઓને શરમાવે તેવા સાધુઓના કરતૂતો. મંદિરના મહંત બનવા સાધુએ ભાજપને 5 કરોડનું ફંડ આપ્યું. કલેક્ટર અને બીજા સાધુઓને પણ લાખો રૂપિયા ખવડાવ્યા? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહેવાતા સાધુ સંતો હવે રાજકારણીઓને પણ શરમાવે તેવા કાંડ કરવા લાગ્યા છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ હાલ જૂનાગઢમાંથી સામે આવી રહ્યું છે. અહીં અંબાજી મંદિરના મહંત બનવા માટે કહેવાતા સાધુસંતો એકબીજાને તોડી પાડવા તમામ તાકાત કામે લગાડીને મચી પડ્યાં છે. આ બધાં વચ્ચે એક સાધુએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કર્યું કે, અન્ય સાધુએ મંદિરના બનવા માટે થઈને ભાજપ પક્ષને રાષ્ટ્રીય ફંડમાં રૂ. 5 કરોડ દાન કર્યું છે. આ સિવાય બે કલેક્ટરો અને અખાડાના અન્ય સાધુઓને પણ લાખોની રકમ આપી છે. આ મામલો સામે આવતા જ સાધુ સંતોના રાજકારણીઓને પણ શરમાવે તેવા કરતૂતો પર લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થતા ગાદી માટેનો વિવાદ ચરમ સીમાએ પહોંચ્યો છે. સાધુ-સંતોમાં કેટલી હદે ભ્રષ્ટાચાર ચાલે છે તે પણ આનાથી ખૂલ્લું પડી ગયું છે. ભૂતનાથના મહંત મહેશગિરિએ શ્રી પંચ દશનામ જૂના અખાડાનો પત્ર જાહેર કરી ભવનાથના મહંત હરિગિરિ પર ગંભીર આરોપ લગાવ્યો છે. અખાડામાંથી હરિગિરિએ રકમ લઈ ભાજપ પાર્ટી ફંડમાં તથા બે કલેક્ટર, ભવનાથના સાધુ-સંતોને મળી કુલ 8 કરોડ રૂપિયા આપ્યા હોવાનું દર્શાવતો કથિત પત્ર તેમણે રજૂ કર્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અખાડા પરિષદના મહામંત્રી અને જુના અખાડાના સંરક્ષક તથા ભવનાથના મહંત હરિગિરિની સહીવાળો શ્રી પંચ દશનામ જુના અખાડાનો પત્ર ભૂતનાથના મહંત મહેશગિરિએ જાહેર કર્યો છે. પત્રમાં કથિતપણે હરિગિરિના લખ્યા મુજબ, 'મહંત હરીગિરિ ગુરૂ દત્તાત્રેગિરિ ભવનાથ મંદિરને અખાડામાં સામેલ કરવા માટે હરીગિરિના નામ જોગ કલેક્ટર અને મહમંડલેશ્વર ભારતી બાપુ, ઈન્દ્રભારથી, મહાદેવગિરિ, મુક્તાનંદગિરિ સહિતનાઓએ મળી ભવનાથ મંદિરનો કબ્જો ભોગવટો મને સોંપવા માટે સહયોગ આપ્યો છે તે માટે મારા પાસે રહેલા નાણાંમાંથી તમામને આપ્યા છે. મારો કાયમી હુકમ કલેક્ટર કરી દેશે ત્યારે ભવનાથ મંદિર મારી માલિકીનું થઈ જશે.'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભૂતનાથના મહંત મહેશગિરિએ આક્ષેપ કર્યો છે કે, ભવનાથના મહંત હરીગિરિ ટોચના નેતાના નામે તંત્ર અને લોકોને દબાવી રહ્યા છે, જો તેઓ ભવનાથ અને ગિરનાર નહી છોડે તો હજુ તેના એક-એક કરતુત જાહેર કરી દઈશ, અખાડાઓમાંથી પૈસાની હેરાફેરી કરી છે, આવી રીતે સાધુ-સંતો, તંત્રને ભડકાવ્યા છે, ધર્મને નુકસાન કર્યું છે અને અખાડાની આબરૂને બટ્ટો લગાડયો છે. આમ, ભવનાથના મહંત બનવા માટે ભાજપ, સાધુ-સંતોને નાણાં આપવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપથી ચકચાર મચી ગઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મહંતે અખાડામાંથી ભાજપને ફંડમાં રૂ. 5 કરોડ આપ્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">પત્રમાં ઉલ્લેખ મુજબ ભાજપના રાષ્ટ્રીય ફંડમાં પાંચ કરોડ આપવામાં આવ્યા છે. જૂનાગઢના બે કલેક્ટરો અને મહામંડલેશ્વર ભારતીબાપુને 50-50 લાખ રૂપિયા, ઈન્દ્રભારથી, સિધ્ધેશ્વરગિરિ, મહાદેવગિરિ, મુક્તાનંદગિરિ કમંડલકુંડ, જયશ્રીગિરિને 25-25 લાખ, શિવધુણાવાળા મહંત, સેવાદેવી પુનીતાચાર્યને 15-15 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જૂનાગઢના કલેક્ટરની શંકાસ્પદ ભૂમિકા</span></strong></span><br><span style="font-size: 14pt;">ભવનાથના મહંત તરીકેનો ઓર્ડર કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. આ ઓર્ડર કરવાની ભૂમિકા પણ શંકાસ્પદ રહેલી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જૂનાગઢના તત્કાલીન કલેક્ટર રચીત રાજ દ્વારા ભવનાથ મહંત હરીગિરિની મુદ્દત પુરી થતી હતી તેના ચાર માસ પહેલા તેમને ફરી મહંત તરીકે વર્ષ 2025 સુધીનો ઓર્ડર કરી દેવામાં આવ્યો હતો. સામાન્ય રીતે મહંતની મુદ્દત પુરી થતી હોય તેવા કિસ્સામાં પંદેરેક દિવસ અગાઉ નિર્ણય થતો હોય છે. તત્કાલીન કલેક્ટર દ્વારા ચાર માસ અગાઉ જે ઓર્ડર કરવામાં આવ્યો તે શા માટે થયો? તે મહત્વનું છે. કલેક્ટરે ઓર્ડર કરી દીધા બાદ તેની બદલી થઈ ગઈ હતી. પોતાની બદલી પહેલા ભવનાથના મહંતનો રિન્યુઅલ ઓર્ડર અને એ પણ અગાઉ શંકાસ્પદ ભૂમિકા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અંબાજી મંદિરની ગાદીનો વિવાદ</span></strong></span><br><span style="font-size: 14pt;">આ તરફ અંબાજી મંદિરની ગાદી માટે પણ મોટો વિવાદ ચાલી રહ્યો છે. ભવનાથના મહંત હરિગીરી સહિતનાઓએ અંબાજીના મહંત તરીકે  પ્રેમગીરીની નિમણૂક કરી પરંતુ તે અંગે મોટો વિવાદ સર્જાતાં કલેક્ટરે ચેરિટી કમિશનરમાંથી અંબાજી, ભીડભંજન મંદિર ટ્રસ્ટના કાગળો મંગાવી તપાસ શરૂ કરી છે. હાલ ભીડભંજન ખાતે હરિગીરીએ તેમના બે સાધુઓને બેસાડી દીધા છે, જ્યારે અંબાજી મંદિરે કબ્જો લેવાની ગતિવિધિઓ પડતી મુકવી પડી છે. કોઈ અનિચ્છનીય બનાવ રોકવા ભીડભંજન ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એક સાધુને સમાધિ આપ્યા પહેલા વારસને લઈને બબાલ</span></strong></span><br><span style="font-size: 14pt;">તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા અને હજુ તેને સમાધી પણ આપવામાં ન આવી હતી, તેમનો પાર્થિવ દેહ ભીડભંજન ખાતે હતો ત્યારે ગાદી માટે વિવાદ શરૂ કરી દેવામાં આવતા સભ્ય સમાજમાં આકરી ટીકા શરૂ થઈ ગઈ છે. તનસુખગીરી બાપુના ટ્રસ્ટ અંગેના તમામ કાગળો ચેરીટી કમિશનર પાસેથી કલેક્ટરે મંગાવી તેના બંધારણમાં શું જોગવાઈ છે તે અંગેની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દીધી છે. બુધવારે હરીગીરીના જૂથ દ્વારા ઉગ્ર વિરોધ વચ્ચે ધરાર પ્રેમગીરીની તનસુખગીરીના ઉતરાધીકારી તરીકે ચાદરવિધી કરી નાખી હતી. બાદમાં બુધવારથી જ ત્યાં બે સાધુઓને બેસાડી દેતા અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સાધુઓના ડરથી પોલીસ ગોઠવવી પડી</span></strong></span><br><span style="font-size: 14pt;">જવાહર રોડ પર આવેલા ભીડભંજનને ચાદરવિધી કર્યા બાદ ગુરૂવારે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરે કબજો લઈ ત્યાં પણ સાધુઓની નિમણુંક કરવાની ગતિવિધીઓ થવાની શક્યતાઓ હતી પરંતુ કોઈપણ કારણોસર તે પ્રક્રિયા બંધ રાખવાની ફરજ પડી છે. ભીડભંજન ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પણ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી છે. સમગ્ર ડખ્ખા મુદ્દે સરકાર દ્વારા હાલ પુરતો મંદિરનો સમગ્ર વહિવટ હસ્તગત કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. સરકાર દ્વારા થોડા સમય માટે મંદિરનું સંચાલન વહિવટી તંત્રને સોંપી ત્યારબાદ તમામ કાયદાકીય પ્રક્રિયાઓ કરી જો નિયમ મુજબ શક્ય હશે તો અન્યને મહંત તરીકે નિમણુંક કરવામાં આવે તેવી સંભાવના છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભીડભંજન મહાદેવ મંદિરના સંપત્તિ પર અનેકનો ડોળો</span></strong></span><br><span style="font-size: 14pt;">ભીડભંજન મહાદેવ મંદિરની જગ્યામાં એક રૂમમાં બ્રહ્મલીન મહંતની બચત કરેલી મોટી રકમ, સોના-ચાંદીના આભૂષણો, દાગીના સહિતની અનેક કિંમતી જરઝવેરાતો છે. આ તમામ કિંમતી ચીજવસ્તુઓ પર અનેક લોકોનો ડોળો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કલેક્ટર દ્વારા તાત્કાલિક આ રૂમને સીલ મારી દેવામાં આવે ત્યારબાદ તમામ વિવાદનો અંત આવ્યા બાદ જ તેમનું સીલ ખોલવું જોઈએ તેવી પણ પ્રબુદ્ધ નાગરિકોમાંથી માંગ ઉઠી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dispute-between-mahants-family-and-Akhara-parishad-over-appointment-of-new-mahant-of-ambaji-temple-in-girnar-junagadh">ગિરનાર મંદિરના વિવાદમાં મહંત પરિવારે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 22 Nov 2024 12:12:35 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 22 Nov 2024 13:05:41 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1587</Articleid>
                    <excerpt>રાજકારણીઓને શરમાવે તેવા સાધુઓના કરતૂતો. મંદિરના મહંત બનવા સાધુએ ભાજપને 5 કરોડનું ફંડ આપ્યું. કલેક્ટર અને બીજા સાધુઓને પણ લાખો રૂપિયા ખવડાવ્યા?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_674027bed1fa1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_674027bea0f94.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_674027bea0f94.jpg" length="60779" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>maheshgiri, harigiri, bhavnath, girnar ambaji temple controversy, BJP</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમેરિકામાં ગૌતમ અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાયું</title>
                    <link>https://khabarantar.com/arrest-warrant-issued-against-gautam-adani-in-us</link>
                    <guid>https://khabarantar.com/arrest-warrant-issued-against-gautam-adani-in-us</guid>
                    <description>
                        <![CDATA[ ન્યૂયોર્ક ફેડરલ કોર્ટે ગૌતમ અદાણીને સોલર કોન્ટ્રાક્ટ માટે અબજો ડોલરની લાંચ આપવા અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગુમરાહ કરવાના આરોપમાં દોષિત  ઠેરવ્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને એકવાર ફરીથી મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂયોર્ક ફેડરલ કોર્ટે ગૌતમ અદાણીને સોલર કોન્ટ્રાક્ટ માટે અબજો ડોલરની લાંચ આપવા અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગુમરાહ કરવાના આરોપમાં દોષિત  ઠેરવ્યા છે. જે લોકો પર લાંચ આપવાના અને ફ્રોડનો આરોપ લાગ્યો છે તેમાં ગ્રુપ સંબંધિત સાત અન્ય લોકો પણ સામેલ છે. આરોપો બાદ અદાણી એન્ટરપ્રાઈસિસે બોન્ડ દ્વારા ૬૦ કરોડ ડોલર ભેગા કરવાની યોજના રદ કરી છે. અહેવાલ મુજબ આ લાંચ સોલર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને અપાઈ હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અદાણી તરફથી તાજેતરમાં ગ્રીન એનર્જી સેક્ટરમાં ભારે રોકાણ કરવાની જાહેરાત કરાઈ હતી. આ જાહેરાત ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી તરફથી અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર શુભેચ્છા આપવાની સાથે કરાઈ હતી. ટ્રમ્પે એનર્જી કંપનીઓ માટે નિયમોને સરળ બનાવવાનું વચન આપ્યું છે. જેનાથી તેમને ફેડરલ લેન્ડ પર ડ્રિલિંગ કરવામાં અને પાઈપલાઈન બનાવવામાં સરળતા રહેશે. બીજી બાજુ અમેરિકાના સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશન તરફથી ગૌતમ અદાણી પર અમેરિકી રોકાણકારોને દગો કરવાના અને અધિકારીઓને લાંચ આપવાના આરોપ લગાવવામાં આવ્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી (૩૦), અદાણી ગ્રીન એનર્જીના અધિકારી અને એજ્યોર પાવર ગ્લોબલ લિમિટેડના એક એક્ઝિક્યુટિવ સિરિલ કેબનેસ પર મલ્ટી બિલિયન ડોલરની યોજના હેઠળ અમેરિકી રોકાણકારો અને ગ્લોબલ ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યૂટથી પૈસા મેળવવા માટે ખોટા અને ભ્રામક નિવેદનો દ્વારા પ્રતિભૂતિ અને વાયર ફ્રોડ કરવાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. આ આરોપોનો સંબંધ એક અબજો ડોલરના પ્રોજેક્ટ સાથે હોવાનું કહેવાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપ પત્રમાં કહેવાયું છે કે અદાણી અને અન્ય લોકોએ લગભગ ૨૬૫ મિલિયન ડોલરની લાંચ આપી છે. તેમને આશા હતી કે આ કોન્ટ્રાક્ટથી આગામી બે દાયકામાં ૨ બિલિયન ડોલરથી વધુનો ફાયદો થશે. એવો પણ દાવો છે કે યોજનામાં સામેલ કેટલાક લોકોએ ગૌતમ અદાણી માટે 'ન્યૂમેરો ઉનો' અને 'ધ બિગ મેન' જેવા કોડ વર્ડ વાપર્યા હતા. આરોપ છે કે અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને એક અન્ય એક્ઝીક્યુટિવ વિનીત જૈને અદાણી ગ્રીન એનર્જી માટે ૩ અબજ ડોલરથી વધુની લોન અને બોન્ડ મેળવવા માટે લેણદારો અને રોકાણકારોથી લાંચને છૂપાવી રાખી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/lok-sabha-election-results-dealt-a-big-blow-to-adani-Group"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણીના પરિણામોથી અદાણી ગ્રુપને મોટો ફટકો</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બધા આરોપ Foreign Corrupt Practices Act હેઠળ આવે છે જે વિદેશી વ્યાપારિક લેવડદેવડમાં લાંચ વિરુદ્ધના અમેરિકી કાયદા છે. આસિસ્ટન્ટ એટોર્ની જનરલ લિસા એચ મિલરે કહ્યું કે આરોપ પત્રમાં ભારતીય સરકારી અધિકારીઓને ૨૫૦ મિલિયન યુએસ ડોલરથી વધુની લાંચ આપવા, રોકાણકારો અને બેંકોથી અબજો ડોલર ભેગા  કરવા માટે ખોટું બોલવા અને તપાસમાં વિધ્ન નાખવાની યોજનાઓનો આરોપ લગાવવામાં આવ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેસમાં જેમના નામ છે તેમાં - ગૌતમ અદાણી (૬૨), સાગર એસ અદાણી (૩૦), વિનિત એસ. જૈન (૫૩)- રંજીત ગુપ્તા(૫૪), સિરિલ કબાનેસ (૫૦), સૌરભ અગ્રવાલ (૪૮), દીપક મલ્હોત્રા(૪૫), રૂપેશ અગ્રવાલ (૫૦) નો સમાવેશ થાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટ્‌સમાં દાવો કરાયો છે કે ગૌતમ અદાણી અને સાગર અદાણી વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કરાયું છે. અમેરિકી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશનએ બે લોકો અને એક અન્ય વ્ય્કતિ, સિરિલ કેબનેસ વિરુદ્ધ સંબંધિત દીવાની આરોપ દાખલ કર્યા છે. અમેરિકી સરકારે હજુ સુધી  અદાણી અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ વિશિષ્ટ આરોપો વિશે પૂરી જાણકારી આપી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અદાણી ગ્રુપે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. જૂથે એક મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે, 'અદાણી ગ્રીનના ડિરેક્ટરો પર યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અદાણી ગ્રૂપે નિવેદનમાં જણાવ્યું હતું કે, "યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા જ જણાવવામાં આવ્યું છે તેમ, "તપાસમાં મૂકવામાં આવેલા આરોપો સમાન છે અને જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી પ્રતિવાદીઓ નિર્દોષ હોવાનું માનવામાં આવે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'અદાણી જૂથ હંમેશા ઉચ્ચતમ ધોરણોનું પાલન કરે છે અને તેના તમામ ઓપરેટિંગ ક્ષેત્રોમાં શાસન, પારદર્શિતા અને નિયમનકારી અનુપાલન જાળવવા માટે પ્રતિબદ્ધ છે. અમે અમારા હિતધારકો, ભાગીદારો અને કર્મચારીઓને ખાતરી આપીએ છીએ કે અમે કાયદાનું પાલન કરતી સંસ્થા છીએ, તમામ કાયદાઓનું સંપૂર્ણ પાલન કરીએ છીએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૌતમ અદાણી પર યુએસ પ્રોસિક્યુટર્સ દ્વારા ભારતમાં સોલાર પાવર કોન્ટ્રાક્ટ જીતવા માટે અનુકૂળ શરતોના બદલામાં ભારતીય અધિકારીઓને ઇં૨૫૦ મિલિયન લાંચ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. યુએસ પ્રોસિક્યુટર્સે અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય પર ૨૦૨૦ અને ૨૦૨૪ ની વચ્ચે સોલાર પાવર કોન્ટ્રાક્ટ જીતવા માટે ભારતીય સરકારી અધિકારીઓને ૨૫૦ મિલિયન ડોલરથી વધુ લાંચ આપવાનો આરોપ મૂક્યો હતો. એક અંદાજ મુજબ, આનાથી અદાણી જૂથને બે અબજ ડોલરથી વધુનો નફો થવાની સંભાવના હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુએસ પ્રોસિક્યુટર્સે આરોપ લગાવ્યો હતો કે આ બધું અમેરિકન બેંકો અને રોકાણકારોથી છુપાવવામાં આવ્યું હતું, જેમની પાસેથી અદાણી ગ્રુપે પ્રોજેક્ટ માટે અબજો ડોલર એકત્ર કર્યા હતા. ન્યૂયોર્કના પૂર્વીય જિલ્લાના યુએસ એટર્ની બ્રાયન પીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "પ્રતિવાદીઓએ અબજો ડોલરના કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને લાંચ આપવાનું એક વિસ્તૃત કાવતરું ઘડ્યું હતું.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/hindenburg-rocked-adanis-empire-billions-hit">હિંડનબર્ગે અદાણીનું સામ્રાજ્ય હચમચાવી દીધું, અબજોનો ફટકો પડ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 21 Nov 2024 20:39:36 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 21 Nov 2024 20:40:37 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1585</Articleid>
                    <excerpt>ન્યૂયોર્ક ફેડરલ કોર્ટે ગૌતમ અદાણીને સોલર કોન્ટ્રાક્ટ માટે અબજો ડોલરની લાંચ આપવા અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગુમરાહ કરવાના આરોપમાં દોષિત  ઠેરવ્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673f4b9ea5cdb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673f4b9e71139.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673f4b9e71139.jpg" length="59466" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gautam adani usa news, Gautam adani news</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગિરનાર મંદિરના વિવાદમાં મહંત પરિવારે આત્મવિલોપનની ચિમકી આપી</title>
                    <link>https://khabarantar.com/dispute-between-mahants-family-and-Akhara-parishad-over-appointment-of-new-mahant-of-ambaji-temple-in-girnar-junagadh</link>
                    <guid>https://khabarantar.com/dispute-between-mahants-family-and-Akhara-parishad-over-appointment-of-new-mahant-of-ambaji-temple-in-girnar-junagadh</guid>
                    <description>
                        <![CDATA[ ગિરનાર પર્વત પરના અંબાજી મંદિરના નવા મહંતને લઈને ભારે વિવાદ જામ્યો છે. લોકોને મોહમાયા છોડી દેવાની શિખામણો આપતા કથિત સંતો અહીં ગાદી માટે લડી લેવા માંગે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઐતિહાસિક પુરાવાઓ મુજબ જૂનાગઢ જિલ્લામાં આવેલા મોટાભાગના સ્થાપત્યો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા છે અને તેમાં ગિરનાર પર્વત અને તેની ઉપરના તમામ સ્થાપત્યો પણ સામેલ છે. જો કે બૌદ્ધ ધર્મના પતન બાદ હિંદુત્વવાદી તાકાતોએ તેને પોતાના નામે ચડાવી દીધાં હતા. આવું જ એક મહત્વનું સ્થાપત્ય ગિરનાર પર આવેલું હાલનું અંબાજી મંદિર છે. જેના મહંતનો વિવાદ હાલ ચગ્યો છે. મળતી માહિતી મુજબ આ મંદિરના વર્તમાન મહંત બ્રહ્મલીન થયા બાદ નવા મહંતની નિમણૂંકને લઈને પૂર્વ મહંતના પરિવારજનો અને અખાડા પરિષદ વચ્ચે જ મોટો અખાડો થયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ, જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી મહારાજ બ્રહ્મલીન થયા હતા. એ બાદ નવા મહંતની નિમણૂંકને લઈને વિવાદ ઊભો થયો છે. ભારે હોબાળો વચ્ચે મંદિરના નવા મહંત તરીકે અખાડા પરિષદે પ્રેમગીરીબાપુની નિયુક્તિ કરી છે. જેને લઈને પૂર્વ મહંતના પરિવારે ઉગ્ર વિરોધ કર્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બ્રહ્મલીન તનસુખગીરી મહારાજના પરિવારજનોએ માગ કરી છે કે, તેમની પરંપરામાંથી અંબાજી મંદિરની ગાદી આપવામાં આવે. અન્ય મહંતની ચાદરવિધિ કે જાહેરાત સ્વીકારવામાં નહીં આવે. તનસુખગીરી બાપુના પરિવારજનોએ આત્મવિલોપનની ચીમકી આપી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તરફ પ્રેમગીરી બાપુએ કહ્યું કે, ગાદીપતિ કંઈક લખીને ગયા હોત અથવા કોઈને ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કરીને ગયા હોત તો કોઈ વિરોધ ન થાત. જ્યારે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના ઈન્દ્રભારતી બાપુએ કહ્યું કે, અખાડાના સર્વે સંતોએ નિર્ણય લઈને પ્રેમગીરી મહારાજને મહંત ઘોષિત કર્યા છે. છતાં આ મામલે અંતિમ નિર્ણય કલેક્ટર લેશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તરફ જૂના અખાડા દ્વારા અંબાજી મંદિરના નવા મહંત તરીકે અખાડાની પરંપરા મુજબ પ્રેમગીરી મહારાજની ચાદરવિધિ કરવામાં આવી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે અન્ય એક મહંત મહેશગીરી બાપુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, જે પણ વિવાદ થયો છે એ મુદ્દે મેં સ્પષ્ટતા આપી છે. આ વિવાદ મારી જગ્યામાં નથી. ગિરનાર અને ધર્મમાં કોઈ આંચ ન આવે, એ વિશે વધુ ધ્યાન આપવું જોઈએ. અખાડા સંરક્ષણની ભૂમિકામાં હોય છે. નવા મહંતની ચાદરવિધિ સહમતીથી થવી જોઈએ. કલેક્ટરે આ બાબતે ધ્યાન આપવાની જરૂર નથી. હું અંબાજી મંદિરના મહંત બનવા માટે સામેથી દાવો નહી કરું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સામાન્ય માણસને ત્યાગ કરવાનું કહેતા સંતો શું કરી રહ્યાં છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વિવાદમાં એટલું તો સ્પષ્ટ વર્તાય છે કે, સામાન્ય માણસને ધન, પૈસાની લાલચ છોડી દેવાની, આ બધું મોહમાયા છે કહીને ઈશ્વરના ચરણોમાં ધરી દેવાની સલાહો આપતા આ કથિત સંતોથી ગાદીનો મોહ છુટતો નથી અને તેના માટે કોર્ટ સુધી જવા તૈયાર હોય છે. હમણાં સરખેજના ભારતી આશ્રમમાં પણ બે સાધુઓના જૂથો ગાદી મેળવવા માટે થઈને બાઉન્સરો સાથે ફરતા હતા. આ શું સૂચવે છે? એ જ કે, કહેવાતા સંતો ખુદ રૂપિયા, પૈસા, ધન અને ગાદીનો મોહ છોડી શકતા નથી, તેના માટે તેઓ બાઉન્સરો રાખી મારામારી પર ઉતરી આવતા કે સામેના મહંતને ઉતારી પાડતી ચેષ્ટા કરવામાં પણ નાનપ નથી અનુભવતા. આ લોકો સામાન્ય માણસને શું રસ્તો બતાવવાના? તથાગત ગૌતમ બુદ્ધે એટલે જ કહ્યું છે, અપ્પો દીપો ભવ, અર્થાત તું જ તારો પ્રકાશ બન. આ ઘટનામાંથી સામાન્ય માણસે બસ આટલો જ ધડો લેવાનો છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/is-the-crowd-gathering-in-the-green-circle-a-sign-of-severe-unemployment">લીલી પરિક્રમામાં ઉમટતી ભીડ તીવ્ર બેરોજગારી-બેકારીનો સંકેત છે?</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 21 Nov 2024 13:32:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1583</Articleid>
                    <excerpt>ગિરનાર પર્વત પરના અંબાજી મંદિરના નવા મહંતને લઈને ભારે વિવાદ જામ્યો છે. લોકોને મોહમાયા છોડી દેવાની શિખામણો આપતા કથિત સંતો અહીં ગાદી માટે લડી લેવા માંગે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673ee91779fba.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673ee9173bc94.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673ee9173bc94.jpg" length="100496" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Girnar, Junagarh, Ambaji Temple, Controversy over the new Mahant, Akhara Parishad</media:keywords>
                </item>
                        <item>
                    <title>હિંદુ દેવી&amp;દેવતાઓ પરની પોસ્ટ બદલ પ્રો. વિક્રમ હરિજન સામે કાર્યવાહી થશે</title>
                    <link>https://khabarantar.com/action-will-be-taken-against-prof-vikram-harijan-for-his-post-on-hindu-gods-and-aoddesses</link>
                    <guid>https://khabarantar.com/action-will-be-taken-against-prof-vikram-harijan-for-his-post-on-hindu-gods-and-aoddesses</guid>
                    <description>
                        <![CDATA[ પ્રો. જી.એન. સાંઈબાબા, પ્રો. લક્ષ્મણ યાદવ બાદ હવે અલાહાબાદ યુનિ.ના ઈતિહાસ વિભાગના સહાયક પ્રોફેસર વિક્રમ હરિજનની નોકરી ખાઈ જવા દ્રોણાચાર્યો સક્રિય થયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સહિત ભારતભરની યુનિવર્સિટીઓમાં દ્રોણાચાર્યો બેઠેલા છે અને તેઓ હવે દલિત, આદિવાસી વિદ્યાર્થીઓની સાથે આ સમાજના પ્રોફેસરોની નોકરીઓ ખાઈ જવા માંગે છે. અગાઉ પ્રો. જી.એન. સાંઈબાબાને ખોટા કેસમાં ફસાવી દઈ જીવતેજીવ મૃતપ્રાય સ્થિતિમાં લાવી દીધા હતા. 90 ટકા અપંગ જી.એન.સાંઈબાબાને તદ્દન ખોટા કેસમાં વર્ષો સુધી જેલમાં ભયંકર યાતનાઓ આપવામાં આવી હતી. અંતે જ્યારે તેમને જામીન મળ્યાં તો તેઓ જેલની યાતનાઓના કારણે માંડ 6 મહિના જીવી શક્યા. આ જ રીતે અગાઉ આંબેડકરી વિચારધારાના વાહક પ્રો. લક્ષ્મણ યાદવને પણ યુનિ.એ એડહોક પ્રોફેસર તરીકે રિપીટ નહોતા કર્યા. તેઓ દોઢ દાયકાથી નોકરી પર હતા. છતાં તેમનો કોન્ટ્રાક્ટ રિન્યૂ નહોતો કરાયો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કંઈક આવો જ પેંતરો દ્રોણાચાર્યોએ અલાહાબાદ યુનિ.ના ઈતિહાસ વિભાગના પ્રોફેસર વિક્રમ હરિજનની નોકરી ખાઈ જવા માટે કર્યો છે. મધ્યયુગીન અને આધુનિક ઇતિહાસ વિભાગના સહાયક પ્રોફેસર ડૉ. વિક્રમ હરિજનને યુનિવર્સિટી તરફથી એક લેખિત ચેતવણી આપવામાં આવી છે જેમાં તેમને હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ પ્રો. વિક્રમે સોશિયલ મીડિયા પર હિંદુ દેવી-દેવતાઓ પર ટિપ્પણી કરી હતી, એ પછી સોશિયલ મીડિયા પર હોબાળો થયો હતો. આરોપ હતો કે તેમની ટિપ્પણીથી હિન્દુ ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. જોકે બાદમાં પ્રોફેસરે માફી પણ માંગી હતી. આખું પ્રકરણ પુરું થઈ ગયા બાદ ફરીથી તેને ઉખેળવામાં આવી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રો.વિક્રમ હરિજન ફરીથી કોઈ ટિપ્પણી ન કરે તે માટે 3 ઓક્ટોબરના રોજ કુલપતિ પ્રો. સંગીતા શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, જો યુનિવર્સિટીના કોઈ શિક્ષક કે કર્મચારી યુનિવર્સિટીની છબી ખરડવામાં સંડોવાયેલા જણાશે તો તેમને નિવૃત્તિ બાદ ગ્રેચ્યુઈટીનો લાભ આપવામાં આવશે નહીં. યુનિવર્સિટીના કર્મચારીઓ વાઇસ ચાન્સેલરની મંજૂરી બાદ જ યુનિવર્સિટી વિશે સોશિયલ મીડિયા પર લખી શકશે તેવું પણ કહેવામાં આવ્યું હતું. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે મદદનીશ પ્રોફેસર ડો.વિક્રમ હરિજનને દેવી-દેવતાઓ વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કરવા બદલ ચેતવણી આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ જ ક્રમમાં 14 નવેમ્બરે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પ્રો. આશિષ ખરે દ્વારા જારી કરાયેલા પત્ર દ્વારા એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા પ્રો. વિક્રમ હરિજનને ચેતવણી આપવામાં આવી છે કે, તમે ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ ટાળો અને ધર્મ અને સંસ્કૃતિ જેવા સંવેદનશીલ મુદ્દાઓને લઈને કોઈપણ જાહેર કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈપણ ભડકાઉ ટીપ્પણી ન કરો, કારણ કે તેનાથી યુનિ.ની છબિ ખરડાય છે. જો ભવિષ્યમાં તમે સોશિયલ મીડિયા/પ્રિન્ટ મીડિયા પર આવી બદનક્ષીભરી ટિપ્પણીઓ લખવાનું ચાલુ રાખશો, તો યુનિવર્સિટી તમારી સામે કડક કાર્યવાહી કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે પ્રોફેસર ડૉ. વિક્રમ હરિજને કહ્યું કે, "એવું નથી કે નોટિસ મળ્યા પછી હું અટકી ગયો છું. જો ધર્મ, જાતિ અને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપશે તો હું ચોક્કસપણે તેના પર ચોક્કસ બોલીશ અને આજેય બોલી રહ્યો છું. માત્ર કોઈ એક ધર્મની વિરુદ્ધ જ નહીં, હું એવા તમામ ધર્મોની વિરુદ્ધ બોલું છું જે જાતિ ભેદભાવને પ્રોત્સાહન આપે છે. મેં એક એવો કોર્સ બનાવ્યો છે જેમાં એક સેગમેન્ટ છે - Religion in Marginal communities. હું શીખવું છું કે દરેક ધર્મ જે હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો છે તેમને કોઈ સ્થાન નથી મળ્યું. હિંદુ, ઈસ્લામ કે શીખ એકેય ધર્મમાં તેમના માટે સ્થાન નથી."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Who-is-Professor-Vikram-Harijan,-against-whom-VHP,-Bajrang-Dal-filed-FIR">કોણ છે પ્રોફેસર વિક્રમ હરિજન, જેમની સામે VHP, બજરંગ દળે FIR કરી છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 21 Nov 2024 11:20:48 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1582</Articleid>
                    <excerpt>પ્રો. જી.એન. સાંઈબાબા, પ્રો. લક્ષ્મણ યાદવ બાદ હવે અલાહાબાદ યુનિ.ના ઈતિહાસ વિભાગના સહાયક પ્રોફેસર વિક્રમ હરિજનની નોકરી ખાઈ જવા દ્રોણાચાર્યો સક્રિય થયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673ec8c9dd015.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673ec8c9aad79.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673ec8c9aad79.jpg" length="74072" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>prof vikram harijan, University of Allahabad</media:keywords>
                </item>
                        <item>
                    <title>આણંદ શહેરમાં દાયકા જૂનું ડૉ. આંબેડકર ભવન ખંડેર હાલતમાં</title>
                    <link>https://khabarantar.com/decade-old-dr-ambedkar-bhavan-in-anand-city-in-ruins</link>
                    <guid>https://khabarantar.com/decade-old-dr-ambedkar-bhavan-in-anand-city-in-ruins</guid>
                    <description>
                        <![CDATA[ આંબેડકર ભવનનું રિનોવેશન ન થતા સમાજના કાર્યક્રમોને લઈને હાલાકી. ભવનમાં બેઠક અને સ્ટેજની વ્યવસ્થા નથી, સાઉન્ડ સિસ્ટમનો પણ અભાવ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ જોવા જઈએ તો આ સ્થિતિ લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે, જ્યાં દલિત સમાજ માટે ડો. આંબેડકરના નામે નિર્માણ પામેલી જગ્યાઓ ખંડેર હાલતમાં હોય. અમદાવાદમાં રાણીપ સ્થિત ડો. આંબેડકર સ્મારક ભવનને લઈને દલિત સમાજ આંદોલન કરી રહ્યો છે, છતાં હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી. ત્યાં હવે આણંદમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં ડો. આંબેડકર ભવન ખખડધજ હાલતમાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે આણંદ શહેરના વ્યાયામ શાળા નજીક 2013માં ડો. આંબેડકર ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એ વખતે સરકાર દ્વારા માત્ર હોલ બનાવીને આપવામાં આવતો અને બાકીની વ્યવસ્થા સ્થાનિક લોકોની મદદથી કરવાની હતી. પરંતુ હાલમાં સરકાર દ્વારા આંબેડકર ભવનમાં સિટીંગ વ્યવસ્થા સહિત સુવિધા પુરી પાડવામાં આવે છે છતાં અહીં યોગ્ય બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. અહીં સ્ટેજની પણ વ્યવસ્થા નથી અને સાઉન્ડ સીસ્ટમના અભાવે કાર્યક્રમોમાં કરવામાં પણ તકલીફો પડે છે. ભવન ખાતે યોગ્ય વાહન પાર્કિંગની વ્યવસ્થા પણ નથી. સાથે સાથે કેટલાક સ્થળોએ બ્લોક પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, આ ભવનને 10 વર્ષ થઇ ગયા હોવાથી કેટલીક જગ્યાએ હોલમાં મરામતની જરૂરીયાત ઉભી થઇ છે. જેથી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આણંદ માર્ગ મકાન વિભાગને લેખિતમાં રજૂઆત કરીને રીનોવેશન અને ઇલેક્ટ્રીક સમારકામ માટે બે થી ત્રણ વખત રજૂઆત કરાઈ છે પરંતુ કામગીરી હાથ ધરાતી નથી. જેના કારણે દલિત સમાજનો લોકો સામાજીક કાર્યક્રમો યોજી શકતા નથી. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ડો આંબેડકર ભવનનું નવેસરથી રીનોવેશન કરીને બાકી કામગીરી પૂર્ણ કરવી જોઈએ તેવી માગ ઉઠી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તરફ માર્ગ અને મકાન વિભાગના સૂત્રો કહે છે કે, ડો આંબેડકર ભવનના બિલ્ડીંગનો માર્ગ મકાન વિભાગમાં સમાવેશ થતો નથી. જેથી તેની ગ્રાન્ટ જે તે વિભાગને મળતી હોય છે. સમાજ કલ્યાણ વિભાગની રજૂઆતના પગલે વિભાગ તપાસ કરીને એસ્ટીમેટ કાઢી આપશે. તે મુજબની ગ્રાન્ટ જે તે વિભાગ દ્વારા ફાળવવામાં આવશે એટલે રિનોવેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. જોવાનું એ રહેશે કે સરકાર ગ્રાન્ટ ક્યારે ફાળવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/minister-bhanuben-applied-for-pending-works-of-dr-ambedkar-foundation"> ડૉ. આંબેડકર ફાઉન્ડેશનના બાકી કામો મુદ્દે મંત્રી ભાનુબહેનને અરજી કરાઈ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 20 Nov 2024 21:15:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1580</Articleid>
                    <excerpt>આંબેડકર ભવનનું રિનોવેશન ન થતા સમાજના કાર્યક્રમોને લઈને હાલાકી. ભવનમાં બેઠક અને સ્ટેજની વ્યવસ્થા નથી, સાઉન્ડ સિસ્ટમનો પણ અભાવ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673e037887a06.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673e03784f3d4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673e03784f3d4.jpg" length="70174" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dr. Ambedkar Bhavan, Anand</media:keywords>
                </item>
                        <item>
                    <title>શિવલિંગની પૂજા કરતી વખતે જ વૃદ્ધને હાર્ટ એટેક આવતા મોત</title>
                    <link>https://khabarantar.com/an-elderly-man-died-of-a-heart-attack-while-worshipping-a-shivlinga</link>
                    <guid>https://khabarantar.com/an-elderly-man-died-of-a-heart-attack-while-worshipping-a-shivlinga</guid>
                    <description>
                        <![CDATA[ વૃદ્ધ શિવલિંગની પૂજા કરી રહ્યાં હતા એ દરમિયાન જ હાર્ટ એટેક આવતા ત્યાં જ ઢળી પડ્યા. યુવકે સીપીઆર આપ્યું પણ જીવ ન બચ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોરોના કાળમાં મૂકવામાં આવેલી રસી બાદ દેશભરમાં લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ અચાનક વધી ગયું છે. મીડિયા રિપોર્ટ મુજબ કોરોના રસી બાદ હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું હોવાનું સાબિત થતું હોવા છતાં સરકાર આ બાબતને સ્વીકારતી નથી. ગુજરાતમાં નાની ઉંમરના અનેક યુવાનોથી લઈને બાળકો પણ હાર્ટ એટેકનો ભોગ બની ચૂક્યા છે ત્યારે એક મંદિરમાં શિવલિંગની પૂજા કરી રહેલા વૃદ્ધને હાર્ટ એટેકે આવતા ઢળી પડ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના વલસાડના પારનેરા ગામની છે. અહીં 65 વર્ષના એક વૃદ્ધને શિવજીની પૂજા કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો અને તેનો ત્યાં જ ઢળી પડ્યા હતા. વૃદ્ધ કિશોરભાઈ પટેલ શિવાલય ખાતે દર્શન કરવા ગયા હતા. જ્યાં શિવજીની પૂજા કરતી વખતે તેઓ અચાનક ઢળી પડ્યા હતા. એ દરમિયાન મંદિરમાં ઉભેલા એક યુવકે તાત્કાલિક તેમને CPR આપી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના શ્વાસ ચાલુ થઈ શક્યા નહોતા. ત્યારબાદ વૃદ્ધને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કિશોરભાઈ પારનેરા ગામના સેકન્ડ ગેટ ખાતે રહેતા હતા અને અહીં જ ફાઇબર રિપેરીંગનું કામ કરતા હતા. પારનેરા ડુંગર ઉપર આવેલા શિવાલયમાં આરતી ગ્રુપના સક્રિય સભ્ય તરીકે તેઓ સેવા આપતા હતા. આ ઘટના ત્યારે બની હતી જ્યારે તેઓ નિત્ય ક્રમ મુજબ પારનેરા ડુંગર ઉપર આવેલા શિવાલયમાં રોજ દર્શન કરવા જતાં હતાં. આજે પણ કિશોરભાઈ રોજની જેમ શિવાલયમાં શિવજીના દર્શન કરવા આવ્યા હતા અને એ વખતે જ તેમને હાર્ટએટેક આવતા ત્યાં જ ઢળી પડ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/ram-leelas-ram-died-of-a-heart-attack-on-stage-in-delhi">રામલીલાના રામનું સ્ટેજ પર હાર્ટ એટેક આવતા મોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 20 Nov 2024 14:15:54 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1577</Articleid>
                    <excerpt>વૃદ્ધ શિવલિંગની પૂજા કરી રહ્યાં હતા એ દરમિયાન જ હાર્ટ એટેક આવતા ત્યાં જ ઢળી પડ્યા. યુવકે સીપીઆર આપ્યું પણ જીવ ન બચ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673da1241db2e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673da123dc89f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673da123dc89f.jpg" length="98968" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Heart attack, shivlinga</media:keywords>
                </item>
                        <item>
                    <title>જમીન કાયદામાં સુધારાથી ખેડૂતોની જમીન મૂડીપતિઓના હાથમાં જશે</title>
                    <link>https://khabarantar.com/land-law-amendments-will-cause-farmers-land-to-go-into-the-hands-of-capitalists</link>
                    <guid>https://khabarantar.com/land-law-amendments-will-cause-farmers-land-to-go-into-the-hands-of-capitalists</guid>
                    <description>
                        <![CDATA[ ખેડૂતની જમીન બિન ખેડૂતને આપવાની સરકારની હિલચાલ સામે કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે. જાણો શું તર્ક આપ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ સરકારે ખેતમજૂરો-ગણોતિયાઓને કાયદા દ્વારા ખેડૂતો બનાવ્યા હતા. કોંગ્રેસ સરકારના બનાવેલા કાયદાથી તેમની જમીન સચવાઇ રહી છે. પરંતુ ભાજપ સરકાર દ્વારા જમીન કાયદામાં સુધારા કરીને ખેડૂતોને જમીન વિહોણા બનાવશે અને તેમની જમીનો મૂડીપતિઓના હાથમાં આવશે તેવું આયોજન કર્યું હોવાનો આરોપ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ કર્યો છે. રાજ્ય સરકારના આ કાયદાથી ખેડૂતો જમીન મૂડીપતિઓના હાથમાં આવતા ખેત ઉત્પાદનમાં ઘટાડો થશે તેવી આશંકા અમિત ચાવડાએ વ્યક્ત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની જમીન બિન ખાતેદાર (બિન ખેડૂત) ખરીદી શકે તે અંગે જમીન કાયદામાં સુધારા કરવાનું આયોજન કરાયું છે. જે અંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૫૬ લાખ કરતા વધુ ખેડૂત ખાતેદારો છે. છેલ્લા ૩૦ વર્ષથી રાજ્યમાં રાજ કરતી ભાજપ સરકારની નીતિ અને નિયતના કારણે દિવસે-દિવસે ગુજરાતમાં ખેતી અને ખેડૂતો બરબાદ થઇ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો બરબાદ થાય એવો એક નિર્ણય કરવાનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાતમાં બિન ખેડૂત હોય તે પણ ખેતીની જમીન ખરીદી શકશે, જેના કારણે તેની મોટી દુરોગામી અસરો પડશે અને ખેડૂતોને નુકસાન થવાનું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશ આઝાદ થયો ત્યારે દેશમાં મોટાભાગની જમીનો દેશી રજવાડા, ગરાસદાર કે ગામધણી સાથે જમીનદારોના કબ્જામાં હતી. તે વખતે સામાન્ય ગરીબ લોકો ખાસ કરીને એસ.સી., એસ.ટી. પછાતવર્ગના લોકોએ જમીનોમાં ખેત મજૂરી કરતા હતા, ગણોતિયા હતા. આવા લોકોને સમૃદ્ધ બનાવવા કોંગ્રેસ સરકાર અને એની નીતિઓ દ્વારા જમીનના કાયદા લાવ્યા હતા. જેના કારણે જે જમીનમાં ખેતમજૂરો, ગણોતિયા, ભાગિયા લોકોને "ખેડે એની જમીન" નો કાયદો લાવી જમીનના માલિકો બનાવ્યા હતા. આવા કાયદા દ્વારા એક વ્યક્તિ પાસેથી જમીન લઇને નાના-નાના લોકોને આપી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં સમૃદ્ધિ વધી અને લોકોનું જીવન ધોરણ સુધર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અનેક સરકારી વિભાગોમાં ચર્ચા ચાલી રહી છે કે ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બર ૨૦૨૩માં જમીનમાં સુધારણા કરવા, નિયમો બદલવા, એના માટેની જોગવાઈ કરવા માટે સી. એલ. મીના અધ્યક્ષ પદે એક કમિટીની રચના કરાઇ હતી. ફેબ્રુઆરી ૨૦૨૪માં આ કમિટીએ ગુજરાત સરકારમાં અહેવાલ રજૂ કર્યો છે. જે અંગે સરકારે ચર્ચા-વિચારણા કરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચાવડાએ જણાવ્યું હતું કે, આ અહેવાલમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં જમીન કાયદામાં સુધારો કરીને સરકાર "બિન ખેડૂત હોય તેવી વ્યક્તિ પણ ખેતીની જમીન ધારણ કરી શકે" એવો કાયદામાં સુધારો કરવા જઈ રહી છે. જેના માટે પૂર્વ કાયદામાં પણ સુધારા કરવા પડશે, સરકારનું પગલું રાજ્ય માટે ખૂબ જોખમી પુરવાર થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજયમાં ખેતી અને ખેડૂતને ખતમ કરવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર વર્ષોથી ચાલી રહ્યું છે એને અમલમાં મુકવા માટેનું આ પગલું છે. આ કાયદામાં સુધારાથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં બિન ખેડૂતને ખોટી રીતે ખેડૂત બનાવવાનું નેટવર્ક ચાલી રહ્યું છે. જેના આધારે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. ભાજપ સરકાર જમીન કાયદામાં સુધારો કરી "બિન ખેડૂત ખેતીની જમીન ધારણ કરી શકશે" તેવો સુધારો કરશે તો કોંગ્રેસ પક્ષ સડકથી લઇ વિધાનસભા સુધી ખેતી અને ખેડૂતોને બચાવવા ઉગ્ર વિરોધ કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/why-do-cage-builders-remain-silent-when-pressured-on-the-ground-by-gauchers">પાંજરાપોળો બંધાવનારા ગૌચરની જમીન પરના દબાણ વખતે કેમ ચૂપ રહે છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 19 Nov 2024 22:26:24 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1573</Articleid>
                    <excerpt>ખેડૂતની જમીન બિન ખેડૂતને આપવાની સરકારની હિલચાલ સામે કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે. જાણો શું તર્ક આપ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673cc2368f044.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673cc23658023.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673cc23658023.jpg" length="62252" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Farmers&#039; land icongree, Amit chavda</media:keywords>
                </item>
                        <item>
                    <title>હવે જંત્રીના 10 ટકા વસૂલ કરીને જમીન એનએ કરાવી શકાશે</title>
                    <link>https://khabarantar.com/now-land-can-be-acquired-by-collecting-10-percent-of-the-jantri</link>
                    <guid>https://khabarantar.com/now-land-can-be-acquired-by-collecting-10-percent-of-the-jantri</guid>
                    <description>
                        <![CDATA[ રાજ્ય સરકારે રિવાઇઝ્ડ બિન ખેતીની પરવાનગીના નિયમોમાં ફેરફાર કર્યો. પ્રીમિયમ ભર્યા વિના ખેતી થયેલી જમીનના પુન: હેતુફેર સમયે પ્રવર્તમાન જંત્રીના 10 ટકા વસૂલાશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજયમાં કોઈપણ હેતુ માટે અગાઉ પ્રીમિયમ વસૂલ કરવા પાત્ર હોવા છતાં પ્રીમિયમ વસૂલ કર્યા વિના બિનખેતી થયેલી જમીન હવે પુન: હેતુફેર કરવી રાજ્ય સરકારે સરળ બનાવી છે. આવી જમીન પુન: હેતુફેર માટે આવે ત્યારે તે જમીનને પ્રવર્તમાન જંત્રીની કિંમત ના 10 ટકા વસૂલાત કરીને બિન ખેતી કરી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. હાલમાં આવી જમીન માટે પ્રવર્તમાન જંત્રીના 30 ટકા પ્રમાણે પ્રીમિયમની વસૂલાત કરવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યમાં કોઈ પણ હેતુ માટે અગાઉ બિન ખેતી (એનએ) થયેલી જમીનની કોઈપણ દરખાસ્ત પુન: હેતુફેર માટે જે તે જિલ્લા કલેકટર સમક્ષ રજૂ થાય છે. તો ત્યારે જો પ્રિમીયમ વસુલાત પાત્ર હોય અને અગાઉના બિનખેતીના નિર્ણય વખતે પ્રિમિયમ વસૂલ કરવાનું રહી ગયું હોય તેવા કિસ્સામાં હાલના સમયમાં આવું પ્રિમીયમ પ્રવર્તમાન જંત્રી દરના ૩૦ ટકા પ્રમાણે વસૂલ કરવાની પ્રથા અમલમાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવા કિસ્સામાં જે તે જમીન બિનખેતી થયા સમયે પ્રીમિયમ વસૂલ ન કરાયું હોય તો આસામીને પ્રવર્તમાન જંત્રીની રકમના 30 ટકા પ્રમાણે પ્રીમિયમની રકમ ભરવાની થાય છે. જેના કારણે મુખ્યમંત્રી સમક્ષ સમાજના વિવિધ વર્ગો દ્વારા રજૂઆતો થઈ હતી. જે અંગે રાજ્ય સરકાર દ્વારા આ મામલે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે મુખ્યમંત્રી દ્વારા નિર્ણય કરીને મહેસુલ વિભાગને દિશા નિર્દેશો આપ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એવો નિર્ણય કરાયો છે કે, ભૂતકાળમાં પ્રતિબંધિત સત્તા પ્રકાર અને નવી અને અવિભાજ્ય શરતની જમીનમાં પ્રીમિયમની રકમ વસુલવાની પાત્ર હતી, પરંતુ તે રકમ વસુલ લીધા વિના બિનખેતી પરવાનગી આપવામાં આવેલ છે. આવી જમીનમાં હાલના અરજદાર/કબજેદાર પાસેથી પ્રવર્તમાન જંત્રી કિંમતના ૧૦ ટકા પ્રીમિયમની રકમ વસુલ કરીને રિવાઇઝડ બિનખેતીની પરવાનગી આપવાની રહેશે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:</span> </span><a href="https://khabarantar.com/a-new-chapter-in-the-land-scam-in-the-name-of-ram-in-ayodhya">અયોધ્યામાં રામના નામે જમીન કૌભાંડનો નવો અધ્યાય...</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 19 Nov 2024 21:59:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1572</Articleid>
                    <excerpt>રાજ્ય સરકારે રિવાઇઝ્ડ બિન ખેતીની પરવાનગીના નિયમોમાં ફેરફાર કર્યો. પ્રીમિયમ ભર્યા વિના ખેતી થયેલી જમીનના પુન: હેતુફેર સમયે પ્રવર્તમાન જંત્રીના 10 ટકા વસૂલાશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673cbb81a3fbe.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673cbb816dae7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673cbb816dae7.jpg" length="56460" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Jantri Rate 2024, NA land, Jantri</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે RSS નો પ્લાન શું છે?</title>
                    <link>https://khabarantar.com/what-is-rsss-plan-for-bjp-in-maharashtra-assembly-elections</link>
                    <guid>https://khabarantar.com/what-is-rsss-plan-for-bjp-in-maharashtra-assembly-elections</guid>
                    <description>
                        <![CDATA[ આરએસએસ અને તેની સાથે સંકળાયેલા 37 સંગઠનો ભાજપની તરફેણમાં વાતાવરણ ઉભું કરવા કામે લાગ્યા છે. જામો સંઘે મતદારો સુધી સીધા પહોંચવા શું વ્યૂહરચના અપનાવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નું કોમ્બિનેશન ફરી એકવાર સમાચારોમાં છે. આરએસએસ અને તેની સાથે સંકળાયેલા 37 સંગઠનોએ તેમની કેડરને ભાજપ માટે પૂરી તાકાત સાથે કામે લગાડી દીધી છે. આ વખતે, સંઘે તેની ચૂંટણી ભૂમિકામાં નવા પરિમાણો ઉમેરતા મતદારો સુધી સીધા પહોંચવાની વ્યૂહરચના અપનાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ્સ મુજબ, આરએસએસએ જુલાઈથી જ પોતાની રણનીતિ પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. સંઘના સહ મહાસચિવ અતુલ લિમયેને ભાજપના ચૂંટણી પ્રચારના સંકલનની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ઘણી બેઠકો કરી હતી. ગડકરી અને ફડણવીસે રાજ્યભરમાં 70 થી વધુ જાહેર સભાઓને સંબોધી હતી. આરએસએસની મહિલા પાંખ રાષ્ટ્ર સેવિકા સમિતિ પણ ચૂંટણી પ્રચારમાં પાછળ રહી નથી. સમિતિની મહિલા કાર્યકરો દિવસ-રાત પ્રચારમાં વ્યસ્ત રહી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરએસએસે મરાઠા, કુણબી અને માલી સમુદાયો જેવા વિવિધ સમુદાયોના નેતાઓ સાથે સંવાદ સ્થાપિત કર્યો હોવાનું કહેવાય છે. આ સાથે યુવાનો અને શહેરી મતદારોને આકર્ષવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આઇટી સેક્ટર અને અન્ય વ્યવસાયોમાં કામ કરતા યુવા મતદારોને તેમના ગૃહ જિલ્લામાં મતદાન કરવા માટે બસો અને મફત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સંઘે 100 ટકા મતદાન સુનિશ્ચિત કરવા માટે ઘણી યોજનાઓ બનાવી છે. નાગપુર જેવા મુખ્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો છે. રામનગર જેવા વિસ્તારોમાં આરએસએસના કાર્યકરોએ બે વખત મતદારોનો સંપર્ક કર્યો હોવાનું કહેવાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણીમાં આ વખતે આરએસએસ અને ભાજપ વચ્ચેનો તાલમેલ પહેલા કરતા વધુ મજબૂત જણાય છે. ટિકિટ વિતરણથી લઈને બૂથ મેનેજમેન્ટ સુધી સંઘે દરેક પાસાઓમાં ઉંડાણપૂર્વકનો રસ લીધો હતો. સંઘના વરિષ્ઠ કાર્યકર દિલીપ દેવધરે દાવો કર્યો કે આ પહેલીવાર છે જ્યારે RSSએ કોઈ ચૂંટણીમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રમાં આવતીકાલે ચૂંટણી યોજાવાની છે અને ચૂંટણીનું પરિણામ 23મીએ જાહેર થશે. મતગણતરી બાદ જ સ્પષ્ટ થશે કે સંઘ અને ભાજપની આ રણનીતિ કેટલી સફળ રહી અને આરએસએસ-ભાજપના સંયુક્ત પ્રયાસોએ ચૂંટણીના માહોલને કેટલી પોતાના તરફ વાળી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/dalit-voters-confused-due-to-differences-among-ambedkarite-parties-in-maharashtra">મહારાષ્ટ્રમાં આંબેડકરવાદી પક્ષોમાં મતભેદને કારણે દલિત મતદારો મૂંઝવણમાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 19 Nov 2024 21:07:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1571</Articleid>
                    <excerpt>આરએસએસ અને તેની સાથે સંકળાયેલા 37 સંગઠનો ભાજપની તરફેણમાં વાતાવરણ ઉભું કરવા કામે લાગ્યા છે. જામો સંઘે મતદારો સુધી સીધા પહોંચવા શું વ્યૂહરચના અપનાવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673caff065efc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673caff032ad1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673caff032ad1.jpg" length="79578" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Maharashtra Assembly Elections, BJP, RSS</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાત મોડેલ : બુટલેગરે હોસ્પિટલ શરૂ કરી, ઉદ્ઘાટનમાં પોલીસને બોલાવી</title>
                    <link>https://khabarantar.com/real-gujarat-model-bootlegger-starts-hospital-in-surat-calls-police-at-inauguration</link>
                    <guid>https://khabarantar.com/real-gujarat-model-bootlegger-starts-hospital-in-surat-calls-police-at-inauguration</guid>
                    <description>
                        <![CDATA[ બુટલેગરે બે નકલી ડોક્ટરો સાથે મળીને 24 કલાકની હોસ્પિટલ શરૂ કરી દીધી અને કોઈને ખબર પણ ન પડી. પત્રિકા ઓનલાઈન વાયરલ થતા ભાંડો ફૂટ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં ખરા અર્થમાં બધું રામભરોસે ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ પ્રવર્તે છે. નકલી પીએમઓ-સીએમઓ અધિકારીથી શરૂ થયેલો સિલસિલો નકલી જજ સુધી પહોંચ્યો છે. ત્યારે હવે સુરતમાં એક બુટલેગરે નકલી ડોક્ટરો સાથે મળીને હોસ્પિટલ શરૂ કરી દીધી હતી. ચોંકાવનારી વાત એ છે કે, આ હોસ્પિટલના ઉદ્ઘાટનમાં તેણે પોલીસને આમંત્રણ આપ્યું હતું અને એક આઈપીએસ અધિકારીને મુખ્ય અતિથિ તરીકે બોલાવ્યા હતા. સોશિયલ મીડિયામાં પત્રિકા વાયરલ થતા આખા મામલાનો પર્દાફાશ થયો હતો અને તંત્રનું ધ્યાન જતા એક જ દિવસમાં હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">શહેરના પાંડેસરા વિસ્તારમાં નકલી તબીબોએ ભેગા મળી હોસ્પિટલ જ શરૂ કરી દીધી હતી. જન સેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નામ આપી દીધું હતું. જેમાં 24 કલાક ઈમરજન્સી સેવા આપવાનું બોર્ડ પણ મારી દીધું હતું. આ સાથે જ પોલીસ અધિકારીનું નામ પણ આમંત્રણ પત્રિકામાં પ્રિન્ટ કરાવ્યું હતું. જોકે એક જ દિવસમાં દર્દીઓને લૂંટવા માટે શરૂ થયેલી આ હોસ્પિટલનો ભાંડો ફૂટી ગયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બે નકલી ડોક્ટરો, ત્રીજો બુટલેગર</span></strong></span><br><span style="font-size: 14pt;">આ હોસ્પિટલ શરૂ કરનારમાં બે સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ તો ત્રીજો સામે દારૂની ફેરાફેરીના કેસમાં અગાઉ ઝડપાઈ ચૂક્યો છે. એસઓજી દ્વારા બબલુ શુકલા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસનો ગુનો નોંધાયો હતો. પાંડેસરા પોલીસે પણ આ જ રીતે રાજા રામ દૂબે સામે ફરિયાદ નોંધી હતી. બોગસ ડો.જી.પી.મિશ્રા સામે તો વર્ષ 2022 માં દારૂની ફેરાફેરીનો કેસ નોંધાયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બે માળની હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર પણ બનાવ્યું</span></strong></span><br><span style="font-size: 14pt;">નવાઈની વાત એ છે કે હોસ્પિટલનું ઉદ્દઘાટન થતાં જ અહીં દર્દીઓની લાઈન લાગી ગઈ હતી. 24 કલાક ઇમર્જન્સી સેવા આપવા હોસ્પિટલના કથિત ડોક્ટરો દ્વારા બે માળમાં આ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ઓપરેશન થિયેટર પણ હતું. આ કોઈ પ્રથમ હોસ્પિટલ કે ક્લિનિક નથી જ્યાં ડોક્ટરો ઉપર આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય, તેઓ ગણતરીના કલાકોમાં જામીન મેળવીને ફરીથી આવી પોતાની જ ક્લિનિકમાં પ્રેક્ટિસ શરૂ કરી દે છે.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગુજરાત સરકારે સર્ટિફિકેટ પણ આપી દીધું</span></strong></span><br><span style="font-size: 14pt;">હોસ્પિટલના સંચાલક ડોક્ટર સજ્જન કુમારે જણાવ્યું હતું કે, અમારી પાસે ગુજરાત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ છે અને અમે એ પ્રમાણે જ હોસ્પિટલની શરૂઆત કરી છે. બબલુ શુકલા, રાજારામ દુબે અને ડોક્ટર મીશ્રા MD ડોક્ટર્સની નજર હેઠળ અહીં RMO તરીકે ફરજ બજાવે છે અને ફક્ત અહીં કામ કરે છે. ઓર્થોપેડિક ડોક્ટર તરીકે પ્રત્યુષ ગોહિલ અને MD ડોક્ટર તરીકે સજ્જન કુમાર મીના છે અને તે ત્રણેય ડોક્ટરો ફક્ત અમારા નિમંત્રણ પર આવ્યા છે કહીને લુલો બચાવ કર્યો હતો અને પોતે જ આપેલા RMOના નિવેદન પરથી ફરી ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <strong><a href="https://khabarantar.com/20-Hindus-took-admission-in-mbbs-with-fake-buddhist-certificate">20 હિંદુઓએ નકલી બૌદ્ધ સર્ટિફિકેટ બનાવડાવી એમબીબીએસમાં એડમિશન લઈ લીધું</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 19 Nov 2024 09:55:57 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1569</Articleid>
                    <excerpt>બુટલેગરે બે નકલી ડોક્ટરો સાથે મળીને 24 કલાકની હોસ્પિટલ શરૂ કરી દીધી અને કોઈને ખબર પણ ન પડી. પત્રિકા ઓનલાઈન વાયરલ થતા ભાંડો ફૂટ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673c132134338.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673c1320f306b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673c1320f306b.jpg" length="92241" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Surat News, bootlegger starts hospital, calls police at inauguration, gujarat model</media:keywords>
                </item>
                        <item>
                    <title>બે સાધુઓએ મળી ત્રીજા સાધુની જટા કાપી રૂ. 21 હજારની મત્તા લૂંટી લીધી</title>
                    <link>https://khabarantar.com/two-sadhus-got-together-and-cut-the-locks-of-a-third-sadhu-and-robbed-him-of-rs-21-thousand</link>
                    <guid>https://khabarantar.com/two-sadhus-got-together-and-cut-the-locks-of-a-third-sadhu-and-robbed-him-of-rs-21-thousand</guid>
                    <description>
                        <![CDATA[ અમરેલીના ખાંભાની ઘટના. ખોડીયાર આશ્રમમાં બે સાધુઓ ત્રીજા સાધુની જટા કાપતા હોય તેવો વીડિયો વાયરલ. પોલીસે હળવદની એક આરોપી સાધુને ઝડપી પાડ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમરેલીના ખાંભામાં એક સાધુને અન્ય બે સાધુઓએ માર મારી, તેમની જટા કાપી નાખીને મોબાઈલ, કાજુ-બદામ અને રોકડ સહિત રૂ. 21 હજાર લૂંટી લીધા હોવાની ઘટના સામે આવતા ધર્મપ્રેમીઓની લાગણી દુભાઈ છે. મળતી માહિતી પ્રમાણે અમરેલીના ખાંભાની રાજધાની ચોકડી પાસે ખોડીયાર આશ્રમમાં આરામ કરી રહેલા ભગુડાના સાધુ પાસે બે અજાણ્યા સાધુઓ આવીને 'તું નકલી સાધુ છે' કહીને મારમારી કરી હતી અને ભગુડાના સાધુની જટા કાપી નાખી હતી. એટલું જ નહીં, આરોપી સાધુઓ ભગુડાના સાધુના થેલામાંથી રોકડ અને મોબાઈલ સહિત કુલ 21 હજારની લૂંટ કરીને ભાગી ગયા હતા. આ મામલે ભગુડાના સાધુએ ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપીની હળવદથી ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય એક આરોપી સાધુની શોધખોળ ચાલુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ખાંભા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને આરોપીઓ હળવદના અર્જુનગીરી અને બ્રિજેશગીરી હોવાની જાણકારી મળતા હળવદ પહોંચી મુખ્ય આરોપી અર્જુનગીરીને દબોચીને મુદ્દામાલ જપ્ત કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો? </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે, અમરેલીના ખાંભા ખાતે આવેલા ખોડીયાર આશ્રમમાં ભગુડાના એક સાધુ આરામ કરી રહ્યાં હતા. એ દરમિયાન અર્જુનગીરી નામનો સાધુ અને અન્ય એક અજાણ્યો સાધુ ત્યાં આવ્યાં હતા. આ બંનેએ ભગુડાના સાધુને 'તું વિધર્મી, નકલી સાધુ છે' કહીને મારામારી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે બંનેએ ભગુડાના સાધુના માથાની જટા કાપીની વીડિયો બનાવી વાઈરલ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંને આરોપી સાધુઓ ભગુડાના સાધુ પાસે રહેલા 10,805 રોકડ, એક મોબાઈલ અને 300 ગ્રામના કાજુ-બદામ મળીને કુલ 21 હજાર લૂંટ કરીને ભાગી ગયા હતા. આ મામલે ભગુડાના સાધુએ બંને આરોપી સાધુ વિરુદ્ધમાં ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે સુલેહ શાંતિનો ભંગ અને ધાર્મિક માન્યતાઓનું અપમાન કરનારા બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/anupam-swaroop-swamis-controversial-statement-regarding-navratri">"વાસનાના પૂજારીના દિવસો આવ્યા" નવરાત્રી મુદ્દે સ્વામીનારાયણ સાધુ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 18 Nov 2024 20:04:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1568</Articleid>
                    <excerpt>અમરેલીના ખાંભાની ઘટના. ખોડીયાર આશ્રમમાં બે સાધુઓ ત્રીજા સાધુની જટા કાપતા હોય તેવો વીડિયો વાયરલ. પોલીસે હળવદની એક આરોપી સાધુને ઝડપી પાડ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673b4f6734563.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673b4f670435e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673b4f670435e.jpg" length="92645" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>News of theft</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપ નેતાએ બી.એડ. કોલેજ હડપ કરી, હાઈકોર્ટેનો FIR નોંધવા આદેશ</title>
                    <link>https://khabarantar.com/bjp-leader-usurps-b.ed.college-high-court-orders-registration-of-fir</link>
                    <guid>https://khabarantar.com/bjp-leader-usurps-b.ed.college-high-court-orders-registration-of-fir</guid>
                    <description>
                        <![CDATA[ બનાસકાંઠા જિલ્લા ભાજપના નેતા સામે રૂ. ૬૦ લાખની છેતરપિંડી-ઠગાઇ મામલે એફઆઇઆર નોંધવા હાઇકોર્ટે આદેશ કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાલનપુરની ઉમિયા બીએડ કોલેજ પાલનપુર હડપ કરવાના મામલે હાઇકોર્ટ દ્વારા બનાસકાંઠા જિલ્લાના ભાજપના નેતા સામે છેતરપિંડી અને ઠગાઇની એફઆઇઆર નોંધવા માટે આદેશ કર્યો છે. જે અંગે પાલનપુર પૂર્વ પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાસકાંઠા જિલ્લા ભાજપના મોટા નેતા ગણાતા અને અરવલ્લી જિલ્લા ભાજપના પ્રભારી ગિરીશ જેઠાભાઇ જગાણિયા સામે પાલનપુરની ઉમિયા બીએડ કોલેજ પચાવી પાડવા અંગે ડૉ. ભરતભાઈ બેચરભાઈ બાન્ટિયાએ પાલનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ડૉ. ભરતભાઈએ આરોપી ગિરીશ જગાણિયા સામે એવી ફરિયાદ નોંધાવી છે કે, આરોપી ગિરીશ જગાણિયાએ ડૉ. ભરત બાન્ટિયાને રૂ. ૧૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરીને બંધ પડેલી ઉમિયા બીએડ કોલેજ ચલાવવા માટે કુલમુખત્યારનામું કરી આપ્યું હતું. ત્યાર બાદ ડૉ. ભરતભાઈ બેચરભાઈ બાન્ટિયાએ બીએડ કોલેજને શરૂ કરવા માટે સમયાંતરે રૂ. ૬૦ લાખથી વધુનો ખર્ચ કર્યો હતો. જેના કારણે ઉમિયા બીએડ કોલેજ સારી ચાલવા લાગી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉમિયા બીએડ કોલેજ સારી ચાલવા લાગતાં ગિરીશ જગાણિયાએ કોલેજનો વહીવટ પડાવી લેવા માટે ડૉ. ભરતભાઈ બેચરભાઈ બાન્ટિયા સાથે કરેલા કરારનો ભાગ કર્યો હતો. એટલું જ નહીં, ડૉ. ભરતભાઈ બેચરભાઈ બાન્ટિયાએ કોલેજ શરૂ કરવા માટે તેમજ અન્ય બાબતો માટે કરેલા ખર્ચ પેટેના રૂ. ૬૦ લાખની રકમ પરત આપી ન હતી. આમ કરીને ગિરીશ જગાણિયાએ ડૉ. ભરતભાઈ બેચરભાઈ બાન્ટિયા સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે જે તે સમયે ડૉ. ભરતભાઈ બેચરભાઈ બાન્ટિયાએ પોલીસ ફરિયાદ કરવા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ તે સમયે પોલીસ દ્વારા ગિરીશ જગાણિયા સામે ફરિયાદ લેવામાં આવી ન હતી. જેના કારણે ડૉ. ભરતભાઈ બેચરભાઈ બાન્ટિયાએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જે અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ મામલે ડૉ. ભરતભાઈ બેચરભાઈ બાન્ટિયાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જેમાં હાઈકોર્ટે સ્પષ્ટ અને કડક શબ્દોમાં ગિરીશ જગાણિયા વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાનો આદેશ કર્યો હતો. જેના અંતર્ગત પાલનપુર પોલીસ દ્વારા ભાજપના નેતા ગિરીશ જગાણિયા સામે રૂ. ૬૦ લાખની છેતરપિંડી અને ઠગાઇની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/in-mp-damoh-bjp-leader-threatens-to-kill-obc-woman-rapist">ભાજપ નેતાએ OBC મહિલા સાથે દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 17 Nov 2024 20:55:24 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1563</Articleid>
                    <excerpt>બનાસકાંઠા જિલ્લા ભાજપના નેતા સામે રૂ. ૬૦ લાખની છેતરપિંડી-ઠગાઇ મામલે એફઆઇઆર નોંધવા હાઇકોર્ટે આદેશ કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673a095cb4324.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673a095c7edaf.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673a095c7edaf.jpg" length="64377" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Palanpur b.ed college, umiya b ed college palanpur</media:keywords>
                </item>
                        <item>
                    <title>જૂનાગઢમાં સસરાએ પુત્રવધુના બૌદ્ધ વિધિથી પુનઃ લગ્ન કરાવ્યા</title>
                    <link>https://khabarantar.com/in-junagadh-father-in-law-remarries-daughter-in-law-through-buddhist-rituals</link>
                    <guid>https://khabarantar.com/in-junagadh-father-in-law-remarries-daughter-in-law-through-buddhist-rituals</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતના દલિત-બહુજન સમાજમાં કદાચ આ પહેલો પ્રસંગ છે, જેમાં સાસરિયાએ પુત્રવધુના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેના બૌદ્ધવિધિથી પુનઃલગ્ન કરાવ્યા હોય. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અંધશ્રદ્ધા અને કુરિવાજોમાંથી નીકળીને કંઈક નવો ચિલો ચાતરવો દરેકના હાથની વાત નથી. તેના માટે મક્કમ મનોબળ સાથે સમાજ સામે પડીને પ્રગતિશીલ વિચારને અમલમાં મૂકવા માટેની તૈયારી રાખવી પડે. ભારતમાં બાળકીઓને દૂધ પીતી કરી દેવી, સતી પ્રથા અને વિધવા વિવાહ નિષેધ જેવા કુરિવાજોએ વર્ષો સુધી સમાજમાં જડ ઘાલી દીધી હતી. પણ સમાજ સુધારકોએ તેનો વિરોધ કર્યો અને ધીરે ધીરે આ કુપ્રથાઓ બંધ થઈ. એ વાત જુદી છે કે, એકવીસમી સદીમાં બાળકીઓને દૂધ પીતી નથી કરાતી પરંતુ ગર્ભમાં જ મારી નાખવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. દીકરીઓ માટે સમાજના નિયમો વધુને વધુ કડક બનતા જાય છે. એમાં પણ પુત્રવધુ માટે તો તેણે શું ખાવું, પીવું, પહેરવું, ઓઢવુંથી લઈને કોની સાથે કેવી રીતે વર્તવું ત્યાં સુધીના બંધનો છે. આવી પરિસ્થિતિમાં જો કોઈ સાસુ-સસરા તેમની પુત્રવધુના પુનઃલગ્ન કરાવે તો તમે શું માનો?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બહુજન સમાજને ગર્વ થાય તેવી ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પહેલીવારમાં માનવામાં ન આવે તેવી આ ઘટના જૂનાગઢજિલ્લામાં બની છે. અહીં એક દલિત-બહુજન પરિવારે તેમના એકના એક દીકરાનું અચાનક અવસાન થતા પુત્રવધુના ભવિષ્યને ધ્યાનમાં રાખીને રાજીખુશીથી તેના પુનઃલગ્ન કરાવ્યા હતા. એટલું જ નહીં તેનો તમામ ખર્ચ પણ પોતે ઉપાડ્યો હતો. આ ઘટનાએ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં દલિત-બહુજન સમાજનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે. ગુજરાતમાં કદાચ આ પહેલો એવો પ્રસંગ છે જેમાં કોઈ દલિત-બહુજન પરિવારે તેમની પુત્રવધુના લગ્ન કરાવ્યા હોય અને એ પણ બૌદ્ધ રીતિરિવાજોથી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_673842f5b3fc7.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાની મળતી માહિતી મુજબ જૂનાગઢના નાની ખોડિયાર ગામના વતની અને આરોગ્ય વિભાગમાં નોકરી કરીને નિવૃત્ત થયેલા કર્મચારી મનસુખભાઈ પરમારના એકના એક પુત્ર સુનીલનું ટૂંકી બીમારી બાદ અવસાન થયું હતું, જેના કારણે પરિવારનો માળો વેરવિખેર થઈ ગયો હતો. જો કે પ્રગતિશીલ વિચારો ધરાવતા મનસુખભાઈએ પ્રકૃતિને ગમ્યું તે ખરું તેમ માનીને યુવાનવયે વિધવા થયેલા પુત્રવધુના ભવિષ્યની ચિંતા કરીને તેમના પુનઃલગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘટનાની નોંધ લેવાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ રીતે તેમણે ગત તા. 8 નવેમ્બર 2024ના રોજ તાલાળા તાલુકાના ચિત્રાવડ ગામના વતની અને સર્વ શિક્ષા અભિયાનમાં ફરજ બજાવતા પ્રકાશકુમાર આમલ સાથે પુત્રવધુ કિરણના બૌદ્ધ સંસ્કારથી પુનઃલગ્ન કરાવી સમાજમાં એક આગવો દાખલો બેસાડ્યો હતો. મનસુખભાઈએ નવદંપતીને આશીર્વાદ આપી જે રીતે બાપ દીકરીને સાસરે વળાવે તેમ કાળજે પત્થર મૂકી પોતાની પુત્રવધૂને સાસરે વળાવી હતી. ઉલ્લેખનીય છે કે, દલિત બહુજન સમાજમાં કદાચ આ પહેલો એવો પ્રસંગ છે, જેમાં કોઈ સાસરિયાએ તેમની વિધવા પુત્રવધુના પુનઃલગ્ન કરાવ્યા હોય.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_673843109196d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના દલિત બહુજન સમાજમાં મનસુખભાઈ પરમાર અને તેમના પરિવારના સરાહનિય, હિંમતભર્યા અને પ્રેરણાદાયી નિર્ણયની પ્રશંસા થઈ રહી છે અને બહુજન સમાજ તેમને અભિનંદન પાઠવી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સસરા મનસુખભાઈ શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખબરઅંતર.કોમ સાથે સમગ્ર મામલે વિસ્તારથી વાત કરતા ડૉ. મનસુખભાઈ પરમાર કહે છે, "મારું મૂળ વતન જૂનાગઢના મેંદરડા તાલુકાનું નાની ખોડીયાર ગામ છે અને હાલ જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલી એન્જલ પાર્ક સોસાયટીમાં રહું છું. વર્ષ 2022માં જૂનાગઢ સિવિલ હોસ્પિટલના આરોગ્ય વિભાગમાં વહીવટી ખાતામાં સર્વિસ કચેરી અધ્યક્ષ તરીકે સેવા નિવૃત્ત થયા બાદ ત્યાં ફરી ત્યાં જ કરાર આધારિત સેવા આપી રહ્યો છું. મારા પુત્ર સુનીલના વર્ષ 2011માં લગ્ન થયા હતા. તેનું 1-8-2022ના રોજ ડેન્ગ્યૂના કારણે અવસાન થયું હતું. તેને રૂહી નામની 8 વર્ષની દીકરી છે. સુનીલના પત્ની કિરણ બે વર્ષથી અમારી સાથે જ રહેતા હતા. પણ અમારાથી તેમનું દુઃખ જોવાતું નહોતું. મને સતત એવું લાગતું હતું કે, પુત્રના જવાથી અમારી જિંદગીથી બગડી છે, પણ પુત્રવધુની જિંદગી પણ અમે બગાડી રહ્યાં છે. આથી અમે તેમના માતાપિતા સાથે વાત કરી, પુત્રવધુ કિરણને વિશ્વાસમાં લઈને પુનઃલગ્ન માટે મનાવ્યા. એ પછી મેં તેમના માટે યોગ્ય પાત્રની શોધ શરૂ કરી. એમાંથી ચિત્રાવડના પ્રકાશકુમાર આમલનો સંપર્ક થયો. તેમના પત્નીનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. તેમની સ્થિતિ પણ અમારા જેવી જ હતી. તેમના પ્રગતિશીલ વિચારો અમારા પરિવાર સાથે અને પુત્રવધુ કિરણ સાથે સારા મેળ ખાતા હોવાથી આખરે અમે આ લગ્ન કરાવવાનું નક્કી કર્યું અને 8 નવેમ્બર 2024ના રોજ પુત્રવધુ કિરણના પ્રકાશકુમાર સાથે લગ્ન કરાવ્યા."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મનસુખભાઈ નાનપણથી બુદ્ધ-આંબેડકરને અનુસરે છે</span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6738432e1a6f3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પુત્રવધુના પુનઃલગ્ન કરાવનાર મનસુખભાઈ પરમાર જૂનાગઢમાં જાણીતું નામ છે. તેઓ નાનપણથી જ બુદ્ધ અને ડો. આંબેડકરના રસ્તે ચાલી રહ્યાં છે. તેમણે તેમના ભાઈના લગ્નમાં બ્રાહ્મણે કહ્યું હતું તેનાથી વિરુદ્ધનું સૌથી ખરાબ મૂહુર્ત પસંદ કરીને લગ્ન લેવડાવ્યા હતા અને એ રીતે મનુવાદ સામે જંગ છેડેલો. તેમના પિતા જૂનાગઢ શહેર સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. મનસુખભાઈ પોતે અનેક સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે. દર વર્ષે તેઓ બહુજન સમાજના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહન પુરું પાડે છે. આ સિવાય આરોગ્ય વિભાગમાં પણ તેઓ સક્રીય રીતે ગરીબ દર્દીઓને મદદરૂપ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બુદ્ધ, આંબેડકર જ બહુજનોનો ઉદ્ધાર કરી શકે છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનસુખભાઈ કહે છે, "બહુજન સમાજે મનુવાદી વિચારોને જેમ બને તેમ ત્યજીને ડો. આંબેડકર અને બુદ્ધના રસ્તે ચાલવાનું નક્કી કરી લેવું પડશે. મનુવાદ હાલ જે રીતે માથું ઉચકી રહ્યો છે, તે બહુજન સમાજ માટે ઘાતક છે. તે આપણને અંધશ્રદ્ધામાં ધકેલી મનુવાદીઓના ગુલામ બનાવી રાખે છે. તેમાંથી નીકળવા માટે બહુજન સમાજે એક થઈને શિક્ષણ પર ફોકસ કરવું પડશે, યુવાનોને વ્યસનો, ધાર્મિક મેળાવડાઓથી દૂર રહી રોજગારી મેળવવા તરફ પ્રેરવા પડશે. સમાજ એક થશે તો આવતા દિવસોમાં તેનું ફળ ચોક્કસ મળશે. બહુજન સમાજે પ્રગતિ કરવી હશે તો સાચો રસ્તો માત્ર ડો. આંબેડકર અને તથાગત ગૌતમ બુદ્ધે જે માર્ગ અપનાવ્યો હતો તે જ દિશામાં છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/37-people-took-initiation-into-buddhism-in-amraiwadi-ahmedabad">અમદાવાદના અમરાઈવાડીમાં 37 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 16 Nov 2024 12:40:40 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 16 Nov 2024 13:37:55 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1556</Articleid>
                    <excerpt>ગુજરાતના દલિત-બહુજન સમાજમાં કદાચ આ પહેલો પ્રસંગ છે, જેમાં સાસરિયાએ પુત્રવધુના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેના બૌદ્ધવિધિથી પુનઃલગ્ન કરાવ્યા હોય.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673842e0cca8f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673842e0991eb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673842e0991eb.jpg" length="84869" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Buddhism, Gautam Buddha</media:keywords>
                </item>
                        <item>
                    <title>સ્કૂલે જતા 73 ટકા બાળકો મોબાઈલમાં અશ્લીલ સામગ્રી જુએ છે</title>
                    <link>https://khabarantar.com/73-percent-of-school-going-children-watch-pornographic-content-on-mobile-phones</link>
                    <guid>https://khabarantar.com/73-percent-of-school-going-children-watch-pornographic-content-on-mobile-phones</guid>
                    <description>
                        <![CDATA[ બાળકો એકવાર પોર્ન જોયા પછી વારંવાર તેને શોધે છે. ભારતમાં આવા બાળકોની ઉંમર 12 થી 16 વર્ષની છે. દરેક માતાપિતાએ વાંચીને અન્ય માતાપિતાને શેર કરવા જેવો રિપોર્ટ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં માતાપિતા કે વાલીઓ માટે સૌથી મોટો પડકાર તેમના બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખવાનો છે. એમાં પણ ખાસ કરીને સોશિયલ મીડિયા પર આવતી રિલ્સ અને અન્ય અશ્લીલ સામગ્રીથી તેમનો પીછો છોડાવવાનું કામ સૌથી મોટી ચેલેન્જ છે. કમનસીબે બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવાના પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે અને તેની ખરાબ અસરો પણ પ્રકાશમાં આવવા લાગી છે. દેશ અને વિશ્વના ઘણા અભ્યાસો દર્શાવે છે કે બાળકો અભ્યાસ દરમિયાન દર 20 મિનિટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મુલાકાત લે છે. એ દરમિયાન 13 થી 17 વર્ષની વયના 73 ટકા બાળકો જાણે-અજાણે વાંધાજનક અને અશ્લીલ સામગ્રી જુએ છે અને તેમને શાળામાંથી આપવામાં આવેલું હોમવર્ક કરવામાં મોડું થાય છે. જો માતાપિતા ધ્યાનથી જોશે તો તેમને સમજાશે કે, બાળક શાળાનું હોમવર્ક એક કલાકને બદલે ત્રણ કલાકમાં પૂરું કરી રહ્યું છે તેનું કારણ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ પોર્ન સામગ્રી છે. તેની આડઅસર એવી છે કે પોર્ન જોવાના વ્યસની બાળકો બળાત્કારને સામાન્ય બાબત સમજવા લાગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માતાપિતાના સોશિયલ મીડિયા એકાઉન્ટનો દુરુપયોગ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયા પર બાળકોના એકાઉન્ટ ખોલી શકાતા નથી કે તેમના નામે સીમકાર્ડ ખરીદી શકાતા નથી, તેમ છતાં બાળકો તેમના માતા-પિતા અથવા વાલીઓના ફોન અને એકાઉન્ટનો દુરુપયોગ કરી રહ્યા છે. શાળા કે ઘરે અભ્યાસમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાની વધતી જતી ભૂમિકાને કારણે માતાપિતા પણ તેમના બાળકોને તેનો ઉપયોગ કરવા દેવા માટે બંધાયેલા છે. ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. બ્રિટન સહિત યુરોપના ઘણા દેશોમાં બાળકોને અઠવાડિયામાં એકવાર સેક્સ એજ્યુકેશન અને સોશિયલ મીડિયાની ખરાબ બાબતોથી કેવી રીતે બચવું તે વિશે શીખવવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">80 ટકા સગીરો દરરોજ બે કલાક સોશિયલ મીડિયા વાપરે છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગવર્નન્સ પોલિસીસ એન્ડ પોલિટિક્સે સોશિયલ મીડિયા મેટર્સ અને યુથ ઓનલાઈન લર્નિંગ ઓર્ગેનાઈઝેશન સાથે મળીને ભારતીય બાળકોમાં ઈન્ટરનેટના ઉપયોગની રીતો પર એક અભ્યાસ હાથ ધર્યો હતો. અભ્યાસ અનુસાર, દેશના 80 ટકા સગીરો દરરોજ સરેરાશ બે કલાક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. તેમાંથી 30 ટકા લોકોએ આ સમયગાળા દરમિયાન ઓનલાઈન મિત્રો સાથે સંવેદનશીલ માહિતી શેર કરી હતી અને 15 ટકાએ ઓનલાઈન પોર્નોગ્રાફી જોયાનું સ્વીકાર્યું હતું. 40 ટકાએ એવા લોકો સાથે પરિચિત હોવાનું જણાવ્યું જેમણે ઇન્ટરનેટ પર અશ્લીલ સામગ્રી જોઈ છે. સર્વેમાં સૌથી વધુ પ્રતિક્રિયાઓ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાંથી આવી છે. કોરોનાકાળ (જુલાઈ 2020) થી શરૂ થયેલો આ સર્વે દર વર્ષે વિવિધ સંસ્થાઓના સહયોગથી કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માનસિક રીતે બીમાર બનવું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુનિવર્સિટી ઓફ મિડલસેક્સ, લંડન તેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે બાળકો એકવાર પોર્ન જોયા પછી વારંવાર તેને શોધે છે. ભારતમાં આવા બાળકોની ઉંમર 12 થી 16 વર્ષની છે. પોર્નોગ્રાફીના પ્રભાવને કારણે બાળકો મહિલાઓને સેક્સ ઓબ્જેક્ટ સમજવા લાગે છે. તેઓ માને છે કે બળાત્કાર એ સામાન્ય જાતીય પ્રક્રિયા છે. આ બાળકો નાની ઉંમરમાં જ સેક્સ કરવાનો પ્રયાસ કરે છે અને જ્યારે તેઓ નિષ્ફળ જાય છે ત્યારે તેઓ ડ્રગની લતનો શિકાર બને છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોર્નોગ્રાફીને કારણે ગુનામાં વધારો થયો છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોર્ન સાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાની ઝુંબેશ ચલાવી રહેલા બેંગલુરુ સ્થિત NGO રેસ્ક્યૂના જણાવ્યા અનુસાર, મેટ્રો શહેરોમાં 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ પોર્ન જુએ છે. 10 કોલેજોના 400 વિદ્યાર્થીઓના સર્વેના આધારે એનજીઓએ જણાવ્યું કે હિંસક પોર્નોગ્રાફી જોનારા યુવાનોની સંખ્યા વધી રહી છે. જેમાં કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની સંખ્યામાં બહુ ફરક નથી. પોર્નોગ્રાફી યુવાનોને જાતીય અપરાધો તરફ દોરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાયદો શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં માત્ર પોર્ન સામગ્રી જોવી એ ગુનો નથી પરંતુ પોર્નોગ્રાફી પણ ગેરકાયદેસર છે. તેને સ્ત્રી, પત્ની કે મિત્રને બતાવવું ગેરકાયદેસર છે. ફિલ્મ, ફોટા, લિંક્સ શેર કરવી અથવા ગ્રુપમાં જોવાનું ગેરકાયદેસર છે. POCSO એક્ટ હેઠળ ચાઈલ્ડ પોર્નોગ્રાફીમાં સજાની જોગવાઈ છે. જો કે, સામાન્ય કેસમાં પાંચ વર્ષની જેલ અથવા 10 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાળકોના વર્તન પર આ રીતે નજર રાખો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-શાળાઓમાં સેક્સ એજ્યુકેશન ફરજિયાત હોવું જોઈએ અને બાળકો-યુવાનો સાથે ખુલ્લી ચર્ચા થવી જોઈએ.</span><br><span style="font-size: 14pt;">-બાળકોના મોબાઈલ પર કોઈપણ સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્ટિવેટ ન કરો.</span><br><span style="font-size: 14pt;">-શાળામાં છોકરા-છોકરીઓ પ્રત્યે બાળકના વર્તન વિશે શિક્ષકને પૂછો.</span><br><span style="font-size: 14pt;">-બાળક સાથે મૈત્રીપૂર્ણ બનો અને બ્રાઉઝર હિસ્ટ્રી પણ ચેક કરતા રહો.</span><br><span style="font-size: 14pt;">-બાળક કહ્યા વગર મોબાઈલ ન લે, શક્ય હોય તો તમારી સામે જ ભણે.</span><br><span style="font-size: 14pt;">-દરરોજ બાળકને શાળાના અભ્યાસ, મિત્રો અને રમતગમત વિશે પૂછો.</span><br><span style="font-size: 14pt;">-બાળકને તેની ભૂલ માટે ઠપકો ન આપો, બલ્કે તેને બેસાડો અને તેને પ્રેમથી સમજાવો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/israels-attack-on-lebanon-left-400000-children-homeless">લેબનોન પર ઈઝરાયલના હુમલામાં 4 લાખ બાળકો બેઘર બન્યાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 15 Nov 2024 14:15:51 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 15 Nov 2024 14:23:56 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1554</Articleid>
                    <excerpt>બાળકો એકવાર પોર્ન જોયા પછી વારંવાર તેને શોધે છે. ભારતમાં આવા બાળકોની ઉંમર 12 થી 16 વર્ષની છે. દરેક માતાપિતાએ વાંચીને અન્ય માતાપિતાને શેર કરવા જેવો રિપોર્ટ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673708a05c90f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673708a029052.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673708a029052.jpg" length="102874" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Child Pornography, Porn</media:keywords>
                </item>
                        <item>
                    <title>SC&amp;ST એક્ટ હેઠળ દોષી ઠેરવાયેલા 101 પૈકી 99ને એક સાથે જામીન અપાયા</title>
                    <link>https://khabarantar.com/99-out-of-101-convicted-under-sc-st-act-granted-bail-simultaneously</link>
                    <guid>https://khabarantar.com/99-out-of-101-convicted-under-sc-st-act-granted-bail-simultaneously</guid>
                    <description>
                        <![CDATA[ હાઈકોર્ટે કહ્યું કે મામલો દસ વર્ષ જૂનો છે અને આરોપીઓએ એવું કોઈ કાર્ય નથી કર્યું જેનાથી ફરિયાદીઓને કોઈ તકલીફ થાય. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કર્ણાટક હાઈકોર્ટે SC-ST એક્ટ હેઠળ દોષિત ઠેરવવામાં આવેલા 101 લોકોમાંથી 99 લોકોને એક સાથે જામીન આપ્યા છે. માત્ર એક મહિના પહેલા જ રાજ્યના મારાકુંબી ગામમાં દલિતો વિરુદ્ધ હિંસા અને ઉત્પીડનના કેસમાં 101 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હવે કોર્ટે તેમને આ આધાર પર રાહત આપી છે કે આ કેસ 10 વર્ષ જૂનો છે, પરંતુ આ દોષિત લોકોએ એવું કંઈ કર્યું નથી જેનાથી કેસને અસર થાય. આવી સ્થિતિમાં તેના જેલમાંથી બહાર આવવાથી કેસ પર કોઈ ખાસ અસર નહીં પડે. જેના આધારે કોર્ટે આ લોકોને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાઈકોર્ટની ધારવાડ બેંચના જસ્ટિસ એસ. હરીશ કુમાર અને જસ્ટિસ ટીજી શિવશંકર ગૌડાએ આ લોકોની સજાને સ્થગિત કરી અને તેમને જામીન આપ્યા હતા. બેંચે કહ્યું કે આ કેસમાં નીચલી કોર્ટે 10 વર્ષમાં ચુકાદો આપ્યો અને આ દરમિયાન આ તમામ લોકો જામીન પર હતા. પરંતુ તેમના દ્વારા એવું કોઈ કૃત્ય કરવામાં નથી આવ્યું જેનાથી પીડિત પરિવારોને કોઈ મુશ્કેલી પડે અથવા કેસને અસર થાય. આવી સ્થિતિમાં તેમને જામીન મળી શકે છે કારણ કે જો તેઓ બહાર રહે તો કોઈ નુકસાન થવાની શક્યતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસસી-એસટી એક્ટ હેઠળ દોષિત ઠેરવવામાં આવેલા આ લોકોના વકીલે કહ્યું કે આ કેસ 10 વર્ષ જૂનો છે. હવે પીડિતો અને આ લોકો આ ઘટનાને ભૂલી ગયા છે. હાલમાં ગામમાં બંને પક્ષોના પરિવારો અને સમાજના લોકો શાંતિથી રહે છે. ખંડપીઠે પણ આ અંગે સહમતિ દર્શાવી હતી. આ દલીલો અને હકીકતોના આધારે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. બેન્ચે કહ્યું, 'તમામ આરોપીઓ ટ્રાયલ દરમિયાન જામીન પર હતા. આ લોકોએ જામીનનો દુરુપયોગ કર્યો હોવાના કોઈ પુરાવા નથી. પીડિતોને થયેલી ઇજાઓ સામાન્ય છે. તેમના બળી ગયેલા ઘરોની તસવીરો પણ સામે આવી છે. અમારું માનવું છે કે નીચલી અદાલતના નિર્ણય પર વિચાર કરવાની જરૂર છે અને ત્યાં સુધી સજાને સ્થગિત કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના 28 ઓગસ્ટ, 2014 ના રોજ બની હતી, જ્યારે મારકુંબી ગામમાં કેટલાક દલિતોને સલૂન અને હોટલોમાં પ્રવેશવાની ના પાડી હતી. આ ગામ કોપ્પલ જિલ્લાના ગંગાવટી તાલુકામાં આવે છે. તે જ દિવસે હિંસા ફાટી નીકળી હતી. આરોપ છે કે કહેવાતા ઉચ્ચ જાતિના લોકોએ દલિતો પર ઈંટો, પથ્થરો અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. એ દરમિયાન મહિલાઓ અને બાળકો સહિત દલિતોને મોટા પાયે માર મારવામાં આવ્યો હતો. વૃદ્ધોને પણ માર મારવામાં આવ્યો અને તેમના ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ કેસમાં 25 ઓક્ટોબરે કોપ્પલ જિલ્લા કોર્ટે 101 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને તેમાંથી 98ને આજીવન કેદની સજા સંભળાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/in-one-atrocity-case-98-out-of-101-accused-received-life-imprisonment">એટ્રોસિટીના એક કેસમાં 101 આરોપીમાંથી 98ને આજીવન કેદની સજા થઈ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 14 Nov 2024 22:15:15 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1550</Articleid>
                    <excerpt>હાઈકોર્ટે કહ્યું કે મામલો દસ વર્ષ જૂનો છે અને આરોપીઓએ એવું કોઈ કાર્ય નથી કર્યું જેનાથી ફરિયાદીઓને કોઈ તકલીફ થાય.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6736283612dc7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67362835d44f8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67362835d44f8.jpg" length="90676" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Atrocity Case, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>લીલી પરિક્રમામાં ઉમટતી ભીડ તીવ્ર બેરોજગારી&amp;બેકારીનો સંકેત છે?</title>
                    <link>https://khabarantar.com/is-the-crowd-gathering-in-the-green-circle-a-sign-of-severe-unemployment</link>
                    <guid>https://khabarantar.com/is-the-crowd-gathering-in-the-green-circle-a-sign-of-severe-unemployment</guid>
                    <description>
                        <![CDATA[ ગિરનારની લીલી પરિક્રમમાં બહુજન યુવાનોની વધતી જતી ભીડ તેમનામાં પ્રવેશી ચૂકેલી ભારે હતાશા, બેકારી અને બેરોજગારીનો સંકેત છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનાગઢના ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમામાં દર વર્ષે ભીડમાં વધારો થઈ રહ્યો છે તે શેનો સંકેત આપે છે? અત્યાત સુધીમાં 9 ના મોત થયા છે અને  ૬ બાળકો સહિત ૪૩ લોકો ગુમ થયા છે તેની કોઈ ચર્ચા નથી કરતું અને આસ્થાનો ઢોળ ચડાવે જાય છે. પરિક્રમમાં બહુજન યુવાનોની વધતી જતી સંખ્યા પણ એક મોટી ચિંતાનો વિષય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં ધાર્મિક મેળાવડાઓ, ઉત્સવોમાં દર વર્ષે કોઈને કોઈ અકસ્માતો, દુર્ઘટનાઓ, ભાગદોડમાં અનેક લોકો મોતને ભેટતા હોય છે. મોંઘવારી, બેરોજગારીના કારણે તણાવમાં રહેતા લોકોને વ્યસ્ત રાખવામાં મોટો ફાળો આપતા આવા મેળાવડાઓ સત્તાધારીઓ માટે એક અગત્યનું ટૂલ બની ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવું જ એક ટૂલ એટલે દર વર્ષે જૂનાગઢમાં યોજાતી ગિરનારની લીલી પરિક્રમા. જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. જો કે એ પહેલા સાત લાખ લોકો પરિક્રમાના રુટ પર પ્રવેશ કર્યો છે. હાલમાં પરિક્રમાના રૂટ પર ૪ લાખ યાત્રાળુઓ છે અને ૩ લાખ જેટલા યાત્રાળુઓ નળ પાણીની ઘોડી વટાવી ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બધી ચર્ચાઓ વચ્ચે લીલી પરિક્રમામાં અત્યાર સુધી ૯ લોકોના મોત થયા છે તેના પર ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું છે. આ સિવાય બે દિવસમાં ૬ બાળકો સહિત ૪૩ લોકો ગુમ થયા છે. લીલી પરિક્રમાની શરૂઆત પહેલા જ ૨ શ્રદ્ધાળુઓના હાર્ટ એટેકથી મોત થયા હતા. મૃતકનું નામ પરસોત્તમભાઈ છે, જ્યારે અન્ય એક રાજકોટના મહેશ રૂડાભાઈનું પણ એટેકથી મોત થયુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લીલી પરિક્રમામાં વીસ લાખ લોકોના આવવાના અંદાજને ધ્યાને લઇ એસ પી દ્વારા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. શહેરના ૪૨૭ કેમેરાઓ થી સતત નજર રાખવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગિરનાર પરિક્રમા માટે કુલ ૨૪૨૭ પોલીસ કર્મી ફરજ બજાવી રહ્યાં છે. આ ઉપરાંત બોડીવોર્ન કેમેરા ૨૧૦, રસા ૧૯, અગ્નિશામક ૪૯, વાયરલેસ સેટ ૪૦, રાવટી ૪૭ ,વોકીટોકી ૧૯૫ જેવા આધુનિક સાધનો સાથે પોલીસ કર્મી ફરજ પર રહેશે. ચોરી, લૂંટફાટ જેવી ઘટના કે આકસ્મિક ઘટનાઓ પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આશ્ચર્યની વાત એ છે કે, દર વર્ષે અનેક લોકો આ રીતે ગુમ થઈ જાય છે કે મોતને ભેટે છે, તેમ છતાં લીલી પરિક્રમામાં લોકોનો ધસારો જરાય ઓછો નથી થતો. જે સેંકડો લોકો આ પરિક્રમમાં ઉમટી પડે છે તેમાં બહમતી દલિત, આદિવાસી કે ઓબીસી સમાજના હોય છે. કથિત ઉચ્ચ જાતિના બહુ ઓછા લોકો આમાં નજરે પડતા હોય છે. જે રીતે લાખો લોકો આ પરિક્રમમાં ઉમટી પડે છે તે બેરોજગારી અને બેકારીનો પણ સંકેત આપતા હોય છે. તમને શું લાગે છે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/The-Controversy-of-the-Steps-Above-the-Fifth-Step-of-Mount-Girnar:-A-Perspective-on-the-Historical-Evidence"> Exclusive - ગિરનાર પર્વતની પાંચમી ટૂંક ઉપર આવેલા પગલાંનો વિવાદ: ઐતિહાસિક પુરાવા પર એક દ્રષ્ટિપાત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 14 Nov 2024 10:22:02 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1545</Articleid>
                    <excerpt>ગિરનારની લીલી પરિક્રમમાં બહુજન યુવાનોની વધતી જતી ભીડ તેમનામાં પ્રવેશી ચૂકેલી ભારે હતાશા, બેકારી અને બેરોજગારીનો સંકેત છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673581e8bcd4e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673581e88ab7b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673581e88ab7b.jpg" length="156149" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Girnarlili Parikrama, Lili Parikrama 2024, Girnar, Unemployment</media:keywords>
                </item>
                        <item>
                    <title>રેલવે તંત્ર અમને ગાંઠતું નથી, ભાજપના સાંસદે બળાપો ઠાલવ્યો</title>
                    <link>https://khabarantar.com/the-railway-system-does-not-bother-us-bjp-mp-laments</link>
                    <guid>https://khabarantar.com/the-railway-system-does-not-bother-us-bjp-mp-laments</guid>
                    <description>
                        <![CDATA[ રાજકોટમાં રેલવેના જાહેર કાર્યક્રમમાં સાંસદે બળાપો ઠાલવતા કહ્યું, બે વર્ષ અગાઉ જાહેર કરાયેલી 6 ટ્રેન હજુ સુધી શરૂ કરાઇ નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રેલવે તંત્ર ભાજપના નેતાઓને ગાંઠતું નથી, બે વર્ષ અગાઉ જાહેર કરાયેલી છ નવી ટ્રેનોને હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. આ માટે અનેક વખત રજૂઆતો કરી છે, તેમ છતાં રેલવે તંત્ર દ્વારા તેની નોંધ લેવામાં આવતી ન હોવાનો બળાપો ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ રાજકોટ ખાતે રેલવેના જાહેર કાર્યક્રમમાં વ્યક્ત કર્યો હતો.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બિહાર ખાતેથી રાજકોટ રેલવે સ્ટેશન સહિતના ભારતનાં 18 સ્થળોએ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવાના કાર્યક્રમો યોજાયા હતા. જેના અંતર્ગત રાજકોટ રેલવે સ્ટેશન ખાતે રૂ. ૧૦.૨૩ લાખના ખર્ચે નિર્માણ થયેલ જન ઔષધિ કેન્દ્રનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું હતું. જેના કારણે મુસાફરો અને મુલાકાતીઓને 50 થી 90 ટકા સુધી ઓછી કિંમતમાં સસ્તી દવાઓ ઉપલબ્ધ થશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટ ખાતે યોજાયેલા લોકાર્પણ સમારોહમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ રેલવે તંત્ર દ્વારા બે વર્ષ અગાઉ જાહેરાત કરાયેલી છ નવી ટ્રેનો શરૂ કરવામાં આવતી ન હોવા અંગે પોતાનો બળાપો જાહેરમાં ઠાલવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું હતું કે, રાજકોટને જરૂરિયાત મુજબની ટ્રેનો દોડાવવામાં આવે તે જરૂરી છે. પરંતુ રેલવે તંત્રને તેની કોઈ ગંભીરતા નથી. બે વર્ષ અગાઉ તત્કાલિન કેન્દ્રિય રેલ મંત્રી દર્શના જરદોશની ઉપસ્થિતિમાં રાજકોટથી નવી છ ટ્રેનો દોડાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ ટ્રેનોને હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. આ મામલે મે અનેક વખત રાજકોટ ડીઆરએમ સહિત કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિતના તમામને રજૂઆતો કરી છે. પરંતુ રેલવે તંત્ર દ્વારા હજુ સુધી આ છ ટ્રેનોને શરૂ કરવા માટે ગંભીરતાપૂર્વક નોંધ લેતું નથી તેવું લાગી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/railways-has-given-100-vande-bharat-trains-rs-canceled-orders-worth-30-thousand-crores">રેલવેએ 100 વંદે ભારત ટ્રેનોનો રૂ. 30 હજાર કરોડનો ઓર્ડર રદ કર્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 13 Nov 2024 21:09:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1543</Articleid>
                    <excerpt>રાજકોટમાં રેલવેના જાહેર કાર્યક્રમમાં સાંસદે બળાપો ઠાલવતા કહ્યું, બે વર્ષ અગાઉ જાહેર કરાયેલી 6 ટ્રેન હજુ સુધી શરૂ કરાઇ નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6734c809741dd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6734c80945515.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6734c80945515.jpg" length="82706" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BJP leader, Rajya abha MP Ram Mokaria</media:keywords>
                </item>
                        <item>
                    <title>વટની બેઠક ગણાતી વાવની પેટાચૂંટણીમાં ૭૦ ટકા જેટલું મતદાન થયું</title>
                    <link>https://khabarantar.com/around-70-percent-voting-was-recorded-in-the-by-election-in-vav</link>
                    <guid>https://khabarantar.com/around-70-percent-voting-was-recorded-in-the-by-election-in-vav</guid>
                    <description>
                        <![CDATA[ ઠાકોર, રાજપૂત અને ચૌધરી વચ્ચેના જંગમાં મતદારોએ જંગી મતદાન કર્યું. મતદાન દરમિયાન ૧ બેલેટ યુનિટ, ૧ કંટ્રોલ યુનિટ અને ૩ વીવીપીએટી બદલ્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યની બહુચર્ચિત એવી વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આજે યોજાઇ હતી. જેમાં ઠાકોર, રાજપૂત અને ચૌધરી વચ્ચેના જંગમાં મતદારોએ જંગી મતદાન કર્યું હતું. સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ ૬૭.૧૩ ટકા મતદાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જો કે, સાંજે છ વાગ્યા સુધીમાં ૭૦ ટકાની આસપાસ મતદાન થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. મતદાન દરમિયાન ૧ બેલેટ યુનિટ, ૧ કંટ્રોલ યુનિટ અને ૩ વીવીપીએટી બદલવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભાની ચૂંટણીમાં ભાજપના ક્લીન સ્વીપની હેટ્રીકના સ્વપ્નને બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને વાવના તત્કાલિન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ચકનાચૂર કર્યું હતું. બનાસકાંઠા લોકસભા બેઠક જીત્યા બાદ ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. જેના કારણે ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત આજે મતદાનની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. આ પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને ભાજપના બંડખોર નેતા માવજી પટેલ (ચૌધરી)એ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેના કારણે આ પેટા ચૂંટણી ભારે રસાકસીભરી બની રહેશે તેવું જણાય રહ્યું છે. ત્યારે આજે ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસનાં ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલનું ભાવિ આજે ઇવીએમ મશીનમાં કેદ થઈ ગયું છે. આ ત્રણ ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ બની રહે તેવી સંભાવના છે. પરંતુ વટની બેઠકના કોણ ધારાસભ્ય બનશે તે આગામી તા. 23મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાયા બાદ જ જાણવા મળી શકશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વટની બેઠક ગણાતી એવી વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી માટે આજે તા.૧૩ નવેમ્બરના રોજ મતદાન હાથ ધરાયું હતું. આ વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભરાયેલા કુલ ૨૧ ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ કુલ ૧૦ ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણી જંગમાં કુલ ૩.૧૦ લાખથી વધુ મતદારોમાંથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૬૭.૧૩ ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અત્રે ઉલ્લેખનીય છે કે, વાવ વિધાનસભા બેઠકના તમામ ૩૨૧ જેટલા મતદાન મથકો ખાતેથી વૅબ કાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. મતદાન દરમિયાન સાંજના પાંચ વાગ્યા સુધીમાં ૧ બેલેટ યુનિટ (બીયુ), ૧ કંટ્રોલ યુનિટ (સીયુ) અને ૩ વીવીપીએટી બદલવામાં આવ્યા હતા. જે પણ મતદાન મથકે બીયુ, સીયુ અથવા વીવીપીએટી બદલવાની જરૂર પડી તે કિસ્સામાં સૅક્ટર ઑફિસર પાસેના રિઝર્વ મશીનમાંથી બીયુ, સીયુ અથવા વીવીપીએટી બદલવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/by-election-declared-for-banaskanthas-vav-assembly-seat"><span style="font-size: 14pt;">બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી જાહેર</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 13 Nov 2024 20:30:15 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1542</Articleid>
                    <excerpt>ઠાકોર, રાજપૂત અને ચૌધરી વચ્ચેના જંગમાં મતદારોએ જંગી મતદાન કર્યું. મતદાન દરમિયાન ૧ બેલેટ યુનિટ, ૧ કંટ્રોલ યુનિટ અને ૩ વીવીપીએટી બદલ્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6734be257263f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6734be25348a5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6734be25348a5.jpg" length="80465" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Vav Assembly Constituency, By-election</media:keywords>
                </item>
                        <item>
                    <title>શું RSS અગ્નિવીર યોજના દ્વારા નાગરિકોનું લશ્કરીકરણ કરવા માંગે છે?</title>
                    <link>https://khabarantar.com/does-rss-want-to-militarize-citizens-through-agniveer-yojna</link>
                    <guid>https://khabarantar.com/does-rss-want-to-militarize-citizens-through-agniveer-yojna</guid>
                    <description>
                        <![CDATA[ RSS ના મુખપત્ર ઓર્ગેનાઇઝરના સંપાદક પ્રફુલ્લ કેતકરે તાજેતરમાં જણાવ્યું હતું કે અગ્નિપથ યોજના નાગરિકોને સેના માટે તૈયાર કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગ્નિવીર યોજના થકી સેનામાં ચાર વર્ષના કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાની યોજનાએ ઘણા વિવાદોને જન્મ આપ્યો છે. જેના કારણે લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને કેટલીક બેઠકો ગુમાવવી પડી હતી. તેમ છતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) આ યોજનાને સમર્થન આપી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં, એક સંસ્થા દ્વારા આયોજિત પ્રવચનમાં, RSS સાથે જોડાયેલા મેગેઝિન 'ઓર્ગેનાઇઝર'ના એડિટર પ્રફુલ્લ કેતકરને પૂછવામાં આવ્યું હતું કે શું ભારતમાં પણ નાગરિકોએ ઇઝરાયેલ જેવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેના જવાબમાં તેમણે કહ્યું કે આ હેતુ માટે અગ્નિપથ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ લોકોને સેના માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રફુલ્લ કેતકરનું નિવેદન અગ્નિપથ યોજના માટે રજૂ કરવામાં આવેલી સરકારી દલીલોથી સંપૂર્ણપણે અલગ એક નવી વાત સામે લાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગ્નિપથ યોજનાની તરફેણમાં એક વાત કહેવામાં આવી છે કે તે સેનાને વધુ યુવા બનાવશે અને સરકાર માટે નાણાં બચાવશે. આ યોજના હેઠળ, સરકાર માટે તેના નિયમિત દળમાંથી એક ભાગને છુટો કરી શકશે અને એ રીતે તે પેન્શન અને અન્ય લાભો હેઠળ આપવામાં આવતી રકમને બચાવી શકશે. સરકાર માટે આ નફાકારક સ્થિતિ હશે કારણ કે દર વર્ષે સંરક્ષણ બાબતો માટેના 5 લાખ કરોડ રૂપિયાના બજેટમાંથી તેને આ કામ હેઠળ 2.6 લાખ કરોડ રૂપિયા ચૂકવવા પડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તો પછી કેતકર શા માટે કહી રહ્યા છે કે આંતરિક કટોકટી વખતે ઈઝરાયેલની જેમ લશ્કરી તાલીમ મેળવનાર અગ્નિવીરોની મદદ લેવામાં આવશે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચોક્કસપણે આ એક વિવાદાસ્પદ સમજ છે. ઇઝરાયેલ તેના પોતાના પેલેસ્ટિનિયન નાગરિકોને બીજા વર્ગના નાગરિકો જેવો વ્યવહાર કરે છે. આંતરરાષ્ટ્રીય કોર્ટમાં તેના પર 'નરસંહાર જેવો કેસ વર્તાવવાનો' આરોપ લાગ્યો છે, પરંતુ સંઘના વરિષ્ઠ સ્વયંસેવકો તેમની પ્રશંસા કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, વિશ્લેષકો અગાઉ અગ્નિપથ યોજનાને લઈને આવી વાતો કહી ચૂક્યા છે કે તે કેવી રીતે ભારતીય સમાજનું લશ્કરીકરણ કરવાનો પ્રયાસ કરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ એકવાર આ યોજના પર કહ્યું હતું કે તે ભારતીય સેનાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિયંત્રણમાં લાવવાની યોજના છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/sikh-leader-demands-ban-on-rss-network-in-canada"><span style="font-size: 14pt;">શીખ નેતાએ કેનેડામાં RSS ના નેટવર્ક પર પ્રતિબંધની માંગ કરી</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રફુલ્લ કેતકરે જે ખુલાસો કર્યો છે તે પુષ્ટિ કરે છે કે ઘણા નિવૃત્ત લશ્કરી અધિકારીઓએ આ યોજના પર પ્રશ્નો ઉઠાવ્યા હોવા છતાં, આ યોજનાને ચાલુ રાખવામાં સરકારનું જિદ્દી વલણ એમ જ નથી ઉભું થયું. આની પાછળ હિંદુત્વ વર્ચસ્વવાદી વિચારધારાથી ચાલતી વર્તમાન સરકારનો વ્યાપક એજન્ડા કામ કરી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંઘ તેની શરૂઆતથી જ લોકોને હથિયારબંધ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે જેથી કરીને 'ધર્મદ્રોહિયો' વિરુદ્ધ અસરકારક રીતે તેમનો ઉપયોગ કરી શકાય. ત્રીસના દાયકાથી જ 'હિંદુઓના લશ્કરીકરણ'ની વાતો કરવામાં આવી હતી. હેડગેવાર, બાબારાવ સાવરકર વગેરે સાથે મળીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરનાર હિંદુ મહાસભાના તેમના વરિષ્ઠ સાથીદાર/માર્ગદર્શક બી.એસ. મુંજે તેમની ઇટાલીની મુલાકાત દરમિયાન મુસોલિનીને મળ્યા હતા અને પરત ફર્યા પછી ભોંસલા સૈનિક શાળાની સ્થાપના કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ દળો સક્રિય હતા ત્યારે હિંદુ મહાસભાએ બ્રિટિશ સેનામાં હિંદુ યુવાનોની ભરતી કરવા માટે નિયમિત અભિયાન ચલાવ્યું હતું. અભિયાનનું સૂત્ર 'સેનાનું હિંદુકરણ અને રાષ્ટ્રનું લશ્કરીકરણ' હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નરેન્દ્ર મોદીના કાર્યકાળના છેલ્લા દાયકા દરમિયાન, સમાજનું લશ્કરીકરણ કરવાના ઇરાદાઓ વિશે વારંવાર વાતો કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંઘના સુપ્રીમો મોહન ભાગવતે 2018 માં બિહારના મુઝફ્ફરપુરમાં તેમની બેઠકમાં જાહેરાત કરી હતી કે તેમના સ્વયંસેવકો પાસે માત્ર ત્રણ દિવસમાં સેનાનું ગઠન કરી શકે છે, જેને સરહદો પર તૈનાત કરી શકાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્ર સરકારે એ પણ નિર્ણય લીધો હતો કે તે 67 ટકા સૈનિક શાળાઓ સંઘ પરિવાર અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ અને ભાજપના નેતાઓને હવાલે કરી દેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શસ્ત્રોની તાલીમથી સજ્જ બેરોજગાર લોકોની આ ભીડ હિંદુત્વના પ્રસાર માટે એક સરળ માધ્યમ બનશે અને ભારતના ઘડતર માટે એક મોટો પડકાર રજૂ કરશે અને પ્રજાસત્તાકના ભવિષ્ય માટે ચિંતાજનક રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે સમાજમાં ભારે સૈન્યીકરણ થયું છે, ત્યાં વિવાદની સ્થિતિમાં બહુમતીવાદી દળો લઘુમતી સમાજોને પાયમાલ કરી શકે છે. એવામાં તેની આસાનીથી કલ્પના કરી શકાય છે કે, અગ્નિવીરની સેવા પૂરી કરીને હથિયારોની તાલીમ પામેલા યુવાનો જ્યારે સમાજમાં પરત ફરશે ત્યારે તેની કેવી વિપરિત અસર સમાજ પર પડી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><em><strong><span style="font-size: 14pt;">(મૂળ લેખ ડાબેરી કાર્યકર, લેખક અને અનુવાદક સુભાષ ગાતાડે દ્વારા ધ વાયરમાં લખવામાં આવ્યો હતો, અહીં તેનો અનુવાદ પ્રસ્તુત છે.)</span></strong></em></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/rss-will-hold-a-two-day-manthan-in-mathura-to-indulge-dalits">દલિતોને રીઝવવા RSS મથુરામાં બે દિવસ મંથન કરશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 13 Nov 2024 16:44:48 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1541</Articleid>
                    <excerpt>RSS ના મુખપત્ર ઓર્ગેનાઇઝરના સંપાદક પ્રફુલ્લ કેતકરે તાજેતરમાં જણાવ્યું હતું કે અગ્નિપથ યોજના નાગરિકોને સેના માટે તૈયાર કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67348960e6cda.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67348960b0ca1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67348960b0ca1.jpg" length="86529" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>RSS, Agniveer Scheme, Militarization, Agniveer Yojana</media:keywords>
                </item>
                        <item>
                    <title>કોઈ એક કેસના આરોપીનું ઘર તોડીને તેના પરિવારને સજા કેમ અપાય છે?</title>
                    <link>https://khabarantar.com/supreme-court-bans-bulldozer-action-and-issues-guidelines-for-it</link>
                    <guid>https://khabarantar.com/supreme-court-bans-bulldozer-action-and-issues-guidelines-for-it</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપસાશિત રાજ્યોમાં લઘુમતી સમાજના લોકોના ઘરો પર થતી બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકીને કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. વાંચો કોર્ટે શું શું કહ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં બુલડોઝરની કાર્યવાહીને લઈને મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું કે કોઈપણ પરિવાર માટે પોતાનું ઘર એક સપનું હોય છે અને તે વર્ષોની મહેનત પછી બને છે. તેથી, કોઈનું ઘર ફક્ત એટલા માટે તોડી શકાય નહીં કે તે કોઈ કેસમાં આરોપી અથવા દોષિત છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેન્ચે કહ્યું કે વહીવટીતંત્ર ન્યાયાધીશ ન બની શકે અને કોઈની મિલકત માત્ર એટલા માટે તોડી ન શકાય કારણ કે સંબંધિત વ્યક્તિ આરોપી અથવા દોષિત છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેંચે કહ્યું કે બદલો લેવા માટે બુલડોઝરની કાર્યવાહી કરી શકાય નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે કહ્યું કે ઘર એ મૂળભૂત અધિકાર છે અને નિયમોનું પાલન કર્યા વિના તેને છીનવી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે મનસ્વી કાર્યવાહીને બદલે નિયમોનું પાલન કરવું જોઈએ. સરકારમાં જનતાનો વિશ્વાસ તેના પર નિર્ભર કરે છે કે તે લોકો પ્રત્યે કેટલી જવાબદાર છે અને તે તેમના અધિકારોનું કેટલું રક્ષણ કરે છે. તેમની મિલકતો પણ સુરક્ષિત હોવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે કહ્યું કે વહીવટીતંત્ર ન્યાયાધીશ ન બની શકે અને કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વિના બુલડોઝરની કાર્યવાહી જેવી બાબતો થઈ શકે નહીં. એટલું જ નહીં, બંધારણની કલમ 142નો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહીને લઈને સમગ્ર દેશ માટે માર્ગદર્શિકા નક્કી કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બુલડોઝર એક્શન પર કોર્ટે શું માર્ગદર્શિકા નક્કી કરી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે કહ્યું કે, લેખિત સૂચના આપ્યા વિના કોઈની મિલકત તોડી ન શકાય. આ નોટિસ ઓછામાં ઓછા 15 દિવસ પહેલા મળવી જોઈએ. આ રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવું જોઈએ અને સંબંધિત બિલ્ડિંગ પર પણ ચોંટાડવું જોઈએ. સાથે જ એ પણ જણાવવું જોઈએ કે શા માટે ઈમારત તોડી પાડવામાં આવી રહી છે. આ જ નોટિસમાં એ પણ જણાવવાનું રહેશે કે આ કાર્યવાહીને રોકવા માટે શું કરી શકાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/supreme-court-refuses-to-ban-bulldozer-operation-in-somnath">સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી પ્રતિબંધ મૂકવા સુપ્રીમનો ઈનકાર</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોઈપણ મિલકત પર બુલડોઝર દ્વારા કાર્યવાહી કરતા પહેલા તેના માલિકને વ્યક્તિગત સુનાવણીની તક આપવી પડશે. આ સિવાય અધિકારીઓએ આદેશ અંગે મૌખિક માહિતી આપવાની રહેશે. બુલડોઝર કાર્યવાહીની વિડિયોગ્રાફી પણ કરવામાં આવશે જેથી કોર્ટની માર્ગદર્શિકાનું પાલન થયું કે નહીં તે અંગે પુરાવા મળી શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે કહ્યું કે ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટે એ જોવાનું રહેશે કે બુલડોઝર કાર્યવાહીના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં. તેમણે નક્કી કરવાનું રહેશે કે જે ઈમારતો ગેરકાયદે છે તેને જ તોડી પાડવામાં આવે અને તેમાં પણ નિયમોનું પાલન કરવામાં આવે. નિયમોનું પાલન કર્યા વિના મકાનો કે બિલ્ડીંગ તોડી પાડનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી પણ થઈ શકે છે. આ સિવાય દંડ પણ થઈ શકે છે. એટલું જ નહીં, મિલકતને તોડી પાડવાને કારણે થયેલા નુકસાનની ભરપાઈ પણ સત્તાવાળાઓ પાસેથી થઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે કાયદા હેઠળ તમામ નાગરિકો સાથે સમાન વ્યવહાર થવો જોઈએ. કોઈનું ઘર તોડવું એ તેના મૂળભૂત અધિકારની વિરુદ્ધ છે. કોર્ટમાં કેટલાક રિપોર્ટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે કોઈનું ઘર કોઈ ગુના માટે તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ તે જ ગુનો કરવા બદલ અન્ય સમાજની વ્યક્તિ સામે આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે કહ્યું કે જો કોઈ ગેરકાયદે બાંધકામ તોડવું હોય તો તેમાં કોઈ પક્ષપાત ન કરવો જોઈએ અને આરોપી કે તેના સમાજના બેકગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને કાર્યવાહી ન કરવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ ગવઈએ કહ્યું કે, એ નક્કી કરવું જોઈએ કે કોઈપણ આરોપીના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન ન થાય. વહીવટીતંત્ર કોઈપણ વ્યક્તિને દોષિત ઠેરવી શકે નહીં અને તેના આધારે મકાન તોડી શકાય નહીં. આવી ઘટનાઓ સીધી કાયદાની ભાવના પર પ્રહાર કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/the-case-of-bulldozer-justice-reached-the-supreme-court-hearing-on-september-2">'બુલડોઝર ન્યાય'નો મામલો સુપ્રીમમાં પહોંચ્યો, ૨ સપ્ટેમ્બરે સુનાવણી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 13 Nov 2024 13:54:18 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1540</Articleid>
                    <excerpt>ભાજપસાશિત રાજ્યોમાં લઘુમતી સમાજના લોકોના ઘરો પર થતી બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકીને કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. વાંચો કોર્ટે શું શું કહ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6734606a0470c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67346069c5ef3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67346069c5ef3.jpg" length="117237" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>bulldozer action, supreme court, Guidelines</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગોંડલના ભોજપરામાં આધેડે શિવલિંગ સામે ગળું કાપી કમળપૂજા કરી?</title>
                    <link>https://khabarantar.com/in-bhojpara-gondal-a-middle-aged-man-cut-his-throat-in-front-of-a-shivling-and-performed-kamal-puja</link>
                    <guid>https://khabarantar.com/in-bhojpara-gondal-a-middle-aged-man-cut-his-throat-in-front-of-a-shivling-and-performed-kamal-puja</guid>
                    <description>
                        <![CDATA[ ગોંડલનાં ભોજપરા ગામે આવેલા શિવમંદિરની ઘટના. આધેડે શિવલિંગ સામે બેસી પોતાનું જ ગળું કાપી કમળપૂજા કરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">man cut his throat in front of a shivling and performed kamal puja : રાજકોટ (Rajkot) ના ગોંડલ (Gondal) ના ભોજપુરા ગામે (Bhojpura Village) અંધશ્રદ્ધા (Superstition) નો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક આધેડે ચંદ્રમૌલેશ્વર મહાદેવ (Chandramauleshwar Mahadev) મંદિરે ગળું કાપી કમળ પૂજા કરવાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયાં તેણે આજે સવારે પોતાનું ગળુ કાપી જાતબલી ચડાવવાનો પ્રયાસ કર્યાનું બહાર આવ્યું છે. આ બાબતે ગોંડલ પોલીસે રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચીને આધેડના પરિવારના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બનાવની મળતી માહિતી મુજબ ગોંડલ-જેતપુર રોડ પર આવેલ આશોપાલવ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.47) નામના આધેડ ગઈકાલે સવારે પોતાના ઘરેથી નીકળી ભોજપરા ગામે આવેલ નૂતન સ્કૂલ પાસેના ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. ત્યાં પુજા કર્યા બાદ આજુબાજુમાં કોઇ નહીં દેખાતા પોતાની પાસે રહેલી ધારદાર છરી વડે પોતાનું ગળું કાપી બલી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ દરમિયાન એક દર્શાનાર્થી મંદિરમાં પહોંચ્યો હતો અને તેણે ધર્મેન્દ્રસિંહને લોહીલુહાણ હાલતમાં શિવલિંગ પાસે પડેલો જોઈ આજુબાજુના લોકોને જાણ કરી હતી. એ પછી તેને પહેલા ગોંડલ અને બાદમાં એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આધેડની ઇમરજન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આધેડ મુંબઈમાં કોન્ટ્રાક્ટર સાથે કામ કરે છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, આધેડ વયનો ધર્મેન્દ્રસિંહ ઝાલા મુંબઇમાં કોન્ટ્રાકટર સાથે કામ કરે છે અને શિવજીના મોટા ભક્ત છે. તેમને સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. તેઓ બે મહીનાથી </span><span style="font-size: 14pt;">ગોંડલ તેમના ઘરે આવ્યા હતા. પોતે બે ભાઇમાં મોટા હોવાનું જાણવા મળી રહ્યું છે. </span><span style="font-size: 14pt;">ધર્મેન્દ્રસિંહને સારવાર માટે લઇને આવેલા તેમના નાના ભાઇ ક્રિપાલસિંહે જણાવ્યું હતું કે, ધર્મેન્દ્રસિંહ આજે સવારે મંદિરે જાવ છું તેમ કહી નિકળ્યા બાદ તેઓ મંદિરેથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. તેમણે કમળપૂજા કરવાનો પ્રયાસ કર્યો હોવાનો હાલ સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/brahmin-grandson-killed-his-grandmother-with-a-trident-and-offered-the-blood-to-the-shivalinga">બ્રાહ્મણ પૌત્રએ ત્રિશૂળથી દાદીની હત્યા કરી લોહી શિવલિંગને ચઢાવ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 13 Nov 2024 09:47:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1538</Articleid>
                    <excerpt>ગોંડલનાં ભોજપરા ગામે આવેલા શિવમંદિરની ઘટના. આધેડે શિવલિંગ સામે બેસી પોતાનું જ ગળું કાપી કમળપૂજા કરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673426cf5f2b9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673426cf2c43e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673426cf2c43e.jpg" length="87220" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Superstition News, Bhojpara Village Gondal, કમળ પૂજા, Chandramauleshwar Mahadev</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગોધરામાં &amp;apos;પરિવેશ&amp;apos; સામયિક દ્વારા સર્જક સ્નેહમિલન યોજાયું </title>
                    <link>https://khabarantar.com/creator-meet-up-organized-by-parivesh-magazine-in-godhra-gujarat</link>
                    <guid>https://khabarantar.com/creator-meet-up-organized-by-parivesh-magazine-in-godhra-gujarat</guid>
                    <description>
                        <![CDATA[ છેલ્લાં 12 વર્ષથી ગોધરાથી પ્રગટ થતા પરિવેશ સામયિક દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ ગયો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોધરાથી પ્રગટ થતા આંતરરાષ્ટ્રીય પીયર રિવ્યુડ ત્રિમાસિક સામયિક 'પરિવેશ' દ્વારા સર્જક સ્નેહ મિલન યોજાઈ ગયું. આ સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં કવિઓ, લેખકો, તંત્રીઓ, પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6733018d7cd24.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લા 12 વર્ષથી કલા,સાહિત્ય, સમાજ અને શિક્ષણને વરેલું આંતરરાષ્ટ્રીય ત્રિમાસિક સામયિક ચાલી રહ્યું છે. આ સામયિકના ઉપક્રમે ગોધરા ખાતે સર્જક સ્નેહમિલન યોજાઈ ગયું. કાર્યક્રમમાં ઉપસ્થિત પદ્મશ્રી ડૉ. પ્રવીણ દરજીએ ઉપસ્થિત શ્રોતાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે, "કવિતા યુગપ્રવર્તક હોય છે. કવિતા કોઈની સેવા કરવા માટે કે પ્રશસ્તી માટે નહીં પણ સત્યને ઉજાગર કરવા માટે હોય છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_673301a6af80e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પ્રસંગે સર્જક વિશેષ એવા કાનજી પટેલે દેશીવાદ વિશે વક્તવ્ય આપ્યું હતું તો અમેરિકાથી આવેલા કવિ અને અનુવાદક હિમાંશુ પટેલે કવિતાનું મહત્વ સમજાવ્યું હતું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો સાહિત્ય સામાજિક સેવા બદલ દિલુ હાજી, ઉત્તમ વિચારક ડૉ. મનહર સુથાર, સામાજિક કાર્યકર રમણભાઈ રેતીવાળાનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;">કાર્યક્રમને સફળ બનાવવા  પરિવેશના તંત્રી શીતલ શૌહણ, સંપાદકો વિનુ બામણિયા, રાજેશ વણકર, સતીષ પ્રિયદર્શી અને પ્રવીણ ખાંટે જહેમત ઉઠાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/the-fifth-conference-of-gujarati-dalit-sahitya-pratishthan-was-held">ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનનું પાંચમું અધિવેશન યોજાયું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 12 Nov 2024 12:56:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1535</Articleid>
                    <excerpt>છેલ્લાં 12 વર્ષથી ગોધરાથી પ્રગટ થતા પરિવેશ સામયિક દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ ગયો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6733016764ea4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6733016718d24.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6733016718d24.jpg" length="83049" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Parivesh magazine, Godhra</media:keywords>
                </item>
                        <item>
                    <title>શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશન AMC ની ચૂંટણી લડશે, તમામ વોર્ડમાં ઉમેદવાર ઉભા રાખશે</title>
                    <link>https://khabarantar.com/scheduled-caste-federation-will-contest-amc-elections-will-field-candidates-in-all-wards</link>
                    <guid>https://khabarantar.com/scheduled-caste-federation-will-contest-amc-elections-will-field-candidates-in-all-wards</guid>
                    <description>
                        <![CDATA[ ડો.આંબેડકર સ્થાપિત Scheduled Caste Federation ને જાણીતા આંબેડકરી લેખક બાલકૃષ્ણ આનંદે પુનઃ સ્થાપિત કરી છે. હવે પાર્ટી અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની ચૂંટણી લડવા જઈ રહી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરે (Dr. Ambedkar) વર્ષ ૧૯૪૬માં Scheduled Caste Federation of India ની સ્થાપના કરી હતી, જેનું પાછળથી તેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ આ વિસર્જન કરીને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (RPI)ની સ્થાપનાની જાહેરાત કરી હતી. આ વિસર્જિત શિડયુઅલ કાસ્ટસ ફેડરેશનને ૬૮ વર્ષ બાદ ગુજરાતના જાણીતા આંબેડકરી લેખક અને આંદોલનકાર બાલકૃષ્ણ આનંદ (Balakrishna Anand) એ ગત ૧૪ એપ્રિલ ૨૦૨૪ ના રોજ પુનઃ સ્થાપન (Restoration) કર્યું છે. હવે નવા સમાચાર મુજબ પાર્ટી પોતાનું સંગઠન મજબૂત કરી રહી છે અને વર્ષ 2026માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી (AMC Elections) લડવાની તૈયારી કરી રહી છે. પાર્ટી અમદાવાદના તમામ 48 મ્યુનિસિપલ વોર્ડમાં સંગઠન બનાવીને ચાર ચારની પેનલ બનાવી કુલ 192 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉભા રાખશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તમામ 48 વોર્ડમાં પેનલ બનાવી 192 ઉમેદવારો ઉભા રાખશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશનના સંયોજક બાલકૃષ્ણ આનંદે ખબરઅંતર.કોમને જણાવ્યા પ્રમાણે, હાલ તેઓ પાર્ટીને અમદાવાદ શહેરમાં સક્રિય કરવાના પ્રયાસ કરી રહ્યા છે અને વર્ષ ૨૦૨૬માં થનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લક્ષમાં રાખી શહેરના તમામ ૪૮ મ્યુનિસિપલ વોર્ડમાં સંગઠન બનાવી ચાર-ચાર ઉમેદવારોની પેનલ બનાવી ૧૯૨ ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારશે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિધાનસભા અને લોકસભા ચૂંટણી પણ લડશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શિડયુઅલ કાસ્ટ ફેડરેશન ૩૫ વર્ષ બાદ અમદાવાદ શહેરને મુસ્લિમ મેયર અને સામાન્ય બેઠક ઉપર દલિત મેયર આપવાની દિશામાં કામ કરી રહ્યું છે. આગામી મ્યુનિસિપલ ચૂંટણી બાદ પાર્ટી સમગ્ર ગુજરાતમાં જનાધાર બનાવી આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં પણ મોટા પ્રમાણમાં ઝંપલાવશે. રાજ્યના તમામ જિલ્લા અને તાલુકાઓની શાખાઓની રચના કરવા માટે તથા અમદાવાદના તમામ ૪૮ વોર્ડમાં અત્યારથી જ પેનલો બનાવવાની હોઈ સમાજકારણ અને રાજકારણમાં રસ ધરાવતા સક્રિય કાર્યકરોએ શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશનના સંયોજક બાલકૃષ્ણ આનંદનો મોબાઈલ નંબર ૯૮૨૪૫૦૭૫૬૯ ઉપર સંપર્ક કરવા કહેવાયું છે.પ</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Dr.-Rameshchandra-Parmar:-An-Aggressive-Voice-of-Dalit-Movement-in-Gujarat">ડો. રમેશચંદ્ર પરમારઃ ગુજરાતમાં દલિત આંદોલનનો એક આક્રમક અવાજ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 12 Nov 2024 11:50:44 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1534</Articleid>
                    <excerpt>ડો.આંબેડકર સ્થાપિત Scheduled Caste Federation ને જાણીતા આંબેડકરી લેખક બાલકૃષ્ણ આનંદે પુનઃ સ્થાપિત કરી છે. હવે પાર્ટી અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની ચૂંટણી લડવા જઈ રહી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6732f3127a2bc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6732f31245e0b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6732f31245e0b.jpg" length="57302" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Scheduled Caste Federation, Dr. Ambedkar, AMC Elections</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગામના સમૂહ ભોજનમાં દલિત યુવાનને એંઠા વાસણમાં ભોજન પીરસ્યું</title>
                    <link>https://khabarantar.com/a-dalit-youth-was-served-food-in-a-dirty-vessel-during-a-group-meal-in-the-vaillage</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-youth-was-served-food-in-a-dirty-vessel-during-a-group-meal-in-the-vaillage</guid>
                    <description>
                        <![CDATA[ દલિત યુવકને એંઠા વાસણમાં ભોજન પીરસવામાં આવતા તેણે વિરોધ નોંધાવતા જાતિવાદી તત્વોએ તેને માર મારી, જાતિસૂચક ગાળો ભાંડી ભગાડી દીધો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતો સાથે ભેદભાવની વધુ એક ઘટના સામે આવી છે. મામલો જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીનો છે. અહીં ફૈઝાબાદના અઢુપુર ગામમાં યોજાયેલા સમૂહ ભોજન કાર્યક્રમમાં સ્થાનિક જાતિવાદી તત્વોએ દલિત સમાજના એક યુવકને એંઠા વાસણમાં ભોજન પીરસ્યું હતું. જેને લઈને દલિત સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દલિત યુવકે આ મામલે વિરોધ નોંધાવતા જાતિવાદી તત્વોએ તેને જાતિસૂચક ગાળો ભાંડી, મારામારી કરીને ભગાડી દીધો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની તપાસ શરૂ કરી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિવાદીઓએ એંઠી થાળીમાં ભોજન પીરસ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાની મળતી વિગતો પ્રમાણે અઢુપુરમાં રહેતા રજનીશ કથેરિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમનો પુત્ર સૌરભ 30મી ઓક્ટોબરની રાત્રે 8.30 વાગ્યે ગામના એક સમૂહ ભોજનમાં જમવા માટે ગયો હતો. એ દરમિયાન ગામના બદનસિંહ યાદવ, અવનીશ સિંહ યાદવ, જેકી યાદવ, ધીરેન્દ્ર યાદવ અને ત્રણ અજાણ્યા તેની સામે એંઠી થાળી રાખીને ભોજન પીરસ્યું હતું. જ્યારે સૌરભે આ મામલે વાંધો ઉઠાવ્યો તો આ લોકો મારામારી પર ઉતરી આવ્યા હતા અને જાતિસૂચક ગાળો ભાંડી તેને ત્યાંથી ભગાડી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિવાદીઓએ ઘરે પહોંચીને મારામારી કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી આ તમામ લોકોએ સૌરભનો પીછો કર્યો હતો અને તેના ઘર સુધી પહોંચી ગયા હતા. જ્યાં સૌરભ, તેના પિતા રજનીશ કથેરિયા સહિતના લોકોને માર માર્યો હતો અને જાતિસૂચક ગાળો ભાંડી તોફાન મચાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે આ મામલે નોંધાયેલી ફરિયાદ બાદ આરોપીઓ સામે મારામારી અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. પીઆઈ રોહિતાશ સિંહનું કહેવું છે કે ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/He-said-that-if-the-village-eats,-then-you-too-should-come-to-eat-the-way-you-have-always-come.-Now-means-forever">એમણે કહ્યું કે ગામ જમે છે તો તમે પણ ‘કાયમ આવો છો એ રીતે’ જમવા આવજો. હવે કાયમની જેમ એટલે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 12 Nov 2024 10:57:03 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 12 Nov 2024 10:57:35 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1533</Articleid>
                    <excerpt>દલિત યુવકને એંઠા વાસણમાં ભોજન પીરસવામાં આવતા તેણે વિરોધ નોંધાવતા જાતિવાદી તત્વોએ તેને માર મારી, જાતિસૂચક ગાળો ભાંડી ભગાડી દીધો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6732e674ea897.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6732e674b4981.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6732e674b4981.jpg" length="82923" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Faizabad News, Adhupur village</media:keywords>
                </item>
                        <item>
                    <title>42 કરોડના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ તોડીને નવો બનાવવા હવે 118 કરોડ ખર્ચાશે</title>
                    <link>https://khabarantar.com/it-will-now-cost-118-crores-to-demolish-the-hatkeshwar-bridge</link>
                    <guid>https://khabarantar.com/it-will-now-cost-118-crores-to-demolish-the-hatkeshwar-bridge</guid>
                    <description>
                        <![CDATA[ આ છે એએમસી અને ભાજપના ભ્રષ્ટ નેતાઓનું અસલી ચરિત્ર. બે મહિના પહેલા બ્રિજને તોડીને નવો બનાવવાનો ખર્ચ 55 કરોડ હતો, હવે ડબલ થઈ ગયો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળનો ખર્ચ દિવસેને દિવસે વધી રહ્યો છે. 42 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળનો ખર્ચ 118 કરોડ રૂપિયા થશે. હાટકેશ્વર બ્રિજને લઈને અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે ફરી એક વખત AMC પર સવાલ ઉઠાવ્યા છે. શહેજાદ ખાન પઠાણે કહ્યું કે, 'બે મહિના પહેલા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળનો ખર્ચ 55 કરોડ હતો જ્યારે હવે બે મહિના પછી જ તેનો ખર્ચ વધીને 118 કરોડ પહોંચી ગયો છે.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે સવાલ ઉઠાવતા કહ્યું કે, 'અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો હોય તો એ છે હાટકેશ્વર બ્રિજમાં થયો છે. 2017માં 42 કરોડના ખર્ચે બનાવેલા બ્રિજમાં ભ્રષ્ટાચાર થતા પાંચ વર્ષ પછી આ બ્રિજ જનતા માટે બંધ કરવામાં આવ્યો હતો. હાટકેશ્વર બ્રિજનો બે વર્ષ પછી પણ કોઈ નિકાલ આવ્યો નથી.2 મહિના પહેલા ભાજપના નેતાઓએ મોટા મોટા દાવા કર્યા હતા કે હાટકેશ્વર બ્રિજને તોડીને ફરી નવો બનાવવા પાછળ 52 કરોડનો ખર્ચ થશે અને આ </span><span style="font-size: 14pt;">તમામ ખર્ચ અગાઉના કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવામાં આવશે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6732183cb3923.jpg" alt=""></p>
<p>.<span style="font-size: 14pt;">વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે કહ્યું કે, "2 મહિના પહેલા ભાજપના નેતાઓ 52 કરોડમાં બ્રિજને તોડીને નવો બનાવવાનો દાવા કર્યા હતા અને હાલમાં બ્રિજની કોસ્ટ 118 કરોડએ પહોંચી ગઈ છે. હાલમાં અધિકારીઓ તરફથી જાણવા મળી રહ્યું છે કે હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળ 118 કરોડનો ખર્ચ થશે. બીજી તરફ અમદાવાદની જનતા ટ્રાફિકથી પરેશાન થઈ રહી છે અને તેનો કોઈ નિકાલ નથી આવી રહ્યો. હાટકેશ્વર બ્રિજ મામલે પાંચ વર્ષથી ભાજપના નેતા અમદાવાદ શહેરની જનતાને વાયદા ઉપર વાયદા આપી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળ ખર્ચ માટે જે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. તેમાં વર્ષ 2015-16ના જુના S0R મુજબ ગણતરી કરી અને ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં તોડી અને નવો બનાવવા પાછળ 54 કરોડ રૂપિયા જેટલો ખર્ચનો અંદાજ હતો. જે તે સમયે સ્ટીલ, સિમેન્ટ, રેતી સહિતનો ભાવ હતો તે ભાવ ગણતરી કરી અને મૂકવામાં આવ્યો છે. પરંતુ હવે અત્યારના સ્ટીલ સહિતની ચીજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે, જે મુજબ ખર્ચ વધી ગયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનની કંપની આ બ્રિજને તોડીને નવો બનાવવા માટે ક્વોલિફાઇ થઈ છે. કોન્ટ્રાકટર સાથે આ ખર્ચ મામલે હાલ નેગોશીએશન ચાલી રહ્યું છે. જુના ભાવ અને નવા ભાવમાં વચ્ચે તફાવત છે, જેથી ખર્ચમાં વધારો થયો છે. આ તમામ ખર્ચ જૂના કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ પાસેથી જ વસૂલ કરવામાં આવશે. કોન્ટ્રાક્ટર સાથે આ મામલે વાતચીત ચાલી રહી છે, જો કોન્ટ્રાક્ટર તરફથી નેગોએએશન નહીં સ્વીકારવામાં આવે તો ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરવી પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/ahmedabads-roads-are-deadly-with-870-deaths-in-2023">અમદાવાદના રસ્તાઓ જીવલેણ છે, ૨૦૨૩માં ૮૭૦નાં મોત થયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 11 Nov 2024 20:20:02 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 11 Nov 2024 20:42:30 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1530</Articleid>
                    <excerpt>આ છે એએમસી અને ભાજપના ભ્રષ્ટ નેતાઓનું અસલી ચરિત્ર. બે મહિના પહેલા બ્રિજને તોડીને નવો બનાવવાનો ખર્ચ 55 કરોડ હતો, હવે ડબલ થઈ ગયો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6732182f8d37a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6732182f5156e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6732182f5156e.jpg" length="94252" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ahmedabad Hatkeshwar Bridge, AMC</media:keywords>
                </item>
                        <item>
                    <title>મારી માં મને કહેતી, &amp;quot;તું તારી જાતિ વિશે કંઈ ન બોલતો..&amp;quot;</title>
                    <link>https://khabarantar.com/know-about-tamil-film-director-pa-ranjith</link>
                    <guid>https://khabarantar.com/know-about-tamil-film-director-pa-ranjith</guid>
                    <description>
                        <![CDATA[ &quot;થંગલાન&quot;, &quot;કાલા&quot;, &quot;કબાલી&quot;, &quot;સરપટ્ટા પરંબરાઈ&quot; જેવી સુપરહિટ ફિલ્મોના નિર્દેશક પા. રંજિથ પોતાની ફિલ્મો, કરિયર, ડો. આંબેડકર અને જાતિવાદ વિશે શું માને છે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પા રંજીથ (Pa Ranjith) હાલ તેમની સુપરહિટ ફિલ્મ થંગાલન(Thanglan)ની સફળતાની મજા માણી રહ્યાં છે. આ સિવાય તેઓ તેમની પહેલી બોલીવૂડ ફિલ્મ બિરસા મુંડાને લઈને પણ ચર્ચામાં છે. સૌ કોઈ તેમના કામના વખાણ કરી રહ્યું છે, તો બીજી બાજુ મનુવાદી વિચારસરણીના લોકો એક દલિત ફિલ્મમેકરની આ સફળતા જોઈ અંદરને અંદર બળબળી રહ્યાં છે. તેઓ રંજિથની ફિલ્મોને ઉતારી પાડવાની એક પણ તક છોડતા નથી. તેઓ તેમની ફિલ્મનો કોઈને કોઈ રીતે વિરોધ કરે છે, પણ તેનાથી રંજિથ કે એમની ફિલ્મને તસુભાર પણ ફરક પડતો નથી. આવું ત્યારે જ થઈ શકે જ્યારે દર્શકોને એક ફિલ્મમેકર અને તેમની સ્ટોરીટેલિંગ સ્ટાઈલ પર સંપૂર્ણ ભરોસો હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થંગાલન દ્વારા રંજિથ અનુસૂચિત જાતિ અને દલિતોના સંઘર્ષને કોઈપણ સંકોચ વગર સિનેમાના પડદા પર લાવ્યા છે. તેમણે હંમેશા દલિતોના સંઘર્ષને પોતાની ફિલ્મો દ્વારા સમાજ સમક્ષ રજૂ કર્યો છે. તેઓ પોતે દલિત સમાજમાંથી આવે છે અને વ્યવસાયિક રીતે સફળ થનાર દેશના પ્રથમ દલિત ફિલ્મ નિર્માતા છે. રંજિથ તેમની ફિલ્મો અને ડોક્યુમેન્ટ્રીમાં દલિત પાત્રોને હીરો તરીકે બતાવે છે. તેઓ પોતાની ફિલ્મોમાં મુખ્યત્વે જાતિ આધારિત દમન અને ભેદભાવને ઉજાગર કરવા પ્રયત્ન કરે છે, જેના માટે દેશમાં કાયદાઓ તો છે, તેમ છતાં તેનું યોગ્ય રીતે પાલન થતું નથી. રણજીતની આંબેડકરવાદી વિચારસરણીએ તેમને હંમેશા તેમની ફિલ્મો થકી "અસ્પૃશ્ય" ગણાતા દલિત સમાજને સશક્ત બનાવવા માટે પ્રેરણા આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મારી માં જાતિ વિશે બોલવાની ના પાડતી હતી- પા રંજિથ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વોશિંગ્ટન પોસ્ટને આપેલા એક ઈન્ટરવ્યૂમાં પા રંજિથે કહ્યું હતું કે, તેમની માં તેમને ઘણીવાર કહેતી હતી કે તે તેની જાતિ જાહેર ન કરે. પરંતુ તેમ છતાં રંજિથે એવા ક્ષેત્રમાં પગ મૂક્યો જેમાં અત્યાર સુધી બહુ ઓછા લોકો પ્રગતિ કરી શક્યા હતા. તેમણે તેમના કામ દ્વારા દલિતોને ઓળખ આપવાનું શરૂ કર્યું, માત્ર થોડા વર્ષોમાં રંજિથે એવી ફિલ્મો બનાવી છે જેમાં દલિતોને સ્પર્શતા મુદ્દાઓને મજબૂતીથી ઉઠાવવામાં આવ્યા છે. તમિલ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશતા પહેલા, પા રંજીથે દલિત સમાજના લોકોને સિનેમાના પડદે શરાબી, મૂર્ખ, ગુંડા અને ગામડાના ગરીબડાં ગમાર તરીકે જોયા હતા. પરંતુ રણજિતની ફિલ્મોમાં વંચિત સમાજમાંથી આવતા પાત્રો પરિસ્થિતિનો શિકાર, હારેલા અને લાચાર નથી હોતા. તેઓ ગમે તેવી વિપરીત પરિસ્થિતિનો સામનો કરે છે, લડી લે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફિલ્મોનો રસ્તો કેવી રીતે પસંદ કર્યો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રણજીતનો જન્મ 8 ડિસેમ્બર 1982ના રોજ ચેન્નાઈના કરાલાપક્કમ અવડી વિસ્તારના એક રૂમના એક ઘરમાં થયો હતો. આ ફ્લેટ AIADMKના સ્થાપક M.G. રામચંદ્રનની એક સરકારી યોજના અંતર્ગત બનાવવામાં આવ્યા હતા. રણજીતે એનિમેશનના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે મદ્રાસ ફાઈન આર્ટસ કોલેજમાં એડમિશન લીધું હતું. પરંતુ તેઓ તેમના મોટા ભાઈ પ્રભુથી ખૂબ પ્રભાવિત હતા, જેઓ દલિત સંગઠનો સાથે સંકળાયેલા વકીલ હતા. પ્રભુએ જ રંજિથને આંબેડકરનો પરિચય કરાવ્યો હતો. જ્યારે રંજિથ કોલેજમાં હતા ત્યારે તેઓ એક ફિલ્મ ચેમ્બરમાં જોડાયા હતા, અહીં તેમણે વિશ્વ સિનેમાનો બારીકાઈથી અભ્યાસ કર્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માજિદ મજીદીની ફિલ્મ જોઈને હું બહુ રડ્યો..</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રણજીતે ઈન્ડિયન એક્સપ્રેસને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમણે કોલેજમાં સેંકડો ફિલ્મો જોઈ હતી, જેમાં માજિદ મજીદીની ચિલ્ડ્રન ઓફ હેવન (1997) પણ સામેલ છે, જેનું નિર્દેશન ઈરાની દ્વારા કરવામાં આવ્યું હતું. આ મારા જીવનમાં એક મહત્વનો વળાંક હતો. મારી નબળી અંગ્રેજીને કારણે હું ફિલ્મના સબટાઈટલ વાંચી શકતો ન હતો. જો કે, મને સારી રીતે યાદ છે કે એ ફિલ્મ જોયા પછી હું બહુ રડ્યો હતો. આ ફિલ્મમાંથી મને પ્રેરણા મળી અને મેં ફિલ્મમેકરની જેમ વિચારવાનું શરૂ કર્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રંજિથનો પહેલો મોટો બ્રેક</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2006માં, રંજીથે ફિલ્મ થાગપંસમી માટે સહાયક દિગ્દર્શક તરીકે તેમની કરિયરની શરૂઆત કરી. તેમને પહેલો બ્રેક ત્યારે મળ્યો જ્યારે તેમના મિત્ર મણિએ તેમને એક ઉત્સાહી નિર્માતા સી.વી. કુમાર પાસે મોકલ્યા. 2012માં સી.વી. કુમાર જેઓ એક ટ્રાવેલ બિઝનેસ ચલાવતા હતા, તેમણે રંજીથની પહેલી ફિલ્મ અટ્ટકથીનું નિર્માણ કર્યું. તેમની ફિલ્મે વધુ લોકપ્રિયતા ત્યારે મેળવી જ્યારે તમિલ સિનેમાના સૌથી મોટા સ્ટુડિયો પૈકીના એક સ્ટુડિયો ગ્રીને મળીને ફિલ્મના ડિસ્ટ્રીબ્યૂશનના રાઈટ્સ મેળવ્યા. સ્ટુડિયો ગ્રીને એ પછી રંજિથની આગામી ફિલ્મ મદ્રાસનું નિર્માણ કર્યું, ત્યારબાદ સાઉથ સુપરસ્ટાર સૂર્યાએ રંજિથ સાથે ફિલ્મ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આંબેડકર મારી શક્તિ અને હિંમત છેઃ પા રંજિથ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધ વાયરને આપેલા ઈન્ટરવ્યુમાં રણજીતે કહ્યું હતું કે, "જ્યારે હું દલિત પાત્રો વિશે લખું છું ત્યારે સૌથી પહેલા હું મારી જાતને આ વાર્તાઓમાં સ્થાન આપું છું અને પૂછું છું કે હું સમાજમાં ક્યાં ઊભો છું? મારા માટે સૌથી મોટા રોલ મોડલ બાબા સાહેબ એટલે કે ડૉ. ભીમરાવ આંબેડકર રહ્યા છે. બાબા સાહેબે ગાંધી અને કોંગ્રેસનો વિરોધ ત્યારે કર્યો જ્યારે તેમને લાગ્યું કે તેઓ (ગાંધી અને કોંગ્રેસ) દલિતોના મુદ્દાઓને મહત્વ નથી આપતા. મેં તેમને પ્રેરણા તરીકે જોયા છે. મને આંબેડકર પાસેથી હિંમત મળે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/Kaala---The-roar-of-Dalit-identity-presented-on-the-cinema-screen"><span style="font-size: 12pt;"> </span>Kaala - સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહગર્જના</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 11 Nov 2024 13:05:54 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 11 Nov 2024 13:12:09 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1528</Articleid>
                    <excerpt>&quot;થંગલાન&quot;, &quot;કાલા&quot;, &quot;કબાલી&quot;, &quot;સરપટ્ટા પરંબરાઈ&quot; જેવી સુપરહિટ ફિલ્મોના નિર્દેશક પા. રંજિથ પોતાની ફિલ્મો, કરિયર, ડો. આંબેડકર અને જાતિવાદ વિશે શું માને છે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6731b2611a78b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6731b260d73d1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6731b260d73d1.jpg" length="77788" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Thangalan, Pa. Ranjith, Dr. Ambedkar, Washington Post</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઉમરેઠમાં BAPS મંદિરના પૂજારીએ મંદબુદ્ધિની યુવતીને ગર્ભવતી બનાવી દીધી</title>
                    <link>https://khabarantar.com/baps-temple-priest-in-umreth-impregnated-mentally-retarded-girl</link>
                    <guid>https://khabarantar.com/baps-temple-priest-in-umreth-impregnated-mentally-retarded-girl</guid>
                    <description>
                        <![CDATA[ પૂજારી દીકરીને ધાકધમકી આપી બળાત્કાર ગુજારતો હતો, અસ્થિર મગજની દીકરીને ગર્ભ રહી જતા હોસ્પિટલમાં દાખલ કરવી પડી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉમરેઠ સ્વામીનારાયણ મંદિરના એક પૂજારી પર મંદબુદ્ધિની યુવતી પર ધાકધમકી આપીને દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દેવાનો ગંભીર આરોપ લાગ્યો છે. અસ્થિત મગજની યુવતીના ભોળપણનો લાભ લઈને લંપટ પૂજારી વારંવાર તેના પર બળજબરી કરીને દુષ્કર્મ કરતો હોવાથી યુવતીને ગર્ભ રહી જતા લંપટ પૂજારીની હવસનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે યુવતીના પરિવારે ઉમરેઠ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યારે યુવતીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. યુવતીના પરિવારજનોનો આરોપ છે કે, પૂજારીએ તેમની મંદબુદ્ધિની દીકરીના ભોળપણનો લાભ ઉઠાવી તેની હવસ સંતોષી, વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે પીડિતાના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, “આ સ્વામિનારાયણ મંદિરની જ્યારથી ઈંટ મૂકી ત્યારથી મારા માતા અહીં કામ કરતા હતા. તેમના ગુજરી ગયા બાદ મારી પત્ની અને મંદબુદ્ધિની દીકરી અહીં કામ કરતી હતી. મારી દીકરીને પૂજારીએ બળાત્કાર કરીને ગર્ભવતી બનાવી છે. મારી દીકરી સવારે ચાર વાગે આંગણવાડી પાસે પેશાબ કરવા ગઈ હતી. ત્યારે તેનું બાળક ગરી ગયું હતું. જે બાદ તે બાળકને અમે બાજુમાં મૂક્યું અને દીકરીને અમે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જે બાદ ત્યાંથી અમે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિવારે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસની પૂછપરછમાં અમારી દીકરીએ જણાવ્યું છે કે, “આ મંદિરના પૂજારીએ મારી સાથે દુષ્કર્મ કર્યું છે. એટલું જ પૂજારીએ કોઈને આ અંગેની જાણ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી અમારે હવે ન્યાય જોઈએ છે. આ મંદિરને સીલ લાગવું જોઈએ. આ સંસ્થા મોટી છે અને ગરીબનું કોઈ ન સાંભળે તેવું ન થવું જોઈએ. ન્યાય એવો આપો કે, અન્ય કોઈ યુવતી સાથે આવું ન થાય.”</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/swaminarayan-literature-contains-nonsense-and-outright-lies">સ્વામિનારાયણ સાહિત્યમાં વાહિયાત અને તદ્દન જૂઠાં પરચાઓ છે</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 10 Nov 2024 20:36:40 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1526</Articleid>
                    <excerpt>પૂજારી દીકરીને ધાકધમકી આપી બળાત્કાર ગુજારતો હતો, અસ્થિર મગજની દીકરીને ગર્ભ રહી જતા હોસ્પિટલમાં દાખલ કરવી પડી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6730cae7f041f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6730cae7bbaed.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6730cae7bbaed.jpg" length="118793" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BAPS temple in Umreth</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઈતિહાસની આડમાં ટીપુ સુલતાનને બદનામ કરવાના પેંતરાનો પર્દાફાશ</title>
                    <link>https://khabarantar.com/the-ploy-to-defame-tipu-sultan-under-the-guise-of-history-exposed</link>
                    <guid>https://khabarantar.com/the-ploy-to-defame-tipu-sultan-under-the-guise-of-history-exposed</guid>
                    <description>
                        <![CDATA[ મૈસુરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાનને ઈતિહાસકારોએ કેવી રીતે એક કટ્ટર મુસ્લિમ રાજા તરીકે બદનામ કર્યા, તેની તથ્યો સાથેની વાત પાલનપુરી પત્રકાર હિદાયત પરમાર અહીં રજૂ કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>- હિદાયત પરમાર</strong></span><br></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટીપુ સુલતાન ધાર્મિક સંવાદિતા માટે ગમે તેટલા ઉચ્ચ વિચારો ધરાવતા હતા, પણ કેટલાંક સ્થાપિત હિતોએ ઇતિહાસને વિકૃત કરી નાખ્યો અને પોતાનાં લખાણોમાં ટીપુને બિન-મુસ્લિમો વિરુદ્ધ ક્રૂર રીતે વર્તતા એક કટ્ટર ધર્માંધ તરીકે દર્શાવ્યા. જે અંગ્રેજોએ આ ધરતી પર કબજો જમાવ્યો અને કેટલાક સ્થાનિક ઇતિહાસકારો કે જેમનું દિમાગ મુસ્લિમ વિરોધી લાગણીઓથી ભરેલું હતું તેમણે આ કામ કર્યું. લાંબા સમય સુધી ચાલેલી આ ખોટી ઝુંબેશને પરિણામે લોકો સામાન્ય અને વિશિષ્ટ એમ બન્ને રીતે, જૂઠાણાંઓ અને વિકૃતિઓને સાચાં માનવા લાગ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે આ જૂઠાણા લાંબો સમય ટકી શક્યા નહીં. કેટલાક સંશોધકોએ કરેલા પ્રયત્નોના પરિણામે સત્ય હકીકતો બહાર આવી છે, જે સ્થાપિત હિતો દ્વારા ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણાઓ અને વિકૃતિઓની ઝુંબેશ પાછળના દુષ્ટ હેતુને છતી કરે છે. ટીપુ સામે મુખ્ય આરોપ હતો કે "ત્રણ હજાર બ્રાહ્મણો આત્મહત્યા કરવા માગે છે, કારણ કે ટીપુ તેમને બળજબરીથી ઇસ્લામમાં પરિવર્તિત કરવા માંગતા હતા." ('ઔરંગઝેબ એન્ડ ટીપુ સુલતાન', ડૉ. બી. એન. પાંડે, પાના નં. ૧૪)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આરોપને કલકત્તા યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના વડા ડૉ. હરપ્રસાદ શાસ્ત્રીએ પોતાના પુસ્તકમાં સમાવ્યો હતો અને આ પુસ્તકનો મેટ્રિકની કક્ષામાં સમાવેશ કરાયો હતો. આ પુસ્તક લાંબા સમયથી બંગાળ, આસામ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓ માટે ઇતિહાસનું પાઠ્યપુસ્તક રહ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લાંબા સમય પછી આ બાબત ડો. બી. એન. પાંડેના ધ્યાનમાં આવી, જેઓ તે સમયે જાણીતા ઇતિહાસકાર હતા અને પછીથી સંસદસભ્ય બન્યા હતા અને રાજસ્થાનના રાજ્યપાલ તરીકે પણ કામ કર્યું હતું. તે સમયે તેઓ 'ટીપુ સુલતાનની ધાર્મિક નીતિ' વિષય પર સંશોધન કરી રહ્યા હતા. એક વ્યક્તિ કે જેણે અનેક પુરાવાઓનો અભ્યાસ કર્યો છે, જેમ કે, ફરમાન(હુકમો), ટીપુએ મઠ અને પીઠના વડા, જગદગુરુઓને લખેલા સેંકડો પત્રો વગેરેનો. જે ટીપુ એક બિનસાંપ્રદાયિક શાસક હોવાનું સાબિત કરે છે, ટીપુ પરનો આ આરોપ આશ્ચર્યજનક લાગે છે અને માની શકાય એમ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો. બી.એન. પાંડે આ બાબતે જિજ્ઞાસુ બન્યા અને સત્ય શોધવા માંગતા હતા. તેમણે ડો. હરપ્રસાદ શાસ્ત્રીને અનેક પત્રો લખીને આરોપોના પુરાવા જાહેર કરવા વિનંતી કરી હતી પરંતુ ડો.શાસ્ત્રી તરફથી તેમને કોઈ જવાબ મળ્યો ન હતો. ડો. પાંડે પત્રો લખતા રહ્યાં. છેલ્લા પત્રમાં ડો.પાંડેએ ડો.શાસ્ત્રીને ચેતવણી આપી હતી કે જો તેઓ તે પત્રનો જવાબ નહીં આપે તો તેમણે ટીપુ સામેના તેમના આક્ષેપોને બૌદ્ધિક અપ્રમાણિકતા તરીકે ગણવા પડશે. ત્યારે ડો.શાસ્ત્રીએ એક પત્ર લખીને માત્ર એટલું જ કહ્યું હતું કે આ ઘટનાની વિગતો મૈસુર ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Who-really-gave-the-slogan-Jai-Bheem,-Babu-Hardas,-Mahar-soldiers-or-someone-else"><span style="font-size: 14pt;">'જય ભીમ' નો નારો ખરેખર કોણે આપ્યો હતો, બાબુ હરદાસે, મહાર સૈનિકોએ કે પછી બીજા કોઈએ?</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. બી. એન. પાંડેએ મૈસૂર ગેઝેટમાં આ માહિતીની તપાસ કરી. તેમણે પ્રા. કંથૈય્યા અને શ્રી બ્રિજેન્દ્રનાથ સીલની સલાહ લીધી, જેઓ મૈસૂર રાજ્યના ઇતિહાસના નિષ્ણાત હતા. પ્રો. કંથૈયાએ જવાબ આપ્યો, "મૈસુરમાં ૩૦૦૦ બ્રાહ્મણોની આત્મહત્યાનો એપિસોડ ક્યાંય નથી. ગેઝેટ અને મૈસૂરના ઇતિહાસના એક વિદ્યાર્થી તરીકે મને ખાતરી છે કે આવો કોઈ બનાવ બન્યો જ નથી.' ('ઔરંગઝેબ એન્ડ ટીપુ સુલતાન', બી. એન. પાંડે, પૃષ્ઠ ૧૪)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રો. કંથૈય્યા આટલેથી અટક્યા નહિ. આ બાબતમાં ડૉ. પાંડેએ જે ઊંડો રસ દાખવ્યો હતો તેની નોંધ લીધા પછી પ્રો. કંથૈય્યાએ તેમને કેટલાક મહત્ત્વના દસ્તાવેજોની નકલો મોકલી, જે પુરવાર કરતી હતી કે ટીપુ સુલતાન બિનસાંપ્રદાયિક શાસક હતા. દસ્તાવેજોનો અભ્યાસ કર્યા બાદ ડો.પાંડે એવા તારણ પર આવ્યા હતા કે ડો.શાસ્ત્રીએ ચોક્કસ હેતુ સાથે ટીપુ પર આરોપ મૂક્યો હતો. ડૉ. પાંડેએ તેમને એક પત્ર લખીને પ્રા. કંથૈય્યા પાસેથી મળેલા દસ્તાવેજોની નકલો વિષે ધ્યાન દોર્યું. પત્રમાં તેમણે ડો.શાસ્ત્રીને વિનંતી કરી હતી કે તેઓ બ્રાહ્મણોની સામૂહિક આત્મહત્યાના કથિત એપિસોડ અંગેના તથ્યો સાથે સામે આવે. તેમણે અનેક પત્રો લખ્યા પણ ડો.શાસ્ત્રી તરફથી કોઈ જવાબ ન મળ્યો. ત્યારે ડો.પાંડે એ અંતિમ તારણ પર આવ્યા કે ૩૦૦૦ બ્રાહ્મણોએ આત્મહત્યા કરી હોવાનો કથિત એપિસોડ બનાવટી હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે આ મામલે વધુ સંશોધન કર્યું અને પુષ્ટિ કરી કે ડો.હરપ્રસાદ શાસ્ત્રીએ જાણીજોઈને ટીપુ સુલતાન પર ખોટો આરોપ લગાવ્યો હતો. એ પછી તેમણે આ બાબતને લગતા બધા જ દસ્તાવેજો કલકત્તા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને મોકલી આપ્યા અને ડૉ. શાસ્ત્રીએ ટીપુ પર ખોટો આરોપ કેવી રીતે મૂક્યો તે તેમના ધ્યાન પર આવ્યું. યુનિવર્સિટીના અધિકારીઓની સુધારણા સમિતિ અનુસાર તપાસ કરવામાં આવી હતી</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દસ્તાવેજોના આધારે, વાઇસ ચાન્સેલરે ડૉ. શાસ્ત્રીના પુસ્તકને કલકત્તા યુનિવર્સિટીએ સૂચવેલાં પુસ્તકોની યાદીમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો. વી.સી.ના નિર્ણયની સાથે સાથે, પુસ્તકને આખરે દૂર કરવામાં આવ્યું, જે  ઘણાં વર્ષો પહેલાંથી જ આ પાઠ્યપુસ્તક અમલમાં રહ્યું, આટલા બધાં વર્ષો સુધી ખોટા આરોપને ટેક્સ્ટ બુકમાં સ્થાન મળવાને કારણે તેણે ઘણી પ્રસિદ્ધિ મેળવી લીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટીપુ સામે બીજો આરોપ જેણે વ્યાપક પ્રસિદ્ધિ મેળવી તે એ હતો કે તેમણે માલાબારમાં હિન્દુ સમાજ વિરુદ્ધ ખૂબ જ ક્રૂર વર્તન કર્યું હતું. ડૉ. બી. એન. પાંડે જેવા કેટલાક સંશોધકોએ આ બાબતમાં ઊંડા ઊતર્યા અને હકીકતો બહાર આવી. તે બધાએ એક અવાજમાં કહ્યું કે ટીપુએ મલબારના લોકો પર કડક કાર્યવાહી કરી હતી, પરંતુ તે રાજકીય કારણોસર હતી, લોકોની ધાર્મિક આસ્થાને કારણે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વ્યાપક બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ ધરાવતા ટીપુએ તેમના દરજ્જા અથવા ધર્મને ધ્યાનમાં લીધા વિના તેમના આદેશોનો ભંગ કરનારાઓ પર કડક કાર્યવાહી કરી. મલબારના લોકોએ અંગ્રેજો સાથે હાથ મિલાવ્યા હતા, આ ઉપરાંત મહિલાઓએ બ્લાઉઝ પહેરવા જોઈએ ના ટીપુના આદેશનો પણ અનાદર કર્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Ambedkar-were-you-like-that"><span style="font-size: 14pt;">આંબેડકર તમે આવા ય હતા?</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાથની કઠપૂતળીઓ બનીને મૈસૂરના રાજ્યની વિરુદ્ધ થઈ જતાં લોકો વિરુદ્ધ ટીપુનો ક્રોધ જોઈ મેંગ્લોરના ખ્રિસ્તીઓ આકર્ષાયા. કુર્ગના લોકોએ બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવાના ટીપુના આદેશોનું પાલન નકાર્યું હતું અને મૈસૂર રાજ્યના લોકો સાથે સાંઠગાંઠ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુર્ગના લોકો દ્વારા કરવામાં આવેલા આ રાજદ્રોહના કૃત્યોથી ગુસ્સે ભરાયેલા, ટીપુએ નિર્દયતાથી તેમને સજા કરી. ટીપુનાં આ બધાં કાર્યો પાછળ રાજકીય કારણો હતા, પરંતુ તેમાં ધાર્મિક લાગણીઓની કોઈ ભૂમિકા નહોતી એ બાબતને ડી. એલ. નિગમ ('ટીપુ કી જીવની'), ડૉ. વિશ્વેશ્વરૈયા ('બોન્ડેજ એન્ડ ફ્રીડમ- બંધન અને સ્વતંત્રતા') અને શ્રી રંભા સયમ સુંદર જેવા પ્રખ્યાત ઇતિહાસકારોએ પૂરાવા સાથે સમજાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટીપુ પોતાના સમયના અન્ય રાજાઓની જેમ જ, જેમને તે પોતાના શત્રુ માનતા હતા તેમના પ્રત્યે પણ ક્રૂર હતા, તેમ છતાં ધર્મની બાબતમાં, ખાસ કરીને હિન્દુઓ પ્રત્યે તે ક્રૂર નહોતા. તેમણે કેનેરામાં ખ્રિસ્તીઓ પર અથવા માલાબારના નાયરો પર કડક કાર્યવાહી ફક્ત રાજકીય કારણોસર કરી હતી, નહીં કે ધાર્મિક નફરતને કારણે. જો તે નાયરોથી ગુસ્સે હતા, તો તેનું કારણ એ હતું કે તેમણે તેમના આદેશોનું ઉલ્લંઘન કર્યું હતું, જેનો ઉદ્દેશ તેમના બહુપત્નીત્વના રિવાજો અને તેમની સ્ત્રીઓ બ્લાઉઝ વિના ફરતી તેમના સમાજમાં સુધારણા કરવાનો હતો. એકંદરે ટીપુ પર મુસ્લિમો પ્રત્યે પક્ષપાત રાખીને હિન્દુઓ સાથે ભેદભાવ રાખવાનો અને હિન્દુઓ પર અત્યાચાર કરવાનો અને તેમને બળજબરીથી ઇસ્લામમાં રૂપાંતરિત કરવાનો આરોપ મૂકવો અન્યાયી લાગે છે. ('ઈદી ચરિત્ર' (તેલુગુ), એમ.વી.આર.શાસ્ત્રી, દુર્ગા પ્રકાશનો હૈદરાબાદ, ૨૦૦૫, પાના નં. ૨૦૧)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટીપુ મુસ્લિમ મોપિલાઓ સાથે પણ નિર્દય હતા, જેમણે તેમના આદેશોનું ઉલ્લંઘન કર્યું હતું. તેમણે લોખંડી પંજાથી તેમના બળવાને સંપૂર્ણપણે દબાવી દીધો. તેણે સોવનૂર, કુર્નૂલ અને કડપ્પાના નવાબો સામે નિર્દયતાથી કામ કર્યું, જેઓ તેમની વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા હતા. તે દિવસોમાં કોઈ પણ શાસકો, જેમને તેઓ તેમના દુશ્મન માનતા હતા તેમની સામે ક્રૂર વર્તન કરતા હતા અને ટીપુ પણ તેમાં અપવાદ ન હતા. આ બાબતે અંગ્રેજ લશ્કરના એક અધિકારી મેજર ડાયરોમે ટિપ્પણી કરી હતી કે, "તેમની ક્રૂરતાઓ સામાન્ય રીતે માત્ર એ લોકો પર જ આધારિત હતી જેમને તે પોતાનો શત્રુ માનતા હતા." (એડવાન્સ્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. આર.સી. મજુમદાર, પૃષ્ઠ ૭૦૮)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટીપુને તેમની નિષ્પક્ષતા અને ધાર્મિક સંવાદિતાની નીતિ માટે પ્રજાનો ટેકો મળ્યો. ધાર્મિક સંવાદિતાની નીતિ માટે ટીપુની પ્રશંસા કરતાં ગાંધીજીએ પણ ટિપ્પણી કરી હતી કે "મૈસૂરના ફતેહ અલી ટીપુ સુલતાનનું પ્રતિનિધિત્વ વિદેશી ઇતિહાસકારો દ્વારા એક કટ્ટરપંથી તરીકે કરવામાં આવે છે, જેમણે તેમની હિન્દુ પ્રજાનો વિરોધ કર્યો હતો અને બળજબરીથી ઇસ્લામ ધર્મ અંગીકાર કરવ્યો હતો. પણ એવું કશું જ નહોતું. હિન્દુ પ્રજા સાથેના તેમના સંબંધો સંપૂર્ણપણે સૌહાર્દપૂર્ણ હતા. (યંગ ઇન્ડિયા', ૨૩ જાન્યુઆરી, ૧૯૩૦, પેજ. ૩૧)</span></p>
<p style="text-align: justify;"><em><strong><span style="font-size: 14pt;">સૌજન્ય/સાભાર : ટાઈગર ઓફ મૈસૂર ટીપુ સુલતાન</span></strong></em></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Why-is-Emperor-Ashoka-untouchable-for-the-so-called-upper-castes-of-India">શા માટે ‘સમ્રાટ અશોક’ ભારતની કથિત ઉચ્ચ જાતિઓ માટે અસ્પૃશ્ય છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 10 Nov 2024 12:03:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1522</Articleid>
                    <excerpt>મૈસુરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાનને ઈતિહાસકારોએ કેવી રીતે એક કટ્ટર મુસ્લિમ રાજા તરીકે બદનામ કર્યા, તેની તથ્યો સાથેની વાત પાલનપુરી પત્રકાર હિદાયત પરમાર અહીં રજૂ કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6730532e95aa4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6730532e65573.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6730532e65573.jpg" length="99030" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Tipu Sultan</media:keywords>
                </item>
                        <item>
                    <title>તુલસીદાસ મોગલો સામે અને RSS બ્રિટિશરો સામે એક શબ્દ નથી બોલ્યું?</title>
                    <link>https://khabarantar.com/kranti-kumar-said-tulsidas-did-not-say-a-word-against-the-mughals-and-rss-against-the-british</link>
                    <guid>https://khabarantar.com/kranti-kumar-said-tulsidas-did-not-say-a-word-against-the-mughals-and-rss-against-the-british</guid>
                    <description>
                        <![CDATA[ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. જાણીતા કાર્યકર અને લેખક ક્રાંતિ કુમારે એક પોસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર ગંભીર આરોપ લગાવ્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. જાણીતા કાર્યકર અને લેખક ક્રાંતિ કુમારે એક પોસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે આરએસએસની સ્થાપના વર્ષ 1925માં થઈ હતી પરંતુ તેણે ક્યારેય આઝાદીની લડાઈમાં ભાગ લીધો નથી અને બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. કુમારે પોતાના નિવેદનના સમર્થનમાં ઘણા અગ્રણી ઈતિહાસકારોના મંતવ્યો પણ ટાંક્યા છે, એ મુજબ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન આરએસએસનું વલણ હંમેશા બ્રિટિશ સરકારની તરફેણમાં હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સંદર્ભમાં તુલસીદાસ અને મુઘલ સામ્રાજ્યનું ઉદાહરણ આપતા ક્રાંતિ કુમારે કહ્યું હતું કે જેમ ગોસ્વામી તુલસીદાસે મુઘલો સામે એક શબ્દ પણ લખ્યો નથી તેવી જ રીતે RSSએ પણ અંગ્રેજો સામે કશું કહ્યું નથી. તેના બદલે, કુમારના જણાવ્યા મુજબ, આરએસએસે પોતાના વિચારોનું કેન્દ્ર ગાંધી અને આંબેડકર વિરુદ્ધ કેન્દ્રિત રાખ્યું હતું અને પછાત જાતિઓ પ્રત્યે અપમાનજનક વર્તન દર્શાવ્યું હતું. ક્રાંતિકુમારનો દાવો છે કે આરએસએસ માત્ર રાષ્ટ્રીય નેતાઓ અને સમાજ સુધારકો સામે અવાજ ઉઠાવીને માત્ર પોતાનો વૈચારિક વિરોધને વ્યક્ત કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ક્રાંતિ કુમારે કહ્યું કે, "ગાંધી, નેહરૂ, સરદાર સહિત અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ જેલમાં ગયા અને દેશ માટે બલિદાન આપ્યું, જ્યારે RSSના સ્થાપક કેશવ બલીરામ હેડગેવાર અને પછી ગુરુ ગોલવલકર જેવા નેતાઓ ક્યારેય જેલમાં ગયા નથી," </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુમારે આ નિવેદન દ્વારા આરએસએસના ઐતિહાસિક યોગદાન પર સવાલો ઉઠાવ્યા હતા અને તેને વૈચારિક હુમલો ગણાવી ટીકા કરી હતી. આ નિવેદન કેટલાક અગ્રણી નેતાઓ દ્વારા વારંવાર આરએસએસ પર લગાવવામાં આવતા આરોપોની શ્રેણીમાં એક નવો અધ્યાય ઉમેરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુમારના નિવેદને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે. સમર્થકો અને વિરોધીઓ બંને પોતપોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. ઘણાં માને છે કે કુમારનું નિવેદન ઈતિહાસના કડવા સત્યો તરફ ઈશારો કરે છે જેને ઘણીવાર અવગણવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોતાના નિવેદનના અંતે ક્રાંતિ કુમારે પડકારજનક સ્વરમાં કહ્યું, "તમે ખુલીને બેટિંગ કરો છો, હવે અમે પણ ખુલીને બોલિંગ કરીશું." ઘણા લોકો તેમના નિવેદનને નવા વૈચારિક સંઘર્ષની શરૂઆત તરીકે જોઈ રહ્યા છે. આ ટિપ્પણીને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/rss-says-there-is-no-untouchable-in-hindu-scriptures-then-what-is-there-in-manusmriti">RSS કહે છે હિંદુ ધર્મમાં કોઈ 'અછૂત' નથી, તો પછી 'મનુસ્મૃતિ'માં શું છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 09 Nov 2024 14:51:15 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1518</Articleid>
                    <excerpt>સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. જાણીતા કાર્યકર અને લેખક ક્રાંતિ કુમારે એક પોસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર ગંભીર આરોપ લગાવ્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672f293c52be3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672f293c1a51e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672f293c1a51e.jpg" length="93349" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>RSS, British Empire, Tulsidas, Mughal Empire, Did not say a word</media:keywords>
                </item>
                        <item>
                    <title>દારૂ પીને અશ્લીલ ગીતો વગાડતા ભાજપ નેતાને રોકતા 3 પોલીસકર્મી સસ્પેન્ડ</title>
                    <link>https://khabarantar.com/3-policeman-suspended-for-stopping-bjp-leader-from-playing-obscene-songs-after-drinling-alcohol</link>
                    <guid>https://khabarantar.com/3-policeman-suspended-for-stopping-bjp-leader-from-playing-obscene-songs-after-drinling-alcohol</guid>
                    <description>
                        <![CDATA[ મુખ્યમંત્રીના કાર્યક્રમ બાદ ભાજપ નેતા અશ્લીલ ગીતો વગાડી દારૂ પાર્ટી કરતા હતા, પોલીસે રોક્યા તો પીઆઈ સહિત બે પોલીસવાળાને સસ્પેન્ડ કરી દેવાયા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકશાહી ઢબે ચૂંટાયેલા નેતાઓ જ્યારે સત્તાના મદમાં આંધળા થઈ જાય ત્યારે કાયદો વ્યવસ્થાની શું સ્થિતિ થાય તેની આ વાત છે. છત્તીસગઢના બલોદા બજાર જિલ્લામાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી ગઈ છે. આ વખતે ભાજપના નેતાઓની દારૂની મહેફિલના કારણે પોલીસ સ્ટેશનના અધિકારી સહિત બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગઈકાલે મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈના કાર્યક્રમ બાદ ભાજપના નેતાઓ પલારી પોલીસ સ્ટેશનની સામેના બસ સ્ટેન્ડ પર દારૂની મહેફિલ જમાવી રહ્યા હતા. તેઓ તેમની કારમાં હાઈ વોલ્યુમમાં અશ્લીલ ગીતો વગાડી રહ્યા હતા, જેને પોલીસ રોકવા ગઈ હતી. જો કે ભાજપ નેતાઓએ પોતાની વગનો ઉપયોગ કરીને પોલીસને જ સસ્પેન્ડ કરાવી દીધાં હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પલારી નગરપાલિકાના પ્રમુખ યશવર્ધન મોનુ વર્મા અને પલારી પોલીસ વચ્ચેનો આ વિવાદ છે. પોલીસ સ્ટેશન સામે બસ સ્ટેન્ડ પર ભાજપના નેતાઓ કારમાં મોટા અવાજે અશ્લીલ ગીતો વગાડી રહ્યા હતા. જેનાથી પરેશાન સ્થાનિકોએ પલારી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેને લઈને પોલીસ કાફલો તેને અટકાવવા પહોંચ્યા હતા. જો કે ભાજપ નેતાઓ પોલીસનું માન્યા નહોતા અને તેમણે પોલીસ સામે દાદાગીરી કરવાનું શરૂ કરી દીધું હતું અને તેમની ટ્રાન્સફર કરાવી દેવાની ધમકી આપી હતી. જેને લઈને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપના નેતાઓએ પોલીસ અધિકારીઓને સરકારમાં પોતાની પહોંચની દાટી મારીને બસ્તરમાં ટ્રાન્સફર કરાવી દેવાની ધમકી આપી હતી. આ દરમિયાન વિવાદ વધી ગયો હતો અને બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. મળતી માહિતી મુજબ ભાજપના નેતાઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ભારે મારામારી થઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપ છે કે એક તરફ પોલીસકર્મીઓ પોતાની ખાખી વર્દીનો પાવર બતાવતા હતા, તો બીજી તરફ ભાજપના નેતાઓએ સત્તાનો પાવર બતાવીને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં પોલીસ અધિક અધિક્ષક સહિત મોટી સંખ્યામાં પોલીસ દોડી આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાજુ રાજકીય દબાણને કારણે પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસ અધિક્ષકે પીઆઈ કેશર પરાગ વણઝારા અને 2 કોન્સ્ટેબલ રામ મોહન રાય અને મનીષ વણઝારાને સસ્પેન્ડ કરી દીધા છે. આ મામલે નાયબ પોલીસ અધિક્ષક રાજેશ શ્રીવાસ્તવને તપાસ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/in-dakor-asi-arrived-to-answer-the-departmental-inquiry-after-taking-liquor">ડાકોરમાં ASI દારૂ ઢીંચી ખાતાકીય તપાસમાં જવાબ લખાવવા પહોંચ્યાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 09 Nov 2024 14:02:26 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1517</Articleid>
                    <excerpt>મુખ્યમંત્રીના કાર્યક્રમ બાદ ભાજપ નેતા અશ્લીલ ગીતો વગાડી દારૂ પાર્ટી કરતા હતા, પોલીસે રોક્યા તો પીઆઈ સહિત બે પોલીસવાળાને સસ્પેન્ડ કરી દેવાયા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672f1d2468687.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672f1d2433da1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672f1d2433da1.jpg" length="61867" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>President Yashvardhan Monu Verma, palari police</media:keywords>
                </item>
                        <item>
                    <title>લાભ પાંચમે તસ્કરો ગોગા મહારાજ સહિત 8 દેવોના ઘરેણાં ચોરી ગયા</title>
                    <link>https://khabarantar.com/on-labh-panchame-smugglers-stole-the-ornaments-of-8-gods-including-goga-maharaj</link>
                    <guid>https://khabarantar.com/on-labh-panchame-smugglers-stole-the-ornaments-of-8-gods-including-goga-maharaj</guid>
                    <description>
                        <![CDATA[ લાભ પાંચમની રાતે જ તસ્કરોએ વિવિધ સમાજના 8 કુળદેવી-દેવતાના મંદિરોમાં ચોરી કરીને હાહાકાર મચાવી દીધો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લાભ પાંચમનો દિવસ શુભ માનવામાં આવે છે. વેપારીઓ દિવાળી બાદ નવા વર્ષમાં લાભ પાંચમે મૂહુર્ત કરીને ધંધા-રોજગારનો પ્રારંભ કરતા હોય છે. જો કે કચ્છના રાપર તાલુકામાં આવેલા વિખ્યાત ચિત્રોડ ગામમાં તસ્કરોએ એક જ રાતમાં અહીંના વિવિધ સમાજના 8 જેટલા મંદિરોને ટાર્ગેટ કરીને ચોરી કરી હતી. એક રીતે કહીએ તો વેપારીઓની જેમ તસ્કરોએ પણ પોતાના ચોરીના ધંધાની જાણે શરૂઆત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે લાભ પાંચમે તસ્કરોએ ચિત્રોડ ગામે એક જ રાત્રિમાં એક સામટા આઠ જેટલા દેવ મંદિરોને સામૂહિક તસ્કરી કરી પોલીસને પડકાર ફેંક્યો છે. આ ઘટનાને લઈને ગ્રામજનોમાં ચિંતા સાથે રોષની લાગણી ફેલાઇ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાવમાં ચાંદીના છત્ર, માતાજીની મૂર્તિઓ ઉપર ભાવિકોએ ચડાવેલા વિવિધ ઘરેણાં અને દાન પેટીમાં પડેલી રકમ તસ્કરો ઉઠાવી ગયા છે. આ અંગે ગાગોદર પોલીસની ઘટનાસ્થળે દોડી ગઈ છે અને ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. કુલ કેટલી રકમની ચોરી થઈ છે તે વિધિવત ફરિયાદ દાખલ થયા બાદ જાહેર થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ચિત્રોડમાં ગત રાતથી આજ સવાર સુધીના અરસામાં આઠ જેટલા અલગ અલગ મંદિરોમાં ચોરી થઈ છે. આ મંદિરોમાં આઈ દેવ માંનું મંદિર, જેઠા શ્રી ગોગા મહારાજ, મોમાઈ માતાજી મંદિર, વાળંદ સમાજનું મંદિર, પ્રજાપતિ સમાજનું મંદિર, પટ્ટણી સમાજનું મંદિર, રાજપૂત સમાજનું મંદિર અને કોળી સમાજના મંદિરનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/smuggler-stole-shanidevs-ornments-cash-from-donation-box-in-dakor">ડાકોરમાં તસ્કરો શનિદેવના આભૂષણો, દાનપેટીની રોકડ ચોરી ગયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 08 Nov 2024 13:25:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1512</Articleid>
                    <excerpt>લાભ પાંચમની રાતે જ તસ્કરોએ વિવિધ સમાજના 8 કુળદેવી-દેવતાના મંદિરોમાં ચોરી કરીને હાહાકાર મચાવી દીધો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672dc38be0e53.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672dc38bad3a8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672dc38bad3a8.jpg" length="64552" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Labh Pancham, News of theft</media:keywords>
                </item>
                        <item>
                    <title>વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા</title>
                    <link>https://khabarantar.com/ahmedabad-municipal-corporation-will-implement-the-vaya-vandana-scheme</link>
                    <guid>https://khabarantar.com/ahmedabad-municipal-corporation-will-implement-the-vaya-vandana-scheme</guid>
                    <description>
                        <![CDATA[ ૭૦ વર્ષથી ઉપરના તમામ નાગરિકોને મળશે લાભ, આવક મર્યાદા વિના, તમામ વૃદ્ધોને મળશે મફત સારવાર ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્ર સરકારની વય વંદના યોજનાને અમદાવાદ મહાનગરપાલિકાએ અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ શહેરના ૭૦ વર્ષથી ઉપરના તમામ નાગરિકોને અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલોમાં મફત સારવાર મળશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અગાઉની પીએમજે યોજનામાં આવક મર્યાદા હતી, પરંતુ વય વંદના યોજનામાં આવક મર્યાદા નથી. ૭૦ વર્ષથી ઉપરના કોઈપણ વૃદ્ધ નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના ૮૫ અર્બન હેલ્થ સેન્ટર પર વય વંદના કાર્ડ બનાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નાગરિકો માત્ર આધાર કાર્ડ સાથે આ સેન્ટર પર જઈને કાર્ડ બનાવી શકે છે. આ કાર્ડથી તેઓ ૧૦ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરાવી શકશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલા જ સત્તાવાર રીતે ૭૦ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આયુષ્માન ભારત યોજનાની સુવિધાની જાહેરાત કરી હતી. તેનો ઉદ્દેશ્ય દેશના દરેક વૃદ્ધ વ્યક્તિને વધુ સારી સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવાનો છે. તેથી, સરકારે વૃદ્ધો માટે આવક અથવા અન્ય કોઈ માપદંડ નક્કી કર્યા નથી અને દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ યોજના હેઠળ, ૭૦ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવેલ આયુષ્માન ભારત કાર્ડને ‘આયુષ્માન વય વંદના કાર્ડ’ કહેવામાં આવશે. આ કાર્ડના આધારે વરિષ્ઠ નાગરિકોને હોસ્પિટલમાં ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. (ગુજરાતમાં આ રકમ ૧૦ લાખ રૂપિયા છે) આ કાર્ડ વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય ખર્ચના બોજને ઘટાડવામાં સામાન્ય લોકોને રાહત આપશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ૭૦ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સાવર્ત્રિક આરોગ્ય કવરેજ હશે. દેશના લગભગ ૪.૫ કરોડ પરિવારો અથવા ૬ કરોડ વરિષ્ઠ નાગરિકોને આ વિશેષ સુવિધાનો લાભ મળશે. જે પરિવારો પહેલેથી જ આયુષ્માન ભારત યોજનાનો હિસ્સો છે, જાે તેમના પરિવારમાં એક વ્યક્તિ પણ ૭૦ વર્ષથી વધુ વયની હોય, તો તેમને પ્રતિ વર્ષ ૧૦ લાખ રૂપિયાના દરે ટોપ-અપ હેલ્થ કવરેજ મળશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ યોજનાનો લાભ લેવા વૃદ્ધો માટે 'આયુષ્માન વય વંદના કાર્ડ' બહાર પાડવામાં આવ્યું છે. જેનો મતલબ છે કે આ યોજનાનો લાભ લેવા માટે આયુષ્માન ભારત કાર્ડ માન્ય નહીં ગણવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/under-pm-unemployment-allowance-rs-3500-did-you-get-the-message">પીએમ બેરોજગારી ભથ્થાં હેઠળ મહિને રૂ. 3500 મળશે, તમને મેસેજ આવ્યો?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 07 Nov 2024 21:17:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1509</Articleid>
                    <excerpt>૭૦ વર્ષથી ઉપરના તમામ નાગરિકોને મળશે લાભ, આવક મર્યાદા વિના, તમામ વૃદ્ધોને મળશે મફત સારવાર</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672ce04178d54.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672ce0414a856.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672ce0414a856.jpg" length="68372" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Vaya Vandana Yojana, Ahmedabad Municipal Corporation</media:keywords>
                </item>
                        <item>
                    <title>પ્રયાગરાજમાં મહાકુંભની બેઠકમાં સંતો&amp;મહંતો વચ્ચે ઢીંકાપાટુ&amp;લાફાવાળી થઈ</title>
                    <link>https://khabarantar.com/there-was-a-lot-of-bickering-and-arguing-between-saints-and-mahants-at-the-mahakumbh-meeting-in-prayagraj</link>
                    <guid>https://khabarantar.com/there-was-a-lot-of-bickering-and-arguing-between-saints-and-mahants-at-the-mahakumbh-meeting-in-prayagraj</guid>
                    <description>
                        <![CDATA[ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભને લઈને યોજાયેલી સંતોની એક બેઠકમાં અખાડાના બે જૂથ વચ્ચે ભારે મારામારી થઈ હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંતનો દરજ્જો ભારતમાં ઈશ્વરના દૂત તરીકે ગણવામાં આવે છે પરંતુ કેટલાક લેભાગુ લોકો સંતોની ગરિમાને લાંછન લગાડે તેવા કૃત્યો કરતા હોય છે. આવું જ કંઈક આજે યુપીના પ્રયાગરાજમાં બન્યું હતું. અહીં મહાકુંભને લઈને યોજાયેલી અખાડાઓની બેઠકમાં સંતો-મહંતો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. એટલું જ નહીં અખાડાઓથી જોડાયેલા સંતોએ એકબીજાને લાફાવાળી કરી હતી અને ઢીકાપાટુ પણ માર્યા હતા. મહાકુંભના મેળા વહિવટી તંત્રની અખાડાઓની બેઠક કાર્યાલયમાં થવાની હતી. અખાડા પરિષદ હાલના દિવસોમાં બે ભાગમાં વહેંચાયેલું છે. બંને જૂથોના પદાધિકારી આ બેઠકમાં આમને-સામને થઈ ગયા અને વાદ વિવાદ બાદ મારામારી પણ થઈ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મારામારીના કારણે મોડે સુધી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સંતો વચ્ચે થયેલી મારામારીના કારણે બેઠક યોજાઈ શકી નહોતી. આજે પ્રયાગરાજ મેળા વહિવટી તંત્રની બેઠક યોજાવાની હતી. વહિવટી તંત્રની બેઠક માટે અખાડા પરિષદના બંને જૂથોને બોલાવવામાં આવ્યા હતા. ઓપચારિક રીતે બેઠકની શરૂઆત થતા પહેલા જ હોબાળો શરૂ થઈ ગયો હતો. મારામારીના કારણે આ ઘટનામાં કેટલાક સંતોને સામાન્ય ઈજા પણ આવી છે. મળતી માહિતી અનુસાર, પૂર્વ અધ્યક્ષ નરેન્દ્ર ગિરીના મોત બાદથી અખાડા પરિષદ બે જૂથમાં વહેંચાયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્ર પુરીજીએ જણાવ્યું હતું કે, 'જમીન વહેંચણીને લઈને વિવાદ થયો છે, કેટલાક સંતો તરફથી હોબાળો કરાયો હતો. મહાકુંભ માટે જમીન વહેંચણીને લઈને એકબીજા બંને જૂથોની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં સંતો ઝઘડ્યા હતા.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ નિર્મોહી અખાડાના અધ્યક્ષ રાજેન્દ્ર દાસે કહ્યું કે, 'જ્યારે પણ કોઈ મેળો થાય છે ત્યારે અખાડાના પદાધિકારીઓને બોલાવવામાં આવે છે. પરંતુ કુંભ મેળામાં આવું બે-ત્રણ વાર થયું છે કે પદાધિકારીઓને બદલે અન્યને બેસાડવામાં આવે છે. જૂના અખાડાઓનો રેકોર્ડ સારો નથી, ઝઘડા કરવા અને વિવાદ કરવો એ જ તેમનું કામ છે. અમને ત્યાં બેસવા માટેની જગ્યા મળી નથી, જેના કારણે અમે વાત કરી હતી. જેને લઈને જૂના અખાડાના પ્રેમ ગિરીએ હુમલો કરી દીધો હતો.'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/saints-of-vadtal-swaminarayan-collected-rs-1.55-crore-freaud">વડતાલ સ્વામીનારાયણના સંતોએ રૂ. 1.55 કરોડની છેતરપિંડી આચરી?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 07 Nov 2024 19:29:32 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1508</Articleid>
                    <excerpt>ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભને લઈને યોજાયેલી સંતોની એક બેઠકમાં અખાડાના બે જૂથ વચ્ચે ભારે મારામારી થઈ હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672cc6846a878.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672cc6843bb28.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672cc6843bb28.jpg" length="84599" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Prayagraj, Mahakumbh, Uttar Pradesh</media:keywords>
                </item>
                        <item>
                    <title>શું છે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના? જાણો કેવી રીતે તેનો લાભ મેળવી શકાય</title>
                    <link>https://khabarantar.com/what-is-pm-vidya-lakshmi-scheme-know-how-to-avail-its-benefits</link>
                    <guid>https://khabarantar.com/what-is-pm-vidya-lakshmi-scheme-know-how-to-avail-its-benefits</guid>
                    <description>
                        <![CDATA[ કેન્દ્ર સરકારે ગેરેન્ટર વિના 10 લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન માટેની પીએમ વિદ્યાલક્ષ્મી યોજના શરૂ કરી છે. જાણો છે આ યોજના અને કેવી રીતે તેનો લાભ મળી શકે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">What is PM VidyaLakshmi Scheme : વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) ની આગેવાની હેઠળની કેબિનેટે (Cabinet) બુધવારે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના (PM Vidyalakshmi Scheme) ને મંજૂરી આપી દીધી છે. સરકારે 2024-25 થી 2030-31 માટે રૂ. 3,600 કરોડ ફાળવ્યા છે, જેનો હેતુ નવી યોજના સાથે 7 લાખ નવા વિદ્યાર્થીઓને સહાય કરવાનો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નવી યોજનાનો ઉદ્દેશ્ય સ્થાનિક સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવાનો છે. આ યોજનામાં દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓ માટે 3% વ્યાજ સબસિડી અને ઈ-વાઉચરનો સમાવેશ થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ યોજના અંતર્ગત વાર્ષિક ₹8 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારોના બાળકોને ₹10 લાખ સુધીની એજ્યુકેશન લૉન મળશે. એક પ્રેસ કૉન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ બાબતની વિસ્તૃત જાણકારી આપી હતી અને ઉમેર્યું હતું કે આ યોજનાનો હેતુ કોઈ પણ વિદ્યાર્થી આર્થિક સ્થિતિના કારણે પાછળ ન રહી જાય તે સુનિશ્ચિત કરવાનો છે. સરકાર આના પર 3 ટકા વ્યાજ સબસિડી આપશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાનમાં પ્રવેશ લેનાર કોઈપણ વિદ્યાર્થી પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાનો લાભ લઈ શકે છે. આ સ્કીમ દ્વારા લોન લેવા માટે કોઈ ગેરેન્ટરની પણ જરૂર રહેશે નહીં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિદ્યાર્થીઓ કોઈપણ બેંકોમાં અરજી કરીને “PM-વિદ્યાલક્ષ્મી” પોર્ટલ દ્વારા લોન અને વ્યાજનો લાભ મેળવવા માટે અરજી કરી શકે છે. ઇ-વાઉચર અને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) વૉલેટ દ્વારા વ્યાજ સબવેન્શન પેમેન્ટની પ્રક્રિયા કરવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 થી વિકસાવવામાં આવેલી આ યોજનાનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (QHEIs)માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ ટ્યુશન ફી અને કોર્સ-સંબંધિત ખર્ચાઓને આવરી લેવા માટે કોલેટરલ ફ્રી, ગેરેંટર-ફ્રી લોન મેળવી શકે. જે એક ડિજિટલ, પારદર્શક અને સ્ટુડન્ટ ફ્રેન્ડલી સિસ્ટમ દ્વારા થશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ યોજના NIRF રેન્કિંગની ટોચની શૈક્ષણિક સંસ્થાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં ટોચની 100 શ્રેણી-વિશિષ્ટ અને ડોમેન-વિશિષ્ટ સરકારી અને ખાનગી સંસ્થાઓનો સમાવેશ થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ યોજનામાં 101-200 રેન્ક ધરાવતી રાજ્ય સરકારની સંસ્થાઓ અને કેન્દ્ર સરકારની તમામ સંસ્થાઓ પણ પાત્ર છે. NIRF રેન્કિંગ પર આધારિત વાર્ષિક અપડેટમાં હાલમાં 860 QHEIનો સમાવેશ થાય છે, જેનાથી અંદાજે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">7.5 લાખ સુધીની લોન માટે વિદ્યાર્થીઓને બાકી ડિફોલ્ટ સામે 75% ક્રેડિટ ગેરંટી મળશે, જેનાથી બેંકોને આ યોજના હેઠળ એજ્યુકેશન લોન આપવા માટે પ્રોત્સાહન મળશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">8 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોના વિદ્યાર્થીઓ, જેઓ અન્ય સરકારી શિષ્યવૃત્તિ અથવા વ્યાજના લાભો માટે પાત્ર નથી, તેઓ રૂ. 10 લાખ સુધીની લોન માટે મોરેટોરિયમ સમયગાળા દરમિયાન 3% વ્યાજ સબવેન્શન મેળવી શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સહાયનો ઉદ્દેશ્ય દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને સહાય કરવાનો છે, જેમાં ટેકનિકલ/વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં ભણતા સરકારી સંસ્થાઓના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા અપાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/under-pm-unemployment-allowance-rs-3500-did-you-get-the-message">પીએમ બેરોજગારી ભથ્થાં હેઠળ મહિને રૂ. 3500 મળશે, તેમને મેસેજ આવ્યો હોય તો ચેતી જજો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 07 Nov 2024 13:40:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1506</Articleid>
                    <excerpt>કેન્દ્ર સરકારે ગેરેન્ટર વિના 10 લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન માટેની પીએમ વિદ્યાલક્ષ્મી યોજના શરૂ કરી છે. જાણો છે આ યોજના અને કેવી રીતે તેનો લાભ મળી શકે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672c7428095c5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672c7427ce9fd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672c7427ce9fd.jpg" length="59387" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>PM Vidya Lakshmi Yojana, PM Vidya Lakshmi scheme</media:keywords>
                </item>
                        <item>
                    <title>એન્જિનિયરિંગના પ્રોફેસરો ડિલિવરી બોયનું કામ કરી રહ્યા છે...</title>
                    <link>https://khabarantar.com/engineering-professor-working-as-a-delivery-boy-in-telangana</link>
                    <guid>https://khabarantar.com/engineering-professor-working-as-a-delivery-boy-in-telangana</guid>
                    <description>
                        <![CDATA[ એઆઈના આગમન બાદ સૌથી મોટી અસર એન્જિનિયરીંગના શિક્ષણ પર પડી છે. એક સમયે દોઢ લાખ પગાર મેળવતા પ્રોફેસરો આજે રૂ. 20 હજારમાં કામ કરવા મજબૂર છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેલંગાણામાં એન્જિનિયરિંગની બેઠકોમાં 70 ટકાના ઘટાડા પછી કૉલેજના પ્રોફેસરો રસ્તા પર આવી ગયા છે અને ઘર ચલાવવા માટે ડિલિવરી બોયનું કામ કરી રહ્યાં છે. પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિગ્રી અને દાયકાઓનો અનુભવ ધરાવતા ઘણા વરિષ્ઠ પ્રોફેસરો હાલમાં ડિલિવરી બોય તરીકે કામ કરી રહ્યાં છે અને લોકોના ઘરે કરિયાણું અને અન્ય ખાદ્યસામગ્રી પહોંચાડી રહ્યાં છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમાંના ઘણા પ્રોફેસરો તો એવા છે કે જેઓ ઘર ખર્ચ પુરો કરવા માટે રસ્તાની બાજુમાં બેસીને શાકભાજી વેચી રહ્યાં છે. તેઓ દરરોજ 500 થી 1000 રૂપિયાની કમાણી કરે છે, જે તેની પ્રોફેસરશિપ દરમિયાન કમાણી કરેલ 40 હજારથી 1.5 લાખ રૂપિયા કરતા ઘણી ઓછી છે. જો કે, આમાંના કેટલાક લોકો કે જેઓ ફ્રીલાન્સ શિક્ષકો અથવા આઉટસોર્સ કર્મચારી તરીકે કામ કરી રહ્યા છે તેમની સ્થિતિ વધુ સારી છે. પરંતુ હજુ પણ ઘણા લોકો બેરોજગાર છે. જ્યારે તેમને નોકરી ગુમાવ્યાને લગભગ બે વર્ષ જેટલો સમય થઈ ગયો છે. તેમને અચાનક તેમના પદ પરથી મુક્ત કરવામાં આવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં તેલંગાણામાં એન્જિનિયરિંગની 86943 બેઠકો છે. જે EAP અને CET દ્વારા ભરવામાં આવે છે. તેમાંથી 61587 બેઠકો કોમ્પ્યુટર સાયન્સ અને તેની સંબંધિત શાખાઓની છે. જ્યારે સિવિલ, મિકેનિકલ અને તેની સાથે જોડાયેલી બ્રાન્ચ માટે માત્ર 7458 બેઠકો છે. જ્યારે વર્ષ 2020 પહેલા તેમાં પણ 18 હજાર સીટો હતી. એટલું જ નહીં, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સની પણ મહત્તમ સીટો 4751 છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/how-will-gujarat-learn-in-this">આમાં કેવી રીતે 'ભણશે ગુજરાત'?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્ય એન્જિનિયરિંગ સેક્ટરમાં આટલી મર્યાદિત સીટો હોવા છતાં દર વર્ષે 25 ટકા સીટો ખાલી જઈ રહી છે. અપેક્ષા મુજબ મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રીકલના મુખ્ય ક્ષેત્રો AI, ડેટા સાયન્સ, LOT અને સાયબર સિક્યોરિટી તરફ વળ્યા પછી તેલંગાણાની 175 થી વધુ એન્જિનિયરિંગ કોલેજો તેમની સીટોમાં 50-75 ટકા ઘટાડો કરશે.</span><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">આનું પરિણામ શું આવશે? </span><span style="font-size: 14pt;">આ કોર્સના ફેકલ્ટી મેમ્બર્સને છુટા કરવામાં આવશે અથવા ખૂબ જ ઓછા પગારમાં તેમની પોતાની શરતો પર કામ કરવાની ફરજ પાડવામાં આવશે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અચ્યુત વીએ નામના એક પ્રોફેસરે કહ્યું કે, મેં પ્રોફેસર તરીકે નોકરી કરવાનું છોડી દીધું છે, કારણ કે મને મારા પહેલાથી ઓછા પગારમાં પણ 50 ટકા કાપની ઓફર કરવામાં આવી હતી. અચ્યુત શહેરની એક કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો કોર્સ ભણાવતા હતા. હવે તે ડિલિવરી બોય તરીકે કામ કરી રહ્યા છે જેના માટે તેને રોજના 600 રૂપિયા મળે છે. જ્યારે પણ તેમને સમય મળે છે ત્યારે તેઓ ટુ-વ્હીલર ટેક્સી ડ્રાઈવર તરીકે પણ કામ કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/land-of-11-dalit-families-seized-by-district-education-officer">જિલ્લા શિક્ષણાધિકારીએ 11 દલિત પરિવારોની જમીન પડાવી લીધી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું, પહેલા મને શરૂઆતમાં 40 હજાર રૂપિયા મળતા હતા પરંતુ મેનેજમેન્ટે તેને ઘટાડીને 20 હજાર રૂપિયા કરી દીધા હતા. જે બાદ વધુ કાપ મુકવાની વાત થઈ હતી. મારે તે નોકરી છોડી દેવી પડી, કારણ કે મારો પરિવાર 10,000 રૂપિયામાં જીવન જીવી શકે તેમ ન હતો. અચ્યુતને બે બાળકો પણ છે. એક 7મા ધોરણમાં ભણે છે જ્યારે બીજો 8મા ધોરણમાં ભણે છે. તે બાળકોને ખબર નથી કે તેમના પિતા ડિલિવરી બોય તરીકે કામ કરે છે. અચ્યુતે અન્ય જગ્યાએ ભણાવવાનો પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી. તેમણે કહ્યું કે ઘણી કોલેજોની બ્રાન્ચો બંધ કરી દેવામાં આવી છે અથવા તો સીટોની સંખ્યા ઘટાડીને 30 કરી દેવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">19 વર્ષનો અનુભવ ધરાવતા ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર ચૌધરી વામસી કૃષ્ણનને પણ આવા જ અનુભવનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું, "મને દર મહિને 1.30 લાખ રૂપિયા મળતા હતા. જે બાદ મેનેજમેન્ટે મને 50 હજાર રૂપિયામાં કામ કરવાનું કહ્યું હતું. મને અત્યંત અપમાનજનક લાગ્યું. અત્યારે હું મારી બચત પર જ જીવન જીવી રહ્યો છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-higher-the-education-the-lower-the-job-opportunities-reports-ilo">શિક્ષણ જેટલું વધુ એટલી જ નોકરીની તકો ઓછીઃ ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનનો રિપોર્ટ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 07 Nov 2024 09:47:23 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1504</Articleid>
                    <excerpt>એઆઈના આગમન બાદ સૌથી મોટી અસર એન્જિનિયરીંગના શિક્ષણ પર પડી છે. એક સમયે દોઢ લાખ પગાર મેળવતા પ્રોફેસરો આજે રૂ. 20 હજારમાં કામ કરવા મજબૂર છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672c3f310c4d3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672c3f30cb919.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672c3f30cb919.jpg" length="59248" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>telangana news, engineering professor, working, delivery boy, janchowk.com</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજ્યની 1 જિલ્લા, 3 તાલુકા પંચાયતની બેઠકો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું</title>
                    <link>https://khabarantar.com/notification-published-for-1-district-3-taluka-panchayat-seats-in-the-state</link>
                    <guid>https://khabarantar.com/notification-published-for-1-district-3-taluka-panchayat-seats-in-the-state</guid>
                    <description>
                        <![CDATA[ રાજ્ય સરકાર દ્વારા ખેડા જિલ્લા પંચાયત અને કઠલાલ, કપડવંજ તથા ગાંધીનગર તાલુકા પંચાયતની બેઠકો અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-ખેડા જિલ્લા પંચાયતની ૪૪ બેઠકમાં ૧૨ ઓબીસી, ૨ એસસી અને ૧ એસટી માટે અનામત</span><br><span style="font-size: 14pt;">-કપડવંજમાં ૭ ઓબીસી અને કઠલાલમાં ૬ ઓબીસી માટે જ્યારે એસસી-એસસી માટે ૧-૧ બેઠક અનામત</span><br><span style="font-size: 14pt;">-ગાંધીનગર તાલુકા પંચાયતની ૨૮માંથી ૮ ઓબીસી અને એસસી-એસટી માટે ૧-૧ બેઠક અનામત  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા ખેડા જિલ્લા પંચાયત અને કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની બેઠકો અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેમાં ખેડા જિલ્લા પંચાયત અને કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની એસસી, એસટી અને ઓબીસી બેઠકો અંગેની જાહેરાત કરાઇ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સરકારના વિકાસ કમિશનર કચેરીના અધિક વિકાસ કમિશનર ડૉ. ગૌરવ દહિયા દ્વારા ઉક્ત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની  અનામત બેઠકો અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ખેડા જિલ્લા પંચાયતની કુલ ૪૪ બેઠકો પૈકીની અનામત બેઠકો જાહેર કરાઇ છે. તેમાં ઓબીસી માટે ૧૨ બેઠકો, એસસી માટે ૨ અને એસટી માટે ૧ બેઠક જાહેર કરાઇ છે તો બિન અનામત વર્ગ માટે ૨૯ બેઠકો રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતની બેઠકોને માટે પણ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તેમાં કપડવંજ તાલુકા પંચાયતની કુલ ૨૬ બેઠકોમાંથી ૧ એસસી, ૧ એસટી, ૭ ઓબીસી માટે અને બાકીની ૧૭ બેઠક બિનઅનામત બેઠક જાહેર કરાઇ છે. તો કઠલાલ તાલુકા પંચયતની કુલ ૨૪ બેઠકોમાંથી ૧ એસસી માટે, ૧ એસટી માટે, ૬ ઓબીસી માટે અને બાકીની ૧૬ બેઠક બિનઅનામત બેઠક જાહેર કરાઇ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તો ગાંધીનગર તાલુકા પંચાયતની કુલ ૨૮ બેઠકોમાંથી ૧ એસસી, ૧ એસટી માટે, ૮ ઓબીસી માટે અને બાકીની ૧૮ બેઠક બિનઅનામત બેઠક જાહેર કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/elections-to-7000-gram-panchayats-of-the-state-will-be-held-next-september">આગામી સપ્ટેમ્બરમાં રાજ્યની 7 હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 06 Nov 2024 21:09:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1502</Articleid>
                    <excerpt>રાજ્ય સરકાર દ્વારા ખેડા જિલ્લા પંચાયત અને કઠલાલ, કપડવંજ તથા ગાંધીનગર તાલુકા પંચાયતની બેઠકો અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672b8d02a2bf4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672b8d0271c0e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672b8d0271c0e.jpg" length="68771" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Panchayat Meetings, Notification</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિતોને સ્મશાનભૂમિ મળતા નારાજ સવર્ણોએ અંતિમયાત્રા પર પથ્થરમારો કર્યો</title>
                    <link>https://khabarantar.com/upper-castes-angry-over-dalits-getting-cremation-ground-pelted-stones-at-funeral-procession</link>
                    <guid>https://khabarantar.com/upper-castes-angry-over-dalits-getting-cremation-ground-pelted-stones-at-funeral-procession</guid>
                    <description>
                        <![CDATA[ સવર્ણોએ દલિતોને બહિષ્કાર કર્યો છે અને ધમકી આપી છે કે, પ્રાથમિક શાળા અને રાશનની દુકાન અમારા વિસ્તારમાં છે. એકવાર અહીં આવી જુઓ પછી તમને બતાવીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના ભીમ પોલીસ સ્ટેશનમાં જાતિ ભેદભાવની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક અનુસૂચિત જાતિ સમાજની એક વ્યક્તિનું મોત થઈ જતા સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા. જો કે ગામના સવર્ણોએ તેનો વિરોધ કર્યો હતો અને અંતિમયાત્રા પર પથ્થરમારો કરી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના કુશલપુરાના દેવડુંગરી ગામની છે. અહીં વહીવટીતંત્ર દ્વારા ફાળવવામાં આવેલા સ્મશાનભૂમિમાં મૃતક ઘીસા રામનો પરિવાર અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યો હતો ત્યારે આ ઝઘડો થયો હતો. સ્થાનિક રાવત સમાજે મૃતકના પરિવારને અહીં મૃતદેહને દફનાવતા રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તંગદિલી સર્જાઈ હતી. મામલો એટલો ઉગ્ર બની ગયો કે બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો. આખરે પોલીસની દરમિયાનગીરી, કડકાઈ અને સમજાવટ બાદ પોલીસ જાપ્તા વચ્ચે મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના 31 ઓક્ટોબરની છે. અહીં ઘીસા રામ નામના દલિત વ્યક્તિનું અવસાન થયું હતું. જેની અંતિમવિધિની તૈયારીઓ ચાલી રહી હતી. તેમના પુત્ર ગંગા રામે સમાજના લોકો સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ફાળવવામાં આવેલા સ્મશાન ખાતે અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગંગારામના જણાવ્યા પ્રમાણે, જ્યારે દફનવિધિ માટે જેસીબી મશીનથી ખાડો ખોદવામાં આવી રહ્યો હતો ત્યારે મહિલાઓ સહિત રાવત સમાજના લગભગ 50 થી 100 લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ પથ્થરમારામાં જેસીબી મશીનનો કાચ તૂટી ગયો હતો અને ડ્રાઇવરને પણ માર મારવામાં આવ્યો હતો. સાથે જ સાળવી સમાજના લોકોને જાતિસૂચક ગાળો ભાંડવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/the-road-to-the-crematorium-is-closed-the-body-of-the-dalit-daughter-has-been-lying-on-the-road-for-18-hours"><span style="font-size: 14pt;"> સ્મશાનનો રસ્તો બંધ, દલિત દીકરીનો મૃતદેહ 18 કલાકથી રસ્તામાં પડ્યો છે</span></a></span></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_672b83d88464b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના દરમિયાન આરોપીઓએ સાળવી સમાજના લોકોને ધમકી આપીને કહ્યું હતું કે, “તમે નીચી જાતિના લોકો અમારી જમીન પર અંતિમ સંસ્કાર ન કરી શકો.” આરોપીઓએ અંતિમયાત્રામાં વિક્ષેપ પાડ્યો હતો અને અનુસૂચિત જાતિ સમુદાયના લોકોને સ્થળ છોડી દેવાનો આદેશ આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સાળવી સમાજનો સામાજિક બહિષ્કાર કરાયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગંગા રામે આરોપ લગાવ્યો છે કે રાવત સમાજના લોકો તેમને સ્મશાન પર જવાથી રોકી રહ્યાં છે અને તેમના સમાજની મહિલાઓને પણ મનરેગા કાર્યસ્થળ અને વાજબી ભાવની દુકાનમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઈપણ દુકાનમાંથી સામાન ખરીદવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ રીતે તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગંગારામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના બાદ મૃતકના પુત્ર ગંગારામે એફઆઈઆર દાખલ કરી છે. જેમાં 22 લોકોના નામજોગ જ્યારે 50-100 અજાણ્યા લોકો વિરુદ્ધ જાતિ આધારિત દુર્વ્યવહાર, ધમકીઓ આપવી અને મારામારી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. FIRમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમ 3(1)(r)(s), 3(2)(v)(a)નો સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષકે આ કેસની તપાસ ડીવાયએસપી પારસ ચૌધરીને સોંપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતોને સ્મશાન માટે જમીન ફાળવાતા સવર્ણોને ન ગમ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આખા મામલામાં દલિતોને સ્મશાન માટે ગામની નજીક ફાળવવામાં આવેલી જમીન કારણભૂત છે. સવર્ણો જાણે ગામ આસપાસની જમીન તેમના બાપદાદાની જ જાગીર હોય તેમ વર્તતા હોવાથી ડખો ઉભો થયો હતો. સરકારી ધોરણે જમીન દલિતોને સ્મશાન માટે ફાળવવામાં આવી હોવા છતાં સવર્ણો દાદાગીરી કરીને તેમને આ જમીન છોડી દેવા ધમકી આપતા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લા ત્રણ મહિનામાં જ્યારે વહીવટીતંત્રે સાળવી સમાજને સ્મશાન માટે ગૌચરની જમીન ફાળવી ત્યારથી બંને સમાજો વચ્ચે વિવાદ શરૂ થયો હતો. એ પહેલા દલિતો માટે કોઈ સ્મશાન નહોતું. હાઈવેની આજુબાજુ, ખાલી ખાનગી જમીન હતી જેના માલિકો બહાર રહેતા હોવાથી વર્ષોથી સાળવી સમાજ તેમના મૃતકોની અંતિમવિધિ કરતો હતો. પરંતુ વરસાદમાં ત્યાં પહોંચવું મુશ્કેલ બનતું હતું. પંચાયત તરફથી સુવિધાના અભાવે, તળાવ ભરાઈ જવાથી અને જમીનમાં પાણી ભરાઈ જવાથી મૃતદેહને દફનાવવાની સમસ્યાને જોતા સાળવી સમાજે સરકાર પાસે સ્મશાનભૂમિની માંગણી કરી હતી. જેના આધારે ત્રણ મહિના પહેલા જ તેમને ગૌચરમાંથી હાલની જગ્યા ફાળવવામાં આવી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાવતો દલિતોને ધમકી આપી રહ્યાં છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જમીન મળ્યા બાદ રાવત સમુદાયે અગાઉ પણ એક વખત મૃતદેહને દફનાવવા સામે વિરોધ દર્શાવ્યો હતો, પરંતુ આ વખતે મામલો વધુ વણસી ગયો હતો. ગામમાં સાળવી સમાજના 20-25 ઘર છે જ્યારે રાવત સમુદાયના ઘરો વધુ છે. તેમના વર્ચસ્વને કારણે બંને સમાજ વચ્ચે કડવાશ વધી છે. જમીનની ફાળવણી બાદ તેમને મનરેગા રોસ્ટરમાં મસ્ટર રોલ પણ અલગ કરી દેવાયા છે. ગામની પ્રાથમિક શાળા અને સસ્તા અનાજની દુકાન રાવતોના વિસ્તારમાં છે. તેઓ અમને ધમકી આપે છે કે, “એકવાર અમારી બાજુ આવીને બતાવો, પછી અમે તમને બતાવીએ.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/there-is-no-road-to-the-crematorium-the-dalit-elderly-had-to-be-cremated-in-the-courtyard">સ્મશાન સુધીનો રસ્તો નથી, આંગણામાં દલિત વૃદ્ધની અંતિમવિધિ કરવી પડી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 06 Nov 2024 20:32:07 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 06 Nov 2024 20:33:08 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1501</Articleid>
                    <excerpt>સવર્ણોએ દલિતોને બહિષ્કાર કર્યો છે અને ધમકી આપી છે કે, પ્રાથમિક શાળા અને રાશનની દુકાન અમારા વિસ્તારમાં છે. એકવાર અહીં આવી જુઓ પછી તમને બતાવીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672b83b8bcbe7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672b83b88afa6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672b83b88afa6.jpg" length="106412" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Caste Discrimination, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>વાસદમાં બુલેટ ટ્રેન બ્રિજનો એક હિસ્સો ધરાશાયી, 4 મજૂરો દટાયા, બેનાં મોત</title>
                    <link>https://khabarantar.com/a-portion-of-the-bullet-train-bridge-collapsed-in-vasad-4-laborers-were-burried-two-died</link>
                    <guid>https://khabarantar.com/a-portion-of-the-bullet-train-bridge-collapsed-in-vasad-4-laborers-were-burried-two-died</guid>
                    <description>
                        <![CDATA[ આણંદના વાસદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ગડરનો એક હિસ્સો ધરાશાયી થતા ચાર મજૂરો દટાઈ ગયા છે, જેમાં બેનાં મોત થયા છે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરત બાદ હવે આણંદમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના ઘટી છે. આણંદના વાસદ નજીક રાજપુરા ખાતે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી હતી, એ દરમિયાન બ્રિજ પર ગડરનો ભાગ ધરાશાયી થતાં કોંક્રિટના કાટમાળમાં ચાર શ્રમિકો દટાયા હતા. જેમાંથી ત્રણ શ્રમિકોને બહાર કાઢીને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બે શ્રમિકોના મોત થયાના પણ સમાચાર મળી રહ્યા છે. જ્યારે હજુ એક શ્રમિકની શોધખોળ ચાલી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ મહીસાગર બ્રિજ પર લોખંડની ગડર નાખવાની અને પથ્થરો બેસાડવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ ઘટના ઘટી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું હતું કે, “આજે સાંજે ચાર કામદારો મહી નદી પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ સ્થળ પર કોંક્રીટ બ્લોક વચ્ચે ફસાયા હતા. જેમાંથી બેના મોત થયા છે. હાલ બચાવ કાર્ય ચાલુ છે. ત્રણ મજૂરને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે પૈકી બેના મોત નીપજ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના અંગે ડીએસપી આનંદ ગૌરવ જસાણીએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઈટ પર લગાવવામાં આવેલો ગર્ડર આજે પડી ગયો હતો. આ ઘટનામાં ત્રણ મજૂરોને બચાવીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ હજુ એક મજૂર તેમાં ફસાયેલો છે અને તેને બચાવવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તરફ દુર્ઘટના સર્જાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તંત્રના અધિકારીઓ અને એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ સહિતના કાફલા દ્વારા તાબડતોબ બચાવ અને રાહત કામગીરી હાથ ધરાઈ. જેસીબી-ક્રેન વડે પથ્થરો હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/150-dalits-houses-of-girdharnagar-destroyed-in-bullet-train-project-no-compensation">બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગિરધરનગરના 150 દલિતોના ઘર તૂટ્યાં, વળતર નહીં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 05 Nov 2024 21:59:43 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1497</Articleid>
                    <excerpt>આણંદના વાસદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ગડરનો એક હિસ્સો ધરાશાયી થતા ચાર મજૂરો દટાઈ ગયા છે, જેમાં બેનાં મોત થયા છે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672a4724747d7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672a47244004f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672a47244004f.jpg" length="78413" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Major accident in bullet train project, Anand, Vasad village</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગણપતિ પૂજા પર PM મારા ઘરે આવે એમાં કંઈ ખોટું નથી: ડી.વાય. ચંદ્રચૂડ</title>
                    <link>https://khabarantar.com/there-is-nothing-wrong-with-pm-coming-to-my-house-on-ganpati-puja-dy-chandrachud</link>
                    <guid>https://khabarantar.com/there-is-nothing-wrong-with-pm-coming-to-my-house-on-ganpati-puja-dy-chandrachud</guid>
                    <description>
                        <![CDATA[ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડે ગણપતિ પૂજા દરમિયાન પીએમ મોદી તેમના ઘરે આવ્યા તે મામલે હવે નિવેદન આપ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીજેઆઈ ધનંજય ચંદ્રચૂડને વડાપ્રધાન તેમના ઘરે ગણપતિ પૂજામાં હાજરી આપવા આવે તેમાં કશું ખોટું નથી લાગતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગણપતિ પૂજા પર તેમના સત્તાવાર નિવાસસ્થાનની મુલાકાત લે છે તેમાં “કંઈ ખોટું નથી” અને આવા મુદ્દાઓ પર “રાજકીય વર્તુળોમાં પરિપક્વતાની ભાવના” ની જરૂર છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીજેઆઈએ કહ્યું હતું કે એ બાબતનું સન્માન થવું જોઈએ કે ન્યાયતંત્ર અને કારોબારી વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા મજબૂત આંતર-સંસ્થાકીય મિકેનિઝમ્સ હેઠળ થાય છે અને સત્તાના વિભાજનનો અર્થ એ નથી કે તેઓ એકબીજાને મળશે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ગણેશોત્સવ દરમિયાન પીએમ મોદી ચંદ્રચૂડના ઘરે ગણપતિ પૂજામાં હાજરી આપવા ગયા હતા. જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. કોંગ્રેસ સહિતના વિપક્ષોએ આ મામલે સીજેઆઈની આકરી ઝાટકણી કાઢી હતી. શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે તો ત્યાં સુધી કહી દીધું હતું કે, હવે કદાચ અમારા પેન્ડિંગ કેસો મામલે અમારા વિરોધમાં કોઈ ચૂકાદો આવે છે તો અમને ખ્યાલ આવી જશે કે આવું શા માટે થયું. આ મામલે ચોતરફથી ટીકાઓ થઈ રહી હતી ત્યારે સીજેઆઈ ચંદ્રચૂડે કશો પણ જવાબ વાળ્યો નહોતો. હવે તેમણે આ મામલે ખુલાસો કર્યો છે કે, એમાં કશું ખોટું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના બની એ દરમિયાન કોંગ્રેસની આગેવાની હેઠળ વિરોધ પક્ષો અને વકીલોના એક વર્ગ દ્વારા વડા પ્રધાનની ચંદ્રચૂડના ઘરની મુલાકાતની યોગ્યતા અને ન્યાયતંત્ર અને કાર્યપાલિકાની મર્યાદાઓ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. બીજી તરફ, ભાજપે ટીકાને અવગણીને કહ્યું હતું કે “આ દેશની સંસ્કૃતિનો એક ભાગ છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચંદ્રચુડે કહ્યું, “સત્તાઓના વિભાજનની વિભાવનાનો અર્થ એ નથી કે ન્યાયતંત્ર અને કાર્યપાલિકા એકબીજાથી અલગ છે તે અર્થમાં તેઓ એકબીજાને મળશે નહીં અથવા તર્કસંગત સંવાદ નહીં કરે. રાજ્યોમાં મુખ્ય ન્યાયાધીશનો પ્રોટોકોલ હોય છે અને હાઈકોર્ટની વહીવટી સમિતિ મુખ્ય પ્રધાન અને મુખ્ય ન્યાયાધીશને તેમના નિવાસસ્થાને મળે છે. આમાંની મોટાભાગની બેઠકોમાં બજેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી વગેરે જેવા મૂળભૂત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીએમ મોદીની તેમના ઘરની મુલાકાતને લઈને ચંદ્રચૂડે કહ્યું, “વડાપ્રધાન મારા ઘરે ગણપતિ પૂજા માટે આવ્યા હતા. આમાં કંઈ ખોટું નથી કારણ કે સામાજિક સ્તરે ન્યાયતંત્ર અને કાર્યપાલિકા સાથે જોડાયેલા લોકો વચ્ચે નિયમિત બેઠકો થતી રહે છે. આપણે રાષ્ટ્રપતિ ભવન, પ્રજાસત્તાક દિવસ વગેરે પર મળીએ છીએ. અમે વડાપ્રધાન અને મંત્રીઓ સાથે વાત કરીએ છીએ. આ સમય દરમિયાન અમે એવા મુદ્દાઓની ચર્ચા કરતા નથી કે જેના પર અમારે નિર્ણય લેવાનો હોય, પરંતુ સામાન્ય રીતે જીવન અને સમાજ સાથે સંબંધિત બાબતોની ચર્ચા કરીએ છીએ.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું, “રાજકીય પદ્ધતિમાં આને સમજવા અને તેના ન્યાયાધીશો પર વિશ્વાસ કરવા માટે પરિપક્વતાની ભાવના હોવી જોઈએ, કારણ કે અમે જે કામ કરીએ છીએ તેનું મૂલ્યાંકન અમારા લેખિત શબ્દો દ્વારા કરવામાં આવે છે. અમે જે પણ નિર્ણય લઈએ છીએ તે ગુપ્ત રાખવામાં આવતો નથી અને ખુલ્લેઆમ ચર્ચા કરી શકાય છે. એ રીતે વહીવટી સ્તરે કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચેની વાતચીતને ન્યાયિક બાજુ સાથે કોઈ લેવાદેવા નથી.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/my-lord-why-should-the-burden-of-social-justice-be-shouldered-by-dalits-tribals">માય લોર્ડ, સામાજિક ન્યાયનો ભાર દલિતો-આદિવાસીઓને ખભે શા માટે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 05 Nov 2024 21:12:03 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1496</Articleid>
                    <excerpt>સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડે ગણપતિ પૂજા દરમિયાન પીએમ મોદી તેમના ઘરે આવ્યા તે મામલે હવે નિવેદન આપ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672a3cbc6a1a8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672a3cbc37f71.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672a3cbc37f71.jpg" length="115195" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Chief Justice of the Supreme Court, D.Y. Chandrachud, PM Modi</media:keywords>
                </item>
                        <item>
                    <title>હાઈકોર્ટમાં 1.70 લાખ, નીચલી કોર્ટોમાં 15 લાખથી વધુ કેસો પેન્ડિંગ</title>
                    <link>https://khabarantar.com/1.70-lakh-cases-pending-in-high-court-more-than-15-lakh-cases-pending-in-lower-courts</link>
                    <guid>https://khabarantar.com/1.70-lakh-cases-pending-in-high-court-more-than-15-lakh-cases-pending-in-lower-courts</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં હાઈકોર્ટથી લઈને નીચલી કોર્ટ સુધી પેન્ડિંગ કેસોનો ખડકલો વધતો જઈ રહ્યો છે. આ રિપોર્ટ વાંચશો તો કેવી દયનિય સ્થિતિ પ્રવર્તે છે તેનો ખ્યાલ આવશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં હાઈકોર્ટથી લઈને છેક નીચલી કોર્ટો સુધીમાં લાખો કેસો પેન્ડિંગ હોવાની વિગતો મળી રહી છે. 4 નવેમ્બર, 2024ની દ્રષ્ટીએ ગુજરાત હાઇકોર્ટમાં કુલ 1.70 લાખ જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 1.15 લાખ જેટલા કેસો દીવાની પ્રકારના છે. જ્યારે 54 હજાર કરતાં વધુ કેસો ફોજદારી પ્રકારના છે. ગુજરાત હાઇકોર્ટમાં કુલ 21 હજાર જેટલા કેસો 10 વર્ષ કરતાં વધુ સમયથી જૂના છે. જ્યારે 200થી વધુ કેસો 25 વર્ષ કરતાં પણ જૂના છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જિલ્લા-તાલુકાની કોર્ટોમાં 15.62 લાખ કેસો પેન્ડિંગ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં આવેલી કોર્ટોની વાત કરીએ તો આ કોર્ટોમાં પેન્ડિંગ કેસોની કુલ સંખ્યા 15.62 લાખ જેટલી છે. આ 15.62 લાખ કેસો પૈકી 77,000 જેટલા કેસો 10 વર્ષ કરતા જૂના છે. જ્યારે 4,641 જેટલા કેસો 25 વર્ષ કરતાં વધુ જૂના છે. ગુજરાતમાં આવેલી તમામ લેબરકોર્ટમાં કુલ 41,364 જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 3,068 કેસો 10 વર્ષ કરતા વધુ જુના અને 388 જેટલા કેસો 20 વર્ષ કરતાં વધુ જુના છે. ગુજરાતમાં આવેલી તમામ જિલ્લાની ફેમિલી કોર્ટ મળીને આશરે 54 હજાર જેટલા કેસ પેન્ડિંગ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અમદાવાદ જિલ્લા-તાલુકા કોર્ટોમાં 80 હજારથી વધુ કેસોનો ખડકલો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદ જિલ્લા કોર્ટ અને તેની અંતર્ગત આવતી તાલુકા કોર્ટોની વાત કરીએ તો કુલ 80,485 જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 8,241 કેસો 10 વર્ષ કરતાં વધુ જુના અને 1225 કેસો 20 વર્ષ કરતાં વધુ જુના છે. અમદાવાદ શહેરમાં આવેલી સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં કુલ 26,784 જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 2,958 કેસો 10 વર્ષ કરતાં વધુ જુના અને 423 જેટલા કેસો 20 વર્ષ કરતાં વધુ જુના છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના જિલ્લામાં આવેલી તમામ ફેમિલી કોર્ટમાં 11,133 જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 10 વર્ષ કરતા વધુ જુના કેસો 23 છે. અમદાવાદ મેટ્રો કોર્ટમાં સૌથી વધુ 4,21,091 જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 16,317 કેસો 10 વર્ષ કરતાં વધુ જુના, જ્યારે આશરે 4,800 જેટલા કેસો 20 વર્ષ કરતાં વધુ જુના છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજકોટ, સુરત, વડોદરાની કોર્ટોમાં પણ હજારો કેસો પેન્ડિંગ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉપરાંત રાજકોટ, સુરત અને વડોદરા જિલ્લા અને તેમાં તાલુકા કોર્ટની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં આવેલી કોર્ટોમાં કુલ 96,412 જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 3600 કેસો 10 વર્ષ કરતાં વધુ સમય જૂના અને આશરે 760 કરતાં વધુ કેસો 20 વર્ષ કરતાં વધુ જૂના છે. જ્યારે ફેમિલી કોર્ટમા 3925 કેસો પૈકી 02 કેસ 10 વર્ષ કરતા જૂના છે. સુરતમાં જિલ્લામાં આવેલી કોર્ટોમાં 1.32 લાખ જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 6,332 કેસો 10 વર્ષ કરતાં વધુ જુના અને આશરે 1200 કરતા વધુ કેસો 20 વર્ષ કરતાં વધુ જૂના છે. સુરતની ફેમિલી કોર્ટમાં 5801 કેસ પેન્ડિંગ છે. જે પૈકી 01 કેસ 10 વર્ષ જૂનો છે. જ્યારે વડોદરા જિલ્લામાં આવેલી કોર્ટોમાં 87,962 જેટલા કેસો પેન્ડિંગ છે તે પૈકી 4,668 જેટલા કેસો 10 વર્ષ કરતાં વધુ જૂના અને આશરે 1180 જેટલા કેસો 20 વર્ષ કરતાં વધુ જુના છે. વડોદરા ફેમિલી કોર્ટમા 6924 કેસો પૈકી 07 કેસ 10 વર્ષ કરતા વધુ જૂના છે</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/97-percent-of-dalit-atrocities-cases-reported-in-just-13-states-report">દલિત અત્યાચારના 97 ટકા કેસો માત્ર 13 રાજ્યોમાં નોંધાય છેઃ રિપોર્ટ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 05 Nov 2024 20:14:49 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1495</Articleid>
                    <excerpt>ગુજરાતમાં હાઈકોર્ટથી લઈને નીચલી કોર્ટ સુધી પેન્ડિંગ કેસોનો ખડકલો વધતો જઈ રહ્યો છે. આ રિપોર્ટ વાંચશો તો કેવી દયનિય સ્થિતિ પ્રવર્તે છે તેનો ખ્યાલ આવશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672a2e576c5dc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672a2e572ecff.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672a2e572ecff.jpg" length="117809" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gujarat High Court, Lower Court, Pending Cases</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમદાવાદના અમરાઈવાડીમાં 37 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી</title>
                    <link>https://khabarantar.com/37-people-took-initiation-into-buddhism-in-amraiwadi-ahmedabad</link>
                    <guid>https://khabarantar.com/37-people-took-initiation-into-buddhism-in-amraiwadi-ahmedabad</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારના 37 લોકોએ જાતિવાદી હિંદુ ધર્મથી કંટાળીને ડો. આંબેડકરના રસ્તે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહેવાતું નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે પણ દલિત-આદિવાસીઓ પર અત્યાચારની વણથંભી વણઝાર ચાલુ રહેવા પામી છે. પરિણામે બહુજન સમાજમાં જાતિવાદી હિંદુ ધર્મ પ્રત્યે દિન-પ્રતિદિન ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે. કથિત ગૌરક્ષકો અને હિંદુત્વવાદી સંગઠનો દ્વારા જે રીતે કાયદો હાથમાં લઈને બંધારણના છડેચોક લીરાં ઉડાડવામાં આવે છે, બહુજન સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે, તેનાથી દલિતો-આદિવાસીઓમાં ભારે ભયનો માહોલ છે. જાતિવાદી તત્વો દ્વારા તેમને સતત અપમાનિત કરવામાં આવે છે, વર્ણ વ્યવસ્થાના આધારે તેમને સેકન્ડ ક્લાસ સિટિઝન તરીકે ટ્રીટ કરાય છે. આ બધાં કારણોસર દિન-પ્રતિદિન વધુને વધુ દલિતો જાતિવાદી હિંદુ ધર્મ છોડીને ડો. બાબાસાહેબ આંબેડકરના રસ્તે ચાલીને બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યાં છે. આવી વધુ એક ઘટના અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બે દિવસ પહેલા બની ગઈ.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6729d173f3343.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તા. 3 નવેમ્બર 2024ને રવિવારના રોજ અમરાઈવાડીના સુખરામનગરમાં આવેલા પ્રબુદ્ધ બુદ્ધ વિહાર ખાતે અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા કુલ 37 લોકો બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદ દ્વારા આયોજિત આ બંધારણીય બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ કાયદાકીય રીતે રાજ્ય સરકારના ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008ના નિયમ-1ના પેટાનિયમ 3 મુજબ યોજાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બંધારણીય બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહમાં અમદાવાદ જિલ્લાના કુલ 37 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. દીક્ષા સમારોહની શરૂઆતમાં દીક્ષાર્થીઓનાં હસ્તે ભગવાન બુદ્ધ તેમજ બોધિસત્વ બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને દીપ પ્રજ્વલિત કરી, ફૂલહાર અર્પિત કરવામાં આવેલ. ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓને અનિત્યતાનો સિદ્ધાંત સમજાવી ત્રિશરણ અને પંચશીલનું સંઘાયાન કરી સૌને દીક્ષા ગ્રહણ કરાવેલ. ત્યારબાદ બોધિસત્વ બાબાસાહેબની 22 પ્રતિજ્ઞાનું પઠન કરી ધમ્મ દેશના આપવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/dhammapada-was-the-first-book-printed-after-the-invention-of-printing-machine-in-china"><span style="font-size: 14pt;">ચીનમાં પ્રિન્ટીંગ મશીન શોધાયા બાદ છપાયેલું પ્રથમ પુસ્તક ‘ધમ્મપદ’ હતું?</span></a></span></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6729d182c1591.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008,અનૂસુચિત જાતિ પૈકી બૌદ્ધનો ગુજરાત સરકારશ્રીનો પરિપત્ર 1991 તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવી હતી. એ પછી બુદ્ધ ધમ્મના જીવનવ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ. અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ. ત્યારબાદ સૌ સાથે મળીને ભોજનદાન ગ્રહણ કરેલ. અંતે મહા ગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને નવજીવનની મંગલકામનાઓ પાઠવવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/a-buddhist-monk-turned-a-girl-who-was-scavenging-for-food-into-a-doctor">કચરામાં ખાવાનું શોધતી દીકરીને એક બૌદ્ધ ભિક્ષુકે ડોક્ટર બનાવી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 05 Nov 2024 13:35:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1493</Articleid>
                    <excerpt>અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારના 37 લોકોએ જાતિવાદી હિંદુ ધર્મથી કંટાળીને ડો. આંબેડકરના રસ્તે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6729d15a2f9d9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6729d159f1625.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6729d159f1625.jpg" length="131121" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Buddhism, Gautam Buddha</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહત્વના પદો પર SC&amp;ST કેટલાં? ચંદ્રશેખર આઝાદે હિસાબ માંગ્યો</title>
                    <link>https://khabarantar.com/how-many-sc-sts-are-there-in-important-posts-chandrashekhar-azad-demands-an-account</link>
                    <guid>https://khabarantar.com/how-many-sc-sts-are-there-in-important-posts-chandrashekhar-azad-demands-an-account</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીમાં મહત્વના પદો પર કેટલા દલિત, આદિવાસી અધિકારીઓ છે તેની ચંદ્રશેખર આઝાદે માહિતી માંગતા નવેસરથી આખો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભીમ આર્મી ચીફ (Bhim Army) અને નગીનાના સાંસદ (Nagina MP) ચંદ્રશેખર આઝાદે (Chandrashekhar Azad Ravan) ઉત્તરપ્રદેશ (UP) માં મહત્વના પદો પર કેટલા દલિત, આદિવાસી અધિકારીઓ (SC-ST officials) છે તેની વિગતો માંગી છે. વિધાનસભાની પેટાચૂંટણી પહેલા ચંદ્રશેખરે માંગેલી આ માહિતને લઈને બીએસપી (BSP) અને આઝાદ સમાજ પાર્ટી (ASP-Kanshiram)વચ્ચે દલિત સમાજના મતોને લઈને ખેંચતાણ ફરીથી શરૂ થઈ ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભીમ આર્મી ચીફ અને ASP(K) ના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે રાજ્યના મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહા (Manoj kumar sinha) ને પત્ર લખીને અધિક મુખ્ય સચિવથી લઈને પોલીસ સ્ટેશનોના એસપી સુધીના પદો પર દલિત અધિકારીઓની નિમણૂંકને લઈને હિસાબ માંગ્યો છે. જેના કારણે રાજકીય ગરમાવો આવી ગયો છે. આઝાદના આ પગલાને કારણે યોગી સરકાર ભીંસમાં મૂકાઈ છે, તો બીજી તરફ રાજ્યના રાજકારણમાં ફરી એકવાર દલિત અધિકારીઓ સાથે થતો ભેદભાવનો મુદ્દો કેન્દ્રમાં આવી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભેદભાવના આક્ષેપોનો પણ ઉલ્લેખ કરાયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચંદ્રશેખરે પત્ર લખીને નિમણૂંક વિભાગ, ગૃહ વિભાગ અને ડીજીપી પાસેથી આ જાણકારી માંગી છે. તેની સાથે જ ચંદ્રશેખરે દલિતો સાથે થતા ભેદભાવો અને અન્યાયનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે વર્તમાનમાં આ મુખ્ય પદો પર બેઠેલા અધિકારીઓ દ્વારા દલિતો સાથે થતા અન્યાયના મામલાઓમાં ન્યાય અપાવવામાં જાણી જોઈને ઢીલ દાખવવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-madhya-pradesh-government-allocated-crores-of-rupees-for-sc-st-entitlements-for-co"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશ સરકારે SC-ST ના હકના કરોડો રૂપિયા ગાયો માટે ફાળવી દીધાં</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખીય છે કે, ચંદ્રશેખરે હાલમાં જ લખનઉમાં પોલીસ કસ્ટડીમાં મોતને ભેટેલા એક દલિત યુવકના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી હતી અને તેમને ન્યાયનું આશ્વાસન આપ્યું હતું. સામાન્ય રીતે બીએસપીના નેતાઓ દલિત અત્યાચારની ઘટનાઓમાં ન્યાય અપાવવા માટે સૌથી પહેલા પહોંચી જતા હોય છે. પરંતુ આ કેસમાં હજુ સુધી બીએસપીના કોઈ મોટા નેતા પહોંચ્યા નહોતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">22 ટકા દલિત વસ્તી સાથે અન્યાય</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચંદ્રશેખરે પોતાના પત્રમાં લખ્યું હતું કે, દલિતોની અંદાજે 22 ટકા વસ્તી છે, જેમની સાથે જાતિ આધારિત અત્યાચારો, શોષણ અને અન્યાય થઈ રહ્યો છે. તેમને પોલીસ સ્ટેશનમાંથી ભગાડી દેવામાં આવે છે, પોલીસ તેમની સાથે અભદ્ર વર્તન કરે છે, કેસ નોંધવામાં નથી આવતો અને મજબૂરીમાં કેસ નોંધવામાં પણ આવે તો તેમાં ચેડાં કરવામાં આવે છે અને હકીકત બદલી દેવામાં આવે છે, જેથી આખો કેસ નબળો પડી જાય છે અને આરોપીઓ છટકી જાય છે. અનેક કેસોમાં હળવી કલમો લગાવીને પોલીસ કથિત ઉચ્ચ જાતિના આરોપીઓને છાવરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કઈ કઈ માહિતી માંગવામાં આવી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચંદ્રશેખરે મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ, સચિવ, વિભાગીય કમિશનર, DG, ADG, IG, DIG, DM, SSP, SP, ADM અને પોલીસ સ્ટેશનોના એસપી સુધીમાં દલિત-આદિવાસી સમાજના અધિકારીઓની વસ્તી કેટલી છે તેની માહિતી માંગી છે. જો આ માહિતી મળી જાય છે, તો યુપીમાં દલિત અધિકારીઓ કેટલા છે, તેનો ખ્યાલ આવી જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/fake-dalits-fake-tribals-who-are-eating-the-jobs-of-sc-sts">નકલી દલિત - નકલી આદિવાસી બની SC-ST ની નોકરીઓ કોણ ખાય છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 03 Nov 2024 11:42:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1489</Articleid>
                    <excerpt>જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીમાં મહત્વના પદો પર કેટલા દલિત, આદિવાસી અધિકારીઓ છે તેની ચંદ્રશેખર આઝાદે માહિતી માંગતા નવેસરથી આખો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672712e9e1a1e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672712e9ae524.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672712e9ae524.jpg" length="70558" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bhim Army, Chandrashekhar Azad Ravan, BSP, ASP-Kanshiram, Manoj kumar sinha</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજસ્થાનની શાળાઓમાં હવે ‘ગૌમાતા’ વિશે ભણાવવામાં આવશે</title>
                    <link>https://khabarantar.com/schools-in-rajasthan-will-now-teach-about-gaumata</link>
                    <guid>https://khabarantar.com/schools-in-rajasthan-will-now-teach-about-gaumata</guid>
                    <description>
                        <![CDATA[ AI ના જમાનામાં ભાજપની ભજનલાલ શર્મા સરકાર ગૌમાતા વિશે બાળકોને ભણાવશે. પેટાચૂંટણી પહેલા ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">schools in rajasthan will be taught about gaumata : થોડા દિવસો પહેલા રાજસ્થાન (Rajasthan) માં ગાય (Cow) ને ‘રખડતી’ કહેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને હવે તેમને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. રાજ્ય સરકાર પ્રાથમિક શાળા (primary school) ના પુસ્તકો (text books) માં ગાય આધારિત પ્રકરણ (Lessons related to cows) નો સમાવેશ કરી શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનમાં પેટાચૂંટણી યોજાવાની છે અને રાજકીય પક્ષો પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. દરમિયાન રાજ્યમાં સત્તાધારી પક્ષ ભાજપ ગાયો પર ભારે મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલા રસ્તા પર રખડતી ગાયોને ‘આવારા પશુ કે રખડતા ઢોર’ કહેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. અને હવે સરકારી શાળાઓમાં પણ ગાયને અભ્યાસક્રમનો ભાગ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. રાજ્ય સરકાર પ્રાથમિક શાળાના પુસ્તકોમાં ગાય આધારિત પ્રકરણનો સમાવેશ કરી શકે છે. રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે આ અંગે માહિતી આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષણ મંત્રી મદન દિલાવરે (Madan Dilawar) જણાવ્યું હતું કે, “અમે વિદ્વાનો અને નિષ્ણાતો સાથે વાત કરીશું અને બની શકે તો પ્રાથમિક શાળાના પુસ્તકોમાં ગાય માતા વિશેની માહિતી આપવાનો પ્રયાસ કરીશું. અમે ગાય માતા પર સારી ફિલ્મો બતાવવાનો પણ પ્રયાસ કરીશું. જો કે, આ વિષય પર પહેલા નિષ્ણાતો અને વિદ્વાનો સાથે ચર્ચા કરવામાં આવશે.”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગાયને ‘રખડતું ઢોર’ કહેવા પર પ્રતિબંધ</span></strong></span><br><span style="font-size: 14pt;">તાજેતરમાં રાજસ્થાનના પશુપાલન વિભાગે ગાયને ‘રખડતું ઢોર’ કહેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. વિભાગે આવી ગાયો માટે 'રખડતી' ને બદલે 'નિરાધાર' શબ્દ વાપરવાનું કહ્યું હતું. પશુપાલન મંત્રી જોરારામ કુમાવતે ગાયને સાંસ્કૃતિક વારસાનો મહત્વપૂર્ણ ભાગ ગણાવી હતી અને જાહેર સ્થળોએ નિ:સહાય અવસ્થામાં રખડતી ગાયોને ‘રખડતાં ઢોર’ ને બદલે 'નિ:સહાય' કે 'નિરાધાર' કહીને સંબોધવાનું નક્કી કર્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવા માંગ</span></strong><br><span style="font-size: 14pt;">મહારાષ્ટ્ર સરકારે દેશી ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે. જે બાદ રાજસ્થાનમાં પણ ગાયને રાજ્ય માતા બનાવવાની માંગ ઉઠી છે. રાજસ્થાનમાં ભાજપ અને અપક્ષ ધારાસભ્યોએ ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે એક અભિયાન શરૂ કર્યું છે. તેમની માંગ છે કે ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ. રાજસ્થાન સરકારે પણ આ મામલે તમામ ધારાસભ્યો અને કાર્યકર્તાઓને આશ્વાસન આપ્યું છે કે તેઓ આ અંગે જલ્દી નિર્ણય લેશે. અત્યાર સુધી ભાજપ અને અપક્ષ સહિત કુલ 31 ધારાસભ્યોએ આ માટે મુખ્યમંત્રી ભજનલાલ શર્માને પત્ર લખ્યો છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં સાત વિધાનસભા બેઠકો માટે 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે. જેમાં દૌસા, દેવલી-ઉનિયારા, ઝૂંઝણું. રામગઢ, ચૌરાસી, સલૂંબર અને ખીંવસર સીટનો સમાવેશ થાય છે. 25 ઓક્ટોબર સુધી આ બેઠકો માટે કુલ 118 ઉમેદવારીપત્રો ભરાયા હતા, જેમાંથી 11 રદ થયા છે. નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર છે. ટૂંકમાં આખો મામલો ચૂંટણી આવી રહી હોવાથી હિંદુત્વ મુદ્દે લોકોનું ધ્યાન ખેંચવા માટે કરાઈ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/leave-vrat-fast-mangalsutra-sindoor-we-are-not-hindus-tribal-society">વ્રત, ઉપવાસ, મંગળસૂત્ર, સિંદૂર છોડો, આપણે હિંદુ નથીઃ આદિવાસી સમાજ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 31 Oct 2024 18:48:20 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 31 Oct 2024 18:50:03 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1487</Articleid>
                    <excerpt>AI ના જમાનામાં ભાજપની ભજનલાલ શર્મા સરકાર ગૌમાતા વિશે બાળકોને ભણાવશે. પેટાચૂંટણી પહેલા ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6723831454a3a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_672383141c55e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_672383141c55e.jpg" length="99010" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Rajasthan news, gaumata, school sylebus</media:keywords>
                </item>
                        <item>
                    <title>સત્યનારાયણની કથા બંધ કરાવાતા બ્રાહ્મણોએ જયંત પંડ્યાના ઘરે હલ્લો મચાવ્યો</title>
                    <link>https://khabarantar.com/when-satyanarayans-story-was-stopped-brahmins-rioted-at-jayant-pandyas-house</link>
                    <guid>https://khabarantar.com/when-satyanarayans-story-was-stopped-brahmins-rioted-at-jayant-pandyas-house</guid>
                    <description>
                        <![CDATA[ રાજકોટના કર્મકાંડી બ્રાહ્મણોએ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના ઘરે ગંગાજળનો છંટકાવ કરી જયંત પંડ્યા હાય હાયના નારા લગાવ્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટની પારડી પી.જી.વી.સી.એલ. ખાતે કચેરીમાં ચાલતી સત્યનારાયણ ભગવાનની કથા ભારતીય જનવિજ્ઞાન જાથાએ બંધ કરાવી હતી. આથી આ સંસ્થાના જયંત પંડ્યાના ઘરે ભૂદેવ સેવા સમિતિ મોરચો લઈને વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટમાં કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા જયંત પંડ્યાના ઘરે ગંગાજળનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને જયંત પંડ્યા હાય હાયના નારા લગાવ્યા હતા. આ સાથે જાથા નામની સંસ્થા તોડબાજી કરતી હોવાના આક્ષેપો કરાયા હતા. આ બાબતે વડાપ્રધાન સુધી લેખિત રજૂઆત કરવા માટે એલાન કરાયું હતું. દરમિયાન અધૂરી રહેલી સત્યનારાયણ ભગવાનની કથા આવતીકાલે સાંજે જયંત પંડ્યાના ઘર બહાર જ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગત શુક્રવારે રાજકોટના શાપર વેરાવળના પારડી ખાતે આવેલી પી.જી.વી.સી.એલ.ની કચેરી ખાતે ભારતીય જન વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા પહોંચ્યા હતા અને ચાલુ કચેરીએ યોજવામાં આવી રહેલી સત્યનારાયણ ભગવાનની કથાને બંધ કરાવી હતી. જે બાદ બ્રાહ્મણો રોષે ભરાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે રાજકોટમાં ભૂદેવ સેવા સમિતિ દ્વારા તેને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. આ સમિતિના તેજસ ત્રિવેદીએ મીડિયાને જણાવ્યું હતું કે,  તેઓ દાનવના ઘરને શુદ્ધિકરણ કરવા માટે આવ્યા હતા. જેમાં કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા શ્લોકના ઉચ્ચારણ સાથે ગંગાજળનો છંટકાવ કરવામાં આવ્યો હતો. કારણ કે દાનવનું ઘર શુદ્ધ ન હોઈ શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે જણાવ્યું હતું કે, જયંત પંડ્યા ભારતીય જન વિજ્ઞાન જાથાના નામે તોડબાજી થાય છે તે બાબતે રાજ્ય સરકારને અમારું પ્રતિનિધિ મંડળ રજૂઆત કરવા માટે જશે. જયંત પંડ્યા તોડબાજી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જેથી રાજ્ય સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે, આ ટ્રસ્ટ બંધ કરાવવામાં આવે. હિન્દુ દેવી દેવતાઓના મંદિરો ઉપર જાથા વારંવાર રેડ પાડે છે. કારણ કે હિન્દુઓની સરકાર છે અથવા તો સરકારે એવી જાહેરાત કરવી પડશે કે જાથાને હિન્દુ દેવી-દેવતાઓને ત્યાં રેડ પાડવા માટેની અમે પરમિશન આપેલી છે. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ રજૂઆત કરશું અને પૂછશું કે શું સરકારે હિન્દુ દેવી દેવતાઓના મંદિરે રેડ પાડવાની જયંત પંડ્યાને પરમિશન આપેલી છે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/at-Somnath-the-local-brahmins-went-on-a-fast-while-worshiping-outside-brahmins">સોમનાથમાં બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવાતા સ્થાનિક બ્રાહ્મણો ઉપવાસ પર ઉતર્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 30 Oct 2024 21:38:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1486</Articleid>
                    <excerpt>રાજકોટના કર્મકાંડી બ્રાહ્મણોએ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના ઘરે ગંગાજળનો છંટકાવ કરી જયંત પંડ્યા હાય હાયના નારા લગાવ્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_672259130b5de.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67225912cbb5e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67225912cbb5e.jpg" length="99521" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>The story of Satyanarayana, Jayant Pandya, Indian Anthropology Jatha</media:keywords>
                </item>
                        <item>
                    <title>ધર્મ પરિવર્તન કરનાર શખ્સની સ્થાનિકોએ અંતિમક્રિયા ન થવા દીધી</title>
                    <link>https://khabarantar.com/locals-did-not-allow-cremation-of-converts</link>
                    <guid>https://khabarantar.com/locals-did-not-allow-cremation-of-converts</guid>
                    <description>
                        <![CDATA[ હિંદુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ સ્વીકારનાર શખ્સનું મોત થઈ ગયું, ગામલોકોએ તેની અંતિમવિધિ માટે જમીન ન આપતા 32 કલાક મૃતદેહ પડ્યો રહ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્મના નામે લોકોમાં કઈ હદે નફરત ભરી દેવામાં આવી છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. ઓડિશાના નવરંગપુર જિલ્લામાં પાપડાહાંડીમાં એક મૃત વ્યક્તિના મૃતદેહને  સ્થાનિકોએ 32 કલાક સુધી રઝળાવ્યો હતો અને દફનાવવાની પરમિશન આપી નહોતી. દફનાવવાની પરવાનગી એટલા માટે ન આપવામાં આવી કારણ કે હિંદુ ધર્મ છોડીને ખ્રિસ્તીમાં ધર્મ પરિવર્તન કર્યું હતું. ઘટનાની જાણ થતા સ્થાનિક મામલદાર અને પોલીસે આ મામલે દરમિયાનગીરી કરવી પડી, ત્યારે જતા મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ, પંડિકોટ ગામના રહેવાસી ડોમુ જાનીએ લગભગ 2 વર્ષ પહેલા હિંદુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. 28 ઓક્ટોબરે સવારે તેનું અવસાન થયું હતું. ધર્મ પરિવર્તનના કારણે તેમના પરિવારજનો તેમના મૃતદેહને દફનાવવાની ચિંતામાં હતા. તેના મૃતદેહને ક્યાં દફનાવવો તે અંગે તેમને મૂંઝવણનો સામનો કરવો પડ્યો હતો. તેમણે ગ્રામજનોને વિનંતી કરી કે તેઓ તેમને ગામના સ્મશાન ગૃહમાં જગ્યા આપે. પરંતુ ગ્રામજનો કબર માટે જગ્યા આપવા તૈયાર ન હતા. એટલું જ નહીં મૃતદેહને ઉઠાવવા માટે પણ કોઈ આગળ ન આવ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પછી અધિકારીઓ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા અને ગ્રામજનોને સ્મશાનમાં જગ્યા આપવા સમજાવતા રહ્યા. પહેલા તો ગ્રામજનો સ્વીકારવા તૈયાર નહોતા પરંતુ લાંબી ચર્ચા બાદ ગ્રામજનો સંમત થયા હતા. ત્યારબાદ અધિકારીએ દફનાવવા માટે જગ્યા નક્કી કરી, જે સરકારી જમીન હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગામલોકો કાંધ દેવા પણ તૈયાર ન થયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્મના નશામાં ગામલોકો એ પણ ભૂલી ગયા કે ડોમુ તેમની વચ્ચે જ રહેતો માણસ હતો. ગામની કોઈ વ્યક્તિ ડોમુ જાનીના મૃતદેહને કાંધ આપવા તૈયાર નહોતો થયો. ત્યારબાદ કેટલાક સ્થાનિક પત્રકારો આગળ આવ્યા અને તેમણે મૃતદેહને કાંધ આપી હતી. પત્રકારોને આગળ આવતા જોઈ ગ્રામજનો પણ સહકાર આપવા આગળ આવ્યા હતા અને આખરે 32 કલાક બાદ ડોમુના મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલામાં અધિકારીએ કહ્યું કે તેમને એવા સમાચાર મળ્યા હતા કે ગામલોકોએ મૃતકના મૃતદેહને દફનાવવા માટે જગ્યા આપવાનો ઈન્કાર કરી રહ્યા હતા, કારણ કે તેણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. આ બાબતની જાણ થતાં જ અમે ગામમાં પહોંચી ગયા હતા અને ગ્રામજનો સાથે વાત કરી હતી. ગ્રામજનો લાંબા સમય સુધી સંમત થયા નહોતા. અધિકારીએ જણાવ્યું હતું કે, તેમણે મૃતકના પરિવારને સરકારી આવાસ પૂરું પાડ્યું હતું એ પછી મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/35-dalits-who-became-christians-were-purified-by-yagna-and-made-hindu-again">ખ્રિસ્તી બનનાર 35 દલિતોને યજ્ઞ શુદ્ધિકરણ કરી ફરી હિંદુ બનાવાયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 30 Oct 2024 20:35:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1485</Articleid>
                    <excerpt>હિંદુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ સ્વીકારનાર શખ્સનું મોત થઈ ગયું, ગામલોકોએ તેની અંતિમવિધિ માટે જમીન ન આપતા 32 કલાક મૃતદેહ પડ્યો રહ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67224a9fe8df7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67224a9fb6670.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67224a9fb6670.jpg" length="76816" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Conversion of religion, Hinduism, Christianity</media:keywords>
                </item>
                        <item>
                    <title>સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા કરી શકાય, કાયદો શું કહે છે?</title>
                    <link>https://khabarantar.com/satyanarayans-story-can-be-done-in-a-government-office-what-does-the-law-say</link>
                    <guid>https://khabarantar.com/satyanarayans-story-can-be-done-in-a-government-office-what-does-the-law-say</guid>
                    <description>
                        <![CDATA[ શું સરકારી કચેરીઓમાં કામના કલાકો દરમિયાન સત્યનારાયણની કથા કે અન્ય કોઈ ધાર્મિક ક્રિયાકર્મ કરી શકાય? જાણો આ એડવોકેટ પિયુષ જાદુગર પાસેથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટના શાપર-વેરાવળ ખાતે પારડી ગામમાં વીજ કચેરી દ્વારા યોજાયેલી કથામાં રાજકોટના રેશનાલિસ્ટ જયંત પંડ્યા દ્વારા સરકારી કચેરીમાં સરકારી કામકાજના સમયમાં કોઈ પણ ધર્મની કથા કરવી એ કાયદેસરની વાત નથી અને આથી આ કથા બંધ કરવી જોઈએ તે અંગેની રજૂઆત કરતા વીજ કચેરી દ્વારા તેમના અધિકારીઓએ દ્વારા કરેલું આયોજન કાયદાની સમજ મળતા બંધ કરવા માટેનો આદેશ આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલામાં સત્યનારાયણની કથા શરૂઆત થાય તે પહેલાં જ બંધ કરવામાં આવતા કેટલાક કટ્ટર ધાર્મિક લોકોએ તેને પોતાના ધર્મનું અપમાન ગણી લીધેલ હતું. (દેશના બંધારણનું અપમાન થાય, લોકશાહી નષ્ટ થાય, તે ચાલે અને કાયદાની વાત કહેવુ તે પણ ગુનો?) આથી રેશનાલિસ્ટ વિશે વેર રાખીને કાર્યવાહી કરી રહ્યા છે. તે સામે સરકારે પોલીસ રક્ષણ આપેલ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અનુસંધાને કાયદાકીય રીતે શું જોગવાઈ છે તે અંગે સમજવું જરૂરી છે. સરકારી ધારા ધોરણ મુજબ જ્યારે ભારતીય બંધારણ અમલમાં આવ્યું છે ત્યારે કોઈપણ રાજ્યમાં કોઈપણ સરકારી કચેરીમાં કોઈપણ ધર્મનો ક્રિયાકાંડ સરકારી કચેરીના સમય દરમિયાન થઈ શકે નહીં અથવા પરવાનગી પણ આપી શકાય નહીં તે અંગે ગુજરાત સરકાર દ્વારા પણ જરૂરી સર્ક્યુલરો કરવામાં આવેલા છે જે નીચે મુજબ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સર્ક્યુલર મુજબ પણ ગુજરાત સરકારની તમામ સરકારી કચેરી રાજ્યપાલ તથા નિગમોને પણ આ અંગેની માહિતી અને પત્ર વહીવટી શાખા ગુજરાત સરકાર દ્વારા પાઠવવામાં આવેલ છે </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/why-exclude-astrology-vastushastra-from-anti-superstition-act"><span style="font-size: 14pt;">અંધશ્રદ્ધા વિરોધી કાયદામાંથી જ્યોતિષ-વાસ્તુશાસ્ત્રને કેમ બાકાત રખાયા?</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાયદાની પરિસ્થિતિ જોઈએ તો ભારતીય બંધારણની આર્ટિકલ 25 અને 26 મુજબ કોઈપણ વ્યક્તિ પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર અને ધાર્મિક ક્રિયાકાંડ કરી શકે છે, પરંતુ તે તેના ઘરની હદમાં અને ધાર્મિક મેળાવડામાં હોલમાં કે સમૂહગત હોય શકે છે પરંતુ નીતિમત્તા જાહેર સલામતી કે સ્વાસ્થ્યના ભોગે તો ક્યારેય થઈ શકે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકારી કચેરીમાં સરકાર પોતે બિનસાંપ્રદાયિક છે. સરકાર, વહીવટી વિભાગો વિધાનસભા કે સંસદ કે  કોર્ટ વગેરે બંધારણ નીચે સ્થપાયેલ છે આથી તે તમામ કોઈપણ ધર્મને પ્રમોટ કરી શકે નહિ. બિનસાંપ્રદાયિક હોવાને કારણે દેશનો કાયદો કોઈપણ ધર્મને પ્રમોટ કરી શકે નહીં. પાકિસ્તાન મુસ્લિમ દેશ છે આથી તે મુસ્લિમ ધર્મને પ્રમોટ કરે છે. પણ આપણો દેશ લોકશાહી દેશ છે તે યાદ રાખવું જોઈએ. અને આથી જ કોઈપણ સરકારી કચેરીમાં સરકારી સમય દરમિયાન કોઈપણ સરકારી નોકર પોતાની સરકારી ફરજ બજાવવા સિવાય કોઈ ધાર્મિક વિધિવિધાન કરી શકે નહીં અને આથી સરકારી કામકાજ દરમિયાન જો સરકારી કર્મચારી, સરકારી કામ ન કરતો હોય તો એ ગેરશિસ્ત છે અને એના માટે તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકાર સરકારી નોકરીમાં આપેલી ફરજો બજાવવા માટેનો પગાર આપે છે, નહીં કે સરકારી સમયમાં તમે તમારી ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ક્રિયાકાંડ કરો તેના માટે. એ યોગ્ય નથી, કાયદેસર નથી. અને આથી મારી માન્યતા મુજબ અને ભારતીય બંધારણમાં જણાવ્યા મુજબ કોઈપણ સરકારી કચેરીમાં કોઈપણ સરકારી નોકર પોતાના અંગત કે બીજાના હિતમાં પણ ધાર્મિક ક્રિયાકાંડ કરી શકે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘણા લોકો એવું માને છે કે લોકોની ધાર્મિક માન્યતા મુજબ તેઓ પ્રાર્થના વગેરે કરી શકે તે માટે મોટા મોલમાં, એરપોર્ટર, રેલવે સ્ટેશનમાં કે કેટલીક સરકારી કચેરીઓમાં એક પ્રેયર રૂમ પણ રાખવામાં આવે છે. એ અંગે સ્પષ્ટતા કરવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિ સરકારી નોકરી કરતો હોય ત્યારે તેને મળતા ફાજલ સમયમાં અથવા તો તે પરવાનગી લઈને, નોકરીમાં રજા લઈ કે રિસેસમાં, મંજૂર કરેલા સમયમાં તે પોતાના ધર્મની બંદગી-પ્રાર્થના-પ્રેયર એક રૂમમાં. કોઈને અડચણ ન થાય તે રીતે કરી શકે છે. અને તે સમયના બદલામાં તેણે પોતાની દિવસભરની ફરજનું કામ પણ પૂર્ણ કરવું પડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આથી કોઈપણ વ્યક્તિ જાહેર રસ્તા ઉપર કે કોઈને અડચણરૂપ થાય તે રીતે ક્રિયાકાંડ કે પોતાના ધર્મની બંદગીના ભાગરૂપે જાહેર કચેરીમાં પૂજાપાઠ કરી શકે નહીં. જો આવું કરવામાં આવે તો લોકશાહી રહે નહીં. લોકશાહીનો અર્થ છે બિનસાંપ્રદાયિક દેશ અને જો આવું ચાલુ કરવામાં આવે તો રેલવેના કર્મચારી પૂજા કરવા બેસી જાય તો બે કલાક અને મુસ્લિમ હોય તો 15 થી 20 મિનિટ બગડે અને તો કોઈ ટ્રેન તેના નિર્ધારિત સમય પ્રમાણે ચાલી શકે નહીં, કોઈ વિમાન સમયસર ઉડી શકે નહીં. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે લોકો એરપોર્ટ ઉપર અને રેલવે સ્ટેશને પૂજા કરે છે તે ટ્રેન આવે કે વિમાન ઉડવાનો સમય હોય એ પહેલા પોતાની ધાર્મિક ફરજ ફાજલ સમયમાં એક રૂમમાં જઈને કરી શકે છે. એનો અર્થ એ નથી થતો કે સરકારી કામકાજના કલાકોમાં સરકારી કર્મચારી પૂજા પાઠ કરે. આથી રાજકોટની વીજ કચેરી કચેરીમાં કરવામાં આવેલી ઓફિસ કલાકો દરમિયાનની સત્યનારાયણની કથા યોગ્ય નથી તેવી મારી કાયદા મુજબ માન્યતા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/as-feared-the-dalit-youth-was-arrested-under-the-anti-superstition-act">ડર હતો એજ થયું, અંધશ્રદ્ધા વિરોધી કાયદા હેઠળ દલિત યુવકની ધરપકડ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 30 Oct 2024 16:53:40 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1484</Articleid>
                    <excerpt>શું સરકારી કચેરીઓમાં કામના કલાકો દરમિયાન સત્યનારાયણની કથા કે અન્ય કોઈ ધાર્મિક ક્રિયાકર્મ કરી શકાય? જાણો આ એડવોકેટ પિયુષ જાદુગર પાસેથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6722162e57a22.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6722162e24ca9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6722162e24ca9.jpg" length="109448" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Satyanarayan story, Anti-Superstition Laws</media:keywords>
                </item>
                        <item>
                    <title>વિજ્ઞાન જાથાએ વીજ કચેરીમાં સત્યનારાયણની કથા બંધ કરાવતા હોબાળો</title>
                    <link>https://khabarantar.com/the-vigyan-jatha-stopped-the-satyanarayan-katha-running-in-the-rajkots-pardi-power-office</link>
                    <guid>https://khabarantar.com/the-vigyan-jatha-stopped-the-satyanarayan-katha-running-in-the-rajkots-pardi-power-office</guid>
                    <description>
                        <![CDATA[ રાજકોટના શાપર-વેરાવળના પારડીમાં સરકારી વીજ કચેરીમાં ચાલતી સત્યનારાયણની કથાને વિજ્ઞાન જાથાએ અટકાવતા મનુવાદીઓ એક થઈને જાથાની પાછળ પડી ગયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટ સ્થિત વિજ્ઞાન જાથા (vigyan Jatha) ના જયંત પંડ્યા (jayant Padya) એ શાપર વેરાવળના પારડીમાં આવેલી વીજ કચેરી ખાતે રાખવામાં આવેલી સત્યનારાયણની કથા (satyanarayan katha) બંધ (stopped) કરાવતા પક્ષાપક્ષીનું રાજકારણ છોડીને મનુવાદીઓ ખૂલીને જયંત પંડ્યાના વિરોધમાં આવી ગયા છે. આ મામલે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી અને વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે, જેઓ કોંગ્રેસના પ્રવક્તા પણ છે, તેમણે ખૂલીને વિજ્ઞાન જાથાની ટીકા કરી છે. આ સાથે જ ગુજરાતમાં વિવિધ જગ્યાએ બ્રાહ્મણોએ વિજ્ઞાન જાથાનો વિરોધ કરવો શરૂ કરી દીધો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span><br><span style="font-size: 14pt;">ગત 25 ઓક્ટોબરને શુક્રવારના રોજ સાંજે 5:30 વાગ્યાં આસપાસ રાજકોટના શાપર-વેરાવળમાં આવેલી પારડી-2 વીજ કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા સત્ય નારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં વિજ્ઞાન જાથાની ટીમ પહોંચી ગઈ હતી અને તેમણે સરકારી કચેરીઓમાં નોકરીના સમય દરમિયાન આ રીતે સત્યનારાયણની કથા કરવા સામે વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે કર્મચારીઓએ કથા બંધ કરી દીધી હતી. આ ઘટનાને લઈને મનુવાદીઓ મેદાનમાં આવી ગયા છે અને બ્રાહ્મણ નેતાઓથી માંડી ધર્મનો ધંધો લઈને બેઠેલા સૌ કોઈ વિજ્ઞાન જાથાની કામગીરીનો વિરોધ કરી રહ્યાં છે. આ મામલે હોબાળો વધતા વિજ્ઞાન જાથાએ કાળી ચૌદશનો અંધશ્રદ્ધા જાગૃતિનો કાર્યક્રમ રદ્દ કરી દીધો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કચેરીના ડેપ્યૂટી ઈજનેર શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પારડી વીજ કચેરીના ડેપ્યુટી ઈજનેર સંતોષ ત્રાંબડીયાએ એક સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "બહોળો ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા ડિવિઝનના કર્મચારીઓએ ચોમાસા દરમિયાન સારી કામગીરી કરી હતી તેમજ એલઆઈ ઓફિસર તરીકે 35 વર્ષ સુધી સેવા આપનાર સી આર જાડેજા નિવૃત થયાં હોવાથી તેમના વિદાય સમારંભને લઈને અમે ગત શુક્રવારે સાંજે એક સત્યનારાયણની કથાનું કચેરી ખાતે આયોજન કર્યું હતું. ઓફિસનું કામ પૂર્ણ થયાં બાદ અને કેસ બારી 4:30 વાગ્યે બંધ થયા બાદ અંદાજિત 5:30 વાગ્યાં આસપાસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથા શરૂ થયાની ગણતરીની મિનિટોમાં જ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા સહિતના ચારેક લોકો કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને ઓફિસ સમયમાં તમે આ અયોગ્ય કરી રહ્યા છો, ઓફિસ દરમિયાન તમે આવી કોઈ કથાનું આયોજન કરી શકતા નથી તેવું જણાવ્યું હતું. આ દલીલો અને દબાણને પગલે વિવાદ વકરે નહિ તેવા હેતુથી અમે કથા બંધ કરી દીધી હતી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે હવે મનુવાદી સામાજિક, રાજકીય આગેવાનોએ વિવાદમાં ઝંપલાવી જાથાની ઝાટકણી કાઢી છે અને જયંત પંડ્યાને ધમકાવવાનું શરૂ કરતા તેમણે પોતાનો ફોન બંધ કરવાની ફરજ પડી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Real-Women-Empowerment:-4-Daughters-of-Valmiki-Community-Quit-Sweeping-and-Join-Self-Employment-Training">વાલ્મિકી સમાજની 4 દીકરીઓ ઝાડું-વાળુ છોડી સ્વરોજગાર તાલીમમાં જોડાઈ</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચેરીમાં સત્યનારાયણની કથા કરાવનાર શાસ્ત્રી પ્રદીપભાઈએ એક મીડિયાને જણાવ્યું કે, હજુ તો ગણપતિજીની પૂજા જ ચાલી રહી હતી અને કથા કરવાની પણ બાકી હતી તે પૂર્વે જ જાથાના હોદેદારો આવી પહોચ્યા હતા. તેમણે મને કંઈ જ કહ્યું નથી પણ અધિકારીઓ જે કથામાં બેઠા હતા તેમને તમે આ અયોગ્ય કરી રહ્યા છે, આ સમયગાળામાં કથા કરી શકાય નહિ, તમારી નોકરી ચાલુ છે તેમ કહેતા અધિકારીઓએ કથા શરૂ થાય તે પૂર્વે જ બંધ કરી દીધી હતી."</span><br><span style="font-size: 14pt;">મનુવાદીઓ જયંત પંડ્યાના વિરોધમાં ઉતરી પડ્યાં</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે પણ ધર્મના નામે ચાલતા પોતાના ધંધા પર તરાપ પડતી દેખાય કે તરત મનુવાદીઓ એક થઈ જતા હોય છે. આ ઘટનામાં પણ એવું જ બન્યું છે અને તમામ મનુવાદીઓ એક થઈને વિજ્ઞાન જાથાનો વિરોધ કરવામાં લાગી ગયા છે. આ મામલે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી અને વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે (Hemang Raval) બંને તરફની વાત કરી હતી. તેમણે એક બાજુ કહ્યું કે અમે અંધશ્રદ્ધા (Superstition) નો વિરોધ કરીએ છીએ અને બીજી બાજુ તેમણે સત્યનારાયણ કથાને હિંદુઓની આસ્થાનો મુદ્દો ગણાવી બચાવ કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, "તેમની સંસ્થા વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન (World Brahmin Organization) અંધશ્રદ્ધાનો હંમેશા વિરોધ કરે છે પરંતુ ધાર્મિક આસ્થાને સન્માન આપે છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા સનાતન ધર્મમાં રહેલા વિધિ વિધાનોનો હંમેશા વિરોધ કરવામાં આવે છે. વિજ્ઞાન જાથાની ટીમ સનાતન ધર્મની આસ્થાને ઠેસ પહોચાડવાનો કોઈ મોકો છોડતી નથી. રાજકોટ નજીક પારડી ખાતે જાથા દ્વારા સત્યનારાયણની કથા બંધ કરાવવામાં આવી તે ખૂબ જ દુ:ખદ ઘટના છે અને તેને સહેજ પણ ચલાવી ના લેવાય. બ્રહ્મ સમાજ સર્વ સામાજિક સંસ્થાઓને સાથે રાખીને ધાર્મિક આસ્થા પર વાર કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરાશે. આજે જે પ્રમાણે કરોડો હિન્દુઓની જેનામાં આસ્થા છે તેવા ભગવાન સત્યનારાયણની કથા કાર્યક્રમ બંધ કરાવીને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેમના મળતીયાઓએ બ્રહ્મ સમાજ અને હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે. વારંવાર સનાતન ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડતા આ વ્યક્તિ સામે આવનારા દિવસોમાં બ્રહ્મ સમાજ દ્વારા સર્વ સમાજને સાથે રાખીને કાયદાકીય કાર્યવાહી કરશે."</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/three-months-old-bhagwati-died-while-burning-incense">ત્રણ માસની 'ભગવતી'ને ભૂવાએ અગરબત્તીના ડામ દેતા મોત થયું</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 30 Oct 2024 12:37:43 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 30 Oct 2024 12:39:20 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1482</Articleid>
                    <excerpt>રાજકોટના શાપર-વેરાવળના પારડીમાં સરકારી વીજ કચેરીમાં ચાલતી સત્યનારાયણની કથાને વિજ્ઞાન જાથાએ અટકાવતા મનુવાદીઓ એક થઈને જાથાની પાછળ પડી ગયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6721dacc673f4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6721dacc3001e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6721dacc3001e.jpg" length="72574" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>vigyan Jatha, satyanarayan katha, jayant Padya, Superstition</media:keywords>
                </item>
                        <item>
                    <title>નિકોલમાં ભાજપના વોર્ડ પ્રમુખને વ્યાજખોરે ફટકારી સોનું અને રૂ. 3500 લૂંટી લીધા</title>
                    <link>https://khabarantar.com/in-nikol-bjps-ward-president-was-cheated-by-usurer-of-gold-and-rs-3500-looted</link>
                    <guid>https://khabarantar.com/in-nikol-bjps-ward-president-was-cheated-by-usurer-of-gold-and-rs-3500-looted</guid>
                    <description>
                        <![CDATA[ વ્યાજખોરો જો સત્તાપક્ષના વોર્ડ પ્રમુખને ખૂલ્લેઆમ ફટકારતા હોય ત્યાં સામાન્ય માણસનું શું ગજું એ સવાલ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદમાં ભાજપના એક વોર્ડ પ્રમુખને વ્યાજખોરે માર મારી સોનાની ચેઈન અને રૂ. 3500 પડાવી લેતા ચકચાર મચી ગઈ છે. ભાજપના વિરાટનગર વોર્ડના પ્રમુખને વ્યાજખોર માર મારીને સોનાની ચેઇન, પાકીટ અને રૂ. 3500 લૂંટીને ફરાર થઇ ગયો હતો. વોર્ડ પ્રમુખે આરોપી પાસેથી રૂ. 7 લાખ વ્યાજે લીધા હતા, જેની સામે તેણે રૂ. 35 લાખ ચૂકવ્યા હતા, છતાં આરોપી ઉઘરાણી કરતો હતો. આથી વોર્ડ પ્રમુખે નિકોલ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર સામે ફરિયાદ નોધાવી છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિકોલમાં રહેતા શાંતિલાલ સોજિત્રા કન્સ્ટ્રક્શનનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને ભાજપમાં વિરાટનગર વોર્ડમાં પ્રમુખ તરીકે કામ કરે છે. ગત 9 માર્ચ 2020માં તેમણે એક મિત્રના ઓળખીતા વ્યક્તિ નરસિંહભાઇ સિંધવ પાસેથી ટુકડે-ટુકડે કુલ રૂ. 7 લાખ વ્યાજે લીધા હતા. તે સમયે તેમણે બે ચેક પણ આપ્યા હતા. દરમિયાન કોરોનાકાળમાં દોઢેક વર્ષ સુધી તેઓ હપ્તા ભરી શક્યા ન હતા. એ દરમિયાન શાંતિલાલે ટુકડે-ટુકડે કુલ રૂ. 35 લાખ ચૂકવ્યા હતા. તેમ છતા નરસિંહ તેમની પાસે રૂપિયાની ઉઘરાણી કરતો હોવાથી રૂ. 1 લાખ આપવાનું નક્કી કર્યુ હતુ. ત્યારે ગત 27 ઓક્ટોબરે શાંતિલાલની ઓફિસે નરસિંહ આવ્યો હતો અને બંને ખુલ્લી જગ્યામાં બેઠા હતા તે સમયે રૂ. 1 લાખ આપ્યા હતા. જેથી શાંતિલાલે આપેલ ચેક પરત માંગતા આપ્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ તે ચેક બીજાના છે જેથી નરસિંહે ઓફિસે પડ્યા છે. ત્યારે શાંતિલાલે ચેક પરત માંગતા શખ્સે બિભત્સ ગાળો બોલીને ઝઘડો કરીને માર મારવા લાગ્યો હતો. બાદમાં નરસિંહ સોનાની ચેઇન, પાકીટ અને રૂ. 3500 લૂંટીને ભાગી ગયો હતો. આ અંગે શાંતિલાલે નરસિંહ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-dabgar-youth-was-beaten-to-death-by-a-mob-in-vatwa">વટવામાં ડબગર યુવકને ટોળાએ ઢોર માર મારી પતાવી દીધો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 28 Oct 2024 21:58:31 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1476</Articleid>
                    <excerpt>વ્યાજખોરો જો સત્તાપક્ષના વોર્ડ પ્રમુખને ખૂલ્લેઆમ ફટકારતા હોય ત્યાં સામાન્ય માણસનું શું ગજું એ સવાલ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671fba1f03d97.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671fba1ec71fa.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671fba1ec71fa.jpg" length="112960" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ward president of BJP, News of the robbery, Nikol</media:keywords>
                </item>
                        <item>
                    <title>IPS હસમુખ પટેલની GPSCના ચેરમેન પદે નિયુક્તિ</title>
                    <link>https://khabarantar.com/ips-hasmukh-patel-appointed-as-gpsc-chairman</link>
                    <guid>https://khabarantar.com/ips-hasmukh-patel-appointed-as-gpsc-chairman</guid>
                    <description>
                        <![CDATA[ જીપીએસસીના ચેરમેન નલિન ઉપાધ્યાય ઓક્ટોબરમાં નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે હસમુખ પટેલની તેમની જગ્યાએ નિમણૂંક કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સિનિયર આઇપીએસ અધિકારી હસમુખ પટેલને એક મોટી જવાબદારી સોંપી છે. રાજ્ય સરકારે આઇપીએસ હસમુખ પટેલને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) ના નવા ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. જીપીએસસીના વર્તમાન ચેરમેન નલીન ઉપાધ્યાય ઓક્ટોબરના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સિનિયર આઇપીએસ અધિકારી હસમુખ પટેલને ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બનાવ્યા બાદ ફરી એક વખત તેમને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આઇપીએસ અધિકારી હસમુખ પટેલને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) ના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય વહીવટ વિભાગના જોઇન્ટ સેક્રેટરી એચ. કે. ઠાકરે આ નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, ભારતના બંધારણની કલમ 316ની પેટા કલમ (1) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને રાજ્ય સરકાર દ્વારા આઇપીએસ અધિકારી હસમુખ પટેલને ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી), ગાંધીનગરના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, હસમુખ પટેલ જે દિવસથી ચાર્જ લેશે તે દિવસથી આ નોટિફિકેશન અમલી બનશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) ના તત્કાલિન ચેરમેન દિનેશ દાસાની નિવૃત્તિ બાદ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) ના ચેરમેન તરીકે નલીન ઉપાધ્યાયને જવાબદારી સોંપવામાં આવી હતી. હવે નલિન ઉપાધ્યાય આ ઓક્ટોબર મહિનાના અંતમાં નિવૃત્ત થવા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે લોક રક્ષક ભરતી બોર્ડ (એલઆરડી) ના ચેરમેન આઇપીએસ હસમુખ પટેલને જીપીએસસીના ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અત્રે ઉલ્લેખનીય છે કે, આઇપીએસ હસમુખ પટેલ દ્વારા એલઆરડીની પરીક્ષા સફળતા પૂર્વક લઈને પેપર ફોડવાનો પ્રયત્ન કરનારા અસમાજિક તત્વોને સામે કડક કાર્યવાહી કરી છે. એટલું જ નહીં, સાથો સાથ તેઓ વિદ્યાર્થી મુંજવતા દરેક પ્રશ્નોનો નિરાકરણ પણ આપી રહ્યા છે. જેના કારણે હસમુખ પટેલ વિદ્યાર્થીઓમાં ભારે લોક ચાહના અને વિશ્વાસ ધરાવે છે. તેવા સંજોગોમાં હવે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 1993ની બેચના સિનિયર આઇપીએસ અધિકારી હસમુખ પટેલ જીપીએસસીના ચેરમેન તરીકેની વધુ એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે આઇપીએસ અધિકારી હસમુખ પટેલે જણાવ્યું હતું કે, જીપીએસસીના ચેરમેનની ખૂબ મોટી જવાબદારી મળી છે. ત્યારે હું આગામી તા. 11 નવેમ્બરના રોજ ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન તરીકેની કામગીરી સંભાળીશ. હાલમાં જીપીએસસી સારી રીતે કામ કરી રહ્યું છે, આગામી દિવસોમાં વધારે કામ કરીશું તેમ પણ હસમુખ પટેલે જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/107-questions-were-asked-incorrectly-in-20-exams-conducted-by-gpsc"> GPSC દ્વારા લેવાયેલી ૨૦ જેટલી પરીક્ષામાં ૧૦૭ પ્રશ્નો ખોટા પૂછાયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 28 Oct 2024 20:03:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1475</Articleid>
                    <excerpt>જીપીએસસીના ચેરમેન નલિન ઉપાધ્યાય ઓક્ટોબરમાં નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે હસમુખ પટેલની તેમની જગ્યાએ નિમણૂંક કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671f9ff910225.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671f9ff8d596b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671f9ff8d596b.jpg" length="48568" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>IPS Hasmukh Patel, GPSC Chairman</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગાયના ચામડામાંથી બનેલી રૂ. 2 લાખની બેગ વાપરતા જયા કિશોરી ટ્રોલ થઈ</title>
                    <link>https://khabarantar.com/made-from-cow-leather-rs-a-girl-was-trolled-while-using-a-bag-worth-2-lakhs</link>
                    <guid>https://khabarantar.com/made-from-cow-leather-rs-a-girl-was-trolled-while-using-a-bag-worth-2-lakhs</guid>
                    <description>
                        <![CDATA[ લોકોને ગૌપ્રેમ, મોહમાયાથી દૂર રહી ત્યાગનો ઉપદેશ આપતી જયા કિશોરી એરપોર્ટ પર રૂ. 2 લાખની કિંમતની ગાયના ચામડામાંથી બનેલી બેગ સાથે જોવા મળતા લોકોએ બરાબરની ટ્રોલ કરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રસિદ્ધ આધ્યાત્મિક ઉપદેશક જયા કિશોરી (Jaya Kishori) એરપોર્ટ પર બ્રાન્ડેડ બેગ (Branded Bag) સાથે જોવા મળી હતી, જે બાદ તેમને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ (Troll) કરવામાં આવી રહી છે. અહેવાલ મુજબ, આ બેગ બનાવવા માટે ગાયના ચામડા (Cow Leather) નો ઉપયોગ કરવામાં આવે છે અને તેની કિંમત 2 લાખ રૂપિયા (Rs. 2 Lakh) છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશની જાણીતી આધ્યાત્મિક ઉપદેશક અને ગાયિકા જયા કિશોરી આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જોકે, આ વખતે તેનું કારણ તેમનો પ્રચાર નથી. થોડા દિવસો પહેલા જયા કિશોરી એરપોર્ટ પર બ્રાન્ડેડ બેગ સાથે જોવા મળી હતી. રૂ. 2 લાખથી વધુ કિંમતની કસ્ટમાઈઝ્ડ ડિઓર(Dior) ની બેગને કારણે લોકો તેને બરાબરના ટ્રોલ કરી રહ્યા છે. લોકો જયા કિશોરી પર આરોપ લગાવી રહ્યા છે કે આખી દુનિયાને ભૌતિકવાદથી દૂર રહેવાની અને ત્યાગનો ઉપદેશ આપનારી જયા કિશોરી ખુદ તેમના ઉપદેશથી વિરુદ્ધનું વર્તન કરી રહી છે. 29 વર્ષીય જયા કિશોરી જે 'ડિયોર બુક ટોટ' લઈને જતી જોવા મળી હતી, તેને બનાવવામાં ગાયના ચામડાનો ઉપયોગ થતો હોવાના દાવાને કારણે આ વિવાદ વધુ વકર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું તું કે, હોબાળો થતા અને વિવાદ વધતા જયા કિશોરીએ સોશિયલ મીડિયા પરથી પોતાનો એરપોર્ટ પરનો એ વીડિયો હટાવી લીધો છે. તે પોતે તો બિન-ભૌતિકવાદનો પ્રચાર કરતી દેખાય છે અને પોતાને ભગવાન કૃષ્ણની ભક્ત કહે છે. Dior વાછરડાના ચામડાનો ઉપયોગ કરીને બેગ બનાવે છે." </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/about-20-fake-babas-including-bhole-baba-will-be-blacklisted">ભોલે બાબા સહિત 20 જેટલા નકલી બાબાઓને બ્લેકલિસ્ટ કરાશે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અન્ય યુઝરે લખ્યું, "જયા કિશોરી લોકોને ભૌતિકવાદી ન બનવાનું કહે છે, તેમ છતાં તે પોતે 2 લાખથી વધુની કિંમતની વૈભવી બેગ વાપરે છે." બધા ઉપદેશકો આવા જ છે, જેઓ ધર્મનો ઉપયોગ પૈસા કમાવા વૈભવી જીવન જીવવા માટે કરે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે કેવી રીતે જયા કિશોરી ઝૂંપડીમાં રહેવાનો દાવો કરે છે અને તેના અનુયાયીઓને પૈસા પાછળ ન દોડવાનું કહે છે, જ્યારે તે પોતે 2 લાખ રૂપિયાની બેગ ખરીદે છે. હેન્ડબેગમાં ચામડાના ઉપયોગની પણ આકરી ટીકા થઈ રહી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું, "ગાયની પૂજા કરવાની વાતો કરનાર ઉપદેશક એક એવી કંપનીની બેગનો ઉપયોગ કરી રહી છે જે ગાયના ચામડામાંથી તેની પ્રોડક્ટ બનાવે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે 13 જુલાઈ 1995ના રોજ કોલકાતામાં જન્મેલી જયા કિશોરી દાવો કરે છે કે તેને નાની ઉમરથી જ આધ્યાત્મિકતા તરફ ઝુકાવ થયો હતો. આજે તે દેશમાં આધ્યાત્મિક વક્તા, ગાયક અને પ્રેરક વ્યક્તિત્વ તરીકે ઓળખાય છે જે સાદગીપૂર્ણ જીવનનો ઉપદેશ આપે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જયા કિશોરી યુવાન હોવાથી સોશિયલ મીડિયામાં તેની જબરજસ્ત ફેન ફોલોઈંગ છે. તેના આધ્યાત્મિક વીડિયો ભારે લોકપ્રિય છે. યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક સહિતના માધ્યમોમાં તેમના વીડિયો જોનારો એક આખો વર્ગ છે. તેમના દેખાવ પાછળ યુવાનો પાગલ છે. પોતાના ભાષણોમાં જયા કિશોરી ગૌપ્રેમ, આધ્યાત્મ, અહિંસા અને ત્યાગની વાતો કરે છે. જો કે થોડા દિવસ પહેલા તે વિદેશથી પરત ફરી રહી હતી ત્યારે તેના ખભે ડિઓર કંપનીની રૂ. 2 લાખની કિંમતની બેગ લટકતી હતી, જે ગાયના ચામડામાંથી બને છે. એ પછી લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે અને તેની કથની અને કરણીમાં ફરક હોવાથી લોકો છેતરાયાનું અનુભવી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/the-higher-the-level-of-insecurity-among-the-people-the-more-the-business-of-baba-shines">લોકોમાં અસુરક્ષાનો ભાવ જેટલો વધારે, એટલો બાબાઓનો ધંધો ચમકે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 28 Oct 2024 13:57:48 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1474</Articleid>
                    <excerpt>લોકોને ગૌપ્રેમ, મોહમાયાથી દૂર રહી ત્યાગનો ઉપદેશ આપતી જયા કિશોરી એરપોર્ટ પર રૂ. 2 લાખની કિંમતની ગાયના ચામડામાંથી બનેલી બેગ સાથે જોવા મળતા લોકોએ બરાબરની ટ્રોલ કરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671f49f886bc7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671f49f858542.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671f49f858542.jpg" length="71374" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Jaya Kishori, Dior Bag</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગેરકાયદે અમેરિકામાં ઘૂસતા પકડાયેલા 90415 ભારતીયોમાં 50 ટકા ગુજરાતીઓ</title>
                    <link>https://khabarantar.com/50-percent-of-90415-indians-caught-illegally-entering-america-are-gujaratis</link>
                    <guid>https://khabarantar.com/50-percent-of-90415-indians-caught-illegally-entering-america-are-gujaratis</guid>
                    <description>
                        <![CDATA[ અમેરિકામાં ગેરકાયદે ઘૂસતા ગુજરાતીઓએ આડકતરી રીતે ગુજરાત મોડેલ અને કહેવાતા વિકાસની પોલ ખોલી નાખી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Gujarat model expose : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કથિત વિકાસની પોલ ખુદ તેમના જ હોમટાઉન ગુજરાતના લોકોએ ખોલી નાખી છે. સતત વધતી જતી બેરોજગારી, નોકરીની ઘટતી જતી તકો, મોંઘવારીથી કંટાળીને સેંકડો ગુજરાતીઓ અમેરિકામાં ગેરકાયદે ઘૂસી રહ્યાં છે. અમેરિકી કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના આંકડાઓ મુજબ મેક્સિકો અને કેનેડાના રસ્તે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરતાં કુલ મળીને 90415 ભારતીયો પકડાયાં છે જેમાં 50 ટકા જેટલા ગુજરાતીઓ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગુજરાતના વિકાસના દાવાઓની પોલ ગુજરાતીઓએ જ ખોલી</span></strong></span><br><span style="font-size: 14pt;">આ આંકડાઓ સ્વયં સ્પષ્ટ કરે છે કે, ગુજરાતનો કહેવાતો વિકાસ કેટલો ખોખલો છે. એક બે ઉદ્યોગપતિઓ માટે કામ કરતી ભાજપ અને પીએમ મોદીની નીતિઓને કારણે બેરોજગારી, મોઁઘવારી એ હદે વધી ચૂકી છે કે, સામાન્ય માણસ માટે જીવવું હરામ થઈ ગયું છે. એ સ્થિતિમાં થોડી ઘણી પણ બચત છે, તે ખર્ચીને પણ તેઓ વિદેશમાં સ્થાયી થઈ રહ્યાં છે. તેમને વીઝા નથી મળતા તેઓ ગેરકાયદે પણ અમેરિકામાં ઘૂસી રહ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">વર્ષ 2022 કરતા 2023માં વધુ ગુજરાતીઓ ભારત છોડ્યું</span></strong><br><span style="font-size: 14pt;">ગુજરાતીઓનો દંભ આમ પણ જાણીતો છે. વિદેશમાં બેઠા બેઠાં પીએમ મોદી અને ભાજપે કરેલા વિકાસની વાતો કરતા એનઆરઆઈને જો ખરેખર દેશ પ્રત્યે પ્રેમ હોય તો તેમણે અહીં પરત આવવું જોઈએ. પણ તેઓ એવું નહીં કરે, કેમ કે તેમને વાસ્તવિકતા શું છે તે ખબર છે. એટલે જ ગુજરાતીઓનું ભારતીય નાગરિકત્વ છોડવાનું પ્રમાણ પણ ધીરે ધીરે વધી રહ્યું છે. ગુજરાતમાં વર્ષ 2022માં 241 લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી હતી. જે વર્ષ 2023માં બમણી થઈ ગઈ હતી અને 485 લોકોએ નાગરિકતા છોડી દીધી હતી. ચાલુ વર્ષની વાત કરીએ તો વર્ષ 2024માં મે મહિના સુધીમાં જ 244 ગુજરાતી ભારત છોડી ચૂક્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">9 વર્ષમાં 22300 ગુજરાતીઓ વિદેશોમાં સ્થાયી થયા </span></strong></span><br><span style="font-size: 14pt;">છેલ્લાં નવ વર્ષમાં 22300 ગુજરાતીઓ ભારતીય નાગરિકત્વ છોડીને અન્ય દેશોમાં ઠરીઠામ થયાં છે. ભારતીય નાગરિકત્વ છોડીને વિદેશ વસવાટ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે રહ્યું છે. બેરોજગારી, રોજગારીની અપૂરતી તકો, ધંધામાં મંદી, મોંઘવારી, ટેક્સના નામે સરકાર દ્વારા ચલાવાતી ઉઘાડી લૂંટ સહિતના અનેક કારણોસર વધુને વધુ ગુજરાતીઓ ભારતીય નાગરિકત્વ છોડી રહ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિદેશમાં સ્થાયી થવાની ઘેલછાને લીધે વીઝા કૌભાંડો વધ્યાં</span></strong></span><br><span style="font-size: 14pt;">ગુજરાતીઓની વિદેશમાં સ્થાયી થવાની ઘેલછાને કારણે ગુજરાત સહિત દેશભરમાં વીઝા કૌભાંડો, છેતરપિંડીના કેસો વધ્યાં છે. છેલ્લાં એક જ મહિનામાં દસેક ઘટનામાં ગુજરાતીઓના રૂ. 20 કરોડથી વધુ લુંટાઈ ચુક્યાં છે અને આ આંકડો આ વર્ષે 250 કરોડને આંબી જાય તેવી પુરી શક્યતા છે. ગુજરાતમાં વિદેશમાં નોકરી, સ્થાયી નાગરિકતા, એર ટીકીટ બુકિંગ નામે છેતરપિડીં કરી ગુજરાતીઓના ખિસ્સામાંથી કરોડો રૂપિયા ખંખેરી લેવામાં આવી રહ્યા છે આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મોઘવારી, બેરોજગારી સહિતની અનેક સમસ્યાઓથી ત્રસ્ત ગુજરાતી યુવાનો ઉજજવળ ભવિષ્યની આશા સાથે વિદેશમાં કામ કરવા ઇચ્છતા હોય છે. વિદેશમાં વર્ક વિઝા મેળવવા ખૂબ જ અગત્યના હોય છે. જેનો લાભ લઈને લેભાગુ તત્વો વર્ક વિઝાના નામ પર ગુજરાતના લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે. જો કે સવર્ણો માટે કામ કરતી સરકારને તેની પણ કોઈ પરવા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/five-gujaratis-committed-a-big-scam-for-visa-in-america">અમેરિકામાં વીઝા માટે 5 ગુજરાતીઓએ મોટું કૌભાંડ આચર્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 28 Oct 2024 11:58:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1473</Articleid>
                    <excerpt>અમેરિકામાં ગેરકાયદે ઘૂસતા ગુજરાતીઓએ આડકતરી રીતે ગુજરાત મોડેલ અને કહેવાતા વિકાસની પોલ ખોલી નાખી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671f2ec66062b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671f2ec630c17.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671f2ec630c17.jpg" length="80119" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Illegal entry into the US, Gujaratis the most, Gujarat model, Expose</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમે પેરિયારે બતાવેલા માર્ગ પર ચાલીશુંઃ થલાપતિ વિજય</title>
                    <link>https://khabarantar.com/thalapathy-vijay-held-his-partys-first-rally-he-said-we-will-follow-the-path-shown-by-periyar</link>
                    <guid>https://khabarantar.com/thalapathy-vijay-held-his-partys-first-rally-he-said-we-will-follow-the-path-shown-by-periyar</guid>
                    <description>
                        <![CDATA[ થલાપતિ વિજયે (Thalapathy Vijay) પોતાના રાજકીય પક્ષની શરૂઆત કરી દીધી છે. ગઈકાલે પક્ષની પહેલી રેલી યોજાઈ હતી, જેમાં તેણે પક્ષની વિચારધારા સહિતની બાબતે સ્પષ્ટતા કરી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમિલ સુપરસ્ટાર (Tamil Super star) અને દેશના હાઈએસ્ટ પેઈડ એક્ટર (The country's highest paid actor) થલાપતિ વિજયે (Thalapathy Vijay) પોતાનો રાજકીય પક્ષ (political party) શરૂ કર્યો છે. ગઈકાલે તેના પહેલી રેલી યોજાઈ હતી, જેમાં વિજયે પક્ષની વિચારધારા (ideology) અને લક્ષ્યાંકો (targets) વિશે વિસ્તારથી વાત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિજયે પોતાના લાખો સમર્થકોની હાજરીમાં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, તેમનો પક્ષ પેરિયારે (EV Ramasamy Periyar) બતાવેલા માર્ગ પર આગળ વધશે. અને દ્રવિડ રાજનીતિ (Dravidian politics) તથા તમિલ ભાષા (Tamil language) અને તમિલિયનો (Tamilian) માટે સક્રિય રીતે કામ કરશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લામાં યોજાયેલી ભવ્ય રેલીમાં થલાપતિ વિજયે (Thalapati Vijay) તેમની પાર્ટી, તમિલગા વેટ્ટ્રી કઝગમ (Tamilga Vettri Kazhagam) ની વિચારધારા (ideology) અને ધ્યેયો (targets) શેર કર્યા અને લાખો સમર્થકોને તેમના સંકલ્પ વિશે વિગતવાર સમજાવ્યું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રેલીમાં લાખોની ભીડ ઉમટી</span></strong></span><br><span style="font-size: 14pt;">તમિલગા વેત્રી કઝગમ (TVK) ની પહેલી રેલી રવિવારે તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાના વિકરાવંદીમાં યોજાઈ હતી જેમાં લાખો લોકોની ભીડ ઉમટી હતી. રેલીમાં વિજયે સમર્થકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, તમિલને અદાલતો અને મંદિરોની ભાષા તરીકે માન્યતા આપવી જોઈએ. આ માત્ર ભાષાનો પ્રશ્ન નથી પરંતુ તમિલનાડુના સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવાનું અભિયાન છે. કેટલાક પક્ષો લોકોને વિભાજિત કરવાની રાજનીતિ કરી રહ્યાં છે, આવી પાર્ટીઓ વૈચારિક સ્તરે આપણી દુશ્મન છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_671f15ad4764a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ફેબ્રુઆરીમાં પક્ષની સ્થાપના કરી હતી</span></strong><br><span style="font-size: 14pt;">એક્ટર વિજયે આ વર્ષે ફેબ્રુઆરીમાં તમિલનાડુ અને પુડુચેરીમાં કામ કરવા માટે એક અલગ રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. ઓગસ્ટ 2024માં તેણે પાર્ટીનો ધ્વજ અને પ્રતીક પણ લોન્ચ કર્યું હતું. Tamilga Vettri Kazhagam ને સપ્ટેમ્બર મહિનામાં ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી. આ સાથે પાર્ટીને ચૂંટણી લડવાની મંજૂરી પણ મળી ગઈ છે. પાર્ટીને માન્યતા મળ્યા બાદ થલાપતિ વિજયે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં પાર્ટીની પ્રથમ જાહેર સભા કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ટીવીકે પક્ષની વિચારધારા શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">કોઈપણ રાજકીય પક્ષ વિચારધારા વિના ટકી ન શકે. મફતની વીજળી અને લોકસેવાઓ પર જો કોઈ પક્ષ ટકવા જાય તો તેની હાલત આમ આદમી પાર્ટી જેવી થાય. એટલે જ વિજયે પોતાના પક્ષની વિચારધારા પહેલેથી સ્પષ્ટ કરતા કહ્યું કે તેમનો પક્ષ પેરિયારની વિચારધારા પર આગળ વધશે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પક્ષની વિચારધારા સમજાવતા વિજયે કહ્યું હતું, અમે દ્રવિડ રાષ્ટ્રવાદ અને તમિલ રાષ્ટ્રવાદને અલગ કરીશું નહીં. આ બે આ માટીની આંખો છે. આપણે આપણી જાતને કોઈ ખાસ ઓળખ સુધી સીમિત ન કરવી જોઈએ. TVKની ઓળખને એક જૂથ સુધી મર્યાદિત રાખવાને બદલે, ન્યાય, એકતા અને સામાજિક વિકાસની સાથે બિનસાંપ્રદાયિકતાની તરફ વાળવી પડશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અમે પેરિયારના રસ્તે ચાલીશુંઃ વિજય</span></strong></span><br><span style="font-size: 14pt;">થલાપતિ વિજયે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, તેમની પાર્ટી પેરિયાર દ્વારા બતાવેલ માર્ગને અનુસરશે, જેમાં મહિલા સશક્તિકરણ અને સામાજિક ન્યાય મુખ્ય મુદ્દો હશે, જો કે, તેણે પેરિયારના નાસ્તિકતાના સિદ્ધાંતને સ્વીકારવાનો ઈનકાર કરીને હિંદુત્વવાદી રાજનીતિ તરફનો રસ્તો ખૂલ્લો રાખ્યો છે. વિજયે સરકારી કામકાજ માટે તમિલ અને અંગ્રેજી ભાષાની હિમાયત કરવાની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરીનું પણ સમર્થન કર્યું હતું. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_671f15ade4c62.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે</span></strong></span><br><span style="font-size: 14pt;">વિજયે કહ્યું કે તેમનો પક્ષ વર્ષ 2026માં યોજાનારી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે. આ સાથે તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેની પાર્ટી ગઠબંધન માટે તૈયાર છે. તમિલનાડુમાં અત્યાર સુધી કરુણાનિધિ અને હવે એમ.કે. સ્ટાલિનની દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) અને જયલલિતા સ્થાપિત ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)નું વર્ચસ્વ રહ્યું છે. એવામાં થલાપતિ વિજયનો પક્ષ કેટલું જોર લગાવશે તેના પર સૌ કોઈની નજર રહેશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપ માટે રસ્તો કપરો બનશે</span></strong></span><br><span style="font-size: 14pt;">બીજી તરફ દક્ષિણના રાજ્યોમાં ગાય-ગોબર-ગૌમૂત્રના રાજકારણ માટે ભાજપની સતત ટીકા થતી આવી છે. પણ હવે ભાજપે (BJP) પણ અન્નામલાઈની આગેવાનીમાં આગળ વધવા કમર કસી લીધી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને તમિલનાડુમાં સમ ખાવા પુરતી એક સીટ પણ મળી નહોતી. એવામાં થલાપતિ વિજયના પક્ષની એન્ટ્રીથી ભાજપનો રસ્તો કપરો બનશે તે નક્કી છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Visaranai-%E2%80%93-A-wonderful-movie-based-on-a-novel-written-by-a-rickshaw-puller">વિસરાનાઈ - એક રિક્ષાચાલકે લખેલી નવલકથા પરથી બનેલી અદ્દભૂત ફિલ્મ</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 28 Oct 2024 10:11:36 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 28 Oct 2024 10:12:22 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1472</Articleid>
