નિર્દોષ દલિત કિશોરને તાલીબાની સજા : જાતિવાદીઓએ ઝાડ સાથે બાંધીને માર્યો
નિર્દોષ કિશોર પર પાઈપ ચોરવાનો આરોપ મૂકી જાતિવાદીઓએ તેને ઝાડ સાથે બાંધીને ફટકાર્યો. ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી. કિશોરની ભાળ મળતી નથી.

ઉત્તરપ્રદેશ (Uttar Pradesh) ના કૌશાંબી (Kaushambi) જિલ્લામાં એક નિર્દોષ દલિત કિશોરને જાતિવાદી તત્વોએ ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી ફટકાર્યો (Dalit teenager tied to tree and beaten) હોવાની ઘટના સામે આવી છે. લુખ્ખા તત્વોએ નિર્દોષ દલિત કિશોર પર પાઈપ તોડવાનો આરોપ મૂક્યો હતો અને પછી તેને ઝાડ સાથે બાંધીને તેને માર માર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Video Viral On Social Media) પર વાયરલ થયા બાદ પોલીસે કેસ નોંધીને ત્રણ આરોપીઓની ધરપકડ (3 accused arrrested) કરી છે.
યુપીના કૌશાંબીના ગુવારા તૈયબપુરાની ઘટના
આ મામલો કરાડી પોલીસ સ્ટેશન (Karadi Police Station) વિસ્તારના ગુવારા તૈયબપુર ગામ (Guwara Taibpur) નો છે. ગામના રહેવાસી ફૂલચંદ્રએ (Phoolchandra) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમનો પુત્ર અંકિત કુમાર (Ankit kumar) 9 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે તેના મિત્રો સાથે પડોશી ગામ ખરગુ કા પુરામાં રમવા ગયો હતો. એ દરમિયાન ગામના નન્હુ યાદવે (nanhu yadav) અંકિત પર પાઇપ તોડવાનો આરોપ લગાવ્યો અને તેને પકડીને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો.
પોલીસે આરોપીઓની ધરપકડ કરી
ફૂલ ચંદ્રે જણાવ્યું કે જ્યારે અંકિત લાંબા સમય સુધી ઘરે પરત ન ફર્યો ત્યારે તેમણે પૂછપરછ કરી અને પછી તેમને આ બાબતની જાણ થઈ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ પોલીસ સક્રિય થઈ હતી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. મંઝનપુરના રેન્જ ઓફિસર શિવાંક સિંહે જણાવ્યું હતું કે 21 જાન્યુઆરીએ ત્રણ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે તેમની ધરપકડ પણ કરી હતી.
ઇન્ચાર્જ અધિકારીએ જણાવ્યું કે ત્રણેય પર કિશોરને પકડવાનો, માર મારવાનો અને દોરડાથી ઝાડ સાથે બાંધીને નિર્દયતાતી ત્રાસ આપવાનો આરોપ છે. આવી સ્થિતિમાં ત્રણેયની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
ઘટના ઘટી ત્યારથી કિશોર ઘરેથી ગુમ છે
આ ઘટનામાં ચિંતાજનક બાબત એ છે કે પીડિત કિશોર અંકિત આ ઘટના બની ત્યારથી ઘરેથી ગુમ થઈ ગયો છે. તેનો પરિવાર સતત તેની શોધ કરી રહ્યો છે, પરંતુ હજુ સુધી પોલીસ તેને શોધી શકી નથી. પોલીસને ફરિયાદ આપવામાં આવી હતી. આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ કિશોર હજુ સુધી મળ્યો નથી. ગુમ થયેલા કિશોર અંકિતના પરિવારે જણાવ્યું છે કે, જો અંકિતનો પત્તો નહીં મળે તો અમે પોલીસ અધિક્ષકને મળીશું અને આ બાબતની ફરિયાદ કરીશું.
આ પણ વાંચો: આદિવાસી મહિલાઓને ઝાડ સાથે બાંધી ‘જય શ્રી રામ’ના નારા લગાવડાવ્યા