ન્યાયની દેવીની આંખેથી પટ્ટી ઉતરી, હાથમાં તલવારને બદલે બંધારણ અપાયું

સુપ્રીમ કોર્ટના જજોની લાઈબ્રેરીમાં ન્યાયની દેવીની મૂર્તિ લગાવવામાં આવી છે. તેની આંખો પરથી પટ્ટી દૂર કરાઈ છે અને હાથમાં તલવારને બદલે દેશનું બંધારણ અપાયું છે.

ન્યાયની દેવીની આંખેથી પટ્ટી ઉતરી, હાથમાં તલવારને બદલે બંધારણ અપાયું
image credit - Google images

સુપ્રીમ કોર્ટના જજોની લાઇબ્રેરીમાં ન્યાયની દેવીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમામાં નવી વાત એ છે કે અગાઉ ન્યાયની દેવીની પ્રતિમાના એક હાથમાં ત્રાજવા અને બીજા હાથમાં તલવાર હતી અને તેની આંખો પર પટ્ટી બાંધેલી હતી, હવે ન્યાયની દેવીની આંખની પટ્ટી હટાવી દેવામાં આવી છે. એટલું જ નહીં, તેના હાથમાં તલવારને બદલે દેશનું બંધારણ આપવામાં આવ્યું છે.

સામાન્ય રીતે આપણે ફિલ્મો, સિરિયલો અને બીજા ઘણા માધ્યમોમાં જ્યારે અદાલત જોઈએ ત્યારે ન્યાયાધિશની બાજુમાં ન્યાયની દેવીની મૂર્તિ હોય છે. ન્યાયની દેવીની મૂર્તિ ઉપર આંખે પાટા બાંધેલા અને હાથમાં તલવાર રાખેલી તથા બીજા હાથમાં ત્રાજવું રાખેલું હોય છે. ન્યાયની આ દેવીને ધ્યાનમાં રાખીને અંધા કાનૂન અને બીજી ઘણી ફિલ્મો બનેલી છે. આ ન્યાયની દેવીની મૂર્તિમાં હવે મોટું પરિવર્તન આવ્યું છે. ભારત સરકાર દ્વારા અંગ્રેજોના સમયથી ચાલતા આવતા ન્યાયંત્રને ભારતીય વ્યવસ્થા અનુરૂપ બદલવાની મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેના પગલે આ વર્ષે ભારતીય ન્યાય સંહિતા લાગુ કરવામાં આવી. હવે ભારતીય ન્યાયતંત્રના પ્રતિક રૂપે ન્યાયની દેવીનું પણ સ્વરૂપ બદલવામાં આવ્યું છે. 

સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડની ભલામણ બાદ ન્યાયની દેવીનું સ્વરૂપ બદલવામાં આવ્યું છે. નવા સ્વરૂપ સાથેની પ્રતિમાઓ જજની લાઈબ્રેરીમાં મુકવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ન્યાયની દેવીના નવા સ્વરૂપમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અંધા કાનૂનને દર્શાવતી દેવીની પ્રતિમાની આંખો ઉપરથી કાળી પટ્ટી દૂર કરવામાં આવી છે. હવે ન્યાયની દેવી બધું જ જોઈ શકે છે. આ ઉપરાંત તેમની મૂર્તિના એક હાથમાં ત્રાજવું યથાવત્ છે જે તમામ લોકોને સમાન ત્રાજવે તોલીને ન્યાય કરે છે. બીજી તરફ બીજા હાથમાંથી તલવાર લઈ લેવાઈ છે અને તેના સ્થાને બંધારણ આપવામાં આવ્યું છે. સીજેઆઈનું માનવું હતું કે, તલવાર તો હિંસાનું પ્રતિક છે. કોર્ટ હિંસા નથી કરતી તે તો ન્યાય કરે છે તે હિંસાનું સમર્થન કરનાર ન હોઈ શકે. તેના પગલે જ તલવાર ના બદલે હવે બંધારણ રાખવામાં આવ્યું છે. 

થીમિસને કાયદો અને વ્યવસ્થાનું પ્રતીક માનવામાં આવે છે

કોર્ટોમાં જોવા મળતી મૂર્તિને ન્યાયની દેવી કહેવામાં આવે છે. આ મૂર્તિને મિસ્રની દેવી માત અને ગ્રીક દેવી થેમિસના નામથી ઓળખવામાં આવે છે. તેને સદ્ભાવના, ન્યાય, કાયદો અને શાંતિ જેવી વિચારધારાઓનું પ્રતીક માનવામાં આવે છે. ગ્રીસમાં થેમિસને સત્ય અને કાયદો વ્યવસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. દંતકથા અનુસાર, ડિકી જૂસની પુત્રી હતી. તે એ વિલ્કાપના લોકોને ન્યાય આપતી હતી. ડિઓસ દ્વારા ઝિઉસને બૃહસ્પતિ, પ્રકાશ અને જ્ઞાનના દેવ તરીકે ઓળખવામાં આવતા હતા. જસ્ટિસિયા એ દેવી ડિકીનો રોમન વિકલ્પ હતી. હવે તેમાં ફેરફાર કરાયો છે.

આ પણ વાંચો: હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના જજોની જગ્યામાં પણ અનામત લાગુ કરોઃ માયાવતી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.