ગુજરાતની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે - રિપોર્ટ

ગુજરાતની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે - રિપોર્ટ

ગુજરાતની એક તૃતીયાંશ વસ્તી, જેમાં 31 લાખથી વધુ પરિવારોનો સમાવેશ થાય છે, તે ગરીબી રેખા (BPL) નીચે જીવે છે. સરકાર ઘરની આવક અને વપરાશના સ્તરના આધારે ગરીબી રેખાનો અંદાજ કાઢવા માટે અનેક સામાજિક અને આર્થિક પરિબળોને ધ્યાનમાં લે છે અને એક સીમા નક્કી કરે છે જે ઘરોની આર્થિક સ્થિતિને પ્રતિબિંબિત કરે છે. પરિવારને રાજ્ય તરફથી નાણાકીય સહાયની જરૂર છે કે કેમ તે નક્કી કરવા માટે સરકાર તેનો ઉપયોગ કરે છે.


ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, ગ્રામીણ વિસ્તારો માટે BPL પ્રતિ વ્યક્તિ દીઠ રૂ. 816 અને શહેરી વિસ્તારો માટે પ્રતિ વ્યક્તિ રૂ. 1,000 નક્કી કરવામાં આવ્યા છે, જે શહેરી રહેવાસીઓ માટે પ્રતિ દિવસ રૂ. 32 અને ગ્રામીણ વિસ્તારો માટે રૂ. 26 પ્રતિ દિવસ છે.
14 સપ્ટેમ્બરના રોજ, કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીના પ્રશ્નના જવાબમાં, ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે ગુજરાતમાં કુલ 31,61,310 BPL પરિવારોની ઓળખ કરવામાં આવી છે. તેમાંથી 16,28,744 પરિવારો અત્યંત ગરીબ વર્ગમાં અને 15,32,566 પરિવારો ગરીબ વર્ગમાં છે. આ સિવાય ડેટા દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં BPL કેટેગરીમાં પરિવારોની સંખ્યા વધી રહી છે.


વર્ષ 2020-21માં 1,047 પરિવારો BPL કેટેગરીમાં આવ્યા અને માત્ર 14 પરિવારો જ તેમાંથી બહાર નીકળી શક્યા. 2021-22માં BPL કેટેગરીમાં 1,751 નવા પરિવારો ઉમેરાયા હતા અને માત્ર બે પરિવારોની સ્થિતિમાં સુધારો થયો હતો. 2022-23માં BPL કેટેગરીમાં 303 પરિવારોનો વધારો જોવા મળ્યો અને માત્ર એક જ પરિવાર ગરીબીમાંથી બચી શક્યો.


અમદાવાદ સ્થિત અર્થશાસ્ત્રી હેમંત કુમાર શાહે એક અખબારને જણાવ્યું હતું કે 'જો આપણે 31.64 લાખ ગરીબ પરિવારોમાં ગરીબ પરિવાર દીઠ સરેરાશ છ સભ્યો ધારીએ, તો તેનો અર્થ એ થાય કે ગુજરાતમાં કુલ BPL વસ્તી 1 કરોડ 89 લાખ છે, જે દર્શાવે છે કે લગભગ એક -રાજ્યની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.