                    <excerpt>થલાપતિ વિજયે (Thalapathy Vijay) પોતાના રાજકીય પક્ષની શરૂઆત કરી દીધી છે. ગઈકાલે પક્ષની પહેલી રેલી યોજાઈ હતી, જેમાં તેણે પક્ષની વિચારધારા સહિતની બાબતે સ્પષ્ટતા કરી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671f15acb7062.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671f15ac798e1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671f15ac798e1.jpg" length="83464" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Thalapati Vijay, Tamilga Vettri Kazhagam, EV Ramasamy Periyar</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડાકોરમાં ASI દારૂ ઢીંચી ખાતાકીય તપાસમાં જવાબ લખાવવા પહોંચ્યાં</title>
                    <link>https://khabarantar.com/in-dakor-asi-arrived-to-answer-the-departmental-inquiry-after-taking-liquor</link>
                    <guid>https://khabarantar.com/in-dakor-asi-arrived-to-answer-the-departmental-inquiry-after-taking-liquor</guid>
                    <description>
                        <![CDATA[ કાયદાના રક્ષકે જ ખૂલ્લેઆમ ગુજરાતની દારૂબંધીના ધજાગરા ઉડાડતા પ્રોહીબીશનનો ગુનો નોંધાયો ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડાકોર પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારી દારૂ પી ને જવાબ લખાવવા ઉપલી જિલ્લા કક્ષાની વડી કચેરીએ પહોંચતા સમગ્ર બનાવ મામલે પોલીસે જ પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાવી છે. જે અંગે ટેલીફોનિક વર્ધી લખાવ્યા બાદ આ મામલે એ.એસ.આઇ વિરુદ્ધ નડિયાદ ટાઉન મથકે પ્રોહિબિશનની કલમ મુજબ ગુનો નોંધાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડાકોર પોલીસ મથકે એએસઆઈ તરીકે ફરજ બજાવતા ધનાભાઈ વાઘેલા નડિયાદ ખાતે નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં ખાતાકીય તપાસના કામે જવાબ લખાવવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ નશાના હાલતમાં હોવાથી ડીવાયએસપી કચેરીમાં હાજર પોલીસ કર્મચારી દ્વારા કંટ્રોલમાં ટેલીફોનિક વર્ધી લખાવવામાં આવી હતી. તેના આધારે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના કર્મચારીએ તપાસના કામે ડીવાયએસપી કચેરી પહોંચ્યા હતા. જ્યાં હાજર પોલીસ કર્મચારીઓની પૂછપરછ કરતા ધનાભાઈ વાઘેલા જેઓ પોલીસ વિભાગમાં જ ફરજ બજાવતા હોય અને ખાતાકીય તપાસ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં આવ્યાં હોવાની જાણ થઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેથી ટાઉન પોલીસના કર્મચારીઓએ આ બાબતે પંચોને બોલાવી તપાસ કરતા ધનાભાઈ દારૂ પીધેલી હાલતમાં જણાયા હતા. તેમજ તેમની પાસે દારૂ પીવાનું કોઈ પરવાનો પણ મળ્યો નહોતો. જેથી આ સમગ્ર મામલે એએસઆઈ ધનાભાઈ વાઘેલા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો છે. આ બનાવ મામલે ડીવાયએસપી સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું કે, હાલ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે તપાસ કરવામાં આવશે અને જરૂર પડે તો ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Hundreds-of-kits-of-Manav-Garima-Yojana-have-been-gathering-dust-in-Veergam-for-2-years">વીરમગામમાં માનવ ગરિમા યોજનાની સેંકડો કિટો 2 વરસથી ધૂળ ખાય છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 27 Oct 2024 21:06:52 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1470</Articleid>
                    <excerpt>કાયદાના રક્ષકે જ ખૂલ્લેઆમ ગુજરાતની દારૂબંધીના ધજાગરા ઉડાડતા પ્રોહીબીશનનો ગુનો નોંધાયો</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671e5d6765f32.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671e5d673484d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671e5d673484d.jpg" length="56487" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gujarat liquor ban, Dakor News</media:keywords>
                </item>
                        <item>
                    <title>પરિવર્તનનો પવન : બિહારમાં 3 ટ્રાન્સજેન્ડરોને પહેલીવાર પોલીસમાં સામેલ કરાયા</title>
                    <link>https://khabarantar.com/in-bihar-3-transgenders-were-included-in-the-police-for-the-first-time</link>
                    <guid>https://khabarantar.com/in-bihar-3-transgenders-were-included-in-the-police-for-the-first-time</guid>
                    <description>
                        <![CDATA[ કુલ 1249 નવા નિયુક્તિપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી ટ્રાન્સજેન્ડર સમાજના ત્રણ સભ્યોનો પણ સમાવેશ થાય છે. આવું પહેલીવાર થયું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહાર (Bihar) ના પટના (Patna) માં પોલીસ મેમોરિયલ ડે નિમિત્તે સીએમ નીતિશ કુમારે (CM nitish kumar) 1,249 નવા નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રાન્સજેન્ડર (Transgender) સમુદાયના ત્રણ સભ્યો પણ બિહાર પોલીસ (Bihar Police)માં જોડાયા છે. આવું પહેલીવાર બન્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહારના ડીજીપી આલોક રાજે કહ્યું, 'બિહાર પોલીસ માટે આજે ગર્વનો દિવસ છે. કારણ કે આજે મુખ્યમંત્રી દ્વારા 1,249 નવા નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ નવનિયુક્તોને રાજગીરમાં તાલીમ આપવામાં આવશે અને પછી તેમને વિવિધ સંબંધિત જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવશે. પ્રથમ વખત ટ્રાન્સજેન્ડર સમાજના ત્રણ સભ્યો બિહાર પોલીસમાં લોકોની સેવા કરવા જોડાઈ રહ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">પ્રથમ ટ્રાન્સજેન્ડર SIએ શું કહ્યું?</span></strong><br><span style="font-size: 14pt;">બિહાર પોલીસના પ્રથમ ટ્રાન્સજેન્ડર SI મધુ કશ્યપે (Madhu Kashyap) કહ્યું, 'હું સીએમ નીતિશ કુમારનો આભાર માનું છું અને મારા સમગ્ર સમાજ વતી તેમનો આભાર વ્યક્ત કરું છું. તેમણે અમારા સમાજના સભ્યોનું જીવન બદલી નાખ્યું છે. હું મારી ફરજ ઈમાનદારીથી નિભાવીશ. મને લાગે છે કે આપણે પણ મુખ્ય પ્રવાહમાં જોડાઈને આપણું જીવન સારી રીતે જીવીશું."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સીએમ નીતિશકુમારે અધિકારીઓને શું કહ્યું?</span></strong></span><br><span style="font-size: 14pt;">સીએમ નીતિશ કુમારે પટનાના બાપુ ઓડિટોરિયમમાં 1239 નવનિયુક્ત પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (ઇન્સ્પેક્ટર) ને નિમણૂક પ્રમાણપત્ર આપ્યા. આ દરમિયાન તેમણે ડીજીપી અને મુખ્ય સચિવ તરફ હાથ જોડીને આ પ્રકારની વધુ નિમણૂંક કરવા કહ્યું. જો કે આ પહેલીવાર નથી જ્યારે નીતિશ કુમાર આ સ્ટાઇલમાં જોવા મળ્યા હોય. અગાઉ પણ તેઓ આ રીતે અનેક પ્રસંગે અધિકારીઓને હાથ જોડી ચૂક્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી નીતિશ કુમારે સમ્રાટ અશોક કન્વેન્શન સેન્ટર સ્થિત બાપુ ઓડિટોરિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં 1239 નવનિયુક્ત પોલીસ સબ-ઇન્સ્પેક્ટરોને નિમણૂક પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ નવનિયુક્ત પોલીસ સબ-ઇન્સ્પેક્ટરો મધુ કશ્યપ, ગૌતમ કુમાર, શોભા રાની, લાડલી કુમારી, શિવેશ કુમાર ઝા, કોમલ કુમારી, રીના કુમારી અને રોશની કુમારીને પ્રતીકાત્મક રીતે નિમણૂક પ્રમાણપત્ર અર્પણ કર્યા. તમને જણાવી દઈએ કે 1239 નવનિયુક્ત પોલીસ સબ-ઇન્સ્પેક્ટરોમાંથી 442 મહિલાઓની પસંદગી કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/major-attack-on-dalits-in-bihars-Nawada-mob-burns-80-houses">બિહારના નવાદામાં દલિતો પર મોટો હુમલો, 80 જેટલા ઘરો સળગાવી દીધાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 27 Oct 2024 10:21:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1467</Articleid>
                    <excerpt>કુલ 1249 નવા નિયુક્તિપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી ટ્રાન્સજેન્ડર સમાજના ત્રણ સભ્યોનો પણ સમાવેશ થાય છે. આવું પહેલીવાર થયું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671dc69dc4700.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671dc69d94d6d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671dc69d94d6d.jpg" length="76494" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bihar News, Nitish kumar CM, transgender in police, in the first time</media:keywords>
                </item>
                        <item>
                    <title>સુપ્રીમ કોર્ટે યુપી, રાજસ્થાનમાં બુલડોઝર કાર્યવાહી સામેની અરજી ફગાવી</title>
                    <link>https://khabarantar.com/supreme-court-dismisses-plea-against-bulldozer-action-in-up-rajasthan</link>
                    <guid>https://khabarantar.com/supreme-court-dismisses-plea-against-bulldozer-action-in-up-rajasthan</guid>
                    <description>
                        <![CDATA[ કોર્ટે એમ કહીને અરજી ફગાવી કે તે નેશનલ ફેડરેશન ઑફ ઈન્ડિયન વુમન દ્વારા કરાઈ છે, જે બુલડોઝરની કાર્યવાહીની પક્ષકાર નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં પ્રતિબંધ હોવા છતાં થઈ રહેલી બુલડોઝરની કાર્યવાહી સામે દાખલ કરવામાં આવેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજીને ફગાવી દીધી છે. ખંડપીઠે કોર્ટમાં દાખલ કરાયેલી અરજીને એમ કહીને ફગાવી દીધી હતી કે તે ત્રીજા પક્ષ વતી દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે આ અરજી નેશનલ ફેડરેશન ઑફ ઈન્ડિયન વુમન દ્વારા દાખલ કરવામાં આવી છે અને તે બુલડોઝરની કાર્યવાહીનો પક્ષકાર નથી તેથી આ અરજી ફગાવી દેવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્રણ જજની બેન્ચે કહ્યું, 'તમે ત્રીજા પક્ષકાર છો. તમને શું વાંધો છે? અસરગ્રસ્ત પક્ષોને આ મામલે આગળ આવવા દો. અમે તેમને સાંભળીશું. જો આવા કેસોની સુનાવણી શરૂ થશે તો અરજીઓનું પૂર આવશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રણેય રાજ્યોમાં હજુ પણ બુલડોઝરની કાર્યવાહી ચાલી રહી છે, જ્યારે કોર્ટે આદેશ આપ્યો હતો કે કોઈપણ સંજોગોમાં આરોપીઓ સામે આવી કાર્યવાહી કરતા પહેલા કોર્ટની મંજૂરી લેવી જોઈએ. અરજીમાં હરિદ્વાર, કાનપુર અને જયપુરની ત્રણ ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ત્રણેય જિલ્લાના કલેક્ટરને પક્ષકાર બનાવવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્ય વહીવટીતંત્ર ભલે આ બાંધકામો ગેરકાયદે હોવાનું કહેતું હોય, પરંતુ કોર્ટે આપેલા આદેશ મુજબ મંજૂરી લેવી જરૂરી હતી. કોઈના ઘર પર આ પ્રકારની કાર્યવાહી કરી શકાય નહીં. કોર્ટે પોતાના આદેશમાં માત્ર એ દબાણો પર જ કાર્યવાહી કરવાની મંજૂરી આપી હતી જે જાહેર સ્થળો, રસ્તાઓ, ફૂટપાથ, રેલ્વે લાઇનની પાસે અને જળાશયોની નજીક કોર્ડન કરીને કરવામાં આવ્યા હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરતા કહ્યું કે જે લોકો આ અરજીને રજૂ કરી રહ્યા છે તે વાસ્તવિક પક્ષકારો નથી. આ મામલામાં યુપી સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજે કહ્યું હતું કે આ અરજી તથ્યોની વિરુદ્ધ છે અને માત્ર મીડિયાના અહેવાલોના આધારે દાખલ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/supreme-court-refuses-to-ban-bulldozer-operation-in-somnath"><span style="font-size: 14pt;">સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી પ્રતિબંધ મૂકવા સુપ્રીમનો ઈનકાર</span></a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 24 Oct 2024 21:25:34 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1456</Articleid>
                    <excerpt>કોર્ટે એમ કહીને અરજી ફગાવી કે તે નેશનલ ફેડરેશન ઑફ ઈન્ડિયન વુમન દ્વારા કરાઈ છે, જે બુલડોઝરની કાર્યવાહીની પક્ષકાર નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671a6d6069864.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671a6d603757d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671a6d603757d.jpg" length="96002" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Supreme Court, UP, Rajasthan Bulldozer action</media:keywords>
                </item>
                        <item>
                    <title>હરણી બોટકાંડ બાદ સરકારે શાળા પ્રવાસની નવી માર્ગદર્શિકા જાહેર કરી</title>
                    <link>https://khabarantar.com/after-the-harani-boat-incident-the-government-announced-new-guidelines-for-school-travels</link>
                    <guid>https://khabarantar.com/after-the-harani-boat-incident-the-government-announced-new-guidelines-for-school-travels</guid>
                    <description>
                        <![CDATA[ શાળાઓએ પ્રવાસ પૂર્વે જિલ્લા શિક્ષણાધિકારી, આરટીઓ અને પોલીસ મથકને જાણ કરવાની રહેશે. જાણો બીજી શું જોગવાઈ કરાઈ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડોદરાના હરણી બોટ કાંડની ઘટના બાદ રાજ્યની શાળાઓમાં પ્રવાસને લઈને રાજ્ય સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી આ નવી માર્ગદર્શિકા અંતર્ગત પ્રવાસ યોજતાં પૂર્વે જે તે શાળાએ શિક્ષણાધિકારી, આરટીઓ કચેરી અને સ્થાનિક પોલીસ મથકને જાણ કરવાની રહેશે. રાજ્ય બહારના પ્રવાસ માટે જિલ્લા શિક્ષણાધિકારી અને વિદેશ પ્રવાસ માટે પ્રાથમિક નિયામકની મંજૂરી લેવી પડશે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યમાં થોડા મહિનાઓ અગાઉ વડોદરા ખાતેના હરણી તળાવના પ્રવાસે આવેલી શાળાના બાળકોની બોટ પલટી જતાં ૧૨ વિદ્યાર્થી અને ૨ શિક્ષક સહિત ૧૪ વ્યક્તિના મોત નિપજ્યાં હતા. આ ઘટનાના કારણે રાજયભરમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો. વડોદરાના હરણી બોટ કાંડની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા ભારે ગંભીર નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં પ્રવાસ પર રોક લગાવવામાં આવી હતી. તેમ છતાં અનેક શાળાઓ દ્વારા પ્રવાસ યોજવામાં આવી રહ્યા હતા. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા આ બાબતને ગંભીરતાથી ધ્યાને લેવામાં આવી છે. એટલું જ નહીં, રાજ્ય સરકાર દ્વારા શાળાના પ્રવાસ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં નવા નિયમો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ નવી માર્ગદર્શિકા અનુસાર  રાજ્યની કોઈ પણ શાળાએ પ્રવાસ યોજવા માટે શિક્ષણાધિકારી, આરટીઓ કચેરી અને સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, વડોદરાના હરણીકાંડની ઘટના બાદ પ્રવાસ પર રોક લગાવવામાં આવી હોવા છતા અમુક શાળાઓ દ્વારા પ્રવાસ કરાવાયા છે. ત્યારે ભવિષ્યમાં આવી અન્ય કોઇ દુર્ઘટના ન બને તેને લઇને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત સરકારને પ્રવાસ અંગેની નવી માર્ગદર્શિકા સોંપવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા આ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, જે તે શાળાઓએ પ્રવાસ યોજવા માટે સૌ પ્રથમ પ્રવાસ માટે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવી પડશે. ત્યાર બાદ ફરજિયાત પણે 15 દિવસ અગાઉ આરટીઓ કચેરીમાં તેમજ સ્થાનિક પોલીસ મથકમાં પ્રવાસ અંગેની જાણ કરવાની રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો શાળા દ્વારા રાજ્યની અંદર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ હોય તો સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવાની રહેશે. પરંતુ રાજ્ય બહારના પ્રવાસ માટેનું આયોજન કરવામાં આવ્યું હશે તો તે માટે શાળાએ રાજ્યના નિયામક, પ્રાથમિક શિક્ષણ કચેરીમાં જાણ કરવાની રહેશે. જેના થકી શાળાઓના પ્રવાસના તમામ આયોજન વ્યવસ્થિત રીતે થાય અને ભવિષ્યમાં થનાર કોઇ અણબનાવ કે દુર્ઘટનાને અટકાવી શકાય તેમ જણાવાયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે રાજ્યની કેટલીક શાળાઓ દ્વારા વિદેશ પ્રવાસનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે શાળાના આવા વિદેશ પ્રવાસ માટે રાજ્યના શિક્ષણ વિભાગને 15 દિવસ અગાઉ શાળાએ જાણ કરવાની રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, થોડા સમય અગાઉ વડોદરા શહેરના હરણી તળાવમાં શાળાના પ્રવાસ દરમિયાન બોટની સહેલગાહ સમયે બોટ પલટી ગઈ હતી. જેમાં ૧૨ વિદ્યાર્થીઓ અને ૨ શિક્ષકો સહિત ૧૪ વ્યક્તિના મોત નિપજ્યાં હતા. આ હરણી બોટ દુર્ઘટના કાંડ બાદ સરકાર દ્વારા રાજયમાં શાળાઓના પ્રવાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જો કે, હવે શાળાઓએ શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકાના આધારે અને નવા નિયમોના પાલન સાથે પ્રવાસનું આયોજન કરવાનું રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Harani-disaster:-27-were-accommodated-against-the-capacity-of-12,-the-man-driving-the-salvage-lorry-was-driving-the-boat">હરણી હોનારતઃ 12ની ક્ષમતા સામે 27ને બેસાડ્યાં, સેવઉસળની લારી ચલાવતો શખ્સ બોટ ચલાવતો હતો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 24 Oct 2024 20:36:19 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 24 Oct 2024 20:38:50 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1455</Articleid>
                    <excerpt>શાળાઓએ પ્રવાસ પૂર્વે જિલ્લા શિક્ષણાધિકારી, આરટીઓ અને પોલીસ મથકને જાણ કરવાની રહેશે. જાણો બીજી શું જોગવાઈ કરાઈ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671a62f9bf7d7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671a62f980767.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671a62f980767.jpg" length="81236" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>A new guide to school tours, Harani boat scandal</media:keywords>
                </item>
                        <item>
                    <title>પદ્મિનીબાના ત્રાસથી ભાવનગર કરણી સેનાના ઉપપ્રમુખે ઝેરી દવા પી લીધી</title>
                    <link>https://khabarantar.com/the-vice-president-of-bhavnagar-karni-sena-drank-poison-due-to-padminibas-torture</link>
                    <guid>https://khabarantar.com/the-vice-president-of-bhavnagar-karni-sena-drank-poison-due-to-padminibas-torture</guid>
                    <description>
                        <![CDATA[ પદ્મિનીબા વાળા કરણી સેના ઉપપ્રમુખને અવારનવાર માનિસક ત્રાસ ગુજારી, અડધી રાત્રે ફોનમાં ધમકી આપી ખોટા આક્ષેપો કરતા હતા ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં તેમના પતિ સાથે થયેલા ઝઘડાને લઈને સોશિયલ મીડિયામાં વાયરલ થનાર પદ્મિનીબા વાળા પર મોટો આરોપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ પદ્મિનીબાના ત્રાસથી ભાવનગર જિલ્લાના કરણી સેનાના ઉપપ્રમુખે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રવિરાજસિંહ ગોહિલ (ખદરપર)એ રાજકોટના ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાના માનસિક ત્રાસથી કંટાળી ખેતીમાં છાંટવાની ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સોશિયલ મીડિયામાં વાઈરલ થયું હતું. હાલ રવિરાજસિંહ ગોહિલને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરમાં રહેતા અને મુળ તળાજા તાલુકાના ખદરપર ગામના અને ભાવનગર જિલ્લાના કરણી સેનાના ઉપપ્રમુખ રવિરાજસિંહ ગોહિલએ પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આથી તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી રાજકોટના મહિલા ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળા રવિરાજસિંહ ગોહિલ સાથે કોઇ બાબતે માથાકૂટ ચાલી આવતી હતી. તેમાં પદ્મિનીબા વાળાએ અવારનવાર માનિસક ત્રાસ ગુજારી, અડધી રાત્રે ફોનમાં ધમકી આપી, ખોટા આક્ષેપો કરતા હતા. જેમાં રવિરાજસિંહને લાગી આવતા ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું ચર્ચાય છે. આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. રવિરાજસિંહ ગોહિલે ઝેરી દવા પીધા બાદ કાળુભા રોડ પર આવેલી રાણા સર્જીકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું તબીબે જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/the-kshatriya-movement-did-not-help-the-bjp-in-gujarat-but-in-uttar-pradesh"><strong>ક્ષત્રિય આંદોલન ભાજપને ગુજરાતમાં નહીં ઉત્તરપ્રદેશમાં નડ્યું</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 23 Oct 2024 21:30:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1449</Articleid>
                    <excerpt>પદ્મિનીબા વાળા કરણી સેના ઉપપ્રમુખને અવારનવાર માનિસક ત્રાસ ગુજારી, અડધી રાત્રે ફોનમાં ધમકી આપી ખોટા આક્ષેપો કરતા હતા</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67191c830815b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67191c82c9e30.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67191c82c9e30.jpg" length="99096" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Padminiba, Vice President of Bhavnagar Karni Sena, Raviraj Singh Gohil</media:keywords>
                </item>
                        <item>
                    <title>તમને ખબર પડી! ધો. 10&amp;12ની પરીક્ષા ફીમાં 15 ટકા વધારો થઈ ગયો</title>
                    <link>https://khabarantar.com/gujarat-education-board-10-and-12-exam-fee-hiked-by-15-percent</link>
                    <guid>https://khabarantar.com/gujarat-education-board-10-and-12-exam-fee-hiked-by-15-percent</guid>
                    <description>
                        <![CDATA[ લોકો તહેવારો અને હિંદુત્વના નશામાં મસ્ત રહ્યાં અને સરકારે ધો. 10-12ની પરીક્ષા ફીમાં 15 ટકા સુધીનો વધારો ઝીંકી દીધો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">exam fee hiked in Gujarat : મોંઘવારી અને બેરોજગારીથી પીડિત આમ આદમી માટે હવે બાકી રહેતું હતું કે શિક્ષણ વિભાગે પણ મોંઘવારીનો કોરડો વીંઝી દીધો છે. ધર્મઝનૂની સમાચારોની આંધી વચ્ચે આ સમાચાર ક્યાંય ફેંકાઈ ગયા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 27 ફેબ્રુઆરીથી લેવાનારી ધોરણ-10 અને 12ની પરીક્ષા માટેની ફી જાહેર કરવામાં આવી છે. જેમાં સતત બીજા વર્ષે બોર્ડ દ્વારા પરીક્ષા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે 10 ટકા જેટલો ફી વધારો કરવામાં આવ્યા બાદ આગામી પરીક્ષા માટેની ફીમાં પણ 5 ટકાનો વધારો કરાયો છે. ધોરણ-10ની પરીક્ષા ફીમાં રૂ. 15, ધોરણ-12 સામાન્ય પ્રવાહની ફીમાં રૂ. 25, ધોરણ-12 સાયન્સની ફીમાં રૂ. 30નો વધારો કરવામાં આવ્યો છે. આમ, બે વર્ષમાં બોર્ડની પરીક્ષા ફીમાં 15 ટકા જેટલો વધારો થઈ ગયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી અનુસાર, શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષા માટેની ફીનું માળખું જાહેર કર્યું છે. જેમાં સતત બીજા વર્ષે પણ વધારો કરાયો છે. ધોરણ-10ની ફી રૂ. 390 રાખવામાં આવી હતી. જોકે, આ વર્ષે તેમાં વધારો કરી રૂ. 405 ફી નક્કી કરવામાં આવી છે. આમ, ધોરણ-10ની ફીમાં રૂ. 15નો વધારો કરવામાં આવ્યો છે. જે 4 ટકા જેટલો થવા જાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા ફી રૂ. 540 રાખવામાં આવી હતી, જેમાં ચાલુ વર્ષે વધારો કરી રૂ. 565 ફી નક્કી કરાઈ છે. આમ, ધોરણ-12 સામાન્ય પ્રવાહની ફીમાં રૂ. 25નો વધારો કરાયો છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની ફીમાં સાડા ચાર ટકા કરતા વધુનો વધારો કરવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સિવાય ધોરણ-12 સાયન્સની ફી રૂ. 665 હતી, તેમાં વધારો કરીને રૂ. 695 ફી નક્કી કરવામાં આવી છે. આમ, ધોરણ-12 સાયન્સની ફીમાં રૂ. 30નો વધારો કરાયો છે. જે લગભગ 4.5 ટકા કરતા વધુનો વધારો કરવામાં આવ્યો છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ, ધોરણ-10 અને 12ની ફીમાં સતત બીજા વર્ષે વધારો કરવામાં આવતા વિદ્યાર્થીઓ પર વધારાનો બોજો પડશે. ધોરણ-10ની નિયમિત વિદ્યાર્થીઓની નવી ફી રૂ. 405 રાખવા સાથે નિયમિત રિપીટરની એક વિષયની ફી રૂ. 150 નક્કી કરાઈ છે. જ્યારે બે વિષય માટે રૂ. 215, ત્રણ વિષય માટે રૂ. 275 અને ત્રણ કરતા વધુ વિષય માટે રૂ. 395 ફી નક્કી કરવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ જ રીતે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં નિયમિત રિપીટર વિદ્યાર્થીઓ માટે એક વિષયની ફી રૂ. 160, બે વિષયની રૂ. 255, ત્રણ વિષયની ફી રૂ. 330 અને ત્રણ કરતા વધુ વિષય માટે રૂ. 565 ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે ધોરણ-12 સાયન્સમાં નિયમિત રિપીટર વિદ્યાર્થીઓ માટે એક વિષયની ફી રૂ. 210, બે વિષયની ફી રૂ. 345, ત્રણ વિષયની ફી રૂ. 485 અને ત્રણ કરતા વધુ વિષયની ફી રૂ. 695 નક્કી કરવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધોરણ-10ની ફીમાં બે વર્ષમાં રૂ. 50નો વધારો થયો છે. 2023ની પરીક્ષા વખતે ધોરણ-10ની ફી રૂ. 355 હતી, જે ચાલુ વર્ષે વધીને રૂ. 405 થઈ ગઈ છે. આ જ રીતે ધોરણ-12 સામાન્ય પ્રવાહની ફી 2023ની પરીક્ષા માટે રૂ. 490 હતી, જે વધીને ચાલુ વર્ષે 565 થઈ છે. આમ, ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પણ બે વર્ષમાં ફી રૂ. 75નો વધારો થયો છે. જ્યારે ધોરણ-12 સાયન્સની 2023ની ફી રૂ. 605 હતી અને ચાલુ વર્ષે તે વધીને રૂ. 695 થઈ છે. આમ, ધોરણ-12 સાયન્સની ફીમાં બે વર્ષમાં રૂ. 90નો વધારો થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/from-the-next-academic-year-2024-25-the-books-of-class-1-to-12-will-change">આગામી શૈક્ષણિક વર્ષ 2024-25 થી ધોરણ 1 થી 12ના પુસ્તકો બદલાશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 23 Oct 2024 11:45:53 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1446</Articleid>
                    <excerpt>લોકો તહેવારો અને હિંદુત્વના નશામાં મસ્ત રહ્યાં અને સરકારે ધો. 10-12ની પરીક્ષા ફીમાં 15 ટકા સુધીનો વધારો ઝીંકી દીધો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6718947e50c2e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6718947e1f95f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6718947e1f95f.jpg" length="72928" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>gujarat exam fee hiked</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમરેલીના જાફરાબાદમાં પાંચ વર્ષના બાળકને સિંહણ ઉઠાવી ગઈ</title>
                    <link>https://khabarantar.com/a-five-year-old-child-was-mauled-by-a-lioness-in-jafarabad-amreli</link>
                    <guid>https://khabarantar.com/a-five-year-old-child-was-mauled-by-a-lioness-in-jafarabad-amreli</guid>
                    <description>
                        <![CDATA[ ખેતમજૂરી કરતા પરિવારના બાળકને વાડીમાંથી સિંહણ ઉઠાવી ગઈ. જંગલમાંથી બાળકના શરીરના અવશેષો મળ્યાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p><span style="font-size: 14pt;">સૌરાષ્ટ્રના અમરેલીના જાફરાબાદમાં પાંચ વર્ષનું બાળક સિંહણનો શિકાર બન્યું છે. નવી જીકાદ્રીમાં વાડીમાંથી સિંહણ બાળકને ઉઠાવી ગઈ હતી. સિંહણે ખેતમજૂરી કરતાં પરિવારના બાળકનો શિકાર કર્યો હતો. સ્થાનિકો અને વનવિભાગે શોધખોળ કરતાં બાળકના અવશેષો મળ્યા હતા.</span></p>
<p><span style="font-size: 14pt;">વન્ય પ્રાણીની ગ્રામીણ  વિસ્તારમાં અવરજવરના લીધે ગ્રામજનોમાં આક્રોશ છે. તેમા પણ બાળકને આ રીતે સિંહણ ઉઠાવી જતાં લોકોમાં વન્ય પ્રાણીઓ સામે આક્રોશ છે. વનવિભાગ અને કુટુંબે બાળકના અવશેષો હોસ્પિટલમાં ખસેડ્યા છે. વનવિભાગે બાળકને ઉઠાવી જનારી સિંહણને પકડવાની કામગીરી હાથ ધરી છે.</span></p>
<p><span style="font-size: 14pt;">ગામના સરપંચ લાલભાઈ બોરીયા પણ વન્ય પ્રાણીઓનો ત્રાસ ટાળવા માટે પગલાં લેવા વનવિભાગ સમક્ષ વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે. આમ છતાં વનવિભાગે આ દિશામાં હજી સુધી કોઈ નક્કર પગલાં લીધા નથી. પોલીસ જે રીતે હત્યા થાય પછી તપાસ આદરે છે તેમ વનવિભાગ પણ દુર્ઘટના બની જાય પછી જ જાગે છે. </span></p>
<p><span style="font-size: 14pt;">અમરેલીમાં આમ પણ વન્યપ્રાણીઓ ઘણી વખત રહેણાક વિસ્તારોમાં આંટા મારતો જોવા મળ્યા છે. તે અગાઉ ખેતમજૂરો પર હુમલા કરી ચૂક્યા છે. ઘણા ખેતમજૂરો વન્ય પ્રાણીઓના હુમલામાં ઇજા પામ્યા છે. ખેત માલિકો પણ આ અંગે સરપંચ કક્ષાએ અને સરપંચ પણ વનવિભાગ સમક્ષ આ દિશામાં રજૂઆત કરી ચૂક્યા છે. પણ હજી સુધી આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.</span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/a-total-area-of-1.84-lakh-hectares-around-gir-has-been-declared-an-eco-sensitive-zone">ગીર આસપાસનો કુલ ૧.૮૪ લાખ હેક્ટર વિસ્તાર ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 22 Oct 2024 21:20:32 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1444</Articleid>
                    <excerpt>ખેતમજૂરી કરતા પરિવારના બાળકને વાડીમાંથી સિંહણ ઉઠાવી ગઈ. જંગલમાંથી બાળકના શરીરના અવશેષો મળ્યાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6717c8d187732.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6717c8d14f5d3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6717c8d14f5d3.jpg" length="93059" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Hunting of a baby lioness</media:keywords>
                </item>
                        <item>
                    <title>બ્રાહ્મણ પૌત્રએ ત્રિશૂળથી દાદીની હત્યા કરી લોહી શિવલિંગને ચડાવ્યું</title>
                    <link>https://khabarantar.com/brahmin-grandson-killed-his-grandmother-with-a-trident-and-offered-the-blood-to-the-shivalinga</link>
                    <guid>https://khabarantar.com/brahmin-grandson-killed-his-grandmother-with-a-trident-and-offered-the-blood-to-the-shivalinga</guid>
                    <description>
                        <![CDATA[ 77 વર્ષના દાદીની ત્રિશૂળથી હત્યા કરી લોહી શિવલિંગને નવડાવ્યું, લોહી ઓછું પડ્યું તો પોતાનું લોહી ચઢાવ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">grandson killed his grandmother with a trident : બ્રાહ્મણોએ પેદા કરેલી અંધશ્રદ્ધા હવે તેમની જ યુવા પેઢીને નડી રહી છે. અનેક યુવાનો ધર્મના નશામાં તેમની કરિયર બરબાદ કરી રહ્યાં છે. જો કે, અમુક તો તેનાથી પણ આગળ વધીને તાંત્રિક વિદ્યાને રવાડે ચડી જાય છે અને કથિત ઈશ્વરને રાજી કરવા પરિવારજનોની બલિ ચડાવવાથી પણ ખચકાતા નથી. આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક બ્રાહ્મણ યુવકે તેની સગી દાદીની ત્રિશૂળ વડે હત્યા કરી નાખી અને પછી તેમના લોહીથી શિવલિંગ પર અભિષેક કર્યો. એ દરમિયાન દાદીના શરીરનુ લોહી ખૂટી પડતા તેણે પોતાનું લોહી કાઢીને શિવલિંગ પર ચઢાવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">છત્તીસગઢના દુર્ગ જિલ્લાની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">છત્તીસગઢ (Chhattisgarh) માં અંધશ્રદ્ધા (Superstition) ઓછી થવાના સંકેત દેખાઈ રહ્યાં નથી. દુર્ગ જિલ્લા (Durg District) માં શનિવારે સાંજે નંદિની પોલીસ સ્ટેશન (Nandini Police Station) વિસ્તારના નંદકટ્ટી ગામ (Nandkatti Village) માં એક બ્રાહ્મણ પૌત્રએ તેની 77 વર્ષીય દાદીની ત્રિશૂળ વડે હત્યા કરી તેનું લોહી નજીકના શિવલિંગ પર ચડાવ્યું. જ્યારે લોહી ઓછું પડ્યું તો તેણે પોતાને ઘાયલ કરીને ખુદનું લોહી શિવલિંગને ચડાવ્યું હતું. જેના પ્રયાસમાં તે બેભાન થઈ ગયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શિવભક્ત પૌત્રએ દાદીની હત્યા કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાની માહિતી મળતાની સાથે જ નંદિની પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આરોપીને કસ્ટડીમાં લઈ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. આરોપીની પૂછપરછ કરતાં સમગ્ર મામલો અંધશ્રદ્ધા સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું હતું. આરોપી પોતાને શિવ ભક્ત ગણાવે છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_6715f7a281bf9.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માથામાં ત્રિશૂળ ફટકારી દીધું</span></strong></span><br><span style="font-size: 14pt;">દાદી રૂકમણી ગોસ્વામી અને તેમનો પૌત્ર ગોવિંદ ગોસ્વામી નંદિની પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામે ઘરમાં એકલા રહેતા હતા. ગઈકાલે સાંજે દાદીમા સાથે વાત કરતી વખતે પૌત્રએ અચાનક તેમના માથા પર ત્રિશૂળ વડે હુમલો કર્યો હતો. જેના કારણે વૃધ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દાદીના લોહીથી 'શ્રી શિવાય નમસ્તુભ્યમ' લખ્યું </span></strong></span><br><span style="font-size: 14pt;">આરોપી ગોવિંદ ગોસ્વામી આટલેથી અટક્યો નહોતો. દાદીની હત્યા બાદ તે તેમનું લોહી નજીકના શિવ મંદિરમાં લઈ ગયો અને ત્યાં શિવલિંગ પર તેનાથી અભિષેક કર્યો હતો. એ પછી તેણે લોહીમાં 'શ્રી શિવાય નમસ્તુભ્યમ' પણ લખ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધર્મને રાજકીય પ્રોત્સાહન મળવાની આડઅસર</span></strong></span><br><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ એક પરિવારના તમામ લોકો સાત દિવસ સુધી કંઈપણ ખાધા-પીધા વગર જય ગુરુદેવનો જાપ કરતા રહ્યા હતા, જેમાં બે લોકોના મોત થયા હતા, બે બેભાન થઈ ગયા હતા અને બેની માનસિક હાલત ખરાબ થઈ ગઈ હતી. સતત ધર્મને જે રીતે રાજકીય પ્રોત્સાહન મળી રહ્યું છે તે જોતા આ પ્રકારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/at-Somnath-the-local-brahmins-went-on-a-fast-while-worshiping-outside-brahmins">સોમનાથમાં બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવાતા સ્થાનિક બ્રાહ્મણો ઉપવાસ પર ઉતર્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 21 Oct 2024 12:13:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1436</Articleid>
                    <excerpt>77 વર્ષના દાદીની ત્રિશૂળથી હત્યા કરી લોહી શિવલિંગને નવડાવ્યું, લોહી ઓછું પડ્યું તો પોતાનું લોહી ચઢાવ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6715f7a35c5a9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6715f7a3290a4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6715f7a3290a4.jpg" length="128350" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>grandson killed his grandmother with a trident</media:keywords>
                </item>
                        <item>
                    <title>કેનેડા પ્રત્યે ભારતીય વિદ્યાર્થીઓનો મોહભંગ, અરજીઓમાં 80 ટકાનો ઘટાડો</title>
                    <link>https://khabarantar.com/indian-student-disillusionment-with-canada-80-percent-drop-in-applications</link>
                    <guid>https://khabarantar.com/indian-student-disillusionment-with-canada-80-percent-drop-in-applications</guid>
                    <description>
                        <![CDATA[ રાજદ્વારી સંબંધોના ખટાશ ઉપરાંત વિઝા પ્રોસેસિંગમાં વિલંબ અને રોજગારીની મર્યાદિત તકોએ પણ વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત અને કેનેડા વચ્ચે વધતા જતા રાજદ્વારી તણાવને કારણે ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવાને લઈને અસમંજસમાં આવી ગયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે ૨૦૨૫ના શૈક્ષણિક સત્ર માટે કેનેડામાં અરજી કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં લગભગ ૮૦%નો ઘટાડો થયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર વિઝા પ્રોસેસિંગમાં વિલંબ અને રોજગારીની મર્યાદિત તકોએ પણ વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કારકિર્દી માર્ગદર્શન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ૨૦૨૫ સત્ર માટે કેનેડામાં અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં લગભગ ૮૦% ઘટાડો થયો છે. ભારતીય માતા-પિતા માટે બાળકોની સલામતી એક મુખ્ય મુદ્દો બની ગયો છે અને વર્તમાન રાજકીય વાતાવરણને કારણે કેનેડાને હવે સલામત સ્થળ તરીકે જોવામાં આવતું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૨૫ સત્રમાં ગ્રેજ્યુએશન માટેની અરજીઓ સામાન્ય કરતાં માત્ર એક ક્વાર્ટર છે. ઘણા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા હવે ખાસ કરીને વિઝા અને સુરક્ષા સંબંધિત ચિંતાઓને કારણે કેનેડિયન સંસ્થાઓમાં અરજી કરવા પર પુનર્વિચાર કરી રહ્યા છે. એજ્યુકેશનલ એડવાઈઝર સર્વિસિસ મુજબ વર્ષ ૨૦૨૫ના સત્ર માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૫૦-૬૦% ઘટાડો થયો છે. ખાસ કરીને ગ્રેજ્યુએશન અભ્યાસ માટે અરજી કરનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/50-percent-decrease-in-canadian-student-visa-applications-from-gujarat"><span style="font-size: 14pt;">ગુજરાતમાંથી કેનેડાના સ્ટુડન્ટ વીઝાની અરજીઓમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિષ્ણાતો કહે છે કે આ ઘટાડો માત્ર રાજદ્વારી તણાવને કારણે નથી પરંતુ કેનેડામાં વધતી જતી રહેઠાણની કિંમત, હાઉસિંગ કટોકટી અને મર્યાદિત રોજગારીની તકોને કારણે પણ છે. જેના કારણે વિદ્યાર્થીઓનું આકર્ષણ ઘટ્યું છે. ૨૦૨૧ અને ૨૦૨૩ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા સૌથી લોકપ્રિય સ્થળ હતું, પરંતુ સપ્ટેમ્બર ૨૦૨૩માં શરૂ થયેલા રાજદ્વારી તણાવે પરિસ્થિતિ બદલી નાખી છે. આટલું ઓછું હોય તેમ કેનેડાએ ૨૦૨૪માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝા અરજીઓમાં ૩૫% અને ૨૦૨૫ માટે વધુ ૧૦% ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેરિયર મોઝેઇકે ૨૦૨૧માં ૧,૦૦૦ વિદ્યાર્થીઓને કેનેડામાં પ્રવેશ આપ્યો હતો, પરંતુ ૨૦૨૪માં તે સંખ્યા ઘટીને ૩૦૦ થઈ ગઈ હતી. કંપનીના સ્થાપક અભિજીત ઝવેરીએ કહ્યું કે ૨૦૨૫માં આ સંખ્યા ઘટીને માત્ર ૨૦૦ થઈ શકે છે. હાઉસિંગ કટોકટી, વિઝા પ્રોસેસિંગમાં વિલંબ અને વિઝા પોલિસીમાં ફેરફાર જેવી સમસ્યાઓના કારણે આ ઘટાડો વધી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં કેનેડિયન યુનિવર્સિટીઓ તરફ વિદ્યાર્થીઓની પૂછપરછમાં પણ ૩૦% ઘટાડો થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા માત્ર કેનેડાના શિક્ષણ ક્ષેત્રને જ નહીં પરંતુ અન્ય સંબંધિત ઉદ્યોગો અને હાઉસિંગ ક્ષેત્રોને પણ અસર કરશે. જાણકારોના મતે, કેનેડિયન કંપનીઓ ભારતીય વિદ્યાર્થીઓની ભરતી પર અનૌપચારિક રીતે રોક લગાવી શકે છે, જેનાથી ભારતીયો માટે રોજગારની સ્થિતિ વધુ મુશ્કેલ બને છે. જો કે, જે વિદ્યાર્થીઓએ ૨૦૨૪ માટે અરજી કરી છે અથવા કેનેડામાં પહેલેથી જ અભ્યાસ કરી રહ્યાં છે તેમને વર્તમાન તણાવની સીધી અસર થશે નહીં, પરંતુ ૨૦૨૫માં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/sikh-leader-demands-ban-on-rss-network-in-canada">શીખ નેતાએ કેનેડામાં RSS ના નેટવર્ક પર પ્રતિબંધની માંગ કરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 20 Oct 2024 20:46:43 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1432</Articleid>
                    <excerpt>રાજદ્વારી સંબંધોના ખટાશ ઉપરાંત વિઝા પ્રોસેસિંગમાં વિલંબ અને રોજગારીની મર્યાદિત તકોએ પણ વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67151dd18780e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67151dd15484f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67151dd15484f.jpg" length="124885" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Canada, Reduced application visa</media:keywords>
                </item>
                        <item>
                    <title>પત્રકાર ગૌરી લંકેશની હત્યાનો આરોપી શિવસેનામાં જોડાયો</title>
                    <link>https://khabarantar.com/the-accused-in-the-murder-of-journalist-gauri-lankesh-joined-the-shiv-sena</link>
                    <guid>https://khabarantar.com/the-accused-in-the-murder-of-journalist-gauri-lankesh-joined-the-shiv-sena</guid>
                    <description>
                        <![CDATA[ ગૌરી લંકેશની હત્યાના આરોપી પૂર્વ મંત્રી શ્રીકાંત પાંગારકરની ઓગસ્ટ 2018માં ધરપકડ કરાઈ હતી. 4 સપ્ટેમ્બર 2024ના રોજ કર્ણાટક હાઈકોર્ટે તેને જામીન આપ્યા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પત્રકાર ગૌરી લંકેશની હત્યાનો આરોપી શ્રીકાંત પાંગારકર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયો છે. ગૌરી લંકેશની 5 સપ્ટેમ્બર 2017ના રોજ કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં તેમના ઘરની સામે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કર્ણાટક પોલીસે મહારાષ્ટ્રની એજન્સીઓની મદદથી સમગ્ર પ્રકરણની તપાસ કરી હતી અને અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પાંગારકર 2001 થી 2006 સુધી જાલના નગરપાલિકાનો કાઉન્સિલર હતો. ઓગસ્ટ 2018માં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ વર્ષે 4 સપ્ટેમ્બરે કર્ણાટક હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિવસેનાના ભાગલા પડ્યા તે પહેલા વર્ષ 2011માં તેને ટિકિટ ન આપવામાં આવતા પાંગારકર દક્ષિણપંથી હિન્દુ જનજાગૃતિ સમિતિમાં જોડાયો હતો. તે શુક્રવારે પૂર્વ રાજ્ય મંત્રી અર્જુન ખોટકરની હાજરીમાં એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખોટકરે પત્રકારોને કહ્યું, 'શ્રીકાંત પાંગારકર ભૂતપૂર્વ શિવસૈનિક છે અને પાર્ટીમાં પાછો ફર્યો છે. તેને જાલના વિધાનસભા ચૂંટણી પ્રચારના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ 288 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થવાનું છે. 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગૌરી લંકેશના હત્યારાઓને જામીન મળતા ફૂલહાર કરાયા હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજથી બરાબર 10 દિવસ પહેલાં ગૌરી લંકેશ હત્યા કેસના મુખ્ય આરોપીઓને જામીન મળ્યા હતા. આરોપીઓ તેમના વતન પહોંચ્યા ત્યારે કેટલાક હિન્દુત્વવાદી કાર્યકરો દ્વારા તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કોર્ટે 9 ઓક્ટોબરે પરશુરામ વાઘમારે, મનોહર યાદવ અને અન્ય 6 આરોપીઓને જામીન આપ્યા હતા અને તેઓ 11 ઓક્ટોબરના રોજ જેલમાંથી મુક્ત થયા હતા. આ તમામ આરોપીઓ 6 વર્ષ કરતા વધુ સમય સુધી જેલમાં રહ્યા હતા. જ્યારે તેઓ તેમના વતન પહોંચ્યા ત્યારે હિન્દુત્વવાદી કાર્યકરો તેમને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસે લઈ ગયા, જ્યાં તેમનું ભગવી શાલ અને માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું. એ દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘સનાતન ધર્મ કી જય’ના નારા લાગ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/how-much-role-did-ram-rahim-play-in-bjps-victory-in-haryana">હરિયાણામાં ભાજપની જીતમાં રામ રહીમે કેટલો ભાગ ભજવ્યો?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 20 Oct 2024 19:17:49 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1431</Articleid>
                    <excerpt>ગૌરી લંકેશની હત્યાના આરોપી પૂર્વ મંત્રી શ્રીકાંત પાંગારકરની ઓગસ્ટ 2018માં ધરપકડ કરાઈ હતી. 4 સપ્ટેમ્બર 2024ના રોજ કર્ણાટક હાઈકોર્ટે તેને જામીન આપ્યા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671508f3e71de.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671508f3b11f4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671508f3b11f4.jpg" length="86141" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gauri Lankesh case, Shiv sena</media:keywords>
                </item>
                        <item>
                    <title>Viral BABA અભિનવ અરોરા અને તેના પરિવારની પોલ ખૂલી ગઈ!</title>
                    <link>https://khabarantar.com/viral-baba-abhinav-arora-and-his-family-is-expose</link>
                    <guid>https://khabarantar.com/viral-baba-abhinav-arora-and-his-family-is-expose</guid>
                    <description>
                        <![CDATA[ ભારતના સૌથી નાની ઉંમરના આધ્યાત્મિક વક્તા તરીકે જેને પ્રમોટ કરવામાં આવે છે તે Abhinav Arora અને તેના પરિવારની પોલ ખૂલી ગઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Viral Baba Abhinav Arora Exposes: ધર્મ લોકોનું અફીણ છે - કાર્લ માર્ક્સે વર્ષો પહેલા કહેલું આ વાક્ય આઝાદ ભારતની એકવીસમી સદીમાં જાણે દરરોજ દિવસ ઉગે અને નવી ઉંચાઈ હાંસલ કરે છે. ધર્મના નામે સતત આ દેશના લોકોને મૂર્ખ બનાવી રાખવા માટે સમયાંતરે કોઈને કોઈ નવી ટ્રીક માર્કેટમાં આવતી રહે છે. સોશિયલ મીડિયાના આજના જમાનામાં આ તૂત કરવું વધારે સરળ બન્યું છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ વાયરલ બાબા (Viral Baba) તરીકે જાણીતો બની ગયેલો 10 વર્ષનો ટેણિયો અભિનવ અરોરા (Abhinav Arora) છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો તમે યુટ્યુબ (YouTube) કે અન્ય સોશિયલ મીડિયા (Social Media) પર રિલ્સ (Reel) જોવાના શોખીન હશો તો એક હ્યુષ્ટપુષ્ટ બાળકની રાધા-કૃષ્ણ, ગોપીઓ, રાસલીલાની આધ્યાત્મિક વાતો કરતી રીલ ચોક્કસ તમારા ધ્યાનમાં આવી હશે. એ બાળકનું નામ અભિનવ અરોરા (Abhinav Arora) છે અને તે પોતે ભારતનો સૌથી યુવા આધ્યાત્મિક વક્તા (India's Youngest Spiritual Speaker) હોવાનો દાવો કરે છે. જો કે આ દાવાઓની પોલ ખૂલી (Expose) ગઈ છે અને આખો મામલો ધર્મ અને આધ્યાત્મિકતાનું માર્કેટિંગ કરીને રૂપિયા રળી લેવાનો હોવાનું સામે આવ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/when-gandhiji-arrived-to-meet-savarkar-he-was-frying-shrimp">ગાંધીજી સાવરકરને મળવા પહોંચ્યાં ત્યારે તેઓ ઝીંગા તળી રહ્યા હતા</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થયું છે એવું કે, એક યુટ્યુબરે આ મામલે એક વીડિયો બનાવ્યો છે અને તેમાં તેણે અભિનવને પ્રસિદ્ધ કરીને તેના નામે રૂપિયા રળી લેવાની તેના પરિવારની પોલ ખોલ નાખી છે. યુટ્યુબરે વીડિયોમાં દાવો કર્યો છે કે, અભિનવ અરોરા, જેને તેનો પરિવાર ભારતનો સૌથી યુવા આધ્યાત્મિક વક્તા તરીકે પ્રોજેક્ટ કરે છે, તે ખરેખર મોટું જૂઠ (lie) છે અને એવું કશું નથી. અભિનવનો પરિવાર લોકોને મૂર્ખ બનાવી રહ્યો છે અને આ બધું તેઓ પૈસા અને પ્રસિદ્ધિ માટે કરી રહ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુટ્યુબરે દાવો કર્યો છે કે, અભિનવમાં કોઈ દૈવી શક્તિ નથી અને જ્ઞાન પણ નથી. તે માત્ર ગોખેલી સ્ક્રિપ્ટ બોલે છે. જ્યારે તેને ગોખાવવામાં આવેલી સ્ક્રીપ્ટ સિવાય અન્ય પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે તે જવાબ આપી શકતો નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુટ્યુબરે એવો પણ આરોપ લગાવ્યો છે કે અભિનવ અરોરા 10 વર્ષના એક સામાન્ય બાળક જેવો જ બાળક છે, તેનામાં કોઈ એવી દૈવી શક્તિ નથી અને તે ઈશ્વરનું બાળક નથી. હકીકતે ધંધામાં ખોટ જતાં તેના પરિવારના સભ્યોએ પ્લાન મુજબ આ આખો ભ્રમ ઉભો કર્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/i-also-like-garba-a-lot-but">ગરબા તો મને પણ બહુ ગમતા પણ...</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અભિનવને લગતો રિયાલિટી ચેક વીડિયો Only Desi Youtube ચેનલ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે અભિનવના પિતા (Abhinav's father) તરુણ રાજ અરોરા (Tarun Raj Arora) એ અગાઉ 'ફાલુદા એક્સપ્રેસ' (Faluda Express) ના નામથી આઈસ્ક્રીમનો બિઝનેસ (Ice cream business) શરૂ કર્યો હતો અને તેની ફ્રેન્ચાઈઝી વહેંચી હતી. આ બિઝનેસના પ્રમોશન માટે એક વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો, જેમાં અભિનવ પણ હતો. વીડિયોમાં તે સાવ સામાન્ય બાળક જેવો દેખાઈ રહ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુટ્યુબરનો આરોપ છે કે બિઝનેસમાં નુકસાન અને રોકાણકારોને પૈસા પરત ન કરી શકવાની સ્થિતિમાં અભિનવના પિતા તરુણ રાજ અરોરાએ પત્ની સાથે મળીને અભિનયના બાળપણને દાવ પર લગાડી દીધું હતું અને એક દૈવી બાળક તરીકે તેનો પ્રચાર-પ્રસાર કરવાનું શરૂ કરી દીધું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેના પરિવારજનોએ દાવો કર્યો છે કે 10 વર્ષના અભિનયનો કોઈ મિત્ર નથી અને ન તો તેને કોઈને મિત્ર બનાવવાની ઈચ્છા છે. તેને રમકડાં કે સ્માર્ટફોનમાં કોઈ રસ નથી અને તેણે કદી રમકડાં કે સ્માર્ટફોનનો ઉપયોગ પણ કર્યો નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-those-11-days-dr-ambedkar-saw-the-true-character-of-a-civilized-city">એ 11 દિવસમાં ડૉ. આંબેડકરે 'સંસ્કારી નગરી'નું અસલી ચરિત્ર જોયું...</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિવારના સભ્યોના જણાવે છે કે, અભિનવ ટીવીને એક ધ્યાન ભટકાવનારી ચીજ માને છે એટલે તે ટીવી જોતો નથી. તે માત્ર રાધા અને કૃષ્ણ સાથે વાત કરવા માંગે છે. તેને વાર્તાઓ સાંભળવી ગમે છે, તે ધાર્મિક ગ્રંથોનું વાંચન કરીને તેનું મહત્વ સમજાવે છે. તે ધોતી અને કુર્તો પહેરે છે. તેને ભગવદ ગીતા વાંચવી, કૃષ્ણના જન્મસ્થળ વૃંદાવનની મુલાકાત લેવી અને ઘરમાં વિશાળ પૂજા રૂમમાં મૂર્તિઓની સંભાળ લેવી ગમે છે. અભિનવ પણ કહે છે કે તે ખુશ છે કે રાધા રાણીએ તેને પોતાના ભક્ત તરીકે પસંદ કર્યો છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અભિનવ એક જ વાત વારંવાર રિપીટ કરતો જોવા મળ્યો. તેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં તે એક સામાન્ય બાળકની જેમ વિસર્જન દરમિયાન ગણપતિને અલવિદા કહેતો જોવા મળે છે. હાલમાં આ સમગ્ર મામલે અભિનવ કે તેના પરિવારજનો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. તો સામે યુટ્યુબરના દાવાઓની પણ પુષ્ટિ કરવામાં આવી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/is-the-game-going-on-to-make-reservation-based-on-economic-rather-than-social-basis">અનામતને સામાજિકને બદલે આર્થિક આધાર પર કરવાનો ખેલ ચાલી રહ્યો છે</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 20 Oct 2024 09:31:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1430</Articleid>
                    <excerpt>ભારતના સૌથી નાની ઉંમરના આધ્યાત્મિક વક્તા તરીકે જેને પ્રમોટ કરવામાં આવે છે તે Abhinav Arora અને તેના પરિવારની પોલ ખૂલી ગઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6713ff9ee082a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6713ff9eaa8af.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6713ff9eaa8af.jpg" length="127305" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Abhinav Arora, Viral Baba, Expose, Tarun Raj Arora</media:keywords>
                </item>
                        <item>
                    <title>જૂનાગઢમાં મોતિયાના ઓપરેશનના દર્દીઓને જગાડી ભાજપના સભ્ય બનાવ્યા</title>
                    <link>https://khabarantar.com/cataract-operation-patients-in-junagadh-were-woken-up-and-made-bjp-members</link>
                    <guid>https://khabarantar.com/cataract-operation-patients-in-junagadh-were-woken-up-and-made-bjp-members</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપનું સદસ્યતા અભિયાન ફરી વિવાદમાં આવ્યું છે. આ વખતે એક હોસ્પિટલમાં મોતિયાના દર્દીઓને જગાડીને સભ્ય બનાવાયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપનું સદસ્યતા અભિયાન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. જૂનાગઢની ત્રિમૂર્તિ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટે દાખલ થયેલા દર્દીઓને ભાજપના સદસ્ય બનાવી દેવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જૂનાગઢમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના દર્દીઓની સાથે આવેલા વ્યક્તિએ ત્રિમૂર્તિ હોસ્પિટલમાંથી આવેલા આંખના દર્દીઓની ભાજપના સદસ્ય તરીકે નોંધણી કરાવી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ દર્દીઓને રાજકોટ ખાતે રણછોડદાસ ચેરિટેલબ ટ્રસ્ટની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં 400 જેટલા દર્દીઓ હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અડધી રાત્રે એક શખ્સે આવીને દર્દીઓને જગાડીને તેમના મોબાઈલમાં ઓટીપી માંગીને ભાજપના સભ્ય બનાવી દીધા હતા. આ રીતે તેણે 200થી વધુ દર્દીઓને સભ્ય બનાવ્યા હતા. એ દરમિયાન જૂનાગઢના એક વ્યક્તિએ આખી ઘટનાનો વીડિયો ઉતારી લેતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે રાજકોટ ભાજપ પ્રમુખે કાર્યકરોને મર્યાદામાં રહેવા ટકોર કરી છે અને આવું કૃત્ય કોઈ રીતે સાંખી લેવામાં નહીં આવે તેમ સ્પષ્ટ જણાવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રોનું માનીએ તો ભાજપના નેતાઓ અને કાર્યકરોને ભાજપના સભ્યો બનાવવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને તેને પુરો કરવા માટે તેઓ જ્યાં તક મળે ત્યાં લોકોને ભાજપના સદસ્ય બનાવવા માટે અધીરા બની જાય છે. થોડા સમય પહેલા વિસનગરની સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવી રહ્યા હોવાનો કિસ્સો ચર્ચામાં આવ્યો હતો. એ પછી સસ્તા અનાજની દુકાને રાશન લેવા ગયેલા વ્યક્તિને પણ તેની જાણ બહાર ઓટીપી લઈને સભ્ય બનાવી દેવાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રોના જણાવ્યા પ્રમાણે તો હોસ્પિટલમાં કામ કરતો એક પ્યૂન જે ભાજપનો કાર્યકર છે તેના દ્વારા આ રીતે દર્દીઓને ભાજપના સભ્ય બનાવી દેવામાં આવતા હતા. આ પ્યૂન દર્દીઓ પાસેથી તેમના મોબાઈલમાં આવતો ઓટીપી માંગી લઈને તેમને સભ્ય બનાવી દેતો હતો. દરમ્યાન એક વ્યક્તિ પાસે તેણે એ રીતે ઓટીપી લીધો હતો કે ઇન્જેક્શન લેવું હોય તો ઓટીપી આપવો પડશે. જેને લઈને હોબાળો મચ્યો હતો અને એ વ્યકિતએ ફરિયાદ કરતા ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા આખો મામલો સામે આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-law-college-student-was-made-a-bjp-member-and-threatened">ભાજપનો સભ્ય બની જા પછી ભણજે, બાકી અમે તને ભણવા નહીં દઈએ?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 19 Oct 2024 21:07:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1428</Articleid>
                    <excerpt>ભાજપનું સદસ્યતા અભિયાન ફરી વિવાદમાં આવ્યું છે. આ વખતે એક હોસ્પિટલમાં મોતિયાના દર્દીઓને જગાડીને સભ્ય બનાવાયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6713d19619473.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6713d195d944e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6713d195d944e.jpg" length="75526" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BJP Membership Campaign, BJP for Gujarat, Gujarat</media:keywords>
                </item>
                        <item>
                    <title>હરિયાણામાં ભાજપે પોત પ્રકાશ્યું, સુપ્રીમના SC પેટા વર્ગીકરણનો અમલ કરશે</title>
                    <link>https://khabarantar.com/in-haryana-bjp-announced-itself-supreme-sc-will-implement-sub-classification</link>
                    <guid>https://khabarantar.com/in-haryana-bjp-announced-itself-supreme-sc-will-implement-sub-classification</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપનો દલિત વિરોધી ચહેરો ફરી એકવાર ખૂલ્લો પડી ગયો છે. નાયબ સૈનીની સરકારે પહેલી જ બેઠકમાં દલિત વિરોધી નિર્ણય લીધો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">SC sub-categorization in Haryana: હરિયાણામાં સત્તામાં આવતાની સાથે જ ભાજપે તેનો દલિતો વિરોધી અસલી ચહેરો બતાવવાનું શરૂ કરી દીધું છે. ભાજપની નાયબ સૈની સરકારે પહેલી કેબિનેટ મીટિંગમાં જ અનામત પર મોટો નિર્ણય લઈ અનુસૂચિત જાતિની અનામતમાં પેટા વર્ગીકરણ કરવાનું નક્કી કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ નિર્ણયથી ભાજપ અને વડાપ્રધાન મોદીની દલિતો પ્રત્યેની બેવડી નીતિઓ પણ ખૂલ્લી પડી ગઈ છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ ભાજપના દલિત સાંસદોએ પીએમને મળીને આ ચૂકાદો લાગુ ન કરવા વિનંતી કરી હતી. એ વખતે પીએમ મોદીએ તેઓ તેને લાગુ નહીં કરે તેવું મૌખિક આશ્વાસન આપ્યું હતું. એ વખતે હરિયાણાના મુખ્યમંત્રી રહેલા નાયબ સૈનીએ સૌ પ્રથમ આ ચૂકાદાનો અમલ કરીશું તેમ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું. જો કે, માથે ચૂંટણી હોવાથી તેમણે આ મામલે યુ ટર્ન લઈ લીધો હતો. પણ હવે જેવા ફરી સત્તામાં આવ્યા કે તરત તેમણે અનુસૂચિત જાતિની અનામતમાં પેટાવર્ગીકરણ કરવાની જાહેરાત કરી દલિતોની પીઠમાં ખંજર ભોંક્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીએમ નાયબ સિંહ સૈનીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે અનુસૂચિત જાતિની અનામતમાં પેટા વર્ગીકરણ કરવામાં આવશે. આ નિર્ણય કેબિનેટની પ્રથમ બેઠકમાં જ લેવામાં આવ્યો છે અને અમે આજથી જ તેનો અમલ કરીશું. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ અંગે રાજ્યોને સત્તા આપી છે. હવે વંચિત અનુસૂચિત જાતિઓને તેમના માટે ક્વોટા બનાવીને અનામત આપી શકાય છે. હરિયાણા સરકાર હવે રાજ્યમાં અનુસૂચિત જાતિમાં સમાવિષ્ટ અન્ય જાતિઓને ક્વોટા આપશે અને એ રીતે દલિતોને અંદરોઅંદર જ લડાવવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/bharat-bandh-live-update-roads-are-quiet-in-bihar-there-is-a-fire-incident-somewhere"><span style="font-size: 14pt;">ભારત બંધ Live update: બિહારમાં રસ્તા સૂમસામ, ક્યાંક આગની ઘટના</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી નાયબ સૈનીએ કહ્યું કે આ બેઠકમાં અમારી કેબિનેટે સુપ્રીમ કોર્ટના નિર્ણયને માન આપ્યું છે, અને અનુસૂચિત જાતિ- SC ની અનામતમાં પેટા વર્ગીકરણ કરવાનું નક્કી કર્યું છે. અમારી કેબિનેટે આજથી જ તેનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ ચુકાદો આપ્યો હતો કે રાજ્ય સરકારોને SC-ST અનામતમાં પેટા વર્ગીકરણ કરવાનો અધિકાર છે. આ તે જાતિઓ માટે કરી શકાય છે જે વધુ પછાત છે. ક્વોટાની અંદર તેમના માટે અલગ ક્વોટા નક્કી કરવાથી તેમના વિકાસમાં મદદ મળશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો દલિતોના બહુમતી વર્ગ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ઓગસ્ટ મહિનામાં દેશવ્યાપી જબરજસ્ત આંદોલન થયું હતું અને બંધ પાળવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બંધની વ્યાપક અસરને કારણે ભાજપે પારોઠના પગલાં ભરવા પડ્યા હતા અને પ્લાન મુજબ ભાજપના અનુસૂચિત જાતિના સાંસદો વડાપ્રધાનને મળવા ગયા હતા અને પીએમે પણ ચૂંટણી આવતી હોવાથી સુપ્રીમ કોર્ટના નિર્ણયનો અમલ નહીં કરવાની મૌખિક ખાતરી આપી હતી. જો કે, વડાપ્રધાન હરિયાણામાં ચૂંટણી જીતવાની સાથે જ તેમણે આપેલી મૌખિક ખાતરી પર ફેરવી તોળ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણા સરકારના આ નિર્ણયની અન્ય રાજ્યો પર પણ અસર પડશે અને તેઓ પણ આવું પગલું લેવાની હિંમત કરશે. અગાઉ કોંગ્રેસની તેલંગાણા સરકારે સૌ પ્રથમ આ ચૂકાદાના લાગુ કરવાની જાહેરાત કરી હતી. પછી દબાણ વધતા ફેરવી તોળ્યું હતું. હવે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી આવી રહી છે ત્યારે આ મામલે શું થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. આ સ્થિતિમાં અનુસૂચિત જાતિ સમાજનો પ્રબુદ્ધ વર્ગ ફરી એકવાર આંદોલનના માર્ગે જાય તેવી શક્યતા સેવાઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/hundreds-of-bhimayodhas-have-left-from-ahmedabad-to-save-the-reservation">અમદાવાદ થી સેંકડો ભીમયોદ્ધા અનામત બચાવવા નીકળી પડ્યાં છે...</a></span></strong></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 19 Oct 2024 13:51:29 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1426</Articleid>
                    <excerpt>ભાજપનો દલિત વિરોધી ચહેરો ફરી એકવાર ખૂલ્લો પડી ગયો છે. નાયબ સૈનીની સરકારે પહેલી જ બેઠકમાં દલિત વિરોધી નિર્ણય લીધો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67136a8af067f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67136a8aa6bb5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67136a8aa6bb5.jpg" length="88637" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Reservation</media:keywords>
                </item>
                        <item>
                    <title>સુપ્રીમ કોર્ટ પણ નિષ્પક્ષ નથી, આ ભાજપની બિશ્નોઈ ગેંગ છેઃ સંજય રાઉત</title>
                    <link>https://khabarantar.com/even-supreme-court-is-not-impartial-this-is-bjps-bishnoi-gang-sanjay-raut</link>
                    <guid>https://khabarantar.com/even-supreme-court-is-not-impartial-this-is-bjps-bishnoi-gang-sanjay-raut</guid>
                    <description>
                        <![CDATA[ પહેલીવાર કોઈ નેતાએ ED, CBI, IT, EC ની સાથે દેશની Supreme Court ને પણ ભાજપની ટીમ ગણાવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) સુપ્રીમ કોર્ટ (Supreme Court) પર નિશાન સાધ્યું છે અને તેની સરખામણી ભાજપ (BJP)ની બી, સી અને ડી ટીમ (B C D team) સાથે કરી છે. રાઉતે સુપ્રીમ કોર્ટને ભાજપની બિશ્નોઈ ગેંગ (BJP's Bishnoi Gang)માં સામેલ કરીને આકરી ઝાટકણી કાઢી છે. આવું પહેલીવાર બની રહ્યું છે ત્યારે કોઈ નેતાએ દેશની સર્વોચ્ચ અદાલતને કોઈ સત્તાપક્ષની બી ટીમ ગણાવી હોય.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાઉતે કહ્યું કે "મારા જેવા લોકો જેલમાં ગયા અને પાછા પણ આવ્યા. અમે જાણીએ છીએ કે ટાર્ગેટ કોણ છે અને ભાજપ શું કરી રહી છે. આ ભાજપની બિશ્નોઈ ગેંગ છે. તેમના હાથમાં હથિયાર નથી, પરંતુ તેમની પાસે CBI અને ED છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Vidhansabha Election)ની જાહેરાત બાદ શિવસેના (ઉદ્ધવ ઠાકરે) (Shivsena-UBT) સાંસદ (MP) સંજય રાઉત કેન્દ્ર સરકાર (Central Govt.) અને સત્તાધારી ભાજપ પર આકરા પ્રહારો બન્યા છે. આ સાથે તેઓ ચૂંટણી પંચ (Election Commission) અને સુપ્રીમ કોર્ટ (Supreme Court) પર પણ પ્રહારો કરી રહ્યા છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાઉતે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પંચ કે સુપ્રીમ કોર્ટ પણ નિષ્પક્ષ નથી. તેમણે ચૂંટણી પંચ પર કટાક્ષ કર્યો અને દાવો કર્યો કે ત્યાં બેઠેલા લોકો પક્ષપાતી છે. તેમણે શુક્રવારે સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે, "ચૂંટણી પંચે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા છે અને અમને લાગે છે કે તે નિર્ણયો મહા વિકાસ અઘાડી (MVA)ના હિતોની વિરુદ્ધ છે, અને તે નિર્ણયો એકનાથ શિંદે (Eknath Shinde) અને ભાજપને મદદ કરશે," </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંજય રાઉત આટલેથી અટક્યા ન હતા. તેમણે કહ્યું, "ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટ તટસ્થ નથી. તેઓ ભાજપની B, C અને D ટીમ છે." રાઉતે ભાજપ પર વિપક્ષી પાર્ટીઓને નિશાન બનાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ખોટી રીતે ઉપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે આ પ્રયાસોની સરખામણી શિવસેના અને એનસીપી સામેના પોલિટિકલ એન્કાઉન્ટર સાથે કરી હતી. તેમણે કહ્યું, "મારા જેવા લોકો જેલમાં ગયા અને પાછા પણ આવ્યા. અમે જાણીએ છીએ કે ટાર્ગેટ કોણ છે અને ભાજપ શું કરી રહ્યું છે. આ ભાજપની બિશ્નોઈ ગેંગ છે. તેમના હાથમાં હથિયાર નથી, પરંતુ તેમની પાસે CBI અને ED છે. તેઓ આનો ઉપયોગ અમારા પર હુમલો કરવા માટે કરી રહ્યા છે તેમ છતાં અમે મજબૂતીથી ઊભા છીએ."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાવિકાસ અઘાડીમાં સીટોની વહેંચણીના મુદ્દે રાઉતે કહ્યું કે, "રાજ્યની 288 સીટોમાંથી ગઠબંધન વચ્ચે સહમતિ બની ગઈ છે અને કેટલીક સીટો પર નિર્ણય લેવાનો બાકી છે. તેમણે કહ્યું કે બેઠકોની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવા માટે તેઓ રાહુલ ગાંધી સાથે વાત કરશે કારણ કે કેટલીક બેઠકો પર લાંબા સમયથી મડાગાંઠ ચાલી રહી છે. તેમણે બેઠકની વહેંચણીમાં વિલંબને લઈને સાથી પક્ષ કોંગ્રેસ પર પણ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે તેઓ દરેક યાદીને મંજૂરી માટે દિલ્હી મોકલતા રહે છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું, “એનસીપી અને શિવસેના વચ્ચે કોઈ મોટા મતભેદ નથી, કોંગ્રેસમાં પણ નથી પરંતુ કેટલીક બેઠકો છે જેના પર ત્રણેય પક્ષોએ દાવો કર્યો છે. નાના પટોલે મહારાષ્ટ્રમાં અમારા સાથી છે, પરંતુ કેટલીક બેઠકો પર સમસ્યા છે, તે ટૂંક સમયમાં ઉકેલાઈ જશે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે 15 ઓક્ટોબર, 2024 ના રોજ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં, ભાજપ અને સંયુક્ત શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી પરંતુ સરકારની રચનાને લઈને મડાગાંઠ પછી શિવસેનાએ કોંગ્રેસ અને સંયુક્ત NCP સાથે મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધન કર્યું અને સરકારની રચના કરી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, આ વખતે શિવસેના (UBT), શરદ પવારની NCP અને કોંગ્રેસ સત્તાધારી ભાજપની આગેવાની હેઠળના જોડાણનો સામનો કરવા માટે સાથે આવ્યા છે. આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં એમવીએ રાજ્યની 48 લોકસભા બેઠકોમાંથી 30 બેઠકો જીતી હતી, જ્યારે શાસક ગઠબંધન માત્ર 17 બેઠકો જીતી શક્યું હતું. એક બેઠક અપક્ષ ઉમેદવારના ખાતામાં ગઈ. એ સ્થતિમાં ભાજપ અને સાથી પક્ષો અહીં હરિયાણાની જેમ કોઈ ચમત્કાર કરી શકે છે કે કેમ તેના પર નજર રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ</strong></span> <strong><a href="https://khabarantar.com/supreme-courts-judgment-on-reservation-is-just-a-joke-prakash-ambedkar">અનામતમાં ભાગલા પાડવાનો સુપ્રીમ કોર્ટનો ચૂકાદો કેવળ જુમલાબાજી છે - પ્રકાશ આંબેડકર</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 19 Oct 2024 11:44:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1424</Articleid>
                    <excerpt>પહેલીવાર કોઈ નેતાએ ED, CBI, IT, EC ની સાથે દેશની Supreme Court ને પણ ભાજપની ટીમ ગણાવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67134e1286ac4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67134e1255aa3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67134e1255aa3.jpg" length="63898" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Sanjay Raut, supreme Court, bishnoi gang, BJP</media:keywords>
                </item>
                        <item>
                    <title>સપ્ટેમ્બર 2026 સુધીમાં પોલીસ ભરતીનો તમામ બેકલોગ પૂર્ણ કરાશે</title>
                    <link>https://khabarantar.com/all-the-backlog-of-police-recruitment-will-be-completed-by-september-2026</link>
                    <guid>https://khabarantar.com/all-the-backlog-of-police-recruitment-will-be-completed-by-september-2026</guid>
                    <description>
                        <![CDATA[ હાઈકોર્ટમાં પોલીસ ભરતી મુદ્દે ડીજીપીએ રજૂ કરેલી એફિડેવિટમાં આ વાત સામે આવી છે. એ મુજબ 3,834 એએસઆઈ, હેડ કોન્સટેબલ અને 1414 પીઆઈ, પીએસઆઈની પ્રમોશનથી ભરતી કરાશે ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ વિભાગને લગતા એક કેસની સુનાવણી દરમિયાન રાજ્યમાં પોલીસ ભરતી મુદ્દે DGPની એફિડેવિટ રજૂ કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં પોલીસ ભરતીને લઈને વિગતો રજૂ કરવામાં આવી છે. ડીજીપીની એફિડેવિટમાં કોર્ટને જણાવાયું હતું કે, છેલ્લા એક મહિનામાં 525 જગ્યા પ્રમોશનથી ભરવામાં આવી છે અને સપ્ટેમ્બર 2026 સુધીમાં બેકલોગની તમામ પોલીસ ભરતી પૂર્ણ કરાશે. હાલ 5,248 પ્રમોશનની ભરતી પૈકી 525 ભરાઈ છે અને 4,723 બાકી છે. કોર્ટે PI અને PSI ભરતી વિશે પૂછ્યું હતું. સાથે જ ઇન્ટેલિજન્સ ઓફિસરની 164 જગ્યાઓ ભરવાની બાકી હોવા અંગે પણ કોર્ટે પૂછ્યું હતું. સરકારી વકીલે જણાવ્યું હતું કે, 31 માર્ચ 2025 સુધીમાં PI અને PSIની જગ્યાઓ પ્રમોશનથી ભરવામાં આવશે. વર્ષ 2025 અને બીજા વર્ષ 2026નું પોલીસ ભરતીનું કેલેન્ડ કોર્ટ સમક્ષ મુકાયું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટને જણાવાયું હતું કે, ડિપાર્ટમેન્ટ પ્રમોશનલ કમિશન પ્રમોશનની ભરતી કરે છે. PI વાયરલેસની ભરતી માટે 25 સપ્ટેમ્બરે પ્રક્રિયા ચાલુ કરાઈ છે. જ્યારે PI મોટર ટ્રાન્સપોર્ટ માટે લાયકાતવાળા ઉમેદવાર મળ્યા નથી. જ્યારે PSI અનઆર્મની સીધી ભરતીની જાહેરાત અપાઈ છે. 11,377 જગ્યાઓ માટે પોલીસ ભરતી બોર્ડ કેલેન્ડર બનાવ્યું છે. વર્તમાન સીધી ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ નવેમ્બર અને ડિસેમ્બર 2024માં યોજાશે. જેનું રિઝલ્ટ જાન્યુઆરી 2025માં આવશે. તેની લેખિત પરિક્ષા જાન્યુઆરી 2025માં લેવાશે અને તેનું OMR રિઝલ્ટ ફેબ્રુઆરી 2025માં જ્યારે લેખિત પરીક્ષાનું પતિના જુલાઈ 2025માં આવશે. તેનું ફાઈનલ મેરીટ લીસ્ટ ઓગસ્ટ, 2025માં બનશે. આમ સીધી ભરતી સપ્ટેમ્બર 2025માં પૂર્ણ થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે એક સીધી ભરતી સાથે બીજી ભરતીની પ્રોસેસ કરવા સૂચન કર્યું હતું. જોકે, સરકારી વકીલે જણાવ્યું હતું કે, ઉનાળા અને ચોમાસામાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવતી નથી. બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતાં ઉમેદવારો અરજી કરે છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે, ચાર ફેઝમાં પોલીસ ભરતી કરવામાં આવશે. જેમાં પ્રથમ ફેઝમાં પ્રમોશન દ્વારા 3,834 ASI અને હેડ કોન્સ્ટેબલ, બીજા ફેઝમાં 31 માર્ચ 2025 સુધીમાં 1,414 PI અને PSIના પ્રમોશન થશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફેઝ ત્રણમાં સપ્ટેમ્બર 2025 સુધી બહાર પડાયેલી સીધી ભરતી પૂર્ણ કરવામાં આવશે. ફેઝ ચારમાં આગળની સીધી ભરતી કરાશે. ગુજરાતના 5 ટ્રેનિંગ સેન્ટરમાં એક સાથે 5 હજાર લોકોને ટ્રેનિંગ આપી શકાય છે. પ્રમોશનમાં પણ એક રેગ્યુલર અને એક પરીક્ષાથી થતું પ્રમોશન હોય છે. પહેલાં બેક લોગ પતે તો રેગ્યુલર ભરતી થાય. કોર્ટે પોલીસ ટ્રેનિંગ સંસ્થાની કેપેસિટી વધારવા સૂચન કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/14820-police-will-be-recruited-in-gujarat-announced-by-the-minister-of-state-for-home">ગુજરાતમાં 14,820 પોલીસની ભરતી કરાશે, ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 18 Oct 2024 20:40:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1420</Articleid>
                    <excerpt>હાઈકોર્ટમાં પોલીસ ભરતી મુદ્દે ડીજીપીએ રજૂ કરેલી એફિડેવિટમાં આ વાત સામે આવી છે. એ મુજબ 3,834 એએસઆઈ, હેડ કોન્સટેબલ અને 1414 પીઆઈ, પીએસઆઈની પ્રમોશનથી ભરતી કરાશે</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6712797c931b0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6712797c4e8ff.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6712797c4e8ff.jpg" length="74764" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Police recruitment</media:keywords>
                </item>
                        <item>
                    <title>આણંદમાં 1200 જેટલા શિક્ષકો રાત્રે 12 વાગ્યા બાદ શિષ્યવૃત્તિના ફોર્મ ભરે છે</title>
                    <link>https://khabarantar.com/as-many-as-1200-teachers-in-anand-fill-scholarship-forms-after-12-midnight</link>
                    <guid>https://khabarantar.com/as-many-as-1200-teachers-in-anand-fill-scholarship-forms-after-12-midnight</guid>
                    <description>
                        <![CDATA[ ડિજિટલ ગુજરાતની વેબસાઈટ પર દિવસ દરમિયાન સર્વર એરર, ચાલુ એન્ટ્રીએ ઓટોમેટિક લોગઆઉટ, એન્ટ્રી બાદ માહિતી સેવ ન થવી જેવી સમસ્યા નડે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા થતા ડિજિટલ ઈન્ડિયાના મસમોટા દાવાઓ વચ્ચે જમીની હકીકત શું છે તે સૌ જાણે છે. છતાં તેને વધુ સારી રીતે સમજવી હોય તો હાલ ચાલતા શિષ્યવૃત્તિના ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી પર નજર કરી લેવી. જેમાં મોટાભાગના જિલ્લાઓમાં શિક્ષકો શિષ્યવૃત્તિના ફોર્મ ભરવા માટે રીતસરના ઉજાગરા કરી રહ્યાં છે. હાલ આણંદ જિલ્લાના 1200થી વધુ શિક્ષકો હાલ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે.અહીં તમામ શાળાઓમાં હાલ શિષ્યવૃત્તિ માટેની દરખાસ્ત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સરકારી વેબસાઈટ પર શિષ્યવૃતિના ફોર્મની એન્ટ્રી કરવામાં શિક્ષકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર સર્વર એરર, ચાલુ એન્ટ્રીએ ઓટોમેટિક લોગ આઉટ, સમગ્ર એન્ટ્રી કર્યા બાદ સબમિટ પર ક્લિક કર્યાં બાદ એન્ટ્રી કરેલી માહિતી સેવ ના થવી જેવી સમસ્યાઓથી તેઓ ત્રાહિમામ પોકારી ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષકો દિવસે સ્કૂલ ટાઈમમાં પ્રયત્નો કરે ત્યારે સર્વરને લગતી સમસ્યા આવતી હોય છે, જેથી રાત્રે 12 વાગ્યે જાગીને સર્વર ફ્રી હોય ત્યારે એન્ટ્રી કરવી પડે છે. જેને લઇને ઘણીવાર સ્કૂલે સમયસર પહોંચી શકવામાં તકલીફ પડી રહી છે. સ્કૂલમાં કલાસ લેવાનો હોય ત્યારે ઉજાગરો નડતા પુરતું ધ્યાન આપી શકતા ન હોવાની ફરિયાદો વ્યાપક બની રહી છે. શિક્ષકોએ મોડે સુધી કોમ્પ્યુટર પર બેસી રહેવું પડતું હોવાથી આંખોને નુકશાન થવાની ભીતી વર્તાઇ રહી છે. તેમાંય એન્ટ્રી પૂર્ણ થવાને આરે હોય ત્યારે ટેકનિલ ઍરર આવતા ભરેલું ફોર્મ ફરીથી ભરવું પડે છે. કેટલાય દિવસથી શિક્ષકો આ કામમાં અટવાઇ જતાં અન્ય કામો કરી શકતા ન હોવાની ફરિયાદ ઉઠી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પ્રથમ સત્ર પૂરું થવા આવ્યું છતાં 80 હજારથી વધુ એન્ટ્રી બાકી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ શાળાઓમાં પરીક્ષાઓ ચાલી રહી છે શાળાઓનાં પ્રથમ સત્ર પૂરું થવા આવ્યું તેમ છતાં હજુ શિષ્યવૃતિની એન્ટ્રી પુરી થઈ નથી. ત્યારે 80 હજારથી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ ક્યારે મળશે એ પ્રશ્નોનો વાલીઓને જવાબ આપવો શિક્ષકો માટે અઘરો બની ગયો છે. આવી પરિસ્થિતિમાં આચાર્યો શિક્ષકોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઇ છે. આ બધાં ટેક્નિકલ પ્રશ્નો ઝડપથી સોલ્વ કરી ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિની સાઈટ કાર્યાન્વિત થાય તેની રાહ જોઈ રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હજી ઘણી શાળાના લોગીન એક્ટિવ થયાં નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘણી સ્કૂલોના તો લોગીનમાં ઈનએક્ટિવ બતાવે છે તેથી તેવી શાળાઓએ લોગીન એક્ટિવ કરાવવા જિલ્લા સમાજ કલ્યાણ ખાતાનો સંપર્ક કરતા ત્યાંથી જણાવ્યું કે ગાંધીનગર નાયબ નિયામકને લેખિત આપવું પડે. તે મુજબ આચાર્ય દ્વારા લેખિત પણ અપાયુ છે, તેને ઘણો સમય થઇ ગયો હોવા છતાં હજુ સુધી આવી શાળાઓના લોગીન એક્ટિવ થયાં નથી. બીજી બાજુ શિક્ષણ વિભાગ દ્વારા આચાર્યો શિક્ષકોને શિષ્યવૃતિની એન્ટ્રી કરી પ્રપોઝલ બનાવી હાયર ઓર્થોરિટીને મોકલવા કરવા વારંવાર સૂચના આપવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વેબસાઈટમાંથી ટેક્નિકલ ખામી દૂર કરવા માંગણી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તારાપુર તાલુકાના અધ્યક્ષ જયદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિત સાથે જોડાયેલી આ બાબતે શિક્ષકો અને આચાર્યોને પડતી મુશ્કેલીઓ બાબતે અમે રાજ્ય સંગઠનના માધ્યમથી રજૂઆત કરી છે બહુ ઝડપથી ડિજિટલ ગુજરાતની વેબસાઈટના સરળીકરણ સાથે ટેક્નિકલી મુશ્કેલીઓ ન આવે તે મુજબ વેબસાઈટમાં જરૂરી સુધારા કરવા સંબધિત વિભાગને અનુરોધ કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/hundreds-of-poor-children-will-not-be-able-to-get-the-scholarship-as-the-process-becomes-difficult">પ્રક્રિયા અઘરી બનતા સેંકડો ગરીબ બાળકો શિષ્યવૃત્તિ નહીં મેળવી શકે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 18 Oct 2024 19:16:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1419</Articleid>
                    <excerpt>ડિજિટલ ગુજરાતની વેબસાઈટ પર દિવસ દરમિયાન સર્વર એરર, ચાલુ એન્ટ્રીએ ઓટોમેટિક લોગઆઉટ, એન્ટ્રી બાદ માહિતી સેવ ન થવી જેવી સમસ્યા નડે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6712658b19549.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6712658add0b1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6712658add0b1.jpg" length="65751" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Scholarship Forms Error, Website of Digital Gujarat</media:keywords>
                </item>
                        <item>
                    <title>પીએમ બેરોજગારી ભથ્થાં હેઠળ મહિને રૂ. 3500 મળશે, તમને મેસેજ આવ્યો?</title>
                    <link>https://khabarantar.com/under-pm-unemployment-allowance-rs-3500-did-you-get-the-message</link>
                    <guid>https://khabarantar.com/under-pm-unemployment-allowance-rs-3500-did-you-get-the-message</guid>
                    <description>
                        <![CDATA[ પીએમ બેરોજગારી ભથ્થું યોજના હેઠળ તમને દર મહિને 3500 રૂપિયા મળશે, જો તમને આ મેસેજ મળ્યો છે તો સાવધાન થઈ જાવ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારે બેરોજગારો માટે એક સ્કીમ શરૂ કરી છે. PIB ની પોસ્ટ અનુસાર, વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, "પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થું યોજના. સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને 3500 રૂપિયા આપશે."</span><br><span style="font-size: 14pt;">જો તમને પણ આ મેસેજ મળ્યો છે, તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. સોશિયલ મીડિયા પર આવી લિંક પર ક્લિક કરતી વખતે સાવચેત રહેવું જોઈએ. છેતરપિંડી કરનારાઓ નિર્દોષ લોકોને નિશાન બનાવવા માટે હવે વિવિધ ચાલાકીઓ અપનાવી રહ્યા છે. તેનું તાજેતરનું ઉદાહરણ આ વાયરલ મેસેજ છે, જેના દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર દર મહિને બેરોજગારોને ભથ્થું આપવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ માટે એક યોજના પણ શરૂ કરી દેવામાં આવી છે. પણ હકીકતે આ સમાચાર ફેક છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારે બેરોજગારો માટે એક સ્કીમ શરૂ કરી છે. PIBની પોસ્ટ અનુસાર, વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, 'પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થું યોજના. સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને 3500 રૂપિયા આપશે. આ વાયરલ પોસ્ટની સાથે એક લિંક પણ શેર કરવામાં આવી છે અને લોકોને રજીસ્ટ્રેશન કરવા માટે કહેવામાં આવ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, 'પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થું યોજના 2022 માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. આ યોજના હેઠળ બેરોજગાર યુવાનોને દર મહિને 3500 રૂપિયા આપવામાં આવશે. તમારા મોબાઇલ પરથી આ લિંક પર ક્લિક કરીને હમણાં જ નોંધણી કરો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">PIBએ આ દાવાને ખોટો ગણાવ્યો છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પીઆઈબીએ કહ્યું કે, 'ભારત સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્યારેય ક્લિક કરશો નહીં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફ્રી મોબાઈલની નકલી પોસ્ટ વાયરલ થઈ</span></strong></span><br><span style="font-size: 14pt;">અગાઉ આવી જ બીજી એક વાયરલ પોસ્ટ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર ફ્રી મોબાઈલ ફોન આપી રહી છે. PIBએ માહિતી આપી હતી કે, 'GavDehatvlogs ચેનલના વિડિયો થંબનેલ અનુસાર, કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ફ્રી મોબાઈલ સ્કીમ હેઠળ તમામ લોકોને મફત મોબાઈલ ફોન આપશે.' પીઆઈબીએ કહ્યું કે કેન્દ્ર સરકાર આવી કોઈ યોજના ચલાવી રહી નથી. તેમજ આવા સમાચાર શેર ન કરવાની સલાહ આપી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયાના આજના જમાનામાં સાયબર ફ્રોડનો ગ્રાફ સતત વધતો જઈ રહ્યો છે. ખાસ કરીને વોટ્સએપ પર આ પ્રકારના સરકારી યોજનાઓના મેસેજ ફરતા કરીને લોકોની વિગતો મેળવીને તેમની સાથે છેતરપિંડી થાય છે. ભારત દેશમાં જ્યાં અરજી કરવા છતાં લોકોને સરકારી યોજનાનો લાભ નથી મળતો, ત્યાં આ રીતે કોઈ મફતમાં એક ક્લિક પર તમને કોઈ યોજનાનો લાભ કેવી રીતે આપે, બસ આટલો જ વિચાર કરજો, જેથી ઓનલાઈન ફ્રોડથી બચી જશો.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/open-box-delivery-will-save-you-from-fraud-in-online-shopping">Online Shopping માં ઓપન બોક્સ ડિલિવરી તમને ફ્રોડથી બચાવશે</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 18 Oct 2024 14:52:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1418</Articleid>
                    <excerpt>પીએમ બેરોજગારી ભથ્થું યોજના હેઠળ તમને દર મહિને 3500 રૂપિયા મળશે, જો તમને આ મેસેજ મળ્યો છે તો સાવધાન થઈ જાવ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671228b47dedb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671228b440aff.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671228b440aff.jpg" length="101167" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Fake massage, PM unemployment allowance, alert</media:keywords>
                </item>
                        <item>
                    <title>RSS ના ખીર વિતરણ કાર્યક્રમમાં ચાકુબાજી, 8 થી વધુ લોકો ઘાયલ</title>
                    <link>https://khabarantar.com/stabbing-at-rsss-pudding-distribution-program-in-jaipur-rajasthan-more-than-8-injured</link>
                    <guid>https://khabarantar.com/stabbing-at-rsss-pudding-distribution-program-in-jaipur-rajasthan-more-than-8-injured</guid>
                    <description>
                        <![CDATA[ શરદ પૂર્ણિમાની રાત્રે RSS દ્વારા ખીરનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું એ દરમિયાન કોઈએ ચાકુ-દંડાથી હુમલો કરી દીધો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જયપુર (Jaipur) માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એક કાર્યક્રમ દરમિયાન ભારે હંગામો થયો હોવાના સમાચાર છે. જેમાં સંઘના અનેક કાર્યકરો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.</span><br><span style="font-size: 14pt;">ઘટના 17 ઓક્ટોબર, ગુરુવારે મોડી રાત્રે બની હતી. શરદ પૂર્ણિમા (Sharad Poonam) ના અવસરે જયપુરના કરણી વિહાર (Karni Vihar) માં RSS દ્વારા ખીર વિતરણનો કાર્યક્રમ (Pudding Distribution Programme) યોજાયો હતો. આરોપ છે કે આ દરમિયાન કેટલાક અજાણ્યા લોકોએ સંઘ કાર્યકર્તાઓ (RSS worker) પર હુમલો (RSS worker) કર્યો હતો. તેમની પાસે છરીઓ અને લાકડીઓ હતી. આ હુમલામાં 7 થી 8 કાર્યકરો ઘાયલ થયા છે. ઘાયલોની જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ (Rajyavardhan Singh Rathore) ઘાયલોની ખબર-અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ હોસ્પિટલ ગયા હતા અને ઘાયલોને મળ્યા હતા. આ હુમલામાં સામેલ લોકો સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;">કર્નલ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે, 'ખીર વિતરણના કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન ચાલી રહ્યાં હતા. એ દરમિયાન 2-3 લોકો ત્યાં આવ્યા હતા અને પહેલા તેમણે ખીરના માટલાને લાત મારી હતી અને અપશબ્દો બોલવા લાગ્યા હતા. લોકોએ તેમને સમજાવ્યા હતા. થોડી જ વારમાં તેણે 7-8 લોકો પર છરી વડે હુમલો કર્યો. હાલની લોકોએ તેમને ત્યાં પકડી લીધા હતા, હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે અને તમામની હાલત ખતરાથી બહાર છે.'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જયપુર પશ્ચિમના ડીસીપી પશ્ચિમ અમિત કુમારે ઘટના વિશે જણાવ્યું હતું કે આ ઘટનામાં સાતથી આઠ લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે સવાઈ માનસિંહ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અમિત કુમારના જણાવ્યા અનુસાર, પૂછપરછ માટે કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાન ભાજપના પૂર્વ પ્રમુખ અરુણ ચતુર્વેદીએ મીડિયાને જણાવ્યું હતું કે RSS શરદ પૂર્ણિમાના અવસર પર ખીર વહેંચવા માટે એક કાર્યક્રમનું આયોજન કરી રહ્યું હતું, જ્યાં અચાનક છરીઓ અને અન્ય હથિયારોથી સજ્જ હુમલાખોરોએ સભા પર હુમલો કર્યો. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને તેમની ઇજાઓની ગંભીરતા જાણવા માટે તબીબી તપાસ કરવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/sikh-leader-demands-ban-on-rss-network-in-canada">શીખ નેતાએ કેનેડામાં આરએસએસના નેટવર્ક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 18 Oct 2024 08:57:32 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1415</Articleid>
                    <excerpt>શરદ પૂર્ણિમાની રાત્રે RSS દ્વારા ખીરનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું એ દરમિયાન કોઈએ ચાકુ-દંડાથી હુમલો કરી દીધો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6711d58f31526.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6711d58f02250.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6711d58f02250.jpg" length="72491" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>RSS, attack, jaipur, pudding distribution programme, stabbing</media:keywords>
                </item>
                        <item>
                    <title>જજે આરોપીને રાષ્ટ્રધ્વજને 21 વાર સલામી આપવાની શરતે જામીન આપ્યા</title>
                    <link>https://khabarantar.com/the-judge-granrted-bail-to-the-accused-on-the-condition-that-he-salutes-the-national-flag-21-times</link>
                    <guid>https://khabarantar.com/the-judge-granrted-bail-to-the-accused-on-the-condition-that-he-salutes-the-national-flag-21-times</guid>
                    <description>
                        <![CDATA[ પંચરની દુકાન ચલાવતા ફૈઝાન નામના યુવકે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ અને ‘ભારત મુર્દાબાદ’ કહેતા જજે વિચિત્ર સજા ફટકારી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશની જબલપુર હાઈકોર્ટે દેશવિરોધી નારા લગાવનારા આરોપીને અનોખી શરતો પર જામીન આપ્યા છે જેની સમગ્ર રાજ્યમાં ચર્ચા થઈ રહી છે. હાઈકોર્ટે આરોપીને કહ્યું છે કે, તેણે દર મહિને દેશના ગુણગાન ગાવા પડશે. ઉલ્લેખનીય છે કે, આરોપી ફૈઝાન ખાને દેશ વિરોધી નારા લગાવ્યા હતા અને તેનો વીડિયો વાયરલ થયો હતો. આ પછી પોલીસે તેની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો હતો. આ પછી આરોપી વિરુદ્ધ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ, જેમાં તે જામીન માટે અરજી કરતો રહ્યો, હવે જબલપુર હાઈકોર્ટે તેને શરતો સાથે જામીન આપી દીધા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જબલપુર હાઈકોર્ટે આરોપીને એક શરત સાથે જામીન આપતા કહ્યું કે, “તેણે દર મહિને બે વખત ભોપાલ પોલીસ સમક્ષ હાજર થવું પડશે અને ૨૧ વખત ત્રિરંગાને સલામી આપી ‘ભારત માતા કી જય’ બોલવું પડશે.” </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસની સુનાવણી જસ્ટિસ દિનેશ કુમાર પાલીવાલે કરી હતી. જસ્ટિસ પાલીવાલે પોતાના આદેશમાં કહ્યું કે, મંડીદીપ (રાયસેન)ના રહેવાસી ફૈઝાન ખાને ભોપાલના મિસ રોડ પોલીસ સ્ટેશનની સામે લગાવવામાં આવેલા ત્રિરંગા સામે આ શરત પૂરી કરવી પડશે. ફૈઝાન ખાને કેસ પૂરો ન થાય ત્યાં સુધી દર મહિનાના પહેલા અને ચોથા મંગળવારે સવારે ૧૦ થી ૧૨ વાગ્યાની વચ્ચે આ પ્રક્રિયા કરવી પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજધાની ભોપાલ પાસેના મિસરોડમાં પંચરની દુકાન ચલાવતા ફૈઝાન નામના વ્યક્તિએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા અને ભારત મુર્દાબાદ કહ્યું હતું. ૧૭ મે, ૨૦૨૪ના રોજ આ વીડિયો વાયરલ થયા બાદ બજરંગ દળે તેનો વિરોધ કર્યો અને આ યુવકની ધરપકડની માંગ કરી હતી. ત્યારબાદ મિસરોડ પોલીસે કલમ ૧૫૩ (મ્) હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહત્ત્વપૂર્ણ છે કે, મામલો ૧૭ મે, ૨૦૨૪નો છે, જ્યારે ફૈઝાનનો ‘પાકિસ્તાન ઝિંદાબાદ, ભારત મુર્દાબાદ’ના નારા લગાવતો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૫૩મ્ હેઠળ ફૈઝાનની ધરપકડ કરી હતી. તેની સામે ૧૨ અન્ય ગુનાઈત કેસ પણ નોંધાયેલા છે. તે જ સમયે, ફરિયાદ પક્ષે કોર્ટમાં કહ્યું હતું કે, ફૈઝાનનું પગલું રાષ્ટ્રીય એકતા અને સૌહાર્દને નુકસાન પહોંચાડનારું છે, તેથી તેને જામીન ન મળવા જાઈએ. બચાવ પક્ષે દલીલ કરી હતી કે, ફૈઝાનને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તે આ દેશનો નાગરિક છે. તમામ દલીલો ધ્યાને લઈ હાઈકોર્ટે શરતો સાથે જામીન મંજૂર કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/bjp-mla-cut-the-cake-after-getting-bail-to-the-gang-rape-accused">ગેંગરેપના આરોપીઓને જામીન મળતા ભાજપ ધારાસભ્યે કેક કાપી?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 17 Oct 2024 22:19:40 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1414</Articleid>
                    <excerpt>પંચરની દુકાન ચલાવતા ફૈઝાન નામના યુવકે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ અને ‘ભારત મુર્દાબાદ’ કહેતા જજે વિચિત્ર સજા ફટકારી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67113f3dc4b7c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67113f3d86f78.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67113f3d86f78.jpg" length="77774" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Salute the national flag 21 times, Jabalpur High Court</media:keywords>
                </item>
                        <item>
                    <title>રેલવેએ ટિકિટ બુકિંગ માટેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો</title>
                    <link>https://khabarantar.com/railway-made-a-major-change-in-the-rules-for-ticket-booking</link>
                    <guid>https://khabarantar.com/railway-made-a-major-change-in-the-rules-for-ticket-booking</guid>
                    <description>
                        <![CDATA[ હાલના નિયમ મુજબ મુસાફરી કરવા માટે ૧૨૦ દિવસ પહેલા બુકિંગ કરાવવું પડતું હતું પરંતુ ૧ નવેમ્બરથી નિયમ બદલાશે ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફેસ્ટિવ સીઝનમાં ટ્રેન ટિકિટની મારામારી વચ્ચે રેલવે તરફથી ટિકિટ બુકિંગ માટેના નિયમમાં મોટો ફેરફાર કરાયો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હવે મુસાફરો ટ્રેનના પ્રસ્થાનની તારીખથી ફક્ત ૬૦ દિવસ પહેલા જ IRCTC થી ટિકિટ બુક કરાવી શકશે. હાલના સમયમાં એડવાન્સ ટિકિટ બુકિંગનો સમયગાળો ૧૨૦ દિવસનો છે. અત્રે જણાવવાનું કે મુસાફરો તરફથી લાંબા સમયથી એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમમાં ફેરફાર કરવાની માંગણી  થઈ રહી હતી. જેના પર હવે રેલવેએ મોટો નિર્ણય લીધો છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રોનો દાવો છે કે ટિકિટ બુકિંગ સંલગ્ન નવો નિયમ ૧ નવેમ્બર ૨૦૨૪થી લાગૂ થશે. પહેલેથી બુક થયેલી ટિકિટો પર તેની કોઈ અસર પડશે નહીં. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ૧ નવેમ્બરે દીવાળી અને ૬ નવેમ્બરે છઠ પૂજાના પગલે રેલવેના તમામ રૂટ પર ટિકિટ બુકિંગને લઈને પડાપડી છે. મુસાફરો તરફથી ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફારની લાંબા સમયથી માંગણી થઈ રહી હતી. મુસાફરો તરફથી એવા આરોપ લગાવવામાં આવ્યા હતા કે બુકિંગ શરૂ થતાની સાથે જ એજન્ટો પહેલેથી જ સીટ બુક કરી લે છે. તેના કારણે અસલ મુસાફરોને ટિકિટ મળવામાં પરેશાની થાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તરફ ભારતીય રેલવે પોતાની સિસ્ટમ અને પ્રોસેસમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ને સામેલ કરવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. રેલવેએ પહેલેથી જ લિનન અને ભોજનની ગુણવત્તા પર નજર રાખવા માટે એઆઈથી સજ્જ કેમેરા લગાવેલા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અમે ટ્રેનોની ચોક્સાઈની તપાસ માટે એઆઈ મોડલ તરફ આગળ વધી રહ્યાં છીએ. તેનાથી ટ્રેનમાં કેટલી સીટો ખાલી છે તે પણ ચેક કરી શકાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/railways-has-given-100-vande-bharat-trains-rs-canceled-orders-worth-30-thousand-crores">રેલવેએ 100 વંદે ભારત ટ્રેનોનો રૂ. 30 હજાર કરોડનો ઓર્ડર રદ કર્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 17 Oct 2024 21:46:03 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 17 Oct 2024 21:46:32 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1413</Articleid>
                    <excerpt>હાલના નિયમ મુજબ મુસાફરી કરવા માટે ૧૨૦ દિવસ પહેલા બુકિંગ કરાવવું પડતું હતું પરંતુ ૧ નવેમ્બરથી નિયમ બદલાશે</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671137745ab7c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671137742673d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671137742673d.jpg" length="95617" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Change in railway ticket booking rules</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાત કોંગ્રેસ વિધાનસભામાં ગાયને રાજ્યમાતા જાહેર કરતું બિલ લાવશે</title>
                    <link>https://khabarantar.com/the-gujarat-congress-will-bring-a-bill-declaring-the-cow-as-the-mother-of-the-state-in-the-assembly</link>
                    <guid>https://khabarantar.com/the-gujarat-congress-will-bring-a-bill-declaring-the-cow-as-the-mother-of-the-state-in-the-assembly</guid>
                    <description>
                        <![CDATA[ વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે, કોંગ્રેસ ગાયને રાજ્યમાતા જાહેર કરતું બિલ લાવશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિચારધારાની રીતે ભાજપ અને કોંગ્રેસ એક જ સિક્કાની બે બાજુઓ છે તેવું રાજકીય નિષ્ણાતો કહેતા રહે છે, પણ હવે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારની તર્જ પર હવે રાજકીય લાભ ખાટવા અને હિંદુ મતદારોને લલચાવવા માટે ગુજરાત કોંગ્રેસે પણ હિંદુત્વનો માર્ગ અપનાવતા ગાયને રાજ્યમાતા જાહેર કરવા વિધાનસભામાં બિલ લાવવાની જાહેરાત કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૌ માતા રાષ્ટ્ર માતા અભિયાન અંતર્ગત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું અમદાવાદમાં આગમન થયું છે ત્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ ગુજરાત કોંગ્રેસ શંકરાચાર્યની ગૌ માતાને રાજ્ય માતા ઘોષિત કરવાની વાતને સમર્થન આપે છે અને આવનારા વિધાનસભા સત્રની અંદર તેના માટે બિલ પણ લાવશે તેમ જણાવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે “ગૌ માતા રાષ્ટ્રમાતા અભિયાન” અંતર્ગત ગાયને પશુ સૂચિમાંથી હટાવી રાષ્ટ્રીય દરજ્જો અપાવવાના ધ્યેય સાથે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરનંદ સાથે દેશભરમાંથી સાધુ સંતો,</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્મગુરુઓ અમદાવાદ આવ્યા હતા.  ત્યારે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ શંકરાચાર્યની ઉપસ્થિતિમાં જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ શંકરાચાર્યજીની ગૌ માતાને રાજ્ય માતા ઘોષિત કરવાની વાતને સમર્થન આપે છે અને આવનારા વિધાનસભા સત્રની અંદર તેના માટે બિલ પણ લાવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ બનાસકાંઠાના સંસદ સભ્ય ગેનીબેને જણાવ્યું હતું કે, “હું જ્યારે ચૂંટણી લડતી હતી તે વખતે જ મેં શંકરાચાર્ય સમક્ષ સંકલ્પ કર્યો હતો કે જો હું ચૂંટણી જીતીશ તો સંસદમાં ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે સમગ્ર દેશને આહ્વાન કરીશ, સમગ્ર દેશમાં સૌથી વધારે પાંજરાપોળ એ બનાસકાંઠા વિસ્તારમાં આવેલી છે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા મારું સંપૂર્ણ સમર્થન રહેશે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માગણી સાથે શંકરાચાર્ય યાત્રા પર નીકળ્યા છે અને તેમણે અમદાવાદના સોલા ભાગવત ખાતે કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક મોટા નેતાઓ જેમાં ધારાસભ્ય દિનેશજી ઠાકોર, અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હિંમતસિંહ પટેલ, પૂર્વ મંત્રી બીમલ શાહ, પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, બળદેવજી ઠાકોર, ઇન્દ્રનીલ રાજગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડો. જીતુ પટેલ, અગ્રણી રાજુભાઈ જોશી, ડામરાજી રાજગોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલ તથા પ્રવક્તા પ્રગતિ આહીર, સોશિયલ મીડિયા ચેરમેન ભૂમન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ હાજર રહીને ગૌમાતા રાષ્ટ્ર માતાનો ઉદ્‌ઘોષ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/the-sinde-government-of-maharashtra-gave-the-status-of-rajmata-gaumata-to-the-country-cow">મહારાષ્ટ્રની શિંદે સરકારે દેશી ગાયને રાજમાતા-ગૌમાતાનો દરજ્જો આપ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 17 Oct 2024 20:23:25 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1411</Articleid>
                    <excerpt>વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે, કોંગ્રેસ ગાયને રાજ્યમાતા જાહેર કરતું બિલ લાવશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671124d768978.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671124d7318a9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671124d7318a9.jpg" length="56435" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>The mother of the state cow, Amit Chavda</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમુક શિક્ષિકાઓ આખું શરીર દેખાડતી સ્કૂલે આવે છેઃ રાજસ્થાનના શિક્ષણમંત્રી</title>
                    <link>https://khabarantar.com/some-teachers-come-to-school-with-full-body-exposed-rajasthan-education-minister</link>
                    <guid>https://khabarantar.com/some-teachers-come-to-school-with-full-body-exposed-rajasthan-education-minister</guid>
                    <description>
                        <![CDATA[ રાજસ્થાનના શિક્ષણમંત્રી તેમના બેફામ નિવેદનોને લઈને જાણીતા છે. હવે તેમણે મહિલા શિક્ષિકાઓના ડ્રેસ પણ નિવેદન કરીને સરકારને પણ શરમજનક સ્થિતિમાં મૂકી દીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપ અને આરએસએસ સાથે જોડાયેલા કેટલાક નેતાઓ-કાર્યકરો તેમના મહિલાઓને લઈને નિમ્ન સ્તરના વિચારોને લઈને કુખ્યાત છે. આ નેતાઓ જાહેરમાં પણ મહિલાઓ વિશે હલકી કક્ષાના નિવેદનો કરતા ખચકાતા નથી. આવું જ એક નિમ્ન સ્તરનું નિવેદન રાજસ્થાનના શિક્ષણમંત્રીએ મહિલા શિક્ષિકાઓના ડ્રેસને લઈને આપ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના શિક્ષણ મંત્રી (Rajasthan Education Minister) મદન દિલાવરે (Madan Dilawar) મહિલા શિક્ષકોના પોશાક (Teacher's dress) પર વિવાદિત નિવેદન (controversial statement) આપીને સ્થાનિક રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. શિક્ષિકાઓના ડ્રેસ પર ટિપ્પણી કરતા દિલાવરે કહ્યું કે, "ઘણી શિક્ષિકાઓ પોતાનું આખું શરીર બતાવતી શાળાએ જાય છે. તેનાથી છોકરા-છોકરીઓ પર સારી અસર પડતી નથી. આ લોકોએ વિચારવું જોઈએ કે હું એક શિક્ષિકા છું. શિક્ષક છું. આપણે કેવો પોશાક પહેરવો જોઈએ, શું ખાવું જોઈએ તેની તકેદારી રાખવી જોઈએ. દિલાવરે કહ્યું કે શિક્ષકે યોગ્ય ડ્રેસ પહેરીને શાળાએ આવવું જોઈએ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલાવરે નૃસિંહપુરી ગામમાં આયોજિત એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. દિલાવરે કહ્યું કે ઘણા શિક્ષકો શાળામાં ઝૂમતા (દારૂના નશાના સંદર્ભમાં) શાળાએ આવે છે. તમે જ વિચારો, બાળકો શું વિચારશે, દારૂ પીવો સારી બાબત છે. ગુરુજી પણ પીને આવે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે, જે લોકો આ પ્રકારના કૃત્યો કરે છે તેઓ શિક્ષકો નથી પરંતુ બાળકોના દુશ્મન છે. તેમને શિક્ષક કહેવા એ પાપ છે. આપણું વર્તન એવું હોવું જોઈએ કે બાળકો કંઈપણ બોલ્યા વિના પણ આપણી પાસેથી મૂલ્યો શીખી શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોંગ્રેસ આક્રમ બની</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસે હોબાળો મચાવ્યો છે અને આક્રમક બની ગઈ છે. કાર્યક્રમના થોડા સમય બાદ દિલાવરનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. જે બાદ કોંગ્રેસે આ મુદ્દો ઉપાડી લીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિપક્ષના નેતા ટીકારામ જુલી (Tikaram Julie) એ શિક્ષણ મંત્રીના નિવેદનને વખોડીને તેમના રાજીનામાની માંગણી કરી હતી. જુલીએ કહ્યું કે, આજે શરદ પૂર્ણિમા છે. આ શુભ અને પાવન અવસર પર શિક્ષણ મંત્રી મદન દિલાવર પાસેથી આવા અંધકારમય દ્રષ્ટિકોણની અપેક્ષા બિલકુલ ન હતી. તેમને સતત અભદ્ર ટિપ્પણી અને ભાષણ કરવાની આદત છે. પરંતુ આજે તેમણે પોતાના આ નિવેદનથી સૌ કોઈને શરમમાં મુકી દીધાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ બેશરમીની હદ છે...</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરા (Govind Singh Dotasara) એ કહ્યું કે આ બેશરમીની હદ છે. શિક્ષકોનું અપમાન કરવું, તેમને બદનામ કરવા અને રોજ બેફામ ટિપ્પણીઓ કરીને રાજ્યને શરમજનક સ્થિતિમાં મૂકવું એ શિક્ષણમંત્રીની આદત બની ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડોટાસરાએ કહ્યું કે માનસિક રીતે દેવાળિયા બનેલા શિક્ષણ મંત્રીએ માફી માંગવી જોઈએ અથવા મુખ્યમંત્રીએ તેમને મંત્રીમંડળમાંથી બરતરફ કરવા જોઈએ. એ પછી તો વિપક્ષના અન્ય નેતાઓએ પણ શિક્ષણમંત્રીના નિવેદનોની આકરી ઝાટકણી કાઢી હતી. કહેવાય છે કે દિલાવરના આ નિવેદન સામે શિક્ષક સંગઠનોએ પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <strong><a href="https://khabarantar.com/say-less-stay-at-home-this-is-rsss-view-on-women">ઓછું બોલો, ઘરે રહો, આ RSS નો મહિલાઓને લઈને વિચાર છે...</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 17 Oct 2024 11:43:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1407</Articleid>
                    <excerpt>રાજસ્થાનના શિક્ષણમંત્રી તેમના બેફામ નિવેદનોને લઈને જાણીતા છે. હવે તેમણે મહિલા શિક્ષિકાઓના ડ્રેસ પણ નિવેદન કરીને સરકારને પણ શરમજનક સ્થિતિમાં મૂકી દીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6710a9e722c63.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6710a9e6dc7e3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6710a9e6dc7e3.jpg" length="56759" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Madan Dilawar, Rajasthan Education Minister</media:keywords>
                </item>
                        <item>
                    <title>ન્યાયની દેવીની આંખેથી પટ્ટી ઉતરી, હાથમાં તલવારને બદલે બંધારણ અપાયું</title>
                    <link>https://khabarantar.com/the-blindfold-of-the-goddess-of-justice-came-off-the-constitution-replaced-the-sword-in-her-hand</link>
                    <guid>https://khabarantar.com/the-blindfold-of-the-goddess-of-justice-came-off-the-constitution-replaced-the-sword-in-her-hand</guid>
                    <description>
                        <![CDATA[ સુપ્રીમ કોર્ટના જજોની લાઈબ્રેરીમાં ન્યાયની દેવીની મૂર્તિ લગાવવામાં આવી છે. તેની આંખો પરથી પટ્ટી દૂર કરાઈ છે અને હાથમાં તલવારને બદલે દેશનું બંધારણ અપાયું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટના જજોની લાઇબ્રેરીમાં ન્યાયની દેવીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમામાં નવી વાત એ છે કે અગાઉ ન્યાયની દેવીની પ્રતિમાના એક હાથમાં ત્રાજવા અને બીજા હાથમાં તલવાર હતી અને તેની આંખો પર પટ્ટી બાંધેલી હતી, હવે ન્યાયની દેવીની આંખની પટ્ટી હટાવી દેવામાં આવી છે. એટલું જ નહીં, તેના હાથમાં તલવારને બદલે દેશનું બંધારણ આપવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાન્ય રીતે આપણે ફિલ્મો, સિરિયલો અને બીજા ઘણા માધ્યમોમાં જ્યારે અદાલત જોઈએ ત્યારે ન્યાયાધિશની બાજુમાં ન્યાયની દેવીની મૂર્તિ હોય છે. ન્યાયની દેવીની મૂર્તિ ઉપર આંખે પાટા બાંધેલા અને હાથમાં તલવાર રાખેલી તથા બીજા હાથમાં ત્રાજવું રાખેલું હોય છે. ન્યાયની આ દેવીને ધ્યાનમાં રાખીને અંધા કાનૂન અને બીજી ઘણી ફિલ્મો બનેલી છે. આ ન્યાયની દેવીની મૂર્તિમાં હવે મોટું પરિવર્તન આવ્યું છે. ભારત સરકાર દ્વારા અંગ્રેજોના સમયથી ચાલતા આવતા ન્યાયંત્રને ભારતીય વ્યવસ્થા અનુરૂપ બદલવાની મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેના પગલે આ વર્ષે ભારતીય ન્યાય સંહિતા લાગુ કરવામાં આવી. હવે ભારતીય ન્યાયતંત્રના પ્રતિક રૂપે ન્યાયની દેવીનું પણ સ્વરૂપ બદલવામાં આવ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડની ભલામણ બાદ ન્યાયની દેવીનું સ્વરૂપ બદલવામાં આવ્યું છે. નવા સ્વરૂપ સાથેની પ્રતિમાઓ જજની લાઈબ્રેરીમાં મુકવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ન્યાયની દેવીના નવા સ્વરૂપમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અંધા કાનૂનને દર્શાવતી દેવીની પ્રતિમાની આંખો ઉપરથી કાળી પટ્ટી દૂર કરવામાં આવી છે. હવે ન્યાયની દેવી બધું જ જોઈ શકે છે. આ ઉપરાંત તેમની મૂર્તિના એક હાથમાં ત્રાજવું યથાવત્ છે જે તમામ લોકોને સમાન ત્રાજવે તોલીને ન્યાય કરે છે. બીજી તરફ બીજા હાથમાંથી તલવાર લઈ લેવાઈ છે અને તેના સ્થાને બંધારણ આપવામાં આવ્યું છે. સીજેઆઈનું માનવું હતું કે, તલવાર તો હિંસાનું પ્રતિક છે. કોર્ટ હિંસા નથી કરતી તે તો ન્યાય કરે છે તે હિંસાનું સમર્થન કરનાર ન હોઈ શકે. તેના પગલે જ તલવાર ના બદલે હવે બંધારણ રાખવામાં આવ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">થીમિસને કાયદો અને વ્યવસ્થાનું પ્રતીક માનવામાં આવે છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટોમાં જોવા મળતી મૂર્તિને ન્યાયની દેવી કહેવામાં આવે છે. આ મૂર્તિને મિસ્રની દેવી માત અને ગ્રીક દેવી થેમિસના નામથી ઓળખવામાં આવે છે. તેને સદ્ભાવના, ન્યાય, કાયદો અને શાંતિ જેવી વિચારધારાઓનું પ્રતીક માનવામાં આવે છે. ગ્રીસમાં થેમિસને સત્ય અને કાયદો વ્યવસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. દંતકથા અનુસાર, ડિકી જૂસની પુત્રી હતી. તે એ વિલ્કાપના લોકોને ન્યાય આપતી હતી. ડિઓસ દ્વારા ઝિઉસને બૃહસ્પતિ, પ્રકાશ અને જ્ઞાનના દેવ તરીકે ઓળખવામાં આવતા હતા. જસ્ટિસિયા એ દેવી ડિકીનો રોમન વિકલ્પ હતી. હવે તેમાં ફેરફાર કરાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/apply-reservation-in-posts-of-high-court-supreme-court-judges-too-mayawati">હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના જજોની જગ્યામાં પણ અનામત લાગુ કરોઃ માયાવતી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 17 Oct 2024 10:20:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1406</Articleid>
                    <excerpt>સુપ્રીમ કોર્ટના જજોની લાઈબ્રેરીમાં ન્યાયની દેવીની મૂર્તિ લગાવવામાં આવી છે. તેની આંખો પરથી પટ્ટી દૂર કરાઈ છે અને હાથમાં તલવારને બદલે દેશનું બંધારણ અપાયું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6710967706eb0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67109676c1a6e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67109676c1a6e.jpg" length="48548" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BLINDFOLD-THE-SWORD-REMOVED, JUSTICE-STATUE, Goddess of justice</media:keywords>
                </item>
                        <item>
                    <title>જસ્ટિસ સંજીવ ખન્ના સુપ્રીમ કોર્ટના આગામી મુખ્ય ન્યાયાધીશ હશે</title>
                    <link>https://khabarantar.com/justice-sanjiv-khanna-will-be-the-next-chief-justice-of-the-supreme-court</link>
                    <guid>https://khabarantar.com/justice-sanjiv-khanna-will-be-the-next-chief-justice-of-the-supreme-court</guid>
                    <description>
                        <![CDATA[ સીજેઆઈ ચંદ્રચૂડ 10 નવેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યાં છે. તેમના પછી જસ્ટિસ સંજીવ ખન્ના દેશના આગામી ચીફ જસ્ટિસ હશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Chief Justice of India: સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ (DY Chandrachud) 10 નવેમ્બર 2024 ના રોજ તેમના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) માટે જસ્ટિસ સંજીવ ખન્ના (Sanjeev Khanna)નું નામ કેન્દ્ર સરકારને મોકલ્યું છે. એક મીડિયા રિપોર્ટમાં CJI ઓફિસના સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક સામાન્ય રીતે વરિષ્ઠતાના આધારે કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">CJI સુપ્રીમ કોર્ટ કોલેજિયમના વડા (Supreme Court Collegium) છે, જે સુપ્રીમ કોર્ટ અને દેશની વિવિધ હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂંકની ભલામણ કરે છે. CJI ડી. વાય. ચંદ્રચુડ 2 વર્ષ સુધી આ પદ સંભાળ્યા બાદ નિવૃત્ત થવાના છે. તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા તેમણે તેમના અનુગામીના નામની ભલામણ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ સંજીવ ખન્ના 11 નવેમ્બર, 2024ના રોજ 6 મહિનાના કાર્યકાળ માટે ચીફ જસ્ટિસ તરીકેનો ચાર્જ સંભાળશે. તેઓ 13 મે 2025 સુધી તેમના પદ પર રહેશે. એ પછી તેઓ નિવૃત્ત થઈ જશે. જાન્યુઆરી 2019 માં તેમને દિલ્હી હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી હતી. તેઓ હાલમાં કંપની લો, આર્બિટ્રેશન, સર્વિસ લો, મેરીટાઇમ લો, સિવિલ લો અને કોમર્શિયલ લો માટેના રોસ્ટર પર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમના સાડા ચાર વર્ષના કાર્યકાળમાં જસ્ટિસ સંજીવ ખન્ના 358 બેન્ચનો ભાગ રહ્યા છે અને 90થી વધુ ચુકાદાઓ આપ્યા છે. 2023માં તેમણે શિલ્પા શૈલેષ મામલે બંધારણીય બેંચનો ચુકાદો સંભળાવ્યો હતો. UOI વિ. UCC માં તેઓ એ બેંચનો ભાગ હતા જેમણે ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતો માટે વધારાના વળતરની માંગ કરતી અરજી પર ચુકાદો આપ્યો હતો.</span><br><span style="font-size: 14pt;">ગયા વર્ષે તેઓ એસસી અને એસટી માટે પ્રમોશનમાં અનામતના મુદ્દાની સુનાવણી કરતી ત્રણ જજની બેન્ચનો ભાગ હતા. 2019માં તેમણે પ્રખ્યાત 'RTI જજમેન્ટ'માં બહુમતીથી ચુકાદો આપ્યો હતો. 2022 માં તેમણે કહ્યું હતું કે મધ્યસ્થ તેમની ફી એકતરફી રીતે નક્કી કરી શકતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Stop-worship-at-court-events-just-bow-before-the-Constitution-Justice-Abhay-Oka">અદાલતોના કાર્યક્રમોમાં પૂજા-અર્ચના બંધ કરો, ફક્ત બંધારણ આગળ માથું નમાવોઃ જસ્ટિસ અભય ઓકા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 17 Oct 2024 09:14:52 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1405</Articleid>
                    <excerpt>સીજેઆઈ ચંદ્રચૂડ 10 નવેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યાં છે. તેમના પછી જસ્ટિસ સંજીવ ખન્ના દેશના આગામી ચીફ જસ્ટિસ હશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671087b3c7a8b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671087b392e74.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671087b392e74.jpg" length="58742" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Chief Justice of India, DY Chandrachud, Sanjeev Khanna, Supreme Court Collegium</media:keywords>
                </item>
                        <item>
                    <title>શીખ નેતાએ કેનેડામાં RSS ના નેટવર્ક પર પ્રતિબંધની માંગ કરી</title>
                    <link>https://khabarantar.com/sikh-leader-demands-ban-on-rss-network-in-canada</link>
                    <guid>https://khabarantar.com/sikh-leader-demands-ban-on-rss-network-in-canada</guid>
                    <description>
                        <![CDATA[ ભારત અને કેનેડાના સંબંધો વણસી ગયા છે ત્યારે કેનેડાના શીખ નેતા જગમીત સિંહે કેનેડામાં આરએસએસના નેટવર્ક પર પ્રતિબંધની માંગ કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડા અને ભારત વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચે તણાવ વધતો જ ગયો. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડો બાદ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે પણ ભારતીય રાજદ્વારીઓ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. આ બધી બાબતો વચ્ચે કેનેડાના શીખ નેતા જગમીત સિંહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભારતીય રાજદ્વારીઓ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખાલિસ્તાન તરફી વલણ માટે જાણીતા એનડીપી (NDP) નેતાએ ઓટાવામાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કેનેડિયનોની સુરક્ષા માટે બીજા ક્યા પગલાં લઈ શકાય તેને વધુ સારી રીતે સમજવા માટે તેમણે પબ્લિક સેફ્ટી કમિટી સાથે ઈમરજન્સી મીટિંગની વિનંતી કરી હતી. કેનેડાની સરકાર દ્વારા ભારત પરના આરોપો અંગે માહિતી આપ્યાના એક દિવસ બાદ જગમીત સિંહે RSS પર વિવાદાસ્પદ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, 'અમે માંગ કરીએ છીએ કે કેનેડાની સરકાર ભારતીય રાજદ્વારીઓ પર કડક પ્રતિબંધો લાદે અને આરએસએસના નેટવર્કને પણ અહીંથી દૂર કરે. '</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <span style="font-size: 14pt;"><a href="https://khabarantar.com/in-the-up-by-elections-rss-workers-will-explain-the-reservation-constitution-issue-to-dalits">યુપી પેટાચૂંટણીમાં RSSના કાર્યકરો અનામત-બંધારણ મુદ્દે દલિતોને સમજાવશે</a></span></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું, “આપણા દેશની રક્ષા કરવાની જવાબદારી આપણી છે. હું આ દેશ (કેનેડા)ને પ્રેમ કરું છું. લોકોને સુરક્ષિત રાખવા અને આપણી લોકશાહીને સુરક્ષિત રાખવા માટે આપણે શક્ય તેટલું બધું કરવાની જરૂર છે. અમે જાહેર સુરક્ષા સમિતિની ઈમરજન્સી બેઠક યોજીને કેનેડિયનોને સુરક્ષિત રાખવા શું કરી શકીએ છીએ તેના પર વિચારણા કરી રહ્યાં છીએ. તેના માટે કેનેડામાં ફેલાયેલા આરએસએસના નેટવર્ક પર પ્રતિબંધ મૂકવો જોઈએ, સાથે જ ભારતીય રાજદ્વારીઓ પર પણ આ પ્રતિબંધો લાદવા જોઈએ.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિંહે કહ્યું, “ભારત પર દબાણ લાવવા માટે આપણે આપણા સહયોગીઓ સાથે કામ કરવાની જરૂર છે. આપણે અમેરિકા સાથે મળીને કામ કરવાની જરૂર છે. યુનાઇટેડ કિંગડમમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે સતત વધી રહેલા તણાવ વચ્ચે કેનેડાએ સોમવારે ફરી એકવાર વાંધાજનક નિવેદન આપ્યું હતું. વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ આરોપ મૂક્યો હતો કે ભારત કેનેડામાં 'મૂળભૂત ભૂલ' કરી રહ્યું છે. ઉપરાંત પોલીસે ભારતીય રાજદ્વારીઓ અને કોન્સ્યુલર અધિકારીઓ તેમના પદનો ગેરલાભ ઉઠાવીને ગુપ્ત માહિતી એકત્ર કરવામાં સામેલ હોવાના આક્ષેપો કર્યા હતા. તે જ સમયે, ભારતે મંગળવારે આ તમામ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. ભારતે કહ્યું કે કેનેડા આતંકવાદી જૂથોને આશ્રય આપી રહ્યું છે અને અલગતાવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/rss-chief-mohan-bhagwat-was-given-prime-minister-like-security">RSS ના વડા મોહન ભાગવતને વડાપ્રધાન જેવી સુરક્ષા અપાઈ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 16 Oct 2024 19:01:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1402</Articleid>
                    <excerpt>ભારત અને કેનેડાના સંબંધો વણસી ગયા છે ત્યારે કેનેડાના શીખ નેતા જગમીત સિંહે કેનેડામાં આરએસએસના નેટવર્ક પર પ્રતિબંધની માંગ કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670fbf88cba01.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670fbf8896a8b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670fbf8896a8b.jpg" length="68722" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Canadian Sikh leader Jagmeet Singh, Ban on RSS network</media:keywords>
                </item>
                        <item>
                    <title>રામલીલામાં યુદ્ધ દરમિયાન સ્ટેજ પર રામ&amp;રાવણ વચ્ચે મારામારી</title>
                    <link>https://khabarantar.com/rama-ravana-fights-on-stage-during-the-battle-in-ramlila</link>
                    <guid>https://khabarantar.com/rama-ravana-fights-on-stage-during-the-battle-in-ramlila</guid>
                    <description>
                        <![CDATA[ રામ અને રાવણ બનેલા કલાકારો વચ્ચે કોઈ કારણોસર મતભેદ સર્જાતા સ્ટેજ પર જ બંને એકબીજા પર ગડદાપાટું મારતા તૂટી પડ્યાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર ભારતમાં દશેરા દરમિયાન રામલીલાનું ખાસ મહત્વ રહેલું છે. અહીં ગામેગામ આ દરમિયાન રામલીલા ભજવાય છે. આવી જ એક રામલીલામાં એક ચોંકાવનારી ઘટના બની ગઈ. ઘટના યુપીના અમરોહાની છે. અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેજ તૈયાર થઈ ગયું હતું, મોટી સંખ્યામાં દર્શકો નીચે કાર્યક્રમ નિહાળી રહ્યા હતા. રામલીલા તેના ક્લાઈમેક્સ તરફ આગળ વધી રહી હતી અને રામ અને રાવણ વચ્ચે યુદ્ધ શરૂ થયું. જો કે, થોડી જ વારમાં આ યુદ્ધ અસલી લડાઈમાં ફેરવાઈ ગયું. રામ અને રાવણ બનેલા કલાકારો સામસામે આવી ગયા અને ધનુષ્ય અને બાણની જગ્યાએ ઢીંકાપાટુંનો માર મારવા લાગ્યા. માહોલ બગડતો જોઈને પ્રેક્ષકો સ્ટેજ ઉપર ચઢી ગયા અને મામલો થાળે પાડ્યો. હવે આ મામલો પંચાયત સુધી પહોંચ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં રામલીલાના મંચન દરમિયાન રામ અને રાવણનું પાત્ર ભજવતા કલાકારો વચ્ચે લડાઈ થઈ ગઈ હતી. જેના કારણે ત્યાં હોબાળો મચી ગયો હતો. રામલીલા જોઈ રહેલા લોકો સ્ટેજ પર ચઢી ગયા અને જેમતેમ કરીને બંને વચ્ચેની લડાઈને શાંત પાડી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ગજરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારના સલેમપુર ગોંસાઈ ગામનો છે. આ સમાચાર ફેલાયા બાદ મામલો ચર્ચાના ચકડોળે ચડ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રામ-રાવણ વચ્ચે અસલી યુદ્ધ છેડાઈ ગયું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોંસાઈ ગામમાં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના કલાકારો જાતે રામલીલાનું મંચન કરે છે. શનિવારે રાત્રે શ્રી રામ અને રાવણ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. લડતી વખતે બંને વચ્ચે ખરી લડાઈ ક્યારે શરૂ થઈ તે ખબર જ ન પડી. રાવણ બનેલા કલાકારે રામ બનેલા કલાકારને ધક્કો માર્યો હતો. જેના કારણે તે કલાકાર પડી ગયો હતો. એ પછી રામ-રાવણ યુદ્ધને બદલે બંને વચ્ચે અસલી લડાઈ શરૂ થઈ ગઈ હતી. એ પછી, દર્શકોમ બંનેને છુટા પડાવવા માટે સ્ટેજ પર ચડી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રામ-રાવણ વચ્ચે ગાળાગાળી પણ થઈ ગઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મારામારી દરમિયાન લોકોએ બંનેને છોડાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા હતા. પણ બંને કલાકારો કોઈનું માન્યા નહોતા. રામ અને રાવણ બનેલા આ બંને કલાકારો વચ્ચે ગાળાગાળી પણ થઈ ગઈ હતી. ગામલોકોએ જેમ તેમ કરીને સ્ટેજ પર પહોંચીને આખો મામલો થાળે પાડ્યો હતો. દરમિયાન રામનો રોલ કરનાર કલાકારે પોતાનાં કપડાં અને મેકઅપ ઉતારી દીધા હતા અને ત્યાંથી જતો રહ્યો હતો. મોડી રાત્રે જેમ તેમ કરીને અન્ય કલાકાર સાથે સ્ટેજ પર રામ-રાવણનું યુદ્ધ પૂર્ણ થયું હતું.</span><br><span style="font-size: 14pt;">ગ્રામ પંચાયતે બેઠક બોલાવી</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાબતે રવિવારે ગામમાં પંચાયત પણ યોજાઈ હતી. લોકોનું કહેવું છે કે કલાકારોના આંતરિક મતભેદને કારણે આખો કાર્યક્રમ બગડી ગયો હતો. હવે તેનો નિર્ણય પંચાયતમાં લેવાશે. રામ અને રાવણનો રોલ કરનારા કલાકારોને પણ બોલાવવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/ram-leelas-ram-died-of-a-heart-attack-on-stage-in-delhi">રામલીલાના રામનું સ્ટેજ પર હાર્ટ એટેક આવતા મોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 16 Oct 2024 12:42:35 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 16 Oct 2024 12:43:19 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1400</Articleid>
                    <excerpt>રામ અને રાવણ બનેલા કલાકારો વચ્ચે કોઈ કારણોસર મતભેદ સર્જાતા સ્ટેજ પર જ બંને એકબીજા પર ગડદાપાટું મારતા તૂટી પડ્યાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670f6674bea55.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670f66748af5f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670f66748af5f.jpg" length="106119" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dussehra, Ramlila</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખંભાતમાં પતરાના ડબ્બામાં સૂતળી બોંબ મૂકી ફોડતા બાળકનું મોત</title>
                    <link>https://khabarantar.com/a-child-died-after-putting-a-string-bomb-in-a-letter-box-in-khambhat</link>
                    <guid>https://khabarantar.com/a-child-died-after-putting-a-string-bomb-in-a-letter-box-in-khambhat</guid>
                    <description>
                        <![CDATA[ દિવાળીમાં બાળકોને ભયજનક રીતે ફટાકડાં ફોડવા દેતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિવાળીના તહેવાર દરમિયાન બાળકોને ભયજનક રીતે ફટાકડા અને બોમ્બ ફોડવા દેતા વાલીઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. ખંભાતના વટાદરા ગામે ગતરોજ સાંજના 6 વાગ્યાના અરસામાં 10 વર્ષીય બાળક સૂતળી બોમ્બ ઉપર મસાલાનો પતરાનો ડબ્બો મૂકી ફોડતો હતો. તે દરમિયાન અચાનક સૂંતળી બોંબ ફૂટતા પતરાનો ડબ્બો ધડાકાભેર ફાટીને બાળકની જાંઘના ભાગે વાગી જતા બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ પરિસ્થિતિમાં બાળકને ખંભાતની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોકટરે તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરતા ઠાકોર પરિવારમાં દિવાળી પહેલા જ માતમ છવાઈ ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખંભાતના વટાદરા ગામે સ્વામી નારાયણ મંદિર પાસેના ટેકરી વિસ્તારમાં રહેતા અલ્પેશભાઈ ઠાકોરનો 10 વર્ષીય પુત્ર નિર્મલ પોતાના મિત્ર સાથે નજીક પડતર જમીનમાં ફટાકડા ફોડતા હતા.નજે દરમિયાન નિર્મલે સુતળી બોમ્બ ફોડવા માટે તેને સળગાવી મસાલાનો પતરાનો ડબ્બો ઢાંક્યો હતો.નજેથી  તુરંત જ સૂતળી બોમ્બ ધડાકાભેર ફૂટતા 10 વર્ષીય બાળકને જાંગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ડબ્બાનો પતરૂ જમણી જાંગના ભાગમાં ઘૂસી ગયો હતો.નજેથી તે લોહી લુહાણ થઇ ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/a-10-year-old-dalit-child-was-cut-and-buried-by-a-brahmin-man"> </a></strong></span> <a href="https://khabarantar.com/three-dalit-children-playing-near-the-temple-were-beaten-to-death-by-racists"><strong>મંદિર પાસે રમતા ત્રણ દલિત બાળકોને જાતિવાદીઓએ ઢોર માર માર્યો</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાબતે જાણ થતાં પરિવાર સહિત ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા.ત્યારબાદ તેને ખંભાતની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ મૃત જાહેર કર્યો હતો.દિવાળી પૂર્વે જ બાળકના મોતને પગલે પરિવાર સહિત ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નોંધનીય છે કે, આ ઘટનામાં પરિવારે બાળકના મૃતદેહને પી.એમ ન કરવા અંગે પોલીસ મથકે એફિડેવિટ રજૂ કરી છે તેવી માહિતી મળી છે.સવારે બાળકની અંતિમવિધિ કરી દેવામાં આવી છે.દિવાળી પૂર્વે જ દરજી કામ કરીને ગુજરાન ચલાવતા અલ્પેશભાઈ ઠાકોરના ગરીબ પરિવારે એક પુત્ર નિર્મલ ગુમાવ્યો છે.7 વર્ષીય નાનકડી બહેને પણ પોતાનો નિર્મલ વિરો ગુમાવી દીધો છે.જેથી પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/a-10-year-old-dalit-child-was-cut-and-buried-by-a-brahmin-man"> 10 વર્ષના દલિત બાળકનું બ્રાહ્મણ શખ્સે ગળું કાપી નાખ્યું અને દાટી દીધો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 16 Oct 2024 09:15:34 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1397</Articleid>
                    <excerpt>દિવાળીમાં બાળકોને ભયજનક રીતે ફટાકડાં ફોડવા દેતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670f35ed6a1ba.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670f35ed3c1e5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670f35ed3c1e5.jpg" length="62362" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Khambhat Firecracker Death</media:keywords>
                </item>
                        <item>
                    <title>ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર</title>
                    <link>https://khabarantar.com/class-10-and-12-board-exam-time-table-announced</link>
                    <guid>https://khabarantar.com/class-10-and-12-board-exam-time-table-announced</guid>
                    <description>
                        <![CDATA[ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી ચાલશે. પરીક્ષા દર વર્ષ કરતાં 12થી 15 દિવસ વહેલી શરૂ થશે અને 13 દિવસ વહેલી પૂરી થશે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષ કરતા આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા વહેલી લેવાની તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ તેની વેબસાઇટ ઉપર જાહેર કર્યું છે. આ ટાઈમ ટેબલ મુજબ આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા વહેલી લેવા જણાવાયું છે. આ ટાઈમટેબલ મુજબ આ વર્ષે માર્ચના બદલે ફેબ્રુઆરીના અંતમાં પરીક્ષા શરૂ થઈ જશે. એટલે કે તા. 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી પરીક્ષા લેવામાં આવશે. જ્યારે ધોરણ 12ના ત્રણેય પ્રવાહની પરીક્ષા પણ 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજે ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે પરિક્ષાને લઈને જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ આગામી બોર્ડની  પરીક્ષા ફેબ્રુઆરીથી માર્ચમાં લેવાનો નિર્ણય કર્યો છે. જેના અંતર્ગત આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા 12થી 15 દિવસ વહેલી 27 ફેબ્રુઆરીથી જ શરૂ થઈ જશે અને 13 દિવસ વહેલી 13મી માર્ચે જ પરીક્ષા પૂરી થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/how-will-gujarat-learn-10-teachers-continuously-absent-in-mehsana-district"><span style="font-size: 14pt;">કેવી રીતે ભણશે ગુજરાત? મહેસાણા જિલ્લામાં 10 શિક્ષકો સતત ગેરહાજર</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વર્ષે લેવાનારી ધોરણ 10 ની પરીક્ષા તા. 27 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 10 માર્ચના રોજ પૂર્ણ થશે. ધોરણ 10ની 27 માર્ચથી શરુ થનારી પરીક્ષાનું પહેલું પેપર ફર્સ્ટ લેન્ગવેજનું રહેશે. વિદ્યાર્થીઓ માટે રાહતની વાત એ છે કે મોટાભાગના પેપર વચ્ચે વિદ્યાર્થીઓને અંતિમ તૈયારી માટે એક દિવસની રજા મળે છે. એક માર્ચે ગણિત, 3 માર્ચે સામાજિક વિજ્ઞાન, 5 માર્ચે સેકન્ડ લેન્ગવેજ અંગ્રેજી, 6 માર્ચે સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી અને 8 માર્ચે વિજ્ઞાનનું પેપર રહેશે. અંગ્રેજી અને ગુજરાતી સિવાયના અન્ય સેકન્ડ લેંગ્વેજની પરીક્ષા 10 માર્ચે લેવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે ધોરણ 12 ના ત્રણેય પ્રવાહની પરીક્ષા તા. 27 ફેબ્રુઆરી થી શરુ થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી લેવાશે. જેમાં પહેલું પેપર ભૌતિક વિજ્ઞાનનું લેવામાં આવશે. ધોરણ 12 ની પરીક્ષાનો સમય બપોરે 3 વાગેથી 6:30 સુધીનો રહેશે. આ સાથે સામાન્ય પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરુ થશે, જે 13 માર્ચના રોજ પૂર્ણ થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/from-the-next-academic-year-2024-25-the-books-of-class-1-to-12-will-change">આગામી શૈક્ષણિક વર્ષ 2024-25થી ધોરણ 1 થી 12 ના પુસ્તકો બદલાશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 15 Oct 2024 20:51:44 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1396</Articleid>
                    <excerpt>ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી ચાલશે. પરીક્ષા દર વર્ષ કરતાં 12થી 15 દિવસ વહેલી શરૂ થશે અને 13 દિવસ વહેલી પૂરી થશે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670e87bae329f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670e87baadc23.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670e87baadc23.jpg" length="100904" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Board Exam Time Table, 10th and 12th Board Exam Date</media:keywords>
                </item>
                        <item>
                    <title>બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી જાહેર</title>
                    <link>https://khabarantar.com/by-election-declared-for-banaskanthas-vav-assembly-seat</link>
                    <guid>https://khabarantar.com/by-election-declared-for-banaskanthas-vav-assembly-seat</guid>
                    <description>
                        <![CDATA[ ૧૩મી નવેમ્બરે મતદાન, ૨૩ નવેમ્બરે પરિણામ જાહેર થશે. કોર્ટ કેસને કારણે વિસાવદર બેઠકની પેટા ચૂંટણી જાહેર ન કરાઈ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર કરી છે. તેની સાથોસાથ ગુજરાતની પડેલી બે બેઠકોમાંથી એક વાવ બેઠકની ચૂંટણી જાહેર કરાઇ છે. જ્યારે વિસાવદર બેઠકની ચૂંટણી અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરાઇ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર દ્વારા પ્રેસ કૉન્ફરન્સ યોજી મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરવા સાથે ૧૫ રાજ્યોની વિવિધ ૪૮ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી તથા ૨ લોકસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેમાં કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની ખાલી પડેલી બે બેઠક પૈકીની બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. લોકસભાની ચૂંટણીમા બનાસકાંઠા બેઠક પરથી વાવના કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર જીત્યા હતા. જેથી વાવના ધારાસભ્યપદેથી તેમણે રાજીનામું આપ્યું હતું. જેના કારણે આ બેઠક ખાલી પડી હતી. ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૮ ઑક્ટોબરના રોજ પેટાચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાશે અને તા.૧૮થી તા.૨૫ ઑક્ટોબર સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરી શકાશે. જ્યારે તા.૧૩ નવેમ્બરના રોજ મતદાન તથા તા.૨૩ નવેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની વિસાવદર વિધાનસભા બેઠક લગભગ એક વર્ષ જેટલા સમયથી ખાલી પડી છે. આ બેઠક પરથી જીતેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણીએ લોકસભાની ચૂંટણી અગાઉ પક્ષમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારથી આ બેઠક હજુ સુધી ખાલી પડી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકના તત્કાલિન ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ આ બેઠક અંગે કોર્ટમાં કેસ કરેલો છે. જેના કારણે હજુ સુધી કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાથી આ બેઠક અંગે ચૂંટણી પંચ દ્વારા કોઈ જાહેરાત કરાઇ નથી તેવું મનાય રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/ram-rahim-appealed-to-supporters-to-vote-for-bjp">'ભાજપને મત આપજો', પેરોલ પર છૂટેલા રામ રહીમની સમર્થકોને અપીલ?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 15 Oct 2024 20:03:03 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1395</Articleid>
                    <excerpt>૧૩મી નવેમ્બરે મતદાન, ૨૩ નવેમ્બરે પરિણામ જાહેર થશે. કોર્ટ કેસને કારણે વિસાવદર બેઠકની પેટા ચૂંટણી જાહેર ન કરાઈ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670e7c13c730c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670e7c13958e9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670e7c13958e9.jpg" length="59486" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Vav assembly seat, by election</media:keywords>
                </item>
                        <item>
                    <title>નડિયાદમાં ડૉ.આંબેડકર સંપર્ક અભિયાનનું 10 મું વાર્ષિક અધિવેશન યોજાયું</title>
                    <link>https://khabarantar.com/the-10th-annual-conference-of-dr-ambedkar-sampark-abhiyaan-was-held-in-nadiad</link>
                    <guid>https://khabarantar.com/the-10th-annual-conference-of-dr-ambedkar-sampark-abhiyaan-was-held-in-nadiad</guid>
                    <description>
                        <![CDATA[ બહુજન વિચારધારા પર સક્રિય અને શિસ્તબદ્ધ રીતે કામ કરતા ડો. આંબેડકર સંપર્ક અભિયાનનું દસમું અધિવેશન નડિયાદ ખાતે યોજાઈ ગયું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગત રોજ નડિયાદ ખાતે ડૉ. આંબેડકર સંપર્ક અભિયાન આયોજિત સંગઠનનું દસમું વાર્ષિક અધિવેશન યોજાયું હતું. ડૉ. આંબેડકર સંપર્ક અભિયાન બહુજન વિચારધારા પર સક્રિય રીતે શિસ્તબદ્ધ કામ કરતું સંગઠન છે. એક દસકથી પણ વધારે સમયથી સંગઠન ચરોત્તર પ્રદેશમાં  સામાજિક-રાજકીય પરિવર્તન માટે ઝઝૂમતું રહ્યું છે. અધિવેશનમાં અમદાવાદ, નડિયાદ, બરોડા, સુરત સહિત અનેક જિલ્લાઓમાંથી કર્મશીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અધિવેશનમાં જાણીતા યુવા-બહુજન ચિંતક મયુર વાઢેર, અભ્યાસુ બૌદ્ધિક અને કોલમિસ્ટ ડૉ. હરપાલ બૌદ્ધ તથા મહિલા અધિકાર મંચનાં મુખ્ય કન્વિનર ડૉ. મિતાલી સમોવા ઉપસ્થિત રહ્યા હતા.  ડૉ. આંબેડકર સંપર્ક અભિયાનના દસમાં વાર્ષિક અધિવેશનની થીમ હતી, “સંઘર્ષ મે બહુજન કે સાથ મે, જાત-પાત ઓર ધર્મ બાદ મે”  </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_670e31a3dc878.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. મિતાલી સમોવાએ ફ્લેગ હોસ્ટીંગ કરીને કાર્યક્રમને ઉદઘાટિત કર્યો હતો. સંગઠનના દસમાં વાર્ષિક અધિવેશનમાં સંગઠનનાં સંસ્થાપક કનુભાઈ કબિર દ્વારા લિખિત પુસ્તક જાતિ ‘કેમ મરતી નથી?’ની ત્રીજી આવૃત્તિ અને તે પુસ્તકના અંગ્રેજી અનુવાદની પ્રથમ આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેનો અંગ્રેજી અનુવાદ એરફોર્સના નિવૃત્ત અધિકારી કિરીટભાઈ મહિડા અને રજનીકાંત પરમારે કર્યો છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાર્યક્રમના આરંભે અભિયાનના સંયોજક દિપક મકવાણા દ્વારા મહેમાનોનો ટૂંકો પરિચય આપવામાં આવ્યો હતો. મહેમાનો દ્વારા બહુજન નાયકોના તૈલીચિત્રોને ફૂલહાર અને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો આરંભ થયો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અધિવેશનમાં ડૉ. મિતાલી સમોવાએ તેમના ઓજપૂર્ણ વક્તવ્યમાં બહુજન મહિલાઓમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા નિર્મૂલનની સચોટ વાત કરી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_670e31a4913d5.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. હરપાલ બૌદ્ધે ડૉ. આંબેડકરની ધમ્મ ક્રાંતિના અવરોધક પરિબળોની બૌદ્ધિક છણાવટ કરી હતી. જ્યારે બહુજન ચિંતક મયુર વાઢેરે આંબેડકરી વિચારધારા દેશની સળગતી સમસ્યાઓનું સમાધાન અંતર્ગત વિશદ અને ગંભીર વક્તવ્ય આપ્યું હતું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંચ પર ડૉ. આંબેડકર સંપર્ક અભિયાનના સંસ્થાપક કનુભાઈ કબીરે સંગઠનનાં કાર્યોનો ચિતાર આપ્યો હતો. </span><br><span style="font-size: 14pt;">સમગ્ર કાર્યક્રમનો વિષયાત્મક સારાંશ મિશનના સક્રિય કાર્યકર્તા દીપક મકવાણાએ આપ્યો હતો. જ્યારે આભાર દર્શન ડૉ. ઈશ્વરભાઈ મકવાણાએ કર્યું હતું. માર્મિક અભિવ્યક્તિ સાથે સમગ્ર કાર્યક્રમનું સફળ સાંચાલન યુવા કાર્યકર્તા સુનિલભાઈ પરમાર અને હિતેષ ચૌહાણે કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/13-people-took-buddhist-initiation-in-jamnagar-mahagujarat-buddhist-sangh">જામનગર મહાગુજરાત બૌદ્ધ સંઘમાં 13 લોકોએ બૌદ્ધ દિક્ષા ગ્રહણ કરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 15 Oct 2024 16:48:55 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1394</Articleid>
                    <excerpt>બહુજન વિચારધારા પર સક્રિય અને શિસ્તબદ્ધ રીતે કામ કરતા ડો. આંબેડકર સંપર્ક અભિયાનનું દસમું અધિવેશન નડિયાદ ખાતે યોજાઈ ગયું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670e31a3911dd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670e31a35a044.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670e31a35a044.jpg" length="106613" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dr. Ambedkar Contact Campaign, 10th Annual Conference, Nadiad</media:keywords>
                </item>
                        <item>
                    <title>બોલીવૂડમાં કોણ ક્યાં બેસશે, શું ખાશે તે જાતિ મુજબ નક્કી થાય છે...</title>
                    <link>https://khabarantar.com/konkana-sen-sharma-said-in-bollywood-who-will-sit-where-what-will-eat-is-determined-by-caste</link>
                    <guid>https://khabarantar.com/konkana-sen-sharma-said-in-bollywood-who-will-sit-where-what-will-eat-is-determined-by-caste</guid>
                    <description>
                        <![CDATA[ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તમે મોટાભાગે જાતીય શોષણ, કાસ્ટિંગ કાઉચ વિશે સાંભળ્યું હશે. પણ પહેલીવાર એક અભિનેત્રીએ જાતિવાદ વિશે ખૂલીને વાત કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોણ ક્યાં બેસશે? શું ખાશે? એ બધું અભિનેતા-અભિનેત્રીની જાતિના આધારે નક્કી થાય છે. અમુક અભિનેતા-અભિનેત્રીઓ તો જાતિ અને ધર્મના આધારે પણ ભારે ભેદભાવ દાખવે છે. - આ નિવેદન કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં પરંતુ બોલીવૂડ અને બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રતિભાશાળી અભિનેત્રી કોંકણા સેન શર્મા (Konkana Sen Sharma)એ આપ્યું છે. કોંકણા તેના દમદાર અભિનયની સાથે સત્ય કહેવાની પોતાની હિંમતના કારણે પણ જાણીતી છે. હાલમાં જ તેણે એક ઈન્ટરવ્યૂ (Interview) માં બોલીવૂડ (Bollywood) માં ચાલતા જાતિવાદ (Racism- Castism) ની પોલ ખોલીને સૌ કોઈના મોં બંધ કરી દીધાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંકણાએ કહ્યું કે,  બોલીવૂડમાં સ્પષ્ટ રીતે જાતિ અને ધર્મના આધારે ભેદભાવ થાય છે. (Discrimination on the basis of caste and religion) તેણે કહ્યું કે, અહીં તમે ક્યાં બેસશો, શું કામ કરશો તે બધું તમારી જાતિના આધારે નક્કી થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લા 20 વર્ષથી હિન્દી અને બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલી અભિનેત્રી કોંકણાએ કહ્યું કે સેટ પર છોકરીઓ સાથે ગંદી વાતો થાય છે અને આ કૃત્યો ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા લોકો કરે છે. તેથી જ તેમની સામે ક્યારેય કોઈ અવાજ ઉઠાવવા સક્ષમ નથી. એટલું જ નહીં જાતિના આધારે પણ લોકો સાથે ભેદભાવ કરવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિના આધારે નક્કી થાય છે કોણ ક્યાં બેસશે</span></strong></span><br><span style="font-size: 14pt;">કોંકણાએ સુચરિતા ત્યાગીને આપેલા ઈન્ટરવ્યુમાં હેમા કમિટીના રિપોર્ટ (HEMA Committee Report) વિશે વાત કરતા કહ્યું કે, 'ફિલ્મના સેટ પર જ નહીં પરંતુ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Film Industry) માં જાતિ અને વર્ગ (caste and class) ના આધારે લોકો સાથે ભેદભાવ (Discrimination) કરવામાં આવે છે. કોને ક્યાં બેસવાનું છે? બેસવાની છૂટ છે કે નહીં? કોણે શું ખાવું? કોનું બાથરૂમ ક્યાં હશે? આ બધું જાતિના આધારે નક્કી થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંકણાએ વધુમાં કહ્યું કે, "મોટા મોટા કલાકારો અન્ય કલાકારો સાથે તેમની જાતિ અને ધર્મના આધારે ભેદભાવ દાખવે છે. અમુકના તો બાથરૂમ પણ અલગ હોય છે. ફિલ્મોના સેટ પર અને ઈન્ડસ્ટ્રીમાં માત્ર મહિલાઓના આધારે જ નહીં પરંતુ જાતિ, વર્ગ અને લિંગના આધારે પણ ભારે ભેદભાવ થાય છે. આ સમસ્યાગ્રસ્ત, પિતૃસત્તાત્મક અને ખરાબ છે. અહીં ઘણો ભેદભાવ છે. એ ત્યાં સુધી કે સ્ટાર્સ નાના કલાકારોને સાથે બેસીને ખાવા પણ નથી દેતા. કોને ક્યાં બેસવાની છૂટ છે અને કોને નથી? કોને શું ખાવાની છૂટ છે? કોનું બાથરૂમ ક્યાં છે? આ બધું જે તે કલાકારની જાતિના આધારે નક્કી થાય છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અભિનેત્રીઓને 'ફર્નિચર' ગણવામાં આવે છે</span></strong></span><br><span style="font-size: 14pt;">કોંકણા સેને એ પણ કહ્યું કે, બોલિવૂડમાં મહિલા કલાકારોને ઘરના ફર્નિચર જેવી ગણવામાં આવે છે. તે માત્ર દેખાડવાની ચીજ છે. ફિલ્મના સેટ પર સિનિયર કલાકારોને જ સન્માન મળે છે. બાકીના લોકો ‘ફર્નિચર’ જેવા ગણાય છે. નાના કલાકારોને અહીં ધક્કો પણ મારવામાં આવે છે. નાની નાની બાબતો પર અપમાનનો સામનો કરવો પડે છે. એ વાતાવરણમાં કામ કરવું ખૂબ મુશ્કેલ છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંકણાએ આગળ કહ્યું, 'જો તમે એક સિનિયર અભિનેત્રી નથી તો તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવે છે. તમને 'ફર્નિચર' ગણવામાં આવે છે. આવા વાતાવરણમાં કામ કરવું ખૂબ મુશ્કેલ છે. હું કલ્પના પણ કરી શકતી નથી કે આ બધું સહન કરવું કેટલું મુશ્કેલ હશે.'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું છે હેમા કમિટિનો રિપોર્ટ?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2017માં એક મલયાલમ અભિનેત્રી પર બળાત્કાર થયો હતો. આ ઘટનાથી મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Malayalam Film Industry) માં હલચલ મચી ગઈ હતી. આવી સ્થિતિમાં કેરળ સરકારે જસ્ટિસ કે. હેમાની અધ્યક્ષતા (Justim K. HEMA Committee) માં એક સમિતિની રચના કરી અને તપાસનો આદેશ આપ્યો હતો. સમિતિએ બે વર્ષ સુધી મલયાલમ ફિલ્મ ઉદ્યોગ પર સંશોધન કર્યું અને 2019માં સરકારને રિપોર્ટ સુપરત કર્યો. પરંતુ સરકારે આ રિપોર્ટ બહાર આવવા દીધો ન હતો. જ્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટો અને પત્રકારોએ દબાણ કર્યું, ત્યારે આ અહેવાલ ઓગસ્ટ 2024 માં સાર્વજનિક કરવામાં આવ્યો અને આ અહેવાલે મલયાલમ ફિલ્મ ઉદ્યોગની કાળી બાજુને ઉજાગર કરી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Movie-12th-Fail---Its-not-about-the-struggle-but-the-privileges-that-Brahmins-get"><span style="font-size: 14pt;">ફિલ્મ 12th Fail - વાત સંઘર્ષની નહીં બ્રાહ્મણોને મળતા વિશેષાધિકારોની છે</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 15 Oct 2024 12:54:15 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1392</Articleid>
                    <excerpt>ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તમે મોટાભાગે જાતીય શોષણ, કાસ્ટિંગ કાઉચ વિશે સાંભળ્યું હશે. પણ પહેલીવાર એક અભિનેત્રીએ જાતિવાદ વિશે ખૂલીને વાત કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670e1881c2e13.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670e18818f9c9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670e18818f9c9.jpg" length="50328" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Konkana Sen Sharma, Interview, Racism, Discrimination on the basis of caste and religion</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખબરઅંતર.કોમનો આજે સ્થાપના દિવસ...</title>
                    <link>https://khabarantar.com/today-is-the-foundation-day-of-khabarantar-com</link>
                    <guid>https://khabarantar.com/today-is-the-foundation-day-of-khabarantar-com</guid>
                    <description>
                        <![CDATA[ એક વર્ષ પહેલા અમદાવાદમાં બહુજનોની વસ્તીમાં, બહુજન સમાજ વચ્ચે, બહુજન સમાજના ધુરંધરોએ એકમંચ પર આવીને ખબરઅંતર.કોમને ખૂલ્લું મૂક્યું હતું. કેવી રહી આ સફર તેની વાત કરીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે 15મી ઓક્ટોબર 2024. આજથી બરાબર એક વર્ષ પહેલા અમદાવાદના એક દલિત મહોલ્લામાં બહુજન સમાજના ધુરંધરોએ મળીને ખબરઅંતર.કોમનો પાયો નાખેલો. એ ઘડીને આજના દિવસ વચ્ચે ક્યારે એક વર્ષ વીતી ગયું તેની ખબર જ ન પડી. વિશાળ કોર્પોરેટ મીડિયા, ગોદી મીડિયાની ફૌજ અને લેભાગુ પત્રકારોની એક આખી જમાત વચ્ચે બહુજન સમાજના પ્રશ્નોને વાચા આપતું પ્લેટફોર્મ શરૂ કરવું અનેક રીતે પડકારજનક પગલું હતું અને છે. પણ અમે જે થશે તે જોયું જશે, એમ વિચારીને કૂદી પડ્યા હતા. આજે પાછાં વળીને જોઈએ છીએ ત્યારે સમજાય છે કે, એ 'કૂદી પડ્યાં' તેના કારણે જ આજે આ પ્લેટફોર્મ તેની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે.</span><br><span style="font-size: 14pt;">ખબરઅંતર.કોમે અત્યાર સુધીમાં શું મેળવ્યું તેની વાત કરીએ તો, ગુજરાતના લાખો બહુજનોને પ્રેમ પહેલા જ દિવસથી તેને મળતો થયો હતો, અને તે દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. ગુજરાત સહિત દેશ-દુનિયાના વિવિધ વિસ્તારોમાં રહેતા હજારો બહુજનો સવારથી લઈ મોડી રાત સુધી પોતાની અનુકૂળતા મુજબ ખબરઅંતર.કોમની મુલાકાત લેતા રહે છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_670de7b68ec03.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><br><span style="font-size: 14pt;">જો કે ગામડાઓમાં વસતા બહુજનો સુધી પહોંચવા માટે આપણે હજુ ઘણી વધારે મહેનત કરવાની જરૂર છે. તેના માટે જરૂરી છે કે આપ સૌ વાચકો ખબરઅંતર.કોમની સ્ટોરી વાંચ્યા બાદ અન્ય મિત્રોમાં શેર કરો.</span><br><span style="font-size: 14pt;">બહુજનોની સમસ્યા અન્ય સમાજ કરતા અનેક રીતે જુદા પ્રકારની હોવાથી તેને વાચા આપવા માટે માત્ર સારા પત્રકાર હોવું પુરતું નથી, તેની સાથે બહુજન સમાજનો ભાગ હોવું જરૂરી લાગે છે. એટલે જ અહીં જે પણ લેખો, અહેવાલો રજૂ થાય છે તેના લેખકો સો ટકા બહુજન સમાજના હોય તેવો અમારો આગ્રહ અત્યાર સુધી જાળવી શકાયો છે. ખબરઅંતર.કોમ બહુજન સમાજની પીડામાંથી જન્મેલું પ્લેટફોર્મ છે અને એટલે જ તેને જાતિવાદ, અસ્પૃશ્યતાની પીડા કેવી હોય તે સમજાવવાની જરૂર નથી પડતી અને એ જ તેની ખાસિયત છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_670de7b5eedfe.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">કોઈપણ પ્લેટફોર્મ માટે પહેલી વર્ષગાંઠ અનેક રીતે મહત્વની હોય છે. આ એ સમયગાળો હોય છે, જેમાં તેણે સૌથી વધુ પડકારોનો સામનો કર્યો હોય છે. ખબરઅંતર.કોમ પણ તેમાંથી બાકાત નથી. હજુ પણ ટેકનિકલ, આર્થિક, સામાજિક મોરચે તે અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. બહુજન સમાજ આર્થિક મદદ કરવામાં અન્ય સમાજના લોકોની તુલનાએ ઉણો ઉતરે છે તેવી વાતો અનુભવીઓ પાસેથી સાંભળી હતી અને હવે તેનો જાતઅનુભવ પણ કરી રહ્યાં છીએ. આશા છે, સમાજ તેને સમજશે.</span><br><span style="font-size: 14pt;">આ બધાં પડકારો વચ્ચે બહુજન સમાજના વાચકોનો અવિરત મળતો રહેતો પ્રેમ અમને ટકાવી રાખે છે અને સતત સારું કામ કરતા રહેવાની પ્રેરણા આપતો રહે છે. વાચકોનો પ્રેમ જ એકમાત્ર એવી બાબત છે, જે અમને પ્રતિકૂળ પરિસ્થિતિ અને પડકારો સામે ઝીંક ઝીલવાની હિંમત પુરી પાડે છે. ખબરઅંતર.કોમના વાચકો જ તેની સૌથી મોટી તાકાત છે. જ્યાં સુધી તેમનો પ્રેમ મળતો રહેશે ત્યાં સુધી આ પ્લેટફોર્મને ચાલતું રહેશે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_670de87fd25fe.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આ બધાં વચ્ચે આગામી સમયમાં જે કેટલાક મહત્વના કામો કરવા ધારીએ છીએ તે આ મુજબ છે.</span><br><span style="font-size: 14pt;">(1) ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં ખબરઅંતર.કોમ પોતાના પ્રતિનિધિની નિમણૂંક કરવા જઈ રહ્યું છે. જો તમે પણ પત્રકારત્વના ક્ષેત્રમાં આગળ વધવા ઈચ્છતા હો તો તૈયાર રહેજો.</span><br><span style="font-size: 14pt;">(2) બહુજન સમાજના નાનામોટા ધંધા-રોજગાર કરતા લોકોને તેમની પ્રોડક્ટ યોગ્ય ગ્રાહક સુધી પહોંચાડવામાં મદદ કરવી.</span><br><span style="font-size: 14pt;">(3) બહુજન સમાજ અને તેના પ્રશ્નોને મજબૂતીથી વાચા આપી શકે તેવા પ્રતિબદ્ધ બહુજન પત્રકારો તૈયાર કરવા. તેના માટે તાલીમ વર્ગો યોજવા.</span><br><span style="font-size: 14pt;">(4) બહુજન લેખક, કવિઓ અને સાહિત્યકારોને પ્લેટફોર્મ પુરું પાડવું, જેથી તેમના સર્જન અને પ્રતિભાનો લાભ સમાજને મળે.</span><br><span style="font-size: 14pt;">હાલ આટલા સંકલ્પો સાથે સફરના આગળની સફર તરફ આગળ વધીએ છીએ. પડકારજનક આ સમયમાં આપે જે અવિરત પ્રેમ આપ્યો છે તે આગળ પણ વરસાવતા રહેશો તેવી અપેક્ષા સાથે. જય ભીમ, જય સંવિધાન, નમોઃ બુદ્ધાય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Launch-of-Bahujan-News-Portal:-It-is-imperative-to-have-our-own-voice">બહુજન ન્યૂઝ પોર્ટલનો શુભારંભઃ નિતાંત આવશ્યક છે આપણા પોતાના અવાજનું હોવું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 15 Oct 2024 09:32:29 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1389</Articleid>
                    <excerpt>એક વર્ષ પહેલા અમદાવાદમાં બહુજનોની વસ્તીમાં, બહુજન સમાજ વચ્ચે, બહુજન સમાજના ધુરંધરોએ એકમંચ પર આવીને ખબરઅંતર.કોમને ખૂલ્લું મૂક્યું હતું. કેવી રહી આ સફર તેની વાત કરીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670de7b57ee38.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670de7b54b9f9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670de7b54b9f9.jpg" length="95997" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>foundation day khabarantar. com</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખેડાના વસોમાં 54 વર્ષના શખ્સે એક વર્ષમાં 4 બાળકીઓને પીંખી નાખી</title>
                    <link>https://khabarantar.com/a-54-year-old-man-killed-4-girls-in-a-year-in-rural-areas</link>
                    <guid>https://khabarantar.com/a-54-year-old-man-killed-4-girls-in-a-year-in-rural-areas</guid>
                    <description>
                        <![CDATA[ 3 બાળકીઓ પર દુષ્કર્મ અને એકની છેડતી કરનાર નરાધમ પોલીસ પકડમાં. ગામની બાળકીઓને ચોકલેટની લાલચ આપી શિકાર બનાવતો ચન્દ્રકાંત પટેલ ફોનમાં અશ્લીલ વીડિયો રાખતો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખેડા જિલ્લાના વસો તાલુકાના એક ગામમાં એક નરાધમ વાંઢા આધેડે એક વર્ષમાં ચાર બાળકીઓને પોતાના હવશની શિકાર બનાવી હોવાની વાત બહાર આવતા જિલ્લાભરમાં રોષ સાથે ચકચાર મચી જવા પામી છે. વસો પંથકમાં હાથના રૂંવાડાં ઊંચાં કરી દે એવો બનાવ દુષ્કર્મનો સામે આવ્યો છે. આધેડે છેલ્લા એક વર્ષમાં ચોકલેટની લાલચ આપી એક બાદ એક 4 બાળકીને હવસનો શિકાર બનાવી હતી. 4 બાળકી પૈકી એક બાળકીની માતાને આ વાતની જાણ થતાં નરાધમ ચન્દ્રકાંતનો ભાંડો ફૂટ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વસો પોલીસ‌ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા એક ગામમાં આધેડે સગીર વયની 4 બાળકીને પીંખી નાખી છે‌. એક બાદ એક એમ 8થી 11 વર્ષની ચાર બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ચાર પૈકી 3 પર દુષ્કર્મ તો અન્ય એક પર છેડતી કરી હોવાની માહિતી પોલીસે આપી છે. પોલીસે આ આરોપીનું નામ ચન્દ્રકાંત પટેલ જણાવ્યું છે. વધુમાં પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આ ચન્દ્રકાંત પોતે એકલવાયું જીવન ગાળતો હતો અને પોતે પેઈન્ટિંગનું કામ કરે છે. પોલીસે આરોપીને ઝડપી તેની પાસેથી તેનો મોબાઈલ જપ્ત લીધો છે, જેમાં અશ્લીલ વીડિયો પણ મળ્યા છે. ખેડા જિલ્લા પોલીસ, LCB, Dysp સહિતના અધિકારીઓ દ્વારા વસો પોલીસ મથકે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/In-surat-an-astrologer-raped-a-woman-by-extorting-14-lakhs-on-the-pretext-of-a-ritual">સુરતમાં જ્યોતિષે વિધીના બહાને મહિલા પાસેથી 14 લાખ પડાવી દુષ્કર્મ કર્યું</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બનાવ સંદર્ભે જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે આરોપી ચન્દ્રકાંત ડાહ્યાભાઈ પટેલ 54 વર્ષનો છે. તે માનસિક વિકૃતિ ધરાવતો છે. છેલ્લા એક વર્ષથી આ ચન્દ્રકાંત પોતે ગામમાં પોતાના અડોશપડોશમાં રહેતી નાની કુમળી વયની દીકરીઓને ચોકલેટ, બિસ્કિટની લાલચ આપી પોતાના ઘરે બોલાવતો, એ બાદ દુષ્કર્મ આચરતો હતો. તાજેતરમાં એક બાળકીની માતાને જાણ થતાં સમગ્ર મામલો ઉજાગર થયો હતો. એ બાદ તપાસ કરતાં અન્ય 3 જેટલી કુમળી બાળા પર આ રીતે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું. એ બાદ આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. એક માસૂમની માતાએ ચન્દ્રકાંતનો ભાંડો ફોડ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે આ બનાવમાં તમામ કડીઓ જોડી પુરાવા મેળવવામાં આવ્યા છે, આમાં FSLની મદદ લેવામાં આવી છે. બીજી તરફ પીડિત બાળકીઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે. પોલીસે આરોપીનો જે મોબાઇલ જપ્ત કર્યો છે એમાં અશ્લીલ વીડિયો પણ મળી આવતાં પોલીસે એ મોબાઈલને FSLમા મોકલી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ગામના આગેવાનોની પણ પૂછપરછ કરવામાં આવી છે.પોલીસે માતાની ફરિયાદ તેમજ અન્ય દીકરીઓ સાથે પણ વાતચીત કર્યા બાદ આરોપીને પકડી BNS 65 (2) તેમજ પોસ્કો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/two-bjp-leaders-raped-a-student-in-atkot">આટકોટમાં ભાજપના બે આગેવાનોએ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 14 Oct 2024 22:07:04 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1388</Articleid>
                    <excerpt>3 બાળકીઓ પર દુષ્કર્મ અને એકની છેડતી કરનાર નરાધમ પોલીસ પકડમાં. ગામની બાળકીઓને ચોકલેટની લાલચ આપી શિકાર બનાવતો ચન્દ્રકાંત પટેલ ફોનમાં અશ્લીલ વીડિયો રાખતો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670d47f5726da.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670d47f542c30.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670d47f542c30.jpg" length="61633" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>misdemeanor, News of molestation</media:keywords>
                </item>
                        <item>
                    <title>લોકનિકેતન રતનપુર ખાતે દુષ્કર્મની ઘટનાઓ પર ચિંતન બેઠક યોજાઈ</title>
                    <link>https://khabarantar.com/a-reflection-meeting-was-held-on-the-incidents-of-rape-at-lokniketan-ratanpur</link>
                    <guid>https://khabarantar.com/a-reflection-meeting-was-held-on-the-incidents-of-rape-at-lokniketan-ratanpur</guid>
                    <description>
                        <![CDATA[ આ ચિંતન ગોષ્ઠીમાં બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો અને બૌદ્ધિક વર્ગ ઉપસ્થિત રહ્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લા કેટલાય સમયથી દેશ અને ગુજરાતમાં મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. કોલકાતામાં મહિલા તબીબની બળાત્કાર બાદ થયેલ હત્યા, આટકોટ (રાજકોટ) કન્યા છાત્રાલય ખાતે બાળકીઓનું યૌન શોષણ તેમજ દાહોદ જિલ્લાના તોરણી ગામે પ્રાથમિક શાળાના આચાર્યે ૬ વર્ષની બાળકીની ઠંડા કલેજે કરેલ ક્રૂર હત્યાના બનાવો ઉપરાંત દેશમાં બની રહેલી આવી ઘટનાઓ આઘાતજનક અને ચિંતાપ્રેરક છે. ત્યારે આ ઘટનાઓની ગંભીરતા સમજીને બનાસકાંઠાની લોકનિકેતન સંસ્થા રતનપુર ખાતે એક ચિંતન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોસાયટી ફોર ફાસ્ટ જસ્ટિસ, બનાસકાંઠા જિલ્લા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ પાલનપુર, લોકનિકેતન રતનપુર અને  યુવા જાગૃતિ અભિયાનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ ગોષ્ઠીમાં મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો અને બૌદ્ધિક વર્ગે ઉપસ્થિત રહી આ સામાજિક દૂષણ સામે આપણે એકમત અને એકજૂટ બનીને કેવી રીતે લડી શકીએ અને આ ઘટનાઓ પાછળના કારણો અને ઉપાયો અને તેની સમાજિક અસર ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ગોષ્ઠીમાં સહભાગીઓ દ્વારા પોતાના અભિપ્રાયો રજૂ કરવામાં આવ્યા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કાર્યક્રમમાં કાયદા નિષ્ણાત અશ્વિનકુમાર કારીયા, મનોચિકિત્સક ડો. પ્રવીણ પટેલ, ડૉ. ટીકા, નિવૃત્ત ડાયરેકટર કૃષિ યુનિ. દાંતીવાડા ગિરીશ ભાઈ સૂંઢિયા, જયેશભાઈ સોની સાથે અને શિક્ષકો, વડીલો, કોલેજના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં થયેલ ચર્ચાનાં તારણોનો ઠરાવ કરી સરકારશ્રીને આવેદન સ્વરૂપે મોકલવામાં આવશે. કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન વસંત યાદવ અને સમાપન વિક્રમ વજીર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના તમામ ખર્ચની જવાબદારી લોકનિકેતનના શ્રી કિરણભાઈ ચાવડાએ ઉપાડી લીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/On-the-occasion-of-Bandharan-Diwas,-a-Constitution-Goshthi-program-was-held-in-Palanpur">પાલનપુરમાં 'બંધારણ દિવસ' પ્રસંગે બંધારણ ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 14 Oct 2024 19:23:44 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1386</Articleid>
                    <excerpt>આ ચિંતન ગોષ્ઠીમાં બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો અને બૌદ્ધિક વર્ગ ઉપસ્થિત રહ્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670d219bbff1c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670d219b8792c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670d219b8792c.jpg" length="85999" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Lokniketan Ratanpur, incidents of abuse, Contemplative sitting Palanpur</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગૌરી લંકેશ હત્યાના આરોપીઓને જામીન મળ્યાં, હિન્દુ સંગઠનોએ સ્વાગત કર્યું</title>
                    <link>https://khabarantar.com/gauri-lankesh-murder-accused-get-bail-hindu-organizations-welcome</link>
                    <guid>https://khabarantar.com/gauri-lankesh-murder-accused-get-bail-hindu-organizations-welcome</guid>
                    <description>
                        <![CDATA[ ગૌરી લંકેશની હત્યાના આરોપીઓનું સ્વાગત કરનારાઓનું કહેવું છે કે, તેમને ખોટી રીતે કેદ કરવામાં આવ્યા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાજિક કાર્યકર અને પત્રકાર ગૌરી લંકેશની હત્યાના બે આરોપી પુરુષોને 9 ઓક્ટોબરના રોજ વિશેષ અદાલત દ્વારા જામીન મળ્યા બાદ હિન્દુ સમર્થક સંગઠનો દ્વારા બંનેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હત્યાના આરોપીઓ કોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ તેમના વતન વિજયપુરા પરત ફર્યા હતા, જ્યાં સ્થાનિક હિંદુ સંગઠનો દ્વારા તેમને હાર પહેરાવી, ભગવા રંગની શાલ ઓઢાડી, ગીતો ગાઈને સ્વાગત કરવામાં આવ્યું હતું. બંનેને છત્રપતિ શિવાજીની પ્રતિમા પાસે લઈ જવામાં આવ્યા હતા જ્યાં બંનેએ આરોપીઓએ તેમને ફૂલહાર ચડાવ્યા હતા. એ પછી તેઓ કાલિકા મંદિરમાં પૂજા કરવા ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૌરી લંકેશની હત્યા કરનારા આ આરોપીઓનું સ્વાગત કરનારા તેના સમર્થકો દાવો કરે છે કે તેમને ખોટી રીતે જેલમાં રાખવામાં આવ્યા છે. લાઈવ લોના એક રિપોર્ટ મુજબ, વાઘમોર અને યાદવે ઉપરાંત અમોલ કાલે, રાજેશ ડી બંગેરા, વાસુદેવ સૂર્યવંશી, રૂષિકેશ દેવડેકર, ગણેશ મિસ્કીન અને અમીત રામચંદ્ર બદ્દીને ગૌરી લંકેશ હત્યા કેસમાં 9 ઓક્ટોબરે જામીન આપવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૌરી લંકેશ હત્યા કેસમાં છ વર્ષ જેલના સળિયા પાછળ વિતાવનારા પરશુરામ વાઘમોર અને મનોહર યાદવેને બેંગલુરુ સેશન્સ કોર્ટે 9 ઓક્ટોબરે જામીન આપ્યા હતા અને 11 ઓક્ટોબરે પરપ્પાની અગ્રહારા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. બંને આરોપીઓને આવકારતા હિન્દુ સંગઠનના એક નેતાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આજે વિજયાદશમી છે, અમારા માટે મહત્વપૂર્ણ દિવસ છે. અમે પરશુરામ વાઘમોર અને મનોહર યાદવેને આવકારીએ છીએ, જેમને ગૌરી લંકેશની હત્યાના આરોપમાં ખોટી રીતે છ વર્ષથી જેલમાં રાખવામાં આવ્યા છે. અસલી ગુનેગારોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી, આ લોકોને ફક્ત એટલા માટે નિશાન બનાવવામાં આવ્યા હતા કે તેઓ હિન્દુત્વવાદી હતા, તેમના પરિવારોને નુકસાન થયું છે અને આ અન્યાય પર ગંભીર આત્મનિરીક્ષણની જરૂર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, કટ્ટર હિંદુત્વ વિચારધારાની આકરી ટીકાકાર અને પોતાના ડાબેરી વિચારોને લઈને પ્રખ્યાત પત્રકાર-સામાજિક કાર્યકર ગૌરી લંકેશની 5 સપ્ટેમ્બર 2017ના રોજ બેંગલુરુમાં તેમના ઘરની બહાર ત્રણ મોટરસાઇકલ સવારોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તેમની હત્યાથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને વ્યાપક નિંદા થઈ હતી. ડિસેમ્બર 2023માં કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ ગૌરી લંકેશ હત્યાના આરોપીઓની સુનાવણી ઝડપી કરવા માટે વિશેષ અદાલતની સ્થાપના કરવાનો નિર્દેશ આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/if-bail-is-the-rule-why-is-it-an-exception-for-muslims-digvijay-si">જો જામીન નિયમ છે, તો મુસ્લિમો માટે તે અપવાદ કેમ છે? - દિગ્વિજયસિંહ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 13 Oct 2024 20:09:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1380</Articleid>
                    <excerpt>ગૌરી લંકેશની હત્યાના આરોપીઓનું સ્વાગત કરનારાઓનું કહેવું છે કે, તેમને ખોટી રીતે કેદ કરવામાં આવ્યા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670bdb0048125.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670bdb0015b7f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670bdb0015b7f.jpg" length="71237" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gauri Lankesh murder Case</media:keywords>
                </item>
                        <item>
                    <title>એ પોતાની મરજીથી જીવતી ચિતા પર બેઠી હતી કે બેસાડવામાં આવી હતી?</title>
                    <link>https://khabarantar.com/was-she-sitting-on-the-living-pyre-of-her-own-accord-or-was-she-put-on-it</link>
                    <guid>https://khabarantar.com/was-she-sitting-on-the-living-pyre-of-her-own-accord-or-was-she-put-on-it</guid>
                    <description>
                        <![CDATA[ રાજસ્થાનના ચકચારી Roop Kanwar sati kand ના 8 આરોપીઓને કોર્ટે 37 વર્ષ બાદ ભલે નિર્દોષ છોડ્યાં, પરંતુ આ સવાલ હજુ પણ પૂંછાઈ રહ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Roop Kanwar sati kand : ગરમ રોટલી એક કાચી સેકન્ડ માટે પણ આપણી આંગળીને અડી જાય તો આપણે ઝાટકો મારીને હાથ ખેંચી લઈએ છીએ, તો કલ્પના કરો કે એક મહિલાને જીવતેજીવ ચિતામાં ધકેલી દેવામાં આવી હશે તેને કેવી અસહ્ય પીડા થઈ હશે? બ્રિટિશ કાળમાં ભારતમાં સતી પ્રથા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો, તેમ છતાં આઝાદ ભારતમાં સતી પ્રથાની એક એવી ઘટના ઘટી હતી જેણે દેશભરમાં સોંપો પાડી દીધો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના રાજસ્થાનને શા માટે મહિલાઓ માટે જીવતેજીવ નર્ક ગણવામાં આવે છે તેની પણ છે. 4 સપ્ટેમ્બર, 1987 નો દિવસ હતો. રાજસ્થાનના સીકર જિલ્લાના દિવરાલા ગામમાં 18 વર્ષની એક છોકરી તેના પતિના મૃતદેહ સાથે સળગી ગઈ અથવા 'સતી' થઈ ગઈ - આ સમાચાર આસપાસના વિસ્તારમાં દાવાનળની જેમ ફેલાઈ ગયા હતા. સાધુ-સંતોથી લઈને આ વિસ્તારના સામાન્ય લોકો પણ ત્યાં પહોંચી ગયા અને તે છોકરીની સરખામણી દેવીના અવતાર સાથે કરવા લાગ્યા. તાત્કાલિક મંદિર પણ બની ગયું અને ગામમાં ઉજવણી કરવામાં આવી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ બીજી તરફ આ ઘટનાને લઈને વિવાદ પણ થઈ ગયો. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ભારે ટીકા થઈ. બંને જગ્યાએ કોંગ્રેસની સરકાર હતી. કેન્દ્રની રાજીવ ગાંધી સરકાર પર સવાલો ઉઠ્યાં કે તેમણે આ ઘટનાની નિંદા ન કરી અને સમયસર કોઈ પગલાં પણ ન લીધા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને દેશની છેલ્લી સતી પ્રથાની ઘટના ગણવામાં આવે છે અને તેણે આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું. તેની પાછળ એક કારણ એ હતું કે, વર્ષ 1829માં બ્રિટિશ શાસન દરમિયાન આ પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેમ છતાં આ ઘટના ઘટી હતી. ઘણા લોકો પર સતી પ્રથાનો મહિમા કરવાનો આરોપ લાગ્યો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રશ્ન એ પણ ઊભો થયો કે શું છોકરી પોતાની મરજીથી સતી થઈ હતી? ચોતરફથી ટીકા અને દબાણ થતા આખરે કેસ નોંધવામાં આવ્યો. હવે 37 વર્ષ બાદ જયપુરની સતી પ્રિવેન્શન સ્પેશિયલ કોર્ટે આ કેસમાં 8 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. આટલા વર્ષો પછી જેમને મુક્ત કરવામાં આવ્યા છે તેમના નામ છે - શ્રવણ સિંહ, મહેન્દ્ર સિંહ, નિહાલ સિંહ, જિતેન્દ્ર સિંહ, ઉદય સિંહ, નારાયણ સિંહ, ભંવર સિંહ અને દશરથ સિંહ. આ તમામને શંકાનો લાભ આપતા કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. કેમ કે, પોલીસકર્મીઓ અને સાક્ષીઓએ આરોપીની ઓળખ નહોતી કરી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">Roop Kanwar સતી થઈ હતી કે કરાવવામાં આવી હતી?</span></strong></span><br><span style="font-size: 14pt;">ઘટના કંઈક આવી હતી. જયપુરની રહેવાસી 18 વર્ષની રૂપ કંવર (Roop Kanwar) ના લગ્ન દિવરાલાના માલસિંહ શેખાવત (Malsingh Shekhawat) સાથે થયા હતા. લગ્નના માત્ર સાત મહિના જ થયા હતા ત્યારે 2 સપ્ટેમ્બર, 1987ની રાત્રે માલસિંહને પેટમાં દુખાવો થયો અને પછી ઉલ્ટી થઈ. બીજા દિવસે તેના માતા-પિતા, પત્ની રૂપ કંવર અને તેના ભાઈ મંગેજ સિંહ (Mangej Singh) તેમને સીકરની હોસ્પિટલમાં લઈ ગયા. એની તબિયત સુધરી રહી હોય એમ લાગતું હતું, તેથી પત્ની અને માતા એ જ રાત્રે ગામ પાછા ફર્યા. પરંતુ 4 સપ્ટેમ્બરના રોજ સવારે 8 વાગ્યે માલ સિંહનું અવસાન થયું અને લગભગ બે કલાક પછી તેનો મૃતદેહ દિવરાલા આવી પહોંચ્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહેવાય છે કે રૂપ કંવરે તેના પતિ સાથે સતી થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઈન્ડિયા ટુડે (India Today) ના એક અહેવાલ મુજબ, જ્યારે કેસની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તે પોતાની મરજીથી સતી નહોતી થઈ. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી હરદેવ જોશી (Hardev Joshi) હતા. હાઈકોર્ટમાં 39 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો. તેમના પર આરોપ હતો કે તેમણે સતી પ્રથાના ગુણગાન ગાયા અને રૂપ કંવરને સતી થવા માટે દબાણ કર્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રૂપ કંવર જીવતી સળગી ગઈ અને ઉત્સવ મનાવાયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">જ્યારે રૂપ કંવર જીવતી સળગી ગઈ ત્યારે ગામમાં તેની ઉજવણી કરવામાં આવી હતી. માલ સિંહના મૃત્યુ પછી જ સમાચાર વહેતા થઈ ગયા હતા કે રૂપ કંવર સતી થવાની છે. એ પછી સાધુ-સંતો એ જોવા માટે પહોંચી ગયા હતા કે શું તેની અંદર કોઈ દેવી છે? 15 ઑક્ટોબર, 1987ના રોજ, ઈન્ડિયા ટુડે સાથે સંકળાયેલા ઈન્દ્રજીત બધવારે આ ઘટનાનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હતું. તેણે લખ્યું હતું કે, "રૂપ કંવરના સાસરિયાઓએ તેને આશીર્વાદ આપ્યા અને તેને આગળ કરી. રૂપ કંવર લગ્નના પોશાકમાં સજ્જ હતી. તેને હાથમાં નાળિયેર આપવામાં આવ્યું અને પછી ગામની પ્રદક્ષિણા કરાવવા માટે લઈ જવામાં આવી."</span></p>
<p><strong><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_67081e3a5897a.jpg" alt=""><span style="color: rgb(224, 62, 45);">રૂપ કંવરને જ્યાં પતિ સાથે ચિતા પર ચડાવી દેવાઈ હતી તે જગ્યા આજે પણ સચવાયેલી છે.</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટમાં આગળ લખાયું હતું કે,'રાજપૂત સ્મશાનભૂમિ' પર સેંકડો લોકો પહેલેથી જ એકઠા થઈ ગયા હતા. ગ્રામજનોએ જણાવ્યું હતું કે તેણે 15 મિનિટ સુધી ચિતાની પ્રદક્ષિણા કરી હતી. સ્થળ પર હાજર તેજ સિંહ શેખાવતે જણાવ્યું હતું કે, જ્યારે રૂપ કંવર લાંબા સમય સુધી ચક્કર લગાવતી રહી તો ત્યાં હાજર લોકોએ કહ્યું, "જલ્દી કરો, નહીંતર પોલીસ આવી જશે." એ પછી રૂપ કંવરને ચિતા પર બેસાડવામાં આવી. તેના મૃત પતિનું માથું તેના ખોળામાં હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચિતામાંથી બહાર પડી ગઈ તો ફરીથી અંદર ચડાવી</span></strong></span><br><span style="font-size: 14pt;">માલ સિંહનો નાનો ભાઈ પુષ્પેન્દ્ર સિંહ તે સમયે 15 વર્ષનો હતો. તેણે જણાવ્યું કે તેણે ચિતાને આગ લગાવી હતી પરંતુ આગ લાગી નહોતી. તેણે કહ્યું કે આગ તેની જાતે જ લાગી હતી. એક ગ્રામીણે ઈન્દ્રજીત બધવારને જણાવ્યું હતું કે, રૂપ કંવર સળગતી વખતે ચિતામાંથી પડી ગઈ હતી. તેના પગ બળી ગયા હતા. તેમ છતાં પીડાથી ચીસો પાડતી રૂપ કંવરને ફરીથી ચિતા પર ચડાવી દેવામાં આવી હતી. આ દરમિયાન, ગામના રાજપૂત વિસ્તારના લગભગ દરેક ઘરમાંથી ઘીની ડોલ ભરીને લાવવામાં આવી હતી અને સળગવાને બદલે સતત ધુમાડો કાઢતા લાકડા પર ત્યાં સુધી ઘી રેડવામાં આવ્યું જ્યાં સુધી તેમાં આગ ન લાગી ગઈ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈન્ડિયા ટુડેએ પોતાના રિપોર્ટમાં લખ્યું હતુંઃ તે દિવસે બપોરે 1.30 વાગ્યા સુધીમાં બધું ખતમ થઈ ગયું હતું. 70 વર્ષ પછી ગામમાં બીજી સફળ 'સતી'...</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામના લોકોએ રૂપ કંવરને સતી દેવીનું રૂપ આપી દીધું અને મંદિર બનાવ્યું. ત્યાં એક મોટો 'ચુનરી મહોત્સવ' પણ યોજાયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું હતો ચુનરી મહોત્સવ?</span></strong></span><br><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાજપૂત સમાજના લોકોએ 16 સપ્ટેમ્બર 1987ના રોજ ગામમાં સ્મશાન ઘાટ પર ચુનરી મહોત્સવ યોજવાની જાહેરાત કરી હતી. ટૂંક સમયમાં ચોતરફ તેની ચર્ચા થવા લાગી. અનેક સંગઠનોએ આ ઉત્સવનો વિરોધ કર્યો હતો. સામાજિક કાર્યકરો અને વકીલોએ રાજસ્થાન હાઈકોર્ટના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ જે.એસ. વર્માને પત્ર લખ્યો. એ પછી 15 સપ્ટેમ્બરે જસ્ટિસ વર્માએ આ પત્રને જાહેર હિતની અરજી ગણાવીને ચુનરી મહોત્સવ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમનું માનવું હતું કે આ સતી પ્રથાના ગુણગાન છે. તેમણે સરકારને આદેશ આપ્યો કે આ સમારોહ કોઈ પણ સંજોગોમાં ન થવો જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હાઈકોર્ટના આદેશને પણ ગણકાર્યો નહીં</span></strong></span><br><span style="font-size: 14pt;">જો કે, તમને જાણીને આંચકો લાગશે કે હાઈકોર્ટનો પ્રતિબંધ હોવા છતાં 15 સપ્ટેમ્બરની રાતથી લોકો ત્યાં એકઠા થવા લાગ્યા હતા. એવું કહેવાય છે કે 10 હજારની વસ્તીવાળા એ ગામમાં 1 લાખથી વધુ લોકો પહોંચ્યા હતા. એ દરમિયાન પોલીસ ગામથી દૂર જ રહી. એક દિવસ બાદ જ લોકોએ હાઈકોર્ટના નિર્ણયની અવગણના કરીને ચુનરી મહોત્સવની ઉજવણી કરી હતી. મીડિયા રિપોર્ટ કહે છે કે, આ ઉત્સવમાં અનેક પક્ષના ધારાસભ્યોએ પણ ભાગ લીધો હતો.</span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_67081e3aed17a.jpg" alt=""><strong>મહિલાઓ આજે પણ રુપ કંવરને સતી માનીને તેની માનતા માની અહીં દર્શન કરવા આવે છે.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાત આટલેથી અટકતી નથી. એક વર્ષ બાદ આ ઘટનાની વર્ષગાંઠની પણ ઉજવણી કરવામાં આવી હતી. 22 સપ્ટેમ્બર 1988ના રોજ રાજપૂત સમાજના લોકોએ દિવરાલાથી અજીતગઢ સુધી સરઘસ કાઢ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે લોકોએ ટ્રકમાં બેસીને રૂપ કંવરનો જયજયકાર કર્યો હતો. તેમણે ટ્રક પર રૂપ કંવરના ફોટા લગાવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સતી પ્રથાના આ ચકચારી કેસ બાદ સતી કેસોની ઝડપી સુનાવણી માટે જયપુરમાં વિશેષ અદાલતની રચના કરવામાં આવી હતી. આ પહેલા 31 જાન્યુઆરી 2004ના રોજ કોર્ટે આ કેસમાં 25 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. હવે વધુ 8 આરોપીઓ છુટી ગયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદ ભારતમાં બનેલી આ ઘટનાએ દેશભરમાં ચકચાર મચાવી હતી. રૂપ કંવર સતી કાંડના આરોપીઓ તો એક પછી એક નિર્દોષ છુટી ગયા છે, પરંતુ આ રૂંવાડા ઉભા કરી દેતી ઘટનાના સાક્ષીઓ આજે પણ તેને ભૂલી શકતા નથી.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/remember-i-will-kill-you-wherever-you-find-me-and-thats-what-happened">"યાદ રાખજે, જ્યાં મળીશ ત્યાં મારી નાખીશ" અને એવું જ થયું...</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 11 Oct 2024 12:17:04 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1378</Articleid>
                    <excerpt>રાજસ્થાનના ચકચારી Roop Kanwar sati kand ના 8 આરોપીઓને કોર્ટે 37 વર્ષ બાદ ભલે નિર્દોષ છોડ્યાં, પરંતુ આ સવાલ હજુ પણ પૂંછાઈ રહ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67081e39cb103.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67081e398bed1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67081e398bed1.jpg" length="102441" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Roop Kanwar sati kand, The practice of sati</media:keywords>
                </item>
                        <item>
                    <title>જ્યારે ભારત&amp;ચીન યુદ્ધને કારણે Ratan Tata ની Love Story અધૂરી રહી ગઈ</title>
                    <link>https://khabarantar.com/when-the-love-story-of-ratan-tata-remained-incomplete-due-to-indo-china-war</link>
                    <guid>https://khabarantar.com/when-the-love-story-of-ratan-tata-remained-incomplete-due-to-indo-china-war</guid>
                    <description>
                        <![CDATA[ આ લવ સ્ટોરીનો ઉલ્લેખ રનત ટાટાએ પોતે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. જેમાં ભારત ચીન યુદ્ધના કારણે કેવી રીતે તેમની પ્રેમ કહાની અધૂરી રહી ગઈ તેની વાત હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Ratan Tata's love story : 9 ઓક્ટોબર 2024 ના રોજ ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને સમાજસેવી રતન ટાટા (Ratan Tata)નું અવસાન થયું. રતન ટાટા માત્ર એક ઉદ્યોગપતિ જ નહોતા, પરંતુ તેઓ ભારતીય ઉદ્યોગના એક આધારસ્તંભ હતા, જેમણે ટાટા જૂથને વૈશ્વિક ઓળખ અપાવી અને વ્યવસાય સાથે સામાજિક જવાબદારીઓ માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો. તેમનું જીવન સંઘર્ષ, સમર્પણ અને નવીનતાનું પ્રતીક હતું. ચાલો તેમની જીવન સફર પર એક નજર કરીએ, જેમાં તેમના પ્રારંભિક જીવનથી લઈને તેમની મહાન સિદ્ધિઓ અને પ્રેમ કથા સુધીની વાતો સામેલ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પ્રારંભિક જીવન અને શિક્ષણ</span></strong></span><br><span style="font-size: 14pt;">રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ મુંબઈમાં થયો હતો. તેમનો ઉછેર એક ખાસ ઉદ્યોગપતિ પરિવારમાં થયો હતો, જે ટાટા ગ્રૂપના વારસાનો ભાગ હતો. રતન ટાટા ટાટા ગ્રૂપના સ્થાપક જમશેદજી ટાટાના પરિવારમાંથી આવ્યા હતા, જેમણે ભારતીય ઉદ્યોગમાં ટાટા બ્રાન્ડ (Tata Brand)  નો પાયો નાખ્યો હતો. તેમની માતાનું નામ સુનુ ટાટા હતું અને તેઓ નૌશેરવાનજી ટાટાના પુત્ર હતા. રતન ટાટા જ્યારે 10 વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા, ત્યાર બાદ તેમનો ઉછેર તેમની દાદી નવાઝબાઈ ટાટાએ કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રતન ટાટાએ તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલમાંથી પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ, તેઓ અમેરિકા ગયા જ્યાં તેમણે કોર્નેલ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી. તેમની શૈક્ષણિક કારકિર્દીએ તેમના વિચારોને ખૂબ વ્યાપક અને વૈશ્વિક દૃષ્ટિકોણથી પ્રભાવિત કર્યા. તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામ પણ પૂર્ણ કર્યો, જેણે તેમને ઉદ્યોગની જટિલતાઓને ઊંડાણપૂર્વક સમજવાની તક આપી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">જ્યારે ભારત-ચીન યુદ્ધને કારણે પ્રેમ કહાની અધૂરી રહી</span></strong><br><span style="font-size: 14pt;">રતન ટાટાનું જીવન જેટલું પ્રેરક અને સફળ હતું, તેટલું જ તેમનું અંગત જીવન પણ રહસ્યમય અને ગુપ્ત રાખવામાં આવ્યું હતું. તેઓ ખૂબ જ નમ્ર અને સંવેદનશીલ વ્યક્તિ હતા, જેમણે ક્યારેય તેમના અંગત જીવનને જાહેરમાં ઉજાગર કર્યું નહોતું. જો કે, તેમના જીવનની એક અકથિત અને રસપ્રદ લવ સ્ટોરી (Ratan Tata's Love Story) પણ છે, જે તેમના વ્યક્તિત્વની માનવીય બાજુ દર્શાવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રતન ટાટાની લવ સ્ટોરીનો ઉલ્લેખ તેમણે પોતે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. 1960 ના દાયકામાં, જ્યારે તેઓ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે તેઓ એક યુવતીને મળ્યા હતા જેની સાથે તેઓ પ્રેમમાં પડ્યા. તેમનો એ પ્રેમ ઘણો ગંભીર હતો અને બંને એકબીજા સાથે લગ્ન કરવા પણ તૈયાર હતા. રતન ટાટા તે સમયે અમેરિકામાં જ રહેવા માંગતા હતા અને ત્યાં જ પોતાનું જીવન સેટલ કરવાનું વિચારી રહ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ આ લવસ્ટોરીનો અંત હૃદયસ્પર્શી છે. રતન ટાટાની દાદીની તબિયત બગડતાં તેઓ ભારત પાછા ફર્યા. તેમણે વિચાર્યું હતું કે તેમની ગર્લફ્રેન્ડ પણ ટૂંક સમયમાં ભારત આવશે અને તેઓ અહીં લગ્ન કરશે. પરંતુ તે પછી ભારત અને ચીન વચ્ચે 1962નું યુદ્ધ થયું અને તેમની ગર્લફ્રેન્ડના પરિવારે ભારત આવવાની ના પાડી દીધી. આમ, સંજોગોને કારણે તેમની લવ સ્ટોરી ક્યારેય પૂરી થઈ શકી નહીં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના પછી રતન ટાટાએ ક્યારેય લગ્ન ન કર્યા. તેમણે પોતાનું જીવન સંપૂર્ણપણે વ્યવસાય અને સમાજ સેવા માટે સમર્પિત કર્યું. તેમની પ્રેમ કહાની હજુ પણ એક વણકહી અને ઊંડી સંવેદનશીલ વાર્તા તરીકે જાણીતી છે, જે દર્શાવે છે કે જીવનમાં કેટલીકવાર અમુક નિર્ણયો આપણી અપેક્ષાઓથી પર હોય છે. રતન ટાટાએ આ મામલે ક્યારેય કોઈને દોષ નથી આપ્યો, બલ્કે તેઓ તેને જીવનનો એક ભાગ માનતા હતા. તેમની આ લવસ્ટોરી તેમના જીવનની તે બાજુને પ્રતિબિંબિત કરે છે, જે તેઓ સાદગી અને આદર સાથે જીવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">રતન ટાટા અને સિમી ગરેવાલની લવ સ્ટોરી</span></strong><br><span style="font-size: 14pt;">રતન ટાટા અને સિમી ગરેવાલ વચ્ચે એક સમયે પ્રેમ સંબંધ હતો. આ એક એવી કહાની છે જે બહુ ઓછા લોકો જાણે છે, પરંતુ સિમી ગરેવાલે પોતે આ સંબંધ વિશે વાત કરી અને તેને ખૂબ જ ખાસ ગણાવી હતી. ફિલ્મ "દો બદન" ની અભિનેત્રી સિમી ગરેવાલે રતન ટાટાને પરફેક્શનિસ્ટ ગણાવ્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેનો અને રતન ટાટાનો એક ઉંડો ઇતિહાસ છે. સિમીએ એક ઈન્ટરવ્યુમાં રતન ટાટાના વખાણ કર્યા અને કહ્યું કે તેઓ ખૂબ જ નમ્ર, રમુજી અને સાચા જેન્ટલમેન છે. સિમીએ એમ પણ કહ્યું હતું કે રતન ટાટા માટે પૈસા ક્યારેય પ્રાથમિકતા નથી રહ્યાં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિમી ગરેવાલ તેના ટેલિવિઝન શો "રેન્ડેજવસ વિથ સિમી ગરેવાલ" દ્વારા પ્રસિદ્ધિ પામી, જેમાં તે સેલિબ્રિટીઓના ઊંડાણપૂર્વકના વ્યક્તિગત ઇન્ટરવ્યુ લેતી હતી અને તેમના જીવનના વણકહ્યાં પાસાઓ પર પ્રકાશ પાડતી હતી. સિમી ગરેવાલની પોતાની ફિલ્મી કરિયર પણ શાનદાર રહી છે. તેણે ‘મેરા નામ જોકર’, ‘કર્જ’, ‘ચલતે ચલતે’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ટાટા ગ્રૂપમાં એન્ટ્રી</span></strong></span><br><span style="font-size: 14pt;">રતન ટાટાનો ઉદ્યોગ જગતમાં પ્રવેશ 1962માં થયો, જ્યારે તેમણે ટાટા ગ્રૂપ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. તેમણે ટાટા સ્ટીલના જમશેદપુર પ્લાન્ટમાં કામદારો સાથે કામ કરવાનું શરૂ કર્યું. અહીં તેમણે જમીન સંબંધિત સમસ્યાઓ અને કામદારો સાથે સંવાદ સ્થાપિત કરવાનું શીખ્યું. આનાથી તેમને એ સમજવામાં મદદ મળી કે વ્યવસાય માત્ર નફા માટે જ નથી હોતો, પરંતુ તેમાં તે લોકોની ભાગીદારી પણ સામેલ હોય છે જે તેને જમીનથી સ્તરેથી ઉભો કરે છે.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">1991માં ટાટા ગ્રુપની કમાન સંભાળી</span></strong></span><br><span style="font-size: 14pt;">જેઆરડી ટાટા નિવૃત્ત થયા પછી, રતન ટાટાએ ટાટા જૂથનું નેતૃત્વ સંભાળ્યું. તે સમયે, ટાટા જૂથ કેટલાક પરંપરાગત અને સલામત વ્યવસાયો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હતું. પરંતુ રતન ટાટાની વિચારસરણી અલગ હતી. તેઓ ગ્રૂપને વૈશ્વિક મંચ પર લઈ જવા માંગતા હતા. તેમના નેતૃત્વ હેઠળ ટાટા જૂથે ઘણાં નવા સાહસો કર્યા અને નવા ક્ષેત્રોમાં વિસ્તરણ કર્યું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રતન ટાટાના નેતૃત્વ હેઠળ, જૂથે ટેટલી (2000), જગુઆર લેન્ડ રોવર (2008), અને કોરસ (2007) જેવી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓ હસ્તગત કરી. આ તમામ હસ્તાંતરણ ભારતીય ઉદ્યોગ જગત માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેણે ટાટા જૂથને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવાની ક્ષમતા આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ટાટા નેનોઃ આમ આદમીની કારના સપનાનો ફિયાસ્કો</span></strong></span><br><span style="font-size: 14pt;">રતન ટાટાએ એક મહત્વપૂર્ણ પગલું 2008માં ટાટા નેનો લોન્ચ કરીને ભર્યું હતું. તે વિશ્વની સૌથી સસ્તી કાર તરીકે જાણીતી છે, જેની કિંમત લગભગ 1 લાખ રૂપિયા હતી. રતન ટાટાનું સપનું હતું કે દરેક ભારતીય પરિવાર પાસે એખ કાર હોવી જોઈએ. નેનોનો વિચાર તેમના દિલની નજીક હતો અને તેને તેમણે સામાન્ય લોકો માટે એક ભેટ તરીકે રજૂ કર્યો હતો. જોકે નેનોએ ધારી વ્યાપારી સફળતા ન મેળવી, પરંતુ તે તેમના સામાજિક દ્રષ્ટિકોણ અને નવીનતાનું પ્રતીક બની રહી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સામાજિક યોગદાન અને સખાવતી કાર્ય </span></strong></span><br><span style="font-size: 14pt;">રતન ટાટાનું યોગદાન માત્ર ઉદ્યોગ પૂરતું મર્યાદિત ન હતું. તેમણે તેમના જીવનનો મોટો ભાગ સમાજ સેવા માટે સમર્પિત કર્યો. ટાટા ટ્રસ્ટ દ્વારા તેમણે શિક્ષણ, આરોગ્ય અને ગ્રામીણ વિકાસ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. ટાટા ટ્રસ્ટ ભારતની સૌથી મોટી સમાજસેવી સંસ્થાઓમાંની એક છે, અને રતન ટાટાએ તેને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે એક મહત્વપૂર્ણ સાધન તરીકે જોયું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રતન ટાટા માનતા હતા કે વ્યવસાયનો ઉદ્દેશ્ય માત્ર નફો મેળવવાનો નથી, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. આ કારણે તેમણે હંમેશા સામાજિક અને પર્યાવરણીય જવાબદારીઓને પ્રાધાન્ય આપ્યું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રતન ટાટાનું અંગત જીવન </span></strong></span><br><span style="font-size: 14pt;">રતન ટાટાએ જીવનભર લગ્ન કર્યા ન હતા. તેમનું જીવન સાદગી અને સંયમનું પ્રતીક હતું. તેમણે પોતાનું જીવન બિઝનેસ અને સેવાકીય કાર્યો માટે સમર્પિત કર્યું. તેમનું વ્યક્તિત્વ હંમેશા વિનમ્ર અને શાંતચિત્ત રહ્યું. તેમણે ક્યારેય તેમના અંગત જીવનને જાહેરમાં ઉજાગર કર્યું ન હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સન્માન અને પુરસ્કારો </span></strong></span><br><span style="font-size: 14pt;">રતન ટાટાને તેમના યોગદાન માટે ભારત સરકાર દ્વારા વર્ષ 2000 માં પદ્મ ભૂષણ અને 2008 માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારો ભારતના ત્રીજા અને બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ ઉપરાંત, તેમને વિશ્વભરના વિવિધ મંચો પર અન્ય ઘણા પુરસ્કારો અને સન્માનો મળ્યાં, જે તેમના નેતૃત્વ અને તેમણે કરેલા સામાજિક કાર્યો પ્રત્યેના આદરની નિશાની હતા.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રતન ટાટાનો વારસો</span></strong></span><br><span style="font-size: 14pt;">રતન ટાટાએ ટાટા જૂથને એક વિશાળ અને વૈશ્વિક બ્રાન્ડ બનાવ્યું. તેમના નેતૃત્વ હેઠળ ગ્રુપે માત્ર ભારતીય બજારમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ પોતાનું સ્થાન સ્થાપિત કર્યું. તેમની નેતૃત્વની ફિલસૂફી "લીડર્સહિપ વિદ અ પર્પસ" પર આધારિત હતી, જેમાં વ્યવસાયનો ઉદ્દેશ્ય માત્ર નફો કમાવવાનો જ નહોતો પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પણ હતો.</span><br><span style="font-size: 14pt;">તેમનો વારસો માત્ર ઉદ્યોગ અને વ્યવસાય પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ એક એવી પ્રેરણા તરીકે જીવીત રહેશે જેણે સમાજને વધુ સારો બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. રતન ટાટાનું જીવન એક પ્રેરણા સ્ત્રોત છે, તેમની સ્મૃતિ ભારતીય ઉદ્યોગ જગત અને સમાજ માટે લાંબા સમય સુધી પ્રેરણા બની રહેશે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/those-10-revolutionary-ideas-of-manyavar-kanshiram-which-are-proving-to-be-true-even-today">માન્યવર કાંશીરામના એ 10 વિચારો, જે આજેય સત્ય સાબિત થઈ રહ્યાં છે</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 10 Oct 2024 11:09:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1374</Articleid>
                    <excerpt>આ લવ સ્ટોરીનો ઉલ્લેખ રનત ટાટાએ પોતે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. જેમાં ભારત ચીન યુદ્ધના કારણે કેવી રીતે તેમની પ્રેમ કહાની અધૂરી રહી ગઈ તેની વાત હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6707679613b0b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67076795d93bf.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67076795d93bf.jpg" length="53314" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ratan Naval Tata, Ratan Tata Love Story, India China War, Trending Topic</media:keywords>
                </item>
                        <item>
                    <title>હરિયાણામાં ભાજપની જીતમાં રામ રહીમે કેટલો ભાગ ભજવ્યો?</title>
                    <link>https://khabarantar.com/how-much-role-did-ram-rahim-play-in-bjps-victory-in-haryana</link>
                    <guid>https://khabarantar.com/how-much-role-did-ram-rahim-play-in-bjps-victory-in-haryana</guid>
                    <description>
                        <![CDATA[ મતદાન પહેલા બળાત્કારી રામ રહીમને પેરોલ મળ્યા હતા, તેનો કોને અને કેટલો ફાયદો થયો? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">How much role did Ram Rahim play in BJP's victory in Haryana : </span><span style="font-size: 14pt;">હરિયાણામાં ભાજપની જીતમાં ડેરા સચ્ચા સૌદાના વડા અને રેપ કેસમાં સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમ સિંહે કેટલી ભૂમિકા ભજવી તે અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વોટિંગ પહેલા રામ રહીમને પેરોલ મળી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને ભાજપે જીતની હેટ્રિક ફટકારી છે. 2014માં ભાજપે 47 બેઠકો જીતીને પહેલીવાર પોતાના દમ પર સરકાર બનાવી હતી. 2024માં ભાજપે 48 બેઠકો જીતી છે. ભાજપની જીતમાં ડેરા સચ્ચા સૌદાના વડા અને બળાત્કારના કેસમાં સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમ સિંહની કેટલી ભૂમિકા હતી તેની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. વોટિંગ પહેલા રામ રહીમને પેરોલ મળી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">6 જિલ્લામાં પ્રભાવ</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુરમીત રામ રહીમ જેલમાંથી બહાર આવતાની સાથે જ અટકળો શરૂ થઈ ગઈ હતી કે તે વિધાનસભા ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે. હરિયાણાના 6 જિલ્લામાં તેમના સમર્થકોની સારી એવી સંખ્યા છે. હિસાર, સિરસા અને ફતેહાબાદ જિલ્લામાં ડેરાનો પ્રભાવ વધુ છે અને આ જિલ્લાઓની બેઠકો પર ભાજપે સારું પ્રદર્શન કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ વખતે ગુપ્ત સમર્થન</span></strong></span><br><span style="font-size: 14pt;">મતદાનના થોડા દિવસો પહેલા ડેરા સચ્ચા સૌદાના મુખ્યાલયમાં સત્સંગ યોજાયો હતો જેમાં અનુયાયીઓને ભાજપની તરફેણમાં મતદાન કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ આ સંદેશ ખુલ્લેઆમ આપવામાં આવ્યો ન હતો. રામ રહીમ પેરોલ પર બહાર આવતાની સાથે જ ડેરાએ તમામ બ્લોકમાં નામ ચર્ચા કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને આ કાર્યક્રમમાં પોતાના અનુયાયીઓને ભાજપને સમર્થન આપવાનો ગુપ્ત સંદેશ આપ્યો હતો. રામ રહીમનું ડેરા સચ્ચા સૌદા ભૂતકાળમાં પણ ભાજપને સમર્થન કરતું રહ્યું છે. ડેરા સચ્ચા સૌદાએ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. હરિયાણામાં ડેરાના લાખો અનુયાયીઓ છે, જે ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે. સૌથી વધુ અનુયાયીઓ ફતેહાબાદ જિલ્લામાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હનીપ્રીત કેમ્પની મેનેજમેન્ટ કમિટીની અધ્યક્ષ છે</span></strong></span><br><span style="font-size: 14pt;">ડેરાની મેનેજમેન્ટ કમિટી ચૂંટણીમાં કોને સમર્થન આપવું તે નક્કી કરે છે. હાલમાં ગુરમીત સિંહની દત્તક પુત્રી હનીપ્રીત ડેરાની વાઇસ ચેરપર્સન છે. વ્યવસ્થાપન સમિતિ પ્રદેશની 85 સભ્યોની રાજ્ય સ્તરીય સમિતિ સાથે પરામર્શ કરે છે. ગયા વર્ષે જ મેનેજમેન્ટ દ્વારા ડેરા સચ્ચા સૌદા સિરસાની રાજકીય પાંખનું વિસર્જન કરવામાં આવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોંગ્રેસના વિરોધ બાદ ચૂંટણી કમિશને શરતી જામીન આપ્યા હતા</span></strong></span><br><span style="font-size: 14pt;">હરિયાણા વિધાનસભાની ચૂંટણીના થોડા દિવસો પહેલા, રોહતકની સુનારિયા જેલમાંથી ગુરમીત રામ રહીમને 20 દિવસના પેરોલ પર છોડવામાં આવ્યો હતો. EC એ શરતી પેરોલ મંજૂર કરી હતી. કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ભાજપે પોતાના રાજકીય ફાયદા માટે રામ રહીમને પેરોલ આપ્યો છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ત્ર</span><span style="font-size: 14pt;">ણ પ્રકારના પ્રતિબંધ લદાયા હતા</span></strong></span><br><span style="font-size: 14pt;">ચૂંટણી પંચે બળાત્કાર અને હત્યાના દોષિત રામ રહીમને પેરોલ આપવા માટે ત્રણ શરતો રાખી હતી. તેના પર હરિયાણામાં રહેવા અને કોઈપણ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રામ રહીમ સોશિયલ મીડિયા કેમ્પેઈનમાં પણ ભાગ લઈ શક્યો નહોતો. ચૂંટણી પંચે એમ પણ કહ્યું હતું કે જો તે આદર્શ આચાર સંહિતા અથવા ત્રણમાંથી કોઈપણ શરતોનું ઉલ્લંઘન કરશે તો તેની પેરોલ રદ કરવામાં આવશે. જો કે આજના ડિજિટલ યુગમાં આ બધી વાતો માત્ર ઔપચારિકતા બનીને રહી જાય છે. વાસ્તવિકતા એ હતી કે રામ રહીમને રાજકીય લાભ માટે ગમે તેમ કરીને બહાર લાવવાનો હતો, તેમ થયું અને પરિણામ આપણી સામે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/ram-rahim-appealed-to-supporters-to-vote-for-bjp">"ભાજપને મત આપજો", પેરોલ પર છુટેલા રામ રહીમની સમર્થકોને અપીલ?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 09 Oct 2024 11:37:20 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1370</Articleid>
                    <excerpt>મતદાન પહેલા બળાત્કારી રામ રહીમને પેરોલ મળ્યા હતા, તેનો કોને અને કેટલો ફાયદો થયો?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67061d81c5853.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67061d8193f71.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67061d8193f71.jpg" length="66890" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gurmeet Ram Rahim, Parole, Haryana Assembly Elections, BJP</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;quot;જાતિવાદી જાટોએ...&amp;quot; હરિયાણાના પરિણામો પર માયાવતીએ શું કહ્યું?</title>
                    <link>https://khabarantar.com/casteist-jats-what-did-mayawati-say-on-haryana-results</link>
                    <guid>https://khabarantar.com/casteist-jats-what-did-mayawati-say-on-haryana-results</guid>
                    <description>
                        <![CDATA[ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો પર BSP સુપ્રીમો માયાવતીની પ્રતિક્રિયા આવી છે. વાંચો બહેનજીએ શું કહ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો (Haryana Assembly Election Results) પર બસપા (Bahujan Samaj Party) સુપ્રીમો માયાવતી (Mayawati) ની પ્રતિક્રિયા આવી છે. માયાવતીએ આ હાર માટે વહેંચાઈ ગયેલી વોટબેંક અને હરિયાણાના જાટ સમાજને જવાબદાર ઠેરવ્યો છે. જાટ સમાજને લઈને માયાવતી કહ્યું કે, જાટ સમાજ (Jat Community) ના 'જાતિવાદી' લોકોએ બીએસપીને મત ન આપ્યો. તેમણે ઉત્તર પ્રદેશ અને હરિયાણાના જાટો વચ્ચે શું તફાવત છે તે પણ જણાવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની પોસ્ટમાં લખ્યું હતું: </span><span style="font-size: 14pt;">"આજના પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે જાટ સમાજના જાતિવાદી લોકોએ બીએસપીને મત નથી આપ્યા, જેના કારણે કેટલીક બેઠકો પર બસપાના ઉમેદવારો બહુ ઓછા મતોથી હારી ગયા હતા. યુપીના જાટ સમુદાયના લોકોએ તેમની જાતિવાદી માનસિકતા છોડી દીધી છે અને તેઓ ઘણી હદ સુધી બદલાઈ ગયા છે. તેઓ બસપામાંથી ધારાસભ્ય અને સરકારમાં મંત્રી પણ બન્યા છે. હરિયાણા રાજ્યના જાટ સમાજના લોકોએ પણ તેમના પગલે ચાલવું જોઈએ અને તેમની જાતિવાદી માનસિકતા બદલવી જોઈએ."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયાવતીએ પક્ષના કાર્યકરોને પ્રોત્સાહિત કરતા પુરી તાકાતથી ચૂંટણી લડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે કાર્યકરોને આશ્વાસન આપ્યું હતું કે, તેમની મહેનત વ્યર્થ નહીં જાય. તેમણે કાર્યકરોને નિરાશ ન થવાની અને હિંમત ન હારવાની સલાહ પણ આપી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, હરિયાણાની ચૂંટણીમાં બસપાનું ખાતું ખૂલી શક્યું નથી. પાર્ટીને કુલ 1.82% વોટ મળ્યા છે. </span><span style="font-size: 14pt;">INLD-BSP ગઠબંધન તેમજ JJP-આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) ગઠબંધનનો ઉદ્દેશ્ય જાટ અને દલિતોને એક કરવાનો હતો. માત્ર INLD બે બેઠકો જીતી શકી હતી. તે સિવાય JJP, BSP કે ASP(K) નું ખાતું પણ ખૂલી શક્યું નથી. ગત વખતે માત્ર એક સીટ જીતનાર INLDને આ ચૂંટણીમાં 4.14% મત મળ્યા છે, જ્યારે BSPને 1.82% મત મળ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/apply-reservation-in-posts-of-high-court-supreme-court-judges-too-mayawati">હાઈકોર્ટ, સુુપ્રીમ કોર્ટના જજોની જગ્યામાં પણ અનામત લાગુ કરો : માયાવતી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 09 Oct 2024 10:15:37 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1369</Articleid>
                    <excerpt>હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો પર BSP સુપ્રીમો માયાવતીની પ્રતિક્રિયા આવી છે. વાંચો બહેનજીએ શું કહ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6705f90da61ef.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6705f90d77924.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6705f90d77924.jpg" length="69096" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Haryana Assembly Election Results, Mayawati, BSP, Bahujan Samaj Party, Statement, Jat community</media:keywords>
                </item>
                        <item>
                    <title>વડોદરામાં ગરબા દરમિયાન ખેલૈયાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી</title>
                    <link>https://khabarantar.com/brawl-between-players-during-garba-in-vadodara</link>
                    <guid>https://khabarantar.com/brawl-between-players-during-garba-in-vadodara</guid>
                    <description>
                        <![CDATA[ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે  આયોજકોએ સમયસર પહોંચી મામલો થાળે પાડ્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Clashes in Garba in Vadodara : ગુજરાતભરમાં હાલ નવરાત્રી તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે ત્યારે વડોદરામાં ગરબા દરમિયાન ખેલૈયાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હોવાનો એક વીડિયો સામે આવતા હોબાળો મચી ગયો છે. મળતી માહિતી મુજબ વીડિયો વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ગરબાનો છે. જ્યાં ખેલૈયાઓના બે ગ્રુપ વચ્ચે કોઈ કારણોસર છુટ્ટા હાથની મારામારી થઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો એ હદે બિચકી ગયો હતો કે બંને ગ્રુપોએ ગરબા ગ્રાઉન્ડની વચ્ચે જ એકબીજા પર હુમલો કરી દીધો હતો. જેને લઈને ગરબા ગાતા અન્ય ખેલૈયાઓમાં અફરાતફરી મચી ગઈ હતી. દરમિયાન આખી ઘટનાની જાણ આયોજકોને થતા તેમણે વચ્ચે પડીને આખો મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનામાં જો કે કોઈપણ પક્ષે કોઈને ઈજા નહોતી પહોંચી અને મામલો સુખદ રીતે પૂર્ણ થયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ગઈકાલ રાતની હોવાનું કહેવાય છે. લક્ષ્મી વિલાસ પેલેસના ગરબામાં ગત રાત્રીના બે ગ્રુપના ખેલૈયાઓ વચ્ચે કોઈ કારણને લઈને બબાલ થઇ હતી ત્યાર બાદ આ બબાલે મારામારીનું રૂપ ધારણ કર્યું હતું. વડોદરના પ્રખ્યાત લક્ષ્મી વિલાસ પેલેસના હેરીટેજ ગરબામાં આ ઘટના સર્જાતા લોકોમાં વિવિધ ચર્ચાઓ જોવા મળી હતી. હાલ આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-rajkot-there-was-an-uproar-as-shakiras-songs-were-played-at-the-clubs-garba">રાજકોટના નીલ સિટીના ગરબામાં શાકીરાના ગીતો વાગતા હોબાળો મચ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 08 Oct 2024 23:00:20 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1367</Articleid>
                    <excerpt>મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે  આયોજકોએ સમયસર પહોંચી મામલો થાળે પાડ્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67056bf5aad3a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67056bf57b006.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67056bf57b006.jpg" length="70144" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Vadodara, Garba, blows</media:keywords>
                </item>
                        <item>
                    <title>વટવામાં કોર્પોરેશન અને એએમસીના પાપે બાળકીનો જીવ ગયો</title>
                    <link>https://khabarantar.com/vatwa-corporation-and-amcs-sin-took-the-life-of-the-girl-child</link>
                    <guid>https://khabarantar.com/vatwa-corporation-and-amcs-sin-took-the-life-of-the-girl-child</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની બેદરકારીએ માસુમનો જીવ લીધો. કોન્ટ્રાક્ટરે પાડેલા ખાડામાં વરસાદી પાણી ભરાયું, બાળકી રમતા રમતા અંદર પડી ગઈ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના વટવામાં એએમસી અને કોન્ટ્રાક્ટરના પાપે એક માસુમ બાળકીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. શહેરના વટવા વિસ્તારમાં એએમસી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા EWS આવાસ યોજનાના મકાનો ફાળવણી વિના તોડવામાં આવી રહ્યાં છે. આ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં ત્રણ વર્ષની બાળકી પડી જતા મૃત્યુ થયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા ખોદવામાં આવેલા ખાડાને પુરવામાં ન આવ્યો હોવાના કારણે વરસાદી પાણી તેમાં ભરાઈ ગયું હતું. જેમાં રમતાં રમતાં બાળકી પડી ગઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું. બાળકીના મૃતદેહને ખોળામાં લઈને તેની માતા રોકકળ કરી રહી હતી. વટવા પોલીસે બાળકીના પરિવારજનો સાથે પણ ખરાબ વર્તન કરી ગાળો બોલી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2014માં વટવા વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે આવાસ યોજનાના મકાનો બનાવ્યા હતા. જે આવાસ યોજનાના મકાનોમાં ફેઝ-5 અંતર્ગત બનાવવામાં આવેલા મકાનોના 1600થી વધારે મકાનો ફાળવવામાં આવ્યા નહોતા. જેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી. આ મકાનો તોડવાની કામગીરી દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ જગ્યા પર 10 ફૂટથી મોટો ખાડો ખોદયો હતો. આ જગ્યા પર પાછળ અનેક નાના મોટા છાપરા બનાવીને ગરીબ લોકો રહે છે. ગરીબ ઘરની ત્રણ વર્ષની બાળકી પ્રીતિ કટારા(મૂળ. રહે. દાહોદ) સોમવારે સાંજે તેના ઘરની આસપાસ રમતી હતી, ત્યારે ધીરે ધીરે રમતાં રમતાં પાછળ આવેલા ખાડા પાસે ગઈ હતી અને તેમાં પડી ગઈ હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોડી સાંજ સુધી બાળકી ઘરે પરત ના આવતા આસપાસમાં તપાસ કરવામાં આવી હતી. બાળકી મળી ન આવતાં છેવટે લોકોએ ખાડા પાસે તપાસ કરી હતી. ખાડામાં જ્યારે ગયા તો બાળકી અંદર મળી આવી હતી, જેથી તેને બહાર કાઢી જોતા તેનું મૃત્યુ થયું હતું. બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ મામલે વટવા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે જો કે મોતનો મલાજો પણ જાળવ્યો નહોતો અને મૃતક બાળકીના પરિવારજનોને ગાળઓ ભાંડી તેમની સાથે અભદ્ર વર્તન કર્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે. મૃતક બાળકીના પરિવારજનએ જણાવ્યું હતું કે, અહીં ઘણા બધા છાપરા આવેલા છે, જેમા લોકો રહે છે. બાળકી કોન્ટ્રાક્ટરો દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં પડી ગઈ હતી. અમે શોધવા માટે સાંજે નીકળ્યા ત્યારે મળી ન આવતા ખાડામાં તપાસ કરતા ત્યાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના બનતા પોલીસ અને કોન્ટ્રાક્ટરના માણસો ત્યાં આવી ગયા હતા. બાળકીના પિતા અને અન્ય પરિવારજનોએ જ્યારે આ ખાડો કેમ ખોદવામાં આવ્યો હતો અને તેને પૂરવામાં કેમ ન આવ્યો તેમ પૂછતા પોલીસે તેમને ગાળો ભાંડી અભદ્ર વર્તન કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોન્ટ્રાક્ટર અને પોલીસના માણસો ત્યાં હાજર હતા અને એક તરફ બાળકીના મૃત્યુ પર પરિવારજનોમાં શોક હતો, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના આવાસ યોજનાના મકાનો તોડવાની કામગીરીમાં બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટરો અને પોલીસ ગરીબો સાથે ખરાબ વર્તન કરી ગાળો બોલી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાળકીના પરિવારનું કહેવું છે કે, પોલીસને ફરિયાદ કરી હતી, પણ તેમાં તેમણે કોઈપણ વ્યક્તિનું નામ લખ્યું નહોતું. ઝાકીર શેખ નામનો કોન્ટ્રાક્ટર ત્યાં હતો, છતાં તેનું કોઈ નામ લખવામાં આવ્યું નથી. ખાડો કેમ ખોદવામાં આવ્યો હતો તેને લઈને પણ સવાલો પૂછ્યા પણ કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/doctors-were-sleeping-tribal-girl-died-due-to-lack-of-tratment">ડોક્ટરો સૂતા રહ્યાં, આદિવાસી દીકરી સારવારના અભાવે મોતને ભેટી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 08 Oct 2024 20:16:48 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 08 Oct 2024 20:17:33 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1366</Articleid>
                    <excerpt>અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની બેદરકારીએ માસુમનો જીવ લીધો. કોન્ટ્રાક્ટરે પાડેલા ખાડામાં વરસાદી પાણી ભરાયું, બાળકી રમતા રમતા અંદર પડી ગઈ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67054510ad71f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6705451077f66.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6705451077f66.jpg" length="76434" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ahmedabad Municipal Corporation, AMC</media:keywords>
                </item>
                        <item>
                    <title>હરિયાણામાં કોંગ્રેસ 10 વર્ષ પછી પણ ભાજપનો કિલ્લો કેમ ન ભેદી શકી?</title>
                    <link>https://khabarantar.com/why-congress-could-not-penetrate-bjps-fortress-even-after-10-years-in-haryana</link>
                    <guid>https://khabarantar.com/why-congress-could-not-penetrate-bjps-fortress-even-after-10-years-in-haryana</guid>
                    <description>
                        <![CDATA[ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં એક્ઝિટ પોલ અને રાજકીય વિશ્લેષકોની ધારણાથી વિરુદ્ધના પરિણામ પાછળના કારણો ક્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ગયા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે કુલ 90 વિધાનસભા સીટોમાંથી ભાજપ 48 પર, કોંગ્રેસ 37 પર અને અન્ય પક્ષો 5 સીટો પર આગળ ચાલી રહ્યાં છે. અંતિમ પરિણામ હજુ જાહેર થવાનું બાકી છે, પરંતુ તાજેતરના આંકડા દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત ત્રીજી વખત બની રહી છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના સીધા જંગમાં વિપક્ષી પાર્ટી પાછળ પડી ગઈ છે. રાજકીય વિશ્લેષકો, એક્ઝિટ પોલ સહિત સૌ કોંગ્રેસની તરફેણમાં પરિણામ બતાવતા હોવા છતાં પરિસ્થિતિ કેવી રીતે પલટાઈ ગઈ તે સમજીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આંતરિક ઝઘડાને કારણે કોંગ્રેસને ફટકો પડ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક કલહ અને ટોચના નેતાઓ વચ્ચે ખેંચતાણ તેનું કારણ હોઈ શકે છે. ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી પદ માટે ભૂપેન્દ્ર હુડ્ડા અને સાંસદ કુમારી શૈલજા વચ્ચે શાબ્દિક યુદ્ધના સમાચારો સામે આવવા લાગ્યા હતા. પ્રચારથી લઈને ટિકિટ વિતરણ સુધીના મતભેદોની અટકળો ચાલી રહી હતી. તમામ પ્રયાસો છતાં કોંગ્રેસ એકજુટ ચહેરો રજૂ કરી શકી નહીં તેની અસર પરિણામમાં જોવા મળી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પ્રાદેશિક પક્ષો અને અપક્ષો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વોટ શેરની બાબતમાં કોંગ્રેસ ભાજપ કરતા થોડી આગળ છે, પરંતુ આ આંકડાઓ સીટોમાં પરિવર્તિત થતા દેખાતા નથી. ઘણી સીટો પર કોંગ્રેસની લીડનું માર્જીન વધારે નથી. આ સૂચવે છે કે અપક્ષ અને પ્રાદેશિક પક્ષોની હાજરીથી કોંગ્રેસના વોટ શેરને નુકસાન થયું છે. ખાસ વાત એ છે કે પ્રાદેશિક પક્ષો સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યા છે. જો કે ચૂંટણી પંચના અંતિમ આંકડા હજુ આવવાના બાકી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બિન જાટ મતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા અહેવાલો અનુસાર, હુડ્ડાના નેતૃત્વમાં કોંગ્રેસે ખાસ કરીને જાટ મતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેના કારણે બિન-જાટ મતો ભાજપની તરફેણમાં એક થયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપનો સાયલન્ટ મોડ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એવા અહેવાલો છે કે જમીની સ્તરે શાંતિથી કામ કરવાથી પરિણામ ભાજપની તરફેણમાં ગયું છે. જ્યારે મોટાભાગના એક્ઝિટ પોલ રાજ્યમાંથી ભાજપ સરકારની વિદાયના સંકેત આપી રહ્યા હતા. પાર્ટીએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પ્રચારની જવાબદારી સોંપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપના શહેરી મતદાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લા એક દાયકામાં ભાજપ હરિયાણાના શહેરી વિસ્તારોમાંથી સમર્થન મેળવવામાં સફળ રહ્યું છે. જેમાં ગુડગાંવ અને ફરીદાબાદ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. હાલમાં ભાજપ ગુડગાંવ, ફરીદાબાદ અને વલ્લભગઢમાં આગળ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/ram-rahim-appealed-to-supporters-to-vote-for-bjp"><strong>'ભાજપને મત આપજો', પેરોલ પર છૂટેલા રામ રહીમની સમર્થકોને અપીલ?</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 08 Oct 2024 19:18:44 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1365</Articleid>
                    <excerpt>હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં એક્ઝિટ પોલ અને રાજકીય વિશ્લેષકોની ધારણાથી વિરુદ્ધના પરિણામ પાછળના કારણો ક્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670537a0803d3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670537a047ae2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670537a047ae2.jpg" length="94857" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>LIVE UPDATE : હરિયાણામાં શરૂઆતી પરિણામોમાં કોંગ્રેસ જીત તરફ</title>
                    <link>https://khabarantar.com/live-update:-congress-to-win-in-haryana-in-early-results</link>
                    <guid>https://khabarantar.com/live-update:-congress-to-win-in-haryana-in-early-results</guid>
                    <description>
                        <![CDATA[ હરિયાણા અને જમ્મુ કશ્મીરમાં આજે વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યાં છે. વાંચો લાઈવ અપડેટ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Haryana Election Live Update:હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં આજે વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યાં છે. હરિયાણામાં 5 ઓક્ટોબરે મતદાન થયું હતું. એવામાં હવે તમામ બેઠકો પર મતદાનની ગણતરી આજે સવારે 8 વાગ્યે શરૂ થઈ ચૂકી છે. ચૂંટણી પરિણામોમાં જિંદ જિલ્લાની જુલાના બેઠક સૌથી વધુ ચર્ચામાં છે. કારણ કે અહીંથી વિનેશ ફોગાટ ચૂંટણી લડી હતી. હરિયાણામાં આશરે 66.02 ટકા મતદાન થયું હતું.  શરૂઆતી પરિણામોમાં જુલાણાથી વિનેશ ફોગાટ આગળ ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઝજ્જર વિધાનસભા પરથી બેલેટ પેપરની ગણતરી દરમિયાન કોંગ્રેસની ઉમેદવાર ગીતા ભુક્કલ આગળ છે. જ્યારે ભૂપેન્દરસિંહ હુડ્ડા ગઢી સાંપલા કિલોઈ બેઠક પરથી આગળ ચાલી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ મતગણતરી પહેલા કહ્યું કે, આજે મત ગણતરીનો દિવસ છે અને અમને પુરો વિશ્વાસ છે કે, છેલ્લાં 10 વર્ષમાં ભાજપની સરકારે જે કામ કર્યું છે, તેના દમ પર અમારી ત્રીજી વાર સરકાર બનશે. અમારી સરકાર હરિયાણાના લોકોની સેવા કરતી રહેશે. કોંગ્રેસ સત્તા માટે કામ કરે છે, ભાજપ જનસેવા માટે કામ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસના નેતા પવન ખેરાએ હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પર કહ્યું, 'અમને વિશ્વાસ છે કે આજે અમને દિવસભર લાડુ અને જલેબી ખાવા મળશે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જલેબી મોકલવાના છીએ. અમને વિશ્વાસ છે કે જમ્મુ અને કાશ્મીર અને હરિયાણામાં બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અમે 70 સીટો જીતી રહ્યાં છીએ - સૂરજેવાલા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણાના કૈથલથી કોંગ્રેસના ઉમેદવાર આદિત્ય સુરજેવાલાએ કહ્યું કે એક્ઝિટ પોલ દર્શાવે છે કે અમે રાજ્યની 90માંથી 60 બેઠકો જીતવા જઈ રહ્યા છીએ. પરંતુ હું કહું છું કે અમે 70 સીટો જીતી રહ્યા છીએ અને કૈથલ સીટ પણ જીતીશું. આજે દરેક વ્યક્તિ પરિવર્તન ઈચ્છે છે. ભાજપના 10 વર્ષના ભ્રષ્ટ શાસનથી લોકો કંટાળી ગયા છે. તેઓ પરિવર્તન ઈચ્છે છે. હું જાણું છું કે કોંગ્રેસ પરિવર્તન અને ન્યાય લાવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એક્ટિઝ પોલમાં કોંગ્રેસની જીત બતાવાઈ છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ સી-વોટરના એક્ઝિટ પોલમાં આ વખતે કોંગ્રેસની વાપસીની આગાહી કરવામાં આવી હતી. જેઓ 10 વર્ષથી સત્તામાં છે તેમની 20 થી 28 બેઠકો ઘટી શકે છે. જ્યારે કોંગ્રેસને 50 થી 58 બેઠકો મળી શકે છે. ગત વખતે 10 બેઠકો જીતનાર દુષ્યંત ચૌટાલાની JJPને આ વખતે 0 થી 2 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે અન્યને 10 થી 14 બેઠકો મળી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">5 ઓક્ટોબરે મતદાન થયું હતું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણામાં 5 ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થયું હતું. આ વખતે હરિયાણાની ચૂંટણીમાં 67.9% મતદાન થયું છે. સૌથી વધુ મતદાન એલેનાબાદમાં 80.61% અને બડખાલમાં સૌથી ઓછું 48.27% હતું. જ્યારે લોકસભા ચૂંટણીમાં 64.8% મતદાન થયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગત ચૂંટણીમાં શું પરિણામ આવ્યું હતું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગત વખતે ભાજપ 90 બેઠકોની વિધાનસભામાં બહુમતી હાંસલ કરી શક્યું ન હતું. બાદમાં દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીએ ગઠબંધનમાં સરકાર બનાવી. જોકે, આ વર્ષે માર્ચમાં ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટી ગયું હતું. હાલમાં હરિયાણામાં એનડીએ પાસે 43 અને ઈન્ડિયા બ્લોક પાસે 42 બેઠકો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર મીઠાઈ વહેંચાઈ </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણામાં મતગણતરી વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકરોમાં સંભવિત જીતને લઈને ઉત્સાહ છે. કોંગ્રેસ કાર્યાલયની બહાર પાર્ટીના કાર્યકરો મીઠાઈ વહેંચી રહ્યા છે. શરૂઆતના વલણોમાં કોંગ્રેસને હરિયાણામાં બહુમતી મળી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસને આ વખતે હરિયાણામાં બમ્પર જીતનો પૂર્ણ આત્મવિશ્વાસ હતો. શરૂઆતી વલણમાં જ લીડ મળી જતાં કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા અને ઉજવણી શરૂ કરી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/will-congress-make-kumari-shailja-chief-minister"><strong>શું કોંગ્રેસ કુમારી શૈલજાને મુખ્યમંત્રી બનાવશે ખરાં?</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 08 Oct 2024 09:37:25 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1361</Articleid>
                    <excerpt>હરિયાણા અને જમ્મુ કશ્મીરમાં આજે વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યાં છે. વાંચો લાઈવ અપડેટ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6704af98c19fd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6704af988f85b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6704af988f85b.jpg" length="77275" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Haryana Election Live Update</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમેરિકાના બે વૈજ્ઞાનિકોને 2024નો મેડિકલનો નોબેલ પુરસ્કાર જાહેર</title>
                    <link>https://khabarantar.com/two-american-scientists-have-been-awarded-the-2024-noble-prize-in-medicine</link>
                    <guid>https://khabarantar.com/two-american-scientists-have-been-awarded-the-2024-noble-prize-in-medicine</guid>
                    <description>
                        <![CDATA[ વિજેતાઓને 11 મિલિયન સ્વીડિશ ક્રાઉન એટલે કે 1.1 મિલિયન ડોલરની ઈનામી રકમ મળે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બે અમેરિકન વૈજ્ઞાનિકો વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકુનને વર્ષ 2024 માટે મેડિસિનનો નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ બંને વૈજ્ઞાનિકોએ માઇક્રો RNAની શોધ કરી છે. વિજ્ઞાનીઓ વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકુને માઇક્રો આરએનએની શોધ અને જીન નિયમનમાં તેની ભૂમિકા માટે ફિઝિયોલોજી અથવા મેડિસિનનો આ નોબેલ પુરસ્કાર એનાયત કરાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેડિસિન માટે નોબેલ વિજેતાઓની પસંદગી સ્વીડનની કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યુટ મેડિકલ યુનિવર્સિટીની નોબેલ એસેમ્બલી દ્વારા કરવામાં આવે છે. વિજેતાઓને 11 મિલિયન સ્વીડિશ ક્રાઉન ($1.1 મિલિયન) એટલે કે રૂ. 8.90 કરોડની ઈનામી રકમ આપવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નોબેલ એસેમ્બલીએ જણાવ્યું હતું કે બે વૈજ્ઞાનિકોએ માઇક્રો આરએનએની શોધ કરી છે જે સજીવોના વિકાસ અને કાર્ય કરવાની રીત માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માનવ સહિત સજીવો કેવી રીતે વિકસિત થાય છે અને કાર્ય કરે છે તે સમજવામાં તેમની શોધ મહત્વપૂર્ણ છે. તે એક નાનો પરમાણુ છે જે જનીન પ્રવૃત્તિને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેડિકલ ક્ષેત્રે અત્યાર સુધીમાં કુલ 227 વિજેતાઓને નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે, જેમાંથી માત્ર 13 મહિલાઓને જ આ પુરસ્કાર મળ્યો છે. આ પુરસ્કારના વિજેતાને 1 કરોડ 10 લાખ સ્વીડિશ ક્રાઉન (લગભગ 1 મિલિયન યુએસ ડોલર) આપવામાં આવે છે. આ પુરસ્કાર સ્વીડિશ વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલના નામે આપવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નોબેલની પુણ્યતિથિ 10 ડિસેમ્બરે યોજાતા સમારોહમાં પુરસ્કારો પ્રદાન કરવા માટે વિજેતાઓને આમંત્રિત કરવામાં આવે છે. મેડિકલ ક્ષેત્ર ઉપરાંત મંગળવારે ભૌતિકશાસ્ત્ર, બુધવારે રસાયણશાસ્ત્ર અને ગુરુવારે સાહિત્ય ક્ષેત્રના નોબેલ પુરસ્કાર વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે. શાંતિ માટેના નોબેલ પુરસ્કારની જાહેરાત શુક્રવારે થશે અને અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત 14 ઓક્ટોબરે કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દર વર્ષની જેમ, મેડિકલ પુરસ્કાર નોબેલ પુરસ્કારોની શ્રેણીમાં પ્રથમ છે, જે વિજ્ઞાન, સાહિત્ય અને માનવતાવાદી પ્રયાસોના ક્ષેત્રોમાં સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારો છે, જ્યારે બાકીના પાંચ પુરસ્કારોની જાહેરાત 7 થી 14 ઓક્ટોબરની વચ્ચે કરવામાં આવશે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્વીડિશ ડાયનામાઈટના શોધક અને ઉદ્યોગપતિ આલ્ફ્રેડ નોબેલની ઈચ્છાથી વર્ષ 1901 થી વિજ્ઞાન, સાહિત્ય અને શાંતિ માટે આ પુરસ્કારો આપવામાં આવે છે. બાદમાં તેમાં અર્થશાસ્ત્રનો પુરસ્કાર ઉમેરવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2023નો મેડિકલનો નોબેલ પુરસ્કાર કેટાલિન કારિકો અને ડ્રૂ વીસમેનને એનાયત કરવામાં આવ્યો હતો. કોવિડ-19 સામે અસરકારક એમઆરએનએ રસી વિકસાવવા તરફ દોરી ગયેલી તેમની શોધ માટે તે બંનેનું સન્માન કરવામાં આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/tribal-writer-poet-jacinta-kerketta-turn-down-another-award"><strong>આદિવાસી લેખિકા-કવિ જેસિંટા કેરકેટ્ટાએ વધુ એક પુરસ્કાર ફગાવ્યો</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 07 Oct 2024 21:52:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1360</Articleid>
                    <excerpt>વિજેતાઓને 11 મિલિયન સ્વીડિશ ક્રાઉન એટલે કે 1.1 મિલિયન ડોલરની ઈનામી રકમ મળે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670409ba761b5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670409ba38569.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670409ba38569.jpg" length="77649" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>2024 Nobel Prize in Medicine, To Victor Ambrose and Gary Ruvkun</media:keywords>
                </item>
                        <item>
                    <title>10 હજારથી વધુ TRB જવાનો પગાર વધારાની માંગ સાથે હડતાળ પર</title>
                    <link>https://khabarantar.com/over-10000-trb-goers-on-strike-demanding-pay-hike</link>
                    <guid>https://khabarantar.com/over-10000-trb-goers-on-strike-demanding-pay-hike</guid>
                    <description>
                        <![CDATA[ શિક્ષકો, સરકારી કર્મચારીઓના આંદોલન બાદ રાજ્ય સરકાર સામે આંદોલનનો વધુ એક મોરચો ખૂલી ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર સામે હડતાળનો વધુ એક મોરચો ખૂલી ગયો છે. રાજ્યના 10 હજારથી વધુ ટ્રાફિક બ્રિગેડના જવાનો તેમની માગણીઓને લઈને હડતાળ પર ઉતરી ગયા છે. રાજ્યમાં ટ્રાફિકમાં ફરજ પર રહેલા TRB જવાનો ફિક્સ પગારમાં વધારાને લઈને છેલ્લા કેટલાક સમયથી માગ કરી રહ્યાં છે, ત્યારે તેમની માગ સામે સંતોષકારક જવાબ ન મળતા આખરે TRBના જવાનો પગાર વધારા સહિતની માગને લઈને આજથી હડતાળ પર ઉતર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે, હાલમાં TRBમાં ફરજ બજાવતા જવાનોને રોજના 300 રૂપિયા લેખે પગાર મળે છે, ત્યારે જવાનો તેમાં વધારો કરીને તેને રૂ. 500 કરવાની માંગ કરી રહ્યાં છે. હડતાળના પગલે અમદાવાદના 1600થી વધુ TRB જવાનો સહિત રાજ્યભરના આશરે 10 હજાર જેટલા જવાનો ટ્રાફિક પોઇન્ટ પર ઊભા રહેશે નહીં, જેના કારણે ટ્રાફિક મામલે અરાજકતા ફેલાય તેવી શક્યતા સેવાઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">TRB જવાનો પોતાની માગણીઓને લઈને અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટીઆરબી જવાનોનું કહેવું છે કે, સરકારે ચૂંટણી સમયે પગાર વધારાનો વાયદો કર્યો હતો, પણ હજુ સુધી તેમને તેનો લાભ મળ્યો નથી અને ફક્ત વાયદાઓ જ કરવામાં આવે છે. સમગ્ર વિવાદને એક વર્ષ થવા છતાં પણ પગારવધારો ન કરાતા આખરે અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">TRB જવાનોનું કહેવું છે કે, અગાઉ આ પ્રકારની માંગણી કરતા તેમને છૂટા કરી દેવાની ચિમકી આપવામાં આવી હતી. જેના કારણે તેઓ સતત નોકરી જતી રહેવાના ભયમાં જીવી રહ્યાં છે. આ મામલે કાયમી ઉકેલ આવે તેવું અમે ઈચ્છીએ છીએ અને તેના માટે આંદોલન સિવાય છુટકો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/we-are-not-terrorists-government-should-listen-to-us">અમે આતંકવાદી નથી, સરકાર અમારી વાત સાંભળે...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 07 Oct 2024 19:01:34 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1359</Articleid>
                    <excerpt>શિક્ષકો, સરકારી કર્મચારીઓના આંદોલન બાદ રાજ્ય સરકાર સામે આંદોલનનો વધુ એક મોરચો ખૂલી ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6703e1d04126d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6703e1d005487.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6703e1d005487.jpg" length="110419" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Strike to go to TRB, Breaking News</media:keywords>
                </item>
                        <item>
                    <title>અંબાજીના દર્શન કરીને આવતી બસનો અકસ્માત, 4નાં મોત, 25 ઘાયલ</title>
                    <link>https://khabarantar.com/accident-of-bus-coming-for-darshan-of-ambaji-4-killed-25-injured</link>
                    <guid>https://khabarantar.com/accident-of-bus-coming-for-darshan-of-ambaji-4-killed-25-injured</guid>
                    <description>
                        <![CDATA[ નવરાત્રિમાં અંબાજી નજીક ત્રિશુળિયા ઘાટ પાસે લક્ઝરી બસનો અકસ્માત થયો છે. જેમાં 4 લોકોના મોત થયા છે અને બે ડઝનથી વધુ મુસાફરો ઘાયલ થયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Ambaji Accident : નવરાત્રિ ચાલી રહી છે ત્યારે જ વિખ્યાત યાત્રાધામ અંબાજીએ દર્શન કરીને આવતા શ્રદ્ધાળુઓની બસને અકસ્માત નડ્યો છે. અંબાજી નજીક 50થી વધુ શ્રદ્ધાળુઓને લઇ જઇ રહેલી બસ અંબાજીથી દર્શન કરી પરત ફરતાં ત્રિશુળિયા ઘાટ પર પલટી ખાઇ ગઇ હતી. જેમાં બસમાં સવાર 4થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય 25થી વધુ લોકોને ગંભીર ઇજા પહોંચી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી જાણકારી પ્રમાણે, અંબાજી દાંતા વચ્ચે ત્રિશુળિયા ઘાટ પાસે આવેલા હનુમાન મંદિર પાસે અંબાજી દર્શન કરી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓ ભરેલી લક્સરી બસનો અકસ્માત સર્જાતા 25થી વધુ મુસાફરો ઘાયલ થયા છે, જ્યારે 4થી વધુ શ્રદ્ધાળુઓના મોત અરેરાટીભર્યા મોત નિપજ્યા છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં મળતી માહિતી અનુસાર 7 લોકો ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બસ ડ્રાઇવરે નશો કર્યો હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું. ડ્રાઇવરે પૂરપાટ ઝડપે વળાંક પર ટર્ન મારતો હતો. એ દરમિયાન સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં રોડની સાઇડમાં બનાવેલી પ્રોટેક્શન વોલ સાથે બસ ટકરાઇ હતી. સદનસીબે બસ ખીણમાં ખાબકતાં બચી ગઇ હતી. જો બસ ખીણમાં ખાબકી હોત તો આ મૃત્યુઆંક વધી પહોંચ્યો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસ ડ્રાઇવરે નશો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. લક્ઝરી બસ રેલિંગ સાથે ટકરાતા રેલિંગ તૂટી ગઇ હતી. હાલમાં 108 એમ્બુલન્સ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને બચાવ કાર્ય શરૂ કરી મુસાફરો બસની બહાર કાઢવામાં આવી રહ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, નવરાત્રીને લઈને હજારો લોકો અંબાજી ખાતે દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે ત્રિશૂળિયા ઘાટ પર અનેક અકસ્માતો સર્જાય છે. ખાસ કરીને બસો સહિતના મોટા વાહનો બેફામ રીતે ચલાવતા હોવાથી આ વિસ્તાર અકસ્માત ઝોન બની ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/ahmedabads-roads-are-deadly-with-870-deaths-in-2023">અમદાવાદના જીવલેણ રસ્તાઃ વર્ષ 2023માં 870 લોકોના મોત થયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 07 Oct 2024 11:16:26 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1355</Articleid>
                    <excerpt>નવરાત્રિમાં અંબાજી નજીક ત્રિશુળિયા ઘાટ પાસે લક્ઝરી બસનો અકસ્માત થયો છે. જેમાં 4 લોકોના મોત થયા છે અને બે ડઝનથી વધુ મુસાફરો ઘાયલ થયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6703759548c30.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670375951569e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670375951569e.jpg" length="67534" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Accident, Ambaji, Gujarat</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજ્યમાં વર્ષ 2005 પહેલાના સરકારી કર્મચારીઓને OPSનો લાભ મળશે</title>
                    <link>https://khabarantar.com/pre-2005-government-employees-in-the-state-will-get-the-benefit-of-ops</link>
                    <guid>https://khabarantar.com/pre-2005-government-employees-in-the-state-will-get-the-benefit-of-ops</guid>
                    <description>
                        <![CDATA[ રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને લઈને એક મહત્વની જાહેરાત કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર સચિવાલય ખાતે યોજાયેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોટા નિર્ણયો લેવાયા છે. બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજી વર્ષ 2005 પહેલાં ભરતી થયેલા રાજ્ય સરકારના કર્મચારીઓને જૂની પેન્શન યોજના (OPS)નો લાભ મળશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 60, 254 કર્મચારીઓને સીધો લાભ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">60 હજારથી વધુ સરકારી કર્મચારીને સીધો લાભ થશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, આજે (રવિવાર) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારના વિવિધ કર્મચારી મંડળોની રજૂઆતો સાંભળી હતી. 60, 254 કર્મચારીને સીધો ફાયદો થાય તે માટે નિર્ણય લેવાયો છે. તારીખ 01-04-2005થી જેઓ નોકરી લાગ્યા હતા એમને પાંચ વર્ષનો લાભ ના મળતો હોવાનું લખ્યાં છતાં પણ આવા કર્મચારીઓની નિમણૂક થઈ હતી અને પાછળથી કાયમી થયા હતા તેમને  જૂની પેન્શન યોજના (OPS)નો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સરકારી તિજોરીને અંદાજે રૂ. 200 કરોડનો બોજ પડશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિયમિત નિમણૂક થઈ ગઈ હોય કે નિમણૂક પ્રક્રિયા થઈ ગઈ હોય એને આ લાભ મળશે. આ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે. તેમને ઉચક મુસાફરી ભથ્થું 7માં પગારપંચ પ્રમાણે આપવામાં આવશે. તાત્કાલિક અસરથી સ્વીકારવામાં આવેલ મુદ્દાઓથી સરકારને 200 કરોડ રૂપિયાનો બોજો પડશે. હવે જે બાકીના મુદ્દા બાકી રહી ગયા છે જે આગળ વધારે અભ્યાસ કરી, કમિટી બેસી ખૂબ ઝડપથી નિર્ણય લેવાની સૂચના આપવામાં આવી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, આનું ભારણ કેટલું આવશે તે નક્કી નથી પણ એનો પરિપત્ર સરકાર જલ્દી કરશે. ફિક્સ પે મુદ્દે મંત્રીએ જણાવ્યું કે ફિક્સ પેનો કોર્ટમાં મુદ્દો છે, તેનો નિર્ણય આવ્યા બાદ સરકાર કાર્યવાહી કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/the-teachers-again-raised-their-arms-against-the-government-with-the-demand-of-the-old-pension-scheme"><strong>જૂની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષકોએ ફરી સરકાર સામે બાંયો ચડાવી</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 06 Oct 2024 20:16:52 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1351</Articleid>
                    <excerpt>રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને લઈને એક મહત્વની જાહેરાત કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6702a2cc95843.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6702a2cc63cdc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6702a2cc63cdc.jpg" length="96140" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gujarat, Old pension scheme, OPS</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજકોટમાં ક્લબના ગરબામાં શાકીરાના ગીતો વાગતા હોબાળો મચ્યો</title>
                    <link>https://khabarantar.com/in-rajkot-there-was-an-uproar-as-shakiras-songs-were-played-at-the-clubs-garba</link>
                    <guid>https://khabarantar.com/in-rajkot-there-was-an-uproar-as-shakiras-songs-were-played-at-the-clubs-garba</guid>
                    <description>
                        <![CDATA[ રાજકોટમાં નીલ સિટી ક્લબના ગરબામાં હોલીવૂડ સિંગર શાકીરાના ગીતો પર યુવાધન હિલોળે ચડતાં હોબાળો મચી ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટમાં આ વખતે નવરાત્રી શરૂ થતા પહેલા જ વિવાદોમાં આવી ગઈ છે. અગાઉ પાટીદારોએ પોતાના ગરબામાં આધારકાર્ડ વિના પ્રવેશ નહીં આપવાની જાહેરાત કરી હતી. જેને લઈને ભારે વિવાદ થયો હતો. એ પછી હવે અહીં એક ક્લબના ગરબામાં હોલીવૂડ સિંગર શાકીરા અને એનિમલ ફિલ્મના જમાલકુડુ જેવા ગીતો પર યુવાનો ગરબા રમવા માંડતા હોબાળો મચી ગયો છે. આ મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક લોકોએ વિરોધ નોંધાવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “નાચવું અને રાસ રમવો બંનેમાં ફરક છે અને સરકારે તેના પર નજર રાખવી જોઈએ. જે વીડિયો પ્રસારિત થયા છે હું તેને વખોડી કાઢું છું. હિન્દુ સંસ્કૃતિ, આપણી પરંપરા અને નવરાત્રિનું મહત્વ સમજવું પડશે. નવરાત્રિ ઉત્સવ એ માતાજીની આરાધનાનો ઉત્સવ છે. ભલે પ્રાચીન ગરબીઓ આજના સમયમાં અર્વાચીન થઈ હોય. મોટી સંખ્યામાં યુવાઓ આવીને ત્યાં બધા રાસ લે, પણ અસલ તત્વ ભૂલાવું ન જોઈએ. નાચવું અને રાસ લેવો એ બન્નેમાં ફેર છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિજય રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે, “થર્ટી ફર્સ્ટમાં જે ઉજવણી થાય છે એ નાચવાની થાય છે. નવરાત્રિમાં માની આરાધનાની સાથે ગરબા-રાસ લઈએ છીએ. ત્યારે ગઈકાલે શાકીરાના ગીતો પર ડાન્સ અને આ પ્રકારે જે આયોજકે કર્યું છે તેને હું સખત શબ્દોમાં વખોડું છું. નવી પેઢી પર એની ખરાબ અસર પડે, હિન્દુ સંસ્કૃતિની લાગણી ઘવાય તેવું કોઈપણ પ્રકારનું આયોજન થવું ન જોઈએ. સરકારે પણ આ અંગે ગુજરાતમાં જ્યાં પણ ગરબાના મોટા આયોજન થતા હોય ત્યાં નજર રાખવી જોઈએ. મર્યાદામાં નવરાત્રિ મહોત્સવ ઉજવાય એનું ધ્યાન રાખે એ અતિ આવશ્યક છે. નવરાત્રિ મહોત્સવ સ્ત્રીઓના સન્માનનો કાર્યક્રમ છે. તેમાં આ પ્રકારના ડાન્સ કોઈપણ સંજોગોમાં ચાલે નહીં.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સનાતન ધર્મ સમિતિના સંત જ્યોર્તિનાથ મહારાજે જણાવ્યું હતું કે, “રાજકોટના એક ગરબામાં ફિલ્મી ગીતો અને નશાના ગીતો વગાડવામાં આવ્યા હતા. દારૂના ગીતો વગાડવામાં આવ્યા. ગરબાની પરમિશન લીધી હોય તો ગરબા જ વગાડવા જોઈએ. ભાગીતળ ગરબાની અંદર આ ન્યૂસન્સ નાખી અને જે પ્રકારનું કૃત્ય થાય છે એ ખરેખર નિંદનીય છે. આ કોઈપણ રીતે ચલાવી લેવાય તેમ નથી. આયોજકો સામે પોલીસ એક્શન લેવાવા જોઈએ.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “લોકોએ પણ જાગવાની જરૂર છે. આવું થતું હોય ત્યાં રોકવાની જરૂર છે. યુવા પેઢીની અંદર આવા પ્રોગ્રામ થતા હોય તો તમે શું પ્રેરણા આપો? સંસ્કૃતિની વાતો કરવી છે તો સંસ્કૃતિ સાચવવી પડે. સનાતન ધર્મના તહેવારોમાં આવી બેજવાબદારીપૂર્વકના કૃત્ય થતા હોય તો ત્યાં હાજર પોલીસકર્મીએ પણ ધ્યાન દોરવું જોઈએ. આવું થતું હોય તો તેને રોકવાની કોશિશ કરવી જોઈએ. સંસ્કૃતિ વિરૂદ્ધનું કાર્ય થતું હોય તો સમાજે આગળ આવીને તેને રોકવાની જરૂર છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/enter-garba-only-after-drinking-cow-urine-indore-bjp-leader">ગૌમૂત્ર પીવડાવો પછી જ ગરબામાં એન્ટ્રી આપોઃ ઈન્દોર ભાજપ નેતા</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 06 Oct 2024 18:57:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1350</Articleid>
                    <excerpt>રાજકોટમાં નીલ સિટી ક્લબના ગરબામાં હોલીવૂડ સિંગર શાકીરાના ગીતો પર યુવાધન હિલોળે ચડતાં હોબાળો મચી ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67028f71df95a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67028f71a694d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67028f71a694d.jpg" length="72462" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Neil City Club Garba, Shakira songs, Uproar</media:keywords>
                </item>
                        <item>
                    <title>રામલીલાના રામનું સ્ટેજ પર હાર્ટ એટેક આવતા મોત</title>
                    <link>https://khabarantar.com/ram-leelas-ram-died-of-a-heart-attack-on-stage-in-delhi</link>
                    <guid>https://khabarantar.com/ram-leelas-ram-died-of-a-heart-attack-on-stage-in-delhi</guid>
                    <description>
                        <![CDATA[ રામલીલામાં રામનું પાત્ર ભજવતા કલાકારને મંચ પર હાર્ટ એટેક આવતા છાતીમાં દુખાવાને કારણે મોત થઈ ગયું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Ram Leela's Ram died of a heart attack on stage : રાજધાની દિલ્હીના શાહદરા વિસ્તારમાં નવરાત્રિ દરમિયાન રામલીલા દરમિયાન ભગવાન રામની ભૂમિકા ભજવી રહેલા કલાકારનું શનિવારે રાત્રે સ્ટેજ પર જ હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું. અચાનક બનેલી આ દુ:ખદ ઘટનાથી સ્ટેજ પર અરાજકતા સર્જાઈ હતી. આ સાથે જ રામલીલા જોવા આવેલા કલાકારો અને લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતકનું નામ સુનીલ કૌશિક છે, જે વિશ્વકર્મા નગર વિસ્તારનો રહેવાસી હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુશીલ કૌશિક ભગવાન રામનો ભક્ત હતો અને છેલ્લા 20-25 વર્ષથી દર વર્ષે વિશ્વકર્મા નગરની રામલીલામાં ભગવાન રામની ભૂમિકા ભજવતો હતો. શનિવારે રાત્રે તેને રામલીલાના મંચ પર અચાનક છાતીમાં તીવ્ર દુ:ખાવો થયો, જેના પછી તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ દુઃખદ સમાચારથી રામલીલા જોવા આવેલા લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સુનીલ કૌશિક તેના પરિવાર સાથે ઘર નંબર 203 શિવ ખંડ, વિશ્વકર્મા નગરમાં રહેતો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મોત પહેલાનો વીડિયો સામે આવ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">રામલીલાના મંચ પર મૃત્યુ પહેલાની આ દુ:ખદ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં સુનીલ કૌશિક ભગવાન રામની ભૂમિકા ભજવતા અને તેમના ડાયલોગ્સ બોલતા જોઈ શકાય છે. આ દરમિયાન અચાનક તેની છાતીમાં દુખાવો થાય છે અને તે તેના હૃદય પર હાથ રાખે છે અને પછી અચાનક સ્ટેજની પાછળ જાય છે. એ પછી તેમને દવાખાને લઈ જવાયા હતા, જ્યાં આ ઘટના ઘટી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આજે અંતિમવિધિ થશે</span></strong><br><span style="font-size: 14pt;">વિશ્વકર્મા નગરમાં રામલીલાનું આયોજન કરતી જય શ્રી રામલીલા સમિતિ ઝિલમિલે રવિવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે, "વિશ્વકર્મા નગરમાં રામનું પાત્ર ભજવનાર અમારા મોટા ભાઈ સુશીલ કૌશિકનું રામનું પાત્ર ભજવતી વખતે સ્ટેજ પર હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. તેમના અંતિમ સંસ્કાર આજે શાહદરાના જ્વાલા નગર સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે."</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-narrator-who-was-chanting-hymns-from-the-pulpit-died-of-a-heart-attack">વ્યાસપીઠ પરથી ભજન લલકારી રહેલા કથાકારને હાર્ટ એટેક આવતા મોત</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 06 Oct 2024 14:59:33 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1349</Articleid>
                    <excerpt>રામલીલામાં રામનું પાત્ર ભજવતા કલાકારને મંચ પર હાર્ટ એટેક આવતા છાતીમાં દુખાવાને કારણે મોત થઈ ગયું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6702567b3550c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6702567b0032f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6702567b0032f.jpg" length="113624" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>ram leelas ram, died, heart attack, on stage, delhi</media:keywords>
                </item>
                        <item>
                    <title>PM મોદીનું મંદિર બનાવનાર નેતાએ ભાજપ છોડી, શું આપ્યું કારણ?</title>
                    <link>https://khabarantar.com/bjp-worker-who-built-pm-modis-temple-left-the-party</link>
                    <guid>https://khabarantar.com/bjp-worker-who-built-pm-modis-temple-left-the-party</guid>
                    <description>
                        <![CDATA[ મોદીનું મંદિર બનાવનારે કહ્યું, વફાદાર કાર્યકરોની અવગણના કરાઈ રહી છે અને બહારના લોકો ફાવી ગયા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">bjp worker who built pm modis temple left the party : મહારાષ્ટ્રના પુણેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બનાવનાર કાર્યકરે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. મયૂર મુંડે નામના ભાજપ કાર્યકરે વર્ષ 2021માં 'મોદી મંદિર'નું નિર્માણ કરાવ્યું હતું, જે ખૂબ ચર્ચામાં રહ્યું હતું. મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના પુણે એકમમાં મતભેદો દેખાઈ રહ્યા છે. કોથરુડ અને ખડકવાસલાના વર્તમાન ધારાસભ્યો પર ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાં દખલ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવાજીનગરના ધારાસભ્ય સિદ્ધાર્થ શિરોલે પાર્ટીના વફાદાર કાર્યકરોની અવગણના કરી રહ્યા છે. આ અંગે શ્રી નમો ફાઉન્ડેશનના મયૂર મુંડેએ શિરોલે સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને આક્ષેપો કર્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વફાદાર કાર્યકરોનું કોઈ સાંભળતું નથી</span></strong></span><br><span style="font-size: 14pt;">મયુર મુંડેએ કહ્યું, 'મેં ઘણાં વર્ષોથી પાર્ટીના વફાદાર કાર્યકર તરીકે કામ કર્યું છે. મેં વિવિધ હોદ્દા સંભાળ્યા છે અને પાર્ટી માટે ઈમાનદારીથી કામ કર્યું છે. મુંડેએ કહ્યું કે ભાજપ પક્ષના વફાદાર કાર્યકરોની અવગણના કરી રહી છે અને અન્ય રાજકીય પક્ષોમાંથી જોડાનારાઓને મહત્વ આપી રહી છે. તેણે આરોપ લગાવ્યો કે ધારાસભ્યો તેમનું સમર્થન વધારવામાં વ્યસ્ત છે અને તેના માટે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે. અન્ય પક્ષોમાંથી આવતા લોકોને પક્ષમાં વિવિધ પદો આપવામાં આવી રહ્યા છે. મુંડેએ કહ્યું કે જૂના અધિકારીઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે. હવે તેમને પાર્ટીની બેઠકોમાં પણ બોલાવવામાં આવતા નથી. તેમના મંતવ્યો પણ સાંભળવામાં આવતા નથી અને તેમને ચૂંટણી પ્રક્રિયાથી દૂર રાખવામાં આવ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હું પીએમ મોદીનો કટ્ટર સમર્થક છું પણ...</span></strong></span><br><span style="font-size: 14pt;">ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ મુંડેએ કહ્યું, 'હાલના ધારાસભ્યો એવા લોકોના વિસ્તારોમાં વિકાસ ભંડોળ ખર્ચી રહ્યા છે જેઓ અન્ય પક્ષોમાંથી ભાજપમાં જોડાયા છે. પાર્ટીના વફાદાર કાર્યકરોના વિસ્તારને કંઈ આપવામાં આવી રહ્યું નથી. તેમણે કહ્યું કે વર્તમાન ધારાસભ્યને છેલ્લા 5 વર્ષમાં શિવાજીનગર વિધાનસભા વિસ્તારમાં કોઈપણ 2 મોટી યોજનાઓ લાગુ કરવા માટે ભંડોળ મળ્યું છે. તેણે આ માટે કોઈ પ્રયાસ પણ કર્યો ન હતો. આવી સ્થિતિમાં આ મતવિસ્તારનો વિકાસ થંભી ગયો છે. તેમણે કહ્યું, 'હું પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યો છું. હું પીએમ મોદીનો કટ્ટર સમર્થક છું અને તેમના માટે કામ કરું છું. પરંતુ, પાર્ટીમાં અમારા જેવા લોકો માટે જગ્યા બચી નથી. તેથી જ મેં આ નિર્ણય લીધો છે.</span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 06 Oct 2024 10:37:33 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1346</Articleid>
                    <excerpt>મોદીનું મંદિર બનાવનારે કહ્યું, વફાદાર કાર્યકરોની અવગણના કરાઈ રહી છે અને બહારના લોકો ફાવી ગયા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67021ab31a749.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67021ab2dc2a3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67021ab2dc2a3.jpg" length="79620" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>bjp worker, who built pm modis temple, left the party</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;quot;વાસનાના પૂજારીના દિવસો આવ્યા&amp;quot; નવરાત્રી મુદ્દે સ્વામીનારાયણ સાધુ</title>
                    <link>https://khabarantar.com/anupam-swaroop-swamis-controversial-statement-regarding-navratri</link>
                    <guid>https://khabarantar.com/anupam-swaroop-swamis-controversial-statement-regarding-navratri</guid>
                    <description>
                        <![CDATA[ અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જેને લઈને મોટો વિવાદ શરુ થઈ ગયો છે. વાંચો સ્વામીએ નવરાત્રીને લઈને બીજુ શું કહ્યું.. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">anupam swaroop swamis controversial statement regarding navratri : </span><span style="font-size: 14pt;">સ્વામિનારાયણના સાધુઓ તેમના નિવેદનોને લઈને સતત વિવાદમાં રહેતા આવ્યા છે. અગાઉ સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણના દાસ બતાવતા મોટો હોબાળો થયો હતો. એ પછી આ સંપ્રદાયના અનેક સાધુઓના વિવાદિત નિવેદનો સામે આવ્યા હતા. ત્યારે હવે નવરાત્રિને લઈને એક સ્વામિનો વિવાદિત નિવેદન સામે આવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિ અંગે એક વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, "ગુજરાતીઓના પ્રિય તહેવાર નવરાત્રિને લોકો લવરાત્રિ કહે છે. નવ દિવસનો ફેશન શૉ બની ગયો છે. આ માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">નવરાત્રિને કારણે છુટાછેડા વધ્યાં - સ્વામીજી</span></strong></span><br><span style="font-size: 14pt;">નવરાત્રિ અંગે અનુપમ સ્વરૂપ સ્વામીના વિવાદિત નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, "મેં સાંભળ્યું છે કે સમાજનું સૌથી મોટું દૂષણ છૂટાછેડા છે. સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં કોઈકે એવું પણ લખ્યું કે, સમય ઓછો અપાતો હશે, બેડ બિહેવિયર, ઓછી વાતચીત, વધતી જતી જરૂરિયાત છે. એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે. લખનારે કંઈક વિચારીને જ લખ્યું હશે. જે નવરાત્રિ ગુજરાતીઓની ઓળખ છે તે લવરાત્રિ તરીકે ઓળખાય તે કેવી લાચારી.'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનુપમ સ્વરૂપ સ્વામી જણાવ્યું કે, 'નવરાત્રિમાં માતાજીના નવ રૂપોની પૂજા થાય, ઉપાસના થાય તે નવરાત્રિમાં મહિલાઓને રાવણની નજરે જોવાય તે કેવું. નવરાત્રિમાં જે સ્ત્રીને દેવી સ્વરૂપે જોવામાં આવતી, નારી તું નારાયણી તરીકે જોવામાં આવતી તે સ્ત્રીને મનોરંજનના સાધાન કે ટિકિટના વધુ ભાવ લેવાના સાધન તરીકે જોવામાં આવે, ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે સસલું રમતું મૂકવામાં આવે તેમ ગરબે રમાડવામાં આવે તે કેવી લાચારી.'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે વિવાદ વધે તેવી શક્યતા છે, કેમ કે સ્વામિના આ નિવેદનને લઈને હિંદુ ધર્મના અન્ય સંપ્રદાયના સાધુઓએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાધુ દેવનાથબાપુએ અનુપમ સ્વરૂપ સ્વામીને એક ન્યૂઝ ચેનલ પર કહ્યું કે, "સ્વામિનારાયણના સંતો પહેલા બફાટ કરી દે છે અને પછી દબાણ વધે એટલે સોરીના વીડિયો મૂકી દે છે. નવરાત્રિ, માતાજી, પરંપરા શું છે અને સનાતન ધર્મ શું છે તે હાર્વર્ડ યુનિ.માં ભણાવવામાં નથી આવતી. તમે સનાતન ધર્મ વિશે કશું જાણતા નથી એટલે તમારે તેના પર બોલવાનું આવતું નથી. તેઓ નારી શક્તિ અને સનાતન ધર્મનું અપમાન કરી રહ્યાં છો."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ<a href="https://khabarantar.com/swami-used-to-look-at-other-girls-besides-me-with-dirty-eyes"> સ્વામીજી મારા સિવાય બીજી છોકરીઓને પણ ગંદી નજરથી જોતા હતા...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 05 Oct 2024 16:06:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1342</Articleid>
                    <excerpt>અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જેને લઈને મોટો વિવાદ શરુ થઈ ગયો છે. વાંચો સ્વામીએ નવરાત્રીને લઈને બીજુ શું કહ્યું..</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67011683a71cb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67011683744b8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67011683744b8.jpg" length="84385" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>anupam swaroop swamis controversial statement regarding navratri</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;ભાજપને મત આપજો&amp;apos;, પેરોલ પર છૂટેલા રામ રહીમની સમર્થકોને અપીલ?</title>
                    <link>https://khabarantar.com/ram-rahim-appealed-to-supporters-to-vote-for-bjp</link>
                    <guid>https://khabarantar.com/ram-rahim-appealed-to-supporters-to-vote-for-bjp</guid>
                    <description>
                        <![CDATA[ હરિયાણામાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે પેરોલ પર છુટેલા દુષ્કર્મી રામ રહીમે ભાજપને મત આપવાની અપીલ કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ram rahim appealed to supporters to vote for bjp : પેરોલ પર વારંવાર છૂટીને દુષ્કર્મી રામ રહીમ ભાજપને મદદ કરતો હોવાના આક્ષેપો વિપક્ષો દ્વારા સતત લગાવવામાં આવે છે, ત્યારે રામ રહીમે તેને સાચા ઠેરવતું નિવેદન આપીને મામલો ખૂલ્લો પાડી દીધો છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana Assembly Election 2024) માટે આજે મતદાન ચાલી રહ્યું છે ત્યારે જ પેરોલ પર બહાર આવેલા ડેરા સચ્ચા સૌદા (Dera Sacha Sauda) ના પ્રમખ ગુરમીત રામ રહીમે (Gurmeet Ram Rahim) તેના હેડક્વાટરે પોતાના ભક્તોને ભાજપ (BJP) ને મત આપવાની અપીલ કરી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમે 20 દિવસના પેરોલ પર રોહતકની સુનારિયા જેલમાંથી બહાર આવ્યાના એક દિવસ બાદ આ જાહેરાત કરી છે. એક અહેવાલ પ્રમાણે ગુરુવારે મોડી રાત્રે સિરસામાં ડેરા સચ્ચા સૌદાના મુખ્યાલયમાં આયોજિત સત્સંગ દરમિયાન અનુયાયીઓને આ સંદેશ આપવામાં આવ્યો હતો. સામાન્ય રીતે અનુયાયીઓને નિર્દેશ વિધાનસભાની ચૂંટણીના થોડા દિવસો પહેલા સત્સંગ મંચ પરથી ખુલ્લેઆમ આવતા રહ્યા છે. જો કે, આ વખતે આ નિર્દેશ કંઈક અંશે મૌન સ્વરૂપે આપવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રામણે આ વખતે સત્સંગ મંચ પરથી કોઈ જાહેરાત નહોતી કરવામાં આવી. ડેરાના અધિકારીઓ ખુલ્લા પ્રાંગણમાં ગયા અને સભામાં સામેલ લોકોને ભાજપને મત આપવા માટે કહ્યું હતું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક અધિકારીએ જણાવ્યું કે, અમે અનુયાયીઓને બૂથની નજીક સક્રિય રહેવા માટે પણ કહ્યું છે. દરેક અનુયાયીઓએ પોતાની કોલોનીમાં રહેતાં વધુ 5 મતદારોને મતદાન કરવા સાથે લઈ જવા જોઈએ. ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમને દુષ્કર્મ મામલે 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવ્યા બાદ સિરસા મુખ્યાલયમાં સત્સંગનો માહોલ બદલાઈ ગયો છે. સક્રિય રાજકીય બાબતોની સમિતિનો ભંગ કરવામાં આવ્યો છે. હવે તેમના અધિકારીઓ અને અનુયાયીઓ સત્સંગનું આયોજન કરાવે છે. સૂત્રો પ્રમાણે, પેરોલ મળ્યા બાદ ગુરમીત રામ રહીમ પોતાના બાગપત આશ્રમમાં રોકાયો છે. તેમણે સિરસામાં પોતાના અધિકારી દ્વારા ભાજપને સમર્થન આપવાનો સંદેશ પહોંચાડ્યો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, ડેરા સચ્ચા સૌદા દ્વારા ભાજપનું સમર્થન એ કોઈ નવી વાત નથી. હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં દલિતોમાં ડેરા સચ્ચા સૌદાના અનુયાયીઓ મોટા પ્રમાણમાં છે. તેઓ ખુલ્લેઆમ ભાજપને સમર્થન આપી રહ્યા છે. દુષ્કર્મ કેસના દોષિત ગુરમીત રામ રહીમ બુધવારે 20 દિવસની પેરોલ મળ્યા બાદ હરિયાણાની રોહતક જેલમાંથી બહાર આવ્યો હતો. તે પોતાની અસ્થાયી મુક્તિ દરમિયાન ઉત્તર પ્રદેશના બાગપતના બરનાવા ખાતેના ડેરા આશ્રમમાં રહેશે. આ સમયગાળા દરમિયાન તેને ચૂંટણી સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવા, ભાષણ આપવા અને રાજ્યમાં રહેવા પર પ્રતિબંધ છે. જો કે આધારભૂત રાજકીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હરિયાણામાં હાલ ભાજપ જીતે તેવી શક્યતા દેખાતી ન હોવાથી, છેલ્લી ઘડીએ રામ રહીને પેરોલ પર બહાર લાવી દલિત મતોને અંકે કરવા આખો ખેલ પાડવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/gurmeet-ram-rahim-released-from-jail-for-10th-time-got-21-days-furlough">10મી વાર જેલમાંથી બહાર આવ્યો દુષ્કર્મી રામ રહીમ, 21 દિવસની ફર્લો મળી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 05 Oct 2024 15:02:12 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1341</Articleid>
                    <excerpt>હરિયાણામાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે પેરોલ પર છુટેલા દુષ્કર્મી રામ રહીમે ભાજપને મત આપવાની અપીલ કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670105031f00e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67010502dd21b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67010502dd21b.jpg" length="72549" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>ram rahim appealed to supporters to vote for bjp</media:keywords>
                </item>
                        <item>
                    <title>નવી વહુને ક્યા કૂવામાંથી પાણી નથી ભરવાનું તે સમજાવવું પડે છે...</title>
                    <link>https://khabarantar.com/the-story-of-haryana-elections-whose-well-is-its-water</link>
                    <guid>https://khabarantar.com/the-story-of-haryana-elections-whose-well-is-its-water</guid>
                    <description>
                        <![CDATA[ અમારા ઘરે નવી વહુ આવે ત્યારે અમે તેની સાથે જઈએ છીએ અને તેને કયા કૂવામાંથી પાણી નથી ભરવાનું તે પહેલા બતાવવું પડે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">The Story of Haryana Elections, whose well is its water : </span><span style="font-size: 14pt;">બાપોડા ગામમાં ઝાડના ઝુંડ વચ્ચે ત્રણ કૂવા છે - એક બ્રાહ્મણનો, બીજો દલિતોનો અને ત્રીજો મુસ્લિમોનો. સૌથી સ્વચ્છ, વ્યવસ્થિત કૂવો બ્રાહ્મણોનો છે. દલિતોનો કૂવો જર્જરિત છે, ઘણા સમયથી તેનું સમારકામ થયું નથી, પરંતુ તેનું પાણી સ્વચ્છ છે. મુસ્લિમોના કૂવાની હાલત સૌથી ખરાબ છે, પાણી અત્યંત ગંદુ છે.</span><br><span style="font-size: 14pt;">આ કૂવા હરિયાણાના ભિવાની જિલ્લામાં આવેલા આ ગામની ત્રિકોણીય સમાજ વ્યવસ્થાની કહાની કહે છે. </span><span style="font-size: 14pt;">બ્રાહ્મણ કૂવામાં તેના સાળાની વહુ મુનેશ સાથે સ્ટીલના ઘડામાં પાણી ભરતી ઓમપતિએ કહ્યું, ‘અમે બામણ છીએ. આ અમારો કૂવો છે. અગાઉ, અમારી પાસે એક બીજો કૂવો હતો જે ઘણાં વર્ષો પહેલા બંધ થઈ ગયો હતો,'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓમપતિએ આવતા-જતા મુસ્લિમોના કૂવા જોયા છે પણ ગામમાં મુસ્લિમો ક્યાં રહે છે તેની તેને ખબર નથી. તેને અનુસૂચિત જાતિના લોકોની વસ્તી વિશે થોડો ખ્યાલ છે. તે હાથથી ઈશારો કરીને કહે છે, 'તે બાજુ હરિજનોની વસ્તી છે અને પેલો તેમનો કૂવો છે.' </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શમા નામની મુસ્લિમ મહિલા કહે છે, 'અમે ભાગ્યે જ કૂવામાંથી પાણી લાવીએ છીએ કારણ કે તે હવે ગંદુ થઈ ગયું છે. 4-5 દિવસમાં એકવાર નળમાંથી પાણી આપવામાં આવે છે, પરંતુ આ પાણી પીવા માટે નથી. પીવા માટે થોડે દૂર આવેલા હેન્ડપંપ પરથી પાણી લાવવું પડે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત વસ્તીમાં તેમના ઘેટાં વચ્ચે ખુલ્લી ગટર પાસે ખાટલા પર બેઠેલા પતેશ અને કરણ સિંહ કહે છે, 'ઘણી જગ્યાએ નળની લાઇન તૂટી ગઈ છે, જેના કારણે પાણીમાં ગંદકી ભળે છે. તે ન્હાવા યોગ્ય છે, પણ ક્યારેક પીવું પણ પડે છે.' </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/who-are-the-dalit-obc-voters-of-haryana-towards">હરિયાણાના દલિત, ઓબીસી મતદારો કોની તરફ છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો દલિતોના કૂવામાં પાણી ન હોય તો શું દલિતો બ્રાહ્મણોના કૂવામાંથી પાણી ભરી શકે? બંનેએ માથું હલાવ્યું. ‘અમે બ્રાહ્મણો અને ઠાકુરોના કૂવામાંથી પાણી ભરી શકતા નથી’ વાલ્મિકી સમાજના પતેશ અને કરણે જણાવ્યું કે ગામમાં રૈદાસ અને ધાનકના 300 જેટલા પરિવારો છે અને એટલી જ સંખ્યામાં વાલ્મિકીઓ પણ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપ સાથે જોડાયેલા હોવાનો દાવો કરનારા ગામના સરપંચ સુગ્રીવ સિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે શું માત્ર બ્રાહ્મણો જ કૂવામાંથી પાણી ભરી શકે છે, તો તેમણે કહ્યું કે, 'અલગ-અલગ કૂવા છે, બ્રાહ્મણોનો અલગ અને નીચલી જાતિઓનો અલગ. રાજ્યના અન્ય ભાગોમાં ઠાકુર અને ઓબીસીના કૂવા પણ છે પરંતુ તે ઉપયોગમાં નથી. ઓબીસી કૂવો જર્જરિત હાલતમાં છે, જ્યારે ઠાકુરોનો કૂવો પાણીથી ભરેલો છે પરંતુ ગંદકીથી ખદબદે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઠાકુરોના કૂવાની ખરાબ સ્થિતિનું કારણ તેમની સમૃદ્ધિ છે. તે પાણી માટે કૂવા પર નિર્ભર નથી કારણ કે તેણે ઘરમાં વોટર પ્યુરિફાયર લગાવ્યું છે. પરંતુ થોડા સમય પહેલા સુધી, ઠાકુરો પણ પાણીના આ જાતિગત વિતરણનો ભાગ હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓબીસી જાતિના લોકો જેમ કે પ્રજાપતિ, ખાટી, લુહાર વગેરે બ્રાહ્મણોના કૂવામાંથી પાણી ભરી શકે છે, પરંતુ દલિતો અને મુસ્લિમોને તેની મંજૂરી નથી. ઓબીસી સમાજના સીતારામ પ્રજાપતિએ તેની પુષ્ટિ કરી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે પોતાના ઘરમાં એક હેન્ડપંપ લગાવ્યો છે, જેનું પાણી નહાવા, વાસણ-કપડાં વગેરે ધોવા માટે વપરાય છે, જ્યારે પીવા માટે તે બ્રાહ્મણોના કૂવામાંથી પાણી લાવે છે. પતેશ અને કરણસિંહ કહે છે કે, 'અમારા ઘરે નવી વહુ આવે ત્યારે અમે તેની સાથે જઈએ છીએ અને તેને કયા કૂવામાંથી પાણી લેવું તે સમજાવીએ છીએ.'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાલ્મિકી સમાજના 37 વર્ષીય યુવક અમિત બાગરીએ બાળપણમાં એક વખત અજાણતા બ્રાહ્મણના કૂવામાંથી પાણી પીધું હતું. બાગરી કહે છે, 'બ્રાહ્મણોએ તરત મને ઠપકો આપ્યો અને મારા પરિવારના સભ્યોને ફરિયાદ કરી, ત્યારબાદ મને તે કૂવાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી. ત્યારથી હું એ કૂવા તરફ ક્યારેય ગયો નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાપોડા રાજસ્થાનનું સરહદી ગામ છે, જ્યાં જળસંકટનો ઇતિહાસ છે. ગામના એકમાત્ર ગુર્જર પરિવારના વડા શિવ કુમાર, જે વ્યવસાયે શિક્ષક છે, તેઓ કહે છે, 'અહીં એક મોટી પાણીની ટાંકી છે, જે એક સમયે 68 ગામોને પાણી પહોંચાડતી હતી, આજે આ ગામમાં પાણીનો પુરવઠો ઉપલબ્ધ નથી.' ગામમાં અલગ અલગ જગ્યાએ હપ્તેથી વોટર પ્યુરીફાયર લગાવવાની જાહેરાતો અને માથે ઘડા લઈને પાણી ભરતી સ્ત્રીઓ નજરે ચડે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(186, 55, 42);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/what-is-haryanas-36-biradari-that-every-party-leader-talks-about">હરિયાણાની '36 બિરાદરી' શું છે, જેની વાત દરેક પક્ષ કરી રહ્યો છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સ્થિતિ જોઈને પ્રખ્યાત સાહિત્યકાર ઓમપ્રકાશ વાલ્મીકીની પંક્તિઓ મનમાં આવે છે: કુઆં ઠાકુર કા, પાની ઠાકુર કા, ખેત-ખલિહાન ઠાકુર કા, ગલી મુહલ્લે ઠાકુર કે, ફિર અપના ક્યા? - આ કવિતાનો દરેક શબ્દ તેના વાસ્તવિક રૂપમાં આ ગામમાં જોવા મળે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાપોડા ગામ જે તોશામ વિધાનસભા મતવિસ્તારમાં આવે છે તે સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. તે ‘વીર સેનાની ગામ’ની ખ્યાતિ ધરાવે છે. અહીંથી મોટી સંખ્યામાં લોકો ભારતીય સેનામાં જોડાય છે. દેશના પૂર્વ આર્મી ચીફ અને બીજેપી સાંસદ મેજર જનરલ (આર) વીકે સિંહ આ ગામના રહેવાસી છે. કહેવાય છે કે આઝાદી પહેલા ગામના લોકો બ્રિટિશ આર્મીમાં જોડાતા હતા અને તે પહેલા મુઘલ આર્મીમાં પણ જોડાતા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સૈન્ય સંબંધિત ગામના સમૃદ્ધ ઇતિહાસની સાક્ષી આપવા માટે જનરલ વી.કે. સિંહ, જ્યારે તેઓ સાંસદ હતા, તેમણે તેના પ્રવેશદ્વાર પર 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ઉપયોગમાં લેવાતી T-55 ટાંકી સ્થાપિત કરી હતી. તેઓ ઈચ્છતા હશે કે મુલાકાતીઓ આ ટેન્ક જોઈને ગર્વ અનુભવશે, પરંતુ ગામના કૂવા એક શરમજનક ચિત્ર રજૂ કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(186, 55, 42);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/talking-about-something-different-and-weird-court-case">વાત કંઈક અલગ અને વિચિત્ર કોર્ટ કેસની...</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાપોડાની હવામાં જાતિનું કેટલું મહત્વ છે તે જનરલ વી.કે. સિંહની આત્મકથા 'કૉરેજ એન્ડ કન્વિક્શન' પરથી સમજી શકાય છે: 'તંવર (તોમર) કુળમાં જન્મ લેવાનો અર્થ એ છે કે તમે કાં તો 'સૈનિક' બનશો અથવા તો 'ખેડૂત'. મંત્રી વીકે સિંહે પણ લખ્યું હતું કે તેમની જાતિ ભારતની 36 'શાસક જાતિઓ'માંથી એક છે. આજે પણ બાપોડામાં દલિતો અને સવર્ણો વચ્ચે સંપૂર્ણ સામાજિક સમરસતા સ્થપાઈ નથી. લગ્ન અને અન્ય પ્રસંગો દરમિયાન એકબીજાના ઘરે ખાવા-પીવાનું ભૂલી જાવ, દલિતો કહેવાતા ઉચ્ચ જાતિના લોકોના ખાટલા પર પણ બેસી શકતા નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">20,000 થી વધુ વસ્તી ધરાવતા બાપોડા ગામમાં ઠાકુરો અને બ્રાહ્મણોનું વર્ચસ્વ છે. થોડી સંખ્યા પછાત વર્ગ અને દલિત સમાજની પણ છે. કેટલાક ઘર મુસ્લિમોના પણ છે. જાતિના વસવાટના આધારે ગામ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. રસ્તાની એક તરફ બ્રાહ્મણો રહે છે, આગળની પટ્ટી અને ગામની અંદરના મુખ્ય રસ્તા પર ઠાકુરો વસે છે. ઓબીસી, દલિતો અને મુસ્લિમો ગામની અંદરના ભાગના એક ખૂણામાં વસે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બ્રાહ્મણોના વિસ્તારમાં પરશુરામની એક વિશાળ પ્રતિમા સ્થાપિત છે, જેના એક હાથમાં કુહાડી, બીજામાં ધનુષ્ય અને પીઠ પર તીરોથી ભરેલો ભાથો છે. ઠાકુરોએ તેમના વિસ્તારમાં એક પાર્ક પણ બનાવ્યો છે, જેની બહાર ઘોડા પર સવાર મહારાણા પ્રતાપની વિશાળ પ્રતિમા છે. તેનું અનાવરણ કરવાનું બાકી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામમાં ઓબીસી, દલિત અને મુસ્લિમોના ગૌરવ સાથે સંબંધિત કોઈ પ્રતીક દેખાતું નથી. આ પરિસ્થિતિ વચ્ચે આ ગામ આજે વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા જઈ રહ્યું છે.</span><br><em><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 12pt;">(મૂળ લેખ ધ વાયરમાં પ્રકાશિતમાં થયો હતો, જેનો અહીં ગુજરાતી અનુવાદ રજૂ કરાયો છે.)</span></strong></span></em></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/congress-is-preparing-to-return-with-the-help-of-dalits-and-muslims">દલિતો-મુસ્લિમોના સહારે કોંગ્રેસ વાપસીની તૈયારીઓ કરી રહી છે</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 05 Oct 2024 10:27:25 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1338</Articleid>
                    <excerpt>અમારા ઘરે નવી વહુ આવે ત્યારે અમે તેની સાથે જઈએ છીએ અને તેને કયા કૂવામાંથી પાણી નથી ભરવાનું તે પહેલા બતાવવું પડે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6700c41f9f718.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6700c41f66d39.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6700c41f66d39.jpg" length="122692" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>The Story of Haryana Elections, whose well is its water, Bapoda village, Bhiwani District, Haryana</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતના હાથશાળ&amp;હસ્તકલાના ૧૧ કારીગરોને એવોર્ડ એનાયત થશે</title>
                    <link>https://khabarantar.com/awards-will-be-given-to-11-handicraftsmen-of-gujarat</link>
                    <guid>https://khabarantar.com/awards-will-be-given-to-11-handicraftsmen-of-gujarat</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિધ્ધિ પ્રાપ્ત કરનાર કારીગરોની કળાને પ્રોત્સાહિત કરવા એવોર્ડ આપવામાં આવશે ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૧૬ અન્વયે હાથશાળ-હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર ગુજરાતના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિધ્ધિ પ્રાપ્ત કરનાર કારીગરોને ક્રાફટવાઇઝ એવોર્ડ આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા અંદાજીત ૨૫ લાખ રૂપિયાના ખર્ચે રાજ્યના વિવિધ જિલ્લાના ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કુલ ૧૧ જેટલા કારીગરોને પુરસ્કાર એનાયત કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉદ્યોગ અને ખાણ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવ્યા અનુસાર હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા મહિલા અને યુવા કારીગરો સહિત ઔધોગિક સહકારી મંડળીઓ, એન.જી.ઓ. તથા સંસ્થાઓ સાથે સંકળાયેલા વ્યક્તિગત કારીગરોને પુરસ્કાર આપવામાં આવશે. આ પુરસ્કાર આપવા માટે રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા વર્ષ-૨૦૨૩ દરમિયાન વિવિધ સેક્ટરવાઇઝ કેટેગરી જેવી કે ટેક્ષટાઇલ, ભરતકામ, મોતીકામ/ચર્મકામ/અર્થન/લાકડું તથા વાંસકામ/મેટલ, અન્ય ક્રાફ્ટ જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરતા કારીગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Noted-tribal-writer-Jacinta-Kerketta-refuses-to-accept-India-Today-Group-award,-knowing-it-would-feel-like-saluting">પ્રખ્યાત આદિવાસી લેખિકા Jacinta Kerkettaએ India Today ગ્રુપનો એવોર્ડ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો, કારણ જાણીને સલામ કરવાનું મન થશે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા પસંદગી કરવામાં આવેલ કારીગરો પૈકી ટેક્ષટાઇલ કેટેગરી માટે ક્રમશઃ પ્રથમ અને દ્વિતીય ક્રમે કચ્છ જિલ્લાના સીજુ લીન્સી ચમનભાઈને દુપટ્ટા તથા સુરેન્દ્રનગરના વાઘેલા નરશીભાઈ વશરામભાઈને ડબલ ઇક્કત પટોળા સાડી માટે એવોર્ડ અપાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભરતકામ કેટેગરીમાં પ્રથમ ક્રમે કચ્છના રાઠોડ કંચનબેન સુખલાલને વોલપીસ અને દ્વિતીય ક્રમે બનાસકાંઠાના સુથાર વિષ્ણુભાઈ ગેનાજીને ચોપાટ માટે એવોર્ડ અપાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોતીકામ/ચર્મકામ/અર્થન/લાકડું તથા વાંસકામ/મેટલ કેટેગરીમાં પ્રથમ ક્રમે સુરતના પેટીગરા પીનલ રાકેશકુમારને અષ્ટકોણ જવેલરી-કાસ્કેટ બોક્ષ તથા દ્વિતીય ક્રમે ભાવનગરના સોલંકી સોનલબેન વિપુલભાઈને મોતીકામ માટે એવોર્ડ આપવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;">અન્ય ક્રાફ્ટમાં અમદાવાદના ચિતારા કિરણકુમાર ભુલાભાઈને માં શેરાવાલીના દરબારની પછેડી માટે પ્રથમ ક્રમે અને દ્વિતીય ક્રમે પંચાલ નયનાબેન દિપકભાઈને વોલપીસ આર્ટ માટે એવોર્ડ અપાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે કચ્છના ખત્રી માજવીન અબ્દુલહમીદને કેપ સિલ્ક શિકારી દુપટ્ટો અને બોચિયા દામા મંગુને વોલ હેંગીંગ ખરડ માટે અનુક્રમે પ્રથમ અને દ્વિતીય ક્રમે તથા લુપ્ત થતી કલા માટે પાટણના પનાગર મોહોમંદ જુબેરને સાડી માટે પુરસ્કાર આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/samyak-samaj-honored-6-dignitaries-with-kanshiram-karya-award"><strong>સમ્યક સમાજ દ્વારા 6 મહાનુભાવોનું કાંશીરામ કાર્ય એવોર્ડ આપીને સન્માન કરાયું</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 04 Oct 2024 21:16:45 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1337</Articleid>
                    <excerpt>ગુજરાતના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિધ્ધિ પ્રાપ્ત કરનાર કારીગરોની કળાને પ્રોત્સાહિત કરવા એવોર્ડ આપવામાં આવશે</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67000dd4ac116.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67000dd47800c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67000dd47800c.jpg" length="97369" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gujarat, Handicrafts Award</media:keywords>
                </item>
                        <item>
                    <title>હાથરસ સત્સંગ મામલોઃ 3200 પાનાની ચાર્જશીટ, 11 આરોપી, 676 સાક્ષી</title>
                    <link>https://khabarantar.com/Hathras-satsang-case-3200-page-charge-sheet-11-accused-676-witnesses</link>
                    <guid>https://khabarantar.com/Hathras-satsang-case-3200-page-charge-sheet-11-accused-676-witnesses</guid>
                    <description>
                        <![CDATA[ યુપીના હાથરસમાં ભોલે બાબાના સત્સંગ કાર્યક્રમમાં ભાગદોડમાં 121 લોકોના મોત થયા હતા. હવે તેમાં ચાર્જશીટ દાખલ કરાઈ છે. વાંચો શું છે તેમાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧ ઓક્ટોબરના રોજ હાથરસના સિકંદરરાઉમાં સત્સંગમાં નાસભાગમાં ૧૨૧ લોકોના મોતના મામલામાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ૩૨૦૦ પેજની આ ચાર્જશીટમાં ૧૧ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આ કેસમાં સુનાવણી માટે ૪ ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૧૦ આરોપીઓ પણ કોર્ટમાં હાજર થયા હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના બાદ પોલીસે મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકર, મેઘ સિંહ, મુકેશ કુમાર, મંજુ દેવી, મંજુ યાદવ, રામ લડેતે, ઉપેન્દ્ર સિંહ, સંજુ કુમાર, રામ પ્રકાશ શાક્ય, દુર્વેશ કુમાર અને દલવીર સિંહની ધરપકડ કરી હતી. આ પૈકી મહિલા મંજુ દેવી અને મંજુ યાદવના વચગાળાના જામીન હાઈકોર્ટમાંથી મંજૂર કરવામાં આવ્યા છે. જામીનની ચકાસણીના અભાવે અને આદેશ કોર્ટમાં ન પહોંચતા તેને હજુ સુધી મુક્ત કરવામાં આવી નથી. ૧૦ આરોપીઓ સાંજે લગભગ ૪ વાગ્યે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સંજીવ કુમાર ત્રિપાઠીની કોર્ટમાં હાજર થયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨ જુલાઈના રોજ સિકંદરરૌના ફૂલરાઈ મુગલગઢી ગામમાં નારાયણ સાકર હરિ ભોલે બાબા ઉર્ફે સૂરજપાલના સત્સંગ દરમિયાન નાસભાગમાં ૧૨૧ લોકોના મોત થયા હતા. સેવાદારે તેના કાફલાને બહાર કાઢવા માટે ભીડને રોકી હતી, તે દરમિયાન લોકો ભોલે બાબા જે રસ્તેથી ચાલીને બહાર ગયા હતા તે રસ્તાની ધૂળ લેવા માટે પડાપડી કરવા લાગ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/babas-deeds-exposed-baba-used-to-beat-his-children"><span style="font-size: 14pt;">બાબાની કરતૂતોનો પર્દાફાશ,બાબા તેના બાળકોને મારતા હતા</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેના કારણે ટોળું બેકાબૂ બની ગયું હતું અને આ ભાગાભાગીમાં અનેક લોકો એકબીજા ઉપર કચડાઈ ગયા હતા. આ કેસમાં પોલીસે ૧૧ લોકોની ધરપકડ કરીને જેલ મોકલી દીધા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">80 હજાર લોકોની મંજૂરી સામે 2.5 લાખ લોકો આવ્યા હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં, મુખ્ય સેવાદાર દેવપ્રકાશ મધુકર અને અન્ય સેવાકર્મીઓ સામે દોષિત હત્યા, જીવલેણ હુમલો, ગંભીર ઈજા પહોંચાડવા, લોકોને બંધક બનાવવા, પ્રતિબંધિત આદેશોનું ઉલ્લંઘન અને પુરાવા છુપાવવાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના પર સત્સંગમાં ૮૦ હજાર લોકોને એકત્ર કરવાની અને ૨.૫ લાખ લોકોની ભીડ એકઠી કરવાની શરતનો ભંગ કરવાનો પણ આરોપ છે. એવો પણ આરોપ છે કે ટ્રાફિક મેનેજમેન્ટમાં પણ મદદ કરી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એફઆઈઆરમાં ભોલે બાબાનું નામ નહીં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના અંગે નોંધાયેલી એફઆઈઆરમાં નારાયણ સાકર હરિ ભોલે બાબા ઉર્ફે સૂરજપાલનું નામ નથી. હાલમાં પકડાયેલા આરોપીઓ સામે ચાર્જશીટ આપવામાં આવી છે. માહિતી અનુસાર, તેમાં પણ બાબાનું નામ નથી. ભોલે બાબા દલિત સમાજની જાટવ જાતિના છે, તેમના ભક્તોમાં પણ મોટાભાગે દલિત સમાજના લોકો, ખાસ કરીને મહિલાઓ છે. તેમની રાજકીય વગને કારણે એફઆઈઆરમાં તેમનું ન હોવાનું કહેવાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/over-120-killed-in-stampede-during-satsang-in-ups-hathras">યુપીના હાથરસમાં સત્સંગમાં ભાગદોડ થતા ૧૨૦થી વધુના મોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 04 Oct 2024 09:40:43 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1330</Articleid>
