MP Assembly Election 2023: શું અનુસૂચિત જાતિના મતદારો ભાજપના હાથમાંથી સરકી રહ્યાં છે?
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો(NCRB)ના આંકડાઓ અનુસાર મધ્યપ્રદેશમાં અનુસૂચિત જાતિના લોકો સામે અત્યાચારના સૌથી વધુ બનાવો નોંધાયા છે. મતલબ કે રાજ્યમાં દલિતો પર અત્યાચાર વધ્યાં છે. ત્યારે રાજ્યમાં બે દાયકાથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી શું SC મતદારોને રીઝવવામાં સફળ થશે?
![MP Assembly Election 2023: શું અનુસૂચિત જાતિના મતદારો ભાજપના હાથમાંથી સરકી રહ્યાં છે?](https://khabarantar.com/uploads/images/202310/image_870x_6533f2a7d96a8.jpg)
Madhya Pradesh Assembly Election 2023: દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓને લઈને જોરશોરથી રાજકીય ચર્ચાઓ થઈ રહી છે. બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને અન્ય પક્ષોએ પણ એડીચોટીનું જોર લગાવ્યું છે ત્યારે એક રિપોર્ટ મુજબ મધ્યપ્રદેશમાં દલિત મતદારો સત્તાપક્ષથી નારાજ હોવાનું બહાર આવ્યું છે.
મધ્યપ્રદેશમાં અનુસૂચિત જાતિના મતદારો 84 બેઠકોને સીધી અસર કરે છે. SC કેટેગરીના મત ઉમેદવારની જીત કે હારમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ સાથે સરકાર બનાવવામાં SC મતદારોની પણ મહત્વની ભૂમિકા છે. પરંતુ અહીં દલિતો પર વધતી ગુનાહિત ઘટનાઓની અસર આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળશે તેમ જાણકારોનું કહેવું છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો(NCRB)ના આંકડાઓ અનુસાર મધ્યપ્રદેશમાં અનુસૂચિત જાતિ વર્ગના લોકો સામે અત્યાચારના સૌથી વધુ બનાવો નોંધાયા છે. મતલબ કે રાજ્યમાં દલિતો પર અત્યાચાર વધ્યાં છે. એવામાં સૌથી મોટો સવાલ એ થાય છે કે, રાજ્યમાં બે દાયકાથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી શું SC મતદારોને રીઝવવામાં સફળ થશે?
મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, આવી સ્થિતિમાં રાજકીય પક્ષોએ રાજ્યના અનુસૂચિત જાતિના મતદારોને પોતાની તરફેણમાં કરવાની શરૂઆત કરી દીધી છે. આ માટે ભાજપે પણ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાગરમાં સંત રવિદાસના ભવ્ય મંદિરના નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો. આ મંદિર લગભગ 100 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ વખતે દલિત વોટબેંક ભાજપના હાથમાં સરકી શકે છે. કેમ કે, દલિત મતદાર હવે સમજી ચૂક્યો છે કે, મંદિરો ગમે તેટલા મોટાં થઈ જાય તેનાથી તેની પાયાની સમસ્યાઓ રોટી, કપડાં, મકાન, આરોગ્ય અને શિક્ષણમાં કશો ફેર પડવાનો નથી. એટલે જ નિષ્ણાતો સત્તાપક્ષ માટે કપરાં ચઢાણ હોવાનું જણાવે છે.
ભાજપનો 200 બેઠકો જીતવાનો દાવો
સમાજવાદી પાર્ટી પણ મેદાનમાં