લંડનમાં 22 વર્ષમાં 1320 રેપ કરનાર ઢોંગી ભારતીય બાબા પર કેસ નોંધાયો

યુપીના હાથરસમાં સત્સંગમાં બનેલી ઘટનામાં ભોલે બાબા પર કેસ નથી થયો, પરંતુ લંડનમાં એક ઢોંગી બાબાનો મોટો કાંડ સામે આવ્યો છે.

લંડનમાં 22 વર્ષમાં 1320 રેપ કરનાર ઢોંગી ભારતીય બાબા પર કેસ નોંધાયો
image credit - Google images

હાથરસમાં સ્વયંભૂ સંત ભોલે બાબાના સત્સંગમાં ભાગદોડ મચતા ૧૨૧ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો હતા. પોલીસ હાલ બાબાને શોધી રહી છે પણ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ભોલે બાબાનું ફરિયાદમાં નામ નથી. 

આ બધાં વચ્ચે લંડનથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં ભારતીય મૂળના એક ઢોંગી બાબા જે પોતાને જીવતા ભગવાન ગણાવે છે તેમના પર બળાત્કારનો કેસ નોંધાયો છે. ૬૮ વર્ષના આ બાબાનું નામ રાજિન્દર કાલિયા છે અને તેમના પર મહિલાઓએ યૌન ઉત્પીડન અને ઠગાઈનો આરોપ લગાવ્યો છે. સાથે જ લગભગ ૮૫ કરોડ ( ૮ મિલિયન પાઉન્ડ) જેટલું વળતર માંગ્યું છે. 

મહિલાઓએ આરોપ લગાવ્યો છે કે રાજિન્દર કાલિયા બાબાએ તેમની પાસે પગાર વગર કામ કરાવ્યું છે. ૪ મહિલાઓએ બાબા પર અનેક વર્ષ સુધી રેપ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. રાજિન્દર પર આરોપ લગાવનારી મહિલાઓ પણ ભારતીય મૂળની છે. આ મહિલાઓનું કહેવું છે કે બાબા પોતાને ભગવાનનો અવતાર ગણાવે છે. તેઓ ઉપદેશ આપવાની સાથે અનેક પ્રકારના ચમત્કાર પણ કરે છે અને બીમારીથી સાજા કરવાનો દાવો કરે છે. 

સ્વયંભૂ કથિત ભગવાન રાજિન્દર કાલિયા પંજાબનો રહિશ છે. તે લંડન કમાવા ગયો હતો પરંતુ ત્યાં તેણે ધર્મની આડમાં ધંધો શરૂ કરી દીધો. તે પોતાના ચમત્કારોની મદદથી અનેક પ્રકારની બીમારીઓ ઠીક કરવાનો દાવો કરવા લાગ્યો અને લોકો તેની ચુંગાલમાં ફસાવા પણ લાગ્યા. કેટલાક લોકો તેને ભગવાનનો અવતાર માનવા લાગ્યા. કાલિયા પર આરોપ લગાવનારી મહિલાઓનું કહેવું છે કે બાબાનો અંચળો ઓઢેલા આ ઢોંગી શખ્સ બાળપણથી તેમનું શોષણ કરતો હતો. 

આ પણ વાંચો: Exclusive: શું શહેરીકરણથી જ્ઞાતિ વ્યવસ્થા નબળી પડી છે?

હવે આ મામલો લંડનની કોર્ટમાં પહોંચ્યો છે. રાજિન્દ કાલિયાની અનુયાયી રહી ચૂકેલી આ મહિલાઓનો એ પણ આરોપ છે કે બાબા ખૂબ પ્રભાવશાળી છે. બળાત્કારના કેસને દબાવવા માટે તેમણે મિડલેન્ડ્‌સ પોલીસને લાંચ પણ આપી હતી, જેના કારણે પોલીસે તપાસ કરવાનું બંધ કરી દીધું હતું. રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં જસ્ટિસ માર્ટિન સ્પેન્સરની કોર્ટમાં રાજિન્દર કાલિયા પર કેસ શરૂ થઈ ચૂક્યો છે. આ મામલામાં આગામી મહિના સુધીમાં ચુકાદો આવવાની આશા છે.

રાજિન્દર પર બેલ ગ્રીન સ્થિત બાબા બાલકનાથ મંદિરમાં ૪ વર્ષના બાળકને પોતાના વશમાં કરવાનો પણ આરોપ છે. રાજિન્દર કાલિયાએ પોતાના બચાવમાં કહ્યું કે "મારા વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. આમ છતાં કોઈ કોર્ટમાં જવા માંગતા હોય તો તે તેમનો હક છે. સચ્ચાઈ જલદી સામે આવી જશે."

ઉલ્લેખનીય છે કે, લગભગ ૧૦ વર્ષ પહેલા સપ્ટેમ્બર ૨૦૧૪માં અખિલ ભારતીય અખાડા પરિષદે પોતે ફેક બાબાઓની યાદી જાહેર કરીને તેમને ઢોંગી ગણાવ્યા હતા. અખાડા પરિષદની યાદીમાં બળાત્કારી બાબા ગુરમીત રામ રહીમ, આસારામ ઉર્ફે આશુમલ શિમાની, આસારામનો પુત્ર નારાયણ સાંઈ, સુખવિંદર કૌર ઉર્ફે રાધે મા, ર્નિમલબાબા ઉર્ફે નિર્મલજીત સિંહ સહિત અનેક નામો હતા. 

અખિલ ભારતીય અખાડા પરિષદની કાર્યકારિણીમાં આ તમામનો દેશવ્યાપી બહિષ્કાર કરવાની અપીલ કરાઈ હતી. યાદીમાં સચિદાનંદ ગિરિ ઉર્ફે સચિન દત્તા, ઓમબાબા ઉર્ફે વિવેકાનંદ ઝા, ઈચ્છાધારી ભીમાનંદ ઉર્ફે શિવમૂર્તિ દ્વિવેદી, સ્વામી અસીમાનંદ, કુશ મુનિ, બૃહસ્પતિ ગિરિ, વૃહસ્પતિ ગિરિ અને મલકાન ગિરિના પણ નામ હતા.

આ પણ વાંચો: એ દિવસે પહેલીવાર મારા પિતાએ ‘ભૂત’ જોયું! - પિયુષ જાદુગર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.