બહુજનોના પ્રશ્નોની ચર્ચા માટે પૂર્વ CJI કે.જી. બાલક્રિષ્ણન અમદાવાદ આવશે
ગુજરાતના બહુજન સમાજના પ્રશ્નોને સાંભળવા માટે પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા કે.જી. બાલક્રિષ્ણન તેમના પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદ આવી રહ્યાં છે.

એકબાજુ સુપ્રીમ કોર્ટે એસસી, એસટી સમાજની અનામતમાં ભાગલા પાડી અંદરોઅંદર તેમને લડાવતો ચૂકાદો આપ્યો છે. બીજી તરફ બહુજન સમાજના પ્રશ્નો જેમની તેમ સ્થિતિમાં છે. આ બધાં વચ્ચે પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા કે.જી. બાલકૃષ્ણન તેમના પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. આ આયોગ સમક્ષ બહુજન સમાજના પ્રશ્નોની કેવી રીતે મજબૂતીથી રજૂઆત કરવી તેનું પ્લાનિંગ કરવા માટે અમદાવાદ ખાતે એક ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
કે.જી. બાલકૃષ્ણન આયોગ સમક્ષ બહુજન સમાજના વિવિધ પ્રશ્નોને લઈને યોગ્ય રજૂઆત કરી શકાય તે માટે એસસી, એસટી, ઓબીસી સહિતના બહુજન સમાજના વકીલો, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, જાગૃત નાગરિકો, દલિત સાહિત્યકારો, પત્રકારો અને કર્મશીલો બેઠક યોજવાના છે.
છેલ્લાં કેટલાક મહિના દરમિયાન બહુજન સમાજને હાનિ પહોંચાડતી કેટલીક ગંભીર ઘટનાઓ બની ગઈ છે. સુ્પ્રીમ કોર્ટે એસસી, એસટીની અનામતમાં ભાગલા પાડી આખી અનામત સિસ્ટમને જ ખતમ કરી નાખવા તરફનું પગલું ભર્યું છે, સંસદ પરિસરમાંથી ડો. આંબેડકરની પ્રતિમા હટાવી દેવાઈ છે, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની દિવાલો પર જાતિવાદી સૂત્રો લખવામાં આવ્યા, સંસદમાં દલિત, બહુજન સમાજનું પ્રતિનિધિત્વ શૂન્ય કક્ષાએ પહોંચ્યું છે આ બધાં પ્રશ્નો સમગ્ર બહુજન સમાજ પર ગંભીર અસર પાડનારા છે.
એ સ્થિતિમાં આ તમામ ઘટનાઓ પર ચર્ચા વિચારણ કરવા માટે અમદાવાદના રાયખડ વિસ્તારમાં તા. 8 ઓગસ્ટ 2024ને ગુરૂવારના રોજ બપોરે 12 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી એક ચિંતન બેઠકનું આયોજન બહુજન સમાજના જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી છે. જેમાં તમામ જિલ્લામાંથી પણ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાના છે.
આ પણ વાંચો: દલિત અત્યાચાર મામલે સ્વામિનારાયણના ‘પ્રગટ બ્રહ્મસ્વરુપો’ ચૂપ કેમ રહે છે?
આ બેઠક પાછળનો હેતુ એ છે કે, સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ કે.જી. બાલક્રિષ્ણનની અધ્યક્ષતા સાથેનું આયોગ તેના પ્રતિનિધિઓ સાથે તા. 9 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદ આવી રહ્યું છે. આ આયોગ સમક્ષ સક્ષમ રીતે અને કાયદાકીય રીતે સમગ્ર એસસી, એસટી, ઓબીસી સમાજને અન્યાય ન થાય તે રીતે લેખિત-મૌખિક રીતે રજૂઆતો થાય તે માટે આ ચિંતન બેઠકમાં સ્ટ્રેટેજી ઘડવાનું નક્કી કરાયું છે.
આ મામલે વધુ જાણકારી આપતા આ ચિંતન બેઠકના આયોજક બાલકૃષ્ણ આનંદ ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવે છે કે, "બહુજન સમાજના પ્રશ્નોને લઈને કે.જી. બાલકૃષ્ણન આયોગ સમક્ષ મજબૂતીથી રજૂઆત કરી શકાય તે માટે સ્ટ્રેટેજી તૈયાર કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ કે.બી. રાઠોડ સાહેબ, નિવૃત્ત સેશન્સ જજ બી.એસ. ઓઝા સાહેબ, નિવૃત્ત જિલ્લા ન્યાયધીશ બી.એન. મકવાણા સાહેબ ઉપસ્થિત રહીને સૌનું માર્ગદર્શન કરીને આયોગ સામે કેવી રીતે રજૂઆત કરવી તેનું પ્લાનિંગ કરશે. તેમની સાથે ગુજરાતભરમાંથી આવેલા વકીલ મિત્રો પણ હાજર રહેશે. આ તમામ લોકો મળીને જે સ્ટ્રેટેજી ઘડશે તેના આધારે બાલકૃષ્ણ ઈન્કવાયરી આયોગ સમક્ષ બહુજન સમાજના પ્રશ્નોની મજબૂતીથી રજૂઆત કરવામાં આવશે."
ઉલ્લેખનીય છે કે, તા. 9 ઓગસ્ટ 2024ને શુક્રવારના રોજ સવારે 11 વાગ્યે અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ કે.જી. બાલકૃષ્ણનની અધ્યક્ષતામાં તપાસ કમિશન આવી રહ્યું છે. તેમાં નિવૃત્ત આઈએએસ ડો. રવિન્દ્ર જૈન, યુજીસીની સભ્ય ડો. સુષ્મા યાદવ સભ્ય તરીકે આવવાના છે. આ ત્રણેય મહાનુભાવો સમક્ષ બહુજન સમાજના પ્રશ્નોને લેખિત, મૌખિક રીતે મજબૂતીથી કેવી રીતે રજૂ કરી શકાય તેના માટે આ ચિંતન શિબિરમાં પ્લાનિંગ થશે અને બીજા દિવસે આયોગ સમક્ષ તે મુજબ રજૂઆત કરાશે.
જો તમે પણ બહુજન સમાજની આ ચિંતન બેઠકમાં સામેલ થવા માંગો છો તો તા. 8 ઓગસ્ટ 2024ને ગુરૂવારના રોજ પ્રાર્થના સમાજ હોલ, પી.આર. ટ્રેનિંગ કોલેજની પાસે, રાયખડ, અમદાવાદ ખાતે બપોરના 12થી 5 વાગ્યા સુધીના સમયને ધ્યાનમાં રાખીને સમયસર પહોંચી જઈ શકો છો. આ કાર્યક્રમની જાહેર પત્રિકા અહીં સ્ટોરીમાં સામેલ છે.
આ પણ વાંચો: વિકાસ દિવ્યકીર્તિ અને અવધ ઓઝાનું અસલી ચરિત્ર સામે આવી ગયું
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Babubhai MakwanaJay mulnivaasee dholka
-
Chandrakant ParmarThis is very right time program arrange,at nowadays ormur community's survival is in hands of leading party ,so we all be careful and be aware of our survival,and we will present in full maas sobour strength can demolish leading party's decision, supreme court also influence in leading partyso we will unite and struggle for our rights of constitution article 341