નકલી ST સર્ટિફિકેટ કઢાવી બ્રાહ્મણ યુવક Deputy Collector બની ગયો

આદિવાસી ધારાસભ્ય Kamleshwar Dodiyar એ ફરિયાદ કરી છે કે, Ajay Gupta નામના યુવકે Caste Certificate માં ચેડાં કરી પોતાને ST ગણાવી Deputy Collector બની ગયો છે.

નકલી ST સર્ટિફિકેટ કઢાવી બ્રાહ્મણ યુવક Deputy Collector બની ગયો
image credit: Google Images

Brahmin youth becomes Deputy Collector on fake ST certificate : મનુવાદીઓ મોકો મળે ત્યારે દલિતો, આદિવાસીઓ અને ઓબીસી સમાજને તેમની સાથે થતા સામાજિક ભેદભાવોને કારણે મળેલી અનામતને ભાંડવાનો એક મોકો નથી ચૂકતા. પણ આ જ તત્વોને આ વર્ગની અનામત પર તરાપ મારવામાં જરાય લાજશરમ નથી આવતું. હમણાં એક એઈમ્સના ડિેરેક્ટરે નકલી ઓબીસી સર્ટિફિકેટ કઢાવી તેમના દીકરાને એમબીબીએસમાં અનામત ક્વોટા સીટ પર એડમિશન અપાવી દીધું હતું. ગુજરાતમાં પણ આવા સેંકડો કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ખોટા એસટી સર્ટિફિકેટ કઢાવીને સામાન્ય કેટેગરીના લોકોએ તેમની નોકરીઓ તફડાવી પાડી હોય.

આવો જ એક ચોંકાવનારો કિસ્સો મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના રતલામ (Ratlam) માંથી સામે આવ્યો છે. જ્યાં એક બ્રાહ્મણ યુવક (Brahmin Youth) નકલી આદિવાસી સર્ટિફિકેટ (Fake ST Certificate) બનાવી ડેપ્યૂટી કલેક્ટર (Deputy Collector) ની પોસ્ટ સુધી પહોંચી ગયો હતો. જેની જાણ સ્થાનિક ધારાસભ્યને થતા હવે તેમણે આ નકલી આદિવાસી ડેપ્યૂટી કલેક્ટર સામે મોરચો માંડ્યો છે.

મામલો શું છે?

મધ્યપ્રદેશના રતલામ જિલ્લાની સૈલાના વિધાનસભા (Sailana Assembly Ratlam) ના ધારાસભ્ય કમલેશ્વર ડોડિયારે (MLA Kamleshwar Dodiyar) રાજ્યપાલ મંગુભાઈ પટેલ (Governor Mangubhai Patel) ને પત્ર લખીને અજય ગુપ્તા (Ajay Gupta) નામના વ્યક્તિ પર ગંભીર આરોપો લગાવ્યા છે. ડોડિયારે આરોપ લગાવ્યો છે કે અજય ગુપ્તાએ 2015 માં મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (PSC) ની પરીક્ષા અનુસૂચિત જનજાતિ (ST) ક્વોટામાંથી નકલી જાતિ પ્રમાણપત્ર (Fake caste certificate) નો ઉપયોગ કરીને પાસ કરીને ડેપ્યુટી કલેક્ટર (Deputy Collector) નું પદ મેળવ્યું હતું. ધારાસભ્યએ આને આદિવાસી સમાજના અધિકારો પર તરાપ ગણાવી છે અને આ મામલે સંપૂર્ણ તપાસની માંગ કરી છે.

આ પણ વાંચોઃ બિરસા મુંડા ‘આદિવાસી’ યુનિવર્સિટીમાંથી ‘આદિવાસી’ અનામત કાઢી નાખી?

ધારાસભ્ય કમલેશ્વર ડોડિયારે પોતાના પત્રમાં લખ્યું છે કે અજય ગુપ્તાએ પોતાના પિતાના નામ અને જાતિ પ્રમાણપત્રમાં છેડછાડ કરીને પોતાને ST શ્રેણીના હોવાનું દર્શાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે અજય ગુપ્તા સામાન્ય જાતિના છે અને તેમણે પોતાના નકલી દસ્તાવેજોના આધારે અનામત શ્રેણી હેઠળ નોકરી મેળવી છે.

