Infosys ના Co-Founder સહિત 18 લોકો સામે SC/ST Act હેઠળ કેસ નોંધાયો

Infosys Co-Founder સેનાપતિ ક્રિસ ગોપાલકૃષ્ણન, ભૂતપૂર્વ IISc ડિરેક્ટર બલરામ અને 16 અન્ય લોકો સામે SC/ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જાણો શું છે મામલો.

Infosys ના Co-Founder સહિત 18 લોકો સામે SC/ST Act હેઠળ કેસ નોંધાયો
image credit: Google Images

Infosys Co-Founder ક્રિસ ગોપાલકૃષ્ણન (Kris Gopalakrishnan), ભૂતપૂર્વ IISc ડિરેક્ટર બલરામ (Balram)અને અન્ય 16 લોકો સામે SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ (SC/ST Prevention of Atrocities Act) ગુનો નોંધવામાં આવ્યો હતો. IISc ફેકલ્ટી કે IISc બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના સભ્ય ક્રિસ ગોપાલકૃષ્ણન (Kris Gopalakrishnan) તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.

૭૧મી સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ (CCH) ના નિર્દેશોના આધારે સદાશિવ નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી દુર્ગાપ્પા (Durgappa) , જે આદિવાસી બોવી સમાજ (Bovi community) ના છે, તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc) ખાતે સેન્ટર ફોર સસ્ટેનેબલ ટેકનોલોજીમાં ફેકલ્ટી સભ્ય હતા.

તેમણે દાવો કર્યો હતો કે તેમને 2014 માં ખોટી રીતે હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે તેમને જાતિસૂચક ગાળો ભાંડી અને ધમકીઓ આપવામાં આવી હતી. આ કેસમાં અન્ય આરોપીઓમાં ગોવિંદન રંગરાજન, શ્રીધર વોરિયર, સંધ્યા વિશ્વેશ્વરૈયા, હરિ કેવીએસ, દાસપ્પા, બલરામ પી, હેમલતા મિશી, ચટ્ટોપાધ્યાય કે, પ્રદીપ ડી સાવરકર અને મનોહરનનો સમાવેશ થાય છે.

કોણ છે ક્રિસ ગોપાલકૃષ્ણન?

ક્રિસ ગોપાલકૃષ્ણનની LinkedIn પ્રોફાઇલ અનુસાર, તેઓ 2013-14માં ભારતના ટોચના ઉદ્યોગ ચેમ્બર, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. અને જાન્યુઆરી 2014 માં તેમણે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના સહ-અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.

જાન્યુઆરી ૨૦૧૧ માં, ભારત સરકારે ગોપાલકૃષ્ણનને દેશનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી નવાજ્યા. ક્રિસ ગોપાલકૃષ્ણન પાસે IIT મદ્રાસમાંથી ભૌતિકશાસ્ત્ર અને કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી છે. આ ઉપરાંત, ગોપાલકૃષ્ણન ઇન્ડિયન નેશનલ એકેડેમી ઓફ એન્જિનિયર્સ (INAE) ના ફેલો છે. અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર્સ (IETE) ના માનદ ફેલો છે.

આટલા મોટા પદો પર રહેલી ચૂકેલી વ્યક્તિ પણ જાતિવાદથી ગ્રસ્ત હોય ત્યાં બીજા લોકો કેવી માનસિકતામાં રાચતા હશે તે સમજી શકાય તેમ છે. દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાંથી ચાણક્ય નીતિ મુજબ સામ, દામ, દંડ અને ભેદમાંથી કોઈપણ રસ્તો અપનાવીને દલિત, આદિવાસી અને ઓબીસી ફેકલ્ટીઓનો એકડો કાઢી નાખવાનું એક સુનિશ્ચિત તંત્ર કામ કરી રહ્યું છે અને ક્રિષ ગોપાલકૃષ્ણને પણ તે જ કર્યું હોય તેમ લાગે છે. જોવાનું એ છે કે, એટ્રોસિટી એક્ટમાં રહેલી જોગવાઈઓ મુજબ આ લોકોને સજા થાય છે કે નહીં.

આ પણ વાંચો: ભયંકર નોનસેન્સ: નારાયણ મૂર્તિ બેશરમ અને નિર્દય બજારનું પ્રતીક બની ગયા!


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Narayan Bhikhabhai Pusal
    Narayan Bhikhabhai Pusal
    Very sad castism is still alive in big corporate industry
    4 months ago
  • Jeshingbhai
    Jeshingbhai
    કેટલા મોટા પદ પર છે એ ના જોવાવું જોઈએ પરંતુ એણે જાતિવાદી માનસિકતાથી ફરિયાદને હેરાન કર્યા જ છે તો ફરીયાદ થવી જ જોઇએ, કેસ ચાલવો જ જોઈએ અને સજા થવી જ જોઈએ. આવા કેસમાં સમાધાન કદી થવું ના જોઈએ. આવા લોકોના જ નકશે કદમ પર સમાજ ચાલે છે તો એમની સડી ગયેલી માનસિકતા પણ ઉજાગર થવી જોઈએ જેથી એમના ફોલોવર્સ જાણે કે જેને અમે 100 ટચનું સોનું માનતા હતા તે તો કથીર નીકળ્યું!!!!
    4 months ago