                    <excerpt>યુપીના હાથરસમાં ભોલે બાબાના સત્સંગ કાર્યક્રમમાં ભાગદોડમાં 121 લોકોના મોત થયા હતા. હવે તેમાં ચાર્જશીટ દાખલ કરાઈ છે. વાંચો શું છે તેમાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66ff69d1a46b6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66ff69d17074e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66ff69d17074e.jpg" length="96120" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Hathras Satsang, Hathras Case charge sheet</media:keywords>
                </item>
                        <item>
                    <title>જૂનાગઢ એટ્રોસિટી કેસમાં ગણેશ ગોંડલને હાઈકોર્ટે જામીન આપ્યા</title>
                    <link>https://khabarantar.com/high-court-granted-bail-to-ganesh-gondal-in-junagadh-atrocity-case</link>
                    <guid>https://khabarantar.com/high-court-granted-bail-to-ganesh-gondal-in-junagadh-atrocity-case</guid>
                    <description>
                        <![CDATA[ જૂનાગઢના દલિત યુવકને માર મારી, ગોંધી રાખવાના કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશને હાઈકોર્ટે શરતી જામીન આપી દીધાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનાગઢના દલિત યુવકને માર મારી, ગોંધી રાખી, નગ્ન કરી જાતિસૂચક ગાળો ભાંડી અપમાનિત કરવાના કેસમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલને આજે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. ગણેશે જૂનાગઢના દલિત યુવાનનું અપહરણ કરી, હથિયાર બતાવી ખૂની હુમલો કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી અનુસાર હાઇકોર્ટે ગણેશ ગોંડલને જૂનાગઢમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકતા શરતી જામીન અપાયા છે. ધારાસભ્યનો પુત્ર ગણેશ ગોંડલ 4 મહિના બાદ જેલમાંથી બહાર આવશે. આ અગાઉ અગાઉ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગણેશની જામીન અરજી ફગાવી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત હાઇકોર્ટે જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન મંજૂર કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ગત તા. 29 મેના જૂનાગઢના દાતાર રોડ પરથી અનુસૂચિત જાતિ સમાજના આગેવાનના પુત્ર સંજય ઉર્ફે ચંદુ સોલંકીનું અપહરણ કરી ખુની હુમલો થયો હતો. આ મામલે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતના 11 શખ્સો સામે અપહરણ હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તા. 5 જૂનના જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. કોર્ટે રિમાન્ડ ના મંજૂર કર્યા હતા. પોલીસે કાયદા વિભાગની મંજૂરી મેળવી હાઇકોર્ટમાં રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે પોલીસને જેલમાં જઈ પૂછપરછ કરવા મંજૂરી આપી હતી. ગણેશ જાડેજા સહિતનાઓના જામીન ના મંજૂર થયા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હમણાં જેલમાંથી બેંકની ચૂંટણી લડી હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલે થોડા દિવસ પહેલા જેલમાંથી બેન્કની ચૂંટણી લડીને ગોંડલ નાગરિક બેન્કના વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયો છે, જ્યારે ચેરમેન તરીકે અશોક પીપળીયા ત્રીજીવાર રિપીટ થયા છે. આજે નાગરિક બેંક ખાતે ચૂંટાયેલી નવી બોડીની બેઠક યોજાઇ હતી, જેમાં ગોંડલ નાગરિક બેન્કના ચેરમેન તરીકે અશોક પીપળીયા, વાઇસ ચેરમેન તરીકે ગણેશ ગોંડલ અને મેનેજીંગ ડિરેક્ટર તરીકે પ્રફુલ ટોળિયાની વરણી કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/ganesh-gondal-won-gondal-nagrik-bank-elections-while-in-jail"><strong>ગણેશ ગોંડલે જેલમાં રહીને ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં જીત મેળવી</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 03 Oct 2024 19:57:19 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1329</Articleid>
                    <excerpt>જૂનાગઢના દલિત યુવકને માર મારી, ગોંધી રાખવાના કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશને હાઈકોર્ટે શરતી જામીન આપી દીધાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66fea8e64d7c9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fea8e61ea7a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fea8e61ea7a.jpg" length="63810" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ganesh Jadeja, Bail to Ganesh, Ganesh Jadeja Atrocity Case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સાવરકર બ્રાહ્મણ હોવા છતાં ગૌમાંસ ખાતા હતા: કર્ણાટકના મંત્રી</title>
                    <link>https://khabarantar.com/savarkar-ate-beef-despite-being-a-brahmin-minister-of-karnataka</link>
                    <guid>https://khabarantar.com/savarkar-ate-beef-despite-being-a-brahmin-minister-of-karnataka</guid>
                    <description>
                        <![CDATA[ કર્ણાટકના આરોગ્યમંત્રીએ કહ્યું કે, સાવરકર કટ્ટરવાદી વિચારધારા ધરાવતા હતા અને તેમને ગૌહત્યા સામે કોઈ વાંધો નહોતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p><span style="font-size: 14pt;">કર્ણાટકના આરોગ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે સાવરકર પર નિવેદન આપીને વિવાદ સર્જ્યો છે. દિનેશ ગુંડુ રાવે દાવો કર્યો છે કે વીડી સાવરકર ગૌહત્યાના વિરોધી નહોતા કારણ કે તેઓ પોતે માંસાહારી હતા. દિનેશ ગુંડુ રાવે વધુમાં કહ્યું, “સાવરકર બ્રાહ્મણ હોવા છતાં માંસ ખાતા હતા અને માંસ ખાવાનો ખુલ્લેઆમ પ્રચાર કરતા હતા." </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><span style="font-size: 14pt;">ગુંડૂ રાવે ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી અને સાવરકરના વિચારોની પણ સરખામણી કરી હતી. તેઓ પત્રકાર ધીરેન્દ્ર ઝાના પુસ્તક 'ગાંધી'સ એસેસિન્સઃ ધ મેકિંગ ઓફ નાથુરામ ગોડસે એન્ડ હિઝ થોટ્સ ઓન ઈન્ડિયા'ની કન્નડ આવૃત્તિના વિમોચન પ્રસંગે બોલી રહ્યા હતા.</span></p>
<p><span style="font-size: 14pt;">મંત્રીએ વધુમાં કહ્યું કે, સાવરકરની વિચારધારા કટ્ટરવાદ તરફ ઝુકેલી હતી, જ્યારે ગાંધીજીની માન્યતાઓ લોકશાહી તરફી હતી. તેમણે કહ્યું કે ગાંધીજીના કાર્યો સહિષ્ણુતા અને સર્વસમાવેશકતાને પ્રતિબિંબિત કરે છે જેણે તેમને કટ્ટરવાદી વિચારસરણીથી અલગ કર્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><span style="font-size: 14pt;">ગુંડુ રાવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, લોકશાહીમાં ગાંધીજીની માન્યતા એ સાવરકરની વિચારધારાના વધતા પ્રભાવ અને આજના સમયમાં કટ્ટરવાદની વધતી લહેર સામે એક શક્તિશાળી જવાબ છે.</span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દેશ સાવરકરનું અપમાન સહન નહીં કરે – ભાજપ</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><span style="font-size: 14pt;">ગુંડુ રાવના નિવેદનના જવાબમાં ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કોંગ્રેસને 'જૂઠાણાની ફેક્ટરી' ગણાવી અને ચેતવણી આપી કે દેશ સાવરકર પ્રત્યે કોઈપણ પ્રકારનો અનાદર સહન કરશે નહીં. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારતની છબી ખરાબ કરવા માટે વિશ્વભરમાં જૂઠાણું ફેલાવે છે અને તેમની પાર્ટીએ હવે સ્વતંત્રતા સેનાનીઓને બદનામ કરવાનું શરૂ કર્યું છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, ભારત સાવરકરનું અપમાન સહન નહીં કરે. કોંગ્રેસના નેતાઓએ સાવરકર પાસેથી કંઈ શીખ્યું નથી અને માત્ર સત્તા ભોગવી છે.</span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રણજીત સાવરકરે વિરોધ કર્યો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><span style="font-size: 14pt;">દરમિયાન, વીડી સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે કહ્યું છે કે, સાવરકરે ગૌરક્ષાનું પુરજોશથી સમર્થન કર્યું હતું અને જે કોઈ કોંગ્રેસી નેતા તેમનું અપમાન કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. માર્ચની શરૂઆતમાં રણજીતે રાહુલ ગાંધી પર રાજકીય લાભ માટે સાવરકરનું વારંવાર અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.</span></p>
<p><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/children-were-seen-in-savarkars-t-shirts-during-the-bjps-tricolor-yatra"><strong>ભાજપની તિરંગા યાત્રામાં બાળકો સાવરકરના ટિશર્ટમાં જોવા મળ્યાં</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 03 Oct 2024 19:09:35 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1328</Articleid>
                    <excerpt>કર્ણાટકના આરોગ્યમંત્રીએ કહ્યું કે, સાવરકર કટ્ટરવાદી વિચારધારા ધરાવતા હતા અને તેમને ગૌહત્યા સામે કોઈ વાંધો નહોતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66fe9dbf395dd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fe9dbef0e20.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fe9dbef0e20.jpg" length="68509" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>VD Savarkar, Savarkar fundamentalist ideology, Homicide, Dinesh Gundu Rae</media:keywords>
                </item>
                        <item>
                    <title>જેલમાં પણ જાતિવાદ : દલિતો સફાઈ કરે, સવર્ણો રસોઈ બનાવે</title>
                    <link>https://khabarantar.com/casteism-even-in-prisons-dalits-clean-uppers-cook</link>
                    <guid>https://khabarantar.com/casteism-even-in-prisons-dalits-clean-uppers-cook</guid>
                    <description>
                        <![CDATA[ CJI બેન્ચે રાજ્યોને ચેતવણી આપી હતી કે જો જેલોમાં કોઈપણ પ્રકારનો જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે તો તેના માટે તેઓ જવાબદાર રહેશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Casteism even in prisons: Dalits clean, uppers cook : સુપ્રીમ કોર્ટે (SC) આજે જેલોમાં જાતિ આધારિત ભેદભાવની લાંબા સમયથી ચાલતી પ્રથાનો અંત લાવતો ચૂકાદો આપ્યો છે. કોર્ટે જેલ મેન્યુઅલમાં જાતિ આધારિત ભેદભાવને ગેરબંધારણીય ગણાવ્યો છે અને તાત્કાલિક સુધારા કરવાની સૂચના આપી છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી વાય ચંદ્રચુડની અધ્યક્ષતામાં આપવામાં આવેલ ચુકાદો જેલોમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને ડિનોટિફાઇડ ટ્રાઈબ્સ સામે પ્રવર્તતા ભેદભાવ પર કેન્દ્રિત છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે કોઈપણ કેદીને જાતિના આધારે કામ અથવા રહેવાની વ્યવસ્થામાં ભેદભાવનો સામનો કરવો ન પડવો જોઈએ. SC એ જેલ મેન્યુઅલના નિયમનો પણ ઉલ્લેખ કર્યો જેમાં નીચલી જાતિના લોકોને સફાઈ કામ કરાવવામાં આવે છે અને ઉચ્ચ જાતિના લોકોને રસોડામાં કામ કરાવવામાં આવે છે. CJI ની બેન્ચે રાજ્યોને ચેતવણી આપી હતી કે જો જેલોમાં કોઈપણ પ્રકારનો જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે તો તેના માટે તેઓ જવાબદાર રહેશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">કેદીઓ સાથે માનવીય વ્યવહાર થવો જોઈએ - CJI</span></strong><br><span style="font-size: 14pt;">જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, “જાતિ આધારિત ભેદભાવ, પ્રત્યક્ષ કે પરોક્ષ, ગુલામ યુગની નિશાની છે. બંધારણ મુજબ કેદીઓ સાથે માનવીય વ્યવહાર થવો જોઈએ અને તેમની માનસિક અને શારીરિક સુખાકારીનું ધ્યાન રાખવું જોઈએ.”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ હતા. બેન્ચે તે તમામ રાજ્યોને નિર્દેશ આપ્યો કે જ્યાં આવો ભેદભાવ ચાલુ છે. ખંડપીઠે કહ્યું કે તેમણે, તરત જ તેમના જેલના નિયમોમાં ફેરફાર કરવો જોઈએ અને ત્રણ મહિનામાં અનુપાલન રિપોર્ટ દાખલ કરવો જોઈએ. આ સાથે, કેન્દ્ર સરકારને 2016 ના મોડલ જેલ નિયમોમાં પણ સુધારો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે રાજ્યોને ગુનેગારોને "હેબિચ્યુઅલ ઓફેન્ડર" તરીકે વર્ગીકૃત કરવાની મંજૂરી આપે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પ્રકારનો ભેદભાવ બંધારણમાં સમાવિષ્ટ સમાનતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. જેલ સત્તાવાળાઓ તેમની નીતિઓ બંધારણ સાથે સુસંગત બનાવે. કોર્ટે કહ્યું કે જાતિ આધારિત કામ સોંપવું, જેમ કે નીચલી જાતિઓને સફાઈની નોકરીઓ સોંપવી અને ઉચ્ચ જાતિઓ માટે રસોડાનું કામ અનામત રાખવું, બંધારણની કલમ 15નું ઉલ્લંઘન કરે છે જે જાતિ આધારિત ભેદભાવને પ્રતિબંધિત કરે છે. કોર્ટે કહ્યું કે આ પ્રથાઓ માત્ર અસમાનતાને પ્રોત્સાહન આપતી નથી પરંતુ કેદીઓના સુધારણા અને પુનર્વસનમાં પણ યોગદાન નથી આપતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જેલ મેન્યુઅલ જાતિ આધારિત પૂર્વગ્રહ</span></strong></span><br><span style="font-size: 14pt;"> ચૂકાદામાં જણાવવામાં આવ્યું છે કે, "જેલ માર્ગદર્શિકા જાતિ આધારિત પૂર્વગ્રહોને કાયમી ન કરી શકે. કોઈપણ જૂથને માત્ર સફાઈ જેવા કામ કરવા માટે મર્યાદિત ન કરી શકે." કોર્ટે અસ્પૃશ્યતાને નાબૂદ કરતી કલમ 17નો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જાતિના આધારે કામ સોંપવું એ અસ્પૃશ્યતાનું એક સ્વરૂપ છે જે બંધારણીય લોકશાહીમાં અસ્વીકાર્ય છે. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ જેલ મેન્યુઅલના એ નિયમોને પણ ઉડાવી દીધાં જેમાં અમુક જાતિના કેદીઓને નિમ્ન સ્તરના કાર્યો કરવા દબાણ કરવામાં આવતું હતું. કોર્ટે કહ્યું કે આવી પ્રથાઓ વર્ગ આધારિત પૂર્વગ્રહને પ્રોત્સાહન આપે છે અને માનવીય ગૌરવનું ઉલ્લંઘન કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કલમ 23ને ટાંકીને કોર્ટે કહ્યું કે, "જેલમાં જાતિના આધારે કામની વહેંચણી બળજબરીથી કરાવાતી મજૂરીનું એક સ્વરૂપ છે, જે બંધારણીય રીતે અસ્વીકાર્ય છે." વધુમાં કોર્ટે 'હેબિચ્યુઅલ અપરાધીઓ' ના વર્ગીકરણની નિંદા કરી, ખાસ કરીને ડિનોટિફાઇડ જનજાતિના લોકોને ગુનેગારના સ્વરૂપે વર્ગીકૃત કરવાને ગેરબંધારણીય જાહેર કર્યું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું, “વિમુક્ત જનજાતિના સભ્યોને ઐતિહાસિક રીતે જન્મજાત ગુનેગાર માનવામાં આવે છે. આ વર્ગીકરણ તેમની ગરિમાનું અપમાન છે અને કલમ 21નું ઘોર ઉલ્લંઘન છે, જે સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર આપે છે." વિમુક્ત જનજાતિ એ એવા સમુદાયો છે કે જેને બ્રિટિશ શાસન દરમિયાન ફોજદારી જનજાતિ અધિનિયમો હેઠળ 'જન્મજાત ગુનેગાર' તરીકે સૂચિત કરવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સુપ્રિમ કોર્ટે જેલોમાં ભેદભાવના મુદ્દા પર સુઓમોટો કાર્યવાહી કરી</span></strong></span><br><span style="font-size: 14pt;">કોર્ટે તમામ રાજ્યોને આ ચુકાદાને અનુરૂપ તેમની જેલ મેન્યુઅલમાં સુધારો કરવાનો નિર્દેશ આપ્યો છે. વધુમાં, કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે દોષિતો અથવા અન્ડરટ્રાયલના રજિસ્ટરમાંથી જાતિના સંદર્ભો દૂર કરવામાં આવે અને કેદીઓને ગટરની સફાઈ જેવી જોખમી પરિસ્થિતિઓમાં કામ કરવાની ફરજ પાડવામાં ન આવે. જેલોમાં ભેદભાવના મુદ્દા પર સુઓમોટો સંજ્ઞાન લેતા સુપ્રીમ કોર્ટે ત્રણ મહિના પછી પાલન અંગેની સુનાવણીની જાહેરાત કરી છે. તમામ રાજ્યોને તેના આદેશોના અમલીકરણ અંગે સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું છે. જાન્યુઆરીમાં કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને અન્ય સંબંધિત પક્ષોને નોટિસ પાઠવી હતી. પત્રકાર અને મહારાષ્ટ્રની રહેવાસી સુકન્યા શાંતાની અરજીને પગલે કોર્ટે આ મામલાની નોંધ લીધી હતી. અરજીમાં જેલ મેન્યુઅલમાં હાજર ભેદભાવપૂર્ણ નિયમોને સમાપ્ત કરવાની માંગ કરવામાં આવી હતી, જે બંધારણના સમાનતાના સિદ્ધાંતોનું સીધું ઉલ્લંઘન કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/judge-ved-vyasacharyas-trouble-increased-when-he-called-the-muslim-area-pakistan">મુસ્લિમ વિસ્તારને પાકિસ્તાન કહેનાર જજ વેદવ્યાસાચાર્યની મુશ્કેલી વધી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 03 Oct 2024 15:35:05 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1327</Articleid>
                    <excerpt>CJI બેન્ચે રાજ્યોને ચેતવણી આપી હતી કે જો જેલોમાં કોઈપણ પ્રકારનો જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે તો તેના માટે તેઓ જવાબદાર રહેશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66fe6bdd49ae5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fe6bdd171aa.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fe6bdd171aa.jpg" length="75664" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Casteism in prisons</media:keywords>
                </item>
                        <item>
                    <title>આંધ્રપ્રદેશમાં માત્ર 99 રૂપિયામાં ઉચ્ચ ગુણવત્તાનો દારૂ મળશે</title>
                    <link>https://khabarantar.com/in-andhra-pradesh-you-will-get-high-quality-liquor-for-just-99-ropees</link>
                    <guid>https://khabarantar.com/in-andhra-pradesh-you-will-get-high-quality-liquor-for-just-99-ropees</guid>
                    <description>
                        <![CDATA[ ગાંધી જયંતિના દિવસે જ આંધ્રપ્રદેશ સરકારે નવી દારૂ નીતિની જાહેરાત છે, જેમાં દારૂડિયા માટે ખાસ ઓફર જાહેર કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંધ્ર પ્રદેશની ચંદ્રાબાબુ નાયડુની સરકારે નવી દારૂ નીતિ જાહેર કરી છે. બરાબર ગાંધી જયંતિના દિવસે સામે આવેલી આ જાહેરાતમાં ખાનગી રિટેલરોને પણ હરિયાણા અને અન્ય રાજ્યોની જેમ દારૂ વેચવાની મંજૂરી આપવામાં આવી છે. આનાથી રાજ્ય સરકારને રૂ. 5,500 કરોડની આવક થવાની અપેક્ષા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અન્ય રાજ્યો પર આધારિત આબકારી નીતિમાં સંપૂર્ણ ફેરફાર કરતા રાજ્ય સરકારે દારૂના છૂટક વેચાણનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લીધો છે, જેના માટે રાજ્યભરમાં 3,736 છૂટક દુકાનોને સૂચિત કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ નવી પોલિસી 12 ઓક્ટોબર 2024થી લાગુ થશે. આ નીતિની સાથે સરકારનું લક્ષ્ય ઓછી આવકવાળા દારૂડિયાઓને સસ્તામાં સારી ગુણવત્તાનો દારૂ આપવાનો વિકલ્પ છે. આંધ્ર પ્રદેશ સરકારે 99 રૂપિયા કે તેનાથી ઓછી કિંમત પર સસ્તો દારૂ આપવાની વાત કરી છે. જેનો ઉદ્દેશ્ય ગેરકાયદેસર દારૂની માંગને રોકવાનો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/liquor-shop-opened-in-pm-awas-yojana-building-in-madhya-pradesh">મધ્યપ્રદેશમાં પીએમ આવાસ યોજનાના મકાનમાં દારૂની દુકાન ખોલી નાખી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા અહેવાલો અનુસાર, રાષ્ટ્રીય સપ્લાયર્સને પણ આ કિંમતે તેમની બ્રાન્ડ્સ ઓફર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. કંપનીઓ અને નિષ્ણાતોને ટાંકીને અહેવાલ અપાયો છે કે, નવી લિકર પોલિસી છેલ્લાં પાંચ વર્ષમાં વેચાણમાં થયેલા ઘટાડાને પાછો ખેંચી લાવશે તેવી અપેક્ષા છે, સાથે જ તે રાજ્યને ટોચના ત્રણ બજારોમાં લઈ જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલિસીનો સમયગાળો બે વર્ષનો હશે, જે દારૂના માર્કેટમાં સ્થિરતા લાવીને ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાનો દારૂ સસ્તા ભાવે ખરીદવા માટે પ્રોત્સાહન આપશે. તેનાથી રિટેઈલરો તેમાં વધુ ભાગીદારી માટે પ્રોત્સાહિત થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષમાં આંધ્રપ્રદેશનું દારૂનું બજાર કિંમતોમાં સતત વધારો અને સ્થાનિક ખેલાડીઓને મહત્વ આપવાને કારણે અડધુ થઈ ગયું છે. ભારતના બીયર ઉદ્યોગ એકમે કહ્યું કે તેને રાજ્યમાં હજાર કરોડ રૂપિયાના રોકાણની આશા છે. દરેક દારૂની ભઠ્ઠીનો ખર્ચ 300 કરોડ રૂપિયાથી 500 કરોડ રૂપિયા વચ્ચે હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/public-response-to-liquor-allowed-in-gandhinagars-gift-city">ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટને લોકોનો મોળો પ્રતિસાદ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 02 Oct 2024 21:44:31 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1322</Articleid>
                    <excerpt>ગાંધી જયંતિના દિવસે જ આંધ્રપ્રદેશ સરકારે નવી દારૂ નીતિની જાહેરાત છે, જેમાં દારૂડિયા માટે ખાસ ઓફર જાહેર કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66fd705737b7a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fd7057045f3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fd7057045f3.jpg" length="74035" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gandhi Jayanthi, Government of Andhra Pradesh, New liquor policy</media:keywords>
                </item>
                        <item>
                    <title>આપ તો મુખ્યમંત્રી સે ઉપર હો, આપ કહોગે તો હમારા કામ હો જાયેગા</title>
                    <link>https://khabarantar.com/if-you-are-above-the-chief-minister-if-you-say-so-it-will-be-our-work</link>
                    <guid>https://khabarantar.com/if-you-are-above-the-chief-minister-if-you-say-so-it-will-be-our-work</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોનું સરકારમાં કશું ઉપજતું નથી તેવી વાતો સંભળાય છે, હવે તેનો પુરાવો પણ સામે આવ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોનું તેમની જ સરકારમાં કોઈ સાંભળતું નથી, તેવો બળાપો એકથી વધુ ધારાસભ્યો કાઢી ચૂક્યા છે ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અબડાસાના ધારાસભ્યે રાજ્યપાલને વિનંતી કરવી પડી છે. કચ્છમાં થર્મલ પ્લાન્ટમાંથી ૩૫૦ કર્મચારીઓને અચાનક જ છૂટા કરી દેવાતાં અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યપાલને રજૂઆત કરી હતી. તેમનો સ્પષ્ટ સૂર એવો હતો કે, મુખ્યમંત્રી તો ઠીક, મંત્રીઓ પણ ધારાસભ્યની રજૂઆતને ગંભીરતાથી લેતા નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છમાં લખપત વિસ્તારમાં છેર નાની ગામે આવેલાં જીએમડીસી સંચાલિત એટીપીએસ થર્મલ પ્લાન્ટમાં આશરે ૩૫૦ કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવાયા છે. મોટાભાગના કર્મચારીઓ લાંબા સમયથી નોકરી કરતાં હતાં તેમ છતાંય તેમને જાણ કર્યા વિના છૂટા કરી દેવાયા છે. સરહદી વિસ્તાર હોવાથી સ્થાનિકો માટે નોકરી એક માત્ર રોજગારી છે.  નોકરી છિનવાઇ જતાં ૩૫૦ કર્મચારીઓ છેલ્લાં ૨૦ દિવસથી ધરણાં કરીને વિરોધ કરી રહ્યા છે. આમ છતાંય હજુ સુધી કોઇ ઉકેલ આવી શક્યો નથી. કોઇ અધિકારીએ ધરણાં સ્થળની મુલાકાત સુધ્ધાં લીધી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/bjp-leader-rammed-tractor-on-tribal-farmer-died-on-the-spot"><span style="font-size: 14pt;">ભાજપ નેતાએ આદિવાસી ખેડૂત પર ટ્રેક્ટર ચડાવી દીધું, ઘટના સ્થળે જ મોત</span></a></strong></span></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ મામલે મુખ્યમંત્રીથી માંડીને મંત્રીને આ મામલે રજૂઆત કરી હતી તેમ છતાંય પ્રશ્ન હલ થઇ શક્યો નહીં. આ કારણોસર નાછૂટકે ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળવા પહોંચ્યા હતાં. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધારાસભ્યે રાજ્યપાલને આજીજી કરવી પડી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધારાસભ્ય પ્ર્રદ્યુમનસિંહે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને કહ્યું કે, 'આપ તો મુખ્યમંત્રી સે ઉપર હો. આપ કહોગે તો હમારા કામ હો જાયેગાં.' આ સાંભળીને એક તબક્કે રાજ્યપાલને પણ નવાઈ લાગી હતી. આ ઘટના પરથી એટલું સમજાય છે કે, રાજ્ય સરકારમાં ભાજપના ધારાસભ્યનું કોઇ સાંભળનાર નથી. તેથી જ તેઓ પ્રજાના પ્રશ્નો માટે હવે રાજ્યપાલને ફરિયાદ કરવા માંડ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એકબાજુ વાયબ્રન્ટ ગુજરાત, બીજી બાજુ બેરોજગારી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં છેલ્લાં ત્રણ દાયકાથી ભાજપનું સાશન છે. એ દરમિયાન એક તરફ વાયબ્રન્ટ ગુજરાતના તાયફાં કરીને ગુજરાતીઓને રોજગારી મળશે તેવા બણગાં ફુંકવામાં આવી રહ્યા છે. બીજી તરફ સ્થાનિકોની રોજીરોટી છીનવાઈ રહી હોવા છતાં રાજ્ય સરકારના જ ધારાસભ્યની રજૂઆતને કોઈ સાંભળનાર નથી. ઉદ્યોગો સ્થાનિકોને રોજગારી આપવા તૈયાર નથી. નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યુ છે તેમ છતાંય સરકાર મૌન ધારણ કરીને બેઠી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધારાસભ્ય શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનું કહેવુ છે કે, 'સરહદી વિસ્તાર કચ્છમાં ખેતી પર્યાપ્ત નથી. ગામડાઓમાં સ્થાનિકો નોકરી પર જ નિર્ભર છે. હવે તેમને નોકરીમાંથી હાંકી કાઢ્‌યા છે ત્યારે તેઓની રોજગારી છિનવાઈ ગઈ છે. એવામાં નાછૂટકે સ્થાનિકોને સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતી સર્જાઈ છે. આ સંજાગોમાં સરકારે આ મામલે તાકીદે નિર્ણય લઇને સ્થાનિકોને નોકરીમાં પરત લેવા કંપનીને આદેશ કરવો જોઈએ.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/a-farmer-who-went-to-buy-ration-at-a-fair-price-shop-became-a-bjp-member"><strong>સસ્તા અનાજની દુકાને રેશન લેવા ગયેલા ખેડૂતને ભાજપનો સભ્ય બનાવી દીધો</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 02 Oct 2024 20:17:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1321</Articleid>
                    <excerpt>ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોનું સરકારમાં કશું ઉપજતું નથી તેવી વાતો સંભળાય છે, હવે તેનો પુરાવો પણ સામે આવ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66fd5c3044b19.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fd5c3011fc9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fd5c3011fc9.jpg" length="49325" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Vibrant Gujarat, unemployment, MLA Pradyuman Singh Jadeja, Governor Acharya Devvrat</media:keywords>
                </item>
                        <item>
                    <title>Online shopping માં ફ્રોડથી Open Box Delivery તમને બચાવશે</title>
                    <link>https://khabarantar.com/open-box-delivery-will-save-you-from-fraud-in-online-shopping</link>
                    <guid>https://khabarantar.com/open-box-delivery-will-save-you-from-fraud-in-online-shopping</guid>
                    <description>
                        <![CDATA[ જો તમે પણ અન્યોની જેમ મોટાભાગે ઓનલાઈન ખરીદી કરો છો તો તમને Open Box Delivery ના વિકલ્પનો ખ્યાલ હોવો જોઈએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકપ્રિય ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ(online Shopping Platform) ફ્લિપકાર્ટ(Flipkart) અને એમેઝોન(Amazon) પર હાલ તહેવારોને ધ્યાનમાં રાખીને શોપિંગ ફેસ્ટિવલ(Shopping Festival) ચાલી રહ્યાં છે ત્યારે મોટાભાગના લોકો તેનો લાભ લેવા માટે પડાપડી કરતા હોય છે. જો કે, તેમાં ઘણીવાર ઓનલાઈન છેતરપિંડી(online fraud) નો ભોગ બની જવાતું હોય છે. ખાસ કરીને તહેવારોની સિઝન(Festive season)માં જ્યારે વધુને વધુ લોકો આ રીતે ખરીદી કરતા હોય ત્યારે ફ્રોડના કિસ્સા વધી જાય છે. જો તમે પણ આ રીતે ઓનલાઈન ખરીદી કરો છો તો તમને ઓપન બોક્સ ડિલિવરી(Open Box Delivery)ના વિકલ્પનો ખ્યાલ હોવો જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ ઘણાં ઉત્પાદનો અને સ્માર્ટફોન પર હજારો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને તેના વેચાણમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં એવો ડર ચોક્કસ રહે છે કે, પ્રોડક્ટના બોક્સમાં તમે જે મગાવેલી એ જ ચીજવસ્તુ છે કે નહીં અને કોઈ છેતરપિંડી ન થાય. આના સમસ્યાના ઉકેલ તરીકે ઓપન બોક્સ ડિલિવરી ઓફર કરવામાં આવી રહી છે અને તમારે તેના વિશે જાણવું જ જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Now-protesting-sit-in-on-JNU-campus-Rs.-20-thousand-will-be-fined"><span style="font-size: 14pt;">હવે JNU કેમ્પસમાં ધરણા-વિરોધ પ્રદર્શન કરવા પર રૂ. 20 હજારનો દંડ થશે</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો તમે Flipkart પરથી ઇલેક્ટ્રોનિક્સ ખરીદો છો, તો તમારી પાસેથી વધારાની સિક્યોર પેકેજિંગ ફી લેવામાં આવે છે (મોટાભાગના ફોન માટે રૂ. 99). બદલામાં કંપની એક્સ્ટ્રા સીલ અને ઓપન-બોક્સ ડિલિવરી ઓફર કરે છે. ફ્લિપકાર્ટ તેના ગ્રાહકોને ઓપન-બૉક્સ ડિલિવરી લેવા માટે કહે છે, જેમાં તેઓ ડિલિવરી એજન્ટને બૉક્સ ખોલવા અને તેમને પ્રોડક્ટ બતાવવા માટે કહી શકે છે. જેથી કોઈપણ પ્રકારની છેતરપિંડી માટે અવકાશ ન રહે. ચાલો તમને જણાવીએ કે ઓપન-બોક્સ-ડિલિવરી લેવી શા માટે મહત્વપૂર્ણ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">Open Box Delivery શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓપન બૉક્સ ડિલિવરીમાં ગ્રાહકને જ્યારે પ્રોડક્ટની ડિલિવરી કરવામાં આવે છે ત્યારે તેને ખોલીને ચેક કરવાની તક મળે છે. જો ઉત્પાદન ખામીયુક્ત અથવા ક્ષતિગ્રસ્ત છે, તો ગ્રાહક તેને તરત જ રિજેક્ટ કરીને પરત આપી શકે છે. આ સેવા એવા ગ્રાહકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેઓ પ્રોડક્ટની ગુણવત્તાને લઈને સાવધ છે અથવા કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચવા માંગે છે. ઘણી વખત આવા કિસ્સાઓ જોવા મળે છે જ્યારે ફોનના બોક્સમાંથી સાબુ કે પથ્થર નીકળ્યા હોય. ઓપન-બોક્સ ડિલિવરીને કારણે તમારી સાથે આવું થશે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">Open Box Delivery ના ફાયદા શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૌથી મોટો ફાયદો પારદર્શિતા અને વિશ્વાસ હોય છે, કારણ કે ગ્રાહકને જે પ્રોડક્ટ મળી છે, તેને તે રિસીવ કરતા પહેલા ખોલીને જોઈ શકે છે. તેનાથી ગ્રાહક એ વિશ્વાસ કેળવી શકે છે કે, તેને જે પ્રોડક્ટ મળી છે તે યોગ્ય છે કે નહીં. ડિલિવરી પહેલા જ પ્રોડક્ટને ખોલવાની સ્થિતિમાં મોટાભાગના ગ્રાહકો તેને રિટર્ન નથી કરતા અને ડિલિવરી પછી તરત કોઈ સમસ્યા કે ફિઝિકલ ડેમેજની ફરિયાદ નથી આવતી. જેના કારણે અન્ય ડિલિવરીની જેમ છેતરપિંડી થવાની શક્યતા ઘટી જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમારે માત્ર એ ધ્યાન રાખવાનું છે કે, જ્યારે તમને પ્રોડક્ટની ડિલિવરી કરવામાં આવે ત્યારે તે ઓપન બોક્સ ડિલિવરી હોય. જો તમે ઇચ્છો તો, તમે પ્રોડક્ટ ખોલતી વખતે ડિલિવરી એજન્ટનો વીડિયો બનાવી શકો છો, જેથી તમારી પાસે સાબિતી હોય કે બૉક્સમાં સાચી પ્રોડક્ટ આવી છે કે નહીં. જો એજન્ટ ઓપન-બોક્સ ડિલિવરીની મંજૂરી આપવાનો ઇનકાર કરે છે, તો તમે ઉત્પાદન સ્વીકારવાનો ઇનકાર પણ કરી શકો છો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/If-I-keep-my-distance,-I-will-ruin-my-career-%E2%80%93-Prof.-Laxman-Yadav"><strong>ઉનસે અલગ રાય રખતા હું, ઈસલિયે મેરા કરિયર બરબાદ કર દિયા ગયા – પ્રો. લક્ષ્મણ યાદવ</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 02 Oct 2024 19:50:40 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1320</Articleid>
                    <excerpt>જો તમે પણ અન્યોની જેમ મોટાભાગે ઓનલાઈન ખરીદી કરો છો તો તમને Open Box Delivery ના વિકલ્પનો ખ્યાલ હોવો જોઈએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66fd55fdf2cf5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fd55fdbf07b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fd55fdbf07b.jpg" length="59784" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Open Box Delivery, online Shopping Platform, Festive season, Amazon, Flipcart</media:keywords>
                </item>
                        <item>
                    <title>શરમજનક: અયોધ્યામાં ૬૯ વર્ષની મહિલા પર બળાત્કાર, વીડિયો વાયરલ</title>
                    <link>https://khabarantar.com/shameful-rape-of-69-year-old-woman-in-ayodhya-video-goes-viral</link>
                    <guid>https://khabarantar.com/shameful-rape-of-69-year-old-woman-in-ayodhya-video-goes-viral</guid>
                    <description>
                        <![CDATA[ પ્રભુ શ્રીરામની નગરી અયોધ્યામાં માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામરાજ્યનું પ્રતીક ગણાતા અયોધ્યામાં 69 વર્ષની એક વૃદ્ધા પર બળાત્કાર થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અયોધ્યાના કુમારગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની વૃદ્ધાએ ચાર લોકો પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. પોલીસે ચારેય વિરુદ્ધ બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધી વૃદ્ધાને મેડિકલ તપાસ માટે મોકલી આપી છે. બળાત્કારના કેસમાં બે કિશોરો અને એક આધેડની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે ચોથા આરોપીની શોધ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેની પણ ધરપકડ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ કુમારગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની ૬૯ વર્ષીય વૃદ્ધાએ આરોપ લગાવ્યો છે કે ૨૩ સપ્ટેમ્બરની રાત્રે ગામના ચાર લોકોએ તેની સાથે રેપ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ શહેરમાં રહેતા વૃદ્ધાના પુત્રને જાણ થઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/dalit-minor-was-put-in-the-car-and-raped-by-saying-lets-get-the-mobile-phone"><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">'</span>ચાલ મોબાઈલ અપાવું' કહીને દલિત સગીરાને કારમાં બેસાડી રેપ કર્યો</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી તે ગામ પહોંચી તેની માતાને લઈને કુમારગંજ પોલીસ સ્ટેશન ગયો અને બળાત્કારના આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે ગામનો એક આધેડ ટ્યુબવેલની અંદર બેસીને વૃદ્ધા સાથે દારૂ પી રહ્યો હતો. ત્યારે ગામનો અન્ય એક આધેડ પણ ત્યાં પહોંચી ગયો હતો. એ પછી પહેલો આધેડ ત્યાંથી બહાર નીકળીને બાજુના કાલી મંદિર તરફ ગયો. એ દરમિયાન હાજર રહેલા આધેડે વૃદ્ધા પર બળાત્કાર ગુજાર્યો હતો. એ દરમિયાન ગામના બે કિશોરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમણે બળાત્કારનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. જ્યારે બળાત્કાર પીડિતા વૃદ્ધાના પુત્રને વાયરલ વીડિયોની જાણ થઈ તો તે ગામ પહોંચ્યો અને તેની માતા પાસેથી સત્ય જાણી પોલીસ ફરિયાદ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/suspecting-witchcraft-the-mob-stripped-and-killed-two-tribal-women"><strong>મેલી વિદ્યાની શંકાએ ટોળાએ બે આદિવાસી મહિલાઓને નગ્ન કરી મારી નાખી</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 02 Oct 2024 18:08:48 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1319</Articleid>
                    <excerpt>પ્રભુ શ્રીરામની નગરી અયોધ્યામાં માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66fd3e21c1ca3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fd3e218d4e5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fd3e218d4e5.jpg" length="97095" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Lord Sri Ram, Ayodhya, Rape</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતમાં PMJAY યોજનાની સિસ્ટમ ક્રેશ થઈ ગઈ છે</title>
                    <link>https://khabarantar.com/the-system-of-pmjay-scheme-has-crashed-in-gujarat</link>
                    <guid>https://khabarantar.com/the-system-of-pmjay-scheme-has-crashed-in-gujarat</guid>
                    <description>
                        <![CDATA[ સર્વર ડાઉન સહિતના પ્રશ્ને દર્દીઓ ઓપરેશનની તારીખો માટે પ્રતિક્ષા કરી રહ્યા છે. જવાબદારોને સજા કરવી જોઈએ તેવી માંગ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં પીએમજેએવાય યોજનાની સિસ્ટમ ક્રેશ થઈ હોવાનો આક્ષેપ રાજ્યસભાનાં સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કર્યો છે. એટલું જ નહીં પીએમજેએવાય કાર્યરત નથી તેના માટે જવાબદારોને સજા કરવાની પણ ગોહિલે માંગણી કરી છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એક વિડિયોના માધ્યમથી પ્રધાનમંત્રીએ જન આરોગ્ય યોજના (પીએમજેએવાય) અંગે નિવેદન કર્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, શ્રી શ્રી પ્રધાનમંત્રી હકીકત એ છે કે, ગુજરાતમાં હજારો દર્દીઓ તેમના ઓપરેશનની તારીખોની "પ્રતીક્ષા" કરી રહ્યા છે. કારણ કે પીએમજેએવાયની સિસ્ટમ ક્રેશ થઈ ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સારવાર પ્રક્રિયામાં પ્રવેશ, મંજૂરી માટેનો દાવો સબમિટ કરવો (પીએમજેએવાય) યોજનામાં હોસ્પિટલ દ્વારા સબમિશન, સત્તાવાળાઓ દ્વારા મંજૂરી આપવી અને પછી સારવાર પ્રક્રિયા, જેમ કે એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી સ્ટેન્ટીંગ અથવા કોરોનરી બાયપાસ સર્જરી અને અન્ય ઓપન સર્જરીનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, સિસ્ટમ ડાઉન હોવાને કારણે, હોસ્પિટલો દાવાઓ/દરખાસ્તો અને જરૂરી તપાસ અહેવાલ અધિકારીઓને પૂર્વ મંજૂરી માટે સબમિટ કરવામાં અસમર્થ છે, જે સબમિટ કરવી ફરજિયાત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેથી, નિર્ણાયક કામગીરી સ્થગિત કરાઇ રહી છે. ઘણા દર્દીઓને તમારા અંગૂઠાની છાપ મેચ થતી નથી અને આના જેવી અપ્રસ્તુત બાબતો જેવા લંગડા બહાના અપાય છે. ઓપરેશન સમયસર નહીં થવાથી કોઈના જીવ જશે અથવા આરોગ્યની ગંભીર સમસ્યા ઊભી થશે તેના માટે જવાબદાર કોણ? તેવો સવાલ પણ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, સરકારની આ ભૂલ ગુનાહિત બેદરકારી છે. જો સરવર ડાઉન હોય તો ઓનલાઇન કર્યા વગર સારવાર આપી દેવી જોઈએ અને ત્યાર પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા હોસ્પિટલને મંજૂરી આપી દેવી જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકારે સ્વીકારવું જોઈએ કે પીએમજેએવાય, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્યરત નથી અને તેના માટે જવાબદારોને સજા કરવી જોઈએ. તંત્રના કારણે દર્દીઓએ શા માટે સહન કરવું જોઈએ?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/even-after-spending-crores-on-skill-india-83-percent-youth-are-unemployed-in-the-country"><strong>Skill India પાછળ કરોડો ખર્ચ્યા બાદ પણ દેશમાં 83 ટકા યુવાનો બેરોજગાર</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 01 Oct 2024 21:02:17 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 01 Oct 2024 21:03:54 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1314</Articleid>
                    <excerpt>સર્વર ડાઉન સહિતના પ્રશ્ને દર્દીઓ ઓપરેશનની તારીખો માટે પ્રતિક્ષા કરી રહ્યા છે. જવાબદારોને સજા કરવી જોઈએ તેવી માંગ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66fc15bdb64e8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fc15bd847e7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fc15bd847e7.jpg" length="59346" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>System Crash PMJAY Scheme, Pradhan Mantri Jan Arogya YOjna</media:keywords>
                </item>
                        <item>
                    <title>હવે લાઇસન્સ માટે RTO ના ધક્કામાંથી મુક્તિ, ઘરે બેઠા પરીક્ષા આપી શકાશે</title>
                    <link>https://khabarantar.com/now-free-from-rtos-push-for-license-exam-can-be-taken-at-home</link>
                    <guid>https://khabarantar.com/now-free-from-rtos-push-for-license-exam-can-be-taken-at-home</guid>
                    <description>
                        <![CDATA[ લર્નિંગ લાયન્સ માટે હવે નાગરિકોએ આરટીઓના ધક્કા નહીં ખાવા પડે, કાચા લાયસન્સની પરીક્ષા ઓનલાઈન આપી શકાશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાન્ય માણસ માટે આજના ભાગદોડભર્યા જીવનમાં સમય કાઢીને આરટીઓ કચેરીએ જઈ લર્નિંગ લાયસન્સ કઢાવવું ભારે મુશ્કેલ બનતું જાય છે. ખાસ કરીને મોટા શહેરોમાં તેના માટે લાંબી લાઈનો લાગે છે અને દિવસો પણ બગડતા હોય છે. અમદાવાદ શહેરમાં લોકોને લર્નિંગ લાઇસન્સ બનાવવા માટે લાંબો સમય રાહ જોવી પડે છે. ઘણાં લોકોને તો 3-4 મહિના પછીની તારીખો આપાવમાં આવે છે. જોકે, હવે આ સમસ્યાનું સમાધાન મળી ગયું છે. લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે નાગરિકોએ હવે ધક્કા ખાવાની જરૂર નથી, પરંતુ ઘરે બેઠા જ લર્નિંગ એટલે કે કાચા લાઇસન્સની પરીક્ષા આપી શકાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અરજી કેવી રીતે કરશો? </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નવી સિસ્ટમમાં મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા હવે લોકો ઓનલાઈન જ પરીક્ષા આપી શકશે. ઓનલાઈન લર્નિંગ લાઇસન્સ માટે parivahan.gov.in પર અરજી કરવી પડશે. જેના માટે તમારે રજિસ્ટ્રેશન કરાવી ફી ભરવાની રહેશે. રજિસ્ટ્રેશન ફી ભરતાની સાથે જ પરીક્ષાની તારીખ જનરેટ થશે. પરીક્ષામાં પૂછાતા 15 સવાલમાંથી 9 સવાલ સાચા હોવા જરૂરી છે. 9 સવાલોના સાચા જવાબ આપતા જ લર્નિંગ લાઇસન્સ જનરેટ થઈ જશે. આ સિવાય ITI અને WIAA સંસ્થામાં તો લાઇસન્સ પ્રક્રિયા ચાલુ જ રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નવા નિયમ હેઠળ દંડ પણ વધ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરટીઓના આ નવા પરિવહન નિયમ 1 જૂન, 2024 થી લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમ હેઠળ, 18 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિને ડ્રાઇવિંગ માટે 25 હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. જ્યારે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે દંડની રકમ 1000 થી 2000 રૂપિયાની વચ્ચે જ છે. આ સિવાય નવા નિયમ હેઠળ 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ ગાડી ચલાવશે તો ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવામાં આવશે અને 25 વર્ષ સુધી નવું લાઇસન્સ આપવામાં નહીં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/if-you-do-not-want-to-lend-a-hand-to-anyone-in-the-work-of-the-hospital-take-this-card">દવાખાનાના કામમાં કોઈ પાસે હાથ ન લંબાવવો હોય તો આ કાર્ડ કઢાવી લો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 01 Oct 2024 20:25:25 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1313</Articleid>
                    <excerpt>લર્નિંગ લાયન્સ માટે હવે નાગરિકોએ આરટીઓના ધક્કા નહીં ખાવા પડે, કાચા લાયસન્સની પરીક્ષા ઓનલાઈન આપી શકાશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66fc0c98c75f3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fc0c988778e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fc0c988778e.jpg" length="109318" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>license, RTO, Online Exam</media:keywords>
                </item>
                        <item>
                    <title>તમારી દીકરીના લગ્ન કરાવ્યા છે, બીજી મહિલાઓને કેમ સાધ્વી બનાવો છો?</title>
                    <link>https://khabarantar.com/your-daughter-is-married-why-do-you-make-other-women-sadhvis</link>
                    <guid>https://khabarantar.com/your-daughter-is-married-why-do-you-make-other-women-sadhvis</guid>
                    <description>
                        <![CDATA[ આ સવાલ મદ્રાસ હાઈકોર્ટે આધ્યાત્મિક ગુરુ Sadhguru Jaggi Vasudev ને પૂછ્યો છે. આખો મામલો જાણીને તમે પણ ચોકી જશો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મદ્રાસ હાઈકોર્ટે(Madras High Court) આધ્યાત્મિક ઉપદેશ આપનારા સદ્ગુરુ જગ્ગી વાસુદેવ(Sadhguru Jaggi Vasudev)ને લઈને આખરી પ્રતિક્રિયાઓ આપી છે. એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું કે, તમે તમારી પુત્રીના લગ્ન કરાવી દીધાં છે અને તે સાંસારિક સુખ-સુવિધાઓથી ભરપૂર જીવન જીવી રહી છે. તો પછી તમે શા માટે અન્ય મહિલાઓને માથું મુંડાવવા અને સાધુની જેમ જીવવા માટે પ્રેરિત કરો છો?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ એસએમ સુબ્રમણ્યમ અને જસ્ટિસ વી. શિવાગણનમે એક નિવૃત્ત પ્રોફેસર દ્વારા દાખલ કરેલી અરજી પર આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. પ્રોફેસરે આક્ષેપ કર્યો હતો કે મારી ઉચ્ચ શિક્ષિત દીકરીઓનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું છે અને તેઓ કાયમ માટે ઈશા યોગ કેન્દ્રમાં રહે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રોફેસર એસ. કામરાજે કોર્ટમાં માંગ કરી હતી કે તેમની પુત્રીઓને ખાનગી રીતે કોર્ટમાં લાવવામાં આવે. કામરાજ તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઈમ્બતુરમાં ભણાવે છે. તેમની માંગણી પર તેમની 42 અને 39 વર્ષની બંને દીકરીઓ કોર્ટમાં આવી હતી. સોમવારે સુનાવણી દરમિયાન તેમની દીકરીઓએ કહ્યું કે તેઓ પોતાની મરજીથી ઈશા ફાઉન્ડેશન(Isha Foundation)માં રહે છે. અમને કોઈપણ પ્રકારની કસ્ટડીમાં રાખવામાં આવ્યા નથી. આ કેસ છેલ્લા એક દાયકાથી કોર્ટમાં ચાલી રહ્યો છે. આ પહેલા પણ એક વખત કેસની સુનાવણી દરમિયાન પ્રોફેસરની દીકરીઓએ કહ્યું હતું કે અમે અમારી ઈચ્છા મુજબ ઈશા યોગ કેન્દ્રમાં રહીએ છીએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પ્રોફેસરનો આરોપ - દીકરીઓનું બ્રેઈનવોશ કરાયું, જીવન નર્ક બની ગયું</span></strong></span><br><span style="font-size: 14pt;">આ બંને દીકરીઓના પિતાનો દાવો છે કે તેમની દીકરીઓને ઈશા યોગ કેન્દ્રમાં રાખવામાં આવી ત્યારથી તેમનું જીવન નર્ક બની ગયું છે. જો કે, ન્યાયાધીશોએ પોલીસને આ મામલે વધુ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય તેમને ઈશા ફાઉન્ડેશન સાથે જોડાયેલા તમામ કેસોની યાદી તૈયાર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ શિવગ્નનમે કહ્યું, 'અમે જાણવા માંગીએ છીએ કે જે વ્યક્તિએ તેની પુત્રીના લગ્ન કરાવ્યા અને તેને સાંસારિક સુખ-સુવિધાઓથી ભરપૂર જીવન જીવવા દે છે, તે શા માટે અન્યની દીકરીઓને માથું મુંડાવવા અને સાધુ જેવું જીવન જીવવા માટે પ્રેરિત કરે છે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ઈશા ફાઉન્ડેશને કહ્યું- બંને તેમની ઈચ્છાથી અહીં છે</span></strong><br><span style="font-size: 14pt;">ઈશા ફાઉન્ડેશને કોર્ટની આ આકરી ટિપ્પણીઓના જવાબમાં કહ્યું કે આ બંને દીકરીઓ સ્વેચ્છાએ ઈશા ફાઉન્ડેશનમાં રહે છે. તેમના પર કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી.</span><br><span style="font-size: 14pt;">ઈશા ફાઉન્ડેશને કહ્યું, 'અમે માનીએ છીએ કે પુખ્ત વયના લોકોને તેમની વિવેકબુદ્ધિથી કોઈપણ રસ્તો પસંદ કરવાનો અધિકાર છે. અમે કોઈના પર લગ્ન કે સન્યાસ થોપતા નથી. આ તેમની અંગત પસંદગી છે. ઈશા યોગ કેન્દ્રમાં હજારો લોકો રહે છે, જેઓ સંત નથી. આ સિવાય કેટલાક એવા લોકો છે જેઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે અથવા તો સંત છે. ઈશા ફાઉન્ડેશને કહ્યું કે હાલમાં અમારી સામે માત્ર એક પોલીસ કેસ છે. આ સિવાય કોર્ટે ખુદ એક પર સ્ટે મુક્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/how-can-the-bahujans-be-saved-from-the-cultural-slavery-of-the-brahmins">બ્રાહ્મણોની સાંસ્કૃતિક ગુલામીમાંથી બહુજનોને કેવી રીતે બચાવી શકાય?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 01 Oct 2024 14:36:29 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1312</Articleid>
                    <excerpt>આ સવાલ મદ્રાસ હાઈકોર્ટે આધ્યાત્મિક ગુરુ Sadhguru Jaggi Vasudev ને પૂછ્યો છે. આખો મામલો જાણીને તમે પણ ચોકી જશો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66fbba8a1da98.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fbba89df279.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fbba89df279.jpg" length="95178" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Sadhguru Jaggi Vasudev, Isha Foundation, Sadguru, Madras high court</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદના કાફલા પર હુમલો</title>
                    <link>https://khabarantar.com/bhim-army-chief-chandrasekhar-azads-convoy-attacked</link>
                    <guid>https://khabarantar.com/bhim-army-chief-chandrasekhar-azads-convoy-attacked</guid>
                    <description>
                        <![CDATA[ હરિયાણામાં ચૂંટણી સભાને સંબોધન કરવા જઈ રહેલા ચંદ્રશેખર આઝાદના કાફલા પર અજાણ્યા તત્વોએ પથ્થર મારો કરતા હોબાળો મચી ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણાના પૂર્વ ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા અને ભીમ આર્મી ચીફ અને નગીનાના સાંસદ ચંદ્રશેખરના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલાની આ ઘટના જીંદ જિલ્લાના ઉચાના કલાં વિસ્તારમાં બની હતી. દુષ્યંત ચૌટાલા આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ચંદ્રશેખર આઝાદ દુષ્યંત ચૌટાલાના સમર્થનમાં રોડ શો કરવા પહોંચ્યા હતા. સોમવારે મોડી સાંજે જ્યારે આ બંને યુવા નેતાઓનો કાફલો અહીં પ્રચાર કરી રહ્યો હતો ત્યારે કોઈએ પથ્થરમારો કરતાં ચંદ્રશેખરની કારનો કાચ તૂટી ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભીમ આર્મીના કાર્યકરો ઉમટી પડ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દુષ્યંત ચૌટાલા અને ચંદ્રશેખરના કાફલા પર હુમલાના સમાચાર મળતા જ તેમના સમર્થકો સ્થળ પર પહોંચી ગયા હતા અને હોબાળોનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એ દરમિયાન દુષ્યંત ચૌટાલા અને ઉચાના પોલીસ સ્ટેશનના એસએચઓ વચ્ચે ચકમક ઝરી હોવાના સમાચાર પણ આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હુમલાખોરોને વહેલી તકે પકડો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દુષ્યંત ચૌટાલા અને ચંદ્રશેખર આઝાદે પોલીસને કહ્યું કે તેઓ હુમલાખોરોની બને એટલી જલ્દી ધરપકડ કરે. જોકે આ હુમલામાં આ બંને નેતાઓને કોઈ ઈજા થઈ નથી. દુષ્યંત ચૌટાલા અને ચંદ્રશેખરના કાફલા પર હુમલાના આ સમાચાર સોશિયલ મીડિયા પર પણ ફેલાઈ ગયા હતા. હુમલા બાદ ચંદ્રશેખર આઝાદ બીજી કારમાં આગળ વધ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જેજેપી આઝાદ સમાજ પાર્ટીનું ગઠબંધન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે જેજેપી(JJP) અને આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)એ વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન કર્યું છે. હરિયાણામાં વિધાનસભાની 90 બેઠકો છે. જેમાંથી જેજેપી 70 સીટો પર અને આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) 20 સીટો પર ચૂંટણી લડી રહી છે. હરિયાણામાં જેજેપીની આ બીજી વિધાનસભા ચૂંટણી છે જ્યારે આઝાદ સમાજ પાર્ટી હરિયાણામાં પહેલીવાર ચૂંટણી લડી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પહેલીવાર બંને પક્ષ સાથે ચૂંટણી લડી રહ્યાં છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દુષ્યંત ચૌટાલા અને ચંદ્રશેખર આઝાદ બંને રાજકારણમાં નવા છે. છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં બંનેએ ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી છે. દુષ્યંત ચૌટાલા માત્ર 26 વર્ષની વયે લોકસભા ચૂંટણી જીત્યા અને 31 વર્ષની વયે હરિયાણાના નાયબ મુખ્યમંત્રી બન્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચંદ્રશેખર આઝાદે છેલ્લા કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયાથી લઈને સડક સુધી જબરદસ્ત લોકપ્રિયતા મેળવી છે. BSPના સ્થાપક માન્યવર કાંશીરામને પોતાના આદર્શ માનતા ચંદ્રશેખરે 2024ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમી ઉત્તર પ્રદેશની નગીના લોકસભા બેઠક પરથી મોટી જીત નોંધાવીને રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધા હતા. તેઓ 1.5 લાખથી વધુ મતોથી જીત્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બીએસપીનું અભય ચૌટાલા સાથે ગઠબંધન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ દુષ્યંત ચૌટાલાના કાકા અભય ચૌટાલા (INLD) એ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે BSP સાથે ગઠબંધન કર્યું છે. હાલ બસપાના રાષ્ટ્રીય કોર્ડિનેટર આકાશ આનંદ બસપા સુપ્રીમો માયાવતી હરિયાણામાં ભારે મહેનત કરી રહ્યાં છે. હરિયાણામાં 5 ઓક્ટોબરે મતદાન થશે અને 8 ઓક્ટોબરે મતગણતરી થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/how-many-sc-st-judges-who-gave-this-order">જે જજોએ આ ઓર્ડર આપ્યો તેમાં કેટલાં SC-ST છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 01 Oct 2024 12:38:52 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 01 Oct 2024 12:40:06 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1311</Articleid>
                    <excerpt>હરિયાણામાં ચૂંટણી સભાને સંબોધન કરવા જઈ રહેલા ચંદ્રશેખર આઝાદના કાફલા પર અજાણ્યા તત્વોએ પથ્થર મારો કરતા હોબાળો મચી ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66fb9ec31f25a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fb9ec2d6efd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fb9ec2d6efd.jpg" length="66577" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Haryana Election Assembly, Dushyant Chautala, Chandrasekhar Azad, Attack on Bhim Army</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગોવિંદાને ગોળી વાગી, પોતાની જ રિવોલ્વરથી ફાયર, આઈસીયુમાં દાખલ</title>
                    <link>https://khabarantar.com/govinda-got-shot-fired-from-his-own-revolver-admitted-in-icu</link>
                    <guid>https://khabarantar.com/govinda-got-shot-fired-from-his-own-revolver-admitted-in-icu</guid>
                    <description>
                        <![CDATA[ ફિલ્મ અભિનેતા ગોવિંદાને ગોળી વાગી ગઈ છે. હાલ આઈસીયુમાં દાખલ કરાયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બોલિવૂડ એક્ટર ગોવિંદાને ઘૂંટણમાં ગોળી વાગી છે. આ ઘટના આજે સવારે 4.45 કલાકે બની હતી. ગોવિંદા હાલ આઈસીયુમાં દાખલ છે. તેની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બોલિવૂડ એક્ટર અને શિવસેના નેતા ગોવિંદા ઘાયલ થયો છે. લાયસન્સવાળી રિવોલ્વર સાફ કરતી વખતે અકસ્માતે તેને ઘૂંટણમાં ગોળી વાગી હતી. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના મંગળવારે સવારે લગભગ 4.45 વાગ્યે બની હતી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે ગોવિંદા આઈસીયુમાં છે. તેની હાલત ખતરાની બહાર છે. આ ઘટના અંગે હોસ્પિટલે હજુ સુધી કોઈ માહિતી આપી નથી. ગોવિંદાના પરિવારનું કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં આ અંગે નિવેદન જાહેર કરશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર ગોવિંદાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી આકસ્મિક રીતે ગોળી નીકળી હતી, જે તેના પગમાં વાગી હતી. ગોવિંદા તેની લાયસન્સવાળી રિવોલ્વર તપાસી રહ્યો હતો ત્યારે બહાર જવાની તૈયારી કરી રહ્યો હતો. દરમિયાન, તે આકસ્મિક રીતે મિસફાયર થઈ ગયો. ગોળી તેના ઘૂંટણની નજીક વાગી હતી અને તે હાલમાં મુંબઈની ક્રિટી કેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમાચાર અપડેટ થઈ રહ્યાં છે, વધુ જાણકારી મળતા તેમાં ઉમેરો કરવામાં આવશે.</span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 01 Oct 2024 09:49:38 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 01 Oct 2024 09:59:53 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1309</Articleid>
                    <excerpt>ફિલ્મ અભિનેતા ગોવિંદાને ગોળી વાગી ગઈ છે. હાલ આઈસીયુમાં દાખલ કરાયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66fb784873280.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fb78483d090.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fb78483d090.jpg" length="63766" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Govinda, Shot fired, ICU</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગૌમૂત્ર પીવડાવો પછી જ ગરબામાં એન્ટ્રી આપોઃ ઈન્દોર ભાજપ નેતા</title>
                    <link>https://khabarantar.com/enter-garba-only-after-drinking-cow-urine-indore-bjp-leader</link>
                    <guid>https://khabarantar.com/enter-garba-only-after-drinking-cow-urine-indore-bjp-leader</guid>
                    <description>
                        <![CDATA[ નવરાત્રી આવતા જ હિંદુ-મુસ્લિમનો મુદ્દો ફરી માર્કેટમાં આવી ગયો છે. આ વખતે ઈન્દોર ભાજપના અધ્યક્ષે મોરચો સંભાળ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુઓને કાયમ ગાય, ગોબર અને ગૌમૂત્રમાં જ રાખવા માંગતા ભાજપના નેતાઓને આ ત્રણ મુદ્દે નિવેદન આપીને સતત મીડિયામાં ચમકતા રહેતા ફાવી ગયું છે. એટલે જ તેઓ છાશવારે આ પ્રકારના નિવેદનો ફટકારતા રહે છે. હમણાં તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુના વિવાદમાં શુદ્ધતાને લઈને વિવાદ થયો હતો અને છેલ્લે ગૌમૂત્ર છંટકાવીને પુરો થયો. આને શુદ્ધતા કહેવી કે ગંદકી તે ચર્ચાનો વિષય છે. એ પછી પણ આજે મહારાષ્ટ્રમાં ભાજપ, એકનાથ શિંદે અને અજીત પવાર જૂથની સરકાર પાસે ચૂંટણીમાં મૂકી શકાય તેવો એકેય મુદ્દો ન હોવાથી ગાયના રાજ્યમાતા જાહેર કરીને ઠાલું ગૌરવ લેવાનું જાહેર કરાયું છે. હવે મધ્યપ્રદેશના એક નેતાએ નવરાત્રીને લઈને વિચિત્ર નિવેદન આપ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક સમય હતો જ્યારે ગરબામાં પાસના આધારે પ્રવેશ અપાતો હતો. એ પછી ભાજપનું શાસન આવ્યું અને હિંદુ-મુસ્લિમ રાજકારણ શરૂ થયું અને ગરબામાં આધારકાર્ડ બતાવો પછી જ એન્ટ્રી મળશે તેવી પરંપરા શરૂ થઈ. હવે મધ્યપ્રદેશના ભાજપના એક નેતાએ એક નવા અને વિચિત્ર પ્રયોગની વાત કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો દેશના સૌથી સ્વચ્છ શહેર ગણાતા ઈન્દોરની છે. અહીં નવરાત્રિ દરમિયાન ગરબામાં બિન-હિંદુઓને પ્રવેશતા રોકવા માટે ઈન્દોર ભાજપના જિલ્લા અધ્યક્ષે એક અનોખો પ્રયોગ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું છે કે ગરબા પંડાલમાં આવતા લોકોને ગૌમૂત્ર પીવડાવવામાં આવે જેથી કરીને એ વાતની પુષ્ટિ થાય કે તેઓ બિન-હિંદુ નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શ્રાદ્ધપક્ષ બાદ હવે નવરાત્રિ પર્વમાં માતાની આરાધના શરૂ થઈ રહી છે. નવરાત્રી દરમિયાન ગરબાની પણ પ્રાચીન પરંપરા છે. દર વર્ષે હિંદુ સંગઠનો દ્વારા ગરબા પંડાલમાં બિનહિન્દુઓને ભાગ લેતા રોકવા માટે અનેક નવા પ્રયોગો કરવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગૌમૂત્ર પીવડાવો પછી જ પ્રવેશ આપો</span></strong></span><br><span style="font-size: 14pt;">એક સમયે ઈન્દોરમાં ગરબા પંડાલમાં આધાર કાર્ડ જોઈને એન્ટ્રી આપવામાં આવતી હતી. હવે ઈન્દોર ભાજપના જિલ્લા અધ્યક્ષ ચિન્ટુ વર્માએ વધુ એક નવો અનોખો પ્રયોગ કરવાની વાત કરી છે. ચિંટુજીનું કહેવું છે કે બિન-હિન્દુઓ ગરબા પંડાલમાં પ્રવેશ માટે તેમના આધાર કાર્ડમાં ફેરફાર કરી શકે છે. એટલું જ નહીં, તેઓ તિલક લગાવીને પણ આવે છે. આવી સ્થિતિમાં, તમારે ગૌમૂત્ર પીવડાવીને ગરબા પંડાલમાં પ્રવેશવાનો નિયમ લાગુ કરવો જોઈએ. હિન્દુઓને આની સામે કોઈ વાંધો નહીં હોય. ગરબાનું આયોજન કરતી વખતે આ નિયમનું પાલન કરવું જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">મધ્યપ્રદેશમાં ઈન્દોરના ગરબા ફેમસ છે</span></strong><br><span style="font-size: 14pt;">નવરાત્રીના તહેવાર દરમિયાન સમગ્ર મધ્યપ્રદેશમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ ઈન્દોરના ગરબાની એક અલગ જ ઓળખ છે. અહીં ગરબા માટે પંડાલ બનાવવાની શરૂઆત અત્યારથી થઈ ગઈ છે. એટલું જ નહીં, વરસાદથી બચવા માટે વોટરપ્રૂફ પંડાલ પણ બનાવવામાં આવી રહ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ સતર્ક થઈ ગઈ</span></strong></span><br><span style="font-size: 14pt;">ઇન્દોર પોલીસે નવરાત્રિના તહેવાર દરમિયાન કોઈ ગડબડ કે છેડતી ન થાય તે માટે મોરચો સંભાળી લીધો છે. ઈન્દોરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વિનોદ કુમાર મીનાએ જણાવ્યું હતું કે ગરબા પંડાલની આસપાસ અને સમગ્ર શહેરમાં પેટ્રોલિંગ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-sinde-government-of-maharashtra-gave-the-status-of-rajmata-gaumata-to-the-country-cow">મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે દેશી ગાયને ગાયમાતા-રાજ્યમાતાનો દરજ્જો આપ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 01 Oct 2024 08:41:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1308</Articleid>
                    <excerpt>નવરાત્રી આવતા જ હિંદુ-મુસ્લિમનો મુદ્દો ફરી માર્કેટમાં આવી ગયો છે. આ વખતે ઈન્દોર ભાજપના અધ્યક્ષે મોરચો સંભાળ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66fae7152102c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66fae714e0abe.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66fae714e0abe.jpg" length="103247" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>indore Bjp leader, Garba, entry, drink Gau mutra, Cow urine</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભારતમાં 66 ટકા કર્મચારીઓ વર્ક પ્રેશરના કારણે તાણમાં</title>
                    <link>https://khabarantar.com/66-percent-of-employees-in-india-are-stressed-due-to-work-pressure</link>
                    <guid>https://khabarantar.com/66-percent-of-employees-in-india-are-stressed-due-to-work-pressure</guid>
                    <description>
                        <![CDATA[ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 66 ટકા કર્મચારી પોતાના હાલના કામની પદ્ધતિને કારણે વધુ બોજ અનુભવે છે  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં સ્ટ્રેસ ઉર્ફે તાણ આમ પણ એક મોટી સમસ્યા બનતી જઈ રહી છે ત્યારે એક રિપોર્ટે આ મામલે લોકોને ગંભીરતાથી વિચારવા મજબૂર કર્યા છે. કંપનીઓમાં વધુ વર્ક પ્રેશરથી કર્મચારીઓની માનસિક સ્થિતિ બગડી રહી છે. એચઆર સર્વિસ અને વર્કફોર્સ સોલ્યૂશન્સ આપનારી કંપની જીનિયસ કન્સલ્ટન્ટ્‌સના રિપોર્ટ અનુસાર ભારતમાં ૬૬ ટકા કર્મચારી પોતાના હાલના કામની મેથડને કારણે વધુ બોજ અનુભવે છે અને તેમનું માનવું છે કે, તેમનું કામ અને જીવનનું સંતુલન ગંભીર રીતે ખોરવાઈ રહ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સર્વેમાં કહેવાયું છે કે, ૪૫ ટકાથી વધુ કર્મચારી દર રવિવારની સાંજે ચિંતા અને બેચેનીનો અનુભવ કરે છે જ્યારે તેમને સોમવારે કામ પર પરત ફરવાનું હોય છે. જ્યારે ૧૩ ટકા કર્મચારીઓએ આ અંગે મિશ્ર પ્રતિભાવ આપ્યો હતો. આ સિવાય ૭૮ ટકા લોકોએ જણાવ્યું છે કે, નોકરી પર સહકર્મીઓનું પ્રેશર અને મેનેજમેન્ટ કે સહકર્મીઓ સાથે વ્યવહારને લઈને તેઓ ચિંતામાં રહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/97-percent-of-dalit-atrocities-cases-reported-in-just-13-states-report"><strong><span style="font-size: 12pt;"> </span></strong></a> <a href="https://khabarantar.com/the-suicide-rate-of-students-in-the-country-is-higher-than-the-population-growth-rate"><strong>દેશમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનો દર વસ્તી વૃદ્ધિ દર કરતા ઊંચો</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જીનિયસ કન્સલ્ટેન્ટ્‌સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આર.પી. યાદવે કહ્યું કે, 'આપણે એ જોવું પડશે  કે  માત્ર એક પ્રવૃત્તિ નથી, પરંતુ સંગઠનાત્મક સફળતાનું એક મહત્વપૂર્ણ પાસું છે. આંકડાઓથી જાણી શકાય છે કે મોટી સંખ્યામાં કર્મચારીઓ ચિંતાનો સામનો કરી રહ્યા છે અને પોતાના કામના સ્થળના વાતાવરણમાં બેચેની અનુભવી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સર્વે કરનાર કંપનીનું કહેવું છે કે, કંપનીઓને માનસિક સ્વાસ્થ્ય અને વર્કિંગ લાઈફને પ્રાથમિકતા આપીને તે પ્રમાણે માહોલ તૈયાર કરવો પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ રિપોર્ટ ૫ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર ૨૦૨૪ વચ્ચે અલગ અલગ વિસ્તારોમાં કામ કરનારા ૧૭૮૩ કર્મચારીઓ વચ્ચે કરાયેલા સર્વેક્ષણ પર આધારિત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોટાભાગના કર્મચારીઓનું કહેવું છે કે, ભારતમાં કંપનીઓ માત્ર પોતાનો નફો વધારવા પર ફોકસ ધરાવે છે. તેમને કર્મચારીઓને પડતી મુશ્કેલીઓ સાથે ભાગ્યે જ ચિંતા સતાવે છે. વર્કલોડ અને ટોક્સિક વર્ક કલ્ચરના કારણે વધુને વધુ કર્મચારીઓનું આરોગ્ય બગડી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/97-percent-of-dalit-atrocities-cases-reported-in-just-13-states-report"><strong><span style="font-size: 12pt;"> </span>દલિત અત્યાચારના 97 ટકા કેસો માત્ર 13 રાજ્યોમાં નોંધાય છેઃ રિપોર્ટ</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 30 Sep 2024 21:56:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1307</Articleid>
                    <excerpt>રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 66 ટકા કર્મચારી પોતાના હાલના કામની પદ્ધતિને કારણે વધુ બોજ અનુભવે છે </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66face59a475a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66face5973266.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66face5973266.jpg" length="68046" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Work pressure, Report, India</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહારાષ્ટ્રની શિંદે સરકારે દેશી ગાયને રાજમાતા&amp;ગૌમાતાનો દરજ્જો આપ્યો</title>
                    <link>https://khabarantar.com/the-sinde-government-of-maharashtra-gave-the-status-of-rajmata-gaumata-to-the-country-cow</link>
                    <guid>https://khabarantar.com/the-sinde-government-of-maharashtra-gave-the-status-of-rajmata-gaumata-to-the-country-cow</guid>
                    <description>
                        <![CDATA[ મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે ચૂંટણીમાં અન્ય કોઈ મુદ્દો ન મળતા ગાયનું રાજકારણ શરૂ કર્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રની ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવાર જૂથની એનસીપીની સરકારે રાજ્યમાં દેશી ગાયને હવે રાજમાતા અને ગૌમાતાનો દરજ્જો આપ્યો છે. સરકારનું કહેવું છે કે, ભારતીય સંસ્કૃતિ, કૃષિ અને આરોગ્ય સંભાળમાં તેના મહત્વને ધ્યાનમાં રાખીને સરકારે ઔપચારિક રીતે દેશી ગાયને 'રાજમાતા-ગૌમાતા'નો દરજ્જો આપ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગેની જાહેરાત કરતાં સરકારે જણાવ્યું હતું કે, “વૈદિક કાળથી ભારતીય સંસ્કૃતિમાં દેશી ગાયનું મહત્વનું સ્થાન છે. તેનું મહત્વ માત્ર ધાર્મિક જ નથી પરંતુ તેના ઔષધીય અને કૃષિ ક્ષેત્રે પણ ઘણા ફાયદા છે.  દેવરી અને લલકનારી જેવી ગાયોની વિવિધ સ્વદેશી જાતિઓ મરાઠવાડા અને ડાંગી અને ઉત્તર મહારાષ્ટ્રમાં શવદભમાં જોવા મળે છે. જો કે, દેશી ગાયોની સંખ્યામાં ઝડપથી ઘટાડાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારને આશા છે કે આ દરજ્જો આપીને ખેડૂતોને આ ગાયોના પાલન માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/OBC-Politics:-Battle-for-Backward-Quota-now-an-electoral-issue"><strong>OBC Politics: પછાત ક્વોટા માટેની લડાઈ હવે ચૂંટણીનો મુદ્દો</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન દ્વારા હસ્તાક્ષર કરાયેલા સરકારી આદેશ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “ગાય પ્રાચીન સમયથી માનવ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. પ્રાચીન કાળથી, ગાયને કામધેનુ નામ આપવામાં આવ્યું હતું. તેનું ઐતિહાસિક, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વ છે. આપણને દેશભરમાં ગાયોની વિવિધ જાતિઓ જોવા મળે છે, પરંતુ દેશી ગાયોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા અજિત પવારની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં કોટવાલોના પગારમાં ૧૦ ટકાનો વધારો કરવો, ગ્રામ રોજગાર સેવકોનું માનદ વેતન વધારીને ૮૦૦૦ રૂપિયા પ્રતિ માસ કરવું, ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઇવ સબવેના કામને ઝડપી બનાવવાનો સમાવેશ થાય છે. જો કે આ તમામ મહત્વના નિર્ણયો ગાયના રાજમાતા-ગૌમાતાના દરજ્જા પાછળ ઢંકાઈ ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/all-parties-in-maharashtra-want-obc-votes-but-not-obc-cm">મહારાષ્ટ્રમાં દરેક પક્ષોને OBC મતો જોઈએ છે પણ OBC સીએમ નહીં?</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 30 Sep 2024 20:42:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1306</Articleid>
                    <excerpt>મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે ચૂંટણીમાં અન્ય કોઈ મુદ્દો ન મળતા ગાયનું રાજકારણ શરૂ કર્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66fabe5c443e4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66fabe5c084a2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66fabe5c084a2.jpg" length="88734" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Maharashtra assembly election, Maharashtra Rajmata decision, Status of Rajmata-Gaumata</media:keywords>
                </item>
                        <item>
                    <title>માનવભક્ષી દીપડો ભગવાનની મૂર્તિ સામે સૂતેલા પૂજારીને ઉપાડી ગયો</title>
                    <link>https://khabarantar.com/the-man-eating-leopard-picked-up-the-priest-who-was-sleeping-in-front-of-the-idol-of-god</link>
                    <guid>https://khabarantar.com/the-man-eating-leopard-picked-up-the-priest-who-was-sleeping-in-front-of-the-idol-of-god</guid>
                    <description>
                        <![CDATA[ ઈશ્વના સાન્નિધ્યમાં સૂતેલા વિષ્ણુ મહારાજ પૂજારીને માનવભક્ષી દીપડો ઉપાડી ગયો હતો. સવારે મંદિરથી 300 મીટર દૂર તેમનો મૃતદેહ મળ્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લાં કેટલાક દિવસોથી દેશના વિવિધ રાજ્યોમાં દીપડા માનવવસ્તી તરફ આવીને લોકોને શિકાર બનાવતા હોવાની ઘટના વધી છે. આવી જ એક ઘટનામાં એક માનવભક્ષી દીપડો મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે સૂતેતા પૂજારીને ઉઠાવી ગયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના રાજસ્થાનના ઉદયપુર જિલ્લાની છે. અહીં છેલ્લાં 15 દિવસમાં માનવભક્ષી દીપડો 6 લોકોને ઉપાડી ગયો છે અને લોકોમાં ભયનો માહોલ છે. હવે દીપડાઓ મંદિરમાંથી પૂજારીને ખેંચી ગયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગોગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવભક્ષી દીપડાના હુમલામાં મંદિરના પૂજારીનું મોત નીપજ્યું છે. આ વિસ્તારમાં છેલ્લા 15 દિવસમાં દીપડાના હુમલાથી આ છઠ્ઠું મોત છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસના જણાવ્યા પ્રમાણે, અહીં રાઠોડના ગુડા વિસ્તારમાં આવેલા એક મંદિરમાં ગઈકાલે રાત્રે સૂઈ રહેલા પૂજારી વિષ્ણુ મહારાજને પકડીને દીપડો જંગલમાં લઈ ગયો હતો. સવારે જ્યારે લોકોને આ ઘટનાની માહિતી મળી, ત્યારે તેમણે પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ સાથે વિષ્ણુ મહારાજની શોધ કરી અને મંદિરથી લગભગ 300 મીટર દૂર જંગલમાં તેમનો વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ ગોગુંડા કોમ્યુનિટી હોસ્પિટલના શબઘરમાં રાખ્યો છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં દીપડાનો આતંક યથાવત છે. દીપડાએ 18 સપ્ટેમ્બરે તેનું પહેલું મારણ કર્યું હતું, એ વખતે ઢોર ચરાવવા ગયેલી કમલા નામની છોકરીનું મોત થયું હતું. એ પછી માનવભક્ષી દીપડો સતત શિકાર કરી રહ્યો છે અને ગઈકાલે રાત્રે વિષ્ણુ મહારાજ તેનો છઠ્ઠો શિકાર બન્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વનવિભાગ દ્વારા પાંજરા મુકીને દીપડાને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં ચાર દીપડા પાંજરામાં આવી ચુક્યા છે પરંતુ માનવભક્ષી દીપડો હજુ પણ પાંજરાની બહાર છે અને સતત માણસોનો શિકાર કરી રહ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દીપડો સતત માણસનો શિકાર કરતો હોવાથી આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે. લોકો બીકના માર્યા ઘરમાંથી એકલા બહાર નીકળતા પણ ડરી રહ્યાં છે. વહીવટીતંત્રે આ વિસ્તારના રહેવાસીઓને એકલા ઘરની બહાર ન નીકળવા અને સાવચેત રહેવાની સૂચના પણ આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/pujari-said-there-is-a-smell-from-the-ladoo-take-a-sample-and-send-it-to-fsl">ડાકોર મંદિરના પ્રસાદમાં ભેળસેળ, પૂજારીએ કહ્યું - ચેક કરાવો, લાડુમાં ગંધ આવે છે...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 30 Sep 2024 15:04:08 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1304</Articleid>
                    <excerpt>ઈશ્વના સાન્નિધ્યમાં સૂતેલા વિષ્ણુ મહારાજ પૂજારીને માનવભક્ષી દીપડો ઉપાડી ગયો હતો. સવારે મંદિરથી 300 મીટર દૂર તેમનો મૃતદેહ મળ્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66fa70848b292.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66fa7084575ad.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66fa7084575ad.jpg" length="106605" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>the man eating leopard, Udaypur, Rajasthan</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;ભાજપ ધારાસભ્યે વિધાનસભામાં મારા પર રેપ કર્યો&amp;apos;, મહિલાના ગંભીર આરોપ</title>
                    <link>https://khabarantar.com/bjp-mla-raped-me-in-assembly-womans-serious-allegation</link>
                    <guid>https://khabarantar.com/bjp-mla-raped-me-in-assembly-womans-serious-allegation</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપના એક ધારાસભ્ય પર મહિલાએ વિધાનસભાની અંદર બળાત્કાર કર્યાનો ગંભીર આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કર્ણાટકના આરઆર નગરથી ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના ધારાસભ્ય એન મુનીરત્ના નાયડુ(Muniratna Naidu) પર એક મહિલાએ ગંભીર આરોપ લગાવતી પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે મનીરત્નાએ કથિત રીતે વિધાનસભા અને એક સરકારી કારમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલાએ પોતાની ફરિયાદમાં ધારાસભ્ય પર અનેકવાર બળાત્કાર કરવાનો અને હની ટ્રેપ કરવાનો આરોપ લગાવ્યો છે. ધારાસભ્ય મુનીરત્ના પહેલાથી જ બળાત્કાર અને હની ટ્રેપ કેસમાં ધરપકડ થયા બાદ ન્યાયિક કસ્ટડીમાં હતો. હવે તેને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જો કે, ભાજપના ધારાસભ્યએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને તેમને ખોટા ગણાવ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક મીડિયા રિપોર્ટ મુજબ, મુનીરત્નાએ વિધાનસભાની વિકાસ સૌધા ખાતેની તેની ઓફિસમાં મહિલા પર બળાત્કાર કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો તો કોંગ્રેસના નેતાઓએ વિધાનસભા સંકુલના વિકાસ સૌધા ગેટ પર "શુદ્ધિકરણ" વિધિ કરી હતી. આ કાર્યક્રમનું નેતૃત્વ કોંગ્રેસના નેતા મનોહરે કર્યું, જેમને બાદમાં પોલીસે કસ્ટડીમાં લીધા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનોહરે આરોપ લગાવ્યો હતો કે જ્યારે પીડિતાને વિકાસ સૌધામાં ગુનાના સ્થળનું નિરીક્ષણ કરવા માટે લાવવામાં આવી હતી, ત્યારે કોંગ્રેસને શુદ્ધિકરણની વિધિ કરવાથી અટકાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે, "ભાજપને વિરોધ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે, પરંતુ અમને વિકાસ સૌધાને શુદ્ધ કરવાની મંજૂરી આપવામાં આવી રહી નથી,"</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પહેલા કર્ણાટક સરકારે મુનીરત્ના સામે SIT તપાસના આદેશ આપ્યા હતા. અગાઉ કોન્ટ્રાક્ટરને ધમકાવવા અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમનું ઉલ્લંઘન કરવાના આરોપમાં તેની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં એક મહિલા સામાજિક કાર્યકર્તાએ મુનીરથના વિરુદ્ધ રામનગર જિલ્લાના કગ્ગલીપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, પીડિતાને મુનીરત્ના મત્યાલનગરમાં તેની માલિકીના વેરહાઉસમાં લઈ ગયો હતો, જ્યાં તેની પર કથિત રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું અને મુનીરત્નાએ તેને ધમકી આપી હતી કે જો તેણે આ વાત કોઈને કરી તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતાએ દાવો કર્યો હતો કે મુનીરત્નાએ તેને અનેક હની ટ્રેપ સેટ કરવા માટે દબાણ કર્યું હતું. પોતાની ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે, "ભાજપના ધારાસભ્યએ મને હની ટ્રેપ લગાવવા દબાણ કર્યું. તેણે મને મારી નાખવાની ધમકી આપીને કામ કરાવ્યું."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાએ નાયડુના ગનમેન સહિત તેના છ સહયોગીઓ પર અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેલ કરવાનો અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. તેણે એવો પણ દાવો કર્યો હતો કે નાયડુએ ભૂતપૂર્વ કાઉન્સિલરના પતિને હની ટ્રેપમાં ફસાવવા માટે તેનો ઉપયોગ કર્યો હતો. કેસ હવે SIT હેઠળ છે અને તપાસ ચાલુ છે. મુનીરત્નાએ આરોપોને નકારી કાઢ્યા હોવા છતાં આરોપોની ગંભીરતાને લીધે રાજકીય અને સામાજિક હલચલ મચી ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dahod-girl-killer-acharya-connected-with-vhp-rss-bjp">દાહોદની બાળકીનો હત્યારો વીએચપી, આરએસએસ, ભાજપ સાથે જોડાયેલો છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 30 Sep 2024 09:54:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1300</Articleid>
                    <excerpt>ભાજપના એક ધારાસભ્ય પર મહિલાએ વિધાનસભાની અંદર બળાત્કાર કર્યાનો ગંભીર આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66fa27c42c83a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66fa27c3ed967.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66fa27c3ed967.jpg" length="84317" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BJP, BJP MLA, Raped alligation, BJP News, BJP Karnataka, Muniratna Naidu</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતમાંથી કેનેડાના સ્ટુડન્ટ વીઝાની અરજીઓમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો</title>
                    <link>https://khabarantar.com/50-percent-decrease-in-canadian-student-visa-applications-from-gujarat</link>
                    <guid>https://khabarantar.com/50-percent-decrease-in-canadian-student-visa-applications-from-gujarat</guid>
                    <description>
                        <![CDATA[ નોકરીઓની અછત, વધતા જતા ઘરના ભાડાં સહિતની સમસ્યાઓને કારણે કેનેડાનું હવે પહેલાના જેવું આકર્ષણ નથી રહ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક સમય હતો જ્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કેનેડામાં ભણવું એક સપનું હતું. ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ભણવા માટે કેનેડા સૌથી ફેવરિટ દેશ હતો, પણ નવા નિયમોને કારણે હવે અચાનક તેમાં ધરમૂળથી સ્થિતિ બદલાઈ ગઈ છે. કેનેડા માટે સ્ટુડન્ટ વિઝાની અરજીઓમાં ગુજરાતમાંથી અંદાજે ૫૦ ટકાનો ઘટાડો થયો છે તેવું જાણકારો કહે છે. કેનેડાનું હવે પહેલાના જેવું આકર્ષણ નથી રહ્યું તેનું કારણ ત્યાં નોકરીઓની અછત, વધતા જતા ઘરના ભાડાં સહિતની સમસ્યાઓ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હજારો ભારતીય સ્ટુડન્ટસ્‌ માટે કેનેડા એક સમયે એક ડ્રીમ ડેસ્ટિનેશન હતું. પરંતુ છેલ્લા એક વર્ષમાં જુદા જુદા કારણોથી કેનેડા એક દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગયું છે. સૌથી પહેલા તો પ્રોવિન્સિયલ એટેસ્ટેશન લેટર (પીએએલ)ના કારણે તેમને આંચકો લાગ્યો છે. ત્યાર પછી ઓવરઓલ સ્ટુડન્ટની સંખ્યા જ ઘટાડવામાં આવી. આટલું ઓછું હોય તેમ ગયા મહિને કામના કલાકો ઘટાડવામાં આવ્યા અને કેટલાક કિસ્સામાં તો સ્પાઉઝ વર્ક પરમિટ પણ કેન્સલ કરવામાં આવી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદ સ્થિત વિઝા અને ઈમિગ્રેશન કન્સલ્ટન્ટ્‌સના જણાવ્યા પ્રમાણે, કેનેડાની વિઝા એપ્લિકેશન્સમાં ૫૦ ટકા કરતા વધારે ઘટાડો થયો છે. છેલ્લા એક દાયકામાં પહેલી વખત આટલો મોટો ઘટાડો થયો છે. કેનેડામાં ભણતા સ્ટુડન્ટ્‌સનો કોન્ફીડન્સ હચમચી ગયો છે, કારણ કે ત્યાં હાઉસિંગની અછત છે અને વર્કને લગતા નિયમો પણ બહુ સખત બની ગયા છે. ઘણા ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડા જવાનો પ્લાન મોકૂફ રાખ્યો છે અથવા તો સાવ કેન્સલ કરી નાખ્યો છે. જે લોકોને ફોરેન એજ્યુકેશનનું જ ટેગ જોઈએ છે તેઓ પરંપરાગત ઈંગ્લિશ સ્પિગિંગ કન્ટ્રી જેમ કે યુકે, ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા વગેરેમાં જવા લાગ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/five-gujaratis-committed-a-big-scam-for-visa-in-america"><strong>અમેરિકામાં વીઝા માટે 5 ગુજરાતીઓએ મોટું કૌભાંડ આચર્યું</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 29 Sep 2024 20:50:52 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1298</Articleid>
                    <excerpt>નોકરીઓની અછત, વધતા જતા ઘરના ભાડાં સહિતની સમસ્યાઓને કારણે કેનેડાનું હવે પહેલાના જેવું આકર્ષણ નથી રહ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f96f8fa6a6f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f96f8f75a3b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f96f8f75a3b.jpg" length="101594" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Canada Student Visa, Visa</media:keywords>
                </item>
                        <item>
                    <title>કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબીયત લથડી</title>
                    <link>https://khabarantar.com/congress-president-malikarjun-kharges-health-deteriorated</link>
                    <guid>https://khabarantar.com/congress-president-malikarjun-kharges-health-deteriorated</guid>
                    <description>
                        <![CDATA[ 83 વર્ષના દિગ્ગજ દલિત નેતાની ચાલુ સભામાં તબિયત લથડી. છતાં કહ્યું- મોદીને સત્તામાં હટાવ્યા વિના મરવાનો નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાલમાં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન કઠુઆમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે તેમની તબિયત લથડી હતી. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે તે તેઓ સભાને સંબોધિત કરી રહ્યા છે એ દરમિયાન અચાનક બોલતા બોલતા અટકી જાય છે. તેમની તબિયત લથડી હોવાનું જાણતા જ આસપાસના લોકો ટોળે વળી જાય છે અને તેમને પાણી પીવડાવે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જમ્મુ કશ્મીરના કઠુઆમાં જનસભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે આ ઘટના ઘટી હતી. જો કે સ્વસ્થ થયા બાદ તેમણે કહ્યું હતું કે, અમે કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે લડીશું. હું ૮૩ વર્ષનો છું પણ હજુ આટલી જલદી મરવાનો નથી. જ્યાં સુધી પીએમ મોદી સત્તામાંથી બહાર નહીં થાય ત્યાં સુધી હું જીવતો રહીશ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કઠુઆમાં ભાષણ આપતી વખતે ખડગેની તબિયત અચાનક લથડી હતી. મંચ પર હાજર કોંગ્રેસના નેતાઓએ તરત જ તેમની મદદ કરી હતી. થોડીવાર પછી તેમણે બેસીને ભાષણ આપ્યું, પરંતુ ફરીથી વચ્ચે જ અટકી ગયા. બાદમાં તેઓ ઉભા થયા અને ૨ મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કરીને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી લડી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જતી વખતે તેમણે ફરીથી બધાંને સંબોધતા કહ્યું કે તેઓ ૮૩ વર્ષના છે અને હજુ મરવાના નથી. જ્યાં સુધી હું મોદીને સત્તા પરથી દૂર નહીં કરું ત્યાં સુધી મરીશ નહીં. ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં ૧૦ વર્ષ બાદ ચૂંટણીઓ થઈ રહી છે. કાશ્મીરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત રાહુલ ગાંધીએ પણ સભા સંબોધી હતી. હાલ ખડગેની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/my-society-does-not-allow-me-to-go-to-temples-how-can-I-be-tolerated"><strong>મારા સમાજને મંદિરોમાં જવા નથી દેતા, મને કેવી રીતે સહન કરે?</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 29 Sep 2024 19:32:53 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1297</Articleid>
                    <excerpt>83 વર્ષના દિગ્ગજ દલિત નેતાની ચાલુ સભામાં તબિયત લથડી. છતાં કહ્યું- મોદીને સત્તામાં હટાવ્યા વિના મરવાનો નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f95d1cb33de.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f95d1c7eba3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f95d1c7eba3.jpg" length="81509" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Congress President, Mallikarjun Khadge, Jammu and Kashmir</media:keywords>
                </item>
                        <item>
                    <title>પ્રણવ ધનાવડે યાદ છે? હાલ ક્યાં છે, શું કરે છે?</title>
                    <link>https://khabarantar.com/remember-pranav-dhanvade-where-are-you-now-what-are-you-doing</link>
                    <guid>https://khabarantar.com/remember-pranav-dhanvade-where-are-you-now-what-are-you-doing</guid>
                    <description>
                        <![CDATA[ વર્ષ 2016માં નોટઆઉટ 1009 રન ફટકારનાર પ્રણવ ધનાવડે સાથે મોટો ખેલ ખેલાઈ ગયો છે, જાણો હાલ તે ક્યાં છે, શું કરી રહ્યો છે, કેવી પરિસ્થિતિમાં છે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">where is pranav dhanawade now: હમણાં અમદાવાદના 18 વર્ષના દ્રોણ દેસાઈએ દીવાન બલ્લુભાઈ કપ અંડર 19 મલ્ટીડે ટુર્નામેન્ટ દરમિયાન 498 રન બનાવીને રેકોર્ડ કર્યાની ચોતરફ ચર્ચા થઈ રહી છે. તેની સાથે જ વર્ષ 2016માં પ્રણવ ધનાવડે નામના એક દલિત કિશોરને પણ ફરી યાદ કરવામાં આવ્યો. પ્રણવ ધનાવડે યાદ છે? હાલ તે શું કરે છે, કેવી પરિસ્થિતિમાં છે તેની વાત કરવી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત એક જાતિવાદી દેશ છે - આ એ કડવું સત્ય છે, જેનો કથિત સવર્ણો કદી સ્વીકાર કરવાના નથી. ડો. આંબેડકરે કહ્યું હતું કે, ભારતમાં જાતિ એક એવું બહુમાળી મકાન છે જેમાં વ્યક્તિ જ્યાં જન્મ્યો છે ત્યાં જ રહે છે, અહીં ઉપરના માળે જવા માટેની કોઈ સીડી નથી. આવા સીડી વિનાના મકાનના કારણે અમુક જાતિઓ કાયમ માટે ટોચ પર જ રહે છે અને નીચે રહેનારા નીચે જ રહે છે. આ સમસ્યા દરેક ફિલ્ડમાં જોવા મળે છે અને તેમાં ક્રિકેટની રમત પણ બાકાત નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કરોડો રૂપિયાનો દલ્લો ગણાતી ક્રિકેટની રમતમાં સ્વાભાવિક રીતે જ સવર્ણનો કબ્જો છે. આંગણીના વેઢા પણ વધી પડે એટલા દલિત, આદિવાસી કે ઓબીસી ખેલાડીઓ તમને ભારતની પુરૂષ કે મહિલા ટીમમાં જોવા મળશે. સવર્ણ ખેલાડીઓમાં પણ ચોક્કસ જાતિના ખેલાડીઓ તો એટલા બધાં છે કે, તમે મહાન ક્રિકેટરની યાદી પર નજર નાખશો તો પણ તમને એ ચોક્કસ જાતિના જ ખેલાડીઓ જોવા મળશે. હવે આવા જ કેટલાક મહાન ખેલાડીઓની લાગવગના કારણે તેમના છોકરાઓ પણ ક્રિકેટમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે, પણ તેની સામે દલિત સમાજનો એક પ્રતિભાશાળી ક્રિકેટર, જેણે એક જ દિવસમાં 1000 રન ફટકાર્યા હતા, તેની કરિયર ખતમ થવાના આરે પહોંચી ગઈ છે. તે દલિત ક્રિકેટરની વાત કરતા પહેલા કેટલાક મહાન ખેલાડીઓના છોકરાઓ વિશે જાણી લો. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અર્જુન તેંદુલકર - પિતા ભારતરત્ન હોય પછી પ્રતિભા પાણી ભરે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પિતા ભારતરત્ન હોય, ક્રિકેટરના ભગવાન કહેવાતા હોય તેનો લાભ પુત્રને ન મળે તો જ નવાઈ. અર્જુન તેંદુલકરને આ લાભ સતત વત્તાઓછા અંશે મળતો રહ્યો છે. તેના પિતાની શાખને કારણે તેને બહુ ઓછી મહેનતે ક્રિકેટમાં એન્ટ્રી મળી ગઈ છે. અર્જુન તેંદુલકરને મુંબઈ ઈન્ડિયને આઈપીએલમાં તેની બેઝ પ્રાઈઝ પર ખરીદ્યો હતો. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે મુંબઈ ઈન્ડિયન્સની માલિકી મુકેશ અંબાણીની કંપની રિલાયન્સની છે અને તેમાં અર્જુનના પિતા સચિન તેંદુલકર આઈકોન ખેલાડી છે. અર્જુનના ખરાબ ક્રિકેટને કારણે તેને ટીમમાં ભાગ્યે જ જગ્યા મળે છે. મોટાભાગે આઈપીએલમાં તે બેંચ પર બેઠેલો જોવા મળે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66f925dc369dd.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવું જ અર્જુન સાથે ડોમેસ્ટિક ક્રિકેટમાં જોવા મળે છે. મુંબઈની રણજી ટીમમાં તેનો ગજ વાગે તેમ ન હોવાથી તેણે ગોવાની ટીમ તરફથી રમવાનું ચાલું કર્યું છે અને હમણાં અનેક તકો મળવાને કારણે તે એક મેચમાં સારું રમી પણ ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અર્જુન તેંદુલકરે અત્યાર સુધીમાં 13 ફર્સ્ટ ક્લાસ મેચો રમી છે, જેની 20 ઈનિંગમાં તેણે માંડ 21 વિકેટ લીધી છે અને 481 રન બનાવ્યા છે. છતાં તેને આઈપીએલ જેવી ટુર્નામેન્ટમાં ખરીદવામાં આવે છે, તે કોની શરમને કારણે તે સમજી શકાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/the-lord-of-cricket-is-nowhere-behind-vinod-kamblis-record">વિનોદ કાંબલીના રેકોર્ડ સામે 'ક્રિકેટના ભગવાન' ક્યાંય પાછળ છે!</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઈપીએલમાં તેનું ડેબ્યુ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થયું હતું પરંતુ તે મેચમાં તે કંઈ કમાલ કરી શક્યો નહોતો. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ભુવનેશ્વર કુમારના રૂપમાં પ્રથમ વિકેટ મેળવી હતી. તેના આઈપીએલ કરિયરની વાત કરીએ તો તેણે 5 મેચ રમી છે જેમાં તે માત્ર 3 વિકેટ અને માત્ર 13 રન જ બનાવી શક્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાહુલ દ્રવિડનો છોકરો સમિત દ્રવિડ અન્ડર 19 ટીમમાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડના છોકરા સમિત દ્રવિડની BCCIની જુનિયર પસંદગી સમિતિએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી દ્વિપક્ષીય શ્રેણી માટે ભારતની અંડર-19 ટીમમાં પસંદગી કરી છે. જો કે, પહેલી બે મેચમાં તેને બહાર બેસાડવામાં આવ્યો હતો. અગાઉ મહારાજા ટી20 ટુર્નામેન્ટમાં પણ તે ખાસ કશું ઉકાળી શક્યો નહોતો. ICCના વય પાત્રતાના માપદંડોને કારણે તે 2026માં યોજાનાર ICC અંડર-19 વર્લ્ડ કપની આગામી આવૃત્તિમાં રમી શકશે નહીં.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66f925f511477.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે દ્રવિડની લાગવગના કારણે તેને આગળ પણ તકો મળતી રહેશે, જે રીતે રોહિત શર્મા, કે.એલ. રાહુલ અને રિષભ પંતને મળી રહી છે. સમિતને પણ આ રીતે આગળ ધપાવાશે અને પછી મોકો મળ્યે ટીમ ઈન્ડિયાની મુખ્ય ટીમમાં પણ સમાવાય તો નવાઈ નહીં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિરેન્દ્ર સેહવાગનો છોકરો આર્યવીર સેહવાગ પણ અન્ડર 19માં</span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66f9260b1787c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અર્જુન તેંદુલકર અને સમિત દ્રવિડ બાદ વિરેન્દ્ર સેહવાગના છોકરા આર્યવીરે પણ પિતાના પગલે આસાનીથી ક્રિકેટમાં પ્રવેશ મળી ગયો છે. વીરેન્દ્ર સેહવાગના પુત્રને દિલ્હીની અંડર-19 ટીમમાં જગ્યા મળી છે. આર્યવીર સેહવાગ 2024-25ની ડોમેસ્ટિક સીઝન માટે વિનુ માંકડ ટ્રોફી ODI ટૂર્નામેન્ટમાં રમતો જોવા મળશે. વિનુ માંકડ ટૂર્નામેન્ટ 4 ઓક્ટોબરથી પોંડિચેરીમાં રમાશે. આર્યવીર સેહવાગ આ પહેલા દિલ્હીની અંડર-16 ટીમ માટે રમી ચૂક્યો છે. હવે તેને દિલ્હી અને ડ્રિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા દિલ્હીની અંડર-19 ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. આ જ રીતે ભવિષ્યમાં તે ટીમ ઈન્ડિયામાં પણ જોવા મળશે તેમ લાગી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પ્રતિભાશાળી દલિત ક્રિકેટર પ્રણવ ધનાવડે ક્યાં?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2016નું વર્ષ ક્રિકેટના ચાહકોને યાદ હશે. એ વર્ષે ક્રિકેટના ઈતિહાસમાં એક એવો રેકોર્ડ બન્યો હતો જેને હજુ સુધી તો કોઈ તોડી શક્યું નથી. મુંબઈના કલ્યાણ વિસ્તારમાં એક દલિત કિશોર પ્રણવ ધનાવડેએ સ્કૂલ ક્રિકેટના ભંડારી કપમાં રમતી વખતે કે.સી. ગાંધી સ્કૂલ તરફથી રમતી વખતે આર્ય ગુરૂકુળ(સીબીએસસી) વિરુદ્ધ 327 દડામાં 129 ચોગ્ગા અને 59 સિક્સરો સાથે 1009 રન ફટકારી દીધા હતા. આ રેકોર્ડનો કેટલો મોટો છે તેનો અંદાજ તમે એના પરથી પણ લગાવી શકો કે પ્રણવ અને તેની પછીના ખેલાડી વચ્ચે 463 રનનું અંતર છે. પ્રણવ બાદ પૃથ્વી શો(546), ડૉ. હવેવાલા(515), ચમનલાલ(506 નોટઆઉટ) અને અરમાન જાફર(498)નો નંબર આવે છે જેઓ એક ઈનિંગમાં 400થી વધુ રન બનાવી શક્યા છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66f9263c2c201.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ એક સંયોગ જ છે કે, એક દલિત છોકરા સામે રમનારી ટીમ 'આર્ય ગુરુકુળ' નામની હતી. આર્ય ગુરુકુળની ટીમે પહેલા બેટિંગ લીધી હતી અને માત્ર 31 રનમાં ખખડી ગઈ હતી. એ પછી કે.સી.ગાંધી સ્કૂલ તરફથી ઓપનર આકાશ સિંઘ સાથે પ્રણવ ધનાવડે મેદાનમાં ઉતર્યો હતો. અને તેણે 327 દડામાં 308.56ની સ્ટ્રાઈક રેટની મદદથી અણનમ 1009 રન ફટકારી દીધા હતા. પ્રણવ ધનાવડે ટેસ્ટની એક ઈનિંગમાં 1000 રન બનાવનાર દુનિયાનો એકમાત્ર બેટ્સમેન છે અને આજે પણ તેના એ રેકોર્ડની આસપાસ પણ કોઈ ફરકી શક્યું નથી. પ્રણવની એ ધૂંઆધાર ફટકાબાજીના કારણે કે.સી. ગાંધી સ્કૂલની ટીમે 3 વિકેટ ગુમાવીને 1465 રન પર દાવ ડિક્લેર કર્યો હતો. આવું પણ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર થયું હતું જ્યારે કોઈ ટીમે ટેસ્ટમાં 1400થી વધુ રન બનાવ્યા હોય. આ સાથે જ પ્રણવે 116 વર્ષ જૂનો વિશ્વ રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. જેમાં બ્રિટિશ સ્કૂલના વિદ્યાર્થી એ.ઈ.જે. કોલિન્સ દ્વારા 628 રન બનાવવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પ્રણવ સાથે એ પછી શું થયું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીબીસીઆઈનું કામ છે પ્રણવ જેવા કોહીનૂર હીરાને પોલીશ કરીને તેને ભારતીય ટીમ માટે તૈયાર કરવો, આઈપીએલમાં તેને રમાડીને તેને આર્થિક રીતે સદ્ધર કરવો. પણ પ્રવણ સાથે એવું કશું થયું નહીં. તેને નાનામોટા ઈનામો આપીને આશ્વાસનો અપાતા રહ્યા, પણ અર્જુન તેંદુલકર, સમિત દ્રવિડ કે આર્યવીર સેહવાગ જેવી ક્રિકેટની તાલીમ ન મળી. જેની સીધી અસર તેની કરિયર પર પડી. તેના પિતા પ્રશાંત ધનાવડે એક ઓટોરિક્ષા ચાલક છે અને તેઓ અર્જુન, સમીત કે આર્યવીર જેવી ટ્રેનિંગ તેને અપાવી શકે તેવી સ્થિતિમાં નહોતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1009 રનની નોટઆઉટ ઈનિંગ બાદ પ્રણવ ધનાવડે રાતોરાત સુપરસ્ટાર બની ગયો હતો. ક્રિકેટ જગતના દિગ્ગજોએ તેના ઉજળા ભવિષ્યની આગાહી કરી હતી. પણ આજે પ્રણવ ધનાવડે ક્યાં છે? 2024નું વર્ષ પણ પુરું થઈ રહ્યું છે પણ ધનાવડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્યાંય જોવા મળતો નથી. એટલું જ નહીં આઈપીએલ જેવી ટોચની સ્થાનિક લીગમાં પણ તે હજુ સુધી જોવા નથી મળ્યો. તો ધનાવડેનું શું થયું?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પ્રણવ સાથે ખરેખર આ સમયગાળામાં શું બન્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હકીકત કંઈક આવી છે. વર્ષ 2016ની તેની 1009 રનની ઈનિંગ બાદ મુંબઈ ક્રિકેટ એસોસિએશને તેને મહિને રૂ. 10,000 ની સ્કોલરશીપ આપવાનું નક્કી કર્યું હતું, પણ તે ટૂંક સમયમાં બંધ કરી દેવાઈ. એ પછી એર ઈન્ડિયા અને દાદર ક્રિકેટનું મેદાન, જ્યાં પ્રણવ પ્રેક્ટિસ કરતો હતો, ત્યાં તેની પ્રેક્ટિસ બંધ કરાવી દીધી. સ્થાનિક કોચ અને અન્ય લોકો સતત તેની ટીકા કરતા રહેતા હતા. જેના કારણે તે ડિપ્રેશનમાં આવી ગયો હતો અને તેણે ક્રિકેટ છોડવાની જાહેરાત કરી દીધી હતી. જો કે પરિવારજનોની સમજાવટથી તેણે રમવાનું ચાલું રાખ્યું છે અને તેનો સંઘર્ષ જારી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66f9264f9b092.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વચ્ચે થોડા સમય માટે તેને લંડનની ચેશાયર ક્રિકેટ લીગ 2022માં નોર્થવિક ક્રિકેટ ક્લબ તરફથી રમવાની તક મળી હતી. જેમાં તેણે 5 અડધી સદી ફટકારી હતી. સિઝનની છેલ્લી મેચમાં પ્રણવે વનડાઉન ઉતરીને 85 દડામાં 10 ચોગ્ગાની મદદથી 67 રન કર્યા હતા. આ ડેબ્યૂ સિઝનમાં પ્રણવે 715 રન કર્યા હતા, જેમાં એક સદી અને 4 અડધી સદી સામેલ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રણવ વિકેટકીપર-બેટ્સમેન તરીકે ભારત તરફથી ઈન્ટરનેશનલ સ્તરે રમવા માંગે છે. તેની ઈચ્છા મુંબઈ તરફથી રણજી ટ્રોફીમાં રમવાની છે. પણ તેને ટીમમાં પણ તેને સ્થાન મળ્યું નથી. એટલું જ નહીં, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ન રમી શકવાને કારણે તે આઈપીએલ 2025ની હરાજી માટે પણ ક્વોલિફાઈ થઈ શક્યો નથી. પ્રણવે પોતે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમવા માંગે છે તેવું અગાઉ કહ્યું હતું, પણ હજુ સુધી તેનું એ સપનું પૂરું થયું નથી. હા, તેનો મિત્ર અર્જુન તેંદુલકર ચોક્કસ મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં છે. આવું શા કારણે થઈ રહ્યું છે તે તમે સમજી ગયા હશો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/despite-his-qualifications-he-could-never-become-captain-due-to-being-a-dalit"><strong>લાયકાત હોવા છતાં દલિત હોવાને કારણે તેઓ કદી કેપ્ટન ન બની શક્યાં</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 29 Sep 2024 16:50:57 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 29 Sep 2024 16:50:36 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1296</Articleid>
                    <excerpt>વર્ષ 2016માં નોટઆઉટ 1009 રન ફટકારનાર પ્રણવ ધનાવડે સાથે મોટો ખેલ ખેલાઈ ગયો છે, જાણો હાલ તે ક્યાં છે, શું કરી રહ્યો છે, કેવી પરિસ્થિતિમાં છે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f9265c3e96d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f9265c0e670.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f9265c0e670.jpg" length="101794" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Pranav Dhanavade, Arjun Tendulkar, Sachin Tendulkar, Rahul Dravid Virender Sehwag</media:keywords>
                </item>
                        <item>
                    <title>નકલી અધિકારી, નકલી કચેરી, નકલી ટોલનાકા બાદ હવે નકલી રાજા?</title>
                    <link>https://khabarantar.com/after-fake-govt-officer-fake-govt-office-fake-tollnaka-now-fake-king</link>
                    <guid>https://khabarantar.com/after-fake-govt-officer-fake-govt-office-fake-tollnaka-now-fake-king</guid>
                    <description>
                        <![CDATA[ નકલી પીએમઓ-સીએમઓ અધિકારી, નકલી સિંચાઈ કચેરી, નકલી આઈએએસ-આઈપીએસ, નકલી ટોલનાકા બાદ ગુજરાતનું નવલું નજરાણું- નકલી રાજા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Fake King controversy: ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી નકલીની ભારે બોલબાલા છે. કિરણ પટેલ જેવો મહાઠગ મહિનાઓ સુધી કાશ્મીરમાં નકલી પીએમઓ અધિકારી બનીને ફરતો રહ્યો. એ પછી બીજા પણ અનેક નકલી સીએમઓ અધિકારીઓ ઝડપાયા હતા. એ પછી તો નકલી ટોલનાકું અને આખેઆખી નકલી સરકારી કચેરી મળી આવી હતી. હવે છેલ્લાં બે દિવસની ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા ફરી રહ્યાં હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ દાવો કોઈ બીજા કોઈએ નહીં પરંતુ ગોંડલ સ્ટેટના મહારાજા હિમાંશુસિંહ જાડેજાએ કર્યો છે, તેમનો દાવો છે કે, અમદાવાદમાં યોજાયેલા ક્ષત્રિય સમાજના સંમેલન યદુવેન્દ્રસિંહ જાડેજા નામની વ્યક્તિ પોતે ગોંડલ સ્ટેટના રાજા ન હોવા છતાં પોતે ત્યાંના રાજા હોવાના દાવે સંમેલનમાં હાજર રહ્યાં હતા. નવ પેઢીથી છુટા પડેલા ભાયાત યદુવેન્દ્રસિંહ પોતાને ગોંડલના મહારાજ ગણાવતા હોવાનો હિમાંશુસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">મામલો શું છે?</span></strong><br><span style="font-size: 14pt;">ગયા અઠવાડિયે અમદાવાદમાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં યદુવેન્દ્રસિંહ નામના વ્યક્તિ પોતે ગોંડલ સ્ટેટના યુવરાજ તરીકે ઓળખ આપી કાર્યક્રમોમાં હાજરી આપતા જોવા મળ્યા હતા. ક્ષત્રિય સમાજના કાર્યક્રમોમાં યદુવેન્દ્રસિંહ જાડેજા પોતે ગોંડલના 'યુવરાજ' તરીકે માભો જમાવતા હોવાની વિગતો સોશિયલ મીડિયામાં ફેલાઈ હતી. આ વાત જાણીને ગોંડલનો રાજવી પરીવાર પણ ચોંકી ગયો હતો. અને હવે તેમણે યદુવેન્દ્રસિંહ નામના વ્યક્તિને નકલી ગણાવીને તેની સાથે કોઈપણ જાતના સંબંધ ન હોવાની વાત કરી છે. એટલું જ નહીં, રાજવી પરીવાર યદુવેન્દ્રસિંહ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યો છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોંડલના રાજવી પરિવારના પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજાના મતે 'યદુવેન્દ્રસિંહના પરદાદાએ ગોંડલ રાજ્યની નવ પેઢી પહેલા મતલબ કે ભગવતસિંહજીથી પણ પહેલા વેજાગામ અને દાળીયા ગામના બે ગરાસ અપાયા હતા. એ વર્ષો પહેલાની વાત છે. બાદમાં અને હાલમાં યદુવેન્દ્રસિંહને ગોંડલ રાજવી પરીવાર સાથે કોઈ સંબંધ નથી.' આ સાથે ચેતવણી આપતા રાજવી પરીવારે કહ્યું છે કે, 'કોઈ પણ સંસ્થા કે સમાજે ગોંડલના રાજવી પરિવાર અંગે કોઈ સ્ટેટમેન્ટ આપતા પહેલા અગાઉથી ગોંડલ સ્ટેટની મંજુરી લેવી ફરજિયાત છે.'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ગોંડલ સ્ટેટના રાજા ભગવંતસિંહજીનું ગુજરાતી ભાષામાં મોટું યોગદાન રહ્યું છે. ભગવતસિંહજીના પાંચમા વંશજ અને ગોંડલ સ્ટેટના 17મા મહારાજા હિમાંશુસિંહજી છે. ત્યારે યદુવેન્દ્રસિંહના પોતે યુવરાજ હોવાના દાવાને લઈને બે રાજવી પરિવારો સામસામે આવી ગયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ યાદ રાખવું જોઈએ કે, મહારાજા ભગવતસિંહજી ગુજરાતી ભાષાના સૌપ્રથમ એન્સાઇક્લોપીડિયા ‘ભગવદગોમંડળ’ના રચયિતા હતા. સો વર્ષ પહેલા જ્યારે કોઈ મહિલાઓની લાજ ઉંચી થાય તો પણ સહન નહોતું કરતું ત્યારે ભગવતસિંહજીએ સ્ત્રી કેળવણી અને ફરજિયાત શિક્ષણની શરૂઆત કરી હતી. </span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 28 Sep 2024 20:44:01 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 28 Sep 2024 20:49:40 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1294</Articleid>
                    <excerpt>નકલી પીએમઓ-સીએમઓ અધિકારી, નકલી સિંચાઈ કચેરી, નકલી આઈએએસ-આઈપીએસ, નકલી ટોલનાકા બાદ ગુજરાતનું નવલું નજરાણું- નકલી રાજા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f81d16afc8f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f81d16740f3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f81d16740f3.jpg" length="99102" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Fake King, Gondal State, Gujarat, Fake King controversy</media:keywords>
                </item>
                        <item>
                    <title>કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે FIR નોંધવા આદેશ</title>
                    <link>https://khabarantar.com/order-to-register-fir-against-union-finance-minister-nirmala-sitharaman</link>
                    <guid>https://khabarantar.com/order-to-register-fir-against-union-finance-minister-nirmala-sitharaman</guid>
                    <description>
                        <![CDATA[ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા બળજબરીથી પૈસા વસૂલવાના એક કેસમાં કેન્દ્રીય નાણામંત્રી પર ફરિયાદ નોંધવા આદેશ કરાયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">FIR against Nirmala Sitharaman: ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કથિત રીતે બળજબરીથી પૈસા વસૂલવાના મામલામાં કોર્ટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. આ આદેશ બેંગલુરુની જનપ્રતિનિધિ અદાલતે આપ્યો છે. જનઅધિકાર સંઘર્ષ પરિષદ (JSP)ના સહઅધ્યક્ષ આદર્શ અય્યરે બેંગલુરુ કોર્ટમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશ આપવાની માંગણી કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અનેક નેતાઓ અને અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ</span></strong></span><br><span style="font-size: 14pt;">આદર્શ અય્યરે આરોપ લગાવ્યો હતો કે ધમકીઓ આપીને બળજબરીથી ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. જન અધિકાર સંઘર્ષ પરિષદે ગત વર્ષે એપ્રિલમાં 42મી ACMM કોર્ટમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, ED અધિકારીઓ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કર્ણાટક ભાજપના તત્કાલીન અધ્યક્ષ નલિન કુમાર કટીલ, બી. વાય. વિજયેન્દ્ર વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. કોર્ટે આ ફરિયાદ પર સુનાવણી કરીને બેંગલુરુના તિલક નગર પોલીસ સ્ટેશનને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ખંડણીનો કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે.</span><br><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">પોલીસને FIR નોંધવા સૂચના અપાઈ</span></strong><br><span style="font-size: 14pt;">અરજદારની ફરિયાદ પર વિચાર કર્યા પછી, બેંગલુરુ કોર્ટે બેંગલુરુની તિલક નગર પોલીસને FIR નોંધવાનો નિર્દેશ આપ્યો છે. અરજદાર વતી વરિષ્ઠ વકીલ બાલને દલીલો રજૂ કરી હતી. કેસની સુનાવણી 10 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ચૂંટણી બોન્ડનો વિવાદ શું છે?</span></strong><br><span style="font-size: 14pt;">કેન્દ્ર સરકારે 2018માં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ શરૂ કરી હતી. આ યોજના હેઠળ, સરકાર રાજકીય પક્ષોને મળતા રોકડ દાનને ખતમ કરવાની હતી, જેથી રાજકીય ભંડોળમાં પારદર્શિતા જળવાઈ રહે. એ પછી, લોકો SBI ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપી શકતા હતા. પરંતુ દાન કોણે આપ્યું છે તેનો ખુલાસો થતો નહોતો. ગયા વર્ષે, વિરોધ પક્ષોના આક્ષેપો અને તેની વિરુદ્ધ અનેક અરજીઓ બાદ સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને રદ કરી દીધા હતા.</span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 28 Sep 2024 12:31:05 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1291</Articleid>
                    <excerpt>ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા બળજબરીથી પૈસા વસૂલવાના એક કેસમાં કેન્દ્રીય નાણામંત્રી પર ફરિયાદ નોંધવા આદેશ કરાયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f7a98296abf.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f7a98260271.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f7a98260271.jpg" length="66882" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Nirmala Sitharaman, FIR, Bangalore, Electoral Bonds, Union Finance Minister</media:keywords>
                </item>
                        <item>
                    <title>સસ્તા અનાજની દુકાને રેશન લેવા ગયેલા ખેડૂતને ભાજપનો સભ્ય બનાવી દીધો</title>
                    <link>https://khabarantar.com/a-farmer-who-went-to-buy-ration-at-a-fair-price-shop-became-a-bjp-member</link>
                    <guid>https://khabarantar.com/a-farmer-who-went-to-buy-ration-at-a-fair-price-shop-became-a-bjp-member</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપના સદસ્યતા અભિયાનને લઈને અનેક વિવાદો સામે આવી રહ્યાં છે ત્યારે તેમાં વધુ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">BJP Membership Campaign: હાલ દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. દરેક જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે ભાજપના નેતાઓ, કાર્યકરોને ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે, આટલા સભ્યોને જોડવાના છે. તેના માટે પક્ષ દ્વારા કાર્યક્રમો પણ કરવામાં આવે છે, પરંતુ મોંઘવારી, બેરોજગારી, બેકારી જેવા પ્રશ્નોથી ત્રસ્ત પ્રજા કંટાળી ચૂકી હોવાથી ભાજપના કાર્યક્રમથી સતત દૂર થઈ રહી છે. એવામાં ટાર્ગેટ પુરો કરવા માટે નીચલા સ્તરે બેઠેલા કાર્યકરો જાતભાતના યુક્તિઓ અજમાવી રહ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સદસ્યતા અભિયાન શરૂ થયું ત્યારથી જ ભાજપ બળજબરીથી કે લોકોની જાણ બહાર લોકોને છેતરીને સભ્ય બનાવવાનાં આરોપોને લઈને વિવાદોમાં ઘેરાયેલું છે. ત્યારે ફરીથી ભાજપનું સદસ્યતા અભિયાન સામે પ્રશ્નો ઉભો થયાં છે. આ વખતે સસ્તાં અનાજની દુકાને અનાજ લેવા ગયેલાં એક ખેડૂતની જાણ બહાર તેને ભાજપનો સભ્ય બનાવી દેવાના કારણે હોબાળો મચ્યો છે. </span><br><span style="font-size: 14pt;">જૂનાગઢ જિલ્લાના ચર ગામના જગમાલ પીઠિયા નામના ખેડૂત સસ્તાં અનાજની દુકાને અનાજ લેવા પહોંચ્યા હતાં. જ્યાં દુકાનધારકે ખેડૂતનો મોબાઈલ લઈ તેની જાણ બહાર ભાજપનો સભ્ય બનાવી દીધા હતા. ખેડૂતને જ્યારે મેસેજ મળ્યો ત્યારે તેને ખબર પડી કે, તે ભાજપનો સભ્ય બની ગયો છે. બાદમાં ખેડૂતે સભ્યપદ રદ્દ કરવા માટે ભાજપ કાર્યકરોને વારંવાર ફોન કર્યાં પરંતુ સભ્યપદ રદ્દ કરવામાં ન આવ્યું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમગ્ર મુદ્દે ભાજપના કાર્યકર્તા અને ખેડૂત વચ્ચેની વાતચીતનો ઓડિયો વાઈરલ થયો હતો, જેમાં ખેડૂતે કહ્યું કે, 'તમે કાલે દુકાને આવીને મારી પાસે ફોન લીધો ત્યારે તમારે મને પૂછવું જોઈએ કે નહીં કે, મારા ફોનમાંથી તમે મને ભાજપના સભ્ય બનાવી રહ્યાં છો? તમને કોઈએ સસ્તા અનાજની દુકાનમાં આવો ધંધો કરવાનું કહ્યું છે?' જો કે, વાઈરલ ઓડિયોમાં કાર્યકર દ્વારા ખેડૂતને કોઈપણ નક્કર જવાબ આપવામાં આવ્યો ન હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વિશે ખેડૂતે જણાવ્યું કે, 'સભ્ય બનવાનો મેસેજ આવતા મેં કાર્યકરને ઘણાં ફોન કર્યાં પણ મારો એકપણ ફોન તેણે ઉપાડ્યો નહીં. ત્યારબાદ બીજા દિવસે મને સામેથી ફોન કર્યો. ત્યારે મેં કહ્યું કે, 'ભાઈ તમે દુકાનમાં આવીને મારો ફોન લઈ મને ભાજપનો સભ્ય બનાવી દીધો એ કેટલું યોગ્ય? મને તો એવું હતું કે, તમે સસ્તા અનાજની કુપન માટે કેવાયસી કરાવવા માટે ફોન લીધો હતો. તમે મને ભાજપનો સભ્ય કેમ બનાવી દીધો? હું કોંગ્રેસનો કે ભાજપનો માણસ નથી. મને કોઈ વસ્તુમાં રસ નથી. હું એક ખેડૂતનો દીકરો છું અને મને સભ્ય બનાવ્યો તેનું પણ મને દુઃખ નથી પણ મને જાણ તો કરવી જોઈએ ને? ખેડૂત સાથે આવું થાય તે વાજબી નથી.'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/scam-of-turning-civil-hospital-patients-into-bjp-members-was-caught">સિવિલ હોસ્પિટલના દર્દીઓને ભાજપના સભ્ય બનાવી દેવાનું કૌભાંડ ઝડપાયું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 28 Sep 2024 10:19:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1290</Articleid>
                    <excerpt>ભાજપના સદસ્યતા અભિયાનને લઈને અનેક વિવાદો સામે આવી રહ્યાં છે ત્યારે તેમાં વધુ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f788efe5e84.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f788efb043d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f788efb043d.jpg" length="123684" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BJP Membership Campaign, BJP for Gujarat, Gujarat</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતમાં 14,820 પોલીસની ભરતી કરાશે, ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત</title>
                    <link>https://khabarantar.com/14820-police-will-be-recruited-in-gujarat-announced-by-the-minister-of-state-for-home</link>
                    <guid>https://khabarantar.com/14820-police-will-be-recruited-in-gujarat-announced-by-the-minister-of-state-for-home</guid>
                    <description>
                        <![CDATA[ રાજ્યમાં પોલીસ સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા યુવાનો માટે મહત્વના સમાચાર આવ્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓ માટે આજે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે કહ્યું કે, વર્ષ 2025માં રાજ્ય પોલીસ દળમાં 14,820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા પર સીધી ભરતી કરાશે. વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ 12,472 જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ સીધી ભરતીની કાર્યવાહી કરાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૃહરાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં 129 SRPFના હથિયારી PSI, 126 વાયરલેસ PSI, 35 MT PSI, 551 ટેકનીકલ ઓપરેટર, 45 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-1, 26 મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર, ગ્રેડ-2, 135 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-2, 7218 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3010 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3214 SRFPના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 300 જેલ સિપાઈ(પુરુષ) અને 31 જેલ સિપાઈ(મહિલા) સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઉપરાંત વર્ષ-2025માં પોલીસ ખાતાની કચેરીઓની સીનીયર ક્લાર્કની 45 તથા જુનીયર ક્લાર્કની 200 જગ્યાઓ મળી કુલ-245 જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી હાથ ધરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટૂંકમાં આવતું વર્ષ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા યુવાનો માટે ખૂબ જ મહત્વનું સાબિત થાય તેમ છે. તો અત્યારથી જ તૈયારીમાં લાગી જાવ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/from-the-next-academic-year-2024-25-the-books-of-class-1-to-12-will-change">આગામી શૈક્ષણિક વર્ષ 2024-25થી ધોરણ 1 થી 12 ના પુસ્તકો બદલાશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 27 Sep 2024 21:35:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1288</Articleid>
                    <excerpt>રાજ્યમાં પોલીસ સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા યુવાનો માટે મહત્વના સમાચાર આવ્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f6d66ba4624.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f6d66b6fb1f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f6d66b6fb1f.jpg" length="73067" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Police recruitment, Gujarat Secondary Service Selection Board, Govt Job recruitment 2025</media:keywords>
                </item>
                        <item>
                    <title>અનુસૂચિત જાતિનું અપમાન કરતા 14 ગામોના નામ બદલવા રજૂઆત કરાઈ</title>
                    <link>https://khabarantar.com/it-was-proposed-to-change-the-names-of-14-villages-insulting-scheduled-castes</link>
                    <guid>https://khabarantar.com/it-was-proposed-to-change-the-names-of-14-villages-insulting-scheduled-castes</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં અનુસૂચિત જાતિનું અપમાન કરતા 14 ગામોના નામ બદલવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં એવા ઘણાં ગામોમાં આવેલા છે જે સ્પષ્ટ રીતે અનુસૂચિત જાતિ સમાજનું ખૂલ્લેઆમ અપમાન કરતા હોય છે. આઝાદીકાળમાં આવા અનેક ગામોને તોછડી રીતે સંબોધીને આડકતરી (કે સીધી રીતે) સમસ્ત અનુ. જાતિ સમાજનું અપમાન કરવામાં આવતું હતું. દેશ આઝાદ થયો એ પછી પણ આવા અનેક ગામોના નામોમાં ફેરફાર કરાયો નથી. જેના કારણે રાજ્યભરમાં હજુ પણ એવા ગામો અસ્તિત્વ ધરાવે છે જે છડેચોક અનુસૂચિત જાતિ સમાજનું અપમાન કરતા હોય. આવા 14 ગામોના નામ બદલવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધીનગર સ્થિત દલિત અધિકાર સંઘ-ગુજરાત દ્વારા અનુસૂચિત જાતિઓનું અપમાન કરતા આવા 14 ગામોની યાદી તૈયાર કરીને તેના નામ બદલવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66f673c27f2de.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત અધિકાર સંઘ-ગુજરાતના પ્રમુખ જીતુભાઈ વાઘેલા અને અલ્પેશભાઈ વાઘેલાના લેટરહેડ પર કરવામાં આવેલી અરજીમાં મુખ્યમંત્રીને સંબોધીને કહેવામાં આવ્યું છે કે, રાજય સરકારે વર્ષ ૧૯૮૦-૮૧ માં જિલ્લા વહીવટી તંત્ર/શાળાઓ/કોલેજો તથા તમામ પ્રકારના રેવન્યુ રેકર્ડમાં કોઈ જગ્યાએ "હરિજન" કે "ગિરીજન" શબ્દ પ્રયોગ કરવો નહીં, તેના બદલે "અનુસૂચિત જાતિ" તથા "અનુસૂચિત જનજાતિ" તેવા શબ્દો વાપરવા જોઈએ.</span><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજ પ્રકારે રાજયની અનુસૂચિત જાતિઓની કેટલીક પેટા જાતિઓ જેવી કે "ઢેઢ", "ઢેઢ બાવા", "ભંગી", "સેનમા", "ગરો", "ગરોડા", "ચમાર" આ પ્રકારના ઉચ્ચારને પણ અપમાનજનક ગણીને અનુસૂચિત જાતિઓની ગરીમા જળવાઇ રહે તે હેતુથી, ઉપર મુજબના શબ્દોનો કોઇ જગ્યાએ ઉલ્લેખ ન કરતાં તેના પર્યાય શબ્દો જેવાં કે, "વણકર-સાધુ", "વાલ્મિકી", "સેનવા", "ગુરૂ બ્રાહ્મણ" કે "રોહિત" શબ્દોનો ઉપયોગ કરવાની વખતોવખત રાજય સરકારે સૂચનાઓ આપી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(186, 55, 42);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/exclusive-national-scheduled-caste-commission-office-in-ahmedabad-rambharos-ninety-percent-staff-reduction">EXCLUSIVE: અમદાવાદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની કચેરી રામભરોસે, 90 ટકા સ્ટાફની ઘટ</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66f673dd68b77.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમ છતાં રાજ્યમાં એવા અનેક ગામો છે જેના સીધી કે આડકતરી રીતે અનુસૂચિત જાતિઓનું અપમાન થાય છે તેથી તે ગામોના નામ બદલવા જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજીમાં આગળ લખ્યું છે કે, રાજયના કેટલાંક જિલ્લાઓમાં અનુસૂચિત જાતિઓ માટે અપમાનજનક ગામોના નામ છે. જે સુધારવા માટે અમે તા. ૨૬/૧૧/૨૦૧૮ ના પત્રથી તત્કાલિન માન. મુખ્યમંત્રીશ્રીને રજુઆત પણ કરેલ હતી. તેની અરજી પણ મોકલીએ છીએ અને આ અપમાનજનક નામ ધરાવતા ગામોના નામો બદલવા રજૂઆત કરીએ છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ક્રમ      ગામનું નામ        તાલુકો           જિલ્લો</span><br><span style="font-size: 14pt;">1        ઢેઢખૂણાનેસ       જામજોધપુર     જામનગર</span><br><span style="font-size: 14pt;">2        ઢેઢીયાનેસ          જામજોધપુર     જામનગર</span><br><span style="font-size: 14pt;">3        ઢેઢ ખીજડીયા     કાલાવાડ         જામનગર</span><br><span style="font-size: 14pt;">4        ઢેઢુડી                 જસદણ          રાજકોટ</span><br><span style="font-size: 14pt;">5        ચમારડી             ભાવનગર        ભાવનગર</span><br><span style="font-size: 14pt;">6        ઢેઢુકી                સાયલા            સુરેન્દ્રનગર</span><br><span style="font-size: 14pt;">7        ઢેઢપરા              લખપત           કચ્છ</span><br><span style="font-size: 14pt;">8        ઢેઢડી                લખપત           કચ્છ</span><br><span style="font-size: 14pt;">9        વાસણ ઢેઢાળ     સાણંદ            અમદાવાદ</span><br><span style="font-size: 14pt;">10      ઢેઢાસણ            વિરમગામ        અમદાવાદ</span><br><span style="font-size: 14pt;">11      ઢેઢાળ                બાવળા          અમદાવાદ</span><br><span style="font-size: 14pt;">12      ઢેડીયા               ઝાલોદ            પંચમહાલ</span><br><span style="font-size: 14pt;">13      ઢેડીયાનો નળો   ઝાલોદ             પંચમહાલ</span><br><span style="font-size: 14pt;">14      ઢેઢાલ               ડીસા                બનાસકાંઠા</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજીમાં જણાવાયું છે કે, ઉપરોકત ગામોના નામો સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ માટે આપમાનજનક છે. કેમ કે, અનુસૂચિત જાતિઓ માટે બીન અનુસૂચિત જાતિના ઇસમો દ્વારા આ શબ્દોનો વારંવાર ઉપયોગ થતો હોવાનું એટ્રોસિટીના કેસમાં આપણે જોએએ છીએ. રાજયની ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓએ આ ગામોના નામો બદલીને અનુસૂચિત જાતિના લોકોને ગરીમા બક્ષવા સરકારમાં અગાઉ પણ રજુઆતો કરી છે. પરંતુ કોઇ જ નક્કર પગલાં કેમ લેવાયા નથી. હાલમાં કેટલાંક રાજયના શહેરો અને રેલ્વે સ્ટેશનોના નામો બદલવામાં આવી રહ્યાં છે ત્યારે અનુસૂચિત જાતિ સમાજ માટેના ઉપર જણાવેલ ગામો તથા આ સિવાયના જો કોઈ ગામો હોય તો તે તમામના નામો તાત્કાલિક અસરથી બદલવાના હુકમ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે વધુ કોઈપણ જાણકારી માટે દલિત અધિકાર સંઘ-ગુજરાતના નીચે મુજબ આપેલા હોદ્દેદારોનો સંપર્ક કરી શકો છો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">પી.બી. શ્રીમાળી - પ્રદેશ ઉપપ્રમુખ (મો. ૯૮૨૫૫૬૩૮૪૮)</span></strong></span><br><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;"></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">વી.એલ.જાદવ - પ્રદેશ મહામંત્રી (મો. ૯૯૦૯૦૮૮૦૭૫)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-national-sc-Commission-has-sought-answers-from-the-gujarat-government-on-as-many-as-40-issues">રાષ્ટ્રીય SC આયોગે 40 જેટલા મુદ્દે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 27 Sep 2024 14:36:44 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1284</Articleid>
                    <excerpt>ગુજરાતમાં અનુસૂચિત જાતિનું અપમાન કરતા 14 ગામોના નામ બદલવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f673a9226b0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f673a8e152b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f673a8e152b.jpg" length="96498" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Scheduled Caste, Changing names of villages</media:keywords>
                </item>
                        <item>
                    <title>IIM લખનઉમાં જાતિવાદઃ 86 ટકા ફેકલ્ટી સવર્ણ, SC 2 ટકા, ST ઝીરો</title>
                    <link>https://khabarantar.com/casteism-at-iim-lucknow-86-percent-faculty-are-general-sc-2-percent-st-zero</link>
                    <guid>https://khabarantar.com/casteism-at-iim-lucknow-86-percent-faculty-are-general-sc-2-percent-st-zero</guid>
                    <description>
                        <![CDATA[ IIM ઈન્દોર અને IIM ત્રિચી બાદ હવે IIM લખનઉનું જાતિવાદી ચરિત્ર સામે આવ્યું છે. વાંચો આ રિપોર્ટ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Racism IIM Lucknow: દેશની ઉચ્ચ સરકારી શિક્ષણ સંસ્થાઓમાં જાતિવાદનો સડો આમ તો સદીઓ જૂનો છે. પણ હવે દેશના દલિતો, આદિવાસીઓ અને ઓબીસી જેમ જાગૃત થતા જાય છે તેમ તેમ આ સડો જાહેરમાં આવવા લાગ્યો છે. વગર અનામતે સદીઓથી શિક્ષણ જગતમાં એકહથ્થુ સાશન ભોગવતા લોકો આ ફિલ્ડમાં દલિતો, આદિવાસીઓ, ઓબીસી ઘૂસી ન જાય તેની પુરી તકેદારી રાખે છે. એટલે જ સદીઓથી શિક્ષણ ક્ષેત્રમાં એક ચોક્કસ જાતિના જ લોકોનો દબદબો જોવા મળે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થોડાં દિવસ પહેલા આઈઆઈએમ ઈન્દોર(IIM Indore) અને ત્રિચી(IIM Trichy)માં એસસી, એસટી, ઓબીસી ફેકલ્ટીઓનું પ્રતિનિધિત્વ કેટલું ઓછું છે તેનો એક રિપોર્ટ સામે આવ્યો હતો. તેમાં દલિત, આદિવાસી, ઓબીસી(SC, ST, OBC) પ્રોફેસરોની સમ ખાવા પુરતી જગ્યાઓ પણ માંડ માંડ ભરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે જનરલ ક્વોટાની મોટાભાગની સીટો સમયસર ભરવામાં આવતી હતી. આ સ્પષ્ટપણે જાતિવાદ છે અને આવું વધુ એક મોટું ષડયંત્ર આઈઆઈએમ લખનઉ(IIM Lucknow)માં પણ સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">IIM Lucknow માં 103 ફેકલ્ટી પોસ્ટમાંથી 86 ટકા જનરલ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓલ ઈન્ડિયા ઓબીસી સ્ટુડન્ટ્સ એસોસિએશન (AIOBCSA) ના રાષ્ટ્રીય અધ્યક્ષ કિરણ કુમાર ગૌડ(Kiran Kumar Goud) દ્વારા દાખલ કરવામાં આવેલી આરટીઆઈ(RTI) અરજીમાં વિવિધ કેટેગરીમાં ફાળવવામાં આવેલી ફેકલ્ટી પોસ્ટ્સ અંગેના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. IIM Lucknow માં કુલ 103 ફેકલ્ટી પોસ્ટ્સ છે, જેમાંથી મોટા ભાગના જનરલ કેટેગરીના ઉમેદવારો દ્વારા ભરવામાં આવી છે. નીચેના આંકડાઓ પર નજર કરશો તો ખ્યાલ આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">GENERAL - 88 (85.43%)</span><br><span style="font-size: 14pt;">OBC - 3 (2.9%)</span><br><span style="font-size: 14pt;">SC - 2 (1.9%)</span><br><span style="font-size: 14pt;">ST - 0 (0%)</span><br><span style="font-size: 14pt;">EWS - 0</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આંકડાઓ સિવાય, સંસ્થામાં હજુ પણ OBC, SC ની એક એક, ST ની 2 અને જનરલની 6 જગ્યાઓ ખાલી પડી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/Fear-of-discrimination-in-IIT-Campus-Placement,-companies-are-seeking-caste-information-of-SCSTOBC-students"><strong> IIT Campus Placement માં ભેદભાવનો ભય, કંપનીઓ માંગી રહી છે SC/ST/OBC વિદ્યાર્થીઓની જાતિની માહિતી</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આંકડાઓ ચિંતાજનક છે. કેમ કે તેમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજના લોકોનો માત્ર એક નાનો હિસ્સો ભરવામાં આવે છે, જેનાથી IIM લખનૌની વિવિધતા અને સમાવેશ માટેની પ્રતિબદ્ધતા વિશે ગંભીર પ્રશ્નો ઉભા થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરટીઆઈ કરનાર શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આરટીઆઈ કરનાર એક્ટિવિસ્ટ કિરણ કુમાર ગૌડ જણાવે છે કે, “આઈઆઈટી અને આઈઆઈએમમાં ​વિવિધ જાતિના લોકોનું કેટલું પ્રતિનિધિત્વ છે, તેના વિશે મેં કરેલી આરટીઆઈમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. મોટાભાગની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં તીવ્ર જાતિવાદ પ્રવર્તે છે અને  વિવિધતા તથા સર્વસમાવેશકતાનો તીવ્ર અભાવ જોવા મળે છે, જે કોઈ કાળે ચલાવી લેવાય તેમ નથી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કિરણ ગૌડે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "IITs અને IIMs માં SC, ST અને OBC સમુદાયોનું પ્રતિનિધિત્વ સુધારવું જોઈએ. જેથી બંધારણીય જોગવાઈઓનું પાલન થઈ શકે અને વિવિધતા તથા વધુ સમાવેશનને પ્રોત્સાહન મળી શકે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">10 આઈઆઈટી-આઈઆઈએમે આરટીઆઈનો જવાબ આપ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કિરણ ગૌડે જણાવ્યું હતું કે, તેમને અત્યાર સુધીમાં 10 IIT અને IIMs તરફથી જવાબો મળ્યાં છે અને બાકીની સંસ્થાઓના જવાબની રાહ જોવાઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું, “અમે આ મુદ્દો પહેલેથી જ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન સમક્ષ ઉઠાવ્યો છે, જેઓ આ બાબતથી સારી રીતે વાકેફ છે. સરકારે આ સંસ્થાઓમાં વિવિધતા અને સમાવેશ વધારવા માટે તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા જોઈએ. વિરોધ પક્ષોના નેતાઓએ પણ આ મુદ્દો સંસદમાં ઉઠાવવો જોઈએ. નહીંતર અમે આ અન્યાય સામે લોકશાહી ઢબે વિરોધ નોંધાવીશું."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બહુજન સંગઠનો અને વિદ્યાર્થી સંગઠનોમાં આક્રોશ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આરટીઆઈમાં થયેલા ઘટસ્ફોટથી બહુજન સમાજના સંગઠનો અને વિદ્યાર્થી સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે. તેઓ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ચાલતા જાતિવાદ અને સામાજિક ન્યાયના સિદ્ધાંતોના સ્પષ્ટ ઉલ્લંઘન પર ગુસ્સે ભરાયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/Fear-of-discrimination-in-IIT-Campus-Placement,-companies-are-seeking-caste-information-of-SCSTOBC-students"><strong> </strong></a> <a href="https://khabarantar.com/the-higher-the-education-the-lower-the-job-opportunities-reports-ilo"><strong>શિક્ષણ જેટલું વધુ, નોકરીની તકો એટલી ઓછીઃ ILOનો રિપોર્ટ</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન અધિકાર કાર્યકર્તા અનિલ વાગડે દલીલ કરે છે કે, ફેકલ્ટી હોદ્દા પર હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજોનું સતત ઓછું પ્રતિનિધિત્વ માત્ર બંધારણીય ગેરંટીનું જ ઉલ્લંઘન નથી કરતું પરંતુ આ ઐતિહાસિક રીતે વંચિત જૂથોની શૈક્ષણિક અપેક્ષાઓને પણ નબળી પાડે છે. OBC, SC અને ST કેટેગરીમાંથી ફેકલ્ટીની નિમણૂકમાં સ્પષ્ટ રીતે જાતિવાદ દેખાય છે. સરકાર જનરલ કેટેગરીની સીટો તો નિયમિત રીતે ભરે છે, પણ અનામત કેટેગરીની નિમણૂંકોમાં ભયંકર જાતિવાદ દાખવે છે અને તે આ આંકડાઓમાં દેખાઈ આવે છે. આ આરટીઆઈએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સદીઓથી જડ ઘાલી ગયેલા જાતિવાદને ફરીથી ઉજાગર કરી દીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદ્રશેખર આઝાદે પણ સવાલ ઉઠાવ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નગીનાના સાંસદ અને ભીમ આર્મી(Bhim Army)ના વડા ચંદ્રશેખર આઝાદે(Chandrasekhar Azad) પણ વિવિધ આઈઆઈએમમાં અનામત ફેકલ્ટી પોસ્ટ્સ પર ભરતીમાં સતત આવતી અડચણોને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચંદ્રેશખરે આ આંકડાઓને વંચિત સમુદાયોના અધિકારોના હકો પર તરાપ મારવાનું કાવતરું ગણાવ્યું હતું. તેમણે સુપ્રીમ કોર્ટને આ ગેરબંધારણીય વર્ગીકરણમાં હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદ્રશેખર શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને આડે હાથ લીધાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચંદ્રશેખરે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન(Dharmendra Pradhan)ને પણ આડે હાથ લેતા કહ્યું કે, તેઓ સામાજિક ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરે તેવી અપેક્ષા નથી, પરંતુ તેમણે ભરતી પ્રક્રિયા દરમિયાન બંધારણ દ્વારા ફરજિયાત કરવામાં આવેલી અનામતનો આદર કરવો જોઈએ અને એ મુજબ ભરતી કરવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/dalits-share-only-2.6-percent-of-the-countrys-wealth-89-percent-of-the-general"><strong>દેશની સંપત્તિમાં દલિતોનો હિસ્સો ફક્ત 2.6 ટકા, જનરલનો 89 ટકા</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 27 Sep 2024 12:33:50 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 27 Sep 2024 12:36:14 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1283</Articleid>
                    <excerpt>IIM ઈન્દોર અને IIM ત્રિચી બાદ હવે IIM લખનઉનું જાતિવાદી ચરિત્ર સામે આવ્યું છે. વાંચો આ રિપોર્ટ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f6573b33ffa.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f6573aea599.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f6573aea599.jpg" length="93899" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>IIM Lucknow, Racism in IIMs, Ignoring the reservation, Chandrasekhar Azad, Bhim Army, SC, ST, OBC</media:keywords>
                </item>
                        <item>
                    <title>આગામી શૈક્ષણિક વર્ષ 2024&amp;25થી ધોરણ 1 થી 12 ના પુસ્તકો બદલાશે</title>
                    <link>https://khabarantar.com/from-the-next-academic-year-2024-25-the-books-of-class-1-to-12-will-change</link>
                    <guid>https://khabarantar.com/from-the-next-academic-year-2024-25-the-books-of-class-1-to-12-will-change</guid>
                    <description>
                        <![CDATA[ આગામી શૈક્ષણિક વર્ષથી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર થશે.   ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્ર સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-202 અંતર્ગત ગુજરાતમાં આગામી શૈક્ષણિક વર્ષ 2024-25થી શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવશે. જેમાં કેટલાક ધોરણના પુસ્તકો નવા આવશે. જેમાં ધોરણ 3થી 6માં એનસીઇઆરટી મુજબ પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરવા માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 તૈયાર કરીને તેનો અમલ દેશભરમાં કરવામાં આવે તેવું આયોજન કરાયું છે. જેના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રની નવી રાષ્ટ્રીય શિક્ષણ 2020 અંતર્ગત ગુજરાતની શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજન થઈ રહ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા રાજયમાં આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી એટલે કે આગામી જૂન મહિનાથી શરૂ થતાં શૈક્ષણિક વર્ષથી ધોરણ 1 અને 2માં ગુજરાતી અને ગુજરાતી દ્વિભાષાનું નવું પુસ્તક અમલમાં લાવવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 3 થી 6માં પર્યાવરણ અને વિજ્ઞાનના નવા પુસ્તકો અમલમાં મૂકવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/10-percent-increase-in-class-10-12-examination-fee-will-hurt-the-education-seeking-Bahujan-society.">ધોરણ 10-12ની પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો શિક્ષણ ઝંખતા બહુજન સમાજને નડશે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત રાજયમાં 20 જેટલા પુસ્તકોમાં બદલાવ કરવામાં આવશે. તો કેટલાક પુસ્તકમાં અમુક પ્રકરણો બદલવામાં આવ્યા છે. તો કેટલાક વિષયમાં સમગ્ર પુસ્તક બદલવામાં આવશે. જેના ભાગરૂપે ધોરણ 1 અને 2માં ગુજરાતી અને ગુજરાતી દ્વિભાષાનું નવું પુસ્તક આવશે. ધોરણ 3થી 6માં પર્યાવરણ અને વિજ્ઞાનના વિષયના સમગ્ર નવા પુસ્તક અમલમાં આવશે. આ ઉપરાંત ધોરણ 6માં અંગેજી વિષાણુ પુસ્તક ફેરફાર સાથે આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઉપરાંત ધોરણ 12માં અર્થશાસ્ત્ર વિષયનું એક નવું પુસ્તક ઉમેરવામાં આવશે તેમ શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/how-will-gujarat-learn-in-this"><strong>આમાં કેવી રીતે 'ભણશે ગુજરાત'?</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 26 Sep 2024 21:23:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1280</Articleid>
                    <excerpt>આગામી શૈક્ષણિક વર્ષથી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર થશે.  </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f581829d38c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f581825b42b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f581825b42b.jpg" length="107976" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Academic year 2024-25, New National Education Policy, Books of class 1 to 12 will be changed</media:keywords>
                </item>
                        <item>
                    <title>લતા મંગેશકરે ડૉ.આંબેડકરનું એક પણ ગીત કેમ ન ગાયું?</title>
                    <link>https://khabarantar.com/why-lata-mangeshkar-did-not-sing-a-single-song-of-dr-ambedkar</link>
                    <guid>https://khabarantar.com/why-lata-mangeshkar-did-not-sing-a-single-song-of-dr-ambedkar</guid>
                    <description>
                        <![CDATA[ બે દિવસ પછી લતા મંગેશકરનો જન્મદિવસ આવશે. આજે ભલે તેઓ જીવીત નથી, પરંતુ આ સવાલ કાયમ આ દેશના બહુજનોને ખટકે છે. જાણો શું છે તેની પાછળનું કારણ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બે દિવસ પછી કોકિલકંઠી કહેવાતા લતા મંગેશકરનો જન્મદિવસ છે. તેમણે ગાયેલા ગીતોને કારણે આજે પણ લોકો તેમને યાદ કરે છે. પણ છેલ્લાં કેટલાક વર્ષોમાં જે રીતે મહારાષ્ટ્રથી લઈને દેશભરમાં ડૉ. આંબેડકરના ગીતો લોકપ્રિયતાની નવી ઊંચાઈ હાંસિલ કરી રહ્યાં છે ત્યારે બહુજન સમાજને એક પ્રશ્ન લાંબા સમયથી સતાવી રહ્યો છે કે, લતાજીએ ડૉ. આંબેડકરનું એકપણ ગીત કેમ ન ગાયું? ચાલો આ સવાલનો જવાબ મેળવવા પ્રયત્ન કરીએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લતા મંગેશકર એક પાર્શ્વ ગાયિકા અને સંગીતકાર પણ હતા. તેમનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેઓ ભારતના સૌથી લોકપ્રિય અને આદરણીય ગાયિકા પૈકીના એક હતા, જેમની છ દાયકાની કારકિર્દી સિદ્ધિઓથી ભરપૂર રહી હતી. લતા મંગેશકરે 30 થી વધુ ભાષાઓમાં ફિલ્મો અને નોન ફિલ્મો ગીતો ગાયા છે. છ દાયકાની કારકિર્દીમાં તેમણે ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશમાં ફિલ્મી ગીતો ગાયા છે. તેમના ગીતો અને અવાજ નેપાળના લોકોને એક કરનાર તત્વોમાંનું એક હતું. ભારતીય સંગીતમાં તેમના યોગદાનને કારણે તેમને ક્વિન ઓફ મેલોડી અને વોઈસ ઓફ ધ મિલેનિયમનું બિરુદ્દ આપવામાં આવ્યું હતું. લતા મંગેશકર ભારતના સૌથી લોકપ્રિય ગાયિકા હતા અને તેમણે પોતાની ગાયિકીથી કાયમ ગૌરવ અપાવ્યું છે. ભારતની આ કોકિલાએ 6 ફેબ્રુઆરી 2022ના રોજ આ દુનિયાને અલવિદા કહી દીધું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લતાજીએ 6550 ગીતો ગાયા પણ બાબાસાહેબ પર એક ગીત નહીં</span></strong></span><br><span style="font-size: 14pt;">લતા મંગેશકર તેમના સમગ્ર જીવનમાં કુલ 6550 ગીતો ગાયા છે. 'લતા સમગ્ર' નામના એક પુસ્તકમાં તેમણે વર્ષ 2014 સુધી ગાયેલા ગીતોની યાદી છે. આ પુસ્તકમાં આપેલી માહિતી પ્રમાણે લતા મંગેશકરે જે ગીતો ગાયા તેમાં હિન્દી ફિલ્મી ગીતો 5328, નોન ફિલ્મી ગીતો 198, રિલીઝ ન થયેલા ગીતો 127, મરાઠી 405, બંગાળી 206, સંસ્કૃત 24, ગુજરાતી 48, પંજાબી 69 અન્યએ </span><span style="font-size: 14pt;">ગાયેલા ગીતોના 38 સંસ્કરણ અને 48 અન્ય ગીતો સામેલ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લતા મંગેશકરે તેમની કારકિર્દીમાં લગભગ તમામ વિષયો પર ગીતો ગાયા હતા. ભાષાઓ પર મજબૂત પકડ હોવાને કારણે તેમણે અનેક ભાષાઓમાં હજારો ગીતો ગાયા, પરંતુ શું તમે જાણો છો કે લતા મંગેશકરે પોતાની આખી કારકિર્દીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર માટે એક પણ ગીત ગાયું નથી? શું તમે ક્યારેય વિચાર્યું છે કે સૂરસામ્રાજ્ઞી લતા મંગેશકરે બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર માટે એક પણ ગીત કેમ ન ગાયું? તમારા મગજમાં આ વિચાર ભાગ્યે જ આવ્યો હશે. જો તમે આ વિશે ક્યારેય વિચાર્યું છે, તો ચાલો જાણીએ કે આખરે લતા મંગેશકરે ડો. આંબેડકરનું એક પણ ગીત કેમ ન ગાયું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લતાજી ડો. આંબેડકરને રૂબરૂ મળી ચૂક્યા હતા</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મિત્રો વર્ષ 2020માં ડો. બાબાસાહેબ આંબેડકરની 129મી જન્મજયંતિ હતી ત્યારે લતા મંગેશકરે તેમને યાદ કર્યા હતા. તેમણે એ પળોને પણ યાદ કરી હતી જ્યારે તેઓ પ્રત્યક્ષ રીતે તેમને મળ્યા હતા. તેમના આ નિવેદન પરથી આપણને ખ્યાલ આવે છે કે, લતાજી બાબાસાહેબને રૂબરૂ મળી ચૂક્યા હતા. બાબાસાહેબની 129મી જન્મજયંતિ પર લતાજીએ મહાનાયક આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે, "હું ભારતના મહામાનવ, ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરને પ્રત્યક્ષ રૂપે મળી ચૂકી છું અને મારું એ સદભાગ્ય છે કે મેં એમને મારી સગી આંખે જોયા છે."</span><br><span style="font-size: 14pt;">એવું પણ કહેવાય છે કે, લતાજી ડો. આંબેડકરનો ખૂબ જ આદર કરતા હતા. જો કે, એ પછી સવાલ એ ઉભો થાય છે કે, તેઓ બાબાસાહેબને મળી ચૂક્યા હતા અને તેમનું સન્માન પણ કરતા હતા, તો પછી એવું ક્યું કારણ હતું જેના કારણે તેમણે ડો. આંબેડકર પર એકપણ ગીત ન ગાયું?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>વામન દાદા લતાજી પાસે પ્રસ્તાવ લઈને ગયા હતા</strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">જો આપણે ઈતિહાસમાં જઈને જોઈએ તો એક એવી વ્યક્તિ પણ મળી આવે છે, જે ઈચ્છતી હતી કે લતા મંગેશકર ડો. આંબેડકર પર એક ગીત ચોક્કસ ગાય. તે વ્યક્તિનું નામ હતું વામન દાદા. તેઓ એક મરાઠી કવિ અને ડો. આંબેડકરના આંદોલનના કાર્યકર હતા. વામન દાદાએ પોતાના સશક્ત અવાજ અને પ્રભાવશાળી લેખન થકી ડો. આંબેડકરના વિચારોને મહારાષ્ટ્રના ગામેગામ અને છેવાડાના ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું. તેઓ એમ માનતા હતા કે લતાજીએ ડો. આંબેડકર પર એક ગીત તો ચોક્કસ ગાવું જોઈએ. આમ વિચારીને તેઓ લતાજીના ઘરે ગયા અને તેમની સમક્ષ આ પ્રસ્તાવ પણ મૂક્યો. પણ લતાજીએ તેમના પ્રસ્તાવને બહુ ગંભીરતાથી ન લીધો. વામન દાદાને તેમણે જમાડ્યા, બીજી આડીઅવળી વાતો કરી પણ તેમનું ધ્યાન ન તો વામન દાદાના ડો. આંબેડકર પરનું ગીત ગાવાના પ્રસ્તાવ પર ગયું, ન તેમણે એ ઓફર પર તેમણે કોઈ નિવેદન કર્યું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તમે માત્ર મૂર્તિઓ માટે જ ગાવ, માણસ માટે નહીં...</span></strong></span><br><span style="font-size: 14pt;">વામન દાદા સિવાય બીજી પણ એક વ્યક્તિ હતી જે લતાજી પાસે ડો. આંબેડકરનું ગીત ગવડાવવા માંગતી હતી, પરંતુ એ વ્યક્તિને પણ છેલ્લે નિરાશા જ હાથ લાગી હતી. એ પછી લોકોના મનમાં ખાસ કરીને બહુજન સમાજમાં, લતાજી પ્રત્યે ભારે ગુસ્સો અને નારાજગી જોવા મળી હતી. એક જાણીતા કવિ રવિચંદ્રન હરિશંકરે તો ત્યાં સુધી કહી દીધું હતું કે, તમે માત્ર મૂર્તિઓ માટે ગીતો ગાવ, માણસ માટે નહીં. જો કે, એ પછી પણ સ્પષ્ટ રીતે એ સવાલનો જવાબ નહોતો મળતો કે આખરે લતાજીએ શા માટે ડો. આંબેડકર પર ગીત નહોતું ગાયું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લતાજી અને ડો. આંબેડકર વચ્ચે વિચારધારાના પ્રશ્નો નડ્યાં?</span></strong></span><br><span style="font-size: 14pt;">અમુક લોકોનું કહેવું છે કે, લતા મંગેશકર બ્રાહ્મણવાદનો શિકાર થયેલા હતા અને ડો. આંબેડકર બ્રાહ્મણવાદના વિરોધી હતા. તેનું જ કારણ છે કે, તેમણે બાબાસાહેબ પર એકપણ ગીત નહોતું ગાયું.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/A.-L.-SYED:-The-master-artist-who-photographed-Mughal-e-Azam-to-Dilipkumars-wedding">A. L. SYED: મુગલ-એ-આઝમ થી દિલીપકુમાર ના લગ્ન સુધીના ફોટો લેનાર માસ્ટર આર્ટિસ્ટ</a></span></span></strong><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે અમુક લોકોનું કહેવું છે કે, લતાજી ડો. આંબેડકર માટે ગીત ગાવા ઈચ્છતા હતા પણ તેમને એ તક આપવામાં નહોતી આવી. આ મામલે ડો. આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરને કોઈએ સવાલ કર્યો કે લતાજી શા માટે બાબાસાહેબ પર એકપણ ગીત નથી ગાયું. તો તેમણે કહ્યું કે, "દરેકના પોતાના કામને લઈને ચોક્કસ સિદ્ધાંતો હોય છે. લતાજીના પણ અમુક સિદ્ધાંતો હશે. જે રીતે તેમણે બાબાસાહેબ વિશે નથી ગાયું, તેમ તેમણે ગાંધી, સરદાર કે નહેરૂના ગીતો પણ નથી ગાયા."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મહાનાયક આંબેડકરના ગીતો, ભજનો ભારે લોકપ્રિય છે</span></strong></span><br><span style="font-size: 14pt;">બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરને બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે, તેઓ સમાજ સુધારક, અર્થશાસ્ત્રના જિનિયસ, રાજનીતિજ્ઞ હતા. દલિતો, પછાતો માટે તેણે આજીવન સંઘર્ષ કર્યો હતો. ભારતીય સમાજમાં ન્યાય અને સમતા માટે તેમણે જીવન ખર્ચી દીધું હતું. તેમના કાર્યોને ન માત્ર ભારત પરંતુ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત છે. તેમના સંશોધનો, થિયરી અને લખાણોએ વૈશ્વિક સ્તરે આગવો પ્રભાવ પાડ્યો હતો. તેમના આદર્શો અને પાઠોને જનજન સુધી પહોંચાડવા માટે અનેક ગીતો, ભજનો બનાવવામાં આવ્યા છે. આ ગીતો ભારતીય સમાજના વિભિન્ન વર્ગોમાં ભારે લોકપ્રિય છે અને તેમનો સંદેશો ફેલાવવામાં ભારે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાબાસાહેબના ગીતો જાગૃતિ અને એકતાનો સંદેશ આપે છે</span></strong></span><br><span style="font-size: 14pt;">ડો. બાબાસાહેબ આંબેડકરે ભારતીય બંધારણ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે બંધારણમાં સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના મૂલ્યોનો સમાવેશ કર્યો હતો અને સમાજના તમામ વર્ગોના સમાન અધિકારો સુનિશ્ચિત કર્યા હતા. તેમણે અસ્પૃશ્યતા નિવારણ માટે દલિતોને અનામતની વ્યવસ્થા કરાવી અને સામાજિક ન્યાયની સ્થાપના માટે અનેક મહત્વના પગલાં ઉઠાવ્યા. તેમના જીવન અને કાર્યોને સન્માનિત કરવા માટે ઘણાં ગીતો અને ભજનો બનાવવામાં આવ્યા છે. આ ગીતો ન માત્ર તેમના સંદેશા અને શિક્ષાઓનો પ્રસાર કરે છે. પરંતુ સમાજમાં </span><span style="font-size: 14pt;">જાગૃતિ અને એકતાનો સંદેશો પણ આપે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બહુજન સમાજમાં ડો. આંબેડકરના ગીતો, ભજનો ભારે લોકપ્રિય</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ગીતોમાં તેમની સંઘર્ષભરી યાત્રા, સમાજ સુધારણામાં તેમનું યોગદાન અને તેમના આદર્શોને ગીતો અને ભજનો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. ડો. આંબેડકરના ભજનો અને ગીતો ભારતીય સમાજમાં ભારે લોકપ્રિય છે અને તેમના ઉપદેશો અને આદર્શોને ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો કે તે કહેવું યોગ્ય નથી કે આ ગીતો સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે, પરંતુ તેની લોકપ્રિયતા મુખ્યત્વે ભારતીય સમાજ અને ખાસ કરીને દલિત સમાજમાં વધુ છે. આ ગીતો દ્વારા સમાજમાં જાગૃતિ, એકતા અને સમાનતાનો સંદેશો પ્રસારિત કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:</span> </span><a href="https://khabarantar.com/for-a-song-when-naushad-made-lata-mangeshkar-stand-in-the-bathroom">એક ગીત માટે જ્યારે નૌશાદે લતા મંગેશકરને બાથરૂમમાં ઉભા રાખ્યાં</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 26 Sep 2024 09:27:23 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1276</Articleid>
                    <excerpt>બે દિવસ પછી લતા મંગેશકરનો જન્મદિવસ આવશે. આજે ભલે તેઓ જીવીત નથી, પરંતુ આ સવાલ કાયમ આ દેશના બહુજનોને ખટકે છે. જાણો શું છે તેની પાછળનું કારણ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f4d86d6f12a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f4d86d3e5a7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f4d86d3e5a7.jpg" length="84153" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Lata Mangeshkar, did not sing, Dr. Ambedkar song</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગીર આસપાસનો કુલ ૧.૮૪ લાખ હેક્ટર વિસ્તાર ‘ઇકો&amp;સેન્સિટિવ ઝોન’ જાહેર</title>
                    <link>https://khabarantar.com/a-total-area-of-1.84-lakh-hectares-around-gir-has-been-declared-an-eco-sensitive-zone</link>
                    <guid>https://khabarantar.com/a-total-area-of-1.84-lakh-hectares-around-gir-has-been-declared-an-eco-sensitive-zone</guid>
                    <description>
                        <![CDATA[ કેન્દ્ર સરકારે ગીરના એશિયાઈ સિંહોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવા ઇકો-સેન્સિટિવ ઝોનની જાહેરાત કરી છે. જેમાં ત્રણ જિલ્લાના કુલ ૧૯૬ ગામો અને ૧૭ નદી સામેલ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Gir New Eco Sensitive Zone Declare: સમગ્ર એશિયામાં એકમાત્ર ગુજરાતના ગીર વિસ્તાર(Gir Area)માં એશિયાઈ સિંહ(Asiatic Lion) જોવા મળે છે. ગીરમાં સિંહોની વસ્તી વધી રહી છે, એટલું જ નહીં તેમનો વસવાટ વિસ્તાર પણ વધ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારે ગીર રક્ષિત વિસ્તારની આસપાસના વિસ્તારોનો ઇકો-સેન્સિટિવ ઝોન(Eco Sensitive Zone)માં સમાવેશ કર્યો છે. આ નવા ઇકો-સેન્સિટિવ ઝોનમાં ત્રણ જિલ્લાના ૧૯૬ ગામો અને ૧૭ નદીઓનો સમાવેશ કરાયો છે. </span><br><span style="font-size: 14pt;">કેન્દ્ર સરકાર દ્વારા ‘ગીર રક્ષિત વિસ્તાર’ના આજુબાજુના કુલ ૧,૮૪,૪૬૬.૨૦ હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન' જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલ ઇકો- સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઓછુ ૨.૭૮ કિ.મી. અને વધુમાં વધુ ૯.૫૦ કિ.મી. રાખવામાં આવ્યું છે તેમ, વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈએ કહ્યું હતું કે, નવા ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ વિસ્તારમાં કુલ ૧૭ નદીઓના રિવર કોરિડોર અને સિંહોના અવર-જવર વાળા ૪ મહત્વના કોરિડોરને આવરી લેવાશે. વધુમાં ગીર રક્ષીત વિસ્તારની આજુબાજુ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળીયા હાટીના અને મેંદરડા તાલુકાના મળી કુલ-૫૯ ગામો, અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી કુલ-૭૨ ગામો તથા ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાના મળી કુલ-૬૫ ગામો એમ આ ત્રણેય જિલ્લાના કુલ-૧૯૬ ગામોના ૨૪,૬૮૦.૩૨ હેક્ટર વન વિસ્તાર તથા ૧,૫૯,૭૮૫.૮૮ હેક્ટર બિન-જંગલ વિસ્તાર એમ મળી કુલ ૧,૮૪,૪૬૬.૨૦ હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે. આ વિસ્તારનો ઇકો-સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થવાથી આ વિસ્તારમાં વિહરતા સિંહ પરિવારોને વિશેષ રક્ષણની સાથે અત્યાર સુધી ગીર રક્ષીત વિસ્તારની હદથી ૧૦ કિલોમીટરની ઇકો- સેન્સિટીવ ઝોન વિસ્તારની હદમાં આ નવા ઇકો-સેન્સિટિવ ઝોનમાં ઘટાડો થવાથી સ્થાનિકે અન્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં સિંહ અને વન્યપ્રાણીઓ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યનો કુલ-૧,૪૬૮.૧૬ ચો.કિ.મી. વિસ્તાર આરક્ષિત કરાયો છે. કેન્દ્ર સરકાર અને સુપ્રિમકોર્ટની ગાઇડલાઇન- નિયમ મુજબ આ રક્ષિત વિસ્તારની ફરતે ‘ઇકો- સેન્સિટિવ ઝોન’ જાહેર કરવાનો થતો હોય છે, જે રક્ષિત વિસ્તારને ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર ન થાય ત્યાં સુધી ગાઇડલાઇન મુજબ રક્ષિત વિસ્તારની ફરતે ૧૦ કિ.મી. ઇકો-સેન્સિટિવ ઝોન અમલમાં રહે છે. જેથી અત્યાર સુધી આ વિસ્તારને ફરતે ૧૦ કિ.મી. સુધી  ઇકો-સેન્સિટિવ ઝોન અમલમાં હતો. સિંહોના રક્ષણ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યના ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવાની રાજ્યના વન વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત કરાઈ હતી. આ દરખાસ્તને ગ્રાહ્ય રાખી ભારત સરકાર દ્વારા તાજેતરમાં ઇકો-સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય મંત્રી મુકેશ પટેલે ઉમેર્યું હતું કે, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગીર રક્ષિત વિસ્તારની ફરતે આવેલા ગામોમાં છેલ્લા ૧૦ વર્ષોની સિંહોની અવર-જવરની રેડિયો કોલર આધારિત વિગતો, સિંહ દ્વારા કરાતા મારણ, સિંહોના અવર-જવરના મહત્વના કોરિડોર તથા રિવર કોરિડોર જેવા વિસ્તારને આવરી લઇ ગીર રક્ષિત વિસ્તારને નવો ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/scam-of-turning-civil-hospital-patients-into-bjp-members-was-caught">સિવિલ હોસ્પિટલના દર્દીઓને ભાજપના સભ્યો બનાવી દેવાનું કૌભાંડ ઝડપાયું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 25 Sep 2024 22:21:45 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 25 Sep 2024 22:25:31 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1275</Articleid>
                    <excerpt>કેન્દ્ર સરકારે ગીરના એશિયાઈ સિંહોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવા ઇકો-સેન્સિટિવ ઝોનની જાહેરાત કરી છે. જેમાં ત્રણ જિલ્લાના કુલ ૧૯૬ ગામો અને ૧૭ નદી સામેલ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f43cd6020c0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f43cd5c49c7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f43cd5c49c7.jpg" length="102583" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Eco Sensitive Zone Gir Lion Safari Camp Gir National Park Gir Jungle Lodge Asiatic Lion</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજ્ય સરકાર 6 જિલ્લાઓનું વિભાજન કરી નવા 3 જિલ્લા બનાવશે?</title>
                    <link>https://khabarantar.com/will-the-state-government-divide-6-district-and-create-3-new-districts</link>
                    <guid>https://khabarantar.com/will-the-state-government-divide-6-district-and-create-3-new-districts</guid>
                    <description>
                        <![CDATA[ જાન્યુઆરી સુધીમાં અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી ત્રણ નવા જિલ્લા બનશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યના જિલ્લાઓની સંખ્યામાં વધારો કરવામાં આવે તેવી સંભાવના બળવત્તર બની છે. રાજ્ય સરકાર દ્વારા આગામી જાન્યુઆરી સુધીમાં રાજ્યના કેટલાક જિલ્લાઓનું વિભાજન કરીને નવા ત્રણ જિલ્લા બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે મળતી વિગતો અનુસાર રાજ્ય સરકાર દ્વારા આગામી જાન્યુઆરી 2025 સુધીમાં નવા જિલ્લાઓનો ઉમેરો કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી એક તરફ જ્યાં વહીવટી સુવિધાઓ વધશે, ત્યાં બીજી તરફ સ્થાનિક લોકોને વિકાસની નવી તકો મળશે તેવું જાણવા મળ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના પ્રવર્તમાન ૩૩ જિલ્લાઓ છે તેમાંથી કેટલાક વિસ્તારોનું વિભાજન કરીને ત્રણ નવા જિલ્લા બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.  જેના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા  અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓનું વિભાજન કરી નવા ત્રણ જિલ્લા બનાવવાની વિચારણા ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આ નવા જિલ્લા બનાવવાની વિચારણા કરવામાં આવી રહી છે, તેમાં વિરમગામ, વડનગર અને રાધનપુર અથવા થરાદ જિલ્લાનો સમાવેશ થઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલના સંજોગોમાં કુલ 252 તાલુકા આવેલા છે. જ્યારે ગુજરાતમાં હાલ કુલ 18000 ગામડાં આવેલાં છે.  જ્યારે ગુજરાતમાં હયાત ૮ મહાનગરપાલિકાઓ ઉપરાંત તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા નવી ૭ મહાપાલિકાની જાહેરાત કરવામાં આવી હતી. આમ રાજ્યમાં કુલ મળીને ૧૫ મહાપાલિકાઓ આવેલી છે. જો રાજ્ય સરકાર દ્વારા નવા જિલ્લાની રચના કરવામાં આવે તો આગામી જાન્યુઆરી મહિના ગુજરાતમાં જિલ્લાઓની કુલ સંખ્યા 33થી વધીને 36 પર પહોંચી જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સરકાર દ્વારા નવા ત્રણ જિલ્લાઓની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવી શકે છે.  હાલમાં રાજ્ય સરકાર દ્વારા નવા ત્રણ જિલ્લા બનાવવા અંગે વિચારણા ચાલી રહી છે. આ નવા બની રહેલા જિલ્લાઓમાં વડનગર, વિરમગામ અને થરાદ અથવા રાધનપુરનું નામ ચર્ચામાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <strong><a href="https://khabarantar.com/45000-ba-ma-youth-applied-for-sweeper-job">સફાઈ કામદારની નોકરી માટે 45,000 BA-MA યુવાનોએ અરજી કરી</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 25 Sep 2024 21:00:55 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1274</Articleid>
                    <excerpt>જાન્યુઆરી સુધીમાં અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી ત્રણ નવા જિલ્લા બનશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f42a7b61ed8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f42a7b2e05e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f42a7b2e05e.jpg" length="72043" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>state government, create 3 new districts, Gujarat</media:keywords>
                </item>
                        <item>
                    <title>સૌરાષ્ટ્ર&amp;કચ્છમાં ખેતી માટે દરેક ગ્રુપને ૧૦ કલાક વીજળી અપાશે</title>
                    <link>https://khabarantar.com/each-group-will-be-given-10-hours-of-electricity-for-agriculture-in-saurashtra-kutch</link>
                    <guid>https://khabarantar.com/each-group-will-be-given-10-hours-of-electricity-for-agriculture-in-saurashtra-kutch</guid>
                    <description>
                        <![CDATA[ મગફળી સહિતના પાકોને બચાવવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. મહત્તમ વીજ માંગ ૧૨૧૫૭ મેગાવોટથી વધી ૨૪૨૦૫ મેગાવોટ થઈ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભૂપેન્દ્ર પટેલ સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઉભા પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રૂપને ૧૦ કલાક વીજળી આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે તેમ ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઊર્જા મંત્રીએ ઉમેર્યું કે, સામાન્ય રીતે રાજયમાં ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રૂપને એક અઠવાડિયે દિવસે અને બીજા અઠવાડિયે રાત્રેની રોટેશન પદ્ધતિથી દરરોજ નિયમિત ૮ કલાક વીજળી આપવાનો કાર્યક્રમ અમલી છે, અને તે રીતે નિર્ધારિત નીતિ મુજબ ખેડૂતોને કૃષિ વિષયક વીજળી માટે સામાન્ય પરિસ્થિતીમાં પ્રતિ દિન સરેરાશ ૮ કલાક વીજળી રોટેશનથી આપવામાં આવતી હોય છે. જોકે સૌર ઉત્પાદનને અનુલક્ષીને હાલમાં ખેતીવાડી ક્ષેત્રે લગભગ ૭૫% થી વધુ સપ્લાય દિવસ દરમિયાન અપાય છે. રાજ્યના આશરે ૨૦.૧૦ લાખ ખેતીવાડી ગ્રાહકો પૈકી આશરે ૧૬.૦૧ લાખ ગ્રાહકોને દિવસ દરમિયાન (એટલે કે સવારે ૫ કલાકે  થી રાત્રે ૯ કલાકમાં) ખેતી વિષયક વીજળી પૂરી પડાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે ઉમેર્યું હતું કે, વરસાદ ખેંચાતો હોય અથવા ઉભા પાકને બચાવવા જરૂરી જણાય તેવા સંજોગોમાં તેમજ ઋતુ પ્રમાણેના ડાંગર, જીરું જેવા પાક ને બચાવવા માટે જરૂરિયાત પ્રમાણે કૃષિ વીજગ્રાહકોને પ્રતિ દિન સરેરાશ ૮ કલાક ઉપરાંત વધારાના કલાકો માટે વીજપુરવઠો પૂરો પડાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના પીજીવીસીએલના વિજ વિતરણ ક્ષેત્ર હેઠળ આવતા જામ જોધપુર, લાલપુર, માણાવદર, વંથલી, મેંદરડા, કેશોદ, માંગરોલ, માળીયા હાટિના તાલુકામાં તેમજ કચ્છ જિલ્લામાં મગફળી તેમજ અન્ય પાકોને બચાવવાના હેતુથી ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રૂપને ૧૦ કલાક વીજળી આપવા અમલવારી કરવાની સૂચના ડિસ્કોમને આપી દેવાઈ છે જેનાથી ખેડૂતોના મહામૂલા ઉભા પાકને જીવતદાન મળ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઊર્જા મંત્રી દેસાઈએ ઉમેર્યું કે, તા.૨૭.૦૮. ૨૦૨૪ના રોજ પીજીવીસીએલની મહત્તમ વીજ માંગ ૩૧૪૭ મેગાવોટ અને વીજ વપરાશ ૫૫ મિલિયન યુનિટસ હતો. જે હાલમાં તા. ૨૩.૦૯. ૨૦૨૪ના રોજ વધીને અનુક્રમે ૯૦૩૫ મેગાવોટ અને ૧૫૪ મિલિયન યુનિટસ નોંધાયેલ છે. જે દર્શાવે છે કે પીજીવીસીએલની વીજમાંગમાં ઘણો વધારો થયો છે. એજ રીતે પીજીવીસીએલની ખેતીવાડી ક્ષેત્રની મહત્તમ વીજમાંગ ૧૮૭ મેગાવોટ અને વીજ વપરાશ ૩ મિલિયન યુનિટસ હતો. જે હાલમાં તા. ૨૩.૦૯. ૨૦૨૪ ના રોજ વધીને અનુક્રમે ૫૮૨૦ મેગાવોટ અને ૫૫ મિલિયન યુનિટસ નોંધાયેલ છે. જે પીજીવીસીએલની ખેતીવાડી ક્ષેત્રની વીજમાંગમાં થયેલ વધારો દર્શાવે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તા. ૨૭.૦૮.૨૦૨૪ ના રોજ રાજ્યની મહત્તમ વીજમાંગ ૧૨૧૫૭ મેગાવોટ અને વીજ વપરાશ ૨૬૯ મિલિયન યુનિટસ હતો, જે હાલમાં તા. ૨૩.૦૯.૨૦૨૪ ના રોજ વધીને અનુક્રમે ૨૪૨૦૫ મેગાવોટ અને ૪૯૩ મિલિયન યુનિટસ નોંધાયેલ છે. જે રાજ્યની વીજમાંગમાં થયેલ નોંધપાત્ર વધારો દર્શાવે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉભા પાક્ને બચાવવા જરૂરી જણાય ત્યારે મોંઘા ભાવના ગેસ એકમોમાંથી કેન્દ્રીય ક્ષેત્રના જનરેટિંગ સ્ટેશન, એક્સચેન્જ અને રીઅલ ટાઇમ માર્કેટમાંથી મોંઘા ભાવે વીજળીની ખરીદી કરીને પણ  ખેતીવાડી ક્ષેત્રે ૧૦ કલાક વીજળી પૂરી પડાય છે તેમ તેમણે ઉમેર્યુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/retired-soldier-fires-at-dalit-family-1-killed-2-injured"><strong>નિવૃત્ત ફૌજીએ દલિત પરિવાર પર ફાયરિંગ કર્યુંઃ 1 નું મોત, 2 ઘાયલ</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 25 Sep 2024 20:03:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1273</Articleid>
                    <excerpt>મગફળી સહિતના પાકોને બચાવવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. મહત્તમ વીજ માંગ ૧૨૧૫૭ મેગાવોટથી વધી ૨૪૨૦૫ મેગાવોટ થઈ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f41e2f76be1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f41e2f420fe.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f41e2f420fe.jpg" length="105001" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Saurashtra-Kutch, Farming, 10 hours of electricity, agriculture</media:keywords>
                </item>
                        <item>
                    <title>પૂજારીએ કહ્યું લાડુમાંથી ગંધ આવે છે, સેમ્પલ લઈ FSL માં મોકલો...</title>
                    <link>https://khabarantar.com/pujari-said-there-is-a-smell-from-the-ladoo-take-a-sample-and-send-it-to-fsl</link>
                    <guid>https://khabarantar.com/pujari-said-there-is-a-smell-from-the-ladoo-take-a-sample-and-send-it-to-fsl</guid>
                    <description>
                        <![CDATA[ તિરૂપતિ બાલાજી મંદિર બાદ હવે ડાકોર મંદિરમાં પ્રસાદમાં ભેળસેળનો વિવાદ થયો છે. આક્ષેપ મંદિરના સેવક પૂજારીએ કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Dakor Mandir Prasad Laddu Controversy તિરૂપતિ મંદિરના પ્રસાદનો વિવાદ હજી સમેટાયો નથી ત્યાં યાત્રાધામ ડાકોરમાં પ્રસાદને લઈને મંદિરના સેવક પૂજારીએ આક્ષેપો કર્યા છે અને પોતાની હૈયા વરાળ સોશિયલ મીડિયા પર ઠાલવી ભક્તોને અપાતીનો પ્રસાદીના લાડુની તપાસ કરવા માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના મંદિરમાં ભક્તોને અપાતો પ્રસાદને લઈને મંદિરના એક સેવક પૂજારીએ નારાજગી દર્શાવી છે અને પ્રસાદની ટેસ્ટીગ તેમજ ચકાસણી કરવા માંગ કરી છે. મંદિરના સેવક આશિષભાઈ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી હતી. જેવી રીતે તિરુપતિ મંદિરમાં પ્રસાદની તપાસ થઈ હતી તે જ રીતના ડાકોર રણછોડજી મંદિરમાં પ્રસાદની તપાસ કરવામાં આવે તેવી માંગણી છે. આ પોસ્ટ મૂકી કોમેન્ટ બોક્સમાં લાડુ પ્રસાદીનો વીડિયો પણ અપલોડ કરવામા આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લાડુના પ્રસાદમાંથી જુદા પ્રકારની ગંધ આવે છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંદિરના પૂજારી આશિષ સેવકે જણાવ્યું કે, લાડુ પ્રસાદમાંથી એક અલગ પ્રકારની સ્મેલ આવે છે. અગાઉના વર્ષોમાં આ લાડુના પ્રસાદમાં જામખંભાળિયાનુ ઘી વાપરવાં આવતું હતું પરંતુ છેલ્લા કેટલાય સમયથી અન્ય બ્રાન્ડેડ કંપનીનું ઘી વાપરવાં આવે છે. આ લાડુના પ્રસાદની યોગ્ય તપાસ થવી જોઈએ એફ એસ એલમા સેમ્પલો લેવા જોઈએ, આ લાડુનો પ્રસાદ પહેલા મહિનાઓ સુધી રહેતો હતો પરંતુ હવે ત્રણથી ચાર જ દિવસમાં લાડુ પ્રસાદ સ્મેલ મારે છે. આશરે 22 દિવસ અગાઉ સેવક ટ્રસ્ટીની અમારી મીટીંગ હતી ત્યારે મે‌ મૌખિક રજૂઆત પણ કરી હતી. ગતરોજ મારા ફેસબુક પેજ પર પ્રસાદીના વિડિયો સાથેની પોસ્ટ મુકી છે. આ સેવક પૂજારીની સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી આ પોસ્ટને લઈ તરહ તરહની ચર્ચાઓએ જોર પકડ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જેણે આક્ષેપ કર્યા છે તે પુરાવા સાથે આવી શકે ચેરમેને પડકાર ફેંક્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાબતે ડાકોર ટેમ્પલ કમિટીના ચેરમેન પરેન્દુ ભગતે તમામ આક્ષેપો ફગાવતાં જણાવ્યું હતું કે, ડાકોરમાં આ એક જ પ્રસાદ આપવામાં આવે છે. ઘી પહેલાથી અમૂલનું જ વાપરવામાં આવે છે અને દરેક લોટ સાથે અમને સર્ટીફીકેટ પણ આપવામાં આવે છે. આ પ્રસાદના લાડુની ગંધ બાબતે પૂછતા તેમણે જણાવ્યું કે, એવુ કંઈ નથી. જેમણે આક્ષેપ કર્યા છે તે પુરાવા સાથે આવી શકે છે. બીજી તરફ આ પ્રસાદીના લાડુની પ્રક્રિયા વિશે પુછતા તેમણે જણાવ્યું કે, ઘઉને આગલા દિવસે પાડવામાં આવે છે એ બાદ દળવામાં આવે છે અને એમા માત્ર ખાંડ, ઘી, ગોળ અને ઘી નું મિશ્રણ કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હજી સુધી અમને કોઇ ફરિયાદ મળી નથી ટ્રસ્ટી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંદિરના સેવક ટ્રસ્ટી ભરતભાઈ ખંભોળજે પણ આ સેવક પૂજારી દ્વારા પ્રસાદને લઈને જે આક્ષેપ લગાવ્યા હતા તે ફગાવ્યા છે અને જણાવ્યું હતું કે, ઘણા સેવકો, ભક્તો પ્રસાદ લઈ જાય છે. પણ કોઈની પ્રસાદ બગડી જવાની કે, સ્મેલ મારતી હોવાની ફરિયાદ આવી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/what-will-the-devotees-do-after-eating-laddus-made-from-cow-pig-fiash-fat"><strong>ગાય-ડુક્કર-માછલીની ચરબીમાંથી બનેલા લાડુ ખાધા પછી ભક્તો શું કરશે?</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 25 Sep 2024 18:54:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1272</Articleid>
                    <excerpt>તિરૂપતિ બાલાજી મંદિર બાદ હવે ડાકોર મંદિરમાં પ્રસાદમાં ભેળસેળનો વિવાદ થયો છે. આક્ષેપ મંદિરના સેવક પૂજારીએ કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f4040c12c56.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f4040bd06c7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f4040bd06c7.jpg" length="108162" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dakor Mandir Prasad, Laddu Controversy, Tirupati Temple Laddu Controversy, Mix in ghee, Tirupati Laddu</media:keywords>
                </item>
                        <item>
                    <title>પ્રક્રિયા અઘરી બનતા સેંકડો ગરીબ બાળકો શિષ્યવૃત્તિ નહીં મેળવી શકે</title>
                    <link>https://khabarantar.com/hundreds-of-poor-children-will-not-be-able-to-get-the-scholarship-as-the-process-becomes-difficult</link>
                    <guid>https://khabarantar.com/hundreds-of-poor-children-will-not-be-able-to-get-the-scholarship-as-the-process-becomes-difficult</guid>
                    <description>
                        <![CDATA[ ગરીબ વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિની  પ્રક્રિયા સરકારે અત્યંત અઘરી બનાવી દીધી છે. પરિણામે સરકારી શાળામાં ભણતા બાળકો તેનાથી વંચિત રહે તેવી સ્થિતિ પેદા થઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યની સરકારી શાળાઓમાં ભણતા લાખો ગરીબ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મેળવવી લોઢાના ચણાં ચાવવા જેવી અઘરી બનાવી દેવાઈ છે. ગરીબ બાળકોએ શિષ્યવૃત્તિ માટે ફરજિયાત બેંક એકાઉન્ટ ખોલાવવું પડે છે, તેના માટે પાછું આધારકાર્ડ હોવું જરૂરી છે. આધારકાર્ડ માટે પાછા સરકારી કચેરીના ધક્કા ખાવા પડે છે, એ પછી બેંકમાં ખાતું ખોલાવવા લાઈનમાં ઉભા રહો. એમાં જો કોઈ ડોક્યુમેન્ટ ખૂટે તો પાછી કોઈ કચેરીના ધક્કા ખાવા પડે છે. આટલી પ્રક્રિયા પછી બેંકમાં સ્કોલરશીપ કરતા વધુ રકમ તો ડિપોઝિટ તરીકે રાખવી પડે છે. આ આખી જટિલ પ્રક્રિયાને કારણે વાલીઓ સ્કોલરશીપ મેળવવાનું જ છોડી દે છે. જાણકારો આને એક ષડયંત્ર તરીકે જોઈ રહ્યાં છે. સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે, સરકાર શિષ્યવૃત્તિની પ્રક્રિયા અઘરી બનાવીને ગરીબ વાલીઓને તેના તરફથી વિમુખ કરી દેવા માંગે છે. તેના માટે પ્રક્રિયા જટિલ બનાવી દેવાઈ છે. હાલ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધો. 1થી 5ના વિદ્યાર્થીઓને 1650 રૂપિયા અને ધો. 6 થી 8ના વિદ્યાર્થીઓને 1950 રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેની ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની હોય છે. પરંતુ શિષ્યવૃત્તિ મેળવાની પ્રક્રિયા એટલી અઘરી છે કે વધુને વધુ વાલીઓ તેનાથી વિમુખ થઈ રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શિષ્યવૃત્તિ મેળવવા શું પ્રક્રિયા કરવાની હોય છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિષ્યવૃત્તિ મેળવવાની દરખાસ્ત કરવા માટે સૌથી પહેલા વિદ્યાર્થીએ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે અને તેના માટે આધારકાર્ડ હોવું ફરજિયાત છે. વિદ્યાર્થી અને વાલી આધાર કાર્ડ કઢાવવા માટે અનેક ધક્કા ખાય, લાઇનમાં ઊભા રહે પછી આધાર કાર્ડ નીકળે છે. ત્યારબાદ ખાતું ખોલાવવા માટે બેંકના ધક્કા શરૂ થાય છે. વિદ્યાર્થીનું ખાતું બેંક દ્વારા ખોલી આપવામાં આવતું નથી. ઘણાં બધા પ્રયત્નો પછી વિદ્યાર્થી 5 હજાર જેટલી રકમ ખાતામાં ડિપોઝીટ રાખે ત્યારે ખાતું ખોલી આપવામાં આવે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શાળા કક્ષાએ ડિજીટલ પોર્ટલમાં દરખાસ્ત કરવા આવક અને જાતિનો દાખલો કઢાવવાનો હોય છે. ત્યારબાદ શાળાના આચાર્ય દરખાસ્ત કરે જેમાં વિદ્યાર્થીનું ધોરણ, પૂરું નામ, માતાનું નામ અને જન્મ તારીખ, જિલ્લો, તાલુકો વસાહત, ઘરનું સરનામું, પીનકોડ, માતા-પિતાનો વ્યવસાય, કોમ્યુનિટી, કાસ્ટ, ધર્મ, શારીરિક ખોડ ખાંપણ, કુટુંબની આવક, વાલીનો મોબાઇલ નંબર, વિદ્યાર્થીના ટકા, હાજરીના દિવસ, બીપીએલ નંબર, વિદ્યાર્થીનું આધાર સ્ટેટ, આધાર નંબર અને રેશન કાર્ડ નંબર, આધાર બેંકના કેવાયસીની વિગતો વગેરે અપલોડ કરવાની  હોય છે. જો આધાર કાર્ડ અપડેટેડ હોય, રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક હોય તો જ અરજી સબમિટ થાય છે. નહીંતર આધારકાર્ડ અપડેટ માટે ફરીથી આધારની પ્રક્રિયા કરવી પડે છે. ટૂંકમાં આખી પ્રક્રિયા એટલી જટિલ બનાવી દેવાઈ છે કે, વિદ્યાર્થીના વાલી કંટાળીને શિષ્યવૃત્તિ લેવાનું જ માંડી વાળે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઓનલાઈન KYCની પ્રક્રિયા પણ ભારે જટિલ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોદી સરકારે પોતાના શાસન દરમિયાન ડિજિટલ ઈન્ડિયાનો નારો આપ્યો છે. પણ ગુજરાતના મોટાભાગની સરકારી કચેરીઓમાં ‘સર્વર ડાઉન છે’ વાક્ય કાયમી બની ગયું છે. ગુજરાતની મોટાભાગની સરકારી કચેરીઓમાં થતી ઓનલાઈન કામગીરી ધીમા ઈન્ટરનેટ અને ડાઉન સર્વરના કારણે કંટાળાજનક બની જાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/The-announcement-of-increasing-the-income-limit-in-scholarship-for-SC-students-in-Gujarat-has-not-been-implemented-yet.">ગુજરાતમાં SC વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં આવકમર્યાદા વધારવાની જાહેરાતનો હજુ સુધી અમલ નથી થયો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિષ્યવૃત્તિ માટે જે સાઈટ પર અરજી કરવાની હોય છે તે ડિજિટલ ગુજરાતની સાઇટ ધીમી ચાલતી હોવાથી તેમાં વારંવાર એરર આવતી હોય છે. વહેલી સવારે શિષ્યવૃત્તિ દરખાસ્ત કરીએ ત્યારે એક કલાકમાં માંડ 10 જેટલી એન્ટ્રી થઈ શકે છે. અત્યાર સુધીમાં માંડ 40 ટકા બાળકોની દરખાસ્ત થયેલ છે. એમાં વળી, E-KYC ન હોય તો દરખાસ્ત થતી નથી. E-KYC કરવા માટેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ છે. જેમાં PDS+ ઍપ્લિકેશનમાં શિક્ષકો એપ ઓપન કરે એટલે વિદ્યાર્થીના વાલીના મોબાઇલમાં OTP આવે છે, તેને જનરેટ કર્યા બાદ આધાર KYC કરે છે. સૂચનાઓ વાંચીને રેશન કાર્ડ નંબર દાખલ કરવામાં આવે છે, ફરી વાલીના મોબાઇલ નંબરમાં OTP આવે છે.  રેશન કાર્ડમાં જેટલા મેમ્બર હોય એટલા શો થાય એમાં જે વિદ્યાર્થીનું E-KYC બાકી હોય એના નામ પર ટીક કરવાથી ફોટો કેપ્ચર કરવાનો, ફોટો કેપ્ચર કરવા ફરી પાછો OTP આવે તે દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ ફોટો કેપ્ચર કરવામાં પણ સમય લાગે, ફોટો કેપ્ચર થયા બાદ વિદ્યાર્થીની આધાર વિગતો ખૂલે એમાં ટીક કરી સબમિટ ફોર એપ્રુવલ આપીએ ત્યારે E-KYC પૂર્ણ થાય છે અને વિદ્યાર્થીની શિષ્યવૃત્તિની દરખાસ્ત સબમિટ થાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આટલી બધી લાંબી પ્રક્રિયાથી વાલીઓ કંટાળી જાય છે. મોટાભાગના વાલીઓ એવી સ્થિતિમાં હોય છે જેઓ પોતાનું કામ છોડીને શિષ્યવૃત્તિ માટેની પ્રક્રિયા કરવા જતા હોય છે. પણ પ્રોસેસમાં દિવસોના દિવસો નીકળી જતા હોવાથી આખરે તેઓ કંટાળીને શિષ્યવૃત્તિ જતી કરી દેવા મન બનાવી લે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્થિતિ એવી પેદા થઈ છે કે, જે શિષ્યવૃત્તિનો હેતુ વિદ્યાર્થીને ભણતરમાં મદદરૂપ થવાનો હતો તે વાલીઓ અને શિક્ષકો માટે બોજો બની ગઈ છે. એક સમયે શિષ્યવૃત્તિ વિદ્યાર્થીનું ભવિષ્ય બનાવતી હતી, પણ આજે સ્થિતિ એવી પેદા થઈ છે કે, શિષ્યવૃત્તિના લીધે વિદ્યાર્થીઓનું ભણતર બગડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/scam-of-snatching-scholarship-from-reserved-category-students">અનામત કેટેગરીના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પડાવી લેવાનું કૌભાંડ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 23 Sep 2024 20:18:04 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1260</Articleid>
                    <excerpt>ગરીબ વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિની  પ્રક્રિયા સરકારે અત્યંત અઘરી બનાવી દીધી છે. પરિણામે સરકારી શાળામાં ભણતા બાળકો તેનાથી વંચિત રહે તેવી સ્થિતિ પેદા થઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f17e179c7a8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f17e17693d9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f17e17693d9.jpg" length="97675" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Scolarship, Scholarship deprived, Tough Scholarship Process</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત અત્યાચારના 97 ટકા કેસો માત્ર 13 રાજ્યોમાં નોંધાય છેઃ રિપોર્ટ</title>
                    <link>https://khabarantar.com/97-percent-of-dalit-atrocities-cases-reported-in-just-13-states-report</link>
                    <guid>https://khabarantar.com/97-percent-of-dalit-atrocities-cases-reported-in-just-13-states-report</guid>
                    <description>
                        <![CDATA[ SC-ST અત્યાચાર મામલે કેન્દ્ર સરકારનો રિપોર્ટ આવ્યો છે. જેમાં આરોપીઓને સજાના દરમાં મોટો ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે ભારતના દલિતો-આદિવાસીઓ આજે એક તરફ સંકલ્પ દિવસની ઉજવણી કરી રહ્યાં છે, બીજી તરફ કેન્દ્ર સરકારનો એસસી-એસટી અત્યાચાર પરનો એક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે, દલિતો પર અત્યાચાર ઘટવાને બદલે વધી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સરકારી રિપોર્ટ મુજબ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં 2022માં અનુસૂચિત જાતિ (SC) સામે સૌથી વધુ અત્યાચાર થયા છે. ચિંતાજનક બાબત એ છે કે આરોપીઓને સજાનો દર ઘટ્યો છે. 2020માં સજાનો દર 39.2 ટકા હતો, જે વર્ષ 2022માં ઘટીને 32.4 ટકા થઈ ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે, છેલ્લાં 10 વર્ષમાં લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વિરુદ્ધ અત્યાચારની ઘટનાઓ વધી છે, પરંતુ તેમના સંબંધિત કોઈ રિપોર્ટ સરકાર પાસે ઉપલબ્ધ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત અત્યાચારના 97 ટકા કેસો 13 રાજ્યોમાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટ અનુસાર, અનુસૂચિત જાતિ વિરુદ્ધ અત્યાચારના કુલ કેસોમાંથી 97.7 ટકા કેસ માત્ર 13 રાજ્યોમાં નોંધાયા છે. જાતિવાદનું એપીસેન્ટર ગણાતું ઉત્તર પ્રદેશ આ વખતે પણ દલિત અત્યાચાર મામલે ટોચ પર છે, અહીં 12,287 કેસો નોંધાયા હતા જે કુલ કેસોના 23.78 ટકા છે. ત્યારબાદ રાજસ્થાનમાં 8,651 (16.75 ટકા) અને મધ્યપ્રદેશમાં 7,732 કેસો (14.97 ટકા) નોંધાયા છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે આ કેસો માત્ર પોલીસ ચોપડે ચડેલા આંકડાઓ પર આધારિત છે. બાકી જે પોલીસમાં નોંધાયા નથી તેવા કેસોની સંખ્યા અનેકગણી વધુ હોવાની શક્યતા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એટ્રોસિટીના કુલ કેસો પૈકી 81 ટકા આ 6 રાજ્યોમાં નોંધાયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટમાં સામેલ અન્ય રાજ્યોમાં 6,799 કેસ સાથે બિહાર (13.16 ટકા), 3,576 કેસ સાથે ઓડિશા (6.93 ટકા) અને 2,706 કેસ સાથે મહારાષ્ટ્ર (5.24 ટકા) સામેલ છે. 2022માં એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલા કુલ કેસોમાંથી લગભગ 81 ટકા કેસો આ 6 રાજ્યોમાં જ હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/world-press-freedom-Index--india-ranks-below-pakistan-among-180-countries">World Press Freedom Index: 180 દેશોમાં ભારત પાકિસ્તાનથી પણ નીચે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અધિનિયમ હેઠળ વર્ષ 2022માં અનુસૂચિત જાતિ વિરુદ્ધ અત્યાચારના કુલ 51,656 કેસ નોંધાયા હતા. રિપોર્ટ મુજબ આ તમામ કેસો પણ ભારતીય દંડ સંહિતા હેઠળ નોંધાયા હતા, નહીં કે એટ્રોસિટી એક્ટ અંતર્ગત.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આદિવાસી અત્યાચારના સૌથી વધુ કેસો પણ આ 13 રાજ્યોમાં જ નોંધાયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, અનુસૂચિત જનજાતિ(ST) સામેના અત્યાચારના મોટા ભાગના કેસો પણ આ 13 રાજ્યોમાં જ નોંધાયેલા છે. ST સાથે સંકળાયેલા 9,735 કેસોમાંથી 2,979 કેસો એકલા મધ્યપ્રદેશમાં નોંધાયા હતા. જે કુલ કેસોના 30.61 ટકા થવા જાય છે. આ સિવાય રાજસ્થાનમાં 2,498 (25.66 ટકા) અને ઓડિશામાં 773 કેસ (7.94 ટકા) નોંધાયા હતા. અન્ય રાજ્યોમાં 691 કેસ સાથે મહારાષ્ટ્ર (7.10 ટકા) અને 499 કેસ સાથે આંધ્રપ્રદેશ (5.13 ટકા)નો સમાવેશ થાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એસસી અત્યાચારના 40 ટકા કેસોમાં ચાર્જશીટ દાખલ નથી થતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટમાં તપાસ અને ચાર્જશીટના આધારે ડેટા આપવામાં આવ્યો હતો. SC સંબંધિત કેસોમાં 60.38 ટકા કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જ્યારે 14.78 ટકા કેસો પુરાવાના અભાવને કારણે અંતિમ રિપોર્ટ સુધી પહોંચી શક્યા નહોતા. વર્ષ 2022ના અંતે 17,166 કેસોની તપાસ હજુ બાકી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આદિવાસી એટ્રોસિટીના કેસોમાં પણ સજાનો દર 8 ટકા સુધી ઘટ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનુસૂચિત જનજાતિના 63.32 ટકા કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાંથી 14.71 ટકા અંતિમ અહેવાલમાં ખતમ થયા હતા. 2022 ના અંત સુધીમાં, 2,702 કેસો હજુ તપાસ હેઠળ હતા. રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે આરોપીઓને સજાનો દર ઘટ્યો છે. 2022માં એસટી કેસોમાં આરોપીઓને સજાનો દર ઘટીને 32.4 ટકા થયો છે, જે 2020 માં 39.2 ટકા હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">14 રાજ્યોના 498માંથી માત્ર 194 જિલ્લાએ જ વિશેષ કોર્ટ સ્થાપી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટમાં આ કેસોની સુનાવણી માટે સ્થપાયેલી વિશેષ અદાલતોની અપૂરતી સંખ્યા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. 14 રાજ્યોના 498 માંથી માત્ર 194 જિલ્લાઓમાં જ કાયદા હેઠળના કેસોની ઝડપી સુનાવણી માટે વિશેષ અદાલતોની સ્થાપના કરવામાં આવી હતી. રિપોર્ટમાં કેટલાક ચોક્કસ જિલ્લાઓને સંવેદનશીલ તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે, પરંતુ માત્ર 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ જ આવા જિલ્લાઓને સંવેદનશીલ જાહેર કર્યા છે. ઉત્તર પ્રદેશ સહિત બાકીના ભાગમાં, જ્યાં અનુસૂચિત જાતિ સંબંધિત કેસો સૌથી વધુ નોંધાયા હતા, ત્યાં કોઈ જિલ્લાને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યો ન હતો. રિપોર્ટમાં જાતિ આધારિત હિંસા રોકવા અને નબળા વર્ગો માટે મજબૂત સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આવા જિલ્લાઓની પસંદગી કરીને હસ્તક્ષેપ કરવાની હાકલ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong> </span><a href="https://khabarantar.com/dalits-share-only-2.6-percent-of-the-countrys-wealth-89-percent-of-the-general"><strong>દેશની સંપત્તિમાં દલિતોનો હિસ્સો ફક્ત 2.6 ટકા, જનરલનો 89 ટકા</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 23 Sep 2024 14:21:12 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1258</Articleid>
                    <excerpt>SC-ST અત્યાચાર મામલે કેન્દ્ર સરકારનો રિપોર્ટ આવ્યો છે. જેમાં આરોપીઓને સજાના દરમાં મોટો ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f12b106aac1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f12b103961b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f12b103961b.jpg" length="67675" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Report of Central Govt, SC ST, Dalit Atrocities Cases</media:keywords>
                </item>
                        <item>
                    <title>વડતાલ સ્વામીનારાયણના સંતોએ રૂ. 1.55 કરોડની છેતરપિંડી આચરી?</title>
                    <link>https://khabarantar.com/saints-of-vadtal-swaminarayan-collected-rs-1.55-crore-freaud</link>
                    <guid>https://khabarantar.com/saints-of-vadtal-swaminarayan-collected-rs-1.55-crore-freaud</guid>
                    <description>
                        <![CDATA[ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે વડતાલ સ્વામીનારાયણના સંતો સહિત 8 લોકો સામે મંદિર બનાવવાના નામે છેતરપિંડીના કેસમાં ગુનો નોંધ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્મની આડમાં કાળા કામો કરનારા લોકો ધીરે ધીરે કાયદાના સામે નતમસ્તક થઈ રહ્યાં છે. ગુજરાત સહિત દુનિયાભરમાં સ્વામીનારાયણના સાધુઓ તેમના મજબૂત નેટવર્ક, કરોડોની સંપત્તિ ધરાવતા મંદિરોની સાથોસાથ છેતરપિંડી, સગીરાઓ પર દુષ્કર્મ અને પ્રોપર્ટીના વિવાદોને કારણે પણ ચર્ચામાં રહે છે. એમાંય છેલ્લાં કેટલાક સમયથી તો સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ અને વિવાદ જાણે એકબીજાનો પર્યાય બની ગયા હોય તેવી સ્થિતિ છે. આવો જ વધુ એક વિવાદ અરવલ્લી જિલ્લામાં સામે આવ્યો છે. અહીંના લિંબ અને માથાસુલિયા ગામમાં ૫૦૦ વીઘા જમીન પર પોઈચા જેવું સ્વામીનારાયણ મંદિર બનાવવાનું છે તેમ કહીને વડતાલ સ્વામીનારાયણ મંદિરના સંતો સહિત કુલ આઠ લોકો વિરુદ્ધ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં ગુનો નોંધાયો છે. સંતો સહિત આઠ લોકોએ ભેગા થઈને વટવામાં જમીન લે-વેચનો ધંધો કરતા બે વ્યક્તિઓ સાથે રૂ.૧.૫૫ કરોડની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે સોલા સાયન્સ સીટી રોડ પાસે રહેતા ઘનશ્યામસિંહ વાઘેલા (ઉ.56) વટવા રોપડા રોડ પાસે ઓશિયા મોલની સામે ઓફિસ રાખીને જમીન દલાલીનો ધંધો કરે છે. તેમની સાથે તેમના ભાગીદાર દિલીપકુમાર પટેલ પણ જમીન દલાલીનો ધંધો કરે છે. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં બપોરના સમયે તેમની ઓફિસમાં સુરેશભાઈ ઘોરી અને લાલજીભાઈ ઢોલા નામની બે વ્યક્તિ આવી હતી અને ‘‘અમે પણ જમીન દલાલીનો ધંધો કરીએ છીએ’’ તેમ કહીને વાતચીત શરૂ કરી હતી. ત્યારબાદ બંને શખ્સોએ જમીન ખરીદવામાં રસ ધરાવતા હોય તો ‘‘સ્વામીનારાયણ મંદિર વડતાલને ગૌ-શાળા બનાવવા માટે ૫૦૦થી ૭૦૦ વીઘા જમીનની જરૂર છે. પરંતુ ખેડૂતો પાસેથી ડાયરેક્ટ જમીન ખરીદશે તો ખેડૂતો વધુ ભાવની માંગણી કરશે, જેથી તમે વચ્ચે રહેશો તો સ્વામી તમારી પાસેથી જમીન ખરીદીને તમને નફો આપી દેશે’’ એ પ્રકારની વાતો કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/fifty-crore-bharati-ashram-bapu-took-over-with-bouncers">50 કરોડના ભારતી આશ્રમ પર બાપુએ બાઉન્સરો સાથે કબ્જો મેળવ્યો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંને શખ્સોએ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આવેલા લિંબ ગામમાં ૫૦૦થી ૭૦૦ વીઘા જેટલી ખેતીની જમીન આવેલી છે. તે જમીન પર સંતોને પોઈચા જેવું સ્વામીનારાયણનું ભવ્ય મંદિર તથા ગૌ-શાળા બનાવવી છે. જો આ જમીનમાં તમે રોકાણ કરશો તો તમને સારો ફાયદો મળશે’ તેવી લોભામણી વાતો કરીને ઘનશ્યામસિંહ અને તેમના ભાગીદારને લલચાવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જમીનનું ફાઇનલ કરાવવા માટે બંને સિદ્ધેશ્વર ગૌ-શાળા આણંદ પહોંચ્યા ત્યારે દેવપ્રકાશ સ્વામી, માધવપ્રિય સ્વામી, વિજય પ્રકાશ સ્વામી અને જયકૃષ્ણ સ્વામી હાજર હતા અને ‘‘અમે નૌતમ સ્વામીના શિષ્ય છીએ’’ તેમ કહીને વાતચીત શરૂ કરી હતી. સાથે જ ‘‘ટૂંક સમયમાં વિદેશથી ઘણી મોટી માત્રામાં દાન આવવાનું છે, જેમાંથી અમે જમીન ખરીદી લઈશું’’ તેવી વાત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી સ્વામીઓએ ‘‘જો અમે સીધા ખેડૂતો પાસેથી જમીન ખરીદીશું તો અમને મોંઘી પડશે, માટે તમે અમારા વતી જમીન ખરીદી લો અને બાદમાં અમે તમને રૂપિયા ચૂકવીને તમારી પાસેથી જમીન ખરીદી લઈશું.” તેમ જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી ગત જાન્યુઆરી મહિનામાં વડતાલ સ્વામીનારાયણ મંદિર વતી સુરેશભાઈ અને લાલજીભાઈ નામના શખ્સો જમીનનો સોદો કરવા માટે આવ્યા હતા. આ બંને લોકો સાથે રહીને જમીન જોવા માટે ગયા હતા. ત્યારે જમીનના ડોક્યુમેન્ટમાં માલિક તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિજયસિંહ ચૌહાણનું નામ હતું. તે લોકો પણ જગ્યા પર અગાઉથી હાજર હતા. ત્યારે એક વીઘાના રૂ. ૧૭.૫૧ લાખ ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગત ૧ જાન્યુઆરીના રોજ ભૂપેન્દ્ર પટેલ, વિજયસિંહ ચૌહાણ તેમજ દલાલ સુરેશ ભાઈ ઘોરી અને લાલજીભાઈ ઢોલા ફરિયાદીની ઓફિસે આવ્યા અને સમજૂતી કરાર કરાવીને કુલ રૂ. ૧.૧૧ કરોડ રૂપિયા અલગ અલગ લોકોના ખાતામાં જમા કરાવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ રીતે વડતાલના સ્વામીનારાયણ મંદિરના સ્વામીઓએ વટવાના બંને જમીન દલાલો સાથે કુલ ૧.૭૬ કરોડ રૂપિયા મેળવી લીધા હતા. જો કે એ પછી પણ જમીનના સોદાને લગતી કોઈ યોગ્ય વાતચીત કરવામાં આવી ન હતી. જેથી વટવાના બંને જમીન દલાલોએ તેમના રૂપિયા પાછા માંગતા રૂ. ૨૧ લાખ આપ્યા હતા. અને બાકીના કુલ ૧.૫૫ કરોડ રૂપિયા આપવા માટે થઈને વિદેશથી ફંડ આવ્યું નથી તેવા બહાના બતાવવા લાગ્યા હતા. આથી સ્વામીનારાયણના સાધુઓ અને દલાલો સામે ફરિયાદ નોંધાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/2.63-crore-fraud-with-a-businessman-in-the-name-of-building-swaminarayan-temple">સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે વેપારી સાથે 2.63 કરોડની છેતરપિંડી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 22 Sep 2024 19:34:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1253</Articleid>
                    <excerpt>ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે વડતાલ સ્વામીનારાયણના સંતો સહિત 8 લોકો સામે મંદિર બનાવવાના નામે છેતરપિંડીના કેસમાં ગુનો નોંધ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f021da78b9b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f021da481ec.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f021da481ec.jpg" length="105475" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gandhinagar CID Crime, Vadtal Swaminarayan, Saints of Swaminarayan, Fraud</media:keywords>
                </item>
                        <item>
                    <title>દવાખાનાના કામમાં કોઈ પાસે હાથ ન લંબાવવો હોય તો આ કાર્ડ કઢાવી લો</title>
                    <link>https://khabarantar.com/if-you-do-not-want-to-lend-a-hand-to-anyone-in-the-work-of-the-hospital-take-this-card</link>
                    <guid>https://khabarantar.com/if-you-do-not-want-to-lend-a-hand-to-anyone-in-the-work-of-the-hospital-take-this-card</guid>
                    <description>
                        <![CDATA[ ગરીબીમાં જીવતા બહુજન સમાજે આ કાર્ડ ચોક્કસ કઢાવવું જોઈએ, તેના અનેક ફાયદા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત-બહુજનમાં આજે પણ મોટાભાગની વસ્તી ગરીબીમાં ગુજારો કરવા માટે મજબૂર છે. માંડ માંડ બે ટંકનો રોટલો પુરો કરતા આપણાં સમાજને જ્યારે કટોકટીની પરિસ્થિતિ આવી પડે ક્યારે કોઈની પાસેથી ઉછીના પાછીના રૂપિયા લઈને કામ પુરું કરવું પડતું હોય છે. સરકારી યોજનાઓનો લાભ તેમના સુધી પૈસા સ્વરૂપે પહોંચવા દેવાતો નથી, તેમ છતાં કેટલીક એવી યોજના છે તે અકસ્માત જેવી ઘટનામાં આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તેમ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક યોજના એટલે આયુષ્યમાન ભારત યોજનાનું આભાકાર્ડ. આ કાર્ડ દલિત બહુજન સમાજને અનેક રીતે ઉપયોગી થઈ શકે છે. આભા કાર્ડ કઢાવી લેનારને ભારતના કોઈપણ ખૂણે અકસ્માત થાય તો કાર્ડના આધારે દેશની કોઈપણ હોસ્પિટલમાં સારવાર ઝડપથી ચાલુ કરી શકાશે. આ આભા કાર્ડ તમે કોઈ પણ જાતની તકલીફ વિના તમારું આધારકાર્ડ અને અન્ય વિગતો ઓનલાઇન અપલોડ કરીને જાતે ઈશ્યુ કરાવી શકો છો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આભા કાર્ડ કઢાવનારને આખા ભારતમાં રૂ. 5 લાખ સુધીના ખર્ચની સારવાર મફતમાં મળી શકે છે. ગુજરાતમાં કેન્દ્ર સરકારની પાંચ લાખ અને રાજ્ય સરકારની પાંચ લાખ મળીને કુલ રૂ. 10 લાખ સુધીની સારવાર મફતમાં મળે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/demand-to-increase-income-limit-for-sc-in-free-sheep-card-from-two-lakh-fifty-thousand-to-eight-lakhs">ફ્રી શીપ કાર્ડમાં SC માટેની આવક મર્યાદા 2.5 થી વધારી 8 લાખ કરવા માંગ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આયુષ્યમાન ભારત હેલ્થ સ્કીમ હેઠળ આભા કાર્ડ બનાવી આપવામાં આવી રહ્યા છે. તમે અમદાવાદ શહેરમાં રહો છો તો કોઈપણ અર્બન હેલ્થ સેન્ટરમાં જઈને આભા કાર્ડ કઢાવવા માટેની ઓનલાઇન અરજી કરાવડાવીને ગણતરીની મિનિટોમાં તે મેળવી શકો છો. તેના માટે તમારો મોબાઇલ નંબર આધારકાર્ડ સાથે લિંક થયેલો હોવો જરૂરી છે. તેમાં ઘરનું સરનામું અને તેના સ્વજનોના નંબર પણ મળી જશે. વીમા કંપનીઓ પણ સમય જતાં તેની સાથે લિંક કરી દેશે. પરિણામે સમય જતાં તેના થકી વીમા ક્લેઇમ પણ સેટલ થઈ શકશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જૂના રિપોર્ટ સાથે લઈ જવાની ઝંઝટ નહીં રહે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આભા કાર્ડ ધરાવનારાને કોઈપણ હૉસ્પિટલમાં સારવાર લેવા જતાં પહેલા તેના જૂના રિપોટ્‌ર્સની ફાઇલ પણ લઈ જવી પડશે નહિ. આભા કાર્ડ કઢાવ્યા પછી કોઈ પણ ડૉક્ટર પાસે સારવાર લેતી વખતે તેનો નંબર આપીને સારવાર લેશો તો આભા કાર્ડ પર જ તમારા આરોગ્યનો સંપૂર્ણ રૅકોર્ડ બનશે અને સચવાઈ પણ રહેશે. તેમાં વ્યક્તિનું બ્લડ ગ્રુપ, બીમારીઓ તથા અન્ય શારીરિક સમસ્યાઓ ઉપરાંત સારવાર દરમિયાન ડૉક્ટરે આપેલી દવાઓ અને ડૉક્ટર સંબંધિત તમામ માહિતીઓ એકત્રિત થઈ શકશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાર્ડ નહીં હોય અને માત્ર નંબર યાદ હશે તો પણ કામ થઈ જશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાર્ડ પણ ભૂલી જશો અને આભા કાર્ડનો નંબર યાદ રાખી લેશો તો પણ તમારી સંપૂર્ણ કેસ હિસ્ટ્રી ડૉક્ટરને મળી જશે. આમ તમે માત્ર હૉસ્પિટલમાં કે ડૉક્ટર પાસે જઈને તમારા આભા કાર્ડનો ડિજીટલ આઇડી આપશો તો તમારું કામ થઈ જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આભા કાર્ડમાં લેબ ટેસ્ટના દરેક રિપોર્ટ પણ સ્ટોર થઈ શકશે. પરિણામે અજાણ્યા ડૉક્ટર્સ પણ તમને વ્યવસ્થિત સારવાર આપી શકશે. આભા કાર્ડ ઇશ્યુ કરાવ્યા બાદ જીવન દરમિયાન જેટલી પણ સારવાર લીધી હશે અને તમારા જે કોઈ મેડિકલ રૅકોર્ડ બન્યા હશે તે તમામ રૅકોર્ડ તેના પર આવી જશે. ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાંમાં વસતા નાગરિક પાસે પણ આભા કાર્ડ હશે તો તે ટેલિમેડિસિનના માઘ્યમથી અમદાવાદના ડૉક્ટરનું માર્ગદર્શન મેળવી શકશે. ખાનગી ડૉક્ટરની સેવાઓ પણ સરળતાથી મળી શકશે. આભા કાર્ડ સાથે વીમા કંપનીઓને પણ લિંક કરી દેવામાં આવી છે. પરિણામે આભા કાર્ડ ધારકને વીમા કંપનીઓની સેવા પણ સરળતાથી મળી શકશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આભા કાર્ડની સૌથી મહત્વની વાત તેમાં મળતી રૂ. 10 લાખ સુધીની મફત સારવાર છે. માટે દરેક દલિત બહુજન સમાજે આ કાર્ડ કઢાવીને તેનો લાભ ચોક્કસ લેવો જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/in-rajkot-aadhaar-card-is-mandatory-among-patidars-to-avoid-love-jihad"><strong>રાજકોટમાં લવ જેહાદથી બચવા પાટીદારોના ગરબામાં આધારકાર્ડ ફરજિયાત</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 22 Sep 2024 09:29:50 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 22 Sep 2024 09:29:42 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1250</Articleid>
                    <excerpt>ગરીબીમાં જીવતા બહુજન સમાજે આ કાર્ડ ચોક્કસ કઢાવવું જોઈએ, તેના અનેક ફાયદા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66ef958896e6d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ef958869607.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ef958869607.jpg" length="55640" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Abha Card, Aayshyaman Bharat</media:keywords>
                </item>
                        <item>
                    <title>ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન: મહારાજા કૃષ્ણકુમારસિંહજીને &amp;apos;ભારત રત્ન&amp;apos; ની માંગ</title>
                    <link>https://khabarantar.com/kshatriyas-display-of-power-maharaja-krishnakumar-singhs-demand-for-bharat-ratna</link>
                    <guid>https://khabarantar.com/kshatriyas-display-of-power-maharaja-krishnakumar-singhs-demand-for-bharat-ratna</guid>
                    <description>
                        <![CDATA[ ગોતામાં ક્ષત્રિયોએ શક્તિ પ્રદર્શન કરી મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવા માંગ કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના ગોતામાં આજે 'સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ'ના નેજા હેઠળ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળ્યું હતું. જેમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રમુખ તરીકે ભાવનગરના રાજવી વિજયરાજસિંહજી ગોહિલની વરણી કરાઇ હતી. એટલું જ નહીં, આ સંમેલનમાં ભાવનગરના મહારાજા સર કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવામાં આવે તેવી એક સૂરે માંગણી ઉઠવા પામી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશ સાથે આજે અમદાવાદના ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે 'સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ'ના નેજા હેઠળ એક મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં ગુજરાતનાં વિવિધ સ્ટેટના રાજવી પરિવારના સભ્યો સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મહાસંમેલનમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હાજર રહ્યાં હતા. જ્યારે ભાજપ કે કોંગ્રેસનાં ક્ષત્રિય સમાજના નેતાઓ ગેરહાજર રહ્યા હતા. આ સંમેલનમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આગેવાનો દ્વારા એક સૂરે ભાવેણાના મહારાજા સર કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની માગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ક્ષત્રિય સમાજના ઉત્થાનના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Mayawati-demands-Bharat-Ratna-award-to-Manyavar-Kanshiram,-central-govt-furious">માયાવતીએ માન્યવર કાંશીરામને ભારત રત્નથી સમ્માનિત કરવાની માંગ કરી, કેન્દ્ર સરકાર ભીંસમાં</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66ed7b349626c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મહાસંમેલનમાં દાંતા સ્ટેટના રાજવી રિદ્ધિરાજસિંહએ જણાવ્યું હતું કે, “અમે કોઈ રાજનીતિમાં કે રાજકીય રીતે કોઈ પક્ષ સાથે જોડાયા નથી. અખંડ ભારત બનાવવા માટે ભાવનગરના મહારાજા સર કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલને મળીને પોતાનું રાજ્ય અર્પણ કર્યું હતું. જેના ભાવનગરના રાજવી પરિવારનું ગુજરાતમાં જ નહીં દેશમાં આગવુ સ્થાન છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિદ્ધિરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે, “અખંડ ભારતના શિલ્પી એવા સરદાર પટેલની ગુજરાતમાં સૌથી મોટી પ્રતિમા બની છે, પરંતુ અખંડ ભારત માટે સર્વ પ્રથમ પોતાનું રજવાડું (સ્ટેટ-રાજ) અર્પણ કરનાર ભાવનગર સ્ટેટના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને કોઈ પ્રાધાન્યતા અપાઈ નથી. ભાવેણાના પ્રજાવત્સલ મહારાજાની પ્રતિમા ફક્ત ભાવનગરમાં જ છે. ગુજરાતમાં અન્ય કોઈ પણ સ્થળે ભાવનગર સ્ટેટના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા નથી. અમારી તો ફકત એક જ માંગ છે કે, ભાવનગરના રાજવી (સ્ટેટ)નું સન્માન કરવામાં આવે અને મહારાજા સર કૃષ્ણકુમારસિંહજીને 'ભારત રત્ન' એવોર્ડથી સન્માનીત કરવામાં આવે તેવી માંગણી છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગુજરાતમાં 19 ટકા ક્ષત્રિયો છતાં બે જ મુખ્યમંત્રી કેમ?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સંમેલનમાં મંચ પરથી એવું પણ નિવેદન અપાયું હતું કે, ગુજરાતમાં 19 ટકા ક્ષત્રિયોની વસ્તી છે, તેમ છતાં સમાજ એક નથી. જેના કારણે અત્યાર સુધીમાં માત્ર 2 મુખ્યમંત્રી જ ક્ષત્રિય સમાજમાંથી બન્યા છે. ત્યારે જો સમાજ એક થશે તો જ સમાજનો વિકાસ થશે, તેમ આડકતરી રીતે રાજકીય નિવેદનો અપાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપ-કોંગ્રેસના નેતાઓ ગાયબ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ક્ષત્રિય સંમેલનમાં ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ તો ગેરહાજર રહ્યા હતા, આ ઉપરાંત લોકસભાની ચૂંટણી સમયે ક્ષત્રિય સમાજના આગેવાનોની સંકલન સમિતિઓ ઊભી કરાઇ હતી તે સમિતિઓના તમામ નેતાઓ પણ ગેરહાજર રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/65-percent-of-bharat-ratna-has-been-given-to-brahmins-none-to-tribals"><strong>65 ટકા ભારત રત્ન બ્રાહ્મણોને અપાયા છે, આદિવાસીને એકેય નહીં</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 20 Sep 2024 19:17:29 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 20 Sep 2024 19:19:08 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1244</Articleid>
                    <excerpt>ગોતામાં ક્ષત્રિયોએ શક્તિ પ્રદર્શન કરી મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવા માંગ કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66ed7b2501e89.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ed7b24c1120.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ed7b24c1120.jpg" length="69181" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Maharaja Krishnakumarsinghji, Bharat Ratna Samast Kshatriya Shakti Asmita Manch</media:keywords>
                </item>
                        <item>
                    <title>ધરમનો ધંધોઃ લાડુના પ્રસાદમાંથી વર્ષે 500 કરોડની કમાણી</title>
                    <link>https://khabarantar.com/dharams-buisness-earning-500-crores-a-year-from-laddu-pasad</link>
                    <guid>https://khabarantar.com/dharams-buisness-earning-500-crores-a-year-from-laddu-pasad</guid>
                    <description>
                        <![CDATA[ તિરૂપતિ બાલાજીના મંદિર પાસે કમાણીના અનેક રસ્તાઓ છે. એકલા લાડુના પ્રસાદમાંથી મંદિર વર્ષે રૂ. 500 કરોડ કમાઈ લે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંધ્રપ્રદેશના વિખ્યાત તિરુપતિ બાલાજીના મંદિરનો લાડુનો પ્રસાદ વિવાદમાં આવી ગયો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તેમાં દેશી ઘીને બદલે ગાય-ડુક્કરની ચરબી અને માછલીનું તેલ વપરાતું હોવાનું સામે આવતા હોબાળો મચી ગયો છે. ટીડીપીએ આ મામલે જગન મોહન રેડ્ડીની સરકાર પર હિંદુઓની આસ્થા સાથે ચેડાં કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના ધારાસભ્યે જગન મોહન સરકાર સામે કેસ કરવાની વાત કરી છે. સવાલ એ પણ છે કે પ્રસાદ તો મફત આપવામાં આવતો હોય છે, તો શા માટે આ મંદિરમાં પ્રસાદના પૈસા લેવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એકલા લાડુના પ્રસાદમાંથી જ આ મંદિર વર્ષે રૂ. 500 કરોડની કમાણી કરી લે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કેવી રીતે બને છે તિરુપતિ લાડુ?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાપ્રસાદના લાડુ બનાવવાની પ્રક્રિયાને 'દિત્તમ' તરીકે ઓળખવામાં આવે છે. તેમાં બધી વસ્તુઓ ચોક્કસ માત્રામાં ઉમેરવામાં આવે છે. તેની રેસીપી તેના 300 વર્ષના ઈતિહાસમાં માત્ર છ વખત બદલાઈ છે. 2016માં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડે એવું ધુપ્પલ ચલાવ્યું હતું કે, આ લાડુમાં એક દૈવીય પ્રકારની સુગંધ આવે છે. પહેલા બેસનમાંથી બૂંદી તૈયાર કરવામાં આવે છે. લાડુને બગડતા અટકાવવા માટે ગોળના શરબતનો ઉપયોગ કરવામાં આવે છે. આ પછી તેમાં આમળા, કાજુ અને કિસમિસ મિક્સ કરીને લાડુ તૈયાર કરવામાં આવે છે. બૂંદી બનાવવા માટે ઘીનો ઉપયોગ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દરરોજ ત્રણ લાખ લાડુ બનાવવામાં આવે છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક મીડિયા રિપોર્ટ અનુસાર, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ TTD દરરોજ લગભગ 3 લાખ લાડુ બનાવે છે. બોર્ડ એક વર્ષમાં લાડુમાંથી અંદાજે રૂ. 500 કરોડની કમાણી કરે છે. એવું કહેવાય છે કે 1715 થી સતત પ્રસાદ તરીકે લાડુ બનાવવામાં આવે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">2014માં GI ટેગ મળ્યો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંદિર ટ્રસ્ટની ચાલાકી જુઓ, 2014માં તિરુપતિ લાડુને GI ટેગ મળ્યો હતો. જેથી કરીને આ નામથી અન્ય કોઈ લાડુ વેચી ન શકે. આ લાડુમાં ખાંડ, કાજુ અને દ્રાક્ષ નાખેલી હોય છે. એક લાડુનું વજન લગભગ 175 ગ્રામ જેટલું હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/what-is-the-strength-of-religion"> ધર્મની તાકાત શું છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જુલાઈમાં એક લેબ ટેસ્ટ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ લાડુઓમાં વપરાતા ઘીમાં કેટલીક બહારની ચરબી હતી. આ પછી, ટીટીડીએ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કર્યો હતો અને કર્ણાટક મિલ્ક ફેડરેશન પાસેથી ઘી ખરીદવાનું શરૂ કર્યું હતું. ટીટીડી એક કિલો ઘી માટે 320 રૂપિયા ચૂકવતી હતી. તે જ સમયે, નવી જગ્યાએથી 475 રૂપિયામાં ઘી ખરીદવું પડ્યું. હવે ટીડીપીએ આ અહેવાલ સાર્વજનિક કરતા કહ્યું છે કે લાડુના ઘીમાં બીફ ફેટ અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત તેમાં માછલીનું તેલ પણ હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">23મી જુલાઇના રોજ લાડુના સ્વાદ અંગેની ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમાં નાળિયેર, કપાસના બીજ અને સરસવના તેલની હાજરી પણ મળી આવી હતી. જૂનમાં, TDP સરકારે એક વરિષ્ઠ IAS અધિકારીને TTDના કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા. દેશના સૌથી મોટાં મંદિરમાં આટલી હદે લોકો પાસે આસ્થાના નામે લૂંટ ચલાવાતી હોવા છતાં કોઈ કશો વિરોધ નોંધાવતું નથી. જે બતાવે છે કે, આ દેશમાં ધર્મની આડમાં ગમે તેવી છેતરપિંડી કરી શકાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ત્રણ પ્રકારના લાડુ બને છે, ત્રણેયની કિંમત જુદી જુદી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે તિરુપતિ મંદિર ત્રણ પ્રકારના લાડુ બનાવે છે અને દરેકની કિંમત જુદી જુદી હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>પ્રોક્તમ લાડુ-</strong></span> આ લાડુ કદમાં નાનો છે, જે મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને નિયમિત રીતે વહેંચવામાં આવે છે. એક લાડુનું વજન લગભગ 40 ગ્રામ છે. આ લાડુઓ દર્શન પૂર્ણ કર્યા પછી અને મંદિરની બહાર આવ્યા પછી દરેકને પ્રસાદ તરીકે મફત આપવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>અસ્થાનમ લાડુ-</strong></span> આ લાડુ ખાસ તહેવારોમાં તૈયાર કરવામાં આવે છે, જેની સાઈઝ પ્રોક્તમ લાડુ કરતા થોડી મોટી હોય છે. આ લાડુ મફત નથી મળતા. તેના માટે રૂ. ચૂકવવા પડે છે. એક લાડુનું વજન 175 ગ્રામ જેટલું હોય છે અને તેની કિંમત 50 રૂપિયા છે. તેને બનાવવા માટે મોટાભાગે બદામ, કાજુ અને કેસરનો ઉપયોગ કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>કલ્યાણોત્સવમ લાડુ-</strong></span> આ લાડુઓ અર્જિતા સેવા અને કલ્યાણોત્સવમાં ભાગ લેનાર યાત્રાળુઓને વહેંચવામાં આવે છે. આ લાડુની સૌથી વધુ માંગ છે. જો કે, તે અન્ય લાડુની સરખામણીમાં ઓછી સંખ્યામાં બનાવવામાં આવે છે. આ લાડુ 15 દિવસ સુધી સારા રહે છે અને તે સૌથી મોંઘાં છે. એક લાડુનું વજન અંદાજે 750 ગ્રામ છે અને તેની કિંમત 200 રૂપિયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહેવાલો અનુસાર, દરરોજ લાડુ બનાવવા માટે દરરોજ 700 કિલો કાજુ, 10 ટન ચણાનો લોટ, ત્રણથી ચારસો લિટર ઘી, દસ ટન ખાંડ, લગભગ 540 કિલો કિસમિસ વગેરેની જરૂર પડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/prasad-of-tirupati-balaji-temple-is-made-from-animal-fat-chandrababu"><strong>તિરૂપતિ બાલાજી મંદિરનો પ્રસાદ પશુઓની ચરબીમાંથી બને છે: ચંદ્રબાબુ</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 20 Sep 2024 17:02:26 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 20 Sep 2024 17:04:02 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1243</Articleid>
                    <excerpt>તિરૂપતિ બાલાજીના મંદિર પાસે કમાણીના અનેક રસ્તાઓ છે. એકલા લાડુના પ્રસાદમાંથી મંદિર વર્ષે રૂ. 500 કરોડ કમાઈ લે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66ed5c950031c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ed5c94b4e34.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ed5c94b4e34.jpg" length="143124" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Prasad of Tirupati Balaji Temple, Tirupati Balaji Temple, Chandrababu Naidu</media:keywords>
                </item>
                        <item>
                    <title>અનામત બચાવો સંકલ્પ યાત્રા ક્યાં પહોંચી, શું કાર્યક્રમો થયા?</title>
                    <link>https://khabarantar.com/where-did-the-snkalp-yatra-to-save-reaserves-reach-what-programs-were-held</link>
                    <guid>https://khabarantar.com/where-did-the-snkalp-yatra-to-save-reaserves-reach-what-programs-were-held</guid>
                    <description>
                        <![CDATA[ ચાંદખેડાથી નીકળેલી અનામત બચાવો સંકલ્પ યાત્રાનો આજે ચોથો દિવસ છે. જાણો યાત્રા ક્યાં પહોંચી, આટલા દિવસોમાં શું શું થયું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તા. 17 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી શરૂ થયેલી એસસી, એસટી, ઓબીસી અનામત બચાવો સંકલ્પ યાત્રા તેના મધ્યમાં પહોંચી ચૂકી છે અને તેને સમસ્ત બહુજન સમાજનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે. 17મી સપ્ટેમ્બરે યાત્રા સંવિધાન સર્કલ સ્નેહ પ્લાઝા ચાંદખેડા થી સવારે નવ વાગ્યે નીકળી હતી અને સાબરમતી, રાણીપ, વાડજ, ગિરધરનગર, પ્રભાકર ટેનામેન્ટ, નરોડા રોડ, સરસપુર, રખિયાલ, બાપુનગર થઈ અમરાઈવાડી ખાતે પહોંચી હતી અને ત્યાં રાત્રિ રોકાણ કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારબાદ તા. ૧૮/૯/૨૪ના રોજ સવારે યાત્રા અમરાઈવાડીથી નીકળી ગીતામંદિર, બહેરામપુરા દૂધવાળી ચાલી થઈ દાણીલીમડા પહોંચી હતી. જ્યાં યાત્રાના આગેવાનોએ જનસભા સંબોધી હતી. અહીંથી તે દાણીલીમડા તરફ આગળ વધી હતી. યાત્રામાં મોટી સંખ્યામાં બાઈક, કાર, ટેબ્લો સાથે માન્યવર કાંશીરામ સાહેબની સાઈકલ યાત્રાની યાદ અપાવતા સાઈકલવીરો પણ જોવા મળ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66ed2d2d4db79.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં બપોરનું ભોજન લીધા બાદ યાત્રા આંબાવાડી આંબેડકર કોલોની,  વાસણા, ગુપ્તા નગર થઈ વેજલપુરની વિવિધ સોસાયટીમાં ફરી હતી. એ પછી રાત્રે વેજલપુર સોસાયટીમાં મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં ડૉ નીતિન ગુર્જર તેમજ પી. એલ રાઠોડ, અશોક ચાવડા, હેમંત પરમાર, રાજેશ નાડિયા, જગદીશ સોલંકી વિગેરેએ સુપ્રિમ કોર્ટના ચુકાદાની ઘાતક અસરો તેમજ આ અસરો સામે લડત કઈ રીતે આપવાની છે તેની વાત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/what-is-objectionable-in-the-judgment-of-the-supreme-court-find-out-from-raju-solanki">સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં વાંધાજનક શું છે? રાજુ સોલંકી પાસેથી સમજો</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66ed2d2cabd51.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી ગઈકાલે તારીખ 19/ 9 /2024 ના રોજ અનામત બચાવો સંકલ્પ યાત્રાનો ત્રીજો દિવસ શરૂ થયો અને વેજલપુર થી નીકળી સરખેજના અલગ અલગ વિસ્તારોમાં ફરીને ધોળકા તાલુકાના કાસીન્દ્રા ભાત અને કાવીઠા ગામે પહોંચી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાવીઠા ગામનો બહુજન ઈતિહાસ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાવીઠા ગામની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ માં જઈએ તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આ ગામની મુલાકાત લીધી હતી. કાવીઠા ગામના અનુસૂચિત જાતિના લોકોએ 1950ના દશકમાં તેમના બાળકોને ભણાવવા માટે સ્કૂલમાં દાખલ કરવાની શરૂઆત કરી હતી ત્યારે ગામ લોકોએ એમના બાળકોને સ્કૂલમાં ન મોકલી રીતસરનો બહિષ્કાર કર્યો હતો. આ વાત બાબાસાહેબ આંબેડકર સુધી પહોંચતા તેઓએ આ ગામની મુલાકાત લઇ અનુસૂચિત જાતિના લોકોને ઘણું આશ્વાસન આપ્યું હતું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66ed2d2bed8e0.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધોળકામાં બે જગ્યાએ જંગી જાહેર સભાઓ યોજાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી ક્રાંતિકારી અને મંગલમય ધરતી પર આ યાત્રાના સાથીઓએ મુલાકાત લઇ પોતાની જાતને ધન્યતા અનુભવી હતી. કાવિઠા ના સાથે મિત્રો દ્વારા બપોરના ભોજનની વ્યવસ્થા કરી હતી. બપોરનું ભોજન પૂરું કર્યા બાદ આ યાત્રા બદરખા, ચલોડા અને ધોળકા શહેરની વિવિધ સોસાયટી તેમજ દલિત સમાજની  વસાહતમાં મુલાકાત લઈને લોકોને સુપ્રીમ કોર્ટના ચુકાદાની ઘાતક અસરો અંગે સમજણ આપી હતી. રાત્રી દરમિયાન ધોળકામાં બે જગ્યાએ જાહેર સભા થઈ હતી જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રાનું રાત્રી રોકાણ આંબેડકર ભવન ખાતે સમાજ વાડી ત્રાસદ  ખાતે કરવામાં આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આજે રાત્રે યાત્રા આણંદ પહોંચશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે 20મી સપ્ટેમ્બરના રોજ યાત્રા ધોળકાથી નિકળી આંબારેલી, સિમેજ, વટામણ, ગોલાણા, પાંદડ, મોરજ, ખાખસર, તારાપુર, ધર્મજ, પેટલાદ થઈને આણંદ પહોંચશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે. અહીં જંગી સભાનું આયોજન કરાયું છે. જેમાં સમગ્ર ચરોતર વિસ્તારમાં બહુજન સમાજના હિતેચ્છુઓ, ભીમયોદ્ધાઓ સમાજસેવકો તથા યુવાનો, યુવતીઓ અને મહિલાઓ ઉમટી પડશે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66ed2d2ab07e5.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના સવર્ણ જજો દ્વારા એસસી એસટી સમાજના પેટા વર્ગીકરણ અને તેમાં ક્રિમીલેયર દાખલ કરવાના ચૂકાદા સામે સમગ્ર દેશમાં બહુજન સમાજમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ગયા મહિને 21 ઓગસ્ટે ભારત બંધને મળેલી જબરજસ્ત સફળતા બાદ બહુજન સમાજ હવે જાતિવાદી તત્વો સામે અનામત બચાવવા મેદાને પડ્યો છે. અમદાવાદના ચાંદખેડામાં ગયા મહિને અનામત બચાવો આંદોલન સમિતિ દ્વારા યોજવામાં આવેલી વિશાળ સભામાં ભીમયોદ્ધાઓએ ભરતડકે રસ્તા વચ્ચે બેસીને પોતાનો અણનમ જુસ્સો પ્રગટ કર્યો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66ed2d2b5c710.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે એ જ જુસ્સાને કાયમ રાખીને તેમણે અમદાવાદના ચાંદખેડાથી અનામત બચાવો સંકલ્પ યાત્રા શરૂ કરી છે. આ યાત્રા 23મી સપ્ટેમ્બરના રોજ સંકલ્પભૂમિ વડોદરા ખાતે સંપન્ન થશે. અહીં બે દિવસ સુધી યાત્રા સમગ્ર વડોદરા શહેરમાં ફરશે અને સંકલ્પ ભૂમિ દિવસના રોજ જંગી સભાનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાતભરમાં બહુજન સમાજ ઉમટી પડવાનો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો તમે પણ આ યાત્રામાં જોડાવા માંગતા હો અથવા તેના વિશે કોઈ જાણકારી મેળવવા માંગતા હો તો નીચે આપેલા મોબાઈલ નંબરો પર સંપર્ક કરી શકો છો.</span><br><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">6356220396, 9904126080 ,8733024818, 8488889868, 7600048548, 9427600965</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/everyone-had-the-same-voice-we-will-not-let-the-meli-murad-of-the-government-be-fulfilled"><strong>મહાસંમેલનમાં સૌનો એક જ સૂરઃ સરકારની મેલી મુરાદ પૂરી નહીં થવા દઈએ</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 20 Sep 2024 13:51:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1242</Articleid>
                    <excerpt>ચાંદખેડાથી નીકળેલી અનામત બચાવો સંકલ્પ યાત્રાનો આજે ચોથો દિવસ છે. જાણો યાત્રા ક્યાં પહોંચી, આટલા દિવસોમાં શું શું થયું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66ed2d2e18f85.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ed2d2dd4b81.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ed2d2dd4b81.jpg" length="135844" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Save the reserve, SC-ST-OBC reservation, Sankalp Bhumi Vadodara</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડાકોરમાં તસ્કરો શનિદેવના આભૂષણો, દાનપેટીની રોકડ ચોરી ગયા</title>
                    <link>https://khabarantar.com/smuggler-stole-shanidevs-ornments-cash-from-donation-box-in-dakor</link>
                    <guid>https://khabarantar.com/smuggler-stole-shanidevs-ornments-cash-from-donation-box-in-dakor</guid>
                    <description>
                        <![CDATA[ પનોતીને દબાવી દેનાર શનિદેવ પણ સુરક્ષિત નથી. તસ્કરોએ તેમના મંદિરને નિશાન બનાવ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુ ધર્મમાં શનિને સૌથી મજબૂત ગ્રહ માનવામાં આવે છે. શનિદેવનો ભય એટલો મોટો છે કે શ્રદ્ધાળુ લોકો તેમના નામ માત્રથી ડર અનુભવે છે. કેટલાક લોકો પનોતી દૂર કરવા માટે તેમની માનતા રાખે છે. શનિ શીંગણાપુર નામના જાણીતા સ્થળે ગામમાં લોકો પોતાના ઘરને તાળાં મારતા ન હોવાની પણ એક વાત ચાલે છે. જો કે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં તસ્કરોને જાણે શનિદેવની બીક જ ન હોય તેમ તેમના મંદિરમાં ઘૂસી, દાનપેટીમાંથી રોકડ રકમ અને આભૂષણો ચોરીને ફરાર થઈ ગયા હતા. જેને લઈને શનિદેવના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડાકોરના ઉમરેઠ રોડ પર આવેલા શનિદેવ મંદિરમાં અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરી ચોરી કરવાની ઘટના સામે આવી છે. તસ્કરો મંદિરમાંથી શનિદેવની મૂર્તિ ખંડિત કરી આભૂષણો અને દાન પેટીમાંથી પૈસા ચોરી જતા ભાવિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ઘટનાને પગલે જીલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો મંદિરે પહોંચ્યો હતો. આ મામલે ડાકોર પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની મદદથી સમગ્ર ઘટના બાબતે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/in-bhavnagar-adhed-committed-suicide-by-taking-a-fire-bath-before-kuldevi">ભાવનગરમાં આધેડે કુળદેવી સમક્ષ અગ્નિસ્નાન કરીને આત્મહત્યા કરી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે વહેલી સવારે શનિદેવ મંદિરે પૂજારી પહોંચ્યા હતા. ત્યારે તેમને તસ્કરો કળા કરી ગયા હોવાનું સમજાયું હતું. તરત સમગ્ર ઘટનાની જાણ મંદિરના વહીવટકર્તા તેમજ પોલીસને કરાઈ હતી. મંદિરમાં અસામાજીક તત્વોએ શનિદેવની મૂર્તિને ખંડિત કરી છે. તેમજ મંદિરની બાજુમાં આવેલી ઓરડીના તાળા તોડી શનિદેવના આભૂષણો તેમજ દાન પેટીમાંથી ૩૦૦ રૂપિયા જેટલી રકમની ચોરી કરી હતી. આ બાબતે મંદિરના પૂજારી પ્રિતેશભાઈ દ્વારા મંદિરના વહીવટકર્તા સુરેશભાઈને જાણ કરવામાં આવતા તેમણે ડાકોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તેમજ ડીવાયએસપી, એલસીબી અને એસઓજીની ટીમ તેમજ ડાકોર પોલીસની ટીમ મંદિર ખાતે પહોંચી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવવા સહિત ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતોની મદદથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના અંગે નડીયાદ ડીવાયએસપી વી.આર.બાજપેયીએ જણાવ્યું હતુ કે' "ડાકોર ઉમરેઠ રોડ પર એક શનિદેવનું મંદિર આવેલું છે. શનિદેવ મંદિરના વહીવટકર્તા સુરેશભાઈ છે. તેમને પૂજારી પ્રિતેશભાઈનો ફોન આવ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે મંદિરની સાઈડમાં જે ઓરડીઓ બનાવેલી છે. ત્યાં અને મંદિરમાં તોડફોડ થયેલી છે. ઓરડીનું તાળુ તોડી એમાંથી શનિદેવના આભૂષણ અને ૩૦૦ રૂપિયા જેટલું પરચૂરણ ચોરી થઈ ગયું છે. મંદિરમાં શનિદેવની મૂર્તિને પણ નુકશાન કર્યુ છે. આ સંદર્ભે મંદિરના વહીવટકર્તાએ ડાકોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે બીએનએસ કલમ ૩૩૩, ૩૦૫, ૨૯૮, ૨૨૪ અન્વયે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ જિલ્લા એલસીબી, એસઓજીની ટીમ, સ્થાનિક પોલીસની ટીમ તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજ મેળવવા સહિત ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતોને બોલાવી તપાસની કાર્યવાહી હાથ ધરાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/at-Somnath-the-local-brahmins-went-on-a-fast-while-worshiping-outside-brahmins"><strong>સોમનાથમાં બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવાતા સ્થાનિક બ્રાહ્મણો ઉપવાસ પર ઉતર્યા</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 19 Sep 2024 20:47:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1238</Articleid>
                    <excerpt>પનોતીને દબાવી દેનાર શનિદેવ પણ સુરક્ષિત નથી. તસ્કરોએ તેમના મંદિરને નિશાન બનાવ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66ec3f717036c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ec3f7137e8b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ec3f7137e8b.jpg" length="72774" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>stealing In Dakor, Shanidev Temple, Dakor</media:keywords>
                </item>
                        <item>
                    <title>તિરૂપતિ બાલાજી મંદિરનો પ્રસાદ પશુઓની ચરબીમાંથી બને છે: ચંદ્રબાબુ</title>
                    <link>https://khabarantar.com/prasad-of-tirupati-balaji-temple-is-made-from-animal-fat-chandrababu</link>
                    <guid>https://khabarantar.com/prasad-of-tirupati-balaji-temple-is-made-from-animal-fat-chandrababu</guid>
                    <description>
                        <![CDATA[ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તિરૂપતિ મંદિરના પ્રસાદમાં ઘીને બદલે પશુઓની ચરબીનો ઉપયોગ થતો હોવાનું કહેતા હોબાળો મચી ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં ગયા વર્ષે યાત્રાધામ અંબાજીના મંદિરમાં મોહનથાળના પ્રસાદમાં વપરાતું ઘી નકલી હોવાનું સામે આવતા જેવો હોબાળો થયો હતો એવા જ કંઈક કૌભાંડનો આરોપ હવે દેશના સૌથી પૈસાદાર મંદિર એવા તિરુપતિ બાલાજીના મંદિર પર લાગ્યો છે. આક્ષેપ પણ કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં પરંતુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૧૯થી ૨૦૨૪ વચ્ચેની જગન મોહન રેડ્ડીની સરકાર દરમિયાન તિરુપતિ લાડુ પ્રસાદમ તૈયાર કરવા માટે ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એનડીએ જનપ્રતિનિધિઓની બેઠકમાં વાયએસઆર કોંગ્રેસ પર આરોપ લગાવતા નાયડુએ કહ્યું, "તિરુમાલામાં વેંકટેશ્વર સ્વામી મંદિર અમારું સૌથી પવિત્ર મંદિર છે. મને એ જાણીને આશ્ચર્ય થયું કે જગન મોહન રેડ્ડીની સરકારના સમયમાં તિરુપતિ પ્રસાદમમાં ઘીની જગ્યાએ પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/a-donation-of-18.11-crores-came-out-of-the-donation-box-of-the-temple-counting-took-4-days"><strong>મંદિરની દાનપેટીમાંથી 18.11 કરોડનું દાન નીકળ્યું, 4 દિવસ ગણતરી ચાલી</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આરોપોને લઈને વાયએસઆર કોંગ્રેસે આકરો જવાબ આપતા કહ્યું કે, "ચંદ્રબાબુ નાયડુએ મંદિરની પવિત્રતા અને હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડીને મોટું પાપ કર્યું છે. તિરુમાલા પ્રસાદમ વિશે નાયડુની ટિપ્પણી અત્યંત નિમ્ન કક્ષાની છે. આના પરથી ફરી એકવાર સાબિત થયું છે કે તેઓ રાજકીય લાભ માટે કોઈ પણ સ્તર સુધી જઈ શકે છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાયએસઆર કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય અને તિરુમાલા મંદિરનું સંચાલન કરતા બોર્ડ ટીટીડીના ભૂતપૂર્વ અધ્યક્ષે કહ્યું, “હું અને મારો પરિવાર તિરુમાલા પ્રસાદમના મામલે ભગવાનને સાક્ષી તરીકે રાખીને શપથ લેવા તૈયાર છીએ. પણ જેમણે આ નિવેદન કર્યું છે તેઓ તેમના પરિવાર સાથે શપથ લેવા તૈયાર છે?"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, જગન મોહન રેડ્ડીની સરકારમાં તિરૂપતિ મંદિરના લાડુના પ્રસાદમાં ભેળસેળ કરાતી હોવાનો વિવાદ થયો હતો. ટીડીપીએ ઘણીવાર તેની ગુણવત્તાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. એ વખતે મંદિર ટ્રસ્ટ પાસે યોગ્ય પ્રયોગશાળાઓ ન હતી અને ખાનગી પ્રયોગશાળાઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘીની ગુણવત્તાનું યોગ્ય રીતે પરીક્ષણ કર્યું ન હતું. ઘીની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા માટે મંદિર ટ્રસ્ટે તાજેતરમાં એક નવી પ્રયોગશાળાની સ્થાપના કરી છે અને તેના સ્ટાફને મૈસૂરમાં પરીક્ષણની તાલીમ અપાઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/andhra-pradesh-government-increased-the-salary-of-temple-priests-by-50-percent"><strong>આંધ્રપ્રદેશ સરકારે મંદિરના પૂજારીઓના પગારમાં 50 ટકા વધારો કર્યો</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 19 Sep 2024 19:03:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1237</Articleid>
                    <excerpt>આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તિરૂપતિ મંદિરના પ્રસાદમાં ઘીને બદલે પશુઓની ચરબીનો ઉપયોગ થતો હોવાનું કહેતા હોબાળો મચી ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66ec27fe91d9c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ec27fe60df8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ec27fe60df8.jpg" length="74027" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Prasad of Tirupati Balaji Temple, Tirupati Balaji Temple, Chandrababu Naidu</media:keywords>
                </item>
                        <item>
                    <title>સિવિલ હોસ્પિટલના દર્દીઓને ભાજપના સભ્ય બનાવી દેવાનું કૌભાંડ ઝડપાયું</title>
                    <link>https://khabarantar.com/scam-of-turning-civil-hospital-patients-into-bjp-members-was-caught</link>
                    <guid>https://khabarantar.com/scam-of-turning-civil-hospital-patients-into-bjp-members-was-caught</guid>
                    <description>
                        <![CDATA[ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના મતવિસ્તાર વિસનગરમાં સિવિલ હોસ્પિટલના દર્દીઓને ભાજપના સભ્ય બનાવી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">BJP Membership Scam: દેશભરમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત વધુને વધુ લોકોને ભાજપમાં જોડવા માટે સ્થાનિક કાર્યકરોને ટાર્ગેટ આપવામાં આવે છે. જેને પુરો કરવા માટે કાર્યકરો મરણિયા બનીને ગમે તે વ્યક્તિને પક્ષના સભ્ય બનાવી દેતા હોય છે. સુરેન્દ્રનગરમાં તો એક શાળાના બાળકોને ભાજપના સભ્ય બનાવી દેવાયા હતા. આ ઘટનાની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં હવે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના મત વિસ્તાર વીસનગરમાં સિવિલ હોસ્પિટલના દર્દીઓને તેમની જાણ બહાર ભાજપના સભ્ય બનાવી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે.</span><br><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે અહીં વિકુંભા નામની વ્યક્તિ તેમના પત્ની બિમાર હોવાથી તેમને ઈન્જેક્શન અપાવવા માટે વિસનગર સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. એ દરમિયાન ત્યાં હાજર કર્મચારીએ તેમને તમારે ઇંજેક્શન લગાવવાનું છે તેમ પૂછતા તેમણે હા પાડી હતી. એ પછી કર્મચારીએ તેમના પત્ની પાસે તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યો હશે તે આપો તેમ કહીને આપવા કહ્યું હતું. જેથી વિકુંભા દરબારના પત્નીએ સમજ્યા વિચાર્યા વિના ઓટીપી આપી દીધો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/i-had-cast-15-fake-votes-bjp-workers-video-created-uproar">15 નકલી મતો તો મેં નાખ્યા હતાઃ ભાજપ કાર્યકરની કબૂલાતના વીડિયોથી હોબાળો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિવિલના કર્મચારીએ ઓટીપી માંગ્યો હોવાની વાતની વિકુંભા દરબારને જાણ થતાં તેમણે પૂછ્યું હતું કે, શા માટે ઓટીપી માંગો છો? આ વાતચીત ચાલતી હતી ત્યારે જ તેમના મોબાઇલ પર તેમને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હોવાનો મેસેજ આવતાં તેઓ ભડક્યા હતા અને તેમને અંધારામાં રાખીને પૂછ્યા વિના ભાજપના સભ્ય બનાવવાને લઇને હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ હાજર કર્મચારીએ ભૂલથી લેવાઈ ગયો હોવાની વાત કરી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. એ દરમિયાન દર્દીના પત્નીએ સિવિલ હોસ્પિટલના આરએમઓને બોલાવી તેમની હાજરીમાં કર્મચારીનો ઉધડો લીધો હતો. ઓટીપી માગનાર કર્મચારીએ પહેલા તો કહ્યું કે અમે કોઇ પાસેથી બળજબરીપૂર્વક ઓટીપી લેતા નથી. પરંતુ વિવાદ વકરતા આખરે કર્મચારીએ ભૂલ સ્વિકારી માફી માંગી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થતા વિવાદ વધુ વકર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સિવિલ સુપરિટેન્ડન્ટે કર્મચારી એન્જસીનો હોવાનો કહીને બચાવ કર્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">આ સમગ્ર મામલે વિસનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ પારુલ પટેલે લૂલો બચાવ કર્યો અને ઘટના અંગે તેમને કોઇ ફરિયાદ મળી નથી તેવો દાવો કર્યો હતો. જો કે, આ ઘટનાનો વાયરલ થયા બાદ તેમણે તપાસ કરાવી તો જાણવા મળ્યું છે કે જેણે ઓટીપી માગ્યો હતો તે હંગામી કર્મચારી છે. તેને નીરજ એજન્સી દ્વારા મુકવામાં આવ્યો હતો, વિવાદ વકરતા તે સિવિલમાંથી જતો રહ્યો છે. આ મામલે નીરજ એજન્સીનો સંપર્ક કરવામાં આવતા તેના જવાબદાર અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓ આ મામલે તપાસ કરશે અને કાર્યવાહી કરશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ભાવનગરમાં 100 સભ્યો બનાવો 500 રૂ. લઈ જાવની ચર્ચા</span></strong><br><span style="font-size: 14pt;">વિસનગર જેમ ભાવનગરમાં પણ શાકભાજીના ભાવની જેમ સભ્યો બનાવવાનો ભાવ બોલાતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં '૧૦૦ સભ્યો બનાવો, ૫૦૦ રૂપિયા લઇ જાઓ'ની ઓફર આપવામાં આવી રહી છે. વીડિયોમાં શહેરના વોર્ડ નં.૧૨ના ભાજપના નગરસેવક અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ લોકોને સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય બનાવવાની સમજણ આપતાં નજરે પડે છે. જેમાં તેઓ જણાવે છે કે, સભ્ય બનાવતાં પૂર્વે જે-તે વ્યક્તિના મોબાઇલમાં ઓટીપી આવશે. તે વ્યક્તિ ઓટીપી આપે તો સભ્ય બનવા ઇચ્છુક છે અન્યથા દબાણપૂર્વક સભ્ય ન બનાવવા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સુરેન્દ્નનગરમાં વિદ્યાર્થીઓ-વાલીઓને સભ્ય બનાવી દેવાયા</span></strong></span><br><span style="font-size: 14pt;">સભ્ય બનાવી દેવાનો આવો એક કિસ્સો સુરેન્દ્રનગરમાંથી પણ સામે આવ્યો હતો. અહીં દૂધરેજની બાજુમાં આવેલા અણિન્દ્રા ગામમાં ભાજપના શહેર પ્રમુખની આઈપીએસ શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવ્યા હોવાના આક્ષેપ થયા હતા. એટલું જ નહીં વાલીઓને પણ સભ્ય બનવા માટેના મેસેજની લિંક મોકલવામાં આવી હતી. જેથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ શાળાને નોટિસ ફટકારીને દોષિતો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ભાજપ દ્વારા સામ-દામ-દંડ-ભેદ એમ કોઈ પણ રીતે લોકોને પક્ષના સભ્ય બનાવી દેવાની મોટાપાયે ફરિયાદો મળી રહી છે. જેના કારણે આખું અભિયાન વિવાદમાં આવી ગયું છે અને લોકોમાં તેની ગંભીરતા ઘટી ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/what-is-the-strategy-of-rss-after-the-results-of-lok-sabha-elections-2024">લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે આરએસએસની રણનીતિ શું છે?</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 19 Sep 2024 08:09:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1232</Articleid>
                    <excerpt>આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના મતવિસ્તાર વિસનગરમાં સિવિલ હોસ્પિટલના દર્દીઓને ભાજપના સભ્ય બનાવી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66eb12bc3e17d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66eb12bc0f1c3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66eb12bc0f1c3.jpg" length="47282" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BJP, Membership Campaign, scam, Visanagar, Civil Hospital</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગણપતિનો એક લાડુ હરાજીમાં 30 લાખમાં, બીજો લાડુ 1.87 કરોડમાં વેચાયો</title>
                    <link>https://khabarantar.com/one-laddu-of-ganpati-was-sold-in-harazi-for-30-lakhs-the-other-laddu-was-sold-for-1.87-crores</link>
                    <guid>https://khabarantar.com/one-laddu-of-ganpati-was-sold-in-harazi-for-30-lakhs-the-other-laddu-was-sold-for-1.87-crores</guid>
                    <description>
                        <![CDATA[ એક ગણપતિ મંદિરમાં લાડુની હરાજી રૂ. 1.87 કરોડ અને 30 લાખમાં થઈ હતી. વાંચો ક્યાંની છે આ ઘટના. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્મ અને આસ્થાની આડમાં ભારતમાં કેવી રીતે લોકોની લાગણીઓ સાથે રમત કરીને ધંધો કરી લેવાય છે તેના દાખલાઓ શોધવા જવા પડે તેમ નથી. દરેક મોટા મંદિરોની કરોડોની કમાણી, સોનાચાંદીના ભંડારો વગેરેના આંકડાઓ પર નજર નાખશો તો મામલો સમજાઈ જશે. આ બધાં વચ્ચે હવે દરેક નાની મોટી ચીજવસ્તુઓને ભક્તોની લાગણીઓ સાથે જોડીને રોકડી કરી લેવાની જાણે હોડ લાગી છે. આવી જ એક ઘટનામાં એક ગણપતિ મંદિરમાં એક લાડુ જાહેર હરાજીમાં રૂ. 30 લાખમાં વેચાયો હોવાનું સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપ નેતાએ એક લાડુ રૂ. 30.1 લાખમાં ખરીદ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેલંગાણાના બાલાપુર ગણેશ મંદિરના લાડુની હરાજીમાં મંગળવારે ૩૦.૧ લાખ રૂપિયાની રેકોર્ડ બોલી લગાવવામાં આવી હતી. આ હરાજી દર વર્ષે બાલાપુર ગણેશ મૂર્તિને વિસર્જન માટે હુસૈનસાગર તળાવ સુધી ભવ્ય શોભાયાત્રામાં લઈ જવામાં આવે તે પહેલાં થાય છે. આ વર્ષે બોલી લગાવનાર ભાજપના નેતા કોલાનુ શંકર રેડ્ડી હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/a-fire-broke-out-in-the-sanctum-sanctorum-during-holi-celebrations-in-Ujjains-mahakal-temple-13-priests-were-burnt">ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં હોળી રમતી વખતે ગર્ભગૃહમાં આગ લાગી, 13 પૂજારીઓ દાઝ્યાં</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66ea72376ecac.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા વિવિધ ગણેશ મંદિરોમાં પણ આવી જ હરાજી હાથ ધરવામાં આવી હતી. બાલાપુર લાડુની હરાજીમાં ઘણા અગ્રણી રાજકારણીઓ અને વેપારી હસ્તીઓએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૩માં બાલાપુર લાડુની હરાજી ૨૭ લાખ રૂપિયામાં થઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એક લાડુ માટે 1.87 કરોડની બોલી લાગી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન, રંગારેડ્ડી જિલ્લામાં બંદલાગુડા મ્યુનિસિપલ સીમા હેઠળ કીર્તિ રિચમંડ વિલા ખાતે યોજાયેલી અન્ય એક લાડુની હરાજી માટે રૂ. ૧.૮૭ કરોડની બોલી લાગી હતી, જે ગયા વર્ષની રૂ. ૧.૨૬ કરોડની કિંમત કરતાં રૂ. ૬૭ લાખ વધુ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લાડુની હરાજીની આ પરંપરા ૧૯૯૪માં શરૂ થઈ હતી. અહીંના સ્થાનિક લોકોનું માનવું છે કે આ લાડુ તેમના માટે લકી છે. તે ધન, સમૃદ્ધિ અને સારા નસીબની સાથે સારું સ્વાસ્થ્ય આપે છે. દર વર્ષે મૂર્તિના વિસર્જન પહેલા આ લાડુની હરાજી કરવામાં આવે છે. </span><span style="font-size: 14pt;">આમાંથી જે પણ પૈસા મળે છે તે વિકાસના કામોમાં વપરાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાલાપુર હૈદરાબાદના દક્ષિણ કિનારે આવેલું છે. તેવી જ રીતે હૈદરાબાદના ખૈરતાબાદની ગણેશ પૂજા પણ પ્રખ્યાત છે. અહીં હજારો ભક્તો દર્શન કરવા આવે છે. એવું કહેવાય છે કે દેશની સૌથી ઊંચી પ્રતિમા અહીં સ્થાપિત કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/nine-lemons-offered-to-god-in-auction-sold-for-two-lakh-thirty-six-thousand">ભગવાનને ચઢાવાયેલા નવ લીંબુ હરાજીમાં રૂ. 2.36 લાખમાં વેચાયા</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 18 Sep 2024 11:55:19 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1229</Articleid>
                    <excerpt>એક ગણપતિ મંદિરમાં લાડુની હરાજી રૂ. 1.87 કરોડ અને 30 લાખમાં થઈ હતી. વાંચો ક્યાંની છે આ ઘટના.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66ea7245566aa.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ea72451ab21.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ea72451ab21.jpg" length="127520" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>religion and faith, ladu harjai</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમદાવાદમાં ગુજરાત મુંબઈ રેશનાલિસ્ટ એસોસિએશનનું મહાસંમેલન યોજાયું</title>
                    <link>https://khabarantar.com/a-general-convention-of-gujarat-mumbai-rationalist-association-was-held-in-ahmedabad</link>
                    <guid>https://khabarantar.com/a-general-convention-of-gujarat-mumbai-rationalist-association-was-held-in-ahmedabad</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદમાં રેશનાલિસ્ટો દ્વારા એક મહાસંમેલન યોજાઈ ગયું. કેવો રહ્યો આ કાર્યક્રમ તેમાં શું શું થયું તે જાણો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત મુંબઈ રેશનાલિસ્ટ એસોસિએશન અને અમદાવાદ રેશનાલિસ્ટના સંયુક્ત ઉપક્રમે 16 સપ્ટેમ્બર 2024 ના સોમવારે અમદાવાદ શહેરના નિર્ણયનગર વિસ્તારના શાંતારામ સભા ગૃહમાં મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતભરમાંથી આવેલા 200 જેટલા રેશનાલિસ્ટોની સાથે દિવસભરનો આ કાર્યક્રમ ઉત્તમ આયોજન સાથે નિષ્ઠાપૂર્વક પાર પડ્યો. આ સંમેલન રાજ્ય સરકારે ઘડેલા કાળા જાદુ વિરોધી કાયદાની સમાજ કેળવાય અને તેનો પ્રચાર પ્રસાર થાય તે હતો.</span></p>
<p><span style="font-size: 14pt;">આ મહા સંમેલનમાં "ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા અધિનિયમ 2024" પુસ્તિકાનો વિમોચન  નિવૃત નિયામક અને સાહિત્યકાર પ્રવીણ ગઢવી, જાણીતા ડોક્ટર સુજાત વલી, પ્રોફેસર હેમંત શાહ, કોલેજ પ્રિ. અશ્વિન કારિયા, હરસિદ્ધ સન્યાલ, જજશ્રી સુરેશ પરીખ દ્વારા કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં આ કાયદો લાવવા હાઇકોર્ટમાં રીટ કરનાર અને તેનો પ્રચાર પ્રસાર અને પ્રકાશન કરનાર જાણીતા વકીલો હર્ષ રાવલ અને પિયુષ જાદુગર હાજર રહ્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Announcement-of-Kanshiram-Karya-Award-by-Bahujan-literature-writer-Mohinder-Maurya-and-Samyak-Samaj">બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને સમ્યક સમાજ દ્વારા કાંશીરામ કાર્ય ઍવોર્ડની જાહેરાત</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66ea597187546.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મહા સંમેલનમાં સુરતની સત્ય શોધક સભાના પ્રમુખ સૂર્યકાંત શાહ દ્વારા વિવેકપંથી બીપીન શ્રોફનું "રમણ ભ્રમણ સુવર્ણચંદ્રક" આપીને સન્માન કર્યું હતું. ત્યારબાદ સંપાદિત લેખ સંગ્રહ 'કર્મનો સિદ્ધાંત' અને 'ચાલો જાણી આપણે ભવિષ્ય ભારતીય બંધારણ' પુસ્તકોનો પણ વિમોચન કરાયું હતું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66ea597f51e61.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કાર્યક્રમમાં આદિવાસીઓની અંધશ્રદ્ધા દૂર કરવા બાબતે હાઇકોર્ટ દ્વારા કરાયેલ સફળ સૂચનો અને દર વર્ષે રૂપાલની પલ્લીમાં થતા શુદ્ધ ઘી ના બગાડ અંગે જાગૃતિ લાવવા કરાયેલ પ્રદર્શનને જોવા ગુજરાતભરના રેશનાલિસ્ટો જોડાયા હતા. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66ea60126044b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મહાસંમેલનમાં કાયદા અંગે પોલીસ સાથે જોડાઈને આગામી સમયમાં આ બાબતે ગુજરાતના દરેક જિલ્લામાં આવા જાગૃતિ કાર્યક્રમ કરવાનો નિર્ણય લેવાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા અમદાવાદ રેશનાલિસ્ટ એસોસિએશનના સુનિલ ગુપ્તા, લંકેશ ચક્રવર્તી, પારિતોષ શાહ, પ્રકાશ બેન્કર, મનીષી જાની ડોક્ટર સુજાત વલિ, ગોવિંદ મારુ, ડોક્ટર સુષ્મા અય્યર, કમલેશ જાદવ અને મધુભાઈ કાકડિયાએ સહયોગ કરેલ હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફોટોઃ પિયુષ સોલંકી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અહેવાલઃ પિયુષ જાદુગર, ભરત જાદવ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/together-a-book-presenting-the-sufficiency-of-forty-dalit-creators-was-published">એકસાથે 40 દલિત સર્જકોની કેફિયત રજૂ કરતું પુસ્તક પ્રકાશિત થયું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 18 Sep 2024 10:15:01 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 18 Sep 2024 10:37:39 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1228</Articleid>
                    <excerpt>અમદાવાદમાં રેશનાલિસ્ટો દ્વારા એક મહાસંમેલન યોજાઈ ગયું. કેવો રહ્યો આ કાર્યક્રમ તેમાં શું શું થયું તે જાણો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66ea595c0a4d8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ea595bc7725.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ea595bc7725.jpg" length="104018" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>General Conference of the Rationalist Association</media:keywords>
                </item>
                        <item>
                    <title>કેજરીવાલ અને AAP એ ફરી એકવાર દિલ્હીના દલિતોને દગો દીધો?</title>
                    <link>https://khabarantar.com/kejriwal-and-aap-have-once-again-betrayed-the-dalits-of-delhi</link>
                    <guid>https://khabarantar.com/kejriwal-and-aap-have-once-again-betrayed-the-dalits-of-delhi</guid>
                    <description>
                        <![CDATA[ દિલ્હીમાં રાજપૂત આતિશીને મુખ્યમંત્રી બનાવીને કેજરીવાલે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેઓ કટ્ટર સવર્ણવાદી માનસિકતા ધરાવે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ આદમી પાર્ટી(AAP) અને અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે આતિષીનું નામ જાહેર કરીને ફરી એકવાર દિલ્હીના દલિત મતદારોની પીઠમાં છરો ભોંક્યો છે. આપ અને કેજરીવાલના આ નિર્ણયથી એ સાબિત થઈ ગયું કે તે પણ અન્ય રાજકીય પક્ષોની જેમ સવર્ણોની પાર્ટી છે અને તેને દલિતોના મતો તો જોઈએ છે પણ તેમને સત્તામાં ભાગીદારી નથી આપવી. કેજરીવાલે ફરી એકવાર સાબિત કરી દીધું કે તેઓ ચુસ્ત સવર્ણવાદી રાજકારણ રમતા નેતા છે અને દલિતો તેમને માત્ર ચૂંટણી જીતવા પુરતા જ જોઈએ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી ડો. બાબાસાહેબ આંબેડકરનો ફોટો તેમની ઓફિસોમાં અને કાર્યાલયોમાં લગાવે છે. આ માટે તેમણે બાકાયદા ફરમાન જારી કરેલું છે. તેની પાછળ સ્પષ્ટ રીતે રાજકીય હેતુ રહેલો છે. આપની જે બે રાજ્યોમાં સરકારો છે તે દિલ્હી અને પંજાબમાં દલિત મતદારોની સંખ્યા મોટી છે અને કેજરીવાલ માને છે કે દલિતો 'બાબાસાહેબનો ફોટો', બંધારણ બચાવવાના વાયદાઓ 'જય ભીમ'ના નારાથી ખુશ થઈ જતા હોય તો તેમને મલાઈદાર હોદ્દા આપવાની શું જરૂર છે? શા માટે દલિતોને હોદ્દાઓની લહાણી કરીને પોતાની કોર વોટબેંક એવા સવર્ણોને નારાજ કરવા?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/dalit-politics-from-here-to-the-desert-from-here-to-the-river">દલિત રાજનીતિઃ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ...</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ એસસી-એસટી પેટા વર્ગીકરણ અને ક્રીમીલેયર મુદ્દે પણ તેમણે મૌન રહીને સ્પષ્ટ રીતે સવર્ણોની તરફેણ કરી હતી. ગુજરાતથી લઈને તમામ જે પણ રાજ્યોમાં આપ થોડી ઘણી પણ મજબૂત છે ત્યાં તમામ મહત્વના હોદ્દાઓ પર ભાજપ-કોંગ્રેસની જેમ દલિત સિવાયની જાતિના જ નેતાઓને છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસે તો સમ ખાવા પુરતા પંજાબમાં ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રીપદે બેસાડ્યા પણ હતા. પણ કેજરીવાલની પાર્ટીએ સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ પંજાબમાં ભગવંત માનને મુખ્યમંત્રી બનાવીને અહીંના 32 ટકા દલિત મતદારોને અન્યાય કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તર્જ પર તેમણે ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી પદે આતિષીને બેસાડીને દલિતોની પીઠમાં ખંજર ભોંક્યું છે. હાલમાં જ તેમણે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપીને આગામી ચૂંટણીમાં આપ નવેસરથી બહુમતી ન મેળવે ત્યાં સુધી તેઓ સીએમની ખુરશી પર નહીં બેસે તેવી જાહેરાત કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીના આધારભૂત સૂત્રો કહેતા હતા કે, કેજરીવાલ કોઈ દલિત ચહેરાના મુખ્યમંત્રી તરીકે આગળ કરશે. તેના માટે ત્રણ ચાર દલિત નેતાઓના નામો પર ચર્ચા પણ થઈ હતી અને એક નામ ફાઈનલ પણ થઈ ચૂક્યું હતું. જો કે છેલ્લી ઘડીએ એ દલિત નેતાને સાઈડમાં મૂકીને પંજાબી રાજપૂત એવી આતિષીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. જેના પરથી દિલ્હીના દલિત મતાદારો ફરી એકવાર છેતરાયાની લાગણી અનુભવી રહ્યાં હોવાનો મેસેજ ગયો છે. હવે ફેબ્રઆરી મહિનામાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ત્યારે જોવાનું એ રહેશે કે દિલ્હીના દલિત મતદારો આ આખા મામલાને કેવી રીતે લે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/modi-government-looted-35-lakh-crores-in-10-years-and-100-days-khadge">10 વર્ષ 100 દિવસમાં મોદી સરકારે 35 લાખ કરોડની લૂંટ કરી:ખડગે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 17 Sep 2024 17:39:35 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1225</Articleid>
                    <excerpt>દિલ્હીમાં રાજપૂત આતિશીને મુખ્યમંત્રી બનાવીને કેજરીવાલે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેઓ કટ્ટર સવર્ણવાદી માનસિકતા ધરાવે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e9708b6038e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e9708b2a0ee.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e9708b2a0ee.jpg" length="60909" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kejriwal, AAP, Chief Minister of Delhi, Atishi Caste</media:keywords>
                </item>
                        <item>
                    <title>શા માટે ઈન્ટરનેટ પર લોકો આતિશીની &amp;apos;જાતિ&amp;apos; સર્ચ કરી રહ્યાં છે?</title>
                    <link>https://khabarantar.com/why-are-people-searching-the-caste-of-atishi-on-the-internet</link>
                    <guid>https://khabarantar.com/why-are-people-searching-the-caste-of-atishi-on-the-internet</guid>
                    <description>
                        <![CDATA[ ઈન્ટરનેટ યૂઝર્સ હાલ દિલ્હીની આગામી મુખ્યમંત્રી આતિશીની જાતિ (Atishi Caste)વિશે સૌથી વધુ સર્ચ કરી રહ્યાં છે. શા માટે આવું થઈ રહ્યું છે તે જાણવું જરૂરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Atishi Caste: હાલ ઈન્ટરનેટ પર આતિષીની 'જાતિ' સૌથી વધુ સર્ચ થઈ રહેલો કીવર્ડ બની ગયો છે. જે બતાવે છે કે, આ દેશમાં માણસની આવડત સહિત બીજું બધું પછી આવે છે, સૌથી પહેલા તેની જાતિ જ આવે છે અને તે જ સૌથી મહત્વની છે. આશ્ચર્ય ત્યારે થાય જ્યારે દલિતોને તેમની જાતિના આધારે સદીઓથી સત્તાથી દૂર રાખ્યા પછી જ્યારે તેઓ સમાનતા ધોરણે સત્તામાં ભાગીદારીની માંગ કરી રહ્યાં છે ત્યારે તેમના પર જ જાતિવાદી હોવાનો આક્ષેપ કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે અરવિંદ કેજરીવાલે પોતાના અનુગામી તરીકે આતિશીની દિલ્હીના મુખ્યમંત્રી તરીકે જાહેરાત કરી છે ત્યારે ઈન્ટરનેટ પર આતિશીની 'જાતિ' સૌથી વધુ સર્ચ થતો કીવર્ડ બની ગયો છે. વધુને વધુ લોકો આતિશીની જાતિ વિશે જાણવા માંગે છે. શા માટે લોકોને તેની જાતિ જાણવી છે તે સવાલનો જવાબ બધાં જાણે છે. આ દેશમાં લોકો કોઈ રાજ્યના મુખ્યમંત્રીને તેની આવડતને આધારે નહીં પરંતુ પોતાની જાતિનો છે કે નહીં તેના આધારે મૂલવે છે. જો તે ગમે તેટલો આવડત ધરાવતો હોય પણ પોતાની જાતિનો નથી તો તેની કિંમત તેમના માટે ઝીરો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે આતિશી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીની કાલકાજી વિધાનસભાના ધારાસભ્ય આતિશીના પિતા વિજયસિંહ અને માતા તૃપ્તા છે. બંને દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર રહી ચૂક્યા છે અને પંજાબી રાજપૂત પરિવારમાંથી આવે છે. 43 વર્ષની આતિશીએ સામાજિક કાર્યકર પ્રવિણ સિંહ સાથે લગ્ન કર્યા હતા, તેઓ પણ રાજપૂત છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/from-sanjeevayya-to-pahadia-these-are-the-first-4-dalit-chief-ministers-of-the-country">સંજીવય્યાથી પહાડિયા સુધી, આ છે દેશના પ્રથમ 4 દલિત મુખ્યમંત્રીઓ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આતિશીએ સ્પ્રિંગડેલ સ્કૂલ, નવી દિલ્હીમાંથી શાળાનો અભ્યાસ અને સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં ઈતિહાસ વિષય સાથે ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો છે. આ સિવાય ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી તેણે પહેલા શેવનિંગ શિષ્યવૃત્તિ પર માસ્ટર ડિગ્રી અને બાદમાં શૈક્ષણિક સંશોધનમાં રોડ્સ સ્કોલર તરીકે બીજી માસ્ટર ડિગ્રી મેળવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આતિશી પાછળ લાગતા 'માર્લેના' શબ્દ પાછળ શું રહસ્ય છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આતિશીના માતાપિતાએ તેના નામની પાછળ કોઈ અટક નહોતી લગાવી પરંતુ આખું નામ આતિષી માર્લેના રાખ્યું હતું. અટકની જગ્યાએ 'માર્લેના' લગાવવા પાછળ કહેવાય છે કે તેના પિતા ડાબેરી વિચારધારાના માર્ક્સ અને લેનિનથી પ્રભાવિત હતા. એટલે બંને દિગ્ગજ ડાબેરી નેતાઓના નામને મિક્સ કરીને પોતાની દીકરીની પાછળ અટક તરીકે 'માર્લેના' લગાવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિપક્ષોએ ખ્રિસ્તી હોવાનો આક્ષેપ કરતા 'માર્લેના' હટાવી લીધું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોકે હવે આતિશી તેના નામમાં કોઈ અટક કે નામ વગેરે ઉમેરતી નથી. 'માર્લેના' લખવાનું પણ બંધ કરી દીધું છે. કેમ કે, જ્યારે આતિશીએ 2019ની લોકસભાની ચૂંટણી લડી રહી હતી, ત્યારે વિપક્ષે તેના નામને મુદ્દો બનાવ્યો હતો અને તેને ખ્રિસ્તી જાહેર કરી હતી. 'માર્લેના' અટકને કારણે આવી મૂંઝવણ ઊભી થઈ અને સોશિયલ મીડિયા પર ઘણાં ફેક ન્યૂઝ ફેલાવા લાગ્યા હતા. આ પછી આતિશીએ તેના નામ પાછળથી 'માર્લેના' શબ્દ હટાવવાનો નિર્ણય કર્યો હતો. હવે તે પોતાનું નામ માત્ર 'આતિશી' લખે છે અને લોકો પણ તેને એ જ નામથી સંબોધે તેમ ઈચ્છે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આતિશીના માતાપિતાએ અફઝલ ગુરૂની તરફેણ કર્યાનો આક્ષેપ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીના સીએમ તરીકે આતિશીનું નામ ફાઈનલ થયા પછી તેના માતા-પિતા પણ ચર્ચામાં છે. ભારતીય જનતા પાર્ટી (BJP) અને AAP નેતા રહી ચૂકેલી સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો છે કે આતિશીના માતા-પિતાએ સંસદ હુમલાના દોષિત અફઝલ ગુરુને સમર્થન આપ્યું હતું. આતિશીના પિતા વિજય સિંહ અને માતા તૃપ્તાએ અફઝલ ગુરુની દયા અરજી (મર્સી પિટિશન) પર હસ્તાક્ષર કર્યા હતા. સોશિયલ મીડિયા પર પણ આ અંગે ચર્ચા ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/not-atishi-this-dalit-leader-will-become-the-chief-minister-of-delhi"><strong>આતિશી નહીં, આ દલિત નેતા દિલ્હીના મુખ્યમંત્રી બનશે?</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 17 Sep 2024 16:30:42 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 17 Sep 2024 16:32:05 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1224</Articleid>
                    <excerpt>ઈન્ટરનેટ યૂઝર્સ હાલ દિલ્હીની આગામી મુખ્યમંત્રી આતિશીની જાતિ (Atishi Caste)વિશે સૌથી વધુ સર્ચ કરી રહ્યાં છે. શા માટે આવું થઈ રહ્યું છે તે જાણવું જરૂરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e960e4ab104.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e960e4745d4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e960e4745d4.jpg" length="79828" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Atishi Caste, Chief Minister of Delhi</media:keywords>
                </item>
                        <item>
                    <title>10 વર્ષ 100 દિવસમાં મોદી સરકારે 35 લાખ કરોડની લૂંટ કરી:ખડગે</title>
                    <link>https://khabarantar.com/modi-government-looted-35-lakh-crores-in-10-years-and-100-days-khadge</link>
                    <guid>https://khabarantar.com/modi-government-looted-35-lakh-crores-in-10-years-and-100-days-khadge</guid>
                    <description>
                        <![CDATA[ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકારના 10 વર્ષ અને 100 દિવસના કાર્યકાળ દરમિયાન 35 લાખ કરોડની લૂંટનો ગંભીર આક્ષેપ કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક બાજુ નરેન્દ્ર મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળના 100 દિવસની સિદ્ધિઓ વર્ણવી રહી છે, બીજી તરફ કોંગ્રેસે તેમના પર કરોડોની લૂંટ ચલાવવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ભારે ટેક્સ લગાવીને લોકોને લૂંટ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ક્રૂડ ઓઈલની કિંમતો ૩૨.૫ ટકા ઘટી છે પરંતુ ભાજપની ઈંધણ લૂંટ ચાલુ છે. જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યાં ભાજપ હારશે. ૧૦ વર્ષ અને ૧૦૦ દિવસોમાં મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ લગાવીને લોકો પાસેથી ૩૫ લાખ કરોડ રૂપિયા લૂંટી લીધા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખડગેએ કહ્યું કે, ૧૬ મે ૨૦૧૪એ ક્રૂડ ઓઈલની કિંમત ૧૦૭.૪૯ ડોલર પ્રતિ બેરલ હતી. આ દરમિયાન દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૧.૫૧ રૂપિયા અને ડીઝલની કિંમત ૫૭.૨૮ રૂપિયા હતી. ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪એ ક્રૂડ ઓઈલની કિંમત ૭૨.૪૮ ડોલર હતી પરંતુ પેટ્રોલની કિંમત ૯૪.૭૨ રૂપિયા અને ડીઝલની કિંમત ૮૭.૬૨ રૂપિયા હતી. આ રીતે વર્તમાન ક્રૂડ ઓઈલની કિંમતો અનુસાર પેટ્રોલની કિંમત ૪૮.૨૭ રૂપિયા અને ડીઝલની કિંમત ૬૯ રૂપિયા હોવી જોઈએ પરંતુ ૧૦ વર્ષ અને ૧૦૦ દિવસોમાં મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ લગાવીને લોકો પાસેથી ૩૫ લાખ કરોડ રૂપિયા લૂંટ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">100 દિવસમાં 38 રેલવે અકસ્માતો થયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ટ્રેન દુર્ઘટનાઓ મુદ્દે રેલવે મંત્રાલય પર નિશાન સાધતાં કહ્યું કે ૧૦૦ દિવસમાં ૩૮ ટ્રેન દુર્ઘટનાઓ થઈ છે, જેમાં ૨૧ લોકોના મોત થયા છે અને રેલવે મંત્રી ર્નિલજ્જતાથી કહે છે કે આ નાની-નાની ઘટનાઓ છે. દરરોજ ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓ બને છે. આ મોદીજીનો વિકાસ છે. મોદી સરકારના શરૂઆતી ૧૦૦ દિવસોમાં સરકાર દરેક મુદ્દે નિષ્ફળ રહી છે. આ ૧૦૦ દિવસ આ દેશની સંસ્થાઓ પર ખૂબ ભારે પડ્યાં છે. આ ૧૦૦ દિવસોમાં જાણ થઈ છે કે નરેન્દ્ર મોદીની પાસે આ દેશની સમસ્યાઓનો કોઈ ઉકેલ નથી. આ દેશના વિપક્ષ અને લોકોએ આ સરકારને યુટર્ન લેવા પર મજબૂર કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/bjp-rss-promotes-education-mafia-kharge">ભાજપ-RSS શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહન આપે છે: ખડગે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કોઈ ખોટો નિર્ણય આ દેશને પ્રભાવિત કરશે તો અમે તમને યુટર્ન લેવા મજબૂર કરીશું. લેટરલ એન્ટ્રી, વક્ફ બોર્ડ બિલ, બ્રોડકાસ્ટ બિલ, એનપીએસથી લઈને યુપીએસ બધાં પર યુટર્ન લેવો પડ્યો છે. મોટા-મોટા પુલ ધરાશાયી થયા છે. દેશની સંસદમાં પાણી ટપકી રહ્યું હતું. અટલ સેતુ, સુદર્શન સેતુ પર તિરાડો પડી ગઈ. સૌથી શરમજનક ઘટના ત્યારે થઈ જ્યારે છત્રપતિ શિવાજીની મૂર્તિ તૂટીને પડી ગઈ. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાશ્મીરના જવાનોની શહીદી પર પ્રહાર કર્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આતંકી હુમલા મુદ્દે સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં પીએમ મોટી-મોટી વાતો કરે છે. છેલ્લા ૧૦૦ દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં ૨૬ આતંકી હુમલા થયા છે, ૨૧ જવાન શહીદ થયા છે અને ૧૫ નાગરિકોના મોત થયા છે. હવે કાશ્મીર કરતાં વધુ આતંકી હુમલા જમ્મુમાં થઈ રહ્યાં છે પરંતુ એક શ્રદ્ધાંજલિ શબ્દ નરેન્દ્ર મોદીના મોઢેથી નીકળતો નથી. ત્યાં કાયદો અને વ્યવસ્થા એલજી દ્વારા સીધા તમારા હાથમાં છે. આ દેશની અડધી વસતીની સાથે જે તમારી સરકારે જે કર્યું તે માફ કરી શકાય તેમ નથી. તમે તે છો જે દેશની દીકરીઓનું જાતીય શોષણ કરનારાની સાથે સતત ઊભા રહ્યાં. ૧૦૦ દિવસોમાં ૧૫૭ પીડિતાઓ સામે આવી છે. કાશીમાં જઘન્ય ગેંગરેપનો મામલો સામે આવ્યો છે જે ભાજપ આઈટી સેલનો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પેપર લીકથી લઈને મણિપુરની ઘટનાને યાદ કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રિયા શ્રીનેતે વધુમાં જણાવ્યું હતું કે, આ ૧૦૦ દિવસોમાં સતત પેપર લીક થયા છે. પરીક્ષાઓ કેન્સલ થઈ છે. નીટનું પેપર લીક થયું છે. નીટ-પીજીની પરીક્ષાઓ રદ થઈ છે. યુજીસી-નેટનું પેપર લીક થયુ છે. જ્યારે તમારી સરકાર આવી ત્યારે રૂપિયો ૫૮ પર હતો પરંતુ તમે તેને ૮૪ પર પહોંચાડી દીધો. ૧૦૦ દિવસ પહેલા ૮૨ પર હતો, તમે એટલો પ્રયત્ન કર્યો પરંતુ ૮૪ સુધી પહોંચવાથી રોકી શક્યાં નહીં. ટોલ ટેક્સ ૧૫ ટકા વધ્યો, સીએનજીના ભાવ વધ્યા. સેબી ચીફે પોતાના પદ અને સત્તાનો દુરુપયોગ કર્યો. અદાણી પર ગંભીર આરોપ લાગી રહ્યાં છે. લદ્દાખના પૂર્વ સાંસદ અને કાઉન્સિલરે સતત ત્યાં ઘૂસણખોરીના મુદ્દાને ઉઠાવ્યો પરંતુ તમે કંઈ કર્યું નહીં. મણિપુર ૧૬ મહિનાથી સળગી રહ્યું છે પરંતુ તમારામાં સાહસ અને નિયત નથી કે તમે મણિપુર જાવ. વન નેશન, વન ઈલેક્શનનું રણશિંગૂ ક્યારે ફૂંકાશે? ક્યાં સુધી સૂત્રોના માધ્યમથી સરકાર ચલાવતા રહેશો? સંસદની છત પરથી પાણી ટપકી રહ્યું છે. આ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમે જોયું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/mallikarjun-kharges-strategy-changed-the-fortunes-of-congress">મલ્લિકાર્જુન ખડગેની વ્યૂહરચનાએ કૉંગ્રેસનું નસીબ બદલ્યું!</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 16 Sep 2024 20:49:53 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 16 Sep 2024 20:50:58 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1218</Articleid>
                    <excerpt>કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકારના 10 વર્ષ અને 100 દિવસના કાર્યકાળ દરમિયાન 35 લાખ કરોડની લૂંટનો ગંભીર આક્ષેપ કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e84ba94c21a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e84ba91ae9f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e84ba91ae9f.jpg" length="77144" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Mallikarjun Khadge, Modi Govt</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગણેશ ગોંડલે જેલમાં રહીને ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં જીત મેળવી</title>
                    <link>https://khabarantar.com/ganesh-gondal-won-gondal-nagrik-bank-elections-while-in-jail</link>
                    <guid>https://khabarantar.com/ganesh-gondal-won-gondal-nagrik-bank-elections-while-in-jail</guid>
                    <description>
                        <![CDATA[ એટ્રોસિટીના કેસમાં જેલની હવા ખાઈ રહેલા ગણેશ જાડેજાએ સહકારી ક્ષેત્રમાં જેલમાં રહીને ચૂંટણી જીતવાનો ઈતિહાસ બનાવ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનાગઢના દલિત યુવકને ગોંધી રાખી, માર મારવાના કેસમાં જેલની હવા ખાઈ રહેલા ગણેશ જાડેજાએ જેલમાં રહીને ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં જીત મેળવી છે. આ સાથે જ રાજ્યના સહકારી ક્ષેત્રમાં જેલમાં રહીને આ રીતે ચૂંટણી જીતવાની આ પહેલી ઘટના બની છે. વર્ષો પહેલા અમદાવાદમાં ડોન લતીફે જેલમાં રહીને એક સાથે પાંચ વોર્ડમાં ચૂંટણી જીતી હતી. એ પછી સહકારી ક્ષેત્રમાં આ પહેલી ઘટના છે જેમાં કોઈ આરોપી જેલમાં હોવા છતાં કોઈ સહકારી બેંકની ચૂંટણીમાં જીત્યો હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના ડોન લતીફની જેમ જેલમાં રહીને ગણેશ ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી લડી રહ્યો હોવાથી રાજ્યભરમાં આ મામલે ચર્ચા છેડાઈ હતી. ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી માટે ગઈ કાલે મતદાન થયું હતું, એ પછી સૌ કોઈની નજર તેના પરિણામો પર હતી. જેમાં ગણેશ સહિત ભાજપના 11 ઉમેદવારોનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. પરિણામો બાદ ગણેશ જાડેજા સહિત બીજેપીના ઉમેદવારોની જીત થતા ગણેશના સમર્થકોએ આતશબાજી સાથે ઉજવણી કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સહકારી ક્ષેત્રમાં જેલમાંથી ચૂંટણી જીતવાની પ્રથમ ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આશરે ૫૦૦ કરોડનો વહીવટ ધરાવતી ગોંડલ નાગરિક બેંકમાં ફરી એકવાર જયરાજસિંહ જાડેજાનો દબદબો જોવા મળ્યો છે. એનું જ કારણ છે કે જેલમાં હોવા છતા તેના છોકરા ગણેશ ગોંડલે જંગી બહુમતીથી જીત મેળવી હતી. જયરાજસિંહ જાડેજાએ ગણેશ અને ભાજપના ઉમેદવારો મહત્તમ લીડ મેળવે તે માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. આ ચૂંટણી ગણેશ માટે ખૂબ મહત્વની હતી, જાણકારોને તેને વર્ચસ્વની લડાઈ તરીકે જોઈ રહ્યા હતા. એ રીતે જોઈએ તો ગોંડલમાં ફરી એકવાર ગણેશે તેના પિતાની ધાકના સહારે વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આ સાથે ગુજરાતના સહકારી ક્ષેત્રમાં જેલમાં રહી ચૂંટણી જીતવાની પ્રથમ ઘટના બની છે. ગણેશ જાડેજાએ જેલમાંથી મોટી લીડથી ચૂંટણી જીતી છે તેનાથી વિરોધીઓને મોટો સંદેશ ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપ, કોંગ્રેસ અપક્ષ સહિત 23 ઉમેદવારો મેદાનમાં હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોંડલ નાગરિક બેંકની આ ચૂંટણીમાં સત્તાપક્ષ ભાજપ, વિપક્ષ કોંગ્રેસ અને અપક્ષ સહિતના કુલ ૨૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાજપના તમામ ૧૧ ઉમેદવારનો જંગી લીડથી વિજય થયો છે. નાગરિક બેંકની ચૂંટણી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળિયા અને પૂર્વ ચેરમેન એવા કોંગ્રેસનાં યતિષભાઈ દેસાઈ માટે પ્રતિષ્ઠાના જંગ સમી બની હતી. જેમાં કોંગ્રેસ ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે જેલમાં હોવા છતા ભાજપના ગણેશ ગોંડલની જીત થઈ છે. કોંગ્રેસના ભાજપની જીત થતા સમર્થકોએ ઢોલ-નગારા વગાડી, ફટાકડા ફોડી વિજયને વધાવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/what-is-the-meaning-of-gujctoc-against-family-suing-ganesh-jadeja">ગણેશ જાડેજા સામે કેસ કરનાર પરિવાર સામે GUJCTOC નો શું અર્થ છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપ પ્રેરીત પેનલમાં કોને કેટલા મત મળ્યાં?</span><br><span style="font-size: 14pt;">અશોક પીપળીયા– ૬૩૨૭</span><br><span style="font-size: 14pt;">હરેશ વાડોદરીયા – ૬૦૦૦</span><br><span style="font-size: 14pt;">જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ ગોંડલ) – ૫૯૯૯</span><br><span style="font-size: 14pt;">ઓમદેવસિંહ જાડેજા – ૫૯૪૭</span><br><span style="font-size: 14pt;">કિશોર કાલરીયા – ૫૭૯૫</span><br><span style="font-size: 14pt;">પ્રહલાદ પારેખ – ૫૭૬૭</span><br><span style="font-size: 14pt;">પ્રમોદ પટેલ – ૫૬૯૦</span><br><span style="font-size: 14pt;">પ્રફુલ ટોળીયા – ૫૪૮૧</span><br><span style="font-size: 14pt;">ભાવના કાસોંદરા – ૬૧૨૦</span><br><span style="font-size: 14pt;">નીતા મહેતા – ૫૮૯૩</span><br><span style="font-size: 14pt;">દિપક સોલંકી – ૫૭૩૮</span><br><span style="font-size: 14pt;">કોંગ્રેસ પ્રેરીત પેનલમાં કોને કેટલા મત મળ્યાં?</span><br><span style="font-size: 14pt;">યતિષ દેસાઈ - ૩૫૨૭</span><br><span style="font-size: 14pt;">કલ્પેશ રૈયાણી – ૩૦૯૫</span><br><span style="font-size: 14pt;">લલીત પટોળીયા – ૩૦૬૩</span><br><span style="font-size: 14pt;">જયદીપ કાવઠીયા – ૩૦૩૧</span><br><span style="font-size: 14pt;">સંદીપ હીરપરા – ૨૮૯૨</span><br><span style="font-size: 14pt;">રમેશ મોણપરા – ૨૮૭૫</span><br><span style="font-size: 14pt;">વિજય ભટ્ટ – ૨૮૦૭</span><br><span style="font-size: 14pt;">કિશોરસિંહ જાડેજા – ૨૮૦૦</span><br><span style="font-size: 14pt;">ક્રિષ્ના તન્ના – ૩૩૩૫</span><br><span style="font-size: 14pt;">જયશ્રી ભટ્ટી – ૩૦૧૧</span><br><span style="font-size: 14pt;">જયસુખ પારઘી – ૨૮૬૮</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/ganesh-jadeja-kidnapped-a-dalit-youth-stripped-him-and-beat-him"><strong>ગણેશ જાડેજાએ દલિત યુવકનું અપહરણ કરી, કપડાં ઉતરાવી માર માર્યો</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 16 Sep 2024 18:57:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1217</Articleid>
                    <excerpt>એટ્રોસિટીના કેસમાં જેલની હવા ખાઈ રહેલા ગણેશ જાડેજાએ સહકારી ક્ષેત્રમાં જેલમાં રહીને ચૂંટણી જીતવાનો ઈતિહાસ બનાવ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e8322fdd177.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e8322fa9c41.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e8322fa9c41.jpg" length="117903" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gondal Citizens Bank, Ganesh Jadeja.Atrocity case ganesh gondal</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગણેશોત્સવના 7 દિવસમાં ગુજરાતમાં 63 લોકો નદી, તળાવોમાં ડૂબાયા</title>
                    <link>https://khabarantar.com/in-7-days-of-ganeshotsav-63-people-drowned-in-rivers-and-lakes-in-gujarat</link>
                    <guid>https://khabarantar.com/in-7-days-of-ganeshotsav-63-people-drowned-in-rivers-and-lakes-in-gujarat</guid>
                    <description>
                        <![CDATA[ 108 ઈમરજન્સી સર્વિસના આંકડાઓ મુજબ ગણેશોત્સવના છેલ્લાં 7 દિવસમાં ગુજરાતમાં 63 લોકો નદી, તળાવોમાં ડૂબાયા હોવાના કોલ મળ્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સહિત દેશભરમાં હાલ ગણેશ મહોત્સવની ધૂમ મચેલી છે. જો કે દુંદાળા દેવની પૂજાનું આ પર્વ દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક પરિવારોમાં ખુશીઓને બદલે માતમ લઈને આવ્યું છે. ગુજરાતની વાત કરીએ તો ગણેશ ચતુર્થીથી લઈને અત્યાર સુધીમાં રાજ્યના અલગ અલગ ગામો, શહેરોમાં કુલ 63 લોકો ડૂબાયા હોવાનું જાણવા મળે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ નદી, તળાવોમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન થઇ રહ્યું છે. ત્યારે 108 ઈમર્જન્સી સર્વિસના આંકડાઓ પણ સામે આવ્યા છે. એ મુજબ 7 સપ્ટેમ્બરને ગણેશ ચતુર્થીના દિવસથી તા. ૧૩ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતભરમાં પાણીમાં ડૂબી જવાના કુલ ૬૩ કોલ આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/in-the-dissolution-of-ganesha-sarswati-took-4-victims-of-the-same-family">ગણેશજીના વિસર્જનમાં સરસ્વતીએ એક જ પરિવારના 4નો ભોગ લીધો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધીનગર જિલ્લાના દહેગામના વાસણા સોગઠી ગામના આઠ યુવકો મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબ્યા હોવાના તાજેતરના કરૂણ બનાવે લોકોના હૈયા હચમચાવી મૂક્યા છે. એના બે દિવસ પહેલા પાટણમાં સરસ્વતી નદીમાં એક જ પરિવારના 4 લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. ચોમાસામાં નદીઓમાં પાણીની આવક વધે છે અને બીજી તરફ ગણેશ વિસર્જન દરમિયાન પુરતી તકેદારી રખાતી ન હોવાથી આવી દુર્ઘટનાઓ દર વર્ષે બને છે, જેમાં અનેક નિર્દોષ લોકો મોતને ભેટે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૦૮ ઈમરજન્સી સેવાના અધિકારીના જણાવ્યા મુજબ ગત તા. ૭ થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાનના સાત દિવસમાં સૌથી વધુ રાજકોટમાં ૧૧ લોકો ડૂબી ગયા હોવાના કોલ આવ્યા હતા. જેમાં ૧૦૮ની ટીમે સ્થળ પર જઈ જરૂરી સારવાર કરી હોસ્પિટલમાં ખસેડયા હતા. જે ૬૩ લોકો રાજ્યમાં નદીઓમાં, તળાવમાં ડૂબ્યા હતા તેમાંથી કેટલાકના મોત થયા હતા તો કેટલાક સારવાર દરમિયાન બચી પણ ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અધિકારીના જણાવ્યા મુજબ તેઓ કોલ આવે ત્યારે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક સારવાર આપે છે અને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરે છે, જેથી તેમની પાસે મોત અંગેના આંકડા હોતા નથી. તેઓ માત્ર કોલ આવે ત્યારે દોડી જઈ જરૂરી મદદ પુરી પાડે છે. હાલ કેનાલો અને નદીઓમાં ભરપુર પાણી વહી રહ્યું છે ત્યારે નદીઓમાં નહાવા પડવાથી દૂર રહેવું જોઇએ. તેમજ ગણેશ વિસર્જન દરમિયાન જો તરતા ન આવડતું હોય તો મૂર્તિના વિસર્જન માટે બીજાને જોઈને નદી, તળાવોમાં કૂદી ન પડવું જોઈએ</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/dalits-and-ganeshotsava-from-here-i-can-float-from-here-i-can-sink">દલિતો અને ગણેશોત્સવઃ અહીંથી હું ભવ તરી શકું, અહીંથી ડૂબી શકું..</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 15 Sep 2024 21:12:05 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 15 Sep 2024 21:16:06 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1213</Articleid>
                    <excerpt>108 ઈમરજન્સી સર્વિસના આંકડાઓ મુજબ ગણેશોત્સવના છેલ્લાં 7 દિવસમાં ગુજરાતમાં 63 લોકો નદી, તળાવોમાં ડૂબાયા હોવાના કોલ મળ્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e7003e1f5c2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e7003de0e07.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e7003de0e07.jpg" length="66242" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ganapathi Dissolution, ganeshotsav 2024</media:keywords>
                </item>
                        <item>
                    <title>આતિશી નહીં, આ દલિત નેતા દિલ્હીના મુખ્યમંત્રી બનશે?</title>
                    <link>https://khabarantar.com/not-atishi-this-dalit-leader-will-become-the-chief-minister-of-delhi</link>
                    <guid>https://khabarantar.com/not-atishi-this-dalit-leader-will-become-the-chief-minister-of-delhi</guid>
                    <description>