ડોડિયારે એમ પણ ઉલ્લેખ કર્યો કે તેમને આ માહિતી સોશિયલ મીડિયા દ્વારા મળી હતી, જ્યાં ઘટના સંબંધિત દસ્તાવેજો અને માહિતી સામે આવી હતી. ધારાસભ્યના જણાવ્યા મુજબ, અજય ગુપ્તાએ માત્ર સરકારી તંત્ર સાથે છેતરપિંડી કરી નથી પરંતુ આ પદો માટે ખરેખર લાયક આદિવાસી ઉમેદવારોના અધિકારોનું પણ ઉલ્લંઘન કર્યું છે.

આદિવાસી સમાજમાંથી આવતા ધારાસભ્ય કમલેશ્વર ડોડીયારે માંગ કરી છે કે, અજય ગુપ્તા અને તેમના પરિવારના તમામ સભ્યોના જાતિ પ્રમાણપત્રોની સંપૂર્ણ ચકાસણી થવી જોઈએ. અને જો અજય ગુપ્તા દોષિત ઠરે છે, તો તેમને તાત્કાલિક સરકારી સેવામાંથી બરતરફ કરવા જોઈએ અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. નકલી દસ્તાવેજો પર અનામતનો દુરુપયોગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી આદિવાસી સમાજના અસલી દાવેદારોના અધિકારોનું રક્ષણ થાય.

આ પણ વાંચોઃ દાહોદના આદિવાસી યુવકે ભીલી બોલીમાં એટ્રોસિટી પર ફિલ્મ બનાવી

ધારાસભ્ય ડોડિયારે (MLA Kamleshwar Dodiyar) આ મુદ્દા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે અનુસૂચિત જનજાતિ શ્રેણી માટે અનામત સરકારી નોકરીઓ આદિવાસી યુવાનોના અધિકારો અને જીવનને સશક્ત બનાવવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. નકલી દસ્તાવેજો (Fake certificate) ના આધારે અનામતનો દુરુપયોગ કરવો એ માત્ર બંધારણમાં આપવામાં આવેલી અનામતની જોગવાઈઓનું ઉલ્લંઘન નથી પરંતુ તે સરકારી નાણાં અને સંસાધનોનો પણ દુરુપયોગ છે. આવા કિસ્સાઓને કારણે, લાયક આદિવાસી ઉમેદવારો તેમના અધિકારોથી વંચિત રહી રહ્યા છે, જે અન્યાયી છે.

આદિવાસી અધિકારોનું ઉલ્લંઘન સહન નહીં કરીએ: Kamleshwar Dodiyar

ધારાસભ્ય કમલેશ્વર ડોડિયારે (MLA Kamleshwar Dodiyar) કહ્યું હતું કે, "આ મામલો ફક્ત એક વ્યક્તિએ લઈ લીધેલી નોકરીનો નથી, પરંતુ સમગ્ર આદિવાસી સમાજના અધિકારો પર હુમલો છે. અજય ગુપ્તા જેવા લોકો નકલી દસ્તાવેજોના આધારે ન માત્ર સરકારી વ્યવસ્થાની મજાક ઉડાવી રહ્યાં છે પરંતુ એ ગરીબ અને વંચિત આદિવાસી યુવાનોનું ભવિષ્ય પણ છીનવી રહ્યા છે જેઓ આ પોસ્ટ પરના અસલી દાવેદાર છે. આ જરાય સહન કરવામાં આવશે નહીં. અમે રાજ્યપાલ પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે જેથી આવી છેતરપિંડી કરનારાઓને કડક મેસેજ જાય.

MLA Kamleshwar Dodiyar એ વધુમાં કહ્યું, "જો વહીવટીતંત્ર અને સરકાર આ બાબતે નક્કર પગલાં નહીં ભરે, તો તે આદિવાસી સમાજ પ્રત્યે તેમની ઉદાસીનતા દર્શાવશે. અનામત એ આદિવાસીઓનો બંધારણીય અધિકાર (Constitutional rights of tribals) છે અને તેને કોઈ છીનવી શકશે નહીં. અમે કૌભાંડી અજય ગુપ્તા (Ajay Gupta) ને બરતરફ કરીને જ જંપીશું. તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જો જરૂર પડશે તો હું રસ્તા પર ઉતરીને વિરોધ કરતા અચકાઈશ નહીં. હું આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવીશ."

આ પણ વાંચોઃ દેશને હોકીમાં પહેલો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ એક આદિવાસી કેપ્ટને અપાવ્યો હતો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.