ગોંડલના ભોજપરામાં આધેડે શિવલિંગ સામે ગળું કાપી કમળપૂજા કરી?

ગોંડલનાં ભોજપરા ગામે આવેલા શિવમંદિરની ઘટના. આધેડે શિવલિંગ સામે બેસી પોતાનું જ ગળું કાપી કમળપૂજા કરી.

ગોંડલના ભોજપરામાં આધેડે શિવલિંગ સામે ગળું કાપી કમળપૂજા કરી?
image credit - Google images

man cut his throat in front of a shivling and performed kamal puja : રાજકોટ (Rajkot) ના ગોંડલ (Gondal) ના ભોજપુરા ગામે (Bhojpura Village) અંધશ્રદ્ધા (Superstition) નો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક આધેડે ચંદ્રમૌલેશ્વર મહાદેવ (Chandramauleshwar Mahadev) મંદિરે ગળું કાપી કમળ પૂજા કરવાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયાં તેણે આજે સવારે પોતાનું ગળુ કાપી જાતબલી ચડાવવાનો પ્રયાસ કર્યાનું બહાર આવ્યું છે. આ બાબતે ગોંડલ પોલીસે રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચીને આધેડના પરિવારના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.

મામલો શું છે?

આ બનાવની મળતી માહિતી મુજબ ગોંડલ-જેતપુર રોડ પર આવેલ આશોપાલવ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.47) નામના આધેડ ગઈકાલે સવારે પોતાના ઘરેથી નીકળી ભોજપરા ગામે આવેલ નૂતન સ્કૂલ પાસેના ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. ત્યાં પુજા કર્યા બાદ આજુબાજુમાં કોઇ નહીં દેખાતા પોતાની પાસે રહેલી ધારદાર છરી વડે પોતાનું ગળું કાપી બલી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો.

એ દરમિયાન એક દર્શાનાર્થી મંદિરમાં પહોંચ્યો હતો અને તેણે ધર્મેન્દ્રસિંહને લોહીલુહાણ હાલતમાં શિવલિંગ પાસે પડેલો જોઈ આજુબાજુના લોકોને જાણ કરી હતી. એ પછી તેને પહેલા ગોંડલ અને બાદમાં એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આધેડની ઇમરજન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આધેડ મુંબઈમાં કોન્ટ્રાક્ટર સાથે કામ કરે છે

ઉલ્લેખનીય છે કે, આધેડ વયનો ધર્મેન્દ્રસિંહ ઝાલા મુંબઇમાં કોન્ટ્રાકટર સાથે કામ કરે છે અને શિવજીના મોટા ભક્ત છે. તેમને સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. તેઓ બે મહીનાથી ગોંડલ તેમના ઘરે આવ્યા હતા. પોતે બે ભાઇમાં મોટા હોવાનું જાણવા મળી રહ્યું છે. ધર્મેન્દ્રસિંહને સારવાર માટે લઇને આવેલા તેમના નાના ભાઇ ક્રિપાલસિંહે જણાવ્યું હતું કે, ધર્મેન્દ્રસિંહ આજે સવારે મંદિરે જાવ છું તેમ કહી નિકળ્યા બાદ તેઓ મંદિરેથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. તેમણે કમળપૂજા કરવાનો પ્રયાસ કર્યો હોવાનો હાલ સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ બ્રાહ્મણ પૌત્રએ ત્રિશૂળથી દાદીની હત્યા કરી લોહી શિવલિંગને ચઢાવ્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.