                        <![CDATA[ અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ દિલ્હીમાં આ દલિત નેતા મુખ્યમંત્રી બનશે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Who will be the next CM of Delhi? - આ સવાલ હાલ સૌ કઈ પૂછી રહ્યું છે. કથિત દારૂ નીતિમાં કૌભાંડના આરોપોનો સામનો કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 177 દિવસ બાદ જેલથી છૂટ્યા પછી આજે પાર્ટી કાર્યાલય પહોંચીને મોટી જાહેરાત કરી દીધી છે. કેજરીવાલ પાર્ટી કાર્યાલયે પહોંચી કાર્યકરોમાં ફરી જોશ ભરતા આક્રમક રીતે ભાષણ કર્યું છે. એ દરમિયાન તેઓ આક્રમક મૂડમાં દેખાયા અને સીધા જ ભાજપ પર પ્રહારો કર્યા હતા. કેજરીવાલે આ દરમિયાન મોટી જાહેરાત કરી છે કે, 'હું બે દિવસ બાદ સીએમની ખુરશી પરથી રાજીનામું આપી દઇશ.'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેજરીવાલે વધુમા કહ્યું કે ‘હું આગામી બે દિવસમાં રાજીનામું આપી દઈશ. હું તમારી અદાલતમાં આવ્યો છું. હવે તમે જ નિર્ણય કરો કોણ સાચું હતું. મનીષ સિસોદિયા પણ મુખ્યમંત્રી નહીં બને. દિલ્હીની ચૂંટણી ફેબ્રુઆરીમાં છે, પરંતુ અમારી માગ છે કે મહારાષ્ટ્રની સાથે નવેમ્બરમાં જ ચૂંટણી કરાવવામાં આવે. ત્યાં સુધી આમ આદમી પાર્ટીનો કોઈપણ નેતા મુખ્યમંત્રી બની શકે છે. હું અને સિસોદિયા હવે જનતા વચ્ચે જઈશું અને અમે ગુનેગાર છીએ કે ઈમાનદાર એ પ્રજાને નક્કી કરવા દઈશું. હવે દિલ્હીના સીએમની શક્ય એટલી ઝડપથી પસંદગી કરી લો. જ્યાં સુધી લોકો ફેંસલો ના કરે કે, કેજરીવાલ પ્રામાણિક છે કે નહીં, ત્યાં સુધી ખુરશી પર નહીં બેસું. કેજરીવાલ પ્રામાણિક લાગતો હોય તો ‘આપ’ને ભરપૂર વૉટ આપજો.’ </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેજરીવાલની આ જાહેરાત પછી દિલ્હીમાં કોણ મુખ્યમંત્રી બનશે તેને લઈને રાજકીય અટકળોનું બજાર તેજ થઈ ગયું છે. હાલ જે નામો ચર્ચામાં છે તેમાં આતિશીનું નામ સૌથી આગળ છે. આ સિવાય સૌરભ ભારદ્વાજ અને કૈલાશ ગેહલોતનું નામ પણ ચર્ચામાં છે. જો કે આપનું રાજકારણ જેમના પાયા પર ટકેલું છે તે દલિત મતદારો સતત પક્ષનો વિશ્વાસ ગુમાવતા જઈ રહ્યાં છે. ખાસ કરીને એસસી એસટીમાં પેટા વર્ગીકરણ અને ક્રિમીલેયર મુદ્દે આપે ભાજપ-કોંગ્રેસ જેવું જ સવર્ણવાદી સ્ટેન્ડ લીધું હતું. જેના કારણે દલિતો તેનાથી ભારે નારાજ છે. આપ હાલ જે બે રાજ્યોમાં સત્તા પર છે તે પંજાબ અને દિલ્હીમાં દલિત મતદારોની મોટી વસ્તી છે અને બંને જગ્યાએ દલિતો આપથી ભારે નારાજ છે. એવામાં દલિત મતદારોની નારાજગી દૂર કરવા માટે આમ આદમી પાર્ટી મોટો દાવ ખેલી શકે છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આપ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કોઈ દલિત નેતાએ બેસાડી શકે છે. એ દલિત નેતા કોણ તેની વાત કરતા પહેલા અન્ય નેતાઓની દાવેદારી કેટલી મજબૂત છે તેની વાત કરી લઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આતિશી પ્રબળ દાવેદાર છે પણ..</span></strong></span><br><span style="font-size: 14pt;">અરવિંદ કેજરીવાલ 2 દિવસ પછી મુખ્યમંત્રી પદ છોડશે. આવી સ્થિતિમાં દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી પદના સૌથી મોટા દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે. આતિશીની ગણતરી સીએમ કેજરીવાલના સૌથી વિશ્વાસુ નેતાઓમાં થાય છે. કેજરીવાલ તેમના પર ઘણો વિશ્વાસ કરે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે મનીષ સિસોદિયા દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં જેલમાં ગયા ત્યારે તેમની જગ્યાએ આતિશીને શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે દિલ્હીનું બજેટ પણ રજૂ કર્યું. એટલું જ નહીં રાજીનામાની જાહેરાત કરતા પહેલા કેજરીવાલે પોતાના સંબોધન દરમિયાન 15 ઓગસ્ટને લઈને આતિશીનું નામ લીધું હતું. તેણે કહ્યું, “તિહાર જેલમાં મારા રોકાણ દરમિયાન, મેં એલજીને પત્ર લખ્યો હતો કે આતિશી 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ પર ધ્વજ ફરકાવશે. પરંતુ તે પત્ર પરત કરવામાં આવ્યો હતો અને ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો પત્ર ફરીથી લખવામાં આવશે તો પરિવાર સાથેની મુલાકાત બંધ કરી દેવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીની કાલકાજી બેઠકના ધારાસભ્ય આતિશી આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિના સભ્ય પણ છે અને હાલમાં દિલ્હી સરકારમાં શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, TTE, નાણાં, આયોજન, PWD, પાણી, વીજળી, સેવાઓ, તકેદારી, જનસંપર્ક મંત્રી છે. આ પહેલા, તે જુલાઈ 2015 થી 17 એપ્રિલ 2018 સુધી દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સલાહકાર પણ રહી ચુકી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સૌરભ ભારદ્વાજ ચહેરો ખરા પણ..</span></strong></span><br><span style="font-size: 14pt;">આતિશી ઉપરાંત સૌરભ ભારદ્વાજ પણ સીએમ પદની રેસમાં સૌથી આગળ છે. તેઓ લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. દિલ્હી વિધાનસભામાં ગ્રેટર કૈલાશ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને દિલ્હી સરકારમાં આરોગ્ય, શહેરી વિકાસ અને પર્યટન મંત્રી છે. તેઓ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે અને વિકટ પરિસ્થિતિઓમાં પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે. આ પહેલા સૌરભ દિલ્હી જલ બોર્ડના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમના સંયમિત વર્તનને કારણે તેમની ગણના સીએમ પદના મોટા દાવેદારોમાં થઈ રહી છે.</span><br><span style="font-size: 14pt;">સીએમ પદની રેસમાં કૈલાશ ગેહલોત પણ ત્રીજું મોટું નામ છે. તેઓ દિલ્હીના પરિવહન અને પર્યાવરણ મંત્રી છે. તેઓ નવી દિલ્હીની નજફગઢ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. કૈલાશ ગેહલોત લો પ્રોફાઈલ લીડર છે અને તે ભાગ્યે જ સમાચારોમાં રહે છે. હાલમાં તેમની પાસે વાહનવ્યવહાર, વહીવટી સુધારા, મહેસૂલ, કાયદો, ન્યાય અને વિધાન બાબતો, મહિલા અને બાળ વિકાસ અને માહિતી અને ટેકનોલોજી વિભાગોની જવાબદારી છે. તેમણે ફેબ્રુઆરી 2015માં નજફગઢ મતવિસ્તારમાંથી દિલ્હી વિધાનસભાની તેમની પ્રથમ ચૂંટણી જીતી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દિલ્હીમાં દલિત મુખ્યમંત્રી બની શકે છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">આતિષી, સૌરભ ભારદ્વાજ અને કૈલાશ ગેહલોતની દાવેદારી વચ્ચે એક મોટો ટ્વિસ્ટ દલિત મુખ્યમંત્રીને લઈને આવ્યો છે. આધારભૂત સૂત્રો કહે છે કે, હાલ આમ આદમી પાર્ટી જે પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે તે જોતા તે એક દલિત નેતાને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડે તેવી શક્યતા રાજકીય વર્તુળોમાં જોરશોરથી થઈ રહી છે. દિલ્હીના આધારભૂત સૂત્રોના મતે આપ એક દલિત નેતાને મુખ્યમંત્રી બનાવી શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં દિલ્હી વિધાનસભામાં 60 બેઠકો છે પાર્ટીના દલિત ધારાસભ્યોની વાત કરીએ તો તેમાં 12 દલિત ધારાસભ્યો હતા. જો કે આમાંથી બે મોટા દલિત ચહેરા રાજેન્દ્ર પાલ ગૌતમ અને રાજ કુમાર આનંદે પાર્ટી છોડી દીધી છે. આ બંનેનો અરવિંદ કેજરીવાલ કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં જો તેમના ગયા પછી AAPના ત્રીજા મોટા દલિત નેતાની વાત કરીએ તો કુલદીપ કુમારનું નામ આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંડલીના ધારાસભ્ય છે અને તેઓ સીએમ કેજરીવાલના નજીકના માનવામાં આવે છે. તાજેતરની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તેમને પૂર્વ દિલ્હી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારબાદ બીજું નામ આવે છે રાખી બિરલાનું. મંગોલપુરી સીટના આ AAP ધારાસભ્ય એક સમયે ખૂબ જ નાની ઉંમરમાં ચૂંટણી જીત્યા બાદ સમાચારમાં હતા. તે ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે અને એકવાર AAPની પોસ્ટર ગર્લ બની હતી. આમ આદમી પાર્ટીએ તેમને ગૃહના ઉપાધ્યક્ષ પણ બનાવ્યા છે. આવી સ્થિતિમાં તે સીએમ પદ માટે પ્રબળ દાવેદાર બની શકે છે. આ સિવાય સોમનાથ ભારતીનું નામ પણ રેસમાં ચાલી રહ્યું છે. જોવાનું એ રહેશે કે કેજરીવાલ કોને આગળ કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત મુખ્યમંત્રી શા માટે?</span></strong></span><br><span style="font-size: 14pt;">AAPને ભાજપ-કોંગ્રેસની જેમ સવર્ણોની પાર્ટી માનવામાં આવે છે. તેના મોટાભાગના મહત્વના પદો પર સવર્ણ જાતિના જ નેતાઓ છે. જો કે આપની જે રાજ્યોમાં સરકારો છે તે અનુક્રમે પંજાબ અને દિલ્હીમાં અનુસૂચિત જાતિના મતદારોની સંખ્યા મોટી છે. એનું જ કારણ છે કે કેજરીવાલ પોતાના પક્ષથી લઈને આપના કાર્યાલયોમાં ડો. આંબેડકરનો ફોટો લગાવે છે. તેમને લાગે છે કે દલિતો માત્ર આંબેડકરનો ફોટો જોઈને રાજી રહેશે અને સત્તા સવર્ણ નેતાઓ ભોગવશે. પણ હાલમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં આપનું ફરી એકવાર ખાતું ખૂલ્યું નથી અને તેની પાછળ દલિત મતદારોનો સિંહફાળો છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીમાં દલિત મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. આપની જીતમાં દલિત મતદારોનો મોટો ફાળો છે, અહીં 17 ટકા દલિત મતદારો છે. એ જોતા કેજરીવાલ દલિત નેતાને સીએમ બનાવશે એવું અનુમાન છે. 2019ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપને કુલ દલિત મતો પૈકી 49 ટકા મતો મળ્યા હતા. જ્યારે આપને 25 ટકા દલિત મતો મળ્યા હતા. આ સિવાય કોંગ્રેસને પણ 24 ટકા મતો મળ્યા હતા. એ સ્થિતિમાં ફરી દલિત મતદારોનો પોતાની તરફ વાળવા આમ આદમી પાર્ટી દલિત નેતાને મુખ્યમંત્રી બનાવશે તો જરાય નવાઈ નહીં લાગે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દિલ્હીમાં દલિત મુખ્યમંત્રી બને તો પંજાબમાં પણ ફાયદો થાય</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">દિલ્હીમાં દલિત ચહેરાને મુખ્યમંત્રી બનાવવા પાછળ આપની ગણતરી પંજાબમાં તેનો રાજકીય ફાયદો લેવાનો હોઈ શકે છે. પંજાબમાં પંજાબમાં 98 વિધાનસભા બેઠકો પર 20 થી 49 ટકા દલિતો મતદારો છે. કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીના રૂપમાં પ્રથમ દલિત મુખ્યમંત્રી આપ્યા હતા. પણ આપ સત્તામાં આવ્યા બાદ તેમણે 32 ટકા વસ્તી હોવા છતાં દલિત સીએમ બનાવવાનું ટાળ્યું હતું. જેને લઈને પંજાબમાં દલિતો આપથી ભારે નારાજ છે. રાજ્યની વસ્તીમાં દલિત સમુદાયનો હિસ્સો 32 ટકા છે અને પંજાબની 117 વિધાનસભા બેઠકોમાંથી 34 એસસી અનામત છે. આ બધું ગણિત ધ્યાનમાં રાખીએ તો કેજરીવાલ તેમના અનુગામી તરીકે કોઈ દલિત ચહેરાને પસંદ કરશે તો જરાય આશ્ચર્ય નહીં થાય.</span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 15 Sep 2024 14:47:01 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 15 Sep 2024 15:16:33 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1212</Articleid>
                    <excerpt>અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ દિલ્હીમાં આ દલિત નેતા મુખ્યમંત્રી બનશે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e6a5d821a47.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e6a5d7da385.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e6a5d7da385.jpg" length="46823" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>The next Chief Minister, Delhi, Dalit Chief Minister, Arvind Kejriwal, Aam Aadmi Party</media:keywords>
                </item>
                        <item>
                    <title>જાતિવાદી જજ રસિક માંડાણી પાસેથી એટ્રોસિટીના તમામ કેસ પરત ખેંચાયા</title>
                    <link>https://khabarantar.com/all-atrocity-cases-withdrawn-from-racist-judge-rasik-mandani</link>
                    <guid>https://khabarantar.com/all-atrocity-cases-withdrawn-from-racist-judge-rasik-mandani</guid>
                    <description>
                        <![CDATA[ ખબરઅંતર.કોમ દ્વારા ગઈકાલે જામનગરના જાતિવાદી એડિશનલ જજ રસિક માંડાણી એટ્રોસિટીના કેસોમાં પૂર્વગ્રહ રાખતા હોવાની સ્ટોરી કરી હતી. હવે તેની અસર દેખાઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોતાની જાતિવાદી વિચારસરણી અને એટ્રોસિટી એક્ટના કેસોમાં ભયંકર પૂર્વગ્રહો માટે કુખ્યાત જામનગરના એડિશનલ જજ રસિક માંડાણી વિશે ખબરઅંતર.કોમ દ્વારા ગઈકાલે પૂર્વ આઈપીએસ રમેશ સવાણીનો એક લેખ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેને બહુજન સમાજના લોકોનું વ્યાપક સમર્થન પ્રાપ્ત થયું હતું. આ લેખની ધારી અસર થતી જોવા મળી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે જાતિવાદી જજ રસિક માંડાણી પાસેથી એટ્રોસિટી એક્ટના તમામ કેસો પરત ખેંચી લેવાયા છે. અને આ તમામ કેસો એસ.સી. વેમુલા નામના જજને સોંપી દેવાયા છે. આ સાથે જ જામનગરમાં એટ્રોસિટી કોર્ટના જજ તરીકે રસિક માંડાણીને બદલે સ્પેશ્યિલ એટ્રોસિટી જજ તરીકે એસ.વી. વેમુલાની નિમણૂંક કરવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રસિક માંડાણી - તરંગી નિર્ણયો લેવા માટે કુખ્યાત</span></strong></span><br><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે જામનગરના એડિશનલ જજ રસિક માંડાણી તેમના તરંગી નિર્ણયો માટે કુખ્યાત છે. હમણાં તેમણે એટ્રોસિટીના એક કેસમાં જાહેર સુનાવણી યોજવાની જાહેરાત કરી હતી. આ સિવાય તેઓ કોઈ જોગવાઈ ન હોવા છતાં એટ્રોસિટીના પીડિતોને મળેલી સરકારી સહાય પરત લેવાનું કહ્યું હતું. એટલું જ નહીં, તેમણે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓને પણ કારણ વિના આ કેસમાં કોર્ટને મદદ કરવાનો આદેશ આપ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">રસિક માંડાણીના ભયંકર પૂર્વગ્રહો ધરાવતા નિર્ણયો</span></strong><br><span style="font-size: 14pt;">રસિક માંડાણીના આવા તરંગી અને ભયંકર પૂર્વગ્રહોથી ભરેલા નિર્ણયોની સામે જામનગર બાર એસોસિએશને પણ મોરચો માંડ્યો હતો અને તેમની બદલી કરવા હાઈકોર્ટને વિનંતી કરી હતી. જામનગર બાર એસોસિએશને હાઈકોર્ટને લખ્યું હતું કે “13 સપ્ટેમ્બર 2024 ના રોજ જામનગર વકીલ મંડળના સભ્યોને SC/ST એક્ટ બાબતે કોર્ટમાં જાહેર ચર્ચા કરવા માટે હાજર રહેવું તેવો કાયદા વિરુદ્ધનો અને પોતાની સત્તા બહારનો હુકમ કર્યો હતો. સુપ્રીમકોર્ટ કે હાઇકોર્ટના કોઈપણ જજમેન્ટ, straitjacket formula તરીકે દરેક કેસમાં એપ્લિકેબલ થાય નહીં, છતાં સુપ્રીમકોર્ટના Shajan Skaria v/s  State of Karnatakaના કેસમાં એટ્રોસિટી એક્ટની કલમ-3(1) (r)ના સંદર્ભમાં આપેલ ચુકાદાનો આધાર લઈ, તેનું ખોટું અર્થઘટન કરી જજ માંડાણીએ ઓપન કોર્ટમાં SC/ST એક્ટના કેસો બાબતે જાહેર ચર્ચા રાખેલ હોય તે વ્યાજબી નથી અને કાયદા વિરુદ્ધ છે. વળી તેમણે SC/ST એક્ટના કેસોમાં ફરિયાદી/પીડિતને મળતી સહાય પરત લેવાની ચર્ચાને સામેલ કરેલ છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/know-judge-rasik-mandani-who-has-a-terrible-prejudice-in-an-atrocity-case">એટ્રોસિટીના કેસમાં ભયંકર પૂર્વગ્રહો ધરાવતા જજ રસિક માંડાણીને ઓળખો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાર એસોસિએશને વધુમાં લખ્યું હતું કે, "જજ માંડાણીએ 7 વરસની સજાપાત્ર એટ્રોસિટી એક્ટના કેસોના આરોપીઓને  કોર્ટમાં રજૂ કરવા નહીં તેવી મૌખિક સૂચનાઓ પોલીસ અધિકારીઓને આપેલ હતી. આ બાબતે જામનગર વકીલ મંડળે હાઈકોક્ટને ફરિયાદ કરી હતી, ત્યાર બાદ જજ માંડાણી; 7 વરસ સુધીના SC/ST એક્ટના કેસોના આરોપીઓને, ફરિયાદી કે સરકારી વકીલને સાંભળ્યા વિના જ, આરોપીની જામીન અરજી રજિસ્ટરે લીધા વિના, નંબર પાડ્યા વિના, આરોપીને તાત્કાલિક જામીન પર છોડી મૂકે છે. સુપ્રિમકોર્ટના Criminal Appeal No. 1278/2021 કેસમાં એટ્રોસિટી એક્ટ હેઠળના કેસમાં જામીન અરજી વખતે ફરિયાદીને સાંભળવા જ જોઈએ તેવો હુકમ થયેલ છે, તેનું ઉલ્લંઘન જાણીજોઈને કરી રહ્યા છે. જજ માંડાણીને SC/ST એક્ટ હેઠળના કેસોની સૂગ/નારાજગી હોય તે રીતે વિવાદાસ્પદ હુકમો કરે છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">માંડાણીએ ડીસાના પીઆઈ સામે પણ વિવાદાસ્પદ ચૂકાદો આપ્યો હતો</span></strong><br><span style="font-size: 14pt;">રસિક માંડાણી અગાઉ બનાસકાંઠાના ડીસા ખાતે એડિશનલ સેશન્સ જજ હતા ત્યારે 26 માર્ચ 2024ના રોજ PI વિજયસિંહ મેઘસિંહ ચૌધરી સામે પગલાં ભરવા 101 પેજનો વિવાદાસ્પદ હુકમ કર્યો હતો. જે હુકમ ગુજરાત હાઈકોર્ટે 5 એપ્રિલ 2024ના રોજ, રદ કરી જજ માંડાણીની બરાબર રીમાન્ડ લીધી હતી હાઈકોર્ટે એ વખતે કહ્યું હતું કે, સેશન્સ જજે તેના અધિકારક્ષેત્રને ઓળંગી જઈને PI ચૌધરી સામે તપાસ કરવાનો આદેશ આપ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આવા જાતિવાદી જજો કેવી રીતે સમાન ન્યાય તોળી શકે?</span></strong><br><span style="font-size: 14pt;">જજ રસિક માંડાણીના મામલામાં સૌથી મોટો સવાલ એ છે કે, આવા ભયંકર પૂર્વગ્રહો ધરાવતા જાતિવાદી જજો કાયદા સમક્ષ સૌને એક સરખા માની ન્યાય તોળતા હશે ખરા? માંડાણી સામે હાલ બાર એસોસિએશને વિરોધ નોંધાવ્યો હતો એટલે તેમને સ્પેશ્યિલ એટ્રોસિટી જજ તરીકે દૂર કરાયા છે. પણ અત્યાર સુધીમાં તેમણે આવા વિવાદાસ્પદ ચૂકાદાઓ આપ્યા હશે તેનું શું? એવા કેસોમાં ન્યાય માંગનારે શું સમજવાનું? શું હાઈકોર્ટ આવા જજો સામે શિક્ષાત્મક પગલાં લઈને તેમને હોદ્દા પરથી દૂર ન કરી શકે? - આ તમામ સવાલો ચર્ચાનો વિષય છે. એવામાં સામાજિક ન્યાયમાં આસ્થા ધરાવતા કર્મશીલો, વકીલોએ માંડાણી જેવા જજો પાસેથી માત્ર કેસો પરત ખેંચી લેવાય તેટલાથી સંતોષ માનવો જોઈએ નહીં. તેમણે આવા જાતિવાદી માનસિકતા ધરાવતા જજો હોદ્દા પરથી દૂર થાય તે લક્ષ્યાંક રાખીને ચાલવું જોઈએ. તો જ, આ દેશના જન સામાન્યને યોગ્ય ન્યાય મળી શકે તેમ છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/from-sanjeevayya-to-pahadia-these-are-the-first-4-dalit-chief-ministers-of-the-country">સંજીવય્યાથી પહાડિયા સુધી, આ છે દેશના પ્રથમ 4 દલિત મુખ્યમંત્રીઓ</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 14 Sep 2024 10:36:49 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1205</Articleid>
                    <excerpt>ખબરઅંતર.કોમ દ્વારા ગઈકાલે જામનગરના જાતિવાદી એડિશનલ જજ રસિક માંડાણી એટ્રોસિટીના કેસોમાં પૂર્વગ્રહ રાખતા હોવાની સ્ટોરી કરી હતી. હવે તેની અસર દેખાઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e518d31980f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e518d2cc61d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e518d2cc61d.jpg" length="99827" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Rasik Mandani, Additional Judge Jamnagar, Bar Association Jamnagar, Dalit Atrocities, Gujarat High Court</media:keywords>
                </item>
                        <item>
                    <title>સુપ્રીમ કોર્ટના બે નિવૃત્ત જજો વિશ્વ હિંદુ પરિષદની બેઠકમાં શું કામ ગયા હતા?</title>
                    <link>https://khabarantar.com/what-did-the-two-retired-judges-of-the-supreme-court-attend-the-meeting-of-vhp</link>
                    <guid>https://khabarantar.com/what-did-the-two-retired-judges-of-the-supreme-court-attend-the-meeting-of-vhp</guid>
                    <description>
                        <![CDATA[ 8 સપ્ટેમ્બરે વિશ્વ હિંદુ પરિષદના એક કાર્યક્રમમાં 30 નિવૃત્ત જજો સામેલ થયા હતા. તેમાં સુપ્રીમ કોર્ટના બે નિવૃત્ત જજો પણ હતા. શા માટે તેઓ આ કાર્યક્રમમાં ગયા તે જાણવા જેવું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગત રવિવારે એક મહત્વની ઘટના બની ગઈ. ઈન્ડિયન એક્સપ્રેસે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, ન્યાયિક સુધારણાને લગતા વિશ્વ હિંદુ પરિષદના લીગલ સેલના આખો દિવસ ચાલેલા એક કાર્યક્રમમાં દેશની વિવિધ હાઈકોર્ટો અને સુપ્રીમ કોર્ટના 30 જજો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના બે નિવૃત્ત જજોએ પણ હાજરી આપી હતી. આ બે જજો એટલે આદર્શ કુમાર ગોયલ અને હેમંત ગુપ્તા. આ બંને જજોનો ઉલ્લેખ ખાસ એટલા માટે કરવો પડે કેમ કે, બંનેએ જજ તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન જે ચૂકાદાઓ આપ્યા છે તે આજે પણ ભૂલાય તેમ નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2018માં સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થતાં પહેલાં જસ્ટિસ હેમંત ગુપ્તા મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને પટના હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ હતા. 2022 માં સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા પછી તેમને ઈન્ડિયા ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમણે 2022માં કર્ણાટક હાઈકોર્ટના શાળાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. આવા બીજા પણ ઘણા મહત્વપૂર્ણ ચુકાદાઓ તેમણે આપ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalits-and-ganeshotsava-from-here-i-can-float-from-here-i-can-sink">દલિતો અને ગણેશોત્સવઃ અહીંથી હું ભવ તરી શકું, અહીંથી ડૂબી શકું...</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજા જજ આદર્શ કુમાર ગોયલ 2014માં સુપ્રીમ કોર્ટમાં બઢતી પહેલા ઓરિસ્સા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા. આ જજ સાહેબને બહુજન સમાજે ખાસ યાદ રાખવા પડે તેમ છે. કેમ કે, તેઓ એ બેંચમાં સામેલ હતા જેણે વર્ષ 2018માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ(અત્યાચાર નિવારણ) અધિનિયમ-1989 (એસસી-એસટી એક્ટ) હેઠળના કેટલાક કેસોમાં આરોપીઓને આગોતરા જામીન આપવાને મંજૂરી આપી હતી. તેમના આ નિર્ણયને વ્યાપક રીતે એસસી-એસટી એક્ટને નબળો પાડવાના સ્વરૂપમાં જોવામાં આવ્યો હતો અને તેનો દેશભરમાં ભારે વિરોધ થયો હતો. દલિત-આદિવાસી સમાજે રસ્તા પર ઉતરવું પડ્યું હતું અને તેમાં સમાજના અનેક યુવાનોએ શહીદી વહોરવી પડી હતી. ભારે હોબાળો થતા બાદમાં વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે તેને પરત ખેંચી લીધો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/now-to-indulge-the-dalits-the-vishwa-hindu-parishad-will-go-and-eat-at-their-homes">હવે દલિતોને રીઝવવા વિશ્વ હિંદુ પરિષદ તેમના ઘરે જઈને ભોજન કરશે</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં ધ્યાન ખેંચે તેવી વાત એ છે કે, વર્ષ 2018માં આ ચૂકાદો આવ્યો તે જ વર્ષે જસ્ટિસ ગોયલ નિવૃત્ત થયા હતા અને એ પછી તરત તેમની નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. આવા વિવાદાસ્પદ ચૂકાદાઓ આપનાર જજો જ્યારે વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમમાં હાજરી આપે ત્યારે સ્વાભાવિક રીતે જ તે ચર્ચાનો મુદ્દો બને.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે જ્યારે મીડિયા દ્વારા જસ્ટિસ હેમંત ગુપ્તાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આ કાર્યક્રમ દેશના વર્તમાન મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે હતો અને તેઓ તેમાં વક્તા તરીકે નહોતા. તે એક કાનૂની સંસ્થા છે જે તેની પોતાની પ્રવૃત્તિઓ કરે છે અને એક નાગરિક તરીકે મને કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવા કોઈપણ કાર્યક્રમમાં હાજરી આપવાનો અધિકાર છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે જસ્ટિસ આદર્શ કુમાર ગોયલનો સંપર્ક કરવામાં આવતા તેમણે આ કાર્યક્રમમાં હાજરી આપી હોવાનું સ્વીકાર્યું હતું. જો કે તેમના સેક્રેટરીએ આ મામલામાં વધુ જાણકારી માટે VHP લીગલ સેલ સાથે વાત કરવા જણાવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/being-a-dalit-the-teacher-made-the-6-year-old-child-clean-the-toilet">6 વર્ષના દલિત બાળક પાસે જાતિવાદી શિક્ષિકાએ ટોઈલેટ સાફ કરાવ્યું</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ આ કાર્યક્રમ VHPના "વિધિ પ્રકોષ્ઠ" અથવા લીગલ સેલ દ્વારા યોજવામાં આવ્યો હતો અને તેમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના 30 નિવૃત્ત જજો, કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ અને વિશ્વ હિંદુ પરિષદના(VHP) ના પ્રમુખ આલોક કુમારે ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વારાણસી અને મથુરાના મંદિરો પરના કાયદાકીય વિવાદો પર ચર્ચા કરવામાં આવી હતી અને તેમાં હાજર જજોએ પોતાના અનુભવોના આધારે સલાહો આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાક્રમ ખૂબ જ મહત્વનો છે. કેમ કે, મથુરા અને કાશી સંબંધિત અરજીઓ હાલ કોર્ટમાં છે. આ બે કેસોમાં કોર્ટે અત્યાર સુધી જે પણ નિર્દેશો આપ્યા છે, તેનું ન્યાયતંત્રના સંદર્ભમાં અધ્યયન પણ ઘણું રસપ્રદ છે. હવે સુપ્રીમ કોર્ટમાં મથુરા કેસની સુનાવણી થવા જઈ રહી છે અને એ જ સમયગાળામાં વીએચપીનો આ કાર્યક્રમ યોજાય અને તેમાં 30 જેટલા નિવૃત્ત જજો હાજર રહે તે અનેક શંકા-કુશંકાઓ પેદા કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/you-are-not-a-courtier-why-are-you-posting-a-clean-picture-kahi-killed-the-dalit-youth">'તું દરબાર નથી, સાફો બાંધેલો ફોટો કેમ મૂકે છે?' કહી દલિત યુવકને માર્યો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ન્યાયતંત્ર અને કાર્યપાલિકા વચ્ચે આટલા ગાઢ સંબંધો અગાઉ ક્યારેય જોવા મળ્યા નથી. હાલમાં જ પીએ મોદી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના ઘરે ગણપતિ પૂજામાં પહોંચી ગયા હતા, જેણે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. અનેક બૌદ્ધિકોએ સવાલ ઉઠાવ્યો છે કે, ચીફ જસ્ટિસના ઘરે વડાપ્રધાન પહોંચી જઈને પૂજા કરે પછી સીજેઆઈ સરકાર સાથે જોડાયેલા મહત્વના કેસોમાં કોની તરફેણ કરે તે કહેવાની જરૂર ખરી? </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "જો બંધારણના રક્ષકો આ રીતે રાજકીય નેતાઓને મળે છે તો લોકોના મનમાં શંકા પેદા થાય છે." હવે જ્યારે VHP ના કાર્યક્રમમાં 30 જેટલા નિવૃત્ત જજો પહોંચીને સલાહ આપતા હોય ત્યારે સ્વાભાવિક છે કે, દેશના તમામ લઘુમતી વર્ગમાં તેને લઈને ચિંતા જોવા મળે. કારણ કે મોબ લિંચીંગથી લઈને પૂજા સ્થાનોને તોડી પાડવા કે આવા વિવાદોમાં ઢસડવાના સૌથી વધુ કેસોનો સામનો તેઓ કરી રહ્યાં છે. આવી સ્થિતિ વચ્ચે ન્યાયતંત્રના કેટલાક જજોનું જે વલણ સામે આવી રહ્યું છે તે ચિંતાનો વિષય ચોક્કસ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-dalits-of-the-country-have-clearly-recognized-the-manuvadi-face-of-the-bjp-rss">ભાજપ-RSS ના મનુવાદી ચહેરાને દેશના બહુજનો સ્પષ્ટ રીતે ઓળખી ગયા છે</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 14 Sep 2024 00:32:52 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 14 Sep 2024 08:53:31 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1204</Articleid>
                    <excerpt>8 સપ્ટેમ્બરે વિશ્વ હિંદુ પરિષદના એક કાર્યક્રમમાં 30 નિવૃત્ત જજો સામેલ થયા હતા. તેમાં સુપ્રીમ કોર્ટના બે નિવૃત્ત જજો પણ હતા. શા માટે તેઓ આ કાર્યક્રમમાં ગયા તે જાણવા જેવું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e48c4acf853.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e48c4a9dbc8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e48c4a9dbc8.jpg" length="85393" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>VHP, Judge&#039;s Meet, CJI, PM Modi</media:keywords>
                </item>
                        <item>
                    <title>દહેગામના વાસણા સોગઠીમાં ગણપતિ વિસર્જનમાં 8 લોકોના મોત</title>
                    <link>https://khabarantar.com/8-people-died-in-ganpati-visharan-in-vasana-soghathi-of-dehgam</link>
                    <guid>https://khabarantar.com/8-people-died-in-ganpati-visharan-in-vasana-soghathi-of-dehgam</guid>
                    <description>
                        <![CDATA[ દહેગામના વાસણા સોગઠી ગામની મેશ્વો નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન 10 લોકો ડૂબ્યા હતા જેમાંથી 8 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધીનગર પાસેના વાસણા સોગઠી ગામે ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં મેશ્વો નદીમાં ૧૦ યુવાનો ડૂબ્યા છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી છે અને 8 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. છે જયારે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. આ ઘટના સર્જાતા લોકોના ટોળા ઉમટી પડ્યા છે. મળતી માહિતી પ્રમાણે હાલમાં સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પાંચ લોકોના મૃતદેહ મળ્યા હોવાની પ્રથામિક માહિતી સામે આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ લોકો ગણપતિ વિસર્જન દરમિયાન અહીંથી વહેતી મેશ્વો નદીમાં આવેલા ચેકડેમમાં ન્હાવા કૂદ્યા હતા અને આ દરમિયાન જ ડૂબી જવાથી લગભગ 8 લોકો મૃત્યુ પામી ગયા હતા જ્યારે 2થી વધુ લોકોને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. રાહત અને બચાવ ટુકડી સહિત પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે વાસણા સોરઠી ગામે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ યોજાયો હતો, એ દરમિયાન ધામધૂમથી ગણેશજીને વિદાય આપવાની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ હતી. ગણેશ વિસર્જન માટે ગ્રામજનો મેશ્વો નદીએ જવાના હતા. તે દરમિયાન ગામના કેટલાક યુવાનો અગાઉથી નદીએ પહોંચી ન્હાવા માટે કૂદ્યા હતા. ત્યારબાદ વિસર્જન માટે પાછળથી આવી રહેલા ગ્રામજનોએ આ યુવાનોને ડૂબતાં જોઇ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ 8 લોકો ડૂબી જતાં તેમના મોત નિપજતાં તેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ 2 લોકો ગુમ હોવાથી શોધખોળ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગામમાં શોકનું મોજું ફરી વળ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ આ યુવાનો વાસણા- સોગઠી ગામના મોટાવાસના રહેવાસી છે. જેમાંથી 4-5 યુવાનો કાકા-બાપાના દિકરા છે જ્યારે અન્ય મિત્રો છે. આ અરેરાટીભરી ઘટનાથી ગામમાં ગમગીનીભર્યું વાતાવરણ સજાર્યું છે. પોલીસ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગામડાના સ્થાનિકોએ ગામના લોકોને જ્યારે આ ઘટનાની જાણ થઇ તો ઊહાપોહ મચી ગયો હતો અને મોટાભાગના લોકો દોડી આવ્યા હતા અને ડૂબી જનારા યુવાનોને બચાવવાના પ્રયાસ હાથ ધરાયા હતા. આ દરમિયાન નદીમાં ગણેશ વિસર્જન કરનારા લોકો મદદ કરવા દોડી આવ્યા હતા. અત્યાર સુધીમાં 8 મૃતદેહો મળી આવતા મા હોલ ગમગીન બન્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/It-was-not-visible-but-amin-sahib-was-holding-a-broom-behind-his-back-and-a-kuldi-around-his-neck"><span style="font-size: 14pt;">દેખાતો નહોતો પણ અમીન સાહેબ ની પીઠ પાછળ સાવરણી અને ગળામાં કુલડી વળગેલા હતા</span></a></span></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66e44ece8d673.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફાયરબ્રિગેડ, મામલતદાર, ટીડીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ આ યુવાઓને બચાવવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા પણ મોટાભાગના યુવાનો ડૂબી જવાથી મૃત્યુ પામી ગયા હતા. જ્યારે હજુ સુધી 2ની શોધખોળ તો ચાલી જ રહી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પાટણમાં એક જ પરિવારના 4 લોકો ડૂબાયા હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હજુ બે દિવસ પહેલા પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જવાથી પ્રજાપતિ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. બાદ જિલ્લા વહીવટી તંત્રએ સરસ્વતી નદીના કિનારે ૨૦ જેટલા પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે. જિલ્લા ફાયર ઓફિસર સ્નેહલ મોદીએ ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ડિઝાસ્ટર વિભાગ દ્વારા સરસ્વતી નદીમાં એક બોટ તૈનાત કરવામાં આવી છે અને આ બોટ અને પોલીસ દળ ગણેશ ઉત્સવ પૂર્ણ થાય ત્યાં સુધી સરસ્વતી નદીમાં કાર્યરત રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાંચ દિવસ સુધી ભગવાન ગણેશનું સ્થાપન કર્યા બાદ પાટણનો પ્રજાપતિ પરિવાર બુધવારે ગણેશ વિસર્જન માટે સરસ્વતી નદીમાં ગયો હતો. આવતા વર્ષે તુ સુખ આના આના ના નાદ સાથે પરિવારના તમામ સભ્યો ખુશ હતા. પરંતુ, કુદરતના મનમાં કંઈક બીજું હતું. બાળક ડૂબી ગયા બાદ તેને બચાવવા માટે એક પછી એક છ લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું. જેમાં ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો. પરંતુ શીતલબેન, જીમિત, દક્ષ અને નયનભાઈના મૃત્યુથી આ ખુશી ફીકી પડી ગઈ હતી. આ ચાર લોકોની તેમના વિઘટન પહેલાની છેલ્લી તસવીરો પણ સામે આવી છે જેમાં દરેક ખુશ દેખાઈ રહ્યા છે. જો કે તેમને આવનાર મોતનો ખ્યાલ નહોતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/in-the-dissolution-of-ganesha-sarswati-took-4-victims-of-the-same-family">ગણેશજીના વિસર્જનમાં સરસ્વતીએ એક જ પરિવારના 4નો ભોગ લીધો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 13 Sep 2024 20:14:32 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1203</Articleid>
                    <excerpt>દહેગામના વાસણા સોગઠી ગામની મેશ્વો નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન 10 લોકો ડૂબ્યા હતા જેમાંથી 8 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e44ea782c83.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e44ea74e9cc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e44ea74e9cc.jpg" length="102260" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ganapathi Dissolution, Death by drowning, Gsndhinagar</media:keywords>
                </item>
                        <item>
                    <title>સંજીવય્યાથી પહાડિયા સુધી, આ છે દેશના પ્રથમ 4 દલિત મુખ્યમંત્રીઓ</title>
                    <link>https://khabarantar.com/from-sanjeevayya-to-pahadia-these-are-the-first-4-dalit-chief-ministers-of-the-country</link>
                    <guid>https://khabarantar.com/from-sanjeevayya-to-pahadia-these-are-the-first-4-dalit-chief-ministers-of-the-country</guid>
                    <description>
                        <![CDATA[ આઝાદીના 75 વર્ષ પછી પણ દલિત નેતાઓ માટે મુખ્યમંત્રી બનવું પડકારજનક છે, ત્યારે હાડોહાડ જાતિવાદના યુગમાં મુખ્યમંત્રી બનેલા એ ચાર દલિત નેતાઓ વિશે જાણો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશમાં દલિત રાજનીતિનો દબદબો દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ, સપા અને અન્ય મોટા રાજકીય પક્ષો આ સમાજનું સમર્થન મેળવવા સક્રિય છે. દલિત સમાજની રાજકીય તાકાત અને સંખ્યા શાસક પક્ષો માટે અત્યંત મહત્વ ધરાવે છે, કારણ કે આ સમાજ મતબેંકનો મોટો હિસ્સો બનાવે છે અને ચૂંટણીમાં જીત માટે જરૂરી ટેકો પૂરો પાડી શકે છે. દલિત રાજકારણે ભારતીય રાજકારણને નવી દિશા આપી છે અને બહેન કુમારી માયાવતી સહિતના અન્ય મુખ્યમંત્રીઓએ દલિતની સામાજિક અને રાજકીય સ્થિતિને ઓર મજબૂત કરી છે. આ નેતાઓએ મુખ્ય પ્રવાહના રાજકારણમાં દલિત મુદ્દાઓને અસરકારક રીતે ઉઠાવ્યા છે અને તેની સાથે જોડાયેલા મતદારોનું ધ્યાન ખેંચ્યું અને સમર્થન પણ મેળવ્યું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે એ હકીકતને અવગણી શકાય તેમ નથી કે, જાતિવાદની ધરી પર ઉભેલા ભારતમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ દલિત સમાજમાંથી આવતા નેતાઓ માટે મુખ્યમંત્રી બનવું એક મોટો પડકાર છે. તેમ છતાં પોતાની રાજકીય પ્રતિભાથી કેટલાક નેતાઓ આ પદ સુધી પહોંચી શક્યા છે અને તેમણે નોંધપાત્ર સિદ્ધિઓ પણ હાંસલ કરી છે. ભારતમાં દલિત સમાજમાંથી અત્યાર સુધીમાં 8 મુખ્યમંત્રીઓ બન્યાં છે અને તે નીચે મુજબ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">દામોદરમ સંજીવય્યા – આંધ્ર પ્રદેશ</span></strong><br><strong><span style="font-size: 14pt;">ભોલા પાસવાન શાસ્ત્રી – બિહાર</span></strong><br><strong><span style="font-size: 14pt;">રામસુંદર દાસ – બિહાર</span></strong><br><strong><span style="font-size: 14pt;">જગન્નાથ પહાડિયા - રાજસ્થાન</span></strong><br><strong><span style="font-size: 14pt;">માયાવતી - ઉત્તર પ્રદેશ</span></strong><br><strong><span style="font-size: 14pt;">સુશીલ કુમાર શિંદે – મહારાષ્ટ્ર</span></strong><br><strong><span style="font-size: 14pt;">જીતનરામ માંઝી – બિહાર</span></strong><br><strong><span style="font-size: 14pt;">ચરણજીત સિંહ ચન્ની – પંજાબ</span></strong><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ નેતાઓએ પોતપોતાના રાજ્યોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને દલિત સમાજના અવાજને મુખ્ય પ્રવાહના રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન આપ્યું હતું. અહીં આપણે પહેલા ચાર મુખ્યમંત્રીઓ દામોદર સંજીવય્યા, ભોલા પાસવાન અને રામસુંદર દાસ અને જગન્નાથ પહાડિયા વિશે વિસ્તારથી જાણીએ. એ પછીના લેખમાં બાકીના ચાર મુખ્યમંત્રીઓ વિશે જાણીશું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">દામોદરમ સંજીવય્યાઃ પિતાની છત્રછાયા ગુમાવનાર છોકરો દેશનો પ્રથમ દલિત સીએમ બન્યો</span></strong><br><span style="font-size: 14pt;">ભારતમાં દલિત સમુદાયમાંથી પ્રથમ મુખ્ય પ્રધાન દામોદરમ સંજીવય્યા હતા, જેમણે 1960ના દાયકામાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ દલિત સમાજમાંથી આવનારા પ્રથમ મુખ્યમંત્રી હતા અને તે સમયે સૌથી યુવા મુખ્યમંત્રી પણ હતા. સંજીવય્યાએ ​​તેમની રાજકીય કારકિર્દી કોંગ્રેસ પાર્ટી સાથે શરૂ કરી અને 1956માં આંધ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના ત્રીજા પ્રમુખ બન્યા, આ પદ તેઓ 1961 સુધી રહ્યા હતા. 1957ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 301માંથી 187 બેઠકો જીતી અને નીલમ સંજીવા રેડ્ડી મુખ્યમંત્રી બન્યા. જૂથવાદના કારણે સંજીવૈયાને મુખ્યમંત્રી પદ સોંપવામાં આવ્યું હતું. 1964માં તેમણે રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી અને લાલ બહાદુર શાસ્ત્રીની સરકારમાં શ્રમ અને રોજગાર મંત્રી બન્યા. 1972માં માત્ર 51 વર્ષની વયે હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું. તેમના કાર્યકાળ અને યોગદાનની દલિત સમાજની રાજકીય પરિસ્થિતિ પર નોંધપાત્ર અસર પડી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/despite-his-qualifications-he-could-never-become-captain-due-to-being-a-dalit">તમામ લાયકાત હોવા છતાં દલિત હોવાને કારણે તેઓ કદી કેપ્ટન ન બની શક્યા</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66e406f2d66b8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દામોદરમ સંજીવય્યાનો જન્મ કુર્નૂલ જિલ્લાના કલ્લુર મંડળના પેડદાપડુ ગામમાં માલા દાસુ પરિવારમાં થયો હતો. તેઓ નાના હતા ત્યારે જ તેમના પિતાનું અવસાન થયું હતું. તેમણે મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને 1948માં મદ્રાસ લો કોલેજમાંથી કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી. વિદ્યાર્થી હોવા છતાં, તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તેઓ સંયુક્ત મદ્રાસ રાજ્યમાં મંત્રી હતા અને 1950-52 સુધી કામચલાઉ સંસદના સભ્ય પણ હતા. 1962 માં તેઓ આંધ્ર પ્રદેશના પ્રથમ દલિત નેતા બન્યા જેઓ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ બન્યા. તેઓ 9 જૂન 1964 થી 23 જાન્યુઆરી 1966 દરમિયાન લાલ બહાદુર શાસ્ત્રીની સરકારમાં શ્રમ અને રોજગાર મંત્રી હતા. તેમણે ભારતમાં શ્રમ સમસ્યાઓ અને ઔદ્યોગિક વિકાસ પર એક પુસ્તક લખ્યું હતું, જે 1970 માં ઓક્સફોર્ડ અને IBH પબ દ્વારા પ્રકાશિત થયું હતું. તેમણે વિધવાઓ, વૃદ્ધો માટે પેન્શન સિસ્ટમ દાખલ કરી અને આંધ્ર પ્રદેશમાં લલિતા કલા એકેડેમીની સ્થાપના કરી. તેઓ ભારતમાં અત્યાર સુધીના સૌથી યુવા મુખ્યમંત્રી હતા, તેમણે એન્ટી કરપ્શન બ્યુરો(ACB)ની ઓફિસ ખોલવાની શરૂઆત કરી હતી. તેમણે કુર્નૂલ જિલ્લામાં ગજુલાદિને અને વમસાધારા, પુલીચિંતલા અને વરદરાજુલા સ્વામી પ્રોજેક્ટ જેવા સિંચાઈ પ્રોજેક્ટ પૂર્ણ કર્યા. 1950માં સંજીવાય્યે દલિત શિક્ષિકા કૃષ્ણાવેણી સાથે લગ્ન કર્યા હતા. તેમને કોઈ સંતાન નહોતું. સંજીવૈય્યાએ ​​તેમના ફ્રી સમયમાં તેલુગુમાં સાહિત્યિક લેખો અને કવિતાઓ લખી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ભોલા પાસવાન - જેમની પ્રામાણિકતા જોઈ લોકોએ તેમને રાજકારણના 'વિદેહા' કહ્યાં </span></strong><br><span style="font-size: 14pt;">ભોલા પાસવાન શાસ્ત્રીનો જન્મ 1914માં બિહારના એક ગરીબ પરિવારમાં થયો હતો. 1968માં તેઓ બિહારના પ્રથમ દલિત મુખ્યમંત્રી બન્યા. તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં પણ ભાગ લીધો હતો અને 1968 થી 1972 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. કોંગ્રેસના વિભાજન પછી, તેઓ 13 દિવસ માટે મુખ્યમંત્રી બન્યા અને બાદમાં ઈન્દિરા ગાંધીની કોંગ્રેસમાં જોડાયા અને 7 મહિના સુધી મુખ્યમંત્રી રહ્યા. 1972 થી 1982 સુધી રાજ્યસભામાં બિહારનું પ્રતિનિધિત્વ કર્યું અને 1978માં વિપક્ષના નેતા હતા. 1984માં તેમનું અવસાન થયું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભોલા પાસવાન શાસ્ત્રી બિહારના પ્રથમ દલિત મુખ્યમંત્રી હતા. તેમણે 1968 અને 1971 વચ્ચે ત્રણ વખત બિહારના મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી. તેઓ ખૂબ જ પ્રામાણિક વ્યક્તિ હતા. મહાત્મા ગાંધીથી પ્રભાવિત થઈને તેઓ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન રાજકારણમાં સક્રિય થયા હતા. અત્યંત ગરીબ પરિવારમાં જન્મ્યા હોવા છતાં તેઓ સુશિક્ષિત અને બૌદ્ધિક રીતે સશક્ત હતા. કોંગ્રેસે તેમને ત્રણ વખત પોતાના નેતા તરીકે પસંદ કર્યા અને તેમને ત્રણ વખત અવિભાજિત બિહારના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તેમનો કાર્યકાળ નિર્વિવાદ હતો અને તેમનું રાજકીય અને અંગત જીવન પારદર્શક હતું. તેઓ બિહારના પ્રથમ મુખ્યમંત્રી હતા જે અનુસૂચિત જાતિના હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/poverty-did-not-allow-her-to-study-a-coolie-dalit-woman-started-her-own-school">ગરીબીએ ભણવા ન દીધી, પણ કુલી દલિત મહિલાએ દીકરીઓ માટે શાળા શરૂ કરી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66e406f227541.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઝાડ નીચે સભા બોલાવવી, ઝૂંપડીમાં રહેવું, સાઇકલ પર ગામ જવું એ તેમની ઓળખ અને વિશેષતા હતી. તેમના નામ પરથી 'ભોલા પાસવાન શાસ્ત્રી એગ્રીકલ્ચર કોલેજ'નું નામ રાખવામાં આવ્યું છે. ઝાડ નીચે બેસીને પોતાનું કામ કરવામાં તેમને કોઈ છોછ નહોતો. જરૂર જણાય ત્યાં તેઓ અધિકારીઓના કાફલાને અધવચ્ચે રોકીને ત્યાં જ મિટીંગ કરી લોકોની સમસ્યાનું સમાધાન કરી દેતા હતા. 1973માં તેઓ કેન્દ્રની ઈન્દિરા ગાંધી સરકારમાં મંત્રી પણ બન્યાં હતા. જાહેર જીવનમાં તેમની પ્રામાણિકતા અને જાહેર સંપત્તિથી દૂર રહેવાના કારણે તેઓ બિહારના રાજકારણના 'વિદેહા' તરીકે ઓળખાતા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભોલા પાસવાન શાસ્ત્રીનો જન્મ પૂર્ણિયા જિલ્લાના બૈરગાછી ગામમાં દલિત પાસવાન સમાજમાં થયો હતો. તેમણે દરભંગા સંસ્કૃત યુનિવર્સિટીમાંથી 'શાસ્ત્રી'ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમના પિતા અંગ્રેજ સરકારમાં કામ કરતા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/65-percent-of-bharat-ratna-has-been-given-to-brahmins-none-to-tribals">65 ટકા 'ભારતરત્ન' બ્રાહ્મણોને અપાયા છે, આદિવાસીને એક પણ નહીં</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">4થી બિહાર વિધાનસભા (1967-1968)માં તેઓ 100 દિવસ માટે બિહારના મુખ્યમંત્રી બન્યા, પરંતુ કોંગ્રેસે તેની બહુમતી ગુમાવી દીધી અને મધ્યસત્ર ચૂંટણીઓ આવી. જૂન 1969માં કોંગ્રેસનું વિભાજન થયું ત્યારે હરિહર સિંહની કોંગ્રેસ સરકાર પડી ગઈ. ભોલા પાસવાન શાસ્ત્રીએ સંસ્થા કોંગ્રેસનો પક્ષ લીધો અને 13 દિવસ માટે મુખ્યમંત્રી બન્યા. પરંતુ તેમનું જોડાણ અસ્થિર સાબિત થયું. જૂન 1971 સુધીમાં તેઓ કોંગ્રેસમાં પાછા ફર્યા અને 1972ની વિધાનસભા ચૂંટણી દરમિયાન 7 મહિના માટે મુખ્યમંત્રી બન્યા. 1973માં તેમણે કેન્દ્રમાં ઈન્દિરા ગાંધી સરકારમાં મંત્રી તરીકે પણ સેવા આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમની પ્રામાણિકતા એવી હતી કે જ્યારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેમના ખાતામાં અંતિમવિધિ યોગ્ય રીતે કરવા માટે પૂરતા પૈસા નહોતા. ભોલા પાસવાનજીને પોતાનું કોઈ સંતાન નહોતું. તેઓ પરિણીત હતા પરંતુ બાદમાં પત્નીથી અલગ થઈ ગયા હતા. બિરંચી પાસવાન, જે તેમના ભત્રીજા છે, તેમણે જ તેમને મુખાગ્નિ આપી હતી. પૂર્ણિયાના તત્કાલિન જિલ્લા મેજિસ્ટ્રેટે તેમની અંતિમવિધિ કરાવી હતી. ગામના તમામ લોકોને કાર દ્વારા પૂર્ણિયા લઈ જવામાં આવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;">ભોલા પાસવાનનો પરિવાર હજુ પણ પૂર્ણિયાના બૈરાગાછીમાં એક ઘાસના મકાનમાં રહે છે. તેમના પરિવારને સરકાર તરફથી એક કે બે ઈન્દિરા આવાસ મળ્યા છે, જોકે તેમણે ક્યારેય કંઈ માંગ્યું નથી. ભોલા પાસવાનની જન્મજયંતિ પૂર્ણિયા અને પટનામાં રાજ્ય સ્તરે ઉજવવામાં આવે છે . તેમની જન્મજયંતિ નિમિત્તે તેમના ગામ બૈરગાછી અને તેમના સ્મારક સ્થળ 'કાઝા કોઠી'માં પુષ્પાહાર કરીને સર્વધર્મ પ્રાર્થના સભાઓ યોજાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">રામસુંદર દાસ - કર્પુરી ઠાકુરથી લઈને નીતિશકુમારે તેમની સામે નમવું પડેલું</span></strong><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66e406f182c23.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામસુંદર દાસનો જન્મ 1921માં બિહારમાં થયો હતો. તેમણે કોલકાતાની વિદ્યાસાગર કોલેજમાં અભ્યાસ કર્યો હતો, પરંતુ ભારત છોડો ચળવળમાં ભાગ લેવા ભણતર છોડી દીધું હતું. તેઓ પ્રજા સમાજવાદી પાર્ટીમાં જોડાયા અને 1957માં હાજીપુરથી લોકસભાની ચૂંટણી લડી. 1977ની વિધાનસભા ચૂંટણીમાં દાસ સોનપુરથી ધારાસભ્ય બન્યા હતા. મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુરના મુંગેરીલાલ કમિશનના અહેવાલને લઈને પક્ષમાં વિવાદ થયો અને દલિત ધારાસભ્યોને સમર્થનમાં લાવવા માટે દાસને 1979 માં મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ઠાકુરે રાજીનામું આપ્યું અને દાસે કાર્યભાર સંભાળ્યો. 2009માં તેમણે લોકસભા ચૂંટણીમાં દિગ્ગજ દલિત નેતા રામવિલાસ પાસવાનને તેમના ગઢ ગણાતા હાજીપુરની સીટ પરથી હરાવ્યા હતા. જો કે બાદમાં તેમને રામવિલાસે સજ્જડ પરાજય આપ્યો હતો. 2015માં તેમનું નિધન થયું હતું એ વખતે તેઓ નીતિશકુમારના જેડીયુમાં હતા. તેમનો દબદબો એવો હતો કે કર્પૂરી ઠાકુરથી લઈને નીતિશકુમાર સુદ્ધાંએ તેમનું માન જાળવવું પડતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">જગન્નાથ પહાડિયા - રાજસ્થાનના રાજકારણની સમજનો પહાડ</span></strong><br><span style="font-size: 14pt;">જગન્નાથ પહાડિયા દલિત સમુદાયમાંથી આવનાર રાજસ્થાનના એકમાત્ર મુખ્યમંત્રી છે. કોંગ્રેસમાં તેઓ નેહરુ-ગાંધી પરિવારની નજીકના માણસ ગણાતા હતા. પહાડિયાએ 1957 અને 1984 વચ્ચે ચાર વખત લોકસભા સાંસદ, રાજ્યસભાના સભ્ય અને ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. ઈમરજન્સી દરમિયાન સંજય ગાંધીની નજીક બની ગયા અને તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. 1980માં સંજય ગાંધીના અવસાન બાદ તેમને પાર્ટીમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પહાડિયાએ અનેક કેન્દ્રીય મંત્રાલયોમાં પણ સેવા આપી હતી અને 1989-90માં બિહાર અને 2009-2014 સુધી હરિયાણાના રાજ્યપાલ હતા. 2021 માં તેમનું અવસાન થયું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/my-lord-why-should-the-burden-of-social-justice-be-shouldered-by-dalits-tribals">માય લૉર્ડ, સામાજિક ન્યાયનો ભાર દલિતો, આદિવાસીઓના ખભે જ શા માટે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66e406f0973bc.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શ્રી જગન્નાથ પહાડિયાનો જન્મ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના નાના ગામ ભુસાવરમાં 15 જાન્યુઆરી 1932ના રોજ નાથીલાલ અને ચંદા દેવીને ત્યાં થયો હતો. તેઓ M.S.J કોલેજ, ભરતપુરમાંથી માસ્ટર ઓફ આર્ટસ અને બેચલર ઓફ લોની ડિગ્રી ધરાવતા હતા. મહારાજા કોલેજ, જયપુર અને લો કોલેજ, રાજસ્થાન યુનિવર્સિટીમાંથી પાસ કર્યું. તેઓ 6 જૂન 1980 થી 14 જુલાઈ 1981 સુધી રાજસ્થાનના મુખ્યમંત્રી અને 3 માર્ચ 1989 થી 2 ફેબ્રુઆરી 1990 સુધી બિહારના રાજ્યપાલ હતા. તેઓ 1957-62 દરમિયાન 2જી લોકસભાના સભ્ય પણ હતા, માર્ચ 1965માં રાજ્યસભામાં ચૂંટાયા હતા અને 1966માં ફરીથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. પહાડિયા બીજી (1957), ચોથી (1967), પાંચમી (1971) અને સાતમી લોકસભા (1980)ના સભ્ય પણ હતા. તેઓ રાજસ્થાનની સાતમી (1980), આઠમી (1985), નવમી (1990) અને બારમી (2003) વિધાનસભાના સભ્ય હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/rulings-on-reservation-have-mostly-been-given-in-favor-of-the-so-called-upper-castes">અનામત પરના મોટાભાગના ચૂકાદાઓ સવર્ણોની તરફેણમાં કેમ અપાયા છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેઓ કેન્દ્ર સરકારમાં નાણા વિભાગના નાયબ મંત્રી, ખાદ્ય અને કૃષિ નાયબ મંત્રી, 1967-69 સુધી શ્રમ મંત્રી, 1970-71 સુધી ઉદ્યોગ મંત્રી (પુરવઠા વિભાગ) પણ રહી ચુક્યા હતા. તેમણે 1980માં કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીનો પોર્ટફોલિયો પણ સંભાળ્યો હતો. તેઓ જાહેર ઉપક્રમો 1981-83ની સમિતિના અધ્યક્ષ, કર્મચારી અને વહીવટી સુધારણા 1982-85ની સમિતિના સભ્ય અને 1983-85 ગૃહ બાબતોની સમિતિના અધ્યક્ષ હતા;</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે બાળકો અને પુખ્ત વયના લોકો માટે રાત્રિ શાળાઓનું આયોજન; દલિતો, આદિવાસીઓ અને અન્ય સામાજિક રીતે પછાત લોકોના ઉત્થાન માટે કામ કર્યું; કોમ્યુનિટી ડેવલપમેન્ટ બ્લોક્સને તેમની વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં ખાસ કરીને કૃષિ, કુટીર ઉદ્યોગ, પંચાયતી રાજ, સહકાર અને કુટુંબ નિયોજનના ક્ષેત્રોમાં મદદ કરી અને 'પરદા' અને વેશ્યાવૃત્તિ વિરુદ્ધની ચળવળોમાં પણ કામ કર્યું. તેમણે રશિયા, ચીન, થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, જાપાન, સ્વીડન, ડેનમાર્ક, ચેકોસ્લોવાકિયા, દક્ષિણ અરેબિયા, મોંગોલિયા, જોર્ડન, લેબનોન, સીરિયા, ઈરાન, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, હોલેન્ડ, જર્મની, ઈટાલી, ગ્રીસ, સ્વિટ્ઝર્લેન્ડ, અમેરિકા, કેનેડાની મુલાકાત લીધી હતી. બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, સિંગાપોર, હોંગકોંગ વગેરે સહિત ઘણા દેશોની મુલાકાત લીધી. 19 મે 2021 ના ​​રોજ તેમનું અવસાન થયું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આગળના લેખમાં તેમની પછીના ચાર મુખ્યમંત્રીઓ વિશે વાત કરીશું....</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/how-to-celebrate-teachers-day-on-the-birthday-of-a-thesis-thief">એક 'થીસિસ ચોર'ના જન્મ દિવસને 'શિક્ષક દિવસ' તરીકે કેવી રીતે ઉજવી શકાય?</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 13 Sep 2024 17:00:05 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 13 Sep 2024 15:42:34 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1201</Articleid>
                    <excerpt>આઝાદીના 75 વર્ષ પછી પણ દલિત નેતાઓ માટે મુખ્યમંત્રી બનવું પડકારજનક છે, ત્યારે હાડોહાડ જાતિવાદના યુગમાં મુખ્યમંત્રી બનેલા એ ચાર દલિત નેતાઓ વિશે જાણો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e406f39be34.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e406f364144.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e406f364144.jpg" length="81527" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>first dalit chief minister, Damodaram Sanjivayya, Bhola Paswan Shastri, Ram Sundar Das, Jagannath Pahadia</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગણેશજીના વિસર્જનમાં સરસ્વતીએ એક જ પરિવારના 4નો ભોગ લીધો</title>
                    <link>https://khabarantar.com/in-the-dissolution-of-ganesha-sarswati-took-4-victims-of-the-same-family</link>
                    <guid>https://khabarantar.com/in-the-dissolution-of-ganesha-sarswati-took-4-victims-of-the-same-family</guid>
                    <description>
                        <![CDATA[ ગણપતિ વિસર્જન દરમિયાન પાટણમાં સરસ્વતી નદીએ એક જ પરિવારના 4 સભ્યોનો ભોગ લેતા સમગ્ર પાટણમાં માતમ છવાયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાટણની સરસ્વતી નદીમાં બુધવારે સાંજે ગણેશ વિસર્જન સમયે સાત લોકો ડૂબ્યા બાદ ચાર લોકોના મોત થયા હતા. પાટણના વેરાઇ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારની માતા, બે પુત્રો અને મામાનું મોત થયું હતું. આજે સવારે આ પરિવારમાં એક સાથે ચારેયની અંતિમયાત્રા નીકળતા આખું પાટણ હીબકે ચડ્યું હતું. વેરાઇ ચકલા ખાતેથી એકસાથે ચારેયની અંતિમયાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં માતમ છવાયો હતો. પરિવારમાં કોણ કોને સાંત્વના આપે તેવી સ્થિતિ સર્જાઈ હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નીતિશભાઈ પ્રજાપતિ પરિવારમાં પોતે, તેમનાં પત્ની અને બે પુત્રો રહેતાં હતાં. બુધવારે સર્જાયેલી કરુણાંતિકામાં પત્ની અને બે બાળકોનાં મોત થતાં નીતિશભાઈએ એક જ દિવસમાં ત્રણ ત્રણ પરિવારજનો ગુમાવ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગણેશ વિસર્જન સમયે ઘટના બની હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં રહેતો નીતિશભાઇ પ્રજાપતિનો પરિવાર ગણેશોત્સવ દરમિયાન ગણપતિ લાવી તેનું 5 દિવસ પૂજન-અર્ચન કરી બુધવારે સાંજે સરસ્વતી નદીમાં વિસર્જન કરવા ગયો હતો. જ્યાં એક બાળક ડૂબતા તેને બચાવા જતા વારાફરતી એક બાદ એક 7 લોકો ડૂબવા લાગતા ત્રણને બચાવી લેવાયા હતા. પરંતુ માતા શીતલબેન પ્રજાપતિ અને બે પુત્રો જિમિત અને દક્ષ સહિત મામા નયન રમેશભાઇ પ્રજાપતિ સરસ્વતી નદીના વહેતા પાણીમાં ડૂબી ગયા હતા. તરવૈયાઓ દ્વારા ચારેયને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરે ચારેયને મૃત જાહેર કર્યા હતા. રાત્રિના સમયે તમામના પોસ્ટમોર્ટમ કરી લાશને તેઓનાં પરિજનોને સોંપવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પરિવારજનોનું હૈયાફાટ રુદન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગણપતિ વિસર્જનમાં બુધવારે સાંજે પ્રજાપતિ પરિવારના એકસાથે ચાર લોકોના મોત થતાં જ રાત્રિના સમયે તમામની પીએમની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી અને પરિવારજનોને મૃતદેહો સોંપવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/dalits-and-ganeshotsava-from-here-i-can-float-from-here-i-can-sink">દલિતો અને ગણેશોત્સવઃ અહીંથી હું ભવ તરી શકું, અહીંથી ડૂબી શકું..</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66e2f0289c76a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રજાપતિ પરિવારના સંબંધીઓ વહેલી સવારથી જ વેરાઇ ચકલા ખાતે આવી પહોંચ્યા હતા. આ સમયે એકસાથે સાથે ચાર ચાર લોકોના મૃતદેહો જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં આક્રંદ છવાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પદ્મનાથવાડી મુક્તિધામમાં એક કામચલાઉ ચિતા બનાવવી પડી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચારેય મૃતકની અંતિમવિધિ માટે મૃતદેહોને પાટણના પદ્મનાથ વાડી મુક્તિધામમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં અંતિમ સંસ્કાર માટે ત્રણ જ ચિતા હોવાથી ચોથી ચિતા સમાજના લોકોએ ઈંટો મૂકીને તૈયાર કરી હતી. ત્યારબાદ ચારેય લોકોના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પાંચ દિવસ ગણેશજીની પૂજા બાદ ચાર લોકોને મોત મળ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાટણના આ પ્રજાપતિ પરિવારે રંગેચંગે, હોંશેહોંશે પાંચ દિવસ સુધી ગણપતિની પૂજા અર્ચના કરી હતી. જો કે, તેમને ક્યાં ખબર હતી કે આ ગણેશોત્સવ જ તેમના માટે મોતનો પૈગામ લઈને આવશે. બુધવારે પરિવાર ગણેશ વિસર્જન માટે સરસ્વતી નદીએ ગયો હતો. ‘અગલે બરસ તું જલ્દી આના’ ના નાદ સાથે પરિવારના તમામ સભ્યો ખુશખુશાલ હતા. પરંતુ, કુદરતને કંઈક ઓર જ મંજૂર હતું. એક બાળક ડૂબ્યા બાદ તેને બચાવવા એક બાદ એક છ લોકો નદીમાં કૂદી પડ્યા હતા. જેમાં ત્રણ લોકોને તો બચાવી લેવાયા હતા. પરંતુ શીતલબેન, જિમિત, દક્ષ અને નયનભાઈનાં મોત નીપજતા ખુશીના પ્રંસગમાં માતમ છવાયો હતો. હવે જ્યારે પણ ગણેશોત્સવ આવશે ત્યારે આ પરિવારના રૂઝાયેલા ઘા ફરી જીવતા થઈ ઉઠશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/ganesh-needed-security-police-installed-cameras-in-20-pandals">ગણેશજીને સુરક્ષાની જરૂર પડી, 20 પંડાલોમાં પોલીસે કેમેરા મૂક્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 12 Sep 2024 19:18:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1198</Articleid>
                    <excerpt>ગણપતિ વિસર્જન દરમિયાન પાટણમાં સરસ્વતી નદીએ એક જ પરિવારના 4 સભ્યોનો ભોગ લેતા સમગ્ર પાટણમાં માતમ છવાયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e2f0277de6c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e2f027487ec.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e2f027487ec.jpg" length="113845" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ganapathi Dissolution, Death by drowning, Patan, Sarswti river</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગણેશજીને સુરક્ષાની જરૂર પડી, 20 પંડાલોમાં પોલીસે કેમેરા મૂક્યા</title>
                    <link>https://khabarantar.com/ganesh-needed-security-police-installed-cameras-in-20-pandals</link>
                    <guid>https://khabarantar.com/ganesh-needed-security-police-installed-cameras-in-20-pandals</guid>
                    <description>
                        <![CDATA[ વિધ્નહર્તા મનાતા ગણેશજીના પંડાલોની સુરક્ષા અમદાવાદ પોલીસ માથે આવી પડી છે. પોલીસે સંવેદનશીલ ગણાતા 20 પંડાલોની બહાર મુવેબલ કેમેરા મૂક્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગણેશજીને હિંદુ ધર્મમાં વિધ્નહર્તા તરીકે પૂજવામાં આવે છે. દુંદાળા દેવ સૌના દુ:ખ દૂર કરતા હોવાનું કહેવાય છે. જો કે, આ જ વિધ્નહર્તાની સુરક્ષાની જવાબદારી અમદાવાદ સહિત રાજ્યભરના શહેરોની પોલીસ પર આવી ગઈ છે. શહેરોમાં પોલીસ ગણેશ ઉત્સવને લઈ સતર્ક બની છે, સુરત જેવી ઘટના અમદાવાદમાં ના બને તેને લઈ પોલીસ સતર્ક બની છે. અમદાવાદની વાત કરીએ તો અહીં અલગ-અલગ વિસ્તારોમાં અમદાવાદ પોલીસે વસાવેલા મુવેબલ કેમેરા ગણેશ પંડાલની બહાર લગાવવામા આવ્યા છે. આ કેમેરાનું મોનિટરીંગ અમદાવાદ કંટ્રોલ રૂમમાં બેઠેલા અધિકારીઓ કરશે. આ કેમેરાથી કોઈ ઘટના અથવા કોઈ અસામાજીક તત્વો કાંકરીચાળો કરશે તો તરત જ સીસીટીવી કેમેરામાં કેદ થશે અને પોલીસ તેની સામે કાર્યવાહી કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદ પોલીસના આ કેમેરા ફેસ રેકોગ્નાઈઝેશન તેમજ હાઈરીઝોલ્યુશન કેમેરા છે. જે પણ આરોપી અગાઉ પોલીસના ચોપડે નોંધાઈ ચૂકયો છે અને તેનો ચહેરો પોલીસના કેમેરામાં છે તેવા આરોપીને આ કેમેરા તરત કેચઅપ કરી લેશે અને કંટ્રોલ રૂમને તરત જાણ થશે કે, આરોપી વિસ્તારમાં ફરી રહ્યો છે. એટલે પોલીસના ચોપડે ફરાર હશે તો તરત જ કેમેરાના માધ્યમથી તે ઝડપાઈ જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/what-is-the-strength-of-religion"><span style="font-size: 14pt;"> ધર્મની તાકાત શું છે?</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમુક આરોપીઓના ફોટા આ કેમેરા સાથે અટેચ છે એટલે કેમેરાના માધ્યમથી આરોપીને પકડવા પણ સરળ રહેશે. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારીની ઘટના બાદ ગુજરાત પોલીસ એલર્ટ બની ગઈ છે, અમદાવાદમાં કોઈ અઈચ્છનીય ઘટના ના બને તે માટે અલગ-અલગ 20 સંવેદનશીલ જગ્યાઓ પર આ કેમેરા લગવવામાં આવ્યા છે. આ કેમેરા તમામ અવર-જવર પર બાજ નજર રાખી રહ્યાં છે. આમ તો અમદાવાદ શહેરમાં આવી કયારેય ઘટના બની નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છતાં સુરતની ઘટનાને પગલે અહીં પણ ગણપતિ બાપાની સુરક્ષા માટે પોલીસે આગામી 17મી તારીખ સુધી રાતના 12 વાગ્યા સુધી ખડે પગે રહેવું પડશે. ગુનેગારોને ઈશ્વરી શક્તિનો ભય હશે કે નહીં તે ખ્યાલ નથી પરંતુ જો તેઓ ગણેશ પંડાલોમાં કશુંક કરવા જશે તો અમદાવાદ શહેર પોલીસ તેને તરત પકડી પાડશે. કેમ કે, પોલીસની ત્રીજી આંખ જેવા મુવેબલ સીસીટીવી કેમેરા ચોતરફ નજર રાખી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/dalits-and-ganeshotsava-from-here-i-can-float-from-here-i-can-sink">દલિતો અને ગણેશોત્સવઃ અહીંથી હું ભવ તરી શકું, અહીંથી ડૂબી શકું..</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 11 Sep 2024 21:08:52 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1194</Articleid>
                    <excerpt>વિધ્નહર્તા મનાતા ગણેશજીના પંડાલોની સુરક્ષા અમદાવાદ પોલીસ માથે આવી પડી છે. પોલીસે સંવેદનશીલ ગણાતા 20 પંડાલોની બહાર મુવેબલ કેમેરા મૂક્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e1b8d93e15d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e1b8d90f9c2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e1b8d90f9c2.jpg" length="72038" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>CCTV, Ganesh Pandal, Ganesh</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજકોટમાં લવ જેહાદથી બચવા પાટીદારોના ગરબામાં આધારકાર્ડ ફરજિયાત</title>
                    <link>https://khabarantar.com/in-rajkot-aadhaar-card-is-mandatory-among-patidars-to-avoid-love-jihad</link>
                    <guid>https://khabarantar.com/in-rajkot-aadhaar-card-is-mandatory-among-patidars-to-avoid-love-jihad</guid>
                    <description>
                        <![CDATA[ રાજકોટમાં પાટીદાર સમાજ દ્વારા નવરાત્રિમાં યોજાતા ગરબામાં આ વખતે પ્રવેશ અને પાસ મેળવવા માટે આધારકાર્ડ ફરજિયાત કરાયું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Aadhaar card mandatory in Garba:આવતા મહિને નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે ત્યારે પાર્ટીપ્લોટમાં ગરબાનું આયોજન અત્યારથી ફિક્સ થવા માંડ્યું છે. જો કે દર વર્ષે નવરાત્રિ આવે ત્યારે લવ જેહાદનો મુદ્દો ઉછળતો હોય છે. આ મામલે હવે રાજકોટમાં પાટીદાર સમાજની એક નવરાત્રિના કાર્યક્રમમાં પ્રવેશ માટે આયોજકો દ્વારા આધારકાર્ડ ફરજિયાત કરાયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે, રાજકોટના કડવા પાટીદાર સમાજના યુડી કબલના ગરબમાં ખૈલૈયાના પ્રવેશ માટે આધારકાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. કડવા પાટીદાર સમાજ દર વર્ષે અહીં યુડી કલબના દાંડિયાનું આયોજન કરે છે. આયોજકોનું માનવુ છે કે, ગરબામાં વિધર્મીઓ પ્રવેશી ન જાય અને લવ જેહાદ જેવા કિસ્સા ન બને તે માટે પ્રવેશ માટે આધારકાર્ડ ફરજિયાત કરાયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કડવા પાટીદાર આગેવાન પુષ્કર પટેલે જણાવ્યું છે કે, અર્વાચીન ગરબાના આયોજકોએ એન્ટ્રી કરનાર દરેકના આધારકાર્ડ અને ફોટો લેવો જોઈએ, જેથી લવ જેહાદ જેવી ઘટનાઓ અંગે જાણકારી મળી શકે. યુડી કલબ નવરાત્રીના પાસ આધારકાર્ડ લઈને જ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/The-Controversy-of-the-Steps-Above-the-Fifth-Step-of-Mount-Girnar:-A-Perspective-on-the-Historical-Evidence"><span style="font-size: 14pt;">Exclusive - ગિરનાર પર્વતની પાંચમી ટૂંક ઉપર આવેલા પગલાંનો વિવાદ: ઐતિહાસિક પુરાવા પર એક દ્રષ્ટિપાત</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આયોજકોનું માનવું છે કે, એન્ટ્રી ગેટ પર આ રીતે આધારકાર્ડ ચેક કરવાથી વિધર્મીઓ પ્રવેશી નહીં શકે અને લવજેહાદ જેવા કિસ્સા અટકશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નવરાત્રિ દરમિયાન કોઇ લવ જેહાદના કિસ્સા ન બને માટે રાજકોટમાં કડવા પાટીદાર સમાજના UD ક્લબના રાસ-ગરબાના આયોજકોએ કેટલાક નિયમો ઘડ્યાં છે. એ મુજબ ખેલૈયાઓએ ગરબામાં એન્ટ્રી માટે આધારકાર્ડ ફરજિયાત બતાવવું પડશે. આધારકાર્ડ વિના એન્ટ્રી કે ગરબાના પાસ નહિ મળી શકે. રાજકોટમાં દર વર્ષે કડવા પાટીદાર સમાજના UD ક્લબના રાસ-ગરબા યોજાય છે. આ વર્ષે પણ યુડી કલબ ગરબાનું આયોજન કરવા જઇ રહ્યું છે. પાટીદાર સમાજના આ ગરબા ક્લબ દ્વારા લેવાયેલા નિર્ણયમાં હવે અન્ય સમાજના ગરબા આયોજકો પણ જોડાયા છે. ૩ ઓક્ટોબર ગુરુવારથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં હોવાથી પાર્ટી પ્લોટમાં અને ક્લબમાં ગરબા યોજતા આયોજકો આ નવા વણલખ્યા નિયમને લઈને દ્વિધા અનુભવી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેટલાક આયોજકો આ મામલે શું નિર્ણય લેવો તેને લઈને દ્વિધામાં છે. જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેમના પર દોષનો ટોપલો ઢોળવામાં આવી શકે છે. એ સ્થિતિમાં યુડી ક્લબની જેમ તેઓ પણ આધારકાર્ડ ફરજિયાત કરે તો નવાઈ નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><strong><a href="https://khabarantar.com/Discrimination-in-submission-of-caste-certificate-too:-Supreme-Court-orders-Gujarat-govt-to-appoint-2-candidates-after-16-years">જાતિનું પ્રમાણપત્ર  જમા કરાવવામાં પણ ભેદભાવઃ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 16 વર્ષ પછી 2 ઉમેદવારોની નિમણૂક કરવાનો આદેશ આપ્યો</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 11 Sep 2024 19:29:12 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1193</Articleid>
                    <excerpt>રાજકોટમાં પાટીદાર સમાજ દ્વારા નવરાત્રિમાં યોજાતા ગરબામાં આ વખતે પ્રવેશ અને પાસ મેળવવા માટે આધારકાર્ડ ફરજિયાત કરાયું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e1a1a043483.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e1a1a00d4ed.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e1a1a00d4ed.jpg" length="148572" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Navratri, Love Jihad, Garba</media:keywords>
                </item>
                        <item>
                    <title>કોલંબસે નહીં, ભારતે અમેરિકાની શોધ કરી હતી: મધ્યપ્રદેશના શિક્ષણમંત્રી</title>
                    <link>https://khabarantar.com/india-discoverd-america-not-columbus-madhya-pradesh-education-minister</link>
                    <guid>https://khabarantar.com/india-discoverd-america-not-columbus-madhya-pradesh-education-minister</guid>
                    <description>
                        <![CDATA[ મધ્યપ્રદેશના ઉચ્ચ શિક્ષણમંત્રીએ દાવો કર્યો છે કે અમેરિકાની શોધ કોલંબસે નહીં પરંતુ ભારતના આપણા પૂર્વજોએ કરી હતી. જાણો મંત્રીજીએ બીજું શું કહ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના ઉચ્ચ શિક્ષણ મંત્રી ઈન્દરસિંહ પરમારે એક યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં દાવો કર્યો છે કે અમેરિકાની શોધ કોલંબસે નહીં પરંતુ ભારતે અને આપણા પૂર્વજોએ કરી હતી. તેમણે એમ પણ કહ્યું છે કે ભારતની શોધ વાસ્કો દ ગામાએ નહોતી કરી અને તે આફ્રિકાના ઝાંઝીબારથી ભારતના એક નાગરિક ચંદન સાથે ભારતની યાત્રાએ આવ્યો હતો. પરમાર આ નિવેદન આપી રહ્યા હતા ત્યારે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી ડો.મોહન યાદવ પણ હાજર હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોલંબસે અમેરિકા શોધ્યું ન હતું: મંત્રી ઈન્દરસિંહ પરમાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના ઉચ્ચ શિક્ષણ મંત્રી ઈન્દરસિંહ પરમારે દાવો કર્યો છે કે, “ભારતીયોને ઈતિહાસમાં ઘણા જૂઠાણા શીખવવામાં આવ્યા છે. એક જૂઠાણું એ છે કે કોલંબસે અમેરિકાની શોધ કરી હતી. તેમણે કહ્યું કે અમેરિકાની શોધ કોલંબસે નહીં પરંતુ ભારતે કરી હતી, આપણાં પૂર્વજોએ કરી હતી.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભોપાલની બરકતુલ્લા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી ડો.મોહન યાદવની ઉપસ્થિતિમાં ઉચ્ચ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ભારતના ઈતિહાસમાં અનેક પ્રકારની ગેરમાન્યતાઓ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભારતની શોધને લઈને પણ મંત્રીજીનો મોટો દાવો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈન્દરસિંહ પરમારે કહ્યું કે, “અમને શીખવવામાં આવ્યું હતું કે વાસ્કો દ ગામાએ ભારતની શોધ કરી હતી, ભારતનો દરિયાઈ માર્ગ તેણે શોધ્યો હતો. જે વિદ્વાનોએ પુસ્તકોના અભ્યાસક્રમમાં આ વાત મૂકી તેમણે જો વાસ્કો દ ગામાની આત્મકથા વાંચી અને ઈતિહાસ કહ્યો હોત તો ભારતના વિદ્યાર્થીઓ અને સમાજને તેમના પૂર્વજોએ જે કર્યું છે તેના પર ગર્વ અનુભવ્યો હોત.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/this-decision-should-have-been-taken-10-years-ago-jitanram-manjhi-on-reservation-issue"><span style="font-size: 12pt;"> </span></a></strong></span> <a href="https://khabarantar.com/bjp-leader-in-gandhinagar-became-corporator-on-fake-sc-certificate"><strong>ગાંધીનગરમાં ભાજપના નેતા નકલી SC સર્ટિફિકેટ પર કોર્પોરેટર બની ગયા?</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉચ્ચ શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “વાસ્કો ડી ગામા 1498માં ભારત આવ્યા હતા. અને કેવી રીતે આવ્યા હતા? આફ્રિકાના ઝાંઝીબાર બંદરે આપણા દેશનો ચંદન નામનો એક ગુજરાતી વેપારી હાજર હતો. વાસ્કો દ ગામાએ તેમના દુભાષિયા દ્વારા તેમને કહ્યું કે તેઓ ભારત જોવા માંગે છે. ચંદને કહ્યું, હું જાઉં છું, વહાણ મારી પાછળ લઈ લો.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉચ્ચ શિક્ષણ મંત્રીએ કહ્યું કે, “વાસ્કો ડી ગામા લખે છે કે મારા જહાજ કરતા પણ મોટું જહાજ ચંદનનું હતું અને તે એક બે નહીં પરંતુ ત્રણથી ચાર ગણું મોટું હતું. ભારતના એ ચંદનના વેપારીને પગલે પગલે વાસ્કો દ ગામા ભારત આવ્યા હતા. ઈતિહાસકારોએ ભારતીય વિદ્યાર્થીઓને ખોટું શીખવ્યું કે વાસ્કો દ ગામાએ ભારત કે તેના દરિયાઈ માર્ગની શોધ કરી હતી.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અમેરિકામાં આદિવાસી સમાજનો નાશ થયો છે: મંત્રીજી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંત્રી ઈન્દરસિંહ પરમારે કહ્યું કે, “ભારતીય વિદ્યાર્થીઓને એ પણ શીખવવું જોઈએ કે કોલંબસ પછીના લોકોએ અમેરિકામાં કેવી રીતે અત્યાચાર કર્યા અને આદિવાસી સમાજને ખતમ કરવાનું કામ કર્યું. ત્યાંનો સમાજ પ્રકૃતિની પૂજા કરતો હતો અને સૂર્યનો ઉપાસક હતો. કેવી રીતે તેમની હત્યા કરવામાં આવી? પરંતુ કમનસીબે સાચી હકીકતો શીખવવામાં આવી નથી. તેના ઉપર, ભારતીય વિદ્યાર્થીઓને શીખવવામાં આવ્યું કે કોલંબસે અમેરિકાની શોધ કરી.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભારતીયો 8મી સદીમાં અમેરિકા ગયા: ઈન્દર પરમાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના ઉચ્ચ શિક્ષણ મંત્રી ઈન્દરસિંહ પરમારે કહ્યું કે, “જો કોઈએ લખવું જ હતું તો એમ લખવું જોઈતું હતું કે ભારતના મહાન નાવિક 8મી સદીમાં ત્યાં જાય છે અને અમેરિકાના સેન્ટ ડિએગોમાં અનેક મંદિરો બનાવે છે. ત્યાંના મ્યુઝિયમમાં હજુ પણ હકીકતો લખેલી છે. હવે કોઈને શીખવવું હોય તો સાચું શીખવજો કે અમેરિકાની શોધ ભારતે કરી હતી અને આપણા પૂર્વજોએ કરી હતી. કોલંબસે અમેરિકા શોધ્યું ન હતું અને અમે ગયા તો માયા સંસ્કૃતિની સાથે મળીને અમે તેનો વિકાસ કર્યો છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/this-decision-should-have-been-taken-10-years-ago-jitanram-manjhi-on-reservation-issue"><span style="font-size: 12pt;"> </span>આ નિર્ણય 10 વર્ષ પહેલા થવો જોઈતો હતો: અનામત મુદ્દે જીતનરામ માંઝી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 10 Sep 2024 18:26:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1188</Articleid>
                    <excerpt>મધ્યપ્રદેશના ઉચ્ચ શિક્ષણમંત્રીએ દાવો કર્યો છે કે અમેરિકાની શોધ કોલંબસે નહીં પરંતુ ભારતના આપણા પૂર્વજોએ કરી હતી. જાણો મંત્રીજીએ બીજું શું કહ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e0410a215a9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e04109dfbd4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e04109dfbd4.jpg" length="78675" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Higher Education Minister of Madhya Pradesh, Inder Singh Parmar</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઓછું બોલો, ઘરે રહો, આ RSS નો મહિલાઓને લઈને વિચાર છે...</title>
                    <link>https://khabarantar.com/say-less-stay-at-home-this-is-rsss-view-on-women</link>
                    <guid>https://khabarantar.com/say-less-stay-at-home-this-is-rsss-view-on-women</guid>
                    <description>
                        <![CDATA[ વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાની મુલાકાતે છે. અહીં તેમણે એક કાર્યક્રમમાં ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારસરણી પર આકરા પ્રહારો કર્યા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાના ડલાસ ખાતે યુનિવર્સિટી ઓફ ટેક્સાસના વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન આરએસએસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, સંઘ માને છે કે મહિલાઓએ ઓછું બોલવું જોઈએ અને ઘરમાં રહીને રસોઈ જેવા પરંપરાગત કામો કરવા જોઈએ. ઓછું બોલો, ઘરમાં રહો – આ આરએસએસના મહિલાઓને લઈને વિચારો છે તેમ રાહુલ ગાંધીએ કહ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિપક્ષના નેતાએ કહ્યું “આરએસએસ માને છે કે ભારત એક વિચાર છે અને અમે માનીએ છીએ કે ભારત વિચારોનું સંયોજન છે. અમે માનીએ છીએ કે દરેકને ભાગ લેવાની છૂટ હોવી જોઈએ, સપનાં જોવાની છૂટ હોવી જોઈએ. અને તેની જાતિ, ભાષા, ધર્મ, પરંપરા અને ઈતિહાસને ધ્યાનમાં લીધા વિના સ્થાન આપવું જોઈએ. ચૂંટણીમાં આ લડાઈ વધુ સ્પષ્ટ થઈ ગઈ, જ્યારે ભારતના કરોડો લોકો સમજી ગયા કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના બંધારણ પર હુમલો કરી રહ્યા છે. મેં તમને જે પણ કહ્યું છે તે બધું બંધારણમાં છે. આધુનિક ભારતનો પાયો બંધારણ છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય મહિલાઓ વિશે બોલતા રાહુલ ગાંધીએ કહ્યું, “હું મહિલા સશક્તિકરણમાં વિશ્વાસ કરું છું, મહિલાઓને વ્યવસાયમાં તકો મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ. જો તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતી હોય તો તેમને નાણાકીય સહાય પૂરી પાડવી, તેમાં સહભાગી થવું જોઈએ.” </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/if-it-is-your-son-in-law-jump-into-the-river-and-retrieve-the-body">તારો જમાઈ હોય તો તું નદીમાં કૂદી જા અને લાશ કાઢી આવ...</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાહુલે કહ્યું કે, “આ ભાજપ અને અમારી વચ્ચેના વૈચારિક સંઘર્ષનો એક ભાગ છે. ભાજપ અને આરએસએસ માને છે કે મહિલાઓને પરંપરાગત ભૂમિકાઓ સુધી જ સીમિત રાખવી જોઈએ. ઘરમાં રહેવું, રસોઈ કરવી અને ઓછું બોલવું એ આરએસએસની વિચારસરણી છે. અમારું માનવું છે કે સ્ત્રીઓ જે ઈચ્છે છે તે કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાહુલ ગાંધીએ બંધારણને લઈને કહ્યું, “ચૂંટણીમાં લોકોએ એક વાત સ્પષ્ટ રીતે સમજી અને મેં જોયું કે, જ્યારે હું બંધારણનો મુદ્દો ઉઠાવતો હતો ત્યારે લોકો સમજી જતા હતા કે હું શું કહી રહ્યો છું. લોકો કહેતા હતા કે ભાજપ અમારી પરંપરા ભાષા, રાજ્યો અને ઈતિહાસ એમ દરેક મોરચે હુમલો કરી રહ્યો છે. સૌથી મહત્વની બાબત એ છે કે લોકો સમજી ગયા છે કે જેઓ ભારતના બંધારણ પર હુમલો કરી રહ્યાં છે તે આપણા અધિકારો પર પણ હુમલા કરી રહ્યાં છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાહુલે કહ્યું, “આ ચૂંટણીની સૌથી મોટી વાત એ રહી કે, પરિણામો આવ્યા બાદ લોકોના મનમાંથી ભાજપની બીક ગાયબ થઈ ગઈ છે. પરિણામો આવ્યાની ગણતરીની મિનિટોમાં જ એકપણ વ્યક્તિ ભાજપ કે વડાપ્રધાન મોદીથી ડરતો નથી. લોકોએ એ બાબતે રાહતનો શ્વાસ લીધો કે હવે દેશના બંધારણને બદલવાની વાત કરનારા લોકોના હાથ હેઠાં પડ્યાં છે. ભારતના લોકોએ એ સાબિત કર્યું કે, તેઓ દેશના બંધારણ પરના હુમલાને જરાય સાંખી નહીં લે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/privatization-of-ias-is-guaranteed-to-deplete-the-reservation">IAS નું ખાનગીકરણ અનામત ખતમ કરવાની ગેરંટી છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 09 Sep 2024 19:59:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1185</Articleid>
                    <excerpt>વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાની મુલાકાતે છે. અહીં તેમણે એક કાર્યક્રમમાં ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારસરણી પર આકરા પ્રહારો કર્યા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66df05ebb51c2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66df05eb8d6f5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66df05eb8d6f5.jpg" length="59359" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Rahul Gandhi, America Visit, RSS</media:keywords>
                </item>
                        <item>
                    <title>પા. રંજિથની Thangalaan હવે OTT પર ધમાલ મચાવવા આવી રહી છે</title>
                    <link>https://khabarantar.com/pa-ranjiths-thangalaan-is-now-coming-to-ott-with-a-bang</link>
                    <guid>https://khabarantar.com/pa-ranjiths-thangalaan-is-now-coming-to-ott-with-a-bang</guid>
                    <description>
                        <![CDATA[ પા. રંજિથની ચિયાન વિક્રમ સ્ટારર સુપરહિટ ફિલ્મ Thangalaan ની ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થવાની જાહેરાત થઈ ચૂકી છે. જાણો ક્યાં, ક્યારે રજૂ થશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે ફિલ્મને ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં રજૂ થતી રોકવા માટે મનુવાદીઓ મેદાને પડ્યા છે તે આંબેડકરવાદી ફિલ્મમેકર પા. રંજિથ(Pa Ranjith)ની સુપરહિટ ફિલ્મ Thangalaan ની ઓટીટી પર રિલીઝની જાહેરાત કરી દેવામાં આવી છે. જો કે, હાલમાં અમદાવાદમાં બહુજનોએ આ ફિલ્મના તમામ શોની ટિકિટો ખરીદીને તેને હાઉસફૂલ કરી દેતા પૈસા જોઈને મનુવાદીઓની દાઢ સળવળી છે અને તેઓ ફિલ્મના શો વધારી રહ્યાં છે. આ બધી ચર્ચાઓ વચ્ચે Thangalaan ની ઓટીટી રિલીઝની બહુજન સમાજ કાગડોળે રાહ જોઈ રહ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાઉથ સુપર સ્ટાર ચિયાન વિક્રમની આ વર્ષની સૌથી મોટી ફિલ્મ 'Thangalaan ' હવે થિયેટરોમાં રિલીઝ થયા બાદ OTT પર ધમાકો કરવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને દરેક જગ્યાએ ખૂબ જ ચર્ચા છે અને લોકો ઘણા દિવસોથી આ સમાચારની રાહ જોઈ રહ્યા હતા. ચાલો તમને જણાવીએ કે Thangalaan ક્યારે અને ક્યાં જોઈ શકાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મનુવાદીઓની મોનોપોલી તોડતી બહુજનોની ફિલ્મ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચિયાન વિક્રમના સૌથી મોટા તમિલ પીરિયડ ડ્રામા 'થંગાલન' એ 15 ઓગસ્ટ, 2024 ના રોજ રિલીઝ થયા પછી સૌ કોઈના દિલ જીતી લઈને એક અમીટ છાપ છોડી છે. પા. રણજીત દ્વારા દિગ્દર્શિત અને સ્ટુડિયો ગ્રીન, નીલમ પ્રોડક્શન્સ અને જિયો સ્ટુડિયો દ્વારા નિર્મિત આ ફિલ્મને પ્રેક્ષકો અને વિવેચકો બંને તરફથી ભરપૂર પ્રશંસા મળી છે. બ્રિટિશ રાજના યુગમાં આકાર પામતી Thangalaan એક શક્તિશાળી દલિત-બહુજન કબીલાના સરદારની વાર્તા કહે છે, જે બ્રિટિશ અધિકારીને તેના ગામમાં સોનું શોધવામાં મદદ કરે છે અને એ દરમિયાન તેના પૂર્વજોની એક પછી એક જોડતી કડીઓ તેને મળતી જાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/why-pa-ranjiths-film-thangalaan-not-being-released-in-gujarat">પા. રંજિથની ફિલ્મ Thangalaan ને ગુજરાતમાં કેમ રિલીઝ થવા દેવાતી નથી?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફિલ્મની કથામાં સુપર સ્ટાર ચિયાન વિક્રમ અને માલવિકા મોહનને ધાંસુ અભિનય કર્યો છે. બોલીવૂડના મનુવાદી કલાકારો અને ફિલ્મમેકરો જે રોલ કરવા માટે કદી તૈયાર ન થાય તે રોલ ચિયાન વિક્રમે માત્ર ભજવ્યો નથી પરંતુ જીવી જાણ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ક્યા ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થશે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે લોકો થિયેટરોમાં Thangalaan ફિલ્મ જોવાનું ચૂકી ગયા છે, તેમની રાહનો હવે આગામી દિવસોમાં અંત આવતો દેખાઈ રહ્યો છે. 123Telugu.com મુજબ, 'Tanglaan' 20 સપ્ટેમ્બર, 2024 ના રોજ Netflix પર તેના OTT ડેબ્યૂ માટે તૈયાર છે. આમ Thangalaan અને પા રંજિથના ચાહકો હવે ઘરે બેસીને આરામથી ફિલ્મનો આનંદ માણી શકશે. Netflix એ 35 કરોડ રૂપિયામાં ફિલ્મના ડિજિટલ રાઇટ્સ ખરીદ્યા છે, જેના પરથી એ નક્કી છે કે, ફિલ્મ તમિલ, તેલુગુ અને કન્નડ સહિત બીજી પણ અનેક ભાષાઓમાં વૈશ્વિક દર્શકો સુધી પહોંચશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બોક્સ ઓફિસ પર જબરજસ્ત પ્રદર્શન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Thangalaan એ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. તેના પ્રથમ દિવસે ફિલ્મે તમિલ, તેલુગુ અને મલયાલમમાં રૂ. 12.60 કરોડની કમાણી કરી હતી, જેમાંથી રૂ. 11 કરોડ એકલા તમિલ રિલીઝમાંથી આવ્યા હતા. રૂ. 100 થી રૂ. 150 કરોડની વચ્ચેના અંદાજિત બજેટ સાથેની 'Thangalaan' ને મજબૂત રીતે રજૂ કરવા માટે એક મોટા રોકાણની જરૂર હતી. ફિલ્મના ઐતિહાસિક સેટિંગ અને જટિલ વાર્તાની પ્રશંસા કરવામાં આવી છે અને તેની કાસ્ટમાં વિક્રમની સાથે માલવિકા મોહનન અને પાર્વતી થિરુવોથુ પણ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">IMDb પર 7.5નું રેટિંગ મળ્યું છે</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'Tanglaan' ના રેટિંગ વિશે વાત કરીએ તો, તેને દરેક જગ્યાએથી સકારાત્મક પ્રતિક્રિયાઓ મળી છે. IMDb પર તેને 10માંથી 7.5 નું રેટિંગ મળ્યું છે. એક દલિત કબીલાના સરદારની ભૂમિકામાં ચિયાન વિક્રમે ભજવેલા પાત્રને તેના અત્યાર સુધીના સૌથી પાવરફૂલ પાત્રો પૈકીના એક તરીકે ગણવામાં આવી રહ્યું છે. Thangalaan વિક્રમની કરિયરને પણ એક નવીન મજબૂતી પ્રદાન કરી છે. ફિલ્મમાં એવી ઘણી વસ્તુઓ બતાવવામાં આવી છે જેણે લોકોના દિલને સ્પર્શી લીધા છે અને તેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/in-ahmedabad-bahujans-cut-off-manuwads-nose-by-house-fulling-thangalaan">અમદાવાદમાં બહુજનોએ Thangalaan ને હાઉસફૂલ કરી મનુવાદનું નાક કાપ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 09 Sep 2024 14:37:02 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1184</Articleid>
                    <excerpt>પા. રંજિથની ચિયાન વિક્રમ સ્ટારર સુપરહિટ ફિલ્મ Thangalaan ની ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થવાની જાહેરાત થઈ ચૂકી છે. જાણો ક્યાં, ક્યારે રજૂ થશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66deba1839c58.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66deba1806bee.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66deba1806bee.jpg" length="78572" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Pa. Ranjith, Thangalaan</media:keywords>
                </item>
                        <item>
                    <title>જજ, કલેક્ટર, પોલીસ બધાં દારૂ પીવે છે, પણ જેલમાં ફક્ત ગરીબો જાય છે</title>
                    <link>https://khabarantar.com/judges-collectors-police-all-drink-but-only-the-poor-go-to-jail-jitanram-manjhi</link>
                    <guid>https://khabarantar.com/judges-collectors-police-all-drink-but-only-the-poor-go-to-jail-jitanram-manjhi</guid>
                    <description>
                        <![CDATA[ Hindustani Awam Morcha ના અધ્યક્ષ જીતનરામ માંઝીએ બિહાર ભાજપની પોલી નાખતું નિવેદન કરીને નીતિશ સરકારને ભીંસમાં મૂકી દીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">jitan manjhi on Bihar liquor ban: હિન્દુસ્તાની અવામ મોરચા(Hindustani Awam Morcha)ના અધ્યક્ષ અને કેન્દ્રની NDA સરકારમાં જોડાયેલા જીતનરામ માંઝી(Jitan Ram Manjhi)એ બિહાર(Bihar)ની નીતિશકુમાર(Nitish Kumar)ની દારૂબંધી(liquor ban)ની પોલ ખોલી નાખતું નિવેદન આપ્યું છે. માંઝીએ કહ્યું છે કે, બિહારમાં જજથી લઈને કલેક્ટર, એસપી, વકીલ, પોલીસ કોન્સ્ટેબલ એમ બધાં દારૂ પીવે છે પણ જેલમાં માત્ર ગરીબ માણસ જાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માંઝીએ વધુમાં કહ્યું કે, ગરીબ માણસને દારૂ પીતો પોલીસ તરત પકડી લે છે પણ મોટા દારુ માફિયાઓને પોલીસ કદી પકડતી નથી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી નીતિશ કુમારે(Nitish Kumar) 7 વર્ષ પહેલા એટલે કે એપ્રિલ 2016માં બિહારમાં સંપૂર્ણ દારૂબંધી(Prohibition of alcohol) લાદી હતી. ત્યારથી બિહારમાં દારૂ વેચવા અને પીનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહારમાં છેલ્લા ઘણા સમયથી નીતિશ કુમારના કાર્યકાળ દરમિયાન દારૂબંધીનો કાયદો અમલમાં છે. આમ છતાં ઝેરી દારૂ પીવાથી અહીં મોટી સંખ્યામાં લોકોના મોત થાય છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ એટલે જ દારૂબંધીને લઈને અનેક સવાલો ઉઠાવ્યા છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જમુઈ પહોંચેલા જીતન રામ માંઝીએ કહ્યું કે, "જજ, વકીલ, ડીએમ, એસપી અને ઈન્સ્પેક્ટર બધા જ દારૂ પીવે છે. પણ એક ગરીબ મજૂર દારૂ પીએ તો તરત જેલમાં ધકેલી દેવાય છે. મોટા મોટા દારૂ માફિયાઓ પકડાતા નથી અને એક ગરીબ પીનારને જેલમાં મોકલી દેવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/this-decision-should-have-been-taken-10-years-ago-jitanram-manjhi-on-reservation-issue"><strong>આ નિર્ણય 10 વર્ષ પહેલા થવો જોઈતો હતો: અનામત મુદ્દે જીતનરામ માંઝી</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જીતન રામ માંઝી નાગરિક અભિવાદન કમ શિક્ષણ સન્માન કાર્યક્રમમાં ભાગ લેવા માટે જમુઈ પહોંચ્યા હતા. અહીં તેમણે બિહાર સરકાર દ્વારા લાગુ કરાયેલા દારૂબંધી કાયદાનો પર્દાફાશ કર્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નીતિશ કુમારે એપ્રિલ 2016માં બિહારમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. રાજ્યમાં ગમે ત્યાં દારૂ પીવા અને વેચવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આમ છતાં બિહારમાં દારૂનું અંધાધૂંધ વેચાણ થઈ રહ્યું છે અને લોકો દારૂ પી રહ્યા છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહારમાં દારૂનું વેચાણ ન થવાને કારણે દારૂ પીનારાઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. રાજ્યનાં ઘણા ઘરોમાં ગેરકાયદેસર રીતે દારૂ બનાવવામાં આવે છે કાં તો અન્ય રાજ્યોમાંથી સપ્લાય કરવામાં આવે છે. ઝેરી દારૂ પીવાથી પણ ઘણાં લોકોના મોત થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં જ બિહારના કટિહારમાં ઝેરી દારૂ પીવાથી બે લોકોના મોત થયા છે. એક વ્યક્તિની હાલત નાજુક છે. મૃતકોની ઓળખ શેખ સદ્દામ અને અમિત કુમાર શાહ તરીકે થઈ છે. મોહમ્મદ બદરુદ્દીનની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આગામી દિવસોમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે માંઝીએ દારૂબંધીના કાયદાની પોલ ખોલી નાખતા ચકચાર મચી ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong> </span><a href="https://khabarantar.com/college-degree-wont-do-anything-open-a-puncture-shop-bjp-mla"><strong>કૉલેજેની ડિગ્રીથી કશું થવાનું નથી, પંચરની દુકાન ખોલો: ભાજપના ધારાસભ્ય</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 09 Sep 2024 13:30:41 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 09 Sep 2024 13:31:35 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1183</Articleid>
                    <excerpt>Hindustani Awam Morcha ના અધ્યક્ષ જીતનરામ માંઝીએ બિહાર ભાજપની પોલી નાખતું નિવેદન કરીને નીતિશ સરકારને ભીંસમાં મૂકી દીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66dea884182f9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66dea883d5bc9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66dea883d5bc9.jpg" length="89290" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Jitanram Manjhi, Bjp, Hindustani Awam Morcha</media:keywords>
                </item>
                        <item>
                    <title>30 ટકા સવર્ણો પાસે દેશની 89 ટકા સંપત્તિ, 41 ટકા OBC પાસે માત્ર 8 ટકા</title>
                    <link>https://khabarantar.com/30-percent-of-the-castes-own-89-percent-of-the-countrys-wealth-41-percent-of-the-obcs-only-8-percent</link>
                    <guid>https://khabarantar.com/30-percent-of-the-castes-own-89-percent-of-the-countrys-wealth-41-percent-of-the-obcs-only-8-percent</guid>
                    <description>
                        <![CDATA[ દેશમાં OBC 41 ટકા, SC 20 ટકા, ST 10 ટકા જ્યારે General વર્ગ 30 ટકા છે. પણ વાત જ્યારે દેશની સંપત્તિની વહેંચણીની આવે છે ત્યારે આખું ચિત્ર ઉલટું થઈ જાય છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો જાતિ કે વર્ગના આધારે આર્થિક અસમાનતા હશે તો આખરે રાષ્ટ્રને તેની કિંમત ચૂકવવી પડશે. જ્યાં સુધી શબ્દોમાં રાષ્ટ્રવાદના પોકળ નારા લગાવવામાં આવશે ત્યાં સુધી કોઈ પ્રગતિ અને સુખ નહીં મળે. છેલ્લા 14 વર્ષના અભ્યાસમાં બહાર આવ્યું છે કે દેશની સંપત્તિમાં SC-STનો હિસ્સો 2% વધ્યો છે અને OBCનો હિસ્સો ઘટ્યો છે. એવું જાણવા મળ્યું કે શ્રીમંતોમાં 89% જનરલ કેટેગરીના, 8% OBC અને 3% SC-ST વર્ગમાંથી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડે ત્રણ સંશોધનોના આધારે આ આંકડા મેળવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">NSSO ના તાજેતરના સર્વે અનુસાર, દેશની 41% વસ્તી OBC, 20% SC, 9% ST અને 30% સામાન્ય વર્ગની છે. એટલે કે વસ્તીની સરખામણીમાં સંપત્તિનું અસંતુલન સ્પષ્ટ દેખાય છે. વર્ષ 2022 સુધીમાં દેશની 88.4% સંપત્તિ સામાન્ય વર્ગની જાતિઓ પાસે હતી, જ્યારે અનુસૂચિત જાતિનો હિસ્સો માત્ર 2.6% જ રહ્યો હતો. આ સંશોધન મે 2024માં બહાર પાડવામાં આવેલા વર્લ્ડ ઇકવાલિટી લેબના 'ટુવર્ડ્સ ટેક્સ જસ્ટિસ એન્ડ વેલ્થ રિડિસ્ટ્રિબ્યુશન' રિપોર્ટના ડેટાના આધારે કરવામાં આવ્યું હતું. એ મુજબ 8% OBC અબજોપતિ છે. એસટી કેટેગરીના એક પણ અબજોપતિ નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 14 વર્ષમાં દેશની સંપત્તિમાં OBC કેટેગરીની ભાગીદારીમાં 2%નો ઘટાડો થયો છે, જ્યારે SC-STનો હિસ્સો 2% વધ્યો છે. 2008માં ઓબીસીનો હિસ્સો 10% હતો, જે 2022માં ઘટીને 8% રહી ગયો છે. એ જ રીતે, SC-STનો હિસ્સો 1% હતો, જે 3% થયો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંશોધનમાં સામેલ પેરિસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના અનમોલ સોમાંચી કહે છે, 'મોટાભાગના નવા ધનવાન લોકો ઉચ્ચ જાતિમાંથી આવે છે, કારણ કે શિક્ષણ, આરોગ્ય, સામાજિક સંબંધો અને મૂડી જેવા તમામ પાસાઓમાં જાતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેના આધારે જ ઉદ્યોગસાહસિકતા આવે છે અને સંપત્તિનું સર્જન થાય છે. આજે પણ ઘણી જગ્યાએ દલિતોને જમીનના માલિક બનવા દેવામાં આવતા નથી. તેમની આર્થિક પ્રગતિના માર્ગમાં જમીન ન હોવી એ મોટું રોડું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/If-I-keep-my-distance,-I-will-ruin-my-career-%E2%80%93-Prof.-Laxman-Yadav">ઉનસે અલગ રાય રખતા હું, ઈસલિયે મેરા કરિયર બરબાદ કર દિયા ગયા – પ્રો. લક્ષ્મણ યાદવ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અભ્યાસમાં કેટલાક મુદ્દાઓ પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. હજારો વર્ષોથી માત્ર અમુક જાતિઓ પાસે જ શા માટે સંપત્તિ છે? અન્ય સમાજો અને દેશોમાં પૈસા કે મૂડી ફરતી રહે છે, પરંતુ ભારતીય સમાજમાં તે સ્થિર છે. જ્ઞાતિના ઘણાં કાયમી લાભ જન્મથી પ્રાપ્ત થાય છે.</span><br><span style="font-size: 14pt;">ભારતમાં ગુલામીનું સૌથી મોટું કારણ જાતિ છે અને તેના કારણે જ આજે પણ લોકો ગરીબીમાં જીવે છે. જ્યાં સુધી જાતિ અસ્તિત્વમાં છે ત્યાં સુધી કંઈપણ મોટું પરિવર્તન આવવું અશક્ય છે. સંપત્તિમાં SCની ભાગીદારી કેમ નહિવત છે? ડો. આંબેડકરે કહ્યું હતું કે જાતિ વ્યવસ્થા એક ઘર જેવી છે, જેમાં અનેક માળ તો છે, પરંતુ એક માળેથી બીજા માળે ન આવી શકાય છે, ન જઈ શકાય છે. જે જાતિ જે વ્યવસાયમાં છે, તે અંદરોઅંદર જ લેવડદેવડ કરે છે અને એકબીજાને મદદ કરે છે. આ મુખ્ય કારણ છે જેના કારણે એસસી, એસટી અને ઓબીસી વર્ગના લોકો વ્યવસાયમાં અથવા એવા ક્ષેત્રોમાં પ્રવેશ કરી શકતા નથી જ્યાં ધન, સંપત્તિ અને સન્માન છે. જ્યાં સુધી જાતિ વ્યવસ્થા અસ્તિત્વમાં છે ત્યાં સુધી આ વર્ગો માટે સંપત્તિ મેળવવી મુશ્કેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એક સત્ય ઘટનાનો ઉલ્લેખ કરવો જરૂરી બને છે. કનોટ પ્લેસના પાલિકા બજારમાં એક દલિતની દુકાન હતી. એક દિવસ તેઓ આજુબાજુના દુકાનદારો સાથે બેઠાં હતા ત્યારે તેને મળવા આવતા એક અધિકારી અચાનક આવી ચડ્યાં. વાતચીત દરમિયાન તેમણે પોતે દલિત હોવાનું અને આ દુકાનના માલિક તેમના મિત્ર પણ દલિત હોવાનું જણાવી દીધું. એ પછી પડોશી દુકાનદારો ત્યાંથી ધીરેધીરે ખસકી ગયા. જેવા એ બધાં ગયા કે તરત પેલો દલિત દુકાનદાર રડવા લાગ્યો. તેણે પેલા અધિકારીને કહ્યું કે, "મારી જાતિ કહેવાની શું જરૂર હતી, હવે મારો ધંધો બરબાદ થઈ જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/unprecedented-employment-crisis-in-countrys-iits-38-percent-students-unemployed"> દેશની IITs માં અભૂતપૂર્વ રોજગારી સંકટઃ 38 ટકા વિદ્યાર્થીઓ બેરોજગાર</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અત્યાર સુધી તેઓ મને પંજાબી માનતા હતા અને હું તેમની સાથે બેસતો-ઉઠતો, ખાતો-પીતો હતો. પૈસાની લેવડદેવડ પણ ચાલતી રહેતી અને સામાન પણ ઉધાર મળી જતો હતો. હવે મારા માટે દુકાન ચલાવવી મુશ્કેલ બની જશે." જેને પેઢીઓથી સામાજિક અને બૌદ્ધિક સંપત્તિ વારસામાં મળી હોય અને તે બીજાને આર્થિક ક્ષેત્રમાં પ્રવેશવા ન દે, તેમાં પ્રવેશવું ખૂબ મુશ્કેલ છે. આ રીતે દેશ ક્યારેય આર્થિક રીતે મજબૂત નહીં બની શકે. ઢંઢેરો પીટવાથી કામ નહીં ચાલે, કારણ કે જીવન તથ્યો પર ચાલે છે. ભારત ભલે વિશ્વની પાંચમી આર્થિક શક્તિ હોય પરંતુ માથાદીઠ આવક કેટલી છે તે જોવું પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતની વસ્તી 140 કરોડ આસપાસ છે એટલે તે પોતાની મૂળભૂત જરૂરિયાતો તો પૂરી કરશે જ. કશુંક ખાશે અને પહેરશે. ઘરનું બાંધવું, મોબાઈલ, ટીવી, બાઇક, શિક્ષણ, આરોગ્ય વગેરેનો પણ ઉપયોગ કરશે. જ્યારે આટલી મોટી વસ્તી ખરીદ-વેચાણ કરશે ત્યારે અર્થતંત્ર ચોક્કસપણે વધશે. આ કારણે આપણી અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે તેવું કહેવું ખૂબ જ ભ્રામક છે. વિકસિત દેશોની માથાદીઠ આવકની સરખામણીમાં ભારત ક્યાં ઊભું છે તે જોતાં લાગે છે કે તેમની બરાબરી પર પહોંચવામાં સદીઓ લાગશે. જો સામાજિક અવરોધો એવા જ રહેશે તો ભારતની આર્થિક સ્થિતિમાં કોઈ મોટો બદલાવ આવે તે મુશ્કેલ છે. નીચે આપેલ કોષ્ટકમાંથી તમે સમજી શકશો કે આપણે વિશ્વમાં ક્યાં છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો દલિતો, આદિવાસીઓ અને પછાત લોકો પાસે પૈસા નથી તો માલ કોણ ખરીદશે? સર્વિસનો ઉપયોગ કોણ કરશે? જો 90% લોકો પાસે મોંઘી કાર, સામાન, મકાન અને સારી રહેણીકરણી પર ખર્ચ કરવાની શક્તિ નથી, તો ભારતની અર્થવ્યવસ્થા કેવી રીતે વિકાસ કરશે અને ચીન અને અમેરિકા સાથે સ્પર્ધા કરી શકશે? સરકારી પ્રયાસોથી કંઈક થઈ શકે છે પરંતુ જ્યાં સુધી વર્તમાન સામાજિક વ્યવસ્થા છે ત્યાં સુધી સવર્ણો, દલિતો અને પછાત વર્ગોમાં સંપત્તિની ટકાવારીમાં કોઈ ફેરફાર થવાનો નથી. મુસ્લિમોની સ્થિતિ પણ ઘણી ચિંતાજનક છે. કહેવાતા રાષ્ટ્રવાદીઓ આ વિશે ક્યારેય ચર્ચા કરતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/dalits-share-only-2.6-percent-of-the-countrys-wealth-89-percent-of-the-general">દેશની સંપત્તિમાં દલિતોનો હિસ્સો ફક્ત 2.6 ટકા, જનરલનો 89 ટકા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 08 Sep 2024 17:30:04 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1181</Articleid>
                    <excerpt>દેશમાં OBC 41 ટકા, SC 20 ટકા, ST 10 ટકા જ્યારે General વર્ગ 30 ટકા છે. પણ વાત જ્યારે દેશની સંપત્તિની વહેંચણીની આવે છે ત્યારે આખું ચિત્ર ઉલટું થઈ જાય છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66dd90d7a3151.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66dd90d77135a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66dd90d77135a.jpg" length="59969" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>NSSO, Obc, Sc, St</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમદાવાદમાં બહુજનોએ Thangalaan ને હાઉસફૂલ કરી મનુવાદનું નાક કાપ્યું</title>
                    <link>https://khabarantar.com/in-ahmedabad-bahujans-cut-off-manuwads-nose-by-house-fulling-thangalaan</link>
                    <guid>https://khabarantar.com/in-ahmedabad-bahujans-cut-off-manuwads-nose-by-house-fulling-thangalaan</guid>
                    <description>
                        <![CDATA[ Pa. Ranjith ની ફિલ્મ Thangalaan ને અમદાવાદમાં રજૂ ન થવા દેવા મનુવાદીઓ મેદાને પડ્યા છે, પણ બહુજનોએ તમામ શો હાઉસફૂલ કરી મનુવાદ અને મનુવાદીઓનું નાક કાપી લીધું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આર.કે. પરમાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આખરે ૬ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ભારત અને વિશ્વના દેશોમાં તરખાટ મચાવનાર સુપરસ્ટાર નિર્દેશક પા રંજીથ(pa. ranjith)ની ફિલ્મ થાંગાલાન(thangalaan) ઉત્તર ભારત(North India) સહિત ગુજરાત(Gujarat)માં રિલીઝ થઈ ચૂકી છે. સુપરસ્ટાર ચિયાન વિક્રમ(chiyaan vikram) અભિનીત આ ફિલ્મ ૧૦૦ કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે ત્યારે હવે ઉત્તર ભારતમાં રિલીઝ થયા બાદ આ ફિલ્મ કમાણીના વધુ રેકોર્ડ કરશે એમાં કોઈ બેમત નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોકે બ્રાહ્મણવાદ(brahmanvaad) અને જાતિવાદ(casteism)નો ગઢ ગણાતા ગુજરાતમાં આ ફિલ્મને પહેલા માત્ર અમદાવાદમાં પાંચ જ થિયેટર ફાળવવામાં આવ્યા હતા અને એ પાંચ થિયેટરમાં પણ માત્ર એક એક શો જ રજૂ કરવામાં આવ્યો હતો. જો કે આ પાંચ થીયેટરો ફાળવ્યા હોવા છતાં પણ ગુજરાતના આંબેડકરવાદીઓએ સોશ્યલ મીડિયા કેમ્પેઇનથી ફિલ્મનો ધરખમ પ્રચાર પ્રસાર કરતા આ શો ખૂબ ઝડપથી હાઉસ્ફૂલ થવા લાગ્યા હતાં. કેટલીક જગ્યાએ તો આખેઆખા શૉ જ બુક કરવામાં આવ્યા હતા. આ જોઈ આ મનુવાદીઓ પાછા હરકતમાં આવ્યા અને રિલીઝના દિવસે પાંચ થિયેટરની જગ્યાએ અમદાવાદ ગાંધીનગર માં મળીને કુલ ૧૭ થિયેટરોમાં ફિલ્મના શો વધારી દીધા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામે કેટલાક થિયેટરોના માલિકો જેમણે આગાઉ આ ફિલ્મ પોતાના થિયેટરમાં રજૂ કરવાનું નક્કી કર્યું હતું તેમણે છેલ્લી ઘડીએ પોતાના થિયેટરોમાં આ ફિલ્મના શૉ રદ્દ કરી દીધા હતા. ગુજરાતના આ મનુવાદી લોકો બહુજન વિચારધારાની ફિલ્મો સાથે આટલી આભડછેટ રાખતા હોય તો માણસો સાથે તેમનો વ્યવહાર કેટલો કટ્ટર રહેતો હશે? </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોકે ગુજરાતના આંબેડકરવાદી લોકોએ આ ફિલ્મના પ્રચાર પ્રસાર દ્વારા તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી દીધી છે. એવું તે શું કારણ છે કે ગુજરાતનાં બ્રાહ્મણવાદી લોકો આ ફિલ્મે લોકો સુધી પહોંચતા અટકાવવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે. એક ૧૦૦ કરોડ કમાણી કરેલ ફિલ્મને ગુજરાત જેવા રાજ્યમાં માત્ર પાંચ શો જ ફાળવવામાં આવે તે કેટલું ભેદભાવપૂર્ણ છે? </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હકીકતમાં આ ફિલ્મની વાર્તા એ સદીઓથી ચાલ્યા આવતા બહુજન-મૂળનિવાસી વિરૂદ્ધ બ્રાહ્મણવાદના સંઘર્ષ ઉપર છે. આ ફિલ્મની વાર્તા ઇતિહાસના પુસ્તકો, ફિલ્મોમાં દબાવી દેવામાં આવેલા એ દલિત - આદિવાસીઓના ઇતિહાસને રજૂ કરે છે જે વીરતા, બહાદુરી અને આત્મસન્માનવાળો ઇતિહાસ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 14pt; color: rgb(0, 0, 0);"><strong><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/why-pa-ranjiths-film-thangalaan-not-being-released-in-gujarat"> </a></strong></span> <a href="https://khabarantar.com/pa-ranjiths-entry-into-bollywood-will-be-a-film-on-birsa-munda"><strong>Pa. Ranjithની બોલીવૂડમાં એન્ટ્રી, Birsa Munda પર ફિલ્મ બનાવશે</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના આંબેડકરવાદીઓએ પણ આ ફિલ્મને એટલા જ ઉમળકાથી વધાવી છે. અમદાવાદ સીટી ગોલ્ડ આશ્રમ રોડ ઉપર ફિલ્મના પહેલા જ દિવસે એક આખો શો બુક કરાવવામાં આવ્યો હતો અને તેમાં અમદાવાદ અને બહારના આંબેડકરવાદીઓએ આ ફિલ્મે એકસાથે માણી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી બાજુ પ્રકાશ બેન્કર સાહેબે પણ મણિનગરના એક થિયેટરમાં આ ફિલ્મનો શો બુક કરાવવાની જાહેરાત કરી હતી. જેમાં તેમણે ટિકિટના દર માત્ર ૧૦૦ રૂપિયા જ રાખ્યા હતા જ્યારે ટિકિટના બાકીના પૈસા જાતે ઉમેરવાનું પણ જાહેર કર્યું હતું. જોકે શોના દિવસે સવારે જ થિયેટર માલિકે આ ફિલ્મના શો રદ્દ કરી દીધા હતા. બહુજન વિચારધારાને રજૂ કરતી ફિલ્મો બહુજન સમાજના લોકો સુધી ના પહોંચે તે માટે તેઓ એડીચોટી નું જોર લગાવી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવુ થવાનું મૂળ કારણ ગુજરાતમાં થિયેટર અને ફિલ્મ નિર્માણ ના ઉદ્યોગોમાં મોટાભાગે સવર્ણ હિન્દુ જાતિઓના લોકોનો કબજો છે. આ લોકો પોતાના હિંદુત્વના એજન્ડાના રજૂ કરતી ફિલ્મો બનાવે છે, રજૂ કરે છે અને સરકાર પાસે ટેકસ ફ્રી પણ કરાવીને ઊંચનીચ અને ભેદભાવ વાળી હિન્દુત્વની વિચારધારાને પ્રોત્સાહન આપે છે પરંતુ જોઈ કોઈ દલિત આદીવાસી વિચારધારાને રજૂ કરતી ફિલ્મ આવે ત્યારે તેઓ તેને લોકો સુધી નહિ પહોંચવા દેવા તેઓ એકમત થઈ કામ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ફિલ્મ જોયા બાદ કેટલાક દર્શકોના રિવ્યૂ પણ વાયરલ થઈ રહ્યા છે જેમાં તેઓ આ ફિલ્મને બ્રાહ્મણવાદના અત્યાચારને બેનકાબ કરતી સુંદર ફિલ્મ તરીકે ગણાવી રહ્યા છે. કેટલાક દર્શકોના માટે આ ફિલ્મ જોયા બાદ તેમનો બૌદ્ધ ધમ્મ પ્રત્યેનો દ્રષ્ટિકોણ પણ બદલાઈ ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના બ્રાહ્મણવાદીઓએ જે રીતે આ ફિલ્મને રોકવાની કોશિશો કરી છે તેનો જવાબ ગુજરાતના બહુજન દર્શકોએ આ ફિલ્મને ઉમળકાભેર વધાવીને આપી દીધી છે. આપ પણ આ ફિલ્મને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી આપણી વિચારધારાને મજબૂત બનાવવામાં આપનું યોગદાન જરૂર આપો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(53, 152, 219);"><em><strong>(લેખક બહુજન સમાજના વિખ્યાત ડિજિટલ પ્લેટફોર્મ R K Studioz ના ફાઉન્ડર છે.)</strong></em></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(0, 0, 0);"><strong><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/why-pa-ranjiths-film-thangalaan-not-being-released-in-gujarat"> પા. રંજિથની ફિલ્મ Thangalaan ને ગુજરાતમાં કેમ રિલીઝ થવા દેવાતી નથી?</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 07 Sep 2024 19:37:57 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1178</Articleid>
                    <excerpt>Pa. Ranjith ની ફિલ્મ Thangalaan ને અમદાવાદમાં રજૂ ન થવા દેવા મનુવાદીઓ મેદાને પડ્યા છે, પણ બહુજનોએ તમામ શો હાઉસફૂલ કરી મનુવાદ અને મનુવાદીઓનું નાક કાપી લીધું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66dc5d54901dd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66dc5d5458cb6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66dc5d5458cb6.jpg" length="108774" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Pa. Ranjith, Thangalaan</media:keywords>
                </item>
                        <item>
                    <title>હાઈવે બનાવવા રૂ. 1896 કરોડ ખર્ચ થયો, ટોલ ટેક્સથી 8349 કરોડ વસૂલ્યા</title>
                    <link>https://khabarantar.com/construction-of-highway-rs-1896-crore-spent-8349-crore-collected-from-toll-tax</link>
                    <guid>https://khabarantar.com/construction-of-highway-rs-1896-crore-spent-8349-crore-collected-from-toll-tax</guid>
                    <description>
                        <![CDATA[ સોશિયલ મીડિયામાં હાલ એક નેશનલ હાઈવે પર ઉઘરાવવામાં આવતા ટોલટેક્સને લઈને ભારે ચર્ચા થઈ રહી છે. શું છે આખો મામલો વાંચો આ રિપોર્ટ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકાર અને કોન્ટ્રાક્ટરો મળીને કેવી રીતે લોકો પાસેથી કરોડો રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવે છે તેની આ વાત છે. હાલ દેશભરમાં વરસાદ બાદ રસ્તાઓ ખાડા-ભૂવાનગરીમાં ફેરવાઈ ચૂક્યા છે ત્યારે લોકો રસ્તાઓ અને તેની પાછળ થતા ખર્ચાની ચર્ચા શરૂ કરતા થયા છે. એવામાં એક નેશનલ હાઈવેના નિર્માણના ખર્ચ અને અત્યાર સુધીમાં ત્યાં ટોલટેક્સ દ્વારા વસૂલ કરવામાં આવેલી રકમના આંકડાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. આ રોડને લઈને થયેલી એક આરટીઆઈમાં સામે આવ્યું હતું કે રોડ બનાવવા પાછળ રૂ. 1896માં બન્યો હતો અને ત્યાં ટોલનાકું ખોલીને સરકારે અધધધ.. 8349 કરોડની રકમ વસૂલ કરી લીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો દિલ્હી જયપુર નેશનલ હાઈવેનો છે જેને NH 8 તરીકે ઓળખવામાં આવે છે. આખી ઘટના એક ન્યૂઝ ચેનલને જયપુરના એક દર્શકે જણાવી હતી. એ પછી ન્યૂઝ ચેનલે આરટીઆઈ કરી માહિતી મેળવતા આખો મામલો સામે આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/corporate-storytellers-spread-more-lies-than-whatsApp-university"><span style="font-size: 14pt;">વોટ્સએપ યુનિવર્સિટી કરતા પણ કોર્પોરેટ કથાકારો વધુ જુઠ ફેલાવે છે</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જયપુરથી આજતક ન્યૂઝ ચેનલને પત્ર લખનાર દર્શકે જણાવ્યું હતું કે, દિલ્હી-જયપુર હાઈવે પર મનોહરપુર ટોલ પ્લાઝા પર ઘણાં સમયથી ટોલ વસૂલવામાં આવી રહ્યો છે. રોડની કિંમત વસૂલવામાં આવી ગઈ હોવા છતાં પણ આ ટોલનાકું બંધ કરવામાં આવ્યું નથી. દર્શકે એ પણ જણાવ્યું કે આ નેશનલ હાઈવે પર મનોહરપુર સિવાય શાહજહાંપુર અને દૌલતપુર એમ બે ટોલ પ્લાઝા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પછી આજતકે આરટીઆઈ દ્વારા ત્રણેય ટોલ પ્લાઝાની માહિતી માંગી હતી, જેમાંથી એક આરટીઆઈનો જવાબ મળ્યો હતો. આરટીઆઈમાં આજતકે પૂછ્યું હતું કે રાજસ્થાનમાં ગુરુગ્રામ-કોટપુતલી-જયપુરમાંથી NH-8 નું નિર્માણ ક્યારે થયું અને ટોલ ટેક્સ ક્યારે લાગુ કરવામાં આવ્યો? જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે આ ટોલ પ્લાઝા પર તા. 3 એપ્રિલ 2009થી ટોલ વસૂલવામાં આવે છે. ચેનલે એ પણ પૂછ્યું હતું કે રોડ બનાવવાનો ખર્ચ કેટલો થયો અને તેમાં સરકારનો કેટલો હિસ્સો હતો? જેના જવાબમાં કહેવામાં આવ્યું કે હાઈવેના નિર્માણમાં 1896 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આરટીઆઈમાં આગળ પૂછવામાં આવ્યું હતું કે આ રોડ પર કેટલો ટોલ ટેક્સ વસૂલવામાં આવ્યો છે? તેના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે ૨૦૨૩ સુધી આ ટોલ પ્લાઝામાંથી ૮૩૪૯ કરોડ રૂપિયા એકત્ર થયા છે. આટલી રકમથી ગુરુગ્રામથી જયપુરને જોડતા ૪ હાઈવે બનાવી શકાય. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટોલપ્લાઝા પર આટલી મોટી રકમ વસૂલી લેવામાં આવી હોવા છતાં હજુ પણ તેને બંધ કરવામાં આવ્યું નથી. જ્યારે આ માહિતી આજતક દ્વારા સામે આવી ત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. લોકો સવાલ પૂછી રહ્યા છે કે જ્યારે વાહન ખરીદતી વખતે રોડ ટેક્સ ભરાય છે તો પછી રસ્તા પર મુસાફરી કરવા પર દર ૫૦ કિલોમીટરે ટોલ ટેક્સ કેમ વસૂલવામાં આવે છે? અન્ય એક યુઝરે કહ્યું કે જો આવા તમામ મોટા હાઈવેની પણ આરટીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે તો ૪ ગણા નફાના સમાન આંકડાઓ સામે આવે તેમ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/ahmedabads-roads-are-deadly-with-870-deaths-in-2023">અમદાવાદના રસ્તાઓ જીવલેણ છે, ૨૦૨૩માં ૮૭૦નાં મોત થયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 07 Sep 2024 19:12:26 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1177</Articleid>
                    <excerpt>સોશિયલ મીડિયામાં હાલ એક નેશનલ હાઈવે પર ઉઘરાવવામાં આવતા ટોલટેક્સને લઈને ભારે ચર્ચા થઈ રહી છે. શું છે આખો મામલો વાંચો આ રિપોર્ટ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66dc57832e4c3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66dc5782ed092.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66dc5782ed092.jpg" length="102243" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Social media, Toll Tax</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભારતમાં બળાત્કારના ૧૦માંથી ૭ કેસમાં આરોપી છુટી જાય છે</title>
                    <link>https://khabarantar.com/in-7-out-of-10-rape-cases-in-india-the-accused-gets-away</link>
                    <guid>https://khabarantar.com/in-7-out-of-10-rape-cases-in-india-the-accused-gets-away</guid>
                    <description>
                        <![CDATA[ દેશભરમાં બળાત્કારની ઘટનાઓને લઈને લોકોમાં આક્રોશ વ્યાપેલો છે ત્યારે એક રિપોર્ટ મુજબ દેશમાં બળાત્કારના મોટાભાગના કેસોમાં આરોપીઓ છુટી જાય છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સવર્ણોએ કોલકાતાની ડોક્ટર યુવતી પર થયેલા બળાત્કારને લઈને આખો દેશ માથે લઈ લીધો છે. નેતાઓ, અભિનેતાઓ, લેખકો, એક્ટિવિસ્ટો, બોલીવૂડ, ગાયકો સહિત સૌ કોઈ આ કેસને પોતાનો મત વ્યક્ત કરી રહ્યું છે. જો કે, આ જ બધાં લોકો દેશમાં દરરોજ દલિત-આદિવાસી મહિલાઓ પર થતા બળાત્કાર વિશે મોંમાં મગ ભરીને બેસી જાય છે. એમના માટે એસસી-એસટી સમાજની મહિલા પર થતા બળાત્કાર કોઈ મુદ્દો જ નથી અને કથિત સવર્ણ જાતિની મહિલા પર થતા બળાત્કાર નેશનલ ઈશ્યૂ બની જાય છે. આ તો કેટલીક એવી વાત જેના પર દલિતો, આદિવાસીઓ હવે સમજી ગયા છે કે, સવર્ણો કદી સુધરશે નહીં. પણ હાલમાં બળાત્કારની ઘટનાઓને લઈને એક મહત્વનો રિપોર્ટ આવ્યો છે જે, જ્ઞાતિ-જાતિ જોયા વિના ગંભીરતાથી લેવો પડે તેમ છે. રિપોર્ટ મુજબ ભારતમાં બળાત્કારનાં ૧૦ માંથી ૭ કેસોમાં આરોપીઓને કોઈ સજા થતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">2 લાખ કેસોમાંથી માત્ર 18000 માં ટ્રાયલ પૂર્ણ થઈ શકી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટ મુજબ, ભારતમાં ૨૦૨૨માં બળાત્કારના ૩૨૦૦૦ કેસ નોંધાયા હતા. ૧૩૦૦૦ જુના કેસ પેન્ડીંગ હતા એટલે પોલીસને આવા ૪૫૦૦૦ કેસોની તપાસ કરવાનો પડકાર હતો. આ 45000 કેસોમાંથી વર્ષ દરમિયાન માત્ર ૨૬૦૦૦ કેસોમાં ચાર્જશીટ દાખલ થઈ હતી, જે ટકાવારીની દ્રષ્ટિએ ૬૦ ટકાથી પણ ઓછી છે. ૨૦૨૨માં નોંધાયેલા તમામ કેસોમાં પણ ચાર્જશીટ થઈ શકી નહોતી. માત્ર બળાત્કાર જ નહિં, મહિલાઓ સામે અત્યાચારના જુદા જુદા ૧૧ પ્રકારના કેસોમાં પણ આ જ હાલત હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/dalits-and-ganeshotsava-from-here-i-can-float-from-here-i-can-sink"><span style="font-size: 14pt;">દલિતો અને ગણેશોત્સવઃ અહીંથી હું ભવ તરી શકું, અહીંથી ડૂબી શકું..</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બળાત્કાર જેવા જઘન્ય અપરાધ છતાં ચાર્જશીટ ન થવા કે આરોપી છુટી જવા મામલે પોલીસની ઢીલી નબળી તપાસને જવાબદાર ગણવામાં આવે છે. બે લાખ કેસો ટ્રાયલ પર હતા તેમાંથી માત્ર ૧૮૦૦૦ કેસોમાં જ ટ્રાયલ પૂર્ણ થઈ શકી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દિલ્હી મહિલાઓ સૌથી વધુ અસુરક્ષિત</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો(NCRB) મુજબ ભારતમાં ૧૫૦૦માંથી દર એક મહિલા કોઈને કોઈ ગુનાઈત અત્યાચારનો ભોગ બને છે. દેશમાં મહિલાઓની વસતીના ધોરણે દર એક લાખે ૬૬.૪ મહિલાઓ અત્યાચારનો ભોગ બને છે. જો કે, નહીં નોંધાતા ગુનાની સંખ્યા ઘણી વધારે હોવાનું અનુમાન છે. મહિલાઓ માટે અસુરક્ષીતની શ્રેણીમાં ગણાતા પાટનગર દિલ્હીમાં ૨૦૨૨ માં દર એક લાખે ૧૫૦ મહિલાઓ પર અત્યાચારનાં કેસ દાખલ થયા હતા. અર્થાત ૭૦૦માંથી એક મહિલા અત્યાચારનો ભોગ બની હતી અને દેશભરમાં આ પ્રમાણ સૌથી વધુ છે. કેન્દ્રશાસીત પ્રદેશો તથા પૂર્વોતર રાજયોમાં મહિલાઓ સૌથી સુરક્ષીત હોય તેમ આ ક્ષેત્રોમાં મહિલાઓ પરના અત્યાચારનાં કેસો સૌથી ઓછા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દર એક કલાકે 50થી વધુ મહિલાઓ પર અત્યાચાર થાય છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અભ્યાસમાં એવું મહત્વનું તારણ સામે આવ્યું છે કે ગુના આચરતા આરોપીઓને સજા કરતા પકડાઈ જવાનો ડર સૌથી વધુ હોય છે. ભારતને લાગેવળગે છે ત્યા સુધી આરોપી પકડાઈ ગયા પછી પણ કાયદાકીય પ્રક્રિયામાં લાંબો સમય નીકળી જતો હોવાને કારણે તેના છુટી જવાની ટકાવારી વધુ છે. આ દરમિયાન પુરાવા સાથે ચેડાં થઈ જાય છે. સાક્ષીઓ હોસ્ટાઈલ થાય છે. ફરીયાદી પર સામાજીક દબાણ ઉભું થાય છે. ૨૦૨૨માં મહિલાઓ પર અત્યાચારનાં કુલ ૪.૫ લાખ કેસ નોંધાયા હતા. જેનો અર્થ એવો થાય છે કે દર એક કલાકે ૫૦ થી વધુ મહિલા અત્યાચારનો ભોગ બને છે. ભારતની સામાજીક નીતિરીતિમાં તમામ કેસો જાહેર થતા નથી, છેલ્લા વર્ષોમાં જાગૃતિ વધી હોવા છતાં તમામ કેસો બહાર આવતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/151-mlas-mps-cases-of-atrocity-against-women-are-going-on">151 ધારાસભ્યો-સાંસદો સામે મહિલાઓ પર અત્યાચારના કેસો ચાલે છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 07 Sep 2024 12:00:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1175</Articleid>
                    <excerpt>દેશભરમાં બળાત્કારની ઘટનાઓને લઈને લોકોમાં આક્રોશ વ્યાપેલો છે ત્યારે એક રિપોર્ટ મુજબ દેશમાં બળાત્કારના મોટાભાગના કેસોમાં આરોપીઓ છુટી જાય છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66dbf2e1a88f4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66dbf2e172c6a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66dbf2e172c6a.jpg" length="77547" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Raped, India Rapead pending case</media:keywords>
                </item>
                        <item>
                    <title>નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગુજરાતના હજારો કર્મચારીઓ આંદોલન કરશે</title>
                    <link>https://khabarantar.com/thousands-of-employees-of-gujarat-will-protest-on-narendra-modis-birthday</link>
                    <guid>https://khabarantar.com/thousands-of-employees-of-gujarat-will-protest-on-narendra-modis-birthday</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં સરકારી કર્મચારીઓ વર્ષોની પડતર માંગોને લઈને સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. રાજ્ય કર્મચારી મહામંડળે પીએમ મોદીના જન્મદિવસે મોટા આંદોલનની જાહેરાત કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકબાજુ વડાપ્રધાન મોદીના ભાજપના સદસ્યતા અભિયાનને વેગ આપવા માટે પોતાના જન્મદિવસે ગુજરાત આવી રહ્યાં છે. બીજી તરફ વર્ષોની પડતર માંગણીઓને લઈને ભાવિ શિક્ષકોથી લઈને સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી છે અને કોઈપણ ભોગે પોતાના હકો મેળવવા તત્પર બન્યાં છે. હવે નવી માહિતી મુજબ પીએમ મોદીના જન્મદિવસના રંગમાં ભંગ પાડવા માટે રાજ્યમાં સરકારી કર્મચારીઓ આંદોલન કરે તેવા એંધાણ છે. રાજ્ય કર્મચારી મહામંડળે એલાન કર્યું છે કે ૧૭મી સપ્ટેમ્બરે પેન ડાઉન અને શટ ડાઉન કાર્યક્રમ દ્વારા સરકારી કામગીરીનો બહિષ્કાર કરાશે. એટલું જ નહીં, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પણ આવતા મહિને રાજ્યના દરેક ઝોનમાં સરકારી કર્મચારીઓ વિરોધ નોંધાવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યનાં કર્મચારીઓની માંગ છે કે ૨૪ હજાર શિક્ષકો અને બીજા કર્મચારીઓ સહિત કુલ ૬૦ હજારથી વધુ કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમ અંતર્ગત પેન્શન ફાળવવામાં આવે. સરકારે બે વર્ષ અગાઉ જૂની પેન્શન યોજના હેઠળ પેન્શન આપશે તેવી જાહેરાત કરી હતી પણ તેમાં હજુ કશું થયું નથી. કર્મચારીઓ માંગણી છે કે સમાધાન મુજબ નોટિફિકેશન બહાર પાડવામાં આવે તેમજ વૈકલ્પિક ફોર્મ ભરાવવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/teachers-agitation-in-gandhinagar-on-16th-august-on-the-issue-of-old-pension-scheme"> </a></strong></span> <a href="https://khabarantar.com/we-are-not-terrorists-government-should-listen-to-us"><strong>અમે આતંકવાદી નથી, સરકાર અમારી વાત સાંભળે...</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે યોજનાનું એલાન કરવામાં આવ્યું ત્યારે જે તે સમયે તત્કાલિન પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, કનુ દેસાઈ, બ્રિજેશ મેરજા સાથેની વિસ્તૃત બેઠક બાદ જ નિર્ણય લેવાયો હતો. એવું પણ નક્કી કરાયું હતું કે ૨૦૦૫ પહેલા જે શિક્ષક તથા કર્મચારીઓ નિમાયેલા હશે તેમનો જૂની પેન્શન યોજનામાં સમાવેશ થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ મિતેશ ભટ્ટે કહ્યું હતું કે, આ સરકારી કર્મચારીઓને લાભ નહીં મળવાનું કારણ એ છે કે જ્યારે તેઓ નોકરી પર લાગ્યા ત્યારે ફિક્સ પગારની નોકરી પર લાગ્યા હતા. ૫ વર્ષની નોકરી પૂરી થયા બાદ તેમને પૂરા પગારમાં લેવામાં આવ્યા હતા. આ કર્મચારીઓ જ્યારે નોકરી પર લાગ્યા ત્યારે નવી પેન્શન યોજના અમલમાં હતી, પૂરા પગારની નોકરીમાં એ આવ્યા કે તરત જ નવી પેન્શન યોજના હેઠળ આવરી લેવાયા હતા. ૧ એપ્રિલ, ૨૦૦૫ પહેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના હેઠળ સમાવવાની જાહેરાત કરી પરંતુ આજ દિન સુધી તેનું અમલીકરણ કરાયું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંઘનું કહેવું છે કે, કોઈ ફાઈલની જરૂર નથી આ બધું સમય પસાર કરવા માટે કરવામાં આવે છે.  ૩૦ હજાર જેટલા પ્રાથમિક શિક્ષક, ૨૫ હજાર માધ્યમિક શિક્ષક, ૨૦૦૫ પહેલાં વારસાઇથી નોકરી મેળવનારા ૧ હજાર કર્મચારીઓ છે. આમ, ગુજરાતના ૬૦ થી ૬૫ હજાર એવા કર્મચારીઓ છે જે જૂની પેન્શન યોજનાના હકદાર છે. હવે તેઓ કોઈપણ ભોગે પોતાના હકો મેળવવા માંગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/teachers-agitation-in-gandhinagar-on-16th-august-on-the-issue-of-old-pension-scheme"> જૂની પેન્શન યોજના મુદ્દે 16 મી ઓગસ્ટે ગાંધીનગરમાં શિક્ષકોનું આંદોલન</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 06 Sep 2024 19:21:42 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 06 Sep 2024 19:22:51 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1173</Articleid>
                    <excerpt>ગુજરાતમાં સરકારી કર્મચારીઓ વર્ષોની પડતર માંગોને લઈને સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. રાજ્ય કર્મચારી મહામંડળે પીએમ મોદીના જન્મદિવસે મોટા આંદોલનની જાહેરાત કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66db084f8cb9c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66db084f5573e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66db084f5573e.jpg" length="42278" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>PM Modi, Narendra Modi, Pm Birthday</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજકોટમાં સ્મશાનના લાકડાનું કૌભાંડ, 5 ગાડી લાકડાં ગાયબ</title>
                    <link>https://khabarantar.com/cremation-wood-scam-in-rajkot-5-carts-of-wood-missing</link>
                    <guid>https://khabarantar.com/cremation-wood-scam-in-rajkot-5-carts-of-wood-missing</guid>
                    <description>
                        <![CDATA[ ભ્રષ્ટાચારની ઉધઈ હવે છેક સ્મશાનના લાકડા સુધી પહોંચી ગઈ છે. રાજકોટમાં ભ્રષ્ટાચારીઓ 5 ગાડી ભરીને લાકડા ચાંઉ કરી ગયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">The Cremation Wood Scam:માનવતા મરી પરવારી છે એવું હવે તમે સતત કોઈને કોઈ વ્યક્તિના મોંએ સાંભળતા હશો. રાજકોટ શહેરમાં ભ્રષ્ટાચારીઓએ આ વાક્યને સાકાર કરી બતાવ્યું છે. જ્યાં કૌભાંડીઓએ સ્મશાનના લાકડામાં પણ ખાયકી કરી હોવાનું સામે આવ્યું છે. સામાન્ય રીતે આપણે ત્યાં રોડ-રસ્તાના કામોમાં નેતાઓ અને તેમના મળતિયાઓએ કૌભાંડ કર્યું હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, પણ રાજકોટમાં કૌભાંડીઓએ હદ કરી દીધી છે અને સ્મશાનના લાકડાને પણ છોડ્યા નથી. સ્મશાન એક એવી જગ્યા છે જ્યાં ગમે તેવો ભ્રષ્ટ વ્યક્તિ પણ સહજ રીતે માનવતા દાખવતો હોય છે. પણ રાજકોટના કૌભાંડીઓએ તેને પણ છોડ્યું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં થોડા સમય પહેલા ભારે પવન ફૂંકાયો ત્યારે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા હતા. એ વખતે આવા ધરાશાયી થયેલા વૃક્ષોને કાપીને શહેરના અલગ-અલગ સ્મશાનમાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-new-chapter-in-the-land-scam-in-the-name-of-ram-in-ayodhya"><span style="font-size: 14pt;">અયોધ્યામાં રામના નામે જમીન કૌભાંડનો નવો અધ્યાય...</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેમાં અલગ-અલગ સ્મશાનોમાં ૩૨ ગાડી લાકડા મોકલવામાં આવ્યા હોવાનું મહાનગરપાલિકાના ચોપડે નોંધાયું હતું. જેમાંથી પાંચ ગાડી શહેરના બાપુનગર સ્મશાનમાં મોકલવામાં આવી હતી. જો કે સ્મશાનના સંચાલકોનું કહેવું છે કે રાંધણ છઠના તહેવાર બાદ એક પણ ગાડી બાપુનગર સ્મશાનમાં આવી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કૌભાંડને લઈને વિપક્ષે પણ અનેક સવાલો ઉઠાવ્યા છે ત્યારે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સ્વપ્નિલ ખરેએ કહ્યું છે કે, અમારી પાસે હાલ આ મામલો સામે આવ્યો છે. સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે. ગાર્ડન શાખાના કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. હાલ જ આ મામલો અમારી સામે આવ્યો છે. હવે મનપા દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ગાર્ડન શાખામાંથી લાકડા લઈ જવા માટે બે અલગ-અલગ એજન્સીઓ છે. એજન્સીમાં પણ ક્યાં પ્રકારની કામગીરી કરાઇ તેની ચકાસણી હાથ ધરાશે. અધિકારીઓ દ્વારા એજન્સીના સંચાલકોની પૂછપરછ બાદ સમગ્ર હકીકત શું છે તે બહાર આવી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/water-supply-department-showed-work-on-paper-and-turned-over-money-worth-rs-12-14-crore">પાણી પુરવઠા વિભાગે કાગળ પર કામ બતાવી 12.14 કરોડનું ફૂલેકું ફેરવ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 05 Sep 2024 20:24:49 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1169</Articleid>
                    <excerpt>ભ્રષ્ટાચારની ઉધઈ હવે છેક સ્મશાનના લાકડા સુધી પહોંચી ગઈ છે. રાજકોટમાં ભ્રષ્ટાચારીઓ 5 ગાડી ભરીને લાકડા ચાંઉ કરી ગયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d9c631478cd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d9c63113060.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d9c63113060.jpg" length="148989" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>The Cremation Wood Scam, Corruption</media:keywords>
                </item>
                        <item>
                    <title>સફાઈ કામદારની નોકરી માટે 45,000 BA&amp;MA યુવાનોએ અરજી કરી</title>
                    <link>https://khabarantar.com/45000-ba-ma-youth-applied-for-sweeper-job</link>
                    <guid>https://khabarantar.com/45000-ba-ma-youth-applied-for-sweeper-job</guid>
                    <description>
                        <![CDATA[ એક સરકારી નિગમે કોન્ટ્રાક્ટ પર સફાઈકર્મીઓની ભરતી બહાર પાડી છે. જેમાં 3.95 લાખ અરજીઓ આવી. ચોંકાવનારી બાબત એ છે કે તેમાં 45,000 તો BA-MA ભણેલાં યુવાનો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">Recruitment of cleaners:ભારતમાં જે રીતે દિનપ્રતિદિન શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે તે જોતા એ દિવસ દૂર નથી કે સફાઈકર્મીની સરકારી નોકરીને પણ શિક્ષિત બેરોજગારો રાજીખુશીથી સ્વીકારી લે. આવું જ કંઈક ચિત્ર હાલ ચૂંટણી રાજ્ય એવા હરિયાણામાં સામે આવ્યું છે. અહીં કરાર આધારિત સફાઈ કામદારોની નોકરી માટે 3 લાખ 95 હજારથી વધુ લોકોએ અરજી કરી છે. જેમાંથી 39,990 સ્નાતકો, 6,112 અનુસ્નાતક અને 12મું પાસ લગભગ 1.2 લાખ લોકોએ અરજી કરી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજી 6 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર, 2024 વચ્ચે કરવામાં આવી હતી. હરિયાણા સ્કિલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશન (HKRN) એ સરકારી વિભાગો, બોર્ડ અને કોર્પોરેશનોમાં કરાર આધારિત સફાઈકર્મીઓ માટે ભરતી હાથ ધરી હતી. જેમાં આ ચિત્ર સામે આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, સફાઈકર્મીની કોન્ટ્રાક્ટ આધારિત નોકરીમાં અરજી કરનારામાં 45 હજાર જેટલા યુવાનો બીએ અને એમએની ડિગ્રી ધરાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">HKRN એ હરિયાણા સરકારનું એક નિગમ છે. આ નિગમ હેઠળ સફાઈકર્મી તરીકે નોકરી મેળવનારાઓનો પગાર મહિને 15,000 રૂપિયા હશે. તેમનું કામ જાહેર સ્થળો, રસ્તાઓ અને બિલ્ડીંગોમાં સફાઈ કરવી, ઝાડું મારવું અને કચરો દૂર કરવાનું રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક મીડિયા રિપોર્ટ મુજબ HKRNના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “અરજદારોને નોકરીની જવાબદારીઓ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તેમણે સહી કરીને એ જણાવવાનું રહેશે કે તેઓ નોકરી વિશે આપવામાં આવેલી માહિતીને બરાબર સમજે છે. એવામાં કોઈએ ભૂલથી આ નોકરી માટે અરજી કરી હોય તેવી શક્યતા બહુ ઓછી છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/the-Chamar-studio-the-name-of-the-caste-that-people-used-to-be-angry-about-made-a-brand"><span style="font-size: 14pt;"> The Chamar Studio: જે જ્ઞાતિનું નામ લઈને લોકો ખીજવતા હતા એને જ બ્રાન્ડ બનાવી દીધી!</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હતાશા અને પૈસાની અછતને કારણે યુવાનો હવે સફાઈકર્મી તરીકે કામ કરવા તૈયાર છે. સિરસાની રહેવાસી 29 વર્ષની રચના દેવી નર્સરી ટીચર્સ ટ્રેનિંગમાં ગ્રેજ્યુએટ છે. હાલ રાજસ્થાનમાં ઈતિહાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરે છે. તે છેલ્લા ચાર વર્ષથી નોકરીની શોધમાં હતી. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતી વખતે તેણે જણાવ્યું હતું કે, “મારી પાસે હાલ કોઈ નોકરી નથી. હું ઘરે બેકાર બેસી રહું છું. તેથી મેં એક સફાઈકર્મીની નોકરી માટે અરજી કરી છે. તેમાં મારે શું કામ કરવાનું છે તે મને બરાબર ખ્યાલ છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચરખી દાદરીમાં એક પરિણીત યુગલે પણ આ નોકરી માટે અરજી કરી છે. સહાયક નર્સિંગ મિડવાઇફ મનીષા અને તેના પતિ દાનિશ કુમારે જણાવ્યું કે. બંને સ્નાતક છે અને હાલ ખરાબ આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દાનિશ કહે છે, “અમે બેરોજગાર છીએ. મેં કમ્પ્યુટર ઓપરેટર અને હરિયાણા રોડવેઝ બસ કંડક્ટરની નોકરી માટે પણ અરજી કરી છે. હું કમ્પ્યુટર ઓપરેટરની નોકરી માટે વધુ યોગ્ય છું કારણ કે મેં તેની બેસિક તાલીમ લીધી છે. અત્યારે હું મારા લેપટોપ પર લોકોના ઓનલાઈન ફોર્મ ભરીને થોડી કમાણી કરું છું અને દરેક ફોર્મ માટે 50 રૂપિયા લઉં છું.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારનો રિપોર્ટ જણાવે છે કે હરિયાણામાં બેરોજગારી વધી રહી છે. કેન્દ્રીય આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) ના સામયિક લેબર ફોર્સ સર્વે (PLFS) ના આંકડા દર્શાવે છે કે હરિયાણાના શહેરી વિસ્તારોમાં 15થી 29 વર્ષની વય જૂથમાં બેરોજગારીનો દર એપ્રિલથી જૂન 2024 ક્વાર્ટરમાં વધીને 11.2% થયો છે. જ્યારે જાન્યુઆરીથી માર્ચના છેલ્લા ક્વાર્ટરમાં તે 9.5% હતો. તે જ સમયે, શહેરી વિસ્તારોમાં 15-29 વર્ષની વય જૂથની મહિલાઓ માટે બેરોજગારીનો દર એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વધીને 17.2% થયો હતો જે જાન્યુઆરી-માર્ચ સમયગાળામાં 13.9% હતો. કેન્દ્રીય મંત્રાલયના PLFS રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બેરોજગારી દરને લેબર ફોર્સમાં બેરોજગાર વ્યક્તિઓની ટકાવારી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/about-1.5-lakh-applications-were-received-against-12272-posts-of-psi-lokrakshak"><strong>PSI-લોકરક્ષકની 12,272 જગ્યાઓ સામે અધધ 15 લાખ અરજીઓ આવી</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 04 Sep 2024 18:52:50 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1164</Articleid>
                    <excerpt>એક સરકારી નિગમે કોન્ટ્રાક્ટ પર સફાઈકર્મીઓની ભરતી બહાર પાડી છે. જેમાં 3.95 લાખ અરજીઓ આવી. ચોંકાવનારી બાબત એ છે કે તેમાં 45,000 તો BA-MA ભણેલાં યુવાનો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d85e555fbff.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d85e552d2e6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d85e552d2e6.jpg" length="81989" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Recruitment of cleaners, BA-MA Applied for sweeper job, HKRN, unemployment</media:keywords>
                </item>
                        <item>
                    <title>લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો બાદ RSS ની રણનીતિ શું છે?</title>
                    <link>https://khabarantar.com/what-is-the-strategy-of-rss-after-the-results-of-lok-sabha-elections-2024</link>
                    <guid>https://khabarantar.com/what-is-the-strategy-of-rss-after-the-results-of-lok-sabha-elections-2024</guid>
                    <description>
                        <![CDATA[ 2024ની લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ-સંઘના કોમવાદી-બંધારણવિરોધી એજન્ડાને મતદારોએ ફગાવી દીધો હતો. નિરાશાજનક આ પરિણામો બાદ સંઘની ચૂંટણી રણનીતિ શું છે તે સમજીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Strategy of RSS: 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો ભાજપ માટે નિરાશાજનક રહ્યાં છે. લોકસભામાં તેના સભ્યોની સંખ્યા 303 થી ઘટીને 240 થઈ ગઈ. જેનું પરિણામ એ આવ્યું છે કે, ગત વખતે માત્ર નામની એનડીએ સરકાર હતી, જ્યારે આ વખતે ખરેખર સરકાર કોઈ એક પક્ષની નહીં પણ NDA ગઠબંધનની દેખાય છે. વર્ષ 2014 અને 2019ની સરકારોમાં ગઠબંધન પક્ષોને સાંભળનાર કોઈ નહોતું. પરંતુ હવે સ્પષ્ટ રીતે દેખાય છે કે સરકાર ગઠબંધનના સાથી પક્ષોના અભિપ્રાયો અને માંગણીઓ સાંભળી રહી છે અને તેના પર વિચાર પણ કરવા મજબૂર બની છે. જેના કારણે ભાજપ તેના હિંદુ રાષ્ટ્રવાદી એજન્ડાને પહેલાની જેમ આસાનીથી અમલમાં મૂકી શકતી નથી. લેટરલ એન્ટ્રી અને વકફ બિલ તેનું તાજું ઉદાહરણ છે. લોકસભામાં વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનની તાકાત પણ વધી છે અને તેના કારણે તે હવે પોતાની વાત વધુ મજબૂતીથી વ્યક્ત કરવા સક્ષમ બન્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શક્ય છે આ ચૂંટણીઓમાં RSS તેના રાજકીય સંતાન ભાજપને મદદ કરવા મેદાનમાં ન ઊતર્યું હોય. પરંતુ એનો અર્થ એ નથી કે તે ચૂંટણીમાં ભાજપની હાર ઇચ્છતું હતું. તે માત્ર ભાજપના 'નોન બાયોલોજિકલ' નેતાને ચેતવણી આપવા માંગતું હતું, તેના વધતા વર્ચસ્વની હવા કાઢવા માંગતું હતું. આજે પણ ભાજપની ગાડીનું સ્ટીયરીંગ આરએસએસના હાથમાં છે. સંઘ પાછળની સીટ પર બેસીને તેને ચલાવી રહ્યો છે. આરએસએસ અને ભાજપના નેતાઓની લાંબી બેઠકો ચાલી રહી છે, જેમાં ચૂંટણી પરિણામો પર ચર્ચાઓ થઈ રહી છે અને ભવિષ્યની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. શું છે આરએસએસ અને ભાજપની આગામી રણનીતિ?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશમાં આવી જ એક બેઠકમાં RSS પ્રતિનિધિમંડળના નેતા સહ સરકાર્યવાહ (સંયુક્ત મહાસચિવ) અરુણ કુમાર હતા, જેઓ લાંબા સમયથી સંઘ અને ભાજપ વચ્ચે સંકલન કરતા આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલી ચૂંટણીની કમાન આરએસએસના રામ માધવને સોંપવામાં આવી છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/all-ministers-at-the-center-are-sarvans-bjp-is-an-anti-dalit-party-bjp-mps"><strong> કેન્દ્રમાં બધા મંત્રીઓ સવર્ણ, ભાજપ દલિત વિરોધી પક્ષ છેઃ ભાજપ સાંસદ</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરએસએસને લાગે છે કે ચૂંટણીમાં ભાજપની બેઠકોમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ દલિત મતોનું વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન તરફ ખસકી જવું છે. તેનો સામનો કરવા માટે VHPને સક્રિય કરવામાં આવી રહી છે. તેના કાર્યકરો દલિતવાસમાં સભાઓ કરશે અને દલિતો સાથે ભોજન કરશે. દલિતોને આકર્ષવા માટે VHP સાથે સંકળાયેલા કથિત સાધુસંતો દલિતવાસોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધ હિન્દુના એક રિપોર્ટ મુજબ, "આ ધાર્મિક નેતાઓ નિયત સ્થળોએ પદયાત્રાઓ કરશે, સત્સંગ અને ધર્મ સંસદોનું આયોજન કરશે, દલિતોના ઘરે જશે અને તેમની સાથે ભોજન કરશે. આ કાર્યક્રમ VHPના 9,000 વિભાગોમાં કરવામાં આવશે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બધું આપણને રામ મંદિર ચળવળની યાદ અપાવે છે, જેનો પાયો VHP દ્વારા નાખવામાં આવ્યો હતો અને બાદમાં ભાજપે એ આંદોલનનું નેતૃત્વ સંભાળી લીધું હતું. આરએસએસ માત્ર ચાલકો (પ્રચારકો, સ્વયંસેવકો)ને તાલીમ જ નથી આપતું, પણ હવે તે બેકસીટ ડ્રાઈવિંગ પણ કરી રહ્યું છે. 2024ની લોકસભા ચૂંટણીના પરિણામોએ તેને હચમચાવી દીધો છે અને તે ભાજપની ખોવાયેલી વોટબેંક પાછી મેળવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવા જઈ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણી પરિણામો પછી આરએસએસ જેટલી સક્રિયતા દર્શાવી રહ્યું છે તેનાથી એ સાબિત થાય છે કે માત્ર એક સાંસ્કૃતિક સંગઠન હોવાનો તેનો દાવો કેટલો પોકળ છે. એ અલગ વાત છે કે આ વખતે RSSએ પોતાની રાજકીય તાકાતનો ઉપયોગ બીજી દિશામાં કરવો પડશે. મંડલ સાથે સ્પર્ધા કરવા માટે રામ મંદિર આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. મોદી સરકારના દસ વર્ષના કાર્યકાળમાં હિંદુત્વના એજન્ડા અનુસાર જોરશોરથી કામ કરવામાં આવ્યું હતું. અને હવે લોકોને લાગે છે કે આરએસએસ, જે 'મનુસ્મૃતિ' અને 'મુસ્લિમોને નફરત કરો'ના સિદ્ધાંતો પર આધારિત છે, તે ક્યારેય સામાજિક ન્યાયની તરફેણમાં ઊભું રહી શકે તેમ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિરોધ પક્ષોને હિન્દુ રાષ્ટ્રની રાજનીતિની વાસ્તવિકતા સમજવામાં ઘણો સમય લાગ્યો. ભાજપ-સંઘના 10 વર્ષના પક્ષપાતી અને સરમુખત્યારશાહી શાસન પછી વિરોધ પક્ષોએ RSSની રાજનીતિનો સામનો કરવા માટે કેટલાક પગલાં લીધાં છે. આરએસએસમાં પણ ફેરફારો થયા છે. તેના બીજા સરસંઘચાલક એમ.એસ. ગોલવલકરે તેમના પુસ્તક “વ્હી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ”માં નાઝી અને ફાસીવાદી વિચારધારાની પ્રશંસા કરી હતી. સંઘે રાષ્ટ્રધ્વજ અને ભારતના બંધારણનો પણ વિરોધ કર્યો હતો. નાથુરામ ગોડસે દ્વારા ગાંધીજીની હત્યા બાદ આરએસએસની છબી સામાન્ય લોકોની નજરમાં ખૂબ ખરાબ થઈ ગઈ હતી. જયપ્રકાશ નારાયણની 'સંપૂર્ણ ક્રાંતિ' નો ઉદય થયો અને તેના દ્વારા RSSને ફરીથી વિશ્વસનીયતા અને સ્વીકૃતિ મળી. જેપી પ્રતિબદ્ધ સ્વતંત્રતા સેનાની હતા, તેમ છતાં તેઓ આરએસએસની અસલીયતને સમજી શક્યા નહોતા. તેમણે તો એમ પણ કહ્યું કે, "જો RSS ફાસીવાદી છે તો હું પણ ફાસીવાદી છું." </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/election-results-show-that-india-is-not-a-hindu-nation-amartya-sen">ચૂંટણીના પરિણામોએ બતાવી આપ્યું કે ભારત ‘હિંદુ રાષ્ટ્ર’ નથી: અમર્ત્ય સેન</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, નેહરુને આરએસએસના સાચા સ્વભાવની સારી સમજ હતી. ડિસેમ્બર 1947 માં પ્રાંતીય સરકારોના વડાઓને લખેલા પત્રમાં નેહરુએ લખ્યું હતું કે, "અમારી પાસે એવા અનેક પુરાવા છે કે આરએસએસની પ્રકૃતિ એક ખાનગી સેના જેવી છે. તે સંપૂર્ણપણે નાઝીઓના રસ્તે ચાલી રહ્યું છે અને નાઝી સંગઠનોની પદ્ધતિઓ અપનાવી રહ્યું છે." ત્યાર પછીની સરકારોએ આરએસએસની આ વાસ્તવિકતા પર ધ્યાન આપ્યું નહીં. ત્યાં સુધીમાં આરએસએસ દ્વારા તાલીમ પામેલા પ્રચારકોએ દેશની મહત્વપૂર્ણ સામાજિક અને રાજકીય સંસ્થાઓમાં ઘૂસણખોરી કરી લીધી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોદી સરકારના બે કાર્યકાળ દરમિયાન જનતાના એક મોટા વર્ગ અને અનેક રાજકીય પક્ષોનો ભાજપથી સંપૂર્ણ મોહભંગ થઈ ગયો છે. તેઓ સમજી ગયા છે કે સંઘ અને ભાજપ કદી દેશના દલિતો, આદિવાસીઓ, ઓબીસી કે લઘુમતી સમાજના સામાજિક ન્યાયની તરફેણમાં ઉભો રહી શકે તેમ નથી. ઉપરાંત ચૂંટણીથી દૂર રહેતા અનેક નાગરિક સંગઠનો પણ હવે જાગી ગયા છે. તેમને એ સ્પષ્ટ દેખાય છે કે ભાજપ-આરએસએસના શાસને આપણા સમાજને કેટલું મોટું નુકસાન પહોંચાડ્યું છે. આવી પરિસ્થિતિમાં દેશનો સામાન્ય મતદાર એ સમજી ચૂક્યો હતો કે વિપક્ષમાં અનેક નબળાઈઓ હોવા છતાં લોકતાંત્રિક અને બહુમતીવાદી મૂલ્યોને પુનઃસ્થાપિત કરવા માટે તેને તમામ રીતે સમર્થન આપવું જરૂરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ લાગણી માત્ર રાજનીતિ પૂરતી મર્યાદિત નથી. આપણે જોઈ રહ્યાં છીએ કે દેશમાં કેવી રીતે વૈજ્ઞાનિક અને તાર્કિક વિચારસરણીને તોડી પાડવામાં આવી રહી છે અને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રાચીન ભારતનો અતાર્કિક રીતે મહિમા કરવામાં આવી રહ્યો છે. આપણને સમજાવવામાં આવી રહ્યું છે કે પ્રાચીન ભારતમાં પ્લાસ્ટિક સર્જરી થઈ હતી. આપણને એવું પણ સમજાવાય છે કે, ગૌમૂત્રમાં સોનું હોય છે અને થાળી વગાડવાથી કોરોના ભાગી જાય છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશની ટોચની સંસ્થા IITs 'પંચગવ્ય'ની ઉપયોગીતા પર સંશોધન કરી રહી છે. દેશના દરેક મહત્વના પદો પર સંઘના લોકો ગોઠવાઈ ગયા છે અને તે આરએસએસના એજન્ડાની દિશામાં દેશને ખેંચીને લઈ જઈ રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરએસએસના તાલીમ પામેલા પ્રચારકો દરેક જગ્યાએ છે. તેઓ મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા પ્રતિગામી મૂલ્યોને પ્રોત્સાહન આપી રહ્યા છે. સડો ખૂબ ઊંડે પહોંચી ગયો છે. ચૂંટણીમાં આ તાકાતોને હરાવવી એ આ સડાને નાબૂદ કરવાની દિશામાં પહેલું પગલું હશે. ત્યારબાદ આપણે એવી સામાજિક વિચારસરણીને પ્રોત્સાહન આપવું પડશે જે આ દેશના બંધારણમાં વર્ણવવામાં આવેલા સિદ્ધાતો, કાયદાઓને પ્રોત્સાહન આપતી હોય. છેવાડાના માણસના ઉત્થાન અને સામાજિક ન્યાયની પડખે ઉભા રહેતા હોય. ઈતિહાસ હોય કે વિજ્ઞાન, કે ન્યાયતંત્ર હોય, આપણે કોમવાદી વિચારધારા દ્વારા વાવવામાં આવેલા દરેક ઝેરી છોડને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવા પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/did-the-change-in-the-constitution-of-the-rss-turn-the-tide-of-the-election">RSSની બંધારણ બદલવાની વાતે ચૂંટણીનું પાસું પલટી નાખ્યું?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 04 Sep 2024 17:23:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1163</Articleid>
                    <excerpt>2024ની લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ-સંઘના કોમવાદી-બંધારણવિરોધી એજન્ડાને મતદારોએ ફગાવી દીધો હતો. નિરાશાજનક આ પરિણામો બાદ સંઘની ચૂંટણી રણનીતિ શું છે તે સમજીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d849bd0b9eb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d849bccc35a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d849bccc35a.jpg" length="69744" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>RSS, BJP, Mohan Bhagwat, Narendra Modi</media:keywords>
                </item>
                        <item>
                    <title>બોલો લો! હાઈકોર્ટના જજની નિવૃત્તિ બાદ 9 ચુકાદા આવ્યા, સુપ્રીમ પણ હેરાન</title>
                    <link>https://khabarantar.com/9-judgments-came-after-the-retirement-of-high-court-judges-the-supreme-court-was-also-shocked</link>
                    <guid>https://khabarantar.com/9-judgments-came-after-the-retirement-of-high-court-judges-the-supreme-court-was-also-shocked</guid>
                    <description>
                        <![CDATA[ મદ્રાસ હાઈકોર્ટના એક જજ નિવૃત્ત થઈ ગયા હોવા છતાં તેમના નામે 9 ચૂકાદા જાહેર કરવામાં આવતા સુપ્રીમ કોર્ટે રિપોર્ટ માંગ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં વિવિધ રાજ્ય સરકારો અને તેમના વહીવટી તંત્ર પર નાગરિકો અંધેર નગરી અને ગંડુ રાજાના શાસનના આરોપો લગાવતા રહે છે. પણ જ્યારે હાઈકોર્ટમાં પણ આવો જ કોઈ છબરડો બહાર આવે ત્યારે શું કહેવું? આવું જ કંઈક મદ્રાસ હાઈકોટમાં સામે આવ્યું છે. જ્યાં એક જજ નિવૃત્ત થઈ ગયા હોવા છતાં તેમના નામે 9 જેટલા ચૂકાદાઓ હાઈકોર્ટની વેબસાઈટ પર અપલોડ કરી દેવાયા હતા. આ મામલે હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના રજિસ્ટ્રાર પાસે જવાબ માંગ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મદ્રાસ હાઈકોર્ટના જજે નિવૃત્તિ બાદ નિર્ણયો આપ્યા જેના પર સુપ્રીમ કોર્ટે રિપોર્ટ મંગાવ્યો છે. હાઈકોર્ટના જસ્ટિસ ટી. માથીવનનના વિગતવાર ચુકાદાઓ તેમની નિવૃત્તિ બાદ હાઈકોર્ટની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આ અંગે સવાલો ઉઠાવ્યા છે અને રિપોર્ટ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અભય એસ. ઓકા અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે હાઈકોર્ટના રજિસ્ટ્રાર પાસેથી સંપૂર્ણ માહિતી માંગી છે. કોર્ટે પૂછ્યું છે કે સંબંધિત નિર્ણયનો સિંગલ લાઈન ચુકાદો ક્યારે આવ્યો હતો અને એ ત્યારબાદ વિગતવાર ઓર્ડર ક્યારે અપલોડ કરવામાં આવ્યો?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/apply-reservation-in-posts-of-high-court-supreme-court-judges-too-mayawati">હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના જજોની જગ્યામાં પણ અનામત લાગુ કરોઃ માયાવતી</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાર અને બેંચના અહેવાલ મુજબ, ડીએ કેસને બરતરફ કરવા સામે સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો. આ પહેલો મામલો નથી જ્યારે જસ્ટિસ માથીવાનનના વ્યવહારને લઈને સવાલો ઉભા થયા હોય. તેઓ મે 2017માં નિવૃત્ત થયા હતા. આ પહેલા સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયને ફગાવી દીધો હતો. તેનું કારણ એ હતું કે તેમના દ્વારા આપવામાં આવેલા ચુકાદાની વિગતવાર નકલ તેમની નિવૃત્તિના પાંચ મહિના પછી વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટને માહિતી આપવામાં આવી હતી કે હાલના કેસ સિવાય, જસ્ટિસ માથિવનનના આવા લગભગ 9 નિર્ણયો છે, જે તેમની નિવૃત્તિ પછી હાઈકોર્ટની વેબસાઈટ અપલોડ કરવામાં આવ્યા હતા. આ બાબતની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે સખત વાંધો વ્યક્ત કર્યો છે અને હાઈકોર્ટના રજિસ્ટ્રારને નોટિસ પાઠવી છે. કોર્ટે પૂછ્યું છે કે આવું કેમ થયું. નિર્ણયોની પ્રારંભિક નકલો ક્યારે બહાર પાડવામાં આવી હતી અને પછી વિગતવાર નિર્ણયો ક્યારે બહાર પાડવામાં આવ્યા હતા? કોર્ટે પૂછ્યું કે સિંગલ લાઇન ઓર્ડર ક્યારે પસાર કરવામાં આવ્યા હતા અને તે વિગતવાર ક્યારે અપલોડ કરવામાં આવ્યા હતા. ખંડપીઠે પૂછ્યું કે શું મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા આવા 9 કેસ અંગે કોઈ વહીવટી આદેશ જારી કરવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અભય એસ. જસ્ટિસ ઓકા અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે હાઈકોર્ટના રજિસ્ટ્રાર પાસેથી સંપૂર્ણ માહિતી માંગી છે. કોર્ટે પૂછ્યું છે કે સંબંધિત નિર્ણયનો એક લીટીનો ચુકાદો ક્યારે આવ્યો. આ પછી વિગતવાર ઓર્ડર ક્યારે અપલોડ કરવામાં આવ્યો?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ<a href="https://khabarantar.com/my-lord-why-should-the-burden-of-social-justice-be-shouldered-by-dalits-tribals"> માય લોર્ડ, સામાજિક ન્યાયનો ભાર દલિતો-આદિવાસીઓને ખભે શા માટે?</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 04 Sep 2024 10:30:20 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1160</Articleid>
                    <excerpt>મદ્રાસ હાઈકોર્ટના એક જજ નિવૃત્ત થઈ ગયા હોવા છતાં તેમના નામે 9 ચૂકાદા જાહેર કરવામાં આવતા સુપ્રીમ કોર્ટે રિપોર્ટ માંગ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d7e754921ce.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d7e75461dd5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d7e75461dd5.jpg" length="100928" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Madras High Court, Justice Mathivanan, 9 Judgment upload, High Court Website, Supreme Court, Justice Abhay S Oka</media:keywords>
                </item>
                        <item>
                    <title>RSS એ જાતિ ગણતરીને ટેકો આપ્યો, કોનું દબાણ કામ કરી ગયું?</title>
                    <link>https://khabarantar.com/rss-supported-caste-enumeration-whose-pressure-worked</link>
                    <guid>https://khabarantar.com/rss-supported-caste-enumeration-whose-pressure-worked</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપ અને પીએમ મોદી જાતિ ગણતરીના મુદ્દાથી સતત મોં ફેરવતા રહ્યાં છે. પણ હવે RSS એ તેનું સમર્થન કર્યું છે. સવાલ એ છે કે, સંઘ પર એવું ક્યું દબાણ કામ કરી ગયું? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"વિપક્ષે ગરીબોની લાગણી સાથે રમત કરી અને સમાજના જાતિના આધારે ભાગલા પાડ્યાં. તેઓ હજુ પણ આ પાપ કરી રહ્યા છે." - 3 ઓક્ટોબર 2023ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરની જાહેર સભામાં પીએમ મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું હતું જ્યારે બિહારમાં નીતિશ કુમારની જેડીયુ અને આરજેડી-કોંગ્રેસનું ગઠબંધન હતું. નીતીશ કુમારે બિહારની જાતિ ગણતરી કરાવી હતી. વિપક્ષના નેતાઓ રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ વગેરે લાંબા સમયથી દેશવ્યાપી જાતિ ગણતરીની માંગ કરી રહ્યા છે, પણ ભાજપ તેની વિરોધમાં હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ બે દિવસ પહેલા એટલે કે સોમવાર, 2 સપ્ટેમ્બર 2024 ના રોજ ભાજપની ભગિની સંસ્થા RSS એ તમામ જો-તો વચ્ચે જાતિની વસ્તી ગણતરીને સમર્થન આપી દેતા સૌ કોઈ ચોંકી ગયા છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ અને પીએમ મોદી શું ચાલાકી કરે છે. કારણ કે અત્યાર સુધી વિરોધ પક્ષો આ મુદ્દાને જોરશોરથી ઉઠાવતા હતા છતાં મોદી જાતિ ગણતરીથી દૂર ભાગતા રહ્યા છે. રાહુલ ગાંધીએ તો પીએમ મોદીને પડકાર આપતા કહ્યું હતું કે સરકારે જાતિ ગણતરી કરાવવી પડશે અને અમે તે કરાવીને રહીશું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાહુલ ગાંધીએ 'X' પર લખ્યું હતું કે, "મોદીજી, જો તમે જાતિ ગણતરી રોકવાનું વિચારી રહ્યા છો, તો તમે દિવાસ્વપ્ન જોઈ રહ્યા છો. હવે કોઈ તાકાત તેને રોકી શકશે નહીં. દેશવાસીઓનો આદેશ આવી ગયો છે, ટૂંક સમયમાં 90% ભારતીયો સમર્થન કરશે અને જાતિની વસ્તી ગણતરી હાથ ધરવાની માંગ કરશે. હવે આદેશનો અમલ કરો. નહીંતર તમે આગામી વડાપ્રધાનને એ કરતા જોશો." આ માંગણીને નક્કર સ્વરૂપમાં રજૂ કરતા રાહુલ ગાંધીએ તાજેતરમાં કહ્યું હતું - આ સમાજ માટે એક 'એક્સ-રે' જેવું છે અને તે સીધી રીતે બંધારણના રક્ષણ સાથે જોડાયેલો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપ જાતિ ગણતરીના મુદ્દાથી અત્યાર સુધી સતત બચતો રહ્યો છે. પણ હવે ખુદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ રાષ્ટ્રવ્યાપી જાતિ વસ્તી ગણતરીની હિમાયત કરી છે, ત્યારે જોવા જેવી થઈ છે. કેરળના પલક્કડમાં આરએસએસના ત્રિ-દિવસીય સંમેલનની પૂર્ણાહુતિ બાદ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા RSSના મુખ્ય પ્રવક્તા સુનીલ અંબેકરે કહ્યું હતું કે, "જાતિની વસ્તી ગણતરી ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે અને તે આપણી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે મહત્વપૂર્ણ છે. તેને ખૂબ જ ગંભીરતાપૂર્વક હેન્ડલ કરવો જોઈએ. ઘણીવાર સરકારને આંકડાઓની જરૂર હોય છે અને તેણે ભૂતકાળમાં પણ આ પ્રેક્ટિસ કરી છે. તેનો ઉપયોગ ફક્ત તે સમુદાયો અને જાતિઓના કલ્યાણ અને તેને ફાયદો પહોંચાડવા માટે થવો જોઈએ. નહીં કે રાજકીય સાધન કે ચૂંટણી પ્રચાર માટે." </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/in-the-up-by-elections-rss-workers-will-explain-the-reservation-constitution-issue-to-dalits">યુપી પેટાચૂંટણીમાં RSSના કાર્યકરો અનામત-બંધારણ મુદ્દે દલિતોને સમજાવશે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">RSS નું આ નિવેદન વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનની રાષ્ટ્રવ્યાપી જાતિ ગણતરી હાથ ધરવાની લાંબા સમયથી પડતર માંગની પૃષ્ઠભૂમિના સંદર્ભમાં આવ્યું છે, જો કે સંઘ દ્વારા એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, તેનાથી સરકારને વિવિધ સમાજો માટે તેમની વસ્તીના આધારે નીતિઓ ઘડવામાં મદદ મળશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીએમ મોદીએ 4 જાતિ વિશે વાત કરી હતી</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 ડિસેમ્બર, 2023ના રોજ કહ્યું હતું કે, "વિપક્ષ દેશને જાતિઓમાં વહેંચવા માંગે છે. પરંતુ મારી નજરમાં 4 જ જ્ઞાતિઓ છે. અને તે છે - ગરીબો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતો. જે સૌથી મોટી જાતિ છે. તેમને સશક્ત કરવાથી દેશ મજબૂત થશે. આપણા ઓબીસી અને આદિવાસીઓનો નોંધપાત્ર હિસ્સો આ વર્ગોમાંથી આવે છે. આજે દરેક ગરીબ, વંચિત, દરેક ખેડૂત, આદિવાસી, યુવા કહી રહ્યો છે કે તે જીતી ગયો છે. પહેલીવાર મતદાર કરનાર કહી રહ્યા છે કે તેમના મતથી વિજય થયો છે. દરેક મહિલાને લાગે છે કે તે જીતી ગઈ છે. આ તેમના સારા ભવિષ્યની જીત છે.”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિ ગણતરીના મુદ્દે, વિપક્ષો ઈન્ડિયા ગઠબંધનના નેતૃત્વમાં એકજૂથ છે પરંતુ NDAના બે પક્ષો BJP, JDU અને LJP(રામવિલાસ પાસવાન)એ તેનું સમર્થન કર્યું છે. બિહારમાં જેડીયુની આગેવાની હેઠળની સરકારે ગયા વર્ષે રાજ્યમાં જાતિ સર્વે હાથ ધર્યો હતો. જોકે ભાજપે જાતિ ગણતરીની માંગનો ખુલીને વિરોધ કર્યો નથી, પરંતુ તેણે કોઈ પ્રતિબદ્ધતા પણ વ્યક્ત નથી કરી.</span><br><span style="font-size: 14pt;">જાતિ ગણતરી માટે આરએસએસનું મૂક સમર્થન એટલા માટે પણ નોંધપાત્ર છે કારણ કે ભાજપે પહેલા તેને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં "હિંદુઓને એક કરવાના" ના પોતાના પ્રયત્નો સામે "હિંદુ સમાજને વિભાજિત કરવાના" કોંગ્રેસના પ્રયાસ તરીકે ચીતરી હતી. એ રીતે તે સંઘ અને ભાજપ તેની મુખ્ય વોટબેંક એવા સવર્ણોને સાચવવા માંગતી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/rss-chief-mohan-bhagwat-was-given-prime-minister-like-security">RSS ના વડા મોહન ભાગવતને વડાપ્રધાન જેવી સુરક્ષા અપાઈ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, ભાજપના આ સ્ટેન્ડને વિપક્ષોએ લોકસભા ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો બનાવી દીધો હતો. વિપક્ષે એ મેસેજ સાથે જોરદાર પ્રચાર કર્યો હતો કે, ભાજપ જાતિ ગણતરી ન કરવાની દેશના દલિત, આદિવાસી, ઓબીસીના હકો પર તરાપ મારવા માંગે છે. આ સાથે જ તેણે બંધારણનો મુદ્દો પણ જોડી દીધો કે, "જો ભાજપને પ્રચંડ બહુમતી મળશે તો મોદી સરકાર બંધારણ અને અનામતમાં ફેરફાર કરી નાખશે, જેથી એસસી/એસટી અનામતનો અંત લાવી શકાય.". આ પ્રચારનું શું પરિણામ શું આવ્યું તે હવે સૌ જાણે છે. ભાજપ 400 પારનો નારો આપતો હતો, પણ તે 240માં સમેટાઈ ગયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ સ્થિતિમાં 'પાંચજન્ય'માં જાતિને "એક કલ્યાણકારી પગલું" ગણાવનાર RSS એ હવે ભાજપને સામેથી જાતિ ગણતરી કરવાનો રસ્તો સૂચવ્યો છે. જેનાથી મોદી સરકાર હિંદુ ધર્મની અંદર વિવિધ સમાજોને ખુશ કરવા માટે વચલો રસ્તો કાઢી શકે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુનીલ અંબેકરે ભારપૂર્વક જણાવ્યું કે સંઘ હિન્દુ એકતાની સાથે સાથે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે પણ સતત કામ કરે છે. આપણે આપણા બંધારણના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. આપણું બંધારણ ન્યાય, સમાનતા અને ભાઈચારાની વાત સારી રીતે કરે છે. પરંતુ તેમાં એ બાબતને રેખાંકિત કરવામાં આવી છે કે રાષ્ટ્રની અખંડિતતા સુનિશ્ચિત કરવા માટે ભાઈચારો હોવો જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટૂંકમાં જાતિ ગણતરીને સંઘનું સમર્થન એમ જ નથી આવ્યું, તેની પાછળ દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી મતદારોની બીક છે. લોકસભા ચૂંટણીમાં વિપક્ષોએ દલિતો-આદિવાસીઓ અને ઓબીસી સમાજને બંધારણ બદલીને હિંદુ રાષ્ટ્ર લાગુ કરવાની સંઘની વર્ષો જૂની મહેચ્છાને ખૂલ્લી પાડી દીધી હતી, તેનાથી ભાજપ 240માં સમેટાઈ ગયો હતો. હવે વિપક્ષોએ ફરી આ જ સમાજના લોકોને સ્પર્શતો જાતિ ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો છે અને તેની અસર પણ સ્પષ્ટ વર્તાઈ રહી હોવાથી સંઘ કોઈ જોખમ લેવા માંગતો નથી. એટલે જાતિ ગણતરીને સંઘના મૂક સમર્થન પાછળ દેશના દલિતો-આદિવાસીઓના મતોની તાકાત કામ કરી ગઈ છે તે સ્પષ્ટપણે લાગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/now-to-indulge-the-dalits-the-vishwa-hindu-parishad-will-go-and-eat-at-their-homes">હવે દલિતોને રીઝવવા વિશ્વ હિંદુ પરિષદ તેમના ઘરે જઈને ભોજન કરશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 04 Sep 2024 09:35:15 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1159</Articleid>
                    <excerpt>ભાજપ અને પીએમ મોદી જાતિ ગણતરીના મુદ્દાથી સતત મોં ફેરવતા રહ્યાં છે. પણ હવે RSS એ તેનું સમર્થન કર્યું છે. સવાલ એ છે કે, સંઘ પર એવું ક્યું દબાણ કામ કરી ગયું?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d7da33a6678.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d7da3370d3a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d7da3370d3a.jpg" length="54600" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>RSS, Mohan Bhagwat, Caste enumeration</media:keywords>
                </item>
                        <item>
                    <title>ફરીદાબાદમાં ગૌરક્ષકોએ વિદ્યાર્થીને ગૌતસ્કર સમજી ગોળી મારી દીધી</title>
                    <link>https://khabarantar.com/In-faridabad-the-guarakshak-shot-the-student-mistaking-him-for-a-gautaskar</link>
                    <guid>https://khabarantar.com/In-faridabad-the-guarakshak-shot-the-student-mistaking-him-for-a-gautaskar</guid>
                    <description>
                        <![CDATA[ દેશભરમાં કથિત ગૌરક્ષકોનો આતંક ચરમસીમા પર છે ત્યારે ફરીદાબાદમાં એક બ્રાહ્મણ વિદ્યાર્થીને ગૌરક્ષકોએ ગૌતસ્કર સમજી તેની હત્યા કરી દીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Faridabad Aryan Mishra Murder: કેન્દ્રમાં જ્યારથી મોદી સરકાર સત્તામાં આવી છે ત્યારથી કથિત ગૌરક્ષકોનો આતંક ચરમસીમા પર પહોંચી ગયો છે. ગુજરાતમાં ઉનાકાંડ તેનું સૌથી મોટું ઉદાહરણ ગણી શકાય. આ સિવાય ખાસ કરીને લઘુમતી સમાજના લોકોને ટાર્ગેટ કરવા માટે સત્તાપક્ષે પ્રેરિત કથિત ગૌરક્ષકોના આતંકની બીજ પણ અનેક ઘટનાઓ આપણી સામે છે. ત્યારે હવે ગૌરક્ષકોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે અને તેમાં લઘુમતી સમાજના લોકોને બદલે એક બ્રાહ્મણ યુવકની ગૌરક્ષકોએ હત્યા કરી નાખી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના હરિયાણાની છે, જ્યાં ગૌરક્ષકોનો આતંક સામે આવ્યો છે. દિલ્હીની બાજુમાં આવેલા ફરીદાબાદમાં ધોરણ 12માં ભણતા આર્યન મિશ્રાનો ગૌરક્ષકોએ કથિત રીતે પહેલા પીછો કર્યો હતો અને બાદમાં તેને ગૌતસ્કર સમજીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 23 ઓગસ્ટની આ ઘટનામાં પોલીસે ગૌરક્ષક ગેંગના 5 સાગરિતોની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ અનિલ કૌશિક, વરુણ, ક્રિષ્ના, આદેશ અને સૌરભ તરીકે થઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક આર્યન મિશ્રા અને તેના મિત્રો શેન્કી અને હર્ષિતને ગૌતસ્કર સમજીને આરોપીઓએ દિલ્હી-આગ્રા નેશનલ હાઈવે પર ફરિદાબાદમાં ગઢપુરી નજીક લગભગ 30 કિલોમીટર સુધી તેમની કારનો પીછો કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૌરક્ષકોને માહિતી મળી હતી કે રેનોલ્ટ ડસ્ટર અને ટોયોટા ફોર્ચ્યુનર કારમાં કેટલાક પશુ તસ્કરો શહેરની રેકી કરી રહ્યાં છે અને પશુઓને ઉપાડી રહ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bjp-mla-cut-the-cake-after-getting-bail-to-the-gang-rape-accused">ગેંગરેપના આરોપીઓને જામીન મળતા ભાજપના ધારાસભ્યે કેક કાપી?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પકડાયેલા આરોપીઓ ગૌતસ્કરોને શોધી રહ્યા હતા ત્યારે પટેલ ચોકમાં એક ડસ્ટર કાર જોવા મળી હતી. એ પછી તેમણે કાર ચલાવી રહેલા હર્ષિતને રોકાવા માટે કહ્યું. જો કે, આર્યન અને તેના મિત્રો રોકાયા નહોતા કારણ કે શેન્કીને બીજા કેટલાક લોકો સાથે દુશ્મની હતી તેથી તેમને લાગ્યું કે તેમણે શેન્કીને મારવા માટે ગુંડાઓ મોકલ્યા હશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે કાર ન રોકાઈ ત્યારે આરોપીઓએ કાર પર ગોળીબાર કર્યો અને એક ગોળી આગળની સીટ પર બેઠેલા આર્યન મિશ્રાના ગળા પાસે વાગી. જ્યારે કાર આખરે રોકાઈ ત્યારે તો ફરીથી તેને ગોળી મારી દેવાઈ. આવું કરતી વખતે ગૌરક્ષકોને કાયદો વ્યવસ્થાની જરા પણ બીક લાગી નહોતી. તેઓ ટ્રેઈન થયેલા આતંકવાદીઓની જેમ ગોળીબાર કરી રહ્યા હતા. પણ જ્યારે તેમણે કારમાં બે મહિલાઓને બેઠેલી જોઈ ત્યારે તેઓ સમજી ગયા કે તેમણે ખોટા યુવકની હત્યા કરી છે અને તેઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન આર્યન મિશ્રાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત થઈ ગયું હતું. સૂત્રોએ જણાવ્યું કે આ ઘટનામાં જે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પણ ગેરકાયદેસર હતું. આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ ચાલી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં કથિત ગૌ રક્ષકોનો આતંક વધી રહ્યો છે. તાજેતરમાં ચરખીદાદરીમાં કચરો વીણી રહેલા એક બંગાળી મજૂર સાબીરની ગૌમાંસ ખાવાની શંકામાં હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પર હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ નિવેદન આપ્યું હતું કે ગામડાઓમાં ગાયોનું ઘણું સન્માન છે. જો ગ્રામજનોને ખબર પડી જાય તો તેમને રોકવા મુશ્કેલ બની જાય છે. ચરખીદાદીની આ ઘટના પર ઢાંકપિછોડો કરવામાં આવ્યો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/8-persons-gang-raped-a-tribal-girl-at-the-fair">મેળામાં આવેલી આદિવાસી યુવતી પર 8 શખ્સોએ સામૂહિક બળાત્કાર કર્યો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ મેવાતમાં પણ આવી ઘટનાઓ બની છે, જ્યારે કથિત ગૌરક્ષકોએ કાયદો હાથમાં લઈને આવી ઘટનાઓને અંજામ આપ્યો હતો. વલ્લભગઢમાં જુનૈદ નામના યુવકની ચાલતી ટ્રેનમાં અસામાજિક તત્વો દ્વારા આવી જ રીતે હત્યા કરવામાં આવી હતી, પરંતુ આ મામલો ટ્રેનની સીટ વિવાદ સાથે જોડાયેલો હતો. ગુડગાંવના કથિત ગૌરક્ષકોએ રાજસ્થાનથી પશુપાલકોને ઉપાડીને અને ભિવાની પાસે તેમના વાહન સાથે તેમને જીવતા સળગાવી દીધા હતા. કેન્દ્રમાં જ્યારથી મોદી સરકાર સત્તામાં આવી છે ત્યારથી ભાજપશાસિત રાજ્યોમાં આ રીતે કથિત ગૌરક્ષકો કાયદો હાથમાં લઈને ગમે તે વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં જરાય ખચકાતા નથી. ગુજરાતમાં પણ ઉનાકાંડ વખતે દુનિયા આખીએ આવા કથિત ગૌરક્ષકોનું ભયાનક સ્વરૂપ નજરે જોયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/controversy-over-names-of-terrorists-bhola-and-shankar-in-ic-814-web-series">અનુભવ સિંહાની વેબસિરીઝમાં આતંકવાદીઓના નામ 'ભોલા' અને 'શંકર' ને લઈને વિવાદ થયો</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 03 Sep 2024 14:41:40 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 03 Sep 2024 14:57:05 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1157</Articleid>
                    <excerpt>દેશભરમાં કથિત ગૌરક્ષકોનો આતંક ચરમસીમા પર છે ત્યારે ફરીદાબાદમાં એક બ્રાહ્મણ વિદ્યાર્થીને ગૌરક્ષકોએ ગૌતસ્કર સમજી તેની હત્યા કરી દીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d6d2bc6f02d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d6d2bc389cf.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d6d2bc389cf.jpg" length="88816" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Faridabad, Aryan mishra, murder, Gaurakshak, shot dead, Gautaskar</media:keywords>
                </item>
                        <item>
                    <title>કેરળમાં RSS ની બેઠકમાં ક્યા ક્યા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી?</title>
                    <link>https://khabarantar.com/which-issues-were-discussed-in-the-rss-meeting-in-kerala</link>
                    <guid>https://khabarantar.com/which-issues-were-discussed-in-the-rss-meeting-in-kerala</guid>
                    <description>
                        <![CDATA[ કેરળના પલક્કડમાં RSS ની ત્રણ દિવસની સંકલન બેઠક ગઈકાલે સમાપ્ત થઈ ગઈ. સંઘની કથની અને કરણીમાં આભજમીનનું અંતર હોય છે, જે અહીં પણ જોવા મળ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેરળના પલક્કડમાં RSS ની સંકલન બેઠક ગઈકાલે પૂર્ણ થઈ ગઈ. બીજા દિવસે કુલ ૫ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સત્રોને જૂથોમાં વહેંચીને ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ, સુરક્ષા, આર્થિક નીતિ અને સામાજિક સમરસતા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સંકલન બેઠકમાં સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, "રાજકીય પક્ષો ભારતના હિંદુ સમાજને જાતિ વર્ગોમાં તોડવાનો પ્રયાસ કરતા રહેશે પરંતુ સંઘનું કામ સામાજિક સમરસતા જાળવવાનું અને બધાને સાથે રાખવાનું છે. આપણે સંઘની વિચારસરણીના આધારે બધાને સાથે લઈને ચાલવાનું છે. સામાજિક સમરસતા જાળવવી એ આપણી ફરજ છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રોના જણાવ્યા અનુસાર ભાગવતે કહ્યું કે, સામાજિક વર્ગીકરણના પણ ઘણાં પરિમાણો છે. રાજકીય પક્ષો પોતાના સ્વાર્થે આવી માંગણીઓ કરતા રહેશે. આવું થવું જોઈએ કે નહીં એ સરકાર અને કોર્ટનું કામ છે. આપણે એ કામ કરતા રહેવાનું છે જે આપણું છે અને જેના માટે સંઘની રચના થઈ છે. બધાંને સાથે લઈને સમાજમાં ભેદભાવ દૂર કરવા સતત પ્રયત્નો કરવા. આ માટે સમાજમાં સામાજિક પ્રવૃતિઓને લગતી કામગીરી તેજ કરવી પડશે. લોકોમાં પરસ્પર ભાઈચારો અને પ્રેમ જળવાઈ રહેવો જોઈએ. તો જ સંવાદિતાની અસર જોવા મળશે. (જો કે આ જ સંઘ પર દેશની સામાજિક એકતાને તોડવાના આરોપો લાગતા રહે છે. હિંદુ મુસ્લિમ દંગાઓ પાછળ સંઘની સંસ્થાઓની ભૂમિકાથી કોઈ અજાણ નથી. સંઘની કથની અને કરણીમાં અંતર સમજી શકાય છે. સંઘ જાહેરમાં જે કહે છે, અંદરખાને તેનાથી તદ્દન ઉલટું કરે છે.)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે બાકીના સત્રોમાં શિક્ષણના મુદ્દા પર વિગતવાર ચર્ચા અને અસર તરીકે એક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સંબંધિત સંસ્થાઓ વચ્ચે સંકલન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સત્રમાં ભારત સરકારની નવી શિક્ષણ નીતિ અંગે ચર્ચા થઈ હતી. જેમાં મુખ્યત્વે તેનો ક્યાં અમલ થયો તેની ચર્ચા કરવામાં આવી હતી. નવી શિક્ષણ નીતિની શિક્ષણ અને સમાજના ક્ષેત્ર પર શું અસર પડી? તેની ચર્ચા કરાઈ હતી. (સંઘની રાજકીય પાંખ ભાજપ હાલ સત્તામાં છે અને તેના થકી તે શિક્ષણમાં સંઘની વિચારધારાને લોકો પર થોપી રહી છે. દેશની શાળાઓના અભ્યાસક્રમોમાં સંઘી વિચારધારાને લગતા પાઠ અને અભ્યાસક્રમો દાખલ કરાઈ રહ્યાં છે. દલિત, આદિવાસી, ઓબીસી વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પર કાપ મૂકાઈ રહ્યો છે, જેથી તેઓ ભણી ન શકે.)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/now-to-indulge-the-dalits-the-vishwa-hindu-parishad-will-go-and-eat-at-their-homes"><span style="font-size: 14pt;">હવે દલિતોને રીઝવવા વિશ્વ હિંદુ પરિષદ તેમના ઘરે જઈને ભોજન કરશે</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરએસએસની બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. જેમાં બાંગ્લાદેશમાં ઉથલપાથલને કારણે ભારતની સુરક્ષાની ચિંતાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, આ ઉપરાંત પડોશી દેશ ચીન, અફઘાનિસ્તાન સહિત અન્ય દેશો તરફથી વધી રહેલા જોખમોને ધ્યાનમાં રાખીને દેશની સુરક્ષા વ્યવસ્થાને લઈને વ્યાપક રણનીતિ હેઠળ પગલાં લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. (ચીન મુદ્દે ભાજપની સરકારે કાયમ મૌન સેવ્યું છે. ચીને અત્યાર સુધીમાં ભારતની સરહદે અનેકવાર ઘૂસણખોરી કરી છે, છતાં ભાજપ સરકાર કોઈ ઘૂસા નહીં કહીને મૌન રહે છે. આ હકીકત છે.)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંતર્ગત બાંગ્લાદેશના લઘુમતી હિન્દુઓની સુરક્ષા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર, તેમના વિસ્થાપનની સમસ્યા અને તેમના પુનર્વસન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દે સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે તે સિવાય બીજું શું કરી શકાય તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. (સંઘને બાંગ્લાદેશના હિંદુઓની ચિંતા થાય છે, પણ ભારતમાં જ હિંદુઓ ગરીબી, બેકારી, ભૂખમરો, બેરોજગારીથી ત્રસ્ત થઈ રહ્યાં છે તેના વિશે તે ભાજપને કશું કહીને કરાવતો નથી. યુવાનોને ગરીબ રાખીને અદાણી જેવા લોકો થકી દેશ પર નિયંત્રણ રાખવાનું કાવતરું લોકો સમજી રહ્યાં છે.)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય સુરક્ષાને લઈને જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર પણ ચર્ચા થઈ હતી. જમ્મુ-કાશ્મીર અને ખીણમાં હિંદુઓ માટે આગામી ખતરા અંગે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. રાજ્યમાં અશાંતિ ફેલાવવાના પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <span style="font-size: 14pt;">RSSના મુખપત્ર ‘પાંચજન્ય’માં જાતિ પ્રથાને 'જરૂરી' ગણાવવામાં આવી</span></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, કેરળના પલક્કડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ની બેઠકનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. ૩૧ ઓગસ્ટથી શરૂ થયેલી સંઘની બેઠકના છેલ્લાં દિવસે ભાજપ સહિત સંઘના ૩૨ સહયોગી સંગઠનો સાથે જોડાયેલા લોકોએ ભાગ લીધો હતો. ૧ ઓગસ્ટના રોજ આ બેઠકમાં સામાજિક સમરસતા પર લાંબી ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન, વિપક્ષ દ્વારા છેલ્લાં ઘણાં વર્ષોમાં ઉઠાવવામાં આવેલી જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દે સંઘનું માનવું છે કે સામાજિક સમરસતા હેઠળ હિન્દુત્વના મુદ્દા સાથે સમાજને જાતિઓમાં વહેંચાતા અટકાવી શકાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ૨૦૨૪ની ચૂંટણી પછી સંઘ અને તેના સહયોગી દળો વચ્ચે આ પહેલી સંકલન બેઠક હતી. સંઘ શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તન - સામાજિક સમરસતા, પારિવારિક જ્ઞાન, પર્યાવરણ સંરક્ષણ, રાષ્ટ્રીય ઓળખ અને નાગરિક ફરજના આધારે દેશવ્યાપી સામાજિક પરિવર્તનનું આયોજન કરી રહ્યું છે. શતાબ્દી વર્ષમાં સંઘ પંચ પરિવર્તન અંતર્ગત સામાજિક સમરસતામાં દેશવ્યાપી પરિવર્તન માટે અભિયાન ચલાવશે. સંઘની સંકલન બેઠકમાં સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે દ્વારા સામાજિક સમરસતાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને સંઘના અનેક અધિકારીઓ અને સંઘની સહયોગી સંસ્થાઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોના કેન્દ્રીય અધિકારીઓએ પણ બેઠકમાં પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાની વિગતો શેર કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેઠકમાં, જેપી નડ્ડા અને ભાજપ મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષે પાર્ટીના સભ્યપદ અભિયાન અને આંતરિક ચૂંટણીઓની વિગતો શેર કરી હતી. બેઠક દરમિયાન જેપી નડ્ડા સંઘ પ્રમુખ ભાગવત અને અન્ય સહિત સંઘના ટોચના અધિકારીઓને પણ મળ્યા હતા. સંઘના અધિકારીઓ અને જેપી નડ્ડા વચ્ચેની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ હતી, કારણ કે લોકસભા ચૂંટણી પહેલા જેપી નડ્ડાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પાર્ટી હવે આર્ત્મનિભર છે અને તેને સંઘના સમર્થનની જરૂર નથી</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/ambedkarism-will-be-tested-in-2024-elections">2024ની ચૂંટણીમાં આંબેડકરવાદની કસોટી થશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 03 Sep 2024 09:27:48 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 03 Sep 2024 14:55:53 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1153</Articleid>
                    <excerpt>કેરળના પલક્કડમાં RSS ની ત્રણ દિવસની સંકલન બેઠક ગઈકાલે સમાપ્ત થઈ ગઈ. સંઘની કથની અને કરણીમાં આભજમીનનું અંતર હોય છે, જે અહીં પણ જોવા મળ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d68870b6091.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d6887086cf3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d6887086cf3.jpg" length="116180" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>RSS, Palakkad, Kerala</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગેંગરેપના આરોપીઓને જામીન મળતા ભાજપ ધારાસભ્યે કેક કાપી?</title>
                    <link>https://khabarantar.com/bjp-mla-cut-the-cake-after-getting-bail-to-the-gang-rape-accused</link>
                    <guid>https://khabarantar.com/bjp-mla-cut-the-cake-after-getting-bail-to-the-gang-rape-accused</guid>
                    <description>
                        <![CDATA[ IIT-BHU માં વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપમાં તત્કાલિન ભાજપ આઈટી સેલના બે આરોપીઓ જામીન પર છુટ્યા છે. બંનેનું ફૂલહારથી સ્વાગત કરી મોં મીઠું કરાવાયું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના વારાણસીની આઈઆઈટી બીએચયુની બીટેકની એક વિદ્યાર્થિની સાથે ગેંગરેપ થયો હતો. આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. જે પૈકી બે આરોપીઓ હાલમાં જામીન પર બહાર આવ્યા છે. આંચકો લાગે તેવી વાત એ છે કે, બંને આરોપીઓનું બિલકિસ બાનોના બળાત્કારીઓની જેમ ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમનું મોં મીઠું કરાવાયું હતું. ત્રણ આરોપીઓ પૈકી બે આરોપીઓ તે સમયે ભાજપના આઈટી સેલ સાથે જોડાયેલા હતા.</span><br><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે આરોપીઓ કુણાલ પાંડે, અભિષેક ચૌહાણ, અક્ષમ પટેલમાંથી બે કથિત રીતે ભાજપના આઇટી સેલ સાથે જોડાયેલા હતા. હાલ કુણાલ પાંડે અને અભિષેક ચૌહાણને હાઇકોર્ટ દ્વારા જામીન મળી ગયા છે. </span><br><span style="font-size: 14pt;">ગયા વર્ષે નવેમ્બર મહિનામાં આઇઆઇટી બીએચયુના કેમ્પસમાં જ ગેંગરેપની ઘટના સામે આવી હતી. જે બાદ પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી હતી. ધરપકડના આઠ જ મહિનામાં બે આરોપીઓ છુટી ગયા છે અને ત્રીજો આરોપી પણ ટૂંક સમયમાં છુટી જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. </span><br><span style="font-size: 14pt;">કુણાલ પાંડે ૨૪ ઓગસ્ટે અને અભિષેક ચૌહાણ ૨૯મી ઓગસ્ટના રોજ છુટી ગયો હતો. જે બાદ તેમના વિસ્તારમાં તેમનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આંચકો લાગે તેવી વાત એ છે કે આ ત્રણેય આરોપીઓએ પોતાના ગુનાની કબુલાત પણ કરી લીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/i-had-cast-15-fake-votes-bjp-workers-video-created-uproar">15 નકલી મત તો મેં નાખ્યા હતાઃ ભાજપના કાર્યકરના દાવાના વીડિયોથી હોબાળો મચ્યો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપીઓએ સ્વીકાર કર્યો હતો કે તેમણે ૨૦ વર્ષીય વિદ્યાર્થિનીનું અપહરણ કર્યું અને બંદુક બતાવી તેને કપડાં ઉતારવા મજબૂર કરી હતી અને તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. ડીસીપી આર. એસ. ચૌહાણના જણાવ્યા મુજબ આરોપીઓ સામે NSA, ઉત્તર પ્રદેશ ગેંગસ્ટર એક્ટ અને એન્ટિ સોશિયલ એક્ટિવિટી પ્રિવેંશન એક્ટ હેઠળ પણ ગુના દાખલ કરાયા છે. </span><br><span style="font-size: 14pt;">ગેંગરેપના આ આરોપીઓના ફૂલહારથી સ્વાગત દરમિયાન બીજી પણ એક ઘટના સોશિયલ મીડિયામાં જોરદાર રીતે વાયરલ થઈ છે. જેમાં બંને આરોપીઓ વારાણસી કેંટના ભાજપના ધારાસભ્ય(Varanasi Cant MLA) સૌરભ શ્રીવાસ્તવ(Saurabh Srivastava) સાથે કેક કાપતા જોવા મળ્યા હતા. ધારાસભ્ય તેમને મોં પર કેક લગાવતા જોવા મળી રહ્યાં છે. આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા સૌ કોઈએ ગેંગરેપના આરોપીઓનું ભાજપના ધારાસભ્ય સાથે જોડાણને લઈને આકરી ટીકાઓ કરી હતી. આ તસવીરો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા ભાજપના ધારાસભ્યે સ્પષ્ટતા કરી હતી કે આ ફોટાં પાંચ વર્ષ જૂના છે. જો કે લોકોને હજુ પણ તેમની આ સ્પષ્ટતાને શંકાની નજરે જોઈ રહ્યાં છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/radical-casteism-the-temple-itself-was-demolished-to-prevent-dalits-from-entering-the-temple">કટ્ટર જાતિવાદઃ દલિત મંદિરમાં ન પ્રવેશી જાય એટલે મંદિર જ તોડી નાખ્યું</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 02 Sep 2024 10:17:24 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1148</Articleid>
                    <excerpt>IIT-BHU માં વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપમાં તત્કાલિન ભાજપ આઈટી સેલના બે આરોપીઓ જામીન પર છુટ્યા છે. બંનેનું ફૂલહારથી સ્વાગત કરી મોં મીઠું કરાવાયું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d540f29716a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d540f2655ce.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d540f2655ce.jpg" length="84477" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>UP, IIT-BHU, Gang rape  accused, BJP IT Cell, MLA Cake cutting, Saurabh Srivastava</media:keywords>
                </item>
                        <item>
                    <title>આજથી રાજ્યના 8000 જૂનિયર તબીબો હડતાળ પર ઉતરશે</title>
                    <link>https://khabarantar.com/8000-junior-doctors-of-the-state-will-go-on-strike-from-today</link>
                    <guid>https://khabarantar.com/8000-junior-doctors-of-the-state-will-go-on-strike-from-today</guid>
                    <description>
                        <![CDATA[ રાજ્ય સરકારે જૂનિયર તબીબોના સ્ટાઈપેન્ડમાં કરેલો વધારો તબીબોને ઓછો પડ્યો છે અન તેઓ ફરી હડતાળ પર ઉતરી ગયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Junior doctors strike:રાજ્ય સરકાર દ્વારા જૂનિયર અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઈપેન્ડમાં વધારો કરવા છતાં રાજ્યના રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી ગયા છે. સરકાર દ્વારા કરાયેલો સ્ટાઈપેન્ડ વધારો ઓછો મળતા તબીબો સરકારથી નારાજ છે. પાંચ વર્ષે કરાયેલો સ્ટાઈપેન્ડ વધારો 40% ના બદલે માત્ર 20% થતા તબીબો નારાજ થયા છે. અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજ સહિત રાજ્યના કુલ 8 હજાર તબીબો આવતીકાલથી હડતાળ પર જશે. તબીબોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને અનેક રજૂઆત કરી છતાં અમારી માંગ પૂરી ન થઈ. દર ત્રણ વર્ષે થતું સ્ટાઈપેન્ડ પાંચ વર્ષે આપ્યું, એમાં પણ 20% ઓછું આપ્યું છે. જ્યાં સુધી અમારી માગ નહિ સ્વીકારે ત્યાં સુધી અમારી હડતાળ રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનિયર ડોક્ટર એસોસિયેશનના વાઈસ પ્રેસિડન્ટ શશાંક આસરાએ મીડિયાને જણાવ્યું હતું કે, અમારો આશય દર્દીઓને હાલાકી પડે તે નથી હોતો, પણ સરકાર અમારી સાથે અન્યાય કરે છે. આવતીકાલથી અમે હડતાળ પર ઉતરીશું. ઓપીડી અને ઇમરજન્સી સેવાથી અળગા રહીને અમારો વિરોધ વ્યક્ત કરીશું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શનિવારે રાજ્ય સરકારે જુનિયર તબીબો અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઈપેન્ડમાં વધારો કર્યો છે. ત્યારે રવિવારે અમદાવાદ બીજે મેડિકલ કોલેજ પરિસર ખાતે રેસિડેન્ટ અને જૂનિયર તબીબોએ હડતાળની જાહેરાત કરી છે. તબીબોની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે રાજ્ય સરકારે 9 જુલાઈના રોજ 40 ટકા સ્ટાઈપેન્ડ આપવાનું આશ્વાસન આપશે એવું નિવેદન આપ્યું હતું. જે બાદ સરકારે માત્ર 20 ટકા પગાર વધારો આપ્યો છે. બીજી તરફ વર્ષ 2021 બાદ વર્ષ 2024 માં રાજ્ય સરકારે સ્ટાઈપેન્ડમાં વધારો કર્યો અને જે પરિપત્રમાં આગામી 5 વર્ષ સુધી સ્ટાઈપેન્ડ વધારો નહિ કરવાના લેખિતમાં આદેશ કરાયા છે. એટલે કે વર્ષ 2024 માં મળેલા સ્ટાઈપેન્ડ બાદ વર્ષ 2029 માં તબીબોને સ્ટાઈપેન્ડ મળશે. જે મામલે આવતીકાલથી સમગ્ર રાજ્યભરના 4000 જેટલા રેસિડેન્ટ અને જૂનિયર ડોકટર અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Emergency-like-situation-in-health-sector-in-Gujarat,-shortage-of-1327-doctors-in-government-hospitals"> Gujaratમાં આરોગ્ય ક્ષેત્રે કટોકટી જેવી હાલત, સરકારી હોસ્પિટલોમાં 1327 ડોક્ટરોની અછત</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તબીબોએ એ પણ જાહેરાત કરી છે કે હડતાળના પગલે ઇમરજન્સી સેવાઓથી પણ તમામ તબીબો વંચિત રહેશે. સરકારે શનિવારે કરેલા સ્ટાઈપેન્ડ વધારામાં રાજ્યની છ સરકારી અને 13 GMERS કોલેજના ઈન્ટર્ન, અનુસ્નાતક અને રેસિડેન્ટ તબીબ આવરી લેવામાં આવ્યા હતા. નવા સ્ટાઈપેન્ડના દર અનુસાર મેડિકલ ઈન્ટર્નને 21840, ડેન્ટલમાં 20160, ફિઝિયોથેરાપીમાં 13440 સ્ટાઈપેન્ડ મળશે. ડિગ્રીના રેસિડેન્ટ તબીબોને પ્રથમ વર્ષમાં 1,00,800, બીજા વર્ષમાં 1,02,480, ત્રીજા વર્ષમાં 1,34,400 સ્ટાઈપેન્ડ ચૂકવાશે. મેડિકલ રેસિડેન્ટ ડિપ્લોમાને પ્રથમ વર્ષમાં 75600 અને બીજા વર્ષમાં 82320 સ્ટાઈપેન્ડ ચૂકવાશે. GMERS મેડિકલ કોલેજના અનુ સ્નાતક જુનિયર અને સિનિયર રેસિડેન્ટ તબીબોમાં પ્રથમ વર્ષે 1,00,800 બીજા વર્ષમાં 1,02,480,ત્રીજા વર્ષે 1,05,000 સ્ટાઈપેન્ડ મળનાર છે</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ઈન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઈપેન્ડમા વધારો કરવામાં આવ્યો છે. હવેથી તેઓને વધારે સ્ટાઈપેન્ડ મળશે. એટલે કે આ તબીબોના પગારમાં વધારો કરાયો છે. સરકારી મેડિકલ કૉલેજના મેડિકલ ઈન્ટર્ન તબીબને રૂપિયા 21,840 સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. તો અન્ય સ્ટ્રીમમાં પણ વધારો કરાયો છે. રાજ્યની 6 સરકારી અને 13 GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) સંચાલિત મેડિકલ કૉલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશ્યાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટ્સ તબીબોને મળતા સ્ટાઇપેન્ડના દરમાં વધારો કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા આ સ્ટાઇપેન્ડ વધારાનો હુકમ તા. 01/04/2024ની અસરથી અમલમાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તદ્ઉપરાંત GMERS સંચાલિત મેડિકલ કૉલેજના સ્નાતકના ઇન્ટર્ન્સને રૂ. 21,840, જૂનિયર રેસિડન્ટ્સને રૂ.1,00,800 અને સિનિયર રેસિડન્ટ્સ ને રૂ. 1,10,880 ચૂકવવામાં આવશે. GMERS સંચાલિત મેડિકલ કૉલેજના અનુસ્નાતકના જૂનિયર અને સિનિયર રેસિડન્ટ તબીબોને પ્રથમ વર્ષમાં રૂ. 1,00,800, બીજા વર્ષમાં રૂ. 1,02,480, ત્રીજા વર્ષમાં રૂ. 1,05,000 ચોથા વર્ષમાં (સિનિયર રેસિડન્ટ અને ક્લિનિકલ આસિસ્ટન્ટ)ને રૂ. 1,10,880 સ્ટાઇપેન્ટ ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ સ્ટાઇપેન્ડ વધારાનો હુકમ તા. 01/04/2024ની અસરથી અમલમાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/more-than-150-cleaners-of-ahmedabads-svp-hospital-on-strike">અમદાવાદની SVP હોસ્પિટલના 150થી વધુ સફાઈકર્મીઓ હડતાલ પર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 01 Sep 2024 21:48:49 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1147</Articleid>
                    <excerpt>રાજ્ય સરકારે જૂનિયર તબીબોના સ્ટાઈપેન્ડમાં કરેલો વધારો તબીબોને ઓછો પડ્યો છે અન તેઓ ફરી હડતાળ પર ઉતરી ગયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d4936faf51e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d4936f7913f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d4936f7913f.jpg" length="66409" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Strike, Junior doctors strike</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થિની સાથે વંશીય ભેદભાવ કરાયો</title>
                    <link>https://khabarantar.com/an-indian-student-was-racially-discriminated-against-in-oxford-university</link>
                    <guid>https://khabarantar.com/an-indian-student-was-racially-discriminated-against-in-oxford-university</guid>
                    <description>
                        <![CDATA[ બ્રિટનની વિખ્યાત ઓફ્સફોર્ડ યુનિવર્સિટી(oxford university)માં એક ભારતીય વિદ્યાર્થિની સાથે વંશીય ભેદભાવનો કિસ્સો સામે આવ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Racial Discrimination at Oxford University: બ્રિટન (Britain) ની ઓક્સફોર્ડ યુનિવર્સિટી(oxford university)માં ભારતીય વિદ્યાર્થીનિ લક્ષ્મી બાલક્રિષ્ન(Lakshmi Balakrishnan)ને યુનિવર્સિટી પ્રશાસન પર વંશીય પક્ષપાત, ઉત્પીડન અને અન્યાયનો આરોપ લગાવ્યો છે. તમિલનાડુ(Tamil Nadu)ના મદુરાઈ(Madurai)ની રહેવાસી લક્ષ્મીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા રચવામાં આવેલી અપીલ અને ફરિયાદ પદ્ધતિ દ્વારા ન્યાય ન મળતાં તેણે કાનૂની કાર્યવાહી કરી હતી. લક્ષ્મીએ જણાવ્યું કે 2018માં તેણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં શેક્સપિયર(Shakespeare) પર પીએચડી(PhD) માટે સંશોધન(Research) કાર્ય શરૂ કર્યું હતું. નવેમ્બર 2021 માં આંતરિક મૂલ્યાંકન દરમિયાન મૂલ્યાંકનકર્તાઓએ તેને એ તર્ક આપીને નાપાસ કરી દીધી કે શેક્સપિયરમાં ડોક્ટરેટ(Doctorate) સ્તરના સંશોધનની કોઈ શક્યતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમિલનાડુની લક્ષ્મી બાલક્રિષ્નનનો આરોપ છે કે યુનિવર્સિટીને અપીલ અને ફરિયાદો કરવા છતાં આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. લક્ષ્મીએ પોતાની પીએડી થીસિસ(PhD Theses) રોકી દેવામાં આવી હોવાને લઈને કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. અહેવાલો અનુસાર, વિદ્યાર્થિનીએ નોકરીની આશાઓ ધૂંધળી થઈ જવાના આરોપ લગાવતા જણાવ્યું છે કે, તેની જગ્યાએ બે ગોરા વિદ્યાર્થિનીઓને મંજૂરી આપવાનો નિર્ણય વંશીય પૂર્વગ્રહથી પ્રેરિત છે. ઉલ્લેખનીય છે કે લગભગ એક વર્ષ પહેલા સપ્ટેમ્બર ૨૦૨૩માં તત્કાલિન સ્ટુડન્ટ યુનિયન(Student union)ના પ્રમુખ રશ્મિ સામંતે(Rashmi Samant) પણ વંશીય ભેદભાવના પોતાના અનુભવો શેર કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/ambedkars-treatise-on-the-rupee-has-a-clear-vision">રૂપિયા પર આંબેડકરના ગ્રંથમાં સ્પષ્ટ દ્રષ્ટિ છે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લક્ષ્મી બાલક્રિષ્નને કહ્યું કે, તે ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં ઑક્ટોબર ૨૦૧૮માં અંગ્રેજીમાં શેક્સપિયર પર Phd કરવા માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં(Oxford University) આવી હતી. નવેમ્બર ૨૦૨૧માં, આંતરિક મૂલ્યાંકન પ્રક્રિયા (જેને સંશોધનના ચોથા વર્ષમાં સ્થિતિની પુષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે) માં મૂલ્યાંકનકારોએ તેને એ તર્ક આપીને નાપાસ કરી કે શેક્સપિયરમાં ડોક્ટરેટ સ્તરના અભ્યાસનો અવકાશ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લક્ષ્મીએ આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટીનો આ ર્નિણય 'કરારનો ભંગ' છે. તેણીએ કહ્યું કે અરજી કરતી વખતે તેણે સ્પષ્ટ કર્યું હતું કે તેની પીએચડી થીસિસ શેક્સપિયર પર હશે. લક્ષ્મીના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીના વાંધાજનક નિર્ણય સામે અપીલ અને ફરિયાદોની પ્રક્રિયાનું પાલન કરવા છતાં તેને નિરાશા જ હાથ લાગી છે અને તેણે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની ફરજ પડી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય વિદ્યાર્થીનિ લક્ષ્મી બાલક્રિષ્નને આરોપ લગાવ્યો, 'હું મૂલ્યાંકનકર્તાઓના નિર્ણયને પડકારતી નથી, પરંતુ હું વંશીય પૂર્વગ્રહ અને પ્રક્રિયાગત અનિયમિતતાના આધારે નિર્ણયને પડકારી રહી છું.' લક્ષ્મીના જણાવ્યા પ્રમાણે, તેના પીએચડી રિસર્ચ પર લગભગ એક લાખ પાઉન્ડનો ખર્ચ કરવામાં આવ્યો છે. પણ યુનિવર્સિટીના નિર્ણયના કારણે તેને મોટું આર્થિક નુકસાન તો થયું જ છે, સાથે જ તેની નોકરીની શક્યતાઓ પણ ધૂંધળી બની ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય વિદ્યાર્થી લક્ષ્મીએ આરોપ લગાવ્યો કે તેના પીએચડી સંશોધનના મૂલ્યાંકનકર્તાઓ 'વંશીય પૂર્વગ્રહથી પ્રેરિત' હતા. આવું એટલા માટે લાગે છે કેમ કે, ઓક્ટોબર ૨૦૧૮માં જ ગોરા વિદ્યાર્થીઓની શેક્સપિયર પર આધારિત પીએચડી થીસીસ સ્વીકારવામાં આવી હતી. નાપાસ થયા પછી તેની સંમતિ વિના તેને બળજબરીથી અનુસ્નાતક અભ્યાસક્રમમાં મોકલવી તે ભેદભાવપૂર્ણ હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લક્ષ્મી બાલક્રિષ્નન પહેલા સપ્ટેમ્બર ૨૦૨૩માં રશ્મિ સામંતે પણ ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથેના પોતાના વંશીય ભેદભાવના અનુભવો વિશે વાત કરી હતી. ઓક્સફર્ડ સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખ તરીકે ચૂંટાઈને પ્રથમ ભારતીય બનવાનો રેકોર્ડ બનાવનારી રશ્મિએ એ ‘હિંદુ ઈન ઓક્સફોર્ડ’ (A Hindu in oxford) પુસ્તકમાં પોતાના પીડાજનક અનુભવો વિશે વિગતવાર વાત કરી હતી. રશ્મિના કહેવા પ્રમાણે તેણીને પ્રોફેસરોએ નિશાન બનાવી હતી અને એકલી પાડી દીધી હતી. તેણે કહ્યું કે ઉત્તમ શૈક્ષણિક રેકોર્ડ હોવા છતાં તેને રંગભેદનો શિકાર બનવું પડ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/today-poet-gautam-vegda-will-present-anti-caste-poems-at-stanford-university">આજે કવિ ગૌતમ વેગડા સ્ટેનફોર્ડ યુનિ.માં જાતિ વિરોધી કવિતાઓ રજૂ કરશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 01 Sep 2024 21:26:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1146</Articleid>
                    <excerpt>બ્રિટનની વિખ્યાત ઓફ્સફોર્ડ યુનિવર્સિટી(oxford university)માં એક ભારતીય વિદ્યાર્થિની સાથે વંશીય ભેદભાવનો કિસ્સો સામે આવ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d48e6b885d2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d48e6b55784.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d48e6b55784.jpg" length="63598" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>oxford university, Racial Discrimination</media:keywords>
                </item>
                        <item>
                    <title>નાયબ સેકશન અધિકારી/નાયબ મામલતદારની પરીક્ષાની નવી તારીખો જાહેર</title>
                    <link>https://khabarantar.com/new-dates-for-deputy-section-officer-deputy-mamlatdar-exam-announced</link>
                    <guid>https://khabarantar.com/new-dates-for-deputy-section-officer-deputy-mamlatdar-exam-announced</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા યુવાનો માટે મહત્વના સમાચાર આવ્યા છે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા યુવાનો માટે મહત્વના સમાચાર આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે GPSC એ નાયબ સેકશન અધિકારી/નાયબ મામલતદાર વર્ગ ૩ની મુખ્ય લેખિત પરીક્ષાની નવી તારીખો જાહેર કરી છે. આ પરીક્ષા હવે ૮, ૯, ૧૦ અને ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ લેવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ નવી તારીખો નોંધી લે અને તૈયારી કરવાનું ચાલુ રાખે. વધુ માહિતી માટે ઉમેદવારો GPSCની વેબસાઇટ પર જઈ શકે છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ પહેલા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની મુખ્ય લેખિત પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">GPSC એ પોતાના ઓફિશ્યિલ એક્સ હેન્ડલ પરથી આ માહિતી આપતા લખ્યું હતું કે, નોટિફિકેશન અનુસાર, જાહેરાત ક્રમાંક ૪૨/૨૦૨૩-૨૪ હેઠળની આ પરીક્ષા ૨૮ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન યોજાવાની હતી. પરંતુ રાજ્યના વિવિધ વિસ્તારોમાં થયેલા અતિભારે વરસાદ અને તેના કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/tribal-daughter-grazes-goats-despite-securing-824th-rank-in-jee"> JEEમાં 824મો રેન્ક મેળવ્યો છતાં આદિવાસી દીકરી બકરીઓ ચરાવે છે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ GPSC દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પરીક્ષાની નવી તારીખો વહેલી તકે જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ નિયમિતપણે GPSCની અધિકૃત વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર નજર રાખે. આ તારીખો હવે જાહેર કરવામાં આવી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પહેલા ગુજરાત જાહેર સેવા આયોગે આજે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ની જગ્યાઓ માટેની પ્રિલિમ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું. આ ભરતી જાહેરાત ક્રમાંક ૪૨/૨૦૨૩-૨૪ અંતર્ગત હાથ ધરવામાં આવી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">GPSC ના પ્રવક્તાએ જણાવ્યું કે, "૧૫ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ યોજાયેલી પ્રિલિમ કસોટીનું પરિણામ ૧૮ માર્ચ ૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં કુલ ૩,૩૪૨ ઉમેદવારોને સફળ જાહેર કરવામાં આવ્યા છે." સફળ થયેલા ઉમેદવારો હવે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠર્યા છે.  આ ભરતી પ્રક્રિયા રાજ્ય સરકારના વહીવટી તંત્રને વધુ મજબૂત બનાવવાના પ્રયાસનો એક ભાગ છે. આશા છે કે આ ભરતીથી રાજ્ય વહીવટમાં નવા પ્રતિભાશાળી યુવાનોનો સમાવેશ થશે. ઉમેદવારો વધુ માહિતી માટે GPSC ની ઓફિશ્યિલ વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/26-candidates-from-gujarat-appeared-in-upsc-final-4-in-top-100">UPSC ફાઈનલમાં ગુજરાતના 26 ઉમેદવારો ઝળક્યાં, ટોપ 100માં 4</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 01 Sep 2024 11:04:29 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1145</Articleid>
                    <excerpt>ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા યુવાનો માટે મહત્વના સમાચાર આવ્યા છે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d3fc1508e79.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d3fc14cca9d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d3fc14cca9d.jpg" length="77214" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>GPSC, Gpsc exam 2024</media:keywords>
                </item>
                        <item>
                    <title>15 નકલી મત તો મેં નાખ્યા હતાઃ ભાજપ કાર્યકરના વીડિયોથી હોબાળો મચ્યો</title>
                    <link>https://khabarantar.com/i-had-cast-15-fake-votes-bjp-workers-video-created-uproar</link>
                    <guid>https://khabarantar.com/i-had-cast-15-fake-votes-bjp-workers-video-created-uproar</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપ જ્યારથી સત્તામાં આવ્યો છે ત્યારથી તેના પર ચૂંટણીમાં ગેરરીતિઓ આચરીને જીતવાનો આક્ષેપ સમયાંતરે લાગતો રહે છે. હવે ભાજપના જ એક કાર્યકરે તેનો સ્વીકાર કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Sagar Loksabha News: છેલ્લી બે ટર્મથી જ્યારથી ભાજપ સત્તામાં છે ત્યારથી તેના પર ચૂંટણીઓમાં ઘાલમેલ કરીને જીતવાના આક્ષેપો લાગતા રહે છે. ઈવીએમમાં ચેડાં કર્યાના કેટલાક પુરાવા તો ગુજરાતની ચૂંટણીમાં પણ હાથ લાગ્યા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં દાહોદ બેઠક પર સંતરામપુરના પરથમપુર ગામે ભાજપ નેતાના પુત્રે બૂથ કેપ્ચર કરીને તેનો વીડિયો વાયરલ કર્યો હતો અને ચૂંટણી રોકવી પડી હતી. આ વીડિયોમાં ભાજપ નેતાનો પુત્ર વિજય ભાભોર કહેતો હતો કે મશીન-બશીન આપણા બાપનું છે. એ ઘટનાએ ભાજપ ઘાલમેલ કરીને ચૂંટણી જીતતો હોવાનો પુરાવો આપ્યો હતો. હવે આવો જ એક વધુ પુરાવો મધ્યપ્રદેશમાંથી ભાજપના જ એક નેતાના વાયરલ વીડિયોમાંથી સામે આવ્યો છે. જેમાં તે પોતે સ્વીકારે છે કે, 15 જેટલા ખોટા મત તેણે નાખ્યા હતા અને વિપક્ષના બૂથ એજન્ટને અંદર ઘૂસવા નહોતો દીધો. વાયરલ આ વીડિયોને લઈને દેશભરમાં હોબાળો મચી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરોનો મધ્યપ્રદેશમાં કથિત ચૂંટણી ગેરરીતિ અંગે ચર્ચા કરતો એક વીડિયો વાયરલ થયો છે. ફૂટેજમાં ભાજપના કાર્યકરો સાગર લોકસભાના સાંસદ લતા વાનખેડેને કોંગ્રેસના એજન્ટોને લટેરીમાં મતદાન મથકો પર બેસતા રોકવા વિશે કહેતા જોવા મળે છે. આ ખુલાસા બાદ કોંગ્રેસ પાર્ટીએ કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વીડિયો સામે આવ્યા બાદ લતા વાનખેડેની મુશ્કેલીઓ વધી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાગર લોકસભા બેઠકના સાંસદ લતા વાનખેડેએ વિદિશા જિલ્લાના લટેરી તાલુકાની મુલાકાત દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં લટેરી મ્યુનિસિપલ કાઉન્સિલના ચેરમેનના પતિ સંજય ભંડારી અને સિરોજ વિધાનસભા સીટના ભાજપના ધારાસભ્ય ઉમાકાંત શર્માના પ્રતિનિધિનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણીમાં બનેલી ઘટનાઓનો ઉલ્લેખ કરતા ભંડારીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસના એજન્ટોને ૧૩ મતદાન મથકોમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/looked-through-binoculars-but-ayodhyas-name-is-nowhere-in-the-budget-awadhesh-prasad"> <span style="font-size: 14pt;">દૂરબીનથી જોયું, પણ બજેટમાં ક્યાંય અયોધ્યાનું નામ નથીઃ અવધેશ પ્રસાદ</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લતા વાનખેડેનો આ વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસે ચૂંટણી પંચ અને કોર્ટ બંનેના દરવાજા ખટખટાવવાની તૈયારી કરી લીધી છે. કોંગ્રેસના બ્લોક પ્રમુખ યદુવીર સિંહ બઘેલે કહ્યું, “આ નિષ્પક્ષ ચૂંટણીનું સ્પષ્ટ ઉલ્લંઘન છે કારણ કે ભાજપના નેતાઓ પોતે ખોટું મતદાન કર્યાની વાત સ્વીકારી રહ્યા છે.” </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે, આ મામલે પોલીસને પણ અરજી આપવામાં આવશે. વીડિયોમાં ભાજપનો એક કાર્યકર કહી રહ્યો છે કે, “લોકસભાની ચૂંટણીમાં મેં અને મારી ટીમે કોંગ્રેસના એક પણ પોલિંગ એજન્ટને લટેરીના ૧૩ મતદાન મથકો પર બેસવા દીધા ન હતા. અમે તેના માટે લડ્યા હતા, આમાંથી કોઈ નહોતું લડ્યું."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારે નજીકમાંથી એક અવાજ સંભળાય છે કે, "જો મેં ૧૫ નકલી વોટ નાખ્યા હતા. જો જેલમાં જવાનું થયું હોત તો હું ગયો હોત." આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા દેશભરમાં હોબાળો મચી ગયો છે. આ વીડિયો 30 ઓગસ્ટ 2024ના રોજ એક પત્રકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વીડિયોને લઈને વિદિશા ભાજપ જિલ્લા પ્રમુખ રાકેશ જાદૌન પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, મેં હજુ એ વીડિયો જોયો નથી. આ ઘટનાને લઈને ફરી એકવાર ભાજપ તેના બૂથ કાર્યકરો અને પેજ પ્રમુખો દ્વારા ચૂંટણીમાં ઘાલમેલ કરતું હોવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જોવાનું એ છે કે, વિપક્ષ કોંગ્રેસ આ મામલે શું કાર્યવાહી કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </span><a href="https://khabarantar.com/in-west-bengal-a-bjp-leader-stripped-a-woman-and-threw-her-on-the-road"><span style="font-size: 14pt;">પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતાએ મહિલાને નિર્વસ્ત્ર કરી રોડ પર ઢસડી</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 01 Sep 2024 10:37:04 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1144</Articleid>
                    <excerpt>ભાજપ જ્યારથી સત્તામાં આવ્યો છે ત્યારથી તેના પર ચૂંટણીમાં ગેરરીતિઓ આચરીને જીતવાનો આક્ષેપ સમયાંતરે લાગતો રહે છે. હવે ભાજપના જ એક કાર્યકરે તેનો સ્વીકાર કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d3f660c0797.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d3f6608f474.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d3f6608f474.jpg" length="71727" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BJP, Sagar Loksabha News</media:keywords>
                </item>
                        <item>
                    <title>દેશમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનો દર વસ્તી વૃદ્ધિ દર કરતા ઊંચો</title>
                    <link>https://khabarantar.com/the-suicide-rate-of-students-in-the-country-is-higher-than-the-population-growth-rate</link>
                    <guid>https://khabarantar.com/the-suicide-rate-of-students-in-the-country-is-higher-than-the-population-growth-rate</guid>
                    <description>
                        <![CDATA[ NCRB ના ડેટાના આધારે એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દેશમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનો દર ભારતના વસ્તી વૃદ્ધિ દરની સરેરાશ કરતા ઉંચો હોવાનું સામે આવ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોટા જેવા એજ્યુકેશન હબમાં દર વર્ષે વિદ્યાર્થીઓની આત્મહત્યાના સમાચાર આવે છે ત્યારે બે ઘડી આપણે વિચારીએ છીએ કે તેને કદાચ ભણતરનું ભારણ વધુ હશે અથવા અન્ય કોઈ સમસ્યા હશે. પણ હાલમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના જે આંકડાઓ સામે આવ્યા છે તેણે સૌ કોઈને ચોંકાવી દીધાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આંકડાઓ મુજબ ભારતમાં વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનો દર દેશના વસ્તી વૃદ્ધિ દર કરતા વધારે છે. NCRB ના ડેટાના આધારે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સંકટ સતત વધી રહ્યું છે. દર વર્ષે આત્મહત્યાના દરમાં ૨ ટકાનો વધારો થાય છે, જ્યારે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૪ ટકાનો વધારો થઈ રહ્યો છે. IC-3 સંસ્થા દ્વારા તૈયાર કરાયેલ રિપોર્ટનું શીર્ષક છે ‘વિદ્યાર્થી આત્મહત્યાઃ ભારતમાં વકરતી જતી મહામારી’.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘છેલ્લા બે દાયકામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેસમાં ૪ ટકાના દરે વધારો થયો છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં બમણો છે. ૨૦૨૨માં આત્મહત્યા કરનારા કુલ વિદ્યાર્થીઓમાંથી ૫૩ ટકા છોકરાઓ હતા. ૨૦૨૧ અને ૨૦૨૨ની વચ્ચે તેમના આત્મહત્યાના કેસોમાં ૬ ટકાનો ઘટાડો થયો હતો અને છોકરીઓના આત્મહત્યાના કેસમાં ૭ ટકાનો વધારો થયો છે. આ આંકડા પરથી ખ્યાલ આવે છે કે, છોકરીઓ પણ શિક્ષણમાં ટોચનું સ્થાન હાંસલ કરવા દબાણ હેઠળ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/dalits-share-only-2.6-percent-of-the-countrys-wealth-89-percent-of-the-general"> </a></span></strong></span><a href="https://khabarantar.com/despite-a-budget-of-3-lakh-crore-1.2-crore-people-out-of-7-crore-are-poor-in-gujarat"><strong> 3 લાખ કરોડનું બજેટ છતાં ગુજરાતમાં 7 કરોડ પૈકી 1.2 કરોડ લોકો ગરીબ</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ એટલી ઝડપથી વધી છે કે વસ્તી વૃદ્ધિ દર કરતા પણ કુલ આત્મહત્યાના કેસની સરેરાશ વધારે છે. છેલ્લા દાયકામાં ભારતમાં ૦ થી ૨૪ વર્ષની વયજૂથના લોકોની સંખ્યા ૫૮૨ મિલિયનથી ઘટીને ૫૮૧ મિલિયન થઈ છે. તે જ સમયે વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેસો ૬,૬૫૪ની સામે વધીને ૧૩,૦૪૪ થઈ ગયા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે મહારાષ્ટ્ર, તમિલનાડુ અને મધ્યપ્રદેશમાં આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓની સરેરાશ સંખ્યા વધુ છે. આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓમાંથી ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ આ રાજ્યોમાંથી આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દક્ષિણ ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરીએ તો દેશમાં આત્મહત્યા કરનારા કુલ વિદ્યાર્થીઓમાંથી ૨૯ ટકા વિદ્યાર્થીઓ અહીંના છે. રાજસ્થાન આ મામલે ૧૦માં નંબર પર આવે છે. રાજસ્થાનના કોટા શહેરમાંથી અવારનવાર વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવાના અહેવાલો સામે આવે છે. આ રિપોર્ટ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટા પર આધારિત છે, જે દેશભરમાં નોંધાયેલી એફઆઈઆરને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/dalits-share-only-2.6-percent-of-the-countrys-wealth-89-percent-of-the-general"> </a></span><a href="https://khabarantar.com/dalits-share-only-2.6-percent-of-the-countrys-wealth-89-percent-of-the-general"><span style="font-size: 14pt;">દેશની સંપત્તિમાં દલિતોનો હિસ્સો ફક્ત 2.6 ટકા, જનરલનો 89 ટકા</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 01 Sep 2024 08:41:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1143</Articleid>
                    <excerpt>NCRB ના ડેટાના આધારે એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દેશમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનો દર ભારતના વસ્તી વૃદ્ધિ દરની સરેરાશ કરતા ઉંચો હોવાનું સામે આવ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d3dadce9391.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d3dadcb4dcf.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d3dadcb4dcf.jpg" length="82935" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>NCRB, Student suicide rate high</media:keywords>
                </item>
                        <item>
                    <title>આંધ્રપ્રદેશ સરકારે મંદિરના પૂજારીઓના પગારમાં 50 ટકા વધારો કર્યો</title>
                    <link>https://khabarantar.com/andhra-pradesh-government-increased-the-salary-of-temple-priests-by-50-percent</link>
                    <guid>https://khabarantar.com/andhra-pradesh-government-increased-the-salary-of-temple-priests-by-50-percent</guid>
                    <description>
                        <![CDATA[ આંધ્રની ચંદ્રબાબુ નાયડુ સરકારે રાજ્યના મંદિરોને લઈને એક મોટી જાહેરાત કરી છે. સરકારે પૂજારીઓના પગારમાં 50 ટકાનો વધારો કર્યો છે. જાણો કેટલો પગાર મળશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Chandrababu Naidu Govt of Andhra:મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ અહીંના મંદિરોમાં પૂજાવિધિ કરાવતા પૂજારીઓ માટે મોટી જાહેરાત કરી છે. સરકારે તેમના પગારમાં 50 ટકાનો વધારો કર્યો છે. સાથે જ રાજ્યના મંદિરોમાં માત્ર હિંદુઓને જ નોકરી મળશે તેમ જણાવ્યું છે. ચંદ્રાબાબુ સરકારે મંદિરના પૂજારીઓના પગારમાં ૫૦ ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. આ સાથે 'નાઈ બ્રાહ્મણો' (મંદિરોમાં કામ કરતા વાળંદ)ને લઘુત્તમ માસિક ૨૫,૦૦૦ રૂપિયાનો પગાર આપવામાં આવશે. વેદ વિદ્યા ભણેલા બેરોજગાર યુવાનોને પણ ૩,૦૦૦ રૂપિયાનું માસિક ભથ્થું આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ રાજ્યભરના વિવિધ મંદિરોમાં કામ કરતા ૧૬૮૩ અર્ચકો (પૂજારી)નો પગાર ૧૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૧૫,૦૦૦ રૂપિયા પ્રતિ માસ કરવાની જાહેરાત કરી છે. વધુમાં, રાજ્ય સરકારે 'ધૂપ દીપ નૈવેદ્યમ યોજના' હેઠળ નાના મંદિરોને આપવામાં આવતી નાણાકીય સહાયને ૫,૦૦૦ રૂપિયા પ્રતિ માસથી વધારીને ૧૦,૦૦૦ રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે. આંધ્રપ્રદેશમાં ૨૦ કરોડ કે તેથી વધુની આવક ધરાવતા મંદિરોના ટ્રસ્ટ બોર્ડમાં ૧૫ સભ્યો હોય છે. હવે આ સંખ્યા વધારીને ૧૭ કરવામાં આવશે. આ ઉપરાંત ટ્રસ્ટ બોર્ડમાં એક બ્રાહ્મણ અને એક નાઈ બ્રાહ્મણ સભ્ય હશે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી. ચંદ્રાબાબુની સરકારે ચૂંટણી પહેલા આ વચન આપ્યું હતું જેને પાળ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીએમ નાયડુએ કહ્યું, "હિંદુ મંદિરોમાં બિન-હિંદુઓને કોઈ નોકરી આપવી જોઈએ નહીં. આંધ્ર પ્રદેશમાં ૧,૧૧૦ મંદિરો માટે ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી રહી છે. નાયડુએ એવી પણ જાહેરાત કરી હતી કે હાલમાં ગેરકાયદેસર રીતે કબજે કરાયેલી મંદિરની ૮૭,૦૦૦ એકર જમીન કાયદેસરના રસ્તે ફરીથી મેળવવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-temple-priest-donates-rs-1.09-crore-stolen-manager-lodges-complaint"><span style="font-size: 14pt;">મંદિરનો પૂજારી દાનના રૂ. 1.09 કરોડ ચોરી ફરાર, મેનેજરે ફરિયાદ નોંધાવી</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચંદ્રબાબુ નાયડુએ જાહેરાત કરી કે શ્રીવાણી ટ્રસ્ટ હેઠળ દરેક મંદિરને ૧૦ લાખ રૂપિયા આપવામાં આવશે. જો જરૂરી હોય તો તે કામોની સમીક્ષા પૂર્ણ થયા બાદ વધુ ફંડ આપવામાં આવશે. અધિકારીઓને તે મંદિરો માટે દરખાસ્ત મોકલવા માટે કહેવામાં આવ્યું હતું જ્યાં ૧૦ લાખ રૂપિયાથી વધુની જરૂર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રીએ શ્રીવાણી ટ્રસ્ટ ફંડ માટે જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો અને અધિકારીઓને મંદિરો અને તેમની મિલકતોની સુરક્ષા માટે એક સમિતિની રચના કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે તમામ મંદિરો માટે ઓનલાઈન સિસ્ટમ લાગુ કરવા જણાવ્યું હતું. તેમજ એન્ડોમેન્ટ વિભાગના અધિકારીઓને કૃષ્ણા અને ગોદાવરી નદીઓને પુનઃજીવિત કરવા નિર્દેશ આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિન્દુ ધાર્મિક એન્ડોમેન્ટ્‌સ વિભાગના અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન, ચંદ્રબાબુ નાયડુએ રાજ્યના દરેક મંદિરમાં આધ્યાત્મિકતાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે નિર્દેશ આપ્યો કે મંદિરો અને તેની આસપાસના વિસ્તારોને સંપૂર્ણપણે સ્વચ્છ રાખવા જોઈએ, જેથી ત્યાં આધ્યાત્મિક વાતાવરણ જળવાઈ રહે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રીએ પ્રવાસન વિભાગ, હિંદુ ચેરિટી વિભાગ અને વન વિભાગના અધિકારીઓની બનેલી સમિતિની રચના કરવાની પણ જાહેરાત કરી હતી. આ સમિતિ મંદિરોના વિકાસની દેખરેખ રાખશે, ખાસ કરીને જે જંગલ વિસ્તારોમાં સ્થિત છે. સમિતિ આ સ્થળોની પ્રાકૃતિક સુંદરતા અને આધ્યાત્મિક મહત્વને જાળવી રાખશે અને વધુને વધુ પ્રવાસીઓ માટે તેને સુલભ બનાવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચંદ્રબાબુએ કહ્યું, "આંધ્રપ્રદેશના દરેક મંદિરમાં આધ્યાત્મિકતા ખીલવી જોઈએ. આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન એ રીતે થવું જોઈએ કે ભક્તો મંદિરમાં પાછા આવે અને તેમને એવું ન લાગે કે તેમની પાસેથી પૈસાની ઉચાપત થઈ રહી છે. મંદિરો અને તેની આસપાસનો વિસ્તાર ખૂબ જ સ્વચ્છ રાખવામાં આવે તે પણ મહત્વનું છે." </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મીટિંગ દરમિયાન, ચંદ્રબાબુ નાયડુએ અગાઉની જગન મોહન રેડ્ડી સરકારના વહીવટ દરમિયાન મંદિરના રથ સળગાવવા સહિત હિન્દુ મંદિરો પર થયેલા હુમલાની ઘટનાઓની સખત નિંદા કરી હતી. તેમણે આવા ગુનાઓ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની હાકલ કરી અને ભારપૂર્વક જણાવ્યું કે આંધ્રપ્રદેશમાં બળજબરીથી ધર્મ પરિવર્તન સહન કરવામાં આવશે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/21-new-priests-will-be-recruited-in-ayodhyas-ram-mandir"><strong>અયોધ્યાના રામમંદિરમાં નવા 21 પૂજારીઓની ભરતી કરવામાં આવશે</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 31 Aug 2024 11:57:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1137</Articleid>
                    <excerpt>આંધ્રની ચંદ્રબાબુ નાયડુ સરકારે રાજ્યના મંદિરોને લઈને એક મોટી જાહેરાત કરી છે. સરકારે પૂજારીઓના પગારમાં 50 ટકાનો વધારો કર્યો છે. જાણો કેટલો પગાર મળશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66d2b75428a8f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66d2b753eae20.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66d2b753eae20.jpg" length="78379" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>salary hike for priests, Chandrababu Naidu Govt of Andhra</media:keywords>
                </item>
                        <item>
                    <title>50 કરોડના ભારતી આશ્રમ પર બાપુએ બાઉન્સરો સાથે કબ્જો મેળવ્યો</title>
                    <link>https://khabarantar.com/fifty-crore-bharati-ashram-bapu-took-over-with-bouncers</link>
                    <guid>https://khabarantar.com/fifty-crore-bharati-ashram-bapu-took-over-with-bouncers</guid>
                    <description>
                        <![CDATA[ સરખેજના ભારતી આશ્રમની રૂ. 50 કરોડની પ્રોપર્ટી પર કબ્જો જમાવવા બે બાપુઓ લડી રહ્યાં છે. આજે એક બાપુએ બાઉન્સરો સાથે તેના પર કબ્જો જમાવ્યો છે. આખો મામલો સમજો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Bharti Ashram Sarkhej Vivad: ધર્મની આડમાં પોતપોતાના ધંધા ચલાવતા બાપુઓનો ભારતમાં તોટો નથી. હવે તો દરેક મોટા ગામ કે શહેરની ભાગોળે આવા બાપુઓ ફૂટી નીકળ્યાં છે, જે ધર્મની આડમાં મોકાની જમીનો પર આશ્રમો બાંધીને પછી તેના પર કબ્જા કરવા માંડે છે. ભોળાં લોકોને આ બધી ગેમ સમજાતી નથી. તેમને માત્ર દાન-ધર્મ થકી ઈશ્વરી શક્તિની કૃપા મેળવવામાં રસ હોય છે. પણ કહેવાતા બાપુઓ તેમની આ આસ્થાનો ઉપયોગ કરીને પોતાનું સામ્રાજ્ય વિસ્તારતા રહે છે. આવા અનેક આશ્રમો હવે ધર્મનું કેન્દ્ર મટીને બાપુઓની પ્રાઈવેટ પ્રોપર્ટી બની ચૂક્યાં છે અને તેનો તાજો દાખલો અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલો ભારતી આશ્રમ છે. જ્યાં એક બાપુએ ઉભાં કરેલા સામ્રાજ્ય પર હક જમાવવા તેમના બે શિષ્યો સામસામે આવી ગયા છે. સ્થિતિ એ હદે વણસી ગઈ કે એક બાપુની ગેરહાજરીમાં આશ્રમ પર કબ્જો જમાવવા અન્ય બાપુ બાઉન્સરો અને 100 જેટલા સમર્થકો સાથે આશ્રમની ગાદી પર બેસી ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના સરખેજ સ્થિત ભારતી આશ્રમની જમીન પચાવી પાડવા મુદ્દે ગુરુ હરિહરાનંદ અને શિષ્ય ઋષિ ભારતી બાપુ વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. 1008 મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ આજે પોતાના 100 જેટલા સમર્થકો અને બાઉન્સરોની સુરક્ષા વચ્ચે આશ્રમની ગાદી સંભાળી લીધી હતી. પોલીસની હાજરીમાં કોર્ટના ઓર્ડર સાથે તેમણે પોતાના સમર્થકો સાથે મંદીરમાં પ્રવેશ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિહરાનંદ બાપુ બાઉન્સરો સાથે આશ્રમમાં પ્રવેશ મેળવ્યા બાદ મુખ્ય મંદીરમાં દર્શન કરી આશ્રમની મુખ્ય ગાદી પર બિરાજમાન થયા હતા. જ્યારે છેલ્લા દોઢ વર્ષથી આશ્રમનો વહિવટ કરતા ઋષિ ભારતી બાપુ સાંજથી જ આશ્રમની બહાર હતા. મહામંડલેશ્વર 1008 ભારતી બાપુના અવસાન બાદ સરખેજના આ આશ્રમના સંચાલનને લઇને તેમના જ બે શિષ્યો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ભારતી બાપુએ ચાર આશ્રમો સ્થાપ્યા હતા. જે પૈકી ત્રણનો વહીવટ હરિહરાનંદ બાપુ કરે છે. પરંતુ સરખેજ આશ્રમનો વહિવટ ઋષિ ભારતી બાપુ દ્વારા કરવામાં આવતો હતો. જેના કારણે આ આશ્રમને પણ પોતાના કબ્જામાં લેવા માટે હરિહરાનંદ બાપુ અને ઋષિ ભારતી બાપુ છેલ્લાં ત્રણ વર્ષથી એકબીજા સામે લડી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/swami-brainwashed-the-teenager-now-he-wants-to-become-a-monk"><strong>સ્વામીએ કિશોરનું બ્રેઈનવોશ કર્યું, હવે તેને સાધુ બની જવું છે?</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66d1d39d8b660.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરીહરાનંદ બાપુએ ઋષિ ભારતી બાપુ પર ખોટું વસીહતનામું રજૂ કરવાના પણ આક્ષેપો કર્યા હતા. આગામી 5 સપ્ટેમ્બરે આશ્રમમાં ભંડારાનું આયોજન કરાયું હતું, જેને લઈને આ વિવાદ વધુ વકર્યો હતો. થોડા સમય પહેલા હરીહરાનંદ બાપુના ગુરુભાઈ કલ્યાણ ભારતી બાપુનો સ્વર્ગવાસ થયો ત્યારે તેમની સમાધિ વખતે ઋષિ ભારતી અને હરીહરાનંદ બાપુ વચ્ચે સમાધાન થઈ જશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. પણ આગળ જતા તેમાં કશી પ્રગતિ થઈ નહોતી. કેમ કે રૂ. 50 કરોડથી વધુની પ્રોપર્ટી ધરાવતો સરખેજનો આ આશ્રમ એકેય બાપુ જતો કરવા તૈયાર નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિહરાનંદ બાપુએ જણાવ્યું છે કે, તમામ ટ્રસ્ટી મંડળે મને મેનેજિંગ ટ્રસ્ટી બનાવ્યો છે, તેથી હવે તમામ આશ્રમનો વહીવટ હું જ કરીશ. સાથે જ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરેલા ઠરાવને પણ ચેરિટી કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. બાકી રહેલા ચાતુર્માસ દરમિયાન હું અહીંયા જ અનુષ્ઠાન કરવાનો છું. સરખેજ ભારતીય આશ્રમનો વહીવટ હવે મારા દ્વારા જ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">4 આશ્રમોની અંદાજિત કિંમત 500 કરોડથી વધુ?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે વિશ્વંભર ભારતી બાપુના સ્વર્ગવાસ બાદ છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટના વારસદાર કોણ તેને લઈને આ વિવાદ સર્જાયો છે. આ ટ્રસ્ટના ગુજરાતમાં ચાર સ્થળે આશ્રમો આવેલા છે. આ આશ્રમો તથા એને સંલગ્ન મિલકત તેમજ આશ્રમને મળતી દાન-ભેટ ઉપરાંત ભાડાંની આવક વગેરે મળીને અંદાજિત કિંમત 500 કરોડની આસપાસ છે, જેના પર કબ્જો જમાવવા બંને બાપુઓ સામસામે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિશ્વંભર ભારતી બાપુ 11 એપ્રિલ 2021ના રોજ અવસાન પામ્યા હતા. તેમના ગયા બાદ બે મહિના પછી આશ્રમનો વહીવટ સંભાળવાથી માંડીને આવક-જાવકના હિસાબોના મામલે માથાકૂટ શરૂ થઇ હતી. ત્યારે ભારતી આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ વિશ્વંભર ભારતી બાપુએ 2019માં કરેલા વિલ મુજબ ચાલવવાનો આગ્રહ રાખ્યો હતો. એ દરમિયાન હરિહરાનંદ બાપુના શિષ્ય ઋષિ ભારતી મહારાજે વિશ્વંભર ભારતી બાપુ બ્રહ્મલીન થયા પહેલાં તેમને કરી આપેલી હસ્તલિખિત નોટરીનું વિલ રજૂ કરતાં વિવાદનો મધપૂડો છેડાયો હતો. વિશ્વંભર ભારતી બાપુએ કરેલું 2019નું વિલ સાચું કે પછી 2021માં કરેલું વિલ સાચું એ મામલે વિવાદ વણસ્યો છે. આ મામલે મિરઝાપુર કોર્ટમાં કેસ પણ થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/swaminarayan-literature-contains-nonsense-and-outright-lies"><strong>સ્વામિનારાયણ સાહિત્યમાં વાહિયાત અને તદ્દન જૂઠાં પરચાઓ છે</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66d1d39e3ba6a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્વ. વિશ્વંભર ભારતી બાપુએ 16 નવેમ્બર 2019ના રોજ રજિસ્ટર વિલ કરાવ્યું હતું, જેમાં તેમણે પોતાના ઉત્તરાધિકારી તરીકે તેમના શિષ્ય હરિહરાનંદ મહારાજની નિમણૂક મહંત તરીકે કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ઉપરાંત તેમની ચાદર વિધિ સંત પરંપરા મુજબ કરવામાં આવે અને તેમને મહંત પદ સોંપવામાં આવે એમ જણાવ્યું હતું. સાથોસાથ તેમણે મિલકતો પૈકીની સરખેજ સ્થિત આશ્રમ ઉપરાંત જૂનાગઢ, સાણંદ હાઇવે પરના શાંતિપુરા ગામમાં આવેલા લંબેનારાયણ આશ્રમના ઉત્તરાધિકારી-ટ્રસ્ટી તરીકે શિષ્ય હરિહરાનંદ ભારતીની નિમણૂક કરી હતી. જ્યારે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામે આવેલા ભારતી આશ્રમના ઉત્તરાધિકારી તરીકે કોઠારી સ્વામી પૂર્ણાનંદ ભારતી મહારાજની મહંત તરીકે નિમણૂંક કરવા ઇચ્છા વ્યક્ત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે ઋષિ ભારતી બાપુ તરફથી રજૂ કરવામાં આવેલા વીલમાં વિશ્વંભર ભારતી બાપુએ જૂનાગઢ આશ્રમ અને ગોરા આશ્રમના ઉત્તરાધિકારી તરીકે શિષ્ય હરિહરાનંદ મહારાજની નિમણૂક કરવામાં આવે અને સરખેજ સ્થિત ભારતી આશ્રમ અને અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સનાથલ ખાતે આવેલાં મંદિર, કુટીર સહિતના આશ્રમના મહંત તરીકે ઋષિ ભારતી મહારાજની મહંત તરીકે નિમણૂંક કરવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું સામે આવ્યું હતું. આ વીલમાં બેંકમાં રહેલી રકમ તથા ડિપોઝિટની રકમ મેળવવા માટેની કાર્યવાહી કરવા નિયુક્ત મહંતને અધિકાર અપાયાનું જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટની 1 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી મિટિંગમાં અનેક ઠરાવો થયા હતા. એ પૈકી ઠરાવ નં.6માં ભારતી આશ્રમ સરખેજનો વહીવટ ટ્રસ્ટી મંડળની પરવાનગી સિવાય એકહથ્થું અને ગેરકાયદે રીતે ઋષિ ભારતીજીએ સંભાળી લીધો હતો. તેમના તરફથી આશ્રમને મળેલાં દાન-ભેટ સહિતની અન્ય 10 પ્રકારની થયેલી આવક ટ્રસ્ટના બેંક ખાતામાં જમા થઈ નથી કે તેઓ આ અંગે કોઇ જ ખુલાસો કરતા નથી કે હિસાબો આપતા નથી તેને લઈને વિવાદ થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટલું જ નહીં તેઓ ટ્રસ્ટીઓ સાથે ગેરવતર્ણૂક કરીને ગાળો બોલીને ટ્રસ્ટ્રીઓને અપમાનિત કરતા હોવાનું પણ સામે આવ્યું હતું. જેને લઈને ઋષિ ભારતી બાપુ અને તેમના મળતિયાઓ વિરુદ્ધ ફોજદારી અને દિવાની રાહે કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સાથે જ તેમની સાથે કોઇએ લેવડ-દેવડ કરવી નહીં કે વહીવટી કામકાજ કરવું નહીં એ અંગે મીડિયામાં જાહેરાત આપવાનું પણ ઠરાવાયું હતું. હવે જો કે હરિહરાનંદ બાપુએ જૂનાગઢથી આવીને સરખેજના આશ્રમ પર કબ્જો જમાવી દીધો છે ત્યારે આશ્રમમાંથી બહાર થઈ ગયેલા ઋષિ ભારતી બાપુ શું પગલાં છે તેના પર સૌ કોઈની નજર રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/hindu-women-should-stop-maintaining-their-figure-and-have-4-children"><strong>હિંદુ મહિલાઓએ ફિગર જાળવવાનું બંધ કરી 4 બાળકો પેદા કરવા જોઈએ...</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 30 Aug 2024 20:28:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1135</Articleid>
                    <excerpt>સરખેજના ભારતી આશ્રમની રૂ. 50 કરોડની પ્રોપર્ટી પર કબ્જો જમાવવા બે બાપુઓ લડી રહ્યાં છે. આજે એક બાપુએ બાઉન્સરો સાથે તેના પર કબ્જો જમાવ્યો છે. આખો મામલો સમજો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66d1dd22e0c0a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66d1dd22ac2f9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66d1dd22ac2f9.jpg" length="104794" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ahmedabad, Bharati Ashram Sarkhej</media:keywords>
                </item>
                        <item>
                    <title>સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી</title>
                    <link>https://khabarantar.com/two-more-days-of-heavy-rain-forecast-in-saurashtra-and-kutch</link>
                    <guid>https://khabarantar.com/two-more-days-of-heavy-rain-forecast-in-saurashtra-and-kutch</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતભરમાં હવે ધીરે ધીરે વરસાદનું જોર ઘટી રહ્યું છે પરંતુ હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી વરસાદી આફત સાવ ટળી નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં વરસી રહેલા ધોધમાર વરસાદનું જોર દક્ષિણ ગુજરાત, પૂર્વ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઘટ્યું છે. પરંતુ હજુ પણ કચ્છ અને સૌરાષ્ટ્ર પરથી આકાશી આફત સાવ ટળી હોય તેવા એંધાણ વર્તાતા નથી. મળતી માહિત પ્રમાણે હવામાન વિભાગ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં હજુ પણ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને કચ્છના અબડાસા તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ૨૪ કલાકમાં ૧૦ ઈંચ અને જામનગર, કચ્છ તથા પોરબંદર જિલ્લામાં ૫-૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. બીજી તરફ ભારે વરસાદથી પ્રભાવિત વડોદરા, મોરબી અને પોરબંદર જિલ્લામાં કુલ ૩૫ મેડિકલ ટીમ પાંચ દિવસ માટે મોકલવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લા ૨૪ કલાકમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ૧૦ ઈંચ વરસાદ તેમજ ખંભાળિયા અને કચ્છના લખપત તાલુકામાં ૯ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો જામનગરના જામજોધપુર, દેવભૂમિ દ્વારકાના દ્વારકા અને કચ્છના નખત્રાણા તાલુકામાં ૮ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છના માંડવી તાલુકામાં પણ ૭ ઈંચથી વધુ, જામનગરના કાલાવડ અને લાલપુર તાલુકામાં ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.  રાજકોટના લોધિકા, ધોરાજી અને જામકંડોરણા તાલુકા ઉપરાંત પોરબંદરના કુતિયાણા અને રાણાવાવ તેમજ કચ્છના અંજાર તાલુકામાં ૫ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજકોટ સિટી અને જેતપુર, જામનગર અને પોરબંદરના તાલુકા વિસ્તાર તેમજ કચ્છના મુન્દ્રા તાલુકામાં ૪ ઈંચથી જેટલો વરસાદ નોંધાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/If-I-keep-my-distance,-I-will-ruin-my-career-%E2%80%93-Prof.-Laxman-Yadav">ઉનસે અલગ રાય રખતા હું, ઈસલિયે મેરા કરિયર બરબાદ કર દિયા ગયા – પ્રો. લક્ષ્મણ યાદવ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૭ તાલુકામાં ૩ ઈંચથી વધુ, ૧૦ તાલુકામાં ૨ ઈંચથી વધુ, ૩૬ તાલુકામાં એક ઈંચથી વધુ તેમજ ૧૬૩ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર રાજ્યના કુલ ૨૩૮ તાલુકામાં સરેરાશ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦૯ ટકા નોંધાયો છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૫૪ ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૩ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૧૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૦૪ ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ૮૬ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સૂચનાથી ભારે વરસાદથી પ્રભાવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં રોગચાળો ફાટી ન નિકળે તે માટે આરોગ્ય વિભાગે અગમચેતીના પગલે સ્વાસ્થ્યની ચકાસણી હાથ ધરી છે. મંત્રીની સૂચનાથી ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ ૩૫ મેડિકલ ટીમ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પ્રારંભિક તબક્કે મોકલવામાં આવી છે. જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ૨૦, વડોદરા જિલ્લામાં ૧૦, ૨ ટીમ મોરબી અને ૩ ટીમ પોરબંદર જિલ્લામાં મોકલાઇ છે. આ ટીમને જરૂરી દવા, સંસાધનો અને એમ્બ્યુલન્સ સાથે વડોદરા, મોરબી અને પોરબંદર જિલ્લામાં પાંચ દિવસ માટે મોકલવામાં આવી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરેક ટીમમાં એક મેડિકલ ઓફિસર, ૨ પેરામેડિકલ સ્ટાફ, ડ્રાઇવર અને અન્ય જરૂરી સંસાધનો સાથે પ્રજાજનોની સ્વાસ્થ્ય દરકાર માટે ફરજરત બન્યા છે. રાજ્યમાં ૧૨૬૨ એમ્બ્યુલન્સ અને અન્ય ૮૦૨ જેટલી ૧૦૮ની એમ્બ્યુલન્સને આ વિસ્તારોમાં ઇમરજન્સી સેવાઓ માટે તહેનાત રાખવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Labourers-son-Labourer...-Know-how-much-the-condition-of-common-class-laborers-has-improved-in-14-years-compared-to-Dalits">મજૂરનો દીકરો મજૂર... જાણો દલિતની તુલનાએ સામાન્ય વર્ગના મજૂરોની હાલત 14 વર્ષમાં કેટલી સુધરી?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 29 Aug 2024 20:08:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1130</Articleid>
                    <excerpt>ગુજરાતભરમાં હવે ધીરે ધીરે વરસાદનું જોર ઘટી રહ્યું છે પરંતુ હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી વરસાદી આફત સાવ ટળી નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66d08791a1a0d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66d087916e585.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66d087916e585.jpg" length="93314" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Saurashtra, kutch, Gujarat Rain News</media:keywords>
                </item>
                        <item>
                    <title>મટકીફોડના કાર્યક્રમમાં ઈજાની ટકાવારીમાં 21 ટકાનો વધારો નોંધાયો</title>
                    <link>https://khabarantar.com/21-percent-increase-in-injury-percentage-was-reported-in-the-matkifod-program</link>
                    <guid>https://khabarantar.com/21-percent-increase-in-injury-percentage-was-reported-in-the-matkifod-program</guid>
                    <description>
                        <![CDATA[ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં યોજાતા દહીંહાંડીના કાર્યક્રમોમાં ગોવિંદા બનતા અનેક યુવાનો દર વર્ષે ઈજાગ્રસ્ત થાય છે. આ વર્ષે તેમાં 21 ટકાનો વધારો નોંધાયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુંબઈ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ આવા અનેક આયોજનો કરાયા હતા. આ તહેવાર દરમિયાન દહીંહાંડી ફોડવામાં ઘણા લોકો ઘાયલ થાય છે અને તેમાં યુવાનોની સંખ્યા વધારે હોય છે. આ વર્ષે પણ અનેક યુવાનો મટકીફોડના કાર્યક્રમમાં ગોવિંદા બનીને પટકાતા ખરાબ રીતે ઈજાગ્રસ્ત બન્યાં છે. એક આંકડા પ્રમાણે વર્ષ 2023ની સરખામણીમાં આ વખતે 21 ટકા વધુ ગોવિંદાઓને ઈજાઓ થઈ છે. અત્યાર સુધીમાં 17 ગોવિંદાઓને ગંભીર ઈજાઓ થઈ છે અને તેમની સર્જરી થઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંગળવારે મુંબઈમાં આ તહેવારની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દહીં ભરેલી મટકી તોડવા માટે ગોવિંદાનાં ટોળાં શહેરભરમાં નીકળી પડ્યાં હતાં. આ દરમિયાન ઘણાં ગોવિંદા ઊંચાઈ પરથી પડી ગયા હતા, જેના કારણે કેટલાકને નાની-મોટી ઈજાઓ થઈ હતી અને કેટલાકને ગંભીર ઈજાઓ થઈ હતી. કેટલાકને સ્નાયુમાં ઈજા થઈ છે, જ્યારે ઘણાંના હાડકાં તૂટી ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">20 થી વધુ ગોવિંદાઓને સારવાર માટે KEM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીએમસીના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે 196 ગોવિંદા ઘાયલ થયા હતા, પરંતુ આ વર્ષે 238 ગોવિંદા ઘાયલ થયા છે. 31 ગોવિંદાઓને મુંબઈ અને પરાં વિસ્તારોની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે ઘણાને ઓપીડીના આધારે સારવાર આપવામાં આવી હતી અને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">3 ગોવિંદાને કરોડરજ્જુની ઈજા સાથે KEM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણાં ગોવિંદાઓ હિપ ફ્રેક્ચરથી પીડાય છે અને કેટલાકના પગમાં ફ્રેક્ચર થઈ ગયા છે. 10 ઘાયલ ગોવિંદાઓને KEM હોસ્પિટલમાં, 4ને સાયન હોસ્પિટલમાં, 1ને નાયર હોસ્પિટલમાં અને 5ને ઉપનગરની અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/jagannathjis-rath-yatra-is-the-triratna-yatra-of-buddhism">જગન્નાથજીની રથયાત્રા બૌદ્ધ ધર્મની ત્રિરત્ન યાત્રા છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમામની તબિયત સ્થિર છે તે રાહતની વાત છે. કેટલાક ગોવિંદાઓને સર્જરીની જરૂર પડશે, પરંતુ જીવનું જોખમ ઓછું છે. તમામ ઘાયલ ગોવિંદાઓને મહાત્મા જ્યોતિબા ફૂલે જન આરોગ્ય યોજના અને ગરીબ બોક્સ ચેરિટી ફંડ દ્વારા મફતમાં સારવાર આપવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દહીંહાંડીના કાર્યક્રમ જોવા માટે મુંબઈ અને થાણેમાં ઘણી જગ્યાએ ભીડ એકઠી થઈ હતી. મુંબઈમાં વરલી, દાદર, થાણેમાં ખોપટ અને ટેમ્પી નાકા જેવા પરંપરાગત સ્થળોએ મોટી ભીડ જોવા મળે છે અને લટકતી હાંડી તોડનારી વિજેતા ગોવિંદા ટીમ માટે મોટાં ઈનામો જાહેર કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કાર્યક્રમોમાં આ વર્ષે 11 હજારથી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. ઝોનના તમામ નાયબ પોલીસ કમિશનર અને અન્ય વિસ્તારોના વધારાના પોલીસ કમિશનર ઉપરાંત પોલીસ સ્ટેશનોના કોન્સ્ટેબલ અને ઈન્સ્પેક્ટર સ્તરના અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થા પર દેખરેખ રાખવા અને તેનો અમલ કરવા મેદાનમાં ઉતર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દહીહાંડીનો રાજકીય ઉપયોગ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લાં કેટલાક વર્ષોમાં હિંદુત્વની રાજનીતિ કરતા પક્ષોએ જે રીતે સામાન્ય માણસના જીવનમાં નિર્દોષ આનંદ લઈને આવતા તહેવારોનો જે રીતે રાજકીય ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે, ત્યારથી એકેય તહેવાર રાજકારણથી દૂર નથી રહી શક્યો. જન્માષ્ટમી પર દહીંની મટકી ફોડવાના કાર્યક્રમો અગાઉ લોકલ સ્તરે થતા હતા. જેમાં હવે ચોક્કસ પક્ષના નેતાઓ ઘૂસી ગયા છે અને તેઓ આવા કાર્યક્રમોના આયોજન થકી પોતાની વોટબેંક મજબૂત કરવા મથતા રહે છે. આવા કાર્યક્રમોના આયોજનમાં અનેક યુવાનો દર વર્ષે ઘાયલ થાય છે, છતાં તેને મંજૂરીઓ આપવામાં આવે છે અને ખુદ પોલીસ તેને સુરક્ષા પુરી પાડે છે. સવાલ એ છે કે શું સામાન્ય માણસ આવું કંઈક કરવા જાય તો તેને પરવાનગી મળે ખરી?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/in-puri-jagannaths-rath-yatra-balabhadras-idol-fell-on-the-sevaks-9-injured">પુરી જગન્નાથની રથયાત્રામાં બલભદ્રની મૂર્તિ સેવકો પર પડતા ૯ ઘાયલ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 29 Aug 2024 14:46:17 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1128</Articleid>
                    <excerpt>મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં યોજાતા દહીંહાંડીના કાર્યક્રમોમાં ગોવિંદા બનતા અનેક યુવાનો દર વર્ષે ઈજાગ્રસ્ત થાય છે. આ વર્ષે તેમાં 21 ટકાનો વધારો નોંધાયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66d03bd03700c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66d03bcfdeab9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66d03bcfdeab9.jpg" length="148210" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>દહીંહાંડીના કાર્યક્રમો, Janmashtmi</media:keywords>
                </item>
                        <item>
                    <title>RSS ના વડા મોહન ભાગવતને વડાપ્રધાન જેવી સુરક્ષા અપાઈ</title>
                    <link>https://khabarantar.com/rss-chief-mohan-bhagwat-was-given-prime-minister-like-security</link>
                    <guid>https://khabarantar.com/rss-chief-mohan-bhagwat-was-given-prime-minister-like-security</guid>
                    <description>
                        <![CDATA[ આરએસએસ(RSS)ના વડા મોહન ભાગવતની સુરક્ષાને વડાપ્રધાન અને ગૃહમંત્રી જેવી સુરક્ષા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાણો શું કારણ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Mohan Bhagwat Z plus Security: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) ના વડા મોહન ભાગવતની સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. હવે તેમને પીએમ મોદી અને કેન્રીવાય ગૃહમંત્રી અમિત શાહ જેવી સુરક્ષા વ્યવસ્થા પુરી પાડવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ તેમની સુરક્ષા કેટેગરી Z+ થી વધારીને એડવાન્સ સિક્યોરિટી લાયઝન(ASL) કરવામાં આવી છે. આમ હવે સંઘના વડા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જેમ ઉચ્ચ સિક્યોરિટી ભોગવશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાણકારી મુજબ તાજેતરમાં ગૃહ મંત્રાલય દ્વારા સમીક્ષા હાથ ધરવામાં આવી હતી, જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. અગાઉ ભાગવતની ઝેડ-પ્લસ(Z+) સુરક્ષામાં સીઆઈએસએફ(CISF)ના ડેપ્યુટેશન પર અધિકારીઓ અને ગાર્ડ સામેલ હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/in-the-up-by-elections-rss-workers-will-explain-the-reservation-constitution-issue-to-dalits"><span style="font-size: 14pt;">યુપી પેટાચૂંટણીમાં RSSના કાર્યકરો અનામત-બંધારણ મુદ્દે દલિતોને સમજાવશે</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીના સૂત્રોએ જણાવ્યું હતું કે આરએસએસ વડાને કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનો સહિત બીજા પણ અનેક સંગઠનોના નિશાન પર છે. તેમની વધતી ધમકીઓ અને વિવિધ એજન્સીઓ પાસેથી મળેલી માહિતીને પગલે ગૃહ મંત્રાલયે મોહન ભાગવતને એએસએલ પ્રોટેક્ટેડ પર્સન" તરીકે જાહેર કર્યા છે. આ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અપગ્રેડ વિશે સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ASL હેઠળ સંરક્ષિત વ્યક્તિની સુરક્ષા સાથે સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, આરોગ્ય અને અન્ય વિભાગો જેવી સ્થાનિક એજન્સીઓની સામેલગીરી ફરજિયાત છે. તેમાં બહુ-સ્તરીય સુરક્ષા કોર્ડન સામેલ છે. હેલિકોપ્ટર મુસાફરીની પરવાનગી ફક્ત ખાસ ડિઝાઇન કરેલા હેલિકોપ્ટરમાં જ આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/rss-mouthpiece-panchjanya-termed-caste-system-as-necessary"><strong>RSSના મુખપત્ર ‘પાંચજન્ય’માં જાતિ પ્રથાને 'જરૂરી' ગણાવવામાં આવી</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 28 Aug 2024 19:43:16 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1125</Articleid>
                    <excerpt>આરએસએસ(RSS)ના વડા મોહન ભાગવતની સુરક્ષાને વડાપ્રધાન અને ગૃહમંત્રી જેવી સુરક્ષા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાણો શું કારણ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66cf2fe27d05f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66cf2fe24cf22.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66cf2fe24cf22.jpg" length="81173" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>RSS, Mohan Bhagwat, Security</media:keywords>
                </item>
                        <item>
                    <title>151 ધારાસભ્યો&amp;સાંસદો સામે મહિલાઓ પર અત્યાચારના કેસો ચાલે છે?</title>
                    <link>https://khabarantar.com/151-mlas-mps-cases-of-atrocity-against-women-are-going-on</link>
                    <guid>https://khabarantar.com/151-mlas-mps-cases-of-atrocity-against-women-are-going-on</guid>
                    <description>
                        <![CDATA[ વાડ જ ચીભડાં ગળે તે આનું નામ. જે સાંસદો-ધારાસભ્યો મહિલાઓ પરના અત્યાચાર વિરુદ્ધ કાયદાઓ ઘડે છે તેઓ પોતે બળાત્કાર સહિતના આરોપોનો સામનો કરી રહ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ADR Report: કોલકાતાની ટ્રેઈની ડોક્ટર યુવતી પર રેપ અને હત્યાની ઘટનાને લઈને દેશભરમાં હોબાળો મચેલો છે. સૌ કોઈ પીડિતાના પરિવારને ન્યાય મળે તેવું ઈચ્છી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે આ ઘટનામાં સુઓમોટો કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ યુવતીના મોત પર પોતપોતાનાં રાજકીય રોટલાં શેકવામાં મેદાનમાં આવી ગયા છે. આ બધી ગતિવિધિઓ વચ્ચે દુઃખ એ વાતનું થાય છે રેપ જેવી જઘન્ય ઘટનાને પણ આ દેશના લોકો જાતિવાદી ચશ્માથી જોવા ટેવાયેલા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવું એટલા માટે લાગે કારણ કે, કોલકાતાની ઘટના બની તેના બીજા જ દિવસે બિહારના મુઝફ્ફરપુરમાં એક દલિત કિશોરીની રેપ કર્યા બાદ ઘાતકી રીતે હત્યા કરી દેવામાં આવી હતી. એ બળાત્કાર અને હત્યા કેટલી ભયાનક હતી તેનો અંદાજ એના પરથી લગાવી શકાય કે કિશોરીના પ્રાઈવેટ પાર્ટ પર બળાત્કારી હત્યારાએ છરીના 50થી વધુ ઘા માર્યા હતા અને લાશને ફેંકી દીધી હતી. પણ તેની કોઈ ચર્ચા જ નથી કરી રહ્યું, એ ઘટના પછી પણ દલિત-આદિવાસી સમાજની મહિલાઓ પર બળાત્કારની એકથી વધુ ઘટનાઓ બની ચૂકી છે, પણ કોઈ તેના વિશે ચર્ચા નથી કરતું, નથી રેલીઓ કાઢી વિરોધ પ્રદર્શન કરતું કે નથી સુપ્રીમ કોર્ટ તેમાં કોઈ સુઓમોટો લેતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/is-lateral-entry-a-trick-to-wipe-out-reserves">લેટરલ એન્ટ્રી અનામતને ખતમ કરી નાખવાની યુક્તિ છે</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આટલી પ્રસ્તાવના પછી મૂળ વાત પર આવીએ. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(ADR) સંસ્થાના રિપોર્ટ મુજબ દેશના 151 વર્તમાન સાંસદો અને ધારાસભ્યો પર મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ નોંધાયેલા છે. આ સાંસદો અને ધારાસભ્યોએ તેમના ચૂંટણી એફિડેવિટમાં મહિલાઓ સામેના ગુનાઓ સાથે સંબંધિત મામલા નોંધાયા હોવાનું સ્વીકાર્યું છે. પશ્ચિમ બંગાળમાં આવા સાંસદોની સંખ્યા સૌથી વધુ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ 2019 અને 2024 વચ્ચેની ચૂંટણીઓ દરમિયાન ચૂંટણી પંચને સબમિટ કરેલા વર્તમાન સાંસદો અને ધારાસભ્યોના 4,809 એફિડેવિટ્સમાંથી 4,693ની તપાસ કરી હતી. એડીઆરે 16 સાંસદો અને 135 ધારાસભ્યોની ઓળખ કરી છે જેઓ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સંબંધિત કેસોનો સામનો કરી રહ્યા છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોલકાતાની ટ્રેઈની ડૉક્ટર પર કથિત બળાત્કાર અને હત્યાના રાષ્ટ્રવ્યાપી વિરોધ વચ્ચે આવેલા એડીઆરના આ રિપોર્ટ મુજબ પશ્ચિમ બંગાળના 25 જેટલા વર્તમાન સાંસદો અને ધારાસભ્યો મહિલાઓ સામેના ગુનાઓના આરોપોનો સામનો કરી રહ્યા છે. એ પછી આંધ્રપ્રદેશમાં 21 અને ઓડિશામાં 17 કેસો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/why-exclude-astrology-vastushastra-from-anti-superstition-act">ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદામાંથી જ્યોતિષ-વાસ્તુશાસ્ત્રને બાકાત કેમ રખાયા?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટ મુજબ વર્તમાનમાં એવા 16 સાંસદો અને ધારાસભ્યો છે જેમણે પોતાની સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376 હેઠળ બળાત્કાર સંબંધિત કેસો થયેલા હોવાનું સ્વીકાર્યું છે, આ એા ગુનાઓ છે જેમાં ઓછામાં ઓછી 10 વર્ષની સજાની જોગવાઈ છે અને તેને આજીવન કેદ સુધી લંબાવી શકાય છે. આ યાદીમાં બે સાંસદો અને 14 ધારાસભ્યો આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપોમાં એક જ પીડિતા સામે વારંવારના ગુનાઓ કરવાનું સામેલ છે, જે તેને વધુ ચિંતાજનક બનાવે છે. ભાજપના 54 સાંસદો અને ધારાસભ્યો ઉપર સૌથી વધુ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ નોંધાયેલા છે. એ પછી કોંગ્રેસના 23 અને ટીડીપીના 17 સાંસદો-ધારાસભ્યો આ યાદીમાં સામેલ છે. ભાજપ અને કોંગ્રેસના 5 વર્તમાન ધારાસભ્યો બળાત્કારના આરોપોનો સામનો કરી રહ્યાં છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તારણોના જવાબમાં ADRએ મજબૂત ભલામણો જારી કરી છે. તેણે રાજકીય પક્ષોને આવી ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારો, ખાસ કરીને જેમના પર બળાત્કાર અને મહિલાઓ વિરુદ્ધના અન્ય ગુનાઓનો આરોપ છે તેમને ટિકિટ આપવાનું ટાળવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટમાં સાંસદો અને ધારાસભ્યો સામેના કોર્ટ કેસોની ઝડપી સુનાવણી અને પોલીસ દ્વારા પ્રોફેશનલ અને સંપૂર્ણ તપાસ સુનિશ્ચિત કરવા કહેવાયું છે. ADR એ મતદારોને પણ વિનંતી કરી છે કે તેઓ આવા આક્ષેપોનો સામનો કરી રહેલા ઉમેદવારોને મત આપતા પહેલા વિચાર કરે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/bjp-leader-in-gandhinagar-became-corporator-on-fake-sc-certificate">ગાંધીનગરમાં ભાજપના નેતા નકલી એસટી સર્ટિફિકેટર પર કોર્પોરેટર બની ગયા?</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 25 Aug 2024 09:47:32 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 25 Aug 2024 09:49:58 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1121</Articleid>
                    <excerpt>વાડ જ ચીભડાં ગળે તે આનું નામ. જે સાંસદો-ધારાસભ્યો મહિલાઓ પરના અત્યાચાર વિરુદ્ધ કાયદાઓ ઘડે છે તેઓ પોતે બળાત્કાર સહિતના આરોપોનો સામનો કરી રહ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66caab1565140.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66caab15384e7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66caab15384e7.jpg" length="45207" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>ADR Rerort, MPS, MLAs, Cases against Womens</media:keywords>
                </item>
                        <item>
                    <title>ધર્મનો ધંધોઃ ઉજ્જૈનના મહાકાલ મંદિરે 1 મહિનામાં 15 કરોડની આવક રળી</title>
                    <link>https://khabarantar.com/religion-business-ujjains-mahakal-temple-earns-15-crores-in-1-month</link>
                    <guid>https://khabarantar.com/religion-business-ujjains-mahakal-temple-earns-15-crores-in-1-month</guid>
                    <description>
                        <![CDATA[ ઉજ્જૈનના મહાકાલ મંદિરે શ્રાવણ માસ દરમિયાન તેને થયેલી કમાણીના આંકડાઓ જાહેર કર્યા છે. મંદિર કેવી કેવી રીતે કમાણી કરે છે તે જાણીને તમે ચોંકી જશો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">MAHAKAL Mandir Temple Income: ઈશ્વર, આશીર્વાદ અને ધર્મના નામે ચાલતા ધંધાઓમાં બેઠાં બેઠાં કરોડોની કમાણી છે એ હવે દલિત બહુજન સમાજ સારી રીતે સમજી ચૂક્યો છે. તેનું જ કારણ છે કે દિન પ્રતિદિન વધુને વધુ બહુજન સમાજના લોકો હિન્દુ ધર્મ અને તેના કથિત ભગવાનોમાં આસ્થા ગુમાવતા જાય છે. દર વર્ષે કોઈને કોઈ મંદિરમાં ભીડ ઉમટી પડ્યા બાદ અકસ્માતમાં અનેક લોકો મોતને ભેટે છે. કાવડયાત્રાથી લઈને ચારધામ યાત્રા સુધીમાં વર્ષે સેંકડો લોકો મોતને ભેટે છે છતાં ધર્માંધ લોકોની આંખો ખૂલતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉજ્જૈનના મહાકાલ મંદિર(Mahakal Temple)ની જ વાત કરીએ. અહીં હજુ બે મહિના પહેલા જ ભસ્મ આરતી દરમિયાન આગ લાગતા 11 પૂજારીઓ દાઝી ગયા હતા. હવે શ્રાવણ માસ(Shravan Month)માં મહાકાલ મંદિરમાં થયેલી આવક(Income)ના આંકડાઓ જે આંકડાઓ સામે આવ્યા છે તે જાણીને તમે ચોંકી જશો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે શ્રાવણ મહિનામાં ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં ભક્તોએ કરોડો રૂપિયાનું દાન કર્યું છે. એક મહિનામાં મહાકાલ મંદિરમાં રૂ. 15.64 કરોડથી વધુની આવક થઈ છે. આ આવકથી ઉત્સાહિત થઈને મંદિર ટ્રસ્ટે આગામી મહિનાઓમાં વધુ સારી સુવિધાઓ ઉભી કરીને ભક્તોને રિઝવવાનું નક્કી કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/what-is-the-strength-of-religion">ધર્મની તાકાત શું છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાકાલ મંદિર સમિતિના મેનેજર ગણેશકુમાર ધાકડે જણાવ્યું હતું કે, મહાકાલ મંદિરમાં 22 જુલાઈથી 19 ઓગસ્ટ દરમિયાન 15. 64 કરોડની આવક થઈ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મહાકાલ લોક નિર્માણ બાદ મહાકાલ મંદિરની આવકમાં સતત વધતી જઈ રહી છે. મંદિર દ્વારા વધુને વધુ લોકો દર્શન માટે અંદર આવી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેના કારણે તેની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાકાલેશ્વર મંદિર સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર નીરજકુમાર સિંહે જણાવ્યું હતું કે, અહીં દરરોજ હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડે છે, પણ શ્રાવણ મહિનામાં અહીં ભક્તોનું ઘોડાપૂર  ઉમટી પડે છે. મહાકાલ મંદિરને સૌથી વધુ આવક ભક્તો દ્વારા દાનપેટીમાં નાખવામાં આવતા રૂપિયામાંથી થાય છે. શ્રાવણ મહિનામાં મહાકાલ મંદિર સમિતિએ રૂ. 7 કરોડ 8 લાખથી વધુની કિંમતનો પ્રસાદ વેચ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાકાલ મંદિરમાં શ્રાવણના એક મહિનામાં કાઉન્ટરથી 26.92 લાખ રૂપિયાની આવક થઈ હતી. આ સિવાય વિશેષ દર્શનમાંથી 4.63 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. ઉજ્જૈન દર્શન બસનું ભાડું 77 હજાર રૂપિયા આવ્યું છે અને સવારીમાંથી 5505 રૂપિયાની આવક થઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાકાલ મંદિરની પંડિત સૂર્યનારાયણ ધર્મશાળામાંથી 3.95 લાખની આવક થઈ છે જ્યારે અન્ય દર્શન વ્યવસ્થામાંથી 19.60 લાખથી વધુની કમાણી નોંધાઈ છે. આ સિવાય અન્નક્ષેત્રમાં 10.21 લાખ રૂપિયાનું ડોનેશન આવ્યું છે. મંદિરને ઓનલાઈન રૂ. 11.68 લાખનું દાન મળ્યું છે અને ગર્ભ ગૃહની દાનપેટીમાંથી રૂ. 19.22 લાખ દાન નીકળ્યું છે. મંદિરની અન્ય દાનપેટીઓમાંથી 2.95 કરોડથી વધુ રૂપિયા દાન તરીકે નીકળ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/a-donation-of-18.11-crores-came-out-of-the-donation-box-of-the-temple-counting-took-4-days"><strong>મંદિરની દાનપેટીમાંથી 18.11 કરોડનું દાન નીકળ્યું, 4 દિવસ ગણતરી ચાલી</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 24 Aug 2024 18:08:37 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1120</Articleid>
                    <excerpt>ઉજ્જૈનના મહાકાલ મંદિરે શ્રાવણ માસ દરમિયાન તેને થયેલી કમાણીના આંકડાઓ જાહેર કર્યા છે. મંદિર કેવી કેવી રીતે કમાણી કરે છે તે જાણીને તમે ચોંકી જશો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c9d3cde7ab1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c9d3cdb7097.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c9d3cdb7097.jpg" length="163048" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ujjain Mahakal mandir, Temple Imcome</media:keywords>
                </item>
                        <item>
                    <title>યુપી પેટાચૂંટણીમાં RSSના કાર્યકરો અનામત&amp;બંધારણ મુદ્દે દલિતોને સમજાવશે</title>
                    <link>https://khabarantar.com/in-the-up-by-elections-rss-workers-will-explain-the-reservation-constitution-issue-to-dalits</link>
                    <guid>https://khabarantar.com/in-the-up-by-elections-rss-workers-will-explain-the-reservation-constitution-issue-to-dalits</guid>
                    <description>
                        <![CDATA[ ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણી આવી રહી છે ત્યારે અહીં દલિતોમાં ભાજપની અનામત અને બંધારણ વિરોધી છબિ સુધારવા RSS ના કાર્યકરો ગામેગામ ફરશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ભાજપને ભારે પછડાટ મળી હતી. ખાસ કરીને અયોધ્યામાં મળેલી હારથી પક્ષનું ટોચનું નેતૃત્વ પણ હતપ્રભ થઈ ગયું હતું. હવે ફરીથી યુપીમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. આ વખતે 10 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે અને ભાજપને જીતાડવા માટે ફરી એકવાર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરોને કામે લગાડી દેવાયા છે. આધારભૂત સુત્રોના મતે સંઘ દ્વારા દલિત મતવિસ્તારોને ટાર્ગેટ કરવા કહેવાયું છે. સંઘના કાર્યકરો દલિતવાસમાં ઘરે ઘરે ફરશે અને ભાજપ અનામત અને બંધારણનું વિરોધી નથી તે સમજાવવા પ્રયત્ન કરશે. તેના માટે જેઓ જરૂર પડ્યે દલિતોના ઘરે જઈને ભોજન પણ કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકીય નિષ્ણાતોના મતે, યુપીમાં દલિત સમાજમાં ભાજપની છબિ કટ્ટર હિંદુત્વવાદી, અનામત અને બંધારણ વિરોધી પક્ષ તરીકેની પડી ગઈ છે. અગાઉ લોકસભા ચૂંટણી વખતે ભાજપના અનેક નેતાઓએ પોતાના ભાષણોમાં બંધારણ બદલવાની વાત કરી હતી. જેને દેશભરના દલિતોએ ગંભીરતાથી લીધી હતી અને તેનો ફાયદો વિપક્ષને થયો હતો. ખાસ કરીને અયોધ્યા જેમાં આવે છે તે ફૈઝાબાદ બેઠક પર જનરલ સીટ હોવા છતાં સમાજવાદી પાર્ટીએ દલિત સમાજના ઉમેદવારને ટિકિટ આપી અને તે જીતી પણ ગયા, તેનાથી ભાજપને મોટો આંચકો લાગ્યો હતો. અગાઉ ભાજપે 400 પારનો નારો આપ્યો હતો પણ તે પોતાના બળ પર બહુમતી પણ મેળવી શક્યો નહોતો. આથી હવે સંઘ ફરીથી ભાજપની મદદે આવ્યો છે. અને તેના માટે તેના કાર્યકરોને ગામડાઓમાં દલિતવાસોમાં જઈને સમજાવવા આદેશ કરાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંઘની સક્રિયતા વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવાસસ્થાને મળેલી બેઠકમાં વિધાનસભા પેટાચૂંટણીની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સરકાર, સંગઠન અને સંઘ ત્રણેયના આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે ૧૦ વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મહત્વની ભૂમિકા ભજવશે અને તેની સહયોગી સંસ્થાઓના કાર્યકરો ગામડે ગામડે જઈને મતદારો સાથે ઘરે-ઘરે વાત કરશે. બેઠકમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, અનામત અને બંધારણને લઈને દલિત મતદારોમાં જે નારાજગી ફેલાયેલી છે તેને કોઈપણ હિસાબે દૂર કરવી જરૂરી છે. તેના માટે સંઘના કાર્યકરોને ગામેગામ મોકલવામાં આવશે. ત્યાં તેઓ દલિત મહોલ્લાઓમાં જઈને તેમનો અનામત અને બંધારણ બદલી દેવા અંગેનો આક્રોશ ઠારવા પ્રયત્ન કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/RSS-and-Ambedkar-are-polar-opposites-yet-why-Sangh-praises-Baba-Saheb">RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેઠકમાં એવી પણ ચર્ચા થઈ હતી કે અન્ય પક્ષોના લોકોને મોટા હોદ્દા આપવાથી પાર્ટીમાં નારાજગી છે. આ નારાજગીને દૂર કરવા માટે પાર્ટી અને સંઘના જૂના કાર્યકર્તાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે અને તેમને નિગમ અને કમિશનમાં અગ્રતા સ્થાન આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીએમ યોગી આદિત્યનાથના ઘરે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ઉત્તર પ્રદેશના વિકાસ અને ચૂંટણીની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સંઘના વરિષ્ઠ હોદ્દેદારો ભાજપના પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મહાસચિવ, બંને નાયબ મુખ્યમંત્રી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. બેઠકમાં ભાજપના જૂના કાર્યકરોને કોર્પોરેશન કમિશન અને બોર્ડમાં સ્થાન આપવા અંગે ચર્ચા થઈ હતી. પેટાચૂંટણીમાં કેવી રીતે સારું પ્રદર્શન કરવું, કોણ વધુ સારા ઉમેદવાર બની શકે, ભાજપના સભ્યપદ અભિયાનને કેવી રીતે વેગવંતુ બનાવવું જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. સાથે જ આગામી કાર્યક્રમો અને વિવિધ મુદ્દે સંગઠન અને સરકાર વચ્ચે સંકલન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ ઉત્તર પ્રદેશમાં RSS, સંગઠન અને સરકાર વચ્ચે લગભગ દર એક કે બે મહિને સંકલન બેઠક થતી હતી. પરંતુ હમણાંથી આવી બેઠકો ઘણી ઓછી થઈ છે. આ બેઠકોમાં જમીની વાસ્તવિકતા ઘણી હદ સુધી બહાર આવી હતી અને સરકારે ખામીઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનનું એક મોટું કારણ સંઘ, સંગઠન અને યોગી સરકાર વચ્ચે તાલમેલનો અભાવ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આજની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આવી બેઠકોનો રાઉન્ડ ફરી એકવાર શરૂ થશે. લોકોમાં ભાજપ અને યોગી સરકારની છબી સુધારવા માટે સંઘ પણ ફરી કામે લાગી જશે. અગાઉની જેમ ભાજપનું સદસ્યતા અભિયાન હોય કે પાર્ટીનો અન્ય કોઈ કાર્યક્રમ, સંઘને પણ તેમાં સામેલ કરવામાં આવશે તેમ નક્કી થયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/rss-mouthpiece-panchjanya-termed-caste-system-as-necessary">RSSના મુખપત્ર ‘પાંચજન્ય’માં જાતિ પ્રથાને 'જરૂરી' ગણાવવામાં આવી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 22 Aug 2024 19:36:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1114</Articleid>
                    <excerpt>ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણી આવી રહી છે ત્યારે અહીં દલિતોમાં ભાજપની અનામત અને બંધારણ વિરોધી છબિ સુધારવા RSS ના કાર્યકરો ગામેગામ ફરશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c74534cdbfc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c745349b3bf.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c745349b3bf.jpg" length="107838" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Uttar Pradesh, વિધાનસભા પેટાચૂંટણી, RSS</media:keywords>
                </item>
                        <item>
                    <title>અંધશ્રદ્ધા વિરોધી કાયદામાંથી જ્યોતિષ&amp;વાસ્તુશાસ્ત્રને કેમ બાકાત રખાયા?</title>
                    <link>https://khabarantar.com/why-exclude-astrology-vastushastra-from-anti-superstition-act</link>
                    <guid>https://khabarantar.com/why-exclude-astrology-vastushastra-from-anti-superstition-act</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કરાયું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ બિલમાં ખૂલ્લેઆમ અંધશ્રધ્ધા ફેલાવતા જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રને બાકાત રખાયું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રમાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કરી દેવાયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બિલ(Anti-Superstition Bill) રજૂ કર્યું હતું, જેમાં અંધશ્રદ્ધાનું આચરણ કરનારા, કરાવનારા અને દુષ્પ્રેરણા આપનારાને છ મહિનાથી લઈને સાત વર્ષની જેલ અને રૂ. પાંચ હજારથી માંડીને રૂ. ૫૦ હજાર સુધીના દંડની જોગવાઈ છે. બિલમાં આવા આરોપીઓને જામીન નહીં આપવાની પણ જોગવાઈ છે. અંધશ્રદ્ધાને કાબુમાં રાખવા માટે દેશમાં ગુજરાત પહેલા મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક ઓડિશા, છત્તીસગઢ અને આસામ જેવા રાજ્યો આ પ્રકારનો કાયદો બનાવી ચૂક્યો છે. આમ, અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવનારું ગુજરાત દેશનું સાતમું રાજ્ય છે. હવે આ કાયદા પ્રમાણે જે લોકો માનવ બલિદાન, કાળા જાદુ, અઘોરી પ્રથાને સીધું કે આડકતરી રીતે પ્રોત્સાહન આપશે, તો તે ગુનો ગણાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કાયદામાં આશ્ચર્યજનક બાબત એ છે કે, તેમાં અંધશ્રદ્ધાનો ખૂલ્લેઆમ ફેલાવો કરતા જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રને બાકાત રાખવામાં આવ્યા છે. એ નગ્ન સત્ય છે કે, ગુજરાત સહિત દેશભરમાં જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના નામે અંધશ્રદ્ધા ફેલાવી લોકોમાં ભય પેદા કરી તેમની પાસેથી પૈસા પડાવવાનું કામ મનુવાદી તત્વો ખૂલ્લેઆમ કરે છે. ધર્મની આડમાં આવા જ્યોતિષીઓ દ્વારા મહિલાઓ પર બળાત્કાર કર્યાના પણ અનેક બનાવો બન્યા છે. અગાઉ અનેક લોકો આવા જ્યોતિષીઓની ચૂંગાલમાં ફસાઈને લાખો રૂપિયા ગુમાવી ચૂક્યા હોવાના પણ કિસ્સા બન્યાં છે. આવું જ કંઈક વાસ્તુશાસ્ત્રનું તૂત છે. જેમાં લોકોને તેમના ઘર, ઓફિસોમાં તોડફોડ કરાવી, તેમના મનમાં શંકાઓ, વહેમ પેદા કરાવી પોતાનો સ્વાર્થ સાધી લેવાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટૂંકમાં જ્યોતિષ અને વાસ્તુનો ધંધો શુદ્ધરૂપે અંધશ્રદ્ધાના દાયરામાં આવતા હોવા છતાં તેને આ કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. એનો અર્થ એવો કરી શકાય કે સરકારે અહીં પણ મનુવાદીઓના ધંધાને કોઈ અસર ન પડે તેનું પુરું ધ્યાન રાખ્યું છે? તેમને અંધશ્રદ્ધા વિરોધી કાયદામાં પણ અનામત આપવામાં આવી છે. જ્યોતિષ શાસ્ત્ર ગરીબ મનુવાદીઓ માટે છે, જ્યારે વાસ્તુશાસ્ત્ર ક્રિમીલેયર મનુવાદીઓની કમાણીનું સાધન છે અને સરકારે આ બંનેને આ કાયદામાંથી બાકાત રાખીને તેમને છાવરી લીધાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બિલમાં શું જોગવાઈ છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બિલ રજૂ કર્યું હતું, જેમાં અંધશ્રદ્ધાનું આચરણ કરનારા, કરાવનારા અને દુષ્પ્રેરણા આપનારાને સજાની જોગવાઈ છે. આ બિલમાં અંધશ્રદ્ધાળુઓને છ માસથી સાત વર્ષની જેલ અને રૂ. પાંચ હજારથી માંડીને રૂ. 50 હજાર સુધીના દંડની જોગવાઈ છે. આ ઉપરાંત બિલમાં આવા આરોપીઓને જામીન નહીં આપવાની પણ જોગવાઈ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/three-months-old-bhagwati-died-while-burning-incense">ત્રણ માસની 'ભગવતી'ને ભૂવાએ અગરબત્તીના ડામ દેતા મોત</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કાયદા પ્રમાણે કોઈ વ્યક્તિ દ્વારા અથવા પોતે કાળા જાદુ, અનિષ્ટ અને અઘોરી પ્રથા, માનવ બલિ અને બીજા અમાનુષી, કાવતરું કરાવડાવે, વ્યવસાય કરે, જાહેરખબર આપે અથવા ઉત્તેજન આપીને આ કાયદાનો ભંગ કરે તો તેની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદાનો ભંગ કરનારાને બિન જામીનપાત્ર ગુનો નોંધીને ૬ માસથી લઈને ૭ વર્ષ સુધીની કેદ, ૫ હજારથી ૫૦ હજાર સુધીનો દંડની જોગવાઈ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, 'ભારતમાં જ ખાલી કાળા જાદુની પ્રથા લાગુ નથી, પરંતુ પશ્ચિમી દેશોમાં પણ આ પ્રકારની પ્રથા જોવા મળે છે. જો કે, દરેક જગ્યાએ કાળા જાદુને રોકવા માટે અલગ કાયદાઓ લાગુ કરવામાં આવ્યાં છે. આઝાદીનાં ૭૮ વર્ષ પછી પણ અંધશ્રદ્ધાની ઘટના બને છે, તે રોકવી જરૂરી છે. વિધાનસભામાં લાગુ કરાયેલા અંધશ્રદ્ધા વિરોધી બિલમાં લોકોની આસ્થા અને માન્યતાને ઠેસ ન પહોંચે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાયદામાં કેવી છટકબારીઓ છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં અંધશ્રદ્ધા નિર્મૂલન માટે વર્ષોથી કામ કરતા એડવોકેટ પિયુષ જાદુગરના મતે આ કાયદામાં કેટલીક એવી છટકબારીઓ છે, જ્યાંથી આરોપીઓ આસાનાથી છટકી જશે. તેમના મતે, "કાયદામાં સાત વર્ષની સજાની જોગવાઈ છે, એનો અર્થ એવો થયો કે ભલે બિનજામીની ગુનો હોય તો પણ પોલીસ અને કોર્ટ તેમાં તાત્કાલિક જામીન આપી શકશે. મતલબ આરોપી નીચેના લેવલથી જ છુટી જશે. સુપ્રીમ કોર્ટ મુજબ 7 વર્ષથી નીચેની સજા હોય તો તેને નીચેના લેવલથી જામીન આપી શકાય છે. વધુમાં વધુ તમે વાંધો લઈ શકો, એટલે તેને રેકર્ડ ઉપર લેવાય." </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પિયુષભાઈ આગળ કહે છે, "બીજું કે રેપ જેવા ગુનાઓમાં સામાન્ય રીતે 10 વર્ષની આજીવન કેદની સજા છે, નવા કાયદામાં પણ તે છે, પણ અહીં સ્થિતિ એવી પેદા થઈ શકે કે, કોઈ ભૂવો કોઈ મહિલા પર રેપ કરે તો તેને શું આ કાયદા હેઠળ 7 જ વર્ષની સજા થશે? એ જ રીતે કોઈ બાળકને ડામ દેવાથી, મારથી મોત થઈ જાય કે ખૂન થઈ જાય તો પણ 10 વર્ષની આજીવન કેદની સજા છે. પણ કાયદામાં જો આરોપી ભૂવો છે એટલું સાબિત થાય તો પણ તેને મહત્તમ 7 વર્ષની સજા થશે. મતલબ ગુનાની ગંભીરતા એક સરખી હોવા છતાં માત્ર ભુવો હોવાને કારણે તેને ત્રણ વર્ષ ઓછી સજા મળશે?"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Kali-Chaudhas-is-an-excellent-opportunity-to-encounter-superstition:-Jitendra-Vaghela"> કાળી ચૌદશ 'અંધશ્રદ્ધાનું એન્કાઉન્ટર' કરવા માટેની ઉત્તમ તક છેઃ જીતેન્દ્ર વાઘેલા</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પિયુષભાઈ વધુમાં જણાવે છે, "અન્ય એક ધ્યાન ખેંચે તેવી બાબત એ પણ છે કે, લેભાગુઓ વશીકરણ, તાંત્રિક વિદ્યાના નામે લોકો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરે છે. પણ આ કાયદામાં માત્ર રૂ. 50 હજાર સુધીના દંડની જોગવાઈ છે. એટલે એવું પણ બને કે ગુનેગાર તાંત્રિક કે ભુવાએ ફરિયાદી પાસેથી વશીકરણ કે વિદ્યા કરવાના બહાને 35 લાખ પડાવ્યા હોય અને તે કોર્ટમાં ગુનો કબૂલ કરીને 50 હજાર દંડ ભરીને છુટી પણ જાય. આવા કેસમાં આગોતરા જામીન ન મળવા જોઈએ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એડવોકેટ પિયુષ જાદુગરના પોલીસ તંત્રના રોલને લઈને પણ કેટલાક સવાલો કરી રહ્યાં છે. તેમના, "મતે ઘણાં કેસોમાં તો તપાસ કરતા પોલીસ અધિકારીઓ જ આવા લોકોના શરણે ગયેલા હોય છે. નરેન્દ્ર દાભોલકરનો કિસ્સો આપણી સામે છે. જેમાં તેમનું ખૂન આરોપીઓ મળ્યાં નહીં ત્યારે પોલીસ તાંત્રિકો પાસે ગઈ હતી કે આરોપીઓ કોણ છે તેને લઈને કોઈ દિશા દર્શાવે. અનેક મોટા મંદિરો, મઠોમાં પોલીસ અધિકારીઓ માટે ચા-પાણી, નાસ્તો વગેરે બધું ફ્રી હોય છે. મોટા આસ્થા કેન્દ્રોમાં તો પોલીસની જમવાની પણ કાયમી વ્યવસ્થા હોય છે. એવામાં તેઓ ફરિયાદીને કેવી રીતે ન્યાય અપાવશે તે સવાલ છે. ઉત્તરપ્રદેશમાં તો આવા ગુનાના આરોપીઓની મિલકત તોડી પાડીને જમીન શ્રીસરકાર કરવામાં આવે છે. તો ગુજરાતમાં આ કાયદામાં કેમ તેવી કોઈ જોગવાઈ નથી?"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોવાનું એ રહેશે કે કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની જેમની જવાબદારી છે તેઓ આને કેવી રીતે લે છે. કેમ કે, છેવટે તો કાગળ પર કાયદો ગમે તેટલો સારો હોય પણ તેનો અમલ કરાવનાર નબળાં હોય તો પણ તેની બીક ઘટે છે. અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદામાં એટલું આશ્વાસન લઈ શકાય કે તેમાં 7 વર્ષની સજા છે. પણ સામે છટકબારીઓ પણ એટલી જ છે. જો સરકાર ખરેખર ઈચ્છતી હોય કે ગુજરાતમાંથી અંધશ્રદ્ઘા નિર્મૂલન થાય તો તેણે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રને નામે ભોળાં લોકોને ભરમાવી કમાણી કરતા તત્વોને પણ આ કાયદામાં આવરી લેવા જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/In-surat-an-astrologer-raped-a-woman-by-extorting-14-lakhs-on-the-pretext-of-a-ritual">સુરતમાં જ્યોતિષે વિધીના બહાને મહિલા પાસેથી 14 લાખ પડાવી દુષ્કર્મ કર્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 22 Aug 2024 12:00:24 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1111</Articleid>
                    <excerpt>ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કરાયું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ બિલમાં ખૂલ્લેઆમ અંધશ્રધ્ધા ફેલાવતા જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રને બાકાત રખાયું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c6d9e86406e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c6d9e83569c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c6d9e83569c.jpg" length="112104" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>અંધશ્રદ્ધા વિરોધી બિલ, Anti-Superstition Bill, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતભરમાં બંધને જબ્બર સમર્થન: ઉમરપાડા, કેવડી, ઝંખવાવ સંપૂર્ણ બંધ</title>
                    <link>https://khabarantar.com/strong-support-for-bandh-across-gujarat-umarpada-kevadi-zhankhawav-complete-bandh</link>
                    <guid>https://khabarantar.com/strong-support-for-bandh-across-gujarat-umarpada-kevadi-zhankhawav-complete-bandh</guid>
                    <description>
                        <![CDATA[ એસસી-એસટી સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટના ચૂકાદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન અપાયેલું છે. વાંચો સમગ્ર ગુજરાતમાં ક્યાં શું થયું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Bharat Band Live Update: સુપ્રીમ કોર્ટના સવર્ણ જજો દ્વારા એસસી-એસટી સમાજની અનામતમાં ભાગલા પાડી તેમાં ક્રીમીલેયર દાખલ કરવાના ચૂકાદાના વિરોધમાં આજે દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને ગુજરાતમાં પણ જોરદાર સમર્થન મળતું દેખાયું છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં પણ બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત બંધના એલાનને સુરતના ઉમરપાડામાં સંપૂર્ણ પ્રતિસાદ મળ્યો છે. ઉમરપાડા, કેવડી, ઝંખવાવ સંપૂર્ણ રીતે બંધ રહ્યાં હતાં. ઉમરપાડામાં લોકો સંપૂર્ણ બંધમાં સ્વયંભૂ જોડાયા હતાં અને વિરોધ નોંધાવ્યો હતો. અનામતમાં ક્રીમીલેયર દાખલ કરવાના સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોના નિર્ણયના વિરોધમાં ઠેર ઠેર રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરેન્દ્રનગરમાં દલિતોએ ટ્રેન રોકતા અધિકારીઓ દોડતા થયા હતાં. ગઢડા તાલુકાના ઢસા ગામે અનુસૂચિત સમાજના યુવાનો દ્વારા રાજકોટ-ભાવનગર હાઈવે કર્યો ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ઢસામાં યુવાનોએ રોડ ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યા હતાં. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પણ બંધના એલાનને મજબૂત પ્રતિસાદ મળ્યો હતો. સંતરામપુરના આગેવાનો દ્વારા બજારો તેમજ દુકાનો બંધ કરાવતા અટકાયત કરવામાં આવી હતી. ધોરાજીમાં એસસી-એસટી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. ધોરાજીમાં પણ મોટાભાગનું શહેર બંધ રહ્યું હતું. અહીં ગેલેક્સી ચોકમાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા દુકાનો બંધ કરાવવામાં આવી હતી. ધોરાજી સરદાર ચોક, શાકમાર્કેટ રોડ, ગેલેક્સી ચોક સહિત મુખ્ય બજાર બંધ રહ્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બંધના એલાનને મજબૂત પ્રતિસાદ મળ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-supreme-courts-verdict-is-going-to-prove-to-be-a-turning-point-for-the-bsp">સુપ્રીમ કોર્ટનો ચુકાદો BSP માટે 'ટર્નિંગ પોઈન્ટ' સાબિત થવા જઈ રહ્યો છે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નવસારીમાં પણ ભારત બંધના એલાનને જોરદાર સમર્થન મળ્યું હતું. નવસારી, જલાલપોર અને ગણદેવીમાં બંધની મધ્યમ અસર રહી પણ ચીખલી, ખેરગામ અને વાંસદામાં બંધની જોરદાર અસર જોવા મળી હતી. તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ તાલુકામાં સંપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો. વ્યારા સોનગઢ તાલુકામાં સંપૂર્ણ બંધ જોવા મળ્યું હતું અને લોકો સ્વયંભૂ રીતે બંધમાં જોડાયા હતાં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અહીં સાબરકાંઠા જિલ્લામાં ભારે અસર જોવા મળી હતી. વિજયનગર ચિઠોડા, અંદ્રોખા અને આંતરસુબામાં બજારો બંધ રહ્યાં હતા. છોટાઉદેપુરમાં બંધને સારો પ્રતિસાદ મળ્યો હતો અને અનેક બજારો બંધ રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/what-is-the-contribution-of-collegium-judges-regarding-classification-into-sc-st">SC, ST માં વર્ગીકરણ બાબતે કોલેજીયમ જજોની દાનત શું છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદમાં દલિત સમાજનો ગઢ ગણાતું ચાંદખેડા જડબેસલાક બંધ રહ્યું હતું. અહીં દલિત સમાજની મજબૂત પકડને કારણે સૌએ બંધને મજબૂતીથી ટેકો આપ્યો હતો. આ સિવાય અમરાઈવાડી વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે મોટી સંખ્યામાં સમાજના લોકો ભેગા થઈ રસ્તો રોકીને વચ્ચે બેસી જતા પોલીસ દોડતી થઈ હતી. આ ઘટનામાં કેટલાક લોકોની ધરપકડ થઈ હોવાના અહેવાલ છે. આ સિવાય વેજલપુરમાં રેલવે ક્રોસિંગ પાસે મોટો ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દલિતો ઉમટી પડ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદ ગ્રામ્યના બાવળા-ધોળકા-સાણંદ તાલુકામાં પણ એસટી એસસી સમાજના સંગઠનોએ બંધનું એલાન આપ્યું હતું અને તેને મજબૂત ટેકો મળ્યો હતો. વહેલી સવારથી જ ધોળકા-બાવળા-સાણંદ સહિતના વિસ્તારોમાં ભારત બંધની અસર જોવા મળી હતી. ધોળકામાં વેપારી એસોસિએશન દ્વારા બંધના એલાનને ટેકો આપીને સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. ધોળકાના બજારોમાં કલિકુંડ, પાશ્વનાથ સહિતના વિસ્તારોમાં વેપારીઓએ દુકાનો બંધ રાખીને ભારત બંધને સમર્થન આપ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દક્ષિણ ગુજરાતના પટ્ટામાં એસસી-એસટી સમાજની નોંધપાત્ર વસ્તી ધરાવતા નર્મદા, પંચમહાલમાં બજારોમાં પણ બંધની અસર જોવા મળી હતી.આ સિવાય છોટા ઉદેપુર, વલસાડ, દાહોદ, નવસારી, ડાંગ, બનાસકાંઠા સહિતના અન્ય જિલ્લામાં બજારો બંધ જોવા મળ્યા હતા. ટૂંકમાં બંધને ગુજરાતભરના વિવિધ વિસ્તારોમાં જનસમર્થનને જોતા એસસી-એસટી સમાજે એક થઈને પોતાની તાકાતનો પરચો બતાવ્યો હતો.</span><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/supreme-courts-judgment-on-reservation-is-just-a-joke-prakash-ambedkar">અનામત અંગે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો કેવળ જુમલાબાજી છેઃ પ્રકાશ આંબેડકર</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 21 Aug 2024 18:08:08 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1108</Articleid>
                    <excerpt>એસસી-એસટી સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટના ચૂકાદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન અપાયેલું છે. વાંચો સમગ્ર ગુજરાતમાં ક્યાં શું થયું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c5df1fe38f3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c5df1fb3360.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c5df1fb3360.jpg" length="81356" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bharat Band, Reservation Quota</media:keywords>
                </item>
                        <item>
                    <title>LIVE UPDATE: બક્સરમાં પ્રદર્શનકારીઓ જજની કાર રોકતા ભાગવું પડ્યું...</title>
                    <link>https://khabarantar.com/live-update-demonstrators-in-buxar-had-to-flee-after-stopping-Judges-car</link>
                    <guid>https://khabarantar.com/live-update-demonstrators-in-buxar-had-to-flee-after-stopping-Judges-car</guid>
                    <description>
                        <![CDATA[ એસસી, એસટી સમાજ દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનની વ્યાપક અસર જોવા મળી રહી છે. જાણો ક્યાં શું થઈ રહ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Bharat Band Live Update:એસસી એસટી સમાજમાં ભાગલા પાડવાનો ચૂકાદો સુપ્રીમ કોર્ટનો છે, જેને લઈને લોકોમાં ન્યાય વ્યવસ્થા સામે ભારે આક્રોશ હોવાથી ન્યાયતંત્રને પણ તેની અસર જોવા મળી હતી. આવું જ કંઈક બક્સરમાં જોવા મળ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં પ્રદર્શનકારીઓએ આંબેડકર ચોક પાસે સિવિલ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કાર રોકી હતી. હોબાળો મચાવતા લોકો કારની સામે ઉભા રહી ગયા હતા. પોલીસકર્મીઓ પણ હાજર હતા. તે વિરોધીઓને રસ્તો આપવા માટે સમજાવતા રહ્યા, પરંતુ લોકો નારા લગાવતા રહ્યા. આખરે જજની કાર પાછી વાળવી પડી અને કોર્ટમાં ગયા વિના જ તેઓ પોતાના ઘરે પરત જતા રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અમદાવાદ દલિત વિસ્તારો બંધની વ્યાપક અસર જોવા મળી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં બહુજન ચળવળના એપીસેન્ટર ગણાતા અમદાવાદમાં ભારત બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. અહીં ચાંદખેડા વિસ્તાર જડબેસલાક બંધ છે. આ સિવાય ગોમતીપુર, ગીતામંદિર, દાણીલીમડા, ગોમતીપુર, અમરાઈવાડી, બાપુનગર, સરખેજ, વેજલપુર સહિતના વિસ્તારોમાં પણ બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વેજલપુરમાં આજે બપોરે 2 વાગ્યે જંગી ધરણાંનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંના આંબેડકર ચોક, રેલવે ક્રોસિંગ પાસેના વિસ્તારમાં બપોરે 2 થી સાંજના 5 વાગ્યા સુધી ધરણાં ચાલશે. જેમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના લોકો અહીંના જીવરાજપાર્ક, મલાવ તળાવ, ચામુંડાનગર, વાસણા, ગુપ્તાનગર, આંબાવાડી, જોધપુર, રાજીવનગર , સોરાઈનગર, શૈલેષપાર્ક, મકરબા, સરખેજ વિસ્તારમાંથી ઉમટી પડવાના છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66c5af0556904.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૌરાષ્ટ્રમાં પણ લગભગ તમામ જિલ્લાઓમાં બંધની અસર જોવા મળી રહી છે. જૂનાગઢમાં મોટાભાગના બજારો બંધ છે, રાજકોટ, જેતપુર, ગોંડલ સહિતના પંથકમાં પણ વ્યાપક અસર દેખાઈ છે. અનેક જગ્યાએ એસસી-એસટી સમાજ દ્વારા ધરણાં અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં એસસી-એસટી સમાજ તેમાં જોડાઈ રહ્યો છે.</span><br><span style="font-size: 14pt;">દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં પણ બંધને કારણે અનેક વિસ્તારો સૂમસામ જોવા મળી રહ્યાં છે. તો કચ્છમાં પણ ભૂજ, રાપર સહિતના વિસ્તારોમાં બંધના કારણે અનેક વિસ્તારો બંધ રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદમાં વચ્ચે કોઈએ મોલ બંધ કરાવ્યાની અફવા ફેલાતા પોલીસ દોડતી થઈ હતી. દરમિયાન પાટણ અને ચાંદખેડામાં એસસી સમાજે રસ્તા રોક્યા હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં ગણપતિ ફાટસર વિસ્તારમાં એસસી સમાજે ટ્રેન રોકતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહારમાં ભારત બંધની નોંધપાત્ર અસર જોવા મળી રહી છે. પટનામાં બંધના સમર્થનમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ લોકો બેરિકેડ તોડીને આગળ વધી રહ્યા હતા, ત્યારબાદ પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. એ દરમિયાન પોલીસવાળાએ એસડીએમને લાઠી ફટકારી દેતા હોબાળો મચી ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહાર બાદ રાજસ્થાનના અજમેરમાં ભારત બંધની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. અહીંના રસ્તાઓ સુમસામ છે. બજારો બંધ છે. જયપુરમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત બંધની આવી જ લાઈવ અપડેટ માટે વાંચતા રહો...ખબરઅંતર.કોમ...</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/what-is-objectionable-in-the-judgment-of-the-supreme-court-find-out-from-raju-solanki"> સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં વાંધાજનક શું છે? રાજુ સોલંકી પાસેથી સમજો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 21 Aug 2024 14:43:04 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 21 Aug 2024 15:14:55 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1107</Articleid>
