ઓક્ટોબરમાં બેરોજગારી દર વધીને બે વર્ષની સર્વોત્તમ સપાટી 10.09 ટકાએ પહોંચ્યો - રિપોર્ટ

ઓક્ટોબરમાં બેરોજગારી દર વધીને બે વર્ષની સર્વોત્તમ સપાટી 10.09 ટકાએ પહોંચ્યો - રિપોર્ટ
Photo By Google Images

દેશમાં આ મહિનાની અંદર 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એ પહેલા ઘટતી રોજગારી વિશે કેન્દ્ર સરકાર માટે એક માઠા સમાચાર આવ્યા છે. પ્રાઈવેટ રિસર્ચ ફર્મ CMIE એ દાવો કર્યો છે કે ભારતમાં બેરોજગારી ઓક્ટોબર 2023માં 2 વર્ષમાં સૌથી વધુ નીચલા સ્તરે પહોંચી ગઈ છે. 

આ અહેવાલ મુજબ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. જેની અસર એકંદર બેરોજગારી દર પર દેખાઈ રહી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી લિમિટેડે તેના ડેટા દ્વારા માહિતી આપી છે કે ઓક્ટોબરમાં બેરોજગારીનો દર 10.05 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે સપ્ટેમ્બર, 2023માં બેરોજગારીનો દર 7.09 ટકાની આસપાસ હતો.

આ વર્ષે ચોમાસાની બગડતી પ્રકૃતિને કારણે ખાંડ, ચોખા અને ઘઉં જેવી અનેક ચીજવસ્તુઓના પાકને નુકસાન થયું છે. આ કારણે, ભારત સરકારે દેશમાં આ વસ્તુઓની કિંમતોને કાબૂ કરવા માટે ઘણા નિયંત્રણો લાદ્યા છે. ઓછા ઉત્પાદનને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ખેતીની પ્રવૃત્તિઓને અસર થઈ છે. તે જ સમયે શહેરી વિસ્તારોમાં મેન્યુફેક્ચરિંગમાં તેજી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં શહેરોમાં નવી નોકરીઓની તકો વધી રહી છે. નોંધનીય છે કે ભારત સરકાર દર વર્ષે બેરોજગારીનો વાર્ષિક ડેટા જાહેર કરે છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં દેશમાં બેરોજગારીનો દર 3.2 ટકા રહ્યો છે.

બે વર્ષમાં બેરોજગારીનો દર સર્વોચ્ચ સ્તરે

ઓક્ટોબરમાં બેરોજગારીનો દર મે 2021 પછી સૌથી વધુ થઈ ગયો છે. તેના ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર 6.20 ટકાથી વધીને 10.82 ટકા થયો છે. તે જ સમયે, શહેરોમાં નવી નોકરીઓ આવવાના કારણે આ દર ઘટીને 8.44 ટકા થઈ ગયો છે.

સરકાર કેમ ચિંતામાં મૂકાઈ?

નિષ્ણાતોના મતે ભારતનો જીડીપી 6 ટકાના દરે વધવાની સંભાવના છે, પરંતુ તેમ છતાં તે ગતિએ યુવાનો માટે નવી નોકરીઓનું સર્જન થઈ રહ્યું નથી. આવી સ્થિતિમાં આગામી ચૂંટણીમાં આ એક મોટો મુદ્દો બની શકે છે. આ મહિને પાંચ રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી છે. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા બેરોજગારીના આ આંકડાએ સરકારની ચિંતા વધારી છે. 

આગળ વાંચોઃ શું ગાંધીજીના આગમન પહેલા ગુજરાતના દલિતો નિર્લેપ અવસ્થામાં હતા?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.