લિવ-ઈન રિલેશનશિપ ભારતીય સંસ્કૃતિ માટે 'કલંક' છેઃ છત્તીસગઢ હાઈકોર્ટ

છત્તીસગઢ હાઈકોર્ટે Live-in relationship ને એક આયાતી ખ્યાલ ગણાવીને તેને ભારતીય સંસ્કૃતિ માટે કલંક ગણાવી છે.

લિવ-ઈન રિલેશનશિપ ભારતીય સંસ્કૃતિ માટે 'કલંક' છેઃ છત્તીસગઢ હાઈકોર્ટ
all image credit - Google images

છત્તીસગઢ હાઈકોર્ટે લિવ ઈન રિલેશનશીપને ભારતીય સંસ્કૃતિ માટે કલંક ગણાવતો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે આ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે. હાઈકોર્ટે તેની ટિપ્પણીમાં કહ્યું કે આ પશ્ચિમી દેશો દ્વારા લાવવામાં આવેલી વિચારસરણી છે, જે ભારતીય રિવાજોની સામાન્ય અપેક્ષાઓથી વિરુદ્ધ છે. છત્તીસગઢ હાઈકોર્ટે દંતેવાડા સાથે જોડાયેલા એક કેસમાં આ નિર્ણય આપ્યો હતો.

જસ્ટિસ ગૌતમ ભાદુરી અને સંજય એસ. અગ્રવાલની બેંચે લિવ-ઈન રિલેશનશિપથી જન્મેલા બાળકની કસ્ટડીના કેસમાં આ ટિપ્પણી કરી હતી. વાસ્તવમાં પિતાએ બાળકની કસ્ટડીને લઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ કેસની સુનાવણી બાદ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. 

આ મામલે આકરી ટીપ્પણી કરતાં કોર્ટે કહ્યું હતું કે સમાજના કેટલાક વર્ગોમાં અપનાવવામાં આવેલ લિવ-ઈન રિલેશનશિપ હજુ પણ ભારતીય સંસ્કૃતિમાં કલંક સમાન છે, કારણ કે લિવ-ઇન રિલેશનશિપ એક આયાતી ખ્યાલ છે,  જે ભારતીય રિવાજોની સામાન્ય અપેક્ષાઓથી વિરુદ્ધ છે.

કોર્ટે કહ્યું કે વિવાહિત વ્યક્તિ માટે લિવ-ઈન રિલેશનશિપમાંથી બહાર આવવું ખૂબ જ સરળ છે. આવા કિસ્સાઓમાં, કોર્ટ આ ત્રાસદાયક લિવ-ઇન રિલેશનશિપમાંથી બચી ગયેલી વ્યક્તિ અને તે સંબંધમાંથી જન્મેલા બાળકોની દુર્દશા પ્રત્યે આંખો બંધ કરી શકતી નથી. કોર્ટે આ સંબંધને ભારતીય માન્યતાઓ વિરુદ્ધ ગણાવ્યો છે.

આ પણ વાંચો: મંત્રોચ્ચાર અને સાતફેરા વિના તમારા લગ્ન માન્ય નહીં- સુપ્રીમ કોર્ટ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.