                    <excerpt>એસસી, એસટી સમાજ દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનની વ્યાપક અસર જોવા મળી રહી છે. જાણો ક્યાં શું થઈ રહ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c5aef240401.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c5aef20b3de.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c5aef20b3de.jpg" length="110405" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bharat Band, Reservation Quota</media:keywords>
                </item>
                        <item>
                    <title>LIVE UPDATE: સુરેન્દ્રનગરમાં ટ્રેન રોકી, રાજસ્થાનમાં ઈન્ટરનેટ બંધ...</title>
                    <link>https://khabarantar.com/live-update-train-stopped-in-surendranagar-internet-stopped-in-rajasthan</link>
                    <guid>https://khabarantar.com/live-update-train-stopped-in-surendranagar-internet-stopped-in-rajasthan</guid>
                    <description>
                        <![CDATA[ એસસી, એસટી સમાજ દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનની વ્યાપક અસર જોવા મળી રહી છે. જાણો ક્યાં શું થઈ રહ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Bharat Band Live Update:SC-ST અનામતમાં ભાગલા પાડી તેમાં ક્રીમીલેયર દાખલ કરવાના સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોના ચૂકાદા સામે આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં અનુસૂચિત જાતિ સમાજના લોકોએ ફાટક પર વિરોધ પ્રદર્શન કરીને ટ્રેન અટકાવી દીધી હતી. તો ઉત્તરપ્રદેશમાં પણ પ્રદર્શનકારીઓ જહાનાબાદ પાસે ટ્રેનના પાટા પર બેસી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી રહી છે. અહીં અનેક જિલ્લાઓમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર આવીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. પટનામાં બંધના સમર્થનમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ લોકો બેરિકેડ તોડીને આગળ વધી રહ્યા હતા, ત્યારબાદ પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના જયપુરમાં સાવચેતીના પગલારૂપે શાળાઓ અને કોચિંગ સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અજમેરમાં ભારત બંધની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. અહીંના રસ્તાઓ સુમસામ છે. બજારો બંધ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ), કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ આ દેશવ્યાપી હડતાળને સમર્થન આપ્યું છે. જેએમએમએ તેના તમામ નેતાઓ, જિલ્લા પ્રમુખો, સચિવો અને જિલ્લા સંયોજકો આ હડતાળમાં ભાગ લઈ રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આગ્રામાં બસપાના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે અને દુકાનો બંધ કરાવી હતી. અન્ય એક ઘટનામાં પ્રદર્શનકારીઓએ આરા, દરભંગામાં  ટ્રેન રોકી રેલવે ટ્રેક પર બેસી ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/how-many-sc-st-judges-who-gave-this-order">જે જજોએ આ ઓર્ડર આપ્યો તેમાં કેટલાં SC-ST છે?</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66c5981d127e0.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જહાનાબાદમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પટના મહેન્દ્રુ વિસ્તારના પ્રદર્શનકારીઓ તેમની માંગણીઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. સમર્થકોએ NH-83ને બ્લોક કરી દીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજસ્થાનના 4 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભરતપુર વિભાગના 4 જિલ્લાઓ (ભરતપુર, કરૌલી, સવાઈ માધોપુર અને ડીગ-કુમ્હેર)માં નેટ બંધ કરવામાં આવ્યું છે. જયપુર સહિત 16 જિલ્લાની સ્કૂલો-કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. આજે ત્રણ યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ રદ્દ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના પાટનગર જયપુરમાં ભારત બંધની અસર સંપૂર્ણ રીતે જોવા મળી રહી છે. તમામ દુકાનો બંધ છે. જયપુર સહિત રાજ્યના 13 જિલ્લામાં સ્કૂલો, કોલેજો અને કોચિંગ બંધ છે. ભરતપુર અને દૌસા જિલ્લામાં પણ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. દવાઓ, દૂધ અને મેડિકલ સેવાઓને ચાલુ રાખવામાં આવી છે. અજમેરમાં ભારત બંધની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. અહીંના રસ્તાઓ સુમસામ છે. બજારો બંધ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગ્રામાં બસપાના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આગ્રામાં મોટી સંખ્યામાં બસપા કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. ધનૌલીમાં પ્રદર્શનકારીઓ દ્વારા બજાર બંધ કરાવવામાં આવી રહ્યા છે. લોકો કલેક્ટર કચેરી તરફ જઈ રહ્યા છે. બસપાના જિલ્લા અધ્યક્ષ વિમલ કુમારે કહ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી વતી તમામ પાર્ટી કાર્યકર્તાઓને ભારત બંધને સમર્થન આપવા સૂચના આપવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભારત બંધને SPનું સમર્થન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમાજવાદી પાર્ટીએ સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભારત બંધને સમર્થન આપ્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે અનામત બચાવવા માટેનું જન આંદોલન સકારાત્મક પ્રયાસ છે. આનાથી શોષિત અને વંચિતોમાં ચેતનાની નવી લહેર ઉભી થશે અને અનામત સાથે કોઈપણ પ્રકારની ચેડાં સામે લોકશક્તિનું એક કવચ સાબિત થશે. શાંતિપૂર્ણ આંદોલન એ લોકશાહી અધિકાર છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66c5985469853.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીએ પહેલેથી જ ચેતવણી આપી હતી કે બંધારણ ત્યારે જ અસરકારક સાબિત થશે જ્યારે તેનો અમલ કરનારાઓના ઇરાદા સાચા હશે, જ્યારે સત્તામાં રહેલી સરકારો અને છેતરપિંડી, કૌભાંડો દ્વારા બંધારણ અને બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારોનો ગેરઉપયોગ છે, ત્યારે લોકોએ રસ્તા પર ઉતરવું જ પડશે. જન-આંદોલન સરકાર પર અંકુશ લગાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજસ્થાનના જયપુર, દૌસા, ભરતપુરમાં સ્કૂલોમાં રજા જાહેર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત બંધને ધ્યાનમાં રાખીને જયપુર, દૌસા, ભરતપુર, ગંગાપુર સિટી, ડીગ સહિત પાંચ જિલ્લાની સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ગુડગાંવ, ઝુંઝુનુ અને સવાઈમાધોપુર જિલ્લાની સ્કૂલોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સવાઈ માધોપુરમાં સ્કૂલો-કોલેજો બંધ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત બંધના કારણે રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાની સરકારી અને પ્રાઈવેટ સ્કૂલો અને કોલેજો બંધ છે. ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ છે. આ ઉપરાંત કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ, આંગણવાડી અને લાઈબ્રેરી પણ આજે બંધ છે. ભારત બંધના એલાનને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા કલેક્ટર જગદીશ આર્યએ આદેશ જારી કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બિહારમાં કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા, RJDએ દલિત સંગઠનોને સમર્થન આપ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનામત મામલે દલિત સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આરજેડીએ બિહારમાં બંધને સમર્થન આપ્યું છે. આ દરમિયાન હિંસક પ્રદર્શન થવાની સંભાવના છે. તે જ સમયે, બંધની વચ્ચે, આજે કોન્સ્ટેબલની ભરતીના ચોથા તબક્કા માટે પણ પરીક્ષા છે. આ સ્થિતિમાં કોન્સ્ટેબલની ભરતી માટે 3 લાખ ઉમેદવારોની સાથે સામાન્ય લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/august-21-bharat-bandh-trended-on-social-media">સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું '21 ઓગસ્ટ ભારત બંધ'</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 21 Aug 2024 13:08:46 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 21 Aug 2024 15:15:11 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1106</Articleid>
                    <excerpt>એસસી, એસટી સમાજ દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનની વ્યાપક અસર જોવા મળી રહી છે. જાણો ક્યાં શું થઈ રહ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c5980c7c6b7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c5980c4d2e7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c5980c4d2e7.jpg" length="134215" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bharat Band, Reservation Quota</media:keywords>
                </item>
                        <item>
                    <title>3 લાખ કરોડનું બજેટ છતાં ગુજરાતમાં 7 કરોડ પૈકી 1.2 કરોડ લોકો ગરીબ</title>
                    <link>https://khabarantar.com/despite-a-budget-of-3-lakh-crore-1.2-crore-people-out-of-7-crore-are-poor-in-gujarat</link>
                    <guid>https://khabarantar.com/despite-a-budget-of-3-lakh-crore-1.2-crore-people-out-of-7-crore-are-poor-in-gujarat</guid>
                    <description>
                        <![CDATA[ વિકસિત મનાતા ગુજરાતનું રૂ. 3 લાખ કરોડનું બજેટ છે, છતાં ખુદ કેન્દ્ર સરકારનો એક રિપોર્ટ કહે છે કે 7 કરોડ ગુજરાતીઓ પૈકી 1.2 કરોડ લોકો ગરીબ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશભરમાં ગુજરાત મોડેલની છેલ્લાં એક દાયકામાં ચોતરફ પ્રશંસા થઈ રહી છે. અન્ય રાજ્યો તેના વિકાસ મોડેલને સર્વશ્રેષ્ઠ માની તેને અપનાવવા પ્રયત્ન કરી રહ્યાં છે. પણ હાલમાં એક રિપોર્ટે તેની પોલ ખોલી નાખી છે. આ રિપોર્ટ મુજબ ગુજરાતની 7 કરોડની વસ્તી પૈકી 1.2 કરોડ લોકો ગરીબ હોવાનું સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ગામડાનો માણસ રોજ ૨૬ રૂપિયા પણ વાપરી શકતો નથી. શહેરી વિસ્તારનો વ્યક્તિ રોજના ૩૨ રૂપિયા ખર્ચવા પણ સક્ષમ નથી. છેલ્લા ૩૦ વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકાર ગરીબી દૂર કરવામાં નિષ્ફળ રહી હોવાનું આ આંકડાઓ પૂરવાર કરી રહ્યાં છે. રાજ્યનું ૩ લાખ કરોડનું બજેટ હોવા છતાં ગરીબોની સંખ્યામાં સતત વધારો થયો છે. સરકારી રાહત દરે અનાજનો લાભ મેળવતા લોકોની સંખ્યા પણ ૩ કરોડની આસપાસ છે. જે સાબિત કરે છે કે સરકાર ભલે વિકાસના દાવા કરે પણ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશમાં ગરીબીની સ્થિતિ નક્કી કરવા માટે ૨૦૧૧-૧૨માં એક સર્વે કરવામાં આવ્યો હતો. જે બાદ હજુ સુધી આ અંગે કોઈ આકારણી જારી કરવામાં આવી નથી. આ સર્વેમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા ૨૭ કરોડ આંકવામાં આવી હતી. સરકારનું કહેવું છે કે દેશમાં ૨૧.૯ ટકા વસ્તી હજુ પણ ગરીબી રેખા નીચે જીવે છે. સરકાર ગુજરાતના વિકાસની વાતો કરે છે પણ ૧ કરોડ વસ્તીને હજુ બે ટંક ખાવાના ફાંફા છે. અને આવું બીજું કોઈ નહીં પરંતુ કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડાઓ કહી રહયાં છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/india-is-the-8th-worst-country-in-the-world-in-terms-of-child-nutrition"> બાળકોમાં પોષણ મામલે ભારત દુનિયાનો 8મો સૌથી ખરાબ દેશ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંસદમાં રજૂ કરાયેલા એક રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં આજે ૧૬.૬૨ ટકા લોકો ગરીબીમાં જીવી રહ્યાં છે. શહેર કરતાં ગામડાના લોકોની સ્થિતિ વધુ ખરાબ છે. સતત મોંઘવારી વધતી જાય છે. બે ટંકનું ભોજન મેળવવું એ ગરીબો માટે દોહ્યલું બની રહ્યું છે સરકારે રજૂ કરેલા આંકડાઓનો અભ્યાસ કરતા ખ્યાલ આવે છે કે નજીવી આવકમાં બે ટંકનું ખાવાનું મેળવવું દોહ્યલું છે. ગામડામાં ૨૧.૫૪ ટકા એટલે કે, ૭૫.૩૫ લાખ ગરીબો છે. જ્યારે શહેરોમાં ગરીબ લોકોનું પ્રમાણ ૧૦.૧૪ ટકા રહ્યું છે. શહેરમાં ગરીબોની સંખ્યા વધીને ૨૬.૮૮ લાખ સુધી પહોંચી છે. કુલ મળીને સુખી સંપન્ના ગણાતાં ગુજરાતમાં ૧.૦૨ કરોડો લોકો ગરીબ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત દેશની વાત કરીએ તો, વર્ષ ૨૦૦૫ અને ૨૦૦૬ વચ્ચે લગભગ ૬૪.૫ કરોડ લોકો ગરીબ હતા. જો કે આ આંકડો ઘટીને ૨૦૧૫ અને ૨૦૧૬ વચ્ચે લગભગ ૩૭ કરોડે પહોંચી ગયો છે, જ્યારે ૨૦૧૯ અને ૨૦૨૧ વચ્ચે ૨૩ કરોડ પર આવી ગયો છે. યુએનના આ રિપોર્ટ મુજબ ભારત સહિત ૨૫ દેશોએ ૧૫ વર્ષમાં ગરીબી રેખા ઘટાડવામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાબત વિવિધ દેશોની ઝડપી પ્રગતિ દર્શાવે છે. આ યાદીમાં ભારત ઉપરાંત કંબોડિયા, ચીન, કોંગો, હોન્ડુરાસ, ઈન્ડોનેશિયા, મોરોક્કો, સર્બિયા અને વિયેતનામ પણ સામેલ છે. કોરોનાને કારણે વર્ષ ૨૦૨૦માં લગભગ ૫.૬ કરોડ ભારતીયો અત્યંત ગરીબ બની ગયા હતા, પરંતુ વર્ષ ૨૦૨૧માં અત્યંત ગરીબોની સંખ્યા ઘટી છે. આ સંખ્યામાં ૩.૮ કરોડનો ઘટાડો થયો છે અને હવે ૧૬.૭૪ કરોડ લોકો અત્યંત ગરીબ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/dalits-share-only-2.6-percent-of-the-countrys-wealth-89-percent-of-the-general"><strong>દેશની સંપત્તિમાં દલિતોનો હિસ્સો ફક્ત 2.6 ટકા, જનરલનો 89 ટકા</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 20 Aug 2024 18:59:04 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1101</Articleid>
                    <excerpt>વિકસિત મનાતા ગુજરાતનું રૂ. 3 લાખ કરોડનું બજેટ છે, છતાં ખુદ કેન્દ્ર સરકારનો એક રિપોર્ટ કહે છે કે 7 કરોડ ગુજરાતીઓ પૈકી 1.2 કરોડ લોકો ગરીબ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c499b04c6c9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c499b01a553.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c499b01a553.jpg" length="109503" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gujarat, Poor, Gujarat Model</media:keywords>
                </item>
                        <item>
                    <title>નાઈટ ડ્યૂટી પર તૈનાત દલિત નર્સ સાથે ડોક્ટરે દુષ્કર્મ આચર્યું</title>
                    <link>https://khabarantar.com/a-doctor-committed-rape-with-a-dalit-nurse-posted-on-night-duty</link>
                    <guid>https://khabarantar.com/a-doctor-committed-rape-with-a-dalit-nurse-posted-on-night-duty</guid>
                    <description>
                        <![CDATA[ કોલકાતાની લેડી ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈને હોબાળો મચેલો છે ત્યારે એક દલિત નર્સ સાથે ડોક્ટરે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોલકાતામાં લેડી ડોક્ટર સાથે કરાયેલા દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈને સવર્ણ મીડિયા, બોલીવૂડ, રાજકારણીઓ, સવર્ણ મહિલાઓએ આખો દેશ માથે લઈ લીધો છે. આ લોકોની લાગણીઓ પણ જાતિ જોઈને વહે છે તે શરમજનક છે. આવું એટલા માટે કહેવું પડે, કેમ કે કોલકાતાની ઘટના બની એ જ સમયે બિહારના મુઝફ્ફરપુરમાં એક દલિત સગીરાની પણ રેપ કરીને હત્યા કરી દેવામાં આવી હતી. એ હત્યા કેટલી ભયાનક હતી તેનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે, હત્યારાઓએ તેના ગુપ્ત ભાગ પર છરીથી 50 જેટલા ઘા કર્યા હતા. કોલકાતાની ઘટનામાં મૃતક યુવતી કથિત ઉચ્ચ જાતિની હોવાથી તેને મુખ્યધારાનું મીડિયા દેશ કી બેટી ગણાવે છે, તો શું મુઝફ્ફરપુરની સગીર દીકરી દેશ કી બેટી નથી?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોલકાતામાં ડોક્ટર યુવતી પર રેપ અને હત્યાની ઘટના વિરુદ્ધમાં દેશના વિવિધ સ્થળોએ દેખાવો થઈ રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં નાઈટ ડ્યુટી પર તહેનાત દલિત નર્સ સાથે ડોક્ટરોએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના રવિવારે મધરાતે બની હતી. પીડિતા શનિવારે સાંજે ૭ વાગ્યે તેની ફરજ માટે હોસ્પિટલ ગઈ હતી. તે છેલ્લા સાત મહિનાથી આ હોસ્પિટલમાં કામ કરતી હતી. મોડી રાત્રે એક નર્સ મેહનાઝે તેને  ડો. શાહનવાઝને તેના રૂમમાં મળવા કહ્યું હતું. જ્યારે તેણીએ આવું કરવાની ના પાડી ત્યારે મેહનાઝ અને વોર્ડ બોય જુનૈદ તેને બળજબરીથી હોસ્પિટલના ઉપરના માળ પર એક રૂમમાં લઈ ગયા હતા અને તેને બહારથી તાળું મારી દીધું. પાછળથી ડૉ. શાહનવાઝ રૂમમાં ઘૂસી ગયો અને તેણે પીડિતાને બંધક બનાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ડોકટરે પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને જાતિવાદી અપશબ્દો પણ કહ્યા  હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/in-west-bengal-a-bjp-leader-stripped-a-woman-and-threw-her-on-the-road">પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતાએ મહિલાને નિર્વસ્ત્ર કરી રોડ પર ઢસડી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતાએ મદદ માટે બીજી નર્સને બોલાવવા માટે ચીસો પાડી હતી, પરંતુ કોઈ તેની મદદે કોઈ આવ્યું નહોતું. ડૉક્ટરે કહ્યું કે, તું જેટલા પૈસા માંગીશ તેટલા હું  આપીશ, પણ કોઈને કંઈ કહેતી નહીં. જો તું કહીશ તો હું તને મારી નાખીશ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતાના પરિવારના જણાવ્યા અનુસાર સમગ્ર ઘટના દરમિયાન આરોપી વોર્ડ બોયે તેમની દીકરીનો મોબાઈલ ચાર્જિંગમાંથી કાઢીને પોતાની પાસે રાખી લીધો હતો. સવારે જ્યારે દીકરી ઘરે પહોંચી ત્યારે તેણે પોતાની સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું હતું. ત્યારબાદ પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના બાદ પીડિતાના પરિવારજનોએ ઠાકુર દ્વારા પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર શાહનવાઝ, નર્સ મેહનાઝ અને વોર્ડ બોય જુનૈદ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી. રવિવારે સાંજે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નિરીક્ષણ કર્યા પછી હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-dalit-girl-was-raped-and-stabbed-to-death">દલિત કિશોરી પર દુષ્કર્મ આચરી છરીના ઘા મારી હત્યા કરી દેવાઈ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 19 Aug 2024 20:28:04 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1097</Articleid>
                    <excerpt>કોલકાતાની લેડી ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈને હોબાળો મચેલો છે ત્યારે એક દલિત નર્સ સાથે ડોક્ટરે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c35d0538fca.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c35d0505f93.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c35d0505f93.jpg" length="84545" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kolkata, kolkata Rape Case, misdemeanor</media:keywords>
                </item>
                        <item>
                    <title>લેટરલ એન્ટ્રીનો વિચાર કોંગ્રેસ લઈને આવી હતીઃ અશ્વિની વૈષ્ણવ</title>
                    <link>https://khabarantar.com/the-idea-of-lateral-entry-was-brought-by-congress-ashwini-vaishnav</link>
                    <guid>https://khabarantar.com/the-idea-of-lateral-entry-was-brought-by-congress-ashwini-vaishnav</guid>
                    <description>
                        <![CDATA[ લેટરલ એન્ટ્રીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેને યુપીએસસીમાં અનામત ખતમ કરવાનું ષડયંત્ર ગણાવી રહ્યાં છે. પણ કેન્દ્ર સરકારે ખુદ કોંગ્રેસને આરોપીના કઠેડામાં ઉભી કરી દીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લેટરલ એન્ટ્રી થકી કેન્દ્ર સરકારમાં બારોબાર 45 પદો પર બહારના માણસોની ભરતી કરી દેવાની જાહેરાત જ્યારથી બહાર પડી છે ત્યારથી તેને લઈને હોબાળો મચેલો છે. પહેલા બીએસપી અને સમાજવાદી પાર્ટીએ તેની સામે આંદોલન કરવાની વાત કરી, એ પછી રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે UPSCની જગ્યાએ RSSથી ભરતી થઈ રહી છે અને એ રીતે સરકાર અનામત ખતમ કરી રહી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આરોપોને લઈને હવે કેન્દ્ર સરકાર તરફથી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયામાં એક પોસ્ટના માધ્યમથી જવાબ આપતા કહ્યું છે કે લેટરલ એન્ટ્રી વાસ્તવમાં કોંગ્રેસની યુપીએ સરકારનો આઈડિયા હતો અને આ વ્યવસ્થા તો કોંગ્રેસ જ લઈને આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/demand-to-increase-income-limit-for-sc-in-free-sheep-card-from-two-lakh-fifty-thousand-to-eight-lakhs"><span style="font-size: 14pt;">ફ્રી શીપ કાર્ડમાં SC માટેની આવક મર્યાદા 2.5 થી વધારી 8 લાખ કરવા માંગ</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અશ્વિની વૈષ્ણએ કહ્યું છે, કે 'યુપીએ સરકારના સમયમાં જ લેટરલ એન્ટ્રીની ભલામણ કરવામાં આવી હતી અને NDA સરકાર પારદર્શકતા સાથે ભલામણને લાગુ કરી રહી છે. ભરતી UPSC દ્વારા જ થશે. તેમણે કહ્યું કે લેટરલ એન્ટ્રીનો વિચાર યુપીએ સરકારના કાળમાં આવ્યો હતો અને તેણે જ તેને આગળ વધારી હતી. આ ક્રમમાં વર્ષ 2005માં બીજા Administrative Reforms Commission માં યુપીએ સરકાર અંતર્ગત સ્થાપિત કરવામાં આવ્યા હતા. આ કમિશનની અધ્યક્ષતા વિરપ્પા મોઈલીએ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">IAS-IPS જેવા અધિકારી બનવા માટે ઉમેદવારો USPCના માધ્યમથી પરીક્ષા આપે છે. જોકે લેટરલ એન્ટ્રીના માધ્યમથી દેશના ઉચ્ચ પદો પર પ્રાઇવેટ ક્ષેત્રમાંથી વિશેષજ્ઞોની સીધી ભરતી સરકાર કરી શકે છે જેને લેટરલ એન્ટ્રી કહેવાયમાંઆ આવે છે. સરકાર લેટરલ એન્ટ્રીના માધ્યમથી મંત્રાલયોના સંયુક્ત સચિવ, ડાયરેક્ટર, ઉપસચિવની નિયુક્તિ કરે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/rulings-on-reservation-have-mostly-been-given-in-favor-of-the-so-called-upper-castes"><strong>અનામત પરના ચુકાદા મોટાભાગે કથિત સવર્ણોની તરફેણમાં અપાયા છે?</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 19 Aug 2024 13:34:43 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 19 Aug 2024 13:39:15 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1094</Articleid>
                    <excerpt>લેટરલ એન્ટ્રીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેને યુપીએસસીમાં અનામત ખતમ કરવાનું ષડયંત્ર ગણાવી રહ્યાં છે. પણ કેન્દ્ર સરકારે ખુદ કોંગ્રેસને આરોપીના કઠેડામાં ઉભી કરી દીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c2fc8f0dbf2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c2fc8ecb11f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c2fc8ecb11f.jpg" length="63896" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Rahul Gandhi, UPSC, Reservation, Ashwini Vaishnava, Lateral entry</media:keywords>
                </item>
                        <item>
                    <title>IAS નું ખાનગીકરણ અનામત ખતમ કરવાની ગેરંટી છે</title>
                    <link>https://khabarantar.com/privatization-of-ias-is-guaranteed-to-deplete-the-reservation</link>
                    <guid>https://khabarantar.com/privatization-of-ias-is-guaranteed-to-deplete-the-reservation</guid>
                    <description>
                        <![CDATA[ લેટરલ એન્ટ્રીને લઈને માયાવતી, અખિલેશ યાદવે આંદોલનની જાહેરાત કરી છે ત્યારે હવે રાહુલ ગાંધીએ પણ આ મામલે અવાજ ઉઠાવ્યો છે અને તેને અનામત ખતમ કરવાની ગેરંટી ગણાવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા(Loksabha)માં વિપક્ષના નેતા અને કોંગ્રેસ(Congress)ના સાંસદ(MP) રાહુલ ગાંધી(Rahul Gandhi)એ કેન્દ્રના વિવિધ મંત્રાલયોમાં સંયુક્ત સચિવો, નિર્દેશકો અને નાયબ સચિવોના મુખ્ય પદો પર ‘લેટરલ એન્ટ્રી’(Lateral entry) દ્વારા ૪૫ નિષ્ણાતોની ટૂંક સમયમાં નિમણૂક કરવાના નિર્ણયને અનામત ખતમ કરી દેવાની ગેરંટી ગણાવી છે. રાહુલે કહ્યું કે લેટરલ એન્ટ્રી દ્વારા મહત્વપૂર્ણ પદો પર ભરતી કરીને એસસી(SC) એસટી(ST) અને ઓબીસી(OBC) કેટેગરીઓની અનામત ખુલ્લેઆમ છીનવાઈ રહી છે.  અગાઉ સપા(SP) સુપ્રીમો અખિલેશ યાદવ(Akhilesh Yadav) અને બસપા(BSP) વડા માયાવતી(Mayawati)એ પણ લેટરલ એન્ટ્રીને શાસક ભાજપ(BJP)નું મનસ્વીપણું ગણાવી તેને “કાવતરું અને બંધારણનું ઉલ્લંઘન” ગણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાહુલ ગાંધીએ લખ્યું, ‘નરેન્દ્ર મોદી(Narendra Modi) સંઘ જાહેર સેવા આયોગ(UPSC)ની જગ્યાએ ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’(RSS) દ્વારા લોકસેવકોની ભરતી કરીને બંધારણ પર હુમલો કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોમાં લેટરલ એન્ટ્રી દ્વારા મહત્વની જગ્યાઓ પર ભરતી કરીને એસસી એસટી અને ઓબીસી કેટેગરીઓનું આરક્ષણ ખુલ્લેઆમ છીનવાઈ રહ્યું છે. મેં હંમેશા કહ્યું છે કે દેશના ટોચના નોકરશાહી સહિત તમામ ટોચના હોદ્દા પર વંચિતોને પ્રતિનિધિત્વ નથી, તેને સુધારવાને બદલે તેમને લેટરલ એન્ટ્રી દ્વારા ટોચના હોદ્દા પરથી દૂર કરવામાં આવી રહ્યા છે, આ પ્રતિભાશાળી યુવાનોના અધિકારોની લૂંટ છે. તે યુપીએસસીની તૈયારી કરી રહેલા યુવાનો અને વંચિતો માટે અનામત સહિત સામાજિક ન્યાયની વિભાવનાને ઠેસ પહોંચી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાહુલ ગાંધીએ આગળ લખ્યું, ‘કોર્પોરેટ્‌સના પ્રતિનિધિઓ મહત્વના સરકારી હોદ્દા પર બેસીને કેવું શોષણ કરશે તેનું તાજું ઉદાહરણ સેબી છે, જ્યાં ખાનગી ક્ષેત્રમાંથી આવનાર વ્યક્તિને પ્રથમ વખત અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ભારત આ રાષ્ટ્રવિરોધી પગલાનો સખત વિરોધ કરશે જે વહીવટી માળખા અને સામાજિક ન્યાય બંનેને નુકસાન પહોંચાડે છે. યુપીએસસીનું ખાનગીકરણ એ અનામત સમાપ્ત કરવાની મોદીની ગેરંટી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/is-the-game-going-on-to-make-reservation-based-on-economic-rather-than-social-basis">અનામતને સામાજિકને બદલે આર્થિક આધાર પર કરવાનો ખેલ ચાલી રહ્યો છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લાલુ પ્રસાદ યાદવે (Lalu Prasad Yadav)પણ લેટરલ એન્ટ્રી થકી પાછલા બારણે મળતિયા લોકોને ઘૂસેડવાની આ ભરતીનો વિરોધ કરતા લખ્યું હતું કે, ‘બાબાસાહેબના બંધારણ અને અનામતથી ડરીને નરેન્દ્ર મોદી અને તેમના સહયોગીઓની સલાહ પર, યુનિયન પબ્લિક સર્વિસ કમિશને(UPSC) હવે સિવિલ સર્વિસ કર્મચારીઓની જગ્યાએ ખાનગી ક્ષેત્રમાંથી સંયુક્ત સચિવોની નિમણૂક કરી છે. નાયબ સચિવ અને નિયામકના સ્તરે નિમણૂક માટે સીધી ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. કોઈપણ સરકારી કર્મચારી આ માટે અરજી કરી શકશે નહીં. આમાં બંધારણમાં કોઈ અનામત આપવામાં આવી નથી.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે આગળ લખ્યું, “ભાજપની ખાનગી સેનામાં એટલે કે કોર્પોરેટમાં કામ કરી રહેલા ખાખી પહેરેલા લોકોને સાંઘી મોડેલ હેઠળ આ નિમણૂક પ્રક્રિયામાં સીધી નિમણૂંક કરવાનું આ “નાગપુરિયા મોડલ” છે. દલિત, પછાત વર્ગ અને આદિવાસી લોકોને અનામતનો કોઈ લાભ નહીં મળે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/apply-reservation-in-posts-of-high-court-supreme-court-judges-too-mayawati">હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના જજોની જગ્યામાં પણ અનામત લાગુ કરોઃ માયાવતી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી અગાઉથી જ વિરોધ નોંધાવીને આંદોલન કરવાની વાત કરી ચૂકી છે. અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, લેટરલ એન્ટ્રી આજના અધિકારીઓ તેમજ યુવાનો માટે વર્તમાન અને ભવિષ્યમાં ઉચ્ચ હોદ્દા પર પહોંચવાનો માર્ગ બંધ કરશે. ભાજપને ખબર છે કે દેશભરમાં પીડીએ બંધારણને નાબૂદ કરવાના તેના પગલાં સામે જનતા જાગી છે, તેથી તે આવી જગ્યાઓ પર સીધી ભરતી કરીને અન્ય કોઈ બહાને અનામતને નકારવા માંગે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીએસપી સુપ્રીમો માયાવતીએ પણ સરકારના આ નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. તેમણે ‘એકસ’ પર લખ્યું, ‘કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી, ડાયરેક્ટર અને ડેપ્યુટી સેક્રેટરીના ૪૫ ઉચ્ચ પદો પર સીધી ભરતીનો નિર્ણય યોગ્ય નથી, કારણ કે સીધી ભરતી દ્વારા નીચલા પદ પર કામ કરતા કર્મચારીઓને પ્રમોશનના લાભથી વંચિત રાખવામાં આવે છે. ભાજપ સરકાર માટે આ ઉચ્ચ પદો પર સીધી નિમણૂક મનસ્વી, ગેરકાયદેસર અને ગેરબંધારણીય હશે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્રના વિવિધ મંત્રાલયોમાં સંયુક્ત સચિવો, નિર્દેશકો અને નાયબ સચિવોના મુખ્ય પદો પર ૪૫ નિષ્ણાતોની નિમણૂંક કરવામાં આવનાર છે. સામાન્ય રીતે આવી પોસ્ટ અખિલ ભારતીય સેવાઓ – ભારતીય વહીવટી સેવા, ભારતીય પોલીસ સેવા અને ભારતીય વન સેવા  અને અન્ય ‘ગ્રુપ છ’ સેવાઓના અધિકારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ૪૫ પોસ્ટ્‌સ માટે જાહેરાત કરી હતી, જેમાં ૧૦ જોઈન્ટ સેક્રેટરી અને ૩૫ ડિરેક્ટર/ડેપ્યુટી સેક્રેટરી પોસ્ટનો સમાવેશ થાય છે. આ જગ્યાઓ કોન્ટ્રાક્ટના આધારે ‘લેટરલ એન્ટ્રી’ દ્વારા ભરવાની છે. જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારત સરકાર સંયુક્ત સચિવ અને ડિરેક્ટર/ડેપ્યુટી સેક્રેટરી સ્તરના અધિકારીઓની ‘લેટરલ એન્ટ્રી’ દ્વારા નિમણૂક કરવા માંગે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ, સંયુક્ત સચિવ અથવા નિયામક/નાયબ સચિવના સ્તરે સરકારમાં જોડાવા માટે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા ઈચ્છતા પ્રતિભાશાળી ભારતીય નાગરિકો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.’ વિપક્ષોના મતે આ રીતે સરકાર પોતાના માનીતા અને મળતિયા લોકો, ખાસ કરીને ભાજપ અને આરએસએસની વિચારધારામાં માનતા લોકોને સીધાં ઉચ્ચ હોદ્દા પર બેસાડવા માંગે છે. જે એક રીતે બંધારણની અનામત સહિતની વિવિધ જોગવાઈઓનું સીધું ઉલ્લંઘન છે. વિપક્ષોનું કહેવું છે કે, તેનાથી યુપીએસસી જેવી પરીક્ષા પાસ કરીને પ્રમોશન મેળવવાનો અન્ય અધિકારીઓનો હક છીનવાશે અને તેમની જગ્યાએ બહારના લોકો સીધાં વહીવટમાં ઘૂસી જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/today-in-ahmedabad-anamat-Bachao-mahasmelan-bhimoyddhas-horse-drawn-carriage">આજે અમદાવાદમાં 'અનામત બચાવો મહાસંમેલન', ભીમયોદ્ધાઓનું ઘોડાપૂર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 19 Aug 2024 10:02:27 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 19 Aug 2024 10:02:14 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1092</Articleid>
                    <excerpt>લેટરલ એન્ટ્રીને લઈને માયાવતી, અખિલેશ યાદવે આંદોલનની જાહેરાત કરી છે ત્યારે હવે રાહુલ ગાંધીએ પણ આ મામલે અવાજ ઉઠાવ્યો છે અને તેને અનામત ખતમ કરવાની ગેરંટી ગણાવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c22619866f6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c226194995d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c226194995d.jpg" length="55168" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Rahul Gandhi, Upsc Lateral entry</media:keywords>
                </item>
                        <item>
                    <title>માયાવતી, અખિલેશે UPSC લેટરલ સ્કીમ સામે આંદોલનની જાહેરાત કરી</title>
                    <link>https://khabarantar.com/mayawati-akhilesh-announce-agitation-against-upsc-lateral-scheme</link>
                    <guid>https://khabarantar.com/mayawati-akhilesh-announce-agitation-against-upsc-lateral-scheme</guid>
                    <description>
                        <![CDATA[ UPSC લેટરલ સ્કીમ સામે BSP સુપ્રીમો માયાવતી અને SP અધ્યક્ષ અખિલેશ યાદવે મોટા આંદોલનની જાહેરાત કરી છે. વાંચો શું છે આખો મામલો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC) ની લેટરલ એન્ટ્રી સ્કીમનો વિરોધ કર્યો છે. અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરના પોતાના હેન્ડલ પર પોસ્ટ કરી હતી કે, ભાજપ આરએસએસના માણસોની સરકારમાં સીધી ભરતી કરી રહી છે. તેમણે લખ્યું કે, પાછલા બારણે UPSCમાં ઉચ્ચ સરકારી હોદ્દા પર પોતાના વિચારધારકોની નિમણૂક કરવાના ભાજપના ષડયંત્ર સામે દેશવ્યાપી ચળવળ શરૂ કરવાનો સમય આવી ગયો છે. આ યોજના આજના અધિકારીઓ તેમજ યુવાનો માટે વર્તમાન અને ભવિષ્યમાં ઉચ્ચ હોદ્દા પર પહોંચવાનો માર્ગ બંધ કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે આ આખી યુક્તિ પીડીએ પાસેથી અનામત અને તેમના અધિકારો છીનવી લેવાની છે, હવે જ્યારે ભાજપને ખબર પડી ગઈ છે કે બંધારણને નાબૂદ કરવાના ભાજપના પગલા સામે દેશભરના પીડીએ જાગી ગયા છે, તો તેઓ સીધી ભરતી કરીને અનામત છીનવી લેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અખિલેશ યાદવે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ભાજપ સરકારે તેને તાત્કાલિક પાછી ખેંચી લેવી જોઈએ કારણ કે તે રાષ્ટ્રીય હિતમાં પણ નથી, ભાજપ પોતાની પાર્ટીની વિચારધારાના અધિકારીઓને સરકારમાં રાખીને મનસ્વી કામ કરવા માંગે છે. સરકારની કૃપાથી સીધા અધિકારી બની જતા એવા લોકોની પ્રામાણિકતા પર હંમેશા પ્રશ્નાર્થ ચિન્હ રહેશે અને તેઓ ક્યારેય નિષ્પક્ષ રહી શકતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અખિલેશ યાદવે દેશભરના અધિકારીઓ અને યુવાનોને વિનંતી કરી છે કે, જો ભાજપ સરકાર તેને પાછી ન ખેંચે તો ૨ ઓક્ટોબરથી નવું આંદોલન શરૂ કરવામાં અમારી સાથે ઉભા રહો. તેમણે કહ્યું કે, અમે કોર્પોરેટરો દ્વારા સરકારી તંત્ર પર કબજો જમાવીશું નહીં, કારણ કે કોર્પોરેટ ધનિકોની મૂડીવાદી વિચારસરણી મહત્તમ નફો મેળવવાની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/obcs-scs-are-given-low-marks-in-job-interviews-apna-dal">નોકરીના ઈન્ટરવ્યૂમાં OBC, SC ને ઓછા માર્ક્સ અપાય છે: અપના દળ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ પણ આ યોજનાનો જોરદાર વિરોધ કર્યો છે અને આ યોજનાની સામે ત્રણ બાબતો સામે મૂકી છે. માયાવતીએ કહ્યું કે, કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી, ડાયરેક્ટર અને ડેપ્યુટી સેક્રેટરીના ૪૫ ઉચ્ચ પદો પર સીધી ભરતીનો નિર્ણય યોગ્ય નથી, કારણ કે સીધી ભરતી દ્વારા નીચલા પદ પર કામ કરતા કર્મચારીઓ પ્રમોશનથી વંચિત રહેશે. આ સાથે, જો આ સરકારી નિમણૂકોમાં એસસી એસટી અને ઓબીસી વર્ગના લોકોને તેમના ક્વોટા અનુસાર નિમણૂક આપવામાં નહીં આવે તો તે બંધારણનું સીધું ઉલ્લંઘન હશે. કોઈપણ નિયમ બનાવ્યા વિના સીધી નિમણૂંકો દ્વારા આ ઉચ્ચ હોદ્દાઓ ભરવાનું ભાજપ સરકાર દ્વારા મનસ્વી હશે, જે ગેરકાયદેસર અને ગેરબંધારણીય હશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ યાદ રાખવું જોઈએ કે, ભાજપ સરકારે વર્ષ ૨૦૧૮માં યુપીએસસીમાં લેટરલ સ્કીમ શરૂ કરી હતી, જેના દ્વારા યુપીએસસીની ૪૫ જગ્યાઓ પર સીધી ભરતી થઈ શકે છે. સૌ જાણે છે કે, યુપીએસસીએ ભારતની સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક છે, જેમાં ત્રણ તબક્કા છે, પહેલા પ્રી એક્ઝામ આપવી પડે છે, ત્યારબાદ મુખ્ય પરીક્ષા આપવી પડે છે અને તે પછી ઇન્ટરવ્યૂ હોય છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે પરંતુ માત્ર થોડા જ સફળ થાય છે. એ પછી સરકારમાં ઉચ્ચ અધિકારી બને છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/More-than-48-thousand-vacancies-of-SC,-ST,-OBC-in-various-departments-of-Gujarat-Govt">ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં SC, ST, OBCની 48 હજારથી વધુ નોકરીઓ ખાલી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ ભાજપ સત્તામાં આવ્યા બાદ લેટરલ સ્કીમ લઈને આવ્યું હતું અને તેણે યુપીએસસીની કેટલીક જગ્યાઓ પર સીધી ભરતી શરૂ કરવાનું નક્કી કર્યું હતું. આ યોજના હેઠળ, ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકોને સીધી ભરતી આપવામાં આવે છે. વાસ્તવમાં, આ યોજનામાં તે કોર્પોરેટ કર્મચારીઓ કે જેમની પાસે  યુજી ડિગ્રી છે અને સંબંધિત પોસ્ટ અને ક્ષેત્રમાં ઓછામાં ઓછા ૧૫ વર્ષ સુધી કામ કર્યું છે તેમની સીધી જોઈન્ટ સેક્રેટરી, ડાયરેક્ટર અને ડેપ્યુટી સેક્રેટરી લેવલની જગ્યાઓ પર ભરતી કરવામાં આવે છે. આ યોજનામાં અરજી કર્યા પછી તેમને તેમના અનુભવના આધારે પસંદ કરવામાં આવે છે અને પછી તેમનો ઇન્ટરવ્યુ લેવામાં આવે છે, ઇન્ટરવ્યુ પાસ કરનારાને નિમણૂંક કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિપક્ષોનો આરોપ છે કે, ભાજપ આરએસએસની વિચારધારામાં માનતા લોકો, જેમને યુપીએસસી થકી સરકારમાં ઉચ્ચ પદો પર બેસાડી શકાતા નથી તેમના માટે લેટરલ સ્કીમ શરૂ કરવામાં આવી છે. હાલ જે રીતે તમામ ઉચ્ચ હોદ્દાઓ પર સંઘની વિચારધારાના લોકો અડિંગો જમાવીને બેસી ગયા છે, તેના કારણે અન્ય દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમાજના યુવાનોનું મહેનત કરીને આ પદો સુધી પહોંચવાનું સપનું ખતમ કરી દેવાનું આ ષડયંત્ર છે. આ સ્કીમ થકી સત્તા પક્ષની વિચારધારામાં માનતા લોકો અને તેમના મળતિયાઓને સીધા ઉચ્ચ અધિકારી બનાવી દેવામાં આવશે. એટલા માટે જ માયાવતીથી લઈને અખિલેશ યાદવ અને કોંગ્રેસ પણ આ યોજનાનો વિરોધ કરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/disability-re-verification-of-5-ias-officers-of-gujarat-cadre-will-be-done">ગુજરાત કેડરના 5 IAS અધિકારીઓની વિકલાંગતાની ફેરચકાસણી થશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 18 Aug 2024 21:45:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1091</Articleid>
                    <excerpt>UPSC લેટરલ સ્કીમ સામે BSP સુપ્રીમો માયાવતી અને SP અધ્યક્ષ અખિલેશ યાદવે મોટા આંદોલનની જાહેરાત કરી છે. વાંચો શું છે આખો મામલો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c21d6f3dae4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c21d6f0bb82.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c21d6f0bb82.jpg" length="60361" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>UPSC, BSP, SP, માયાવતી, અખિલેશ યાદવ</media:keywords>
                </item>
                        <item>
                    <title>પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતાએ મહિલાને નિર્વસ્ત્ર કરી રોડ પર ઢસડી</title>
                    <link>https://khabarantar.com/in-west-bengal-a-bjp-leader-stripped-a-woman-and-threw-her-on-the-road</link>
                    <guid>https://khabarantar.com/in-west-bengal-a-bjp-leader-stripped-a-woman-and-threw-her-on-the-road</guid>
                    <description>
                        <![CDATA[ પશ્ચિમ બંગાળમાં ભાજપના એક નેતાએ એક મહિલાના ઘરમાં ઘૂસી જઈ તેને નિર્વસ્ત્ર કરીને રસ્તા પર ઢસડીને માર માર્યાનું સામે આવ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે સતત સત્તાનો જંગ ચાલતો રહે છે. એકબાજુ કોલકાતા રેપ મામલે ભાજપ મમતા સરકારને ઘેરી રહી છે, બીજી તરફ ભાજપના એક નેતા ટીએમસીમાં જોડાયેલી તેમની એક પૂર્વ કાર્યકરને નિર્વસ્ત્ર કરીને તેને જાહેરમાં ઢસડીને ઢોર માર માર્યાનો આરોપ લાગ્યો છે. હાલ ભાજપ નેતાની ધરપકડ કરવામાં આવી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના પશ્ચિમ બંગાળના નંદીગ્રામની છે. અહીં ભાજપના એક બૂથ પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે બુથ પ્રમુખ તાપસ દાસના સહયોગીઓએ મહિલાના ઘરમાં ઘુસીને તેના પર ત્રાસ ગુજાર્યો હતો. મહિલા તાજેતરમાં જ ભાજપ છોડીને ટીએમસીમાં જોડાઈ હતી. આરોપ છે કે તાપસ દાસે અન્ય લોકો સાથે મળીને તેને નગ્ન અવસ્થામાં રસ્તા પર ખેંચી ગયા હતા. ટીએમસીએ પીડિતાને મળવા માટે એક પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપનું કહેવું છે કે આ પારિવારિક વિવાદ હતો અને તેને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. આ ઘટના ગોકુલનગરના પંચાનંતલામાં બની હતી. ઘાયલ મહિલાને નંદીગ્રામ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/womens-clothing-responsible-for-rising-rape-incidents-bjp-leader">બળાત્કારની વધતી ઘટનાઓ પાછળ સ્ત્રીઓના કપડાં જવાબદાર: ભાજપ નેતા</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતાનો આરોપ છે કે શુક્રવારે રાત્રે તે તેના પુત્ર અને પુત્રી સાથે ઘરે હતી. ત્યારે કેટલાક લોકો બળજબરીથી ઘરમાં ઘૂસી ગયા હતા અને તેને ઢોર માર મારી ઘરની બહાર ઢસડી ગયા હતા. આ પછી, લોકો તેને આખા ગામમાં કપડાં ઉતારી ફેરવી હતી. અને માર માર્યો હતો</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેણીએ કહ્યું, હું પહેલા ભાજપમાં હતી પરંતુ તાજેતરની ચૂંટણીમાં ટીએમસીમાં જોડાઈ હતી. થોડા દિવસો પહેલા પણ તે લોકોએ મને માર માર્યો હતો અને આખા ગામમાં મને બદનામ કરી હતી. ત્યારે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. શુક્રવારે પણ આ જ ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ સર્જાયું હતું. નંદીગ્રામ ફર્સ્ટ બ્લોક બીજેપી કોઓર્ડિનેટર અભિજીત મૈતીએ મહિલા પર હુમલાની નિંદા કરી છે અને કહ્યંં છે કે તેનો ભાજપ સાથે કોઈ સંબંધ નથી. અમારી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નંદીગ્રામના ટીએમસી અધિકારી શેખ સુફિયાને કહ્યું, મહિલાનો એકમાત્ર ગુનો એ છે કે તે ટીએમસીમાં જોડાઈ હતી. તેના પર ફરીથી ભાજપમાં જોડાવાનું દબાણ હતું. જ્યારે તેણે ના પાડી તો તેના કપડાં કાઢી માર મારવામાં આવ્યો હતો. અમે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ. પીડિતાને મળવા આવેલા ટીએમસીના પ્રતિનિધિમંડળમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ કુણાલ ઘોષ પણ સામેલ હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/13-year-old-dalit-minor-killed-after-gang-rape-bjp-leaders-involment">13 વર્ષની દલિત સગીરાની ગેંગરેપ બાદ હત્યા, ભાજપ નેતાની સંડોવણી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 18 Aug 2024 18:00:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1090</Articleid>
                    <excerpt>પશ્ચિમ બંગાળમાં ભાજપના એક નેતાએ એક મહિલાના ઘરમાં ઘૂસી જઈ તેને નિર્વસ્ત્ર કરીને રસ્તા પર ઢસડીને માર માર્યાનું સામે આવ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c1e8810ce2b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c1e880d400e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c1e880d400e.jpg" length="30905" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>West Bengal, BJP leader</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાત હાથશાળ નિગમને તેની બ્રાન્ડ &amp;apos;ગરવી ગુર્જરી&amp;apos; માટે ટ્રેડમાર્ક મળ્યું</title>
                    <link>https://khabarantar.com/gujarat-handicrafts-corporation-got-a-trademark-for-its-brand-garvi-gurjari</link>
                    <guid>https://khabarantar.com/gujarat-handicrafts-corporation-got-a-trademark-for-its-brand-garvi-gurjari</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાત રાજ્ય હાથશાળ, હસ્તકલા વિકાસ નિગમ લિ. (GSHHDC)ને ભારત સરકાર તરફથી તેની બ્રાન્ડ ‘ગરવી ગુર્જરી’-Garvi Gurjari માટે ટ્રેડમાર્ક(Tredmark) પ્રમાણપત્ર અપાયું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. (GSHHDC)ને ભારત સરકાર તરફથી તેની બ્રાન્ડ ‘ગરવી ગુર્જરી’-Garvi Gurjari માટે ટ્રેડમાર્ક પ્રમાણપત્ર અપાયું છે. હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. છેલ્લાં કેટલાંક દાયકાઓથી હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનો માટે એજન્સી તરીકે કામ કરી રહ્યું છે. ભારત સરકાર તરફથી મળેલ આ ટ્રેડમાર્ક પ્રમાણપત્ર રાજ્યના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રના વિકાસ અને સુરક્ષાના માટે ખૂબ જ મહત્વનું પુરવાર થશે.</span><br><span style="font-size: 14pt;">નિગમના વહીવટી સંચાલક (એમડી) લલિત નારાયણ સિંહ સાંદુએ આ અંગે જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર તરફથી રાજ્યની વંશ પરંપરાગત કલા-કારીગરીને સતત પ્રોત્સાહન અપાય રહ્યું છે અને તેના પરિણામે નિગમની ગરવી ગુર્જરી બ્રાન્ડને ભારત સરકારનું ટ્રેડમાર્ક સર્ટિફિકેટ હાંસલ થયું છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/sc-st-obc-need-to-be-counted-to-know-true-population-ajit-pawar">SC-ST-OBC ની સાચી વસ્તી જાણવા ગણતરી કરવી જરૂરીઃ અજીત પવાર</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિગમના એમડી લલિત નારાયણ સિંહ સાંદુએ વધુમાં જણાવ્યું હતું કે, "કોઈ પણ વ્યવસાયને ટ્રેડમાર્ક સર્ટિફિકેટ મળવું; તેના માટે મોટું કાયદાકીય સંરક્ષણ હોય છે. નિગમને આ સર્ટિફિકેટ મળ્યા બાદ હવે "ગરવી ગુર્જરી" તેના નામ અથવા લોગોના કોઈપણ અનધિકૃત ઉપયોગને અટકાવી શકશે અને તેની બ્રાન્ડ ઓળખના વિશિષ્ટ અધિકારો પ્રાપ્ત કરી શકશે. આ કાયદાકીય સંરક્ષણ નિગમને તેની બજારની હાજરી અને પ્રતિષ્ઠાને સલામત રાખવામાં મદદ કરશે અને તેનાં ઉલ્લંઘન સામે નિર્ણાયક પગલાં લેવાની સત્તા આપશે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટ્રેડમાર્કની નોંધણી "ગરવી ગુર્જરી"ને હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનોનાં વિશાળ બજારમાં એક અલગ ઓળખ સ્થાપિત કરવામાં પણ મદદરૂપ થશે. તેના કારણે ગ્રાહકો સરળતાથી 'ગરવી-ગુર્જરી'ના ઉત્પાદનોને ઓળખી અન્ય ઉત્પાદનોમાંથી તારવી શકશે, જે બજારની મજબૂત સ્થિતિ જાળવવા માટે મહત્વનું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ટ્રેડમાર્કના લીધે ગરવી ગુર્જરી અન્ય બ્રાન્ડની સામે પોતાની વિશિષ્ટતા રજૂ કરીને ગ્રાહકોના માનસમાં છવાઈ જશે અને તેના લીધે વિવિધ પ્લેટફોર્મ્સ પર નિગમની બ્રાન્ડને વિશ્વાસપૂર્વક પ્રોત્સાહન આપવામાં સહભાગી બનશે. ટ્રેડમાર્કના ઉપયોગથી નિગમ અસરકારક માર્કેટિંગને સુનિશ્ચિત કરી શકશે અને  બજારમાં બ્રાન્ડની હાજરીને વધુ મજબૂત બનાવી ગરવી ગુર્જરી ચિહ્ન ધરાવતા તમામ ઉત્પાદનો સુસંગત ગુણવત્તાના છે તેવો વિશ્વાસ ગ્રાહક વર્ગમાં સંપાદિત કરી શકશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/muslims-in-azadi-from-jai-hind-to-sare-jahan-se-achcha">આઝાદીમાં મુસ્લિમોઃ 'જય હિંદ'થી 'સારે જહાઁ સે અચ્છા..' સુધી...</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 17 Aug 2024 11:55:34 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1084</Articleid>
                    <excerpt>ગુજરાત રાજ્ય હાથશાળ, હસ્તકલા વિકાસ નિગમ લિ. (GSHHDC)ને ભારત સરકાર તરફથી તેની બ્રાન્ડ ‘ગરવી ગુર્જરી’-Garvi Gurjari માટે ટ્રેડમાર્ક(Tredmark) પ્રમાણપત્ર અપાયું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c042335b439.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c042331350f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c042331350f.jpg" length="124457" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Garvi Gurjari, GSHHDC, Brand, Tredmark, Certificate</media:keywords>
                </item>
                        <item>
                    <title>જૂની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષકોએ ફરી સરકાર સામે બાંયો ચડાવી</title>
                    <link>https://khabarantar.com/the-teachers-again-raised-their-arms-against-the-government-with-the-demand-of-the-old-pension-scheme</link>
                    <guid>https://khabarantar.com/the-teachers-again-raised-their-arms-against-the-government-with-the-demand-of-the-old-pension-scheme</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાત(Gujarat)માં સરકારી શિક્ષણનું સ્તર સાવ ખાડે ગયું છે, બીજી તરફ શિક્ષકોએ જૂની પેન્શન યોજના(Old pension scheme)ને લઈને ફરી સરકાર સામે મોરચો માંડ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યમાં શિક્ષકો માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે આજે ગાંધીનગર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત દ્વારા એક દિવસના ધરણાં કરાયા હતા. આ ધરણાં બાદ સરકાર દ્વારા 2005 પહેલાના શિક્ષકો માટે જૂની પેન્શન યોજના અંગે ઠરાવ કરવામાં નહિ આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી ગુજરાત રાજ્ય શૈક્ષિક મહાસંઘ દ્વારા ઉચ્ચારાઈ છે. તેમજ 17 દિવસ સુધી ગાંધીનગરમાં ધરણાં કરશે. ત્યાર બાદ ઓનલાઈન કામગીરી, અભ્યાસ કાર્યથી દૂર રહેશે, શાળાને તાળાબંધી કરવા સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી પણ અપાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગેની ખાતરી અપાયા બાદ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા શિક્ષકો ભારે નારાજ થયા છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાતના નેજા હેઠળ આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે રાજયભરના શિક્ષકો એક દિવસના ધરણાં માટે એકઠા થયા હતા. આજે સાંજ સુધીમાં સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. જેના કારણે આજે સાંજે ગુજરાત રાજ્ય શૈક્ષિક મહાસઘ દ્વારા જૂની પેન્શન યોજનાના મુદ્દે આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાતના પ્રમુખ દ્વારા જણાવાયું હતું કે, ચૂંટણી અગાઉ ‘રાજ્ય સરકારે ખાતરી આપી હતી કે વર્ષ 2005 પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. જો કે સરકાર તેના દ્વારા અપાયેલી ખાતરીનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે. જેના કારણે અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે’.  અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત દ્વારા આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસીય ધારણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરના તાલુકાઓમાંથી શિક્ષકો એકત્રિત થયા હતા. આ ધરણાંમાં નવી પેન્શન યોજના રદ્દ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેની માંગણી કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/teachers-agitation-in-gandhinagar-on-16th-august-on-the-issue-of-old-pension-scheme">જૂની પેન્શન યોજના મુદ્દે 16 મી ઓગસ્ટે ગાંધીનગરમાં શિક્ષકોનું આંદોલન</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે સાંજે ધરણાં પૂર્ણ થયા બાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનો ઠરાવ નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શૈક્ષિક મહાસંઘ દ્વારા વધુમાં જણાવાયું હતું કે, આગામી 17 દિવસ સુધી રોજ પ્રતિક ઉપવાસ ધરણાં કરવામાં આવશે. ત્યાર બાદ ઓનલાઈન કામગીરીથી દૂર રહેવામાં આવશે. ત્યાર બાદ અભ્યાસ કાર્યથી અળગા રહેવામાં આવશે અને ત્યાર બાદ શાળાને તાળાબંધી સહિતના ઉગ્ર આંદોલન કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકોએ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ધરણાં શરૂ કર્યા છે. ‘એક હી વિઝન, એક હી મિશન’ જૂની પેન્શન યોજના લાગુ કરોની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.રાજ્યભરમાંથી શિક્ષકો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ ગાંધીનગરમાં એકઠા થયા છે. શિક્ષકોની રજૂઆત છે કે, થોડા સમય પહેલા જ્યારે રાજ્ય સરકાર સાથે બેઠક થઈ ત્યારે સરકારે જૂની પેન્શન યોજના અંગે ઠરાવ કરવાની બાંયધરી આપી હતી. પરંતુ, ઠરાવ ન કરતા આજે ધરણા પર બેસવું પડ્યું છે. જો સરકાર માગણી ન સંતોષે તો ફરી આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/even-after-spending-crores-on-skill-india-83-percent-youth-are-unemployed-in-the-country">Skill India પાછળ કરોડો ખર્ચ્યા બાદ પણ દેશમાં 83 ટકા યુવાનો બેરોજગાર</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાંત મહિલા ઉપાધ્યાક્ષ પલ્લવી પટેલે જણાવ્યું કે, ૨૦૦૫ પહેલાની જે જૂની પેન્શન યોજનાને સરકારે અગાઉ ધરણા કાર્યક્રમ વખતે સ્વિકારી હતી, છતાં વારંવાર મહાસંઘ દ્વારા રજૂઆત પછી પણ તેને લાગુ નથી કરાઈ. પેન્શન એ દરેકનો અધિકાર છે. ગયા વર્ષે પણ અમે સરકારને વિનંતી કરી હતી છતાં ગુજરાતની સરકારે આપેલું વચન પાળ્યું નથી. આજ સાંજ સુધી અમારી માંગણીને સ્વિકારો. અમારી જૂની પેન્શન યોજનાની જે માંગણી છે જે પુનઃ ૨૦૦૫ પહેલાનાઓને તો આપો જ અને ૨૦૦૫ પછીના શિક્ષકો પણ આ પેન્શન લેવાના હકદાર છે તો તેઓને પણ પેન્શન આપો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત રાજ્ય અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે જણાવ્યું કે, અગાઉ હાલના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ એમના બંગલે બોલાવી ઠરાવ કરવા માટે આશ્વાસન આપ્યું હતું પણ હજુ સુધી કોઈ ઠરાવ કરવામાં આવ્યો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા, તારીખ ૧-૪-૨૦૦૫ પહેલાં નિમણૂક પામેલા તથા સમાધાન મુજબ ઠરાવ બહાર પાડવા, એન.પી.એસ. વાળા કર્મચારીઓને ૩૦૦ રજાનું રોકડ રૂપાંતર, બદલીના નિયમો સંગઠનની માગ અનુસાર બહાર પાડવા, વિદ્યાર્થી હિતમાં શિક્ષકોની પૂરા મંજૂર મહેકમ અનુસાર કાયમી ભરતી, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકની ભરતીના સરળ નિયમો, ભરતીનો રેશિયો ૧:2 કરવો, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ૪૨૦૦ ગ્રેડ-પે, ફાજલનું કાયમી રક્ષણ, સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના પડતર પ્રશ્નો તથા તમામ સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી.આ બેઠકમાં તમામ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/Dr.-Rameshchandra-Parmar:-An-Aggressive-Voice-of-Dalit-Movement-in-Gujarat"><strong>ડો. રમેશચંદ્ર પરમારઃ ગુજરાતમાં દલિત આંદોલનનો એક આક્રમક અવાજ</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 16 Aug 2024 20:45:43 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1082</Articleid>
                    <excerpt>ગુજરાત(Gujarat)માં સરકારી શિક્ષણનું સ્તર સાવ ખાડે ગયું છે, બીજી તરફ શિક્ષકોએ જૂની પેન્શન યોજના(Old pension scheme)ને લઈને ફરી સરકાર સામે મોરચો માંડ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66bf6ca6f078a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bf6ca6b5154.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bf6ca6b5154.jpg" length="142752" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gujarat, Old pension scheme</media:keywords>
                </item>
                        <item>
                    <title>રેલવેએ 100 વંદે ભારત ટ્રેનોનો રૂ. 30 હજાર કરોડનો ઓર્ડર રદ કર્યા</title>
                    <link>https://khabarantar.com/railways-has-given-100-vande-bharat-trains-rs-canceled-orders-worth-30-thousand-crores</link>
                    <guid>https://khabarantar.com/railways-has-given-100-vande-bharat-trains-rs-canceled-orders-worth-30-thousand-crores</guid>
                    <description>
                        <![CDATA[ ગરીબ ભારત દેશમાં મોદી સરકારે મોટા ઉપાડે શરૂ કરેલી વંદે ભારત ટ્રેનો ખાલી જઈ રહી છે ત્યારે હવે આ મામલે બીજા મોટા સમાચાર આવ્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોદી સરકારે રેલવેની ઓવરઓલ સ્થિતિ સુધારવાને બદલે દેશના સામાન્ય માણસને પોસાય નહીં તેવી વંદે ભારત ટ્રેનો પર ફોકસ કર્યું છે. સૌ જાણે છે કે, દેશનો સામાન્ય માણસ કદી વંદે ભારત જેવી અતિ મોંઘી ટ્રેનોમાં મુસાફરી કરી શકવાનો નથી. તેમ છતાં મુઠ્ઠીભર પૈસાદારો માટે શરૂ કરાયેલી વંદે ભારત ટ્રેનોની વાસ્તિકતા હવે સામે આવી રહી છે. મોદી સરકાર ગરીબો માટે ટ્રેનોમાં એક જનરલ ડબ્બો વધારતી નથી, પરંતુ વંદે ભારત પાછળ કરોડો ખર્ચી રહી છે. વંદે ભારત ટ્રેનની ઘણી સેમી-હાઈ સ્પીડ ટ્રેન દેશના ઘણા ભાગોમાં દોડી રહી છે. પરંતુ દેશના તમામ લાંબા રૂટ પર વંદે ભારત ટ્રેન ચલાવવાની યોજનાને મોટો ફટકો પડ્યો છે. વાસ્તવમાં સરકારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો બનાવવાનો ૩૦ હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે. આ યોજના હેઠળ ૧૦૦ વંદે ભારત ટ્રેનો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. પરંતુ ટેન્ડર પૂર્ણ થાય તે પહેલા જ ભારતીય રેલ્વેએ આ કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે. આવી સ્થિતિમાં યોજનાને પૂર્ણ કરવાની ગતિને બ્રેક લાગી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રેલવેએ આ ટેન્ડર રદ કરતા વંદે ભારત યોજનાને મોટો ફટકો પડ્યો છે. રેલવેએ ૩૦ હજાર કરોડ રૂપિયામાં ૧૦૦ વંદે ભારત ટ્રેન બનાવવાનો કોન્ટ્રાક્ટ લીધો હતો. આ માટે ઘણી કંપનીઓએ લોબિંગ કર્યું હતું. દરમિયાન ફ્રેન્ચ કંપની અલ્સ્ટોમ ઈન્ડિયા સાથે વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી હતી. બાદમાં બંને વચ્ચે પૈસાને લઈને કોઈ સમજૂતી થઈ ન હતી અને રેલવેએ હાલમાં આ ટેન્ડર પાછું ખેંચી લીધું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Kalols-Dingucha-village-sets-example,-flag-hoisted-by-Dalit-daughter-on-Republic-Day">કલોલના ડીંગુચા ગામે દાખલો બેસાડ્યો, પ્રજાસત્તાક દિને દલિત દીકરીના હાથે ધ્વજવંદન કરાવ્યું</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વંદે ભારત બનાવવા માટે ટેન્ડરની વાટાઘાટો કરનાર કંપની અલસ્ટોમ ઇન્ડિયાના એમડી ઓલિવર લેવિસને એક મીડિયા વાતચીતમાં જણાવ્યું હતું કે ટેન્ડરમાં ઓફર કરાયેલા નાણાંમાં સમસ્યા હતી. એલ્યુમિનિયમ બોડીવાળી વંદે ભારત ટ્રેન બનાવવાની વાત ચાલી રહી હતી, પરંતુ ભારતીય રેલવેએ તેનું ટેન્ડર રદ કરી દીધું હતું. અમે ભવિષ્યમાં આ કિંમત ઘટાડવાનું વિચારી શક્યા હોત, પરંતુ રેલવેએ જ ટેન્ડર રદ કરી દીધું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રેલવે અધિકારીઓનું કહેવું છે કે ફ્રેન્ચ પક્ષે ટેન્ડર કિંમત માટે ૧૫૦.૯ કરોડ રૂપિયા પ્રતિ ટનની માંગણી કરી હતી. આ ખૂબ જ ઊંચી કિંમત હતી અને અમે તેને ૧૪૦ કરોડ રૂપિયા સુધી લાવવાની વાત કરી હતી. જો કે, રેલવેના દબાણ હેઠળ અલસ્ટોમે રૂ. ૧૪૫ કરોડમાં ડીલ ફાઇનલ કરવાની વાત પણ કરી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કંપનીએ તેને ૩૦ હજાર કરોડ રૂપિયામાં ડીલ ફાઈનલ કરવાની વાત કરી હતી અને તે જ કિંમતે ૧૦૦ વંદે ભારત રેક્સ બનાવવાનું વચન આપ્યું હતું. આ પહેલા વંદે ભારત સ્લીપર ટ્રેનના દરેક વેગનને ૧૨૦ કરોડ રૂપિયામાં બનાવવાનું ટેન્ડર પણ ફાઈનલ થઈ ગયું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે આ ટેન્ડર રદ થવાથી રેલવેને તેની કિંમત નક્કી કરવામાં મદદ મળશે. ઉપરાંત, બિડ કરતી કંપનીઓને તેમના પ્રોજેક્ટ્‌સ અને ઓફર્સને સમજવાની તક મળશે. આગામી વખતે અમે વધુ કંપનીઓને પણ ટેન્ડરમાં સામેલ કરીશું, જેથી સ્પર્ધા વધશે તો ખર્ચમાં ઘટાડો થશે. આ વખતે માત્ર બે બિડરોએ ભાગ લીધો હતો. ટેન્ડર હેઠળ રેકની ડિલિવરી પર ૧૩ હજાર કરોડ રૂપિયા આપવાના હતા અને આગામી ૩૫ વર્ષમાં તેની જાળવણી માટે ૧૭ હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/some-illusions-and-lies-spread-about-wakf-board">વકફ બોર્ડ વિશે ફેલાવવામાં આવેલા કેટલાક ભ્રમ અને જુઠ્ઠાણાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 15 Aug 2024 16:50:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1077</Articleid>
                    <excerpt>ગરીબ ભારત દેશમાં મોદી સરકારે મોટા ઉપાડે શરૂ કરેલી વંદે ભારત ટ્રેનો ખાલી જઈ રહી છે ત્યારે હવે આ મામલે બીજા મોટા સમાચાર આવ્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66bda68965d91.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bda68934b82.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bda68934b82.jpg" length="75509" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>અયોધ્યાના રામપથ પર લાગેલી 3800 હાઈટેક લાઈટો ચોરાઈ ગઈ!</title>
                    <link>https://khabarantar.com/3800-high-tech-lights-on-the-ramp-of-ayodhya-were-stolen</link>
                    <guid>https://khabarantar.com/3800-high-tech-lights-on-the-ramp-of-ayodhya-were-stolen</guid>
                    <description>
                        <![CDATA[ પ્રભુ શ્રીરામની નગરી અયોધ્યામાં રામપથ પર લાગેલી હાઈટેક લાઈટો પર તસ્કરો હાથફેરો કરી ગયા છે. વાંચો શું છે આખો મામલો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશભરના હિંદુઓની આસ્થાના કેન્દ્ર એવા અયોધ્યામાં રામપથને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે અહીં નાખવામાં આવેલી 3800થી વધુ હાઈટેક લાઈટો કોઈ ચોરી ગયું છે. જેને લઈને હવે ભક્તો પણ સવાલ કરી રહ્યાં છે કે, પ્રભુની નગરીમાં જ આ સ્થિતિ હોય તો બીજે તો કેવું હશે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રભુ શ્રીરામની નગરી અયોધ્યામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેને સાંભળ્યા બાદ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ મંદિર સુધી જવા માટે રાજ્યની યોગી સરકારે અત્યાધુનિક સુવિધાઓથી ભરપૂર ત્રણ પથ બનાવ્યા હતા. જેમાં સૌથી લાંબો રામ પથ, બીજો જન્મભૂમિ પથ અને ત્રીજો ભક્તિ પથ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પથ પર હાઈટેક લાઈટિંગ પણ લગાવવામાં આવી હતી. રામપથની સાઈડમાં ઝાડ પર લાઈટિંગ કરવામાં આવ્યું હતું. જેથી શ્રદ્ધાળુઓને પ્રભુ રામની નગરી અયોધ્યા રાતમાં પણ દિવસ જેવી લાગે. પણ ભક્તોની એ આશા પર તસ્કરોએ પાણી ફેરવી દીધું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<span style="font-size: 14pt;"> <a href="https://khabarantar.com/how-did-the-slogan-of-jai-bheem-outweigh-jai-shri-ram">'જય શ્રીરામ' સામે 'જય ભીમ'નો નારો કેવી રીતે ભારે પડ્યો?</a></span></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બન્યું છે એવું કે, રામપથ અને ભક્તિ પથ પર લાગેલી ૩૮૦૦ લાઈટ અને ૩૬ ગોબો પ્રોજેક્ટર લાઈટની ચોરી થઈ ગઈ છે. યશ ઈન્ટરપ્રાઈઝીઝના કર્મચારી શેખર શર્માએ અજાણ્યા લોકો વિરુદ્ધ રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. રામપથ પર ૬૪૦૦ બાંબૂ લાઈટ લગાવી હતી. આ ઉપરાંત ભક્તિ પથ પર ૯૬ ગોબો પ્રોજેક્ટ લાઈટ પણ લગાવી હતી. જેને ચોર લોકો ચોરી કરીને લઈ ગયા છે. ધર્મની નગરી અયોધ્યામાં આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકબાજુ વર્તમાન મુખ્યંત્રી યોગી આદિત્યનાથ વિશ્વની પ્રાચીનતમ નગરી પૈકીની એક એવી અયોધ્યાને સુંદર નગરી બનાવવા માંગે છે. તેના માટે તેઓ લખલૂંટ ખર્ચ પણ કરી રહ્યાં છે, પરંતુ બીજી તરફ તસ્કરો અને લેભાગુ તત્વો પણ અહીં સક્રીય થઈ જતા ચોરી,લૂંટફાટ વધી ગયા છે. રાત્રે અયોધ્યા સુંદર અને ભવ્ય લાગે તે માટે લાખો રૂપિયા ખર્ચીને લાઈટિંગ કરાવવામાં આવ્યું હતું. પણ તસ્કરો તેમાંની ઘણીખરી લાઈટો ચોરી ગયા છે. રામની નગરીમાં ચોરીની આ ઘટનાને લોકો પચાવી શકતા નથી. સ્વયં ભગવાન રામની જ્યાં હાજરી છે તે અયોધ્યામાં તેમના જ નામે બનેલા પથ પર ચોરી થતા ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. સમગ્ર મામલે અયોધ્યા પોલીસ તપાસમાં લાગી ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/a-new-chapter-in-the-land-scam-in-the-name-of-ram-in-ayodhya">અયોધ્યામાં રામના નામે જમીન કૌભાંડનો નવો અધ્યાય...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 15 Aug 2024 11:41:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1075</Articleid>
                    <excerpt>પ્રભુ શ્રીરામની નગરી અયોધ્યામાં રામપથ પર લાગેલી હાઈટેક લાઈટો પર તસ્કરો હાથફેરો કરી ગયા છે. વાંચો શું છે આખો મામલો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66bd9b4c06978.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bd9b4bca24a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bd9b4bca24a.jpg" length="72912" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગાંધીનગરમાં દશામાંની મૂર્તિ પધારાવતા પાંચ લોકો ડૂબ્યાં, 3નાં મોત</title>
                    <link>https://khabarantar.com/five-people-drowned-while-offering-dasha-idol-in-gandhinagar-3-died</link>
                    <guid>https://khabarantar.com/five-people-drowned-while-offering-dasha-idol-in-gandhinagar-3-died</guid>
                    <description>
                        <![CDATA[ ગાંધીનગરમાં આજે વહેલી સવારે દશામાંની મૂર્તિ પધરાવવા ગયેલા પાંચ લોકો સાબરમતીના પાણીમાં ડૂબ્યાં હતા. જેમાંથી ત્રણના મોત થયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં ધાર્મિક કાર્યક્રમો, મેળાવડાઓમાં ઉમટી પડતી ભીડથી દર વર્ષે સેંકડો અકસ્માતો સર્જાય છે અને હજારો લોકો મોતને ભેટે છે. હમણાં ઉત્તર ભારતમાં કાવડ યાત્રા દરમિયાન આવી અનેક ઘટનાઓ ઘટી છે. કેદારનાથમાં પણ અનેક લોકો ફસાયા હતા. આ બધાં વચ્ચે હવે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં દશામાની મૂર્તિ પધરાવવા ગયેલા પાંચ લોકો ડૂબાયા હોવાનું સામે આવ્યું છે, જેમાંથી ત્રણનાં મોત થયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે વહેલી સવારે ગાંધીનગરમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા પાંચ લોકો સાબરમતી નદીમાં ડૂબ્યા હતા. મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે સેક્ટર ૩૦ પાસે આવેલી સાબરમતી નદીમાં આ ઘટના બની હતી, જ્યાં દશામાંની મૂર્તિ પધરાવવા ગયેલા આ લોકો સાબરમતીમાં ડૂબાયા હતા. ફાયર વિભાગની ટીમે ભારે શોધખોળ બાદ ડૂબેલા પાંચ લોકોમાંથી ત્રણના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મંગળવારે દશામાંના વ્રતની પૂર્ણાહુતિ થઈ હતી અને રાતે જાગરણ કરવામાં આવ્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી આ લોકો મૂર્તિ પધરાવવા માટે વહેલી સવારે સાબરમતીમાં ગયા હતા. જ્યાં આ ગોઝારી ઘટના ઘટી હતી. જે બાદ ફાયર વિભાગને જાણ થતા ત્યાં આવીને શોધખોળ કરી હતી. ફાયરની ટીમની ભારે જહેમત બાદ તેમણે ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી છે. જ્યારે અન્ય બે લોકોના મૃતદેહ શોધવાની કામગીરી ચાલી રહી છે. અણધારી આ ઘટનાથી મૃતકના પરિવારજનો અને ત્યાં આવેલા તમામ લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે મૃતકના પરિવારમાં શોક અને આક્રંદનો માહોલ છવાઈ ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે મૃતકો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના શિવાનંદ નગરના રહીશો હતા. જેમાં અજય વણઝારા, ભારતીબેન પ્રજાપતિ અને પૂનમબેન પ્રજાપતિનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/sixteen-people-died-due-to-drowning-during-holi-in-gujarat">ગુજરાતમાં હોળી-ધૂળેટી દરમિયાન ડૂબી જવાથી 16 લોકોના મોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 14 Aug 2024 19:30:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1073</Articleid>
                    <excerpt>ગાંધીનગરમાં આજે વહેલી સવારે દશામાંની મૂર્તિ પધરાવવા ગયેલા પાંચ લોકો સાબરમતીના પાણીમાં ડૂબ્યાં હતા. જેમાંથી ત્રણના મોત થયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66bcb7ab44cf1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bcb7ab0fbb3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bcb7ab0fbb3.jpg" length="76010" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>RSSના મુખપત્ર ‘પાંચજન્ય’માં જાતિ પ્રથાને &amp;apos;જરૂરી&amp;apos; ગણાવવામાં આવી</title>
                    <link>https://khabarantar.com/rss-mouthpiece-panchjanya-termed-caste-system-as-necessary</link>
                    <guid>https://khabarantar.com/rss-mouthpiece-panchjanya-termed-caste-system-as-necessary</guid>
                    <description>
                        <![CDATA[ RSS એ પોતાના મુખપત્ર &#039;પાંચજન્ય&#039;ના નવા અંકના તંત્રીલેખમાં ભારતમાં જાતિ પ્રથાને &#039;જરૂરી&#039; ગણાવીને તેની તરફેણ કરી છે. વાંચો તેમાં બીજું શું લખ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે(RSS) તેના મુખપત્ર "પાંચજન્ય"માં દેશમાં જાતિ વ્યવસ્થા "જરૂરી" હોવાનો મત વ્યક્ત કર્યો છે. "પાંચજન્ય"ના તંત્રીલેખમાં બહુ ચાલાકીથી ભારતમાં જાતિ વ્યવસ્થા જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું છે અને તેની ચોતરફ ચર્ચા શરૂ થઈ ગઈ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક બાજુ વિપક્ષો જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી રહ્યાં છે, પણ સત્તાધારી ભાજપ તે મામલે મૌન ધારણ કરીને બેસી ગયું છે. બીજી તરફ તેની માતૃસંસ્થા આરએસએસનું મુખપત્ર જાતિ વ્યવસ્થા જરૂરી હોવાનો મત વ્યક્ત કરી રહી છે. થોડા દિવસ પહેલા ભાજપના અનુરાગ ઠાકુરે સંસદમાં "જેમને પોતાની જાતિની ખબર નથી, તેઓ જાતિની વાત કરે છે" એવો સવાલ કરતા વિવાદ થયો હતો ત્યારે હવે ફરીથી સંઘ અને ભાજપે દેશમાં જાતિ જરૂરી હોવાની વાત કરી છે. એનો અર્થ એવો પણ થાય કે તેઓ જાતિ, જાતિ વ્યવસ્થાની સાથે વર્ણ વ્યવસ્થાને પણ જરૂરી માને છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"પાંચજન્ય" એ પોતાના તંત્રીલેખમાં જાતિ વ્યવસ્થાને ભારતીય સમાજમાં એકતા સ્થાપિત કરતું પરિબળ ગણાવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, મોગલ સાશકો તેને સમજી નહોતા શક્યાં અને અંગ્રેજો તેને ભારત પર પોતાના આક્રમણના રસ્તામાં અડચણ માનતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"પાંચજન્ય"ના તંત્રી હિતેશ શંકર તરફથી લખવામાં આવેલા તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે, "જાતિ વ્યવસ્થા એક સાંકળ છે, જેણે ભારતના વિવિધ વર્ગોને તેમના વ્યવસાયો અને પરંપરાઓ અલગ હોવા છતાં એક સાથે રાખ્યા હતા. ઔદ્યોગિત ક્રાંતિ પછી મૂડીવાદીઓએ જાતિ વ્યવસ્થાને ભારતના ચોકીદાર તરીકે જોઈ હતી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિતેશ શંકરે તંત્રીલેખમાં તર્ક આપ્યો છે કે, "જાતિ વ્યવસ્થા કાયમ આક્રમણકારોના નિશાન પર રહી છે. મોગલ શાસકોએ તલવારના દમ પર તેને નિશાન બનાવી અને ખ્રિસ્તી મિશનરીઓએ સેવા અને સુધારાઓની આડમાં તેના પર હુમલા કર્યા."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/dr-does-rss-have-any-answer-to-these-questions-of-ambedkar">ડૉ. આંબેડકરના આ સવાલોનો RSS પાસે કોઈ જવાબ છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તંત્રીલેખ કહે છે કે, "જાતિના રૂપમાં ભારતના સમાજે માત્ર એક બાબત સમજી છે કે, જાતિ સાથે વિશ્વાસઘાત એટલે દેશ સાથે વિશ્વાસઘાત. મિશનરીઓ ભારતને એક રાખતા આ સમીકરણને મોગલો કરતા વધુ સારી રીતે સમજ્યા હતા. તેઓ સમજી ગયા હતા કે, ભારત અને તેના સ્વાભિમાનને તોડવું હોય તો સૌથી પહેલા જાતિ વ્યવસ્થાને બંધન અને સાંકળ બતાવીને જાતિની એકતાના સૂત્રને તોડવામાં આવે. મિશનરીઓએ જાતિ વ્યવસ્થાને જેટલી સમજી એટલી અંગ્રેજોએ તેને પોતાની ભાગલા પાડો અને રાજ કરોની નીતિમાં અપનાવી લીધી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરએસએસ આ તંત્રીલેખ દ્વારા ફરી એકવાર ખૂલ્લું પડી ગયું હોય તેમ સ્પષ્ટ જણાય છે. તેનો આ લેખ બરાબર એવા સમયે આવ્યો છે, જ્યારે તેને દેશના વંચિત વર્ગોને એ સમજાવવામાં મુશ્કેલી પડી રહી છે કે તે અનામતના વિરોધમાં નથી. આરએસએસે સમયાંતરે જાતિ વ્યવસ્થાના મૂળને વર્ણ વ્યવસ્થામાં શોધવાનો પ્રયત્ન કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરએસએસ સામાન્ય રીતે જાતિગત ભેદભાવને લઈને માફીની વાત કરતું રહ્યું છે. પણ તેની કથની અને કરણીમાં આભજમીનનું અંતર છે. સંઘના પ્રમુખ મોહન ભાગવત જાહેરમાં એવું કહે છે કે, જાતિગત ભેદભાવ ભારતીય સમાજ માટે શ્રાપ છે અને તેને ખતમ કરી દેવો જોઈએ. સંઘના લોકો અનેકવાર કહે છે કે, તેઓ પોતાના સાથીદારોની જાતિ નથી જાણતા. જો કે, આ જ સંઘના લોકો જ્યારે હોદ્દાઓની વહેંચણી કરવાની આવે ત્યારે વર્ણ વ્યવસ્થામાં ટોચ પર રહેલા વર્ગને જ પ્રાથમિકતા આપે છે. આજની તારીખે સરસંઘચાલક તરીકે કોઈ દલિત કે આદિવાસી વ્યક્તિ નથી આવી. જે તેની કથની અને કરણી નોખી હોવાની ચાડી ખાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/did-the-change-in-the-constitution-of-the-rss-turn-the-tide-of-the-election">RSSની બંધારણ બદલવાની વાતે ચૂંટણીનું પાસું પલટી નાખ્યું?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિતેશ શંકરે પોતાના તંત્રીલેખમાં તર્ક આપ્યો છે કે, "પેઢી દર પેઢી જાતિઓને મળેલા આ કૌશલ્યને કારણે જ બંગાળના વણકરો તેમના કામમાં એટલા તેજસ્વી બન્યા હતા કે, માંચેસ્ટરની મીલો પણ તેમના જેવી ગુણવત્તાનું કાપડ નહોતી બનાવી શકતી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમાં આગળ લખવામાં આવ્યું છે કે, "ભારતના ઉદ્યોગોને બરબાદ કરવા ઉપરાંત આક્રમણકારોએ ભારતની ઓળખને બદલવા માટે ધર્માંતરણ પર પણ ફોકસ કર્યું હતું. પણ જ્યારે જાતિગત સમૂહો તેની સામે ઝૂક્યાં નહીં તો તેને અપમાનિત કરવામાં આવ્યા. આ એ લોકો હતા જેમણે એક સ્વાભિમાની સમાજને માથા પર મેલું ઉપાડવા મજબૂર કર્યા હતા. એ પહેલા હિંદુસ્તાનમાં આવું થતું હોવાના કોઈ પુરાવા નથી."(અર્થાત દલિતોને માથે મેલું ઉપાડવાની ફરજ અંગ્રેજો દ્વારા પાડવામાં આવી હતી.?)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિતેશ શંકર આગળ લખે છે કે, "જે આંખો ભારતની પેઢીઓની પ્રતિભાને જોઈને દુઃખી થાય છે, એ જ આંખો હિંદુ ધર્મની વિવિધતાઓ, પરંપરાઓ અને રીતિરિવાજોને ખતમ કરવાનું સપનું જોવે છે. હિંદુ જીવન, જેમાં ગરિમા, નૈતિકતા, જવાબદારી અને ભાઈચારો સામેલ છે એ બધું જાતિની આસપાસ જ ફરે છે અને મિશનરીઓ તેને સમજી ન શક્યા. મિશનરીઓએ જાતિને પોતાના ધર્માંતરણ કાર્યક્રમમાં અડચણ તરીકે જોઈ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તંત્રીલેખમાં કોંગ્રેસ પર પણ પ્રહાર કરવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, કોંગ્રેસ અંગ્રેજોની તર્જ પર જાતિના આધારે લોકસભાની સીટોની વહેંચણી ઈચ્છે છે. આવું કરીને તે દેશમાં ભાગલાને પ્રોત્સાહન આપવા માંગે છે અને એના માટે તે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનુરાગ ઠાકુર દ્વારા જાતિને લઈને રાહુલ ગાંધી પર કરવામાં આવેલા નિવેદન મુદ્દે પણ હિતેશ શંકરે પોતાના તંત્રીલેખમાં પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે, "ભારતની જાતિ કઈ છે? સમાજ અને ઈતિહાસ તરફ નજર કરશો તો આ સવાલનો જવાબ મળશે કે ભારતની જાતિ 'હિંદુ' છે. પણ જ્યારે કોંગ્રેસને તેની જાતિ પૂછવામાં આવશે તો તેનો જવાબ હશે- ઈસ્ટ ઈન્ડિયા કંપની અને એ.ઓ. હ્યુમ."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/RSS-and-Ambedkar-are-polar-opposites-yet-why-Sangh-praises-Baba-Saheb">RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 14 Aug 2024 09:55:33 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1070</Articleid>
                    <excerpt>RSS એ પોતાના મુખપત્ર &#039;પાંચજન્ય&#039;ના નવા અંકના તંત્રીલેખમાં ભારતમાં જાતિ પ્રથાને &#039;જરૂરી&#039; ગણાવીને તેની તરફેણ કરી છે. વાંચો તેમાં બીજું શું લખ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66bc30c25115c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bc30c222fa8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bc30c222fa8.jpg" length="52429" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતમાં 2 વર્ષમાં 151 શિક્ષકો 3 માસ કરતા વધુ સમયથી ‘ઘેરહાજર’</title>
                    <link>https://khabarantar.com/in-gujarat-151-teachers-have-been-absent-for-more-than-3-months-in-2-years</link>
                    <guid>https://khabarantar.com/in-gujarat-151-teachers-have-been-absent-for-more-than-3-months-in-2-years</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતની સરકારી શાળાઓમાં ગેરહાજર રહેતા શિક્ષકોને લઈને સરકારે ખુલાસો કર્યો છે. એ મુજબ છેલ્લાં 2 વર્ષમાં 151 શિક્ષકો 3 મહિના કરતા વધુ સમયથી ગેરહાજર છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ગેરહાજર અને ચાલુ નોકરીએ વિદેશ પહોંચી ગયેલા શિક્ષકોના મામલે રાજ્ય સરકાર દ્વારા આજે ખુલાસો કરાયો છે. જેમાં જણાવાયું છે કે, રાજ્યની વિવિધ સરકારી શાળાઓમાં છેલ્લા બે વર્ષમાં ત્રણ માસ કે તેથી વધુ સમયથી 151 શિક્ષકો ગેરહાજર જોવા મળ્યા છે. તેમાંથી 134 શિક્ષકોને સસ્પેન્ડ કરાયા છે. જ્યારે ત્રણ શિક્ષકોને બરતરફ અને ત્રણ શિક્ષકના રાજીનામાં મંજૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઇ છે. તો ત્રણ શિક્ષક સામે પોલીસ કેસ પણ કરાયા છે. તો 18 શિક્ષક અકસ્માત કે બીમારી સબબ ગેરહાજર હોવાનું સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સરકારી પ્રાથમિક શાળાઓમાં ગેરહાજર રહેતા શિક્ષકોનો મામલે સામે આવ્યો છે. જેમાં અનેક શિક્ષકો વિદેશ ચાલ્યા ગયા હોવાની વિગતો સામે આવી હતી. જેના કારણે આ બાબત સમગ્ર રાજયમાં આ ચર્ચાનો વિષય બન્યો હતો. સરકારી પ્રાથમિક શાળાઓમાં આવા કેટલાક શિક્ષકોની લાલિયાવાડી કે સ્થાનિક અધિકારીઓ સાથેની મિલીભગતના કારણે ગેરહાજર રહેતા હોવાની બાબત ભારે ચર્ચામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/If-you-do-not-have-a-meal,-eat-bread-in-hand-and-teach-your-children"><strong>ખાવાના વાસણ ન હોય તો રોટલી હાથમાં રાખીને ખાવ પણ તમારા બાળકોને ભણાવો</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લા કેટલાય દિવસોથી શાળાઓમાં ગેરહાજર રહેતા શિક્ષકોને લઈને સામે આવેલા સમાચારથી રાજ્યનું શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું. જેના અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (ડીપીઇઓ) તેમજ શાસનધિકારીઓ દ્વારા લાંબા સમયથી ગેરહાજર રહેતા અનેક શિક્ષકોને નોટિસો ફટકારવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષણ વિભાગ દ્વારા મોડે મોડે હાથ ધરાયેલી આ કાર્યવાહી અંગેની વિગતો સામે આવી છે. જે મુજબ શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2023-24 અને વર્ષ 2024-25ના છેલ્લા બે વર્ષની વિગતો જાહેર કરાઇ છે. જે મુજબ રાજયભરની જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ સંચાલિત વિવિધ સરકારી પ્રાથમિક શાળાઓમાં કુલ 151 શિક્ષકો છેલ્લા બે વર્ષમાં ત્રણ માસ કે તેથી વધુ સમયથી ગેરહાજર રહેતા હોવાનું સામે આવ્યું છે. આ 151 શિક્ષકો પૈકીના 60 જેટલા શિક્ષકો શાળામાં ગેરહાજર રહીને ચાલુ નોકરીએ વિદેશમાં મોજ માણતા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત 18 શિક્ષકો ગંભીર અકસ્માત તેમજ ગંભીર બીમારી સબબ ગેરહાજર રહેતા હોવાનું પણ સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વિગતો સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના 151માંથી 134 શિક્ષકોને નોટિસ ફટકારીને ખુલાસા માંગ્યા છે. જેમાં વિદેશ ગયેલા 60માંથી 44 શિક્ષકોને નોટિસ ફટકારી છે. તો ત્રણ શિક્ષકોને બરતરફ કરાયા છે તો, ત્રણ શિક્ષકના રાજીનામાં સ્વીકારી લેવામાં આવ્યા છે. જ્યારે બિન અધિકૃત રીતે ગેરહાજર રહેતા 70 પૈકીનાં 58 શિક્ષકોને નોટિસ અપાઈ છે. તો આણંદ, કચ્છ અને રાજકોટના 1-1 શિક્ષક સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો</strong></span>: <a href="https://khabarantar.com/a-teacher-settled-in-america-for-8-years-still-working-in-a-government-school"><strong>શિક્ષિકા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી, છતાં સરકારી શાળામાં નોકરી ચાલુ</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 13 Aug 2024 21:04:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1069</Articleid>
                    <excerpt>ગુજરાતની સરકારી શાળાઓમાં ગેરહાજર રહેતા શિક્ષકોને લઈને સરકારે ખુલાસો કર્યો છે. એ મુજબ છેલ્લાં 2 વર્ષમાં 151 શિક્ષકો 3 મહિના કરતા વધુ સમયથી ગેરહાજર છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66bb7bf7c19a2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bb7bf79289c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bb7bf79289c.jpg" length="83746" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>હિંડનબર્ગે અદાણીનું સામ્રાજ્ય હચમચાવી દીધું, અબજોનો ફટકો પડ્યો</title>
                    <link>https://khabarantar.com/hindenburg-rocked-adanis-empire-billions-hit</link>
                    <guid>https://khabarantar.com/hindenburg-rocked-adanis-empire-billions-hit</guid>
                    <description>
                        <![CDATA[ હિંડનબર્ગના નવા રિપોર્ટે ફરી એકવાર અદાણી ગ્રુપનું સામ્રાજ્ય હચમચાવી દેતા અબજો રૂપિયાનો ફટકો માર્યો છે. વાંચો કેટલું નુકસાન થયું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફિલ્મોમાં તમે જેને હીરો માનીને જોતા હો, એજ વ્યક્તિ છેલ્લે વિલન નીકળે તો કેવો આંચકો લાગે? કંઈક આવું જ હાલ ભારતના શેરબજારમાં જોવા મળી રહ્યું છે. ભારતમાં શેરબજાર પર નિયંત્રણ રાખવાની જેની જવાબદારી છે તે SEBI ના ચેરપર્સને જ અદાણીની ઓફશોર કંપનીઓમાં ભાગીદારી કર્યાનો હિંડનબર્ગે ધડાકો કરતા ભારત જ નહીં, દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે ૨૪ જાન્યુઆરી ૨૦૨૩ બાદ ફરીથી એકવાર એક રિપોર્ટ બહાર પાડીને ભૂકંપ સર્જી નાખ્યો છે. આ વખતે નિશાના પર સેબીના ચેરપર્સનલ માધવી પુરી બુચ હતા. પોતાના રિપોર્ટમાં હિંડનબર્ગે માધવી પુરી બુચ અને અદાણી ગ્રુપ વચ્ચેના કનેક્શનનો પર્દાફાશ કર્યો છે. સેબી પ્રમુખ પર આરોપ લગાવ્યા કે તેમણે પોતાના અંગત ફાયદા માટે અદાણી સમૂહ વિરુદ્ધ કાર્યવાહી કરી નહોતી. આ રિપોર્ટ આવ્યા બાદ સોમવારે અદાણી ગ્રુપના શેરો પર નિગેટિવ અસર જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે જ અદાણીના ૧૦ શેર તૂટ્યા. તૂટતા શેર અને ઘટતી માર્કેટ કેપે ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ કડાકો બોલાવી દીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંડનબર્ગના રિપોર્ટમાં સેબી પ્રમુખ પર અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તેમના પર અદાણી સમૂહને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો. અદાણી સમૂહને લઈને હિંડનબર્ગે સેબી ચીફના આરોપોની યાદી પણ બહાર પાડી દીધી. જેની અસર અદાણીના શેરો અને ગૌતમ અદાણીની સંપત્તિ પર જાેવા મળી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/how-can-privatization-be-good-for-the-country"><span style="font-size: 14pt;"> ખાનગીકરણ કઈ રીતે દેશ માટે સારું હોઈ શકે?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંડનબર્ગના રિપોર્ટના કારણે ગૌતમ અદાણી સોમવારે દુનિયાના ટોપ લૂઝર બિલિયોનર્સની યાદીમાં બીજા નંબરે રહ્યા. એક જ  ઝટકામાં તેમની સંપત્તિ ૧.૪૧ અબજ ડોલર એટલે કે લગભગ ૧,૧૮,૩૬,૩૫,૭૮,૦૦૦ રૂપિયા ઘટી ગઈ. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ મુજબ તેમની સંપત્તિ ગણતરીના કલાકોમાં ઘટીને ૧૦૪ અબજ ડોલર પર પહોંચી ગઈ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અગાઉ ૧૪ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ જ્યારે પહેલીવાર હિંડનબર્ગે અદાણીની કંપનીઓ પર એકાઉન્ટિંગ હેરાફેરી અને શેરોની ઓવરપ્રાઈઝિંગ અંગે લાંબો લચક રિપોર્ટ બહાર પાડ્યો હતો તો બજારમાં ઉથલપાથલ મચી ગઈ હતી. અદાણીના શેરો ધડામ થયા હતા. બજારમાં ભારે ભૂકંપ સર્જાયો હતો. અદાણીના શેર ૬૫ ટકા સુધી તૂટ્યા હતા. કંપનીની માર્કેટ કેપ ૧૦૦ અબજ ડોલર સુધી સરકી ગઈ હતી. અદાણીની સંપત્તિ એટલી ઘટી ગઈ કે જે એક સમયે દુનિયાના બીજા સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ હતા તેઓ ટોપ ૩૦માંથી પણ બહાર થઈ ગયા. જો કે આ વખતના રિપોર્ટની અસર શેરબજાર પર તો બહુ જોવા મળી નહીં. અદાણીના શેરો ઉપર પણ તેની મામૂલી અસર જોવા મળી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો કે સેબી  પ્રમુખ માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચની અદાણીની ઓફશોર કંપનીઓમાં ભાગીદારી છે. હિંડનબર્ગના આરોપોની અસર સોમવારે અદાણીના શેરો પર જોવા મળી હતી. શરૂઆતના કલાકોમાં અદાણીના શેર ૧૭ ટકા સુધી તૂટ્યા હતા. સૌથી વધુ નુકસાન અદાણી એનર્જીને થયું છે. જ્યારે અદાણી ટોટલ ગેસના શેર ૧૩.૩૯ ટકા તૂટ્યા હતા. એ જ રીતે અદાણી પાવર ૧.૨૧ ટકા, અદાણી ગેસ ૩.૯૫ ટકા અને  અદાણી પોર્ટ્‌સ ૨.૩૩ ટકા સુધી તૂટ્યા હતા. આ બધું મળીને અદાણી ગ્રુપને અબજો રૂપિયાનું નુકસાન થયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/lok-sabha-election-results-dealt-a-big-blow-to-adani-Group"><strong>લોકસભા ચૂંટણીના પરિણામોથી અદાણી ગ્રુપને મોટો ફટકો</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 13 Aug 2024 17:59:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1068</Articleid>
                    <excerpt>હિંડનબર્ગના નવા રિપોર્ટે ફરી એકવાર અદાણી ગ્રુપનું સામ્રાજ્ય હચમચાવી દેતા અબજો રૂપિયાનો ફટકો માર્યો છે. વાંચો કેટલું નુકસાન થયું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66bb50cae6722.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bb50cab267b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bb50cab267b.jpg" length="68526" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમદાવાદના 11 શિક્ષકો મહિનાઓથી ગુલ્લી મારી વિદેશમાં મોજ માણે છે</title>
                    <link>https://khabarantar.com/11-teachers-from-ahmedabad-have-been-enjoying-gulli-mari-abroad-for-months</link>
                    <guid>https://khabarantar.com/11-teachers-from-ahmedabad-have-been-enjoying-gulli-mari-abroad-for-months</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, મહેસાણા બાદ હવે અમદાવાદમાં સરકારી શાળાના ગુલ્લીબાજ શિક્ષકોની યાદી સામે આવી છે. વાંચો આ અહેવાલ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં સરકારી શિક્ષણનું આખું તંત્ર સાવ રામભરોસે ચાલી રહ્યું છે એમ કહેવામાં હવે કોઈ અતિશ્યોક્તિ નથી લાગતી. કેમ કે, અનેક સરકારી શાળાઓમાં કાં તો શિક્ષકો નથી અથવા જે છે તે મફતનો પગાર લઈને વિદેશોમાં મોજ માણી રહ્યાં છે. રાજ્યના સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા અને મહેસાણા જિલ્લામાં અનેક શિક્ષકો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર મૂકીને ભણાવ્યા વિના જ મસમોટો પગાર લઈને લાંબી રજાઓ લઈને વિદેશોમાં મોજ માણી રહ્યાંની અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. અનેક શાળાના શિક્ષકો આ રીતે રજા પર ઉતરી વિદેશ પહોચી ગયા હોવાની ઘટના બાદ આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે હવે અમદાવાદ જિલ્લા અને શહેરમાંથી પણ અનેક શિક્ષકો લાંબી રજા લઈ વિદેશ પહોચી ગયા હોવાનું સામે આવ્યું છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે રિપોર્ટ શિક્ષણ વિભાગમાં મોકલ્યો છે. એ મુજબ અમદાવાદની સ્કૂલોમાંથી પણ 11 શિક્ષકો રજા લઈને વિદેશ જતા રહ્યા છે, જ્યારે ૨ ક્લાર્ક પણ ૯૦ દિવસથી વધુ સમયથી રજા પર હોવાનું સામે આવ્યું  છે. કેટલાક શિક્ષકો અગાઉ પણ આ રીતે લાંબી રજા લઈને વિદેશ ગયા હોવાનું ધ્યાને આવ્યું છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ</span> <a href="https://khabarantar.com/gir-somnaths-ddo-became-ias-on-bogus-disability-certificate">ગીર સોમનાથના DDO બોગસ વિકલાંગતા પ્રમાણપત્ર પર IAS બન્યાં?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષકોની હાજરી તથા રજા અંગે શિક્ષણ વિભાગ દ્વારા સૂચના મળતા અમદાવાદની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન અમદાવાદના 13 શિક્ષકો રજા લઈને વિદેશ જતા રહ્યા હોવાની માહિતી મળી છે. આ શિક્ષકો પૈકી કેટલાક ૪ મહિનાથી વધુ સમયથી રજા પર છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના ૧૪ શિક્ષકો લાંબા સમયથી રજા પર  હતા. જેમાં અમદાવાદ ગ્રામ્યના ૮ શિક્ષકો અને ૨ કર્મચારીઓ લાંબા સમયથી રજા પર છે. શહેરના ૩ શિક્ષકો લાંબી રજા લઇ વિદેશ જતા રહ્યા છે. અમદાવાદ જિલ્લાના ૮ પૈકી ૭ શિક્ષક હાલ વિદેશમાં છે. ૭ શિક્ષક ૯ મહિના કરતા વધુ સમયથી ગેરહાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે બે શિક્ષકોના રાજીનામા અંગે કાર્યવાહી થઈ રહી છે. ડીઈઓ મારફતે જાણ કરતા રાજીનામું મોકલી આપવામાં આવ્યું છે અને રાજીનામું મંજૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગુલ્લીબાજ અને ભૂતિયા શિક્ષકોનાં પર તવાઈ આવશે</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં પરદેશી પંખી બની ગયેલા ગુલ્લીબાજ શિક્ષકો સામે હવે સરકાર સફાળી જાગીને એક્શન મોડમાં આવી હોય તેમ લાગે છે. બનાસકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ભૂતિયા શિક્ષકોનો સરવે શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ ગુલ્લીબાજ શિક્ષકોને લઈ રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા રજા લેતા શિક્ષકોનો હેતુ જાણવા તમામ DEO ને આદેશ કરાયો છે. તેમજ અમદાવાદનાં DEO એ ૩ મહિનાથી વધુ ગેરહાજર હોય તેવા શિક્ષકોની યાદી મંગાવી છે. અમદાવાદનાં પણ ૩ શિક્ષકો રજા લઈ વિદેશ જતા રહ્યા હોવાની માહિતી મળી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાસકાંઠા જીલ્લામાં ભૂતિયા શિક્ષકોનાં મામલે શિક્ષણ વિભાગ દ્વારા કડક પગલા ભર્યા છે. જેમાં બનાસકાંઠા જીલ્લામાં ૩ વર્ષમાં ૩૪ ભૂતિયા શિક્ષકોને બરતરફ કરાયા છે. તેમજ જીલ્લામાં હજુ પણ ૬ શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ છે. તેમજ બિનઅધિકૃત અને વિદેશ ગયેલા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જીલ્લામાં વધુ ૬ શિક્ષકોને નોટીસ ફટકારવામાં આવી છે તેમ જીલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ </span><a href="https://khabarantar.com/a-teacher-settled-in-america-for-8-years-still-working-in-a-government-school">શિક્ષિકા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી, છતાં સરકારી શાળામાં નોકરી ચાલુ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે અમદાવાદની સ્કૂલોના ૩ શિક્ષક રજા લઈને વિદેશ ગયા છે. આ શિક્ષકો ૧૨૦ દિવસથી રજા પર છે. તેમનો રજા માટેનો હેતુ જાણવામાં આવશે. શિક્ષક અન્ય હેતુથી વિદેશમાં હશે તો કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદની તમામ સ્કૂલો પાસેથી ૯૦ દિવસ કરતાં વધુ સમયથી રજા પર હોય તેવા શિક્ષકોની યાદી માગવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી એલ.ડી.દેસાઈએ જણાવ્યું હતું કે સ્કૂલ બોર્ડની સ્કૂલના 1 શિક્ષક 90 દિવસથી વધુ સમયથી રજા પર છે. આ શિક્ષકને નોટિસ પણ ફટકારવામાં આવી છે છતાં કોઈ જવાબ ન મળતાં જાહેરાત આપીને શિક્ષકને છૂટા કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આગળ વાંચોઃ</span> <a href="https://khabarantar.com/nadiads-school-teacher-abroad-without-noc-for-a-year">નડિયાદની હાથજ શાળાની શિક્ષિકા વગર NOCએ એક વર્ષથી વિદેશમાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 13 Aug 2024 10:08:52 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1064</Articleid>
                    <excerpt>ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, મહેસાણા બાદ હવે અમદાવાદમાં સરકારી શાળાના ગુલ્લીબાજ શિક્ષકોની યાદી સામે આવી છે. વાંચો આ અહેવાલ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66bae0f120d66.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bae0f0e4372.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bae0f0e4372.jpg" length="68496" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Ahmedabad School Teacher</media:keywords>
                </item>
                        <item>
                    <title>સરદાર સરોવર ડેમ છલકાવાની તૈયારીમાં, ૯૦ ટકાથી વધુ ભરાયો</title>
                    <link>https://khabarantar.com/sardar-sarovar-dam-is-over-90-percent-full-preparing-to-overflow</link>
                    <guid>https://khabarantar.com/sardar-sarovar-dam-is-over-90-percent-full-preparing-to-overflow</guid>
                    <description>
                        <![CDATA[ સરદાર સરોવર નર્મદા ડેમ 90 ટકાથી વધુ ભરાઈ ગયો છે. જ્યારે રાજ્યના 49 ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજયમાં તેમજ ઉપરવાસમાં થઈ રહેલા સારા વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 90 ટકાથી વધુ ભરાઈ ગયો છે. જ્યારે રાજ્યના 49 ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં હાઈ એલર્ટ જાહેર કરાયા હોવાનું જળ સંપતિ વિભાગ દ્વારા જણાવાયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યના જળ સંપતિ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે, ગુજરાતની સાથોસાથ ઉપરવાસમાં પણ થઈ રહેલા સારા વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં ૩,૦૦,૪૦૦ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૯.૯૨ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ ઉપરાંત રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૪૬,૮૫૭ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૬૧.૯૨ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો હોવાનું પણ જળ સંપત્તિ વિભાગ દ્વારા જણાવાયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જળ સંપતિ વિભાગ દ્વારા જણાવાયું છે કે, રાજ્યમાં વરસી રહેલા વરસાદના કારણે ૪૯ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે ૧૩ ડેમો ૯૦ ટકાથી ૧૦૦ ભરાઇ જવાથી તેમને હાઈએલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા ડેમ સહિત રાજ્યના ૪૦ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત ૨૦ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે, જ્યારે ૪૧ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જળ સંપતિ વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આજે સવારના અહેવાલ અનુસાર ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સૌથી વધુ સરદાર સરોવર નર્મદા ડેમમાં ૨,૬૭,૮૦૭ ક્યુસેક પાણીની આવક થઈ છે, જ્યારે ઉકાઈ યોજનામાં ૬૦,૫૩૪ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમમાં ૭૫.૩૭ ટકા પાણીનો સંગહ થયો છે, તો સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમમાં ૫૩.૧૭ ટકા, કચ્છના ૨૦ ડેમમાં ૫૧.૪૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ ડેમમાં  ૫૦.૪૮ ટકા તેમજ ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં ૨૯.૬૫ ટકા પાણીનો સંગ્રહ થયો હોવાનું જણાવાયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/280-crores-of-veravals-grasim-Industries-was-waived-off-by-the-water-resources-department">જળ સંપત્તિ વિભાગે વેરાવળની ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝના 280 કરોડ માફ કર્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 13 Aug 2024 09:13:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1063</Articleid>
                    <excerpt>સરદાર સરોવર નર્મદા ડેમ 90 ટકાથી વધુ ભરાઈ ગયો છે. જ્યારે રાજ્યના 49 ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં હાઈ એલર્ટ જાહેર કરાયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66ba351d0ca44.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ba351cd04c2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ba351cd04c2.jpg" length="67313" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ચૂંટણી પંચે રાજ્યસભાની ૧૨ બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરી</title>
                    <link>https://khabarantar.com/the-election-commission-has-announced-by-elections-on-12-rajya-sabha-seats</link>
                    <guid>https://khabarantar.com/the-election-commission-has-announced-by-elections-on-12-rajya-sabha-seats</guid>
                    <description>
                        <![CDATA[ ચૂંટણી પંચે રાજ્યસભાની ખાલી પડેલી 12 બેઠકો માટે પેટાચૂંટણીની તારીખો જાહેર કરી છે. વાંચો શું છે વિસ્તૃત કાર્યક્રમ ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણી પંચે રાજ્યસભાની ખાલી પડેલી ૧૨ બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરી છે. એ મુજબ આગામી ૩ સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે, જેનું પરિણામ પણ તે જ દિવસે સાંજે ૫ વાગ્યે આવી જશે. આવતા મહિને યોજાનારી રાજ્યસભાની આ 12 બેઠકોની પેટાચૂંટણી બાદ એનડીએને દેશના ઉપલા ગૃહમાં બહુમતી મળવાની આશા છે. કેન્દ્ર સરકાર બહુમતીથી વકફ (સુધારા) બિલ જેવા બિલની મંજૂરી મેળવવામાં મદદ મેળવવા ઈચ્છશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૯ રાજ્યોમાં રાજ્યસભાની ૧૨ ખાલી બેઠકો માટે ૩ સપ્ટેમ્બરે પેટાચૂંટણી યોજાશે. જેમાં ભાજપ અને તેના સાથી પક્ષોને ૧૧ બેઠકો મળવાની આશા છે. આ રીતે એનડીએનું ૨૪૫ સભ્યોના ગૃહમાં ૧૨૨નું સંખ્યાબળ થશે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ અને તે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ વિધાનસભાની ચૂંટણીઓ થઈ નથી, તેથી ત્યાં ૪ બેઠકો ખાલી છે. હાલમાં રાજ્યસભામાં બહુમતનો આંકડો ૧૨૧ છે. તેથી પેટાચૂંટણી બાદ એનડીએ રાજ્યસભામાં બહુમતી મેળવી શકે છે. રાજ્યસભામાં ૪ નામાંકિત સભ્યો ૧૩મી જુલાઈએ નિવૃત્ત થયા છે. આ બેઠકો પર પણ સભ્યોના નામાંકન બાદ આ સંખ્યા વધીને ૧૨૬ થઈ જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણી પંચે જે ૧૨ રાજ્યસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરી છે તેમાં આસામ, બિહાર, મહારાષ્ટ્રમાં ૨-૨, હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, તેલંગાણા અને ઓડિશામાં ૧-૧ સીટ છે. પરિણામ પણ તે જ દિવસે એટલે કે ૩જી સપ્ટેમ્બરે સાંજે ૫ વાગ્યે જાહેર કરવામાં આવશે. આ ૧૨ બેઠકોમાંથી ભાજપ અને તેના સાથી પક્ષોને ૭ રાજ્યોમાંથી બેઠકો મળવાની ધારણા છે. તેને બિહાર, મહારાષ્ટ્ર અને આસામમાંથી રાજ્યસભાની ૨-૨ અને હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ત્રિપુરામાંથી ૧-૧ રાજ્યસભા બેઠક મળી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/savarkar-an-attempt-to-distort-the-truth-to-strengthen-hindutva-politics"><span style="font-size: 14pt;">સાવરકરઃ હિંદુત્વવાદી રાજનીતિને મજબૂત કરવા સત્યને વિકૃત કરતો પ્રયત્ન</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સિવાય એવું માનવામાં આવે છે કે રાજ્યસભામાં જે ૬ લોકોને નોમિનેટ કરવામાં આવ્યા છે તેઓ પણ સરકારને સમર્થન આપશે. સામાન્ય રીતે, રાજ્યસભામાં નિમાયેલા સભ્યો સ્વતંત્ર હોય છે, પરંતુ પરંપરાગત રીતે તેઓ જે પક્ષની સરકારે તેમને નિમ્યા હોય તેને સમર્થન આપતા હોય છે. કુલ ૨૦ ખાલી બેઠકોમાંથી ૪ જમ્મુ અને કાશ્મીરની છે અને ૪ નિમણૂંક પામેલા સભ્યો માટે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યસભાના સાંસદોએ લોકસભાની ચૂંટણી લડવા અને જીતવાને કારણે ૧૦ બેઠકો ખાલી પડી છે. આ સિવાય એક સીટ ભારત રાષ્ટ્ર સમિતિના નેતાને જાય છે.  કેશવ રાવ કોંગ્રેસમાં જોડાવાને કારણે તે ખાલી પડી છે. બીજી સીટ ઓડિશાના બીજેડી સાંસદ મમતા મોહંતાના રાજીનામા બાદ ખાલી પડી હતી. તેમણે ૩૧ જુલાઈએ પાર્ટી અને રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાયા હતા. રાજ્યસભામાં કુલ સાંસદોની સંખ્યા ૨૪૫ છે. હાલમાં રાજ્યસભામાં ૨૨૫ સાંસદો છે, જ્યારે ૨૦ બેઠકો ખાલી છે. ખાલી પડેલી બેઠકોમાં ૪ જમ્મુ અને કાશ્મીરની છે અને ૪ નામાંકિત સભ્યોમાંથી છે. આ બેઠકો સિવાય બાકીની ૧૨ બેઠકો પર ચૂંટણી યોજાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યસભામાં ભાજપ પાસે ૮૭ બેઠકો છે અને તેના સાથીપક્ષો સહિત એનડીએ પાસે ૧૦૫ બેઠકો છે. જો આમાં ૬ નિમણૂંક પામેલા સભ્યો પણ ઉમેરવામાં આવે તો આંકડો ૧૧૧ થઈ જાય છે, જે બહુમતી કરતા ૧૨ બેઠક ઓછો છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધન પાસે ૮૭ સીટો છે. ઈન્ડિયા બ્લોક અને એનડીએ સિવાયની પાર્ટીઓ પાસે ૨૮ સીટો છે. ૪ વર્ષ બાદ ૧૩મી જુલાઈએ રાજ્યસભામાંથી ૪ નોમિનેટેડ સભ્યોની નિવૃત્તિ સાથે ભાજપનું સંખ્યાબળ ૯૦ની નીચે પહોંચી ગયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપ ૧૦ વર્ષમાં રાજ્યસભામાં ૫૫ થી ૧૦૧ સીટો પર પહોંચી ગયું છે. ૨૦૧૪માં ભાજપના ૫૫ અને ૨૦૧૯માં ૭૮ સાંસદો હતા. જૂન ૨૦૨૦માં આ સંખ્યા વધીને ૯૦ થઈ ગઈ. આ પછી પાર્ટીએ ૧૧ સીટો જીતી. આ સાથે સભ્યોની સંખ્યા ૧૦૧ પર પહોંચી ગઈ છે. ૧૯૯૦ પછી આ પ્રથમ વખત હતો જ્યારે કોઈ પાર્ટીએ ૧૦૦નો આંકડો પાર કર્યો હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/election-results-show-that-india-is-not-a-hindu-nation-amartya-sen">ચૂંટણીના પરિણામોએ બતાવી આપ્યું કે ભારત ‘હિંદુ રાષ્ટ્ર’ નથી: અમર્ત્ય સેન</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 12 Aug 2024 21:20:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1062</Articleid>
                    <excerpt>ચૂંટણી પંચે રાજ્યસભાની ખાલી પડેલી 12 બેઠકો માટે પેટાચૂંટણીની તારીખો જાહેર કરી છે. વાંચો શું છે વિસ્તૃત કાર્યક્રમ</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66ba2ea712fa6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ba2ea6d7b69.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ba2ea6d7b69.jpg" length="154661" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજસ્થાનમાં રીલ્સ બનાવવાના ચક્કરમાં 14થી 22 વર્ષના 7 યુવકોના મોત</title>
                    <link>https://khabarantar.com/7-youths-aged-14-to-22-years-died-in-the-circle-of-making-reels-in-rajasthan</link>
                    <guid>https://khabarantar.com/7-youths-aged-14-to-22-years-died-in-the-circle-of-making-reels-in-rajasthan</guid>
                    <description>
                        <![CDATA[ રાજસ્થાનના એક ગામમાં રીલ્સ બનાવવાના ચક્કરમાં સાત યુવકોના મોત થઈ ગયા છે. શું છે આખો મામલો વાંચો આ અહેવાલમાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના ભરતપુર જિલ્લાના શ્રીનગર ગામ પાસે વહેતી બાણગંગા નદીમાં સ્નાન કરતી વખતે રીલ બનાવવી કેટલાક યુવાનોને ભારે પડી ગઈ. અહીં નદીમાં ડૂબી જવાથી 7 યુવાનોનાં કરૂણ મોત થયા છે. મૃતકોમાં કેટલાક સગીરો પણ સામેલ છે. ઘટના દરમિયાન એક યુવકે જેમતેમ કરીને પાણીમાંથી બહાર આવીને પોતાનો જીવ બચાવ્યો હતો. મૃતકોમાં ત્રણ પિતરાઈ ભાઈઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં છેલ્લાં ઘણાં દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. અહીં અનેક ગામોમાં પાણી ભરાયા છે અને નદીઓમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિકાસ અધિકારી નરેન્દ્ર સિંહ ગુર્જરના જણાવ્યા પ્રમાણે સવારે 8 યુવકો બાણગંગા નદીમાં નહાવા માટે ગયા હતા. એક પછી એક બધાં નહાવા માટે તેમાં પડ્યાં હતા. એ દરમિયાન પાણીનો પ્રવાહ વધતા બધાં તેમાં તણાઈને ડૂબવા લાગ્યા હતા. કોઈક રીતે એક યુવક બહાર આવ્યો. પાણીમાંથી બહાર આવેલા યુવકે ગામના લોકોને ઘટનાની જાણ કરી હતી, જે બાદ ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એક કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ 7 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. તમામના મૃતદેહ એક જ જગ્યાએથી મળી આવ્યા હતા. પાંચ મૃતદેહોને નજીકની હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Rejoice-Countrys-first-girls-school-started-by-mother-Savitribai-Phule-in-1848-will-turn-into-a-national-heritage">આનંદો! માતા સાવિત્રીબાઈ ફૂલેએ 1848માં શરૂ કરેલી દેશની પ્રથમ કન્યાશાળા રાષ્ટ્રીય ધરોહરમાં ફેરવાશે </a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જિલ્લા કલેક્ટર અમિત યાદવે જણાવ્યું હતું કે શ્રીનગર નિવાસી પવન જાટવ (20) સૌરભ જાટવ (14) ભૂપેન્દ્ર જાટવ (18) શાંતનુ જાટવ (18) લકી જાટવ (18)  પવન સિંહ જાટવ (22) અને ગૌરવ જાટવ (16)નું મૃત્યુ થઈ ગયું છે. તેમાંથી પવન, સૌરભ અને ગૌરવ પિતરાઈ ભાઈઓ હતા. નદીમાં નહાવા ઉતરેલા આ યુવકો ત્યાં રીલ બનાવી રહ્યા હતા એ દરમિયાન ડૂબી ગયા હતા. એક યુવક કોઈક રીતે જેમતેમ કરીને બહાર આવ્યો હતો અને તેનો જીવ બચી ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જિલ્લા કલેક્ટર અમિત યાદવે લોકોને ખાબોચિયા, નદીઓ અને નાળાઓમાં પ્રવેશ ન કરવા જણાવ્યું હતું. પાંચણા ડેમમાંથી પાણી આવી રહ્યું છે. ગંભીર નદી અને અન્ય નદીઓના કિનારાથી દૂર રહો. પાણી જોવા માટે લોકો કુતૂહલવશ જળાશયો પાસે જાય છે. આવી સ્થિતિમાં પવનની જોરદાર લહેરોના કારણે નદીમાં પડી જવાનો ભય રહે છે. લોકોએ પાણીથી દૂર રહેવું જોઈએ. તમને જણાવી દઈએ કે ભરતપુરમાં બપોરે 12.30 વાગ્યાથી ભારે વરસાદ પડી રહ્યો છે. મોડી રાત્રે પણ વરસાદ પડ્યો હતો. રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે અને અનેક કોલોનીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દુર્ઘટના બાદ આખા ગામમાં માતમ છવાયો છે. ૮ બાળકોમાંથી સાત બાળકોના મોત થઈ ગયા છે. ગામ લોકોના જણાવ્યા પ્રમાણે, બાણગંગા નદીમાં લાંબા સમય પછી પહેલીવાર પાણી આવ્યું હોવાથી આ યુવકો તે જોવા માટે ગયા હતા. તેઓ નદીમાં નહાવા માટે નીકળ્યા હતા. એ પહેલા તેઓ દિવાલ પર ઉભા રહીને રીલ્સ બનાવી રહ્યા હતા. ગામલોકોએ તેમને તળાવમાં જવાની ના પણ પાડી હતી, છતાં તેઓ માન્યા નહોતા, એ દરમિયાન પાણીનો પ્રવાહ વધતા દિવાલ તૂટી ગઈ હતી અને તમામ યુવકો પાણીના ધસમસતા પ્રવાહમાં ખેંચાઈ ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/a-laborer-standing-under-a-tree-in-wadali-was-struck-dead-by-lightning-one-injured">વડાલીમાં ઝાડ નીચે ઉભેલા મજૂર પર વીજળી પડતા મોત, એક ઘાયલ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 12 Aug 2024 20:06:03 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1061</Articleid>
                    <excerpt>રાજસ્થાનના એક ગામમાં રીલ્સ બનાવવાના ચક્કરમાં સાત યુવકોના મોત થઈ ગયા છે. શું છે આખો મામલો વાંચો આ અહેવાલમાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66ba1d1977bed.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ba1d1945acb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ba1d1945acb.jpg" length="84796" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બિહારના જહાનાબાદમાં મહાદેવ મંદિરમાં ભાગાભાગી, 8નાં મોત</title>
                    <link>https://khabarantar.com/mahadev-temple-stampede-in-bihars-jehanabad-8-dead</link>
                    <guid>https://khabarantar.com/mahadev-temple-stampede-in-bihars-jehanabad-8-dead</guid>
                    <description>
                        <![CDATA[ બિહારના જહાનાબાદમાં શ્રાવણિયા સોમવારે ભક્તો મહાદેવ મંદિરમાં ઉમટી પડ્યાં હતા. એ દરમિયાન એક મોટો અકસ્માત થયો છે. વાંચો આ અહેવાલ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહારના જહાનાબાદમાં આજે શ્રાવણ મહિનાનો સોમવાર હોવાથી ભક્તો મોટી સંખ્યામાં મહાદેવ મંદિરમાં દૂધ અને બિલિપત્ર ચડાવી દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. એ દરમિયાન મધરાતે ભાગાભાગી થતા 8 ભક્તોના મોત થઈ ગયા છે અને અનેક લોકો ઘાયલ થઈ ગયા છે. ઘટનાનો વ્યાપ જોતા મૃત્યુઆંક વધી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેહાનાબાદ(Jehanabad)માં આજે ઉત્તર ભારતીયોના શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર હોવાથી ભક્તો ગઈકાલ સાંજથી જ મહાદેવ મંદિરમાં ઉમટી પડ્યા હતા. એ દરમિયાન મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. મખદુમપુરના વાણાવરમાં બાબા સિદ્ધેશ્વરનાથ મંદિરની બહાર ભાગાભાગી થતા આઠ લોકોના મોત થય છે. આ તમામ લોકો મહાદેવને જળ ચડાવવા મંદિરની ભારે ભીડ વચ્ચે પણ અહીં પહોંચ્યા હતા. મૃતકોમાં પુરૂષ અને મહિલા બંનેનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વહીવટીતંત્ર દ્વારા સાત લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, પરંતુ જે રીતે આ ઘટના બની અને શ્રદ્ધાળુઓ ઘાયલ થયા તે જોતા આ આંકડો હજુ પણ વધી શકે છે. ઘણા લોકોને સ્થાનિક મખદુમપુર હોસ્પિટલ અને જહાનાબાદ સદર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્ય તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું છે. શ્રાવણ મહિનામાં બાબા સિદ્ધેશ્વર નાથ મંદિરમાં જળ ચઢાવવા માટે મોટી ભીડ હોય છે. એમાં પણ સોમવારે આ ભીડ અનેકગણી વધી જાય છે. આ ઘટના પહેલા પણ એવું જ થયું હતું અને રવિવાર રાતથી ભક્તો મહાદેવને જળ ચડાવવા માટે ટોળે વળવા લાગ્યા હતા. આ મંદિર એક પહાડની ટોચ પર આવેલું છે અને લોકો તેના પર ચડીને અહીં જળ ચઢાવવા જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/why-are-temples-overflowing-with-people-here-is-the-reasoned-answer"><span style="font-size: 14pt;">શા માટે ધર્મસ્થળો માણસોથી ઉભરાય છે? આ રહ્યો તર્કબદ્ધ જવાબ</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વિકાસ કુમારે કહ્યું કે આ મામલે તેઓ હાલ તરત કંઈ કહી શકે તેમ નથી. સત્તાવાર રીતે આ મામલે કંઈ કહેવા માટે થોડો સમય લાગશે. શું મંદિર પરિસરમાં સુરક્ષાનો અભાવ હતો? આ સવાલના જવાબ પર તેમણે કહ્યું કે રવિવારે રાત્રે વધુ ભીડ હોય છે. ત્રણ સોમવાર પછી આ ચોથો સોમવાર હતો અને ભક્તોની ભીડને લઈને અમે એલર્ટ હતા, પણ ભીડ બેકાબુ બની ગઈ હતી. સિવિલ, મેજિસ્ટ્રેટ અને મેડિકલ ટીમોને જે રીતે તૈનાત કરવામાં આવે છે, તે જ રીતે તૈયાર કરવામાં આવી હતી. તેમ છતાં આ ઘટના ઘટી છે. આ એક દુઃખદ ઘટના છે. અમે પહેલા આગળની પ્રક્રિયા કરી રહ્યા છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાને નજરે જોનારાઓનું કહેવું છે કે, ભાગાભાગી બાદ શ્રદ્ધાળુઓ પડી ગયા હતા અને તેઓ ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા. એક પ્રત્યક્ષદર્શીએ સ્થાનિક વહીવટીતંત્ર પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ભીડને કાબૂમાં કરવા માટે તંત્ર દ્વારા લાઠીચાર્જના કરવામાં આવ્યો હતો તેના કારણે આ અકસ્માત થયો હતો. એનસીસીના લોકો ફરજ બજાવતા હતા અને બિહાર પોલીસનું કોઈ નહોતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાદેવને જળ ચડાવવા માટે આવેલા એક ભક્તે જણાવ્યું હતું કે,પહાડની ટોચ પર પોલીસ અને લોકો વચ્ચેની બબાલ થઈ ગઈ હતી ત્યારબાદ લાકડીઓ ચલાવવામાં આવી જેના કારણે લોકો પાછળની તરફ ભાગવા લાગ્યા હતા, તેમાં જ આ ઘટના ઘટી હતી. લોકો નીચે પડવા લાગ્યા અને બેકાબૂ ટોળું તેમની માથેથી પસાર થવા લાગ્યું, તેમાં 8 લોકોના મોત થઈ ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ભારતમાં ધાર્મિક યાત્રાઓ અને મંદિરોમાં બેફામ ભીડ ઉમટી પડતા દર વર્ષ સેંકડો લોકોના મોત મંદિરો, તીર્થસ્થળો કે ધાર્મિક ઉત્સવો દરમિયાન નીકળતી રેલીઓ, ઝુલુસો દરમિયાન થાય છે. હજુ ગયા સોમવારે બિહારમાં જ દલિત કાવડિયાઓનું એક ડીજે હાઈ ટેન્શન વીજ તાર સાથે ટકરાયું હતું. જેમાં 9 કાવડિયાઓના મોત થયા હતા. આ પ્રકારની અનેક નાનીમોટી ઘટનાઓ સમગ્ર ઉત્તર ભારતમાં બની હતી. તેમ છતાં પણ લોકો પોતાના જીવની પરવા કર્યા વિના આવા ધાર્મિક કાર્યક્રમોમાં ઉમટી પડે છે અને દર વર્ષે મોતનો આંકડો વધતો જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/9-dalit-kavadia-killed-6-injured-as-dj-collides-with-high-tension-wire">હાઈ ટેન્શન તાર સાથે DJ અથડાતા 9 દલિત કાવડિયાના મોત, 6 ઘાયલ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 12 Aug 2024 09:34:31 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1058</Articleid>
                    <excerpt>બિહારના જહાનાબાદમાં શ્રાવણિયા સોમવારે ભક્તો મહાદેવ મંદિરમાં ઉમટી પડ્યાં હતા. એ દરમિયાન એક મોટો અકસ્માત થયો છે. વાંચો આ અહેવાલ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b987cc1b49a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b987cbdcda8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b987cbdcda8.jpg" length="81615" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>આવી છે EDની કામગીરીઃ 10 વર્ષમાં 5000 કેસ, સજા માત્ર 40ને!</title>
                    <link>https://khabarantar.com/this-is-the-performance-of-ed-5000-cases-in-10-years-punishment-only-40</link>
                    <guid>https://khabarantar.com/this-is-the-performance-of-ed-5000-cases-in-10-years-punishment-only-40</guid>
                    <description>
                        <![CDATA[ કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી તેની ભેદભાવપૂર્ણ કામગીરીને લઈને વગોવાઈ ચૂકી છે. સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા છે, એટલું જ નહીં ઈડીનો જ અધિકારી લાંચ લેતા ઝડપાયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી તેમની ભેદભાવપૂર્ણ કામગીરીને લઈને હવે તેની વિશ્વસનીયતા સાવ ખોઈ બેઠી છે. સત્તા પક્ષના ઈશારે તેમના વિરોધીઓ પર ત્રાટકીને તેમને યેનકેન પ્રકારે કેસોમાં ફીટ કરી દેવાની તેની કામગીરીને લઈને સુપ્રીમ કોર્ટ પણ અનેકવાર તેને ફટકાર લગાવી સુધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવા જ એક મામલામાં સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને મની લોન્ડરિંગના કેસોમાં તપાસ એજન્સીના સજાના નીચા દરોને લઈને સવાલો ઉભા કર્યા હતા અને કાર્યવાહી તથા પુરાવાની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. ગૃહ મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા ડેટાના આધારે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે. જસ્ટિસ સૂર્યકાંત, દીપાંકર દત્તા અને ઉજ્જલ ભુઈયાની બેંચે ઈડી કેસોના ડેટા પર સંસદમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપેલા નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું, 'તમારે કાર્યવાહી અને પુરાવાની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. એ તમામ કેસોમાં જ્યાં તમે સંતુષ્ટ છો કે પ્રથમદર્શી કેસ કરવામાં આવ્યો છે, તમારે તે કેસોને કોર્ટમાં સાબિત કરવાની જરૂર છે. ૧૦ વર્ષમાં નોંધાયેલા ૫૦૦૦ કેસમાંથી માત્ર ૪૦ કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ તમારી તપાસ પર સવાલો ઉભા કરે છે.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છત્તીસગઢના ઉદ્યોગપતિ સુનીલ કુમાર અગ્રવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણીઓ કરી હતી. કોલસા પરિવહન પર ગેરકાયદે વસૂલાત સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુનીલની ધરપકડ કરવામાં આવી હતી. બેન્ચે ઈડી તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુને કહ્યું, 'આ કેસમાં તમે કેટલાક સાક્ષીઓના નિવેદનો અને એફિડેવિટની મદદ લઈ રહ્યા છો. આ પ્રકારના મૌખિક પુરાવા, આવતીકાલે તે વ્યક્તિ તેને વળગી રહેશે કે નહીં તે ભગવાન જાણે. તમારે કેટલાક નક્કર પુરાવા આધારિત તપાસ કરવી જોઈએ.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી કેવી કામગીરી કરી રહી છે તેનો એક અંદાજ કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં આપેલા આંકડાઓમાં પણ જોવા મળે છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, EDએ છેલ્લા ૧૦ વર્ષમાં  PMLA(પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ ૫,૨૯૭ કેસ નોંધ્યા છે. છેલ્લાં છ વર્ષમાં વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો, ધારાસભ્યો અને રાજકીય નેતાઓ સામે કુલ ૧૩૨ મની લોન્ડરિંગના કેસ નોંધાયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/79-percent-of-the-judges-appointed-to-the-High-Court-in-the-last-5-years-are-from-caste-SC-2.8-percent,-ST-1.3-percent,-Minorities-only-2-percent"><span style="font-size: 14pt;">છેલ્લાં 5 વર્ષમાં હાઈકોર્ટોમાં નિયુક્ત થયેલા 79 ટકા જજો સવર્ણ જાતિના; SC 2.8 ટકા, ST 1.3 ટકા, લઘુમતિ ફક્ત 2 ટકા!</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક પ્રશ્નના જવાબમાં નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે PMLA હેઠળ ૨૦૧૯માં ૧૮૮, ૨૦૨૦માં ૭૦૮, ૨૦૨૧માં ૧,૧૬૬, ૨૦૨૨માં ૧,૦૭૪, ૨૦૨૩માં ૯૩૪ અને આ વર્ષે અત્યાર સુધીમાં ૩૯૭ કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે ૨૦૧૪માં ૧૯૫, ૨૦૧૫માં ૧૪૮, ૨૦૧૬માં ૧૭૦, ૨૦૧૭માં ૧૭૧ અને ૨૦૧૮માં ૧૪૬ કેસ નોંધાયા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિત્યાનંદે કહ્યું કે ૨૦૧૬થી પીએમએલએ હેઠળ ૧૪૦ આરોપીઓ હાલમાં જેલમાં છે. બીજી તરફ સીબીઆઇએ ૨૦ લાખની લાંચ લેવાના આરોપમાં EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટરની ધરપકડ કરી છે. આરોપી ઈડી અધિકારી સંદીપ સિંહે મુંબઈના એક ઝવેરી પાસેથી તેના પુત્રની ધરપકડ ન કરવા માટે ૨૦ લાખ રૂપિયાની લાંચ લીધી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઝવેરી વિપુલ ઠક્કરે નોંધાવેલી ફરિયાદ પછી એજન્સીની મુંબઈ શાખાની એક ટીમે છટકું ગોઠવ્યું અને બુધવારે ૭ ઓગસ્ટે દિલ્હીમાં કથિત રીતે લાંચની રકમ સ્વીકારતી વખતે અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. ઈડીએ આ મામલામાં અધિકારી વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એજન્સીએ જણાવ્યું હતું કે, 'આ ઘટનાની તાત્કાલિક નોંધ લેતા અને ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિને અનુસરીને, ઈડીએ સંદીપ સિંહ સામે PMLA હેઠળ ફોજદારી કાર્યવાહી શરૂ કરી છે. તેની ગુનાહિત પ્રવૃત્તિઓના પુરાવા એકત્ર કરવા માટે અધિકારીના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમની ઓફિસની CBI અને ED દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી હતી.' ઈડીએ કહ્યું કે PMLA કેસ ઉપરાંત તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવા અને EDમાંથી તેના મૂળ વિભાગમાં પરત મોકલવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/2471-crores-given-to-bjp-by-41-companies-facing-ed-and-cbi-probe"><span style="font-size: 14pt;">ED અને CBI તપાસનો સામનો કરી રહેલી 41 કંપનીઓએ ભાજપને આપ્યા 2471 કરોડ</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 11 Aug 2024 13:32:50 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1056</Articleid>
                    <excerpt>કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી તેની ભેદભાવપૂર્ણ કામગીરીને લઈને વગોવાઈ ચૂકી છે. સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા છે, એટલું જ નહીં ઈડીનો જ અધિકારી લાંચ લેતા ઝડપાયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b86f9d55137.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b86f9d2305f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b86f9d2305f.jpg" length="75652" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>કેવી રીતે ભણશે ગુજરાત? મહેસાણા જિલ્લામાં 10 શિક્ષકો સતત ગેરહાજર</title>
                    <link>https://khabarantar.com/how-will-gujarat-learn-10-teachers-continuously-absent-in-mehsana-district</link>
                    <guid>https://khabarantar.com/how-will-gujarat-learn-10-teachers-continuously-absent-in-mehsana-district</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતનું સરકારી શિક્ષણ સાવ રામભરોસે ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ છે. દાંતા, નડિયાદની ઘટના બાદ એકલા મહેસાણા જિલ્લામાં 10 શિક્ષકો ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત મોડેલ આમ તો દરેક મામલે દેશમાં અગ્રેસર દેખાય છે. પણ સહેજ ઉંડા ઉતરતા જ તેની અસલિયત સામે આવી જાય છે. હાલમાં ગુજરાતનાં શિક્ષણ વિભાગની આવી જ ગોલમાલ સામે આવી છે. જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર રહેતા હોવાની વિગતો સામે આવી છે. એટલું જ નહીં, આવા શિક્ષકો દિવસો કે સપ્તાહો નહીં, પરંતુ મહિનાઓ અને વર્ષોથી શાળામાં આવતા ન હોવાની ફરિયાદો સામે આવી છે. જેમાં ત્રણ શાળાના શિક્ષકો સરકારી ચોપડે નોકરી બજાવે છે. જ્યારે હકીકતમાં તેઓ કેનેડા અને અમેરિકામાં વસવાટ કરી રહ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. તો મહેસાણા જિલ્લામાં કડીની એક શાળાની બે શિક્ષિકા સહિત જિલ્લાના 10 શિક્ષકો મહિનાઓ અને વર્ષોથી શાળાએ આવતા ન હોવાનું સામે આવ્યું છે. જ્યારે ખેડાના કપડવંજમાં એક શિક્ષકે તો હદ કરી નાખી છે, તે પોતાના બદલે ડમી શિક્ષકને ભણાવવા મોકલતો હતો. ત્યારે આવા શિક્ષકો સામે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં નબળા શિક્ષણ તંત્રના કારણે શિક્ષણ વ્યવસ્થા સાવ ખાડે ગઈ હોવાનો મોટો પુરાવો સામે આવ્યો છે. ગુજરાતની સરકારી શાળાઓમાં નોકરી કરતાં શિક્ષકો પરદેશમાં વસવાટ કરતાં હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કેનેડા અને અમેરિકામાં વસવાટ કરતાં શિક્ષકોની રાજ્યની હાથજ, વાવ અને દાંતાની સકારી શાળામાં નોકરી ચાલુ બોલી રહી છે. જ્યારે ખેડાના કપડવંજમાં તો એક શિક્ષક પોતાના બદલે ડમીને ભણાવવા મોકલતો હોવાની વિગતો સામે આવી છે. તો મહેસાણા જિલ્લામાં કડીની એક શાળાની બે શિક્ષિકાઓ સહિત જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 10 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોવાનું સામે આવતા ભારે ચકચાર ઉઠવા પામી છે. ત્યારે આવા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા માટેની માંગણી ઉઠવા પામી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે જાણવા મળતી વિગતો મુજબ બનાસકાંઠાના દાંતા પ્રાથમિક શાળાની શિક્ષિકા અમેરિકામાં સ્થાયી થયા હોવા છતાં તેણીને સરકારી પગાર મળી રહ્યો હોવાની વિગતો સામે આવી છે. ત્યાર બાદ બનાસકાંઠામાં વધુ એક વિદેશમાં સ્થાયી થયેલા શિક્ષકનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાવના ઊંચપાના શિક્ષક કેનેડા સ્થાયી થઈ ગયા છે. એક વર્ષથી આ માસ્તર સાહેબે શાળામાં પગ પણ નથી મૂક્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Why-does-the-dog-of-Dhedh-spoil-the-fathers-dog-So-it-exploded">ઢેઢનું કૂતરું બાપુના કૂતરાને રંજાડી જાય ઈ કેમ પાલવે? એટલે ભડાકે દીધું</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવો જ અન્ય એક કિસ્સો ખેડા જિલ્લાની શિક્ષિકાનો સામે આવ્યો છે. જેમાં ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના હાથજ પ્રાથમિક શાળાના સોનલ  પરમાર નામની શિક્ષિકા એક વર્ષથી વિદેશ જતા રહ્યા છે. સોનલ પરમાર તા. 1/9/2023 થી શાળામાં સતત ગેરહાજર છે. શાળાના મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરતા તેણીની ગેરહાજરી પુરાય છે. તેણીએ અમેરિકા જતાં અગાઉ શિક્ષણ વિભાગ પાસેથી એનઓસી પણ લીધું નથી. આ મામલો સામે આવતા શિક્ષણ વિભાગ દ્વારા સોનલ પરમારને એનઓસી ન લીધી હોવાથી કારણ દર્શક નોટિસ ફટકારાઈ છે. શિક્ષિકાની નોટિસમાં ફરજ ભંગનો ઉલ્લેખ કરાયો છે. જો કે, શિક્ષિકા સોનલ પરમાર દ્વારા હજુ સુધી નોટિસનો જબાવ અપાયો નથી. હાથજ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ની સ્કૂલમાં 564 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મહેસાણા જિલ્લામાં 10 શિક્ષકો સતત ગેરહાજર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યમાં સરકારી શાળાઓમાં સતત ગેર હાજર રહેતા શિક્ષકોની તપાસ જરૂરી છે. મહેસાણા જિલ્લામાં જ 10 શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાની માહિતી મળી છે. જેમાં જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં 10 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે. જેમાં કડી, જોટાણા, વિજાપુર, મહેસાણા, વડનગર તાલુકામાં 10 શિક્ષકો સતત ગેરહાજર છે. કેટલાક શિક્ષકો શારીરિક રીતે અશક્ત છે, તો કેટલાક વિદેશ જતા રહ્યા હોવાની માહિતી મળી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Why-is-Mata-Savitribai-Phule-not-taught-in-our-schools"><span style="font-size: 14pt;">આપણી શાળાઓમાં માતા સાવિત્રીબાઈ ફૂલેનો પાઠ કેમ ભણાવાતો નથી?</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગેરહાજર રહેતા શિક્ષકો પૈકીનાં કોઈક વર્ષ 2017થી ગેરહાજર છે તો કોઈક કેટલાક મહિનાઓથી ગેરહાજર છે. આ ગેરહાજર રહેતા કેટલાક શિક્ષકોને નોટિસ આપી હોવા છતાં તેઓ શાળાએ હાજર થતાં નથી. શિક્ષકોની ગેરહાજરીના લીધે બાળકોના અભ્યાસ ઉપર અસર પડે છે. આવા ગેરહાજર રહેતા શિક્ષકોને પાણીચું આપીને તેમના સ્થાને નવા શિક્ષકો મૂકવામાં આવે તેવી માંગણી કરાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કડીના રણછોડપૂરાની બે શિક્ષિકાઓ મહિનાઓથી ગેરહાજર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેસાણાના કડીના રણછોડપુરા પ્રા. શાળાની કવિતા દાસ નામની શિક્ષિકા તા. 31-8-2023થી વિદેશ પ્રવાસે ગયાની માહિતી છે. આ મામલે ઉચ્ચતર કચેરીને જાણ કરાઇ હોવાની માહિતી મળી છે. શિક્ષિકા વિદેશ પ્રવાસ ગયા હોવાથી વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે. ત્યારે આ જ શાળાની અન્ય એક શિક્ષિકા આશા પટેલ પણ ગત તા. 12-09-2023થી શાળાએ આવતાં નથી. જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં તકલીફ પડી રહી છે. જેના કારણે ગામના સરપંચ દ્વારા શિક્ષિકાને બદલવા માંગ કરી છે. શિક્ષણ તંત્ર આ શિક્ષિકાને બોલાવી ન શકે તો તેમના સ્થાને નવા શિક્ષકની નિમણૂક કરે તેવી માંગણી કરાઇ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આટલી શાળાના શિક્ષકો મહિનાઓથી ગેરહાજર છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1) આશા કે. પટેલ ખદલપુર પ્રા. શાળા, જોટાણા 8-2-2023 મગજની બીમારી</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2) પાયલ ભિખા રાવલ જેતપુર પ્રા. શાળા, બેચરાજી 28.11.2022 થી 1.7.2024 સુધી વિદેશ</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">3) રમીલા હીરા પટેલ ટીંબા પે કેન્દ્ર શાળા, સતલાસણા 1.12.2023 થી 1.7.2024 આજ સુધી અંગત કારણસર</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">4) જીજ્ઞા કાલિદાસ પટેલ વિજાપુર કુમાર શાળા-1, વિજાપુર 16.4.2024 થી આજ દિન સુધી વિદેશ ગયા</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">5) નીલીબેન પિયુષ વિહોલા પંથોડા પ્રાથમિક શાળા, કડી 12.8.2022 થી આજ દિન.સુધી શારીરિક અશકત</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">6) આશા નટવર પટેલ રણછોડપુરા શાળા, કડી 12.9.2023 થી આજ દિન સુધી બહાર હોવાથી</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">7) કવિતા ધનજી દાસ રણછોડપુરા શાળા, કડી 31.8.2023 થી આજ દિન સુધી વિદેશ પ્રવાસ</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">8) નિલેશ અમરત મિસ્ત્રી રાજપુર વડ પ્રા. શાળા, વડનગર 17.2.2017થી આજ દિન સુધી અકસ્માત થવાથી</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">9) ધરતી બાબુલાલ ગજ્જર શોભાસણ પ્રા. શાળા, મહેસાણા 19.6.2020 થી આજ દિન સુધી સ્વૈચ્છિક નિવૃત્તિ</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">10) મીના શંભુભાઈ પટેલ મહેસાણા શાળા નં. 3, મહેસાણા 13.9.2023 થી આજ દિન સુધી વિદેશ ગયા</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાસકાંઠાની દાંતા પ્રાથમિક શાળાની શિક્ષિકા અમેરિકા સ્થાયી થયા હોવા છતાં તેમને સરકારી પગાર મળી રહ્યો છે. તે મામલે નવસારી ખાતે વન મહોત્સવમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં શિક્ષણ રાજ્ય મંત્રી પાનશેરિયાએ જણાવ્યું હતું કે, દાંતાના શિક્ષિકા અમેરિકા ગયા તે અગાઉ તેમણે રિપોર્ટ કર્યો હતો. જ્યારથી તેઓ અમેરિકા ગયા છે ત્યારથી તેમને એક પણ સરકારી રૂપિયો અપાયો ન હોવાનું શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સાથે જ અગાઉ પણ કંઈ આ પ્રકારનું થયું હશે તો એની તપાસ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. એટલું જ નહીં, જ્યારે રાજ્યમાં ભૂતિયા શિક્ષકો મુદ્દે પણ સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તપાસ કરાશે અને એવું કંઈક જણાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/one-lakh-thirty-two-thosand-students-of-gujarat-were-deprived-of-admission-in-rte"><span style="font-size: 14pt;">RTEમાં ગુજરાતના ૧.૩૨ લાખ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યાં</span></a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 10 Aug 2024 20:09:51 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 11 Aug 2024 09:41:01 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1053</Articleid>
                    <excerpt>ગુજરાતનું સરકારી શિક્ષણ સાવ રામભરોસે ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ છે. દાંતા, નડિયાદની ઘટના બાદ એકલા મહેસાણા જિલ્લામાં 10 શિક્ષકો ગેરહાજર હોવાનું સામે આવ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b77aefcb351.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b77aef9bb1d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b77aef9bb1d.jpg" length="85367" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>નડિયાદની હાથજ શાળાની શિક્ષિકા વગર NOCએ એક વર્ષથી વિદેશમાં</title>
                    <link>https://khabarantar.com/nadiads-school-teacher-abroad-without-noc-for-a-year</link>
                    <guid>https://khabarantar.com/nadiads-school-teacher-abroad-without-noc-for-a-year</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં સરકારી શાળાઓમાં કેવી લોલમલોલ ચાલે છે તેનો વધુ એક કિસ્સો વાંચો. એક શિક્ષિકા છેલ્લાં 1 વર્ષથી વિદેશમાં છે અને અહીં બાળકોનું શિક્ષણ દાવ પર છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં સરકારી શિક્ષણ કેવું ખાડે ગયું છે તેની ચર્ચા હવે જૂની થઈ ગઈ. હવે તો સરકારી શિક્ષકો કેવી રીતે ચાલુ નોકરીએ મહિનાઓ, વર્ષો સુધી વિદેશોમાં ફરી આવે છે તેના કિસ્સાઓ એક પછી એક સામે આવતા જઈ રહ્યાં છે. ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની પાંછા પ્રાથમિક શાળાની એક શિક્ષિકા 8 વર્ષથી વિદેશમાં સ્થાયી થઈ ચૂકી હોવા છતાં અહીં પગાર ખાતી હોવાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં હોબાળો મચાવી દીધો હતો. આ મામલે શિક્ષણ વિભાગ બધું જાણતો હોવા છતાં આંખ આડા કાન કરતો હોવાથી લોકોમાં વધુ રોષ ફેલાયો હતો. એક બાજુ રાજ્યની સરકારી શાળાઓમાં આમ પણ શિક્ષકોની ઘટ છે, ત્યાં જે શિક્ષકો ઉપલબ્ધ છે તેઓ લાંબી રજાઓ મૂકીને અથવા તો જાતભાતના બહાનાઓ કાઢીને કામચોરી કરતા હોવાની ઘટનાઓ સામે આવતા વાલીઓમાં વધુ રોષ ફેલાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દાંતાની ઘટનાની ચર્ચા હજુ શમી નથી ત્યાં આવી જ એક ઘટના ખેડા જિલ્લામાંથી સામે આવી છે. જ્યાં એક શિક્ષિકા છેલ્લાં 11 મહિનાથી વગર એનઓસીએ વિદેશ રહેવા જતી રહી છે. જેના કારણે અનેક બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના નડિયાદ તાલુકાના હાથેજ ગામની પ્રાથમિક શાળાની છે. જ્યાં એક શિક્ષિકા વગર એનઓસીએ વિદેશમાં છેલ્લા એક વર્ષથી રહેતી હોવાથી વિદ્યાર્થીઓનાં શિક્ષણ પર અસર થતી હોવાની ફરિયાદો ઊઠવા પામી છે. આવો જ બીજો એક બનાવ કપડવંજમાંથી પણ સામે આવ્યો છે. આ બંને ઘટના મુદ્દે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પોતે તપાસ કરી જવાબદાર સામે પગલાં ભરાશે તેમ જણાવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Even-today,-the-young-man-still-remembers-the-pain-of-breaking-his-bicycle-when-he-was-found-by-a-young-soldiers-kettle"><span style="font-size: 14pt;">આજેય એ યુવાન જવાનભાઈની કીટલીએ મળી જાય ત્યારે સાઈકલ તૂટ્યાની વેદનાને સંભારે છે</span></a></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નડિયાદ તાલુકાના હાથજ ગામમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષિકા સોનલ પરમાર છેલ્લાં 11 માસથી સતત શાળામાં ગેરહાજર છે. તેઓ પરદેશ જતા રહ્યાં હોવાનું શાળાના મુખ્ય શિક્ષક જણાવી રહ્યાં છે. ડીપીઈઓ દ્વારા મળતી માહિતી મુજબ ‌ડીપીઈઓ કક્ષાએથી તપાસ કરવામાં આવતા તેઓ 1 સપ્ટેમ્બર 2023થી સતત શાળામાં ગેરહાજર છે. આ મામલે ડીપીઈઓ દ્વારા કારણદર્શક નોટિસ પણ ઇશ્યૂ કરેલ છે. જેમાં જણાવાયું છે કે, 1/9/2023થી શિક્ષિકા સોનલબેન ગેરહાજર છે. તેઓ અમેરિકા જતાં પહેલાં શિક્ષણ વિભાગ પાસેથી એનઓસી પણ લીધું નથી. જોકે આ શિક્ષિકાને ગેરહાજર ગણીને તેનો પગાર થતો ન હોવાનું ડીપીઈઓએ જણાવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ શિક્ષકા વિદેશ હોવાની માહિતી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે છે. તેમણે આ મુદ્દે શિક્ષિકાને નોટિસ પણ આપી છે. જો આવનાર સમયમાં શિક્ષિકા તરફથી કોઈ ખુલાસો નહીં આવે તો તેમને ટર્મિનેટ કરવામાં આવશે તેવું પ્રાથમિક શિક્ષણાધિકારી પી.આર‌. વાઘેલાએ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અગાઉ પણ આ રીતે ત્રણ શિક્ષકોને ટર્મીનેટ પણ કર્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તો બીજી તરફ કપડવંજ તાલુકાના માલઈટાડી તાબે વાટા શિવપુરા પ્રાથમિક શાળામાં ડમી શિક્ષકની ચર્ચાઓ વહેતી થઇ છે. આ મામલે પુછતા શિક્ષણાધિકારીએ કહ્યું કે, બાબતે તપાસ ચાલુ છે જેમાં આજે અમારી ટીમ તપાસ અર્થે ત્યાં પહોંચી છે. જો એમાં પણ કોઈ જવાબદાર હશે તો તેની સામે પણ કડક પગલાં ભરવામાં આવશે‌‌.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની બેદરકારીને કારણે ૧૧ મહિનાથી એક શિક્ષિકા કોઈપણ જાતની મંજૂરી વિના વિદેશમાં છે, ત્યારે આ બાબતે હજી કડક કાર્યવાહી કરવાને બદલે ખુલાસાની વાત કરીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બચાવની ભૂમિકામાં હોય એવી વાતો ઉઠી રહી છે. ત્યારે શિક્ષિકા સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી એવા સવાલો ઉઠી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-teacher-settled-in-america-for-8-years-still-working-in-a-government-school"><span style="font-size: 14pt;">શિક્ષિકા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી, છતાં સરકારી શાળામાં નોકરી ચાલુ</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 10 Aug 2024 18:29:26 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 11 Aug 2024 09:41:16 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1052</Articleid>
                    <excerpt>ગુજરાતમાં સરકારી શાળાઓમાં કેવી લોલમલોલ ચાલે છે તેનો વધુ એક કિસ્સો વાંચો. એક શિક્ષિકા છેલ્લાં 1 વર્ષથી વિદેશમાં છે અને અહીં બાળકોનું શિક્ષણ દાવ પર છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b763871d72a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b76386e0287.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b76386e0287.jpg" length="91735" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>મંદિરની દાનપેટીમાંથી 18.11 કરોડનું દાન નીકળ્યું, 4 દિવસ ગણતરી ચાલી</title>
                    <link>https://khabarantar.com/a-donation-of-18.11-crores-came-out-of-the-donation-box-of-the-temple-counting-took-4-days</link>
                    <guid>https://khabarantar.com/a-donation-of-18.11-crores-came-out-of-the-donation-box-of-the-temple-counting-took-4-days</guid>
                    <description>
                        <![CDATA[ એક મંદિરની દાન પેટી ખૂલી અને તેમાંથી 18.11 કરોડનું દાન નીકળ્યું છે. સળંગ 4 દિવસ સુધી અનેક લોકોને બેસાડ્યા ત્યારે જતી ગણતરી પુરી થઈ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના એક મંદિરમાં હાલમાં જ દાનપેટી ખૂલી અને તેમાં મળેલી રકમની ગણતરી કરવામાં આવી હતી. અનેક લોકોએ 4 દિવસ સુધી સતત દાનની રકમ ગણી હતી ત્યારે જતો પાર આવ્યો હતો. છેલ્લાં આંકડા મુજબ લોકોએ ભંડારામાં 18.11 કરોડ ઠાલવી દીધાં હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના રાજસ્થાનના ચિત્તોડગઢના પ્રસિદ્ધ કૃષ્ણ ધામ સાંવલિયા શેઠના ભંડારની છે જ્યાં દાનની ગણતરી કરવામાં આવી હતી. જેમાં 4 વખતમાં 18 કરોડ 11 લાખ 39 હજાર 228 રૂપિયા મળ્યાં હોવાનું સામે આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વર્ષે ભક્તોએ દાનપેટીમાં પહેલા કરતા વધુ રૂપિયા ચડાવ્યા હતા. જેમાં અંદાજે 323 કિલોગ્રામ વજનનો ચાંદીના ઝૂલોનો પણ સમાવેશ થાય છે. ગત 3 ઓગસ્ટે રાજભોગ આરતી બાદ સાંવલિયા શેઠની દાનપેટી ખોલવામાં આવી હતી. આ દાનપેટીમાંથી નીકળતી રકમની ગણતરી અત્યાર સુધીમાં 4 તબક્કામાં પૂર્ણ કરવામાં આવી છે. જેમાંથી કુલ 18.11 કરોડનું દાન નીકળ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Not-Ram,-this-god-is-most-worshiped-in-India,-survey-report-revealed"><span style="font-size: 14pt;">રામ નહીં, ભારતમાં આ દેવની સૌથી વધુ પૂજા થાય છે, સર્વે રિપોર્ટમાં થયો ખુલાસો</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66b6250a14775.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચાર તબક્કામાંથી બીજા તબક્કામાં ભક્તો પાસેથી 4 કરોડ 20 લાખ 45 હજાર રૂપિયા પ્રસાદ તરીકે મળ્યા હતા, ત્રીજા તબક્કામાં 3 કરોડ 7 લાખ રૂપિયા મળ્યા હતા. આ સાથે ચોથા તબક્કામાં દાનપેટીમાં બાકી રહેલી રકમ 64 લાખ 41 હજાર રૂપિયા ગણવામાં આવી હતી. આમ ચાર તબક્કામાં ગણતરી થઈ હતી. જેમાં કુલ 14 કરોડ 2 લાખ 86 હજાર રૂપિયાનો પ્રસાદ મળ્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે મંદિરના દાન ખંડમાંથી 4 કરોડ 8 લાખ 53 હજાર 228 રૂપિયા ઓનલાઈન મળ્યા હતા. દાનપેટીમાંથી સોના-ચાંદીની ગણતરી કરતાં 35 કિલો ચાંદી અને 565 ગ્રામ સોનાનો પ્રસાદ મળી આવ્યો હતો. ઉપરાંત 323 કિલોનો ચાંદીનો ઝૂલો પણ દાનમાં મળ્યો છે. આ સિવાય 22 કિલો સોનું પણ મળી આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રથમ તબક્કાથી જ મંદિરનું તંત્ર દાનની ગણતરીમાં સતત વ્યસ્ત રહ્યું હતું. તેના પહેલા અને બીજા તબક્કામાં રૂ.500 અને રૂ.200 જેવી મોટી નોટોની ગણતરી કરવામાં આવી હતી. ત્યાર બાદ 100, 50, 20 અને 10 રૂપિયાની નાની નોટો ગણાઈ હતી. છેલ્લે, દાન પેટીમાંથી નીકળેલા નાના સિક્કાઓની ગણતરી કરવામાં આવે છે. જે 10 થી 12 લાખ રૂપિયા આસપાસ હોય છે. મંદિરની આ દાનપેટી મહિનામાં એકવાર ખોલવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-higher-the-level-of-insecurity-among-the-people-the-more-the-business-of-baba-shines"><span style="font-size: 14pt;">લોકોમાં અસુરક્ષાનો ભાવ જેટલો વધારે, એટલો બાબાઓનો ધંધો ચમકે</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66b625097ad39.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેને ચોથના દિવસે ખોલવામાં આવે છે અને પછી અમાસનો મેળો શરૂ થઈ જાય છે. હોળી પર તે દોઢ મહિને અને દિવાળી પર બે મહિને ખોલવામાં આવે છે. સાંવલિયા શેઠ મંદિરમાં અનેક એનઆરઆઈ ભક્તો આવે છે, જે તેમની આવકનો અમુક હિસ્સો અહીં દાનપેટીમાં નાખે છે. એટલે તેની દાનપેટીમાંથી ડોલર, પાઉન્ડ, દિનાર, રિયોલ વગેરે વિદેશી નાણું પણ નીકળે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મંદિરની ખ્યાતિ એટલી છે કે, દેશભરમાંથી લોકો અહીં દાન ચડાવવા આવે છે. કેટલાક લોકો વળી ભગવાનને તેમના ધંધામાં પાર્ટનર બનાવે છે અને ભાગીદાર તરીકે નક્કી કરેલી રકમ અહીંની દાનપેટીમાં નાખે છે. મોટાભાગે ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને મધ્યપ્રદેશના ભક્તો અહીં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/at-Somnath-the-local-brahmins-went-on-a-fast-while-worshiping-outside-brahmins"><span style="font-size: 14pt;">સોમનાથમાં બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવાતા સ્થાનિક બ્રાહ્મણો ઉપવાસ પર ઉતર્યા</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 09 Aug 2024 19:54:35 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1048</Articleid>
                    <excerpt>એક મંદિરની દાન પેટી ખૂલી અને તેમાંથી 18.11 કરોડનું દાન નીકળ્યું છે. સળંગ 4 દિવસ સુધી અનેક લોકોને બેસાડ્યા ત્યારે જતી ગણતરી પુરી થઈ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b6250ad0541.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b6250a97916.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b6250a97916.jpg" length="142338" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>શિક્ષિકા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી, છતાં સરકારી શાળામાં નોકરી ચાલુ</title>
                    <link>https://khabarantar.com/a-teacher-settled-in-america-for-8-years-still-working-in-a-government-school</link>
                    <guid>https://khabarantar.com/a-teacher-settled-in-america-for-8-years-still-working-in-a-government-school</guid>
                    <description>
                        <![CDATA[ સરકારી તંત્રમાં કઈ હદે ભ્રષ્ટાચાર અને બેદરકારી ચાલે છે તેનો આ ઉત્તમ નમૂનો છે. એક શિક્ષિકા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી છે, છતાં સરકારી શાળામાં તેમની નોકરી ચાલું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં સરકારી તંત્રમાં કઈ હદે બેદરકારીઓ ચાલે છે તેના ઉદાહરણો શોધવા જવા પડે તેમ નથી. દરેક ક્ષેત્રમાં નર્યો ભ્રષ્ટાચાર, ખાનગીકરણનો સડો પેસી ગયો છે. સામાન્ય અમથા કામમાં પણ ગરીબ માણસે રૂપિયા દેવા પડે છે. મલાઈ કોન્ટ્રાક્ટરો ખાય છે અને તેની કિંમત આ દેશનો સામાન્ય માણસ પોતાની આવકમાંથી ટેક્સ ચૂકવીને ભરપાઈ કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં સરકારે શિક્ષણનું ખાનગીકરણ કરીને તેની ઘોર ખોદી નાખી છે. એક પછી એક સરકારી શાળાઓ બંધ કરવા માંડી છે, જેના કારણે ગરીબો પણ દેવું કરીને નાછુટકે પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં મોકલવા મજબૂર બન્યાં છે. જે થોડીઘણી સરકારી શાળાઓ બચી છે તેમાં પુરતા શિક્ષકો નથી, સુવિધાઓનો અભાવ છે અને શિક્ષકો બેદરકાર છે. કોઈ લાગવગથી ઘૂસી ગયા છે. આ બધી બદ્દીઓ વચ્ચે મરો તો બિચારા વિદ્યાર્થીઓનો થાય છે. કેમ કે, ભવિષ્ય તો તેમનું બગડી રહ્યું છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક શિક્ષક થોડા દિવસ રજા પાડે તો ચાલે, પણ અહીં આપણે જે ઘટનાની વાત કરવા જઈ રહ્યાં છીએ ત્યાં તો એક શિક્ષિકા છેલ્લાં આઠ-આઠ વર્ષથી અમેરિકા સ્થાયી થઈ ચૂક્યાં છે અને તેમ છતાં તેમનું નામ સરકારી ચોપડે એક સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ પર બોલે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના આદિવાસી બહુમતી ધરાવતા બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની છે. અહીં પાંછા ગામની પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા છેલ્લાં 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા છે, તેમ છતાં શાળામાં ફરજ પર બતાવે છે. જેના કારણે અહીં ભણતા અનેક બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, શિક્ષણ વિભાગ આ મામલે બધું જાણતો હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરી રહ્યો નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/even-after-spending-crores-on-skill-india-83-percent-youth-are-unemployed-in-the-country"><span style="font-size: 14pt;">Skill India પાછળ કરોડો ખર્ચ્યા બાદ પણ દેશમાં 83 ટકા યુવાનો બેરોજગાર</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી વિગતો પ્રમાણે દાંતા તાલુકાની પાંછા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ભાવના પટેલ છેલ્લાં 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી થઈ ચૂક્યાં છે, તેમ છતાં હજુ પણ તેમની ફરજ આ શાળામાં ચાલુ બોલે છે. શિક્ષિકા ન તો રાજીનામું આપી રહ્યાં છે, ન ફરજ પર હાજર થઈ રહ્યાં છે. જેના કારણે અહીં ભણતા અનેક બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. આટલી ગંભીર બેદરકારી વિશે શાળા દ્વારા શિક્ષણ વિભાગને એકથી વધુ વાર લેખિતમાં જાણ કરવામાં આવી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે શિક્ષણ વિભાગની નિષ્ઠા પર સવાલો ઉભા થઈ રહ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાંછા પ્રાથમિક શાળાના ઈન્ચાર્જ આચાર્ય પારૂલ મહેતા કહે છે કે, શિક્ષિકા ભાવના પટેલની આ ગંભીર બેદરકારી મુદ્દે શિક્ષણમંત્રી અને જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે બાળકોનો અભ્યાસ અને ભવિષ્ય બગડી રહ્યું છે. અમે અનેકવાર રજૂઆત કરી છે તેમ છતાં હજુ સુધી શિક્ષિકા ભાવના પટેલ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/This-Bahujan-youth-who-used-to-wire-the-house-at-one-time-has-clients-like-IIM-A,-AMUL,-Indian-Railway"><span style="font-size: 14pt;">એક સમયે ઘરનું વાયરીંગ કરતા આ બહુજન યુવક પાસે આજે IIM-A, AMUL, Indian Railway જેવા ક્લાયન્ટ્સ છે!</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી વિનુ પટેલનો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, શિક્ષિકા ભાવના પટેલ છેલ્લાં 8  વર્ષથી વિદેશમાં સ્થાયી થઈ ચૂક્યા છે અને છેલ્લાં 8 મહિનાથી સળંગ ગેરહાજર છે. અમે તેમને નોટિસ આપી છે પણ હજુ સુધી તેમના તરફથી કોઈ જવાબ આવ્યો નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં શિક્ષણ વિભાગની કામગીરીને લઈને અનેક સવાલો પેદા થઈ રહ્યાં છે. જેમ કે, આટલી મોટી ભૂલ હોવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? છેલ્લા આઠ વર્ષથી શિક્ષિકા વિદેશમાં છે તો બાળકોને કોણ ભણાવી રહ્યું છે? શિક્ષક હાજર નથી તો પગાર કેમ અને ક્યાં જમા થાય છે? આઠ વર્ષ બાદ પણ કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષણાધિકારી કહે છે કે, શિક્ષિકા 8 મહિનાથી સળંગ ગેરહારજર છે તેમને નોટિસ આપવામાં આવી છે અને ગેરહાજરીને પગાર ચૂકવવામાં આવ્યો નથી, પરંતુ હકીકતે શિક્ષિકા આઠ મહિનાથી નહીં પરંતુ આઠ વર્ષથી ગેરહાજર છે. એવામાં માત્ર આઠ મહિના પહેલા જ તેમને કેમ નોટિસ અપાઈ? આગળના 7 વર્ષ અને ચાર મહિના શિક્ષણ વિભાગ શું કરતો હતો? આખરે આટલી મોટી બેદરકારી કેવી રીતે થઈ? </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાળકોને તેમના માતાપિતા ભણવા માટે મોકલતા હોય છે, પરંતુ અહીં તો શિક્ષિકા વિદેશમાં રહેવાનો પગાર લઈ રહ્યા છે. આખરે બાળકો કોના ભરોસે ભણી રહ્યા હતા? જો અત્યારે વિગતો સામે ના આવી હોત તો હજુ પણ આ છબરડો યથાવત જ રહ્યો હોત. હવે જ્યારે આખો મામલો સામે આવી જ ગયો છે ત્યારે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ શું કાર્યવાહી કરે છે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/bjp-rss-promotes-education-mafia-kharge"><span style="font-size: 14pt;">ભાજપ-RSS શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહન આપે છે: ખડગે</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 09 Aug 2024 12:45:43 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1046</Articleid>
                    <excerpt>સરકારી તંત્રમાં કઈ હદે ભ્રષ્ટાચાર અને બેદરકારી ચાલે છે તેનો આ ઉત્તમ નમૂનો છે. એક શિક્ષિકા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી છે, છતાં સરકારી શાળામાં તેમની નોકરી ચાલું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b5bf75edc57.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b5bf75bcceb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b5bf75bcceb.jpg" length="68187" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાત કેડરના 5 IAS અધિકારીઓની વિકલાંગતાની ફેરચકાસણી થશે</title>
                    <link>https://khabarantar.com/disability-re-verification-of-5-ias-officers-of-gujarat-cadre-will-be-done</link>
                    <guid>https://khabarantar.com/disability-re-verification-of-5-ias-officers-of-gujarat-cadre-will-be-done</guid>
                    <description>
                        <![CDATA[ પૂજા ખેડેકરના વિવાદિત કિસ્સા બાદ ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગે રાજ્યના 5 આઇએએસ અધિકારીઓની ફરીથી તબીબી તપાસ કરાવવાનું નક્કી કર્યું છે. વાંચો કોણ છે આ અધિકારીઓ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રની તાલીમી સનદી અધિકારી પૂજા ખેડકરના શારીરિક વિકલાંગતાના બોગસ પ્રમાણપત્ર બાદ યુપીએસસી દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. એટલું જ નહીં યુપીએસસી દ્વારા આવા વિકલાંગતાના પ્રમાણપત્રથી દેશના તમામ ખૂણામાં ફરજ બજાવતા સનદી અધિકારીઓની સામે તપાસનાં આદેશો કરાયા છે. જેના અંતર્ગત ગુજરાતમાં પણ ગીર સોમનાથના ડીડીઓ સ્નેહલ ભાપકર સહિતના 7 જેટલા સનદી (આઇએએસ) અધિકારી શંકાના પરિઘમાં આવ્યા હતા. જો કે, તેમાંથી બે અધિકારીને ખરેખર વિકલાંગતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના અન્ય 5 સનદી અધિકારીની દિવ્યાંગતાની ચકાસણી માટે ફરીથી તબીબી તપાસ કરાવાશે તેવી વિગતો સામે આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશની અગ્રિમ ગણાતી એવી સનદી સેવામાં બોગસ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આપીને વિકલાંગ ક્વોટામાં આઈએએસની નોકરી મેળવનાર મહારાષ્ટ્રની પૂજા ખેડકરના વિવાદ બાદ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) હરકતમાં આવ્યું છે. આ ઘટના બાદ યુપીએસસી દ્વારા દેશમાં કોઈ પણ સ્થળે ફરજ બજાવતા તમામ વિકલાંગ સનદી (આઈએએસ) અધિકારીઓની ફરીથી તબીબી તપાસ (મેડિકલ ટેસ્ટ) કરીને વિકલાંગતાનું નવું સર્ટિફિકેટ રજૂ કરવા માટેના આદેશ કરાયો છે. બોગસ વિકલાંગતાનું પ્રમાણપત્ર આપીને આઈએએસ બનનાર મહારાષ્ટ્રની પૂજા ખેડકર કાંડ બાદ યુપીએસસી દ્વારા દેશભરમાં આ નવો નિયમ લાગૂ કરાયો છે. જેને પગલે વિકલાંગતાનું પ્રમાણપત્ર રજૂ કરીને આઇએએસ તરીકે ગુજરાત સરકારમાં ફરજ બજાવી રહેલા અધિકારીઓ પણ હાલના સંજોગોમાં શંકા પરિઘમાં આવી ગયા છે. ગુજરાત સરકારમાં આઈએએસ તરીકે ફરજ બજાવી રહેલાં આવા પાંચ સનદી અધિકારીઓએ પણ ફરીથી તબીબી તપાસ કરાવીને વિકલાંગતાનું હાલનું નવું પ્રમાણપત્ર યુપીએસસીમાં રજૂ કરવાના રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રની પૂજા ખેડકરના વિવાદ બાદ ગુજરાત કેડરમાં પણ સાત જેટલા સનદી અધિકારી શંકાના પરિઘમાં આવ્યા હતા. જેમાં મહિલા સનદી અધિકારી સ્નેહલ ભાપકર (વર્ષ 2017 બેચ) ઉપરાંત સિનિયર સનદી અધિકારી અને હાલમાં દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિમાં રહેલા સોનલ મિશ્રા (વર્ષ 1997 બેચ) ઉપરાંત વર્ષ 2006 બેચના રવિ અરોરા, વર્ષ 2007 બેચના સંદીપ સાંગલે, વર્ષ 2013 બેચના મનીષ કુમાર બંસલ, વર્ષ 2020 બેચના જયંત મનકાલે અને વર્ષ 2022 બેચના અમોલ અવાટેનો સમાવેશ થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/obcs-scs-are-given-low-marks-in-job-interviews-apna-dal"><span style="font-size: 14pt;">નોકરીના ઈન્ટરવ્યૂમાં OBC, SC ને ઓછા માર્ક્સ અપાય છે: અપના દળ</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, સૂત્રોના જણાવ્યા મુજબ આ સાત સનદી અધિકારી પૈકીનાં બે સનદી અધિકારી રવિ અરોરા અને જયંત મનકાલેની આંખ સંબંધી વિકલાંગતા સાચી જણાઈ છે. ત્યારે બાકી રહેલા પાંચ સનદી અધિકારીને પોતાની શારીરિક વિકલાંગતા (દિવ્યાંગતા) માટે આગામી દિવસોમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસણી કરાવવાના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આદેશો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રવિ અરોરાએ અદાલતમાં કેસ જીતીને પસંદગી મેળવી હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત કેડરના વર્ષ 2006ની બેચના સનદી અધિકારી રવિ અરોરાએ દિવ્યાંગતાના ક્વોટામાં યુપીએસસીમાં પસંદગી મેળવી હતી. રવિ અરોરાને આંખ સંલગ્ન વિકલાંગતા છે. જેના કારણે યુપીએસસીએ પરીક્ષા દરમિયાન દિવ્યાંગતાના ક્વોટામાં રવિ અરોરાને નાપસંદ (રિજેક્ટ) કર્યા હતા. જો કે, રવિ અરોરાએ અદાલતના દ્વારા ખટખટાવ્યા હતા. અદાલતમાં કેસ જીતીને રવિ અરોરા આઇએએસ કેડરમાં પસંદગી પામ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સ્નેહલ ભાપકરે મૂક બધિર શ્રેણીનું પ્રમાણપત્ર મેળવ્યું છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિવ્યાંગતાના પ્રમાણપત્રના આધારે યુપીએસસીમાં આઇએએસ કેડરમાં પસંદગી પામનાર ગુજરાતનાં 5 અધિકારીના પ્રમાણપત્રને લઈને ફરીથી તબીબી તપાસના આદેશ કરાયા છે. ત્યારે મહિલા સનદી અધિકારી અને ગીર સોમનાથના ડીડીઓ સ્નેહલ ભાપકરના મૂક બધિર શ્રેણીના પ્રમાણપત્ર અંગે પણ ફરીથી તબીબી તપાસ કરાવવામાં આવશે. વર્ષ 2017માં સ્નેહલ ભાપકરે યુપીએસસીની પરીક્ષામાં પાસ કરી હતી. વર્ષ 2017ની યુપીએસસીની સિવિલ સર્વિસીસની પરીક્ષામાં પાસ થયેલા કુલ 990 ઉમેદવારમાંથી પ્રથમ 93ને આઇએએસ કેડર મળી હતી તેમ કહી શકાય. જેમાં અનામત કેટેગરીના ઉમેદવાર પણ આવી જાય છે. કુમારી સ્નેહલ ભાપકર જનરલ કેટેગરીમાં આવે છે અને તેમનો રોલ નંબર 0600875 હતો. પરંતુ માત્ર ને માત્ર શારીરિક વિકલાંગતા (પીએચ)કેટેગરીમાં હોવાને કારણે તેમને આઇએએસ કેડર મળી હતી. યુપીએસસીની સત્તાવાર યાદી મુજબ આ પરીક્ષામાં લગભગ 10 લાખ લોકોએ પરીક્ષા આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ક્યાં પાંચ સનદી અધિકારીએ તપાસ કરાવવી પડશે? </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરાયેલા આદેશ મુજબ જેમણે શારીરિક દિવ્યાંગતાનું પ્રમાણપત્ર રજૂ કરીને શારીરિક વિકલાંગતાના ક્વોટામાં નોકરી મેળવી છે. તેમના પ્રમાણપત્રની ખરાઈ કરાવવા માટે ફરીથી તબીબી તપાસણીના આદેશ કરાયા છે. જેમાં જેમણે ફરીથી તબીબી તપાસ કરાવવી પડશે તેમાં સોનલ મિશ્રા, સ્નેહલ ભાપકર, સંદીપ સાંગલે, મનીષ કુમાર બંસલ અને અમોલ અવાટેનો સમાવેશ થાય છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણે-કોણે તબીબી તપાસ કરાવવી પડશે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રોના જણાવ્યાનુસાર, રાજ્યમાં તમામ આઈએએસ, આઈપીએસ અને આઇએફએસ અધિકારીઓ કે જેમણે વિકલાંગતાના પ્રમાણપત્ર રજૂ કર્યા છે, તેમણે ફરીથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવવા આદેશ કરવામાં આવ્યો છે. આ તબીબી તપાસ થયા બાદ તેમની વિકલાંગતાનું આ નવું પ્રમાણપત્ર યુપીએસસી સમક્ષ રજૂ કરવાનું રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/fake-dalits-fake-tribals-who-are-eating-the-jobs-of-sc-sts"><span style="font-size: 14pt;">નકલી દલિત - નકલી આદિવાસી બની SC-ST ની નોકરીઓ કોણ ખાય છે?</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 08 Aug 2024 20:45:45 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 08 Aug 2024 21:43:58 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1044</Articleid>
                    <excerpt>પૂજા ખેડેકરના વિવાદિત કિસ્સા બાદ ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગે રાજ્યના 5 આઇએએસ અધિકારીઓની ફરીથી તબીબી તપાસ કરાવવાનું નક્કી કર્યું છે. વાંચો કોણ છે આ અધિકારીઓ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b4eebaadd86.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b4eeba7c3ea.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b4eeba7c3ea.jpg" length="87171" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સુરતમાં તસ્કરો 20 મિનિટમાં મહાદેવ મંદિરની 6 દાનપેટી તોડી ફરાર</title>
                    <link>https://khabarantar.com/smugglers-break-6-donation-boxes-of-mahadev-temple-in-20-minutes-in-surat-and-escape</link>
                    <guid>https://khabarantar.com/smugglers-break-6-donation-boxes-of-mahadev-temple-in-20-minutes-in-surat-and-escape</guid>
                    <description>
                        <![CDATA[ ભોળનાથનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે, સુરતમાં પહેલા જ સોમવારે એક મહાદેવ મંદિરમાં તસ્કરો ગણતરીની મિનિટોમાં દાનપેટીઓ ઉપાડીને ફરાર થઈ ગયા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ભક્તો ભોળાનાથના દર્શન કરવા માટે શિવમંદિરોમાં ઉમટી પડ્યાં છે ત્યારે તેમની આસ્થાને મોટો ધક્કો લાવે તેવી એક ઘટના સામે આવી છે. મામલો સુરતનો છે. જ્યાં અડાજણ-પાલ વિસ્તારમાં આવેલા પાર્દેશ્વર મહાદેવ મંદિરને નિશાન બનાવી તસ્કરો માત્ર ૨૦ મિનિટની અંદર છ જેટલી દાન પેટીઓ તોડીને રોકડ રકમ સહિતની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે આ અંગે તપાસ હાથ ધરતા મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ છે. જેના આધારે પાલ પોલીસ દ્વારા તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરતના અડાજણ પાલ વિસ્તારમાં આવેલા વર્ષો જૂના પાર્દેશ્વર મહાદેવ મંદિરમાં આ ચોરીની ઘટના બની છે. મંદિરના પૂજારી બટુકગીરી મહારાજના જણાવ્યા મુજબ વહેલી પરોઢે બે તસ્કરોએ મંદિરના પાછળના ભાગેથી પરિસરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ સાથે લાવેલા સાધનો વડે મંદિરના મુખ્ય દ્વારનો લોક તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરી હતી. તસ્કરોએ માત્ર ૨૦ મિનિટની અંદર જ મંદિરમાં રહેલી ૬ જેટલી દાન પેટીઓને નિશાન બનાવી તેમાં રહેલી દાનની રકમ પર હાથફેરો કરી ફરાર થઇ ગયા હતા. જો કે, મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં બંને તસ્કરો કેદ થયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Burglars-and-criminals-will-take-a-lesson-from-the-proverbial-mother-of-a-thief-who-weeps-in-her-cell"><span style="font-size: 14pt;">તોડબાજો અને ગુનેગારો, ચોરની મા કોઠીમાં મોઢું રાખી રડે તે કહેવત પ્રમાણે બોધપાઠ લેશે?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અલગ અલગ દાન પેટીઓને તોડી તેમાંથી રોકડ રકમ ચોરતા તસ્કરોની તમામ ગતિવિધિઓ આ સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. બનાવ અંગેની જાણકારી મંદિરના પૂજારી દ્વારા પાલ પોલીસને કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્થાનિક ભક્તોના જણાવ્યા પ્રમાણે, હમણાં સુધી તસ્કરો દુકાનો, ઓફિસ અને મકાનોને નિશાન બનાવતા હતા. પરંતુ સુરતમાં હવે તસ્કરોએ ભગવાનના મંદિરોને પણ બાકાત રાખ્યા નથી. અર્થાત હવે ભગવાનના મંદિરો પણ સલામત રહ્યાં નથી. મંદિરમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનાએ સ્થાનિક પોલીસની નાઈટ પેટ્રોલિંગની પોલ ખોલી નાખી છે. મહાદેવ મંદિરમાં થયેલી ચોરીને કારણે પૂજારી અને ભોળાનાથના ભક્તોમાં રોષ છે. તેઓ તાકીદે ચોરીને અંજામ આપનારાની ધરપકડ થાય તેમ ઈચ્છી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/in-rajkot-smugglers-stole-8-temples-in-a-single-night-and-escaped"><span style="font-size: 14pt;">રાજકોટમાં તસ્કરો એક જ રાતમાં 8 મંદિરોમાં ચોરી કરી ફરાર થઈ ગયા</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 07 Aug 2024 19:24:37 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1040</Articleid>
                    <excerpt>ભોળનાથનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે, સુરતમાં પહેલા જ સોમવારે એક મહાદેવ મંદિરમાં તસ્કરો ગણતરીની મિનિટોમાં દાનપેટીઓ ઉપાડીને ફરાર થઈ ગયા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b37bf11a086.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b37bf0dd669.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b37bf0dd669.jpg" length="77806" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>વિનોદ કાંબલીના રેકોર્ડ સામે &amp;apos;ક્રિકેટના ભગવાન&amp;apos; ક્યાંય પાછળ છે!</title>
                    <link>https://khabarantar.com/the-lord-of-cricket-is-nowhere-behind-vinod-kamblis-record</link>
                    <guid>https://khabarantar.com/the-lord-of-cricket-is-nowhere-behind-vinod-kamblis-record</guid>
                    <description>
                        <![CDATA[ વિનોદ કાંબલી ફરી ચર્ચામાં છે ત્યારે એ બહાને અહીં તેમના એ રેકોર્ડ પર નજર કરીએ, જ્યાં સુધી પહોંચવા માટે &quot;ક્રિકેટના ભગવાન&quot;નો પણ પનો પણ ટૂંકો પડ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક સમયે ટીમ ઈન્ડિયાના સૌથી તેજસ્વી ક્રિકેટરોમાં જેમની ગણના સચિન તેંદુલકરથી પણ પહેલા કરવામાં આવતી હતી તેવા વિનોદ કાંબલીની પરિસ્થિતિ નાજુક છે. હાલમાં જ વાયરલ થયેલા એક વીડિયોમાં તેઓ બરાબર રીતે ચાલી પણ શકતા નથી તે દેખાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય ક્રિકેટમાં એક સમયે સચિન તેંદુલકર કરતા પણ ચડિયાતા ક્રિકેટર તરીકે જેમની ગણના થતી હતી તે વિનોદ કાંબલી હાલ આર્થિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. ટેસ્ટ અને વન ડે ક્રિકેટરમાં આજેય તેમની વિસ્ફોટક બેટિંગના ગ્રાફ સુધી ભાગ્યે જ કોઈ ક્રિકેટર પહોંચે છે તેવા વિનોદ કાંબલી તેમની ક્રિકેટ કારકિર્દીમાં જાતિવાદનો ભોગ બન્યાં હતા તે હવે સૌ જાણે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરેક ખેલાડીની કરિયરમાં એક કપરો સમય આવતો હોય છે, પણ તેને જો પુરતો સમય આપવામાં આવે તો તે ફરી આગવા ફોર્મમાં આવી જતો હોય છે. રોહિત શર્મા વર્ષો સુધી ફ્લોપ રહ્યો હતો, છતાં તેને તેની બ્રાહ્મણ જાતિના કારણે સતત તકો મળતી રહી અને આજે તે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે. આવું જ કે.એલ. રાહુલ, રિષભ પંત, અને ભૂતકાળમાં સચિન તેંદુલકર, અજીત અગરકર, રવિ શાસ્ત્રી, સૌરવ ગાંગુલી સહિતના અનેક બ્રાહ્મણ ખેલાડીઓના કિસ્સા પણ જોઈ શકાય છે. સચિનને જેટલી તકો મળી છે તેટલી ભાગ્યે જ કોઈ ખેલાડીને મળી હશે. ટાઈટન કપ પછી તે સતત ફ્લોપ જતો હતો, તેમ છતાં ટીમ તેને વેંઢારતી હતી. એક સમયે ટીમ કંટાળી ગઈ હતી કે હવે તે નિવૃ્તિ લે તો સારું. આવું જ સૌરવ ગાંગુલીના કિસ્સામાં પણ થયું હતું અને તેને પણ ટીમમાં લાંબા સમય સુધી ખેંચવામાં આવ્યો હતો. આવું મોટાભાગના કથિત મહાન બ્રાહ્મણ ખેલાડીઓમાં બન્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ વિનોદ કાંબલીને 1996 વિશ્વ કપ પછી સતત કોઈ જ કારણ વિના સતત નજરઅંદાજ કરવામાં આવ્યા અને તેની કરિયર પતાવી દેવાઈ. જેના કારણે કાંબલીની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. તેમણે ઘર ચલાવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો અને આજે તેમનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ જાતે ચાલી પણ શકતા નથી. એક મહાન ક્રિકેટરને માત્ર તેના દલિત હોવાને કારણે સાઈડલાઈન કરાય તે ભારતમાં જ શક્ય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/despite-his-qualifications-he-could-never-become-captain-due-to-being-a-dalit"><span style="font-size: 14pt;">લાયકાત હોવા છતાં દલિત હોવાને કારણે તેઓ કદી કેપ્ટન ન બની શક્યાં</span></a></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક સમયે જે વિનોદ કાંબલી પોતાના બેટથી છગ્ગા અને ચોગ્ગા ફટકારતા હતા તે આજે ખૂબ જ દયનીય હાલતમાં છે, તેઓ બરાબર ચાલી પણ શકતા નથી. વિનોદ કાંબલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ બાઇકના સહારે ઉભા છે. પરંતુ જ્યારે તેઓ ચાલવાનો પ્રયાસ કરે છે, ત્યારે નજીકમાં ઉભેલા લોકો તેમને ટેકો આપીને આગળ લઈ જાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટીમ ઈન્ડિયાના ધુરંધર બેટ્સમેન વિનોદ કાંબલીનું સ્વાસ્થ છેલ્લા થોડા દિવસોથી ખરાબ છે. કાંબલીને બે ડગલાં ચાલવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે. તે કોઈના સપોર્ટ વગર ચાલી પણ શકતા નથી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, કાંબલીને ૨ થી ૩ લોકો હાથ પકડીને લઈ જઈ રહ્યા છે. મહાન ક્રિકેટર કાંબલીની આવી હાલત જોઈ તેમના ચાહકોને ભારે આઘાત લાગ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિનોદ કાંબલી અને સચિન તેંદુલકર બંને પ્રાથમિક શાળા કાળના મિત્રો છે. બંને શાળામાં સાથે ક્રિકેટ રમતા હતા. એ વખતે તેમના કોચ રહેલા રમાકાંત આચરેકર સચિન કરતા પણ વિનોદ કાંબલીને વધારે સારો ક્રિકેટર માનતા હતા. જ્યારે કાંબલી અને સચિને ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું ત્યારે આ વાત અમુક અંશે સાચી પણ ઠરવા લાગી હતી. પણ પછી કાંબલીની કરિયર પતાવી દેવાઈ અને સચિન એ પછી પણ દોઢ દાયકા સુધી ક્રિકેટ રમ્યો. આજે બંનેની આર્થિક, સામાજિક પરિસ્થિતિમાં આભજમીનનું અંતર આવી ગયું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-biopic-on-p-baloo-the-countrys-first-dalit-cricketer-will-star-ajay-devgan-in-the-lead-role"><span style="font-size: 14pt;">દેશના પ્રથમ દલિત ક્રિકેટર P. Baloo ની બાયોપિક બનશે, અજય દેવગણ નિભાવશે મુખ્ય ભૂમિકા?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિનોદ કાંબલી - રેકોર્ડોનો બાદશાહ</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સચિન અને કાંબલીની ક્રિકેટ કરિયર લગભગ એકસાથે શરૂ થઈ હતી, પણ આગળ જતા સચિનને તેની બ્રાહ્મણ જાતિના કારણે જેટલી તકો મળી તેટલી કાંબલીને તેના દલિત હોવાને કારણે ન મળી શકી. કાંબલી ભારત માટે માત્ર 17 ટેસ્ટ મેચ રમી શક્યા હતા, પરંતુ તેમના નામે એવા રેકોર્ડ નોંધાયેલા છે જે સચિન પણ તોડી શક્યો નથી. 21 વર્ષની ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કરનાર કાંબલીએ તેની છેલ્લી ટેસ્ટ 23 વર્ષની ઉંમરે રમી હતી. ટૂંકી ટેસ્ટ કારકિર્દી હોવા છતાં તેના નામે હજુ પણ ઘણા રેકોર્ડ છે જે કાયમ યાદ રખાશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સૌથી નાની વયે બેવડી સદીનો રેકોર્ડ</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય ટીમ માટે સૌથી નાની વયે બેવડી સદી બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ વિનોદ કાંબલીના નામે છે. 21 વર્ષ અને 35 દિવસની ઉંમરે કાંબલીએ ઈંગ્લેન્ડ સામે મુંબઈમાં રમાયેલી મેચમાં 224 રનની ઈનિંગ રમી અને ભારત તરફથી બેવડી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો હતો. તેની સામે સચિન તેંડુલકરે 26 વર્ષની ઉંમરે 1999માં ન્યૂઝીલેન્ડ સામે બેવડી સદી ફટકારી હતી. </span><br><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">રણજી ટ્રોફીમાં ડેબ્યૂ મેચમાં સિક્સરથી ખાતું ખોલવાનો રેકોર્ડ</span></strong><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાંબલીએ 1989માં રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. એ વખતે મુંબઈની પહેલી મેચ ગુજરાત સામે હતી અને કાંબલીએ ક્રિઝ પર આવીને સિક્સર ફટકારીને પોતાનું ખાતું ખોલાવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બે ટેસ્ટ મેચમાં બે બેવડી સદીનો રેકોર્ડ</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1993માં કાંબલીએ બે ટેસ્ટ મેચમાં સળંગ બે બેવડી સદી ફટકારીને વધુ એક રેકોર્ડ બનાવ્યો હતો. તેણે પહેલા ઈંગ્લેન્ડ સામે 224 રનની ઈનિંગ રમી હતી. એ પછી ઝિમ્બાબ્વે સામે 227 રનની ઇનિંગ રમીને સતત બે ટેસ્ટમાં બે બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રનનો રેકોર્ડ</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજના ફાસ્ટફૂડ ક્રિકેટમાં કોઈપણ બેટ્સમેન ટેસ્ટ મેચ જેવી ધીરજથી રમી શકતો નથી. પણ કાંબલી એ જમાના ટેસ્ટ મેચોમાં પણ ટી20 જેવું ક્રિકેટ રમતા હતા અને તેનો અંદાજ જેમની ટેસ્ટ કરિયર પરથી આવે છે. કાંબલીએ ટેસ્ટ ક્રિકેટની 14 ઇનિંગ્સમાં 1000 રન બનાવ્યા હતા. તે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ખેલાડી છે. એટલું જ નહીં કાંબલીની એવરેજ ટેસ્ટ ક્રિકેટના ધુરંધરો મનાતા સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ અને વિરેન્દ્ર સેહવાગ કરતા પણ વધારે છે. તેણે માત્ર 17 ટેસ્ટ મેચોમાં 2 બેવડી સદી અને 4 સદીની મદદથી 54.2ની સરેરાશથી 1084 રન બનાવ્યા છે. આ રેકોર્ડ આજે પણ કોઈ તોડી શક્યું નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સચિન સાથે 664 રનની ભાગીદારી</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાંબલી અને સચિનની જોડીની વાત આવે ત્યારે લોકો તેમની ઘરેલું ક્રિકેટની 664 રનની ભાગીદારીને યાદ કરે છે. પણ લોકો એ ભૂલી જાય છે કે, આ મેચમાં કાંબલીએ સચિન કરતા પણ વધુ રન બનાવ્યા હતા અને એ આંકડો હતો 349. જી હા, કાંબલીએ એકલાએ 349 રન બનાવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાંબલીએ જ્યારે અમદાવાદમાં સ્કર્ટ પહેર્યું</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સચિન અને વિનોદ કાંબલી બંને મિત્રોએ સાથે મળી મુંબઈને તો અનેક યાદોની ભેટ આપી જ હતી. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેમનું યોગદાન મહત્વનું રહ્યું છે. જો કે અમદાવાદમાં યોજાયેલી કૂચ બિહાર ટ્રોફીનો એક પ્રસંગ અહીં યાદ કરવા જેવો છે. એ વખતે સચિન તેંડુલકરે વિનોદ કાંબલીને સ્કર્ટ પહેરીને અમદાવાદની ગલીઓમાં ફરવાની ચેલેન્જ આપી હતી, જેને કાંબલીએ પુરી કરી બતાવી હતી. સચિને કાંબલીને આ ચેલેન્જ પૂર્ણ કરવા પર એ શરત રાખી હતી કે જો વિનોદ કાંબલી સ્કર્ટ પહેરશે તો સચિન તેનો આજીવન ગુલામ બનીને રહેશે. વિનોદ કાંબલીએ સચિને આપેલી આ ચેલેન્જ પુરી કરી બતાવી હતી અને અમદાવાદના રસ્તાઓ પર સ્કર્ટ પહેરીને ફર્યા હતા અને મોડી રાત્રે છેક અગિયાર વાગ્યે હોટલે પહોંચીને કપડા બદલ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/It-was-not-visible-but-amin-sahib-was-holding-a-broom-behind-his-back-and-a-kuldi-around-his-neck"><span style="font-size: 14pt;">દેખાતો નહોતો પણ અમીન સાહેબ ની પીઠ પાછળ સાવરણી અને ગળામાં કુલડી વળગેલા હતા</span></a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 07 Aug 2024 12:45:36 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 07 Aug 2024 15:15:06 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1038</Articleid>
                    <excerpt>વિનોદ કાંબલી ફરી ચર્ચામાં છે ત્યારે એ બહાને અહીં તેમના એ રેકોર્ડ પર નજર કરીએ, જ્યાં સુધી પહોંચવા માટે &quot;ક્રિકેટના ભગવાન&quot;નો પણ પનો પણ ટૂંકો પડ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b31b5fb4286.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b31b5f7f463.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b31b5f7f463.jpg" length="64704" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Vinod kambli</media:keywords>
                </item>
                        <item>
                    <title>ફોરેસ્ટ બીટગાર્ડની ભરતીમાં હવે 8 નહીં, 25 ગણાં ઉમેદવારોને બોલાવાશે</title>
                    <link>https://khabarantar.com/now-not-8-but-25-times-candidates-will-be-called-in-forest-bitguard-recruitment</link>
                    <guid>https://khabarantar.com/now-not-8-but-25-times-candidates-will-be-called-in-forest-bitguard-recruitment</guid>
                    <description>
                        <![CDATA[ ફોરેસ્ટ બીટગાર્ડની ભરતી પરીક્ષા મામલે ભારે વિવાદ બાદ સરકારનું વલણ બદલાયું છે. હવે શારીરિક કસોટીમાં કુલ જગ્યાના 8 ગણાને બદલે 25 ગણા ઉમેદવારોને બોલાવાશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજયમાં વન વિભાગ દ્વારા તાજેતરમાં વન રક્ષક (બીટ ગાર્ડ)ની 823 જગ્યાની ભરતી માટે સીબીઆરટી પધ્ધતિ મુજબ પરીક્ષા લીધી હતી. જેના કારણે ભારે વિવાદ સર્જાયો છે. તેમાં પણ સરકાર દ્વારા કુલ જગ્યાના આઠ ગણા ઉમેદવારોને શારીરિક કસોટીમાં બોલાવવા મામલે પણ વિવાદ સર્જાયો છે. ત્યારે મુખ્યમંત્રી સ્તરે ચર્ચા કરાયા બાદ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા વન રક્ષકની કુલ જગ્યાના 25 ગણા ઉમેદવારોને શારીરિક કસોટીમાં બોલાવાશે. તેમજ ઉમેદવારોના ગુણ પણ જાહેર કરવામાં આવશે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યના વન વિભાગમાં ખાલી પડેલી વન રક્ષક (બીટ ગાર્ડ)ની 823 જેટલી જગ્યાઓ માટે સીધી ભરતી કરવા માટે તાજેતરમાં પરીક્ષા લેવામાં આવી હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વન રક્ષકની ભરતી પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવી હતી. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં કટ ઓફ માર્કને લઈને વિવાદ સર્જાયો હતો. જેમાં પાસ થયેલા ઉમેદવારોને જ તેમના ગુણની જાણ કરાઇ હતી. એટલે કે, પરિણામ સાર્વજનિક કરાયું ન હતું. જેના કારણે ઉમેદવારોમાં ભારે નારાજગી પ્રસરી હતી. એટલું જ નહીં, વન રક્ષક પરીક્ષાના ઉમેદવારો દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી આંદોલન ચલાવી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વન રક્ષક ભરતીના ઉમેદવારોના આંદોલનને લઈને રાજ્ય સરકારના વલણમાં નરમાશ આવી છે. વન રક્ષક ભરતી માટે ઉમેદવારોની માંગ અંગે મુખ્યમંત્રી કક્ષાએ ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા આજે વન રક્ષક ભરતીના ઉમેદવારોના હિતમાં એક નિર્ણય લીધો છે. જેમાં રાજ્ય સરકાર વન રક્ષકની ભરતીમાં શારીરિક કસોટી માટે કુલ જગ્યાના 25 ગણા  ઉમેદવારોને બોલાવવાનો નિર્ણય કરાયો છે. અગાઉ સરકાર દ્વારા કુલ જગ્યાના  8 ગણા ઉમેદવાર બોલાવવાનું નક્કી કરાયું હતું. જેના સ્થાને હવે 25 ગણા ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવાની સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે. સાથો સાથ રાજ્ય સરકારે ઉમેદવારોને ગુણ જાહેર કરવા માટે પણ હકારાત્મકતા દર્શાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો</span>: <a href="https://khabarantar.com/we-are-not-terrorists-government-should-listen-to-us"><span style="font-size: 14pt;">અમે આતંકવાદી નથી, સરકાર અમારી વાત સાંભળે...</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 06 Aug 2024 20:50:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1036</Articleid>
                    <excerpt>ફોરેસ્ટ બીટગાર્ડની ભરતી પરીક્ષા મામલે ભારે વિવાદ બાદ સરકારનું વલણ બદલાયું છે. હવે શારીરિક કસોટીમાં કુલ જગ્યાના 8 ગણાને બદલે 25 ગણા ઉમેદવારોને બોલાવાશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b23e6b9d624.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b23e6b6b071.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b23e6b6b071.jpg" length="138543" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>આ નિર્ણય 10 વર્ષ પહેલા થવો જોઈતો હતો: અનામત મુદ્દે જીતનરામ માંઝી</title>
                    <link>https://khabarantar.com/this-decision-should-have-been-taken-10-years-ago-jitanram-manjhi-on-reservation-issue</link>
                    <guid>https://khabarantar.com/this-decision-should-have-been-taken-10-years-ago-jitanram-manjhi-on-reservation-issue</guid>
                    <description>
                        <![CDATA[ એસસી, એસટી અનામતમાં ભાગલા પાડતા સુપ્રીમ કોર્ટના ચૂકાદાને લઈને બિહારી નેતા જીતનરામ માંઝીએ તમામ દલિત નેતાઓ કરતા વિરોધાભાસી સૂરો વ્યક્ત કર્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસસી, એસટી અનામતમાં ભાગલા પાડતા સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને જ્યાં એક બાજુ દેશભરમાં દલિત નેતાઓ એક થઈને આર યા પારની લડાઈ લડવા મક્કમ બન્યાં છે, ત્યાં બીજી તરફ કેટલાક એવા નેતાઓ પણ છે જે મોદી સરકારમાં ભાગીદાર હોવાથી સમગ્ર દલિત સમાજની ભાવનાથી વિરુદ્ધના સૂર કાઢી રહ્યાં છે. આવા જ એક નેતા એટલે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી, જેમણે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે, એટલું જ નહીં તેમણે આ નિર્ણય 10 વર્ષ પહેલા થવો જોઈતો હતો તેવું આકરું નિવેદન આપ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક તરફ એલજેપી (રામ વિલાસ)ના વડા અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને સરકારમાં મંત્રી હોવા છતાં સુપ્રીમ કોર્ટના અનામતમાં ભાગલા પાડતા નિર્ણયનો બેધડક વિરોધ કર્યો છે, તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી અને હિન્દુસ્તાન અવામી મોરચા(હમ)ના વડા જીતનરામ માંઝીએ આ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીને સમગ્ર દલિત સમાજથી વિરોધના સૂર કાઢ્યાં છે. એકબાજુ ચિરાગ પાસવાને કહ્યું છે કે તેમની પાર્ટી આ નિર્ણય સામે રિવ્યૂ પિટિશન દાખલ કરશે, બીજી બાજુ માંઝીએ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે પાસવાન સહિતના દલિતો સાથે અન્ય જાતિઓની સરખામણી કરીને કોર્ટના નિર્ણયને આવકારતા કહ્યું કે, આ નિર્ણય ૧૦ વર્ષ પહેલા આવવો જોઈતો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માંઝી બિહારના ગયાથી સાંસદ છે. તેઓ હિન્દુસ્તાની અવામ મોરચા(સેક્યુલર)ના અધ્યક્ષ છે. તેમણે એલજેપી (રામ વિલાસ)ના વડા ચિરાગ પાસવાનને સ્વાર્થી ગણાવીને ઉલટાની તેમની ટીકા કરતા જણાવ્યું હતું કે, “જે વ્યક્તિએ પ્રગતિ કરી છે તેમણે અનામતમાંથી આગળ વધવું જોઈએ અને જે લોકો પાછળ રહી ગયા છે તેમના વિશે વિચારવું જોઈએ. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ૧૦ વર્ષ પહેલા આવવો જોઈતો હતો.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/over-19-thousand-sc-st-obc-students-left-central-educational-institutions-in-last-5-years-central-govt"><span style="font-size: 14pt;">છેલ્લાં 5 વર્ષમાં 19 હજારથી વધુ એસસી, એસટી, ઓબીસી વિદ્યાર્થીઓએ કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓ છોડી – કેન્દ્ર સરકાર</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માંઝીએ કહ્યું કે, “બાબાસાહેબના મતે, સાક્ષરતાનો દર જે તે સમાજની પ્રગતિને માપવાનો માપદંડ છે. એસસીનો સાક્ષરતા દર માત્ર ૩૦ ટકા છે અને આ ૩૦ ટકામાં પણ ઘણી જ્ઞાતિઓ છે. હું એ બાબતનો વિરોધ નથી કરતો કે, 30 ટકાથી ઉપરનાને અનામતનો લાભ મળતો રહે. પરંતુ જે લોકોનો સાક્ષરતા દર ૭-૮ ટકા છે તેમને તો આગળ વધવાની તક મળવી જોઈએ. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જે સમાજ નીચે પડેલો છે, તેને આગળ લઈ જવાના પ્રયત્નો કરવા જોઈએ.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશમાં દલિતો સાથે ભેદભાવ છે, તેમને મંદિરોમાં પૂજા કરવાની મંજૂરી નથી, લગ્નમાં તેમને ઘોડી પર બેસવાથી રોકવામાં આવે છે તેવા ચિરાગ પાસવાનના નિવેદન મુદ્દે જીતનરામ માંઝીએ કહ્યું કે, “આ વાતો સ્વાર્થી લોકો કરી રહ્યા છે. ભુઈયા, મુસહર, ડોમ, મેહતર જાતિના લોકોમાં કેટલાં આઇએએસ, આઇપીએસ, એન્જિનિયરો અને ચીફ એન્જિનિયર છે? આજે જે લોકો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે તે ચાર જાતિઓના છે. તેનો મતલબ છે કે એસસીનો હક એ જ લોકોને મળતો રહે. આ જ લોકો ૭૬ વર્ષથી અનામતનો લાભ લઈ રહ્યા છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાસ્તવમાં જીતનરામ માંઝીની આ દલિત સમાજની જ ઘોર ખોદતી વિચારસરણીના મૂળ બિહારના રાજકારણમાં રહેલા છે. બિહારના રાજકીય નિષ્ણાતોના મતે, બિહાર સરકારે ગયા વર્ષે ૨ ઓક્ટોબરે જાતિ સર્વેક્ષણના આંકડા જાહેર કર્યા હતા. એ મુજબ બિહારમાં પાસવાનની જાતિ દુસાધની વસ્તી ૫.૩૧ ટકા છે. જ્યારે માંઝીની મુસહર જાતિની વસ્તી ૩.૦૮ ટકા છે. અનુસૂચિત જાતિ માટે અનામત નોકરીઓમાં દુસાધ ઘણી આગળ છે. જ્યારે મુસહર આ મામલે પાછળ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આંકડાઓના આધારે માંઝીને લાગે છે કે જો એસસી-એસટીમાં સબ-કેટેગરી બનાવવામાં આવે તો તેમના સમાજને ફાયદો થઈ શકે છે અને એ બહાને તેમનું રાજકારણ પણ ચાલતું રહે. એટલે તેઓ સમગ્ર દલિત સમાજનું હિત જોવાને બદલે માત્ર તેમની વોટબેંક સમાન પેટાજાતિઓને સારું લગાડવા આ નિવેદન કરી રહ્યાં છે. તેઓ ચિરાગ પાસવાનનો વિરોધ પણ એટલા માટે જ કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/brahmins-were-4-percent-in-kolhapur-but-80-percent-of-the-jobs-were-brahmins"><span style="font-size: 14pt;">કોલ્હાપુરમાં બ્રાહ્મણો 4 ટકા હતા, પણ નોકરીઓમાં 80 ટકા બ્રાહ્મણો હતા</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 06 Aug 2024 19:08:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1035</Articleid>
                    <excerpt>એસસી, એસટી અનામતમાં ભાગલા પાડતા સુપ્રીમ કોર્ટના ચૂકાદાને લઈને બિહારી નેતા જીતનરામ માંઝીએ તમામ દલિત નેતાઓ કરતા વિરોધાભાસી સૂરો વ્યક્ત કર્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b22656d09d6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b22656a03e8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b22656a03e8.jpg" length="78995" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગાંધીનગરમાં ભાજપના નેતા નકલી SC સર્ટિફિકેટ પર કોર્પોરેટર બની ગયા?</title>
                    <link>https://khabarantar.com/bjp-leader-in-gandhinagar-became-corporator-on-fake-sc-certificate</link>
                    <guid>https://khabarantar.com/bjp-leader-in-gandhinagar-became-corporator-on-fake-sc-certificate</guid>
                    <description>
                        <![CDATA[ ગાંધીનગરમાં ભાજપના એક નેતા નકલી એસટી સર્ટિફિકેટના આધારે કોર્પોરેટર બની ગયાના આક્ષેપો લાગતા હોબાળો મચી ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધીનગર નગરપાલિકાનાં વોર્ડ નંબર 3 ની બેઠકના ભાજપના કોર્પોરેટર નકલી એસટી સર્ટિફિકેટના આધારે કોર્પોરેટર બની ગયા હોવાનો આક્ષેપ લાગતા હોબાળો મચી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને ગાંધીનગર મહાપાલિકાનાં વોર્ડ નંબર 3 (સેક્ટર ૨૪,૨૭,૨૮)ની અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત બેઠક પર ચૂંટાયેલા કોર્પોરેટરની ચૂંટણીને લઈ રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાપાલિકાના વોર્ડ નં. 3 ની બેઠકનાં ભાજપ તરફી ઉમેદવાર અનુસૂચિત જનજાતિનાં ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને ચૂંટણી જીત્યા હતા. આ મામલે યોગ્ય તપાસ અને મેન્ડેટ આપનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસનાં પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાપાલિકાનાં વોર્ડ નંબર 3 ની બેઠક અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે. આ બેઠક પર ભાજપનાં ઉમેદવાર ભરત ગોહિલ જે રાજસ્થાની છે અને વર્ષ 2016 માં તેમણે ગુજરાતમાંથી અનુસૂચિત જનજાતિ માટેનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. તેની સાથે અન્ય ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને મહાપાલિકાની વોર્ડ નં. 3 ની ચૂંટણીમાં જીત્યા હતા. જો કે, જે તે સમયે કોંગ્રેસનાં ઉમેદવાર મેહુલ ગામિત દ્વારા આ ચૂંટણીનો વિરોધ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/gir-somnaths-ddo-became-ias-on-bogus-disability-certificate"><span style="font-size: 14pt;">ગીર સોમનાથના DDO બોગસ વિકલાંગતા પ્રમાણપત્ર પર IAS બન્યાં?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2018 માં સરકારે એક કાયદો બહાર પાડ્યો હતો. ચૂંટણીમાં રજૂ કરાયેલા પ્રમાણપત્રની ચકાસણી કરવાનું કામ સરકારનાં વિભાગનું છે. કલેક્ટર ગાંધીનગર અને રાજ્ય ચૂંટણી પંચની આ જવાબદારી હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવારને માહિતી ન આપવા માટે ઘણા કાવાદાવા કરવામાં આવ્યા હતા. જેથી નકલી અનુસૂચિત જનજાતિનાં પ્રમાણપત્ર સાથે ભાજપનાં ભરત ગોહિલ કોર્પોરેટર બન્યા હતા. સરકારનાં દબાણ હેઠળ કમિટીએ તમામ રિપોર્ટ તૈયાર કર્યા છે. પરંતુ, આ રિપોર્ટની જાહેરાત કરવામાં આવતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનીષ દોશીએ સવાલ કર્યા છે કે, તંત્ર દ્વારા કોંગ્રેસનાં ઉમેદવારને કેમ માહિતીઓ આપવામાં આવતી નથી?  ગાંધીનગર મહાપાલિકાના વોર્ડ નં. ૩ ના ભાજપના ઉમેદવારના અનુસૂચિત જનજાતિના જાતિના પ્રમાણપત્રની ખરાઈ અંગેના અહેવાલને તાત્કાલિક જાહેર કરવામાં આવે અને ખોટા પુરાવાથી સરકારી લાભો મેળવ્યા હોય તેની સામે કાર્યવાહી થાય. તેમજ ભરત ગોહિલને મેન્ડેટ આપનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની માંગણી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, આ જ પ્રકારના આરોપો અગાઉ અન્ય નેતાઓ પર પણ લાગી ચૂક્યા છે જેમાં તેમના અનુસૂચિત જાતિ કે જનજાતિના ખોટા સર્ટિફિકેટ મેળવીને ચૂંટણી જીતી મંત્રી સુદ્ધાં બની ગયા હોય. જો કે બહુ ઓછાં કેસોમાં આ આરોપો સાબિત થઈ શક્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/fake-dalits-fake-tribals-who-are-eating-the-jobs-of-sc-sts"><span style="font-size: 14pt;">નકલી દલિત - નકલી આદિવાસી બની SC-ST ની નોકરીઓ કોણ ખાય છે?</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 06 Aug 2024 09:16:53 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 06 Aug 2024 10:52:21 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1031</Articleid>
                    <excerpt>ગાંધીનગરમાં ભાજપના એક નેતા નકલી એસટી સર્ટિફિકેટના આધારે કોર્પોરેટર બની ગયાના આક્ષેપો લાગતા હોબાળો મચી ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b0ed2cac2da.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b0ed2c7cd88.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b0ed2c7cd88.jpg" length="55259" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ચિખોદરાના સ્વામીએ મંદિર બનાવવાના બહાને 3.22 કરોડની છેતરપિંડી કરી</title>
                    <link>https://khabarantar.com/the-lord-of-chikhodara-committed-a-fraud-of-3.22-crores-on-the-pretext-of-building-a-temple</link>
                    <guid>https://khabarantar.com/the-lord-of-chikhodara-committed-a-fraud-of-3.22-crores-on-the-pretext-of-building-a-temple</guid>
                    <description>
                        <![CDATA[ ગુરૂજી મોટું મંદિર બનાવવા માંગે છે કહી ચિખોદરાના સ્વામીએ રાજકોટના ઠગ સાથે મળી આણંદના એક બિલ્ડર સાથે રૂ. 3.22 કરોડની છેતરપિંડી આચરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આણંદ શહેરના એક બિલ્ડર અને તેમના ભાગીદારોને કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના રેવા ગામની 160.47 એકર જમીન વેચાણ આપવાના નામે રાજકોટના એક શખ્સ અને ચિખોદરાના સ્વામીએ ભેગા મળી રૂ 3.22 કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ આણંદ શહેર પોલીસ મથકમાં નોંધાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આણંદ શહેરમાં શ્રીનાથજી પાર્ક ગણેશ ડેરી પાછળ ગણેશ ચોકડી વિસ્તારમાં 42 વર્ષીય જીગરકુમાર સુરેશભાઈ પટેલ કન્ટ્રકશન તેમજ જમીન લે-વેચનો ધંધો કરે છે. વર્ષ- 2020માં તેઓ મનીષભાઈ લક્ષ્મણભાઈ ઠક્કરના મેડિકલ સ્ટોરે પોતાના પિતાની દવા લેવા માટે ગયા હતા. ત્યારે મનીષભાઈએ જમીનમાં રોકાણ કરવું હોય તો સ્વામીજીનો સંપર્ક કરાવી આપુ તેમ કહીને બે ત્રણ દિવસ પછી તેઓ બે સ્વામી સાથે જીગરભાઈની ઓફિસે ગયા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યાં બે પૈકી એક સ્વામી દર્શનપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, “મારે મોટું મંદિર બનાવવું છે. તમારી પાસે કોઈ સારી જગ્યા હોય તો બતાવો. અને જો જગ્યા ન હોય તો તમારે જમીનમાં રોકાણ કરવું હોય તો પણ કરી શકો છો. પાછળથી તમને પુરતા નાણાં આપીને જગ્યા તમારી પાસેથી લઈ લઈશું. ગત જુન-2020માં ડાકોરના દલાલ જે.કે. રામી દ્વારા ઠાસરા તાલુકાના સુઈ ગામની જમીન બતાવી હતી. ત્યાર બાદ કચ્છના અબડાસા તાલુકામાં પણ એક જમીન બતાવી હતી. કચ્છની જમીન મંદિર બનાવવા માટે વધારે અનુકૂળ છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/swami-used-to-look-at-other-girls-besides-me-with-dirty-eyes"><span style="font-size: 14pt;">સ્વામી મારા સિવાય બીજી છોકરીઓને પણ ગંદી નજરથી જોતા હતા...</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્વામીએ સુઈ ગામવાળી જમીન મોંઘી પડે તેવી છે તેમ વાત કરી હતી. જેથી કચ્છની જમીન લેવાનું નક્કી કરીને જીગરકુમાર અને સ્વામી દર્શનપ્રિયદાસજી કારમાં કચ્છ જવા માટે નીકળ્યા હતા. રસ્તામાં અમદાવાદની હોટલ પરથી રાજકોટના વિક્રમસિંહ હિંમતસિંહ ડાભીને પણ સાથે લીધા હતા અને અબડાસા તાલુકાના રેવા ગામે ગયા હતા. જ્યાં વિક્રમસિંહે જમીન બતાવી હતી અને વેચાણ કરવાની વાત કરી હતી. અને જમીનની 7/12ની નકલ તથા બીજા કાગળ પણ બતાવ્યા હતા. પરત ફરતા સમયે રસ્તામાં સ્વામી દર્શનપ્રિયદાસજીએ આ જમીન પર સ્વામી માધવપ્રિયદાસજી અને તેમની સંસ્થા ગુરૂજી મોટું મંદિર બનાવવા માંગે છે. જો તમારે આ જમીનમાં રોકાણ કરવું હોય તો વિક્રમસિંહને આણંદ બોલાવી આગળ વાતચીત કરીએ તેમ જણાવ્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જીગરકુમારે હા પાડતા બે ત્રણ દિવસ પછી સ્વામી દર્શનપ્રિયદાસજી અને વિક્રમસિંહ જીગરકુમારની ઓફિસ ખાતે ગયા હતા. અને જમીનનો એકરનો ભાવ 8થી 9 લાખ રહ્યો હતો. પરંતુ ચર્ચાના અંતે એક એકરનો ભાવ રૂ 7.11 લાખ નક્કી કરીને 160.47 એકર જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું. તેમજ આ જુદા જુદા સર્વેવાળી માલિકીની એટર્ની વિક્રમસિંહ પાસે હોવાની મૌખિક વાત કરી હતી. આ રીતે જમીન વેચાતી આપવાનું કહી સ્વામી સહિતના ભેજાબાજોએ બિલ્ડર પાસેથી 3.22 કરોડ રૂપિયા પડાવ્યા હતા. આ બનાવ અંગે જીગરકુમાર સુરેશભાઈ પટેલે આણંદ શહેર પોલીસ મથકે રાજકોટના વિક્રમસિંહ હિંમતસિંહ ડાભી અને ચિખોદરાના સ્વામી દર્શન પ્રિય દાસજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એક એકરનો ભાવ રૂ 11. 43 લાખ નક્કી કરાયો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરત ખાતે વિવેક સાગર દાસજી અને સ્વામી દર્શનપ્રિય દાસજીને મળીને રેવા ગામની જમીન રાખવાનું નક્કી કરી એક એકરનો ભાવ રૂ 11.43 લાખ નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જીગરકુમારે ભાગીદારો સાથે વાતચીત કર્યા બાદ જમીન વેચાણ આપવાનું નક્કી કરી સ્વામી માધવ પ્રિયદાસજીએ પાંચ લાખ અને એક રૂપિયો ટોકન પેટે પણ આપ્યો હતો. અને ચાર માસમાં લેવડ-દેવડ પુરી કરવાનું નક્કી કરી ગત તારીખ 20-8-2020ના રોજ વિક્રમસિંહ જીગરકુમારની ઓફિસે આવ્યા હતા. અને જમીન વેચાણનું નોટરી લખાણ કરીને રૂ 1.51 કરોડ રોકડા આપ્યા હતા. અને બાકીના રૂ 10-10 લાખના 10 ચેક લખી આપ્યા હતા. ત્યાર બાદ જુનાગઢ સ્વામિનારાયણ મંદિરે જઈને દર્શનપ્રિયદાસજી તેમજ કોઠારી સ્વામી વિવેક સાગર દાસજીને મળીને આ જમીન વેચાણ પેટે તેમણે 70 લાખ રૂપિયા આપ્યા હતા. અને બાકીના રૂપિયા બે-ત્રણ દિવસમાં આણંદ આવીને આપી જઈશું તેવી વાત કરી હતી. આણંદના બિલ્ડર જીગરકુમારને જમીનના પૂરતા પૈસા મળ્યા ન હોઈ તેમણે વિક્રમસિંહને ફોન કરી ચેકો નહીં ભરવાનું જણાવ્યું હતું. તેમ છતાં ચેકો ભરીને ચેક રિટર્ન કરાવી રૂ 80 લાખ ભાગીદારો પાસેથી લઈ ગયા હતા. આમ કુલ 3.78 કરોડ ચૂકવી આપ્યા હતા. તેમાંથી 75 લાખ મળ્યા હતા તે પૈકી સર્ટી મંગાવા માટે 19.70 લાખનો ખર્ચ થયો હતો જેથી રૂ 3.22 કરોડની છેતરપિંડી કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/swaminarayan-literature-contains-nonsense-and-outright-lies"><span style="font-size: 14pt;">સ્વામિનારાયણ સાહિત્યમાં વાહિયાત અને તદ્દન જૂઠાં પરચાઓ છે</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 05 Aug 2024 09:20:32 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1026</Articleid>
                    <excerpt>ગુરૂજી મોટું મંદિર બનાવવા માંગે છે કહી ચિખોદરાના સ્વામીએ રાજકોટના ઠગ સાથે મળી આણંદના એક બિલ્ડર સાથે રૂ. 3.22 કરોડની છેતરપિંડી આચરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66afaeb1736a4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66afaeb1448f4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66afaeb1448f4.jpg" length="77819" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>મંદિરનો પૂજારી દાનના રૂ. 1.09 કરોડ ચોરી ફરાર, મેનેજરે ફરિયાદ નોંધાવી</title>
                    <link>https://khabarantar.com/the-temple-priest-donates-rs-1.09-crore-stolen-manager-lodges-complaint</link>
                    <guid>https://khabarantar.com/the-temple-priest-donates-rs-1.09-crore-stolen-manager-lodges-complaint</guid>
                    <description>
                        <![CDATA[ એક મંદિરમાં દાનમાં આવેલી રૂ. 1.09 કરોડની રકમ મંદિરના પૂજારીને બેંકમાં જમા કરાવવા મોકલ્યો હતો, પણ આટલી મોટી રકમ જોઈ તેની દાનત બગડી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં ધર્મની આડમાં પોતપોતાના રોટલાં શેકી લેતો એક ચોક્કસ વર્ગ બાકીના લોકોને ભરમાવીને પોતાનું ઘર ભરી રહ્યો છે. મંદિરોમાં ચડતી દાનદક્ષિણા પર નભતા લોકો તેને પોતાનો જન્મજાત હક માનતા હોય છે અને તે ન મળે ત્યારે તેઓ ખોટો રસ્તો પણ અપનાવતા ખચકાતા નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક ઘટના હાલ કૃષ્ણનગરી મથુરામાં સામે આવી છે. જ્યાં એક પૂજારીને મંદિરમાં આવેલા દાનની રૂ. 1.09 કરોડની રકમ બેંકમાં જમા કરાવવા માટે મોકલવામાં આવ્યો હતો. પણ આટલી મોટી રકમ જોઈને તેની દાનત બગડી હતી અને તે રકમ લઈને ફરાર થઈ ગયો હતો. આ મામલે હવે મંદિરના મેનેજરે ફરિયાદ નોંધાવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મથુરાની છે. અહીં ગોવર્ધન મંદિરમાં દાનમાં આવેલી ૧ કરોડ ૯ લાખ રૂપિયાની રકમ લઈને પૂજારી ભાગી ગયો છે. તે બેંકમાં પૈસા જમા કરાવવા માટે બહાર ગયો હતો, પરંતુ ન તો બેંક પહોંચ્યો અને ન તો મંદિર પાછો આવ્યો. એ પછી તેનો ફોન સ્વીચ ઓફ છે. મંદિરના મેનેજરે કશુંક અજુગતું થયાની શંકા જતા તેણે તપાસ કરતા ખ્યાલ આવ્યો કે પૂજારી બેંકમાં ગયો જ નથી અને એક કરોડ લઈને ભાગી ગયો છે. એ પછી મેનેજરે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ગોવર્ધન પોલીસ અને મંદિર તંત્રે ગુમ થયેલા પૂજારીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/flag-hoisting-of-temple-in-ambaji-Rs-5100-will-be-charged"><span style="font-size: 14pt;"> અંબાજીમાં મંદિરે ધજા ચડાવવા રૂ. 5100 સુધીનો ચાર્જ ભરવો પડશે</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે ગોવર્ધન પોલીસ સ્ટેશન વિસ્તારના મુખ્ય મંદિર મુકુટ મુખારબિંદના સેવક (પૂજારી) પર ૧,૦૯,૩૭,૨૦૦ રૂપિયા લઈને ફરાર થવાનો આરોપ છે. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં મંદિરના મેનેજર ચંદ્ર વિનોદ કૌશિકે જણાવ્યું હતું કે, સોમવારે સેવાયત દિનેશ ચંદ મંદિરના કોન્ટ્રાક્ટના રૂપિયા એક કરોડ નવ લાખ રૂપિયા લઈને યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ગયા હતા. પણ તે પૈસા જમા કર્યા નહોતા અને ફરાર થઈ ગયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપી પૂજારી ગોવર્ધનના દસવીસાનો રહેવાસી છે. છેતરપિંડી કરતી વખતે તેણે મંદિરના પૈસા બેંકમાં જમા કરાવ્યા ન હતા અને તમામ પૈસા લઈને ભાગી ગયો હતો. ત્યારથી તેનો ફોન સ્વીચ ઓફ આવે છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપીના ઘરેથી ૭૧ લાખ ૯૨ હજાર રૂપિયા રિકવર કર્યા છે. આ નોટો બોરીઓમાં ભરીને રાખવામાં આવી હતી. આ સાથે બાકીની રકમની શોધ ચાલી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમગ્ર મામલાને લઈને એસપીએ જણાવ્યું હતું કે, આરોપીને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેની પત્નીએ પોલીસને જાણ કરી હતી અને ઘરમાંથી ૭૨ લાખ રૂપિયા મળી આવ્યા છે. હાલ આરોપી ફરાર છે. બાકીના પૈસાની તપાસ ચાલી રહી છે, ટૂંક સમયમાં બાકીના પૈસાની વસૂલાત માટે જે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, તે કોર્ટના આદેશ મુજબ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/in-bhavnagar-adhed-committed-suicide-by-taking-a-fire-bath-before-kuldevi"><span style="font-size: 14pt;">ભાવનગરમાં આધેડે કુળદેવી સમક્ષ અગ્નિસ્નાન કરીને આત્મહત્યા કરી</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 04 Aug 2024 13:35:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1024</Articleid>
                    <excerpt>એક મંદિરમાં દાનમાં આવેલી રૂ. 1.09 કરોડની રકમ મંદિરના પૂજારીને બેંકમાં જમા કરાવવા મોકલ્યો હતો, પણ આટલી મોટી રકમ જોઈ તેની દાનત બગડી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66af362cb96ab.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66af362c8a55c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66af362c8a55c.jpg" length="129172" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજ્યના ગૃહ વિભાગે બિનહથિયારી ASI ની સીધી ભરતી રદ કરી</title>
                    <link>https://khabarantar.com/the-state-home-department-canceled-direct-recruitment-of-unarmed-asis</link>
                    <guid>https://khabarantar.com/the-state-home-department-canceled-direct-recruitment-of-unarmed-asis</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં ASI ની સીધી ભરતી માટે તૈયારી કરતા યુવાનો માટે માઠાં સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બિનહથિયારી ASI ની સીધી ભરતી રદ કરાઈ છે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યમાં એએસઆઇ ની સીધી ભરતી માટે તૈયારી કરતાં યુવાનોને સરકારે નિરાશાજનક ફટકો આપ્યો છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ દળમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર (એએસઆઇ)ની સીધી ભરતીની કેડર માટેની પ્રક્રિયાને રદ કરી દેવાઈ છે. એટલું જ નહીં, એએસઆઇ ની ખાલી જગ્યાઓ હવે ખાતાકીય બઢતી દ્વારા ભરાશે. આ માટે ગૃહ વિભાગ દ્વારા આગામી તા. 30 ઓગસ્ટ સુધીમાં ખાતાકીય બઢતી માટેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાનો આદેશ પણ કરાયો છે. જેના કારણે રાજ્યના યુવાનોનો સરકારી ભરતી માટેનો વધુ એક માર્ગ બંધ થઈ જતાં ભારે નારાજગી પ્રસરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આજે એક મોટો નિર્ણય લેવાયો છે. જેમાં રાજ્યના પોલીસ દળમાં બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર (એએસઆઇ) સંવર્ગ-3 માટેની જગ્યાઓ સીધી ભરતી કરવામાં આવતી હતી, તેને ગૃહ વિભાગના આ નિર્ણયથી રદ કરી દેવાઇ છે. આ અંગે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) વહીવટ ગગનદીપ ગંભીર દ્વારા આજે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/about-1.5-lakh-applications-were-received-against-12272-posts-of-psi-lokrakshak"><span style="font-size: 14pt;"> PSI-લોકરક્ષકની 12,272 જગ્યાઓ સામે અધધ 15 લાખ અરજીઓ આવી</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેમાં ડીજીપી વહીવટ ગગનદીપ ગંભીર દ્વારા જણાવાયું છે કે, પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીના આદેશ મુજબ રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી એએસઆઇ સંવર્ગના અનુભવી કર્મચારી મળી રહે અને ફીડર કેડરમાં બઢતીની તકો વધવાથી તેઓ ઉત્સાહપૂર્વક કામગીરી કરી શકે તેવા શુભ આશયથી ગૃહ વિભાગ ગુજરાત સરકારના સંદર્ભિત પત્રથી બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, વર્ગ 3ની સીધી ભરતી રદ કરવાની અને આ સંવર્ગની તમામ ખાલી જગ્યાઓ માત્ર બઢતીથી ભરવાની મંજૂરી આપવામાં આવેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે વધુમાં જણાવ્યું છે કે, રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી એએસઆઇ સંવર્ગની ખાલી રહેલ તમામ જગ્યાઓમાં શહેર/જિલ્લા/યુનિટ ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓ પૈકી બિન હથિયારી એએસઆઈ (વર્ગ-૩) સંવર્ગના પ્રવર્તમાન ભરતી નિયમો/બઢતી અર્થે સરકાર દ્વારા વખતો વખત પ્રસિદ્ધ થયેલ નિયમાનુસાર પાત્રતા ધરાવતા હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓને બઢતી આપવા તેમજ બઢતીથી ખાલી પડનાર હેડ કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓમાં પાત્રતા ધરાવતા પોલીસ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓને બઢતી આપવાની કાર્યવાહી તારીખ 30/08/2024 સુધીમાં પૂર્ણ કરવા અંગે સૂચના અપાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે વધુમાં જણાવ્યું છે કે, તમામ રેન્જ વડાઓએ તેઓના તાબા હેઠળના જિલ્લા/યુનિટની કચેરી ખાતે સદર કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરાવવા તેમજ કાર્યવાહી પૂર્ણ થયેથી સંબંધિત રેન્જ હસ્તકના જિલ્લા/યુનિટ દ્વારા કરેલ કાર્યવાહીનો સંયુક્ત અહેવાલ સમયમર્યાદામાં અત્રે મોકલી આપવાનો રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/high-court-order-to-fill-vacancies-in-police-department"><span style="font-size: 14pt;">પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર ભરતી કરવા હાઇકોર્ટનો આદેશ</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 03 Aug 2024 21:16:19 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1021</Articleid>
                    <excerpt>ગુજરાતમાં ASI ની સીધી ભરતી માટે તૈયારી કરતા યુવાનો માટે માઠાં સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બિનહથિયારી ASI ની સીધી ભરતી રદ કરાઈ છે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66ae4f4d36e95.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ae4f4d0804d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ae4f4d0804d.jpg" length="58512" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>‘રામ’ હતા એવો કોઈ ઐતિહાસિક પુરાવો નથી: તમિલનાડુ સરકારના મંત્રી</title>
                    <link>https://khabarantar.com/there-is-no-histrorical-evidence-that-there-was-a-ram-minister-of-tamil-nadu-govt</link>
                    <guid>https://khabarantar.com/there-is-no-histrorical-evidence-that-there-was-a-ram-minister-of-tamil-nadu-govt</guid>
                    <description>
                        <![CDATA[ તમિલનાડુની ડીએમકે સરકારના એક મંત્રીએ હિંદુઓના ભગવાન શ્રીરામને લઈને એક નિવેદન આપતા હોબાળો મચી ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમિલનાડુ સરકારના મંત્રી અને ડીએમકે નેતા એસ.એસ. શિવશંકરે હિંદુઓના ભગવાન શ્રીરામને લઈને એક વિવાદિત નિવેદન આપતા હોબાળો મચી ગયો છે. શિવ શંકરે એવો દાવો કર્યો છે કે, ભગવાન રામના અસ્તિત્વને સાબિત કરવા માટે કોઈ ઐતિહાસિક પુરાવા નથી. ચોલ વંશના રાજાઓ સાથે સરખામણી કરતા તેમણે કહ્યું કે, એ સામ્રાજ્યની ઇમારતોને હજુ પણ તેમના અસ્તિત્વને સાબિત કરવા માટે પુરાવા તરીકે જોવામાં આવે છે. પણ ભગવાન રામના ઈતિહાસને લઈને એવો કોઈ ઐતિહાસિક પુરાવો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરિયાલુર જિલ્લાના ગંગાઈકોંડાચોલાપુરમ ખાતે રાજેન્દ્ર ચોલાની જન્મજયંતિની ઉજવણી માટે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા ડીએમકે મંત્રી શિવશંકરે કહ્યું કે, “અમે ચોલ વંશના સમ્રાટ રાજેન્દ્ર ચોલાના જન્મદિવસની ઉજવણી કરીએ છીએ. આપણી પાસે તેને લગતા પુરાતત્વીય પુરાવા છે. જેમ કે શિલાલેખ, તેમના દ્વારા બાંધવામાં આવેલા મંદિરો તળાવો વગેરે. પરંતુ, ભગવાન રામના અસ્તિત્વ કે ઈતિહાસનો આવો કોઈ પુરાવો નથી.” </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે, “તેઓ દાવો કરે છે કે, ભગવાન રામ ૩,૦૦૦ વર્ષ પહેલાં થયા હતા અને તેમને અવતાર કહે છે. અવતારનો જન્મ થઈ શકતો નથી. જો રામ અવતાર હોત તો તેમનો જન્મ ન થયો હોત. જો તે જન્મ્યા હોત તો તે ભગવાન ન બની શક્યા હોત.”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડીએમકે મંત્રી શિવશંકરે વધુમાં કહ્યું કે, “રામાયણ અને મહાભારતમાં લોકો માટે શીખવા જેવો કોઈ ‘જીવન પાઠ’ નથી. જ્યારે તમિલ સંત-કવિ તિરુવલ્લુવર દ્વારા ૨,૦૦૦ વર્ષ પહેલાં લખાયેલા યુગલોના સંગ્રહ તિરુક્કુરલમાં આ કિસ્સો છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંંચો:</strong> </span><a href="https://khabarantar.com/how-did-the-slogan-of-jai-bheem-outweigh-jai-shri-ram"><strong>'જય શ્રીરામ' સામે 'જય ભીમ'નો નારો કેવી રીતે ભારે પડ્યો?</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિવશંકરે કહ્યું કે “એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભગવાન રામ 3,000 વર્ષ પહેલા થઈ ગયા હતા. આ દાવાઓનો ઉદ્દેશ્ય સમાજને ગેરમાર્ગે દોરવાનો છે. આમનો હેતુ તમિલોના ઈતિહાસને દબાવવાનો છે. તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિ આ લોકોના ખોટા ઈરાદાને પહેલાથી જ સમજી ગયા હતા. એટલે જ તેમણે તમિલોની સંસ્કૃતિને બચાવવા અને આગળ વધારવા માટે ઘણાં પગલાં લીધાં હતા. તેમણે સ્પષ્ટપણે તમિલોની ઓળખ સમાજ સમક્ષ મૂકી. કરુણાનિધિ રામાયણ અને મહાભારતના વિરોધી હતા. રામાયણ અને મહાભારત ઘણી સદીઓથી આપણા ઉપર લાદવામાં આવ્યા છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે તમિલનાડુ ભાજપ અધ્યક્ષ અન્નામલાઈએ કહ્યું કે, “DMKમાં રામ માટે અચાનક આવેલો આ જુસ્સો જોવા જેવો છે. ડીએમકેના લોકો બહુ ઝડપથી ભૂલી જાય છે કે તેમણે સંસદમાં ચોલ વંશના સેંગોલની સ્થાપના બદલ આપણા વડાપ્રધાન મોદીનો વિરોધ કર્યો હતો. શિવશંકરે ભગવાન રામ વિશે થોડી માહિતી મેળવવી જોઈએ.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ડીએમકેના નેતાઓ તેમના આકરા નિવેદનો માટે જાણીતા છે. અગાઉ ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને ડેંગ્યૂ મલેરિયા સાથે સરખાવીને તેનો નાશ કરવાની વાત કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંસદના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બોલાવવામાં ન આવ્યા તે બદલે તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ આદિવાસી-વિધવા છે તેથી તેમને સંસદના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ડીએમકેના સાંસદ સેંથિલ કુમારે લોકસભામાં ભાજપને નિશાન બનાવીને કહ્યું હતું કે, ભાજપ માત્ર ગૌમૂત્ર રાજ્યોમાં જીતે છે. દક્ષિણના રાજ્યોમાં તેમને મતદારો ઘૂસવા નથી દેતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંંચો:<a href="https://khabarantar.com/students-at-iit-bombay-fined-lakhs-for-insulting-ramsita"><span style="font-size: 14pt;"> IIT બોમ્બેમાં રામસીતાના અપમાન બદલ વિદ્યાર્થીઓને લાખોનો દંડ ફટકારાયો</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 03 Aug 2024 18:52:11 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 03 Aug 2024 18:52:58 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1020</Articleid>
                    <excerpt>તમિલનાડુની ડીએમકે સરકારના એક મંત્રીએ હિંદુઓના ભગવાન શ્રીરામને લઈને એક નિવેદન આપતા હોબાળો મચી ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66ae2dd7a4f7d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ae2dd77159c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ae2dd77159c.jpg" length="70397" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>SC&amp;ST અનામતમાં પેટા વર્ગીકરણ મુદ્દે માયાવતીએ શું કહ્યું?</title>
                    <link>https://khabarantar.com/what-did-mayavati-say-on-the-issue-of-sub-classification-in-sc-st-reservation</link>
                    <guid>https://khabarantar.com/what-did-mayavati-say-on-the-issue-of-sub-classification-in-sc-st-reservation</guid>
                    <description>
                        <![CDATA[ એસસી, એસટી અનામતમાં ભાગલા પાડવાના સુપ્રીમ કોર્ટના ચૂકાદા અંગે બસપા સુપ્રિમોએ આખરે પોતાનો મત વ્યક્ત કર્યો છે. વાંચો બહેનજીએ શું કહ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">SC, ST અનામતમાં અનામતના નિર્ણય સામે સમગ્ર બહુજન સમાજ જેમના તરફ આશા ભરી મીટ માંડીને જોઈ રહ્યો હતો તે બસપા સુપ્રીમો માયાવતીએ અંતે સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. બહેનજીએ કહ્યું છે કે, સામાજિક દમનની સરખામણીમાં રાજકીય દમન કંઈ જ નથી. અને અનામતમાં ભાગલા પાડવા યોગ્ય નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે એસસી/એસટી જાતિઓમાં પેટા-શ્રેણીને પણ મંજૂરી આપતા કહ્યું  છે કે પછાત જાતિઓમાં પણ પેટા-શ્રેણી બનાવવી જોઈએ અને ક્વોટાની અંદર ક્વોટા આપવો જોઈએ. આ ઉપરાંત ઘણી એવી જ્ઞાતિઓ છે જે હજુ પણ ખૂબ પછાત છે અને ક્વોટા હોવા છતાં તેઓ પ્રગતિ કરી શકી નથી. જેની સામે બસપા સુપ્રીમો માયાવતીએ સોશિયલ મીડિયા હેન્ડલ એકસ પર પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહેનજીએ કહ્યું છે કે, "સામાજિક દમનની સરખામણીમાં રાજકીય દમન કંઈ નથી. શું દેશના કરોડો દલિતો અને આદિવાસીઓનું જીવન દ્વેષ અને ભેદભાવ મુક્ત, આત્મસન્માન અને સ્વાભિમાની બની શક્યું છે? જો ના, તો જાતિના કારણે તોડવા અને પછાડવામાં આવેલા આ વર્ગો વચ્ચે અનામતમાં ભાગલા પાડવા કેટલા યોગ્ય છે?"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/scam-of-snatching-scholarship-from-reserved-category-students"><strong>અનામત કેટેગરીના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પડાવી લેવાનું કૌભાંડ</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની એક પોસ્ટમાં બસપા સુપ્રીમોએ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોની આકરી ઝાટકણી કાઢતા લખ્યું હતું કે, "દેશના એસસી, એસટી અને ઓબીસી બહુજનો પ્રત્યો કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો અને તેમની સરકારોનું વલણ ઉદારવાદી રહ્યું છે, સુધારાવાદી નહીં. તેઓ તેમના સામાજિક પરિવર્તન અને આર્થિક સ્વતંત્રતાના પક્ષધર નથી. નહીંતર બહુજન સમાજની અનામતને બંધારણની 9મી સૂચિમાં સામેલ કરીને તેનું રક્ષણ ચોક્કસ કર્યું હોત."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે સુપ્રીમ કોર્ટના સીજેઆઈ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ૭ જજોની બંધારણીય બેંચે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અનામતમાં પણ અનામતનો ભાગલાવાદી નિર્ણય સંભળાવ્યો છે. સીજેઆઈ ચંદ્રચૂડ, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ બેલા ત્રિવેદી, જસ્ટિસ પંકજ મિત્તલ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેંચે ત્રણ દિવસ સુધી સુનાવણી કર્યા બાદ આ વર્ષે ૮ ફેબ્રુઆરીએ આ મામલો પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સીજેઆઈ ચંદ્રચુડે કહ્યું કે સાત ન્યાયાધીશોની આ બેન્ચમાં ૬ ન્યાયાધીશો સમાન અભિપ્રાય ધરાવતા હતા, જ્યારે એક જસ્ટિસ બેલા એમ ત્રિવેદી આ નિર્ણયની વિરુદ્ધ હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમગ્ર ચૂકાદાને બહુજન સમાજના લોકો એક કાવતરા તરીકે જોઈ રહ્યા છે. સમગ્ર દલિત અને આદિવાસી સમાજમાં ભારે રોષ છે. બહુજન સમાજનો બૌદ્ધિક વર્ગ તેને મનુવાદીઓના ષડયંત્ર તરીકે આ બંને સમાજને અંદરોઅંદર લડાવીને છેલ્લે અનામત જ ખતમ કરી દેવાના કાવતરા તરીકે જોઈ રહ્યો છે. આ મામલે સમગ્ર દેશના એસસી, એસટી સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. જોવાનું એ રહેશે કે, બહુજન સમાજની રાજનીતિ કરતો બહુજન સમાજ પક્ષ આ મામલે આગામી દિવસોમાં શું નિર્ણય લે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<span style="font-size: 14pt;"><a href="https://khabarantar.com/big-breaking-supreme-court-approves-quota-within-sc-st-quota"> BIG BREAKING: સુપ્રીમ કોર્ટે SC-ST ક્વોટાની અંદર ક્વોટાને મંજૂરી આપી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 03 Aug 2024 11:33:37 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1017</Articleid>
                    <excerpt>એસસી, એસટી અનામતમાં ભાગલા પાડવાના સુપ્રીમ કોર્ટના ચૂકાદા અંગે બસપા સુપ્રિમોએ આખરે પોતાનો મત વ્યક્ત કર્યો છે. વાંચો બહેનજીએ શું કહ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66adc72c20d25.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66adc72be4498.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66adc72be4498.jpg" length="69192" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>જૂનાગઢમાં દલિત યુવકને મારવાના કેસમાં ગણેશ જાડેજા સામે ચાર્જશીટ રજૂ</title>
                    <link>https://khabarantar.com/charge-sheet-presented-against-ganesh-jadeja-in-the-case-of-killing-dalit-youth-in-junagadh</link>
                    <guid>https://khabarantar.com/charge-sheet-presented-against-ganesh-jadeja-in-the-case-of-killing-dalit-youth-in-junagadh</guid>
                    <description>
                        <![CDATA[ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે જૂનાગઢમાં દલિત યુવાનને માર મારી ગોંધી રાખવાના કેસમાં ચાર્જશીટ રજૂ કરાઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશની મુશ્કેલીમાં વધારો થયો છે. જૂનાગઢમાં દલિત યુવકને ગોંધી રાખી માર મારવાના કેસમાં ગણેશ છેલ્લાં એક મહિના કરતા વધુ સમયથી જેલમાં છે. આ મામલે હવે પોલીસે જૂનાગઢ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. જેમાં પુરાવાઓનો નાશ કરવા સહિતની કલમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના કારણે ગણેશ સામે કેસ મજબૂત થશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જુનાગઢમાં દલિત યુવકના અપરહણના કેસમાં મુખ્ય આરોપી અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર ગણેશ જાડેજા જેલમાં છે. જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ગોંડલથી ગણેશ સહિત અન્ય ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા. આ કેસમાં ગણેશ જાડેજા સહિત ૧૧ લોકો સામે ગુનો નોંધાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર કેસમાં ક્રાઈમ બ્રાન્ચ ખાતે ગણેશ જાડેજાની પૂછપરછ કરી હતી. આગાઉ આ કેસમાં ગણેશ જાડેજાની ગેંગના સાગરિતોની પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ ગણેશ ફરાર હતો. એ પછી તેની ધરપકડ થઇ હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં દલિત અને તેના સાગરિતોએ 30મેની રાતે જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીનું અપહરણ કરી તેને ગોંડલ સ્થિત પોતાના ઘરમાં ગોંધી રાખ્યો હતો અને નગ્ન કરીને માફી મગાવી હોવાનો આક્ષેપ લાગ્યો હતો. આ મામલે ગણેશ જાડેજા સામે ફરિયાદ થઇ હતી. જેમા ગણેશ ગેંગના ૩ સાગરિતોને જૂનાગઢ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને ત્યારથી ગણેશ સહિતના તેના સાથીઓ જેલમાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/how-much-truth-in-gondal-yard-and-84-village-bandh-in-support-of-ganesh"><span style="font-size: 14pt;">ગણેશના સમર્થનમાં ગોંડલ યાર્ડ અને 84 ગામોના બંધમાં કેટલું સત્ય?</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 02 Aug 2024 20:13:38 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1016</Articleid>
                    <excerpt>ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે જૂનાગઢમાં દલિત યુવાનને માર મારી ગોંધી રાખવાના કેસમાં ચાર્જશીટ રજૂ કરાઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66acf002f1728.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66acf002bc94d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66acf002bc94d.jpg" length="67285" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દિલ્હી છોડો, અમદાવાદમાં 5000 ટ્યુશન ક્લાસ ભોંયરામાં ચાલે છે</title>
                    <link>https://khabarantar.com/5000-tuition-classes-run-in-basements-in-ahmedabad-leaving-delhi</link>
                    <guid>https://khabarantar.com/5000-tuition-classes-run-in-basements-in-ahmedabad-leaving-delhi</guid>
                    <description>
                        <![CDATA[ દિલ્હીમાં ભોંયરામાં ચાલતા કોચિંગ ક્લાસમાં પાણી ભરાતા 3 વિદ્યાર્થીઓના મોત થયા હતા. આવું અમદાવાદમાં થાય તો નવાઈ નહીં. આ રહ્યું કારણ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીના એક કોચિંગ સેન્ટરમાં ભોંયરામાં ચાલતી લાઈબ્રેરીમાં વરસાદી પાણી ભરાતા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. એ પછી અહીં બેઝમેન્ટોમાં ચાલતા બધાં ટ્યુશન ક્લાસીસને સીલ કરી દેવાયા હતા. પણ જો તમે અમદાવાદમાં નજર કરશો તો સ્થિતિ દિલ્હી કરતા પણ ભયાનક નજરે પડશે. કેમ કે અહીં 5 હજાર કરતા પણ વધુ ટ્યુશન ક્લાસો ભોંયરામાં ચાલે છે. આ સ્થિતિમાં જો ભારે વરસાદ આવે અને પાણી ભરાઈ જાય તો મોટી જાનહાનિ થવાની પુરી શકયતા છે. સવાલ એ છે કે, અમદાવાદ કોર્પોરેશન આવી ઘટના ઘટે તેની રાહ જોઈ રહી છે? આ ટ્યુશન ક્લાસીસની કોઈપણ પ્રકારની નોંધણી નથી, કોઈપણ પ્રકારની પરવાનગી નથી, કોઈ નીતિનિયમો નથી. અમદાવાદમાં પણ કોઈપણ પ્રકારના નિયમોનું પાલન કર્યા વગર આ પ્રકારના ક્લાસ ચાલે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોટા ભાગના વાલીઓ અને શિક્ષણ વિભાગે પણ હજુ દિલ્હીની ઘટનાને ગંભીરતાથી લઈ તેમાંથી કશો બોધપાઠ લીધો નથી. સંખ્યાબંધ કોચિંગ ક્લાસિસમાં સંખ્યાની કોઈ મર્યાદા વિના બેફામ રીતે વિદ્યાર્થીઓની ભરતી કરે છે. આજે પણ શિક્ષકો ટ્યૂશન નથી કરતાં એવી શાળાને લેખિત બાંહેધરી આપે છે, પરંતુ પાછલા બારણે બેરોકટોક ટ્યૂશન કરે છે. બીજી તરફ પ્રાઈવેટ શાળાઓમાં શિક્ષકોનો પગાર પણ એટલો ઓછો છે કે તેમણે જીવન નિર્વાહ ચલાવવા માટે ટ્યુશનનો આધાર લેવો પડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/tribal-daughter-grazes-goats-despite-securing-824th-rank-in-jee"><span style="font-size: 14pt;"> JEEમાં 824મો રેન્ક મેળવ્યો છતાં આદિવાસી દીકરી બકરીઓ ચરાવે છે</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટ્યૂશનમાં બાળકની સુરક્ષાના નિયમોને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે. નિયમ મુજબ એક વર્ગમાં એક વિદ્યાર્થીને બેસવા માટે આઠ ચોરસ ફૂટ જગ્યા જોઈએ, જેથી તેને પૂરતો ઓક્સિજન મળી શકે. આ માંગણી લોકો શાળા પાસે કરે છે પરંતુ જ્યારે તેમનું બાળક ટ્યુશનમાં ભણવા જાય છે ત્યાં આવા કોઈ સુરક્ષાના કે મોકળાશના નિયમો નથી હોતા છતાં ચલાવી લે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શાળાની તોતિંગ ફી ભરીને ટ્યૂશનમાં મોકલતા વાલીને પ્રાથમિકમાં વિષય દીઠ એક હજાર રુપિયા પ્રતિ માસ ચૂકવવા પડે છે. જ્યારે હાઈસ્કૂલમાં આ ભાવ પ્રતિ વિષય રૂ. ૧૫૦૦ છે. ક્લાસીસ ચલાવતા એક શિક્ષકના જણાવ્યા અનુસાર અમદાવાદમાં ત્રણેક હજાર ટ્યુશન ક્લાસિસ એવા છે કે જ્યાં શિક્ષકો કોમ્પ્લેક્સમાં ભણાવે છે. એક સમય એવો હતો કે માત્ર બેકારીનો સામનો કરતો બી.એડ.નો શિક્ષક જ ટ્યુશન કરવા જતો. પરંતુ આજે આ ક્ષેત્રમાં સૌથી વધુ એન્જિનિયરો ટ્યૂશન કરાવી રહ્યાં છે. ચોતરફ બેરોજગારીની ભીંસ વધતા હવે વાલીઓ પણ તેમના બાળકોને ભગવાન ભરોસે આવા ખતરનાક ટ્યુશન ક્લાસિસમાં મૂકવા મજબૂર બન્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-real-character-of-vikas-divyakirti-and-awadh-ojha-came-out"><span style="font-size: 14pt;">વિકાસ દિવ્યકીર્તિ અને અવધ ઓઝાનું અસલી ચરિત્ર સામે આવી ગયું</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 02 Aug 2024 11:04:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1015</Articleid>
                    <excerpt>દિલ્હીમાં ભોંયરામાં ચાલતા કોચિંગ ક્લાસમાં પાણી ભરાતા 3 વિદ્યાર્થીઓના મોત થયા હતા. આવું અમદાવાદમાં થાય તો નવાઈ નહીં. આ રહ્યું કારણ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66ac6f2d4c669.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ac6f2d171a3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ac6f2d171a3.jpg" length="76358" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>જે જજોએ આ ઓર્ડર આપ્યો તેમાં કેટલાં SC&amp;ST છે?</title>
                    <link>https://khabarantar.com/how-many-sc-st-judges-who-gave-this-order</link>
                    <guid>https://khabarantar.com/how-many-sc-st-judges-who-gave-this-order</guid>
                    <description>
                        <![CDATA[ દલિતો-આદિવાસીઓના અનામત ક્વોટામાં પણ ક્વોટાના પેદા કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે આકરી પ્રતિક્રિયા આપી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે એસસી, એસટી વર્ગની અનામતમાં પેટા-વર્ગીકરણનો ચૂકાદો સંભળાવ્યો છે. જેની સામે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ઉત્તરપ્રદેશની નગીના લોકસભા સીટના સાંસદ ચંદ્રશેખરે આ મામલે સીધું જ સુપ્રીમ કોર્ટના સવર્ણ જજો પર નિશાન સાધતા જણાવ્યું છે કે, એસસી, એસટીની અનામતના પેટા વર્ગીકરણનો આદેશ આપનારા જજોમાંથી કેટલા એસસી અને એસટી છે? આઝાદે તો ત્યાં સુધી કહી દીધું કે, જો તમારે વર્ગીકરણ જ કરવું હોય તો તેની શરૂઆત સુપ્રીમ કોર્ટથી થવી જોઈએ, કેમ કે ત્યાં લાંબા સમયથી માત્ર અમુક જ પરિવારોનો કબજો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક ચુકાદામાં કહ્યું કે રાજ્યોને અનુસૂચિત જાતિમાં પેટા-વર્ગીકરણ કરવાનો બંધારણીય અધિકાર છે, જેથી એવી જાતિઓને અનામત આપી શકાય, જે સામાજિક અને શૈક્ષણિક રીતે વધુ પછાત છે. સાથે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્યોએ આ પેટા વર્ગીકરણ પછાતપણાંનું પ્રમાણ અને સરકારી નોકરીઓમાં પ્રતિનિધિત્વના ઉપલબ્ધ આંકડાઓના આધારે કરવાનું છે, તેમની 'ઇચ્છા' અને 'રાજકીય લાભ'ના આધારે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સાત સભ્યોની બંધારણીય બેન્ચે 6:1 ની બહુમતીથી 2004ના "ઇ વી ચિન્નૈયા વિ આંધ્ર પ્રદેશ સરકાર"ના સર્વોચ્ચ અદાલતની પાંચ સભ્યોની બેંચના ચુકાદાને રદ કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે અનુસૂચિત જાતિ (SC) ના પેટા-વર્ગીકરણને મંજૂરી આપી શકાતી નથી, કારણ કે તેઓ સ્વયં એક સ્વજાતીય સમૂહ છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર હવે નેતાઓની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-day-the-children-of-upper-castes-get-married-to-dalits-stop-reservation"><span style="font-size: 14pt;">જે દિવસે સવર્ણોના સંતાનોના લગ્ન દલિતોમાં થાય, અનામત બંધ કરી દેજો</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ અને નગીના લોકસભાના સાંસદ ચંદ્રશેખર આઝાદે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આકરી પ્રતિક્રિયા આપી છે. આઝાદે કહ્યું કે "આ આદેશ આપનારા જજોમાંથી કેટલા એસસી અને એસટી હતા? જો તમારે વર્ગીકરણ કરવું હોય તો તેની શરૂઆત સુપ્રીમ કોર્ટથી થાય તે ખૂબ જ જરૂરી છે. ત્યાં લાંબા સમયથી માત્ર અમુક જ પરિવારોનો કબજો છે. તમે SC અને ST ના લોકોને અહીં ઘૂસવા નથી દેતા, પણ શું જનરલ કેટેગરીના લોકો માટે પણ ત્યાં તક નથી? જો તમારે વર્ગીકરણ કરવું જ હોય ​​તો સર્વોચ્ચ સંસ્થામાંથી જ કેમ નથી કરતા, નીચેથી શું કામ કરવા માંગો છો? શું SC અને ST પર નજર રાખવામાં આવી રહી છે? તમે અનામતમાં પ્રમોશનનો ઓર્ડર કર્યો હતો, પણ SC અને ST નો બેકલોગ ભરાયો? શું તમારી પાસે આંકડાઓ છે કે SC અને STને અનામત મળી રહી છે, આર્થિક સ્થિતિના કયા આંકડા છે તમારી પાસે? બંધ રૂમમાં બેસીને શું કોઈપણ નિર્ણય લઈ લેવાશે? તમે આર્થિક રીતે નબળા લોકોને આધાર બનાવી EWS ના નિર્ણયને માન્યતા આપી હતી. શું આ કલમ 341નું ઉલ્લંઘન નથી?"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદે કહ્યું, "પહેલી વાત તો એ કે, તમને અમારી પીડા, આર્થિક સ્થિતિ અને સામાજિક અસમાનતાનો ખ્યાલ છે? અમારા પર જે અત્યાચારો થાય છે તેની સાથે જોડાયેલા આંકડાઓ તમારી પાસે છે? અમે કલમ 341ને પણ જોઈશું, કે તેનું તો ઉલ્લંઘન નથી થઈ રહ્યું ને? જ્યારે EWS નો ઓર્ડર આવ્યો ત્યારે પણ મેં એ કહ્યું હતું કે એ ચૂકાદામાં SC અને ST ના કેટલા લોકો હતા. શું એસસી, એસટી સમાજ કરતા વધુ સારી રીતે કોઈ તેમના વિશે વિચારી શકે છે? જો હા, તો 75 વર્ષમાં કેમ ન વિચાર્યું? તમને કદી NCRB નો ડેટા દેખાય છે? જેટલા નિર્ણયો લેવાયા તેનું મોનિટરીંગ થયું? અમે સરકારની દાનત સારી રીતે જાણીએ છીએ અને અમને એ પણ ખબર છે કે સરકાર કેવી રીતે બદલાય છે. અમે યુપીમાં જોયું છે કે, જે જ્ઞાતિના લોકો રાજકારણમાં નહોતા તેમને કોઈ પૂછતું નહોતું. જ્યારે બસપાની સરકાર ગઈ ત્યારે સપા સરકારમાં શું થયું અને જ્યારે સપાની સરકાર ગઈ ત્યારે યાદવો સાથે શું થયું હતું, જાટવોનું શું થયું હતું. હવે તો અમારે આ બધું જોવું પડશે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચંદ્રશેખર આઝાદે વધુમાં કહ્યું કે, "હવે એટલું બધું ખાનગીકરણ કરી નાખ્યું છે કે અનામત ક્યાંય બચી જ નથી. સફાઈ કામદારો પાસે પણ કાયમી નોકરી નથી. એટલે વર્ગીકરણ કરવું જ હોય તો સુપ્રીમ કોર્ટમાં પણ વર્ગીકરણ હોવું જોઈએ, ક્યાં સુધી 250-300 પરિવારના લોકો જ આખા દેશના લોકોનો ન્યાય કરતા તોળતા રહેશે? SC અને ST સમાજના લોકોને આ ગણ્યાંગાંઠ્યાં પરિવારના લોકો ન્યાયતંત્રમાં ઘૂસવા નથી દેતા, એ તો ઠીક જનરલ કેટેગરીના અન્ય લોકોને પણ તેમાં પ્રવેશતા નથી દેતા. શું તેમનામાં પણ લાયકાત નથી? ગરીબોને EWSનો લાભ ક્યાં મળે છે? 8 લાખની જે મર્યાદા નક્કી કરી છે, પણ જનરલમાં જેઓ તેનાથી ઓછું કમાય છે તેમને તો તક નથી મળી રહી. જે દગો થયો તે બધાંએ જોયો છે. હું કહું છું કે પહેલા ગણતરી કરી લો, પછી તેના આધારે વસ્તુ બાકીનું નક્કી કરો. જેની જેટલી સંખ્યા, તેટલી અનામત આપવી જોઈએ. કોઈની પણ સાથે કોઈ દગો ન થવો જોઈએ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/big-breaking-supreme-court-approves-quota-within-sc-st-quota"><span style="font-size: 14pt;"> BIG BREAKING: સુપ્રીમ કોર્ટે SC-ST ક્વોટાની અંદર ક્વોટાને મંજૂરી આપી</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 02 Aug 2024 10:14:34 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1014</Articleid>
                    <excerpt>દલિતો-આદિવાસીઓના અનામત ક્વોટામાં પણ ક્વોટાના પેદા કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે આકરી પ્રતિક્રિયા આપી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66ac63386cc24.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ac63383d6cd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ac63383d6cd.jpg" length="86417" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>અંબાજીમાં મંદિરે ધજા ચડાવવા રૂ. 5100 સુધીનો ચાર્જ ભરવો પડશે</title>
                    <link>https://khabarantar.com/flag-hoisting-of-temple-in-ambaji-Rs-5100-will-be-charged</link>
                    <guid>https://khabarantar.com/flag-hoisting-of-temple-in-ambaji-Rs-5100-will-be-charged</guid>
                    <description>
                        <![CDATA[ ઉત્તર ગુજરાતના યાત્રાધામ અંબાજી ખાતે અત્યાર સુધી ભક્તો ફ્રીમાં ધજા ચડાવી શકતા હતા, પણ હવે તેમણે રૂ. 5100 સુધીનો ચાર્જ આપવો પડશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના લાખો હિંદુઓની આસ્થાના પ્રતિક એવા આધ્યશક્તિ અંબાજી માતા મંદિર અંબાજી ખાતે હવે માઈભક્તોએ માતાજીને ધજા ચડાવવા માટે રૂ. 5100 સુધીનો ચાર્જ ભરવો પડશે. અત્યાર સુધી માઈભક્તો આસ્થા મુજબ ફ્રીમાં ધજા ચડાવી શકતા હતા. પણ આજથી તેમાં ચાર્જ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તો માટે અહીં સુવર્ણ શિખર ઉપર ધ્વજા રોહણનું ખાસ મહત્વ રહેલું છે. અંબાજી મંદિરમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અગાઉ જે તે યાત્રિક ટેમ્પલ ઇન્સ્પેક્ટર ટ્રસ્ટની ઓફિસમાં નોંધણી કરીને ધજા ચડાવી શકતા હતા. તેના માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો ન હતો. પણ આજથી ધજા ચડાવવા માટે ચાર્જ વસૂલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1 ઓગસ્ટ 2024 થી ધ્વજા રોહણ માટે ધજાની સાઈઝ મુજબ મસમોટો ચાર્જ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંદિર ટ્રસ્ટે ભક્તો બધું પોતાને ત્યાંથી જ ખરીદે અને બધો નફો પોતાની પાસે જ રહે તે માટેની સજ્જડ વ્યવસ્થા કરવામાં આવી છે. એ મુજબ ભક્તોને હવે ધ્વજા ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસેથી જ મળશે અને સવારે 7:00 વાગ્યાથી બપોરના સાડા ચાર સુધી જ ધ્વજા રોહણ કરી શકશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભક્તોએ મંદિર ટ્રસ્ટમાં અલગ અલગ ગજની ધ્વજા પ્રમાણે ચાર્જ આપવો પડશે. તેના બદલામાં ટ્રસ્ટ તરફથી નિયુક્ત કરેલા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોત વિધિવિધાનથી પૂજન અર્ચન કરવામાં આવશે. તેના ફોટોગ્રાફ્સ પણ મોબાઈલ મારફતે ભક્તોને આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Not-Ram,-this-god-is-most-worshiped-in-India,-survey-report-revealed"><span style="font-size: 14pt;">રામ નહીં, ભારતમાં આ દેવની સૌથી વધુ પૂજા થાય છે, સર્વે રિપોર્ટમાં થયો ખુલાસો</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66aba63c60f6c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધ્વજા રોહણ ભક્તોને ટેમ્પલ ઇસ્પેક્ટરની ઓફિસથી મળી રહેશે. સાંજે 4:30 બાદ ધ્વજા રોહણ કોઈપણ ભક્ત કરી શક્શે નહીં. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 5, 7, 9 અને 11 મીટરની ધજાના ભાવ અનુક્રમે 2100, 2500, 3100 અને 5100 ભાવ નકકી કરાયા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે, “હાલમાં થોડા સમય માટે જે ભક્તો  ધજા લઈને આવશે તેમને ટ્રસ્ટની ઓફિસમાં નોંધણી કરાવીને નોમિનલ ચાર્જ આપીને ચઢાવી શકશે. પણ 1 ઓગસ્ટથી ધ્વજારોહણના નિયમો બદલાયા છે. આ રકમમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જ નીમાયેલા બ્રાહ્મણો ભક્તોને પૂજન અર્ચન કરાવશે. ત્યાર બાદ ભક્ત ઢોલનગારાના તાલે ધ્વજા શિખર ઉપર ભક્ત ચઢાવવા જશે. ભક્તને ધજા ચડાવતા હોય તેવા ફોટા તેના મોબાઈલમાં મોકલવામાં આવશે. ભક્તોએ હવેથી મંદિર પર ચડાવવા માટેની ધજા મંદિરમાંથી જ લેવાની રહેશે અને તેના માટે તેણે સાઈઝ મુજબ રૂ. 5100 સુધીનો નક્કી કરેલો ચાર્જ આપવાનો રહેશે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે અંબાજી મંદિરના યાજ્ઞિક ત્રિપ્રમંડળના બ્રાહ્મણો પણ ધ્વજા રોહણ નિયમને લઈને વહીવટદારની મુલાકાત માટે આવ્યા હતા. વહીવટદારે રજૂઆતો સાંભળીને જણાવ્યું હતું કે હાલ પૂરતી જૂની વ્યવસ્થા ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સોમનાથ અને દ્વારકામાં પણ ભક્તો માટે મંદિરના શિખર પર ધજા ચડાવવા માટે ચાર્જ વસૂલવાનું શરૂ કરાયું હતું. એ રીતે હવે અંબાજી મંદિરમાં પણ ધજા ચડાવવાનો ચાર્જ વસૂલવાનું નક્કી કરાયું છે. જો કે, આટલી મોટી રકમ નક્કી કરી હોવા છતાં આજે પહેલા દિવસે પણ કેટલાક ભક્તોએ મંદિર પર ધજા ચડાવી હોવાનું જાણવા મળે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/at-Somnath-the-local-brahmins-went-on-a-fast-while-worshiping-outside-brahmins"><strong>સોમનાથમાં બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવાતા સ્થાનિક બ્રાહ્મણો ઉપવાસ પર ઉતર્યા</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 01 Aug 2024 20:47:04 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1013</Articleid>
                    <excerpt>ઉત્તર ગુજરાતના યાત્રાધામ અંબાજી ખાતે અત્યાર સુધી ભક્તો ફ્રીમાં ધજા ચડાવી શકતા હતા, પણ હવે તેમણે રૂ. 5100 સુધીનો ચાર્જ આપવો પડશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66aba623cf84b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66aba6239b3ad.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66aba6239b3ad.jpg" length="90733" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખેડામાં બે શાળાઓને વાલીઓએ વિચિત્ર કારણોસર તાળાં મારી દીધાં</title>
                    <link>https://khabarantar.com/two-schools-in-kheda-were-locked-by-parents-for-strange-reasons</link>
                    <guid>https://khabarantar.com/two-schools-in-kheda-were-locked-by-parents-for-strange-reasons</guid>
                    <description>
                        <![CDATA[ ખેડામાં વિચિત્ર ઘટના બની છે. એક શાળામાં બદલી થયેલા શિક્ષક પરત આવતા તાળાં માર્યા, બીજીમાં શિક્ષકની બદલી થતા તાળાં મારી દીધાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખેડા જિલ્લામાં બે અલગ અલગ ઘટનાઓમાં વાલીઓ દ્વારા શાળાઓની તાળાબંધીની વિચિત્ર ઘટનાઓ સામે આવી છે. એક શાળામાં વાલીઓએ બદલી થયેલા આચાર્ય ફરીથી શાળામાં પરત ફરતા તેમના વિરોધમાં શાળાને તાળાં મારી દીધાં હતા. બીજી ઘટનામાં વાલીઓએ વિદ્યાર્થીઓના ગમતા શિક્ષકની બદલી થતા શાળાને તાળાં મારી દીધાં હતા. આ બંને ઘટનાઓને લઈને હાલ સમગ્ર જિલ્લાના શિક્ષણ બેડામાં ચર્ચા થઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની બદલી કરાવવા અને અન્ય કિસ્સાઓમાં બદલી કરાવવા માટે વાલીઓ દ્વારા તાળાબંધી ની તલવાર ઉઠાવવામાં આવી રહી છે. બાળકોના હિતને આગળ ધરીને આડકતરી રીતે બાળકોનું અહિત કરી રહેલી તાળાબંધીની તલવાર અધિકારીઓનું નાક દબાવવામાં તો સારી કામ આવે છે પણ બાળકોના અભ્યાસ અને માનસિકતાને માઠી અસર પહોંચાડી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે જાણવા મળ્યા મુજબ ગળતેશ્વર તાલુકાના મીઠાના મુવાડા ગામની પ્રાથમિક શાળાના આચાર્યની કેટલાક મહિનાઓ પહેલાં ગ્રામજનોની માંગણીને ધ્યાનમાં રાખીને અન્ય તાલુકામાં બદલી કરી દેવામાં આવી હતી. જોકે જિલ્લા કચેરી દ્વારા આજે બદલી કરાયેલ શિક્ષકને પરત શાળામાં મૂકવામાં આવતાં મીઠાના મુવાડા પ્રાથમિક શાળાના વાલીઓએ બાળકો સાથે શાળાને તાળાબંધી કરીને અનેકવિધ આક્ષેપો કર્યા હતા. જેને પગલે ભારે હોબાળો થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/how-will-gujarat-learn-in-this"><span style="font-size: 14pt;">આમાં કેવી રીતે 'ભણશે ગુજરાત'?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આનાથી તદ્દન વિપરીત બનાવ ઠાસરા તાલુકાના પિપલવાડા પે સેન્ટરની દીપકપુરા પ્રાથમિક શાળામાં જોવા મળ્યો હતો. અહીં શાળાના આચાર્યની બેદરકારીને કારણે છતના પોપડા પડવાથી બાળકોને ઈજાઓ થવાના મામલામાં અન્ય તાલુકામાં બદલી કરવામાં આવી હતી. જો કે બદલી કરાયેલ શાળાના આચાર્યની બદલી અટકાવવા ગામલોકોએ તાળાબંધી કરીને અધિકારીઓ ઉપર દબાણ બનાવવાની કોશિશ કરી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ એક જ જિલ્લામાં તાળાબંધી નું શસ્ત્ર અલગ અલગ રીતે વાપરવામાં આવી રહ્યું છે ત્યારે સવાલો એવા ઉઠી રહ્યા છે કે શું તાળાબંધી કાયદેસર છે? શું તાળાબંધીના શસ્ત્ર સામે અધિકારીઓ નતમસ્તક થઈ જાય છે? શું તાળાબંધીનો દુરુપયોગ કેટલાક શિક્ષકો જ વાલીઓ પાસે કરાવી રહ્યાં છે? આવા અનેક સવાલોના જવાબો વણઉકલ્યા છે અને એટલે જ શિક્ષણ વિભાગે આ બાબતે નક્કર જવાબો શોધવા જરૂરી છે. બાકી કોઈપણ શિક્ષકની બદલી અટકાવવા અને કરાવવા વાલીઓ પાસે તાળાબંધી કરાવવી તે સામાન્ય થઈ જશે એમાં કોઈ બેમત નથી. આ બંને ઘટનાઓમાં સ્થાનિક સ્તરે વર્ચસ્વ ધરાવતી જાતિઓનું દબાણ અને જાતિવાદી રાજકારણ કામ કરતું હોવાનું પણ કહેવાય છે. જોવાનું એ રહે છે કે શિક્ષણ તંત્ર આમાં શું પગલાં લે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/only-15-government-secondary-schools-among-351-villages-in-anand-district"><strong>આણંદ જિલ્લાના 351 ગામો વચ્ચે માત્ર 15 સરકારી માધ્યમિક સ્કૂલો!</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 01 Aug 2024 18:48:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1012</Articleid>
                    <excerpt>ખેડામાં વિચિત્ર ઘટના બની છે. એક શાળામાં બદલી થયેલા શિક્ષક પરત આવતા તાળાં માર્યા, બીજીમાં શિક્ષકની બદલી થતા તાળાં મારી દીધાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66ab8a0c9fb9c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ab8a0c6e148.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ab8a0c6e148.jpg" length="115171" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપનો કાર્યકર યુવતીને ભગાડી જતાં લોકોએ ધારાસભ્યની ઓફિસને ઘેરી</title>
                    <link>https://khabarantar.com/people-surrounded-the-mlas-office-chasing-away-the-bjp-worker-girl</link>
                    <guid>https://khabarantar.com/people-surrounded-the-mlas-office-chasing-away-the-bjp-worker-girl</guid>
                    <description>
                        <![CDATA[ સૌરાષ્ટ્રના એક ગામમાં ભાજપનો એક કાર્યકર ગામની જ યુવતીને ભગાડી જતા ગામલોકોએ ધારાસભ્યની ઓફિસને ઘેરીને હોબાળો મચાવ્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં સત્તાધારી ભાજપની હાલ માઠી દશા ચાલી રહી હોય તેમ લાગે છે. એકબાજુ કેન્દ્રમાં મોદી સરકાર સાથીપક્ષોની કાંઘખોડી સરકાર ચલાવવા મજબૂર છે, બીજી તરફ અહીં દરરોજ ભાજપના કોઈને કોઈ નેતા, આગેવાન કે કાર્યકર દ્વારા કૌભાંડ, છેતરપિંડી કે દાદાગીરીના કિસ્સાઓ સામે આવતા રહે છે. અમદાવાદમાં એક કાર્યકરે 400 જેટલી ગાડીઓ કમલમમાં ભાડે મૂકવાનું કહી અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી. બીજી તરફ સૌરાષ્ટ્રમાં એક યુવતી સાથે ભાજપના બે નેતાઓએ રેપ કર્યાનો મામલો ચગ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં હવે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં ઓટાળા ગામમાંથી ભાજપનો આગેવાન ગામની યુવતીને ભગાડી જતાં ગામલોકોએ એકઠા થઈને મોરબીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની ઓફિસે હંગામો મચાવ્યો છે. આ મામલે પોલીસ ફરિયાદ ના લેતા ગામના લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે ઓટાળા ગામની યુવતીના પરિવારજનો, ગામની મહિલાઓ તેમજ લોકો ગઈકાલે મોરબી રવાપર ચોકડી આવેલી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના કાર્યાલયે દોડી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-bjp-worker-looted-400-vehicles-saying-that-there-was-a-need-for-vehicles-in-kamalam"><span style="font-size: 14pt;">કમલમમાં ગાડીની જરૂર હોવાનું કહી ભાજપ કાર્યકરે 400 ગાડીઓ પચાવી પાડી</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામલોકોએ દેખાવો કરતા આક્ષેપ કર્યો હતો કે, ભાજપના રાજમાં દીકરી સલામત નથી અને ભાજપનો આગેવાન જ અમારી દીકરીને ભગાડી ગયો છે, જેથી પોલીસ તેને પકડતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામલોકોએ કહ્યું હતું કે, ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા પરિવારની દીકરીને તે જ ગામમાં રહેતો ભાજપનો આગેવાન બેચર ઘોડાસરા ભગાડી ગયો છે. એ પછી દીકરીનો પરિવાર નામજોગ ફરિયાદ કરવા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ગયો હતો પરંતુ </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે પરિવારની ફરિયાદ લઈને દીકરીને શોધવા અને આરોપીને પકડવા માટેની કામગીરી કરી ન હતી અને માત્ર અરજી લઈને તપાસ કરવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામલોકોનો આક્ષેપ છે કે, ત્રણ દિવસમાં દીકરીનો કોઈ પત્તો લાગ્યો નથી. જેથી ભોગ બનેલા પરિવારની સાથે ૫૦૦થી વધુ ગ્રામલોકોએ મોરબીની રવાપર ચોકડી પાસે આવેલી ધારાસભ્ય દુર્લભજી દેથરીયાની ઓફિસે પહોંચીને હોબાળો મચાવ્યો હતો અને ભાજપનો આગેવાન ગામની દીકરીને ભગાડી ગયો હોવાથી પોલીસ ફરિયાદ લેતી નથી તેવો આક્ષેપ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે "બેચર ઘોડાસરા નામનો કથિત ભાજપનો કાર્યકર ગામની જ દીકરીને લઈ ગયો છે. તેની સામે પગલાં લઈને તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે. દીકરીને તાત્કાલિક શોધી કાઢવા માટે ભોગ બનેલા પરિવારના લોકોની હાજરીમાં મેં એસપી અને ડીવાયએસપી સાથે ટેલીફોનીક વાત કરી છે અને ઘટતી કાર્યવાહી કરવાની સાથે આ શખ્સનાં જે કોઈ સાગરીતો છે તેની સામે પણ કાર્યવાહી કરવા માટેની સૂચના આપી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/two-bjp-leaders-raped-a-student-in-atkot"><strong>આટકોટમાં ભાજપના બે આગેવાનોએ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 01 Aug 2024 13:45:26 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1010</Articleid>
                    <excerpt>સૌરાષ્ટ્રના એક ગામમાં ભાજપનો એક કાર્યકર ગામની જ યુવતીને ભગાડી જતા ગામલોકોએ ધારાસભ્યની ઓફિસને ઘેરીને હોબાળો મચાવ્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66ab44010d030.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ab4400d1cfc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ab4400d1cfc.jpg" length="113295" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સરકારી બેંકો મિનિમમ બેલેન્સ પેનલ્ટીમાંથી 5 વર્ષમાં 8500 કરોડ કમાઈ</title>
                    <link>https://khabarantar.com/government-banks-earned-8500-crores-in-5-years-from-minimum-balance-penalty</link>
                    <guid>https://khabarantar.com/government-banks-earned-8500-crores-in-5-years-from-minimum-balance-penalty</guid>
                    <description>
                        <![CDATA[ ભારતની સરકારી બેંકો લઘુત્તમ બેલેન્સ પેનલ્ટીના નિયમ હેઠળ દેશના સામાન્ય માણસને કેવી રીતે લૂંટી રહી છે તેનું આ સૌથી મોટું ઉદાહરણ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત જેવા ગરીબ દેશમાં જ્યાં 80 કરોડ લોકો બે ટંકના અનાજ માટે સરકાર પર નિર્ભર છે, ત્યાં સરકારી બેંકોએ પણ રીતસરનું લોકોને લૂંટવાનું ચાલું કરી દીધું છે. સર્વિસના નામે ગ્રાહકો પાસેથી બેંકો પૈસા પડાવવાની એક તક જતી નથી કરતી. એસબીઆઈ જેવી સરકારી બેંકનું તો કદી કોઈ એટીએમ ચાલું સ્થિતિમાં હોતું નથી તેવી અનેક ગ્રાહકોની ફરિયાદ હોય છે, પણ તેના માટે બેંકને કોઈ પેનલ્ટી લગાડી શકાતી નથી. પણ બેંક ગ્રાહક પાસેથી તરત પેનલ્ટી વસૂલી લે છે. આવો જ એક મુદ્દો હાલ ચર્ચામાં આવ્યો છે, જેમાં સરકારી બેંકોએ મિનિમમ બેલેન્સ પેનલ્ટી પેટે ગ્રાહકોના કરોડો રૂપિયા ઉસેડી લીધાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો ગ્રાહક પોતાના બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવી નથી શકતા તો તેમણે દંડ ભરવો પડે છે, બેંક તમારી પાસેથી ચાર્જ વસૂલે છે. મિનિમમ બેલેન્સનો આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. વિપક્ષે લોકસભામાં આ મામલે સવાલ પૂછ્યો હતો, જેના જવાબમાં નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જવાબ આપતા કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોએ મિનિમમ બેલેન્સ પેનલ્ટીમાંથી રૂ. ૮૫૦૦ કરોડની રૂપિયાની કમાણી કરી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/scam-of-snatching-scholarship-from-reserved-category-students">અનામત કેટેગરીના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પડાવી લેવાનું કૌભાંડ પકડાયું</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશની મોટી સરકારી બેંકો પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, ઈન્ડિયન બેંક, કેનેરા બેંક અને બેંક ઓફ ઈન્ડિયાએ મિનિમમ બેલેન્સ પેનલ્ટી વસૂલ કરીને કરોડો રૂપિયાની કમાણી કરી છે, બીજી તરફ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઈએ નાણાકીય વર્ષ ૨૦૨૦થી લઘુત્તમ બેલેન્સ પેનલ્ટી વસૂલવાનું બંધ કરી દીધું છે. છેલ્લા પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોની લઘુત્તમ બેલેન્સ પેનલ્ટીની રકમમાં ૩૮ ટકાનો વધારો થયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાહેર ક્ષેત્રની બેંકોએ નાણાકીય વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૪ દરમિયાન લઘુત્તમ બેલેન્સ પેનલ્ટીમાંથી ૮૫૦૦ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. એસબીઆઇએ ૨૦૧૯-૨૦માં મિનિમમ બેલેન્સ પેનલ્ટીથી રૂ. ૬૪૦ કરોડની કમાણી કરી છે. જ્યારે પીએનબીએ ૨૦૨૩-૨૪માં ૬૩૩ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેવી જ રીતે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં બેંક ઓફ બરોડાએ ૩૮૭ કરોડ રૂપિયા, ઇન્ડિયન બેંકે ૩૬૯ કરોડ રૂપિયા, કેનેરા બેંકે ૨૮૪ કરોડ રૂપિયા અને બેંક ઓફ ઈન્ડિયાએ ૧૯૪ કરોડ રૂપિયાની કમાણી કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Modi-government,-corporate-and-individual-tax-payers:-eat,-eat,-mix">સરકાર, કોર્પોરેટ્સ અને વ્યક્તિગત કરદાતાઃ જમવામાં જગલો કૂટવામાં ભગલો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમારા બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ સરકાર તમારી પાસેથી દંડ વસૂલે છે. આ મિનિમમ બેલેન્સની મર્યાદા શહેરો અને ગામડાઓ પ્રમાણે બદલાય છે. ઉદાહરણ તરીકે, એક શહેરમાં પંજાબ નેશનલ બેંક એકાઉન્ટ માટે લઘુત્તમ બેલેન્સ ૨૦૦૦ રૂપિયા છે, નાના શહેરો માટે તે ૧૦૦૦ રૂપિયા છે અને ગામડાં માટે તે ૫૦૦ રૂપિયા છે. જો પીએનબી ખાતાધારકો તેમના બેંક ખાતામાં લઘુત્તમ બેલેન્સ જાળવી રાખતા નથી, તો શહેરના ગ્રાહકો પાસેથી ૨૫૦ રૂપિયા, નાના શહેરોના ગ્રાહકો પાસેથી ૧૫૦ રૂપિયા અને ગામડાના ખાતાધારકો પાસેથી ૧૦૦ રૂપિયા દંડ તરીકે વસૂલવામાં આવશે. બેંકોએ મિનિમમ બેલેન્સ અને પેનલ્ટીની રકમ નક્કી કરી છે. જો તમારા ખાતામાં બેલેન્સ આનાથી ઓછું હોય તો બેંકો માસિક અથવા ત્રિમાસિક ચાર્જ વસૂલે છે.</span><br><span style="font-size: 14pt;">આ મામલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મિનિમમ બેલેન્સ પર પેનલ્ટી વસૂલતી બેંકો પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીના શાસનમાં સામાન્ય ભારતીયોના 'ખાલી ખિસ્સા' પણ કાપવામાં આવી રહ્યા છે. ઉદ્યોગપતિ મિત્રોના ૧૬ લાખ કરોડ રૂપિયા માફ કરનાર સરકારે બેંકોમાં મિનિમમ રકમ પણ જાળવી ન શકતા ગરીબ ભારતીયો પાસેથી ૮૫૦૦ કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. 'દંડ પ્રથા' એ મોદીના ચક્રવ્યૂહનો દરવાજો છે જેના દ્વારા સામાન્ય ભારતીયની કમર તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/banking-fraud-cases-in-gujarat-increased-by-469-percent-in-a-single-year">ગુજરાતમાં બેન્કીંગ ફ્રોડના કેસોમાં એક જ વર્ષમાં 469 ટકાનો વધારો થયો</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 31 Jul 2024 13:00:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1006</Articleid>
                    <excerpt>ભારતની સરકારી બેંકો લઘુત્તમ બેલેન્સ પેનલ્ટીના નિયમ હેઠળ દેશના સામાન્ય માણસને કેવી રીતે લૂંટી રહી છે તેનું આ સૌથી મોટું ઉદાહરણ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a9e7db147a6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a9e7dad62b3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a9e7dad62b3.jpg" length="116778" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડૉ. આંબેડકર ફાઉન્ડેશનના બાકી કામો મુદ્દે મંત્રી ભાનુબહેનને અરજી કરાઈ</title>
                    <link>https://khabarantar.com/minister-bhanuben-applied-for-pending-works-of-dr-ambedkar-foundation</link>
                    <guid>https://khabarantar.com/minister-bhanuben-applied-for-pending-works-of-dr-ambedkar-foundation</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદના રાણીપ સ્થિત ડો. આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનના અનેક કામો છેલ્લાં 17 વર્ષથી બાકી છે. ત્યારે આ મામલે મંત્રી ભાનુબહેન બાબરિયાને આવેદનપત્ર અપાયું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના રાણીપમાં આવેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનમાં છેલ્લાં 17 વર્ષથી અનેક કામો અધૂરાં છોડી દેવાયેલી હાલતમાં પડ્યાં છે. આ મામલે બહુજન સમાજના જાગૃત નાગરિકોએ ડૉ. આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન લડત સમિતિની રચના કરીને અત્યાર સુધીમાં અનેક કાર્યક્રમો આપ્યા છે. તેમ છતાં સરકાર તરફથી આ મામલે કોઈ પગલાં લેવાયા નથી. ત્યારે આ મામલે હવે લડત સમિતિ દ્વારા ગાંધીનગર જઈને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબહેન બાબરિયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને બાકી કામો તાત્કાલિક પૂર્ણ કરવા માંગ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. આંબેડકર ફાઉન્ડેશન લડત સમિતિના મુખ્ય કન્વીનર બાલકૃષ્ણ આનંદે ખબરઅંતર.કોમ સાથે વિસ્તારથી આ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, રાણીપમાં આવેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનનું લોકાર્પણ વર્ષ 2007ની 14મી એપ્રિલે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ફાઉન્ડેશનની અંદર અનેક કામો છેલ્લાં 17 વર્ષથી બાકી છે. જેના કારણે આ વિસ્તારના નાગરિકો તેના લાભથી વંચિત રહી જાય છે. અહીં બહુજન સમાજની 17 જેટલી સોસાયટીઓ આવેલી છે અને તેમના માટે આ ફાઉન્ડેશનમાં અનેક સુવિધાઓ વિકસાવવાનું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. તેમ છતાં કામો અધૂરાં છોડી દેવાયા છે. જેને લઈને તા.૩૦/૭/૨૦૨૪ ના રોજ કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકી સાથે ડૉ. આંબેડકર વિચાર મંચ અને લડત સમિતિનું એક પ્રતિનિધિ મંડળ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાને મળી બાકી કામો તાત્કાલિક પૂર્ણ થાય અને ઓડિટોરિયમ સત્વરે બને તેની માંગણીનું આવેદનપત્ર આપેલ હતું."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/The-police-failed-to-protect-the-Dalits-until-now-so-many-killings-took-place"><span style="font-size: 14pt;">દલિતોને રક્ષણ આપવામાં પોલીસ નિષ્ફળ જતા અત્યાર સુધીમાં આટલી હત્યાઓ થઈ</span></a><br></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202407/image_870x_66a9d7f819c16.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રતિનિધિ મંડળમાં ડૉ.આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન લડત સમિતિના મુખ્ય કન્વીનર બાલકૃષ્ણ આનંદ અને ડૉ. આંબેડકર વિચાર મંચ રાણીપના કન્વીનરો જે. સી. પરમાર, મિલિંદ પ્રિયદર્શી સાથે રાણીપના જાગૃત નાગરિકો નારણભાઈ સોલંકી અને અંબાલાલ સોલંકી પણ જોડાયા હતાં.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202407/image_870x_66a9d7f789864.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાકી કામો પૂર્ણ કરાવવામાં મંત્રીશ્રી અંગત રસ લઈ રહ્યાં હોઈ સત્વરે કામો પૂર્ણ કરાવવાની તેમણે ખાત્રી આપેલ હતી. કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીએ પણ બાકી કામો તાત્કાલિક પૂર્ણ કરાવવા અંગેનો ભલામણ પત્ર મંત્રીશ્રીને સુપ્રત કરેલ હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલું ડૉ. આંબેડકર ફાઉન્ડેશન બહુજન સમાજ માટે અનેક રીતે મહત્વનું છે. તેનું ઉદ્ઘાટન વર્ષ 2007માં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. એ વખતે અહીં રૂ. 5 કરોડ જેવી માતબર રકમ ખર્ચીને ફોટો-મલ્ટિમીડિયા ગેલેરી, ચલચિત્ર અને મ્યૂઝિક વિભાગ, ઈ-લાઈબ્રેરી, લાઈટ એન્ડ સાઉન્ડ શો, ઍરકન્ડિશનર ઓડિટોરિયમ, ગેસ્ટ હાઉસ અને આધુનિક ઓપન ઍર થિયેટર તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ વાતને આજકાલ કરતા 17 વર્ષ કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં સરકાર દ્વારા આ કામો પૂર્ણ કરવામાં આવ્યા નથી. આ મામલે અનેક વાર રજૂઆતો કરી છે છતાં કામોમાં કોઈ પ્રગતિ ન જણાતા આખરે બહુજન સમાજના આગેવાનોએ સરકાર સામે મોરચો માંડ્યો છે અને અધૂરાં કાર્યો પૂર્ણ કરાવવા માટે લડત છેડી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong> </span><a href="https://khabarantar.com/Ahmedabad-Dr.-An-application-letter-will-be-given-to-the-Chief-Minister-to-complete-the-pending-works-of-Ambedkar-Foundation"><strong>અમદાવાદના ડૉ. આંબેડકર ફાઉન્ડેશનના બાકી કામો પૂર્ણ કરવા મુખ્યમંત્રીને આવેદન પત્ર અપાશે</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 31 Jul 2024 11:56:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1005</Articleid>
                    <excerpt>અમદાવાદના રાણીપ સ્થિત ડો. આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનના અનેક કામો છેલ્લાં 17 વર્ષથી બાકી છે. ત્યારે આ મામલે મંત્રી ભાનુબહેન બાબરિયાને આવેદનપત્ર અપાયું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a9d83385bbc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a9d83355cc2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a9d83355cc2.jpg" length="118985" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે વેપારી સાથે 2.63 કરોડની છેતરપિંડી</title>
                    <link>https://khabarantar.com/2.63-crore-fraud-with-a-businessman-in-the-name-of-building-swaminarayan-temple</link>
                    <guid>https://khabarantar.com/2.63-crore-fraud-with-a-businessman-in-the-name-of-building-swaminarayan-temple</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદના એક વેપારી સાથે સ્વામીનારાયણ મંદિર બનાવવાના નામે એક સાધુ સહિત 9 લોકોએ મળીને રૂ. 2.63 કરોડની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્મની આડમાં ધંધો વિકસાવનારા તત્વોનો ગુજરાતમાં જાણે રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ છે. દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં ધર્મની આડમાં છેતરપિંડી કે ધંધા કરી લેવાની વૃત્તિના કોઈને કોઈ સમાચાર આવતા રહે છે. આવી જ એક ઘટનામાં લેભાગુ તત્વોએ અમદાવાદના એક વેપારી સાથે મંદિર સ્વામીનારાયણ મંદિર બનાવવાના બહાને રૂ. 2.63 કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે સ્વામીનારાયણ મંદિર બનાવવાના નામે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના સાવલી ખાતે ૬૦૦ વીઘા જમીનના ખોટા એમઓયુ કરી અમદાવાદના વેપારી પાસેથી પહેલા ૩.૭૫ કરોડ લઈ લેવામાં આવ્યા હતા. જેમાં જે. પી. સ્વામી નામના એક સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ સહિત નવ ઇસમોની સંડોવણી સામે આવી છે. હાલ સાત આરોપીઓ વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આ મામલાની મળતી વિગતો મુજબ, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા ભૂપેન્દ્ર પટેલ વેપાર તેમજ જમીન લે વેચનો ધંધો કરે છે. તેમને ત્રણેક વર્ષ અગાઉ જમીન લે વેચના દલાલ મહેન્દ્ર ઝંખવાડીયા મળ્યા હતા. તેમણે ભૂપેન્દ્રભાઈને, સ્વામીનારાયણ મંદિર બનાવવા માટે કઠલાલ તાલુકાના લસુન્દ્રા, વિશ્વનાથપુરા સાવલી ખાતે ૬૦૦ વીઘા જમીન જોઈએ છે તેમ જણાવ્યું હતું. તેમણે ભૂપેન્દ્રભાઈની જે. પી. સ્વામી સહિત આઠ લોકોનો સંપર્ક કરાવી વિશ્વાસમાં લઈ જમીનના ખોટા એમઓયુ કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/swami-used-to-look-at-other-girls-besides-me-with-dirty-eyes">સ્વામી મારા સિવાય બીજી છોકરીઓને પણ ગંદી નજરથી જોતા હતા...</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એમઓયુ પેટે રૂ. ૩.૭૫ કરોડ લીધા બાદ ભૂપેન્દ્રભાઈએ આ લોકોનો સંપર્ક કરતા કોઈ હકારાત્મક જવાબ આપતા નહોતા. બાદમાં ત્રણ ઈસમોએ રૂ. ૧.૧૨ કરોડ પરત આપ્યા હતા. જ્યારે બાકી પડતા રૂ. ૨.૬૩ કરોડ નહીં મળતા તેમજ તે બાબતે કોઈ જવાબ નહીં આપતા ભૂપેન્દ્રભાઈને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આ સમગ્ર મામલામાં ભૂપેન્દ્ર પટેલની ફરિયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સાત ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં સુરતના લાલજી ઢોલા, નીતિન ઈટાલીયા, સુરેશ ગોરી તથા ધોળકાના મનસુરખાન પઠાણ તથા અમદાવાદના મહેન્દ્ર ઝંખવાડીયા, સુરેશ ભરવાડ અને મફાભાઈ ભરવાડનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ખેડાના એસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે અમદાવાદના ફરિયાદી ભૂપેન્દ્ર પટેલે છેતરપિંડી અને વિશ્વાસઘાત બાબતમાં ફરિયાદ કરી છે. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં આશરે નવ લોકો સામેલ છે. નવે નવમાંથી તમામનો રોલ શું છે એ અંગે વિગતવાર તપાસ કરાશે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/swaminarayan-literature-contains-nonsense-and-outright-lies">સ્વામિનારાયણ સાહિત્ય વાહિયાત અને તદ્દન જૂઠાં પરચાઓથી ભરેલું છે</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 31 Jul 2024 09:21:57 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1003</Articleid>
                    <excerpt>અમદાવાદના એક વેપારી સાથે સ્વામીનારાયણ મંદિર બનાવવાના નામે એક સાધુ સહિત 9 લોકોએ મળીને રૂ. 2.63 કરોડની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a9b2ef0a6d9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a9b2eece35c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a9b2eece35c.jpg" length="78599" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બેરોજગારોમાં 80 ટકા યુવાનો છતાં મંત્રીજીએ કહ્યું દેશમાં નોકરીની ઘટ નથી</title>
                    <link>https://khabarantar.com/although-80-percent-of-the-youth-are-unemployed-the-minister-said-there-is-no-shortage-of-jobs-in-the-country</link>
                    <guid>https://khabarantar.com/although-80-percent-of-the-youth-are-unemployed-the-minister-said-there-is-no-shortage-of-jobs-in-the-country</guid>
                    <description>
                        <![CDATA[ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના રિપોર્ટમાં ભારતના 80 ટકા યુવાનો બેકાર હોવાનું સામે આવ્યું છે, પણ કેન્દ્ર સરકારના ગુજરાતી મંત્રી કહે છે કે દેશમાં નોકરીની અછત નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભાની ચૂંટણી પહેલા જ આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનો રિપોર્ટ આવ્યો હતો, જેમાં ચોંકાવનારી બાબત એ સામે આવી હતી કે દેશના બેરોજગારોમાં 80 ટકા યુવાનો છે. આ મામલો ચૂંટણીમાં પણ છવાયેલો રહ્યો હતો અને યુવાનોમાં તેને લઈને ભારે આક્રોશ છે ત્યારે કેન્દ્રિય શ્રમ અને રોજગાર મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ સાવ જુદી જ વાત કરતા જણાવ્યું હતું કે, દેશમાં નોકરીઓની કોઈ અછત નથી અને યુવાનોને ભરમાવવામાં આવી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનસુખ માંડવિયાએ નેશનલ કરિયર સર્વિસ પોર્ટલ પર ઉપલબ્ધ ૧૯ લાખથી વધુ રોજગારની તકો હોવાનો દાવો કરતાં લોકસભામાં જણાવ્યું હતું કે, દેશમાં નોકરીઓની કોઈ અછત નથી અને લોકોને ભરમાવવામાં આવી રહ્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટીએમસીના સાંસદ કલ્યાણ બેનરજી દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે રોજગાર સર્જન માટે અનેક યોજનાઓ જાહેર કરી છે અને હવે બેરોજગારી દર ઘટી ૩.૨ ટકા થયો છે. તેમણે દાવો કર્યો હતો કે, ભવિષ્યમાં આ દર ૩ ટકાથી પણ ઘટવાની શક્યતા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/college-degree-wont-do-anything-open-a-puncture-shop-bjp-mla"><span style="font-size: 14pt;">કૉલેજેની ડિગ્રીથી કશું થવાનું નથી, પંચરની દુકાન ખોલો: ભાજપના ધારાસભ્ય</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે કોઈપણ દેશની અર્થવ્યવસ્થા 7 થી 8 ટકાના દરે વધે છે, તો તેની પાછળ તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, સર્વિસ સેક્ટરમાં વૃદ્ધિ, ઉત્પાદન ક્ષમતામાં વધારો જવાબદાર હોય છે. આ બધું વધી રહ્યું હોય તો રોજગારની તકો પણ વધે છે. તેથી ચિંતા કરવાની જરૂર નથી. નેશનલ કરિયર સર્વિસ પોર્ટલ પર ૧૯ લાખ નોકરીઓ માટે લોકોએ પોસ્ટ મૂકી છે, જેના પર જઈને યુવાનો અરજી કરી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે આગળ જણાવ્યું હતું કે, બેરોજગારી એક ગંભીર મુદ્દો છે, જે ભારતના આર્થિક દ્રષ્ટિકોણને પડકારે છે. વિવિધ કાર્યબળ ધરાવતા વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો પૈકી એક એવા ભારતમાં બેરોજગારી દરમાં ઉતાર-ચડાવ દેશના વિકાસ અને વૃદ્ધિ પર અસરો કરે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં વર્તમાન બેરોજગારીના દરના સવાલમાં જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે, તમારા પરિવારમાં કોઈને પણ નોકરી જોઈએ, તો જો તે યોગ્યતા ધરાવતા હશે તો મળશે. દેશમાં નોકરીઓની કોઈ અછત નથી. પહેલા બેરોજગારી દર ૬ ટકા હતો. આજે ઘટી ૩.૨ ટકા થયો છે. જે ભવિષ્યમાં ૩ ટકાથી વધુ ઘટશે. લોકોને ભ્રમમાં નાખવામાં આવી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/fake-dalits-fake-tribals-who-are-eating-the-jobs-of-sc-sts"><strong>નકલી દલિત - નકલી આદિવાસી બની SC-ST ની નોકરીઓ કોણ ખાય છે?</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 30 Jul 2024 12:20:31 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1001</Articleid>
                    <excerpt>આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના રિપોર્ટમાં ભારતના 80 ટકા યુવાનો બેકાર હોવાનું સામે આવ્યું છે, પણ કેન્દ્ર સરકારના ગુજરાતી મંત્રી કહે છે કે દેશમાં નોકરીની અછત નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a88c556f20f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a88c554087b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a88c554087b.jpg" length="92811" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>રૂપાણી સરકારના ચાર પૂર્વ મંત્રીઓને હજુ સરકારી બંગલાનો મોહ છુટતો નથી</title>
                    <link>https://khabarantar.com/the-four-former-ministers-of-the-rupani-government-are-still-infatuated-with-the-government-bungalow</link>
                    <guid>https://khabarantar.com/the-four-former-ministers-of-the-rupani-government-are-still-infatuated-with-the-government-bungalow</guid>
                    <description>
                        <![CDATA[ મંત્રી પદ ગયું હોવા છતાં પૂર્વ મંત્રીઓને સરકારી બંગલાનો મોહ છૂટતો નથી. રૂપાણી સરકારના ચાર પૂર્વ મંત્રીઓએ હજુ પણ સરકારી બંગલો ખાલી કર્યો નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજયના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ બન્યાને આજે ત્રણ વર્ષ જેટલો સમય થઈ ગયો છે તેમ રૂપાણી સરકારમાં મંત્રી પદ ભોગવી ચૂકેલા ચાર જેટલા મંત્રીઓએ હજુ સુધી સરકારી બંગલો ખાલી કર્યા નથી. આ ઉપરાંત કેટલાક બોર્ડ નિગમના પૂર્વ પદાધિકારીઓએ પણ પોતાના બંગલા ખાલી કર્યા નથી. જેના કારણે અનેક અધિકારીઓને મકાન ફાળવણી થઈ શકતી નથી.  </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિજય રૂપાણીની સરકારમાં મંત્રી રહી ચૂકેલા ચાર જેટલા મંત્રીઓએ પોતાનું મંત્રી પદ છીનવાઇ ગયા બાદ અને ધારાસભ્ય પદ પણ ન હોવા છતાં ત્રણ ત્રણ વર્ષથી સરકારી બંગલા પર કબ્જો જમાવી રાખ્યો હોવાનું સામે આવ્યું છે. આ અંગે સરકાર દ્વારા અનેક નોટિસો ફટકારવામાં આવી હોવા છતાં સરકારી બંગલા ખાલી કરવામાં આવતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/madhya-pradesh-employment-minister-wins-election-on-fake-sc-certificate-to-become-minister"> <span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના રોજગારમંત્રી નકલી SC સર્ટિ પર ચૂંટણી જીતી મંત્રી બની ગયા?</span></a></strong></span><strong></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર વિજય રૂપાણીમાં મંત્રી પદ ભોગવી ચૂકેલા ચાર જેટલા પૂર્વ મંત્રીઓએ ત્રણ ત્રણ વર્ષથી સરકારી બંગલા પર કબજો જમાવી રાખ્યો છે. જેમાં રમણ પાટકર, જયદ્રથસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકૂભા) અને આત્મારામ પરમારનો સમાવેશ થાય છે.આ ચાર પૂર્વ મંત્રીઓમાંથી બે તો હાલમાં ધારાસભ્ય પદ પર પણ નથી. આ ઉપરાંત કેટલાક બોર્ડ- નિગમના પૂર્વ પદાધિકારીઓએ પણ તેમને ફાળવેલા સરકારી બંગલાને ખાલી કર્યા નથી. આ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલયમાંથી દૂર કરાયેલા ખાસ ફરજ ઉપરના અધિકારી હિતેશ પંડયાએ પણ સરકારી આવાસ ખાલી કર્યું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રૂપાણી સરકાર બાદ ભૂપેન્દ્ર પટેલની 2.0 સરકાર પણ ત્રણ વર્ષ પૂર્ણ કરવાની નજીક પહોંચી ગઈ છે. ત્યારે બદલી પામીને ગાંધીનગર આવેલા આઇએએસ, આઇપીએસ અને આઇએફએસ સહિત સ્ટેટ કેડરના વર્ગ-1ના અધિકારીઓને સરકારી આવાસ ન મળવાથી તેઓ ફસાયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે ગુજરાત હાઈકોર્ટે પણ અમદાવાદ સ્થિત સરકારી બંગલા ખાલી કરાવવાનો આદેશ કર્યો છે ત્યારે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા ગાંધીનગરમાં ફાળવાયેલા સરકારી આવાસોને રાજકીય નેતાઓ દ્વારા પદ છોડયા પછી પણ ખાલી કરવામાં આવતા નથી.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રોના જણાવ્યા મુજબ પૂર્વ મંત્રી રમણ પાટકર અને જયદ્રથસિંહ પરમાર દ્વારા સંતાનોના  અભ્યાસના બહાના હેઠળ સરકારી આવાસ ખાલી કરવામાં આવતું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span><strong> </strong></span><a href="https://khabarantar.com/for-the-first-time-since-independence-an-indian-government-without-a-muslim-minister"><strong>આઝાદી પછી પહેલીવાર, મુસ્લિમ મંત્રી વિનાની ભારત સરકાર</strong></a></span><br><br></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 29 Jul 2024 20:44:23 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>998</Articleid>
                    <excerpt>મંત્રી પદ ગયું હોવા છતાં પૂર્વ મંત્રીઓને સરકારી બંગલાનો મોહ છૂટતો નથી. રૂપાણી સરકારના ચાર પૂર્વ મંત્રીઓએ હજુ પણ સરકારી બંગલો ખાલી કર્યો નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a7b11ac35cb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a7b11a9347c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a7b11a9347c.jpg" length="94065" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખાનગી શાળાઓમાં ફીનું ધોરણ નક્કી કરવા શિક્ષણ વિભાગે સમિતિઓ રચી</title>
                    <link>https://khabarantar.com/the-education-department-constituted-committees-to-fix-the-fee-scale-in-private-schools</link>
                    <guid>https://khabarantar.com/the-education-department-constituted-committees-to-fix-the-fee-scale-in-private-schools</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતની ખાનગી શાળાઓમાં ફીનું ધોરણ નક્કી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ચાર ઝોન માટે ફી નિયમન  સમિતિની રચના કરવામાં આવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતની ખાનગી શાળાઓમાં ફીનું ધોરણ નક્કી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ચાર ઝોન માટે ફી નિયમન  સમિતિની રચના કરવામાં આવી છે. આ ચાર ઝોન સમિતિના અધ્યક્ષ તરીકે નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ નિયુક્તિ કરાઇ છે. જ્યારે દરેક સમિતિમાં અધ્યક્ષ ઉપરાંત અન્ય ચાર સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ્સ (રેગ્યુલેશન ઓફ ફીઝ) એક્ટ-૨૦૧૭ તથા તે હેઠળ બનાવેલ ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ્સ (રેગ્યુલેશન ઓફ ફીઝ) રૂલ્સ-૨૦૧૭ અનુક્રમે શિક્ષણ વિભાગના તા.૨૦.૦૪.૨૦૧૭ અને તા.૨૫.૦૪.૨૦૧૭ના રોજના જાહેરનામાથી અમલમાં આવેલ છે. રાજ્ય સરકારે શિક્ષણ વિભાગની અધિસૂચના ક્રમાંક:GH/SH/16/BMS/1117/83/Chh તા.૨૫.૦૪.૨૦૧૭થી અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એમ ચાર ઝોન ખાતે “ફી નિયમન સમિતિ”ની રચના કરેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ્સ (રેગ્યુલેશન ઓફ ફીઝ) એક્ટ-૨૦૧૭ની કલમ-૩(૨)ની જોગવાઇ તથા ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ્સ (રેગ્યુલેશન ઓફ ફીઝ) રૂલ્સ-૨૦૧૭ના નિયમ-૪(૩)ની જોગવાઇ તેમજ વંચાણે લીધા ક્રમાંક-(૨)ના સુપ્રિમકોર્ટના આદેશો અનુસાર વંચાણે લીધા ઠરાવ ક્રમાંક: (૪), (૫),(૬) અનુસાર ફી નિયમન સમિતિ- અમદાવાદ ઝોન, વડોદરા ઝોન, સુરત ઝોન અને રાજકોટ ઝોન ખાતે અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરાયેલી હતી. આ અધ્યક્ષ અને સભ્યોની નિમણૂકનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેમના સ્થાને નવી નિમણૂકની બાબત સરકારના વિચારણા હેઠળ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા પુખ્ત વિચારણાને અંતે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઝોનની ફી નિયમન સમિતિઓના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરાઈ છે. આ અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક આ ઠરાવની તારીખથી ૩ વર્ષ સુધી કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/bjp-rss-promotes-education-mafia-kharge"><span style="font-size: 14pt;">ભાજપ-RSS શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહન આપે છે: ખડગે</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ચારેય ઝોન સમિતિના અધ્યક્ષ અને સભ્યોને મળવાપાત્ર માનદ વેતન તથા નિમણૂંકની અન્ય બોલીઓ અને શરતો અગાઉ નક્કી કર્યા પ્રમાણે યથાવત રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા ચાર ઝોન માટે ફી નિયમન સમિતિઓની રચના કરવામાં આવી છે. તેમાં અમદાવાદ ઝોન સમિતિના અધ્યક્ષ તરીકે નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ હર્ષિત ચંદુલાલ વોરાની નિયુક્તિ કરાઈ છે. જ્યારે અન્ય ચાર સભ્યોમાં જીગર ઈશ્વરભાઈ દેસાઈ (શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ), યોગેશ મફતલાલ રાવલ (શિક્ષણ શાસ્ત્રી), જીમી મુકેશભાઈ પટેલ (સિવિલ એન્જિનિયર) તેમજ દિવ્યાંગ નરેન્દ્રભાઈ પઢિયા (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)નો સમાવેશ કરાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડોદરા ઝોન ફી નિયમન સમિતિના અધ્યક્ષ તરીકે નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ મહંમદ હનીફ સવાઇ ખાન સિંધીની નિયુક્તિ કરી છે. તો અન્ય ચાર સભ્યોમાં ધર્મેન્દ્રસિંહ નારસિંહ રાજપૂત (શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ), જયેશ બંસીલાલ પટેલ (શિક્ષણ શાસ્ત્રી), પ્રો.ડૉ. ઈન્દ્રજીત પટેલ(સિવિલ એન્જિનિયર) અને કૃણાલ બ્રહ્મભટ્ટ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)નો સમાવેશ કરાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરત ઝોન ફી નિયમન સમિતિના અધ્યક્ષ તરીકે નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અતુલ ઇચ્છાશંકર રાવલની નિયુક્તિ કરાઈ છે. જ્યારે અન્ય ચાર સભ્યોમાં અમિત કૈલાશભાઈ અગ્રવાલ (શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ), શાંતિલાલ પુન્જીયાભાઈ પટેલ (શિક્ષણ શાસ્ત્રી), અભિજિતસિંહ હરિસિંહ સોલંકી (સિવિલ એન્જિનિયર) અને અતુલ જયંતીલાલ સોજીત્રા (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)નો સમાવેશ કરાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટ ઝોન ફી નિયમન સમિતિના અધ્યક્ષ તરીકે નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીમતી પી. જે. અગ્રાવતની નિયુક્તિ કરાઈ છે. જ્યારે સમિતિના અન્ય ચાર સભ્યોમાં પ્રભુભાઈ કરશનભાઈ સિંધવ (શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ), મુકુંદરાય ચંદુલાલ મહેતા (શિક્ષણ શાસ્ત્રી), પ્રવિણ એલ.વસાનીયા (સિવિલ એન્જિનિયર) અને હાર્દિક હર્ષદભાઈ વ્યાસ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)નો સમાવેશ કરાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/jai-bhim-donors-club-paid-the-education-fee-of-dalit-daughter-of-ahmedabad"><strong>જય ભીમ ડોનર્સ ક્લબે અમદાવાદની દલિત દીકરીની શિક્ષણ ફી ભરી આપી</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 29 Jul 2024 19:07:49 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>996</Articleid>
                    <excerpt>ગુજરાતની ખાનગી શાળાઓમાં ફીનું ધોરણ નક્કી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ચાર ઝોન માટે ફી નિયમન  સમિતિની રચના કરવામાં આવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a79a9231800.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a79a920141f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a79a920141f.jpg" length="117329" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>રખડતી ગાયે મહિલાના ગળામાં શિંગડાં ખોસી મોતને ઘાટ ઉતારી દીધી</title>
