અમુક જજો સુપ્રીમ કોર્ટમાં બઢતી માટે લોબિંગ કરાવે છેઃ જસ્ટિસ ગવઈ

દલિત સમાજમાંથી આવતા અને વર્ષ 2025માં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનવા જઈ રહેલા જસ્ટિસ બી.આર.ગવઈએ અમુક જજોની આળસ અને લાલચને જાહેરમાં ખૂલ્લી પાડી છે.

અમુક જજો સુપ્રીમ કોર્ટમાં બઢતી માટે લોબિંગ કરાવે છેઃ જસ્ટિસ ગવઈ
image credit - Google images

દલિત સમાજમાંથી આવતા અને વર્ષ 2025માં ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનવા જઈ રહેલા જસ્ટિસ બી.આર. ગવઈએ જજોની સુપ્રીમ કોર્ટમાં બઢતી મેળવવાની લાલસાને જાહેરમાં ખૂલ્લી પાડી છે. તેમણે કહ્યું કે, કેટલાક ન્યાયાધીશો સુપ્રીમ કોર્ટમાં બઢતી માટે તેમની ઉમેદવારી માટે લોબિંગ કરવાની હદ સુધી જાય છે.

જસ્ટિસ બી.આર. ગવઈએ હાઈકોર્ટના જજો અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કેટલાક ન્યાયાધીશો સમયસર કોર્ટમાં આવતા નથી તે ભારત જેવા કરોડો કેસોના ભારણ ધરાવતા દેશમાં ચિંતાનો વિષય છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.આર. ગવઈએ હાઈકોર્ટના જજોને લઈને જણાવ્યું હતું કે, કેટલાક ન્યાયાધીશો સમયસર કોર્ટમાં આવતા નથી અને સુપ્રીમ કોર્ટમાં પ્રમોશન માટે ભલામણ કરે છે. જસ્ટિસ ગવઈએ ૨૯ જૂને કોલકાતામાં નેશનલ જ્યુડિશિયલ એકેડમી કોન્ફરન્સમાં આ વાત કહી હતી. 

જસ્ટિસ ગવઈએ કહ્યું કે, જ્યારથી તેઓ સુપ્રીમ કોર્ટ કોલેજિયમનો હિસ્સો બન્યા છે ત્યારથી તેમણે ઘણી ચિંતાજનક બાબતો જોઈ છે. કેટલીક હાઈકોર્ટમાં ન્યાયાધીશો સમયસર કોર્ટ રૂમમાં બેસતા નથી.

આ પણ વાંચો: દારૂના નશામાં ધૂત થઈ કોર્ટમાં ચુકાદો સંભળાવતા જજને સસ્પેન્ડ કરાયા

જસ્ટિસ ગવઈએ કહ્યું, 'એ જાણીને આશ્ચર્ય થાય છે કે કેટલાક ન્યાયાધીશો 10.30 ને બદલે 11.30 વાગ્યે કોર્ટમાં બેસે છે અને 1.30ને બદલે 12.30 વાગ્યે ઉભા થઈ જાય છે. ચોંકાવનારી બાબત એ છે કે, કેટલાક ન્યાયધીશો બીજી પાળીમાં બિલકુલ બેસતા નથી. 

જસ્ટિસ ગવઈએ વધુમાં જણાવ્યું હતું કે, એ કહેતા દુઃખ થાય છે કે કેટલાક ન્યાયાધીશોને સુપ્રીમ કોર્ટમાં પ્રમોશન માટે ભલામણો પણ મળે છે. તેઓ એ સાબિત કરવાનો પ્રયાસ કરે છે કે તેઓ તે કોર્ટના અન્ય વરિષ્ઠ ન્યાયાધીશો કરતાં સુપ્રીમ કોર્ટમાં પ્રમોશન માટે વધુ યોગ્ય છે.

તેમણે આગળ જણાવ્યું હતું કે, એ કહેવું દુઃખદાયક છે કે કેટલાક ન્યાયાધીશો સુપ્રીમ કોર્ટમાં બઢતી માટે તેમની ઉમેદવારી માટે લોબિંગ કરવાની હદ સુધી જાય છે. ન્યાયાધીશોમાં ન્યાયિક શિસ્ત ખૂબ જ મહત્વપૂર્ણ છે. ન્યાયાધીશોએ સમયસર કોર્ટમાં આવવું જોઈએ અને તેમના કામ પ્રત્યે પ્રમાણિક રહેવું જોઈએ.

જસ્ટિસ ગવઈએ નિમણૂંકોની પ્રક્રિયા સમજાવતા કહ્યું કે, "કોલેજિયમ ડેટાબેઝ પર કામ કરે છે. તેમાં તે તમામ ન્યાયાધીશોની માહિતી છે જેઓ વિચારણા હેઠળના ક્ષેત્રમાં છે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટમાં સલાહ લેતા ન્યાયાધીશોના અભિપ્રાય સહિત વિવિધ સ્ત્રોતોમાંથી મળેલા ઇનપુટ્‌સને પણ ધ્યાનમાં લેવામાં આવે છે, જેમને આવા ન્યાયાધીશોની કામગીરીની તપાસ કરવાની તક મળી હતી."

આ પણ વાંચોઃ ફક્ત ડૉ. આંબેડકરના કારણે જજ બની શક્યો છું - જસ્ટિસ બી.આર. ગવઈ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.