ગુજરાતમાં 30 મુસ્લિમ સ્પોર્ટ્સ કોચ અને ટ્રેનર ને કાઢી મૂકવામાં આવ્યા
એક મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાતમાં છેલ્લાં બે મહિનામાં મુસ્લિમ સમાજના 30 જેટલા કોચ અને ટ્રેનરોને કોન્ટ્રાક્ટ તેમની કંપનીઓ દ્વારા ખતમ કરી દેવામાં આવ્યા છે.

છેલ્લા બે મહિનામાં ગુજરાતની શાળાઓમાં 30 મુસ્લિમ કોચને તેમની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. કારણ હજુ જાણી શકાયું નથી. જો કે, આ દરેક કોચ સરકાર સંચાલિત સંસ્થાઓમાં સ્પોર્ટ્સ કંપનીઓ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કાર્યરત હતા. જેમાં વિદ્યાર્થીઓને જુડો, વોલીબોલ, બાસ્કેટબોલ અને બીજી રમતોની તાલીમ આપનારા કોચનો સમાવેશ થાય છે.
ધ વાયરના એક રિપોર્ટ પ્રમાણે રમતગમતના આ કોચ ગૃહ, ઉદ્યોગ, પરિવહન, યુવા અને રમતગમતના રાજ્ય મંત્રાલયોને પત્ર લખ્યો છે પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જે ટ્રેનર્સની કામગીરીની તેમના ઉપરી અધિકારીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી તેમને પણ તેમની નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. જ્યારે તેમણે તેમને કેમ કાઢી મૂકવામાં આવ્યા તેનું કારણ પૂછ્યું તો તેનો કોઈ જવાબ મળ્યો નહોતો. કંપનીના એક અધિકારીએ તો ત્યાં સુધી જવાબ આપ્યો કે તે પોતે નથી જાણતો કે વ્યક્તિને શા માટે હટાવવામાં આવી રહ્યો છે.
કોચ કહે છે કે તેઓ બીજું કંઈ કરી શકે તેમ નથી, તેમાંના એકે ધ વાયર સાથે વાત કરતાં કહ્યું હતું કે, "અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, નિમણૂકકર્તાઓને વિનંતી કરી છે, અમે જ્યાં કામ કરીએ છીએ તે શાળાઓને વિનંતી કરી છે, અમે અમારી સંસ્થાઓનો ગૌરવ અપાવ્યું છે. અમે સંબંધિત સંસ્થાઓ ખેલ મંત્રાલયને પણ આ બાબતે લખ્યું છે. પરંતુ મુસ્લિમ હોવાથી કોઈ અમારી મદદ કરી રહ્યું નથી.
મુસ્લિમો રાજ્યની વસ્તીના 9 ટકા આસપાસ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 40 વર્ષોથી ગુજરાતમાંથી લોકસભામાં એક પણ મુસ્લિમ સાંસદ નથી. ગુજરાતમાં મુસ્લિમ સમાજમાંથી ચૂંટાયેલા છેલ્લાં સાંસદ 1984માં એહમદ પટેલ હતા. રાજ્યમાં લઘુમતીઓએ પણ ભેદભાવ અને હિંસાનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવ્યું હતું. અન્ય એક રિપોર્ટમાં ગુજરાતના એક યુવાન મુસ્લિમે સમાજ સામે થતા ભેદભાવનો ખુલાસો કર્યો હતો. તેણે ભેદભાવની કરુણ વાતો કરી હતી, જેમાંથી કેટલીક શાળામાં ભણતા તેમના નાના બાળકો સાથે ઘટી હતી.
મુસ્લિમ સમાજ પાસે પહેલેથી જ શિક્ષણ ક્ષેત્રમાં નિરાશાજનક આંકડાઓ છે. 2023 અખિલ ભારતીય ઉચ્ચ શિક્ષા સર્વેક્ષણ મુજબ મુસ્લિમ વિદ્યાર્થીઓ દેશમાં કુલ નોંધણીના માત્ર 5.5 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ તે નોંધપાત્ર છે કે મુસ્લિમ લઘુમતી શિક્ષકો સમગ્ર દેશમાં શિક્ષકોની કુલ ટકાવારીમાં માત્ર 5.6% છે. સર્વેક્ષણમાં ગુજરાતમાં લઘુમતી સમુદાયના લગભગ 1718 શિક્ષકો નોંધાયા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં લઘુમતી શિક્ષકોની સંખ્યા સૌથી વધુ 10566 છે. અહેવાલો સાબિતી આપે છે કે ભેદભાવ અને હિંસાએ આ સમાજને કોઈપણ ક્ષેત્રમાં આગળ વધતા અટકાવ્યા છે.
આગળ વાંચોઃ દલિત મુસલમાનની અજાણી વ્યથા અને ઉકેલની દિશા
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
M. I. Gohilએક મુસ્લિમ કોચ દ્વારા એક મહિલા કોચ ની છેડતી કરી હતી.. અને પોતાના રૂમમાં આવવાં દબાણ કરીને શારીરિક સંબંધ બાંધવાં માંગતો હતો... તેનાં કારણે આ 30 લોકો ને કાઢી નાખ્યાં છે..