                    <link>https://khabarantar.com/a-stray-cow-killed-a-woman-by-biting-its-horns-on-her-neck</link>
                    <guid>https://khabarantar.com/a-stray-cow-killed-a-woman-by-biting-its-horns-on-her-neck</guid>
                    <description>
                        <![CDATA[ ગાયમાં માતાના દર્શન કરતા લોકોની આંખ ખોલતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધા પર ગાયે એવો હુમલો કર્યો કે જોઈને કંપારી છુટી જાય. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાયને માતા માનીને તેનું રક્ષણ કરવાનો ઠેકો લઈને ફરતા લોકોની આંખ ખોલતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 65 વર્ષની મહિલાના ગળામાં શીંગડા ભરાવીને એક રખડતી ગાયે તેને પછાડી પછાડીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લોકો રખડતા ઢોરની સમસ્યાને લઈને તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યાં છે.</span><br><span style="font-size: 14pt;">ઘટના હરિયાણાના કુરુક્ષેત્રની છે. અહીં એક રખડતી ગાયે 65 વર્ષીય ગુરદીપ કૌર પર હુમલો કરીને અરેરાટી છુટી જાય તે રીતે તેમને મોતને ઘાટ ઉતારી દીધાં હતા. ઘટના શહેરના પટેલ નગર વિસ્તારની છે, ગુરદીપ કૌર ઘૂંટણની તકલીફને કારણે લાકડીના ટેકે તેના ઘરના ગેટ પર આવી રહી હતી. ત્યારે અચાનક જ એક કાળી ગાયે તેમના પર હુમલો કરી દીધો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-dalit-girl-a-gang-rape-victim-hanged-herself-in-fear-of-the-accused">આરોપીઓના ડરથી ગેંગરેપ પીડિતા દલિત યુવતીએ ગળેફાંસો ખાઈ લીધો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે ગાય મહિલા પર ત્રાટકી હતી અને મહિલાના ગળામાં શિંગડા ભરાવી દીધા હતા. ગાયના આ ભયાનક હુમલામાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ગુરમીત કૌરના મોત પછી પણ ગાયે શિંગડાથી તેમને મારવાનું ચાલુ રાખ્યું હતું. સોસાયટીની આસપાસના લોકોએ મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ડરના કારણે લાંબા સમય સુધી કોઈ ગાયની નજીક જઈ શક્યું નહોતું અને તેમાં જ ગાયે મહિલાનો જીવ લઈ લીધો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ સાંજે શહેરના બ્રહ્મા ચોકને બ્લોક કરી દીધો હતો. પોલીસ અને વહીવટીતંત્રના આશ્વાસન પર લગભગ અડધા કલાક બાદ જામ હટાવી શકાયો હતો. ગામલોકોએ ચેતવણી આપી હતી કે, જો રખડતા ઢોરની સમસ્યાનું જલ્દી નિરાકરણ નહીં આવે તો તેઓ મુખ્યમંત્રી આવાસ પર લઈ જઈને બધાં ઢોરને બાંધી દેશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/police-officials-and-the-government-came-together-to-paralyze-the-atrocities-act">પોલીસ, અધિકારીઓ અને સરકારે મળી એટ્રોસિટી એક્ટને પાંગળો બનાવી દીધો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના હરિયાણામાં રખડતા ઢોરની વધતી જતી સમસ્યાને ઉજાગર કરે છે, જે લોકો માટે મોટો ખતરો બનતી જઈ રહી છે. આ દુ:ખદ ઘટના સરકાર અને વહીવટીતંત્ર માટે ગંભીર ચેતવણી છે કે આ મુદ્દે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ પ્રકારની સેંકડો ઘટનાઓ ઘટે છે. અમદાવાદ જેવા શહેરમાં પ્રતિબંધ હોવા છતાં સેંકડો ગાયો સહિતના ઢોર રસ્તા પર રઝળતા રહે છે જેના કારણે અનેક અકસ્માતો થાય છે અને લોકો મોતને ભેટે છે. હાઈકોર્ટે આ મામલે અનેક વખત ફટકાર લગાવી હોવા છતાં વોટબેંકની ચિંતાને કારણે સરકાર ગાયોને રસ્તે રખડતી મૂકી દેનાર તેના માલિક સામે કોઈ કાર્યવાહી કરતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/the-higher-the-level-of-insecurity-among-the-people-the-more-the-business-of-baba-shines">લોકોમાં અસુરક્ષાની ભાવના જેટલી તીવ્ર, એટલો જ બાબાઓનો ધંધો જામે</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 29 Jul 2024 14:46:45 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 29 Jul 2024 14:47:12 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>995</Articleid>
                    <excerpt>ગાયમાં માતાના દર્શન કરતા લોકોની આંખ ખોલતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધા પર ગાયે એવો હુમલો કર્યો કે જોઈને કંપારી છુટી જાય.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a75bedc3ffa.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a75bed95283.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a75bed95283.jpg" length="80843" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>‘મોદીના માનીતા’ કે. કૈલાશનાથનને પોંડીચેરીના ઉપરાજ્યપાલ બનાવાયા</title>
                    <link>https://khabarantar.com/modis-manita-k-kailashanathan-was-made-the-lieutenant-governor-of-pondicherry</link>
                    <guid>https://khabarantar.com/modis-manita-k-kailashanathan-was-made-the-lieutenant-governor-of-pondicherry</guid>
                    <description>
                        <![CDATA[ નિવૃત્તિ પછી પણ વર્ષો સુધી ગુજરાતમાં મુખ્યમંત્રી કરતા પણ વધુ પાવર ભોગવનાર પૂર્વ સનદી અધિકારી કે. કૈલાશનાથનને હવે વધુ એક જવાબદારી સોંપાઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં દાયકાઓ સુધી સનદી અધિકારી તરીકે કાર્યરત રહીને સરકારમાં સેવા આપનાર કુનીયીલ કૈલાશનાથન (કે.કે.)ને પોંડીચેરીના એલજી (ઉપરાજયપાલ) બનાવાયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં લાંબા વર્ષો સુધી પોતાની સેવા આપનાર કુનીયીલ કૈલાશનાથન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ સુધીના મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ અને સલાહકાર રહી ચૂક્યા છે.  કે. કે. તરીકે જાણીતા પૂર્વ આઇએએસ કે.કૈલાશનાથનને પોંડીચેરીના ઉપરાજયપાલ (લેફટનન્ટ ગવર્નર-એલજી) નિયુક્ત કરાયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અત્રે ઉલ્લેખનીય છે કે, કે.કૈલાશનાથન ગુજરાતમાં અનેક મહત્વના પદ પર રહી ચૂક્યા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં સ્થાન ધરાવે છે. તેઓ ગુજરાતમાં અનેક માળખાગત્ત સુવિધાઓ અને યોજનાઓને ધરાતલ પર ઉતારનાર અધિકારી તરીકેની તેમની છાપ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કે. કૈલાશનાથન ગત તા. 29 જૂનના રોજ નિવૃત્તિ બાદ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે કરાર પૂર્ણ થયા ત્યારથી જ તેમને કોઇ મહત્વનું પદ મળે તેવી અટકળો ચાલી રહી હતી. જો કે, ગત મોડી રાત્રે થયેલી જાહેરાતમાં કે. કૈલાશનાથનને પોંડીચેરીના ઉપરાજયપાલ (એલજી) તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત અન્ય અનેક રાજનેતાઓ અને અધિકારીઓને રાજયપાલ જેવું મહત્વનુ પદ અપાયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 1979 બેચના આઇએએસ અધિકારી કે.કૈલાશનાથન ગુજરાતની સૌથી શક્તિશાળી પદ સુધી પહોંચ્યા હતા. તેઓની ગણતરી ગુજરાતના સૌથી ઠાવકા અધિકારીઓમાં થતી હતી. કે. કૈલાશનાથન વર્ષ 2006 માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. વર્ષ 2013 માં તેઓ વયમર્યાદાથી સેવા નિવૃત થયા હતા. જો કે, તેમના કાર્યકાળને સતત જૂન- 2024 સુધી મુદત વધારો મળતો રહ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/modi-does-not-conduct-caste-based-census-as-he-is-pro-caste"><span style="font-size: 14pt;">મોદી સવર્ણોના તરફદાર હોવાથી જાતિ આધારિત વસ્તી ગણતરી નથી કરાવતા</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્ર સરકાર દ્વારા ગત મોડી રાત્રે નવ જેટલાને રાજયપાલ તરીકે નિયુક્ત કરાયા છે. જેમાં હરિભાઉ કિસનરાવ બાગડેને રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે. તો જિષ્ણુ દેવ વર્માની તેલંગાણાના રાજ્યપાલ તરીકે, ઓમ પ્રકાશ માથુર (ઓ.પી. માથુર)ને સિક્કિમના રાજ્યપાલ, પૂર્વ કેન્દ્રિય મંત્રી સંતોષ ગંગવારને ઝારખંડના રાજ્યપાલ, રામેન ડેકાને છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તો સીએચ વિજયશંકરને મેઘાલયના રાજ્યપાલ, સી.પી. રાધાકૃષ્ણનને ઝારખંડના રાજ્યપાલ તેમજ તેલંગાણાનો વધારાના ચાર્જ સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાને પંજાબના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક તરીકે પણ નિયુક્ત કરાયા છે. તો સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવા ઉપરાંત તેમને મણિપુરના રાજ્યપાલનો વધારાનો હવાલો પણ અપાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><strong><a href="https://khabarantar.com/Modi-government,-corporate-and-individual-tax-payers:-eat,-eat,-mix">મોદી સરકાર, કોર્પોરેટ અને વ્યક્તિગત કરદાતાઃ જમવામાં જગલો, કૂટવામાં ભગલો</a></strong></span><br><br><br></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 28 Jul 2024 20:59:16 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>992</Articleid>
                    <excerpt>નિવૃત્તિ પછી પણ વર્ષો સુધી ગુજરાતમાં મુખ્યમંત્રી કરતા પણ વધુ પાવર ભોગવનાર પૂર્વ સનદી અધિકારી કે. કૈલાશનાથનને હવે વધુ એક જવાબદારી સોંપાઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a662921d3d2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a66291e38d9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a66291e38d9.jpg" length="51168" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સૂત્રાપાડામાં 15.50 લાખનું સરકારી અનાજ સગેવગે થતું પકડાયું</title>
                    <link>https://khabarantar.com/15.50-lakhs-of-government-food-grains-were-caught-smuggling-in-sutrapada</link>
                    <guid>https://khabarantar.com/15.50-lakhs-of-government-food-grains-were-caught-smuggling-in-sutrapada</guid>
                    <description>
                        <![CDATA[ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં ગરીબોના હકનું રૂ. 15.50 લાખનું સરકારી અનાજ બારોબાર સગેવગે થતું પકડાયું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૂગલ પર તમે માત્ર અનાજ કૌભાંડ એટલું ટાઈપ કરીને સર્ચ કરશો તો તમને એવી અનેક લિંકો મળી આવશે જેમાં કૌભાંડી તત્વો અધિકારીઓ સાથે મિલીભગત કરીને ગરીબોના હકનું અનાજ સગેવગે કરીને કૌભાંડ આચરી રહ્યાં હોય. ગુજરાતનો ભાગ્યે જ એવો કોઈ જિલ્લો હશે જ્યાંની સસ્તા અનાજની દુકાનોને લઈને આ પ્રકારનો આરોપ ન લાગ્યો હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કૌભાંડીઓ ગરીબોના હકનું સરકારી અનાજ બારોબાર સગેવગે કરી રહ્યાં છે અને આવો વધુ એક કિસ્સો ગીરસોમનાથ જિલ્લાના સૂત્રપાડામાંથી સામે આવ્યો છે. અહીં 15.50 લાખનું શંકાસ્પદ સરકારી અનાજ ઝડપાયું છે. લોઢવા ગામે મહેશ ભોળાના ગોડાઉનમાંથી આ સરકારી અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેમાં ૩૭૫ કટ્ટા ઘઉં, ૦૭ કટ્ટા બાજરી છે. અહીં પુરવઠા અધિકારી, મામલતદાર સહિતની ટીમ ત્રાટકી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/54-dalit-families-of-amreli-have-been-struggling-for-rightful-land-for-42-years"><span style="font-size: 14pt;">અમરેલીના 54 દલિત પરિવારો 42 વર્ષથી હકની જમીન માટે સંઘર્ષ કરે છે</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને બાતમી મળતા દરોડો પાડ્યો હતો. જેમાં પુરવઠા અધિકારી, સ્થાનિક મામલતદાર સહિતની ટીમ ત્રાટકી હતી. તેમાં લોઢવા ગામે મહેશ ભોળા નામના વ્યક્તિના ગોડાઉનમાંથી જથ્થો ઝડપાયો છે. અનાજનો જથ્થો કન્ટેનરમાં ભરાતો હતો તે સમયે જ અધિકારીઓની ટીમ ત્રાટકી હતી. જેમાં સ્થળ પરથી ૩૭૫ કટ્ટા ઘઉં, ૦૭ કટ્ટા બાજરો, ૨૪ કટ્ટા ઘઉંની કણકીનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પુરવઠા તંત્રએ કન્ટેનર સહિત ૧૫.૫૦ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. ગુજરાત સરકાર દ્વારા ગરીબો માટે સસ્તા અનાજનું વિતરણ કરવામાં આવતું હોય છે. જેથી ગરીબ અને નિસહાય લોકો પોતાનું જીવન નિર્વાહ કરી શકે. પણ જ્યારે આ ગરીબો માટે અપાતું અનાજનો બારોબાર સગેવગે થાય તો કેવું કેહવાય. ગુજરાતમાં એવા અનેકો કિસ્સાઓ સામે આવ્યા છે. અગાઉ ગુજરાતના યાત્રાધામ અંબાજી ખાતે સસ્તો અનાજ લઈ જતા ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઇસમો લોકો સસ્તા અનાજની દુકાનથી જે ઘઉં, ચોખા લાવતા હતા તેઓના પાસેથી આ ત્રણ લોકો ખરીદતા હતા. જેમાં તંત્ર દ્વારા વધુ કાર્યવાહી કરાઇ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/the-madhya-pradesh-government-allocated-crores-of-rupees-for-sc-st-entitlements-for-cows"><strong>મધ્યપ્રદેશ સરકારે SC-ST ના હકના કરોડો રૂપિયા ગાયો માટે ફાળવી દીધાં</strong></a></span><br><br></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 28 Jul 2024 20:05:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>991</Articleid>
                    <excerpt>ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં ગરીબોના હકનું રૂ. 15.50 લાખનું સરકારી અનાજ બારોબાર સગેવગે થતું પકડાયું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a6561615273.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a65615d7d8c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a65615d7d8c.jpg" length="83550" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિતનો દીકરો મેયર ન બની જાય તે માટે સવર્ણ પાર્ટીઓ ત્રાગા કરે છે</title>
                    <link>https://khabarantar.com/so-that-the-son-of-a-dalit-does-not-become-the-mayor-the-savarna-parties-are-struggling</link>
                    <guid>https://khabarantar.com/so-that-the-son-of-a-dalit-does-not-become-the-mayor-the-savarna-parties-are-struggling</guid>
                    <description>
                        <![CDATA[ દલિતોને જ્યારે કોઈ પદ આપવાનું થાય ત્યારે સવર્ણ પાર્ટીઓ કેવા કેવા પેંતરા રચતી હોય છે તેનું મોટું ઉદાહરણ હાલ દિલ્હીમાં મેયરની ચૂંટણીનો વિવાદ છે. વાંચો આ રિપોર્ટ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હી નગર નિગમમાં આ વર્ષે અનુસૂચિત જાતિ સમાજમાંથી મેયર ચૂંટાવાના હતા. પણ ભાજપે અનુસૂચિત જાતિ સમાજનો આ હક છીનવી લીધો હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી કેજરીવાલે રાજીનામું ન આપતા અને જેલમાંથી સરકાર ચલાવવાની હઠને કારણે ઉભી થયેલી સ્થિતિનો હવાલો આપીને ભાજપે દિલ્હીના એલજી વી.કે. સક્સેનાને આ મામલામાં દરમિયાનગીરી કરીને નવા મેયર અપાવવાની માંગ કરી હતી. આમ ભાજપ અને આપ બંને દલિત સમાજનો દીકરો મેયર ન બની જાય તે માટે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ આદમી પાર્ટીએ ઉપરાજ્યપાલ વીકે સક્સેના પાસે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણી વહેલી તકે કરાવવાની માંગ કરી છે, જેથી દિલ્હીને એસસી સમાજમાંથી મેયર મળી શકે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/despite-his-qualifications-he-could-never-become-captain-due-to-being-a-dalit">તમામ લાયકાત ધરાવતા હોવા છતાં, ફક્ત દલિત હોવાને કારણે તેઓ કદી ટીમના કેપ્ટન ન બની શક્યા</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુલદીપ કુમારે પાર્ટી હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "દિલ્હીની જનતાએ MCDમાં 18 વર્ષના ભાજપના કુશાસનથી કંટાળીને તેને સત્તા પરથી હાંકી કાઢી હતી. જ્યારે આમ આદમી પાર્ટી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ છે. MCD ના DMC એક્ટ 1957 હેઠળ, પ્રથમ વર્ષે એક મહિલાને મેયર બનાવવામાં આવે છે, બીજા વર્ષે જનરલ કેટેગરીની વ્યક્તિને મેયર બનાવવામાં આવશે અને ત્રીજા વર્ષે મેયર પદ અનુસૂચિત જાતિ સમાજની વ્યક્તિ માટે અનામત છે. એ મુજબ આ વખતે 2024-25 માટે એસસી સમાજના વ્યક્તિને મેયર બનાવવાના હતા. આ તેમનો બંધારણીય અધિકાર છે. MCDમાં બહુમતી ધરાવતી આમ આદમી પાર્ટીએ દલિત સમાજમાંથી આવતા મહેશ ખીચીને મેયરના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. એ સ્પષ્ટ હતું કે, દિલ્હીના લોકોને આ વખતે પણ દલિત સમાજમાંથી મેયર મળવાના હતા. પરંતુ દુઃખની વાત એ છે કે 26મી એપ્રિલે મેયરની ચૂંટણી બાદ જ્યારે દલિત સમાજની વ્યક્તિને મેયર બનાવવાની હતી ત્યારે ભાજપે ચૂંટણી રદ કરી દીધી હતી. એ રીતે ભાજપે એક દલિત સમાજના દીકરાને મેયર બનતા અટકાવ્યો હતો."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/poverty-did-not-allow-her-to-study-a-coolie-dalit-woman-started-her-own-school">ગરીબીને કારણે ભણી ન શકી, પછી કુલીનું કામ કરતી દલિત મહિલાએ પોતાની શાળા શરૂ કરી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુલદીપ કુમારે કહ્યું કે "ભાજપે માત્ર દલિતોનું જ અપમાન નથી કર્યું પરંતુ ડીએમસી એક્ટ 1957નું પણ ઉલ્લંઘન કર્યું છે, જે દલિત સમુદાયની વ્યક્તિને એક વર્ષ માટે મેયર બનવાનો અધિકાર આપે છે. ભાજપ અને તેના એલજી દિલ્હીના દલિત સમાજના લોકોના અધિકારો છીનવી રહ્યા છે. દલિત સમાજના દિકરા-દિકરીઓ આ પદ પર બેસીને પોતાના સમાજને આગળ લઈ જવા ઈચ્છે છે. તેમના કાર્યકાળના આ વર્ષના ચાર મહિના વીતી ગયા છે, છતાં ભાજપના એલજી મેયરની ચૂંટણી થવા દેતા નથી. દલિત વિરોધી ભાજપે દલિત સમાજ પાસેથી મેયર પદના ચાર મહિના છીનવી લીધા છે. ભાજપ અને એલજી સાહેબે દલિતોના હક્કો છીનવી લેવાનું બંધ કરવું જોઈએ અને દલિતના પુત્રને મેયર બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ, જેથી મહેશ ખીંચી દિલ્હીના મેયર બની શકે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુલદીપ કુમારે કહ્યું કે, "દલિત વિરોધી ભાજપે અગાઉ પણ બાબાસાહેબ આંબેડકરના બંધારણને ખતમ કરવાની વાત કરી હતી. તે બંધારણનો નાશ કરવા માંગતી હતી કારણ કે તે દલિતોના અધિકારોનું રક્ષણ કરે છે અને તેમને સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર આપે છે. બાબા સાહેબ આંબેડકરે દલિતોના કલ્યાણ માટે બંધારણમાં કરેલી જોગવાઈઓને ભાજપના લોકો નફરત કરે છે અને તેથી તેઓ તેને ખતમ કરવા માંગે છે. હવે તેઓ આ DMC એક્ટનો પણ ભંગ કરી રહ્યા છે, જેના કારણે એક દલિતના દીકરાને મેયર બનવાની તક મળી છે. ભાજપે સમજવું જોઈએ કે જો તે દેશના બંધારણ અને ડીએમસી એક્ટ સાથે રમવાનો પ્રયાસ કરશે તો અમે ચૂપ નહીં રહીએ. ભાજપે ચાર મહિનાનો સમય વેડફ્યો છે. વહેલી તકે ચૂંટણી કરાવી દલિત સમાજના પુત્રને મેયર બનાવવો જોઈએ."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-new-chapter-in-the-land-scam-in-the-name-of-ram-in-ayodhya">અયોધ્યામાં રામના નામ પર જમીન કૌભાંડનો નવો અધ્યાય શરુ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન AAP ધારાસભ્ય રોહિત મેહરોલિયાએ કહ્યું કે, "ભાજપની માનસિકતા હંમેશા દલિત વિરોધી રહી છે. દેશના બંધારણ અને MCDના DMC એક્ટ દ્વારા દલિતો અને પછાત વર્ગોને આપવામાં આવેલા પ્રતિનિધિત્વની તકને અવગણીને 26 એપ્રિલે યોજાનારી મેયરની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. ભાજપ દલિતોના અધિકારો છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હી અને દેશની જનતા ભાજપનું દલિતો પ્રત્યે નકારાત્મક વલણ જોઈ રહી છે. અમે આ લડાઈ લડીશું અને દલિતોને તેમના પ્રતિનિધિત્વનો અધિકાર અપાવીશું."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">AAPના મેયરપદના ઉમેદવાર મહેશ ખીચી, કે જેઓ પોતે દલિત સમાજમાંથી આવે છે, તેમણે કહ્યું કે, "મેયર પદ માટે 26 એપ્રિલે ચૂંટણી થવાની હતી. નિયમ મુજબ MCDની ત્રીજી ટર્મમાં દલિત સમાજના વ્યક્તિને મેયર બનાવવામાં આવે છે. ચૂંટણી પંચે ચૂંટણી યોજવાની પરવાનગી આપી હોવા છતાં ભાજપે ચૂંટણી યોજવા દીધી ન હતી. એલજીએ સીએમ તરફથી સૂચનો ન મળવાના બહાને ચૂંટણીના 3-4 કલાક પહેલા ચૂંટણી રદ કરી હતી. જ્યારે અગાઉ એલજીએ 10 કાઉન્સિલરોને નોમિનેટ કરવા અને પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક કરવા માટે મુખ્યમંત્રીની સલાહ માંગી ન હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપ અને એલજી સાથે મળીને દલિતો વિરુદ્ધ કામ કરી રહ્યા છે. તેઓ નથી ઈચ્છતા કે અમારા સમાજમાંથી કોઈ મેયર બને અને દલિત સમાજનું ભલું કરે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-judge-who-ordered-rakhi-to-be-tied-to-the-rapist-joined-the-bjp">છેડતી કરનાર શખ્સને રાખડી બાંધવાનો ચૂકાદો આપનાર જજ ભાજપમાં જોડાયા</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">AAP પણ દૂધે ધોયેલી નથી</span></strong></span><br><span style="font-size: 14pt;">આ મામલે જો કે, અનુસૂચિત જાતિ સમાજનો બૌદ્ધિક વર્ગ આમ આદમી પાર્ટીને પણ ભાજપ અને કોંગ્રેસ જેમ સવર્ણોની પાર્ટીની પંગતમાં જ મૂકે છે. દિલ્હીના એક દલિત બૌદ્ધિક નામ ન આપવાની શરતે જણાવે છે કે, "ભાજપ, કોંગ્રેસની જેમ આપ પણ દલિત વિરોધ જ પાર્ટી છે અને તેનું મોટું ઉદાહરણ ગયા વર્ષે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી છે. એ વખતે આપે એક પણ દલિતને રાજ્યસભામાં મોકલ્યો નથી. પંજાબમાં દલિતોની વસ્તી 35 ટકા આસપાસ છે, પણ તેણે દલિત સમાજની વ્યક્તિને મુખ્યમંત્રી બનાવી નથી. આપ દલિતોને રાજી રાખવા માટે બાબાસાહેબનો ફોટો દરેક સરકારી કચેરીમાં રાખવા માટે આદેશ કરે છે, કેજરીવાલ તેમના ઘરની મુલાકાત લેનાર દરેક વ્યક્તિ સાથે તેમના ઘરની દિવાલ પર ટિંગાડેલા બાબાસાહેબ આંબેડકરના ફોટા પાસે તસવીર ખેંચાવીને માર્કેટિંગ કરી લે છે. પણ જ્યારે મલાઈદાર ખાતાઓની ફાળવણી કરવાની આવે ત્યારે તે પણ ભાજપ, કોંગ્રેસની જેમ રાઘવ ચઢ્ઢા જેવા લોકોને જ રાજ્યસભામાં મોકલે છે. એ રીતે આપ ભલે દાવો કરે, પરંતુ તે પણ ભાજપ જેવી જ દલિત વિરોધી પાર્ટી છે. કેજરીવાલ અને તેમના પક્ષના મોટાભાગના મહત્વના હોદ્દાઓ પર કથિત સવર્ણ જાતિના લોકો જ છે. તેમના મનમાં એવું છે કે, દલિતો માત્ર બાબાસાહેબના ફોટાં સરકારી ઓફિસોમાં જોઈને રાજી થઈ જતા હોય, તો તેમને હોદ્દા શું કામ આપવા? એટલે જ તેઓ મલાઈદાર ખાતાઓની વહેંચણી માત્ર સવર્ણ નેતાઓ વચ્ચે કરે છે અને દલિતોને માત્ર બાબાસાહેબના ફોટાથી રાજી રાખવા મથે છે. પણ તેમને એ ખબર નથી કે દલિતો હવે તેમની આ ચાલમાં ફસાય તેમ નથી. તેઓ આ બધાં નાટકો વર્ષોથી જોતા આવ્યા છે અને તેમને ખબર છે કે, તેના માટે કોણ સારું અને કોણ ખરાબ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/why-are-most-of-the-characters-in-panchayat-web-series-brahmins">'પંચાયત' વેબ સિરીઝમાં મહત્વના તમામ પાત્રો બ્રાહ્મણ જ કેમ છે?</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 28 Jul 2024 14:27:02 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 28 Jul 2024 19:55:50 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>990</Articleid>
                    <excerpt>દલિતોને જ્યારે કોઈ પદ આપવાનું થાય ત્યારે સવર્ણ પાર્ટીઓ કેવા કેવા પેંતરા રચતી હોય છે તેનું મોટું ઉદાહરણ હાલ દિલ્હીમાં મેયરની ચૂંટણીનો વિવાદ છે. વાંચો આ રિપોર્ટ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a654e6140cc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a654e5d58d2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a654e5d58d2.jpg" length="122254" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Delhi Mayor Election</media:keywords>
                </item>
                        <item>
                    <title>કમલમમાં ગાડીની જરૂર હોવાનું કહી ભાજપ કાર્યકરે 400 ગાડીઓ પચાવી પાડી</title>
                    <link>https://khabarantar.com/a-bjp-worker-looted-400-vehicles-saying-that-there-was-a-need-for-vehicles-in-kamalam</link>
                    <guid>https://khabarantar.com/a-bjp-worker-looted-400-vehicles-saying-that-there-was-a-need-for-vehicles-in-kamalam</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદમાં ભાજપના એક કાર્યકરે પોતાને ગાંધીનગર કમલમમાં ગાડીઓ મૂકવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું કહીને 400 જેટલી ગાડીઓ પચાવી પાડી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદમાં ભાજપના એક કાર્યકરે પોતાને ગાંધીનગર કમલમમાં ગાડીઓ ભાડે મૂકવાનો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું કહીને અનેક લોકો પાસેથી 400 જેટલી ગાડીઓ પચાવી પાડી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. કાર માલિકોને પોતાની કાર કે ભાડું બે માંથી એકેય નહિ મળતા આખરે આ કૌભાંડ સામે આવ્યું હતું. જો કે શરૂઆતમાં પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી ન થતા આખરે મામલો ઉગ્ર બન્યો હતો અને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ધરણા કરવાની ચીમકી આપતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય શંકાસ્પદની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચે અફવાઓ પર વિશ્વાસ ના કરવાની અપીલ કરી છે અને કહ્યું છે કે કેટલાક લોકો તપાસને અલગ રંગ આપવાનો પ્રયાસ કરી શકે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદના અસારવા વિસ્તારમાં રહેતા પ્રિન્સ મિસ્ત્રી અને તેના પિતા કનુભાઈ મિસ્ત્રીએ પોતાના વિસ્તારના અમુક લોકોને જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં તેમને ગાંધીનગર કમલમ ખાતે ગાડીઓનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. જેથી 400 જેટલા લોકોએ પ્રિન્સ મિસ્ત્રીને પોતાની ગાડી ભાડે આપી હતી. શરૂઆતના બે થી ત્રણ મહિના પ્રિન્સ દ્વારા ગાડી માલિકોને યોગ્ય રીતે વળતર આપવામાં આવતું હતું. પરંતુ છેલ્લા થોડા સમયથી વળતર નહીં મળતા કાર માલિકો તેના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેના પિતાએ પ્રિન્સ ઘરે નહીં આવતો હોવાનું અને તેની સાથે કોઈ સંબંધ નહિ હોવાનું જણાવ્યું હતું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><a href="https://khabarantar.com/all-ministers-at-the-center-are-sarvans-bjp-is-an-anti-dalit-party-bjp-mps"><span style="font-size: 14pt;"></span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારબાદ ગાડી માલિકોએ તપાસ કરતા તેમની ગાડીઓ અમુક વ્યક્તિઓ પાસે ગીરવે રાખી હોવાનો ખ્યાલ આવતા કાર માલિકોએ જે તે વ્યક્તિનો સંપર્ક કરતા સામે આવ્યું કે પ્રિન્સ દ્વારા આ બધી કાર ગીરવે રાખવામાં આવી છે. એ પછી કાર માલિકો પોલીસ સ્ટેશનને પહોંચતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોકે પ્રિન્સની સાથે ક્રાઈમ બ્રાન્ચનો એક પોલીસ કર્મચારી પણ સામેલ હોવાનો આક્ષેપ જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મેવાણીએ ચીમકી ઉચ્ચારી છે કે જો સોમવાર સુધીમાં આરોપીઓ પકડાશે નહીં તો તેઓ કલેક્ટર કે કમિશનર ઓફિસ બહાર ધરણા પર ઉતરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/all-ministers-at-the-center-are-sarvans-bjp-is-an-anti-dalit-party-bjp-mps"><span style="font-size: 14pt;">કેન્દ્રમાં બધા મંત્રીઓ સવર્ણ, ભાજપ દલિત વિરોધી પક્ષ છેઃ ભાજપ સાંસદ</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ કાર માલિકો પોતાની કાર અલગ અલગ રીતે શોધતા હતા અને અમુક કારમાં જીપીએસ લાગ્યું હતું જેના આધારે કાર માલિકોને ખ્યાલ આવ્યો કે તેમની કાર જ્યાં ગીરવે મુકાયેલી છે અને ત્યાં તેનો અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેને લઈને પણ કાર માલિકોએ ક્રાઈમ બ્રાન્ચમાં રજૂઆત કરી સમગ્ર માહિતી આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાર માલિકોએ જ્યાં પોતાની કાર ગીરવે રાખવામાં આવી છે તેમનો સંપર્ક કરતા કાર છોડાવવા માટે પૈસાની પણ માંગણી કરી હોવાનું કાર માલિકોએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું. જોકે પોલીસ દ્વારા પણ તમામ કાર માલિકોને ખાતરી આપવામાં આવી છે કે તેમની કાર કાયદાકીય રીતે પરત મેળવશે અને તાત્કાલિક ધોરણે આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહત્વનું છે કે જે રીતે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે જેની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાય છે, ત્યારેપ્રિન્સ મિસ્ત્રી દ્વારા કેટલી કાર ભાડે લેવાઈ હતી, કાર માલિકો અને જીગ્નેશ મેવાણીના આક્ષેપો મુજબ સમગ્ર કેસમાં કોઈ પોલીસ કર્મચારી સંડોવાયેલું છે કે કેમ આ સમગ્ર મુદ્દા ઉપર પોલીસે તપાસ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/womens-clothing-responsible-for-rising-rape-incidents-bjp-leader"><span style="font-size: 14pt;">બળાત્કારની વધતી ઘટનાઓ પાછળ સ્ત્રીઓના કપડાં જવાબદાર: ભાજપ નેતા</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કમલમમાં ભાજપના બક્ષીપંચ મોરચા સાથે જોડાયેલા પ્રિન્સ મિસ્ત્રી દ્વારા 400 જેટલી ગાડીઓ અમુક ચોક્કસ રકમ આપવાના કરાર કરી ભાડે રાખી હતી. આગળ જતા પ્રિન્સ મિસ્ત્રીએ માસિક ભાડાનો હપતો ચુકવ્યો નથી અને ગાડીઓ પણ મૂળ માલિકોને પરત કરી નથી. ભાજપના નેતાએ સુઆયોજિત રીતે એક કૌભાંડ આચરી રાજ્યના 300થી વધુ લોકોની ગાડીઓ પર ગેરકાયદેસર કબ્જો જમાવ્યો છે.પ્રિન્સ મીસ્ત્રીએ એક પોલીસ કોન્સ્ટેબલ સાથે મળીને ઠગાઇ આચરી હોવાની જિગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યો છે</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, "લોકસભા ચૂંટણી 2024માં ભાજપના ગાંધીનગર સ્થિત કાર્યાલય કમલમ ખાતે અમારે કેટલાક વાહનોની જરૂર છે તેમ કહીને ભાજપના બક્ષીપંચ મોરચા સાથે જોડાયેલા પ્રિન્સ મિસ્ત્રી નામના એક કાર્યકર અને ડોડિયા સરનેમ ધરાવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ બન્નેએ ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે અમદાવાદના નાગરિકો પાસેથી 400 ફોર વ્હીલર લીધી હતી. આ બન્નેએ અમદાવાદના નાગરિકોને એમ કહીને ગાડી મેળવી કે કમલમમાં ગાડીની જરૂર છે તો આપો મહિને 35 હજાર રૂપિયા ભાડુ આપીશું. 400 ગાડીઓ ભાજપના નેતાઓ ચાઉં કરી ગયા છે. આ સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ ગાડીઓનો ગેરકાયદેસર પ્રવૃતિઓમાં ઉપયોગ થતો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કમલમમાં ભાજપના બક્ષીપંચ મોરચા સાથે જોડાયેલા કાર્યકર્તા દ્વારા દ્વારા 400 જેટલી ગાડીઓ પર ગેરકાયદેસર કબ્જો કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પીડિતોને લઇને ભાજપના કાર્યકર્તા સામે ફરિયાદ નોંધાવવા માટે અમદાવાદ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. ભાજપના કાર્યકર્તા સામે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો ધરણાની ચિમકી પણ ઉચ્ચારી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/college-degree-wont-do-anything-open-a-puncture-shop-bjp-mla"><strong>કૉલેજેની ડિગ્રીથી કશું થવાનું નથી, પંચરની દુકાન ખોલો: ભાજપના ધારાસભ્ય</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 27 Jul 2024 20:14:18 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>987</Articleid>
                    <excerpt>અમદાવાદમાં ભાજપના એક કાર્યકરે પોતાને ગાંધીનગર કમલમમાં ગાડીઓ મૂકવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું કહીને 400 જેટલી ગાડીઓ પચાવી પાડી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a5062e3489b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a5062e0221d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a5062e0221d.jpg" length="95114" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દિલ્હીની તિહાર જેલમાં 125 કેદીઓ HIV પોઝિટીવ, 200 કેદીઓને સિફિલિસ</title>
                    <link>https://khabarantar.com/125-inmated-hiv-positive-200-inmated-infected-with-syphillis-in-delhis-tihar-jail</link>
                    <guid>https://khabarantar.com/125-inmated-hiv-positive-200-inmated-infected-with-syphillis-in-delhis-tihar-jail</guid>
                    <description>
                        <![CDATA[ દિલ્હીની તિહાર જેલમાંથી એક ખળભળાટ મચાવતા સમાચાર સામે આવ્યા છે. અહીં મેડિકલ ચેકઅપ દરમિયાન 125 કેદીએ એચઆઈવી પોઝિટીવ મળી આવ્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીની તિહાર જેલ આમ તો તેમાં રહેલા ખૂંખાર કેદીઓ અને તેની વ્યવસ્થાને લઈને ચર્ચામાં આવતી હોય છે. પરંતુ આ વખતે અહીંથી જે સમાચાર આવ્યા છે તેણે સૌ કોઈને ચોંકાવી દીધાં છે. મળતી માહિતી મુજબ તિહાર જેલમાં ૧૨૫ કેદીઓ એચઆઇવી પોઝિટિવ મળી આવ્યા છે. આ સિવાય 200 કેદીઓ સિફિલિસ રોગ જોવા મળ્યો છે. આ સમાચાર આવતા જ દેશભરમાં હોબાળો મચી ગયો છે. દિલ્હીની તિહાડ જેલમાં ત્રણ જેલ છે, તિહાર, રોહિણી અને મંડોલી. અહીં જ આ ચેપગ્રસ્ત કેદીઓ મળી આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તિહારમાં અંદાજે 10,500 કેદીઓની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. આ જેલમાં અંદાજે ૧૪,૦૦૦ કેદીઓ છે. સમયાંતરે અહીં કેદીઓની મેડિકલ તપાસ કરવામાં આવે છે. તાજેતરમાં જ નવા ડીજી સતીશ ગોલચાએ તિહાર જેલનો હવાલો સંભાળ્યા બાદ મે અને જૂન મહિનામાં સાડા દસ હજાર કેદીઓનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું, જેમાં આ ચોંકાવનારી માહિતી સામે આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/i-cant-bear-it-anymore-unakand-activ"> <span style="font-size: 14pt;">"હવે મારાથી સહન નથી થતું", ઉનાકાંડના આંદોલનકારી કાંતિભાઈ વાળાનો જેલમાંથી હૃદયદ્રાવક પત્ર</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">10.500 કેદીઓના એચઆઈવી ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા, જેમાંથી ૧૨૫ કેદીઓને એઈડ્સગ્રસ્ત જણાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેદીઓને તાજેતરમાં એઇડ્‌સ થયો નથી, પરંતુ અલગ-અલગ સમયે અને જ્યારે આ કેદીઓ બહારથી જેલમાં આવ્યા ત્યારે તેમના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારે પણ તેઓ એચઆઇવી પોઝિટિવ હતા. જેલમાં આવતા પહેલા કેદીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. અને આ કેદીઓ ત્યારથી એઈડ્‌સનો શિકાર હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/The-Constitution-of-India-begins-with-the-words-We-the-people-of-India,-meaning-that-India-is-not-a-creation-of-God"><span style="font-size: 14pt;">ભારતના બંધારણનો આરંભ ‘અમે ભારતના લોકો’ શબ્દોથી થાય છે, એનો અર્થ એ કે ભારત ઈશ્વરે સર્જેલી ઘટના નથી</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે ફરી જ્યારે કેદીઓની તપાસ કરવામાં આવી ત્યારે માત્ર આ ૧૨૫ કેદીઓ જ એઈડ્‌સનો શિકાર હોવાનું જણાયું હતું. આ સિવાય સાડા દસ હજાર કેદીઓમાંથી ૨૦૦ કેદીઓ સિફિલિસથી પીડિત જોવા મળ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેદીઓની તપાસમાં ટીબીનો એકપણ કેસ સામે આવ્યો નથી. તિહાર જેલના પ્રોટેક્ટીવ સર્વે વિભાગે એઈમ્સ અને સફદરજંગ હોસ્પિટલના સહયોગથી મહિલા કેદીઓ માટે સર્વાઈકલ કેન્સર ટેસ્ટ કરાવ્યો હતો. આ ટેસ્ટ એટલા માટે કરવામાં આવે છે કારણ કે ઘણીવાર મહિલાઓને સર્વાઇકલ કેન્સર થવાની શક્યતાઓ હોય છે. આ ટેસ્ટ સાવચેતીરૂપે કરવામાં આવે છે જેથી જો કોઈના સર્વાઈકલ કેન્સર ટેસ્ટ પોઝિટીવ આવે તો તેને શરૂઆતમાં જ સારી સારવાર આપી શકાય. એવું નથી કે આ ટેસ્ટ પોઝિટિવ આવતાં જ કેન્સરની ખબર પડી જાય છે, પરંતુ તેનાથી ગર્ભાશયનું કેન્સર થવાની શક્યતા જણાય તો સમયસર ટેસ્ટ કરાવીને સારવાર કરી શકાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/Out-of-4.78-lakh-inmates-in-countrys-jails,-3.15-lakh-belong-to-SC,-ST,-OBC-categories---NCRB"><strong>દેશની જેલોમાં બંધ 4.78 લાખ કેદીઓ પૈકી 3.15 લાખ  SC, ST, OBC વર્ગના - NCRB</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 27 Jul 2024 19:07:02 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>986</Articleid>
                    <excerpt>દિલ્હીની તિહાર જેલમાંથી એક ખળભળાટ મચાવતા સમાચાર સામે આવ્યા છે. અહીં મેડિકલ ચેકઅપ દરમિયાન 125 કેદીએ એચઆઈવી પોઝિટીવ મળી આવ્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a4f73e74076.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a4f73e423d8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a4f73e423d8.jpg" length="131741" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>હિંદુ મહિલાઓએ ફિગર જાળવવાનું બંધ કરી 4 બાળકો પેદા કરવા જોઈએ...</title>
                    <link>https://khabarantar.com/hindu-women-should-stop-maintaining-their-figure-and-have-4-children</link>
                    <guid>https://khabarantar.com/hindu-women-should-stop-maintaining-their-figure-and-have-4-children</guid>
                    <description>
                        <![CDATA[ પંચાયતી અખાડાના મહામંડળેશ્વર સ્વામી પ્રેમાનંદ મહારાજે હિંદુ મહિલાઓને સલાહ આપતા કહ્યું છે કે, તેમણે ફિગરની ચિંતા છોડીને 4-4 બાળકો પેદા કરવા જોઈએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહેવાતા સંતો મહિલાઓને લઈને કેટલા નિમ્નસ્તરના વિચારો ધરાવતા હોય છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં એક મહારાજે હિંદુ મહિલાઓને ફિગરની ચિંતા છોડીને ચાર ચાર બાળકો પેદા કરવાની સલાહ આપી દીધી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પંચાયતી અખાડા શ્રી નિરંજનીના મહામંડલેશ્વર સ્વામી પ્રેમાનંદ મહારાજે ઉજ્જૈનમાં આયોજિત શ્રીમદ ભાગવત કથા દરમિયાન કહ્યું હતું કે, ”ભાગવત કથામાં હું એ વાતો કહેવા નથી આવ્યો જે તમારા કાનને પ્રિય છે. હું એ વાતો કહું છું જે સનાતન ધર્મને આગળ લઈ જશે. અત્યારે તો બધા સનાતનનો ધ્વજ લહેરાવીને તેને આગળ લઈ જવાની વાત કરે છે, પણ હું બધાંને ચેતવણી આપું છું કે અત્યારે પણ સાવધાન રહેવું જોઈએ. ઉત્તર પ્રદેશના ૧૭ જિલ્લા આપણાં હાથમાંથી છીનવાઈ ગયા છે. પશ્ચિમ બંગાળમાં પણ આવી જ સ્થિતિ છે, ત્યાંના લોકો પણ આ જ સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં છે. આસામમાં ૫ લાખ લોકો પાસે પાસપોર્ટ અને વિઝા નથી. મારો સીધો મતલબ એ છે કે ૨૫ વર્ષ પહેલા એ લોકો ૨ કરોડ હતા, પછી ૯ કરોડ થયા અને હવે ૩૮ કરોડ થઈ ગયા છે. હજુ પણ સમય છે, સાવચેત રહો નહીંતર ભારત પણ ઇન્ડોનેશિયા બની જશે અને ટૂંક સમયમાં તમારી ગણતરી પણ લઘુમતીઓમાં થશે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/leave-vrat-fast-mangalsutra-sindoor-we-are-not-hindus-tribal-society"><span style="font-size: 14pt;">વ્રત, ઉપવાસ, મંગળસૂત્ર, સિંદૂર છોડો, આપણે હિંદુ નથીઃ આદિવાસી સમાજ</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રેમાનંદ મહારાજે કથા દરમિયાન વધુમાં જણાવ્યું હતું કે, “આજે સનાતન સંસ્કૃતિના રક્ષણ માટે મહિલાઓએ ચાર-ચાર બાળકોને જન્મ આપવાની જરૂર છે. હિંદુ મહિલાઓ હવે એક બે સંતાનોને જન્મ આપતા પણ ખચકાય છે, જ્યારે અન્ય સમાજના લોકો ૮-૮ બાળકો પેદા કરે છે. હિંદુ મહિલાઓએ પોતાનું ફિગર જાળવી  રાખવાને બદલે સનાતન ધર્મ અને દેશ માટે કંઈક કરવું જોઈએ.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રેમાનંદ મહારાજે આગળ કહ્યું હતું કે, “જો તમારું લક્ષ્ય ૨ બાળકોનું છે અને તમે ૩નું લક્ષ્ય રાખતા હોવ તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અમે તમારા ત્રીજા બાળકની સંભાળ લઈશું. ઇન્ડોનેશિયામાં રામલીલા ટિકિટ લઈને જોવામાં આવે છે. એવી ઘણી જગ્યાઓ છે જ્યાં ભગવાનનું નામ લેવામાં આવે તો તેને કાપીને ફેંકી દેવામાં આવે છે. આપણે હવેથી જાગીને આ સમસ્યાઓ વિશે વિચારવું પડશે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span></strong></span><span style="font-size: 14pt;"> <a href="https://khabarantar.com/corporate-storytellers-spread-more-lies-than-whatsApp-university"><strong>વોટ્સએપ યુનિવર્સિટી કરતા પણ કોર્પોરેટ કથાકારો વધુ જુઠ ફેલાવે છે</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 26 Jul 2024 20:09:08 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>981</Articleid>
                    <excerpt>પંચાયતી અખાડાના મહામંડળેશ્વર સ્વામી પ્રેમાનંદ મહારાજે હિંદુ મહિલાઓને સલાહ આપતા કહ્યું છે કે, તેમણે ફિગરની ચિંતા છોડીને 4-4 બાળકો પેદા કરવા જોઈએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a3b45f0d00f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a3b45ecfbdd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a3b45ecfbdd.jpg" length="77153" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતમાં બેન્કિંગ ફ્રોડના કેસોમાં એક જ વર્ષમાં 469 ટકાનો વધારો થયો</title>
                    <link>https://khabarantar.com/banking-fraud-cases-in-gujarat-increased-by-469-percent-in-a-single-year</link>
                    <guid>https://khabarantar.com/banking-fraud-cases-in-gujarat-increased-by-469-percent-in-a-single-year</guid>
                    <description>
                        <![CDATA[ મોબાઈલ અને ઈન્ટરનેટના વધેલા વ્યાપ વચ્ચે ગુજરાતમાં બેંન્કિંગ ફ્રોડમાં છેલ્લાં એક જ વર્ષમાં 469 ટકાનો અસાધારણ ઉછાળો નોંધાયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં ઈન્ટરનેટનો વ્યાપ વધ્યા બાદ ઓનલાઈન ચિટીંગ અને બેન્કિંગ ફ્રોડની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે, આ વર્ષના જે આંકડાઓ આવ્યા છે તેણે સૌ કોઈને ચોંકાવી દીધાં છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં છેલ્લાં એક જ વર્ષમાં બેન્કિંગ ફ્રોડની ઘટનાઓમાં 469 ટકાનો મોટો વધારો નોંધાયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં આ વર્ષે ફ્રોડના ૧૩૪૯ કેસની ફરિયાદ નોધવામાં આવી હતી. જેમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ઈન્ટરનેટ બેન્કિંગ વગેરેમાં ફ્રોડ થયાની ફરિયાદો નોંધાઈ હતી.  યુનિયન ફાઈનાન્સ મિનિસ્ટ્રીના ડેટા પ્રમાણે વર્ષ ૨૦૨૨-૨૩માં બેંન્કિંગ ફ્રોડના ૨૪૭ કેસ નોંધાયા હતા અને વર્ષ ૨૦૨૩-૨૪માં આ આંકડો વધીને ૧૩૪૯ કેસોએ પહોંચી ગયો હતો. મતલબ અંદાજે ૪૬૯ ટકાનો વધારો નોંધાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંકડાઓ મુજબ તમિલનાડુમાં સૌથી વધુ બેન્કિંગ ફ્રોડ થયા છે, જયાં ૬૮૭૧ કેસ નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં ૬૫૧૪, દિલ્હી-એનસીઆરમાં ૨૪૮૭, ઉત્તર પ્રદેશ ૧૪૬૨ અને પશ્ચિમ બંગાળ ૧૩૫૩ ફ્રોડના કેસ નોંધાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-new-chapter-in-the-land-scam-in-the-name-of-ram-in-ayodhya"><span style="font-size: 14pt;">અયોધ્યામાં રામના નામે જમીન કૌભાંડનો નવો અધ્યાય...</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ ૨૦૨૪માં ગુજરાતના લોકોએ ડિજિટલ બેન્કિંગ ફ્રોડથી રૂ. ૪૯.૯૨ કરોડ ગુમાવ્યા હતા, જે  વર્ષ ૨૦૨૩માં રૂ. ૯.૮૭ કરોડનાની સરખામણીએ ૪૦૦ ટકાથી પણ વધારે છે.  ગુજરાતની બેંકર કમિટીના જણાવ્યા મુજબ, મોટાભાગના કિસ્સાઓમાં, એટીએમ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પીન અને સીવીવી શેર કરવાથી બેંકીગ ફ્રોડ ખૂબ જ સરળતાથી થઈ શકે છે.  યુવાનો અને વરિષ્ઠ નાગરિકો સહિત લોકો આ પ્રકારના ફ્રોડના શિકાર બને છે, લોકો ફોન પર ઓટીપી શેર કરે છે જેથી ફ્રોડનો ભોગ બને છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અન્ય કિસ્સાઓમાં, લોકો વ્હોટ્‌સએપ અને મેસેજ પર પ્રાપ્ત થયેલી  લિંક્સ પર ક્લિક કરે છે, જેના કારણે તેમની બેંકિંગ માહિતી બીજા સુધી પહોંચી જાય છે અને તેમની જાણ વગર લોકો ફ્રોડના ભોગ બને છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અહેવાલમાં, જણાવ્યું છે કે ડિજિટલ પેમેન્ટના ફ્રોડ ખૂબ થાય છે સાથે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડથી પણ ઘણાં બેંકીગ ફ્રોડ થાય છે. ગુજરાતમાં બેંકીગ ફ્રોડ કેસોની સંખ્યામાં પાંચ વર્ષમાં ૨૫ ગણો વધારો થયો છે. વર્ષ ૨૦૨૦ માં ૫૧ કેસ નોંધાયા હતા અને વર્ષ ૨૦૨૪ માં ૧૩૪૯ કેસો નોંધાયા છે . લોકો દ્વારા ફ્રોડમા ગુમાવેલી રકમ ૧૬૩૯ ટકા વધી છે, જે વર્ષ ૨૦૨૦ માં રૂ. ૨.૮૭ કરોડની હતી જે આ વર્ષે ૪૯.૯૨ કરોડની થઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં ૧૯૧૪ કેસમાં કુલ રૂ. ૭૪.૦૭ કરોડની રકમ લોકોએ બેન્કિંગના ફ્રોડમાં ગુમાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/Justice-affected-by-mention-of-caste-and-religion-of-party-in-court-cases"><strong>કોર્ટમાં દાખલ કેસોમાં પક્ષકારની જ્ઞાતિ અને ધર્મના ઉલ્લેખથી ન્યાય પ્રભાવિત થાય છે?</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 26 Jul 2024 19:48:22 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>980</Articleid>
                    <excerpt>મોબાઈલ અને ઈન્ટરનેટના વધેલા વ્યાપ વચ્ચે ગુજરાતમાં બેંન્કિંગ ફ્રોડમાં છેલ્લાં એક જ વર્ષમાં 469 ટકાનો અસાધારણ ઉછાળો નોંધાયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a3af706e04a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a3af703bb5d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a3af703bb5d.jpg" length="63967" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>શામળાજી મંદિરમાં દાનભેટની રકમમાં ઉચાપત મુદ્દે પૂર્વ ટ્રસ્ટીઓ સામે ફરિયાદ</title>
                    <link>https://khabarantar.com/complaint-against-erstwhile-trustees-regarding-embezzlement-of-donation-amount-in-shamlaji-temple</link>
                    <guid>https://khabarantar.com/complaint-against-erstwhile-trustees-regarding-embezzlement-of-donation-amount-in-shamlaji-temple</guid>
                    <description>
                        <![CDATA[ યાત્રાધામ શામળાજીમાં મંદિરના પૂર્વ ટ્રસ્ટીઓએ દાનભેટમાં મળતી માતબર રકમમાં ઉચાપત કરી હોવાને લઈને ત્રણ ટ્રસ્ટીઓ સામે ક્રિમિનલ કેસ દાખલ કરાયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર ગુજરાતના વિખ્યાત યાત્રાધામ શામળાજીમાં ટ્રસ્ટીઓ દાનની રકમને લઈને અંદરોઅંદર લડી પડ્યાં છે અને છેલ્લાં ચાર વર્ષથી કોર્ટે ચડ્યાં છે. અહીં ટ્રસ્ટના ખજાનચી સહિતના કેટલાક ટ્રસ્ટીઓ મંદિરની દાનપેટી અને ભેટમાં મળેલી માતબર રકમ મંદિરના પરિસરમાં ગણતરી કર્યા વિના જ બારોબાર પોતાના ઘરે લઈને જતા રહ્યા હતા. આ મામલે વર્તમાન ટ્રસ્ટીને જાણ થતા તેમણે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. હાલ પૂર્વ અને વર્મતાન ટ્રસ્ટીઓ ભગવાનના મંદિરમાં ચડતી દાનભેટમાં ઉચાપત અને હકને લઈને એકબીજા સામે કોર્ટમાં લડી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આવેલ શ્રી ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિરમાં છેલ્લાં ઘણાં સમયથી ટ્રસ્ટીઓ આમને-સામને આવી ગયા છે અને પોલીસ તથા કોર્ટ કચેરીના ધક્કાં ખાઈ રહ્યાં છે. વાસ્તવમાં થોડા સમય પહેલા મંદિરમાં આવેલ દાન, ભેટની માતબર રકમ મંદિર પરીસરમાં ગણતરી કર્યા વગર ખજાનચી મુકેશભાઈ પ્રમોદરાય ત્રિવેદી સહિત તેમના માનીતા ટ્રસ્ટીઓએ ઘરભેગી કરી દીધી હોવાનું કહેવાય છે. આ ટ્રસ્ટી મુકેશભાઈ ત્રિવેદી પાછા ભિલોડા ગ્રામ પંચાયતના સરપંચ પણ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/my-society-does-not-allow-me-to-go-to-temples-how-can-I-be-tolerated"> <span style="font-size: 14pt;">મારા સમાજને મંદિરોમાં જવા નથી દેતા, મને કેવી રીતે સહન કરે?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ટ્રસ્ટી તરીકે સતત વિવાદોમાં રહેતા ભિલોડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશભાઈ ત્રિવેદી મંદિરની દાન-પેટીમાં આવેલી રકમ ગણ્યા વગર તા. ૧૮-૧૨-૨૦૨૨ના રોજ પોતાના ઘરે લઈ ગયા હતા. આ બાબતની જાણ મંદિરના વર્તમાન ટ્રસ્ટી પ્રફુલ્લ દેવશંકર ઉપાધ્યાયને થતા તેમણે તા.૨૪-૧૨-૨૦૨૨ના રોજ શામળાજી પોલીસ સ્ટેશનમાં ઉચાપત સંદર્ભે ન્યાયિક ફરિયાદ કરી, પોલીસને તપાસ કરવા વિનંતી કરી હતી. પણ પોલીસે 8 મહિના સુધી ફરિયાદ લીધી નહોતી. આખરે આ મામલે જિલ્લા પોલીસ વડાને જાણ કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શામળાજી પોલીસે અગમ્ય કારણોસર ફરિયાદ ના લેતા ફરિયાદી પ્રફુલ્લ દેવશંકર ઉપાધ્યાયે ભિલોડા કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. એ પછી કોર્ટે યોગ્ય પુરાવા, હકીકતના આધારે ફરિયાદનો હુકમ આપતા તા.૨૩-૦૭-૨૦૨૪ના રોજ ભિલોડા કોર્ટના ન્યાયાધીશે ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ દ્વારા થયેલી ઉચાપત અને વિશ્વાસભંગ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ તથ્ય જણાતા અને ટ્રસ્ટના બંધારણ તથા નિયમ વિરુદ્ધ નાણાંકીય ઉચાપત થયાનું જણાતા તેમાં સામેલ મુખ્ય આરોપીઓ (૧) મુકેશભાઈ પ્રમોદરાય ત્રિવેદી (ખજાનચી) (૨)જગદીશભાઈ ભુલેશ્વર જોષી (મંત્રી) (૩) પ્રમોદભાઈ લક્ષ્મીનારાયણ પંડયા (ચેરમેન) વિરૂધ્ધ નાંણાકીય ઉચાપત અને વિશ્વાસભંગ બદલ કલમ ૪૦૬, ૪૦૮ અને ૧૧૪ મુજબ ક્રિમિનલ કેસ દાખલ કરવાનો કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/clashes-between-devotees-during-mangala-aarti-at-ranchhodji-temple-in-dakor"><strong>ડાકોરના રણછોડજી મંદિરમાં મંગળા આરતી વખતે ભક્તો વચ્ચે મારામારી</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 26 Jul 2024 17:13:55 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>979</Articleid>
                    <excerpt>યાત્રાધામ શામળાજીમાં મંદિરના પૂર્વ ટ્રસ્ટીઓએ દાનભેટમાં મળતી માતબર રકમમાં ઉચાપત કરી હોવાને લઈને ત્રણ ટ્રસ્ટીઓ સામે ક્રિમિનલ કેસ દાખલ કરાયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a38b703b463.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a38b700c437.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a38b700c437.jpg" length="90220" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>આટકોટમાં ભાજપના બે આગેવાનોએ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું</title>
                    <link>https://khabarantar.com/two-bjp-leaders-raped-a-student-in-atkot</link>
                    <guid>https://khabarantar.com/two-bjp-leaders-raped-a-student-in-atkot</guid>
                    <description>
                        <![CDATA[ રાજકોટના આટકોટમાં ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની પ્રતિક્ષા વિદ્યાલયમાં ભણતી એક વિદ્યાર્થિની પર ભાજપના બે આગેવાનોએ મળીને દુષ્કર્મ આચર્યું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે અને મોટાભાગની શાળાઓના માલિકો નેતાઓ છે. આ સ્થિતિમાં તેમાં ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અનેક રીતે ખતરામાં આવી ગયું છે. ખાસ કરીને વિદ્યાર્થિનીઓ સાથે શાળાના શિક્ષકો, ટ્રસ્ટીઓ જ દુષ્કર્મ કરતા હોવાની એકથી વધુ ઘટનાઓ  સામે આવી ચૂકી છે, ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે, જેમાં શાળાના ટ્રસ્ટી અને ભાજપના આગેવાને જ એક વિદ્યાર્થિની સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલ ડી.બી. પટેલ એજ્ટુકેશન ટ્રસ્ટ સંચાલીત પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ભાજપના આગેવાન અને કલર કામના કોન્ટ્રાક્ટરે પ્રેમજાળમાં ફસાવી વિદ્યાના ધામમાં જ દુષ્કર્મ આચર્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, આ મામલાની જાણ શાળાના ટ્રસ્ટીને થતા તેણે આ કૃત્યને અટકાવી આરોપી સામે પગલાં લેવાને બદલે તેણે પણ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું. મોડે મોડે પણ વિદ્યાર્થિનીની હિંમત ખૂલતા સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા સમક્ષ અરજી થતાં પોલીસે ભાજપના જ બે આગેવાનો સામે ગુનો નોંધતા ખળભળાટ મચી ગયો છે. આ મામલામાં ગઈકાલે જ છાત્રાલયના સંચાલકે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર સૌરાષ્ટ્રમાં અને શિક્ષણ જગતમાં ચકચાર મચાવતી આ ઘટનાની સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટના આટકોટ નજીક આવેલ ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જસદણના પાચવડા ગામના ભાજપના આગેવાન મધુભાઈ ટાઢાણી અને ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ ભાજપના આગેવાન પરેશ રાદડિયાનું નામ આપ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/In-the-BJP-election-campaign,-Dr.-Ambedkar-is-remembered,-but-there-are-no-pictures-of-him-in-Indian-embassies"><span style="font-size: 14pt;">ભાજપ ચૂંટણી પ્રચારમાં ડો. આંબેડકરને યાદ કરે છે, પરંતુ ભારતીય દૂતાવાસોમાં તેમની કોઈ તસવીર નથી</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીનીએ ૫ વર્ષ પહેલા ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં એડમીશન લીધું હતું અને ત્યારથી કન્યા છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી હતી. એડમીશન લીધા બાદ વિદ્યાર્થીનીને ૨૦૨૧માં ભાજપના આગેવાન અને કલર કામના કોન્ટ્રાક્ટર મધુભાઈ ટાઢાણી સાથે પરિચય થયો હતો. આરોપી વિદ્યાર્થિનીને ટોર્ચર કરી વારંવાર છેડતી કરતો હતો અને સ્કૂલ તથા છાત્રાલયને બદનામ કરી દઈશ અને પરિવારને જીવતો નહીં રહેવા દઉં એવી ધમકી આપીને વિદ્યાર્થિનીને ફસાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂલાઈ ૨૦૨૩માં આરોપી મધુભાઈ ટાઢાણીએ ક્ધયા છાત્રાલયનો કલરકામનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો અને કલરકામ કરવાના બહાને અવારનવાર વિદ્યાર્થિનીના રૂમમાં જઈ તેની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો. આ બનાવની ટ્રસ્ટી પરેશ રાદડિયાને જાણ થતાં ભાજપના આગેવાન સામે કાર્યવાહી કરવાના બદલે તેની પણ દાઢ ડળકી હતી અને તેને પણ વિદ્યાર્થીનીને શિકાર બનાવી હતી. છેલ્લા એક વર્ષથી ભાજપના આ બંને આગેવાનોનો વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરતા હતા. બંને હવસખોરોથી ડરી ગયેલી વિદ્યાર્થિની આ બધું મુંગા મોઢે સહન કરતી ગઈ હતી. જો કે આખરે તેની હિંમત ખૂલી હતી અને તેણે પરિવારજનોને આ બનાવની જાણ કરતા તેમણે જિલ્લા પોલીસ વડાને અરજી કરી રૂબરૂ રજૂઆત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચકચારી આ ઘટના અંગે જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત થતાં અંતે આટકોટ પોલીસે ભાજપના આગેવાન મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા સામે દુષ્કર્મ-છેડતી અને ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી બનાવની તપાસ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એન. રાઠોડને સોંપી છે. પોલીસની તપાસમાં છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીની પર હેવાનિયતતા આચરતા ભાજપના બન્ને આગેવાનોએ વિદ્યાર્થીનીને પોતાના અંકુશમાં રાખવા રેક્ટર બનાવી તેને અલગ ઓફિસ ફાળવી હતી અને અવારનવાર મળવાના બહાને અને રિપોર્ટના બહાને એકાંતમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ આચરતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/In-surat-an-astrologer-raped-a-woman-by-extorting-14-lakhs-on-the-pretext-of-a-ritual"><strong>સુરતમાં જ્યોતિષે વિધીના બહાને મહિલા પાસેથી 14 લાખ પડાવી દુષ્કર્મ કર્યું</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 25 Jul 2024 19:44:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>975</Articleid>
                    <excerpt>રાજકોટના આટકોટમાં ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની પ્રતિક્ષા વિદ્યાલયમાં ભણતી એક વિદ્યાર્થિની પર ભાજપના બે આગેવાનોએ મળીને દુષ્કર્મ આચર્યું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a25c8185900.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a25c8155b49.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a25c8155b49.jpg" length="84294" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>જળ સંપત્તિ વિભાગે વેરાવળની ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝના 280 કરોડ માફ કર્યા</title>
                    <link>https://khabarantar.com/280-crores-of-veravals-grasim-Industries-was-waived-off-by-the-water-resources-department</link>
                    <guid>https://khabarantar.com/280-crores-of-veravals-grasim-Industries-was-waived-off-by-the-water-resources-department</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાત સરકારના જળ સંપત્તિ વિભાગ પર મોટો આક્ષેપ લાગ્યો છે. ગીરસોમનાથ જિલ્લાના વેરાવળની એક કંપનીના તેણે રૂ. 280 કરોડ માફ કરી દીધા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં એક તરફ નકલીની બોલબાલા છે, ધારાસભ્યોનું અધિકારીઓ સાંભળતા નથી તેવું ખુદ ધારાસભ્યો કહે છે, અધિકારીઓ કરોડોના કૌભાંડો કરીને ભૂગર્ભમાં ઉતરી રહ્યાં છે, ત્યાં વધુ એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે રાજ્યના જળ સંપત્તિ વિભાગે એક કંપનીના રૂ. 280 કરોડ માફ કરી દીધાં હોવાનો આક્ષેપ લાગ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગ પર આક્ષેપ કર્યો છે કે, તેણે ગીરસોમનાથ જિલ્લાના વેરાવળમાં આવેલી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પર પાણીનાં બાકી લેણા અંગે લેતીદેતી કરી કુલ ચૂકવવાનાં થતા 434, 71, 280 કરોડથી વધુની રકમ માફ કરી માત્ર 157. 15 કરોડ જેટલી રકમ ભરાવી રાજ્યની તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પૂંજા વંશે ગઈકાલે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું હતું કે, "ગીર સોમનાથના વેરાવળ ખાતે આવેલી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝે 1999 થી વેરા સ્વરૂપે લેવામાં આવતી રકમમાંથી એક પણ રૂપિયો સરકારમાં ભરવામાં આવ્યો નથી, પાણીના વપરાશ પેટે 1998 થી 2002 નોર્મલ વોટર ચાર્જીસ વગેરે 434.71 કરોડ જેટલી રકમ સરકારની તેની પાસેથી લેવાની નીકળે છે. તેવામાં રાજ્ય સરકારે જળ સંપતિ વિભાગના અધિકારીઓ વતી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝની 280 કરોડ જેટલી માતબર રકમ માફ કરી દીધી છે. સવાલ એ છે કે, રાજ્યના જળ સંપત્તિ વિભાગે આટલી મોટી રકમ શા માટે માફ કરી? એનો મતલબ એ થયો કે પાછલા બારણે મોટો વહીવટ થયો હોઈ શકે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પૂર્વ ધારાસભ્યે રાજ્ય સરકાર ઉપર વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, "જળ સંપત્તિ વિભાગના હુકમનાં નિર્ણયમાં સરકાર કહે છે પૂર્વ દ્રષ્ટાંત કરવાનો રહેશે નહીં એનો મતલબ કે બીજી કંપનીઓમાં આવો હુકમ માન્ય રહેશે નહીં. જેનાથી સાબિત થાય છે કે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ સરકારની માનીતી કંપની છે." </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/water-supply-department-showed-work-on-paper-and-turned-over-money-worth-rs-12-14-crore"> </a> <strong><a href="https://khabarantar.com/1140-crores-of-rights-of-44-thousand-dalit-tribals-have-been-wasted">44 હજાર દલિત-આદિવાસીઓના હકના 1140 કરોડ ક્યાં ખવાઈ ગયા?</a></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "2019માં કલેક્ટરે કંપની ઉપર રૂ. 264 કરોડ 37 લાખનો બોજો નાખ્યો હતો. જેને બદલી રાજ્ય સરકારે બોજો નાખ્યા પછી પણ એ રકમ ન વસૂલીને અને 157 કરોડની રકમ સીધી માફ દીધી. સરકારી નિયમ એવું કહે છે કે કોઈ નાના ખેડૂત હોય કે મોટા વેપારી કે સામાન્ય વેપારી, રાજય કે દેશનો કોઇપણ નાગરિક હોય, સરકાર દ્વારા એક વખત બોજો નાખ્યા બાદ ક્યારેય તે વેરો કે ઋણ માફ કરી શકાતું નથી. જ્યારે આ કેસમાં પહેલી વખત આવું જોવા મળી રહ્યું છે. અગાઉ જાહેર હિસાબી સમિતિ વિભાગે જળ સંપતિ વિભાગનાં કેબિનેટ મંત્રીને આ કંપની પાસેથી પૈસા વસૂલ કરવા માટે અવાર-નવાર રજૂઆતો કરી હોવા છતાં તેને અવગણીને કંપનીને મોટી માત્રામાં મદદ કરવામાં આવી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પૂંજા વંશે ઉમેર્યું હતું કે, "એક બાજુ ખેડૂતો અને સામાન્ય ગરીબ નાગરિકો પાસેથી કડકાઈથી દંડ વસૂલવામાં આવે છે અને જો ભૂલથી પણ નાનામાં નાનો ખેડૂત પણ આ રકમ ન ભરે તો તેમની જમીન જપ્તી અને પેનલ્ટીઓ સહીતનાં ઓર્ડર કરવામાં આવે છે, એનો મતલબ એમ થાય છે કે સરકારના બંને હાથ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પર છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે પૂર્વ ધારાસભ્યના જણાવ્યા મુજબ, "ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પર પાણીનાં બાકી કુલ 434.43 કરોડ નીકળતા લેણામાંથી 280 કરોડ જેટલી મોટી રકમ માફ કરી માત્ર 157. 15 કરોડ ભરાવવામાં આવ્યા છે. ત્યારે આ રકમ માફ કરવામાં સરકાર અને જળ સંપતિ વિભાગના કયા અધિકારીઓનો હાથ હોઈ શકે? માફ કરવાનું કારણ શું હોઈ શકે? કારણકે એકવાર બોજો જાહેર થયા પછી એક રૂપિયાનું લેણું પણ ક્યારેય માફ કરી શકાતું નથી. તેનો સીધો મતલબ એ થયો કે જળ સંપત્તિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પાછલા બારણે મોટા પ્રમાણમાં લેતીદેતી કરીને આ રકમ માફ કરવામાં આવી હોઈ શકે છે. આ મામલે કેટલી સચ્ચાઈ છે તે આવનારા દિવસોમાં યોગ્ય તપાસ થાય તો બહાર આવી શકે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/water-supply-department-showed-work-on-paper-and-turned-over-money-worth-rs-12-14-crore"> <strong>પાણી પુરવઠા વિભાગે કાગળ પર કામ બતાવી 12.14 કરોડનું ફૂલેકું ફેરવ્યું</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 25 Jul 2024 10:36:24 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>972</Articleid>
                    <excerpt>ગુજરાત સરકારના જળ સંપત્તિ વિભાગ પર મોટો આક્ષેપ લાગ્યો છે. ગીરસોમનાથ જિલ્લાના વેરાવળની એક કંપનીના તેણે રૂ. 280 કરોડ માફ કરી દીધા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a1dcadc4ee2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a1dcad907d0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a1dcad907d0.jpg" length="82688" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>વ્યાસપીઠ પરથી ભજન લલકારી રહેલા કથાકારને હાર્ટએટેક આવતા મોત</title>
                    <link>https://khabarantar.com/a-narrator-who-was-chanting-hymns-from-the-pulpit-died-of-a-heart-attack</link>
                    <guid>https://khabarantar.com/a-narrator-who-was-chanting-hymns-from-the-pulpit-died-of-a-heart-attack</guid>
                    <description>
                        <![CDATA[ ગુરુપૂર્ણિમાના દિવસે વ્યાસપીઠ પર બેસીને એક કથાકાર ભજન ગાઈને લોકોને કથા સંભળાવી રહ્યા હતા ત્યારે જ તેમને હાર્ટ એટેક આવતા મોત થઈ ગયું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમે ક્યાંય એવું જોયું-સાંભળ્યું છે કે, કોઈ જગ્યાએ કથા ચાલી રહી હોય, વ્યાસપીઠ પર બેઠેલા કથાકાર ભગવાનનું ભજન લલકારી રહ્યા હોય અને અચાનક તેમનું મોત થઈ જાય. કલ્પનામાં પણ ન આવે તેવી આ ઘટના હકીકતમાં બની છે, જ્યાં એક કથાકાર મહારાજ વ્યાસપીઠ પર બેસીને ભજન લલકારી રહ્યા ત્યારે જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનો જીવ જતો રહ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉજ્જૈનના દમદમા વિસ્તારમાં રહેતા પંડિત ગોપાલ કૃષ્ણ મહારાજ આ વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે પાઢલિયા આંજણા સમાજ અને શ્રી સદગુરુ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાનું પઠન કરવા રાજગઢ સ્થિત તેમના ગુરુના સમાધિ સ્થળ પર ગયા હતા. આ કથા દરમિયાન મહારાજ ભજન ગાઈ રહ્યા હતા અને ભક્તોને સમજાવી રહ્યા હતા કે "જો તમે કોઈ કાર્યમાં સફળ થવા માંગો છો, તો તમારે તેનો વધુને વધુ અભ્યાસ કરવો જોઈએ." મહારાજ ભજન લલકારીને કથા સંભળાવી રહ્યા હતા અને ભક્તો નૃત્ય કરીને તેનો આનંદ માણી રહ્યા હતા. ત્યાં જ અચાનક મહારાજે ભજન ગાવાનું બંધ કરી દીધું અને વ્યાસગાદી પર જ ગબડી પડ્યાં હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Emergency-like-situation-in-health-sector-in-Gujarat,-shortage-of-1327-doctors-in-government-hospitals"><span style="font-size: 14pt;">Gujaratમાં આરોગ્ય ક્ષેત્રે કટોકટી જેવી હાલત, સરકારી હોસ્પિટલોમાં 1327 ડોક્ટરોની અછત</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાજને આમ અચાનક શાંત થતા જોઈને ભક્તો સ્તબ્ધ થઈ ગયા હતા. નાચતા ભક્તો અને સેવા સમિતિના લોકો તરત જ મહારાજ પાસે પહોંચ્યા, પરંતુ તેમની હાલત વધુ ખરાબ હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ ત્યાં પહોંચતા પહેલા રસ્તામાં જ તેમનું મોત થઈ ગયું. મહારાજના મૃત્યુના સમાચાર ફેલાતાની સાથે જ તેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં કથા સ્થળે પહોંચી ગયા હતા અને તેમના મોતને લઈને રડી પડ્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી મહારાજના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો, જ્યાંથી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં તેમના સેંકડો ભક્તો અને અનુયાયીઓ જોડાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાગવતાચાર્ય પંડિત ગોપાલ કૃષ્ણ મહારાજનું નિધન કેવી રીતે થયું તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કારણ કે જે સમયે આ કથા ચાલી રહી હતી તે સમયે તેનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું હતું. ઘટના દરમિયાનના વીડિયોમાં મહારાજ ભજન ગાઈને ઉપદેશ આપતા જોવા મળે છે અને ભક્તો પણ તેમના ભજન પર નાચતા અને ગાતા જોવા મળે છે. એ પછી અચાનક તેમને હાર્ટએટેક આવી જાય છે અને આખો માહોલ બગડી જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/a-bjp-leader-protesting-against-the-petrol-diesel-issue-suffered-a-heart-attack"><strong>પેટ્રોલ-ડીઝલ મુદ્દે વિરોધ કરી રહેલા ભાજપના નેતાને હાર્ટએટેક આવ્યો</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 25 Jul 2024 09:33:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>971</Articleid>
                    <excerpt>ગુરુપૂર્ણિમાના દિવસે વ્યાસપીઠ પર બેસીને એક કથાકાર ભજન ગાઈને લોકોને કથા સંભળાવી રહ્યા હતા ત્યારે જ તેમને હાર્ટ એટેક આવતા મોત થઈ ગયું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a1ce0e2087c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a1ce0de1414.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a1ce0de1414.jpg" length="88528" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>વરસાદમાં 61 મોત, 535નું રેસ્ક્યૂ, 4238 લોકોનું સ્થળાંતર કરાયું</title>
                    <link>https://khabarantar.com/61-deaths-535-rescued-4238-people-evacuated-in-rain</link>
                    <guid>https://khabarantar.com/61-deaths-535-rescued-4238-people-evacuated-in-rain</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં ભારે વરસાદને કારણે આ સિઝનમાં 61 લોકોના મોત થયા છે. પાણી ભરાવાથી 17 સ્ટેટ હાઇવે સહિતના 666 માર્ગો બંધ કરાયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજયમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં ભારે હાલાકીની સ્થિતિ સર્જાઈ છે. રાજયમાં ભારે વરસાદના કારણે છેલ્લા 24 કલાકમાં 8 વ્યક્તિના મોત નિપજ્યાં છે. તો 215 વ્યક્તિનું રેસ્ક્યૂ કરાયું છે, જ્યારે 800થી વધુ વ્યક્તિનું સ્થળાંતર કરાયું છે. જ્યારે પાણી ભરાવાના કારણે રાજયમાં 17 સ્ટેટ હાઇવે સહિત કુલ 666 માર્ગો બંધ કરાયા હોવાનું રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજયમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે તો કેટલાક વિસ્તારોમાં જાનહાનિના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. રાજયમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતી અંગે રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજયમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો કુલ 51 ટકા વરસાદ નોંધાયો છે. સિઝનમાં 73 તાલુકાઓમાં 500 મીમીથી વધુ વરસાદ થયો છે. આજે રાજયમાં સૌથી વધુ વરસાદ આણંદ જિલ્લાના બોરસદમાં નોંધાયો છે, તેમજ તિલકવાડા તાલુકામાં પણ ભારે વરસાદ નોંધાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 54 ટકા ભરાયો છે. જ્યારે રાજ્યના 206 ડેમમાંથી 46 ડેમ ઓવરફ્લો થયા છે. જ્યારે 51 ડેમ હાઇ એલર્ટ પર છે. જ્યારે ભારે વરસાદના કારણે રાજ્યની 10 નદીઓમાં પૂરની સ્થિતિ છે. ત્રણ તળાવ ઓવરફ્લો થયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/womens-clothing-responsible-for-rising-rape-incidents-bjp-leader"><span style="font-size: 14pt;">બળાત્કારની વધતી ઘટનાઓ પાછળ સ્ત્રીઓના કપડાં જવાબદાર: ભાજપ નેતા</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાહત કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં ભારે વરસાદના કારણે છેલ્લા 24 કલાકમાં 8 માનવ મૃત્યુ નોંધાયા છે. જેમાં 3 દ્વારકામાં, 2 બનાસકાંઠામાં જ્યારે કચ્છ, રાજકોટ, સુરતમાં 1-1 સહિત કુલ 8 મોત થયા છે. જ્યારે સિઝનમાં રાજયમાં કુલ 61 મૃત્યુ નોંધાયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં છેલ્લા 24 કલાકમાં 215 વ્યક્તિનું રેસ્ક્યૂ કરાયું છે તો 800થી વધુ વ્યક્તિનું સ્થળાંતર કરાયું છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 535 વ્યક્તિનું રેસ્ક્યૂ કરાયું છે તો 4238 વ્યક્તિનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાહત કમિશનરે રાજયમાં ભારે વરસાદથી પાણી ભરાવાથી માર્ગો બંધ કરાયા છે તે અંગે જણાવ્યું હતું કે, રાજયમાં વિવિધ વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાવાના કારણે 17 સ્ટેટ હાઇવેને બંધ કરાયા છે, તો 42 અન્ય માર્ગોને જ્યારે 607 પંચાયત હસ્તકના માર્ગો મળીને કુલ 666 માર્ગો બંધ કરાયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાહત કમિશનર પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે, ભારે વરસાદના પગલે રાજયમાં એનડીઆરએફની 13 ટીમોને તહેનાત કરાઇ છે. જ્યારે એસડીઆરએફની 20 ટીમોને તહેનાત કરાઇ છે. તો એનડીઆરએફની 2 ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આલોક પાંડે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોના 253 વીજ ટ્રાન્સફોર્મર અસરગ્રસ્ત થયા છે. જેમાંથી 184 વીજ ટ્રાન્સફોર્મરને પૂર્વવત કરી દેવાયા છે. જ્યારે 69 વીજ ટ્રાન્સફોર્મરને રિપેરિંગ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/15-inches-of-rain-in-junagadhs-vanthali-13-inches-in-visavadar-in-24-hours"><strong>જૂનાગઢના વંથલીમાં 24 કલાકમાં 15 ઈંચ, વિસાવદરમાં 13 ઈંચ વરસાદ</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 24 Jul 2024 21:26:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>970</Articleid>
                    <excerpt>ગુજરાતમાં ભારે વરસાદને કારણે આ સિઝનમાં 61 લોકોના મોત થયા છે. પાણી ભરાવાથી 17 સ્ટેટ હાઇવે સહિતના 666 માર્ગો બંધ કરાયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a1235ee79c5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a1235eb6490.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a1235eb6490.jpg" length="94922" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સોમનાથમાં બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવાતા સ્થાનિક બ્રાહ્મણો ઉપવાસ પર ઉતર્યા</title>
                    <link>https://khabarantar.com/at-Somnath-the-local-brahmins-went-on-a-fast-while-worshiping-outside-brahmins</link>
                    <guid>https://khabarantar.com/at-Somnath-the-local-brahmins-went-on-a-fast-while-worshiping-outside-brahmins</guid>
                    <description>
                        <![CDATA[ સોમનાથમાં બહારના બ્રાહ્મણોને પૂજા માટે બોલાવવામાં આવતા હોવાથી સ્થાનિક બ્રાહ્મણો મંદિર ટ્રસ્ટ સામે ઉપવાસ પર ઉતર્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગીરસોમનાથમાં સ્થાનિક બ્રાહ્મણો અને સોમનાથ ટ્રસ્ટ વચ્ચે બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવવાના મામલે વિવાદ થયો છે. મામલો એટલો ઉગ્ર બની ગયો છે કે સ્થાનિક સોમપુરા તીર્થ પુરોહિતો સોમનાથ ટ્રસ્ટ સામે ઉપવાસ પર ઉતર્યા છે. જેમાં એક મહિલાની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મામલે બ્રાહ્મણોએ વિરોધ નોંધાવતા પોલીસે અનેકની અટકાયત કરી હતી. જેની સામે બ્રાહ્મણોએ પોલીસ સ્ટેશનમાં જ મંત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવો શરૂ કરી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આખો મામલો સોમનાથ ટ્રસ્ટ દ્વારા બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવવા સાથે જોડાયેલો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા સ્થાનિક બ્રાહ્મણોને છોડીને બહારના બ્રાહ્મણોને પૂજા માટે બોલાવવામાં આવતા હોવાથી સ્થાનિક સોમપુરા બ્રહ્મ સમાજ વિરોધ નોંધાવીને ઉપવાસ પર બેસી ગયો હતો. એ દરમિયાન તેમણે ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈના વિરોધમાં સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. જેથી પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. એ દરમિયાન તેમણે પોલીસ સ્ટેશનમાં જ મંત્રોચ્ચાર શરૂ કરીને ઉપવાસ ચાલુ રાખ્યા હતા. એ દરમિયાન એક મહિલાની તબિયત લથડતા તેને સારવાર માટે ખસેડાઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Hindu-scriptures-written-by-Brahmins-are-a-mountain-of-immorality---Kaushik-beginning"><span style="font-size: 14pt;">બ્રાહ્મણોએ લખેલા હિંદુ ધર્મગ્રંથો અનૈતિકતાનો પહાડ છે - કૌશિક શરૂઆત</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202407/image_870x_66a114ce1d5a7.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ થતાં કોંગ્રેસના નેતા હીરાભાઇ જોટવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ઉપવાસ પર બેઠેલા બ્રાહ્મણો સાથે વાતચીત કરીને તેમની લડાઈમાં સમગ્ર વિસ્તારના લોકો તેમની સાથે હોવાનું જણાવ્યું હતું. હીરાભાઈએ બ્રાહ્મણોની અટકાયત અને મંદિર ટ્રસ્ટ સામે તેમને ઉપવાસ પર બેસવું પડ્યું તે ઘટનાને સોમનાથ માટે કલંકરૂપ ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે, સોમનાથ મહાદેવ મંદિરને હિંદુ ધર્મના 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક ગણવામાં આવે છે અને દર વર્ષે લાખો લોકો અહીં દર્શનાર્થે આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પોતાની અનેક પ્રોપર્ટી વિકસાવાઈ છે અને તેની આવક કરોડોમાં થવા જાય છે. મંદિરમાં વહેંચાતા પ્રસાદથી લઈને મોટાભાગની ચીજો અંદર જ મળતી હોવાથી તેનું પણ એક અલગ માર્કેટ છે. એવામાં મંદિર ટ્રસ્ટ દ્વારા સ્થાનિક બ્રાહ્મણોને બદલે બહારના બ્રાહ્મણોને પૂજા માટે બોલાવાતા હોવાથી આખો વિવાદ ઉભો થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/how-can-the-bahujans-be-saved-from-the-cultural-slavery-of-the-brahmins"><strong>બ્રાહ્મણોની સાંસ્કૃતિક ગુલામીમાંથી બહુજનોને કેવી રીતે બચાવી શકાય?</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 24 Jul 2024 20:23:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>969</Articleid>
                    <excerpt>સોમનાથમાં બહારના બ્રાહ્મણોને પૂજા માટે બોલાવવામાં આવતા હોવાથી સ્થાનિક બ્રાહ્મણો મંદિર ટ્રસ્ટ સામે ઉપવાસ પર ઉતર્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a114b8644a5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a114b834781.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a114b834781.jpg" length="120551" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>રૂડકીમાં કાવડિયાઓએ &amp;apos;ભોલે બાબા કી જય&amp;apos;ના નારા સાથે તોફાન મચાવ્યું</title>
                    <link>https://khabarantar.com/in-roodkee-kavadias-rioted-with-slogans-of-bhole-baba-ki-jai</link>
                    <guid>https://khabarantar.com/in-roodkee-kavadias-rioted-with-slogans-of-bhole-baba-ki-jai</guid>
                    <description>
                        <![CDATA[ ઉત્તરાખંડના રૂડકીમાં કાવડિયાઓએ ભોલે બાબા કી જય ના નારા સાથે જાહેર રસ્તા પર તોફાન મચાવ્યું હોવાની ઘટના સામે આવી છે. શું છે આખો મામલો વાંચો અહીં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થોડા દિવસ પહેલા યુપીના મુઝફ્ફરનગરમાં કાવડમાં જળ ભરીને નીકળતા કાવડિયાઓએ તોફાન મચાવ્યું હતું. આ ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં હવે ઉત્તરાખંડના રૂડકીમાં પણ કાવડિયાઓએ મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે અહીં કાવડિયાઓએ એક રિક્ષાચાલકને માર માર્યોહતો અને તેની રિક્ષામાં તોડફોડ કરી હતી. આ ઘટના બની ત્યારે પોલીસ પણ ત્યાં હાજર હતી અને તેમણે કાવડિયાઓને સમજાવવા પ્રયત્ન કર્યો હતો પણ તેઓ કોઈનું માન્યા નહોતા અને રિક્ષામાં તોડફોડ કરતાં રહ્યાં હતા. આ ઘટનામાં રિક્ષાચાલક ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મંગલોર વિસ્તારના લિબ્બરહેડી નહેર પાટાની છે. જ્યાં એક ઈ રિક્ષાએ કાવડિયાઓને ટક્કર મારી હોવાનું કહેવાય છે. જેનાથી ઉશ્કેરાયેલા કાવડિયાઓએ રિક્ષા ડ્રાઈવરને માર માર્યો અને બાદમાં રિક્ષામાં તોડફોડ કરી હતી. કાવડિયાઓ માર મારતા "ભોલે બાબા કી જય"ના સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. હોબાળો થતા ભારે ભીડ જમા થઈ ગઈ. પોલીસે આ મામલે અજાણ્યા કાવડિયાઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Why-did-historians-do-injustice-to-Zhalkari-Bai-of-Bahujan-Virang"> <span style="font-size: 14pt;">ઇતિહાસકારોએ બહુજન વીરાંગના ઝલકારી બાઈને અન્યાય કેમ કર્યો?</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202407/image_870x_66a0c1e99e9fc.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિદ્વારના એસએસપી પરમેન્દ્ર સિંહ ડોભાલે જણાવ્યું છે કે મંગલોર વિસ્તારના લિબ્બરેડીમાં સંજય કુમાર દ્વારા જાણ કરવામાં આવી હતી કે આજે તેમની ઈ- રિક્ષાથી એક કાવડિયાને ટક્કર વાગી ગઈ હતી, જેમાં ન તો કાવડિયાને ઈજા પહોંચી હતી ન કાવડ ખંડિત થઈ હતી. તેમ છતાં કાવડિયાઓએ તેમના સાથીદારો સાથે મળીને તેની સાથે મારામારી કરી હતી અને તેની રિક્ષામાં તોડફોડ કરી હતી. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ આરોપી કાવડિયાઓની ઓળખ કરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે અગાઉ મુઝફ્ફરનગરમાં પણ કાવડિયાઓએ એક કાર ડ્રાઈવરને ભારે માર માર્યો હતો અને તેની કાર પણ તોડી નાખી હતી. કારના કાચ અને છતને ભારે નુકસાન થયું હતું. પોલીસે ત્યાં પણ કાવડિયાઓને રોક્યા હતા પણ તેઓ પાછા નહોતા વળ્યાં અને કારચાલકને માર મારતા રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/controversy-over-nameplates-on-kavadyatra-route-in-uttar-pradesh-escalated"><strong>ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રાના રૂટ પર નેમપ્લેટનો વિવાદ વધુ વકર્યો</strong></a></span><br><br></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 24 Jul 2024 14:31:33 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>968</Articleid>
                    <excerpt>ઉત્તરાખંડના રૂડકીમાં કાવડિયાઓએ ભોલે બાબા કી જય ના નારા સાથે જાહેર રસ્તા પર તોફાન મચાવ્યું હોવાની ઘટના સામે આવી છે. શું છે આખો મામલો વાંચો અહીં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a0c1e93718d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a0c1e90837a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a0c1e90837a.jpg" length="103865" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>કેન્દ્ર સરકારે RSS પર લાગેલો 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવ્યો, શું છે મામલો?</title>
                    <link>https://khabarantar.com/union-government-lifts-58-year-old-ban-on-rss-whats-the-deal</link>
                    <guid>https://khabarantar.com/union-government-lifts-58-year-old-ban-on-rss-whats-the-deal</guid>
                    <description>
                        <![CDATA[ કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને સંઘની પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવી લીધો છે. હવે સરકારી કર્મચારી ખૂલીને સંઘના કાર્યક્રમોમાં જઈ શકશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા સરકારી કર્મચારીઓ પરનો ૫૮ વર્ષ જૂનો “પ્રતિબંધ” હટાવી લીધો છે. હવે સરકારી કર્મચારીઓ આરએસએસની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “ઉપરોક્ત સૂચનાઓની સમીક્ષા કરવામાં આવી છે અને તે નક્કી કરવામાં આવ્યું છે કે ૩૦ નવેમ્બર ૧૯૬૬, ૨૫ જુલાઈ ૧૯૭૦ અને ૨૮ ઓક્ટોબર ૧૯૮૦ના સંબંધિત ઓફિસ મેમોરેન્ડમ્સમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઉલ્લેખ દૂર કરવો જોઈએ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ નિર્ણયને ભારતની અખંડિતતા અને એકતા વિરુદ્ધ ગણાવ્યો છે. હૈદરાબાદના સાંસદે ટિ્‌વટ કરી હતી કે, 'સરકારે આરએસએસની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા સરકારી કર્મચારીઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. જો આ સાચું છે તો તે ભારતની અખંડિતતા અને એકતાની વિરુદ્ધ છે. આરએસએસ પર પ્રતિબંધ છે કારણ કે તેણે બંધારણ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આરએસએસના સભ્યો હિંદુત્વને રાષ્ટ્રથી ઉપર રાખવાના શપથ લે છે. જો કોઈપણ સરકારી કર્મચારી આરએસએસનો સભ્ય હોય તો તે રાષ્ટ્રને વફાદાર ન હોઈ શકે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, "ફેબ્રુઆરી ૧૯૪૮માં ગાંધીજીની હત્યા બાદ સરદાર પટેલે આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો હતો. એ પછી પણ આરએસએસએ ક્યારેય નાગપુરમાં તિરંગો ફરકાવ્યો નથી. ૧૯૬૬માં આરએસએસના કાર્યક્રમોમાં ભાગ લેતા સરકારી કર્મચારીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને તે યોગ્ય નિર્ણય હતો. ૪ જૂન, ૨૦૨૪ના લોકસભા ચૂંટણી પરિણામોમાં ભાજપને પૂર્ણ બહુમતી ન મળી એ પછી વડાપ્રધાન મોદી અને સંઘ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. તેને સુધારવા માટે આ ૫૮ વર્ષ જૂનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો, જે અટલ બિહારી વાજપેયીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન પણ લાગુ હતો. આ નિર્ણય પછી અનેક સરકારી અધિકારીઓ શોર્ટ્સ(આરએસએસના ડ્રેસકોડના અર્થમાં)માં જોવા મળે તો નવાઈ નહીં."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/RSS-and-Ambedkar-are-polar-opposites-yet-why-Sangh-praises-Baba-Saheb"><span style="font-size: 14pt;">RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમાજવાદી પાર્ટીના સાંસદ જાવેદ અલી ખાને કહ્યું, "આ સરકાર પાસેથી આ જ અપેક્ષા હતી. તે કોમવાદને પ્રોત્સાહન આપે છે અને સરકારી કર્મચારીઓને એક સાંપ્રદાયિક સંગઠનની પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રેરિત કરે છે. આ નિર્ણય દેશના હિતમાં નથી. હું માનું છું કે સંઘ એક સાંપ્રદાયિક સંગઠન છે અને તેની ફિલસૂફી દેશને તોડવાની ફિલસૂફી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કર્ણાટકના માહિતી અને ટેકનોલોજી મંત્રી પ્રિયાંક ખડગેએ તાજેતરમાં કર્ણાટક સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આયોજિત આરએસએસના કાર્યક્રમની ટીકા કરી છે. પ્રિયાંક ખડગેએ ૧૮ જુલાઈના રોજ યોજાયેલા આ કાર્યક્રમને લઈને કર્ણાટક સેન્ટ્રલ યુનિવર્સિટી પર 'આરએસએસની શાખા'માં ફેરવાઈ જવાનો આરોપ લગાવ્યો હતો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ આરએસએસનું 'નમસ્તે સદા વત્સલે' ગીત ગાયું હતું અને 'ધ્વજ પ્રણામ' કર્યું હતું. આ બેઠક આરએસએસની આગામી શતાબ્દી ઉજવણીની તૈયારીઓનો એક ભાગ હતી અને તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં મૂકીને પ્રિયાંક ખડગેએ સંઘની ટીકા કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ૧૯૬૬માં ઈન્દિરા ગાંધીની તત્કાલીન કોંગ્રેસ સરકારે સરકારી કર્મચારીઓને આરએસએસ(RSS)ના કાર્યક્રમોમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે 58 વરસ બાદ કર્મચારી અને તાલીમ વિભાગે એક આદેશ જારી કરીને આ પ્રતિબંધને રદ કર્યો છે. અગાઉના આદેશમાં સરકારી કર્મચારીઓ આરએસએસના કાર્યક્રમોમાં ભાગ લે તો સજાની જોગવાઈ હતી. નિવૃત્તિ પછી પણ સરકારી કર્મચારીઓ પેન્શન વગેરેના લાભોને ધ્યાનમાં રાખીને આરએસએસના કાર્યક્રમોમાં આવવાનું ટાળતા હતા. હવે સરકારે આરએસએસ પરનો આ પ્રતિબંધ ઉઠાવી લેતા સંઘની વિચારધારામાં માનતા સરકારી કર્મચારીઓ, અધિકારીઓ ખૂલીને આરએસએસના કાર્યક્રમોમાં જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/dr-does-rss-have-any-answer-to-these-questions-of-ambedkar"><strong>ડૉ. આંબેડકરના આ સવાલોનો RSS પાસે કોઈ જવાબ છે?</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 23 Jul 2024 17:48:32 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 24 Jul 2024 21:48:35 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>964</Articleid>
                    <excerpt>કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને સંઘની પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવી લીધો છે. હવે સરકારી કર્મચારી ખૂલીને સંઘના કાર્યક્રમોમાં જઈ શકશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a1294eb8fd6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a1294e89d35.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a1294e89d35.jpg" length="96945" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>શિવના જળાભિષેક માટે ગંગામાં ડૂબકી મારી જળ ભરવા ગયેલા 11 ડૂબાયા</title>
                    <link>https://khabarantar.com/11-who-went-to-dip-in-the-ganga-to-fill-the-water-for-the-immersion-of-shiva-drowned</link>
                    <guid>https://khabarantar.com/11-who-went-to-dip-in-the-ganga-to-fill-the-water-for-the-immersion-of-shiva-drowned</guid>
                    <description>
                        <![CDATA[ ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાના પહેલા સોમવારે જ કરૂણ ઘટના સામે આવી છે. જેમાં શિવના જળાભિષેક માટે ગંગામાં જળ ભરવા ગયેલા 11 યુવાનો ડૂબાયા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર ભારતમાં હિંદુઓનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે ત્યારે પહેલા જ સોમવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. મળતી માહિતી પ્રમાણે બિહારના ભાગલપુરમાં શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શિવના અભિષેક માટે ગંગામાં જળ ભરવા ગયેલા 11 લોકો ડૂબ્યા હતા. શિવજીને જળાભિષેક કરતા પહેલા ગંગામાં સ્નાન કરવા ગયેલા 11 મિત્રો અચાનક ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જો કે અચાનક તરવૈયાઓનું ધ્યાન જતા તેઓ તેમને બચાવવા કૂદી પડ્યા હતા. જેમ તેમ કરીને બધાંને બહાર કાઢ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં 4 લોકોના મોત થઈ ચૂક્યા હતા. જ્યારે અન્ય સાત લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટના બિહારના ભાગલપુર પાસેના નારાયણપુર તાલુકાના ભવાનીપુર ગામમાં બની હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ચારેય મિત્રોના મૃતદેહનો કબજો લઈ કેસની તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે તમામ 11 મિત્રો નવગચિયા પોલીસ સ્ટેશન વિસ્તારના નયા ટોલા ગામના રહેવાસી હતા. બધાં મિત્રોએ મળીને શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ભગવાન શિવને ગંગાજળથી અભિષેક કરવાનું નક્કી કર્યું હતું. આ માટે બધાં રવિવારે રાત્રે જ પાણી ભરવા માટે ભવાનીપુર પહોંચી ગયા હતા. સોમવારે વહેલી સવારે બધાં ગંગાઘાટ પર પાણી ભરવા આવ્યા અને સ્નાન કરવા લાગ્યા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-nameplate-dispute-on-ups-kavad-yatra-route-reached-the-supreme-court"><span style="font-size: 14pt;">યુપીની કાવડ યાત્રાના રૂટ પરની નેમપ્લેટનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ દરમિયાન આલોક કુમાર નામનો યુવક લપસી પડ્યો અને ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. બાકીના ૧૦ મિત્રોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ એક પછી એક બધાં પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જેના કારણે ગંગા કિનારે હોબાળો મચી ગયો હતો. સારી વાત એ રહી કે ત્યાં કેટલાક તરવૈયાઓ મોજૂદ હતા. તેમણે ભારે મુશ્કેલીથી તમામને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આલોક સહિત ચાર મિત્રોના મોત થઈ ગયા હતા. જેમાં બે સગીરનો પણ સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ શિવમ કુમાર (૧૮), સોનુ કુમાર (૧૬), આલોક કુમાર (૧૮) અને સંજીવ કુમાર (૧૭) તરીકે થઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માહિતી મળતા જ ભવાનીપુર પોલીસ સ્ટેશનના વડા મહેશ કુમાર, સર્કલ ઓફિસર વિશાલ અગ્રવાલ, આરઓ ભરત કુમાર ઝા અને અન્ય ઘણા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મામલાની તપાસ આદરી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ આ ઘટનાની જાણ થતા તમામ ૧૧ મિત્રોના પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોએ આ ઘટના માટે વહીવટીતંત્રને જવાબદાર ગણાવતા કહ્યું કે પોલીસ અને તંત્રને પણ ખબર છે કે શ્રાવણ મહિનામાં ગંગા ઘાટ પર ભક્તોની ભારે ભીડ જામે છે. આમ છતાં કોઈ ઘાટ પર ન તો બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, ન તો બચાવ કાર્ય માટે અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રાવણના પહેલા સોમવારે ૪ લોકોએ વહીવટી તંત્રની આ બેદરકારીની કિંમત પોતાનો જીવ કાઢીને ચૂકવવી પડી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/controversy-over-nameplates-on-kavadyatra-route-in-uttar-pradesh-escalated"><strong>ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રાના રૂટ પર નેમપ્લેટનો વિવાદ વધુ વકર્યો</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 23 Jul 2024 17:26:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>963</Articleid>
                    <excerpt>ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાના પહેલા સોમવારે જ કરૂણ ઘટના સામે આવી છે. જેમાં શિવના જળાભિષેક માટે ગંગામાં જળ ભરવા ગયેલા 11 યુવાનો ડૂબાયા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_669f99c407c92.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_669f99c3cc960.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_669f99c3cc960.jpg" length="60822" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગીર સોમનાથના DDO બોગસ વિકલાંગતા પ્રમાણપત્ર પર IAS બન્યાં?</title>
                    <link>https://khabarantar.com/gir-somnaths-ddo-became-ias-on-bogus-disability-certificate</link>
                    <guid>https://khabarantar.com/gir-somnaths-ddo-became-ias-on-bogus-disability-certificate</guid>
                    <description>
                        <![CDATA[ બોગસ વિકલાંગતા સર્ટિફિકેટના આધારે આઈએએસ બની જવાની ઘટનાઓ મુદ્દે સરકારે તપાસ શરૂ કરી છે ત્યારે ગીર સોમનાથના ડીડીઓ તરફ આંગળીઓ ચિંધાઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રના વિવાદિત તાલીમી સનદી મહિલા અધિકારી પૂજા ખેડકરના બોગસ દિવ્યાંગતાના પ્રમાણપત્ર (સર્ટિફિકેટ)ને લઈને સમગ્ર દેશમાં હલચલ મચી ગઈ છે. ત્યારે ગુજરાતમાં પણ આવા સાત સનદી અધિકારીઓના પ્રમાણપત્રને લઈને રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ કરાયા છે. ત્યારે સૌથી ગુજરાતનાં સાત પૈકીનાં એક મહિલા સનદી અધિકારી અને ગીર સોમનાથના જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) કુમારી સ્નેહલ ભાપકરના દિવ્યાંગતાના પ્રમાણપત્ર સામે સવાલો ઉઠ્યા છે. કારણ કે, સરળતાથી બોલતા-સાંભળતા સનદી અધિકારી કુમારી સ્નેહલ ભાપકર શારીરિક વિકલાંગતા (ફિઝિકલ હેન્ડિકેપ્ડ કેટેગરી-PH Category)માં બહેરા(ડેફ-Deaf) - મૂંગા (મ્યુટ- Mute) તરીકેની અનામત કેટેગરીમાં પસંદગી પામ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રના તાલીમી સનદી અધિકારી પૂજા ખેડકરના બોગસ દિવ્યાંગતાના સર્ટિફિકેટનો મામલો સામે આવ્યા બાદ ગુજરાતમાં પણ ગુજરાતમાં પણ તાલીમી સનદી અધિકારી (આઇએએસ) પૂજા ખેડકરની જેમ બોગસ કે નકલી પ્રમાણપત્ર લઈને અથવા તો અનામત કેટેગરીનો લાભ મેળવીને ગુજરાતમાં પણ કેટલાક સનદી અધિકારી બની ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે. જે અંગે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજયના સાત સનદી અધિકારીઓના દિવ્યાંગતાના પ્રમાણપત્રોની તપાસ સોંપવામાં આવી છે. આ સાત પૈકીનાં ગુજરાત કેડરના એક મહિલા સનદી અધિકારીની ચોંકાવનારી વાત સામે આવી છે. વર્ષ 2017ની બેચના ગુજરાત કેડરના મહિલા આઇએએસ કુમારી સ્નેહલ પુરષોત્તમ ભાપકરને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)માં તે વખતે પાસ થયેલા કુલ 990 ઉમેદવારમાંથી 981મો ક્રમ (રેન્ક) મળ્યો હતો. કુલ ઉમેદવારોમાં સાવ છેલ્લેથી કે નીચેથી નવમાં નંબરનો ક્રમ (રેન્ક) હોવા છતાં મૂળ મહારાષ્ટ્રના નાસિકના વતની સ્નેહલને આઇએએસ કેડર મળી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/bjp-rss-promotes-education-mafia-kharge"> <span style="font-size: 14pt;">ભાજપ-RSS શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહન આપે છે: ખડગે</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરળતાથી બોલી અને સાંભળી શકતા આઇએએસ કુમારી સ્નેહલ ભાપકર શારીરિક વિકલાંગ શ્રેણી (ફિઝિકલ હેન્ડિકેપ્ડ કેટેગરી-PH Category)માં બહેરા(ડેફ-Deaf) - મૂંગા (મ્યુટ- Mute) તરીકે અનામત કેટેગરીમાં પસંદગી પામ્યા હોવાને કારણે આઇએએસ કેડરમાં સ્થાન મળ્યું હતું.  આઇએએસ કુમારી સ્નેહલ ભાપકરના પિતા ડૉ. પુરષોત્તમ ભાપકર પણ મહારાષ્ટ્રમાં પ્રમોટી આઇએએસ રહી ચૂક્યા છે. આઇએએસ કુમારી સ્નેહલ ભાપકર હાલમાં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી (ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર-ડીડીઓ) તરીકે ફરજ બજાવી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વર્ષ 2017માં 990માંથી 93ને આઇએએસ કેડર મળી હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2017ની UPSCની સિવિલ સર્વિસીસની પરીક્ષામાં પાસ થયેલા કુલ 990 ઉમેદવારમાંથી પ્રથમ 93ને આઇએએસ કેડર મળી હતી તેમ કહી શકાય. જેમાં અનામત કેટેગરીના ઉમેદવાર પણ આવી જાય છે.</span></p>
<p>.<img src="https://khabarantar.com/uploads/images/202407/image_870x_66a8f0c353154.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુમારી સ્નેહલ ભાપકર જનરલ કેટેગરીમાં આવે છે અને તેમનો રોલ નંબર 0600875 હતો. પરંતુ માત્ર ને માત્ર શારીરિક વિકલાંગતા (પીએચ)કેટેગરીમાં હોવાને કારણે તેમને આઇએએસ કેડર મળી હતી. યુપીએસસીની સત્તાવાર યાદી મુજબ આ પરીક્ષામાં લગભગ 10 લાખ લોકોએ પરીક્ષા આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સ્નેહલ ભાપકર પૂજા ખેડકરને ટક્કર મારે તેવી લાઈફસ્ટાઈલ ધરાવે છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત કેડરના મહિલા સનદી અધિકારી (આઇએએસ) કુમારી સ્નેહલ પુરષોત્તમ ભાપકરની લાઈફ સ્ટાઇલ પણ તાલીમી સનદી અધિકારી (ટ્રેઈની આઇએએસ) પૂજા ખેડકર જેવી જ છે. ફરક માત્ર એટલો છે કે, પૂજા ઓડી કારમાં લાલ લાઈટ લગાવીને ફરતા હતા જયારે આઇએએસ કુમારી સ્નેહલ ભાપકર પ્લેનમાં ફરે છે. ગાંધીનગરમાં જયારે પણ રાજ્યમાંથી તમામ ડીડીઓને મિટિંગમાં બોલવામાં આવે ત્યારે તેઓ વેરાવળથી દીવ જાય છે. દીવથી પ્લેનમાં અમદાવાદ આવે છે. અમદાવાદ એરપોર્ટ ઉપર ગીર સોમનાથ જિલ્લાના હેડક્વાર્ટર વેરાવળથી આવેલી કારમાં બેસીને તેઓ ગાંધીનગર મિટિંગ અટેન્ડ કરવા માટે જાય છે. પરત ફરતી વખતે પણ બાય પ્લેન જ વેરાવળ પાછા જાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે, તેમની આ સરકારી મિટિંગના રુટમાં રાજકોટ આવતું જ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/scandal-like-pooja-khedkar-in-gujarat-too-investigation-of-4-disabled-ias-started"><strong>ગુજરાતમાં પણ પૂજા ખેડકર જેવો કાંડ? 4 વિકલાંગ IASની તપાસ શરૂ</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 22 Jul 2024 20:15:17 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 30 Jul 2024 19:25:57 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>959</Articleid>
                    <excerpt>બોગસ વિકલાંગતા સર્ટિફિકેટના આધારે આઈએએસ બની જવાની ઘટનાઓ મુદ્દે સરકારે તપાસ શરૂ કરી છે ત્યારે ગીર સોમનાથના ડીડીઓ તરફ આંગળીઓ ચિંધાઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a8ef712cc58.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a8ef70f2988.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a8ef70f2988.jpg" length="70850" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>NCERTના પુસ્તકમાંથી જાતિ અને વર્ણવ્યવસ્થાનું પ્રકરણ ઉડાડી દેવાયું</title>
                    <link>https://khabarantar.com/the-chapter-on-caste-and-caste-was-dropped-from-the-ncert-book</link>
                    <guid>https://khabarantar.com/the-chapter-on-caste-and-caste-was-dropped-from-the-ncert-book</guid>
                    <description>
                        <![CDATA[ એનસીઈઆરટીએ મનુવાદીઓના ઈશારે તેના ધોરણ 6ના પાઠ્યપુસ્તકમાંથી જાતિ અને વર્ણવ્યવસ્થાનું પ્રકરણ ઉડાડી દીધું છે. વાંચો બીજું શું શું કર્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ તેના ધોરણ 6ના પાઠ્યપુસ્તકમાંથી જાતિ અને વર્ણવ્યવસ્થાનું પ્રકરણ ઉડાડી દીધું છે. આ પ્રકરણમાં હવે ફક્ત વેદો વિશેની જ માહિતી રાખવામાં આવી છે, અને વેદોમાં શુદ્ર કહેવાતી જાતિઓ અને સ્ત્રીઓ વિશે જે બાબતો લખવામાં આવી હતી તે કાઢી નાખી છે. એટલે હવે બાળકો ફક્ત વેદો વિશે ભણશે પરંતુ તેમાં શુદ્રો અને સ્ત્રીઓ વિશે જે ખતરનાક બાબતો કહેવાઈ છે તે નહીં જાણી શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ, નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળ દરમિયાન બહાર પાડવામાં આવેલા ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના પહેલા પુસ્તક 'એક્સપ્લોરિંગ સોસાયટી ઈન્ડિયા એન્ડ બિયોન્ડ'માં જાતિ પ્રથાનો ઉલ્લેખ કર્યા વિના જ વેદો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે તેમાં એ બાબતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી કે સ્ત્રીઓ અને શુદ્રોને આ ગ્રંથોનો અભ્યાસ કરવાની મંજૂરી ન હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'ઇન્ડિયાઝ કલ્ચરલ રૂટ્સ' શીર્ષકવાળા પ્રકરણમાં વેદ તેના ઉપદેશો, બૌદ્ધ તથા જૈન ધર્મના ઉપદેશોનું વર્ણન છે. તેમાં ભરત, પુરુ, કુરુ, યદુ અને તુર્વશ જેવા વિવિધ લોકો કે કુળોનો ઉલ્લેખ છે. પણ તે સામાજિક વંશવેલાને પ્રતિબિંબિત કરતું નથી. જ્યારે ઘણાં વિદ્વાનો જાતિ અને વર્ણ વ્યવસ્થાને વેદો સાથે જોડે છે. પુસ્તકમાં વૈદિક ગ્રંથોમાં ઉલ્લેખિત વિવિધ વ્યવસાયો વિશે માત્ર એક વાક્ય લખવામાં આવ્યું છે. જેમાં કહેવાયું છે કે, 'વૈદિક ગ્રંથોમાં ઘણાં વ્યવસાયોનો ઉલ્લેખ છે, જેમ કે ખેડૂત, વણકર, કુંભાર, કડિયા, સુથાર, વૈદ્ય, નર્તક, વાળંદ, પૂજારી વગેરે.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/students-at-iit-bombay-fined-lakhs-for-insulting-ramsita"><span style="font-size: 14pt;"> IIT બોમ્બેમાં રામસીતાના અપમાન બદલ વિદ્યાર્થીઓને લાખોનો દંડ ફટકારાયો</span></a><br></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પુસ્તકના આ પ્રકરણમાં ધાર્મિક વિધિઓ વિશે પણ વિગતો આપવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, વૈદિક ખ્યાલો પર આધારિત ઉપનિષદોએ પુનર્જન્મ અને કર્મ, ક્રિયાઓ અથવા તેના પરિણામોની શરૂઆત કરી હતી. જેમાં કહેવાયું છે કે, સામાન્ય રીતે 'વેદાંત' તરીકે ઓળખાતી વિચારધારા અનુસાર દરેક વસ્તુ - માનવ જીવન, પ્રકૃતિ અને બ્રહ્માંડ - એક દિવ્ય સાર છે જેને બ્રહ્મ કહેવાય છે.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રકરણમાં આગળ કહેવાયું છે કે, ઈ.સ.પૂર્વે પહેલી શતાબ્દીની શરૂઆતમાં વેદમાંથી બીજી ઘણી વિચારધારાઓ વિકસિત થઈ હતી. તેમાંની એક 'યોગ' હતી, જેણે વ્યક્તિની ચેતનામાં બ્રહ્મની પ્રાપ્તિના હેતુથી પદ્ધતિઓ વિકસાવી હતી. આ વિચારધારાઓ એકસાથે મળીને આજે આપણે જેને 'હિંદુ ધર્મ' કહીએ છીએ તેનો પાયો બની ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રકરણમાં ઉપનિષદોમાંથી શ્વેતકેતુ અને વાસ્તવિકતાના બીજ, નચિકેતા અને તેની શોધ, ગાર્ગી અને યાજ્ઞવલ્ક્ય વચ્ચેની ચર્ચા જેવી ઉપનિષદોની વાર્તાઓ પણ આપવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong> આ પણ વાંચો: <a href="https://khabarantar.com/attacking-the-sweeper-saying-you-are-bhangi-paran-chanted-jai-shri-ram"><span style="font-size: 14pt;">'તું ભંગી છે' કહીને સફાઈકર્મી પર હુમલો, પરાણે 'જય શ્રી રામ' બોલાવ્યું</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2002માં અભ્યાસક્રમને તર્કસંગત બનાવવાની પ્રક્રિયા પહેલા જૂના પાઠ્યપુસ્તક "હમારા અતિત-1"માં જાતિ વ્યવસ્થાની વિગતો હતી. તેમાં કહેવાયું હતું કે, "કેટલાક પૂજારીઓએ લોકોને વર્ણ નામના ચાર જૂથોમાં વિભાજિત કર્યા હતા. શુદ્રો કોઈ કર્મકાંડ કરી શકતા નહોતા. સ્ત્રીઓને ઘણીવાર શુદ્રો સાથે વર્ગીકૃત કરવામાં આવતી હતી. સ્ત્રીઓ અને શુદ્ર બંનેને વેદનો અભ્યાસ કરવાની છૂટ ન હતી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂના પુસ્તકમાં કહેવાયું હતું કે, "પૂજારીઓએ કહ્યું હતું કે આ જૂથો જન્મના આધારે નક્કી કરવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે, જો કોઈના પિતા અને માતા બ્રાહ્મણ હતા તો તે આપોઆપ બ્રાહ્મણ બની જશે. એ જ રીતે અન્ય જાતિઓ પણ આપોઆપ તેમના જન્મના આધારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર બની જશે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે 2014 પછી NCERTના પાઠ્યપુસ્તકોમાં આ ચોથો સુધારો છે. અગાઉ 2017 માં, NCERTએ 'તાજેતરની ઘટનાઓને પ્રતિબિંબિત કરવાની જરૂરિયાત' ટાંકીને અભ્યાસક્રમમાં સુધારો કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2018માં NCERTએ 'અભ્યાસક્રમનો બોજ' ઘટાડવા માટે સંશોધનો શરૂ કર્યા હતા અને પછી ત્રણ વર્ષથી ઓછા સમયમાં વિદ્યાર્થીઓને કોરોનાને કારણે ભણતરમાં પડેલી સમસ્યાઓમાંથી બહાર નીકળવાનો હવાલો આપીને અભ્યાસક્રમમાં સુધારો કરવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Proposal-to-teach-about-Ramayana-and-Rama-in-NCERT-books"><span style="font-size: 14pt;">NCERTના પુસ્તકોમાં રામાયણ અને રામ વિશે ભણાવવાનો પ્રસ્તાવ</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગયા વર્ષે મેમાં NCERTએ ધોરણ 12ના પોલિટિકલ સાયન્સના પાઠ્યપુસ્તકમાંથી 'અલગ શીખ રાષ્ટ્ર' અને 'ખાલિસ્તાન'ના સંદર્ભો હટાવવાની જાહેરાત કરી હતી. એ પહેલા ખેડૂત આંદોલન વિશેનો ભાગ પણ કાઢી નાખ્યો હતો. આ આંદોલનનો ઉલ્લેખ ધોરણ 12ના નાગરિક શાસ્ત્રના પાઠ્યપુસ્તકમાં 'રાઇઝ ઓફ પોપ્યુલર મૂવમેન્ટ્સ' નામના પ્રકરણમાં કરવામાં આવ્યો હતો. આ કાઢી નાખવામાં આવેલા ભાગમાં જણાવવામાં આવ્યું હતું કે 80ના દાયકાના ખેડૂતોના આંદોલનમાં ભારતીય કિસાન યુનિયન અગ્રણી સંગઠનોમાંનું એક હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ જ રીતે, NCERTના ધોરણ 11 પોલિટિકલ સાયન્સના પાઠયપુસ્તક 'ઈન્ડિયન કોન્સ્ટિટ્યૂશન એટ વર્ક'ના પ્રથમ પ્રકરણમાંથી દેશના પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબુલ કલામ આઝાદનો સંદર્ભ અને પ્રકરણ 10માંથી જમ્મુ કાશ્મીરના ભારતમાં વિલિનીકરણની એ શરત કાઢી નાખવામાં આવી હતી, જેમાં તેને બંધારણની કલમ 370 અંતર્ગત સ્વાયત્ત રાખવાની વાત કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કડીમાં આગળ ધોરણ 12ના ઈતિહાસના પાઠ્યપુસ્તકમાંથી મોગલો અને વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણો અને ગાંધીજી પરના કેટલાક અંશો પણ કાઢી નાખવામાં આવ્યા હતા. બે વર્ષ પહેલા એનસીઈઆરટીએ પાઠ્યપુસ્તકમાંથી પર્યાવરણ સંબંધિત કેટલાક પ્રકરણો દૂર કર્યા હતા, જેના પર શિક્ષકોએ વિરોધ કર્યો હતો. અગાઉ, કોરોનાકાળમાં સમાજશાસ્ત્રના પુસ્તકમાંથી જાતિ આધારિત ભેદભાવને લગતી સામગ્રી દૂર કરી હતી. તેની પહેલા પોલિટિકલ સાયન્સના પુસ્તકમાં જમ્મુ અને કાશ્મીરને લગતા પાઠમાં ફેરફાર કર્યા હતા. એ જ સમયગાળામાં 10મા ધોરણના ઇતિહાસના પુસ્તકમાંથી રાષ્ટ્રવાદ સહિત ત્રણ પ્રકરણો હટાવી દેવાયા હતા. અગાઉ ધોરણ 9ના પાઠ્યપુસ્તકોમાંથી ત્રાવણકોરની મહિલાઓના જાતિ સંઘર્ષ સહિત ત્રણ પ્રકરણો દૂર કરવામાં આવ્યા હતા. અને હવે જાતિ અને વર્ણવ્યવસ્થાનું પ્રકરણ કાઢી નાખીને ફક્ત વેદો વિશે ભણાવવાનું નક્કી કરાયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/babri-masjid-and-godhrakand-missing-from-new-ncert-book"><strong>NCERTના નવા પુસ્તકમાંથી બાબરી મસ્જિદ અને ગોધરાકાંડ ગાયબ</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 22 Jul 2024 11:37:59 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 22 Jul 2024 11:36:28 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>956</Articleid>
                    <excerpt>એનસીઈઆરટીએ મનુવાદીઓના ઈશારે તેના ધોરણ 6ના પાઠ્યપુસ્તકમાંથી જાતિ અને વર્ણવ્યવસ્થાનું પ્રકરણ ઉડાડી દીધું છે. વાંચો બીજું શું શું કર્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_669df54da3a4c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_669df54d75b70.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_669df54d75b70.jpg" length="93236" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>યુપીની કાવડ યાત્રાના રૂટ પરની નેમપ્લેટનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો</title>
                    <link>https://khabarantar.com/the-nameplate-dispute-on-ups-kavad-yatra-route-reached-the-supreme-court</link>
                    <guid>https://khabarantar.com/the-nameplate-dispute-on-ups-kavad-yatra-route-reached-the-supreme-court</guid>
                    <description>
                        <![CDATA[  યુપીમાં સરકારના કાવડ યાત્રાના માર્ગો પર આવતી દુકાનો પર માલિકોના નામ અને મોબાઈલ નંબર લખવાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે અહીં યોજાતી કાવડ યાત્રાના માર્ગો પર આવતી દુકાનો પર માલિકોના નામ અને મોબાઈલ નંબર લખવાનો આદેશ આપ્યો છે. આ મામલે છેલ્લાં કેટલાક દિવસોથી વિવાદ શરૂ થઈ ગયો છે ત્યારે હવે આ મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્‌સ નામની એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને યુપી સરકારના આ આદેશને રદ કરવાની માંગ કરી છે. આ અરજી ગઈકાલે ૨૦ જુલાઈએ ઓનલાઈન દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ આ કેસને સુનાવણી માટે લિસ્ટ કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ એસ.વી.એન. ભાટીની બેન્ચ આજે 22 જુલાઈએ અરજી પર સુનાવણી કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/live-in-relationship-is-a-disgrace-to-indian-culture-chhattisgarh-high-court"><span style="font-size: 14pt;">લિવ-ઈન રિલેશનશિપ ભારતીય સંસ્કૃતિ માટે 'કલંક' છેઃ છત્તીસગઢ હાઈકોર્ટ</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે કાવડ યાત્રા રૂટ પર આવતી ખાણીપીણીની દુકાનો, ઢાબા, ફળોની લારીઓ અને ચાની દુકાનોને માલિકોની વિગતો આપતી નેમપ્લેટ દર્શાવવા માટે કહ્યું છે. જેને લઈને રાજ્ય સહિત દેશભરનું રાજકારણ ગરમાયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિપક્ષે યુપી સરકારના આ આદેશને સાંપ્રદાયિક ગણાવી ભાજપ પર વિભાજનની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. અગાઉ આ આદેશ મુઝફ્ફરનગર પોલીસ દ્વારા માત્ર જિલ્લાના કાવડ યાત્રાના માર્ગો પર આવતી દુકાનો અને ખાણીપીણી માટે જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ વિપક્ષના વિરોધ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેને સમગ્ર રાજ્યમાં લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. આ સિવાય રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, હલાલ સર્ટિફિકેશન વિના પ્રોડક્ટ્‌સ વેચનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વર્ષે શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા ૨૨ જુલાઈથી શરૂ થઈ રહી છે. રાજ્યમાં ચાર મુખ્ય કાવડ યાત્રા રૂટ છે.આમાંથી એક મુખ્ય રૂટ ઉત્તરાખંડના હરિદ્વારથી શરૂ થાય છે અને પશ્ચિમ યુપીના જિલ્લાઓમાંથી પસાર થાય છે. પશ્ચિમ યુપીના માર્ગો ઉપરાંત કાવડ યાત્રા પૂર્વ યુપીના વારાણસીથી પણ શરૂ થાય છે અને ઝારખંડના દેવગઢમાં સમાપ્ત થાય છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં બારાબંકી અને ગોંડા વચ્ચે પણ કાવડ યાત્રા થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/controversy-over-nameplates-on-kavadyatra-route-in-uttar-pradesh-escalated"><strong>ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રાના રૂટ પર નેમપ્લેટનો વિવાદ વધુ વકર્યો</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 22 Jul 2024 09:39:26 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>955</Articleid>
                    <excerpt> યુપીમાં સરકારના કાવડ યાત્રાના માર્ગો પર આવતી દુકાનો પર માલિકોના નામ અને મોબાઈલ નંબર લખવાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_669ddad1cbfe1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_669ddad19ad42.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_669ddad19ad42.jpg" length="102546" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતમાં પણ પૂજા ખેડકર જેવો કાંડ? 4 વિકલાંગ IASની તપાસ શરૂ</title>
                    <link>https://khabarantar.com/scandal-like-pooja-khedkar-in-gujarat-too-investigation-of-4-disabled-ias-started</link>
                    <guid>https://khabarantar.com/scandal-like-pooja-khedkar-in-gujarat-too-investigation-of-4-disabled-ias-started</guid>
                    <description>
                        <![CDATA[ મહારાષ્ટ્રના પૂજા ખેડકર જેવો કાંડ ગુજરાતમાં ન સર્જાય તે માટે રાજ્યના 4 આઈએએસ અધિકારીઓના દસ્તાવેજોની તપાસ કરી યુપીએસસીને મોકલાશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રમાં  ટ્રેઇની આઇએએસ અધિકારી પૂજા ખેડકર છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદમાં છે. તેની સામે સિવિલ સર્વિસમાં પ્રવેશ મેળવવા માટે કથિત રીતે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવાનો આરોપ છે. ત્રણ દિવસ અગાઉ જ પૂજા ખેડકરની ટ્રેનિંગ રદ કરી દેવાઇ છે. ત્યારે ગુજરાતમાં પણ ચાર વિકલાંગ આઇએએસ અધિકારીઓ સામે તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આ અધિકારીઓનાં વિકલાંગતાના પ્રમાણપત્રોની તપાસ શરૂ કરાઇ છે. આ તપાસ કરીને રાજ્ય સરકાર દ્વારા તેનો અહેવાલ યુપીએસસીને મોકલવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રમાં તાલીમી સનદી (આઇએએસ) અધિકારી પૂજા ખેડકર છેલ્લા કેટલા સમયથી ચર્ચાના એરણે છે. સતત ચર્ચામાં રહેલ તાલીમી સનદી અધિકારી પૂજા ખેડકર સામે સિવિલ સર્વિસમાં પ્રવેશ મેળવવા માટે કથિત રીતે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવાનો લગાવાયો છે. એટલું જ નહીં, બહુચર્ચિત તાલિમી સનદી અધિકારી પૂજા ખેડકરની તાલીમ પણ રદ કરી દેવાઈ છે. આ સંજોગોમાં ગુજરાત સરકાર દ્વારા પણ રાજ્યના આવા ચાર આઇએએસ અધિકારીઓની વિકલાંગતાને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Free-Police-Constable-Batch-for-Bahujan-Youth-launched-by-Phule-Shahu-Library-in-Deodar"><span style="font-size: 14pt;">દિયોદરમાં ફૂલે-શાહુ લાઈબ્રેરી દ્વારા બહુજન યુવાનો માટે ફ્રી પોલીસ કોન્સટેબલ બેચ શરૂ કરાઈ</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યના ચાર અધિકારીઓ સામે રાજ્ય સરકારે તપાસ શરૂ કરી છે. રાજ્ય સરકાર દ્વારા જે અધિકારીઓની સામે તપાસ શરૂ કરાઇ છે, તેઓ વિકલાંગતા પ્રમાણપત્ર દ્વારા આઇએએસમાં પસંદગી પામ્યા છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (જીએડી) દ્વારા આ ચાર આઇએએસ અધિકારી સામે તપાસ શરૂ કરવામાં આવી છે. તેમાંથી ત્રણ જૂનિયર અને એક સિનિયર કક્ષાના અધિકારી છે. પૂજા ખેડકરના વિવાદ બાદ ગુજરાત સરકાર આવા બોગસ કે બનાવટી પ્રમાણપત્રોને લઈને ઘણી સતર્ક જોવા મળી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાણવા મળતી માહિતી અનુસાર આ મામલે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં કોઈ પણ પ્રકારની શંકા ન રાખવાનો પણ નિર્દેશ આપ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે પ્રાથમિક તપાસ પછી રાજ્યના ચાર આઇએએસ અધિકારીને શોર્ટલિસ્ટ કરાયા હતા, અને તેમના વિકલાંગતાના પ્રમાણપત્રોની તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ચાર પૈકીનાં એક સિનિયર આઇએએસ અધિકારીએ ડિસેબિલિટી સર્ટિફિકેટ જમા કરાવ્યું હતું, પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ અધિકારીને હાલમાં કોઈ વિકલાંગતા જણાતી નથી. એક સિનિયર અધિકારીના જણાવ્યા મુજબ, આ કેસમાં એવી શક્યતા પણ છે કે, જે સંલગ્ન અધિકારીએ જ્યારે તેમની સેવા શરૂ કરી ત્યારે તે વિકલાંગતાથી પીડિત હોય શકે, જે સમય વીતવાની સાથે તે ઠીક થઈ ગયા હશે, પરંતુ સાચી હકીકત તો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સંપૂર્ણ તપાસ પૂર્ણ થાય તે પછી જ સામે આવી શકશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/26-candidates-from-gujarat-appeared-in-upsc-final-4-in-top-100"><strong>UPSC ફાઈનલમાં ગુજરાતના 26 ઉમેદવારો ઝળક્યાં, ટોપ 100માં 4</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 21 Jul 2024 09:15:26 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 21 Jul 2024 08:56:50 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>951</Articleid>
                    <excerpt>મહારાષ્ટ્રના પૂજા ખેડકર જેવો કાંડ ગુજરાતમાં ન સર્જાય તે માટે રાજ્યના 4 આઈએએસ અધિકારીઓના દસ્તાવેજોની તપાસ કરી યુપીએસસીને મોકલાશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_669c7ee764990.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_669c7ee737260.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_669c7ee737260.jpg" length="72734" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>એક દાયકા બાદ રાજ્ય સરકારે એચ&amp;ટાટ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા</title>
                    <link>https://khabarantar.com/after-a-decade-the-state-government-announced-the-rules-for-the-transfer-of-h-tat-teachers</link>
                    <guid>https://khabarantar.com/after-a-decade-the-state-government-announced-the-rules-for-the-transfer-of-h-tat-teachers</guid>
                    <description>
                        <![CDATA[ રાજ્યની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. એક દાયકા બાદ એચ-ટાટ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરાયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઇ છે. ગુજરાત સરકાર દ્વારા એક દાયકા બાદ સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટેના બદલીના નિયમો જાહેર કર્યા છે. સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક (એચ-ટાટ)ના બદલીના નિયમોને આજે જાહેર કરાયા છે. બદલીના નિયમોને જાહેર કરવા માટે રાજયભરના મુખ્ય શિક્ષકો દ્વારા ગાંધીનગર ખાતે આંદોલન કરાયું હતું. જેના પગલે આ મામલાનો આજે અંત આવ્યો છે. સરકાર દ્વારા ઘણાં લાંબા સમયથી એચ-ટાટ મુખ્ય શિક્ષકની બદલીના નિયમો તૈયાર કરાયા હતા પરંતુ તેને જાહેર કરવામાં આવતા ન હતા. જો કે, શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે આજે સોશિયલ મીડિયા પર ગુરુ પૂર્ણિમાએ શિક્ષકોને ભેટ, સરકારે બદલીના નિયમો જાહેર કર્યા તેવી પોસ્ટ મૂકીને જાહેરાત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટમાં જણાવ્યું છે કે, ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુજરાતના ગુરુજનોને રાજ્ય સરકારની ભેટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર. રાજ્ય સરકારનાં પારદર્શી, પ્રતિબધ્ધ અને પ્રમાણિક પ્રયાસોનું પરિણામ ગુરુજનોને અર્પણ. આ દરમિયાનમાં સરકાર દ્વારા પણ એચ-ટાટ મુખ્ય શિક્ષકના બદલી અંગેના ઠરાવની જાહેરાત કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/gujarat-government-to-recruit-17200-more-tet-tat-pass-teachers"><span style="font-size: 14pt;">ગુજરાત સરકાર વધુ 17,200 ટેટ-ટાટ પાસ શિક્ષકોની ભરતી કરશે</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેમાં જણાવાયું છે કે, રાજય સરકારનો એચ-ટાટ મુખ્ય શિક્ષકોના માટે સંવેદનશીલ નિર્ણય. લાંબા સમયથી બદલી નિયમોની પ્રતિક્ષા કરી રહેલા એચ-ટાટ મુખ્ય શિક્ષકોના વિશાળ હિતમાં રાજય સરકાર દ્વારા બદલી નિયમો જાહેર ક૨વામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">* શિક્ષણ વિભાગના તા.૨૨/૦૬/૨૦૧૧ ના ઠરાવથી આરટીઇ એક્ટ 2009 હેઠળ એચ-ટાટ મુખ્ય શિક્ષકની નવી કેડર ઉભી ક૨વામાં આવેલ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">* આ દરમિયાન એચ-ટાટ મુખ્ય શિક્ષકની કેડ૨ને શિક્ષણ વિભાગના તા:- ૧૫/૦૩/૨૦૨૧ ના ઠરાવથી શૈક્ષણિક કેડર જાહે૨ ક૨વામાં આવેલ. તેથી મુખ્ય શિક્ષકોની માંગણી હતી કે તેઓને વહીવટી કર્મચારીના બદલીના સિદ્ધાંતો લાગુ પાડવા જોઇએ નહી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાબત સરકારની સક્રિય વિચારણા હેઠળ હતી જેનો જરૂરી અભ્યાસ કરી સરકાર આજ રોજ એચ-ટાટ મુખ્ય શિક્ષકની બદલીના નિયમો જાહેર કરે છે.  જેમાં (૧) મહેકમ ગણવાની પધ્ધતિ : બાલવાટીકાથી ધો-૫ માં ૧૫૦ કે તેથી વધુ વિધાર્થી સંખ્યા હોય,ત્યારે </span><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">૧ મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય. જ્યારે ધો-૬ થી ૮ માં ૧૦૦ કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય, ત્યારે ૧ મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય. જ્યારે બાલવાટીકાથી ધો-૮ માં ૧૫૦ કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય, ત્યારે ૧ મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૨) જિલ્લા આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછી ૩ વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(3) જિલ્લા ફેર બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી ૫ વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઇશે. ૫૦ % જગ્યાઓ અગ્રતાથી અને ૫૦ % શ્રેયાનતાથી ભ૨વાની ૨હેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૪) તબીબી કિસ્સાઓની બદલી, રાષ્ટ્રીય/રાજય સુરક્ષા હેઠળના અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ/પત્નીની બદલીઓ, રાજયના વડા મથકના બિન બદલીપાત્ર અધિકારી/કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ/પત્નિની બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેની જોગવાઈ કરાયેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૫) દ૨ વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ શિક્ષણ વિભાગ નક્કી કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૬) જે તે શાળામાં મહેકમ જળવાતું ન હોય, તો તેઓને પ્રથમ પગારકેન્દ્રની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા ઉ૫ર, તે પછી તાલુકાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યાઓ ઉપર, તે પછી જિલ્લાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા ઉ૫૨ સમાવવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(૭) જિલ્લા ફેર/જિલ્લા આંતરિક અરસ પરસ બદલીના મામલામાં • બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલ કોઈ પણ મુખ્ય શિક્ષકની સામે અરસ પરસ બદલી કરી શકાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંતરિક /જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર ક્રમશ: ૫૬ વર્ષ અને ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/teachers-agitation-in-gandhinagar-on-16th-august-on-the-issue-of-old-pension-scheme"><strong>જૂની પેન્શન યોજના મુદ્દે 16 મી ઓગસ્ટે ગાંધીનગરમાં શિક્ષકોનું આંદોલન</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 20 Jul 2024 21:38:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>950</Articleid>
                    <excerpt>રાજ્યની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. એક દાયકા બાદ એચ-ટાટ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરાયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_669be025956ff.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_669be02565156.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_669be02565156.jpg" length="76363" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>નકલી વેબસાઈટ બનાવી કાશી વિશ્વનાથના દર્શનના નામે છેતરપિંડી</title>
                    <link>https://khabarantar.com/fraud-in-the-name-of-kashi-vishwanath-darshan-by-creating-a-fake-website</link>
                    <guid>https://khabarantar.com/fraud-in-the-name-of-kashi-vishwanath-darshan-by-creating-a-fake-website</guid>
                    <description>
                        <![CDATA[ કાશી વિશ્વનાથ મંદિરમાં ઓછા ખર્ચે દર્શન અને પૂજા કરાવવાની પરવાનગીના નામે નકલી વેબસાઈટથી પૈસા પડાવવાનું ષડયંત્ર સામે આવ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના કાશી વિશ્વનાથ મંદિરમાં ઓછા ખર્ચે દર્શન અને પૂજા કરાવી આપવાની ખાતરી આપી પૈસા પડાવી લેતી નકલી વેબસાઈટનો પર્દાફાશ થયો છે. આ મામલે મોડે મોડે મંદિર તંત્રને જાણ થતા તેણે પોલીસને ફરિયાદ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાશી વિશ્વનાથ ધામ સંકુલમાં લોકોને ઓછા ખર્ચે દર્શન અને પૂજા કરવાની પરવાનગી આપવાના નામે નકલી વેબસાઇટ બનાવીને પૈસા કમાઈ લેવાતા હોવાનું મંદિર વહીવટી તંત્રની જાણમાં આવ્યું હતું. જેની નોંધ લઈને મંદિર તંત્રએ વારાણસી પોલીસ પ્રશાસનને ફરિયાદ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસન વતી વારાણસી પોલીસના ડેપ્યુટી કમિશનરને ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં નકલી વેબસાઇટ અને પોર્ટલ સામે વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/madhya-pradesh-employment-minister-wins-election-on-fake-sc-certificate-to-become-minister"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના રોજગારમંત્રી નકલી SC સર્ટિ પર ચૂંટણી જીતી મંત્રી બની ગયા?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાબતે કાશી વિશ્વનાથ મંદિરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિશ્વભૂષણ મિશ્રાએ એક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે કાશી વિશ્વનાથ મંદિરમાં ઓનલાઈન દર્શન અને બુકિંગ સિસ્ટમ સંબંધિત માત્ર એક જ વેબસાઈટ છે. પણ અમુક લોકોએ આવી નકલી વેબસાઈટ બનાવીને લોકોને છેતરવાનું શરૂ કરી દીધું છે. અમે આ મામલે પોલીસને જાણ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાશી વિશ્વનાથ ધામનું ઉદ્‌ઘાટન ડિસેમ્બર ૨૦૨૧માં થયું હતું. જે બાદ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા પહોંચી રહ્યાં છે. આવી સ્થિતિમાં મહત્વની તારીખો સિવાય સામાન્ય દિવસોમાં પણ મંદિરમાં વધુ ભીડ હોય છે. મંદિર પ્રશાસન ઓનલાઈન દર્શન અને પ્રોટોકોલ દ્વારા દર્શનની સુવિધા પણ પૂરી પાડે છે. પરંતુ આ દરમિયાન અમુક લોકોએ નકલી વેબસાઇટ્‌સ અને પોર્ટલના નામે કેટલાક લોકો મંદિરની સત્તાવાર વેબસાઇટના નામે છેતરવાનું ચાલુ કરી દીધું છે. લોકો ઝડપથી દર્શનની સુવિધા મેળવવાની લાલચમાં આવી નકલી વેબસાઈટ પર પૈસા ભરીને છેતરપિંડીનો ભોગ બની રહ્યાં છે. જેને લઈને હવે મંદિરના વહીવટીતંત્ર દ્વારા પોલીસને જાણ કરી તપાસ કરવા કહેવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/speak-up-228-kg-gold-went-missing-from-kedarnath-temple"><strong>બોલો લો! કેદારનાથ મંદિરમાંથી 228 કિલોગ્રામ સોનું ગુમ થયું</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 20 Jul 2024 20:04:32 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>949</Articleid>
                    <excerpt>કાશી વિશ્વનાથ મંદિરમાં ઓછા ખર્ચે દર્શન અને પૂજા કરાવવાની પરવાનગીના નામે નકલી વેબસાઈટથી પૈસા પડાવવાનું ષડયંત્ર સામે આવ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_669bca2c5dbbc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_669bca2c2eef9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_669bca2c2eef9.jpg" length="139968" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>હવે એટ્રોસિટીના કેસમાં આરોપીઓ પોલીસના ચા&amp;પાણી કરીને ઘરે જતા રહેશે?</title>
                    <link>https://khabarantar.com/now-the-accused-in-the-case-of-atrocity-will-go-home-after-tea-watering-the-police</link>
                    <guid>https://khabarantar.com/now-the-accused-in-the-case-of-atrocity-will-go-home-after-tea-watering-the-police</guid>
                    <description>
                        <![CDATA[ એટ્રોસિટી એક્ટને નબળો પાડીને દલિતોને ફરી એકવાર ગુલામ જેવી સ્થિતિમાં લાવી દેવાનું વ્યવસ્થિત ષડયંત્ર શરૂ થયું છે. વાંચો આ રિપોર્ટ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તો હવે એટ્રોસિટી એકટ હેઠળ દાખલ થયેલા ગુન્હાઓમાં આરોપીઓ પોલીસ સ્ટેશનમાં જઈને ચા-પાણી કરીને ઘરે જતા રહેશે? શું ૨ એપ્રિલના ભારત બંધના શહીદોનું બલિદાન એળે જશે? </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બે સવાલ છેલ્લાં કેટલાક દિવસોથી ગુજરાતભરના દલિત-આદિવાસી સમાજના બૌદ્ધિક વર્ગના મનમાં ઉઠી રહ્યાં છે. કેમ કે, ફરી એકવાર એટ્રોસિટી એક્ટને નબળો પાડીને, દલિત-આદિવાસી સમાજ પર અત્યાચાર કરતા ગુનેગારોને છાવરવાનું એક સુનિયોજિત કાવતરું આકાર લઈ રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે, તાજેતરમાં ગુજરાત પોલીસ દ્વારા એટ્રોસિટી એકટ મુજબના ગુનાઓમાં અર્ણેશ કુમારના ચુકાદાનો આધાર લઈને આરોપીઓને નોટિસ આપીને પોલીસ સ્ટેશનમાંથી જ પ્રોવિઝનલ જામીન આપી દેવાની પ્રથા ચાલુ કરીને આ કાયદાને નબળો પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે આવતીકાલ તા. 21 જુલાઈ 2024ને રવિવારના રોજ અમદાવાદના શાહીબાગ ન્યૂ સર્કિટ હાઉસ એનેક્સી ખાતે બપોરે 2.00 વાગ્યે એક ગંભીર મિટીંગનું આયોજન કર્યું છે. જેમાં ગુજરાતભરમાંથી દલિત સમાજનું હિત જેમના હૈયે વસેલું છે તેવા સાથીઓ, કર્મશીલો અને વકીલો હાજર રહી મનોમંથન કરવાના છે. જો તમે પણ આ મિટીંગમાં ભાગ લેવા ઈચ્છતા હો તો નિયત સમયે ત્યાં પહોંચી જશો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના એડવોકેટ સુબોધ પરમાર ખબરઅંતર.કોમ સાથે વાતચીત કરતા જણાવે છે કે, દલિતો-આદિવાસીઓને જાતિ પ્રત્યે અપમાનિત કરી માર મારનારને હવેથી ગુજરાત પોલીસ પોલીસ સ્ટેશનમાં પ્રેમથી બોલાવી ચા-પાણી કરાવી રવાના કરશે? 2 એપ્રિલ ભારત બંધના શહીદોની શહીદી એળે ગઈ? તાજેતરમાં જ ગુજરાત પોલીસ અરણેશ કુમાર વિરુદ્ધ સ્ટેટ ઓફ બિહારના ચુકાદાને 10 વર્ષ કરતા વધારે સમય વિત્યા બાદ શીત નિદ્રામાંથી સફાળી જાગી હોય એમ SC/ST(પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ) એકટ, 1989 હેઠળ નોંધાયેલ ગુન્હાઓમાં 7 વર્ષ કરતાં ઓછી સજાની જોગવાઈ હોય એવા કિસ્સાઓમાં આરોપીઓને 1 જુલાઈ બાદ હાલની ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ 35 (સી.આર.પી.સી. ની કલમ 41) મુજબ નોટીસ આપીને પોલીસ સ્ટેશનમાં બેસાડીને ઘેર મોકલી દેવામાં આવે છે. એટલે કે કોઈ દલિત- આદિવાસીને કોઈ આરોપી જાતિ પ્રત્યે અપમાનિત કરશે અને એમના હાથ- પગ તુટી જાય એ રીતે માર મારશે અને પોલીસ સ્ટેશનમાં વહીવટ કરશે એટલે પોલીસ તેઓને ત્યાંથી જ રવાના કરી દેશે. ત્યારબાદ એ આરોપી બહાર આવીને ફરીયાદીના ઘેર જઈને અટ્ટહાસ્ય કરીને ધમકી પણ આપશે કે શું ઉખાડી લીધું ફરિયાદ કરીને? પોલીસ દ્વારા અપરાધીઓને ફાયદો પહોંચાડવા આ ચુકાદાનું ચુકાદાના દસ વર્ષ પછી આવુ મરજી મુજબનું અર્થઘટન કરવાનું કોની સુચનાથી સૂઝયું છે? કોનો રાજકીય ઈશારો થયો છે એતો ગૃહમંત્રી જ કહી શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/In-an-atrocity-complaint,-the-court-cannot-release-the-accused-on-bail-without-hearing-the-victim"><span style="font-size: 14pt;">એટ્રોસિટીની ફરિયાદમાં કોર્ટ પીડિતને સાંભળ્યાં વિના આરોપીને જામીન પર છોડી શકે નહીં</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ યાદ કરવું જરૂરી છે કે વર્ષ-2018 માં સમગ્ર દેશમાં 2 એપ્રિલે 'ભારત બંધ' નો કોલ આપવામાં આવ્યો એમાં 14 લોકોએ પોતાનો જીવ ગુમાવેલો. 'ભારત બંધ' નો કોલ એટલા માટે આપવામાં આવેલો કારણ કે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સુભાષ કાશીનાથ મહાજન વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ના ચુકાદામાં ફરિયાદ પહેલાં તપાસ કરવાના અને ધરપકડ પહેલાં પરવાનગી લેવાની વિગેરે બાબતોને લઈને નિર્દેશો આપવામાં આવેલા. જેનાથી આગોતરા જામીન નહીં આપવાની જોગવાઈનો કોઈ અર્થ રહેતો નહોતો. અત્યારે ગુજરાત પોલીસ દ્વારા આરોપીને ફક્ત નોટીસ આપીને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપવાની પોલીસ દ્વારા જે રમત કરવામાં આવે છે એના લીધે પણ આગોતરા જામીનની જોગવાઈનો કોઈ અર્થ રહેતો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નામદાર સુપ્રીમ કોર્ટનો અરણેશ કુમાર વિરુદ્ધ સ્ટેટ ઓફ બિહારનો ચુકાદો જેમાં પોલીસ સ્ટેશનમાંથી સી.આર.પી.સી. કલમ-૪૧ (ભા.ના. સુ. સં. કલમ-૩૫) મુજબ નોટીસ આપીને ધરપકડ કર્યા વિના આરોપીને જવા દેવાની વાત કરવામાં આવી છે એમાં આરોપીની ધરપકડ કરવા અને ના કરવા એમ બંને પ્રસંગે લેખિતમાં કારણ આપવાની વાત કરવામાં આવી છે. જે કરતા નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુમાં, સી.આર.પી.સી. કલમ-૧૫૧ (ભા.ના. સુ. સં. કલમ-૧૭૦) તો કોગ્નિઝેબલ ગુનો બને એ પહેલાં ધરપકડની વાત કરે છે. સામાન્ય તકરારમાં પણ પોલીસ આરોપીની ધરપકડ કરીને કલમ-૧૫૧ મુજબની કાર્યવાહી કરતી વખતે અરણેશ કુમાર ના ચુકાદાની જોગવાઈઓ પરવાહ કરતી નથી. પરંતુ, જ્યારે એટ્રોસિટી એકટ મુજબની ફરિયાદની વાત આવે ત્યારે અરણેશ કુમારને યાદ કરે છે.  આમ, પોલીસની દાનતના ખોટ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઉપરાંત, સુભાષ કાશીનાથ મહાજન વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્રના ચુકાદાના વિવાદ બાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રીવ્યુ પિટિશન દાખલ કરતાં યુનિયન ઓફ ઇન્ડિયા વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્રના ચુકાદામાં પેરા-૬૬ માં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યારે આગોતરા જામીનની જોગવાઈ ના હોય એ કિસ્સામાં ધરપકડ કરવી અનિવાર્ય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરણેશ કુમાર વિ. સ્ટેટ ઓફ બિહારનો ચુકાદો એ બે ન્યાયમૂર્તિની ખંડપીઠ દ્વારા ૨૦૧૩માં આપવામાં આવેલો છે. જ્યારે યુનિયન ઓફ ઇન્ડિયા વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્રનો ચુકાદો એ અદ્યતન (લેટેસ્ટ) અને ૩ ન્યાયમૂર્તિની ખંડપીઠ દ્વારા આપવામાં આવેલો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/atrocities-act-will-be-applicable-only-in-crimes-committed-in-public-places-allahabad-high-court"><span style="font-size: 14pt;">એટ્રોસિટી એક્ટ જાહેર સ્થળે થતા ગુનામાં જ લાગુ થશે અલ્હાબાદ હાઈકોર્ટ</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટ્રોસિટી એકટની કલમ-૧૫-એ ભોગ બનનારના અધિકારની વાત કરે છે. જેમાં દરેક પ્રક્રિયાની નોટીસ આપીને બોલાવવાનો અને દરેક પ્રક્રિયા વખતે ફરિયાદીને સાંભળવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જે કોઈપણ પોલીસ અધિકારી દ્વારા કાયદાની ઉપરવટ જઈને કરવામાં આવતું નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કલમ-૨૦ દ્વારા આ કાયદાની જોગવાઈઓ અન્ય તમામ કાયદાની જોગવાઈઓથી ઉપર રહેશે એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવા છતાં અને કલમ-૧૮માં આગોતરા જામીનની જોગવાઈ ના હોવા છતાં અને દેશની સંસદે કરેલા સુધારા બાદ અમલમાં આવેલી કલમ -૧૮ એ ની સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં પોલીસ તંત્ર કોના રાજકીય ઈશારે આ ગુસ્તાખી કરી રહ્યું છે એ સમજી શકાય એમ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના એડવોકેટ કૌશિક પરમારે 18 જુલાઈના રોજ મહેસાણા ડીએસપી તરુણ દુગ્ગલને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, "છેલ્લાં કેટલાક સમયથી દલિત એટ્રોસિટીના કેસોમાં તપાસ અધિકારીઓ જાણીજોઈ અજાણ બની ઈરાદાપૂર્વક આરોપીઓને મદદ કરવાના હેતુથી અને ફરિયાદીઓને નુકસાન કરવાના બદઈરાદાથી અર્નેશકુમારના જજમેન્ટનું કાયદા વિરુદ્ધનું ખોટું અર્થઘટન કરી આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા વિના જ ટેબલ જામીન આપી દે છે, જે ગેરકાયદેસર છે. આવા ટેબલ જામીન આપતા તાત્કાલિક અટકાવવા જોઈએ અને કાયદા વિરુદ્ધ કામ કરતા અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કૌશિકભાઈના આવેદનપત્ર મુજબ, "અર્નેશકુમારનું જજમેન્ટ એટ્રોસિટીના કેસમાં કેમ લાગુ પડતું નથી તેના કારણો, કાયદાની જોગવાઈઓ અને તેને સમર્થન કરતા જજમેન્ટ છે. એટ્રોસિટી એ કોઈ સામાન્ય ગુન્હા નથી પરંતુ વિશેષ વર્ગ હેઠળના ગુન્હાઓ છે. એટ્રોસિટી સ્પેશ્યિલ લેજિસ્લેટિવ એક્ટ છે. ભારતમાં વર્ષોથી જાતિ આધારિત ભેદભાવ અને ઊંચનીચના ભેદભાવ અસ્તિત્વ ધરાવે છે. જેને અટકાવવા માટે કેટલાક વર્ગ માટે ખાસ કાયદો બનાવવામાં આવ્યો છે અને એટ્રોસિટી એક્ટ પણ તેમાંનો એક છે. ભારતના બંધારણમાં આર્ટિકલ 17માં સ્પૃશ્યતા નાબૂદીની વાત કરેલ છે અને તે કોઈપણ સ્વરૂપે પાળવી એ સજાપાત્ર ગુનો છે. અસ્પૃશ્યતાને પ્રતિબંધિત જાહેર કરવામાં આવી છે, જેમાં 6 માસની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે. આ સિવાય એકપણ આર્ટિકલમાં સજાની જોગવાઈ કરવામાં આવી નથી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Why-do-the-accused-get-away-with-such-a-strong-atrocity-law"><span style="font-size: 14pt;">એટ્રોસિટીનો આટલો મજબૂત કાયદો છતાં આરોપીઓ કેમ છુટી જાય છે?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટની કલમ 18માં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે, આ કામના આરોપીઓને આગોતરા જામીન મળશે નહીં. એટલે કાયદા દ્વારા આરોપીઓની ધરપકડ કરવી એવું વિવેકબુદ્ધિને આધિન એકદમ સ્પષ્ટ જણાવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટ્રોસિટી એક્ટ બાબતે વર્ષ 2017માં સુભાષ કાશીનાથ મહાજન દ્વારા સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યિલ લીવ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેનું જજમેન્ટ 20 માર્ચ 2018માં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યું હતું. જેમાં કોર્ટ દ્વારા કેટલીક ગાઈડલાઈન આપવામાં આવી હતી. જેમાં દલિત એટ્રોસિટીની ઘટનાની એફઆઈઆર પૂર્વે પ્રાથમિક તપાસ કરવી તેમજ ધરપકડ પૂર્વે ઉપરી અધિકારીની પરમિશન લેવી જેવી ગાઈડલાઈન અપાઈ હતી. જો કે, ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા સંશોધન પસાર કરીને કાયદામાં સેક્શન 18A દાખલ કરીને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાને રદબાતલ જાહેર કરેલ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટ દ્વારા પુનઃ ફેબ્રુઆરી 2020માં ગાઈડલાઈન જાહેર કરી અગાઉના ચૂકાદાને રદબાતલ કરી દલિત એટ્રોસિટીના મામલામાં ઘટનાની એફઆઈઆર પૂર્વે પ્રાથમિક તપાસ કરવાની કે ધરપકડ પૂર્વે ઉપરી અધિકારીઓની પરમિશન લેવાની કોઈ જરૂર નથી તેમ જણાવ્યું છે. જેનાથી એ સાબિત થાય છે કે, પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ એ ખાસ કાયદો છે અને કોઈપણ રીતે દલિતો સાથે અન્યાય, અત્યાચાર કે અપમાન કરી શકાય નહીં. એટ્રોસિટી એક્ટની કલમ 20માં જણાવ્યા પ્રમાણે આ કાયદો અન્ય કાયદાથી ઉપરવટ રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ ગુજરાતમાં પોલીસ અર્નેશકુમારનું જજમેન્ટ આગળ ધરીને કલમ 41D મુજબ નોટિસ આપી મામલતદાર સામે રજૂ કરીને 151 કરીને જામીન આપી દે છે. પણ પોલીસ એ ભૂલી જાય છે કે, એટ્રોસિટી એક્ટની કલમ 17 મુજબ કોઈપણ મેજિસ્ટ્રેટ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કે અન્ય કોઈપણ વહીવટી મેજિસ્ટ્રેટ અથવા નાયબ પોલીસ અધિક્ષકના દરજ્જાથી ઉતરતી કક્ષાના ન હોય તેવા કોઈપણ પોલીસ અધિકારીને માહિતી મળતા, અને પોતાને યોગ્ય જણાય એવી તપાસ કર્યા બાદ યોગ્ય જણાય કે અનુસૂચિત જાતિ-જનજાતિના કોઈ સભ્યોને કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓનું જૂથ કોઈ ગુનો કરે તેવી શક્યતા છે, તો તેવી વ્યક્તિઓની અટકાયતના પગલાં લઈ શકે છે. આ કાયદામાં માત્ર અભિપ્રાયના આધારે કોઈપણ એફઆઈઆર વગર જો પોલીસને આવી સત્તા મળતી હોય તો તેમાં સ્પષ્ટ એવું માનવાનું કારણ છે કે એટ્રોસિટીઝના આરોપીઓને ટેબલ જામીન આપી શકાય નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/in-atrocity-cases-accused-are-caught-only-after-agitation-naresh-maheshwari"><span style="font-size: 14pt;">એટ્રોસિટીના કેસમાં આંદોલન પછી જ આરોપીઓ પકડાય છેઃ નરેશ મહેશ્વરી</span></a><br></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટ્રોસિટી એક્ટની કલમ 15એ માં ભોગ બનનારાઓ અને સાક્ષીઓના અધિકારો અંગે સ્પષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. એટ્રોસિટી એક્ટની કલમ 15 એ 3 મુજબ ભોગ બનનાર અથવા તેના આશ્રિતોને કોઈપણ અદાલતની કાર્યવાહીની વ્યાજબી, ચોક્કસ અને સમયસરની નોટિસ બજવણીનો અધિકાર રહેશે. જેમાં કોઈપણ જામીની કાર્યવાહીનો સમાવેશ થાય છે, તથા આ અધિનિયમ હેઠળની દરેક કાર્યવાહી અંગે ખાસ સરકારી વકીલ અથવા રાજ્ય સરકારે ભોગ બનનારને જાણ કરવાની રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉપરોક્ત જોગવાઈ સંપૂર્ણ વિવેકબુદ્ધિને આધિન છે, જેમાં કોઈ તર્ક કરવાનો રહેતો નથી. આ જોગવાઈ મુજબ જ્યારે પણ આરોપી સ્પે. એટ્રોસિટી કેસમાં રેગ્યુલર જામીન અરજી દાખલ થાય ત્યારે પણ ફરિયાદી અથવા તેના આશ્ચિતને ફરજિયાત સાંભળવો એવું સ્પષ્ટ જણાવે છે. અર્થાત વિશેષ ન્યાયાલય(સેશન્સ કોર્ટ) ફરિયાદીને સાંભળ્યા વિના આરોપીને જામીન આપી શકતી નથી, તો પોલીસ કેવી રીતે જામીન આપી શકે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજું કે, એટ્રોસિટી એક્ટના ગુનામાં પોલીસ કોઈ વ્યાજબી એકલદોકલ કેસમાં અર્નેશકુમારના જજમેન્ટ મુજબ જામીન આપવા માંગતી હોય તો પણ જામીન પર છોડતા પહેલા ફરિયાદી અને પીડિતને નોટિસ કરી સાંભળવા પડે અને તેમના વાંધાને રેકર્ડ પર લેવો પડે. સુપ્રીમ કોર્ટના હરિરામ ભાંભી વિરુદ્ધ સ્ટેટ ઓફ રાજસ્થાનના કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ઠરાવ્યું છે કે, એટ્રોસિટી એક્ટની કલમ 15એ 3 અને 15એ 5 ફરજિયાત છે. એટલે જામીન પર છોડતા પહેલા ફરિયાદી-પીડિતને નોટિસ કરી સાંભળવા પડે. ગુજરાત હાઈકોર્ટના હેમલ અશ્વિન શાહના કેસમાં હાઈકોર્ટે કહ્યું છે કે, કલમ 15એ 3 અને 5નું પાલન કરવું ફરજિયાત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટૂંકમાં, એટ્રોસિટી એક્ટની કલમ 15એ 3 અને 5 ની જોગવાઈ મુજબ નીચલી કોર્ટોથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધીની તમામ કોર્ટો જ્યારે આ કાયદા હેઠળના ગુનાના આરોપીઓની જામીન અરજીઓમાં ફરિયાદી અને પીડિતોને નોટિસ કરીને સાંભળવાની તક આપતી હોય તો અર્નેશકુમારના જજમેન્ટ પર આધાર રાખી પોલીસ અધિકારી આરોપીને જામીન પર છોડી શકે જ નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉપર જણાવી એ તમામ બાબતો સિવાય બીજા અનેક મહત્વના ચૂકાદાઓ અને માહિતી આ મિટીંગમાં શેર કરવામાં આવશે. તો દલિત-બહુજન સમાજનું હિત જેમના હૈયે વસેલું છે તેવા સૌ સાથીઓ, કર્મશીલો, વકીલોને આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે આહ્વાન કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/Even-though-there-is-no-provision-in-the-law-to-seek-permission-from-the-government-to-file-a-chargesheet-under-the-Atrocities-Act,-the-police-do-not-file-a-chargesheet-for-that-offence.-Why"><strong>એટ્રોસિટી એક્ટ મુજબ ચાર્જશીટ કરવા માટે સરકારની પરવાનગી લેવાની કાયદામાં કોઈ જોગવાઈ ન હોવા છતાં પોલીસ તે ગુના માટે ચાર્જશીટ નથી કરતી. કેમ?</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 20 Jul 2024 12:26:10 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 02 Aug 2024 19:50:03 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>947</Articleid>
                    <excerpt>એટ્રોસિટી એક્ટને નબળો પાડીને દલિતોને ફરી એકવાર ગુલામ જેવી સ્થિતિમાં લાવી દેવાનું વ્યવસ્થિત ષડયંત્ર શરૂ થયું છે. વાંચો આ રિપોર્ટ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66aceb0b79df6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66aceb0b4b9b9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66aceb0b4b9b9.jpg" length="81899" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમદાવાદના રસ્તાઓ જીવલેણ છે, ૨૦૨૩માં ૮૭૦નાં મોત થયા</title>
                    <link>https://khabarantar.com/ahmedabads-roads-are-deadly-with-870-deaths-in-2023</link>
                    <guid>https://khabarantar.com/ahmedabads-roads-are-deadly-with-870-deaths-in-2023</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદ શહેર રાજ્યના માર્ગ અકસ્માતોમાં 11 ટકા હિસ્સો ધરાવે છે. ગત વર્ષે અહીં 870 લોકોના મોત થયા છે. વાંચો આ રિપોર્ટ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદ શહેરમાં અનેક લોકો દરરોજ કોઈને કોઈ અકસ્માતમાં મોતને ભેટે છે. એ રીતે અહીંના રસ્તાઓ જીવલેણ છે એવું કહેવામાં જરાય અતિશ્યોક્તિ નથી. આંકડાઓ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે, છેલ્લા એક વર્ષમાં એટલે કે ૨૦૨૩માં અમદાવાદમાં માર્ગ અકસ્માતમાં 870ના મોત થયા છે. એ રીતે અમદાવાદ રાજ્યમાં થતાં કુલ માર્ગ અકસ્માતોમાં ૧૧ ટકા હિસ્સો ધરાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદ શહેરમાં થયેલા માર્ગ અકસ્માતોમાં કુલ 535ના મોત થયા છે, તો અમદાવાદ જિલ્લાના અન્ય ભાગોમાં થયેલા અકસ્માતોમાં કુલ 335ના મોત થયા છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી (જીઆરએસએ)ના તાજેતરના આંકડા ઘણા ચિંતાજનક છે. તેમાં મોરબી જિલ્લામાં દર લાખની વ્યક્તિએ 21.43 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે. તેના પછી ગાંધીનગરમાં દર લાખની વસ્તીએ 19.40 લોકોના મોત થયા છે. તાપીમા 19.21, ભરૂચમાં 18.83, વલસાડમાં 18.35 ના મોત થયા છે. ૨૦૨૩માં રાજ્યમાં અકસ્માતથી થતાં મોતનો દર પ્રતિ લાખે સરેરાશ 13નો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">GRSAના આંકડાઓ મુજબ ૩,૨૬૮ અકસ્માતોમાં ટુ-વ્હીલર હતા. આમાના ૨૪ ટકા કાર અને ૨૨ ટકા ટ્રક અકસ્માત સાથે સંલગ્ન હતા. રાજ્યમાં કુલ માર્ગ અકસ્માતોમાં થતાં ૪૬ ટકા મોત તો દ્વિચક્રી વાહનચાલકોના થયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/98-of-faculties-in-countrys-TOP-5-IITs-are-said-to-be-upper-caste:-Shocking-report-by-Nature-magazine"><span style="font-size: 14pt;">દેશની TOP 5 IITમાં 98% ફેકલ્ટીઓ કથિત ઉચ્ચ જાતિની: Nature magazineનો ચોંકાવનારો રિપોર્ટ</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટ કહે છે કે, રસ્તા પર ચાલનારા પણ સલામત નથી. રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં થયેલા કુલ ૭,૮૩૪ મોતમાં ૧,૭૫૭ મોત એટલે કે ૨૨ ટકા મોત રસ્તે ચાલતા જનારાઓના હતાય મોતને ભેટેલાઓમાં ૨૮ ટકાને કારે અને ૧૮ ટકાને ટ્રકે ટક્કર મારી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે ૨૦૨૪માં રાહતની વાત એ છે કે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ આ વર્ષે પ્રથમ છ મહિનામાં માર્ગ અકસ્માતોથી થતાં મોતમાં ઘટાડો થયો હોવાનું જીઆરએસએના આંકડા જણાવે છે. તેનું કારણ નિયમોનો કડક અમલ અને રોડ એન્જિનિયરિંગમાં સુધારો હોવાનું કહેવાય છે. ૨૦૨૩ના પ્રથમ છ મહિનામાં રાજ્યમાં કુલ ૪,૨૩૫ના મોત થયા હતા તો ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં ૩,૮૯૯ના મોત થયા છે. અમદાવાદ સિવાય સુરત રૂરલમાં ૪૯૪, સુરત શહેરમાં ૩૦૯, બનાસકાંઠામાં ૩૨૭, વડોદરા ગ્રામ્યમાં ૩૧૫, વલસાડમાં ૩૧૩, ભરૂચમાં ૨૯૨, દાહોદમાં ૨૭૪, ગાંધીનગરમાં ૨૭૦ લોકોના મોત થયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/Not-Ram,-this-god-is-most-worshiped-in-India,-survey-report-revealed"><strong>રામ નહીં, ભારતમાં આ દેવની સૌથી વધુ પૂજા થાય છે, સર્વે રિપોર્ટમાં થયો ખુલાસો</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 19 Jul 2024 20:45:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>945</Articleid>
                    <excerpt>અમદાવાદ શહેર રાજ્યના માર્ગ અકસ્માતોમાં 11 ટકા હિસ્સો ધરાવે છે. ગત વર્ષે અહીં 870 લોકોના મોત થયા છે. વાંચો આ રિપોર્ટ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_669a82056e460.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_669a82053daa5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_669a82053daa5.jpg" length="82114" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રાના રૂટ પર નેમપ્લેટનો વિવાદ વધુ વકર્યો</title>
                    <link>https://khabarantar.com/controversy-over-nameplates-on-kavadyatra-route-in-uttar-pradesh-escalated</link>
                    <guid>https://khabarantar.com/controversy-over-nameplates-on-kavadyatra-route-in-uttar-pradesh-escalated</guid>
                    <description>
                        <![CDATA[ યુપીમાં કાવડયાત્રાના રૂટ પર આવતી દુકાનો પર ફરજિયાત નેમપ્લેટ લગાવવા મુદ્દે વિપક્ષોએ ભારે નારાજગી વ્યક્ત કરતા વિવાદ વકર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુપીમાં કાવડયાત્રાના રૂટ આવતી દુકાનોમાં ફરજિયાત નેમપ્લેટ લગાવવાને મુદ્દે વિવાદ વધુ વકર્યો છે. કાવડયાત્રાના માર્ગ પર આવતી દુકાનો પર નેમપ્લેટ દર્શાવવા મામલે હવે દેશવ્યાપી ચર્ચા છેડાઈ છે. એક તરફ નેતાઓ વચ્ચે શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી તરફ દુકાનોની બહાર નામો દર્શાવવાની કાર્યવાહી ચાલુ છે. યોગી આદિત્યનાથની સરકારે આ મામલે કડકાઈ દાખવી છે અને સ્પષ્ટ કહ્યું છે કે સમગ્ર રાજ્યમાં કાવડયાત્રાના માર્ગો પર દુકાનદારોએ તેમનાં નામ લખવા પડશે. આ નિર્મયથી સાથી પક્ષો પણ નારાજ થઈ ગયા છે. નેતાઓ વચ્ચેની ચર્ચા અને શાબ્દિક યુદ્ધ વચ્ચે ગુરુવારે સાંજે અને શુક્રવારે સવારે દુકાનદારો અને શેરી વિક્રેતાઓ તેમના નામ અને ઓળખ નોંધતા જોવા મળ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિરોધ પક્ષના નેતાઓની સાથે ભાજપના સાથીઓ પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. આરએલડીના પ્રદેશ અધ્યક્ષે પણ આ સૂચના પર નારાજગી વ્યક્ત કરી છે. દરમિયાન કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે કહ્યું કે આ નફરતને પ્રોત્સાહન આપતો આદેશ છે, આવા અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. બીજી તરફ, બીજેપી નેતા સંગીત સોમે આદેશનું સમર્થન કર્યું છે અને અખિલેશ યાદવ પર વળતો પ્રહાર કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેડીયુના નેતા કેસી ત્યાગીએ કહ્યું કે બિહારમાં આનાથી પણ મોટી કાવડયાત્રા નીકળે છે, ત્યાં આવા કોઈ આદેશનો અમલ થતો નથી. જે નિયંત્રણો લાદવામાં આવ્યા છે તે વડાપ્રધાનના 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ'ના સૂત્રનું ઉલ્લંઘન છે. આ આદેશ બિહાર, રાજસ્થાન અને ઝારખંડમાં લાગુ નથી. આ આદેશની સમીક્ષા થવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુસ્લિમ ધર્મગુરુ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ કહ્યું કે હિન્દુ-મુસ્લિમ અથડામણ અટકાવવા માટે આ સૂચના આપવામાં આવી છે. હું તેને સમર્થન આપું છું. જો કે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ આ મુદ્દે રાજનીતિ કરી રહ્યા છે. હું તેમને હિંદુ-મુસ્લિમ વચ્ચે વિભાજન ન કરવા વિનંતી કરું છું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/corporate-storytellers-spread-more-lies-than-whatsApp-university"><span style="font-size: 14pt;">વોટ્સએપ યુનિવર્સિટી કરતા પણ કોર્પોરેટ કથાકારો વધુ જુઠ ફેલાવે છે</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરએલડીના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં પ્રશાસન દ્વારા દુકાનદારોને તેમની દુકાનો પર તેમનું નામ અને ધર્મ લખવાની સૂચના આપવી એ જાતિ અને સંપ્રદાયને પ્રોત્સાહન આપતું પગલું છે. વહીવટીતંત્રે તેને પાછું લેવું જોઈએ. આ એક ગેરબંધારણીય નિર્ણય છે. જો કે પ્રદેશ પ્રમુખના નિવેદન પર કાર્યકરોએ ટિપ્પણીઓ શરૂ કરી દીધી છે. આરએલડીના એક કાર્યકરનું કહેવું છે કે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કાર્યવાહી કર્યા વિના પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યારે સરકારમાં ભાગીદારો હોય ત્યારે તેને અલગ રીતે વ્યાખ્યાયિત ન કરવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપના નેતા સંગીત સોમે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે કાવડયાત્રા દરમિયાન ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જારી કરાયેલ સરકારી આદેશ મુજબ દુકાનદારોને તેમની દુકાનોની બહાર નામ લખવા માટે કહેવામાં આવ્યું છે, માત્ર આ બાબતે અખિલેશ યાદવે જે રીતે વાંધો વ્યક્ત કર્યો છે તે તેમના આત્યંતિક સાંપ્રદાયિક દ્રષ્ટિકોણને છતી કરવા માટે પૂરતો છે. ઘણી વખત સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર પ્રસારિત થતા સમાચારોમાં પણ જોવા મળ્યું છે કે કોઈ ખાસ ધર્મના લોકોને કોઈ ખાદ્ય પદાર્થમાં થૂંકતા કે પેશાબ કરતા જોયા છે. કાવડયાત્રાની પવિત્રતા જાળવવા માટે જે દુકાનદાર પાસેથી શ્રધ્ધાળું ખાદ્યપદાર્થો ખરીદે છે તેની તેને ખબર હોવી જોઈ. યાત્રાળુઓને તેમણે ક્યા દુકાનદાર પાસેથી સામાન ખરીદે છે અને કોની પાસેથી નહીં તે પસંદ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ, કોઈપણ રીતે તે ગ્રાહક અધિકારની બાબત છે. ઉત્તર પ્રદેશ સરકારનો આ આદેશ આવકાર્ય છે અને હું તેની હૃદયપૂર્વક પ્રશંસા કરું છું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી કપિલ દેવ અગ્રવાલે કહ્યું કે વિપક્ષ આ મામલાને બિનજરૂરી રીતે મહત્વ આપી રહ્યો છે. પારદર્શિતામાં શું નુકસાન છે? નિયમો કોઈ જાતિ કે ધર્મ માટે નથી. સમગ્ર સોસાયટીના દુકાનદારોને તેમ કરવા જણાવાયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/The-Controversy-of-the-Steps-Above-the-Fifth-Step-of-Mount-Girnar:-A-Perspective-on-the-Historical-Evidence"><strong>Exclusive - ગિરનાર પર્વતની પાંચમી ટૂંક ઉપર આવેલા પગલાંનો વિવાદ: ઐતિહાસિક પુરાવા પર એક દ્રષ્ટિપાત</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 19 Jul 2024 19:41:43 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>944</Articleid>
                    <excerpt>યુપીમાં કાવડયાત્રાના રૂટ પર આવતી દુકાનો પર ફરજિયાત નેમપ્લેટ લગાવવા મુદ્દે વિપક્ષોએ ભારે નારાજગી વ્યક્ત કરતા વિવાદ વકર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_669a738c1a930.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_669a738bdf86b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_669a738bdf86b.jpg" length="97000" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>જય ભીમ ડોનર્સ ક્લબે અમદાવાદની દલિત દીકરીની શિક્ષણ ફી ભરી આપી</title>
                    <link>https://khabarantar.com/jai-bhim-donors-club-paid-the-education-fee-of-dalit-daughter-of-ahmedabad</link>
                    <guid>https://khabarantar.com/jai-bhim-donors-club-paid-the-education-fee-of-dalit-daughter-of-ahmedabad</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદની &#039;જય ભીમ ડોનર્સ ક્લબે&#039; ફરી એકવાર પોતાની ઉમદા કામગીરીથી સૌ કોઈનું દિલ જીતી લીધું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધીનગર સ્થિત જય ભીમ ડોનર્સ ક્લબ તેની ઉમદા સમાજસેવી પ્રવૃત્તિઓને લઈને જાણીતી છે. ખાસ કરીને દલિત-બહુજન સમાજના હોંથિયાર વિદ્યાર્થીઓ, જેઓ નબળી આર્થિક પરિસ્થિતિને કારણે આગળ ભણી શકવા અસમર્થ હોય તેમને તેઓ સીધી આર્થિક મદદ કરે છે. આવી જ એક મદદ તેમણે હાલમાં જ અમદાવાદના ગીતામંદિર વિસ્તારની એક વિદ્યાર્થિનીને કરી છે.</span><br><span style="font-size: 14pt;">ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતી ઋતિકા સોલંકીના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી દીકરીને ભણવામાં સમસ્યા ઉભી થતી હતી. જેની જાણ જય ભીમ ડોનર્સ ક્લબના સભ્યોને થતા તેમણે દીકરીની વિગતો મગાવી હતી. જેમાં સામે આવ્યું હતું કે તે છેલ્લાં 5 વર્ષથી અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં તેના મામા સાથે રહે છે અને રાયપુર દરવાજા પાસે આવેલી જી.સી. ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરે છે. દીકરી ભણવામાં હોંશિયાર છે અને ધોરણ 11માં તેને 63 ટકા આવ્યા હતા. ભણવાની સાથે તે ટ્યુશન ક્લાસમાં પણ અભ્યાસ કરવા માટે જાય છે. સ્કૂલ ફી અને ટ્યુશનના મળીને તેને રૂ. 24 હજારની જરૂર પડતી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-dalit-youth-was-beaten-up-for-saying-jai-bhim-namo-buddhay-on-the-phone">ફોન પર નમોઃ 'બુદ્ધાય, જય ભીમ' બોલવા પર દલિત યુવકને માર માર્યો</a></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઋતિકા પોતાની માતા ધર્મિષ્ઠાબેન અને મામા સાથે રહે છે. તેના માતા ભદ્ર કોર્ટ, લાલ દરવાજા, અમદાવાદમાં કોન્ટ્રાકટ પર સફાઈ કર્મચારી તરીકે ફરજ નિભાવે છે. કોન્ટ્રાકટ પર હોવાને લીધે પગાર માત્ર 4500 રૂપિયા છે (4 કલાકની પાર્ટ ટાઇમ નોકરી કરે છે). જ્યારે મોટાભાઈ છૂટક મજૂરી કરે છે. આ રીતે અંદાજે 10-12 હજારની માસિક આવક સાથે પરિવારનું ગુજરાન ચાલે છે.</span><br><span style="font-size: 14pt;">જય ભીમ ડોનર્સ ક્લબને સામાજિક કાર્યકર સુનિલભાઈ ઔદિચ્ય દ્વારા ઋતિકાની આર્થિક જરૂરિયાત અને પરિવારની ગરીબ પરિસ્થિતિ અંગે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપરોક્ત સરનામે ક્લબના એડમિન સભ્યો દિપેશ રેવર, બિપિન ખંડવી અને સુનીલભાઈ ઔદિચ્ય દ્વારા ઋતિકાના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. રૂબરૂ મુલાકાત દરમિયાન આ પરિવાર વિશેની તમામ હકીકતો સાચી ઠરતી જણાઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Were-the-Dalits-of-Gujarat-in-an-unencumbered-state-before-the-advent-of-Gandhiji">શું ગાંધીજીના આગમન પહેલા ગુજરાતના દલિતો નિર્લેપ અવસ્થામાં હતા?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ શુભેચ્છા મુલાકાત બાદ સઘળી પરિસ્થિતિની ચકાસણી કરતા જણાઈ આવેલ કે વિદ્યાર્થી ઋતિકા ભણવામાં હોશિયાર છે પણ ગરીબ પરિસ્થિતિના લીધે ભણતર બગડે એમ છે. આથી નક્કી કરવામાં આવ્યું હતું કે ઋતિકા અને બહુજન સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે તેને આર્થિક મદદ કરવી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી જય ભીમ ડોનર્સ ક્લબના સભ્યો દ્વારા ઋતિકાના ટ્યુશન ક્લાસની રૂ. 10,000 ફી ભરવામાં આવી હતી. બધી મળીને ફી રૂ. 24000 હતી જેમાંથી જય ભીમ ડોનર્સ ક્લબના એડમિન બિપીનભાઈ ખંડવી દ્વારા ક્લાસ સંચાલકને ભલામણ કરતા રૂ. 6000નું ડિસ્કાઉન્ટ કરી આપ્યું હતું. એ પછી બાકી રહેતા રૂ. 18000 માંથી રૂ. 10000 JBDC દ્વારા મદદ કરવામાં આવેલ અને બાકી રહેતા રૂ. 8000 ઋતિકાના પરિવાર દ્વારા ભરવાની તૈયારી બતાવવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Jai-Ho-to-JAI-BHIM-Donors-Club-Fee-paid-for-poor-students-preparing-for-NEET">જય ભીમ ડોનર્સ ક્લબની જય હો, NEET ની તૈયારી કરતા વિદ્યાર્થીની ફી ભરી આપી</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">આ પ્રસંગે ઋતિકા, તેના માતા અને ક્લાસ સંચાલક દ્વારા જય ભીમ ડોનર્સ ક્લબની ઉમદા કામગીરીની પ્રસંશા કરવામાં આવી હતી અને તેનો આભાર માનવામાં આવ્યો હતો. સાથે જ ક્લબે પણ વિદ્યાર્થિની ઋતિકા પણ સફળતા પ્રાપ્ત કરી જય ભીમ ડોનર્સ ક્લબના PAY BACK TO SOCIETY ના કાર્યોમાં ભરપૂર સહયોગ આપશે તેવી લાગણી અને ઈચ્છા દર્શાવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, જય ભીમ ડોનર્સ ક્લબ ડૉ. બાબાસાહેબ આંબેડકરના સિદ્ધાંતો પર ચાલીને દર મહિને પોતાની આવકનો ચોક્કસ હિસ્સો સમાજના ઉત્થાન માટે વાપરે છે. તેની આ ઉમદા કામગીરીને કારણે અત્યાર સુધીમાં સમાજના અનેક હોનહાર વિદ્યાર્થીઓ આગળ ભણીગણીને નોકરી લાયક બન્યાં છે. ક્લબમાં એવા પણ ઘણાં સભ્યો છે, જેઓ પોતે જય ભીમ ડોનર્સ ક્લબની મદદથી ભણ્યાં હોય અને આજે ઉચ્ચ પગાર મેળવતા થયા બાદ પે બેક ટુ સોસાયટીના કાર્યમાં ક્લબ સાથે જોડાયા હોય.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો તમે પણ જય ભીમ ડોનર્સ ક્લબની આ ઉમદા કામગીરીમાં ભાગીદારી થવા ઈચ્છતા હો અથવા તેના વિશે અન્ય કોઈપણ પ્રકારની જાણકારી મેળવવા માંગતા હો તો નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/you-are-a-jai-bheem-wala-we-dont-employ-jai-bheem-wala">તું 'જય ભીમ' વાળો છે, અમે 'જય ભીમ' વાળાને નોકરી નથી આપતા</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જય ભીમ ડોનર્સ ક્લબ એડમીન</span></strong></span><br><span style="font-size: 14pt;">રવિ મહેતા       :9725902081</span><br><span style="font-size: 14pt;">મિલિંદ બૌધ્ધ     :9998778483</span><br><span style="font-size: 14pt;">દિપેશ રેવર       :9714044591</span><br><span style="font-size: 14pt;">રાકેશ સોલંકી      :9824612504</span><br><span style="font-size: 14pt;">ભરત મંજુલાબેન   :9998913589</span><br><span style="font-size: 14pt;">હાર્દીક સોલંકી      :9624619719</span><br><span style="font-size: 14pt;">ઉમેશ પરમાર      :9574530057</span><br><span style="font-size: 14pt;">નાગરાજ સુવાતર   :9978062227</span><br><span style="font-size: 14pt;">એસ.વી સોલંકી     :9638353890</span><br><span style="font-size: 14pt;">ડો.પ્રશાંત જાદવ    :8264133676</span><br><span style="font-size: 14pt;">બિપીન ખંડવી      :9824843591</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/The-noble-work-of-Jai-Bhim-Donor-Club,-the-daughter-of-a-poor-family-received-Rs.-25-thousand-paid-education-fee">જય ભીમ ડોનર્સ ક્લબની ઉમદા કામગીરી, ગરીબ દીકરીની 25 હજાર શિક્ષણ ફી ભરી આપી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 19 Jul 2024 17:29:52 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>943</Articleid>
                    <excerpt>અમદાવાદની &#039;જય ભીમ ડોનર્સ ક્લબે&#039; ફરી એકવાર પોતાની ઉમદા કામગીરીથી સૌ કોઈનું દિલ જીતી લીધું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_669a2fb23bf3c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_669a2fb20a1bf.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_669a2fb20a1bf.jpg" length="84825" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, pay back to society</media:keywords>
                </item>
                        <item>
                    <title>પાણી પુરવઠા વિભાગે કાગળ પર કામ બતાવી 12.14 કરોડનું ફૂલેકું ફેરવ્યું</title>
                    <link>https://khabarantar.com/water-supply-department-showed-work-on-paper-and-turned-over-money-worth-rs-12-14-crore</link>
                    <guid>https://khabarantar.com/water-supply-department-showed-work-on-paper-and-turned-over-money-worth-rs-12-14-crore</guid>
                    <description>
                        <![CDATA[ નવસારીમાં પાણી પૂરવઠા વિભાગે માત્ર કાગળ પર કામ બતાવી રૂ. ૧૨.૪૪ કરોડનું કૌભાંડ આચર્યું હોવાના ચોંકાવનારા સમાચાર મળ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં નકલીઓની બોલબાલા વચ્ચે સરકારી કચેરીઓમાં મસમોટા કૌભાંડોની પણ જાણે કોઈ નવાઈ ન રહી હોય તેમ એક પછી એક કરોડોના કૌભાંડો સામે આવી રહ્યાં છે. આવું જ કંઈક નવસારીમાં થયું છે. અહીં પાણી પુરવઠા વિભાગના અધિકારી અને કોન્ટ્રક્ટરોએ ટેન્ડર બહાર પાડ્યા વગર ખોટી રીતે ટેન્ડરીંગ પ્રક્રિયા કરીને ખોટા બીલ મૂકી ૧૨.૪૪ કરોડ રૂપિયા ઉચાપત કરી હોવાના સમાચાર મળ્યાં છે. આ મામલે કાર્યપાલક ઈજનેર, ઈજારદાર, વેપારીઓ સહિત કુલ ૧૪ સામે સીઆઈડી ક્રાઈમ બ્રાંચમાં બે અલગ-અલગ ગુના નોંધવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી અનુસાર નવસારી જિલ્લામાં ચીખલી, ગણદેવી અને ખેરગામ તાલુકામાં કુલ ૫૪ ગામમાં કોઈ પણ પ્રકારના કામ કર્યા વગર જ તેના ખોટા બીલ રજૂ કરીને તેને મંજૂર કરી ૫.૪૮ કરોડ રૂપિયા ઉચાપત કરાઈ છે. જેમાં તત્કાલીન કાર્યપાલક ઈજનેર, ચાર એન્જિનિયર, એક એકાઉન્ટન્ટ, બે ક્લાર્ક તથા છ ઈજારદાર એજન્સી અને વેપારીઓએ ગેરરીતિ આચરી હતી. નવસારી સ્થિત ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેર જતીનકુમારે કુલ ૧૪ શખસો સામે ખોટા બિલો મુકી કરોડ રૂપિયાની નાણાંકીય ઉચાપત કરી ફરિયાદ નોંધાવી હતી. આ મામેલ ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ ૨૦૨૩માં સરકાર દ્વારા નવસારી જિલ્લામાં જુદી-જુદી પાણી પુરવઠાના યોજનાઓ માટે કુલ ૩૪.૨૯ કરોડ રૂપિયાની જોગવાઈ પૈકી ૨૪ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જેમાંથી ૧૯.૩૩ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાના બીલ મંજૂર કરાયા હતા. સરકારના રિજુવિનેશન કાર્યક્રમમાં મોટો ગોટાળો થયો હોવાની ચર્ચાઓ વચ્ચે વલસાડ જાહેર બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેર આશાબેન પટેલે જાહેર આરોગ્ય વર્તુળ કચેરી વલસાડને એક પત્ર લખ્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><strong style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/scam-of-snatching-scholarship-from-reserved-category-students"><span style="font-size: 14pt;">અનામત કેટેગરીના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પડાવી લેવાનું કૌભાંડ</span></a></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરિયાદના પગલે સમગ્ર પ્રકરણની તપાસ ગાંધીનગર સ્થિત આર્થિક ગુના નિવારણ શાખા સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી હતી. તેની તપાસમાં નવસારી જિલ્લા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિકારીઓ તેમજ ઈજારદાર એજન્સીઓએ એકબીજાની સાંઠગાંઠમાં ચીખલી તાલુકાના ૨૫, ગણદેવી તાલુકાના ૨૦ અને ખેરગામ તાલુકાના ૧૨ મળીને કુલ ૫૪ ગામમાં ૯૦ કામ કાગળ ઉપર કર્યા હોવાનું બતાવી કુલ ૫.૪૮ કરોડ રૂપિયાની મોટી રકમ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગાંધીનગરના એફએએસ સોફ્ટવેરનો દુરુપયોગ કરી ઉચાપત કરી સરકારી તિજોરીને મસમોટું નુકસાન પહોંચાડાયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપીઓએ પોતાના સરકારી હોદાને દુરૂઉપયોગ કરી, ઈજારદાર સાથે મળી ભાગ બટાઈ કરી લીધી હતી. જે અંગે તા.૨૯-૬- ૨૦૨૪ના સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાંચે, નવસારી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેરને પત્ર લખી ફરિયાદ નોંધાવવા હુકમ કર્યો હતો. જે આધારે જતીનકુમાર પટેલે સી.આઈ.ડી.સી. બ્રાંચમાં નિવૃત્ત કાર્યપાલક ઈજનેર, ચાર એન્જિનિયરો, એક એકાઉન્ટન્ટ બે કલાર્ક અને એજન્સી મેસર્સ અભિનંદન એન્ટરપ્રાઈઝ મળીને કુલ ૧૪ સામે બે અલગ-અલગ ફરિયાદ નોંધાવી છે. કુલ મળીને ૧૨.૪૪ કરોડનું સરકારને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નવસારી વાસ્મો કચેરીએ સોર્સ કૂવા અને ખુટતી પાઈપલાઈનની કામગીરી કરવા જણાવ્યું હતું. પરંતુ ગ્રાંટની મંજૂરી અભાવે થયું નહતું. જે અંગે સ્થાનિક રાજકીય નેતાઓની ભલામણ, દરખાસ્ત બાદ ગ્રાંટ મંજૂર થઈ હતી. ૧૬.૪૭ કરોડ રૂપિયામાંથી ૨૦૯ કામોમાં વહીવટી તાંત્રિક મંજૂરી, ડીટીપી, નિવિદા, ટેન્ડર, મંજૂરીની વિગતોની તપાસમાં નિયમોનું ઉલ્લંઘન, જાેગવાઈ નહીં હોવા છતાં વધારાનો ખર્ચ કરાયો હતો. એજન્સીઓ દ્વારા ટેન્ડર મંજૂર થયા બાદ સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવી, કરારખત બાદ ટેન્ડર મુજબ કામ કરવાનું હોવા છતાં એજન્સી પાસેથી અધિકારીઓ સિક્યોરિટી ડિપોઝિટ જમા લીધી નહતી. તેમજ કુલ ૧૯૩ કામોની ચૂકવણી કરી દીધી હતી. જે પૈકી માત્ર ૭૩ કામો જ સ્થળ પર થયા હતા. જ્યારે ૯૦ કામ ફક્ત કાગળ પર બતાવી ૫.૪૮ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/a-new-chapter-in-the-land-scam-in-the-name-of-ram-in-ayodhya"><strong>અયોધ્યામાં રામના નામે જમીન કૌભાંડનો નવો અધ્યાય...</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 18 Jul 2024 21:05:10 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 18 Jul 2024 21:06:26 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>939</Articleid>
                    <excerpt>નવસારીમાં પાણી પૂરવઠા વિભાગે માત્ર કાગળ પર કામ બતાવી રૂ. ૧૨.૪૪ કરોડનું કૌભાંડ આચર્યું હોવાના ચોંકાવનારા સમાચાર મળ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_669935745be73.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66993574236f2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66993574236f2.jpg" length="47606" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>કવિ ગૌતમ વેગડા ચીનમાં આંતરાષ્ટ્રીય યુવા કવિતા મહોત્સવમાં ભાગ લેશે</title>
                    <link>https://khabarantar.com/poet-gautam-vegda-will-participate-in-the-international-youth-poetry-festival-in-china</link>
                    <guid>https://khabarantar.com/poet-gautam-vegda-will-participate-in-the-international-youth-poetry-festival-in-china</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતના જાણીતા દલિત કવિ ગૌતમ વેગડા આજથી ચીનમાં શરૂ થવા જઈ રહેલા ઈન્ટરનેશનલ યુથ પોએટ્રી ફેસ્ટિવલમાં ભાગ લેવા જઈ રહ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના દલિત-બહુજન સમાજ માટે ગર્વથી છાતી ફૂલી જાય તેવા સમાચાર આવ્યાં છે. ગુજરાતના એકમાત્ર અંગ્રેજીમાં દલિત સમાજની સમસ્યાઓને વાચા આપતા કવિ ગૌતમ વેગડા આજથી ચીનમાં શરૂ થવા જઈ રહેલા ઈન્ટરનેશનલ યુથ પોએટ્રી ફેસ્ટિવલમાં પોતાની કવિતાઓ રજૂ કરશે. 18 થી 24 જુલાઈ સુધી ચાલનારા આ યુવા કવિતા મહોત્સવમાં દુનિયાભરમાંથી કવિઓ ભાગ લેવાના છે અને તેમાં ગુજરાતમાંથી એકમાત્ર ગૌતમભાઈને આમંત્રણ મળેલું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કવિ ગૌતમ વેગડા અગાઉ 14મી એપ્રિલ 2024ના રોજ અમેરિકાની વિખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પણ પોતાની જાતિવિરોધ કવિતાઓ રજૂ કરી ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર તેમની કવિતાઓ ગુજરાતના સીમાડા વટાવીને વિદેશની ધરતી સુધી પહોંચવા જઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ ગૌતમભાઈ એકમાત્ર ગુજરાતી કવિ છે જેઓ અંગ્રેજીમાં દલિત કવિતાઓ લખે છે. તેમની એન્ટિ કાસ્ટ કવિતાઓ દુનિયાભરમાં જાણીતી છે. દલિત સમાજ માટે આ ગૌરવની ક્ષણ છે કે ચીનમાં યોજાનાર કવિતા મહોત્સવમાં એક સાવ અંતરિયાળ ગામડાના, અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલા અને જાતમહેનતે આગળ આવેલા એક દલિત યુવાનની કવિતાઓ રજૂ થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્ખેનીય છે કે, ગુજરાતમાંથી હાલ ગૌતમ વેગડા એક જ એવા દલિત લેખક છે જે સીધી અંગ્રેજીમાં કવિતા લખે છે. તેમના બે કાવ્યસંગ્રહો પ્રકાશિત થઈ ચૂક્યા છે. એક છે Vultures and other poems(ગીધ અને બીજી કવિતાઓ)  અને Strange Case of Flesh and Bones(હાડમાંસનો વિચિત્ર કિસ્સો). આ સિવાય ત્રીજો કાવ્યસંગ્રહ આવી રહ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Statue-Of-Equality:-In-America,-Dr.-Babasaheb-Ambedkars-Tallest-Statue-Unveiled,-Ceremony-Resounds-With-Jai-Bhima-Naad"><span style="font-size: 14pt;">Statue Of Equality: અમેરિકામાં થયું ડો. બાબાસાહેબ આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ, સમારોહ જય ભીમના નાદથી ગૂંજી ઉઠ્યો</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમનું પીએચડી પણ પર્યાવરણીય જસ્ટિસ અને દલિત સાહિત્ય પર છે. અગાઉ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં તેમણે પર્યાવરણને અને દલિતોને લઈને જે કવિતાઓ લખી છે તે રજૂ કરી હતી. તેમની કવિતાઓના શીર્ષકો પહેલી નજરે વિચિત્ર લાગે તેવા હોય છે. જેમ કે, અળસિયું, શાહુડી, તેતર, વિંછી, દીપડો, હાથી, લજામણી, ટિટોડી, ગીધ વગેરે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૌતમભાઈ કહે છે, "શા માટે હું ગીધની વાત કરું છું? હું મોર, પોપટ કે કોયલ એવા સુંદર પક્ષીની વાત કેમ નથી કરતો? એક દલિત તરીકે મારી કલ્પનામાં ગીધ જ કેમ આવ્યું? કેમ કે તેની સાથે આપણે રહ્યાં છીએ. એની સાથે ખાવાનું શેર કર્યું છે. દલિતો જે ખાતા એ જ ગીધ ખાતું. એટલે આ કાર્યક્રમમાં હું દલિતોનો પર્યાવરણીય ઈતિહાસ શું છે તેની વાત કરવાનો છું."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ 14મી એપ્રિલે તેમણે ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારી કવિતા માત્ર દલિત કવિતા નથી પરંતુ દલિતોનો પર્યાવરણીય ઈતિહાસ પણ હશે. હું ઝરખની વાત કરું છું. તેને બીજા શબ્દોમાં Bone Collector કહે છે. તે કદી શિકાર નથી કરતું પણ બીજાનો શિકાર છીનવી લે છે અને તેનો સંગ્રહ કરે છે. ઝરખ જ્યાં રહેતું હોય ત્યાં એની બખોલ પાસે હાકડાં ભેગાં કરતું હોય છે. આ પરથી મને યાદ આવે છે કે, દલિતો હાડકા એકઠાં કરતા હતા. તેને બે કે ત્રણ રૂપિયે કિલો વેચતા. જેમાંથી પછી કાંસકા અને બીજી પ્રોડક્ટ બનતી હતી. આ વાત હું ઝરખના માધ્યમથી કરું છું. હું પર્યાવરણના તત્વો પશુ-પંખી-છોડ વગેરેનું દલિતો સાથે શું જોડાણ છે તેની વાત કરીને કવિતા લખું છું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૌતમ વેગડાએ આગળ જણાવ્યું હતું કે, "એલોવેરા હાલ ધનાઢ્ય વર્ગ માટે એક બ્યૂરી પ્રોડક્ટ છે, લોકો તેના શેમ્પૂ કે ફેસવોશનો ઉપયોગ કરે છે. પણ મારા માટે તેનો અનુભવ જુદો છે. નાનો હતો ત્યારે ઘરમાં ખાવા માટે કશું હોય નહીં ત્યારે મારી મા ખેતરેથી મજૂરી કરીને પાછી ફરતી ત્યારે વાડમાં ઉગેલા કુંવારપાઠા અને થોરના ફૂલ વીણી લાવતી અને તેનું શાક બનાવી અમને ખવડાવતી. આવું શાક અમે અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ ખાતા. એટલે એલોવેરા બીજા લોકો માટે બ્યૂટી પ્રોડક્ટ હશે, પણ મારા માટે તો એ જીવન જીવવાનો એકમાત્ર સોર્સ હતો. કથિત સવર્ણ જ્યારે કુંવારપાઠાને જોશે તો તેને તેમાં બ્યૂટી પ્રોડક્ટ દેખાશે પણ મને એવી લાગણી નથી થતી. એટલે દલિતોનું પર્યાવરણ અલગ છે, પર્યાવરણવાદ અલગ છે. તેનું અર્થઘટન અલગ છે. અને આ બધાંનું કારણ માત્ર અને માત્ર જાતિ છે. કારણ કે ભારતમાં કાસ્ટ નક્કી કરે છે કે કોણ કોની જમીન લેશે, આ પાણી કોનું હશે, ઘોડા પર કોણ બેસશે. ઘોડો પર્યાવરણનો એક ભાગ છે છતાં એ પણ જાતિ વ્યવસ્થામાં વણાઈ ગયો છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચીનમાં યોજાનારા યુથ પોએટ્રી ફેસ્ટિવલમાં તેમને કેટલો સમય ફાળવવામાં આવશે તે વિશે તેમની સાથે વાત થઈ શકી નથી. પરંતુ તેઓ પોતાની નવી અને કેટલીક જૂની અને જાણીતી કવિતાઓ રજૂ કરવાના હોવાનું જાણવા મળ્યું છે. જેમાં તેઓ ભારતમાં પ્રવર્તમાન જાતિ વ્યવસ્થા, દલિતોનું થતું શોષણ અને તેમના જીવન તરફ લોકોનું ધ્યાન દોરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/today-poet-gautam-vegda-will-present-anti-caste-poems-at-stanford-university"><strong>આજે કવિ ગૌતમ વેગડા સ્ટેનફોર્ડ યુનિ.માં જાતિ વિરોધી કવિતાઓ રજૂ કરશે</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 18 Jul 2024 11:25:53 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>938</Articleid>
                    <excerpt>ગુજરાતના જાણીતા દલિત કવિ ગૌતમ વેગડા આજથી ચીનમાં શરૂ થવા જઈ રહેલા ઈન્ટરનેશનલ યુથ પોએટ્રી ફેસ્ટિવલમાં ભાગ લેવા જઈ રહ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6698ad9906e18.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6698ad98cb3ce.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6698ad98cb3ce.jpg" length="54368" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>એટ્રોસિટી એક્ટનો મોટાપાયે દુરૂપયોગ થઈ રહ્યો છે: ગુજરાત હાઇકોર્ટ</title>
                    <link>https://khabarantar.com/atrocities-act-being-widely-misused-gujarat-high-court</link>
                    <guid>https://khabarantar.com/atrocities-act-being-widely-misused-gujarat-high-court</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાત હાઈકોર્ટે એક કેસના સંદર્ભમાં એટ્રોસિટી એક્ટનો મોટાપાયે દુરૂપયોગ થઈ રહ્યો હોવાનું જણાવ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત હાઈકોર્ટે એટ્રોસિટી એક્ટનો દુરૂપયોગ થઈ રહ્યો હોવાની વાત કરી છે. કોર્ટે એક વકીલ દ્વારા પડોશી પર લગાવવામાં આવેલી એટ્રોસિટીની કલમોને લઈને આ વાત કરી હતી. આ સાથે જ કોર્ટે વકીલ દ્વારા તેના પડોશીઓ સામે લગાવવામાં આવેલા એટ્રોસિટીના આરોપોને રદબાતલ કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે આ કેસનું અવલોકન એટ્રોસિટી એક્ટની જોગવાઈઓના ‘મોટા દુરુપયોગ’ના ઉદાહરણ તરીકે કરતા તેને ફરિયાદીના હાથમાં એક મજબૂત હથિયાર ગણાવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાઈકોર્ટે એફઆઈઆર રદ કરતા આદેશમાં નોંધતા કહ્યું કે, “ફરિયાદી અનુસૂચિત જાતિના હોવાને કારણે તેના હાથમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, ૧૯૮૯ના રૂપમાં ખૂબ જ શક્તિશાળી શસ્ત્ર છે. એટ્રોસિટી એક્ટની જોગવાઈઓના દુરૂપયોગનો આનાથી સારું ઉદાહરણ બીજું કોઈ હોઈ ન શકે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસસી સમુદાયના વકીલ દ્વારા તેના પડોશીઓ વિરુદ્ધ ઓગસ્ટ ૨૦૧૯માં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. પાડોશીઓ દ્વારા રસ્તા પર પાણી ઢોળવાને લઈને વકીલે વાંધો ઉઠાવ્યો હતો જેને લઈને પડોશીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. વકીલને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો અને જાતિ આધારિત દુર્વ્યવહાર કરાયો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-complete-understanding-of-the-atrocities-act-social-justice-warriors-take-it-easy"><span style="font-size: 14pt;">એટ્રોસિટી એક્ટની સંપૂર્ણ સમજઃ સામાજિક ન્યાયના યોદ્ધાઓ આટલું મોઢે કરી લો</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપી સમીર પટેલ અને તેના પરિવારના સભ્યોએ એફઆઈઆર રદ કરવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જેમાં એવી દલીલ કરવામાં આવી હતી કે એફઆઈઆરમાં જાતિસૂચક બાબતોનો કોઈ સંદર્ભ નથી અને તેની ગેરહાજરીમાં એટ્રોસિટી એક્ટની અરજી કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેસની સુનાવણી કર્યા પછી, જસ્ટિસ ડી એ જોશીએ પૂછ્યું કે શું એટ્રોસિટી એક્ટમાં આ ચોક્કસ ફરિયાદના તથ્યો માટે કોઈ અરજી છે, જેમાં ફરિયાદી વિરુદ્ધ આરોપીએ કઈ જાતિના દુરુપયોગનો ઉપયોગ કર્યો છે તે પણ સ્પષ્ટ કર્યું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરિયાદી અને રાજ્ય સરકારે એફઆઇઆર રદ કરવાની માંગનો વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે સ્થળ પરથી મળેલા સીસીટીવી ફૂટેજ પરથી જાણવા મળ્યું છે કે ત્યાં ઝપાઝપી થઈ હતી. હાઈકોર્ટે એટ્રોસિટી એક્ટ હેઠળના આરોપોને રદ કરીને ફોજદારી ફરિયાદ પર કાર્યવાહી ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/atrocities-act-will-be-applicable-only-in-crimes-committed-in-public-places-allahabad-high-court"><strong>એટ્રોસિટી એક્ટ જાહેર સ્થળે થતા ગુનામાં જ લાગુ થશે અલ્હાબાદ હાઈકોર્ટ</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 17 Jul 2024 20:55:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>936</Articleid>
                    <excerpt>ગુજરાત હાઈકોર્ટે એક કેસના સંદર્ભમાં એટ્રોસિટી એક્ટનો મોટાપાયે દુરૂપયોગ થઈ રહ્યો હોવાનું જણાવ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6697e148a778e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6697e14877121.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6697e14877121.jpg" length="75486" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>જૂની પેન્શન યોજના મુદ્દે 16 મી ઓગસ્ટે ગાંધીનગરમાં શિક્ષકોનું આંદોલન</title>
                    <link>https://khabarantar.com/teachers-agitation-in-gandhinagar-on-16th-august-on-the-issue-of-old-pension-scheme</link>
                    <guid>https://khabarantar.com/teachers-agitation-in-gandhinagar-on-16th-august-on-the-issue-of-old-pension-scheme</guid>
                    <description>
                        <![CDATA[ જૂની પેન્શન યોજનાને ચાલુ કરવાની સરકારની લોલીપોપથી નારાજ શિક્ષકોએ 15મી ઓગસ્ટ બાદ સરકાર સામે મોરચો માંડવાનું નક્કી કર્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજના અંગે અપાયેલી લોલીપોપને લઈને આગામી તા. 16 ઓગસ્ટના દિવસે રાજયભરના શિક્ષકો ગાંધીનગરમાં આંદોલન કરશે તેવો મહત્વનો નિર્ણય આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠકમાં નિર્ણય લેવાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની આજે અમદાવાદ ખાતે એક મહત્વની બેઠક મળી હતી. જેમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે જૂની પેન્શન યોજનાને લઈને રાજ્ય સરકાર દ્વારા અપાયેલી લોલીપોપને લઈને શિક્ષકોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી હતી. જેને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠકમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વર્ષ 2005 અગાઉના ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાને લાગુ કરાવવા માટે આગામી તા. 16 ઓગસ્ટના રોજ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવાની જાહેરાત કરાઇ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બેઠકમાં શૈક્ષિક મહાસંઘ દ્વારા એવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે, જો ઉત્તરપ્રદેશમાં જૂની પેન્શન યોજનાનો લાભ મળતો હોય તો અમને કેમ નહીં? આ મામલે મહાપંચાયતનું આયોજન કરાયા બાદ પણ સરકાર દ્વારા શિક્ષકોના આ મુદ્દાનું નિરાકરણ લવાયું નથી. જેને લઈને આગામી તા. 16 ઓગસ્ટે ગાંધીનગર ખાતે શિક્ષકો દ્વારા વિરોધ પ્રદર્શન અને આંદોલન કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત આ બેઠકમાં એચ-ટાટના નિયમો માટે બનાવાયેલ ડ્રાફ્ટ મુજબ ઠરાવ પસાર થાય તે સહિતના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/i-cant-bear-it-anymore-unakand-activist-kantibhai-walas-heartbreaking-letter-from-jail"><strong>"હવે મારાથી સહન નથી થતું", ઉનાકાંડના આંદોલનકારી કાંતિભાઈ વાળાનો જેલમાંથી હૃદયદ્રાવક પત્ર</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેઠકમાં વર્ષ 2005 પહેલાનાં કર્મચારીઓને ‘જૂની પેન્શન યોજના’માં સમાવેશ કરાય, જૂના શિક્ષકોની ભરતી અને બદલીના લાભ, પ્રસુતિની રજાઓ સળંગ ગણવા, વ્યાયામ શિક્ષકોને ધો. 6 થી 8 માં સમાવેશ કરવા, પ્રાથમિક શાળાઓમાં પણ વ્યાયામ, ચિત્ર, સંગીત અને કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરવા, સી.આર.સી/ બી.આર.સીનું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ વધારવા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઉપરાતં, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને 4200નો ગ્રેડ પે અપાય, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરાય, શિક્ષકોને ફાજલનું રક્ષણ અપાય, ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષકોને બદલીનો લાભ અપાય, માધ્યમિકમાં 300 રજાનું રોકડમાં રૂપાંતરનો પરિપત્ર કરવો, માધ્યમિક શિક્ષકના વર્કલોડમાં સુધારો કરીને શિક્ષકના રેશિયામાં સુધારો કરવો, ઓનલાઈન કામગીરી તથા એકમ કસોટીનું ભારણ ઘટાડવું, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘની બેઠકમાં જૂની પેન્શન યોજના, એચ-ટાટ મુખ્ય શિક્ષકોની બદલીના નિયમોને જાહેર કરવા, ભરતી-બદલીના લાભ, પ્રસૂતિની રજાઓ સળંગ ગણવા, વ્યાયામ શિક્ષકોની ભરતી કરવાસહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરાઇ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બેઠક બાદ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુરુ પૂર્ણિમાના દિવસે એટલે કે, આગામી તા. 21 જુલાઇના રોજ એચ-ટાટ મુખ્ય શિક્ષક ઉમેદવારોને મોટી ભેટ આપવામાં આવશે. જેથી એવું મનાય રહ્યું છે કે, 21 જુલાઇને ગુરુપૂર્ણિમાના દિવસે એચ-ટાટ મુખ્ય શિક્ષકોની બદલીના નિયમોને લઈને મહત્વની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. જો આવું થયું તો એચ-ટાટ મુખ્ય શિક્ષકોના બદલીને લગતા તમામ પ્રશ્નો 12 વર્ષ પછી ઉકેલાય જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/Dr.-Rameshchandra-Parmar:-An-Aggressive-Voice-of-Dalit-Movement-in-Gujarat"><strong>ડો. રમેશચંદ્ર પરમારઃ ગુજરાતમાં દલિત આંદોલનનો એક આક્રમક અવાજ</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 17 Jul 2024 20:33:37 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>935</Articleid>
                    <excerpt>જૂની પેન્શન યોજનાને ચાલુ કરવાની સરકારની લોલીપોપથી નારાજ શિક્ષકોએ 15મી ઓગસ્ટ બાદ સરકાર સામે મોરચો માંડવાનું નક્કી કર્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6697dc7ed149b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6697dc7ea2319.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6697dc7ea2319.jpg" length="43589" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>228 કિલો સોનું ગાયબ થવા મુદ્દે શંકરાચાર્ય અને કેદારનાથ કમિટી સામસામે</title>
                    <link>https://khabarantar.com/shankaracharya-and-kedarnath-committee-face-off-over-the-disappearance-of-228-kg-gold</link>
                    <guid>https://khabarantar.com/shankaracharya-and-kedarnath-committee-face-off-over-the-disappearance-of-228-kg-gold</guid>
                    <description>
                        <![CDATA[ ઉત્તરાખંડના કેદારનાથ ધામમાંથી 228 કિલો સોનું ગાયબ થવા મામલે હવે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને કેદારનાથ સમિતિ સામસામે આવી ગયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં જ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ઉત્તરાખંડના યાત્રાધામ કેદારનાથમાંથી 228 કિલો સોનું ગાયબ થયું હોવાનો સનસનીખેજ દાવો કર્યો હતો. તેમણે મીડિયાને પણ મામલે સવાલો ઉઠાવવા કહ્યું હતું. તેમના દાવાએ સૌ કોઈને ચોંકાવી દીધા હતા. ત્યારે હવે આ મામલે કેદારનાથ ધામ કમિટી અને શંકરાચાર્ય સામસામે આવી ગયા છે. કેદારનાથ કમિટીએ શંકરાચાર્યને મીડિયામાં ચમકવાની ટેવ હોવાનું જણાવ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજયેન્દ્ર અજયે શંકરાચાર્ય મુદ્દે કહ્યું છે કે 'સ્વામી અવિમુક્તેશ્વરાનંદને દરરોજ પ્રેસ કોન્ફરન્સ કરવાની અને આક્ષેપો કરવાની ટેવ છે. તેમને સમાચારમાં રહેવાની આદત પડી ગઈ છે.  જો તેમની પાસે કોઈ તથ્ય નથી તો કેદારનાથ ધામનું નામ કલંકિત કરવાની કોઈને મંજૂરી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અજયેન્દ્રએ વધુમાં કહ્યું હતું કે, હું સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીનું સન્માન કરું છું પરંતુ તેઓ સવારથી સાંજ સુધી પ્રેસ કોન્ફરન્સ કરે છે. આટલી પ્રેસ તો કોઈ નેતા પણ નહીં કરતો હોય. સમાચારોમાં રહેવું અને મીડિયાની હેડલાઇન્સ બનવું તેમની આદત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <span style="font-size: 14pt;"> <a href="https://khabarantar.com/chardham-yatra-and-threat-of-death-and-guaranteed-robbery">ચારધામ યાત્રા અને મોતનો ખતરો અને લૂંટની ખાતરી</a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હું તેમને વિનંતી કરું છું કે તેમણે કેદારનાથમાંથી સોનું ચોરાયાના જે આરોપો લગાવ્યા છે તેને લગતા તથ્યો સામે લાવે. એ પછી તેમણે ઓથોરિટીનો સંપર્ક કરવો જોઈએ અને તપાસની માંગ કરવી જોઈએ. જો તેમને કોઈ ઓથોરિટી પર વિશ્વાસ ન હોય તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય છે. બાકી તેમની પાસે જો કોઈ તથ્ય નથી તો તેમને કેદારનાથ ધામનું નામ કલંકિત કરવાની મંજૂરી નથી.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંદિરમાં 228 કિલો સોનું ગાયબ થવાના આરોપો મુદ્દે મંદિર સમિતિએ કહ્યું હતું કે, કેદારનાથમાં ગર્ભગૃહને સોનાની પરત લગાવવામાં આવી છે તેની સાથે અમારે કોઈ લેવાદેવા નથી. આ કાર્ય મુંબઈના એક દાતા દ્વારા કરવામાં આવ્યું છે. તેને મંદિર સમિતિ અને સરકાર સાથે કોઈ સંબંધ નથી. તેમણે મુંબઈના સિદ્ધિ વિનાયક, કાશી વિશ્વનાથ મંદિર સહિત અનેક મંદિરોમાં આવું કામ કર્યું છે. આવા આક્ષેપોથી દેશના દાતાઓની શ્રદ્ધાને પણ ઠેસ પહોંચે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અજયેન્દ્રએ પણ સોનું ગુમ થવાની અફવા અંગે વિગતવાર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, હું આપને જણાવવા માંગીશ કે, કેદારનાથ ધામમાં જે સોનું છે તે ૨૩ કિલો જેટલું છે. અગાઉ મંદિરમાં ૨૩૦ કિલો ચાંદીની પ્લેટો હતી. જેના પરથી અમુક લોકોએ ૨૩૦ કિલો ચાંદીની જગ્યાએ એટલું જ સોનું આવ્યું હશે અને મંદિરમાં ઓછું લગાવવામાં આવ્યું હશે તેવું અનુમાન લગાવ્યું છે. આના કારણે જ મૂંઝવણ સર્જાઈ હતી. સોનાની પરત ચડાવવા માટે ૧૦૦૦ કિલો તાંબુ લગાવવામાં આવ્યું છે અને તેની ઉપર ૨૩ કિલો સોનાની પરત ચડાવવામાં આવી છે. સુવર્ણ મંદિર સહિત ઘણી જગ્યાએ આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. શંકરાચાર્ય તરફથી આવા જ નિવેદનો આવતા રહ્યા છે. તેમણે કોંગ્રેસનો એજન્ડાથી દૂર રહેવું જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/speak-up-228-kg-gold-went-missing-from-kedarnath-temple"><strong>બોલો લો! કેદારનાથ મંદિરમાંથી 228 કિલોગ્રામ સોનું ગુમ થયું</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 17 Jul 2024 19:56:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>934</Articleid>
                    <excerpt>ઉત્તરાખંડના કેદારનાથ ધામમાંથી 228 કિલો સોનું ગાયબ થવા મામલે હવે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને કેદારનાથ સમિતિ સામસામે આવી ગયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6697d401b0303.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6697d4017ec95.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6697d4017ec95.jpg" length="70419" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>કર્ણાટકમાં ખાનગી નોકરીઓમાં સ્થાનિકોને 100 ટકા અનામત અપાશે</title>
                    <link>https://khabarantar.com/100-percent-reservation-for-locals-in-private-jobs-in-karnataka</link>
                    <guid>https://khabarantar.com/100-percent-reservation-for-locals-in-private-jobs-in-karnataka</guid>
                    <description>
                        <![CDATA[ કર્ણાટક સરકારે ખાનગી કંપનીઓમાં અમુક નોકરીઓ માટે કર્ણાટકના રહેવાસીઓ માટે સો ટકા અનામતની જાહેરાત કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કર્ણાટકમાં કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકારે પણ મહારાષ્ટ્રની જેમ સ્થાનિક તુષ્ટિકરણનું રાજકારણ શરૂ કર્યું હોય તેવું એક બિલ પાસ કર્યું છે. મળતી માહિતી પ્રમાણે કર્ણાટકની કેબિનેટે રાજ્યની ખાનગી કંપનીઓમાં ગ્રુપ સી અને ડી પોસ્ટ માટે કર્ણાટકના રહેવાસીઓ માટે ૧૦૦ ટકા અનામત આપતા બિલને મંજૂરી આપી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ જાણકારી આપતા કહ્યું હતું કે, કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યના તમામ ખાનગી ઉદ્યોગોમાં 'સી' અને 'ડી' શ્રેણીની નોકરીઓમાં કન્નડીગા (કન્નડ ભાષી) લોકોની ૧૦૦ ટકા ભરતીને ફરજિયાત બનાવવામાં આવશે તેવી જોગવાઈના બિલને મંજૂરી આપવામાં આવી છે. કાયદા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આ બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, આ બિલની એક કોપી ફરતી થઈ છે, જે મુજબ કોઈપણ ઉદ્યોગ, ફેક્ટરીમાં ૫૦ ટકા સ્થાનિક ઉમેદવારોને મેનેજમેન્ટ કેટેગરીમાં અને ૭૦ ટકા નોન-મેનેજમેન્ટ કેટેગરીમાં નિયુક્ત કરવામાં આવશે. આ ઉપરાંત, જો ઉમેદવારો પાસે કન્નડ ભાષા સાથે માધ્યમિક શાળાનું પ્રમાણપત્ર નથી, તો તેમણે નોડલ એજન્સી દ્વારા નિયત કરવામાં આવેલી પરીક્ષા પાસ કરવી પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/the-day-the-children-of-upper-castes-get-married-to-dalits-stop-reservation"> <span style="font-size: 14pt;">જે દિવસે સવર્ણોના સંતાનોના લગ્ન દલિતોમાં થાય, અનામત બંધ કરી દેજો</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બિલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો સ્થાનિક લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપલબ્ધ ન હોય તો તાલીમ આપવાનું કામ સંસ્થાઓએ સરકાર અથવા સંલગ્ન એજન્સીઓની મદદથી ત્રણ વર્ષમાં કરવું પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિલમાં એમ પણ કહેવાયું છે કે, જો સ્થાનિક ઉમેદવારોની પૂરતી સંખ્યા ન હોય, તો સંસ્થાઓએ આ કાયદામાંથી મુક્તિ માટે અરજી કરવી પડશે. તમામ ઉદ્યોગો, કારખાનાઓ અથવા અન્ય સંસ્થાઓએ આ કાયદાનું પાલન કરવાનું રહેશે. અહીં એ યાદ રાખવું રહ્યું કે, ગયા વર્ષે જ કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર સત્તામાં આવી હતી. એ પછી તેણે અનેક મોરચે સ્થાનિકોને મહત્વ આપવાનું શરૂ કરીને મહારાષ્ટ્રના મરાઠી ફર્સ્ટની તર્જ પર કન્નડીગાનું રાજકારણ શરૂ કર્યું છે. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે નોકરીમાં અનામતને લઈને નિર્ણય લેવામાં આવી રહ્યો હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/UGC-Education-Ministry-forced-to-clarify-after-uproar-over-conspiracy-to-abolish-reservation-in-higher-education-institutions"><strong>ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનામત ખતમ કરવાનું ષડયંત્ર નિષ્ફળ, હોબાળા બાદ UGC-શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 17 Jul 2024 19:37:37 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 17 Jul 2024 19:37:08 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>933</Articleid>
                    <excerpt>કર્ણાટક સરકારે ખાનગી કંપનીઓમાં અમુક નોકરીઓ માટે કર્ણાટકના રહેવાસીઓ માટે સો ટકા અનામતની જાહેરાત કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6697d004a0e17.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6697d0047213b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6697d0047213b.jpg" length="62675" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>અયોધ્યામાં રામના નામે જમીન કૌભાંડનો નવો અધ્યાય...</title>
                    <link>https://khabarantar.com/a-new-chapter-in-the-land-scam-in-the-name-of-ram-in-ayodhya</link>
                    <guid>https://khabarantar.com/a-new-chapter-in-the-land-scam-in-the-name-of-ram-in-ayodhya</guid>
                    <description>
                        <![CDATA[ અયોધ્યા લોકસભાની ચૂંટણીમાં ભાજપની હાર માટે અને હવે અહીં નેતાઓ, બિલ્ડરો, અધિકારીઓ દ્વારા રામના નામે જમીન પડાવી લેવાને લઈને ચર્ચામાં છે. વાંચો આ રિપોર્ટ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આજકાલ ભગવાન રામ કરતા પણ વધુ ચર્ચા અહીંના જમીન કૌભાંડની થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ પણ પુષ્ટિ કરી રહ્યા છે કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ અયોધ્યા અને આસપાસના વિસ્તારોમાં જમીનની કિંમતો ઝડપથી વધી છે. તેનો લાભ લેવા માટે નેતાઓ, બિલ્ડરો, આઈએએસ, આઈપીએસ સહિતની ઉચ્ચ લોબીએ અહીં સસ્તા ભાવે જમીન ખરીદી હતી અને પછી કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. આરોપ છે કે અયોધ્યામાં જમીનની ખરીદી અને વેચાણમાં મોટા પાયે ગેરરીતિઓ થઈ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ કૌભાંડમાં ઘણા મોટા નેતાઓ, બિલ્ડરો, ડેવલપર્સ, ભૂમાફિયાઓ અને અધિકારીઓ પણ સામેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અયોધ્યામાં જમીનના ખરીદ-વેચાણમાં કૌભાંડના આરોપો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. લાંબા સમયથી આ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હાલમાં આ મામલે રાજકારણ તેજ બન્યું છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે અયોધ્યામાં સ્થાનિક લોકોને તેમની જમીનની વાજબી કિંમત મળી નથી જ્યારે બહારના લોકો એ જ જમીનમાંથી કરોડો રૂપિયાનો નફો કમાઈ રહ્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું છે કે ભાજપના શાસન દરમિયાન જમીનની ખરીદી અને વેચાણમાં મોટા પાયે કૌભાંડો થયા છે. તેમનું કહેવું છે કે અયોધ્યામાં બહારના લોકોએ આવીને જમીન ખરીદી છે, સ્થાનિક લોકોને તેનો બિલકુલ ફાયદો નથી થયો. આ જમીનો માત્ર અયોધ્યામાં જ નહીં, પરંતુ ગોંડા, બસ્તી અને અન્ય નજીકના જિલ્લાઓમાં પણ ખરીદવામાં આવી છે. સ્થિતિ એવી છે કે અયોધ્યામાંથી પસાર થતા હાઈવેની બંને બાજુના વીસ-ત્રીસ કિલોમીટરની અંદરના કોઈપણ ગામમાં હવે ભાગ્યે જ કોઈ કોમર્શિયલ પ્લોટ ઉપલબ્ધ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી માત્ર ભક્તોની જ અવરજવર નથી વધી, પરંતુ વેપારના નવા રસ્તા પણ ખુલ્યા છે. દરમિયાન, સરકારે ધાર્મિક પર્યટનના દૃષ્ટિકોણથી અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારોના વિકાસની જાહેરાત કરી હતી. ખાનગી વસાહતો બનાવનારાઓ ઉપરાંત, યુપી હાઉસિંગ ડેવલપમેન્ટ કાઉન્સિલ અહીં 1800 એકરમાં એક ટાઉનશિપ પણ બનાવી રહી છે. આ બધાં કારણોને લીધે અયોધ્યા મોટા ઉદ્યોગપતિઓ અને ધંધાદારીઓ ઉપરાંત ભૂમાફિયાઓ અને દલાલોની નજરમાં આવી ગયું. હોટલો, રહેણાંક પ્રોજેક્ટ્સ અને વ્યાપારી સંસ્થાઓ માટે માંગમાં વધારો થતાં જમીનના ભાવ આસમાને પહોંચ્યા. આનો લાભ લઈને ઘણાં ભૂમાફિયાઓ અને બહારના લોકોએ સસ્તા ભાવે જમીનો ખરીદીને જંગી નફો મેળવવાનો પ્રયાસ કર્યો અને તેમાં સફળતા પણ મળી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં જ ઇન્ડિયન એક્સપ્રેસે આ મામલે એક મજબૂત રિપોર્ટિંગ સ્ટોરી કરી હતી. એ મુજબ અયોધ્યામાં જમીન કૌભાંડનો મામલો ખૂબ જ ગંભીર છે અને તેમાં ઘણા મોટા લોકો અને ગ્રુપ સામેલ છે. રિપોર્ટ મુજબ, અરુણાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી, યુપી એસટીએફના વડા અમિતાભ યશ, યુપીના ગૃહ વિભાગના સચિવ સંજીવ ગુપ્તા અને પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના સાંસદ પુત્ર કરણ ભૂષણ સહિત ઘણાં મોટા નેતાઓ અયોધ્યામાં જમીન ખરીદીને નફો રળનારાઓમાં સામેલ છે. આ સિવાય ઈન્ડિયન એક્સપ્રેસે ઘણા મોટા બિલ્ડરો અને ખાનગી કોલોનીઓનું નિર્માણ કરનારાઓ પર પણ આરોપો લગાવ્યા છે. અખબારના જણાવ્યા અનુસાર, આ મામલાની નિષ્પક્ષ તપાસ ખૂબ જ જરૂરી છે જેથી ભવિષ્યમાં આવા કૌભાંડો ફરી ન થાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/if-ayodhya-is-far-away-the-bjp-could-not-win-in-the-surrounding-100-km-area"><span style="font-size: 14pt;">અયોધ્યા તો દૂર, આસપાસના 100 કિમી વિસ્તારમાં ભાજપ જીતી ન શકી!</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિપક્ષી નેતાઓનું કહેવું છે કે ગરીબો અને ખેડૂતો પાસેથી ઓછા ભાવે જમીન ખરીદી લેવી એ એક પ્રકારની ભૂમાફિયાગીરી છે. જે જમીનમાંથી ગરીબો, ખેડૂતોને ફાયદો મળવો જોઈતો હતો તે જમીન રાજકારણીઓ, અધિકારીઓ, વચેટિયાઓ અને જમીન માફિયાઓએ પચાવી પાડી હતી. રામ મંદિરનું નિર્માણ થયું ત્યારથી જ અયોધ્યામાં જમીન ખરીદવાની હોડ લાગતી રહી છે. દરેક પૈસાદાર પરિવારથી લઈને દરેક મોટા નેતા અને અધિકારીઓ અહીં જમીન ખરીદવામાં વ્યસ્ત છે. વિપક્ષનો આરોપ છે કે તેનાથી સ્થાનિક લોકોને એક પૈસા જેટલો પણ ફાયદો થયો નથી. ઉલટું, તેમને પોતાની મહામૂલી જમીનો નીચા ભાવે વેચવાની ફરજ પડી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અલ્હાબાદ હાઈકોર્ટના વકીલ અજય મિશ્રાના જણાવ્યા અનુસાર, કૌભાંડના આરોપો એમ જ નથી લગાવવામાં આવી રહ્યાં. અયોધ્યા સહિત આસપાસના ઘણાં જિલ્લાઓમાં છેલ્લા સાત વર્ષથી જમીનના સરકારી ભાવમાં વધારો થયો નથી. આ અંગે અયોધ્યાના કેટલાક લોકોએ હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી, પરંતુ હજુ સુધી આ મામલે કંઈ થયું નથી. દેખીતી રીતે, જમીનના સરકારી ભાવ અને માર્કેટ રેટ વચ્ચે અનેક ગણો તફાવત છે. આવી સ્થિતિમાં કોણ કહી શકશે કે કોણે કેટલી કિંમતમાં જમીન ખરીદી અને કેટલામાં વેચી? હવે જો સરકારી ભાવ નહીં વધારવામાં આવે તો તેની અસર માત્ર જમીનની કિંમત જ નહીં પરંતુ તેના માટે મળતા સરકારી વળતર પર પણ પડશે. જમીન સંપાદન દરમિયાન ઉત્તર પ્રદેશમાં ગ્રામીણ વિસ્તારોમાં સરકારી ભાવનું ચારગણું વળતર મળે છે. શહેરી વિસ્તારોમાં વળતરનો દર સરકારી ભાવ કરતા બમણો છે. આવી સ્થિતિમાં સ્થાનિક રહીશોને નુકસાન થવું સ્વાભાવિક છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અયોધ્યામાં જમીન કૌભાંડના આરોપો નવા નથી. અગાઉ મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકો પર સ્થાનિક લોકો પાસેથી સસ્તામાં જમીન ખરીદીને મંદિર ટ્રસ્ટને અનેક ગણી ઊંચી કિંમતે વેચવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ સુલતાન અંસારી નામના પ્રોપર્ટી ડીલરનું નામ પણ સામે આવ્યું હતું, જેના દ્વારા આ પ્રકારની ગેમ રમવામાં આવતી હતી. વિપક્ષોએ ત્યારે આ મામલે તપાસની માંગ કરી હતી પરંતુ કંઈ ખાસ થયું નહીં અને સમય જતાં મામલો દબાઈ ગયો હતો. આ સિવાય અહીં ગરીબોની જમીનો પર ગેરકાયદે કબજો જમાવાયાના પણ આક્ષેપો થયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અયોધ્યાના એક સ્થાનિક કહે છે, "લોકો તેમની જમીનના કાગળો લઈને એક ઓફિસથી બીજી ઓફિસ ભટકી રહ્યા છે, પરંતુ તેમની વાત સાંભળવામાં આવતી નથી. તમામ જમીન ભૂ માફિયાઓના કબજામાં છે. ગેરકાયદેસર કબ્જો જમાવનારા જમીન વેચે છે. વેચાણના ખતની વાત આવે ત્યારે મૂળ જમીન માલિકને અમુક રકમ ચૂકવીને મામલો થાળે પડે છે. એકંદરે જીસ કી લાઠી ઉસકી ભેંસ જેવો છે. આખો બિઝનેસ રાજકારણીઓ, અધિકારીઓ અને મોટા લોકોની મિલીભગતથી ચાલી રહ્યો છે. ગરીબોનું ક્યાંય કોઈ સાંભળતું નથી. નકલી દસ્તાવેજો બનાવીને પણ ઘણી જમીન વેચવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અન્ય એક સ્થાનિકનું કહેવું છે કે, રામ મંદિરના નિર્માણ બાદ તમામ ધંધામાં બહારના લોકોની દખલગીરી વધી ગઈ છે. જો અયોધ્યામાં યોગ્ય તપાસ કરવામાં આવે તો લખનૌ, ગોરખપુર, દિલ્હી અને ગુજરાત સુધીના લોકો બાંધકામ, કોન્ટ્રાક્ટ, કોલોની બનાવવા, જમીન ખરીદવા, હોટલ બનાવવા, રસ્તા બનાવવા અને અન્ય ધંધામાં ઘૂસી આવ્યા છે. સ્થાનિક લોકો પાસે તેમની સાથે સ્પર્ધા કરવા માટે પૂરતા પૈસા પણ નથી. સ્થિતિ એવી છે કે એક પછી એક ટ્રસ્ટ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સરકારી કોન્ટ્રાક્ટ પણ “બહારના લોકો” પાસે જઈ રહ્યા છે. આ કહેવાતા વિકાસનો કોઈ લાભ સ્થાનિક લોકોને મળી રહ્યો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/bulldozer-a-major-factor-in-bjps-defeat-in-ayodhya"><strong>બુલડોઝરઃ અયોધ્યામાં ભાજપની હારનું એક મોટું ફેક્ટર</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 17 Jul 2024 17:39:48 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>932</Articleid>
                    <excerpt>અયોધ્યા લોકસભાની ચૂંટણીમાં ભાજપની હાર માટે અને હવે અહીં નેતાઓ, બિલ્ડરો, અધિકારીઓ દ્વારા રામના નામે જમીન પડાવી લેવાને લઈને ચર્ચામાં છે. વાંચો આ રિપોર્ટ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6697b3e16c2ec.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6697b3e1368cb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6697b3e1368cb.jpg" length="80143" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભારે વિરોધનાં પગલે સરકારે GMERS મેડિકલ કોલેજોની ફીમાં ઘટાડો કર્યો</title>
                    <link>https://khabarantar.com/the-government-reduced-the-fees-of-gmers-medical-colleges-following-huge-protests</link>
                    <guid>https://khabarantar.com/the-government-reduced-the-fees-of-gmers-medical-colleges-following-huge-protests</guid>
                    <description>
                        <![CDATA[ જીએમઇઆરએસ મેડિકલ કોલેજોના ફી વધારા મુદ્દે સરકારે પીછેહટ કરવી પડી છે. સરકારી ક્વોટામાં રૂ.૩.૭૫ લાખ અને મેનેજમેન્ટ ક્વોટામાં રૂ. ૧૨ લાખ ફી રહેશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા જીએમઇઆરએસ મેડિકલ કોલેજોની ફીમાં ધરખમ વધારો કરાયો હતો. આ ફી વધારાને લઈને સમગ્ર રાજયમાં ભારે હોબાળો મચી ગયો હતો અને સરકાર સામે ભારે રોષ અને નારાજગી પ્રસરી હતી. આ ફી વધારાને લઈને સમગ્ર રાજયમાં ઠેર ઠેર વિરોધ થવા પામ્યા હતા. આ વિરોધને જોતાં રાજ્ય સરકારે ફી વધારા મામલે પીછેહટ કરવાની ફરજ પડી છે. જેના કારણે સરકારી ક્વોટામાં રૂ. 1.85 લાખનો અને મેનેજમેન્ટ ક્વોટામાં રૂ. 5 લાખનો ઘટાડો કરવાની ફરજ પડી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સરકાર દ્વારા તેમના હસ્તકની ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (જીએમઇઆરએસ) હેઠળની ગુજરાતની 13 મેડિકલ કોલેજોની ફીમાં 80 ટકા જેવો ધરખમ વધારો કરવામાં આવ્યો હતો. જેના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સરકારી ક્વોટાની બેઠક (સીટ)ની ફી રૂ. 3.30 લાખ હતી, તેમાં વધારો કરીને રૂ. 5.50 લાખ કરી હતી. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની બેઠક માટેની ફી રૂ. 9.75 લાખ હતી, તેમાં વધારો કરીને રૂ. 17 લાખ કરવામાં આવી હતી. જ્યારે એનઆરઆઇ ક્વોટા માટેની ફી 22,000 ડોલર હતી જેમાં વધારો કરીને 25,000 ડોલર કરવામાં આવી હતી. આ ફી વધારો આ શૈક્ષણિક સત્રથી જ લાગુ થશે તેવો પરિપત્ર પણ કરવામાં આવ્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/take-the-26th-pledge-on-this-14th-april"><span style="font-size: 14pt;">આ ચૌદમી એપ્રિલે 26મી પ્રતિજ્ઞા એવી લેજો...</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા જીએમઇઆરએસ સંચાલિત 13 મેડિકલ કોલેજોમાં કરાયેલા 80 ટકા જેવા ધરખમ વધારાને લઈને સમગ્ર રાજયમાં ઘેરા પડઘા પડ્યા હતા. રાજયમાં ઠેર ઠેર વિરોધ શરૂ થઈ ગયો હતો. જેમાં વિપક્ષ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી-'આપ' ઉપરાંત સત્તાપક્ષ ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા પણ આ ફી વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જીએમઇઆરએસ સંચાલિત મેડિકલ કોલેજોમાં કરાયેલા ફી વધારાની સામે રાજયભરમાં ઉઠેલા વિરોધના પગલે રાજ્ય સરકારને આ મામલે ફેરવિચારણા કરવાની ફરજ પડી હતી. જેના અંતર્ગત આજે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં જીએમઇઆરએસ સંચાલિત મેડિકલ કોલેજોમાં કરાયેલા ફી વધારામાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો હતો. આ અંગેની જાહેરાત રાજ્ય સરકારના પ્રવકતા અને તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકારના પ્રવકતા અને રાજ્યના તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની જીએમઇઆરએસ સંચાલિત ૧૩ મેડિકલ કોલેજની ૨૧૦૦ બેઠકોમાં તાજેતરમાં કરાયેલા ફી વધારામાં ફેર વિચારણા બાદ આ ફીના ધોરણમાં ઘટાડો કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા કરાયેલા નિર્ણય અનુસાર રાજ્યની જીએમઇઆરએસ સંચાલિત 13 મેડિકલ કોલેજોમાં સરકારી ક્વોટામાં પ્રવર્તમાન ફી રૂ.૫.૫૦ લાખમાંથી ઘટાડો કરીને રુ.૩.૭૫ લાખ એટલે કે અંદાજીત ૮૦ટકા અને મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ.૧૭ લાખમાંથી ઘટાડો કરીને રૂ. ૧૨ લાખ એટલે કે અંદાજીત ૬૨.૫ %નો ઘટાડો કરવામાં આવ્યો  છે, તેમજ પ્રવર્તમાન ફીનું માળખું મેડિકલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ થી જ લાગુ પડશે તેમ પણ સરકારના પ્રવકતા અને તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/students-who-cancel-their-admission-within-one-month-will-get-hundred-percent-fee-refund"><strong>એક મહિનામાં પ્રવેશ રદ કરાવી લેનાર વિદ્યાર્થીઓને 100 ટકા ફી રિફંડ મળશે</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 16 Jul 2024 20:35:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>928</Articleid>
                    <excerpt>જીએમઇઆરએસ મેડિકલ કોલેજોના ફી વધારા મુદ્દે સરકારે પીછેહટ કરવી પડી છે. સરકારી ક્વોટામાં રૂ.૩.૭૫ લાખ અને મેનેજમેન્ટ ક્વોટામાં રૂ. ૧૨ લાખ ફી રહેશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66968b6163b6b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66968b6133f05.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66968b6133f05.jpg" length="72308" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બે મહિનામાં ચોથીવાર સિંગ તેલના ભાવમાં વધારો, 40 રૂ. વધ્યાં</title>
                    <link>https://khabarantar.com/sing-oil-prices-rise-for-the-fourth-time-in-two-months-by-rs-40-increased</link>
                    <guid>https://khabarantar.com/sing-oil-prices-rise-for-the-fourth-time-in-two-months-by-rs-40-increased</guid>
                    <description>
                        <![CDATA[ સૌરાષ્ટ્રના તેલિયા રાજાઓની લોબીની એકહથ્થુ પકડને કારણે સિંગતેલના ભાવમાં છેલ્લાં બે મહિનામાં ચોથીવાર વધારો ઝીંકવામાં આવ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સહિત દેશભરમાં અષાઢ મહિનાથી તહેવારોની શરૂઆત થતી હોય છે અને એ સાથે જ નફાખોર વેપારીઓ દ્વારા યેનકેન પ્રકારે ખાદ્યચીજોના ભાવમાં વધારો ઝીંકવામાં આવતો હોય છે. એક સમયે એક હજારથી 1300 રૂપિયામાં મળતો સિંગતેલનો ડબ્બો આજે રૂ. 2700થી 3000 સુધીમાં વેચાવા માંડ્યું છે.દર વર્ષે તહેવારો ટાંણે જ ખાદ્ય તેલોમાં વધારો ઝીંકવામા આવ્યો છે. એક તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે,  ત્યાં બીજી તરફ તેલના ભાવ લોકોને રડાવી રહ્યાં છે. બે મહિનામાં ચોથીવાર સિંગતેલના ભાવમાં વધારો ઝીકવામાં આવ્યો છે. આ વખતે સીધો ૪૦ રૂપિયાનો વધારો કરાયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટમાં આજે ખુલતા બજારે સીંગતેલના ભાવમાં વધારો કરાયો છે. છેલ્લા બે દિવસમાં સિંગતેલમાં ડબ્બે ૪૦ રૂપિયાનો વધારો થયો છે. બીજી તરફ કપાસિયા તેલ થોડું સસ્તુ થયું છે. કપાસિયા તેલમાં છેલ્લા બે દિવસમાં ૨૦ રૂપિયાનો ઘટાડો થયો છે. સીંગતેલના ૧૫ કિગ્રાના નવા ડબ્બાનો ભાવ ૨૬૧૦-૨૬૬૦ રૂપિયા, કપાસિયા નવા ટીનના ૧૫ કિગ્રા તેલનો ભાવ ૧૭૧૦-૧૭૪૦ થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીંગતેલમાં સતત તેજીનો માહોલ જોવા મળ્યો છે. અષાઢી બીજ અને સાતમ આઠમના તહેવારમાં ખાદ્યતેલ મોંઘુ થયું છે. ઓફ સીઝન હોવા છતા ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. ત્યારે હવે છેક દિવાળી સુધી સિંગતેલ મોંઘુ થતું જશે. છેલ્લાં બે મહિનમાં ક્યારે કેટલો વધારો થયો છે જેના પર નજર કરીએ તો ૧૬ જુલાઈએ - ૪૦ રૂપિયાનો વધારો, ૪ જુલાઈ - ૭૦ રૂપિયાનો વધારો, ૨૯ જૂને - ૩૦ રૂપિયાનો વધારો, ૫ મે- ૧૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Unemployment-rate-rises-to-two-year-high-of-10.09-percent-in-October---report"><span style="font-size: 14pt;">ઓક્ટોબરમાં બેરોજગારી દર વધીને બે વર્ષની સર્વોત્તમ સપાટી 10.09 ટકાએ પહોંચ્યો - રિપોર્ટ</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ, શાકભાજીનાં વધતા ભાવથી ગૃહિણીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. મોટાભાગની શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. નક્કી કરેલા બજેટથી શાકભાજીના ભાવ વધુ થયા છે. ડુંગળી ૫૦ રૂપિયા કિલો, બટેકા ૪૦ રૂપિયા કિલો થયા છે. લસણ ૪૦૦-૫૦૦ રૂપિયા, તો આદું ૧૬૦-૧૮૦ રૂપિયા કિલો પર પહોંચ્યું છે. વટાણા ૨૦૦ રૂપિયા અને ચોળી ૧૮૦-૨૦૦ રૂપિયા કિલો થયું છે. ભીંડા ૧૬૦-૨૦૦ રૂપિયા કિલો અને ફ્લાવર ૧૬૦-૧૮૦ રૂપિયા કિલો પહોંચી ગયા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખાદ્ય ચીજવસ્તુઓ, ખાસ કરીને શાકભાજી અને ઉત્પાદિત વસ્તુઓના ભાવમાં વધારાને કારણે દેશમાં જથ્થાબંધ ફુગાવો જૂનમાં સતત ચોથા મહિને વધીને ૩.૩૬ ટકા થયો હતો. મે મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો ૨.૬૧ ટકા હતો. જૂન ૨૦૨૩માં તે (-) ૪.૧૮ ટકા હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જૂન ૨૦૨૪ માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ચીજો, ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ખનિજ તેલ, અન્ય ઉત્પાદન વગેરેના ભાવમાં વધારો થવાને કારણે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/Inflation-hits-15-month-high-doubles-in-may"><strong> મોંઘવારીએ ૧૫ મહિનાનો રેકોર્ડ તોડ્યો, મે મહિનામાં બમણો માર</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 16 Jul 2024 19:17:15 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>927</Articleid>
                    <excerpt>સૌરાષ્ટ્રના તેલિયા રાજાઓની લોબીની એકહથ્થુ પકડને કારણે સિંગતેલના ભાવમાં છેલ્લાં બે મહિનામાં ચોથીવાર વધારો ઝીંકવામાં આવ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6696785c62ef1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6696785c34bda.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6696785c34bda.jpg" length="70948" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>પંઢરપુર દર્શને જતી બસનો અકસ્માત: 5નાં મોત, 42 લોકો ઘાયલ</title>
                    <link>https://khabarantar.com/pandharpur-darshan-bound-bus-accident-5-killed-42-injured</link>
                    <guid>https://khabarantar.com/pandharpur-darshan-bound-bus-accident-5-killed-42-injured</guid>
                    <description>
                        <![CDATA[ મુંબઈ એક્સપ્રેસ વે પર પંઢરપુર દર્શને જતી એક બસનો અકસ્માત થયો હતો, જેમાં 5 લોકોના મોત થયા છે અને 42 લોકો ઘાયલ થયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં ઈશ્વરી શક્તિમાં આસ્થા રાખીને દર્શન કરવા માટે ધાર્મિક યાત્રાઓએ જતા લોકોના અકસ્માતમાં મોત થવાનો આંકડો મોટો છે. દર વર્ષે આ રીતે યાત્રાધામના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓના રોડ અકસ્માતમાં મોત થઈ જાય છે. આવો જ અકસ્માત ગઈકાલે રાત્રે બન્યો હતો. જેમાં પંઢરપુરના વિઠ્ઠલરાયના દર્શન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓ ભરેલી એક બસને અકસ્માત નડતા પાંચ લોકોના મોત થઈ ગયા હતા. મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ટ્રેક્ટર સાથે ટકરાઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નવી મુંબઇ ડીસીપી વિવેક પાનસરેના જણાવ્યા પ્રમાણે, સોમવારે મોડી રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ મુંબઇ-પૂણે એક્સપ્રેસ હાઇવે પર એક ખાનગી બસમાં મુસાફરી કરેલા ૫૪ લોકો અષાઢી એકાદશી હોવાથી પંઢરપુર વિઠ્ઠલરાયના દર્શને જઈ રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/swami-brainwashed-the-teenager-now-he-wants-to-become-a-monk"><span style="font-size: 14pt;">સ્વામીએ કિશોરનું બ્રેઈનવોશ કર્યું, હવે તેને સાધુ બની જવું છે?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> શ્રદ્ધાળુઓથી ભરેલી બસ એક ટ્રેક્ટર સાથે ટકરાયા બાદ ખીણમાં પડી ગઇ હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત ૪૨ લોકોને સારવાર માટે એમજીએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, </span><span style="font-size: 14pt;">જ્યારે અન્ય ત્રણ લોકોને સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ અકસ્માતમાં અત્યાર સુધી ૫ લોકોના મોત થયા છે અને અન્ય લોકોની સારવાર ચાલી રહી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રોડ અકસ્માત વિશે જાણકારી અપાતાં પહેલાં નવી મુંબઇ પોલીસી ડીસીપી પંકજ દહાણેએ જણાવ્યું હતું, મુંબઇ એક્સપ્રેસ હાઇવે નજીક એક બસ ટ્રેકટર સાથે અથડાઇ જતાં ખીણમાં ખાબકી ગઇ હતી. જેમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે ઘણાં લોકોને ઇજા પહોંચી છે પરંતુ મૃતકોની સંખ્યા વધી ગઇ છે. તમામ ઇજાગ્રસ્તોને નજીકના એમજીએમ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ ભરેલી બસ ડોંબિવલીના કેસર ગામથી પંઢરપુર જઇ રહી હતી ત્યારે અકસ્માત નડ્યો હતો અને ખીણમાં ખાબકી હતી. જેને પછીથી ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. મુંબઇ એક્સપ્રેસ હાઇવેની મુંબઇ-લોનાવાલા લેન પર ૩ કલાક બાદ ફરીથી વાહનોની અવર-જવર ફરીથી શરૂ થઇ ગઇ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/sevan-people-died-in-a-terrible-accident-of-a-bus-going-to-vaishnodevis-darshan"><strong>વૈષ્ણોદેવીના દર્શન જતી બસના ભયંકર અકસ્માતમાં 7 લોકોના મોત</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 16 Jul 2024 18:53:43 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>926</Articleid>
                    <excerpt>મુંબઈ એક્સપ્રેસ વે પર પંઢરપુર દર્શને જતી એક બસનો અકસ્માત થયો હતો, જેમાં 5 લોકોના મોત થયા છે અને 42 લોકો ઘાયલ થયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6696735b6bc45.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6696735b3adbe.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6696735b3adbe.jpg" length="61783" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બોલો લો! કેદારનાથ મંદિરમાંથી 228 કિલોગ્રામ સોનું ગુમ થયું</title>
                    <link>https://khabarantar.com/speak-up-228-kg-gold-went-missing-from-kedarnath-temple</link>
                    <guid>https://khabarantar.com/speak-up-228-kg-gold-went-missing-from-kedarnath-temple</guid>
                    <description>
                        <![CDATA[ હિંદુઓની આસ્થાના કેન્દ્ર એવા કેદારનાથ ધામમાંથી અબજો રૂપિયાની કિંમતનું 228 કિલોગ્રામ સોનું ગુમ થઈ ગયું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્મના નામે ધંધો કરવાનો અને પોતાનો સ્વાર્થ સાધી લેવાની એકેય તક આપણે ત્યાં છોડવામાં આવતી નથી. આવું જ કરોડો હિંદુઓની આસ્થાના પ્રતિક એવા કેદારનાથમાં પણ જોવા મળ્યું છે. જ્યાં અબજો રૂપિયાની કિંમતનું 228 કિલોગ્રામ સોનું ગુમ થઈ ગયું છે. આ આરોપ કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં પરંતુ જ્યોતિમઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે લગાવ્યો છે. પત્રકારોને સંબોધન કરતા તેમણે આ મોટો ઘટસ્ફોટ કર્યો હતો. સાથે જ તેમણે દિલ્હીમાં કેદારનાથધામને ખસેડવાને લઈને પર અનેક સવાલો ઉઠાવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીના બુરારીમાં કેદારનાથ મંદિરના નિર્માણ સામે દેશના અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે હવે તેમાં જ્યોતિમઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, કેદારનાથમાં સોનાનું મોટું કૌભાંડ થયું છે, પણ મીડિયામાં તે મુદ્દો કેમ ઉઠાવવામાં આવતો નથી? તેમણે પૂછ્યું, "ત્યાં કૌભાંડ થયા પછી હવે દિલ્હીમાં કેદારનાથનું નિર્માણ થશે. પછી ત્યાં કૌભાંડ થશે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અવિમુક્તેશ્વરાનંદે વધુમાં કહ્યું, "કેદારનાથમાંથી ૨૨૮ કિલો સોનું ગુમ થયું છે. આજ સુધી તેના પર કોઈ તપાસ હાથ ધરવામાં આવી નથી. આના માટે કોણ જવાબદાર છે? હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેદારનાથ દિલ્હીમાં જ બનશે, આવું ન થઈ શકે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/why-swaminarayans-manifest-brahmaswarupo-remains-silent-on-dalit-atrocities"> <span style="font-size: 14pt;">દલિત અત્યાચાર મામલે સ્વામિનારાયણના ‘પ્રગટ બ્રહ્મસ્વરુપો’ ચૂપ કેમ રહે છે?</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીએમ મોદી પર પૂછવામાં આવેલા સવાલ પર તેમણે કહ્યું કે, "તે મારી પાસે આવ્યા અને શપથ લીધા હતા. અમે તેમને આશીર્વાદ આપ્યા. નરેન્દ્ર મોદી અમારા દુશ્મન નથી. અમે તેમના શુભચિંતક છીએ, હંમેશા તેમનું કલ્યાણ ઈચ્છીએ છીએ. જ્યારે તે કોઈ ભૂલ કરશે ત્યારે અમે તેના વિશે બોલીશું."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, મોહમાયાથી દૂર થઈને સાધુ જીવન જીવતા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન બાદ શનિવારે ૧૩ જુલાઈ, ૨૦૨૪ના રોજ આયોજિત આશિર્વાદ સમારોહમાં પહોંચ્યા હતા, જ્યાં પીએમ મોદી પણ હાજર રહ્યા હતા. અનંત રાધિકાને આશીર્વાદ આપ્યા બાદ પીએમ મોદી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પાસે ગયા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ ગઈકાલે શિવસેના(યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેને મળવા મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાન માતોશ્રી પહોંચ્યા હતા. બેઠક બાદ શંકરાચાર્યએ કહ્યું હતું કે "ઉદ્ધવ સાથે દગો થયો છે. તે (ઉદ્ધવ) આ બાબતથી દુઃખી છે. હિંદુ ધર્મ સાથે સૌથી ખરાબ બાબત વિશ્વાસઘાત છે. આપણા બધાંના હૃદયમાં પણ આ પીડા અનુભવાય છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, "અમે તેમને કહ્યું છે કે જ્યાં સુધી તમે ફરીથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નહીં બનો ત્યાં સુધી આ પીડા ચાલુ રહેશે. દગો કરનાર હિંદુ ન હોઈ શકે. જે વિશ્વાસઘાત સહન કરે છે તે હિન્દુ હોઈ શકે છે. ઉદ્ધવે કહ્યું છે કે તે અમારા આશીર્વાદ પ્રમાણે કરશે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, આ શંકરાચાર્યજી સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા છે. જો કે તેઓ દેશમાં દલિતો, આદિવાસીઓ કે લઘુમતી સમાજ પર થતા હુમલાઓ, અત્યાચારો વિશે કદી કશું બોલ્યા હોય અને બહુમતી હિંદુઓને સૌ સાથે સમાનતાથી વર્તવા આહવાન કર્યું હોય તેવું કોઈ નિવેદન ધ્યાનમાં નથી. સાથે જ તેમણે કદી આભડછેટ નાબૂદી માટે પણ કદી કોઈ પગલું ભર્યું હોય તેવું યાદ નથી આવતું. સાધુ તો સંસાર દૂર અલિપ્ત જીવન જીવતા હોય છે, પણ સ્વામીજીથી સંસાર છુટતો હોય તેમ લાગતું નથી, તેઓ મુકેશ અંબાણીના દીકરાના લગ્નમાં જાય છે, રાજકારણમાં રસ ધરાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:</span></strong> </span><a href="https://khabarantar.com/smugglers-stole-utensils-worth-thousands-from-the-mahadev-temple"><strong>મહાદેવ મંદિરમાંથી તસ્કરો હજારોની કિંમતના વાસણો ચોરી ગયા</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 16 Jul 2024 12:31:35 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 02 Aug 2024 19:15:45 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>925</Articleid>
                    <excerpt>હિંદુઓની આસ્થાના કેન્દ્ર એવા કેદારનાથ ધામમાંથી અબજો રૂપિયાની કિંમતનું 228 કિલોગ્રામ સોનું ગુમ થઈ ગયું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66ace302587a0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ace30217760.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ace30217760.jpg" length="80837" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>કૉલેજેની ડિગ્રીથી કશું થવાનું નથી, પંચરની દુકાન ખોલો: ભાજપના ધારાસભ્ય</title>
                    <link>https://khabarantar.com/college-degree-wont-do-anything-open-a-puncture-shop-bjp-mla</link>
                    <guid>https://khabarantar.com/college-degree-wont-do-anything-open-a-puncture-shop-bjp-mla</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપના એક ધારાસભ્યે વિચિત્ર નિવેદન આપતા યુવાનોને કહ્યું છે કે, પંચરની દુકાન ખોલો, કૉલેજની ડિગ્રી તમારા કોઈ કામમાં નહીં આવે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપના એક ધારાસભ્યે વિચિત્ર નિવેદન આપીને મોવડીમંડળને વિચિત્ર સ્થિતિમાં મૂકી દીધું છે. ભાજપના ધારાસભ્ય પન્નાલાલ શાક્યએ કહ્યું છે કે આ કોલેજની ડિગ્રીથી કંઈ થવાનું નથી. મોટરસાયકલ પંચરની દુકાન ખોલો. તેનાથી કમ સે કમ તમારો જીવનનિર્વાહ ચાલી જશે. મધ્યપ્રદેશના ગુનાના ધારાસભ્ય પન્નાલાલ શાક્યએ વડાપ્રધાન કોલેજ ઓફ એક્સેલન્સના ઉદ્‌ઘાટન સમારોહમાં આ વાત કહી હતી. તેમણે રાજ્યના ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમરની હાજરીમાં આ વાત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુનાના ધારાસભ્ય પન્નાલાલ શાક્યએ જણાવ્યું હતું કે, “હું જે કહીશ તે વિજ્ઞાન અને ગણિતના સૂત્ર સાથે કહીશ. આપણે એ સમજી લેવાની જરૂર છે કે, શિક્ષણ સંસ્થાઓ કોઈ કંપ્રેશર નથી કે જેમાં હવા ભરી અને સર્ટિફિકેટ મળી ગયું. શિક્ષણ સંસ્થાઓ હકીકતમાં એ હોય છે જ્યાં અઢી અક્ષર ભણીને પંડિત બની શકાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-higher-the-education-the-lower-the-job-opportunities-reports-ilo"><span style="font-size: 14pt;">શિક્ષણ જેટલું વધુ, નોકરીની તકો એટલી ઓછીઃ ILOનો રિપોર્ટ</span></a></strong></span></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધારાસભ્યે પોતાના ભાષણના એક સમયની દુનિયાની સૌથી પ્રસિદ્ધ યુનિવર્સિટી ગણાતી બિહારની નાલંદા યુનિવર્સિટીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ યુનિવર્સિટીમાં 12000 વિદ્યાર્થીઓ અને 1200 શિક્ષકો હતા પણ તેને માત્ર 11 લોકોએ સળગાવી દીધી હતી. એ સમયે 12 હજાર વિદ્યાર્થીઓ એમ વિચારતા રહી ગયા કે હું એકલો શું કરી શકવાનો. તેના કારણે દેશ ખતમ થઈ ગયો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આગળ પન્નાલાલ શાક્યએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, કોલેજની ડિગ્રી મેળવવાથી કશું થવાનું નથી, પરંતુ બાઈકના પંચર બનાવવાની દુકાન જો આપણે ખોલી લઈશું તો આસાનાથી જીવનનિર્વાહ ચલાવી શકીશું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધારાસભ્યએ કહ્યું કે અમે આ કોલેજ ખોલી રહ્યાં છીએ જેને પ્રધાનમંત્રી શ્રેષ્ઠ મહાવિદ્યાલય કહેવામાં આવે છે. પણ હું તમને બધાને વિનંતી કરું છું કે માત્ર એક જ વાક્ય સમજણથી પકડો. આ કૉલેજની ડિગ્રીથી કંઈ થવાનું નથી. મોટરસાયકલ પંચરની દુકાન ખોલો, જેથી તમે ઓછામાં ઓછું તમારું જીવનનિર્વાહ ચલાવી શકશો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/bjp-rss-promotes-education-mafia-kharge"><strong>ભાજપ-RSS શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહન આપે છે: ખડગે</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 15 Jul 2024 19:29:01 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 15 Jul 2024 20:17:42 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>923</Articleid>
                    <excerpt>ભાજપના એક ધારાસભ્યે વિચિત્ર નિવેદન આપતા યુવાનોને કહ્યું છે કે, પંચરની દુકાન ખોલો, કૉલેજની ડિગ્રી તમારા કોઈ કામમાં નહીં આવે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66953275b8abc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_669532758a14c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_669532758a14c.jpg" length="81050" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>છેડતી કરનારને રાખડી બાંધવાનો ચૂકાદો આપનાર જજ ભાજપમાં જોડાયા</title>
                    <link>https://khabarantar.com/the-judge-who-ordered-rakhi-to-be-tied-to-the-rapist-joined-the-bjp</link>
                    <guid>https://khabarantar.com/the-judge-who-ordered-rakhi-to-be-tied-to-the-rapist-joined-the-bjp</guid>
                    <description>
                        <![CDATA[ મધ્યપ્રદેશ હાઈકોર્ટના એક જજ ભાજપમાં સામેલ થયા છે. આ એ જ જજ છે જેમણે છેડતીનો ભોગ બનેલી યુવતીને આરોપીને રાખડી બાંધવાનો વિવાદાસ્પદ ચૂકાદો આપ્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રોહિત આર્ય તેમની નિવૃત્તિના ત્રણ મહિના પછી નાયબ મુખ્ય પ્રધાન રાજેન્દ્ર શુક્લાની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા છે. ન્યાયાધીશ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેઓ અનેક વિવાદાસ્પદ ચૂકાદાને કારણે મીડિયાામાં ચમકતા રહ્યા હતા. ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ, મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો તેમના ચૂકાદાઓથી ખૂબ ખુશ હતા અને તેમના નિર્ણયો પર નિવેદનો પણ આપ્યા હતા. હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે, કેમ કે જજસાહેબ ઓફિશ્યિલી ભાજપમાં જોડાઈ ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ આર્યાએ મોદી સરકારના વખાણ કરતા એક સેમિનારમાં કહ્યું હતું કે, "પીનલ કોડને જ્યુડિશિયલ કોડમાં બદલવો એ વર્તમાન સરકારની મહત્વની સિદ્ધિ છે." તેમણે કહ્યું, “આ માટે અમે કેન્દ્ર સરકારના આભારી છીએ. આનાથી આવનારા સમયમાં જીવન વધુ સારું બનશે કારણ કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતીયો પર પીનલ કોડ લાદવામાં આવ્યો હતો અને તેમને સજા કરવાના હેતુથી લાગુ કરવામાં આવ્યો હતો. આપણા દેશમાં ન્યાયની ભાવના રામરાજ્ય અને મહાભારત કાળમાં પણ હતી. અંગ્રેજો આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાથી હચમચી ગયા હતા, તેથી તેમણે શિક્ષણ પર હુમલો કર્યો, ધીમે ધીમે સંસ્કૃતને નાબૂદ કરી અને અંગ્રેજીને પ્રોત્સાહન આપ્યું."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1984માં પોતાની કાયદાકીય કારકિર્દી શરૂ કરનાર જસ્ટિસ આર્યને 26 ઓગસ્ટ 2003ના રોજ મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની પાસે સિવિલ, આર્બિટ્રેશન, એડમિનિસ્ટ્રેટિવ, સર્વિસ, લેબર અને ટેક્સ કાયદામાં લગભગ ત્રણ દાયકાનો કાયદાકીય અનુભવ છે. તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન તેઓ અનેક મહત્વના હોદ્દાઓ સંભાળી ચૂક્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/i-was-and-am-a-member-of-rss-retiring-judge-chittaranjan-das"> <span style="font-size: 14pt;">"હું RSS નો સભ્ય હતો અને છું", નિવૃત્ત થઈ રહેલા જજ ચિત્તરંજન દાસ</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમને વર્ષ 2007 અને 2013ની વચ્ચે સુપ્રીમ કોર્ટમાં મધ્યપ્રદેશના વરિષ્ઠ પેનલ વકીલ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા અને 1999 થી 2012 દરમિયાન મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં આવકવેરા વિભાગના સ્થાયી વકીલ તરીકે પણ સેવા આપી હતી. આ ઉપરાંત તેઓ વરિષ્ઠ વકીલ પણ હતા. તેઓ 12 સપ્ટેમ્બર, 2013ના રોજ મધ્યપ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા અને 26 માર્ચ, 2015ના રોજ કાયમી જજ બન્યા હતા. પોતાના કાર્યકાળ દરમિયાન, આર્યએ ઘણા કેસોની અધ્યક્ષતા કરી હતી જેમાં તેઓ હેડલાઈન્સમાં ચમકતા રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2021 માં, તેણે સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનાવર ફારુકી અને નલિન યાદવને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો, જેમના પર ઇન્દોરમાં એક શો દરમિયાન કથિત રીતે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અને કોવિડ -19 પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. તેમણે કહ્યું કે "એકત્ર કરાયેલા પુરાવા ભારતના નાગરિકોના એક વર્ગની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઇરાદાપૂર્વકનો ઇરાદો દર્શાવે છે". જો કે, બાદમાં તેના આદેશની અવગણના કરીને સુપ્રીમ કોર્ટે મુનાવર ફારુકીને જામીન આપ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક વર્ષ પહેલા હેડલાઈન્સમાં ચમકેલા આવા જ એક અન્ય કેસમાં જસ્ટિસ રોહિત આર્યએ એક મહિલાની છેડતી કરવાના મામલામાં આરોપીને એ શરતે જામીન આપ્યા હતા કે, તે રક્ષાબંધનના દિવસે મહિલાના ઘરે જાય અને તેના ઘરે જઈને રાખડી બંધાવશે. અર્થાત જજસાહેબે આરોપીએ કરેલી છેડતીની સજા કરવાને બદલે તેને મનુવાદી પરંપરા મુજબ રાખડી બાંધીને છુટી જવાનો રસ્તો કરી આપ્યો હતો. આ મામલામાં જસ્ટિસ આર્ય આટલેથી નહોતા અટક્યા, તેમણે તો ત્યાં સુધીનો આદેશ આપ્યો હતો કે, આરોપીએ રાખડી બંધાવીને મહિલાની 'રક્ષા' કરશે. વિચારો, હવે જેણે ખુદ મહિલાની છેડતી કરીને તેની ગરિમાને ઠેસ પહોંચાડી હોય તેને મહિલાનું રક્ષણ કરવાની જવાબદારી આરોપીને કેવી રીતે સોંપી શકાય?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ નિર્ણયની તીવ્ર ટીકા કરવામાં આવી હતી, ચોતરફ જજસાહેબની થૂ થૂ થઈ હતી અને બાદમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તેમના ચૂકાદાને ઉલટાવી દેવામાં આવ્યો હતો. આ કેસે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓના મામલામાં જામીન અરજીઓમાં કેવી રીતે વર્તવું તે અંગે નીચલી અદાલતોને નિર્દેશો પણ આપ્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે કહ્યું કે નીચલી અદાલતોએ મહિલાઓ વિશે બોલતા પહેલા વિચારવું જોઈએ. સુપ્રીમે કહ્યું હતું કે નીચલી અદાલતોએ  મહિલાઓ શારીરિક રીતે નબળી હોય છે, વિનમ્ર અને આજ્ઞાકારી હોવી જોઈએ, સારી સ્ત્રીઓ જાતીય રીતે પવિત્ર હોય છે, જેવા રૂઢિવાદી મતો વ્યક્ત કરવાથી બચવું જોઈએ. હવે જસ્ટિસ આર્ય ઓફિશ્યલી ભાજપમાં જોડાઈ ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/only-dr-I-became-a-judge-because-of-ambedkar-justice-b-r-gawai"><strong>ફક્ત ડૉ. આંબેડકરના કારણે જજ બની શક્યો છું – જસ્ટિસ બી.આર. ગવઈ</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 15 Jul 2024 17:04:38 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>922</Articleid>
                    <excerpt>મધ્યપ્રદેશ હાઈકોર્ટના એક જજ ભાજપમાં સામેલ થયા છે. આ એ જ જજ છે જેમણે છેડતીનો ભોગ બનેલી યુવતીને આરોપીને રાખડી બાંધવાનો વિવાદાસ્પદ ચૂકાદો આપ્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_669508634e49d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_669508631d2bd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_669508631d2bd.jpg" length="74736" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>હવે તો ન્યાય જ અમારી જિંદગીનું લક્ષ્ય છેઃ ઉના કાંડના પીડિત રમેશ સરવૈયા</title>
                    <link>https://khabarantar.com/now-justice-is-the-goal-of-our-life-una-kand-victim-ramesh-saravaiya</link>
                    <guid>https://khabarantar.com/now-justice-is-the-goal-of-our-life-una-kand-victim-ramesh-saravaiya</guid>
                    <description>
                        <![CDATA[ ઉનાકાંડની ઘટનાને આજકાલ કરતા 8 વર્ષ વીતી ગયા છે, આ સમયગાળામાં આ કેસમાં ઘણું બધું થઈ ગયું છે, અને બહુજન સમાજની વ્યક્તિ તરીકે આપણે તે બધું જાણવું જરૂરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નરેશ મકવાણા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">11 જુલાઈ 2016નો દિવસ ગુજરાત તો ઠીક દેશભરના દલિતો ક્યારેક ભૂલી શકે તેમ નથી. ગુજરાતના ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામની સીમમાં ચાર દલિત યુવકો વશરામ સરવૈયા તેમના ભાઈ રમેશ સરવૈયા, તેમના કાકાના દીકરા બેચરભાઈ અને અશોક સરવૈયા પર કહેવાતા ગૌરક્ષકોએ જાહેરમાં અર્ધનગ્ન કરીને કાર સાથે બાંધીને લાકડીઓ-દંડાથી માર માર્યો હતો. તેમનો વાંક એટલો જ હતો કે તેઓ સિંહના હુમલામાં એક દિવસ પહેલા મરી ગયેલી ગાયનું ચામડું ઉતારી રહ્યા હતા. ગૌરક્ષાને નામે ગુંડાગીરી કરતા લુખ્ખા તત્વોએ તેમના પર ગાયને મારવાનો આરોપ લગાવ્યો અને તેમને માર મારતા મારતા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાના પડઘા માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં પડ્યા હતા. વિશ્વ આખાએ જોયું હતું કે, ગુજરાતમાં ગૌરક્ષાના નામે લુખ્ખા તત્વોનો કેવો આતંક છે. આ ઘટનાને લઈને ગુજરાત અને દેશના અલગ અલગ વિસ્તારોમાં દિવસો સુધી ધરણાં, પ્રદર્શનો થયા હતા. આ ઘટનાએ આજકાલ કરતા 8 વર્ષના વાણા વાઈ ગયા છે અને હવે આ કેસમાં ચૂકાદો આવવાની તૈયારીમાં છે ત્યારે જ સરકારે પીડિત પરિવારને આપવામાં આવેલી સુરક્ષા સાથે ચેડાં કરવાનો પ્રયત્ન કર્યો હોવાનું સામે આવ્યું છે. </span><span style="font-size: 14pt;">ઉનાકાંડના પીડિત રમેશભાઈ સરવૈયાના જણાવ્યા પ્રમાણે, "પોલીસ સુરક્ષા હટાવી લેવા માટે મારા પિતાને એક કાગળ પર સહી કરી દેવા માટે જણાવવામાં આવ્યું હતું. પણ અમે તેના પર સહી કરવાનો ઈનકાર કરી દીધો હતો. એટલે હાલ તો સુરક્ષા યથાવત રહી શકી છે, છતાં તે કેટલા દિવસ સુધી રહેશે તે કહી શકાય તેમ નથી. અગાઉ બે વખત આ કેસના જામીન પર છુટેલા આરોપીઓએ અમારા પરિવારના સભ્યોને કેસ પાછો ખેંચી લેવા માટે હુમલા કર્યા છે, અને જો કેસ પાછો નહીં ખેંચીએ તો જાનથી મારી નાખવાથી ધમકીઓ આપી છે. આ મામલે પણ કેસ થયા છે અને આરોપીઓ તેમાં પણ જેલમાંથી જામીન પર છુટ્યા છે. છતાં સરકાર આ રીતે અમારી સુરક્ષા પાછી ખેંચી લેવા પ્રયત્ન કરે તે ચોંકાવનારું છે."</span><br><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/The-man-who-played-Hanuman-in-Ramlila-had-a-heart-attack,-died-on-the-stage,-people-applauded-the-performance">રામલીલામાં હનુમાન બનેલા શખ્સને આવ્યો હાર્ટએટેક, લોકો અભિનય સમજી તાળીઓ પાડતા રહ્યા</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે</span></strong></span><br><span style="font-size: 14pt;">અહીં એ યાદ રાખવું જોઈએ કે ઉનાકાંડના કેસમાં તમામ 43 આરોપીઓ હાલ જામીન પર બહાર છે અને તેમના તરફથી સમયાંતરે પીડિત પરિવારને મારી નાખવાની ધમકીઓ મળતી રહે છે. તેમ છતાં તેમની સુરક્ષા સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. અગાઉ આ પ્રકારની એકથી વધુ ઘટનાઓ બની ચૂકી છે જેમાં આરોપીઓએ ઉનાકાંડના પીડિતોને મારી નાખવાની ધમકી આપી હોય કે તેમના પર હુમલો કર્યો હોય.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉનાકાંડના મુખ્ય આરોપી પૈકીના એક પ્રમોદગીરી ગોસ્વામીને કોર્ટે મુદ્દત સિવાય ગીરસોમનાથ જિલ્લામાં પ્રવેશવું નહીં તે શરતે જામીન આપ્યા છે, તેમ છતાં તે ઉના શહેરમાં ફરતો રહે છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હજુ એક વર્ષ પહેલા જ પ્રમોદગીરી ગોસ્વામી, રામેશ જાદવ અને રાકેશ જોશીએ વશરામ સરવૈયા અને અશોક સરવૈયાનો ઉના શહેરમાં પીછો કર્યો હતો અને ઉના પોલીસ સ્ટેશનની સામે જ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને જાતિસૂચક ગાળો ભાંડી હતી. આ મામલે પીડિત વશરામભાઈ સરવૈયા અને તેમના પિતા બાલુભાઈએ ઉના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/The-Hijri-family-of-Akolali,-fed-up-with-the-harassment-of-the-casteists,-applied-to-declare-themselves-Hijri-again">આકોલાળીના હિજરતી પરિવારે જાતિવાદથી કંટાળી ફરી પોતાને હિજરતી જાહેર કરવા અરજી કરી</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપીઓએ પોલીસ સ્ટેશનની બહાર જ બંને ભાઈઓને કહ્યું હતું કે, "તમને કેવી રીતે માર્યા હતા એ યાદ છે ને?" આ મામલે આરોપીઓ સામે આઈપીસીની વિવિધ કલમો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરાઈ હતી. વશરામ સરવૈયાએ આરોપીઓનો વીડિયો ઉતારી લીધો હતો અને તેને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ ઉનાકાંડનો કેસ વેરાવળ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે. આવતા થોડા જ દિવસોમાં ચકચારી આ કેસમાં ચૂકાદો આવે તેવી શક્યતા છે ત્યારે સરકાર દ્વારા તેમની સુરક્ષા હટાવી લેવાના પત્ર પર સહી માંગવામાં આવે અને સુરક્ષા હટાવી લેવાનો પ્રયત્ન કરવામાં આવે તે શું સૂચવે છે? શું સરકાર આટલા મોટા કેસમાં પણ પીડિત પરિવારોને માથાભારે ગુનેગારોના હવાલે કરી દેવા માંગે છે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પહેલા પણ રમેશભાઈ સરવૈયા પર વર્ષ 2018માં ઉનાકાંડના જ એક આરોપી કિરણસિંહે સમઢિયાળાથી દૂર ભાવનગર રોડ પર રામેશ્વરના પાટિયા પાસે તેમની છકડો રિક્ષા અટકાવીને કેસ પાછો ખેંચી લેવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલામાં કિરણસિંહ સામે ઉના પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધાયો હતો અને તે પણ હાલ જામીન પર છે.</span><br><span style="font-size: 14pt;">ઉનાકાંડના બાદ 43 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઓગસ્ટ 2018માં કોર્ટે આ મામલામાં સુનાવણી શરૂ કરી હતી. બાદમાં મોટાભાગના આરોપીઓને જામીન મળતા ગયા છે. જુલાઈ 2022માં કોર્ટે ઉનાકાંડના ચાર મુખ્ય આરોપીઓ રમેશ જાદવ, પ્રમોદગિરી ગોસ્વામી, બળવંતગિરી ગોસ્વામી અને રાકેશ જોશીને જામીન આપ્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓ જામીનની શરતોનો ભંગ કરે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">આરોપીઓને જામીન એ શરતે આપવામાં આવ્યા હતા કે તેઓ કોર્ટની કામગીરી સિવાય ગીરસોમનાથ જિલ્લાની હદમાં પ્રવેશી શકશે નહીં. પણ આ કેસ સાથે સંકળાયેલા આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપીઓ ગીરસોમનાથ જિલ્લાની બહાર જવાનું તો દૂર ઉના શહેરથી પણ દૂર જતા નથી અને અનેકવાર ઉનામાં જોવા મળે છે. મુખ્ય 4 આરોપીઓ પૈકીનો એક પ્રમોદગિરી ગોસ્વામી તો ઉના શહેરમાં જ છુપાઈને રહે છે અને અનેક લોકોએ તેને ખૂલ્લેઆમ ફરતા જોયો હોવાનું સૂત્રો જણાવે છે. પોલીસ આ બધું જાણતી હોવા છતાં તેમને છાવરી રહી છે તેવો આરોપ પણ સ્થાનિક પોલીસ પર લાગતો રહે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Real-Women-Empowerment:-4-Daughters-of-Valmiki-Community-Quit-Sweeping-and-Join-Self-Employment-Training">વાલ્મિકી સમાજની 4 દીકરીઓ ઝાડુ અને વાળુ માંગવાનું છોડી સ્વરોજગાર તાલીમમાં જોડાઈ</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉનાકાંડનો ભોગ બનેલા પીડિતો પૈકીના એક રમેશભાઈ સરવૈયા ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવે છે કે, "આ કેસમાં અમે અમારું સર્વસ્વ હોમી દીધું છે, હવે તો ન્યાય મળે તે જ અમારું એકમાત્ર લક્ષ્યાંક છે. આ કેસમાં અમે રીતસરના નિચોવાઈ ગયા છીએ. ખાવાપીવાનું ભાન રાખ્યા વિના અમે ન્યાય ખાતર નીચલી કોર્ટથી લઈને છેક સુપ્રીમ કોર્ટ સુધી જઈને પણ આરોપીઓ સામે લડત આપી રહ્યાં છીએ. અમને કારણ વિના જ જાહેરમાં માર મારી શહેર વચ્ચે અપમાનિત કરવામાં આવ્યા એ ઘટના અમે ક્યારેય ભૂલી શકીએ તેમ નથી. આરોપીઓ અમને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. અમારું પોલીસ પ્રોટેક્શન પાછું ખેંચી લેવા માટે મારા પિતાને એક કાગળમાં સહી કરી દેવા માટે કહેવામાં આવ્યું હતું. પણ અમે તેમને કહ્યું કે, તમારે જવું હોય તો જઈ શકો છો પણ અમારી સહીથી નહીં, તમારી મરજીથી જાવ. પછી જો અમને કંઈ થશે તો તે સંપૂર્ણપણે તમારી જવાબદારી રહેશે. એટલે સુરક્ષા ટકી ગઈ. બાકી સરકારે નક્કી કરી લીધું હતું કે અમારી સુરક્ષા હટાવી દેવી. આવું શા માટે થઈ રહ્યું છે તે અમને સમજાતું નથી. અમારા ગામની આસપાસના ગામોમાં આ કેસના 43 આરોપીઓ રહે છે. જેઓ ગમે ત્યારે અમારી પર હુમલો કરી શકે તેમ છે. પણ અમને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે. આજ નહીં તો કાલ અમને ન્યાય મળશે, બસ એ આશાએ અમે આટલી કપરી પરિસ્થિતિ વચ્ચે પણ સંઘર્ષ કરી રહ્યા છીએ."</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/A-landmark-judgment-five-years-ago,-which-points-the-right-direction-to-justice-seeking-masses">પાંચ વર્ષ પહેલાનો એક સીમાચિહ્નરૂપ ચૂકાદો, જે ન્યાય ઝંખતા બહુજનોને સાચી દિશા ચીંધે છે</a></span></strong></p>
<p>.<img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66ad0a81879f8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉનાકાંડની આખી ઘટના બાદ પોલીસે ફાઈલ કરેલી ચાર્જશીટ પરથી અમદાવાદના એડવોકેટ કૌશિક મંજુલાબેન પરમારે વિસ્તારથી માહિતી પુરી પાડી છે. તેમણે આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ શેર કરી હતી જેથી લોકોને આખા કેસમાં ખરેખર શું બન્યું હતું તેની જાણ થાય.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એડવોકેટ કૌશિક પરમાર લખે છે કે, "11 જુલાઈ 2016 ના રોજ ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળાના નિર્દોષ દલિત યુવાનોને ચામડી ઉતરી જાય તે હદ સુધી માર મારી માનવતાનું ભારોભાર અપમાન કરનારી ઘટના દલિતોના અસ્તિત્વ પર એક મોટો તમતમતો તમાચો હતો અને આ હકીકત પોલીસે આ કેસમા દાખલ કરેલી ચાર્જશીટમાં સાબિત થાય છે. ઉનાની ઘટનામાં ઉના પોલીસ સ્ટેશનમાં ગુન્હા રજીસ્ટર નંબર 127/2016 થી ફરિયાદ દાખલ થયેલ છે જેમાં કલમ 307, 397 , 395 , 365 , 355 , 354 , 342 , 147 , 148 , 149 , 324 , 323 , 504 , 506 ( 2 ) , 120 બી . , 201 , 166 એ , 167 , 466 , 177 , 204 , 294 ( ખ ) , 505 ( 1 ) ( ખ ) , 509 અને જી.પી.એ. કલમ 135 , અત્યાચાર નિવારણ ધારો 3.1.e , r , s , u , 3.2.(5a) , 3.1.d , 3.1.( Za) (5), 3.1.w ( I ) , (ii) , 3.2.( Vi) , 3.2.( Vii) , 4 અને ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટની કલમ 66 એ, 66 બી મુજબ ફરિયાદ દાખલ થઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કૌશિકભાઈ આગળ જણાવે છે કે, "ઉના પોલીસ સ્ટેશનમાં જ્યારે ફરિયાદ થઈ ત્યારે આરોપી તરીકે માત્ર 5 લોકોના નામ હતા અને આ ફરિયાદ પણ પોલીસ ઉપર દબાણ ઉભું થયા બાદ થઈ હતી. બાકી પોલીસનો ઈરાદો ગૌરક્ષકો સાથે મળીને દલિતોને ગૌ હત્યાના કેસમાં સંડોવી દેવાનો હતો. ત્યારબાદ પાછળથી પણ દલિત સમુદાયના પ્રચંડ આંદોલન, થયેલી રજૂઆતો, મળેલા પુરાવા અને સરકાર પર થયેલા દબાણના કારણે કુલ 43 આરોપીઓ સામે ચાર્જસીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલ લોકો સામે અલગથી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ છે, અને તેમાં પોલીસને પણ આરોપી બનાવવામાં આવેલ. સમગ્ર કેસનો અભ્યાસ તેમજ પોલીસ તપાસ જણાવે છે કે આખી ઘટના એક ભયંકર પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે બની હતી અને આ કાવતરામાં ખુદ પોલીસ પણ સામેલ છે. પોલીસે પોતાને મળેલી સત્તાનો દૂરુઉપયોગ કરીને કાવતરૂ બનાવ્યું અને તે કાવતરા ને કાયદાનું સ્વરૂપ આપ્યું હતું."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેઓ આગળ કહે છે કે, "ઘટના બની ત્યારે એક વ્યક્તિએ પોલીસ સ્ટેટ કંટ્રોલમાં ફોન કરીને માહિતી આપી હતી કે ગૌરક્ષક ગુંડાઓ આવીને માર મારી રહ્યા છે. સ્ટેટ કંટ્રોલે ઉના પોલીસને આ અંગે જાણ કરી છતાં સ્થાનિક પોલીસે પોતાની સ્ટેશન ડાયરીમાં એવો ઉલ્લેખ કર્યો કે ગૌ માંસ પકડાયું છે. આમ રાજ્ય સેવકે પોતાની સત્તાનો દુરૂપયોગ કરી રાજ્ય સેવક પાસે રાખવામાં આવતા રેકર્ડમાં ખોટી વિગતો લખી એવું ખોટું રેકર્ડ ઉભું કર્યું કે જેના કારણે દલિતો ખોટા કેસમાં ફિટ થાય. આ વાતથી જ સાબિતી મળે છે કે પોલીસને ઘટનાની જાણ અગાઉ થી જ હતી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/i-cant-bear-it-anymore-unakand-activist-kantibhai-walas-heartbreaking-letter-from-jail">"હવે મારાથી સહન નથી થતું", ઉનાકાંડના આંદોલનકારી કાંતિભાઈ વાળાનો જેલમાંથી હૃદયદ્રાવક પત્ર"</a></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુમાં તેઓ કહે છે, "સંપૂર્ણ જાણકારી હોવા છતા પોલીસે બનાવને અટકાવવાની જગ્યાએ ઉત્તેજન મળે તે પ્રમાણે કામ કર્યું હતું. આરોપીયો એ સતત 4 થી 5 કલાક સુધી ગુનો આચરી ભોગ બનનારનું સરઘસ કાઢી પોલીસ સ્ટેશન સુધી લાવ્યા હતા. આ ટોળામાં ઘણાં બધાં લોકોએ ભાગ ભજવ્યો હોવાનું જાણતી હોવા છતાં પોલીસે માત્ર 5 વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો હતો અને તે પણ દલિત સમાજનું દબાણ ઉભું થયા બાદ. આમ જાણીબુજીને પોલીસે ફરિયાદી અને ભોગ બનાનરને નુકસાન થાય અને આરોપીને ફાયદો થાય તે મુજબ રાજ્યના સેવક તરીકેની ફરજો વિરુદ્ધ જઈને કામગીરી કરી હતી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કૌશિકભાઈના જણાવ્યા પ્રમાણે, "ઉનાકાંડના કેસમાં મૃત ગાયને સાવજે મારી હોવા છતાં ગાય ચોરાઈ છે તેવો ખોટો ગુનો પોલીસે ફરિયાદીની મરજી વિરુદ્ધ જઈને દાખલ કરેલો. મતલબ કે આરોપીને બચાવવા અને ફરિયાદીને ખોટા કેસમાં ફસાવા જાણે કે પોલીસે સોપારી લીધી હોય તે પ્રમાણે કામ કર્યું, ગાય ચોરાઈ હોય તો પણ તે ગુન્હાવાળી જગ્યા ઉના પોલીસ સ્ટેશનની હદમાં ન આવતી હોવા છતાં અને આની જાણકારી હોવા છતાં પોતાના ન્યાય ક્ષેત્રની બહાર જઈને પોલીસે ખોટો ગુનો દાખલ કરી આરોપીઓની તરફેણમાં ગુન્હાઈત કાવતરું ઘડી તે કાવતરાને કાયદાનું સ્વરૂપ આપ્યું હતું."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જેમની ગાય મરી ગઈ હતી તેમણે શું કહ્યું હતું?</span></strong></span><br><span style="font-size: 14pt;">ઉના અત્યાચારમાં નાજાભાઈ આહીરની ગાયને સાવજે મારી નાખી હતી. તારીખ 21.8.2016ના રોજ નાજાભાઈ આહિરે C.I.D. ક્રાઇમ સમક્ષ નિવેદન આપેલું, જેમાં તેમણે જણાવ્યું હતું કે, "મારી ગાય ગુમ થયા અંગે મેં ઉના પોલીસ સ્ટેશનમાં </span><span style="font-size: 14pt;">કોઈ ફરિયાદ લેવા માટે જણાવેલ નથી. મારી ગાય ખોવાઈ છે તેવી ફરિયાદ પોલીસે જાતે લખી લઈને તેના ઉપર મારી સહી લીધી હતી. મેં પોલીસના કહેવાથી સહી કરી હતી. એટલું જ નહીં મારું ગામ બેડીયા ઉના પોલીસ સ્ટેશનની હદ માં નહીં પરંતુ ગીરગઢડા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે અને આ વાત મને ખબર છે. અમારે કંઈ પણ કામ હોય તો અમે ગીર ગઢડા પોલીસ સ્ટેશન પાસે જઈએ છીએ મતલબ કે પોલીસે પોતાની હદની બાર જઈને ઉપજાવી કાઢેલી ફરિયાદ બનાવી હતી." આમ પોલીસ પણ ગૌ રક્ષકોની સાથે અગાઉથી જ મળી ગઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Does-caste-based-discrimination-happen-in-prisons-too-The-Supreme-Court-sought-a-response-from-the-Center-and-11-states">જેલમાં પણ થાય છે જાતિ આધારિત ભેદભાવ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે જવાબ માંગ્યો</a></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એડવોકેટ કૌશિક પરમાર જણાવે છે કે, "ઉના અત્યાચારના તમામ આરોપીયોએ પ્રાણઘાતક હથીયારોથી સતત ચારથી પાંચ કલાક સુધી સખત માર મારી જાતે વીડિયો ઉતારી તેને સમગ્ર રાજ્યમાં વાયરલ કર્યો હતો જેનાથી સ્પષ્ટ જણાય છે કે આરોપીઓને કાયદાનો ડર નથી. આરોપીઓએ વાઈરલ કરેલા વીડિઓને કારણે સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડેલા અને દલિત સમાજના માણસોને સખત આઘાત પહોંચેલ અને આ આઘાત ને કારણે અમદાવાદ શહેરમાં 1, રાજકોટ ગ્રામ્યમાં 12, દેવભૂમિ દ્વારકામાં 1 જૂનાગઢમાં 3, ગીર સોમનાથમાં 1, પોરબંદરમાં 3, બોટાદમાં 2 એમ કરીને રાજ્યના 7 જિલ્લામાં દલિત સમાજના 23 જેટલા નાગરિકોએ ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કરેલો. જેમાં એક વ્યક્તિ નામે યોગેશ સારેખડા ઉંમર 29, રહે મોટી પરબડી, તાલુકો ધોરાજી, મૃત્યુ પામ્યા હતા."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપીઓએ બનાવેલો વીડિયો વાયરલ થવાથી રાજ્યમાં વાતાવરણ ડહોળાાયું હતું જેના કારણે હુલ્લડ અને પોલીસ પર હુમલાના 74 બનાવો બન્યા હતા તેમજ જાહેર મિલકતને કરોડો રૂપિયાનું નુકશાન થયેલ. આ બધાં જ બનાવો ઉનાની ઘટનાના બનાવના ભાગરૂપે જ હતા. એટલે કે 23 વ્યક્તિઓએ ઝેર પીવું પડે તેવી સ્થિતિનું નિર્માણ બની બેઠેલા ગૌરક્ષકોએ કરેલ તેમજ કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. આ બધાં માટે કારણભૂત આ ઉનાકાંડના માથાભારે આરોપીઓ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/exclusive-national-scheduled-caste-commission-office-in-ahmedabad-rambharos-ninety-percent-staff-reduction">અમદાવાદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની કચેરી રામભરોસેઃ 90 ટકા સ્ટાફની ઘટ</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉનાકાંડ પૂર્વનિયોજિત કાવતરું હતું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉના કાંડની ઘટના એટલી હદની પૂર્વ નિયોજતી હતી તે નીચેની માહિતીથી સ્પષ્ટ થાય છે. ઉના કાંડના આરોપીઓ પૈકી શાંતિલાલ મોણપરે ઉનાકાંડ પહેલા તારીખ 28.12.2015ના રોજ સનાતન ચેરીટેબલ ટ્રસ્ટ નામના ટ્રસ્ટની નોંધણી કરાવેલી, જેનો રજિસ્ટ્રેશન નંબર 1089 તથા ટ્રસ્ટ નંબર એફ.1113 છે. ઉનાની ઘટના પહેલા આ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ એક ગુપ્ત મિટિંગનું આયોજન થયેલું. જેમાં આરોપીઓએ એવી યોજના ઘડેલી કે જો ઉના તાલુકાના વિસ્તારમાં જો કોઈ દલિત મૃત ગાયનું ચામડું ઉતારે તો તરત જ ત્યાં આપડે બધાએ અને મળતીયાઓએ ત્યાં પહોંચી જવું અને ટ્રસ્ટના તમામ લોકોને આના સમાચાર આપવા અને ત્યાં પહોંચી તેમને સખત મારવા અને જીવતી ગાય કાપે છે તેવી અફવા ઝડપભેર રાજ્યભરમાં ફેલાવવી અને ઉનાના વિસ્તારમાં તેમને મારીને સરઘસ કાઢવું અને પોલીસમાં સોંપી દેવા. આ ગૌરક્ષકો ઉનાની હદમાં અનઅધિકૃત રીતે નાઈટ પેટ્રોલિંગ કરતા હતા તેવું પોલીસ તપાસમાં ફલિત થયું છે અને ઉનાની હદમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. આ લોકોએ હથિયારો સાથે અનઅધિકૃત રીતે નાઈટ પેટ્રોલિંગો કર્યા છે અને ચા, નાસ્તા અને પેટ્રોલના નામે ટ્રસ્ટમાં મોટા ખર્ચ પણ પાડ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રસ્ટને ફોરેન ફન્ડિંગ નહોતું મળતું પણ સ્વદેશી ભંડોળથી દેશના નિર્દોષ દલિતોના લોહી તરસ્યા થયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ તપાસમાં ફલિત થયું છે કે આ ગૌરક્ષકોનો મુખ્ય હેતુ ઉના તાલુકાની હદમાં પરંપરાગત રીતે મૃત ગાયનો નિકાલ કરતા દલિત સમાજના લોકોનો વ્યવસાય બંધ કરાવવો, તેમના ઉપર જોર જુલમ કરવા, પોતાની શક્તિનો પરિચય આપવો અને દલિત સમાજના લોકો ગૌહત્યા કરી રહ્યાં છે તેવા ખોટા મેસેજ રાજ્યભરમાં પ્રસિદ્ધ થાય અને દલિત સમાજને લોકો ધૃણાની નજરથી જુવે તેવા આશયથી ઉનાકાંડ પહેલા એક ગુપ્ત મિટિંગ યોજાયેલી જેના ભાગ રૂપે ઉનાકાંડ થયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટલું જ નહીં, સમઢીયાળાના નિર્દોષ દલિતોને અસહ્ય માર માર્યા બાદ ઉનામાં સાંજે જ્યારે લોકોને જાણ થઈ કે આ નિર્દોષ યુવકો દલિત છે અને તે પણ ખોટા ગાય કાપવાના બહાને તેમને મારવામાં આવ્યા છે ત્યારે ઉગ્ર વિરોધ થયો અને દલિત સમાજનું મોટું ટોળુ ભેગું થતા અને પોલીસ પર દબાણ ઉભું થતા 5 વ્યક્તિઓ સામે નામજોગ ગુનો દાખલ થયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/71.4-percent-of-dalits-have-access-to-public-water-taps">જાહેર પાણીના નળ પર 71.4 ટકા દલિતો સાથે આભડછેટ રાખવામાં આવે છે</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુનો દાખલ થયા બાદ સનાતન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખે ઘટનાની વિગતો એકઠી કરવાનું શરૂ કર્યું અને વાઇરલ થયેલા વિડિઓનો અભ્યાસ કર્યા બાદ ગુન્હા વાળી જગ્યાની મુલાકાત કરેલ અને સમઢીયાળાના લોકોએ જીવતી ગાય કાપી છે તેવું દર્શાવવાના પ્રયત્નો કરેલ. સનાતન ચેરીટેબલ ટ્રષ્ટના પ્રમુખ મોણપરાએ કેટલાક આરોપીઓને બોલાવીને સમજાવેલ કે જો તમને પોલીસ બોલાવીને આ કેસ અંગે કશું પૂછે તો કહેજો કે, "ગાયના પગ હલતા હતા" (આ હળાહળ જુઠ્ઠાણું છે, કેમ કે ગાયને સિંહે મારી નાખી હતી.) તેના ભાગરૂપે ગાય ચોરાઈ છે તેવો ઉપજાવી કાઢેલો ખોટો કેસ પણ કર્યો, પોલીસે સ્ટેશન ડાયરીમાં ગૌમાંસ પકડાયું હોવાની ખોટી નોંધ પણ પાડી. એટલું જ નહીં આરોપીઓએ લોહી વાળું ટીશર્ટ, મોબાઈલનું સિમકાર્ડ બાળીને પુરાવાનો નાશ કરવાનો ગુનો પણ આચર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉનાના બનાવના વિરોધમાં સૌરાષ્ટ્ર દલિત સંગઠનના નેજા હેઠળ તારીખ 13.8.16 ના રોજ સભા તેમજ સભા પૂર્ણ થયા બાદ પરત ફરતા લોકો પર હુમલાના બનાવ બનવા પામેલ છે. તેમજ અમદાવાદથી 5 ઓગસ્ટે નિકળેલી દલિત અસ્મિતા યાત્રા જે 15મી ઓગસ્ટના રોજ ઉનામાં મોટી સભા થવાની હતી તેમાં તારીખ 14 ઓગસ્ટ અને 15 ઓગસ્ટના રોજ આવતા જતા લોકો પર સામતેર ગામે હુમલાનો બનાવ બન્યો હતો. જેના અનુસંધાને ઉના પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે કુલ 8 ગુના બનવા પામેલ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપીઓ સામે ગુનો દાખલ થયા બાદ તમામે પોતપોતાના મોબાઈલમાંથી ઉનાકાંડ સંબંધિત ઘટનાના વીડિયો ડિલીટ કરી પુરાવાનો નાશ કરવાનો ગુન્હો પણ આચર્યો હતો. જે બાદમાં ફોરેન્સિક લેબમાં મોબાઈલ મોકલતા હકીકતો ખુલવા પામેલ છે. આમ ઉનાકાંડ એ ભયંકર પૂર્વ નિયોજિત કાવતરું હતું તે ચાર્જશીટ પરથી સાબિત થાય છે. હવે આંદોલનની સાથેસાથે કોર્ટ મારફતે તેઓને સખતમાં સખત સજા થાય તો જ આવી ઘટનાઓને નિવારી શકાય.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-Chamar-studio-the-name-of-the-caste-that-people-used-to-be-angry-about-made-a-brand">2013 બાદ દલિત અને આદિવાસીઓ સામેના ગુનાઓમાં અનુક્રમે 46 ટકા અને 48 ટકાનો વધારો થયો</a></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉના અત્યાચારમાં એક બીજી બાબત પણ નોંધવા જેવી છે કે, દલિતો પર થતા અત્યાચારમાં જ્યારે અત્યાચાર નિવારણ ધારા અંતર્ગતની ફરિયાદ દાખલ કરવાની થાય ત્યારે અનુ.જાતિનો દાખલો આપવો ફરજિયાત છે. ઉના દલિત અત્યાચારમાં ભોગ બનનાર પૈકી અશોકભાઈ બીજલભાઈ સરવૈયા અને રમેશભાઈ બાલુભાઈ સરવૈયા પાસે અનુ.જાતિનો દાખલો જ નહોતો. </span><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">તેથી C.I.D. ક્રાઇમે તારીખ 25.7.2016ના રોજ ઉના તાલુકા વિકાસ અધિકારીને ઉદેશીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે ભોગ બનનાર 2 વ્યક્તિઓ પાસે અનુ.જાતિના દાખલા નથી તેથી આ લોકોને સત્વરે સર્ટીફીકેટની પ્રમાણિત નકલ આપવી. સામાન્ય રીતે પોલીસ આ રીતે કોઈ અધિકારીને ઉદેશીને આવું લખતી નથી. પણ ઉનાકાંડમાં દલિત સમાજના પ્રચંડ જનઆંદોલનને કારણે સરકાર પર જે દબાણ ઉભું થયું હતું તેનો જ આ પ્રતાપ માની શકાય. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉનાકાંડ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ હતા. તેમણે ઉનાની મુલાકાતે ગયા હતા. ત્યાં ગયા બાદ તેમણે દલિતોની સ્થિતિ જોઈને વહીવટી તંત્રને કેટલીક સૂચના આપી હતી. જેમાં તેમણે પીડિત દલિત પરિવારોને બી.પી.એલ. કાર્ડ કાઢી આપવા માટે કહ્યું હતું. એ વખતે તેમણે રાજ્યમાં ટોલટેક્સ નાબૂદ કરવાની પણ વાત કરી હતી. આનંદીબેનના ગયા પછી ટોલટેક્સ તો નાબૂદ થયો પરંતુ મોટા સમઢીયાળાના દલિતો આજે પણ બી.પી.એલ.કાર્ડથી વંચિત છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજકાલ કરતા આ ઘટનાને 8 વર્ષનો સમય વીતી ગયો છે. આ સમયગાળામાં આરોપી બનેલા પોલીસ ઈન્સપેક્ટર ઝાલાને કોર્ટ સજા આપે તે પહેલા જ બિમારીને કારણે મોતને ભેટ્યા હતા. અત્યાર સુધીમાં તમામ 43 આરોપીઓને જામીન મળી ચૂક્યા છે અને છતાં પીડિત પરિવારને ન્યાય મળ્યો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><em><span style="color: rgb(224, 62, 45);"><strong>(લેખક ગુજરાતના વિખ્યાત મેગેઝિન 'અભિયાન' ના પૂર્વ તંત્રી અને પ્રથમ કાંતિ ભટ્ટ પત્રકારત્વ પારિતોષિક વિજેતા પત્રકાર છે)</strong></span></em></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/the-Chamar-studio-the-name-of-the-caste-that-people-used-to-be-angry-about-made-a-brand">The Chamar Studio: જે જ્ઞાતિનું નામ લઈને લોકો ખીજવતા હતા, તેને જ બ્રાન્ડ બનાવી દીધી</a></span></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 14 Jul 2024 17:02:33 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 02 Aug 2024 22:04:34 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>918</Articleid>
                    <excerpt>ઉનાકાંડની ઘટનાને આજકાલ કરતા 8 વર્ષ વીતી ગયા છે, આ સમયગાળામાં આ કેસમાં ઘણું બધું થઈ ગયું છે, અને બહુજન સમાજની વ્યક્તિ તરીકે આપણે તે બધું જાણવું જરૂરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66ad0a6d8c9d0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ad0a6d512ae.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ad0a6d512ae.jpg" length="76481" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, ઉનાકાંડ, una kand, उना कांड</media:keywords>
                </item>
                        <item>
                    <title>તિરુપતિ જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસને ટ્રકે ટક્કર મારી, 9 ના મોત</title>
                    <link>https://khabarantar.com/bus-of-pilgrims-going-to-tirupati-hit-by-truck-9-killed</link>
                    <guid>https://khabarantar.com/bus-of-pilgrims-going-to-tirupati-hit-by-truck-9-killed</guid>
                    <description>
                        <![CDATA[ કોલાર નજીક એક મોટા અકસ્માતમાં બેંગ્લુરૂથી તિરુપતિ દર્શને જઈ રહેલી બસને ટ્રકે ટક્કર મારી હતી, જેમાં અનેક લોકોના મોત થયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત દેશમાં સૌથી વધુ લોકોના મોત ધાર્મિક યાત્રાએ જતી વખતે થાય છે. આવો જ વધુ એક અકસ્માત કોલાર નજીક આજે સવારે થયો હતો. અહીં એક ટ્રકે મુસાફરોથી ભરેલી બસને ટક્કર મારી હતી. આ બસ મુસાફરો સાથે બેંગલુરુથી તિરુપતિ જઈ રહી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૯ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે અકસ્માતમાં ૧૫થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. હાલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમજ રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. પોલીસની ટીમ ઘાયલોને હોસ્પિટલ લઈ જવાની કામગીરી કરી હતી. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ માર્ગ અકસ્માત કોલાર નજીક નરસાપુરમાં થયો હતો. બસ બેંગલુરુથી તિરુપતિ જઈ રહી હતી. અકસ્માત બાદનો ઘટનાનો વીડિયો પણ પ્રકાશમાં આવ્યો છે વીડિયોમાં બસ ક્ષતિગ્રસ્ત હાલતમાં જોઈ શકાય છે. તે સ્થળ પર ટ્રક પણ દેખાય છે. પેસેન્જર બસના ફુરચાં ઊડી ગયા છે અને રસ્તા પર પડેલાં જોવા મળે છે. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે આ અકસ્માત થયો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Hundreds-of-Buddhist-monks,-including-Bhante-Chandima-Thero,-on-pilgrimage-from-Sarnath-to-Lumbini"> <span style="font-size: 14pt;">ભંતે ચંદિમા થેરો સહિત સેંકડો બૌદ્ધ ભિખ્ખુઓ સારનાથથી લુમ્બિનીની ધર્મયાત્રા પર</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અકસ્માત બાદ સ્થાનિક પોલીસને દુર્ઘટનાની માહિતી આપવામાં આવી હતી, ત્યારબાદ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતને કારણે રસ્તા પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેને પોલીસે કાર્યવાહી પૂર્ણ કરવાની સાથે દૂર કરી ફરી શરૂ કર્યો હતો. તેની સાથે જ રાહત અને બચાવ કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે. પોલીસની ટીમ ઘાયલોને હોસ્પિટલ લઈ જવાની કામગીરી કરી રહી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં ૨૪ કલાકમાં આ બીજી મોટી દુર્ઘટના છે. ગઈકાલે અહીં માંડ્યા જિલ્લાના નાગમંગલા તાલુકામાં શ્રીરામનહલ્લી ગેટ પાસે કાર અને ટેન્કર વાહન વચ્ચેની અથડામણમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/sevan-people-died-in-a-terrible-accident-of-a-bus-going-to-vaishnodevis-darshan"><strong>વૈષ્ણોદેવીના દર્શન જતી બસના ભયંકર અકસ્માતમાં 7 લોકોના મોત</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 12 Jul 2024 21:19:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>912</Articleid>
                    <excerpt>કોલાર નજીક એક મોટા અકસ્માતમાં બેંગ્લુરૂથી તિરુપતિ દર્શને જઈ રહેલી બસને ટ્રકે ટક્કર મારી હતી, જેમાં અનેક લોકોના મોત થયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66914fc58d315.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66914fc55d647.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66914fc55d647.jpg" length="50672" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહાદેવ મંદિરમાંથી તસ્કરો હજારોની કિંમતના વાસણો ચોરી ગયા</title>
                    <link>https://khabarantar.com/smugglers-stole-utensils-worth-thousands-from-the-mahadev-temple</link>
                    <guid>https://khabarantar.com/smugglers-stole-utensils-worth-thousands-from-the-mahadev-temple</guid>
                    <description>
                        <![CDATA[ એક શહેરમાં ભરબજાર વચ્ચે આવેલા મહાદેવના મંદિરમાંથી તસ્કરો તાળું તોડીને હજારો રૂપિયાના વાસણો ચોરી ગયા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાસકાંઠા જિલ્લાના વડામથક પાલનપુરમાં તસ્કરો બજાર વચ્ચે આવેલા એક મંદિરમાં કળા કરી ગયા છે. મળતી માહિતી પ્રમાણે અહીં બજાર વિસ્તારમાં તપોધન બ્રાહ્મણ સમાજનું વર્ષો જૂનું નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં ગત રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ઇસમો મંદિરનું તાળું તોડી અંદર પડેલા વિવિધ પ્રકારના વાસણો ચોરીને ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના બાદ મંદિરના ટ્રસ્ટીએ પૂર્વ પોલીસમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આસપાસની દુકાનોમાં લગાવવામાં આવેલા સીસી ટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ કરી ચોરને શોધવા માટે પ્રયત્ન શરૂ કરી દીધા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/if-meldi-mata-ramdevpir-didnt-do-the-expected-work-the-devotee-set-the-temple-on-fire"><span style="font-size: 14pt;">મેલડી માતા-રામદેવપીરે ધાર્યું કામ ન કર્યું તો ભક્તે મંદિર સળગાવી દીધું</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાલનપુરમાં કીર્તિસ્તંભ વિસ્તાર નજીક નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે. જેમાં રૂમની અંદર મહાદેવ મંદિરમાં પૂજાપાઠ માટે નાના મોટી વસ્તુઓ અને વાસણો રાખવામાં આવે છે. આ રૂમનો કોઈ અજાણ્યા ઈસમો નકુચો તોડી મંદિરના ગર્ભમાં પડેલા તાંબાના લોટા તેમજ નાની-મોટી વસ્તુઓ ચોરી ગયા હતા. આ ઉપરાંત બાજુમાં આવેલી નાની બે રૂમના પણ તાળાં તોડી એકમાંથી મોંઘા બે પાણીનાં નળ કાઢીને ચોરી ગયા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે મંદિરના પૂજારી નટુભાઈએ ટ્રસ્ટીઓને જાણ કરતા ટ્રસ્ટીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. ટ્રસ્ટી દેવેન્દ્ર રાવલના જણાવ્યા પ્રમાણે મંદિરમાંથી અંદાજે રૂ. ૪૦,૦૦૦ ની કિંમતના વાસણો ચોરી થઈ ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પૂર્વ પોલીસમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવતા પોલીસ ટીમ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી. આસપાસની દુકાનોના તેમજ અંબાજી મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ દ્વારા આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ મંદિરમાં બે મોટા સ્પીકરોની ચોરી થઈ હોવાનું ટ્રસ્ટીઓ જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/in-rajkot-smugglers-stole-8-temples-in-a-single-night-and-escaped"><strong>રાજકોટમાં તસ્કરો એક જ રાતમાં 8 મંદિરોમાં ચોરી કરી ફરાર થઈ ગયા</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 12 Jul 2024 13:21:12 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>909</Articleid>
                    <excerpt>એક શહેરમાં ભરબજાર વચ્ચે આવેલા મહાદેવના મંદિરમાંથી તસ્કરો તાળું તોડીને હજારો રૂપિયાના વાસણો ચોરી ગયા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6690df9bd8327.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6690df9ba8cbd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6690df9ba8cbd.jpg" length="93463" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત કિશોરના શરીરે બટકા ભરી માંસના લોચાં ખેંચી ચાવી ગયો</title>
                    <link>https://khabarantar.com/the-body-of-the-dalit-teenager-was-stuffed-with-meat-and-chewed</link>
                    <guid>https://khabarantar.com/the-body-of-the-dalit-teenager-was-stuffed-with-meat-and-chewed</guid>
                    <description>
                        <![CDATA[ હૈવાનિયતની હદ વટાવતી એક ઘટના સામે આવી છે. જેમાં એક ટ્રક ડ્રાઈવર 15 વર્ષના દલિત કિશોરના શરીરે અસંખ્ય બટકાં ભરી, માંસના લોચાં તોડીને ચાવી ગયો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બોલીવૂડ અને હોલીવૂડની અનેક ફિલ્મોમાં આપણે મનોરોગી વિલનો જોયા છે. ખાસ કરીને મહેશ ભટ્ટની ફિલ્મોમાં ગે, બાયોસેક્સુઅલ, ટ્રાન્સજેન્ડર કે વિચિત્ર પ્રકારની માનસિક બિમારીથી પિડાતી વ્યક્તિ જ્યારે બર્બરતા પર ઉતરી આવે ત્યારે સામેની વ્યક્તિ પર જે ભયંકર ત્રાસ ગુજારે તેની કલ્પના કરતા પણ થથરી જવાય છે. તો વિચારો જેમની સાથે ખરેખર આવું કંઈક થયું હોય તો તેની શું દશા થાય?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આપણી વિચારશક્તિ બહેર મારી જાય તેવી એક ઘટના સામે આવી છે. જેમાં એક 15 વર્ષના દલિત કિશોરને એક ટ્રક ડ્રાઈવર પોતાની સાથે લઈ ગયો હતો અને 20 દિવસ સુધી તેનું જાતીય શોષણ કર્યું હતું. વાત આટલેથી અટકતી નથી. વિચિત્ર પ્રકારની માનસિક બિમારીથી પિડાતા એ ટ્રક ડ્રાઈવરે દલિત કિશોરના આખા શરીર પર બટકાં ભરીને માંસના લોચાં તોડી લીધાં હતા અને તેની નજર સામે જ ચાવી જતો હતો. 20 દિવસ સુધી આ ઘટનાક્રમ ચાલતો રહ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો હિમાચલ પ્રદેશના હરોલી વિસ્તારનો છે. અહીં 15 વર્ષના એક દલિત કિશોર સાથે તેની બાજુના ગામમાં રહેતા એક મનોરોગી ટ્રક ડ્રાઈવરે રાક્ષસો જેવું વર્તન કર્યું હતું. ટ્રક ડ્રાઈવર કિશોરના શરીરમાંથી માંસના લોચાં તોડીને ચાવી ગયો હતો અને તેનું જાતીય શોષણ પણ કર્યું હતું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાની જાણકારી મળતા જ ચોતરફ હાહાકાર મચી ગયો હતો. હોબાળો થતા ભીમ આર્મી હિમાચલ પ્રદેશની ટીમ એક્ટિવ થઈ હતી અને સમગ્ર મામલે મનોરોગી ટ્રક ડ્રાઈવર પર કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. આ સાથે જ ભીમ આર્મીના અધ્યક્ષ રવિકુમાર અને તેમના સાથીદારોએ પીડિત કિશોર અને તેના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી યોગ્ય કાર્યવાહી કરાવવાની ખાતરી આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે ઘટના બાદ પોલીસે આરોપી ટ્રક ડ્રાઈવરને અટકાયતમાં લઈને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પીડિત કિશોરના પરિવારજનો દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદ મુજબ, બાજુના ગામમાં રહેતો એક ટ્રક ડ્રાઈવર(આટલી ગંભીર ઘટનામાં પણ સવર્ણ મીડિયાએ આરોપીનું નામ છુપાવ્યું છે, એટલે તે કઈ જાતિનો હશે તે સમજી શકાય છે. આ પ્રકારના રિપોર્ટ ભાગ્યે જ મુખ્યધારાના મીડિયામાં પ્રકાશિત થતા હોવાથી ખબરઅંતર.કોમને પણ આરોપીનું નામ કે અટક મળી શક્યા નથી.) તેમના 15 વર્ષના દીકરાને ફરવા લઈ જવાના બહાને પોતાની સાથે ટ્રકમાં લઈ ગયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-dalit-teenager-who-went-to-pluck-pomegranates-in-the-field-was-beaten-by-tying-his-limbs">ખેતરમાં દાડમ તોડવા ગયેલા દલિત કિશોરના હાથપગ બાંધીને ઢોર માર માર્યો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગત રવિવારે જ્યારે કિશોર પોતાના ઘરે પરત ફર્યો ત્યારે તેણે જે ખુલાસા કર્યા તે સાંભળીને તેનો પરિવાર હતપ્રભ થઈ ગયો. પીડિત કિશોરે જણાવ્યું કે આરોપી ટ્રક ડ્રાઈવરે તેનું અનેકવાર જાતીય શોષણ કર્યું હતું. એટલું જ નહીં તેણે કિશોરના શરીર પર અનેક જગ્યાએ બટકાં ભરી લીધાં હતા અને તેની નજર સામે જ માંસ ચાવીને ખાઈ જતો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપી ટ્રક ડ્રાઈવરે દલિત કિશોરને 20 દિવસ સુધી પોતાની સાથે બંધક બનાવીને રાખ્યો હતો. એ દરમિયાન તે કિશોરને પોતાની સાથે ફેરવતો રહ્યો અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો રહ્યો. આરોપી તેને હિમાચલ પ્રદેશની બહાર સુધી લઈ ગયો હતો અને દરરોજ ઈચ્છા થાય ત્યારે તેનું શોષણ કરતો રહ્યો. હતપ્રભ થઈ ગયેલો કિશોર પરિવારજનોથી દૂર હોવાથી કશું બોલી શક્યો નહોતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત કિશોરના પરિવારજનોએ પોલીસ ફરિયાદ આપતા સમગ્ર મામલે આરોપી ટ્રક ડ્રાઈવર પર કડક કાર્યવાહીની માંગણી કરી છે. જિલ્લા પોલીસ વડા રાકેશ સિંહે આ મામલે જણાવ્યું હતું કે, પીડિત કિશોરના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે આરોપીની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી દીધી છે. દલિત કિશોરનું મેડિકલ ચેક અપ પણ કરાવવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં આગળની કાર્યવાહી હાથ ધરીને આરોપીને વહેલી તકે સજા થાય તેવા પગલાં ભરાશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-rampur-disa-dalit-child-beaten-after-drinking-water-from-matla">ડીસાના રામપુર ગામમાં દલિત બાળકે દુકાનના માટલામાંથી પાણી પીધું તો માર્યો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ભીમ આર્મીના પ્રદેશ અધ્યક્ષ રવિ કુમાર દલિતે સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રીના વિધાનસભા વિસ્તારમાં આવી બર્બરતાપૂર્ણ ઘટના ઘટે તે શરમજનક બાબત છે. તેમણે કહ્યું કે, સરકાર અને નાયબ મુખ્યમંત્રી આ ઘટના પર ધ્યાન આપે અને આરોપી ટ્રક ડ્રાઈવર પર કડકમાં કડક કાર્યવાહી કરે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે, પોલીસ આ મામલામાં એસસી-એસટી એક્ટ સહિતની કલમોને સામેલ કરે અને તરત કાર્યવાહી કરે. અમારી ટીમ ઉનાના એસપી સાથે મુલાકાત કરશે અને તેમને પણ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રવિકુમારે વધુમાં જણાવ્યું હતું કે, આ મામલામાં જો પોલીસ અને સરકાર કોઈપણ પ્રકારની ચાલાકી કરશે કે આરોપીને બચાવવાનો પ્રયત્ન કરશે તો ભીમ આર્મી ઉનાના રસ્તા પર ઉતરશે અને સરકાર, તંત્ર અને પોલીસ વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરશે. આ ઘટનાએ સમગ્ર હિમાચલ પ્રદેશમાં સનસની ફેલાવી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-fell-unconscious-after-hitting-the-youth-brought-him-back-to-consciousness-by-splashing-water-and-hit-him-again">ડીઝલ ચોરીની શંકાએ દલિત યુવકને બેભાન થયો ત્યાં સુધી ફટકાર્યો, પાણી છાંટી ભાનમાં લાવીને ફરી માર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 11 Jul 2024 14:08:29 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>904</Articleid>
                    <excerpt>હૈવાનિયતની હદ વટાવતી એક ઘટના સામે આવી છે. જેમાં એક ટ્રક ડ્રાઈવર 15 વર્ષના દલિત કિશોરના શરીરે અસંખ્ય બટકાં ભરી, માંસના લોચાં તોડીને ચાવી ગયો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668f9606301bb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668f9605f4169.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668f9605f4169.jpg" length="51693" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>GLS કૉલેજના પ્રોફેસરે માતાની હત્યા કર્યા બાદ ગળેફાંસો ખાઈ લીધો</title>
                    <link>https://khabarantar.com/gls-college-professor-hangs-himself-after-killing-mother</link>
