ગણેશોત્સવ જોતિરાવ ફૂલેને આદર્શ માનતા OBC બૌદ્ધિકોની હાર છે
બાળ ગંગાધર તિલક દ્વારા શરૂ કરાયેલા ગણેશોત્સવને તેમના અનુયાયીઓએ જીવંત રાખ્યો, પણ જોતિરાવ ફૂલે-શાહુ મહારાજના સત્યશોધક આંદોલનને તેમના શિષ્યો જીવાડી ન શક્યા.
ભારત ભગવાન અને ધર્મનો દેશ છે. બ્રાહ્મણ ધર્મવાદી લોકો દાવો કરે છે કે ભારતમાં 33 કરોડ દેવતાઓ છે. આ માટે તેઓ વૈદિક સાહિત્યનો સંદર્ભ પણ આપે છે. જો કે, તેઓ જે કાળખંડનો હવાલો આપે છે તે સમયે આ દેશની કુલ વસ્તી 33 કરોડ પણ નહોતી. તો પણ ભારત ગુલામી અને આક્રમણખોરોના ઓછાયા તળે જીવી રહ્યું હતું. મૂળનિવાસીઓએ પોતાનું લોહી વહાવ્યું અને આક્રમણકારોને મારીને ભગાડી દીધા. સવાલ એ થાય કે એ સમયે કહેવાતા ભગવાન શું કરતા હતા? શું તેમનું કામ માત્ર મંદિરમાં પડ્યા રહેવાનું હતું?
આમાંથી એક પ્રશ્ન એ પણ થાય છે કે જો ભગવાન છે તો દેશમાં અસમાનતા શા માટે છે, મંદિરોમાં ચોરીઓ અને પુજારીઓ દ્વારા બળાત્કારો કેમ થાય છે? ભગવાનના સત્સંગ કાર્યક્રમોમાં નાસભાગ અને સેંકડો લોકોના મોત શા માટે થાય છે? મંદિરોમાં પૂજા બાદ યાત્રાઓ દરમિયાન અકસ્માતો કેમ થાય છે?
આ બધું જોઈને એક તારણ પર પહોંચવામાં મદદ મળે છે કે ભગવાન અને મંદિરોની રચના કાવતરાખોરો, ચાલાક અને ભગવાનનો ભય બતાવીને વર્ણવ્યવસ્થા દ્વારા પોતાનું સ્થાન ઉંચું રાખનારા જૂથે કરી છે.
આ પણ વાંચોઃ છેલ્લાં 5 વર્ષમાં 19000 ઓબીસી, એસસી, એસટી વિદ્યાર્થીઓએ કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓ છોડી
અહીં ગણેશોત્સવ ક્યારે, કેવી રીતે અને કોણે શરૂ કર્યો તેની ચર્ચા ચાલી રહી છે. 1890 પછી ભારતમાં હિંદુ-મુસ્લિમ એકતામાં તિરાડ પડવાનું શરૂ થઈ ગયું હતું. જો કે પેશ્વાઓ (ચિતપાવની બ્રાહ્મણો) હૈદર અલી અને ટીપુ સુલતાન સાથે રાજકીય રીતે મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવતા ન હતા, પણ મુઘલો સાથે તેમના મૈત્રીપૂર્ણ સંબંધો હતા. તેમ છતાં અંગ્રેજોના સમયગાળા દરમિયાન ગૌરક્ષાને લઈને કેટલીક જગ્યાએ ધાર્મિક રમખાણોને કારણે હિન્દુ-મુસ્લિમ એકતામાં ઓટ આવવા લાગી હતી. ભારતમાં પ્રથમ હિંદુ-મુસ્લિમ રમખાણ 1890માં બેલગામ (કર્ણાટક)માં અને બીજું 1891-92માં ગુજરાતના સૌરાષ્ટ્રમાં થયું હતું. ઓગસ્ટ 1893માં બોમ્બેમાં ગૌરક્ષાના નામે હિંદુ-મુસ્લિમ રમખાણો થયા હતા. આ રમખાણોની બંને સમાજ પર ઊંડી અસર પડી હતી.
આ રમખાણોને કારણે બાલ ગંગાધર તિલકના મનમાં સાર્વજનિક ગણેશોત્સવ ઉજવવાનો વિચાર આવ્યો અને તેમણે 1893માં પુણેમાં પહેલા સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત કરી. પુણેમાં બાબા મહારાજના ઘરે હિંદુ-મુસ્લિમ રમખાણોને લઈને એક જાહેર સભા યોજાઈ હતી. આ મીટીંગમાં બાલ ગંગાધર ટિળકે ગણેશોત્સવ, તેનું વિસર્જન અને જાહેર સરઘસ કાઢીને સામાજિક રીતે તેની ઉજવણી કરવાના વિચાર પર તેમના મિત્ર નામ જોષી સાથે ચર્ચા કરી હતી.
આ પણ વાંચોઃ મુખ્યમંત્રી અમારી જાતિનો છે, અમારી ઈચ્છા થશે ત્યારે પાણી આપીશું...
