કોણ છે પ્રોફેસર વિક્રમ હરિજન, જેમની સામે VHP, બજરંગ દળે FIR કરી છે?
![કોણ છે પ્રોફેસર વિક્રમ હરિજન, જેમની સામે VHP, બજરંગ દળે FIR કરી છે?](https://khabarantar.com/uploads/images/202310/image_870x_653deb14e4c3c.jpg)
અલાહાબાદ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. વિક્રમ હરિજન પર ભગવાન રામ અને કૃષ્ણ વિશે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. વિશ્વ હિંદુ પરિષદ, હિંદુ જાગરણ મંચ અને બજરંગ દળે મળીને તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે જણાવ્યું કે VHPના જિલ્લા સંયોજક શુભમની ફરિયાદ પર પ્રયાગરાજના કર્નલગંજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. આસિસ્ટન્ટ પ્રોફેસર દલિત સમાજમાંથી આવે છે અને નાનપણથી જ જાતિ પ્રથાનો ભોગ બન્યા છે. સમયાંતરે તેઓ તેમના લેખો દ્વારા જાતિ ભેદભાવ અને અસ્પૃશ્યતાની ટીકા કરતા રહે છે.
આ પણ વાંચોઃ સત્તાની ગુરૂકિલ્લી: દલિતજન, બહુજન, સર્વજન
ડૉ. વિક્રમે પોસ્ટમાં શું લખ્યું હતું?
https://twitter.com/ProfDrVikram1/status/1715912630186209433?t=J2-DwO0SzdsqrecJaT6y8A&s=19
કોણ છે પ્રો. વિક્રમ હરિજન?
'હરિજન' શબ્દ તદ્દન અપમાનજનક છે, અને તેના ઉપયોગ પર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમને તેમની અટક તેમના પિતા રઘુનાથ હરિજન પરથી મળી હતી, જેઓ શરૂઆતમાં પૂર્વી ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં બંધુઆ મજૂર હતા. તેઓ યાદ કરે છે, "તે સમયે જીવન ખૂબ જ દયનીય હતું, અમારે 'ગોબરહા' રોટલી (ગાયના છાણમાંથી ઘઉં કાઢીને બનતી રોટલી) અને મૃત પ્રાણીઓનું માંસ આરોગીને ગુજરાન ચલાવવું પડતું. પાછળથી પિતાજી બંગાળ ગયા, જ્યાં તેમણે કોલસાની ખાણમાં કામ કર્યું. પશ્ચિમ બંગાળ જેવા પ્રગતિશીલ મનાતા રાજ્યમાં પણ તેઓ જાતિવાદથી બચી શક્યા નથી. ત્યાં ઉત્તર ભારતીય રહેવાસીઓએ એમને જાતિવાદી અપમાનનો શિકાર બનાવ્યા.
આ પણ વાંચોઃ ભારતની પહેલી દલિત અભિનેત્રીએ ફિલ્મમાં એક સવર્ણ મહિલાનું પાત્ર ભજવ્યું તો જાતિવાદીઓએ તેનું ઘર સળગાવી નાખ્યું!
આ પણ વાંચોઃ અમદાવાદમાં 14 વર્ષ પહેલાં થયેલી દલિત કિશોરીની હત્યાનો ભેદ હજી સુધી ઉકેલાયો નથી
બાદમાં, તેમના મિત્ર દિવાકરની મદદથી, તેમણે SFI (સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા)ને આ મામલે દરમિયાનગીરી કરાવવામાં સફળતા મેળવી. SFIના કાર્યકરોએ હેમેન્દ્ર ગાંગુલી નામના પ્રિન્સિપાલને ઘેરી લીધા અને બ્રાહ્મણ શિક્ષક સામે કાર્યવાહી અને માફીની માંગ કરી. શિક્ષકે માફી માંગી પરંતુ આગામી 2 વર્ષ સુધી વિક્રમને ભણાવ્યો નહીં.
દસમા ધોરણમાં પહોંચ્યા ત્યાં સુધીમાં આ બળવાખોર મૂર્તિભંજકમાં પરિવર્તિત થઈ ગયા હતા. રાજા રામમોહન રાય દ્વારા પ્રેરિત, તેઓ માત્ર નિરાકાર બ્રહ્મામાં માનતા હતા. પરંતુ તેઓ હજુ પણ આંબેડકરથી અજાણ હતા. તેમના નિશ્ચયને તેમના મિત્રોએ પડકાર્યો હતો અને તેમને શિવલિંગ પર પેશાબ કરવાનો પડકાર આપવામાં આવ્યો હતો. વિક્રમ કહે છે કે તેણે પડકાર સ્વીકાર્યો અને પશ્ચિમ બંગાળના ગોસાઈ ધામમાં મંદિરની અંદર સ્થિત શિવલિંગ પર પેશાબ કર્યો. જો કે આ બહાદુર કૃત્ય સામે તે સમયે કોઈ નોંધપાત્ર વિરોધ ઉઠ્યો ન હતો, પરંતુ આંબેડકર જયંતિની ઉજવણીમાં તે ઘટનાનો ઉલ્લેખ થતાં સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળવી શરૂ થઈ, તે એટલી હદે કે તેમણે પોલીસ રક્ષણ મેળવવું પડ્યું હતું.
આગળ વાંચોઃ નારી ગુંજન સરગમ બેન્ડઃ પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાને પડકાર ફેંકતું બિહારની દલિત મહિલાઓનું બેન્ડ