                    <guid>https://khabarantar.com/gls-college-professor-hangs-himself-after-killing-mother</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદની જીએલએસ કોલેજના અર્થશાસ્ત્રના પ્રોફેસરે પાલડી સ્થિત ઘરમાં માતાની છરીના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ લીધો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શહેરના પાલડીમાં પુત્રએ પોતાની જ માતાની હત્યા કરી નાખી હતી. બાદમાં પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આવું કરવા પાછળનું કારણ અકબંધ છે. પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ માતા-પુત્રના મૃતદેહોનો કબજો મેળવી પીએમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આસપાસમાં રહેતા લોકોનું પણ નિવેદન લીધું છે. કયા કારણોસર આવું કર્યું તે જાણવા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શહેરના પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં પુત્રએ પોતાની જ માતાને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કર્યો છે. બનાવની વિગતવાર વાત કરીએ તો મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં આવેલા 4 નંબરના મકાનમાં 75 વર્ષીય દત્તાબેન ભગત તેઓના 42 વર્ષીય દીકરા સાથે અનેક વર્ષોથી રહેતા હતા. બુધવારે વહેલી સવારે 8 વાગતા તેઓના ઘરની બહાર થેલીમાં દૂધ અને છાપુ જોવા મળતા પાડોશીને લાગ્યું કે તે બહાર ગયા હસે, જોકે બાદમાં શંકા જતા ઘરના દરવાજાની બાજુમાં કાચ તોડી ઘરમાં જોતા મૈત્રેય ભગત હોલમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં હતો. જે બાદ અન્ય રૂમમાં જોતા તેના માતા દત્તાબેન ભગત બેડ પર મૃત હાલતમાં હતા અને તેઓના ગળા પર ઈજાના નિશાન હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Beta-le-lo...-beta-le-lo...-Why-was-a-father-forced-to-sell-his-beloved-son"> <span style="font-size: 14pt;">'બેટા લે લો... બેટા લે લો...' એક પિતા પોતાના લાડકા દીકરાને વેચવા મજબૂર કેમ બન્યો?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને પાલડી પોલીસની સાથે ACP અને DCP સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. અને આ મામલે FLS ની પણ મદદ લેવાઈ હતી.FSL ની ટીમે ઘરમાંથી હત્યામાં વપરાયેલી છરી સહિતના પુરાવાઓ એકત્ર કર્યા છે. આ ઘટનાને લઈને પોલીસે આસપાસના લોકોની પણ પૂછપરછ કરી હતી. જેમાં સામે આવ્યું કે મૃતક માતા પુત્ર છેલ્લા 35 વર્ષથી અહીંયા રહેતા હતાં, મૃતક દત્તાબેન ભગતના પતિ દિલીપ ભગત MBBS ડોક્ટર હતા. જેઓનું 6 વર્ષ પહેલાં મોત થયું હતું. જે બાદથી માતા અને પુત્ર ઘરમાં રહેતા હતા. માતાની હત્યા કરનાર મૈત્રેય ભગત શહેરની GLS કોલેજમા ઇકોનોમિકસના પ્રોફેસર હતા. પરિવારમાં તેને એક બહેન હતી, જેના લગ્ન સુરતમાં થયા હોવાથી તે સુરતમાં સાસરીમાં રહેતી હતી.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બનાવ પાછળનું કારણ પ્રાથમિક તપાસમાં ડિપ્રેશન હોવાનો પોલીસને અંદાજ છે. 42 વર્ષીય મૈત્રેય ભગતના લગ્ન થયા ન હતા અને તેને થોડા સમય પહેલા હ્રદયની સર્જરી કરાવી સ્ટેન્ટ મુકાવ્યું હતું. જોકે હવે આ કેસમાં પુરાવાઓ એકત્ર કરવા માટે પોલીસે બંનેના મોબાઈલ FSL માં મોકલ્યા અને વધુ તપાસ હાથ ધરી છે. તેવામાં આ કેસમાં તપાસમાં હત્યા અને આપઘાત પાછળના ક્યા કારણો સામે આવે છે તે જોવું રહ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/went-to-the-toilet-at-night-found-the-murdered-body-of-a-middle-aged-dalit-in-the-morning"><strong>રાત્રે ટોઈલેટ જવા નીકળ્યાં હતા, સવારે દલિત આધેડની હત્યા કરેલી લાશ મળી</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 10 Jul 2024 20:10:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>901</Articleid>
                    <excerpt>અમદાવાદની જીએલએસ કોલેજના અર્થશાસ્ત્રના પ્રોફેસરે પાલડી સ્થિત ઘરમાં માતાની છરીના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ લીધો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668e9cc5e3146.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668e9cc5b32e3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668e9cc5b32e3.jpg" length="58396" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>પુરી જગન્નાથની રથયાત્રામાં બલભદ્રની મૂર્તિ સેવકો પર પડતા ૯ ઘાયલ</title>
                    <link>https://khabarantar.com/in-puri-jagannaths-rath-yatra-balabhadras-idol-fell-on-the-sevaks-9-injured</link>
                    <guid>https://khabarantar.com/in-puri-jagannaths-rath-yatra-balabhadras-idol-fell-on-the-sevaks-9-injured</guid>
                    <description>
                        <![CDATA[ ઓરિસ્સાના પુરીના ગુંડીચા મંદિરમાં રથયાત્રા બાદ બળભદ્રની મૂર્તિ સેવકો પર પડતા 9 લોકો ઘાયલ થઈ ગયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓરિસ્સાના પુરીના ગુંડીચા મંદિરમાં ગઈકાલે રાત્રે બલભદ્રની મૂર્તિ સેવકો પર પડતા 9 સેવકો ઘાયલ થઈ ગયા છે. મંગળવારે રાત્રે ૯ વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી. ૮મી જુલાઈએ રથયાત્રા બાદ ગુંડીચા મંદિરમાં પહાડી વિધિ ચાલી રહી હતી. સેવકો ભગવાનની મૂર્તિઓને રથમાંથી ઉતારીને મંદિરમાં લઈ જઈ રહ્યા હતા. એ વખતે બલભદ્રજીને ઉતારતી વખતે સેવકો રથના ઢોળાવ પર લપસી પડ્યા અને મૂર્તિ તેમના પર પડી હતી. જેમાં ૯ જણાં ઘાયલ થયા હતા. આ પૈકી ૫ લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે, મૂર્તિને કોઈ નુકસાન થયું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક ઈજાગ્રસ્ત સેવકે જણાવ્યું હતું કે, મૂર્તિ સાથે બાંધેલા દોરડામાં કોઈ સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. હોસ્પિટલમાં દાખલ બે લોકોને રજા આપવામાં આવી હતી અને તેઓ ધાર્મિક વિધિમાં જોડાયા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તરફ ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી અને ઘાયલ સેવકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. તેમણે કાયદા પ્રધાન પૃથ્વીરાજ હરિચંદનને તાત્કાલિક પુરી જઈને યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/ramanlal-vora-insults-anu-jati-morcha-vice-president-in-rath-yatra"><span style="font-size: 14pt;">રમણલાલ વોરાએ રથયાત્રામાં અનુ.જાતિ મોરચાના ઉપાધ્યક્ષને ગાળો ભાંડી</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નાયબ મુખ્યમંત્રી પ્રાવતિ પરિદા પણ પુરી ગયા હતા. તેમણે કહ્યું કે અમે આગળની કાર્યવાહી માટે મુખ્યમંત્રીને રિપોર્ટ કરીશું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પુરીમાં રથયાત્રા દરમિયાન ભગવાન બલભદ્રના તાલધ્વજ રથને ખેંચતી વખતે એક ભક્તનું ગૂંગળામણથી મૃત્યુ થયું હતું. તેને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ સિવાય ભીડમાં ગૂંગળામણને કારણે ૮ લોકોની તબિયત લથડી હતી. બાદમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓડિશાના સીએમ મોહન ચરણ માઝીએ મૃતકના પરિજનોને ૪ લાખ રૂપિયા અને ઘાયલોને મફત સારવારની જાહેરાત કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દુર્ઘટના પછી તરત જ ભગવાન જગન્નાથ, દેવી સુભદ્રા અને ભગવાન બલભદ્રની પૂજા ફરી શરૂ થઈ અને તમામ મૂર્તિઓને ગુંડીચા મંદિરની અંદર લઈ જવામાં આવી હતી, જે તેમનું જન્મસ્થળ માનવામાં આવે છે. ભગવાન અહીં ૧૫મી જુલાઈ સુધી રોકાશે. તે જ દિવસે બહુડા યાત્રા યોજાશે અને ત્રણેય મૂર્તિઓ એક જ દિવસે મૂળ મંદિરમાં પરત ફરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુંડીચા મંદિર પુરીના જગન્નાથ મંદિરથી માત્ર ૩ કિમી દૂર છે. જગન્નાથ દર વર્ષે જ્યારે પણ અહીં પહોંચે છે, તેના એક મહિના પહેલાંથી જ ગુંડીચા મંદિરના ૫૦૦ મીટરના ભાગમાં દરેક ઘરમાં ભગવાનના આગમનની તૈયારીઓ શરૂ થઈ જાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક રિવાજ મુજબ લોકો નોનવેજ ભોજન છોડી દે છે. રથયાત્રાના સાતેય દિવસ લોકો નવાં કપડાં પહેરે છે અને જગન્નાથજીના પૂજન પછી મળતો અભડા પ્રસાદ ખાઈને જ દિવસની શરૂઆત કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/jagannathjis-rath-yatra-is-the-triratna-yatra-of-buddhism"><strong>જગન્નાથજીની રથયાત્રા બૌદ્ધ ધર્મની ત્રિરત્ન યાત્રા છે?</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 10 Jul 2024 19:40:48 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 10 Jul 2024 19:42:32 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>900</Articleid>
                    <excerpt>ઓરિસ્સાના પુરીના ગુંડીચા મંદિરમાં રથયાત્રા બાદ બળભદ્રની મૂર્તિ સેવકો પર પડતા 9 લોકો ઘાયલ થઈ ગયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668e95b2e92b5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668e95b2b5afa.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668e95b2b5afa.jpg" length="144474" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;બહુચર માતા કેસ&amp;apos; માં રેશનાલિસ્ટ મનસુખ રાઠોડને જામીન મળ્યાં</title>
                    <link>https://khabarantar.com/rationalist-mansukh-rathore-gets-bail-in-bahuchar-mata-case</link>
                    <guid>https://khabarantar.com/rationalist-mansukh-rathore-gets-bail-in-bahuchar-mata-case</guid>
                    <description>
                        <![CDATA[ બહુચર માતા અને તેમના કૂકડા પરની ટિપ્પણીને લઈને રેશનાલિસ્ટ મનસુખ રાઠોડ પર કરવામાં આવેલા કેસમાં કોર્ટે તેમને જામીન આપ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટના આમોદના વતની રેશનાલિસ્ટ મનસુખભાઈ રાઠોડને બહુચર માતા અને તેમના કૂકડા પર કરેલી ટિપ્પણીને લઈને કડી કોર્ટમાંથી જામીન મળી ગયા છે જેનાથી રેશનાલિસ્ટોમાં આનંદની લાગણી ફેલાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટના રામોદના વતની મનસુખભાઈ રાઠોડનો થોડા દિવસ પહેલા એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં તેઓ હિંદુ ધર્મના બહુચર માતા અને મેલડી માતા વિશે ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા. જેને લઈને માતાજીના ભક્તોને લાગી આવ્યું હતું. આવા જ એક મહેસાણાના ભક્તની લાગણી દુભાતા તેમણે મનસુખભાઈ સામે કડીની કોર્ટમાં ફરિયાદ કરી દીધી હતી. જેથી મહેસાણા એલસીબી અને કડી પોલીસે તેમની અટકાયત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેસાણાના એક ભક્ત નામે યુવરાજ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે મનસુખભાઈની ટિપ્પણીથી તેમની અને હિંદુઓની લાગણી દુભાઈ હોવાનું જણાવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"> </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં હવે કડીની કોર્ટે મનસુખભાઈને જામીન આપી દીધાં છે. તેમના વતી કોર્ટમાં સ્થાનિક વકીલ મહેન્દ્ર વાઘેલાએ રજૂઆત કરી હતી. આ કેસ દરમિયાન હાઇકોર્ટના વરિષ્ઠ એડવોકેટ હેમંત મકવાણા, વિજ્ઞાન જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યા, ગોંડલના વકીલ દિનેશભાઈ કાથડ, નિલદિપભાઈ એડવોકેટ, સિનિયર ક્લાર્ક ભાનુબેન ગોહિલ સહિત અનેક શુભેચ્છકોએ હાજરી આપી હતી. બંને પક્ષના વકીલો વચ્ચે ધારદાર દલીલો થઈ હતી. અંતે કોર્ટે મનસુખભાઈ રાઠોડના જામીન મંજૂર કરતા તેમના શુભેચ્છકો અને રેશનાલિસ્ટોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/in-bhavnagar-adhed-committed-suicide-by-taking-a-fire-bath-before-kuldevi"><strong>ભાવનગરમાં આધેડે કુળદેવી સમક્ષ અગ્નિસ્નાન કરીને આત્મહત્યા કરી</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 10 Jul 2024 13:49:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>899</Articleid>
                    <excerpt>બહુચર માતા અને તેમના કૂકડા પરની ટિપ્પણીને લઈને રેશનાલિસ્ટ મનસુખ રાઠોડ પર કરવામાં આવેલા કેસમાં કોર્ટે તેમને જામીન આપ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668e433d2cd7e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668e433ceff69.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668e433ceff69.jpg" length="124592" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભોલે બાબા સહિત 20 જેટલા નકલી બાબાઓને બ્લેકલિસ્ટ કરાશે</title>
                    <link>https://khabarantar.com/about-20-fake-babas-including-bhole-baba-will-be-blacklisted</link>
                    <guid>https://khabarantar.com/about-20-fake-babas-including-bhole-baba-will-be-blacklisted</guid>
                    <description>
                        <![CDATA[ યુપીના હાથરસમાં થયેલી ભાગદોડમાં 121 લોકો માર્યા ગયા હતા. આ મામલે હવે 13 અખાડાઓએ કરાર કરીને 20 નકલી બાબાઓને બ્લેકલિસ્ટ કરવાનું નક્કી કર્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાથરસની ઘટનાને કારણે લાઈમલાઈટમાં આવેલા નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબા સહિત ૨૦ જેટલા નકલી બાબાઓને બ્લેકલિસ્ટ કરવાની તૈયારીઓ અખાડાઓએ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે આ તમામ કથિત બાબાઓને બ્લેકલિસ્ટ કરવા માટે 13 અખાડાઓએ કરાર કર્યા છે. આ પ્રસ્તાવ અખાડા પરિષદ ૧૮ જુલાઈના રોજ કુંભ મેળાના વહીવટીતંત્ર સાથે યોજાનારી બેઠકમાં રજૂ કરશે. મેળા અધિકારીને જણાવવામાં આવશે કે આ નકલી સ્વ-ઘોષિત બાબાઓને મેળામાં સ્થાયી થવા માટે જમીન અને સુવિધાઓ ન આપવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત રવિન્દ્ર પુરીના જણાવ્યા મુજબ, અખાડા પરિષદે જુદા જુદા સ્વરૂપમાં દંભી બાબાઓની યાદી તૈયાર કરી છે, જેઓ નિર્દોષ જનતાને ગેરમાર્ગે દોરે છે અને તેમની ભક્તિની જાળમાં ફસાવે છે. આવા ઢોંગીઓને મહાકુંભમાં પોતાની દુકાનો સજાવવા દેવામાં આવશે નહીં. આ સંદર્ભે, તમામ 13 અખાડાઓના પ્રતિનિધિઓ સંમત થયા છે કે ઢોંગી બાબાઓની યાદી જાહેર કરવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવા નકલી બાબાઓને મહાકુંભમાં સ્થાયી થવા માટે જમીન અને કેમ્પિંગની સુવિધા આપવી જોઈએ નહીં, અમે ન્યાયી વહીવટીતંત્ર સમક્ષ આની માંગણી કરીશું. હાલ વહીવટી તંત્ર કુંભમાં રહેતી ધાર્મિક સંસ્થાઓ અને મહામંડલેશ્વરોનો સર્વે કરવામાં વ્યસ્ત છે. સંતો તરફથી અરજીઓ પણ આવવા લાગી છે. અરજીઓ માટેનું ઓનલાઈન પોર્ટલ પણ આવતા મહિને ખુલશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Why-is-Emperor-Ashoka-untouchable-for-the-so-called-upper-castes-of-India"><span style="font-size: 14pt;">શા માટે ‘સમ્રાટ અશોક’ ભારતની કથિત ઉચ્ચ જાતિઓ માટે અસ્પૃશ્ય છે?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાથરસની ઘટના બાદ અખાડા પરિષદ પણ ધર્મના નામે ઢોંગ કરતા બાબાઓ સામે સક્રિય બની છે. અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે ત્રિકાલદર્શી, ભગવાન, પરબ્રહ્મ અને દૈવી અવતાર હોવાનો દાવો કરીને જનતાને છેતરનારા બાબાઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબા, સ્વામી નિત્યાનંદ, રામ રહિમ સહિત ૨૦થી વધુ બાબાઓનો સમાવેશ થાય છે, </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અખિલ ભારતીય અખાડા પરિષદના મહામંત્રી મહંત હરિગિરીએ જણાવ્યું હતું કે અખાડા પરિષદનું માનવું છે કે સંતોએ જનહિત અને દાન દ્વારા સમાજમાં મૂલ્યો અને પ્રતિષ્ઠાનું વાતાવરણ બનાવવું જોઈએ. ઉલટાનું ઢોંગી બાબા સમાજને અંધ શ્રદ્ધા અને દંભની જાળમાં ફસાવીને ગેરમાર્ગે દોરે છે. નારાયણ સાકર હરિ પોતાને પરમ બ્રહ્મા કહે છે. તે કહે છે કે તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે, જ્યારે તે ઈચ્છે ત્યારે તે બ્રહ્માંડનો વિનાશ કરી નાખશે. અમે આવા ૨૦ નકલી બાબાઓની યાદી સરકારને આપીશું, જેથી તેઓ મહાકુંભમાં જમીન અને સુવિધાઓથી વંચિત રહી શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે અખાડાઓની આ કવાયત વચ્ચે એક બૌદ્ધિક વર્ગ એવો પણ છે, જે કુંભ જેવા ધાર્મિક મેળાવડાઓનો પણ વિરોધ કરે છે અને અખાડાઓના સાધુ સંતોનો પણ વિરોધી છે. તેમનું કહેવું છે કે, અખાડાઓ દ્વારા કરાવવામાં આવતી પ્રવૃત્તિઓ પણ લોકોને ધર્મના નામે અંધશ્રદ્ધામાં ધકેલવા જેવી જ છે, તેથી ઢોંગી બાબાઓ જેટલા જ આ સાધુ સંતો પણ જવાબદાર ગણાય. તેઓ પણ કુંભ જેવા આયોજનોમાં લાખો લોકોને ધર્મ અને અંધશ્રદ્ધાના નામે ભેગા કરે છે અને તેમાં પણ હાથરસ જેવી મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ કાયમ રહે છે. તેથી અખાડાઓએ ઢોંગી બાબાઓને બ્લેકલિસ્ટ કરવા સાથે પોતે પણ આવા મેળાવડા યોજવાનું બંધ કરી દેવું જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અન્ય એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, અખાડાઓને આ બાબાઓને બ્લેકલિસ્ટ કરવાની ઓથોરિટી કોણે આપી છે તે પણ સવાલ છે. તેઓ પોતે પણ ધર્મની આડમાં અંધશ્રદ્ધા ફેલાવતા એક કલ્ચરનો ભાગ જ ગણાય. તેથી અખાડાઓએ પોતે પહેલા આવી દુર્ઘટનામાંથી ધડો લઈને જાહેર મેળાવડાઓના આયોજનોથી દૂર રહેવું જોઈએ, કુંભ જેવા મેળાઓના નામે લોકોને ધર્મના ગુલામ બનાવતા અટકાવવા માટે કામ કરવું જોઈએ. આવી સ્થિતિમાં કોણ અસલી છે અને કોણ નકલી બાબા છે તે આખો મુદ્દો જ ગૌણ બનીને રહી જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/a-case-was-registered-against-the-organizers-of-the-Hathras-race-but-not-bhole-babas-name"><strong>હાથરસ ભાગદોડ મામલે આયોજકો સામે કેસ નોંધાયો, ભોલે બાબાનું નામ નહીં</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 09 Jul 2024 20:48:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>896</Articleid>
                    <excerpt>યુપીના હાથરસમાં થયેલી ભાગદોડમાં 121 લોકો માર્યા ગયા હતા. આ મામલે હવે 13 અખાડાઓએ કરાર કરીને 20 નકલી બાબાઓને બ્લેકલિસ્ટ કરવાનું નક્કી કર્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668d5440dc779.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668d5440ad84c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668d5440ad84c.jpg" length="110345" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>જે દિવસે સવર્ણોના સંતાનોના લગ્ન દલિતોમાં થાય, અનામત બંધ કરી દેજો</title>
                    <link>https://khabarantar.com/the-day-the-children-of-upper-castes-get-married-to-dalits-stop-reservation</link>
                    <guid>https://khabarantar.com/the-day-the-children-of-upper-castes-get-married-to-dalits-stop-reservation</guid>
                    <description>
                        <![CDATA[ ઉત્તરપ્રદેશના એક પૂર્વ આઈએએસ અધિકારીના પોડકાસ્ટે હાલ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે, જેમાં તેમણે અનામત વિરોધીઓના છોતરાં કાઢી નાખ્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી યાદ છે? એ વખતે ઉત્તરપ્રદેશ કેડરના એક આઈએએસ અધિકારીને ગુજરાતના ચૂંટણી ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરાયા હતા અને તેમણે સરકારી ગાડી સાથેનો પોતાનો ફોટો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો, જેના  કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા? અહીં આપણે એ જ અધિકારીની વાત કરવી છે. હાલમાં જ તેમણે એક યુટ્યૂબ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં અનામત વિશે જે વાતો કરી છે તેને લઈને સોશિયલ મીડિયામાં ચોતરફ ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને અનામત વિશે તેમણે જે સ્પષ્ટતાથી વાત કરી છે, તેને લઈને સૌ કોઈ તેમની હિંમતને દાદ આપી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પૂર્વ આઈએએસ અધિકારીનું નામ અભિષેક સિંહ છે. પૂર્વ એટલા માટે કેમ કે તેમણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જબરજસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ મેરિટ અને અનામત વિશેના સવાલોનો ભારે હિંમત અને મજબૂત તર્ક સાથે જવાબ આપે છે. અભિષેક સિંહે આ પોડકાસ્ટની ક્લિપ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તેઓ જણાવી રહ્યાં છે કે, શા માટે ભારતમાં અનામત જરૂરી છે અને તેને ક્યારે બંધ કરી શકાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોડકાસ્ટમાં તેઓ કહે છે, "મેરિટ શબ્દના અર્થને સમજવો ખૂબ જ જરૂરી છે. મેરિટનો અર્થ માત્ર સ્કિલ અને તમારી અંદર કેટલી પ્રતિભા છે તેટલો જ નથી. એક દલિત બાળક જન્મે છે તો નાનપણથી જ તેને એ સમજાવવામાં આવે છે કે, તું દલિત છે. વારંવાર તેને આ બાબત કહેવામાં આવે છે. જ્યારે કથિત સવર્ણ વર્ગનું બાળક મોટું થાય છે તો તેને પહેલેથી એ સમજાવવામાં આવે છે કે બેટા, તું તો સાશન કરવા માટે જનમ્યો છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અભિષેક સિંહે પોડકાસ્ટ દરમિયાન અનામતના સવાલ પર કહ્યું, "અનામત પર પહેલો સવાલ એ હોવો જોઈએ કે તે શા માટે હોવી જોઈએ. જ્યાં સુધી મારી સમજણ છે ત્યાં સુધી અનામત એટલા માટે છે કેમ કે અમુક સમાજને ઉત્થાનની જરૂર છે, કેમ કે તેમને સદીઓથી એ જ નજરથી જોવામાં આવ્યા છે. એ જાતિના લોકો બધાંની વચ્ચે પોતાની જાતિનું નામ ગર્વથી નથી લઈ શકતા. સમાજમાં અમુક જાતિઓ છે, જેમને તમે ગર્વથી નહીં કહી શકો કે તમે એ જાતિમાંથી છો. પણ જો તમે બ્રાહ્મ કે ઠાકુર હશો તો કહેશો કે હું તો વૉરિયર ક્લાસનો છું."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આગળ તેઓ કહે છે, "એ લોકોને આ સેન્સ ઓફ પ્રાઈડ ત્યારે જ મળી શકે છે જ્યારે આ સમાજના લોકો મેઈન સ્ટ્રીમમાં આવી જાય, સમાજ અને સરકારની ટોચની જગ્યાઓ પર અમુક વર્ષો સુધી રાજ કરે. આનાથી તેમનું મનોબળ વધશે, તેમની અંદર સેન્સ ઓફ પ્રાઈડ વિકસિત થશે અને ભેદભાવ ખતમ થવાની શક્યતા વધી જશે. જ્યાં સુધી ભેદભાવ નહીં જાય ત્યાં સુધી અનામત રહેવી જ જોઈએ. એ સમાજની ભૂલ છે કે તેઓ તેમને એ જ દ્રષ્ટિથી જુએ છે. પાછી આ જ વર્ગને જ્યારે દલિતો, પછાતોને અનામત આપવામાં આવે છે ત્યારે તકલીફ થાય છે અને ત્યારે તે મેરિટની વાત કરવા માંડે છે"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અભિષેક સિંહ આગળ કહે છે, "એક દલિત બાળક જન્મે છે ત્યારથી તેને સતત કહેવામાં આવે છે કે, તું દલિત છે, વારંવાર તેને એ જ વાત કહેવામાં આવે છે. ધીરે ધીરે તે એ જ મેન્ટલ સ્ટેટમાં મોટો થાય છે. એ પછી તેને ઘણી બધી બાબતો એવી લાગે છે, જેને તે કદી પ્રાપ્ત નહીં કરી શકે. તેનાથી વિરુદ્ધ એક કથિત ઉચ્ચ વર્ગનું બાળક, જેને આપણે સવર્ણ કહીએ છીએ, તે જ્યારે મોટું થાય છે, ત્યારે તેને સમજાવવામાં આવે છે કે, તું સાશન કરવા માટે પેદા થયો છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Is-there-any-poverty-alleviation-plan-in-reserve"><span style="font-size: 14pt;">શું અનામત ગરીબી દૂર કરવાની કોઈ યોજના છે?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે આગળ કહ્યું, "અનામતને એક પછાત અને દલિતની આર્થિક સ્થિતિ સાથે કોઈ લેવાદેવા નથી, કેમ કે તે પૈસાદાર થઈ જશે તો પણ સમાજ તેને પછાત અને દલિત તરીકે જ ઓળખશે. જે દિવસે સમાજ એક દલિત અને પછાતને હીન દ્રષ્ટિથી જોવાનું બંધ કરી દે તે દિવસે અનામત ખતમ કરી દેજો. જે દિવસે એક સવર્ણ પરિવાર રાજીખુશીથી પોતાના દીકરા-દીકરીના લગ્ન દલિત પરિવારમાં કરવાનું શરૂ કરી દે એ જ દિવસે અનામત બંધ કરી દેજો. જો આ ન થઈ શકતું હોય, તમારાથી માણસ માણસ વચ્ચેનો ભેદભાવ ન મટી શકતો હોય, તો અનામત ચાલુ રહેવી જોઈએ. કેમ કે તમે એક આખા વર્ગના હકો પર તરાપ મારી રહ્યાં છો. તમે તેમને માત્ર તેની અમુક જાતિના કારણે તેને તેના હકથી વંચિત કરી રહ્યાં છો."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અભિષેક સિંહના આ વીડિયોને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જાગી છે. એક યૂઝરે લખ્યું હતું કે, "અનામતને લઈને આટલી સટિક વાત મેં અત્યાર સુધીમાં કોઈ ક્લાસ વન અધિકારી પાસેથી નથી સાંભળી. આ અનામતની સાચી સમીક્ષા છે. જે દિવસે સામાજિક સમાનતા આવી જશે, ભેદભાવ ખતમ થઈ જશે, એ દિવસે આર્થિક સમાનતાની માંગ પણ ખતમ થઈ જશે...પણ કોઈ એક પગલું ચાલીને તો બતાવે?..કોઈ તો વિદ્રોહી બને?..."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અન્ય એક યૂઝરે લખ્યું હતું કે, "અભિષેક સર, જો જો, હમણાં કેટલાક સવર્ણો તમારી પોસ્ટ પર આવશે અને તમને બેફામ ગાળો કાઢશે. કેમ કે તેમને વાસ્તવિકતાથી નફરત છે અને તમે તેમને સમાજની વાસ્તવિકતા બતાવી રહ્યાં છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક અનામત વિરોધી યૂઝરે લખ્યું હતું કે, "યુપી સરકારે પરત નોકરીમાં ન લીધાં એટલે આ બધું કરીને કરિયર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે અભિષેક સિંહ?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના કેડરના પૂર્વ આઈએએસ અભિષેક સિંહ ગુજરાતમાં ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમને ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણીમાં ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એ વખતે તેમણે સોશિયલ મીડિયામાં સરકારી ગાડી સાથેનો એક ફોટો મૂક્યો હતો. જેને લઈને તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">22 ઓગસ્ટ 1983ના રોજ યુપીના જૌનપુરમાં જન્મેલા અભિષેક સિંહના પિતા પણ આઈપીએસ હતા. મીડિયા રિપોર્ટ મુજબ કોલેજકાળમાં પ્રેમમાં દગો મળ્યાં બાદ તેમણે પોતાની જાતને સંભાળી લઈને યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. તેમણે વર્ષ 2010માં 94માં ક્રમ સાથે આઈએએસ પરીક્ષા પાસ કરી ત્યારે તેમના પિતાની સલાહથી તેમણે આઈએએસ જોઈન કરી હતી. વર્ષ 2012માં તેમણે દુર્ગાશક્તિ નાગપાલ સાથે લગ્ન કર્યા હતા, જેઓ પોતે પણ એક આઈએએસ અધિકારી છે. તેમણે વર્ષ 2009માં 20માં રેન્ક સાથે યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. હાલ તેઓ યુપીના બાંદા જિલ્લામાં કલેક્ટર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અભિષેક સિંહ લાંબા સમયથી એક્ટિંગ અને મ્યૂઝિક વીડિયોમાં સક્રિય રહ્યા છે. અભિનયના શોખીન અભિષેક સિંહ "દિલ તોડ કે..." ગીતથી રાતોરાત ચર્ચામાં આવી ગયા હતા. એ પછી તેઓ ગાયક જુબીન નૌટિયાલના ગીત "તુજે ભૂલના તો ચાહા..." માં જોવા મળ્યા હતા. સાથે જ તેમણે નેટફ્લિક્સની વેબ સીરિઝ "દિલ્હી ક્રાઈમ-2"માં પણ કામ કર્યું હતું. આ સિવાય એક શોર્ટ ફિલ્મ "ચાર પંદ્રહ"માં પણ તેઓ જોવા મળ્યા હતા. એજ વર્ષે તેઓ ગીતકાર જાનીના લખેલા અને હાર્ડી સંધૂએ ગાયેલા ગીત "યાદ આતી હૈ..." માં અભિનય કરતા જોવા મળ્યા હતા. તેઓ સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ રહે છે, ઈન્સ્ટાગ્રામ પર તેમના 50 લાખ કરતા વધુ ફોલોઅર્સ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/some-lies-connected-with-reservation-and-exposed"><strong>અનામત સાથે જોડાયેલા કેટલાક જૂઠ્ઠાણાં અને તેનો પર્દાફાશ</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 09 Jul 2024 17:54:33 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 02 Aug 2024 21:07:51 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>894</Articleid>
                    <excerpt>ઉત્તરપ્રદેશના એક પૂર્વ આઈએએસ અધિકારીના પોડકાસ્ટે હાલ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે, જેમાં તેમણે અનામત વિરોધીઓના છોતરાં કાઢી નાખ્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66acfd46d8636.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66acfd469e347.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66acfd469e347.jpg" length="97716" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>લોન લઈ કે દેવું કરીને બનેલો ડોકટર દર્દીની સેવા નહીં શોષણ કરશે</title>
                    <link>https://khabarantar.com/a-doctor-who-is-made-by-taking-loan-or-debt-will-not-serve-the-patient-but-will-exploit-it</link>
                    <guid>https://khabarantar.com/a-doctor-who-is-made-by-taking-loan-or-debt-will-not-serve-the-patient-but-will-exploit-it</guid>
                    <description>
                        <![CDATA[ GMERS સંચાલિત મેડિકલ કોલેજોની ફીમાં રાજ્ય સરકારે 80 ટકા સુધીનો વધારો કરી દીધો છે. સ્થિતિ એવી પેદા થશે કે દલિત, આદિવાસીનો છોકરો કદી ડોક્ટર નહીં બની શકે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સરકાર દ્વારા જીએમઇઆરએસ સંચાલિત મેડિકલ કોલેજોની ફી વધારા મામલે ગુજરાત કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, લોન લઈને કે દેવું કરીને બનેલો ડોક્ટર દર્દીની સેવા નહીં પરંતુ શોષણ કરશે. એટલું જ નહીં, સરકારના આ નિર્ણયથી ભવિષ્યમાં ખાનગી મેડિકલ કૉલેજો પણ ફીમાં વધારો કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સરકાર હસ્તકની ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી(જીએમઇઆરએસ) હેઠળની ગુજરાતની 13 મેડિકલ કોલેજોની ફીમાં 80 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા સરકારી ક્વોટાની બેઠક (સીટ)ની ફી જે રૂ. 3.30 લાખ હતી, તેને વધારીને રૂ. 5.50 લાખ કરી દીધી છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની બેઠક માટેની ફી જે રૂ. 9.75 લાખ હતી, તેને વધારીને રૂ. 17 લાખ કરી દીધી છે. જ્યારે એનઆરઆઇ ક્વોટા માટેની ફી 22,000 ડોલર હતી જેને વધારીને 25,000 ડોલર કરી દેવાઈ છે. ફીમાં કરાયેલો વધારો આ શૈક્ષણિક સત્રથી જ લાગુ થશે તેવો પરિપત્ર કરાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકારની જીએમઇઆરએસ સંચાલિત મેડિકલ કૉલેજમાં લાગુ કરાયેલા ફી વધારાનો ગુજરાતભરમાં ઠેર-ઠેર વિરોધ શરૂ થયો છે. ત્યારે આ મેડિકલ કોલેજોમાં થયેલા ફી વધારા મામલે ગુજરાત કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/how-will-gujarat-learn-in-this"><span style="font-size: 14pt;">આમા કેવી રીતે 'ભણશે ગુજરાત'?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસે જણાવ્યું હતું કે, સરકારે મેડિકલ કૉલેજમાં 66 થી 88% ફીમાં વધારો કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ભવિષ્યમાં રાજ્યની ખાનગી મેડિકલ કૉલેજો પણ ફીમાં વધારો માંગશે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ ફી વધારાનો પરિપત્ર રદ કરવાની જરૂર છે. લોન લઈને અને દેવું કરીને ડૉક્ટર બનનારો વ્યક્તિ ક્યારેય સમાજની સેવા નહીં કરે. આ પ્રકારના ડૉક્ટર દર્દીનું શોષણ કરશે. જેથી રાજ્ય સરકારે તાકીદે આ ફી વધારાનો પરિપત્ર રદ કરવાની જરૂર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ સરકારે આ ફી વધારા અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, રાજયમાં 13 જિલ્લામાં GMERS સંચાલિત સ્વનિર્ભર એમબીબીએસ અને પીજી કોલેજો છે. રાજ્યના વિદ્યાર્થીઓને રાજયમાં સુવિધા મળી રહે તે રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. 8,500 કરોડનA કેપિટલ ખર્ચ કરીને આ કોલેજો અને હોસ્પિટલોનું નિર્માણ કરાયું છે. સરકારે ગત વર્ષે જીએમઇઆરએસને ફીની આવક સામે ૮૪૩.૨૬ કરોડ ફાળવ્યા છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ૧૩ કોલેજોમાં એમબીબીએસની કુલ-૨૧૦૦ બેઠકોમાંથી ૧૭૮૫ (૧૫૭૫ સરકારી ક્વોટાની બેઠક અને ૧૦% પ્રમાણે ૨૧૦ મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો) ગવર્મેન્ટ ક્વોટાની ફીથી ભરાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૫ ટકા એનઆરઆઇ બેઠકો (૩૧૫) પૈકી ગત વર્ષે ૧૦૨ બેઠકો એનઆરઆઇ ક્વોટાની ફી થી ભરાયેલ છે અને બાકીની ખાલી રહેલ ૨૧૩ પૈકી માત્ર ૧૫૩ મેનેજમેન્ટ ક્વોટાથી આમ, એનઆરઆઇ ક્વોટાથી ઓછી ફી લઇને મેનેજમેન્ટ ક્વોટા ભરાયેલ છે. મેનેજમેન્ટ ક્વોટામાં પણ ન ભરાતાં બાકી રહેલ ૬૦ બેઠક ગવર્મેન્ટ ક્વોટાની ફીથી ભરાયેલ છે. આમ, ૧૭૮૫ + ૬૦ = ૧૮૪૫ બેઠકો ગવર્મેન્ટ ક્વોટાની ફીથી ભરેલ છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ, સરકારી ક્વોટામાં ભરાયેલ કુલ ૧,૮૪૫ અને મેનેજમેન્ટ ક્વોટામાં ભરાયેલ ૧૫૩ મળી કુલ ૧,૯૯૮ બેઠકમાંથી ૧,૩૬૫(આશરે ૬૯%) વિદ્યાર્થીઓને ફ્રી શીપ કાર્ડ, કન્યા કેળવણી, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કિમ જેવી સરકારની શિષ્યવૃત્તિ યોજનાઓનો લાભ મળેલ છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગત વર્ષના આંકડા મુજબ, જીએમઇઆરએસ સંચાલિત ૧૩ કોલેજ તથા સંલગ્ન ૧૪ હોસ્પિટલ ચલાવવાનો વાર્ષિક ખર્ચ આશરે ૧,૧૬૮ કરોડ થયો છે. જેની સામે જીએમઇઆરએસની ફીની આવક ૪૨૩.૭૪ કરોડ થઈ છે. આથી ઘટ પડેલ ૭૪૪.૬૧ કરોડની રકમ સામે સરકારે ગત વર્ષે ૮૪૩.૨૬ કરોડ જીએમઇઆરએસને ફાળવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/10-percent-increase-in-class-10-12-examination-fee-will-hurt-the-education-seeking-Bahujan-society."><strong>ધોરણ 10-12ની પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો શિક્ષણ ઝંખતા બહુજન સમાજને નડશે</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 09 Jul 2024 11:11:57 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>892</Articleid>
                    <excerpt>GMERS સંચાલિત મેડિકલ કોલેજોની ફીમાં રાજ્ય સરકારે 80 ટકા સુધીનો વધારો કરી દીધો છે. સ્થિતિ એવી પેદા થશે કે દલિત, આદિવાસીનો છોકરો કદી ડોક્ટર નહીં બની શકે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668cccc6b0e8c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668cccc67ef18.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668cccc67ef18.jpg" length="45274" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>કાયમી ચીફ ફાયર ઓફિસરથી લઈને સહાયક ફાયરમેન બનવાની તક</title>
                    <link>https://khabarantar.com/opportunity-to-become-assistant-fireman-from-permanent-chief-fire-officer</link>
                    <guid>https://khabarantar.com/opportunity-to-become-assistant-fireman-from-permanent-chief-fire-officer</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદ ફાયર વિભાગમાં 119 જગ્યા માટે ભરતી કરવામાં આવશે, તેના માટે જાહેરાત બહાર પડી છે. 23 જુલાઈ સુધીમાં અરજી કરી શકાશે. વાંચો આ વિગતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ભરતીને લઈને પ્રક્રિયા તેજ થઈ ગઈ છે. છેલ્લા એક વર્ષથી ઇન્ચાર્જના હોદ્દા પર ચાલતા ફાયર બ્રિગેડના અધિકારીઓમાં હવે કાયમી ધોરણે ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ફાયર ઓફિસર, સહાયક સ્ટેશન ઓફિસર, સહાયક સબ ઓફિસર અને સહાયક ફાયરમેનની કુલ 119 જેટલી જગ્યાઓ ભરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં હાલમાં ડિવિઝનલ પાર્ક ઓફિસર અને ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓએ કાયમી ધોરણે ચીફ ફાયર ઓફિસરથી લઈ વિવિધ હોદ્દા મેળવવા માટે અરજી કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ચીફ ફાયર ઓફિસર તરીકે એમ. એફ. દસ્તુર નિવૃત્ત થયા બાદ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસરની ભરતી કરવામાં આવતી નહોતી. જોકે, રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર બ્રિગેડમાં પૂરતો સ્ટાફ ન હોવા ના કારણે પણ ફાયર સેફટી અંગે ચેકિંગ અને અન્ય કામગીરી ન થતી હોવા અંગેની રજૂઆતો સામે આવી હતી. જેના પગલે રાજ્ય સરકારે તમામ મહાનગરપાલિકાઓમાં ભરતી કરવાની સૂચના આપતા હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ફાયર બ્રિગેડમાં કાયમી ધોરણે અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદ ફાયર બ્રિગેડમાં ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર માટે ભરતી થશે. જેમાં ઇન્સ્ટીટ્યુટ ઓફ ફાયર એન્જીનિયર્સ ઇંગ્લેન્ડના સ્નાતક અથવા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફાયર એન્જિનિયર્સ ભારતના સ્નાતક અથવા નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરનો એડવાન્સ ડિપ્લોમાં ધરાવનાર એટલે કે નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરનો તેમણે ડિવિઝનલ ઓફિસર્સનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્પોરેશનમાં જો તેઓ ફરજ બજાવી ચૂક્યા હોય તો પાંચ વર્ષના અનુભવનો ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરથી નીચેનો હોદ્દો ધરાવતા હોવા જોઈએ નહીં. આઠ વર્ષના અનુભવનો સેકન્ડ ક્લાસના ઓફિસરથી નીચેનો દરજ્જો હોવો જોઈએ નહીં.ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બે એમ કુલ 4 જેટલી જગ્યાઓ માટે 12 જુલાઈ અરજીની છેલ્લી તારીખ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે સહાયક સ્ટેશન ઓફિસરની 3 સહાયક, સબ ઓફિસરની 10 અને સહાયક ફાયરમેનની 102 જેટલી જગ્યાઓ માટે 23 જુલાઈ અરજીની છેલ્લી તારીખ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર recruitment લિંક પરથી માહિતી મેળવી શકશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/More-than-48-thousand-vacancies-of-SC,-ST,-OBC-in-various-departments-of-Gujarat-Govt">ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં એસસી, એસટી, ઓબીસીની 48 હજારથી વધુ નોકરીઓ ખાલી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 09 Jul 2024 10:15:20 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 02 Aug 2024 21:11:23 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>891</Articleid>
                    <excerpt>અમદાવાદ ફાયર વિભાગમાં 119 જગ્યા માટે ભરતી કરવામાં આવશે, તેના માટે જાહેરાત બહાર પડી છે. 23 જુલાઈ સુધીમાં અરજી કરી શકાશે. વાંચો આ વિગતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66acfe1acec81.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66acfe1a9bc67.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66acfe1a9bc67.jpg" length="103793" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Fire recrutment, Ahmedabad, Fireman, Chief Fire Officer</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમે આતંકવાદી નથી, સરકાર અમારી વાત સાંભળે...</title>
                    <link>https://khabarantar.com/we-are-not-terrorists-government-should-listen-to-us</link>
                    <guid>https://khabarantar.com/we-are-not-terrorists-government-should-listen-to-us</guid>
                    <description>
                        <![CDATA[ ટેટ-ટાટ શિક્ષકોની ભરતીનો મામલો હજુ ઉકેલાયો નથી ત્યાં રાજ્ય સરકાર સામે કોમ્પ્યુટર, ચિત્ર અને વ્યાયામ શિક્ષકોની ભરતી માટે ઉમેદવારોએ આંદોલન શરૂ કર્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી શિક્ષકોની ભરતી કરવામાં ન આવતા ટેટ-ટાટ પાસ ઉમેદવારો દ્વારા આંદોલન ચલાવવામાં આવ્યું હતું. આ આંદોલનને શાંત પાડવા સરકાર દ્વારા ટેટ-ટાટ પાસ ઉમેદવારોની ભરતીની જાહેરાત કરાઇ છે. જો કે, આ પૂરતું ન હોવાથી રાજ્યના કોમ્પ્યુટર, ચિત્ર અને વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા અંગે આજે ગાંધીનગર ખાતે ઉમેદવારો એકઠા થયા હતા. જો કે, પોલીસ દ્વારા આ ઉમેદવારોની અટકાયત કરાઇ હતી. જેના કારણે નારાજ ઉમેદવારો દ્વારા સરકાર સામે બળાપો વ્યક્ત કરાયો હતો.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજયમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી શિક્ષકોની ભરતી કરવામાં ન આવતા લાયકાત ધરાવતા ઉમેદવારો દ્વારા ભરતી માટે સરકાર સામે આંદોલન ચાલી રહ્યું છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારોના આંદોલન બાદ સરકાર દ્વારા બે તબક્કામાં 24,700 જેટલી મોટી સંખ્યામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોની ભરતી માટેની જાહેરાત કરાઇ છે. આ ટેટ-ટાટ પાસ ઉમેદવારોનું આંદોલન શાંત પાડવાનો પ્રયાસ થયો છે. ત્યાં રાજ્યના કોમ્પ્યુટર, ચિત્ર, વ્યાયામ શિક્ષક માટે પરીક્ષા પાસ કરી ચૂકેલ ઉમેદવારો દ્વારા ભરતી કરવાની માંગ આંદોલન શરૂ કરાયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી કોમ્પ્યુટર,ચિત્ર અને વ્યાયામ વિષયના શિક્ષકોની ભરતી કરવા માટે ઉમેદવારો દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ ઉમેદવારોની રજૂઆતોને તંત્ર દ્વારા કાને ધરવામાં આવતી નથી. આ ઉમેદવારો આજે ફરી એક વખત રાજયમાં કોમ્પ્યુટર, ચિત્ર અને વ્યાયામ શિક્ષકોની ભરતી કરવાની માંગણી સાથે સરકારમાં રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-higher-the-education-the-lower-the-job-opportunities-reports-ilo"><span style="font-size: 14pt;">શિક્ષણ જેટલું વધુ, નોકરીની તકો એટલી ઓછીઃ ILOનો રિપોર્ટ</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂના સચિવાલય સામે એકઠા થયેલા ઉમેદવારો દ્વારા સરકાર સામે દેખાવો કરાયા હતા. આ સાથે રાજયમાં કોમ્પ્યુટર, ચિત્ર અને વ્યાયામ શિક્ષકોનો પણ સરકાર દ્વારા જાહેર કરાયેલી ભરતીમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગણી કરાઇ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઉમેદવારો સચિવાલય તરફ આગળ વધે તે અગાઉ તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેના કારણે ઉમેદવારો ભારે નારાજ થયા હતા. સરકારમાં રજૂઆત કરવા જવા ન દેવામાં આવતા કોમ્પ્યુટર, ચિત્ર અને વ્યાયામ શિક્ષકના ઉમેદવારો ભારે નારાજ થયા હતા. તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શા માટે અમને સરકાર સમક્ષ રજૂઆત કરવા જવા દેવાતા નથી? અમે શું આતંકવાદીઓ છીએ? ‘શું હવે અમને રજૂઆત કરવાનો પણ અધિકાર નથી? કેમ અમારી વાતને ધ્યાને લેવામાં નથી આવતી? </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે અન્ય એક ઉમેદવારે જણાવ્યું હતું કે, ‘અહીં આવીએ તો અંદર જવા નથી દેતા, આઈબી અમારી સાથે એવી રીતે ખરાબ રીતે વાત કરે છે કે, જાણે અમે કંઈ તોપ-ગોળા લઈને આવ્યા હોઈએ અને એમને મારી નાખવાના હોઈએ.’</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભરતી કરવાની માંગણી કરવા આવેલા શિક્ષકોએ જણાવ્યું હતું કે, ‘રૂષિકેશ પટેલે એવું જણાવ્યું હતું કે, જે પાઠ્યપુસ્તક હશે તેની જ અમે ભરતી કરશું, તો અમે આજે ધોરણ 9 થી 12 ના તેમના છાપેલા, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે છાપેલા પુસ્તકો લઈને આવ્યા છીએ. અમારી માંગણી છે કે, આ વિષયના 1000 શિક્ષકોની ભરતી કરવા આવે અને એ પણ કાયમી શિક્ષક તરીકે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/even-after-spending-crores-on-skill-india-83-percent-youth-are-unemployed-in-the-country"><span style="font-size: 14pt;">Skill India પાછળ કરોડો ખર્ચ્યા બાદ પણ દેશમાં 83 ટકા યુવાનો બેરોજગાર</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 08 Jul 2024 21:16:29 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>890</Articleid>
                    <excerpt>ટેટ-ટાટ શિક્ષકોની ભરતીનો મામલો હજુ ઉકેલાયો નથી ત્યાં રાજ્ય સરકાર સામે કોમ્પ્યુટર, ચિત્ર અને વ્યાયામ શિક્ષકોની ભરતી માટે ઉમેદવારોએ આંદોલન શરૂ કર્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668c09c00a066.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668c09bfcacaa.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668c09bfcacaa.jpg" length="129901" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>“PhD પાસ કરવું હોય તો હોટલમાં જવું પડશે” કહેનાર સામે ફરિયાદ</title>
                    <link>https://khabarantar.com/complaint-against-those-who-say-if-you-want-to-pass-phd-you-have-to-go-to-hotel</link>
                    <guid>https://khabarantar.com/complaint-against-those-who-say-if-you-want-to-pass-phd-you-have-to-go-to-hotel</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વડા સામે એક અધ્યાપિકાએ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના મહિલા અધ્યાપકે વિભાગના વડા સામે માનસિક અને જાતીય સતામણીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. મહિલા અધ્યાપકે ફરિયાદ કરી છે કે, તેમના PhD દરમિયાન તેમના ગાઈડ અને વિભાગના વડા એસ.ડી. પંચાલે તેમને કહ્યું હતું કે, PhD પાસ કરવા હોટેલમાં જવું પડશે. આ ઉપરાંત મહિલા અધ્યાપકોને અવારનવાર માનસિક ત્રાસ આપી જાતીય સતામણી કરી છે જે અંગે મહિલાએ શિક્ષણ વિભાગ અને GTUમાં ફરિયાદ કરી છે. GTU દ્વારા આ અંગે તપાસ કમિટીને તપાસ સોંપવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">GTUના મહિલા અધ્યાપકે ફરિયાદ કરી છે કે, તેઓ વર્ષ 2018થી GESTના વડા એસ.ડી. પંચાલના સંપર્કમાં હતા. એસ.ડી. પંચાલ તેમના ગાઈડ પણ હતા. તેમના PhD દરમિયાન એસ.ડી. પંચાલે શરૂઆતમાં સારૂં વર્તન કર્યું હતું. ત્યાર બાદ PhD માટે માનસિક ત્રાસ આપી જાતીય સતામણી કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/brahmins-were-4-percent-in-kolhapur-but-80-percent-of-the-jobs-were-brahmins"><span style="font-size: 14pt;">કોલ્હાપુરમાં બ્રાહ્મણો 4 ટકા હતા, પણ નોકરીઓમાં 80 ટકા બ્રાહ્મણો હતા</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલા અધ્યાપકોને 2018થી ત્રાસ આપવાનું ચાલુ છે. મહિલા અધ્યાપકને ફરિયાદ થઈ તે દિવસ સુધી ત્રાસ આપવામાં આવતો હતો. મહિલા અધ્યાપક પાસે એસ.ડી. પંચાલ સામેના તમામ પુરાવા પણ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">GTUના રજિસ્ટ્રાર કે.એન. ખેરે જણાવ્યું હતું કે, GSETના પ્રોફેસર સામે ફરિયાદ મળી છે. વિભાગના મહિલા અધ્યાપકે ફરિયાદ કરી છે. ફરિયાદના પગલે ICCને વિગત મોકલવામાં આવી છે. આ વિગત અંગે ICCની કમિટી તપાસ કરશે. 7 પેજની ફરિયાદ છે જેના આધારે મુદ્દાઓ તપાસનો વિષય છે. 2018થી અત્યાર સુધી વિવિધ ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/bjp-rss-promotes-education-mafia-kharge"><strong> ભાજપ-RSS શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહન આપે છે: ખડગે</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 08 Jul 2024 19:33:08 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>888</Articleid>
                    <excerpt>ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વડા સામે એક અધ્યાપિકાએ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668bf08e79c61.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668bf08e4bf30.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668bf08e4bf30.jpg" length="51912" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>રમણલાલ વોરાએ રથયાત્રામાં અનુ.જાતિ મોરચાના ઉપાધ્યક્ષને ગાળો ભાંડી</title>
                    <link>https://khabarantar.com/ramanlal-vora-insults-anu-jati-morcha-vice-president-in-rath-yatra</link>
                    <guid>https://khabarantar.com/ramanlal-vora-insults-anu-jati-morcha-vice-president-in-rath-yatra</guid>
                    <description>
                        <![CDATA[ ઈડર-વડાલીના ધારાસભ્ય રમણલાલ વોરાએ રથયાત્રામાં તેમના જ પક્ષના અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષને જાહેરમાં ગાળો ભાંડી અપમાનિત કર્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ઈડર વડાલીના વર્તમાન ધારાસભ્ય રમણલાલ વોરા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. આજે સાબરકાંઠા જીલ્લાના ઈડર ખાતે યોજાયેલી જગન્નાથજીની રથયાત્રા દરમિયાન તેઓ ફરી એકવાર વિવાદોમાં સપડાતા જિલ્લા તેમજ પ્રદેશ ભાજપના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે તેમણે રથયાત્રા દરમિયાન તેમના જ પક્ષના અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષને જાહેરમાં અપમાનિત કરી ગાળો ભાંડી જોઈ લેવાની ધમકી આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈડરના મોટા રામદ્વારા ખાતે યોજાઈ રહેલી રથયાત્રા દરમિયાન ઈડર-વડાલીના ધારાસભ્ય રમણ વોરા પણ દર્શનાર્થે પહોંચ્યા હતા. એ દરમિયાન પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ નટુ પરમાર (ભાણપુર વસાહત) પણ દર્શન માટે પહોંચ્યા હતા. એ દરમિયાન અચાનક બંને નેતાઓ વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થતા ધારાસભ્ય રમણલાલ વોરા અચાનક ગુસ્સે થયા હતા અને પ્રદેશ ભાજપના આગેવાન નટુ પરમાર સાથે જાહેરમાં ખરાબ વર્તન કરી, ગાળો ભાંડીને જોઈ લેવાની ગર્ભિત ધમકી આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/this-is-the-result-of-bjp-leaders-remaining-in-devotion-to-modi-sangh"><span style="font-size: 14pt;">ભાજપના નેતાઓ મોદીની ભક્તિમાં રત રહ્યાં તેનું આ પરિણામ: સંઘ</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધારાસભ્યનું આવું વર્તન જોઈને ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ નટુભાઈ પરમાર ત્યાંથી નીકળી ગયા હતા. જો કે પોતે ચૂંટેલા પ્રતિનિધિ એવા ધારાસભ્ય રમણલાલ વોરાનું તેમના જ પક્ષના તેમના જ સમાજના એક નેતા સાથેનું આવું વર્તન જોઈને રથયાત્રામાં હાજર સૌ કોઈ ચોંકી ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમગ્ર ઘટના બની ત્યારે સાબરકાંઠા જીલ્લા ભાજપના પ્રમુખ કનુ પટેલ પણ ત્યાં હાજર હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા છ એક મહિનામાં ધારાસભ્ય રમણ વોરાએ કેટલાય રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ સાથે પણ ખરાબ વર્તન કર્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ નટભાઈ પરમારે એક મીડિયા સાથે ફોન પર વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, “ઈડર રથયાત્રામાં હું દર વર્ષે ભગવાન જગન્નાથજીના દર્શન માટે આવું છું અને આ વખતે પણ હું ભગવાનના દર્શન માટે આવ્યો હતો. ત્યારે ત્યાં હાજર ધારાસભ્ય રમણલાલ વોરાએ મારી સાથે બિભત્સ વર્તન કરી ગાળો બોલી હતી અને તને જોઈ લઈશ તેવું કહી મને ધમકી આપી હતી. ચૂંટણી વખતે મેં રમણલાલ વોરાને ફંડ આપ્યું હતું, તેમણે મારી ભલમનસાઈનો આવો બદલો આપ્યો છે. તેમણે મારી સાથે આવું ખરાબ વર્તન કેમ કર્યું, મારું જાહેરમાં અપમાન કેમ કર્યું તે હજુ મને સમજાતું નથી. આ ફક્ત મારું જ નહીં પરંતુ સમગ્ર સમાજનું અપમાન છે. અમે ધારાસભ્યની ગાળો ખાવા માટે થઈને રથયાત્રાના પ્રસંગમાં નહોતા આવ્યા. આ મામલે હવે હું પ્રદેશની ઉચ્ચ નેતાગીરીને પણ રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવીશ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/ramanlal-vora-insulted-tribal-women-activist-in-public"><strong>રમણલાલ વોરાએ આદિવાસી મહિલા કાર્યકરને જાહેરમાં અપશબ્દો કહ્યાં</strong></a></span><br><br></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 07 Jul 2024 18:49:52 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>883</Articleid>
                    <excerpt>ઈડર-વડાલીના ધારાસભ્ય રમણલાલ વોરાએ રથયાત્રામાં તેમના જ પક્ષના અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષને જાહેરમાં ગાળો ભાંડી અપમાનિત કર્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668a951e6dae6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668a951e38c2a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668a951e38c2a.jpg" length="90060" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>જગન્નાથજીની રથયાત્રા બૌદ્ધ ધર્મની ત્રિરત્ન યાત્રા છે?</title>
                    <link>https://khabarantar.com/jagannathjis-rath-yatra-is-the-triratna-yatra-of-buddhism</link>
                    <guid>https://khabarantar.com/jagannathjis-rath-yatra-is-the-triratna-yatra-of-buddhism</guid>
                    <description>
                        <![CDATA[ દેશભરમાં આજે જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે. રથયાત્રાનો કોન્સેપ્ટ બૌદ્ધ ધર્મમાંથી ઉઠાંતરી કરેલો હોવાનું વર્ષોથી ચર્ચાય છે, ત્યારે અહીં કેટલાક તથ્યો રજૂ કર્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સહિત દેશભરમાં આજે હિંદુ ધર્મના ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે. જો કે, તેમાં જે પ્રતિકોનો ઉપયોગ કરવામાં આવે છે તે તેના હિંદુ ધર્મ સાથેના જોડાણ બાબતે શંકા પેદા કરે તેવા છે. એક પુસ્તક છે 'बौद्धो के जगन्नाथ पुरी पर ब्राह्मणों का कब्जा क्यो?' </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પુસ્તકની પ્રસ્તાવના બામસેફના માનનીય વામન મેશ્રામે લખી છે અને બુદ્ધિષ્ટ ઈન્ટરનેશનલ નેટવર્કના રાષ્ટ્રીય પ્રભારી ડૉ. વિલાસ ખરાત તેના લેખક અને સંપાદક છે. આ પુસ્તકના પ્રકરણો જુઓ,</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(1) ઓરિસ્સાના પુરી જિલ્લાનું બૌદ્ધ પુરાતત્વ</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(2) રથયાત્રા બૌદ્ધ ધર્મની ત્રિરત્ન યાત્રા છે</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(3) જગન્નાથપુરી પર બ્રાહ્મણોનો કબ્જો બ્રાહ્મણી આતંકવાદનો પુરાવો છે</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(4) રામ, કૃષ્ણ અને શિવના માધ્યમથી પ્રતિક્રાંતિ</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(5) સંત ભીમા ભોઈના આંદોલનથી એ સાબિત થયું કે આદિવાસીઓ પર પહેલા બૌદ્ધ હતા</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પુસ્તક વિશે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જોવા મળે છે, "બ્રાહ્મણો લાખ ષડયંત્ર કરે પણ એકને એક દિવસ ચોક્કસ સત્ય સામે આવી જ જાય છે. બુદ્ધગયા મુક્તિ આંદોલન, સાકેત મુક્તિ આંદોલનની સાથે સાથે હવે જગન્નાથ પુરી મુક્તિ આંદોલન પણ બુદ્ધિષ્ટ ઈન્ટરનેશનલ નેટવર્કના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓમાં જોડાઈ ગયું છે. આ આંદોલનકારીઓનું કહેવું છે કે, ભારતમાં વિદેશી મૂળ ધરાવતા બ્રાહ્મણોનું કશું જ નથી."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Forty-lakh-people-pay-homage-in-a-pilgrimage-to-buddhas-holy-relics-in-thailand">થાઈલેન્ડમાં બુદ્ધના પવિત્ર અવશેષોની પ્રદર્શન યાત્રામાં 40 લાખ લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66ad0248d56ef.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાસ્તવિક ભારતની શોધ કરનાર સર એલેકઝાંડર કનિંગહામે પુરાતત્વીય પુરાવાઓના આધારે એ સિદ્ધ કરી દીધું હતું કે "પુરીનું જગન્નાથ મંદિર સમ્રાટ અશોક દ્વારા તથાગત બુદ્ધના દાંત પર બનાવવામાં આવેલા પવિત્ર સ્તૂપની જગ્યા છે. એટલે તેનું નામ ઉદંતપુરી એવું પડ્યું હતું." અહીંયા 5 પવિત્ર બુદ્ધ સ્તૂપ આવેલા છે. લોર્ડ કનિંઘમ શું લખે છે તે પણ જોઈ લો,</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"પ્રાંતનો પરિઘ 7000 લિ અથવા 1167 માઈલ હતો અને તે દક્ષિણ-પૂર્વમાં સમુદ્રથી ઘેરાયેલો હતો. જ્યાં કી-લી-થી-કો-ચિગ અથવા ચરિતાપુર નામનું પ્રખ્યાત બંદર હતું. આ સંભવતઃ પુરીનું વર્તમાન નગર હતું જેની નજીક જગન્નાથનું પ્રસિદ્ધ મંદિર બનેલું છે. નગરની બહાર એકબીજાની નજીક જ 5 સ્તૂપ હતા જેના બુર્ઝ ઘણાં ઊંચા હતા. મારું અનુમાન છે કે, આમાંના એકને જગન્નાથને સમર્પિત કરવામાં આવ્યો છે. આ દેવતા, તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની ત્રણ આકાર રહિત મૂર્તિઓ બૌદ્ધ ધર્મની બુદ્ધ, ધર્મ અને સંઘની લાક્ષણિક મૂર્તિની એક નબળી નકલ છે, જેમાં બીજી મૂર્તિને કાયમ સ્ત્રીરૂપના પ્રતિનિધિ તરીકે સ્વીકારવામાં આવી છે. મથુરા અને બનારસના વાર્ષિક પંચાગમાં તેને બુદ્ધના બ્રાહ્મણ અવતાર તરીકે સ્વીકારવામાં આવે છે, જેનાથી એ તથ્યની પુષ્ટિ થાય છે કે, જગન્નાથની મૂર્તિઓ બૌદ્ધ મૂર્તિઓ પર આધારિત છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જગન્નાથની બૌદ્ધ ઉત્પત્તિની સાબિત સૌ પ્રથમ સર એલેકઝાંડર કનિંગહામે આપી હતી, એ પછી બીજા અનેક વિદ્રાનો તેમને અનુસર્યા. જેમ કે, ડબલ્યૂ. ડબલ્યૂ. હંટર, ડબલ્યૂ જે. વિલ્કિંસ, આર.એલ. મિત્રા, એચ.કે. મહાતાબ, એમ. માનસિંહ, એન.કે. સાહૂ વગેરે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વિદ્રાનોએ સાહિત્યિક અને પુરાતાત્વિક સ્ત્રોતોના આધારે જગન્નાથ પંથની બૌદ્ધ ધર્મ સાથે રહેલી સમાનતા દેખાડવા પ્રયાસ કર્યો છે. તેમણે જગન્નાથની ઉત્પત્તિ બૌદ્ધ ધર્મમાંથી થઈ હોવાની તરફેણમાં કેટલાક તર્ક રજૂ કર્યા છે તે સમજીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-2300-year-old-dream-of-indian-buddhists-came-true-on-buddha-purnima">બુદ્ધ પૂર્ણિમાએ ભારતીય બૌદ્ધોનું 2300 વર્ષ જૂનું સપનું સાકાર થયું</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66ad026714e5d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(1) બૌદ્ધ સાહિત્યમાં ભગવાન બુદ્ધને નાથ, જગન્નાથ, લોકનાથ, જીના, ભુવનેશ્વર વગેરે નામોથી બોલાવવામાં આવે છે અને આ નામો તિબેટિન સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થયા છે. એટલે 'જગન્નાથ' નામ બૌદ્ધ ધર્મમાંથી લેવામાં આવ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(2) બૌદ્ધ ધર્મ અને જગન્નાથ પંથમાં પણ આવી જ પરંપરાઓ છે. બૌદ્ધ ધર્મે સૌથી પહેલા જાતિભેદને ખતમ કર્યો. એ જ રીતે જગન્નાથ મંદિરમાં મહાપ્રસાદ લેતી વખતે જાતિભેદ નથી હોતો. આ બૌદ્ધ પરંપરામાંથી આવ્યું છે. એટલે જ બલરામ દાસે પોતાના ગ્રંથ 'ભાભા સમુદ્ર'માં લખ્યું છે કે, नाथ तो क्षेत्रे सन्न बदन नहिं, ब्राह्मण चंदा सारी तु, हे प्रभु, आपके धाम में ब्राह्मण और चांडाल में कोई भेद नहीं है।.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(3) બૌદ્ધ વિદ્રાનોનો દાવો છે કે, જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાની ત્રયીનો વિકાસ બૌદ્ધ દર્શનના 'ત્રય' અથવા 'ત્રિ-રત્ન' સિદ્ધાંતમાંથી લેવામાં આવ્યો છે. બુદ્ધ, ધ(ર્મ) અને સંઘ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(4) સિંઘલના ધર્મકીર્તિના "દત્તવંશ"માં ટાંકવામાં આવેલી કિવદંતીના આધારે વિદ્વાનોનું કહેવું છે કે, ગૌતમ બુદ્ધના પાર્થિવ અવશેષ, સંભવતઃ દાંત, જગન્નાથના શરીરમાં રાખવામાં આવ્યા છે. આ વિચાર જગન્નાથની બ્રહ્માની કિવદંતી પર ભાર મૂકે છે, જેને હિંદુ દેવતાઓમાં મૂર્તિમંત માનવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(5) ઈતિહાસકારો મુજબ, ભગવાન જગન્નાથની રથયાત્રાનો ઉત્સવ સંભવિત મહાયાન બૌદ્ધ ધર્મકાળના બૌદ્ધ દર્શનથી પ્રભાવિત છે.(બૌદ્ધો દ્વારા રથયાત્રાનો ઉત્સવ, જેની ઉત્પત્તિ ખોતાનમાં થઈ હતી.) ન માત્ર બૌદ્ધ પરંતુ જૈન પણ દાવો કરે છે કે, રથયાત્રા ઉત્સવ તેમના પંથ પ્રત્યેના સખત પાલનનું પ્રતિક છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(6) પ્રાચીન પાલી સાહિત્યમાં ભગવાન જગન્નાથનો ઉલ્લેખ મળે છે. ઈંદ્રભૂતિએ પોતાની "જ્ઞાન સિદ્ધિ"માં બુદ્ધને જગન્નાથ કહ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(7) બોધિગયામાં બુદ્ધની એક અપૂર્ણ મૂર્તિ વિશે એક કિવદંતી પ્રચલિત છે, જે જગન્નાથની અપૂર્ણ મૂર્તિ સાથે સમાનતા દર્શાવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(8) વર્તમાનમાં ઈલોરામાં બુદ્ધની એક પ્રતિમાને જગન્નાથ કહેવામાં આવે છે, જે સાબિત કરે છે કે, જગન્નાથ અને બુદ્ધ એક જ છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 10pt;">(નોંધઃ આ માહિતી સંપૂર્ણપણે ઉપલબ્ધ ઓનલાઈન રિસર્ચ સ્ત્રોતો પર આધારિત છે, જેથી કોઈ માહિતીદોષ કે અન્ય કોઈ ક્ષતિ હોય તો તેના માટે ખબરઅંતર.કોમ જવાબદાર નથી.)</span></strong></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/terrible-lies-about-buddha-and-buddhism-were-printed-in-gujarat-textbooks">ગુજરાતની શાળાઓના પાઠ્યપુસ્તકોમાં બુદ્ધ અને બુદ્ધિઝમ પર ભયંક જુઠ્ઠાણાં છપાયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 07 Jul 2024 14:45:07 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 02 Aug 2024 21:29:59 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>882</Articleid>
                    <excerpt>દેશભરમાં આજે જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે. રથયાત્રાનો કોન્સેપ્ટ બૌદ્ધ ધર્મમાંથી ઉઠાંતરી કરેલો હોવાનું વર્ષોથી ચર્ચાય છે, ત્યારે અહીં કેટલાક તથ્યો રજૂ કર્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66ad02333e7ae.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ad02330b859.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ad02330b859.jpg" length="120072" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Buddhism, Rathyatra, Jagannath, puri rathyatra</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજકોટમાં તસ્કરો એક જ રાતમાં 8 મંદિરોમાં ચોરી કરી ફરાર થઈ ગયા</title>
                    <link>https://khabarantar.com/in-rajkot-smugglers-stole-8-temples-in-a-single-night-and-escaped</link>
                    <guid>https://khabarantar.com/in-rajkot-smugglers-stole-8-temples-in-a-single-night-and-escaped</guid>
                    <description>
                        <![CDATA[ રાજકોટમાં તસ્કરો એક જ રાતમાં મહાદેવજી, હનુમાનજી, ગણપતિ દાદા અને કાળકા માતા સહિત 8 દેવી-દેવતાઓના મંદિરમાંથી દાનપેટી સાફ કરી ગયા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચોમાસામાં સાંજ પડ્યે વરસાદ શરૂ થતા જ લોકો પોતપોતાના ઘરોમાં ભરાઈ જતા હોય છે. જેના કારણે તસ્કરોને મોકળું મેદાન મળી જતું હોય છે. ગુજરાતના મોટા શહેરોમાં ચોમાસામાં મોટાપાયે ચોરીના બનાવો બનતા હોય છે. ત્યારે આવી જ એક ચોરીની મોટી ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જેમાં તસ્કરોએ એક જ રાતમાં કુલ 8 મંદિરોની દાનપેટી સાફ કરી નાખી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો રાજકોટનો છે, અહીંના કોઠારીયા રોડ પર આવેલા ગોવિંદનગર-6માં આવેલા શાતેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો એક જ રાતમાં મંદિર પરિસરમાં આવેલ અલગ અલગ 8 મંદિરોને નિશાન બનાવી તેની દાનપેટીમાંથી રોકડની ચોરી ગયાની ફરિયાદ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાઈ છે. હજુ બે દિવસ પહેલા જ ગોંડલના આશાપુરા મંદિરમાં થયેલી ચોરીની ઘટના બાદ રાજકોટમાં આ બનાવ બન્યો હોવાથી આ મંદિર ચોરીના બન્ને બનાવોમાં એક જ ટોળકીની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મંદિરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં તસ્કરોની ચોરીની આખી ઘટના કેદ થઈ ગઈ છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી વિગતો મુજબ, રાજકોટનાં કોઠારીયા મેઈન રોડ પર મેઘાણીનગર શેરી નં.1માં રહેતા અને અહીંની ગોવિંદનગર શેરી નં. 6માં આવેલા શાતેશ્વર મહાદેવ મંદિરમાં સેવા પૂજા કરતા પૂજારી લાભુભારતી ગૌસ્વામીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ અહીંના શાતેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સ્થાપિત અલગ અલગ 8 દેવી દેવતાઓના મંદિરોમાં રાખેલી દાનપેટીઓમાંથી રોકડ રકમની ચોરી થઈ ગઈ છે. તસ્કરોએ ગણપતિ દાદા, હનુમાનજી, કાળકા માતા અને મહાદેવ મંદિર સહિત કુલ 8 મંદિરોમાં ચોરી કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Dhutara-Active,-QR-Code-Extortion-Scam-Caught-Before-Ram-Mandir-Inauguration"><span style="font-size: 14pt;">રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા જ ધુતારા એક્ટિવ, QR કોડથી પૈસા ઉઘરાવવાનું કૌભાંડ પકડાયું</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘટના બે જુલાઈની મધરાતે બેથી પાંચ વાગ્યા વચ્ચેની છે. શાતેશ્વર મહાદેવ મંદિરની દિવાલ કૂદીને અંદર પ્રવેશેલા તસ્કર અલગ અલગ મંદિરોની દાન પેટી તોડી તેમાં રાખેલ રોકડ અંદાજે 20 હજાર ચોરી ગયો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભક્તિનગર પોલીસના પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા સહિતનો સ્ટાફ મંદિર ખાતે દોડી ગયો હતો અને આ મામલે સીસીટીવી ફુટેજના આધારે ચોરી કરનાર તસ્કરનું પગેરૂ મેળવવા અને ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હનુમાન જયંતિના દિવસે પણ ચોરી થઈ હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શાતેશ્વર મંદિરના પૂજારી લાભુભારતી ગૌસ્વામીએ જણાવ્યું કે ચાર મહિના પૂર્વે હનુમાન જયંતિના દિવસે પણ અહીં ચોરીનો બનાવ બન્યો હતો અને તસ્કર હનુમાનજી મંદિરમાંથી ટોકરી અને પરચુરણ ચોરી ગયો હતો. અને હવે એક સાથે આઠ મંદિરમા ચોરી થઈ છે. સીસીટીવીમાં દેખાતો શખ્સ હનુમાન જયંતિના દિવસે પણ ચોરી કરી ગયો હોય અને જેની ફરિયાદ કરવામાં આવી ન હોય જેથી આ તસ્કરે ફરીથી આ મંદિરને નિશાન બનાવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/tata-group-will-build-a-museum-of-temples-in-ayodhya-at-a-cost-of-650-crores"><strong>અયોધ્યામાં ટાટા ગ્રુપ 650 કરોડના ખર્ચે મંદિરોનું સંગ્રહાલય બનાવશે</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 06 Jul 2024 12:20:49 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>877</Articleid>
                    <excerpt>રાજકોટમાં તસ્કરો એક જ રાતમાં મહાદેવજી, હનુમાનજી, ગણપતિ દાદા અને કાળકા માતા સહિત 8 દેવી-દેવતાઓના મંદિરમાંથી દાનપેટી સાફ કરી ગયા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6688e8a774fc4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6688e8a743d16.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6688e8a743d16.jpg" length="117925" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર ભરતી કરવા હાઇકોર્ટનો આદેશ</title>
                    <link>https://khabarantar.com/high-court-order-to-fill-vacancies-in-police-department</link>
                    <guid>https://khabarantar.com/high-court-order-to-fill-vacancies-in-police-department</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં પોલીસ વિભાગમાં ખાલી પડેલી વિવિધ જગ્યાઓ પર ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ભરતી માટેની બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર કરવા આદેશ કર્યો છે ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત રાજ્યમાં સરકારી ભરતીઓનો મામલો આજકાલ ચર્ચામાં છે. યુવાનો સરકારી ભરતી માટે રાતદિવસ જોયા વિના તનતોડ મહેનત કરી રહ્યાં છે પણ સરકાર ભરતી નથી એવી ફરિયાદો થાય છે. અગાઉ ટેટ ટાટ પાસ ઉમેદવારોએ સરકાર સામે આંદોલન છેડ્યું એ પછી સરકારે તેમની ભરતી કરવાનું જાહેર કર્યું છે ત્યારે હવે પોલીસ વિભાગમાં ખાલી પડેલી હજારો જગ્યાઓ માટે ગુજરાત હાઈકોર્ટે સરકારને બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર કરીને વહેલી તકે ભરતી કરવા માટે આદેશ આપ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સરકારના પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર ભરતી કરવા હાઇકોર્ટની ખંડપીઠે તાકીદ કરી છે. પોલીસ મહેકમમાં ખાલી પડેલી જગ્યાઓ બાબતે ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટમાં થયેલ હુકમ બાદ હાઈકોર્ટમાં સુઓમોટો રીટ દાખલ થઈ હોવાથી તેની સુનવાણી ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે કરી હતી. જેમાં સરકારને ભરતી માટે નવી બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરવા આદેશ કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસની સુનાવણીમાં ખાલી જગ્યાઓ પરની ભરતી અંગે ગૃહ વિભાગે ટાઈમ લાઈન આપી હતી. જેમાં ભરતી અને પ્રમોશન થકી જગ્યાઓ ભરવાની વાત કહેવામાં આવી હતી. પીઆઇની ખાતાકીય બઢતી મારફતે ભરતી અને પીએસાઇની ૩૦૪ જેટલી જગ્યાઓ ખાલી જગ્યાઓ હોવાનું કહેવામાં આવ્યું હતું. ભરતીની પ્રક્રિયા સીધી ભરતી દ્વારા, ખાતાકીય અને પ્રમોશન દ્વારા કરવામાં આવતી હોવાનું પણ કહેવામાં આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/students-who-cancel-their-admission-within-one-month-will-get-hundred-percent-fee-refund"><span style="font-size: 14pt;">એક મહિનામાં પ્રવેશ રદ કરાવી લેનાર વિદ્યાર્થીઓને 100 ટકા ફી રિફંડ મળશે</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટ મિત્ર દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું કે બિનહથિયારધારી ૧૩,૭૩૫ જગ્યાઓમાંથી માત્ર ૬૬૦૦ જગ્યાઓ મંજૂર કરાઈ છે. આમાં જગ્યાઓ કરતા ભરતી ઓછી થતી હોય તો પ્રમોશન કરીને કેવી રીતે ભરતી કરાશે? ગત વર્ષે પણ પોલીસ બેડામાં સીધી ભરતી નહિ પણ પ્રમોશન વધુ થયા હતા. આથી કોર્ટે પહેલા પ્રમોશન પૂર્ણ કરવા કહ્યું હતું. કોર્ટ મિત્રે વધુ ધ્યાન દોર્યું હતું કે ગૃહ વિભાગના સેક્રેટરી જ ભરતી માટે ગૃહ વિભાગની મંજૂરી માંગે છે. કોર્ટે ગૃહ વિભાગની બ્લુ પ્રિન્ટ ગ્રાહ્ય ન રાખતાં ૧૮મી જુલાઈએ નવી બ્લુ પ્રિન્ટ સાથે વધુ સુનવાણી રાખી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ હાઇકોર્ટે સરકારને રિક્રૂટમેન્ટ રૂલ્સ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. તે સિવાય રાજ્યમાં પોલીસની તમામ પોસ્ટ માટેની પ્રિ રિક્રૂટમેન્ટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે કે નહીં, આ તમામ સવાલોના જવાબ આપવાનો આદેશ કર્યો હતો. આ કેસની સુનાવણીમાં અગાઉ રાજ્ય સરકારે હાઇકોર્ટને કહ્યું હતું કે, સરકાર નજીકના ભવિષ્યમાં પોલીસ ખાતામાં ખાલી પડેલી ૧૨ હજાર જેટલી વિવિધ પોસ્ટ ઉપર ભરતી કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/gujarat-government-to-recruit-17200-more-tet-tat-pass-teachers"><strong>ગુજરાત સરકાર વધુ 17,200 ટેટ-ટાટ પાસ શિક્ષકોની ભરતી કરશે</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 05 Jul 2024 21:00:14 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>874</Articleid>
                    <excerpt>ગુજરાતમાં પોલીસ વિભાગમાં ખાલી પડેલી વિવિધ જગ્યાઓ પર ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ભરતી માટેની બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર કરવા આદેશ કર્યો છે</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668810b7d0549.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668810b79fd2c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668810b79fd2c.jpg" length="74102" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>તમામ ધર્મોની સારી બાબતોને શાળાઓમાં ભણાવોઃ સ્વયં સૈનિક દળ</title>
                    <link>https://khabarantar.com/teach-the-good-things-of-all-religions-in-schools-swayam-sainik-dal</link>
                    <guid>https://khabarantar.com/teach-the-good-things-of-all-religions-in-schools-swayam-sainik-dal</guid>
                    <description>
                        <![CDATA[ સ્વયં સૈનિક દળ પોરબંદર દ્વારા ધોરણ 6 થી 8ના પાઠ્યપુસ્તકોમાં તમામ ધર્મોની સારી બાબતોનો સમાવેશ કરવાને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતનું બંધારણ તેને એક બિનસાંપ્રદાયિક દેશ જાહેર કરે છે. તમામ ધર્મો, જાતિઓને સમાન રીતે રહેવાનો અને જીવવાનો અધિકાર આપણા દેશનું સંવિધાન આપે છે. તેની સાથે-સાથે રાજ્યને જવાબદારી આપી છે કે, તે તમામ લોકો સાથે કોઈપણ જાતના ભેદ વગર, કોઈ સંપ્રદાયને પ્રોત્સાહન આપ્યા વગર તમામ નાગરિકો સાથે સમાન વ્યવહાર કરે. જો કે એવું થઈ રહ્યું નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં ગુજરાત સરકારની ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા સર્વાંગી શિક્ષણના નામે “શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં  મૂલ્યો અને સિદ્ધાંતો”ના નામથી એક અલગ જ પાઠ્યપુસ્તક ધોરણ ૬, ૭ અને ૮ માં ફરજિયાત ભણાવવામાં આવી રહ્યું છે. ત્યારે તે મુદ્દાને લઈને સ્વયમ્ સૈનિક દળ(SSD) દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે. સાથે જ શાળાના અભ્યાસક્રમોમાં તમામ ધર્મોની સારી બાબતોનો સમાવેશ કરવાને લઈને પણ વિનંતીઓ કરવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે હવે પોરબંદર જિલ્લામાં સ્વયં સૈનિક દળ(SSD) દ્વારા પોરબંદર કલેક્ટર મારફત મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આવેદનપત્ર બૌદ્ધ, મુસ્લિમ, ખ્રિસ્તી એમ વિવિધ ધર્મના અનુયાયો અને પ્રતિનિધિઓ દ્વારા આપવામાં આવ્યું હતું. આ તમામ ધર્મના લોકોએ મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે હાજરી આપી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે સ્વયં સૈનિક દળના કાર્યકરોએ જણાવ્યું હતું કે, “સરકારનું કામ સંવિધાનના મૂલ્યોની રક્ષા કરવાનું છે. સાથે જ તેણે એ પણ જોવાનું છે કે, દેશના કોઈ પણ સમુદાય, ધર્મ કે જાતિની ભાવનાને ઠેસ ન પહોંચે. રાજ્ય સરકારે કોઈ એક ધર્મની બાબતોને પ્રોત્સાહન ન આપવું જોઈએ, તમામ ધર્મોની સારી-સારી બાબતો સમાવવી જોઈએ, દરેક ધર્મોમાં સારા મૂલ્યો રહેલા છે અને તે તમામને સામેલ કરવા જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/In-the-case-of-rajkot-custodial-death-ssd-will-issue-application-form-in-each-district"><span style="font-size: 14pt;">રાજકોટ કસ્ટોડિયલ ડેથ મામલે SSD દરેક જિલ્લામાં આવેદનપત્ર આપશે</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202407/image_870x_66877331cb5d4.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ પ્રાથમિક શાળાઓના અભ્યાસમાં હિંદુ ધર્મના ભગવદ્ ગીતા ગ્રંથના અંશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોગ્ય નથી. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે અને કોઈ એક ધર્મના ગ્રંથનું શિક્ષણ બાળકોને ભણાવવું કેટલું યોગ્ય છે, તે વિશે સરકારે વિચારવું જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે સરકાર તમામ ધર્મોને સમાન ગણી તેમની સારી બાબતોને અભ્યાસક્રમમાં સામેલ કરે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્વયં સૈનિક દળના કાર્યકરોએ વધુમાં જણાવ્યું હતું કે, "એવું લાગી રહ્યું છે કે, સરકાર જાણીજોઈને આ બધું કરી રહી છે. તેણે બૌદ્ધ ધર્મ વિશેની ખોટી માહિતી અભ્યાસક્રમના પુસ્તકોમાં છાપી નાખી હતી. જેનો ગુજરાત સહિત દેશભરના બૌદ્ધોએ વિરોધ કરતા આખરે તેણે ધોરણ 12ના સમાજશાસ્ત્રના પુસ્તકમાં આ પ્રકરણમાં સુધારો કરવાનો પરિપત્ર કરવો પડ્યો હતો. આવું ન થાય તે માટે લાયક લોકોને આ કામ સોંપવું જોઈએ. સાથે જ સરકારે આવાં ખોટાં પગલાં ભરતા અધિકારીઓ સામે કડક પગલાં ભરવા જોઈએ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/ssd-protested-in-33-districts-on-the-issue-of-teaching-bhagavad-gita-in-schools"><strong>SSDએ શાળાઓમાં ભગવદ્ ગીતા ભણાવવા મુદ્દે 33 જિલ્લાઓમાં વિરોધ કર્યો</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 05 Jul 2024 09:48:33 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>870</Articleid>
                    <excerpt>સ્વયં સૈનિક દળ પોરબંદર દ્વારા ધોરણ 6 થી 8ના પાઠ્યપુસ્તકોમાં તમામ ધર્મોની સારી બાબતોનો સમાવેશ કરવાને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66877319d2298.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668773199ff40.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668773199ff40.jpg" length="96353" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો છબરડો: ૧૪૧માંથી માત્ર ૧ વિદ્યાર્થી પાસ થયો</title>
                    <link>https://khabarantar.com/south-gujarat-university-chhabardo-only-1-student-passed-out-of-141</link>
                    <guid>https://khabarantar.com/south-gujarat-university-chhabardo-only-1-student-passed-out-of-141</guid>
                    <description>
                        <![CDATA[ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એમ.એ. અર્થશાસ્ત્રની એક્સટર્નલ પરીક્ષામાં 141માંથી ફક્ત એક વિદ્યાર્થી પાસ થયો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાયમ વિવાદોમાં રહેતી સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર તેના એક છબરડાને કારણે ચર્ચામાં આવી છે. અહીં એમએ ઈકોનોમિક્સની એક્સટર્નલ પરીક્ષાના નિરાશાજનક પરિણામને કારણે વિવાદ ઉભો થઈ ગયો છે. જ્યારે આ પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા કેમ કે, ૧૪૧ વિદ્યાર્થીઓમાંથી માત્ર એક જ વિદ્યાર્થી પાસ થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુનિવર્સિટીની પરીક્ષામાં ૧૪૧માંથી ૧૪૦ વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થતાં અનેક સવાલો ઉભા થાય છે. આટલા ઓછા વિદ્યાર્થીઓ રાખવાનું કારણ શું? પ્રશ્નપત્રો બહું અઘરા હતા? શું મૂલ્યાંકન પ્રક્રિયામાં કોઈ ભૂલ થઈ છે? શું કોઈ ગેરરીતિ થઈ છે? આ તમામ પ્રશ્નોના જવાબ યુનિવર્સિટીએ આપવા પડશે અને વિદ્યાર્થીઓને સંતોષકારક જવાબો આપવા પડશે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યુનિવર્સિટી તેની પરીક્ષા પદ્ધતિમાં સુધારો કરે તે પણ જરૂરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પરીક્ષા માટે કુલ ૧૯૨ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી ૫૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. ૧૪૧ વિદ્યાર્થીઓમાંથી માત્ર એક વિદ્યાર્થીને પાસ જાહેર કરવામાં આવ્યો છે. પરિણામે, પરીક્ષા પાસ થવાની ટકાવારી માત્ર ૦.૭૧% રહી છે એટલે કે ૯૯.૨૯ ટકા વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા છે. આ પરિણામ વિદ્યાર્થીઓ માટે નિરાશાજનક હોવા ઉપરાંત વિવાદનો વિષય પણ બન્યો છે. ઘણા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પ્રશાસનને ફરિયાદ કરી યોગ્ય તપાસની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/ugc-has-declared-157-universities-of-the-country-as-defaulters"><span style="font-size: 14pt;">યુજીસી(UGC)એ દેશની ૧૫૭  યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરી</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુનિવર્સિટીના રજીસ્ટ્રાર રમેશ ગઢવીએ જણાવ્યું હતું કે કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષાના પરિણામ અંગે ફરિયાદ કરી છે. અન્ય વિદ્યાર્થીઓને ભેગા થઈને ફરિયાદ નોંધાવવા જણાવાયું છે. તેમણે એમ પણ કહ્યું કે યુનિવર્સિટી આ મામલે તપાસ કરી રહી છે કે આટલા ઓછા વિદ્યાર્થીઓ કેમ પાસ થયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાએ લાખોનો પગાર મેળવવા યુનિવર્સિટીના સત્તાધીશોની કામગીરી પર અનેક મોટા સવાલો ઉભા કર્યા છે. ૦.૭૧% ની પાસ ટકાવારી ઘણી ઓછી છે અને એવું લાગે છે કે પરીક્ષાના પરિણામમાં થોડી વિસંગતતા હોઈ શકે છે. યુનિવર્સિટીની ફરજ છે કે વિદ્યાર્થીઓની ફરિયાદોને ગંભીરતાથી લેવી અને આ બાબતની નિષ્પક્ષ તપાસ કરવી. ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે યુનિવર્સિટી નક્કર પગલાં લે તે પણ જરૂરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર ૨૦૨૩માં આ યુનિવર્સિટી બીએ અને બીકોમના પેપરના કારણે ચર્ચામાં આવી હતી. એ વખતે અહીંના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની પરીક્ષાના પેપરમાં પ્રેમકથા, કામસૂત્રની વાર્તાઓ અને પ્રિન્સિપાલ, પ્રોફેસર તથા મેડમના નામ સાથે અપશબ્દો લખ્યા હતા. યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં અપશબ્દોનો ઉપયોગ કરનારા છ વિદ્યાર્થીઓને ઓળખી કાઢવામાં આવ્યા હતા અને તેમને નાપાસ કરવામાં આવ્યા હતા, સાથે ૫૦૦ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. છ વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીએ ઉત્તરના કામસૂત્રની વાર્તા લખી હતી જ્યારે બીજા વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થીની પ્રેમકથા લખી હતી. યુનિવર્સિટીએ ૬ વિદ્યાર્થીઓની સુનાવણીનું આયોજન કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને યુનિવર્સિટીની લેખિતમાં માફી માંગી હતી. હવે જ્યારે ખુદ પ્રોફેસરો અને યુનિવર્સિટી તંત્રે ભૂલ કરી છે ત્યારે શું થાય છે તેના પર સૌની નજર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/jawaharlal-nehru-university-jnu-became-the-premier-educational-institution-of-the-country"><strong>જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(JNU) દેશની ટોચની શૈક્ષણિક સંસ્થા બની</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 04 Jul 2024 21:12:05 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>869</Articleid>
                    <excerpt>વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એમ.એ. અર્થશાસ્ત્રની એક્સટર્નલ પરીક્ષામાં 141માંથી ફક્ત એક વિદ્યાર્થી પાસ થયો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6686c1d9c8a4b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6686c1d9995a1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6686c1d9995a1.jpg" length="100193" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>લંડનમાં 22 વર્ષમાં 1320 રેપ કરનાર ઢોંગી ભારતીય બાબા પર કેસ નોંધાયો</title>
                    <link>https://khabarantar.com/a-case-has-been-registered-against-the-impostor-indian-baba-who-committed-1320-rapes-in-22-years-in-london</link>
                    <guid>https://khabarantar.com/a-case-has-been-registered-against-the-impostor-indian-baba-who-committed-1320-rapes-in-22-years-in-london</guid>
                    <description>
                        <![CDATA[ યુપીના હાથરસમાં સત્સંગમાં બનેલી ઘટનામાં ભોલે બાબા પર કેસ નથી થયો, પરંતુ લંડનમાં એક ઢોંગી બાબાનો મોટો કાંડ સામે આવ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાથરસમાં સ્વયંભૂ સંત ભોલે બાબાના સત્સંગમાં ભાગદોડ મચતા ૧૨૧ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો હતા. પોલીસ હાલ બાબાને શોધી રહી છે પણ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ભોલે બાબાનું ફરિયાદમાં નામ નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બધાં વચ્ચે લંડનથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં ભારતીય મૂળના એક ઢોંગી બાબા જે પોતાને જીવતા ભગવાન ગણાવે છે તેમના પર બળાત્કારનો કેસ નોંધાયો છે. ૬૮ વર્ષના આ બાબાનું નામ રાજિન્દર કાલિયા છે અને તેમના પર મહિલાઓએ યૌન ઉત્પીડન અને ઠગાઈનો આરોપ લગાવ્યો છે. સાથે જ લગભગ ૮૫ કરોડ ( ૮ મિલિયન પાઉન્ડ) જેટલું વળતર માંગ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાઓએ આરોપ લગાવ્યો છે કે રાજિન્દર કાલિયા બાબાએ તેમની પાસે પગાર વગર કામ કરાવ્યું છે. ૪ મહિલાઓએ બાબા પર અનેક વર્ષ સુધી રેપ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. રાજિન્દર પર આરોપ લગાવનારી મહિલાઓ પણ ભારતીય મૂળની છે. આ મહિલાઓનું કહેવું છે કે બાબા પોતાને ભગવાનનો અવતાર ગણાવે છે. તેઓ ઉપદેશ આપવાની સાથે અનેક પ્રકારના ચમત્કાર પણ કરે છે અને બીમારીથી સાજા કરવાનો દાવો કરે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્વયંભૂ કથિત ભગવાન રાજિન્દર કાલિયા પંજાબનો રહિશ છે. તે લંડન કમાવા ગયો હતો પરંતુ ત્યાં તેણે ધર્મની આડમાં ધંધો શરૂ કરી દીધો. તે પોતાના ચમત્કારોની મદદથી અનેક પ્રકારની બીમારીઓ ઠીક કરવાનો દાવો કરવા લાગ્યો અને લોકો તેની ચુંગાલમાં ફસાવા પણ લાગ્યા. કેટલાક લોકો તેને ભગવાનનો અવતાર માનવા લાગ્યા. કાલિયા પર આરોપ લગાવનારી મહિલાઓનું કહેવું છે કે બાબાનો અંચળો ઓઢેલા આ ઢોંગી શખ્સ બાળપણથી તેમનું શોષણ કરતો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Exclusive:-Has-urbanization-weakened-the-caste-system"><span style="font-size: 14pt;"> Exclusive: શું શહેરીકરણથી જ્ઞાતિ વ્યવસ્થા નબળી પડી છે?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે આ મામલો લંડનની કોર્ટમાં પહોંચ્યો છે. રાજિન્દ કાલિયાની અનુયાયી રહી ચૂકેલી આ મહિલાઓનો એ પણ આરોપ છે કે બાબા ખૂબ પ્રભાવશાળી છે. બળાત્કારના કેસને દબાવવા માટે તેમણે મિડલેન્ડ્‌સ પોલીસને લાંચ પણ આપી હતી, જેના કારણે પોલીસે તપાસ કરવાનું બંધ કરી દીધું હતું. રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં જસ્ટિસ માર્ટિન સ્પેન્સરની કોર્ટમાં રાજિન્દર કાલિયા પર કેસ શરૂ થઈ ચૂક્યો છે. આ મામલામાં આગામી મહિના સુધીમાં ચુકાદો આવવાની આશા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજિન્દર પર બેલ ગ્રીન સ્થિત બાબા બાલકનાથ મંદિરમાં ૪ વર્ષના બાળકને પોતાના વશમાં કરવાનો પણ આરોપ છે. રાજિન્દર કાલિયાએ પોતાના બચાવમાં કહ્યું કે "મારા વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. આમ છતાં કોઈ કોર્ટમાં જવા માંગતા હોય તો તે તેમનો હક છે. સચ્ચાઈ જલદી સામે આવી જશે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, લગભગ ૧૦ વર્ષ પહેલા સપ્ટેમ્બર ૨૦૧૪માં અખિલ ભારતીય અખાડા પરિષદે પોતે ફેક બાબાઓની યાદી જાહેર કરીને તેમને ઢોંગી ગણાવ્યા હતા. અખાડા પરિષદની યાદીમાં બળાત્કારી બાબા ગુરમીત રામ રહીમ, આસારામ ઉર્ફે આશુમલ શિમાની, આસારામનો પુત્ર નારાયણ સાંઈ, સુખવિંદર કૌર ઉર્ફે રાધે મા, ર્નિમલબાબા ઉર્ફે નિર્મલજીત સિંહ સહિત અનેક નામો હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અખિલ ભારતીય અખાડા પરિષદની કાર્યકારિણીમાં આ તમામનો દેશવ્યાપી બહિષ્કાર કરવાની અપીલ કરાઈ હતી. યાદીમાં સચિદાનંદ ગિરિ ઉર્ફે સચિન દત્તા, ઓમબાબા ઉર્ફે વિવેકાનંદ ઝા, ઈચ્છાધારી ભીમાનંદ ઉર્ફે શિવમૂર્તિ દ્વિવેદી, સ્વામી અસીમાનંદ, કુશ મુનિ, બૃહસ્પતિ ગિરિ, વૃહસ્પતિ ગિરિ અને મલકાન ગિરિના પણ નામ હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/That-day-for-the-first-time-my-father-saw-a-ghost---Piyush-Jadugar"><strong>એ દિવસે પહેલીવાર મારા પિતાએ ‘ભૂત’ જોયું! - પિયુષ જાદુગર</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 04 Jul 2024 12:10:47 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 04 Jul 2024 12:06:16 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>867</Articleid>
                    <excerpt>યુપીના હાથરસમાં સત્સંગમાં બનેલી ઘટનામાં ભોલે બાબા પર કેસ નથી થયો, પરંતુ લંડનમાં એક ઢોંગી બાબાનો મોટો કાંડ સામે આવ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668642d3c48b5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668642d390df3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668642d390df3.jpg" length="79307" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>કોણ છે આ રહસ્યમય નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબા?</title>
                    <link>https://khabarantar.com/who-is-this-mysterious-narayan-sakaar-hari-aka-bhole-baba</link>
                    <guid>https://khabarantar.com/who-is-this-mysterious-narayan-sakaar-hari-aka-bhole-baba</guid>
                    <description>
                        <![CDATA[ યુપીના હાથરસમાં 121 નિર્દોષ લોકોનો જીવ લેનાર નારાયણ સાકાર હરિ એક રહસ્યમય વ્યક્તિ છે. કોણ છે આ બાબા અને કેવી રીતે તેના દરબારો યોજાય છે તે સમજવા જેવું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના હાથરસમાં ભોલે બાબા તરીકે ઓળખાતા એક ઢોંગી બાબાના સત્સંગમાં ભાગદોડ થતા 121 લોકોના મોત થયા છે. આમાં 116 જેટલી તો મહિલાઓ છે. મૃતકોમાં મોટાભાગની દલિત, આદિવાસી અને ઓબીસી સમાજની મહિલાઓ છે. જો કે, એવું નથી કે આ બાબાના દરબારમાં માત્ર એસસી, એસટી, ઓબીસી સમાજની મહિલાઓ જ આવે છે. અનેક મોટા નેતાઓ પણ આ ઢોંગી બાબાના દરબારમાં મતોની લાલચે દોડ્યાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકાર હરિ ભારે રહસ્યમય વ્યક્તિ છે. તેના ખરેખર કોણ છે, સાચું નામ શું છે, ક્યાંનો રહેવાસી છે, તેના વિશે કોઈ ચોક્કસ કશું છાતી ઠોકીને કહી શકે તેમ નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોતાને વિશ્વ હરિના ચોકીદાર ગણાવતા સ્વઘોષિત આ બાબા પોતે પોલીસમાં નોકરી કરતા હોવાનું કહેવાય છે, તો કોઈ કહે છે તેઓ આઈબીમાં કામ કરતા હતા અને પછી વીઆરએસ લઈને સત્સંગ કરાવવા લાગ્યા. આ ઢોંગી બાબાએ ૨૬ વર્ષ પહેલા પટિયાલી તાલુકાના એક ગામમાં એક ઝૂંપડીમાંથી લોકોને ઉપદેશ આપવાની શરૂઆત કરી હતી અને હવે તો મોટા નેતાઓ પણ તેમના દરબારમાં હાજરી આપે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/hari-devotees-from-all-over-gujarat-raised-an-uproar-against-the-greedy-monks-in-vadtal"><span style="font-size: 14pt;">વડતાલમાં લંપટ સાધુઓ સામે ગુજરાતભરના હરિભક્તોએ હોબાળો મચાવ્યો</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબા મીડિયાથી દૂર રહે છે. તેના વીડિયો સોશિયલ મીડિયામાં બહુ ઓછા જોવા મળે છે. તે પોતાને ભગવાનનો ચોકીદાર ગણાવે છે. જો કે તેમના અસંખ્ય ભક્તો માને છે કે ભોલે બાબા સ્વયં ભગવાનનો અવતાર છે. કાસગંજ જિલ્લાના પટિયાલીના એક નાનકડા ઘરમાંથી સત્સંગની શરૂઆત કરનારા ભોલે બાબાએ હવે પશ્ચિમ યુપી, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પોતાનો પ્રભાવ ફેલાવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહેવાય છે કે, સ્વયંભૂ સંત નારાયણ સાકાર વિશ્વ હરિ ૨૬ વર્ષ પહેલા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નિયુક્ત થયા હતા. પછી અચાનક વીઆરએસ લઈ લીધું અને પટિયાલીના બહાદુરનગરી ગામમાં એક ઝૂંપડીમાંથી સત્સંગ શરૂ કર્યો હતો. એક વાતચીત દરમિયાન ભોલે બાબાએ દાવો કર્યો હતો કે તેમના કોઈ ગુરુ નથી અને તેમણે ૧૮ વર્ષ સુધી પોલીસમાં કામ કર્યા પછી ભગવાન સાથે તેમનો મેળાપ થયો અને આધ્યાત્મિકતા પ્રત્યે લગાવ કેળવતા જ તેમણે સત્સંગમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ધીરે ધીરે લોકો તેની વાતોમાં આવવા લાગ્યા અને આ ઢોંગી બાબાનો પ્રભાવ વધતો ગયો. હવે નારાયણ સાકાર હરિના દરબારો અનેક વીઘા જમીનમાં ભરાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પટિયાલી તાલુકાના બહાદુરનગરી ગામમાંથી ઉભરીને ભોલે બાબાએ પોતાનું વર્ચસ્વ વધારવાનું શરૂ કર્યું છે. હવે સ્વયંભૂ સંત પોતે ઈટા, આગ્રા, મૈનપુરી, શાહજહાંપુર, હાથરસ સહિતના ઘણા જિલ્લાઓમાં પ્રભાવ ધરાવે છે. આ ઉપરાંત પશ્ચિમ યુપીને અડીને આવેલા મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને હરિયાણાના ઘણા જિલ્લાઓમાં તેમના મેળાવડા યોજાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્વયંભૂ બાબાના મોટા ભાગના ભક્તો ગરીબ વર્ગના છે, તેમાંથી મોટાભાગના જાટવ-વાલ્મિકી અને અન્ય પછાત જાતિઓમાંથી આવે છે અને તેમની સંખ્યા લાખોમાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે પણ ભોલે બાબાના સત્સંગમાં જાય છે તેને પ્રસાદ તરીકે પીવા માટે પાણી આપવામાં આવે છે. બાબાના અનુયાયીઓનું માનવું છે કે આ પાણી પીવાથી તેમની સમસ્યાઓ દૂર થાય છે. ઘણાં લોકો તેને ભરીને લઈ જાય છે. બહાદુર નગરી ગામમાં સ્થિત તેમના આશ્રમમાં બાબાનો દરબાર પણ ભરાય છે. આશ્રમની બહાર એક હેન્ડપંપ પણ છે, દરબાર વખતે આ હેન્ડપંપ પરથી પાણી પીવા માટે કતારો લાગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યાં પણ સ્વઘોષિત સંત નારાયણ સાકાર વિશ્વ હરિનો સત્સંગ યોજાય છે, ત્યાં ગુલાબી વસ્ત્રોમાં તેમના સેવકો તેની ૫૦૦ મીટરની અંદર રસ્તાઓ પર વ્યવસ્થા સંભાળે છે. આ ઉપરાંત તેમના સેવાદાર શહેરની અંદર સુધી પણ હાજર રહીને સત્સંગીઓને સ્થળ પર પહોચવા માર્ગદર્શન આપે છે.આ સેવાદારો ટ્રાફિક વ્યવસ્થાના સંચાલનમાં મદદ કરવા સાથે મેળાવડામાં આવતા અનુયાયીઓને કાર્યક્રમના સ્થળ વિશેની માહિતી પણ આપે છે. સમગ્ર રૂટમાં ડ્રમમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નારાયણ સાકાર હરિનો દરબાર ભરાય છે ત્યારે આ ઢોંગી બાબા સફેદ કપડાં પહેરે છે. તેમની પત્ની પણ તેમની સાથે સ્ટેજ પર બેસે છે, જેને દેવી લક્ષ્મી કહેવામાં આવે છે. તેઓ તેમના ઉપદેશોમાં કહે છે કે તેઓ સાકાર વિશ્વ હરિના ચોકીદાર તરીકે કામ કરે છે. બાબાનો દાવો છે કે, તેમના સેવકોમાં પણ ભગવાનનો અંશ છે અને તેમના આશ્રયમાં આવનારા દરેક વ્યક્તિનું કલ્યાણ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઢોંગી બાબાએ પોતાની લીલા જે રીતે વિસ્તારી છે, તે જોતા નેતાઓની મતની લાલચ તરત જાગી જાય છે સ્વાભાવિક છે. એટલે જ નારાયણ સાકાર હરિના દરબારમાં મોટા નેતાઓ પણ પાય લાગતા આવવા લાગ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/a-case-was-registered-against-the-organizers-of-the-Hathras-race-but-not-bhole-babas-name"><strong>હાથરસ ભાગદોડ મામલે આયોજકો સામે કેસ નોંધાયો, ભોલે બાબાનું નામ નહીં</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 04 Jul 2024 11:20:05 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>866</Articleid>
                    <excerpt>યુપીના હાથરસમાં 121 નિર્દોષ લોકોનો જીવ લેનાર નારાયણ સાકાર હરિ એક રહસ્યમય વ્યક્તિ છે. કોણ છે આ બાબા અને કેવી રીતે તેના દરબારો યોજાય છે તે સમજવા જેવું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6686374c008b9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6686374bc5f6b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6686374bc5f6b.jpg" length="79553" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બાબાની કરતૂતોનો પર્દાફાશ,બાબા તેના બાળકોને મારતા હતા</title>
                    <link>https://khabarantar.com/babas-deeds-exposed-baba-used-to-beat-his-children</link>
                    <guid>https://khabarantar.com/babas-deeds-exposed-baba-used-to-beat-his-children</guid>
                    <description>
                        <![CDATA[ Hathras Satsang:હાથરસની ઘટનાવાળા બાબાના કાંડ સામે આવવા લાગ્યા,બાબા તેના બાળકોને મારતા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશના હાથરસમાં રતિભાનપુરમાં સત્સંગ દરમ્યાન ભાગદોડ મચી જવાથી ૧૧૬ લોકોથી વધારે લોકોના મોત થઈ ગયા છે. સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના સત્સંગમાં ભાગદોડ મચી ગઈ હતી. આ ભાગદોડ એવી હતી કે થોડી જ વારમાં મૃતદેહોનો ઢગલો થઈ ગયો. ભોલે બાબાનું પ્રવચન સાંભળવા માટે દરેક લોકો સત્સંગમાં આવ્યા હતા. ઘટનાને પગલે પરિવારના સભ્યો રડી રહ્યા છે. પોલીસ-પ્રશાસન અને સરકાર કામગીરી કરી રહી છે. મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે. પરંતુ હાથરસમાં મૃત્યુ સત્સંગ કરાવનાર બાબા અને તેમના અનુયાયીઓ જાેવા પણ આવતા નથી. તે સતત પોલીસને ચકમો આપી રહ્યો છે. હવે સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાનું વધુ એક કૃત્ય સામે આવ્યું છે. જેનો પર્દાફાશ તેના પરિવારના સભ્યએ જ કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના નાના ભાઈની પત્નીએ જણાવ્યું છે કે બાબા તેના બાળકોને મારતા હતા. સૂરજપાલના ભાઈની પત્નીએ કહ્યું, ‘‘ભોલે બાબાને હવે તેમના પરિવાર સાથે કોઈ લેવાદેવા નથી. બાબાએ એક વખત પોતાના બાળકોને પણ માર માર્યો હતો અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.’ તેમણે કહ્યું કે અમે ક્યારેય ભોલે બાબાના સત્સંગમાં ગયા નથી. તેમ જ અમને તેમની સાથે કોઈ લેવાદેવા નથી. તે પોતાના ભાઈના મૃત્યુ પર પણ આવ્યા ન હતા. જે વ્યક્તિ પોતાના પરિવારના સભ્યના મૃત્યુ પર ન આવે તો તેવા સાથે અમારે કોઈ લેવાદેવા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/swaminarayan-literature-contains-nonsense-and-outright-lies"><span style="font-size: 14pt;">સ્વામિનારાયણ સાહિત્યમાં વાહિયાત અને તદ્દન જૂઠાં પરચાઓ છે</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાસગંજના બહાદુરનગરમાં ભોલે બાબાના આશ્રમમાં કોઈ સેવકને દુર્ઘટના વિશે માહિતી આપવામાં આવી નથી. કાસગંજ આશ્રમના કોઈ સેવકને ખબર નથી કે શું થયું અને કેટલા લોકોના મોત થયા. હવે સવાલ એ છે કે શું આ આશ્રમ સેવકો જાણી જાેઈને સાચી માહિતી નથી આપી રહ્યા. અથવા કોઈ એવી વ્યક્તિ છે જે તેમને સત્યથી દૂર રાખવાનો પ્રયાસ કરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબા સૂરજપાલ કથાકાર સાકર હરિ બાબા ઉર્ફે ભોલે બાબા તરીકે ઓળખાય છે. જાણવા મળ્યું છે કે વિશ્વ સાકર હરિ ઉર્ફે ભોલે બાબા થવણાઈ શરૂઆત આગરાથી થઈ હતી. સૂરજપાલ તેના પરિવાર સાથે કેદાર નગરમાં રહેતો હતો. ધીમે ધીમે તેણે સફેદ વસ્ત્રો પહેરીને પોતાની ઓળખ બનાવી, પછી આસપાસની મહિલાઓ માટે બાબા બની ગયા. તે પછી સૂરજપાલે આગરાના કેદાર નગરમાં બનેલી નાની ઝૂંપડીમાંથી ભોલે બાબા તરીકે સત્સંગ અને પૂજા કરવાનું શરૂ કર્યું. થોડા જ સમયમાં તે સફેદ કપડા વાળા બાબાના નામથી ઓળખાવા લાગ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના સિકંદરરાવ વિસ્તારમાં મંગળવારે ભોલે બાબાનો સત્સંગ હતો. આ સત્સંગમાં અચાનક ભાગદોડ થઇ હતી.જેમાં ૧૧૬ લોકોના મોત નિપજ્યા હતા. અત્યાર સુધીમાં લગભગ ૭૬ મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇટાહ અને હાથરસ નજીકના જિલ્લાઓ છે, જેમાંથી ઇટાહના લોકો પણ સત્સંગમાં ભાગ લેવા આવ્યા હતા. આ ઉપરાંત આગ્રા, સંભલ, લલિતપુર, અલીગઢ, બદાઉન, કાસગંજ, મથુરા, ઔરૈયા, પીલીભીત, શાહજહાંપુર, બુલંદશહર, ફરીદાબાદ અને હરિયાણાના પલવલ, મધ્યપ્રદેશના ગ્વાલિયર, રાજસ્થાનના ડીગ વગેરે જિલ્લાઓમાંથી પણ અનુયાયીઓ સત્સંગમાં પધાર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/over-120-killed-in-stampede-during-satsang-in-ups-hathras"><strong>યુપીના હાથરસમાં સત્સંગમાં ભાગદોડ થતા ૧૨૦થી વધુના મોત</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 03 Jul 2024 19:50:08 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>864</Articleid>
                    <excerpt>Hathras Satsang:હાથરસની ઘટનાવાળા બાબાના કાંડ સામે આવવા લાગ્યા,બાબા તેના બાળકોને મારતા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66855d7dc17f9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66855d7d93333.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66855d7d93333.jpg" length="104314" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>હાથરસ ભાગદોડ મામલે આયોજકો સામે કેસ નોંધાયો, ભોલે બાબાનું નામ નહીં</title>
                    <link>https://khabarantar.com/a-case-was-registered-against-the-organizers-of-the-Hathras-race-but-not-bhole-babas-name</link>
                    <guid>https://khabarantar.com/a-case-was-registered-against-the-organizers-of-the-Hathras-race-but-not-bhole-babas-name</guid>
                    <description>
                        <![CDATA[ હાથરસ સત્સંગ ભાગદોડ મામલામાં આખરે એફઆઈઆર નોંધાઈ છે. જેમાં સત્સંગના મુખ્ય આયોજક અને સેવકનું નામ છે પરંતુ મુખ્ય પ્રવચનકર્તા એવા ભોલે બાબાનું નામ નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના હાથરસ પાસે યોજાયેલા ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકાર હરિના સત્સંગમાં થયેલી દોડાદોડીમાં મૃતકોની સંખ્યા વધીને હવે 121 થઈ ગઈ છે. આ મામલે હવે સત્સંગના આયોજકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે, ફરિયાદમાં મુખ્ય પ્રવચનકર્તા એવા ભોલે બાબાનું નામ નથી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે તેમના સત્સંગમાં ભાગદોડ મચી ગઈ હતી અને તેમાં 116 લોકોના મોત થયા હતા. મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થતો હતો. હવે મૃતકોનો આંકડો વધીને 121 થઈ ગયો છે. અનેક લોકો હજુ પણ ગુમ છે, જેના કારણે મૃતકોનો આંકડો વધી શકે છે. ઘાયલોને હાથરસ, અલીગઢ, એટા વગેરેની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ મામલામાં ગંભીર કલમોના આધારે એફઆઈઆર નોંધવામાં આવી છે. પણ તેમાં આશ્ચર્યજનક રીતે મુખ્ય આયોજક અને સેવકને આરોપી બનાવવામાં આવ્યો છે. જ્યારે મુખ્ય પ્રવચનકર્તા સૂરજ પાલ ઉર્ફે નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબાનું નામ ગાયબ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આયોજકોએ સત્સંગ કાર્યક્રમની મંજૂરી મેળવતી વખતે આવનારા ભક્તોનો અસલ આંકડો છુપાવ્યો હતો. એફઆઈઆર મુજબ સત્સંગમાં 2.5 લાખ લોકો આવ્યા હતા, જ્યારે આયોજકોને મંજૂરી ફક્ત 80 હજાર લોકોના કાર્યક્રમની મળી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/A-young-man-sweated-while-doing-carpentry-work-for-a-Baba-with-a-ticket-in-Vadodara,-the-video-went-viral">વડોદરામાં ચિઠ્ઠીવાળી બાબાને સુથાર યુવકે પરસેવો છોડાવી દીધો</a></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે, કાર્યક્રમના મુખ્ય પ્રવચનકર્તા સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબા પ્રવચન પુરું થયા બાદ પોતાની ગાડીમાં બેસીને કાર્યક્રમ સ્થળેથી નીકળી રહ્યા હતા એ વખતે બપોરે 2 વાગ્યા આસપાસ શ્રદ્ધાળુ મહિલાઓ, પુરૂષો અને બાળકોએ તેમની ગાડી પસાર થઈ ગયા પછી તેમની 'ચરણ રજ' લેવા માટે પડાપડી કરી હતી. કાર્યક્રમ સ્થળથી નીકળી રહેલી લાખો શ્રદ્ધાળુઓની ભીડના દબાણને કારણે નીચે બેઠેલા, નમેલા ભક્તો દબાવા અને કચડાવા લાગ્યા હતા, જેના કારણે હોબાળો મચી ગયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એફઆઈઆરમાં વધુમાં જણાવાયું છે કે, રસ્તાની બીજી તરફ બાબાની ગાડીની પાછળ પાણી અને કાદવથી ભરેલા ખેતરોમાં દોડી રહેલાં ટોળાંને આયોજકોએ લાકડીઓ અને દંડા વડે રોકી રાખી હતી. જેના કારણે ટોળાંની અંદર દબાણ સતત વધતું જઈ રહ્યું હતું અને તેમાં મહિલાઓ અને બાળકો, પુરુષો કચડાતા ગયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એફઆઈઆરમાં જણાવ્યા પ્રમાણે, કાર્યક્રમ સ્થળે વાહનવ્યવહાર નિયંત્રણ માટે આયોજકો દ્વારા મંજૂરીની શરતોનું પાલન કરવામાં આવ્યું નહોતું. ઘટનામાં ઘાયલ થયેલા લોકોનો પડી રહેલો સામાન, કપડાં, ચપ્પલ વગેરેને ઉપાડીને બાજુના ખેતરમાં ફેંકી દઈને પુરાવાને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત સરકાર અને યુપી સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ યેલા પરિવારોને રૂ. 50 હજારની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીએમ યોગી આદિત્યનાથે ઘટનાની જાણકારી મેળવી છે અને તેમના નિર્દેશને પગલે આખી ઘટનાની તપાસ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અકસ્માત પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/over-120-killed-in-stampede-during-satsang-in-ups-hathras">ઉત્તરપ્રદેશના હાથરસમાં સત્સંગમાં ભાગદોડ થતા 120 લોકોના મોત</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 03 Jul 2024 14:41:20 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>862</Articleid>
                    <excerpt>હાથરસ સત્સંગ ભાગદોડ મામલામાં આખરે એફઆઈઆર નોંધાઈ છે. જેમાં સત્સંગના મુખ્ય આયોજક અને સેવકનું નામ છે પરંતુ મુખ્ય પ્રવચનકર્તા એવા ભોલે બાબાનું નામ નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6685132ea7646.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6685132e6e94c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6685132e6e94c.jpg" length="91336" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>UP, Hathras, Bhole Baba, FIR</media:keywords>
                </item>
                        <item>
                    <title>જૂનાગઢના વંથલીમાં 24 કલાકમાં 15 ઈંચ, વિસાવદરમાં 13 ઈંચ વરસાદ</title>
                    <link>https://khabarantar.com/15-inches-of-rain-in-junagadhs-vanthali-13-inches-in-visavadar-in-24-hours</link>
                    <guid>https://khabarantar.com/15-inches-of-rain-in-junagadhs-vanthali-13-inches-in-visavadar-in-24-hours</guid>
                    <description>
                        <![CDATA[ જૂનાગઢ પંથકના વંથલી અને વિસાવદરમાં છેલ્લાં 24 કલાકમાં અનુક્રમે 15 અને 13 ઈંચ વરસાદ ખાબકતા લોકો આખી રાત જાગતા રહ્યાં હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૌરાષ્ટ્રમાં વરસાદ પડતો ન હતો ત્યાં સુધી કોરુધાકોર હતુ, પરંતુ હવે વરસાદે રીતસરની ધમધમાટી બોલાવી છે. જૂનાગઢમાં જ જુઓ તો વંથલીમાં ૨૪ કલાકમાં ૧૫ ઇંચ તો વિસાવદરમાં ૨૪ કલાકમાં ૧૩ ઇંચ વરસાદ ત્રાટક્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ આખુ જૂનાગઢ પાણી-પાણી છે. જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે. મેંઘો મન મુકીને વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધારે વરસાદ વિસાવદર, વંથલી, જૂનાગઢ તાલુકો અને શહેરમાં પડ્યો હતો. જૂનાગઢમાં અતિ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં બેટ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને કેટલાક ગામો સંપર્ક વિહોણા પણ થઈ ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જુનાગઢ માળીયાહાટીનામાં સાંજે ૬ થી ૯ વાગ્યા સુધી માં કુલ ૪ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે માંગરોળ પંથકમાં જળબંબાકાર થયો હતો. ઓઝત નદીના પાળો તુટતા માંગરોળ ઘેડ પંથકના ગામો બેટમા ફેરવાયા ઘેડ પંથકના ગામોમાં વીજળી ગુલ થઈ હતી. માંગરોળ કામનાથ મહાદેવ નજીક નોળી નદીમા પુરની સ્થિતિ સર્જાઈ હતી.વરસાદને લઈને સ્ટેશન પ્લોટ વિસ્તાર, પુનાપરા,  માધવનગર, પટેલ સમાજ, જલારામ મિલ, લલ્લુ કોલોની, તેમજ રેલ્વે સ્ટેશન થી ગામ તરફ જતા રસ્તામાં પાણીના દ્રશ્યો સામે આવ્યા તેમજ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનાગઢ શહેરમાં ૧૨ ઈંચ વરસાદ વરસ્યો છે. કેશોદમાં ૧૦ ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે બારડોલીમાં ૯ ઈંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ ખંભાળિયા અને માણાવદરમાં ૯ ઈંચ વરસાદ વરસ્યો છે. નવસારીમાં ૮ ઈંચ, કલ્યાણપુર અને જલાલપોરમાં ૮ ઈંચ વરસાદ વરસ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનાગઢના ઘેડ પંથકમાં ઓઝત નદીના પાણી  ૮થી ૧૦ ગામમાં ફરી વળ્યા છે. તો જૂનાગઢમાં ભારે વરસાદના કારણે માણાવદરનું પજાેદ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તો  માણાવદરનું કોડવાવ ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે. જૂનાગઢના રવની ગામમાં ભારે વરસાદના કારણે ચારેતરફ પાણી જ પાણી થઈ ગયું છે. હજુ પણ જૂનાગઢમાં ભારે વરસાદની હવામાનની આગાહી કરી છે. જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ બાદ કલેક્ટર અનિલ રાણાએ જણાવ્યું કે, જિલ્લાના ચાર જળાશયો ઓવરફ્લો થયા છે. વંથલી ઓઝત વિયર, આણંદપુર ઓઝત વિયર, બાંટવા ખારો અને કેરાળા ઉબેણ વીયર ઓવરફ્લો થયા છે. જિલ્લામાં વરસાદ ધીમો પડી જતા સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. ગિરનાર પર સૌપ્રથમ વરસાદ માપવાની કામગીરી કરવામાં આવી છે. અચાનક ગિરનાર પર વરસાદ પડવાથી જૂનાગઢમાં ભયંકર સ્થિતિ સર્જાઈ છે. ગિરનાર પરથી સતત વરસાદના આંકડા મેળવી જુનાગઢ સીટીની ટીમને એલર્ટ આપવામાં આવશે. કાળવા વોકળાને ઉંડો અને પહોળો કરવામાં આવ્યો હોવાથી પાણીની ક્ષમતા વધી હોવાનો કલેક્ટરનો દાવો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/five-madrasa-teachers-mistaken-for-child-traffickers-and-put-in-jail-then-say-mistake"><span style="font-size: 14pt;">મદરેસાના 5 શિક્ષકોને બાળ તસ્કર સમજી જેલમાં પૂર્યા, પછી કહે 'ભૂલ થઈ'</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનાગઢમાં ભારે વરસાદ ની પગલે દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યા. જૂનાગઢની વચ્ચેથી નીકળતી કાળવા નદી ભયાનક સ્વરૂપમાં વહેતી જાેવા મળી. ગત વર્ષની જેમ ફરી જુનાગઢનો વરસાદ હાહાકાર મચાવે તેવા તબાહીના દ્રશ્યો સર્જાયા છે. મોડી રાતે શરૂ થયેલા ધોધમાર વરસાદે લોકોના શ્વાસ અદ્‌ઘર કરી દીધા છે. જાેકે વહેલી સવારે રોકાયેલા વરસાદથી લોકોના જીવમાં જીવ આવ્યો છે. નહિ તો કુદરત શું દ્ર્‌શ્યો સર્જી દેત એની કલ્પના કરવી મુશ્કેલ હતી. હાલ સ્થિતિ સામાન્ય છે પરંતુ મોડી રાત તંત્ર પણ જાગતું રહ્યું અને લોકો પણ આભ ફાટયું હોય એમ વરસાદને જાેઈ ભયભીત થતાં રહ્યાં. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારે વરસાદના કારણે નાગઢ - કેશોદમાં એનડીઆરએફ ની ટીમ તૈનાત કરવામાં આવી , ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય , ૩૦ જવાનોની ટીમ આપત્તિ સમયે ઘેડ પંથકમાં રેસ્ક્યુની કામગીરી કરશે, રાહત બચાવની કામગીરી માટે જરૂરી તમામ સાધનો સાથે એનડીઆરએફની ટીમ કેશોદ પહોંચી.જૂનાગઢ કેશોદમાં નવા બનતા અંડરબ્રીજમાં ફસાઈ ગયેલા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે યુવક અંડરબ્રિજમાં પાણી ભરાતાં ફસાયો હતો ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર વિભાગે યુવકનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માણાવદર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ જાેવામળી છે. માણાવદરનું પાજાેદ ગામ પાણીમાં ગરકાવ થયું છે. ભારે વરસાદને પગલે પાજાેદ ગામ બેટમાં ફેરવાયું છે. ઓઝત નદીના પાણી ગામમાં ગોઠણ ડૂબ પાણી ફરી વળ્યાં છે. તંત્ર તરફથી કોઈ મદદ ન પહોંચતા લોકોમાં રોષ જાેવા મળ્યો છે. ગામમાં સવારથી જ પાણી ભરાતાં લોકોને પડી ભારે હાલાકી પડી રહી છે. માણાવદ થી જતો સરાડીયા પોરબંદર હાઇવે બંધ જેવી સ્થિતિમાં ઉપરવાસમાં પણ વધુ વરસાદ પડતાં માણાવદરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તો બંધ થતાં વાહનચાલકો મુસીબતમાં મૂકાયા છે. માણાવદરનાં પાજાેદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વલસાડ જીલ્લામાં ભારે વરસાદને પગલે તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરી છે. વલસાડ ડીડીઓએ ટ્‌વીટ કરી માહિતી આપી હતી. તેમજ ભારે વરસાદ અને આગાહીને કારણે શિક્ષણ વિભાગ દ્વારા રજા જાહેર કરાઈ છે. વલસાડ તાલુકાની તમામ શાળા, કોલેજ, આઈટીઆઈ અને આંગણવાડી સહિતની સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવે છે. જીલ્લાનાં અન્ય તાલુકા ધમરપુર, કપરાડા, પારડી, વાપી અને ઉમરગામમાં પરિસ્થિતિ પ્રમાણે ર્નિણય લેવાશે. જીલ્લામાં આજે ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/cm-belongs-to-our-caste-we-will-give-water-when-we-want"><strong>મુખ્યમંત્રી અમારી જાતિનો છે, અમારી ઈચ્છા થશે ત્યારે પાણી આપીશું...</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 02 Jul 2024 21:31:20 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>857</Articleid>
                    <excerpt>જૂનાગઢ પંથકના વંથલી અને વિસાવદરમાં છેલ્લાં 24 કલાકમાં અનુક્રમે 15 અને 13 ઈંચ વરસાદ ખાબકતા લોકો આખી રાત જાગતા રહ્યાં હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668423830e19e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66842382c24ee.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66842382c24ee.jpg" length="56745" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>યુપીના હાથરસમાં સત્સંગમાં ભાગદોડ થતા ૧૨૦થી વધુના મોત</title>
                    <link>https://khabarantar.com/over-120-killed-in-stampede-during-satsang-in-ups-hathras</link>
                    <guid>https://khabarantar.com/over-120-killed-in-stampede-during-satsang-in-ups-hathras</guid>
                    <description>
                        <![CDATA[ ઉત્તરપ્રદેશના હાથરસમાં બાબા ભોલેના સત્સંગ વખતે ભાગદોડ થતા 120થી વધુ લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત દેશમાં દર વર્ષે સેંકડો લોકો ધાર્મિક કાર્યક્રમો કે મંદિરો, મસ્જિદો સહિતના ધાર્મિક સ્થળોએ યોજાતા કાર્યક્રમોમાં અકસ્માતનો ભોગ બનીને મોતને ભેટતા હોય છે. આવી જ મોટી ઘટના આજે ઉત્તરપ્રદેશના હાથરસમાં ઘટી છે. અહીં રતિભાનપુરમાં બાબા ભોલેના સત્સંગ વખતે નાસભાગ મચી ગઈ હતી. અને તેમાં ૧૨૦થી વધુ લોકોના મોત થતા ખળભળાટ મચી ગયો છે. મૃતકોમાં અનેક મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. ઘટનામાં ૧૫૦થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર મળી રહ્યાં છે. એટાના ચીફ મેડિકલ ઓફિસરે આ વાતની પુષ્ટિ કરી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ભયાવહ દુર્ઘટના પછી મુખ્યમંત્રી કાર્યાલય પણ એક્શનમાં આવ્યું હતું. આ દરમિયાન અનેક લોકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડાયા હતા. રાજ્ય સરકારે રાહત અને બચાવ કાર્યમાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત એડીજી આગરા અને અલીગઢના કમિશનરના નેતૃત્વમાં આ દુર્ઘટનાની તપાસના પણ આદેશ અપાયા છે.  યોગી સરકારના નિર્દેશ પછી સરકારના બે વરિષ્ઠ મંત્રી અને મુખઅય સચિવ સાથે ડીજીપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે બાબા ભોલેનો સત્સંગ ખતમ થઈ ગયો હતો. ત્યાર પછી અનેક લોકો એક નાનકડા હૉલમાંથી એકસાથે બહાર નીકળી રહ્યા હતા. પણ પ્રવેશદ્વાર નાનો હતો અને સૌ પહેલા બહાર નીકળવાની લ્હાયમાં ધક્કામુક્કી કરવા લાગતા મામલો બિચક્યો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મૃતકોમાં મોટા ભાગની મહિલાઓ અને બાળકો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભોલે બાબાનું અસલી નામ નારાયણ સાકાર હરિ છે. તેઓ એટા જિલ્લાના પટયાલી તાલુકાના ગામ બહાદુર નગરના રહેવાસી છે. આશરે ૨૬ વર્ષ પહેલા તેમણે સરકારી નોકરી છોડીને પ્રવચનો આપવાનું શરૂ કર્યું હતું. એકવાર તેમણે પ્રવચનમાં જણાવ્યું હતું કે ‘હું પહેલા ગુપ્તચર બ્યુરોમાં કામ કરતો હતો.’ આ ભોલે બાબા ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં સૌથી વધુ ભક્તો ધરાવે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/52-deaths-this-year-in-chardham-yatra-350-deaths-in-10-years-in-kedarnath"><span style="font-size: 14pt;">ચારધામ યાત્રામાં આ વર્ષે 52, કેદારનાથમાં 10 વરસમાં 350 લોકોના મોત</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાથરસના ગામમાં તેમનો સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અચાનક ભાગદોડ મચી જતા આ ઘટના ઘટી છે. કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા અનેક શ્રદ્ધાળુઓના મોત થયાની આશંકાને પગલે હજુ પણ મોતનો આંકડો વધી શકે છે. પ્રવચનમાં હાજરી આપવા આવેલા સેંકડો ભક્તો ભારે ગરમીના કારણે બેહોશ થઈ ગયા હતા. માહિતી મળતાં જ પોલીસ અને પ્રશાસને સેંકડો લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ ઘટના સિકંદરરાવ કોતવાલી વિસ્તારના ફૂલરાઈ ગામમાં બની હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નજરે જોનાર એક વ્યક્તિએ કહ્યું હતું કે, અમે સત્સંગમાં ગયા હતા. ત્યાં ઘણી ભીડ હતી, રસ્તો સંપૂર્ણપણે જામ હતો, બહાર જવા માટે જગ્યા નહોતી. હું અને મારી માતા મેદાનમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે જગ્યા ન હતી. બધાંને ઝડપથી બહાર નીકળવું હતું. એ દરમિયાન કોઈએ ઝમકલું કરતા મામલો બિચક્યો હતો અને ભાગદોડ મચી ગઈ હતી. એ પછી સૌ દોડવા લાગતા અનેક મહિલાઓ અને બાળકો કચડાઈ ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/more-than-1300-pilgrims-lost-their-lives-this-year-during-the-pilgrimage-to-mecca"><strong>મક્કાની હજયાત્રામાં આ વર્ષે 1300થી વધુ હાજીઓએ જીવ ગુમાવ્યા</strong></a></span><br><br></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 02 Jul 2024 20:12:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>856</Articleid>
                    <excerpt>ઉત્તરપ્રદેશના હાથરસમાં બાબા ભોલેના સત્સંગ વખતે ભાગદોડ થતા 120થી વધુ લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668411aee37ad.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668411aeb3c89.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668411aeb3c89.jpg" length="89252" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભારે વિરોધ બાદ નાગપુરની દીક્ષાભૂમિ પર પાર્કિંગની યોજના સ્થગિત</title>
                    <link>https://khabarantar.com/parking-plan-at-dikshabhoomi-in-nagpur-shelved-after-huge-protests</link>
                    <guid>https://khabarantar.com/parking-plan-at-dikshabhoomi-in-nagpur-shelved-after-huge-protests</guid>
                    <description>
                        <![CDATA[ નાગપુરની જગવિખ્યાત દીક્ષાભૂમિ પર મહારાષ્ટ્ર સરકારે અંડરગ્રાઉન્ડ પાર્કિંગની યોજના બનાવી હતી. જેના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતરતા યોજના સ્થગિત કરવી પડી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિકાસના નામે કોઈપણ ઐતિહાસિક સ્મારકનું અસ્તિત્વ ખતમ કરવાની રાજરમત હવે લોકો પણ જાણે સમજવા માંડ્યા છે. એટલે જ દેશમાં અનેક જગ્યાએ વિકાસના નામે સ્મારકો પર સરકારી યોજનાઓ લાગુ કરીને પછી તેના પર નિયંત્રણો લાદીને તેના મૂળ અસ્તિત્વને ખતમ કરી દેવાની ચાલનો લોકો દ્વારા વિરોધ થઈ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કંઈક આવું જ હાલ દુનિયાભરના બહુજનો માટે સ્વાભિમાન અને સ્વતંત્રતાનું પ્રતિક રહેલી નાગપુરની દીક્ષાભૂમિ મામલે જોવા મળી રહ્યું છે. અહીં મહારાષ્ટ્ર સરકારે પાર્કિંગની યોજના બનાવી હતી. જેનો લાંબા સમયથી વિરોધ થઈ રહ્યો હતો. આ મામલે ગઈકાલે હજારો બહુજનોએ દીક્ષાભૂમિ પહોંચીને આ પાર્કિંગ યોજનાનો વિરોધ કર્યો હતો અને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. દીક્ષાભૂમિ એ સ્થળ છે જ્યાં ડો. બાબાસાહેબ આંબેડકરે આજથી 58 વર્ષ પહેલા તેમના ચાર લાખથી વધુ અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે સોમવારે હજારો બહુજનોએ નાગપુરમાં જગવિખ્યાત દીક્ષાભૂમિ પર પ્રસ્તાવિત અંડરગ્રાઉન્ડ પાર્કિંગ સ્થળના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ પાર્કિંગના કામ માટે લાવવામાં આવેલા સ્ટીલ, તૈયાર થયેલા કોંક્રિટના સ્તંભ અને કામચલાઉ બાઉન્ડ્રીને નિશાન બનાવી હતી. પ્રદર્શનકારીઓએ અહીં કામ માટે લાવવામાં આવેલા લાકડાના સામાનને આગ લગાડી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પ્રદર્શકર્તાઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થળ પર પહોંચેલી નાગપુર પોલીસે લાઉડસ્પીકર પર લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી અને તેમને ત્યાંથી દૂર જતા રહેવા કહ્યું હતું. પણ પ્રદર્શનકારીઓએ તેના પર ધ્યાન આપ્યું નહોતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ સમગ્ર મામલે વિપક્ષ મહાવિકાસ અઘાડીના નેતાઓએ રાજ્ય સરકારની ટીકા કરી હતી. વિરોધ વધતા આખરે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વિધાનસભામાં જાહેરાત કરી હતી કે તેઓ પાર્કિંગ પરિયોજનાને સ્થગિત કરી રહ્યાં છે. ફડણવીસે જણાવ્યું હતું કે, દીક્ષાભૂમિ ટ્રસ્ટ દ્વારા પ્રસ્તાવને મંજૂરી આપ્યા બાદ રાજ્ય સરકારે તેના માટે જરૂરી ફંડ ફાળવ્યું હતું. પણ લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને હાલ પુરતી આ યોજનાને સ્થગિત કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે વધુમાં જણાવ્યું કે, સંબંધિત પક્ષો સાથે વાતચીત કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસના નેતા નીતિન રાઉત, શિવસેના યુબીટીના આદિત્ય ઠાકરે અને સુષમા અંધારે, એનસીપી શરદ પવારના જીતેન્દ્ર આવ્હાડ અને વંચિત બહુજન અઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકર સહિત મહાવિકાસ અઘાડીના સિનિયર નેતાઓએ બહુજન સમાજ અને ડો. આંબેડકરના અનુયાયીઓને વિશ્વાસમાં લીધાં વિના આખો પ્રસ્તાવ તૈયાર કરીને અમલમાં મૂકી દેવા બદલ રાજ્ય સરકારની આકરી ટીકા કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રકાશ આંબેડકરે સમગ્ર મામલે રાજ્ય સરકારની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે, વારંવાર વાંધો ઉઠાવવા છતાં દીક્ષાભૂમિ ટ્રસ્ટના કેટલાક ટ્રસ્ટીઓ આ પાર્કિંગ યોજનાને આગળ ધપાવવા માટે મકક્મ છે. અહીં અંડરગ્રાઉન્ડ પાર્કિંગની કોઈએ માંગ નથી કરી. છતાં સરકાર અહીં આ યોજના લાગુ કરવા માંગે છે જે શંકાસ્પદ છે. આ યોજના સાથે વ્યવસાયિક હિતો જોડાયેલા હોઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/Were-the-Dalits-of-Gujarat-in-an-unencumbered-state-before-the-advent-of-Gandhiji"> <span style="font-size: 14pt;">શું ગાંધીજીના આગમન પહેલા ગુજરાતના દલિતો નિર્લેપ અવસ્થામાં હતા?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, કોઈપણ મોટું આયોજન હોય છે ત્યારે સુરક્ષાના કારણોસર અંડરગ્રાઉન્ડ સુવિધાઓ બંધ કરી દેવામાં આવે છે. પણ અહીં તો સરકાર ખુદ તેને આગળ વધારવા જઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાઉત અને આવ્હાડે સરકાર અને ટ્રસ્ટીઓને બહુજન સમાજની આ સ્મારક સાથે જોડાયેલી લાગણીઓ સાથે ચેડાં ન કરવા અને સ્મારકને નુકસાન ન પહોંચાડવા વિનંતી કરી હતી. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે, નવું પાર્કિંગ સ્થળ દીક્ષાભૂમિના વિશાળ ગુંબજના પાયાને નુકસાન પહોંચાડી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તમામ વિરોધોને ધ્યાનમાં રાખીને હાલ મહારાષ્ટ્ર સરકારે આ પાર્કિંગ યોજનાને હાલ પુરતી સ્થગિત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, દેશ અને દુનિયાભરના બહુજન સમાજ માટે નાગપુર દીક્ષાભૂમિનું આગવું મહત્વ રહેલું છે. 14 ઓક્ટોબર 1956ના રોજ બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરે 4 લાખથી વધુ દલિતો સાથે આ સ્થળ પર બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. ડિસેમ્બર 2011માં તત્કાલિન રાષ્ટ્રપતિ કે.આર. નારાયણને અહીં દુનિયાના સૌથી મોટા સ્તૂપનું અનાવરણ કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિરોધ કરી રહેલા સ્થાનિક બહુજનોનું માનવું છે કે, દીક્ષાભૂમિમાં પાર્કિંગ યોજનાને બહાને રાજ્ય સરકાર અહીં કોમર્શીયલ પ્રવૃત્તિઓ વધારવા માંગે છે. જે રીતે અમદાવાદમાં ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટના બહાને ગાંધીને ભૂલાવી દેવાનું આયોજન થઈ રહ્યું છે, કંઈક એવું જ અહીં પણ થઈ શકે છે તેવી અમને શંકા છે. આમ પણ નાગપુર આરએસએસનું હેડક્વાટર છે, એટલે સંઘના ઈશારે આ થઈ રહ્યું હોય તેવી આશંકાને પણ નકારી શકાતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/today-poet-gautam-vegda-will-present-anti-caste-poems-at-stanford-university"><strong>આજે કવિ ગૌતમ વેગડા સ્ટેનફોર્ડ યુનિ.માં જાતિ વિરોધી કવિતાઓ રજૂ કરશે</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 02 Jul 2024 11:50:19 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>854</Articleid>
                    <excerpt>નાગપુરની જગવિખ્યાત દીક્ષાભૂમિ પર મહારાષ્ટ્ર સરકારે અંડરગ્રાઉન્ડ પાર્કિંગની યોજના બનાવી હતી. જેના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતરતા યોજના સ્થગિત કરવી પડી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66839b4353dd0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66839b432095f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66839b432095f.jpg" length="104255" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>અયોધ્યાના રામમંદિરમાં નવા 21 પૂજારીઓની ભરતી કરવામાં આવશે</title>
                    <link>https://khabarantar.com/21-new-priests-will-be-recruited-in-ayodhyas-ram-mandir</link>
                    <guid>https://khabarantar.com/21-new-priests-will-be-recruited-in-ayodhyas-ram-mandir</guid>
                    <description>
                        <![CDATA[ અયોધ્યા સ્થિત રામમંદિરના વહીવટી તંત્રે મંદિરમાં પૂજા અર્ચના માટે વધુ 21 નવા તાલીમાર્થી પૂજારીઓની ભરતી કરવાનું નક્કી કર્યું છે. આ સિવાય પણ બીજી ઘણી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અયોધ્યા સ્થિત રામ મંદિરમાં દર્શનાર્થીઓ અને પૂજારીઓ માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ ગાઈડલાઈન જાહેર કરાઈ છે. એ મુજબ મંદિરમાં દર્શન કરવા જતી વ્યક્તિ ઉપરાંત હવે પૂજારી પણ અંદર સ્માર્ટફોન લઈ જઈ શકશે નહીં. સાથે જ મંદિરમાં હવે અલગ અલગ પાળીમાં 26 પૂજારીઓ સેવા આપશે. આ સિવાય શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રચાયેલી ધાર્મિક સમિતિએ ૨૧ નવા પ્રશિક્ષિત પૂજારીઓને પૂજા પ્રણાલીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. રામ મંદિરમાં દર્શનાર્થીઓ બાદ પૂજારીઓ પર પણ મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે હવે પૂજારીઓએ ખાસ ડ્રેસમાં મંદિરમાં આવવું પડશે. મંદિરમાં પ્રવેશતા પહેલા પૂજારી પીળી ચૌબંદી, ધોતી અને પાઘડી પહેરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામ મંદિરમાં પૂજારીઓની સંખ્યા પણ આજથી વધારી દેવાઈ છે. હવે મંદિરમાં પૂજા માટે ૨૬ પૂજારી અલગ-અલગ પાળીમાં કાર્યરત રહેશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રચાયેલી ધાર્મિક સમિતિએ ૨૧ નવા તાલીમબદ્ધ પૂજારીઓને પૂજા પદ્ધતિમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ માટે ટ્રસ્ટે તમામ પૂજારીઓના આઈડી કાર્ડ પણ જારી કર્યા છે. ટૂંક સમયમાં, ૬ મહિનાની તાલીમના પ્રમાણપત્રની સાથે, નિમણૂંક પત્ર પણ સોંપવામાં આવશે. જો કે ધાર્મિક સમિતિની બેઠક રવિવારે યોજાવાની હતી, પરંતુ કોઈ કારણોસર હવે આ નિમણૂક પત્રોનું વિતરણ ૩ જુલાઈ અથવા ૫ જુલાઈએ થઈ શકશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંદિરના સહાયક પૂજારી અશોક ઉપાધ્યાયના જણાવ્યા પ્રમાણે, ટ્રસ્ટે રામ મંદિરમાં આવનારા પૂજારીઓ પર એન્ડ્રોઇડ ફોન લાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમણે વાત કરવા માટે માત્ર કીપેડવાળા ફોન જ રાખવા પડશે. પૂજારી માટે ખાસ ડ્રેસ કોડ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં ચૌબંદી, ધોતી અને પાઘડીનો સમાવેશ થાય છે. રામ મંદિરમાં તાલીમ દરમિયાન ૧૧ તાલીમાર્થીઓને મંદિરમાં થતી પૂજા પદ્ધતિમાં સામેલ કરવામાં આવ્યા છે. રામનવમી દરમિયાન રામલલાની પૂજામાં સામેલ ૧૧ પૂજારીઓને પૂજા પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જેમાં દરરોજ સવારે રામલલાની મંગળા આરતી, શૃંગાર આરતી અને શયન આરતી સુધી રામ રક્ષા સ્તોત્ર અને પુરસોત્રના ૧૬ મંત્રોનો જાપ કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/Veer-Narmad-South-Gujarat-University-will-start-a-certificate-course-on-the-history-of-Ram-Mandir"><strong>વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રામમંદિરના ઈતિહાસ પર સર્ટિફીકેટ કોર્ષ શરૂ કરશે</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 01 Jul 2024 21:15:50 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>852</Articleid>
                    <excerpt>અયોધ્યા સ્થિત રામમંદિરના વહીવટી તંત્રે મંદિરમાં પૂજા અર્ચના માટે વધુ 21 નવા તાલીમાર્થી પૂજારીઓની ભરતી કરવાનું નક્કી કર્યું છે. આ સિવાય પણ બીજી ઘણી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6682ce97b2e51.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6682ce9783320.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6682ce9783320.jpg" length="126155" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>શિવ મંદિર પર વીજળી પડતા પૂજારી સહિત બેના મોત, સાત દાઝ્યાં</title>
                    <link>https://khabarantar.com/two-killed-seven-burnt-including-a-priest-when-lightning-struck-the-shiva-temple</link>
                    <guid>https://khabarantar.com/two-killed-seven-burnt-including-a-priest-when-lightning-struck-the-shiva-temple</guid>
                    <description>
                        <![CDATA[ એક ગામમાં ભારે વરસાદ દરમિયાન શિવ મંદિર ઉપર વીજળી પડી હતી. જેમાં એક પૂજારી સહિત બે લોકોના મોત થઈ ગયા છે અને અન્ય 7 લોકો દાઝી ગયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વરસાદની સિઝન શરૂ થતાની સાથે જ વીજળી પડવાની ઘટનાઓ પણ વધી ગઈ છે. આવી જ એક મોટી ઘટનામાં બે લોકોના મોત થઈ ગયા છે અને સાત લોકો દાઝી ગયા છે. મામલો ઉત્તરપ્રદેશનો છે. અહીંના દેવરિયામાં ભારે વરસાદ દરમિયાન એક મંદિર પર વીજળી પડી હતી. જેના કારણે બે લોકોના મોત થયા હતા, જ્યારે ૭ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુ પામનારાઓમાં પૂજારી પણ સામેલ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે રવિવારે અહીં ભારે વરસાદ શરૂ થયો હતો. જેથી પદયાત્રીઓએ વરસાદથી બચવા મંદિરમાં આશરો લીધો હતો. પરંતુ અચાનક તેમના પર વીજળી પડી હતી. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ વેદ પ્રકાશ શર્માએ જણાવ્યું હતું કે રવિવારે કેટલાક લોકો વરસાદથી બચવા માટે ગોપાલપુર ગામના મંદિરમાં રોકાયા હતા ત્યારે અચાનક મંદિર પર વીજળી પડી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીજળી પડવાને કારણે મંદિરના પૂજારી રાધેશ્યામ ગિરી (૫૦) અને રાજનાથ કુશવાહ (૪૦)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય ૭ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ લોકોને સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અખંડ પ્રતાપ સિંહ વતી કહેવામાં આવ્યું હતું કે મૃતક અને બળી ગયેલા લોકોના પરિવારજનોને નિયમો અનુસાર આર્થિક સહાય આપવામાં આવશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/a-fire-broke-out-in-the-sanctum-sanctorum-during-holi-celebrations-in-Ujjains-mahakal-temple-13-priests-were-burnt"> <span style="font-size: 14pt;">ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં હોળી રમતી વખતે ગર્ભગૃહમાં આગ લાગી, 13 પૂજારીઓ દાઝ્યાં</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, અગાઉ શુક્રવારે પણ અહીંના સુલતાનપુર જિલ્લામાં વીજળી પડવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં એક સગીર યુવતી અને મહિલાનું મોત થયું હતું. આ ઘટના કુદ્વાર પોલીસ સ્ટેશન વિસ્તારના સરૈયા સોહગૌલીમાં બની હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુદ્વાર પોલીસ સ્ટેશનના અધિકારી રામ વિલાસ યાદવે જણાવ્યું કે બંને મહિલાઓ ગામમાં વરસાદથી પોતાને બચાવવા માટે એક ઝાડની પાછળ ઉભી હતી. એકાએક વીજળી પડવાથી ૪૬ વર્ષની કુસુમ કોરી અને ૧૩ વર્ષની નેન્સીનું મોત થયું હતું. પરિવાર તરફથી સંબંધિત વિભાગને માહિતી આપવામાં આવી છે. ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (સદર) ઠાકુર પ્રસાદે કહ્યું કે બંનેના પરિવારોને નિયમો અનુસાર વળતર આપવામાં આવશે. હાલમાં યુપીમાં સતત વરસાદ ચાલુ છે. વિભાગ દ્વારા ૫૭ જિલ્લામાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/the-priest-of-khatla-bhawani-temple-in-kutch-rs-caught-with-36-thousand-ganja"><strong>કચ્છમાં ખટલા ભવાની મંદિરનો પૂજારી રૂ. 36 હજારના ગાંજા સાથે ઝડપાયો</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 01 Jul 2024 19:12:00 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 01 Jul 2024 19:13:08 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>851</Articleid>
                    <excerpt>એક ગામમાં ભારે વરસાદ દરમિયાન શિવ મંદિર ઉપર વીજળી પડી હતી. જેમાં એક પૂજારી સહિત બે લોકોના મોત થઈ ગયા છે અને અન્ય 7 લોકો દાઝી ગયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6682b11349191.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6682b1131c253.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6682b1131c253.jpg" length="53458" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સાત ઈંચ વરસાદમાં અમદાવાદ શહેર જળબંબાકાર થયું</title>
                    <link>https://khabarantar.com/the-city-of-ahmedabad-was-flooded-in-seven-inches-of-rain</link>
                    <guid>https://khabarantar.com/the-city-of-ahmedabad-was-flooded-in-seven-inches-of-rain</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદ શહેરમાં બપોરે 12 થી 3 વાગ્યા દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થયું છે. શહેરમાં બપોરના ૧૨ થી ૩ દરમ્યાન કેટલાય વિસ્તારોમાં અતિ ભારે વરસાદ તૂટી પડ્યો હતો. ગોતા, સોલા, સાયન્સ સિટી, જગતપુર, ત્રાગડ, વંદે માતરમ્‌ સહિતના વિસ્તારોમાં ત્રણ કલાકમાં ૬ ઇંચ વરસાદ ખાબક્યો છે. આ કારણે મોટાભાગના વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. અનેક વિસ્તારોના તમામ રસ્તાઓ પર ઘૂંટણ સુધીના પાણી ભરાયા હતા.  અમદાવાદમાં ચોમાસાએ પોતાની પૂરી તાકાત સાથે આગમન કરી દીધું છે અને હજુ વરસાદ ચાલુ છે. સવારે ૧૧ વાગ્યા પછી જોરદાર વરસાદ શરૂ થયો હતો અને શહેરના ઘણાં ભાગોમાં પાણી ભરાયું છે. ધોધમાર વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનો બંધ પડી ગયા હતા. લોકો પોતાના વાહનોને ધક્કા મારી અને લઈ જતા નજરે પડ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદ શહેરમાં બપોરથી શરૂ થયેલો વરસાદ ચાર જ કલાકમાં સાત ઈંચ ખાબકી ગયો હતો. આ સ્થિતિમાં શહેરના રસ્તા પર જાણે નદી વહેતી હોય એવા દૃશ્યો સર્જાયા હતા. આ દરમિયાન શહેરના પાંચ અન્ડરબ્રિજ પણ વાહનચાલકોની સુરક્ષા ખાતર બંધ કરવાનો વારો આવ્યો હતો. પહેલા જ ભારે વરસાદમાં સ્થાનિક તંત્રની પોલ ખૂલી ગઈ હતી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધીના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. બીજી તરફ, પોશ ગણાતા શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રસ્તા પર આખેઆખી બસ સમાઈ જાય એવડો મોટો ભૂવો પડી ગયો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/so-far-democracy-has-only-been-saved-rehabilitation-restoration-is-pending"><span style="font-size: 14pt;">હજુ તો લોકશાહીનો માત્ર બચાવ થયો છે, પુનર્વસન-પુનઃસ્થાપન બાકી છે</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66816e16693e8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદમાં બપોરે 12.30 વાગ્યા બાદ ભારે વરસાદ પડ્યો હતો. એ દરમિયાન ચાર જ કલાકમાં સરેરાશ ત્રણ ઈંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. પશ્ચિમમાં સૌથી વધુ વરસાદ ગોતા, સાયન્સ સિટી, ચાંદલોડિયા, નારણપુરા, ઘાટલોડિયામાં પડ્યો છે. આ ઉપરાંત બોપલ, ઘુમા, શેલાથી લઈને વેજલપુર, શ્રીનંદનગર, જુહાપુરાથી લઈને છેક ચાંદખેડા સુધી સરેરાશ ચાર ઈંચ વરસાદ પડ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પૂર્વ વિસ્તારની વાત કરીએ તો કાળુપુર, દરિયાપુર, મણિનગર, નારોલ, વટવા અને નરોડામાં પણ સરેરાશ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ દરમિયાન સાંજે છ વાગ્યા પછી પણ અમદાવાદના લગભગ તમામ વિસ્તારમાં ધીમી ધારે પડી રહેલા વરસાદના કારણે પાણી ઓસર્યા નહીં હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ વિસ્તારોની અનેક સોસાયટીના ભોંયરામાં આવેલા પાર્કિંગમાં પણ પાણી ભરાઈ ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદમાં ભયાનક વરસાદ અને ઠેર ઠેર પાણી ભરાયા હોવાના કારણે સરખેજ ગાંધીનગર હાઈ વે પર વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ હતી. આ કારણસર અનેક વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. એટલું જ નહીં, રસ્તે જઈ રહેલા અનેક દ્વિચક્રી વાહનચાલકોના વાહનો પણ બંધ થઈ ગયાના દૃશ્યો જોવા મળ્યા હતા. ગોતામાં પોચી જમીનના કારણે બે એમટીએસ બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં મુસાફરોને કોઈ ઈજા થઈ નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-children-have-been-studying-in-the-workers-house-for-8-years-as-the-work-of-anganwadi-is-delayed"><span style="font-size: 14pt;">આંગણવાડીનું કામ ટલ્લે ચડતાં બાળકો 8 વર્ષથી કાર્યકરના ઘરમાં ભણે છે</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66816e2a7c858.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારે વરસાદના પગલે અખબારનગર, ગોતા, મીઠાખળી, મકરબા અને ત્રાગડમાં અંડરબ્રિજ બંધ કરવાનો વારો આવ્યો હતો. સવારથી જ વાતાવરણમાં વાદળિયા તાપ અનુભવાયો હતો પરંતુ બપોર સુધીમાં વરસાદનું આગમન થતાં તાપમાન ચાર ડિગ્રી ઘટી ગયું હતું. આજે સવાર સુધી અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી નોંધાયું હતું, પરંતુ વરસાદને પગલે ત્રણેક વાગ્યાથી જ તાપમાન ૨૭ ડિગ્રીએ પહોંચી ગયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આજે રાતે કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન ૫૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/do-you-know-why-vaishnavas-are-protesting-against-the-movie-maharaj"><strong>તમને ખબર છે વૈષ્ણવો શું કામ ‘મહારાજ’ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે?</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 30 Jun 2024 20:14:32 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 30 Jun 2024 20:28:52 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>848</Articleid>
                    <excerpt>અમદાવાદ શહેરમાં બપોરે 12 થી 3 વાગ્યા દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_66816df93db69.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_66816df90f6d7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_66816df90f6d7.jpg" length="91204" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>પિતૃસત્તાત્મક વલણ અને લિંગભેદથી અદાલતો પણ પર નથી</title>
                    <link>https://khabarantar.com/courts-are-also-not-immune-to-patriarchal-attitudes-and-sexism</link>
                    <guid>https://khabarantar.com/courts-are-also-not-immune-to-patriarchal-attitudes-and-sexism</guid>
                    <description>
                        <![CDATA[ અદાલતો હંમેશા પ્રગતિશીલ વિચારોની પોષક હોવી જોઈએ, પણ ભારતની અદાલતોના કેટલાક ચુકાદાઓ લિંગભેદ, જાતિવાદ અને પિતૃસત્તાત્મક વિચારસરણીના પોષક રહ્યાં છે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span><br><br><span style="font-size: 14pt;">અદાલતોનું કાર્ય કાયદા ઘડવાનું નથી એ સાચું પણ અદાલતો કાયદાની શલ્યાને અહલ્યા જરૂર કરી શકે છે. નમૂના દાખલ તલાકશુદા મુસ્લિમ મહિલાઓને ભરણપોષણનો હક હોવાનું જણાવતો શાહબાનુ ચુકાદો. સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદાલતો સંસદ અને વિધાનગૃહોએ ઘડેલા કાયદાની બંધારણીય સમીક્ષા કરે છે. આરોપીઓ સામેના તહોમતની પોલીસ અને બીજી તપાસ એજન્સીઓની તપાસની કાયદેસરતા ચકાસે છે. અદાલતોનું આ મુખ્ય કાર્ય છે પરંતુ એવું અનેક વાર બન્યું છે કે અદાલતોના હુકમ પછી કાયદામાં સુધારા-વધારા, રદબાતલ કે નવા ઘડવાનું બન્યું છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતની અદાલતો, નિષ્પક્ષ, નિર્ભીક અને પ્રગતિશીલ તો છે જ છે. તેના ઘણા જજમેન્ટ તેના ઉદાહરણ છે. પરંતુ અદાલતો પ્રતિગામી પણ છે. અદાલતોના ચુકાદા, નિર્ણયો અને ટિપ્પણીઓ પિતૃસત્તાત્મક વલણો-વિચારો અને લિંગભેદને પોષક હોવાનું જોવા મળે છે. જે  ન્યાયના મંદિરોએ પિતૃસત્તાત્મક મૂલ્યો અને સ્ત્રી-પુરુષ ભેદને અલવિદા કહેવાનું હોય ત્યાં જ તે વ્યક્ત થાય ત્યારે અદાલતોનું આ પછાતપણું ખટકે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જુલાઈ ૨૦૦૯માં સુંદરરાજને એક બાળકનું પૈસાની લાલચે અપહરણ કર્યું અને પછી તેની હત્યા કરી હતી. આરોપીને ટ્રાયલ કોર્ટે ફાંસીની સજાની ભલામણ કરી, તેને વડી અદાલતે માન્ય રાખતાં તે સજા ઘટાડવા સુપ્રીમની દેવડી ગયો. આ કેસના ચુકાદામાં દેશની સર્વોચ્ચ અદાલતની એક બેન્ચે લિંગભેદી ટિપ્પણી કરી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માનનીય ન્યાયાધીશો એ કહ્યું હતું કે હત્યાનો ભોગ બનેલ બાળકના માતા-પિતાને ત્રણ દીકરી અને એક દીકરો છે. આરોપીએ તેમના એકના એક દીકરાનું અપહરણ એટલે કર્યું કે માતા-પિતાના મનમાં વધુ ડર અને આઘાત પેદા થાય. પુત્ર વંશ આગળ વધારે છે તેથી તેના અપહરણનું વધુ ગંભીર પરિણામ આવી શકે છે.  આ ટિપ્પણી ભારોભાર લિંગભેદી અને દીકરા-દીકરી વચ્ચે ભેદ ઉભો કરનારી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/why-the-first-century-of-gujarati-journalism-did-not-rise-above-swajati-journalism">ગુજરાતી પત્રકારત્વની પહેલી સદી કેમ 'સ્વજાતિ પત્રકારત્વ'થી ઉપર ન ઉઠી શકી?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતનું બંધારણ તમામ નાગરિકોને સમાન ગણે છે તેમાં પિતૃસત્તાને કોઈ સ્થાન નથી ત્યારે દેશની સૌથી મોટી અદાલતની આ ટિપ્પણી આઘાત અને અચંબો જન્માવે છે. જોકે મુખ્ય ન્યાયાધીશે આ ટિપ્પણી સામે સખત વાંધો લીધો હતો અને સર્વોચ્ચ અદાલત સહિત દેશની તમામ અદાલતોને આ મુદ્દે વધુ સંવેદનશીલ બનવા જણાવ્યું હતું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૨૧માં આઈઆઈટી ગુવાહાટીના એક વિદ્યાર્થીએ તેની સહાધ્યાયિનીને છેતરીને તેના પર બળાત્કાર કર્યો. પોલીસ ફરિયાદ પછી તપાસની ધીમી ગતિ સામે ફરિયાદી યુવતીએ હાઈકોર્ટનું શરણું લીધું. ગુવાહાટી હાઈકોર્ટના જજસાહેબને પ્રથમ દર્શનીય રીતે જ યુવક દોષિત લાગ્યો પણ તેમણે બળાત્કારી યુવકના જામીન મંજૂર કર્યા અને તેને પ્રતિભાશાળી તથા રાજ્યની ભાવિ મોંઘી મિલકત( સ્ટેટ્સ ફ્યુચર એસેટ્) ગણાવ્યો. અદાલતનો આ ચુકાદો લૈંગિક ન્યાયના મૌલિક અધિકાર સામે મોટો પડકાર છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દીકરા-દીકરી વચ્ચેનો આ ભેદ જ્યારે વાત અમીર–ગરીબ કે સવર્ણ-અવર્ણની આવે તો કેવો બદલાઈ જાય છે તે ચાળીસેક વરસ પૂર્વેના ગુજરાત મોટર વ્હીકલ ટ્રિબ્યુનલના કદી ના ભૂલી શકાય તેવા ચુકાદામાં છે. દલિત કિશોર ચમાર દિનેશ બળદેવભાઈનું માર્ગ અકસ્માતમાં મોત થતાં તેના વળતર સંબંધી ચુકાદામાં અદાલતે કહ્યું મૃતકના માબાપ ખૂબ ગરીબ છે અને તેમને બીજા પણ સંતાનો છે એટલે આ ગરીબ માતાપિતા માટે બાળક બોજારૂપ હતો. તેના મોતનું વળી વળતર કેવું? લાગે છે કે આપણો લિંગભેદ પણ ગરીબતવંગર અને નાતજાત જુએ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચના મહિલા જજ સાહિબાને યૌન ઉત્પીડનના એક કેસમાં આરોપીને એમ કહીને નિર્દોષ જાહેર કર્યો હતો કે સ્કીન ટુ સ્કીન સંપર્ક થયો નથી. મધ્યપ્રદેશ હાઈકોર્ટે મહિલાના શિયળભંગના આરોપીના જામીન મંજૂર કરતાં અન્ય શરતો સાથે એક વિચિત્ર શરત ઉમેરી હતી કે આરોપીએ પત્ની સાથે રક્ષાબંધનના દિવસે ફરિયાદી મહિલાના ઘરે જઈને રાખડી બંધાવવી, તેની રક્ષાનું વચન આપવું અને રૂ.૧૧,૦૦૦ ભેટ આપવી. સમગ્ર ઘટનાનો વીડિયો, તસવીરો અને નાણાની રસીદ મોકલવી. આ જ કોર્ટે બળાત્કારના આરોપીને ફરિયાદી મહિલા સાથે ત્રણ મહિનામાં લગ્ન કરવા જણાવ્યું હતું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહારના અરરિયા જિલ્લાની સિવિલ કોર્ટે બળાત્કારથી પીડિત મહિલા પર અદાલતી અવમાનનાનો કેસ નોંધી તેને જેલ ભેગી કરી હતી. આ મહિલા નર્વસ બ્રેક ડાઉન અને ભાવનાત્મક વિસ્ફોટને કારણે અદાલતમાં વારંવાર ન્યાયની માંગણી કરતી હતી. નામદાર ન્યાયમૂર્તિને તેનું આ વર્તન અદાલતના કામમાં હસ્તક્ષેપ અને અવમાનનું લાગ્યું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કર્ણાટક હાઈકોર્ટને વળી  બળાત્કાર પછી મહિલા થાકીને અને ઉંઘી ગઈ તો તે બાબત ભારતીય મહિલા માટે અશોભનીય કૃત્ય લાગ્યું હતું. રાજસ્થાનની એક જિલ્લા અદાલતના ન્યાયાધીશે ચાર વરસની બાળકીના બળાત્કારી હત્યારાને મૃત્યુદંડની સજાની ભલામણ કરતાં કહેલું કે, પોક્સો અધિનિયમમાં કઠોરતમ સજાની જોગવાઈ છતાં કોર્ટો તેમ કરવામાં કેમ કંજૂસી કરે છે?  આ ટિપ્પણી ન્યાય અને સમાનતા ઝંખતા સૌને આશ્વાસનરૂપ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/why-are-most-of-the-characters-in-panchayat-web-series-brahmins">'પંચાયત' વેબ સિરીઝમાં મોટાભાગના પાત્રો બ્રાહ્મણ કેમ છે?</a></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુવાહાટી હાઈકોર્ટ સમક્ષ એક પતિદેવે એટલે છૂટાછેડાની અરજ કરી કે તેમના પત્ની સુહાગણના પ્રતીકો ધારણ કરતાં નથી. અદાલતે ગ્રાફિક એવિડન્સ (પરિણિત મહિલાએ બંગડી, સિંદૂર, મંગળસૂત્ર પહેરવા) વિનાના લગ્નને અમાન્ય ઘોષિત કરી પતિની છૂટાછેડાની અરજી ગ્રાહ્ય રાખી હતી. ફેમિલી કોર્ટે જે માંગણી નકારી હતી તેને વડી અદાલતે સ્વીકારી તે આંચકાજનક છે. ખુદ હિંદુ લગ્ન ધારામાં પણ ગ્રાફિક એવિડન્સની કોઈ જોગવાઈ નથી ત્યારે મહિલા પરિણીત છે તેટલું પૂરતું નથી તે પરિણીત દેખાવી પણ જોઈએ તેમ માનતા માનનીય જજસાહેબના વિચારો કઈ સદીના હશે? </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ પીઠે પતિની કન્યાદાન ના થયું હોઈ લગ્ન ગેરકાયદે હોવાની માંગ સ્વીકારી નથી. હિંદુ લગ્ન ધારા પ્રમાણે માત્ર સપ્તપદી જ જરૂરી છે એટલે કન્યાદાન વિનાના લગ્ન ગેરકાયદે ઠેરવી શકાય નહીં. અદાલતે ઘરના આપસી વિવાદોને અદાલતમાં ના લઈ જવા અને અદાલતોનો સમય બરબાદ ના કરવા પણ જણાવ્યું છે. પરંપરા, પ્રથા કે રીત-રિવાજો માટે કાનૂન અને અદાલતનો આશરો યોગ્ય નથી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બળાત્કાર પીડિતાના ટુ ફીંગર ટેસ્ટ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં આજે પણ આવી તપાસ થાય છે. યૌન ઉત્પીડનનો શિકાર મહિલા શારીરિક સંબંધની આદિ, અભ્યસ્ત કે સક્રિય છે કે કેમ તેની તપાસ માટે થતો આ ટેસ્ટ પીડિતાના ગૌરવને હણે છે, ગરિમાને આઘાત પહોંચાડે છે તેની સમજ કેમ હજુ ઉભી થઈ નથી? </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્તન કેન્સરથી પીડિત મહિલાના પતિએ આપસી સહમતિથી છૂટાછેડા માંગ્યા પણ સર્વોચ્ચ અદાલતે તેનો ઈન્કાર કર્યો હતો. પત્ની માટે પતિ પરમેશ્વર છે તેવું ન માની લઈએ તો પણ કેન્સરપીડિત પત્નીના છૂટાછેડા જરાય યોગ્ય ન ગણાય. પત્નીએ રોગના ઈલાજ માટે વળતર અને ભરણપોષણ મળશે એટલે ડાઈવોર્સ માટે સંમતિ દર્શાવી છે તેવું જાણ્યા પછી તો પતિ પર ફિટકાર જ વરસે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.જે ચંદ્રચૂડનો કાર્યકાળ અનેક દ્રષ્ટિએ ક્રાંતિકારી રહ્યો છે. પરંતુ તે માત્ર ટેકનોલોજીના ઉપયોગ પૂરતો સીમિત ન રહેતા સંવેદના અને પ્રગતિશીલ વિચારોના સંદર્ભમાં પણ ક્રાંતિકારી બની શકે.  તેમાં અદાલતોની  પ્રતિગામી ટિપ્પણી, નિર્ણયો અને ચુકાદા બાધારૂપ છે. </span><br><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><em><strong><span style="font-size: 12pt;">(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)</span></strong></em></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/so-far-democracy-has-only-been-saved-rehabilitation-restoration-is-pending">હજુ તો લોકશાહીનો માત્ર બચાવ થયો છે, પુનર્વસન અને પુનઃસ્થાપન બાકી છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 30 Jun 2024 10:45:19 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>845</Articleid>
                    <excerpt>અદાલતો હંમેશા પ્રગતિશીલ વિચારોની પોષક હોવી જોઈએ, પણ ભારતની અદાલતોના કેટલાક ચુકાદાઓ લિંગભેદ, જાતિવાદ અને પિતૃસત્તાત્મક વિચારસરણીના પોષક રહ્યાં છે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6680e4540806c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6680e453cc57d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6680e453cc57d.jpg" length="53943" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવકને પટ્ટાથી માર્યો, સિગરેટના ડામ દઈ નગ્ન કરી દોડાવ્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-was-beaten-with-a-belt-cigarette-butts-were-stripped-and-ran-away</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-was-beaten-with-a-belt-cigarette-butts-were-stripped-and-ran-away</guid>
                    <description>
                        <![CDATA[ દલિત યુવક રાત્રે 8 વાગ્યે ઘરે પરત ફરી રહ્યો હતો એ દરમિયાન ચાર યુવકોએ કશા જ કારણ વિના તેનો રસ્તો આંતરી પટ્ટાથી માર્યો, સિગરેટના ડામ દીધાં અને પછી નગ્ન કરી દોડાવ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમે કોઈ એવી ઘટના વિશે જાણો છો, જેમાં કોઈ કથિત સવર્ણ વ્યક્તિને કોઈ દલિત કે આદિવાસી વ્યક્તિએ કારણ વિના જ માર માર્યો હોય? હવે તેનાથી ઉંધું વિચારો, કશા જ કારણ વિના કથિત સવર્ણ વર્ગની વ્યક્તિએ દલિત, આદિવાસી વ્યક્તિને માર માર્યો હોય, ખૂન કરી નાખ્યું હોય એવી કેટલી ઘટના તમે વાંચી છે? આ બંને સવાલોમાં બીજા સવાલનું પલ્લું વધારે નમેલું જણાશે, કેમ કે આ દેશમાં દલિત, આદિવાસી સમાજની વ્યક્તિને કારણ વિના જ માર મારવો એ જાણે કથિત સવર્ણોની કુટેવ બની ગઈ હોય તેવી સ્થિતિ છે. આવી ઘટનાઓમાં પાછો પોલીસ તંત્રનો રોલ સવર્ણો તરફી હોવાથી પીડિતોને ન્યાય પણ મળતો નથી. જેના કારણે માથાભારે લોકોની ફેણ ફાટે છે અને તેઓ વધારે છાકટા થઈ જાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કંઈક આવી જ એક ઘટના હાલ સામે આવી છે, જેમાં એક દલિત યુવકને કેટલાક માથાભારે તત્વોએ કોઈ જ કારણ વિના ઢોર માર મારી, નગ્ન કરીને તેને સિગારેટના ડામ દઈને રસ્તે દોડાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના કારણે ફરિયાદ નોંધાઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો આદિવાસી સમાજ પર જ્યાં સૌથી વધુ અત્યાચારો થાય છે તે મધ્યપ્રદેશનો છે. અહીંના છતરપુરમાં કેટલાક માથાભારે તત્વોએ એક દલિત યુવકને કોઈ જ કારણ વિના નિર્વસ્ત્ર કરી ઢોર માર મારીને રસ્તા પર દોડાવ્યો હતો. એટલું જ નહીં આ લોકોએ યુવકના શરીરમાં સિગારેટના ડામ પણ આપ્યા હતા અને આખી ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ઘટના બાદ યુવકના પરિવારજનો અને દલિત સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના છતરપુરના કોટવાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સરાણી દરવાજા પાસેની છે. મંગળવાર તા. 25 જૂનના રોજ રાતે 8 વાગ્યે ફૂલા દેવી માર્ગ પાસે પુલીયા નજીક દલિત યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. તેનો વીડિયો બીજા દિવસે બુધવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/seven-people-raped-a-dalit-woman-who-had-left-home-to-take-medicine">ઘરેથી દવા લેવા નીકળેલી દલિત મહિલા પર 7 લોકોએ બળાત્કાર કર્યો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે 4 યુવકો એક યુવકને પકડીને પટ્ટા અને દેશી કટ્ટાની ખૂંધથી ઢોર માર મારી રહ્યા છે. પછી દેશી પિસ્તોલ બતાવીને તેના પકડાં ઉતરાવી રહ્યાં છે. આરોપીઓ તેને સિગારેટના ડામ આપતા પણ દેખાય છે. ચારેય યુવકો મળીને પેલા દલિત યુવકને ઢોર માર મારી રહ્યાં છે અને તેના પર પટ્ટાથી ઘા કરી રહ્યાં છે. છતરપુર પોલીસે આ વીડિયો વાયરલ થતા કાર્યવાહી હાથ ધરી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં પોલીસે તપાસ કરતા ખ્યાલ આવ્યો કે પીડિત યુવકનું નામ બ્રિજેશ વર્મા છે અને તે દલિત સમાજમાંથી આવે છે. તેની ફરિયાદના આધારે દેવેન્દ્ર ઉર્ફે દેવા ઠાકુર, લકી ઘોષ અને અન્ની ઘોષ વિરુદ્ધ કલમ 342, 365, 394, 360 અને એસસી એસટી એક્ટની કલમ 3-2-5 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે દેવેન્દ્ર અને લકીની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ની ઘોષ અને અન્ય એક યુવક હજુ પણ ફરાર છે. પોલીસે ગુનામાં વપરાયેલા પટ્ટા અને દેશી પિસ્તોલ પણ કબ્જે કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીડિયોમાં ચારેય આરોપીઓ યુવકને માર મારતા દેખાય છે. સાથે જ તેઓ પીડિત યુવકને તેના પોલીસકર્મી સંબંધીને બોલાવવા માટે કહેતા સાંભળી શકાય છે. એ પછી તેઓ બ્રિજેશને નગ્ન કરીને ભગાડી દે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર મામલે છતરપુરના પોલીસ અધિક્ષક અગમ જૈનને પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, પીડિત યુવક બ્રિજેશ રાત્રે ઘરે જઈ રહ્યો હતો, ત્યારે ચારેય આરોપીઓ તેને કોઈ જ કારણ વિના તેને રોકીને કોટવાળી પોલીસ સ્ટેશનની હદમાં લઈ ગયા હતા. અને તેને પટ્ટાથી ફટકાર્યો હતો અને દેશી પિસ્તોલ તેના માથામાં મારી દીધી હતી. ત્રણ આરોપીઓ દેવેન્દ્ર ઠાકુર, લકી ઘોષ અને અન્નૂ ઘોષની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે ચોથો આરોપી હજુ ફરાર છે. પોલીસે તેમણે ગુનામાં ઉપયોગમાં લીધેલી પિસ્તોલ પણ કબ્જે લીધી છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/a-dalit-youth-was-beaten-up-for-saying-jai-bhim-namo-buddhay-on-the-phone">ફોન પર 'જય ભીમ, નમો બુદ્ધાય' બોલવા પર દલિત યુવકને માર માર્યો</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 29 Jun 2024 14:33:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>841</Articleid>
                    <excerpt>દલિત યુવક રાત્રે 8 વાગ્યે ઘરે પરત ફરી રહ્યો હતો એ દરમિયાન ચાર યુવકોએ કશા જ કારણ વિના તેનો રસ્તો આંતરી પટ્ટાથી માર્યો, સિગરેટના ડામ દીધાં અને પછી નગ્ન કરી દોડાવ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667fcae978748.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667fcae94af08.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667fcae94af08.jpg" length="42504" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>અયોધ્યામાં ટાટા ગ્રુપ 650 કરોડના ખર્ચે મંદિરોનું સંગ્રહાલય બનાવશે</title>
                    <link>https://khabarantar.com/tata-group-will-build-a-museum-of-temples-in-ayodhya-at-a-cost-of-650-crores</link>
                    <guid>https://khabarantar.com/tata-group-will-build-a-museum-of-temples-in-ayodhya-at-a-cost-of-650-crores</guid>
                    <description>
                        <![CDATA[ અયોધ્યામાં એક બાજુ સ્થાનિકો માટે જમીન હદ બહાર મોંઘી થઈ ગઈ છે, બીજી બાજુ સરકાર ટાટા ગ્રુપને 1 રૂપિયાના ટોકન ભાવે જમીન આપી મંદિરોનું મ્યૂઝિયમ બનાવડાવશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકબાજુ દેશમાં બેરોજગારી અને બેકારી આંટો લઈ ગઈ છે. સમયાંતરે ફૂટતા રહેતા સરકારી ભરતી પરીક્ષાઓ પેપરોને કારણે દેશનો યુવાન ચિંતામાં ગરકાવ થઈ ગયો છે, મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે યુપીની યોગી આદિત્યનાથ સરકારે મૂળ સમસ્યાઓને સાઈડમાં રાખીને ફરી ધર્મનું અફીણ લોકોને ચટાડવાનું નક્કી કર્યું છે. મળતી માહિતી પ્રમાણે ટાટા ગ્રુપ રૂ. 650 કરોડના ખર્ચે અયોધ્યા શહેરમાં મંદિરોનું મ્યૂઝિયમ બનાવવા જઈ રહ્યું છે. આ પ્રસ્તાવને ઉત્તર પ્રદેશ સરકારની કેબિનેટે મંજૂરી આપી દીધી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશના પર્યટન મંત્રી જયવીર સિંહે જણાવ્યું છે કે, ટાટા ગ્રૂપને મ્યુઝિયમ ઑફ ટેમ્પલ્સ માટે ૧ રૂપિયાની ટોકન રકમ પર ૯૦ વર્ષ માટે જમીન ભાડાપટ્ટે આપવામાં આવશે. આ મ્યુઝિયમ અત્યાધુનિક હશે અને આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે બનાવવામાં આવશે. મ્યુઝિયમમાં ભારતના પ્રખ્યાત મંદિરોના સ્થાપત્ય અને ઈતિહાસ વિશેની માહિતી પ્રદર્શિત કરવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટાટા ગ્રુપ પોતાના વતી આ મ્યુઝિયમ બનાવવા જઈ રહ્યું છે. મંદિરોનું આ મ્યુઝિયમ બનાવવા માટે ગ્રુપ ૬૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ સીએસઆર એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ કરવામાં આવશે. યુપી સરકારે કહ્યું કે ટાટા જૂથે કેન્દ્ર સરકાર દ્વારા અયોધ્યામાં આ મ્યુઝિયમ બનાવવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મ્યુઝિયમ અંગેનો પ્રસ્તાવ ગયા વર્ષે પ્રથમ વખત સામે આવ્યો હતો. ત્યારબાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના વરિષ્ઠ અધિકારીઓને આ પ્રોજેક્ટ વિશે વિગતવાર જણાવવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ પ્રોજેક્ટ અંગે અગાઉથી જ જાણ કરવામાં આવી હતી. મંદિર મ્યુઝિયમનો આ પ્રસ્તાવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ જ પસંદ આવ્યો હોવાનું કહેવાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચોઃ</strong></span> <strong><a href="https://khabarantar.com/if-ayodhya-is-far-away-the-bjp-could-not-win-in-the-surrounding-100-km-area">અયોધ્યા તો દૂર, આસપાસના 100 કિમી વિસ્તારમાં પણ ભાજપ જીતી ન શકી</a></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂચિત મ્યુઝિયમમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારે ટાટા ગ્રુપને અયોધ્યા શહેરમાં અન્ય વિકાસ કાર્યો માટે પણ મંજૂરી આપી હતી. ટાટા ગ્રૂપ દ્વારા શહેરમાં અન્ય વિકાસ કામો પર રૂ. ૧૦૦ કરોડનું વધારાનું રોકાણ કરવામાં આવશે. </span><br><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ઉત્તર પ્રદેશનું અયોધ્યા શહેર ધાર્મિક પર્યટનના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. આ વર્ષની શરૂઆતમાં રામ મંદિરના ઉદ્‌ઘાટન બાદ શહેરમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, બીજી તરફ સ્થાનિકોમાં આ કહેવાતા વિકાસ સામે ભારે રોષ છે. અહીં સરકારમાં પહોંચ ધરાવતા સત્તા પક્ષના લોકોએ રામ મંદિર આસપાસની મોકાની જમીનો પર કબ્જો જમાવી લીધો છે અને ગરીબ લોકોના ધંધા પર તરાપ મારી છે. બુલડોઝરથી ગમે તેનું ઘર પાડી દેવાની આ વૃત્તિથી લોકો ભારે નારાજ થયા હતા અને અયોધ્યામાં ભાજપનો પરાજય થયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અયોધ્યાામાં લોકો ઘર બનાવી શકે તેટલી જમીન પણ ખરીદી શકે તેમ નથી, ત્યાં ટાટા ગ્રુપને એક રૂપિયાના ટોકન ભાવે 99 વર્ષના ભાડાપટ્ટે જમીન આપી દેવાની વાતથી સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ </span><a href="https://khabarantar.com/bulldozer-a-major-factor-in-bjps-defeat-in-ayodhya">બુલડોઝરઃ અયોધ્યામાં ભાજપની હારનું એક મોટું ફેક્ટર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 28 Jun 2024 14:30:19 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>836</Articleid>
                    <excerpt>અયોધ્યામાં એક બાજુ સ્થાનિકો માટે જમીન હદ બહાર મોંઘી થઈ ગઈ છે, બીજી બાજુ સરકાર ટાટા ગ્રુપને 1 રૂપિયાના ટોકન ભાવે જમીન આપી મંદિરોનું મ્યૂઝિયમ બનાવડાવશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667e7a9ccb230.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667e7a9c9b248.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667e7a9c9b248.jpg" length="127210" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ayodhya, Tata group, Museum of temple, 650 crore cost, UP Govt.</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટને લોકોનો મોળો પ્રતિસાદ</title>
                    <link>https://khabarantar.com/public-response-to-liquor-allowed-in-gandhinagars-gift-city</link>
                    <guid>https://khabarantar.com/public-response-to-liquor-allowed-in-gandhinagars-gift-city</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં સરકારે શરતોને આધિન દારૂના સેવનની છૂટ આપી હતી. પણ તેને મોળો પ્રતિસાદ મળ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા ફક્ત એક જગ્યાએ શરતો સાથે દારૂ સેવનની ખુલ્લી છૂટ આપવામાં આવી છે. એટલે કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની જ નહીં, દેશના પ્રથમ સ્માર્ટ સિટી એવા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં શરતોને આધીન રહીને દારૂ સેવનની મંજૂરી અપાઈ હતી. દારૂબંધીમાંથી મુક્તિ આપવાના કારણે ગિફ્ટ સિટી ચર્ચાનો મુદ્દો બની ગઈ હતી. જો કે, સરકાર દ્વારા દારૂ સેવનમાંથી મુક્તિ અપાઈ છે તેમ છતાં ગિફ્ટસિટીમાં દારૂ સેવનને લઈને મોળો પ્રતિસાદ મળ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત, જી-20 જેવી વિવિધ મહત્વના કાર્યક્રમો ગાંધીનગરમાં યોજાઇ રહ્યા છે. ત્યારે વિદેશી મહાનુભાવોને દારૂ સેવનને લઈને સાચવવામાં મુશ્કેલઇ પડી રહી રહી હતી. આ ઉપરાંત ગાંધીનગરમાં બનેલી સ્માર્ટ સિટી ગિફ્ટસિટીમાં દેશની જ નહીં વિદેશી કંપનીઓએ પોતાની ઓફિસિસ શરૂ કરી છે. એટલે કે, ગુજરાતમાં વિદેશી બિઝનેસનો વ્યાપ વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા રાજયમાં દારૂબંધીને લગતા કેટલાક નિયમોમાં બાંધછોડ કરવામાં આવી છે. જેના અંતર્ગત ગત વર્ષના અંતમાં ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં શરતોને આધીન દારૂસેવન માટે મુક્તિ આપવામાં આવી હતી. ગિફ્ટ સિટીમાં દારૂસેવન માટે મુક્તિ આપવાના રાજ્ય સરકારની મંજૂરીને લઈને તે સમયે વિવાદ પણ ઉઠ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમયે રાજ્ય સરકાર દ્વારા એવી દલીલ કરાઇ હતી કે, વૈશ્વિક બિઝનેસ અને ટેક હબ બનાવવા માટે આ જરૂરી છે. ત્યાર બાદ ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં દારૂ પીરસવાના લાયસન્સ અપાયા હતા. આ દરમિયાનમાં ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓમાં સામે આવ્યું છે કે, ગિફ્ટસિટીમાં છેલ્લા ચાર મહિનામાં કેટલો દારૂ પીવામાં આવ્યો છે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ગિફ્ટ સિટીમાં છેલ્લા ચાર મહિનામાં એટલે કે તા. 1 માર્ચ-2024 થી તા. 25 જૂન 2024 સુધીમાં કુલ 650 લિટર દારૂનું સેવન (વેચાણ) થયું હતું. જેમાંથી ફક્ત 450 લીટર બિયરનું સેવન (વેચાણ) થયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><em>આ પણ વાંચો:</em> <a href="https://khabarantar.com/J.P.-Morgans-Vice-President-Scolds-Racism,-Denies-Racists-Buying-Flats-in-Gift-City"><span style="font-size: 14pt;">જે પી મોર્ગનના વાઈસ પ્રેસિડેન્ટને જાતિવાદ નડ્યો, ગિફ્ટ સિટીમાં જાતિવાદીઓએ ફ્લેટ ન ખરીદવા દીધો?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગિફ્ટસિટીમાં તા. 1 માર્ચથી માત્ર 500 કર્મચારીઓએ જ દારૂ સેવન માટેની પરમિટ માટે અરજી કરી છે. અને તેમને આ માટેની પરમિટ (લાઇસન્સ) આપવામાં આવી છે. ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર ગિફ્ટ સિટીમાં અંદાજિત 24,000થી વધુ વ્યક્તિઓ કામ કરે છે. જ્યારે તા. 1 માર્ચથી માત્ર 250 મુલાકાતીઓ માટેની પરમિટ આપવામાં આવી છે. રાજ્ય સરકારના નશાબંધી વિભાગ દ્વારા ગિફ્ટસિટીમાં ગત તા. 1 માર્ચથી દારૂના વેચાણ અને વપરાશના આંકડા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. સરકારના આંકડા પરથી એવું સામે આવ્યું છે કે, ગિફ્ટ સિટીમાં દારૂ સેવનની ખુલ્લેઆમ છૂટછાટ અપાઈ હોવા છતાં અહીં એટલી માત્રમાં દારૂનું સેવન કે વેચાણ થયું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ નિયમોને કારણે દારૂ સેવન કે વેચાણ ઓછું થયું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગિફ્ટ સિટીના પરમિટ સાથે દારૂ સેવનની છૂટ મળ્યા બાદ પણ વેચાણ ઓછું થયું છે. ઓછા દારૂ સેવન કે વેચાણ પાછળનું મુખ્ય કારણ એ છે કે, ગિફ્ટ સિટીની અંદર વેચાતા દારૂની કિંમત રાજ્યભરની પરમિટની દુકાનો કરતા ત્રણ ગણી વધારે છે. બીજું મોટું કારણ એ છે કે, મહેમાન (વિઝિટર)ની સાથે યજમાન (હોસ્ટ)નું દરેક સમયે સાથે હોવું જરૂરી છે. અહીં હોસ્ટ એટલે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી છે. તેથી વિઝિટરે પણ ગિફટસિટીમાં દારૂ સેવન માટે વધુ રસ દાખવ્યો નથી. જેના કારણે ગિફ્ટ સિટીમાં દારૂબંધીની છૂટછાટને ખૂબ જ મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આમ આ આંકડાઓ સાબિત કરી રહ્યાં છે. સરકારે છૂટછાટ તો આપી દીધી છે પણ દારૂ સેવનમાં કે વેચાણમાં ગુજરાતીઓએ રસ દાખવ્યો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ ગાઈડલાઇન પણ અવરોધરૂપ બની</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા ગિફ્ટ સિટીમાં દારૂ સેવન અંગે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં માત્ર અધિકૃત કામ કરતા કર્મચારીઓને જ દારૂની છૂટ અપાઈ છે. આ ઉપરાંત માત્ર અધિકૃત મુલાકાતીઓને જ દારૂ સેવનની મંજૂરી આપવામા આવી છે. જેથી બહારથી આવનાર મુલાકાતીઓને ખાસ અધિકારી પાસે મંજૂરી લેવી પડશે. તેમજ હેલ્થ પરમિટ, વિઝિટર પરમિટ ધારકો અહી એટલે કે, ગિફ્ટસિટીમાં દારૂનું સેવન નહિ કરી શકે. ટુરિસ્ટ પરમિટ ધારકો પણ ગિફ્ટસિટીમાં દારૂનું સેવન શકશે નહિ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><em>આ પણ વાંચો:</em> </strong></span><a href="https://khabarantar.com/Somers-of-Hindutva:-Gift-of-the-Gift-City"><strong>હિન્દુત્વનો સોમરસઃ ગિફ્ટ સિટીની ગિફ્ટ</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 27 Jun 2024 21:14:22 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>832</Articleid>
                    <excerpt>ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં સરકારે શરતોને આધિન દારૂના સેવનની છૂટ આપી હતી. પણ તેને મોળો પ્રતિસાદ મળ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667d880244691.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667d8802163ab.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667d8802163ab.jpg" length="73387" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ચૂંટણીના પરિણામોએ બતાવી આપ્યું કે ભારત ‘હિંદુ રાષ્ટ્ર’ નથી: અમર્ત્ય સેન</title>
                    <link>https://khabarantar.com/election-results-show-that-india-is-not-a-hindu-nation-amartya-sen</link>
                    <guid>https://khabarantar.com/election-results-show-that-india-is-not-a-hindu-nation-amartya-sen</guid>
                    <description>
                        <![CDATA[ લોકસભાની ચૂંટણીના પરિણામોને લઈને નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને સત્તાધારી ભાજપ પર તીખો પ્રહાર કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા 2024ના પરિણામો સત્તાધારી ભાજપની અપેક્ષા પ્રમાણેના આવ્યા નથી. એક સમયે ભાજપે અબકી બાર 400 પારનો નારો આપ્યો હતો. પણ પરિણામોમાં તે એકલપંડે બહુમતી સુધી પણ પહોંચી શક્યું નહોતું. હાલ ભાજપ ટીડીપી અને જેડીયુના ટેકે સરકાર ચલાવી રહી છે ત્યારે નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને ભાજપ અને આરએસએસ પર આકરો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે હાલની લોકસભા ચૂંટણીના પરિણામ એ તથ્ય તરફ ઈશારો કરે છે કે વાસ્તવમાં ભારત એક 'હિન્દુ રાષ્ટ્ર' નથી. અમર્ત્ય સેન હાલમાં જ અમેરિકાથી કોલકાતા પહોંચ્યાં છે. તેમણે લોકોને કેસ વગર જ જેલમાં રાખવાના કથિત ટ્રેન્ડ પર પણ નારાજગી વ્યક્ત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમર્ત્ય સેને એરપોર્ટ પર એક સમાચાર ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, “ભારત એક હિન્દુ રાષ્ટ્ર નથી, ચૂંટણી પરિણામોથી એ સ્પષ્ટ જાહેર થઈ ગયું છે. તેમણે કહ્યું કે આપણે હંમેશા ચૂંટણી બાદ પરિવર્તન આવે તેવી આશા રાખીએ છીએ. પહેલા ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દરમિયાન જે કંઈ થયું, જે રીતે લોકોને કેસ વગર જેલમાં નાખવામાં આવ્યા અને અમીર-ગરીબ વચ્ચે ખાઈને વધારવી, એ હજુ પણ ચાલુ છે. આ બંધ થવું જોઈએ.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમર્ત્ય સેને કહ્યું કે વધુમાં કહ્યું કે, “રાજનીતિક રીતે ખુલ્લા વિચારોની જરૂર છે. ખાસ કરીને જ્યારે ભારત ધર્મનિરપેક્ષ બંધારણ સાથે એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. મને નથી લાગતું કે ભારતને 'હિન્દુ રાષ્ટ્ર'માં બદલવાનો વિચાર યોગ્ય છે.” </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Hindu-scriptures-written-by-Brahmins-are-a-mountain-of-immorality---Kaushik-beginning"><span style="font-size: 14pt;">બ્રાહ્મણોએ લખેલા હિંદુ ધર્મગ્રંથો અનૈતિકતાનો પહાડ છે - કૌશિક શરૂઆત</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે એમ પણ કહ્યું કે નવા કેન્દ્રીય મંત્રીમંડળ પહેલા જેવું જ છે. મંત્રીઓ પાસે પહેલાની જેમ જ વિભાગ વહેંચાયેલા છે. મામૂલી ફેરફાર છતાં રાજકીય રીતે સત્તાપક્ષ હજુ પણ શક્તિશાળી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સેને એ પણ યાદ કર્યું કે તેમના બાળપણ દરમિયાન ભારત જ્યારે બ્રિટિશ શાસનને આધીન હતું ત્યારે લોકોને કોઈ પણ કેસ વગર જેલમાં નાખી દેવાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું, “જ્યારે હું નાનો હતો ત્યારે મારા અનેક કાકાઓ અને પિતરાઈઓને કેસ વગર જેલમાં નાખી દેવાયા હતા. અમને આશા હતી કે ભારત તેનાથી મુક્ત  થશે. કોંગ્રેસ પણ તેના માટે દોષિત છે કે તેણે આ પરિસ્થિતિ બદલી નહીં. પરંતુ તે હાલની સરકારમાં વધુ થઈ રહ્યું છે.” </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ છતાં ભાજપ ફૈઝાબાદની લોકસભા સીટ હાર્યું તેના પર અમર્ત્ય સેને કહ્યું કે, “દેશની વાસ્તવિક ઓળખને છુપાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા. આટલા પૈસા ખર્ચ કરીને રામ મંદિર બનાવવું, ભારતને એક હિન્દુ રાષ્ટ્ર તરીકે ચિત્રિત કરવું, જે મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર, અને નેતાજી સુભાષચંદ્ર બોસના દેશમાં નહતું થવું જોઈતું. તે ભારતની વાસ્તવિક ઓળખની ઉપેક્ષા કરવાના પ્રયત્નને દર્શાવે છે અને તેને બદલવું જોઈએ.” સેને એમ પણ કહ્યું કે ભારતમાં બેરોજગારી વધી રહી છે અને પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક સ્વાસ્થ્ય સેવા જેવા ક્ષેત્રોની ઉપેક્ષા થઈ રહી છે. એ દિશામાં વધુ પ્રયત્નો કરવાની જરૂર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/savarkar-an-attempt-to-distort-the-truth-to-strengthen-hindutva-politics"><strong>સાવરકરઃ હિંદુત્વવાદી રાજનીતિને મજબૂત કરવા સત્યને વિકૃત કરતો પ્રયત્ન</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 27 Jun 2024 18:48:50 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>831</Articleid>
                    <excerpt>લોકસભાની ચૂંટણીના પરિણામોને લઈને નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને સત્તાધારી ભાજપ પર તીખો પ્રહાર કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667d659997e7c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667d6599668b2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667d6599668b2.jpg" length="55043" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>તથ્ય પટેલ કેસમાં ઉપયોગમાં લેવાયેલી જગુઆર કોઈ ખોટી સહીને છોડાવી ગયું?</title>
                    <link>https://khabarantar.com/did-the-jaguar-used-in-the-tathya-patel-case-give-off-a-false-signature</link>
                    <guid>https://khabarantar.com/did-the-jaguar-used-in-the-tathya-patel-case-give-off-a-false-signature</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર નવ જણાને કચડી નાખનાર તથ્ય પટેલના કેસમાં વપરાયેલી જગુઆર કાર કોઈ ખોટી સહીને છોડાવી ગયું હોવાની વાત ફેલાઈ છે અને તે કોણ છે તેની પણ તંત્રને ખબર નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદમાં નવ જણને કચડી નાખનારા તથ્ય પટેલના કેસમાં આરોપીઓને બચાવવા માટે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેમ આ કેસમાં ઉપયોગમાં લેવામાં આવેલી જગુઆર કારને કોઈ અજાણી વ્યક્તિ ખોટી સહી કરીને છોડાવી ગયાની ચોંકાવનારી હકીકત સામે આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માત્ર અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાત સહિત દેશભરમાં ચકચાર મચાવનાર ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આ મોટો ઘટસ્ફોટ છે. મળતી માહિતી પ્રમાણે આ કેસમાં તથ્ય જે જગુઆર કાર ચલાવતો હતો તે ક્રિશ વરિયાના નામે હતી. અને હવે કોઈ શખ્સ ઈ ટ્રાયલ કોર્ટમાં ક્રિશ વરિયાની ખોટી સહી કરીને આ કારને છોડાવી ગયું છે. આશ્ચર્યની વાત એ છે કે કાર છોડાવી જનાર કોણ છે તેની તંત્રને ખબર પણ નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તથ્ય પટેલે કરેલા કાંડમાં ઉપયોગમાં લેવાયેલી જગુઆર કારને કોઈ રજિસ્ટ્રાર સામે સોગંદનામુ કર્યા વગર જ છોડાવી જતા ચકચાર મચી ગઈ છે. હવે આ કાર કોણ છોડાવી ગયુ તેને શોધવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે અન તેના પર આગામી દિવસોમાં સુનાવણી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જગુઆર કારના મૂળ માલિક ક્રિશ વારિયાની ખોટી સહી કરીને આ કેસનો બધો સામાન મેળવવા ટ્રાયલ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તેને ટ્રાયલ કોર્ટે મંજૂરી આપતા કાર કોઈ અજાણી વ્યક્તિ છોડાવી ગઈ છે. તથ્ય પટેલ સામેના ગુનામાં તપાસમાં કારની મહત્વની ભૂમિકા છે. હજી ચાર્જ પણ ફ્રેમ થયા નથી તે પહેલા જ કાર નકલી સહી કરીને કોઈ વ્યક્તિ છોડાવી જતા સ્પષ્ટપણે આગામી સમયમાં આ કેસ નબળો પાડવાની દિશામાં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે તેમ કહી શકાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/scam-of-snatching-scholarship-from-reserved-category-students"><span style="font-size: 14pt;">અનામત કેટેગરીના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પડાવી લેવાનું કૌભાંડ</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિયમ પ્રમાણે કોઈપણ કેસમાં જપ્ત કરાયેલા મુદ્દામાલને પરત મેળવવા માટે પરચૂરણ અરજી કરવી પડે છે અને તેમા માલિકે સોગંદનામું રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાનું હોય છે. પણ અહીં તપાસમાં ખબર પડી કે આવું કોઈ સોગંદનામુ જ કરવામાં આવ્યું નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે ટ્રાયલ કોર્ટમાં બનાવટી સહીઓ સાથે કોઈ વ્યક્તિ આ કેસની મહત્વની કડી ગુમ કરાવવા માંગે છે. નકલી સહીઓને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલીને તેની પ્રમાણભૂતતા તપાસવા માંગ કરાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ જે કાર ચલાવતો હતો તે જગુઆર કાર મૂળ ક્રિશ વરિયા નામના વ્યક્તિની છે. આગામી દિવસોમાં તથ્યના કેસમાં આરોપનામું ઘડાવાનું છે. તે પહેલા કોઈ ક્રિશ વારિયાની ખોટી સહી કરીને આ કાર છોડાવી જતાં કેસના મહત્વના પુરાવાનો નાશ થવાની અનેક કેસને નુકસાન થવાની પુરી શક્યતા સેવાઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ પોલીસે એવો ખુલાસો કર્યો છે કે તથ્યકાંડમાં ઉપયોગમાં લેવાયેલી જગુઆર કાર કોઈ ખોટી સહી કરીને છોડાવી નથી ગયું. આ કાર હજુ પણ પોલીસના કબ્જામાં સુરક્ષિત છે અને બનાવટી સહી કરીને કોઈ પોલીસ પાસેથી આ કાર છોડાવી ગયાની વાત તદ્દન ખોટી અને અફવા છે. ત્યારે સમગ્ર મામલે સાચું શું છે તે તો આ મામલે વધુ તપાસ થાય ત્યારે જ સામે આવી શકે તેમ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/how-much-truth-in-gondal-yard-and-84-village-bandh-in-support-of-ganesh"><strong>ગણેશના સમર્થનમાં ગોંડલ યાર્ડ અને 84 ગામોના બંધમાં કેટલું સત્ય?</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 26 Jun 2024 18:49:18 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 26 Jun 2024 18:50:14 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>825</Articleid>
                    <excerpt>અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર નવ જણાને કચડી નાખનાર તથ્ય પટેલના કેસમાં વપરાયેલી જગુઆર કાર કોઈ ખોટી સહીને છોડાવી ગયું હોવાની વાત ફેલાઈ છે અને તે કોણ છે તેની પણ તંત્રને ખબર નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667c14c47058d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667c14c441b43.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667c14c441b43.jpg" length="84294" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>TRP અગ્નિકાંડની માસિક તિથીએ કોંગ્રેસનાં &amp;apos;રાજકોટ બંધ&amp;apos;ને સારો પ્રતિસાદ</title>
                    <link>https://khabarantar.com/good-response-to-congresss-rajkot-bandh-on-trp-fire-anniversary</link>
                    <guid>https://khabarantar.com/good-response-to-congresss-rajkot-bandh-on-trp-fire-anniversary</guid>
                    <description>
                        <![CDATA[ રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે રાજકોટના વેપારીઓએ સ્વયંભૂ અડધો દિવસ બંધ પાળી અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલી આપી હતી.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડની ઘટનામાં 28 જેટલી વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ગોઝારી દુર્ઘટનાને આજે એક મહિનો થયો છે. આ દુર્ઘટનાના પીડિતોના દુ:ખમાં સહભાગી બનવા કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ બંધનું એલાન અપાયું હતું. 'રાજકોટ બંધ'ના એલાનને જબ્બર પ્રતિસાદ મળ્યો હતો. રાજકોટના વેપારીઓએ સ્વયંભૂ રીતે અડધો દિવસ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. જ્યારે શાળા-કોલેજોએ પણ બંધ પાળીને ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટના નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોનમાં ગત તા. 25 મેના રોજ અગ્નિકાંડ થયો હતો. આ ગોઝારી દુર્ઘટનામાં 28 જેટલી વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા હતા. રાજકોટના ગોઝારા ટીઆરપી અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ગોઝારી દુર્ઘટનાની તપાસ માટે સરકાર દ્વારા એક મહિનામાં 3 જેટલી વિશેષ તપાસ ટુકડી (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ-સીટ)ની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં, આ એક મહિનામાં આ ઘટનાને લઈને એક આઇએએસ અને 4 આઇપીએસને હટાવાયા છે તો 2 પીઆઇ સહિત 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટનાને લઈને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ટીઆરપી ગેમઝોનની જગ્યાના માલિકનો પણ સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટની ગોઝારી ટીઆરપી ગેમઝોનની દુર્ઘટનાની આજે માસિક તિથી છે ત્યારે આ દુર્ઘટનાના પીડિતોના દુ:ખમાં સહભાગી બનવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે 'રાજકોટ બંધ'નું એલન અપાયું હતું. કોંગ્રેસનાં 'રાજકોટ બંધ'ના અપાયેલા એલાનને આજે રાજકોટની જનતાએ સારો પ્રતિસાદ આપ્યો હતો. રાજકોટભરના તમામ વેપારીઓએ સ્વયંભૂ રીતે પોતાના ધંધા રોજગારને બંધ રાખીને અડધો દિવસ બંધ પાળ્યો હતો. એટલું જ નહીં, વેપારીઓની સાથોસાથ રાજકોટ શહેરની શાળા-કોલેજોએ પણ પોતાની રીતે બંધ પાળ્યો હતો. આમ રાજકોટની જનતાએ સ્વૈચ્છાએ 'બંધ' પાળીને ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરીને અગ્નિકાંડના પીડિતોના દુ:ખમાં સહભાગી બનવાનો પ્રયાસ કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;">ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પીડિતોના દુ:ખમાં ભાગીદાર બનીને રાજકોટ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે, ગુંદાવાડી, કેવડાવાડી, 80 ફૂટ રોડ, ભકિતનગર, લક્ષ્મીવાડી સહિતના વિસ્તારોના વેપારીઓએ આજે સ્વયંભૂ બંધ પાળ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટ બંધના આ એલાનદરમિયાન શાળા-કોલેજોને બંધ કરાવવા માટે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો સ્કુટર રેલી યોજી હતી. જેમાં રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશીની સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ સહિતની શરૂ રહેલી 10 જેટલી શૈક્ષણિક સંસ્થાને બંધ કરાવવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મંત્રીમંડળની બેઠકમાં ટીઆરપી અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડની ઘટનાને આજે એક મહિનો પૂરો થયો છે. તેને લઈને કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ બંધનું એલાન અપાયું હતું. આ બંધના એલાનને રાજકોટવાસીઓએ જબ્બર પ્રતિસાદ આપ્યો હતો. ત્યારે બીજી તરફ રાજ્ય સરકારના મંત્રી મંડળ (કેબિનેટ)ની બેઠકમાં પણ મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ ટીઆરપી અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ મૃતકોના પરિવાર પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી હતી તેમ સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/the-sits-preliminary-report-in-the-rajkot-fire-incident-revealed-several-irregularities"><strong>રાજકોટ અગ્નિકાંડમાં SITના પ્રાથમિક રિપોર્ટમાં અનેક ગેરરીતિઓ સામે આવી</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 25 Jun 2024 21:09:20 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>820</Articleid>
                    <excerpt>રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે રાજકોટના વેપારીઓએ સ્વયંભૂ અડધો દિવસ બંધ પાળી અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલી આપી હતી. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667ae40da0a52.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667ae40d71705.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667ae40d71705.jpg" length="101147" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;નાચનારી&amp;apos; કહીને ઉતારી પાડેલી, એ દલિત યુવતી હવે BIGG BOSSમાં છે</title>
                    <link>https://khabarantar.com/dismissed-as-a-dancer-the-dalit-girl-is-now-in-bigg-boss</link>
                    <guid>https://khabarantar.com/dismissed-as-a-dancer-the-dalit-girl-is-now-in-bigg-boss</guid>
                    <description>
                        <![CDATA[ BIGG BOSS ઓટીટીની ત્રીજી સિઝનમાં પહોંચેલી શિવાની કુમારી દલિત સમાજની દીકરી છે. યુપીના એક ગામથી બીગ બોસ સુધીની તેની સફર તમને રડાવશે અને હિંમત પણ આપશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીગ બોસ ઓટીટીની ત્રીજી સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. અને આ વખતે ગામડાની એક દલિત છોકરીની ધમાકેદાર એન્ટ્રીએ સમગ્ર બહુજન સમાજનું માથું ગર્વથી ઉંચું કરી દીધું છે. એક સમયે ત્રણ બહેનો પર ત્રીજી બહેન તરીકે તેનો જન્મ થયો ત્યારે પરિવાર, સગાસંબંધીઓ સૌએ તેની માતાને સંભળાવવામાં કશું બાકી નહોતું રાખ્યું. તેણે જ્યારે ટિકટોક વીડિયો બનાવવાનું શરૂ કર્યું તો ગામના જાતિવાદી તત્વોએ તેને 'નાચનારી' કહીને ઉતારી પાડી હતી. તેની વીડિયો બનાવવાની જીદ અને લોકોના મેણાંટોણાંથી કંટાળીને તેની માતાએ એકવાર તેના પેટમાં ચાકુ મારી દીધું હતું. એજ દીકરીની જ્યારે બે દિવસ પહેલ બીગ બોસ ઓટીટી પર અનિલ કપૂર સામે એન્ટ્રી થઈ ત્યારે ઉત્તર ભારતના સાવ અંતરિયાળ ગામડામાં રહેતા સેંકડો દલિતો હર્ષના આંસુ રોકી શક્યા નહોતા. સૌ કોઈએ ગામડાની આ છોરીની એન્ટ્રીને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાત છે યૂટ્યુબર અને ઈન્ફ્લુએન્સર શીવાની કુમારીની. જેણે હાલમાં જ બીગ બોસ ઓટીટીમાં ધમાકેદાર એન્ટ્રી કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. બીગ બોસ ઓટીટીની આ ત્રીજી સિઝન છે, જેને આ વખતે અનીલ કપૂર હોસ્ટ કરી રહ્યો છે, તેણે બધાં સ્પર્ધકોનું સ્વાગત કર્યું હતું. આ શોની ત્રીજી સ્પર્ધક શિવાની કુમારી જ્યારે સ્ટેજ પર પહોંચી તો યુપીના સેંકડો ગામોમાં વસતા દલિતોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. શિવાની સ્ટેજ પર પહોંચતા જ રડવા માંડી હતી. અનિલ કપૂરે તેને રડતી રોકી તો તેણે કહયું કે, "મને રડવા દો, મારું સપનું પુરું થઈ ગયું છે." બીગ બોસના સ્ટેજ પરથી જ તેણે પોતાના સંઘર્ષની કહાની પણ લોકો સમક્ષ મૂકી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે શિવાની કુમારી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુટ્યૂબર અને ઇન્ફ્લૂએન્સર શિવાની કુમારી ઉત્તરપ્રદેશની રહેવાસી છે. ચર્મ ઉદ્યોગ માટે જાણીતા શહેરમાં દલિતોની ચમાર જાતિની સારી એવી વસ્તી છે. 23 વર્ષની શિવાની કુમારી અહીંના ઔરેયા જિલ્લાના સહાર તાલુકાના અરિયાવી ગામની વતની છે. આ જિલ્લો સીમા પરિહાર કારણે પણ જાણીતો છે. સીમાનું 13 વર્ષની ઉંમરે અપહરણ કરાયું હતું. એ પછી તે ફૂલન દેવીની ડાકુ જીવન જીવી હતી. યોગાનુયોગ એ પણ છે કે, સીમા પરિહાર પણ અગાઉ બીગ બોસમાં હિસ્સો લઈ ચૂક્યા છે. ફિલ્મ બાદ ઓટીટીએ સીમા પરિહારને ભારે લોકપ્રિયતા અપાવી હતી. હવે આ જ મોકો શિવાનીને મળ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/dolly-chaiwala-will-be-a-part-of-salman-khans-bigg-boss-18"><strong>ડોલી ચાયવાલા સલમાન ખાનની 'બિગ બોસ ૧૮'નો ભાગ બનશે</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_667a4b4250214.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિવાનીની ઉત્તરપ્રદેશથી બીગ બોસ સુધીની સફર જરાય આસાન નહોતી. સ્ટેજ પર તેણે પોતાની જે કહાની વર્ણવી તે ભલભલા કઠણ કાળજાના લોકોને પણ પીગળાવી દે તેવી છે. શિવાની કહે છે, "મારો જન્મ થયો ત્યારે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. કેમ કે મારી પહેલા જ ઘરમાં ત્રણ દીકરીઓ જન્મી હતી. પરિવારજનોને આશા હતી કે આ વખતે તો દીકરો જ જન્મશે, પણ હું જન્મી. ગામ આખામાં માતમ છવાઈ ગયો. લોકો મને જન્મથી જ નફરત કરવા લાગ્યા. એ પછી હું એક વર્ષની થઈ ત્યાં મારા પિતાનું મોત થઈ ગયું. મને કદી પિતાનો પ્રેમ શું હોય છે તે સમજાયું નથી. પિતાના મોત બાદ મારી માતાએ જેમતેમ કરીને અમને ત્રણેય બહેનોને સાચવી. મેં ભણવાની ઈચ્છા વ્યક્ત કરી, તો માએ ના પાડી દીધી. એની પણ મજબૂરી હતી, પરિવારનું પેટ ભરે કે મને ભણાવે? એટલે મેં લોકોના ઘરમાં કામ કરવાનું શરૂ કર્યું, એમાંથી જે પૈસા મળ્યાં તેમાંથી મારું ભણતર પુરું કર્યું."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એક વીડિયો વાયરલ થયો અને જિંદગી બદલાઈ ગઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિવાની આગળ કહે છે, "ભણવાની સાથોસાથ મેં વીડિયો બનાવવાનું શરૂ કર્યું. પણ ગામલોકોએ તેનો ભારે વિરોધ કર્યો. જાતિવાદી લોકો કહેતા, "લો બોલો, આ હવે નાચનારીનું કામ કરશે. તેના કારણે અમારા છોકરાઓ પણ બગડી જશે." ગામલોકોએ મને ગંદી ગંદી ગાળો ભાંડી હતી. પણ મારા પર તેમની એકેય ગાળની અસર ન થઈ. હું પરેશાન થઈ ગઈ હતી. ગામલોકોના દરરોજના ટોણાં સાંભળીને એકવાર મારી માતાએ ગુસ્સામાં આવીને મારા પેટમાં ચાકૂ મારી દીધું હતું અને રેલવે સ્ટેશન પર જઈને રહેવા લાગી હતી. હું જેમ તેમ કરીને માંને મનાવીને પરત લઈ આવી. માંના કારણે મેં એક મહિના સુધી વીડિયો બનાવવાનું બંધ કરી દીધું. પણ અંદરથી હું ભારે તડપતી હતી. ઘરમાં આવકનું કોઈ સાધન નહોતું. ગરીબી અને ભૂખમરો આંટો લઈ ગયા હતા. અંતે મેં હિંમત કરીને ફરી શરૂઆત કરી. આજે મારા ઈન્સ્ટાગ્રામ પર 40 લાખથી વધુ ફોલોઅર્સ છે. મેં ટિકટોક વીડિયો બનાવવાથી શરૂઆત કરી હતી. પહેલા હું ડાન્સ અને લિપ્સિંગ વીડિયો બનાવીને અપલોડ કરતી હતી. પણ કોઈ વ્યૂઝ નહોતા આવતા. પણ એક દિવસ હું મારી બહેનપણીઓ સાથે માર્કેટમાંથી ચંપલ લઈને આવી રહી હતી, ત્યારે રસ્તામાં જ યુપીના ગામડાઓની દેશી ભાષામાં એક વીડિયો બનાવ્યો અને તેને અપલોડ કર્યો. આ વીડિયો જોરદાર વાયરલ થયો, 24 કલાકમાં તેના પર 10 લાખ કરતા વધુ વ્યૂઝ આવ્યા. એ પછી મેં પાછું વળીને જોયું નથી. એક સમયે મારા ઘરમાં ખાવાપીવાના સાંસા હતા. પણ હવે વીડિયો થકી હું લાખો રૂપિયા કમાઉં છું. આજે મારી પાસે, ઘર, બંગલો, કાર અને પરિવારને સારું જીવન આપવા માટેની બધી જ ચીજવસ્તુઓ છે. હું મારા સમાજને એટલું જ કહેવા માંગું છું કે હિંમત ન હારો. પરિસ્થિતિ તમારી વિરુદ્ધમાં હશે તો પણ તમે તમારા સપનાને વળગી રહો. તેને અધવચ્ચે છોડો નહીં, જીત તમારી થશે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/Kalpana-Saroj---The-countrys-first-Dalit-woman-entrepreneur-who-broke-the-upper-caste-monopoly-in-business"><strong>કલ્પના સરોજ - દેશની પ્રથમ દલિત મહિલા આંત્રપ્રિન્યોર, જેણે બિઝનેસમાં સવર્ણોની મોનોપોલીને તોડી બતાવી</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 25 Jun 2024 10:19:26 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>819</Articleid>
                    <excerpt>BIGG BOSS ઓટીટીની ત્રીજી સિઝનમાં પહોંચેલી શિવાની કુમારી દલિત સમાજની દીકરી છે. યુપીના એક ગામથી બીગ બોસ સુધીની તેની સફર તમને રડાવશે અને હિંમત પણ આપશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667a4b2020200.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667a4b1fdf779.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667a4b1fdf779.jpg" length="92995" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સ્વામી મારા સિવાય બીજી છોકરીઓને પણ ગંદી નજરથી જોતા હતા...</title>
                    <link>https://khabarantar.com/swami-used-to-look-at-other-girls-besides-me-with-dirty-eyes</link>
                    <guid>https://khabarantar.com/swami-used-to-look-at-other-girls-besides-me-with-dirty-eyes</guid>
                    <description>
                        <![CDATA[ રાજકોટના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામના સ્વામીનારાયણ ગુરૂકુળના લંપટ સાધુની કામલીલા વિશે હવે ખુદ પીડિતાએ વાત કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્મની આડમાં મહિલાઓ, યુવતીઓના શારીરિક શોષણનો મામલો આજકાલ ચર્ચામાં છે. એકબાજુ  વૈષ્ણવ સંપ્રદાયના સ્વામીઓની કામલીલાને દર્શાવતી ફિલ્મ મહારાજ રિલીઝ થઈ છે. બીજી તરફ સ્વામીનારાયણના સાધુઓની લંપટલીલા પણ સામે આવી રહી છે. વડોદરા બાદ હવે રાજકોટના ખીરસરા ગુરુકુળના સ્વામીનારાયણ સંતો સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકોટના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામના ગુરુકુળમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાનું કહેવાયું છે. પોલીસે હાલ સંચાલક મયુર કાંસોદરીયાને ઝડપી લીધો છે અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ દરમિયાન હવે સ્વામિનારાયણના સંતોની વાસનાનો ભોગ બનેલી પીડિતા મીડિયા સમક્ષ આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખીરસરા ઘેટિયા ગામ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી ધર્મસ્વરૂપદાસ દ્વારા મહિલા પર દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. પીડિતાને ફેસબુકના માધ્યમથી સ્વામીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ફ્રેન્ડશીપ કરી હતી. એ પછી ગુરુકુળ ખાતે તેને મળવા બોલાવી બળજબરી કરી હતી. પીડિતાના જણાવ્યા પ્રમાણે ગુરુકુળના ગેસ્ટ રૂમમાં સ્વામીએ તેની સાથે લગ્ન પણ કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતાએ મીડિયાને જણાવ્યું હતું કે, “લગ્ન કર્યા બાદ સ્વામીએ ‘હવે હું તારો પતિ છું’ તેમ કહી બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેનાથી હું ગર્ભવતી થઈ હતી. ગર્ભવતી થતા સ્વામી દ્વારા ગર્ભપાતની ગોળી મોકલાવી ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. મારા સિવાય અન્ય છોકરીઓને પણ સ્વામી ખરાબ નજરે જોતા હતા. નારાયણ સ્વામીને પણ અમારા સંબંધો વિશે ખ્યાલ હતો. સાધ્વી બનવાની ટ્રેનિંગ માટે મને ભુજ અને હળવદ ખાતે મોકલવામાં આવી હતી. ફરિયાદ નોંધાયાને હાલ દસ દિવસથી વધુનો સમય વીતી ચૂક્યો છે તેમ છતાં એક પણ આરોપી પોલીસ ઝડપી શકી નથી.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Why-does-Swami-Ramabhadracharya-say-Chamar,-not-Rama"><span style="font-size: 14pt;">સ્વામી રામભદ્રાચાર્ય ‘રામને નહીં ભજનારને ચમાર’ કેમ કહે છે?</span></a></strong></span></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_667993bb096ec.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સાથે જ રાજકોટ રૂરલ પોલીસ પર પીડિતાએ આક્ષેપ લગાવ્યા કે, “મને શંકા હતી કે સ્થાનિક પોલીસ આરોપીને સપોર્ટ કરશે. એટલા માટે મેં રાજકોટ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓનો વિવાદ હવે વકરી રહ્યો છે. આવા સાધુઓના વિરોધમાં હરિભક્તોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ગઢડા સ્વામિનારાયણ મંદિરના ભગવત પ્રસાદ સ્વામીનો અશ્લીલ વીડિયો વાયરલ થયો હતો. મોટી સંખ્યામાં હરિભક્તોએ કલેક્ટર કચેરી પહોચી લંપટ સાધુઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલા હરિભક્તો દ્વારા બેનરો સાથે લંપટ સાધુઓ વિરોધમાં હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા. એટલું જ નહીં ગુજરાતભરના હરિભક્તો વડતાલ પહોંચી ગયા હતા અને લંપટ સ્વામીઓને જેલમાં ધકેલી દેવા અંગે હોબાળો મચાવ્યો હતો. જો કે, એ પછી પણ ઈશ્વર અને ભગવાનની વાત કરતા આ લંપટ સાધુઓ વિરુદ્ધ મંદિર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું જાણવા મળે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/swami-brainwashed-the-teenager-now-he-wants-to-become-a-monk"><strong>સ્વામીએ કિશોરનું બ્રેઈનવોશ કર્યું, હવે તેને સાધુ બની જવું છે?</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 24 Jun 2024 21:15:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>818</Articleid>
                    <excerpt>રાજકોટના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામના સ્વામીનારાયણ ગુરૂકુળના લંપટ સાધુની કામલીલા વિશે હવે ખુદ પીડિતાએ વાત કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6679940c99144.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6679940c68d18.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6679940c68d18.jpg" length="76786" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>આકાશ આનંદનું રાજકીય કદ વધ્યું, માયાવતીએ ફરી રાષ્ટ્રીય સંયોજક બનાવ્યા</title>
                    <link>https://khabarantar.com/akash-anands-political-stature-grew-mayawati-again-made-national-coordinator</link>
                    <guid>https://khabarantar.com/akash-anands-political-stature-grew-mayawati-again-made-national-coordinator</guid>
                    <description>
                        <![CDATA[ બીએસપી સુપ્રીમો માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદનું પક્ષમાં રાજકીય કદ ફરી વધારી દીધું છે. તેમને ફરી પક્ષના નેશનલ કોર્ડિનેટર બનાવાયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને ફરી એકવાર પક્ષના રાષ્ટ્રીય કોર્ડિનેટર પદે નિયુક્ત કર્યા છે. એ રીતે આકાશ આનંદનું રાજકીય કદ ફરી પક્ષમાં વધી ગયું છે અને તેઓ જ ભવિષ્યમાં બીએસપીની કમાન સંભાળશે તે નક્કી થઈ ગયું છે. આકાશ આનંદ હવે ફરી આખા દેશમાં પાર્ટીનું કામ સંભાળશે. માયાવતીએ આજે બહુજન સમાજ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં આ જાહેરાત કરી હતી. આ બીજી વખત છે જ્યારે આકાશ આનંદને માયાવતીએ તેમના અનુગામી તરીકે નિયુક્ત કર્યા છે. લોકસભા ચૂંટણી દરમિયાન મે મહિનામાં માયાવતીએ આકાશ આનંદને તેમના અનુગામી અને રાષ્ટ્રીય સંયોજક પદેથી હટાવી દીધા હતા એ પછી ફરી તેમને પુન:નિયુક્ત કરાયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આકાશ આનંદે રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં હાજરી આપી હતી અને બહેનજીના ચરણસ્પર્શ કર્યા હતા. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ માયાવતીને ચૂંટણીમાં તેમની હારનો રિપોર્ટ સોંપ્યો છે. આ બેઠકમાં ૨૦૦ થી વધુ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના બસપા અધિકારીઓએ ભાગ લીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/complaint-filed-against-krk-for-making-lewd-comments-against-mayawati"><span style="font-size: 14pt;">માયાવતી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર KRK સામે ફરિયાદ નોંધાઈ</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન બસપા સુપ્રીમો માયાવતીએ પોતાના એક નિર્ણયથી સૌ કોઈને ચોંકાવી દીધા હતા જ્યારે તેમણે આકાશ આનંદને અપરિપક્વ ગણાવીને રાષ્ટ્રીય સંયોજક પદ પરથી હટાવી દીધા હતા. લોકસભા ચૂંટણીની રેલીઓમાં આકાશ ખૂબ જ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે વિરોધીઓ, ખાસ કરીને ભાજપના ઉમેદવારો પર તીખી ટિપ્પણીઓ કરી હતી. એક સભામાં તેમણે ઉપસ્થિત લોકોને ભાજપના ઉમેદવાર મત માંગવા આવે તો જૂતા મારજો તેમ કહીને હોબાળો મચાવી દીધો હતો. આકાશ આનંદ પર ઉત્તર પ્રદેશમાં ચૂંટણી રેલીમાં વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આકાશ આનંદને પદ પરથી હટાવવાથી બસપાને ઘણું નુકસાન થયું છે. પાર્ટીની વોટ ટકાવારી ૧૯ ટકાથી ઘટીને લગભગ ૧૦ ટકા થઈ ગઈ છે. આકાશ આનંદને જૂની જવાબદારી સોંપીને તેમણે બસપામાં પ્રાણ ફૂંક્યા છે. આગામી થોડા દિવસોમાં ઉત્તર પ્રદેશની ૧૦ બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આકાશ આનંદની વાપસી પક્ષને કેટલો ફાયદો કરાવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/if-bjp-comes-hit-them-with-shoes-akash-anand"><strong>‘ભાજપવાળા આવે તો જૂતા-ચપ્પલથી ફટકારો’- આકાશ આનંદ</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 24 Jun 2024 11:37:07 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 23 Jun 2024 20:27:20 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>813</Articleid>
                    <excerpt>બીએસપી સુપ્રીમો માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદનું પક્ષમાં રાજકીય કદ ફરી વધારી દીધું છે. તેમને ફરી પક્ષના નેશનલ કોર્ડિનેટર બનાવાયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6678379d50dd8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6678379d2169c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6678379d2169c.jpg" length="88927" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>પીએમ મોદીની &amp;apos;પરીક્ષા પે ચર્ચા&amp;apos; નો ખર્ચ 6 વર્ષમાં 175 ટકા વધ્યો</title>
                    <link>https://khabarantar.com/the-cost-of-pm-modis-pariksha-pe-charcha-increased-by-175-percent-in-6-years</link>
                    <guid>https://khabarantar.com/the-cost-of-pm-modis-pariksha-pe-charcha-increased-by-175-percent-in-6-years</guid>
                    <description>
                        <![CDATA[ એકબાજુ દેશભરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરો ફૂટી રહ્યાં છે, બીજી તરફ વડાપ્રધાન મોદીનો સ્વપ્રચાર અને ભાવિ વોટબેંક તૈયાર કરતો &#039;પરીક્ષા પે ચર્ચા&#039; કાર્યક્રમ મોંઘો પડી રહ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશભરમાં NEET અને NET ની પરીક્ષાના પેપર ફૂટ્યાંને લઈ લાખો વિદ્યાર્થીઓમાં આક્રોશ છે, ચોતરફ વિરોધ થઈ રહ્યો છે, શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ થઈ રહી છે, છતાં પણ આ મામલે વડાપ્રધાન મોદી એક શબ્દ નથી બોલી રહ્યાં. બીજી તરફ ભાવિ વોટબેંક તૈયાર કરતો તેમના સરકારી કાર્યક્રમ 'પરીક્ષા પે ચર્ચા'ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. એક </span><span style="font-size: 14pt;">આરટીઆઈમાં મળેલી માહિતી પ્રમાણે વડાપ્રધાનના આ સરકારી કાર્યક્રમનો ખર્ચ 6 વર્ષમાં 175 ટકા વધી ગયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2018માં શરૂ થયેલા વાર્ષિક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોર્ડની પરીક્ષાઓમાં બેસનારા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે છે. વર્ષ 2023માં આ કાર્યક્રમ પાછળ થનારો ખર્ચ વર્ષ 2019ના કાર્યક્રમ કરતા 175 ગણો વધી ગયો છે. એટલે કે ગત વર્ષે તેની પાછળ 10.04 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અંતર્ગત આવતા શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગે કોંગ્રેસના નેતા કન્હૈયા કુમારે કરેલી આરટીઆઈના જવાબમાં 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ પાછળ કરવામાં આવતા કુલ ખર્ચની જાણકારી આપી છે, પરંતુ એ નથી જણાવ્યું કે કઈ વ્યવસ્થા પાછળ કેટલો ખર્ચ થયો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષણ મંત્રાલય દ્વારા આરટીઆઈમાં આપવામાં આવેલા આંકડાઓ મુજબ કાર્યક્રમમાં થનારો ખર્ચ વર્ષ 2019માં 4.92 કરોડ રૂપિયા હતો, જે વર્ષ 2023માં વધીને રૂ. 10.04 કરોડ થઈ ગયો છે. એ રીતે તેમાં અંદાજિત 175 ટકાનો વધારો થયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાર્યક્રમના સંચાલનની જવાબદારી જાહેર ક્ષેત્રના સાહસ EDCIL પર છે. જેના ટેક્સ ઇન્વૉઇસમાં આ કાર્યક્રમની જાહેરાત, ફિલ્મો, સોશિયલ મીડિયા અને અન્ય પરનો ખર્ચ દર્શાવાયો છે.</span><br><span style="font-size: 14pt;">'પરીક્ષા પે ચર્ચા' એ વાર્ષિક કાર્યક્રમ છે, જે અંતર્ગત વડા પ્રધાન નરેન્દ્ર મોદી બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરે છે. વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાનનો આ કાર્યક્રમ પહેલીવાર 16 ફેબ્રુઆરી 2018ના રોજ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શિક્ષકો અને વાલીઓ પણ ભાગ લે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/rs-10-lakhs-and-clear-the-neet-exam-with-good-marks">રુ. 10 લાખ આપો અને NEETની પરીક્ષા સારા માર્ક્સે પાસ કરો</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6678f629786a6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2023ના એક સમાચાર અનુસાર 'પરીક્ષા પે ચર્ચા' ના પહેલા પાંચ કાર્યક્રમો પર 28 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની સાતમી આવૃત્તિ આ વર્ષે 29 જાન્યુઆરીએ દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ હતી, જેમાં 2.26 કરોડથી વધુ વિદ્યાર્થીઓ, 14.93 લાખથી વધુ શિક્ષકો અને 5.69 લાખથી વધુ વાલીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સંવાદ કાર્યક્રમ વડાપ્રધાન મોદીના 'એક્ઝામ વોરિયર' પ્રોગ્રામનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય 'યુવાનો માટે તણાવમુક્ત વાતાવરણ ઊભું કરવાનો' છે. પરંતુ આજે સ્થિતિ એ છે કે, દેશનો યુવાન ચાહીને પણ તણાવમુક્ત રહી શકે તેવી સ્થિતિમાં નથી. મોદી સરકારે તેના એક દાયકાના શાસનમાં કરેલા ખાનગીકરણને કારણે તે માનસિક રીતે ભાંગી પડ્યો છે. અભ્યાસ અને નોકરીની તાણમાં તે એટલો ગરકાવ થઈ ગયો છે કે તણાવમુક્ત રહેવું તેના માટે અશક્ય બનતું જઈ રહ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પેપર લીક અને અન્ય ગેરરીતિઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓના આયોજનને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતમાં તો આ પ્રકારના પેપરલીકનો એક આખો ઈતિહાસ બની ગયો છે. દેશમાં આ મહિને, પહેલા NEET-UG અને પછી UGC NETમાં ગંભીર ગેરરિતીઓના આક્ષેપો થયા હતા, ત્યારબાદ UGC-NET રદ કરવામાં આવી હતી. આ પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓને લઈને વિપક્ષી નેતાઓએ 'પરીક્ષા પે ચર્ચા'ના પ્રમોશન પર કરોડોનો ખર્ચ કરવા બદલ મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">UGC-NETનું પેપર રદ થયા બાદ કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે મોદી સરકાર પર નિશાન સાધતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, "વડાપ્રધાન પરીક્ષા પે ચર્ચા નામથી ભવ્ય તમાશો કરે છે, પણ તેમની સરકાર લીક અને ફ્રોડ વિના કોઈપણ પરીક્ષાનું આયોજન કરી શકતી નથી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જયરામ રમેશે પાછલા વર્ષોમાં વિવિધ પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓને ટાંકીને શિક્ષણ વ્યવસ્થા અને સરકારની નીતિ પર સવાલો ઉઠાવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;">તેમણે લખ્યું હતું કે, "2020ની નવી શિક્ષણ નીતિ, ભારતની શિક્ષણ વ્યવસ્થાને ભવિષ્ય માટે તૈયાર કરવાને બદલે માત્ર નાગપુર શિક્ષા નીતિ 2020 તરીકે કામ કરે છે. આ એન્ટાયર પૉલીટિકલ સાયન્સમાં એમ.એ.નો વારસો છે. શું તેઓ ક્યારેય લીક પે ચર્ચા કરશે?"</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Over-19-thousand-SC,-ST,-OBC-students-left-central-educational-institutions-in-last-5-years-%E2%80%93-Central-Govt.">છેલ્લાં 5 વર્ષમાં 19 હજારથી વધુ એસસી, એસટી, ઓબીસી વિદ્યાર્થીઓએ કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓ છોડી</a></span></strong></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 24 Jun 2024 10:32:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>815</Articleid>
                    <excerpt>એકબાજુ દેશભરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરો ફૂટી રહ્યાં છે, બીજી તરફ વડાપ્રધાન મોદીનો સ્વપ્રચાર અને ભાવિ વોટબેંક તૈયાર કરતો &#039;પરીક્ષા પે ચર્ચા&#039; કાર્યક્રમ મોંઘો પડી રહ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6678f57e9f0f7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6678f57e71c24.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6678f57e71c24.jpg" length="56976" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>lok sabha election 2024, model code of conduct, Free and fair election, election commission of india, Modi, Shah, BJP, Congress</media:keywords>
                </item>
                        <item>
                    <title>વિદેશમાંથી મેડિકલનો અભ્યાસ કરનાર માટે હવે એક વર્ષ ઈન્ટર્નશીપ ફરજિયાત</title>
                    <link>https://khabarantar.com/one-year-internship-is-now-mandatory-for-medical-students-from-abroad</link>
                    <guid>https://khabarantar.com/one-year-internship-is-now-mandatory-for-medical-students-from-abroad</guid>
                    <description>
                        <![CDATA[ નેશનલ મેડિકલ કમિશને કોઈપણ દેશમાંથી મેડિકલનો અભ્યાસ કરીને આવનાર વિદ્યાર્થી માટે એક વર્ષની ઈન્ટર્નશીપ ફરજિયાત કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નેશનલ મેડિકલ કમિશને એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, કોઇપણ દેશમાંથી મેડિકલનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ પૈકી જેમણે વધારાના ઓફલાઇન કલાસ ભર્યા હોય તેમણે હવે માત્ર એક જ વર્ષ ઇન્ટર્નશીપ કરવાની રહેશે. મહત્વની વાત એ છે કે, વારંવાર બદલવામાં આવતાં નિયમોના કારણે વિદ્યાર્થીઓમાં ભારે દ્વિધાભરી સ્થિતિ પેદા થાય છે. વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરીને આવતાં વિદ્યાર્થીઓ પૈકી જેઓએ ઓનલાઇન અભ્યાસ કર્યો હોય અને ફરીવાર જઇને ઓફલાઇન અભ્યાસ કર્યો હોય તેમના માટે ઇન્ટર્નશીપ કેટલી કરવી તે અંગે નિયમોમાં વારંવાર ફેરફાર કરવામાં આવી રહ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રોના મતે, ભૂતકાળમાં જે વિદ્યાર્થીઓએ ૧૫ મહિના કે તેનાથી વધારે અભ્યાસ કર્યો હોય અને પછી ઓફલાઇન કલાસ ભર્યા હોય તો પણ બે વર્ષ ઇન્ટર્નશીપ કરવાની રહેશે તેવી જાહેરાત નેશનલ મેડિકલ કમીશન દ્વારા કરવામાં આવી હતી. ભૂતકાળમાં કમીશને કરેલી જાહેરાતમાં ફિલિપાઇન્સ, યુક્રેન, રશિયા જેવા દેશોનો ઉલ્લેખ કર્યો હોવાથી વિદ્યાર્થીઓમાં દ્વિધા ઉભી થઇ હતી કે, જે દેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ત્યાંથી મેડિકલનો અભ્યાસ કરીને આવેલા વિદ્યાર્થીઓએ વધારે ઇન્ટર્નશીપ શું કામ કરવી જોઇએ?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/40-percent-decline-in-us-h1-b-visa-applications"><span style="font-size: 14pt;">અમેરિકાના H1-B વિઝાની અરજીઓમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં નેશનલ મેડિકલ કમીશન દ્વારા નવેસરથી એવી જાહેરાત કરવામાં આવી છે કે હવે કોઇપણ દેશમાંથી મેડિકલનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ પૈકી જેઓએ ઓનલાઇનની સાથે સાથે પુરતા ઓફલાઇન કલાસ ભર્યા હોય અને એમબીબીએસની સમકક્ષ પરીક્ષા પાસ કરી હોય તેઓએ હવે એક વર્ષની ઇન્ટર્નશીપ કરવાની રહેશે. આમ, એનએમસીએ અગાઉ ૭મી જૂનના રોજ કરેલી જાહેરાતને રદ કરીને નવેસરથી હવે કરાયેલી જોગવાઇ પ્રમાણે કોઇપણ દેશમાંથી મેડિકલનો અભ્યાસ કર્યો હોય અને ઓનલાઇનની સાથે ઓફલાઇન અભ્યાસ કર્યો હોય તો તેમણે હવે એક વર્ષની જ ઇન્ટર્નશીપ કરવાની રહેશે. આ નિયમ કોઇપણ દેશમાંથી મેડિકલની સમકક્ષ અભ્યાસ કરીને આવ્યા હોય તેવા તમામ વિદ્યાર્થીઓને લાગુ પડશે તેવી સ્પષ્ટતાં પણ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં એકબાજુ મેડિકલ ક્ષેત્રે સેંકડો ડોક્ટરોની અછત છે, મેડિકલનું ભણતર મોંઘું હોવાથી ફક્ત પૈસાદારોના સંતાનો જ ડોક્ટર બની શકે તેમ છે, ત્યારે વારંવાર બદલાતા નિયમોથી વિદ્યાર્થીઓ પણ પરેશાન થઈ ગયા છે. વિદેશોમાં જઈને મેડિકલ ભણવું સહેલું હોવાથી મોટાભાગના સ્ટુડન્ટ યુક્રેન, ચીન સહિતના દેશોમાં જઈને ભણે છે. આવા વિદ્યાર્થીઓ માટે પણ સરકાર સતત નિયમોમાં ફેરફાર કરતી હોવાથી તેઓ ભણીગણીને ત્યાં જ સ્થાયી થઈ જતા હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/Manu-is-still-working-today,-both-in-this-country-and-in-foreign-countries-wherever-the-people-of-this-country-have-gone"><strong>મનુ આજે પણ કાર્યરત છે, આ દેશમાં પણ અને આ દેશવાળા જ્યાં જ્યાં ગયા છે તે વિદેશોમાં પણ</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 22 Jun 2024 20:09:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>807</Articleid>
                    <excerpt>નેશનલ મેડિકલ કમિશને કોઈપણ દેશમાંથી મેડિકલનો અભ્યાસ કરીને આવનાર વિદ્યાર્થી માટે એક વર્ષની ઈન્ટર્નશીપ ફરજિયાત કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6676e162b76c4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6676e16283355.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6676e16283355.jpg" length="53385" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત મહિલા કોન્સ્ટેબલ પર દરબાર પડોશીએ તલવારથી હુમલો કર્યો</title>
                    <link>https://khabarantar.com/a-dalit-woman-constable-was-attacked-with-a-sword-by-a-darbar-neighbor</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-woman-constable-was-attacked-with-a-sword-by-a-darbar-neighbor</guid>
                    <description>
                        <![CDATA[ રાજકોટમાં દલિત મહિલા કોન્સ્ટેબલ અને તેના પરિવાર પર માથાભારે દરબાર શખ્સે તલવારથી હુમલો કર્યો, છતાં પોલીસે કાર્યવાહી ન કરતા મામલો ગૃહમંત્રીએ પહોંચ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટમાં એક માથાભારે દરબાર શખ્સે તેની પડોશમાં રહેતી દલિત મહિલા કોન્સ્ટેબલ અને તેના પરિવાર પર તલવારથી હુમલો કર્યો હતો. જીવ બચાવવા માટે પરિવાર ઘરમાં ઘૂસી ગયો હતો અને અંદરથી જ 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. જો કે માથાભારે શખ્સના પિતા જ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ હોવાથી પીડિત મહિલાની ફરિયાદ લેવામાં આવી નહોતી કે હુમલાખોર શખ્સની ધરપકડ કરવામાં નહોતી આવતી. આખરે કંટાળીને પીડિત દલિત મહિલા કોન્સ્ટેબલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, માનવ અધિકાર પંચ, એસસી એસટી સેલ ગાંધીનગર, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, ડીજીપી, રાજકોટ પોલીસ કમિશનર અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનને અરજી કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે રાજકોટના હંસાબેન દાફડા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોલીસ સ્ટેશને અનાર્મ પોલીસ તરીકે ફરજ બજાવે છે અને રામનાથપુરા પોલીસ લાઈનમાં પરિવાર સાથે રહે છે. ગત તા 16 જૂન 2024ના રોજ સવારે 11 વાગ્યે તેઓ પરિવાર સાથે ઘરે હતા ત્યારે સામેના ક્વાર્ટરમાં રહેતા હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ ઝાલાની પુત્રી યશોદાબા ઝાલાએ કચરો વાળવા જેવી નજીવી બાબતે તેમની સાથે બોલાચાલી કરી હતી. એ પછી તેમણે તેમના ભાઈ મયૂરસિંહ ઝાલાને ફોન કરીને ક્વાર્ટર પર બોલાવ્યો હતો. ઘરે આવીને મયૂરસિંહ તલવાર લઈને બહાર આવી હંસાબેનના પરિવાર પર હુમલો કરવા દોડ્યો હતો. જો કે હંસાબેનના પતિએ સમયસૂચકતા વાપરી ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. એ પછી ઉશ્કેરાયેલા મયૂરસિંહે તેમના ઘરના દરવાજા પર તલવારના ઘા માર્યા હતા અને દરવાજો તોડવાનો પ્રયત્ન કર્યો હતો અને જાતિસૂચક ગાળો ભાંડીને મારી નાખવાની ધમકી આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/a-dalit-elder-was-fatally-attacked-and-died-on-suspicion-of-burning-ashes"><strong>ભૂંસું સળગાવી દેવાની આશંકાએ દલિત વડીલ પર જીવલેણ હુમલો થતા મોત</strong></a><br></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_667696f0e8c84.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગભરાયેલા હંસાબેને 100 નંબર ફોન કરીને પોલીસ બોલાવી હતી. એ પછી પોલીસે આવીને તેમનો દરવાજો ખોલાવ્યો હતો. હંસાબેને તેમના સૌ પર જીવનું જોખમ હોઈ પોલીસ વાનમાં બેસાડીને એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરવા લઈ જવા કહ્યું હતું. પણ પોલીસ ઈન્ચાર્જે તેમને પોલીસ વાનમાં બેસાડીને લઈ જવાનો ઈનકાર કરી દીધો હતો. એટલું જ નહીં આરોપી મયૂરસિંહ અને યશોદાબા ત્યાં હાજર હોવા છતાં પોલીસે તેમની ધરપકડ કરી નહોતી અને તેમને પોલીસ સ્ટેશને પણ લઈ ગયા નહોતા કે આરોપી મયૂરસિંહ પાસેથી તલવાર પણ જમા લીધી નહોતી.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીના પિતા હેડ કોન્સ્ટેબલ હોઈ ફરિયાદ ન લીધી</span></strong></span><br><span style="font-size: 14pt;">એ પછી હંસાબેન તેમના પતિ અને પાંચ વર્ષના ભત્રીજા સાથે બાઈક પર બેસીને એ ડિવિઝન પોલીસ રાજકોટ પહોંચ્યા હતા. ત્યાં પોલીસ અધિકારી હિરપરા સાહેબને જાણ કરીને ધોરણસરની ફરિયાદ દાખલ કરવા જણાવ્યું હતું. પણ આરોપી મયૂરસિંહ અને યશોદાબાના પિતા જયેન્દ્રસિંહ ઝાલા ત્યાં એ ડિવિઝન પોલીસ મથકમાં જ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોવાથી પોલીસ અધિકારી હિરપરા અને અન્ય સ્ટાફે હંસાબેન અને તેમના પતિને ફરિયાદ ન કરવા ભારે દબાણ કર્યું હતું. એટલું જ નહીં આરોપીની જેમ તેમને 11 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા અને રાત્રે મોડેથી તેમની ફરિયાદ લીધી હતી. પોલીસ અધિકારીઓએ હંસાબેને કાયદાકીય રીતે જે કલમો લાગે તે એફઆઈઆરમાંથી હટાવવા માટે પણ ભારે દબાણ કર્યું હતું. આ બધી બાબતો પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય તેમ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/brahmins-attack-in-buddha-katha-babasahebs-photo-torn-six-dalit-injured"><span style="font-size: 14pt;">બુદ્ધ કથામાં બ્રાહ્મણોનો હુમલોઃ બાબાસાહેબનો ફોટો ફાડ્યો, 6 દલિતો ઘાયલ</span></a><br></strong></span></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_667696f0857b9.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">પોલીસે જ પીડિત મહિલા પોલીસની મદદ ન કરી</span></strong><br><span style="font-size: 14pt;">આરોપી મયૂરસિંહના પિતા જ જે પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ હોય તે પોલીસ સ્ટેશનમાં તેઓ પોતાના છોકરા-છોકરી પણ ફરિયાદ ન થવા તે સ્વાભાવિક છે. આશ્ચર્યની વાત એ છે કે, પોલીસ સ્ટેશન જાણે બાપીકી જાગીર હોય તેમ એ ડિવિઝન પોલીસે જયેન્દ્રસિંહના આરોપી પુત્ર-પુત્રીને છાવર્યા હતા. સામાન્ય માણસ સામે કાયદાનો રોફ ઝાડતી પોલીસ જ્યારે તેમના સાથી કર્મચારીનો મામલો આવે ત્યારે કાયદો અને ફરજ બધું નેવે મૂકી દે છે તે ફરી એકવાર આ કેસ થકી સાબિત થાય છે. એનો એક અર્થ એવો પણ થાય કે તમે દલિત, આદિવાસી, ઓબીસી કે લઘુમતી સમાજની વ્યક્તિ છો અને કોઈ માથાભારે કોમનો શખ્સ તમને જાનથી મારી નાખવાથી ધમકી આપે છે તો પણ જો તેની પહોંચ પોલીસ સ્ટેશન સુધી હશે તો પોલીસ તેની તરફેણમાં કામ કરશે, તમને ન્યાય અપાવવા નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <span style="font-size: 14pt;"> <a href="https://khabarantar.com/Fear-of-discrimination-in-IIT-Campus-Placement,-companies-are-seeking-caste-information-of-SCSTOBC-students">IIT Campus Placement માં ભેદભાવનો ભય, કંપનીઓ માંગી રહી છે SC/ST/OBC વિદ્યાર્થીઓની જાતિની માહિતી</a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_667696eff05b3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને આજકાલ કરતા 6 દિવસ થઈ ગયા હોવા છતાં આરોપી મયૂરસિંહ અને યશોદાબાની ધરપકડ કે અટક કરવામાં આવી નથી. આથી એ ડિવિઝન પોલીસ મથકના પીસીઆર વાનના કર્મચારીઓએ હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ ઝાલાના કારણે દાખવેલી બેદરકારીને કારણે હવે હિંસાબેને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, માનવ અધિકાર પંચ, એસસી એસટી સેલ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, ડીજીપી, રાજકોટ પોલીસ કમિશનર અને એ ડિવિઝન પોલીસ મથકને લેખિતમાં અરજી કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/we-did-not-go-to-cast-holi-and-on-the-day-of-holi-itself-the-upper-caste-attacked-vas-dalpat-chauhan"><span style="font-size: 14pt;">અમે હોળીના છાણાં નાખવા ન ગયા, ને હોળીના જ દિવસે સવર્ણોએ વાસ પર સામૂહિક હુમલો કર્યો - દલપત ચૌહાણ</span></a><br></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 22 Jun 2024 17:25:08 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 22 Jun 2024 17:24:31 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>806</Articleid>
                    <excerpt>રાજકોટમાં દલિત મહિલા કોન્સ્ટેબલ અને તેના પરિવાર પર માથાભારે દરબાર શખ્સે તલવારથી હુમલો કર્યો, છતાં પોલીસે કાર્યવાહી ન કરતા મામલો ગૃહમંત્રીએ પહોંચ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667696ef8cc8f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667696ef5ed40.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667696ef5ed40.jpg" length="67198" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજ્યના ૧૩ હજારથી વધુ જ્ઞાન સહાયકો સીએલ પર ઉતર્યા</title>
                    <link>https://khabarantar.com/more-than-13-thousand-knowledge-assistants-of-the-state-landed-on-cl</link>
                    <guid>https://khabarantar.com/more-than-13-thousand-knowledge-assistants-of-the-state-landed-on-cl</guid>
                    <description>
                        <![CDATA[ રાજ્ય સરકારે ત્રણ મહિનામાં 7500 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે ત્યારે જ્ઞાન સહાયકોની માંગ છે કે 78 હજાર ઉમેદવારો સામે આ 10 ટકા પણ નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં કોન્ટ્રાક્ટ આધારિત ભરતીઓને કારણે આખું તંત્ર ખાડે ગયું છે. ગરીબ પરિવારના દીકરા-દીકરીઓનું સરકારી નોકરી મેળવીને પગભર થવાનું સપનું રોળાઈ રહ્યું છે. સરકારે આખું શિક્ષણ તંત્ર ખાનગી લોકોના હવાલે કરી દીધું છે ત્યારે હવે રાજ્યમાં કાયમી શિક્ષક ભરતીની માગ સાથે રાજ્યના ૧૩ હજાર અને અમદાવાદના ૬૦૦થી વધુ જ્ઞાન સહાયકો માસ સીએલ પર ઉતર્યા છે. તાજેતરમાં TET-TAT પાસ ઉમેદવારોના આંદોલન બાદ સરકારે રાજ્યમાં ૭૫૦૦ શિક્ષકોની ભરતી ત્રણ મહિનામાં કરવાની જાહેરાત કરી છે. ત્યારે જ્ઞાન સહાયકોની માગ છે કે આ ભરતી મહેકમના ૧૦ ટકા જેટલી પણ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓમાં સરકારે કાયમી ભરતી કરવાની જાહેરાત કરી છે. ત્યારે કાયમી શિક્ષક ભરતીની માગ સાથે આજે જ્ઞાન સહાયકો માસ સીએલ પર ઉતર્યા છે.</span><br><span style="font-size: 14pt;"> </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યના ૧૩ હજારથી વધુ જ્ઞાન સહાયકો મહેકમ પ્રમાણે ભરતી કરવાની માગ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. આ શિક્ષકોની માગ છે કે રાજ્યમાં ૭૮ હજાર TET-TAT પાસ ઉમેદવારો છે. જેની સામે સરકારે આગામી ત્રણ મહિનામાં લાયકાતના આધારે ૭૫૦૦ જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાની જાહેરાત કરી છે. જે મહેકમના પુરા ૧૦ ટકા પણ નથી. જ્ઞાન સહાયકોની માગ છે કે રાજ્યમાં ૭૮ હજાર TET-TAT પાસ ઉમેદવારો છે તો સરકારે ઓછામાં ઓછા ૩૫ હજાર કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ.</span><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Rejoice-Countrys-first-girls-school-started-by-mother-Savitribai-Phule-in-1848-will-turn-into-a-national-heritage"><span style="font-size: 14pt;">આનંદો! માતા સાવિત્રીબાઈ ફૂલેએ 1848માં શરૂ કરેલી દેશની પ્રથમ કન્યાશાળા રાષ્ટ્રીય ધરોહરમાં ફેરવાશે </span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">TET-TAT પાસ ઉમેદવારોની મુખ્ય માગ એવી હતી કે રાજ્યમાં જ્ઞાન સહાયકોની ભરતીની જગ્યાએ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. રાજ્યમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોની વયમર્યાદા પૂર્ણતાના આરે છે. રાજ્યમાં અત્યારે ૭૦ હજારથી વધુ શિક્ષકોની ઘટ છે અને ૧.૩૮ લાખ ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે છતા કાયમી ભરતી માટે આંદોલન કરવુ પડી રહ્યુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે પ્રવક્તા મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે TET-TAT પરીક્ષા નોકરી આપવા માટે નહીં પરંતુ લાયકાત માટેની પરીક્ષા છે. પ્રાથમિક શાળાના શિક્ષકોની કાયમી ભરતીના નિયમો બની રહ્યા છે. જે ફાઈનલ થયા પછી ભરતી પ્રક્રિયા જાહેર કરાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉમેદવારોનો સરકાર સામે સીધો આક્ષેપ છે કે સરકાર કાયમી શિક્ષકોની ભરતી ન કરીને ગ્રાન્ટેડ શાળાઓને બંધ કરવા ઈચ્છે છે. શિક્ષકો જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે તેમની સાથે આરોપીઓ જેવો વ્યવહાર કરવામાં આવે છે. તેમને ડિટેન કરવામાં આવે છે. જ્ઞાન સહાયકોની માગ છે કે જો તેમની કાયમી ભરતી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ જલદ આંદોલન કરવામાં આવશે. ઉમેદવારોનો આક્ષેપ છે કે જ્યારે જ્ઞાન સહાયક યોજના લાવવામાં આવી હતી ત્યારે જ કાયમી ભરતીની બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ આજ સુધી ભરતી ન કરાતા જ્ઞાન સહાયકોએ હવે સરકાર સામે માસ સીએલનું શસ્ત્ર ઉગામ્યુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <strong><a href="https://khabarantar.com/government-will-recruit-7500-tat-pass-candidates-in-next-three-months">સરકાર આગામી ત્રણ મહિનામાં 7500 ટાટ પાસ ઉમેદવારોની ભરતી કરશે</a></strong></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 21 Jun 2024 22:06:42 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 21 Jun 2024 22:06:23 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>802</Articleid>
                    <excerpt>રાજ્ય સરકારે ત્રણ મહિનામાં 7500 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે ત્યારે જ્ઞાન સહાયકોની માંગ છે કે 78 હજાર ઉમેદવારો સામે આ 10 ટકા પણ નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6675ab5a490d3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6675ab5a1911d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6675ab5a1911d.jpg" length="88737" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>યુજીસી(UGC)એ દેશની ૧૫૭  યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરી</title>
                    <link>https://khabarantar.com/ugc-has-declared-157-universities-of-the-country-as-defaulters</link>
                    <guid>https://khabarantar.com/ugc-has-declared-157-universities-of-the-country-as-defaulters</guid>
                    <description>
                        <![CDATA[ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ગુજરાતની 10 સહિત દેશની 157 યુનિવર્સિટીઓને ડિફોલ્ટ જાહેર કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">UGC અર્થાત યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને એક મોટું પગલું ભરતા ગુજરાતની 10 સહિત દેશની 157 યુનિવર્સિટીઓને ડિફોલ્ડ જાહેર કરી દીધી છે. UGC એ જે યાદી બહાર પાડી છે તેમાં ૧૦૮ સરકારી યુનિવર્સિટી, ૪૭ ખાનગી યુનિવર્સિટી અને બે ડીમ્ડ યુનિવર્સિટીઓ સામેલ છે. UGC અનુસાર, આ તમામ યુનિવર્સિટીઓએ લોકપાલની નિમણૂક કરી ન હોવાથી તેમને ડિફોલ્ટર યુનિવર્સિટીની યાદીમાં મૂકવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">UGC દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં ગુજરાતની ૧૦ યુનિવર્સિટીઓને ડિફોલ્ટર તરીકે જાહેર કરવામાં આવી છે. જેમાં સરકારી યુનિવર્સિટીઓ જેવી કે ગુજરાત આયર્વેદ યુનિવર્સિટી(જામનગર), સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(રાજકોટ),  મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા(વડોદરા) અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્‌સ યુનિવર્સિટી(ગાંધીનગર)નો સમાવેશ થાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જેવી કે, અનંત નેશનલ યુનિવર્સિટી(અમદાવાદ), ગાંધીનગર યુનિવર્સિટી(ગાંધીનગર), ઇન્ડસ યુનિવર્સિટી(અમદાવાદ), કર્ણાવતી યુનિવર્સિટી (ગાંધીનગર), સાર્વજનિક યુનિવર્સિટી (સુરત), કે. એન. યુનિવર્સિટી(અમદાવાદ)નો સમાવેશ થાય છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-children-have-been-studying-in-the-workers-house-for-8-years-as-the-work-of-anganwadi-is-delayed"><span style="font-size: 14pt;">આંગણવાડીનું કામ ટલ્લે ચડતાં બાળકો 8 વર્ષથી કાર્યકરના ઘરમાં ભણે છે</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલી આ યાદીમાં મધ્યપ્રદેશની સાત યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે. જેમાં માખનલાલ ચતુર્વેદી નેશનલ યુનિવર્સિટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશન (ભોપાલ), રાજીવ ગાંધી ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (ભોપાલ), જવાહરલાલ નેહરુ કૃષિ યુનિવર્સિટી (જબલપુર), મધ્ય પ્રદેશ મેડિકલ સાયન્સિસ યુનિવર્સિટી (જબલપુર), નાનાજી દેશમુખ વેટરનરી સાયન્સ યુનિવર્સિટી (જબલપુર), રાજા માનસિંહનો સમાવેશ થાય છે. તોમર સંગીત અને કલા યુનિવર્સિટી (ગ્વાલિયર) અને રાજમાતા વિજયરાજે સિંધિયા કૃષિ યુનિવર્સિટી (ગ્વાલિયર). આ સિવાય યુપીની કિંગ જ્યોર્જ યુનિવર્સિટી ઓફ ડેન્ટલ સાયન્સ (કેજીએમયુ)નું પણ નામ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તે જ સમયે આંધ્રપ્રદેશમાંથી ૪, બિહારમાંથી ૩, છત્તીસગઢમાંથી ૫, દિલ્હીથી ૧, હરિયાણામાંથી ૨, જમ્મુ-કાશ્મીરમાંથી ૧, ઝારખંડમાંથી ૪, કર્ણાટકમાંથી ૧૩, કેરળમાંથી ૧, કેરળમાંથી ૭ મહારાષ્ટ્ર, મણિપુરમાં ૨, મેઘાલયમાં ૧, ઓડિશામાં ૧૧, પંજાબમાં ૨, રાજસ્થાનમાં ૭, સિક્કિમમાં ૧, તેલંગાણામાં ૧, તમિલનાડુમાં ૩, ઉત્તર પ્રદેશમાં ૧૦, ઉત્તરાખંડમાં ૪ અને પશ્ચિમ બંગાળમાં ૧૪ સરકારી યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે. જ્યારે ખાનગી યુનિવર્સિટીઓની વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશમાં ૨, બિહારમાં ૨, ગોવામાં ૧, હરિયાણામાં ૧, હિમાચલ પ્રદેશમાં ૧, ઝારખંડમાં ૧, કર્ણાટકમાં ૩, મધ્યપ્રદેશમાં ૮, મહારાષ્ટ્રમાં ૨, રાજસ્થાનની ૭, સિક્કિમની ૨, તમિલનાડુની ૧, ત્રિપુરાની ૩, યુપીની ૪, ઉત્તરાખંડની ૨ અને દિલ્હીની ૨ યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/students-who-cancel-their-admission-within-one-month-will-get-hundred-percent-fee-refund"><strong>એક મહિનામાં પ્રવેશ રદ કરાવી લેનાર વિદ્યાર્થીઓને 100 ટકા ફી રિફંડ મળશે</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">.</span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 21 Jun 2024 21:24:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>801</Articleid>
                    <excerpt>યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ગુજરાતની 10 સહિત દેશની 157 યુનિવર્સિટીઓને ડિફોલ્ટ જાહેર કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6675a13f5e432.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6675a13f2d211.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6675a13f2d211.jpg" length="109751" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>આ વર્ષે 4300 કરોડપતિઓ ભારત છોડી અન્ય દેશોમાં સ્થાયી થશે</title>
                    <link>https://khabarantar.com/this-year-4300-millionaires-will-leave-india-and-settle-in-other-countries</link>
                    <guid>https://khabarantar.com/this-year-4300-millionaires-will-leave-india-and-settle-in-other-countries</guid>
                    <description>
                        <![CDATA[ ભારતમાં દર વર્ષે મોટી સંખ્યામાં કરોડપતિઓ પોતાનો બિઝનેસ સમેટીને અન્ય દેશોમાં સ્થાયી થઈ રહ્યાં છે. આ વર્ષે પણ 4300 કરોડપતિઓ ભારત છોડશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં અમીરો ગરીબો વચ્ચેની ખાઈ દિનપ્રતિદિન પહોળી થતી જઈ રહી છે. ગરીબો વધુ ગરીબ બની રહ્યાં છે અને માલેતુજારો વધુને વધુ પૈસા કમાઈને મોજ કરી રહ્યાં છે. ભારતમાં માલેતુજારો માટે અનેક અનુકૂળતા વચ્ચે પણ છેલ્લાં કેટલાક વર્ષોથી કરોડપતિઓ પોતાનો બિઝનેસ સમેટીને વિદેશમાં સ્થાયી થઈ રહ્યાં છે. આ વર્ષે પણ આ રીતે 4300 જેટલા કરોડપતિઓ ભારત છોડીને વિદેશમાં સ્થાયી થશે તેવું એક રિપોર્ટમાં સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પરિસ્થિતિ જો કે ચીન, બ્રિટન જેવા દેશોમાં પણ જોવા મળી રહી છે. જ્યાં કરોડપતિઓ અન્ય દેશોમાં વસવાટ કરવા જઈ રહ્યાં છે. ભારતની સરખામણીએ અહીંથી ઘણાં વધુ હાઈ નેટ વર્થ ઈન્ડિવિજ્યુઅલ્સ(HNI)  અન્ય દેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. હેનલે એન્ડ પાર્ટનર્સે ૧૦ દેશોની યાદી બહાર પાડી છે જ્યાંથી સૌથી વધુ આ પ્રકારના એચએનઆઈ આ વર્ષમાં અન્ય દેશોમાં સ્થાયી થઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હેનલે એન્ડ પાર્ટનર્સનો પ્રાઈવેટ વેલ્થ માઈગ્રેશન ૨૦૨૪ રિપોર્ટ જણાવે છે કે આ વર્ષે 4300 કરોડપતિઓ ભારત છોડીને અન્ય દેશોમાં સ્થાયી થઈ શકે છે. ટોપ-૧૦ દેશોની યાદીમાં ભારત ત્રીજા સ્થાને છે. જો કે, આ વર્ષના આંકડા છેલ્લા બે વર્ષમાં ભારતમાંથી સ્થળાંતર કરીને ગયેલા કરોડપતિઓની સંખ્યા કરતા ઘણાં ઓછા છે. વર્ષ ૨૦૨૨માં ભારત છોડીને જનારા કરોડપતિઓની સંખ્યા લગભગ ૭,૦૦૦ હતી, જે ૨૦૨૩માં ઘટીને ૫૧૦૦ થઈ હતી અને આ વર્ષે તેમાં વધુ ઘટાડો થઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/40-percent-decline-in-us-h1-b-visa-applications"><span style="font-size: 14pt;">અમેરિકાના H1-B વિઝાની અરજીઓમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટોપ-૧૦ દેશોની આ યાદી પર નજર કરીએ તો, મોટા ભાગના એચએનઆઈ વર્ષ ૨૦૨૪માં ચીનથી અન્ય દેશોમાં જઈ શકે છે. હેનલે એન્ડ પાર્ટનર્સ અનુસાર, આ આંકડો ૧૫,૨૦૦ હોઈ શકે છે અને તે વર્ષે વધી રહ્યો છે. એ રીતે ચીનમાં ભારતની તુલનામાં લગભગ ત્રણ ગણા કરોડપતિઓ દેશને બાય-બાય કહેવા માટે તૈયાર છે. આ મામલામાં બીજા નંબર પર બ્રિટનનું નામ સામેલ છે. અહેવાલો અનુસાર, અહીં ચાલુ વર્ષે ૯,૫૦૦ કરોડપતિઓ દેશ છોડીને અન્ય દેશોમાં સ્થાયી થવાની યોજના બનાવી રહ્યા છે. દક્ષિણ કોરિયામાં આ અંદાજિત આંકડો ૧૨૦૦ છે, જ્યારે રશિયામાં તે ૧૦૦૦ છે. અન્ય દેશોની વાત કરીએ તો છઠ્ઠા નંબર પર બ્રાઝિલ છે જ્યાંથી ૮૦૦ કરોડપતિ દેશ છોડવાની તૈયારી કરી રહ્યાં છે. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાના ૬૦૦, તાઈવાનના ૪૦૦, જ્યારે નાઈજીરિયા અને વિયેતનામના ૩૦૦-૩૦૦ કરોડપતિઓ અન્ય દેશોમાં સ્થાયી થવાની યોજના બનાવી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ કરોડપતિઓ ક્યાં સ્થાયી થશે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હેનલે એન્ડ પાર્ટનર્સ અનુસાર, યુએઈ કરોડપતિઓ માટે સૌથી પસંદગીનું સ્થળ બની ગયું છે. એવો અંદાજ છે કે આ વર્ષે ૬,૭૦૦ એચએનઆર અહીં સ્થાયી થઈ શકે છે. જ્યારે ૩૮૦૦ કરોડપતિઓ અમેરિકાને પોતાનું ઘર બનાવી શકે છે. આવા દેશોની યાદીમાં સિંગાપુર (૩૫૦૦), કેનેડા (૩૨૦૦), ઓસ્ટ્રેલિયા (૨૫૦૦), ઇટાલી (૨૨૦૦), સ્વિટ્‌ઝર્લેન્ડ (૧૫૦૦), ગ્રીસ (૧૨૦૦), ૮૦૦ કરોડપતિઓ સાથે પોર્ટુગલ અને ૪૦૦ કરોડપતિઓ સાથે જાપાન સામેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શા માટે કરોડપતિઓ ભારત છોડી રહ્યાં છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાન્ય માણસ સવાલ થઈ રહ્યો છે કે, શા માટે કરોડપતિઓ ભારત છોડીને અન્ય દેશોમાં જઈ રહ્યાં છે. વાસ્તવમાં, ભારતમાં ટેક્સ સંબંધિત નિયમોમાં જટિલતાઓને કારણે દર વર્ષે હજારો અમીરો દેશ છોડીને જતા રહે છે. ઓસ્ટ્રેલિયા, યુએઈ અને સિંગાપોર વિશ્વભરના અમીરો દ્વારા સૌથી વધુ પસંદ કરવામાં આવતા દેશો છે. કારણ કે અમીરો એવા દેશોમાં જવાનું પસંદ કરે છે જ્યાં ટેક્સ સંબંધિત નિયમો લચીલા હોય છે. આ સિવાય લોકો બહેતર જીવનશૈલી, શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોને પ્રાધાન્ય આપીને અન્ય દેશોમાં જઈને સ્થાયી થાય છે. આ ત્રણ દેશોમાં આ તમામ સુવિધાઓ સરસ રીતે આપવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/why-do-indian-laborers-go-to-kuwait-despite-hellish-conditions"><strong>નર્કાગાર જેવી સ્થિતિ છતાં શા માટે ભારતીય મજૂરો કુવૈત જાય છે?</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">.</span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 21 Jun 2024 18:39:50 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 21 Jun 2024 18:42:26 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>800</Articleid>
                    <excerpt>ભારતમાં દર વર્ષે મોટી સંખ્યામાં કરોડપતિઓ પોતાનો બિઝનેસ સમેટીને અન્ય દેશોમાં સ્થાયી થઈ રહ્યાં છે. આ વર્ષે પણ 4300 કરોડપતિઓ ભારત છોડશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_66757afc11102.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_66757afbd46bf.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_66757afbd46bf.jpg" length="66227" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>IIT બોમ્બેમાં રામસીતાના અપમાન બદલ વિદ્યાર્થીઓને લાખોનો દંડ ફટકારાયો</title>
                    <link>https://khabarantar.com/students-at-iit-bombay-fined-lakhs-for-insulting-ramsita</link>
                    <guid>https://khabarantar.com/students-at-iit-bombay-fined-lakhs-for-insulting-ramsita</guid>
                    <description>
                        <![CDATA[ આઈઆઈટી જેવી પ્રખ્યાત સંસ્થાઓમાં પણ હવે રામનું રાજકારણ ઘૂસી ગયું છે.બોમ્બેમાં એક નાટકમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને કથિત રીતે રામ-સીતાના અપમાન બદલ લાખોનો દંડ થયો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામના નામે પથરા તરે એવી કહેવતને રાજકારણીઓએ ગંભીરતાથી લઈ લીધી હોય તેમ રામના નામે કોઈને પણ દંડવાનું પણ ચાલું થઈ ગયું છે. જાતિવાદી તત્વોએ 'જયશ્રી રામ'ના નામે દલિતો, મુસ્લિમો પર હુમલાઓ કર્યાના અનેક દાખલાઓ છે. ત્યારે હવે રામના નામે આઈઆઈટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં પણ વિદ્યાર્થીઓને દંડ કરવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (આઇઆઇટી) બોમ્બેએ ગત ૩૧ માર્ચે ઇન્સ્ટિટ્યૂટના પર્ફોર્મિંગ આર્ટ ફેસ્ટિવલ દરમિયાન ‘રાહોવન’ નામનું નાટક ભજવવા બદલ સંસ્થાના ૮ વિદ્યાર્થીઓને લાખોનો દંડ ફટકાર્યો છે. નાટક રામાયણનું અનુકરણ હોવાનું માનવામાં આવે છે. વિદ્યાર્થીઓના એક વર્ગે આ નાટક સામે ઔપચારિક રીતે ફરિયાદ કરીને એવો આક્ષેપ કર્યો હતો કે તે હિંદુ મહાકાવ્ય રામાયણ પર આધારિત છે અને તેમાં હિંદુ માન્યતાઓ અને દેવી-દેવતાઓના અપમાનજનક સંદર્ભો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ્સ મુજબ, કેટલાક વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, નાટકમાં રામ-સીતા સહિત મુખ્ય પાત્રોની મજાક ઉડાવવામાં આવી હતી અને “નારીવાદને પ્રોત્સાહન”ની આડમાં સાંસ્કૃતિક મૂલ્યોની પણ હાંસી ઉડાવવામાં આવી હતી. ફરિયાદોને કારણે ૮ મેના રોજ, આઈઆઈટી બોમ્બેની શિસ્ત સમિતિની બેઠક મળી હતી. જેમાં લેવાયેલા નિર્ણય મુજબ ગત ૪ જૂને નાટકમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ પર દંડની જાહેરાત કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઈઆઈટી બોમ્બેએ ચારેય વિદ્યાર્થીઓને રૂપિયા 1.2 લાખનો દંડ ફટકાર્યો છે. વિદ્યાર્થીઓને ફટકારવામાં આવેલ દંડની રકમ લગભગ એક સેમેસ્ટરની ટ્યુશન ફીની સમકક્ષ રકમ છે. આ ચાર વિદ્યાર્થીઓ સિવાય અન્ય ચાર વિદ્યાર્થીઓને રૂપિયા ૪૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીઓ પૈકી સિનિયર વિદ્યાર્થીઓને આપવામાં આવતા સંસ્થાના જીમખાના પુરસ્કારો પર પ્રતિબંધ સહિત વધારાના નિયંત્રણો પણ લાદવામાં આવ્યા છે અને જુનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલની સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/4-students-who-wrote-jai-shree-ram-in-answer-book-passed-with-56-Percentage-marks"><strong>ઉત્તરવહીમાં ‘જયશ્રી રામ’ લખનારા 4 વિદ્યાર્થીઓ 56 ટકા માર્ક્સ સાથે પાસ</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6675113854b34.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આગામી ૨૦ જુલાઈ, ૨૦૨૪ના રોજ ડીન ઑફ સ્ટુડન્ટ અફેર્સની ઑફિસમાં વિદ્યાર્થીઓને ફટકારવામાં આવેલા દંડનું મૂલ્યાકન કરવામાં આવશે કરવામાં આવશે. સંસ્થાએ એવી ચેતવણી પણ ઉચ્ચારી છે કે આ દંડનું કોઈપણ ઉલ્લંઘન વધુ પ્રતિબંધોમાં પરિણમશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહેવાલ અનુસાર, સોશિયલ મીડિયા પર આ વિવાદે ત્યારે વેગ પકડ્યો જ્યારે ‘આઈઆઈટી બી ફોર ઈન્ડિયા’ જૂથે 8 એપ્રિલે નાટકની નિંદા કરી હતી અને તેને ભગવાન રામ અને રામાયણનો ઉપહાસ ગણાવ્યું હતું. આ ગ્રુપે નાટકના પ્રદર્શનમાંથી કેટલીક વીડિયો ક્લિપ્સ પોસ્ટ કરવા સાથે આક્ષેપ કર્યો હતો કે, નાટક ભજવનારા વિદ્યાર્થીઓએ રામાયણના પાત્રોનો ઉપહાસ કરવા માટે એજ્યુકેશન ફ્રિડમનો દુરૂપયોગ કર્યો છે. ઈન્ટરનેટ પર વાયરલ થયેલો આ વીડિયો કથિત રીતે વિદ્યાર્થીઓને રામાયણના પાત્રો અને પ્લોટ સેટિંગ્સથી પ્રેરિત નાટક રજૂ કરતા બતાવે છે. એક વીડિયોમાં એક વિદ્યાર્થી કથિત રીતે સીતાની ભૂમિકા ભજવી રહ્યો છે, તેમાં “અપહરણકર્તાઓ” અને તેમને જ્યાં લઈ જવામાં આવ્યા હતા તેની પ્રશંસા કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહેવાલ અનુસાર, ‘આઈઆઈટી બી ફોર ઈન્ડિયા’ જૂથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર જણાવ્યું હતું કે. “અમે આઇઆઇટી બોમ્બે પ્રશાસન દ્વારા રામાયણને અપમાનજનક રીતે દર્શાવતા નાટક ‘રાહોવન’માં સામેલ લોકો સામે લેવામાં આવેલી શિસ્તભંગની કાર્યવાહીનું સ્વાગત કરીએ છીએ. કેમ્પસમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં કોઈ ધર્મની મજાક ઉડાડવી ના જોઈએ.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/attacking-the-sweeper-saying-you-are-bhangi-paran-chanted-jai-shri-ram"><strong>'તું ભંગી છે' કહીને સફાઈકર્મી પર હુમલો, પરાણે 'જય શ્રી રામ' બોલાવ્યું</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 21 Jun 2024 11:10:56 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 21 Jun 2024 11:12:27 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>798</Articleid>
                    <excerpt>આઈઆઈટી જેવી પ્રખ્યાત સંસ્થાઓમાં પણ હવે રામનું રાજકારણ ઘૂસી ગયું છે.બોમ્બેમાં એક નાટકમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને કથિત રીતે રામ-સીતાના અપમાન બદલ લાખોનો દંડ થયો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6675111b41d0c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6675111b1363f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6675111b1363f.jpg" length="78267" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બાળકોમાં પોષણ મામલે ભારત દુનિયાનો 8મો સૌથી ખરાબ દેશ</title>
                    <link>https://khabarantar.com/india-is-the-8th-worst-country-in-the-world-in-terms-of-child-nutrition</link>
                    <guid>https://khabarantar.com/india-is-the-8th-worst-country-in-the-world-in-terms-of-child-nutrition</guid>
                    <description>
                        <![CDATA[ યુનિસેફના ચિલ્ડ્રન ફૂડ પોવર્ટી રિપોર્ટ મુજબ ભારતમાં બાળકોની ખાદ્ય સુરક્ષાને મામલે ભારત વિશ્વનો આઠમો સૌથી ખરાબ દેશ છે. વાંચો વિસ્તૃત રિપોર્ટ.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુનિસેફે હાલમાં જ બાળ ગરીબીને લઈને પોતાનો એક રિપોર્ટ જારી કર્યો છે. આ રિપોર્ટમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. ચોંકાવનારી બાબત એ છે કે વિશ્વમાં દર ચોથું બાળક ભોજન માટે વલખાં મારી રહ્યું છે. આ રિપોર્ટ મુજબ ખાદ્ય સુરક્ષાની દ્રષ્ટિએ ભારત વિશ્વનો ૮મો સૌથી ખરાબ દેશ છે. અફઘાનિસ્તાન પછી ભારત દક્ષિણ એશિયામાં સૌથી ખરાબ સ્થિતિમાં છે. આ મામલે પાકિસ્તાનની સ્થિતિ ભારત કરતા સારી છે. રિપોર્ટ દર્શાવે છે કે વિશ્વમાં દર ચોથું બાળક ભૂખમરીનો શિકાર છે અને સારો આહાર મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ૧૮૧ મિલિયન બાળકોમાંથી, ૬૫ ટકા ગંભીર ભૂખમરોમાં જીવવા માટે મજબૂર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુનિસેફનો ડેટા જણાવે છે કે વૈશ્વિક સ્તરે દર ૪ માંથી ૧ બાળક ગંભીરની શ્રેણીમાં આવે છે અને ખૂબ જ નબળા આહાર સાથે જીવે છે. યુનિસેફે તેના ‘બાળ પોષણ રિપોર્ટ ૨૦૨૪’માં ૯૨ દેશો પર સંશોધન કર્યું હતું. બાળ ખાદ્ય ગરીબી અંગેના યુનિસેફના અહેવાલમાં ૫ વર્ષ સુધીના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ તપાસવામાં આવે છે કે બાળકોને પોષણયુક્ત અને વૈવિધ્યસભર આહાર મળી રહ્યો છે કે નહીં? સાથે જ નબળો ખોરાક, નબળું વાતાવરણ અને ઘરની આવક જે બાળકો અને તેમના પરિવારોને અસર કરે છે તેનો પણ સમાવેશ થાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે પણ એવા ઘણાં દેશો છે જે રોગચાળાની અસરમાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યા નથી. તેના ઉપર વધતા સંઘર્ષ, આબોહવા પરિવર્તન અને પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે પરિસ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. ઘણા દેશોમાં બાળકોને પૂરતો ખોરાક પણ મળતો નથી. જેના કારણે આ બાળકો જ નહીં પરંતુ તેમના પરિવારો પણ ગરીબીના વમળમાં ફસાઈ જાય છે. નિષ્ણાતોના મતે, ભૂખમરાના કુલ કેસોમાંથી લગભગ અડધા એવા પરિવારોમાં નોંધાયેલા છે જેઓ પહેલેથી જ ગરીબી સાથે સંઘર્ષ કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: #e03e2d;"><span style="font-size: 16px;"><b>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/dalits-share-only-2.6-percent-of-the-countrys-wealth-89-percent-of-the-general"><span style="font-size: 14pt;">દેશની સંપત્તિમાં દલિતોનો હિસ્સો ફક્ત 2.6 ટકા, જનરલનો 89 ટકા</span></a><br></b></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહેવાલ મુજબ ખોરાકની ગંભીર અછતમાં જીવતા બાળકોની ટકાવારી બેલારુસમાં ૧% અને સોમાલિયામાં ૬૩% છે. સોમાલિયા પછી ગિની (૫૪%), ગિની-બિસાઉ (૫૩%), અફઘાનિસ્તાન (૪૯%), સિએરા લિયોન (૪૭%), ઇથોપિયા (૪૬%) અને લાઇબેરિયા (૪૩%)માં સ્થિતિ સૌથી ખરાબ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં બાળ ગરીબીનો આંકડો ૪૦% છે જે ખૂબ જ ગંભીર શ્રેણીમાં આવે છે. પાકિસ્તાનની સ્થિતિ ભારત કરતાં સારી છે, અહીંના ૩૮ ટકા બાળકો ભૂખમરાનો શિકાર છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારત એવા ૨૦ દેશોમાંનો એક છે જ્યાં બાળકોને જરૂરી પોષણયુક્ત ખોરાક મળતો નથી. આ શ્રેણીમાં ભારતની સાથે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પણ સામેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટ અનુસાર, વિશ્વમાં ૫ વર્ષથી ઓછી ઉંમરના ૩માંથી ૨ બાળકો (૬૬%) ભૂખમરાનો શિકાર છે. આ અંદાજિત ૪૪૦ મિલિયન બાળકોની સમકક્ષ છે જેમને પોષણયુક્ત અને પર્યાપ્ત આહાર નથી મળતો. ભારત અંગેનો અહેવાલ પણ ચોંકાવનારો છે કારણ કે ગંભીર બાળ ખાદ્ય ગરીબીની શ્રેણીમાં ૪૦ ટકા ઉપરાંત ભારતમાં ૩૬ ટકા બાળકો મધ્યમ ચાઇલ્ડ ફૂડ ગરીબીની પકડમાં છે. આ મુજબ, બંનેના આંકડા મળીને ૭૬ ટકા સુધી પહોંચે છે, જે દર્શાવે છે કે અફઘાનિસ્તાન પછી ભારત દક્ષિણ એશિયામાં બીજા નંબરનો સૌથી ખરાબ દેશ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુનિસેફ દ્વારા કહેવામાં આવ્યું છે કે નાના બાળકોને દરરોજ ૮માંથી ઓછામાં ઓછો ૫ પ્રકારનો ખોરાક આપવો જોઈએ. જો તેઓને આના કરતાં ઓછો ખોરાક મળે છે, તો તેઓ ગંભીર ફૂડ પોવર્ટીમાં આવી જાય છે. આ ખોરાકમાં માતાનું દૂધ, અનાજ, કંદમૂળ (ગાજર, બીટ, બટાકા, લસણ), કેળા, કઠોળ, ડેરી ઉત્પાદનો, માંસ (મરઘાં અને માછલી), ઇંડા, વિટામિન સીથી ભરપૂર ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><em><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span></em> <strong><a href="https://khabarantar.com/the-higher-the-education-the-lower-the-job-opportunities-reports-ilo">શિક્ષણ જેટલું વધુ, નોકરીની તકો એટલી ઓછીઃ ILOનો રિપોર્ટ</a></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 20 Jun 2024 19:01:33 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>796</Articleid>
                    <excerpt>યુનિસેફના ચિલ્ડ્રન ફૂડ પોવર્ટી રિપોર્ટ મુજબ ભારતમાં બાળકોની ખાદ્ય સુરક્ષાને મામલે ભારત વિશ્વનો આઠમો સૌથી ખરાબ દેશ છે. વાંચો વિસ્તૃત રિપોર્ટ. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_66742f08d5555.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_66742f08a1bfa.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_66742f08a1bfa.jpg" length="97759" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સંસદ ભવનમાં ડૉ. આંબેડકરની પ્રતિમા પુનઃસ્થાપિત કરવા પત્ર ઝુંબેશ શરૂ</title>
                    <link>https://khabarantar.com/parliament-house-dr-letter-campaign-launched-to-restore-ambedkars-statue</link>
                    <guid>https://khabarantar.com/parliament-house-dr-letter-campaign-launched-to-restore-ambedkars-statue</guid>
                    <description>
                        <![CDATA[ ભારત સરકારે સંસદ ભવનમાં છેક 1967થી સ્થાપિત ડો. આંબેડકરની પ્રતિમાને હટાવી લીધી છે. હવે તે પ્રતિમાને પુનઃસ્થાપિક કરાવવા શિડ્યુલ કાસ્ટ ફેડરેશન ગુજરાત મેદાનમાં ઉતર્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડાપ્રધાન મોદી એકબાજુ ભારતના બંધારણ સામે નતમસ્તક થાય છે, કોંગ્રેસના રાહુલ ગાંધી હાથમાં બંધારણ રાખીને લોકશાહીની દુહાઈઓ આપે છે, બીજી તરફ આ જ લોકો બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના થતા અપમાનો અંગે મીંઢું મૌન સેવી લે છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પંજાબમાં દલિતોના મતો મેળવવા સરકારી કચેરીઓમાં બાબાસાહેબ આંબેડકરની તસવીર લગાવડાવે છે પણ બાબાસાહેબના અપમાન કે દલિત અત્યાચાર પર મોં પણ ખોલતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કંઈક આવું જ હાલમાં સંસદ ભવન પરિસરમાં લાગેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને મામલે થયું છે. ભારત સરકારે લોકસભાની ચૂંટણીની મતગણતરીની આગલી રાત્રે સંસદભવનના પ્રાંગણમાં 1967થી સ્થાપિત ભારત રત્ન ડૉ. આંબેડકરની પ્રતિમા હટાવી લીધી છે. આ સમાચારો મીડિયામાં ચમક્યા પછી દલિતો, આદિવાસીઓ અને બાબાસાહેબને માનતા લોકો સિવાય એકેય રાજકીય પક્ષોએ ખોંખારીને કશો અવાજ ઉઠાવ્યો નથી. ભાજપ, કોંગ્રેસ કે આપ એકેયના નેતાએ આ મામલે કોઈ આંદોલન ચલાવ્યું નથી. ત્યારે હવે ખુદ બાબાસાહેબે સ્થાપેલ શિડ્યુલ કાસ્ટ ફેડરેશનની ગુજરાત પાંખે આ મામલે અવાજ ઉઠાવ્યો છે અને રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, વડાપ્રધાન તથા સંબંધિત પ્રધાનોને પત્ર લખીને બંધારણના ઘડવૈયા બાબાસાહેબની પ્રતિમા ફરી એ જ જગ્યાએ સ્થાપિત કરવા માટેની ઝુંબેશ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><em><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span></em><a href="https://khabarantar.com/a-seven-feet-tall-statue-of-dr-ambedkar-was-installed-by-the-unskilled-laborers-in-Ahmedabad"><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">અમદાવાદમાં છુટક મજૂરી કરતા લોકોએ ડૉ. આંબેડકરની 7 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરી</span></span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6673e4b111240.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિડ્યુલ કાસ્ટ ફેડરેશન ગુજરાતના કન્વીનર દીક્ષાદૂત બાલકૃષ્ણ આનંદ ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવે છે કે, "બાબાસાહેબની આ પ્રતિમાના પુનઃ સ્થાપન માટે અમે રાજ્યપાલ અને વડાપ્રધાન તથા સંબંધિત પ્રધાનોને પત્ર લખ્યો છે. આ સાથે જ અમે ગુજરાતભરના ભીમયોદ્ધાઓને વિનંતી કરી છે કે તેઓ પણ અમે જે પ્રમાણે પત્ર લખ્યો છે તે મુજબ અથવા તેમને યોગ્ય લાગે તે રીતનો પત્ર પોતાના લેટરહેડ કે વ્યક્તિગત સ્તરે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મોકલે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><em><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span></em><a href="https://khabarantar.com/dr-ambedkars-11-visits-to-gujarat-and-lectures-delivered-in-gujarati"><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">ડૉ. આંબેડકરની ગુજરાતની 11 મુલાકાતો અને ગુજરાતીમાં આપેલું પ્રવચન</span></span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6673e4c7eaa21.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાલકૃષ્ણ આનંદ વધુમાં જણાવે છે કે, "ગુજરાત રાજયમાંથી આ રીતે અમે 10,000 જેટલાં પત્રો વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને પહોંચે તે માટે ઝુંબેશ શરૂ કરી છે. જો તમે ખબરઅંતર.કોમ પર આ સમાચાર વાંચી રહ્યાં છો તો આ સમાચારની લિંકને તમારા વિવિધ સામાજિક વોટ્સએપ ગ્રુપ કે મિત્રવર્તુળમાં ફોરવર્ડ કરો અને તેમને પણ આ ઝુંબેશમાં જોડાઈને વડાપ્રધાન, રાષ્ટ્રપતિને પત્ર લખવા માટે પ્રોત્સાહિત કરો. તમે હાથથી લખીને કવરમાં કે પોસ્ટકાર્ડ લખીને પણ પત્ર મોકલી શકશો. આ પોસ્ટ દરેક વ્યક્તિ ફોરવર્ડ કરે અને બેજ દિવસમાં આખાય ગુજરાતમાં ઘેર ઘેર પહોંચાડવા વિનંતી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિડ્યુલ કાસ્ટ ફેડરેશને આ મામલે ગુજરાતની અનામત સીટ પર ચૂંટાઈને આવેલા બે સંસદ સભ્યો, ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા અનુ. જાતિના 13 ધારાસભ્યો, રાજ્યની તમામ મ્યુ.કોર્પોરેશનો, નગર પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા અનુ. જાતિના તમામ સભ્યશ્રીઓને પણ આ બાબતે પત્ર લખવા વિનંતી કરી છે. સાથે જ ગુજરાતની તમામ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, તમામ ગુજરાતી દલિત સાહિત્યકારો, પત્રકારો અને વિવિધ રાજકીય પક્ષોના દલિત કાર્યકરો તથા રાજ્યની તમામ બૌદ્ધ સંસ્થાઓના હોદ્દેદારો અને ગુજરાત રાજ્યના તમામ જાગૃત કર્મશીલોને પણ આ ઝુંબેશમાં જોડાઈને ટેકો કરવા વિનંતી કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે વધુ કોઈપણ પ્રકારની જાણકારી માટે <span style="color: rgb(224, 62, 45);"><strong>શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશન ગુજરાતના</strong></span> સંયોજક દીક્ષાદૂત બાલકૃષ્ણ આનંદનો તેમના મોબાઈલ નંબર 9824507569 પર સંપર્ક કરી શકો છો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><em><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span></em> </strong></span><a href="https://khabarantar.com/80-years-ago-Dr.-What-did-Ambedkar-say-about-Indian-media-and-what-is-its-condition-today"><strong>80 વર્ષ અગાઉ ડૉ. આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું અને આજે શું હાલત છે?</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 20 Jun 2024 13:50:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>794</Articleid>
                    <excerpt>ભારત સરકારે સંસદ ભવનમાં છેક 1967થી સ્થાપિત ડો. આંબેડકરની પ્રતિમાને હટાવી લીધી છે. હવે તે પ્રતિમાને પુનઃસ્થાપિક કરાવવા શિડ્યુલ કાસ્ટ ફેડરેશન ગુજરાત મેદાનમાં ઉતર્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6673e490da71d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6673e490aa17d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6673e490aa17d.jpg" length="36005" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતના પાઠ્યપુસ્તકમાં બુદ્ધ અને બુદ્ધિઝમ પર ભયંકર જુઠ્ઠાણાં છપાયા</title>
                    <link>https://khabarantar.com/terrible-lies-about-buddha-and-buddhism-were-printed-in-gujarat-textbooks</link>
                    <guid>https://khabarantar.com/terrible-lies-about-buddha-and-buddhism-were-printed-in-gujarat-textbooks</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળના એક પુસ્તકમાં બુદ્ધ અને બુદ્ધિઝમ વિશે મનઘડંત માહિતી છપાઈ છે, જેને દૂર કરવા હવે ગુજરાતના બુદ્ધિસ્ટોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં એક બાજુ સમયાંતરે કોઈને કોઈ ખોદાણ કે સાઈટ પર બુદ્ધ ધર્મના અવશેષો મળી આવે છે, ગુજરાત એક સમયે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર રહ્યું છે તે વાત હવે કોઈથી છુપી નથી. જૂનાગઢથી લઈને છેક ઉત્તર ગુજરાતના આખા પટ્ટામાં અને મધ્ય ગુજરાતમાં ચાંપાનેર અને પાવાગઢ આસપાસનો વિસ્તાર પણ બૌદ્ધ ધર્મના રંગે રંગાયેલો હતો એ વાત હવે જગજાહેર છે. બીજી તરફ સરકારમાં બેઠેલા લોકો આ તથ્ય સ્વીકારવાને બદલે બુદ્ધ અને બુદ્ધિઝમને યેનકેન પ્રકારે બદનામ કરવાની એક તક છોડતા નથી. આવો વધુ એક દાખલો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના એક પુસ્તકમાં સામે આવ્યો છે. જેમાં તથાગત ગૌતમ બુદ્ધ વિશે મનઘડંત માહિતી છાપી દેવામાં આવી છે. જેને લઈને હવે ગુજરાતના બુદ્ધિસ્ટો મેદાનમાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા તૈયાર કરાયેલ ધોરણ 12ના સમાજશાસ્ત્ર વિષયના પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશે અનેક ખોટી માહિતીઓ છાપવામાં આવી છે. આ પુસ્તકમાં તથાગત ગૌતમ બુદ્ધ અને બુદ્ધિઝમ વિશે અનેક મનઘડંત અને તથ્યવિહોણી માહિતી છાપી દેવાતા સમગ્ર બૌદ્ધ સમાજની લાગણી દુભાઈ છે. જેને લઈને હવે ગુજરાતના બુદ્ધિસ્ટોએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી કુબેર ડિંડોર, શાળા પાઠ્યપુસ્તક મંડળના નિયામક સહિત લાગતા વળગતા મંત્રીઓ, અધિકારીઓને આ જુઠ્ઠાણાં દૂર કરવા રજૂઆત કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ગુજરાત બુદ્ધિસ્ટ અકાદમીના વિનીત બૌદ્ધે ગુજરાત સરકાર અને શાળા પાઠ્યપુસ્તક મંડળને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, પાઠ્યપુસ્તક મંડળના નિયામક અને રાજ્યના તમામ ધારાસભ્યોને સંબોધીને એક પત્ર લખ્યો છે, </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;"><em>આ પણ વાંચો</em>:<a href="https://khabarantar.com/3000-people-from-500-dalit-families-will-convert-to-buddhism-in-bangalore"> <span style="font-size: 14pt;">બેંગ્લુરૂમાં 500 દલિત પરિવારના 3000 લોકો બૌદ્ધ ધર્મ અપનાવશે</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિનીત બૌદ્ધે પત્રમાં જણાવ્યું છે કે, "ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ મંડળ, ગાંધીનગર દ્વારા  ધોરણ 12 માટે તૈયાર કરેલ સમાજશાસ્ત્ર વિષયના પુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશે અસત્ય અને મનઘડંત માહિતીઓ આપવામાં આવી છે. તેથી ગુજરાતમાં વસતા લાખો બૌદ્ધ સમુદાયના લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. તેની નોંધ લેશો અને બૌદ્ધ ધર્મ વિશે લખાયેલી ખોટી માહિતીઓને રદબાતલ કરીને સત્ય હકીકત મૂકશો, જેથી ભાવિ પેઢીને બૌદ્ધ ધર્મનો સાચો પરિચય થાય અને દેશમાં મૈત્રી અને સમાનતાના ગુણોનો વિકાસ થયા."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિનીત બૌદ્ધે આ મામલે કેટલાક સજ્જડ પુરાવાઓ પણ રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, "ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ મંડળ, ગાંધીનગર દ્વારા બૌદ્ધ ધર્મ અને બૌદ્ધ અનુયાયીઓ વિશે અસત્ય માહિતી આપીને વિદ્યાર્થીઓના કુમળા માનસને કલુષિત કરવામાં આવે છે, તેના સજ્જડ પુરાવા ધોરણ 12ના સમાજશાસ્ત્રના અભ્યાસક્રમમાં નીચે મુજબ મળે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જુઠાણું નંબર - 1 </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"બૌદ્ધ ધર્મમાં બે સ્તર છે. જેમાં ઉચ્ચ સ્તરના બૌદ્ધો બ્રાહ્મણ, ક્ષત્રિય અને અમુક કક્ષાના ગૃહપતિઓ છે. જ્યારે નિમ્ન સ્તરમાં બૌદ્ધ ધર્મમાં ધર્માંતરિત થયેલા આદિવાસીઓ અને સિમાંત સમૂહો છે." </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;"><em>આ પણ વાંચો: </em> <a href="https://khabarantar.com/buddhism-is-different-from-hinduism-must-take-permission-to-adopt-Govt"><span style="font-size: 14pt;">બૌદ્ધ એ હિંદુ ધર્મથી અલગ છે, અપનાવવા માટે પરવાનગી લેવી પડશેઃ સરકાર</span></a></span></strong></span></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉપર જણાવેલ હકીકત/માહિતી તદ્દન જુઠી છે. વાસ્તવમાં બૌદ્ધ ધર્મ મહાસાગર સમાન છે. તેમાં સમાજના તમામ તબક્કાના લોકો હોય છે. તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય કે અન્ય વર્ગ નથી હોતા. બૌદ્ધ ધર્મમાં જાતિવાદ નથી. હિન્દુ ધર્મમાં જે વર્ણવાદ અને જાતિવાદ છે તેવો બૌદ્ધ ધર્મમાં નથી. બૌદ્ધ ધર્મમાં ધર્માંતરિત આદિવાસીઓ છે તેવું કહેવું પણ જુઠાણું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જુઠાણું નંબર - 2</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બૌદ્ધ ધર્મ અનાત્મવાદી છે પરંતુ પુસ્તકમાં બૌદ્ધ ધર્મ પુનર્જન્મમાં માને છે તેવું જુઠાણું લખ્યું છે. સત્ય તો એ છે કે બૌદ્ધ ધર્મમાં "સંતતિવાદ" છે જે વૈજ્ઞાનિક રીતે સત્ય ઠરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જુઠાણું નં. - 3</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બૌદ્ધ ધર્મમાં 'વિરાજયાન' જેવી કોઈ વિચારધારા નથી તેમ છતાંય પુસ્તકમાં આવું જુઠાણું લખવામાં આવ્યું છે અને જૂઠ ફેલાવવામાં આવી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જુઠાણું નં. - 4</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમના ધર્મગુરૂ લામા તરીકે ઓળખાય છે. - આ વિધાન પણ જુઠાણું છે. હકીકતે, લામા તિબેટિયન બૌદ્ધ સંપ્રદાયના ધર્મગુરુઓ છે, નહિ કે સમગ્ર બૌદ્ધ ધર્મના. બૌદ્ધ ધર્મના ધર્મગુરુઓ "ભિક્ષુઓ" તરીકે ઓળખાય છે. તેથી પુસ્તકમાં બૌદ્ધ ધર્મગુરુઓ વિશેનું વિધાન પણ અસત્ય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિનીત બૌદ્ધના જણાવ્યા પ્રમાણે, "સમાજશાસ્ત્ર ધોરણ 12 ના પુસ્તકમાં પેજ નં .16 પર પેરા નં (6) પર લખેલી માહિતી ખોટી છે, જૂઠી છે અને તે બદઈરાદાથી પ્રેરિત છે. તેથી બૌદ્ધ સમાજમાં ભારોભાર આક્રોશ છે અને તે જુઠાણાને દૂર કરી બૌદ્ધ ધર્મના સત્યને ઉજાગર કરવું જોઈએ તેવી બૌદ્ધોની માંગ છે. આથી, પાઠ્યપુસ્તકમાં લખાયેલ જુઠાણાં સામે આક્રોશને વાચા આપવા અને ખોટી અને જુઠી માહિતી રદબાતલ કરી સત્ય માહિતી જોડવા માટે રજૂઆત કરવાની ગુજરાત બુદ્ધિસ્ટ અકાદમી ને ફરજ પડી છે. અમે આશા રાખીએ છીએ કે, આ તમામ હકીકતોને ધ્યાનમાં લઈને બૌદ્ધ ધર્મ અંગે ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાંથી ખોટી માહિતીઓ રદ કરવામાં આવશે અને સત્ય માહિતીઓ મૂકવામાં આવે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><em><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span></em><a href="https://khabarantar.com/and-then-chamundas-bhuva-converted-to-buddhism"><strong>...અને પછી ચામુંડાના ભૂવાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો!</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 20 Jun 2024 11:59:14 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 20 Jun 2024 12:00:16 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>793</Articleid>
                    <excerpt>ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળના એક પુસ્તકમાં બુદ્ધ અને બુદ્ધિઝમ વિશે મનઘડંત માહિતી છપાઈ છે, જેને દૂર કરવા હવે ગુજરાતના બુદ્ધિસ્ટોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6673cba33ef02.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6673cba30f406.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6673cba30f406.jpg" length="106043" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>અયોધ્યામાં રામમંદિરની સુરક્ષામાં રહેલા &amp;apos;શત્રુઘ્ન&amp;apos;નું ગોળી વાગવાથી મોત</title>
                    <link>https://khabarantar.com/shatrughan-who-was-guarding-ram-temple-in-ayodhya-died-due-to-bullet-injury</link>
                    <guid>https://khabarantar.com/shatrughan-who-was-guarding-ram-temple-in-ayodhya-died-due-to-bullet-injury</guid>
                    <description>
                        <![CDATA[ અયોધ્યાના સુપ્રસિદ્ધ રામમંદિરની સુરક્ષામાં રહેલા એસએસએફના જવાન શત્રુઘ્નનું ગોળી વાગવાથી મોત થઈ જતા ખળભળાટ મચી ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અયોધ્યાના પ્રસિદ્ધ રામમંદિરની સુરક્ષામાં રહેલા એક સ્પેશ્યિલ સિક્યોરિટી ફોર્સના જવાનનું શંકાસ્પદ પરિસ્થિતિમાં ગોળી વાગવાથી મોત થઈ ગયું છે. અયોધ્યા રામ મંદિર ખાતે ગોળીબારમાં જવાનનું મોત જવાનને આ ગોળી કેવી રીતે વાગી તે હજું સ્પષ્ટ નથી થયું. સૂચના મળતાં જ આઈજી-એસએસપી સહિત અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મળતી માહિતી પ્રમાણે જવાન આંબેડકર નગરનો રહેવાસી હતો. ગઈકાલે બુધવારે વહેલી સવારે અચાનક જ ગોળીબારના અવાજથી રામ જન્મભૂમિ પરિસરમાં ખળભળાટ મચી ગયો છે. જવાનના મોતના સમાચાર મળતા જ તેમના ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક પોલીસ જવાનનું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા હતું અને તેમની ઉંમર લગભગ ૨૫ વર્ષ હોવાની માહિતી મળી રહી છે. ગોળીનો અવાજ સાંભળીને સ્થળ પર પહોંચેલા સાથી સુરક્ષાકર્મીઓએ તેને ત્યાં લોહીથી લથપથ હાલતમાં જોયો અને તરત જ તેમને હોસ્પિટલ લઈ ગયા. ત્યાંથી ઘાયલ જવાનને ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જવાનના મોતના સમાચારથી રામ મંદિર પરિસરમાં ખળભળાટ મચી ગયો છે. અયોધ્યાના આઈજી અને એસએસપી સહિત તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ફોરેન્સિક ટીમને પણ ત્યાં બોલાવી લીધી હતી. ફોરેન્સિક ટીમે ઘટના સ્થળે તપાસ કરી હતી. આ મામલે જવાનના કેટલાક સાથીઓનું કહેવું છે કે, શત્રુઘ્ન વિશ્વકર્મા છેલ્લાં કેટલાક દિવસોથી પરેશાન હતો. ઘટના પહેલા તે મોબાઈલ જોઈ રહ્યો હતો. પોલીસે શત્રુઘ્નનો મોબાઈલ પણ તપાસ માટે મોકલી આપ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/bulldozer-a-major-factor-in-bjps-defeat-in-ayodhya">બુલડોઝરઃ અયોધ્યામાં ભાજપની હારનું એક મોટું ફેક્ટર</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયો રિપોર્ટ પ્રમાણે શત્રુઘ્ન ઘણાં સમયથી ડિપ્રેશનમાં હતો જેના કારણે તેણે આત્મહત્યા કરી હોઈ શકે છે. જો કે હજુ સુધી કશું નક્કી નથી થઈ શક્યું. અધિકારીઓ પરિસરના સીસીટીવી ફૂટેજ અને નજીકમાં તહેનાત સૈનિકોની પણ પૂછપરછ કરી રહ્યા છે. આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શત્રુઘ્ન વિશ્વકર્માને સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સ (SSF)માં ૨૦૧૯માં જ નોકરી મળી હતી. આંબેડકર નગરના સમ્મનપુર પોલીસ સ્ટેશનના કઝપુરા ગામનો રહેવાસી શત્રુઘ્ન રામમંદિર પરિસરમાં તૈનાત હતો. એસએસએફની રચના ૪ વર્ષ પહેલા યોગી આદિત્યનાથ સરકારે મંદિરોની સુરક્ષા માટે કરી હતી. શત્રુઘ્નના મોતના સમાચાર સાંભળ્યા બાદ આંબેડકરનગરમાં તેના પરિવારજની હાલત રોઈ રોઈને ખરાબ થઈ ગઈ છે. તેમને હજુ વિશ્વાસ નથી આવી રહ્યો કે શત્રુઘ્ન હવે આ દુનિયામાં નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ત્રણ મહિના પહેલા રામમંદિરની સુરક્ષામાં રહેલા અન્ય એક જવાનને પણ ગોળી વાગી હતી. જવાન તેની બંદૂકની સફાઈ કરી રહ્યો હતો ત્યારે અચાનક ટ્રિગર દબાઈ જતા તેને ગોળી વાગતા મોત થઈ ગયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/Husband-takes-Ayodhya-Kashi-instead-of-Goa-on-honeymoon,-upset-wife-files-for-divorce"><strong>પતિ હનીમૂન પર ગોવાને બદલે અયોધ્યા-કાશી લઈ ગયો, નારાજ થયેલી પત્નીએ કરી છુટાછેડાની અરજી</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 20 Jun 2024 10:22:29 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>792</Articleid>
                    <excerpt>અયોધ્યાના સુપ્રસિદ્ધ રામમંદિરની સુરક્ષામાં રહેલા એસએસએફના જવાન શત્રુઘ્નનું ગોળી વાગવાથી મોત થઈ જતા ખળભળાટ મચી ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6673b542efd15.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6673b542bd717.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6673b542bd717.jpg" length="92523" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સરકાર આગામી ત્રણ મહિનામાં 7500 ટાટ પાસ ઉમેદવારોની ભરતી કરશે</title>
                    <link>https://khabarantar.com/government-will-recruit-7500-tat-pass-candidates-in-next-three-months</link>
                    <guid>https://khabarantar.com/government-will-recruit-7500-tat-pass-candidates-in-next-three-months</guid>
                    <description>
                        <![CDATA[ ગાંધીનગરમાં ચાલતા ટેટ-ટાટ ઉમેદવારોના આંદોલનનો પડઘો આખરે સરકાર સુધી પડ્યો છે. આગામી ત્રણ મહિનામાં ટાટ-1 અને 2 પાસ 7500 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધીનગરમાં છેલ્લા બે દિવસથી ચાલતા ટેટ-ટાટ પાસ ઉમેદવારો દ્વારા શિક્ષકોની કાયમી ભરતીના મામલે ચાલતા આંદોલનની અસર દેખાઈ રહી છે. આજે મળેલી રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા શિક્ષકોની ભરતીને લઈ એક મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર દ્વારા આગામી ત્રણ મહિનામાં 7500 જેટલા ટેટ-1 અને 2 શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેમ સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજયમાં છેલ્લા ઘણાં સમયથી ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કાયમી શિક્ષક તરીકે ભરતી કરવામાં આવી નથી. જેના કારણે ટેટ-ટાટ પાસ ઉમેદવારો દ્વારા છેલ્લા બે દિવસથી ગાંધીનગર ખાતે આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આજે તો ટેટ-ટાટ પાસ ઉમેદવારો સચિવાલયમાં આવેલા સ્વર્ણિમ સંકૂલ-1 સુધી પહોંચી ગયા હતા. સ્વર્ણિમ સંકૂલ ખાતે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને મળીને રજૂઆત કરવા માટેના પ્રયાસો કર્યા હતા. પરંતુ પોલીસ દ્વારા ટેટ-ટાટ પાસ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દરમિયાનમાં આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળ (કેબિનેટ)ની બેઠક મળી હતી. આ બેઠકમાં શિક્ષકોની ભરતી અંગે નિર્ણય લેવાયો હતો. જે અંગે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેના અંતર્ગત રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં ટાટ-માધ્યમિક અને ટાટ ઉચ્ચત્તર માધ્યમિક પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટેટ-1 અને ટેટ-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/land-of-11-dalit-families-seized-by-district-education-officer"> <span style="font-size: 14pt;">11 દલિત પરિવારોની જમીન જિલ્લા શિક્ષણ અધિકારીએ પડાવી લીધી?</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6672f41d77e8a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, માધ્યમિક એટલે કે ધોરણ 9 અને ધોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 ટાટ-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે.જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઇન – એડ શાળામાં 3250 એમ મળીને ટાટ-2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે તેમ પણ સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. પ્રવકતા મંત્રીએ વધુમા જણાવ્યું હતું કે, તાજેતરમાં 1500 જેટલા એચએમએટી પ્રિન્સીપાલની ભરતી પણ રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજયમાં કેટલા શિક્ષકોની ઘટ છે તે ઉપલબ્ધ નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા આગામી ત્રણ મહિનામાં 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો નિર્ણય લીધો છે તેવી જાહેરાત સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે કરી હતી. આ જાહેરાત બાદ રાજયમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનું કેટલું મહેકમ છે? તેમાથી હાલમાં કેટલી જગ્યા ભરેલી છે? અને કેટલી જગ્યા ખાલી છે? તેવો સવાલ પુછવામાં આવ્યો હતો. જે અંગે સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં આ અંગેની માહિતી મારી પાસે ઉપલબ્ધ નથી. પ્રવકતા મંત્રીએ આવું કહીને આ બાબતને હાલ પૂરતી ટાળી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ટેટ-ટાટ ઉમેદવારોના સતત બીજા દિવસે ગાંધીનગરમાં દેખાવો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા ઘણા લાંબા સમયથી ટેટ-ટાટ પાસ ઉમેદવારોની શિક્ષક તરીકે ભરતી કરવામાં આવી નથી. જેના કારણે ટેટ-ટાટ પાસ ઉમેદવારોનો રોષ અને વિરોધ હવે વધુ ઉગ્ર બની રહ્યો છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારો સતત બીજા દિવસે વિરોધ ચાલુ રાખ્યો હતો અને તેઓ સચિલવાયના સ્વર્ણિમ સંકૂલ-1 સુધી પહોંચી ગયા હતા. જ્યાં તેમણે પોસ્ટર્સ દર્શાવીને વિરોધ પ્રદર્શિત કરીને શિક્ષણ મંત્રી ડિંડોરના રાજીનામાંની માંગણી પણ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજયમાં છેલ્લા ઘણા લાંબા સમયથી ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે કાયમી શિક્ષક તરીકેની ભરતી કરવામાં આવી નથી. જેના કારણે અનેક ઉમેદવારોની વય મર્યાદાને લઈને નોકરીની તક હાથમાંથી સરી જતી હોવાની સ્થિતિ ઉદભાવી છે. જેના કારણે નારાજ ટેટ-ટાટ પાસ થયેલા શિક્ષકો દ્વારા ગઇકાલે ગાંધીનગરમાં દેખાવો કર્યા હતા. ત્યાર બાદ આજે સતત બીજા દિવસે પણ ટેટ-ટાટ પાસ એવા 2000 જેટલા વડોદરા, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, ગોધરા અને જૂનાગઢ સહિતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા ઉમેદવારો ગાંધીનગરમાં નવા સચિવાલય ખાતેના સ્વર્ણિમ સંકૂલ-1 સુધી પહોંચી ગયા હતા. હાથમાં પોસ્ટર્સ લઈને ટેટ-ટાટ પાસ ઉમેદવારો  સ્વર્ણિમ સંકૂલ-1માં મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પોતાની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જો કે, બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મીઓએએ ટેટ-ટાટ પાસ ઉમેદવારોની અટકાયત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/one-lakh-thirty-two-thosand-students-of-gujarat-were-deprived-of-admission-in-rte"><strong>RTEમાં ગુજરાતના ૧.૩૨ લાખ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યાં</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 19 Jun 2024 20:47:22 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>791</Articleid>
                    <excerpt>ગાંધીનગરમાં ચાલતા ટેટ-ટાટ ઉમેદવારોના આંદોલનનો પડઘો આખરે સરકાર સુધી પડ્યો છે. આગામી ત્રણ મહિનામાં ટાટ-1 અને 2 પાસ 7500 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6672f406cb492.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6672f40699e67.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6672f40699e67.jpg" length="101341" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>મધ્યપ્રદેશમાં પીએમ આવાસ યોજનાના મકાનમાં દારૂની દુકાન ખોલી નાખી</title>
                    <link>https://khabarantar.com/liquor-shop-opened-in-pm-awas-yojana-building-in-madhya-pradesh</link>
                    <guid>https://khabarantar.com/liquor-shop-opened-in-pm-awas-yojana-building-in-madhya-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ મધ્યપ્રદેશના રાયસેનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘરમાં દારૂની દુકાન ખોલી દેવાઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના રાયસેનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સરકારી નિયમોની અવગણના કરીને અહીં પીએમ આવાસ યોજનાના ઘરમાં દારૂની દુકાન ખોલવામાં આવી છે. તમામ નિયમોને અવગણીને એક્સાઇઝ વિભાગે જિલ્લા મથકથી સાગર તરફના મુખ્ય માર્ગ પર સોમ કંપનીની દારૂની દુકાન ખોલી હતી. પહેલા દારૂની નીતિઓની અવગણના કરવામાં આવી અને પછી સરકારી મકાનમાં જ દારૂની દુકાન ખોલવામાં આવી છે. રોડ સેફ્ટી પોલિસીમાં હાઈવેથી માત્ર ૧૦૦ મીટરના અંતરે જ દારૂની દુકાનોના લાયસન્સ આપવાની જોગવાઈ છે. હાઇવેની આસપાસ કેટલી જગ્યા ખાલી રાખવી તે જાહેર બાંધકામ વિભાગ નક્કી કરે છે. વાણિજ્યિક અથવા રહેણાંક પ્રવૃત્તિઓ ક્યાં શરૂ થશે તે પણ નવેસરથી નક્કી કરવામાં આવે છે. આ તમામ નિયમો હોવા છતાં જિલ્લા આબકારી વિભાગે સાગર તરફ જતા મુખ્ય માર્ગ પર દારૂની દુકાન ખોલવાની મંજૂરી આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/Inflation-hits-15-month-high-doubles-in-may"><strong>મોંઘવારીએ ૧૫ મહિનાનો રેકોર્ડ તોડ્યો, મે મહિનામાં બમણો માર</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6671ad2f7b3dd.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ સોમ કંપનીની આ દારૂની દુકાન જે બિલ્ડિંગમાં ચાલી રહી છે તે પીએમ આવાસ યોજના હેઠળ બનાવવામાં આવી હોવાથી સ્થાનિક સ્તરે હોબાળો મચી ગયો છે. આ દુકાન પથરી ગ્રામ પંચાયતમાં આવે છે. હવે મોટો પ્રશ્ન એ છે કે આ રીતે મુખ્ય માર્ગ પર, તે પણ વડાપ્રધાનના આવાસમાં, નિયમોની અવહેલના કરીને દારૂની દુકાન ચલાવવી કેવી રીતે શકાય. આ રીતે સરકારી નિયમોની અવગણના કરીને દારૂની દુકાન ચલાવવાને લઈને હવે આબકારી વિભાગ પર માછલાં ધોવાઈ રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/babri-masjid-and-godhrakand-missing-from-new-ncert-book"><strong> NCERTના નવા પુસ્તકમાંથી બાબરી મસ્જિદ અને ગોધરાકાંડ ગાયબ</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 19 Jun 2024 13:22:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>786</Articleid>
                    <excerpt>મધ્યપ્રદેશના રાયસેનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘરમાં દારૂની દુકાન ખોલી દેવાઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6671ad1796beb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6671ad175dfd6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6671ad175dfd6.jpg" length="93111" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>પેટ્રોલ&amp;ડીઝલ મુદ્દે વિરોધ કરી રહેલા ભાજપના નેતાને હાર્ટએટેક આવ્યો</title>
                    <link>https://khabarantar.com/a-bjp-leader-protesting-against-the-petrol-diesel-issue-suffered-a-heart-attack</link>
                    <guid>https://khabarantar.com/a-bjp-leader-protesting-against-the-petrol-diesel-issue-suffered-a-heart-attack</guid>
                    <description>
