અંધશ્રદ્ધાની પરાકાષ્ઠાઃ ભક્તે પોતાનું ગુપ્તાંગ કાપી શિવજીને ચઢાવ્યું

આધેડે પોતાનું ગુપ્તાંગ કાપીને પુત્રને ગામના મંદિરમાં આવેલા શિવલિંગ પર ચઢાવવા મોકલ્યો. લોકોએ હર હર મહાદેવના નારા લગાવી જય જયકાર કર્યો.

અંધશ્રદ્ધાની પરાકાષ્ઠાઃ ભક્તે પોતાનું ગુપ્તાંગ કાપી શિવજીને ચઢાવ્યું
image credit - Google images

ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લામાં અંધશ્રદ્ધાની એક એવી ઘટના સામે આવી જેણે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. અહીંના મહમુદાબાદ પોલીસ સ્ટેશન હેઠળના બહરૌલી ગામમાં એક આધેડે તીક્ષ્ણ હથિયારથી પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. એ પછી તેણે કપાયેલો ભાગ તેમના 15 વર્ષના પુત્ર દ્વારા ગામના શ્રી જાગેશ્વર મહાદેવ મંદિરમાં અર્પણ કરવા મોકલ્યો. આ ઘટના બાદ ગામમાં હોબાળો મચી ગયો અને મંદિરમાં લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ. મંદિરમાં લોકોએ હર હર શંભુના નારા લગાવ્યા. આધેડ વયના વ્યક્તિની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના મહમુદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બહરૌલી ગામમાં બની હતી, જ્યાં શનિવારે સવારે બિહારી લાલ નામના 50 વર્ષના શખ્સે તીક્ષ્ણ હથિયારથી પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. એ પછી, તેણે આ કપાયેલો ભાગ તેમના 15 વર્ષના પુત્ર દ્વારા ગામના શ્રી જાગેશ્વર મહાદેવ મંદિરમાં અર્પણ કરવા મોકલ્યો. પુત્રએ કપાયેલ ગુપ્તાંગ શિવલિંગને અર્પણ કર્યો અને ઘરે પાછો ફર્યો. તે પછી બિહારીલાલ લોહીથી લથપથ પડેલા રહ્યા.

આ પણ વાંચોઃ બ્રાહ્મણ પૌત્રએ ત્રિશૂળથી દાદીની હત્યા કરી લોહી શિવલિંગને ચડાવ્યું

ગુપ્તાંગ કાપી શિવજીને ચઢાવ્યું
બિહારી લાલના દીકરાએ જણાવ્યું કે તેના પિતાએ તેને ભગવાનના મંદિરમાં અર્પણ કરવા માટે પોતાનો ગુપ્ત ભાગ કાપીને આપ્યો હતો. જ્યારે ગામલોકોને માહિતી મળી ત્યારે તેઓ મંદિરે પહોંચ્યા હતા. મંદિરમાં પણ ભારે ભીડ હતી. ગામલોકો ખૂબ જ ડરી ગયા હતા અને મંદિરમાં જોરથી ઓમ નમઃ શિવાયનો જાપ કરવા લાગ્યા. ગુપ્તાંગ કાપીને તેને અર્પણ કરવાની ચર્ચા આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકો જાતભાતની ચર્ચા કરી રહ્યા છે. જે આધેડે પોતાનું ગુપ્તાંગ કાપ્યું તે માનસિક રીતે બીમાર હોવાનું કહેવાય છે. હાલમાં, તેની સીતાપુર જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પત્નીએ સાચી વાત જણાવી
બિહારી લાલની પત્ની આશા દેવીએ જણાવ્યું હતું કે જ્યારે બિહારી લાલને સવારે ઉઠીને નહાવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે ના પાડી દીધી હતી. તેમણે કહ્યું, મને મંદિર લઈ જાઓ. પરિવાર તેને મંદિરમાં લઈ ગયો, જ્યાં પૂજા કર્યા પછી તેઓ તેને ઘરે પાછો લાવ્યા. થોડા સમય પછી, બિહારી લાલની તબિયત બગડવા લાગી અને તેઓ બોલી શકતા ન હતા. જ્યારે પત્નીએ હોસ્પિટલ જવા કહ્યું, ત્યારે બિહારીલાલે ના પાડી અને મંદિર લઈ જવા કહ્યું. પરિવાર તેને બળજબરીથી હોસ્પિટલ લઈ ગયો, ત્યારે જ ખબર પડી કે તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખવામાં આવ્યો હતો.

બિહારીલાલની હાલત ગંભીર છે.
બિહારી લાલની પત્ની આશા દેવીએ જણાવ્યું કે બિહારી લાલની માનસિક સ્થિતિ સારી નથી. તેઓ અંધ શ્રદ્ધામાં માને છે અને તેમનું મન જે કહે છે તે કરે છે. તેઓ ઘણા દિવસથી મંદિરમાં જાય છે. હાલમાં, નાદુરસ્ત તબિયતને કારણે, બિહારી લાલ પાસેથી ઘટના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકાઈ નથી. મળતી માહિતી મુજબ બિહારી લાલને 5 બાળકો છે.

આ પણ વાંચોઃ ગોંડલના ભોજપરામાં આધેડે શિવલિંગ સામે ગળું કાપી કમળપૂજા કરી?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.