સ્મૃતિ ઈરાની સહિત મોદી સરકારના અનેક મંત્રીઓ હાર્યા
લોકસભાની ચૂંટણીના પરિણામો એક્ઝિટ પોલની તદ્દન વિપરીત આવ્યા છે. જેમાં મોદી સરકારના અનેક મંત્રીઓએ પણ હારનું મોં જોવું પડ્યું છે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪માં અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ મોદી સ્મૃતિ ઈરાની અમેઠીથી મોટા માર્જિનથી હારી ગયા છે. અત્યાર સુધી જે ટ્રેન્ડ સામે આવ્યા છે તે મુજબ કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર નિશ્ચિતપણે રચાય તેમ લાગી રહ્યું છે. પરંતુ આ વખતે ઓછી બહુમતી સાથે સરકાર રચાઈ રહી છે, અગાઉની ચૂંટણીઓથી વિપરીત તેને મજબૂત જનાદેશ મળ્યો નથી. મોદી સરકારમાં ઘણા મોટા મંત્રીઓ પણ આ વખતે પોતાની સીટ પર હારી ગયા છે, તેઓ પોતાના વિરોધીઓથી હારી ગયા છે. મોદી સરકારના કેટલાક અન્ય મંત્રીઓ પણ પોતપોતાની સીટ પર હારી ગયા છે. આ સિવાય કેન્દ્રીય મંત્રી અમિત શાહ, પીયૂષ ગોયલ, મનસુખ માંડવિયા અને અનુરાગ ઠાકુર જેવા કેન્દ્રીય મંત્રીઓ મજબૂત જીત હાંસિલ કરી છે.
હાલમાં કેન્દ્રીય મંત્રીઓ સ્મૃતિ ઈરાની, અર્જુન મુંડા, મહેન્દ્ર નાથ પાંડે અને આર.કે. સિંહ હારનો સામનો કરી રહ્યા છે. એક તરફ સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે, અર્જુન મુંડા ખુંટીથી ચૂંટણી લડી રહ્યા છે, ડૉ. મહેન્દ્ર નાથ પાંડે ચંદૌલીથી અને રાજ કુમાર સિંહ બિહારના આરાથી નસીબ અજમાવી રહ્યા છે. પરંતુ મોદી સરકારના આ તમામ મંત્રીઓએ લોકસભાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું નથી અને તેઓએ હારનો સ્વાદ ચાખ્યો છે.
૧.સ્મૃતિ ઝુબિન ઈરાની – અમેઠી, ૧.૫ લાખથી વધુ મતોથી હાર
૨.અર્જુન મુંડા – ખુંટી – ૧.૩, લાખથી વધુ મતોથી હાર
૩.ડૉ. મહેન્દ્ર નાથ પાંડે – ચંદૌલી, ૨૨,૦૦૦થી વધુ મતોથી હાર
૪.રાજ કુમાર સિંહ – આરા, ૩૮,૦૦૦થી વધુ મતોથી હાર
૫.રાજીવ ચંદ્રશેખરન- તિરુવનંતપુરમ – ૧૬૦૦0થી વધુ મતોથી હાર
સ્મૃતિ ઈરાનીની વાત કરવામાં આવે તો તે કોંગ્રેસના કે.એલ. શર્મા સામે હારી ગયા છે. આ સીટ પર ગત ચૂંટણીમાં ઈરાનીએ રાહુલ ગાંધીને મોટા અપસેટમાં હરાવ્યા હતા.
આ પણ વાંચો: મોદી સરકાર, કોર્પોરેટ અને વ્યક્તિગત કરદાતાઃ જમવામાં જગલો, કૂટવામાં ભગલો