BIG BREAKING: સુપ્રીમ કોર્ટે SC-ST ક્વોટાની અંદર ક્વોટાને મંજૂરી આપી

દેશના એસસી, એસટી સમાજ માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે રાજ્યોને અનામત ક્વોટામાં પણ ક્વોટાને મંજૂરી આપી છે.

BIG BREAKING: સુપ્રીમ કોર્ટે SC-ST ક્વોટાની અંદર ક્વોટાને મંજૂરી આપી
image credit - Google images

સુપ્રીમ કોર્ટે અનામતને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માં ક્વોટાને મંજૂરી આપી છે. મતલબ હવે રાજ્યો અનામત ક્વોટાની અંદર પર ક્વોટા પાડી શકશે.

આ કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે અનામત ક્વોટામાં ક્વોટા અસમાનતાની વિરુદ્ધ નથી. રાજ્યને સરકારી નોકરીઓમાં અનામત આપવા માટે SC અને STને પેટા-વર્ગીકરણ કરવાનો અધિકાર છે, જેથી મૂળ અને જરૂરિયાતમંદ વર્ગોને અનામતનો વધુ લાભ મળે. આ નિર્ણય CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી સાત સભ્યોની બંધારણીય બેન્ચે આપ્યો હતો.

ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ સહિત છ જજોએ આ નિર્ણયને સમર્થન આપ્યું હતું, જ્યારે જસ્ટિસ બેલા ત્રિવેદીએ આ નિર્ણય પર અસંમત હતા. એટલે કે બેન્ચે આ નિર્ણય 6/1થી આપ્યો હતો. આ નિર્ણય સાથે સાત સભ્યોની બંધારણીય બેન્ચે 2004માં ઈવી ચિન્નૈયા કેસમાં આપવામાં આવેલા પાંચ જજોના નિર્ણયને ઉલટાવી દીધો હતો, જેમાં સર્વોચ્ચ  અદાલતે કહ્યું હતું કે એસસી/એસટી જનજાતિ વચ્ચે પેટા-શ્રેણી બનાવી શકાય નહીં. CJIએ કહ્યું કે 'અમે ઇવી ચિન્નૈયા કેસમાં આપેલા નિર્ણયને ફગાવી દઈએ છીએ. પેટા વર્ગીકરણ કલમ 14નું ઉલ્લંઘન કરતું નથી, કારણ કે પેટા વર્ગોને સૂચિમાંથી બાકાત રાખવામાં આવ્યા નથી.

બેન્ચે કહ્યું કે વર્ગોમાંથી અનુસૂચિત જાતિને ઓળખવા માટે ઉપયોગમાં લેવાતા માપદંડો દર્શાવે છે કે વર્ગોમાં વિવિધતા છે. કલમ 15, 16માં એવું કંઈ નથી કે જે રાજ્યને કોઈપણ જાતિનું પેટા-વર્ગીકરણ કરતા અટકાવે. 

જો કે, કોર્ટે એમ પણ કહ્યું હતું કે પેટા-વર્ગીકરણનો આધાર રાજ્યો દ્વારા પ્રમાણિત અને દર્શાવી શકાય તેવા ડેટા દ્વારા વાજબી હોવો જોઈએ, તે પોતાની મરજી મુજબ કામ નહીં કરી શકે.
કોર્ટે કહ્યું કે અનામત હોવા છતાં, નીચલા વર્ગના લોકોને તેમનો વ્યવસાય છોડવો મુશ્કેલ છે. આ પેટા-શ્રેણીનો આધાર એ છે કે એક મોટા જૂથ વચ્ચે એક જૂથને વધુ ભેદભાવનો સામનો કરવો પડે છે.

સુપ્રીમ કોર્ટે 2004ના નિર્ણયમાં શું કહ્યું?
2004ના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેન્ચે કહ્યું હતું કે અનામત આપવા માટે રાજ્યોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની પેટા શ્રેણી બનાવવાનો અધિકાર નથી, પરંતુ આજે સુપ્રીમની સાત સભ્યોની બેન્ચે પોતાની જ બેન્ચનો નિર્ણય પલટી નાખ્યો છે. હવે રાજ્ય સરકારોને અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પેટા-શ્રેણી બનાવવાનો અધિકાર મળી ગયો છે.

આખો મામલો શું છે?
વાસ્તવમાં વર્ષ 1975માં, પંજાબ સરકારે અનામત સીટોને બે કેટેગરીમાં વહેંચીને અનુસૂચિત જાતિ અનામત નીતિ રજૂ કરી હતી. આ અનામત નીતિમાં, એક વાલ્મિકી અને મઝહબી શીખો માટે અને બીજી બાકીની અનુસૂચિત જાતિ વર્ગ માટે હતી. આ નિયમ 30 વર્ષ સુધી અમલમાં રહ્યો. 2006માં, કેસ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પહોંચ્યો અને ઈવી ચિન્નૈયા વિરુદ્ધ આંધ્ર પ્રદેશ રાજ્યના કેસમાં સુપ્રીમ કોર્ટના 2004ના નિર્ણયને ટાંકવામાં આવ્યો અને આ નીતિ રદ કરવામાં આવી હતી. ચિન્નૈયાના ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે એસસી કેટેગરીમાં પેટા-શ્રેણીઓને મંજૂરી નથી કારણ કે તે સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે.

હવે શું થશે?
સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાનો રાજકીય પક્ષો પોતપોતાના ફાયદા માટે ઉપયોગ કરશે અને તેનાથી અનુસૂચિત જાતિ સમાજમાં અંદરોઅંદર વિખવાદ વધશે, જેનો ફાયદો રાજકીય પક્ષો પોતપોતાની રીતે ઉઠાવવા પ્રયત્નો કરશે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય હોવાથી રાજ્યો તેનો અમલ કરાવશે અને તેનાથી અનુસૂચિત જાતિ સમાજ બે ભાગમા વહેંચાઈ જશે. એ રીતે બહુજન એકતાના મિશનને મોટો ફટકો પડશે. 

આગળ વાંચોઃ અનામત સાથે જોડાયેલા કેટલા જુઠ્ઠાણાં અને તેનો પર્દાફાશ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • ડાહ્યાભાઈ ઝેડ પરમાર
    ડાહ્યાભાઈ ઝેડ પરમાર
    દેશ ની સર્વોચ્ચ અદાલત દ્વારા જે આગળ ના ચુકાદા ને જે નજરઅંદાજ કરવામા આવેલ છે તે યોગ્ય નિર્ણય ન કહેવાય ડાહ્યાભાઈ પરમાર
    10 months ago
    • ડાહ્યાભાઈ ઝેડ પરમાર
      ડાહ્યાભાઈ ઝેડ પરમાર
      Sc St કોટા મા કોઈ પણ જાતનો ફેરફાર ન થવો જોઇએ કેમ કે બંધારણ અનુસાર પાલન થાય એ થવુ જોઈએ
      10 months ago