અમદાવાદના નિકોલમાં બેઘર થયેલા સેંકડો ઓબીસી પરિવારોની હૃદયદ્રાવક તસવીરો

અમદાવાદના નિકોલ સ્થિત બળિયાદેવના ટેકરા વિસ્તારમાં સેંકડો ઓબીસી પરિવારોના ઘરો તોડી પાડવામાં આવ્યા છે. એક તસવીર એક હજાર શબ્દોની ગરજ સારતી હોય છે, ત્યારે અહીં આ પરિવારોની પરિસ્થિતિ બયાઁ કરતી કેટલીક તસવીરો રજૂ કરીએ છીએ, જેનાથી વાસ્તવિક સ્થિતિ શું છે તે સમજી શકાશે.

1 / 1

1.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા બળિયાદેવના ટેકરા વિસ્તારમાં ઓબીસી પટ્ટણી સમાજના સેંકડો પરિવારોના ઘરો પર અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને બુલડોઝર ફેરવી દીધું છે. જેના કારણે ભરશિયાળે અહીં વસતા ત્રણ હજાર જેટલા લોકો રસ્તા પર આવી ગયા છે. આજે આ ઘટનાને 11 દિવસ થયા છતાં આ પરિવારોની દયનિય સ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી. હજુ પણ તેઓ ઉપર આભ નીચે ધરતીના સહારે જીવન વિતાવી રહ્યાં છે. અહીં આ પરિવારોની કેટલીક હૃદયદ્રાવક તસવીરો રજૂ કરીએ છીએ, જેથી વાસ્તવિકતાનો સાચો અંદાજ આવે.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.