કાકડિયા હોસ્પિટલમાં મૃત્યુ પામેલા દલિત યુવકનો મૃતદેહ આખરે સ્વીકારાયો

બાપુનગરની કાકડીયા હોસ્પિટલમાં મોતને ભેટેલા અમરાઈવાડીના દલિત યુવકનો મૃતદેહ પરિવારે સ્વીકારી લીધો છે. હોસ્પિટલ દ્વારા તેમને અનેક પ્રકારની ખાતરીઓ આપવામાં આવી છે.

કાકડિયા હોસ્પિટલમાં મૃત્યુ પામેલા દલિત યુવકનો મૃતદેહ આખરે સ્વીકારાયો
image credit - Google images

બાપુનગર વિસ્તારમાં શ્યામ શિખર નજીક આવેલ  કાકડીયા હોસ્પિટલમાં દર્દીને સ્ટેન્ટ મૂક્યા બાદ તેનું મૃત્યુ થતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. મૃતકના પરિવારજનોએ ન્યાય નહીં મળે ત્યાં સુધી નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે પોલીસ અને હોસ્પિટલ મેનેજમેન્ટ તંત્ર તેમજ હોસ્પિટલના ટ્રસ્ટી અને ભાજપના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડીયા દ્વારા સંપૂર્ણપણે ન્યાયિક તપાસ કરવાની અને મૃતકનું યોગ્ય રીતે પોસ્ટમોર્ટમ કરવાની ખાતરી તેમજ ભારે સમજાવટ બાદ પરિવારજનો દ્વારા મૃતદેહને સ્વીકારવામાં આવ્યો હતો. 

પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને શહેર કોટડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ હવે મૃતકના પરિવારજનો અને હોસ્પિટલમાં સર્જરી કરનાર ડોકટર અને હાજર સ્ટાફના નિવેદનો નોંધશે. સાથે પીએમ રિપોર્ટના આધારે શહેર કોટડા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.

કાકડીયા હોસ્પિટલ તરફથી સત્તાવાર રીતે પ્રેસનોટ જાહેર કરી અને માહિતી આપવામાં આવી હતી કે, રવિવારે સવારે 10.30 વાગ્યે હૃદયના અને ડાબા ખભાના દુખાવાની ફરિયાદ સાથે એક દર્દી કાકડીયા હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. તેમની મેડિકલ તપાસ અને કાર્ડીઓગ્રામ કરતા તેમને હૃદયનો ભારે હુમલો (Inferior wall ST Elevation MI) હોવાથી તેમનું નિદાન કરવામાં આવ્યું હતું. તાત્કાલિક સારવાર તરીકે તેમને Anti-Platelet Loading Dose, Heparin ઈન્જેકશન આપ્યા પછી રોગની ગંભીરતાના કારણે તાત્કાલિક એન્જીઓગ્રાફી માટે સમજાવ્યા હતા.

દર્દીના સગાની સંમતિ પછી PMJAY ઓફિસમાંથી ઇમરજન્સી એપ્રુવલ સરકારની ગાઈડલાઈન પ્રમાણે લેવામાં આવ્યું હતું. જેનું VTPN NO. 138342 છે. આ વર્તમાન AMERICAN HEART ASSOCIATION (AHA) 11 PMJAYની ગાઈડલાઈન મુજબ તાત્કાલિક સારવાર માટે (PRIMARY ANGIOPLASTY IN ACUTE MI- PAMI) તેમને કેથલેબમાં એન્જીઓગ્રાફીમાં લીધેલાં હતા. એન્જીઓગ્રાફીમાં હૃદયની મુખ્ય નળીમાં - LEFT CIRCUMFLEX ARTERYમાં 100 ટકા બ્લોકેજ જોવા મળ્યું હતું. દર્દીના હાજર સગાને એન્જીઓગ્રાફીનો વીડિયો બતાવી અને સ્ટેન્ટ મુકવાની ઇમરજન્સીમાં જરૂર છે. ઓપરેશનના ફાયદા અને જોખમ વિષે સમજવામાં આવ્યા બાદ દર્દીના સગાએ 10 મિનિટ જેટલા સમય પછી લેખિતમાં સંમતિ આપ્યા બાદ તેમની એન્જીયોપ્લાસ્ટી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.

તે બાદ દર્દીને સ્વસ્થ અવસ્થામાં ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને તેમના સગા સબંધી સાથે સભાન પૂર્વક વાતચીત પણ કરી હતી. આશરે 30 મિનિટ બાદ દર્દીને Malignant VENTICULAR TACHYCARDIAVENTICULAR FIBRIILLATION (65 ટકા ધબકારાની તકલીફો થતા Advance Cardiovascular Life Support (ACLS)ની ગાઈડ લાઈન મુજબ 40થી 50 મિનિટ સુધી અનુભવી ડૉક્ટરની ટીમ દ્વારા RESUSCITATION (CPR) કરવામાં આવ્યું હતું. આ બધી સારવારની વિગતવાર માહિતી દર્દીના હાજર સગાને સમયે સમયે સમજવામાં આવી હતી. હોસ્પિટલ અને સ્ટાફના અથાગ પ્રયાસ પછી પણ દર્દીનું દુઃખદ અવસાન થવાથી સમગ્ર હોસ્પિટલ અને ડોક્ટર્સની ટીમ દિલગીર છે.

વલ્લભ કાકડિયાએ ઉચ્ચ અધિકારીઓને ફોન કરી મામલે થાળે પાડ્યો

કાકડીયા હોસ્પિટલમાં દર્દીના મોત બાદ તેના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેમાં ખૂદ હોસ્પિટલના ટ્રસ્ટી અને ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વલ્લભ કાકડીયાને મૃતકના પરિવારજનોને યોગ્ય તપાસ થાય તે માટે સહકાર આપીશું તેમ સમજાવવા દોડી આવવું પડયું હતું. વલ્લભ કાકડીયાએ ઉચ્ચ અધિકારીઓને ફોન કરી અમારા ડોકટર અને જવાબદાર અન્ય સ્ટાફની જો કોઈ પણ બેદરકારી તપાસ દરમિયાન બહાર આવે તો તેની ન્યાયિક તપાસ કરી કાયદાકીય પગલા ભરવાની છૂટ છે તેમ કહેવાની ફરજ પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો: અમરાઈવાડીના દલિત યુવકનું ભાજપ નેતાની હોસ્પિટલમાં સ્ટેન્ટ મૂક્યા બાદ મોત


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.