કેમિકલ ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, 8 મજૂરોના મોત, 13 ઘાયલ

બ્લાસ્ટમાં 8 કામદારોના મોત થયા છે. ફાયર અધિકારીઓના જણાવ્યા મુજબ હજુ પણ તેઓ કાટમાળમાં ફસાયેલા કામદારોને શોધી રહ્યા છે.

કેમિકલ ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, 8 મજૂરોના મોત, 13 ઘાયલ
image credit - Google images

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં એક કેમિકલ ફેક્ટરીમાં એક મોટો વિસ્ફોટ થયો હતો (Hyderabad Chemical Factory Blast). આ અકસ્માતમાં ઓછામાં ઓછા 8 કામદારોના મોત થયા છે. જ્યારે 13 કામદારોને બચાવી લેવામાં આવ્યા છે. વિસ્ફોટ કેટલો ભયાનક હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, કામદારો 100 મીટર દૂર જઈને પડ્યા હોવાનું કહેવાય છે.

કાટમાળમાં ફસાયેલાની શોધ ચાલુ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેલંગાણાના પશમિલારામ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં સિગાચી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના રિએક્ટર યુનિટમાં વિસ્ફોટ થયો હતો. ઘટનાની જાણ થતાં જ 11 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલ થયેલા તમામ કામદારોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી ઘણા ગંભીર રીતે દાઝી ગયા છે. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા કામદારોને શોધી રહ્યા છે.

તમામ એન્ગલથી તપાસ શરૂ

ધ હિન્દુના અહેવાલ મુજબ, ડ્રગ મેન્યુફેક્ચરિંગ યુનિટના રિએક્ટરમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ફાયર ફાઇટિંગ ટીમો આગને કાબુમાં લેવા માટે કામ કરી રહી છે. રિપોર્ટ અનુસાર, શરૂઆતની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે રિએક્ટરમાં દબાણ વધવાને કારણે વિસ્ફોટ થયો હશે. પરંતુ ચોક્કસ કારણ જાણવા અને ફેક્ટરીમાં સલામતી પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું હતું કે કેમ તે જાણવા માટે વિગતવાર તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ દલિત મહિલા કોન્સ્ટેબલ પર દરબાર પડોશીએ તલવારથી હુમલો કર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.