તેમના ઈરાદા કઈ હદે ખતરનાક હતા તે આજના ગણેશોત્સવનું સ્વરૂપ જોઈને સમજી શકાય છે. આમ સાર્વજનિક ગણેશોત્સવની ઉત્પત્તિ મુંબઈમાં થઈ, હિંદુ-મુસ્લિમ રમખાણોને કારણે થઈ અને બાળ ગંગાધર તિલક તેના જનક હતા. ગણેશોત્સવ મામલે સુધારકોના પ્રશ્નોને અવગણવા માટે તિલકે એક નવા સ્વરૂપની લડાઈ લડી અને એમ કહેવું શરૂ કરી દીધું કે આ તહેવાર નવો નથી પણ જૂનો છે. 'કેસરી'માં લેખ લખીને પેશવા અને એક અન્ય સંસ્થાના દસ્તાવેજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. સત્ય છુપાવવા માટે તિલકે અનેક યુક્તિઓનો આશરો લેવો પડ્યો. જે સંસ્કારી લોકો ગણેશોત્સવ વિરુદ્ધ તિલકને ફરિયાદ કરતા હતા, તેઓ તેમને ચેતવણી આપીને ચૂપ કરાવતા હતા.
'સત્યશોધક સમાજ' અને 'સુધારાવાદીઓ' આવા સાર્વજનિક ગણેશોત્સવની વિરુદ્ધ હતા, કારણ કે આ તહેવારમાં સમાજ સુધારકોનો ઉપહાસ અને તિરસ્કાર કરવામાં આવતો હતો. તિલક પણ આ ઉત્સવની ખામીઓથી બરાબર વાકેફ હતા, પરંતુ તેમના અંધ સમર્થકોમાં તેમને પ્રશ્ન કરવાની હિંમત નહોતી. તિલકના મૃત્યુ પછી તેમના સમર્થક બૌદ્ધિકોએ એક નવી દંતકથા ઊભી કરી. એ દંતકથા એટલે - "ગણેશોત્સવની સ્થાપના અંગ્રેજો સામે આઝાદીની લડાઈમાં લોકજાગૃતિ લાવવા માટે કરવામાં આવી હતી."
આ પણ વાંચોઃ EWS ક્વોટાનો લાભ ભક્ત જનરલ કેટેગરીને જ કેમ?
આ દંતકથાનો લોકોમાં વ્યાપકપણે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો. વાસ્તવિકતા એ છે કે ગણેશોત્સવની શરૂઆતને સ્વતંત્રતા આંદોલન સાથે કોઈ લેવાદેવા નથી, હકીકતે તે સમાજ સુધારકોને હરાવવા માટે તિલક દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા એક નવા પ્રભાવી હથિયારની 'શોધ' હતી. એ પછીના સમયમાં તિલકે તેમના વિરોધીઓને બદનામ કરવા માટે આ 'ગણેશોત્સવી શસ્ત્ર'નો વ્યાપકપણે ઉપયોગ કર્યો. ગણેશોત્સવને કારણે તિલકનું કાર્યક્ષેત્ર વિસ્તર્યું. પરંતુ ગણેશોત્સવની લોકપ્રિયતા મોટાભાગે બ્રાહ્મણો પુરતી મર્યાદિત હતી. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં જ્યોતિરાવ ફુલેના 'સત્યશોધક આંદોલન'ના પ્રભાવને કારણે બ્રાહ્મણ સિવાયના સમાજે ગણેશોત્સવથી મોં ફેરવી લીધું હતું.
ગણેશોત્સવ દ્વારા તેમના રાજકીય ઈરાદાઓ પૂરા ન થતા જોઈને શિ.એમ. પરાંજપેના સૂચન પર 1895માં તિલકે રાયગઢ, પુણે ખાતે શિવાજી મહારાજની સમાધિને પુનઃસ્થાપિત કરવા માટે એક અભિયાન શરૂ કર્યું. જો કે, આ સમાધિનો જીર્ણોદ્ધાર જોતિરાવ ફુલે પહેલેથી કરી ચૂક્યા હતા. તિલકનું કાવતરું હતું કે આમ કરવાથી વધુને વધુ બિન-બ્રાહ્મણ લોકો તેમની સાથે જોડાશે.
આ પણ વાંચોઃ સુરાપુરા ધામ ભોળાદ પરના અંધવિશ્વાસના કારણે યુવકે આત્મહત્યા કરી?
બાળ ગંગાધર તિલક દ્વારા શરૂ કરાયેલો એ જ ગણેશોત્સવ આજે મોટા પાયે જાહેર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. તિલક દ્વારા શરૂ કરાયેલો આ ઉત્સવ તેમના શિષ્યો દ્વારા સતત વિકસ્યો અને વિસ્તર્યો રહ્યો, પરંતુ જોતિરાવ ફુલે અને શાહુજી મહારાજના 'સત્યશોધક આંદોલન'ને તેમના ઓબીસી શિષ્યો-નેતાઓ વિસ્તારવાનું તો દૂર, જીવંત પણ ન રાખી શક્યા. એટલે એવું કહી શકાય કે તિલકના વિચારો જોતિરાવ ફૂલે અને શાહુજી મહારાજના વિચારો પર ભારે પડ્યાં. યાદ રાખો, આ હાર બહુજન મહાનાયકો મહાત્મા ફુલે અને શાહુ મહારાજના વિચારોને કારણે નહીં, પરંતુ તેમને આદર્શ માનનારા ઓબીસી બૌદ્ધિકો અને નેતાઓના કારણે થઈ છે.
(મૂળ લેખ બાપુ રાઉતે હિન્દીમાં લખ્યો હતો જેનો અહીં અનુવાદ પ્રસ્તુત છે.)
આ પણ વાંચોઃ RSS હવે કૉલેજોમાં ભણતા ઓબીસી-દલિત યુવાનોને ટાર્ગેટ કરશે
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Shaileshતો પછી ગણેશ વિસર્જન ની જે અગાઉ વાત કરી છે એ તો સ્વયંભૂ ખોટી સાબિત થઈ ગઈને??