સાબરકાંઠાના ખેરોજની નચિકેતા વિદ્યાલયમાં 13 જેટલાં બાળકોને ડામ અપાતા ચકચાર, તંત્રને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા વાલીઓમાં આક્રોશ

સાબરકાંઠાના ખેરોજની નચિકેતા વિદ્યાલયમાં 13 જેટલાં બાળકોને ડામ અપાતા ચકચાર, તંત્રને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા વાલીઓમાં આક્રોશ

સાબરકાંઠા જિલ્લાના ખેરોજની નચિકેતા સ્કૂલમાં 13 જેટલા બાળકોને શાળામાં મસ્તી કરતા હોવાને કારણે ડામ આપવામાં આવ્યો હોવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વાલીઓએ પોલીસ, કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે. વાલીઓનો આક્ષેપ છે કે આ ગંભીર ઘટનાને લઈને તંત્રને રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી નથી કરાઈ.

.વિદ્યાર્થીઓને ડામ અપાતા ખળભળાટ

.મળતી વિગતો અનુસાર, સાબરકાંઠા જિલ્લાના ખરોજની નચિકેતા વિદ્યાલય વિવાદમાં સપડાઈ છે. નિધિ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતી નચિકેતા વિદ્યાલયમાં 13 જેટલા બાળકોને ડામ આપવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. વાલીઓ દ્વારા જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. નચિકેતા વિદ્યાલયમાં થોડા દિવસ અગાઉ વિદ્યાર્થીઓ મસ્તી કરતા હોવાથી 13 જેટલા બાળકોને ડામ આપવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં વાલીઓ સ્કૂલમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સ્કૂલના પ્રિન્સિપાલને આ મામલે ફરિયાદ કરી હતી. એ પછી તેઓ સીધા ખેરોજ પોલીસ સ્ટેશન ગયા હતા અને ત્યાં સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઉપરાંત વાલીઓએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરી હતી. જો કે તંત્રમાં લેખિત રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જેના કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.