                        <![CDATA[ કર્ણાટકમાં ભાજપના એક નેતા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને વિરોધ કરી રહ્યાં હતા ત્યારે હાર્ટ એટેક આવતા મોતને ભેટ્યાં હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કર્ણાટકમાં પેટ્રોલ ડીઝલના ભાવને લઈને થઈ રહેલા વિરોધ દરમિયાન ભાજપના એક નેતાનું મોત થતા હોબાળો મચી ગયો છે. નેતાજીના મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાનો વિરોધ કરી રહેલા ભાજપના નેતા એમબી ભાનુપ્રકાશનું ગઈકાલે અવસાન થયું હતું. શિવમોગામાં ભાજપ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન તેમણે તેમાં ભાગ લીધો હતો. એ દરમિયાન તેઓ ભાવવધારાનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે જ અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાક સમયથી દેશમાં હાર્ટએટેકના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. કેટલાક લોકો તેની પાછળ કોરોનાની રસી જવાબદાર હોવાનું માને છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પહેલા ભાનુપ્રકાશ કર્ણાટક ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને જિલ્લા અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ભાનુપ્રકાશે શિવમોગામાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું અને એ દરમિયાન કાર્યકરોને સંબોધિત પણ કર્યા હતા. ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે, "વિરોધ પ્રદર્શન દરમિયાન તેઓ કારમાં બેઠા તે વખતે તેમને હાર્ટ એટેક આવ્યો અને તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ બચાવી શકાયા નહોતા."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/dalit-farmers-electoral-bonds-worth-eleven-crores-were-bought-and-given-to-BJP">દલિત ખેડૂતના 11 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી ભાજપને આપી દેવાયા?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેચાણવેરો વધારીને અનુક્રમે ૨૯.૮૪ ટકા અને ૧૮.૪૪ ટકા કર્યા બાદ આ વિરોધ થઈ રહ્યો છે. આ સુધારા બાદ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે ૩ રૂપિયા અને ૩.૦૫ રૂપિયાનો વધારો થયો છે. આ નવા ભાવ ૧૫ જૂનથી તાત્કાલિક અમલમાં આવ્યા છે. ભાવ વધારાના વિરોધમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિજયેન્દ્રએ ૧૫ જૂને કહ્યું હતું કે પાર્ટી સરકારના નિર્ણય સામે સોમવારે (૧૭ જૂન) રાજ્યવ્યાપી વિરોધ કરશે. આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે ભાનુપ્રકાશ શનિવારે રાજ્યની કોંગ્રેસ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. વિરોધ પછી ભાનુપ્રકાશ પોતાની કારમાં બેસવા જતા હતા ત્યારે બેહોશ થઈ ગયા હતા. આ પછી, ભાજપના કાર્યકરો તેમને ઉતાવળમાં ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ત્યાંના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. એ પછી તેમના મૃતદેહને તેમના વતન મુત્તુર મોકલવામાં આવ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયાને સંબોધતા કર્ણાટક ભાજપના વડા બી.વાય. વિજયેન્દ્રએ કહ્યું કે તેઓ ભાજપના વફાદાર ભાનુપ્રકાશના આકસ્મિક નિધનથી આઘાતમાં છે, જેમણે રાજ્યમાં પાર્ટીને મજબૂત કરવા સખત મહેનત કરી હતી. ભાનુપ્રકાશે તેમના છેલ્લા શ્વાસ સુધી ભાજપ માટે કામ કર્યું. તેમના નિધનથી પાર્ટીને મોટી ખોટ પડી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <strong><a href="https://khabarantar.com/pms-low-class-speeches-offensive-language-defeated-bjp">પીએમના સાવ નિમ્નકક્ષા ભાષણો, વાંધાજનક શબ્દપ્રયોગોએ ભાજપને હરાવી</a></strong></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 19 Jun 2024 12:42:33 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>787</Articleid>
                    <excerpt>કર્ણાટકમાં ભાજપના એક નેતા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને વિરોધ કરી રહ્યાં હતા ત્યારે હાર્ટ એટેક આવતા મોતને ભેટ્યાં હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6671b2875e5d9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6671b28726c36.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6671b28726c36.jpg" length="91631" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમદાવાદમાં મહાગુજરાત SC&amp;ST મહાસભાની ચિંતન શિબિર યોજાઈ</title>
                    <link>https://khabarantar.com/a-reflection-camp-of-mahagujarat-sc-st-mahasabha-was-held-in-ahmedabad</link>
                    <guid>https://khabarantar.com/a-reflection-camp-of-mahagujarat-sc-st-mahasabha-was-held-in-ahmedabad</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદના સુખરામનગર વિસ્તારમાં મહાગુજરાત એસસી-એસટી મહાસભાની ચિંતિન શિબિર યોજાઈ ગઈ, જેમાં સમાજને સ્પર્શતા અનેક મુદ્દાઓ પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના સુખરામનગર ખાતે આવેલા બૌદ્ધવિહારમાં મહાગુજરાત એસસી એસટી મહાસભાની ચિંતન શિબિર યોજાઈ ગઈ. 16 જૂન 2024ના રોજ યોજાયેલી આ શિબિરમાં ગુજરાતભરમાંથી દલિત અને આદિવાસી સમાજના બુદ્ધિજીવીઓ, કર્મશીલો, સામાજિક આગેવાનો, સંસ્થાઓ-સંગઠનોના વડાઓ, પ્રતિનિધિ અને ભીમ યોદ્ધાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજના કાર્યક્રમની શરૂઆત બૌદ્ધ વંદનાથી કરવામાં આવી હતી. ત્યાર બાદ ચિંતન શિબિરમાં ભાગ લેનાર સૌએ પોત પોતાનો વ્યક્તિગત પરિચય આપ્યો હતો. ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો એકતાનો સંદેશ આપતું એક ગીત પ્રસ્તુત કરવામાં આવેલ હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નંદરાજ બૌદ્ધે શિબિરનો હેતુ સમજાવ્યો હતો અને સાથે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગને સ્પર્શતા મુદ્દાઓની ચર્ચા કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <strong><a href="https://khabarantar.com/and-then-chamundas-bhuva-converted-to-buddhism">...અને પછી ચામુંડાના ભૂવાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો!</a></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66726b3e9c298.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ વર્ગના બંધારણીય હક અને માનવ અધિકારોના રક્ષણના મુદ્દે આગામી દિવસોમાં લડત શરૂ કરવા જવાબદાર રાજ્ય સરકાર સામે આ મુદ્દાઓમાં કેવી લડતની રણનીતિ નક્કી કરવી તે અંગે ચર્ચા કરી અને SC-ST વર્ગના લોકોને સ્પર્શતા 13 મુદ્દાઓની અમલવારી કરાવવા માટે ગુજરાતના બંને સમાજના લોકો મહાગુજરાત SC-ST મહાસભાના નેજા હેઠળ સંગઠિત થઈ આ લડાઈને આગળ ધપાવશે તેવી ચર્ચા કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નવસર્જન ટ્રસ્ટ સાથે વર્ષોથી જોડાયેલા સામાજિક કાર્યકર્તા કાંતિલાલ પરમાર અને કિરીટભાઈ રાઠોડ દ્વારા ચિંતન શિબિરમાં ભારતીય બંધારણ, નાગરિક હક્ક સરંક્ષણ અધિનિયમ 1955, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ(અત્યાચાર અટકાવ)અધિનિયમ 1989, આભડછેટ-મુક્ત-ભારત, અનામત, પેટાજ્ઞાતિવાદ અને બંધારણીય હક્ક અને અધિકારોની ચર્ચા કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/buddhism-is-different-from-hinduism-must-take-permission-to-adopt-Govt"><strong>બૌદ્ધ એ હિંદુ ધર્મથી અલગ છે, અપનાવવા માટે પરવાનગી લેવી પડશેઃ સરકાર</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66726b5b997dc.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિબિરમાં અન્ય વક્તાઓએ SC-ST સમાજને સ્પર્શતા 13 મુદ્દાઓમાં રોજગાર, શિક્ષણ, સંગઠન, પેટા-જ્ઞાતિવાદ નાબુદી બાબતે ચર્ચા કરી અને માર્ગદર્શન આપ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના દરેક જીલ્લાઓમાં આગળની કાર્યવાહી માટે લડતના મંડાણ કરવા જિલ્લાના પ્રતિનિધિઓની નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, છોટાઉદેપુર સહિત પાંચ જિલ્લા અને તાલુકાઓમાં પ્રતિનિધિઓ નિયુક્તિ કરવામાં આવ્યા હતા. આ સિવાય દરેક તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલે પ્રતિનિધિઓ નીમી પ્રેશર ગ્રુપ બનાવવામાં આવશે જે પોતાના તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલે 13 મુદ્દાઓમાં કામ કરશે તેમ નક્કી કરવામાં આવેલ હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/beginning-of-change-for-the-first-time-the-shekhpar-village-of-muli-celebrated-the-death-anniversary-of-the-deceased-with-buddhist-rituals">પરિવર્તનની શરૂઆતઃ મૂળીના શેખપર ગામે પહેલીવાર બૌદ્ધવિધિથી મૃતકની પુણ્યતિથિ ઉજવાઈ</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66726b94a1dae.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે જીલ્લાઓમા પ્રતિનિધિઓની નિયુક્તિ કરવામાં આવી છે તેના નામ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. ચિંતન શિબિરમાં ગુજરાતના 12 જિલ્લા ઉપરાંત રાજસ્થાનના મિત્રોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આગામી દિવસોમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવશે અને લોકોને બંધારણીય હક અને માનવ અધિકારોના મુદ્દે જાગૃત કરવામાં આવશે, ગામડાઓમાં લોકોને જાગૃત કરવા પદયાત્રા કરવામાં આવશે અને બાદમાં ગાંધીનગર ખાતે એક લાખ કરતા વધુ લોકોનું વિશાળ સંમેલન બોલાવવામાં આવશે તેવું આજની ચિંતન શિબિરમાં નક્કી કરવામાં આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/and-then-chamundas-bhuva-converted-to-buddhism">...અને પછી ચામુંડાના ભૂવાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો!</a></span></strong></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66726ba590d0f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચિંતન શિબિરનું સંચાલન નંદરાજ બૌદ્ધ દ્વારા કરવામાં આવ્યું હતું. નંદાસણ બૌદ્ધ વિહારના સંચાલક ભીખાભાઈ મકવાણા દ્વારા કેલેન્ડર અને પંચશીલ આપી આગેવાનોનું સન્માન કરાયું હતું. સુરત બૌદ્ધ વિહારના ભીખ્ખુણી સંઘમિત્રા દ્વારા તથાગત બૌદ્ધને પ્રાર્થના કરી આશીર્વાદ આપેલ હતા. અમદાવાદ શહેરમાંથી મેઘવાળ એજ્યુકેશન ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ, જનતા સેના નરોડા, નવસર્જન ટ્રસ્ટના કાર્યકર્તાઓએ હાજરી આપેલ હતી. છેલ્લે જયેશભાઇ યશવર્ધન દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><em><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અહેવાલ- કાંતિલાલ પરમાર, સામાજિક કાર્યકર, અમદાવાદ</span></strong></span></em></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/In-Botad-district,-the-account-of-Buddhism-was-opened-in-the-caste-enumeration-in-the-government-book"><strong>બોટાદ જિલ્લામાં સરકારી ચોપડે જાતિ ગણના માં બૌદ્ધ ધર્મ નું ખાતું ખુલ્યું</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 19 Jun 2024 11:10:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>789</Articleid>
                    <excerpt>અમદાવાદના સુખરામનગર વિસ્તારમાં મહાગુજરાત એસસી-એસટી મહાસભાની ચિંતિન શિબિર યોજાઈ ગઈ, જેમાં સમાજને સ્પર્શતા અનેક મુદ્દાઓ પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_66726aaec67a2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_66726aae96f6c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_66726aae96f6c.jpg" length="107737" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>તમને ખબર છે વૈષ્ણવો શું કામ ‘મહારાજ’ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે?</title>
                    <link>https://khabarantar.com/do-you-know-why-vaishnavas-are-protesting-against-the-movie-maharaj</link>
                    <guid>https://khabarantar.com/do-you-know-why-vaishnavas-are-protesting-against-the-movie-maharaj</guid>
                    <description>
                        <![CDATA[ &#039;મહારાજ&#039; ફિલ્મ પર હાલ હાઈકોર્ટે વચગાળાનો સ્ટે મૂકી દીધો છે. પણ વૈષ્ણવો શા માટે આ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે તેનું અસલી કારણ તમને ખબર હોવું જોઈએ. વાંચો આ લેખ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતભરમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા 'મહારાજ' ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. જૂનાગઢ બાદ અમદાવાદમાં દોશીવાડાની પોળમાં આવેલી હવેલીમાં વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ આ ફિલ્મ સામે વિરોધ નોંધાવ્યો હતો. ફિલ્મના વિરોધમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. નેટફ્લિક્સ પર રિલીઝ થનારી આ ફિલ્મ પર હાલ હાઈકોર્ટ દ્વારા પણ વચગાળાનો સ્ટે મૂકી દેવાયો છે. ફિલ્મના પોસ્ટરથી લઈને અમુક સીન બાબતે વિરોધનો મધપૂડો છેડાયો છે. વૈષ્ણવ સમાજનો આક્ષેપ છે કે ફિલ્મમાં ભગવાન શ્રીકૃષ્ણની છબીને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. હાલ ગોપીનાથજી ગાદીના વૈષ્ણવો દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. વૈષ્ણવ આચાર્ય આભરણાચાર્ય ગોસ્વામીના જણાવ્યા મુજબ દરેક વખતે આ પ્રમાણે ફિલ્મના માધ્યમથી સનાતન ધર્મ પર અને હિંદુ દેવી દેવતાની છબીને કલંક લગાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. દરેક વખતે આવા પ્રયાસો દ્વારા સનાતન ધર્મ પર કુઠારાઘાત કરવામાં આવે છે. વલ્લભ સંપ્રદાય સાથે મળીને વૈષ્ણવ સંપ્રદાય અને સમગ્ર સનાતન ધર્મના લોકો ફિલ્મને રિલીઝ નહીં થવા દે અને તેનો વિરોધ કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ રાજ્યભરમાં વૈષ્ણવો દ્વારા આ ફિલ્મ સામે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે અને આમીર ખાન તેના દીકરા જુનૈદ ખાન, યશરાજ ફિલ્મ્સ અને ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ સામે સવાલ પણ કરવામાં આવી રહ્યા છે. વૈષ્ણવ સંપ્રદાયના એક સમર્થકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "શું આ લોકો મદરેસામાં થતા છોકરા-છોકરીના યૌન શોષણના મામલે ફિલ્મ બનાવવાનું વિચારશે ખરા? શું તેઓ ચર્ચમાં થતા ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ દ્વારા બાળકો અને સ્ત્રીઓના દુર્વ્યવહાર વિશે કોઈ ફિલ્મ બનાવશે? હંમેશા હિંદુ સંતો, હિંદુ ધાર્મિક રીતરિવાજોને જ નિશાન બનાવવામાં આવે છે. જે ક્યારેય સાંખી લેવામાં નહીં આવે. આ અગાઉ પણ આમીર ખાનની પીકે ફિલ્મમાં ભગવાન શિવ વિશે ખોટી રીતે અપમાનજનક દૃશ્યો બતાવવામાં આવ્યા હતા. શું તેઓ આવી હિંમત અન્ય ધર્મની આસ્થા સામે કરી શકશે? માત્ર ૧૮૬૨ની સત્ય ઘટના આધારીત આ ફિલ્મનો ખાસ તો વૈષ્ણવ સંપ્રદાય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ૧૫૦ વર્ષ પહેલા બ્રિટીશ શાસનમાં બનેલી માત્ર એકાદ ઘટનાને આધાર બનાવી હાલના સમયમાં વલ્લભ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાય વિશે ખોટી છબી ઉભી કરાઈ રહી છે. આ ફિલ્મ દ્વારા દેશભરના સાધુ સંતો અને વલ્લભ સંપ્રદાયને બદનામ કરવાનુ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/why-do-propaganda-films-that-are-supposed-to-turn-the-audience-into-vote-banks-fail">દર્શકોને મતબેંકમાં ફેરવવા મથતી પ્રોપેગેન્ડા ફિલ્મો કેમ ફ્લોપ જાય છે?</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202407/image_870x_66a8f6ac12142.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સવાલ એ છે કે, આ ફિલ્મમાં એવું તે શું છે કે વૈષ્ણવો તેની રિલીઝ સામે વિરોધ નોંધાવી રહ્યાં છે. તે સમજવા માટે આપણે 160 વર્ષ પાછળ જવું પડશે. વર્ષ 1861ની વાત છે. ત્યારે મહારાષ્ટ્રના પ્રતિષ્ઠિત સમાચારપત્ર 'સત્યપ્રકાશ'માં એક લેખ છપાયો હતો. લેખનું શીર્ષક ગુજરાતીમાં હતું અને તેનો અર્થ થતો હતો 'હિંદુઓનો અસલી ધર્મ અને વર્તમાન પાખંડી દ્રષ્ટિકોણ' આ લેખ સમાજ સુધારક અને પત્રકાર કરસનદાસ મુળજીએ લખ્યો હતો. જેમાં તેમણે પુષ્ટિમાર્ગી કહેવાતા વલ્લભ સંપ્રદાય પર સવાલો ઉઠાવ્યા હતા. પોતાના લેખમાં કરસનદાસે આરોપ લગાવ્યા હતા કે વલ્લભ સંપ્રદાયના તત્કાલિન સંત જદુનાથજી બ્રિજરત્નજી મહારાજ પોતાની મહિલા શ્રદ્ધાળુઓ સાથે જાતીય સંબંધો બાંધે છે. તેમણે એક બીજો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો કે, આ સંપ્રદાયમાં એવું કહેવાતું હતું કે, જે પણ પુરૂષ શ્રદ્ધાળુ પોતાની પત્નીને 'મહારાજ' સાથે સહશયન કરાવવા માટે રાજી થશે, તેનાથી જ તેની મહારાજ પ્રત્યેની સાચી શ્રદ્ધા સાબિત થશે. આ મામલો એટલો ઉછળ્યો હતો કે લંડનમાં બેઠેલી બ્રિટિશ સરકાર પણ હલબલી ગઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે બહુ લાંબો કેસ ચાલેલો, જે "મહારાજ લાયબલ કેસ" તરીકે જાણીતો થયો હતો. મૂળે તે વલ્લભ સંપ્રદાયમાં પ્રવેશેલાં અનિષ્ટોમાંથી સર્જાયેલો બદનક્ષીનો મુકદ્દમો હતો, જે ૨૫ જાન્યુઆરી ૧૮૬૨ થી ૨૨ એપ્રિલ ૧૮૬૨ સુધી કોર્ટમાં લડાયો હતો. વલ્લભ સંપ્રદાયના ગુરુઓ તેમના અનુયાયીયોના વહેમ અને અંધશ્રદ્ધાનો લાભ લઈ તેમની પાસેથી અઢળક નાણાં મેળવતા અને તેમની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતા. આ પ્રથા છેક સત્તરમી સદીથી ચાલી આવતી હતી અને ઓગણીસમી સદીમાં પણ ચાલુ રહી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:  <a href="https://khabarantar.com/to-kill-a-tiger-a-shocking-documentary-film"><span style="font-size: 14pt;">ટુ કિલ અ ટાઈગર- એક હચમચાવી નાખતી ડોક્યુમેન્ટરી ફિલ્મ</span></a><br></span></strong></span></span></p>
<p>.<img src="https://khabarantar.com/uploads/images/202407/image_870x_66a8f6d158f24.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કરસનદાસ મૂળજી (૧૮૩૨-૧૮૭૧) પોતે વલ્લભ સંપ્રદાય પાળતા કુટુંબમાં જન્મેલા હતા અને સમાજ સુધારક તથા મુંબઈની બુદ્ધિવર્ધક હિંદુ સભાના સક્રિય કાર્યકર હતા. તેઓ ધર્માચાર્યોની અનીતિના ભારે વિરોધી હતા અને 'સત્યપ્રકાશ' નામનું સામયિક ચલાવતા હતા. તેમાં તેમણે વલ્લભ સંપ્રદાયના ધર્મગુરૂઓને ઉઘાડા પાડવા માંડ્યાં. તેમણે 'ગુલામી ખત', 'મહારાજોનો જુલમ', 'મહારાજોના મંદિરમાં ઝાપટનો માર', 'મહારાજોના મંદિરમાં અનીતિ', 'મહારાજોનો લોભ', 'વાણિયા મહાજનની હાલત', 'મહારાજોના લાગા' વગેરે શીર્ષકો સાથે લેખો પ્રકાશિત કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'મહારાજોનો જુલમ' નામના લેખમાં કરસનદાસે લખ્યું હતું કે,<em> "છેલબટાઉ જુવાન ચીમનજી મહારાજે જુલમનો એક નવો રસ્તો થોડાક દિવસ પહેલા શોધી કાઢ્યો છે. એ મહારાજ એક મહેલ બંધાવવા ધારે છે. એ બંધાવવાનો ખર્ચ પેદા કરવાનો તેમણે એક સહેલો ઉપાય શોધી કાઢ્યો છે. ગયા રવિવારે તેમણે પોતાને ત્યાં આવેલા વૈષ્ણવોને બંદીવાનની પેઠે બેસાડી રાખ્યા હતા. આમ બેસાડવાનો સબબ એટલો જ કે પેલા ગરીબ વૈષ્ણવોને ડૂબાડીને પોતાને વાસ્તે મહેલ બંધાવવા સારુ ઊભી કરેલી ટીપમાં નાણું ભરાવવું. વૈષ્ણવોએ મહારાજોને મનગમતી રકમ ભરવાને આનાકાની કરી તેથી મહારાજે આખો દહાડો તેઓને ભૂખ્યા-તરસ્યા બેસાડી રાખ્યા અને જ્યાં સુધી માગેલી રકમ ન ભરી ત્યાં સુધી તેઓને ઊઠવા દીધા નહિ' શું જુલમની વાત વાંચનાર ભાઈઓ, તમારી દોલત આવી રીતે લૂંટી લેવામાં આવે તો તેથી તમને ક્રોધ નહિ ચડે? અફસોસ! અફસોસ!"</em></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Visaranai-%E2%80%93-A-wonderful-movie-based-on-a-novel-written-by-a-rickshaw-puller">વિસરાનાઈ – એક રિક્ષાચાલકે લખેલી નવલકથા પરથી બનેલી અદ્દભૂત ફિલ્મ</a><br></span></strong></span></p>
<p>.<img src="https://khabarantar.com/uploads/images/202407/image_870x_66a8f6e347ed7.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કરસનદાસે લખેલા ઉગ્ર લખાણો વૈષ્ણવ મહારાજો જીરવી ન શક્યા. તેથી તેમણે કરસનદાસની કપોળ જ્ઞાતિના પંચ સાથે મસલતો કરીને તેમને નાત બહાર કરાવી દીધાં. આવા સંજોગોમાં સુરતની ગાદીના મહારાજ જદુનાથજી બ્રિજરત્નજી ૧૮૬૦માં મુંબઈ ગયા. તેમણે કવિ નર્મદ અને કરસનદાસ સહિત બધા સમાજ-સુધારકોને નાસ્તિક જાહેર કર્યા. કરસનદાસે આ સમયે તેમનો ઇતિહાસપ્રસિદ્ધ લેખ 'હિન્દુનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો' લખ્યો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ લેખમાં તેમણે મહારાજોના કુકર્મો જાહેર કર્યા. તેથી જદુનાથજીએ એ જમાનામાં કરસનદાસ મુળજી સામે પચાસ હજાર રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડેલો. આ કેસ 'મહારાજ લાયબલ કેસ' તરીકે જાણીતો થયો. મહારાજોએ તેમના ભાટિયા અનુયાયીઓ ઉપર એવું દબાણ કર્યું કે જે કોઈ ભાટિયા સ્ત્રી કે પુરુષ મહારાજો વિરુદ્ધ જુબાની આપશે તો તેને નાત બહાર કરવામાં આવશે. આથી કરસનદાસે મહારાજો સામે અદાલતમાં ફરિયાદ કરી કે તેમણે જ્ઞાતિપંચ દ્વારા પુરાવાઓ દબાવવાની અને ન્યાયમાં રૂકાવટ લાવવાની સાજિશ કરી હતી. આ કેસ 'ભાટિયા કૉંસ્પિરસી કેસ' તરીકે જાણીતો થયો. ભાટિયા કૉંસ્પિરસી કેસનો ચુકાદો ૧૨ ડિસેમ્બર ૧૮૬૧ના રોજ બ્રિટિશ ન્યાયાધીશ સર જોસેફ આર્નોલ્ડે આપ્યો હતો. તેમાં મહારાજો અને તેમના ભાટિયા અનુયાયીઓને ગુનેગાર ઠરાવીને દંડ કરવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાજ લાયબલ કેસ ૨૫ જાન્યુઆરી ૧૮૬૨ના રોજ શરૂ થયો હતો. એ દરમિયાન કરસનદાસ મુળજી પર તેમના દુશ્મનોએ અનેક હુમલાઓ કર્યા હતા. કેસ ચાલે ત્યારે અદાલતમાં ખૂબ ભીડ જામતી. મુંબઈ ઈલાકાનાં લગભગ બધાં ન્યૂઝપેપરો આ કેસ વિશેના સમાચાર પ્રગટ કરતાં હતા. મહારાજો કેવી રીતે વ્યભિચાર કરતા હતા તેની વિગતો આ કેસ દરમિયાન અદાલતમાં જાહેર થઈ. ભાટિયા અને વાણિયા જ્ઞાતિના મહારાજોના સેવકો તેમના<span style="color: rgb(224, 62, 45);"> <strong>પગની રજકણ ચાટતા, પાણીથી ખરડાયેલા તેમના ધોતિયાને નિચોવીને પાણી પી જતા, તેમનું છાંડેલું અન્ન આરોગતા, તેમનાં ચાવેલાં પાનસોપારી ખાતા, આતુરતાપૂર્વક તેમના કુટુંબની કન્યાઓ અને સ્ત્રીઓ સંભોગ માટે મહારાજોને સોંપતા </strong></span>- આ તમામ વિગતો પૂરાવા સાથે અદાલતમાં પ્રકાશમાં આવી હતી. એક સાક્ષીની જુબાની અનુસાર, 'રાસમંડળી' તરીકે જાણીતી બનેલી મહારાજો અને સ્ત્રીઓ વચ્ચેની રતિક્રીડાનાં દર્શન કરવા માટે ભાવિકોએ મોટી રકમ આપવી પડતી હતી, જે અંગે કરસનદાસે 'સત્યપ્રકાશ'માં જબરજસ્ત લેખો કર્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/Vidya:-The-first-film-to-challenge-caste-in-independent-India"> વિદ્યાઃ આઝાદ ભારતમાં જાતિને પડકાર આપનારી પહેલી ફિલ્મ</a><br></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202407/image_870x_66a8f6faa10b3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાજો તેમની અનુયાયી સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતા તેનો પૂરાવો અદાલતમાં રજૂ થયો હતો. મુંબઈના બે જાણીતા ડૉક્ટરો ભાઉ દાજી અને ધીરજરામ દલપતરામે એવી જુબાની આપી હતી કે જદુનાથજી મહારાજ પરમિયા (સિફિલિસ)ના રોગથી પીડાતા હતા. વ્યભિચાર ઉપરાંત તેઓ તેમના અનુયાયીઓ પાસેથી 'લાગા'ના સ્વરૂપમાં ધન પડાવી લેતા અને મંદિરોને તેમની અંગત મિલકત ગણતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસનો ચુકાદો ૨૨ એપ્રિલ ૧૮૬૨ના રોજ આપવામાં આવ્યો હતો. તેમાં કરસનદાસ નિર્દોષ સાબિત થયા હતા. આ કેસ લડવામાં તેમને ૧૩,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો હતો આથી અદાલતે જદુનાથજી પાસેથી તેમને રૂ. ૧૧,૫૦૦ અપાવ્યા હતા. આ કેસે મુંબઈ વિસ્તારના લોકોમાં નવજાગૃતિ આણવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. કેસ ચાલતો હતો તે દરમિયાન જદુનાથજી મહારાજે કૉર્ટને એવી અરજી કરી હતી કે તેઓ લાખો લોકોના ધાર્મિક અને આધ્યાત્મિક વડા હોઈ તેમને અદાલતમાં જુબાની આપવા માટે ફરજ પાડવામાં ન આવે. પરંતુ ન્યાયાધીશે તેમની આ માગણી સ્વીકારી ન હતી. આ ઘટનાએ એવું પ્રતિપાદિત કર્યું કે જે નીતિમત્તાની વિરુદ્ધ હોય તે ધાર્મિક રીતે સ્વીકારી શકાય નહિ. આ કેસે નવાં બૌદ્ધિક મૂલ્યોનું સર્જન કરીને સમાજ-સુધારકોમાં પરિવર્તન માટેની નૂતન આશા જાગ્રત કરી હતી. અંગ્રેજી છાપાઓમાં કરસનદાસ મુળજીને 'ઇન્ડિયન લ્યુથર' (૧૬મી સદીના ખ્રિસ્તી સમાજસુધારક માર્ટિન લ્યુથરના નામ પરથી) તરીકે ટાંકવામાં આવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ રજૂ થઈ રહેલી આમિર ખાન અને તેના દીકરા જુનૈદની પહેલી ફિલ્મ 'મહારાજ' આ જ આખા મામલા પર આધારિત હોવાનું કહેવાય છે. હવે સમજાયું શા માટે વૈષ્ણવ સંપ્રદાય તેનો વિરોધ કરી રહ્યો છે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/Kaala---The-roar-of-Dalit-identity-presented-on-the-cinema-screen"> Kaala - સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહગર્જના</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 18 Jun 2024 17:34:24 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 30 Jul 2024 19:53:02 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>784</Articleid>
                    <excerpt>&#039;મહારાજ&#039; ફિલ્મ પર હાલ હાઈકોર્ટે વચગાળાનો સ્ટે મૂકી દીધો છે. પણ વૈષ્ણવો શા માટે આ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે તેનું અસલી કારણ તમને ખબર હોવું જોઈએ. વાંચો આ લેખ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a8f69926f16.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a8f698e2ddf.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a8f698e2ddf.jpg" length="95444" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>એક મહિનામાં પ્રવેશ રદ કરાવી લેનાર વિદ્યાર્થીઓને 100 ટકા ફી રિફંડ મળશે</title>
                    <link>https://khabarantar.com/students-who-cancel-their-admission-within-one-month-will-get-hundred-percent-fee-refund</link>
                    <guid>https://khabarantar.com/students-who-cancel-their-admission-within-one-month-will-get-hundred-percent-fee-refund</guid>
                    <description>
                        <![CDATA[ UGC દ્વારા વર્ષ-૨૦૨૪-૨૫ માટેની ફી રિફંડ પોલિસી જાહેર કરાઈ છે. જેમાં  કોલેજમાં એક મહિનામાં પ્રવેશ રદ કરાવી દેનારા વિદ્યાર્થીને ૧૦૦ ટકા ફી પરત મળશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સહિત દેશભરની યુનિવર્સિટી તેમજ કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા વર્ષ-૨૦૨૪-૨૫ માટેની ફી રિફંડ પોલિસી જાહેર કરાઈ છે.યુજીસી દ્વારા યુનિ. કોલેજોને તાકીદ કરી છે કે, ૩૦ સપ્ટેમ્બર સુધી પ્રવેશ રદ કરાવનાર વિદ્યાર્થીઓને ૧૦૦ ટકા ફી પરત આપવાની રહેશે. એટલું જ નહી, ૩૧ ઓક્ટોબર સુધી બેઠક છોડનાર વિદ્યાર્થીની માત્ર રૂ.૧ હજાર પ્રોસેસિંગ ફીના કાપવાના રહેશે, એ સિવાયની તમામ ફી પરત આપવાની રહેશે. પ્રવેશ સમયપત્રક કેટલીક યુનિ.ઓમાં ફેરફાર પણ થતાં હોય છે. આથી પ્રવેશ લીધાના ૧ મહિનામાં જે વિદ્યાર્થી પ્રવેશ રદ કરાવે તેને ૧૦૦ ટકા ફી પરત કરવાની યુજીસી દ્વારા તાકીદ કરાઈ છે. ઘણી કોલેજાો દ્વારા પ્રવેશ રદ કરાવનાર વિદ્યાર્થીઓને ફી પરત કરાતી ન હોવાની ફરિયાદો ઉઠતા યુજીસી દ્વારા જાહેર નોટીસ ઈશ્યૂ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદમાં કોલેજમાં એક મહિનામાં પ્રવેશ-રદ કરાવી દેનારા વિદ્યાર્થીઓને રિફંડ પોલિસીનો લાભ મળશે. તેમાં વિદ્યાર્થીને 100 ટકા ફી પરત મળશે. UGC દ્વારા વર્ષ-2024-25 માટે ફી રિફંડ પોલિસી જાહેર કરવામાં આવી છે. તેમાં પ્રવેશ રદ કરાવનાર વિદ્યાર્થીઓને કોલેજો ફી પરત આપતી ન હોવાથી હાલાકી પડતી હતી. તેમાં UGCએ જણાવ્યું છે કે નિયમો ન પાળનારી સંસ્થા સામે માન્યતા રદ સુધીના પગલાં ભરાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/Veer-Narmad-South-Gujarat-University-will-start-a-certificate-course-on-the-history-of-Ram-Mandir"><strong> </strong></a><a href="https://khabarantar.com/jawaharlal-nehru-university-jnu-became-the-premier-educational-institution-of-the-country"><strong>જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(JNU) દેશની ટોચની શૈક્ષણિક સંસ્થા બની</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66713b82ec904.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુજીસીએ એમ પણ કહ્યું છે કે, કોઈ કોલેજ ૩૧ ઓક્ટોબર સુધી પ્રવેશ આપવાના ચાલુ રાખે તો, પ્રવેશની અંતિમ તારીખથી ૧૫ દિવસ પહેલા અરજી કરનાર વિદ્યાર્થીઓની ૧૦૦ ટકા ફી પરત કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, ઘણી બધી કોલેજો દ્વારા વિદ્યાર્થીઓ પ્રવેશ રદ કરવા છતાં પણ તેમને ફી પરત કરવામાં આવતી નથી, જેના કારણે અન્ય કોલેજમાં પ્રવેશ મેળવવામાં પણ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે. જેથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખી યુજીસી દ્વારા ફી રિફંડ પોલિસી બનાવવામાં આવી છે. મહત્ત્વનું છે કે, કોલેજોની આ પ્રકારની હરકતોને લઈ યુજીસી સુધી ફરિયાદો પહોંચતા ગત તા. ૧૫મી મેના રોજ મળેલી બેઠકમાં આ ર્નિણય લેવાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુજીસી દ્વારા જણાવાયું છે કે, નિયમોનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓ સામે દંડનીય કાર્યવાહી કરવાની સાથે સાથે માન્યતા રદ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે. યુજીસીએ તેના પત્રમાં સ્પષ્ટ જણાવ્યુ છે કે, કોઈ શૈક્ષણિક સંસ્થા નિયમોનું ઉલ્લંઘન કરે તો વિદ્યાર્થીઓ સીધી યુજીસીમાં ફરિયાદ કરી શકશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ઘણી બધી કોલેજો દ્વારા વિદ્યાર્થીઓ પ્રવેશ રદ કરવા છતાં પણ તેમને ફી પરત કરવામાં આવતી નથી, જેના કારણે અન્ય કોલેજમાં પ્રવેશ મેળવવામાં પણ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે. જેથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખી યુજીસી દ્વારા ફી રિફંડ પોલિસી બનાવવામાં આવી છે. મહત્ત્વનું છે કે, કોલેજોની આ પ્રકારની હરકતોને લઈ યુજીસી સુધી ફરિયાદો પહોંચતા ગત તા. 15મી મેના રોજ મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/Veer-Narmad-South-Gujarat-University-will-start-a-certificate-course-on-the-history-of-Ram-Mandir"><strong> વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રામમંદિરના ઈતિહાસ પર સર્ટિફીકેટ કોર્ષ શરૂ કરશે</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 18 Jun 2024 13:22:57 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 18 Jun 2024 13:31:49 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>783</Articleid>
                    <excerpt>UGC દ્વારા વર્ષ-૨૦૨૪-૨૫ માટેની ફી રિફંડ પોલિસી જાહેર કરાઈ છે. જેમાં  કોલેજમાં એક મહિનામાં પ્રવેશ રદ કરાવી દેનારા વિદ્યાર્થીને ૧૦૦ ટકા ફી પરત મળશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_66713b6db1826.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_66713b6d7b8d6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_66713b6d7b8d6.jpg" length="102174" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>મોદી સવર્ણોના તરફદાર હોવાથી જાતિ આધારિત વસ્તી ગણતરી નથી કરાવતા</title>
                    <link>https://khabarantar.com/modi-does-not-conduct-caste-based-census-as-he-is-pro-caste</link>
                    <guid>https://khabarantar.com/modi-does-not-conduct-caste-based-census-as-he-is-pro-caste</guid>
                    <description>
                        <![CDATA[ લાલુ પ્રસાદ યાદવે મોદી સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે દેશની 89 ટકા સંપત્તિ કથિત સવર્ણો પાસે છે, તેમને રાજી રાખવા મોદી જાતિઆધારિત વસ્તી ગણતરી નથી કરાવતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવે ફરી એકવાર કેન્દ્રની એનડીએ સરકાર પર નિશાન સાધ્યું છે. વર્લ્ડ ઈનઈક્વાલિટી લેબના આંકડાઓને લઈને તેમણે મોદી સરકારને ટોણો મારતા કહ્યું હતું કે, કથિત ઉંચી જાતિઓની સમૃદ્ધિ જોઈને મોદી સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવતી નથી. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ ઈનઈક્વાલિટી લેબના આંકડાઓનો રિપોર્ટ હાલ મીડિયામાં ચર્ચાઈ રહ્યો છે, જે મુજબ દેશની કુલ સંપત્તિ પૈકી 89 ટકા હિસ્સો કથિત સવર્ણો પાસે છે જ્યારે દલિતો પાસે દેશની કુલ સંપત્તિનો 3 ટકા જેટલો હિસ્સો પણ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ડેટા દ્વારા લાલુપ્રસાદે મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. લાલુએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ઉચ્ચ જાતિઓની સમૃદ્ધિ જોઈને મોદી સરકાર જાતિ ગણતરી કરાવવા માંગતી નથી. વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબના સંશોધનમાં પછાત લોકો, દલિતો અને આદિવાસીઓ માટે ડરામણા આંકડા બહાર આવ્યા છે. આ સંશોધન દેશમાં વધી રહેલી સામાજિક-આર્થિક અસમાનતાને દર્શાવે છે. દેશની કુલ સંપત્તિનો સૌથી મોટો હિસ્સો, લગભગ ૮૯ ટકા હિસ્સો કથિત સવર્ણો પાસે છે, આશ્ચર્યની વાત એ છે કે તેમની વસ્તી દેશના દલિત, આદિવાસીઓ અને ઓબીસી વર્ગ કરતા ક્યાંય ઓછી છે. જે બતાવે છે કે આપણા દેશમાં સામાજિક-આર્થિક અસમાનતાના મૂળ કેટલા ઊંડા છે. મોદી સરકાર સતત ૧૦ વર્ષથી એસસી-એસટી અને ઓબીસી કેટેગરીના નાના ઉદ્યોગોને નિશાન બનાવીને નષ્ટ કરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/dalits-share-only-2.6-percent-of-the-countrys-wealth-89-percent-of-the-general"><strong>દેશની સંપત્તિમાં દલિતોનો હિસ્સો ફક્ત 2.6 ટકા, જનરલનો 89 ટકા</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6670434dd0243.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરજેડી સુપ્રીમોએ કહ્યું કે આ રિપોર્ટ અનુસાર, ઉચ્ચ જાતિઓ પાસે દેશની કુલ સંપત્તિના ૮૮.૪ ટકા છે જ્યારે ઓબીસી પાસે માત્ર ૯.૦ ટકા અને અનુસૂચિત જાતિ અને જનજાતિ પાસે માત્ર ૨.૬ ટકા છે. ૨૦૧૩માં ઓબીસીનો દેશની સંપત્તિમાં ૧૭.૩ ટકા હિસ્સો હતો, જે ૨૦૨૨માં ઘટીને માત્ર ૯ ટકા થયો છે. નાના અને મધ્યમ કદના ઉદ્યોગો સતત ઘટી રહ્યાં છે. કૃષિ નુકસાન વધી રહ્યું છે. સરકારની ખોટી નીતિઓને કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લાલુ પ્રસાદે કહ્યું કે દેશમાં એસસી એસટી અને ઓબીસીની વસ્તી લગભગ ૮૫ ટકા છે. આ જ કારણ છે કે ભારતીય જનતા પાર્ટી જાતિ ગણતરી કરાવવા માંગતી નથી. કારણ કે તે દરેક ક્ષેત્રમાં બેઠેલા સમૃદ્ધ લોકોના વર્ચસ્વને છતી કરશે. જ્યાં સુધી એસસી-એસટી, ઓબીસી અને ઉચ્ચ જાતિના ગરીબ લોકો ભારતીય જનતા પાર્ટીની ભક્તિ, કટ્ટરતા અને નફરતનું વાવેતર કરનારા તોફાનીઓને તેમના નેતા તરીકે સ્વીકારવાનું ચાલું રાખશે, ત્યાં સુધી આ આંકડા વધુ ખરાબ થશે. છેલ્લા ૧૦ વર્ષોમાં તેમણે એસસી-એસટી અને ઓબીસીને કૃત્રિમ મુદ્દાઓ, ધર્મ અને સ્યુડો રાષ્ટ્રવાદની ચર્ચાઓમાં ભોળવી રાખીને પોતાની સામાજિક, રાજકીય અને આર્થિક શક્તિને વધુ મજબૂત કરી છે. આ લોકો ચાલાકીપૂર્વક એસસી-એસટી અને ઓબીસીનું પ્રતિનિધિત્વ ખતમ કરી રહ્યાં છે. તેઓ દલિતો, આદિવાસીઓ અને ઓબીસી તેમના કાયદેસરના અધિકારોની માંગ ન કરી શકે તેવી સ્થિતિમાં તેમને લાવી દેવા માંગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/Casteism-in-recruitment-of-assistant-professors-of-Sanskrit:-15-out-of-27-professors-Brahmin,-Dharamshi-Dhapa-starts-fight"><strong>સંસ્કૃતના આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતીમાં જાતિવાદઃ 27માંથી 15 પ્રોફેસરો બ્રાહ્મણ, ધરમશી ધાપાએ લડત આરંભી</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 17 Jun 2024 19:45:16 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 17 Jun 2024 19:44:46 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>780</Articleid>
                    <excerpt>લાલુ પ્રસાદ યાદવે મોદી સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે દેશની 89 ટકા સંપત્તિ કથિત સવર્ણો પાસે છે, તેમને રાજી રાખવા મોદી જાતિઆધારિત વસ્તી ગણતરી નથી કરાવતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6670433b5a3d4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6670433b25c3f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6670433b25c3f.jpg" length="80248" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>EVMમાં ચેડાં કરી શકાય છે, મેં વર્ષો સુધી તેનો અભ્યાસ કર્યો છે &amp; સામ પિત્રોડા</title>
                    <link>https://khabarantar.com/evms-can-be-tampered-with-i-have-studied-it-for-years-sam-pitroda</link>
                    <guid>https://khabarantar.com/evms-can-be-tampered-with-i-have-studied-it-for-years-sam-pitroda</guid>
                    <description>
                        <![CDATA[ મહારાષ્ટ્રમાં ઈવીએમમાં ચેડાંની ફરિયાદ પછી ઈલોન મસ્કે કરેલી ટ્વિટ બાદ હવે ભારતમાં ટેલિકોમ્યુનિકેશનનો પાયો નાખનાર સામ પિત્રોડાએ પણ ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે તેમ છતાં ઈવીએમને લઈને ઉભો થયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. અગાઉ મહારાષ્ટ્રમાં ભાજપના નેતાના મોબાઈલમાં ઈવીએમ અનલોક કરવા માટે ઓટીપી આવ્યો હોવાનો મામલો ચગ્યો હતો. એ પછી સ્પેસ એક્સ અને ટેસ્લાના માલિક ઈલોન મસ્કે પણ ઈવીએમમાં ચેડાં થઈ શકે છે તેવી ટ્વિટ કરી હતી. આ બે બાબતોની ચર્ચાઓ હજુ શમી નથી ત્યાં નોલેજ કમિશનના પૂર્વ ડિરેક્ટર અને ઓવરસીસ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સામ પિત્રોડાએ પણ ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામ પિત્રોડાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, "ઈવીએમ દ્વારા ચૂંટણી કરાવવી યોગ્ય નથી, તેનાથી સારું છે કે બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે." સામ પિત્રોડાએ વધુમાં લખ્યું હતું કે, "મેં 60 વર્ષ કરતા વધુ સમય ઈલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ જેવા સેક્ટરમાં કામ કર્યું છે. મેં ઈવીએમની આખી વ્યવસ્થાનો અભ્યાસ કર્યો છે. મારું માનવું છે કે આમાં ચેડાં થઈ શકે છે. સારું એ છે કે, બેલેટ પેપરથી ચૂંટણી થાય અને તેની ગણતરી સાથે જ હારજીતનો ફેંસલો કરવામાં આવે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/sir-voters-dont--trust-evms-prashant-bhushan">સર, મતદારોને ઈવીએમ પર ભરોસો નથીઃ પ્રશાંત ભૂષણ</a></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બધાં વચ્ચે મુંબઈની ઉત્તર પશ્ચિમ લોકસભા સીટ પર ઈવીએમ હેક કરવામાં આવ્યાના આરોપો વચ્ચે ચૂંટણી પંચે જવાબ આપતા જણાવ્યું હતું કે, ઈવીએમ એકદમ અલગ ચીજ છે. તે ઈલેક્ટ્રોનિક્સ કે પછી ઈન્ટરનેટ જેવી કોઈ વસ્તુ સાથે જોડાયેલું નથી હોતું, જેના કારણે તેને હેક કરી શકાતું નથી. આ સિવાય જે દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેને અનલોક કરવા માટે ઓટીપીની જરૂર પડે છે, તે પણ ખોટો છે. આ તરફ ભાજપે ચૂંટણી પંચ પાસે માંગ કરી છે કે, એ લોકો સામે પગલાં લેવામાં આવે, જે ઈવીએમને બદનામ કરી રહ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, એક મીડિયા રિપોર્ટમાંથી આ આખો બખેડો શરૂ થયો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા સીટના ઉમેદવાર રવિન્દ્ર વાયકરના એક સંબંધીએ ઈવીએમ સાથે મોબાઈલને કનેક્ટ કરી લીધો હતો. આ મામલો 4 જૂન 2024નો છે, જે દિવસે લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા હતા. આ ચૂંટણીમાં રવિન્દ્ર વાયકર ફક્ત 48 મતોના નજીવા અંતરથી જિત્યા હતા. જેના કારણે એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમણે તેમના સંબંધીના મોબાઈલથી ઈવીએમને જોડીને આખો ખેલ પાડ્યો હતો અને તેમણે પોતાની તરફેણમાં પરિણામો ફેરવી દીધા હતા. આ મામલે હવે ઈલોન મસ્ક બાદ સામ પિત્રોડાનું પણ નિવેદન આવતા મામલો ફરી ગરમાયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, સામ પિત્રોડા ભારતમાં ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિના જનક મનાય છે. એંશીના દાયકામાં રાજીવ ગાંધી તેમને વિદેશમાંથી ભારતમાં લાવ્યા હતા અને દેશ માટે કામ કરવા કહ્યું હતું. સામ પિત્રોડાએ એ જમાનાામાં લેન્ડલાઈન ફોનનું નેટવર્ક પણ મર્યાદિત હતું તે સ્થિતિમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. એ પછી તેમણે જે કામ કર્યું તેના પર જ દેશનું આખું ટેલિકોમ્યુનિકેશન માળખું ઉભું થયું હતું. સામ પિત્રોડાના વડવાઓ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના રણની ટિકર ગામના વતની હતા. એ રીતે તેમનું ગુજરાત સાથે પણ કનેક્શન છે. વિશ્વના ટેકનોજગતમાં તેમનું મોટું નામ છે અને તેઓ જે પણ કંઈ બોલે છે તેને ગંભીરતાથી લેવામાં આવે છે. તેઓ ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા પર પણ તેમની સારી પકડ છે. હવે જ્યારે તેમણે આ નિવેદન આપ્યું છે ત્યારે ચોક્કસ ઈવીએમ મામલે નવેસરથી ચર્ચા છેડાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/can-evms-really-be-tampered-with">શું ઈવીએમમાં ખરેખર ચેડાં થઈ શકે છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 17 Jun 2024 14:11:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>779</Articleid>
                    <excerpt>મહારાષ્ટ્રમાં ઈવીએમમાં ચેડાંની ફરિયાદ પછી ઈલોન મસ્કે કરેલી ટ્વિટ બાદ હવે ભારતમાં ટેલિકોમ્યુનિકેશનનો પાયો નાખનાર સામ પિત્રોડાએ પણ ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666ff66eae379.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666ff66e7a817.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666ff66e7a817.jpg" length="73594" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>માયાવતી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર KRK સામે ફરિયાદ નોંધાઈ</title>
                    <link>https://khabarantar.com/complaint-filed-against-krk-for-making-lewd-comments-against-mayawati</link>
                    <guid>https://khabarantar.com/complaint-filed-against-krk-for-making-lewd-comments-against-mayawati</guid>
                    <description>
                        <![CDATA[ બોલીવૂડના કથિત અભિનેતા અને ફિલ્મ સમીક્ષક કેઆરકે વિરુદ્ધ બસપા સુપ્રીમો માયાવતી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીનું પ્રદર્શન સારું નથી રહ્યું. પરિણામને લઈને પાર્ટી અત્યંત ગંભીરતાથી વિચારવિમર્શ કરી રહી છે ત્યારે બોલીવૂડમાંથી ફેંકાઈ ગયેલા અને ટ્વિટર પર સલમાન ખાનથી લઈને અન્ય બોલીવૂડ અભિનેતાઓ પર મનફાવે તેમ બકવાસ કરતા કથિત અભિનેતા કમાલ આર ખાન ઉર્ફે કેઆરકેને બીએસપી સુપ્રીમો માયાવતી પર અભદ્ર ટ્વિટ કરવી મોંઘી પડી રહી છે. આ મામલે હવે તેની સામે દેવબંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666fd20633620.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં જ બસપા સુપ્રીમો માયાવતીએ સહારનપુર લોકસભા સીટ પરથી બસપાના સિમ્બોલ પર ચૂંટણી લડેલા માજિદ અલીને પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા. માજિદ અલી કેઆરકેના ભાઈ છે, જેના કારણે કેઆરકેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી માયાવતી પર પ્રહારો કર્યા હતા. માજિદ અલીએ સહારનપુર લોકસભા સીટથી બસપાના સિમ્બોલ પર ચૂંટણી લડી હતી પણ તેઓ હારી ગયા હતા. ચૂંટણી પરિણામો આવ્યાના બીજા જ દિવસે બસપા સુપ્રીમોએ માજિદ અલીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. જે બાદ KRKએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટનો જવાબ આપતા બહેનજી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong> </span><a href="https://khabarantar.com/dalit-politics-from-here-to-the-desert-from-here-to-the-river">દલિત રાજનીતિઃ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ...</a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666fd205a71a3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયાવતી પર ટિપ્પણી કરતા કેઆરકેએ એક પોસ્ટના જવાબમાં બહેનજીને ટોઈલેટ સાફ કરવાની સલાહ આપી હતી. આ અંગે બસપા નેતા સુશીલ કુમારે દેવબંધ પોલીસ સ્ટેશનમાં કેઆરકે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં સુશીલકુમારે જણાવ્યું છે કે, "બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી, જેમને સમગ્ર બહુજન સમાજ ખૂબ જ આદર અને સન્માન આપે છે. તેમના વિરુદ્ધ કમાલ રાશિદ ખાને ટ્વિટર પર અભદ્ર ટિપ્પણી કરી છે, જે વાંચીને સૌ કોઈ અપમાન થયાનું અનુભવી રહ્યાં છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુશીલ કુમારની ફરિયાદ પર દેવબંદ પોલીસે KRK પર આઈપીસીની કલમ 500, 509 અને એસસી એસટી એક્ટની કલમ 3 (1) હેઠળ કેસ નોંધ્યો છે. હાલ જે રીતે સમગ્ર બીએસપી આક્રમક મૂડમાં દેખાઈ રહી છે તે જોતા કેઆરકેની મુશ્કેલી વધી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/mayawati-disappointed-with-bsps-electoral-defeat-made-an-announcement-about-muslims"><strong>ચુંટણીમાં  BSP ની હાર થતાં માયાવતી નિરાશ, મુસ્લિમોને લઈને જાહેરાત કરી</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 17 Jun 2024 11:42:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>777</Articleid>
                    <excerpt>બોલીવૂડના કથિત અભિનેતા અને ફિલ્મ સમીક્ષક કેઆરકે વિરુદ્ધ બસપા સુપ્રીમો માયાવતી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666fd1ea58b6f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666fd1ea27e1d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666fd1ea27e1d.jpg" length="70789" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>NCERTના નવા પુસ્તકમાંથી બાબરી મસ્જિદ અને ગોધરાકાંડ ગાયબ</title>
                    <link>https://khabarantar.com/babri-masjid-and-godhrakand-missing-from-new-ncert-book</link>
                    <guid>https://khabarantar.com/babri-masjid-and-godhrakand-missing-from-new-ncert-book</guid>
                    <description>
                        <![CDATA[ NCERT ના ધોરણ 12ના પોલિટિકલ સાયન્સના નવા પુસ્તકમાંથી બાબરી મસ્જિદ, ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણો, અયોધ્યા વિવાદ જેવા પ્રકરણો દૂર કરી દીધાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">NCERTનું ધોરણ 12નું નવું પુસ્તર માર્કેટમાં આવી ગયું છે. આ પુસ્તકમાં બાબરી મસ્જિદ અને ગુજરાતમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેયા રમખાણો સંબંધિત બાબતો હટાવી દેવામાં આવી છે. આ અંગે NCERTના નિયામકનું કહેવું છે કે શાળાના પાઠ્યપુસ્તકોમાં રમખાણો વિશે શીખવવાથી નાગરિકો પર 'પોઝિટિવ' અસર નહીં થાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">NCRTCના ધોરણ ૧૨ પોલિટિકલ સાયન્સના પુસ્તકમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે માર્કેટમાં આવેલા પુસ્તકમાં અયોધ્યાનો આખો મામલો બદલી નાખવામાં આવ્યો છે. ખાસ કરીને બાબરી મસ્જિદને બદલે ત્રણ ગુંબજવાળું માળખું શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે. સાથે જ અયોધ્યાનું પ્રકરણ પણ 4 પેજથી ઘટાડીને 2 પેજનું કરી દેવામાં આવ્યું છે. અગાઉના પુસ્તકની સરખામણીએ આ નવા પુસ્તકમાંથી અયોધ્યા કેસ સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ વિગતો દૂર કરવામાં આવી છે. જેમ કે, ભાજપની સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા, તેમાં કાર સેવકોની ભૂમિકા, ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદના ધ્વંસ પછી થયેલા કોમી તોફાનોનો સમાવેશ થાય છે. આ સિવાય અયોધ્યામાં બનેલી ઘટનાઓ પર સરકાર અને ભાજપ દ્વારા ખેદ વ્યક્ત કરવામાં આવતાં તથ્યો દૂર કરવામાં આવ્યા છે. ૧૨મા ધોરણના પોલિટિકલ સાયન્સના જૂના પુસ્તકમાં ૪ પાનામાં અયોધ્યા મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ નવા પુસ્તકમાં અયોધ્યા વિવાદના પ્રકરણને ઘટાડીને માત્ર ૨ પાનામાં આવરી લેવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂના પુસ્તકમાં બાબરી મસ્જિદને મુગલ બાદશાહ બાબરના સેનાપતિ મીર બાકી દ્વારા બનાવવામાં આવેલી ૧૬મી સદીની મસ્જિદ તરીકે રજૂ કરવામાં આવી છે. નવા પુસ્તકમાં તેનો ઉલ્લેખ “શ્રી રામના જન્મસ્થળ પર ૧૫૨૮માં બાંધવામાં આવેલ ત્રણ ગુંબજવાળી રચના" તરીકે કરવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નવા પુસ્તકમાં સુપ્રીમ કોર્ટના તે નિર્ણયનો પણ ઉલ્લેખ છે જેમાં તેણે કહ્યું હતું કે વિવાદિત જમીન હિંદુ પક્ષને આપવામાં આવે. સાથે જ તેમાં અયોધ્યા વિવાદ પર ૯ નવેમ્બર, ૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના ૫-૦ના ચૂકાદાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂના પુસ્તકમાં ફૈઝાબાદ(હાલનું અયોધ્યા) ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ પર ફેબ્રુઆરી ૧૯૮૬માં મસ્જિદના તાળા ખોલવામાં આવ્યા પછી “બંને બાજુએ” થયેલી ગતિવિધિનું વર્ણન છે. તેમજ કોમી તણાવ, સોમનાથથી અયોધ્યા સુધી આયોજિત રથયાત્રા, ડિસેમ્બર ૧૯૯૨માં રામ મંદિરના નિર્માણ માટે સ્વયંસેવકો દ્વારા કરાયેલી કાર સેવા, મસ્જિદ તોડી પાડવા અને ત્યારબાદ જાન્યુઆરી ૧૯૯૩માં થયેલી સાંપ્રદાયિક હિંસાનો ઉલ્લેખ છે, પરંતુ નવા પુસ્તકમાં રામ મંદિરના નિર્માણ માટે હિંદુવાદી સંગઠનો દ્વારા કરવામાં આવેલી કાર સેવાની વિગતો દૂર કરી દેવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;">જૂના પુસ્તકમાં ભાજપે બાબરી ધ્વંસ બાદ અયોધ્યામાં બનેલી ઘટનાઓ પર ખેદ વ્યક્ત કર્યો હતો તેની વિગતો હતી, પણ નવા પુસ્તકમાંથી તેને ઉડાડી દેવામાં આવી છે. નવા પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, "૧૯૮૬માં જ્યારે ફૈઝાબાદ (હવે અયોધ્યા) ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ માળખું ખોલવાનો ચૂકાદો આપ્યો ત્યારે ત્રણ ગુંબજવાળા માળખામાં લોકોને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપી. આ વિવાદ ઘણા વર્ષો ચાલ્યો. એવું માનવામાં આવતું હતું કે, ત્રણ ગુંબજવાળું માળખું શ્રીરામના જન્મસ્થળ પરનું એક મંદિરને તોડી પાડ્યા પછી બનાવવામાં આવ્યું હતું."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂના પુસ્તકમાં આ પ્રકરણમાં બાબરી ધ્વંસ અને ત્યાર પછીની ઘટનાઓ સાથે સંબંધિત સમાચારપત્રોના લેખોની તસવીરો હતી, પરંતુ નવા પુસ્તકમાંથી તે તમામને દૂર કરી દેવામાં આવી છે. જૂના પુસ્તકમાં ૭ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ પ્રકાશિત એક લેખનો પણ સમાવેશ થતો હતો જે યુપીના તત્કાલિન મુખ્યમંત્રી કલ્યાણસિંહ સાથે સંબંધિત હતો. પણ નવા પુસ્તકમાંથી તેને પણ હટાવી દેવાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત રમખાણો અથવા બાબરી મસ્જિદ ધ્વંસના સંદર્ભમાં પાઠયપુસ્તકોમાં ફેરફાર વિશે પૂછવામાં આવતા, NCERTના ડિરેક્ટર સકલાનીએ કહ્યું કે, 'શા માટે આપણે શાળાના પાઠ્યપુસ્તકોમાં રમખાણો વિશે શીખવવું જોઈએ? અમે સકારાત્મક નાગરિકો બનાવવા માંગીએ છીએ, હિંસક અને હતાશ નાગરિકો નહીં. પાઠ્યપુસ્તકોમાં ફેરફાર વાર્ષિક રિવિઝનનો ભાગ છે અને તેને હોબાળોનો વિષય ન બનાવવો જોઈએ. શું આપણે આપણા વિદ્યાર્થીઓને એવી રીતે ભણાવવું જોઈએ કે તેઓ આક્રમક બને, સમાજમાં નફરત પેદા કરે કે નફરતનો ભોગ બને? શું આ શિક્ષણનો હેતુ છે? શું આપણે આવા નાના બાળકોને રમખાણો વિશે શીખવવું જોઈએ? જ્યારે તેઓ મોટા થાય ત્યારે તેઓ આ વિશે જાણી શકે પણ શાળાના પાઠ્યપુસ્તકોમાંથી શા માટે? જ્યારે તેઓ મોટા થાય, ત્યારે તેમને સમજવા દો કે શું થયું અને શા માટે થયું. એટલે આ ફેરફારો અંગેનો હોબાળો અપ્રસ્તુત છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/pms-low-class-speeches-offensive-language-defeated-bjp">પીએમના સાવ નિમ્નકક્ષા ભાષણો, વાંધાજનક શબ્દપ્રયોગોએ ભાજપને હરાવી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 16 Jun 2024 23:11:23 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 16 Jun 2024 23:11:10 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>775</Articleid>
                    <excerpt>NCERT ના ધોરણ 12ના પોલિટિકલ સાયન્સના નવા પુસ્તકમાંથી બાબરી મસ્જિદ, ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણો, અયોધ્યા વિવાદ જેવા પ્રકરણો દૂર કરી દીધાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666f231b8bfde.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666f231b5d778.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666f231b5d778.jpg" length="99863" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>શક્તિસિંહ ગોહિલનો ગુજરાત સરકાર પર 12 અબજના ભ્રષ્ટાચારનો આરોપ</title>
                    <link>https://khabarantar.com/shaktisinh-gohil-accuses-gujarat-government-of-12-billion-corruption</link>
                    <guid>https://khabarantar.com/shaktisinh-gohil-accuses-gujarat-government-of-12-billion-corruption</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાત કોંગ્રસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર જીઆઈડીસીમાં રૂ. 12 અબજના મહાકૌભાંડનો આરોપ મૂક્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપ દ્વારા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઇડીસી)માં બે તબક્કામાં કરાયેલા રૂ. 1570 કરોડની માતબર રકમના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવાઓ છે, તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર અણઆવડત અને ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ છે. ચૂંટણી સમયે કહેતી 'ભરોસાની ભાજપ' તે હવે 'ભ્રષ્ટાચારની ભાજપ' બની ગઈ છે તેમ પણ ગોહિલે જણાવ્યું હતું. આ ભ્રષ્ટાચાર થકી સરકારી તિજોરીને રૂ. 1570 કરોડની માતબર રકમનું નુકસાન કરાવ્યું છે, તે અંગે હાઇકોર્ટ કે સુપ્રીમના સિટિંગ જજ મારફત તપાસ કરાવવામાં આવે તેવી માંગણી પણ ગોહિલે કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આજે પ્રદેશ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે ભાજપના ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ (જીઆઇડીસી)માં પ્રથમ તબક્કામાં રૂ. 350 કરોડ અને બીજા તબક્કામાં રૂ.1250 કરોડની રકમના ભ્રષ્ટાચારના પુરાવાઓ અને હકીકતોની માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજયમાં નાના-નાના ઉદ્યોગકારોનું પ્રઓત્સાહન મળે, સ્થાનિકોને રોજગારી મળે અને ઉદ્યોગોનો સંતુલિત વિકાસ થાય તે માટે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઇડીસી)ની રચના કરાઇ હતી. પરંતુ ભાજપ સરકારે આ જીઆઇડીસીનો લાભ આપવા કે સંતુલિત વિકાસ કે નાના માણસોને ફાયદો કરાવવાના બદલે હેતુફર કરીને માનિતાઓને મિલકતો પધરાવીને કરોડો રૂપિયાપેદા કરીને ભ્રષ્ટાચાર કર્યો છે. તેનો એક નમૂનો સામે આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારે દહેજ અને સાયખા ઔદ્યોગિક ઝોનમાં પ્રથમ તબક્કામાં રૂ. 3 અબજ 50 કરોડ અને બીજા તબક્કામાં રૂ. 12 અબજ 20 કરોડથી વધારેનો ભ્રષ્ટાચાર કર્યો છે. જે માટે તા. 24-04-2023ના રોજ દહેજ અને સાયખામાં કેમિકલ ઝોનમાં જમીનના પ્લોટ ફાળવવા માટે જીઆઇડીસી દ્વારા અરજીઓ મંગાવવામાં આવી અને તેનો બેઠો ભાવ રૂ.2,845/ પ્રતિ ચો.મી. હતો. અરજીઓ મંગાવ્યા બાદ ત્રણ મહિનામાં તા. 27-07-2023ના રોજ એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે, દહેજ અને સાયખાએ સેચ્યુરેટેડ ઝોનમાં ગણાશે. જેથી બેઠા ભાવે જમીન ફાળવી શકાશે નહીં. અને અગાઉ જે કઈ અરજીઓ તા. 24-04-2023ના રોજ મંગાવવામાં આવી હતી તે રદ કરાઇ છે. અને હવે જે કોઈ જંત્રી/ઔદ્યોગિક દર છે તેમાં 20% ટકા ઉમેરીને જાહેર હરાજીથી જ પ્લોટ ફાળવાશે. તથા નિયમાનુસાર સંપૂર્ણ કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી લેનારના નામે પ્લોટ તબદીલ થશે નહીં.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666efc77b005e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, આ પરિપત્ર કર્યા બાદ જે જૂની અરજીઓ આવી હતી તે બધા સાથે મોટાપાયે વાટાઘાટો અને વહીવટ થયા બાદ ભ્રષ્ટાચારનું ષડયંત્ર રચાયું. તે મુજબ જો હરાજી કરાય તો આ વિસ્તારમાં એક ચો.મી.ના ઓછામાં ઓછા રૂ. 10,000/ ઊભા થાય તેવી સ્થિતિ હતી. કારણ કે, આ પરિપત્રના એક વર્ષ અગાઉ એશિયન પેઇન્ટ્સ દ્વારા આ જ વિસ્તારમાં પ્લોટ ખરીદયો હતો ત્યારે તેની કિંમત પ્રતિ. ચો. મી. દીઠ રૂ. 8,000/થી વધારેની ચૂકવવી પડી હતી. તો દહેજ અને સાયખા કરતાં વધારે અંદર અને અપૂરતી સુવિધા વાળા વિસ્તારો એવા ઝઘડિયા અને પાનોલીમાં પણ રૂ. 6,000 થી 7500/નો ભાવ કેમિકલ ઝોનમાં વર્ષ 2022માં હરાજીથી સરકારને પ્રાપ્ત થયો હતો. જો દહેજ અને સાયખામાં આ રીતે હરાજી થાય તો જે પ્લોટની જમીનોની હરાજી કરવાની થાય છે તેમાં પ્રથમ તબક્કામાં પાંચ લાખ ચો.મી. જમીન અને બીજા તબક્કામાં 20 લાખ ચો.મી. જમીન આપવાની થાય તો સરકારને ખૂબ મોટી રકમની આવક થઈ શકે તેમ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, ષડયંત્રના ભાગરૂપે બધા સાથે મોટો વહીવટ કરીને જીઆઇડીસીએ દહેજ અને સાયખાના જે વિસ્તારને સેચ્યુરેટેડ ઝોન જાહેર કર્યો હતો અને જ્યાં જમીન માત્ર જાહેર હરાજીથી આપી શકાય એમ હતી તેવા પરિપત્રને માત્ર છ મહિનામાં એટલે કે, તા. 08-02-204ના રોજ ઉલટાવી નાખ્યો હતો. અને એવો પરિપત્ર કરાયો હતો કે, દહેજ અને સાયખામાં આવેલા કેમિકલ ખોનને હવે અનસેચ્યુરેટેડ તરીક જાહેર કરી દેવાયો છે. એટ્લે કે, આ પરિપત્રની સીધો અર્થ એ થઈ ગયો કે, હવે આ પ્લોટોની હરાજી નહીં કરવાની થાય અને સરકારને જે રૂ. 10,000/ પ્રતિ ચો.મી. ઉપજવાના હતા ત્યાં હવે માત્ર રૂ. 2,845/ પ્રતિ ચો.મી.નો ભાવ ગણીને બેઠા ભાવે અરજીઓ ગણીને આપી શકાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/rs-10-lakhs-and-clear-the-neet-exam-with-good-marks">રૂ. 10 લાખ આપો અને NEET ની પરીક્ષા સારા માર્કે પાસ કરો</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666efc246ee43.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, એટલું જ નહીં, આ માટેના તમામ અધિકારો પણ પરિપત્ર દ્વારા જીઆઇડીસીના ઉપાધ્યક્ષને આપી દેવાયા છે. જેના કારણે પ્રથમ તબક્કામાં જે પાંચ લાખ 25 હજાર ચો.મી. જમીન આપવાની થાય છે તેમાં આ પરિપત્રથી સરકારી તિજોરી ઉપર રૂ. 3 અબજ 50 કરોડનું નુકસાન થાય છે. જ્યારે બીજા તબક્કામાં 20 લાખ ચો.મી. જમીન આપવાની થાય છે તેમાં રૂ. 12 અબજ 20 કરોડનું નુકસાન સરકારની તિજોરીને થાય તેમ છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, આ પરિપત્રમાં ફેરફાર કરીને સેચ્યુરેટેડ ઝોનમાંથી અન્સેચ્યુરેટેડ ઝોન કરીને વ્યવસ્થિત ષડયંત્ર રચાયું છે. જેથી માત્ર છ મહિનામાં સેચ્યુરેટેડ ઝોનમાંથી અનસેચ્યુરેટેડ ઝોન કરવાનું કાવતરું કરનાર સામે એફઆઇઆર કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પેક્ટ્રમ એલોટમેન્ટ કેસમાં આદેશ અપાયો છે કે, સરકારોએ કોઈપણ જમીન કે મિલકત હરાજી વગર કોઈને આપવી નહીં, છટ જીઆઇડીસીએ અરજીઓ વગર હરાજી માટેની શા માટે મંગાવી? આ મામલે હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ મારફત તપાસ કરાવવામાં આવે તેવી માંગણી છે.    </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇડીને જીઆઇડીસીમાં મોકલવામાં આવે અને મની લોન્ડરિંગ અંગેનો કેસ દાખલ કરાય. તેમજ જીઆઇડીસીના નિયામક મંડળના સભ્યોની મિલકત ઇડી, ઇન્કમટેક્સ અને સીબીઆઇ દ્વારા સંયુક્ત તપાસ કરાવવામાં આવે અને આ તપાસને પારદર્શક કરીને જાહેર કરવામાં આવે તેવી માંગણી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/Discrimination-in-submission-of-caste-certificate-too:-Supreme-Court-orders-Gujarat-govt-to-appoint-2-candidates-after-16-years"><strong>જાતિનું પ્રમાણપત્ર  જમા કરાવવામાં પણ ભેદભાવઃ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 16 વર્ષ પછી 2 ઉમેદવારોની નિમણૂક કરવાનો આદેશ આપ્યો</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 16 Jun 2024 20:29:16 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>774</Articleid>
                    <excerpt>ગુજરાત કોંગ્રસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર જીઆઈડીસીમાં રૂ. 12 અબજના મહાકૌભાંડનો આરોપ મૂક્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666efc07a1e9a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666efc077336d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666efc077336d.jpg" length="132427" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દેશની સંપત્તિમાં દલિતોનો હિસ્સો ફક્ત 2.6 ટકા, જનરલનો 89 ટકા</title>
                    <link>https://khabarantar.com/dalits-share-only-2.6-percent-of-the-countrys-wealth-89-percent-of-the-general</link>
                    <guid>https://khabarantar.com/dalits-share-only-2.6-percent-of-the-countrys-wealth-89-percent-of-the-general</guid>
                    <description>
                        <![CDATA[ એક રિસર્ચ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ભારતની કુલ સંપત્તિનો 89 ટકા હિસ્સો જનરલ કેટેગરીના લોકો પાસે છે, જ્યારે દલિતો પાસે ફક્ત 2.6 ટકા સંપત્તિ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અત્યાર સુધી આપણે ફક્ત વાતોમાં કહેતા હતા કે ભારતમાં દલિતો સાથે અન્યાય કરવામાં આવે છે, તેમને આર્થિક, સામાજિક મોરચે પછાત રાખવામાં આવે છે. પણ હવે તેનું મજબૂત ઉદાહરણ પણ સામે આવી ગયું છે. હાલમાં જ એક સંશોધન રિપોર્ટમાં સામે આવ્યું છે કે ભારતમાં દલિતો સાથે ખરેખર અન્યાય થઈ રહ્યો છે. Towards Tax Justice and Wealth Redistribution in India શીર્ષક સાથે પ્રકાશિત થયેલો આ રિપોર્ટ બિઝનેસ સ્ટાન્ડર્ડ સાથે શેર કરવામાં આવ્યો છે. આ રિસર્ચ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, દેશની સંપત્તિનો 85 ટકાથી વધુ હિસ્સો કથિત ઉંચી જાતિ એટલે કે જનરલ કેટેગરીના લોકો પાસે છે. જ્યારે અનુસૂચિત જાતિ વર્ગના લોકો પાસે માત્ર 2.6 ટકા હિસ્સો છે. આ આંકડા વર્ષ 2022 સુધીના છે. વર્લ્ડ ઈનઈક્વાલિટી લેબ તરફથી બિઝનેસ સ્ટાન્ડર્ડ સાથે શેર કરવામાં આવેલા રિસર્ચમાં આ જાણકારી સામે આવી છે. આ સંશોધન ચોક્કસપણે સામાજિક-આર્થિક અસમાનતાને ઉજાગર કરે છે. સંશોધન એ પણ સાબિત કરે છે કે દેશની કુલ સંપત્તિનો મોટો હિસ્સો અમુક ગણ્યાંગાંઠ્યા લોકો પાસે છે. રિપોર્ટ પરથી એ પણ સાબિત થાય છે કે, દેશમાં સામાજિક-આર્થિક અસમાનતાના મૂળ કેટલા ઊંડા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મે 2024માં બહાર પાડવામાં આવેલ આ સંશોધનને 'Towards Tax Justice and Wealth Re-distribution in India' શીર્ષક સાથે પ્રકાશિત કરવામાં આવ્યું છે. NSSO દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ દેશમાં ઓબીસી કેટેગરીની વસ્તી 40.94%, એસસી કેટેગરીની વસ્તી 19.59%, એસટી કેટેગરીની વસ્તી 8.63% અને અન્ય કેટેગરીની વસ્તી 30.80% છે. કુલ સંપત્તિમાં દરેક જાતિનો કેટલો હિસ્સો છે તે નીચે આપેલા કોષ્ટક પરથી સમજી શકાય છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666ea278c07fb.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દેશની કુલ સંપત્તિમાં ઓબીસીનો હિસ્સો 9 ટકા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્લ્ડ ઈનિક્વાલિટી લેબના સંશોધનમાં સામે આવ્યું છે કે દેશની કુલ સંપત્તિમાં ઓબીસી સમાજનો હિસ્સો 9% છે. હમણાં ચૂંટણી વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની ચૂંટણી રેલીઓમાં જાતિ ગણતરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે દેશમાં 90 ટકા વસ્તી એસસી-એસટી, ઓબીસી અને લઘુમતીઓની છે પરંતુ તેમને તેમની વસ્તી મુજબ મીડિયા, ખાનગી સંસ્થાઓ, બ્યૂરોક્રેટ્સ અને કોર્પોરેટ સેક્ટરમાં ભાગીદારી નથી મળી રહી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નવા અબજોપતિઓ પણ કથિત ઉચ્ચ જાતિના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સંશોધનમાં એક નામ પેરિસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના અનમોલ સોમાંચીનું પણ સામેલ છે. સોમાંચી કહે છે કે, "આ સંશોધન દર્શાવે છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં નવા અબજોપતિ બન્યા છે તે ઉચ્ચ જાતિના છે." સોમાંચી કહે છે કે, "જ્ઞાતિ શિક્ષણ, આરોગ્ય, સોશિયલ નેટવર્ક નક્કી કરે છે. દેશના ઘણા વિસ્તારોમાં દલિતોને જમીનના માલિક નથી બનવા દેવાતા. ગામડાઓમાં હજુ પણ માથાભારે તત્વો જમીનનો એક ટુકડો પણ દલિતોના હાથમાં ન જાય તેનું પુરું ધ્યાન રાખે છે. આની અસર તેમની આર્થિક પ્રગતિ પર પડે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/71.4-percent-of-dalits-have-access-to-public-water-taps"><span style="font-size: 14pt;">જાહેર પાણીના નળ પર 71.4 ટકા દલિતો સાથે આભડછેટ રખાય છે</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666ea29170ab8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતો સાથે અનેક મોરચે ભેદભાવ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ રિપોર્ટ સિવાય અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા 'સ્ટેટ ઑફ વર્કિંગ ઈન્ડિયા 2023' શીર્ષક હેઠળના અહેવાલ મુજબ, ભારતમાં SC અને ST વર્ગના લોકો અન્ય સમાજની તુલનામાં ખૂબ જ ઓછી સંસ્થાઓના માલિક છે. એસસી-એસટી સમાજ સાથે અનેક મોરચે ભેદભાવ રાખવામાં આવે છે અને સંસાધનો, શિક્ષણ તેમજ આર્થિક તકો સુધી તેમની પહોંચ ખૂબ જ મર્યાદિત છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">દેશના 8 ટકા આદિવાસીઓ પાસે માત્ર 3.7 ટકા સંપત્તિ</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંશોધન આગળ જણાવે છે કે, વર્ષ 2019માં એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં સાવિત્રીબાઈ ફૂલે પૂણે યુનિવર્સિટી, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ દલિત સ્ટડીઝ દ્વારા 2 વર્ષ સુધી કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે દેશની કથિત ઉચ્ચ જાતિના હિંદુઓ, જેમની વસ્તી 22.3 ટકા છે, તેમની પાસે દેશની કુલ સંપત્તિનો 41 ટકા હિસ્સો છે અને આ સૌથી પૈસાદાર વર્ગ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Unemployment-rate-rises-to-two-year-high-of-10.09-percent-in-October---report">ઓક્ટોબરમાં બેરોજગારી દર વધીને બે વર્ષની સર્વોત્તમ સપાટી 10.09 ટકાએ પહોંચ્યો - રિપોર્ટ</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666ea2c1797d4.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે 7.8 ટકા આદિવાસીઓ પાસે માત્ર 3.7 ટકા સંપત્તિ છે. આના પરથી જ આર્થિક અસમાનતાની ખાઈ કેટલી મોટી છે કે સમજી શકાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઓક્સફેમ ઇન્ટરનેશનલનો રિપોર્ટ શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગયા વર્ષે ઓક્સફેમ ઈન્ટરનેશનલે વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં એક રિપોર્ટ બહાર પાડ્યો હતો અને તેમાં પણ એ ખુલાસો થયો હતો કે ભારતના સૌથી ધનિક 1% લોકો દેશની કુલ સંપત્તિના 40% થી વધુની માલિકી ધરાવે છે. જ્યારે અડધી વસ્તી કુલ સંપત્તિના માત્ર 3% જ હિસ્સો ધરાવે છે. ઓક્સફેમ ઈન્ટરનેશનલે કહ્યું હતું કે જો ભારતના દસ સૌથી ધનાઢ્ય લોકો પર 5% ટેક્સ લાદવામાં આવે તો તમામ બાળકોને શાળાએ મોકલવા માટે પૂરતા પૈસા જનરેટ થઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/the-higher-the-education-the-lower-the-job-opportunities-reports-ilo"><strong>શિક્ષણ જેટલું વધુ, નોકરીની તકો એટલી ઓછીઃ ILOનો રિપોર્ટ</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 16 Jun 2024 17:15:18 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 16 Jun 2024 17:17:52 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>773</Articleid>
                    <excerpt>એક રિસર્ચ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ભારતની કુલ સંપત્તિનો 89 ટકા હિસ્સો જનરલ કેટેગરીના લોકો પાસે છે, જ્યારે દલિતો પાસે ફક્ત 2.6 ટકા સંપત્તિ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666ea2c11ec00.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666ea2c0e1024.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666ea2c0e1024.jpg" length="135747" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>આંગણવાડીનું કામ ટલ્લે ચડતાં બાળકો 8 વર્ષથી કાર્યકરના ઘરમાં ભણે છે</title>
                    <link>https://khabarantar.com/the-children-have-been-studying-in-the-workers-house-for-8-years-as-the-work-of-anganwadi-is-delayed</link>
                    <guid>https://khabarantar.com/the-children-have-been-studying-in-the-workers-house-for-8-years-as-the-work-of-anganwadi-is-delayed</guid>
                    <description>
                        <![CDATA[ અરવલ્લીના એક ગામમાં આંગણવાડીના મકાનનું કામ છેલ્લાં કેટલાય વર્ષોથી ટલ્લે ચડેલું છે. જેના કારણે અહીં કાર્યકર બહેન છેલ્લાં 8 વર્ષથી બાળકોને પોતાના ઘરમાં બેસાડવા મજબૂર છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અંધેર નગરી અને ગંડુ રાજાની વાર્તા તો આપણે સૌએ સાંભળી છે. પણ તેનું વાસ્તવિક ઉદાહરણ જોવું હોય તો ગુજરાતના અરવલ્લી જિલ્લાના એક ગામમાં જવું પડે. અહીં છેલ્લાં 8 વર્ષથી આંગણવાડીના મકાનનું કામ તંત્રના પાપે ટલ્લે ચડ્યું છે. આંગણવાડીનું મકાન બની શકતું ન હોવાથી બાળકોને ક્યાં બેસાડવા તે મોટો સવાલ હતો, એવામાં આ આંગણવાડીના કાર્યકર બહેને બાળકોનું ભવિષ્ય ન બગડે અને તેઓ રઝળી ન પડે તે માટે પોતાના ઘરમાં બેસાડ્યા હતા. હવે આજકાલ કરતા આ ઘટનાને 8 વર્ષ વીતી ગયા છે, પણ આંગણવાડીનું મકાન બની રહ્યું નથી મહિલા કાર્યકર 8 વર્ષથી બાળકોને પોતાના ઘરમાં બેસાડીને ભણાવવા મજબૂર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અરવલ્લીના ઉમેદપુરા ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ઉમેદપુરા ગામનો છે. અહીં છેલ્લાં 8 વર્ષથી શાળા સંકુલમાં હાથ ધરાયેલું ગામની આંગણવાડીનું બાંધકામ સરકારી તંત્રના પાપે ટલ્લે ચડ્યું છે. સરકારી બાબુઓની લાપરવાહી એ હદે પહોંચી ગઈ કે છેક વર્ષ 2018માં શરૂ થયેલું આંગણવાડીનું કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે. જેના કારણે આ આંગણવાડીમાં ભણતાં 35થી વધુ બાળકોને ક્યાં બેસાડવા તે પ્રશ્ન ઉભો થયો હતો. આ મામલે તાલુકા વિકાસ અધિકારીથી લઈને તમામ જવાબદાર અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. છતાં કોઈ સકારાત્મક પરિણામ ન આવતા આખરે આંગણવાડીના કાર્યકર બહેને પોતાના ઘરમાં જ બાળકોને બેસાડવાનું શરૂ કર્યુ હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને પણ આજકાલ કરતા 8 વર્ષ વીતી ગયા છે, તેમ છતાં સરકારી તંત્રને ઉમેદપુરાની અધૂરી છોડી દીધેલી આંગણવાડીનું કામ પૂર્ણ કરવાનું સૂઝતું નથી. બીજી તરફ આંગણવાડીના કાર્યકર બહેનની પણ હવે ધીરજ ખૂટી રહી છે. તેઓ પણ ક્યાં સુધી આ રીતે બાળકોને પોતાના ઘરમાં બેસાડીને ભણાવશે તે સવાલ તેમને સતાવી રહ્યો છે. તાલુકા વિકાસ અધિકારીને જાણ કરતા તેઓ કહે છે કે કામ થઈ જશે, પણ હજુ સુધી અહીં આંગણવાડીનું કામ જૈસે થે સ્થિતિમાં અધૂરું પડ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/one-lakh-thirty-two-thosand-students-of-gujarat-were-deprived-of-admission-in-rte">RTEમાં ગુજરાતના ૧.૩૨ લાખ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યાં</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંગણવાડીનું મકાન અધૂરું પડ્યું હોવાથી તેના કાર્યકર બહેન વર્ષ 2016 થી એટલે કે છેલ્લાં 8 વર્ષથી પોતાના ખાનગી ઘરમાં બાળકોને બેસાડવા મજબૂર બન્યાં છે. આંગણવાડીનું બાંધકામ કેમ અધૂરું છોડી દેવાયું છે અને તેના માટે કોણ જવાબદાર છે તેના વિશે કોઈ ખૂલીને કશું કહેતું નથી. પરંતુ તેના કારણે હાલ 35 બાળકોને સાચવતા આંગણવાડી કાર્યકર બહેનની હાલત કફોડી બની ગઈ છે. તેઓ બાળકોને અન્ય ક્યાંય બેસાડી શકે તેમ ન હોવાથી પોતાના ઘરમાં જ બેસાડે છે. તેઓ બાળકોને મૂકીને બહાર ક્યાંય જઈ શકતા નથી. જો તેમને ક્યાંક બહારગામ જવાનું થાય તો બધાં બાળકોને રજા આપવી પડે તેમ સ્થિતિ હોવાથી તેઓ બહાર જવાનું પણ ટાળી રહ્યાં છે. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે પણ તેઓ પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવી રહ્યાં છે. તેઓ પોતાના ઘરમાં જ બાળકોને બેસાડે છે અને ભણાવે છે. તેમના માટે નાસ્તો, ભોજન વગેરેની વ્યવસ્થા પણ તેઓ નિયમિતરૂપે કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકબાજુ સરકાર આંગણવાડી બહેનોનું શોષણ કરવામાં જરાય પાછી પાની કરતી નથી, તેમનો પગાર વધારતી નથી. આવી કપરી પરિસ્થિતિમાં પણ ધનસુરાના ઉમેદપુરાની આ આંગણવાડીના કાર્યકર બહેન પોતાની ફરજ પ્રામાણિકતાથી નિભાવી રહ્યાં છે. આંગણવાડીનું મકાન ક્યારે પૂર્ણ થશે તે ખબર નથી, પણ નાના ભૂલકાંઓને બેસવા માટેની જગ્યા હાલ તો આ આંગણવાડી કાર્યકર બહેનના ઘરમાં સલામત છે. જોવાનું એ છે કે, એસી ચેમ્બરોમાં બેસીને ભ્રષ્ટ નેતાઓ, ઉદ્યોગપતિઓની ફાઈલો તાત્કાલિક ક્લિયર કરી આપતા સરકારી બાબુઓ ગરીબોના બાળકો માટે આંગણવાડીનું મકાન ક્યારે તૈયાર કરી આપે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/A-progressive-move-by-Tamil-Nadus-Stalin-government-to-hold-awareness-programs-in-schools-to-make-children-aware-of-caste-discrimination"><strong>તમિલનાડુની સ્ટાલિન સરકારનું પ્રગતિશીલ પગલું, બાળકોને જાતિભેદથી વાકેફ કરાવવા શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો યોજશે</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 16 Jun 2024 11:55:35 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>772</Articleid>
                    <excerpt>અરવલ્લીના એક ગામમાં આંગણવાડીના મકાનનું કામ છેલ્લાં કેટલાય વર્ષોથી ટલ્લે ચડેલું છે. જેના કારણે અહીં કાર્યકર બહેન છેલ્લાં 8 વર્ષથી બાળકોને પોતાના ઘરમાં બેસાડવા મજબૂર છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666e84c3770b5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666e84c3488ee.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666e84c3488ee.jpg" length="79919" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભારતમાં દરરોજ 10 દલિત મહિલાઓ પર બળાત્કાર થાય છે</title>
                    <link>https://khabarantar.com/every-day-10-dalit-women-are-raped-in-india</link>
                    <guid>https://khabarantar.com/every-day-10-dalit-women-are-raped-in-india</guid>
                    <description>
                        <![CDATA[ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓ કહે છે કે, ભારતમાં વર્ષ 2015 થી 2020ની વચ્ચે દલિત મહિલાઓ પર જાતિય હિંસાની ઘટનામાં 45 ટકાનો વધારો થયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશ આઝાદ થયાને આજકાલ કરતા 75 વર્ષના વાણાં વાઈ ગયા. મોદી સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીને નવરી થઈ ગઈ છે, પણ દલિતો પર હિંસાની ઘટનાઓ પર કોઈ અંકુશ મૂકી શક્યું નથી. એમાં પણ દલિત મહિલાઓ પર જાતિય હિંસાના આંકડાઓ ચોંકાવનારા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓ જણાવે છે કે વર્ષ 2015 થી 2020 ની વચ્ચે ભારતમાં દલિત મહિસાઓ પર જાતિય હિંસાની ઘટનાઓમાં 45 ટકાનો વધારો નોંધાયો છે અને દરરોજ 10 દલિત મહિલાઓ પર બળાત્કાર થાય છે. આ તો માત્ર પોલીસના ચોપડે નોંધાયેલી ઘટનાઓ થઈ, એ સિવાયની તમામ ઘટનાઓ ગણવા બેસીએ તો આંકડો આનાથી ત્રણ ગણો થાય તેમ છે. ગામડાઓમાં ખાસ કરીને માથાભારે કોમના લોકો દલિત મહિલાઓની છેડતી કરવામાં જરાય શરમ અનુભવતા નથી. આવી અસંખ્ય ઘટનાઓ પોલીસ ચોપડે ચડ્યાં વિના જ દેશના સેંકડો ગામડાઓના છાના ખૂણાઓમાં કથિત સવર્ણ કોમના માથાભારે તત્વોની ધાક-ધમકીની આડમાં દબાઈ જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં ઉત્તરપ્રદેશના ભદોહીમાં એક સગીર દલિત બાળકી પર ગામના જ રાજુ ગુપ્તા નામના 26 વરસના શખ્સે વારંવાર બળાત્કાર ગુજાર્યો. બાળકીના પરિવારને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તેનામાં પ્રેગ્નેન્સીના લક્ષણો દેખાયા અને તેઓ તેને ડોક્ટર પાસે લઈ ગયા. રાજુ ગુપ્તાના વારંવારના પાશવી બળાત્કારને કારણે બાળકી ગર્ભવતી થઈ ગઈ હતી. હવે સુરિયાવા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેના પર બળાત્કાર સહિતના ગુનાઓનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/98-of-faculties-in-countrys-TOP-5-IITs-are-said-to-be-upper-caste:-Shocking-report-by-Nature-magazine">દેશની TOP 5 IITમાં 98% ફેકલ્ટીઓ કથિત ઉચ્ચ જાતિની: Nature magazineનો ચોંકાવનારો રિપોર્ટ</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666e70480f188.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરિયાવા પોલીસના જણાવ્યા અનુસાર યુવતીના પિતાએ ગયા અઠવાડિયે રાજુ ગુપ્તા વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી. રાજુ બાળકીના ઘરે કોઈ ન હોય ત્યારે ત્યાં જતો હતો અને સગીરાને ધમકી આપીને વારંવાર તેના પર બળાત્કાર ગુજારતો હતો. સગીરા બીકને કારણે કોઈને કશું કહી શકતી નહોતી. જેના કારણે રાજુના અત્યાચારો વધતા જતા હતા અને આખરે સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે દુડવા ધર્મપુરીના રહેવાસી રાજુ ગુપ્તાની ધરપકડ કરી લીધી છે અને તેની સામે બળાત્કાર, ધાક ધમકી અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ સાથે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) હેઠળ આરોપો દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે રાજુ ગુપ્તાની સુરિયાવા રેલ્વે સ્ટેશન પાસેથી ધરપકડ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપ સત્તામાં આવ્યા બાદ દલિતો પર અત્યાચારો વધ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લાં 10 વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર સત્તામાં આવ્યા પછી દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગો પર અત્યાચારની ઘટનાઓ વધી ગઈ હોવાનો ગણગણાટ સતત સંભળાતો રહે છે. ભાજપને ગરીબો પસંદ નથી અને તે ઉદ્યોગપતિઓની સરકાર છે તેવું વિપક્ષો પણ ગાઈ વગાડીને કહેતા રહે છે. આ ચર્ચા વચ્ચે દલિત અત્યાચારના આંકડાઓ પર નજર કરીએ તો સમજાય છે કે ભાજપના રાજમાં દલિતો પર ખરેખર અત્યાચારો વધ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">8 રાજ્યોમાં દલિતો પર સૌથી વધુ અત્યાચાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના રિપોર્ટ મુજબ દલિતો પર જે 8 રાજ્યોમાં સૌથી વધુ અત્યાચારોના કેસ નોંધાયા છે તેમાં ઉત્તરપ્રદેશમાં 15368, રાજસ્થાનમાં 8952, મધ્યપ્રદેશમાં 7733, બિહારમાં 6509, ઓરિસ્સામાં 2902, મહારાષ્ટ્રમાં 2743, આંધ્રપ્રદેશ 2315 અને કર્ણાટક 1977 છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Out-of-4.78-lakh-inmates-in-countrys-jails,-3.15-lakh-belong-to-SC,-ST,-OBC-categories---NCRB">દેશની જેલોમાં બંધ 4.78 લાખ કેદીઓ પૈકી 3.15 લાખ  SC, ST, OBC વર્ગના - NCRB</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666e70478261a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આંકડાઓ પરથી ખ્યાલ આવે છે કે, દલિતો પર અત્યાચારોનો સિલસિલો હજુ પણ અટક્યો નથી, ભલેને કોઈપણ પાર્ટી સત્તામાં હોય. ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે, ભાજપ જ્યાં સત્તામાં છે તે ઉત્તરપ્રદેશ લાંબા સમયથી દલિત અત્યાચારોના મામલે પહેલા ક્રમે છે. બીજા ક્રમે રહેલા રાજસ્થાનમાં અત્યાચારની 8952 ઘટનાઓ ઘટી હતી તેની સામે પહેલા નંબરે રહેલા યુપીમાં 15368 ઘટનાઓ ઘટી હતી. અર્થાત પહેલા અને બીજા નંબરના રાજ્યો વચ્ચે 6416 કેસોનું અંતર છે. જેના પરથી જ સાબિત થાય છે કે યુપી માત્ર ક્રાઈમ કેપિટલ જ નહીં, દલિત અત્યાચારોની પણ રાજધાની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશ આદિવાસી અત્યાચારમાં અવ્વલ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોનો વર્ષ 2022ના રિપોર્ટ મુજબ દેશભરમાં મધ્યપ્રદેશમાં આદિવાસીઓ પર સૌથી વધુ કેસ નોંધાયા હતા. એનસીઆરબીના આંકડાઓ મુજબ વર્ષ 2022માં આદિવાસીઓ પર થયેલા અત્યાચારો પૈકી 2979 મધ્યપ્રદેશમાં નોંધાયા હતા, જે ભારતભરમાં સૌથી વધુ હતા. એ પછી 2521 કેસો સાથે રાજસ્થાન બીજા ક્રમે હતું. અને 742 કેસો સાથે મહારાષ્ટ્ર ત્રીજા નંબર પર હતું. છેલ્લાં ત્રણ વર્ષથી આ ત્રણ રાજ્યોના ક્રમમાં કોઈ ફેરફાર નથી થયો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશભરમાં વર્ષ 2022માં આદિવાસી સમાજ પર અત્યાચારની 10064 ઘટનાઓ નોંધાઈ હતી. (આ તો ફક્ત નોંધાયેલી ઘટનાઓ છે, ન નોંધાઈ હોય તેવી ઘટનાઓનો આંકડો આનાથી અનેકગણો મોટો હોઈ શકે છે.) જે વાર્ષિક 14.3 ટકાનો વધારો દર્શાવે છે. આ સાથે રાજ્યમાં આ કેટેગરીમાં ક્રાઈમ રેશિયો વર્ષ 2021માં 8.4 ટકાથી વધીને વર્ષ 2022માં 9.6 થઈ ગયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત અત્યાચારની ઘટનાઓનો ઉપાય શું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનુસૂચિત જાતિ પરના અત્યાચારોની વાત કરીએ તો, સામાન્ય ઈજાના 1607 કેસ અને ગંભીર ઈજાના 52 કેસ છે, જ્યારે હત્યાના 61 કેસ નોંધાયા છે. દેશની કમનસીબી છે કે દલિતો સામેના ગુનાઓમાં તે સૌથી ઉપર છે. બંધારણીય રક્ષણ અને રાજકીય પ્રતિનિધિત્વ હોવા છતાં દલિતો સામે હિંસા વધી રહી છે. દલિતોનું રાજકીય નેતૃત્વ તેમના સમાજ પર થતા અત્યાચારને રોકવામાં મોટાભાગે બિનઅસરકારક સાબિત થતું હોય છે. તો સવાલ એ છે કે બંધારણીય જોગવાઈઓ છતાં દલિતો સામે હિંસા કેમ વધી રહી છે? આનો ઉકેલ શું છે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/video-recording-of-all-proceedings-before-courts-in-atrocities-act-offenses-mandatory-bombay-high-court"><strong>એટ્રોસિટી એક્ટના ગુનામાં કોર્ટ સમક્ષની તમામ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ ફરજિયાત છેઃ બોમ્બે હાઈકોર્ટ</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 16 Jun 2024 10:32:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>771</Articleid>
                    <excerpt>નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓ કહે છે કે, ભારતમાં વર્ષ 2015 થી 2020ની વચ્ચે દલિત મહિલાઓ પર જાતિય હિંસાની ઘટનામાં 45 ટકાનો વધારો થયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666e7048a9ed8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666e70487a7ef.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666e70487a7ef.jpg" length="46385" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>મોંઘવારીએ ૧૫ મહિનાનો રેકોર્ડ તોડ્યો, મે મહિનામાં બમણો માર</title>
                    <link>https://khabarantar.com/Inflation-hits-15-month-high-doubles-in-may</link>
                    <guid>https://khabarantar.com/Inflation-hits-15-month-high-doubles-in-may</guid>
                    <description>
                        <![CDATA[ ચોતરફ મોંઘવારીથી ઘેરાયેલા સામાન્ય માણસ માટે માઠા સમાચાર એ છે કે, ગત મહિના મોંઘવારીએ છેલ્લાં 15 મહિનાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જથ્થાબંધ બજારની કિંમતો પર આધારિત મોંઘવારીના નવા આંકડા સામે આવી ગયાં છે. એ મુજબ એપ્રિલની સરખામણીએ મે મહિનામાં મોંઘવારી બમણાંથી વધારે ઉપર ગઈ છે. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જોતા મોંઘવારી છેલ્લાં 15 મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. જથ્થાબંધ મોંઘવારીની આ અસર આગામી સમયમાં દેશના માર્કેટ પર અને ત્યાંથી સામાન્ય માણસની કેડ પર આવીને પડશે તે નક્કી છે. જોવાનું એ રહે છે કે સરકાર આ મામલે શું પગલાં લે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મે મહિનામાં દેશમાં જથ્થાબંધ મોંઘવારીનો દર ૨.૬૧ ટકા રહ્યો છે. જે એપ્રિલ 2024ના ૧.૨૬ ટકાથી લગભગ બમણાથી વધુ છે. જ્યારે ગત વર્ષે મે મહિનામાં દેશનો જથ્થાબંધ મોંઘવારી દર શૂન્યથી પણ ઓછો એટલે કે નેગેટિવ હતો. એ વખતે મોંઘવારી દર -૩.૬૧% રહ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંકડાઓ પર નજર કરતા ખ્યાલ આવે છે કે, સામાન્ય માણસના ખિસ્સા પર સૌથી વધુ મોંઘવારીનો માર શાકભાજીની કિંમતોએ નાખ્યો છે. બટાકા અને ડુંગળી સહિત અન્ય શાકભાજીઓની જથ્થાબંધ કિંમતમાં વધારો જોવા મળ્યો છે. શાકભાજીનો મોંઘવારી દર મે મહિનામાં ૩૨.૪૨% રહ્યો છે. એપ્રિલમાં આ આંકડો ૨૩.૬૦ ટકા હતો. ડુંગળીનો મોંઘવારી દર મે માં ૫૮.૦૫ ટકા અને બટાકાનો મોંઘવારી દર ૬૪.૦૫ ટકા રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Exploitation-of-the-rich-considers-Iswardatta-his-right">ધનવાનો શોષણને પોતાનો ઈશ્વરદત્ત અધિકાર સમજે છે</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666d46c71e1da.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ગઈકાલે ડબ્લ્યૂપીઆઈ ઈન્ફ્લેશનના આંકડાઓ જારી કર્યાં હતા. જેમાં ફૂડ ઈન્ફલેશનના આંકડા પણ સામે આવ્યા છે. એ મુજબ મે મહિનામાં ખાદ્ય વસ્તુઓનો મોંઘવારી દર ૯.૮૨ % રહ્યો છે, જે એપ્રિલ મહિનામાં ૭.૭૪ ટકા હતો. સૌથી વધુ મોંઘવારી દાળની કિંમતોમાં જોવામાં આવી છે. દાળનો મોંઘવારી દર મે મહિનામાં ૨૧.૯૫ ટકા રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મે મહિનામાં ઈંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલથી લઈને મોંઘી વીજળીએ સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર કરી છે. મે મહિનામાં ઈંધણ અને વીજ સેક્ટરનો મોંઘવારી દર ૧.૩૫% રહ્યો છે. આ સિવાય મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્‌સની કેટેગરીમાં મોંઘવારી દર ૦.૭૮ ટકા રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Demonetisation-2.0-%E2%80%93-Another-blow-to-unorganized-sector-Dalits,-tribals-and-OBCs">નોટબંધી 2.0 - ફરી માર અસંગઠિત ક્ષેત્રના દલિત, આદિવાસી અને ઓબીસી સમાજ પર</a></strong></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 15 Jun 2024 13:21:02 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>769</Articleid>
                    <excerpt>ચોતરફ મોંઘવારીથી ઘેરાયેલા સામાન્ય માણસ માટે માઠા સમાચાર એ છે કે, ગત મહિના મોંઘવારીએ છેલ્લાં 15 મહિનાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666d46c7cd097.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666d46c794618.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666d46c794618.jpg" length="131501" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગોધરામાં સ્માર્ટ મીટરધારકોને 1 લાખથી વધુના બિલનો મેસેજ આવ્યો</title>
                    <link>https://khabarantar.com/smart-meter-holders-in-godhra-received-a-message-of-a-bill-of-more-than-one-lakh</link>
                    <guid>https://khabarantar.com/smart-meter-holders-in-godhra-received-a-message-of-a-bill-of-more-than-one-lakh</guid>
                    <description>
                        <![CDATA[  ગુજરાતભરમાં સ્માર્ટ વીજ મીટર દ્વારા આવતા મસમોટા બિલનો વિરોધ યથાવત છે ત્યારે ગોધરામાં અનેક ગ્રાહકોને રુ. 1 લાખથી વધુના બિલનો મેસેજ આવતા હોબાળો મચી ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પંચમહાલના ગોધરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે. સ્માર્ટ મીટર ધારકોને એક લાખથી વધુના બિલનો મેસેજ આવતા ગ્રાહકોએ MGVCL કચેરીમાં પહોંચી અધિકારી સમક્ષ રોષ ઠાલવ્યો હતો. વીજ ગ્રાહકોના રોષને જોતા MGVCLએ સ્માર્ટ મીટરની એપ્લિકેશન તાત્કાલિક બંધ કરાવી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભુરાવાવ વિસ્તારના ગૌતમ નગર અને શ્રીજી નગરના રહેવાસીઓને ૧.૪૧ લાખના વીજ બીલના મેસેજ આવ્યા હતા. જ્યારે અન્ય ગ્રાહકને ૧.૧૬ લાખ અને ૧.૦૩ લાખનો મેસેજ આવ્યો હતો. બાકી વીજ બિલનાં મેસેજને લઈ વીજ ગ્રાહકો ચોકી ઉઠ્‌યા હતા અને MGVCLની વર્તુળ કચેરીમાં દોડી આવ્યા હતા અને અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીજ ગ્રાહકોના રોષને પગલે વર્તુળ કચેરી દ્વારા સ્માર્ટ મીટરનાં ઓનલાઇન એપ્લિકેશન તાત્કાલિક  બંધ કરાવવામાં આવી હતી. ટેકનિકલ ક્ષતિના લીધે સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવ્યું હોવાની બાબતને અધિકારીએ સ્વીકારી હતી અને ટેકનિકલ ખામીને દૂર કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. ગોધરા શહેરમા અત્યાર સુધીમા સાત હજાર જેટલા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/Were-the-Dalits-of-Gujarat-in-an-unencumbered-state-before-the-advent-of-Gandhiji"> શું ગાંધીજીના આગમન પહેલા ગુજરાતના દલિતો નિર્લેપ અવસ્થામાં હતા?</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666c3baf40129.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્માર્ટ મીટર વીજ ગ્રાહકો સાથે MGVCL કચેરીના અધિકારીઓ માટે પણ માથાનો દુખાવા સમાન સાબિત થઈ રહ્યો છે એક પછી એક ગોધરા નગરની સોસાયટીના રહીશો સ્માર્ટ મીટરને કારણે પડતી મુશ્કેલીઓને લઇ MGVCL કચેરી ખાતે આવ્યા હતા અને અધિકારી સમક્ષ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોધરા શહેરમા અત્યાર સુધીમા ૭૦૦૦ જેટલા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે અને આ સ્માર્ટ મીટરમાં પડતી મુશ્કેલીઓ અને ટેકનિકલ ખામીને લઈ રોજેરોજ વીજ ગ્રાહકોના ટોળેટોળા MGVCL કચેરી ખાતે દોડી આવે છે અને સ્માર્ટ મીટર દૂર કરી જૂના મીટર લગાવવા માટેની માંગ કરવામાં આવે છે.                                                                    </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મીટર લગાવવાની શરૂઆત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મે મહિનાથી શરૂ થઈ હતી. અધિકારીઓ અનુસાર, કેન્દ્ર સરકારના આદેશ મુજબ દોઢ વર્ષમાં ખેતી સિવાયના વિભાગમાં ૧૭ લાખ નવાં સ્માર્ટ મીટર લગાવાશે.અધિકારીઓ અનુસાર, સ્માર્ટ મીટર કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ ગુજરાત જ નહીં બિહાર, ઉત્તર પ્રદેશ, આસામ, હરિયાણા, ઝારખંડ અને મધ્ય પ્રદેશમાં પણ લાગ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong> </span><a href="https://khabarantar.com/in-vadodara-the-bill-for-2-fans-and-2-tubelights-to-the-driver-is-rs-13-lakhs-came"><strong>વડોદરામાં ડ્રાઈવરને 2 પંખા અને 2 ટ્યુબલાઈટનું બિલ રૂ. 13 લાખ આવ્યું</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 14 Jun 2024 18:21:27 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 14 Jun 2024 18:22:21 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>766</Articleid>
                    <excerpt> ગુજરાતભરમાં સ્માર્ટ વીજ મીટર દ્વારા આવતા મસમોટા બિલનો વિરોધ યથાવત છે ત્યારે ગોધરામાં અનેક ગ્રાહકોને રુ. 1 લાખથી વધુના બિલનો મેસેજ આવતા હોબાળો મચી ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666c3b3c0e1bd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666c3b3bce7b5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666c3b3bce7b5.jpg" length="83745" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>વડતાલમાં લંપટ સાધુઓ સામે ગુજરાતભરના હરિભક્તોએ હોબાળો મચાવ્યો</title>
                    <link>https://khabarantar.com/hari-devotees-from-all-over-gujarat-raised-an-uproar-against-the-greedy-monks-in-vadtal</link>
                    <guid>https://khabarantar.com/hari-devotees-from-all-over-gujarat-raised-an-uproar-against-the-greedy-monks-in-vadtal</guid>
                    <description>
                        <![CDATA[ સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓની વિકૃત કામલીલાઓને લઈને હવે ગુજરાતભરમાંથી હરિભક્તોએ વડતાલ પહોંચીને ભારે હોબાળો મચાવ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">- હરિભક્તોની એક જ માંગઃ લંપટ સાધુઓને જેલભેગા કરો</span><br><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">- હરિભક્તોની આક્રોશ સાથેની વેદનાઃ લંપટ સાધુઓ કામલીલા આચરે, ભોગવવાનું અમારે?</span><br><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">- 3 સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ બાદ હરિભક્તોમાં રોષ ફાટી નીકળ્યો</span><br><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">- વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ગુજરાતભરમાંથી આવેલા હરિભક્તોએ હોબાળો મચાવ્યો</span><br><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">- મીડિયાકર્મીઓ સાથે મંદિરના સુરક્ષાકર્મીઓ દ્વારા ઉધ્ધત વર્તન કરાયું</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડોદરામાં સ્વામીનારાયણ સંપ્રદાયના ત્રણ સ્વામીઓ વિરુદ્ધ થયેલી દુષ્કર્મની ફરિયાદ તેમજ ગઢડામાં સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્યો સહિતની બાબતોને લઈને ગઈકાલે સુરત, ગઢડા, રાજકોટ, મુંબઈ, અમદાવાદ, જૂનાગઢ, ભાવનગર, ભરૂચ સહિતના શહેરોમાંથી હરિભક્તો વડતાલ સ્વામિનારાયણ મંદિરે આવી પહોંચ્યા હતા અને મંદિર પરિસરમાં ત્રણેય સાધુઓનો બેનરો સાથે વિરોધ કર્યો હતો. તમામ હરિભક્તોની એક જ માંગ છે કે, આવા કથિત સાધુઓ સામે કડક કાર્યવાહી થાય અને જેલ ભેગા કરવામાં આવે. આવેદનપત્ર આપવા આવેલા હરિભક્તો જ્યારે મંદિરના કોઠારી સ્વામીની ઓફિસમાં ગયા ત્યારે કોઈ સાધુ-સંતો ત્યાં હાજર ન હતા, જેથી ત્યાં વહીવટી કર્મચારીને આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છેલ્લે હરિભક્તો દ્વારા સ્વામિનારાયણની ધૂન બોલાવી બેનરો અને પ્લેકાર્ડ સાથે મંદિરની પ્રદક્ષિણા કરી મૌન રેલી યોજી હતી. જે બાદ તમામ હરિભક્તો વડતાલથી રવાના થઈ ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/swami-brainwashed-the-teenager-now-he-wants-to-become-a-monk">સ્વામીનારાયણના સાધુએ કિશોરનું બ્રેઈનવોશ કર્યું, હવે તેને સાધુ બની જવું છે?</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666bd87d753a3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક હરિભકતે જણાવ્યું હતું કે, "અમે સુરતથી વડતાલમાં વહીવટ બોર્ડ કમિટીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. વડતાલ તાબાના વડોદરા મંદિરમાં કામલીલા અને ગઢડા મંદિરમાં સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્યો થઈ રહ્યાં છે, એક સાધુ નાના બાળક જોડે ખરાબ કામ કરે છે, જ્યારે બીજા એક સાધુ બાથરૂમમાં એક બાળક સાથે ખરાબ કામ કરે છે. વડોદરા મંદિરના ત્રણ સાધુ એક છોકરી ઉપર દુષ્કર્મ ગુજારે છે તેમજ તેમને દબાવવા માટે ધાકધમકીઓ આપે છે. આજ દિવસ સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ઉપર વડતાલ મંદિરનો કોઈ કંટ્રોલ નથી. રાકેશ પ્રસાદનો કોઈ કંટ્રોલ નથી. બની બેઠેલા મહાસભાના પ્રમુખનો પણ આના ઉપર કોઈ દબાવ નથી. નૌતમ સ્વામી તો ખાલી પૂતળું છે પાછળના સંતોએ તેમને આગળ લાવી દીધા છે. પડદા પાછળ અનૈતિક કામો થઈ રહ્યાં છે. અમે વડતાલમાં આવેદન આપવા આવ્યા છીએ કે, જે જે ગુનામાં સંકળાયેલા સાધુઓ છે તેઓ પર કાયદેસરનાં પગલાં ભરવામાં આવે. તેમને જેલની સજા થાય અને પીડિતોને ન્યાય મળે. અહીંના વહીવટકર્તાઓ, ચેરમેન તેઓ બધાં ક્યાં જતા રહ્યા છે તેની અમને જાણ નથી. તેઓની સુરતમાં 500-1000 કરોડની સંપત્તિ છે. અહીંનો રૂપિયો તેઓ ત્યાં લડાવે છે. આ તમામ લોકોને સજા થવી જોઈએ તેવી અમારી સરકાર પાસે માંગ છે. અમારે બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે. લોકો ટોણાં મારી રહ્યા છે કે, આ તમારા કામાચારી લંપટ સાધુઓને કડક સજા કરો. જો ન્યાય નહીં મળે તો અમારે જાતે આ પગલાં લેવા પડશે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/if-dalit-monks-are-declared-mahamandaleshwar-the-respect-of-monks-will-decrease">દલિત સાધુઓને મહામંડળેશ્વર જાહેર કરાશે તો સાધુઓનું સન્માન ઘટશે</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666bd87cdf0a9.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હરિભક્તો વિફર્યા: લંપટ સાધુઓને સંપ્રદાયમાંથી બહાર કરો</span></strong></span><br><span style="font-size: 14pt;">વડતાલ આવેલા એક હરિભક્ત હસુભાઈએ જણાવ્યું હતું કે, "આ સંપ્રદાયની અંદર દિવસે ને દિવસે લંપટ સાધુઓ વિશે સમાચારો આવે છે. સાધુઓ સામે સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્યો કર્યાના આરોપો લાગી રહ્યાં છે. જમીનો પચાવી પાડે છે, રેપ કરે છે. આવાં આવાં કામો તેઓ કરી રહ્યા છે. ભગવા કપડાં પહેરીને શૈતાન પેદા થયા છે. સ્વામિનારાયણ સંપ્રદાય માટે કલંકરૂપ છે. આવા બધાંને સંપ્રદાયમાંથી કાઢવા માટે અમે એક થયા છીએ. કા તો તેઓ સુધરી જાય નહિતર તેઓને કાઢવા જ પડશે. આ લંપટ બાવાઓને સંપ્રદાયમાંથી કાઢો અને કાં સુધારો. મુંબઈ, સુરત, ભરૂચ, ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ, વડોદરા, અમરેલી સહિતથી અમે હજારો હરિભક્તો આ લંપટ સાધુઓની કામલીલાઓનો પર્દાફાશ કરવા આવ્યા છીએ.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">લંપટ સાધુઓ કામલીલા આચરે, ભોગવવાનું હરિભક્તોએ</span></strong><br><span style="font-size: 14pt;">અન્ય એક હરિભક્ત શૈલેષભાઈએ જણાવ્યું કે, "આ લોકો એમ કહે છે કે અમે સમાજને સુધાર્યો છે, પણ તે ખોટું છે. આ લોકો ખુદ બગડેલા છે, તે શું સમાજને સુધારશે. લંપટ સાધુઓને તમે છાવરો છો. દરરોજ કોઈને કોઈ સ્વામીની કામલીલા સામે આવે છે છતાં કોઈ એક્શન લેવામાં આવ્યા નથી. ત્યારે આવા સાધુઓને હાંકી કાઢવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અત્યારે અમે બહાર પણ નીકળી શકતા નથી. સાધુ બધી લીલાઓ કરે છે અને ભોગવવાનું હરિભક્તોને આવે છે. અમે બહાર નીકળીએ ત્યારે બધાં કહે છે કે જુઓ તમારા સ્વામીએ પરચો પૂર્યો."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/clashes-between-devotees-during-mangala-aarti-at-ranchhodji-temple-in-dakor">ડાકોરના રણછોડજી મંદિરમાં મંગળા આરતી દરમિયાન ભક્તો વચ્ચે મારામારી</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666bd87c5ef42.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જગત પાવન સ્વામી પાસેથી ન્યૂડ ફોટાં-વીડિયો ડિલીટ કરાવોઃ પીડિતા</span></strong></span><br><span style="font-size: 14pt;">સ્વામીનારાયણ સંપ્રદાયના જગત પાવન સ્વામીની કામલીલાનો ભોગ બનેલી પીડિતાએ વિનંતી કરતા કહ્યું હતું કે, જગત પાવન સ્વામી પાસે મારા ન્યૂડ ફોટો અને વીડિયો પણ છે, જે તાત્કાલિક ડિલિટ કરવામાં આવે. આ સાથે જ જગત પાવન સ્વામીને કડકમાં કડક સજા કરવામાં આવે. તેની સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના એચ.પી. સ્વામી, કે. પી. સ્વામી અને જે.પી. સ્વામી પણ સામેલ હોવાનો આક્ષેપ પણ પીડિતાએ ફરિયાદમાં કર્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">લંપટ સ્વામીના રાજકીય અગ્રણીઓ સાથે સંબંધ</span></strong><br><span style="font-size: 14pt;">વડતાલ તાબાના વાડી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પવન સ્વામીના વડોદરાના અનેક રાજકીય અગ્રણીઓ સાથે પણ ઘનિષ્ઠ સંબંધો હોવાનું જાણવા મળ્યું છે. વડોદરામાં અનેક રાજકીય અગ્રણીઓ સાથે સંબંધ ધરાવતા તત્કાલીન કોઠારી સ્વામીના રાજકીય અગ્રણીઓ સાથેના ફોટા પણ હાલ વાઇરલ થઈ રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Husband-takes-Ayodhya-Kashi-instead-of-Goa-on-honeymoon,-upset-wife-files-for-divorce">પતિ હનિમૂન પર ગોવાને બદલે અયોધ્યા લઈ ગયો, નારાજ પત્નીએ છુટાછેડાની અરજી કરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 14 Jun 2024 11:24:37 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>764</Articleid>
                    <excerpt>સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓની વિકૃત કામલીલાઓને લઈને હવે ગુજરાતભરમાંથી હરિભક્તોએ વડતાલ પહોંચીને ભારે હોબાળો મચાવ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666bd87be82c3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666bd87bb8a9f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666bd87bb8a9f.jpg" length="93660" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Swaminarayan Sect, Kamleela of the monks</media:keywords>
                </item>
                        <item>
                    <title>નર્કાગાર જેવી સ્થિતિ છતાં શા માટે ભારતીય મજૂરો કુવૈત જાય છે?</title>
                    <link>https://khabarantar.com/why-do-indian-laborers-go-to-kuwait-despite-hellish-conditions</link>
                    <guid>https://khabarantar.com/why-do-indian-laborers-go-to-kuwait-despite-hellish-conditions</guid>
                    <description>
                        <![CDATA[ કુવૈતના એક બિલ્ડીંગમાં લાગેલી આગમાં 40 ભારતીય મજૂરો માર્યા ગયા. સવાલ એ છે કે, નર્કાગાર જેવી સ્થિતિ છતાં શા માટે સેંકડો ભારતીયો કુવૈત જાય છે. વાંચો આ રિપોર્ટ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં જ કુવૈતના દક્ષિણ મંગાફ જિલ્લામાં એક બિલ્ડિંગમાં આગ લાગતા 49 કામદારોના મોત થયા છે. આ મૃતકોમાં 40 ભારતીયોનો સમાવેશ થાય છે. તેમના મૃતદેહ એટલી ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ છે. કુવૈતમાં ભારતીય કામદારોની ખૂબ માંગ છે અને પૈસાની લાલચને કારણે દર વર્ષે મોટી સંખ્યામાં કામદારો કુવૈત જાય છે. કુવૈતમાં ભારતીયોની વસ્તી 10 લાખથી વધુ છે, જે દેશની વસ્તીના લગભગ 21 ટકા થવા જાય છે. ત્યારે ચાલો જાણીએ કુવૈતમાં ભારતીય કામદારોની કેવી સ્થિતિ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુવૈત દ્વારા ગત વર્ષે ડિસેમ્બરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ કુવૈતની વસ્તી 48 લાખ 59 હજાર હતી, જેમાંથી 15 લાખથી વધુ અહીંના નાગરિકો છે અને 30 લાખથી વધુ વિદેશીઓ છે. અહીં વસતા મોટાભાગના ભારતીયો સુથાર, કડિયાકામ, નોકર, ડ્રાઈવર અને ડિલિવરી બોય તરીકે કામ કરે છે. મોટાભાગના ભારતીય કામદારો ભારત કરતા વધુ પૈસા કમાવા માટે કુવૈત જાય છે પરંતુ અહીં તેમને નર્કાગાર જેવી સ્થિતિમાં જીવવું પડે છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/consider-curbing-inequality">અસમાનતાને અંકુશમાં લેવાનું વિચારો</a></span></strong></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666bc7f0b291c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભારતીય મજૂરો માટે શહેરથી દૂર બિલ્ડીંગો બનાવાઈ</span></strong></span><br><span style="font-size: 14pt;">કુવૈત સરકાર અને તેના માલેતુજારો પર હંમેશા ભારતીય મજૂરોનું ભારે શોષણ કરવાનો આરોપ લાગતો રહ્યો છે. ભારતીય મજૂરોને નક્કી કરેલા સમય કરતા વધુ કલાક કામ કરાવવામાં આવે છે. ઓછા પૈસા આપવાની સાથે તેમનો પગાર પણ વારંવાર રોકી દેવામાં આવે છે. શોષણની એટલી બધી ફરિયાદો છે કે ભારતીય દૂતાવાસે તે ફરિયાદોના ઉકેલ માટે એક અલગ સેલ ખોલવો પડ્યો છે.</span><br><span style="font-size: 14pt;">કુવૈતના ઘણાં શહેરોમાં એવી બિલ્ડીંગો છે જે મુખ્ય રહેણાંક વસાહતોથી દૂર બનાવવામાં આવી છે. આ બિલ્ડીંગોમાં બહારથી આવતા એટલે કે ભારતથી આવતા મજૂરોને રાખવામાં આવે છે. જેમાં રહેતા કામદારોની હાલત એવી છે કે દરેક રૂમમાં જરૂર કરતાં વધુ કામદારો ભરાઈ ગયા છે. આ મજૂરો વધુ પૈસા ખર્ચવા અથવા સારી જગ્યાએ રહેવા જવાની સ્થિતિમાં નથી હોતા. તેનો ફાયદો ઉઠાવીને તેમને નર્ક જેવું જીવન જીવવા માટે મજબૂર કરાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/may-day-asks-are-workers-better-off-or-worse-off">મે દિન પૂછે છેઃ કામદારોની હાલત બહેતર કે બદતર?</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666bc7f02f407.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">મહિનાઓ સુધી પગાર નથી ચૂકવાતો</span></strong><br><span style="font-size: 14pt;">કુવૈત જતા મોટાભાગના કામદારો કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોના છે. સામાન્ય રીતે અહીં જતા મજૂરોના અનુભવો ખૂબ જ ખરાબ રહ્યા છે, પરંતુ નબળી આર્થિક સ્થિતિને કારણે કુવૈત જતા મજૂરોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અહીં રહેતા કામદારોની સ્થિતિ તો ખરાબ છે જ પરંતુ તેમને તેમના માલિકોના ખરાબ વર્તનનો પણ સામનો કરવો પડે છે. માલિક આ મજૂરો સાથે ન માત્ર ખરાબ વર્તન કરે છે પરંતુ તેમનું ખૂબ શોષણ પણ કરે છે. તેમને મહિનાઓ સુધી પગાર ચૂકવવામાં આવતો નથી. તેઓ ખરાબ પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર છે અને તેમના માલિકો તરફથી તમામ પ્રકારની ધમકીઓનો પણ સામનો કરવો પડે છે. જે કંપનીઓ આ મજૂરોને રોજગારી આપે છે તેઓ તેમના પાસપોર્ટ પોતાની પાસે રાખે છે અને પછી શરૂ થાય છે શોષણની ગંદી રમત.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">મોટાભાગના નિયમો ફક્ત કાગળ પર</span></strong><br><span style="font-size: 14pt;">આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે જ્યારે તેમને શોષણ અને દુર્વ્યવહારનો સામનો કરવો પડે છે તો આટલી મોટી સંખ્યામાં ભારતીયો કુવૈત કે અન્ય ખાડી દેશોમાં શા માટે જાય છે? આ પ્રશ્નનો સીધો જવાબ એ છે કે ભારતીય ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન રેગ્યુલેશનના નિયમો મુજબ વિદેશમાં કામ કરતા ભારતીય કામદારો માટે મિનિમમ પગાર નક્કી કરવામાં આવ્યો છે. જો કે, આ બધું માત્ર કાગળ પર છે, કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં મિનિમમ પગાર અને અન્ય નિયમોનું પાલન થતું નથી. એટલે એકવાર કુવૈતમાં પગ મૂકનાર ભારતીય મજૂર કંપની ન ઈચ્છે ત્યાં સુધી ભારત પરત નથી આવી શકતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/how-can-privatization-be-good-for-the-country">ખાનગીકરણ કઈ રીતે દેશ માટે સારું હોઈ શકે?</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666bc7efa2f8d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મોત થાય તો ભારત સરકાર તરફથી 10 લાખની સહાય</span></strong></span><br><span style="font-size: 14pt;">કુવૈતમાં સુથાર, કડિયા, ડ્રાફ્સમેન, ફીટર વગેરે 300 ડોલર પ્રતિ માસની ન્યૂનતમ શ્રેણી હેઠળ આવે છે. જ્યારે ભારે વાહનચાલકો અને ઘરેલું કામદારો થોડી સારી સ્થિતિમાં જણાય છે કારણ કે તેમનો પગાર થોડો વધારે છે.</span><br><span style="font-size: 14pt;">અહીં કામ કરતા ભારતીય કામદારો માટે ભારત સરકાર તરફથી પગલાં લેવામાં આવ્યા છે. જેમાં કામદારોના મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં 10 લાખ રૂપિયાની સહાય આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે, કોઈપણ પ્રકારના વિવાદના કિસ્સામાં કાનૂની ખર્ચ પણ આપવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સલાહ આપવા છતાં ભારતીયો કુવૈત જાય છે</span></strong></span><br><span style="font-size: 14pt;">કુવૈતમાં ભારતીય દૂતાવાસની વેબસાઇટ અનુસાર, 1990-91ની ગલ્ફ વોરની કુવૈતમાં રહેતા ભારતીય સમાજ પર મોટી અસર પડી હતી. આ યુદ્ધ પછી 1.7 લાખથી વધુ ભારતીયોએ કુવૈત છોડી દીધું હતું. જો કે હવે ફરી કુવૈત જનારા ભારતીયોની સંખ્યામાં વધારો નોંધાયો છે. કુવૈતમાં ભારતીયો સાથે ગેરવર્તણૂક અને છેતરપિંડીના ઘણાં કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે અને આ કારણોસર ભારતીય દૂતાવાસ દ્વારા સમયાંતરે સલાહ પણ આપવામાં આવે છે. જો કે તેનાથી વધુ ફાયદો થતો દેખાઈ રહ્યો નથી. કેમ કે, ભારતીય મજૂરો માને છે કે, કારમી મોંઘવારી, બેકારી અને બેરોજગારી સહન કરીને આખી જિંદગી કામ કર્યા પછી પણ કશી બચત નથી થતી. એવામાં અમુક વર્ષો કુવૈતમાં રહીને થોડું સહન કરીને સારી જિંદગી જીવી શકાય તેટલાં રૂપિયા ભેગાં કરીને પરત આવીને કોઈ ધંધો સેટ કરી લેવો સારો - એમ માની દર વર્ષે સેંકડો મજૂરો કુવૈતની વાટ પકડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/the-law-of-manusmriti-which-sowed-the-seeds-of-inequality-in-indian-society">મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ રોપ્યાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 14 Jun 2024 10:13:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>763</Articleid>
                    <excerpt>કુવૈતના એક બિલ્ડીંગમાં લાગેલી આગમાં 40 ભારતીય મજૂરો માર્યા ગયા. સવાલ એ છે કે, નર્કાગાર જેવી સ્થિતિ છતાં શા માટે સેંકડો ભારતીયો કુવૈત જાય છે. વાંચો આ રિપોર્ટ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666bc7f155c51.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666bc7f127931.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666bc7f127931.jpg" length="88820" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપના નેતા યેદિયુરપ્પા વિરુદ્દ  POCSO કેસમાં બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી</title>
                    <link>https://khabarantar.com/non-bailable-arrest-warrant-issued-in-pocso-case-against-bjp-leader-yeddyurappa</link>
                    <guid>https://khabarantar.com/non-bailable-arrest-warrant-issued-in-pocso-case-against-bjp-leader-yeddyurappa</guid>
                    <description>
                        <![CDATA[ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બી.એસ. યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો જેવા ગંભીર ગુના હેઠળ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા બી.એસ. યેદિયુરપ્પા વિરુદ્ધ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. પોલીસ પોક્સો કેસમાં પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાની ધરપકડની તૈયારી કરી રહી છે. ગઈકાલે, સીઆઈડીએ યૌન ઉત્પીડનના કેસમાં પૂછપરછ માટે યેદિયુરપ્પાને સમન્સ પાઠવ્યું હતું, પરંતુ તેઓ સીઆઈડી સમક્ષ હાજર થયા ન હતા. ધરપકડના ડરથી યેદિયુરપ્પાએ કર્ણાટક હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. કોર્ટે આ કેસની સુનાવણી આવતીકાલે નક્કી કરી છે. આ કેસમાં ચાર્જશીટ ૧૫ જૂન સુધીમાં દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેંગલુરુના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં યેદિયુરપ્પા સામે એક છોકરી પર યૌન શોષણ કરવા બદલ  પોસ્કો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે યેદિયુરપ્પાને નોટિસ પાઠવી છે. તેમને તપાસમાં જોડાવા માટે કહેવામાં આવ્યું હતું. સુનાવણીમાં હાજર રહેવા માટે આપવામાં આવેલી નોટિસનો જવાબ આપતાં તેમણે કહ્યું કે તેઓ ૧૭ જૂન, સોમવારે સુનાવણીમાં હાજર રહેશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે ૨૮ માર્ચે આપવામાં આવેલી નોટિસ મુજબ હું સુનાવણીમાં હાજર રહ્યો હતો અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો, પરંતુ ફરીથી ૧૨ જૂને આપવામાં આવેલી નોટિસ ગઈ કાલે મારી પાસે પહોંચી હતી. હું પાર્ટીના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે દિલ્હી જઈ રહ્યો છું. તેથી આ વખતે હું સુનાવણીમાં હાજર રહી શકતો નથી. હું ૧૭ જૂને સુનાવણીમાં અંગત રીતે હાજરી આપીશ. મેં અગાઉ પણ તપાસમાં સહકાર આપ્યો છે. કેટલાક કારણોસર હું આ વખતે તપાસમાં ભાગ લઈ શકતો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/this-is-the-result-of-bjp-leaders-remaining-in-devotion-to-modi-sangh">ભાજપના નેતાઓ મોદીની ભક્તિમાં રત રહ્યાં તેનું આ પરિણામ છેઃ આરએસસએસ</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666b1ef32f671.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પૂર્વ મુખ્યમંત્રી વિરુદ્ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સનો કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં આરોપ છે કે તેમણે ૧૭ વર્ષની છોકરીની છેડતી કરી હતી. બાળકીની માતાએ ૧૪ માર્ચે સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં યેદિયુરપ્પા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ભાજપના વરિષ્ઠ નેતા વિરુદ્ધ પોક્સો એક્ટ અને આઈપીસીની કલમ ૩૫૪ એ (જાતીય સતામણી) હેઠળ કેસ નોંધ્યો હતો. પીડિતાની માતાએ આરોપ લગાવ્યો કે આ ઘટના આ વર્ષે ૨ ફેબ્રુઆરીએ બની હતી, જ્યારે તે છેતરપિંડીના કેસમાં મદદ માટે યેદિયુરપ્પાને મળવા ગઈ હતી. પીડિતા છેલ્લા કેટલાક સમયથી અસાધ્ય બિમારીથી પીડિત હતી. બેનરઘટ્ટા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. હવે તે મૃત્યુ પામી છે. ત્યારબાદ પીડિતાના ભાઈએ કર્ણાટક હાઈકોર્ટમાં રિટ અરજી કરીને યેદિયુરપ્પાની ધરપકડની માંગ કરી હતી. યેદિયુરપ્પાએ આ કેસને ફગાવી દેવા માટે કોર્ટમાં અરજી પણ કરી હતી અને તેમણે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. જો કે હવે ધરપકડ વોરંટ જારી થયા બાદ યેદિયુરપ્પાની મુશ્કેલીઓ વધી શકે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/if-ayodhya-is-far-away-the-bjp-could-not-win-in-the-surrounding-100-km-area">અયોધ્યા તો દૂર, આસપાસના 100 કિમી વિસ્તારમાં ભાજપ જીતી ન શકી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 13 Jun 2024 22:03:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>762</Articleid>
                    <excerpt>કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બી.એસ. યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો જેવા ગંભીર ગુના હેઠળ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666b1ef9364b8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666b1ef906b2d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666b1ef906b2d.jpg" length="63135" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>NEET માં 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્સ રદ, ફરી પરીક્ષા આપવી પડશે</title>
                    <link>https://khabarantar.com/grace-marks-of-1563-students-in-neet-canceled-have-to-retake-the-exam</link>
                    <guid>https://khabarantar.com/grace-marks-of-1563-students-in-neet-canceled-have-to-retake-the-exam</guid>
                    <description>
                        <![CDATA[ નીટની પરીક્ષામાં ઘાલમેલના આરોપો વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મોટો નિર્ણય કરીને ગ્રેસ માર્ક્સ પરત ખેંચી લીધા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">NEET ની પરિક્ષામાં થયેલી ઘાલમેલના આરોપો વચ્ચે પરીક્ષા યોજતી સંસ્થા નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મોટું પગલું ભરીને 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્‌સ પાછા ખેંચ્યા છે. આ સાથે જ આ વિદ્યાર્થીઓનો નીટ સ્કોરકાર્ડ રદ કર્યો છે. આ એ વિદ્યાર્થીઓ છે જેમને નીટ ગ્રેસ માક્‌ર્સ આપવામાં આવ્યા હતા. હવે તેમણે ફરી પરીક્ષા આપવી પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એનટીએએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે આ ૧૫૬૩ વિદ્યાર્થીઓ માટે ફરીથી નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ૩૦ જૂન પહેલા આ રિ-નીટ એક્ઝામનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે. આ ૧૫૬૩માંથી જે ફરીથી પરીક્ષા નહીં આપે તેમને ગ્રેસ માર્ક્‌સ મળશે નહીં. એનટીએ તરફથી કહેવાયું છે કે ૧૫૬૩ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ૨૩ જૂને આયોજિત કરાશે અને ૩૦ જૂન સુધીમાં પરિણામ જાહેર કરી દેવાશે. ૧૫૬૩ વિદ્યાર્થીઓના નીટ પરિણામ રદ થવાની અને તેના માટે નીટ રી એક્ઝામ થયા બાદ ફાઈનલ સ્કોરની અસર સમગ્ર નીટ મેરિટ યાદી પર પડશે. આ વિદ્યાર્થીઓના માર્ક્‌સ બદલાતા તેમની નીટ ઓલ ઈન્ડિયા રેન્કિંગ પણ બદલાશે. આ સાથે જ આખી નીટ ૨૦૨૪ મેરિટ લીસ્ટ પણ બદલાઈ જશે. જેનાથી લાખો બાળકોના રેન્કિંગ પર અસર પડશે. આવામાં એટીએએ ફરીથી નીટ રેક લીસ્ટ ૨૦૨૪ બહાર પાડવાની જરૂર પડશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/Jai-Ho-to-JAI-BHIM-Donors-Club-Fee-paid-for-poor-students-preparing-for-NEET"><strong>JAI BHIM Donors Clubની જય હો! NEETની તૈયાર કરતા ગરીબ વિદ્યાર્થીની ફી ભરી આપી</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666b029150800.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે સુપ્રીમ કોર્ટે નીટ કાઉન્સિલિંગ ૨૦૨૪ પર રોક લગાવી નથી. નીટ યુજી કાઉન્સિલિંગમાં કોઈ અડચણ ન આવે આ માટે જેમ બને તેમ જલદી નીટ પરીક્ષા ફરીથી લેવાઈ રહી છે અને એક અઠવાડિયાની અંદર પરિણામની ડેટ પણ નક્કી કરી દેવાઈ છે. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે ફરીથી કાઉન્સિલિંગ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે ૪ જૂનના રોજ નીટના પરિણામ બાદ દાખલ અરજીઓ પર એનટીએને નોટિસ પાઠવી. કોર્ટે કહ્યું કે આ અરજીઓ પર પહેલેથી પેન્ડિંગ અરજીઓ સાથે ૮ જુલાઈએ સુનાવણી થશે. જો પરીક્ષા કેન્સલ થાય તો પછી બધી ચીજો કેન્સલ થઈ જશે તેથી ચિંતાની કોઈ વાત નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે નીટ પ્રવેશ પરીક્ષામાં મોટી સંખ્યામાં ઉમેદવારોના સારા પ્રદર્શન પર હંગામો મચ્યો છે. હંગામો એ વાતનો છે કે ૬૭ ઉમેદવારોએ ૭૨૦માંથી ૭૨૦ નો સ્કોર કર્યો છે. આજે કોર્ટે નીટ કાઉન્સિલંગ પર રોક લગાવવાની ના પાડી દીધી. એમબીબીએસ, બીડીએસ અને અન્ય કોર્સિસમાં પ્રવેશ માટે કાઉન્સિલિંગ ૬ જુલાઈથી શરૂ થશે. ૪ જૂનના રોજ એજન્સીએ  નીટ યુજી ૨૦૨૪ ના પરિણામ જાહેર કર્યા હતા અને માર્કિંગ સ્કીમ પર ચિંતા જતાવી હતી. સુપ્રીમ કોર્ટમાં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા દાખલ એક રિટ અરજીમાં પેપર લીકના આરોપોમાં પરીક્ષાની સેન્ટિટી પર શંકા ઉઠાવવામાં આવી હતી અને કોર્ટને તેને રદ કરવા તથા એનટીએને પરીક્ષા ફરીથી આયોજિત કરવા માટે નિર્દેશ આપવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/rs-10-lakhs-and-clear-the-neet-exam-with-good-marks"><strong>રૂ. 10 લાખ આપો અને NEET ની પરીક્ષા સારા માર્કે પાસ કરો</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 13 Jun 2024 20:05:45 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 13 Jun 2024 20:06:37 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>761</Articleid>
                    <excerpt>નીટની પરીક્ષામાં ઘાલમેલના આરોપો વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મોટો નિર્ણય કરીને ગ્રેસ માર્ક્સ પરત ખેંચી લીધા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666b027c9768b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666b027c66c6a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666b027c66c6a.jpg" length="59890" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>Global Peace Index 2024: વિશ્વની સરેરાશ શાંતિમાં 0.56 ટકાનો ઘટાડો થયો</title>
                    <link>https://khabarantar.com/global-peace-index-2024-average-world-peace-decreased-by-0.56-percent</link>
                    <guid>https://khabarantar.com/global-peace-index-2024-average-world-peace-decreased-by-0.56-percent</guid>
                    <description>
                        <![CDATA[ ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2024 આવી ગયો છે. એ મુજબ દુનિયાભરની સરેરાશ શાંતિમાં 0.56 ટકાનો ઘટાડો થયો છે. જાણો તેની પાછળના કારણો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2024 આવી ગયો છે અને આ વખતના આંકડાઓ પરથી ખ્યાલ આવે છે કે વિશ્વની સરેરાશ શાંતિમાં ઘટાડો થયો છે. નવા ઈન્ડેક્સ મુજબ દુનિયાના વિવિધ દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધો અને અરાજકતાભરી સ્થિતિને કારણે વિશ્વની સરેરાશ શાંતિમાં 0.56 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. ગ્લોબલ પીસ ઈન્ડેક્સના રિપોર્ટ મુજબ સમગ્ર વિશ્વમાં યુદ્ધના ઓછાયા વધુ ઘેરા બન્યા છે. જો તેને ફેલાતો રોકવામાં નહીં આવે તો ગમે ત્યારે દુનિયા આખીને તે બાનમાં લઈ શકે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જીપીઆઈના ૧૮મા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ વૈશ્વિક સંઘર્ષનો આંકડો 56ના મહત્તમ સ્તર પર પહોંચી ગયો છે. દુનિયાના તાકતવર દેશો હવે પરંપરાગત શસ્ત્રોને બદલે ડ્રોન અને સંરક્ષણ સિસ્ટમ પર વધુ ખર્ચ કરી રહ્યા છે, જેમાં સૈન્યના વપરાશ માટે લેવામાં આવતા ઉપગ્રહોનો પણ સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૈન્ય ઉપગ્રહો પર વધતા ખર્ચને કારણે હવે લડાઈ છેક અવકાશ સુધી પહોંચી ગઈ છે. ડ્રોનના આવવાથી હવે નાના દેશો અને આતંકી ગ્રુપો પણ સરળતાથી તેમની હુમલા કરવાની કેપેસિટી વધારી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વૈશ્વિક સ્તરે વધતી હિંસાને કારણે ૨૦૨૩માં આર્થિક નુકસાન ૧૯.૧ ટ્રિલિયન ડોલર હોવાનો અંદાજ છે, જે વિશ્વની જીડીપીના ૧૩.૫ ટકા થવા જાય છે. આ નુકસાન પ્રતિ વ્યક્તિ ૨૩૮૦ ડોલર એટલે કે લગભગ રૂ. ૧૯૮૯૪૯ આંકવામાં આવ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચિંતાજનક બાબત એ છે કે હવે યુદ્ધો પણ આંતરરાષ્ટ્રીય બની રહ્યા છે. વિશ્વના ૯૨ દેશો તેમની સરહદો પર યુદ્ધની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. તે જ સમયે, ૨૦૨૪માં, ૯૭ દેશોમાં શાંતિપૂર્ણ સ્થિતિમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ભારત સહિત ૬૫ દેશોમાં સ્થિતિમાં સુધારો થયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સિંગાપોર એશિયાનો સૌથી શાંતિપૂર્ણ દેશ છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગ્લોબલ પીસ ઈન્ડેક્સ મુજબ સિંગાપોરને વિશ્વનો પાંચમો સૌથી શાંતિપૂર્ણ દેશ અને એશિયાનો પહેલા નંબરનો શાંતિપૂર્ણ દેશ માનવામાં આવે છે. આ યાદીમાં મલેશિયાને જાપાન કરતાં વધુ શાંતિપ્રિય માનવામાં આવ્યો છે અને તેને ૧૦મો વૈશ્વિક ક્રમ આપવામાં આવ્યો છે. જ્યારે જાપાનને ૧૭મું સ્થાન આપવામાં આવ્યું છે. આ પીસ ઈન્ડેક્સમાં ચીનને ૮૯મું સ્થાન આપવામાં આવ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Not-a-single-Dalit,-Tribal-or-OBC-in-key-positions-in-mainstream-media-%E2%80%93-report"><span style="font-size: 14pt;">મુખ્યધારાના મીડિયામાં મુખ્ય પદો પર એકેય દલિત, આદિવાસી કે ઓબીસી નહીં – રિપોર્ટ</span></a></span></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666a9a8174e72.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વૈશ્વિક સ્તરે વધતા સંઘર્ષને કારણે વિશ્વના ૧૦૮ દેશોએ તેમની સૈન્ય ક્ષમતા વધારી છે. જેના કારણે સમગ્ર વિશ્વની સૈન્ય ક્ષમતામાં ૧૦ ટકાનો વધારો થયો છે. અમેરિકાની ઘાતક સૈન્ય ક્ષમતા ચીન કરતા ત્રણ ગણી વધારે છે, જોકે ચીને છેલ્લા ૧૦ વર્ષમાં તેની સૈન્ય ક્ષમતામાં સૌથી વધુ વધારો કર્યો છે. આ પછી રશિયા, ફ્રાન્સ અને યુકેની સૈન્ય ક્ષમતા સૌથી વધુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભારતમાં છેલ્લાં 10 પૈકી 9 વર્ષોમાં શાંતિ ઘટી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગ્લોબલ પીસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં છેલ્લાં એક દાયકામાં ૧૦ માંથી ૯ વર્ષોમાં શાંતિમાં ઘટાડો થયો છે. દુનિયાના અન્ય દેશોમાં વિક્રમજનક સંખ્યામાં સંઘર્ષો, લશ્કરી તાકાતમાં વધારો અને આંતરરાષ્ટ્રીય વ્યૂહાત્મક સ્પર્ધામાં પણ વધારો થયો છે. આ સિવાય યુક્રેન યુદ્ધને કારણે વિશ્વના સૌથી શાંતિપૂર્ણ વિસ્તાર યુરોપના ત્રણ-ચતુર્થાંશ દેશોએ ૨૦૨૩માં તેમના સૈન્ય ખર્ચમાં વધારો કર્યો છે. યુરોપમાં હજુ પણ વિશ્વના ૧૦ સૌથી શાંતિપૂર્ણ દેશોમાંથી સાત દેશો છે, તેમ છતા અહીંના ૩૬ દેશોમાંથી ૨૩માં શાંતિ ઘટી છે. ૨૦૨૪ના પીસ ઈન્ડેક્સ અનુસાર સમગ્ર વિશ્વમાં સરેરાશ શાંતિમાં ૦.૫૬ ટકાનો ઘટાડો થયો છે. આઇસલેન્ડ, આયર્લેન્ડ અને ઓસ્ટ્રિયાને વિશ્વના ત્રણ સૌથી શાંતિપૂર્ણ દેશોમાં સ્થાન આપવામાં આવ્યું છે. અમેરિકાને ૧૩૨મું સ્થાન મળ્યું છે અને આશ્ચર્યજનક રીતે ભારતને 116મું સ્થાન મળ્યું છે. જેનો અર્થ એવો થાય કે શાંતિના મામલે અમેરિકા ભારત કરતા વધુ અસ્વસ્થ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/98-of-faculties-in-countrys-TOP-5-IITs-are-said-to-be-upper-caste:-Shocking-report-by-Nature-magazine"><strong>દેશની TOP 5 IITમાં 98% ફેકલ્ટીઓ કથિત ઉચ્ચ જાતિની: Nature magazineનો ચોંકાવનારો રિપોર્ટ</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 13 Jun 2024 12:42:50 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 13 Jun 2024 14:41:16 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>758</Articleid>
                    <excerpt>ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2024 આવી ગયો છે. એ મુજબ દુનિયાભરની સરેરાશ શાંતિમાં 0.56 ટકાનો ઘટાડો થયો છે. જાણો તેની પાછળના કારણો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666a9a6b663e5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666a9a6b36d12.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666a9a6b36d12.jpg" length="104162" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બુદ્ધ કથામાં બ્રાહ્મણોનો હુમલોઃ બાબાસાહેબનો ફોટો ફાડ્યો, 6 દલિતો ઘાયલ</title>
                    <link>https://khabarantar.com/brahmins-attack-in-buddha-katha-babasahebs-photo-torn-six-dalit-injured</link>
                    <guid>https://khabarantar.com/brahmins-attack-in-buddha-katha-babasahebs-photo-torn-six-dalit-injured</guid>
                    <description>
                        <![CDATA[ એક ગામમાં બૌદ્ધ કથા દરમિયાન બ્રાહ્મણો-ક્ષત્રિયોએ હુમલો કર્યો હતો, જેમાં છ દલિતો ઘાયલ થયા છે. લુખ્ખા તત્વોએ બાબાસાહેબની તસવીર પણ ફાડી નાખી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ણવ્યવસ્થાના પાયા પર ઉભેલો હિંદુ ધર્મમાં બ્રાહ્મણો પોતાને સર્વોચ્ચ માને છે, પછી ભલેને તેમની હરકતો નિમ્ન સ્તરની હોય. વર્ણના આધારે માણસની કિંમત થાય માટે તે અયોગ્ય છે, માણસની કિંમત તેના કર્મોના આધારે થવી જોઈએ. ડો. આંબેડકરે આ વાત બૌદ્ધ ધર્મમાં જાણીજોઈ, એટલે તેમણે પોતાના લાખો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. તેમના પગલે ચાલીને આજે પણ દેશભરમાં શોષિત, પીડિત સમાજ બૌદ્ધ ધર્મ અંગિકાર કરતો રહ્યો છે. બૌદ્ધ ધર્મ માણસને માણસ માની એ જ રીતે તેનો સ્વીકાર કરે છે, અહીં કોઈ ઊંચનીચ નથી, સૌ સમાન છે, જાતિ આધારિત ભેદભાવ નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્વાભાવિક રીતે જ આવો ધર્મ મનુવાદી વ્યવસ્થા સામે પડકાર ઉભો કરે. એટલે જ મનુવાદીઓને બૌદ્ધ ધર્મ, તથાગત ગૌતમ બુદ્ધ અને તેનો ભારતના દલિતોમાં મજબૂતીથી પ્રસાર કરનાર ડો. બાબાસાહેબ આંબેડકર સામે આજે પણ ભારે અણગમો અને ગુસ્સો છે. તેમનો આ ગુસ્સો સમયાંતરે પ્રકાશમાં આવતો રહે છે. આવી જ એક ઘટના હાલ સામે આવી છે, જ્યાં એક ગામમાં બૌદ્ધકથા ચાલતી હતી, એ દરમિયાન ગામના બ્રાહ્મણોએ ઠાકુરો સાથે મળીને બુદ્ધ કથાના સ્થળ પર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં છ દલિતો ઘાયલ થયા છે. આ મામલે પોલીસે એફઆઈઆર નોંધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના હરદોઈની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીંના હરદોઈ જિલ્લાના ટડિયાવા વિસ્તારમાં બૌદ્ધ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પર ગામના બ્રાહ્મણો-ઠાકુરોએ હુમલો કરી દીધો હતો અને બાબાસાહેબની તસવીર પણ ફાડી નાખી હતી. આશ્ચર્યની વાત એ છે કે બૌદ્ધ કથા દરમિયાન પોલીસકર્મીઓ દ્વારા સુરક્ષા પુરી પાડવામાં આવી હતી, તેમ છતાં પોલીસની હાજરીમાં જ દલિત યુવકને માર મારવામાં આવ્યો હતો. હુમલામાં 6 દલિતો ઘાયલ થઈ ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Forty-lakh-people-pay-homage-in-a-pilgrimage-to-buddhas-holy-relics-in-thailand">થાઈલેન્ડમાં બુદ્ધના પવિત્ર અવશેષોની પ્રદર્શન યાત્રામાં 40 લાખ લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી</a><br></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666a79a16187f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના હરદોઈ જિલ્લાના શાહપુર મુગલ ગામની છે. અહીં 5 થી 9 જૂન દરમિયાન બૌદ્ધ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાનું સમાપન 9 જૂનના રોજ થવાનું હતું. આયોજકોના કહેવા પ્રમાણે જ્યારથી તેઓ બૌદ્ધ કથાનું આયોજન કરી રહ્યા હતા ત્યારથી જ ગામના બ્રાહ્મણો ઠાકુરો સાથે મળીને તેનો વિરોધ કરી રહ્યા હતા. કથાના સમાપનના એક દિવસ પહેલા જ આ લોકો અચાનક ઉગ્ર થઈ ગયા હતા અને તેમણે કથા સ્થળ પર હુમલો કરી દીધો હતો. હોબાળો થતા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. માથાભારે તત્વોએ કથાના સ્થળે તોડફોડ શરૂ કરી દીધી હતી અને બૌદ્ધ કથા સાંભળવા આવેલા લોકોને માર મારીને ભગાડવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે આયોજકો સહિતના લોકોએ તેનો વિરોધ કર્યો તો માથાભારે તત્વોએ લાકડીઓ-દંડા લઈને તેમને મારવાનું શરૂ કરી દીધું હતું. એ દરમિયાન સ્થળ પર પોલીસ હાજર હતી તેમ છતાં તેમણે કોઈપણ પ્રકારનો બચાવ કર્યો નહોતો અને દલિતોને માર મારવા દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભીમ આર્મી મેદાનમાં ઉતરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાની જાણ થતા જ ભીમ આર્મીના પદાધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આયોજકો સાથે પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંતોષકુમાર સિંહે જણાવ્યું હતું કે, બંને પક્ષોને શાંત પાડવામાં આવ્યા છે. કુલ છ લોકોને ઈજા પહોંચી છે અને તમામની તપાસ, સારવાર કરવામાં આવી રહી છે. આ મામલે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભીમ આર્મીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાના પડઘા સ્થાનિક દલિત સંગઠનોમાં પણ પડ્યા હતા. જેમાં ભીમ આર્મી સૌથી મોખરે રહી હતી. તેણે અહીં પુરવા દેવળિયાના આંબેડકર પાર્કમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને દલિત સમાજના લોકો સાથે ઉપસ્થિત રહીને ધરણાં પ્રદર્શન કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/a-2300-year-old-dream-of-indian-buddhists-came-true-on-buddha-purnima">બુદ્ધ પૂર્ણિમાએ ભારતીય બૌદ્ધ ધર્મીઓનું 2300 વર્ષ જૂનું સપનું સાકાર થયું</a><br></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666a79c57eb66.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રદર્શનકર્તાઓએ ત્રણ માંગણીઓ કરી હતી. જેમાં ડો. આંબેડકર અને તથાગત ગૌતમ બુદ્ધનો ફોટો ફાડવાના આરોપ સંબંધિત કલમો ફરિયાદમાં દાખલ કરવામાં આવે, પીડિતો પર કરવામાં આવેલી ફરિયાદ પરત ખેંચવામાં આવે અને પિસ્તોલ સહિતના હથિયાર લઈને હુમલો કરવા સંબંધિત કલમોનો ઉમેરો કરવામાં આવે. આ ધરણાં પ્રદર્શનમાં ભીમ આર્મીના સેંકડો કાર્યકરો જોડાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિંદુ દેવીદેવતાઓના અપમાનનો ખોટો આરોપ લગાવાયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ હુમલાખોરોનું કહેવું છે કે, બુદ્ધ કથાના કાર્યક્રમ દરમિયાન હિંદુ દેવીદેવતાઓ પર અભદ્ર નિવેદનો કરવામાં આવી રહ્યા હતા. જેને લઈને કાર્યક્રમના આયોજકોને પણ ચેતવવામાં આવ્યા હતા. તેમ છતાં તેમણે ફરી હિંદુ દેવીદેવતાઓ સામે ટિપ્પણીઓ કરી હતી, (જો કે, તેઓ પોલીસ સામે આ આરોપના કોઈ પુરાવા રજૂ કરી શક્યા નહોતા.)જેને લઈને બ્રાહ્મણો અને ક્ષત્રિયોએ મળીને વિવાદ ઉભો કર્યો હતો અને પછી હુમલો કરી દીધો હતો. જેમાં બુદ્ધ કથાના સ્થળે ખુરશીઓ ઉંધી વાળી દેવામાં આવી હતી, આયોજકોને માર મારવામાં આવ્યો હતો અને બુદ્ધ તથા બાબાસાહેબની તસવીરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">80 થી 100 લોકોના ટોળાએ હુમલો કરી દીધો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસમાં નોંધાયેલા ફરિયાદ મુજબ 5 જૂનથી કથા ચાલી રહી હતી. 8 જૂનને શનિવારના રોજ પોલીસ સુરક્ષા વચ્ચે કથા શરૂ થવાની તૈયારીમાં હતી, ત્યાં જ શાહપુરના 80 થી 100 બ્રાહ્મણ-ક્ષત્રિયોનું ટોળું બુદ્ધ કથાના સ્થળે પહોંચી ગયું હતું અને ગાળાગાળી કરતું લાકડીઓ અને દંડા લઈને તૂટી પડ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/how-can-the-bahujans-be-saved-from-the-cultural-slavery-of-the-brahmins">બ્રાહ્મણોની સાંસ્કૃતિક ગુલામીમાંથી બહુજનોને કેવી રીતે બચાવી શકાય?</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666a79f542587.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમાનાં ઘણાં પાસે ધારદાર હથિયારો પણ હતા. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આયોજકો પૈકીના એક નન્હેલાલે પોલીસને ગામના નરેશ તિવારી, રામપ્રસાદ તિવારી, આશિષ દુબે, અભિષેક શુક્લા અને રણજીત સિંહ સહિત 80 થી 100 લોકોને આરોપીએ ગણાવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નન્હેલાલનું કહેવું છે કે, બુદ્ધ કથા હજુ તો શરૂ પણ નહોતી થઈ, એ પહેલા જ આરોપીઓએ હુમલો કરી દીધો હતો. તેનો વીડિયો પણ અમારી પાસે છે, અને સોશિયલ મીડિયામાં પણ તે વાયરલ થયેલો છે. આનાથી મોટા કોઈ પુરાવાની જરૂર પણ નથી. છતાં અમે પોલીસને બીજા પણ વધારાના પુરાવા આપ્યા છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને ગુનેગારોને છોડવામાં નહીં આવે તેમ જણાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/Buddha-and-Mahavira-were-theistic-thinkers-though-they-rejected-the-Vedas-and-God"><strong>બુદ્ધ અને મહાવીર વેદો અને ઈશ્વરને નકારતા હોવા છતાં આસ્તિક વિચારકો હતા</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 13 Jun 2024 10:27:31 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 13 Jun 2024 14:41:32 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>757</Articleid>
                    <excerpt>એક ગામમાં બૌદ્ધ કથા દરમિયાન બ્રાહ્મણો-ક્ષત્રિયોએ હુમલો કર્યો હતો, જેમાં છ દલિતો ઘાયલ થયા છે. લુખ્ખા તત્વોએ બાબાસાહેબની તસવીર પણ ફાડી નાખી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666a798ba95ec.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666a798b75fbc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666a798b75fbc.jpg" length="112159" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપના નેતાઓ મોદીની ભક્તિમાં રત રહ્યાં તેનું આ પરિણામ: સંઘ</title>
                    <link>https://khabarantar.com/this-is-the-result-of-bjp-leaders-remaining-in-devotion-to-modi-sangh</link>
                    <guid>https://khabarantar.com/this-is-the-result-of-bjp-leaders-remaining-in-devotion-to-modi-sangh</guid>
                    <description>
                        <![CDATA[ RSS ના મુખપત્ર ઓર્ગેનાઈઝરમાં સંઘના સભ્ય રતન શારદાએ લોકસભાની ચૂંટણીમાં ભાજપના નબળાં પ્રદર્શન માટેના કારણો જણાવ્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણીના પરિણામો પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ટિપ્પણી કરી છે. આ અંગે RSSએ કહ્યું છે કે લોકસભા ચૂંટણીના આ પરિણામો બીજેપીના અતિઉત્સાહિત કાર્યકર્તાઓ અને નેતાઓનો રિયાલિટી ચેક છે, જે પોતાની દુનિયામાં મગ્ન હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વથી પ્રભાવિત હતા. આ જ કારણોસર આ લોકો સુધી સામાન્ય માણસોનો અવાજ પહોંચી રહ્યો નહોતો. સંઘે પોતાના મુખપત્ર ‘ઓર્ગેનાઈઝર’ના તાજેતરના અંકમાં આ ટિપ્પણી કરી છે. સંઘના મુખપત્રના લેખમાં કહેવામાં આવ્યું છે કે ભાજપના નેતાઓ અને કાર્યકરોએ ચૂંટણીમાં સહકાર માટે સ્વયંસેવકોનો સંપર્ક સુધ્ધાં કર્યો ન હતો. આ ચૂંટણી પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે આવા અનુભવી સ્વયંસેવકોની પણ અવગણના કરવામાં આવી હતી, જેમણે સોશિયલ મીડિયાના આ યુગમાં પ્રસિદ્ધિની લાલસા વિના અથાક મહેનત કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરએસએસના સભ્ય રતન શારદાએ આ લેખમાં કહ્યું છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના પરિણામો અતિ ઉત્સાહી કાર્યકરો અને ભાજપના ઘણા નેતાઓ માટે રિયાલિટી ચેક જેવા આવ્યા છે. તેમને ખ્યાલ ન હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ૪૦૦ પાર કરવાનું સૂત્ર તેમના માટે લક્ષ્ય અને વિપક્ષ માટે પડકાર છે. આ ચૂંટણીમાં ભાજપને ૨૪૦ બેઠકો મળી છે, જે બહુમતીથી ઓછી છે પરંતુ એનડીએ ૨૯૩ બેઠકો સાથે બહુમતી મેળવવામાં સફળ રહ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસને ચૂંટણીમાં ૯૯ બેઠકો મળી હતી, જ્યારે ઈન્ડિયા ગઠબંધનને ૨૩૪ બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં જીતેલા બે અપક્ષોએ કોંગ્રેસને સમર્થન આપ્યું, જેના પછી ઈન્ડિયા બ્લોકની સંખ્યા વધીને ૨૩૬ થઈ ગઈ. શારદાએ લખ્યું કે ચૂંટણીમાં લક્ષ્યાંકો મેળવવા માટે ભારે મહેનત કરવી પડે છે, સોશિયલ મીડિયા પર પોસ્ટર અથવા સેલ્ફી શેર કરીને નહીં. તેઓ વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાનો જશ્ન મનાવતા પોતાની જ દુનિયામાં મગ્ન થઈ ગયા હતા. આવી સ્થિતિમાં તેમણે સામાન્ય લોકોનો અવાજ સાંભળ્યો નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરએસએસના મુખપત્રે ચૂંટણીમાં ભાજપના નબળા પ્રદર્શન માટે બિનજરૂરી રાજકારણને એક કારણ ગણાવ્યું હતું. આ લેખમાં કહેવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્ર બિનજરૂરી રાજકારણનું મુખ્ય ઉદાહરણ છે. અજિત પવારની આગેવાની હેઠળનું એનસીપી જૂથ ભાજપમાં જોડાયું. જ્યારે ભાજપ અને શિવસેના પાસે બહુમતી હતી. જ્યારે શરદ પવારનો પ્રભાવ બે-ત્રણ વર્ષમાં ખતમ થઈ ગયો હોત કારણ કે એનસીપી આંતરિક કલહથી ઝઝૂમી રહી હતી. મહારાષ્ટ્રમાં ભાજપનું પ્રદર્શન સારું રહ્યું નથી કારણ કે તે ૨૦૧૯ની ચૂંટણીની સરખામણીમાં માત્ર નવ બેઠકો જીતી શકી હતી. શિંદેના નેતૃત્વમાં શિવસેનાને સાત બેઠકો મળી હતી. જ્યારે અજિત પવારના નેતૃત્વમાં એનસીપીને માત્ર એક બેઠક મળી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/dr-does-rss-have-any-answer-to-these-questions-of-ambedkar"><strong>ડૉ. આંબેડકરના આ સવાલોનો RSS પાસે કોઈ જવાબ છે?</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 12 Jun 2024 18:26:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>755</Articleid>
                    <excerpt>RSS ના મુખપત્ર ઓર્ગેનાઈઝરમાં સંઘના સભ્ય રતન શારદાએ લોકસભાની ચૂંટણીમાં ભાજપના નબળાં પ્રદર્શન માટેના કારણો જણાવ્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_66699a7de690d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_66699a7db7f43.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_66699a7db7f43.jpg" length="91000" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બહુજન સંઘર્ષ મંચ સુરત દ્વારા વકીલો અને વિદ્યાર્થીઓનું સન્માન કરાયું</title>
                    <link>https://khabarantar.com/lawyers-and-students-were-honored-by-bahujan-sangharsh-manch-surat</link>
                    <guid>https://khabarantar.com/lawyers-and-students-were-honored-by-bahujan-sangharsh-manch-surat</guid>
                    <description>
                        <![CDATA[ સુરત સ્થિત બહુજન સંઘર્ષ મંચ તેની અનોખી સમાજલક્ષી પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. કોઈ રાજકારણી પાસેથી રૂપિયો પણ ન સ્વીકારનાર આ સંગઠને એક સરસ કાર્યક્રમ કર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. બાબાસાહેબ આંબેડકર અને માન્યવર કાંશીરામના પગલે ગુજરાતમાં પણ અનેક નાનામોટા સંગઠનો બહુજન સમાજ માટે રાતદિવસ જોયા વિના કામ કરી રહ્યાં છે. અંતરિયાળ ગામડાઓમાં જ્યાં હજુ જય ભીમનો નારો પણ માંડ માંડ પહોંચ્યો છે ત્યાં આવા સંગઠનોની ભૂમિકા વધારે અગત્યની બની જાય છે. માણસ ગમે તેટલું સારું કામ કરતો હોય પણ જો તેને તેના સમાજ કે પરિવાર તરફથી પ્રોત્સાહન ન મળે તો તેનો ઉત્સાહ અને ધગશમાં ચોક્કસ ઓટ આવતી હોય છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666939f3a65d5.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવું ન થાય તે માટે બહુજન સંઘર્ષ મંચ સુરતની ટીમે હાલમાં જ બહુજન સમાજના નવનિયુક્ત વકીલો અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મંચના કાર્યકરો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને ન્યાય જગત સાથે જોડાયેલા લોકોએ ઉપસ્થિત રહી યુવા વકીલો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ખરા અર્થમાં બહુજન સમાજનું સંગઠન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સંઘર્ષ મંચ ખરા અર્થમાં બહુજન સમાજનું સંગઠન છે કેમ કે, તેમાં બહુજન સમાજમાં સામેલ દરેક સમુદાયના લોકો પ્રતિનિધિત્વ ધરાવે છે. તા. 9 જૂનના રોજ સુરતના સર્કીટ હાઉસ ખાતે બહુજન સંઘર્ષ મંચના સામાજિક કાર્યકર એડવોકેટ અરુણભાઈ જોગડીયા, એડવોકેટ શાંતિભાઈ નાગર, ભરતભાઈ જાદવ, પ્રવિણભાઈ કાતરિયા, ચેતનભાઈ પરમાર, મહેશ સોલંકી, મહેશ સોંદરવા, પ્રેમજીભાઈ નાગર, શ્ચેતાબેન પરમાર, પિંકીબેન કાતરિયા, શીલાબેન મારુ, હિંમતભાઈ નાગર, પ્રવિણભાઈ ખેતરિયા</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/if-dalit-monks-are-declared-mahamandaleshwar-the-respect-of-monks-will-decrease">દલિત સાધુઓને મહામંડળેશ્વર જાહેર કરાશે તો સાધુઓનું સન્માન ઘટશે</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666939f1dc4ff.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમજ સંગઠનના અન્ય કાર્યકર્તાઓ દ્વારા 2024ના વર્ષમાં નવનિયુક્ત થયેલ વકીલો તેમજ ધોરણ 10 અને 12માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના બહુજન સમાજના અલગ અલગ સામાજિક સંગઠનોના હોદેદારો તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજકારણીઓને પાસેથી રૂપિયો પણ નહીં લેવાનો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ નોટબુક, તેમની આગળની કારકિર્દીમાં ઉપયોગી થાય તેવું એક પુસ્તક, શિલ્ડ તેમજ ટ્રોફી પ્રોત્સાહનરુપે એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ વકિલોને પણ શિલ્ડ તેમજ શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંગઠનની ખાસ બાબત એ છે કે તેના તમામ કાર્યકર્તાઓ સામાન્ય પરિવારમાંથી આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/samyak-samaj-honored-6-dignitaries-with-kanshiram-karya-award">સમ્યક સમાજ દ્વારા 6 મહાનુભાવોનું કાંશીરામ કાર્ય એવોર્ડ આપીને સન્માન કરાયું</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666939f31b304.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમના માથે પરિવારની જવાબદારીઓ છે, તેમ છતાં તેઓ પોતાના સામાન્ય પગારમાંથી બચત કરીને કોઈપણ મોટા માલેતુજારો, રાજકારણીઓની મદદ લીધાં વિના આ પ્રકારના કાર્યો સામાજિક જવાબદારી સમજીને કરતા રહે છે. મંચ માને છે કે, રાજકારણી જ્યાં પણ દાન આપે ત્યાં તેમનો સ્વાર્થ અચૂક હોય. તેમના કારણે સમાજને વ્યાપક નુકસાન થતું હોય છે. આથી નેતાઓ પાસેથી કદી પણ દાન સ્વીકારીને કાર્યક્રમ ન કરવો. જો કાર્યક્રમ કરવો હોય તો તેના માટે જરૂરી રકમ આપણે જ આપણી બચતમાંથી આપવી. આ ઉમદા નિર્ણયને કારણે સમાજની પ્રતિષ્ઠા વધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નિઃશુલ્ક ટ્યુશન ક્લાસિસ શરૂ કરવાનું સપનું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સંઘર્ષ મંચ સુરતનો હેતુ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં નિઃશુલ્ક ટ્યુશન ક્લાસિસ ખોલવાનો છે. જેથી બહુજન સમાજના આર્થિક રીતે અસક્ષમ વિદ્યાર્થીઓને હાલના સ્પર્ધાત્મક વાતાવરણમાં ટકી રહે અને પોતાનું ભવિષ્ય ઉજળું બનાવી શકે. આ સંગઠન બહુજન મહાનાયકો અને મહાનાયિકાઓની વિચારધારાનો સમાજમાં વ્યાપ વધે તે દિશામાં પણ સતત કાર્યરત છે. તેના માટે મંચના કાર્યકરો પોતપોતાની રીતે બચત કરીને ફંડ એકઠું કરી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/When-Renu-said-Padmashri-honor-has-now-become-Papashri-for-me">જ્યારે રેણુએ કહ્યું, ‘પદ્મશ્રી સન્માન હવે મારા માટે પાપશ્રી બની ગયું છે!’</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666939f2703ea.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સંઘર્ષ મંચ સુરતના સક્રિય કાર્યકર ભરતભાઈ જાદવ <em><strong>ખબરઅંતર.કોમ </strong></em>સાથે વાત કરતા જણાવે છે કે, "અમારો હેતુ એકદમ સ્પષ્ટ છે. અમે બહુજન સમાજના એવા યુવાનો, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ, જેઓ પોતપોતાના ક્ષેત્રમાં આગળ પડતા છે. જો સમાજ જ પોતાના યુવાધનને પ્રોત્સાહન નહીં આપે તો બીજું કોણ આપશે? એટલે જ અમે તેમના સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો. અમારી ટીમના મોટાભાગના કાર્યકરો સામાન્ય પરિવારોમાંથી આવે છે. તેમના પર ઘરપરિવારની પણ જવાબદારી રહેલી છે. તેમ છતાં તેઓ તેમની બચતમાંથી સમાજ માટેની પ્રવૃત્તિઓમાં યોગદાન આપવાથી અચકાતા નથી. આવા પ્રતિબદ્ધ લોકોને કારણે જ માન્યવર કાંશીરામ અને ડૉ. બાબાસાહેબ આંબેડક બહુજન ચળવળ ચલાવી શક્યા હતા. હાલની પરિસ્થિતિમાં આ પ્રકારની એક્ટિવિટીની સમાજને વધારે જરૂર છે ત્યારે અમે ઈચ્છીએ છીએ કે વધુને વધુ લોકો અમારી આ પ્રવૃત્તિમાં જોડાય અને સમાજ માટે યથાશક્તિ કામ કરતા રહે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/Who-is-Rajesh-Yadav,-Mahavir-Singh-whom-Dr.-Bhimrao-Ambedkar-has-been-honored-with-National-Award"><strong>કોણ છે રાજેશ યાદવ, મહાવીર સિંહ જેમને ડો. ભીમરાવ આંબેડકર રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાયા છે?</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 12 Jun 2024 11:41:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>753</Articleid>
                    <excerpt>સુરત સ્થિત બહુજન સંઘર્ષ મંચ તેની અનોખી સમાજલક્ષી પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. કોઈ રાજકારણી પાસેથી રૂપિયો પણ ન સ્વીકારનાર આ સંગઠને એક સરસ કાર્યક્રમ કર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666939c62ae4c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666939c5d91e9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666939c5d91e9.jpg" length="103916" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનનું પાંચમું અધિવેશન યોજાયું</title>
                    <link>https://khabarantar.com/the-fifth-conference-of-gujarati-dalit-sahitya-pratishthan-was-held</link>
                    <guid>https://khabarantar.com/the-fifth-conference-of-gujarati-dalit-sahitya-pratishthan-was-held</guid>
                    <description>
                        <![CDATA[ ગાંધીનગર નજીક આવેલા સમતા એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનનું પાંચમું અધિવેશન યોજાયું. વાંચો અધિવેશનમાં શું શું કાર્યક્રમો યોજાયા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન અમદાવાદના ઉપક્રમે અમરાજીના મુવાડા, તા. દહેગામ, જિલ્લો ગાંધીનગર ખાતે આવેલા 'સમતા એજ્યુકેશન ટ્રસ્ટ સંકુલમાં' પાંચમા દલિત સાહિત્ય અધિવેશનનું  ડૉ. મોહનભાઈ પરમારની અધ્યક્ષતામાં સફળતા પૂર્વક સંપન્ન થયું.</span><span style="font-size: 14pt;">આ અધિવેશનનું ઉદ્ઘાટન ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ ભાગ્યેશ જહાએ કર્યુ હતું. પાંચ બેઠક અને બે દિવસીય અધિવેશનમાં ઉદ્ઘાટન બેઠક, સર્જક વિશેષ, કૃતિ વિશેષ, કવિ સંમેલન અને સન્માન બેઠકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અધિવેશનમાં 70 થી વધારે સર્જકોએ ભાગ લીધો હતો.  જેમાં 40 કવિઓએ પોતાની રચનાઓ રજૂ કરી હતી. કેટલાક પી.એચ.ડીના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યાં હતા. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6668460b54b7c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અધિવેશનમાં વરિષ્ઠ દલિત સાહિત્યકાર ભી.ન.વણકરને ‘કેસરબા પ્રતિષ્ઠાન દલિત સાહિત્ય એવોર્ડ-2024’ અને રૂ, 11000 ની ધનરાશિ અર્પણ કરી સન્માન કરવામાં આવેલ. સાથે સાથે ગાંધીનગર જિલ્લાના શ્રેષ્ઠ દલિત સાહિત્યકાર તરીકે કવિ શ્રી સાહિલ પરમારને મોમેન્ટો અને સર્ટિફિકેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.  ઉપરાંત શ્રી ધરમાભાઈ શ્રીમાળીના વાર્તા સંગ્રહ "શરત" અને શ્રી નાથુભાઈ સોસાના પુસ્તક "ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં વણકરોનું પ્રદાન"નું વિમોચન કરવામાં આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;">.</span><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/A-State-Level-Seminar-on-Dalit-Literature-and-Neglected-Society-was-held-at-Ahmedabad" title="અમદાવાદ ખાતે ‘દલિત સાહિત્ય અને ઉપેક્ષિત સમાજ’ વિષય પર રાજ્ય કક્ષાનો પરિસંવાદ  યોજાયો">અમદાવાદ ખાતે ‘દલિત સાહિત્ય અને ઉપેક્ષિત સમાજ’ વિષય પર રાજ્ય કક્ષાનો પરિસંવાદ </a><br><a href="https://khabarantar.com/A-State-Level-Seminar-on-Dalit-Literature-and-Neglected-Society-was-held-at-Ahmedabad" title="અમદાવાદ ખાતે ‘દલિત સાહિત્ય અને ઉપેક્ષિત સમાજ’ વિષય પર રાજ્ય કક્ષાનો પરિસંવાદ  યોજાયો">યોજાયો</a><br></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66684635d8d98.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અધિવેશનની સફળતા માટે ગાંધીનગરના સંયોજક સર્જક મિત્રો મુળજી અંબારામ ‘દધિ’, રમણભાઈ વાઘેલા અને સાહિલ પરમારે ભારે જહેમત ઉઠાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Dalpat-Chauhan-is-an-advocate-of-Gujarati-Dalit-literature">દલપત ચૌહાણ એટલે ગુજરાતી દલિત સાહિત્યના વકીલ</a></strong></span> </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6668464fdf53b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અધિવેશનમાં ડૉ.રાજેશ મકવાણા, ડો.ગુણવંત વ્યાસ, ડો. રાઘવજી માધડ, નટુભાઈ પરમાર, પ્રવીણભાઈ શ્રીમાળી, રસીલાબેન પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. પરિવર્તન ટ્રસ્ટ આણંદના પ્રો નરસિંહભાઈ પરમાર દ્વારા તમામ સર્જકોને ફાઈલ, પેડ, પેન અને ટ્રાફિક નિયમનની માહિતી આપવામાં આવી હતી. "શરૂઆત પબ્લિકેશન" દ્વારા પુસ્તક મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">.</span><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/all-my-literature-written-in-blood-will-speak-joseph-mcewan"> લોહીની કલમે લખાયેલું મારું સઘળું સાહિત્ય બોલતું રહેશેઃ જૉસેફ મૅકવાન</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666845b07bb8c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રતિષ્ઠાનના તમામ સભ્યો, આમંત્રિત મહેમાનો માટે સમતા એજ્યુકેશન ટ્રસ્ટના શ્રી પુનમભાઈ પટેલ અને શ્રી અરવિંદ માર્ડને સુંદર વ્યવસ્થા કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>અહેવાલ: નિલેશ કાથડ</strong></span> <span style="font-size: 12pt;"><em><strong>(લેખક જાણીતા કવિ, સાહિત્યકાર અને બૌદ્ધ ધર્મના અભ્યાસુ છે.)</strong></em></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/Savaya-Dalit-writer-Praveen-Gadhvis-new-book-Truth-of-Indian-Culture-published"><strong>સવાયા દલિત સાહિત્યકાર પ્રવીણ ગઢવીનું નવું પુસ્તક ‘ભારતીય સંસ્કૃતિનું સત્ય’ પ્રકાશિત થયું</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 11 Jun 2024 18:25:04 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>751</Articleid>
                    <excerpt>ગાંધીનગર નજીક આવેલા સમતા એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનનું પાંચમું અધિવેશન યોજાયું. વાંચો અધિવેશનમાં શું શું કાર્યક્રમો યોજાયા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666846c8625e2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666846c82edc0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666846c82edc0.jpg" length="97966" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>વિધાનસભાની ચૂંટણી હારી ગઈ તેના આઘાતમાં મારા પિતા મૃત્યુ પામ્યા...</title>
                    <link>https://khabarantar.com/my-father-died-of-shock-after-losing-the-assembly-elections</link>
                    <guid>https://khabarantar.com/my-father-died-of-shock-after-losing-the-assembly-elections</guid>
                    <description>
                        <![CDATA[ રાજસ્થાનની ભરતપુર લોકસભા સીટ મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો ગઢ ગણાય છે, પણ એક 26 વર્ષની દલિત મહિલાએ તેના કાંગરા ખેરવી નાખ્યા. જાણો કોણ છે એ મહિલા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના પાટનગર જયપુરથી 160 કિમી દૂર અલવર જિલ્લાનું સમૂચી નામનું ગામ છે. દલિતો મહોલ્લામાં જે કેટલાક પાકા મકાનો છે, તે પૈકી બે માળનું એક મકાન છે, જે સંજના જાટવનું છે, જેઓ દેશમાં સૌથી નાની ઉંમરની સાંસદ બની ગઈ છે અને ચોતરફ ચર્ચામાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંજના જાટવનો જન્મ 1 મે, 1998ના રોજ ભરતપુર જિલ્લાની વૈર વિધાનસભાના ભુસાવરના એક ગામમાં થયો હતો. એક સામાન્ય દલિત પરિવારમાં જન્મેલી સંજનાએ 12મું પાસ કર્યું અને વર્ષ 2016માં તેના લગ્ન ભરતપુર બોર્ડરને અડીને આવેલા અલવર જિલ્લાના સમૂચી ગામમાં થયા. તેના પતિ કપ્તાનસિંહ રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ છે. પતિથી પ્રેરિત થઈને સંજના પણ સ્નાતક થઈને સરકારી નોકરી મેળવવાની ઈચ્છા રાખતી હતી. પણ નિયતિ તેને જુદી જ દિશામાં ખેંચી ગઈ. આજે તે દેશની સૌથી નાની ઉંમરના ચાર લોકસભા સાંસદો પૈકીની એક છે અને તેણે રાજસ્થાનના વર્તમાન મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો ગઢ ગણાતી ભરતપુર લોકસભા સીટ પર ભાજપના ઉમેદવારને હરાવીને છાકો પાડી દીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંજના કહે છે, "સાસરિયામાં મને વહુ નહીં પરંતુ દીકરીની જેમ રાખવામાં આવી છે. મારા પતિ સરકારી નોકરી કરતા હોવાથી હું પણ ઈચ્છતી હતી કે સ્નાતક થઈને સરકારી નોકરી કરીશ. પણ પરિસ્થિતિ મને જુદી જ દિશામાં ખેંચી ગઈ. લગ્ન બાદ ગ્રેજ્યુએશન કર્યું અને પછી એલએલબી કર્યું. મારા જીવનમાં મારા પતિનો મુખ્ય રોલ રહ્યો છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/who-is-the-youngest-dalit-woman-candidate-to-contest-the-lok-sabha-elections">કોણ છે લોકસભાની ચૂંટણી લડનાર સૌથી નાની ઉંમરની દલિત મહિલા ઉમેદવાર?</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666802c2d8dad.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંજનાના પતિ કપ્તાનસિંહ કહે છે, "સંજનાએ લગ્ન પછી સ્નાતકનું ભણતર ચાલું રાખ્યું હતું. મહિલાઓને લઈને અમારા પરિવારમાં સકારાત્મક વાતાવરણ છે. સંજના રાજકારણમાં સમય આપવા નહોતી માંગતી, પણ અમે ઈચ્છતા હતા કે તે રાજકારણમાં આવે અને પરિવાર તથા ગામનું નામ રોશન કરે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાસરિયામાં સંયુક્ત પરિવારમાં રહેતી સંજના જાટવ એક પત્ની, વહુ અને બે બાળકોની માતાની જવાબદારી નિભાવે છે. સંજના કહે છે, "લગ્નના બે વર્ષ પછી મારા દીકરાનો જન્મ થયો, હવે તે છ વર્ષનો છે અને એક ચાર વર્ષની દીકરી છે. રાજનીતિમાં સમય આપવાનો હોવાથી મારા સાસુ જ બંનેને સાચવે છે. હું ઘરકામ કરું છું અને રાજનીતિ માટે પણ સમય ફાળવું છું."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભામાં જિત્યા બાદ સંજના જાટવના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં જબરજસ્ત વાયરલ થયો હતો. જેને લઈને સંજના કહે છે, "એ ખુશીનો માહોલ હતો એટલે ડાન્સ કરી લીધો. પણ વ્યક્તિગત રીતે હું ગંભીર પ્રકૃતિની વ્યક્તિ છું. પિયરમાં મારા પિતા ટ્રેક્ટર ચલાવતા હતા અને ત્યાં કોઈ રાજકારણ સાથે સંકળાયેલું નથી. પણ લગ્ન બાદ સાસરિયામાં આવી તો મારા પતિના દાદા સરપંચ હતા, અહીંથી જ રાજનીતિનો પહેલો અનુભવ મળ્યો."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંજના અલવર જિલ્લા પરિષદની સભ્ય પણ રહી ચૂકી છે અને તે તેની રાજનીતિનું પહેલું પગથિયું પણ રહ્યું. અગાઉ તે રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' અને પ્રિયંકા ગાંધીની 'લડકી હું, લડ સકતી હું' કેમ્પેઈન સાથે પણ જોડાયેલી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Kalpana-Saroj---The-countrys-first-Dalit-woman-entrepreneur-who-broke-the-upper-caste-monopoly-in-business">કલ્પના સરોજ - દેશની પ્રથમ દલિત મહિલા આંત્રપ્રિન્યોર, જેણે બિઝનેસમાં સવર્ણોની મોનોપોલીને તોડી બતાવી</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666802efb5edc.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે અલવરની કઠૂમર સીટ પર ચાર વખતના ધારાસભ્ય બાબુલાલ બૈરવાની ટિકિટ કાપીને સંજના જાટવ પર ભરોસો મૂક્યો હતો, પણ તે 409 મતોથી ચૂંટણી હારી ગઈ હતી. એવામાં ભરતપુર લોકસભા સીટ પરની જીતને તે ઘણી મોટી જીત માને છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંજના કહે છે, "મારા માટે આ બહુ મોટી જીત છે. અગાઉ વિધાનસભા ચૂંટણી લડી અને માત્ર 409 મતોથી હારી ગઈ એટલે મને ખબર છે કે એક એક મતની શું કિંમત હોય છે. વિધાનસભા ચૂંટણી હારી ગઈ ત્યારે તેના આઘાતમાં મારા પિતાનું નિધન થઈ ગયું હતું. વિધાનસભા ચૂંટણી હારી ગયા બાદ જ્યારે લોકસભાની ટિકિટ મળી ત્યારે અનેક સવાલો મનમાં ઘેરાતા હતા. પણ જનતાએ મને ઘણો પ્રેમ આપ્યો અને મારી હિંમત વધારી. મને એવો ખ્યાલ ન આવવા દીધો કે હું વિધાનસભાની ચૂંટણી હારી ગઈ હતી. પાર્ટી પણ મને હારેલી ઉમેદવાર ન સમજી અને મને સાંસદની ટિકિટ આપી. તેનું પરિણામ આજે આપણી સૌની સામે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંજના જાટવની ચર્ચા દેશભરમાં તેમની ઓછી ઉંમરના કારણે થઈ રહી છે. પણ રાજસ્થાનમાં તેમની ચર્ચા એટલા માટે જોરશોરથી થઈ રહી છે, કેમ કે તેમણે ભાજપ સરકારના મુખ્યમંત્રી ભજનલાલ શર્માના ગૃહ જિલ્લામાં ભાજપના ઉમેદવાર અને ભરતપુરથી જ પૂર્વ સાંસદ રહી ચૂકેલા રામસ્વરૂપ કોળીને હરાવ્યા છે. સંજના કહે છે, "મેં નહીં પણ જનતાએ તેમને હરાવ્યા છે. એટલું જ નહીં તેમના ગામ અટારીમાંથી પણ મને વધારે મત મળ્યા છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંજના જાટવને કુલ 5,79,890 વોટ મળ્યા જ્યારે ભાજપના ઉમેદવાર રામસ્વરૂપ કોળીને 5,27,907 વોટ મળ્યા. એ રીતે સંજના જાટવ 51,983 મતોથી જીત્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભરતપુર લોકસભા સીટમાં આઠ વિધાનસભા સીટો આવે છે. જેમાંથી સંજના જાટવે કઠુમર, માંમા, નગર, ડીગ-કુમ્હેર, નદબઈ, વૈર અને બયાણા બેઠકો પર ભાજપના ઉમેદવાર કરતાં વધુ મત મેળવ્યા છે. પરંતુ, ભરતપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રામસ્વરૂપ કોલીને સૌથી વધુ મત મળ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/considerations-when-voting">વોટ આપતી વેળાનું ચિંતન</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666802d5e0126.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એવી પણ ચર્ચાઓ છે કે તેમની નાની ઉંમર અને રાજકારણનો વધુ અનુભવ ન હોવાને કારણે તેમને ભરતપુરના વિકાસમાં અવરોધોનો સામનો કરવો પડશે. પરંતુ, સંજના જાટવ આત્મવિશ્વાસ સાથે કહે છે, "હું ભરતપુરને વિકાસની નવી દિશા આપીશ. ભરતપુરમાં પાણીની સૌથી મોટી સમસ્યા છે. સાથે જ રોજગાર માટે કોઈ મોટા ઉદ્યોગો નથી. બાળકોને ભણવા માટે બહાર જવું પડે છે, એવી વ્યવસ્થા કરવાના પ્રયાસો કરવામાં આવશે કે જેથી તેમને મુશ્કેલી ન પડે. જ્યાં સુધી મેં જોયું છે, ભાજપના શાસનમાં મહિલાઓ વિરુદ્ધ ગુનામાં ઘણો વધારો થયો છે. હું મહિલાઓનો અવાજ ઉઠાવીશ અને હંમેશા તેમની સાથે ઉભી રહીશ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંજના દલિત સમાજમાંથી આવે છે, હવે જ્યારે તે સાંસદ બની ગઈ છે તો તે પોતાના સમાજ માટે શું કરશે? આ પ્રશ્ન પર તે કહે છે, "હું માત્ર મારા સમાજ માટે જ નહીં પરંતુ દરેક સમાજ માટે કામ કરીશ. મને સૌ સમાજે પસંદ કરી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણીના ત્રણ દિવસ પહેલા જ સંજના જાટવ 26 વર્ષની થઈ હતી. તેની પહેલા સચિન પાયલોટ 26 વર્ષની ઉંમરે સાંસદ ચૂંટાયા હતા અને સૌથી નાની ઉંમરના સાંસદનો રેકોર્ડ તેમના નામે હતો. પણ સંજનાએ તેને તોડી દીધો છે. સચિન પાયલોટને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું કે, "રેકોર્ડ તૂટવા માટે જ બનતા હોય છે. મને ખુશી છે કે, એક દલિત પરિવારમાંથી આવતી સજ્જન મહિલાએ આ રેકોર્ડ તોડ્યો છે અને સાંસદ બની છે. સંજના જાટવને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong> </span><strong><a href="https://khabarantar.com/kalpana-soren-a-strong-voice-of-tribal-women-in-the-political-arena">કલ્પના સોરેનઃ રાજકીય મેદાનમાં આદિવાસી મહિલાઓનો મજબૂત અવાજ</a></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 11 Jun 2024 13:34:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>749</Articleid>
                    <excerpt>રાજસ્થાનની ભરતપુર લોકસભા સીટ મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો ગઢ ગણાય છે, પણ એક 26 વર્ષની દલિત મહિલાએ તેના કાંગરા ખેરવી નાખ્યા. જાણો કોણ છે એ મહિલા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666802a3685f7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666802a3316e7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666802a3316e7.jpg" length="62596" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>RTEમાં ગુજરાતના ૧.૩૨ લાખ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યાં</title>
                    <link>https://khabarantar.com/one-lakh-thirty-two-thosand-students-of-gujarat-were-deprived-of-admission-in-rte</link>
                    <guid>https://khabarantar.com/one-lakh-thirty-two-thosand-students-of-gujarat-were-deprived-of-admission-in-rte</guid>
                    <description>
                        <![CDATA[ ગરીબોના બાળકોને સારી શાળાઓમાં શિક્ષણ મળે તે માટે અમલમાં આવેલા રાઈટ ટુ એજ્યુકેશનના કાયદામાં આ વખતે પણ હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગરીબ બાળકોને સારી શાળાઓમાં પ્રવેશ મળે અને તેઓ સારું શિક્ષણ મેળવી શકે તે માટે આરટીઈનો કાયદો અમલમાં હોવા છતાં ખાનગી શાળાઓ તેને ગાંઠતી નથી. પરિણામે આ વર્ષે પણ લાખો બાળકો પ્રવેશથી વંચિત રહી જશે. રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત રાજ્યના ૨.૩૫ લાખ જેટલા વાલીઓએ ધોરણ-૧માં પ્રવેશ માટે ફોર્મ ભર્યા હતા. જેમાંથી ૧.૭૨ લાખ ફોર્મ માન્ય રહ્યા હતા. આ માન્ય રહેલા ફોર્મ પૈકી શિક્ષણ વિભાગ દ્વારા માત્ર ૪૦૬૫૦ જેટલા વિદ્યાર્થીઓને જ પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. એટલે કે માન્ય રહેલા ફોર્મ પૈકી ૧.૩૨ લાખ જેટલા વાલીઓને પ્રવેશથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-૧ની પ્રવેશ માટે બેઠકોની ગણતરીમાં ગત વર્ષનો ક્વોટા ધ્યાને લેવામાં આવ્યો હોવાના લીધે બેઠકો ખુબ જ ઘટી ગઈ હતી. એક સમયે રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશનની બેઠકો એક લાખ સુધી થઈ હતી, પરંતુ ધોરણ-૧માં ૬ વર્ષે પ્રવેશના નિયમના પગલે ધોરણ-૧માં ઓછા થયેલા પ્રવેશના લીધે આ વખતે આરટીઈના વિદ્યાર્થીઓને ઓછી બેઠકોના લીધે પ્રવેશથી વંચિત રહેવાનો વારો આવ્યો છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે, રાઈટ ટુ એજ્યુકેશનમાં પ્રવેશ શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્યની ખાનગી પ્રાથમિક સ્કૂલોની ૨૫ ટકા પ્રમાણે ધોરણ-૧માં પ્રવેશ ફાળવવા માટે ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. જેમાં ચાલુ વર્ષે રાજ્યની ૯૮૨૮ પ્રાથમિક સ્કૂલોની ૪૫૧૭૦  બેઠકો માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં સમગ્ર રાજ્યમાંથી ૨૩૫૩૮૭ જેટલા ફોર્મ ભરાયા હતા. ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન જ જિલ્લા કક્ષાએ ફોર્મની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમામ ફોર્મની ચકાસણીના અંતે ૧૭૨૬૭૫ જેટલા ફોર્મ માન્ય રહ્યા હતા. જ્યારે ૧૫૩૧૯ ફોર્મ અધુરા દસ્તાવેજો જેવા જુદા જુદા કારણોસર અમાન્ય રહ્યા હતા. જ્યારે ૪૭૩૯૩ જેટલા ફોર્મ અરજદારો દ્વારા કેન્સલ કરવામાં આવ્યા હતા. ફોર્મની ચકાસણી સહિતની કાર્યવાહી પુર્ણ થયા બાદ પ્રથમ રાઉન્ડમાં ૩૯૯૭૯ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. પ્રથમ રાઉન્ડમાં ફાળવેલા પ્રવેશ પૈકી ૩૬૮૨૦ વિદ્યાર્થીઓએ શાળામાં જઈને પ્રવેશ કન્ફર્મ કરાવ્યા હતા. જ્યારે બીજા રાઉન્ડમાં ફાળવેલા પ્રવેશ પૈકી ૨૪૭૭ વિદ્યાર્થીઓએ શાળામાં જઈને પ્રવેશ કન્ફર્મ કરાવ્યા હતા. આમ, પ્રથમ બે રાઉન્ડના અંતે કુલ ૩૯૨૯૭ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા હતા. બે રાઉન્ડની કાર્યવાહી પુર્ણ થયા બાદ ખાલી પડેલી બેઠકો પર વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી શકાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ત્રીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવી હતી. ત્રીજા રાઉન્ડમાં વધુ ૧૩૫૩ બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/thousands-of-students-will-not-get-admission-in-rte-despite-extension-of-form-filling-deadline"><strong>RTE માં ફોર્મ ભરવાની મુદત વધી છતાં હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે</strong></a></span></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 10 Jun 2024 18:36:44 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 10 Jun 2024 18:37:53 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>746</Articleid>
                    <excerpt>ગરીબોના બાળકોને સારી શાળાઓમાં શિક્ષણ મળે તે માટે અમલમાં આવેલા રાઈટ ટુ એજ્યુકેશનના કાયદામાં આ વખતે પણ હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6666faa04b09e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6666faa017d83.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6666faa017d83.jpg" length="91879" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડોલી ચાયવાલા સલમાન ખાનની &amp;apos;બિગ બોસ ૧૮&amp;apos;નો ભાગ બનશે</title>
                    <link>https://khabarantar.com/dolly-chaiwala-will-be-a-part-of-salman-khans-bigg-boss-18</link>
                    <guid>https://khabarantar.com/dolly-chaiwala-will-be-a-part-of-salman-khans-bigg-boss-18</guid>
                    <description>
                        <![CDATA[ માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સને ચા પીવડાવીને ભારત સહિત દુનિયાભરમાં ફેમસ થઈ ગયેલા નાગપુરના ડોલી ચાયવાલા સલમાન ખાનના શો બિગ બોસમાં જોવા મળશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિગ બોસની ક્રિએટિવ ટીમ હંમેશા એવા સ્પર્ધકોની શોધમાં હોય છે, જેઓ નવા દર્શકોને તેમની સ્ટાઈલથી શો સાથે જોડી શકે. બાબા ઓમ, મન્નુ-મનવીર, સની લિયોન, નોરા ફતેહી જેવા અનેક ચહેરાઓને લાઇમલાઇટમાં લાવવાનો શ્રેય પણ બિગ બોસની આ ક્રિએટિવ ટીમને જાય છે. પરંતુ એવું સાંભળવામાં આવ્યું છે કે હવે બિગ બોસના લોકોએ આ શો સલમાન ખાનને એક એવા ચહેરાને ઓફર કર્યો છે જે પહેલાથી જ ખૂબ પ્રખ્યાત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનિલ કપૂરની 'બિગ બોસ ઓટીટી ૩' શરૂ થાય તે પહેલા જ મેકર્સે સલમાન ખાનની 'બિગ બોસ'ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કલર્સ ટીવી પર, રોહિત શેટ્ટીની 'ખતરો કે ખિલાડી'ની સીઝન ૧૪ સલમાનની 'બિગ બોસ સીઝન ૧૮' દ્વારા બદલવા જઈ રહી છે, એટલે કે આ ફન રિયાલિટી શો ઑક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં ટીવી પર પ્રસારિત થશે. સૂત્રો પાસેથી માહિતી અનુસાર, મહારાષ્ટ્રના નાગપુરની 'ડોલી ચાયવાલા' સલમાન ખાનના બિગ બોસમાં જાેડાઈ શકે છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6665aad6b295a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખરેખર, ડોલી ચાયવાલાને નિર્માતાઓ દ્વારા 'બિગ બોસ ઓટીટી ૩' માં જાેડાવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ ડોલી અનિલ કપૂરના નહીં પણ સલમાન ખાનના રિયાલિટી શોમાં જાેડાવા આતુર છે. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્‌સને ચા પીરસ્યા બાદ ડોલી સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ પહેલા પણ ડોલીએ પોતાની ચાથી ઘણા ઈન્ટરનેશનલ ફૂડ બ્લોગર્સને દિવાના બનાવી દીધા હતા. પરંતુ બિલ ગેટ્‌સ સાથેનો વીડિયો વાયરલ થયા બાદ ડોલી પોતે સેલિબ્રિટી બની ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાસ્તવમાં બિલ ગેટ્‌સે ડોલી ચાયવાલાની સ્ટાઈલ એટલી પસંદ કરી કે તેણે ડોલીને નાગપુરથી માઈક્રોસોફ્ટની હૈદરાબાદ ઓફિસમાં બોલાવ્યા. ત્યાં ડોલી માટે ખાસ ટી સ્ટોલ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. ડોલીએ બિલ ગેટ્‌સને પોતાની અનોખી શૈલીમાં ચા પણ પીરસી હતી. જોકે તે સમયે તેને કોઈ ખ્યાલ નહોતો કે તે કોને ચા પીરસે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેટલાક રિપોર્ટ્‌સ અનુસાર, ડોલીનું અસલી નામ સુનીલ પાટીલ છે. છેલ્લા ૧૫-૨૦ વર્ષથી પોતાની અનોખી સ્ટાઈલમાં ચા બનાવતા અને વેચતા ડોલી ઈન્ટરનેટ પર ઘણા લોકપ્રિય બની ગયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ૧ મિલિયનથી વધુ લોકો ડોલીને ફોલો કરે છે. ચા પીરસવાની તેની અલગ સ્ટાઈલની સાથે તેનો લુક પણ એકદમ અલગ છે. તેની સ્ટાઈલને કારણે પીળા ગોગલ્સ પહેરતા અને લાંબા વાળની ફેશન કરતા ડોલીને સોશિયલ મીડિયા યુઝર્સે 'ભારતનો જેક સ્પેરો' નામ આપ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong> </span><a href="https://khabarantar.com/Cricket-World-Cup-Final-and-Superstition-Overdose"><strong>ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ અને અંધશ્રદ્ધાનો ઓવરડોઝ</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 09 Jun 2024 18:48:45 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 09 Jun 2024 18:56:21 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>742</Articleid>
                    <excerpt>માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સને ચા પીવડાવીને ભારત સહિત દુનિયાભરમાં ફેમસ થઈ ગયેલા નાગપુરના ડોલી ચાયવાલા સલમાન ખાનના શો બિગ બોસમાં જોવા મળશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6665aac51e0e8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6665aac4e4563.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6665aac4e4563.jpg" length="76092" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપની જીત માટે પોતાની આંગળી કાપીને દેવી માતાને અર્પણ કરી</title>
                    <link>https://khabarantar.com/cut-off-his-finger-and-offered-it-to-goddess-mata-for-bjps-victory</link>
                    <guid>https://khabarantar.com/cut-off-his-finger-and-offered-it-to-goddess-mata-for-bjps-victory</guid>
                    <description>
                        <![CDATA[ છત્તીસગઢના એક વ્યક્તિએ ભાજપની તરફેણમાં પરિણામ મેળવવા માટે પોતાની આંગળી કાપીને દેવી માતાને અર્પણ કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે, એનડીએ સરકાર બનવા જઈ રહી છે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. ચૂંટણી પરિણામોને લઈને ઘણી પ્રતિજ્ઞાઓ માંગવામાં આવી હતી. તેવી જ રીતે છત્તીસગઢના એક વ્યક્તિએ ભાજપની તરફેણમાં પરિણામ મેળવવા માટે પોતાની આંગળી કાપીને દેવી માતાને અર્પણ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો છત્તીસગઢના બલરામપુર જિલ્લાનો છે, દીપડીહ ગામના રહેવાસી દુર્ગેશ પાંડે નામના વ્યક્તિએ પોતાના ડાબા હાથની તર્જની આંગળી કાપી નાખી હતી. તેણે તેને કાપીને મંદિરમાં અર્પણ કર્યું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે ભાજપ ત્રીજી વખત સરકાર બનાવે. એટલા માટે તેણે પોતાની આંગળી કાપીને માતાને અર્પણ કરી અને ભાજપની જીત માટે પ્રાર્થના કરી હતી. આટલું જ નહીં દુર્ગેશે આંગળી કાપ્યા બાદ પૂજા પણ કરી અને પછી કપાયેલી આંગળી લઈને હોસ્પિટલ પહોંચ્યો. ડૉક્ટરે હોસ્પિટલમાં માણસની કપાયેલી આંગળીની સારવાર કરી. જાે કે કપાયેલી આંગળીને ફરીથી જાેડી શકાતી નથી, ઘાની સારવાર કરવામાં આવી હતી અને હવે તે રૂઝ આવવાની નજીક છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૌથી આશ્ચર્યની વાત એ છે કે વ્યવસાયે ખેડૂત દુર્ગેશ ન તો ભાજપ સાથે સંકળાયેલો છે કે ન તો ભાજપનો સભ્ય છે, પરંતુ તે ભાજપના હિંદુત્વ વિચારોથી ઊંડો પ્રભાવિત છે. તેમણે લોકોને ભાજપ વિરુદ્ધ ચર્ચા કરતા સાંભળ્યા, કોંગ્રેસના નેતાઓ અને પ્રવક્તાઓની વાત સાંભળીને તેઓ નિરાશ થઈ ગયા, ત્યારબાદ તેમણે માતાની પ્રાર્થના કરવાનું નક્કી કર્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૪ જૂને પરિણામો આવ્યા, પરંતુ ૩ જૂને દુર્ગેશ દીપડીહના સામંત સરના એકલા ગયા. જ્યાં મા કાલી ની મૂર્તિ હાજર રહી પૂજા અર્ચના કરી હતી. દુર્ગેશે જણાવ્યું કે આ મંદિરમાં લોકોની ઊંડી શ્રદ્ધા છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ જ કારણ છે કે મેં પણ અહીં એક ઈચ્છા કરી અને મારી ઈચ્છા પૂરી થઈ. જાે ભાજપ ૪૦૦ને પાર કરી ગયો હોત તો મને વધુ આનંદ થયો હોત.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><strong> <a href="https://khabarantar.com/in-bhavnagar-adhed-committed-suicide-by-taking-a-fire-bath-before-kuldevi">ભાવનગરમાં આધેડે કુળદેવી સમક્ષ અગ્નિસ્નાન કરીને આત્મહત્યા કરી</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 08 Jun 2024 19:56:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>737</Articleid>
                    <excerpt>છત્તીસગઢના એક વ્યક્તિએ ભાજપની તરફેણમાં પરિણામ મેળવવા માટે પોતાની આંગળી કાપીને દેવી માતાને અર્પણ કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_66646980070d7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6664697fcb258.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6664697fcb258.jpg" length="57776" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બહુજનો મોજ કરો! શાકાહારી થાળી મોંઘી થઈ, નોનવેજ થાળી સસ્તી</title>
                    <link>https://khabarantar.com/have-fun-veg-thali-became-expensive-non-veg-thali-cheaper</link>
                    <guid>https://khabarantar.com/have-fun-veg-thali-became-expensive-non-veg-thali-cheaper</guid>
                    <description>
                        <![CDATA[ માંસાહાર પર નિર્ભર બહુજન સમાજ માટે કારમી મોંઘવારીમાં એક સારા સમાચાર આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે નોનવેજ થાળી સસ્તી થઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શાકાહારી ભોજન ખાવાનું પસંદ કરતા લોકોને મોંઘવારીનો વધુ એક કોરડો સહન કરવાનો વારો આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે મે મહિનામાં શાકાહારી થાળીનો સરેરાશ ખર્ચ ૯ ટકા વધી ગયો છે. ગુરૂવારે જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં શાકાહારી થાળી મોંઘી થવા પાછળ ડુંગળી, ટામેટાં અને બટાકાની કિંમતોમાં તેજીને કારણ ગણાવવામાં આવ્યા છે. જેની સામે નોનવેજ થાળી સસ્તી થઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ક્રિસિલ માર્કેટ ઈંટેલિજેન્સ એન્ડ એનાલિસિસના માસિક રિપોર્ટમાં શાકાહારી થાળી મોંઘી થવાની વાત કહેવામાં આવી છે. જો કે ચિકનની કિંમતમાં ઘટાડાથી માંસાહારી ભોજનના ખર્ચમાં ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર શાકાહારી ભોજનની કિંમત મે મહિનામાં વધીને 27.8 રૂપિયા પ્રતિ થાળી થઈ ગઈ છે, જે એક વર્ષ અગાઉ આ જ સમયગાળામાં રૂ. ૨૫.૫ હતી.  હજુ મહિના પહેલા એપ્રિલમાં શાકાહારી થાળીની કિંમત ૨૭.૪ રૂપિયા હતી. આ થાળીમાં મુખ્યત્વે રોટલી, શાકભાજી (ડુંગળી, ટામેટા અને બટેટા), ચોખા, દાળ, દહીં અને સલાડનો સમાવેશ થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેનાથી ઉલટું મે મહિનામાં માંસાહારી થાળીની કિંમત ઘટીને રૂ. ૫૫.૯ થઈ છે, જ્યારે એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં તેની કિંમત રૂ. 56.3 રૂપિયા હતી. માંસાહારી થાળીમાં અન્ય તમામ સામગ્રી સમાન હોય છે, પરંતુ દાળને બદલે ચિકન મીટ હોય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટ અનુસાર શાકાહારી થાળીની કિંમતમાં કુલ વધારાનું કારણ ટામેટાના ભાવમાં ૩૯ ટકા, બટકાના ભાવમાં ૪૧ ટકા અને ડુંગળીના ભાવમાં ૪૩ ટકાનો વધારો છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66641384cb863.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ક્રિસિલના રિપોર્ટ અનુસાર 'રવિ પાકના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઘટાડાના કારણે ડુંગળીની આવક ઘટી છે તથા પશ્વિમ બંગાળમાં પાક ખરાબ થતાં બટાકાની આવક ઘટતાં આ શાકભાજીના ભાવમાં વધારો થયો. આ ઉપરાંત ચોખા અને દાળના ભાવમાં પણ અનુક્રમે ૧૩ ટકા અને ૨૧ ટકાનો વધારો થયો છે. જો કે, જીરું, મરચું અને વનસ્પતિ તેલના ભાવમાં ૩૭ ટકા, ૨૫ ટકા અને 8 ટકાનો વધારો થતાં શાકાહારી થાળીના ખર્ચમાં વધુ વધારો જોવા મળ્યો નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 14pt;">નોનવેજનો વધતો ક્રેઝ</span></span></strong><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક સમય હતો જ્યારે ગુજરાતમાં દલિતો ઘરે માંસ રાધ્યું હોય ત્યારે છાનામાંના ખાઈ લેવું પડતું. કથિત સવર્ણો માંસાહારનું બહાનું આગળ ધરીને બહુજન સમાજ સાથે આભડછેટ રાખતા હતા. પણ સમય બદલાયો, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાને વિશ્વ નાનું થતું ગયું, જેથી કથિત સવર્ણો પણ અન્યોનું જોઈને માંસાહાર કરવા લાગ્યા(જો કે, તેઓ પહેલા પણ છાને ખૂણે માંસાહાર કરતા જ હતા.), સ્થિતિ એ પેદા થઈ કે ચોક્કસ ધર્મમાં માનતા લોકો જેઓ કંદમૂળ આરોગવાથી પણ દૂર રહેતા હતા, તેઓ પણ માંસાહારને સ્ટેટસ સિમ્બોલ અને પ્રગતિશીલતાનું પ્રતિક સમજવા લાગ્યા. ફાઈવ સ્ટાર હોટલોમાં જઈને તેઓ નોનવેજ આરોગવા લાગ્યા. જેના કારણે ગરીબોને સસ્તામાં મળતું નોનવેજ મોંઘું થતું ગયું. આજે સ્થિતિ એ છે કે, અમદાવાદ સહિતના મોટા શહેરોમાં બહુજન સમાજની સમાંતરે કથિત સવર્ણો પણ માંસાહાર કરતા થઈ ગયા છે. ટૂંકમાં, નોનવેજ ખાવું હવે શરમનો નહીં પરંતુ સ્ટેટસ સિમ્બોલનો વિષય બની ગયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગુજરાતમાં 40 ટકા લોકો માંસાહારી</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પહેલી નજરે માન્યામાં ન આવે પણ એ હકીકત છે કે, ગુજરાતમાં માંસાહારીઓની સંખ્યા અન્ય રાજ્યો કરતા વધુ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2021-22માં ગુજરાતમાં 40 ટકા કરતા વધુ લોકો માંસાહારી હતા જેઓ ઈંડા અને માંસ આરોગતા હતા. આ આંકડો રાજસ્થાન, હરિયાણા અને પંજાબ કરતા પણ વધુ છે. ગુજરાતની 38 ટકા મહિલાઓ માંસાહારી છે. રાજસ્થાનની સરખામણીએ ગુજરાત 55 ટકા વધુ માંસાહારી હોવાનું પણ આ રિપોર્ટમાં સામે આવ્યું હતું. તેની પાછળનું કારણ ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો માનવામાં આવે છે. જ્યાં મોટાભાગે બહુજન સમાજના લોકોની વસ્તી છે. જેથી સ્વાભાવિક છે કે ગુજરાતમાં માંસાહારીઓનું પ્રમાણ વધુ જ હોવાનું. પણ કથિત સવર્ણોના રીતિરિવાજોને જ રાજ્યના રિવાજો માનીને ચાલતું આપણું મીડિયા આ બધી બાબતોને જાણતું હોવા છતાં તેને અવગણે છે. એટલે જ છાપ એવી ઉભી થઈ છે કે, ગુજરાત શાકાહારી રાજ્ય છે, પણ હકીકત તેનાથી ઉલટી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/Do-you-eat-beef-In-Coimbatore,-the-teacher-raised-such-a-question-to-the-Muslim-student"><strong>'તું ગૌમાંસ ખાય છે?' કોઈમ્બતુરમાં શિક્ષિકાએ મુસ્લિમ વિદ્યાર્થિનીને આવો સવાલ કરતા હોબાળો!</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 08 Jun 2024 13:53:41 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 08 Jun 2024 13:53:15 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>736</Articleid>
                    <excerpt>માંસાહાર પર નિર્ભર બહુજન સમાજ માટે કારમી મોંઘવારીમાં એક સારા સમાચાર આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે નોનવેજ થાળી સસ્તી થઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6664136ab8c75.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6664136a85755.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6664136a85755.jpg" length="105440" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, non veg</media:keywords>
                </item>
                        <item>
                    <title>અનામત કેટેગરીના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પડાવી લેવાનું કૌભાંડ</title>
                    <link>https://khabarantar.com/scam-of-snatching-scholarship-from-reserved-category-students</link>
                    <guid>https://khabarantar.com/scam-of-snatching-scholarship-from-reserved-category-students</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં ઠેરઠેર ફૂટી નીકળેલી ખાનગી યુનિવર્સિટીઓ, ખાનગી બેંકો અને લેભાગુ એજન્ટો  અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી રહ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતભરમાં ઠેર ઠેર બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી ખાનગી યુનિવર્સિટીઓ પોતાને ત્યાં એડમિશન પૂરા કરાવવા અને તેની ફી વસૂલી માટે હવે અનામત કેટેગરીના વિધાર્થીઓની સ્કોલરશીપ યોજનાને ઢાલ બનાવી રહી છે. રાજ્યમાં ગરીબ પરિવારના અનુસૂચિત જાતિના વિધાર્થીઓને ૧૦,૦૦૦ રૂપિયા આપી તેમના ડોક્યુમેન્ટ્‌સ કબજે લઈને યુનિવર્સિટીઓ સ્કોલરશીપના કરોડો રૂપિયા સરકાર પાસેથી કમાઈ રહી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવા જ એક કૌભાંડનો ભોગ બનેલા વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ, તેમના એજન્ટ, તેમણે જ્યાં એડમિશન લીધું હોય એની યાદી વગેરે સામે આવ્યા છે, જેમને અમદાવાદની અલગ અલગ ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન આપી તેમના ડોક્યુમેન્ટ્‌સ, સીમકાર્ડ લઈને, ખાનગી બેન્કમાં ખાતું ખોલાવી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અનામત કેટેગરીના વિદ્યાર્થીને ટાર્ગેટ કરાય છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજદારના જણાવ્યું કે, 'એસસી, એસટી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને મદદ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અને રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલી શિષ્યવૃત્તિ અને ફીની ભરપાઈ યોજના હેઠળના ભંડોળના દુરૂપયોગમાં શૈક્ષણિક સંસ્થાઓના માલિકો, બેન્ક અધિકારીઓ અને અન્ય ખાનગી વ્યક્તિઓ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવે.' </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/the-higher-the-education-the-lower-the-job-opportunities-reports-ilo">શિક્ષણ જેટલું વધુ, નોકરીની તકો એટલી ઓછીઃ ILOનો રિપોર્ટ</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6663f7e3ea87e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજદારે એજન્ટના નંબર, વિદ્યાર્થીઓના મોબાઈલ નંબર, તેમણે લીધેલ એડમિશનની વિગત, કોર્સના નામ જેવી વિગતો પૂરી પાડી છે, જેમાં અમદાવાદ, દહેગામ અને ધોળકામાં આવેલી ખાનગી યુનિવર્સિટીઓના નામ છે. એજન્ટ દ્વારા અરજદારને ૧૦,૦૦૦ રૂપિયા આપવાનું કહીને અમદાવાદ ખાનગી યુનિવર્સિટી ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યાં તેમને નાસ્તો કરાવવામાં આવ્યો, યુનિવર્સીટી બતાવવામાં આવી અને ત્યારબાદ સંમતિ પત્રક પર સહી કરાવી લેવામાં આવી. અરજદારનું એડમિશન માસ્ટર્સ ઓફ ડિઝાઈનમાં કરવામાં આવ્યું પણ ક્લાસ કે યુનિવર્સિટી કે પરીક્ષા કશું આપવાનું નહોતું થયું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુનિવર્સિટી, બેંક અને એજન્ટોની મીલિભગત</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આખા મામલાની ખબર ત્યારે પડી જ્યારે એકાઉન્ટમાં અલગ અલગ સમયે રૂપિયા ૧.૪૬ લાખ અને રૂપિયા ૧.૮૪ લાખ સ્કોલરશીપ જમા થવાના મેસેજ આવ્યા. આવા મેસેજ બીજા વિદ્યાર્થીઓને પણ આવ્યા. આ એજન્ટો દ્વારા એક નવું સીમ કાર્ડ એક્ટિવ કરવામાં આવ્યું જે તેમણે પોતાની જોડે રાખ્યું અને ત્યારબાદ જણાવ્યું કે આ કાર્ડ અમારી જોડે રહેશે અને તેની સાથે લિન્ક કરેલ બેન્ક ખાતું અમદાવાદની જ પ્રાઇવેટ બેંકમાં ખોલાવી દેવામાં આવ્યું જેમાં આ સ્કોલરશીપના પૈસા જમા થવા લાગ્યા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6663f7f650ef8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અનુસૂચિત જાતિ વિભાગના અધિકારીએ એક મીડિયાને જણાવ્યું હતું કે, આ બાબતે અમારા ધ્યાને આવેલી વિગતો પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે. અમારી જિલ્લા કક્ષાની ઓફિસો દ્વારા આવા એડમિશન અને સ્કોલરશીપના રેન્ડમ ચેકિંગ પણ કરવામાં આવતા હોય છે પરંતુ આવી કોઈ બાબત અત્યાર સુધી ધ્યાનમાં આવેલ નથી અને આવી તો કોઈ સમસ્યા હોય તો આવતા વર્ષથી અમે આવા વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રિક અટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરીશું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અનેક જિલ્લાઓમાં અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં આ રીતે અનામત કેટેગરીના વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મેળવી લઈ, તેના આધારે સેટિંગ ધરાવતી ખાનગી બેંકોમાં ખાતુ ખોલાવી કૌભાંડ આચરવામાં આવે છે. ખાનગી બેંકમાં ફોર્મ ભરતા પહેલા વિદ્યાર્થીના ડોક્યુમેન્ટના આધારા લેભાગુ એજન્ટો નવું સીમકાર્ડ ખરીદી લે છે અને તે પોતાની પાસે રાખે છે. અને બેંક ખાતામાં એ જ મોબાઈલ નંબર અને નવું બનાવેલું ઈમેઈલ આઈડી લખાવે છે, જેનું તમામ પ્રકારનું એક્સેસ એજન્ટો કે યુનિવર્સિટીઓ પાસે હોય છે. વિદ્યાર્થીને અમુક રકમ ચૂકવીને રવાના કરી દેવાય છે. તેમને તો ખ્યાલ પણ નથી હોતો કે તેમના નામે લાખો રૂપિયાની શિષ્યવૃત્તિ લેવાઈ ગઈ છે. તેમને તો ત્યારે ખબર પડે છે જ્યારે તેઓ ફ્રીશીપ કાર્ડ કઢાવવા કે શિષ્યવૃત્તિ માટે ફોર્મ ભરવા જાય છે. આ પ્રકારના કૌભાંડ અમદાવાદ ઉપરાંત સુરેન્દ્રનગરમાં પણ સામે આવ્યા છે. પણ હજુ સુધી તેની સામે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. જો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો ચોક્કસ મહાકૌભાંડ ઝડપાય તેમ છે. ગુજરાતના અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માંડ માંડ ભણી શકે છે, એવામાં જો તેમની સ્કોલરશીપ પણ છીનવી લેવામાં આવે તો ઉચ્ચ શિક્ષણ લઈને પ્રગતિ કરવાનું તેમનું સપનું રોળાઈ જાય તેમ છે. આ સમગ્ર મામલે એસસી, એસટી અને ઓબીસી સમાજના જાગૃત નાગરિકો, વડીલો, કર્મશીલો અને વિદ્યાર્થી સંગઠનો આગળ આવે તે જરૂરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/10-percent-increase-in-class-10-12-examination-fee-will-hurt-the-education-seeking-Bahujan-society."><strong>ધોરણ 10-12ની પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો શિક્ષણ ઝંખતા બહુજન સમાજને નડશે</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 08 Jun 2024 11:54:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>735</Articleid>
                    <excerpt>ગુજરાતમાં ઠેરઠેર ફૂટી નીકળેલી ખાનગી યુનિવર્સિટીઓ, ખાનગી બેંકો અને લેભાગુ એજન્ટો  અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી રહ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6663f7cf073c9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6663f7cec9de3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6663f7cec9de3.jpg" length="98441" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>કર્ણાટક સરકારે અન્નુ કપૂરની ફિલ્મ ‘હમારે બારહ’ની રિલીઝ પર સ્ટે મૂક્યો</title>
                    <link>https://khabarantar.com/the-karnataka-government-has-put-a-stay-on-the-release-of-annu-kapoors-film-hamare-barah</link>
                    <guid>https://khabarantar.com/the-karnataka-government-has-put-a-stay-on-the-release-of-annu-kapoors-film-hamare-barah</guid>
                    <description>
                        <![CDATA[ કર્ણાટક સરકારે ‘હમારે બારહ’ નામની ફિલ્મ પર અનિશ્ચિત સમય સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. શું છે તેની પાછળનું કારણ, વાંચો અહીં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કર્ણાટક સિનેમા (રેગ્યુલેશન) એક્ટ, ૧૯૬૪ની કલમો હેઠળ કર્ણાટક સરકારે ફિલ્મ 'હમારે બારહ'ની રિલીઝ (પ્રસારણ) પર બે અઠવાડિયા અથવા આગામી આદેશ ન અપાય ત્યાં સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. તેની પાછળનું કારણ આપતા કહ્યું કે, જો રાજ્યમાં ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવશે તો તે સાંપ્રદાયિક તણાવ પેદા કરશે. કર્ણાટક સરકારે ફિલ્મનું ટ્રેલર જોયા બાદ અનેક લઘુમતી સંગઠનો અને પ્રતિનિધિમંડળોની વિનંતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. બોમ્બે હાઈકોર્ટે પણ બુધવારના રોજ ફિલ્મ 'હમારે બારહ'ની રિલીઝને ૧૪ જૂન સુધી સ્થગિત કરી દીધી છે. અન્નુ કપૂર અભિનિત આ ફિલ્મને લઈને કોર્ટની સુનાવણી ૧૦ જૂન સુધી મુલતવી રાખવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા માટે વકીલ મયૂર ખાંડેપારકર, અનીસા ચીમા અને રેખા મુસળે અને અઝહર તંબોલીએ અરજી દાખલ કરી હતી. અઝહર તંબોલીએ આક્ષેપ કર્યો હતો કે 'હમારે બારહ'એ મુસ્લિમ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને કુરાનનું ખોટું ચિત્રણ કર્યું છે. અરજીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને કેટલાક સંવાદો સામે વાંધો ઉઠાવતા યુ/એ સર્ટિફિકેશન સાથે તેની રિલીઝને મંજૂરી આપવા અંગે પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીબીએફસીનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ અદ્વૈત સેઠનાએ તેમની દલીલમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘હમારે બારહ’ને એક વિશેષ સમિતિ દ્વારા નજીકથી દેખરેખ રાખ્યા બાદ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું, જેણે અમુક ફેરફારોની ભલામણ કરી હતી. અન્નુ કપૂરને ફોન કોલ્સ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ કોર્ટે નિર્દેશ આપ્યો છે. અન્નુ કપૂર તાજેતરમાં જ ફિલ્મના નિર્દેશક અને નિર્માતાઓ સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું છે ફિલ્મમાં?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફિલ્મ 'હમારે બારહ'ની વાર્તા મંજૂર અલી ખાન સંજારીની આસપાસ ફરે છે, જે તેની પ્રથમ પત્નીને બાળકનાં જન્મ વખતે ગુમાવે છે. તે તેની બીજી પત્ની સાથે બાળકો પેદા કરવાનું ચાલુ રાખે છે જ્યાં સુધી તેની છઠ્ઠી ગર્ભાવસ્થા જીવલેણ બની ન જાય. મંજૂર અલી ખાને ગર્ભપાતની ડૉક્ટરની સલાહની અવગણના કર્યા પછી, તેની મોટી પુત્રી અલ્ફિયા તેની સાવકી માતાને બચાવવાનું વચન આપે છે અને તેના પિતાને ગર્ભપાતની માંગણી માટે કોર્ટમાં લઈ જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અન્નુ કપૂરે તાજેતરમાં જ મીડિયા સાથેની વાતચીતમાં આ ફિલ્મ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, "હમારે બારહ'માં કામ કરવું એ મારા માટે અવિશ્વસનીય સફર રહી છે. આ ફિલ્મ કેટલાક જટિલ અને સંવેદનશીલ વિષયો પર ધ્યાન આપે છે અને હું માનું છું કે નવું શીર્ષક અમારી વાર્તા કહેવાની સાથે વધુ સારી રીતે ફીટ બેસે છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/to-kill-a-tiger-a-shocking-documentary-film"><strong>ટુ કિલ અ ટાઈગર- એક હચમચાવી નાખતી ડોક્યુમેન્ટરી ફિલ્મ</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 08 Jun 2024 10:52:59 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 08 Jun 2024 10:41:06 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>733</Articleid>
                    <excerpt>કર્ણાટક સરકારે ‘હમારે બારહ’ નામની ફિલ્મ પર અનિશ્ચિત સમય સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. શું છે તેની પાછળનું કારણ, વાંચો અહીં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6663e7e05ce74.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6663e7e02b3c5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6663e7e02b3c5.jpg" length="113508" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલાએ લાફો ઝીંકી દીધો</title>
                    <link>https://khabarantar.com/kangana-ranaut-was-slapped-by-a-cisf-woman-at-chandigarh-airport</link>
                    <guid>https://khabarantar.com/kangana-ranaut-was-slapped-by-a-cisf-woman-at-chandigarh-airport</guid>
                    <description>
                        <![CDATA[ ફ્લોપ અભિનેત્રી અને હવે હિમાચલની મંડી લોકસભા સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવેલી કંગના રનૌતને એરપોર્ટ પર એક મહિલાએ લાફો ઝીંકી દીધો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અભિનેત્રી અને હવે ભાજપની સાંસદ તરીકે ચૂંટાઈ આવેલી કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફ જવાને લાફો મારી દીધો હોવાની ઘટના સામે આવી છે. સાંસદે કરેલી ફરીયાદમાં એ વાત સામે આવી છે કે તે ચંદીગઢ એરપોર્ટ પર પહોંચી હતી. તેણે ફ્લાઈટથી દિલ્હી આવવાનું હતું. સિક્યોરિટી ચેક ઈન પછીથી તે જ્યારે બોર્ડિંગ પાસ માટે જઈ રહી હતી, તે દરમિયાન એલસીટી મહિલા કુલવિંદર કૌરે(સીઆઈએસએફ યુનિટ ચંદીગઢ એરપોર્ટ) તેને થપ્પડ મારી હતી. તે પછી કંગના રનૌતની સાથે યાત્રા કરી રહેલા શખ્સ મયંક મધુરે કુલવિંદર કૌરને થપ્પડ મારવાની કોશિશ કરી હતી. આરોપી સીઆઈએસએફ કર્મચારીની ધરપકડ કરી લેવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહેવાલો અનુસાર, કંગના દિલ્હી પહોંચી ગઈ છે અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં તેણે સીઆઈએસએફના મહાનિર્દેશક નીના સિંહને ઘટના વિશે જાણ કરી છે. કંગનાનો દાવો છે કે, કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે ચંદીગઢ એરપોર્ટ પર પડદા વિસ્તારમાં તેની સાથે દલીલ કરી હતી અને પછી તેને થપ્પડ મારી હતી. બીજી તરફ આરોપી સૈનિકની સીઓ રૂમમાં કસ્ટડીમાં લેવામાં આવી છે, તેની પૂછપરછ ચાલી રહી છે. એરપોર્ટ સીઆઈએસએફ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલાની તપાસ માટે વરિષ્ઠ અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ કંગનાએ પણ આ મામલે એક વીડિયો જારી કર્યો છે. જેમાં તેણે કહ્યું છે કે, આ ઘટના બાદ મને ઘણા ફોન કોલ આવી રહ્યાં છે, હું સુરક્ષિત છું. કંગનાએ કહ્યું કે, જ્યારે મહિલા સૈનિકે તેને થપ્પડ મારી અને તેની સાથે વધુ દુર્વ્યવહાર કર્યો ત્યારે મેં તેને પૂછ્યું કે તેણે આવું કેમ કર્યું, તો મહિલા સૈનિકે કહ્યું કે, તે ખેડૂત આંદોલનને સમર્થન આપે છે. સવાલ એ પણ છે કે, મહિલા સૈનિકે કંગના રનૌતને શા માટે થપ્પડ મારી? આ અંગે એવું સામે આવ્યું છે કે, મહિલા સૈનિક કંગનાએ કેટલાક ખેડૂતોને ખાલિસ્તાની કહ્યાં હોવાથી ગુસ્સે ભરાઈ હતી. જેના કારણે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી અને તેણે કંગનાને થપ્પડ મારી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર મામલે હિમાચલ પ્રદેશના પૂર્વ સીએમ જયરામ ઠાકુરે કહ્યું કે, “આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. કંગના રનૌત પાર્ટીની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી જઈ રહી હતી. આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/how-bollywood-remained-on-the-mark-of-manuvadis-in-the-decade-of-modiraj"><strong>મોદીરાજના દાયકામાં કેવી રીતે બોલીવૂડ મનુવાદીઓના નિશાન પર રહ્યું</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 06 Jun 2024 20:03:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>728</Articleid>
                    <excerpt>ફ્લોપ અભિનેત્રી અને હવે હિમાચલની મંડી લોકસભા સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવેલી કંગના રનૌતને એરપોર્ટ પર એક મહિલાએ લાફો ઝીંકી દીધો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6661c801cc924.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6661c8019a959.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6661c8019a959.jpg" length="69397" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બોમ્બે હાઈકોર્ટે ૧૯ વર્ષની છોકરીને  ગર્ભપાતની મંજૂરી આપી</title>
                    <link>https://khabarantar.com/the-bombay-high-court-allowed-a-19-year-old-girl-to-have-an-abortion</link>
                    <guid>https://khabarantar.com/the-bombay-high-court-allowed-a-19-year-old-girl-to-have-an-abortion</guid>
                    <description>
                        <![CDATA[ બોમ્બે હાઈકોર્ટે જાતીય શોષણ સિવાયના એક કિસ્સામાં 19 વર્ષની એક યુવતીને 26 અઠવાડિયાના ગર્ભ છતાં ગર્ભપાતની મંજૂરી આપી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બોમ્બે હાઈકોર્ટે ૧૯ વર્ષની છોકરીને મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એટલે કે ગર્ભપાત કરાવવાની પરવાનગી આપી છે. કોર્ટમાં અરજી દાખલ કરતી વખતે છોકરીએ કહ્યું હતું કે તેણીને તેની ગર્ભાવસ્થા વિશે ખૂબ મોડી ખબર પડી હતી. જો કે તેણી તે વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે જે તેનાથી તે ગર્ભવતી થઈ હતી, તે અત્યારે બાળક મેળવવા માંગતી નથી. ૧૯ વર્ષની છોકરી ૨૬ અઠવાડિયાની ગર્ભવતી છે. મેડિકલ બોર્ડના રિપોર્ટમાં એ પણ સૂચવવામાં આવ્યું છે કે જો ગર્ભાવસ્થા સમાપ્તિની પ્રક્રિયા છતાં બાળકનો જન્મ થાય છે તો તાત્કાલિક અને લાંબા ગાળાની શારીરિક અને માનસિક વિકલાંગતાની સંભાવના રહે છે, જે બાળકના જીવનની ગુણવત્તાને ગંભીરપણે જોખમમાં મૂકશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવતીએ કહ્યું કે જો એમટીપી હોવા છતાં સામાન્ય બાળકનો જન્મ થાય તો તે બાળકને દત્તક લેવા માટે આપશે પરંતુ આ તબક્કે તે એમટીપી માટે જવા માંગે છે. જસ્ટિસ એનઆર બોરકર અને સોમશેખર સુંદરસનની ખંડપીઠે કહ્યું કે આ યૌન ઉત્પીડનનો મામલો નથી પરંતુ યુવક અને યુવતી વચ્ચે સહમતિથી સંબંધ હતા, જેના કારણે યુવતી ભૂલથી ગર્ભવતી થઈ ગઈ હતી. અગાઉની સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યું હતું કે અરજી સાથે જાોડાયેલા ખાનગી હોસ્પિટલના મેડિકલ રિપોર્ટ સૂચવે છે કે ગર્ભમાં કોઈ અસામાન્યપણું નથી. જાો કે, તે રિપોર્ટમાં અરજદારના ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં લેવામાં આવ્યું ન હતું અને તેથી કોર્ટે મેડિકલ બોર્ડ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. પુણેની સસૂન હોસ્પિટલના મેડિકલ બોર્ડે તેના રિપોર્ટમાં કહ્યું હતું કે મહિલાની હાલની માનસિક સ્થિતિ, સામાજિક-સાંસ્કૃતિક અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, ગર્ભાવસ્થા ચાલુ રાખવાથી ગંભીર માનસિક ઈજા થઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે કોર્ટે એમટીપીના મુદ્દા પર છોકરી સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી ત્યારે તેણે એ પણ નોંધ્યું કે એમટીપી એક્ટની કલમ ૩(૨) કિસ્સામાં એ જોગવાઈ કરે છે કે જેમાં ગર્ભાવસ્થા ચાલુ રાખવાથી ગંભીર ઈજા થઈ શકે છે. સ્ત્રીના શારીરિક અથવા માનસિક સ્વાસ્થ્યને ધ્યાને રાખીને આવા કિસ્સામાં રજિસ્ટર્ડ ડૉક્ટર દ્વારા ગર્ભાવસ્થાને સમાપ્ત કરી શકાય છે. કલમ ૩(૨) ની સમજૂતી ૨ સગર્ભા સ્ત્રીના માનસિક સ્વાસ્થ્યને ગંભીર ઈજાના કાયદાકીય અનુમાન માટે જોગવાઈ કરે છે, જો ગર્ભ બળાત્કારને કારણે રહ્યો હોય. જો કે, ખંડપીઠે કહ્યું કે આવી જોગવાઈનો અર્થ એ નથી કે જાતીય સતામણી એ એકમાત્ર આધાર હશે જેના આધારે વ્યાવસાયિક ક્લિનિકલ તબીબી નિષ્કર્ષ દોરવામાં આવશે કે ગર્ભાવસ્થા ચાલુ રાખવાથી માનસિક સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થશે. છોકરી હજુ પણ ગર્ભપાત કરાવવા ઇચ્છુક છે અને તેને ગર્ભપાતની પ્રક્રિયા વિશે સારી રીતે જાણ કરવામાં આવી છે. ખંડપીઠે કહ્યું કે અરજદારનો તેના શરીર વિશે સ્વાયત્ત પસંદગી કરવાનો અને તેનો ઉપયોગ તબીબી ગર્ભપાતના વિકલ્પ તરીકે કરવાનો સાર્વભૌમ અધિકાર છે, તે પોતાને સ્વીકારે છે. જો કે, રાજ્યએ ધ્યાન દોર્યું કે આ માટે પુરુષની સંમતિ જરૂરી છે, કારણ કે તે જાતીય સતામણીનો કેસ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/video-recording-of-all-proceedings-before-courts-in-atrocities-act-offenses-mandatory-bombay-high-court"><strong>એટ્રોસિટી એક્ટના ગુનામાં કોર્ટ સમક્ષની તમામ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ ફરજિયાત છેઃ બોમ્બે હાઈકોર્ટ</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 06 Jun 2024 18:53:42 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 06 Jun 2024 18:56:51 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>694</Articleid>
                    <excerpt>બોમ્બે હાઈકોર્ટે જાતીય શોષણ સિવાયના એક કિસ્સામાં 19 વર્ષની એક યુવતીને 26 અઠવાડિયાના ગર્ભ છતાં ગર્ભપાતની મંજૂરી આપી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_665b3841d45cb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_665b3841a6c53.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_665b3841a6c53.jpg" length="98118" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બુલડોઝરઃ અયોધ્યામાં ભાજપની હારનું એક મોટું ફેક્ટર</title>
                    <link>https://khabarantar.com/bulldozer-a-major-factor-in-bjps-defeat-in-ayodhya</link>
                    <guid>https://khabarantar.com/bulldozer-a-major-factor-in-bjps-defeat-in-ayodhya</guid>
                    <description>
                        <![CDATA[ લોકસભાની ચૂંટણીમાં અયોધ્યા બેઠક પર ભાજપ ભૂંડી રીતે હારી ગયો છે. આ હાર પાછળ અનેક કારણો પૈકીનું એક મોટું કારણ બુલડોઝર પણ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંગળવારે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા અને અયોધ્યામાં ભાજપ ખરાબ રીતે હારી ગઈ. રાજકીય નિષ્ણાતો આ હાર પાછળ એકથી વધુ કારણો જવાબદાર હોવાનું માને છે. જેમાંનું એક મોટું કારણ 'બાબાનું બુલડોઝર' પણ છે. સરકારના ઈશારે ગુનેગારોના પરિવારોના ઘરો પર આ બુલડોઝર ચાલતું ત્યારે લોકો ઉજવણી કરતા હતા. એક સમયે લોકો આ બુલડોઝરને ન્યાયનું પ્રતિક માનવા લાગ્યા હતા. પરંતુ રામમંદિર સંકુલના નિર્માણ માટે આ જ બુલડોઝર સામાન્ય જનતાના ઘર અને દુકાનો તરફ ફર્યું ત્યારે લોકોને તેની વાસ્તવિકતાની ખબર પડી. હજારો લોકોના મકાનો ધરાશાયી થયા, જેના કારણે સેંકડો લોકો બેઘર બની ગયા હતા અને એ રોષનો જવાબ લોકોએ ઈવીએમમાં ભાજપ વિરોધી બટન દબાવીને આપી દીધો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણીના પરિણામો પર બુલડોઝરની કાર્યવાહીની અસર ખાસ કરીને અયોધ્યા લોકસભા બેઠક પર સ્પષ્ટ દેખાઈ રહી હતી જેના કારણે ભાજપ ચૂંટણી હારી ગયું. આ એ જ રામ મંદિર છે જે 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપને દેશમાં જીત અપાવવામાં માસ્ટરસ્ટ્રોક સાબિત થયું હતું. પરંતુ આરોપ એવો લાગી રહ્યો છે કે રામ લાલાની મૂર્તિ સ્થાપિત કરવા માટે અયોધ્યાના રહેવાસીઓના ઘરો તોડી નાખવામાં આવ્યા હતા. રામ મંદિર પરિસરના વિસ્તરણ માટે સરકારે મોટા પાયે બુલડોઝરથી કાર્યવાહી કરી નાખી, જેમાં હજારો મકાનો અને દુકાનો જમીનદોસ્ત થઈ ગઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong>આ પણ વાંચોઃ <span style="color: rgb(224, 62, 45);"><a href="https://khabarantar.com/if-ayodhya-is-far-away-the-bjp-could-not-win-in-the-surrounding-100-km-area" style="color: rgb(224, 62, 45);">અયોધ્યા તો દૂર, આસપાસના 100 કિમી વિસ્તારમાં પણ ભાજપ ન જીતી શકી</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666177b1e8c93.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">બાબાના બુલડોઝરે અનેકના ઘરો તોડ્યાં તે નડ્યું</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણીના પરિણામો બાદ જીત-હારની ચર્ચા ચાલી રહી છે. અયોધ્યા સીટ ભાજપ હારી ગયા પછી સૌ કોઈ એક જ સવાલ કરી રહ્યાં છે કે, અયોધ્યામાં તો વિકાસની ગંગા વહેતી હતી, રામ મંદિર બન્યું હતું, એરપોર્ટ બન્યું હતું, આંતરરાષ્ટ્રીય કક્ષાનું અયોધ્યાધામ રેલવે સ્ટેશન બન્યું હતું. રામપથ બંધાયો, રામ કી પૌડીની સુંદરતા વધારવામાં આવી હતી, છતાં એ જ સીટ પર ભાજપ કેમ હારી ગઈ? હકીકતે, અયોધ્યાની હારના અસંખ્ય કારણો છે, જેમાં સ્થાનિક તંત્ર અને સાંસદો દ્વારા જનતાના વિચારોની અવગણના પણ સામેલ છે. જ્યારે ભાજપના લલ્લુ સિંહે 2019ની ચૂંટણી જીતી હતી ત્યારે તેઓ લોકોને એમ કહેતા હતા કે તમે લોકોએ મને નહીં પણ મોદીને મત આપ્યો છે. રામપથનું નિર્માણ કરવામાં આવ્યું તેમાં હજારો દુકાનો અને મકાનો તોડી પાડવામાં આવી હતી પરંતુ તેમને યોગ્ય વળતર આપવામાં આવ્યું ન હતું. નઝુલની જમીન પર બનેલી દુકાન અને ઘર માટે તેમને વળતર આપવામાં આવ્યું ન હતું. આરોપ છે કે જ્યારે સ્થાનિક લોકો તેમના લોકપ્રતિનિધિ લલ્લુ સિંહ પાસે ગયા તો તેઓ એમ કહીને હાથ ખંખેરી લેતા હતા કે આતો સરકારનો મામલો છે અને તેમાં તેઓ કંઈ કરી શકે તેમ નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અયોધ્યાવાસીઓએ ભાજપને હરાવ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">અયોધ્યાના એક સ્થાનિક કહે છે, ફૈઝાબાદમાં પાંચ વિધાનસભા મતવિસ્તારો છે. જો એમ કહેવામાં આવે કે રામ મંદિર આસપાસ રહેતા સ્થાનિકોએ ભાજપને જ મત આપ્યો છે તો તેનો કોઈ અર્થ નથી. અયોધ્યા ખૂબ મોટું છે અને તેના અન્ય વિસ્તારોમાં લોકોની સ્થિતિ કેવી છે તેની સીધી અસર પણ ચૂંટણીમાં જોવા મળી છે. એ રાત અમે કદી નહીં ભૂલી શકીએ જ્યારે રામમંદિરના નિર્માણ માટે અમારા મકાનો અને દુકાનો તોડવામાં આવી રહી હતી. અમે ભાજપના સાંસદને મળવા જતા હતા તો તેઓ અમને મળવાનો ઈનકાર કરી દેતા હતા. તેમનામાં રામમંદિરના નિર્માણમાં પોતે કંઈક યોગદાન આપ્યાનો ઘમંડ છલકી રહ્યો હતો, પણ હવે જનતાએ તેમને બતાવી દીધું છે કે કોણ મોટું છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપના આકરા નિર્ણયોથી સ્થાનિકો નારાજ હતા</span></strong></span><br><span style="font-size: 14pt;">અન્ય એક સ્થઆનિક રાજન યાદવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપે બાબાનું બુલડોઝર, અગ્નિવીર યોજના, ખેડૂત આંદોલન, નોટબંધી, GST જેવા ઘણાં આકરા નિર્ણયો લીધાં હતા, જેનાથી સામાન્ય માણસનું જીવવું હરામ થઈ ગયું હતું અને તે જ ભાજપની હારનું કારણ બન્યાં. આ નિર્ણયોથી પ્રજામાં નારાજગી હતી. અયોધ્યામાં રામ મંદિર બન્યું, વિકાસ પણ થયો, એ બધું બરાબર છે પરંતુ રામપથના નિર્માણ દરમિયાન ગરીબ દુકાનદારોની દુકાનો તોડી પાડવામાં આવી હતી અને તેમને યોગ્ય વળતર પણ આપવામાં આવ્યું ન હતું. ફૂટપાથ પર વેચાણ કરતા લોકોને લાકડીઓ વડે મારીને ભાગી છૂટ્યા હતા. આ કારણથી આ વખતે ભાજપનો જોરદાર વિરોધ થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/3000-applications-received-to-become-Ram-temple-priest,-2000-will-be-interviewed,-20-will-be-selected">રામ મંદિરના પૂજારી બનવા માટે 3000 અરજીઓ આવી, 200ના ઈન્ટરવ્યૂ થશે, 20ની પસંદગી થશે</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666177a83e228.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મંદિર ટ્રસ્ટે પ્રસાદ પર પણ હક જમાવી દીધો હતો</span></strong></span><br><span style="font-size: 14pt;">કોરોનાને કારણે રામ મંદિરમાં પ્રસાદ ચઢાવવાનું બંધ થઈ ગયું હતું. એ પછી જ્યારે લોકડાઉન ખતમ થઈ ગયું ત્યારે મંદિર ટ્રસ્ટે બહારથી લાવેલા પ્રસાદ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેના કારણે 400 જેટલા લોકોની રોજગારી છીનવાઈ ગઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમિતકુમારની એક વ્યક્તિ કહે છે, "હું 7 વર્ષની ઉંમરથી પ્રસાદ વેચતો હતો. જ્યારે હું શાળાએ જતો ત્યારે જ્યારે પણ મને સમય મળતો ત્યારે હું પ્રસાદ વેચતો હતો. લોકડાઉન ખતમ થઈ ગયું પછી પણ પ્રસાદ પર પ્રતિબંધ રહ્યો. ટ્રસ્ટ તરફથી મંદિરના ગેટ પર અમને તિલક લગાવવાની સખત મનાઈ હતી. પોલીસ અમને ખદેડી દેતી હતી. અમારી સાથે અન્યાય થઈ રહ્યો હતો અને કોઈપણ નેતા કે મંત્રી અમને સાંભળવા તૈયાર નહોતો. એટલે અમે અમારો નેતા પસંદ કરી લીધો.</span><br><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, અયોધ્યા સીટ પર ચૂંટણી હારવાની સાથે ભાજપે અયોધ્યા વિભાગમાં સમાવિષ્ટ ફૈઝાબાદ, બારાબંકી, આંબેડકર નગર, સુલતાનપુર અને અમેઠી લોકસભા બેઠકો પણ ગુમાવી દીધી છે. એટલું જ નહીં અયોધ્યાને અડીને આવેલી બસ્તી, શ્રાવસ્તી અને જૌનપુર બેઠકો પણ ભાજપ બચાવી શકી નથી. યોગી સરકારે એરપોર્ટથી લઈને તમામ પ્રકારના વિકાસ કાર્યો કરાવ્યા, પરંતુ કોઈ રાજકીય અસર જોવા મળી નથી. રાજ્યની સૌથી હોટ લોકસભા સીટ અયોધ્યામાં રાજકીય જંગ જીતવાની સાથે સમાજવાદી પાર્ટી આસપાસની તમામ બેઠકો જીતવામાં સફળ રહી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/Dhutara-Active,-QR-Code-Extortion-Scam-Caught-Before-Ram-Mandir-Inauguration">રામમંદિરના ઉદ્ધાટન સાથે જ ધૂતારા એક્ટિવ, QR કોડથી પૈસા ઉઘરાવવાનું કૌભાંડ ઝડપાયું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 06 Jun 2024 14:25:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>726</Articleid>
                    <excerpt>લોકસભાની ચૂંટણીમાં અયોધ્યા બેઠક પર ભાજપ ભૂંડી રીતે હારી ગયો છે. આ હાર પાછળ અનેક કારણો પૈકીનું એક મોટું કારણ બુલડોઝર પણ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666177b18883d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666177b1582cb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666177b1582cb.jpg" length="99382" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>lok sabha election 2024, model code of conduct, Free and fair election, election commission of india, Modi, Shah, BJP, Congress</media:keywords>
                </item>
                        <item>
                    <title>અયોધ્યા તો દૂર, આસપાસના 100 કિમી વિસ્તારમાં ભાજપ જીતી ન શકી!</title>
                    <link>https://khabarantar.com/if-ayodhya-is-far-away-the-bjp-could-not-win-in-the-surrounding-100-km-area</link>
                    <guid>https://khabarantar.com/if-ayodhya-is-far-away-the-bjp-could-not-win-in-the-surrounding-100-km-area</guid>
                    <description>
                        <![CDATA[ અયોધ્યા અને રામમંદિરના નામે ભાજપ સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણી જીતવા માંગતો હતો. પણ અયોધ્યા તો દૂર, તેની આસપાસના 100 કિમી વિસ્તારમાં પણ તે જીતી શક્યો નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વખતની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ કોઈ બાબતની ચર્ચા થઈ રહી હોય તો તે અયોધ્યામાં ભાજપની ભૂંડી હારની છે. વડાપ્રધાન મોદી સહિતના ભાજપના નેતાઓ જાણે પોતે જ રામને ધરતી પર અવતરિત કરી રહ્યાં હોય તેમ પ્રચાર કરી રહ્યા હતા. રામમંદિરનું ઉદ્ઘાટન જાણે ભાજપનો ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ હોય તેવો માહોલ પેદા કરવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા અને મતદાનના છેલ્લા તબક્કા સુધી ભાજપના નાના-મોટા નેતાઓ રામ મંદિરનો ઉલ્લેખ કરતા જોવા મળ્યા હતા. પરંતુ આ મુદ્દો સંપૂર્ણપણે બેકફાયર થયો છે. કેમ કે, અયોધ્યામાં ભાજપને લોકસભા ચૂંટણીમાં મોટી હારનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં, અયોધ્યાની આસપાસની તમામ બેઠકો પણ તેમના હાથમાંથી સરકી ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અયોધ્યામાં રામમંદિરના નિર્માણ પછી આ પહેલી લોકસભા ચૂંટણી હતી. ચૂંટણીની જાહેરાત પહેલા અને છેલ્લા તબક્કાના મતદાન સુધી રામ મંદિરને લઈને ઘણી ચર્ચા થઈ હતી. પીએમ મોદીથી લઈને સીએમ યોગી આદિત્યનાથ સુધી ભાજપના તમામ મોટા નેતાઓ રામ મંદિરના મુદ્દાનો ઉલ્લેખ કરતા જોવા મળ્યા હતા. ભાજપના નાના-મોટા નેતાઓ કહેતા હતા કે, 'જેઓ રામને લાવ્યા છે અમે તેમને લાવીશું'. રામમંદિરના મુદ્દાની રાજકીય પ્રયોગશાળા કહેવાતા યુપીમાં ભાજપે ચૂંટણીમાં ફાયદો મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ મામલો ભાજપને ભૂંડી રીતે નડી ગયો છે, કેમ કે ભાજપને એ જ અયોધ્યામાં ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. એટલું જ નહીં અયોધ્યાની આસપાસની તમામ બેઠકો પણ ગુમાવવી પડી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જનરલ સીટ પર દલિત ઉમેદવારે ભાજપને હરાવ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામના રાજકારણની રાજધાની કહેવાતા અયોધ્યામાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. બીજેપીના વર્તમાન સાંસદ અને ફૈઝાબાદ લોકસભા સીટના ઉમેદવાર લલ્લુ સિંહને સમાજવાદી પાર્ટીના દલિત ઉમેદવાર અવધેશ પ્રસાદે હાર આપી છે. અખિલેશ યાદવે ફૈઝાબાદ બેઠક પર એક નવીન પ્રકારનો રાજકીય પ્રયોગ કર્યો હતો. આ એક જનરલ બેઠક હતી અને તેમ છતાં અહીં દલિત સમાજમાંથી આવતા અવધેશ પ્રસાદને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, જ્યાં તેમને 554289 મત મળ્યા હતા જ્યારે ભાજપના લલ્લુ સિંહને 499722 મત મળ્યા હતા. આ રીતે અવધેશ પ્રસાદ 54567 મતોથી જીત્યા હતા. આ એ જ ફૈઝાબાદ લોકસભા મતવિસ્તાર છે, જેને અયોધ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ અયોધ્યામાં એક દલિત ઉમેદવારે જનરલ સીટ પર ચૂંટણી લડીને ભાજપના ઉમેદવારને પછડાટ આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong><a href="https://khabarantar.com/ram-doesnt-know-meerut-issues-people-trolled-arun-govil"> </a></span><a href="https://khabarantar.com/ram-doesnt-know-meerut-issues-people-trolled-arun-govil"><strong>‘રામ’ને ખબર નથી મેરઠના મુદ્દાઓ, લોકોએ અરુણ ગોવિલને ટ્રોલ કર્યા</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666155d00e146.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રામમંદિરની કોઈ અસર જોવા ન મળી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વર્ષની શરૂઆતમાં અયોધ્યામાં રામ મંદિરની કથિત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે મંદિરનો અભિષેક કર્યો હતો. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં વિપક્ષોના સામેલ ન થવાને રાજકીય મુદ્દો બનાવી દેવાયો. જ્યારે કોંગ્રેસ અને સપા સહિતના મોટા વિપક્ષી નેતાઓએ આ કાર્યક્રમથી પોતાને દૂર રાખ્યા ત્યારે ભાજપ દ્વારા તેમના પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. એ પછી ચૂંટણી પ્રચારમાં ભાજપે કહ્યું હતું કે જો સપા-કોંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં આવશે તો તેઓ રામ મંદિર પર બુલડોઝ ચલાવી દેશે અને રામલલ્લાને ફરીથી તંબુમાં મોકલી દેશે. જો કે, ભાજપનો આ નકારાત્મક પ્રચાર લોકોને ગળે ઉતર્યો નહોતો. જેનું પરિણામ એ આવ્યું કે, ભાજપ માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ અયોધ્યાની આસપાસના 100-100 કિલોમીટર સુધીના વિસ્તારમાં પણ ભૂંડી રીતે હારી ગયું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/nitish-will-not-let-modis-dream-of-becoming-prime-minister-for-the-third-time-come-true"><span style="font-size: 14pt;">મોદીનું ત્રીજીવાર વડાપ્રધાન બનવાનું સપનું નીતિશ સાકાર નહીં થવા દે?</span></a><br></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66615615d4e92.jpg" alt=""></p>
<p><span style="font-size: 14pt;">અયોધ્યા સીટ પર ચૂંટણી હારવાની સાથે ભાજપે અયોધ્યા વિસ્તારમાં સામેલ ફૈઝાબાદ, બારાબંકી, આંબેડકર નગર, સુલતાનપુર અને અમેઠી લોકસભા બેઠકો પણ ગુમાવી દીધી છે. એટલું જ નહીં અયોધ્યાને અડીને આવેલી બસ્તી, શ્રાવસ્તી અને જૌનપુર બેઠકો પણ ભાજપ બચાવી શકી નથી. યોગી સરકારે એરપોર્ટથી લઈને અયોધ્યા સુધી તમામ પ્રકારના વિકાસ કામો કરાવ્યા, પરંતુ કોઈ રાજકીય અસર જોવા મળી નથી. રાજ્યની સૌથી હોટ સીટ અયોધ્યામાં રાજકીય જંગ જીતવાની સાથે સમાજવાદી પાર્ટી આસપાસની તમામ બેઠકો જીતવામાં સફળ રહી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફ્ક્ત કૈસરગંજ-ગોંડા બેઠક પર જ જીત મળી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અયોધ્યા આસપાસના વિસ્તારમાં ફક્ત ગોંડા બેઠક જીતવામાં ભાજપ સફળ રહી હતી. આ સિવાય અયોધ્યાથી બલિયા સુધીના વિસ્તારમાં ભાજપનો સંપૂર્ણ સફાયો થઈ ગયો હતો. અયોધ્યાને અડીને આવેલી બારાબંકી સીટ પર કોંગ્રેસના ઉમેદવાર તનુજ પુનિયાએ ભાજપના ઉમેદવાર રાજરાની રાવતને 215704 મતોથી હરાવ્યા છે. તેવી જ રીતે ભાજપના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અયોધ્યાને અડીને આવેલી અમેઠી લોકસભા સીટ પરથી કોંગ્રેસના કિશોરી લાલ શર્મા સામે 1 લાખ 62 હજાર મતોથી હાર્યા હતા. અયોધ્યાને અડીને આવેલી અન્ય એક સુલ્તાનપુર લોકસભા સીટ પર સપાના રામ ભુઆલ નિષાદ બીજેપીના વરિષ્ઠ નેતા મનિકા ગાંધીને હરાવવામાં સફળ રહ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સમાજવાદી પાર્ટી પહેલીવાર બસ્તી સીટ જીતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સપા તેના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર અયોધ્યાને અડીને આવેલી બસ્તી લોકસભા સીટ જીતવામાં સફળ રહી છે. આ બેઠક ભાજપ માટે મજબૂત માનવામાં આવતી હતી, જ્યાંથી હરીશ દ્વિવેદીને સપાના રામ પ્રસાદ ચૌધરીએ હરાવ્યા હતા. આ જ અયોધ્યાને અડીને આવેલી બીજી બેઠક આંબેડકર નગર છે, જેમાં અયોધ્યા જિલ્લાની ગોસાઈગંજ બેઠક પણ સામેલ છે, જ્યાંથી સપાના ધારાસભ્ય અભય સિંહ ભાજપ સાથે ઉભા હતા. આ સિવાય જલાલાબાદના સપા ધારાસભ્ય રાકેશ પાંડેએ પણ બળવો કર્યો હતો. આમ છતાં, સપાના ઉમેદવાર લાલજી વર્મા આંબેડકર નગર બેઠક પરથી ભાજપના રિતેશ પાંડેને હરાવવામાં સફળ રહ્યા હતા. આ તમામ સીટો સિવાય અયોધ્યા જિલ્લા સાથે જોડાયેલી લોકસભા બેઠકોને અડીને આવેલા પૂર્વાંચલના બાકીના વિસ્તારોમાં પણ ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શા માટે આવું થયું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અયોધ્યા જેવા વિસ્તારમાં ભાજપની ભૂંડી હારનું સ્પષ્ટ તારણ કાઢતા રાજકીય નિષ્ણાતો જણાવે છે કે, લોકોએ ધર્મના નામે રાજકારણ કરીને પોતાનું રાજ ચલાવતા જવાની ભાજપની ચાલને સફળત થવા દીધી નથી. અયોધ્યામાં સેંકડો લોકોના ઘરો પર કારણ વિના જ બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું, જેમાં અનેક લોકો બેઘર બની ગયા હતા. અયોધ્યામાં રીતસરના બે ભાગ પડી ગયા હતા. અહીં રામમંદિર આસપાસનો આખો વિસ્તાર બ્રાહ્મણો અને ભાજપના નેતાઓએ કબજે કરી લીધો હતો. જેના કારણે સામાન્ય માણસનું કોઈ ભલું થયું નહોતું. મંદિર આસપાસના તમામ ધંધા રોજગાર પર ભાજપના નેતાઓએ અને તેમના સગાઓએ કબ્જો જમાવી લીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/chandrababu-naidu-picture-abhi-baqi-hai-mere-dost"><span style="font-size: 14pt;">ચંદ્રાબાબુ નાયડુઃ પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત....</span></a><br></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666155f3532a2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સિવાય રામમંદિરમાં જે રીતે વડાપ્રધાન મોદીએ પોતાને રામ કરતા પણ પોતે મોટા હોવાનો જે માહોલ ઉભો કર્યો હતો તે અયોધ્યાવાસીઓને ગમ્યો નથી. ભાજપના નેતાઓ એવો પ્રચાર કરી રહ્યા હતા કે, મોદી રામને અયોધ્યામાં પરત લાવ્યા છે - આ વાત અયોધ્યાના લોકોને બરાબરની ખટકી હતી. આ સિવાય સૌથી મોટો મુદ્દો હિંદુત્વવાદીઓની રંજાડ રહી. ખાસ કરીને લઘુમતી સમાજ પર કથિત હિંદુત્વવાદી તત્વોએ જે અત્યાચારો કરવા માંડ્યા હતા તેના કારણે સરેરાશ સદભાવ ધરાવતો દરેક મતદાર અંદરથી દુખી થયો હતો. નિર્દોષ લોકોને કારણ વિના માર મારવો, તેમના ઘર તોડી પાડવા જેવા મુદ્દાઓનો ઘા મતાદારોએ મતદાન કરીને કાઢ્યો હતો. યુપીમાં યુવાનો ભયંકર બેરોજગારીનો સામનો કરી રહ્યાં છે, સરકારી નોકરી માટે ગમે તેટલી મહેનત કરે તો પણ મળતી નથી. અગ્નિવીર યોજના, પેપરલીક સાથે સતત વધતી જતી મોંઘવારીને કારણે સૌ ભાજપ સરકારથી ત્રસ્ત થઈ ગયા હતા. જેનું સ્પષ્ટ પરિણામ અયોધ્યામાં ભાજપની હારમાં પ્રતિબિંબિત થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/where-did-bjp-miss-400-is-far-from-even-250"><strong>ભાજપ ક્યાં ચૂક્યો? ૪૦૦ તો દૂર 250ના પણ ફાંફા</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 06 Jun 2024 12:04:45 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 06 Jun 2024 12:04:13 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>725</Articleid>
                    <excerpt>અયોધ્યા અને રામમંદિરના નામે ભાજપ સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણી જીતવા માંગતો હતો. પણ અયોધ્યા તો દૂર, તેની આસપાસના 100 કિમી વિસ્તારમાં પણ તે જીતી શક્યો નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6661558054542.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666155801dbf0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666155801dbf0.jpg" length="70113" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતમાં પહેલીવાર અપક્ષ ઉમેદવારની ભવ્ય જીત થઈ</title>
                    <link>https://khabarantar.com/for-the-first-time-in-gujarat-an-independent-candidate-won-a-grand-victory</link>
                    <guid>https://khabarantar.com/for-the-first-time-in-gujarat-an-independent-candidate-won-a-grand-victory</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં પહેલીવાર એક અપક્ષ ઉમેદવારની જીત છે, જ્યાં બે ટર્મના ભાજપના સાંસદને જાકારો આપીને લોકોએ સાવ નવા ઉમેદવારને જીતાડ્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના રાજકારણના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે, અપક્ષ ઉમેદવારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણીની જંગમાં ઘૂળ ચટાડી દીધી હોય. દીવ દમણ લોકસભા બેઠક પર કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ વચ્ચે જંગ હતી. અહીં ત્રણ પાટીદાર ઉમેદવારો મતદારોને રીઝવવા મેદાનમા ઉતર્યા હતા, પરંતુ અહી અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે એકલા હાથે જંગી જીત હાંસિલ કરી છે. અપક્ષ ઉમેદવાર અંદાજિત ૬ હજાર કરતાં વધુ મતથી જીત્યા છે. ઉમેશ પટેલ પાસે કોઈ કાર્યકર્તાઓની ફૌજ ન હતી, તેઓ એકલા હાથે દીકરી સાથે મત માંગવા નીકળ્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉમેશ પટેલ ખરેખર આ સફળતાના હકદાર છે. કારણ કે તેઓ એકલા હાથે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ ખરા. તેમના ચૂંટણી પ્રચારની સ્ટાઈલ લોકોને વધુ સ્પર્શી ગઈ હતી. કારણ કે, લોકો પાસેથી એક-એક રૂપિયો ભેગો કરીને તેઓ ચૂંટણી લડ્યા હતા. ફાળો માંગવા તેમણે પોતાના મત વિસ્તારમાં લોકોના ચરણ સ્પર્શ પણ કર્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંઘ પ્રદેશ દમણ-દીવમાં મોટો અપસેટ સર્જાયો. ત્રણ વખતથી વિજેતા ભાજપના ઉમેદવાર લાલુ પટેલની હાર થઈ છે. તો અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલનો ભવ્ય વિજય થયો છે. અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે. પ્રશાસક પ્રફુલ પટેલથી મતદારો ભારે નારાજ હતા જેની અસર લોકસભાની ચૂંટણીમાં જોવા મળી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘરે ઘરે ફરીને ફાળો અને મત માંગ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંઘપ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારે અનોખી રીતે ચૂંટણી પ્રચાર કર્યો હતો. અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે મતની સાથે લોકો પાસે ચૂંટણી લડવાનો ફાળો પણ માંગ્યો હતો અને લોકો પણ તેમને હોંશે હોંશે ફંડ આપ્યું હતું. ઉમેશ પટેલ એકલા હાથે ચૂંટણી પ્રચાર કર્યો હતો. ઉમેશ પટેલની સાથે તેમના કોઈ કાર્યકર્તાઓની ફોજ ન હતી. તેઓ ચૂંટણી પ્રચાર માટે એકલા વિવિધ વિસ્તારોમાં નીકળ્યા હતા. તેઓ મતદારો પાસે મત માગતા હતા અને સાથે તેમના ચરણ સ્પર્શ પણ કરતા હતા. હાથમાં ફંડ ફાળો એકત્રિત કરવા માટે ગલ્લો લઈને ઉમેશ પટેલ મતદારોને ઘરે ઘરે ફાળો, મત અને આશીર્વાદ માંગતા હતા. તેમની આ પ્રામાણિકતા અને સાદગી સંઘપ્રદેશના લોકોને સ્પર્શી ગઈ હતી અને ભાજપ કોંગ્રેસ જેવા જૂના પક્ષોના રીઢા રાજકારણીઓને બદલે લોકોએ અપક્ષ ઉમેશ પટેલ પર પસંદગી ઉતારી હતી. ઉમેશ પટેલની આ જીતથી સામાન્ય માણસનો પણ ચૂંટણી લડવાનો ઉત્સાહ જળવાઈ રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/many-ministers-of-modi-government-including-smriti-irani-lost"><strong>સ્મૃતિ ઈરાની સહિત મોદી સરકારના અનેક મંત્રીઓ હાર્યા</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 05 Jun 2024 22:36:52 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 05 Jun 2024 22:36:44 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>722</Articleid>
                    <excerpt>ગુજરાતમાં પહેલીવાર એક અપક્ષ ઉમેદવારની જીત છે, જ્યાં બે ટર્મના ભાજપના સાંસદને જાકારો આપીને લોકોએ સાવ નવા ઉમેદવારને જીતાડ્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6660687489437.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666068745bfff.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666068745bfff.jpg" length="51438" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>એક દાયકા પછી ગઠબંધન સરકારનો યુગ પરત ફર્યો</title>
                    <link>https://khabarantar.com/after-a-decade-the-era-of-coalition-government-returned</link>
                    <guid>https://khabarantar.com/after-a-decade-the-era-of-coalition-government-returned</guid>
                    <description>
                        <![CDATA[ મોદી સરકારનો 400 પારનો નારો મતદારોએ ફગાવી દીધો છે. ભાજપ સાથી પક્ષોના સહયોગ વિના સરકાર રચી શકે તેમ નથી. ત્યારે ફરી ગઠબંધન યુગ પરત ફરી રહ્યો છે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભાની ચૂંટણીમાં ફરી એકવાર એકઝિટ પોલ ધ્વસ્ત થઈ ગયા છે. પરિણામો ૨૦૦૪ની જેમ એકઝિટ પોલથી ઉલટા નીકળ્યા છે અને એ સાથે જ એક દાયકા પછી ગઠબંધન સરકારનો યુગ પાછો ફર્યો છે. અબકી બાર 400 પારનો નારો આપનાર ભાજપ ૨૭૨ના આંકડાને સ્પર્શી શક્યું નથી, તે ૨૪0 સુધી સિમિત રહી ગયું. ભાજપે રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક અને હરિયાણા તમામ જગ્યાએ સીટો ગુમાવવી પડી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમિલનાડુ અને પંજાબમાં તો ભાજપ ખાતું પણ નથી ખોલાવી શક્યું. ઓડિશા અને તેલંગાણાએ લાજ બચાવી લીધી. નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ હવે નવી સરકારના કિંગમેકર તરીકે ઉભરી આવ્યા છે. એકંદરે એનડીએ ગઠબંધન સત્તાની નજીક આવી ગયું છે પરંતુ સંપૂર્ણ બહુમતી સરકાર ન હોવાને કારણે ગઠબંધનની રમત ફરી શરૂ થઈ છે. ભાજપને સરકાર બનાવવા માટે ૩૩ બેઠકો ઓછી મળી છે. ગઠબંધન સરકારમાં તેણે એક દેશ, એક ચૂંટણી અને સમાન નાગરિક સંહિતા જેવા મુદ્દાઓ છોડવા પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષોની ઇચ્છા પુરી થઈ. ૧૦ વર્ષ પછી એક પણ પક્ષને સંપૂર્ણ બહુમતી મળી નથી. હવે કેન્દ્રમાં ગઠબંધન સરકાર બનશે, જેમાં તેમને સોદા કરવાની તક મળશે. નરેન્દ્ર મોદીની છેલ્લી બે સરકારોમાં, પ્રાદેશિક પક્ષો સરકારનો ભાગ હતા, પરંતુ તેમને એવા મંત્રાલયો આપવામાં આવ્યા હતા જે ભાજપ ઇચ્છતો હતો. ભાજપને ૨૪૦ બેઠકો મળી છે જે બહુમતીના ૨૭૨ના આંક કરતાં ઘણી ઓછી છે. ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતાઓની મનમાની જનતા સહન કરી શકી ન હતી, જેના કારણે ભાજપ સંપૂર્ણ બહુમતીથી ૩૨ ડગલાં દૂર રહી. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66606219b8649.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ હાર માટે ઘણાં કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ ભાજપના મફત રાશન અને ભાષણ પર ભારે પડ્યા. ટિકિટ કાપવાની ફોર્મ્યુલા અને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને તાત્કાલિક ટિકિટ આપવાનો નિર્ણય પણ ભાજપને નડ્યો. આ સિવાય 'અબ કી બાર, ૪૦૦ પાર"ના નારાએ મધ્યમ વર્ગને બૂથથી દૂર કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોટાભાગની સીટો પર ભાજપના મુખ્ય મતદારોને પણ નરેન્દ્ર મોદી મોટી જીત માટે પૂરતા છે તેવો વિશ્વાસ હતો. પાંચ તબક્કાની ચૂંટણી પછી ઘણા વિસ્તારોમાં સાંસદ સામે લોકોનો ગુસ્સો પણ સામે આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતની ૫૪૩ બેઠક વાળી લોકસભામાં બહુમતી મેળવવા માટે ૨૭૨ના આંકડાને પાર કરવો જરૂરી છે. જો કે, અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી સહિત કોઈપણ પક્ષ આનાથી ઘણો પાછળ જોવા મળી રહ્યો છે. જો કે ભાજપના નેતૃત્વમાં એનડીએ આ આંકડો પાર કરી ગયો છે. એવા ઘણા રાજ્યો છે જ્યાં એનડીએ ક્લીન સ્વીપ કરીને વિપક્ષ સામે એકતરફી જીત હાંસલ કરવાની તૈયારી કરી રહ્યું છે. લોકસભાની સાથે ઓડિશા વિધાનસભાની ૧૪૭ બેઠકો માટે પણ મતગણતરી થઈ હતી અને પહેલીવાર ત્યાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. આ બધી બાબતો વચ્ચે એટલું નક્કી છે કે, નરેન્દ્ર મોદી કદાચ વડાપ્રધાન બની પણ જશે તો પાંચ વર્ષ સુધી તેમણે સાથી પક્ષોના ઓશિયાળા રહેવું પડશે. વડાપ્રધાન કોઈના દબાણ હેઠળ કામ કરવા ટેવાયેલા નથી. ત્યારે તેમણે નીતિશકુમાર, ચંદ્રાબાબુ નાયડુ અને ચિરાગ પાસવાન જેવા સાથીઓ પર નિર્ભર રહેવું પડશે. તેમની ઈચ્છા-અનિચ્છાને માન આપવું પડશે. જો કે ઈતિહાસ ગવાહ છે કે ભારત જેવા લોકશાહી દેશમાં ગઠબંધન જેવી કાંખઘોડી સરકારોએ જ સારું કામ કર્યું છે. એ જોતા, ગઠબંધન સરકાર ફરી સત્તામાં આવશે ત્યારે તેઓ બેફામ રીતે વર્તી નહીં શકે અને ફરી જોડાણ સરકારનો યુગ પરત ફરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો</strong></span>: <a href="https://khabarantar.com/what-are-the-top-five-factors-that-benefit-the-india-alliance"><strong>ઈન્ડિયા ગઠબંધનને ફાયદો કરાવનારા મુખ્ય પાંચ કારણ ક્યા છે?</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 05 Jun 2024 19:04:45 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 05 Jun 2024 19:05:20 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>720</Articleid>
                    <excerpt>મોદી સરકારનો 400 પારનો નારો મતદારોએ ફગાવી દીધો છે. ભાજપ સાથી પક્ષોના સહયોગ વિના સરકાર રચી શકે તેમ નથી. ત્યારે ફરી ગઠબંધન યુગ પરત ફરી રહ્યો છે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6660620432820.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6660620403dc6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6660620403dc6.jpg" length="82031" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>પરિણામો બાદ સેન્સેક્સ ૪,૩૯૦ પોઈન્ટ ઘટી ૨૨,૦૦૦ પર બંધ થયો</title>
                    <link>https://khabarantar.com/after-the-results-the-sensex-closed-down-4390-points-at-22000</link>
                    <guid>https://khabarantar.com/after-the-results-the-sensex-closed-down-4390-points-at-22000</guid>
                    <description>
                        <![CDATA[ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ગઈકાલે શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. જેમાં રોકાણકારોને કરોડોનું નુકસાન થયું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે દેશના શેરબજારમાં ભારે સુનામીએ હાહાકાર મચાવ્યો છે. એક દિવસ અગાઉ, એક્ઝિટ પોલમાં એનડીએની સ્પષ્ટ જીતના સંકેત બાદ બજારે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે (૦૪ જૂન ૨૦૨૪, મંગળવાર), મત ગણતરીના વલણોને કારણે બજાર ખરાબ રીતે તૂટ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શેરો વાળા સેન્સેક્સ ૪૩૮૯.૭૩ પોઈન્ટ અથવા ૫.૭૪ ટકાના ઘટાડા સાથે ૭૨,૦૭૯.૦૫ ના સ્તર પર બંધ થયા હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શેર પર આધારિત સંવેદનશીલ સૂચકાંક નિફ્ટી ૧,૩૭૯.૪૦ પોઈન્ટ અથવા ૫.૯૩ ટકાના ઘટાડા સાથે ૨૧,૮૮૪.૫૦ ના સ્તરે બંધ થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિવસની શરૂઆતમાં, સેન્સેક્સ ૬૦૦૦ પોઈન્ટથી વધુ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૯૦૦ પોઈન્ટથી વધુ લપસી ગયો હતો. બજારની શરૂઆત મોટા ઘટાડા સાથે થઈ હતી. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ ૧,૫૪૪.૧૪ પોઈન્ટ અથવા ૨.૦૨ ટકાના ઘટાડા સાથે ૭૪,૯૨૪.૬૪ ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી ૪૯૧.૧૦ પોઈન્ટ એટલે કે ૨.૧૧ ટકાના ઘટાડા સાથે ૨૨,૭૭૨.૮૦ ના સ્તર પર ખુલ્યો હતો. આ ઘટાડો કોરોના બાદ પહેલો મોટો ઘટાડો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666054eada7eb.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય રૂપિયો મંગળવારે ૧૦ પૈસા ઘટીને ૮૩.૨૪ પ્રતિ ડૉલર પર ખુલ્યો હતો. જ્યારે ગઈકાલે સોમવારે સવારે રૂપિયો પ્રતિ ડૉલર ૮૨.૯૯ પર ખૂલ્યો હતો અને સાંજે ૩૨ પૈસા વધીને ૮૩.૧૪ પ્રતિ ડૉલર પર બંધ થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રી-ઓપનિંગ સેશનની વાત કરીએ તો બેન્ચમાર્ક સૂચકાંકોમાં મજબૂતીથી ટ્રેડિંગ જોવા મળ્યું હતું. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ ૬૬૧.૫૯ પોઈન્ટ્‌સ અથવા ૦.૮૭ ટકાના વધારા સાથે ૭૭,૧૩૦.૩૭ પર અને નિફ્ટી ૨૧૪.૬૦ પોઈન્ટ્‌સ અથવા ૦.૯૨ ટકાના વધારા સાથે ૨૩,૪૭૮.૫૦ પર ટ્રેડ કરી રહ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લા ટ્રેડિંગ દિવસે (૦૩ જૂન ૨૦૨૪, સોમવાર) બજાર મજબૂત ગતિ સાથે ખુલ્યું હતું. આ સમયગાળા દરમિયાન, મુખ્ય સૂચકાંક બીએસઈ સેન્સેક્સ ૨,૦૮૨.૧૭ પોઈન્ટ એટલે કે ૨.૮૨ ટકાના વધારા સાથે ૭૬,૦૪૩.૪૮ ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી ૬૨૮.૬૦ પોઈન્ટ એટલે કે ૨.૭૯ ટકાના વધારા સાથે ૨૩,૧૫૯.૩૦ પર ખુલ્યો હતો. જ્યારે સાંજે પણ બજારમાં રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ ૨૫૦૭.૪૭ પોઈન્ટ એટલે કે ૩.૩૯ ટકા વધીને ૭૬,૪૬૮.૭૮ ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૭૩૩.૨૦ પોઈન્ટ એટલે કે ૩.૨૫ ટકા વધીને ૨૩,૨૬૩.૯૦ની સપાટીએ બંધ રહ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/lok-sabha-election-results-dealt-a-big-blow-to-adani-Group"><strong>લોકસભા ચૂંટણીના પરિણામોથી અદાણી ગ્રુપને મોટો ફટકો</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 05 Jun 2024 17:40:25 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>718</Articleid>
                    <excerpt>લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ગઈકાલે શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. જેમાં રોકાણકારોને કરોડોનું નુકસાન થયું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666054d31e8ee.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666054d2e3c7e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666054d2e3c7e.jpg" length="58415" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ચંદ્રાબાબુ નાયડુઃ પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત....</title>
                    <link>https://khabarantar.com/chandrababu-naidu-picture-abhi-baqi-hai-mere-dost</link>
                    <guid>https://khabarantar.com/chandrababu-naidu-picture-abhi-baqi-hai-mere-dost</guid>
                    <description>
                        <![CDATA[ એક સમયે જેમની રાજકીય કરિયર પતી ગઈ હોવાનું કહેવાતું હતું તે ચંદ્રાબાબુ અચાનક કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચંદ્રબાબુ નાયડુની ટીડીપીએ આંધ્રપ્રદેશમાં જબરજસ્ત કમબેક કરીને સૌ કોઈને ચોંકાવી દીધાં છે. એક બાજુ તેણે જગનમોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસના સૂપડા સાફ કરીને વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત મેળવી છે, તો બીજી તરફ રાષ્ટ્રીય સ્તરે પણ તેઓ મોદી સરકાર બનશે કે નહીં તે મામલામાં કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે. એક સમયે જેમની રાજકીય કરિયર સાવ પતી ગઈ હોવાનું કહેવાતું હતું તે ચંદ્રાબાબુની આ કહાની ભારતીય રાજકારણની અસલી તાસીરને રજૂ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોતાના જુનિયર જગન મોહન રેડ્ડી પાસેથી નિરાશાજનક હાર સહન કર્યાના પાંચ વર્ષ પછી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના પ્રમુખ એન. ચંદ્રાબાબુ નાયડુ આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીને જંગી જીત તરફ લઈ ગયા છે. રાજ્યમાં ભાજપ અને જનસેના પાર્ટી પણ તેમની સાથે ગઠબંધનમાં છે. તાજેતરના મત ગણતરીના ડેટા અનુસાર ટીડીપી ૧૭૫ સભ્યોની વિધાનસભામાં બે બેઠકો જીતી છે અને ૧૩૦ બેઠકો પર આગળ છે, જ્યારે તેના સહયોગી ભાજપ સાત બેઠકો પર અને જનસેના પાર્ટી ૨૦ બેઠકો પર આગળ છે. આઉટગોઈંગ એસેમ્બલીમાં ટીડીપીના ૨૩ સભ્યો છે. તે જ સમયે, લોકસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં, ચંદ્રબાબુ નાયડુની ટીડીપી ૨૫માંથી ૧૬ બેઠકો પર આગળ છે. તેથી તેઓ કેન્દ્રમાં મોદી સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">13 વર્ષ સુધી સીએમ તરીકેનો અનુભવ કામ લાગ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નાયડુની રાજ્ય સીઆઇડી દ્વારા કૌશલ્ય વિકાસ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેણે ફરી પોતાની જાતને રાજકીય રીતે સાબિત કરી છે. ટીડીપીએ લોકસભા ચૂંટણીમાં સારૂ પ્રદર્શન કર્યું છે અને પાર્ટી કુલ ૨૫માંથી ૧૬ સીટો પર આગળ છે, જ્યારે તેના સહયોગી ભાજપ અને જનસેના પાર્ટી અનુક્રમે ૩ અને બે સીટો પર આગળ છે. અલગ-અલગ સમયે ૧૩ વર્ષ સુધી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રહીને ઘણા રેકોર્ડ બનાવનારા નાયડુને તેમના રાજ્યને આઈટી ક્ષેત્રમાં અગ્રણી સ્થાન પર લઈ જવાનો શ્રેય આપવામાં આવે છે અને તેઓ માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ એક કુશળ વ્યૂહરચનાકાર પણ છે. 13 વર્ષ સુધી સીએમ રહેનાર ચંદ્રાબાબુને આખરે તેમનો એ અનુભવ કામે લાગ્યો છે અને ફરી તેઓ આંધ્રપ્રદેશ અને કેન્દ્રના રાજકારણના સેન્ટરમાં આવી ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપ સામે પડીને મુસ્લિમ અનામતની તરફેણ ફળી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નાયડુએ માર્ચ ૨૦૧૮માં આંધ્ર પ્રદેશના વિશેષ દરજ્જાને લઈને એનડીએ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા, પરંતુ ૨૦૧૯ની વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં કારમી હાર તેમને રાજકીય પૃષ્ઠભૂમિ તરફ ધકેલી દીધી હતી. બરાબર છ વર્ષ પછી, માર્ચ ૨૦૨૪માં નાયડુ એનડીએમાં પાછા ફર્યા અને ભાજપ અને જનસેના સાથે ગઠબંધન કરીને આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી લડ્યા. ગઠબંધન હેઠળ રાજ્યની કુલ ૧૭૫ વિધાનસભા બેઠકોમાંથી, ટીડીપી ૧૪૪ બેઠકો પર, જનસેનાએ ૨૧ અને ભાજપે ૧૦ બેઠકો પર ચૂંટણી લડી હતી. રાજ્યમાં ભાજપ સાથે ગઠબંધનમાં હોવા છતાં નાયડુએ મુસ્લિમ આરક્ષણના મુદ્દે અલગ વલણ અપનાવ્યું અને મુસ્લિમ આરક્ષણની હિમાયત કરી. તેમણે ખુલ્લેઆમ કહ્યું, "અમે શરૂઆતથી જ મુસ્લિમો માટે ચાર ટકા આરક્ષણને સમર્થન આપીએ છીએ અને આ ચાલુ રહેશે." સામે ભાજપ અને વડાપ્રધાન મોદી ખુદ ગાઈ વગાડીને દેશભરમાં મુસ્લિમોને અનામત આપવાના મુદ્દાને ચગાવીને હિંદુ મતોનું ધ્રુવીકરણ કરાવી રહ્યા હતા. જો કે, ટીડીપીએ પોતાના મેનિફેસ્ટોમાં આ મુદ્દાથી પોતાને દૂર રાખ્યો છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિદ્યાર્થી નેતામાંથી સીએમ સુધી પહોંચ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નાયડુ માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય રાજકારણમાં પણ નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે. તેમણે ૧૯૯૬ અને ૧૯૯૮ની લોકસભા ચૂંટણી દરમિયાન સંયુક્ત મોરચાનું નેતૃત્વ કર્યું હતું. ૧૯૯૮માં અટલ બિહારી વાજપેયી સરકારને સમર્થન આપતા પહેલા તેઓ સંયુક્ત મોરચાના કન્વીનર હતા. નાયડુ એનડીએના કન્વીનર પણ હતા. એન. ચંદ્રાબાબુ નાયડુનો જન્મ ૨૦ એપ્રિલ ૧૯૫૦ના રોજ આંધ્ર પ્રદેશના નાનકડા ગામ નરવરીપલ્લેમાં થયો હતો. તેમના પિતા એન ખરાજુરા નાયડુ એક ખેડૂત હતા અને તેમની માતા અમ્માનમ્મા ગૃહિણી હતી. નાયડુએ તેમનું પ્રાથમિક શિક્ષણ શેષાપુરમની એક શાળામાંથી અને ૧૦મું ચંદ્રગિરીની સરકારી શાળામાંથી કર્યું હતું. આ પછી, તેમણે ૧૯૭૨માં તિરુપતિની શ્રી વેંકટેશ્વરા આર્ટસ કોલેજમાંથી સ્નાતક થયા અને વેંકટેશ્વર યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર્સ કર્યું. તેમણે અર્થશાસ્ત્રમાં પીએચડી પણ કર્યું છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666050700acb1.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નાયડુની રાજકીય સફર ૧૯૭૦ ના દાયકામાં શરૂ થઈ હતી અને તેમના અનુસ્નાતક અભ્યાસ દરમિયાન, તેઓ શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘના નેતા તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ તેઓ યુથ કોંગ્રેસમાં જોડાયા અને પછી આંધ્ર પ્રદેશની પ્રાદેશિક પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)માં ગયા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ડબલ સફળતાથી સૌને ચોંકાવ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે ફરી આંધ્ર પ્રદેશમાં ટીડીપીએ આશ્ચર્યજનક બેવડા પ્રદર્શનથી સૌને ચોંકાવી દીધા છે. એકબાજુ તેણે રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત સાથે પુનરાગમન કર્યું છે, તો બીજી તરફ લોકસભામાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. લોકસભા ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો ટીડીપી ૧૬ સીટો પર આગળ છે અને આ 16 સીટો ભાજપ માટે કેટલી મહત્વની છે તે સૌ જાણે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચંદ્રબાબુ નાયડુ ૯ જૂને આંધ્રપ્રદેશના સીએમ તરીકે શપથ લઈ શકે છે. જગન મોહન રેડ્ડી સામે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં નિરાશાજનક રીતે હારી ગયેલા નાયડુ ફરી એકવાર કિંગ મેકર તરીકે ઉભરી આવ્યા છે. દલિત-બહુજન સમાજે કથિત સવર્ણ નાયડુની આ કહાનીમાંથી ઘણું બધું ગ્રહણ કરવા જેવું છે. કપરી પરિસ્થિતિમાં હાર ન માનવી, લક્ષ્ય તરફ એકાગ્રતાથી મંડ્યા રહીશું તો ચોક્કસ તેને પામીશું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/in-banaskantha-thakor-samajs-ganiben-made-a-dent-in-bjps-stronghold"><strong>બનાસકાંઠામાં ઠાકોર સમાજના ગેનીબેને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 05 Jun 2024 17:22:26 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>717</Articleid>
                    <excerpt>એક સમયે જેમની રાજકીય કરિયર પતી ગઈ હોવાનું કહેવાતું હતું તે ચંદ્રાબાબુ અચાનક કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6660504370c63.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6660504340196.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6660504340196.jpg" length="82819" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઈન્ડિયા ગઠબંધનને ફાયદો કરાવનારા મુખ્ય પાંચ કારણ ક્યા છે?</title>
                    <link>https://khabarantar.com/what-are-the-top-five-factors-that-benefit-the-india-alliance</link>
                    <guid>https://khabarantar.com/what-are-the-top-five-factors-that-benefit-the-india-alliance</guid>
                    <description>
                        <![CDATA[ લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનએ જોરદાર કમબેક કર્યું છે, એ ક્યાં મુખ્ય કારણો છે જેના કારણે તેને આ સફળતા મળી તેની ચર્ચા કરીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો એનડીએ અને ખાસ કરીને ભાજપ માટે ચોંકાવનારા રહ્યા છે. કારણ કે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા તરફથી તેને જોરદાર ફાઈટ મળી છે. ભાજપનો અબ કી બાર ૪૦૦ પારનો નારો નિષ્ફળ સાબિત થયો છે. ૪૦૦ તો દૂર, ૩૦૦ સીટના પણ ફાંફા પડી ગયા છે. એવું લાગે છે કે મોદી સરકાર પ્રત્યે લોકોમાં જે અસંતોષ હતો તેને વિપક્ષી ગઠબંધન મતોમાં ફેરવવામાં સફળ રહ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૧૯ની ચૂંટણી કરતા આ વખતે સ્થિતિ અલગ જોવા મળી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ સત્તા વિરોધી લહેરને મહદઅંશે કેશ કરવામાં વિરોધીઓ સફળ જોવા મળ્યાં છે. એવું પણ લાગી રહ્યું છે કે રામ મંદિર ઉદ્ધાટન સમારોહ અંગે વિપક્ષી નેતાઓનું સ્ટેન્ડ રાજકીય રીતે યોગ્ય પણ હતું. જો વિપક્ષ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરખામણીમાં જો પીએમ પદ માટે કોઈ ચહેરો રજૂ કરાયો હોત તો પરિણામો ઘણાં અલગ હોઈ શકત. પણ હવે જ્યારે પરિણામો આપણી સામે છે ત્યારે એ પાંચ મુખ્ય કારણોની ચર્ચા કરીએ, જેણે ઈન્ડિયા ગઠબંધનને સફળતા અપાવી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૧. ચૂંટણી કેમ્પેઈનમાં વિપક્ષનું નેરેટિવ ચાલી ગયું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણી કેમ્પેઈન દરમિયાન બંને તરફથી અલગ અલગ નેરેટિવ સેટ કરવાની કોશિશ થઈ પરંતુ એવું લાગે છે કે વિપક્ષ અનામત ખતમ કરવાના અને બંધારણને બદલવાના મુદ્દાઓને ઉછાળવામાં મહદઅંશે સફળ રહ્યો અને તમામ તરીકાઓ અજમાવવા છતાં ભાજપ ક્યાંક ચૂકી ગયો. પીએમ મોદીએ વિપક્ષના નેરેટિવને પોતાની સ્ટાઈલમાં ન્યુટ્રલાઈઝ કરવાની કોશિશ કરી પરંતુ એવું લાગે છે કે લોકોને વધુ બાળકો પેદા કરનારા, ઘૂસણખોરો, મંગળસૂત્ર જેવા પોલિટિકલ કીવર્ડ પસંદ પડ્યા નહીં.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_665ffc80dd665.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એમાં પણ સંઘમાંથી ભાજપમાં આવેલા નેતાઓએ 400થી વધુ સીટો દેશનું બંધારણ બદલવા માટે જોઈએ છે તેમ કહ્યું એ સાથે જ દેશનો દલિત, આદિવાસી, ઓબીસી વર્ગ સચેત થઈ ગયો અને તે ઈન્ડિયા ગઠબંધન સાથે જોડાયો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૨ પ્રાદેશિક પક્ષોના દબદબાની અસર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણી પહેલા એક સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે ભાજપને પ્રાદેશિક પક્ષો તરફથી આકરો પડકાર મળી શકે છે. ત્યારે દેશભરમાં એવી ૨૦૦થી વધુ સીટો જણાવવામાં આવી હતી. પરિણામોમાં પણ એવા સંકેત મળી રહ્યા છે. પ્રાદેશિક પક્ષોમાં પણ સૌથી વધુ અસર યુપીમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી, તમિલનાડુમાં ડીએમકે અને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસમાં નજરે ચડે છે. હા બિહારમાં તેજસ્વી યાદવની આરજેડી એવું પ્રદર્શન કરી શકી નથી. પરંતુ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના મજબૂત જોવા મળી રહી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૩ મુસ્લિમ મતદારો ઈન્ડિયા ગઠબંધન સાથે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક્ઝિટ પોલના પરિણામો ભલે હાલના ટ્રેન્ડ સાથે મેળ ન ખાતા હોય પરંતુ મુસ્લિમ મતદારો અંગે સર્વે સાચો લાગી રહ્યો છે. એવું સ્પષ્ટ લાગે છે કે ઈન્ડિયા બ્લોકને સૌથી વધુ મતો મુસ્લિમ સમુદાયથી મળ્યા છે. ભાજપ દ્વારા જે રીતે છેલ્લાં એક દાયકામાં તેમને કારણ વિના સતાવવામાં આવ્યા તેના કારણે તેઓ ત્રસ્ત થઈ ગયા હતા. જેનો ફાયદો ઈન્ડિયા ગઠબંધનને મળ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૪. યુવાનો પરિવર્તન અને જલદી પરિણામ ઈચ્છતા હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક્ઝિટ પોલમાં યુવાઓનો પણ ખાસ ઉલ્લેખ કરાયો હતો. એવું જાણવા મળ્યું હતું કે ભાજપના મોટાભાગના મતદારો ૩૫ વર્ષથી વધુ ઉંમરવાળા છે પરંતુ યુવાઓના બે વર્ગ ૧૮-૨૫ અને ૨૫થી ૩૫ની ઉંમરના મતદારો ફેરફાર અને જલદી પરિણામ ઈચ્છે છે અને તેમના મત ઈન્ડિયા બ્લોકને ગયા હોય તેવા સંકેત છે. વડાપ્રધાન દરેક ચૂંટણીમાં મોંઘું શિક્ષણ, બેરોજગારી, બેકારી જેવા મુદ્દાઓને સાઈડલાઈન કરીને રામમંદિર, પાકિસ્તાન, ધર્મ જેવા ભાવનાત્મક મુદ્દાઓ પર રમતા હતા. 10 વર્ષથી વડાપ્રધાનની એકની એક રેકર્ડ સાંભળીને યુવાનો કંટાળી ચૂક્યા હતા. તેમને પરિવર્તન જોઈતું હતું અને તેમાં ઈન્ડિયા ગઠબંધનનો ચૂંટણી ઢંઢેરો બરાબર ફીટ બેસતો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૫. કોંગ્રેસના પ્રદર્શનમાં સુધારનો પણ પ્રભાવ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એવું લાગે છે કે આ વખતે કોંગ્રેસની ન્યાયની સ્કીમ ચાલી ગઈ. ન્યાય યોજના તો રાહુલ ગાંધી ૨૦૧૯માં પણ લાવ્યા હતા, પરંતુ સમજાવી શક્યા ન હતા. આ વખતે તેમાં કંઈક એડ ઓન ફીચર જોડવામાં આવ્યા, અને તે લાગે છે કે કામ કરી ગયા છે. રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ તરફથી ૫ ન્યાય ૨૫ ગેરંટીનું વચન આપ્યું હતું. અને ત્યારથી સમગ્ર ચૂંટણી કેમ્પેઈનમાં કોંગ્રેસ નેતાઓએ આ મુદ્દા પર ભાર મૂક્યો. જેમાં યુવા ન્યાય હેઠળ પહેલી નોકરી પાક્કી અને મહિલા ન્યાય હેઠળ મહિલાઓના ખાતામાં એક લાખ રૂપિયાનું વચન પણ અસરદાર સાબિત થયું હોય તેવું લાગે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/considerations-when-voting"><strong>વોટ આપતી વેળાનું ચિંતન</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 05 Jun 2024 11:22:21 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 05 Jun 2024 13:28:05 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>715</Articleid>
                    <excerpt>લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનએ જોરદાર કમબેક કર્યું છે, એ ક્યાં મુખ્ય કારણો છે જેના કારણે તેને આ સફળતા મળી તેની ચર્ચા કરીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_665ffc565f8e7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_665ffc562ad09.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_665ffc562ad09.jpg" length="82598" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપ ક્યાં ચૂક્યો? ૪૦૦ તો દૂર 250ના પણ ફાંફા</title>
                    <link>https://khabarantar.com/where-did-bjp-miss-400-is-far-from-even-250</link>
                    <guid>https://khabarantar.com/where-did-bjp-miss-400-is-far-from-even-250</guid>
                    <description>
                        <![CDATA[ ૪૦૦ પારના નારા સાથે ચૂંટણી પ્રચારમાં ઉતરેલી ભાજપને ૩૦૦ તો દૂર ખુદના દમ પર બહુમતી પણ મેળવી શકી નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે અને તે ભાજપ માટે ખૂબ ચોંકાવનારા છે. ૪૦૦ પારના નારા સાથે ચૂંટણી પ્રચારમાં ઉતરેલી ભાજપને ૩૦૦ તો દૂર ખુદના દમ પર બહુમતી પણ મેળવી શકી નથી. બહુમતીના 272ના આંક સુધી પહોંચવા માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આ દરમિયાન રાજકીય નિષ્ણાતો હવે ભાજપથી ક્યાં ચૂકી ગઈ તેના કારણો શોધવામાં પડ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણી ૨૦૨૪નો પ્રચાર જ્યારે શરૂ થયો ત્યારે એક તરફ મોદીની તોફાની લહેર પર સવાર ભાજપે પોતાના કામ અને વિકાસના મુદ્દા પર ધુંઆધાર રેલીઓ શરૂ કરી હતી. તો બીજી તરફ કોંગ્રેસનો પ્રચાર બેકગ્રાઉન્ડમાં શરૂ થઈ ઇન્ડીયા ગઠબંધન આકાર લેતાં પહેલાં જ હિલોળા ખાઈ રહ્યો હતો. નીતિશકુમાર જઈ ચૂક્યા હતા અને મમતા બેનરજી આંખો બતાવી રહ્યા હતા. પરંતુ ફરી ગેમ બદલાઈ ગઈ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણીના છેલ્લા બે તબક્કા નજીક આવતાં જ રાજકીય પંડિતોએ સ્વીકારવું પડ્યું કે ભાજપને વિપક્ષની પીચ પર રમવાનું છે અને પીએમ મોદી સહિતના તમામ મોટા નેતાઓએ હિન્દુ-મુસ્લિમ મુદ્દાઓ પર કોંગ્રેસની ટીકા કરવાનું શરૂ કર્યું. ઈન્ડિયા એલાયન્સના નેતાઓ પણ 'ચાર સો પાર'ના નારાની મજાક ઉડાવતા જોવા મળ્યા હતા. દરમિયાન અસલી ખેલ પ્રજાએ રમ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણી પ્રચાર દરમિયાન જ એવું બન્યું કે એનડીએના નેતાઓએ વિકાસના મુદ્દાને બાજુ પર રાખીને હિન્દુ-મુસ્લિમ, મુસ્લિમ આરક્ષણ અને કોંગ્રેસની ટીકાને વેગ આપવો પડ્યો. બીજી તરફ ઈન્ડિયા જોડાણે જનતાને સ્પર્શતા મુદ્દાઓ ખાસ કરીને મોંઘવારી, બેરોજગારી અને બેકારી, શિક્ષણની સમસ્યાઓની વાત કરી, તેના નિવારણની શક્યતાઓ સમજાવી. ખેડૂત આંદોલન અને અનામતને પણ સ્થાન આપ્યું. પણ સૌથી મોટી અસર ભાજપના નેતાઓની બંધારણ બદલી નાખવાની વાતે કરી. આ મુદ્દે સમગ્ર વિપક્ષે ભાજપને બરાબરનો ઘેર્યો. ભાજપને 400થી વધુ સીટો બાબાસાહેબે ઘડેલા બંધારણને બદલવા માટે જોઈએ છે, તે વાત દેશના દલિત-બહુજન સમાજના મનમાં ઘર કરી ગઈ અને તેણે અનેક મર્યાદાઓ છતાં વિપક્ષ સાથે જવાનું નક્કી કર્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ તો પીએમ મોદીએ ફક્ત મુસ્લિમ અનામતનો વિરોધ કર્યો પરંતુ યૂપી બિહારની ઘણી જગ્યાઓ પર જોવા મળ્યું કે ઘણા સ્થાનિક નેતાઓએ અનામત પર જ પ્રહાર કર્યો જેથી ઘણી જગ્યાઓ પર આ મામલો ગરમાઈ ગયો. એ ત્યાં સુધી કે ગૃહ મંત્રી અમિત શાહે એક ટીવી ઇન્ટરવ્યુંમાં નિવેદન આપવું પડ્યું કે જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી અનામતને ખતમ કરવામાં નહી આવે અને ન અમે એવું થવા દઇશું. જો કે, તેમના આ દાવામાં લોકોને વિશ્વાસ બેઠો નહોતો. કેમ કે, ભાજપની છાપ પહેલેથી જ સંઘની જેમ અનામતવિરોધી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેટલાક રાજકીય એક્સપર્ટનું એ પણ માનવું છે કે ખેડૂત આંદોલન, અનામત અને બંધારણ બદલી નાખવાનો મેસેજ છેવાડાના માણસ સુધી પહોંચ્યો હતો. લોકોના મનમાં એ ફડક પેસી ગઈ હતી કે ભાજપ હવે ફરી સત્તામાં આવશે તો બંધારણ બદલી નાખશે અને ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરી દેશે. પીએમ મોદીની ગાંધી ફિલ્મ પરની ટિપ્પણી પણ ખૂબ ચર્ચામાં રહી છે. તેને લઇને પણ વિપક્ષ હમલાવર થઈ ગયો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને તેમાં ભાજપની બોલતી બંધ કરી દીધી છે. એક તબક્કે બંધારણ બદલવાની વાત કરનારા શાંત થઈ ગયા છે. મતદારો મૌન રહીને પોતાનું કામ કરી ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીએમ મોદીના ધ્યાન અને યોગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે કોંગ્રેસે આક્ષેપો પણ કર્યા હતા. અહીં એક વાત એ હતી કે ઘણા રાજ્યોમાં ઓછું મતદાન અને સમગ્ર પ્રચાર દરમિયાન મતદારોનું મૌન રાજકીય નિષ્ણાતોને પરેશાન કરી રહ્યું હતું. એવામાં ભાજપનો ૪૦૦ બેઠકોનો દાવો પણ ઘણા નિષ્ણાતોને હેરાન કરી નાખે એવો હતો. એનડીએ માટે ૪૦૦નો આંકડો પાર કરવો મુશ્કેલ બનશે તે શરૂઆતના પરિણામો પહેલા જ નક્કી જણાયું હતું. જો કે ૩૦૦ માટે પણ ભાજપને સંઘર્ષ કરવો પડશે એવી અપેક્ષા તો તેના વિરોધીએ પણ નહીં રાખી હોય. બીજી તરફ પરિણામોથી ખુશ કોંગ્રેસ માટે તે સંજીવનીથી જરાય ઉતરતું નથી. તેઓ ભલે સરકાર ન બનાવી શકે પરંતુ રાહુલ ગાંધીએ તેમની સ્વીકૃતિ ચોક્કસપણે સાબિત કરી દીધી છે. હવે અંતિમ ચિત્ર શું બહાર આવે છે તે જોવું રહ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong> </span><a href="https://khabarantar.com/the-slogan-of-abki-bar-charso-par-and-dr-ambedkars-warning"><strong>'અબકી બાર ચારસો પાર' નો નારો અને ડૉ.આંબેડકરની ચેતવણી</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 05 Jun 2024 10:47:25 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 05 Jun 2024 13:28:19 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>714</Articleid>
                    <excerpt>૪૦૦ પારના નારા સાથે ચૂંટણી પ્રચારમાં ઉતરેલી ભાજપને ૩૦૦ તો દૂર ખુદના દમ પર બહુમતી પણ મેળવી શકી નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_665ff44ae5866.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_665ff44ab66a5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_665ff44ab66a5.jpg" length="58686" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>NOTA ને ઈન્દોરમાં બે લાખથી વધુ મત મળ્યાં</title>
                    <link>https://khabarantar.com/nota-got-more-than-two-lakh-votes-in-Indore</link>
                    <guid>https://khabarantar.com/nota-got-more-than-two-lakh-votes-in-Indore</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપે છેલ્લી ઘડીએ ઈન્દોરમાં પણ સુરત જેવો કાંડ કરીને ઈન્દોરની પ્રજાનો મત આપવાનો હક છીનવવા પ્રયાસ કર્યો હતો. જેનો આક્રોશ અહીં નોટા સ્વરૂપે દેખાયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નોટાએ ઈન્દોરમાં લોકસભા ચૂંટણીની મતગણતરીના દિવસે રેકોર્ડ બનાવ્યો છે અને તેની સાથે જ ઈન્દોર લોકસભા સીટ પર દેશમાં સૌથી મોટા માર્જિનથી જીતનો રેકોર્ડ પણ બન્યો છે. નોટા માટે ઈન્દોરમાં સૌથી મોટી જીત હાંસલ કરવાનો અને દેશમાં સૌથી વધુ મત મેળવવાનો નવો રેકોર્ડ સર્જાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણી પંચના ડેટા અનુસાર લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે મતોની ગણતરી ચાલી રહી છે. તેમજ મતદારો પાસે તમામ ઉમેદવારો પ્રત્યે નારાજગી વ્યક્ત કરવાનો વિકલ્પ નોટા એટલે None of the above ને ઈન્દોરમાં ૨ લાખથી વધુ મત મળ્યા છે. ચૂંટણી પંચે કહ્યું કે નોટાને લગભગ ૧.૬૨ ટકા વોટ મળ્યા છે. તે જ સમયે, ભાજપને લગભગ ૬૦ ટકા વોટ મળ્યા હતા. તમને જણાવી દઈએ કે નોટાનો આ પહેલો નોંધપાત્ર મામલો નથી. ૨૦૧૯માં, ઈન્દોરમાં ૬૯.૩૧ ટકા મતદાન થયું હતું. જેમાં ૫,૦૪૫ મતદારોએ નોટાને પસંદ કર્યું હતું. હવે તમે વિચારતા હશો કે આ કેવી રીતે થયું? નોટાને આટલી મોટી સંખ્યામાં વોટ કેવી રીતે મળ્યા? </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>કોંગ્રેસે અભિયાન છેડ્યું, લોકોએ અપનાવી લીધું</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હકીકતમાં, એક અભૂતપૂર્વ પગલું લેતા કોંગ્રેસે મતદારોને નોટાનો વિકલ્પ પસંદ કરવાનો આગ્રહ કરતા એક અભિયાન શરૂ કર્યુ હતું. કારણકે તેના ઉમેદવાર અક્ષય કાંતિ બામે ૨૯ એપ્રિલે અંતિમ સમયે લોકસભા ચૂંટણીથી પોતાનું નામાંકન પાછુ લઈ લીધું હતું. જેનાથી પાર્ટી પાસે વૈકલ્પિક ઉમેદવાર ઉભો કરવાનો સમય બચ્યો નહતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલના નિયમો અનુસાર, જો નોટાને કોઈ મતવિસ્તારમાં સૌથી વધુ મત મળે છે, તો બીજા નંબરના સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો નોટા ઈન્દોરમાં ભાજપના ઉમેદવાર શંકર લાલવાણીથી આગળ થઈ જાય, તો પણ લાલવાણી લોકસભાના સાંસદ બનશે. કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર, તે આ લડાઈમાં પ્રતીકાત્મક જીત માટે ઉતરી છે અને લડાઈ વિના હાર સ્વીકારવા તૈયાર નથી. ભાજપના લાલવાણી ઈન્દોરના વર્તમાન સાંસદ છે. જેમણે ૨૦૧૯માં આ બેઠક ૫.૪ લાખ મતોના માર્જિનથી જીત મેળવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/what-is-the-foreign-media-saying-about-Indian-elections"><strong>ભારતની ચૂંટણી પર વિદેશી મીડિયા શું કહે છે?</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 05 Jun 2024 10:19:05 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 05 Jun 2024 13:28:35 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>713</Articleid>
                    <excerpt>ભાજપે છેલ્લી ઘડીએ ઈન્દોરમાં પણ સુરત જેવો કાંડ કરીને ઈન્દોરની પ્રજાનો મત આપવાનો હક છીનવવા પ્રયાસ કર્યો હતો. જેનો આક્રોશ અહીં નોટા સ્વરૂપે દેખાયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_665fedc6136e4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_665fedc5c85e1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_665fedc5c85e1.jpg" length="65571" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>મોદીનું ત્રીજીવાર વડાપ્રધાન બનવાનું સપનું નીતિશ સાકાર નહીં થવા દે?</title>
                    <link>https://khabarantar.com/nitish-will-not-let-modis-dream-of-becoming-prime-minister-for-the-third-time-come-true</link>
                    <guid>https://khabarantar.com/nitish-will-not-let-modis-dream-of-becoming-prime-minister-for-the-third-time-come-true</guid>
                    <description>
                        <![CDATA[ ભારતીય રાજકારણના પલટુચાચા તરીકે ઓળખાતા નીતિશકુમાર ફરી એકવાર પલટી મારે તેવી શક્યતા છે. જો એવું થશે મોદી ત્રીજી વાર વડાપ્રધાન નહીં બની શકે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભાની ચૂંટણીના પરિણામો કેટલીક જગ્યાએ આશ્ચર્યજનક છે, જેમાં બિહારનો સમાવેશ થાય છે. બિહારમાં તેજસ્વી યાદવ ચોંકાવનારા પરિણામોની વાત કરતા હતા. તેજસ્વી યાદવની અપેક્ષા પ્રમાણે તો પરિણામ નથી આવ્યા પરંતુ સ્થિતિ સુધરી જરૂર છે. તેજસ્વીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે ચોથી જૂન પછી નીતિશકુમાર મોટો ખેલ કરી શકે છે. તેમણે એવા સંકેત આપ્યા હતા કે નીતિશકુમાર ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ થઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણીના પરિણામો ભાજપની અપેક્ષા મુજબ નથી જેના કારણે ભાજપને જરૂર નિરાશા થઈ હશે. પરંતુ બિહારમાં ભાજપના સાથી પક્ષોને ફાયદો થતો હોય તેવું લાગે છે. સખત ગરમીમાં પણ લોકો વોટિંગ કરવા ગયા હતા જ્યાં હિંદુ, મુસલમાન, પાકિસ્તાન, અનામત, બંધારણ, મંદિર વગેરેના મુદ્દે ભાષણો થયા હતા. આ દરમિયાન એવી વાતો થઈ રહી છે કે ગુલાંટ મારવા માટે જાણીતા નીતિશકુમાર વધુ એક વખત પોતાના કારનામા દેખાડશે. ઉત્તર પ્રદેશ અને બિહાર માટે એવું કહેવાય છે કે દિલ્હીની ગાદીની ગાદીનો રસ્તો આ બે રાજ્યોમાંથી પસાર થાય છે. બિહાર પોતાનો અલગ એજન્ડા સેટ કરે છે. નીતિશે વિપક્ષી ગઠબંધનનો આધાર બનાવ્યો પરંતુ પછી તેનાથી અલગ થઈ ગયા અને એનડીએ સાથે હાથ મિલાવ્યો હતો. હવે નવી બદલાયેલી સ્થિતિમાં નીતિશ પોતાની વફાદારી ફરીથી બદલી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">2013માં મોદીનો વિરોધ કરી નીતિશ NDA માં ગયેલા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નીતીશ કુમારને પહેલેથી તક જોઈને ગુલાંટ મારનાર ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે. ૨૦૧૩માં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા ત્યારે તેમણે મોદીનો વિરોધ કર્યો અને એનડીએમાંથી નીકળી ગયા હતા. ૨૦૧૭માં તેઓ ફરીથી એનડીએ સાથે જોડાયા પરંતુ ૨૦૨૨માં તેમને આરજેડીમાં વધુ ફાયદો દેખાયો અને આરજેડી સાથે જોડાઈ ગયા. ત્યાર પછી માત્ર ૧૭ મહિનાની અંદર તેઓ ફરીથી એનડીએ સાથે જોડાઈ ગયા. હવે ભાજપ નબળો પડ્યો છે ત્યારે નીતિશને કદાચ તેમની સાથે રહેવામાં પણ ફાયદો દેખાતો નથી. તેના કારણે તેઓ ક્યારે ગુલાંટ મારે તે કહેવાય નહીં. તેજસ્વી યાદવે નીતિશ કુમાર માટે જે વાત કરી હતી તે કદાચ સાબિત થઈ જશે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_665fe9d03b714.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નીતીશ કુમાર પાસે હવે સત્તાની ચાવી છે એવું કહેવાય છે. હાલમાં આ લખાય છે ત્યારે એનડીએ પાસે ૨૯૬ બેઠકો પર લીડ છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન ૨૨૮ બેઠકો પર આગળ છે. અત્યાર સુધીના આંકડા કહે છે કે ભાજપ પોતાની તાકાતે બહુમતી મેળવી શકે તેમ નથી જે બહુમતી તેને અગાઉની ચૂંટણીમાં મળી હતી. બિહારમાં નીતિશ કુમારનો પક્ષ અત્યારે ૧૫ બેઠકો પર આગળ છે અને ચિરાગ પાસવાનનો પક્ષ પણ સોલિડ સ્થિતિમાં છે. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી પાંચ લોકસભા બેઠકો પર ચૂંટણી લડી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપ એકલા હાથે બહુમતની નજીક નથી પહોંચી. એ સ્થિતિમાં નીતિશકુમાર અને ચિરાગ પાસવાનની ડિમાન્ડ વધી ગઈ છે. હાલમાં આ બંને એનડીએમાં છે. તેથી ભાજપ એવી પૂરી કોશિશ કરશે કે તેઓ બંને ઈન્ડિયા ગઠબંધન સાથે ન જોડાય અને તેમની સરકારને ટેકો આપે. પણ નીતિશકુમાર વિશે કશું છાતી ઠોકીને કહી શકાય તેમ નથી. તેવો એવી આકરી શરતો મૂકશે, જે ભાજપ માટે પુરી કરવી કપરી બની જવાની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/modis-chance-to-become-prime-minister-now-depends-on-nitish-chandrababu"><strong>મોદીના વડાપ્રધાન બનવાનો મદાર હવે નીતિશ-ચંદ્રાબાબુ પર નિર્ભર</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 05 Jun 2024 10:02:57 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 05 Jun 2024 13:28:55 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>712</Articleid>
                    <excerpt>ભારતીય રાજકારણના પલટુચાચા તરીકે ઓળખાતા નીતિશકુમાર ફરી એકવાર પલટી મારે તેવી શક્યતા છે. જો એવું થશે મોદી ત્રીજી વાર વડાપ્રધાન નહીં બની શકે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_665fe9a7f0f39.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_665fe9a7c2b3f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_665fe9a7c2b3f.jpg" length="99790" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>લોકસભા ચૂંટણીના પરિણામોથી અદાણી ગ્રુપને મોટો ફટકો</title>
                    <link>https://khabarantar.com/lok-sabha-election-results-dealt-a-big-blow-to-adani-Group</link>
                    <guid>https://khabarantar.com/lok-sabha-election-results-dealt-a-big-blow-to-adani-Group</guid>
                    <description>
                        <![CDATA[ અદાણી ગ્રુપને NDA બહુ નજીક ગણવામાં આવે છે અને તેથી જ એનડીએનો દેખાવ નબળો પડ્યો તેની સીધી અસર અદાણી પર પડી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભાની ચૂંટણીના રિઝલ્ટ જે રીતે આવી રહ્યા છે તેનાથી શેરબજારને મોટો ફટકો પડ્યો છે અને તેમાં પણ અદાણી જૂથના રોકાણકારો માટે બહુ ખરાબ સ્થિતિ હતી. એક્ઝિટ પોલના કારણે ગઈકાલે જે શેરો ૧૬ ટકા સુધી વધી ગયા હતા તે શેર્સ આજે ૨૦થી ૨૪ ટકા સુધી ઘટી ગયા છે. અદાણીના ઈન્વેસ્ટરોએ લાખો કરોડો ગુમાવ્યા છે અને તાજેતરમાં જ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બનેલા અદાણીની નેટવર્થને પણ ફટકો પડ્યો છે. અદાણી જૂથ અને એનડીએ બહુ નજીક ગણવામાં આવે છે અને તેથી જ એનડીએનો દેખાવ નબળો પડ્યો તેની સીધી અસર અદાણી પર પડી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શેરબજારમાં આજે અત્યાર સુધીમાં રોકાણકારોના ૩૫ લાખ કરોડ ધોવાઈ ગયા છે અને બજારમાંથી વિશ્વાસ હચમચી જાય તેવી સ્થિતિ છે. આ લખાય છે ત્યારે અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર પૂરા ૨૫ ટકા ઘટીને ૨૭૩૩ પર હતો. અદાણી ગ્રીન એનર્જીનો શેર ૧૯.૫૦ ટકા ઘટીને ૧૬૪૧ પર ચાલતો હતો. અદાણી પોર્ટનો શેર ૨૫ ટકા ઘટીને ૧૧૮૮ પર હતો. અદાણી પાવરનો શેર ૨૦ ટકા ઘટીને ૭૦૦ રૂપિયા પર હતો. અન્ય શેરોમાં અદાણી વિલ્મરનો શેર ૧૦ ટકા, સિમેન્ટ કંપનીઓ એસીસી ૧૫ ટકા, અંબુજા સિમેન્ટ ૨૦ ટકા, અદાણી ટોટલ ગેસ ૧૮ ટકા, એનડીટીવીનો શેર ૧૮.૬ ટકા ઘટ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/1140-crores-of-rights-of-44-thousand-dalit-tribals-have-been-wasted">44 હજાર દલિત-આદિવાસીઓના હકના 1140 કરોડ ક્યાં ખવાઈ ગયા?</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_665f347f94aa5.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ લખાય છે ત્યારે સેન્સેક્સ એક તબક્કે ૬૨૦૦ પોઈન્ટ ઘટી ગયો હતો. અદાણી જૂથની કંપની અદાણી પોર્ટ તેના રોકાણકારો માટે કેશ કાઉ ગણાય છે અને તેમાં ૨૦ ટકાનો કડાકો આવે એટલે કેટલો બધો ગભરાટ છે તે સમજી શકાય છે. એક વાત સ્પષ્ટ છે કે વડાપ્રધાન મોદીએ જે બેઠકો જીતવાની આશા રાખી હતી અથવા દાવો કર્યો હતો તે જીતી શકાઈ નથી. અદાણી જૂથની ૧૦ લિસ્ટેડ કંપનીઓ છે અને તેની માર્કેટ કેપિટલમાં લગભગ ૧૦ લાખ કરોડથી વધારે ઘટાડો થયો છે. ગઈકાલે એક્ઝિટ પોલના કારણે જે ફિલગુડ ફેક્ટર હતું તેમાં અદાણીના શેરો સૌથી વધુ વધ્યા હતા. આજે તેના કરતા સાવ ઉલ્ટું ચિત્ર છે. એક્ઝિટ પોલે લોકોને આંબા-આંબલી દેખાડ્યા હતા પરંતુ મતદારોનો મિજાજ સાવ અલગ હતો તેવું લાગે છે. ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ભાજપે સોલિડ દેખાવ કર્યો છે અને આ બે રાજ્યો વગર ભાજપને ભારે નુકસાન જવાનું હતું તે નક્કી છે. હાલની સ્થિતિમાં પણ લગભગ ૬૦થી ૭૦ સીટનું નુકસાન જોવા મળે છે જે અદાણી જૂથ માટે સારી વાત નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગયા વર્ષે હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટના કારણે પણ અદાણીને એટલો ફટકો પડ્યો હતો કે કેટલાક શેરના ભાવ ૭૦ ટકા સુધી ઘટી ગયા હતા. ત્યાર પછી અદાણી સામે જુદી જુદી તપાસ થઈ જેમાં કંઈ બહાર ન આવ્યું અને તેને ક્લિન ચીટ મળી ગઈ. ત્યાર પછી અદાણીના શેરો સતત વધતા ગયા અને હિન્ડનબર્ગ રિપોર્ટ અગાઉ જે ભાવ ચાલતો હતો તેનાથી આગળ નીકળી ગયા. હિન્ડનબર્ગના આંચકામાંથી બહાર આવ્યા પછી એક જ દિવસમાં શેરનો ભાવમાં ૨૦થી ૨૪ ટકાનો ઘટાડો થયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 18.6667px;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/world-press-freedom-Index--india-ranks-below-pakistan-among-180-countries">World Press Freedom Index: 180 દેશોમાં ભારત પાકિસ્તાનથી પણ નીચે</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_665f347f1b477.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણીના રિઝલ્ટ આવ્યા તે અગાઉ ગ્લોબલ બ્રોકરેજ કંપનીઓએ અદાણી માટે બાય રેટિંગ આપેલું હતું. અદાણી એન્ટરપ્રાઈઝિશના શેર માટે ૩૮૦૦ રૂપિયાનો ટાર્ગેટ છે જ્યારે અદાણી પોર્ટ માટે ૧૬૪૦ રૂપિયાનો ટાર્ગેટ અપાયો છે. અદાણી એનર્જી સોલ્યુશનના શેર માટે ૧૩૬૫ રૂપિયાનો ટાર્ગેટ અપાયો હતો. આ તમામ ટાર્ગેટ આજના ચૂંટણી પરિણામો અગાઉના છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીએલએસએએ ૫૪ મોદી સ્ટોકની યાદી બનાવી હતી. એટલે કે એવા શેર જેને મોદી સરકારના કારણે ફાયદો થવાનો હોય. આવા શેરોમાં અદાણી પોર્ટ્‌સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, એસીસી અને અંબુજા સિમેન્ટનો સમાવેશ થાય છે. તેમાં કેટલાક પીએસયુ શેર પણ છે જેને મોદી સરકારની પોલિસીથી ફાયદો થાય તેમ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/how-can-privatization-be-good-for-the-country"><strong>ખાનગીકરણ કઈ રીતે દેશ માટે સારું હોઈ શકે?</strong></a></span></p>
<p></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 04 Jun 2024 21:10:51 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 04 Jun 2024 21:11:41 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>711</Articleid>
                    <excerpt>અદાણી ગ્રુપને NDA બહુ નજીક ગણવામાં આવે છે અને તેથી જ એનડીએનો દેખાવ નબળો પડ્યો તેની સીધી અસર અદાણી પર પડી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_665f347eac7be.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_665f347e7a2f3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_665f347e7a2f3.jpg" length="53400" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઓરિસ્સામાં નવીન પટનાયકને પછાડી પહેલીવાર ભાજપ સરકાર બનાવશે</title>
                    <link>https://khabarantar.com/bjp-will-form-the-government-for-the-first-time-after-defeating-naveen-patnaik-in-orissa</link>
                    <guid>https://khabarantar.com/bjp-will-form-the-government-for-the-first-time-after-defeating-naveen-patnaik-in-orissa</guid>
                    <description>
                        <![CDATA[ ઓરિસ્સા વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સૌ કોઈને ચોંકાવ્યા છે. અહીં 24 વર્ષ બાદ નવીન પટનાયકની બીજેડીની વિદાય થઈ છે અને ભાજપનો ઉદય થયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓરિસ્સામાં અત્યાર સુધીના પરિણામો જોતા પ્રથમવાર એવુ બનશે કે અહીં નવિન પટનાયકના ગઢના કાંગરા ખેરવી ભાજપ સત્તા પર આવશે. છેલ્લા ૨૫ વર્ષથી સત્તામાં રહેલી નવિન પટનાયકની બીજેડી આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપથી પાછળ ચાલી રહી છે અને ભાજપ ૮૦ બેઠકો સાથે આગળ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓરિસ્સાની ૧૪૭ વિધાનસભા બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. જેમા શરૂઆતથી જ ભાજપ બહુમતી સાથે આગળ વધતી દેખાઈ રહી છે. ચૂંટણી પંચના તાજા આંકડા જણાવી રહ્યા છે કે ભાજપ ૭૯ બેઠક પર આગળ ચાલી રહી છે. ઓડિસામાં ભાજપ સરકાર બનાવવાની એક્દમ નજીક પહોંચી ગઈ છે. ૨૪ વર્ષથી સતત એકચક્રી શાસન ભોગવી રહેલી બીજેડી બાદ પ્રથમવાર ભાજપ અહીં સત્તા મેળવવા જઈ રહી છે. હાલ જે રૂઝાન સામે આવ્યા છે. તેમાં બીજુ જનતા દળ ૪૮ બેઠકો સાથે બીજા સ્થાન પર બનેલી છે. જ્યારે કોંગ્રેસ ૧૫ સીટ પર અને માર્ક્‌સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) સીટ પર આગળ છે. જ્યારે બે સીટ પર અપક્ષ ઉમેદવાર આગળ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓરિસ્સાના નવિન પટનાયકના અનેક મંત્રીઓ પણ પાછળ ચાલી રહ્યા છે. ગત ચૂંટણીના આંકડા પર નજર કરીએ તો ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં બીજેડીને ૧૪૭માંથી ૧૧૭ બેઠકો પર જીત મળી હતી. જ્યારે ભાજપને ૨૩ સીટ અને કોંગ્રેસને ૯, સીપીઆઈએમને ૧ અને અપક્ષને ૧ બેઠક મળી હતી. જ્યારે મુખ્યમંત્રી નવિન પટનાયક છેલ્લા ૨૪ વર્ષથી સીએમ છે. આ વખતે ભાજપ ૭૯ બેઠક પર આગળ છે અને જીતના આંકડાની એકદમ નજીક છે. ઓરિસ્સામાં પ્રથમવાર ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. અહી ભાજપ ક્યારેય સત્તામાં રહી જ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓડિસામાં વિધાનસભા ચૂંટણીમાં બીજેડી ફરી એકવાર નવિન પટનાયકની આગેવાનીમાં ચૂંટણી લડી રહી હતી. ઓડિસામાં વિધાનસભાની ૧૪૭ અને લોકસભાની કુલ ૨૪ સીટો છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણી ૧૩ મે થી ૧ જૂન સુધીમાં ચાર તબક્કામાં થઈ હતી. વિધાનસભા ચૂંટણીમાં બીજેડીના નવિન પટનાયક ચૂંટણી મેદાનમાં હતા તો ભાજપે પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/ruling-or-opposition-all-eyes-on-131-sc-st-reserved-seats"><strong>સત્તાપક્ષ કે વિપક્ષ, સૌ કોઈની નજર 131 SC-ST અનામત બેઠકો પર</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 04 Jun 2024 20:37:40 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>710</Articleid>
                    <excerpt>ઓરિસ્સા વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સૌ કોઈને ચોંકાવ્યા છે. અહીં 24 વર્ષ બાદ નવીન પટનાયકની બીજેડીની વિદાય થઈ છે અને ભાજપનો ઉદય થયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_665f2cf68b339.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_665f2cf65e1b9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_665f2cf65e1b9.jpg" length="63309" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
            </channel>
</rss>